text
stringlengths 248
273k
|
---|
આ ધરતી પર રહીને આપણી જરૂરિયાતો પૂરી કરવા માટે પૈસાની જરૂર પડે છે અને મા લક્ષ્મીની કૃપાથી ધન અને અન્નનું સુખ મળે છે. આવી સ્થિતિમાં દેવી લક્ષ્મીની પૂજા-અર્ચના કરીને તેમને પ્રસન્ન…
Dharmik
દીપાવલીની રાત્રે કરો માતંગી યંત્ર સાધના, દુ:ખમાંથી મળશે છૂટ, સુખ પ્રવેશશે.
Oct 29, 2021 Dineshkumar Pandit
મનુષ્યના જીવનમાં સુખ અને દુઃખ આવતા જ રહે છે. ભાગ્યે જ કોઈ એવું હશે જેણે પોતાના જીવનમાં ક્યારેય કોઈ દુઃખ સહન ન કર્યું હોય. કેટલાક લગ્ન ન થવાથી ચિંતિત છે તો કેટલાક… |
‘અકબર સર, તમે એવું કેમ કહ્યું કે આવા પ્લેન વિશે સાંભળ્યું નથી. આદમ જસ્ટ આવા જ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યો છે તે તો તમે અને હું બંને જાણીએ છીએ,’ જયંત સિન્હાએ સાઉથ-એન્ડની તેમની કેબિનમાં પહોંચતાં જ સવાલ કર્યો.
જયંત સિન્હાને પોતાના પ્રામાણિક અને સ્પષ્ટવક્તા તરીકે ઓળખાતા બોસના આવા વર્તનથી નવાઈ લાગી હતી
લેખક – વિપુલ વૈદ્ય
સેન્ટ્રલ વિસ્ટામાં અત્યારે ફક્ત ત્રણ લોકો પીએમ ઑફિસની એન્ટી-ચેમ્બરમાં બેઠા હતા. આદેશ રાજપાલ અને રાજીવ ડોવાલ સાથે વડાપ્રધાન ખુદ હાજર હતા. રંજન કુમારે જે માગણી કરી હતી તે અને બાકીના લોકો દ્વારા કરવામાં આવેલી વાત પર ગહન ચર્ચા ચાલી રહી હતી.
‘અનુપ રોયે શું કહ્યું હતું?,’ વડાપ્રધાને આદેશને સવાલ કર્યો.
‘સર, તેમણે કહ્યું હતું કે અનુપમ વૈદ્યને પાછા લેવાની રંજન કુમારની માગણી સ્વીકારવામાં ઘણું જોખમ છે, કેમ કે આનાથી અન્ય વિજ્ઞાનીઓનું મોરલ તૂટી જશે અને દેશ પર દૂરગામી પરિણામ આવશે,’ આદેશ રાજપાલે કહ્યું.
તમને આ વાતમાં કેટલું તથ્ય લાગે છે?
‘પીએમ સર, જ્યાં સુધી મારું માનવું છે ત્યાં સુધી અનુુપ રોયને અનુપમ વૈદ્ય સાથે કોઈ વ્યક્તિગત વાંધો હોવો જોઈએ કેમ કે અનુપમ સામે એવા કોઈ ગંભીર આરોપ નથી. પરસ્ત્રીગમન અને મદ્યપાનની ફરિયાદ તેમની સામે કરવામાં આવી હતી. આ બંને દૂષણ તો દેશના ૮૦ ટકા વિજ્ઞાનીઓમાં છે,’ આદેશ રાજપાલે પોતાનો નિષ્પક્ષ મત વ્યક્ત કર્યો
આ બધી વાત ચાલી રહી હતી ત્યારે અચાનક કશુંક યાદ આવતાં વડા પ્રધાને ઈન્ટરકોમ ઉઠાવીને રાજેશ તિવારીને મોકલવાનો આદેશ આપ્યો.
‘રાજેશ અહીંથી ગયા પછી અને અહીં આવવા પહેલાંની કોઈ મહત્ત્વની માહિતી આપવાની રહી ગઈ છે,’ વડાપ્રધાન ઈન્દ્રવદન મહેતાએ સવાલ કર્યો.
‘સર, સેન્ટ્રલ વિસ્ટાની કેન્ટીનમાં બે નવા છોકરા કામ પર ગઈકાલથી જ લાગ્યા છે. રાજીવ સરને આ બાબતની જાણકારી આપી હતી, પરંતુ તેમણે આ બાબતને મહત્ત્વ ન આપવા જણાવ્યું હતું,’ રાજેશ તિવારી એકશ્ર્વાસે બોલી ગયો.
‘તો પછી આજે કે અત્યારે એવું શું થયું કે તને આ વાતનો મારી પાસે ઉલ્લેખ કરવો આવશ્યક લાગ્યો?,’ વડા પ્રધાને સવાલ કર્યો.
‘સર, અહીંથી નીકળીને વિજ્ઞાનીઓ નોર્થ-એન્ડની કચેરીમાં પહોંચ્યા ત્યારે તેમાંથી એક છોકરો કેન્ટીનમાંથી પાણી અને જ્યુસ આપવાને બહાને તેમની કેબિનની અંદર પહોંચી ગયો હતો.’
‘બીજો છોકરો સાઉથ-એન્ડમાં વિજ્ઞાનીઓની પાછળ જવાનો પ્રયાસ કરતો હતો, પરંતુ તેને આંતરીને તેની પાસેથી પાણી અને જ્યુુસ લઈને રવાના કરી દેવામાં આવ્યો હતો,’ રાજેશ તિવારીએ વડાપ્રધાનને માહિતી આપી.
‘બીજું કશું જાણવા જેવું છે?,’ વડા પ્રધાને બીજો સવાલ કર્યો.
‘સર, શ્રુતિ મહેતાના પિતા મધ્ય પ્રદેશમાં અમેરિકન કંપનીમાં કામ કરે છે અને આ કંપની અમેરિકામાં સત્તાધારી પાર્ટીની નજીક ગણાય છે. શ્રુતિ મહેતાએ અહીંથી નીકળીને પિતાની સાથે વાત કરી હતી અને પછી તેમની નિર્ધારિત જગ્યા પર પહોંચ્યા હતા,’ રાજેશ તિવારીએ કહ્યું.
‘બીજું…’
‘વિશાલ માથુર સર.. બહાર નીકળીને તેમણે ઈસરોમાં ફોન લગાવ્યો હતો, પરંતુ તેમણે આ ફોન વિક્રમ નાણાવટીને નહોતો કર્યો. તેમણે આ ફોન પોતાના અત્યંત જૂના મિત્ર રાકેશ વાધવાનને લગાવ્યો હતો. તેમણે અંદાજે પાંચેક મિનિટ સુધી કેટલીક ગૂફતેગો કરી હતી અને પછી તેઓ પોતાની નિર્ધારિત જગ્યાએ પહોંચ્યા હતા,’ રાજેશ તિવારીએ માહિતી આપી.
‘રાજીવ, તમને શું લાગે છે આપણે શું કરવું જોઈએ?,’ વડા પ્રધાને પુછ્યું.
‘સર, જ્યાં સુધી બંને છોકરાની વાત છે તો તેમને કાલે અહીંથી હટાવી દેવામાં આવશે, રાજીવ ડોવાલે તરત જ જવાબ આપ્યો.
રાજીવ ડોવાલ આગળ બોલે તે પહેલાં તેમને રોકતાં વડા પ્રધાને કહ્યું,
‘ના, તેમને હટાવવાના નથી, ફક્ત તેમની હિલચાલ પર નજર રાખો અને તેઓ કોને રિપોર્ટિંગ કરે છે તેની નક્કર માહિતી મેળવો. પછી હું કહીશ કે શું કરવાનું છે.’
‘બીજું રાકેશ વાધવાન અને વિશાલ માથુર વચ્ચેના સંબંધોની તપાસ કરો. શ્રુતિ મહેતાના પિતા શંકર મહેતાની માહિતી એકઠી કરાવી રાખો. રાકેશ વાધવાનના કોલ રેકર્ડ અને શંકર મહેતાના સીડીઆરની માહિતી મેળવવાનું કહેવાની આવશ્યકતા નથી, બરાબર,’ વડા પ્રધાને બોલવાનું પૂરું કર્યું.
‘હવે અકબર અને જયંતે કરેલી વાતનું અર્થઘટન કરવાનો પ્રયાસ કરીએ,’ વડા પ્રધાને રાજીવ અને આદેશને જણાવ્યું.
‘અકબરની વાત પરથી સ્પષ્ટ થાય છે કે અત્યાર સુધી ગુરુત્વાકર્ષણને ભેદી શકે એવું પ્લેન તૈયાર તો નથી, પરંતુ સ્પેસ સ્ટેશન માટે શટલ તરીકે કામ કરી રહેલા પ્લેન અત્યારે કામ કરી રહ્યા છે. જોકે તેમને માટે લાભની વાત એ હોય છે કે તેમને ગુરુત્વાકર્ષણ અને વાતાવરણનો સંઘર્ષ સહન કરવો પડતો નથી, જે સામાન્ય રોકેટને સહન કરવો પડે છે અને તેથી આપણે ઈંધણ મોટા પ્રમાણમાં વાપરવું પડે છે,’ આદેશે પોતાની સમજણ પ્રમાણે જવાબ આપ્યો.
‘અત્યારે તમારા ધ્યાનમાં એવા કોઈ વિજ્ઞાની છે, જેણે સ્પેસ સ્ટેશન સાથે સંકળાયેલા આવા શટલ જેવા પ્લેન માટે કામ કર્યું હોય, વડાપ્રધાને સવાલ કર્યો.
આ ઉપરાંત વિશાલ માથુર કંઈ ભારતમાં સોલિડ ફ્યુઅલ બનાવવાની વાત કરી રહ્યો હતોને, તે શું હતું? તેમાં કોઈ ભારતીય વિજ્ઞાની આપણી મદદ કરી શકે છે એની જરા તપાસ તો કરાવો, વડાપ્રધાને બીજું કામ સોંપ્યું.
તેમણે રાજીવને કહ્યું કે ભારતમાં આવા પ્રોજેક્ટ પર કશું કામ ચાલી રહ્યું છે કે નહીં તેની માહિતી મેળવવાનો પ્રયાસ કરો. મને લાગે છે કે કોઈ આ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા હોવાનું ક્યાંક વાંચ્યું હતું. તપાસ તો કરી જુઓ.’
***
‘અકબર સર, તમે એવું કેમ કહ્યું કે આવા પ્લેન માટે સાંભળ્યું નથી. આદમ જસ્ટ આવા જ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યો છે તે તો તમે અને હું બંને જાણીએ છીએ,’ જયંત સિન્હાએ સાઉથ-એન્ડની તેમની કેબિનમાં પહોંચતા જ સવાલ કર્યો.
જયંત સિન્હાને પોતાના પ્રામાણિક અને સ્પષ્ટવક્તા તરીકે ઓળખાતા બોસના આવા વર્તનથી નવાઈ લાગી હતી.
‘કારણકે, આદમ જસ્ટનો પ્રોજેક્ટ કેટલા બિલિયન ડૉલરનો છે તેની તને ખબર છે ને. આમ પણ મેં એમાં ખોટું શું કહ્યું હજી સુધી આદમને પોતાના પ્રોજેક્ટમાં સફળતા મળી નથી. એક વખતની નિષ્ફળતા બાદ હજી સુધી તે પોતાના રોકેટની ટેસ્ટિંગ કરવાની હિંમત કરી શક્યો નથી,’ અકબરે પોતાના સાથીને કહ્યું.
‘જયંત તમે પોતે એક વિજ્ઞાની છો એટલે તમને ખબર હોવી જોઈએ કે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ ભેદીને બહાર નીકળવામાં ભારે તાકાતની જરૂર પડે છે, આવી જ રીતે વાતાવરણનો સંઘર્ષ થાય ત્યારે આપણી મેટલની પ્લેટો પણ સળગી ઊઠે એટલી ઊર્જા પેદા થાય છે. આ બધું સહન કરી શકે એવા પ્લેન બનાવવાનું શક્ય લાગે છે તમને?’ અકબરે પોતાની વાત કરી.
‘તને લાગે છે કે આ ભારત માટે યોગ્ય વિકલ્પ છે. આપણે એવો પ્રોજેક્ટ તૈયાર કરવાનો છે જે આપણા દેશને પરવડી શકે,’ આખરે અકબરે પોતાના સાથીને સમજાવવા માટે સ્પષ્ટ શબ્દો વાપર્યા.
‘આદમ જસ્ટ અત્યારે રોકેટ જેવા પ્લેનની યોજના વેચી રહ્યો છે અને લોકોને અવકાશયાત્રા કરાવવાને નામે કરોડોના બૂકિંગ લઈ રહ્યો છે. તે તો કાલ સવારે મંગળ પર જમીન વેચશે. એવા ગાંડાની સરખામણી ન થાય,’ એમ અકબરે કહ્યું.
***
‘અનુપ સર, તમે જે ભરતીની વાત કરી તે આ પ્રોજેક્ટને બંધ કરવા માટે પૂરતી હતી. આ બધું સાંભળીને પીએમ સરના હોશ ઉડી ગયા હશે. હવે રંજન કુમારનો પ્રોજેક્ટ આગળ વધી શકશે નહીં, શું લાગે છે તમને સર,’ વિશાલ માથુર પોતાના સાહેબને ખુશ કરવાના ઈરાદાથી બોલ્યો.
‘પ્રોજેક્ટ બંધ કરવાના ઈરાદાથી મેં ભરતીની વાત કરી નહોતી. મારી વાત સાચી છે અને જો આટલા મોટા પાયે વીજળી ઉત્પાદિત કરવી હોય તો મેનપાવર તો લાગશે જ. હા મારા અનુભવ પરથી આવશ્યકતા કરતાં થોડા વધુ લોકો માગ્યા હતા. તેમાં કશું ખોટું નથી,’ અનુપ રોયે ખુશામત કરવા માગનારા વિશાલને સ્પષ્ટ જવાબ આપીને આગળની ચર્ચા બંધ કરવાનો પ્રયાસ કર્યો.
‘કદાચ તમારી વાત સાચી હશે પણ ૫૦,૩૨૦ લોકોની ભરતીની વાત સાંભળીને વડાપ્રધાન આ પ્રોજેક્ટ માટે હા જ નહીં પાડે અને આપણે ઘણી મોટી જફામાંથી બચી જઈશું,’ વિશાલ માથુરે કહ્યું.
‘આ જફા નથી એક અત્યંત મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ છે અને ભારતીયોના ભવિષ્યને અંધકાર અને પ્રદૂષણથી બચાવવાનો ઉદાત્ત હેતુ એની પાછળ છે,’ અનુપ રોયે થોડી નારાજગી સાથે કહ્યું.
આવા વ્યક્તિને પોતાની સાથે રાખવાનો અત્યારે તેમને અફસોસ થઈ રહ્યો હતો. ટીમમાં સૌથી યુવાન હોવા છતાં ઉત્સાહ-ઉમંગનો તેનામાં અભાવ જોવા મળી રહ્યો હતો. આના કરતાં ઘણા સારા વિજ્ઞાનીઓને ગુમાવીને પોતે ભૂલ કરી હોવાનું અત્યારે તેમને લાગી રહ્યું હતું. (ક્રમશ:)
હવે શું?
‘સર, તમારી યોજના શું છે તેની અમને પણ જાણકારી તો આપો. અત્યારે તો અમે તમારા આસિસ્ટન્ટ હોવા છતાં તમારી કોઈ યોજનાની માહિતી અમારી પાસે નથી. અમે કેવી રીતે આગળ કામ કરી શકીશું,’ શ્રુતિ મહેતા રંજન કુમારને કહી રહી હતી અને અમોલ પાઠક તેની વાતમાં હોંકારો પુરાવી રહ્યો હતો. આખરે મિશન મૂનની રૂપરેખા રંજન કુમાર કેમ જાહેર કરતા નહોતા તેની બધાને જ નવાઈ લાગી રહી હતી
Tags
bombay samachar
gujarati news
mumbai samachar
Share
Facebook
Twitter
WhatsApp
Telegram
LEAVE A REPLY
Comment:
Please enter your comment!
Name:*
Please enter your name here
Email:*
You have entered an incorrect email address!
Please enter your email address here
Website:
Save my name, email, and website in this browser for the next time I comment.
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES
મિશન મૂન
મિશન મૂન
December 6, 2022
મિશન મૂન
મિશન મૂન
December 5, 2022
મિશન મૂન
મિશન મૂન પ્રકરણ ૨૪
December 3, 2022
Most Popular
ફિફા વર્લ્ડકપથી ભારત વંચિત કેમ? આ છે કારણ
December 6, 2022
૨૦૨૩ પહેલાં આ વસ્તુઓને આપો ઘરમાં સ્થાન અને શાંતિ, સમૃદ્ધિને કહો વેલકમ
December 6, 2022
તારક મહેતાના ફેન્સને ઝટકો, વધુ એક પાત્રએ શોને કહ્યું અલવિદા
December 6, 2022
મરીન ડ્રાઈવ પર જોગિંગ દરમિયાન 59 વર્ષની વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત
December 6, 2022
Load more
આપણું ગુજરાત262આમચી મુંબઈ438ઈન્ટરવલ58ઉત્સવ134એકસ્ટ્રા અફેર67ટોપ ન્યૂઝ798દેશ વિદેશ633ધર્મતેજ74પંચાંગ40પુરુષ92પ્રજામત5ફિલ્મી ફંડા197મરણ નોંધ125મિશન મૂન15મેટિની72રોજ બરોજ24લાડકી43વાદ પ્રતિવાદ5વીકએન્ડ65વેપાર વાણિજ્ય8શેરબજાર8સ્પેશિયલ ફિચર્સ76સ્પોર્ટસ88
બોમ્બે સમાચાર, હવે મુંબઈ સમાચાર, ભારતમાં સૌથી જૂનું સતત પ્રકાશિત અખબાર છે. ફરદુનજી મર્ઝબાન દ્વારા 1822 માં સ્થપાયેલ, તે ગુજરાતીમાં પ્રકાશિત થાય છે. |
અમારું કૂતરો વાહક એયરલાઇન્સ માન્ય છે અને તે આંતરિક અને નરમ બાજુઓથી ગાદીવાળાં છે, પાળતુ પ્રાણીને અંદરથી આરામદાયક અને સલામત લાગે છે અને તે સ્થાયી થવું અને ઝૂંપડું લેવાનું પસંદ કરે છે.
અમને ઇમેઇલ મોકલો પીડીએફ તરીકે ડાઉનલોડ કરો
ઉત્પાદન વિગતો
ઉત્પાદન ટ Tagsગ્સ
પાલતુ વાહક સુવિધાઓ
તમારા પાલતુને નરમ ટ્રાન્સપોર્ટરથી સલામત રીતે લો. પ્રાણીને સુરક્ષિત, સલામત અને આરામદાયક રાખવા માટે રચાયેલ છે. આ પાલતુ વાહક વિમાન અથવા omટોમોબાઈલ દ્વારા મુસાફરી કરવા માટે અથવા પશુચિકિત્સકની મુલાકાત લેવા માટે આદર્શ છે અને કૂતરાં અને બિલાડીઓ માટેનું વજન 15lbs છે.
મજબૂત અને વિશ્વસનીય ડિઝાઇન:
સલામત પરિવહન માટે, ટ્રાન્સપોર્ટર પ્રાણીને પરિવહન કરવા અને સંતુલન જાળવવા માટે 2 કનેક્ટેબલ હેન્ડલ્સથી સજ્જ છે.
તેમાં તમારા હાથનો ઉપયોગ કર્યા વિના તેને લઈ જવા માટે એડજસ્ટેબલ શોલ્ડર પટ્ટી પણ શામેલ છે. તેને ગડી અને વિમાનની બેઠકો હેઠળ મૂકી શકાય છે; આ રીતે, તમે હંમેશાં તમારા પાલતુને અલગ મુસાફરી કર્યા વગર લઈ જઈ શકો છો.
પાળતુ પ્રાણીના સમર્થનમાં બાજુને ખોલવામાં આવે છે જેથી પ્રાણીઓને સમસ્યાઓ વિના પ્રવેશ કરી શકાય. પરિવહન દરમિયાન ટકાઉ ઝિપર ખુલીને સખ્તાઇથી બંધ રાખે છે.
આરામદાયક શૈલી:
ત્રણ દિશામાં શ્વાસ લેતા મેશવાળી વેન્ટિલેશન પેનલ્સ માત્ર હવાના પૂરતા પ્રવાહને સુનિશ્ચિત કરે છે, પણ પ્રાણીને બહાર જોવાની મંજૂરી આપે છે.
પાળતુ પ્રાણીના સ્ટેન્ડમાં એક રીમુવેબલ બેઝ હોય છે જે તમારા પાલતુ માટે એક નક્કર અને સ્થિર સપાટી બનાવે છે, સાથે મળીને દૂર કરી શકાય તેવા oolનનું પાથરણું.
એક આરામદાયક બેડ ઓફર કરે છે જ્યાં તમારા પાલતુ સફર દરમિયાન સૂઈ શકે. તમારા પાલતુ સાથે મુસાફરી કરવાનો તે આદર્શ વિકલ્પ છે.
સલામતી માહિતી: પ્રાણી જ્યારે તે વાહકમાં હોય ત્યારે તેને અડ્યા વિના છોડો નહીં. કાર દ્વારા મુસાફરી કરતી વખતે, ટ્રાન્સપોર્ટરને પાછળની સીટ પર મૂકો.
સફાઈ: નરમ ફ્લીસ રગ કા removedીને હાથમાં ધોઈ શકાય છે, જ્યારે તમે ફક્ત કૌંસ જ્યાં ડાઘ પડે ત્યાં સાફ કરી શકો છો.
પરિમાણો: 41.1 * 24 * 30.7 સેમી / 16.2 * 9.45 * 12.1 ઇંચ (કૃપા કરીને ખરીદી કરતા પહેલા તમારા પાલતુનું કદ અને વજન માપવા)
પેકેજમાં શામેલ છે:
કંપની પ્રોફાઇલ
વ્યવસાયનો પ્રકાર: 15 વર્ષથી વધુનો વિકાસ, ઉત્પાદન અને નિકાસ કરો
મુખ્ય ઉત્પાદનો: ઉચ્ચ ગુણવત્તાની બેકપેક, ટ્રાવેલ બેગ અને આઉટડોર સ્પોર્ટ્સ બેગ ......
કર્મચારીઓ: 200 અનુભવી કામદારો, 10 વિકાસકર્તા અને 15 ક્યુસી
સ્થાપના વર્ષ: 2005-12-08
મેનેજમેન્ટ સિસ્ટમ પ્રમાણન: બીએસસીઆઈ, એસ.જી.એસ.
ફેક્ટરી સ્થાન: ઝિયામીન અને ગનઝોઉ, ચીન (મેઇનલેન્ડ); કુલ 11500 ચોરસ મીટર
ઉત્પાદન પ્રક્રિયા
1. આ બેગ પ્રોજેક્ટને જરૂરી છે તે તમામ પુરવઠા અને સામગ્રીની સંશોધન અને ખરીદી કરો
મુખ્ય ફેબ્રિક રંગ
બકલ અને વેબિંગ
ઝિપર અને ખેંચાણ કરનાર
2. બેકપેક માટે તમામ વિવિધ ફેબ્રિક, લાઇનર અને અન્ય સામગ્રી કાપો
3. સિલ્ક-સ્ક્રીન પ્રિન્ટિંગ, ભરતકામ અથવા અન્ય લોગો ક્રાફ્ટ
Semi. દરેક પ્રોટોટાઇપને અર્ધ-તૈયાર ઉત્પાદો તરીકે સીવવા, પછી અંતિમ ઉત્પાદન બનવા માટે તમામ ભાગોને એસેમ્બલ કરો
5. બેગની વિશિષ્ટતાઓને પૂરી કરે છે તેની ખાતરી કરવા માટે, અમારી ક્યુસી ટીમ અમારી સખત ગુણવત્તા સિસ્ટમના આધારે સામગ્રીથી સમાપ્ત બેગ સુધીની દરેક પ્રક્રિયાને તપાસે છે
6. અંતિમ ચેક માટે ગ્રાહકને બલ્ક નમૂના અથવા શીપીંગ નમૂનાની તપાસ કરવા અથવા મોકલવા માટે ગ્રાહકોને જાણ કરો
7. અમે પેકેજ સ્પષ્ટીકરણ મુજબની બધી બેગ પેક કરીએ છીએ પછી શિપ કરીએ છીએ
અગાઉના: હોટ સેલિંગ બ્રીફકેસ બેકપેક - બેકપેક બ્રીફકેસ મેસેંજર બેગ - કિંગહો
આગળ: ટ્રાવેલ પેકિંગ ક્યુબ્સ લ Lગેજ આયોજકો
કૂતરો કેરી બેગ
પેટ બેગ
પેટ કેરિયર્સ
સંબંધિત વસ્તુઓ
લિકપ્રૂફ સોફ્ટ કુલર બેકપેક બીચ કેમ્પિંગ
વિગત જુઓ
1-2 વ્યક્તિ માટે બેકપેકિંગ ટેન્ટ
વિગત જુઓ
મેન્સ નાયલોન બેલ્ટ 51 ઇંચની સ્થિતિસ્થાપક સ્ટ્રેચ
વિગત જુઓ
કેમ્પિંગ માટે કુલર બેગ ઇન્સ્યુલેટેડ
વિગત જુઓ
વિસ્તૃત નરમ-બાજુવાળા ડોગ કેરિયર
વિગત જુઓ
6 વેઝ હેન્ડ્સ ફ્રી ડોગ લીશ
વિગત જુઓ
અમારો સંપર્ક કરો
368 ચેંગવાય એવ. જિમી ઝિયામિન ચાઇના
+86 18050024033
david@kinghowbags.com
+ 86-180 5002 4033
અમારી પાછ્ળ આવો
સબ્સ્ક્રાઇબ કરો
અમારા ઉત્પાદનો અથવા પ્રિસીલિસ્ટ વિશેની પૂછપરછ માટે, કૃપા કરીને અમને મોકલો અને અમે 24 કલાકની અંદર સંપર્કમાં રહીશું. |
ડેડિયાપાડાના આ યુવાનની સૂજ-બૂજના કારણે તેના પરિવારની સાથે-સાથે આસપાસના લોકોને પણ આખુ વર્ષ મળે છે પાણી. ઘરની આસપાસ તો 70 ઝાડ અને 100 છોડ વાવ્યા જ છે, જંગલમાં દર વર્ષે વાવે છે દોઢ-બે લાખ બીજ. દેશને જરૂર છે આવા પર્યાવરણ પ્રેમીઓની.
ડેડીયાપાડાના હેમંતભાઈ ત્રિવેદીએ એકવાર ટ્રેન સફર દરમિયાન એક આર્ટિકલ વાંચ્યો હતો, જેમાં રેન વૉટર હાર્વેસ્ટિંગ અંગે માહિતી હતી અને સાથે-સાથે એમ પણ જણાવવામાં આવ્યું હતું કે, નાગપુરમાં વરસાદના પાણીના આ પ્રકારના સંગ્રહને બહુ પ્રોત્સાહન આપવામાં આવે છે. બસ ત્યારથી જ આ વાત હેમંતભાઈના મનમાં રમવા લાગી.
આ બાબતે ધ બેટર ઈન્ડિયા સાથે વાત કરતાં હેમંતભાઈએ કહ્યું, “ઘરે આવ્યા બાદ આ બાબતે જેટલા લેખ મળ્યા એટલા મેં વાંચ્યા અને યૂટ્યૂબ પર આ અંગેના ઘણા વિડીયો પણ જોયા. મારા પપ્પા પણ સિવિલ એન્જિનિયર છે, એટલે તેમણે પણ આ અંગે યોગ્ય માર્ગદર્શન આપ્યું અને ઘરના રિનોવેશન સમયે અમે અમારા ઘરમાં રેન વૉટર હાર્વેસ્ટિંગની વ્યવસ્થા કરવાનું નક્કી કર્યું અને 2016 માં અમે આ માટે ત્રણ કુંડી બનાવડાવી.”
રેન વૉટર હાર્વેસ્ટિંગ
સૌપ્રથમ તો ધાબામાંથી એક પાઈપ ઉતારવામાં આવી છે, જેની નીચે એક કુંડી બનાવવામાં આવી છે, જેમાં એક લેયર રેતી, બીજું લેયર રોડાં, ત્રીજું લેયર ઈન્ડસ્ટ્રીયલ કોલસા અને ચોથા લેયરમાં નાના-મોટા પથ્થરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ જ પ્રકારની ત્રણ કુંડી બનાવવામાં આવી છે, જેમાંથી પાણી ફિલ્ટર થયા બાદ પાણી બોરમાં ઉતરે છે. આ માટે તેમણે 300 ફૂટનો બોર બનાવેલ છે. એક અંદાજ અનુસાર, દર વર્ષે સારો વરસાદ પડે તો 3-4 લાખ લિટર પાણી તેમાં ઉતરે છે, પરંતુ જો વરસાદ ઓછો હોય તો પણ દોઢ લાખ લિટર પાણી તો ઉતરે જ છે. જેના ફળ સ્વરૂપે, એક સમયે હેમંતભાઈના બોરમાં 150 ફૂટે પાણી મળતું હતું, જે અત્યારે 70 ફૂટે જ મળી જાય છે અને પાણીના ટીડીએસ અને ગુણવત્તામાં પણ ઘણો સુધારો થયો છે. પાંચ વ્યક્તિના પરિવારને આખા વર્ષ દરમિયાન પાણીની જરા પણ તૂટ પડતી નથી.
હેમંતભાઈના આ કાર્યથી તેમને તો ફાયદો થયો જ છે, સાથે-સાથે આસપાસના લોકોને પણ ફાયદો મળી રહે છે. તાજેતરમાં 500 મીટર દૂર એક નવું ઘર બનાવ્યું તો સામાન્ય રીતે જ્યાં 250 ફૂટે પાણી મળે છે ત્યાં તેમને બોરમાં 125 ફૂટે જ પાણી મળી ગયું.
ઘરની ચારેય બાજુ હરિયાળી
આ ઉપરાંત હેમંતભાઈના ઘરની આસપાસ પણ કદમ, સેવન, જામફળી, ચીકુડી, આંબા, સાગ, ગોરસ આમલી, વાંસ, સીતાફળી, પપૈયાં સહિત 60-70 ઝાડ છે, જેના કારણે તેમને ઘર માટે તો તાજાં ફળ મળી જ રહે છે, ઉપરાંત પક્ષીઓને પણ આશરા સાથે ખોરાક પણ મળી રહે છે. સવાર પડતાં જ હેમંતભાઈના ઘરની આસપાસ વિવિધ પક્ષીઓનો એટલો અદભુત કલબલાટ સાંભળવા મળે કે, જાણે આપણે પ્રકૃતિની ગોદમાં જ હોઈએ એવું અનુભવાય.
આ ઉપરાંત ઘરની આસપાસ 100 થી વધારે અલગ-અલગ પ્રકારના છોડ અને વેલ છે, જેમાં ફૂલછોડ સૌથી વધારે છે, એટલે ઘરની નજીક જતાં જ આ બધાં ફૂલની મનમોહક સુગંધ અને અલગ-અલગ રંગનાં ફૂલોના સૌંદર્યથી મન પણ પ્રફુલ્લિત થઈ જાય. આ ઉપરાંત પતંગિયાં, મધમાખી વગેરેને પણ ખોરાક મળી રહે.
આ ઉપરાંત તેમનું ખેતર પણ છે, જ્યાં તેઓ જૈવિક પદ્ધતિથી શાકભાજી વાવવામાં આવે છે, જેથી તેમના ઘરે શાકભાજી પણ જૈવિક રીતે વાવેલ જ ખવાય છે.
દર ચોમાસામાં ભરપૂર વૃક્ષારોપણ
દર વર્ષે જાન્યુઆરીથી એપ્રિલ સુધીમાં જ ડેડીયાપાડાના આસપાસના વિસ્તારમાં ફરી હેમંતભાઈ અને તેમના મિત્રો ગ્રીન લેન્ડ ફાઉન્ડેશન અંતર્ગત વિવિધ દેશી કુળનાં વનસ્પતિનાં બીજ ભેગાં કરે છે. આ ઉપરાંત વિવિધ નર્સરી અને બીજ બેન્કમાંથી પણ બીજ ભેગાં કરે છે, અને ચોમાસુ આવતાં દોઢથી બે લાખ બીજ તેઓ જંગલ વિસ્તારમાં વાવે છે.
આ ઉપરાંત તેમણે ઘરની પાસે જ એક નાનકડી નર્સરી પણ બનાવી છે. જેમાં ઘરે બનવેલ કંપોસ્ટ ખાતરની મદદથી ચોમાસા પહેલાં 700-800 રોપા તૈયાર કરે છે અને ચોમાસા દરમિયાન જ્યાં પણ સારી જગ્યા મળે ત્યાં તેને વાવે છે.
ઝાડ-છોડ વાવ્યા બાદ જવાબદારી તો પૂરી નથી થતી. ચોમાસામાં તો તેમને પાણી મળી રહે છે, પરંતુ ચોમાસા બાદ તેઓ અઠવાડિયામાં એક વાર રજાના દિવસે મિત્રો સાથે પાણીના કેરબા અને ટેન્કર લઈને નીકળી પડે છે અને તેમને પાણી આપતા રહે છે. આ ઉપરાંત જે ઝાડને આસપાસ પ્રાણીઓ કે બીજુ કોઈ નુકસાન પહોંચાડે તેવું હોય, ત્યાં કાંટાની વાડ બનાવે છે અને જો કોઇ સેવાભાવી સંસ્થા દ્વારા પાંજરાં મળી રહે તો જાતે જઈને એ પાંજરાં પણ લગાવે છે. આસપાસ વધારાનું ઘાસ ઊગી નીકળ્યું હોય તો સાફ કરે, ડાળી નમી ગઈ હોય તો તેના માટે ટેકો બાંધે. આ ઉપરાંત આસપાસ ખાડા ખોદી પાણી ભરે, જેથી ઝાડ-છોડને પાણી મળી રહે લાંબા સમય સુધી. જેથી હેમંતભાઈને વિશ્વાસ છે કે, તેમનાં વાવેલાં બીજ-છોડમાંથી ઓછામાં-ઓછાં 50% ઝાડ તો મોટાં થાય છે, જે ભવિષ્યમાં પર્યાવરણ માટે ખૂબજ મદદરૂપ રહે છે.
સારા-નરસા પ્રસંગે એક ઝાડની પહેલ
હેમંતભાઈના ઘરે કોઈપણ મહેમાન આવે તો તે ખાલી હાથે પાછું નથી જતું, હેમંતભાઈ તેમને એક છોડ આપે છે અને તેને ઘરની આસપાસ વાવવાની સલાહ આપે છે. આ ઉપરાંત કોઈપણ ઓળખીતા-સંબંધીનો જન્મદિવસ હોય કે કોઈનું મૃત્યુ થયું હોય, હેમંતભાઈ તેમના બદલામાં એક ઝાડ વાવે છે અને તેના બદલામાં જે-તે વ્યક્તિ પાસેથી 1 રૂપિયો ટોકન લે છે.
ઘરમાં જ હોમ કંપોસ્ટિંગ પણ
હેમંતભાઈએ ઘરની પાછળ ખાતર માટે એક ખાડો બનાવ્યો છે. જેમાં બધાં જ ઝાડ-છોડનાં ખરેલ પાંદડાં, રસોડાનો લીલો કચરો અને ગાય-ભેંસના છાણની મદદથી ખાતર બનાવવામાં આવે છે અને આ ખાતર જ ઘરનાં ઝાડ-છોડ ને આપવામાં આવે છે અને તેમાંથી જ નર્સરીમાં રોપા પણ બનાવવામાં આવે છે.
અનુસરે છે No Plastic
હેમંતભાઈ એક જનરલ સ્ટોર ચલાવે છે, તો તેમના ત્યાં આવતા ગ્રાહકો પાસે પણ તેઓ એમજ આગ્રહ રાખે છે કે, ઘરેથી કાપડની થેલી લઈને આવે. આ ઉપરાંત તેમના ઘરમાં તો પ્લાસ્ટિકની એન્ટ્રી બંધ જ છે. અને દૂધની થેલી પણ આવે તો તેને પણ કચરામાં નાખવાની જગ્યાએ તેમાં તેઓ રોપા તૈયાર કરે છે. જો કોઈ રિસાયકલ લાયક પ્લાસ્ટિક આવી ગયું હોય તો તેને રિસાયકલ માટે આપી દે છે.
જંગલની સફાઈ
આજકાલ લોકોમાં જંગલમાં ફરવા જવાનો ક્રેઝ બહુ વધ્યો છે, અને ડેડીયાપાડાની આસપાસ બહુ જંગલો છે, એટલે અહીં પણ લોકો બહુ ફરવા આવે છે, પરંતુ આ લોકો પછી અહીં ગંદકી પણ બહુ ફેલાવે છે. નાસ્તાનાં પેકેટ્સ, પાણીની બોટલ્સ વગેરે એમજ ફેંકીને જતાં રહે છે. તો હેમંતભાઈ અને તેમના મિત્રોના ગ્રીન લેન્ડ ફાઉન્ડેશન દ્વારા આ બધાની સફાઈ તો કરવામાં આવે જ છે, સાથે-સાથે લોકોમાં આ રીતે કચરો ન ફેલાવા માટે પણ જાગૃતિ ફેલાવાનું કામ કરવામાં આવે છે.
જો તમને આ લેખ ગમ્યો હોય અને તમે હેમંતભાઈનો સંપર્ક કરવા ઈચ્છતા હોવ તો તેમને ફેસબુક પર મેસેજ કરી શકો છો.
આ પણ વાંચો: જ્યાં એક ઝાડ પણ નહોંતું એ શાળામાં આજે છે 2000 વૃક્ષો સાથે આખુ નંદનવન, જોતાં જ મન મોહી જાય
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.
સકારાત્મકતાની ઝુંબેશ આગળ વધારવામાં અમને મદદ કરો
સકારાત્મક સમાચારની ઝુંબેશ આગળ વધારવા અમારી મદદ કરવા ઈચ્છો છો? અમે ધ બેટર ઇન્ડિયા ભારતમાં થઈ રહેલ બધું તમને બતાવવા ઈચ્છીએ છીએ. એક સમયે એકજ લેખ દ્વારા પત્રકારત્વની સાચી શક્તિની મદદથી અમે ભારતમાં બદલાવ લાવવા ઈચ્છીએ છીએ. જો તમે અમને વાંચો છો, તમને અમારું કામ ગમે છે અને આ સકારાત્મક સમાચારોની ઝુંબેશ આગળ વધારવા ઈચ્છો છો તો, ફોલો બટન દબાવી અમને મદદ કરો.
₹ 999 ₹ 2999
તમે તમારી પસંદ અનુસાર મદદ કરવા ઈચ્છતા હોય તો અહીં ક્લિક કરો
તમને આ પણ ગમી શકે છે
ved krishna
અયોધ્યાના વેદ કૃષ્ણા શેરડીના અવશેષમાંથી કપ-પ્લેટ બનાવે છે, બિઝનેસ છે 300 કરોડનો
Kishor Rathod
એક સમયે કલર લાવવાના પણ પૈસા નહોતા ત્યારે આજે ફક્ત પોતાની કળાના જોરે જીતી જિંદગી
Earth Architecture
બે મિત્રોએ નોકરી છોડીને શરૂ કરી પોતાની કંપની, હજારો વર્ષો જૂની પરંપરામાંથી બનાવે છે ઘર
Hunnarshala
હુન્નરશાળાએ ભૂકંપ પછી ભુજનું પુનઃનિર્માણ કર્યું, વિશ્વ માટે ઓછા ખર્ચે બનાવે છે ટકાઉ ઘર
Adrish Store
મહારાષ્ટ્રનો પહેલો ઝીરો વેસ્ટ સ્ટોર ખોલવા માટે સારી નોકરી છોડી, હવે સશક્ત બનાવી રહ્યા છે 8000 ખેડૂતોને
Sustainable Gift
પ્રકૃતિ સાથે જોડાઈ વેલેન્ટાઈન ડેને બનાવો થોડો વધારે ખાસ, પસંદ કરો ઈકો ફ્રેન્ડલી ભેટ
Post navigation
Previous post
એક ઘર આવું પણ : ક્યારેય ઘરનો કચરો બહાર નથી જતો અને કોઈ કેમિકલ ઘરમાં નથી આવતું
Next post
ન બીજ ખરીધ્યાં ન ખાતર! 3 એકરમાંથી કમાયા 2 લાખ, 3 મહિલાઓને જોડી રોજગાર સાથે
Search for:
ચાલો મિત્રો બનીએ :)
© 2022 Vikara Services Pvt Ltd.
Archives Select Month March 2022 (5) February 2022 (28) January 2022 (39) December 2021 (77) November 2021 (73) October 2021 (71) September 2021 (60) August 2021 (60) July 2021 (64) June 2021 (59) May 2021 (54) April 2021 (46) March 2021 (47) February 2021 (56) January 2021 (60) December 2020 (65) November 2020 (58) October 2020 (60) |
પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલજી ની વિશેષ ઉપસ્થિતિમાં કોંગ્રેસના પૂર્વ નેતા શ્રી જયરાજસિંહ પરમાર તેમના સમર્થકો સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા.
News
વિદેશી નાગરિક હથિયાર ના પાર્ટ સાથે પકડાયો
Feb 11, 2022 Kanubhai Parsottamdas Mistri. Ph. 98254 87129
અમદાવાદને મેડિકલ ટૂરિઝમનું હબ માનવામાં આવે છે. અહીં વિદેશથી લોકો સારવાર માટે આવતાં હોય છે.કિડની, હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ માટે અનેક વિદેશીઓ અમદાવાદ આવતાં હોય છે. ત્યારે વિદેશથી પિતાની સારવાર માટે આવેલો…
News
અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન માટે રૂ. 20000 કરોડના દેશના સૌથી મોટા ટેન્ડર ઉપર કામ જારી
Feb 10, 2022 Kanubhai Parsottamdas Mistri. Ph. 98254 87129
News
પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી સી. આર. પાટિલ ના હસ્તે ઇલે.વોટર કુલર પ્લાન્ટ નું લોકાર્પણ…..
Feb 5, 2022 Kanubhai Parsottamdas Mistri. Ph. 98254 87129
આજરોજ પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ ના શુભહસ્તે ગણદેવી તાલુકાની ઉંડાચ વાણિયા ફળિયા પ્રાથમિક શાળાના નવનિર્મિત મકાનનું તથા 300 લિટર ઈલેક્ટ્રોનિક વોટર કુલર પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું.આ પ્રસંગે કેબિનેટ…
News
પ્રદેશ મીડિયા વિભાગ ની કમલમ ખાતે બેઠક યોજાઇ
Feb 2, 2022 Kanubhai Parsottamdas Mistri. Ph. 98254 87129
. ગાંઘીનગર પ્રદેશ કાર્યાલય “શ્રી કમલમ” ખાતે પ્રદેશ મીડિયા વિભાગની મહત્વની બેઠક પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સાહેબની વર્ચુઅલી ઉપસ્થિતિ તેમજ પ્રદેશ મહામંત્રીશ્રીની ઉપસ્થિતિમાં યોજાઇ આ બેઠકમાં પ્રદેશ મીડિયા વિભાગના કન્વનીરશ્રી, મીડિયાના… |
Gujarati News » Photo gallery » Start the day with Orange Peel tea instead of tea, you will get these benefits
દિવસની શરૂઆત ચાની જગ્યાએ Orange Peel tea થી કરો, તમને મળશે આ ફાયદા
આપણે બધા જાણીએ છીએ કે શિયાળુ ફળ સંતરા આપણા શરીર માટે કેટલું ફાયદાકારક છે. પરંતુ તેની છાલમાંથી હેલ્ધી વસ્તુઓ પણ બનાવી શકાય છે. દિવસની શરૂઆત નારંગીની છાલની સાથે કરવાથી તમને કયા સ્વાસ્થ્ય લાભો મળી શકે છે તે જાણો.
Nov 25, 2022 | 7:32 PM
TV9 GUJARATI | Edited By: Dhinal Chavda
Nov 25, 2022 | 7:32 PM
શિયાળાનું ફળ નારંગીની છાલથી પણ હેલ્ધી હોય શકે છે. અહીં અમે તમને સંતરાની છાલમાંથી બનેલી ચાના ફાયદા જણાવવા જઈ રહ્યા છીએ.
1 / 5
નારંગીની છાલની ચા કેવી રીતે બનાવવી: સંતરાની છાલ લો અને તેને માઇક્રોવેવમાં થોડો સમય શેકી લો અને તેને બ્લેન્ડરમાં પીસીને પાવડર બનાવો. હવે એક વાસણમાં ગરમ પાણી લો અને તેમાં એક ચમચી પાવડર નાખીને પી લો.
2 / 5
મેટાબોલિઝમને બુસ્ટ મળશેઃ નારંગીની જેમ તેની છાલમાં પણ ફાઈબર હોય છે અને દરેક વ્યક્તિ જાણે છે કે આ પોષક તત્વ પેટ માટે કેટલું મહત્વનું છે. મેટાબોલિક રેટ સુધારવા માટે દરરોજ નારંગીની છાલવાળી ચા પીવો.
3 / 5
રોગપ્રતિકારક શક્તિમાં વધારો થશેઃ નારંગીની છાલમાં વિટામિન સી, જે રોગપ્રતિકારક શક્તિને વધારે છે, તે પણ મોટી માત્રામાં હોય છે. જો તમે શિયાળામાં શરદી-ખાંસી અને ગળાની સમસ્યાથી બચવા માંગતા હોવ તો ઓરેન્જ ટીનું રૂટીન ફોલો કરો.
4 / 5
બ્લડ પ્રેશર માટે: બગડેલી જીવનશૈલી, ખોટી ખાણીપીણી અને વધતી ઉંમરને કારણે બ્લડ પ્રેશર ઊંચું કે નીચું રહી શકે છે. તેને નિયંત્રણમાં રાખવા માટે સંતરાની છાલવાળી ચાનો ઉપયોગ કરો. આ સિવાય તેનું સેવન તમારી ત્વચાને ચમકદાર અને સ્વસ્થ પણ બનાવશે.
5 / 5
Follow us on
healthy drinksHealthy TipsOrangeOrange PeelOrange Peel tea
Stories
વધુ વાંચો >
પ્રથમ તબક્કામાં 62.62 ટકા મતદાન, નર્મદામાં સૌથી વધારે મતદાન
અવનીત કૌરનો ‘રેડ હોટ’ લુક, મચાવી રહ્યો છે ધમાલ
મેચમાં ખેલાડીનો જલવો, સ્ટેડિયમમાં પત્નીના ટેટુથી ચાહકો પાગલ થયા
પીએમ મોદીનો મેગા રોડ શો
Most Viewed Photos
Boman Irani Birthday : ક્યારેક મુંબઈની તાજ હોટલમાં વેઈટર તરીકે કર્યું હતું કામ, આજે છે કરોડોના માલિક
શ્વેતા તિવારીએ થીમ પાર્કમાં ઉજવ્યો તેના પુત્રનો બર્થડે, પૂલમાં મસ્તી કરતી મળી જોવા
Gujarat Election 2022 : અમદાવાદમાં વડાપ્રધાન મોદીનો ભવ્ય રોડ શો, એક ઝલક મેળવવા લોકોની પડાપડી
4,4,4,4,4,4…છ બોલમાં છ ચોગ્ગા, ઈંગ્લેન્ડના બેટ્સમેનોએ પાકિસ્તાનમાં મચાવી ધમાલ
Most Read Stories
JNUમાં દીવાલ પર લખાયું ‘બ્રાહ્મણ-વાણિયાઓ પાછા જાઓ, અમે આવી રહ્યા છીએ’ VCએ કહ્યું- આ અસહ્ય, તપાસ કરાશે
ધોનીની ટીમ CSKનો સ્ટાર ખેલાડી IPL 2023માં રમતો જોવા નહીં મળે, 3 વાર ચેમ્પિયન બનાવવા કરી હતી મદદ
કડકડતી ઠંડી માટે તૈયાર રહેજો !!! ઉતરના રાજ્યોમાં હિમ-વર્ષા પડશે, તો દક્ષિણમાં વરસાદી ઝાપટાં પડવાની આગાહી
Gujarat Election 2022 : પ્રથમ તબક્કામાં આદિવાસી વિસ્તારમાં મતદાનની ઊંચી ટકાવારી, સૌરાષ્ટ્રમાં નિરાશાજનક મતદાન, જાણો શું હોઇ શકે કારણ |
બધાં દેવાલયોમાં આરતી થઈ ગઈ. ઠાકુર ઓરડામાં નાની પાટ ઉપર બેસીને માનું ચિંતવન કરી રહ્યા છે. જમીન ઉપર એકલા મણિ બેઠેલા છે.
ઠાકુર સમાધિ-મગ્ન થયા છે.
થોડી વાર પછી સમાધિ ઊતરતી આવે છે. હજી સુધી ઈશ્વરીય ભાવની પૂર્ણ માત્રા રહી છે. ઠાકુર માતાજીની સાથે વાતો કરે છે, નાનું છોકરું જેમ માની પાસે હઠ કરીને વાતો કરે તેમ. કરુણ સ્વરે ઠાકુર માતાજીને કહે છે, ‘હેં મા, શું કામ તેં એ રૂપ બતાવ્યું નહિ, પેલું ભુવનમોહન રૂપ! આટલું આટલું કરીને તને કહ્યું તોય ! તને કહ્યું તો તું કાંઈ ગણકારવાની નથી ! તું ઇચ્છામયી !’ એવો સૂર કાઢીને આ બધા શબ્દો ઠાકુર બોલ્યા, તે સાંભળીને પથ્થર પીગળી જાય !
ઠાકુર વળી માની સાથે વાતો કરે છે :
‘મા, શ્રદ્ધા માગું છું. જવા દે સાલો તર્ક ! ‘સાત તોલા વિચાર એક તોલો શ્રદ્ધા.’ શ્રદ્ધા જોઈએ, બાળકના જેવી શ્રદ્ધા! માએ કહ્યું છે કે ત્યાં ભૂત છે, તો બાળકે બરાબર પકડી રાખેલ છે કે ત્યાં ભૂત છે જ. માએ કહ્યું છે કે ત્યાં હાઉ છે ! તો બાળક બરાબર માને કે ત્યાં હાઉ છે! માએ કહ્યું છે કે એ તારા મામા થાય ! તો બાળકે બરાબર પકડી લીધું છે કે એ સવા રૂપિયો ને સવા પાંચ આના મામો થાય ! એવી શ્રદ્ધા જોઈએ.
‘પરંતુ મા ! એમનોય બીચારાઓનો વાંક શો! તેઓય શું કરે ! તર્ક-વિચાર એક વાર તો કરી લેવો જોઈએ ને ! જોને, આ તે દિ’ આટલું બધું કહ્યું, તોય કાંઈ થયું નહિ, આજ કેમ એકદમ…
ઠાકુર માની પાસે કરુણ ગદ્ગદ સ્વરે રડતાં રડતાં પ્રાર્થના કરે છે. શી નવાઈ ! ભક્તોને માટે માની પાસે ઠાકુર રડે છે કે ‘મા, જે જે તમારી પાસે આવે છે, તેમની મનોવાંછના પૂર્ણ કરો ! બધું ત્યાગ કરાવો મા, મા ! વારુ, છેવટે તમારી ઇચ્છા હોય તેમ કરો !’
‘મા, જો સંસારમાં રાખવો હોય તો વચ્ચે એક-એકવાર દર્શન આપીશ? નહિતર કેમ કરીને રહીશ! મા, એક-એકવાર દર્શન ન આપ તો ઉત્સાહ કેમ કરીને રહે ! વારુ, છેવટે તમારી ઇચ્છા હોય તેમ કરો !’
ઠાકુર હજીયે ભાવ-મગ્ન. એ અવસ્થામાં અચાનક મણિને કહે છે, ‘જુઓ, તમે જે તર્ક-વિચાર કર્યો છે, તે ઘણોય થયો છે ! હવે કરો મા. કહો કે ‘હવે નહિ કરું !’
મણિ (હાથ જોડીને) – ‘જી, નહિ કરું.’
શ્રીરામકૃષ્ણ – ઘણોય (તર્ક-વિચાર) થયો છે. તમે પહેલવહેલાં આવતાંની સાથે જ તો તમને મેં કહી આપ્યું’તું તમારું ઘર (આધ્યાત્મિક વલણ). હું તો બધું જાણું ને ?
મણિ (હાથ જોડીને) – જી, હા.
શ્રીરામકૃષ્ણ – તમારું ‘ઘર’, તમે કોણ, તમારું અંદર બહાર, તમારી પૂર્વજન્મની બધી વાતો, હવે પછીના જન્મમાં તમારું શું થશે, એ બધું તો હું જાણું છું !
(‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ 1.444-45)
Total Views: 136
By jyotPublished On: October 1, 2017Categories: Ramakrishna Dev0 CommentsTags: 2017, Amrutvani, October 2017
Leave A Comment Cancel reply
Comment
Save my name, email, and website in this browser for the next time I comment.
Your Content Goes Here
Related Posts
શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : બધા ધર્મોની એકતા : શ્રીરામકૃષ્ણદેવ
2:03 am|0 Comments
શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : સાકાર રૂપ ઈશ્વર માયા અને શક્તિ તરીકે પણ ઓળખાય છે : શ્રીરામકૃષ્ણદેવ
2:02 am|0 Comments
શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : સંસાર શા માટે? : શ્રીરામકૃષ્ણદેવ
2:02 am|0 Comments
શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : આદ્યાશક્તિનું ઐશ્વર્ય : શ્રીરામકૃષ્ણદેવ
2:02 am|0 Comments
શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : ઈશ્વરનો પ્રેમ અને ષડ્રિપુનાં મોઢાં ફેરવવાં : શ્રીરામકૃષ્ણદેવ
2:02 am|0 Comments
શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : ગુરુની વિભાવના : શ્રીરામકૃષ્ણદેવ
2:02 am|0 Comments
જય ઠાકુર
અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે. |
તાજેતરમાં જ પદ્મશ્રી અવૉર્ડ આપવામાં આવ્યા તેમાં એક નામ રાજસ્થાનના હિમ્મતરામ ભાંભુનું પણ છે જેમણે તેમના જિલ્લામાં 3 લાખ કરતાં વધારે વૃક્ષો વાવવા અને પ્રાણીઓ-પક્ષીઓના જીવ બચાવવા આખુ જીવન ખર્ચી નાખ્યું.
રાજસ્થાનના હિમ્મતરામ ભાંભુને તેમના ગૃહ જિલ્લામાં પર્યાવરણ સંરક્ષણ તેમજ વન્યજીવો અને પક્ષીઓના જીવન અને હિતોની સુરક્ષા માટેના તેમના પ્રયાસો માટે પદ્મશ્રી એવોર્ડ મળ્યો હતો.
1974માં, 18 વર્ષીય હિમ્મતરામ ભાંભુએ રાજસ્થાનના તેમના પૈતૃક ગામ, સુખવાસીમાં તેમની દાદીમા દ્વારા વવાતાં પીપળાનું ઉત્સુકતાપૂર્વક નિરીક્ષણ કર્યું હતું. લગભગ 14 વર્ષ પછી, તે સંપૂર્ણ વિકસીને ફૂલી-ફાલી ગયું. જ્યારે હિમ્મતરામે જોયું કે આ વૃક્ષ કેવી રીતે ગામના રહેવાસીઓને છાંયો અને ઓક્સિજન આપે છે, ત્યારે તેમને તેમના જીવનનો મૂળ હેતુ મળી ગયો.
હવે, લગભગ 30 વર્ષ પછી, નાગૌર જિલ્લામાં તેમના પ્રયત્નોને કારણે લાખો વૃક્ષો અને સમૃદ્ધ ઇકોસિસ્ટમ્સ ઉભી થઇ છે, અને તેથી જ આ મહિનાની 8 નવેમ્બરે હિમ્મતરામ ભારતના ચોથા-સૌથી સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મશ્રીને પ્રાપ્ત કરવા માટે ભારતના રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદની સામે ઊભા હતા.
તેમના આખા જિલ્લામાં ત્રણ લાખથી વધુ વૃક્ષો વાવીને પક્ષીઓ અને વન્યજીવો માટે સુરક્ષિત નિવાસસ્થાન પ્રદાન કરવાના તેમના પ્રયાસો બદલ તેમને આ સન્માન મળ્યું હતું. તેમના નિઃસ્વાર્થ પ્રયાસ માટે, તેમણે 1999 માં પોતાના દુષ્કાળગ્રસ્ત ગામ હરિમામાં 34 વીઘા જમીન ખરીદવા માટે લોન પણ લીધી હતી જેથી તેઓ 16,000 વૃક્ષોનું એક નાનું જંગલ બનાવી શકે.
એવા રાજ્યમાં જ્યાં શિકારની પ્રવૃતિઓ પ્રબળ છે, અને જ્યાં મોર, કાળિયાર, ચિંકારા અને અન્ય પ્રાણીઓની ગેરકાયદેસર દાણચોરી ઘણા લોકો માટે આજીવિકા માટેનો એક સ્ત્રોત છે, ત્યારે હિમ્મતરામ તેમના જિલ્લામાં આ મુદ્દાની સામે પડી તેને દૂર કરવા માટેના પ્રયત્નોમાં સૌથી મોખરે છે.
before and after image of land where Himmataram planted trees
ધ બેટર ઈન્ડિયા સાથેની વાતચીતમાં, તેમણે કહ્યું કે, “હું સૌપ્રથમ ખેતી અને વૃક્ષો વાવવા વિશે મારા દાદી નૈની દેવી પાસેથી શીખ્યો, જેમણે હંમેશા કહ્યું કે વૃક્ષો વાવવાથી વધુ પુણ્ય બીજું કંઈ નથી. મને એવું લાગે છે કે મારી દાદીની પ્રેરણાથી જ આ શક્ય બન્યું છે.”
“મેં કોઈપણ વધારાના ખર્ચ વિના મારી છ વીઘા જમીનમાં વરસાદ આધારિત ખેજરી અને દેશી બાવળના લગભગ 400 વૃક્ષો ઉગાડ્યા છે. આ સિવાય અહીં કુમટ, લીમડો, ગુંદા, રોહીડા, ખજુરીયા અને જલકી પણ છે. જો કે વૃક્ષો વાવવાનો ખર્ચ વધુ નથી, તેમ છતાં તેની જાળવણી કરવી ખરેખર પડકારજનક છે,” હિમ્મતરામે કહ્યું.
વૃક્ષોની તેમની પસંદગી પણ પ્રશંસનીય છે. શુષ્ક રાજ્યને હંમેશા પાણીની અછતને લગતી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે તે ધ્યાનમાં રાખીને, તેમણે વરસાદ પર આધારિત વૃક્ષો પસંદ કર્યા.
વધુમાં, નાગૌર જિલ્લામાં ભૂગર્ભજળને સંતુલિત રાખવામાં વૃક્ષોએ પણ ઘણો ફાળો આપ્યો છે. જ્યાં ખેતીના હેતુ માટે 45,000 બોરવેલ જોડાણો છે ત્યાં હિમ્મતરામ કહે છે કે તેનું કારણ એ છે કે ખેડૂતો પાણી ખેંચવા માટે મશીનોના વધુ પડતા ઉપયોગ તરફ આંખ આડા કાન કરી રહ્યા છે, ત્યારે આ જ વૃક્ષો દાયકાઓથી ચૂપચાપ વરસાદી પાણીનો સંગ્રહ કરી રહ્યા છે અને વૃક્ષારોપણના કારણે આ ભૂગર્ભજળ વગર બોરવેલે પણ જમીનમાં ઊંડેથી ઉપર તરફ ખેંચાઈને આવે છે.
હિમ્મતરામ શિકારીઓ સામેની કાનૂની લડાઈનું પણ નેતૃત્વ કરી રહ્યા છે. તેમણે 28 કેસમાંથી 16 શિકારીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. અને તેઓ કેસ લડવા માટે પોતાની બચતનો ઉપયોગ કરે છે.
Himmataram has saved several peacocks
1,570 થી વધુ ઘાયલ પ્રાણીઓ અને પક્ષીઓના જીવનને બચાવવા માટે, તેમને રાજીવ ગાંધી પર્યાવરણ સંરક્ષણ જેવા રાજ્ય પુરસ્કારો પ્રાપ્ત થયા છે. તેમના પર ‘હિમ્મત કે ધની હિમ્મતરામ’ નામનું પુસ્તક પણ પ્રકાશિત કરવામાં આવ્યું છે, જેનું સંસદ ભવનમાં કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે વિમોચન કર્યું હતું.
ફોટો : ભારતના રાષ્ટ્રપતિ/ટ્વિટર
મૂળ લેખ: ગોપી કારેલિયા
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: કોણ છે પદ્મશ્રીથી સન્માનિત મહિલા, પગમાં ચપ્પલ નહીં, માત્ર સાડીમાં લપેટાયેલ અમૂલ્ય નારી
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.સકારાત્મકતાની ઝુંબેશ આગળ વધારવામાં અમને મદદ કરો
સકારાત્મકતાની ઝુંબેશ આગળ વધારવામાં અમને મદદ કરો
સકારાત્મક સમાચારની ઝુંબેશ આગળ વધારવા અમારી મદદ કરવા ઈચ્છો છો? અમે ધ બેટર ઇન્ડિયા ભારતમાં થઈ રહેલ બધું તમને બતાવવા ઈચ્છીએ છીએ. એક સમયે એકજ લેખ દ્વારા પત્રકારત્વની સાચી શક્તિની મદદથી અમે ભારતમાં બદલાવ લાવવા ઈચ્છીએ છીએ. જો તમે અમને વાંચો છો, તમને અમારું કામ ગમે છે અને આ સકારાત્મક સમાચારોની ઝુંબેશ આગળ વધારવા ઈચ્છો છો તો, ફોલો બટન દબાવી અમને મદદ કરો.
₹ 999 ₹ 2999
તમે તમારી પસંદ અનુસાર મદદ કરવા ઈચ્છતા હોય તો અહીં ક્લિક કરો
તમને આ પણ ગમી શકે છે
Kamlesh Kosamia
ભરૂચના શિક્ષકે એકલા હાથે બાથ ભીડી જળવાયુ પરીવર્તન સામે, વાવ્યા હજારથી પણ વધુ વૃક્ષો
Kishor Rathod
એક સમયે કલર લાવવાના પણ પૈસા નહોતા ત્યારે આજે ફક્ત પોતાની કળાના જોરે જીતી જિંદગી
Humanity Work
દુ:ખીયાનું બેલી છે સુરતનું આ દંપતી, સાચવે છે 30 જેટલા વૃદ્ધોને
Pigeon Colony
એક ગામ, જ્યાં તેલના ખાલી ડબ્બાઓમાંથી કબૂતરોને રહેવા માટે બનાવી છે કૉલોની
1 Rupee Hospital
માત્ર એક જ રૂપિયામાં કરાવો સારવાર, પાલનપુરનું આ દવાખાનું છે એકદમ હટકે
Ramajibhai Makwana
85 વર્ષના નિવૃત શિક્ષકનું ઘર બન્યું પક્ષી અભયારણ્ય, રોજ 1500 પક્ષીઓનું પેટ ભરે છે
Post navigation
Previous post
કોણ છે પદ્મશ્રીથી સન્માનિત મહિલા, પગમાં ચપ્પલ નહીં, માત્ર સાડીમાં લપેટાયેલ અમૂલ્ય નારી
Next post
આ અમદાવાદી મહિલાના પ્રયત્નોથી મિલકામદારોનું વેતન 35% વધ્યું, બન્યાં દેશનાં પહેલાં મહિલા ટ્રેડ યુનિયન નેતા
Search for:
ચાલો મિત્રો બનીએ :)
© 2022 Vikara Services Pvt Ltd.
Archives Select Month March 2022 (5) February 2022 (28) January 2022 (39) December 2021 (77) November 2021 (73) October 2021 (71) September 2021 (60) August 2021 (60) July 2021 (64) June 2021 (59) May 2021 (54) April 2021 (46) March 2021 (47) February 2021 (56) January 2021 (60) December 2020 (65) November 2020 (58) October 2020 (60) |
મુસ્લિમ સમુદાયને પવિત્ર હજ માટે મળતી હજ સબસિડી બંધ કરીને મોદી સરકારે મુસ્લિમોની વર્ષો જૂની માંગને પૂરી કરી છે. એમ દેશના કેટલાય મુખ્ય મુસ્લિમ સંગઠનો અને લોકોનું કહેવું છે પરંતુ આ સાથે જ સરકારે અન્ય ધર્મના લોકોને પણ ધર્મના નામે મળનાર સવલતોને બંધ કરી દેવી જોઈએ. મુસ્લિમ સંગઠનો મુજબ પવિત્ર હજ માટે ફરજિયાત એર-ઈન્ડિયા દ્વારા જવામાંથી હજયાત્રાીઓને છૂટકારો અપાવવો જોઈએ અને હજયાત્રીઓને પવિત્ર હજ માટે સસ્તા દરની એર સર્વિસ ઉપલબ્ધ કરાવવા માટે ગ્લોબલ ટેન્ડર બહાર પાડવાની માંગ કરી. સાથે જ આ સંગઠન દ્વારા સઉદી અરબમાં હાજીઓની સ્થાપના અને ટ્રાન્સપોર્ટ સિસ્ટમના નામે થતી ખુલ્લી લૂટને પણ બંધ કરવા માગણી કરી હતી. પવિત્ર હજ માટે હજ સબસિડી બંધ કરવાના મુદ્દે ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડના પ્રવકતા મૌલાના ખલીલુર્રહેમાને જણાવ્યું કે પવિત્ર હજના નામે આપવામાં આવતી હજ સબસિડીનો સંપૂર્ણ લાભ એર-ઈન્ડિયાને મળતો હતો, આ લાભને બંધ કરવા મુસ્લિમો દ્વારા લાંબા સમયથી માંગ કરી રહ્યા હતા. મૌલાના ખલીલે જણાવ્યું કે ભારત એક બિન-સાંપ્રદાયિક દેશ છે આથી કોઈપણ ધર્મના લોકોને સરકાર તરફથી સવલત અપાવી જોઈએ નહી. તેમણે જણાવ્યું કે હજ સબસિડીના ર૦૦ કરોડ રૂપિયા મુસ્લિમ છોકરીઓના શિક્ષણ પાછળ ખર્ચ કરવાની વાત છે તો મુસ્લિમ આ મુદ્દા પર દેખરેખ રાખશે અને મુસ્લિમ બાહુલ્ય ક્ષેત્રમાં કેટલી શાળાઓ અને શૈક્ષણિક સંસ્થા શરૂ કરવામાં આવે છે તેના પર પણ નજર રાખવામાં આવશે.
Share:
Rate:
Previousઅન્ડર-૧૯ વિશ્વકપમાં ભારતે ઝિમ્બાબ્વેને ૧૦ વિકેટે હરાવ્યું
Nextઅમદાવાદમાં તા.રરમીએ વિકલાંગ બાળકો માટે તાલીમ : નોકરી, સમૂહશાદીનું આયોજન
Related Posts
કેન્દ્ર સામે CBI : સુપ્રીમ કોર્ટનો હુકમ જુલમી શાસકના મ્હોં પર લપડાક સમાન : રણદીપ સુરજેવાલા
26/10/2018
રાફેલ એરક્રાફ્ટ બનાવવામાં ‘બિનકુશળ’ વ્યક્તિને ૩૦,૦૦૦ કરોડ રૂપિયા આપી દેવાયા : રાહુલ ગાંધી
26/09/2018
કેન્દ્ર સરકારના બધા જ વિભાગોની કામગીરી પર RSS નિયંત્રણ રાખી રહ્યું છે : રાહુલ ગાંધી
14/02/2018
રાફેલ કૌભાંડ : લડાયક રાહુલ ગાંધીએ પીએમ મોદી પર તિક્ષ્ણ નિશાન સાધ્યા
08/02/2018
Recent Posts
E PAPER 05 DEC 2022
Dec 5, 2022
E PAPER 04 DEC 2022
Dec 4, 2022
E PAPER 03 DEC 2022
Dec 3, 2022
E PAPER 02 DEC 2022
Dec 2, 2022
E PAPER 01 DEC 2022
Dec 1, 2022
Other Info
About Us
Lokhit movement
Recent Comments
December 2022
M
T
W
T
F
S
S
1 2 3 4
5 6 7 8 9 10 11
12 13 14 15 16 17 18
19 20 21 22 23 24 25
26 27 28 29 30 31
« Nov
Categories
Categories Select Category Ahmedabad Ajab Gajab Business Career Crime Editorial Articles Education Epaper Daily Featured Gujarat Health International Lokhit movement Muslim National Recipes Today Special Articles Special Edition Sports Tasveer Today Technology Uncategorized
Archives
Archives Select Month December 2022 November 2022 October 2022 September 2022 August 2022 July 2022 June 2022 May 2022 April 2022 March 2022 February 2022 January 2022 December 2021 November 2021 October 2021 September 2021 August 2021 July 2021 June 2021 May 2021 April 2021 March 2021 February 2021 January 2021 December 2020 November 2020 October 2020 September 2020 August 2020 July 2020 June 2020 May 2020 April 2020 March 2020 February 2020 January 2020 December 2019 November 2019 October 2019 September 2019 August 2019 July 2019 June 2019 May 2019 April 2019 March 2019 February 2019 January 2019 December 2018 November 2018 October 2018 September 2018 August 2018 July 2018 June 2018 May 2018 April 2018 March 2018 February 2018 January 2018 December 2017 November 2017 October 2017 September 2017 August 2017 July 2017 June 2017 May 2017 April 2017 March 2017 February 2017 January 2017 December 2016 November 2016 October 2016 September 2016 |
હાલ એક કિસ્સો સામે આવ્યો છે જેને સાંભળીને તમે પણ ચોંકી જશો. હા, અહીં એક મહિલાને ઘોડા સાથે એટલો પ્રેમ થઈ ગયો કે તે તેને તેના પતિ કરતા વધુ સમય આપવા લાગી અને તે તેની સાથે સંબંધ પણ રાખતી હતી, આ વાતનો ખુલાસો ત્યારે થયો જ્યારે તે ગર્ભવતી થઈ.
Advertisement
પરંતુ આશ્ચર્યની વાત એ છે કે મહિલા આ બાળકને જન્મ આપવા માંગે છે. લોકોમાં વિવિધ પ્રકારના જુસ્સો હોય છે અને તેઓ આમાં ઘણું બધું કરે છે. ઘણીવાર આવા ઘણા કિસ્સાઓ સામે આવે છે, પરંતુ આ મામલો અલગ છે.આ કિસ્સો 2014માં સામે આવ્યો હતો, જ્યારે એક મહિલાએ કહ્યું હતું કે તેણે ઘોડા સાથે સેક્સ કર્યું હતું અને તે ગર્ભવતી થઈ ગઈ હતી. તેણે કહ્યું કે તે આ બાળકને જન્મ આપવા માંગે છે.
મહિલાએ લખ્યું કે તે 12 અઠવાડિયાની ગર્ભવતી છે. તેણે કહ્યું કે જે રીતે તેનું પેટ વધી રહ્યું છે તે જોઈને લાગે છે કે તેની અંદર કોઈ ઘોડો ઉછરી રહ્યો છે.મહિલાએ ફેસબુક પર લખ્યું કે મેં અને મારા પતિએ ખૂબ દારૂ પીધો હતો, ત્યારબાદ મેં ઘોડા સાથે સેક્સ કર્યું હતું.
હવે હું પ્રેગ્નન્ટ છું, મને અલ્ટ્રાસાઉન્ડ કરાવવામાં ડર લાગે છે, જો ઘોડો થયો તો શું થશે.2014માં આ મહિલાની પોસ્ટ ખૂબ વાયરલ થઈ હતી. મહિલાએ કહ્યું કે તે ઘોડો હોય કે બીજું કંઈ ફરક નથી પડતો, હું તેને જન્મ આપવા માંગુ છું.
જણાવવામાં આવી રહ્યું છે કે નશાની હાલતમાં પતિની સામે જ મહિલાએ પહેલા ઘોડા સાથે સંબંધ બાંધ્યા, પછી જ્યારે તે ગર્ભવતી થઈ ત્યારે ખબર પડી કે તે ગર્ભમાં છે. મહિલાએ પોતે જણાવ્યું કે એક દિવસ મેં અને મારા પતિએ ખૂબ જ પીધું, ત્યારબાદ મેં ઘોડા સાથે સેક્સ કર્યું.
અને હવે હું ગર્ભવતી થઈ ગઈ છું, હવે મને ખબર પડી છે કે હકીકતમાં મારા ગર્ભમાં ઘોડો ઉછરી રહ્યો છે, માણસ નહીં.ઘોડા સાથે સેક્સ કર્યા બાદ જ્યારે મહિલા પ્રેગ્નન્ટ થઈ ત્યારે તેણે પોતે ફેસબુક પર એક પોસ્ટ લખીને આ વાતની પુષ્ટિ કરી હતી.
પોસ્ટમાં મહિલાએ લખ્યું કે તે 12 અઠવાડિયાની ગર્ભવતી છે. તેણે કહ્યું કે જે રીતે તેનું પેટ વધી રહ્યું છે તે જોઈને લાગે છે કે તેની અંદર કોઈ માનવ બાળક નહીં પણ ઘોડો વધી રહ્યો છે. મહિલાએ કહ્યું કે હવે હું ગર્ભવતી છું, મને અલ્ટ્રાસાઉન્ડ કરાવવામાં ડર લાગે છે કે જો તે ઘોડો થાય તો શું થશે. જો કે, મહિલાએ એ પણ કહ્યું કે તેને કોઈ પરવા નથી કે તે ઘોડો છે કે બીજું કંઈક, તે માત્ર તેને જન્મ આપવા માંગે છે.
Advertisement
Share
Facebook
Twitter
Google+
Pinterest
WhatsApp
Previous articleએક ગ્લાસ આ જ્યૂસ પી લો,રાત્રે બેડરૂમ માં પત્ની પણ બોલશે હવે બસ,મળશે ઘોડા જેવો પાવર..
Next articleજો તમે ગરોળી ને સંભોગ કરતા જોઈ લીધી તો સમજો એ હોઈ છે આ વાત નો સંકેત…
Team Fearless Voice
https://www.thefearlessvoice.co.in
RELATED ARTICLESMORE FROM AUTHOR
News
જો આ વ્યક્તિની વાત માની હોત તો આજે આ પુલ તૂટવાની દુર્ઘટનાના ઘટી હોત..
News
MBA ચાયવાલા બાદ હવે બેવફા ચાયાવાલો થઈ રહ્યો છે વાયરલ,પ્રેમ માં દગો મળ્યો તો કરી નાખ્યું આ કામ…
News
જાણો મોરબી ના ઝુલતા પુલ ની ખાસિયત શુ હતું?,જાણો 142 વર્ષ જૂનો આ પુલ કોને બનાવ્યો હતો…
Advertisement
Latest News
જો આ વ્યક્તિની વાત માની હોત તો આજે આ પુલ તૂટવાની...
MBA ચાયવાલા બાદ હવે બેવફા ચાયાવાલો થઈ રહ્યો છે વાયરલ,પ્રેમ માં...
જાણો મોરબી ના ઝુલતા પુલ ની ખાસિયત શુ હતું?,જાણો 142 વર્ષ...
મોરબી બ્રિજ આ કંપનીની બેદરકારી ના કારણે તૂટ્યો? Oreva કંપની ના...
કોઈપણ આડઅસર વિના જાતીય પ્રવૃત્તિ વધારવા માટે કઈ દવા ખરેખર અસરકારક...
Like Us on Facebook
Patidar Group
Home
Contact Us
Privacy Policy
© thefearlessvoice.co.in
Don`t copy text!
MORE STORIES
મર્દાની તાકાતને બે ઘણી વધારી દેશે આ સસ્તી વસ્તુ, પુરુષોએ તેનું...
શું પુરુષોને પણ આવે છે પીરિયડ્સ?, પુરુષ જરૂર જાણી લો…
'); var formated_str = arr_splits[i].replace(/\surl\(\'(?!data\:)/gi, function regex_function(str) { return ' url(\'' + dir_path + '/' + str.replace(/url\(\'/gi, '').replace(/^\s+|\s+$/gm,''); }); splited_css += ""; } var td_theme_css = jQuery('link#td-theme-css'); if (td_theme_css.length) { td_theme_css.after(splited_css); } } }); } })(); |
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને જુદા જુદા પંદર સ્થળોએ ચેકિંગ ચેકપોસ્ટ શરૂ કરવામાં આવી | Saurashtra Bhoomi News
Friday, December 9
Breaking News
વાઘોડિયા ધાનેરા બાયડ અને કુતિયાણા બેઠક ઉપર અપક્ષ ઉમેદવારો થયા વિજેતા
ભિલોડા બેઠક પર ભાજપની ઐતિહાસિક જીત
સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત ભાજપનાબે નેતાઓ ની સતત 8મી વાર જીત દેવભૂમિ દ્વારકા બેઠકના પબુભા માણેક અને માંજલપુર બેઠકના યોગેશ પટેલ સતત આઠમી વાર વિજેતા
સંજય કોરડીયા 40,000 થી પણ વધારે લીડ હાસિલ કરી ભવ્ય વિજય હાસિલ કર્યો
ભૂપેન્દ્ર ભાઈ પટેલની સરકાર ના રાજય કક્ષાના શિક્ષણ મંત્રી કીર્તિ સિંહ વાઘેલાની કાંકરેજ બેઠક પરથી પરાજય
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલનો 60 હજાર લીડ સાથે ભવ્ય વિજય
જૂનાગઢમાં આગાખાન હોસ્ટેલથી મનોરંજન સર્કીટ હાઉસ સુધીનાં માર્ગને નામ અપાયું આરઝી હકુમતનાં સેનાની શ્રી દુર્લભજીભાઈ નાગ્રેચા માર્ગ
આરઝી હકુમતનાં સૈનિકોને કોટી કોટી વંદના
Navigate
Saurashtra Bhoomi News
Home
Breaking News
Bollywood
Crime
fashion
gujarat
Health
lifestyle
local
national
Photo-Gallery
E-paper
Live Stock Market
Contact Us
Sitemap
Home
Breaking News
Bollywood
Crime
fashion
gujarat
Health
lifestyle
local
national
Photo-Gallery
E-paper
Live Stock Market
Contact Us
Sitemap
You are at:Home»Breaking News»દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને જુદા જુદા પંદર સ્થળોએ ચેકિંગ ચેકપોસ્ટ શરૂ કરવામાં આવી
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને જુદા જુદા પંદર સ્થળોએ ચેકિંગ ચેકપોસ્ટ શરૂ કરવામાં આવી
0
By Abhijeet Upadhyay on November 9, 2022 Breaking News
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી તારીખ પહેલી ડિસેમ્બરના રોજ વિધાનસભાની ચૂંટણીનું મતદાન થનાર છે. ત્યારે જિલ્લામાં ચૂંટણી સંદર્ભે કાયદો અને પરિસ્થિતિ સાબૂત બની રહે તે હેતુથી અહીંના જિલ્લા કલેકટર દ્વારા બહાર પાડવામાં આવેલા કેટલાક પ્રતિબંધાત્મક આદેશો વચ્ચે અહીંના જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા જુદા જુદા વિસ્તારોમાં ચેકીંગ કાર્યવાહી કાર્યવાહી માટે ચેકપોસ્ટ શરૂ કરવામાં આવી છે. આ અંતર્ગત ખંભાળિયા નજીકના જામનગર રોડ, પોરબંદર રોડ તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લા નજીકને સાંકળતી અન્ય જિલ્લાઓની બોર્ડર વિસ્તારમાં ચેકપોસ્ટ બનાવવામાં આવી છે. જેમાં ખંભાળિયા-જામનગર રોડ, ખંભાળિયા-ભાણવડ રોડ, ખંભાળિયા-પોરબંદર રોડ, જામજાેધપુર ત્રણ પાટીયા રોડ, દ્વારકા રોડ, ચારકલા રોડ, સહિત કુલ ૧૫ સ્થળોએ શરૂ કરવામાં આવેલી આ ચેક પોસ્ટ ૨૪ કલાક કાર્યરત કરવામાં આવી છે. આ તમામ ચેકપોસ્ટ ઉપર હથિયારી પોલીસ તથા એસઆરપીનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જિલ્લામાં કુલ છ ફલાઈંગ સ્કવોડ – એસ.એસ.ટી.ની રચના કરવામાં આવી છે. તે તમામ સ્કવોડો પણ આ ચેક પોસ્ટ ઉપર તેમજ જુદા જુદા માર્ગ ઉપર ફરીને ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવે છે. જિલ્લામાં આ ચેક પોસ્ટ નજીકથી પસાર થતા અને શંકાસ્પદ મનાતા વાહનોનું સધન ચેકિંગ કરવામાં આવે છે. એસ.પી. નિતેશ પાંડેય તથા ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિ દ્વારા ચેકપોસ્ટ અંગેની કામગીરી ઉપર પણ દેખરેખ રાખવામાં આવી રહી છે.
Previous Articleખંભાળિયા પંથકમાં બોગસ ડ્રાયવિંગ લાયસન્સ કૌભાંડના દુબઈ નાસી છૂટેલા આરોપીને દબોચી લેવાયો
Next Article શ્રી રાજપૂત કરણી સેનામાં રાષ્ટ્રિય ઉપાધ્યક્ષ બનવા બદલ જામકંડોરણા ખાતે જે.પી. જાડેજાનું ભવ્ય સ્વાગત સન્માન કરાયું
Weather
Junagadh
December 9, 2022, 3:47 AM
Hazy moonlight
17°C
real feel: 16°C
current pressure: 1010 mb
humidity: 48%
wind speed: 7 km/h ENE
wind gusts: 11 km/h
UV-Index: 0
sunrise: 6:45 AM
sunset: 5:36 PM
Treading News
વાઘોડિયા ધાનેરા બાયડ અને કુતિયાણા બેઠક ઉપર અપક્ષ ઉમેદવારો થયા વિજેતા December 8, 2022
ભિલોડા બેઠક પર ભાજપની ઐતિહાસિક જીત December 8, 2022
સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત ભાજપનાબે નેતાઓ ની સતત 8મી વાર જીત દેવભૂમિ દ્વારકા બેઠકના પબુભા માણેક અને માંજલપુર બેઠકના યોગેશ પટેલ સતત આઠમી વાર વિજેતા December 8, 2022
સંજય કોરડીયા 40,000 થી પણ વધારે લીડ હાસિલ કરી ભવ્ય વિજય હાસિલ કર્યો December 8, 2022
ભૂપેન્દ્ર ભાઈ પટેલની સરકાર ના રાજય કક્ષાના શિક્ષણ મંત્રી કીર્તિ સિંહ વાઘેલાની કાંકરેજ બેઠક પરથી પરાજય December 8, 2022
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલનો 60 હજાર લીડ સાથે ભવ્ય વિજય December 8, 2022
જૂનાગઢમાં આગાખાન હોસ્ટેલથી મનોરંજન સર્કીટ હાઉસ સુધીનાં માર્ગને નામ અપાયું આરઝી હકુમતનાં સેનાની શ્રી દુર્લભજીભાઈ નાગ્રેચા માર્ગ November 9, 2022 |
આજના સમયમાં રોજિંદા કમ્યુનિકેશન માટે ઈ-મેઇલનું સ્થાન ઇન્સ્ટન્ટ મેસેજિંગે લઇ લીધું છે તેમ છતાં બિઝનેસ સંબંધી કામકાજ માટે અને પ્રમાણમાં મોટી ફાઇલ્સની આપ-લે માટે હજી પણ ઇ-મેઇલનો ઉપયોગ અનિવાર્ય છે. ઉપરાંત, વોટ્સએ જેવી સર્વિસની સરખામણીમાં ઈ-મેઇલમાં આપણા કમ્યુનિકેશનનો રેકોર્ડ વધુ વ્યવસ્થિત રીતે સચવાઈ શકે છે.
જો તમે જી-મેઇલનો ઉપયોગ કરતા હો તો તેમાં ૧૫ જીબી જેટલી સ્પેસ મળે છે પરંતુ આ સ્પેસ આપણા જી-મેઇલ, ગૂગલ ડ્રાઇવ તથા ગૂગલ ફોટોસ વચ્ચે વહેંચાયેલી છે.
થોડા વર્ષ પહેલાં ૧૫ જીબી પૂરતી સ્પેસ ગણાતી હતી અને આપણે ક્યારેય કોઇ મેઇલ ડિલીટ કરવા ન પડે તેવું લાગતું હતું પરંતુ હવે ઇન્ટરનેટ કનેકશનની ઝડપ ખાસ્સી વધી હોવાના કારણે આપણે બહુ સહેલાઇથી મોટી ફાઇલ્સની આપલે ઇ-મેઇલ દ્વારા કરી શકીએ છીએ અને એ જ કારણે જીમેઇલની ૧૫ જીબીની અગાઉ તોતિંગ લાગતી કેપેસિટી હવે ઓછી પડે તેવું બની શકે છે.
જીમેઇલમાં જગ્યા કરવી હોય, પણ તેમાંના ઘણા મેઇલ્સ અગત્યના હોવાથી તમે તેને કાયમ માટે ડિલીટ કરી શકો. આ અને બીજાં કારણોસર, જીમેઇલના તમારા એકાઉન્ટમાંના બધા જ ઈ-મેઇલનો બેકઅપ રાખવાની જરૂર ઊભી થઈ શકે છે.
આ એવો બેકઅપ હોય, જેને આપણે વેબ પરના જીમેઇલમાંથી આપણા પીસીમાં ડાઉનલોડ કરી લઈએ અને પછી જીમેઇલમાંના બધા મેઇલ ડિલીટ કરી, તેનો નવેસરથી ઉપયોગ કરી શકીએ!
પરંતુ આ કામ ધારીએ એટલું સહેલું નથી, થોડું કડાકૂટભર્યું છે. અલબત્ત, આપણે સ્ટેપ-બાય-સ્ટેપ સમજીએ તો કશું મુશ્કેલ નથી!
જીમેઇલનો બેક-અપ લેવા માટે, આપણે પહેલાં તો ઈ-મેઇલ સર્વિસીઝ કેવી રીતે ચાલે છે તેની થોડી પ્રાથમિક સમજ મેળવી લેવી જોઈએ.
આગળ શું વાંચશો?
ઈ-મેઇલ સર્વિસનો કેવી રીતે ઉપયોગ થઈ શકે?
જીમેઇલના બેકઅપનો મૂળ કન્સેપ્ટ
જીમેઇલના ડેટાનો બેકઅપ લેવા માટે
જીમેઇલનો બેકઅપ ડેટાના પીસીમાં ઓપન કરવા માટે
થંડરબર્ડના લોકલ ફોલ્ડર સુધી પહોંચવા માટે
Please Login to view this content. (Not a member? Join Today!)
આપના અભિપ્રાય
Leave a Reply Cancel reply
Your email address will not be published. Required fields are marked *
Comment *
Name *
Email *
Website
Δ
મિત્રોને આ પેજ મોકલો
સાઇટમાં વેબ લેઆઉટ
એપમાં પ્રિન્ટ લેઆઉટ
App
Topics
Join
Acc.
Contact us
About & Policies
CyberSafar Edumedia. All rights reserved. If you wish to republish any of the content, please contact us.
Pleases don`t copy text!
નવા સમયની નોલેજગાઇડ!
Menu
હોમ
મેગેઝિનના વિભાગો
મેગેઝિનના ટોપિક્સ
ફ્રી વોટ્સએપ ગ્રૂપ્સ
રીડ ફ્રી – લોગ-ઇન વિના વાંચો
લવાજમ વિશે – ઓનલાઇન પેમેન્ટ
આપનું એકાઉન્ટ
સંપર્ક
લવાજમ વિશે જાણો
લોગ-ઇન/આપનું એકાઉન્ટ
આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.
Member Login
Username
Password
Remember me
Forgot Password?
Join Today!
આપનો નવો પાસવર્ડ મેળવો
આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો. |
માસીકસ્રાવ, માસીકધર્મ, ઋતુસ્રાવ, રજોદર્શન, માસીક આવવું, માસીકમાં બેસવું, રજસ્વલા, ઋતુચક્ર જેવા જાતજાતના શબ્દો સ્ત્રીના જાતીય જીવન સાથે સમ્બન્ધ ધરાવે છે. ઉપર જણાવેલા તમામ શબ્દો સ્ત્રીના શરીરમાં થતી એક પ્રક્રીયા દર્શાવે છે. જેનાથી આપણે સહુ પરીચીત તો છીએ જ; પણ આ પ્રક્રીયા પાછળનું વીજ્ઞાન જાણવાની બેદરકારીથી કેટલીક અન્ધશ્રદ્ધા અને વહેમો પ્રચલીત થયા છે.
સામાન્ય તરુણ કે યુવાનને જાણ હોય છે કે, ઘરમાં માતા કે બહેનને અથવા કુટુમ્બની કોઈ સ્ત્રીને દર મહીને યોનીમાંથી રક્તસ્રાવ થાય છે. ત્રણ–ચાર દીવસ આ પ્રક્રીયા ચાલે છે. મોટે ભાગે ધાર્મીક અને પરમ્પરાગત માન્યતા મુજબ આ દીવસો દરમીયાન તે સ્ત્રી ધાર્મીક પ્રસંગોમાં ભાગ લઈ શકતી નથી. ઈશ્વરના દર્શન કરી શકતી નથી કે પ્રસાદ ખાઈ શકતી નથી! સાથે સાથે ઘરમાં રસોડે કે પાણીના માટલે તેને અડકવા પર ચુસ્ત ધાર્મીક કુટુમ્બોમાં મનાઈ હોય છે. જો માસીકસ્રાવ દરમીયાન સ્ત્રી રસોડે અડકે (રસોઈ બનાવે) કે અન્ય સ્ત્રી કે પુરુષને અડકે તો ‘પાપ’ લાગે!
વર્ષો પૂર્વે કેટલાંક કુટુંબોમાં માસીકસ્રાવના ચાર દીવસ દરમીયાન સ્ત્રીએ કંતાનના ગોદડા પર કે જુની ફાટેલી, ગંધાતી ગોદડી પર સુવું પડતું હતું. તેની પાસેથી કોઈ વસ્તુ લેવી હોય કે આપવી હોય તો સીધો સ્પર્શ કરી શકાતો નહોતો. તે વસ્તુ નીચે મુકી દે પછી આપણે તેને લઈ શકીએ, આપણા હાથમાંની વસ્તુ કોઈ ઠેકાણે મુકીએ પછી જ તે લઈ શકે..!! (જો કે, સમય બદલાંતા હવે થોડીક જાગૃતી આવી છે; પણ કેટલાંક સમાજમાં હજી અમુક જડ માન્યતાઓ અસ્તીત્વ ધરાવે છે, જે દુ:ખદ છે..)
માસીકસ્રાવના દીવસોમાં સ્ત્રીનું સ્થાન એક અસ્પૃશ્ય જેવું જ હોય છે. તે અન્યની સાથે સોફા પર, હીંચકા પર બેસી શકે નહીં. તેના શરીરમાંના અદૃશ્ય કીરણો જાણે અન્યને હાની પહોંચાડવાના હોય તેટલી હદે તેને અસ્પૃશ્ય ગણવામાં આવે છે! અથાણા જેવી બારમાસીક વસ્તુ તેની હાજરીમાં ન કાઢી શકાય કે પાપડ પણ ન વણી શકાય; કારણ કે તેનાથી અથાણા–પાપડ બગડી જાય! આવી સ્ત્રીઓનો છાંયો (પડછાયો!) યા તેના શરીરમાંનાં કોઈ ચમત્કારીક કીરણો અથાણાને બગાડતાં હશે!?
જેને અપવીત્ર ઘટના ગણવામાં આવે છે એ ‘માસીકસ્રાવ’ ખરેખર તો સ્ત્રીત્વની નીશાની છે. આ અંગેની વૈજ્ઞાનીક સમજ અને સ્ત્રી સાથે અસ્પૃશ્ય વ્યવહાર કરવા પાછળનું કારણ સમજી લઈએ.
છોકરો કે છોકરી તરુણાવસ્થામાં પ્રવેશે ત્યારે તેના શરીરમાં કેટલાંક અંત:સ્રાવો (હોરમોન્સ) સક્રીય થાય છે. છોકરાને દાઢી–મુછ ઉગવાની શરુઆત થાય, વીર્ય પેદા થવાની શરુઆત થાય છે. તો સ્ત્રીનો છાતીનો ભાગ વીકસવાની અને ઋતુસ્રાવની શરુઆત થાય છે. સામાન્ય રીતે 13–14 વર્ષની છોકરીને ઋતુસ્રાવની શરુઆત થાય છે જે દર મહીને(અમુક સંજોગો સીવાય) ચાલુ રહે છે. લગભગ 40–45 વર્ષની ઉમ્મર સુધી માસીક સ્ત્રાવ ચાલુ રહે છે.
સ્ત્રીના જાતીય અવયવોમાં યોનીમાર્ગ, અંડાશય, અંડવાહીની, ગર્ભાશયનો સમાવેશ થાય છે. અંડાશય (ઓવરી)માં લગભગ દર 28 દીવસે એક અંડકોશ પરીપકવ થવાની શરુઆત સાથે જ ગર્ભાશયમાં લોહીના કોષો ભરાવાની શરુઆત થાય છે. આ દીવસો દરમીયાન સંભોગ વડે યોનીમાં વીર્ય દાખલ થાય અને તેમાં રહેલા લાખો શુક્ર કોષો પૈકી કોઈ એક શુક્રકોષ અમુક સંયોગોમાં પેલા અંડકોષ સાથે જોડાણ કરે અને અંડકોષને ફળદ્રુપ કરે તો તેનો વીકાસ થાય અને ગર્ભ બને.
અહીં અંત:સ્રાવની કામગીરી સમજવાની જરુર છે. અંડકોષ ઓવરીમાં તૈયાર થાય ત્યારે તે ફળદ્રુપ થવાનો એમ માનીને જ અંત:સ્રાવની કામગીરી શરુ થાય છે. અંડકોષ ફળદ્રુપ થાય તો તેને પોષણની જરુર પડે તે માટે ગર્ભાશયના પાતળા પડ (કોષો)માં રુધીર ભરાવાની કામગીરી શરુ થાઈ જાય છે. પરન્તુ શુક્રકોષ સાથે મીલન ન થાય કે અન્ય કારણોસર અંડકોષનું ફલન ન થાય તો તે યોનીમાર્ગ દ્વારા બહાર નીકળી જાય છે. તેના માટે ગર્ભાશયમાં તૈયાર કરેલી વ્યવસ્થા નકામી જાય છે.
ધીમે ધીમે વ્યવસ્થા તુટવા માંડે છે અને ગર્ભાશયમાં ભરાયેલું લોહી કચરારુપે ગર્ભાશયમાંથી યોનીમાર્ગમાં અને ત્યાંથી સ્ત્રીના દેહમાંથી બહાર નીકળે છે. લોહી બહાર નીકળે તે ‘રજોદર્શન’ કે ‘માસીકસ્રાવ’ તરીકે ઓળખાય છે. લગભગ ત્રણેક દીવસ છુટક છુટક યોની વાટે રુધીર બહાર આવે છે. જે વખતે શુક્રકોષ અને અંડકોષનું મીલન થઈ ફલન થાય, ગર્ભ બને ત્યાથી પ્રસવ થાય ત્યાં સુધી સ્ત્રીને માસીક આવતું નથી. ગર્ભાશયમાં પોષણની કામગીરી બજાવતા અંત:સ્રાવો ગર્ભ રહેતાં જ ધાવણ બનાવવાની કામગીરીમાં લાગી જાય છે. તેથી બાળક ધાવતું હોય ત્યાં સુધી સ્ત્રીને માસીક આવવાની શક્યતા નહીવત્ થઈ જાય છે.
આમ, શુક્રકોષ દ્વારા ફળદ્રુપ થવાની રાહ જોતો અંડકોષ ફળદ્રુપ ન થવાથી યોની વાટે બહાર નીકળી જાય અને તેને માટેની તૈયારી રુપે ગર્ભાશયમાં જે લોહી ભરાયું હોય તે અંડકોષમાં જવાથી યોની વાટે બહાર આવી જાય તે પ્રક્રીયા માસીકસ્રાવ (મેન્સીસ ટાઈમ) તરીકે ઓળખાય છે. આમ, આ એક શારીરીક, કુદરતી પ્રક્રીયા જ માત્ર છે.
સાદી ભાષામાં આટલી વૈજ્ઞાનીક સમજ પછી માસીકમાં બેઠેલી સ્ત્રી સાથે જોડાયેલી (આ લેખની શરુઆતમાં જણાવેલી) ખોટી માન્યતાઓ ચર્ચીએ :
માસીકસ્રાવ ત્રણ–ચાર દીવસ દરમીયાન લોહી બહાર નીકળવાની પ્રક્રીયાથી સ્ત્રી બેચેની અનુભવે છે. કમર અને પેટની નીચે (ગર્ભાશયમાં) સતત દુ:ખાવો શરુ થાય છે. શારીરીક અને માનસીક કમજોરી અનુભવાય છે. કોઈ કામમાં સ્ત્રીની રુચી રહેતી નથી. એટલે સુધી કે તે પુરુષ સાથે જાતીય સમ્પર્ક પણ ટાળે છે. સ્ત્રીની આ અવસ્થા સમજવાની કુટુમ્બની દરેક વ્યક્તીની ફરજ છે. તે બરાબર બજાવાય તે હેતુથી ધર્મમાં આવી સ્ત્રીઓને આ ત્રણ–ચાર દીવસ દરમીયાન રસોડે કે પાણીના માટલાને અડકવા પર પ્રતીબન્ધ મુકી દીધો. તેની સાથે ‘પાપ લાગે..’ની વાત જોડી દીધી તેથી કોઈ સાસુ, નણન્દ કે પતી પાપ વહોરવાને બદલે સ્ત્રીને આરામ જ આપે ને? પણ નહીં; એવું બન્યું નહીં. માત્ર રસોઈ જ નહીં કરવાની, બાકી વાસણ, કપડાં–પોતાં કરવાના… વગેરે કપરાં શારીરીક શ્રમ માંગતા કાર્યો તેને કરવાના રહ્યાં. આમ ઉલટું થતાં મુળભુત હેતુ ન સર્યો. કોઈ પણ વાતને સાચી વૈજ્ઞાનીક રીતે સમજ્યા વગર ધર્માચાર સાથે ભેળવી દેવાય ત્યારે આમ જ થાય. એટલું જ નહીં; આનાથી અન્ધશ્રદ્ધા પણ ફેલાય છે. સ્ત્રીની રુચી ન હોય તે બરાબર; પણ રુચી થાય તો તેને કામ કરવા પર કે અન્ય પ્રવૃત્તી પર પ્રતીબન્ધ ન જ હોવો જોઈએ. ઘરમાં અન્ય કોઈ રસોઈ કરનાર હોય જ નહીં તો ધાર્મીક માન્યતાને પકડી રાખીને ભુખ્યા રહેવાનું કે પડોશીને ત્યાંથી કોઈ સ્ત્રીને રાંધવા બોલાવવાની બાબત વીચારણા માંગી લે છે.
રજસ્વલા સ્ત્રીની હાજરીમાં પાપડ–અથાણાં બગડી જવાની વાતમાં કશું તથ્ય નથી. વળી સ્ત્રીને કંતાનના કે ગાભાના ફાટેલા, ગંધાતા ગોદડા પર સુવાની ફરજ પડાય તે ક્યાંનો ન્યાય? તેમાં કયું ધર્માચરણ કહેવાય?
ટુંકમાં, માસીકસ્રાવ દરમીયાન શક્ય હોય ત્યાં સુધી સ્ત્રીને આરામ આપવાની મુળ વાત છે તેને પાપ–પુણ્ય સાથે જોડાવાની કે તેનાથી રસોડે અડકાઈ જાય તો બુમ–બરાડા પાડવાની કે, પ્રાયશ્ચીતરુપે ઉપવાસ કરવા–કરાવવાની કશી જરુર નથી.
વૈજ્ઞાનીક અને માનવીય દૃષ્ટીએ યોગ્ય હોય એવી બાબતોનું ધર્મ દ્વારા પાલન કરાવી શકાય છે; પણ તેમાં અન્ધશ્રદ્ધા ફેલાવાનું પુરુ જોખમ રહેલું છે. પ્રજાને સીધી વૈજ્ઞાનીક સમજ અપાય અને ધર્મની અવૈજ્ઞાનીક દખલગીરી બંધ થાય તો જ માનસ પરીવર્તન તરફ આગળ વધી શકાય.
– સુનીલ શાહ
નીવૃત્ત આચાર્ય, વીજ્ઞાનશીક્ષક, કવીશ્રી સુનીલ શાહનો લેખ ‘નવગુજરાત ટાઈમ્સ’ દૈનીકમાં તા. 14, જુન, 1992ના રોજ પ્રગટ થયો હતો. લેખકશ્રીના અને ‘નવગુજરાત ટાઈમ્સ’ દૈનીકના સૌજન્યથી સાભાર…
લેખક–સમ્પર્ક : શ્રી. સુનીલ શાહ, નોર્થ–101, ન્યુઝ એવન્યુ એપાર્ટમૅન્ટ, આનન્દમહલ રોડ, અડાજણ, સુરત – 395009 સેલફોન : 94268 91670 ઈ.મેઈલ : sunilshah101@gmail.com
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..
અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ–મેઈલ : govindmaru@gmail.com
પોસ્ટ કર્યા તારીખ : 29–12–2017
Rate this:
Share this:
Email
WhatsApp
Facebook
LinkedIn
Yahoo
Telegram
More
Google BUZZ
Technorati
Twitter
Like this:
Like Loading...
Related
Categories:
‘અભીવ્યક્તી’ વૈવીધ્ય
Post navigation
Previous ટ્રાંસપ્લાન્ટેશન ઓફ વરચ્યુઝ…! (સદ્ગુણોનું પ્રત્યારોપણ)
Next દરેક માણસ પાસે સદ્કર્મોનો રેશનકાર્ડ હોવો જોઈએ!
11 Comments
pravinshastri says:
29 Dec 2017 at 8:13 am
આ સુનિલભાઈ કઈ સાલની કઈ દુનિયામાં રહે છે?
LikeLiked by 1 person
Reply
ગોવીન્દ મારુ says:
29 Dec 2017 at 12:07 pm
દરેક લેખના અંતે લેખ અને લેખક અંગે સઘળી માહીતી આપવામાં આવે છે. આ લેખ ‘નવગુજરાત ટાઈમ્સ’ દૈનીકમાં તા. 14, જુન, 1992ના રોજ પ્રગટ થયો હતો. લેખના ત્રીજા ફકરાને અંતે કૌંસમાં (જો કે, સમય બદલાંતા હવે થોડીક જાગૃતી આવી છે; પણ કેટલાંક સમાજમાં હજી અમુક જડ માન્યતાઓ અસ્તીત્વ ધરાવે છે, જે દુ:ખદ છે..) સ્પષ્ટતા કરવામાં આવી જ છે. કેટલાંક રુઢીચુસ્ત સમાજમાં આજેય આ જડ માન્યતાઓ પ્રવર્તે છે. જડ માન્યતાઓને કારણે માસીકસ્ત્રાવના દીવસો દરમીયાન એક સુક્ષીત દીકરી– તેના પીયરમાં રહેવા જતી હોવાનું મારી જાણમાં છે. જેથી આ લેખ આજે પણ એટલો જ પ્રસ્તુત છે.
ધન્યવાદ..
LikeLike
Reply
pravinshastri says:
29 Dec 2017 at 7:01 pm
સમાજ જે ઝડપથી બદલાય છે એ ઝડપથી કેટલાક જ્ઞાનીઓની માનસિકતા બદલાતી નથી. આજની છોકરીઓ જૂના જમાનાના શિક્ષકો કરતાં વધુ જ્ઞાન ધરાવતી હોય છે. કેટલાક વર્ષોથી લીંબુ મરચાના જગતનાંથી પોતેજ બહાર આવતા નથી. સમય ક્ષણે ક્ષણે બદલાતો જાય છે. ભારતના પરિવારોની અજ્ઞાનતાને કારણે થયેલી કોમેન્ટ બદલ ક્ષમા યાચના.
LikeLiked by 1 person
Rashmikant C Desai says:
29 Dec 2017 at 7:27 pm
આપણા ‘મહાન’ પૂર્વજો આપણા શરીરોની રચના (એનેટોમી anatomy) અને પ્રક્રિયા (ફિઝિયોલોજી physiology) સમજ્યા જ નહોતા કે તે સમજવાનો પ્રયત્ન પણ નહોતો કર્યો. (કદાચ એટલા માટે કે મોક્ષ મેળવવા માટે તેની જરુર નહોતી.) પરિણામે આપણી પૌરાણિક વાર્તાઓમાં એવું ઘણું આવે છે કે ‘કહેતા ભી દીવાના ઔર સુનતા ભી દીવાના’. જેવી કે કોઈ કુમારિકાના પુત્રનો જન્મ તેના કાનમાંથી થયો હતો. માસિકધર્મ વિશેનું અજ્ઞાન પણ આ જ કારણે પ્રચલિત રહ્યું હતું.
LikeLiked by 1 person
Reply
mhthaker says:
29 Dec 2017 at 7:40 pm
informative article-for few who still believe in this old tradition in some pockets of cities where there is nuclear family. and still it must be prevalent in remote villages,
LikeLiked by 1 person
Reply
Amrut Hazari. says:
29 Dec 2017 at 7:46 pm
સ્નેહી પ્રવિણભાઇના સવાલને હું રીપીટ કરું છું.
થોડી વઘારે વાત કહી દઉં.
ભારત જેટલો પછાત દેશ આખી દુનિયામાં કશે પણ જોવા નહિ મળે. ( સુનિલભાઇઅે લેખ લખ્યો અને ગોવિંદભાઇઅે છાપી પણ દીઘો, ૨૧મી સદીમાં )
જે સમયની આ વાત લખવામાં આવી છે ત્યારની વાત કરીઅે.
આફ્રિકાના કે ભારતના જંગલના પ્રદેશોમાં આવી આભડછતની વાત કોઇ કરતું નહિ. કુદરતી પ્રક્રિયા સમજીને જીવન રેગ્યલર તેવા જંગલના પ્રદેશોમાં પણ ચાલતું.
દૂર બેસાડવાનો મરખાઇ ભરેલો મરજાદી નિયમ તે જમાનામાં જંગલમાં કોઇ જાણતું પણ નહિ કારણ કે તે વખતે ત્યાં હિંદુ ઘરમ અને તેના વેપારી પ્રણેતાઓ પહોંચ્યા નહતા.
બીજુ, યુરોપીયન દેશોના લોકો પણ ભારતીય…હિંદુો કરતાં વઘુ સારા હતાં તેમને ત્યાં પણ વેપારી ઘરમીયા નહતા.
આ મરજાદી શું છે ? આજે પણ ‘ મરજાદી‘ જીવન ચાલતુ હોય તેવું લાગી રહ્યુ છે.
આજની ભારતીય દિકરીઓ દસ ..બાર વરસની થાય ત્યારથી તેને પોતાના શરીર અને તેમાં થતી પ્રક્રિયાનું નોલેજ પુરુષ લેખક કરતાં વઘુ હોય છે. શાળાઓમાં શીખવવામાં આવે છે.
આ બાજુ પર બેસવાની વાત ? હા…હા…હા….દિકરીઓને તો શાળાઓમાં તેમના શરીર વિષે શીખવવામાં આવે છે. ખોટી પ્રગનન્સી અટકાવવાના રસ્તા પણ શીખવવામાં આવે છે.
ગોવિંદભાઇ, પ્લીઝ………….( ખોટુ નહિ લગાડતા….)
અમૃત હઝારી.
LikeLiked by 1 person
Reply
Dhanesh Bhavsar says:
29 Dec 2017 at 8:11 pm
રજસ્વલા સ્ત્રીઓ પર ઠોકાયેલા બંધનો અંગે ઘણી જાગ્રુતિ આવી છે. પરંતુ સુનિલભાઈ લેખ વૈજ્ઞાનિક સમજ પૂરી પાડે છે. ઘણો જ સરસ.
LikeLiked by 1 person
Reply
સિદ્ધાર્થ દેગામી says:
29 Dec 2017 at 8:46 pm
સરસ સુનીલભાઇ, ગોવિંદભાઈ
LikeLiked by 1 person
Reply
Amrut Hazari. says:
29 Dec 2017 at 8:52 pm
સ્ત્રીઓ જ્યારથી નોકરી કરતી થઇ ત્યારથી તેને ‘ બાજુ પર બેસવાનું ‘ બંઘ થઇ ગયેલું.
LikeLiked by 1 person
Reply
Qasim Abbas says:
29 Dec 2017 at 9:56 pm
માસીકસ્ત્રાવ, જે ઍક શારીરીક, કુદરતી પ્રક્રીયા જ માત્ર છે, તેના વિષે મુસ્લિમ ધર્મશાસ્ત્ર ના પ્રકરણ ૨ ના શ્લોક ૨૨૨ માં કહેવા માં આવેલ છે કે આ ઍક અસ્વછતા ની સ્થિતિ છે, તે માટે આવી સ્થિતિમાં તેણી ની પાસે ન જતા (શારીરીક સંપર્ક ન કરતા). તેના સિવાય બીજુ કશું પાપ–પુણ્ય ની વાતો જેવું નથી લખેલ.
કાસીમ અબ્બાસ
LikeLiked by 1 person
Reply
Pradeep Desai says:
17 Jan 2018 at 12:53 am
This article gives us good information. Thanks to Sunilbhai.
Thanks,
Pradeep H. Deasi
USA
LikeLiked by 1 person
Reply
Leave a Reply Cancel reply
Enter your comment here...
Fill in your details below or click an icon to log in:
Email (required) (Address never made public)
Name (required)
Website
You are commenting using your WordPress.com account. ( Log Out / Change )
You are commenting using your Twitter account. ( Log Out / Change )
You are commenting using your Facebook account. ( Log Out / Change )
Cancel
Connecting to %s
Notify me of new comments via email.
Notify me of new posts via email.
Δ
સભ્ય પદ
નવા લેખોની માહીતી મેળવવા માટે આપની ઈ.મેઈલ આઈડી નીચે સફેદ ખાલી જગ્યામાં નોંધવા વીનન્તી.
Email Address:
નોંધણી કરો
Join 1,207 other followers
મોંઘેરા મહેમાનો
937,676
Top Posts
ચોટીવાળા કોશી- Dicrurus hottentottus
તાજા લેખ
ચોટીવાળા કોશી- Dicrurus hottentottus
પાખંડી પ્રપંચ : કવીયોદ્ધો અખો
પીતા તરીકે : મારા જીજા
આમ આદમીને બંધારણનું પ્રશીક્ષણ હોવું જોઈએ
સુહાગણ (લાજના)-Malabar Trogon
ખાસ નોંધ :
‘અભીવ્યક્તી’ બ્લૉગ પર મુકાતા વીચારો લેખકના પોતાના મૌલીક વીચારો છે. લેખકના વીચારો સાથે બ્લોગર તરીકે મારે કે વાચક તરીકે તમારે સમ્મત થવું ફરજીયાત નથી. પ્રતીભાવકોએ પણ કોઈની લાગણી દુભાય તેવા પ્રતીભાવો ન લખવા વીનન્તી છે. ..ગો.મારુ
Categories
‘અભીવ્યક્તી’ વૈવીધ્ય (476)
અંગદાનથી નવજીવન (18)
અડગ મનના ગજબ માનવી (7)
કલ્ચર કેન કીલ (CULTURE CAN KILL) (17)
કેડી કંડારનારા (18)
કેદારનાથજી (13)
જાતીય પ્રશ્નાવલી (12)
દીનેશ પાંચાલ (90)
પક્ષી પરીચય (4)
પર્યાવરણીય મુલ્ય ધરાવતો ગ્રંથ ‘સર્પસન્દર્ભ’ (37)
ભારતીય ન્યાયતન્ત્રની વાસ્તવીકતા (3)
માનસીક રોગો, વહેમ, વળગાડ અને તેની સારવાર (35)
મુરજી ગડા (62)
રમણ પાઠક (વાચસ્પતી) (70)
રમેશ સવાણી, નીવૃત્ત IPS અધીકારી (73)
લક્ષ્મીદાસ ખટાઉ (11)
વીડીયોઝ (4)
સંપાદક, ‘અભીવ્યક્તી’ (રૅશનલ) (34)
સંપાદક, ‘અભીવ્યક્તી’ (સામાન્ય) (33)
© Copyright
© ’અભીવ્યક્તી’ [Abhiwykti], 2010. Unauthorized use and/or duplication of this material without express and written permission from this blog’s author and/or owner is strictly prohibited. Excerpts and links may be used, provided that full and clear credit is given to "Govind Maru" and "અભીવ્યક્તી" with appropriate and specific direction to the original content. ---
પ્રતીભાવકો માટે અગત્યની સુચના:
૧. લેખના વીષયને અનુરુપ પ્રતીભાવો આપવા.
૨. કોઈપણ જાહેરાત કે વાચન માટે અન્ય લીન્ક કે કોઈ વીડીયો ક્લીપીંગ ન મુકવા વીનન્તી.
૩. કૉમેન્ટ લખનાર પોતાનાં સાચાં નામ/ઠામ લખે તે ઈચ્છનીય છે.
૪. કોઈની માનહાની થાય તેવી ભાષાનો પ્રયોગ તો ન જ કરવા આગ્રહભરી વીનન્તી.
૫. વીષયાંતર થાય કે ચર્ચામાં સામસામે ઉગ્ર મતભેદ થાય ત્યારે, અહીં ચર્ચા કરવાને બદલે એક્બીજાના ઈ-મેઈલ એડ્રેસ મેળવીને સૌહાર્દપુર્ણ અંગત ચર્ચાઓ કરી લેવી; પણ આ બ્લોગને જાહેર કુસ્તીનો અખાડો નહીં બનાવવા પ્રેમભરી વીનન્તી. |
તાજેતરમાં રાજસ્થાનના જાલોર ખાતે છૈલસિંહ નામના શિક્ષકે કથિત રીતે માર માર્યા બાદ 9 વર્ષના દલિત વિદ્યાર્થી ઈન્દ્ર મેઘવાલનો વિવાદ સતત વધી રહ્યો છે ત્યારે સોશિયલ મીડિયા પર અંતિમયાત્રામાં ઉમટેલી ભીડનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં રાજસ્થાનના જાલોર ખાતે એક શિક્ષક દ્વારા ઈન્દ્ર મેઘવાલ નામના […]
Continue Reading
26/11 ના આતંકી હુમલા પર બનેલી ફિલ્મમાં પોલીસ સબ ઈન્સ્પેક્ટર બનેલા અભિનેતા સુનિલ જાધવનો ફોટો શહીદ તુકારામ ઓમ્બલેના નામે વાયરલ…? જાણો શું છે સત્ય….
November 26, 2021 January 13, 2022 Vikas Vyas
તાજેતરમાં સોશિયલ મીડિયા પર 26/11 ના દિવસે મુંબઈ ખાતે થયેલા આતંકી હુમલામાં શહીદ થયેલા પોલીસ સબ ઈન્સપેક્ટર તુકારામ ઓમ્બલેને શ્રદ્ધાંજલિ આપતો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટો 26/11 ના દિવસે મુંબઈ ખાતે થયેલા આતંકી હુમલામાં શહીદ થયેલા પોલીસ સબ ઈન્સપેક્ટર તુકારામ ઓમ્બલેનો […]
Continue Reading
વર્ષ 2017 માં સુકમા ખાતે શહીદ થયેલા સૈનિકોના ફોટો બિજાપુરના શહીદોના નામે વાયરલ… જાણો શું છે સત્ય….
April 7, 2021 January 13, 2022 Vikas Vyas
તાજેતરમાં સોશિયલ મીડિયા પર છત્તીસગઢના બિજાપુર ખાતે થયેલા નક્સલી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપતો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટો તાજેતરમાં છત્તીસગઢના બિજાપુર ખાતે નક્સલી હુમલામાં શહીદ થયેલા સૈનિકોનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં […]
Continue Reading
ClimateFactChecks.org
Climate Change adversely impacts Water Security | Steps Towards Climate Resilient Water Management Systems
Legalizing Cannabis in Sri Lanka? Pros, Cons & Impacts on Climate Change!
Explained | What is Net-Zero Greenwashing and why was it highlighted by the UN Secy-Gen at COP27
Post misleadingly claims UN Report says CO2 deadlier than Cancer
Hydroelectric power for Climate resilience – Overview of the Victoria Hydropower plant
Latest Posts
Comments
શું ખરેખર આઝાદી પછી અરૂણાચલ પ્રદેશમાં પહેલું એરપોર્ટ બન્યુ…? જાણો શું છે સત્ય….
November 26, 2022 November 26, 2022 Frany Karia
હાર્દિક પટેલે આ વખતે ભાજપને પાડી દેવાની વાત કરી… જાણો વાયરલ વીડિયોનું શું છે સત્ય…
November 25, 2022 November 25, 2022 Vikas Vyas
ટોલ ભર્યા પછી વાહન બંધ થાય તો શું ટોલ કંપનીએ વાહનચાલકોને મફત પેટ્રોલ આપવું પડશે…? જાણો શું છે સત્ય….
November 24, 2022 November 24, 2022 Frany Karia
કતાર ખાતે FIFA ફૂટબોલ વર્લ્ડકપના ઉદ્ધાટન સમારોહમાં કુરાનની આયાતોનું વાંચન કરવામાં આવ્યું હોવાના વાયરલ વીડિયોનું જાણો શું છે સત્ય…
November 24, 2022 November 24, 2022 Vikas Vyas
Fake News: રાહુલ ગાંધીની રાજકોટ રેલી દરમિયાન ખુરશીઓ ખાલી રહી હોવાનો ભ્રામક વિડિયો વાયરલ… જાણો શું છે સત્ય….
November 23, 2022 November 23, 2022 Frany Karia
Rekha commented on બ્રિટનના પ્રધાનમંત્રી ઋષિ સુનકના જૂના ફોટા ખોટી માહિતી સાથે વાયરલ: There is no false information as claimed by fact c
Rasik Rajvansh commented on પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને જીતુ વાઘાણીના ફેક નિવેદન વાયરલ થઈ રહ્યા… જાણો શું છે સત્ય….: The news articles are fact, and such statements we
Kampus entrepreneurship commented on રાજસ્થાનના દલિત વિદ્યાર્થી ઈન્દ્ર મેઘવાલની અંતિમયાત્રાના નામે વાયરલ વીડિયોનું જાણો શું છે સત્ય…: રાજસ્થાનના દલિત વિદ્યાર્થી ઈન્દ્ર મેઘવાલની અંતિમયા
RTI Online commented on શું ખરેખર રેલવેમાં ફરી વૃધ્ધ વ્યક્તિઓને કન્સેશન આપવામાં આવી રહ્યુ છે…? જાણો શું છે સત્ય….: This is really a valuable post... The info shared
RTI Online commented on શું ખરેખર EDને સત્યેન્દ્ર જૈન ને ત્યાંથી માત્ર 2 લાખ રૂપિયા જ મળ્યા…? જાણો શું છે સત્ય….: This is an excellent post I saw thanks to sharing
અમારી કંપની
અમારા વિશે
સિદ્ધાંતોની આચારસંહિતા
ડિસક્લેમર/ઘોષણા
સુધારા કરવાની તેમજ સબમિશનની નીતિ
ગોપનીયતા અંગેની નીતિ
અમારી પદ્ધતિ
અમારો સંપર્ક કરો
કેટેગરીઓ
કેટેગરીઓ Select Category Agriculture (1) Altered (42) Communal (14) Coronavirus (99) Crime (5) Education (4) Entertainment (9) Environment (1) Explainer (5) False (1,907) False Headline (7) Health (2) Missing Context (126) Mixture (36) Partly False (92) Satire (7) Sports (16) True (10) Visual (15) અપડેટ કરેલ I Updated (1) અર્થતંત્ર I Economy (3) આંતરરાષ્ટ્રીય I International (393) ગેરમાર્ગે દોરનાર I Misleading (47) તબીબી I Medical (26) નકલી ખબરો I Fake News (3) બ્રેકિંગ I Breaking (6) રાજકીય I Political (939) રાષ્ટ્રીય I National (1,269) વાસ્તવિક ખબરો I Real News (2) સામાજિક I Social (1,331) |
ત્વચા સંભાળ માટે ખૂબ જ અસરકારક સ્ક્વાલેન તેલતે તાજેતરના વર્ષોમાં મહિલાઓ દ્વારા સૌથી વધુ પસંદ કરાયેલ ઉત્પાદનોમાંનું એક છે. સ્ક્લેન તેલ, જે ત્વચા પરના તેલ સામે અત્યંત અસરકારક છે, તેના ઘણા સ્વાસ્થ્ય લાભો છે. આ ઉત્પાદન ખાસ કરીને સ્ત્રીઓ દ્વારા પસંદ કરવામાં આવે છે જેઓ સુંદર ત્વચા મેળવવા માંગે છે. આ ચમત્કારિક ઉત્પાદનની સૌથી મહત્વપૂર્ણ વિશેષતા એ છે કે તેમાં એન્ટીઑકિસડન્ટ અસર છે. આ રીતે, ત્વચા પર થતી તમામ નકારાત્મકતાઓને શરૂઆતથી જ અટકાવવી જોઈએ. સ્વસ્થ અને સુંદર ત્વચા માટે, નિષ્ણાત ચિકિત્સકો દ્વારા સ્ક્લેન તેલની ભલામણ કરવામાં આવે છે. કુદરતી અને હર્બલ, સ્ક્વાલેન તેલમાં ઉત્તમ નરમ અસર હોય છે. આ તેલ, જેનો ઉપયોગ શુષ્ક ત્વચા ધરાવતી સ્ત્રીઓએ કરવો જ જોઈએ, તે થોડા સમયમાં તેની અસર દર્શાવે છે અને તમને વધુ ભેજવાળી ત્વચા પ્રદાન કરે છે.
સ્ક્લેન તેલ ત્વચાની સંભાળમાં શું કરે છે?
સ્ક્લેન તેલના ત્વચા પર ઘણા ફાયદા છે. તમે સ્ક્વાલેન તેલ વડે ખીલની રચનાને અટકાવી શકો છો, જે તમામ સ્કિન પર લાગુ કરી શકાય છે અને ટૂંકા સમયમાં તેની અસર દર્શાવે છે. તમે ટૂંકા સમયમાં તેમને સૂકવીને ક્રોનિક ખીલના બ્રેકઆઉટ્સને અદૃશ્ય બનાવી શકો છો. સ્ક્લેન, જે ત્વચા સંભાળમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે, તેનો ઉપયોગ ચોક્કસ સમયગાળા સાથે થવો જોઈએ. આ ઉત્પાદન, જે તમે આ પ્રક્રિયાઓ દરમિયાન તમારી ત્વચા પર લાગુ કરશો, તેની અસર ઓછા સમયમાં દેખાશે. આ તેલ, જે સંવેદનશીલ ત્વચા માટે પણ યોગ્ય છે, તે સંપૂર્ણપણે હર્બલ ઉત્પાદન છે અને તે ઉત્પાદનોમાંથી એક છે જેનો ઉપયોગ ત્વચા સંભાળ કરતી વખતે થવો જોઈએ.
અન્ય લેખ; હાઇ ફાઇબર ફૂડ્સ શું છે
Squalane તેલનો ઉપયોગ કેવી રીતે કરવો?
સ્ક્વાલેન તેલ તે વાપરવા માટે ખૂબ જ સરળ છે. જો કે, આ ઉત્પાદનનો ઉપયોગ કરતી વખતે તમારે કેટલાક મુદ્દાઓ પર ધ્યાન આપવું જોઈએ. આ પ્રોડક્ટના ઉપયોગમાં તમે જે સંવેદનશીલતા બતાવશો તેનાથી તમને ઓછા સમયમાં પરિણામ મળશે અને તમારી ત્વચા મુલાયમ રહેશે.
સ્ક્વાલેન તેલનો ઉપયોગ નીચે મુજબ છે.
સ્ક્વાલેન હંમેશા તાજી સાફ કરેલી ત્વચા પર લગાવવી જોઈએ.
આઈ ડ્રો કરીને અને મસાજ કરીને તમારી ત્વચા પર સ્ક્વાલેન તેલના થોડા ટીપાં લગાવો.
પછી, શ્વાસ લેવા માટે તમે જે વિસ્તાર લગાવ્યો હતો તેને ખુલ્લો છોડી દો.
કોઈપણ રીતે પાણી સાથે સંપર્ક કરશો નહીં અને તેને ઢાંકશો નહીં.
સ્ક્વાલેન તેલ એ એક ઉત્પાદન છે જેનો તમે ફક્ત ત્વચા પર જ નહીં, પણ તમારા વાળ પર પણ સરળતાથી ઉપયોગ કરી શકો છો. ત્વચા પર તેની મોઇશ્ચરાઇઝિંગ અસર વાળ પર તેની અસર દર્શાવે છે. તમારી આંગળીના ટેરવે તમારા વાળના મૂળમાં સ્ક્વાલેન લગાવવાથી તમે ઓછા સમયમાં ઉત્પાદનની અસર જોઈ શકશો.
સ્ક્વાલેન તેલના સ્વાસ્થ્ય લાભો શું છે?
દરેક સ્ત્રી સ્વસ્થ ત્વચા રાખવા માંગે છે. એટલા માટે તેઓ સુંદર ત્વચા માટે વિવિધ ઉત્પાદનોનો ઉપયોગ કરે છે. જો કે, તેઓને હંમેશા જોઈએ તેવું પરિણામ મળતું નથી અને તેઓ હતાશ થઈ જાય છે. તે સંપૂર્ણપણે હર્બલ છે અને તેમાં રાસાયણિક ઘટકો નથી. સ્ક્વાલેન તેલમહિલાઓની આ સમસ્યાઓને ઓછા સમયમાં હલ કરે છે. નિષ્ણાત ડોકટરો દ્વારા ભલામણ કરાયેલ સ્ક્વાલેન તેલ માનવ સ્વાસ્થ્ય માટે અસંખ્ય ફાયદા ધરાવે છે.
સ્ક્વાલેન તેલના સ્વાસ્થ્ય લાભો તે નીચે મુજબ છે.
તે તમારી ત્વચાને વધુ ગતિશીલ બનાવે છે.
તે તેના આઇસોપ્રેનોઇડ મુખ્ય ઘટક સાથે ત્વચા પરના તમારા કોષોનું રક્ષણ કરે છે.
તે ઉત્તમ એન્ટીઑકિસડન્ટ ગુણધર્મો સાથે વનસ્પતિ તેલ છે.
તે ત્વચાના કેન્સરને રોકવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
તે ત્વચાના કેન્સરની પ્રગતિને અટકાવે છે.
તે તમારી ત્વચાને નવીકરણ કરવામાં ખૂબ અસરકારક છે.
તમારી ત્વચાને સતત ભેજવાળી રાખીને, તે સૂકાઈ જવા અને તિરાડ પડવાથી બચાવે છે.
અન્ય લેખ; વાળમાં એવોકાડો તેલ કેવી રીતે લગાવવું, શું ફાયદા છે
સ્ક્વાલેન તેલના સ્વાસ્થ્ય લાભો આ પૂરતા મર્યાદિત નથી. તે ખરજવું અને સોરાયસિસ જેવા ચામડીના રોગોમાં પણ રાહત આપે છે. તમારી ત્વચાને વધુ પ્રતિરોધક બનાવીને, તે ત્વચા પર કેન્સરના કોષોને બનતા અટકાવે છે. સ્ક્લેન, જે ત્વચા પર લાગુ થાય છે, તે ત્વચાની નીચે સંગ્રહિત થાય છે અને મૃત કોષોને પુનર્જીવિત કરે છે.
* ચિત્ર મોનિકોર દ્વારા pixabayપર અપલોડ કર્યું
સંબંધિત પોસ્ટ્સ:
કોળુ બીજ ના ફાયદા
બટાકાના ફાયદા
લુવાવટ (માલ્ટિઝ પ્લમ / લુક્વાટ) લાભો
ચેરીના ફાયદા
ગાજરના ફાયદા
બોઝા ફાયદા
માર્શમોલો ફૂલના ફાયદા
ચાલવાનો ફાયદો
અમારા બેડસાઇડ દ્વારા આરોગ્ય ગ્રીન ટી
કાફિયાના ફાયદા
દીર્ઘકાલીન અવરોધક પલ્મોનરી રોગ (સીઓપીડી) શું છે
ગુલાબ ચાના ફાયદા
ફેસબુક
Twitter
LinkedIn
WhatsApp
Viber
Tumblr
ઇમેઇલ
Reddit
મેસેન્જર
તાજેતરની પોસ્ટ્સ
શું કેળા અને કેળાની છાલ ત્વચા માટે ફાયદાકારક છે?
મસો શું છે? મસો શા માટે થાય છે?
કાયમની અતિશય ફૂલેલી નસો શું છે? લક્ષણો શું છે?
રાસ્પબેરી ટીના ફાયદા શું છે કેવી રીતે સેવન કરવું
લિન્ડેન લીફ ટીના ફાયદા અને આડ અસરો શું છે?તેનો ઉપયોગ કેવી રીતે કરવો
શ્રેષ્ઠ ત્વચા ગોરી કરવાની રેસિપી | ગોરી ત્વચા માટે 8 વાનગીઓ
શ્રેણીઓ
પોષક તત્વો
સામાન્ય
હેબર
આરોગ્ય
વિટામિન્સ અને ખનિજો
ઇમેઇલ: [ઇમેઇલ સુરક્ષિત]
Turkish
Albanian Arabic Armenian Azerbaijani Bengali Bosnian Bulgarian Catalan Chinese (Simplified) Chinese (Traditional) Croatian Czech Danish Dutch English Esperanto Estonian Filipino Finnish French Georgian German Greek Gujarati Hebrew Hindi Hungarian Icelandic Indonesian Italian Japanese Kannada Korean Kurdish (Kurmanji) Latvian Lithuanian Luxembourgish Macedonian Malay Malayalam Marathi Norwegian Polish Portuguese Romanian Russian Serbian Sindhi Sinhala Slovak Slovenian Spanish Swedish Tajik Tamil Telugu Thai Turkish Ukrainian Urdu Vietnamese |
HOME/ STATE/ JUNAGADH/GUJARAT ELECTION 2022 BJP PRESIDENT JP NADDA MEETING WITH PARTY WORKERS IN JUNAGADH
Koo_Logo Versions
.
જે પી નડ્ડા આજે જૂનાગઢમાં, કાર્યકર્તાઓ સાથે બંધબારણે કરશે બેઠક
Published on: Nov 23, 2022, 8:56 AM IST
Koo_Logo Versions
જે પી નડ્ડા આજે જૂનાગઢમાં, કાર્યકર્તાઓ સાથે બંધબારણે કરશે બેઠક
Published on: Nov 23, 2022, 8:56 AM IST
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા આજે (બુધવારે) બપોર પછી જૂનાગઢની મુલાકાતે આવશે. અહીં તેઓ જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના ભાજપના અગ્રણી કાર્યકર્તાઓ અને નેતાઓ સાથે બંધબારણે (JP Nadda meeting with party workers) બેઠક કરશે.
જૂનાગઢ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા (JP Nadda meeting with party workers) અત્યારે ગુજરાત ચૂંટણીના પ્રચાર માટે ગુજરાત પ્રવાસે (BJP Campaign for Gujarat Election) છે. ત્યારે હવે તેઓ આજે (બુધવારે) બપોર પછી જૂનાગઢની મુલાકાતે આવશે. મતદાન પહેલા તેમની આ મુલાકાતને ખૂબ જ સૂચક માનવામાં આવે છે. ખાનગી હોટલમાં તેઓ જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના ભાજપના (JP Nadda in Gujarat) અગ્રણી કાર્યકરો અને નેતાઓ સાથે એક બેઠક યોજશે.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની મુલાકાત સૂચક છેલ્લા દિવસો દરમિયાન જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી (PM Narendra Modi) લઈને મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ, કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ, કેન્દ્રિય પ્રધાનોની ફોજ ગુજરાતના પ્રચાર અભિયાનમા જોડાઈ રહી (BJP Campaign for Gujarat Election) છે. ત્યારે હવે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ અહીં આવતા હોવાથી તેમની આ મુલાકાતને રાજકીય દ્રષ્ટિએ (Gujarat Political News) ખૂબ સૂચક માનવામાં આવે છે. ખૂબ જ ટૂંકા સમયમાં ભાજપના મોટા ગજાના નેતાઓ અને પદાધિકારીઓ સોરઠને ચૂંટણી પ્રચારનું કેન્દ્ર (BJP Campaign for Gujarat Election) બનાવી રહ્યા છે.
બેઠકમાં નડ્ડા સાથે સામેલ થશે અગ્રણી કાર્યકર અને નેતાઓ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે. પી. નડ્ડા (JP Nadda meeting with party workers) ચૂંટણી પ્રચાર માટે (BJP Campaign for Gujarat Election) આજે જૂનાગઢ આવી રહ્યા છે. બપોર બાદ રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડાનો અહીંનો કાર્યક્રમ નક્કી થયો છે. આજની તેમની મુલાકાત દરમિયાન કોઈ જાહેરસભાનું આયોજન કરાયું નથી, પરંતુ માત્ર શહેરની ખાનગી હોટલમાં ભાજપના અગ્રણી કાર્યકરો અને નેતાઓ સાથે નડ્ડા બંધબારણે બેઠક કરશે. આ બેઠક નવા રાજકીય સમીકરણને (Gujarat Political News) પણ વેગ આપી શકે છે. |
માત્ર નોકરી મેળવવી એ જ આપણું ધ્યેય ન હોવું જોઈએ, પરંતુ સારી નોકરી મેળવવી એ લક્ષ્ય સાથે આપણે આગળ વધવું જોઈએ. આ માટે આપણે શું તૈયારી કરી શકીએ જેથી આપણે નોકરીદાતાની અપેક્ષા પર સાચા ઉતરી શકીએ.
Photo Courtesy: apiaviation.com
શ્રદ્ધાબેન આજકાલ ખૂબ ખુશ દેખાય છે. તેમનો એકનોએક પુત્ર ઉમેદ BComમાં પાસ થઇ ગયો છે. શ્રદ્ધાબેન અને તેમના પતિ વિશ્વાસભાઈએ ઉમેદને ઘણાં પરિશ્રમ અને લાડકોડથી ઉછેર્યો છે. હવે, તેમની અપેક્ષાઓ બસ એટલી છે કે ઉમેદને સારી નોકરી મળે અને કુટુંબ માટે સુખનાં દિવસો આવે. શ્રદ્ધાબેન દરરોજ ઉમેદને પૂછે છે કે શું તેને આજે કોઈ સારી નોકરી મળી? કમનસીબે, ઉમેદ એક જ જવાબનું પુનરાવર્તન કર્યા કરે છે – ના.
ઘણા લોકો શ્રદ્ધાબેન જેવું જ વિચારતા હોય છે. જેવો કોઈ વ્યક્તિ તેનો અભ્યાસ પૂર્ણ કરે કે તેઓ વિચારે છે કે બસહવે તેણે સારી નોકરી લઇ લેવી જોઇએ અને કમાવાનું શરૂ કરી દેવું જોઈએ. પરંતુ, શું સારી નોકરી મેળવવાનું એટલું સરળ છે? શું સારી નોકરી મેળવવા માટે શિક્ષણ એ જ એકમાત્ર લાયકાત છે? તમે શું વિચારો છો, તમને શું લાગે છે? ચાલો, ચર્ચા કરીએ.
ચાલો, સૌ પ્રથમ એમ્પ્લોયરના દ્રષ્ટિકોણથી વિચારીએ. કોઈ એમ્પ્લોયર શા માટે એક કર્મચારીની ભરતી કરે છે? તેની સંસ્થાનું કામ પૂર્ણ કરવા માટે, ખરૂં ને? જેમ આપણે જાણીએ છીએ તેમ કોઇપણ કામ પૂર્ણ કરવા માટે, વ્યક્તિને – જ્ઞાન (Knowledge), કુશળતા (Skills), ક્ષમતા (Ability) અને પ્રેરકબળ (Motivation) – એ ચારેયની આવશ્યકતા પડે છે. ઉપરના ઉદાહરણમાં, ચાલો ધારીએ કે ઉમેદ તેની માર્કશીટને રજૂ કરીને તેના પાયારૂપ જ્ઞાનનો પુરાવો પ્રસ્તુત કરી શકે છે. પરંતુ બીજા ત્રણ પરિબળો વિશે શું? આ ચારેચાર પરિબળો તેમનાં જરૂરી સ્તર પ્રમાણે ન હોય ત્યાં સુધી સારી નોકરી મેળવવાની શક્યતા ઓછી રહે છે. અને તેથી કોઈ સારી નોકરી મેળવવા માટે, તમારે આ ચાર પરિબળોમાંથી દરેકને સમજવું જોઈએ તેમજ જરૂરી સ્તર પ્રમાણે વિકસાવવું જોઈએ.
જ્ઞાન એ કોઈ પણ કાર્યની પાયાની આવશ્યકતા છે. પરંતુ શિક્ષણ સંસ્થાઓમાંથી પ્રાપ્ય જ્ઞાન નોકરીને લગતાં કામો માટે પૂરતું હોતું નથી. અને તેથી ઉમેદવારોએ તે વિશે હજુ વિશેષ જાણવાની જરૂર પડે છે.
ઉપરના ઉદાહરણમાં જરા કલ્પના કરો કે ઉમેદ કોઈ કંપનીમાં ક્લર્કની નોકરી મેળવવા માંગે છે. આથી, ઉમેદને તેના મૂળ એકાઉન્ટિંગના જ્ઞાન ઉપરાંત એમ પણ જાણવાની જરૂર રહેશે કે જ્યાં તેઓ ઇન્ટરવ્યૂ આપશે તે કંપની કયા પ્રકારનાં એકાઉન્ટ્સ જાળવે છે અને કંપનીમાં ક્લાર્ક તરીકે કામ કરતા વ્યક્તિની પાસેથી શું અપેક્ષિત રહેશે. મોટાભાગની કંપનીઓ વૅકેન્સી અંગેની તેમની જાહેરાતમાં જ જોબ ડિસ્ક્રીપ્શન વિભાગ હેઠળ આવી માહિતી જાહેર કરે છે. પછી નોકરીના અરજદારે તેવા કાર્યો અંગે શું કરવું, ક્યારે કરવું, ક્યાં કરવું વગેરેની માહિતી લેવી જરુરી બને છે. આ અંગે હંમેશા સ્વાનુભવ જ હોય તે જરૂરી નથી. ક્યારેક જે વ્યક્તિ અગાઉથી જ આવા કાર્યો કરતી આવી છે તેની સાથે સઘન ચર્ચા કરીએ, તો એ પણ મદદરૂપ નીવડી શકે. પુસ્તકો અથવા ઇન્ટરનેટ પરથી વાંચવું પણ કામમાં આવી શકે છે.
જે સંસ્થામાં અરજી કરી છે તે સંસ્થા વિશે પણ ઉમેદવારે જાણવું જ જોઈએ. સંસ્થાઓ વિશે ઘણી બધી માહિતી તેમની વેબસાઈટ પર જ ઉપલબ્ધ હોય છે, જેના દ્વારા ઉમેદવાર જાણી શકે છે કે તે સંસ્થાનું વિઝન અને મિશન તેના પોતાના ધ્યેયોને અનુકૂળ છે કે કેમ. સંસ્થાના વ્યવસાયનો પ્રકાર અને કદ સમજીને ઉમેદવાર અનુમાન કરી શકશે કે નોકરી દરમ્યાન પોતાને કેવા પ્રકારનાં પડકારોનો સામનો કરવો પડી શકે છે, તેમજ પોતે તે અંગે સુયોગ્ય અને સક્ષમ છે કે નહીં. કંપની વિશેનું જ્ઞાન ઇન્ટરવ્યૂ દરમિયાન પણ ઉમેદવારને મદદ કરશે.
આપણે હમણાં ચર્ચા કરી કે અરજદારે નોકરીના કાર્યો વિશે શું કરવું વગેરે અંગે જાણવાની જરૂર છે, તદુપરાંત તેના સંબંધમાં જો અરજદાર આપેલ કાર્યો કેવી રીતે પાર પાડવાં તે અંગે પણ જાણી શકે તો તે વધુ સારું રહેશે. આ વલણ અરજદારની કુશળતા અને ક્ષમતાનું પ્રતિબિંબ પાડે છે.
લાગતું વળગતું: શું તમે જોબ ઇન્ટરવ્યુ માટે જાવ છો? તો આ ટિપ્સ ખાસ વાંચીને જજો
તમારી કુશળતા અને ક્ષમતાઓ સાબિત કરવા, તમે ઇન્ટરવ્યૂ માટે જ્યાં પણ જાઓ ત્યાં તમને મળેલાં પ્રમાણપત્રો તેમજ મહત્વપૂર્ણ સિદ્ધિઓની ક્ષણોના ફોટોગ્રાફ્સ સાથે રાખો. જો તમે એક અનુભવી ઉમેદવાર છો અને હાલ બીજી નોકરી માટે અરજી કરી રહ્યા છો, તો તમારે તમારી કુશળતા અને ક્ષમતાઓને તમારાં પ્રમાણપત્રો અને પુરસ્કારો દ્વારા પ્રદર્શિત કરવાં જોઈએ. તમે તમારા વર્તમાન અને ભૂતકાળની નોકરીઓમાં શું ખાસ કર્યું છે તે અંગેના પૂરાવા તમારા કૅલિબરનું સચોટ વર્ણન કરી શકે છે. અને, જો તમે નવા ઉમેદવાર છો, તો વ્યક્તિગત જીવનમાં મેળવેલી સિદ્ધિઓના પૂરાવા તમારા કૅલિબરનો ઉલ્લેખ કરવા પૂરતાં છે.
કેટલીક કંપનીઓમાં ઉમેદવારે કુશળતા અને ક્ષમતાઓ સાબિત કરવા ઇન્ટરવ્યૂ પોર્ટફોલિયો રજૂ કરવાની જરૂર પડી શકે છે. એક સારા ઇન્ટરવ્યૂ પોર્ટફોલિયોમાં મહત્વનાં ચાર ભાગો હોય છે: (1) પરિચય, (2) કારકિર્દીનો સારાંશ, (3) કાર્યકાળ દરમ્યાનનાં સ્ટાર (STAR – Situation, Task, Action, Result) ઉદાહરણો, (4) પુરસ્કારો અને ભલામણો. ઇન્ટરવ્યૂ પોર્ટફોલિયો માંગનાર કંપનીનો ધ્યેય એ હોય છે કે ઉમેદવારની કાર્યદક્ષતા ઇન્ટરવ્યૂ પહેલાં જ પ્રમાણિત કરી શકાય અને અયોગ્ય ઉમેદવારોની પાછળ સમય ન બગડે.
કેટલીક કંપનીઓમાં ઉમેદવારે ઇન્ટરવ્યૂ પ્રક્રિયા દરમિયાન એસાઇન્મેન્ટ રજૂ કરવાની જરૂર પડી શકે છે, જે રિક્તસ્થાનની ભૂમિકાની સાથે સંબંધિત હોય છે. એસાઇન્મેન્ટ તમારી કુશળતા બતાવવાની શ્રેષ્ઠ તક છે. સાથે સાથે, તમારે આટલું ધ્યાન પણ રાખવું હિતાવહ છે: (1) એસાઇન્મેન્ટ લેતા પહેલાં તેને સ્પષ્ટ રીતે સમજો. જરૂરી લાગે તો સ્પષ્ટ પ્રશ્નો પૂછો, પરંતુ અયોગ્ય અનુમાન કે તુક્કા લગાવશો નહીં., (2) અપાયેલાં નિર્દેશોનુ પાલન કરો. તમારા સંભવિત બોસ નક્કી એવા કોઈની જ ભરતી કરવા માંગતા નહીં હોય જે ફક્ત અડધા જ કામ કરે અથવા સાવ અલગ દિશામાં કામ કરે. નિર્દેશોનુ ચોકસાઇથી પાલન કરીને તમે તેમને જતાવી શકો છો કે તમે આ કામ કરવા માટે ભરોસાપાત્ર વ્યક્તિ છો., (3) એસાઇન્મેન્ટ રજૂ કરતા પહેલાં દરેક શબ્દ સારી રીતે વાંચી જાવ અને પ્રુફરિડીંગ કરો. વ્યાકરણના નિયમોનું પાલન કરાયું છે કે નહીં તે ચકાસી લેવું અત્યંત આવશ્યક છે.
ઇન્ટરવ્યૂઅરને તમારા જ્ઞાન, કુશળતા અને ક્ષમતા વિશે ખાતરી થઈ જાય પછી, તે જાણવા માંગશે કે તમે તે કંપની અથવા પદ માટે શાને કામ કરવા માંગો છો? ટૂંકમાં, તે તમારાં મોટિવેશનને માપવા પ્રયત્ન કરશે. આમ કરીને ઇન્ટરવ્યૂઅર જાણી શકશે કે ઉમેદવારના લક્ષણો, માન્યતાઓ અને મૂલ્યો એ સંસ્થાના સંસ્કૃતિ, ધોરણો અને મૂલ્યોની સાથે એકરૂપ છે કે નહીં. સુગમ સમતુલા ધરાવતા કર્મચારીઓની સંસ્થાકીય પ્રતિબદ્ધતા પણ સ્વાભાવિક રીતે ઉચ્ચ પ્રકારની જ હશે.
ઇન્ટરવ્યૂઅર ઉમેદવારનાં મોટિવેશનને બે પ્રકારે વર્ગિકૃત કરે છે: (1) બાહ્ય પ્રેરણા અને (2) આંતરિક પ્રેરણા.
પદપ્રતિષ્ઠા, ખ્યાતિ, પૈસા વગેરે બાહ્ય પ્રેરણાનાં ઉદાહરણો છે. જે કર્મચારીઓ બાહ્યરૂપે પ્રેરિત હોય છે તેઓને નોકરી કરતા કરતા ક્યારેય સંતોષ થતો નથી. તેમની જીભ પર હંમેશાં કોઇને કોઇ ફરિયાદ સાંભળવા મળશે જ. સમય પસાર થાય તેમ તેમનો અસંતોષ વધતો જ જાય છે. આ ફરિયાદો અને અસંતોષ આખરે તેમના સહકાર્યકરો સાથેનાં સંબંધો અને કામગીરીને અસર કરશે. એટલા માટે જ જે બાહ્યરૂપે પ્રેરિત છે, એવા લોકોને ઇન્ટરવ્યૂઅર્સ પસંદ કરતાં નથી.
આત્મસંતોષ, કંઇક કરી છૂટવાની ઈચ્છા વગેરે આંતરિક પ્રેરણાનાં ઉદાહરણો છે. જે કર્મચારીઓ આંતરીક રીતે પ્રેરિત છે તેઓ કામ દરમિયાન અવરોધ ઊભો થાય તો પણ નિરાશ થશે નહીં. તેમના લક્ષ્યો પૂર્ણ થાય અને ધ્યેય પ્રાપ્ત થાય તે સુનિશ્ચિત કરવા માટે તે બધું જ કરી છુટશે. તેમનું કાર્ય અને વલણ અન્યોને પણ પ્રેરણા આપશે. છેવટે, આ સઘળું જ સંસ્થાને મદદ કરશે. એટલા માટે જ જે આંતરીક રીતે પ્રેરિત છે એવા લોકોને ઇન્ટરવ્યૂઅર્સ ખૂબ પસંદ કરતાં હોય છે.
તો ભાઇ, ઉમેદ તો હવે તેનાં જ્ઞાન, કુશળતા, ક્ષમતાઓ અને પ્રેરકબળ મજબૂત બનાવવા તૈયાર છે. તમારા કિસ્સામાં કેમનું છે? અમે આશા રાખીએ છીએ કે, આ ચર્ચા તમને પણ સારા ઉમેદવાર સાબિત થવામાં બનાવવામાં અને તમારી પસંદગીની નોકરી તરફ દોરી જવામાં મદદ કરશે. અમે તમારા પ્રતિસાદ જાણવા આતુર છીએ.
eછાપું
તમને ગમશે: અમેરિકાને હિઝબુલ મુજાહીદ્દીનને વૈશ્વિક આતંકવાદી સંગઠન જાહેર કરવાની કેમ જરૂર પડી? આ રહ્યા કારણો
Share this:
Click to share on Facebook (Opens in new window)
Click to share on LinkedIn (Opens in new window)
Click to share on Twitter (Opens in new window)
Click to share on Pinterest (Opens in new window)
Click to share on WhatsApp (Opens in new window)
Click to share on Telegram (Opens in new window)
Previous articleValentine’s Day Special: પ્રેમનું ડેસ્ટિનેશન ખરેખર હોય ખરું?
Next articleપ્રિયંકા વાડ્રાની રાજકારણમાં એન્ટ્રી અને તેની બે મહત્ત્વની સાઈડ ઇફેક્ટ્સ!
Kaustubh Agarwal
RELATED ARTICLESMORE FROM AUTHOR
CM Bhupendra Patel starts vaccination drive for school students from Koba
Top 7 Billionaires of India
Who is Yogi Devnath? Why He is Called Yogi Adityanath of Gujarat?
LEAVE A REPLY Cancel reply
Please enter your comment!
Please enter your name here
You have entered an incorrect email address!
Please enter your email address here
Save my name, email, and website in this browser for the next time I comment.
Notify me of follow-up comments by email.
Notify me of new posts by email.
સંબંધિત આર્ટિકલ્સ
CM Bhupendra Patel starts vaccination drive for school students from Koba
eChhapu - January 3, 2022 0
From today the vaccination program for school students aged between 15 and 18 has started in Gujarat along with the rest of the nation....
Top 7 Billionaires of India
December 27, 2021
Who is Yogi Devnath? Why He is Called Yogi Adityanath of...
December 24, 2021
7 Most Beautiful Islands of the World
December 23, 2021
Senior AAP leader in Gujarat was drunk, alleges female BJP leader
December 20, 2021
સહુથી વધુ વંચાયેલા આર્ટિકલ્સ
List of Prominent Gujarati Cricketers who played for Team India
શિયાળાની સવાર - એક મોડર્ન નિબંધ
ફુગાવો એટલે શું? – ચાલો મેળવીએ ફુગાવા અંગેની સરળ સમજણ
આવો ફૂટબોલ અને તેનો રસપ્રદ ઈતિહાસ જાણીએ
દિવસના ચોઘડિયાં અને રાત્રિના ચોઘડિયાં - હર ઘડી બદલ રહી હૈ રૂપ જિંદગી...
શાકભાજી ની ખેતીનો સહુથી મોટો દુશ્મન નિંદામણ અને તેના ઉપાયો!
કાર રેસિંગ ગેમ ની અનોખી દુનિયામાં આવો રેસ લગાવીએ!!
પ્રખ્યાત હાસ્યકાર બકુલ ત્રિપાઠી સાથેના કેટલાક સંસ્મરણો યાદ કરીએ...
પાણીપુરી એટલે મહિલાઓ માટે બસ જગ ઘુમૈયા થારે જૈસા ના કોઇ જેવુંજ
Who is Yogi Devnath? Why He is Called Yogi Adityanath of Gujarat?
Tags
Ahmedabad Amitabh Bachchan Amit Shah Article 370 Ayurved Balasaheb Thackeray BCCI BJP Bollywood China Congress COVID - 19 (Corona Virus) CWC 2019 Donald Trump Facebook Gujarati Short Stories Health Tips Humor India-Pakistan Indian Premier League - IPL Indian Railways Investment IPL 2019 Jammu & Kashmir Lockdown Lok Sabha Elections 2019 Maharashtra Narendra Modi Narendra Modi Government Pakistan Rahul Gandhi Recipe Relationship Shares Shivsena Short Story Sonia Gandhi Stock Exchange Stock Market Supreme Court Twitter Uddhav Thackeray USA Virat Kohli WhatsApp
POPULAR POSTS
What to do after 12th Arts – Career Bound degree programs in India
education eChhapu - August 30, 2021 1
Thousands of students pass out every year from the standard 12th Arts stream. Many of them have two similar questions in their mind, ‘What...
Read more
List of Prominent Hindu Temples of Gujarat
gujarat eChhapu - October 13, 2021 0
Gujarat is the land of a culture where you can find plenty of places to visit and get experiences of your lifetime. In Gujarat,...
Read more
Who is Mansukhbhai Mandaviya? Why he is in the news?
india eChhapu - August 19, 2021 0
Mansukhbhai Laxmanbhai Mandaviya, the current health minister of India raised many questions in the public domain when he took over the charge on the...
Read more
Who is Isudan Gadhvi? Know this TV journalist who turned AAP politician
gujarat eChhapu - August 25, 2021 0
The professionals who are in direct and constant touch with politics and politicians are journalists for sure. No other profession than journalism allows you...
Read more
What to do after 12th Commerce – Career Bound Degree Programs in India
education eChhapu - September 8, 2021 0
Choosing a career-bound degree program after passing the 12th commerce is one of the most important decisions for a student because this decision can...
Read more
Top 5 Bollywood Divorces That Shook the Fans
entertainment eChhapu - July 26, 2021 0
There is a famous saying that marriages are made in heaven and we are here just to complete the rituals. But Bollywood is such...
Read more
What to do After 12th Science – Career Bound Degree Programs in India
education eChhapu - September 20, 2021 0
There is a fact that science is the most popular stream among the students of India because there are more career options once you...
Read more
Top 5 Most Famous and Fearsome Villains of Bollywood
entertainment eChhapu - September 10, 2021 0
The Indian film industry or Bollywood’s history is now going beyond 100 years, and certain movies and characters are imprinted in our minds and...
Read more
CR Patil hints ‘No Repeat Theory’ for next Gujarat Assembly Elections
gujarat eChhapu - October 12, 2021 0
Himmatnagar, Sabarkantha (North Gujarat): Gujarat Bharatiya Janata Party (BJP) President CR Patil today hinted that the party may field at least 100 new faces...
Read more
POPULAR CATEGORY
18+0economics4education6entertainment5Fryday ફ્રાયમ્સ53gujarat20india8quotes3
About us
eChhapu is for news lovers who love to read the news. We at eChhapu.com believe in not only providing all kinds of news but also providing our readers with rare news or that news that went unnoticed. eChhapu has a team of writers who can analyze each and every news and happenings around the world and thus eChhapu is a different website than the other news websites.
We also believe in the social-emotional values of India and each of our content is just a mirror impression of our belief. eChhapu values literature, history, and culture of India highly and our readers will always find that in our published articles.
eChhapu gives the opportunity to young, budding, and unknown writers to showcase their writing talents on this platform. Plus we are willing to provide this platform to the writing community continuously. |
જીભ સાફ કરવા માટેની ટીપ્સ: જ્યારે પણ મૌખિક સ્વચ્છતાની વાત આવે છે, ત્યારે આપણે ફક્ત આપણા દાંત સાફ કરવા પર જ અટકી જઈએ છીએ. બહુ ઓછા લોકો હશે જેઓ પોતાની જીભ પર પણ ધ્યાન આપતા હશે. જો કે, મોંમાં જીભની ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા હોય છે અને તેની સફાઈ કરવી ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે. જો તમે સમયાંતરે જીભને સાફ નથી કરતા, તો તે તમારા દાંતની સાથે સાથે તમારા એકંદર મૌખિક સ્વાસ્થ્યને પણ અસર કરી શકે છે. જીભને સાફ કરવાથી તમારી જીભ પર એકઠા થયેલા બેક્ટેરિયા, મૃત ત્વચાના કોષો વગેરે દૂર થાય છે. જો તમે આવું ન કરો તો આ બધું તમારા શરીરમાં પ્રવેશી શકે છે અને ઘણી બીમારીઓનું કારણ બની શકે છે. આવો જાણીએ ગંદી જીભને કારણે કઈ કઈ સમસ્યાઓ થઈ શકે છે.
ગંધ માટે
TOIઆ મુજબ, જો તમે જીભને બરાબર સાફ નથી કરતા, તો અન્ય લોકો સાથે વાત કરતી વખતે, શ્વાસની દુર્ગંધ એટલે કે શ્વાસની દુર્ગંધની સમસ્યા જોવા મળે છે.
પેઢાના રોગ
: ગંદી જીભને કારણે પેઢામાં પણ રોગ ફેલાય છે અને તેમાં રક્તસ્રાવ જેવી સમસ્યા પણ જોવા મળે છે.
દાંતની ખોટ
: ગંદી જીભ તમારા પેઢાંને નબળા પાડે છે અને બેક્ટેરિયાના હુમલાનું જોખમ વધારે છે, જેનાથી દાંત પડી શકે છે.
ખોરાકમાં સ્વાદ ગુમાવવો,
ગંદી જીભને કારણે ખોરાકનો સ્વાદ પણ બગડી શકે છે. આ મૃત ત્વચાના કોષોને કારણે છે જે આપણે જીભ પર એકઠા કરીએ છીએ.
કાળી જીભ મેળવવી
ઘણી વખત જીભનો દેખાવ એટલો ખરાબ થઈ જાય છે કે તે એકદમ કાળી અને રુવાંટીવાળું દેખાવા લાગે છે. એટલા માટે તમારે જીભ સાફ કરવી જોઈએ. |
(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૩૦ : મોરબીમાં બુલેટના સાયલેન્સર મોડીફાઈડ કરી કાન ફાડી નાંખે તેવા અવાજનું ન્યુસન્સ ફેલાવનાર બુલેટ ચાલકો સામે પોલીસે લાલ આંખ કરી છે અને આવા વાહનચાલકો વિરુદ્ઘ કાર્યવાહી કરવામાં આવી છે
મોરબી જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય અને ગૃહમંત્રી દોડીને આવ્યા બાદ પોલીસ ટીમ હરકતમાં આવી હતી કાયદો અને વ્યવસ્થા સ્થિતિ યોગ્ય બનાવવા સતત ફૂટ પેટ્રોલિંગ અને કાર્યવાહી કરવામાં આવી રહી છે જેમાં મોરબીમાં એ ડીવીઝન, બી ડીવીઝન, મોરબી તાલુકા તેમજ ટ્રાફિક શાખા અને એલસીબી અને એસઓજી ટીમ દ્વારા જુદી જુદી ટીમો બનાવી બુલેટ બાઈક ચાલકો વિરૃદ્ઘ કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં સાયલેન્સરમાંથી ભયાનક અવાજ કરી ન્યુસન્સ ફેલાવતા બુલેટ વાહનચાલકો સામે એમ વી એકટ ૨૦૭ મુજબ કુલ ૨૫ વાહનો ડીટેઈન કરવામાં આવ્યા છે. પોલીસની આ કાર્યવાહીની લોકોમાં પ્રશંસા થઇ રહી છે.
(2:01 pm IST)
આ સમાચાર શેર કરો
Akilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો
છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય
Most Popular
Recent
તરઘડીમાં પારકી પરણેતરને ભગાડી જનારા ગોૈતમની ગવરીદડ પાસે હત્યા કરી લાશ તરઘડી લઇ આવી વાડામાં દાટી દીધી'તી! access_time 12:16 pm IST
સિગારેટથી સળગાવી : વર્ષો સુધી કરી મારપીટ access_time 10:27 am IST
ચીનમાં ખેડૂતો પાકનો નાશ કરવા માટે બન્યા મજબુર access_time 6:10 pm IST
ચિલીમાં અટાકામાં રણ વિશ્વ માટે બન્યું જંકનું કબ્રસ્તાન access_time 6:09 pm IST
સટ્ટા બજાર ગરમઃ ભગવા પાર્ટી માટે ૧૨૫ સીટોનું અનુમાન access_time 11:45 am IST
મૃણાલ ઠાકુરનો શો આવશે ફેબ્રુઆરીમાં access_time 10:36 am IST
ઓએમજી.....માતાપિતાની નજર સમક્ષ 8 વર્ષીય બાળક બન્યું મગરનો શિકાર access_time 6:17 pm IST
રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસની “ભારત જોડો યાત્રા“ આજે રાજસ્થાનમાં પ્રવેશ કરે તે પહેલા અશોક ગહલોત અને સચિન પાયલોટ કેમ્પના નેતાઓમાં ચાલી રહેલા રાજકીય પોસ્ટર વોરે જબરજસ્ત ઝંઝાવાત સર્જ્યો છે access_time 11:56 pm IST
બોલીવુડના ફિલ્મ નિર્માતા અને ફિલ્મ લાડલા બનાવનાર નીતિન મનમોહનને હૃદય રોગનો હુમલો આવતા ગંભીર સ્થિતિ access_time 11:43 pm IST
દિલ્હીમાં હવા બની ઝેરી: એર ક્વોલીટી ઇન્ડેકસ(AQI) 400 પાર પહોંચ્યો access_time 10:59 pm IST
ગુજરાતમાં ફુલ ગુલાબીનું સ્થાન લીધું હાડ ધ્રૂજાવતી ઠંડીએ: વાદળછાયા વાતાવરણ સાથે બદલાયો મોસમનો મિજાજ access_time 10:50 pm IST
કોંગ્રેસના 3 પૂર્વ દિગ્ગજ નેતાઓને ભાજપમાં મળી મોટી જવાબદારી: એક રહી ચૂક્યા છે CM access_time 10:47 pm IST
G-20 સમિટ : કેન્દ્ર સરકારે કાલે બોલાવી સર્વપક્ષીય બેઠક: મમતા બેનર્જી પણ આપશે હાજરી access_time 9:58 pm IST
વડોદરાના રણોલી વિસ્તારમાંથી મોટી માત્રામાં ઇંગ્લિશ દારૂ પકડાયો: ફોર્ચ્યુનર સહિત બે કાર ઝડપાય: પોલીસ દ્વારા એક આરોપીની ધરપકડ access_time 9:49 pm IST |
આગામી સપ્તાહે કેટલીક કંપનીઓના આઈપીઓ બજારમાં આવી રહ્યા છે. આવી સ્થિતિમાં, છૂટક રોકાણકારોને આ કંપનીઓમાં રોકાણ કરીને નફો મેળવવાની તક મળશે. ચાલો આપણે 28 અને 30 નવેમ્બરના રોજ આવી રહેલા ધર્મજ ક્રોપ ગાર્ડ અને યુનિપાર્ટ્સ ઇન્ડિયા વિશે બધું જ વિગતવાર જાણીએ.
ધર્મજ ક્રોપ ગાર્ડ IPO
એગ્રોકેમિકલ્સનો વેપાર કરતી કંપની ધર્મજ ક્રોપ ગાર્ડનો IPO 28 નવેમ્બર (સોમવારે) રોકાણ માટે ખુલશે. તે ત્રણ દિવસ માટે એટલે કે 30 નવેમ્બર (બુધવાર) સુધી ખરીદી શકાય છે. IPO માટે શેર દીઠ રૂ. 216-237ની પ્રાઇસ બેન્ડ નક્કી કરવામાં આવી છે. ધર્મજ ક્રોપ ગાર્ડ કંપની તેના IPO માટે રૂ. 251 કરોડ એકત્ર કરવા માંગે છે. અમદાવાદ સ્થિત કંપની દ્વારા IPOમાં રૂ. 216 કરોડના ફ્રેશ ઇક્વિટી શેર જારી કરવામાં આવ્યા છે. વધુમાં, તેમના તરફથી પ્રમોટર્સે ઓફર ફોર સેલ (OFS) હેઠળ 14.83 લાખ ઇક્વિટી શેરના વેચાણ માટે પ્રસ્તાવ મૂક્યો છે. બજારના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, કંપનીના શેર ગ્રે માર્કેટમાં શેર દીઠ રૂ. 58ના પ્રીમિયમ (GMP) પર ઉપલબ્ધ છે. અત્યાર સુધી ઉપલબ્ધ માહિતી અનુસાર, કંપનીના શેર 8 ડિસેમ્બર, 2022 સુધીમાં BSE અને NSE પર લિસ્ટ થઈ શકે છે.
Uniparts India IPO
એન્જિનિયરિંગ સિસ્ટમ્સ અને સોલ્યુશન્સ પ્રદાન કરતી કંપની યુનિપાર્ટ્સ ઇન્ડિયાનો પબ્લિક ઇશ્યૂ 30 નવેમ્બરે ખુલશે. આ IPO 29 નવેમ્બરે જ એન્કર રોકાણકારો માટે ખુલશે. રોકાણકારો માટે IPOમાં બિડ કરવાનો છેલ્લો દિવસ 2 ડિસેમ્બર રહેશે. કંપનીએ આ વિશે રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (RHP)માં જણાવ્યું છે.
કંપનીના શેર OFS દ્વારા જારી કરવામાં આવશે
Uniparts India નો IPO સંપૂર્ણપણે ઑફર ફોર સેલ એટલે કે OFS હેઠળ ખુલશે. આમાં, કંપનીના વર્તમાન રોકાણકારો અને પ્રમોટરો તેમનો હિસ્સો વેચવાની ઓફર કરશે. માહિતી અનુસાર, OFSમાં વેચાણ માટે 1.44 કરોડ ઇક્વિટી શેર જારી કરવામાં આવશે. પ્રમોટર્સ જેઓ OFS માં તેમનો હિસ્સો વેચવાની ઓફર કરી રહ્યા છે તેમાં કિરણ સોની, મેહર સોની અને પામેલા સોનીનો સમાવેશ થાય છે. પ્રમોટરો ઉપરાંત, હાલના રોકાણકારો અશોકા ઇન્વેસ્ટમેન્ટ હોલ્ડિંગ્સ અને અંબાદેવી મોરેશિયસ હોલ્ડિંગ્સ પણ OFSમાં તેમનો હિસ્સો વેચવાની ઓફર કરશે. આ IPO સંપૂર્ણપણે OFS જ હશે, તેથી કંપનીને પબ્લિક ઈશ્યુમાંથી કોઈ આવક નહીં મળે. કંપની દ્વારા જાહેરમાં જવાનો આ ત્રીજો પ્રયાસ છે. અગાઉ, કંપનીએ ડિસેમ્બર 2018 અને સપ્ટેમ્બર 2014માં IPO માટે અરજી કરી હતી. બંને વખત આઈપીઓ પણ મંજૂર થયો હતો પરંતુ તે લોન્ચ થઈ શક્યો ન હતો.
Share this:
Click to share on Twitter (Opens in new window)
Click to share on Facebook (Opens in new window)
Click to share on WhatsApp (Opens in new window)
Like this:
Like Loading...
Facebook
Twitter
Pinterest
WhatsApp
Linkedin
ReddIt
Telegram
Previous articleરામબનમાં આતંકી ષડયંત્ર નિષ્ફળ, મેટાડોરમાં IED મળ્યો, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ સ્થળ પર
Next articleએશિયાઈ અમીરોની યાદીમાં બ્રિટિશ PM અને પત્ની અક્ષતા, જાણો કેટલી સંપત્તિ
Office Desk
http://satyaday.com
Latest News
- Advertisement -
Display
આ છોકરીએ એવું તો શુ કર્યું કે વિડીયો જોઇને લોકો હસી રહ્યા છે
Office Desk - December 8, 2022
0
Display
ગુજરાતમાં કોંગ્રેસના 44 અને આપના 128 ઉમેદવારની ડિપોઝિટ ડુલ ; મોદીજી એ ભવિષ્યવાણી કરી હતી તે મુજબજ આવ્યા પરિણામ
Editor's Desk - December 8, 2022
0
Display
શિક્ષકે અચાનક વિદ્યાર્થી સાથે કરી એવી હરકત, વીડિયો જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા
Office Desk - December 8, 2022
0
Display
છોકરીએ એવી તો કેવી હરકત કરી કે વિડીયો થઇ ગયો વાયરલ
Office Desk - December 8, 2022
0
Gujarat Election 2022
ગુજરાતમાં બમ્પર જીત બાદ BJP હેડક્વાર્ટરમાં જીતનો જશ્ન, PM મોદી થોડી જ વારમાં પાર્ટી હેડક્વાર્ટર પહોંચશે |
જીરું, જે ખાવાનો સ્વાદ વધારે છે, તેના ઘણા સ્વાસ્થ્ય લાભો પણ છે. જીરું, મસાલાની શ્રેણીમાં આવે છે, જો તેનું યોગ્ય રીતે સેવન કરવામાં આવે તો તે આપણને સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓથી દૂર રાખે છે. એવું કહેવાય છે કે જીરામાં હાજર એન્ટિસેપ્ટિક ગુણ ઘાને ઝડપથી મટાડવામાં મદદરૂપ છે. આ સિવાય જે લોકો નબળા પાચનતંત્રનો સામનો કરી રહ્યા છે તેઓ યોગ્ય માત્રામાં તેનું સેવન કરીને પેટને સ્વસ્થ રાખી શકે છે. આ સાથે શરીરમાં રહેલા ટોક્સિન્સને દૂર કરી શકાય છે. જીરાની બીજી વિશેષતા એ છે કે તેમાં ઘણા બધા એન્ટિ-કાર્સિનોજેનિક ગુણ હોય છે, જે પેટ અને લીવરમાં થતા ટ્યુમરના જોખમને ઘટાડવામાં મદદરૂપ થાય છે.
નિષ્ણાંતો પણ સ્વસ્થ રહેવા માટે જીરાનું સેવન કરવાની સલાહ આપે છે. તેમના મતે, સવારે ખાલી પેટ જીરાનું પાણી પીવાથી સ્વસ્થ રહેવામાં મદદ મળે છે. આ લેખમાં અમે તમને સવારે ખાલી પેટ જીરું પીવાના ફાયદા વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
રોગપ્રતિકારક શક્તિ મજબૂત થશે
જો તમે રોજ સવારે ખાલી પેટ જીરાનું પાણી પીવો છો તો તે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. કોરોનાના આ યુગમાં મોટાભાગના લોકોએ ઔષધીય ગુણોવાળી જડીબુટ્ટીઓનો ઉકાળો બનાવીને પીધો છે, કારણ કે આ પદ્ધતિ રોગપ્રતિકારક શક્તિ વધારવામાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. જડીબુટ્ટીઓ ઉપરાંત, જીરું રોગપ્રતિકારક શક્તિ વધારવામાં પણ શ્રેષ્ઠ માનવામાં આવે છે. દરરોજ ખાલી પેટ જીરાનું પાણી પીવાથી રોગપ્રતિકારક શક્તિને સરળતાથી વધારી શકાય છે.
યાદશક્તિમાં વધારો થશે
જો તમને વસ્તુઓ ભૂલી જવાની સમસ્યા હોય તો આ સ્થિતિમાં ખાલી પેટ જીરું ખાવાથી યાદશક્તિ તેજ થઈ શકે છે. જીરુંમાં નર્વસ સિસ્ટમને મજબૂત બનાવવા માટે સંબંધિત ઘણા મહત્વપૂર્ણ એન્ટિઓક્સિડન્ટ્સ અને વિટામિન્સ હોય છે. નિષ્ણાતોના મતે, જીરું માનસિક સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપે છે અને તેના એન્ટિઓક્સિડન્ટ્સ મગજના કોષોને સારું પોષણ આપવાનું કામ કરે છે. આ માટે તમારે જીરાને રાત્રે પલાળી રાખો અને સવારે ખાલી પેટે તેનું પાણી પીવું જોઈએ. સાથે આ પલાળેલું જીરું પણ ખાઓ.
ખીલ અને પિમ્પલ્સ
કહેવાય છે કે જીરામાં હાજર એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણ ત્વચાને લગતી સમસ્યાઓને દૂર કરી શકે છે. જો તમને વારંવાર પિમ્પલ્સ અથવા ખીલની સમસ્યા રહેતી હોય તો રોજ ખાલી પેટ જીરુંનું સેવન કરો. કહેવાય છે કે આપણા ખોટા આહારની ખરાબ અસર માત્ર સ્વાસ્થ્ય પર જ નહીં પરંતુ ત્વચા પર પણ જોવા મળે છે. ત્વચા પર એકઠા થતા બેક્ટેરિયા ખીલ અને પિમ્પલ્સ થવા પાછળનું કારણ હોઈ શકે છે. આવી સ્થિતિમાં જીરામાં રહેલા એન્ટી-બેક્ટેરિયલ ગુણોથી આ બેક્ટેરિયાને દૂર કરી શકાય છે.
Share
Facebook
Twitter
Pinterest
WhatsApp
Linkedin
ReddIt
Email
Print
Tumblr
Telegram
Mix
VK
Digg
LINE
Viber
Naver
Previous article
યાદગાર હશે…
Next article
કદર કરજો…
adminhttps://www.gujaratimahek.com
Related Articles
ધાર્મિક
આજે ગીતા જયંતિ પર આ સરળ કામ કરો, શ્રી કૃષ્ણની સાથે લક્ષ્મીજીની પણ કૃપા પ્રાપ્ત થાશે!
હેલ્થ
કિડનીના પથ્થરીની પીડાને દૂર કરવા માટે કયોખોરાક લેવો જોઈએ? જાણો
જોક્સ
યાર, તું વારેઘડીએ તારી પેંટ ઉપર ના ચઢાવ્યા કરીશ, ખરાબ લાગે છે😅😝😂😜🤣🤪
Stay Connected
1,982FansLike
1,453FollowersFollow
Latest Articles
ધાર્મિક
આજે ગીતા જયંતિ પર આ સરળ કામ કરો, શ્રી કૃષ્ણની સાથે લક્ષ્મીજીની પણ કૃપા પ્રાપ્ત થાશે!
હેલ્થ
કિડનીના પથ્થરીની પીડાને દૂર કરવા માટે કયોખોરાક લેવો જોઈએ? જાણો
જોક્સ
યાર, તું વારેઘડીએ તારી પેંટ ઉપર ના ચઢાવ્યા કરીશ, ખરાબ લાગે છે😅😝😂😜🤣🤪
ધાર્મિક
દુર્લભ યોગ સાથે મોક્ષદા એકાદશી, આ 6 વસ્તુઓનું દાન અપાવશે અખૂટ આશીર્વાદ!
હેલ્થ
આ લોકોએ ભૂલથી પણ જામફળ ન ખાવું જોઈએ, સ્વાસ્થ્ય માટે ભારે પડી શકે છે, પોતાના પર નિયંત્રણ રાખો
Load more
Gujarati Mahek is your news, entertainment, music fashion website. We provide you with the latest breaking news and videos straight from the entertainment industry. Fashion fades, only style remains the same. Fashion never stops. There are always projects, opportunities. Clothes mean nothing until someone lives in them. |
ઉત્કર્ષ મંડળ તરફથી મળેલ દાન અંકે રુ ૫૪,૪00 ગરીબ વિદ્યાર્થી ને આર્થિક સહાય પેટે મળ્યા હતા. રોટરી ક્લબ ઓફ નવસારી…
સિધ્ધિ મેળવવા બાબત
Apr 1, 2022
પેંચેક સિલાટ ગેમ બચ્છાવ ભૂમિકા પ્રવીણ જુનિયર કેટેગરીમાં ગોલ્ડમેડલ મેળવી શાળા તથા જીલ્લા નું નામ રોશન કર્યું છે. ટેબલ ટેનિસ…
નવા શૈક્ષણિક વર્ષ ૨૦૨૨ -‘૨૩ પ્રવેશ પ્રક્રિયા બાબત
Nov 23, 2021
પ્રવેશ જાહેરાત નવા શૈક્ષણિક વર્ષ ૨૦૨૨ -‘૨૩ નર્સરી ,જુનિયર કે જી ,સિનિયર કે જી, ધોરણ ૧ માં પ્રવેશ માટેના પ્રવેશપત્ર…
શાળા શરૂ થવા બાબત શૈક્ષણિક સત્ર ૨૦૨૧-‘૨૨
Nov 23, 2021
નમસ્કાર નવા શૈક્ષણિક સત્રની આપ સૌને શુભકામનાઓ.. આપ સુવિદિત છો તેમ આવતીકાલથી ધોરણ 1 થી 5 ના વર્ગો શરૂ થવા… |
વૈશ્વિક મહામારી કોરોનાનો કેર દિન-પ્રતિદિન વધી રહ્યો છે. ગુજરાતમાં પણ પરિસ્થિતિ વધુ વિકટ બની રહી છે કોરોના અને લોકડાઉનને પરિણામે રાજ્યની સ્કૂલો માર્ચ મહિનાથી બંધ છે. જેના કારણે ૧.પ૦ કરોડથી વધુ વિદ્યાર્થીઓનું ભણતર અટકી ગયું છે. ત્યારે રાજ્યના શિક્ષણ વિભાગ અને માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી સમયમાં શાળાઓ શરૂ કરવામાં આવે તો અભ્યાસક્રમ કેટલો રાખવો તેની મથામણ શરૂ કરવામાં આવી છે. આજે ગાંધીનગર ખાતે ગુજરાતના માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડના અધિકારીઓની બેઠકમાં શાળાઓ ફરીથી ખોલવા અંગે ત્રણ અલગ-અલગ વિકલ્પ મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આમાંના એક વિકલ્પ જો સપ્ટેમ્બરમાં શાળાઓ ફરીથી ખોલવાની હોય તો શૈક્ષણિક કેલેન્ડર અને અભ્યાસક્રમ આયોજન એ મુજબ કરવું પડે આનાથી વર્ષ ર૦ર૦-ર૧ વર્ષના શૈક્ષણિક અભ્યાસક્રમમાં ર૦ ટકાનો ઘટાડો જોવા મળી શકે છે. જો ઓક્ટોબરમાં શાળાઓ ફરીથી ખોલવાની હોય તો અભ્યાસક્રમમાં ૩૦ ટકાનો ઘટાડો કરવો પડશે જ્યારે ત્રીજા વિકલ્પ મુજબ જો નવેમ્બરમાં શાળાઓ ફરીથી ખોલવાની હોય તો તે સમયે અભ્યાસક્રમમાં ૪૦ ટકાનો ઘટાડો કરવો પડશે. વળી જો ગુજરાતમાં સ્કૂલો ૧૪ નવેમ્બરના રોજ દિવાળીના તહેવાર પહેલા ખુલશે તો મિડ-ટર્મ વેકેશનમાં પણ કાપ મૂકવો પડશે. ટૂંકમાં શાળાઓ સપ્ટેમ્બરમાં શરૂ થાય તો ર૦ ટકા, ઓક્ટોબરમાં શરૂ થાય તો ૩૦ ટકા અને નવેમ્બરમાં શરૂ થાય તો ૪૦ ટકા કોર્ષ ઘટાડવાની દિશામાં કામગીરી હાથ ધરવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા આગામી શૈક્ષણિક વર્ષની તૈયારીઓ અંગે ખાસ સમિતિ બનાવાઈ છે. જેના ભાગરૂપે માધ્યમિક શિક્ષણ બોર્ડના અધ્યક્ષ અને રાજ્યના શિક્ષણ વિભાગના અધિકારીઓની હાજરીમાં મળેલી બેઠકમાં આવતા વર્ષે પરીક્ષાઓ લેવાના મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી. આ મામલે હજુપણ ચર્ચા વિચારણા કરી અહેવાલ તૈયાર કરવામાં આવશે.
Share:
Rate:
Previousસુરત : ભાજપ પ્રમુખના સ્વાગતમાં મોટી સંખ્યામાં ભીડ થતાં સોશિયલ ડિસ્ટન્સના લીરા ઊડ્યા
Nextગુજકેટના ફોર્મ ભરવાની તારીખ ૭ ઓગસ્ટ સુધી લંબાવાઈ
Related Posts
રાજ્યની તમામ યુનિવર્સિટીઓ નવી શિક્ષણ નીતિ અમલીકરણ સમિતિ રચે
28/08/2020
રાજ્યમાં દસ વર્ષમાં સાડા ત્રણ લાખ ખેડૂતો ઘટ્યા જ્યારે ૩૬ લાખ ખેતમજૂરો વધ્યા
22/11/2018
હાર્દિકના સમર્થનમાં આત્મવિલોપનની પાસના અગ્રણીની ચીમકીથી તંત્રમાં દોડધામ
07/09/2018
સુજલામ સુફલામ જળ અભિયાન એ ભારતનું સૌથી મોટું જળ અભિયાન
24/05/2018
Recent Posts
E PAPER 04 DEC 2022
Dec 4, 2022
E PAPER 03 DEC 2022
Dec 3, 2022
E PAPER 02 DEC 2022
Dec 2, 2022
E PAPER 01 DEC 2022
Dec 1, 2022
E PAPER 30 NOV 2022
Nov 30, 2022
Other Info
About Us
Lokhit movement
Recent Comments
December 2022
M
T
W
T
F
S
S
1 2 3 4
5 6 7 8 9 10 11
12 13 14 15 16 17 18
19 20 21 22 23 24 25
26 27 28 29 30 31
« Nov
Categories
Categories Select Category Ahmedabad Ajab Gajab Business Career Crime Editorial Articles Education Epaper Daily Featured Gujarat Health International Lokhit movement Muslim National Recipes Today Special Articles Special Edition Sports Tasveer Today Technology Uncategorized
Archives
Archives Select Month December 2022 November 2022 October 2022 September 2022 August 2022 July 2022 June 2022 May 2022 April 2022 March 2022 February 2022 January 2022 December 2021 November 2021 October 2021 September 2021 August 2021 July 2021 June 2021 May 2021 April 2021 March 2021 February 2021 January 2021 December 2020 November 2020 October 2020 September 2020 August 2020 July 2020 June 2020 May 2020 April 2020 March 2020 February 2020 January 2020 December 2019 November 2019 October 2019 September 2019 August 2019 July 2019 June 2019 May 2019 April 2019 March 2019 February 2019 January 2019 December 2018 November 2018 October 2018 September 2018 August 2018 July 2018 June 2018 May 2018 April 2018 March 2018 February 2018 January 2018 December 2017 November 2017 October 2017 September 2017 August 2017 July 2017 June 2017 May 2017 April 2017 March 2017 February 2017 January 2017 December 2016 November 2016 October 2016 September 2016 |
કોલકાતામાં બળતણ ભાવ વધારાના વિરોધ દરમિયાન પક્ષના કાર્યકરો સાથે ટીએમસીના ધારાસભ્યો બેચારામ મન્ના અને કલ્યાણ ઘોષ પશ્ચિમ બંગાળ વિધાનસભા પહોંચવા સાયકલ પર સવાર હતા.
રંગ બદલતી દુનિયા.....
યુરોપિયન યુનિયનના નેતાઓનું માસ્ક પહેરેલ કલાકારો નજરે પડે છે.
આખરી મુલાકાત.....
બોલિવૂડના દિગ્ગજ કલાકાર ધર્મેન્દ્ર મુંબઈમાં સુપ્રસિદ્ધ અભિનેતા દિલીપકુમારના મૃતદેહ પાસે બેસેલ જોવા મળે છે.
ચાલો હવે કામ પર.....
બેબી કાચબા ઇન્ડોનેશિયાના બાલીમાં સમુદ્ર કિનારે જોવા મળ્યા.
પેટ્રોલના ભાવનો વિરોધ
પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનના ઘરની બહાર એનએસયુઆઈના સભ્યોએ દિલ્હીમાં વિરોધ નોંધાવ્યો હતો. કેટલાંક શહેરોમાં પેટ્રોલના ભાવ 100 / - ના આંકને વટાવી ગયા છે.
જીતની ખુશી.....
ઇંગ્લેન્ડના લંડનના વેમ્બલી સ્ટેડિયમ ખાતે સ્પેન સામે યુરો 2020 સોકર ચેમ્પિયનશિપ સેમિફાઇનલ મેચ જીત્યા બાદ ઇટાલીના ખેલાડીઓ ઉજવણી કરે છે.
પાછલા અંકો ની ફોટો ગેલેરી
Dt. 06-07-2021
Dt. 05-07-2021
Dt. 03-07-2021
Dt. 02-07-2021
Dt. 01-07-2021
Dt. 30-06-2021
Dt. 29-06-2021
Dt. 28-06-2021
Dt. 26-06-2021
Dt. 25-06-2021
Dt. 24-06-2021
Dt. 23-06-2021
છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય
Most Popular
Recent
કેનેડાના વડાપ્રધાન કેવી રીતે બનવું તે જાણવા માટે જગમીત સિંહ જર્મનીની મુલાકાતે access_time 2:22 pm IST
ભાજપ ૧૪૦: કોંગ્રેસ ૩૪: આપ ૮: સટ્ટાબજાર access_time 11:22 am IST
૨૬૪ કલાક સુધી રાત-દિવસ ઉડતું રહ્યું પક્ષીઃ ૧૩,૫૦૦ કિમીની મુસાફરી કરીને રેકોર્ડ બનાવ્યો! access_time 10:26 am IST
ફોર્ચ્યુનની 40 અંડર 40 ની યાદીમાં 2 ભારતીય-અમેરિકનોએ સ્થાન મેળવ્યું access_time 7:17 pm IST
અમેરિકાના સેન્ટ્રલ ટેક્સાસમાં ઘર ખરીદનારાઓમાં ભારતીયો અવ્વલ નંબરે : ભારતમાંથી (21 ટકા) , મેક્સિકો (10 ટકા), ચીન (6 ટકા) અને કેનેડાના (4 ટકા) વિદેશી ખરીદદારો હોવાનો અહેવાલ access_time 7:43 pm IST
ICC એ વર્ષ ૨૦૨૪માં યોજાનાર T૨૦ વર્લ્ડ કપ માટે ફોર્મેટમાં કર્યા ફેરફારો access_time 11:12 am IST
ભારત સરકારે એર સુવિધા ફોર્મ ભરવાની શરત નાબૂદ કરી access_time 10:58 am IST
ચૂંટણીના પ્રથમ તબક્કાના પ્રચારના અંતિમ દિવસે ગુજરાતમાં નેતાઓ દ્વારા ક્યાંક અનોખું, આક્રમક અને આશ્ચર્યજનક વલણ access_time 11:38 pm IST
ચૂંટણી પહેલા ATS ટીમને મોટી સફળતા :વડોદરા નજીક ડ્રગ્સ બનાવતી ફેક્ટરી ઝડપાતા ખળભળાટ access_time 11:22 pm IST
શું આપને મતદાર સ્લીપ નથી મળી ?:હવે નિરાશ થવાની નથી જરૂર : ચૂંટણી પંચે રસ્તો કર્યો સરળ: તમામ વિગત જાણો આંગળીના ટેરવે access_time 11:10 pm IST
એશિયાની સૌથી મોટી ઝુંપડપટ્ટી ધારવીનો રિડેવલપમેન્ટપ્રોજેક્ટ અદાણી ગ્રુપને મળ્યો: 5,069 કરોડ રૂપિયાની બોલી access_time 10:59 pm IST
નર્મદા જિલ્લા ભાજપે વધુ 3 આગેવાનોને પાર્ટી વિરુદ્ધ કામગીરી કરવા બદલ સસ્પેન્ડ કરતા આંક દસ થયો access_time 10:22 pm IST
પ્રચારમાં નિકળેલા દેડીયાપાડા આપના ઉમેદવાર ચૈતરભાઈ વસાવાને બીજેપીનાં ઇશારે પોલીસ પકડવા આવી હોવાનો આક્ષેપ access_time 10:21 pm IST
કેવડીયા કોલોની માધ્યમિક સ્કૂલ માથી રૂપિયા ૫૯,૩૦૦ નાં મુદ્દામાલની ચોરી થતાં ફરિયાદ નોંધાઈ access_time 10:21 pm IST |
ઝીરો બજેટ ફાર્મિંગ એટલે કે કુદરતી ખેતીમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ થતો નથી. ઝીરો બજેટ ફાર્મિંગમાં દેશી ગાયના છાણ અને ગૌમૂત્રનો ઉપયોગ જીવામૃત, ધનજીવામૃત અને જમન બીજમૃત તૈયાર કરવા માટે થાય છે. તે દક્ષિણ ભારતના કર્ણાટક રાજ્યમાં ઉદ્દભવ્યું હતું. કર્ણાટક ઉપરાંત આંધ્રપ્રદેશ અને અન્ય રાજ્યોમાં પણ તેની શરૂઆત થઈ છે.
ખેતરોમાં તેમના ઉપયોગથી જમીનમાં પોષક તત્વો વધે છે.
આ સાથે જૈવિક પ્રવૃતિઓ પણ વિસ્તરે છે.
જીવામૃતનો છંટકાવ મહિનામાં એક કે બે વાર કરી શકાય છે.
બીજની સારવાર માટે બીજમૃતનો ઉપયોગ થાય છે.
ગાયના છાણ અને ગૌમૂત્રમાંથી બનાવેલા દ્રાવણનો ખેતરમાં છંટકાવ કરવાથી પાકની ઉપજ વધે છે અને પાકની ગુણવત્તામાં પણ વધારો થાય છે. |
ઈશાન પરમાર, ખેડબ્રહ્મા: હાલમાં વિધાનસભાની ચૂંટણીનું બ્યુગલ વાગી રહ્યુ છે, તો પુર્વ ધારાસભ્યો પોતાની વૈભવી કાર અને વૈભવી મકાનમાં જીવન જીવી રહ્યા છે, ત્યારે સાબરકાંઠાની ખેડબ્રહ્મા વિધાનસભાના એક એવા પુર્વ ધારાસભ્ય છે કે, જેમના ઘરે હજુ પણ ચૂલા પણ જમવાનુ બને છે. પાંચ દીકરાઓ તેમજ પાંચ પુત્રવધૂઓનો પરિવાર ધરાવતા ધારાસભ્ય હાલના તબક્કે સહાય અને સહયોગ ઝંખી રહ્યા છે. સમગ્ર જીવન નીતિમત્તા, ઈમાનદારી અને પ્રામાણિકતાથી જીવ્યા હોવા છતાં આજે રાજ્ય સરકાર દ્વારા અપાતા બીપીએલ કાર્ડનો લાભ મેળવી જીવન વ્યતીત કરી રહ્યા છે.
Table of Contents
જેઠાભાઇ પ્રામાણિકતાનું જીવતું જાગતું ઉદાહરણ
સાઇકલ પર કરતા હતા પોતાના વિસ્તારનો પ્રવાસ
ધારાસભ્ય આજે બીપીએલ કાર્ડ પર જીવે છે
તમારા શહેરમાંથી (સાબરકાંઠા)
જેઠાભાઇ પ્રામાણિકતાનું જીવતું જાગતું ઉદાહરણ
ગુજરાત સહિત દેશના તમામ ધારાસભ્યો માટે જેઠાભાઇ રાઠોડ નૈતિકતા અને પ્રામાણિકતાનું જીવતું જાગતું ઉદાહરણ છે. તેમને સમગ્ર જીવન અન્ય લોકોની સેવા માટે વ્યતિત કર્યું છે. ગુજરાત વિધાનસભામાં ખેડબ્રહ્માના ધારાસભ્ય રહી ચૂકેલા જેઠાભાઇ રાઠોડ હાલમાં સમગ્ર ગુજરાતના એકમાત્ર બીપીએલ રેશનકાર્ડ ધરાવનારા ધારાસભ્ય છે. 1967થી 1971 સુધી ખેડબ્રહ્માના ધારાસભ્ય પદે રહેલા જેઠાભાઇ રાઠોડ સાયકલ પ્રવાસ કરી સ્થાનિક કોંગ્રેસ ઉમેદવાર સામે સ્વતંત્ર પક્ષના ઉમેદવાર તરીકે 17 હજારથી વધુ મત મેળવી વિજેતા થયા હતા.આ પણ વાંચો: ખેડબ્રહ્મા વિધાનસભા બેઠક પર ભાજપ-કોંગ્રેસ વચ્ચે કાંટે કી ટક્કર, કોણ જીતશે જંગ?
સાઇકલ પર કરતા હતા પોતાના વિસ્તારનો પ્રવાસ
તેઓ એસ.ટી.બસમાં ખેડબ્રહ્માથી ગાંધીનગર જતા હતા. તેમણે દુષ્કાળના વર્ષ તરીકે આ પાંચ વર્ષમાં તળાવ તેમજ રસ્તાના કામને પ્રાધાન્ય આપ્યું હતું. જેને લોકો આજે પણ યાદ રાખે છે. વર્ષો દરમિયાન સ્થાનિક લોકો સહિત સમગ્ર વિધાનસભામાં સાઇકલ પર પ્રવાસ કરી લોકોના સુખદુઃખમાં ભાગીદાર બનનાર ધારાસભ્યની આટલા વર્ષો પછી પણ સરકાર દ્વારા કોઈ પણ સહાય આપવામાં નથી આવતી. આ સાથે તેમને કોઈ પેન્શનનો લાભ પણ મળતો નથી.
આ પણ વાંચો: ‘આ વખતે ચૂંટણી નરેન્દ્ર કે ભૂપેન્દ્ર નહીં પરંતુ ગુજરાતની જનતા લડવાની છે’ પ્રધાનમંત્રી મોદી
ધારાસભ્ય આજે બીપીએલ કાર્ડ પર જીવે છે
ઉલ્લેખનીય છે કે, તે સમયે અદાલતમાં જઇ ન્યાય મેળવવાની ગુહાર લગાવતા નિર્ણય પણ તેમના પક્ષે આવ્યો હોવા છતાં આજ દિવસ સુધી પેન્શન મળી શક્યું નથી. સ્થાનિક લોકોના આંખના આંસુ લૂછનાર ધારાસભ્ય સામે જોવા માટે સરકાર પાસે સમય પણ નથી. જો કે ધારાસભ્યનું માનીએ તો પાંચ દીકરા અને પાંચ પુત્રવધૂઓ મજૂરી કરી આજે તેમના જીવનનિર્વાહ ચલાવે છે. આમ તો એકવાર ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા નેતાઓની કમાણી પાંચ વર્ષમાં લાખોની સંપત્તિ બની જાય છે, પરંતુ આમની વાત આખી અલગ છે. આજે પણ તેઓ બીપીએલ રેશનકાર્ડ તેમજ વારસદારો તરફથી મળેલા મકાનમાં પોતાનું જીવન જીવી રહ્યા છે. આ સાથે સાથે જો સરકાર કોઈ સહાય આપે તેવી પરિવાર માંગ કરી રહ્યો છે.
તમારા શહેરમાંથી (સાબરકાંઠા)
સાબરકાંઠા
સાબરકાંઠા
Published by:Vimal Prajapati
First published: November 23, 2022, 19:43 IST
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Assembly Election 2022, Gujarat Assembly Election 2022, Gujarat MLA, Gujarat vidhansabha election 2022, ગુજરાત |
‘અહીં બધા કરચલા છે’, જ્યારે ઐશ્વર્યા બોલિવૂડ પર ગુસ્સે થઈ હતી, ઇન્ડસ્ટ્રી નું કાળું સત્ય ઉજાગર કર્યું
December 2, 2022
આ સ્ત્રી એ એલોન મસ્ક ની રાતો ની ઉંઘ ઉડાડી દીધી છે! ઈચ્છવા છતાં પણ ટ્વીટર માંથી બહાર નથી નીકાળી શકતા, જાણો કારણ
December 2, 2022
PM મોદી એ મલાઈકા અરોરા સાથે હાથ મિલાવ્યા! પછી જોર થી હસ્યા, લોકોએ આવી કોમેન્ટ કરી, જુઓ વિડીયો
December 2, 2022
આ 5 વસ્તુઓ ક્યારેય મફત માં ન લો, શનિદેવ થાય છે ક્રોધિત, દુ:ખ જીવનભર પીછો નથી છોડતું
December 2, 2022
કપિલ શર્માની ઓનસ્ક્રીન પત્ની લેશે 7 ફેરા, કાજોલ અને રાની મુખર્જી ની બનશે ભાભી? સચ્ચાઈ જાણો
December 1, 2022
અરબાઝ ખાન અને જ્યોર્જિયા અલગ થયા! કહ્યું- હવે માત્ર અમે સારા મિત્રો છીએ…
December 1, 2022
અનાથ ના માતા-પિતા બન્યા તે 6 સ્ટાર, એકે કચરા માંથી દીકરી ઉપાડી અને બીજી 34 દીકરીઓ ની માતા બની
December 1, 2022
કેટરિના ને છોડી ને, વિકી કૌશલ બાથટબ માં આ હોટી સાથે ઇન્ટિમેટ બન્યો! વીડિયો વાયરલ થયો
December 1, 2022
બુધનું સંક્રમણઃ 3 ડિસેમ્બર થી ખુલશે આ રાશિઓ નું ભાગ્ય, આખો પરિવાર ધન અને સુખ થી ભરપૂર રહેશે
December 1, 2022
આ છોકરી હતી નાના પાટેકર ની પ્રેમિકા, પહેલી જ ફિલ્મ થી રાતોરાત ફેમસ થઈ ગઈ, કેન્સર ને હરાવ્યું, ઓળખ્યા કે નહીં?
November 30, 2022
જ્યારે નેહા પેંડસે એ 2 બાળકો ના પિતા પર પોતાનું દિલ ગુમાવ્યું, અભિનેત્રી ને લગ્ન પછી શરમ નો સામનો કરવો પડ્યો!
November 30, 2022
Load More
Editorial Board
Ethics Policy
Fact Checking Policy
Ownership & Funding
Correction Policy
No Result
View All Result
હોમ
મનોરંજન
જ્યોતિષ શાસ્ત્ર
જાણવા જેવું
સમાચાર
સ્વાસ્થ્ય
રમત ગમત
કાશ્મીર ફાઇલ્સના આ સ્ટાર અભિનેતાએ મળી છે સૌથી વધુ ફી, જાણો સમગ્ર સ્ટાર કાસ્ટ ને કેટલી આપવામાં ફિસ?
by JB Staff
March 24, 2022
in મનોરંજન
Reading Time: 1 min read
0 0
A A
A
A
Reset
Share on FacebookShare on Twitter
દોસ્તો આ દિવસોમાં, ઓછા બજેટની ફિલ્મે બોલિવૂડમાં મોટા બજેટની ફિલ્મો બનાવવાનું કામ કર્યું છે. રિલીઝ થઈ ત્યારથી ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ સતત હેડલાઈન્સમાં છે. ફિલ્મ ગુરુવારે 200 કરોડનો જાદુઈ આંકડો પૂરો કરવાની છે. પરંતુ શું તમે જાણો છો કે આ ફિલ્મ માટે કયા કલાકાર દ્વારા કેટલી ફી લેવામાં આવી છે? જો તમને લાગે છે કે અનુપમ ખેરે સૌથી વધુ ફી લીધી છે તો તમે ખોટા છો. આવો તમને જણાવીએ કે કોણે કેટલી ફી લઈને ફિલ્મમાં પોતાની જાન લગાવી છે.
ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ એવી કેટલીક ફિલ્મોમાંની એક છે જેણે ખૂબ ઓછા બજેટમાં બનીને પણ 200 કરોડની મજબૂત કમાણી કરી છે.
RelatedPosts
અર્જુન કપૂર થી પ્રેગ્નેન્ટ થઈ મલાઇકા અરોરા? અભિનેતા એ આવવા વાળા બાળક ની સચ્ચાઈ જણાવી
‘અહીં બધા કરચલા છે’, જ્યારે ઐશ્વર્યા બોલિવૂડ પર ગુસ્સે થઈ હતી, ઇન્ડસ્ટ્રી નું કાળું સત્ય ઉજાગર કર્યું
PM મોદી એ મલાઈકા અરોરા સાથે હાથ મિલાવ્યા! પછી જોર થી હસ્યા, લોકોએ આવી કોમેન્ટ કરી, જુઓ વિડીયો
અનુપમ ખેર
આ ફિલ્મમાં રિયલ લાઈફ કાશ્મીરી પંડિત અનુપમ ખેરે એક મજબૂત પ્રોફેસરની ભૂમિકા ભજવીને લોકોના દિલમાં ખાસ જગ્યા બનાવી છે. તે ફિલ્મના આઇકોન તરીકે બહાર આવી રહ્યા છે. તેઓએ આ ફિલ્મ માટે 1 કરોડ રૂપિયા ચાર્જ કર્યા છે.
દર્શન કુમાર
આ ફિલ્મમાં દર્શન કુમાર અનુપમ ખેરના પૌત્રનો રોલ કરી રહ્યો છે. તેણે ફિલ્મની ફી તરીકે 43 લાખ રૂપિયા લીધા છે.
મિથુન ચક્રવર્તી
IAS બ્રહ્મ દત્તના રોલમાં જોવા મળી રહેલો મિથુન ચક્રવર્તી પણ આ ફિલ્મથી ચર્ચામાં છે. તેઓએ આખી કાસ્ટમાં સૌથી વધુ ફી લીધી છે. તેઓએ આ ફિલ્મ માટે 1.5 કરોડ રૂપિયા ચાર્જ કર્યા હતા.
મૃણાલ કુલકર્ણી
આ ફિલ્મમાં મૃણાલ કુલકર્ણી લક્ષ્મી દત્તના રોલમાં જોવા મળી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મૃણાલે 50 લાખ રૂપિયા ફી લીધી છે.
પલ્લવી જોશી
ફિલ્મમાં પલ્લવી જોશી રાધિકા મેનનની ભૂમિકામાં છે. તેણે આ ફિલ્મ માટે 50 થી 70 લાખ રૂપિયા ચાર્જ કર્યા છે.
પુનીત ઇસાર
પુનીત ઈસાર આ ફિલ્મમાં ડીજીપી નારાયણની ભૂમિકામાં જોવા મળી રહ્યા છે. પુનીતે આ ફિલ્મ માટે 50 લાખ રૂપિયા ફી તરીકે લીધા છે.
વિવેક અગ્નિહોત્રી
ફિલ્મના દિગ્દર્શકે આ ફિલ્મથી દેશભરમાં એક નવો મુદ્દો શરૂ કર્યો છે. સોશિયલ મીડિયા હોય કે રિયલ લાઈફ, દરેક જણ આ ફિલ્મ વિશે વાત કરે છે. વિવેકે આ ફિલ્મ માટે 1 કરોડ રૂપિયા ચાર્જ કર્યા હતા.
About
Jo Baka is one of reliable name in the field of Journalism.
Jo Baka Media Private Ltd. is a privately owned company incorporated under Companies act 1956. Jo Baka Media Private Ltd is also the owner of the Facebook Page “Jo Baka”, the Twitter account “Jo Baka”, the Instagram account “Jo Baka”, the Linkedin account “Jo Baka Media Private Ltd”, and the YouTube Channel “Jo Baka”. |
દેશમાં તહેવારોની સિઝન ચાલી રહી છે. આ સિઝનમાં ઓનલાઈ-ઓફલાઈન સ્ટોર્સ પર અનેક કેટેગરીના પ્રોડક્ટસ પર શ્રેષ્ઠ ડીલ્સ અને ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. આ સમયે સ્માર્ટફોન્સ પર અનેક આકર્ષક ઓફર્સ ગ્રાહકોને આપવામાં આવે છે. તેવામાં જો તમે તમારા માટે અથવા કોઈને ગિફ્ટ કરવા માટે નવો સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યાં છો, તો અમે તમને 8000 રૂપિયાના બજેટમાં આવતા બેસ્ટ સ્માર્ટઉફોન્સ વિષે માહિતી આપશું.
માત્ર 8 હજારની અંદર મોબાઇલ
દેશમાં તહેવારોની સિઝન ચાલી રહી છે. આ સિઝનમાં ઓનલાઈ-ઓફલાઈન સ્ટોર્સ પર અનેક કેટેગરીના પ્રોડક્ટસ પર શ્રેષ્ઠ ડીલ્સ અને ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. આ સમયે સ્માર્ટફોન્સ પર અનેક આકર્ષક ઓફર્સ ગ્રાહકોને આપવામાં આવે છે. તેવામાં જો તમે તમારા માટે અથવા કોઈને ગિફ્ટ કરવા માટે નવો સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યાં છો, તો અમે તમને 8000 રૂપિયાના બજેટમાં આવતા બેસ્ટ સ્માર્ટઉફોન્સ વિષે માહિતી આપશું
શું તમારું પણ બજેટ માત્ર 8 હાજર કે તેની અંદરનું છે તો તમે અમારા આ લેખની મદદથી સૌથી સારો મોબાઇલ તમારા માટે કયો છે તે જાણવા તથા ખરીદવા માટે તમને સરળતા પડશે.
1) Poco C3-
આ સ્માર્ટફોનને ગત વર્ષે ઓક્ટોબર મહિનામાં લોન્ચ કરવામાં આવ્યો હતો. આ ફોનને હાલમાં ફ્લિપકાર્ટ પરથી 7499 રૂપિયાની શરૂઆતી કિંમત પરથી ખરીદી શકાય છે. આ ફોનમાં 6.5 ઈંચ HD+ ડિસ્પ્લે આપવામાં આવી છે. ફોનમાં MediaTek Helio G35 પ્રોસેસર આપવામાં આવ્યું છે. સાથે જ 13MPનો રિયર કેમેરો, 5MPનો સેલ્ફી કેમેરો અને 5000mAHની બેટરી આપવામાં આવી છે.
2) Realme Narzo 50i-
આ સ્માર્ટફોનની ગત મહિને જ ભારતમાં લોન્ચ કરવામાં આવ્યો. આ ફોનને પણ ફ્લિપકાર્ટ પરથી 7499 રૂપિયાની શરૂઆતી કિંમત પરથી ખરીદી શકાય છે. આ ફોનમાં 6.5 ઈંચ HD+ ડિસ્પ્લે આપવામાં આવી છે. આ ફોનમાં Unisoc 9863 પ્રોસેસર આપવામાં આવ્યું છે. સાથે જ 8MPનો રિયર કેમેરો, 5MPનો સેલ્ફી કેમેરો અને 5000mAHની બેટરી આપવામાં આવી છે.
3) Samsung Galaxy M02-
આ સ્માર્ટફોનને આ વર્ષના ફેબ્રુઆરી મહિનામાં ભારતમાં લોન્ચ કરવામાં આવ્યો હતો. આ ફોનને Amazon પરથી 7999 રૂપિયાની શરૂઆતી કિંમત પરથી ખરીદી શકાય છે. આ ફોનમાં 6.5 ઈંચની HD+ ડિસ્પ્લે આપવામાં આવી છે. ફોનમાં એન્ડ્રોઈડ 10 બેઝ્ડ One UI અને MediaTek MT6739 પ્રોસેસર આપવામાં આવ્યું છે. સાથે જ 13MPનો રિયર કેમેરો, 5MPનો સેલ્ફી કેમેરો અને 5000mAHની બેટરી આપવામાં આવી છે.
4) Redmi 9A Sport-
આ સ્માર્ટફોન ગત મહિને ભારતમાં લોન્ચ કરવામાં આવ્યો હતો. આ ફોનને Amazon પરથી 6999 રૂપિયાની શરૂઆતી કિંમત પરથી ખરીદી શકાય છે. આ ફોનમાં 6.5 ઈંચની HD+ ડિસ્પ્લે આપવામાં આવી છે. ફોનમાં MediaTek Helio G25 પ્રોસેસર અને એન્ડ્રોઈડ 10 બેઝ્ડ MIUI 12 આપવામાં આવ્યું છે. સાથે જ 13MPનો રિયર કેમેરો, 5MPનો સેલ્ફી કેમેરો અને 5000mAHની બેટરી આપવામાં આવી છે.
5) Realme C20-
આ સ્માર્ટફોનને આ વર્ષના એપ્રિલ મહિનામાં લોન્ચ કરવામાં આવ્યો હતો. આ ફોનને Amazon પરથી 7650 રૂપિયાની શરૂઆતી કિંમત પરથી ખરીદી શકાય છે. આ ફોનમાં 6.5 ઈંચની HD+ ડિસ્પ્લે આપવામાં આવી છે. ફોનમાં MediaTek Helio G35 પ્રોસેસર અને એન્ડ્રોઈડ 10 બેઝ્ડ રિયલમી UI આપવામાં આવ્યું છે. સાથે જ 8MPનો રિયર કેમેરો, 5MPનો સેલ્ફી કેમેરો અને 5000mAHની બેટરી આપવામાં આવી છે.
મહત્વપૂર્ણ લિંક
તમે આ ફોન ઘરે બેઠા ઈ-કોમર્સ ની સાઈટ પરથી ઘરે બેઠા પણ ઓડર કરી મંગાવી શકો છો
Amazon Click Here
Flipkart Click Here
HomePage Click Here
Categories Tech News, Trending News Tags Tech News, Trending News, માત્ર 8 હજારની અંદર ખરીદો આ પાંચ દમદાર મોબાઇલ |
મારી માતા ખુદાના બંદા અને દ્રઢ ધાર્મિક માન્યતા વાળા છે. દાઉદી બોહરા સમુદાયના જન્મજાત ધર્મગુરુને માનવાવાળો, તેમણે કદી પણ તેનો હિસ્સો બની રહેવાથી ક્યારેય આનાકાની નથી કર્યાં. ઝળહળતા, રંગબેરંગી હિજરી કૅલેન્ડર આધારિત દરેક પ્રસંગોમાં તેઓ અચૂક હાજરી આપે છે. દાયકાઓથી, આ હિજરી કૅલેન્ડરે, દરગુજર કરી નહીં શકાય એવા અંધકારને સંતાડવાના અને કોમની ઝાકઝમાળ જાહોજલાલીનો દેખાવ કર્યે રાખ્યો છે. અમુક સમયથી હું કોમથી દૂર રહ્યો છું. અમારા કોમના અમુક હડહડતા જુથાણાઓ, ખાસ કરીને હિજરી કૅલેન્ડરમાં વાસ્તવિક સંબંધ ન હોય તેની વિરુદ્ધ મેં ઘણી વાર અવાજ ઉઠાવ્યો છે. લયલતુલ કદ્ર, રમઝાનની સૌથી મુબારક (પવિત્ર) રાત હવે હિજરી કૅલેન્ડર પર નાનકડું ટપકું બની ગઈ છે અને હિઝ હોલિનેસ, સૈયદના મુફઝ્ઝલ સૈફુદ્દીનનના જન્મદિન વડે ઢંકાઈ ગઈ છે, જે એ જ દિવસે આવે છે. મારી માતા મારી ટીકાઓને હળવાશથી નથી લેતાં અને હંમેશાં મને ખુલ્લું મન રાખવા જણાવે છે, એક મિનિટ માટે કોમમાં બનતી ઘટનાને ભૂલી જવા અને કોમની રુહાનિયત તથા બંદગીની તાકાત પર ધ્યાન કેન્દ્રિત કરવાનો મને અનુરોધ કરે છે. તેઓ હંમેશાં એક દુષ્કૃત્યની સામે પવિત્ર બની રહ્યાં છે અને કોમની વ્યાકુળતા સર્જનારી અનેક સચ્ચાઈઓની તેઓ ઉપેક્ષા કરે છે.
પરંતુ બે મહિના અગાઉ, તેમણે ખત્નાની પ્રથા સામે પોતાનો આક્રોશ અને વિરોધ વ્યક્ત કર્યો ત્યારે હું ચોંકી ઊઠ્યો. આ વિનાશકારી અને જંગલી પ્રથા પર ‘સહિયો’એ વ્યાપક પ્રકાશ પાડ્યો છે. છોકરીઓ ધરાવતા તમામ પરિવારમાં અને ખત્નાને ખૂબ જ ગુપ્ત રાખતી કોમમાં હું ઊછર્યો હોવાથી, કેવળ ‘સહિયો’ મારફતે અને આ પ્રથાના લાંછનની અને તેમના જીવનમાં સર્જેલા દુખ:ની ચર્ચા કરવાની હિંમત દાખવનારી અનેક મહિલાઓએ લખેલા લેખો દ્વારા મને આ પ્રથા વિશે જાણવા મળ્યું હતું.
પરંતુ મારી માતાએ પોતાના અનુભવો વિશે મને વાત કરી ત્યારે હું સખ્ત આઘાત પામ્યો. આ ખૂબ જ ધર્મનિષ્ઠ મહિલા, જેઓ પોતાનું સમગ્ર જીવન બોહરા કોમ માટે હિમાયતી બની રહ્યાં અને ચોક્કસ પ્રથાઓ પ્રત્યે દુર્લક્ષ સેવવા પોતાનાં સંતાનોને ઉત્તેજન આપતાં રહ્યાં હતાં, આ ખત્ના પ્રથાની ઉપેક્ષા કરવા માટે ક્યારેય તૈયાર નહોતાં. તેમણે તેમના ભાઈને અને મને એમ જણાવ્યું હતું કે જો તેમને દીકરી હોત તો, કદી પણ તેમની સાથે આવું થવા નહીં દેતે. સાત વર્ષની કુમળી વયે પોતાના અનુભવની પીડાજનક વિગત અમણે જણાવી, જ્યારે તેમને ભારતમાં એક પાડોશીના ઘરમાં અંધારાં ભોંયતળિયામાં લઈ જવાયાં હતાં. ત્યાર પછીથી તેમણે વેઠેલી વેદના, આક્રોશ અને લૈંગિક હતાશા તેમની અશ્રુભીની આંખોમાંથી સરી પડ્યા અને હું પણ મારી પોતાની આંખોમાં પણ અશ્રુને રોકી નહીં શક્યો. અન્ય મહિલાઓની આપવીતીઓ વાંચીને મેં અનુભવેલો આક્રોશ પરાકાષ્ઠાએ પહોંચ્યો જ્યારે મને એવી પ્રતીતિ થઈ કે મને આ દુનિયામાં લાવનારી મહિલાને કેટલી વેદના થઈ હશે. એ મહિલા જેને મારા સમગ્ર જીવનમાં હું પ્રેમ કરતો આવ્યો છું, તેણે આ કોમને માફ કરી અને તેનો હિસ્સો બની રહેવા માટે મને ઉત્તેજન આપ્યું, કારણકે તેમની પેઢી માટે કોમ જ સર્વસ્વ છે અને જમાત ખારીજ (નાત બહાર) બનવાનો વિચાર – પરિવાર અને મિત્રોથી અલગ થવાનો ડર – તમારી વેદના, હતાશા અને આક્રોશને ગળી જવાની અને પૂર્વસ્થિતિ (સ્ટેટ્સક્વો)ને સ્વીકારવાની તમને ફરજ પાડે છે. પણ હવે એ બધું વધુ સહન નહીં થાય.
ખત્ના ફરતેની કદરૂપી ડાયન તેમજ બોહરા સમુદાયના અન્ય તમામ અન્યાયોનો સામનો કરવા માટેના હવે શક્તિશાળી વિકલ્પો ઉભા થયા છે. ત્રીસ વર્ષમાં પ્રથમ વખત કહેવાતા ધર્મગુરુઓ અને તેમના મળતિયાઓ ખૂબ ગભરાયા છે. ગુપ્તાંગ વિચ્છેદન (ખત્ના)ને મદદરૂપ થવા અને ઉત્તેજન આપવા બદલ, તેઓ અનિવાર્યપણે કાનૂની પ્રત્યાઘાતોનો સામનો કરશે એટલો જ ભય નથી, પરંતુ સાચો ડર મબલક નાણાકીય લાભો ગુમાવવાનો છે. રોકડ રકમથી ભરેલાં પરબીડિયાં, ઝિયાફતોમાં મળતા લાખો રૂપિયા/ડોલર, મકાનો, કારો અને પરંપરાગત હજારો નાના વહોરા ધંધાઓ જે એક જમાનામાં ઈજારાશાહી ધરાવતા હતા તેની પરનું સામાજીક અને નાણાકીય બન્ને નિયંત્રણ ગુમાવવા લાગ્યા છે.
આવા વધુ અન્યાયો પ્રત્યે આંગળી ચિંધાશે ત્યારે જ વધુ વહોરાઓ જે દેખીતી રીતે હજારોની સંખ્યામાં છે, તેઓ રૂહાની (આધ્યાત્મિક) જ્ઞાન મેળવવા માટે અન્યત્ર જશે. આવી નાણાકીય ખોટ સાથે તેઓ કદી વૈભવશાળી જીવનશૈલીને ટકાવી નહીં શકે જેમાં તેઓ ઊછર્યા છે અને દોમ દોમ સાહયબી ભોગવી છે.
પરંતુ ખાલી શબ્દો કરતા વાસ્તવિક કૃત્ય હંમેશા વધુ મોટા અવાજે પોકારે છે. પ્રથમ પગલું, જે આવશ્યક છે, તે પગલું આ પ્રથા વડે અસર પામેલી તમારા જીવનમાંની વિશેષ મહિલાને શોધવાનું છે, એ મહિલાની સાથે બેસો, તેની સાથે વાત કરો અને તેણે કેવી યાતના અનુભવી છે તેને સમજો. આવો પ્રચંડ ક્રોધ તમારામાં પણ પેદા થશે જે મેં અનુભવ્યો છે.
અત્યારે પ્રચંડ ક્રોધ વ્યક્ત કરવાની જ આપણા માટે આવશ્યકતા રહે છે. આપણી પેઢીમાં એવા લોકોની આપણને જરૂર છે જેઓ રોષે ભરાય. આ કોમનો ત્યાં સુધી બહિષ્કાર કરે જ્યાં સુધી તે લોકોની રુહાની જરૂરિયાતોની સેવા બજાવવા તેને સોંપાયેલી કામગીરીને પૂર્ણ કરવા માટે પાછી નહીં કરે. મઝહબી કોમ આવું કરી શકે અને આવી હોવી જોઈએ.
ખત્નાના પોતાના અનુભવ વિશે મારી માતાએ મને જે રાતે જણાવ્યું ત્યારે તેમની આંખોમાં જોયેલી વેદનાને હું કદી નહીં ભૂલીશ. હું તેની સાથે આગળ વધીશ અને આ પ્રથાનો અંત આવે એવું સુનિશ્ર્ચિત્ત કરવા માટે લડતો રહીશ, આપણે તમામેં પોતાના પક્ષે આવતી ભૂમિકા ભજવીએ તો આ પ્રથા કોમની અન્ય અનૈતિક પ્રથાઓની સાથે બંધ થશે. દિલમાં જોમ અને જુસ્સા સાથે આપને બધાએ આ કામગીરી બજાવવી રહી. આપણાં માતાપિતાની સાથે થયું હતું એવી રીતે આપણા જીવનનો નાશ કરવાની તેઓ ધમકી આપી નહીં શકે. અત્રે આપણી પાસે તમામ હથીયારો છે. સંગઠિત થઈને મજબૂત હાથ રમવાથી આપણે ડરવું નહીં જોઈએ.
Share this:
Click to share on Twitter (Opens in new window)
Click to share on Facebook (Opens in new window)
Click to share on LinkedIn (Opens in new window)
Click to share on WhatsApp (Opens in new window)
Like this:
Like Loading...
Related
BohraDawoodi Bohrafemale genital cuttingGujaratikhatna
Post navigation
Previous
StoryCenter – A digital storytelling workshop for Bohra women in the United States
Next
Insia Dariwala receives Women Have Wings Courage Award
Leave a Reply Cancel reply
Enter your comment here...
Fill in your details below or click an icon to log in:
Email (required) (Address never made public)
Name (required)
Website
You are commenting using your WordPress.com account. ( Log Out / Change )
You are commenting using your Twitter account. ( Log Out / Change )
You are commenting using your Facebook account. ( Log Out / Change )
Cancel
Connecting to %s
Notify me of new comments via email.
Notify me of new posts via email.
Δ
Search for:
Search
Recent Posts
We’ve moved to Sahiyo.org!
Reflecting on Moving Towards Sexual Pleasure and Emotional Healing After Female Genital Cutting Part 2
Advisory board spotlight: Nesha Abiraj
Scenarios by Sahiyo Part Two
Who? A Zine About The Global Impact of FGC
Follow us on Twitter
My Tweets
Like us on Facebook
Like us on Facebook
© 2018 Sahiyo, All rights reserved
Privacy Policy: Terms of Use
Archives
Archives Select Month January 2022 December 2021 November 2021 October 2021 September 2021 August 2021 July 2021 June 2021 May 2021 April 2021 March 2021 February 2021 January 2021 December 2020 November 2020 October 2020 September 2020 August 2020 July 2020 June 2020 May 2020 April 2020 March 2020 February 2020 January 2020 December 2019 November 2019 October 2019 September 2019 August 2019 July 2019 June 2019 May 2019 April 2019 March 2019 February 2019 January 2019 December 2018 November 2018 October 2018 September 2018 August 2018 July 2018 June 2018 May 2018 April 2018 March 2018 February 2018 January 2018 December 2017 November 2017 October 2017 September 2017 August 2017 July 2017 June 2017 May 2017 April 2017 March 2017 February 2017 January 2017 December 2016 November 2016 October 2016 September 2016 August 2016 July 2016 June 2016 May 2016 April 2016 March 2016 February 2016 January 2016 December 2015 |
કર્મની વ્યવસ્થા ખૂબ ગહન અને સચોટ છે. એમાં ક્યાંય અપવાદ નથી. કર્મની નોંધણી આપણી બહાર થતી નથી અને તેના ભોગવટા માટે કોઈના હુકમની રાહ જોવાતી નથી હોતી. કર્મની સમગ્ર વ્યવસ્થા સ્વયં સંચાલિત છે. તેને કોઈ કમ્પ્યુટરની રચના સાથે સરખાવી શકાય. કમ્પ્યુટર તેને આપેલા કમાન્ડ-આદેશો પ્રમાણે ચોક્કસાઈથી કામ કર્યા કરે છે તેમ કર્મની બાબતમાં પણ છે. કમ્પ્યુટર નિર્જીવ છે તેથી તેને પ્રથમ આપણે ડેટા-વિગતો આપવી પડે છે પછી તે વિગતો અનુસાર પોતાનું કાર્ય કર્યા કરે છે. લગભગ તેવી જ વ્યવસ્થા આપણી અંદર ગોઠવાયેલી છે. આપણી ચેતનામાં પળે પળે રાગ-દ્વેષના ભાવો જે ઉછાળા મારે છે અને તેના પ્રેર્યા આપણે મન, વચન અને કાયાની પ્રવૃત્તિ કરીએ છીએ. આ વૃત્તિઓ અને પ્રવૃત્તિઓને લીધે આપણી અંદર પ્રત્યેક પળે ડેટા ફીડ થતો રહે છે – વિગતો ઉતરતી રહે છે જેની આપોઆપ નોંધ થઈ જાય છે. આ નોંધ જ્યાં થઈ જાય છે તેને કર્મદેહ કે કાર્મણ શરીર તરીકે ઓળખવામાં આવે છે. આ કાર્મણ દેહ અતિ-અતિ સૂક્ષ્મ પરમાણુઓનો બનેલો હોય છે અને ભવોભવ તે જીવની સાથે જાય છે – રહે છે. આ કાર્મણ શરીર, જીવ સાથે ઓતપ્રોત થઈને રહેલું હોય છે અને તેમાં જ કર્મની વિગતો નોંધાય છે અને તેમાંથી આવતા આદેશો મુજબ જીવ પોતાની ગતિ-વિધિ કરે છે. આ આદેશોનું પાલન કરતાં કરતાં વળી પાછો જીવ જે ભાવો સેવે છે, જે ક્રિયા-પ્રતિક્રિયા કરે છે તેનાથી વળી કર્મદેહમાં નવી ડેટા – નવી વિગતો ફીડ થાય છે અને આમ ને આમ કર્મનું ચક્ર નિરંતર ભવોભવ ચાલ્યા કરે છે જયારે ચૈતન્ય જાગે ઊઠે છે અને કર્મશરીરમાં સંગ્રહીત થયેલી બધી માહિતી કાઢી નાખે છે – ખાલી થઈ જાય છે પછી જ જીવ જન્મ-મરણના ફેરામાંથી મુક્ત થઈ જાય છે. ત્યાર પછી તે કૃતકૃત્ય થઈ જાય છે અને તેને કંઈ મેળવવાપણું રહેતું નથી. ત્યારપછી તે પોતાના અસ્તિત્વમાં વિરમે છે જે પરમ આનંદ અને જ્ઞાન સ્વરૂપ છે. આ અવસ્થાને તત્વવેત્તાઓ સદ્-ચિદ અને આનંદની અવસ્થા કહે છે.
આપણી વૃત્તિઓ, પ્રવૃત્તિઓ, આપણી રુચિ અને આંતરિક વલણ એ બધાંને કારણે બ્રહ્માંડમાં વ્યાપ્ત કર્મ-પરમાણુઓ ખેંચાઈને આપણા જીવ સાથે ઓતપ્રોત થઈ જાય છે જેને કર્મબંધ કહેવામાં આવે છે. કર્મનો બંધ થવામાં પ્રવૃત્તિ કરતાં વૃત્તિ-ભાવ વધારે મહત્વનો ભાગ ભજવે છે. મન-વચન અને કાયાની પ્રવૃત્તિને યોગ કહે છે જેને કારણે કર્મ બનવાની ક્ષમતાવાળા પરમાણુઓ જીવ પોતાની તરફ ખેંચી લે છે અને ભાવની તીવ્રતા પ્રમાણે તેને આત્મસાત કરી દે છે.
જે વૃત્તિઓને કારણે જીવ પ્રવૃત્તિ કરે છે તે વૃત્તિઓને કષાયો અને નોકષાયોના નામથી ઓળખવામાં આવે છે. કષાયો અને નોકષાયો જીવનું ભાવજગત છે. ક્રોધ, અભિમાન, માયા-કપટ, લોભ-મોહ એ મૂળ ભાવો છે અને તેના સહાયક ભાવો છે, હાસ્ય, રતિ-ગમો, અરતી-અણગમો, ભય, શોક, જુગુપ્સા, પુરુષવેદ, સ્ત્રીવેદ અને ઉભયનો વેદ એટલે નપુંસક વેદ. આ બધા મૂળ ભાવો અને ઉત્તર ભાવોને કારણે આપણામાં વિચાર આવે છે અને તે પ્રમાણે આપણે ક્રિયા કે પ્રતિક્રિયા કરીએ છીએ જે મન-વચન અને કાયાની પ્રવૃત્તિને યોગ કહેવામાં આવે છે. આ યોગને કારણે કર્મ બનાવની યોગ્યતાવાળા પરમાણુઓ જીવ પોતાની તરફ ખેંચીને પોતાની સાથે ભેળવી દે છે. પણ કેટલા વેગથી અને રસથી કેટલા પ્રમાણમાં જીવે આ કર્મ-પરમાણુઓ ગ્રહણ કર્યા તેના આધારે કર્મનાં વિવિધ બંધો પડે છે અને તેની વ્યવસ્થા ગોઠવાય છે.
આપણી અંદર પ્રવર્તમાન કર્મદેહનું કમ્પ્યુટર એટલું તો સંપૂર્ણ અને કાર્યદક્ષ છે કે જેવો જીવને કર્મનો બંધ પડયો કે તુરત જ તેનું વિભાગીકરણ થઈ જાય છે કે આ કર્મ કેવા પ્રકારનું છે અને તે કેવું પરિણામ આપશે. આને પ્રકૃતિ બંધ કહે છે, જેને આઠ પ્રકારનો ગણવામાં આવે છે. કેટલાંક કર્મો જીવની જ્ઞાનદશાને આવરી લે છે તો કેટલાંક તેની દર્શનશક્તિને આવરે છે. કેટલાંક કર્મ જીવને મોહાંધ બનાવી ભ્રમમાં નાખનાર હોય છે જેને પરિણામે જીવને જે ઇષ્ટ છે તે અનિષ્ટ લાગે ; અને જે અનિષ્ટ છે તેને તે ઇષ્ટ લાગે. આ પ્રકારના કર્મથી જીવ ભ્રામક માન્યતા સેવે છે, વળી, આ પ્રકારનું બીજું જોડિયું કર્મ છે, જે જીવને યથાયોગ્ય પ્રવૃત્તિ કરવા દેતું નથી. તેની અસર હેઠળ જીવ કરવા યોગ્ય નથી કરતો. ઘણીવાર તેની માન્યતા સાચી હોય, વાત સાચી કરતો હોય પણ તે પ્રમાણે આચરણ ન કરી શકે. આ પ્રકારનું કર્મ મનુષ્યની કાર્યશક્તિને રોકે અથવા તો વિપરીત આચરણ કરાવે. અમુક પ્રકારનાં કર્મોથી મનુષ્યને સુખ-શાંતિનો અનુભવ થાય છે તો વળી અમુક પ્રકારનાં કર્મોના પ્રભાવ હેઠળ જીવને અશાંતિ, દુઃખ અને વેદનાનો અનુભવ થાય છે. જીવ પોતાના જ કર્મનાં બંધથી હવે પછી તેનો જન્મ કઈ ગતિમાં થશે તે નક્કી કરે છે ; અને તે ગતિમાં આયુષ્યના કેટલા પરમાણુઓનો જથ્થો ભોગવશે તે પણ નક્કી કરી નાખે છે. હવે પછીના ભવમાં જીવ, પશુ, પક્ષી, દેવ કે નારકીનું આયુષ્ય ભોગવશે તે વાત પણ જીવનાં કર્મોથી જ નક્કી થાય છે. આમ, જીવની ગતિ તેના પોતાના કર્મને આધીન છે એટલું જ નહિ પણ તેનો દેખાવ કેવો હશે, તે સુંદર, સોહામણો દેહ ધારણ કરશે કે કદરૂપો-બેડોળ દેહ ધારણ કરશે તેનો આધાર પણ પોતાનાં કર્મ ઉપર રહે છે. જીવને યથા-તથા ભવમાં ઇન્દ્રિયો સાંગોપાંગ મળશે કે ખોડખાંપણવાળી મળશે, તે બુદ્ધિશાળી હશે કે ઠોઠ-ગમાર રહેશે. તેનો કેવો પ્રભાવ પડશે, કીર્તિ કે અપકીર્તિ મળશે આ બધાંનો આધાર જીવે પોતે બાંધેલાં કર્મોને આધીન છે. અરે, તે ઊંચ કુળમાં જન્મશે કે નીચ કુળમાં જન્મશે, જન્મની સાથે તેને સારા અને અનુકૂળ સંજોગો મળશે કે પ્રતિકૂળ વાતાવરણ મળશે એ બધાનો આધાર પણ જીવે પોતે બાંધેલાં કર્મો ઉપર છે.
એક વિશિષ્ટ પ્રકારનું કર્મ પણ જીવ બાંધે છે જે તેના જીવનમાં અંતરાયો ઊભા કરે છે. કેટલોય પુરુષાર્થ કરવા છતાંય ખાસ કંઈ મળે નહિ, તો વળી કોઈને સહેજમાં સુખનાં સાધનો-સગવડો-સંપત્તિ મળે પણ તેનાથી મળતું સુખ તેનાથી ભોગવાય નહિ, ભર્યા ભંડારો હોય પણ તે ભોગવવા જેટલી તબિયત જ સારી ન હોય, ભાતભાતનાં ભોજન ઘરમાં થતાં હોય પણ પોતાને તો રોટલો એન્ડ ઘેંશ જ પચે. તો વળી કેટલાક જીવોને એવું કર્મ હોય છે કે ભોગવે બધું પણ માલિકી પોતાની નહિ. અદ્યતન બંગલો, ગાડી ઈત્યાદિની સંભાળ રાખનાર મેનેજર હોય, નોકરચાકર હોય, શેઠ ન ભોગવે એટલું તે ભોગવે પણ તે કોઈ વસ્તુનો મલિક નહિ. શેઠ વિફરે તો ઘડીના છઠ્ઠા ભાગમાં કાઢી મૂકે. આવું પણ કર્મ હોય છે. સુંદર-સુશીલ પત્ની મેળવવી તે પણ કર્મને આધીન છે તો એવી પત્નીને ભોગવવી, તે માટેની શક્તિ હોવી, સંજોગો હોવા તે પણ કર્મને આધીન છે. ઘણીવાર એવું બને કે બધી મોટી વાતે જીવ સુખી હોય પણ નાની નાની વાતે તે દુઃખી રહ્યા કરે અને મન અશાંત રહ્યા કરે કે જીવ જાણે બળ્યા કરે. તો બીજી બાજુ કેટલાક માણસોએ એવું કર્મ બાંધ્યું હોય છે કે સુખ-સંપત્તિનાં સાધનો પાસે ન હોય, આમ જોઈએ તો અગવડોનો કે ઉપાધિઓનો પાર ન હોય પણ તેને કોઠે શાંતિ હોય – ટાઢક હોય. આ બધી કર્મની લીલા છે.
સંપત્તિની છોળો ઊડતી હોય પણ કોઈ આપવા માટે હાથ લાંબો થાય જ નહિ અને વળી કદી એવી ઈચ્છા થાય તો કોઈ લેનાર પણ ન મળે. તો બીજી બાજુ એવું પણ કર્મ છે કે આપનાર આપવા તૈયાર છે પણ એવા સંજોગો ઓચિંતા ઉપસ્થિત થાય કે લેનાર લઈ શકે નહિ. ખરી વખતે કંઈ વિઘ્ન આવી પડે કે લેનાર જઈ શકે નહિ કે આપનારને એવું કંઈ કામ આવી પડે કે તેને બહાર જવું પડે. કોઈ ઠેર ઠેર હાથ લંબાવીને માગ્યા કરે પણ બધેથી લંબાવેલો હાથ ખાલી ને ખાલી પાછો ફરે અને મળે તો માંડ ઓછું-અદકું મળે. તો વળી કોઈએ માંગ્યું નથી અને ધનના કે વસ્તુના ઢગલા થઈ જાય. માન્યામાં નહિ આવે પણ આ બધું કર્મને આધીન છે. ગત જન્મોમાં આપણે ક્યાંક એવાં કર્મો બાંધ્યા છે કે જે ઉદયમાં આવતા આપણે તે યથા-તથા ભોગવ્યા વિના છૂટકો નથી.
ઘણીવાર એમ સાંભળવામાં કે જોવામાં આવે છે કે નાનું બાળક કોઈ મોટા અસાધ્ય રોગનો ભોગ બન્યું હોય છે. કોઈ સારો માણસ આધિ, વ્યાધિ અને ઉપાધિથી પીડાતો હોય તો કોઈ અનાચારી, લુચ્ચો માણસ લહેર કરતો હોય છે. આવું જોઈને કે સાંભળીને આપણને પ્રશ્ન થાય કે આમ કેમ બને ? આવી વાતથી ઘણીવાર માણસોને કર્મ ઉપરથી શ્રદ્ધા ઊઠી જાય છે. પણ એક સામાન્ય ગેરસમજને કારણે આપણે આ સંજોગોને મૂલવવામાં ભૂલ કરી બેસીએ છીએ. આપણે આવા સમયે મનુષ્યના વર્તમાનને જોઈને વિચાર કરીએ છીએ તેથી આ ભૂલ થાય છે. વર્તમાન જીવનના પડદા પાછળ હજારો-લાખો જન્મોનો ઇતિહાસ પડ્યો છે જે આપણી નજર બહાર રહે છે. આ જન્મો દરમ્યાન જીવે કેટલાંય કર્મો બાંધ્યાં હોય છે જે અત્યારે ઉદયમાં આવ્યાં હોય છે. કર્મની વ્યવસ્થા ન સમજવાને કારણે, તેના નિયમોથી અજાણ હોવાને કારણે, માણસો આ જન્મનાં કે આ કાળનાં કર્મોને નજરમાં રાખીને અભિપ્રાય આપે છે કે તારણ કાઢે છે ત્યારે તે
મૂંઝાય છે અને તેને કર્મ સાથે ખાસ મેળ બેસતો હોય તેમ લાગતું નથી. આપણે એક વાત બરોબર સમજી લઈએ કે કર્મ એ મહાસત્તા છે જેના કાળની સીમાઓ હજારો અને લાખો જન્મો સુધી ફેલાયેલી છે.આમ, આપણે જે પ્રકારના કર્મબંધોની વાત કરી તેને પ્રકૃતિબંધના શબ્દથી ઓળખવામાં આવે છે અને તેનું વિભાગીકરણ કરી બતાવનાર પારિભાષિક શબ્દો છે : (૧) જ્ઞાનવરણીય (૨) દર્શનાવરણીય (૩) વેદનીય (૪) મોહનીય (૫) આયુષ્ય (૬) નામ (૭) ગોત્ર અને (૮) અંતરાય. જીવ કેવા પ્રકારે કર્મ ભોગવશે તે પ્રકૃતિ બંધથી નક્કી થાય છે અને તેને માટે જીવનાં મન, વચન અને કાયાના યોગો વધારે જવાબદાર હોય છે. વળી, આગળ આપણે ચર્ચા કરી ગયા હતા કે કર્મબંધ વખતે જીવ કર્મના પરમાણુઓ-સૂક્ષ્મ, અતિસૂક્ષ્મ રજ ગ્રહણ કરે છે. જીવ જેટલા જથ્થામાં આ અતિ સૂક્ષ્મ રજને ગ્રહણ કરે છે. તેને શાસ્ત્રીય ભાષામાં પ્રદેશબાંધ કહે છે. પ્રકૃતિબંધની જેમ જ આ પ્રદેશબંધનો આધાર પણ મોટે ભાગે જીવના પોતાનાં મન-વચન અને કાયાના યોગો ઉપર રહેલો હોય છે. પણ આ કર્મ જીવની સાથે કેટલો સમય રહેશે તેની મુદતનો આધાર જીવના કર્મબંધ સમયના જે તે ભાવો સાથે સંકળાયેલો હોય છે. વળી, સૌથી મહત્વની વાત એ છે કે જીવ બાંધેલાં કર્મને જેટલી તીક્ષ્ણતાથી કે તીવ્રતાથી ભોગવશે ? તે પણ મુખ્યત્વે જીવની કર્મબંધ સમયની વૃત્તિઓ, રુચિ, અરુચિ ઇત્યાદિ ઉપર અવલંબે છે. જેટલા તીવ્ર રસથી જીવનો ભાવ કે દુર્ભાવ હોય, સદ્દભાવ હોય એટલી તીવ્રતાથી કે તીક્ષ્ણતાથી જીવને કર્મ ઉદયમાં આવે ત્યારે ભોગવવું પડે છે. કર્મ જીવની સાથે કેટલી મુદત-સમય સુધી રહેશે તેને સ્થિતિબંધ કહે છે અને જીવ કેટલી તીવ્રતાથી કર્મ ભોગવશે તે બંધને રસબંધ કહે છે. આમ, કર્મના પ્રકૃતિબંધ, પ્રદેશબંધ, સ્થિતિબંધ અને રસબંધ એમ ચાર પ્રકારે બંધ છે અને આ સમગ્ર વ્યવસ્થા બંધ પડતાંની સાથે કર્મ-કમ્પ્યુટરમાં આપોઆપ થઈ જાય છે અને તે કાર્યરત બની જાય છે.
0 like
Share
0
0
0
0
hosandesh
Website: https://hariomsandesh.com
Leave a Reply Cancel
You must be logged in to post a comment.
About Us
Hariomsandesh is for the services like seva, raktdan and other things
Hirabag
Surat,Gujarat,India
satyavandana@gmail.com
+9199797 31345
Twitter
https://t.co/FE3Zo9H8FW @PMOIndia @dgpgujarat @CMOGuj
Police Maharnirdeshak Gujarat state Respected sir, I have received this WhatsApp message, please investigate this… https://t.co/Q054Lwl9wn |
જામનગર તાલુકાના ધ્રોલ ખાતે આવેલી ઐતિહાસિ શહીદભૂમિ ભૂચરમોરીના મેદાનમાં આજે 5000 રાજપૂતભાઈઓ એક સાથે તલવાર રાસ રમીને વર્લ્ડ રેકોર્ડ નોંધાવશે. રાજપૂત ભાઈઓ ઐતિહાસિક મેદાનમાં તલવાર રાસ રમી અહીં શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવશે. 429 વર્ષ પહેલા જામનગરના ધ્રોલ પાસે આવેલા ભૂચર મોરીના મેદાનમાં ખેલાયેલું યુદ્ધ ગુજરાતના પાણીપતના યુદ્ધ તરીકે ઓળખાય છે. આશરાધર્મને ખાતર અકબરની સેના સાથે જામનગરના જામ સાહેબની સેનાએ લડેલા આ યુદ્ધમાં લોહીની નદીઓ વહી હતી.
દિલ્હીના સુબા અકબરની સેનાથી બચીને ભાગેલા અમદાવાદના બાદશાહ મુઝફ્ફરશાહને જ્યારે કોઇ પણ રાજ્યએ આશરો ન આપ્યો ત્યારે તે જામનગરના શરણે આવ્યો હતો ત્યારે આશરાધર્મને ખાતર જામસાહેબે અકબરના કેદીને પોતાના રાજ્યમાં આશરો આપ્યો હતો. આ બાબતનો ખાર રાખીને અકબરે એ સમયે ગુજરાતના સૂબા મીર્ઝા અઝીઝ કોકાને જામનગર પર આક્રમણ કરવા આદેશ આપ્યો હતો અને મીર્ઝા અઝીઝ કોકા સામે ભૂચર મોરીના મેદાન ખાતે ધમાસણ યુદ્ધ લડાયું. જેમાં મિઢોળબંધા જામ અજાજી, હાલાજી, ભાણજી દલ સહિત હજારો રાજપૂતો શહીદ થયા હતા. જેમની યાદમાં શ્રાવણ મહિનાની સાતમના રોજ ઘોડા રેસ, તલવાર રાસ સહિત અનેક પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે.
આ પહેલા પણ 2,500 રાજપૂતાણીઓ દ્વારા તલવાર રાસ કરી વિશ્વ રેકોર્ડ બનાવ્યો હતો. અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના ડો. જયેન્દ્રસિંહ જાડેજાની આગેવાનીમાં આજે 5000 રાજપુત યુવાનો તલવાર રાસ રમીને યુદ્ધમાં શહીદ થયેલા શહીદોને શ્રદ્ધાંજલિ આપશે અને આ એક નવો કિર્તિમાન સ્થપાશે.
Please enable JavaScript to view the comments powered by Disqus.
આ સેક્શન ના વધુ સમાચાર
લખપતમાં 233 ટકા સાથે રાજ્યમાં સિઝનનો 93 ટકા વરસાદ : 226 તાલુકામાં મેઘ મહેર
કોંગ્રેસની બેઠક માટે આવનારા અશોક ગેહલોતના વિમાનને રાજકોટ એરપોર્ટ ઓથોરિટીએ મંજૂરી ન આપી
રાજકોટમાં યોજાનારા જન્માષ્ટમીના મેળાનું ‘આઝાદીનો અમૃત લોકમેળો’ નામકરણ કરાયું
મોરબીના ક્યુટોન સિરામિક ગ્રુપ પર ITના દરોડા
જામનગરમાં તાજિયાના જુલૂસમાં 12ને વીજ-કરંટ લાગ્યો : બેનાં મોત
રાજકોટમાં કોરોનાથી એકનું મોત, સ્વાઈનફ્લૂમાં પણ એક દર્દીએ દમ તોડ્યો, ત્રણ વેન્ટિલેટર પર
Connect with us
Download our app
©2022 Shayona Times Private Limited. All rights reserved. For reprint rights: Shayona Times Private Limited |
ઉઠો વાલમજી…. નવ ના ટકોરા પડી ચુક્યા હવે તો….. ક્યારના !! ( બોલો આવો સુરીલો ટહુકો પડે તો સવાર કેવી રસમધુર થઈ જાય નહિ.?! પણ હું કોણ….! મુસીબતો સિવાય તો જિંદગી કેવી રસહીન બની જાય નહિ ..! )
અરે ! પણ તને કીધું નહોતું વેહલાં ઉઠાડજે ?
રેકોર્ડીંગ ખાલી ફોનમાં જ કરતા ને ?! હવે થી લાઈવ પણ કરજો… કે’દિ કીધું તું બોલો તો ? (સીધું બોલવાની અમને કોઈને આદત નથી હોં ! તમારે ય વાંચવું હશે તો ટેવ પાડવી પડશે ! પછી ઉપ્પર થી જાય અને હથોડો લાગે તો સોરી )
શ્રીમતીજી નો કોન્ફીડન્સ જોઈ પાછી પાણી કરતા કીધું : તે ના કીધું હોય તોય શું ? ચાલુ દિવસે ઓફીસ જવાનું ન હોય ?
ત્રણ વાર ઉઠ્ડ્યા તા… મોન્ટુ બાય કરી સ્કુલે ગયો ત્યારે અને હમણાં આઠ વાગે ફરીથી…. ને ઊંઘ અને ઓફીસ ભેગા નાં કરવા હોય તો ગરબા ઓછા રમો ડીઅર !
વાત તો સાચી હતી.. રાત્રે ૪ વગ્યા સુધી જાગવામાં (હાસ્તો આ ગુજરાત છે ભાઈ, અહી જે વિસ્તારમાં વહેલા ગરબા બંધ થાય ત્યાં શાશક પક્ષે ચિંતામાં મુકાવવું પડે !! ) ગઈ રાત્રે વહેલા તૈયાર થવાનો બોસનો હુકમ આવી ભુલાઈ ચુક્યો હતો ! હવે ????
નોરતા માં ચૂંટણીની આચાર સંહિતા નડી ગઈ છે ભાઈ ! અગ્યાર લાખ જેટલી “નાની” રકમ ના પેમેન્ટ માટે (હાસ્તો ગુજરાત માં થતા વ્યહવારો સામે તો નાની જ ગણાય ! ) અમારે પાંચ લોકો ને જવાનું હતું. ૨.૫૦ લાખ થઈ વધુ નું કેશ ટ્રાન્જકશન ! (ચૂંટણી વાળા બિહાર, up અને ગુજરાત માં કોઈ ફર્ક સમજતા જ નથી તો શું થાય !? )
સારું સારું… જલ્દી ચ્હા મૂકી દે….. હું ન્હાઈ લઉં ત્યાં સુધી……
ઉઠ્યા પછી બીજી વીસેક મિનીટ સુઈ જવાની આદત છે ! સાયન્સ કહે છે કે એ વીસ મીનીટમાં આંખો અને દિમાગ બરોબર ચાર્જ થઈ જાય છે ! પણ અહી બીજી વીસ મિનીટ પાલવે એમ નહોતી… અને સાથે દિમાગ ચાર્જડ નહોતું એની સાબિતી મળવી શરુ ગઈ !
એ…. અહ્હ્મમ્મ્મ ! અલ્યા સીધો રહેને..!! (નારાજગીના ઉદગારો સારી પડ્યા બાથરૂમ માંથી……… ન્હાતા ન્હાતા ! )
કોને કહો છો ??!! ( પત્નીજી ચિંતાતુર નાદે ઉવાચ્યા….. બહારથી ! )
આ દહેજનો સાબુ… જો ને.. વારે વારે લસરી જાય છે ! (કીધુ ને ઊંધું અને માત્ર ઊંધું જ બોલવું..! )
દહેજના તો પતી ગયા… આ તો ગામડેથી નાતનું કવર હજી કાલે જ આવ્યું છે !! ( જોયું પત્નીજી પણ …!! )
જેમ તેમ કરી સાબુને કાબુ માં રાખી…. સ્નાનઆદિ નિત્યક્રમ પતાવી, ભગવાન ને પણ ફાસ્ટ ફાસ્ટ….. હાય હેલ્લો બાય ચલ્લો કહી નાસ્તા માટે ટેબલ પર આવ્યો… ત્યાં તો “બે માથોડા બોસ” નો કોલ આવી ગયો… કેટલી વાર નો !!
વગર નાસ્તે બહાર નીકળવું પડ્યું ! ( અહી મારી હિંમત ને દાદ દેવી પડે..! લગ્ન ને દિવસે પણ નાસ્તો કર્યા વિના નહોતો ગ્યો ! સાયન્સ યુ સી…!! )
અમે પાંચ બાઈકર્સ અને સામે પણ લગભગ એટલી જ સંખ્યામાં “માલ” દેવા આવેલા લોકો જોઈ… કોઈક નાઈન્ટીઝ ની ટીપીકલ વિલન હીરો વાળી ફિલ્મો યાદ આવી ગઈ..! એક એક થઈ ચડીયાતી “નોટો” (ગુજરાતમાં બધાને સામેની વ્યક્તિ “નોટ” જ લાગે ભાઈ….!!) એક મેકના હસ્ત ધૂનન….. પાંચ અલગ અલગ ખૂણે થતો વ્યહવાર …..
હીરોગીરી કરવામાં પાછીપાની કોણ કરે પાછુ !! (બંને પક્ષ સામે વાળાને વિલન ગણતા ) કોલર ઉછાળી, બાઈકની ફૂટરેસ પર પગ મૂકી, ઘૂંટણ પર હાથની કોણી ટેકવી…. એક હાથમાં ગોલ્ડ ફ્લેક ને બીજામાં સાદી RMD … (વીર માવાવાળો ગુટ્કેશ હવે અદ્રશ્ય થવા લાગ્યો છે ! પડીકી બંધ અને મસાલો મોંઘવારી ને લીધે સિગરેટ કરતા મોંઘો !) બે લાખ જેટલી “મામુલી” રકમ એ રીતે ચૂકવતો જાણે…. બે કરોડ દેતો હોય… ને એય પાછા ગાંઠના !
ને એક પછી એક SMS આવતા ગયા “ડન” ના ! પાંચેય વ્યહવાર પતાવી નીકળ્યા અને સૌથી વધુ ટેન્શન બોસ ને હતું !
બોસ ડોન્ટ વરી પતી જશે બધું…
તનીયા… ૨.૫૦ લાખ તો હવે ફોતરું ગણાય.. આ સાલાઓ બધાને એક જ લાકડીએ હાંકે છે ! હાળું હવારથી ટેન્શન માં છીએ બધા. એક તો ગામના રૂપિયા ને બેંકમાં જમા ન થાય તો ત્યાય લોચા..!
ડોન્ટ વરી બોસ ……પણ આમ તો સારું કે’વાય ને..! રીક્સ ડાઈવર્ટ થઇ ગ્યું ને !!
અલ્યા, વધી ગ્યું એમ બોલ… ૧૧ એક જ જગ્યાએ હોય તો ધ્યાન એક જ દિશામાં રાખવું પડે… આ તો સાલું પાંચેપાંચ હેમખેમ ના પહોંચે ત્યાં લગી જીવ અદ્ધર !
ઓહ્હ ! સાતમાં આઠમાં માં આવતી “સંભાવના” મને કેમ નહોતી સમજાતી એ હવે ખ્યાલ આવ્યો… રિસ્ક ઘટ્યું નહોતું ઉલ્ટાનું પાંચ ગણું વધી ગયું હતું…!
હે માં…. માતાજી…. અમારો સંઘ “કાશીએ” હેમ ખેમ પહોંચાડજો માડી…..!
કામ પત્યું એટલે બાકીની દુનિયા પર ધ્યાન ગયું…! નાસ્તો બાકી હતો…..૧૨ વાગી ચુક્યા હતા.. માથામાં દુખાવો (ભૂખને કારણે ) શરુ થઇ ચુક્યો હતો…… દિવસ આખો ખરાબ થવાના અણસાર આવી ચુક્યા હતા !
લોકલ નેતાને ઉઠાવી ફોન જ કરી દીધો… “બોસ, આ નાટક બંધ કરાવો નહિ તો મારા ૫૦ વોટની સામે ૧૦૦નો લાફો પડ્યો સમજજો..! ”
કાં ભાઈ, આટલો મોટો “પર્સનલ વ્યહવાર ?! બહુ તેજી લાગે છે ને કઈ !
અરે, નાં યાર કસ્ટમર નું પેમેન્ટ હતું બેન્કના સેટલમેન્ટનું..!
તે એમાં આટલા બધું ગભરાવા ની શું જરૂર?
કેમ, આ તમારી ૨.૫૦ વાળી આચાર સંહિતા નાં નડે?
અરે ભાઈ સમજો, એ લોન્ડરિંગ વિષયક છે ! તમે બકાયદા રીસીપ્ટ આપીને પેમેન્ટ લીધું ને ….. એટલે એ સંહિતા અહી લાગુ ન પડે !!!
બોલો ખોદ્યો ડુંગર ને નીકયો ઉંદર..!
Posted in અતીતના સંભારણા | 2 Replies
શ્રીજી અને માતા જી…..
Posted on ઓક્ટોબર 18, 2012 by અક્ષરયોગ
જવાબ આપો
જય અંબે મિત્રો…!
=======================================
આજે વાત કરું છું… શ્રીનાથ જી ભગવાન વિષે….. ચોંકી ગયા ને… હેડીંગ માં અંબે માં ને કથા શ્રીજી પ્રભુની..??!! હા મિત્રો આજે વાત કરું છું.. માં બહુચરના અનન્ય ભક્ત શ્રી વલ્લભ ભટ્ટ અને શ્રીજી પ્રભુ વિષે…!!
આજે તમે જે અંબે માં ની આરતી ગાઓ છો એની રચના કરી છે કવિ વલ્લભ ભટ્ટે (મેવાડા બ્રમ્હાણને પાક્કો અમદાવાદી હો…! (તમને ક્યાં થી ખબર હોય કડી સાચી આરતી ગાઈ, સાંભળી તો હશે જ નહિ ને….)
અમદાવાદના નવાપુરા પરામાં ૧૬૯૬ના આસો સુદ ૮ના દિને જન્મેલા કવિ એ પાંચ વર્ષ, પાંચ માસ અને પચ્ચીસ દિવસ પછી તેર વર્ષની ઉંમરે તેઓ મંત્ર-જાપમાં તિલ્લન હતા ત્યારે ઝળહળતા પ્રકાશની ઝાંખી થઇ. બંનેએ માતાજીના અલૌકિ અને દિવ્ય સ્વરૂપનું દર્શન કર્યું. ગદગદ્ કંઠે માની સ્તુતિ કરી. ભટ્ટજી ગુજરાતના માઇભક્તોમાં શ્રેષ્ઠ છે. બહુચરાજીમાં તેમનું સ્થાન આજે મોજૂદ છે.જ્યાં બેઠાં બેઠાં ભટ્ટજી બાળાયંત્રનાં દર્શન કરી શકતા હતા.
આજ માં ના પરમ ભક્તને પણ માં નો પરચો તો થયો જ છે…! બન્યું એવું કે માં ના શ્રુંગાર રચતા એ એવા તો તલ્લીન થઇ ગયા કે અનાયાસે માની નાભીની પ્રશંસા કરી બેઠા…!
માં એ કીધું કે ભટ્ટજી શબ્દો પાછા લઈલો.. પણ ભટજી ના માન્યા ને પછી થી માં એ એમનું શરીર રોગીષ્ઠ કરી દીધું…… કોઈ કામ કરવાને લાયક ના રહ્યા ને આખા શરીર માંથી દુર્ગંધ વ્યાપી ગાઈ…..!
એજ કવિ એવી રોગીષ્ઠ હાલતમાં……પિતા પાસે અરજી લઈને પુગ્યા……. શ્રીનાથજી……., ત્યારે ભૂલથી….. કે પછી રોગ ને કારણે……. મંદિરના પરિસરમાં થૂંકાઇ ગયું !
આથી લોકોએ ફિટકાર કર્યો. એ વખતે એ બોલ્યા કે, ‘ હું કાંઇ જાણીજોઇને થૂંક્યો નથી, ને તેમ હોય તો પણ માબાપના ખોળામાં છોકરા થૂંકે તેથી માતાપિતા ગુસ્સે ભરાતાં નથી.’
ત્યારે મંદિરવાળા બોલ્યાં કે, ‘મા સહન કરે, પણ બાપ સહન ન કરે; ને આ તો બાપનું ધામ છે.’
ત્યારે વલ્લભ ભટ્ટે માં બહુચર ને યાદ કરી કીધું “હે માં….. જો મેં તારી ભક્તિમાં કોઈ કચાશ ન રાખી હોય અને… મારી શૃંગાર સિવાય કોઈ જ ભૂલ ન હોય……. તો આ નથણી હું શ્રીજીને પહેરવા માંગું છું… ને ત્યારે એમને શ્રીજી પ્રભુ પર નથણીનો છૂટો ઘા કર્યો……….. અને શ્રીજી પ્રભુ ને નથણી પહેરાઈ ગાઈ…….પ્રભુજી નો એક હાથ પણ એને કારણે ગરબો લેતા થાય એવો ઉંચો થઇ ગયો……!
આજે તમે જે શ્રીજી પ્રભુ ના દર્શન કરો છો તે પ્રતિમા આજ વલ્લભ ભટ્ટ ની દેન છે…!
=======================================
શ્રી અંબાજી માતાની આરતી : વલ્લભ ભટ્ટ દ્વારા રચિત. શક્ય એટલી સાચી લખવાનો પ્રયત્ન કર્યો છે છતાય ક્યાય ભૂલ કે શબ્દદોષ હોય તો જણાવવા વિનંતી………..
=======================================
જય આધ્યા શક્તિ, મા જય આધ્યા શક્તિ, (૨)
અખંડ બ્રહ્નાંડ નીપજાવ્યાં (૨) પડવે પ્રગટ્યાં મા, જયો…
દ્વિતીયા બેઉ સ્વરૂપ, શિવશક્તિ જાણું, મા શિવ.. (૨)
બ્રહ્ના ગણપતિ ગાયે (૨) હર ગાયે હર મા. જયો…
તૃતીયા ત્રણ સ્વરૂપ, ત્રિભુવનમાં બેઠાં, ત્રિભુવન… (૨)
ત્રયા થકી તરવેણી (૨) તું તરવેણી મા. જયો…
ચોથે ચતુરા મહાલક્ષ્મી, મા સચરાચર વ્યાપ્યાં, મા… (૨)
ચાર ભુજા ચૌ-દિશા (૨) પ્રગટયાં દક્ષિણમાં. જયો…
પંચમી પંચ ઋષિ, પંચમી ગુણ પદ્મા, મા પંચમી… (૨)
પંચ સહસ્ત્રા ત્યાં સોહિએ (૨) પંચે તત્વો મા. જયો…
ષષ્ઠી તું નારાયણી, મહિષાસુર માર્યો, મા મહિષાસુર… (૨)
નર નારીના રૂપે (૨) વ્યાપ્યાં સઘળે મા. જયો…
સપ્તમી સપ્ત પાતાળ, સંધ્યા, સાવિત્રી મા, મા સંધ્યા… (૨)
ગૌ, ગંગા, ગાયત્રી (૨) ગૌરી ગીતા મા. જયો…
અષ્ટમી અષ્ટભુજા, આઇ આનંદા, મા આઇ… (૨)
સુરનર મુનિવર જન્મ્યાં (૨) દેવો દૈત્યો મા. જયો…
નવમી નવકુળ નાગ, સેવે નવદુગૉ, મા સેવે… (૨)
નવરાત્રિના પૂજન, શિવરાત્રિના અર્ચન, કીધાં હર બ્રહ્ના, જયો…
દશમી દશ અવતાર, જય વિજયા દશમી, મા જય… (૨)
રામે રામ રમાડ્યા (૨) રાવણ રોળ્યો મા. જયો…
એકાદશી અગિયારસ, કાત્યાયની કામા, મા કાત્યાયની… (૨)
કામદુગૉ કાલિકા (૨) શ્યામા ને રામા. જયો…
બારસે બાળા રૂપ, બહુચરી અંબા મા, મા બહુચરી… (૨)
બટુક ભૈરવ સોહીએ, કાળ ભૈરવ સોહીએ, તારા છે તુજ
મા,જયો…
તેરસે તુળજા રૂપ, તું તારુણી માતા, મા તું… (૨)
બ્રહ્ના વિષ્ણુ સદાશિવ (૨) ગુણ તારા ગાતા જયો…
ચૌદશે ચૌદા રૂપ, ચંડી ચામુંડા, મા ચંડી… (૨)
ભાવિભક્ત કાંઇ આપો, ચતુરાઇ કાંઇ આપો, સિંહવાહની માતા. જયો…
પૂનમે કુંભ ભર્યો, સાંભળજો કરુણા, મા સાંભળજો… (૨)
વિશષ્ઠદેવે વખાણ્યાં, માક•ડદેવે વખાણ્યાં, ગાઇ શુભ કવિતા…જયો…
સંવત સોળ સત્તાવન, સોળસે બાવીસમાં, મા સોળસે… (૨)
સંવત સોળે પ્રગટયાં (૨) રેવાને તીરે મા ગંગાને તીરે જયો…
ત્રંબાવટી નગરી, આઇ રૂપાવટી નગરી, મા મંછાવટી નગરી (૨) મા…
સોળ સહસ્ત્ર ત્યાં સોહિયે (૨) ક્ષમા કરો ગૌરી, મા દયા કરો ગૌરી.જયો…
શિવશક્તિની આરતી ભાવે જે કોઇ ગાશે, મા જે કોઇ ગાશે (૨)
ભણે શિવાનંદ સ્વામી (૨) સુખ સંપત્તિ થાશે, હર કૈલાશે જાશે,
મા અંબા દુ:ખ હરશે. જયો જયો મા જગદંબે.
ભાવ ન જાણું, ભક્તિ ન જાણું, નવ જાણું સેવા, મા નવ જાણું સેવા… (૨)
વલ્લભ ભટ્ટને રાખ્યાં (૨) ચરણે સેવા લેવા.. જયો જયો મા…
માની ચૂંદડી લાલ ગુલાલ શોભા અતિ ભારી, મા શોભા… (૨)
આંગણ કૂકકડ નાચે (૨) જય બહુચર બાળી… જયો જયો મા…
~વલ્લભ ભટ્ટ
=======================================
માં બહુચરનો આનંદનો ગરબો :
=======================================
આજ મને આનંદ, વાધ્યો અતિ ઘણો મા,
ગાવા ગરબા છંદ, બહુચર માત તણો મા. ૧
અળવે આળ પંપાળ, અપેક્ષા આણી મા,
છો ઇચ્છા પ્રતિપાળ, દ્યો અમૃતવાણી મા. ૨
સ્વર્ગ મૃત્યુ પાતાળ, વાસ સકળ તારો મા,
બાળ કરી સંભાળ, કર ઝાલો મારો મા. ૩
તોતળા મુખ તન્ન, તો તો તોય કહે મા,
અર્ભક માગે અન્ન, નિજ માતા મન લહે મા ૪
નહીં સવ્ય અપસવ્ય, કંઇ કોઇ જાણું મા,
કવિ કહાવ્યા કાવ્ય, મન મિથ્યા આણું મા ૫
કુલજ કુપાત્ર કુશીલ, કર્મ અકર્મ ભર્યો મા,
મૂરખમાં અણમોલ, રસ રટવા વિચર્યો મા ૬
મૂઢ પ્રમાણે મતિ, મન મિથ્યા માપી મા,
કોણ લહે ઉત્પત્તિ, વિશ્વ રહ્યા વ્યાપી મા ૭
પ્રાક્રમ પૌઢ પ્રચંડ, પ્રબળ ન પળ પ્રીછું મા,
પૂર્ણ પ્રગટ અખંડ, અજ્ઞા થકો ઇચ્છું મા ૮
અર્ણવ ઓછે પાત્ર, અકળ કરી આણું મા,
પામું નહીં પળમાત્ર, મન જાણું નાણું મા ૯
રસના યુગ્મ હજાર, તે રટતાં હાર્યો મા,
ઇશે અંશ લગાર લઇ મન્મથ માર્યો મા ૧૦……….
~વલ્લભ ભટ્ટ
=======================================
રચના અને વિચાર સ્ત્રોત : દિવ્ય ભાસ્કર
Posted in અવનવી વાતો | Leave a reply
ઉત્પાદક….
Posted on ઓક્ટોબર 17, 2012 by અક્ષરયોગ
જવાબ આપો
ગઈ કાલનો આ શબ્દ મનમાં ઘર કરી ને બેઠો છે..”ઉત્પાદક” એકાદ બે લીટી લખી ય ખરી. પણ શું થાય.. ખુદ ને જ ના ગમી.. હાઈકુ જેવા ૧૭ અક્ષરોના બંધન… અહી પણ..?! નો વે.. આપણે તો સાધુ.. અને સાધુ તો ચલતા ભલા..! એક તો માંડ માંડ ગેડ બેસે.. ને એમાય પાછો પ્રાસાનુપ્રાસ, મત્લા, રદીફ, કાફિયા, છંદ,… ઓફ્ફ્ફફ્ફ કેટ કેટલા પરિમાણો યાદ રાખવા..! એટલે જ આજે “સમય” કાઢીને લખવા બેઠો..
ઉત્પાદક….એટલે શું..? સૌથી પહેલા સાહિત્યિક શબ્દ આંખ સામે તરવરી ઉઠ્યો… ઉત્પાદક એટલે કદાચ… સર્જક..! પછી થઇ શરુ.. ગડમથલ દિલોદિમાગ વચ્ચે..
દિલ કહે તારણ સાચું છે..! દિમાગ કહે શું ધૂળ સાચું.. સર્જક એટલે જે સર્જન કરે એ.. અને ઉત્પાદક એટલે જે ઉત્પાદન કરે એ.. ફરી પાછુ દિલ બોલ્યું.. ફર્ક શું.. & ગેસ વ્હોટ..! દિમાગ તો ઊછળ્યું.. જાણે કે ગમતીલો પ્રશ્ન આવી ગયો.. 12th કોમર્સ પાસ બાળકો (હા ને.. બાળકો જ કહેવાય હવે.. કોલેજ નાં જાય ત્યાં લગી..!) જાણે CPT (CA ની એન્ટ્રન્સ ટેસ્ટ) આપવા તૈયાર થઇ જાય એમ રેડી થઇ બોલ્યું..
“સર્જક એટલે ઇનોવેશન કરે એ.. જેમ કે સ્ટીવ જોબ્સ! અને બીલ ગેટ્સ! (સર્જન અને મોનોપોલી માં આ બંને ભાઈયો નો જોટો ક્યાંથી લાવવાનો..! બીલજી એ તો ઓફીશાય્લી US માં થયેલ મોનોપોલી વિષયક કાનૂની કેસ માં આઉટ ઓફ કોર્ટ સેટલમેન્ટ પણ કર્યું છે..!અને જોબ્સ સાહેબની એપલ સેમસંગ સામે મોનોપોલી વિષયક કેસ જીતી ગઈ છે ( !! ) us માં સેમસંગ પર ઘણી મોટી રકમ નો ચાર્જ લાગ્યો છે ! ) જાતે બનાવે…! અને ઉત્પાદક એટલે સર્જકના સર્જનનું પોતાને ગમે એ રીતે…. માર્કેટેબલ બનાવી ઉત્પાદન કરે એ..! (અહી તમે ઉદાહરણ તરીકે સમસ્ત ભારત દેશ.. ને ગણી શકો…:પી.)
હાશ..! થોડી ઘણી ટપ્પી પડી ખરી..! એમ તો મારું દિલ પાછુ ટ્યુબ લાઈટ .!! શરુ થવા માટે જ સ્ટાટર્ર જોઈએ.. પછી એની મેળે હાલી નીકળે..! દિમાગના ઘોડા તબેલે પુગ્યાને…. દિલની F1 કાર્સ નીકળી અનુભવના રેસિંગ ટ્રેક પર.. એને ય પોતાની રીતે ક્યાસ કાઢ્યો…
એક સારી પ્રોડક્ટ નામે ICL (ઇન્ડિયન ક્રિકેટ લીગ..!) વિચાર સારો..! સર્જક હતી કપિલદેવ & કું. અને ઉદેશ્ય હતો… રીટાયર થતા કે પછી ઓછા ટેલેન્ટેડ ક્રિકેટરો ને આર્થીક રીતે પગભર કરવા..! જેના માથે BCCI એ ખપ્પરનો ઘા કરી બાળમરણ કરાવી દીધું..! અને ઉપસી આવી ઉત્પાદકની પ્રોડક્ટ IPL (જેના વિષે ચર્ચા કરું એટલો ય મુર્ખ નથી..! જે કઈ થાય છે એ બધુ જ છપાય છે… પાર્થિવ પટેલને મળેલ ૩ કરોડ ના કોન્ટ્રક હોય કે પછી શાહરૂખ – MCA કોનટ્રોવર્સી.) એટલે સુધી સૌને છેલ્લી પાટલીએ ધકેલી દીધા ICL વાળાઓને કે.. IPL થકી થયેલી કમાણી માં ભૂતપૂર્વ ક્રિકેટર્સ ને મળનારા “દાન” માંથી પણ બાકાત કરી નાખ્યા..!!
દિલ તો બિચારું સમજી ગયું…… સર્જક “સ્ટીવ” નહિ બને તો ઉત્પાદકો એને “સ્ટોન” બનાવી દેશે…!
ખબર નહિ ક્યાંથી લખાઈ ગયું..! આડું અવળું…. દિમાગ વગરની વાતો… ફાલતું વિચારો.. છતાંય લખાઈ ગયું.. એટલે હથોડો સર્જાઈ ગયો છે તો હવે ઉત્પાદક બની જીંકવો જ પડે ને….
બાકી ગમે તે કહો… સર્જક (ભગવાન) સામે ઉત્પાદક (માણસ) વામણો જ રહેવાનો…!!!
~એજ ને…!
Posted in અવનવી વાતો | Leave a reply
એક પ્રશ્ન :
Posted on ઓક્ટોબર 11, 2012 by અક્ષરયોગ
2
તું અને હું હવે બાકીની સફરમાં
હમસફર બની જઈએ…તો કેવું ?
કાંટાળા રસ્તે ચાલતા
તું…… મ્હારા છાલાં ને
તારી પાંપણ થી પખાળે
અને હું….. તારા કાંટા
મારા “સ્વ” હસ્તે નીકળું !
તો કેવું ?
સાગરે કરેલી ભીની…. એવી રેત પર
બંને નામ લખીએ અને સાગર ખુદ
આવી “સ્વ” હસ્તે એ નામો ને એકાકાર કરી દે
તો કેવું ?
અંધારી રાત્રે એક મેક ના સહારે થાકેલા આપણે
નિરાશ બેસીએ ને પવન પીઠડી પર સવાર..
રાતરાણીની ખુશ્બુ લઇ અજાણ્યો આગીઓ
“સ્વ” હસ્તે રોશની બિછાવે તો કેવું ?
આમ તો “સખી” તારા હોવાને…
હરેક ક્ષણે મહેસુસ કરું…
મનમાં, અંતરમાં, દિલમાં, હદયમાં,
ઘરમાં, અંગનમાં, ગુલમાં, ગુલશનમાં,
પંખીના કલરવમાં, ઉંચે રહેલા નીલા ગગનમાં,
ખુશીમાં, દુઃખમાં, હાસ્યમાં, રુદનમાં,
ઊંઘમાં, સભાનતામાં, શ્વાસમાં, ઉચ્છવાસમાં,
એવી કોઈ ક્ષણ, કોઈ ઘડી,
કોઈ પળ, કોઈ જગ્યા, કોઈ વસ્તુ, કોઈ વાસ્તુ,
તારા વિના મ્હે આજ સુધી અનુભવી હો
એવું યાદ નથી ! છતાય કહું છું…
હવે બાકીની સફરમાં તું તારા “સ્વ” હસ્તે
મ્હારી હમસફર બની જાય…
તો કેવું ?
~એજ તન્મય..!
Posted in કાવ્ય | 2 Replies
ગીતા…. કૃષ્ણની કે વેદ વ્યાસની ?
Posted on ઓક્ટોબર 9, 2012 by અક્ષરયોગ
4
ઉગતા સુરજની પૂજા અહી, “સામાન્ય” વાત ગણાય છે ;
લખનાર જો કૃષ્ણ ન હો, “ગીતા” પણ પુસ્તક ગણાય છે !
થોડા સમય પહેલા આ પોસ્ટ મૂકી હતી.. અને પછી એક ભાઈ વડે કોમેન્ટ આવી. ‘ગીતા કૃષ્ણ વડે નહિ મહર્ષિ વ્યાસ વડે લખાઈ છે !’ એ ભાઈ ને કૈંક કહેવું તો હતું પણ વ્યસ્તતા કે આળસ ગણો… આજે બ્લોગ ફફોસતા એ ઉક્તિ વાંચી અને યાદ આવ્યું !
ટેકનીકલી જોઈએ તો હા, વાત સાચી છે (કે હશે) મને એ સંદર્ભે વધુ જ્ઞાન ન હોય નેચરલી (જૈન છું એટલે !) પણ જવાબ કેટલો સાચો ? KBC માં ૩૦૦૦ (સીઝન ૩ માં પૂછાયો હતો !!! ) કે પછી પાંચવી પાસ સે તેઝ માં થોડી ઘણી રકમ જીતવી શકે એવો… “સાચો” જવાબ !
ફરીથી આવીએ મુદ્દા પર. પહેલા તો “ગીતા” શું છે ? એ ભાઈએ મને જણાવ્યું હતું કે :
“”””ભાઈ “એ જ તન્મય” ગીતા કૃષ્ણ એ નથી લખી.. ગીતા નો ઉપદેશ શ્રી કૃષ્ણ એ કુરુક્ષેત્ર ના યુદ્ધ દરમ્યાન અર્જુન ને આપેલો હતો.. જેને શ્રી વેદ વ્યાસ એ મહાભારત માં ગીતોપદેશ તરીકે આવરેલો છે.. અને ફક્ત એ જ ભાગ ને અલગ થી “શ્રીમદ ભગવદ ગીતા” કહેવા માં આવે છે..
ગીતોપદેશ શ્રી કૃષ્ણ એ મહાભારત ના ઘણા સમય પહેલા પણ કહેલો હતો.. પરંતુ તેનું પુનરાવર્તન કુરુક્ષેત્ર દરમ્યાન ફરીથી અર્જુન ને તેની જવાબદારી અને કર્મ થી વાકેફ કરાવવા માટે કરવા માં આવ્યું.. આ આખી ઘટના ને દસ્તાવેજી સ્વરૂપ શ્રી વેદ વ્યાસ એ મહાભારત ની રચના દરમ્યાન આપ્યું … ફ્યી”””
અહી એક વાત ઉડીને આખે વળગે છે ? વ્યાસે જ જો “ગીતા” લખેલી હોય તો પછી કૃષ્ણ કરતા એમની પૂજા વધુ થવી જોઈએ ને ?! પણ નથી થતી…!
સિમ્પલ રીતે કહું તો …. “રિશ્તે મેં તો હમ તુમ્હારે બાપ લગતે હૈ… નામ હૈ ….” કે પછી “મેરે પાસ માં હૈ” “બડે બડે મુલ્કો મેં એસી છોટી છોટી બાતે………” જેવા સુપર હિટ ડાયલોગ્સ કંઠસ્થ હશે જ ને ! અને કોણે બોલ્યા છે, કોણે જીવ્યા છે (ભલે ને પરદા પર જ ) એ તો કેમ કરી ભૂલાય !
પણ કોણે લખ્યા છે એ કેટલાને યાદ હશે.? ડીટ્ટો ફિલ્મી જ્ઞાન ધરાવતી વ્યક્તિઓ કે પછી પ્રોફેશનલ એક્ટિંગ શીખવતી સંસ્થાઓ વડે કહેવાય તો ખબર પડે ! (આજ કાલ ફિલ્મોના ટાઇટલ્સ કયો ભોજિયો ભા જોવે છે !! ) એટલેજ કહું છું “ગીતા” કૃષ્ણની જ ગણાય !!!! વેદ વ્યાસની નહિ…..
વધુ એક સંદર્ભ…… ઓકે ચાલો માની લઈએ “ગીતા” માત્ર એક ઉપદેશ છે ! તો એનો આટલો સ્વીકાર કેમ ? એના વિષે આટલો અહોભાવ કેમ ? દેશનું આખું ન્યાય તંત્ર માને છે ‘ગીતા પર હાથ રાખી માણસ ખોટું નહિ બોલે’ (અહી વાસ્તવિકતાને નજર અંદાજ કરવાની છે હોં….! :પી ) માત્ર ઉપદેશ ગાથા જ હોય તો અત્યારે કે ભૂતકાળ માં ચોરે ને ચૌટે ઉપદેશ આપનારા સાચા ખોટા સંતો મહંતો થયા જ છે !! તો પછી ..??
યેસ, કારણ કે “ગીતા” માત્ર ઉપદેશ નથી….. વાસ્તવિકતા માં જીવાઈ ચુકેલી જિંદગીનો સાર છે ! જે જીવી ગયો છે.. અફકોર્સ આપણાં સૌનો વાહલો કૃષ્ણ !
સગા મામા કંસ ને મારનાર જ કહી શકે : જા, સામે જે છે એ સગા નહિ શત્રુ છે ! ગોપીઓના ચીર હરનાર જ દ્રોપદીના ચીર પૂરી શકે ! જરાસંઘ ને હરનાર જ જાંઘ પર વાર કરાવી શકે ! સુદર્શન ચલાવનાર જ રથનું પૈડું ઊંચકી શકે.!
ઇન શોર્ટ… “ગીતા” વાસ્તવિકતા થી વધુ નજીક છે એટલે એ સહજ રીતે સ્વીકારાઈ છે ! એટલે જ કહું છું…. “ગીતા” કૃષ્ણ ની જ ગણાય !!!
સોરી વધુ લખાઈ ગયું હોય તો !
એક વાત રહી ગઈ…..
“યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત ।
અભ્યુત્થાનમધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહમ્ ।।
પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતામ્ ।
ધર્મસંસ્થાપનાર્થાય સમ્ભવામિ યુગે યુગે ।। ”
લખાયું તો ગીતા માં છે ને ?!!! અને જો એ વેદ વ્યાસે જ્જ્જ લખ્યું હોય તો….. કૃષ્ણે અવતરણ ના અનીયારા સવાલો કેમ પુછાય છે ????!!!!! જવાબ હોય તો આપજો… બાકી……………
~એજ ને…!!!
Posted in અવનવી વાતો | 4 Replies
“””””””તું”””””””
Posted on ઓક્ટોબર 8, 2012 by અક્ષરયોગ
8
“ખોવાયું” છે !
એક “હું” નામે પાત્ર !
હતું…. સાથે જે
હાથ માં હાથ પરોવી !
જન્મ જન્માન્તર
થી……. સાથે ને સાથે…..
પાસે ને પાસે…. જોડે ને જોડે…..
શોધી દઈશ ? શું ?
હા, કહુંને ખોવાયું તો
છે જ ને, વળી ! ક્યાંથી ?
હા યાદ આવ્યું ! એક સ્થળ હતું
નામે…….. “””””””તું”””””””
~એજ તન્મય !
Posted in કાવ્ય | 8 Replies
પોસ્ટ સંશોધક
← Older posts
સંગ્રહ
જૂન 2015
એપ્રિલ 2015
ઓક્ટોબર 2014
સપ્ટેમ્બર 2014
ઓગસ્ટ 2014
જૂન 2014
મે 2014
એપ્રિલ 2014
માર્ચ 2014
ફેબ્રુવારી 2014
ડિસેમ્બર 2013
જુલાઇ 2013
જૂન 2013
મે 2013
એપ્રિલ 2013
માર્ચ 2013
ફેબ્રુવારી 2013
જાન્યુઆરી 2013
ડિસેમ્બર 2012
નવેમ્બર 2012
ઓક્ટોબર 2012
સપ્ટેમ્બર 2012
ઓગસ્ટ 2012
જુલાઇ 2012
જૂન 2012
એપ્રિલ 2012
માર્ચ 2012
ફેબ્રુવારી 2012
મેટા
રજિસ્ટર
લોગ ઇન
Blog at WordPress.com.
Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use. |
CMA દ્વારા કોસ્ટ મેનેજમેન્ટને પ્રાધાન્ય આપવા નવા કોર્ષ શરૂ કરવામાં આવ્યા, રોજગારીની તકો વધશે, જાણો શું છે વિશેષતા
13/06/2022
કિરણ હોસ્પિટલમાં અભિનેતા સોનુ સુદની ભલામણ બાદ બિહારની 4 હાથ અને 4 પગ ધરાવતી ચહુમુખીનું ઓપરેશન સફળ રીતે થયું
13/06/2022
રામકૃષ્ણ એક્સપોર્ટ દ્વારા પર્યાવરણ દિવસની અનોખી ઉજવણી, 300 વીઘા જમીનમાં એક લાખ વૃક્ષો વાવ્યા
10/06/2022
ધો-10 બોર્ડ પરીક્ષામાં એલ.પી.સવાણી ગૃપ ઓફ સ્કૂલ્સની મોટી સફળતા, A1 ગ્રેડમાં 72 અને A2 ગ્રેડમાં 220 વિદ્યાર્થીઓ
10/06/2022
વિદ્યાકુલ એપ્લિકેશન બની સફળતાની ચાવી : એપ્લિકેશનના માધ્યમથી અભ્યાસ કરી 95+ ગુણ મેળવ્યા
10/06/2022
રોડ કન્સ્ટ્રક્શનના ક્ષેત્રે નવા યુગની શરૂઆત : AM/NS ઈન્ડિયા હજીરાથી સ્ટીલ સ્લેગ ભરેલી 18 ટ્રક રવાના કરાઈ
08/06/2022
મુંદ્રા APSEZની પ્લાસ્ટિક વેસ્ટ ક્લેક્શનની પહેલને રાજ્ય સરકારે વિશ્વ પર્યાવરણ દિવસે સન્માનીત કરી
07/06/2022
Load More
Monday, December 5, 2022
Aayog Round up
International
National
Budget 2021
Aayog Inlights
Gujarat
Surat
Aayog દ્રષ્ટિકોણ
Edu-Aayog
Khel Aayog
Big Deal
રસપ્રદ વાતો
Vomaniya
Entertainment
Hindi
e-Magazine
No Result
View All Result
Aayog Round up
International
National
Budget 2021
Aayog Inlights
Gujarat
Surat
Aayog દ્રષ્ટિકોણ
Edu-Aayog
Khel Aayog
Big Deal
રસપ્રદ વાતો
Vomaniya
Entertainment
Hindi
e-Magazine
No Result
View All Result
No Result
View All Result
કોરોના વાયરસના કારણે આ દેશમાં ઇન્ટરનેટ કંપની આપી રહી ફ્રી wifi hotspot
21/03/2020
in Corona Updates, Latest News, World
અમેરિકામાં કોરોના વાયરસના કારણે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બે દિવસ અગાઉ જ દેશમાં વાયરસના પગલે કટોકટી જાહેર કરી છે. ત્યારે હવે 60 દિવસ માટે લોકોને ફ્રી વાઇફાઈ આપવામાં આવશે. આ નિર્ણય ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર કંપની કૉમકાસ્ટે કર્યો છે. કંપની આખા દેશમાં wifi hotspot દ્વારા આ સુવિધા ઉપલબ્ધ કરાવશે. આ ખતરનાક વાયરસના કારણે ઘરમાં પુરાયેલા લોકો સગા સંબંધીઓ સાથે સારી રીતે કનેક્ટ રહી શકે તેમજ મદદ મળી શકે માટે નિર્ણય કરાયો છે.
હાલના સમયમાં ડેટા પ્લાનની કોઈ મર્યાદા નથી. કોમકાસ્ટે કહ્યું છે કે કોરોના વાયરસને કારણે, અમે ઘરેથી કામ કરતા અને અભ્યાસ કરતા અમારા ગ્રાહકોને મફત તારીખ આપવા માંગીએ છીએ, જેથી તેઓ કોઈ પણ મુશ્કેલી વિના ડેટા પ્લાનનો ઉપયોગ કરી શકે.
YOU MAY ALSO LIKE
ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ
અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી
ઇન્ટરનેટ વપરાશમાં, અમારા મોટાભાગના ગ્રાહકો એક મહિનામાં 1TB ડેટા નથી વાપરી સકતા માટે અમે 60 દિવસ સુધી ચાર્જ વિના અમર્યાદિત ડેટા પ્રદાન કરી રહ્યાં છીએ. કૉમકોસ્ટ કંપની દ્વારા વૉશિંગ્ટનમાં જ કંપનીના ગ્રાહકો નથી તેવા લોકો માટે 65,000 પબ્લિક હૉટસ્પોટ મૂકાવ્યા છે.
આ પણ વાંચો : કોરોનાથી નવા શૈક્ષણિક સત્ર પર થશે સૌથી મોટી અસર, શું પડશે મુશ્કેલીઓ?
NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.
Tags: corona viruscorona virus out breakCovid 19 USeffect of corona virusFree wifi in USANews aayognews gujaratinews in gujaratiNews online in GujaratiUSA Internet provider
ShareTweetSend
“સત્ય, તટસ્થ અને દ્રઢતા”ના સંકલ્પ સાથે હવે પંચ બેઠું છે પ્રજા સાથે.
“News Aayog” ખોટાને અરીસો બતાવશે કેમકે નિયમોના મનઘડત અર્થઘટનો નથી મંજૂર. શિક્ષણ, ટેકનોલોજી, વેપાર ઉદ્યોગને પ્રોત્સાહન મળે એ દિશામાં આગળ વધશે કેમકે પ્રગતિ અને સુખાકારી એ અંતિમ સત્ય છે. |
ડેલવેર આધારિત એર્ગો બાયોસાયન્સ ઇટાલી સાથે સહયોગની જાહેરાત કરી છે એથર બાયોટેક તેની ચોકસાઇ આથો બાયોપ્રોસેસિસને વધારવા માટે.
એર્ગો જટિલ પ્રાણી પ્રોટીનને અસરકારક રીતે વ્યક્ત કરવા માટે ચોકસાઇ આથોનો ઉપયોગ કરે છે, જ્યારે એથેરા ઔદ્યોગિક પ્લાન્ટ સેલ કલ્ચરિંગમાં નિષ્ણાત છે. બાદમાં CROP નામનું બાયોટેક ફર્મેન્ટેશન પ્લેટફોર્મ છે, જેની ક્ષમતા દર વર્ષે 120 ટનથી વધુ છે.
સાથે મળીને, એર્ગો અને એથેરા ઔદ્યોગિક ધોરણે પ્રોટીન બનાવવા માટે પ્લાન્ટ સસ્પેન્શનનો ઉપયોગ કરશે. કંપનીઓ દાવો કરે છે કે આ હેતુ માટે ટેકનોલોજીનો આટલો બહોળો ઉપયોગ પ્રથમ વખત થશે.
© JPC-PROD – stock.adobe.com
મર્યાદાઓ દૂર કરવી
પ્રારંભિક ધ્યાન પ્રાણી-મુક્ત મ્યોગ્લોબિન અને કેસીન ઉત્પન્ન કરવા માટે બાયોટેક પ્રક્રિયાઓને સુધારવા પર રહેશે. આ પ્રોટીનમાં વનસ્પતિ આધારિત ખોરાકના સ્વાદ, રચના, સુગંધ અને રંગને મોટા પ્રમાણમાં સુધારવાની ક્ષમતા હોય છે.
“જ્યારે અમે અમારી ટેક્નોલોજી અને કુશળતાને અન્ય નવીન કંપનીઓની સેવામાં મૂકી શકીએ છીએ, ત્યારે પરિણામ તમામ પક્ષો માટે સમૃદ્ધ બને છે. તેથી અમને આ સહયોગની જાહેરાત કરતાં આનંદ થાય છે,” એથેરા બાયોટેકના સીઈઓ ડેનિયલ બાગીએ જણાવ્યું હતું.
પ્રિસિઝન ફર્મેન્ટેશન ટેક્નોલૉજીનો હવે વ્યાપકપણે ઉપયોગ થાય છે કે જે પરંપરાગત રીતે પ્રાણીઓમાંથી મેળવેલા ઘટકોના ઉત્પાદન માટે કેસિન અને કોલેજનથી લઈને ઇંડા પ્રોટીન અને ચરબી સુધીના છે. અભ્યાસો સૂચવે છે કે ઉપભોક્તાઓ સામાન્ય રીતે ટેક્નોલોજી અંગે ખુલ્લા મનના હોય છે અને સરળતાથી ફાયદાઓ જુએ છે.
“અમે એથેરા બાયોટેક સાથે આ મહત્વપૂર્ણ સીમાચિહ્ન સુધી પહોંચવા માટે ખૂબ જ ઉત્સાહિત છીએ. અમારી ટેક્નોલોજી પરંપરાગત ચોકસાઇ આથો પ્રક્રિયાઓની ઘણી મર્યાદાઓને દૂર કરે છે, ખાસ કરીને જટિલ પ્રોટીનનું ઉત્પાદન કરતી વખતે,” એર્ગોના સીઇઓ એલેજાન્ડ્રો બાર્બેરિનીએ જણાવ્યું હતું.
Post navigation
← Previous Post
Next Post →
Leave a Comment Cancel Reply
Your email address will not be published. Required fields are marked *
Type here..
Name*
Email*
Website
Save my name, email, and website in this browser for the next time I comment.
તાજેતરના લેખ
વેગન સોપ્સ ગ્લોબલ માર્કેટ રિપોર્ટ 2022: વેગન સોપ્સના ઉપયોગના ફાયદાઓ વૃદ્ધિ તરફ દોરી જાય છે – ResearchAndMarkets.com – વેગકોનોમિસ્ટ |
આ વિભાગમાં સ્વ.નગીનદાસ પારેખ અને ફાધર ઈસુદાસ કવેલીએ ગુજરાતીમાં અનુવાદ કરેલા સંપૂર્ણ બાઈબલમાંથી લીધેલા છે.
ચતુર્વિધ શુભસંદેશ
અનુક્રમે માથ્થી, માર્ક લૂક અને યોહગાન રચિત શુભસંદેશ નામે ઓળખાતા પહેલા ચાર ગ્રંથોમાં ભગવાન ઈસુનાં જીવન, ઉપદેશ, બલિદાન અને પુનરુત્થાનની કથા છે. પહેલા ત્રણ શુભસંદેશ એકબીજાને મળતા આવે છે, એટલું જ નહિ, અમુક અંશે એકબીજાને આધારે પણ રચાયેલા છે. ચોથો, યોહાનનો શુભસંદેશ, જુદો તરી આવે છે. તે મનનપ્રધાન છે. આ શુભસંદેશ કવિ કાન્તને હાથે અનુવાદિત થયેલો હોવાથી ગુજરાતીમાં વિશેષ પ્રસિદ્ધિ પામ્યો છે.
પ્રેષિતોનાં ચરિતો
આ ગ્રંથમાં ઈસુના સ્વર્ગારોહણ પછીનાં તરતનાં વરસોમાં એમના શિષ્યોના જીવનકાર્યનું ચિત્ર તથા ઈસુના સંદેશના ફેલાવાનો આંશિક વૃત્તાંત છે.
પત્રાવલિ
આમાં પ્રેષિતોએ જુદાં જુદાં શિષ્યમંડળો પર લખેલા 21 પત્રો આવે છે. તેમાં ઈસુના સંદેશનાં કેટલાંક પાસાંનો ને જીવન સાથેના તેના સંબંધનો ખુલાસો છે. એ પત્રોમાં શુભસંદેશના પ્રચારમાં જેમનો સૌથી વધુ હિસ્સો હતો તે મહાન ઈસુભક્ત ને પ્રખર પંડિત પાઉલના પત્રો સૌથી નોંધપાત્ર છે.
દર્શન
બાઈબલનો આ છેલ્લો ગ્રંથ નવા કરરામાં અલગ તરી આવે છે. એમાં લેખકે પોતાનું વક્તવ્ય રહસ્યમય દર્શનો, પ્રતીક તથા સાંકિત્ક શબ્દો, આંકડાઓ અને રૂપકો દ્વારા રજૂ કર્યું છે, એ બધાનાં વિગતવાર અર્થ કરવો મુશ્કેલ છે. છતાં ગ્રંથનું સામાન્ય તાત્પર્ય સ્પષ્ટ છે. આમાં એર્કરૂપે ઈસાઈ ધર્મસંઘના ઈતિહાસનું દર્શન છે. સાથે સાથે પરમેશ્વર સર્વ યુગોનો અને પ્રજાઓનો રાજ્શ્વર છે. સમગ્ર ઈતિહાસનો સૂત્રધાર છે, અને આખરે એ પોતાનું રાજ્ય પૂર્ણ પણે સ્થાપનાર છે. એવી ભવિષ્યવાણી પણ છે.
શુભસંદેશ ગ્રંથોની રાજકીય, સામાજિત તથા ધાર્મિક ભૂમિકા
ઈસુનું જીવન, તેમનું કાર્ય ને તેમનાં અમૃતવચનો બરાબર સમજવા માટે યહૂદી પ્રજાનાં ઈતિહાસ, ધર્મ ને સંસ્કૃતિ વિશે થોડો પરિચય મેળવવો આવશ્યક છે.
ઈસુનો દેશઃ ઈસ્રાયલ (ઈઝરાયલ – પેલેસ્ટાઈન)
આજકાલ આ બન્ને નામો વારંવાર છાપાંઓમાં ચકમતાં હોય છે. આ બન્ને નામો ઈસુના મૂળ દેશનો નિર્દેશ કરે છે. આપણો સંબંધ ઈસુના જમાનાના ઈતિસાહસ સાથે છે, છતાં એ દેશનાં બે નામો કેમ પડયાં, અને આજકાલ એ દેશમાં યહૂદીઓ ને આરબ પેલેસ્ટાઈનવાસીઓ વચ્ચે કેમ સતત લડાઈ ચાલ્યા કરે છે. એનો અછડતો ઉલ્લેખ કરવો યોગ્ય લાગે છે.
ઈસુના જમાનામાં એમના દેશ પર રોમન સામ્રાજ્યની હકુમત ચાલતી હતી. આમ ઈસુનો દેશ એક પરતંત્ર દેશ હતો. ઈસુના મરણ પછૂ ચાળીસેક વર્ષ બાદ ઈ.સ. 70માં યહૂદીઓએ રોમનો સામે બળવો પોકાર્યો હતો. પરિણામે રોમન લશ્કરે યરુશાલેમને ખેદાન મેદાન કરી નાખ્યું ને મોટાભાગના યહૂદીઓને દેશવટો દીધો હતો. ત્યારથી ઈસ્રાયલ દેશ એક દેશ તરાકી મટી ગયો.
રોમનોએ એ પ્રાંતનું નામ ઈસ્રાયલની ભૂમધ્ય સાગરના કિનારાની બાજુએ વસેલી પલિસ્તી નામની એક પ્રજાના નામ ઉપરથી પલેસતીના આથવા પલિસ્તીયા પાડયું હતું. એ ઉપરથી અંગ્રેજી નામ પેલેસ્ટાઈન આવે છે. પલિસ્તી પ્રજાના જૂના કરારમાં ઘણા ઉલ્લેખ આવે છે. દા.ત. ગોલિયાથી એક પલિસ્તી હતો (1 શમુએલ 17).
કાળક્રમે અન્ય લોકો એ પ્રદેશમાં વસવા આવ્યા. એ લોકોમાં આરબો મુખ્ય હતા. સાતમી સદીથી માંડીને તે 1948 સુધી ત્યાં એમનું જ વર્ચસ્વ રહ્યું. ઓગણીસમી સદીના અંત ભાગમાં વિદેશોમાં વસતા ઘણા યહૂદીઓ પાછા પેલેસ્ટાઈન ફરી તેમાં વસવા લાગ્યા હતા, ને એમનું જોર એટલું બધું વધ્યું હતું કે 1948માં તેઓ પોતાનું અલગ, સ્વતંત્ર રાજ્ય સ્થાપી શક્યા. ત્યારથી આજ સુધી યહૂદીઓ અને પેલેસ્ટાઈનવાસી આરબો તેમ જ આજુબાજુના અન્ય આરબ દેશો સાથે સતત સંગ્રામ ચાલ્યા કરે છે.
આ થઈ આજની વાત, આપણે હવે ઈસુના જમાનામાં પાછા વળીએ.
રાજકીય પરિસ્થિત
ઉપર કહ્યું છે તમે ઈસુના જમાનામાં એમનો દેશ રોમન સામ્રાજ્યની હકૂમતમાં હતો. તે રોમના સામ્રાજ્યનો એક પ્રાંત હતો. ઈસુ એક પરાધીન દેશના નાગરિક હતા.
રોમનોએ દેશને ઈલાકામાં વહેંચી દીધોઃ ગાલી, શમરુન અને યહૂદિયા, ગાલીલ ઈલાકાને વહીવટ તેમણે હેરોદ નામના એક દેશી રાજાને સોંપ્યો હતો. બ્રિટીશ અમલ દરમ્યાન આપણા દેશી રાજાઓ પોતાના રજવાડાંમાં જેવી રીતે રાજ્ય ચલાવતા હતા તેવી રીતે હેરોદ અને પછીના તે જ નામના એના અન્ય વારસદારો પણ, રોમનોની સતત ચોકી હેઠળ, રાજ્ય ચલાવતા હતા. બાકીના બે ઈલાકા શમરુન અને યહૂદિયા પર એક રોમન સૂબો નીમવામાં આવતો. તેનું મુખ્ય મથક યરુશાલેમ હતું. અને તેનું રહેઠાણ મંદિરની અડોઅડ બાંધેલા એક કિલ્લેબંદ મહેલમાં હતું. આ હકીકત યહૂદીઓને સતત ખૂંચ્યા કરતી હતી. વિધર્મી આવાસના સ્પર્શથી જાણે કે પ્રભુનું મંદિર અભડાઈ જતું હોય એમ એમને લાગતું.
યહૂદી સમાજ
રોમનો પોતાને તાબે થયેલી પ્રજાઓ પાસેથી સખત કરવેરા ઉઘરાવતા હતા. હાકી તો તેઓ તે પ્રજાઓને પોતપોતાની પ્રણાલિકાઓ ને માન્યતાઓ પ્રમાણે પોતાનું સામાજિક જીવન ચલાવવા દેતા.
યહૂદીઓ પોતાને ઈશ્વરની વરેલી પ્રજા ગણાવતા હતા. સિનાઈ પર્વત આગળ તેઓ ઈશ્વરની સાથે એક વિશિષ્ટ કરારથી બંધાયા હતા. એ કરાર એમના ધાર્મિક ને સામાજિક જીવનનું કેન્દ્ર હતો. ઈશ્વર જ એમનો એકમાત્ર અધિપતી ને રાજા હતો. માનવી શાસકો ને રાજાઓ કેવળ ઈશ્વરના પ્રતિનિધિઓ ગણાતા હતા. ઈસુના જમાનામાં તો યહૂદી સમાજના ધાર્મિક આગેવાનો રાજકીય આગેવાનો પણ હતા. સમાજજીવનનું નિયમન કરનાર એમના બધા કાયદાઓ ધાર્મિક નિયમો ગણાતા હતા, કારણ, એ બધા કાયદાઓ મોશેની નિયમસંહિતા પર આધારિત હતા, જે જૂથના કરારમાં કહ્યા પ્રમાણે ઈશ્વર પ્રેરેલી હતી.
યહૂદી સજમાજીવનનું નિયંત્રણ એક પંચ હસ્તક હતું. આ પંચને આ અનુવાદમાં વરિષ્ઠસભા અથવા વડી સભા એમ કહ્યું છે. એ પંચના સભ્યો મુખ્યત્વે પુરોહિતવર્ગમાંથી ને સમાજના આગળપડતા ને ધનવાન કુટુંબોમાંથી આવતા હતા. આ પંચનો અધ્યક્ષ વડાપુરોહિત કહેવાતો હતો. તે ચાર મુખ્ય પુરોહિત કુટુંબોમાંથી નીમવામાં આવતો.
1
2
3
અમારા વિશે જાણો
ઈસુ ખ્રિસ્ત કોણ છે?
પત્રવ્યવહાર દ્વારા અભ્યાસક્રમો
પખવાડિયાનો બાઈબલ લેખ
દફતરી બાઈબલપાત્રો
બાઈબલ એટલે શું?
નવા કરારની સામાન્ય માહિતી
ખ્રિસ્તીધર્મ
સંત લૂકકૃત શુભસંદેશ
ગુજરાતમાં કેથલિક ધર્મસભા
અમારો સંપર્ક કરો
વિડીયો
અમારો સંપર્ક કરો
સિસ્ટર પુષ્પલતા, એલ.ડી.
(ડિરેક્ટર, સી.આઈ.એસ.એસ.)
અમિબેલા બીલ્ડીંગ, સન્માન રેસ્ટોરન્ટ
પાસે, ઈન્કમટેક્ષ અન્ડરબ્રિજ ઉપર,
નવજીવન, અમદાવાદ-380014.
ફોનઃ (079)27540063
મો.: +91 94295 16498
ઈ-મેલઃ यह ईमेल पता spambots से संरक्षित किया जा रहा है. आप जावास्क्रिप्ट यह देखने के सक्षम होना चाहिए. |
આજે વિશ્વકોમ્પ્યુટર દિવસ: અંતરિયાળ ગામના વિદ્યાર્થીઓને કોમ્પ્યુટરમાં સાક્ષર બનાવવા અદાણી ફાઉન્ડેશને બીડુ ઝડપ્યું
02/12/2022
Sports
AllAsian Games 2018CommonWealth Games 2018CricketFootballhockeyHockeyIPL 2018IPL 2019IPL-2021Olympic Games
Cricket
અંડર 25માં સૌરાષ્ટ્રએ પશ્ચિમ બંગાળને 4 વિકેટે માત આપી !!!
08/12/2022
Sports
ભારતના અખતરાએ બાંગ્લા સિરીઝ હરાવી
08/12/2022
Sports
રાજકોટમાં 7 જાન્યુઆરીએ ભારત અને શ્રીલંકા વચ્ચે T-20 જંગ
07/12/2022
Sports
પહેલા વન-ડેમાં મોંઘો પડેલો ‘ખતરો’ ભારત સુધારી લેશે !!!
07/12/2022
Search
Home Rangilu Rajkot 14 ઓકટોબરથી સિનેમા ઘરોમાં ધુમ મચાવશે ‘મોદીજી કી બેટી’
Gujarat News
Rajkot
14 ઓકટોબરથી સિનેમા ઘરોમાં ધુમ મચાવશે ‘મોદીજી કી બેટી’
28/09/2022
Facebook
Twitter
Pinterest
WhatsApp
‘મોદીજી કી બેટી’ ફિલ્મના ટ્રેલરને યુટયુબ પર 46 લાખથી વધુ વ્યુઝ મળી ચુકયા છે
આજકાલ એક નવી ફિલ્મની સૌશીયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ રહી છે . જેનું નામ મોદીજી કી બેટી છે . આ ફિલ્મ લાંબા સમય સુધી હેડલાઇન્સમાં રહી હતી . મંગળવારે ફિલ્મ મોદી જી કી બેટી’નું ટ્રેલર રિલીઝ થયું હતું . મોદી જી કી બેટી એક કોમેડી ડ્રામા ફિલ્મ છે , જેમાં વિક્રમ કોચર , તરુણ ખન્ના , પિતોબાશ ત્રિપાઠી અને અવની મોદી જેવા કલાકારો છે. આજે રાજકોટ ખાતે પત્રકાર પરિષદ યોજી તેઓએ ફિલ્મ વિશે વધુમાહિતી આપી હતી.
ફિલ્મ મોદી જી કી બેટી’નું ટ્રેલર જોઈને કહી શકાય કે આ ફિલ્મ દર્શકોને પેટ પકડીને હસાવશે . ફિલ્મની કહાની એક એવી છોકરીની છે જે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પુત્રી હોવાનો દાવો કરે છે . પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં ટ્રેનિંગ લઈ રહેલા બે આતંકીઓને આ વાતની જાણ થાય છે. બંને મૂર્ખ આતંકીઓ પીએમ મોદીની દીકરી સમજીને તે છોકરીનું અપહરણ કરીને પાકિસ્તાન લઈ આવે છે.
જે બાદ મોદીજીની પુત્રી તેની હાલત ખરાબ કરી દે છે. ટ્રેલર જોઈને કહી શકાય કે ફિલ્મના ડાયલોગ્સ પણ દર્શકોને ખૂબ હસાવવાના છે. તમને જણાવી દઈએ કે , અવનિ મોદી ફિલ્મ મોદી જી કી બેટીમાં પીએમ મોદીની દીકરીનો રોલ કરી રહી છે. આ ફિલ્મ આવતા મહિને એટલે કે 14 ઓક્ટોબરે થિયેટરોમાં આવશે .
સાથે જ ફિલ્મ મોદી જી કી બેટીનું ટ્રેલર રિલીઝ થતા જ સોશિયલ મીડિયા પર સતત વાયરલ થઇ રહ્યું છે. આ ફિલ્મની રાહ જોઈ રહેલા તમામ સોશિયલ મીડિયા યુઝર્સ અને ફેન્સ ટ્રેલરને ખૂબ જ પસંદ કરી રહ્યા છે . લોકો કોમેન્ટ કરીને ફિલ્મના વખાણ પણ કરી રહ્યા છે . ફિલ્મનું ટ્રેલર સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઇ રહ્યું છે . ફિલ્મના ટ્રેલરને યૂટ્યૂબ પર 46 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. |
હવે ઘેર બેઠા ડ્રાઈવિંગ લાયસન્સ બનાવો : ગુજરાત રાજ્યમાં કાયદેસર રીતે મોટર વાહન ચલાવવા માટે, વ્યક્તિ પાસે માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું આવશ્યક છે. લર્નિંગ લાયસન્સ ધરાવતી વ્યક્તિ દ્વારા ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવી શકાય છે. ગુજરાત આરટીઓ દ્વારા મોટર વાહન અધિનિયમ, 1988 ની જોગવાઈઓ અનુસાર ગુજરાતમાં લર્નિંગ લાઇસન્સ જારી કરવામાં આવે છે. હવે ઘેર બેઠા ડ્રાઈવિંગ લાયસન્સ …
હવે ઘેર બેઠા ડ્રાઈવિંગ લાયસન્સ બનાવો, જાણો સંપૂર્ણ માહિતી Read More »
General Knowledge mock Test 26/06/2022
Surat Municipal Corporation Job (SMC) Recruitment 2022 .
Surat Municipal Corporation Job | SMC Recruitment 2022 | Surat Municipal Corporation (SMC Bharti 2022) has published a notification for the recruitment of various post. Those candidates who are interested in the recruitment of various details. You can find other details like post name, age limit, educational qualification, experience, selection process, syllabus, application fee and …
Surat Municipal Corporation Job (SMC) Recruitment 2022 . Read More »
Beauty parlour kit sahay yojna | viralnewsduniya
બ્યુટી પાર્લર કીટ સહાય યોજના 2022 | beauty parlour kit sahay yojana gujarat 2022 | beauty parlour kit sahay yojana Gujarat Online Registration, Objectives, Eligibility & Benefits ,Application Form PDF 2022 | beauty parlour kit sahay yojana gujarat Application 2022 બ્યુટી પાર્લર કીટ સહાય યોજના માટેની મહત્વની લિંક્સ બ્યુટી પાર્લર કીટ સહાય યોજનાની જાહેરાત :- અહીં … |
‘સૌની આવી સૌરાષ્ટ્રને દ્વાર’, ‘હર ખેત કો પાની, હર હાથ કો કામ‘ના રૂપાળા સૂત્રો અને વચનોની લ્હાણી કરી ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ર૦૧ર માં રૂપિયા દસ હજાર કરોડની સૌની યોજનાની જાહેરાત કરી હતી. ર૦૧૯ સુધીમાં આ યોજના ક્યાં પહોંચી?, કેટલા ડેમ છલકાયા કે કેટલા ડેમમાં નર્મદાના પાણી સૌની યોજના હેઠળ આવ્યા ? તેવા વેધક સવાલો સાથે ગુજરાત કિસાન કોંગ્રેસના પ્રમુખ પાલભાઈ આંબલિયા તથા ધ્રોળ તાલુકાના ખેડૂતોએ ઉગ્ર આક્રોશ સાથે ઊઠાવ્યા છે.
રપ સપ્ટેમ્બર ર૦૧ર ના ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાને સૌરાષ્ટ્રના એક એક નાગરિકને ધોળા દિવસે સપનાઓ બતાવ્યા હતાં, ત્યારે તેમણે પોતાની આ મહત્ત્વકાંક્ષી યોજના કેટલી મહત્ત્વની છે અને સૌરાષ્ટ્રને આ નજરાણું શા માટે આપે છે તેનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, ‘મારી રાજકીય કારકિર્દીનો જન્મ રાજકોટ (સૌરાષ્ટ્ર)એ આપ્યો છે તેના બદલામાં સૌરાષ્ટ્ર વાસીઓને હું આ નજરાણું આપું છું.’ આમ જાદુઈ રીતે સપના બતાવી ર૦૧રની ચૂંટણી જીતી લીધી, ર૦૧૪ અને ર૦૧૭ ચૂંટણીઓમાં પણ ડેમોમાં નામ પૂરતા જ નર્મદાના પાણી અવતરણ કરાવી આજ સપનાઓ તાજા કરાવ્યા, અને વાહ-વાહ ખાટી ગયા. હવે આવે છે ર૦૧૯ ની ચૂંટણી અને રણજીતસાગર ડેમ ફરી પાછા નર્મદા, જામનગર, જનતા, ખેડૂતો અને વાહ વાહ… ત્યારે પ્રશ્ન એ થાય છે કે ખરેખર આ સૌની (સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઈરીગેશન યોજના) યોજના શું છે? એનાથી સૌરાષ્ટ્રવાસીઓ કેટલા વાકેફ છે? જામનગર જિલ્લાના ઊંડ ડેમના ખેડૂતો શા માટે ડેમના પટમાં ક્રિકેટ, ફૂટબોલ રમી વિરોધ નોંધાવી રહ્યા છે ? તે પ્રશ્ન સમજવા જેવો છે.
આ યોજનાની જાહેરાત કરતા મોદીએ કહ્યું હતું કે, ‘સૌરાષ્ટ્રના ૭ જિલ્લામાં (ત્યારે ૭ જિલ્લા હતાં) દુષ્કાળ હવે ભૂતકાળ બની જશે. સૌરાષ્ટ્રનો ખેડૂત કાળી મજૂરી કરી જાણે છે, પણ એને કુદરત પર જ આધાર રાખવો પડે છે નર્મદા ડેમનું ઓવરફ્લો થઈ દરિયામાં નિરર્થક વહી જતું પાણી હવે સૌરાષ્ટ્રના ૧૧પ મોટા ડેમોને છલોછલ કરશે’. એટલે કે દરિયામાં વહી જતું પાણી જ આપવાની વાત હતી. નર્મદાની સપાટીમાં રહેલું પાણી નહીં.
વધુમાં તેમણે કહ્યું હતું કે ‘સૌરાષ્ટ્રમાં ૧૧૧પ કિલોમીટર લાંબી મુખ્ય નહેરોનું જાળું રચાશે જેમાં ૧૧પ ડેમોને એકબીજા સાથે નહેરો દ્વારા જોડવામાં આવશે અને દસ લાખ એકર જમીન વિસ્તારમાં અભૂતપૂર્વ, અકલ્પ્ય રીતે નર્મદાનું પાણી અવતરણ કરવામાં આવશે. ૪ મોટી કેનાલ દ્વારા ૩ તબક્કામાં ૩ મિલિયન એકર પાણીની વહેંચણી કરવામાં આવશે ને સૌરાષ્ટ્રનો ખેડૂત એક વર્ષમાં ૩ સીઝન લઈ ઈઝરાયેલને પણ પાછળ રાખી દેશે, આમ નદી જીવતી થશે ને નદી જીવતી થાય એટલે એક યુગ જીવતો થયા બરાબર છે.’
રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર, પોરબંદર અને જૂનાગઢ જિલ્લાના મચ્છુ, ડેમી, ધોધા, આજી, બાવની, ઊંડ, રૃપારેલ, કંકાવટી, સસોઈ, રંગમતી, સિંહણ, ઘી, સાની, કાલુભાર, સોનાપરી, રંભોળી, રાજાવળ, ખારો, શેત્રુંજી, બગડ, માલણ, ભાદરોળી, રાયડી, ધતારવાડી, સુરાજવાડી, ન્યારી, ડોંડી, ભોગવો, હિરણ, ધોળીધજા, વેણુ જેવા કુલ ૧૧પ મોટા ડેમ જેમાંથી એક ડેમ ભરાય ઓવરફ્લો થાય, બીજા ડેમમાં નહેર વાટે પાણી જાય એ ડેમ ભરાય ઓવરફ્લો થાય, બીજા ડેમમાં નહેર વાટે પાણી જાય એ ડેમ ભરાય ઓવરફ્લો થાય, નહેર વાટે ત્રીજા ડેમમાં પાણી જાય એમ એક પછી એક ૧૧પ ડેમ ભરવાના હતાં.
‘આટલી મહત્ત્વકાંક્ષી યોજના દસ હજાર કરોડનો ખર્ચ કરી ર૦૧૯ સુધીમાં પૂર્ણ કરવાની હતી, ત્યારે પ્રશ્ન એ થાય છે કે સૌરાષ્ટ્રના નક્કી થયેલ ૧૧પ ડેમો પૈકી ક્યો ડેમ છલોછલ ભર્યો છે ? ક્યો ડેમ નર્મદાના નીરથી ઓવરફ્લો થયો છે ? ૮૭ ડેમોનું આંતર જોડાણ કરવાનું હતું તેમાંથી ક્યાં અને ક્યા બે ડેમોનું આંતર જોડાણનું કામ થયું છે ? અને જો કાંઈ થયું જ ન હોય તો રણજીતસાગર ડેમમાં માઁ નર્મદાના નીરના અવતરણના નામે શા માટે મૂર્ખ બનાવવામાં આવે છે ? નહેરો દ્વારા ડેમો ભરવાની જગ્યાએ સંપ બનાવી, પાઈપલાઈન નાખી પંપિંગ કરી પાણી શા માટે પહોંચાડવામાં આવે છે? અને તેમણે અગાઉ જે ડેમોમાં નર્મદાના નીરના અવતરણ કરાવ્યા ત્યાં ખેડૂતો શા માટે ક્રિકેટ અને ફૂટબોલ રમી રહ્યા છે ?’ આજે ઊંડ ડેમ આસપાસના ગામોના ખેડૂતોએ ગુજરાતની જનતાની આંખ ખોલવાનું કામ કર્યું છે જે ડેમ મોદીએ ૩ વર્ષ પૂર્વે ભર્યો હતો તે ડેમ ઓવરફ્લો થઈ નહેર વાટે રણજીતસાગર ડેમમાં પાણી જવાનું હતું, અને ભરાયા પછી જ રણજીતસાગર ડેમ ભરવાની મૂળ યોજના છે, તો આ મૂળ યોજના મુજબ નહેર કેમ ન બનાવામાં આવી ? પાઈપલાઈન, સંપ, પંપિંગ શા માટે ? ઊંડ ડેમમાં આવતી પાઈપલાઈનને વેલ્ડીંગ કરી સીલ શા માટે કરવામાં આવી ? ઊંડમાં પાણી કેમ છોડવામાં નથી આવતું ? ઊંડ ડેમ અત્યારે ખાલીખમ પડ્યો છે ઊંડ ડેમ પડધરી, ધ્રોળ, જામનગર અને કાલાવડ એમ ચાર તાલુકાની સીમા પર છે. ૪પ જેટલા ગામોને સીધો ફાયદો કરે છે. ર૪ ગામને જૂથ યોજના દ્વારા અને જામનગર મહાનગરપાલિકાને પીવાનું પાણી ઊંડ ડેમ દ્વારા આપવામાં આવે છે એ ડેમમાં ધૂળની ડમરીઓ ઊડે છે. તેના પટમાં ખેડૂતો ફૂટબોલ, ક્રિકેટ રમી અનોખો વિરોધ નોંધાવી રહ્યા છે. જામનગરની અને ગુજરાતની જનતાને એક સંદેશો આપી રહ્યા છે કે અમારી આંખો તો ખુલી ગઈ તમારી ક્યારે ખૂલશે?
Share:
Rate:
Previousઈસ્લામ ધર્મના પવિત્ર ગ્રંથ કુર્આનશરીફની તૌહિન કરનાર શૈતાન સોનુ ડાંગરની ધરપકડની માંગ
Nextઅફઝલ ગુરુના પુત્ર ગાલિબનો આધારકાર્ડ બનતા ગર્વની લાગણી અનુભવી
Related Posts
સૌરાષ્ટ્રમાં ર૮ માર્કેટિંગ યાર્ડોમાં જુદી-જુદી ખેતપેદાશોની આવક શરૂ
13/11/2018
જામનગરમાં ધાર્મિક કાર્યક્રમમાં ઉઘરાણી મામલે ૧ર શખ્સોનો હંગામો : બેને ગંભીર ઈજા
04/02/2019
૧ર ગોડાઉનમાં સંગ્રહ કરેલ તુવેરના જથ્થામાં સડો લાગતાં જિ.કલેક્ટરનો તપાસનો આદેશ
01/10/2018
સુરતમાં છ કલાકમાં પાંચ ઈંચ ખાબકતાં સર્વત્ર જળબંબાકાર : જનજીવન પ્રભાવિત
03/07/2018
Recent Posts
E PAPER 05 DEC 2022
Dec 5, 2022
E PAPER 04 DEC 2022
Dec 4, 2022
E PAPER 03 DEC 2022
Dec 3, 2022
E PAPER 02 DEC 2022
Dec 2, 2022
E PAPER 01 DEC 2022
Dec 1, 2022
Other Info
About Us
Lokhit movement
Recent Comments
December 2022
M
T
W
T
F
S
S
1 2 3 4
5 6 7 8 9 10 11
12 13 14 15 16 17 18
19 20 21 22 23 24 25
26 27 28 29 30 31
« Nov
Categories
Categories Select Category Ahmedabad Ajab Gajab Business Career Crime Editorial Articles Education Epaper Daily Featured Gujarat Health International Lokhit movement Muslim National Recipes Today Special Articles Special Edition Sports Tasveer Today Technology Uncategorized
Archives
Archives Select Month December 2022 November 2022 October 2022 September 2022 August 2022 July 2022 June 2022 May 2022 April 2022 March 2022 February 2022 January 2022 December 2021 November 2021 October 2021 September 2021 August 2021 July 2021 June 2021 May 2021 April 2021 March 2021 February 2021 January 2021 December 2020 November 2020 October 2020 September 2020 August 2020 July 2020 June 2020 May 2020 April 2020 March 2020 February 2020 January 2020 December 2019 November 2019 October 2019 September 2019 August 2019 July 2019 June 2019 May 2019 April 2019 March 2019 February 2019 January 2019 December 2018 November 2018 October 2018 September 2018 August 2018 July 2018 June 2018 May 2018 April 2018 March 2018 February 2018 January 2018 December 2017 November 2017 October 2017 September 2017 August 2017 July 2017 June 2017 May 2017 April 2017 March 2017 February 2017 January 2017 December 2016 November 2016 October 2016 September 2016 |