entertainment,ટાઇમ્સ ઑફ ઇન્ડિયા ફિલ્મ ઍવૉર્ડ્સમાં ભાગ લેવા માટે બૉલીવુડની અનેક હસ્તીઓનો વૅનકુવર તરફનો પ્રવાહ ચાલુ છે અને શાહરુખ ખાન પણ આઈપીએલ છોડી વૅનકુવર ઉપડી ગયાં છે . ટૉઇફા ઍવૉર્ડ્સ સમારંભ કૅનેડામાં વૅનકુવરનના બીસી પ્લેસ સ્ટેડિયમ ખાતે આવતીકાલે યોજાશે . ઍવૉર્ડ્સ સમારંભને શ્યામક દાવર કોરિયોગ્રાફ કરવાનાં છે . આ ઈવેન્ટ દરમિયાન અનેક ફિલ્મોનું પ્રમોશન પણ કરાશે . તેમાં ભાગ લેવા માટે બૉલીવુડની અનેક હસ્તીઓ છેલ્લા એક અઠવાડિયાથી વૅનકુવર તરફ રવાના થઈ રહી છે અને ગઈકાલે શાહરુખ ખાન પણ વૅનકુવર ઉપડી ગયાં . તેમના પત્ની ગૌરી ખાન પરમ દિવસે જ વૅનકુવર માટે ઉપડી ગયા હતાં . ગૌરી બાદ એક દિવસ પછી શાહરુખ પણ રવાના થઈ ગયાં . શાહરુખ ખાન જોકે આઈપીએલ 6માં વ્યસ્ત હતાં અને તેમની ટીમ કોલકાતા નાઇટ રાઇડર્સ ( કેકેઆર ) પ્રથમ મૅચ જીતી સારૂં પરફૉર્મ કરી રહી છે . આમ છતાં આઈપીએલ અને પોતાની ટીમને છોડી શાહરુખ ખાન વૅનકુવરમાં ટૉઇફા ઍવૉર્ડ્સ સમારંભમાં ભાગ લેવા ઉપડી ગયાં છે . આવો તસવીરોમાં જોઇએ શાહરુખ ખાન અને અન્ય સેલિબ્રિટીઓનો વૅનકુવર પ્રયાણ . sports,"કાર્ડિફ , 4 જૂનઃ પ્રથમ અભ્યાસ મેચમાં શ્રીલંકા પર શાનદાર જીત નોંધાવ્યા બાદ ટીમ ઇન્ડિયાના પ્રયાસો ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ આજે થનારી અભ્યાસ મેચમાં પોતાના બોલર્સ અને બેટ્સમેન બન્નેને પારખવાના હશે . આ ભારત માટે અંતિમ અભ્યાસ મેચ હશે . ભારતના બેટ્સમેન આજે ઓસ્ટ્રેલિયાની શાનદાર બોલિંગ આક્રમણનો સામનો કરશે . મિશેલ સ્ટાર્ક , મિશેલ જ્હોન્સન અને જેમ્સ ફાનકર જેવા બોલર્સથી ઓસ્ટ્રેલિયાની બોલિંગ લાઇન મજબૂત છે . મિશેલ જ્હોન્સન અને ફાકનર તો આઇપીએલમાં શાનદર પ્રદર્શન કરી ચૂક્યા છે . આ બન્ને જ આઇપીએલમાં સર્વાધિક વિકેટ લેનારા ખેલાડી રહ્યાં છે . બીજી તરફ ભારત માટે વિરાટ કોહલીએ શ્રીલંકા વિરુદ્ધ અભ્યાસ મેચમાં 144 રનની ઇનિંગ રમી અને દિનેશ કાર્તિકે પણ શાનદાર પ્રદર્શન કર્યું છે . ભારત માટે બોલિંગ ચિંતાનો વિષય છે . શ્રીલંકા વિરુદ્ધ અભ્યાસ મેચમાં ભારતીય બોલર્સે 325 રન આપ્યા હતા . તો ટીમ ઇન્ડિયા માટે રોહિત શર્મનું ફોર્મ પણ મુશ્કેલીઓ ઉભી કરી શકે છે . જેનું ટીમ ઇન્ડિયામાં સસ્તામાં પેવેલિયન ભેગો થવાનો સિલસિલો યથાવત છે . જો કે , તેમણે આઇપીએલમાં શાનદાર પ્રદર્શન કર્યું છે , પરંતુ ટીમ ઇન્ડિયા તરફથી તે હજુ સુધી કોઇ સારી ઇનિંગ રમી શક્યો નથી . તેને અત્યારસુધી ઘણી તકો આપવામાં આવી છે . હવે જોવાનું એ રહ્યું કે , ધોની , રોહિતને હજુ કેટલી તક આપશે . અભ્યાસ મેચોના પ્રદર્શનના આધારે જ ટીમની પસંદગી ચેમ્પિયન્સ ટ્રોફીની મેચો માટે કરવામાં આવશે ." sports,"ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે હાલ ટેસ્ટ શ્રેણી ચાલી રહી છે . જેમાની ત્રણ ટેસ્ટ પૂર્ણ થઇ ગઇ છે અને બે ટેસ્ટ રમાનારી છે . એક ટેસ્ટ ટ્રેન્ટ બ્રીજ ખાતે રમાઇ હતી , જે ડ્રોમાં પરિણમી હતી , તો બીજી ટેસ્ટ લોર્ડ્સ ખાતે રમાઇ હતી , જેમાં ભારતે 28 વર્ષ બાદ લોર્ડ્સ ખાતે વિજય મેળવ્યો હતો , પરંતુ ત્યારબાદ ત્રીજી ટેસ્ટ જે સાઉથમ્પટન ખાતે રમાઇ હતી , તેમાં ભારતનો પરાજય થયો હતો . આમ હાલની પાંચ ટેસ્ટમાંથી એક ટેસ્ટ ડ્રો રહી છે , જ્યારે એક ટેસ્ટ ઇંગ્લેન્ડ અને ભારત જીતતા શ્રેણી સરભર છે . આ સાથે જ ઇંગ્લેન્ડ સામે સૌથી સફળ સુકાની કોણ અને સૌથી વધુ પરાજય મેળવનાર સુકાની કોણ તેને લઇને ચર્ચા ચાલુ થઇ ગઇ છે . વાત સૌથી સફળ સુકાનીની કરવામાં આવે તો કપિલ દેવને ગણી શકાય કારણ કે તેમણે ઇંગ્લેન્ડ સામે એક જ ટેસ્ટ શ્રેણીમાં નેતૃત્વ કર્યું છે , અને તેમાં તેમણે બે ટેસ્ટ મેચોમાં વિજય હાંસલ કર્યો હતો . જ્યારે સૌથી વધુ પરાજયની વાત કરવામાં આવે તો સૌથી વધુ પરાજય મેળવામાં ધોનીએ બધાની સાઇડ કાપી લીધી છે . ધોનીએ 2008થી અત્યારે ચાલી રહેલી ટેસ્ટ શ્રેણી દરમિયાન ચાર ટેસ્ટ શ્રેણીમાં ઇંગ્લેન્ડ સામે ભારતનું નેતૃત્વ કર્યું છે , જેમાં તેને 7 મેચોમાં પરાજય અને ત્રણ મેચોમાં વિજય હાંસલ થયો છે . તો ચાલો તસવીરો થકી જાણીએ કે સુનિલ ગાવસ્કરથી લઇને મહેનદ્ર સિંહ ધોની સુધીમાં કયા સુકાનીને ઇંગ્લેન્ડ સામે કેટલી ટેસ્ટમાં પરાજયનો સ્વાદ ચાખવા મળ્યો છે . આઇસીસીને ન દેખાઇ એન્ડરસન - જાડેજાની ‘ભૂલ ' આ પણ વાંચોઃ - આ પાંચ પરિવર્તન ભારતને અપાવી શકે છે માન્ચેસ્ટરમાં વિજય" business,"મુંબઈઃ શેર બજારમાં છેલ્લા ત્રણ દિવસથી હાહાકાર મચ્યો છે . સેંસેક્સ આજે 250 અંકના કડાકા સાથે 34,919ની સપાટી પર ખુલ્યું . જ્યારે ગુરુવારે સેંસેક્સ 806.47 અંક ગગળ્યો હતો અને નિફ્ટી 259ના કડાકા સાથે 10,599.25 પર બંધ રહ્યો હતો . જ્યારે રૂપિયો પણ સામાન્ય કમજોરી સાથે ખુલ્યો છે અને 4 પૈસાની કમજોરી સાથે રૂપિયો અત્યારે 73.54 પર ટ્રેડ કરી રહ્યો છે . શુક્રવારે નિફ્ટી પણ 95 અંકની કમજોરી સાથે 10,504.15 પર ખુલ્યો . ગુરુવારે બીએસઈ સેંસેક્સના 31 શેરોમાંથી માત્ર 6 શેરમાં તેજી જોવા મળી હતી જ્યારે બુધવારે સેંસેક્સ 550.51 અંકોની કમજોરી સાથે 36 હજારની નીચે આવી ગયો હતો . આ સૂચકાંક 35,975.63ના સ્તર પર બંધ થયો હતો . જ્યારે નિફ્ટીની ગતિ પણ ધીમી થઈ અને 150.05 પોઈન્ટના કડાકા સાથે 10,858.25ના સ્તર પર બંધ થયો હતો . જ્યારે રૂપિયાની વાત કરીએ તો ગુરુવારે રૂપિયામાં 24 પૈસાની કમજોરી જોવા મળી હતી જેની સાથે જ 1 ડોલરની સરખામણીએ રૂપિયો 73.58ની સપાટી પર પહોંચી ગયો હતો . ગુરુવારે જ રૂપિયાએ 73.91ની સપાટી પણ સ્પર્શી હતી . ડૉલરની સરખામણીએ રૂપિયો અત્યાર સુધીના સૌથી નીચલા સ્તર પર પહોંચી ગયો હતો . ગુજરાત સહિત આ રાજ્યોમાં 5 રૂપિયા સસ્તું થયું પેટ્રોલ" entertainment,આપણા બોલીવૂડ ફિલ્મોની સુપરહિટ જોડી રેખા અને અમિતાભ બચ્ચન તેમના કિસ્સાઓના કારણે હંમેશા ચર્ચામાં રહ્યાં છે . આ સુપરહિટ જોડીએ ઘણી બધી સારી ફિલ્મો આપી છે . તેમણે છેલ્લે ફિલ્મ ' મુકદ્દર કા સિકંદર ' માં સાથે કામ કર્યું હતું . આ ફિલ્મ બાદ અમિતાભ અને રેખાએ એક પણ ફિલ્મ સાથે નથી કરી . તેનું કારણ તમે જાણો છો ? તેનું કારણ છે જયા બચ્ચન . સ્ટારડસ્ટને આપેલા એક ઇન્ટરવ્યૂમાં રેખાએ આ વાત જણાવી હતી . આ ઉપરાંત રેખાએ બીજા પણ અનેક ખુલાસા કર્યા હતા . તો આ અંગે વધુ વાંચો અહીં . . . entertainment,"બોલિવૂડની વધુ એક મોટી ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે . આ શુક્રવારે શાહિદ કપૂર અને શ્રદ્ધા કપૂરની બત્તી ગુલ મીટર ચાલુ ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે . આ ફિલ્મ ઘણા કારણથી ખાસ છે . આ ફિલ્મના ટ્રેલરમાં પહાડી વિસ્તારોની પરેશાની , કોમેડી , પ્રેમ , દોસ્તી અને ડ્રામા બધું જ ઑડિયન્સને સ્પર્શી ગયું . જેથી તેઓ આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે . બત્તી ગુલ મીટર ચાલુ ફિલ્મ જ્યાં શાહિદ કપૂર પદ્માવત કરતા બિલકુલ અલગ રોલમાં દેખાઈ રહ્યા છે . ત્યાં જ શ્રદ્ધા કપૂર માટે પણ આ ફિલ્મ ખુબ જ અગત્યની સાબિત થશે . હાલમાં જ શ્રદ્ધા કપૂરની ફિલ્મ સ્ત્રી સફળ થયા પછી જોવાનું છે કે તેની આ ફિલ્મ પણ સફળ થઇ શકે છે કે નહીં . આ ફિલ્મના ટ્રેલર રિલીઝ થવાની સાથે જ તેનો જોરદાર ક્રેઝ જોવા મળી રહ્યો છે . અહીં અમે તમને આ ફિલ્મ વિશે કેટલીક બાબતો જણાવવા જઈ રહ્યા છે ." business,"આપને વર્ષ 2008માં અમેરિકામાં સર્જાયેલી હાઉસિંગ લોન ક્રાઇસિસની ઘટના યાદ છે ? અમેરિકામાં મોટા ભાગની કંપનીઓએ ટીઝર લોન આપી હતી , જેનું પરિણામ અમેરિકાએ હોમ લોન ક્રાઇસિસના રૂપમાં ભોગવવું પડ્યું હતું . ભારતની વાત કરીએ તો આપણા દેશમાં ટીઝર લોન ઇશ્યુ કરવી એ સામાન્ય બાબત છે . ખાસ કરીને ટીઝર હોમ લોન્સ . વાસ્તવમાં છેલ્લા ઘણા વર્ષોમાં અગ્રણી સંસ્થાઓ કે કંપનીઓ જેવી કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા વગેરે એ ટીઝર લોન આપવાનું શરૂ કર્યું છે . ટીઝર લોનથી અપરિચિત લોકોને અવશ્ય પ્રશ્ન થશે કે ટીઝર લોન શું છે ? તે કેવી હોય છે ? અહીં અમે ટીઝર લોન વિશે આપને જાણવા જેવી તમામ બાબતો જાણાવી રહ્યા છીએ . . ." entertainment,"કરણ જૌહરની ફિલ્મ સ્ટુડન્ટ ઑફ ધ ઈયર સાથે બૉલીવુડમાં એન્ટ્રી કરનાર આલિયા ભટ્ટનું કહેવું છે કે તેઓ પોતાને સ્ટાર નથી ગણતાં , બલ્કે તેઓ તો હજી એક્સપેરિમેંટ્સ કરી રહ્યાં છે અને શીખી રહ્યાં છે . માત્ર એક્ટિંગમાં જ નહીં , પણ પોતાના લુક્સ તથા ફૅશન અને સ્ટાઇલમાં પણ તેઓ ઘણા પરિવર્તનો કરતાં રહે છે કે જેથી તેમને પ્રતીતિ થાય કે તેઓ કઈ વસ્તુમાં અને કેવી રીતે વધુ સુંદર તથા બેસ્ટ દેખાય . સ્ટુડન્ટ ઑફ ધ ઈયર બાદ આલિયા ભટ્ટે ઇમ્તિયાઝ અલીની હાઈવે ફિલ્મ સાઇન કરી હતી કે જેનું શૂટિંગ પૂર્ણતાના આરે છે . હાઈવેમાં આલિયા ભટ્ટ સાથે રણદીપ હુડા મુખ્ય ભૂમિકામાં છે . આલિયાએ એક ઈવેંટમાં જણાવ્યું - મને અભિનયનો બહુ વધારે અનુભવ નથી . હું સ્ટાર નથી , પણ શીખી રહી છું . સ્ટા બનવા સુધીનો એક લાંબો માર્ગ છે . હું પોતાના દિગ્દર્શકો પર જ મહદઅંશે નિર્ભર છું . આવો તસવીરો સાથે જાણીએ વધુમાં શું કહે છે આલિયા ભટ્ટ :" entertainment,ટાઇગર શ્રોફ અને જેકલિન ફર્નાન્ડિઝ ની ફિલ્મ ફ્લાયિંગ જટ રિલીઝ થવા માટે તૈયાર છે . ફિલ્મના ગીતો અને ટ્રેલર તો પહેલેથી જ લોકોને પસંદ પડવા લાગ્યા છે અને આશા કરીએ કે ફિલ્મ પણ સારી જ હોય . આ ફિલ્મમાં પહેલી વાર ટાઇગર શ્રોફ અને જેકલિન ફર્નાન્ડિઝ એક સાથે જોવા મળશે . ફિલ્મના પ્રોમોશન માટે બંને ખાસ્સો સમય એકસાથે વિતાવી રહ્યા છે . બંનેએ પોતાની ડેટ્સ ફિલ્મના પ્રોમોશન માટે આપી દીધી છે . ટાઇગર શ્રોફ તો પહેલે થી જ ઘણા શાંત અને શર્મિલા સ્વભાવના છે વધારે બોલતા પણ નથી . પરંતુ તેઓ જેકલીનની આદતોથી પરેશાન થઇ ચુક્યા છે . જેકલિન ફર્નાન્ડિઝ દિવસમાં જેટલીવાર પણ પ્રોમોશનમાં જાય છે . એટલી વાર તે પોતાની ડ્રેસ બદલે છે . જેના કારણે ટાઇગર શ્રોફને પણ તેની રાહ જોવી પડે છે . ખાલી ડ્રેસ જ નહિ પરંતુ જેકલિન પોતાનો મેકઅપ અને હેર સ્ટાઇલ પણ બદલી નાખે છે . તો તમે સમજી જ ગયા હશો કે કેટલો વધારે સમય વેડફાતો હશે . એટલો જ સમય ટાઇગર શ્રોફનો પણ બરબાદ થાય છે . સૂત્રોનું માન્યે તો બે વાર ટાઇગર શ્રોફએ જેકલિનને કઈ જ ના કહ્યું . પરંતુ અંતમાં તેમનો મૂડ પણ ખરાબ થઇ ગયો છતાં તેઓ કઈ જ ના કહી શક્યા કારણકે તેમને કેટલાક દિવસો ફિલ્મના પ્રોમોશન માટે જ આપી દીધા છે . entertainment,"હૅકિંગની પૃષ્ઠભૂમિએ બનેલી ફિલ્મ મિકી વાયરસ દ્વારા બૉલીવુડમાં શરુઆત કરવા જઈ રહેલા જાણીતા ટેલીવિઝન એંકર મનીષ પૉલ કહે છે કે બૉલીવુડના સલમાન ખાન અને રણબીર કપૂર જેવા ટોચના સ્ટાર્સ તેમની ફિલ્મનું પ્રમોશન કરશે . નવોદિત દિગ્દર્શક સૌરભ વર્મા દિગ્દર્શિત મિકી વાયરસ હાસ્ય અને રોમાંચથી ભરપૂર ફિલ્મ છે . મનીષ પૉલ ફિલ્મમાં મિકી અરોરા નામના કૉમ્પ્યુટર હૅકરની ભૂમિકા ભજવી રહ્યાં છે . સોમવારે અહીં અંધેરા ગણેશ પંડાલ ખાતે મનીષે જણાવ્યું - સારૂં છે કે સલમાન ખાન , અનિલ કપૂર , માધુરી દીક્ષિત , કરણ જૌહર , રણબીર કપૂર તથા રેમો ફર્નાન્ડીઝ સાથે બીજા અનેક અભિનેતાઓ અને દિગ્દર્શકોએ મારી ફિલ્મના પ્રોમો રેકૉર્ડ કર્યા છે . હું આ વાતથી બહુ ખુશ ચું . તેમણે જણાવ્યું - આ પ્રોમો ટુંકમાં જ રિલીઝ થશે . આશા છે કે લોકો તેનો આનંદ માણશે . મનીષ પૉલ દિગ્દર્શક અભિષેક શર્માની 2010માં આવેલી ફિલ્મ તેરે બિન લાદેનની સિક્વલમાં પણ અભિનય કરનાર છે . ઝલક દિખલા જા 6 શોની યજમાની કરનાર મનીષ પૉલ કહે છે - હું તેરે બિન લાદેન ફિલ્મની સિક્વલમાં કામ કરી રહ્યો છું . ફિલ્મ ગત ફિલ્મ કરતાં વધુ મજાની હશે , કારણ કે સિક્વલમાં હું પણ છું ." sports,"બર્મિંગહામ , 24 જૂનઃ આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં માત્ર 129 રન બનાવ્યા હોવા છતાં પણ ભારતીય સુકાની મહેન્દ્ર સિંહ ધોનીએ ટીમને આપેલા એક ' મંત્ર ' એ ટ્રોફી ભારતની ઝોલીમાં નાખી દીધી . ભારતની ઇનિંગ બાદ ધોનીએ ફિલ્મ ' ચક દે ઇન્ડિયા ' માં શાહરુખ ખાન સ્ટાઇલમાં ટીમને આ ' મંત્ર ' આપ્યો . તેમણે ખેલાડીઓને કહ્યું કે , વર્લ્ડ ચેમ્પિયનની જેમ રમીને ઓછા સ્કોરની મેચ પણ જીતવાની છે . ધોનીએ મેચ બાદ આ વાતનો ખુલાસો કર્યો . ધોનીએ કહ્યું કે , મે તેમને કહ્યું કે , એ વાતને દિમાગમાંથી કાઢી નાંખો કે આ 50 ઓવરની મેચ છે . આ 20 ઓવરની મેચ છે અને આપણે આઇપીએલ તથા ટી20 ફોર્મેટમાં જોયુ છે કે 130 રનનો ટાર્ગેટ પણ મુશ્કેલ હોય છે . મે તેમને કહ્યું કે , આકાશ અથવા તો વિરોધી ટીમ તરફ ના જુઓ . ઇશ્વર તેમની જ મદદ કરે છે , જે પોતાની મદદ કરે છે . ભગવાન આપણને બચાવવા નહીં આવે . જો આપણે આ ટ્રોફી જીતવી છે તો જાતે જ મહેનત કરવી પડશે . તસવીરોના માધ્યમથી વાંચઓ ધોનીએ બીજું શું કહ્યું ." entertainment,"નવી દિલ્હી , 18 એપ્રિલ : એક બાજુ ભારતીય સિનેમાની 100 વર્ષની ઉજવણીનો ચારે બાજુ ધમધમાટ છે અને બીજી બાજુ અનેક ઐતિહાસિક તેમજ મહત્વની ફિલ્મોની પ્રિંટ્સ આજે આપણી પાસે ઉપલબ્ધ નથી . અનુભવી અને વ્યાવસાયિક ફિલ્મ સંગ્રહકર્તા પી . કે . નાયર જણાવે છે કે 1931માં બનેલી પ્રથમ બોલતી ફિલ્મ આલમ આરા તથા 50ના દાયકા અગાઉની એવી અનેક ફિલ્મોની પ્રિંટ્સ આપણી પાસે ઉપલબ્ધ નથી . ભારતીય રાષ્ટ્રીય ફિલ્મ અભિલેખાગાર ( એનએફએઆઈ ) ના ભૂતપૂર્વ નિયામક નાયરે જણાવ્યું કે 1950 અગાઉ બનેલી મોટાભાગની ફિલ્મોના અવશેષો જ ફિલ્મના નામે સંગ્રહ કરાયાં છે . તમામ ફિલ્મોની પ્રિંટ્સ ખરાબ કે નષ્ટ થઈ ચુકી છે . પ્રથમ ભારતીય ફિલ્મ રાજા હરિશ્ચંદ્ર 1913માં આવી હતી , જ્યારે એનએફએઆઈની સ્થાપના પાંચ વરસ પછી 1964માં થઈ હતી . તે વખતની મહાન ફિલ્મોની પ્રિંટ કાયમ માટે ખોવાઈ ગઈ . પી . કે . નાયરે જણાવ્યું - આપણી પાસે આલમ આરાની પ્રિંટ નથી , કારણ કે નિર્માતાઓએ તેને સંભાળીને રાખવાની જરૂર ન સમજી . નાયર તાજેતરમાં જ ભારતીય સિનેમાના 100 વર્ષની ઉજવણી હેઠળ પાટનગરની જવાહર લાલ નહેરૂ યુનિવર્સિટી ખાતે યોજાયેલ કાર્યક્રમમાં હાજર હતાં . તેમણે જણાવ્યું - 50ના દાયકા અગાઉની 70 ટકા ફિલ્મોની પ્રિંટ્સ સંગ્રહ માટે ઉપલબ્ધ નહોતી . પુણે ખાતે આવેલ એનએફએઆઈના નિયામક તરીકે 26 વર્ષ આપનાર નાયર કહે છે - આજના સમયમાં દર વર્ષે ભારતીય ફિલ્મ જગતમાં લગભગ 1000 ફિલ્મો બને છે . આટલી બધી ફિલ્મોનું સંગ્રહ અશક્ય છે . તેથી હવે કેટલીક ચુનંદા ફિલ્મોની પ્રિંટ્સનું સંગ્રહ કરાય છે . તેમણે જણાવ્યું કે તેમને એ બાબતની ખુશી છે કે આજના બૉલીવુડ ફિલ્મકારો ફિલ્મ નિર્માણ સાથે - સાથે પોતાની ફિલ્મોનું પણ સંગ્રહ કરે છે ." business,"અપેક્ષા કરવામાં આવી રહી છે કે આગામી સમયમાં વીમા કંપનીઓ પાસેથી ઇન્શ્યોરન્સ ક્લેમના પૈસા દર મહિને હપ્તાઓમાં મળી શકે છે . IRDAI ( વીમા નિયમનકારની સમિતિ ) દ્વારા સૂચવવામાં આવ્યું છે કે દર મહિને હપતામાં વળતર પ્રાપ્ત કરવાથી આશ્રિતોને લાંબા સમય સુધી નિયમિત આવક મળશે . જી ન્યુઝની રિપોર્ટ અનુસાર , જો આવું થાય તો વીમા કંપનીઓ પર એકંદર વળતર ચૂકવવાનો બોજ પણ ઓછો થઇ જશે . IRDAI ની ભલામણોને અમલમાં મૂક્યા પછી , નવો નિયમ લાગુ થાય તો , અપેક્ષા કરવામાં આવી રહી છે કે વીમા કંપનીઓ આ આધારે ઉત્પાદનની શરતોમાં ફેરફાર કરશે . જી - ન્યૂઝની રિપોર્ટ મુજબ , આઇઆરડીની સમિતિએ સૂચવ્યું છે કે એકંદર ક્લેમની રકમની ચૂકવણી હપ્તાઓમાં કરવામાં આવશે . જો આવું થાય , તો પૉલિસીધારકના પરિવારને લાંબા સમય સુધી રાહત મળી શકે છે . ઈન્કમ ટેક્સ બચાવીને બની શકો છો કરોડપતિ , સરકાર આપે છે ગેરંટી આ ઉપરાંત કંપનીઓનું માનવું છે કે આવા પ્રકારની પ્રોડક્ટ તૈયાર કરી શકાય છે અને આમાં વીમા કંપનીઓ માટે વધુ ખર્ચ થશે નહીં . જો નવો નિયમ લાગુ થાય તો વ્યક્તિગત અકસ્માત અને જીવન વીમા કવચની રકમ , આશ્રિતોને હપ્તાઓમાં મળશે . બીજી બાજુ વીમા કંપનીઓ પર એકંદર ચુકવણીનું દબાણ પણ ઓછું થશે . હમણાં , તે પણ કહેવું છે કે પૉલિસીમાં , એકીકૃત રકમ અથવા હપતામાં પૈસા લેવાનો વિકલ્પ મળશે . સ્ટેમ્પ ડ્યૂટી શું છે , આ ફી ક્યા આધારે લગાવાય છે ? સમિતિ દ્વારા આ સૂચન આવા ઘણા કિસ્સાઓ જોઈને આપવામાં આવ્યું છે જ્યાં પૉલિસી ધારકના પરિવારને લાંબા ગાળા સુધી પૈસાની જરૂર હોય છે . હવે , પૉલિસી ધારકની મૃત્યુ પછી , તેના આશ્રિતોને કંપનીઓની વતી એકંદર રકમ આપી દેવામાં આવે છે . અગાઉ , એવી પણ ખબર આવી હતી કે વીમા કંપનીઓ તમારા મોબાઇલ નંબરને જ વીમા પૉલિસીનો નંબર બનાવી શકે છે ." business,ઓઇલ કંપનીઓના સૂત્રોના જણાવ્યા અનુસાર પેટ્રોલના ભાવમાં બે રૂપિયા પ્રતિ લિટરે વધારો કરવામાં આવી શકે છે અને ડીઝલ 50 પૈસા મોંધુ બની શકે છે . ડોલરના મુકાબલે રૂપિયો સતત તૂટતો રહ્યો છે . શુક્રવારે એક ડોલરની કિંમત 57.51 રૂપિયા હતી . તૂટતા રૂપિયાના કારણે કાચા તેલની આયાત પહેલાંથી જ મોંઘી પડી રહી છે . જો કે ઓઇલ કંપનીઓ શનિવારે સાંજે કિંમતોમાં વધારાના જાહેરાત કરી શકે છે . આ પહેલાં 31 મેના રોજ તેલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ક્રમશઃ 75 પૈસા અને 50 પૈસા પ્રતિ લિટરનો વધારો કરવામાં આવ્યો હતો . દિલ્હીમાં અત્યારે પેટ્રોલ 63.99 રૂપિયા પ્રતિ લિટર મળી રહ્યું છે . જો આજે વધારો થયો તો પેટ્રોલના ભાવ દિલ્હીમાં 66 રૂપિયાના આંકડાને પાર કરી દેશે . ડીઝલના ભાવમાં દર મહિને 50 પૈસા પ્રતિ લિટરનો વધારો પહેલાંથી નક્કી છે . business,ઇ - કોમર્સ કંપનીઓ અવાર નવાર કોઇ પણ વસ્તુને સસ્તા દરે વેચતી જોવા મળે છે . તેવામાં જ હાલ એક મેસેજ ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે . જે મુજબ શ્યાઓમીના રેડમી નોટ - 4 મોબાઇલ રૂપિયા 499માં વેચવાની વાત કરવામાં આવી છે . આ મેસેજ હાલ ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે . પણ ખરેખરમાં આ એક ફેક મેસેજ છે . માનવામાં ના આવતું હોય તો વિગતવાર વાંચો અહીં . . . Read also : ખુશખબરી ! બ્રિટન અને જર્મનીને પછાડી ભારત વધ્યું આગળ sports,"ક્રિકેટના ભગવાન કહેવાતા ભારતીય ટીમના માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે પોતાની છેલ્લી અને 200મી ટેસ્ટ પોતાના હોમ ગ્રાઉન્ડ વાનખેડે સ્ટેડિયમમાં રમી . આ ટેસ્ટમાં ભારતે શાનદાર વિજય પણ મેળવ્યો . સ્ટેડિયમમાં ક્રિકેટ પ્રેમીઓ મેચ જીતવાથી જેટલા ખુશ હતા તેના કરતા વધારે સચિનની વિદાયીથી દુઃખી હતા . મેચ જીત્યા બાદ તુરંત સચિને મેદાનની પીચ પર હાથ લગાવીને છેલ્લું નમન કર્યું . ત્યારબાદ 24 વર્ષ ક્રિકેટ સાથે જોડાઇ રહેલા સચિનને હવે ક્રિકેટને અલવિદા કહેવાની ઘડી હતી , આ પળમાં સચિન ભાવુક બની ગયા અને મેદાનમાંથી નીકળતા નીકળતા તેમના આંખમાંથી આંસુ સરી પડ્યા . સચિન તેંડુલકર અને સાથી ખેલાડીઓએ હાથમાં રાષ્ટ્રધ્વજ લઇને આખા મેદાનમાં ફર્યા અને પોતાના ચાહકોને અલવિદા કહી . સચિને પોતાની ફેરવેલ સ્પિચમાં હૃદય દ્રાવક શબ્દો ઉચ્ચાર્યા . જેને સાંભળીને સ્ટેડિયમ એકદમ ગમગીન બની ગયું હતું . સચિનની ફેરવેલ સ્પિચ વાંચો સ્લાઇડરમાં . . ." sports,"પુણે ખાતે રમાયેલી સાત મેચની શ્રેણીની પ્રથમ વનડે મેચમાં ભારતને ઓસ્ટ્રેલિયા સામે 72 રનથી પરાજયનો સામનો કરવો પડ્યો હતો . જો કે , બીજી મેચમાં કાંગારુઓને પરાસ્ત કરવા માટે ભારતીય ક્રિકેટ ટીમ તૈયાર થઇ ગઇ છે . જયપુર ખાતે પહોંચેલી ભારતીય ટીમે આજે પ્રેક્ટિસ સેશન દરમિયાન સખત મહેનત કરી હતી . જો કે , પ્રેક્ટિસ સેશન દરમિયાન ભારતીય ટીમ હળવી મુદ્રાઓમાં પણ જોવા મળી હતી . પ્રેક્ટિસ સેશન દરમિયાન ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ દ્વારા ફૂટબોલની મજા માણવામાં આવી હતી , તો સુકાની મહેન્દ્ર સિંહ ધોની ફળોનો આહર કરતા જોવા મળ્યા હતા . જ્યારે ટીમના અન્ય ખેલાડીઓ પ્રેક્ટિસ સેશન દરમિયાન મજાક - મસ્તી કરતા પણ જોવા મળ્યા હતા . આવી જ કટેલીક તસવીરો અહીં રજુ કરવામાં આવી છે , જેમાં ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ પ્રેક્ટિસ સેશનમાં ફૂટબોલની મજા માણતા જોવા મળે છે અને રવિન્દ્ર જાડેજા સહિતના જૂનિયર ખેલાડીઓ ધોની સરીખા સીનિયર ખેલાડીઓ પાસે જરૂરી માહિતીઓ મેળવી રહ્યાં છે . તો ચાલો ભારતીય ટીમની પ્રેક્ટિસ સેશનને તસવીરો થકી નીહાળીએ ." business,શરૂઆતી કારોબારમાં સુધારની આશા પછી બુધવારે રૂપિયામાં જોરદાર ઘટાડો જોવા મળ્યો છે . રૂપિયો તેના સૌથી નીચલા સ્તરે પહોંચી ચુક્યો છે . બુધવારે રૂપિયો 29 પૈસા ગગડી ને 71.87 રૂપિયા પ્રતિ ડોલર થઇ ચુક્યો છે . મંગળવારે રૂપિયો 37 પૈસા ગગડીને 71.58 રૂપિયા પર બંધ થયો હતો . જોવા જઇયે તો સવારે ડોલરના મુકાબલે રૂપિયામાં સુધાર જોવા મળ્યો હતો અને એક સમયે તે 71.43 રૂપિયા પર પહોંચી ગયો હતો . પરંતુ ત્યારપછી તેમાં ઘટાડો જોવા મળ્યો અને 29 પૈસા ગગડીને 71.87 રૂપિયા પ્રતિ ડોલર પર પહોંચી ગયો . આ પહેલા મંગળવારે સવારે રૂપિયામાં થોડો સુધાર આવ્યો હતો પરંતુ ત્યારપછી તે ડોલરના મુકાબલે 37 પૈસા તૂટીને 71.58 રૂપિયા પર બંધ થયો . અમેરિકી ડોલરની માંગને કારણે રૂપિયો સતત નબળો પડી રહ્યો છે . એટલા માટે જ બજારમાં અસ્થિરતાનો માહોલ છે અને રોકાણકારો પરેશાન છે . આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રુડનો કિંમતોમાં છેલ્લા કેટલાક દિવસોમાં તેઝી આવી છે . જેની સીધી અસર રૂપિયા પર પડી રહી છે . બજાર એક્સપર્ટનું કહેવું છે કે જો આવી હાલત રહી તો તેની સામે લડવું ખુબ જ મુશ્કિલ થઇ જશે . જો રૂપિયાનો સતત ઘટાડો ચાલુ રહ્યો તો વિદેશી રોકાણકારો શેર બજારમાંથી પોતાના પૈસા કાઢી શકે છે . જેથી મોટી કંપનીઓને નુકશાન થશે કારણકે ડોલર ખેંચાઈ જવાથી કંપનીઓની શેરની કિંમત પણ ઘટી જશે . business,નોટબંધી અને જીએસટી પર સવાલો અને આરોપો હેઠળ દબાયેલી મોદી સરકાર માટે રાહતના સામાચાર આવ્યા છે . અમેરિકાની રેટિંગ એજન્સી મૂડીઝે ભારતની ક્રેડિટ રેટિંગમાં સુધારો કર્યો છે . જે મુજબ ભારત હવે BAA3 ગ્રુપથી બહાર આવી BAA2 ગ્રુપનો ભાગ બન્યું છે . મૂડીઝના આ રેકિંગમાં સુધાર એટલા માટે કરવામાં આવ્યો છે કારણ કે ભારતે તેની આર્થિક અને સંસ્થાનિક કાર્યમાં ફેરબદલ કર્યો છે . ઉલ્લેખનીય છે કે આ રેટિંગમાં 13 વર્ષ પછી ફેરબદલ થઅ છે . આ પહેલા 2004માં ભારતની રેટિંગ BAA3 થઇ હતી અને આ પહેલા 2015માં ભારતના આઉટલુકને સ્ટેબલ કહેવામાં આવ્યો હતો . પણ તે પછી કુલ 13 વર્ષ પછી ભારતના રેટિંગમાં ચેન્જ આવ્યો છે . આ મામલે મૂડીઝ પોતાના નિવેદનમાં જણાવ્યું કે આર્થિક અને સાંસ્થાનિક ફેરબદલની દિશા ભારત સતત આગળ વધી રહ્યું છે . જેના કારણે ભવિષ્યમાં પણ ભારતમાં ઉચ્ચ વુદ્ધિની સંભાવનાઓ વધશે . તેવી આશા રાખીએ છીએ . જો કે એજન્સી ઇન્ડિયાને તે મામલે પણ સાવધાન કર્યું કે સુધારાના કારણે જો વધુ દેવું કરવામાં આવ્યું તો તેમાં જોખમ છે . ભલે સુધારા થોડા ઓછા થાય પણ દેવાનો ભાર વધવો ના જોઇએ . આ પહેલા વર્લ્ડ બેંક ઓફ ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ લિસ્ટમાં પણ ભારતે 30 અંકોનો ઉછાળો માર્યો હતો . તે ગત વર્ષે 130 નંબરે હતું અને આ વર્ષે તે 100માં નંબરે પહોંચ્યું છે . BAA3 રેટિંગનો મતલબ થાય છે કે સૌથી ઓછી રોકણ કરવાની સ્થિતિ . પણ હવે મૂડીઝ મુજબ ભારતમાં રોકાણ થઇ શકે તેવી પરિસ્થિતિ સુધરી છે . અને આ માટે તેનું રેટિંગ વધારીને BAA3 ના બદલે BAA2 કરી લેવામાં આવ્યું છે . જો કે આ બાદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે મોદી સરકારના વખાણ કરતું એક Tweet કર્યું છે . અને ભારતમાં મોદીની લોકપ્રિયતા અને સુધાર કામમાં સતત ફેરફાર થઇ રહ્યા છે તે અંગે ખુશી વ્યક્ત કરી છે . ત્યારે હાલ જ્યાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે આ સમાચાર ભાજપના પ્રચારનો ભાગ ચોક્કસથી બનશે . entertainment,"શમશાદના પુત્રી ઉષાએ જણાવ્યું - તેઓ છેલ્લા કેટલાંક માસથી અસ્વસ્થ હતાં અને હૉસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતાં . ગઈકાલે રાત્રે હૉસ્પિટલમાં જ તેમણે છેલ્લા શ્વાસ લીધાં . તેમની અંતિમ યાત્રામાં કેટલાંક ખાસ મિત્રો હાજર હતાં . શમશાદ બેગમનો જન્મ 14મી એપ્રિલ , 1919ના રોજ પંજાબના અમૃતસર ખાતે થયો હતો . લાહોરના પેશાવર રેડિયો ઉપર 16મી ડિસેમ્બર , 1947ના રોજ તેમનો અવાજ પ્રથમ વાર દુનિયા સામે આવ્યો કે જેના જાદુએ લોકોને તેમના ફૅન્સ બનાવી દીધાં . 1955માં પોતાના પતિ ગણપત લાલ બટ્ટોના નિધન બાદ શમશાદ મુંબઈમાં પોતાના પુત્રી ઉષા રાત્રા તેમજ જમાઈ સાથે રહેત હતાં . શમશાદ બેગમના કંઠે ગવાયેલા ચર્ચિત ગીતોમાં કભી આર કભી પાર . . . , કહીં પે નિગાહેં કહીં પે નિશાના . . . , સઇંયા દિલ મેં આના રે . . . , લે કે પહલા પહલા પ્યાર . . . , બૂઝ મેરા ક્યા નામ રે . . . , છોડ બાબુલ કા ઘર . . . , ગાડી વાલે ગાડી જરા ધીરે હાંક રે . . . નો સમાવેશ થાય છે ." entertainment,"સિંઘમ રિટર્ન્સ આવતીકાલે થિયેટરમાં રિલીઝ થઈ રહી છે અને લોકો સિલ્વર સ્ક્રીન પર રોહિત શેટ્ટીની ફિલ્મ સિંઘમ રિટર્ન્સના ઇંસ્પેક્ટર બાજીરાવ સિંઘમને જોવા આતુર છે . આવતીકાલે સ્વાતંત્ર્ય દિવસ છે અને ભ્રષ્ટાચાર જેવા મુદ્દે બનેલી સિંઘમ રિટર્ન્સની રિલીઝ માટે આના કરતા ઉત્તમ દિવસ કોઈ ન હોય . ઑડિયંસને તો ગોલમાલ સિરીઝની જોડી રોહિત - અજયની આ ફિલ્મનો ઇંતેજાર છે . સિંઘમ રિટર્ન્સની યૂએસપી ચોક્કસ તેના એક્શન સીન્સ છે . જ્યારે રોહિત દિગ્દર્શક અને અજય હીરો હોય , તો વાત જ શું . રોહિતે કહ્યુ પણ હતું - આ અતિશ્યોક્તિ છે , પરંતુ મારૂ માનવું છે કે મારે બાળપણથી એક્શન ડાયરેક્ટર બનવુ જોઇતુ હતું . હું અકસ્માતે ફિલ્મ ડાયરેક્ટર બની ગયો અને તેના માટે હું મારા વાલીનો ઋણી છું . રોહિત શેટ્ટીએ મધ્ય શહેરની અંદર એક્શન સીન્સ કરવામાં આવેલા પડકારોનો પણ ઉલ્લેખ કર્યો - સિંઘમ રિટર્ન્સ મુખ્યત્વે મુંબઈ આધારિત ફિલ્મ છે અને શહેરની વચ્ચે શૂટિંગ મોટો પડકાર હતો . તેમાં પણ એક્શન સીન શૂટ કરવા તો વધુ સાહસી કામ હતું . અપાયેલ પૉઇંટ પર બે કે ત્રણ શૂટ્સ થતા હતાં . ટ્રૅફિક રોકવો , લોકલ ટ્રેન્સ રોકવી અને તેની વચ્ચેના સમય પર ધ્યાન કેન્દ્રિત કરવું . બધુ મુશ્કેલ હતું . તે પણ ન ભૂલવુ જોઇએ કે મુંબઈ હંમેશા રેડ ઍલર્ટ પર હોય છે અને તેથી અનેક ઑથોરિટીમાંથી મંજૂરીઓ મેળવવી પડે છે . ચાલો તમે પણ જુઓ સિંઘમ રિટર્ન્સ 10 એક્શન સીન્સ :" entertainment,"બૉલીવુડ અભિનેત્રી સોનાક્ષી સિન્હા વાટિકા એનરિચ્ડ કોકોનટ હૅર ઑયલની એડ ફિલ્મમાં નજરે પડશે . સોનાક્ષીએ જણાવ્યું કે તેમના વ્યવસાયમાં વાળની જુદી - જુદી સ્ટાઇલ માટે અનેક પ્રકારના રાસાયણિક તત્વોનો વાળ ઉપર પ્રયોગ કરાય છે . વાટિકા હૅર ઑયલ દ્વારા કરાયેલ માલિશ વાળને નબળા થઈ તુટતા બચાવે છે . દબંગ ફૅમ સોનાક્ષી સિન્હાએ એક નિવેદનમાં જણાવ્યું - આખા દિવસમાં મારે જેટલા રાસાયણિક તત્વો વાળ ઉપર લગાવવા પડે છે , તે વાળને નબળા બનાવે છે . આ જ જોખમ દરરોજના તાણ અને પ્રદૂષણના કારણે પણ હોય છે કે જે આગળ ચાલી વાળ ખરવાનું કારણ બને છે . સોનાક્ષી સિન્હાએ જણાવ્યું કે તેમણે વાળ માટે જુદા - જુદા તેલનો ઉપયોગ કર્યો , પણ બધુ વ્યર્થ રહ્યું . તેમણે જણાવ્યું - મારા હૅર સ્ટાઇલિસ્ટે મને વાટિકા એનરિચ્ડ કોકોનટ હૅર ઑયલથી વાળની માલિશ કરવાની સલાહ આપી . હવે હું પોતાના વાળ અંગે બેફિકર છું . દબંગ સાથે બૉલીવુડ કૅરિયર શરૂ કરનાર સોનાક્ષી સિન્હા દબંગ 2 ફિલ્મમાં પણ હતાં . રૅમ્બો રાજકુમાર તથા લુટેરા જેવી તેમની આગામી ફિલ્મો છે ." entertainment,"આ શુક્રવારે મોટા પડદે સોનમની સોહામણી પ્રણય - કથા જોવા મળશે , તો અમીષા પટેલની કાતિલ વિલનગિરી પણ લોકો સમક્ષ આવી રહી છે . બીજી પોલીસ - સીબીઆઈ વચ્ચે એનેમી બનવાની કશમકશ જોવા મળશે . હા જી . અમે વાત કરી રહ્યાં છીએ આ શુક્રવારે રિલીઝ થતી ત્રણ ફિલ્મોની . આ શુક્રવારે મોટા પડદે ત્રણ ફિલ્મો તથા બે હૉલીવુડ ફિલ્મો રિલીઝ થઈ રહી છે . ત્રણેય બૉલીવુડ ફિલ્મો તેમના કલાકારો માટે મહત્વની છે . આ ફિલ્મોમાં રાંઝણા , શૉર્ટકટ રોમિયો અને એનેમીનો સમાવેશ થાય છે . આનંદ એલ રાય દિગ્દર્શિત રાંઝણા ફિલ્મ બૉલીવુડમાં સતત નિષ્ફળતા મેળવતાં સોનમ કપૂર માટે મહત્વની છે , તો ધનુષ આ ફિલ્મ દ્વારા બૉલીવુડમાં પ્રવેશ કરી રહ્યાં છે . તેવી જ રીતે નીલ નિતિન મુકેશ , અમીષા પટેલ અને પૂજા ગુપ્તા અભિનીત શૉર્ટકટ રોમિયો ફિલ્મ ઉપર નીલ નિતિન મુકેશ અને અમીષાનું કૅરિયર લાગેલું છે . ત્રીજી બાજુ મિથુન ચક્રવર્તીના પુત્ર મહાઅક્ષયની ફિલ્મ એનેમી પણ આવતીકાલે રિલીઝ થઈ રહી છે . આ ઉપરાંત બે હૉલીવુડ ફિલ્મો વર્લ્ડ વૉર ઝેડ તથા મોન્સટર્સ યુનિવર્સિટી પણ રિલીઝ થઈ રહી છે . આવો તસવીરો સાથે જાણીએ કેટલીક વધુ વિગતો :" business,"નોટબંધી પછી કાળા નાણાંને સફેદ કરવાની એક મોટી રમત રમવામાં આવી હતી તે વાતનો ખુલાસો થયો છે . આ મામલે મળેલી માહિતી મુજબ તેમાં 13 બેંકોની પણ સામેલ છે . કેન્દ્ર સરકારે આ મામલે જાણકારી આપતા જણાવ્યું છે કે નકલી કંપનીઓ દ્વારા કાળા નાણાંને સફેદ કરવામાં આવ્યા છે . જે પછી 2 લાખની વધુ કંપનીઓ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે . કેટલીક કંપનીઓએ 100 - 100 ખાતા ખોલ્યા હતા . અને કુલ 2,09,032 કંપનીઓ પર સંદિગ્ધ કાર્યવાહીની જાણકારી મળતા તેમની પર રોક લગાવવામાં આવી હતી . આમાંથી એક કંપની પાસે લગભગ 2134 ખાતા હતા . નોટબંધી પછી આ નકલી કંપનીઓએ લગભગ 4573.87 કરોડ રૂપિયાની લેતી - દેતી કરી છે . તમને જણાવી દઇએ કે મોદી સરકારે શેલ કંપનીઓ પર પણ પોતાના સંકજો મજબૂત કર્યો છે . કારણ કે આ પહેલા સરકારે કહ્યું હતું કે શેલ કંપનીઓથી સંબંધ બનાવતા 4.5 લાખ ડાયરેક્ટર્સ અયોગ્ય છે . વધુમાં કેન્દ્રીય મંત્રી પીપી ચૌધરીએ કહ્યું હતું કે કાળાં નાણાં વિરુદ્ધ સરકારની આ લડાઇ અમે ચાલુ રાખીશું . જ્યાં કાનૂની કંપનીઓને આનાથી કોઇ મુશ્કેલી નહીં આવે ત્યાં જ જે કંપની નિયમોના વિરુદ્ધ કામ કરી રહી છે તેમને સજા ચોક્કસથી મળશે . વધુમાં ગત સપ્ટેમ્બર મહિનામાં સરકાર 2.17 લાખથી પણ વધુ કંપનીઓના નામ રેકોર્ડ પરથી નીકાળી ચૂકી છે . કારણ કે આ કંપનીઓ પાછલા લાંબા સમયથી કોઇ પણ પ્રકારનો વેપાર નહતી કરતી ." sports,"કબડ્ડી વિશ્વકપ 2016 માં ભારતે પોતાના પડોશી દેશ બાંગ્લાદેશને 37 પૉઇંટના મોટા અંતરથી હરાવી પોતાની બીજી જીત મેળવી લીધી હતી . તમને જણાવી દઇએ કે ધ એરેના બાય ટ્રાંસસ્ટેડિયામાં રમાયેલ ગ્રુપ - એ ની આ મેચમાં ભારતે બાંગ્લાદેશને 57 - 20 ના મોટા અંતરથી પરાજય આપ્યો હતો . ઉલ્લેખનીય છે કે આ વિશ્વકપમાં ભારત ત્રણ મેચ રમી ચૂક્યુ છે . પહેલી મેચમાં તે દક્ષિણ કોરિયાથી હારી હતી . બીજી મેચમાં ભારતે ઑસ્ટ્રેલિયાને હરાવ્યુ હતુ અને ત્રીજી મેચમાં તેણે બાંગ્લાદેશને હરાવી દીધુ છે . આ રોમાંચક મુકાબલામાં ટીમ ઇંડિયા દરેક પ્રકારે બાંગ્લાદેશ પર ભારે રહી . તે પહેલા હાફમાં જ બાંગ્લાદેશ સામે 27 - 10 પૉઇંટથી આગળ વધી ગયુ હતુ . ભારતે રેડથી 28 , ટેકલથી 20 અને ઑલ આઉટથી 8 પૉઇંટ પોતાના ખાતામાં જમા કરાવી દીધા હતા . ભારતને એક વધારાનો પૉઇંટ પણ મળ્યો અને તેણે આસાનીથી બાંગ્લાદેશને હરાવી દીધુ ." business,"આપની આવક કરપાત્ર હોય તો આપે ચૂકવણી તારીખ ( ડ્યુ ડેટ ) સુધીમાં ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવું જરૂરી છે . જો આપ ચૂકવણી તારીખમાં ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરો છો તો આપ કોઇ પણ પ્રકારની પેનલ્ટી વિના રિટર્નમાં અનેકવાર સુધારો કરી શકો છે . આપ જો ચૂકવણી તારીખ બાદ ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરો છો તો આપ તેમાં સુધારો કરી શકતા નથી કારણ કે તે મોડા ભરાયેલા રિટર્ન તરીકે ગણવામાં આવે છે . અહીં અમે કોના માટે કઇ ડ્યુ ડેટ છે તે જણાવી રહ્યા છીએ . . . 1 . પગારદારો માટે - 31 જુલાઇ , 2014 . 2 . 100 લાખ સુધીનું ટર્નઓવર ધરાવતા બિઝનેસ મેન માટે - 30 સપ્ટેમ્બર , 2014 . 3 . 25 લાખ સુધીની આવક ધરાવતા વ્યાવસાયિકો માટે - 30 સપ્ટેમ્બર , 2014 . મોડું ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાના ગેરલાભ 1 . ડ્યુ ડેટ બાદ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાથી બિઝનેસમાં નુકસાન કે મૂડી લાભમાં નુકસાનની ગણતરી આગળ કરી શકાતી નથી . 2 . સામાન્ય રીતે ટેક્સ પેયર 1 એપ્રિલથી આકારણી વર્ષમાં તેમની રિફંડની રકમ પર વ્યાજ મેળવવા હકદાર છે . જો રિટર્ન મોડું ફાઇલ કરવામાં આવે તો તેઓ આ વ્યાજનો લાભ મેળવી શકતા નથી . મોડું રિટર્ન ભરવું આપને કેવી રીતે મોંઘુ પડી શકે ? મોડું રિટર્ન ફાઇલ કરવાથી આપને 1 એપ્રિલથી મળતું વ્યાજ મળી શકશે નહીં . 2 . જો ચૂકવણી તારીખ સુધીમાં ટેક્સ ભરવાનો રહી જાય તો કરદાતાએ પેનલ ઇન્ટરેસ્ટ ચૂકવવો પડે છે . 3 . જો કરદાતા 31 માર્ચ , 2014 બાદ અને 31 માર્ચ , 2016 પહેલા ટેક્સ ભરે છે તો તેણે એસેસિંગ ઓફિસર સેક્શન 217F હેઠળ રૂપિયા 5,000 પેનલ્ટી ભરવી પડે છે . 4 . જો રિટર્ન 31 માર્ચ , 2016 બાદ ભરવામાં આવે તો તેને ગેરમાન્ય ગણવામાં આવે છે . તારણ : કરદાતાએ ચૂકવણી તારીખ સુધીમાં રિટર્ન ફાઇલ કરવું સૌથી શ્રૈષ્ઠ છે . જે આપને માટે અનેક રીતે ફાયદાકારી નિવડે છે ." business,દેશના તમામ નોકરીયાત લોકો માટે આ એક સારા સમાચાર છે . હવે તમે એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડ પર તમને વધુ વ્યાજ મળશે . કેન્દ્રીય શ્રમ મંત્રી બંડારૂ દત્તાત્રેયે જણાવ્યું કે નાણાં મંત્રાલય અને શ્રમ મંત્રાલયના કર્માચારી પ્રોવિડન્ટ ફંડ પર 2016 - 17 માટે 8.65 ટકા વ્યાજ દર આપવાની જાહેરાત કરવામાં આવી છે . આ અંગે મંજૂરી પણ મળી ગઇ છે . નાણાં મંત્રાલયના આ નિર્ણયથી દેશના લગભગ 4 કરોડ ઇપીએફ ખાતા ગ્રાહકોને ફાયદો મળશે . નાણાં મંત્રાલય દ્વારા વર્ષ 2016 - 17 માટે પીએફ જમા પર વ્યાજ દર 8.65 ટકા આપવા અંગે એક શર્ત પર રાખવામાં આવી છે . જે મુજબ આ વ્યાજ દરથી સેવાનિવૃત્તિ કોષને નુક્શાન ના થવું જોઇએ . આમ પેન્શન પ્લાન નુક્શાન ન થવાની અરજી સાથે પીએફ પર તમને 8.65 ટકાનું વ્યાજ દર મળશે . નોંધનીય છે કે નાણાં મંત્રાલયે ગત વર્ષે સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ 2015 - 16 માટે મંજૂર કરેલા 8.8 ટકાના વ્યાજ દરને ઘટાડીને 8.7 ટકા કર્યો હતો . Read also : જાણો સેલરી સ્લીપ સાથે જોડાયેલી 12 વાતો નાણાં મંત્રાલયના આ નિર્ણયનો ભારે વિરોધ પણ તે સમયે કરવામાં આવ્યો હતો . અને વિરોધ પછી ફરી નાણાં મંત્રાલયે આ વાતને પાછી ખેંચી 8.8 ટકા વ્યાજ દર પાછુ આપવાનું ચાલુ કર્યું હતું . વધુમાં બાંદારૂ દત્તાત્રેયે જણાવ્યું હતું કે આ અંગે ટૂંક સમયમાં નોટિફિકેશન જાહેર કરવામાં આવશે . અને તે પછી જ ચાર કરોડ જેટલા ખાતા ગ્રાહકોને આ વાતનો ફાયદો મળી શકશે . sports,"માનવામાં આવી રહ્યું છે કે , વોર્નરે ઇંગ્લેન્ડના જે ખેલાડી સાથે મારપીટ કરી છે , તે રૂટ હચો . ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ જારી કરેલા એક નિવેદન અનુસાર ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ સીએ આચાર સંહિતાનું ઉલ્લઘનના અહેવાલ આવ્યા બાદ ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ડેવિડ વોર્નરને ઓસ્ટ્રેલિયાની ન્યુઝીલેન્ડ સામેની મેચમાંથી બહાર કરી દીધો છે . વોર્નરને નિયમ છેના ઉલ્લંઘન અંતર્ગત અહેવાલમાં કહેવામાં આવ્યુ છે કે એ અશોભનીય વ્યવહાર સાથે સંબંધિત છે . તેમની ઇંગ્લેન્ડના ખેલાડી સાથે રવિવારે બન્ને ટીમો વચ્ચે રમાયેલી મેચ બાદ કથિત રીતે બોલાચાલી થઇ હતી જે બાદમાં મારપીટ સુધી પહોંચી ગઇ હતી . ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ ( ઇસીબી ) એ પણ આ ઘટના પર નીવેદન જારી કર્યું છે , પરંતુ તેમણે પોતાના ખેલાડી રૂટનું નામ લીધું નથી . ઇસીબીએ જો કે કહ્યું છે કે , વોર્નરે કોઇપણ પ્રકારની ઉશ્કેરણી વગર જ હુમલો કર્યો હતો . ઓસ્ટ્રેલિયન ટીમ શરૂઆતી મેચમાં ઇંગ્લેન્ડ સામે 48 રનથી હારી ગઇ હતી . આ ઘટના દારૂના નશામાં બર્મિંગહામ બારમાં થઇ હતી . ઇસીબીએ કહ્યું કે , આજે સવારે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન બાદ ઇસીબીએ પૃષ્ટિ કરતા કહ્યું છેકે ઇંગ્લેન્ડની ઓસ્ટ્રેલિયા પર 48 રનની જીત બાદ ડેવિડ વોર્નરે બર્મિંગહામ બારમાં ઇંગ્લેન્ડ ટીમના સભ્ય સાથે કોઇપણ પ્રકારની ઉશ્કેરણી વગર મારપીટ કરી હતી . તેમના જણાવ્યાનુસાર , વોર્નરે અનુચિત વ્યવહાર કરવાની વાતનો સ્વિકાર કર્યો છે અને તેમણે આ ઘટનામા સામેલ ખેલાડીની માફી માંગી લીધી છે , જેનો સ્વિકાર પણ કરી લેવામાં આવ્યો છે . ઇંગ્લેન્ડ ટીમ પ્રબંધનની પૂરી તપાસ બાદ જાણવા મળ્યુ છે કે , ઇંગ્લેન્ડનો ખેલાડી મારપીટમાં જરા પર જવાબદાર નથી ." business,"એટીએમ કાર્ડમાં ફેરફારને લઈને આવનારા સમાચાર પછી , હવે પાસપોર્ટમાં ફેરફારના સમાચાર આવી રહ્યા છે . જી હા , વિદેશી મંત્રાલય ચિપ વાળા ઇ - પાસપોર્ટ રિલીઝ કરવા જઈ રહ્યું છે . તેમાં એડવાન્સ સિક્યોરિટી ફીચર્સ અને બહેતર પ્રિન્ટિંગ તથા પેપર ક્વોલિટી હશે . ઇ - પાસપોર્ટનું મેન્યુફેક્ચરિંગ નાસિકના ઇન્ડિયન સિક્યોરિટી પ્રેસ ( ISP ) માં થશે . ISP ને ઇન્ટરનેશનલ સિવિલ એવિએશન ઓર્ગેનાઇઝેશન ( આઇસીએઓ ) દ્વારા માન્ય ખાંચા અને ઓપરેટિંગ સિસ્ટમ લેવા માટે ટેન્ડર મૂકવા માટેની પરવાનગી આપવામાં આવી છે . 2018ના આ છે બેસ્ટ સેવિંગ સ્કીમ અને મ્યુચ્યુઅલ ફંડ આ પ્રક્રિયા પૂર્ણ થઈ જાય પછી ઈ - પાસપોર્ટનું કામ શરૂ કરવામાં આવશે . આ માહિતી વિદેશ મંત્રાલય દ્વારા આપવામાં આવી છે ." business,રવિવારે નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલ સાથેની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક પ્રસ્તાવ મૂક્યો હતો . જે મુજબ નાણાંકિય વર્ષ એપ્રિલથી માર્ચ કરવાના બદલે જાન્યુઆરીથી ડિસેમ્બર કરવા અંગે રજૂઆત કરવામાં આવી હતી . પીએમ આ અંગે રાજ્યોથી શરૂઆત કરવાનું પણ સૂચન રજૂ કર્યું હતું . પીએમ મોદીએ બેઠકમાં જણાવ્યું કે રાજ્ય અને કેન્દ્ર સરકાર આ મામલે ગંભીરતાથી વિચાર કરે કારણ કે જૂની પ્રણાલી મુજબ વિકાસની ગતિ વધારવામાં સમસ્યા આવી રહી છે . વધુમાં તેમણે મૂડીખર્ચ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારવા અંગે પણ ભાર મૂક્યો હતો . વળી તેમણે રાજ્ય સ્તરે જીએસટી જલ્દી જ લાગુ કરવા અંગે પણ આ બેઠકમાં જણાવ્યું હતું . આ બેઠકમાં પીએમ મોદીએ જણાવ્યું કે ભારત લાંબા સમયથી આર્થિક અને રાજકીય અવ્યવસ્થાનો ભોગ બની રહ્યું છે . જેના કારણે અનેક યોજનાઓના જોઇએ તેવા પરિણામ નથી મળી શક્યા . અને કેટલીક નિષ્ફળ પણ ગઇ છે . વળી તેમણે કહ્યું કે રાજ્ય અને કેન્દ્રની ચૂંટણી સાથે યોજવા પર પણ એક પોઝિટીવ ચર્ચા શરૂ થઇ ગઇ છે . જે એક સારી વાત છે . Read also : ખુશખબરી ! બ્રિટન અને જર્મનીને પછાડી ભારત વધ્યું આગળ નોંધનીય છે કે નાણાંકિય વર્ષમાં ફેરફાર અંગે શંકર આચાર્યની પેનલે કેન્દ્ર સરકારને રિપોર્ટ આપતા જણાવ્યું હતું કે દુનિયાભરમાં અનેક જગ્યાએ કેલેન્ડર વર્ષને જ નાણાંકિય વર્ષ ગણવામાં આવે છે . જ્યારે ભારતમાં હજી જૂની પરંપરા મુજબ એપ્રિલથી માર્ચને નાણાંકિય વર્ષ માનવામાં આવે છે . જે માટે ફેરફાર કરવાનું સૂચન રિપોર્ટમાં કરવામાં આવ્યું હતું . જે અંગે બેઠકમાં પણ પીએમ મોદીએ સંબોધન કર્યું હતું . ત્યારે આવનારા સમયમાં બજેટને એક મહિનો આગળ લાવ્યા પછી મોદી સરકાર નાણાંકીય વર્ષમાં પણ ફેરફાર લાવી શકે છે . entertainment,"હાલમાં જ સલમાન ખાન , અરબાઝ ખાન પોતાના પિતા સલીમ ખાન સાથે કપિલ શર્માના શોમાં શામેલ થયા . આ એપિસોડ કેટલો મજેદાર હશે એનો અંદાજ તેના પ્રોમો પરથી જ લગાવી શકાય છે . શોમાં સલીમ ખાને બંને ભાઈઓ વિશે ઘણા ખુલાસા કર્યા . વળી , સલમાનની ફ્લોપ ફિલ્મ હેલો બ્રધર પર વાત કરતા કહ્યુ કે ફિલ્મમાં સલમાનની ભૂમિકાનું મોત થઈ જાય છે એટલા માટે ફિલ્મ ફ્લોપ થઈ . સલીમ ખાને કહ્યુ કે ફિલ્મના ફર્સ્ટ હાફમાં જ જ્યારે સલમાન ખાનનું મોત થઈ જાય છે તો લોકો થિયેટરમાંથી ઉઠીને જવા લાગે છે . થવુ એ જોઈતુ હતુ કે ફિલ્મમાં અરબાઝ ખાનવાળો રોલ સલમાનને મળે અને સલમાન ખાનવાળો રોલ અરબાઝ ખાન કરે . તો કદાચ આ ફિલ્મ સફળ થઈ જતી . અરબાઝના મરવાનો કદાચ દર્શકોને એટલો ફરક ન પડતો . આ પણ વાંચોઃ પોતાના અંતિમ સમયમાં કોને યાદ કરતા હતા કાદર ખાન , પુત્ર સરફરાઝે જણાવ્યુ" sports,"ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટી20 સિરીઝ ચાલી રહી છે . પહેલી ટી20 સિરીઝમાં ભારતે હારનો સામનો કરવો પડ્યો હતો , જ્યારે બીજી ટી20 મેચમાં ભારતીય બોલર્સ ઓન ફાયર હતા , ભારતે ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો . 19 ઓવરમાં માત્ર 132 રન આપીને 7 વિકેટ ખેરવી લીધી હતી પણ 20મી ઓવર ચાલુ થાય તે પહેલા જ વરસાદ ખાબકી પડ્યો હતો . જેને પગલે મેચ 19 ઓવરની કરી દેવામાં આવી હતી . વરસાદ બંધ થવાનું નામ ન લેતાં આખરે મેચ જ રદ કરી દેવી પડી , જેને કારણે ભારતને એક ફટકો પડ્યો છે . કલ 3 ટી20 મેચની સિરીઝ જીતવી હવે શક્ય નથી પણ ડ્રો માટે ભારતીય ટીમે આગામી મેચ જીતવી અતિ મહત્વની છે જ્યારે ઓસ્ટ્રેલિયા ટીમ આગામી મેચ જીતીને સિરીઝ પર કબ્જો જમાવવાનો લક્ષ્ય રાખશે . જણાવી દઈએ કે આજની મેચમાં ઓસ્ટ્રેલિયા તરફથી સૌથી વધુ રન બેન મેક્ડરમોટે ( 32 ) કર્યા હતા . ભારતીય બોલર્સનું પ્રદર્શન સારું રહ્યું હતું . ભુવનેશ્વર કુમારે 3 ઓવરમાં 20 રન આપીને 2 વિકેટ ઝડપી હતી , જ્યારે ખલીલ અહમદે 4 ઓવરમાં 39 રન આપીને 2 વિકેટ ઝડપી હતી . જસપ્રિત બુમરાહે 4 ઓવરમાં 20 રન આપીને એક વિકેટ ઝડપી હતી , કુલદીપ યાદવે પણ 4 ઓવરમાં 23 રન આપીને 1 વિકેટ ઝડપી હતી તથા કૃણાલ પાંડ્યાએ પણ 4 ઓવરમાં 26 રન આપીને 1 વિકેટ ઝડપી હતી . જણાવી દઈએ કે આજની મેચમાં ભારતીય ટીમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નહોતો જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમમાં એક ફેરફાર કરવામાં આવ્યો હતો , બિલી સ્ટેનલેક ઘાયલ થઈ જતાં તેની જગ્યાએ નથન કુલ્ટર નીલને પ્લેઈંગ ઈલેવનમાં જગ્યા મળી હતી . ભારતમાં સુપારી સ્મગલિંગ આરોપમાં ફસાયા સનથ જયસૂર્યા , મુંબઈમાં પુછપરછ થઇ શકે" entertainment,સેલિબ્રિટીઓની જાહેર હાજરી દરમિયાન તેમની આસપાસ બાઉંસર્સનું હોવું અભિનેતા અનુપમ ખેરને હાસ્યાસ્પદ લાગે છે . તેમને લાગે છે કે તેનાથી તમે લોકોના પ્રેમ અને ઊષ્માથી વંચિત રહી જાઓ છે . 58 વર્ષીય બૉલીવુડ અભિનેતા અનુપમ ખેર આજકાલ પાટનગર ખાતે પોતાનું આત્મકથાત્મક નાટક કુછ ભી હો સકતા હૈ રજૂ કરી રહ્યાં છે . તેઓ તેમની સલામતી માટે અનેક સલામતી કર્મચારીઓથી ઘેરાયેલાં રહે છે . અનુપમ ખેર ટ્વિટ કરે છે - ગઈકાલે કુછ ભી હો સકતા હૈ નાટકના મંચન દરમિયાન મેં નજીકથી બાઉંસર સંસ્કૃતિ જોઈ . તેઓ મારી સલામતી માટે મોજૂદ હતાં . હું ખૂબ જ અસહજ અનુભવી રહ્યો હતો . બૉલીવુડમાં 400થી વધુ ફિલ્મોમાં અભિનય કરી ચુકેલા અનુપમ ખેરને લાગે છે કે સેલિબ્રિટીઝ માટે આવી સલામતી વ્યવસ્થા તેમને તેમના પ્રશંસકોના પ્રેમ અને ઊષ્મા પામવામાંથી વંચિત રાખે છે . તેમણે લખ્યું - ભારતમાં બાઉંસર્સ દ્વારા સેલિબ્રિટીઝની સલામતી એક હાસ્યાસ્પદ અવધારણા છે . તેમાં બસ મહત્વનો ખોટો અહેસાસ હોય છે . બાઉંસર્સ આપને લોકોના પ્રેમ અને હુંફથી દૂર કરે છે . મને તે ખૂબ જ હાસ્યાસ્પદ પણ લાગે છે . અનુપમ ખેર અનેક ફિલ્મોમાં કામ કરી ચુક્યાં છે . તેમની આગામી ફિલ્મ ગૅંગ ઑફ ઘોસ્ટ્સ છે કે જેમાં તેઓ વધુ એક વાર ડિફરંટ લુકમાં દેખાશે . business,"હવે કોબરા પોસ્ટે પોતાના સ્ટિંગ ઓપરેશન ' રેડ સ્પાઇડર - 2 ' દ્વારા દાવો કર્યો છે કે તેની પાસે 23 બેંકો અને ઇન્શ્યોરન્સ કંપનીઓના મની લોન્ડ્રિંગમાં સામેલ હોવાના પુરાવા છે . આ બાબતના વિડિયો પણ તેણે રજૂ કર્યા છે . કોબરા પોસ્ટો દાવો કર્યો છે કે કાળા નાણાને ધોળા કરવાનો વેપાર આપણી બેંકિંગ સિસ્ટમમાં સમાંતર રીતે ચાલી રહ્યો છે . આ સમસ્યા માત્ર ખાનગી ક્ષેત્રની બેંકો કે ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુટ્સમાં નથી પણ રાષ્ટ્રીયકૃત બેંકોમાં પણ છે . આ ખુલાસો કરવા માટે કોબરા પોસ્ટના રિપોર્ટર્સ અંદાજે 6 મહિના સુધી ઉત્તર પ્રદેશ , રાજસ્થાન , દિલ્હી , હરિયાણા , આંધ્ર પ્રદેશ , કર્ણાટકમાં ફરીને આ માટેના પુરાવા એકત્ર કર્યા છે . આ સ્ટિંગ ઓપરેશનમાં અનેક બેંકોના સિનિયર મેનેજર્સ કેમેરામાં કાળા નાણાને સફેદ કરવા માટેની ટિપ્સ અન્ડરકવર રિપોર્ટર્સને આપતા જોવા મળે છે . આ વખતે કોબરા પોસ્ટે રાષ્ટ્રીયકૃત બેંકોની પોલ ખોલી છે . આમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ( એસબીઆઇ ) , રિલાયન્સ લાઇફ ઇન્શ્યોરન્સ , કેનેરા બેંક , પંજાબ નેશનલ બેંક , બેંક ઓફ બરોડા , આઇડીબીઆઇ , યસ બેંક , એચડીએફસી , એક્સિસ , આઇસીઆઇસીઆઇ , ઓબીસી , ઇન્ડિયન ઓવરસીસ બેંક , ટાટા એઆઇજી , ફેડરલ બેંક , અલ્હાબાદ બેંક , ઇન્ડિયન બેંક , કોર્પોરેશન બેંક , ડીસીબી બેંક , દેના બેંક અને ધનલક્ષ્મી બેંકના સ્ટિંગ કર્યા છે . સ્ટિંગમાં દર્શાવાયું છે કે આ નાણાકીય સંસ્થાઓ નિયમોને નેવે મૂકીને હવાલા કૌભાંડ આચરી રહી છે . નોઇડામાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના બ્રાન્ચ મેનેજર પી કુમાર કેમેરામાં એમ કહી રહ્યા છે કે રૂપિયા 5 - 6 કરોડનું કાળુ નાણું ધોળું કરવા માટે બેંકમાં 5 એકાઉન્ટ ખોલાવી દેવાના . તેમાં ધીરે ધીરે નાણા જમા કરવાના . તેમણે એમ કહ્યું કે તમામ એકાઉન્ટમાં શરૂઆતમાં પાંચ - પાંચ લાખ રૂપિયા જ નાખવાના . ત્યાર બાદ ત્રણ ચાર લોકર લઇને દરેકમાં રૂપિયા 40થી 50 લાખ નાખવાની સલાહ આપી હતી . પંચકૂલામાં એસબીઆઇની ચીફ મેનેજર જે કોરને જ્યારે રિપોર્ટરે જણાવ્યું કે તેણે પાંચ કરોડ રૂપિયા રોકવા છે ત્યારે તેણે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાની સલાહ આપી . જ્યારે તેને કહેવામાં આવ્યું કે તેમને કાળા નાણા રોકવા છે ત્યારે તેમણે બેંકમાં ત્રણ એકાઉન્ટ ખોલાવીને સુરક્ષિત રોકાણ કેવી રીતે કરી શકાય તે અંગેની સલાહ આપી હતી ." business,આયોજન પંચના અધ્યક્ષ મોન્ટેક સિંહ અહલુવાલિયાએ જણાવ્યું કે ત્રણ વર્શ કરતા વધારે સમયમાં પહેલીવાર ફુગાવો 6 ટકાથી નીચે આવ્યો છે . મને આશા છે કે ભવિષ્યમાં અમને વધારે સારું પરિણામ જોવા મળશે . આ સાથે શાક ભાજીની કિંમતોમાં ઘટાડો થવાથી માર્ચમાં ઘટીને 5.96 ટકા રહી ગયો છે . આ ઉપરાંત જત્થાબંધ સૂચકાંત પર આધારિત ફુગાવો એક મહિના પહેલા ફેબ્રુઆરીમાં 6.84 ટકા હતી . એક વર્ષ પહેલા માર્ચ 2012માં આ દર 7.69 ટકા હતી . પાછલા નાણાકીય વર્ષમાં માર્ચ મહિનામાં 5.96 ટકા પર પહોંચેલો ફુગાવો રિઝર્વ બેંકના 6.8 ટકાના અનુમાનથી બહુ ઓછી છે . અહલુવાલિયાએ જણાવ્યું કે માસિક આંકડામાં વધારો ઘટાડો થતો રહે છે . અમારું માનવું છે કે ધીરે ધીરે ફુગાવાનું દબાણ ઓછું થશે . જો કે જથ્થાબંધ મૂલ્ય આધારિત ફુગાવાના જાન્યુઆરીના આંકડા સુધરીને 7.31 ટકા થશે . જ્યારે શરૂઆતના આંકડા 6.62 ટકા રહ્યા હતા . ફુગાવાના જાન્યુઆરીના આંકડામાં સંશોધન બાદ વૃધ્ધિ અંગે પૂછવામાં આવતા તેમણે જણાવ્યું કે જ્યાં સુધી માસિક આંકડાઓનો પ્રશ્ન છે અમારી પદ્ધતિ એટલી સચોટ છે કે તેમાં કોઇ ફેરફાર નહીં થાય . અહલુવાલિયાના જણાવ્યા અનુસાર ફુગાવાની ચાલ સરકારના અનુમાન અનુસાર જ છે . આ ધીરે ધીરે નિયંત્રણમાં આવી જશે sports,"ગ્રુપ બી માં ઓસ્ટ્રેલિયા , વેસ્ટઇન્ડિઝ અને આર્યલેન્ડની ટીમો છે જ્યારે ગ્રુપ સી માં શ્રીલંકા , દક્ષિણ આફ્રિકા અને જિમ્બાબ્વેની ટીમ છે . ગ્રુપ ડી માં પાકિસ્તાન , ન્યૂઝીલેન્ડ અન બાંગ્લાદેશની ટીમ છે . પોતપોતાના ગ્રુપમાં ટોચ પર રહેનારી ટીમો સુપર - 8 માટે ક્વોલિફાઇ થશે . સુપર - 8 માં બે ગ્રુપ બનાવવામાં આવ્યા છે . જેમાં ગ્રુપ - 1 અને ગ્રુપ - 2 છે . સુપર - 8માં ટોચ પર રહેનારી બે ટીમો સેમીફાઇનલ માટે ક્વોલિફાઇ થશે . 18 સપ્ટેમ્બરથી શરૂ થનારી આ ટૂર્નામેન્ટનો ફાઇનલ મુકાબલો સાત ઑક્ટોમ્બરે યોજાશે . યજમાન ટીમ શ્રીલંકા અને ઝિમ્બાબ્વ ટીમ વચ્ચે ઉદધાટન મુકાબલો યોજાશે . આ ટૂર્નામેન્ટના પ્રથમ દિવસે એક મેચ રમાશે . ભારતીય ટીમ પોતાના અભિયાનની શરૂઆત બુધવારથી અફઘાનિસ્તાન વિરૂદ્ધ રમાનારી મેચથી કરશે . ક્રિકેટના જાણકારોનું માનવું છે કે T - 20 વર્લ્ડકપ માટે ભારત , પાકિસ્તાન , શ્રીલંકા અને વેસ્ટઇંડિઝની ટીમ પ્રબળ દાવેદાર છે ." sports,"ભારતમાં પોતાના કાર્યકાળ અંગે તેમણે કહ્યું કે સહેવાગ પોતાની શરતો પર રમનાર ખેલાડી છે . જેના કારણે તે પોતાની કુશળતાનો યોગ્યરીતે ઉપયોગ કરી શકતા નથી . હું તેનાથી નારાજ હતો , પરંતુ હું તેમને પસંદ કરતો હતો . મેં સહેવાગ અંગે એ વાત જલદી જાણી લીધી હતી કે તેમનામાં સમર્પણની ખોટ છે , જે તેમના જેવા ખેલાડીને ટોચ પર લઇ જતા અટકાવે છે . તે એ વાતથી વધારે ખુશ રહે છે જે તેમને આસાનીથી મળી જાય છે . વર્ષ 2005થી વિશ્વકપ 2007 સુધી ભારતના કોચ પદે રહેલા ચેપલે આગળ લખ્યું છે કે , હું તેમની ફિટનેસ પરેશાન રહેતો હતો . ફિટનેસ પર તે વઘું મહેનત કરતા નથી . જો કે , તે એક સારા બેટ્સમેન અને ઓફસ્પિન બોલર પણ છે . ચેપલે લખ્યું છે કે , સહેવાગ ટીમના સુકાની બનવા ઇચ્છે છે અને તેમની પાસે તેની યોગ્યતા પણ છે , પરંતુ તેમણે દરેક તકનો લાભ લેવો પડશે . જે તે કરી રહ્યાં નથી . સહેવાગના વલણ સામે પ્રશ્નો ઉઠાવતાં ચેપલે કહ્યું કે , જ્યારે હું ભારતનો કોચ હતો ત્યારે તે મોટો સ્કોર બનાવવાના બદલે પોતાના સ્ટ્રાઇક રેટને લઇને વધારે ગંભીર હતા . જેના કારણે તે પહેલા બોલથી જ શોટ ફટકારવાનું શરૂ કરી દેતા હતા અને જ્યારે ટીમને તેમની પાસેથી મોટા સ્કોરની આશા રહેતી ત્યારે તે જલદી આઉટ થઇ જતા હતા . નોંધનીય છે કે ચેપલ આ પહેલાં પણ ટીમ ઇન્ડિયાને લઇને કેટલાક વિવાદિત નિવેદન કરી ચૂક્યાં છે . હવે તેમના આ નિવેદન પછી સહેવાગ કેવા પ્રકારની પ્રક્રિયા આપશે તે જોવાલાયક બાબત હશે ." sports,"આજે ભારત અને ઇંગ્લેન્ડ સામે ચાલી રહેલી વનડે શ્રેણીની અંતિમ અને પાંચમી વનડે મેચ લીડ્સ ખાતે રમાનારી છે . ભારત ક્લિનસ્વીપ કરવા માટે મેદાન પર ઉતરશે તો બીજી તરફ ઇંગ્લેન્ડ પોતાની શાખ બચાવવા માટે પ્રયાસો કરશે . ટેસ્ટ શ્રેણીના પરાજય બાદ ભારતે વનડે ક્રિકેટમાં પોતાની બાદશાહત મેળવવાની સાથોસાથ શ્રેણી પણ જીતી લીધી અને મહેન્દ્ર સિંહ ધોની ભારતનો સર્વશ્રેષ્ઠ સુકાની બની ગયો . જ્યારે આજે બધા જ ધોનીની સફળતા અંગે વાતો કરી રહ્યાં છે ત્યારે અમે વિશ્વ ક્રિકેટના કેટલાક એવા આંતરરાષ્ટ્રી ખેલાડીઓ અંગે માહિતી આપી રહ્યાં છીએ , જેમના નસીબમાં સૌથી વધારે વનડે હાર આવી છે . આ યાદીમાં ભારતના મહાન ક્રિકેટર સચિન તેંડુલકર પણ છે . તો ચાલો તસવીરો થકી જાણીએ કે આ યાદીમાં કયા કયા ખેલાડીઓ છે . જુઓ વીડિયો , પાક ક્રિકેટરે દિલશાનને કહ્યું તો ‘આગ ' લાગશે ! આ ધુરંધરોના ‘કમબેક ' માર્ગમાં અવરોધ બન્યા યુવા ક્રિકેટર આ પણ વાંચોઃ - ચેમ્પિયન્સ લીગમાં આ ટીમોનો હંમેશા રહ્યો છે દબદબો" business,"એમ્પ્લોય પ્રોવિડંડ ફંડ ઓર્ગેનાઇઝેશન ( ઈપીએફઓ ) ઘ્વારા પે - રોલ આંકડા જાહેર કરવામાં આવ્યા છે . જેના અનુસાર છેલ્લા 10 મહિનામાં દેશમાં 47 લાખ રોજગારની તકો ઉભી થયી છે . ઈપીએફઓ રિપોર્ટ અનુસાર સપ્ટેમ્બર 2017 થી લઈને જૂન 2018 સુધીમાં દેશમાં 47.13 લાખ રોજગારની તક પેદા થયી . છેલ્લા 10 મહિનામાં દેશમાં 47 લાખ રોજગારની તકો મળી , તો ઈપીએફઓ ઘ્વારા નવા સભ્યોના નામાંકન અનુમાન 12.38 ટકા ઘટ્યું અને તે 39.20 લાખ રહ્યું . આ પે - રોલ આંકડા અનુસાર આ દરમિયાન 44.74 લાખ નવા સદસ્યો સામાજિક સુરક્ષા યોજનાઓથી જોડવામાં આવ્યા . જેથી તેમને પીએફ , વીમા અને પેંશન યોજનાઓ મળી શકે . ઈપીએફઓ પે - રોલ આંકડા અનુસાર જૂન મહિનામાં સૌથી વધારે કર્મચારીઓ ઈપીએફઓ સાથે જોડાયા . જૂન મહિનામાં સૌથી વધારે 7,93,308 લોકો જોડાયા . ઈપીએફઓ આંકડા અનુસાર ઉમર કેટેગરીમાં દર મહિને જે આંકડા આપવામાં આવ્યા છે તે મહિના દરમિયાન તેના જોડનાર અને નીકળનાર આંકડા છે ." sports,"ભારતે મંગળવારે થયેલા વિશ્વકપ 2016 ના એક મહત્વના મુકાબલામાં ઇગ્લેંડની ટીમને આસાન મુકાબલામાં હરાવી ટુર્નામેંટની સેમીફાઇનલમાં પોતાની જીત નિશ્ચિત કરી લીધી છે . ગ્રુપ એ ની છેલ્લી મેચમાં ભારતે ઇગ્લેંડને 69 - 18 પોઇંટથી હરાવી સેમીફાઇનલમાં પોતાની જગ્યા નિશ્ચિત કરી લીધી છે . આખી મેચમાં શરુઆતથી અંત સુધી ભારતની પકડ મજબૂત રહી હતી . કબડ્ડી વિશ્વકપના સેમીફાઇનલ મુકાબલામાં હવે ભારતની સામે ઇરાન કે થાઇલેંડ હશે . બુધવારે લીગ મુકાબલાની છેલ્લી મેચ રમાશે અને તેમાં નક્કી થશે કે ગ્રુપ બી માંથી ઇરાન ઉપરાંત કઇ ટીમ સેમી ફાઇનલ માટે ક્વોલિફાય થવામાં સફળ રહેશે . ભારતે 2004 અને 2009 કબડ્ડી વિશ્વકપ ખિતાબ જીત્યા બાદ આ વર્ષે ખિતાબની દાવેદારી માટે આગેકૂચ કરી દીધી છે . ઇગ્લેંડની ટીમ ભારત સામે એટલી નિર્બળ પુરવાર થઇ કે તે 20 પૉઇંટ પણ મેળવી શકી નહિ અને તેણે 51 પૉઇંટના વિશાળ અંતરથી મેચ હારવી પડી . ભારત તરફથી પરદીપ નરવાલે સુપર 10 સાથે 11 પૉઇંટ મેળવ્યા . આ બંને ઉપરાંત સુરજીતે ટેકલમાં હાઇ 5 મેળવીને 6 પૉઇંટ મેળવ્યા . નીતિન તોમરે 7 અને રાહુલ ચૌધરીએ 5 પૉઇંટ ભારતની ઝોળીમાં નાખ્યા . સુરેન્દર નાડાએ કુલ 3 પૉઇંટ મેળવવામાં સફળતા મેળવી . અમેરિકાને હરાવી કેન્યા સેમીફાઇનલમાં આ તરફ કેન્યા અને અમેરિકા વચ્ચે રમાયેલી કબડ્ડી મેચમાં કેન્યાએ અમેરિકાને પછાડી દીધુ હતુ . પોતાના છેલ્લા મુકાબલામાં કેન્યાએ અમેરિકાને 74 - 19 ના મોટા અંતરથી હરાવી દીધુ . આ જીત સાથે કેન્યાની સેમીફાઇનલમાં પહોંચવાની આશા સફળ થઇ છે . બુધવારે થનાર મેચમાં જો જાપાન પોતાની વિરોધી ટીમ થાઇલેંડને 7 કે તેનાથી વધુ પૉઇંટથી હરાવે તો કેન્યાને સેમીફાઇનલમાં રમવાનો અવસર મળશે . જાપાનની આ જીત સાથે તેના 16 પૉઇંટ થશે અને કેન્યાના પણ 16 પૉઇંન્ટ થશે . એવામાં બંનેના પૉઇંટ તો સરખા થઇ જશે પરંતુ કેન્યા જાપાનને લીગ મુકાબલામાં આ પહેલા હરાવી ચૂક્યુ છે , આ આધાર પર તે સેમીફાઇનલમાં પહોંચી જશે . અંતિમ ચારમાં તેનો મુકાબલો દક્ષિણ કોરિયા સાથે થઇ શકે છે , જે ગ્રુપ એ માં પહેલા સ્થાન પર છે . કેન્યાના ખેલાડીઓએ અમેરિકી ટીમને શરુઆતથી જ પ્રેશરમાં લાવી દીધી હતી . બીજા હાફમાં કેન્યાએ કુલ 36 પૉઇંટ મેળવી લીધા . કેન્યાના કૅપ્ટન ડેવિડ મોસામબાઇ અને ડિફેંડર ફેલિક્સ ઓપાન સારુ રમ્યા . બંનેએ કુલ 23 પૉઇંટ મેળવ્યા ." business,"આમ આ નોટિફિકેશનને કારણે હાલમાં રિયલ્ટી સેક્ટરમાં પોપ્યુલર થયેલી 20:80 અને 25:75 સ્કીમો સામે આરબીઆઇએ લાલ આંખ કરી છે . આરબીઆઇએ કહ્યું છે કે અધુરા પ્રોજેકટ માટે હોમ લોન આપવી જોખમ ભરેલુ છે . હોમ લોન આપતી વખતે કન્સ્ટ્રકશનની સ્થિતિ સમજવી જરૂરી છે . કન્ટ્રકશનની સ્થિતિને આધારે હોમ લોન આપવી જોઇએ . હાલમાં કેટલાક બિલ્ડરો અને ડેવલપરો વિવિધ બેન્કો સાથે મળીને ઇનોવેટિવ હાઉસિંગ લોન - સ્કીમો બહાર પાડી રહ્યા છે . જે 20:80 અને 25:75 સ્કીમો તરીકે પોપ્યુલર છે . આ સ્કીમોમાં કન્સ્ટ્રકશનના વિવિધ સ્ટેજને ધ્યાનમાં લીધા વિના જ લોન આપવામાં આવે છે અને એક નિશ્ચિત રકમ બિલ્ડર કે ડેવલપરને મળી જાય છે . આ રકમ બિલ્ડરને મળે છે , પણ એ લેનારી વ્યક્તિના નામે વ્યાજ ચડતું જાય છે . જો બિલ્ડર દ્વારા કામ અટકે તો આવી લોનની વસૂલાત કરવાનું મુશ્કેલ થઇ શકે છે . ભવિષ્યમાં આ મૃદ્દે બેન્કનું જોખમ પણ વધી શકે અમે છે એથી આવી લોન પણ કન્સ્ટ્રકશનના સ્ટેજને આધારે આપવી જોઇએ ." sports,"ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે વનડે શ્રેણી ચાલી રહી છે . ટેસ્ટ શ્રેણી બાદ વનડેમાં ભારતનું એક અલગ જ રૂપ જોવા મળ્યું છે . ભારતની બોલિંગ અને બેટિંગ બન્નેમાં પરિવર્તન આવ્યું છે . જે આજે ચોથી વનડે દરમિયાન પણ આપણને જોવા મળી રહ્યું છે . પહેલા બોલિંગનો નિર્ણય કર્યા બાદ ભારતને શરૂઆતમાં જ ઇંગ્લેન્ડની ત્રણ વિકેટો પાડી દીધી હતી . ટીમ સાથે સુરેશ રૈના સહિતના અન્ય ખેલાડીઓ જોડાતા ટીમનો ઉત્સાહ જાણે કે વધી ગયો છે . લાંબા સમય સુધી ટીમથી દૂર રહ્યાં બાદ સુરેશ રૈના ફરી એકવાર પોતાની શૈલીમાં બેટિંગ કરતો જોવા મળ્યો હતો . શ્રેણીની બીજી મેચ દરમિયાન રૈનાએ શાનદાર બેટિંગ પ્રદર્શન કરતા સદી ફટકારી હતી . આ સાથે જ તે ભારતના વનડે સ્પેશિઅલિસ્ટ ક્લબમાં જોડાઇ ગયો હતો . તો ચાલો તસવીરો થકી રૈનાની આ સિદ્ધિ અંગે જાણીએ . pagespeed . lazyLoadImages . overrideAttributeFunctions ( ) ; function googleAnalyticsCodeCommon ( ) { var main _ url = $ ( ' link [ rel = "" canonical "" ] ' ) . attr ( "" href "" ) ; var url = document . location . href ; var pattern = ' https : / / ' + window . location . hostname ; url = url . replace ( pattern , "" "" ) ; var title = document . title ; ga ( "" oneindiagu . send "" , { hitType : "" pageview "" , page : url , location : main _ url } ) ; ga ( "" rosoneindia . send "" , { hitType : "" pageview "" , page : url , location : main _ url } ) ; ga ( "" dhoneindia . send "" , { hitType : "" pageview "" , page : url , location : main _ url } ) ; url = document . location . href ; var jcode = ' var _ comscore = _ comscore | | [ ] ; var comscoreParams = { c1 : "" 2 "" , c2 : "" 7732551 "" , c3 : "" "" , c4 : "" ' + url + ' "" , c5 : "" "" , c6 : "" "" , c15 : "" "" } ; _ comscore . push ( comscoreParams ) ; var s = document . createElement ( "" script "" ) , el = document . getElementsByTagName ( "" script "" ) [ 0 ] ; s . async = true ; s . src = ( document . location . protocol = = "" https : "" ? "" https : / / sb "" : "" http : / / b "" ) + "" . scorecardresearch . com / beacon . js "" ; el . parentNode . insertBefore ( s , el ) ; ' ; setTimeout ( jcode , 500 ) ; var _ qevents = _ qevents | | [ ] ; ( function ( ) { var elem = document . createElement ( ' script ' ) ; elem . src = ( document . location . protocol = = "" https : "" ? "" https : / / secure "" : "" http : / / edge "" ) + "" . quantserve . com / quant . js "" ; elem . async = true ; elem . type = "" text / javascript "" ; var scpt = document . getElementsByTagName ( ' script ' ) [ 0 ] ; scpt . parentNode . insertBefore ( elem , scpt ) ; } ) ( ) ; _ qevents . push ( { qacct : "" p - yjta2aSVPaHEL "" } ) ; window . google _ analytics _ uacct = "" UA - 110466 - 73 "" ; } આ પણ વાંચોઃ - ધોનીએ કરી અઝહરના રેકોર્ડની બરાબરી , નેક્સ્ટ ટાર્ગેટ પોન્ટિંગ આ પણ વાંચોઃ - ટીમ ઇન્ડિયા નંબર વન , કાંગારુઓને નડ્યું ઝિમ્બાવ્વે" entertainment,લો ફરી એક અભિનેત્રીના બિકીની ફોટો આવી ગયા . આ વખતે તમારી સામે છે નતાશા સટેન્કોવિકની તસવીરો . જેમાં તે સફેદ બિકીનીમાં નજરે પડે છે . હાલમાં નતાશા ગ્રીકમાં છે . ત્યાં તે ફેમિલી વેડિંગ માટે ગયી છે . નતાશા ફેમિલી વેડિંગ માટે ગયી તો છે પરંતુ બીચ પર જવાનો એક પણ મોકો તે છોડવા નથી માંગતી . Too Hot : બિકીનીમાં નજરે પડી ટીવીની આ સંસ્કારી વહુ . . . . નતાશાએ કેટલીક ફોટો પણ ઇન્સ્ટાગ્રામ પાર શેર કરી છે . જેમાં તે બીચ પર બિકીનીમાં જોવા મળે છે . નતાશાને તમે બાદશાહ સાથે ફેમસ સોન્ગ ડી જે વાલે બાબુમાં જોઈ ચુક્યા છો . એટલું જ નથી પરંતુ નતાશા વિવાદિત શો બિગ બોસ ના સિઝન 8 માં પણ જોવા મળી હતી . જેમાં તે લગભગ 1 મહિના સુધી રહી અને બાદમાં જતી રહી . તો જુઓ નતાશાની કેટલીક હોટ તસવીરો . . . . business,"નવી દિલ્હી , 22 ઓક્ટોબર : નેશનલ સ્પોટ એક્સચેન્જ લિમિટેડમાં થયેલા રૂપિયા 5600 કરોડના કૌભાંડને કારણે રોકાણકારો અને અન્ય સંકળાયેલા લોકોને જે નુકસાન થયું છે તે ઝડપથી ભરપાઇ થઇ શકે તે માટે સરકારે મંગળવારે કૌભાંડ આચરવામાં આવ્યું તે કંપની અને તેની હોલ્ડિંગ કંપની FTILમાં મર્જર કરી દેવાનો આદેશ આપ્યો હતો . જુલાઇ 2013માં NSELમાં નાણા ચૂકવણીનું કૌભાંડ બહાર આવ્યું તેના અંદાજે સવા વર્ષ બાદ આ આદેશ આપવામાં આવ્યો છે . આ નિર્ણય જાહેર હિતામાં લેવામાં આવ્યો છે . કારણ કે એક્સચેન્જમાં તેને ચાલુ રાખવાનું કોઇ વાજબી કારણ બચ્યું નથી . FTILમાં તેને ભેળવી દેવામાં આવશે તેના કારણે તેની ઝડપી રિકવરી શક્ય બનશે . નોંધનીય છે કે વર્ષ 2009માં સત્યમનું કૌભાંડ બહાર આવ્યા બાદ NSELમાં FTILને ભેળવી દેવાના નિર્ણયમાં સરકારે પોતાની દરમિયાનગીરી નોંધાવી છે . જો કે સત્યમની સરખામણીએ આ કેસ એટલા માટે અલગ છે કે તેમાં સરકારે તેની જ પેરેન્ટડ ફર્મ માં મર્જર કરી દેવાનો આદેશ આપ્યો છે . સત્યમના કેસમાં આઇટી કંપનીને થર્ડ પાર્ટીને વેચવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો ." sports,"રાજસ્થાન રોયલ્સે રવિવારે બ્રેબોર્ન સ્ટેડિયમમાં થયેલી આઇપીએલની 36મી મેચમાં દિલ્હી ડેરડેવિલ્સને 14 રનોથી હરાવી દીધું , આની સાથે જ રોયલ્સ 14 પોઇંટની સાથે એકવાર ફરીથી પોઇંટ ટેબલમાં શ્રેષ્ઠ સ્થાને આવી ગયું છે . રોયલ્સે અજિંક્ય રહાણે ( અણનમ 91 ) અને કરણ નાયર ( 61 ) ની શાનદાર પારીઓના કારણે ડેરડેવિલ્સની સામે જીતવા માટે 190 રનોનું જંગી લક્ષ્ય મૂક્યું , જેના જવાબમાં ડેરડેવિલ્સ નિર્ધારિત 20 ઓવરોમાં સાત વિકેટ ગુમાવીને 175 રન જ બનાવી શક્યું . રહાણેને તેમની શાનદાર પારીના કારણે મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા . રહાણે આઇપીએલ 8માં 10 મેચોમાં નવ પારીઓમાં કુલ 430 રનો બનાવનાર ખેલાડી બની ગયો છે . મોટા લક્ષ્યને આંબવા માટે ડેરડેવિલ્સની શરૂઆત સારી રહી નહીં અને મયંક અગ્રવાલ ( 11 ) , શ્રેયષ અય્યર ( 9 ) સસ્તામાં પેવેલિયન ભેગા થઇ ગયા . યુવરાજ સિંહ ( 22 ) અને એંજેલો મેથ્યૂઝ ( 16 ) ની સાથે ચોથી વિકેટ માટે 41 રનોની ભાગીદારી કરીને ટીમને સંભાળવાની પૂરેપૂરી કોશિશ કરી . છેલ્લે મેચમાં ડેરડેવિલ્સને જીતવા માટે 12 બોલમાં 45 રનોની જરૂરીયાત હતી , જેને તેઓ હાસલ કરી શક્યા નહીં , અને હારનો સામનો કર્યો . રોયલ્સ તરફથી ફોલ્કનરે સર્વશ્રેષ્ઠ બોલિંગ કરી . ફોલ્કનરે ચાર ઓવરોના પોતાના સ્પેલમાં 22 રન આપીને બે વિકેટ મેળવી . ધવલ કુલકર્ણી અને બિન્નીએ પણ બે - બે વિકેટ હાસલ કરી ." business,"ગત 10 આઇપીએલથી ઇન્ડિયન પ્રીમિયર લીગનું પ્રસારણ સેટ મેક્સ ટીવી કરી રહ્યું છે . પણ હવે આઇપીએલની મેચ તમને સ્ટાર ઇન્ડિયા પર જોવા મળશે . સ્ટાર ઇન્ડિયાએ IPL મેચોના પ્રસારણનો અધિકારોને મોટી રકમ ચૂકવીને ખરીદી લીધા છે . સ્ટાર ઇન્ડિયાએ આ અધિકાર 16,347.50 કરોડ રૂપિયામાં ખરીદ્યા છે . સ્ટાઇ ઇન્ડિયાએ ટીવી અને ડિજિટલ માટે વર્ષ 2018 થી 2022 સુધીના રાઇટ્સ ખરીદ્યા છે . આઇપીએલના ટીવી પ્રસારણના અધિકારની આ રેસમાં સોની અને સ્ટાર નેટવર્ક પણ સૌથી આગળ હતા . પણ છેલ્લે આ બાજી સ્ટાર ઇન્ડિયા જીતી ગયું હતું . આ સાથે જ ડિજીટલ પ્રસારણ માટે એરટેલ , જીયો , ટાઇમ્સ નેટવર્ક અને ફેસબુકે જગ્યા બનાવી હતી . આ નીલામીથી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડને મોટી કમાણી થઇ છે . આઇપીએલ મીડિયાના અધિકારોને બે ભાગમાં એટલે કે બ્રોડકાસ્ટ અને ડિજીટલ તેમ પાડવામાં આવ્યા છે . તે જોતા હવે આવનારા 5 વર્ષ એટલે કે 2018થી 2022 સુધી આઇપીએલની તમામ મેચોને લાઇવ બતાવાનો અધિકાર સ્ટાર ઇન્ડિયા પાસે રહેશે . ઉલ્લેખનીય છે કે 2008માં સોની ચેનલે આ રાઇટ્સ 8200 કરોડમાં ખરીદ્યા હતા . અને હવે 5 વર્ષ માટે તેના આ અધિકાર સ્ટાર ઇન્ડિયાએ ખરીદ્યા છે ." sports,"આઇપીએલ ફ્રેન્ચાઇજી ટીમ રાજસ્થાન રોયલ્સની માલિક શિલ્પા શેટ્ટીએ સ્પોટ ફિક્સિંગ મામલામાં પોતાના વિચારો રજૂ કરતા જણાવ્યું કે આખા દેશને હચમચાવી નાખ્યું છે . અભિનેત્રી અને બિઝનેસવુમન શિલ્પાએ જણાવ્યું કે આ સ્કેન્ડલને યાદ કરતા કહ્યું કે ખરેખર આ હાર્ટબ્રેકિંગ ઘટના છે . શિલ્પાએ એક દૈનિક અખબાર સાથેની વાતચીતમાં જણાવ્યું કે આ ઘટના રાજસ્થાન રોયલ્સના સભ્યો માટે શરમજનક છે . આ સંવેદનશીલ મામલો છે માટે હું આની પર વધુ વાત કરવા નથી માગતી . ફ્રેંચાઇજી હોવાના નાતે તેના ઉંડાણ સુધી જઇશ . આ હાર્ટબ્રેકિંગ છે પરંતુ ટીમ અમારી ફેમીલી જેવી છે . માટે મને આઘાત લાગ્યો છે . રાજસ્થાન રોયલ્સના ત્રણ ખેલાડી શ્રીસંત , અજિત ચંદીલા અને અંકિત ચૌહાણ સ્પોટ ફિક્સિંગ મામલામાં સપડાયેલા હોવાના કારણે તેમની ધરપકડ કરવામાં આવી છે . આ ત્રણેય ખેલાડીઓએ પોતાના ગૂના કબૂલી પણ લીધા છે ." business,"સરદારધામ વિશ્વ પાટીદાર કેન્દ્ર દ્વારા આગામી તારીખ 5 - 6 - 7 જાન્યુઆરી 2018 દરમિયાન ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટનુ આયોજન કરવામાં આવ્યું છે . જેની તૈયારીઓ ખુબ મોટા પ્રમાણમાં કરવામાં આવી રહી છે . સરદારધામના પ્રમુખ અને પાટીદાર અગ્રણી ગગજીભાઇ સુતરીયાએ જણાવ્યું કે આ સમિટમાં કન્વેન્શન , એક્ઝીબીસન , બિઝનેસ સેમીનાર , બી2બી મીટીંગની વ્યવસ્થા કરવામાં આવી છે . જેનો હેતુ એ છે કે સમાજના નાના , મધ્યમ અને મોટા ઉદ્યોગોને આંતરિક તેમજ વૈશ્વિક જોડાણને સમર્થન આપવુ , નવા ઉદ્યોગપતિઓ તૈયાર કરવા , તેમજ સમાજના શિક્ષિત યુવક યુવતીઓને તાલીમ આપી સન્માન સાથે ધંધો રોજગાર અપાવવો કે સ્કીલ મુજબ નોકરી અપાવી . આ ગ્લોબલ પાટીદાર સમિટમાં ભારત તેમજ અન્ય 32 દેશોમાંથી અંદાજે 10,000 જેટલા ઉદ્યોગપતિઓ ખાસ ભાગ લેવા ગાંધીનગર પધારશે . તેમજ એક અંદાજ મુજબ 3 લાખથી વધારે લોકો સમિટની મુલાકાત લેશે . આવનાર ઉદ્યોગપતિઓ પાટીદાર સમાજના છે અને જેમાં હરેકૃષ્ણ ડાયમંડના હરિકૃષ્ણ પટેલ , લવજી બાદશાહ , પંકજભાઇ પટેલ , કરશનભાઇ પટેલ સહિતના અગ્રણીઓ પણ હાજર રહેશે . આ ઉપરાંત , બાબા રામદેવ પણ એક મોટીવેશનલ સ્પીકર તરીકે તેમજ એક બિઝનેસમેન તરીકે ખાસ ભાગ લેવાના છે . તેમજ શીવ ખેરા , ચેતન ભગત સહિતના મોટીવેશનલ ટ્રેનર પણ આવશે . ગ્લોબલ પાટીદાર સમિટ 2018,2020,2022,2024 અને 2026 સુધી યોજાશે અને જેનો લાભ માત્ર પાટીદાર સમાજ જ નહીં પણ અન્ય સમાજને પણ થાય તે હેતુ છે . આ વખતે પાટીદાર ઉદ્યોગરત્ન એવોર્ડની જાહેરાત પણ કરવામાં આવનાર છે . જેમાં ઓપન કેટેગરીમાં 3 ટોપ કરદાતા , ટોપ 3 એક્સપોર્ટ ટર્નઓવર ધરાવતી કંપની , ટોપ 3 સૌથી વધારે સ્ટાફ ધરાવતી કંપની , ટોપ 3 સૌથી વધારે કૃષિ આવક ધરાવતા ખેડૂત , ટોપ 3 સૌથી વધારે નેટવર્થ ધરાવતા વેપારીઓને એવોર્ડ આપવામાં આવશે . જ્યારે મહિલા કેટેગરીને પણ શરૂ કરવામાં આવશે . જેમાં ટોપ 3 મહિલા કરદાતા , ટોપ 3 કૃષિ આવક ધરાવતી મહિલા ખેડૂત અને સૌથી વધારે નેટવર્થ ધરાવતી ટોપ 3 મહિલાઓ . અને એનઆરઆઇ કેટેગરીમાં સૌથી વધારે નેટવર્થ ધરાવતા ટોપ થ્રી એનઆરઆઇને એવોર્ડ આપવામાં આવશે ." entertainment,"મુંબઈ , 18 સપ્ટેમ્બર : બૉલીવુડના સુપરસ્ટાર સલમાન ખાનની ફિલ્મ જુડવાં તો બધાને યાદ હશે . હવે ફરી એક વાર સલમાન ડબલ ધમાકો લઈને આવી રહ્યાં છે . જાણવા મળે છે કે 2010માં રિલીઝ થયેલી પોતાની ફિલ્મ દબંગની સિક્લવ દબંગ 2માં સલમાન ખાન ડબલ રોલ કરશે . દબંગ 2 આ વર્ષને અંતે 21મી નવેમ્બરે રિલીઝ થશે અને આ વખતે આ ફિલ્મનું દિગ્દર્શન અભિનવ કશ્યપ નહિં , પણ સલમાનના ભાઈ અરબાઝ ખાન કરી રહ્યાં છે . એમ જોવા જઇએ તો સલમાનની આ ફિલ્મ તાજેતરમાં જ આવેલી અક્ષય કુમારની ફિલ્મ રાઉડી રાઠોડ સાથે ઘણી મળતી આવે છે . રાઉડી રાઠોડમાં જ્યાં પોલીસની વર્ધીમાં અક્ષય કમારે પોતાની દબંગાઈ દાખવી હતી , ત્યારે હવે દબંગ 2માં રાઉડી રાઠોડ સલમાન ખાન દેખાશે . રાઉડી રાઠોડમાં અક્ષય કુમારે પણ ડબલ રોલ કર્યો હતો અને તે ફિલ્મ બૉક્સ ઑફિસ ઉપર સુપર હિટ રહી હતી . હવે સલમાન પણ પોતાની ફિલ્મમાં દબંગ પાત્ર ભજવી કદાચ અક્ષયની સફળતાને દોહરાવવા માંગે છે . જોકે , અત્યાર સુધી તો સલમાનના ડબલ રોલના સમાચારને અધિકૃત સમર્થન તો નથી મળ્યું , પણ આમ છતાં સલમાને પોતાના ફેન્સ સમક્ષ કઈંક એવો જ ઇશારો કર્યો છે કે તેઓ આ ફિલ્મમાં ડબલ રોલ કરી રહ્યાં છે . હવે સાચુ શું છે , તે તો ફિલ્મના પ્રોમો રિલીઝ થયાં પછી જ ખબર પડશે , પણ એટલું તો જરૂર છે કે જો એક દબંગે બૉક્સ ઑફિસ પર આટલી સફળતા મેળવી હોય , તો બે - બે દબંગ સાથે આવતાં તો બૉક્સ ઑફિસની વાટ જ લાગી જશે . જોકે , સોનાક્ષી સિન્હા માટે પણ દબંગ 2 ઘણી મહત્વની છે , કારણ કે રાઉડી રાઠોડ બાદ જોકરને કારણે સોનાક્ષીને ભારે નિષ્ફળતાનું મોઢું જોવુ પડ્યુ હતું અને હવે સોનાક્ષીને એક સફળ ફિલ્મનો બહુ આતુરતાપૂર્વક છે . અને દબંગ 2થી સોનાક્ષીને ઘણી આશા છે ." business,ભારતીય સ્ટેટ બેંકના ગ્રાહકોને બેંકે એક મોટો ઝટકો આપ્યો છે . બેંકે તેના બચત ખાતામાં જમા વ્યાજ દરોમાં 0.5 ટકાનો ઘટાડો કર્યો છે . બેંક દ્વારા જાહેર કરવામાં આવેલ આ ઘટાડો આજથી જ એટલે કે 31 જુલાઇથી જ લાગુ થઇ જશે . આમ જો તમે પણ ભારતીય સ્ટેટ બેંકના ગ્રાહક હશો તો તમને પહેલા કરતા હજી ઓછું વ્યાજ મળશે . અત્યાર સુધી 1 કરોડ રૂપિયા સુધીના બચત ખાતામાં બેંકની તરફથી 4 ટકા વ્યાજ આપવામાં આવતું હતું પણ હવે 3.5 ટકા વ્યાજ આપવામાં આવશે . જો કે મોટા ભાગના લોકો 1 કરોડ રૂપિયાથી ઓછું બચત ખાતું ધરાવતા હોય છે . એટલો વધારે નુક્શાન મધ્યમ વર્ગ અને તે લોકોને જે બેંકના વ્યાજના પૈસે પોતાનું ગુજરાન ચલાવે છે . જો કે બચત ખાતા પર વ્યાજ ઓછું થવાથી બેંકની કોસ્ટ ઓફ ફંડમાં પણ ઘટાડો થશે જેનો કારણે બેંક સસ્તામાં લોન આપી શકશે . ઉલ્લેખનીય છે કે 2 ઓગસ્ટથી ક્રેડિટ પોલીસીની પણ સમીક્ષા થવાની છે . જેમાં પણ વ્યાજ દરોના ઘટાડાની સંભાવના રહેલી છે . sports,હિમાચલ પ્રદેશ ક્રિકેટ સંઘ સ્ટેડિયમમાં શનિવારે ઇન્ડિયન પ્રીમિયર લીગની છઠ્ઠી સિઝનની 69મી મેચમાં કિંગ્સ ઇલેવન પંજાબની ટીમે મુંબઇ ઇન્ડિયન્સને 50 રને હરાવી દીધું . કિંગ્સ ઇલેવન દ્વારા મળેલ 184 રનોના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી આઇપીએલની વર્તમાન સર્વોચ્ચ ટીમ મુંબઇ ઇન્ડિયન્સ 19.1 ઓવરોમાં 133 રનો પર ઢેર થઇ ગઇ . મુંબઇની પારીની શરૂઆત વિકેટ પડતાની સાથે થઇ અને સલામી બેટ્સમેન ગ્લેન મેક્સવેલ શૂન્યના કૂલ યોગ પર કોઇ ખાતુ ખોલાયા વગર જ બેવેલિયન ભેગા થઇ ગયા . ત્યારબાદ બીજા વિકેટ માટે રમી રહેલ આદિત્ય તારે ( 22 ) ને સંદીપ શર્માને ક્લીન બોલ્ડ કરી આઉટ કર્યો . ત્યારબાદ અમ્બાતી રાયડૂ 26 અને કપ્તાન રોહિત શર્માએ 25 રન બનાવ્યા . રાયડૂને પરવિંદર અવાનાની ઓવરમાં વિકેટકીપર કપ્તાન એડમ ગિલક્રિસ્ટે વિકેટની પાછળ ઝડપી પાડ્યો . મુંબઇ માટે આઇપીએલ - 6માં ઘણી શાનદાર પારીઓ રમી ચૂકેલ દિનેશ કાર્તિકને શૂન્યથી નીચા સ્કોર પર પિયુષ ચાવલાને પોતાની જ ઓવરમાં ઝડપી લીધો . 12મી ઓવરની છેલ્લા બોલ પર શર્મા પણ બોલ્ડ થઇને ચાલતા બન્યા . શર્માના ગયા બાદ મુંબઇનો કોઇપણ બેટ્સમેન કંઇ ખાસ ના કરી શક્યો . માત્ર કિરોન પોલાર્ડ 22 રનોનું જ યોગદાન આપી શક્યો . જોકે એ મુંબઇને જીત અપાવવા માટે પૂરતુ ન્હોતું . અત્રે ઉલ્લેખનીય છે કે હારવા છતા મુંબઇના આઇપીએલ - 6ના પ્લે ઓફમાં પ્રવેશ પાક્કો છે . બીજી તરફ કિગ્સ ઇલેવને પોતાની છેલ્લી મેચ રમી રહેલા કપ્તાન ગિલક્રિસ્ટને જીતની સાથે વિદાય આપી છે . business,"નોકિયાની ડિવાઇસ , સર્વિસેઝ અને પેટેન્ટ્સને માઇક્રોસોફ્ટ 5.44 અરબ યૂરો ( અંદાજે 7.2 અરબ અમેરિકન ડોલર અથવા 47520 કરોડ રૂપિયા ) માં ખરીદશે . બન્ને કંપનીઓ વચ્ચે મંગળવારે આ સોદો થયો છે . માઇક્રોસોફ્ટે નોકિયાની ડિવાઇસ અને સર્વિસેઝ માટે 3.79 યૂરો અને પેટંટ્સ માટે 1.65 અરબ યૂરોની ચૂકવણી કરવી પડશે . કરાર હેઠળ નોકિયાના ચીફ એક્ઝિક્યૂટિવ સ્ટિફન ઇલોપ પોતાનુ પદ છોડીને ડિવાઇસ અને સર્વિસેઝ ડિવિઝનના એક્ઝિક્યૂટિવ વાઇસ પ્રેસિડેન્ટ બનશે . નોકિયા અને માઇક્રોસોફ્ટ વચ્ચે થયેલો આ કરાર 2014ની પહેલા ત્રિમાસિક સુધી ફાઇનલ થઇ જશે . જો કે , તેના માટે નોકિયાના શેર હોલ્ડર , રેગ્યુલેટરી એપ્રુવલ અને અન્ય ક્લોઝિંગ કન્ડિશનને પણ પૂર્ણ કરવી પડશે . નોકિયા અને માઇક્રોસોફ્ટ વચ્ચે આ પહેલા ફેબ્રુઆરી 2011માં પાર્ટનરશિપની ડીલ થઇ હતી . આ નવા કરાર હેઠળ નોકિયાના અંદાજે 32000 કર્મચારી માઇક્રોસોફ્ટમાં ટ્રાન્સફર થશે . આ સાથે જ માઇક્રોસોફ્ટે પોતાના નવા ડેટા સેન્ટર માટે ફિનલેન્ડને પસંદ કર્યું છે , જેનાથી યૂરોપમાં સ્થિત માઇક્રોસોફ્ટ કન્ઝ્યૂમર્સને સર્વિસ આપવામાં સુવિધા રહે ." entertainment,"ભાગ મિલ્ખા ભાગ ફિલ્મના નિર્માતા ફિલ્મ માટે એક ખાસ વીડિયો તૈયાર કરવાનું આયોજન કરી રહ્યાં છે કે જેમાં રાષ્ટ્રગાનની પૃષ્ઠભૂમિમાં દેશના સર્વોચ્ચ ખેલાડીઓને દર્શાવવામાં આવશે . રાકેશ ઓમ પ્રકાશ મહેરા દિગ્દર્શિત ભાગ મિલ્ખા ભાગ ફિલ્મ ફ્લાઇંગ શીખ નામે જાણીતા ભારતીય દોડવીર મિલ્ખા સિંહના જીવન પર આધારિત છે . 12મી જુલાઈના રોજ રિલીઝ થનાર ફિલ્મમાં બૉલીવુડ અભિનેતા ફરહાન અખ્તરે મિલ્ખા સિંહની ભૂમિકા ભજવી છે . ફિલ્મ પ્રચાર નીતિ હેઠળ નવા અને રોચક પ્રચારના ભાગરૂપે વીડિયો તૈયાર કરવાનું વિચારાઈ રહ્યું છે . ફિલ્મ નિર્માણ જૂથના એક નજીકના સૂત્રના જણાવ્યા મુજબ - ભારતીય દોડવીરના વાસ્તવિક જીવન પર આધારિત ફિલ્મ હોવાથી નિર્માતાઓએ દેશના ખેલાડીઓને સન્માન આપવના ઉદ્દેશ સાથે આવું વિચાર રજૂ કર્યું છે . વીડિયોમાં રાષ્ટ્રગાનની પૃષ્ઠભૂમિમાં 12 સમકાલીન ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવશે . વીડિયોમાં દેખાનાર ખેલાડીઓમાં મિલ્ખા સિંહના પુત્ર તેમજ ગોલ્ફ ખેલાડી જીવ મિલ્ખા સિંહનો પણ સમાવેશ થાય છે . આ ઉપરાંત ક્રિકેટ ખેલાડી મહેન્દ્ર સિંહ ધોની , બૅડમિંટન ખેલાડી સાયના નહેવાલ , નિશાનેબાજ અભિનવ બિન્દ્રા , ફુટબૉલ ખેલાડી બાઇચુંગ ભૂટિયા , મુક્કાબાજ વિજેન્દ્ર સિંહ , કુશ્તીબાજ સુશીલ કુમાર , ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝા , પહેલવાન ગીતા રાણી , ભૂતપૂર્વ હૉકી ખેલાડી ધનરાજ પિલ્લૈ , શતરંજ ખેલાડી વિશ્વનાથન આનંદ તથા ફૉર્મૂલા વન રેસર નારાયણ કાર્તિકેયન પણ આ વીડિયોમાં દેખાશે ." business,"ટેકનોલોજી અને ગેજેટ્સપ્રેમીઓ જેની આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા તે વિશ્વનો સૌથી પાતળો મોબાઇલ માર્કેટમાં લોન્ચ થઇ ચૂક્યો છે . આ મોબાઇલ યુકે , યુએસએ કે જાપાનની નહીં પણ ચીનની કંપનીએ તૈયાર કર્યો છે . ચીનની કંપની હવાવે દ્વારા એન્ડ્રોઇડ આધારિત એસેન્ડ પી6 નામનો વિશ્વનો સૌથી પાતળો મોબાઇલ લોન્ચ કરવામાં આવ્યો છે . આ ફોનની જાડાઇ 6.18 એમએમ એટલે કે 0.24 ઇંચ છે . તેમાં પાંચ મેગાપિક્સલ કેમેરા પણ છે . આ ફોન મંગળવારે લંડનમાં લોન્ચ કરવામાં આવ્યો હતો . કંપનીને આશા છે કે આ હેન્ડસેટના માર્કેટમાં આવવાથી દુનિયાભરમાં ધૂમ મચી જશે . આ ફોન અંગે ટેક્નોલોજી વિશ્વેષકોનો દાવે છે કે આ હવાવેનો અત્યાર સુધીનો સૌથી શાનદાર ફોન છે . પરંતુ તે 4Gને સપોર્ટ કરતો નહીં હોવાથી તેના વેચાણને અસર થશે . આ ફોનની સ્ક્રીન 4.7 ઇંચ પહોળી છે . તે એચટીસી વનની બરાબર છે . પરંતુ તે 0.1 ઇંચ વધારે પાતળો છે . આ સાથે જ તે આઇફોન 5 અને અલ્કાટેલ વન આઇડલ અલ્ટ્રાથી પણ વધારે પાતળો છે . પરંતુ તેનું વજન 120 ગ્રામ છે જે અન્ય ફોનની તુલનામાં વજનદાર છે . એસેન્ડ પી6માં 8 મેગાપિક્સલ રીયર કેમેરા છે . તેમાં એન્ડ્રોઇડ જેલી બીન 4.2.2 ઓપરિટિંગ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો છે . તેની ઇન્ટરન્લ મેમરી 8 ગીગાબાઇટ છે . આ સાથે તે 32 જીબી માઇક્રો એસડી કાર્ડને પણ સપોર્ટ કરે છે . હવાવે ટેલિકોમ સાધન બનાવનારી ચીનની સૌથી મોટી કંપની છે . તેની સ્થાપના 1987માં કરવામાં આવી હતી . વિશ્વભરના વેચાણના આંકડા જોઇએ તો હવાવે સેમસંગ , એપ્પલ અને એલજી બાદ ચોથા ક્રમે છે . તેણે આ વર્ષના પ્રથમ ત્રણ મહિનામાં 99 લાખ ફેનનું વેચાણ કર્યું છે ." sports,"નવી દિલ્હી , 30 ઓક્ટોબરઃ યુવરાજ સિંહે કહ્યું કે તેમના મગજમાં એ વિચાર આવે છે કે કદાચ તે હવે ફરીથી ક્યારેય ભારત તરફથી રમી શકશે નહી પરંતુ તેમણે આ સાથે જ તેમણે એ પણ કહ્યું કે તે ભારતીય ક્રિકેટ ટીમમાં પુનરાગમન કરવામાં નિષ્ફળ રહે છે તો આ ખૂબ કષ્ટદાયક હશે . કેન્સર જેવી બિમારીથી સફળતાપૂર્વક બહાર નિકળ્યા બાદ યુવરાજ સિંહે ભારતીય ટીમમાં થોડા સમય માટે પુનરાગમન કર્યું હતું . તેમણે ભારત તરફથી અંતિમ વનડે મેચ ડિસેમ્બર 2013માં રમી હતી . ડાબોડી બેસ્ટમેને ' વિઝડન ઇન્ડિયા ' ને કહ્યું , ' નિશ્વિતપણે ભારતીય ટીમમાં પુનરાગમનનું લક્ષ્ય છે . જ્યારે તમે ટીમમાં સ્થાન બનાવી શકતા નથી તો ખૂબ નિરાશા થાય છે . પરંતુ ગત બે વર્ષથી ઉતાર ચઢાવવાળા રહ્યાં . એટલા માટે આ મારો ફેંસલો નથી કે મને પસંદગ કરવામાં આવશે કે નહી . આશા છે કે દરેક વસ્તુ બદલાશે અને મને ફરીથી પસંદ કરવામાં આવશે નહીંતર જીંદગી એકદમ નિરાશાજનક થઇ જશે . હું ફક્ત પ્રયત્ન કરી શકું છું અને મારું સર્વશ્રેષ્ઠ બતાવી શકું છું . ' યુવરાજ સિંહને પુછવામાં આવ્યું કે શું ક્યારેય તેમના મગજમાં એ વાત આવી કે તેમણે ફરીથી ભારત તરફથી રમવાની તક મળશે . , તો તેમણે સકારાત્મક જવાબ આપ્યો . તેમણે કહ્યું , ' ચોક્કસપણે એવી સંભાવના છે કે હું ફરીથી ભારત તરફ રમી શકીશ નહી . મેં તેના પર વિચાર કર્યો . પરંતુ એવી પણ સંભાવના છે કે હું ફરીથી ભારત માટે રમીશ . જ્યાં સુધી હું એમ વિચારતો રહીશ હું કે પુનરાગમન કરી શકું છું ત્યાં સુધી હું મારા દ્વારા દરેક પ્રયત્ન કરતો રહીશ . ' ભારતની ઘણી જીતના નાયક રહી ચૂકેલા યુવરાજ સિંહે કહ્યું કે ટીમથી બહાર રહેતા અન્ય ખેલાડી જેમ કે હરભજન સિંહ , વિરેન્દ્ર સહેવાગ અને ગૌતમ ગંભીરની સાથે સારો દિવસોને લઇને વાત કરીએ છીએ . તેમણે કહ્યું ' અમે હંમેશા તે દિવસો વિશે વાતો કરીએ છી જે અમે ભારત તરફથી રમતાં સાથે વિતાવ્યા હતા . અમે બધા જાણીએ છીએ કે તે અમારી જીંદગીના શાનદાર વર્ષ હતા . પરંતુ જ્યારે તમે ટીમાં હોતા નથી ત્યારે પણ જીંદગી આગળ વધતી રહે છે . તમારે ફક્ત સકારાત્મક બની રહેવાની અને આકરી મહેનત ચાલુ રાખવી પડે છે . ' યુવરાજ સિંહ ભલે રાષ્ટ્રીય ટીમાં પુનરાગમનના મજબૂત દાવેદાર નથી પરંતુ તેમણે હજુ પણ આશા છોડી નથી . તેમણે કહ્યું કે ' હું ખરેખર પસંદગીને લઇને વાત કરી શકતો નથી . મારી પાસે સર્વશ્રેષ્ઠ તક શું છે . દિલીપ ટ્રોફી , રણજી એકદિવસીય અને અન્ય મેચ જે મને રમવા મળશે . જેમ કે મેં કહ્યું કે જો હું ટીમમાં સ્થાન મેળવું તો તે એક મોટી વાત હશે . પુનરાગમન કરીને ભારત દ્વારા ફરીથી વર્લ્ડકપમાં રમવું શાનદાર હશે . જો એવું ન થયું તો પણ જીંદગી ચાલતી રહેશે . તેને સ્વિકાર કરવી મુશ્કેલ હશે પરંતુ મારે તેને સ્વિકાર કરવી પડશે ." entertainment,"બૉલીવુડ અભિનેતા - નિર્માતા - દિગ્દર્શક સોહેલ ખાને પોતાની ફિલ્મ મેંટલ 22મી નવેમ્બરે રિલીઝ થવાની અટકળોને ફગાવતાં જણાવ્યું છે કે તેમનું એવું કોઈ આયોજન નથી . ફિલ્મમાં સોહેલના ભાઈ અભિનેતા સલમાન ખાન મુખ્ય ભૂમિકામાં છે . સોહેલે જણાવ્યું - હું 22મી નવેમ્બરે ફિલ્મ રિલીઝ કરી રહ્યો છું , તે વાત મારા માટે નવી છે . હવે લોકો મારા માટે નક્કી કરવા લાગ્યાં છે કે હું ક્યારે પોતાની ફિલ્મ રિલીઝ કરીશે . તેમણે જણાવ્યું - જે ઝડપે ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે , તે જોતાં વર્ષાંત સુધી ફિલ્મ રિલીઝ થઈ શકશે , પરંતુ મેં કોઈ તારીખ નક્કી નથી કરી . મેંટલ સોહેલ ખાન દિગ્દર્શિત પાંચમી ફિલ્મ છે . તેમણે 1997માં ઔઝાર ફિલ્મ સાથે દિગ્દર્શનની શરુઆત કરી હતી . સૂત્રોના જણાવ્યા મુજબ સલમાન અને સોહેલ ડિસેમ્બરના મધ્યમાં ફિલ્મ રિલીઝ કરવા ધારે છે . ડિસેમ્બરના અંતે ધૂમ 3 પણ રિલીઝ થઈ રહી છે . સલમાન ખાન પોતાની ફિલ્મ મેંટલ ડિસેમ્બરમાં રિલીઝ કરવા માંગે છે , પરંતુ ધૂમ 3માં વિઘ્ન નથી નાંખવા માંગતા , કારણ કે આ ફિલ્માં તેમના બંને નજીકના મિત્રો આમિર ખાન તથા કૅટરીના કૈફ છે . મેંટલમાં ડેઝી શાહ અભિનેત્રી છે . ઉપરાંત સના ખાન , વત્સલ સેઠ , અસ્મિત પટેલ તથા મુકુલ દેવ પણ છે ." business,"આમ તો કોઇ પણ વસ્તુ કરવી ક્યારેય ફરજિયાત હોતી નથી . પણ જો આપ નથી કરતા તો આપે તેના બદલામાં સર્જાતી પરિસ્થિતિઓની કઠનાઇઓનો સામનો કરવો પડી શકે છે . આવી જ સ્થિત શેર્સના ખરીદ અને વેચાણ માટે ખોલાવવા પડતા ડીમેટ એકાઉન્ટની છે . આ ક્ષેત્રમાં નવા સવા આવેલાઓ માટે ખાસ જાણવા જેવું છે કે જો આપે ભારતમાં શેર્સના ખરીદ વેચાણ માટે ડીમેટ એકાઉન્ટ ખોલાવ્યું નહીં હોય તો આપ શેર્સનું ખરીદ અને વેચાણ કરી શકશો નહીં . કારણ કે ભારતમાં માન્ય સ્ટોક એક્સચેન્જમાંથી શેર્સનું ખરીદ અને વેચાણ માત્ર ડીમેટ સ્વરૂપમાં જ થઇ શકે છે . આ ઉપરાત આપ જો ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ ( IPO ) દ્વારા શેર્સ ખરીદવા ઇચ્છતા હોવ તો પણ તેના માટે ડીમેટ સ્વરૂપે અરજી કરવી પડે છે . ભારતમાં સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઉન્ડિયા ( સેબી - SEBI ) ના નિયમ અનુસાર ભારતમાં રૂપિયા 10 કે તેથી વધારે કિંમતના તમામ પબિલિક ઇશ્યુ માટે ડીમેટ સ્વરૂપે ખરીદી કરવી ફરજિયાત છે . વર્તમાન સમયમાં મોટા ભાગના પબ્લિક ઇશ્યુ રૂપિયા 10 કરોડ કે તેથી વધારે ભાવના હોય છે . તેનાથી ઓછા મૂલ્યના આઇપીઓની કલ્પના કરી શકાય તેમ નથી . આ કારણે કોઇ પણ વ્યક્તિ જ્યારે શેર્સમાં રોકાણ કરવાનું મન બનાવે છે ત્યારે તેણે ડીમેટ ખાતુ ખોલાવવું ફરજિયાત છે . ડીમેટ ખાતું કેવી રીતે ખોલાવી શકાય ? ડીમેટ ખાતુ ખોલાવવા માટે આપે બ્રોકિંગ ફર્મનો સંપર્ક સાધવો જરૂરી છે . આ બ્રોકિંગ ફર્મ આપને બ્રોકિંગ અને ટ્રેડિંગ એકાઉન્ટ ખોલી આપશે જેની મદદથી આપ શેર્સનું ખરીદ અને વેચાણ કરી શકશો . આ કરતા પહેલા આપે બ્રોકિંગ ફર્મને તેમણે માંગેલા કેટલાક દસ્તાવેજો સોંપવા જરૂરી હોય છે . આ અંગેની વિગતવાર માહિતી બ્રોકિંગ ફર્મમાંથી પૂરી પાડવામાં આવશે . આ માટે આપનું એડ્રેસ , આઇડી પ્રુફ , અન્ય દસ્તાવેજોની જરૂર પડે છે . તેના આધારે આપનું ડીમેટ એકાઉન્ટ ખોલવામાં આવે છે . આ એકાઉન્ટ ખોલાવતા સમયે વિવિધ ચાર્જીસ પણ લાગે છે ." sports,"નવી દિલ્હી , 7 ઓક્ટોબરઃ સચિન તેંડુલકર અને રાહુલ દ્રવિડના ટી - 20માંથી વિદાઇ મેચના રૂપમાં યાદ કરવામાં આવનાર ફાઇનલમાં રવિવારે અંત્રે મુંબઇ ઇન્ડિયન્સે છેલ્લા છ ઓવરોની ધમાલ અને હરભજન સિંહની ફિરકીની કમાલથી રાજસ્થાન રોયલ્સને 33 રનથી હરાવીને બીજીવાર ચેમ્પિયન્સ લીગનો ખિતાબ જીતી લીધો છે . સલામી બેટ્સમેન ડ્વેન સ્મિથે શરૂઆતમાં રન બનાવવાનું બિડું ઝડપ્યું , પરંતુ છેલ્લી છ ઓવરોમાં 98 રન બન્યા બહેલા બેટિંગ માટે આમંત્રિત મુંબઇની ટીમ છ વિકેટ પર 202 રનના મોટા સ્કોર સુધી પહોંચી . રોહિત અને મેક્સવેલે આ ઓવરોમાં મુખ્ય રીતે રન બનાવ્યા . રોયલ્સની તરફથી પ્રવિણ તામ્બેએ ફરીથી શાનદાર બોલિંગ કરી તથા 19 રન આપીને 2 વિકેટ ઝડપી લીધી . આના જવાબમાં રોયલ્સ એક સમયે સારી સ્થિતિમાં દેખાઇ રહ્યું હતું . સંજુ સૈમસને 33 બોલ પર ચાર ચોગ્ગા અને એટલા છગ્ગાની મદદથી 60 રન અને અંજિક્ય રહાણેએ 47 બોલ પર પાંચ ચોગ્ગા અને બે છ ગ્ગાની મદદથી 65 રન બનાવ્યા . આ બંનેએ બીજી વિકેટ માટે 67 બોલ પર 109 રનની ભાગીદારી કરી . ત્યારબાદ હરભજને 32 રન આપીને શાનદાર 4 વિકેટ પોતાના નામે કરી લીધી . રોયલ્સ અંતમાં 18.5 ઓવરમાં 169 પર સમેટાઇ ગયું . તેણે પોતાની છેલ્લી સાત વિકેટ માત્ર 14 રન લઇને જ ગુમાવી દીધી . કીરેન પોલાર્ડે છેલ્લી ત્રણ વિકેટ લીધી . મુંબઇને વિજેતા બનતા 25 લાખ ડોલરનું ઇનામ મળ્યું . રોયલ્સને 13 લાખ ડોલરથી જ સંતોષ માનવો પડ્યો . આ પહેલા મુંબઇ 2011માં હરભજનના નેતૃત્વમાં ચેમ્પિયન બન્યું હતું . અત્રે ઉલ્લેખનીય છે કે ચેન્નાઇ સુપરકિંગ્સ ચેમ્પિયન્સ લીગનો ખિતાબ જીતનાર પ્રથમ ભારતીય ટીમ હતી . તેણે 2010માં ખિતાબ જીત્યો હતો ." business,"હૈદરાબાદ , 29 ઓક્ટોબર : વર્ષ 2009માં બહાર આવેલા સત્યમ કોમ્પયુટરના કૌભાંડ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે સોમવાર , 28 ઓક્ટોબર , 2013ના રોજ સત્યમ કેસના સંબંધમાં સત્યમ કોમ્પ્યુટરના સ્થાપક રામાલિંગા રાજુ અને અન્ય 212 સામે ચાર્જશીટ દાખલ કરી હતી . આ ચાર્જશીટમાં વ્યાપક છેતરપિંડી ઠગાઈનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે . ઈડી દ્વારા ચાર્જશીટ દાખલ કરવામાં આવતા છેલ્લા ધણા દિવસથી ચાલી રહેલી અટકળોનો અંત આવી ગયો છે . રાજુ અને અન્યો સામે ઈડીની ચાર્જશીટ દાખલ થયા બાદ વધુ કાર્યવાહી હવે હાથ ધરવામાં આવશે . સમગ્ર બિઝનેસ વર્લ્ડ આ કૌભાંડના કારણે હચમચી ઉઠયું હતું . કોર્પોરેટ જગતમાં ખળભળાટ મચી ગયો હતો . એડિશનલ ચીફ મેટ્રો પોલીટન મેજિસ્ટ્રેટ કમ સ્પેશિયલ સેશન્સ જજ સમક્ષ પ્રોસિક્યુશન ઇન્વેસ્ટિગેશન રીપોર્ટ રજુ કરાયો હતો જેમાં મની લોન્ડરીંગ અટકાયત ધારા હેઠળ મની લોન્ડરીંગના ગુનાઓ બદલ આરોપી સામે ખટલો ચલાવવાની માંગ કરવામાં આવી છે . સત્યમ કૌભાંડના લીધે ભારે હોબાળો થયો હતો . તપાસ સંસ્થા દ્વારા આ કેસમાં 1075 કરોડની સંપત્તિ જપ્ત કરાઈ છે . ઈડી દ્વારા મુખ્ય આરોપી રામાલીંગા રાજુ , તેમના ભાઈ અને ભૂતપૂર્વ સત્યમના એમડી રામા રાજુ અને અન્યોની પુછપરછ કરી છે ." entertainment,"ટેલીવિઝન રિયલિટી શો ઇન્ડિયાસ ડાન્સિંગ સુપરસ્ટાર એટલે કે આઈડીએસ શનિવારથી શરૂ થઈ રહ્યો છે . તેમાં ભાગ લેનાર પ્રતિસ્પર્ધીઓએ આ શો માટે જોરદાર તૈયારીઓ કરી છે . આઈડીએસની જાહેરાત અંગે યોજાલે પ્રેસ કૉન્ફરંસ દરમિયાન આ પ્રતિસ્પર્ધીઓએ પોતાનું કૌશલ્ય રજૂ કર્યું , ત્યારે હાજર લોકો દંગ રહી ગયાં . ઇન્ડિયાસ ડાન્સિંગ સુપરસ્ટાર શો સ્ટાર પ્લસ ઉપર શરૂ થવાનો છે અને તેના નિર્ણાયકોમાં ફિલ્મ નિર્માતા - અભિનેતા રીતેશ દેશમુખ , કોરિયોગ્રાફર ગીતા કપૂર તેમજ એશ્લે લોબોનો સમાવેશ થાય છે . રીતેશ દેશમુખે મનોરંજનને મહત્વ આપવાની વાત કરી છે , તો ગીતા કપૂર તેમજ એશ્લે લોબો સંવેદનશીલતા તથા પ્રતિભા ઉપર ખાસ ભાર મૂકે છે . બે મહીના સુધી 18 શહેરોમાં યોજાયેલ પ્રતિસ્પર્ધાઓની પસંદગી પ્રક્રિયામાં 70 હજાર પ્રતિસ્પર્ધીઓએ ભાગ લીધો કે જેમાં 70ની કાર્યક્રમાન આગામી તબક્કા માટે પસંદગી કરાઈ છે . સ્ટાર પ્લસ ટેલીવિઝન ચૅનલે મંગળવારે કાર્યક્રમના ઉદ્ઘાટન સમારંભમાં જાહેરાત કરી કે પસંદગી પામેલા 70માંથી 24 પ્રતિસ્પર્ધીઓને આગામી તબક્કા માટે પસંદ કરવામાં આવશે કે જેમાંથી 12 પ્રતિસ્પર્ધી વિજેતા શોના વિજેતાઓની સ્પર્ધામાં શામેલ થઈ શકશે . આવો તસવીરોમાં જોઇએ આઈડીએસની ઝલક ." sports,"દુબઇ , 10 સપ્ટેમ્બરઃ ભારત બર્મિંઘમ ખાતેની ઇંગ્લેન્ડ સામેની એકમાત્ર ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ રસાકસી બાદ ત્રણ રનથી હારી ગયું , આ પરાજય પછી પણ આઇસીસી ટી20 રેન્કિંગમાં તેણે પોતાનું બીજું સ્થાન જાળવી રાખ્યું છે . જ્યારે વિરાટ કોહલી આ મેચમાં પોતાની શાનદાર અડધી સદીની મદદથી બેટિંગ રેન્કિંગમાં પહેલા ક્રમાંકે આવી ગયો છે . ભારતના હાલ 126 અંક છે અને પહેલા ક્રમાંકે રહેલા શ્રીલંકા ( 131 ) થી પાંચ અંક પાછળ છે . પાકિસ્તાન 123 અંકો સાથે ત્રીજા અને દક્ષિણ આફ્રિકા 121 અંકો સાથે ચોથા ક્રમે છે , જ્યારે ઓસ્ટ્રેલિયા 112 અંકો સાથે પાંચમા ક્રમે છે . વિરાટ આ મેચ પહેલા 889 અંકો સાથે બેટિંગ રેન્કિંગમાં બીજા સ્થાને હતો , પરંતુ તેણે ઇંગ્લેન્ડ વિરુદ્ધ 66 રનની ઇનિંગ રમી અને ઓસ્ટ્રેલિયાના નવનિયુક્ત ટી20 સુકાની એરોન ફિંચને પાછળ છોડી નંબર વનનું સ્થાન હાંસલ કરી લીઘું છે . વિરાટ કોહલીના હવે 897 અંક થઇ ગયા છે , જ્યારે ફિંચ બીજા સ્થાને પહોંચી ગયો છે . તો ચાલો તસવીરો થકી ટોપ ટેન આઇસીસી રેન્કિંગ ટી20 બેટ્સમેન પર નજર ફેરવીએ . વિશ્વ ક્રિકેટનો અનોખો ચહેરોઃ પ્રેમ અને સ્કેન્ડલ વનડે , ટેસ્ટ અને ટી20માં આ ખેલાડીઓની છે શાનદાર સ્ટ્રાઇક રેટ રવિ શાસ્ત્રીએ કર્યો કોચ ફ્લેચરનો બચાવ , ગણાવ્યા ‘પિતા તુલ્ય '" entertainment,"સન્ની લિયોનની લીડ રોલ ધરાવતી પ્રથમ બૉલીવુડ ફિલ્મ જૅકપૉટનો ફર્સ્ટ લુક રિલીઝ થઈ ગયો છે . તે જોઈને સૌ કોઈ આશ્ચર્યચકિત છે કે જેઓ એમ વિચારતી હતી કે સન્ની લિયોન સતી - સાવિત્રી તરીકે દેખાનાર છે , કારણ કે છેલ્લા ઘણા દિવસથી એમ જ કહેવાતુ હતું કે ફિલ્મમાં સન્ની લિયોન પોર્ન અવતાર નહીં , પણ સ્વચ્છ રૂપ ધારણ કર્યો છે , પરંતુ ફિલ્મોનો પ્રોમો જોઈ તમામ વાતો ખોટી સાબિત થઈ ગઈ , કારણ કે જૅકપૉટના પ્રથમ ટ્રેલરમાં જ સન્ની લિયોન હદ બહાર કામુક નજરે પડે છે . કાળા રંગના સેક્સી ડ્રેસમાં સન્ની લિયોન કોઇક કયામત કરતા ઓછા નથી લાગતાં . સન્ની લિયોન , ડેનિયલ વેબર , નસીરુદ્દીન શાહ અને સચિન જોશીના અભિનયથી સજ્જ જૅકપૉટ ફિલ્મના પ્રથમ ટ્રેલરમાં સન્ની લિયોન સિવાય કંઈ નથી . ફિલ્મ 13મી ડિસેમ્બરે રિલીઝ થવાની છે . નોંધનીય છે કે જૅકપૉટના દિગ્દર્શક કૈઝાદ ગુસ્તાદે જાહેરાત કરી છે કે ફિલ્મ જૅકપૉટ સન્નીની ઇમેજ સમ્પૂર્ણ રીતે બદલી નાંખશે . આ ફિલ્મ સન્ની લિયોન માટે નહીં , પણ મારા કૅરિયર માટે પણ ઘણી મહત્વની સાબિત થશે . હવે તે તો 13મી ડિસેમ્બરે જ ખબર પડશે કે સન્ની હૉટ બ્યુટી વિથ બ્રેન છે અને તેઓ બહેતરન અભિનેત્રી પણ છે . હાલ તો જુઓ જૅકપૉટ ફિલ્મની તસવીરો અને માણો ટ્રેલર :" entertainment,પાછલા કેટલાય સલમાન ખાન અને લૂલિયા વંતૂરના લગ્નના ખબર સમાચારોમાં અવાર નવાર આવતા રહેતા હતા . અફવાઓની માનો તો સુપરસ્ટાર સલમાન ખાન આ ડિસેમ્બરના રોજ લગ્નના બંધનમાં બંધાવાનો છે . જો કે સલમાન ખાનના લગ્નની એટલી બધી અફવાઓ આજ દિવસ સુધી ઉડી ચૂકી છે કે આ ખબર સાચી છે કે ખોટી તે કોઇને સમજાતું નહતું . પણ હવે ધીરે ધીરે આ ખબરના સાચા હોવાના પુરાવાઓ મળી રહ્યા છે . હાલમાં જ લૂલિયા સલમાન ખાનની માતા સાથે એરપોર્ટની બહાર જોવા મળી . અને એક ભવિષ્યની સાસુ વહુની જેમ લુલિયાએ સલમાન ખાનની માતાનો હાથ પકડી તેમને ચાલવામાં મદદ કરી રહી હતી . હવે આ બન્ને લગ્નની શોપિંગ કરીને પાછા આવ્યા કે વાત કંઇક બીજી છે ખબર નહીં . પણ નીચે જે તસવીરો જોવા મળી રહી છે તે જોતા તો તેવું જ લાગે છે કે લૂલિયા અને સલમાન ખાન આ ડિસેમ્બરમાં લગ્ન કરશે તે વાત પાક્કી છે . તો જુઓ આ તસવીરો . . . business,ઇન્ફોસિસમાંથી વિશાલ સિક્કાએ રાજીનામું આપ્યા પછી . હાલ જ્યાં ઇન્ફોસિસના નવા સીઓઓ અને મેનેજીંગ ડાયરેક્ટની શોધખોળ પૂર જોશમાં ચાલી રહી છે . ત્યાં જ તેવા ખબર આવ્યા છે કે ઇન્ફોસિસના કો - ફાઉન્ડર નંદન નીલેકની પાછા ઇન્ફોસિસમાં જોડાઇ શકે છે . સુત્રોથી પ્રાપ્ત થતી માહિતી મુજબ આવનારા સમયમાં નંદન નીલેકની ઇન્ફોસિસમાં પાછા જોડાઇ કોઇ મહત્વનું પદ સંભાળે તેવી સંભાવનાઓ પ્રબળ છે . જો કે તે સીઓઓનું પદ તો નહીં જ સંભાળે પણ તેવા કોઇ મહત્વનો રોલ સંભાળશે જેના કારણે કંપનીને મુશ્કેલીની આ પરિસ્થિતિમાંથી બહાર લાવી શકાય . નોંધનીય છે કે હાલ વિશાલ સિક્કાના રાજીનામાં પછી કંપનીની ઇમેજ ફરી એક વાર મુશ્કેલીમાં પડી છે . ત્યારે ઇન્ફોસિસની હાલત ફરી સુધારવા માટે હાલ તો નીલેકની પડદાની પાછળ રહીને મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે તેવું જાણવા મળ્યું છે . સાથે જ તેવું માનવામાં આવી રહ્યું છે કે ઇન્ફોસિસના પહેલા સીઇઓ એન . આર . નારાયણમૂર્તિને નીલેકની હાલ સંપૂર્ણ સપોર્ટ આપી રહ્યા છે . ઉલ્લેખનીય છે કે વિશાલ સિક્કાના રાજીનામાં બાદ આરોપોનો કાદવ નારાયણમૂર્તિ પર પણ ઉછળ્યો હતો . ત્યારે ઇન્ફોસિસને મુશ્કેલીમાંથી બહાર નીકાળવા માટે નંદન નિલેકની પર નારાયણમૂર્તિ સાથે જોડાયા છે તેવી જાણકારી સુત્રોથી મળી રહી છે . sports,"મોહાલી , 20 ઓક્ટોબરઃ પોતાના બોલર્સના નિરાશાનજક પ્રદર્શનથી કેપ્ટન કૂલ મહેન્દ્ર સિંહ ધોનીનો પારો ચઢી ગયો અને તેમણે કહ્યું કે , તે બોલર્સને આંગળી પકડીને ચાલતા શીખવી શકે નહીં . તેમણે કહ્યું કે , આ તમામ આંતરરાષ્ટ્રીય સ્તરના અનુભવી બોલર છે . તેમણે તેમની ક્ષમતા અનુસાર પરફોર્મ કરવી જોઇએ અને ધડાધડ રન આપવાથી બચવું જોઇએ . ધોનીએ નામ તો નથી આપ્યા , પરંતુ સમજવામાં આવે છે કે , તેનો ઇશારો સ્પષ્ટ રીતે ઇશાંત શર્મા તરફ હતો , જેમણે એક ઓવરમાં 30 રન આપીને જીતેલી બાજીને હારમાં પલ્ટાવી નાંખી હતી . ઓસ્ટ્રેલિયા વિરુદ્ધની સાત મેચોની શ્રેણીની ત્રીજી મેચ હાથમાંથી નીકળી ગયા બાદ ધોનીએ કહ્યું કે , મને લાગે છે કે , આખરી કેટલીક ઓવર્સ નિરાશાજનક હતી અને બોલિંગ અમારી ચિંતાનો વિષય બની ગઇ છે . મેદાનમાં થોડીક ઘાસ હતી , પરંતુ છેલ્લી ગેમ જેવી નહોતી . ખેલાડીઓને મહેનત કરવી પડશે અને યોજના સાથે મેદાનમાં ઉતરવું પડશે જેથી તેઓ પૂરી ક્ષમતા સાથે પરફોર્મ કરી શકે . નોંધનીય છે કે , સતત આઉટ ઓફ ફોર્મ ચાલી રહેલા ઇશાંત શર્માએ 48મી ઓવરમાં 30 રન ફેંકી દીધા , જેના કારણે હાથમાં આવેલી મેચને છટકવાથી ટીમ ઇન્ડિયા બચાવી શકી નહીં . નોંધનીય છે કે , સતત ત્રીજી મેચમાં ભારતની બોલિંગ લાઇનઅપ કોઇ ખાસ કમાન દેખાડી શકી નહીં . ભુવનેશ્વર કુમાર અને ઇશાંત શર્મા ભારતીય ટીમ માટે ઘણા મોંઘા સાબિત થયા . ભુવનેશ્વરે જ્યાં 10 ઓવરમાં પાંચની એવરેજથી 50 રન આપ્યા , જ્યાં ઇશાંતે 8 ઓવરમાં 7.88ની એવરેજથી 63 રન આપ્યા . ટીમ માટે વિનય કુમારે 10 ઓવર્સમાં 50 રન આપીને બે વિકેટ ઝડપી , પરંતુ રવિન્દ્ર જાડેજા સૌથી સારો બોલર સાબિત થયો , તેણે 10 ઓવરમાં માત્ર 31 રન આપ્યા અને એક વિકેટ ઝડપી હતી ." entertainment,"ઐશ્વર્યા રાય સમગ્ર વિશ્વમાં પોતાના સૌંદર્ય અને કૌશલ્ય વડે લોકોને મંત્રમુગ્ધ કરી દે છે . ઐશને દેવી જેવા લુકનો વરદાન છે અને તેમનો સૌંદર્ય તો જાણે સ્વર્ગ સમાન છે . ઐશ્વર્યા રાય બૉલીવુડથી લઈ હૉલીવુડ ફિલ્મોમાં કામ કરી ચુક્યાં છે કે જેના પગલે તેમને કૅન્સ ફિલ્મ ફેસ્ટિવલ માટે દર વર્ષે આમંત્રવામાં આવે છે . ઐશનું બૉલીવુડ કૅરિયર પ્રતિષ્ઠિત રહ્યું છે અને લગ્ન બાદ પણ તેમના કૅરિયરને કોઈ આંચ નથી આવી . એટલુ જ નહીં એક દીકરીના જન્મ પછી પણ લોકો ઐશને લઈ ફિલ્મ બનાવવા માંગે છે . ફિલ્મ નિર્માતાઓ અને દર્શકોની ભારે માંને પગલે જ ઐશ્વર્યા રાયે બૉલીવુડ કમબૅક કરવાનો નિર્ણય કર્યો . તેમણે દિગ્દર્શક સંજય ગુપ્તાની ફિલ્મ જઝ્બા સાઇન કરી છે કે જેમાં ઐશ્વર્યા રાય એક્શન રોલમાં નજરે પડવાના છે . ફિલ્મમાં તેના હીરો હશે જ્હૉન અબ્રાહમ કે જેઓ ડૅશિંગ અભિનેતા ગણાય છે . દરમિયાન એક ઈરાની દિગ્દર્શક પણ ઐશને પોતાની ફિલ્મમાં લેવા માંગે છે કે જેનું નામ છે હેલો બૉમ્બે . કુર્બાન મોહમ્મદપુર નામના આ દિગ્દર્શકે ફિલ્મમાં ઐશને એપ્રૉચ કરતા પહેલા એક કૉસ્ચ્યુમ ડિઝાઇનરને હાયર કર્યા છે . ફિલ્મના મોટાભાગના દૃશ્યો ભારત , ઈરાન અને ફ્રાંસમાં શૂટ કરાશે . ચાલો હાલ તો આપને બતાવીએ ઐશ્વર્યા રાયના 21 Gorgeous Look ( ભવ્ય આભા ) :" entertainment,"મુંબઈ , 26 સપ્ટેમ્બર : મંગળવારે વ્હાલી દીકરીના પપ્પા બનનાર અક્ષય કુમારના હરખઘેલા થઈ ગયાં છે . તેઓ જરૂર કરતાં વધારે ખુશ છે . પોતાની ખુશી જાહેર કરતાં અક્ષય કમારે ટ્વિટર પર લખ્યું છે કે તેમની નાનકડી રાજકુમારી એકદમ પોતાની મમ્મી અને નાની ઉપર ગઈ છે . એટલે કે તે બહુ જ સુંદર છે . અક્ષયે લખ્યું , ‘હું બહુ ખુશ છું અને તેવા તમામ લોકોનો આભાર વ્યક્ત કરુ છું , જેમણે મારા અને મારી નાનકડી બેબી માટે દુઓ માંગી અને શુભેચ્છાઓ પાઠવી છે . ' નોંધનીય છે કે અક્ષય કુમારની પત્ની અને પૂર્વ અભિનેત્રી ટ્વિંકલ ખન્નાએ મંગળવારે મુંબઈની બ્રિચકેન્ડી હૉસ્પિટલમાં વ્હાલસોયી દીકરીને જન્મ આપ્યો છે . માતા અને બાળકી બંને હાલ સ્વસ્થ છે . આ એક નૉર્મલ ડિલીવરી હતી . અક્ષયના જણાવ્યા મુજબ તેની દીકરી તેની માતા ટ્વિંકલ ખન્ના અને નાની ડિમ્પલ કાપડિયા ઉપર ગઈ છે . આ નન્હી પરી અક્ષય - ટ્વિંકલનું બીજું સંતાન છે . બંનેને આ અગાઉ એક પુત્ર આરવ છે , જે હાલ દસ વરસનો છે . અક્ષય કુમાર હાલ પોતાની આવનારી ફિલ્મ ઓહ માય ગૉડ ( ઓએમજી ) ના પ્રમોશન અંગે વ્યસ્ત છે . હાલ તેઓ પોતાની દીકરીના જન્મના સમાચાર મળતાં જ પોતાનું પ્રમોશન પ્રોગ્રામ જયપુરમાં અધવચ્ચે મુકી મુંબઈ આવી પહોંચ્યા છે ." business,"બેંકોની ભલામણને સ્વિકારી લેવામાં આવશે તો તે દિવસ દુર નથી કે જ્યારે તમે એટીએમનો અનલિમિટેડ ઉપયોગ મર્યાદિત કરી દેવામાં આવશે . ઇન્ડિયન બેંક્સ એસોશિએશન ( IBA ) એ આરબીઆઇને સલાહ આપી છે કે લોકો એમ મહિનામાં 5 વખત જ એટીએમનો મફત ઉપયોગ કરવા દેવામાં આવશે . એસોશિએશનનું કહેવું છે કે જે બેંકમાં એકાઉન્ટ હોય , તેના એટીએમ યૂઝ પર પણ આ નિયમ લાગૂ કરવામાં આવશે . IBAએ આ સૂચન રાજ્ય સરકારોના તે આદેશ બાદ કર્યું છે , જેમાં બેંકોને પોતાના બધા એટીએમ બૂથો પર સિક્યોરિટી ગાર્ડ ગોઠવવાનું કહ્યું હતું . સરકારોએ બેગ્લોંરમાં એક એટીએમ બૂથમાં એક મહિલા બેંકર પર થયેલા હુમલા બાદ આ આદેશ આપ્યો હતો . જો કે હાલમં જે બેંકમાં એકાઉન્ટ હોય તેના એટીએમનો ઉપયોગ કરવામાં કોઇ પાબંધી નથી . બીજા બેંકોના એટીએમનો એક મહિનામાં પાંચવાર ફ્રી ઉપયોગ કરી શકાય છે . આઇબીએમના સીઇઓ એમ તંકાસલેએ કહ્યું હતું કે મોટાભાગના બેંક એકાઉન્ટ હોલ્ડર માટે 5 ટ્રાન્જેકશની લિમિટ પુરતી રહેશે . બેલેન્સ ઇન્કવાયરી માટે એસએમએસ સુવિધાજક પદ્ધતિ છે ." sports,"કોઇ પણ ટીમનું નેતૃત્વ કરવું એ એક કપરી જવાબદારી છે . ખાસ કરીને ટીમ ઇન્ડિયાના સુકાની બનવું ઘણું જ , કારણ કે ભારતમાં ક્રિકેટ ચાહકોની સંખ્યા ઘણી છે , જ્યારે ટીમ સારું પ્રદર્શન કરે છે , ત્યારે સુકાની પર શુભેચ્છાઓનો વરસાદ થાય છે અને ટીમનું પ્રદર્શન નબળું કે પછી અત્યંત ખરાબ હોય ત્યારે ક્રિકેટ ચાહકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવે છે અને સુકાની પદેથી તેને હટાવવાની માંગો પણ કરવામાં આવે છે . ટેસ્ટ ક્રિકેટમાં જે પ્રકારે ભારતે પ્રદર્શન કર્યું તેના કારણે ધોની ટેસ્ટ ટીમ માટે યોગ્ય સુકાની નથી , તેવી ચર્ચાઓ થવા લાગી , ક્રિકેટ દિગ્ગજો ધોનીના સ્થાને નવો વિકલ્પ શોધવામાં આવે તેવી વાતો કરવામાં લાગી , પરંતુ જે પ્રકારે વનડે ટીમમાં ભારતનું પ્રદર્શન રહ્યું છે , તેને જોતા ધોનીને એક સફળ અને સારો સુકાની માનવામાં આવી રહ્યો છે . વનડેમાં તાજેતરમાં જ ધોનીએ ટીમ ઇન્ડિયાના પૂર્વ સુકાની મોહમ્મદ અઝહરુદ્દીનના રેકોર્ડની બરોબરી કરી છે . ત્યારે આજે અમે અહીં ટીમ ઇન્ડિયાના બે એવા સુકાનીના નેતૃત્વ અને અન્ય પ્રદર્શન અંગે તુલનાત્મક માહિતી આપી રહ્યાં છીએ . જેમાં હાલના સુકાની મહેન્દ્ર સિંહ ધોની અને ટીમ ઇન્ડિયાને 2000માં ફરીથી બેઠી કરનારા સૌરવ ગાંગુલીની છે . તો ચાલો તસવીરો થકી તેમના આંકડાકીય રેકોર્ડ પર નજર ફેરવીએ અને નક્કી કરીએ કે કોણ શ્રેષ્ઠ સુકાની છે . ધોનીએ કરી અઝહરના રેકોર્ડની બરાબરી , નેક્સ્ટ ટાર્ગેટ પોન્ટિંગ આ પણ વાંચોઃ - ટીમ ઇન્ડિયા નંબર વન , કાંગારુઓને નડ્યું ઝિમ્બાવ્વે" entertainment,"બૉલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણે માટે વર્ષ 2013 સફળતાઓથી ભરેલુ રહ્યું . ચાર - ચાર હિટ ફિલ્મો આપનાર દીપિકા પાદુકોણેએ પોતાની આ સફળતાની ઉજવણી કરવા માટે ગઈકાલે એક પાર્ટી આપી કે જેમાં બૉલીવુડમાંથી અનેક હસ્તીઓ ઉમટી પડી . મુંબઈમાં વર્લી ખાતેની એક હોટેલમાં યોજાયેલ આ બ્લૅક ગોલ્ડ પાર્ટીમાં દીપિકાએ ગોલ્ડન ડ્રેસ પહેરી પ્રવેશ કર્યો . તેમણે હીલ્સ પહેરેલી હતી , પરંતુ સફળતાની ઉજવણીમાં મસ્ત દીપિકાએ આ હીલ્સ ઉતારી દીધાં અને ખુલ્લા પગે આખી પાર્ટીમાં ફરતા રહ્યાં . નોંધનીય છે કે દીપિકા પાદુકોણેએ આ વર્ષે રેસ 2 જેવી સફળ ફિલ્મથી શરુઆત કરી હતી અને તે પછી યે જવાની હૈ દીવાની , ચેન્નઈ એક્સપ્રેસ અને રામલીલા જેવી ઉપરાછાપરી ત્રણ ફિલ્મો સુપર હિટ રહી . દીપિકાની ચારે ફિલ્મો સો કરોડ ક્લબમાં જોડાઈ . તેથી દીપિકાએ આ પાર્ટી આપી હતી . આ પાર્ટીની સૌથી મહત્વની બાબત એ હતી કે તેમાં રણબીર કપૂર નહોતા પહોંચ્યાં . રણબીરને આમંત્રણ તો હતું , પરંતુ આમ છતાં તેઓ હાજર ન રહ્યાં . રણબીર કપૂર યે જવાની હૈ દીવાની ફિલ્મમાં દીપિકાના હીરો હતાં . ચર્ચા છે કે રણબીર એટલા માટે હાજર ન રહ્યાં , કારણ કે દીપિકાએ કૅટરીના કૈફને આમંત્રણ નહોતુ આપ્યું . હવે એ તો સૌ જાણે જ છે કે દીપિકા - કૅટ વચ્ચે કોલ્ડ - વૉર ચાલે છે . દીપિકાની આ પાર્ટીમાં સૌપ્રથમ આવનારાઓમાં તેમના સારા મિત્ર રણવીર સિંહ હતાં . રામલીલા ફિલ્મમાં દીપિકાના હીરો રણવીર પાર્ટીમાં પૂરા મૂડમાં હતાં અને તેમણે બહુ મસ્તી કરી . રણવીરે જણાવ્યું કે બ્લૅક ગોલ્ડ ડ્રેસ કોડ હતું . તેથી આ પાર્ટી માટે ખાસ જૅકેટ તૈયાર કરાવ્યું . દીપિકાની પાર્ટીમાં ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન પણ ન પહોંચી શક્યાં . કહે છે કે ઐશના કોઈ નિકટની વ્યક્તિનું મોત થઈ જતાં આ જોડી હાજર ન રહી શકી . ઉપરાંત આ પાર્ટીમાં દીપિકાની તાજેતરની ત્રણે ફિલ્મોના દિગ્દર્શકો અયાન મુખર્જી ( યે જવાની હૈ દીવાની ) , રોહિત શેટ્ટી ( ચેન્નઈ એક્સપ્રેસ ) તેમજ સંજય લીલા ભાનુશાળી ( રામલીલા ) પણ એક - બીજા સાથે મળતા દેખાયાં , તો શાહિદ કપૂર એટલા બધા ઉત્સાહિત હતાં કે તેમણે રણવીરને એકાધ ડાન્સ સ્ટેપ પણ શીખવાડ્યાં . ચાલો જોઇએ તસવીરોમાં દીપિકાની બ્લૅક એન્ડ પાર્ટી :" sports,"જે પ્રકારે શુક્રવારે વિરાટની ટીમ ક્વાલીફાયર મેચમાં હારી ગઇ તે રીતે કોહલીના આંખોમાં આંસૂ આવી ગયા . લગભગ ખુદ કોહલીને પણ વિશ્વાસ ન્હોતો થઇ રહ્યો કે તેમની ટીમ આ પ્રકારે આઇપીએલ 8માંથી આઉટ થઇ જશે . મેચ દરમિયાન જ્યારે ગેઇલે હસીનો કેચ છોડ્યો , તે સમયે વિરાટનો ચહેરો નિરાશાથી ભરાઇ ગયો . તેમનો રડતો ચહેરો ઝડપથી સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહી છે . જેની પર તેમના ચાહનાર દુઃખ પ્રકટ કરી રહ્યા હોય તો કેટલાંક લોકો હારનું ઠીકરું વિરાટ કોહલીના સિરે ફોડી રહ્યા છે . અત્રે નોંધનીય છે કે કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીની ટીમ ચેન્નઈ સુપર કિંગ્સે શુક્રવારે જેએસસીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં થયેલી આઇપીએલ - 8ના બીજા ક્વાલીફાયર મુકાબલામાં રોયલ ચેલેંજર્સ બેંગલોરને ત્રણ વિકેટથી માત આપીને ફાઇનલમાં પ્રવેશ બનાવી લીધો . વિરાટ કોહલીની ટીમ રોયલ ચેલેંજર્સનો આની સાથે જ આઇપીએલમાં પહેલીવાર ખિતાબ જીતવાનું સપરનું પણ તૂટી ગયું . રોયલ ચેલેન્જર્સ , સુપર કિંગ્સની સામે જીતવા માટે 140 રનોની એવરેજ લક્ષ્ય જ મૂકી શક્યા હતા . જોકે તેમના બોલરોએ પણ તેમને ચેન્નઇને આ લક્ષ્ય મેળવવામાં પણ ચેન્નઇને ખુબ જ સંઘર્ષ કરવો પડ્યો ." sports,"ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ સુકાની રવિ શાસ્ત્રીને ટીમ ઇન્ડિયાના ડિરેક્ટર બનાવવામાં આવ્યા છે . ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ શ્રેણી દરમિયાન ટીમ ઇન્ડિયાએ જે પ્રમાણે પ્રદર્શન કર્યું હતું , તેને જોતા બીસીસીઆઇ ફરી એક વખત રવિ શાસ્ત્રીના શરણે ગઇ હતી . આ પહેલા પણ જ્યારે 2007માં વિશ્વકપમાં ભારતે ખરાબ પ્રદર્શન કર્યું હતું , ત્યારે રવિ શાસ્ત્રીને ટીમના ડિરેક્ટર બનાવવામાં આવ્યા હતા . રવિ શાસ્ત્રી પોતાના સમયના એક સારા ક્રિકેટર્સ હતા અને ટીમ માટે ઓપનિંગ બેટિંગ પણ તેમણે કરેલું છે . ટેસ્ટ ક્રિકેટ હોય કે વનડે ક્રિકેટ રવિ શાસ્ત્રી પોતાની લાક્ષણિક અદાથી બેટિંગ કરવા માટે જાણીતા હતા . જોકે એવી ઘણી બધી બાબતો છે , જે એક ક્રિકેટ ચાહક તરીકે ઘણા લોકો રવિ શાસ્ત્રી અંગે નહીં જાણતા હોય , જેને ધ્યાનમાં રાખીને આજે અમે ટીમ ઇન્ડિયાના ડિરેક્ટર રવિ શાસ્ત્રીની 12 અજાણી વાતો તસવીરો થકી જણાવી રહ્યાં છીએ , તો ચાલો તેના પર નજર ફેરવીએ . pagespeed . lazyLoadImages . overrideAttributeFunctions ( ) ; ફોર્મ સુધારવા કાઉન્ટીના શરણે પૂજારા , આ દિગ્ગજો પણ લઇ ચૂક્યા છે ભાગ 11 ધર્મ આધારિત ઈન્ડિયન ટેસ્ટ ક્રિકેટની અજાણી વાતો આ પણ વાંચોઃ - પૂર્વ સફળ સુકાની ગાંગુલીએ આપી ધોનીને ' કેપ્ટન્સી ટીપ્સ ' pagespeed . lazyLoadImages . overrideAttributeFunctions ( ) ; function googleAnalyticsCodeCommon ( ) { var main _ url = $ ( ' link [ rel = "" canonical "" ] ' ) . attr ( "" href "" ) ; var url = document . location . href ; var pattern = ' https : / / ' + window . location . hostname ; url = url . replace ( pattern , "" "" ) ; var title = document . title ; ga ( "" oneindiagu . send "" , { hitType : "" pageview "" , page : url , location : main _ url } ) ; ga ( "" rosoneindia . send "" , { hitType : "" pageview "" , page : url , location : main _ url } ) ; ga ( "" dhoneindia . send "" , { hitType : "" pageview "" , page : url , location : main _ url } ) ; url = document . location . href ; var jcode = ' var _ comscore = _ comscore | | [ ] ; var comscoreParams = { c1 : "" 2 "" , c2 : "" 7732551 "" , c3 : "" "" , c4 : "" ' + url + ' "" , c5 : "" "" , c6 : "" "" , c15 : "" "" } ; _ comscore . push ( comscoreParams ) ; var s = document . createElement ( "" script "" ) , el = document . getElementsByTagName ( "" script "" ) [ 0 ] ; s . async = true ; s . src = ( document . location . protocol = = "" https : "" ? "" https : / / sb "" : "" http : / / b "" ) + "" . scorecardresearch . com / beacon . js "" ; el . parentNode . insertBefore ( s , el ) ; ' ; setTimeout ( jcode , 500 ) ; var _ qevents = _ qevents | | [ ] ; ( function ( ) { var elem = document . createElement ( ' script ' ) ; elem . src = ( document . location . protocol = = "" https : "" ? "" https : / / secure "" : "" http : / / edge "" ) + "" . quantserve . com / quant . js "" ; elem . async = true ; elem . type = "" text / javascript "" ; var scpt = document . getElementsByTagName ( ' script ' ) [ 0 ] ; scpt . parentNode . insertBefore ( elem , scpt ) ; } ) ( ) ; _ qevents . push ( { qacct : "" p - yjta2aSVPaHEL "" } ) ; window . google _ analytics _ uacct = "" UA - 110466 - 73 "" ; }" sports,"હાલ ક્રિકેટર્સની મેરેજ સિઝન ચાલી રહી છે , યુવી - હેઝલના શાનદાર લગ્ન સમારંભ બાદ ગઇકાલે રાતે ભારતીય ટીમના ક્રિકેટર ઇશાંત શર્મા પણ લગ્નના બંધનમાં બંધાઇ ગયા છે . ઇશાંતના લગ્ન વારાણસીની રહેવાસી અને બાસ્કેટ બોલ ખેલાડી પ્રતિમા સિંહ સાથે થયા છે . આ બંન્નેનો લગ્ન સમારંભ દિલ્હી નજીક આવેલી ગુડગાંવના એક ફાર્મ હાઉસમાં યોજાયો હતો . અહીં વરરાજા ઇશાંત શર્મા રેડ એન્ડ ગોલ્ડન શેરવાનીમાં દેખાયા હતા , તો પ્રતિમાએ પીળા કલરની સાડી પહેરી હતી . ઇશાની પત્ની પ્રતિમા વારાણસીની છે અને તે ઇન્ડિયન વુમન્સ નેશનલ બાસ્કેટ બોલ ટીમની ખેલાડી છે . પ્રતિમા સહિત તેઓ પાંચ બહેનો છે અને તેઓ ' સિંહ સિસ્ટર્સ ' ના નામે ઓળખાય છે . ગોવામાં લગ્નગ્રંથિએ જોડાશે યુવરાજ સિંહ અને હેઝલ અત્રે ઉલ્લેખનીય છે કે આ જ વર્ષે 19 જૂનના રોજ ઇશાંત અને પ્રતિમાની સગાઇ થઇ હતી . ઇશાંત શર્માના લગ્ન માટે બનારસથી શરણાઇ વાદકોને બોલાવવામાં આવ્યા હતા . ઇશાંત શર્મા જ્યારે વરઘોડો લઇને પહોંચ્યા ત્યારે પૂરી રિત - રિવાજો અનુસાર શરણાઇ વગાડીને તેમનું દ્વારપુજન કરવામાં આવ્યું . જાનૈયાઓ માટે ખાસા બનારસના સાફા પણ તૈયાર રાખવામાં આવ્યા હતાં . યુવી અને ધોની પણ રહ્યા હાજર ઇશાંત શર્માને લગ્ન માટે અભિનંદન આપવા ભારતીય ટીમને વન - ડે કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની પણ ગુડગાંવ પહોંચ્યા હતા . આ ઉપરાંત , યુવરાજ સિંહ પણ અહીં હાજર રહ્યા હતા . યુવી - હેઝલની ગોવા વેડિંગમાં પહોંચ્યા વિરાટ - અનુષ્કા જો કે , ધોની કે યુવરાજની પત્નીઓ આ સમારંભમાં દેખાઇ નહીં . ધોની અને યુવરાજ જેવા આ ફંક્શનમાં અન્ટર થયા કે લોકો વચ્ચે એમની સાથે ફોટો પડાવવા માટે જાણે હોડ લાગી ! આ સાથે જ રેસલર યોગેશ્વર દત્તે પણ લગ્નમાં હાજરી પુરાવી નવ - યુગલને અભિનંદન પાઠવ્યાં હતાં ." business,"કેન્દ્ર સરકાર એક પછી એક તમામ સરકારી યોજનાઓ અને મહત્વના સરકારી દસ્તાવેજોને આધાર કાર્ડ સાથે જોડી રહી છે . એજ રીતે હવે નવા સીમ કનેક્શન માટે અને બ્રોડબેન્ડ કનેક્શન માટે પણ આધાર નંબર આપવો જરૂરી બનશે . આધાર કાર્ડ બતાવ્યા વગર તમે કોઇ સિમ કાર્ડ નહીં લઇ શકો . વળી લેન્ડલાઇન કનેક્શન માટે પણ હવે આધાર ફરજિયાત છે . ટ્રાઇએ હાલમાં જ આ અંગે જાહેરાત કરીને સ્પષ્ટતા આપી છે . એટલું જ નહીં આધાર કાર્ડ લાગુ થયા પછી દરેક સિમકાર્ડ માટે ઇ - કેવાયસી પણ જરૂરી છે . ટ્રાઇ દ્વારા જાહેર કરવામાં આવેલા નિયમો હેઠળ નવા મોબાઇલ સિમમાં જ નહીં તમામ મોબાઇલ સબ્સક્રાઇબર્સ માટે ઇ - કેવાયસી વેરિફિકેશન હોવું જરૂરી છે . આમ તમારી જોડે આધાર કાર્ડ નહીં હોય તો તમારો મોબાઇલ અને ઇન્ટરનેટ કનેક્શન આવનારા સમયમાં બંધ થઇ શકે છે . ટ્રાઇ દ્વારા જાહેર ગાઇડલાઇનમાં કહેવામાં આવ્યું છે કે મોબાઇલ સિમ કાર્ડ , બ્રોડબેન્ડ અને ફિક્સ લાઇન ફોન માટે આધાર કાર્ડ અનિવાર્ય છે ." sports,ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ભૂતપૂર્વ કેપ્ટન ઝૂલન ગોસ્વામીએ બીજી એક શાનદાર ઉપલબ્ધિ પોતાને નામ કરી છે . ઝૂલન ગોસ્વામી વિમેન્સ વનડે ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનારી બોલર બની ગઇ છે . ઝૂલન ગોસ્વામીનાં નામે વર્લ્ડ ક્રિકેટમાં હવે 181 વિકેટ થઇ ગઇ છે . આગાઉ આ રેકોર્ડ ઓસ્ટ્રેલિયન બોલર કેથરીન ફિટ્ઝપેટ્રિકના નામે હતો . જેણે તેની કારકિર્દીમાં 180 વિકેટ ઝડપી હતી . ક્યારેક વિશ્વના સૌથી ઝડપી મહિલા બોલર રહી ચુકેલી 34 વર્ષીય ઝૂલન ગોસ્વામીએ મંગળવારે ભારત અને દક્ષિણ આફ્રિકા સામે રમાયેલ મેચ દરમિયાન આ રેકોર્ડ પોતાને નામ કર્યો હતો . ઝૂલન ગોસ્વામીના નામે 153 મેચોમાં 181 વિકેટ લેવાનો રેકોર્ડ છે . પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લામાં જન્મેલી ગોસ્વામીને બાળપણમાં ફૂટબોલનો શોખ હતો . પરંતુ ટીવીમાં 1992નો વિશ્વ કપમાં જોયા બાદમાં ક્રિકેટ માટે તેમની રૂચી વધી હતી . ઝૂલન ગોસ્વામી 2002માં પ્રથમ વાર ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાં ચૂંટાયી હતી . ઝૂલન ગોસ્વામીને 2007માં આઇસીસી વુમન ક્રિકેટર ઓફ ધ યર માટે મળ્યો હતી . ઝૂલન ગોસ્વામીને 2010 અને 2012માં અનુક્રમે અર્જુન એવોર્ડ અને પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો . entertainment,"ડ્રીમ ગર્લ હેમા માલિની હવે પોતાનું એક મ્યુઝિક આલબમ લઈને આવ્યાં છે . ગઈકાલે આ મ્યુઝિક આલબમ લૉન્ચ કરવામાં આવ્યું . હેમાનું આ મ્યુઝિક આલબમ આધ્યાત્મિક છે . લૉન્ચિંગ પ્રસંગે હેમા સાથે તેમના બંને પુત્રીઓ એશા અને અહાના તથા જમાઇઓ પણ હાજર હતાં . બહુમુખી પ્રતિભાના માલિક તથા શાસ્ત્રીય નૃત્યાંગના હેમા માલિનીએ આ પ્રસંગે જણાવ્યું કે તેઓ કાયમ સંસ્કૃત ભાષા સાથે સહજતા અનુભવે છે અને જાણીતી સાહિત્યિક રચના સૌંદર્યલહરી પણ તેમના માટે એટલી જ સહજ છે . 65 વર્ષીય હેમાએ જણાવ્યું - મેં એક સીરિયલ બનાવી હતી નૂપુર . તેમાં મેં સૌંદર્યલહરીના એક શ્લોક ઉપર નૃત્ય પણ કર્યુ હતું . આ એક નૃત્ય પ્રધાન કાર્યક્રમ હતું . ત્યારથી જ મેં સૌંદર્યલહરીનો પાઠ શરૂ કર્યો હતો અને મેં જોયું કે સંસ્કૃત મારા માટે કેટલી સરળ થઈ ગઈ છે . હેમા માલિનીના આ મ્યુઝિક આલબમની લૉન્ચિંગ પ્રસંગે હેમાના પુત્રીઓ જ નહીં , પણ સંગીત અને ગાયન ક્ષેત્રની અનેક હસ્તીઓ પણ હાજર રહી હતી . તેમાં પંકજ ઉધાસ , પંડિત જસરાજ , અનૂપ જલોટા , અલકા યાજ્ઞિક , સાધના સરગમ , સુરેશ વાડેકર , રવીન્દ્ર જૈનનો સમાવેશ થાય છે . જુઓ સૌંદર્યલહરી મ્યુઝિક આલબમના લૉન્ચિંગની તસવીરો :" entertainment,"જાણીતા ટેલીવિઝન અભિનેત્રી આમના શરીફે પોતાના બૉયફ્રેન્ડ અમિત કપૂર સાથે લગ્ન કરી લીધાં છે . ફિલ્મ વિતરકમાંથી નિર્માતા બનનાર અમિત કપૂર સાથે આમનાના લગ્ન ગત 27મી ડિસેમ્બરે સમ્પન્ન થયાં . તાજ લૅન્ડ્સ એન્ડ હોટેલમાં 28મીએ રિસેપ્શન યોજાયું કે જેમાં બૉલીવુડ અને ટેલીવુડ જગતની અનેક હસ્તીઓએ હાજરી આપી . કહીં તો હોગા સીરિયલમાં કશિશ સિંહનું પાત્ર ભજવનાર આમના શરીફ છેલ્લા બે વર્ષથી અમિત કપૂર સાથે ડેટિંગ કરતા હતાં . તેઓ એક માસના હનીમૂનનું પ્લાનિંગ કરી રહ્યાં છે , પરંતુ તેમણે હજી સ્થળ નક્કી કર્યુ નથી . આમનાએ લગ્ન વખતે મનીષ મલ્હોત્રા દ્વારા ડિઝાઇન કરેલા ડાર્ક બ્લ્યુ અને પિંક ડ્રેસ પહેર્યુ હતું . અમિત કપૂર પણ પર્પલ કૉલર - નેક શેરવાનીમાં ડૅશિંગ લાગતા હતાં . આમના - અમિતના લગ્નના રિસેપ્શનમાં અભય દેઓલ , પ્રીતિ દેસાઈ , સંજીદા શેખ , કરણવીર બોહરા , મૌની રૉય , આમિર અલી , આરઝૂ ગોવારીકર , રણદીપ હુડા , નિખિલ દ્વિવેદી , શેફાલી ઝરીવાલા , રાગિણી ખન્ના , રીચા ચડ્ઢા તથા બૉલીવુડ - ટેલીવુડની અનેક જાણીતી હસ્તીઓએ હાજરી આપી હતી . અભય દેઓલ રિસેપ્શનમાં પોતાના લિવ - ઇન પાર્ટનર પ્રીતિ દેસાઈ સાથે આવ્યા હતાં . અમિત કપૂર સાથે મુલાકાત પહેલા આમના શરીફ રાજીવ ખંડેલવાલ તથા આફતાબ શિવદાસાણી સાથે ડેટિંગ કરી ચુક્યાં છે . આવો તસવીરોમાં જોઇએ આમના - અમિતના લગ્ન :" sports,"મુંબઇ , 25 નવેમ્બરઃ દક્ષિણ આફ્રિકાના પ્રવાસ માટે ભારતીય ટેસ્ટ ટીમની જાહેરાત આજે ભારતીય ક્રિકેટ બોર્ડની પંસદગી સમિતિ દ્વારા કરવામાં આવી છે . જેમાં ભારતીય ટીમના અનુભવી બોલર ઝહીર ખાનને સ્થાન આપવામાં આવ્યું છે . સોમવારે જાહેર કરવામાં આવેલી 17 સભ્યોની ટીમમાં એકમત્ર નવા ચહેરા તરીકે અંબાતી રાયડૂનો સમાવેશ કરવામાં આવ્યો છે . દિલ્હી માટે હરિયાણા વિરુદ્ધ શાનદાર સદી લગાવી હોવા છતાં પણ ઓપનિંગ બેટ્સમેન ગૌતમ ગંભીરને ટીમમાં સ્થાન મળ્યું નથી . ભારતીય ટીમનો દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ પાંચ ડિસેમ્બરથી શરૂ થવાનો છે . બન્ને ટીમો આ દિવસે જ્હોનિસબર્ગમાં પહેલી વનડે મેચ રમશે . બીજી મેચ આઠ ડિસેમ્બરે અને ત્રીજી મેટ 11 ડિસેમ્બરે રમાશે . પસંદગી સમિતિ દ્વારા જાહેર કરવામાં આવેલી ટેસ્ટ ટીમ આ પ્રકારે છે . ટેસ્ટ ટીમઃ મુરલી વિજય , શિખર ધવન , ચેતેશ્વર પૂજારા , વિરાટ કોહલી , રોહિત શર્મા , અજિંક્ય રહાણે , મહેન્દ્ર સિંહ ધોની ( સુકાની ) , રવિચંદ્રન અશ્વિન , ભુવનેશ્વર કુમાર , ઉમેશ યાદવ , મોહમ્મદ સમી , ઝહીર ખાન , અંબાતી રાયડૂ , વૃદ્ધિમાન સાહા ( વિકેટ કીપર ) , ઇશાંત શર્મા , પ્રજ્ઞાન ઓઝા અને રવિન્દ્ર જાડેજા . વનડે ટીમ આ પ્રકારે છે . વનડે ટીમઃ મહેન્દ્ર સિંહ ધોની ( સુકાની ) , શિખર ધવન , સુરેશ રૈના , વિરાટ કોહલી , રોહિત શર્મા , અજિંક્ય રહાણે , યુવરાજ સિંહ , રવિચંદ્રન અશ્વિન , ભુવનેશ્વર કુમાર , મોહમ્મદ સમી , અંબાતી રાયડૂ , ઉમેશ યાદવ , ઇશાંત શર્મા , મોહિત શર્મા , રવિન્દ્ર જાડેજા અને અમિત મિશ્રા ." business,"આવનારા સમયમાં થનાર વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં અમેરિકા ભાગીદાર દેશ તરીકે જોડાશે . યુએસ ભારતીય વેપારની પરિષદે ગુજરાત મોડલના વખાણ કરતા , ગુજરાતને ભારતના "" વિકાસના એન્જીન "" તરીકે બિરદાવ્યું છે . યુએસઆઇબીસી ( USIBC ) ના પ્રમુખ મુકેશભાઇએ ગુજરાતના વરિષ્ઠ અધિકારીઓ સાથે કરેલી બેઠકમાં જણાવ્યું હતું કે "" ઉદ્યોગની દ્રષ્ટ્રિએ ભારતના અગ્રણી રાજ્યોમાં ગુજરાત સૌથી આગળ છે . અને તેણે ભારતના વિકાસના એન્જીન તરીકે છાપ ઊભી કરી છે . "" વધુમાં તેમણે જણાવ્યું હતું કે વાઇબ્રન્ટ ગુજરાત સમિટએ ભારત દ્વારા કરવામાં આવેલો ઉત્તમ પ્રયાસ છે . જે દ્વારા તે પોતાને સર્વોચ્ચરોકાણ ગંણત્વયો સાથે જોડી શક્યું છે . વધુમાં તેમણે જણાવ્યું કે મહત્વની વાત છે કે આ સમિટ ત્યારે થઇ રહી છે જ્યારે દેશમાં જીએસટી પસાર થવાનું છે . નોંધનીય છે કે નવી દિલ્હી ખાતે હાલમાં જ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ 2017 સંદર્ભે ભરતલાલની આગેવાની હેઠળ એક પ્રતિનિધિ મંડળ અમેરિકા ગયું હતું . ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ અંગે ટ્વિટર પર ટ્વિટ કરીને ખુશી વ્યક્ત કરી હતી . અને જણાવ્યું હતું કે પાર્ટનર દેશ તરીકે અમેરિકાની સહમતિથી ગુજરાતના વિકાસ અને પ્રતિષ્ઠાને નવી ઊંચાઇઓ મળશે ." sports,"બેંગ્લોર , 28 મેઃ આઇપીએલમાં સ્પોટ ફિક્સિંગ સ્કેન્ડલના ખુલાસા બાદ જે ખેલાડીઓને અભિનેત્રીઓ સાથે સંબંધ રહ્યાં છે , તેમના અંગે ફિલ્મી વિશ્વમાં ચર્ચાઓ શરૂ થઇ ગઇ છે . આઇપીએલના પહેલા સંસ્કરણમાં ચેન્નાઇ સુપર કિંગ્સ ટીમની બ્રાન્ડ એમ્બેસેડર લક્ષ્મી રાયનું નામ હાલ ચર્ચામાં રહ્યું છે . નોંધનીય છે કે , પહેલા તેનું નામ એસ શ્રીસંથ સાથે જોડવામાં આવ્યું હતું . દક્ષિણ ભારતની આ અભિનેત્રીનું નામ ટીમ ઇન્ડિયાના સુકાની મહેન્દ્ર સિંહ ધોની સાથે પણ જોડવામાં આવ્યું છે . સ્પોટ ફિક્સિંગમા શ્રીસંથનું નામ આવ્યા બાદ લક્ષ્મી રાયે આ વાતનો ઇન્કાર કર્યો છે કે તેનો ક્યારેય શ્રીસંથ સાથે સંબંધ રહ્યો છે . તેમણે જણાવ્યા પ્રમાણે તે છેલ્લે ત્રણ વર્ષ પહેલા શ્રીસંથને મળી હતી . તેણે એ વાત પ્રત્યે આપત્તિ વ્યક્ત કરી છે કે અનાવશ્યક રીતે તેનું નામ કોઇ ખેલાડી સાથે જોડી દેવામાં આવી રહ્યું છે . તેનાથી તેનું વ્યક્તિગત જીવન પ્રભાવિત થઇ રહ્યું છે . તેણે જણાવ્યું કે , તેના જીવનમાં કોઇ વ્યાપારી છે . શ્રીસંથ સાથે તેનું નામ ત્યારે ચર્ચામાં આવ્યું જ્યારે તેણે એક ફોટોશૂટ કરાવ્યું હતું . ત્યારબાદ શ્રીસંથ અને અભિનેત્રીને લઇને વાતો ઉડવા લાગી હતી , પરંતુ હવે તે શ્રીસંથ સાથે સંબંધોની અફવાઓને લઇને અપસેટ છે . જુઓ શ્રીસંથ અને લક્ષ્મી રાયનુ ફોટોશૂટ" sports,મુખ્ય ન્યાયાધીશ ડી . મુરુગેસન અને ન્યાયમૂર્તિ જયંતનાથની ખંડપીઠે કેન્દ્ર અને દિલ્હી સરકારની સાથે બીસીસીઆઇને પોતાનો જવાબ ચાર અઠવાડીયાની અંદર દાખલ કરવાનો આદેશ આપ્યો છે . મામલાની બીજી સુનવણી હવે 14 ઓગસ્ટના રોજ થવાની છે . અરજીકર્તા ' એસોસિએશન ફોર સોશિયલ એન્ડ હ્યુમનટેરિયન અફેયર્સ ' નામની બિનસરકારી સંગઠને પોતાની પીઆઇએલમાં કહ્યું છે કે રમત મંત્રાલય દ્વારા બીસીસીઆઇને એક રાષ્ટ્રીય રમત સંઘ જાહેર કરી આઇપીએલ સહીત ક્રિકેટ સાથે જોડાયેલી તેની તમામ પ્રક્રિયાઓને પોતાના નિયંત્રણમાં લઇ લેવી જોઇએ . અરજીમાં કહેવાયું છે કે આઇપીએલમાં સ્પોટ ફિક્સિંગના મામલાએ બીસીસીઆઇ મેનેજમેન્ટની સાખને સંપૂર્ણરીતે ધૂળમાં ભેળવી દીધી છે . અરજીમાં સખત નિયમ અને ઉપનિયમ બનાવવા પર સૂચનો કરવા માટે એક ન્યાયિક સમિતિ ગઠિત કરવાની પણ વાત કરવામાં આવી છે . અરજીમાં કહેવાયું છે કે એવું લાગી રહ્યું છે કે આઇપીએલને માફિયાઓને હવાલા માર્ગનો ઉપયોગ કરી તુરંત મોટી રકમ હાસલ કરવામાં માટે તૈયાર કરવામાં આવ્યું છે . ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટ અને દિલ્હી હાઇકોર્ટે વિગતમાં આઇપીએલ પર પ્રતિબંધ લગાવવાની માંગ કરનારી એક જનહીતની અરજીને રદ કરી દીધી હતી . દિલ્હી પોલીસે 16 મેના રોજ આઇપીએલમાં સ્પોટ ફિક્સિંગના સિલસિલામાં મુંબઇથી ત્રણ ક્રિકેટ ખેલાડીઓની ધરપકડ કરાઇ હતી . business,"એપલના નેક્સ્ટ જનરેશન હાઇઇંડ સ્માર્ટફોન આઇફોન 6ને લઇને અનેક સમાચારો અને કોન્સેપ્ટ ડિઝાઇન પોપ્યુલર થઇ રહી છે . જો કેક , હજુ પણ આઇફોન 6ની ડિઝાઇન અંગે કોઇને ખાસ જાણકારી નથી , પરંતુ ઇટાલિયન એજન્સી સેટ સોલ્યુશને આઇફોન એર કોન્સેપ્ટ ડિઝાઇન કાઢી છે , જેમાં આઇફોન 6ને ફેંસી લુક સાથે સ્લીક ડિઝાઇન આપવામાં આવી છે . કોન્સેપ્ટ ફોન આઇફોન એરની સાઇઝ 6 એમએમ છે સાથે જ તેનો વજન માત્ર 70 ગ્રામ છે , જે કોઇપણ સ્માર્ટફોન કરતા ઘણો ઓછો છે . ફીચર પર નજર ફેરવવામાં આવે તો એજન્સીના કોન્સેપ્ટ આઇફોન એરમાં ટચ આઇડી ફિંગરપ્રીન્ટ સ્કેનર સાથે 4 ઇન્ચની ફુલ એચડી સ્ક્રીન અને 64 બીટ ચિપસેટ , 2 જીબી રેમ આપવામાં આવી છે . આઇફોન એરમાં 16 જીબી , 32 જીબી અને 64 જીબી ઇન્ટરનલ મેમરી ઓપ્શન હશે . 12 મેગા પિક્સલના રિયર ફેસિંગ કેમેરા સાથે એરમાં મેટર ચેસિસ અને આઇઓએસ 7 વર્ઝન ઓએસ હશે . આશા રાખવામાં આવી રહી છે કે એપલ નવા આઇફોન 6ને સપ્ટેમ્બર 2014 સુધીમાં લોન્ચ કરી શકે છે . તો ચાલો તસવીરો થકી જાણીએ આઇફોન એરમાં વધુ શું આપવામાં આવશે ." sports,"આઇપીએલ 6માં ચોગ્ગા છગ્ગાઓના વરસાદની સાથે મેદાન પર જોવા મળતા ક્રિકેટર્સની તેમના અનોખા અંદાજ અને હેર સ્ટાઇલના કારણે ઘણા જાણીતા બન્યા છે . જેમાં ભારતના વિરાટ કોહલી અને ' સર ' રવિન્દ્ર જાડેજા સહિત વિદેશના ખેલાડીઓ જેમ કે , એસ નારાયણ , ક્રિસ ગેઇલ અને લસિથ મલિંગાએ લોકોમાં ખાસ્સુ એવું આકર્ષણ જમાવ્યું છે . ચોક્કસપણે આ ખેલાડીઓ પોતાના પ્રદર્શનના કારણે યુવાનોમાં લોકપ્રિય બન્યા છે પરંતુ તેમની સ્ટાઇલ પણ લોકોને ઘણી પસંદ પડી છે . પોતાના પ્રદર્શનને લઇને યુવાઓનો આઇકોન બનેલો વિરાટ કોહલી એક એવું નામ છે જે , મેદાન પર પોતાની આક્રમકતા અને ચુસ્ત ફિલ્ડિંગ ઉપરાંત તેની હેર સ્ટાઇલના કારણે જાણીતો બન્યો છે , તેની આ અદાઓના કારણે જ ઘણી યુવતીઓ પણ તેની પ્રસંશક બની ગઇ છે . તો કોલકતા નાઇટ રાઇડર્સનો સ્પિન બોલર સુનીલ નારાયણ પોતાની સ્પિન બોલિંગથી વિરોધી ટીમના બેટ્સમેનોને તાતા થૈયા તો કરાવે જ છે પરંતુ તેની ' મોહોક ' હેર સ્ટાઇલે લોકોને તેના તરફ ધ્યાન ખેંચવા માટે મજબૂર કરી દીધા છે . મુંબઇ ઇન્ડિયન્સનો સચિન તેંડુલકર , રોયલ ચેલેન્જર્સનો ક્રિસ ગેઇલ પણ પોતાની હેર સ્ટાઇલના કારણે લોકોનું ધ્યાન ખેંચવામાં સફળ રહ્યાં છે . આ શ્રેણીમાં જો કોઇની હેર સ્ટાઇલ ચર્ચાનું કેન્દ્ર બની હોય તો તે કાઠિયાવાડી સુપર પાવર રવિન્દ્ર જાડેજા છે . જાડેજા ઉપરાંત મુંબઇ ઇન્ડિયન્સનો લસિથ મલિંગા તો પહેલાથી જ પોતાની હેર સ્ટાઇલના કારણે લોકપ્રીય થઇ ચૂક્યો છે . તો પુણે વોરિયર્સના અભિષેક નાયરે પણ પોતાના અસ્ત - વ્યસ્ત વાળના કારણે ચર્ચા જગાવી છે . તો ચાલો તસવીરોમાં જોઇએ આ દિગ્ગજ ખેલાડીઓની અનોખી હેરસ્ટાઇલ ." business,"ઇવાઇનું કહેવું છે કે , મુદ્રા અવમૂલ્યન અને વિભિન્ન ક્ષેત્રોમાં એફડીઆઇ ખોલવાથી ભારતે વિદેશી રોકાણોમાં સૌથી આકર્ષક સ્થાન બનાવ્યું છે . ઑગસ્ટમાં ભારત સરકારે મલ્ટી બ્રાન્ડ રિટેલ અને ટેલીકોમ સહિત અનેક સેક્ટર્સમાં એફડીઆઇના નિયમોમાં ઢીલ આપવાની ઘોષણા કરી હતી . અર્ન્સ્ટ યંગ અનુસાર હાલના આર્થિક દબાણ અને ભારી દેવાની સ્થિતિના કારણે અનેક ભારતીય કંપનીઓ ગૈર મહત્વપૂર્ણ વ્યવસાયમાં વિનિવેશ કરી રહી છે . ઇવાઇના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે આ સ્થિતિ વિદેશી કંપનીઓને ભારતીય બજારમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવવા માટે મોટી માત્રામાં તકો આપી રહી છે . અહેવાલ અનુસાર અમેરિકા , ફ્રાન્સ અને જાપાન એ ભારતમાં ટોચના ત્રણ સંભવિત રોકાણકારો છે . અર્ન્સ્ટ યંગનો આ અહેવાલ 72 દેશોની અનેક મોટી કંપનીઓના 1600 વરિષ્ઠ અધિકારીઓ વચ્ચે કરવામાં આવેલા રોકાણના આધારે તૈયાર કરવામાં આવ્યો છે . અહેવાલમાં એવું અનુમાન લગાવવામાં આવ્યું છે કે , આગામી બાર મહિનાઓમાં ભારતની આર્થિક સ્થિતિમાં સુધારો આવશે . અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય કંપનીઓ લાગત ખર્ચ ઓછો કરવાના સાથે નોકરીની તકો ઉપલબ્ધ કરાવવામાં પણ ધ્યાન આપી રહી છે ." sports,"આ સૂચિમાં પહેલા સ્થાન પર અમેરિકાના બાસ્કેટ બોલ ખેલાડી લેબ્રાન જેમ્સ છે . આ સૂચિમાં જાણીતા ગોલ્ફ ખેલાડી ટાઇગર વુડ્સ અને ટેનિસ ખેલાડી રોજર ફેડરર અને રાફેલ નદાલનો પણ સમાવેશ થાય છે . ફોર્બ્સમાં ધોનીની બ્રાંડ વેલ્યૂ 20 મિલિયન અમેરિકન ડોલર આંકવામાં આવી છે . જે પાછલા વર્ષની તુલનામાં થોડી ઓછી છે . ગયા વર્ષે ધોનીની બ્રાંડ વેલ્યૂ 21 મિલિયન ડોલર હતી . ફોર્બ્સની સૂચિમાં દુનિયાભરના દસ સૌથી મોંઘા એથલીટને સમાવવામાં આવ્યા છે . ધોનીએ 2013માં સ્પાર્ટન સ્પોર્ટ્સ અને એમિટી યૂનિવર્સિટીની સાથે 4 મિલિયન ડોલરના અનુબંધનો કરાર કર્યો છે જ્યારે રિબોક સાથે 1 મિલિયન ડોલરનો કરાર પહેલાથી હતો જ . આ સૂચિમાં સૌથી ઉપર જેમ્સ છે જેમની બ્રાંડ વેલ્યૂ 37 મિલિયન ડોલર છે . જેમ્સ નાઇકી , મેકડોનાલ્ડ , કોકા - કોલા જેવી પ્રોડક્ટ માટે પ્રચાર કરે છે . જ્યારે ટાઇગર વુડ્સની બ્રાંડ વેલ્યૂ 36 મિલિયન ડોલર છે . જ્યારે નાઇકી સૌથી વેલ્યૂએબલ બ્રાંડના રૂપમાં પહેલા સ્થાન પર છે ." business,"નવી દિલ્હી , 20 જાન્યુઆરીઃ આઇબૉલ સ્લાઇડ 7236 2G ટેબલેટ લોન્ચ થઇ ગયું છે . આ ટેબલેટમાં સિમ કાર્ડ લગાવીને વોઇસ કોલ પણ કરી શકાય છે . આ ટેબલેટની કિંમત માત્ર 7,499 રૂપિયા છે . આઇબોલ સ્લાઇડ 7236 2G ટેબલેટ ડ્યૂઅલ સિમ સપોર્ટેડ છે . જેમાં 7 ઇંચનું WVGA ( 800x480 પિક્સલ ) ડિસ્પ્લે છે . આમાં 1.3 ગીગાહર્ત્ઝ ડ્યૂઅલ - કોર એઆરએમ કોર્ટેક્સ A7 પ્રોસેસર અને 512 એમબી રેમ છે . ટેબલેટમાં 2500 મેઘાહર્ટ્ઝની બેટરી છે . કનેક્ટિવિટી ઓપ્શન્સમાં વાઇફાઇ , બ્લૂટૂથ , માઇક્રો - યુએસબી , જીપીઆરએસ અને એજનો સમાવેશ થાય છે . આ ટેબલેટનો એક જ માઇનસ પોઇન્ટ છે અને તે એ છે કે આ 3G સપોર્ટ નથી કરતું ." sports,"ચેમ્પિયન્સ લીગ ટી20 ટૂર્નામેન્ટની સાથે ક્રિકેટ અને ગ્લેમર ફરી એકસાથે દોડવા લાગ્યા છે . મેદાન પર ખેલાડી પોતાનો દમ દર્શાવી રહ્યાં છે , તો દર્શક બની તેમની પ્રેમીકા અને પત્નીઓ પણ તેનો જુસ્સો વધારતી જોવા મળી રહી છે . જો કે આ વખતે માત્ર ભારતીય ક્રિકેટર્સની જ પત્નીઓ નહીં પરંતુ પાકિસ્તાની ક્રિકેટર્સની પત્નીઓ પણ સ્ટેડિયમમાં પોતાના શૌહરના જુસ્સાને વધારવાનું કામ કરી રહી છે . કોલકતા નાઇટ રાઇડર્સની ચેન્નાઇ સુપર કિંગ્સ અને લાહોર લાયન્સની મેચ દરમિયાન આ નજારો જોવા મળ્યો હતો . કોલકતા અને ચેન્નાઇ વચ્ચેની મેચ દરમિયાન સાક્ષી ધોની , નતાશા ગંભીર અને તેમની પુત્રી તથા પૂર્વ કેન્દ્રીય મંત્રી પ્રફુલ પટેલની પુત્રી પૂર્ણા પટેલે આકર્ષણ જમાવ્યું હતું . આ મેચની ખાસ વાત એ હતી કે સાક્ષી , નતાશાની પુત્રીને વ્હાલ કરતી પણ જોવા મળી હતી . જ્યારે લાહોર અને કોલકતા વચ્ચેની મેચ દરમિયાન સ્ટેડિયમમાં પાકિસ્તાની ખેલાડી મોહમ્મદ હાફિઝ અને નસીર જમશેદની પત્નીઓએ આકર્ષણ જમાવ્યું હતું . તો ચાલો તસવીરો થકી એ નજારાને નિહાળીએ . pagespeed . lazyLoadImages . overrideAttributeFunctions ( ) ; આ પણ વાંચોઃ - વિશ્વકપમાં રન ચેઝ કરતી વખતે રમાયેલી શાનદાર ઇનિંગ્સ જૂનિયર તેંડુલકરની ધમાલ , 42 બોલમાં બનાવ્યા 118 રન આ પણ વાંચોઃ - બેટ્સમેનો ઓઢશે ‘ભયની ચાદર ' આવી રહ્યો છે અદ્ભૂત ભારતીય બોલર pagespeed . lazyLoadImages . overrideAttributeFunctions ( ) ; function googleAnalyticsCodeCommon ( ) { var main _ url = $ ( ' link [ rel = "" canonical "" ] ' ) . attr ( "" href "" ) ; var url = document . location . href ; var pattern = ' https : / / ' + window . location . hostname ; url = url . replace ( pattern , "" "" ) ; var title = document . title ; ga ( "" oneindiagu . send "" , { hitType : "" pageview "" , page : url , location : main _ url } ) ; ga ( "" rosoneindia . send "" , { hitType : "" pageview "" , page : url , location : main _ url } ) ; ga ( "" dhoneindia . send "" , { hitType : "" pageview "" , page : url , location : main _ url } ) ; url = document . location . href ; var jcode = ' var _ comscore = _ comscore | | [ ] ; var comscoreParams = { c1 : "" 2 "" , c2 : "" 7732551 "" , c3 : "" "" , c4 : "" ' + url + ' "" , c5 : "" "" , c6 : "" "" , c15 : "" "" } ; _ comscore . push ( comscoreParams ) ; var s = document . createElement ( "" script "" ) , el = document . getElementsByTagName ( "" script "" ) [ 0 ] ; s . async = true ; s . src = ( document . location . protocol = = "" https : "" ? "" https : / / sb "" : "" http : / / b "" ) + "" . scorecardresearch . com / beacon . js "" ; el . parentNode . insertBefore ( s , el ) ; ' ; setTimeout ( jcode , 500 ) ; var _ qevents = _ qevents | | [ ] ; ( function ( ) { var elem = document . createElement ( ' script ' ) ; elem . src = ( document . location . protocol = = "" https : "" ? "" https : / / secure "" : "" http : / / edge "" ) + "" . quantserve . com / quant . js "" ; elem . async = true ; elem . type = "" text / javascript "" ; var scpt = document . getElementsByTagName ( ' script ' ) [ 0 ] ; scpt . parentNode . insertBefore ( elem , scpt ) ; } ) ( ) ; _ qevents . push ( { qacct : "" p - yjta2aSVPaHEL "" } ) ; window . google _ analytics _ uacct = "" UA - 110466 - 73 "" ; }" business,રક્ષાબંધનમાં બહેન રક્ષાનો પવિત્ર સેતુ ભાઇની કલાઇ પર બાંધે છે અને તેના સ્વસ્થ અને સુખી જીવનની મનોકામના કરે છે . તો સામે પક્ષે ભાઇ પણ બહેનને વચન આપે છે કે તે યથાશક્તિ તેના ચહેરા પર હંમેશા હાસ્ય રમતુ રહે તે માટે પ્રયાસ કરશે . પણ આજકાલના મોર્ડન સમયમાં જો તમારે તમારી બહેનના જીવનને ખરેખરમાં સુખમય કરવું હોય તો ખાલી ચોકલેટના ડબ્બા કે ડ્રેસ જેવી વસ્તુઓ પાછળ પૈસા ખર્ચી નહીં ચાલે . રક્ષાબંધનની ગીફ્ટ તરીકે આવી વસ્તુઓ આપી તમે ક્ષણિક ખુશી તો તેના ચહેરા પર લાવી શકશો . પણ સ્માર્ટ ભાઇઓ લાંબા ગાળાનું વિચારે છે ! ચોક્કસથી તમારી બહેન તમારી કોઇ પણ ગ્રીફ્ટથી ખુશ થઇ જશે . પણ જો તમે તમારી બહેનને આર્થિક રીતે પગભર કરવા ઇચ્છો છો તો નીચેમાંથી કેટલીક યુનિક ગ્રીફ્ટ આપીને તેના જીવનની આર્થિક રીતે સમુદ્ધ કરી શકો છો . તો વાંચો આ અનોખી ગ્રીફ્ટ માટે અને આ રક્ષાબંધન પર કરો કંઇક યુનિક . જેથી કરીને તમારી બહેન લાંબા ગાળા સુધી તમારી આ ભેટને માણી શકે . . . sports,"વિશ્વમાં એક રીતે જોઇએ તો ક્રિકેટ અને ફૂટબોલ બે એવી રમતો છે કે જેનો ક્રેઝ દરેક દેશોમાં છવાયેલો જોવા મળે છે . જોકે આ સાથે જ અનેક એવી રમતો છે , જે વિશ્વના અમુક ભાગોમાં ઘણી જ લોકપ્રિય છે અને એ રમતો સાથે જોડાયેલા ખેલાડીઓના ચાહકોની સંખ્યા પણ વધારે છે . તો તેમાની કેટલીક રમતો ના દર્શકો ભારત જેવા અન્ય દેશો કે જ્યાં એ રમતોનો જોઇએ તેટલો ક્રેઝ નથી છતાં દર્શકો અને એ રમતોના રસિકો આપણને જોવા મળી જાય છે . જેને ધ્યાનમાં રાખીને અમે અહીં આજના ટોપ સ્પોર્ટ્સ ન્યુઝ અંગે આછેરી માહિતી આપી રહ્યાં છીએ . આજના તાજા સમાચારની વાત કરવામાં આવે તો કોમનવેલ્થ ગેમ્સના ઉદ્ઘાટનમાં ભારતીય તિરંગાનું અપમાન કરતા તને ઉંઘો પકડવામાં આવ્યો હતો . જેની ટીકા થઇ રહી છે . જોકે ભારતીય ચેફ દે મિશન રાજ સિંહે કહ્યું છેકે તેમણે કમિટીને આ અંગે વાત કરી અને તુરંત આ ભૂલને સુધારી લેવા કહ્યું હતું . વિશ્વભરમાં સ્પોર્ટ્સ ન્યુઝ પર એક આછેરી નજર મારવા માટે તસવીરો પર ક્લિક કરો ." entertainment,"રણબીર કપૂર તથા દીપિકા પાદુકોણે લાગે છે કે એક - બીજા વગર રહી નથી શકતાં . તાજેતરમાં જ બંનેની રિલીઝ થયેલી ફિલ્મ યે જવાની હૈ દીવાનીએ અનેક રેકૉર્ડ બનાવ્યાં અને તોડ્યાં પણ છે . ફિલ્મની સફળતાથી સૌ ખુશ છે , પણ સૌથી વધુ ખુશી છે રણબીર અને દીપિકાને , કારણ કે અંતે બ્રેક - અપ થયા બાદ કોઈ જોડી બૉક્સ ઑફિસે હિટ થશે , એવું કોણે વિચાર્યું હશે . પરંતુ એમ થયું છે અને રણબીર - દીપિકાની જોડીએ જણાવી દીધું છે કે જુદા થયા છતાં તેમની વચ્ચેની કૅમેસ્ટ્રી કેટલી લાજવાબ છે . આ ફિલ્મને રિલીઝ થયે એક સપ્તાહ થઈ ગયું છે , પણ અત્યાર સુધી જવાની - દીવાની ફીવર લોકો ઉપરથી ઉતર્યો નથી . રણબીર કપૂર તો પોતાની ફિલ્મની સફળતા કંઇક જુદી જ રીતે ઉજવી રહ્યાં છે , પરંતુ દીપિકાએ કંઈક એવું કહ્યું છે કે જેનાથી પુનઃ એક વાર બંનેના સંબંધો ચર્ચામાં આવવા લાગ્યાં છે . બૉલીવુડ એમેય આ બંનેની ચર્ચાઓથી સતત ગરમ રહેતું આવ્યું છે . દીપિકા પાદુકોણેએ જણાવ્યું કે રણબીર કપૂર હંમેશાથી તેમના માટે ખાસ રહ્યાં છે એટલે કે આજે પણ દીપિકા પાદુકોણે માટે તેમના અને રણબીરની મૈત્રી ખૂબ જ ખાસ અને મહત્વની છે , પરંતુ માત્ર દોસ્તી , પ્રેમ નહિં . પરંતુ કહે છે ને કે દોસ્તીજ દરેક સંબંધની શરુઆત હોય છો , તે ક્યાંક આ દોસ્તી રણબીર કપૂર તથા દીપિકા પાદુકોણેના પ્રેમની શરુઆત તો નથી ? એમ પણ યે જવાની હૈ દીવાની ફિલ્મના પ્રમોશન દરમિયાન બંનેએ મીડિયા સામે કહ્યું હતું કે આજે પણ તેઓ એક - બીજાને ખૂબ જ સારી રીતે જાણી છે અને એક - બીજાના મિત્ર છે . દીપિકાએ તો રણબીરની અનેક એવી વાતો શૅર કરી કે જે માત્ર રણબીરની કોઈ નજીકની વ્યક્તિ જ જાણી શકે . તો સરવાળે એમ પણ કહી શકાય કે દીપિકા પાદુકોણે ક્યાંક એવું તો નથી દાખવતાં કે રણબીર કપૂર અને તેમની વચ્ચે હજીય કંઇક છે અને કંઇક થઈ શકે છે ." business,"ઘરેલુ અને વૈશ્વિક અર્થવ્યવસ્થા ભલે પડકાર સાથે ઝઝૂમી રહી હોય પરંતુ તેની દુનિયા અને દેશમાં વધતા ધનકુબેરો પર કોઇ અસર થઇ રહી નથી . ગત વર્ષે 2012માં દુનિયામાં કરોડપતિની સંખ્યા વધીને 1.2 કરોડ અને તેમની કુલ સંપત્તિ 462 ખરબ ડોલર પર પહોંચી પર પહોંચી ગઇ છે . હોંગકોંગ બાદ ભારતમાં સૌથી ઝડપથી વધી રહી છે . ગત વર્ષે ભારતમાં અતિ સંપન્ન વ્યક્તિઓની સંખ્યામાં 22.2 ટકાનો વધારો નોંધાયો છે . કૈપજૈમિની તથા આરબીસી વેલ્થ મેનેજમેન્ટ દ્વારા જાહેર કરવામાં આવેલા વર્લ્ડ વેલ્થ રિપોર્ટ 2013 અનુસાર દુનિયાના અતિ સંપન્ન વ્યક્તિઓની રોકાણ યોગ્ય સંપત્તિ 2012માં 10 ટકા વધીને 462 ખરબ ડોલર પર પહોંચી ગઇ છે . આ પહેલાં 2011માં તેમાં 1.7 ટકાની નરમાઇ આવે હતી . આ સાથે ગત વર્ષે વૈશ્વિક ધનકુબેરોની સંખ્યા લગભગ 10 લાખ ડોલર વધીને 1.2 કરોડ થઇ ગઇ છે . ધનકુબેરોની સંખ્યાનો વૃદ્ધિ દર 9.2 ટકા રહ્યો હતો . કૈપજેમિનિ ગ્લોબલ ફાઇનાશિયલ્સના ચીફ સેલ્સ એન્ડ માર્કેટિંગ અધિકારી જીન લૈસીગ્નાર્ડીનું કહેવું છે કે 2012માં અતિ સંપન્ન વ્યક્તિઓની સંખ્યામાં સારો એવો વધારો થયો છે . જો કે ધનકુબેરોની સંખ્યા અને સંપત્તિના રૂપમાં ઉત્તરી અમેરિકા સૌથી આગળ રહ્યું છે જ્યારે ભવિષ્યમાં એશિયા - પ્રશાંત વિસ્તાર ફરી એકવાર તેને પાછળ ધકેલી શકે છે . 2012માં નોર્થ અમેરિકાના અતિ સંપન્ન વ્યક્તિઓની સંખ્યા 37.2 લાખ રહી હતી જ્યારે એશિયા - પ્રશાંતમાં આ સંખ્યા 36.8 લાખ નોંધવામાં આવી હતી . બીજી તરફ આ દરમિયાન નોર્થ અમેરિકાના ધનકુબેરોની સંપત્તિ 127 ખરબ ડોલર પહોંચી ગઇ છે , જ્યારે એશિયા - પ્રશાંતના ધનાઢ્યોની સંપત્તિ 120 ખરબ ડોલરથી વધુ થઇ ગઇ છે . જો કે વૈશ્વિક સ્તર પર ધનકુબેરોની કુલ સંપત્તિના વધારના દરની વાત કરવામાં આવે તો એશિયા - પ્રશાંત ક્ષેત્રની વૃદ્ધિ 12.2 ટકા રહી છે , જ્યારે નોર્થ અમેરિકાનો વૃદ્ધિ દર 11.7 ટકા નોંધવામાં આવ્યો છે . એશિયા - પ્રશાંત દેશો વચ્ચે હાંગકોંગના અતિ સંપન્ન વ્યક્તિઓની સંખ્યામાં વૃદ્ધિ દર સૌથી વધુ 35.7 ટકા રહ્યો છે . ત્યારબાદ ભારતના ધનાઢ્યોની સંખ્યા 22.2 ટકાના દરથી વધારે છે ." business,"હાલમાં મોટાભાગની ખાનગી કંપનીઓ ડીએ નથી આપતી . બીજી બાજુ , મોટાભાગની કંપનીઓ વગર બેઝિક સેલરી વધારે અન્યોમાં સેલરીનાં અમુક ટકા વધારી દે છે . આને કારણે હજારો કર્મચારીઓનું પીએફ લાંબા સમય સુધી જે પ્રમાણે કપાય તે રીતે જ કપાતુ રહે છે . કંપનીઓનાં આવા વલણથી કર્મચારીઓ નોકરી દરમિયાન બચત નથી કરી શકતા . ઈપીએફઓએ ગત વર્ષે નવી સૂચના બહાર પાડી હતી પરંતુ બાદમાં કંપની માલિકોનાં વિરોધને કારણે તેને પાછી ખેંચી લીધી હતી . ઈન્ડસ્ટ્રીઝવાળા એ વાત પર અક્કડ છે કે ભથ્થાનાં રૂપમાં તમામ પ્રકારનાં ભથ્થાઓને નવી રીતે વ્યાખ્યાયિત કરવાની જરૂર છે . આ મામલે શ્રમ વિભાગ તરફથી પ્રસ્તાવનો અભ્યાસ કરનારી સમિતીએ પણ આની મંજૂરી આપી દીધી છે . સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે , શ્રમ વિભાગ પણ ઈપીએફઓની આ પહેલથી રાજી છે ." business,"જો આપે પબ્લિક ઇશ્યુ કે IPO ( આઇપીઓ ) માટે નોંધણી કરાવી હોય અને તેનું પ્રોસ્પેક્ટસ વાંચ્યું હોય તો આપના વાંચવામાં લીડ મેનેજર અથવા બુક રનિંગ લીડ મેનેજર જેવા શબ્દો ચોક્કસ નજરે ચઢ્યા હશે . વાસ્તવમાં લીડ મેનેજર્સ અને બુક રનિંગ લીડ મેનેજર્સ ( બીઆરએલએમ - BRLM ) ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ કે આઇપીઓ ( IPO ) ની સંપૂર્ણ પ્રક્રિયા સાથે સંકળાયેલા છે . આપ તેમના વિના આઇપીઓ લોન્ચ કરી શકતા નથી . આ કારણે કોઇ પણ કંપની પાસે મજબુત અને હોંશિયાર BRLM અને લીડ મેનેજર્સ હોવા જરૂરી છે . આ બાબતનું ધ્યાન રાખવામાં આવશે તો આપનો પબ્લિક ઇસ્યુ ચોક્કસથી સફળ થશે . લીડ મેનેજર્સ અને બુક રનિંગ લીડ મેનેજર્સ શું કરે છે ? લીડ મેનેજર્સ અને બુક રનિંગ લીડ મેનેજર્સ કંપનીનો આઇપીઓ માર્કેટમાં મૂકતા પહેલા કંપનીની તરફથી બાકી તમામ કાર્યવાહી પૂર્ણ કરે છે . આ કાર્યવાહીમાં લોકો સમક્ષ મેનેજમેન્ટ , બિઝનેસ પ્લાન જેમાં કંપનીના ફ્યુચર બિઝનેસ પ્લાન અને કાયદાકીય બાબતોનો પણ સમાવેશ થાય છે વગેરેની ચકાસણી કરે છે . લીડ મેનેજર્સ અને બુક રનિંગ લીડ મેનેજર્સની સૌથી મહત્વની કામગીરી એ છે કે તેઓ કંપનીના અત્યંત મહત્વપૂર્ણ દસ્તાવેજો જેવા કે પ્રોસ્પેક્ટસ , પ્રચાર સામગ્રી અને એડવર્ટાઇઝમેન્ટ વગેરેની સત્યતા અને ચોક્કસાઇની તપાસ કરે છે . લીડ મેનેજર્સ અને બુક રનિંગ લીડ મેનેજર્સ રજિસ્ટ્રાર ઓફ કંપનીસ , સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા અને અન્ય સત્તાવાળાઓ સહિત વિવિધ સ્ટોક એક્સચેન્જીસમાં જરૂરી કાર્યવાહી પૂર્ણ કરે છે . આઇપીઓની મેનેજમેન્ટ ટીમ ઉપરાંત તેઓ પબ્લિક ઇશ્યુ માટે એક રજિસ્ટ્રાર , પ્રિન્ટર્સ , એડવર્ટાઇઝિંગ એજન્સી અને બેંકરની વ્યવસ્થા પણ કરે છે . લીડ મેનેજર્સ અને બુક રનિંગ લીડ મેનેજર્સ પબ્લિક ઇશ્યુને સફળ બનાવવા માટે માર્કેટિંગ સ્ટ્રેટેજી ઘડે છે . પબ્લિક ઇશ્યુ બહાર પાડ્યા બાદ તેઓ એ બાબાત જોવે છે કે સિક્યુરિટીનું લિસ્ટિંગ કરવામાં આવે અને આઇપીઓમાંથી યોગ્ય રીતે રિફન્ડ મળે . આ માટે સારા સંયોજનની જરૂર પડે છે . લીડ મેનેજર્સ અને બુક રનિંગ લીડ મેનેજર્સની ભૂમિકા શા માટે મહત્વની ? લીડ મેનેજર્સ અને બુક રનિંગ લીડ મેનેજર્સની ભૂમિકા એટલા માટે મહત્વની છે કારણ કે તેઓ આઇપીઓની યોગ્ય કિંમત રજૂ કરવા સાથે તે સફળ રહે તેની વ્યવસ્થા ગોઠવે છે . ભારતમાં તેમના મહત્વને નજરઅંદાજ કરી શકાય તેમ નથી . જો આ વ્યવસ્થામાં કોઇ મુશ્કેલી સર્જાય ત્યારે તેઓ સમસ્યાનું સમાધાન લાવી આપે છે . ભૂતકાળમાં લીડ મેનેજર્સ અને બુક રનિંગ લીડ મેનેજર્સની ભૂમિકાઓ પર બાજ નજર રાખવામાં આવતી હતી . કારણ કે ભૂતકાળમાં કેપિટલ માર્કેટના વૉચ ડોગ્સ દ્વારા લીડ મેનેજર્સ અને બુક રનિંગ લીડ મેનેજર્સને પોતાની તરફેણમાં કરવાના કિસ્સા બન્યા હતા . આ કારણે આઇપીઓની વિગતો ડબલ ચેક કરવી જરૂરી છે ." sports,"આઇપીએલ 10 સિઝનની આજે 53મી મેચ છે , જે સનરાઇઝર્સ હૈદરાબાદ અને ગુજરાત લાયન્સ વચ્ચે આ મેચ હાલ કાનપુરનાં ખચાખચ ભરેલા ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં રમાઇ રહી છે . સનરાઇઝર્સ હૈદરાબાદને પ્લે ઓફમાં પહોચવા માટે આ મેચ જીતવી જરૂરી છે . અત્યારે હૈદરાબાદના 13 મેચમાં 15 પોઇન્ટ છે . જો હૈદરાબાદ આ મેચ જીતી જાય છે . તો તે આસાનીથી પ્લે ઓફમાં પહોચી જશે . ત્યારે આ મેચની તમામ લેટેસ્ટ માહિતી જાણવા માટે આ પેજને રિફ્રેશ કરતા રહો . અહીં અમે તમને આ મેચની તમામ અપડેટ આપતા રહીશું . આ મેચની જીત સાથે જ હૈદરાબાદ પ્લે ઓફમાં પહોચી ગઇ છે UPDATE : સનરાઇઝર્સ હૈદરાબાદઃ ડેવિડ વોર્નર , શિખર ધવન , હેનરિક્સ , વિજય શંકર , દીપક હુડ્ડા , મોહમ્મદ નબી , સિદ્ધાર્થ કૌલ , મોહમ્મદ સિરાજ , નમન ઓઝા , ભૂવનેશ્વર કુમાર , રાશિદ ખાન ગુજરાત લાયન્સઃ ડ્વેન સ્મિથ , ઇશાન કિશન , સુરેશ રૈના ( કેપ્ટન ) , દિનેશ કાર્તિક , પ્રદીપ સાંગવાન , મુનાફ પટેલ , અંકિત સોની , એરોન ફિન્ચ , રવિન્દ્ર જાડેજા , જેમ્સ ફોકનર , પ્રવીણ કુમાર" business,"જમ્મૂ - કાશ્મીર પોલીસે આ ત્રણેયને પહેલાં સોનમર્ગમાં ઝડપી પાડ્યા હતા ત્યારબાદ ધરપકડ કરવામાં આવી હતી . તેમની ઓળખ સેન , નિર્દેશક દેબાણી મુખર્જી અને અરવિંદ સિંહ ચૌહાણના રૂપમાં કરવામાં આવી . ચૌહાણ ઝારખંડમાં કંપનીનું કામકાજ જોતો હતો . તેમને બુધવારે કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને પછી ટ્રાંજિટ રિમાન્ડ પર કોલકત્તા લઇ જવામાં આવશે . એક સ્કોર્પિયોને જપ્ત કરવામાં આવી હતી જેના પર પશ્વિમ બંગાળનો નંબર છે . લાખો રોકાણકારો રસ્તા પર ધરણા - પ્રદર્શન કરી રહ્યાં છે અને તેમના પર આરોપ છે કે રોકાણકારો સાથે તેમને 30 કરોડ રૂપિયાની ઠગાઇ કરી છે . કંપનીના હજારો એજન્ટોની નોકરી પણ જતી રહી છે . પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ સુદીપ્તો સેનની ધરપકડ અંગે પુષ્ટિ કરી છે . મુખ્યમંત્રીએ પહેલાંથી જ સુદીપ્તો સેનની ધરપકડના આદેશ આપ્યા છે અને સંકેત આપ્યા હતા કે તે ઉત્તર ભારતમાં છે . મમતા બેનર્જીએ કહ્યું હતું કે તેમની ઓળખની પુષ્ટિ થઇ ગઇ છે અને ધરપકડનો શ્રેય પોલીસને જાય છે , પોલીસ સૂત્રોનું કહેવું છે કે ત્રણેય 12 એપ્રિલના રોજ કલકત્તાના સાલ્ટ લેક સ્થિત સુદીપ્તો સેનના ઘરેથી સ્કોર્પિયોમાં નિકળ્યા હતા . સૂત્રોનું કહેવું છે કે પહેલાં તે રાંચી આવ્યા અને પછી વિભિન્ન રાજ્યોના માર્ગેથી ગત બે દિવસો દરમિયાન તે સોનમર્ગ પહોંચ્યા . તેમને કહ્યું હતું કે તેમના વાહન પર પશ્વિમ બંગાળનો નંબર હતો માટે શંકાના આધારે જમ્મૂ - કાશ્મીર પોલીસે તેમની ધરપકડ કરી લીધી અને પશ્વિમ બંગાળની પોલીસને સૂચના આપી હતી . ગાંદરબળના પોલીસ કમિશ્નર શાહિદ મેહરાજે કહ્યું હતું કે ત્રણેયને ગાંદરબળ પોલીસ લાઇનમાં રાખવામાં આવ્યાં છે . શારદા સમૂહ બંધ થયા બાદ પશ્વિમ બંગાળ સરકારે ચિટફંડ કંપનીઓની તપાસ માટે વિશેષ તપાસ દળની રચના અને ઉચ્ચ સ્તરીય તપાસની જાહેરાત કરી છે ." sports,"નવી દિલ્હીઃ 15મી સપ્ટેમ્બરથી એશિયા કપ શરૂ થવા જઈ રહ્યો છે . જેમાં ભારત અને પાકિસ્તાનની ટક્કર નક્કી છે . ભારત અને પાકિસ્તાનની મેચ દરમિયાન પ્રશંસકોનો રોમાંચ ચરમ પર હોય છે એટલું જ નહીં ભારત અને પાકિસ્તાનના ખેલાડીઓનો પારો પણ ગરમ રહેતો હોય છે . મેદાનમાં ઉતરતા પહેલા માનસિક દબાણ બનાવવા માટે ખેલાડીઓ હંમેશા ઉકસાવતાં નિવેદનો કરતા હોય છે . કેટલાક દિવસ પહેલા ક્રિકેટ એક્સપર્ટ તરીકે મોઈને પાકિસ્તાનના એ ટૂ ઝેડ ચેનલને ઈન્ટર્વ્યૂ આપ્યું હતું . જેમાં આગામી એશિયા કપનો ઉલ્લેખ કરતા મોઈને કહ્યું કે આરામનું બહાનું બનાવી બીસીસીઆઈએ જાણીજોઈને કોહલીને ટીમમાં સામેલ નથી કર્યા . જો તે પાકિસ્તાન સામે હારી જાય છે તો કહી શકે કે અમારો સ્ટાર ખેલાડી ટીમમાં નહોતો અને જીતી જાય તો કહી શકે કે જુઓ અમારા સ્ટાર ખેલાડી વિના પણ જીતી શકીએ છીએ . એશિયા કપ જેવા મોટા ટૂર્નામેન્ટમાં વિરાટ કોહલીનું ન રમવું હેરાન કરનારી વાત છે . ભલે કોહલીએ તાજેતરમાં કેટલીય સિદ્ધિ હાંસલ કરી પણ પાકિસ્તાન સામે રમાયેલ છેલ્લી મેચમાં તેઓ પૂરી રીતે ફ્લોપ રહ્યા હતા . કોહલી ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ મેચ તો રમી જ રહ્યો છે તો ફિટનેસ પ્રોબ્લેમ ક્યાં છે ? કોહલીને બોલ્ડ કરવા ઈચ્છે છે હસન પાકિસ્તાનના તેજ બોલર હસન અલીએ વિરાટ ન રમવાનો હોવાની વાતને લઈ કહ્યું કે વિરાટ પણ રમ્યા હોત તો મુકાબલો વધુ જોરદાર થઈ શકત . તેઓ દુનિયાના શ્રેષ્ઠ બેટ્સમેનમાંના એક છે . જો તેઓ રમત તો હું એમની વિકેટ ખેડવત અને તેનાથી સારું મારા માટે બીજું શું હોઈ શકે ? આ વખતે નહીં તો આગામી સમયે ભારત સામે રમતી વખતે કોહલીને આઉટ કરવાની કોશિશ રહેશે . અમેરિકા પર તોળાઈ રહ્યુ છે વિનાશના વાવાઝોડા ' ફ્લોરેન્સ ' નું જોખમ , 10 લાખ લોકોનું સ્થળાંતર" entertainment,"સલમાન ખાનના ફેંસ માટે એક ખરાબ સમાચાર આવી રહ્યા છે . સમાચાર છે કે સલમાન ખાનને સુપ્રીમ કોર્ટે ચિંકારા કેસ માટે એક નોટેસ મોકલી છે . તમને જણાવી દઇએ કે રાજસ્થાન સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી . જેને કોર્ટે સ્વીકારી લીધી છે અને સલમાનને નોટિસ મોકલી છે . ઉલ્લેખનીય છે કે આ મામલે ત્રણ મહિના પહેલા જ સલમાન ખાનને મોટી રાહત મળી હતી . રાજસ્થાન હાઇકોર્ટની જોધપુર બેંચે સલમાનને 25 જુલાઇ , 2016 ના દિવસે સલમાનને રાહત આપી હતી . પરંતુ ચૂકાદા બાદ રાજસ્થાન સરકારે કહ્યુ હતુ કે તે આ ચૂકાદાને પડકારશે . આ કેસ 18 વર્ષ જૂનો છે જ્યારે સલમાન એ વખતે જોધપુરમાં ' હમ સાથ સાથ હે ' નું શૂટિંગ કરી રહ્યો હતો ." sports,"ગુરુવાયૂર ( કેરળ ) , 13 ડિસેમ્બરઃ વર્ષ 2012માં આઇપીએલમાં સ્પોટ ફિક્સિંગના ચક્કરમાં જેલ જઇ ચૂકેલા શ્રીસંતે ગુરુવારે જયપુરના શાહી પરિવારની પોતાની લાંબા સમયની પ્રેમિકા ભુવનેશ્વરી કુમારી સાથે લાઇફ ફિક્સ કરી લીધી છે . બોલર શાંતાકુમારન શ્રીંસત અને ભુવનેશ્વરી કુમારીના લગ્નમાં બન્નેના પરિવારના લોકો અને નજીકના મિત્રો સામેલ થયા . લગ્ન બાદ વર અને વધુ કોચી રવાના થઇ ગયા , જ્યાં શ્રીસંતના પૈત્રિક નિવાસ પર રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું હતું . વિવાહ સમારોહ દરમિયાન શ્રીસંત અને ભુવનેશ્વરીએ કેરળના પારંપરિક પોશાક પહેર્યા હતા . બન્નેએ એકબીજાના માળા પહેરાવી અને પછી અંગુઠીનું આદાન પ્રદાન કર્યું . ભુવનેશ્વરી વ્યવસાયે જ્વેલરી ડિઝાઇનર છે , લગ્ન પહેલાની વિધિ બુધવારે ખાનગી હોટલમાં નજીકના સંબંધીઓની હાજરીમાં પૂર્ણ થઇ હતી . ભુવનેશ્વરી આઠ ડિસેમ્બરે પોતાના પરિજનો અને સંબંધીઓ સાથે ત્યાં પહોંચી હતી . બન્ને યુગલ છેલ્લા કેટલાક વર્ષોથી એકબીજના સંપર્કમાં હતા અને શ્રીસંતની થનારી પત્ની કપરા સમયમાં પણ તેની સાથે હતી . આઇપીએલના છઠ્ઠા સંસ્કરણમાં સ્પોટ ફિક્સિંગના આરોપી શ્રીસંત પર બીસીસીઆઇએ તમામ પ્રકારની ક્રિકેટ રમવા પર પ્રતિબંધ મુકી દીધો છે . તો ચાલો તસવીરો થકી જોઇએ શ્રીસંત - ભુવનેશ્વરીના લગ્ન સમારોહને ." entertainment,"આજકાલ અભિનેત્રી શાઝાન પદમસી ખૂબ વ્યસ્ત છે . પદમસી હિટ હિન્દી ફિલ્મ બોલ બચ્ચનની તેલુગુ રીમેકમાં દેખાવાનાં છે , તો બાર્બી ડોલ્સના નવા સંગ્રહ માટે એક સંગીત વીડિયોમાં પણ દેખાશે . બાર્બી ડોલ્સના એક નવા સંગ્રહ મૉનસ્ટર હાઈના લૉન્ચિંગ પ્રસંગે ગુરુવારે પદમસીએ જણાવ્યું - હું બોલ બચ્ચન ફિલ્મની તેલુગુ રીમેકમાં કામ કરી રહુ છું . હું બેંગલોરમાં શૂટિંગ કરી રહી છું . શાઝાન પદમસીએ ડિસ્કો વૅલી માટેનું શૂટિંગ પૂરૂ કર્યું છે . આ ફિલ્મ રેવ પાર્ટી ઉપર આધારિત છે . રજત બમરેચા તેમની સાથે મુખ્ય ભૂમિકામાં છે . જોકે પદમસીએ બાર્બી ડોલ્સના નવા સંગ્રહ માટે એક સંગીત વીડિયો પણ શૂટ કરી ચુક્યાં છે અને પોતાની આ પસંદગીથી તેઓ ખૂબ ખુશ પણ છે . તેમણે જણાવ્યું - હું હાલ ખૂબ ખુશ છું કે ભારતીય આવૃત્તિ માટે મારી પસંદગી કરાઈ છે . નોંધનીય છે કે બોલ બચ્ચન એક હિટ બૉલીવુડ ફિલ્મ હતી કે જેમાં અજય દેવગણ , અભિષેક બચ્ચન અને અસીન લીડ રોલમાં હતાં ." sports,"ભારતના સ્ટાર ખેલાડી રોહિત શર્માએ ઑસ્ટ્રેલિયા સામેની સીરિઝમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું , તે બદલ તેમને સુંદર ઇનામ મળ્યું છે . આઇસીસીના ટોપ વન ડે બેટ્સમેનમાં તેઓ ટોપ 5માં પહોંચી ગયા છે . ઑસ્ટ્રેલિયા સામેની વન ડે સીરિઝમાં સૌથી વધુ 296 રન બનાવ્યા હતા , જેમાં નાગપુરમાં તેમણે 125 રન સાથે સૌથી સુંદર પ્રદર્શન કર્યું હતું , જેમાં તેમણે 6 છગ્ગા ફટકાર્યા હતા . બેસ્ટ રેન્કિંગમાં વર્ષ 2016માં તેઓ ત્રીજા નંબર પર હતા . આ સૂચિમાં પહેલા નંબર પર છે , ટીમ ઇન્ડિયાના કપ્તાન વિરાટ કોહલી . આઇસીસીની રેન્કિંગ નીચે મુજબ છેઃ સાથે જ ઑસ્ટ્રેલિયા સામેની વન ડે સીરિઝમાં 4 - 1થી જીત મેળવવાની સાથે જ ટીમ ઇન્ડિયા ફરી એકવાર નં - 1 ટીમ બની ગઇ છે . આનું રેન્કિંગ નીચે મુજબ છે ." business,"શુક્રવારે રૂપિયો ડોલર સામે થોડો મજબૂત થયો છે . શરૂઆતી કારોબારમાં રૂપિયો 4 પૈસાની મજબૂતી સાથે 71.95 રૂપિયા પ્રતિ ડોલર સાથે ખુલ્યો . તેનું કારણ છે કે દુનિયાની પ્રમુખ મુદ્રા સાથે ડોલર થોડો કમજોર થયો છે . હાલમાં ભારતીય રૂપિયો 71.77 રૂપિયા પ્રતિ ડોલર આસપાસ કારોબાર કરી રહ્યો છે . જયારે ગુરુવારે બપોરે ડોલરને મુકાબલે રૂપિયો 72 રૂપિયા પ્રતિ ડોલર પાર કરી ગયો હતો . આપને જણાવી દઈએ કે પહેલીવાર રૂપિયો 72.11 સ્તરે જોવા મળ્યો હતો . પરંતુ ત્યારપછી રૂપિયો થોડો મજબૂત થયો અને 72 રૂપિયા પ્રતિ ડોલર કરતા નીચે બંધ થયો . રૂપિયો નબળો નહિ પરંતુ ડૉલર મજબૂત થયો છેઃ અરુણ જેટલી આ વર્ષે ડોલરને મુકાબલે રૂપિયામાં 13 ટકા જેટલી કમજોરી આવી ચુકી છે , જયારે 5 ટકા કમજોરી છેલ્લે એક મહિનામાં અને ત્રણ ટકા કમજોરી છેલ્લે અઠવાડિયામાં આવી છે . સતત વધી રહેલી ડોલરની માંગ ગ્રીનબેન્ક મુકાબલે ભારતીય મુદ્રાને ઓછી કરી . 9 વર્ષ પછી RBI એ 8.46 ટન સોનાની ખરીદી કરી રિપોર્ટ અનુસાર અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હવે જાપાન સાથે વ્યાપારિક મુદ્દે વાત કરવા જઈ રહ્યા છે , જેથી ડોલર પર તેની થોડી અસર જોવા મળશે . જયારે રોઉટર્સ ઘ્વારા જાહેર કરવામાં આવેલા એક પોલમાં એક્સપર્ટ ઘ્વારા એક વર્ષમાં ડોલર સામે ભારતીય રૂપિયાની વેલ્યુ 70.42 ટકા રહેવાનું અનુમાન છે ." sports,"અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ ગુરુવારે દિલ્હીમાં ભવ્ય રિસેપ્શન આપ્યું હતું . જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ હાજરી આપી હતી . અનેક જાણીતા ક્રિકેટર , મોટા રાજનેતા અને ફિલ્મ હસ્તીઓ પણ દિલ્હી ખાતે યોજવામાં આવેલા આ રિસેપ્શનમાં હાજર રહ્યા હતા . આ રિસેપ્શનમાં અનુષ્કાએ લાલ રંગની સાડી પહેરી હતી અને વિરાટે શેરવાની . જો કે બંન્ને આ પરિધાનમાં ખૂબ જ પરંપરાગત અને સુંદર લાગી રહ્યા હતા . વધુમાં 26મી ડિસેમ્બરે મુંબઇમાં પણ અનુષ્કાની તરફથી એક રિસેપ્શન આપવામાં આવશે . જેમાં બોલીવૂડ હસ્તીઓનો જોવા મળશે . દિલ્હીની તાજ હોટલમાં ક્રિકેટર વિરાટ કોહલી અને અનુષ્કાના આ ભવ્ય રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું હતું . વધું તેની કેક પર આ રિસેપ્શનના આકર્ષણનું કેન્દ્ર બની હતી . ત્યારે દિલ્હી ખાતે યોજવામાં આવેલા આ રિસેપ્શનની કેટલીક ખાસ તસવીરો જુઓ અહીં . . ." sports,"ઝડપી બોલર ચતારાની પાંચ વિકેટની મદદથી ઝિમ્બાવ્વેએ બીજી અને અંતિમ ક્રિકેટ ટેસ્ટમાં પાંચમા દિવસે પાકિસ્તાનને 24 રનથી હરાવીને બે મેચની શ્રેણીને 1 - 1થી બરાબર કરી લીધી છે . ચતારાએ પોતાની ટેસ્ટ કારકિર્દીની સર્વશ્રેષ્ઠ બોલિંગ કરતા તેણે 61 રન આપીને પાંચ વિકેટ ઝડપી . પાકિસ્તાનના બેટ્સમેન ફરી એકવાર નિષ્ફળ રહ્યા અને સુકાની મિસબાહ ઉલ હકની અણનમ 79 રનની ઇનિંગ પછી પણ ટીમને નિષ્ફળતા હાથ લાગી હતી . ઝિમ્બાવ્વેને 264 રનના લક્ષ્યનો પીછો કરતા પાકિસ્તાનની ટીમ મિસબાહ અને ઓપનિંગ બેટ્સમેન ખુર્રમ મંજૂર ( 54 ) ની અડધી સદી પછી પણ 81 ઓવરમાં 239 રન પર ઓલાઉટ થઇ અને મેચ હારી ગઇ . મિસબાહે ત્યારબાદ અબ્દૂર રહમાન ( 16 ) સાથે સાતમી વિકેટ માટે 34 રન જોડ્યા . તિનાશે પનયંગારાએ રહમાનને વિકેટકીપર રિચમંડ મુતમબામીના હાથે કેચાઉટ કરાવ્યો હતો . ચતારાએ સઇદ અજમલ ( 02 ) માં એલબી આઉટ કરીને પાકિસ્તાનની આઠમી વિકેટને ઝટકો આપ્યો હતો . ત્યારબાદ પાકિસ્તાનની બે વિકેટ પણ ઝડપથી પડી ગઇ હતી . નોંધનીય છે કે ટેસ્ટ રમનારા કોઇપણ દેશ વિરુદ્ધ આ ઝિમ્બાવ્વેની પાંચમી અને પાકિસ્તાન વિરુદ્ધ ત્રીજી જીત છે . ટીમે પોતાની છેલ્લી મોટી જીત 2000 - 01માં નોંધાવી હતી , ત્યારે તેણે ભારતને હરાવ્યું હતું ." business,અહીં એ જાણવું અત્યંત જરૂરી છે કે કેવી રીતે એક છુટક વેચાણકાર સ્ટોક માર્કેટમાં રોકાણ કરે છે ત્યારે તેને કેવી રીતે વ્યાખ્યાયિત કરવામાં આવે છે . આ એટલા માટે મહત્વનું છે કારણ કે કેટલીકવાર છુટક રોકાણકારોને આઇપીઓમાં ડિસ્કાઉન્ટ આપવામાં આવતું હોય છે . ઉદાહરણ તરીકે તાજેતરમાં શિમારૂએ તેના આઇપીઓમાં છુટક રોકાણકારોને 5 ટકાનું ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરી છે . છુટક રોકાણકારને કેવી રીતે વ્યાખ્યાયિત કરવામાં આવે છે ? એક છુટક રોકાણકારને શેર બજારમાં આવી રીતે વ્યાખ્યાયિત કરવામાં આવે છે . છુટક રોકાણકાર એ છે કે જે આઇપીઓમાં રૂપિયા 2 લાખ કરતા ઓછું રોકાણ કરે છે . આ કારણે રૂપિયા 2 લાખથી વધારે રોકાણ કરનારી વ્યક્તિને હાઇ નેટવર્થ ઇન્ડિવિજ્યુઅલ તરીકે ગણવામાં આવે છે . આ કારણે જો આપે આઇપીઓ પર પ્રાપ્ત ઓફર્સ કે ડિસ્કાઉન્ટનો લાભ લેવો હોય તો આપે રૂપિયા 2 લાખ કરતા ઓછું રોકાણ કરવું જરૂરી છે . આમ છતાં આપ વધારે રકમ રોકાણ કરવા ઇચ્છો તો આપના સ્પાઉસ કે સંબંધીના નામે રોકાણ કરવાથી છૂટનો લાભ મળી શકશે . છેલ્લા કેટલાક વર્ષો સુધી છુટક રોકાણકારની વ્યાખ્યા એવી હતી કે છુટક રોકાણકાર રૂપિયા 1 લાખથી ઓછું રોકાણ કરે છે . જો કે આ રકમ નાની હોવાનું કહેવામાં આવતા તેની લિમિટ વધારીને રૂપિયા 2 લાખ કરવામાં આવી હતી . sports,"આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2017ની બીજી સેમિ - ફાઇનલ મેચ બાંગ્લાદેશ અને ડિફેન્ડિગ ચેમ્પિયન ભારત વચ્ચે ગુરૂવારના રોજ રમાશે . ભારતની ટીમ ખૂબ લોકપ્રિય અને સક્ષમ છે , પરંતુ ક્રિકેટ એવી રમતમાં છે જેમાં બાજી પલટાતા વાર નથી લાગતી . આથી બાંગ્લાદેશની ટીમને નીચી આંકી શકાય એમ નથી . ન્યૂઝિલેન્ડ સામેની મેચમાં બાંગ્લાદેશે શાનદાર જીત મેળવી હતી , આથી ભારતની ટીમે તકેદારી રાખવાની જરૂર છે . ભારતની ટીમના બેટ્સમેન અને બોલર્સ હાલ ફોર્મમાં છે , ફીલ્ડિંગમાં દુનિયાની શ્રેષ્ઠ ટીમ છે ભારત . કપ્તાન વિરાટ કોહલી આ મેચ પહેલાં ટીમમાં જરૂરી તમામ સુધારા - વધારા કરવામાં સફળ રહ્યાં છે . બીજી બાજુ બાંગ્લાદેશની ટીમ ભલે સેમિ - ફાઇનલમાં આવી ગઇ છે , પરંતુ તેણે અનેક વિભાગોમાં સુધારા કરવાની જરૂર છે . જો આ મેચમાં બાંગ્લાદેશ ભારતને હરાવી શક્યું , તો આજનો દિવસ બાંગ્લાદેશના ક્રિકેટ ઇતિહાસમાં મોટો દિવસ હશે . બુધવારે સાંજે મીડિયા સાથે વાત કરતાં વિરાટ કોહલીએ કહ્યું હતું કે , મેચ માટે ટીમ પર કોઇ દબાણ નથી . ટીમ પહેલા પણ આ રીતની મોટી મેચો રમી ચૂકી છે , જેનો ફાયદો અમને મળી રહ્યો છે . અમે બાંગ્લાદેશની ટીમને ઓછી નથી આંકતા . આપણે સૌ જોઇ ચૂક્યા છીએ કે બાંગ્લાદેશની ટીમ સૌને ચોંકાવી શકે છે . આ સાથે જ વિરાટે લોકોને વાયદો કર્યો હતો કે , જ્યારે ટીમ ઇન્ડિયા બાંગ્લાદેશ સામ મેદાન પર ઉતરશે , ત્યારે લોકોને કોઇ પણ પ્રકારે નિરાશ નહીં કરે . ઉમેશ કે અશ્વિન ? વિરાટ કોહલીને જ્યારે પૂછવામાં આવ્યું કે , બાંગ્લાદેશ સામેની મેચમાં શું ઉમેશને ફરીથી ટીમમાં લેવામાં આવશે ? તો આ સવાલના જવાબમાં તેમણે કહ્યું કે , ઉમેશે પ્રેક્ટિસ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું , પરંતુ દ . આફ્રિકા સામે અશ્વિનનું પ્રદર્શન શાનદાર હતું . આથી ટીમમાં કોઇ પરિવર્તન કરવામાં નહીં આવે . તખ્તો પલટવા તૈયાર બાંગ્લાદેશ વિરાટ કોહલીએ સાચી વાત કહી હતી , બાંગ્લાદેશની ટીમ કોઇ પણ ટીમને ચોંકાવી શકે છે . બાંગ્લાદેશની ટીમ તખ્તો પલટવામાં ઉસ્તાદ છે . આ ટૂર્નામેન્ટમાં ન્યૂઝિલેન્ડ જેવી મજબૂત ટીમને બહાર કરી બાંગ્લાદેશે આ વાત સાબિત કરી છે . વર્ષ 2015નું વર્લ્ડ કપ યાદ કરીએ તો , એમાં પણ ઇંગ્લેન્ડને બહાર કરવાવાળી ટીમ બાંગ્લાદેશ જ હતી . આ વર્લ્ડ કપ બાદ ટીમ ઇન્ડિયા બાંગ્લાદેશ પહોંચી હતી અને બાંગ્લદેશે ટીમને 2 - 1થી માત આપી હતી . બાંગ્લાદેશનો સૌથી કુશલ બોલર આ સીરિઝમાં બાંગ્લાદેશની ટીમને પોતાનો સૌથી કુશળ બોલર મળ્યો હતો , મુસ્તફિઝુર રહમાન . મુસ્તફિઝુરે પોતાની ડેબ્યૂ મેચમાં ભારતની 5 વિકેટ લીધી હતી અને બીજી મેચમાં 6 વિકેટ લીધી હતી . ચેમ્પિયન્સ ટ્રોફી 2017ની બાંગ્લાદેશની ટીમમાં મુસ્તફિઝુર હાજર છે અને તે કહી પણ ચૂક્યાં છે કે , તેઓ ફરી એકવાર ભારતની ટીમને પોતાની ઑફ કટરથી હેરાન કરશે . ભારત - પાક . કે ભારત - બાંગ્લાદેશ ભારત વિ . પાકિસ્તાનની મેચમાં વિશ્વના તમામ દેશોને રૂચિ છે અને આથી જ આ મેચને ખૂબ ડ્રામેટિક મહત્વ મળે છે . ભારત વિ . બાંગ્લાદેશની મેચો પણ કંઇક એવી જ બનતી જાય છે , આ પાછળનું કારણ છે બાંગ્લાદેશના લોકોમાં ક્રિકેટ પ્રત્યેનું ઝનૂન . ભારતમાં ક્રિકેટ એક ધર્મ સમાન છે , તો બાંગ્લાદેશમાં ક્રિકેટને એનાથી પણ વધુ મહત્વ મળે છે . ટીમ ઇન્ડિયા સામે ટકી શકશે બાંગ્લાદેશ ? બાંગ્લાદેશની રેંકિગમાં સુધારો થયો છે , આમ છતાં તે ટીમ ઇન્ડિયાની સરખામણી કરી શકે એમ નથી . શિખર ધવન અને રોહિત શર્માની જોડી બાંગ્લાદેશના તામિમ ઇકબાલ અને સૌમ્યા સરકાર કરતાં ઘણી વધારે સફળ રહી છે . જો કે , તમીમનું આ ટૂર્નામેન્ટમાં પ્રદર્શન ખરેખર વખાણવા લાયક છે . આ સિવાય દૂર દૂર સુધી ઇમરૂલ કાયેસ કે સાબીર રહમાનની તુલના વિરાટ કોહલી સાથે થઇ શકે એમ નથી . 50 ઓવરની ક્રિકેટમાં મહેન્દ્ર સિંહ ધોની લિજન્ડ છે , જેમની સામે મુશફિકર રહીમ ટકી શકે એમ નથી . બાંગ્લાદેશના મહમદુલ્લાહ રિયાદ શાનદાર મોચ વિજેતા છે , પરંતુ યુવરાજ સિંહની આ 300મી વનડે મેચ છે , આથી સરખામણીની કોઇ શક્યતા જ નથી . બાંગ્લાદેશના મશરફ , તાસ્કિન , રુબેલ અને મુસ્તફિઝુર સારા ખેલાડીઓ છે , પરંતુ સામે ભારત પાસે ભુવનેશ્વર કુમાર , જસપ્રિત બુમરાહ અના હાર્દિક પંડ્યા જેવા શ્રેષ્ઠ ખેલાડીઓ છે ." business,"આઇસીઆઇજેના આ ખુલાસામાં કોંગ્રેસના લોકસભા સાંસદ વિવેકાનંદ ગદ્દમ અને રાજ્યસભા સભ્ય અને કિંગફિશરના માલિક વિજય માલ્યાના નામનો પણ સામેલ છે . આ ઉપરાંત ભારતના ટોપ બિઝનેઝમેન રવિકાંત રુઇયા , સમીર મોદી , ચેતન બર્મન , અભય કુમાર ઓસવાલ , તેજા રાજૂ , સૌરભ મિત્તલ વગેરેના પણ બ્રિટિશ વર્ઝિન આઇલેન્ડ , કુક આઇલેન્ડ , સમોઆ જેવા ટેક્સ હૈવન સમજનાર દેશોમાં નકલી કંપનીઓ ખોલીને પૈસા લગાવવાનો દાવો કરવામાં આવ્યો છે . આ દેશોમાં રૂપિયા લગાવતા આરબીઆઇ અને FEMAના નિયમોનું ખુલ્લેઆમ હનન થઇ રહ્યું છે . આઇસીઆઇજેએ બધાની ટ્રાંજેક્શન ડીટેલ્સ પણ જારી કરવામાં આવી છે . ટ્રાંજેક્શનની ડિટેલ્સ 2.5 સિક્રેટ ફાઇલમાં હાજર છે . આ ફાઇલમાં લગભગ 260 જીબી ડેટા છે . આમાં છેલ્લા 30 વર્ષોના લગભગ બે લાખ ઇમેલ્સનો પણ સમાવેશ થાય છે . આ સિક્રેટ ફાઇલોમાં કંપનીયોના કેશ ટ્રાંસફરના તમામ આંકડાઓ અને કેટલાંક લોકોની કંપનીઓ સાથેના સંબંધોની પણ ડિટેલ્સ છે . આ દસ્તાવેજ 2010માં વિકિલીક્સના અમેરિકી વિદેશ વિભાગના લીક કરવામાં આવેલા દસ્તાવેજોથી 160 ગુનાઓ બતાવવામાં આવી રહ્યા છે . શું છે આ આઇસીઆઇજેઃ આઇસીઆઇજે એક ઇન્વેસ્ટીગેટીવ જર્નાલીસ્ટોનું એક સંગઠન છે . આનું વડુમથક વોશિંગ્ટનમાં છે . તેના નેટવર્કમાં અલગ - અલગ દેશોના ઘણા સ્વતંત્ર ઇન્વેસ્ટિગેટિવ પત્રકારો જોડાયેલા છે . આની સાથે જ આઇસીઆઇજે સાથે ઘણા મીડિયા સંગઠન પણ જોડાયેલા છે ." business,"માઇક્રોસોફ્ટના કો ફાઉન્ડર બિલ ગેટ્સ અત્યાર સુધી દુનિયાના સૌથી પૈસાદાર વ્યક્તિ હતા . પણ હવે તેમને પછાડીને એમેઝોનના સંસ્થાપક અને સીઇઓ જેફ બેઝોસ બની ગયા છે દુનિયાના સૌથી પૈસાદાર વ્યક્તિ . આ વાતની જાહેરાત ફોર્બ્સ મેગેઝિને કરી છે . ફોર્બ્સ મેગેઝિને જણાવ્યું છે કે એમેઝોનના શેયરમાં 2 ટકા જેટલો વધારો થયો છે . જેના કારણે જેફ બેજોસની સંપત્તિમાં 90 કરોડ ડોલરનો વધારો થયો છે . અને હવે તેમની સંપત્તિ વધીને 90.6 અરબ ડોલર થઇ ગઇ છે . અને બિલ ગેટ્સની સંપત્તિ હાલ લગભગ 90.1 અરબ ડોલરની છે . જે હિસાબે જેફ બેજોસ હવે દુનિયાના સૌથી પૈસાદાર વ્યક્તિ બની ચૂક્યા છે . ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ જુલાઇમાં થોડા સમય માટે જેફ બેજોસ , બિલ ગેટ્સને પાછળ મૂકી સૌથી પૈસાદાર વ્યક્તિ બની ચૂક્યા હતા . પણ શેરબજારના ભાવ પાછળ જતા તે પાછા બીજા નંબરે આવી ગયા હતા . પણ 27 જુલાઇએ એમેઝોનના શેયરમાં ફરી ઉછાળો જોવા મળ્યો હતો અને તેનાથી તેમની સંપત્તિમાં વધારો થયો હતો . જેના કારણે તે ફરી હવે દુનિયાના સૌથી પૈસાદાર વ્યક્તિ બની ગયા છે . અને હવે બિલ ગેટ્સ દુનિયાના બીજા સૌથી પૈસાદાર વ્યક્તિમાં આવે છે ." sports,"નવી દિલ્હી , 19 ઑગસ્ટઃ વિરાટ કોહલી અને ચેતેશ્વર પૂજારાએ ઇંગ્લેન્ડ વિરુદ્ધ પાંચ ટેસ્ટ મેચોની શ્રેણીમાં નબળી બેટિંગ કરતા ખરાબ પ્રદર્શનના કેટલાક નવા રેકોર્ડ બનાવી લીધા જ્યારે ભારતના ટોચના કેટલાક બેટ્સમેનોની એવરેજ નીચલા ક્રમના બેટ્સમેનો કરતા પણ ઓછી રહી . કોહલીએ આ શ્રેણીની 10 ઇનિંગમાં 13.40ની એવરેજથી માત્ર 134 રન બનાવ્યા . રસપ્રદ વાત એ છેકે તેના વ્યક્તિગત સ્કોર કરતા વધારે એક્સ્ટ્રા રન હતા . ભારતના 177 એક્સ્ટ્રા રન હતા . રવિન્દ્ર જાડેજાએ આઠ ઇનિંગમાં આટલા જ રન બનાવ્યા હતા . કોહલીની જેમ શિખર ધવન ( 122 ) અને સ્ટુઅર્ટ બિન્નીએ ( 118 ) પણ એક્સ્ટ્રા રન કરતા ઓછો સ્કોર બનાવ્યો હતો . બેટિંગ ક્રમમાં ટોચના ચાર બેટ્સમેનો કે જેમણે ટેસ્ટ શ્રેણીમાં 10 કરતા વધારે ઇનિંગ રમી છે , તેમના ખરાબ પ્રદર્શનની યાદીમાં કોહલી બીજા ક્રમે છે . તો ચાલો આ અંગે વધુ તસવીરો થકી જાણીએ ." business,"શેર બજાર આજે સવારે જબરદસ્ત ઉછાળા સાથે ખુલ્યુ જેના કારણે રોકાણકારોના ચહેરા પર સ્મિત જોવા મળી રહ્યુ છે . છેલ્લા કેટલાક દિવસોથી શેર બજારમાં ઘટાડો જોવા મળી રહ્યો હતો તે બાદ છેવટે સેન્સેક્સ અને નિફ્ટીમાં આજે ઉછાળો જોવા મળ્યો છે . સેન્સેક્સ આજે 220 ના વધારા સાથે ખુલ્યો હતો જે છેલ્લે 38472.03 પર બંધ થયો હતો પરંતુ આજના ઉછાળા બાદ તે 38586.83 પર ખુલ્યો . એટલુ જ નહિ સવારે 10.13 વાગે તે 350 ના વધારા સુધી પહોંચીને 38600 સુધી પહોંચી ગયો હતો . વળી , નિફ્ટીમાં પણ આજે ઉછાળો જોવા મળ્યો અને આજે 11650 સુધી પહોંચી ગયો હતો . આ પહેલી વાર છે જ્યારે નિફ્ટી આ આંકડા સુધી પહોંચ્યો હોય . અત્યાર સુધીની નિફ્ટીનો આ સૌથી મોટો વધારો છે . આ વધારો વૈશ્વિક બજારમાં વધારાના કારણે જોવા મળ્યો છે . વોલ સ્ટ્રીટની મદદના કારણે શુક્રવારે પરિસ્થિતિમાં થોડો સુધારો આવ્યો હતો તે બાદ યુએસ ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલે કહ્યુ કે સતત વધારો અમેરિકી અર્થવ્યવસ્થા અને રોજગારમાં વધારો લાવશે . પોવેલના આ નિવેદન બાદ એસએન્ડપી 500 ઈન્ડેક્સ અને નાસડેકમાં શુક્રવારે તેજી જોવા મળી હતી . આ પણ વાંચોઃ તીન મૂર્તિનું સ્વરૂપ બદલવાની કોશિશ ના કરે સરકારઃ મનમોહન સિંહ આજે સવારે તમામ મેટલ અને બેંકિંગ સેક્ટરમાં વધારો જોવા મળ્યો . આ શેરોમાં લગભગ એક ટકા વધારો જોવા મળ્યો . વળી , એફએમસીજી અને નાણાકીય સેવાઓ સાથે જોડાયેલ શેરોમાં પણ વધારો જોવા મળ્યો છે . પાવર ગ્રિડ , એસબીઆઈ , યેસ બેંકના શેરોમાં સૌથી વધુ વધારો જોવા મળ્યો છે ." entertainment,"કહે છે કે પિતાના દર્દને પુત્ર જોઈ નથી શકે . જે રીતે માતા - પિતા પોતાન બાળકોના દુઃખમાં તડપી ઉઠે છે , તેવી જ રીતે બાળકો પણ માતા - પિતાના દુઃખને સમજે છે . તેનો તાજો દાખલો છે આર્યન . શાહરુખ ખાનનો પુત્ર આર્યન પિતાની સર્જરીના સમાચાર મળતાં લંડનથી મુંબઈ આવી ગયો છે . આર્યન જોકે અત્યારે બહુ નાનો છે , પણ છતાં તેના હૃદયે કહ્યું કે તેણે પપ્પાના ઑપરેશન વખતે તેમની સાથે હોવું જોઇએ . તેથી આર્યન લંડનથી મુંબઈ આવી ગયો . નોંધનીય છે કે શાહરુખ ખાન માટે જેટલા તેમના ઘરના લોકો ચિંતિત છે , તેટલા જ તેમના ફૅન્સ પણ ચિંતિત છે . શાહરુખ ખાન ખભાની સર્જરી માટે મુંબઈની લીલાવતી હૉસ્પિટલે દાખલ થયાં છે . શાહરુખ ચેન્નઈ એક્સપ્રેસ ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત હતાં . તેથી સર્જરી ટાળવામાં આવી રહી હતી . રોહિત શેટ્ટી દિગ્દર્શિત ચેન્નઈ એક્સપ્રેસ ફિલ્મનું શૂટિંગ હવે ખતમ થઈ ગયું છે . તેથી શાહરુખે સર્જરી કરાવનો નિર્ણય કર્યો . સર્જરી બાદ શાહરુખે એક માસ આરામ કરવો પડશે . ચેન્નઈ એક્સપ્રેસમાં દીપિકા પાદુકોણે શાહરુખના હીરોઇન છે ." sports,"ભારતીય ટીમના કપ્તાન વિરાટ કોહલી અને એક્ટ્રેસ અનુષ્કા શર્માના મુંબઇના રિસેપ્શનમાં ક્રિકેટ અને ફિલ્મી જગતની અનેક હસ્તીઓ જોવા મળી હતી અને સૌએ આ ફંક્શનમાં ખૂબ મજા માણી હતી . આ રિસેપ્શનના ફોટોગ્રાફ્સ અને વાતો હજુ પણ સોશ્યલ મીડિયાપર વાયરલ થઇ રહી છે . વિરાટ કોહલીના મિત્રો અને ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ અહીં પોતાની પત્નીઓ સાથે પહોંચ્યા હતા . અહીં ઝહીર ખાન પત્ની સાગરિકા ઘાટગે સાથે પહોંચ્યા હતા . યોગાનુયોગ યુવરાજ સિંહ અને સાગરિકાના આઉટફિટના રંગ મેચ થઇ ગયા હતા . યુવરાજ સિંહ અહીં મરૂન રંગના કુર્તામાં જોવા મળ્યા હતા , જેની પર ગોલ્ડન એમ્બ્રોઇડરી હતી અને સાગરિકા ઘાટગે પણ મરૂન અને ગોલ્ડન આઉટફિટમાં જોવા મળી હતી . આ બંનેએ સાથે તસવીર પણ પડાવી હતી , જે સાગરિકા ઘાટગેએ સોશ્યલ મીડિયા પર શેર કરી હતી . આ તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરતાં સાગરિકાએ લખ્યું છે , યુવરાજ સિંહ સાથે ટ્વિનિંગ . હેઝલ તને યાદ કરી . આ તસવીર પર યુવરાજની પત્ની હેઝલે પણ ઘણી મજેદાર ટિપ્પણી કરી છે . તેણે લખ્યું છે , સંતુલન જાળવવા માટે મારે પણ ઝહીર ખાન સાથે પોતાના કપડા મેચ કરવા જોઇતા હતા . સાગરિકા અને યુવરાજની આ તસવીર સોશ્યલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહી છે" business,"31 જુલાઇ આવતા જ અનેક લોકોને ટેક્સ રિર્ટનનો તાવ ચઢવા લાગે છે . તેમને યાદ આવે છે કે હવે સમય રહ્યો નથી અને મારે આ તારીખ પહેલા તો મારું ટેક્સ રિર્ટન ભરવું જ રહ્યું ! અને પછી તે કોઇ સીએને ફોન લગાડવા અને ગુગલ પર તેવી વસ્તુઓ શોધવા બેસી જાય છે . પણ ભાઇ , હવે સીએની પૈસા આપીને કામ કરવાના દિવસો ગયા . તમે પોતે પોતાનું ટેક્સ રિટર્ન ઇ ફાઇલિંગ દ્વારા ઓનલાઇન ભરી શકો છો . તો જો તમે પગારદાર એટલે કે નોકરીયાત હોવ તો તમારે તમારું ઇ ફાઇલિંગ કરાવવું જ જોઇએ , તે અનિવાર્ય છે . હવે સવાલ રહ્યો કેવી રીતે ભરું ? તો તે અમે બેઠા છીએને ! અમે તમને આ આર્ટીકલ દ્વારહા સાદી સીધી રીતે શીખવી શું કે કેવી રીતે ટેક્સ રિટર્નની ઇ ફાઇલિંગ ભરવી . તો ઇન્ટરનેટ દ્વારા કેવી રીતે આઇટી રિટર્ન ભરશો તે જાણો નીચેના સ્ટેપ બાય સ્ટેપ સ્લાઇડરમાં . . અને હા ખાલી વાંચીને ભૂલી ના જતા . મિત્રોને પણ શેયર કરજો જેથી તેમની મુશ્કેલી સરળતાથી હલ કરી શકે . તો વાંચો રીત . . ." business,"રૂપિયામાં સતત ઘટાડો ચાલુ છે બુધવારે ડોલરને મુકાબલે રૂપિયો 73 નજીક પહોંચી ગયો છે . રૂપિયો ડોલરને મુકાબલે 72.91 પર પહોંચી ચુક્યો છે . ડોલરની માંગ વધવાને કારણે રૂપિયો કમજોર પડ્યો છે રૂપિયામાં સુધાર થાય તેવા સંકેત આવનારા કેટલાક દિવસોમાં નથી મળી રહ્યા . મંગળવારે રૂપિયો 24 પૈસા તૂટીને 72.69 પર બંધ થયો હતો , જયારે આજે બજાર ખુલતાની સાથે જ રૂપિયામાં 22 પૈસાનો ઘટાડો જોવા મળ્યો છે . આ કારોબારી અઠવાડિયામાં ત્રીજા દિવસે પણ રૂપિયામાં એતિહાસિક ઘટાડો જોવા મળ્યો છે . બુધવારે રૂપિયો ડોલર સાથે 22 પૈસા ગગડીને 72.91 પર પહોંચી ગયો છે સોમવારે તે 72.45 પર બંધ થયો હતો . કેન્દ્રની મોદી સરકાર અને કેન્દ્રીય રિઝર્વ બેંકે ડોલરને મુકાબલે ગગડતા રૂપિયાને અટકાવવા માટે વિદેશમાં રહી રહેતા ભારતીય નાગરિકોનો સહારો લેવાની તૈયારી કરી રહ્યા છે . સરકારને આશા છે કે તેમના આ પગલાં પછી તેઓ ચાલુ ખાતાના ઘટાડાને ઓછો કરી શકે છે . આ સંબંધમાં મોદી સરકારના કેટલાક અધિકારીઓ નાણાં મંત્રાલય અને ભારતીય રિઝર્વ બેન્કના સંપર્કમાં છે અને વાતચીત ચાલી રહી છે કે આખરે રૂપિયાને કેવી રીતે મજબૂત કરવામાં આવે . જયારે રૂપિયામાં થતા ઘટાડાને કારણે તેલ કંપનીઓને વિદેશથી તેલ મંગાવવા માટે ભારે કિંમત ચૂકવવી પડી રહી છે . તેને કારણે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો થવાની આશંકા વ્યકત કરવામાં આવી રહી છે . બેન્કિંગ , ઓટો , એફએમસીજી , ઓઇલ એન્ડ ગેસ અને પાવર સેક્ટર શેરમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે ." business,"ભારતમાં સ્માર્ટફોનની દૂનિયામાં વિરોધી કંપનીઓને માત આપવા માટે બ્લેકબેરી દ્વારા એક નવા સ્માર્ટફોનને લોન્ચ કરવામાં આવ્યો છે . બ્લેકબેરીએ પોતાનો નવો સ્માર્ટફોન બ્લેકબેરી Q10ને ભારતમાં લોન્ચ કર્યો છે . જે ભારતમાં રૂપિયા 44,990 રૂપિયામાં મળશે . જે શુક્રવારથી 20 શહેરો અને 1000 રિટેલ સ્ટોર્સમાં વેચાણ અર્થે જોવા મળશે . નોંધનીય છે કે , આ ફોનને તેમે સાહોલિક ડોટ કોમ અને સ્નેપડીલ ડોટ કોમ પર પણ ઓનલાઇન બૂક કરાવી શકો છો . ભારતમાં લોન્ચ થયા પહેલા આ ફોનને ઓનલાઇન રિટેલર થકી લેવા માટે તેની કિંમત 44,999 રૂપિયા રાખવામાં આવી છે . નોંધનીય છે કે આ પહેલા ફેબ્રુઆરીમાં બ્લેકબેરી એ z10 સ્માર્ટફોન લોન્ચ કર્યો હતો . જેની કિંમત 43,490 રૂપિયા રાખી હતી . જેના થકી બ્લેકબેરીએ પોતાની 10 ઓપરેટિંગ સિસ્ટમને માર્કેટમાં મુકી હતી . અત્રે ઉલ્લેખનીય છે કે , ભારતમાં સ્માર્ટફોનનું માર્કેટ વધી રહ્યું છે , નોકિયા , સેમસંગ , સોની જેવી કંપનીઓ દ્વારા સતત એક પછી એક ચઢિયાતા સ્માર્ટફોન માર્કેટમાં મુકવામાં આવી રહ્યાં છે અને યુવાનોને પોતાની તરફ આકર્ષી રહી છે ." sports,"વર્ષ 2017 એ આઇપીએલ નું 10મું વર્ષ છે , આ દસ વર્ષ દરમિયાન આઇપીએલની ઘણી ટીમોએ લોકોમાં પોતાની લોકપ્રિયતા વધારી છે , પરંતુ એમાં સૌથી આગળ છે ચેન્નાઇ સુપર કિંગ્સ . ફેન્સને ચેન્નાઇની ટીમ સાથે ખૂબ લગાવ છે . સોશિયલ મીડિયા ની કેટલીક પોસ્ટ્સ પરથી આ વાત સાબિત થાય છે . આજથી બરાબર દસ વર્ષ પહેલાં ચેન્નાઇની ટીમ આઇપીએલમાં પોતાની પ્રથમ મેચ રમી હતી . વર્ષ 2008માં પંજાબના મોહાલીમાં કિંગ્સ ઇલેવન પંજાબ સામે આ મેચ રમાઇ હતી . ચેન્નાઇની ટીમે ટોસ જીતી 240 રનનો વિશાળ સ્કોર કર્યો હતો , જેમાં માઇકલ હાસીએ 56 બોલ પર 116 રન ફટાકર્યા હતા . આના જવાબમાં પંજાબની ટીમ માત્ર 207 રન બનાવી શકી હતી . ચેન્નાઇની ટીમ 33 રનોથી જીતી ગઇ હતી ." business,"ફિનલેન્ડની મોબાઇલ હેન્ડસેટ નિર્માતા કંપની નોકિયા કોર્પ એક નવેમ્બર , 2014થી પોતાનો ચેન્નઈ સ્થિત મોબાઇલ હેન્ડસેટ નિર્માણ પ્લાન્ટ બંધ કરવા જઈ રહી છે . આ નિર્ણયને પગલે નોકિયાના આ પ્લાન્ટમાં કામ કરતા 1100 કર્મચારીઓના ભવિષ્ય પર પ્રશ્નાર્થ લાગી ગયો છે . માઇક્રોસોફ્ટે નોકિયાના આ પ્લાન્ટમાં બની રહેલા હેન્ડસેટ માટેનો એગ્રીમેન્ટ પૂરો કરી દીદો છે . જેને પગલે નોકિયાએ આ પલાન્ટમાં કામગીરી બંધ કરવાની જાહેરાત કરી છે . આ અંગે નોકિયાએ જણાવ્યું છે ' માઇક્રોસોફ્ટે એક નવેમ્બર 2014થી એગ્રીમેન્ટ પ્રમાણે અહીં મેન્યુફેક્ચરિંગ સર્વિસ બંધ કરવાનું જણાવ્યું છે . માઇક્રોસોફ્ટ દ્વારા આગળ વધુ ઓર્ડર ન મળતા કંપની 1 નવેમ્બરથી ચેન્નઈના શ્રીપેરંબદૂર પ્લાન્ટમાં મોબાઇલ હેન્ડસેટ નિર્માણ બંધ કરી રહી છે . ' ઉલ્લેખનીય છે કે ભારતના ટેક્સ ડિપાર્ટમેન્ટ સાથે વાંધો પડતા અહીંના ઉત્પાદનો પર મનાઈ ફરમાવવામાં આવી છે . જેને પગલે પ્લાન્ટને બીજે ક્યાંય ખસેડવા અંગે પણ કંપની અસમંજસમમાં છે . ભારતીય ટેક્સ સત્તાવાળાઓનો દાવો છે કે નોકિયાએ ખોટી રીતે સોફ્ટવેર એક્સપોર્ટનો લાભ લઈ ટેક્સમાં છૂટછાટ મેળવી છે . નોકિયાએ આ દાવાને કોર્ટમાં પડકાર્યો છે . જેને પગલે માઇક્રોસોફ્ટ સાથેની ડીલમાં આ પ્લાન્ટ બંધ કરવાની વાત થઈ હતી ." business,વેપાર ખાધ કોને કહેવામાં આવે છે . જ્યારે પણ અર્થતંત્ર અને બજેટની વાત થાય છે ત્યારે વેપાર ખાધ શા માટે હંમેશા ચર્ચામાં રહે છે ? આવો આપને જણાવી એ કે વેપાર ખાધ શું છે અને તેનું આટલું મહત્વ શા માટે છે ? વાસ્તવમાં કોઇ પણ દેશની નિકાસ અને આયાત તે દેશની અર્થવ્યવસ્થા અને વિકાસ સાથે જોડાયેલી હોય છે . જો આયાતમાં વધારો થાય તો નિર્યાત ઘટે છે . એટલે કે દેશની બહારથી વસ્તુ ખરીદવા માટે વધારે રૂપિયા ખર્ચ કરવા પડે છે . આ કારણે દરેક દેશનો એવો પ્રયાસ હોય છે કે તે દેશની નિકાસ તેની આયાતની બરાબર હોય . અથવા તો આયાતની સરખામણીમાં નિકાસ વધારે હોય . બહારના દેશમાંથી જેટલો ઓછો સામાન ખરીદવો પડે તે દેશની અર્થવ્યવસ્થા માટે વધારે સારું છે . દેશના નાગરિકોને મોટા ભાગની વસ્તુઓ દેશમાં આવેલી કંપનીઓમાંથી જ મળી જશે તો તે વિદેશી વસ્તુઓ ખરીદવાનું ઘટાડી દેશો . આ કારણે આયાત ઘટશે . ઉલ્લેખનીય છે કે નિકાસ અને આયાત વચ્ચેનું જે અંતર હોય છે તેને વેપાર ખાધ કહેવામાં આવે છે . ભારત કાચા તેલની આયાત સૌથી વધારે કરે છે . વર્ષ 2012 - 13માં કાચા તેલની કુલ આયાત 169 અબજ ડોલર રહી હતી . ત્યાર બાદના ક્રમે સોનાની આયાત આવે છે . તેની આયાત આ જ વર્ષ દરમિયાન 54 અબજ ડોલર રહી હતી . entertainment,"[ તસવીરો ] વરૂણ ધવન આજે 28 વર્ષના થઇ ગયા છે . માત્ર ચાર ફિલ્મોની સાથે બોલીવુડ ઇંડસ્ટ્રીમાં મહત્વનું સ્થાન બનાવનાર વરૂણ આજે ભલે ગંભીર ભૂમિકાઓ માટે ચર્ચામાં હોય , પરંતુ બાળપણમાં વરૂણ ખૂબ જ ધમાલીયા હતા . વિશ્વાસ ના આવતો હોય તો આપ પણ નીચે આપેલી તસવીરો જોઇ શકો છો . વરૂણે પોતાના ભાઇ રોહિત ધવનના ખૂબ જ નજીક છે . રોહિત જ્યાં બાળપણથી ફિલ્મો બનાવવા ઇચ્છતા હતા , જ્યારે વરૂણ સિલ્વર સ્ક્રીન પર છવાઇ જવાના સપના જોતા હતા . વરૂણે અત્યાર સુધી ચાર ફિલ્મો કરી છે અને ચારેય સફળ રહી છે . ફિલ્મ બદલાપુર માટે વરૂણ ખૂબ જ વખાણને પાત્ર બન્યા છે . હવે તેમની આવનારી ફિલ્મ એબીસીડી - 2નું ટ્રેલર પણ રિલીઝ થઇ ચૂક્યું છે અને લોકો તેમને ખૂબ જ પસંદ કરી રહ્યા છે . જોકે વરૂણના જન્મદિવસ પર અમે અત્રે આપના માટે લાવ્યા છીએ વરૂણની કેટલીંક વણજોયેલી તસવીરો . . ." sports,"શ્રીલંકા વચ્ચે રમાઇ રહેલ ત્રણ ટેસ્ટ મેચ સીરિઝની બીજી મેચ આજે એટલે કે ગુરૂવારે કોલંબોમાં રમાઇ હતી . ભારતે પહેલી ટેસ્ટ મેચમાં 304 રનના અંતરથી જીત મેળવી હતી , ભારત આ સીરિઝમાં 1 - 0થી આગળ છે . આ મેચમાં કપ્તાન વિરાટ કોહલીની સેના જીતવાનો પૂરો પ્રયત્ન કરશે . નોંધનીય છે કે , છેલ્લી મેચ બોલર આર . અશ્વિનના કરિયરની 50મી મેચ હતી , તો ગુરૂવારની મેચ ભારતીય રન મશીન ચેતેશ્વર પૂજારાના કરિયરની 50મી મેચ હતી , જેમાં તેમણે અદભૂત ઇતિહાસ રચ્યો હતો . ગુરૂવારે શ્રીલંકા સામે ફરી એકવાર ભારતીય ટીમની નવી ઓપનિંગ જોડી મેદાનમાં ઉતરી હતી . બેટ્સમેન કે . એલ . રાહુલની આ મેચ સાથે વાપસી થઇ હતી અને તેમણે શિખર ધવન સાથે મળી મેચની શરૂઆત કરી હતી . સ્કોર અપડેટ્સઃ ભારતીય ટીમ ( પ્લેઇંગ ઇલેવન ) : શિખર ધવન , કે . એલ . રાહુલ , ચેતેશ્વર પૂજારા , વિરાટ કોહલી ( કપ્તાન ) , અજિંક્ય રહાણે , હાર્દિક પંડ્યા , રિદ્ધિમાન સાહા , ( વિકેટ કીપર ) , રવિચંદ્રન અશ્વિન , રવીન્દ્ર જાડેજા , ઉમેશ યાદવ , મહમ્મદ શમી શ્રીલંકા ટીમ ( પ્લેઇંગ ઇલેવન ) : દિમૂથ કરુણારત્ને , ઉપુલ થરંગા , કુસલ મેંડિસ , ધનંજય ડીસિલ્વા , દિનેશ ચાંડીમલ ( કપ્તાન ) , એન્જેલો મેથ્યૂઝ , નિરોશન ડિક્વેલા ( વિકેટ કીપર ) , રંગના હેરાથ , દિલરુવાન પરેરા , મલિંડા પુષ્પાકુમારા , નુવાન પ્રદીપ" business,જો આપ ઇન્કમ ટેક્સ ભરતા ભરતા પૈસાની બચત કરી શકતા નથી તો અમે આપને જણાવીએ કે ઇન્કમ ટેક્સના સેક્શન 10 અંતર્ગત આપ કેવી રીતે છૂટ મેળવી શકો છો ? ઇન્કમ ટેક્સ એક્ટની કલમ 10 હેઠળ છૂટ મેળવવા માટે આપે કેટલીક બાબતો જાણવી જરૂરી છે જે આ મુજબ છે . . . 1 . LTA એટલે કે લીવ ટ્રાવેલ એલાઉન્સ અંતર્ગત ઘરેલુ યાત્રાઓમાં સેક્શન 10 ( 5 ) હેઠળ છૂટ મળે છે . તેની એક મર્યાદા નિર્ધારિત હોય છે . સેલરીમાં લીવ ટ્રાવેલ એલાઉન્સ અનુસાર છૂટ મળે છે . 2 . જો આપની આવક ખેતીમાંથી પ્રાપ્ત થતી હશે તો તેના પર કોઇ પ્રકારનો ઇન્કમ ટેક્સ લાગતો નથી . 3 . સેક્શન 10 ( 10D ) અંતર્ગલ લાઇફ ઇન્શ્યોરન્સમાં રોકવામાં આવેલી રકમની છૂટ મળે છે . 4 . સેક્શન 10 અંતર્ગત સરકારી કર્મચારીઓને રિટાયર્નમેન્ટના અવસરે બાકી રહેલી અર્ન લીવ / પેઇડ લીવ માટે આપને છૂટ મળે છે . આ રકમ ટેક્સ ફ્રી હોય છે . 5 . જો આપ પાંચ વર્ષતી વધારે સમય સુધી કોઇ એક જ કંપનીમાં કામ કર્યું છે અને આપના પીએફના નાણા કાઢવા માંગો છો તો બેફિકર બનીને કાઢી શકો છો કેમ કે તેના માટે કલમ 10માં છૂટ મળે છે . sports,"ભારતીય ક્રિકેટ સાથે જોડાયેલી યાદોને સંગ્રહીત કરવા માટે બીસીસીઆઇ મુંબઇમાં એક મ્યુઝિયમના નિર્માણની યોજના બનાવી રહ્યું છે , જે આંતરરાષ્ટ્રીય સ્તરનું રહેશે . આ સંબંધમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સચિવ સંજય જગદાલે જણાવ્યું કે આ મામલામાં રાજ્યોના ક્રિકેટ બોર્ડોને પત્ર પાઠવવામાં આવ્યો છે . તેમણે જણાવ્યું કે અમે વડોદરા , જામનગર અને પટિયાલા જેવા શહેરોની મુલાકાત લીધી , જેનાથી જાણ થઇ કે આ વિસ્તારોમાં ક્રિકેટની અમૂલ્ય સંપદા છે , જેનું એક સ્થાન જેનું એક સ્થાન પર સંગ્રહ કરવાની જરૂરિયાત છે . અત્રે નોંધનીય છે કે આ મ્યુઝિયમમાં મહાન ક્રિકેટર સી કે નાયડૂ અને સૈય્યદ મુશ્તાક અલી જેવા ક્રિકેટરોની યાદોને પણ સંગ્રહીત કરવામાં આવશે . આ દિવસે ક્રિકેટરોના પરિજનોએ તેમની સાથે જોડાયેલી ચીજ વસ્તુઓનું દાન કરવા પર સહમતિ દર્શાવી છે . કહેવાય છે કે આ મ્યુઝિયમનું નિર્માણ કરવામાં લૉર્ડ્સ ક્રિકેટ મ્યુઝિયમના ક્યૂરેટર એડમ ચૈડવિકની પણ મદદ લેવામાં આવશે . મ્યુઝિયમના નિર્માણ ખર્ચમાં લગભગ 10 કરોડ આવી શકે છે . બીસીસીઆઇ દુનિયામાં સૌથી ધનવાન ક્રિકેટ બોર્ડ છે અને બોર્ડ આ સંગ્રહાલયને બનાવીને ભારતના સમૃદ્ધ ક્રિકેટ ઇતિહાસને વધુ વિસ્તારવા માગે છે , અને આ મ્યુઝિયમને વિશ્વ ફલક પર મુકવા માગે છે ." business,"બેંગલોર , 14 ઓક્ટોબર : દેશના એન્ફોર્મેન્ટ ડિરેક્ટોરેટે ( ઇડી ) ઇ કોમર્સ કંપની ફ્લિપકાર્ટને નોટિસ મોકલી છે . ઇડીએ ઈ - કોમર્સ સેક્ટરની અગ્રગણ્ય કંપની ફ્લિપકાર્ટને તાજેતરના તેના ' બિગ બિલિયન ડે ' સેલ અંગે અંગે સવાલો પૂછ્યા છે . આ બાબતે ઇડી તેને કેટલો દંડ ફટકારશે તેનો ક્યાસ લગાવવો મુશ્કેલ છે . પરંતુ કેટલાકનું અનુમાન છે કે ઈડી કદાચ આ કંપનીને રૂપિયા 1,000 કરોડની પેનલ્ટી ફટકારે એવી શક્યતા છે . ઈડીના સૂત્રોના જણાવ્યા મુજબ ફ્લિપકાર્ટે ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ મારફત નાણાંની વ્યવસ્થા કરી હતી અને મલ્ટીબ્રાન્ડ મારફતે ઈ - કોમર્સમાં નાણાંની વ્યવસ્થા કરવી ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ ( ફેમા ) હેઠળ ગુનો બને છે . ફ્લિપકાર્ટને મળેલી નોટિસ બદલે ફ્લિપકાર્ટે એક નિવેદન બહાર પાડ્યું છે અને કહ્યું છે કે અમે સંપૂર્ણપણે દેશના કાયદા અનુસાર જ પ્રવૃત્તિ કરી છે અને અમે તપાસમાં જરૂર પડશે ત્યારે સત્તાવાળાઓને સહકાર આપીશું . ફ્લિપકાર્ટે ગયા અઠવાડિયે યોજેલા જંગી ડિસ્કાઉન્ટવાળા બિલિયન ડે સેલ અંગે ઘણા વેપારીઓએ ફરિયાદ કરી છે . સરકારે ખાતરી આપી હતી કે તે એમની ફરિયાદો પર ધ્યાન આપશે અને ઈ - કોમર્સ રીટેલ બિઝનેસમાં વધારે સ્પષ્ટતાની જરૂર છે કે કેમ તેની ચકાસણી કરશે ." entertainment,"સની લિયોની હવે તેના થપ્પડ કાંડમાં અધિકૃત રીતે ખુલાસો કર્યો છે . એટલું જ નહીં સની લિયોની એક દમ સની દેઓલ સ્ટાઇલ જાણીતા અખબાર મીડે ડે પર પોતાનો રોષ પણ વ્યક્ત કર્યો છે . અને આ અંગે તેના અધિકૃત ટ્વિટર એકાઉન્ટ દ્વારા ટિપ્પણી પણ કરી છે . નોંધનીય છે કે શુક્રવારે તેવા સમાચાર આવ્યા હતા કે સુરતમાં "" પ્લે હોલી વીથ સની લિયોની "" નામના કાર્યક્રમમાં સનીને કોઇ પત્રકારે અભદ્ર સવાલો પૂછ્યા હતા . જેના બાદ સની લિયોનીએ પત્રકારને તમાચો ચોડી દીધો હતો . સનીને પૂછવામાં આવ્યું હતું કે તું પહેલા તો પોર્ન સ્ટાર હતી અને હવે બોલીવૂડની સ્ટાર છે તો તારા એક રાતના ભાવ શું છે ? આ અંગે જ્યારે સની લિયોનીએ સવાલ ફરી પૂછવા કહ્યું તો પત્રકારે કહ્યું કે તારા નાઇટ પ્રોગ્રામના ભાવ શું છે ? જે પર સનીનો પીત્તો ગયો હતો અને તેણે પત્રકારને બે થપ્પડ ચોડી દીધી હતી . જો કે સની આ મામલાને કોઇ મોટો ઇસ્યૂ બનાવવા નહતી ઇચ્છતી માટે તેણે આ અંગે કોઇ અધિકૃત ફરિયાદ નહતી કરી તેવા ખબર આવ્યા હતા . જો કે આ અંગે સની લિયોની અને તેના પતિએ આજે અધિકૃત રીતે ખુલાસો કર્યો છે કે આવી કોઇ ધટના બની જ નહતી . અને સની લિયોનીએ કોઇ પણ પત્રકારને થપ્પડ મારી જ નથી . ત્યારે સની લિયોનીનીએ આ સમગ્ર પ્રકરણ પર તેના ટ્વિટરમાં શું રિપ્લાય આપ્યો છે તે જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં . . ." sports,"બેંગ્લોર , 30 સપ્ટેમ્બરઃ ગયા સપ્ટેમ્બર મહિનામાં ભારતીય ઓપનિંગ બેટ્સમેન ગૌતમ ગંભીરનું જીવન અંગત કરુણતાઓના કારણે વેરાન જેવું થઇ ગયું હતું . હવે કોલકતા નાઇટ રાઇડર્સના સુકાનીએ પોતાના જીવનના આ સમય અંગે ખુલીને વાત કરી છે , જેમાં તેણે પોતાના જીવનના બે અંગત લોકોને ગુમાવી દીધા બાદ તે મુશ્કેલ સમયમાંથી પસાર થઇ રહ્યો હતો . સપ્ટેમ્બર 2013માં ગંભીર ભારતની બહાર હતો અને ઇંગ્લેન્ડમાં એસેક્સ તરફથી રમી રહ્યો હતો , જ્યારે તેને અંગત કરુણતા અંગે જાણ થઇ તો તે ઇંગ્લેન્ડ છોડીને ભારત આવી ગયો હતો , પરંતુ અમુક સમય બાદ તે પુનઃ એસેક્સ માટે રમવા ઇંગ્લેન્ડ પરત ફર્યો હતો . જ્યારે ચેમ્પિયન્સ લીગ ટી20ની અધિકૃત વેબસાઇટ દ્વારા ગંભીરને 2013ની એ ઘટના અંગે પૂછ્યું ત્યારે તેણે કહ્યું કે , એ સમય મારા જીવનના સૌથી મુશ્કેલ સમયમાનો એક હતો . મે એક જ વર્ષમાં મારા જીવનની નિકટ રહેલા બે લોકોને ગુમાવી દીધા હતા . એ સમયે તેને ભારતની રાષ્ટ્રીય ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો . તેણે કહ્યું કે , હું ઇંગ્લેન્ડ ગયો હતો અને એસેક્સ માટે રમી રહ્યો હતો કારણ કે હું મારી કારકિર્દીને પુનઃ પાટા પર લાવવા માગતો હતો . મે સદી ફટકારી હતી અને હું મારા આત્મવિશ્વાસને પરત મેળવી રહ્યો હતો . વધુ વાંચવા માટે તસવીરો પર ક્લિક કરો . ટી20 ક્રિકેટમાં સૌથી શિકાર કરનાર વિકેટકીપર્સઃ ધોની બીજા ક્રમે આ પણ વાંચોઃ - આ ખેલાડીએ ભારત તરફથી ફટકારી હતી પહેલી ટેસ્ટ સદી" sports,આઇપીએલ સ્પૉટ ફિક્સિંગ ગોટાળાના વધતા જતા સ્વરૂપને જોતાં આવતીકાલે ફાઇનલ નક્કી કાર્યક્રમ અનુસાર જ થશે અને વિવાદોમાં ઘેરાયેલ ચેન્નઇ સુપરકિંગ્સ સટ્ટેબાજીના આરોપોમાં પોતાના ઉચ્ચ અધિકારીની ધરપકડ છતાં લીગનો ભાગ બની રહેશે . બીસીસીઆઇના એક ઉચ્ચ અધિકારીએ કહ્યું હતું કે ચેન્નઇ સુપરકિંગ્સ અને મુંબઇ ઇન્ડિયંસ વચ્ચે ફાઇનલ ઇડન ગાર્ડન પર યોજાશે . બીસીસીઆઇના અધ્યક્ષ એન શ્રીનિવાસન અને ટીમના મુખ્ય કાર્યકારી અધિકારી ગુરૂનાથ મયપ્પનની ગઇકાલે રાત્રે મુંબઇ દ્વારા ધરપકડ બાદ ચેન્નઇ સુપરકિંગ્સની ટીમ વિવાદોથી ઘેરાયેલી છે . સૂત્રોને પુછવામાં આવ્યું હતું કે શું ચેન્નઇ સુપરકિંગ્સને ટીમોની આઇપીએલ અનુબંધની કલમ 12.3 ( સી ) અંતગર્ત બાહર કરવામાં આવી શકે છે તો સૂત્રોએ કહ્યું હતું કે હજુ સુધી આરોપો કોર્ટ સમક્ષ સાબિત થયા નથી . વ્યક્તિને દોષી ગણવામાં આવ્યાં છે . તાજેતરમાં મુંબઇ પોલીસે ગુરૂનાથ સાથે પુછપરછ કરી રહીછે . સૂત્રોના જણાવ્યા મુજબ આ કૌભાંડમાં પકડાયેલા અભિનેતા વિન્દુ દારા સિંહે પૂછપરછ દરમિયાન પોલીસને કહ્યું હતું કે ગુરુનાથ મયપ્પને રૂપિયા 10 લાખનો સટ્ટો લગાવ્યો હતો જે મેચ દીઠ રૂપિયા એક કરોડ સુધી ઉંચે ગયો હતો . મયપ્પને આ મોસમમાં પણ ચેન્નઈ ટીમની મેચો ઉપર સટ્ટો કર્યો હતો . મયપ્પન આજે મુંબઈ આવી પહોંચ્યા બાદ પોલીસ એમને પૂછપરછ માટે પહેલા દક્ષિણ મુંબઈસ્થિત પોલીસ મુખ્યાલયે લઈ ગઈ હતી અને ત્યાંથી એમને ક્રાઈમ બ્રાન્ચની ઓફિસે લઈ ગઈ હતી . business,"સરકારી કર્મચારીઓ માટે એક સારા સમાચાર છે . જૂન મહિનાથી જ સાતમાં પગાર પંચ હેઠળ સરકારી કર્મચારીઓને મળશે મોટો ફાયદો . ચલો જાણીએ જૂન મહિનાથી શું હશે ખાસ , જેનાથી સરકારી કર્મચારીઓને મળશે મોટો ફાયદો . સાતમાં પગાર પંચમાં એચઆરએમાં વધારાની માંગણી કરવામાં આવી હતી . હવે સાતમું પગાર પંચ લાગુ થતા જૂનથી એચઆરએ વધીને 48,000 રૂપિયા થઇ જશે . સુત્રોનું માનીએ તે આ અંગે આવનારા 15 દિવસમાં પ્રસ્તાવ મોકલવામાં આવશે . જેની પર મંજૂરી પણ જલ્દી મળશે તેવું જાણવા મળ્યું છે . નાણાં સચિવ અશોક લવાસાની અધ્યક્ષતા વાળી કમિટીમાં 27 એપ્રિલના રોજ નાણાં પ્રધાન અરુણ જેટલીને આ અંગે એક રિપોર્ટ રજૂ કરવામાં આવશે . અને તે પછી તેને સેક્રેટરીઝ ની કમિટીમાં રાખવામાં આવશે . સુત્રોની માનીએ તો 15 દિવસ જેટલો સમય આ સમગ્ર પ્રક્રિયાને પૂર્ણ થતા લાગશે . નોંધનીય છે કે દેશમાં હાલ કુલ 43 લાખ કેન્દ્ર સરકારના કર્મચારી છે અને તે સિવાય 53 લાખ પેન્શન ગ્રાહકો , આ તમામ લોકો છઠ્ઠા વેતન આયોગ હેઠળ આ સુવિધા અને બોનસ મળતું રહેશે . આ તમામ લોકોને સાતમું પગાર પંચ લાગુ થયા પછી આ ફાયદો મળશે ." sports,"દ્રવિડે સનરાઇઝર્સ હૈદરાબાદની સામે મેચની પૂર્વ સંધ્યાએ કહ્યું કે ' હું એ ઘટનાઓથી હેરાન , નિરાશ અને હતાશ છું , જેમાં ગઇકાલે અને આજે સવારે આ મામલે ધરપકડ થઇ . રાજસ્થાન રોયલ્સ વિશેષ ટીમ છે , જેમાં અમે પરિવારની જેમ રહીએ છીએ માટે આ ઘણું નિરાશાજનક છે . ' દ્રવિડે જણાવ્યું કે ' ક્રિકેટ પર સ્પોટ ફિક્સિંગ અને ભ્રષ્ટાચારની કાળો પરછાયો પડેલો છે અને હું જાણું છું કે બીસીસીઆઇ અને રાજસ્થાન રોયલ્સ આ પ્રત્યે શૂન્ય સહિષ્ણુતા નીતિ અપનાવશે . રાજસ્થાન રોયલ્સના માલિક અને મેનેજરે દરેક સંભવ અવસર પર શૂન્ય સહિષ્ણૂતાના વિચાર સ્પષ્ટ કરી દીધા છે . ' તેમણે કહ્યું કે ' હું ટીમનો કપ્તાન હું અને નેતૃત્વકર્તા હોવાના નાતે હું સુનિશ્ચિત કરીશ કે ટીમ પોતાની ક્ષમતાના આધારે રાજસ્થાન રોયલ્સ તરીકે રમવાનું જારી રાખે . ' રાજસ્થાન રોયલ્સના કોચ પૈડી અપટન પણ દ્રવિડ સાથે સહમત હતા . તેમણે જણાવ્યું કે ટીમ મેનેજર આ તપાસ સાથે જોડાયેલ અધિકારીયોની પૂરેપૂરી મદદ કરશે ." business,"રેડસ્ટેડ ઇન્ડિયાના વર્ક મોનિટર સર્વેના જણાવ્યા મુજબ , સર્વેમાં સામેલ થનાર 76 ટકા લોકોનું માનવું છે કે તેમની સંસ્થાઓમાં ટોચના હોદ્દાઓ ઉપર મહિલાઓની સંખ્યા ઓછી છે . અલબત્ત , 89 ટકા મહિલાઓ લીડરશિપ ભૂમિકામાં આવવાની ઇચ્છા ધરાવે છે . સર્વેમાં સામેલ કરવામાં આવેલા 80 ટકા લોકોએ કહ્યું છે કે ભારતમાં લીડરશિપ પોઝિશન ઉપર મહિલાઓની સરખામણીએ પુરુષો વધારે છે . ભારતમાં સર્વેમાં સામેલ એવા લોકોની સંખ્યા દુનિયાના બાકી દેશોની સરખામણીમાં વધારે છે , જે માને છે કે ટોચના હોદ્દાઓ ઉપર અથવા તો 76 ટકા હોદ્દાઓ ઉપર પૂરતી મહિલાઓ નથી . રેડસ્ટેટ ઇન્ડિયાના એમડી અને સીઇઓ ઇ બાલાજીએ સર્વેના પરિણામ અંગે કહ્યું છે કે જેન્ડર ડાઇવરસિટી બિઝનેસ માટે જરૂરી છે . અભ્યાસમાં આ બાબત પણ સાબિત કરવામાં આવી ચૂકી છે . આનાથી ગવર્નન્સની પ્રક્રિયા ખૂબ સારી રહે છે . કંપની અને કર્મચારીઓના ગ્રોથમાં પણ વધારો થાય છે . જ્યારે 91 ટકા ભારતીય કર્મચારીઓએ સંકેત આપ્યો છે કે હાઇ લીડરશિપને લઇને પુરુષો 92 ટકા અને 89 ટકા મહિલાઓની ઇચ્છા વચ્ચે ખૂબ ઓછું અંતર છે . સર્વેમાં એવું પણ જાણવા મળ્યું છે કે કંપનીઓ લીડરશિપ પોઝિશન ઉપર મહિલાઓને પ્રમોટ કરે તે જરૂરી છે . 75 ટકા ભારતીય કર્મચારીઓ મહિલા ક્વોટાને જરૂરી માને છે . અલબત્ત આ અંગે નિષ્ણાતોની જુદી જુદી પ્રતિક્રિયાઓ છે . બાલાજીનું કહેવું છે કે ભારતીય કર્મચારીઓએ લીડરશિપ પોઝિશન ઉપર પ્રમોટ કરવા માટે ક્વોટા વ્યવસ્થાની વાત કરી છે , જે ખૂબ જ સારી છે . અલબત્ત આ સમજવાની જરૂર છે કે ક્વોટા એક પ્રકારની વ્યવસ્થા હોઇ શકે છે ." entertainment,"અભિનેતા આયુષ્માન ખુરાના યશ રાજ ફિલ્મ્સની નવી ફિલ્મ માટે એક ગીત ગાશે . તેઓ અગાઉ પાની દા રંગ . . . અને સાડ્ડી ગલી આજા . . . જેવા ગીતો ગાઈ ચુક્યાં છે . આયુષ્માન ખુરાનાએ પોતાની પ્રથમ ફિલ્મ વિકી ડૉનરમાં પાની દા રંગ . . . ગીત ગાયુ હતું , જ્યારે બીજી ફિલ્મ નૌટંકી સાલા માટે બે ગીતો સાડ્ડી ગલી . . . અને તૂ હી તૂ . . . ગાઈ ચુક્યાં છે . આયુષ્માને જણાવ્યું - નૂપુર અસ્થાના દિગ્દર્શિત વાયએરએફની નવી ફિલ્મમાં પણ હું અભિનય ઉપરાંત એક ગીત ગાવનો છું . આ ફિલ્મમાં સોનમ કપૂર તથા ઋષિ કપૂર પણ છે . આયુષ્માન ખુરાનાએ ભારતીય સિનેમામાં પરિવર્તનો અંગે જણાવ્યું - આપણી ફિલ્મોની વાર્તાઓ તથા વિષયો સાથે - સાથે ફૅશન ક્ષેત્રે પણ નોંધનીય પરિવર્તનો આવ્યાં છે . ભલે તે અમિતાભ બચ્ચનના જમાનાની બેલબૉટમ પેંટ હોય કે જિતેન્દ્રના જમાની ચુસ્ત પેંટ . તેમણે જણાવ્યું કે સિનેમા હંમેશાથી જ ફૅશનને પ્રોત્સાહન આપતુ આવ્યું છે ." business,"થોડાક દિવસ પહેલા લેપટોપ અને પીસી મેકર કંપની ડેલે ભારતીય બજારમાં બે નવા ટેબલેટ વેન્યુ 7 અને વેન્યુ 8 લોન્ચ કર્યા છે . 10 , 999 રૂપિયા અને 17,499 રૂપિયામાં લોન્ચ કરવામાં આવેલા ટેબ એન્ડ્રોઇડ પ્લેટફોર્મ પર રન કરે છે . હવે સૌથી મોટો પ્રશ્ન એ ઉઠે છેકે આખરે ડેલે ટેબલેટ સેગમેન્ટમાં ઝંપલાવવામાં આટલું મોડું કેમ કર્યુ , જ્યારે અન્ય પીસી કંપનીઓના ટેબ ઘણા સમય પહેલા આવી ગયા હતા . બીજો પ્રશ્ન એ કે ડેલને ટેબલેટ લોન્ચ કરવું હતુ તો માત્ર વાઇફાઇ વર્ઝન લોન્ચ કરીને તે બજારમાં હાજર બીજા ટેબલેટ્સને ટક્કર નહીં આપી શકે , કારણ કે વાઇફાઇનો પ્રયોગ હજુ ખુલ્લી રીતે નથી કરવામાં આવી રહ્યો . તેવામાં ડેલના નવા વેન્યુ ટેબ બજારમાં કેટલું પસંદ કરવામાં આવશે , તે કહેવુ મુશ્કેલ રહેશે . શા માટે ખરીદવુ ડેલનું વેન્યુ ટેબલેટ ભારતમાં બે વસ્તુઓની ઘણી વેલ્યુ છે , પહેલી કિંમત અને બીજી બ્રાન્ડ , ડેલ બ્રાન્ડ ભારતમાં લેપટોપ અને પીસી માટે પહેલાથી પીસી માટે જાણીતી છે અને રહી વાત કિંમતની 10,999 રૂપિયા કોઇપણ ટેબલેટ માટે વધારે કિંમત ના કહેવાય . ઉપરથી ડેલ વેન્યુના ફીચર પણ તેની કિંમતના હિસાબે સારા છે , તો ચાલો તસવીરો થકી જાણીએ ડેલના ટેબલેટના ફીચર અંગે ." business,"નાણા મંત્રાલય દેશમાં વધતી ચાલુ ખાતાની ખોટને કારણે ચિંતામાં છે . આ બાબતને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવી રહ્યો છે . હાલ ડિફેન્સ સેક્ટરમાં 26 ટકા એફડીઆઈને મંજૂરી આપવામાં આવી છે અને તેની મર્યાદા વધારવાની વિચારણા કરવામાં આવી રહી છે . દેશમાં વિદેશી મૂડીભંડોળમાં વધારો કરી શકાય તે માટે પાછલા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં સરકાર દ્વારા વિદેશી કંપનીઓને ભારતના સુપર માર્કેટ અને એરલાઈન્સ કંપનીઓમાં રોકાણ કરવાની મંજૂરી આપી દીધી છે . દેશના આર્થિક સલાહકાર રઘુરામ રાજને જણાવ્યું છે કે , છેલ્લા કેટલાક સમયથી ડિફેન્સ સેક્ટરમાં એફડીઆઈમાં વધારો કરવાની વિચારણા કરાઈ રહી છે . અન્ય હજુ ઘણાં એવા સેક્ટર છે કે જેમાં એફડીઆઈમાં વધારો કરી શકાય છે , તેથી સરકાર દ્વારા પહેલા ડિફેન્સ સેક્ટરને ધ્યાનમાં લેવામાં આવી રહ્યું છે અને તેની પાછળ પાછળ અન્ય સેક્ટરની એફડીઆઈમાં પણ વધારો કરવાનું આયોજન કરવામાં આવશે . ડીઆઈપીબી વિભાગના સૂત્રો દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે ડિફેન્સ સેક્ટરમાં એફડીઆઈ મર્યાદાને વધારીને 49 ટકા કરવાની ભલામણ કરવામાં આવી છે . આ વિશેનું વિધેયક 2008માં જ રાજ્યસભામાં પસાર કરી દેવામાં આવ્યુ હતું . ભારતની ગણતરી દુનિયામાં સૌથી મોટી રક્ષા આયાતકોમાં કરવામાં આવી રહી છે . ભારતમાં હાલ મલ્ટિ બ્રાન્ટ રિટેલમાં 51 ટકા એફડીઆઈને મંજૂરી આપવામાં આવી છે , જ્યારે ટેલિકોમ અને બેન્કિંગ સેક્ટરમાં 74 ટકા એફડીઆઈને મંજૂરી આપવામાં આવેલી છે ." entertainment,"જયારે પેડમેન અને અય્યારી ફિલ્મની રિલીઝ ડેટ વિશે માહિતી આવી હતી ત્યારે અફવાહ હતી કે અક્ષય કુમાર અને નીરજ પાંડે વચ્ચે બરાબર નથી ચાલી રહ્યું . આપણે જણાવી દઈએ કે અક્ષય કુમાર અને નીરજ પાંડે એકસાથે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે અને બંને એકબીજા ના સારા મિત્રો પણ છે . પરંતુ પેડમેન અને અય્યારી ફિલ્મ સાથે બંનેની દોસ્તી ની પણ કસોટી થઇ ગયી . લેટેસ્ટ ખબર અનુસાર નીરજ પાંડે ખુબ જ જલ્દી તેમની આવનારી ફિલ્મ સ્પેશ્યિલ 26 પર કામ શરૂ કરી દેશે . પરંતુ આ ફિલ્મમાં અક્ષય કુમાર નહીં હોય . એટલું જ નહીં પરંતુ નીરજ પાંડે એ ફિલ્મ માટે ચાર ટાઇટલ સ્પેશ્યિલ 2019 , સ્પેશ્યિલ 2020 , સ્પેશ્યિલ 2021 , સ્પેશ્યિલ 2022 પણ લોક કરી રાખ્યા છે . ચાર ટાઇટલ એટલા માટે લોક કર્યા છે કારણકે ખબર નથી કે ફિલ્મ ક્યારે રિલીઝ કરવામાં આવશે . આ ફિલ્મમાં અક્ષય કુમાર ને કાસ્ટ કરવાની બાબત પર નીરજ પાંડે એ જણાવ્યું કે તેઓ હાલમાં તેના વિશે કોઈ પણ કમેન્ટ કરવા માંગતા નથી . અક્ષય કુમાર સાથેની લડાઈ પર વાત કરતા તેમને જણાવ્યું કે બંને ફિલ્મો આવશે અને જશે તેમાં કોઈ પણ તુફાન નહીં આવે . બધું જ બરાબર છે . અહીં જાણો કઈ કઈ ફિલ્મોમાં અક્ષય કુમાર ફાયનલ છે" business,"સૂત્રોએ જણાવ્યું હતું કે ઇપીએફઓમાંની પીએફ ડિપોઝિટ પરનો વ્યાજદર વધવાની આશા રખાય છે . તેણે જણાવ્યું હતું કે ઇપીએફઓ દ્વારા વધુ વ્યાજ ચૂકવાશે તો તેની પાસે કોઇ ખાધ કે પુરાંત નહિ રહે . ઇપીએફઓ દ્વારા 2010 - 11માં 9.5 ટકા , 2011 - 12માં 8.25 ટકા અને 2012 - 13માં 8.5 ટકા વ્યાજ ચૂકવવામાં આવ્યું હતું . ઇપીએફઓની નિર્ણય લેતી સર્વોચ્ચ સંસ્થા સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ - સીબીટી છે . તેનું નેતૃત્વ શ્રમપ્રધાન કરી રહ્યા છે . તેના દ્વારા જ વ્યાજદર અંગે આખરી નિર્ણય લેવાય છે . ઇપીએફઓની સલાહકાર સમિતિ ફાઇનાન્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ કમિટી ( એફઆઇસી ) દ્વારા સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝને વ્યાજદરની ભલામણ કરાય છે . આ સમિતિની પણ નવરચના થવાની છે . ઇપીએફઓ દ્વારા જૂનમાં જ સીબીટીની નવરચના કરાઇ હતી . વ્યાજદરને લગતી આખરી ભલામણ નાણાં મંત્રાલયની સંમતિ માટે મોકલાય છે . સૂત્રોએ જણાવ્યું હતું કે પીએફ ડિપોઝિટ્સના ચાલુ નાણાકીય વર્ષના વ્યાજદરની જાહેરાત દિવાળી પહેલાં થવાની શક્યતા છે . અગાઉ , ઇપીએફઓ વ્યાજદરની જાહેરાત નાણાકીય વર્ષના પ્રારંભમાં કરતું હતું , પરંતુ છેલ્લાં ઘણાં વર્ષથી તેમ નથી થતું ." sports,"ટીમ ઇન્ડિયાના સ્ટાર ખેલાડી હરભજન સિંહ "" પપ્પા "" બની ગયા છે . તેમની પત્ની ગીતા બસરાએ 27 જુલાઇના રોજ લંડનમાં દિકરીને જન્મ આપ્યો છે . હિંદી ડેલી મુજબ આ સમાચારની પૃષ્ઠિ હરભજનની માતાએ પણ કરી છે . નોંધનીય છે કે હાલ માં અને બાળકી બન્ને સંપૂર્ણ પણ સ્વસ્થ છે અને હરભજન પણ હાલ લંડનમાં છે . ત્યારે ગીતા અને હરભજન બન્ને પોતાની આ પહેલી સંતાનથી ખુબ જ ખુશ છે . હરભજન સિંહ અને ગીતા બસરાએ 9 વર્ષના અફેર બાદ 29 ઓક્ટોબર 2015માં લગ્ન કર્યા હતા . અને જલંધરમાં ભવ્ય સમારંભ યોજ્યો હતો . જેમાં બોલીવૂડ , ક્રિકેટ અને રાજનીતિના મોટા દિગ્ગજ આવ્યા હતા . ત્યારે હરભજનને ત્યાં દિકરીનો જન્મ થતા તેમના ફેન્સ પણ આ સમાચાર સાંભળીને ખુશ થઇ ગયા છે ." entertainment,"બૉલીવુડમાં પોતાની ખાસ ફૅશન સ્ટાઇલ માટે જાણીતા કંગના રાણાવત આજકાલ પોતાની ફિલ્મી સફળતાઓના પગલે પણ ખૂબ જ ચર્ચા અને ડિમાંડ છે . કંગનાની છેલ્લી ફિલ્મ રિવૉલ્વર રાણીએ ભલે કોઈ ખાસ કમાલ ન કરી હોય , પરંતુ તે પહેલાની ફિલ્મ ક્વીનનો જાદૂ હજી સુધી ઓસર્યો નથી અને એટલે જ તો જીક્યૂ મૅગેઝીને ફરી એક વખત તેમને પોતાના કવર પેજ ઉપર સ્થાન આપ્યું છે . કંગના રાણાવત જીક્યૂ મૅગેઝીનના આ માસના અંક ઉપર જુલિયન મૅકડોનાલ્ડ બૉડીસૂટમાં દેખાયાં છે . જીક્યૂ કવરે કંગના રાણાવતને મૅગેઝીનના વુમૅન ઑફ ધ ઈયર તરીકે રજૂ કર્યા છે . કંગના રાણાવત કવર ઉપર ખૂબ જ સેક્સી જણાય છે . તેમણે ગોલ્ડન કલરનો બૉડીસૂટ પહેર્યુ છે . આ બૉડીસૂટ સિલ્કન કેપ વડે લિયોટૅર્ડ છે . કંગનાએ બૉબ હૅરસ્ટાઇલ રાખી છે . તેઓ હૉટ અવતારમાં દેખાય છે . ચાલો આપને પણ બતાવીએ તસવીરો :" sports,"બર્મિંઘમ , 8 સપ્ટેમ્બરઃ ભારતીય સુકાની મહેન્દ્ર સિંહ ધોનીએ ઇંગ્લેન્ડ વિરુદ્ધ એકમાત્ર ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં મળેલા ત્રણ રનના પરાજયની જવાબદારી સ્વીકારી છે અને કહ્યું છેકે , તે અંતિમ ઓવરમાં ખેલ સમાપ્ત કરવામાં નિષ્ફળ રહ્યો છે . ઇંગ્લેન્ડે પહેલા બેટિંગ કરતા ભારત સામે 181 રનનો લક્ષ્ય રાખ્યો હતો , પરંતુ ભારત વિરાટ કોહલીના ઇંગ્લેન્ડ પ્રવાસની પહેલી અડધી સદી છતાં પણ પાંચ વિકેટ પર 177 રન જ બનાવી શક્યું હતું . ધોનીએ કહ્યું કે , અંતિમ છ બોલમાં 17 રન બનાવવા હંમેશા મુશ્કેલ હોય છે . મે પહેલા બોલે ચોગ્ગો ફટકાર્યો હતો . અંતિમ ઓવરમાં મે ઓછામાં ઓછા બે શોટ એવા ગુમાવ્યા જેના પર બાઉન્ડ્રી ફટકારી શકાતી હતી . આ મુશ્કેલ કામ હતું અને આવું ત્યારે થાય જ્યારે બધી જ બાબતો તમારા પક્ષમાં ના હોય . બીજા છેડે અંબાતી રાયડૂ હતા , પરંતુ ભારતીય સુકાનીએ પોતે જ જવાબદારી લેવાનો નિર્ણય કર્યો અને વચમાં એકપણ રન લીધા નહીં . આ અંગે ધોનીએ કહ્યું કે મને લાગ્યું કે મારા બેટથી રન બની રહ્યાં છે તેથી મારે જવાબદારી ઉઠાવવી જોઇએ પરંતુ તેવું થયું નહીં . રાયડૂ ત્યારે જ આવ્યો હતો , જે બોલે તેણે રમ્યા હતા તેના પર તે બેટની વચ્ચેથી શોટ મારી શકવામાં નિષ્ફળ જઇ રહ્યો હતો , તેથી મે વિચાર્યુ કે મારે જવાબદારી લેવી પડશે . વધું વાંચવા તસવીરો પર ક્લિક કરો . pagespeed . lazyLoadImages . overrideAttributeFunctions ( ) ; function googleAnalyticsCodeCommon ( ) { var main _ url = $ ( ' link [ rel = "" canonical "" ] ' ) . attr ( "" href "" ) ; var url = document . location . href ; var pattern = ' https : / / ' + window . location . hostname ; url = url . replace ( pattern , "" "" ) ; var title = document . title ; ga ( "" oneindiagu . send "" , { hitType : "" pageview "" , page : url , location : main _ url } ) ; ga ( "" rosoneindia . send "" , { hitType : "" pageview "" , page : url , location : main _ url } ) ; ga ( "" dhoneindia . send "" , { hitType : "" pageview "" , page : url , location : main _ url } ) ; url = document . location . href ; var jcode = ' var _ comscore = _ comscore | | [ ] ; var comscoreParams = { c1 : "" 2 "" , c2 : "" 7732551 "" , c3 : "" "" , c4 : "" ' + url + ' "" , c5 : "" "" , c6 : "" "" , c15 : "" "" } ; _ comscore . push ( comscoreParams ) ; var s = document . createElement ( "" script "" ) , el = document . getElementsByTagName ( "" script "" ) [ 0 ] ; s . async = true ; s . src = ( document . location . protocol = = "" https : "" ? "" https : / / sb "" : "" http : / / b "" ) + "" . scorecardresearch . com / beacon . js "" ; el . parentNode . insertBefore ( s , el ) ; ' ; setTimeout ( jcode , 500 ) ; var _ qevents = _ qevents | | [ ] ; ( function ( ) { var elem = document . createElement ( ' script ' ) ; elem . src = ( document . location . protocol = = "" https : "" ? "" https : / / secure "" : "" http : / / edge "" ) + "" . quantserve . com / quant . js "" ; elem . async = true ; elem . type = "" text / javascript "" ; var scpt = document . getElementsByTagName ( ' script ' ) [ 0 ] ; scpt . parentNode . insertBefore ( elem , scpt ) ; } ) ( ) ; _ qevents . push ( { qacct : "" p - yjta2aSVPaHEL "" } ) ; window . google _ analytics _ uacct = "" UA - 110466 - 73 "" ; } આ પણ વાંચોઃ - વનડે ક્રિકેટના ઇતિહાસના ટોપ પાંચ અપસેટ" entertainment,"તાજેતરમાં જ રિલીઝ થયેલી ફિલ્મ ગ્રાન્ડ મસ્તીએ સો કરોડનો આંકડો ઓળંગી લીધો છે , પણ આ ફિલ્મની કમાણીથી લોકોને ખુશી નહીં , પણ આશ્ચર્ય થઈ રહ્યું છે . ફિલ્મ રિલીઝ થયા બાદ તમામ સમીક્ષકો તથા ચુનંદા શહેરના લોકોએ તેની ખૂબ ટીકા કરી હતી . સમીક્ષકો તથા લોકોના અભિપ્રાય મુજબ ફિલ્મ બકવાસ અને સેક્સ તેમજ દ્વિઅર્થી સંવાદથી ભરપૂર છે . આમ છતાં ફિલ્મે સો કરોડની કમાણી કરી . ફિલ્મની આ આર્થિક સફળતા શું સુચવે છે ? વ્યાપાક વિશ્લેષકો કહે છે - એટલો સારો બિઝનેસ કરનાર આ પ્રથમ એડલ્ટ હિન્દી ફિલ્મ છે . તરુણ આદર્શે ટ્વિટર પર લખ્યું - દિગ્દર્શક ઇન્દ્ર કુમારની ફિલ્મ ગ્રાન્ડ મસ્તીએ બૉક્સ ઑફિસે 100 કરોડ કરતા વધુની કમાણી કરી લીધી છે . બીજી બાજુ ફિલ્મની આખી ટીમ ખૂબ જ ખુશ છે . વિશ્લેષકોના અભિપ્રાયની તેમને પરવા નથી . ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવનાર આફતાબ શિવદાસાણીએ પોતાની ખુશી વ્યક્ત કરવા માટે માઇક્રોબ્લૉગિંગ સાઇટની પસંદગી કરી . તેમણે ટ્વીટ કર્યું અને ઇતિહાસ રચાઈ ગયું . 100 કરોડની કમાણી કરનાર પ્રથમ એડલ્ટ ફિલ્મ . ઇતિહાસનો ભાગ બની આનંદિત છું . આ સૌનો આભાર . ગ્રાન્ડ મસ્તી ફિલ્મમાં આફતાબ શિવદાસાણી સાથે રીતેશ દેશમુખ તેમજ વિવેક ઓબેરૉય પણ છે . મસ્તી ફિલ્મની સિક્વલ ગ્રાન્ડ મસ્તી ગત 13મી સપ્ટેમ્રે રિલીઝ થઈ હતી . પ્રથમ સપ્તાહમાં તેની કમાણી 66.4 કરોડ રુપિયા હતી અને હવે તે 100 કરોડ ક્લબમાં પ્રવેશી ચુકી છે ." sports,"લંડન , 5 ઑગસ્ટઃ એન્ડરસન મુદ્દે ઇંગ્લેન્ડ અને વોલ્સ ક્રિકેટ બોર્ડ ( ઇસીબી ) સાથે સેટલમેન્ટની ટીમના હાલના મેનેજરની વાતને ફગાવતા ભારતીય ક્રિકેટ ટીમના સુકાની મહેન્દ્ર સિંહ ધોનીએ ફગાવી દીધી છે . આઇસીસીના જ્યુડિશિઅલ કમિશનર જોર્ડન લેવિસ દ્વારા ભારતની અપીલને ખારીજ કરી દેવામાં આવ્યા બાદ આ મુદ્દો ગરમાયો છે . ભારતે એન્ડરસન પર લેવલ ત્રણનો ગંભીર આરોપ લગાવ્યો હતો . મળતી માહિતી અનુસાર ઇસીસીએ આઇસીસી ચેરમેન એન શ્રીનિવાસનનો સંપર્ક કર્યો હતો અને આ મુદ્દાને શાંત પાડવા તથા ધોની સાથે વાતચીત કરવા અંગે કહ્યું હતું , પરંતુ આ પહેલ નિષ્ફળ ગઇ છે . ભારતીય સુકાની પીછેહઠ કરવા તૈયાર નથી અને પોતાની વાતને મક્કમતાથી રજૂ કરી રહ્યાં છે . લોર્ડ્સ ખાતે રમાયેલી શ્રેણીની બીજી ટેસ્ટના એક દિવસ પૂર્વે આ વિવાદના સૌહાર્દપૂર્ણ સમાધાન માટે દેવ અને ઇસીબી દ્વારા એક પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો . ભારત તરફથી એવો આરોપ લગાવવામાં આવ્યો હતો કે એન્ડરસને જાડેજા સાથે ગેરવર્તણૂક કરી હતી અને તેને ધક્કો માર્યો હતો , બીજી તરફ ઇસીબીએ જાડેજા પર લેવલ બેનો આરોપ લગાવ્યો હતો . આ અંગે વધુ વાંચવા તસવીરો પર ક્લિક કરો . એન્ડરસન વિવાદઃ બ્રીટિશ મીડિયાએ ઉડાવી ધોનીની મજાક આ પણ વાંચોઃ - ક્રિકેટના 58 વર્ષ જૂના આ રેકોર્ડે ઉડાડી દીધા હતા બધાના હોશ" entertainment,"ઓહ વૉવ ! આજે તો હૉટ અને સેન્સિયસ અમેરિકન બ્યુટી કિમ કાર્દશિયનનો જન્મ દિવસ છે . હા , રિયલિટી ટીવી સ્ટાર અને સોશિયલાઇટ કિમ કાર્દશિયન આજે 34 વર્ષના થઈ ગયાં . કિમ કાર્દશિયન અમેરિકામાં ઘેર - ઘેર પ્રસિદ્ધ અને કૉમન નામ બની ગયું છે . તેની પાછળનું કારણ તેમનો ટેલીવિઝન શો કીપિંગ વિથ ધ કાર્દશિયન ( કેયૂડબ્લ્યુટીકે ) જ નહીં , પણ તેમનું બોલ્ડ સ્ટાઇલ સ્ટેટમેંટ તથા ફૅન્સનો તેમના પ્રત્યેનો પ્રેમ પણ છે . કિમ કાર્દશિયન મોટાભાગે ઇવેંટ્સમાં પોતાના ક્લીવેજનું પ્રદર્શન કરતા દેખાય છે . આપણે જાણીએ છીએ કે કિમ પાસે બતાવવા લાયક ક્લીવેજ છે અને એટલે જ તેઓ તેનું પ્રદર્શન કરે છે , પરંતુ દરેક ઇવેંટમાં ? ટુંકમાં કહીએ , તો કિમ ફૅશનબલી બોલ્ડ છે . ચાલો આપને બતાવીએ કિમ કાર્દશિયનના 10 મેજર ક્લીવેજ શો :" sports,"પોન્ટિંગે અહીં પોતાની પહેલી પત્રકાર પરિષદમાં કહ્યું કે , નિશ્ચિત રીતે આઇપીએલમાં પુનરાગમન કરવાથી તે ઘણો ઉત્સાહિત છે . જ્યારે હું ગત વખતે રમ્યો હોત તો મે કહ્યું હતું કે આશા છે કે હું તેમા બીજી વખત આવીને રમીશ . જે બાબતો મારી સાથે બની છે , તેમણે મને અહીં પુનરાગમન કરવાની તક આપી છે . તેમણે કહ્યું કે , આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિએ ટી20 લીગમાં ધ્યાન આપવાનો સમય આપ્યો . તેમણે કહ્યું કે , આઇપીએલ બે અને ત્રણમાં હું એ માટે પરત નહોતો આવ્યો કારણ કે તે સમયે હું ઘણું આતંરરાષ્ટ્રીય ક્રિકેટ રમી રહ્યો હતો . હવે હું આતંરરાષ્ટ્રીય ક્રિકેટ નહીં રમી રહ્યો જેનાથી મને આ ઘરેલુ ટૂર્નામેન્ટમાં રમવાની તક મળી રહી છે . હું ટી20 ક્રિકેટ માટે બે મહિના અહીં રહીશ અને ફરીથી આ બે મહિના રમીશ . પછી હું કેરેબિયન પ્રીમીયર લીગમાં એક મહિનો અથવા તો પાંચ અઠવાડિયા રમીશ . હવે મારું ધ્યાન એ સુનિશ્ચિત કરવા પર છે કે હું આગામી બે મહિના માટે મુંબઇ ઇન્ડિયન્સ માટે સર્વશ્રેષ્ઠ ખેલાડી છું અને સર્વશ્રેષ્ઠ સુકાની છું . તેમણે કહ્યું કે , સૌભાગ્યથી મને લાંબા સમય સુધી ઓસ્ટ્રેલિયાનો સુકાની બનવાની તક મળી . મને તેને સારી ટીમ બનાવવાનો અંદાજો આવી ગયો . હું મુંબઇમાં પણ આ તમામ બાબતો કરતો રહીશ . પોન્ટિંગ ભારતીય સ્ટાર સચિન તેંડુલકર સાથે રમવાને લઇને પણ ઘણો ઉત્સાહિત છે , જેમની વિરુદ્ધ તે અનેક વખત આંતરરાષ્ટ્રીય સ્તરની મેચો રમી ચુક્યો છે . તેણે કહ્યું કે , કોઇપણ ફ્રેન્ચાઇઝી ટીમનું નેતૃત્વ કરવું ઘણું શાનદાર છે , પરંતુ એ વિચારવું કે હું મુંબઇ ઇન્ડિયન્સનો સુકાની છું અને સચિન તેંડુલકર અને હરભજન સિંહ સાથે રમીશ . જેમની વિરુદ્ધ વર્ષો સુધી મે અનેક મેચો રમી છે . આ શાનદાર છે . આમા હું મારી ઓસ્ટ્રેલિયન ટીમના કેટલાક સાથીઓ અને કેટલાક યુવા સ્થાનિક ભારતીય ખેલાડીઓ સાથે પણ રમીશ ." sports,"એટલું જ નહીં આઇઓસીએ જણાવ્યું છે કે આઇઓએ જ્યાં સુધી આઇઓસીના સૂચનોનો સ્વીકાર ના કરી લે ત્યાં સુધી તેના પર લગાવવામાં આવેલો પ્રતિબંધ હટાવાશે નહીં . આઇઓસીના આ નિર્ણય બાદ દેશભરમાં આને લઇને ખૂબ હોબાળો મચેલો છે . રમતમંત્રીએ જણાવ્યું કે ' આઇઓસીને કેટલાંક નિશ્ચિત જોગવાઇઓ પર આપત્તિ છે . મુખ્ય મુદ્દો નૈતિકતા અને સારા પ્રશાસનનો છે . માટે મને આશા છે કે સારી સમજ પ્રદર્શિત કરવામાં આવશે અને આઇઓએ , આઇઓસીના બધા જ સૂચનોનો સ્વીકાર કરી લેશે . ' જિતેન્દ્ર સિંહએ જણાવ્યું કે ' મને નથી લાગતું કે આ સંશોધનોનો સ્વીકાર કરવામાં કોઇ પણ પ્રકારની પરેશાની છે , કારણ કે આ ઓલિમ્પિક જાહેરાતપત્રનો જ એક ભાગ છે . આઇઓસી કોઇ નવી વાત નથી કહી રહ્યું . ' અત્રે ઉલ્લેખનીય છે કે આઇઓસીએ 4 ડિસેમ્બર 2012ના રોજ આઇઓએની ચૂંટણીમાં સરકારી દખલ અને ભ્રષ્ટાચારના આરોપીઓ હોવા છતાં ચૂંટણી લડવાના કારણે આઇઓએ પર પાબંદી લગાવી દેવામાં આવી હતી . બીજા જ દિવસે આઇઓએ ચૂંટણી કરાવી , જેમાં 2010 કોમનવેલ્થ ગેમ્સ મામલામાં ભ્રષ્ટાચારના આરોપી લલિત ભનોટને મહાસચિવ ચૂંટવામાં આવ્યા હતા . આઇઓસીએ ચૂંટણીને રદબાત્તલ જાહેર કરી દીધી . પ્રતિબંધના પગલે ભારતીય ખેલાડીઓના ઓલિમ્પિકમાં ભાગ લેવાનો રસ્તો બંધ થઇ ગયો ." sports,છેવટે રિયો ઓલમ્પિકમાં ભારતનું ખાતું ખૂલ્યું ખરા ! ઓલમ્પિકમાં ભારત માટે આજે ખરેખરમાં ખુશીના સમાચાર આવ્યા છે . ભારતની મહિલા પહેલવાન સાક્ષી મલિકને કાંસ્ય પદક મળ્યો છે . અને આ સાથે જ ઓલમ્પિકમાં ભારતનું ખાતું ખૂલી ગયું છે . 12 દિવસ બાદ રિયો ઓલમ્પિકમાં 58 કિલોની ફ્રિસ્ટાઇલ કુશ્તીમાં સાક્ષી મલિકે કિર્ગિસ્તાનની એસુલુ તિનિવેકોવાને 8 - 5થી હરાવીને કાસ્ટ પદક પોતાના નામે કર્યો છે . કિર્ગિસ્તાનની પહેલવાન એસુલુએ શરૂઆતમાં ભારે આક્રમક રીતે કુસ્તી લડી હતી અને 5 પોઇન્ટ મેળવી લીધી હતી પણ સાક્ષીએ પોતાની લડત ના છોડી . કોણ છે સાક્ષી મલિક ? વધુ વાંચો અહીં . અને લગાતાર 8 પોઇન્ટ મેળવીને જીત મેળવી લીધી . એટલું જ નહીં ક્વોલિફેશન રાઉન્ડમાં પણ સાક્ષીએ સ્વીડનની પહેલવાન મલિન જોહાન્ના મૈટસનને 5 - 4થી હરાવી હતી . business,લોકસભા ચૂંટણી પહેલાં મોદી સરકાર તેનું અંતિમ બજેટ રજૂ કરવા જઈ રહી છે . 1 ફેબ્રુઆરીએ રજૂ થનારા મોદી સરકારના અંતિમ બજેટમાં દરેક વર્ગને ખુશ કરવાનો પ્રયત્ન કરશે . આશા કરવામાં આવે છે કે અંતિમ બજેટમાં સરકાર નોકરિયાત લોકોને મોટી રાહત આપી શકે . સીએનબીસી ટીવી18 ની રિપોર્ટ અનુસાર સરકાર 2.5 થી 5 લાખ રૂપિયા સુધીની આવક ધરાવતા લોકોને ઇનકમ ટેક્સના દાયરાથી બહાર મૂકી શકે છે . એવું માનવામાં આવે છે કે સરકાર ટેક્સના ક્ષેત્રમાં ફેરફાર કરી શકે છે . કેન્દ્ર સરકાર 5 લાખ રૂપિયા સુધીની કમાણી કરનારાઓને ઇનકમ ટેક્સના દાયરા માંથી બહાર રાખવા માટે વિચારણા કરી રહી છે . એવી આશા કરવામાં આવે છે કે 1 ફેબ્રુઆરીએ મોદી સરકાર તેની જાહેરાત કરી શકે છે . તમને જણાવી દઈએ કે આ ક્ષણે આ છૂટ 2.5 લાખ રૂપિયા સુધીની છે . આ પછી 2.5 થી 5 લાખ રૂપિયાની આવક પર 5 ટકાના દરે ટેક્સ લેવામાં આવે છે . 5 લાખ રૂપિયા થી 10 લાખ રૂપિયા સુધીની આવક પર 20 ટકા અને તેનાથી વધુની આવક પર 30 ટકા ટેક્સ લાગે છે . બજેટમાં આવકવેરા મુક્તિ મર્યાદા 5 લાખ રૂપિયા સુધી વધારવાની માંગ એવું માનવામાં આવે છે કે સરકાર 80c હેઠળ મળતી છૂટછાટની સીમા પણ 3 લાખ રૂપિયા કરી શકે છે . ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ( FICCI ) એ પણ આની ભલામણ કરી છે . આ ભલામણ પાછળ દલીલ કરવામાં આવી છે કે આનાથી લોકોમાં બચતની પ્રવૃત્તિમાં વધારો થશે . sports,"પુલવામાં આતંકી હુમલા બાદ ભારત સતત પાકિસ્તાનને અલગ પાડવાની મુહિમ કરી રહ્યુ છે . આ વર્ષે યોજાનારા વિશ્વ કપ માટે બીસીસીઆઈના સૂત્રોએ મોટી વાત કહી છે . બીસીસીઆઈએ સ્પષ્ટ કર્યુ છે કે જો ભારત સરકાર ઈચ્છે છે કે અમે વિશ્વકપમાં પાકિસ્તાન સામે નહિ રમીએ તે બેશક અમે પાકિસ્તાન સામે નહિ રમીએ . બીસીસીઆઈના સૂત્રએ આ વિશે કહ્યુ છે કે અમુક સમય બાદ આ વિશે સ્થિતિ સ્પષ્ટ થશે જ્યારે વિશ્વકપની નજીક પહોંચીશુ . બીસીસીઆઈના સૂત્ર અનુસાર આઈસીસીને આની સાથે કોઈ લેવાદેવા નથી . જો સરકારને કોઈ પણ સમયે એવુ લાગે કે આપણે પાકિસ્તાન સાથે ન રમવુ જોઈએ તો બેશક પાકિસ્તાન સામે નહિ રમીએ . જો કે બીસીસીઆઈએ એ પણ કહ્યુ છે કે જો ભારત પાકિસ્તાન સામે નહિ રમે તો પાકિસ્તાનને આ મેચના પોઈન્ટ મળી જશે અને તે મેચ રમ્યા વગર જ વિશ્વકપ જીતી શકે છે . અમે આ અંગે હજુ સુધી આઈસીસીનો સંપર્ક કર્યો નથી . તમને જણાવી દઈએ કે પુલવામા આતંકી હુમલા બાદ સતત એ અંગે માંગ ઉઠી રહી છે કે ભારતે પાકિસ્તાન સામે ન રમવુ જોઈએ . ટીમ ઈન્ડિયાના દિગ્ગજ બોલર હરભજન સિંહે પણ આ અંગે માંગ કરી હતી કે ભારતે વિશ્વકપમાં પાકિસ્તાન સામે ન રમવુ જોઈએ . હરભજન સિંહે કહ્યુ કે આ આપણા માટે મુશ્કેલીનો સમય છે . આપણે આપણા સુરક્ષાબળો પર થયેલા હુમલાથી દુઃખી છીએ , આ અવિશ્વસનીય હતુ . આપણે આની સામે કડક કાર્યવાહી કરવી જોઈએ . તેમણે કહ્યુ કે મને નથી લાગતુ કે પાકિસ્તાન સાથે ક્રિકેટના સંબંધ હોવા જોઈએ . જો આપણે તેની સાથે રમતા રહીશુ તો આપણી સાથે આ જ રીતનો વ્યવહાર કરશે . આ પણ વાંચોઃ પુલવામાઃ જૂઠ્ઠા છે પાક પીએમ ઈમરાન , હુમલા પહેલા પેશાવરમાં મસૂદે કરી હતી રેલી" sports,શોન માર્શના 73 રનની સંઘર્ષપૂર્ણ અર્ધસદી ફટકાર્યા છતા કિંગ્સ ઇલેવન પંજાબ એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં ગુરુવારે રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગના છઠ્ઠા સિઝનની 45મી મેચમાં ચેન્નાઇ સુપર કિંગ્સ સામે હારી ગયું હતું . કિંગ્સ ઇલેવનને સુપર કિંગ્સથી મળેલા 187 રનોના લક્ષ્યોના જવાબમાં નિર્ધારિધ 20 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 171 રન જ બનાવ્યું શક્યું અને આ રીતે 15 રનોથી તેણે હારનો સામનો કરવો પડ્યો . ચેન્નાઇ તરફથી સુરેશ રૈનાએ 53 બોલમાં 7 ચોગ્ગા અને 6 છગ્ગાની મદદથી 100 રન બનાવ્યા ત્યાં જ ડ્વેન સ્મિથે અંતિમ ઓવરમાં શાનદાર બોલિંગ કરી પોતાની ટીમને વિજય અપાવી દીધો . કિંગ્સ ઇલેવન પંજાબને છેલ્લી ઓવરમાં જીત માટે 19 રનોની જરૂરત હતી . જેમાં ડ્વેન બ્રાવોએ શાનદાર બોલીંગ કરી ત્રણ વિકેટ ઝડપી લીધી અને માત્ર ત્રણ રન આપ્યા . આ ચેન્નાઇની આઇપીએલમાં સતત સાતમી જીત છે . ચેન્નાઇ ઉપરાંત આ રેકોર્ડ માત્ર બેંગલોર પાસે જ છે . ચેન્નાઇની 11 મેચોમાં હવે 18 પોઇન્ટ છે . આની સાથે ચેન્નાઇની ટીમ હવે પોઇન્ટ ટેબલમાં સૌથી ટોપ પર છે . ચેન્નાઇએ અંતિમ ચાર માટે પોતાનું સ્થાન અનામત કરી લીધું છે . જ્યારે પંજાબ માટે આ આઇપીએલ 6માં 10 મેચોમાં છઠ્ઠી હાર છે . પંજાબની ટીમ પોઇન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને છે . entertainment,જ્યારથી બોલીવૂડ સુપરસ્ટાર સલમાન ખાનને ભારતીય ઓલિમ્પિક્સ એસોસિયેશન દ્વારા રિયો ઓલિમ્પિક્સના ગુડવિલ એમ્બેસેડર તરીકે પસંદ કરવામાં આવ્યો છે ત્યારથી એક નવો જ વિવાદ ઊભો થઇ ગયો છે . એક તરફ જ્યાં ભારતીય ખેલાડીઓ જેમ કે યોગેશ્વર દત્ત અને મિલ્ખા સિંહે આ વાતે સલમાન ખાન જેવા બોલીવૂડ સ્ટારનો વિરોધ કર્યો છે . ત્યાં જ કેટલાક લોકોએ સલમાન ખાનનો સપોર્ટ પણ કર્યો છે . પણ સલમાનના સપોટરમાં જો કોઇ નામ ખરેખરમાં આશ્ચર્ય પહોંચાડે તેવું છે તો તે છે ઐશ્વર્યા રાય . કોઇના માટે પણ માનવું અશક્ય છે કે ઐશ્વર્યા રાય બચ્ચને આ મામલે સલમાન ખાનને સપોર્ટ કર્યો છે . પણ હકીકત એ છે કે આવું બન્યું છે ઐશ્વર્યા રાય બચ્ચને મુંબઇમાં આયોજીત કરેલી લોરિયલની એક ઇવેન્ટ દરમિયાન આ ધટસ્ફોટ કર્યો છે . જ્યારે સલમાન ખાનની પસંદગી અંગે ઐશ્વર્યા રાયને પૂછવામાં આવ્યું તો ઐશ્વર્યાએ સલમાનનો સાફ સાફ બચાવ કર્યો . ત્યારે ઐશ્વર્યા રાય બચ્ચનથી લઇને કેટરીના કૈફ તથા અન્ય ખેલાડીઓ અને બોલીવૂડ સ્ટારે આ અંગે શું કહ્યું તે વિષે જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં . . . entertainment,"લૉસ ઍંજેલિસ , 20 એપ્રિલ : ફરી એક વાર જાણીતા હૉલીવુડ ગાયિકા અને મૉડેલ રિહાના ચર્ચામાં છે . રિહાના વિશે અફવાઓ ફેલાઈ છે કે તેઓ માતા બનવાના છે . પોતાના સંગીત પ્રવાસ ડાયમંડ વર્લ્ડ ટૂરના કાર્યક્રમોની કેટલીક તારીખો રદ્દ કર્યા બાદ તેઓ સગર્ભા હોવાની અટકળો લગાવાઈ રહી છે . ધ સન ડૉટ કો ડૉટ યૂકે મુજબ 25 વર્ષીય રિહાના રૅપર ક્રિસ બ્રાઉન સાથે રિલેશનશિપમાં છે . જાણવા મળે છે કે હાલ રિહાના ડૉક્ટર્સને ત્યાં કંઇક વધારે જ ચક્કર લગાવી રહ્યાં છે . થોડાંક દિવસ અગાઉ જ રિહાનાએ માતા બનવાની ઇચ્છા વ્યક્ત કરી હતી અને બ્રાઉન સાથે પરિવારના વિસ્તારનો ઇનકાર નહોતો કર્યો . એલી પત્રિકાના જણાવ્યા મુજબ રિહાનાએ જણાવ્યું - આવતા પાંચ વર્ષોમાં હું ઓછામાં ઓછા એક બાળકની માતા હોઇશ . હવે અમે મૅચ્યોર થઈ ચુક્યાં છે અને આ જ યોગ્ય સમય છે . અમે અમારા સંબંધોની નવી શરુઆત કરી છે અને હું તેનાથી ખુશ છું ." business,"રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ , જે પેટ્રોલિયમથી ટેલિકમ્યુનિકેશન્સ બિઝનેસમાં મજબૂત પ્રવેશ ધરાવે છે , તે એક સંકલિત ઊર્જા કંપનીથી ચીનની અલીબાબા જેવી ગ્રાહક કંપનીમાં પરિવર્તન થઇ રહી છે . તે કદાચ એમેઝોન અને વોલ - માર્ટ જેવી કંપનીઓ માટે પ્રતિસ્પર્ધી બની શકે છે . આ વાતની માહિતી બ્રોકરેજ ફર્મ યુબીએસ દ્વારા આપવામાં આવે છે . અહેવાલ અનુસાર , રિલાયન્સ ઑનલાઇન શોપિંગ પ્લેટફોર્મ ઓફર કરવા પર કામ કરી રહી છે , જે તેના રિટેલ યુનિટના આશરે 10,000 સ્ટોર્સને 6,500 શહેરો અને નગરોમાં ફેલાશે . આ સાથે , કંપનીના ટેલિકોમ્યુનિકેશન વ્યવસાયનો વિસ્તરણ પણ વધી રહ્યો છે . રિલાયન્સ પાસે પહેલેથી 28 કરોડ ગ્રાહકો છે . આ કંપની રોજ કમાય છે 101 કરોડ , તમે પણ કરી શકો છો કમાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ ટેલિકોમ અને મીડિયા ક્ષેત્રમાં એક વિશાળ કંપની બની શકે છે . જયારે રિટેલ / ઈ - કૉમર્સ ક્ષેત્રમાં તેની હિસ્સેદારીમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે ." business,"ઇન્ફોસિસના જૂના એમડી અને સીઓઓ વિશાલ સિક્કાના રાજીનામાં બાદ ઇન્ફોસિસે તેના વચગાળાના એમડી અને સીઓઓ પદ માટે યુ બી પ્રવીણ રાવની પર પસંદગી ઉતારી છે . પ્રવીણ પાસે હાલ કંપનીની તમામ સ્ટ્રેર્જી અને ઓપરેશન જવાબદારીઓનો કારભાર છે . વિશાલ સિક્કાના નીકળી જવાથી તેમના તાત્કાલિક રૂપે આ કંપનીનો કારભાર સોંપવામાં આવ્યો છે . ઇન્ફોસિસના આ નવા સીઓઓ યુ બી પ્રવીણ રાવ લાંબા સમયથી ઇન્ફોસિસના અનેક મહત્વના પદ પર કામ કરી ચૂક્યા છે અને કદાચ આ જ કારણ છે કે કંપનીએ હાલ તેમની કંપનીનો કારભાર સોંપ્યો છે . પ્રવીણ રાવ પાસે 30 વર્ષનો અનુભવ છે અને તે 1986થી ઇન્ફોસિસ સાથે જોડાયેલા છે . આ સમય દરમિયાન તેમણે ક્લાયન્સ રિલેશનશીપ , સેલ્સ અને ડિલેવરી જેવા અનેક મહત્વની પોસ્ટ પર કામ કંપનીમાં કામ કર્યું છે . તે યુરોપના ડિલેવરી હેડ રહી ચૂક્યા છે , સાથે જ ઇન્ફાસ્ટ્રક્ચર મેનેજમેન્ટ સર્વિસના હેડ અને કન્ઝ્યૂમર પેકેજ ગુડ્સ , લોજીસ્ટિક અને લાઇફ સાયન્સ જેવા પદો પર પણ કામ કરી ચૂક્યા છે . સાથે જ તે ઇન્ફોસિસ બીપીઓના ચેરમેન રહી ચૂક્યા છે . હાલ તેમની સેલરી 6.4 કરોડની માનવામાં આવી રહી છે . અને હાલ તેમની બેઝિક સેલરી $ 109,583 છે અને બોનસ અને અન્ય ફાયદો સાથે $ 616,509 તેમને મળે છે ." sports,"નવી દિલ્હી , 11 સપ્ટેમ્બરઃ ભારતમાં 17 સપ્ટેમ્બરથી શરૂ થનારી ચેમ્પિયન્સ લીગ ટી20માં પાકિસ્તાનની ટીમ ' ફૈસલાબાદ વોલ્વસ ' નહી રમી શકે . અત્રે ઉલ્લેખનીય છે કે ભારત સરકારે સુરક્ષાના કારણોને લીધે ટીમને વિઝા આપવાથી મનાઇ કરી દિધી હતી . સીએનએ આઇબીએનના સમાચાર મુજબ ભારત સરકારે ટીમના વિઝા ઘણા સમયથી હોલ્ડ પર રાખ્યો હતો પરંતુ નિયંત્રણ રેખા ' લાઇન ઓફ કન્ટ્રોલ ' પર તણાવ વધવાથી મંત્રાલયે વિઝા જાહેર કર્યા નથી . આ મુદ્દે વિદેશ મંત્રાલયના પ્રવક્તા સૈયદ અકબરૂદ્દીને 13 ઓગષ્ટે કહ્યું હતું કે પાકિસ્તાનની ટીમને વિઝા વિદેશ મંત્રાલયને મળી ચુક્યા હતા . અમે પરવાનગી આપતાં પહેલાં આ બધા મુદ્દાઓ પર પૂર્ણ વિચાર કરીશું . વોલ્વસ પાકિસ્તાનની ટૂર્નામેન્ટમાં રમાવનાર એકમાત્ર ટીમ છે , જેને મોહાલીમાં પોતાની પ્રથમ ક્વોલીફાઇગ મેચ રમવાની હતી . આ ટીમને કેપ્ટન મિસ્બાહ ઉલ હક છે . તેમને કહ્યું હતું કે મને આશા છે કે અમે ભારતમાં રમી શકીશું . આવું અમારા ખેલાડીઓ માટે ઘણું જરૂરી છે કારણ કે તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તે વધુ અનુભવી નથી ." entertainment,આ વર્ષ જતા જતા કોઈના માટે ચોંકાવનારી ખબર લઈને આવ્યું હોય તો તે ગોપી વહુ છે . ગોપી વહુ એટલે કે દેવોલિના ભટ્ટાચાર્ય . હાલમાં જ મુંબઈમાં એક હીરા વેપારીની મૌત મામલે દેવોલિના ભટ્ટાચાર્યનું નામ સમાચારોમાં ખુબ જ ચગ્યું હતું . પરંતુ તેમની વિરુદ્ધ કઈ પણ સાબિત થયું નહીં . દેવોલિના ફરી એક વાર ટીવી પર નહીં પરંતુ સોશ્યિલ મીડિયા પર આવી છે . સાથ નિભાના સાથિયા સિરિયલ બંધ થયા પછી દેવોલિના લાલ ઇશ્ક માં જોવા મળી હતી . હાલ ટીવીથી દૂર છે પણ ગોપી વહુ ઈન્સ્ટાગ્રામ પર અલગ જ રીતે ધૂમ મચાવી રહી છે . પોતાની હૉટ તસવીરોને લઈને ગોપી વહુ હાલ સોશિયલ મીડિયા પર છવાયેલી છે . દેવોલિના ભટ્ટાચાર્ય ઈન્ટરનેટ પર માત્ર પોતાની વાયરલ તસવીરોથી ચર્ચામાં રહે છે . આ પહેલા દેવોલિના ઘણીવાર બિકીનીમાં પણ પોતાની ફોટો શેર કરી ચુકી છે . છેલ્લે કેટલાક દિવસથી દેવોલિના તેની સંસ્કારી ઇમેજ તોડીને બોલ્ડ લૂકમાં જોવા મળી રહી છે . દેવોલિના હાલમાં તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ખુબ જ એક્ટિવ છે . ગોપી વહુએ ખુદની સંસ્કારી ઈમેજને તોડવાની કોશિશ કરી છે . ગોપી વહુએ પોતાના ઈંસ્ટાગ્રામ અકાઉન્ટ પર ભારે એક્ટિવ છે . પાછલા કેટલાક દિવસોથી તે અતિશય બૉલ્ડ લુકમાં જોવા મળી રહી છે . આગળ જુઓ ગુપી વહુની વધુ હૉટ તસવીરો . sports,"કોલંબો , 13 સપ્ટેમ્બર : ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ કોલંબોમાં જણાવ્યું હતું કે ' વર્તમાનમાં ભારતીય ટીમનું પ્રદર્શન સારું છે . આ ટીમ ટ્વેન્ટી20 વર્લ્ડ કપમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરશે . ' કોલંબોના પ્રવાસમાં ધોનીએ યુવરાજ સિંહના ભરપૂર વખાણ કર્યા હતા અને યુવરાજને ભારતીય ક્રિકેટ ટીમના ચેમ્પિયન ખેલાડી તરીકે ઓળખાવ્યો હતો . ટ્વેન્ટી20 વર્લ્ડ કપના પ્રવાસમાં ધોનીએ જણાવ્યું કે ' લાંબા સમયે ક્રિકેટમાં પાછા ફરેલા યુવરાજ પૂરા ફોર્મમાં છે . યુવરાજ આપણી ટીમનો ચેમ્પિયન છે અને તેઓ ક્રિકેટમાં પાછા ફર્યા તેનો મને આનંદ છે . ધોનીએ યુવરાજની બેટિંગના વખાણ કર્યા અને જણાવ્યું કે યુવરાજની બેટિંગ ટ્વેન્ટી20 વર્લ્ડકપ માટે મહત્વની ભૂમિકા ભજવશે . ' ધોનીએ બુધવારે કોલંબો પહોંચીને જણાવ્યું હતું કે આપણી ટીમ એકદમ યુવાન છે . ટીમમાં ધણા ખેલાડીઓ ઑલરાઉન્ડરની ભૂમિકા ભજવવા માટે તૈયાર છે . રોહિત , વિરાટ , રૈના , યુવી અને સહેવાગ જેવા અનેક ખેલાડીઓ ટીમમાં છે જે ટ્વેન્ટી20માં એક કે બે ઓવર બોલિંગ કરી મેચનું પાસું પલટાવી શકવાની શક્યતા ધરાવે છે . ભારત ટ્વેન્ટી20ની પહેલી મેચ 19 સપ્ટેમ્બરે અફધાનિસ્તાન સામે રમશે . આ પહેલા સૌની નજર 17 સપ્ટેમ્બરે પાકિસ્તાન સામે યોજાનારી અભ્યાસ મેચમાં હશે ." entertainment,"ફિલ્મ લેખક અને દિગ્દર્શક અનુરાગ બાસુની ફિલ્મ ' બરફી ' માં રણબીર કપૂર , પ્રિયંકા ચોપરા અને ઇલિયાના ડી ' ક્રુઝ મુખ્ય ભૂમિકામાં છે . ' બરફી ' ને ઑસ્કાર એવોર્ડની બેસ્ટ ફોરેન લેન્ગ્વેજ ફિલ્મની કેટેગરી માટે સામેલ કરવામાં આવી છે . ભારતભરના થિયેટર્સમાં 14 સપ્ટેમ્બર , 2012ના રોજ પ્રદર્શિત થયેલી બરફીએ અત્યાર સુધીમાં 58 કરોડ રૂપિયાથી વધારેની કમાણી કરી છે . માનવામાં આવે છે કે આવનારા દિવસોમાં ' બરફી ' 100 કરોડની લિસ્ટમાં સ્થાન મેળવી લેશે . આ અંગે પોતાની લાગણી વ્યક્ત કરતા રણબીર કપૂરે જણાવ્યું કે ' મને અત્યારે ઘણું સારું લાગી રહ્યું છે પણ હજી અમારે ઘણા આગળ જવાનું છે . ઑસ્કાર એવોર્ડમાં આ ફિલ્મને બેસ્ટ 5 ફિલ્મો પૈકી એક તરીકે લાવવી છે . મને આશા છે કે તે પસંદગી પામશે . ' ખુશીના સમાચાર અંગે પ્રિયંકા ચોપરાએ ટિ્વટ કર્યું છે કે ' આ . . . છે ઑસ્કારમાં ભારતની ઑફિશિયલ એન્ટ્રી . અનુરાગ સર , રણબીર કપૂર , રૉની , સિદ અને બધાને ખૂબ અભિનંદન . આ જીતની ઉજવણી માટે કાશ હું ભારતમાં હોત . '" entertainment,"બોલિવૂડની અભિનેત્રી રહી ચુકેલી લીઝા રે એ ફેમસ થવાના ચક્કરમાં એક લાઈન ક્રોસ કરી દીધી છે . આપણે જણાવી દઈએ કે તેને દીપિકા પાદુકોણે , પ્રિયંકા ચોપરા , શાહિદ કપૂર સહિત સલમાન ખાન ની તુલના વાંદરા સાથે કરી દીધી છે . લીઝા રે એ ટ્વિટર પર એક તસ્વીર પોસ્ટ કરી છે . આ તસ્વીર આઈફા પ્રેસ કોન્ફ્રન્સની છે જ્યાં સલમાન ખાન સાથે સ્ટેજ પર બીજા સ્ટાર પણ હાજર હતા . સલમાન ખાને કહ્યું હતું કે તે ઓછું બોલે તે જ તેના માટે સારું રહશે . સલમાન ખાને હાલમાં જ આપેલા તેના રેપવાળા નિવેદન પર મજાકમાં કહ્યું હતું . પરંતુ લીઝા રે એ આ કમેન્ટ પણ ગંભીરતાથી લીધું . લીઝા રે એ ટ્વિટર પર એક તસ્વીર પોસ્ટ કરી જેમાં તેને સલમાન ખાન ની સાથે રહેલા સ્ટારના ચેહરા પર વાંદરાનો ચેહરો ફિટ કરી દીધો . જાણો સલમાન ખાન ના રેપવાળા નિવેદન પર કોણે શુ શુ કહ્યું છે . . ." business,"છેલ્લા 30 વર્ષના સરેરાશ વરસાદની તુલના કરીએ તો આ વર્ષે ઓછા વરસાદને કારણે દુષ્કાળ જેવી સ્થિતિ ઉભી થઇ હતી . ગુજરાતની સાથે મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશમાં છેલ્લા મહિનામાં થયેલા પાછોતરા વરસાદને પગલે કપાસ , સોયાબીન અને કઠોળના પાકને લાભ થયો છે . રાજસ્થાનમાં થયેલા વ્યાપક વરસાદને પગલે ગુવારના ભાવ ઘટીને રૂપિયા 8000ના સ્તરે પહોંચ્યા હતા . આ વર્ષે ગુવારના ભાવ રૂપિયા 30,000 પ્રતિ ટન થતાં પાકની રેકોર્ડ વાવણી થઇ હતી . દીવેલિયાના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો છે . મોટા ભાગે ગુજરાત , આંધ્ર પ્રદેશ અને રાજસ્થાનમાં લેવાતા દિવેલિયાના ભાવમાં તાજેતરની ટોચની સપાટીમાં 25 ટકાનો ઘટાડો નોંધાયો છે . કૃષિ ક્ષેત્રના નિષ્ણાતોનું કહેવું છે કે તાજેતરના વરસાદને પગલે ગુજરાતના ખેડૂત દિવેલિયાનો રોકડિયો પાક લેવા તરફ વળ્યા છે . જુલાઇ - ઓગસ્ટમાં પડેલા ઓછા વરસાદને પગલે અખાદ્ય પાક નિષ્ફળ ગયા હતા ." entertainment,"ઋષિ કપૂર હંમેશા કોઈને કોઈ વાત માટે ચર્ચામાં રહે છે . હાલમાં તે એક પુસ્તક માટે ચર્ચામાં છે કે જેને તે રિલીઝ કરવા જઈ રહ્યા છે . તમને જણાવી દઈએ કે ભારતના વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું એક પુસ્તક જેનુ નામ exam warriors તેને ઉર્દૂમાં રિલીઝ કરવાની વાત ઋષિ કપૂરે કહી છે . ઉલ્લેખનીય છે કે આ પુસ્તક હિંદી , અંગ્રેજી , ઉડિયા , તમિલ અને મરાઠીમાં પહેલેથી જ પ્રકાશિત થઈ ચૂક્યુ છે . આ પુસ્તક ઉર્દૂમાં પ્રકાશિત કરવા માટે ઋષિ કપૂર સામે આવ્યા છે . તમને જણાવી દઈએ કે પુસ્તકમાં વિદ્યાર્થીઓના અભ્યાસ અંગે ઘણી બધી વાતો લખવામાં આવી છે કે જે તેમને આગળ વધવામાં મદદ કરશે અને જે લોકો ગભરાય છે તેમની હિંમત વધશે . આ પણ વાંચોઃ ભારત - બ્રિટન શિખર સંમેલનમાં શાહરુખ ગેમ ચેન્જરના ખિતાબથી સમ્માનિત ઋષિ કપૂર હંમેશા કોઈને કોઈ વાત અંગે બોલતા રહે છે અને મીડિયામાં છવાયેલા રહે છે . આનુ એક કારણ એ પણ એ છે કે તે કંઈ પણ બોલી દે છે . હાલમાં જ ઋષિ કપૂર એક ફિલ્મ મુલ્કમાં જોવા મળ્યા હતા અને આ ફિલ્મમાં તેમણે એક મુસ્લિન પિતાની ભૂમિકા નિભાવી હતી કે જે પોતાના પુત્રના કારણે મુસીબતમાં મૂકાઈ જાય છે . તેમનો પુત્ર આતંકવાદીઓ સાથે મળેલો હોય છે જેનો આરોપ આખો પરિવાર ભોગવે છે અને આના માટે જ લડાઈ થાય છે કે તે લોકો આંતકવાદીઓ સાથે મળેલા નથી . તમને જણાવી દઈએ કે ફિલ્મને ઘણો સારો રિસપોન્સ મળ્યો છે અને લોકોને પસંદ પણ આવી છે ." business,"કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે લીધેલા સુધારાના પગલાંની આશાએ આજે સ્ટોક માર્કેટના સૂચકઆંકો સેન્સેક્સ અને નિફ્ટીમાં તેજી જોવા મળી હતી . જેના કારણે આજે સેન્સેક્સ અને નિફ્ટી લાઇફટાઇમ સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યા હતા . મહત્વની બાબત એ છે કે આજે યુએસ ફેડરલના QE3 પ્રોગ્રામને સંપૂર્ણ રીતે પાછો ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થઇ હોવા છતાં ભારતીય માર્કેટમાં તેજી જોવા મળી હતી . આજે સેન્સેક્સ 248 પોઇન્ટ વધીને 27,346ની સપાટીએ જ્યારે નિફ્ટી 78 પોઇન્ટ વધીને બંધ રહ્યો હતો . આજે જે સ્ટોક્સમાં તેજીનો પવન જોવા મળ્યો હતો તેમાં ઇન્ફોસિસ , ટીસીએસ , એચસીએલ ટેક અને વિપ્રોનો સમાવેશ થાય છે . જો કે સૌથી વધારે ઉછાળો ટેક મહિન્દ્રાના શેર્સમાં જોવા મળ્યો હતો . ખાનગી ક્ષેત્રની બેંકોના સ્ટોક્સ જેમ કે ઇન્ડુસઇન્ડ બેંક , યસ બેંક અને આઇસીઆઇસીઆઇ બેંકના શેર્સમાં પણ તેજી જોવા મળી હતી . તેના શેર્સ એનએસસીમાં ટોચના ગેઇનર્સ રહ્યા હતા . સરકારે રિયલ્ટી સેક્ટર્સમાં એફડીઆઇ માટેના નિયમોમાં ઢીલ આપતા રિયલ્ટી સેક્ટર્સના સ્ટોક્સ જેવા કે ડીએલએફ , એચડીઆઇએલ અને યુનિટેકમાં પણ તેજી જોવા મળી હતી . છેલ્લા ઘણા દિવસોથી મંદીનું મોઢું જોઇ રહેલા જિંદાલ સ્ટીલના સ્ટોક્સમાં પણ તેજી જોવા મળી હતી ." sports,ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ શરુ થતા પહેલા ટીમ ઇન્ડિયાને કેટલીક મુસીબતોનો સામનો કરવો પડી શકે છે . કપ્તાન મહેન્દ્ર સિંહ ધોની અને આશિષ નેહરા પૂરી રીતે રમવા માટે ફીટ નથી . ભારત અને પાકિસ્તાન વચ્ચેના મહત્વમાં મુકાબલાને ધ્યાનમાં રાખીને કપ્તાન મહેન્દ્ર સિંહ ધોની અને આશિષ નેહરાએ પ્રેક્ટીસ માં ભાગ લિધો જ નહી . આશિષ નેહરાને મેચ પહેલા આરામ કરવાની સલાહ આપવામાં આવી છે . ટીમ ઇન્ડિયાના કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીને પણ આરામ કરવાની સલાહ આપવામાં આવી છે . બાંગ્લાદેશ સાથેના મુકાબલામાં મહેન્દ્ર સિંહ ધોની કિપીંગ કરતી વખતે પીઠમાં બેકબેલ્ટ બાંધીને રમ્યો હતો . જેના કારણે તેને 48 કલાક આરામ કરવાની સલાહ આપવામાં આવી છે . મહેન્દ્ર સિંહ ધોનીને બદલે ટીમમાં પાર્થિવ પટેલને લેવામાં આવ્યો છે . પાર્થિવ પટેલે ટ્રેનીંગમાં ભાગ તો લિધો પરંતુ તેને બેટિંગ પ્રેક્ટીસ કરી નથી . આમ જોવા જઈએ તો પાર્થિવ પટેલનો રમવાનો વારો નહી આવે કારણકે મહેન્દ્ર સિંહ ધોની જલ્દીથી સાજા થઇ રહ્યા છે . business,"અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે "" બાય અમેરિકન , હાયર અમેરિકન "" અભિયાન શરૂ કર્યું છે . જે હેઠળ H1 - B વીઝાના નિયમને પણ કડક કરવામાં આવ્યા છે . ભારતીય ઇન્ફોર્મેશન ટેક્નોલોજી કંપનીઓ આના કારણે બેવડું નુક્શાન થઇ રહ્યું છે . જેના કારણે સંભાવના છે કે સ્વદેશના કેટલાક કર્મચારીઓને નોકરીએથી નીકાળવાનો વારો આવે . નોંધનીય છે કે રૂપિયા દિવસે ને દિવસે મજબૂત થઇ રહ્યો છે . જેણે કંપનીઓની મુશ્કેલી વધારી છે . રૂપિયાની મજબૂતીના કારણે ઔદ્યોગિક સંગઠન એસોચેમના એક પેપરમાં કહેવામાં આવ્યું કે કોમ્પ્યુટર જગતના 86 ટકા H1 - B વીઝા ભારતીયો માટે જાહેર કરવામાં આવે છે . જે હવે 60 ટકા કે તેનાથી પણ ઓછું થઇ શકે છે . ત્યારે આ અંગે વધુ જાણો અહીં . . ." entertainment,"કોમેડી નાઈટ બચાઓમાં પોતાની ફિલ્મને પ્રોમોટ કરવા આવેલી તનિષ્ટા ચેટર્જીનો અનુભવ કંઈક ખાસ ના રહ્યો . આપને જણાવી દઈએ કે શૉ દરમિયાન તનિષ્ટા ચેટર્જીને કાળી કહેવામાં આવી . જેના કારણે તે શૉ વચ્ચે જ છોડીને ચાલી ગયી . આ આખા વિવાદ પર શૉના કલાકાર ક્રિષ્નાએ પોતાનું મૌન તોડ્યું છે . તેમને કહ્યું છે કે તેઓ તનિષ્ટા ચેટર્જીના આવા રિએક્શનથી હેરાન છે . તેને કહ્યું કે તનિષ્ટા ચેટર્જીએ શૉનો ભાગ બનતા પહેલા એકવાર શૉ જોઈ લેવો જોઈતો હતો . ક્રિષ્નાએ આગળ કહ્યું કે તનિષ્ટા ચેટર્જી આ બધું જ લોકપ્રિયતા મેળવવા માટે કરી રહી છે . જયારે તે સેટ પર આવી ત્યારે તે સૌથી પહેલા મને મળી હતી . તનિષ્ટાએ મને કહ્યું કે તેને કોમેડી નાઈટ બચાઓ કે પછી એઆઈબી રોસ્ટ ક્યારેય પણ જોયું નથી . ક્રિષ્નાએ આગળ કહ્યું કે જયારે શૉ ચાલુ થયો ત્યારે તેને જોયું કે તનિષ્ટા ચેટર્જી થોડી અનકમ્ફર્ટેબલ હતી અને આ વાત તેને શૉના ડાયરેક્ટરને પણ જણાવી . તેને જણાવ્યું કે તનિષ્ટા ચેટર્જી શૉમાં બિલકુલ પણ એન્જોય કરી રહી ના હતી અને શૉના બે ત્રણ સેગ્મેન્ટ શૂટ કર્યા પછી તે શૉની કાસ્ટ સાથે નીકળી ગયી . ક્રિષ્નાએ કહ્યું કે અમે ભારતીને પણ ઘણું બધું કહીયે છે . મોટી , ભેંસ અને બીજું ઘણું બધું . પરંતુ બોલવાનો પણ એક ઢંગ હોય છે અને તનિષ્ટા ચેટર્જી તેના માટે બિલકુલ તૈયાર નથી . ક્રિષ્નાએ કહ્યું કે તેને તનિષ્ટા ચેટર્જી સાથે કોઈ જ વેર નથી . તેઓ મહિલાઓની ઇઝ્ઝત કરે છે અને જો તેમની ભાવનાઓ દુભાઈ હોય તો માફી માંગુ છું . પરંતુ અમારું કામ કોઈની પણ લાગણી દુભાઈ એવું નથી ." business,"નાણાંકીય વર્ષ 2018 - 19 ના પ્રથમ ત્રિમાસિક ગાળાના વિકાસ દરના મોરચે સરકાર માટે સારા સમાચાર સામે આવ્યા છે . પ્રથમ ત્રિમાસિકમાં વિકાસ દર ( GDP ) 8.2 % રહ્યુ છે . વળી , હાલના નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક હાળમાં ગ્રોસ વેલ્યુ એડેડ ( GVA ) ગ્રોથ રેટ 8 % રહ્યુ છે . તમને જણાવી દઈએ કે 2017 ના છેલ્લા ત્રિમાસિક ગાળામાં વિકાસ દર 7.7 હતો . જ્યારે એક વર્ષ પહેલા સમાન ગાળા દરમિયાન આ આંકડો 5.6 % રહ્યો હતો . આ પહેલા કેટલાક અર્થશાસ્ત્રીઓએ ત્રિમાસિક ગાળા માટે 7.6 % જીડીપી ગ્રોથનું અનુમાન વ્યક્ત કર્યુ હતુ . પરંતુ તેમના અનુમાનો પાછળ છોડીને એપ્રિલ - જૂન ત્રિમાસિક ગાળામાં જીડીપી ગ્રોથ રેટ 8.2 % ના સ્તર પર પહોંચી ગયો છે . જીડીપી ગ્રોથનો સૌથી વધુ ફાયદો મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં જોવા મળ્યો . ઓક્ટોબરમાં યોજાનાર મૌદ્રિક નીતિની બેઠકમાં આ આંકડા ખૂબ મહત્વના રહેશે . એપ્રિલ - જૂન દરમિયાન મેન્યુફેક્ચરિંગનો ગ્રોથ 13.5 % ના સ્તર પર પહોંચી ગયો જ્યારે એક વર્ષ પહેલા સમાન ગાળામાં આમાં 1.8 % નો ઘટાડો નોંધવામાં આવ્યો હતો . નાણાંકીય વર્ષ 2017 - 18 ના અંતિમ ત્રિમાસિક ગાળા ( જાન્યુઆરીથી માર્ચ ) માં જીડીપી ગ્રોથ રેટ 7.7 % , ઓક્ટોબર - ડિસેમ્બર ત્રિમાસિકમાં જીડીપી ગ્રોથ રેટ 7.2 % , બીજા ત્રિમાસિક ( જુલાઈ - સપ્ટેમ્બર ) માં 6.3 % અને પહેલા ત્રિમાસિકમાં જીડીપી ગ્રોથ 5.7 % રહ્યો હતો . આ પણ વાંચોઃ જૈન મુનિ તરુણ સાગરના ' કડવા પ્રવચન ' થયા શાંત , જાણો તેમની કહાની વળી , ઔદ્યોગિક ઉત્પાદનના મોરચે સરકાર માટે સારા સમાચાર નથી . આઠ મુખ્ય ઉદ્યોગોનો જુલાઈમાં ઔદ્યોગિક ઉત્પાદન વિકાસ દર ( આઈઆઈપી ) ગયા મહિનાની 7.6 % થી ઘટીને 6.6 % ના આંકડે પહોંચી ગયો . તમને જણાવી દઈએ કે આઠ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર્સ કોલસો , ક્રૂડ ઓઈલ , નેચરલ ગેસ , રિફાઈનરી પ્રોડક્ટ્સ , ફર્ટિલાઈઝર્સ , સ્ટીલ , સિમેન્ટ અને ઈલેક્ટ્રીસિટીની દેશના કુલ ઔદ્યોગિક ઉત્પાદનોમાં 40.27 % હિસ્સો છે . આ પણ વાંચોઃ ' હિંદુત્વ હજુ વિભાજિત છે , જાગ્યુ તો આઝમ ખાન જેવાને રસગુલ્લાની જેમ ગળી જશે '" business,"હંમેશા આપણે ફાટેલી નોટો ક્યાં બદલાવવી તેને લઈને અસમંજસમાં રહેતા હોઈે છીએ . કેટલાક લોકોને એ પણ નથી ખબર હોતી કે ફાટેલી નોટનું શું કરવું જોઈએ . તમને જણાવી દઈએ કે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ આવી નોટ બદલવાની સુવિધા આપી છે . નોટની સ્થિતિ પ્રમાણે તેની આખી કિંમત કે પછી અડધી કિંમત તમને મળી શકે છે . જાણો ક્યાં અને કેવી રીતે બદલી શકાય છે ફાટેલી નોટ . રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ ભારતમાં 10,50,100,500ની નોટ ચલણમાં રાખી છે . નોટબંધી બાદ 200,500ની નવી નોટ અને 2000ની નોટ પણ અસ્તિત્વમાં આવી છે . આ ઉપરાંત 1 હજારની નોટ બંધ કરી દેવાઈ છે . નવી 20 રૂપિયાની નોટ કંઈક હવે આવી હશે" business,"ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ શનિવારે હતી . લોકોએ મોટી સંખ્યામાં ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કર્યું છે . આઇટી ડિપાર્ટમેન્ટે શનિવારે એક આંકડો રજૂ કર્યો છે . આવકવેરા વિભાગના જણાવ્યા અનુસાર , 31 ઓગસ્ટ , 2018 સુધી ટેક્સ રિટર્ન ફાઇલિંગની સંખ્યામાં 71 ટકાની વૃદ્ધિ જોવા મળી છે . 31 ઓગસ્ટ , 2017 સુધીમાં 3.17 કરોડની સરખામણીમાં 31 ઓગસ્ટ , 2018 સુધીમાં આઇટીઆર ફાઈલની કુલ સંખ્યા 5.42 કરોડ સુધી પહોંચી છે . ડિપાર્ટમેન્ટ દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા અનુસાર , ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાની સંખ્યામાં સૌથી વધુ વધારો પગારદાર કર્મચારીઓની શ્રેણીમાં છે . 31 ઓગસ્ટ સુધીમાં લગભગ 54 ટકા ( 3.37 કરોડ ) વધુ પગારદાર કરદાતાઓએ ઇન્કમ ટેક્સ રિટર્ન ભર્યું . ગયા વર્ષે ઓગસ્ટમાં આ આંકડો 2.19 કરોડ હતો . આવકવેરા વિભાગના જણાવ્યા અનુસાર નોટબંધી , કરદાતાઓને આપવામાં આવેલી વધુ સારી માહિતી અને દંડમાં કરવામાં આવેલો વધારાને કારણે ઇન્કમ ટેક્સ રિટર્નની સંખ્યામાં વધારો થયો છે . જો તમે નિર્ધારિત સમય પર તમારું રિટર્ન ભરી શક્યા નથી , તો ચિંતા કરવાની જરૂર નથી . છેલ્લી તારીખ પછી પણ તમે આવકવેરા અધિનિયમની કલમ 139 ( 4 ) હેઠળ આઇટી રીટર્ન ફાઈલ કરી શકો છો . તમારી પાસે આ માટે પૂરતો સમય છે . પરંતુ દંડ ભરવો પડશે . દંડ માટે કઈ કઈ જોગવાઈઓ છે તે પણ નીચે જાણી લઈએ . જો તમે નિર્ધારિત સમયમાં ઇન્કમ ટેક્સ રીટર્ન ભરી શક્યા નથી , તો તમારે દંડ ચૂકવવો પડશે . પરંતુ આ માટે પણ અલગ અલગ રકમ નિર્ધારિત કરવામાં આવી છે . જો તમે 31 મી ડિસેમ્બર પહેલાં ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરો છો , તો તમારે 5,000 હજાર રૂપિયા નો દંડ ચૂકવવા પડશે . અને જો તમે 31 ડિસેમ્બર પછી રિટર્ન ફાઇલ કરો છો , તો દંડની રકમ બમણી થશે એટલે કે 10,000 રૂપિયા થશે . અહીં એવા લોકો માટે થોડી રાહત છે કે જેઓની વાર્ષિક ઇનકમ 5 લાખથી વધુ નથી . જો આવા લોકો રિટર્ન ફાઇલ કરે તો , તેમના વિલંબનો ચાર્જ માત્ર 1000 રૂપિયા નિર્ધારિત કર્યો છે . જો તમારી આવક ઇન્કમ ટેક્સની મર્યાદાથી ઓછી હોય તો તમારે કોઇ દંડ ચુકવવાની જરૂર નથી અને કોઇ પણ ટેક્સ ચૂકવવાની જરૂર નથી . ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવામાં વિલંબ તમને નુકસાન પહોંચાડી શકે છે . પ્રથમ તમે તમારું નુકશાન આગળ લઈ જઈ શકતા નથી . બીજું ઇન્કમ ટેક્સ રીટર્ન પર તમારે દર મહિને 1 ટકા વ્યાજ ચૂકવવું પડશે . ત્રીજું રૂ . 5000 થી રૂ . 10 , 000 નો દંડ ચૂકવવા પડશે અને ચોથું ઇન્કમ ટેક્સમાં મળતી છૂટથી તમે વંચિત રહી શકો છો ." sports,"ઓસ્ટ્રેલિયા સામે નવ વિકેટે નાલેશીભર્યો પરાજય મળવા પાછળ ધોનીની પાંચ બોલરની થીયરીને જવાબદાર ઠેરવવામાં આવી રહી છે . જો કે , તે પોતાની આ થીયરીનો બચાવ કરી રહ્યો છે . તેણે કહ્યું છે કે , એક નિષ્ફળતાના કારણે તેની આ થીયરીની ટીકા કરી શકાય નહીં . તેમજ વરસાદના કારણે ભારતનો પરાજય ઓસ્ટ્રેલિયા સામે થયો હતો . તેણે કહ્યું કે , તેના સ્પિનર્સ શુક્રવારે રમાયેલી મેચમાં પોતાની અસર છોડવામાં નિષ્ફળ રહ્યાં તે માટે વરસાદ જવાબદાર છે કારણ કે તેઓ ગ્રીપ મેળવી શકતાં નહોતા . "" અમે એક મેચમાં ખરાબ પ્રદર્શન કર્યું તેના કારણે અમારી પાંચ બોલરની થીયરીની ટિકા કરાય નહીં . આ પહેલાં ઇંગ્લેન્ડ સામે અમારી આ થીયરી કામ કરી ગઇ હતી , પરંતુ શુક્રવારે વરસાદ અમને નડી ગયો હતો . એક વખત વરસાદ પડતાં ઓસ્ટ્રેલિયનોએ લાઇટ રોલરનો વિકલ્પ અપનાવ્યો હતો . એક વખત બોલ ભિનાશ પકડી લે છે , પછી સ્પિનર્સ માટે બોલની ગ્રીપ પકડવી ઘણી જ અઘરી થઇ જાય છે . "" તેમ ધોનીએ જણાવ્યું છે . પાંચ બોલર્સની થીયરી અપનાવવા માટે સહેવાગ જેવા વિસ્ફોટક ઓપનરને પડતો મુકવા અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં ધોનીએ કહ્યું છે કે બેમાંથી કોઇ એક બેટ્સમેનની પસંદગી કરવી અઘરી હતી . તેણે કહ્યું , "" ખરેખર , તમારે હોર્સિસ ફોર કોર્સિસને પસંદ કરવું પડે અને અમે એને પસંદ કરવા માંગતા હતા જે આ ફોર્મેટ માટે સારો હોય . એ વાતનો ન્યાય કરવો અઘરો હતો કે શા માટે સહેવાગને ડ્રોપ કરવો પડ્યો . "" જો કે , તેણે કહ્યું છે કે 140 કોઇ મોટો ટાર્ગેટ નહતો અને અમારી બેટિંગ સારી નહોતી . 10 ઓવરના અંતે અમારો સ્કોર 2 વિકેટે 70 હતો જે અચાનક જ પાંચ વિકેટે 70 થઇ ગયો હતો . જો કે અમને મોટો સ્કોર થશે તેવી આશા હતી ." business,"નવી દિલ્હીઃ રિલાયન્સ કોમ્યુનિકેશનના ચેરમેન અનિલ અંબાણી સુ્પ્રીમ કોર્ટમાં હાજર થયા . ટેલીકોમ ઈક્વિપમેન્ટ કંપની એરિક્સનની લગભગ 550 કરોડની બાકી રકમ ચૂકવવામાં નાકામ રહેવા પર સુપ્રીમ કોર્ટે આરકોમને કન્ટેમ્પ્ટની નોટિસ જાહેર કરી હતી . કોર્ટે અનિલ અંબાણીને વ્યક્તિગત રૂપે હાજર થવા માટે પણ કહ્યું હતું . સુપ્રીમ કોર્ટે આ મામલામાં ફેસલો સુરક્ષિત રાખ્યો છે . જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ આરકોમને 550 કરોડ રૂપિયા 15 ડિસેમ્બર સુધી ચૂકવવાના હતા પરંતુ તેઓ આ ચૂકવણી ન કરી શક્યા . જે બાદ એરિક્સને આને કોર્ટનું અપમાન ગણાવતા અરજી દાખલ કરી હતી . જો કે આ મામલે સુપ્રીમ કોર્ટે આજે પોતાનો ફેસલો સુરક્ષિત રાખી લીધો છે . જમ્મુ કાશ્મીરઃ પુલવામાં એક સ્કૂલમાં રહસ્યમયી બ્લાસ્ટ , 10 બાળકો ઘાયલ" sports,"કોલલાતા નાઇટ રાઇડર્સને ડેરડેવિલ્સ આપેલા 129 રનોના લક્ષ્યને 18.4 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને પાર કરી મેચ જીતી લીધી . કેકેઆરે ડેરડેવિલ્સને છ વિકેટથી હરાવીને ખિતાબ બચાવવાની ઝુંબેશની સફળ શરૂઆત કરી . ગયા વર્ષે ગંભીરની ટીમે ચેન્નાઇ સુપર કિંગ્સને હરાવીને પહેલીવાર ખિતાબ જીત્યો હતો . ગંભીરે જણાવ્યું કે ' હું આ જીતનો શ્રેય બોલરોને આપવા માંગીશ , સુનીલ નરેનના નેતૃત્વમાં બોલરોએ મહેમાન ટીમને ઓછા સ્કોરમાં અટકાવી દીધું . જેના કારણે બેટ્સમેનોનું કામ હળવું બની ગયું . ' નરેને આ મેચમાં 13 રન આપીને ચાર વિકેટ લઇને મેન ઓફ ધ મેચનો ખિતાબ મેળવ્યો . નરેન આઇપીએલની 5મી સિઝનમાં 24 વિકેટોની સાથે ટૂર્નામેન્ટના શ્રેષ્ઠ ખેલાડી તરીકે પસંદ કરવામાં આવ્યા હતા ." sports,"ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સનું સમાપન થઇ ગયું . રંગારંગ કાર્યક્રમની સાથે 20માં કોમનવેલ્થ ગેમ્સનું સમાપન થઇ ગયું . 23 જુલાઇથી શરૂ થયેલ આ આયોજનમાં ભારત 64 મેડલોની સાથે પાંચમાં સ્થાન પર રહ્યું . ભારતની જોળીમાં 15 ગોલ્ડ , 30 સિલ્વર અને 19 બ્રોન્ઝ મેડલ આવ્યા . ત્યારબાદ 2018માં ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટમાં 21માં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન થશે . ગ્લાસગોમાં 23 જુલાઇથી શરૂ થયેલ 20માં રાષ્ટ્રમંડળ રમત ચાર વર્ષ બાદ ગોલ્ડ કોસ્ટમાં મળવાના વચનની સાથે રવિવારે અત્રે સમાપ્ત થઇ ગયું . જેમાં ઇંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયાની બાદશાહત સમાપ્ત કરીને સર્વાધિક પદક જીતીને પહેલુ સ્થાન પ્રાપ્ત કર્યું . યજમાન સ્કોટલેન્ડના મંત્રી અલેક્સ સાલમંડનું માનવું છે કે ગ્લાસગોની રમત દરેક પ્રકારે સફળ રહે . તેમણે જણાવ્યું કે હું આ રમતથી ખૂબ જ આશાવાદી હતો . મને શરૂઆતથી જ વિશ્વાસ હતો કે અમે શાનદાર રમતોનું આયોજન કરી શકીએ છીએ . અમે આના માટે સાત વર્ષથી કામ કરી રહ્યા હતા . હવે અમે સંપૂર્ણ ગર્વની સાથે બૈટન ગોલ્ડ કોસ્ટને સોંપી શકીએ છીએ . ભારતે 64 મેડલ જીત્યા જેમાં 15 ગોલ્ડ સામેલ છે . આ રમતના છેલ્લા દિવસે 11 ગોલ્ડ મેડલોનો ફેસલો થયો . વરસાદથી પ્રભાવિત આ દિવસમાં ઓસ્ટ્રેલિયાએ પુરુષ હૉકી અને નેટબોલમાં ગોલ્ડ મેડલ મેળવ્યું . ઓસ્ટ્રેલિયાએ પુરુષ હૉકીના ફાઇનલમાં ભારતને 4 - 0થી હરાવીને ગોલ્ડ પોતાના ખાતામાં કર્યું . નેટબોલમાં તેની ટીમ ન્યૂઝીલેન્ડથી 58 - 40થી બદલો ચૂકતે કરવામાં સફળ રહી . જેણે ચાર વર્ષ પહેલા દિલ્હીમાં તેને હરાવ્યું હતું . આવતા રાષ્ટ્રમંડળ રમત હવે 2018માં ઓસ્ટ્રેલિયાના દક્ષિણ પૂર્વ ક્વીન્સલેન્ડના તટીય શહેર ગોલ્ડ કોસ્ટમાં થશે ." sports,"1999માં શ્રીલંકન બોલિંગ લિજન્ડ મુરલીધરનના વિવાદ બાદથી અત્યારસુધીમાં આઇસીસી દ્વારા ગેરકાયદે બોલિંગ એક્શનના કારણે પ્રતિબંધ લગાવવામાં આવેલો પાકિસ્તાની ઓફ સ્પિન બોલર સઇદ અજમલ 10મો આંતરરાષ્ટ્રીય બોલર છે . આઇસીસીએ જાહેર કર્યું છેકે પાકિસ્તાની સ્પિન બોલર સઇદ અજમલની બોલિંગ એક્શન 9 સપ્ટેમ્બર 2014ના રોજ ગેરકાયદે હતી . માત્ર દૂસરા જ નહીં પરંતુ અજમલની ઓફ સ્પિનર બોલિંગ પણ ગેરકાયદે હતી અને તેના કારણે વિશ્વના ટોપ રેન્ક્ડ સ્પિનર પર પ્રતિબંધ લગાવાયો છો . આઇસીસીએ કહ્યું છેકે , આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે આજે પૃષ્ટિ કરી છેકે સ્વતંત્ર વિશ્લેષકે પાકિસ્તાનના ઓફ સ્પિનર સઇદ અજમલની બોલિંગને ગેરકાયદે ગણી છે અને તેથી આ ખેલાડીને તુરંત ધોરણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બોલિંગ કરતો અટકાવવો જોઇએ . નિયમો અનુસાર કોઇપણ બોલર 15 ડિગ્રી સુધી કોણી વાળી શકે છે , પરંતુ અજમલ બોલિંગ કરતી વખતે તેના કરતા વધારે કોણી વાળે છે . આજે અમે અહીં વિશ્વ ક્રિકેટના એવા જ 10 બોલર અંગે જણાવી રહ્યાં છીએ જેમના પર આઇસીસી દ્વારા પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો . તો ચાલો તસવીરો થકી જાણીએ કે એ કયા કયા ખેલાડીઓ છે . pagespeed . lazyLoadImages . overrideAttributeFunctions ( ) ; function googleAnalyticsCodeCommon ( ) { var main _ url = $ ( ' link [ rel = "" canonical "" ] ' ) . attr ( "" href "" ) ; var url = document . location . href ; var pattern = ' https : / / ' + window . location . hostname ; url = url . replace ( pattern , "" "" ) ; var title = document . title ; ga ( "" oneindiagu . send "" , { hitType : "" pageview "" , page : url , location : main _ url } ) ; ga ( "" rosoneindia . send "" , { hitType : "" pageview "" , page : url , location : main _ url } ) ; ga ( "" dhoneindia . send "" , { hitType : "" pageview "" , page : url , location : main _ url } ) ; url = document . location . href ; var jcode = ' var _ comscore = _ comscore | | [ ] ; var comscoreParams = { c1 : "" 2 "" , c2 : "" 7732551 "" , c3 : "" "" , c4 : "" ' + url + ' "" , c5 : "" "" , c6 : "" "" , c15 : "" "" } ; _ comscore . push ( comscoreParams ) ; var s = document . createElement ( "" script "" ) , el = document . getElementsByTagName ( "" script "" ) [ 0 ] ; s . async = true ; s . src = ( document . location . protocol = = "" https : "" ? "" https : / / sb "" : "" http : / / b "" ) + "" . scorecardresearch . com / beacon . js "" ; el . parentNode . insertBefore ( s , el ) ; ' ; setTimeout ( jcode , 500 ) ; var _ qevents = _ qevents | | [ ] ; ( function ( ) { var elem = document . createElement ( ' script ' ) ; elem . src = ( document . location . protocol = = "" https : "" ? "" https : / / secure "" : "" http : / / edge "" ) + "" . quantserve . com / quant . js "" ; elem . async = true ; elem . type = "" text / javascript "" ; var scpt = document . getElementsByTagName ( ' script ' ) [ 0 ] ; scpt . parentNode . insertBefore ( elem , scpt ) ; } ) ( ) ; _ qevents . push ( { qacct : "" p - yjta2aSVPaHEL "" } ) ; window . google _ analytics _ uacct = "" UA - 110466 - 73 "" ; } આ પણ વાંચોઃ - વિશ્વ ક્રિકેટનો અનોખો ચહેરોઃ પ્રેમ અને સ્કેન્ડલ વનડે , ટેસ્ટ અને ટી20માં આ ખેલાડીઓની છે શાનદાર સ્ટ્રાઇક રેટ આ પણ વાંચોઃ - રવિ શાસ્ત્રીએ કર્યો કોચ ફ્લેચરનો બચાવ , ગણાવ્યા ‘પિતા તુલ્ય ' pagespeed . lazyLoadImages . overrideAttributeFunctions ( ) ;" business,હવે દેશભરમાં આધાર કાર્ડ સિવાય નવા મોબાઇલ કનેક્શનને નથી આપવામાં આવી રહ્યું . ત્યારે કંપનીઓ નકલી મોબાઇલ નંબરોને બંધ કરી રહી છે . વધુમાં ટેલીકોમ મિનિસ્ટ્રીની તરફથી પણ આ અંગે જલ્દી જ પગલા લેવા જણાવ્યું છે . પણ સરકારના આ મહેનતનો કેટલાક ઠગો પોતાના સ્વાર્થ માટે ખોટી રીતે ફાયદો ઉઠાવી રહ્યા છે . એક મહત્વનો કદમ ઉઠાવવામાં આવ્યો છે . પણ લોકો તેની આડ પણ પોતાના ધોરખધંધા ચલાવી રહ્યા છે . નકલી કોલ આધાર કાર્ડને મોબાઇલ નંબર સાથે લિંક કરવા માટે નકલી કોલ આવી રહ્યા છે . આ કોલ ઉઠાવનાર લોકો તમારાથી તમારો આધાર નંબર અને જન્મતિથિ પુછે છે અને પછી તેનો ખોટો ઉપયોગ કરે છે . ફોન કરનાર પોતાને મોબાઇલ કંપનીના વેરિફિકેશન ડિપાર્ટમેન્ટના એક્ઝિક્યૂટિવ જણાવે છે . અને પછી તમારી ખાનગી જાણકારી મેળવી લે છે . ખાતાથી ઉડાવે છે પૈસા આવા ઠગ તમારી જાણકારી ઉપયોગ કરીને ચાલુ વાતે જ ઓનલાઇન શોપિંગ કરી લે છે . અને પછી ગ્રાહકને મોબાઇલમાં એક ઓટીપી આવે છે તે પણ કોઇ રીતે જાણીને ગ્રાહકના પૈસાથી પોતાનો ફાયદો નીકાળી લે છે . જો કે ફોન કપતા જ ગ્રાહકને પોતાની સાથે થયેલી ઠગાઇ વિષે ખબર પડે છે . જ્યારે પૈસા કપાવવાનો મેસેજ આવે છે . બચતા રહેજો ! જો તમારી પાસે પણ આવો કોઇ કોલ આવે તો ભૂલથી પણ તમારી ખાનગી જાણકારી કોઇને ના આપો . જો તમે તમારો મોબાઇલ આધાર કાર્ડ સાથે લિંક અપ નથી કરાવ્યો તો તમે અધિકૃત એજન્સીમાં જઇને પોતાની આધાર કોપી અને વિગતો આપી આ કામ કરી શકો છો . business,"ભારતના દરેક નાગરિક સુધી પહોંચવાના પ્રયાસ કરતી ગૂગલે આજે દિલ્હીમાં ભારતીય ભાષાઓ માટે એક નવા પ્રોડક્ટ અને ફિચર્સની જાહેરાત કરી છે . આ જાહેરાત મુજબ ઇન્ડિયન લેંગવેજ - ડિફાઇનિંગ ઇન્ડિયાઝ ઇન્ટરનેટ શીર્ષક સાથે ગૂગલ અને કેપીએમજીની એક સંયુક્ત રિપોર્ટ જાહેર કરી છે . આજથી ગૂગલ ટ્રાંસલેટ ગૂગલની નવી ન્યૂરલ મશીન ટ્રાંસલેશન ટેકનીકનો ઉપયોગ કરશે . જે હેઠળ ગૂગલ અંગ્રેજી અને ભારતની 9 ભાષાઓ વચ્ચે ટ્રાંસલેશનની સુવિધા આપશે . ગૂગલ અંગ્રેજી અને અન્ય 9 ભાષામાં હિંદી , બંગાળી , મરાઠી , તેલુગુ , ગુજરાતી , પંજાબી , મલયાલમ અને કન્નડ વચ્ચે ટ્રાંસલેશનની સુવિધા આપશે . ન્યૂરલ ટ્રાંસલેશન ટેકનિક જૂની ટેકનિક કરતા સારું કામ કરશે . ગૂગલની જાહેરાત મુજબ ન્યૂરલ મશીન ટ્રાંસલેશન ટેકનિકનો પહેલા ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં આવતા ઓટો ટ્રાંસલેટ ફંકશનમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે . તેના લીધે ભારતીય લોકો ઇન્ટનેટ પર મળતા કોઇ પણ પેજને કુલ 9 ભાષામાં જોઇ શકશે . આ નવી ટ્રાંસલેશન સુવિધા તમામ યુઝર્સ માટે ગૂગલ સર્ચ અને મેપમાં પણ ઉપલબ્ધ રહેશે . ટ્રાંસલેશનની આ સુવિધા ડેસ્કટોપ અને મોબાઇલ બન્ને પર મળશે . નોંધનીય છે કે ગૂગલના ભારતમાં લગભગ 23.4 કરોડડ યૂઝર છે . અને તે ભારતીય ભાષાઓનો ઇન્ટરનેટ માટે મોટા પ્રમાણમાં ઉપયોગ કરે છે . તેનાથી વિરુદ્ધ ખાલી 17.5 કરોડ લોકો જ અંગ્રેજી ભાષાનો ભારતમાં ઉપયોગ કરે છે ." sports,"અજિંક્ય રહાણેના અણનમ 59 રન અને સંજૂ સૈમસનના અણનમ 47 રનની શાનદાર પારીના કારણે રાજસ્થાન રોયલ્સ ટીમે ગુરુવારે મોહાલી ખાતે રમાયેલી આઇપીએલ છના 55માં મુકાબલામાં કિંગ્સ ઇલેવન પંજાબને 8 વિકેટે માત આપી દીધી . આ જીતે રાજસ્થાન રોયલ્સને નવ ટીમના લીસ્ટમાં 18 પોઇન્ટ સાથે બીજા નંબર લાવી દીધું છે . ટોસ હાર્યા બાદ પહેલા બેટિંગ કરવા ઉતરી કિંગ્સ ઇલેવન પંજાબે રાજસ્થાન રોયલ્સની સામે 146 રનનું લક્ષ્ય મુક્યું . આ ટીમ વધું સારો સ્કોર બનાવી શકતી હતી પરંતુ છેલ્લી ઓવરોમાં તેના બેટ્સમેન બાઉન્ડ્રી શોટ ના રમી શક્યા . આ લક્ષ્યનો પીછો કરતા રાજસ્થાન રોયલ્સે 19 ઓવરમાં બે વિકેટ ગુમાવીને જીત હાલ કરી લીધી . રહાણેએ 49 રનોનો સામનો કરતા ત્રણ ચોગ્ગા અને ત્રણ છગ્ગા લગાવ્યા જ્યારે સૈમસને 33 રનો પર પાંચ ચોગ્ગા અને એક છગ્ગા લગાવ્યા . આ બંનેએ ત્રીજી વિકેટ માટે 9.2 ઓવરમાં 76 રનોની ભાગીદારી કરી . રહાણેએ આ પહેલા શેન વોટસન 31 , ની સાથે બીજા વિકેટ માટે 66 રન બનાવ્યા હતા . વોટસને 25 બોલમાં ત્રણ ચોગ્ગા અને એક છગ્ગો લગાવ્યો હતો . 12 મેચોમાં રાજસ્થાનની આ 9મી જીત છે કિંગ્સ ઇલેવનને આટલી જ મેચોમાં સાતમી હારનો સામનો કરવો પડ્યો છે ." business,"એરલાઇન કંપનીની આ ઓફર 8 નવેમ્બર સુધી જ છે . આ ઓફર હેઠળ ટિકિટ બુક કરાવવા પર તમે 11 જાન્યુઆરી , 2017 થી 11 એપ્રિલ , 2017 વચ્ચે યાત્રા કરી શકો છો . વિમાન કંપની ઇંડિગોએ પોતાના ગ્રાહકો માટે સસ્તી હવાઇ સેવા આપવાની એક શાનદાર ઓફર શરુ કરી છે . આ ઓફર હેઠળ તે માત્ર 868 રુપિયામાં હવાઇ યાત્રા કરવાનો મોકો આપી રહી છે . એરલાઇન કંપનીની આ ઓફર 8 નવેમ્બર સુધી જ છે . આ ઓફર અંતર્ગત ટિકિટ બુક કરાવવા પર તમે 11 જાન્યુઆરી , 2017 થી 11 એપ્રિલ , 2017 વચ્ચે યાત્રા કરી શકશો . કંપનીની આ ઓફર અમુક નક્કી કરેલ સીટો માટે જ છે . આ સીટો વહેલા તે પહેલાના ધોરણે ભરવામાં આવી રહી છે . જો તમે માત્ર 868 રુપિયામાં હવાઇ યાત્રા કરવા માંગતા હોવ તો વહેલામાં વહેલી તકે ટિકિટ બુક કરાવી લો . શું છે શરતો ? આ ઓફર અમુક નક્કી કરેલ સીટો અને નક્કી કરેલ રુટ પર જ ઉપલબ્ધ રહેશે . આ ઓફર માત્ર ડોમેસ્ટીક ફ્લાઇટ માટે જ છે અને તે માત્ર ડાઇરેક્ટ ફ્લાઇટ માટે જ લાગૂ થશે . કંપનીની આ ઓફર માત્ર એક તરફી ભાડા માટે જ છે . સામૂહિક બુકિંગ પર આ ઓફર માન્ય ગણાશે નહિ . આ ઓફર પર રિફંડ મળશે નહિ . ફ્લાઇટ રદ કરવાની સ્થિતિમાં માત્ર ટેક્સ રિફંડ આપવામાં આવશે . આ ઓફર માત્ર ઇંડિગોની વેબસાઇટ પરથી ટિકિટ બુક કરાવવા પર જ મળશે . ગો એર ની પણ ઓફર વિમાન કંપની ગો એર એ પોતાની 11 મી વર્ષગાંઠ પર 611 રુપિયામાં હવાઇ યાત્રાની ઓફર આપી છે . આ ઓફર 4 નવેમ્બરે શરુ થઇ હતી જે 8 નવેમ્બર સુધી ચાલશે . કંપનીની આ ઓફર 11 જાન્યુઆરી , 2017 થી 11 એપ્રિલ 2017 વચ્ચેની યાત્રા પર લાગૂ થશે . આ ઓફર હેઠળ ટિકિટ બુક કરાવ્યા બાદ તમે જો ટિકિટ રદ કરાવવા માંગતા હોવ તો તમને કોઇ રિફંડ મળશે નહિ . આ ઓફર માત્ર એરલાઇન કંપનીની વેબસાઇટ ( www . GoAir . in ) પર જ મળશે . વળી આ ઓફરમાં સીમિત સીટો જ છે જે વહેલા તે પહેલાના ધોરણે ભરવામાં આવશે . દરેક ' 11 ' નંબર માટે એક્સક્લુઝીવ ઓફર ગો એર કંપનીએ 611 રુપિયામાં ટિકિટ આપવા ઉપરાંત એક અન્ય ઓફર પણ શરુ કરી છે જે અનુસાર દરેક 11 નંબરના ગ્રાહકને મફત એર ટિકિટ મળશે . વળી બીજી તરફ દરેક 111 માં ગ્રાહકને બધી લેમન ટ્રી હોટલમાં રહેવા પર 40 % ડિસ્કાઉંટ મળશે . આ ઉપરાંત દરેક 1,111 માં ગ્રાહકને એક રિટર્ન ટિકિટ આપવામાં આવશે . તેમજ તે 2 રાત અને 3 દિવસ સુધી હોટલમાં મફત રહી શકશે . એટલુ જ નહિ , 11 લકી વિજેતાને ઘડિયાળ પણ મળશે ." business,"નાણાં મંત્રી અરુણ જેટલીએ કરદાતોએ મોટી રાહત આપી છે . બીજી રીતે જોઇએ તો ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતના વેપારી વર્ગને આડકતરી રીતે ખુશ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે . નાણાં મંત્રી અરુણ જેટલીએ જીએસટી રિટર્ન પર લગાવેલી લેટ ફી કરદાતાને પરત કરવામાં આવશે તેમ જણાવ્યું છે . જીએસટી - ફાર્મ 3બીની રિર્ટન સબમિશન પછી જે પેનલ્ટીની વસૂલાત કરવામાં આવી છે . સાથે જ જેમણે હજી સુધી પેનલ્ટી નથી ભરી તેમે 200 રૂપિયા પ્રતિદિન લેટના ભાવે અત્યાર સુધી ભરવા પડતા હતા . જો કે અરુણ જેટલીએ આ મામલે રાહત આપી છે . નાણાં પ્રધાને ટ્વિટ કરીને આ જાણકારી આપતા કહ્યું છે કે ઓગસ્ટ અને સપ્ટેમ્બર માટે જીએસટી - ફાર્મ 3બી ફાઇલ કરનારથી લેટ ફી નહીં લેવામાં આવે . સાથે જ ફી આપનારને ટેક્સ લેઝરમાં ફી ક્રેડિટ કરવામાં આવશે . દેશમાં જીએસટી વ્યવસ્થા એક જુલાઇથી લાગુ થયેલી છે . તે પછી આ ત્રીજો મહિનો છે . જેમાં કંપનીઓએ જીએસટીઆર - 3બી રિર્ટન ભરવું પડી રહ્યું છે . જેમાં કંપનીના વેચાણની તમામ જાણકારી વિગતવાર આપવાની રહે છે . જુલાઇ અને ઓગસ્ટમાં ક્રમશ 55.68 લાથ અને 50 લાખ રિર્ટન ભરવામાં આવ્યા જેમાંથી ક્રમશ 95,000 કરોડ રૂપિયા અને 92,000 કરોડ રૂપિયા રાજસ્વ આપવામાં આવ્યું ." business,"ગેજેટ વિશ્વમાં દરરોજ આપણને એકથી એક ચઢિયાતા અને કલ્પી ના શકાય તેવા ગેજેટ જોવા મળતાં હોય છે . વિશ્વ આજે સ્માર્ટ દુનિયા સર્જવા તરફ આગળ વધી રહ્યું છે અને તેમાં વિવિધ કંપનીઓ પોતાનું યથાયોગ્ય યોગદાન પણ આપી રહી છે . જેમ કે પહેલા સાદા ફોન આવતા હતા , તેના સ્થાને આજે સ્માર્ટફોન માર્કેટમાં ધૂમ મચાવી રહ્યાં છે . તેવી જ રીતે હવે સાદી ઘડીયાળના બદલે સ્માર્ટવોચ માર્કેટમાં આવી ગઇ છે . વિયરેબલ ગેજેટ હજું ભારતમાં જોઇએ તેટલા પ્રમાણમાં લોકપ્રિય થયા નથી , જેટલા બીજા દેશોમાં થયા છે . વિયરેબલ ગેજેટનો અર્થ એવા ગેજેટ છે કે જેને આપણે પહેરી શકીએ છીએ , જેમ કે સેમસંગ અને સોની દ્વારા તાજેતરમાં આઇએફએ 2013ના શો દરમિયાન સ્માર્ટ ગિયર અને સ્માર્ટવોચ રજૂ કરવામાં આવી . આ જ રીતે આઇએફએ 2013માં અનેક બીજા વિયરબેલ ગેજેટ પણ લોન્ચ થયા જેમાં ટ્રૂ સ્માર્ટ , એકેએ સ્માર્ટવોચ , ટોક સ્માર્ટવોચ . તો ચાલો તસવીરો થકી આપણે આ ગેજેટ્સ અંગે વિસ્તારપૂર્વક માહિતી મેળવીએ ." business,ભારતમાં ઇન્કમટેક્સ બચાવવા માટે હોમ લોન્સ સૌથી લોકપ્રિય કરબચત સાધન છે . તાજેતરના બજેટમાં હોમ લોનમાં વધારવામાં આવેલી હોમલોનની મર્યાદા બાદ તે વધારે લોકપ્રિય બની છે . આ કારણે જો આપ રૂપિયા 2 લાખનું હોમ લોન વ્યાજ ચૂકવતા હોવ તો આ સમગ્ર રકમ ઇન્કમ ટેક્સમાંથી બાદ મળે છે . પહેલા આ લિમિટ રૂપિયા 1.5 લાખની હતી . પરંતુ કેન્દ્રીય નાણા મંત્રી અરૂણ જેટલીએ આ વર્ષે બજેટમાં તેની મર્યાદા વધારીને રૂપિયા 2 લાખ કરી છે . આ કર લાભ મેળવવા માટે જે નાણાકીય વર્ષે લોન લીધી હોય તેના ત્રણ વર્ષની અંદર તેની ખરીદી કે બાંધકામ પૂરું થઇ જવું જોઇએ . આ ઉપરાંત હોમ લોન માટે ચૂકવેલી મૂળ રકમ પણ ઇન્કમ ટેક્સ કાયદાની કલમ 80 ( C ) હેઠળ કરલાભ મળે છે . હોમ લોનનો કરલાભ સહમાલિકને પણ મળે ખરો ? ઉપરના પ્રશ્નનો જવાબ છે હા . જો આપ સહઘરમાલિક હોવ અને લોનમાં પણ સંયુક્ત અરજદાર હોવ તો આપ કર લાભ માટે દાવો કરી શકો છો . અહીં એક બાબત મહત્વની છે અને ધ્યાનમાં રાખવા જેવી છે કે જો આપે સંયુક્ત નામે લોન લીધી હોય પરંતુ મકાન માલિક તરીકે આપનું નામ ના હોય તો આપને કરલાભ મળી શકશે નહીં . ધ્યાનમાં રાખવા જેવી બાબતમાં એક મહત્વની બાબત એ પણ છે કે મકાન ખરીદી માટે ચૂકવવામાં આવેલી સ્ટેમ્પ ડ્યુટી અને રજિસ્ટ્રેશન ફી પણ આવક વેરા કાયદાની કલમ 80 ( c ) હેઠળ કરલાભ માટે માન્ય છે . તારણઃ જો આપે મહત્તમ કરલાભ મેળવવો હોય તો સંયુક્ત નામે હોમ લોન લેવા ઉપરાંત સંયુક્ત નામે ઘર લેવું પણ મહત્વનું છે . આમ થવાથી બંને અરજીદાતાઓને હોમલોનનો કરલાભ મળે છે . ઉદાહરણ તરીકે જો આપ હોમલોનમાં પ્રિન્સિપાલ એમાઉન્ટ તરીકે દર વર્ષે રૂપિયા 4 લાખ ભરો છો . તો આપને વ્યક્તિગત રીતે માત્ર રૂપિયા 1.5 લાખનો કરલાભ મળે છે . જ્યારે આપ સંયુક્ત નામ રાખો છો તો બંને વ્યક્તિને મળીને રૂપિયા 3 લાખનો કરલાભ મળે છે . entertainment,"ફિલ્મ સ્ટાર અક્ષય કુમાર ફિલ્મો પ્રત્યે લોકોનું ક્રેઝ અને આકર્ષણ વધારવા તેમજ લોકોમાં જાગૃતિ લાવવાના પ્રયત્નો કરી રહ્યાં છે . પીવીઆર તથા સિનેમૅક્સ પ્રૉપર્ટીઝમાં ચાલતી ફિલ્મ પહેલાં એક લઘુ ફિલ્મ આવે છે અને તેમાં વન્સ અપૉન ઍ ટાઇમ ઇન મુંબઈ અગેન ફિલ્મના હીરો તરીકે અક્ષય કુમરાની એન્ટ્રી થાય છે . અક્ષય કુમાર આ લઘુ ફિલ્મમાં લોકોને થિયેટરને ગંદુ નહીં કરવાની તથા ફિલ્મ ચાલતી હોય , તે દરમિયાન મોબાઇલ ફોન બંધ રાખવાની સલાહ આપે છે . તેઓ કહે છે કે પિક્ચર હૉલને પોતાનું ઘર જ સમજો અને ફોનને પણ થોડોક આરામ આપો . ફિલ્મો સખત મહેનતથી બને છે . તેમને ધ્યાનથી જુઓ . અક્ષય કુમાર આ લઘુ ફિલ્મમાં ઓયૂટીએમએના પોતાના શોએબ નામના પાત્ર તરીકે જ લોકો સામે આવે છે . મિલન લુથરિયા દિગ્દર્શિત વન્સ અપૉન ઍ ટાઇમ ઇન મુંબઈ અગેન ફિલ્મ 8મી ઑગસ્ટના રોજ રિલઝ થવાની છે . ફિલ્મમાં તેમની સાથે સોનાક્ષી સિન્હા અને ઇમરાન ખાન પણ છે . આ ફિલ્મ વન્સ અપૉન ઍ ટાઇમ ઇન મુંબઈની સિક્વલ છે . અક્ષય કુમારે એક નિવેદનમાં જણાવ્યું - અમને લાગે છે કે દર્શકોને થિયેટર્માં મોબાઇલ ફોન્સનો ઉપયોગ કરતાં રોકવાની સલાહ આપવા માટે આ જ યોગ્ય મંચ છે . < center > < iframe width = "" 100 % "" height = "" 338 "" src = "" http : / / www . youtube . com / embed / UOs8jD _ bBZo "" frameborder = "" 0 "" allowfullscreen > < / iframe > < / center >" sports,"તાજેતરમાં જ આઇસીસી દ્વારા ગેરકાયદે બોલિંગ એક્શનના કારણે પાકિસ્તાનના બોલર સઇદ અજમલ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે . હવે તેઓ પોતાની બોલિંગ એક્શનમાં સુધાર્યો કર્યા પછી જ વિશ્વ ક્રિકેટમાં બોલિંગ કરી શકશે . જોકે વિશ્વ ક્રિકેટની તમામ ટીમો પર નજર ફેરવવામાં આવે તો આપણને એવા અનેક બોલર મળી જશે , જેમની બોલિંગ એક્શન વિચિત્ર અને અજીબો ગરીબ છે , જે આપણને આશ્ચર્યમાં મુકી શકે તેવી છે . જેમાં લસિથ મલિંગા અને સોહિલ તનવીર જાણીતા નામ છે . જોકે આ બન્ને ખેલાડી સિવાય પણ એવા અનેક ખેલાડીઓ છે , જેમની બોલિંગ એક્શન અજીબ હતી . જેમાં શોએબ અખ્તર અને અબ્દુલ કાદિર છે . આ યાદીમાં ઓસ્ટ્રેલિયા અને ભારતના બોલર પણ સામેલ છે . તો ચાલો તસવીરો થકી જાણીએ કે આ યાદીમાં કયા કયા બોલર્સનો સમાવેશ કરવામાં આવ્યો છે . pagespeed . lazyLoadImages . overrideAttributeFunctions ( ) ; આ પણ વાંચોઃ - શા માટે આ મોડલની માત્ર 100 બાઇક્સ જ બનાવશે કંપની , જાણો ખાસિયત WOW , પાણીના ઉપયોગ વગર થશે કાર Wash ! આ પણ વાંચોઃ - અમદાવાદમાં ધૂમ મચાવી રહી છે પોર્શેની આ છ કાર , કિંમત 2 કરોડ સુધી pagespeed . lazyLoadImages . overrideAttributeFunctions ( ) ; function googleAnalyticsCodeCommon ( ) { var main _ url = $ ( ' link [ rel = "" canonical "" ] ' ) . attr ( "" href "" ) ; var url = document . location . href ; var pattern = ' https : / / ' + window . location . hostname ; url = url . replace ( pattern , "" "" ) ; var title = document . title ; ga ( "" oneindiagu . send "" , { hitType : "" pageview "" , page : url , location : main _ url } ) ; ga ( "" rosoneindia . send "" , { hitType : "" pageview "" , page : url , location : main _ url } ) ; ga ( "" dhoneindia . send "" , { hitType : "" pageview "" , page : url , location : main _ url } ) ; url = document . location . href ; var jcode = ' var _ comscore = _ comscore | | [ ] ; var comscoreParams = { c1 : "" 2 "" , c2 : "" 7732551 "" , c3 : "" "" , c4 : "" ' + url + ' "" , c5 : "" "" , c6 : "" "" , c15 : "" "" } ; _ comscore . push ( comscoreParams ) ; var s = document . createElement ( "" script "" ) , el = document . getElementsByTagName ( "" script "" ) [ 0 ] ; s . async = true ; s . src = ( document . location . protocol = = "" https : "" ? "" https : / / sb "" : "" http : / / b "" ) + "" . scorecardresearch . com / beacon . js "" ; el . parentNode . insertBefore ( s , el ) ; ' ; setTimeout ( jcode , 500 ) ; var _ qevents = _ qevents | | [ ] ; ( function ( ) { var elem = document . createElement ( ' script ' ) ; elem . src = ( document . location . protocol = = "" https : "" ? "" https : / / secure "" : "" http : / / edge "" ) + "" . quantserve . com / quant . js "" ; elem . async = true ; elem . type = "" text / javascript "" ; var scpt = document . getElementsByTagName ( ' script ' ) [ 0 ] ; scpt . parentNode . insertBefore ( elem , scpt ) ; } ) ( ) ; _ qevents . push ( { qacct : "" p - yjta2aSVPaHEL "" } ) ; window . google _ analytics _ uacct = "" UA - 110466 - 73 "" ; }" business,"અમદાવાદઃ ઓઈલ કંપનીઓ સતત પેટ્રોલ - ડીઝલના ભાવ વધારી રહી છે ત્યારે કિંમતોને નાથવામાં સરકાર પર વિફળ રહી . છેલ્લા કેટલાય દિવસથી સતત વધી રહેલા ભાવને પગલે નાગરિકોના ખિસ્સા પર ભારણ વધી રહ્યું છે . અમદાવાદમાં આજે પેટ્રોલમાં 22 પૈસાનો વધારો ઝીંકાયો જ્યારે ડીઝલની કિંમતમાં આજે 20 પૈસાનો વધારો ઝીંકાયો છે . આજના વધારા સાથે અમદાવાદમાં પેટ્રોલની કિંમતો લીટર દીઠ 82.32 રૂપિયાની સપાટીએ પહોંચી ગઈ છે જ્યારે ડીઝલની કિંમતો લીટર દીઠ 79.87 રૂપિયાની સપાટી પર પહોંચી ગઈ છે . અમદાવાદ ઉપરાંત મુંબઈ , દિલ્હીમાં પણ પેટ્રોલ - ડીઝલના ભાવમાં વધારો ઝીંકાયો છે . દિલ્હીમાં પેટ્રોલની કિંમતમાં 22 પૈસા પ્રતિ લીટર અને ડીઝલના ભાવમાં 18 પૈસાનો વધારો થયો છે . નવી કિંમતો લાગુ થયા બાદ પેટ્રોલની કિંમત 83.22 રૂપિયા પ્રતિ લીટરે થઈ ગયું છે જ્યારે ડીઝલ 74.42 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું છે . જ્યારે મુંબઈની વાત કરીએ તો અહીં પણ પેટ્રોલની કિંમતમાં 22 પૈસા અને ડીઝલની કિંમતમાં 19 પૈસાનો વધારો ઝીંકાયો છે . નવી કિંમતો લાગુ થયા બાદ મુંબઈમાં પેટ્રોલની કિંમત 90.57 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે , જ્યારે ડીઝલની કિંમત 79.01 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગઈ છે . વિપક્ષ અને સામાન્ય નાગરિકોના તમામ વિરોધ બાદ જેવી રીતે પેટ્રોલ - ડીઝલની કિંમતોમાં વધારો થઈ રહ્યો છે તેનાથી સામાન્ય નાગરિકોની મુશ્કેલીઓમાં ભારે વધારો થયો છે . સરકારના તમામ દાવા અને કોશિશો પેટ્રોલ - ડીઝલના ભાવ પર કાબૂ મેળવવામાં વિફળ થઈ રહ્યા છે . સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે પેટ્રોલિયમ પદાર્થની કિંમતો સરકારના હાથમાં નથી . દિવાળી પહેલા લાખો કર્મચારીને મળી મોટી ગિફ્ટ , પગાર વધશે" entertainment,"અભિનેત્રી વીણા મલિકકહેછે કે તેમણે પોતાની આગામી ફિલ્મ સુપર મૉડેલ માટે 9 કિલો વજન ઘટાડવું પડ્યું . તેના માટે તેમને પોતાના ખોરાકમાંથી કેટલીક મનપસંદ વસ્તુઓ બાકાત કરવી પડી . સુપર મૉડેલ ફિલ્મના મ્યુઝિક લૉન્ચિંગ પ્રસંગે વીણા મલિકે જણાવ્યું - પાત્રમાં ફિટ બેસવા માટે મારે સખત પરિશ્રમ કરવો પડ્યો . જ્યારે નિર્માતા - દિગ્દર્શક નવીન બત્રા મારી પાસે આવ્યા , તો તેમણે જણાવ્યું કે વીણાજી , આપે પોતાનું વજન ઘટાડી 47 કિલો કરવાની જરૂર છે . તે વખતે મારૂં વજન 56 કિલો હતું . તેથી સુપર મૉડેલ બનવા માટે મારે ખોરાક ઓછો કરવો પડ્યો . વીણા મલિકે જણાવ્યું - સ્વાભાવિક છે , અભિનય કરતાં પાત્રના ભાવનાત્મક ઉતાર - ચઢાવ પામવા માટે પણ એવું થયું . હું તેને પડદા ઉપર એકદમ વાસ્તવિક બતાવા માંતી હતી . નોંધનીય છે કે સુપર મૉડેલ ફિલ્મમાં અભિનેતા અશ્મિત પટેલ પણ છે . ફિલ્મ 27મી સપ્ટેમ્બરના રોજ રિલીઝ થવાની છે . આવો તસવીરો સાથે જાણીએ વધુ વિગતો :" sports,ધીમે - ધીમે વિંડીઝ ક્રિકેટની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ફરી પાછી હરીફાય વધી રહી છે . થોડા સમય પહેલા જેસન હોલ્ડરની કપ્તાનીમાં વેસ્ટઇંડીઝે ઇંગ્લેન્ડને ઘરેલુ ટેસ્ટમાં 2 - 1થી હાર આપી હતી . ક્રિકેટના મોર્ચામા્ં ખરાબ રીતે ફેલ ચાલી રહેલ કૈરેબીયાઇ દ્વિપના માટે આ સંજીવની જેવી જીત હતી . એવી લાગી રહયું છે કે અહીંયા ક્રિકેટની ગાડી એક વાર ફરીથી પાટા પર જવા માટે બેકરાર છે . ઓછામાં ઓછા વેસ્ટઇંડીઝના યુવા ખેલાડીઓના ઇરાદા આવાજ છે . આની હલનચલન ઇંગ્લેન્ડ વિરુદ્ધની વનડે સિરીઝમાં પણ જોવામાં આવી રહી હતી . વેસ્ટઇંડીઝે ઇંગ્લેન્ડના વિરુદ્ધમાં પહેલા મેચમાં 360રનનો વિશાળ સ્કોર પણ કર્યો હતો . એ વાત અલગ છે કે શક્તિશાળી ઇંગ્લેન્ડની વિરુદ્ધ આ સ્કોર કાફી સાબિત ન થયો પરંતુ હવે બીજા મેચમાં વિંડીઝ ટીમે શાનદાર પલટવાર કરતાની સાથે ઇન્ગ્લિશ ટીમને હરાવી સીરીઝ 1 - 1થી બરાબરી કરી લીધી હતી . વેસ્ટઇંડીઝે ઇંગ્લેન્ડને પાંચ વનડેની સીરીઝના બીજા મેચમાં 26 રનથી હરાવ્યું હતું . વેસ્ટઇંડીઝના માટે શિરોમન હેટમાયરે 104 રન બનાવ્યા અને શેલ્ડન કોટરેલે પાંચ વિકેટ ઝડપી . આ મેચની સાથે વિંડીઝે ઇઁગ્લેન્ડની વિરુદ્ધ પાછડના પાંચ વર્ષથી ચાલી આવેલ હારના ક્રમને તોડી નાખ્યો . તેને પહેલી જીત 2014માં એંટીગુઆ વનડેમાં મળી હતી . આ મેચમાં ઇંગ્લિશ ટીમે પહેલા ગેંદબાજી કરવાનુ નક્કી કર્યું . ગેલની 50મી ફિફ્ટી અને હેટમાયરના કરીયરની ચોથી સદીના કારણે વિંડીઝ ટીમ 289 રન બનાવ્યા હતા જેના જવાબમાં ઇંગ્લેન્ડની ટીમ 263 રનમાં ઓલઆઊટ થઇ ગઇ . ઇંગ્લેન્ડની તરફથી કેપ્ટન મોર્ગન ( 70 ) અને બેન સ્ટોકે ( 79 ) રન કર્યા પરંતુ તે મેચ જીતવા માટે પુરતા સાબિત ન થયા . તેની સાથે જ પાંચ મેચની આ સીરીઝ હવે 1 - 1ની બરાબરી પર આવી ચુકી છે . ' મોદી છે તો સંભવ છે ' ટોંકની સભામાં મોદીએ આપ્યો 2019નો ચૂંટણી નવો નારો business,"નવી દિલ્હી , 25 ડિસેમ્બરઃ નવા વર્ષ નોકરિયાતો માટે ખુશખબરી લઇને આવી શકે છે . આ સમાચાર પીએફ પર મળનારા વ્યાજ સાથે જોડાયેલા છે . જો આ યોજનાને લાગૂ કરવામાં આવે તો નવું વર્ષ ખુશીઓની ભેટ લઇને આવશે . આ અંગે નિર્ણય આગામી 13 જાન્યુઆરીએ લેવામાં આવશે . ઇપીએફઓએ ચાલુ નાણાંકીય વર્ષ 2013 - 14 માટે પીએફ જમા પર 8.5થી વધુ વ્યાજ આપવાનો પ્રસ્તાવ તૈયાર કર્યો છે . તેને 13 જાન્યુઆરીના 2014ના રોજ સેન્ટ્રલ બોર્ડ ઑફ ટ્રસ્ટી ( સીબીટી ) ની બેઠકમાં રજૂ કરવામાં આવશે . જો પ્રસ્તાવિત દર પર સામાન્ય સમજૂતી બની જાય તો હાલના નાણાંકીય વર્ષમાં કર્મચારીઓને પીએફ જમા પર પહેલાંથી વધુ વ્યાજ મળી શકે છે . ઇપીએફઓના એક વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું હતું કે પુનગઠન બાદ આ પ્રથમ બેઠક હશે . બેઠકના એજન્ડામાં કેટલાક અન્ય મુદ્દા પણ છે . પરંતુ તેમાં મહત્વપૂર્ણ વ્યાજદર પર નિર્ણય લેવામાં આવશે . તેમને કહ્યું હતું કે ચાલુ નાણાંકીય વર્ષ માટે પીએફ પર વ્યાજદર નક્કી કરવાનો પ્રસ્તાવ લાંબા સમયથી લટકેલો છે . ઇપીએફઓના અનુસાર સંગઠનની આર્થિક સ્થિતી સારી છે . એટલા માટે આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે નવા દર 8.50 ટકાથી વધુ હોય શકે છે . જાણકારોનું કહેવું છે કે ચૂંટણીના વાતાવરણમાં આકર્ષક વ્યાજદર નક્કી થવાની આશા છે . પરંતુ તેના માટે નાણામંત્રાલય દ્વારા લીલી ઝંડીની જરૂરિયાત છે . અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષમા6 8.5 ટકા વ્યાજ દર નક્કી કરવામાં આવ્યો હતો . આ પહેલાં પૂર્વ પીએફ પર વ્યાજ દર 8.25 ટકા હતો ." sports,કપ્તાન રાહુલ દ્રવિડ 53 અને અજિંક્ય રહાણેની અણનમ 63 રનની શાનદાર પારીના જોરે રાજસ્થાન રોયલ્સ ટીમે મંગળવારે સવાઇ માનસિંહ સ્ટેડિયમમાં રમાયેલ આઇપીએલના મુકાબલામાં દિલ્હી ડેરડેવિલ્સને 9 વિકેટથી હરાવી દીધું . ઘરેલું મેદાન પર રાજસ્થાનની આ સતત સાતમી જીત છે દિલ્હી દ્વારા આપવામાં આવેલ 155 રનોના લક્ષ્યનો પીછો કરતા રાજસ્થાને દ્રવિડ અને રહાણે વચ્ચે પ્રથમ વિકેટ માટેની 108 રનોની ભાગીદારીના કારણે 17.5 ઓવરોમાં એક વિકેટ ગુમાવીને જીત મેળવી લીધી . આ જીતની સાથે જ રાજસ્થાન રોયલ્સ પોઇન્ટ ટેબલમાં બીજા સ્થાન પર પહુંચી ગયું છે . જ્યારે દિલ્હી ડેરડેવિલ્સની ટીમ આ હારની સાથે અંતિમ પ્લે ઓફમાં પહોંચવાની આશાઓ ગુમાવી ચૂક્યું છે . દિલ્હીને 12 મેચોમાંથી 9માંથી હારનો સામનો કરવો પડ્યો છે . રાહુલ દ્રવિડે પોતાની શાનદાર પારીમાં 7 ચોગ્ગાની મદદથી 48 બોલમાં 53 રન બનાવ્યા . અંજિગ્ય રહાણેએ 45 ઓવરમાં 5 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 63 રન બનાવ્યા . દિલ્હીની ટીમે ટોસ જીતીને બેટીંગ કરવાનું પસંદ કર્યું અને દિલ્હીએ નિર્ધારિત ઓવરમાં 4 વિકેટના નુકસાન પર 154 રન બનાવ્યા . રાજસ્થાન રોયલ્સે દિલ્હી તરફથી મળેલા લક્ષ્યને માત્ર 17.5 ઓવરમાં 1 વિકેટના નુકસાન પર પાર કરી પોતાની જીત નોંધાવી દીધીં . entertainment,આદિત્ય ચોપરાના નિર્દેશનમાં બની રહેલી ફિલ્મ બેફિકરેનું ટ્રેલર લોન્ચ કરી દેવામાં આવ્યું છે . ટ્રેલરને લઈને જે આશા હતી લોકોને તેના પર ફિલ્મ બિલકુલ પણ ખરી ઉતરી નથી . એટલું જ નહીં પરંતુ રણવીર સિંહને લઈને પણ લોકો એ ખુબ જ નેગેટિવ વાતો કરી છે . પરંતુ ટ્રેલર રિલીઝ થયા પછી ટ્વિટર પર સુધી વધુ લોકોએ વાણી કપૂરને ટ્રોલ કરી છે . વાણી કપૂરે પોતાના હોઠો સાથે છેડછાડ કરી છે . જે સાફ સાફ દેખાઈ રહ્યું છે . એટલે લોકોનું ધ્યાન જવું તો સ્વાભાવિક છે . પછી તો સોશ્યિલ મીડિયા પર લોકોએ વાણી કપૂરનો જબરજસ્ત મજાક ઉડાવવાનું ચાલુ કરી દીધું . કેટલાક લોકોએ વાણી કપૂરની એક્ટિંગને કેટરિના કૈફની એક્ટિંગ સાથે પણ કમ્પેર કરી નાખી . business,"આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમત સતત ચોથા દિવસે પણ વધી રહી છે . આજે કાચા તેલનો વર્ષ ચાલુ વર્ષમાં સૌથી વધુ છે . બ્રેન્ટ ક્રૂડનો ભાવ 65 ડૉલર પ્રતિ બેરલને પાર થયો છે , જે નવેમ્બર બાદનો સૌથી વધુ ભાવ છે . 2019માં અત્યાર સુધી કાચા બ્રેન્ટ ક્રૂડના ભાવમાં 20.76 ટકાનો વધારો થયો છે . વિશ્લેષકોના કહેવા પ્રમાણે તેલની નિકાસ કરતા દેશોના સંગઠન ઓર્ગેનાઈઝેશન ઓફ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કંટ્રીઝ દ્વારા કાચા તેલનું ઉત્પાદન ઘટાડાયું છે , જેને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં તેલની માગ વધી છે , પરિણામે તેના ભાવ વધઈ રહ્યા છે . ભારતમાં કાચા તેલની 90 ટકા આયાત કરવામાં આવે છે . જેને કારણે દેશમાં પેટ્રોલ - ડીઝલના ભાવ વધે તેવી શક્યતા છે . સસ્તામાં મળી રહ્યું છે ગેસ કનેક્શન , 500 રૂપિયાનો ગેસ પણ ફ્રી" business,"જેવી રીતે વિવિધ દેશોનું ચલણ અલગ અલગ હોય છે , તેવી રીતે ભારતનું ચલણ પણ અન્ય દેશો કરતા અલગ છે . તેને રૂપિયાના નામથી ઓળખવામાં આવે છે . વિવધ દેશોના ચલણનું મૂલ્ય અમેરિકન ડોલરની તુલનાને આધારે આંકવામાં આવે છે . આપે નોંધ્યું હશે કે અનેકવાર સમાચારોમાં ડોલર સાથે રૂપિયો ઘટ્યો કે વધ્યો હોવાની બાબત સમાચાર બને છે . તેની અસર શેરબજાર ઉપર પણ જોવા મળે છે . આપને કદાચ એમ થતું હશે તે ડોલરની તુલનામાં રૂપિયાની વધઘટની રૂપિયા અને આપની આવક પર કેવી રીતે કેવી અસર પડે છે ? અહીં અમે એ સમજાવવાનો પ્રયાસ કર્યો છે કે ડોલરમાં કે રૂપિયાના મૂલ્યમાં વધઘટ થવાથી આપણી બચત પર કેવી રીતે અસર પડે છે ? આવો જાણીએ ડોલરના મૂલ્યમાં વધઘટ કેવી રીતે આપણા પર અસર કરે છે . . ." business,રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની 41મી વાર્ષિક જનરલ મિટિંગમાં ચેરમેન અને મેનેજીંગ ડાયરેક્ટર મુકેશ અંબાણી ઘ્વારા આશા અનુસાર જિયો નેટવર્ક અંગે ઘણી મહત્વની જાહેરાતો કરવામાં આવી છે . જેથી હવે જિયો ગ્રાહકો માટે ખુબ જ સારા સમાચારો આવી રહ્યા છે . રિલાયન્સ ઇન્ડસ્ટ્રી લિમિટેડ કંપનીની 41મી વાર્ષિક બેઠકમાં ગ્રાહકોને ઘણી ભેટો આપવામાં આવી છે . જિયો પાસે હવે 22 કરોડ ગ્રાહક રિલાયન્સ જિયો સફળતા વિશે વાત કરતા મુકેશ અંબાણી ઘ્વારા જણાવવામાં આવ્યું કે જિયોએ માત્ર 22 મહિનામાં પોતાનો કસ્ટમર બેઝ ડબલ કર્યો છે . જિયોના કન્સોલિડેટ EBIDATA અને રિટેલમાં 13 % વધારો થયો છે . રિલાયન્સ જિયો પાસે હવે 22 કરોડ ગ્રાહક થઇ ગયા છે . તેની સાથે જ મુકેશ અંબાણી ઘ્વારા નીચે મુજબની ઘોષણા કરવામાં આવી છે . . . business,"ક્લોન અલ્ગો ટેક્નોલોજીના એનઆરઆઇ ( નોન રેસિડેન્ટ ઇન્ડિયન - NRI ) માલિક એશિયાના પાંચમા સૌથી મોટા બિલિયોનેર બન્યા છે . તેમની આ સિધ્ધિ તેમની કંપનીના શેર્સમાં આવેલા મોટા ઉછાળાને પગલે પ્રાપ્ત થઇ છે . ક્લોન અલ્ગો ટેક્નોલોજી વિદેશના શેર માર્કેટ , ગોલ્ડ , ક્રુડ ઓઇલ અને શેર્સમાં અલગોરિધમ આધારિત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વિકસાવવા માટે જાણીતી છે . ન્યુયોર્કના સ્ટોક એક્સચેન્જમાં ક્લોન અલ્ગો ટેક્નોલોજીનો ભાવ ઓક્ટોબરમાં 12 યુએસડોલર થયો છે . શુક્રવારે કંપનીના શેરની ઓપનિંગ પ્રાઇસ 12 અમેરિકન ડોલર થતા જ તેનું મૂલ્ય વધીને 8.534 અમેરિકન ડોલર થયું હતું . આ મૂલ્ય માર્કેટમાં 711.15 મિલિયન શેરને આધારે થયું હતું . આ ઉછાળો આગામી દિવસોમાં ક્લોન અલ્ગો ઇન્કનું વિલિનિકરણ ક્લોન અલ્ગો ટેક્નોલોજીસમાં થવાના સમાચાર વહેતા થયા હોવાને કારણે થયું હતું . આ ગ્રુપ વિદેશના શેર માર્કેટ , ગોલ્ડ , ક્રુડ ઓઇલ અને શેર્સમાં અલગોરિધમ આધારિત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વિકસાવે છે . ગત રાત્રે ન્યુ યોર્કના શેરબજારમાં ક્લોન અલ્ગો ટેકનોલોજીસના પ્રથમ ઓપનિંગ પ્રસંગે કંપનીના શોધક અને ચેરમેન નીરજ ગોયલે આ વૃદ્ધિને આવકારી હતી . આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે ઓપનિંગ પ્રાઇસ અમારી અપેક્ષાઓ મુજબ રહી છે તેનો આનંદ છે . ભારતના લુધિયાણામાં જન્મેલા નીરજ ગોયલની કુલ સંપત્તિમાં હવે 12.95 મિલિયન ડોલરનો વધારો થયો છે . આ વૃદ્ધિમાં અન્ય કંપનીઓમાં રહેલો વધારો પણ સામેલ છે . જેના કારણે એશિયાના ટેકનોલોજી બિલિયોનેર્સમાં તેઓ પાંચમા ક્રમે પહોંચી ગયા છે ." business,"મહિલા ડ્રાઇવરો માટે ટાટા મોટર્સ અને ટીવીએસ તરફથી સારા સમાચાર . ટાટા મોટર્સ અને ટીવીએસ ગ્રૂપ આગામી મહિનાથી એક સેવા શરૂ કરશે , જેમાં મહિલા ડ્રાઇવરોને રાતના સમયે બ્રેકડાઉનની સ્થિતિમાં મદદ ઉપલબ્ધ કરાવવામાં આવશે . જણાવી દઈએ કે સોમવારે ટાટા મોટર્સે આ વિશે જાણકારી આપી છે . બંને કંપનીઓ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ , આ મહિલા સહાય કાર્યક્રમની શરૂઆત 1 જૂનથી થશે . તમને જણાવી દઈએ કે આ હેઠળ ટાટા મોટર્સના પેસેન્જર વાહનોની મહિલા ડ્રાઇવરોને સાંજના 8 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી કટોકટીની સ્થિતિમાં મદદ પૂરી પાડવામાં આવશે . આ પરિસ્થિતિઓમાં મળશે સહાય માહિતી અનુસાર ટાટા મોટર્સના નિવેદનમાં જણાવાયું છે કે અકસ્માતની સ્થિતિ , બેટરી સમાપ્ત થાય , ટાયર પંચર , પેટ્રોલ સમાપ્ત થઈ જાય , અથવા મિકેનિકલ ખામીના કારણે ગાડી બંધ થઈ જવાની સ્થિતિમાં મદદ આપવામાં આવશે . ટાટા મોટર્સના પેસેન્જર વ્હિકલ બિઝનેસ યુનિટના પ્રમુખ મયંક પારીકએ એક નિવેદનમાં જણાવ્યું છે કે ઉદ્યોગનું આ અભિયાન બતાવે છે કે ટાટા મોટર્સ મહિલા ડ્રાઇવરોની વધતી જતી સંખ્યા અને વેચાણ પછી શ્રેષ્ઠ સુવિધા પહોંચાડવા માટેની પ્રતિબદ્ધતા જાણવા મળે છે . ટીવીએસએ આ સેવા માટે ટીવીએસ ઓટો એસિસ્ટની શરૂઆત કરી છે . દેશભરમાં લગભગ 20 લાખથી વધુ મહિલા ડ્રાઇવરો ટીવીએસ ઓટો એસિસ્ટના સીઇઓ મહેશકુમારનું કહેવું છે કે દેશમાં ઘણા મોટા શહેરોમાં 20 લાખથી વધુ મહિલા ડ્રાઇવરો છે . અમારું માનવુંએ છે કે મહિલા ડ્રાઇવરો મોડી રાત સુધી ક્યાંક બહાર હોય છે ત્યારે તેમના વાહન માટે મદદની કોઈ વ્યવસ્થા હોવી જોઈએ . ગાડી ચલાવનારાઓ માટે જરૂરી સમાચાર , જાણી લો આ નવા નિયમ" business,"નવી દિલ્હીઃ ઓઈલ કંપનીઓ તરફથી સતત બીજા દિવસે બુધવારે પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં રહાત આપવામાં આી છે . બુધવારે પેટ્રોલ - ડીઝલની કિંમતમાં કોઈ વધારો થયો નથી . ચારો મહાનગરમાં પેટ્રોલ - ડીઝલની કિંમત જૂના સ્તરે બનેલ છે . સોમવારે પેટ્રોલમાં પ્રતિ લીટર 21 પૈસાની તેજી જોવા મળી હતી . જ્યારે મંગળવારે અને બુધવારે પેટ્રોલ - ડીઝલની કિંમતમાં કોઈ બદલાવ થયો નથી . બુધવારે ઓઈલ કિંમતો જૂના સ્તરે રી જેનું કારણ આમ આદમી પાર્ટીને મળેલ રાહત છે . બુધવારે દિલ્હી , કોલકાતા , મુંબઈ અને ચેન્નઈમાં પેટ્રોલનો રેટ જૂના સ્તરે ક્રમશઃ 68.50 રૂપિયા , 70.64 રૂપિયા , 74.16 રૂપિયા અને 71.07 રૂપિયા પ્રતિ લીટર યથાવત રહ્યો છે . જ્યારે દિલ્હી , કોલકાતા , મુંબઈ અને ચેન્નઈમાં ડીઝલની કિંમતો ક્રમશઃ 62.24 રૂપિયા , 64.01 રૂપિયા , 65.12 રૂપિયા અને 65.70 રૂપિયા પ્રતિ લીટરે રહી છે . આંતરરાષ્ટ્રીય માર્કેટમાં 25 ડિસેમ્બર 2018ના રોજ 50 ડૉલર પ્રતિ બરલ સુધી પહેંચનાર બ્રેન્ટ ક્રૂડની કિંમતમાં વધારો થયો હતો . બ્રેન્ટ ક્રૂડની કિંમતોમાં વધારા બાદ પેટ્રોલ - ડીઝલના ભાવ પાછલા દિવસોમાં સ્થિર છે . બ્રેન્ટ ક્રૂડની કિંમતો બુધવારે 1.26 ટકા વધીને 59.46 ડોલર પ્રતિ બેરલે પહોંચી ગઈ છે . અનુમાન છે કે આગામી કેટલાક દિવસોમાં ભાવમાં વધારો જોવા મળી શકે છે . ' પ્રધાનમંત્રી મોદી 21મી સદીના આંબેડકર છે ' : ઉત્તરાખંડ સીએમ ત્રિવેન્દ્ર સિંહ રાવત" entertainment,વાત તમે પણ લેટેસ્ટ તસવીરો જોયા બાદ કહેશો કે વધતી વય સાથે મલાઇકા અરોરા ખાન વધુ યંગ અને હૉટ થતા જાય છે . મલાઇકા અરોરા ખાન બૉલીવુડ અભિનેત્રી હોવા ઉપરાંત દબંગ સલમાન ખાનના ભાભી અને અરબાઝ ખાનના પત્ની તથા બે બાળકોના માતા પણ છે . મલાઇકા અરોરા ખાને સ્વીમિંગ શૂટમાં કરાવ્યો હોટ ફોટોશૂટ હાલમાં મલાઇકા અરોરા ખાન માલદીવમાં પોતાની રજાઓ માણી રહી છે . મલાઇકા અરોરા ખાન માલદીવની કેટલીક તસવીરો પણ સોશ્યિલ મીડિયા પર ફરતી થઈ છે . આ તસવીરોમાં મલાઇકા ખૂબ જ હોટ લાગી રહી છે . તેને જોઈને લાગતું નથી કે તેઓ 2 બાળકોની માતા પણ હોઈ શકે છે . તો જુઓ મલાઇકા અરોરા ખાનની માલદીવની કેટલીક હોટ તસવીરો . . . business,"કોઇ પણ પોલીસી ખરીદવાનો નિર્ણય કરતા પહેલા તેનો એડમિનિસ્ટ્રેશન ચાર્જ , ફંડ એલોકેશન ચાર્જ , ક્લેમ ફીની સાથે વીમા પ્લાનના વધારાના ખર્ચની પૂરે પૂરી માહિતી મેળવ્યા બાદ જ પોલીસી ખરીદવાનો નિર્ણય કરવો જોઇએ . આ મુદ્દે વીમાના જાણકારોનું કહંવું છે કે જરૂર કરતા ઓછી રકમનો વીમો લેવો એ વીમા ના લીધા બરાબર છે . પોતાની આવક , ખર્ચ , કુટુંબની જવાબદારીને ધ્યાનમાં લઇને વીમો કરાવવો જોઇએ . આપની આવકથી 10 ગણી મૂડીને યોગ્ય સમ એશ્યોર્ડ માનીને વીમા પોલીસી લેવી જોઇએ . આ અંગે ઇન્શ્યોરન્સ એક્સપર્ટ શશીકાંત મોર્યના જણાવ્યા અનુસાર માર્કેટમાં સારી સાખ ધરાવતી કંપનીની ઓનલાઇન પોલીસી લેવામાં જોખમની શક્યતાઓ ઓછી રહે છે . ઓનલાઇન માધ્યમથી પોલીસી લેવાથી કોઇ પણ કંપનીનું પ્રીમિયમ પ્રમાણમાં ઓછું આપવું પડશે . પણ જો તમે વીમો ઉતરાવવા માટે વીમા એજન્ટની મદદ લેશો તો પ્રીમિયમની રકમ વધી જશે . જો કે ભવિષ્યનું વિચારીએ તો વીમો ક્લેમ કરવામાં એજન્ટ મદદરૂપ બની શકે છે . કોઇ પણ ગ્રાહકે એક યાદ રાખવા જેવી બાબત એ છે કે તમારા આર્થિક રોકાણ અને વીમાને અલગ અલગ રાખજો . ગ્રાહકો હંમેશા આશા રાખે છે તે તેમની રોકેલી મૂડી પર તેમને વળતર તો મળશે જ . ટર્મ પ્લાનમાં જો કંઇ થાય નહીં તો ગ્રાહકને કશું જ મળતું નથી . રોકાણ કરવા માટે મ્યુચ્યુઅલ ફંડ , ડેટ ફંડ , પોસ્ટલ ઇન્વેસ્ટમેન્ટનો ઉપયોગ કરી શકાય છે ." entertainment,"છોટા ભીમ નવા સ્વરૂપે આવે છે . તેની બીજી આવૃત્તિ છોટા ભીમ એન્ડ ધ થ્રોન ઑફ બાલીના પ્રચાર ઉપર ખાસ ભાર મૂકવામાં આવશે . તેના માટે નિર્માતા ગ્રીન ગોલ્ડ એનિમેશને યશ રાજ ફિલ્મ્સ ( વાયઆરએફ ) સાથે જોડાણ કર્યું છે . આ સિરીઝનીપ્રથમ ફિલ્મ છોટા ભીમ એન્ડ ધ કર્સ ઑફ દયમાન ગયા વર્ષે રિલીઝ થઈ હતી , પરંતુ તે બૉક્સ ઑફિસે બહેતર કમાણી કરી શકી નહોતી . તેથી નિર્માતાઓએ બીજી આવૃત્તિની બાગડોર વાયઆરએફને સોંપવાનું વિચાર્યું . ફિલ્મના નિર્માતા અને દિગ્દર્શક રાજીવ ચિલકાને ખાત્રી છે કે નવી ફિલ્મ સફળ થશે . ગ્રીન ગોલ્ડ એનિમેશનના મુખ્ય કાર્યકારી અધિકારી ( સીઈઓ ) ચિલકાએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું - પહેલી વાર અમને અનુભવ નહોતો . અમે બહેતર પ્રચાર નહોતાં કરી શક્યાં . આ વખતની ફિલ્મ પહેલી કરતાં મોટી છે . તેમાં અનેક ગીતો છે . બીજી આવૃત્તિમાં ભીમ મોટા પડકારોનો સામનો કરશે . તેમણે જણાવ્યું - આ વખતે અમે એક નવું પાત્ર અર્જુન પણ લાવી રહ્યાં છીએ . ભીમને એક નવો મિત્ર મળશે . આ એનિમેશન ફિલ્મ 3જી મેના રોજ રિલીઝ થશે ." business,"આ બાબતમાં પેટ્રોલીયમ મંત્રાલયે 14 મેના રોજ આર્થિક બાબતો અંગેની કેબિનેટ કમિટીને મોકલેલી નોધમાં તમામ સ્ત્રોતોથી ઉત્પાદિત ઘરેલુ પ્રાકૃતિક ગેસના ભાવોની નિયમિત અવધિમાં સમીક્ષા કરવાનો પ્રસ્તાવ છે . આ પ્રસ્તાવ 12મી પંચવર્ષીય યોજના માટે છે . પ્રસ્તાવમાં વર્ષ 2016 - 17 સુધી કિંમતોને વધારી 6.8 ડોલરથી 10 ડોલર પ્રતિ એમએમબીટીયુ કરવાની યોજના છે . હાલ ઘરેલુ પ્રાકૃતિક ગેસના ભાવ 4.2 ડોલર પ્રતિ એમએમબીટીયુ છે . પ્રસ્તાવમાં જણાવાયુ છે કે , ગેસના ભાવ દર ત્રણ મહિને આંકડાના આધાર પર વધારવા જોઇએ . આ પ્રસ્તાવને કેબીનેટની મંજુરી મળ્યા બાદ પ્રાકૃતિક ગેસના ભાવ દર ત્રણ મહિને વધારવામાં આવશે જેને કારણે તમારા ઘરનું બજેટ દર ત્રણ મહિને વધી જશે . પ્રાકૃતિક ગેસના ભાવમાં વધારાનો મતલબ વિજળીના ખર્ચમાં વધારો , પાઇપલાઇનથી મળનાર ગેસના ભાવમાં વધારો અને સીએનજીથી ચાલતા વાહનોના ખર્ચમાં પણ વધારો , સાથોસાથ આનાથી ખાતરના ઉત્પાદનની કોસ્ટ પણ વધી જશે . જે યુરિયાના ખર્ચને વધારશે . ગેસના ભાવમાં 1 ડોલર પ્રતિ એમએમબીટીયુ વધારાનો મતલબ રૂપિયા 31.55 કરોડ પ્રતિ વર્ષ વધારાનો ખર્ચ થશે . દર વર્ષે રૂપિયા 10,040 કરોડ પ્રતિ વર્ષ વધારાનો ખર્ચ વધશે . જે વિદ્યુત વિતરણ કંપની ઉપર પડશે ." business,"કોર્પોરેટ ડિફોલ્ટર્સ વિરુદ્ધ બેંકોએ આગામી અઠવાડિયે બેંકરપ્સી પ્રોસિડિંગની શરૂઆત કરવી પડશે , કેમ કે 12 ફેબ્રુઆરીના રોજ રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા દ્વારા નિર્ધારિત 6 મહિનાની સમય મર્યાદા સોમવારે સમાપ્ત થઈ જશે . ત્યારે રિઝોલ્યૂશનમાં અસફળ રહેલી કંપનીઓ વિરુદ્ધ પગલાં ભરવામાં આવશે . અંદાજીત 60 ખાતાં પર 3.5 લાખ કરોડ રૂપિયાનું દેવું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે , જેમને અગાઉ નોન પર્ફોર્મિંગ એસેટ્સ ( NPA ) જાહેર કરવામાં આવ્યાં હતાં . 180 દિવસની સમય સીમા નજીક છે , પરંતુ એસબીઆઈ 11 ડિફોલ્ટર્સ કેસના સમાધાન માટે પૂરું જોર લગાવી રહી છે જેમના પર 62 હજાર કરોડ રૂપિયા જેવું દેવું છે . સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયા મુજબ 4 મામલાને નેશનલ કંપની લૉ ટ્રીબ્યૂનલ પાસે મોકલવામાં આવી છે . શેષ 7માં પ્રક્રિયા લેન્ડર્સથી અપ્રૂવલના વિવિધ ચરણોમાં છે અને આપણે તેને અલગ સપ્તાહ સુધી પૂરી કરવાની કોશિશ કરી રહ્યા છીએ . જો આ પૂરી ન થાય તો NCLTને રેફર કરવાનો વિકલ્પ જ બચશે . આ પણ વાંચો - લોનમાં નાદારી નોંધાવો ત્યારે શું કરી શકાય ? 12 ફેબ્રુઆરીએ આરબીઆઈ તરફથી જાહેર કરેલા પરિપત્રથી બેંકોને બોગણી અસર પડી છે . પહેલી અસર માર્ચ 2018ના ક્વાર્ટરલની રિજલ્ટ પર જોવા મળી . આરબીઆઈના પરિપત્રમાં એમ પણ કહેવામાં આવ્યું કે 2000 કરોડ રૂપિયાથી વધુ એનપીએ મામલે બેંક 6 મહિનાની અંદર રિઝોલ્યૂશનનો લક્ષ્ય રાખે . રેટિંગ એજન્સી ICRAના એક વિશ્લેષણ મુજબ 3.8 લાખ કરોડ રૂપિયાવાળા 70 ખાતાનું રિઝોલ્યૂશન 1 સપ્ટેમ્બર 2018 સુધી થશે ." entertainment,"બૉલીવુડના પ્રથમ સુપર સ્ટાર રાજેશ ખન્નાની છેલ્લી ફિલ્મ રિયાસતને કેન્દ્રીય ફિલ્મ પ્રમાણન બોર્ડ એટલે કે સીબીએફસી તરફથી યૂએ પ્રમાણપત્ર મળ્યું છે . અત્યાર સુધી અટકી પડેલી આ ફિલ્મ સુપર સ્ટારની 71મી જન્મ જયંતીએ એટલે કે 29મી ડિસેમ્બરે રિલીઝ થવાની શક્યતા છે . રાજેશ ખન્નાની આ ફિલ્મ વર્ષ 2012માં રાજેશના જન્મ દિવસે જ રિલીઝ થવાની શક્યતા હતી પરંતુ પછી તેની રિલીઝ ડેટ તેમની પુણ્યતિથિ 18મી જુલાઈ સુધી ટાળી દેવામાં આવી . જોકે ફિલ્મની રિલીઝ ડેટ અંગે હજી કંઈ સ્પષ્ટતા કરાઈ નથી , પરંતુ ફિલ્મના દિગ્દર્શક અશોક ત્યાગી કહે છે કે હવે સૌની નજરો રિયાસત ફિલ્મ ઉપર છે . ત્યાગીએ જણાવ્યું - રાજેશ ખન્ના જીવનનું પ્રતિનિધિત્વ કરે છે . તેથી તેમની પુણ્યતિથિએ ફિલ્મ રિલીઝ કરવી યોગ્ય નહોતું . ફિલ્મ હવે યૂએ પ્રમાણપત્ર સાથે રિલીઝ થવા તૈયાર છે . રિયાસત ફિલ્મમાં ગૌરી કુલકર્ણી , આર્યન વૈદ્ય , આર્યમન રામસે તથા રઝા મુરાદ પણ છે . ત્યાગીને લાગે છે કે રાજેશ ખન્નાના 71મા જન્મ દિવસથી બે દિવસ પૂર્વે ફિલ્મને રિલીઝ કરવું યોગ્ય ગણાશે . રાજેશ ખન્નાનો 71મો જન્મ દિવસ 29મી ડિસેમ્બરે છે . નોંધનીય છે કે પ્રથમ બૉલીવુડ સુપર સ્ટાર રાજેશ ખન્નાનું ગત 18મી જુલાઈ , 2012ના રોજ નિધન થઈ ગયુ હતું . તેમણે પોતાના કૅરિયરમાં આરાધના , કટી પતંગ , આનંદ , અમર પ્રેમ , દો રાસ્તે , આન મિલો સજના તેમજ અન્ય અનેક સફળ ફિલ્મો આપી હતી ." entertainment,"ગત 20મી ડિસેમ્બરે રિલીઝ થયેલી યશ રાજ બૅનરની ફિલ્મ ધૂમ 3એ માત્ર 11 દિવસમાં જ 211 કરોડની કમાણી કરી લીધી છે . આ સાથે વર્ષાંતે રિલીઝ થયેલી ફિલ્મ ધૂમ 3 વર્ષ 2013ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે અને તેથી દરેકની જીભે આમિર ખાનનું જ નામ છે . ધૂમ 3 શાહરુખ ખાન અભિનીત ચેન્નઈ એક્સપ્રેસ તેમજ હૃતિક રોશન અભિનીત ક્રિશ 3 ફિલ્મને સરળતાથી માત કરનાર છે . ચેન્નઈ એક્સપ્રેસે 216 કરોડની કમાણી કરી હતી . આમિર ઉપરાંત ધૂમ 3માં કૅટરીના કૈફ , અભિષેક બચ્ચન અને ઉદય ચોપરા પણ છે . મુક્તા આર્ટ્સના સંજય ઘઈએ જણાવ્યું - મને પુરતો વિશ્વાસ છે કે ધૂમ 3 ભારતમાં 300 કરોડની કમાણી કરવામાં સફળ રહેશે , કારણ કે ફિલ્મના પ્રદર્શનમાં અત્યાર સુધી કોઈ પણ પ્રકારની ખામી જણાઈ નથી . જોઇએ આમિર ખાનની ધૂમ 3 300 કરોડના આંકડે પહોંચે છે કે કેમ ? ફિલ્મમાં આમિર ખાન ડબલ રોલમાં છે , તો અભિનેતા તરીકે ઉદય ચોપરાની આ છેલ્લી ફિલ્મ છે ." entertainment,"સાજિદ ખાનના દિગ્દર્શન હેઠળની હિમ્મતવાલા ફિલ્મ આજે રિલીઝ થઈ ગઈ . ફિલ્મનો ફર્સ્ટ ડે ફર્સ્ટ શો જોવા દર્શકોને ભારી ગિર્દી ઉમટી પડી , પરંતુ ફિલ્મ જોયા બાદ દર્શકોએ કોઈ ખાસ પ્રતિસાદો નથી આપ્યાં . હે બેબી અને હાઉસફુલની સફળતા બાદ સાજિદ ખાન પાસેથી સૌની અપેક્ષાઓ વધી ગઈ હતી , પરંતુ અફસોસ કે હિમ્મતવાલા દ્વારા સાજિદ ખાને સૌની આશાઓ પર પાણી ફેરવી નાંખ્યું છે . ફિલ્મમાં અજય દેવગણ તથા તમન્ના ભાટિયાની જોડી જામે છે અને તમન્નાને જોયા બાદ લોકોનું કહેવું છે કે હિમ્મતવાલા હિટ થશે કે નહીં , તે તો કહી ન શકાય , પણ તમન્ના જરૂર હિટ છે . 1983માં 25મી ફેબ્રુઆરીએ રિલીઝ થયેલી હિમ્મતવાલામાં શ્રીદેવી અને જિતેન્દ્ર હતાં અને આ જ ફિલ્મ પછી શ્રીદેવી હિટ થઈ ગયા હતાં . હવે તેની રીમેક જોયા બાદ લાગે છે કે શ્રીદેવીની જેમ તમન્ના માટે પણ આ ફિલ્મ બહુ લકી સાબિત થશે . વાર્તા : હિમ્મતવાલા ફિલ્મમાં અજય દેવગણ અને તમન્ના ભાટિયા મુખ્ય રોલમાં છે . 1983માં કે . રાઘવેન્દ્રના દિગ્દર્શન હેઠળ બનેલી ફિલ્મ હિમ્મતવાલાની આ રીમેક છે . મૂળ ફિલ્મમાં જિતેન્દ્ર તથા શ્રેદેવી હતાં . રીમેક હિમ્મતવાલાની વાર્તા એક ગરીબ મહિલાના પુત્રની આજુબાજુ ફરે છે . તેનો પિતા એક ગામમાં સ્કૂલ માસ્ટર છે . અજય દેવગણે ફિલ્મમાં જિતેન્દ્રની ભૂમિકા ભજવી છે , તો તમન્નાએ શ્રીદેવીની . અજય દેવગણ મોટા શહેરમાં રહે છે અને એક દિન પરત આવી પોતાના પિતાની હત્યાનો બદલો લે છે . અભિનય : ફિલ્મમાં તમન્ના અને અજય બેહતરીન છે . તમન્નાએ તો સૌના દિલ જીતી લીધાં છે . તમન્ના ઉપર ફિલ્માવાયેલ નૈનોં મેં સપના , સપનોં મેં સજના . . . ગીતે તો કહેર વરસાવ્યો છે . ફિલ્મ અને ખાસકરીને તમનન્ના અંગે લોકોનો અભિપ્રાય સાંભળી એવું લાગે છે કે શ્રીદેવી માટે જેમ હિમ્મતવાલા લકી સિદ્ધ થઈ હતી . તેવી જ રીતે તમન્ના માટે પણ આ હિમ્મતવાલા લકી સાબિત થશે ." business,"નવી દિલ્હી , 7 ઓક્ટોબર : કેન્દ્રીય બજેટ બાદ ટેક્સ નિયમોમાં ફેરફારથી ફટકો પડ્યો છે તેવા દેવા સાધનોના રોકાણને ફરી આકર્ષવા માટે મ્યુચ્યુઅલ ફંડ્સ તેમની ન્યૂ ફંડ ઓફર્સ ( એનએફઓ ) ના માળખામાં કુનેહપૂર્વક ફેરફાર કરી રહ્યા છે . આ ફેરફારો કેવી રીતે કરવામાં આવી રહ્યા છે તે અંગે અંગ્રેજી બિઝનેસ દૈનિક ઇકોનોમિક ટાઇમ્સમાં આવેલા અહેવાલ અનુસાર આ ફેરફારો ધીમા છે . પરંતુ પાયાથી ફેરફાર થઇ રહ્યા છે . કોટક ઇક્વિટી સેવિંગ ફંડ્સ અને જેપી મોર્ગન ઇક્વિટી સેવિંગ ફંડ્સના એનએફઓનું ભંડોળ આબ્રિટ્રેજ , ઇક્વિટી અને ડેટમાં સંયુક્તપણે રોકવામાં આવશે . આવા ફંડ્સના પોર્ટફોલિયોની એવી રીતે રચના કરશે કે જેથી શેરો અને આર્બિટ્રેજ માટેનું રોકાણ ૬૫ ટકાથી ઊંચા સ્તરે રહે . તેનાથી આવી મ્યુચ્યુઅલ ફંડ્સ સ્કીમ્સો ટેક્સના હેતુ માટે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સ તરીકે વર્ગીકૃત થશે . ટેક્સના હાલના કાયદા મુજબ જો રોકાણકારો ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સનું રોકાણ એક વર્ષ બાદ પાછું ખેંચી લે તો લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ લાગુ પડતો નથી . જો રોકાણકારો એક વર્ષ પહેલાં રિડેમ્પશન કરે તો તેમણે 15 ટકા લેખે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ ભરવો પડે છે . આની સામે ડેટ ફંડ્સના રોકાણકારો જો 36 મહિના પહેલાં રોકાણને પાછું ખેંચી લે તો માર્જિનલ ટેક્સ રેટ્સ લાગુ પડે છે . ડેટ ફંડ્સમાં 36 મહિના પછી રિડેમ્પશનના કિસ્સામાં ઇન્ડેક્સેશન સાથે 20 ટકાનો અથવા ઇન્ડેક્શન વગર 10 ટકાનો લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ લાગુ પડે છે . હજુ માત્ર બે મ્યુચ્યુઅલ ફંડ્સે આવી પ્રોડક્ટ લોન્ચ કરી છે , પરંતુ એસેટ મેનેજર્સ આવી પ્રોડક્ટ્સ લોન્ચ કરવાની વિચારણા કરી રહ્યા હોવાનું માનવામાં આવે છે . કેટલાક ફંડ મેનેજર્સ આવી સ્કીમ્સ માટે રોકાણકારોના પ્રતિસાદની રાહ જોઈ રહ્યા છે . ઉદાહરણ તરીકે કોટક ઇક્વિટી સેવિંગ ફંડ કેશ ફ્યુચર્સ માર્કેટમાં આર્બિટ્રેજ તકોમાં તેના કુલ ભંડોળમાંથી 50થી 75 ટકા ભંડોળનું રોકાણ કરશે . આ ઉપરાંત 15થી 25 ટકા રોકાણ હેજિંગ વગરની ઇક્વિટીમાં અને બાકીનું ભંડોળ ડેટ ઇન્સ્ટ્રુમેન્ટમાં રોકશે . તેનાથી ઇક્વિટી પ્લસ આર્બિટ્રેજનું રોકાણ 65 ટકાથી ઊંચા સ્તરે રહેશે . પોર્ટફોલિયોના ઇક્વિટી હિસ્સાનું લાર્જ - કેપ શેરોમાં ઝોક સાથે સક્રિયપણે સંચાલન થશે . ડેટ ઇન્સ્ટ્રુમેન્ટના કિસ્સામાં ફિક્સ્ડ ડિપોઝિટ્સ અને શોર્ટ ટર્મ ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં રોકાણ કરાશે . આવા એનએફઓને ઇક્વિટી ફંડ્સની જેમ ટેક્સ લાગુ પડશે . તેથી ઊંચા ટેક્સ સ્લેબમાં આવતા રોકાણકારોને લાભ થશે . મુંબઈ સ્થિતિ ડિસ્ટ્રિબ્યુટર મની હની ફાઇનાન્શિયલ સર્વિસિસના એમડી અને સીઇઓ અનુપ ભૈયા જણાવે છે કે ' બે વર્ષ અને તેના કરતાં ઊંચી મુદત તથા નીચી વોલેટિલિટી ઇચ્છતા હોય તેવા હાઈ ટેક્સ બ્રેકેટમાં આવતા રોકાણકારો ટેક્સના લાભ માટે આવા ફંડ્સની વિચારણા કરી શકે છે . ' તેમની ધારણા મુજબ રોકાણકારોને આવી પ્રોડક્ટ્સમાં 8થી 10 ટકાનો ફાયદો થઈ શકે છે . જો રોકાણકારોને ડેટ ફંડ્સમાં એક વર્ષ બાદ મન્થલી ઇન્કમ પ્લાન ( એમઆઇપી ) માં 10 ટકા વળતર મળે તો અને તેઓ 30 ટકાના ટેક્સ બ્રેકેટમાં આવતા હોય તો તેમનું ટેક્સ પછીનું વળતર સાત ટકા થયા છે . આની સામે કોટક ઇક્વિટી સેવિંગ ફંડ્સમાં જો 10 ટકા વળતર મળે તો તેમને સંપૂર્ણ 10 ટકા વળતર મળે છે , કારણ કે કોઈ ટેક્સ ચૂકવવો પડતો નથી ." sports,"ક્રિકેટના ભગવાન , વિશ્વના મહાન ખેલાડી , રન મશીન , માસ્ટર બ્લાસ્ટર , શતકોના શતકવીર અને બેટના બાઝીગર સચિન તેંડુલકરે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી દીધી છે . વેસ્ટ ઇન્ડિઝ સામે રમાનારી ટેસ્ટ શ્રેણીમાં તે પોતાની 200મી ટેસ્ટ મેચ રમ્યા બાદ નિવૃત્તિ લઇ લેશે . તેમણે મુંબઇમાં અંતિમ ટેસ્ટ રમવાની ઇચ્છા વ્યક્ત કરી છે . જેવા આ સમાચાર મીડિયામાં આવ્યા આખો દેશ સ્તબ્ધ રહી ગયો . કોઇને વિશ્વાસ નહોતો આવતો કે હવે તેઓ સચિન વગર ક્રિકેટ મેચ નિહાળશે . નોંધનીય છે કે , ભારત અને વેસ્ટ ઇન્ડિઝની ક્રિકેટ ટીમો વચ્ચે આગામી મહિને બે મેચોની ટેસ્ટ શ્રેણી રમાનારી છે . બીજી ટેસ્ટ મેચ 14 નવેમ્બરમાં મુંબઇમા રમાનારી છે . આ મેચ બાદ સચિન નિવૃત્તિ લેશે . આ શ્રેણીની પહેલી મેચ 6 નવેમ્બરે રમાનારી છે . જેના આયોજન સ્થળની ઘોષણા હજુ થઇ નથી . નિવૃત્તિની જાહેરાત કરતા સચિને કહ્યું કે , આ ઘણો કપરો સમય છે અને ક્રિકેટ વગરના જીવનની કલ્પના કરવી મુશ્કેક છે . સચિને કહ્યું કે , મે જીવનમાં દેશ માટે રમવાનું સ્વપ્ન સેવ્યું હતું . છેલ્લા 24 વર્ષમાં હું દરરોજ આ સ્વપ્ન જીવી રહ્યો છું . મારા માટે ક્રિકેટ વગર રહેવું અશક્ય સમાન લાગે છે , કારણ કે , 11 વર્ષની ઉમરથી હું રમત સાથે જોડાયેલો છું . દેશ માટે રમવું એ સન્માનની વાત છે , હું મારા ઘરેલું મેદાન પર 200મી ટેસ્ટ રમીને આ મહાન ખેલને અલવિદા કહેવા માગુ છું . ત્યારે આ તકે અમે સચિનની સંપૂર્ણ ક્રિકેટ યાત્રાની આછેરી ઝલક અહીં તસવીરો થકી આપી રહ્યાં છીએ ." entertainment,"આજે શિક્ષક દિવસ છે . આજનો દિવસ જેટલો શિક્ષકો માટે મહત્વનો છે , તેટલો જ તેમના શિષ્યો માટે પણ છે . આજના દિવસનો મહિમા ગાવામાં આપણી બૉલીવુડ ફિલ્મો પણ પાછળ નથી રહી . જો બૉલીવુડ ફિલ્મોએ શિક્ષકોને ગૉડ તરીકે રજૂ કર્યા , તો અનેક એવી પણ ફિલ્મો છે કે જેમાં શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેની એક નવી રિલેશનશિપ રજૂ કરવામાં આવી અને આ એવી રિલેશનશિપ હતી કે જેને સમાજમાં સ્વીકાર્ય ન ગણી શકાય . આપ વિચારતા હશો કે અમે કેવા પ્રકારની રિલેશનશિપની વાત કરી રહ્યા છે . તો આપને બતાવી જ દઇએ કે અમે તેવી ફિલ્મોની વાત કરી રહ્યા છીએ કે જેમાં શિક્ષક અને વિદ્યાર્થીની અથવા શિક્ષિકા અને વિદ્યાર્થી વચ્ચે રોમાંસ દર્શાવવામાં આવ્યો છે . આવી ફિલ્મોનો સમાજમાં અનેક વખત વિરોધ પણ થયો છે . જોકે જે ફિલ્મોમાં ટીચર - સ્ટુડન્ટના પ્રેમ વિશે સ્પષ્ટ છણાવટ કરવામાં આવી , તે ફિલ્મો હિટ રહી , પરંતુ જે ફિલ્મો આવુ કરવામાં નિષ્ફળ નિવડી , તેમનો વિરોધ થયો અને તે ફ્લૉપ પણ નિવડી . ચાલો તસવીરો સાથે જોઇએ ટીચર - સ્ટુડન્ટ વચ્ચે લવ - અફૅર દર્શાવનાર બૉલીવુડ ફિલ્મો :" sports,"નવી દિલ્હી , 22 એપ્રિલઃ દિલ્હી ડેરડેવિલ્સ ટીમે આખરે આઇપીએલ છમાં પોતાની પહેલી જીત નોંધાવી છે . વિરેન્દ્ર સેહવાગના અણનમ 95 રનની વિસ્ફોટક ઇનિંગની મદદથી ડેરડેવિલ્સે સતત છ મેચોમાં હાર મેળવ્યા બાદ ફિરોજશાહ કોટલા મેદાન પર જોરદાર પુનરાગમન કરીને લીગની 28મી અને પોતાની સાતમી મેચમાં મુંબઇ ઇન્ડિયન્સને નવ વિકેટથી હરાવ્યું . સહેવાગને મેન ઓફ ધ મેચ આપવામાં આવ્યો . સેહવાગ અને સુકાની મહિલા જયવર્ધને ( 59 ) પ્રથમ વિકેટ માટે 151 રનની ભાગીદારી નોંધાવતા પોતાની ટીમનો વિજય નિશ્ચિત કરી લીધો હતો . જે આઇપીએલ 6ની કોઇપણ વિકેટ માટેની સૌથી મોટી ભાગીદારી છે . મહિલા જયવર્ધને અને સેહવાગની વિસ્ફોટક ઇનિંગના કારણે મુંબઇ દ્વારા આપવામાં આવેલા 162 રનના પડકારને સહેલાયથી દિલ્હીએ 17 ઓવરમાં એક વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો . ડેવિડ વોર્નરે અણનમ 7 રન બનાવ્યા હતા . ગત ત્રણ મેચોમાં નિષ્ફળ રહ્યાં બાદ સેહવાગે પોતાની વિસ્ફોટક ઇનિંગમા 57 બોલમાં 13 ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા . જયવર્ધને એ પણ ડેર ડેવિલ્સના પુર્વ સુકાની સાથે તાલ મિલાવતા 43 બોલમાં આઠ ચોગ્ગા અને એક છગ્ગો લગાવ્યો હતો . જયવર્ધને લસિથ મલિંગાની ઓવરમાં એલબી આઉટ થયો હતો . મુંબઇની છ મેચોમાં આ ત્રીજી હાર છે . આ પહેલા , મુંબઇ ઇન્ડિયન્સે સચિન તેંડુલકર ( 54 ) અને રોહિત શર્મા ( 73 ) ની શાનદાર ઇનિંગની મદદથી ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા નિર્ધારીત 20 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને 161 રન બનાવ્યા . મુંબઇની વિકેટ પર નજર નાખીએ તો સ્મિથ 08 , કે કાર્તિક 02 , પોલાર્ડ 19 , રાયડુએ 2 રનનું યોગદાન આપ્યું હતું . દિલ્હી તરફથી ઉમેશ યાદવે બે અને વાન દે મોર્વેએ એક વિકેટ ઝડપી હતી ." business,"મ્યુચ્યુઅલ ફંડના નો યોર કસ્ટમર ( કેવાયસી - KYC ) ફોર્મમાં સુધારો કરવામાં આવ્યો છે . આ કારણે આપે આપની વ્યક્તિગત માહિતી અલગ ફોર્મમાં આપવાની રહે છે . સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા ( સેબી - SEBI ) એ જે જરૂરિયાતને દર્શાવી છે તેમાં વ્યક્તિએ પોતાની આવકની માહિતી અલગ ફોર્મ ભરીને આપના ફંડ હાઉસમાં આપવાની રહેશે તેવો નિર્દેશ આપ્યો છે . સેબી દ્વારા આ ખાસ બદલાવ ગયા વર્ષે ડિસેમ્બરમાં કરવામાં આવ્યો હતો . આ ફેરફાર પહેલા નામ , સરનામુ , વાર્ષિક આવક , કુલ સંપત્તિ અને આપ રાજકારણ સાથે સંકળાયેલા છો કે નહીં વગેરે જેવી વિગતો કેવાયસી ફોર્મમાં જ ભરવાની રહેતી હતી . આ કારણે કેવાયસી ફોર્મ લાંબુ બની ગયું હતું . સાથે જ આ ફોર્મ કેવાયસી રજિસ્ટ્રેશન એજન્સી ( કેઆરસી - KRC ) પાસે રહેતુ હતું . સેબીને લાગ્યું કે કેવાયસી ફોર્મમાં ફેરફાર કરવાની જરૂર છે કારણ કે આવકનું પ્રમાણ અને રોકાણકાર રાજકારણ સાથે સંબંધ ધરાવે છે કે નહીં તે માહિતી કેવાયસી ફોર્મ સાતે સુસંગત કરકવાની હતી . જો કે રોકાણકારની આવક અંગેની વિગતની જરૂર ફંડ હાઉસને છે કારણ કે તે એ તપાસ કરે છે કે રોકાણકાર તેની આવકના પ્રમાણમાં રોકાણ કરવા સક્ષમ છે કે નહીં . ફંડ હાઉસને રોકાણકારની આવકનું પ્રમાણ જાણવાની જરૂર એટલા માટે છે કે તેણે શંકાસ્પદ નાણાકીય વ્યવહારોનો રિપોર્ટ ફાઇનાન્શિયલ ઇન્ટેલિજન્સ યુનિટને નિયમિત રીતે મોકલવાનો હોય છે . ત્યાં રોકાણકારની આવક કેટલી છે તે જાણવાની જરૂર રહે છે . ફાઇનાન્શિયલ ઇન્ટેલિજન્સ યુનિટ આ વ્યવહારોનું વિશ્લેષણ કરે છે અને શંકાસ્પદ વ્યવહાર સંબંધિત અન્ય ક્ષેત્રોને તે અંગેની જાણ કરે છે . આ કારણે હવેથી કેવાયસી ફોર્મ બે ભાગોમાં મળશે . પાર્ટ 1 અને પાર્ટ 2 . પાર્ટ 1એ મુખ્ય ભાગ છે . જ્યારે પાર્ટ 2માં બાકીની અન્ય વિગતો ભરવાની હોય છે . રોકાણકારની આવક સંબંધિ માહિતી પાર્ટ 2માં ભરવાની હોય છે . આ કારણે આપે કેવાયસી ફોર્મ ભરતા સમયે આ વાત ખાસ ધ્યાનમાં રાખવાની રહેશે કે આપ આપની આવક સંબંધિત વિગતો પાર્ટ 2માં ભરો ." entertainment,"મુંબઈ , 13 જાન્યુઆરી : પતિ સંજય કપૂરથી છુટાછેડા લઈ મુંબઈ પરત ફરી ચુકેલા કરિશ્મા કપૂર બૉલીવુડમાં કમબૅક કરવા આતુર છે . જોકે થોડાક સમય પહેલા કરિશ્માએ બૉલીવુડમાં કમ્બખ્ત ઇશ્ક ફિલ્મ દ્વારા કમબૅક કરવાનો પ્રયત્ન કર્યો હતો , પરંતુ તે ફિલ્મ ખરાબ રીતે ફ્લૉપ નિવડી હતી . હવે ફરી એક વાર લાંબા બ્રેક બાદ કરિશ્મા કપૂરને સંજય લીલા ભાનુશાળીની ફિલ્મમાં એક આયટમ નંબર કરવાની તક મળી છે . ફિલ્મમાં અક્ષય કુમાર મુખ્ય ભૂમિકામાં છે . જોકે હજી સુધી આ ખબર અંગે કોઈએ પણ કોઈ ટિપ્પણી કરી નથી , પરંતુ જ્યાં સુધી સાંભળવા મળે છે , તો આ ખબર એકદમ સાચી છે . સંજય લીલા ભાનુશાળીએ અક્ષય કુમાર સાથે બનાવવામાં આવી રહેલી ફિલ્મ ગબ્બરમાં કરિશ્મા કપૂરને એક આયટમ સૉંગ કરવાની ઑફર કરી છે . ગબ્બર તામિળની હિટ ફિલ્મ રમન્નાની રીમેક છે કે જેનું દિગ્દર્શન હિન્દીમાં પણ દક્ષિણ ભારતીય ફિલ્મોના જાણીતા દિગ્દર્શક ક્રિશ કરી રહ્યાં છે . આવો તસવીરો સાથે જાણીએ વધુ વિગતો :" entertainment,"મહાનાયક અમિતાભ બચ્ચનને સને 2005માં બનેલી બ્લૅક ફિલ્મના એક દૃશ્યમાં તેમના દ્વારા થયેલ ભૂલ આજે પણ યાદ છે કે જેના અંગે તેમણે ક્યારેય ધ્યાન આપ્યું નહીં . હવે તેઓ ઇચ્છે છે કે દર્શકો આ ભૂલ ઓળખી તેમને માહિતી આપે . અમિતાભે પોતાના બ્લૉગ પર ઉપર લખ્યું - તાજેતરમાં જ ફ્લોરેંસ ખાતે યોજાયેલ રિવર ટૂ રિવર ફિલ્મ મહોત્સવના શુભારંભ માટે ફિલ્મ બ્લૅક એક વિકલ્પ તરીકે હતી . મેં આ દરમિયાન ફિલ્મ જોઈ , પોતાના કામમાં કરાયેલ જે ભૂલો મેં ઓળખી , હું ઇચ્છતો હતો કે મારી સાથે ફિલ્મ જોનારાઓ પણ તે ભૂલો જુએ . તેમણે જણાવ્યું - જે ભૂલ આપે અનુભવી છે , તે ચાલુ છે અને મને પરેશાન કરી રહી છે , પરંતુ તેમાં કંઈ પણ કરી શકાય તેમ નથી . નોંધનીય છે કે બૉલીવુડના જાણીતાં દિગ્દર્શક સંજય લીલા ભાનુશાળી દિગ્દર્શિત બ્લૅક ફિલ્મ એક દૃષ્ટિહીન તથા મૂંગી છોકરીની વાર્તા છે કે જેનો રોલ અભિનેત્રી રાણી મુખર્જીએ કર્યો હતો . અમિતાભ તેમના શિક્ષક દેરાજય સહાયની ભૂમિકમાં હતાં . અમિતાભનું કહેવું છે કે ભોજનના ટેબલ ઉપર એક પત્ર વાંચતી વખતે તેમનાથી એક ભૂલ થઈ હતી અને તેઓ ઇચ્છે છે કે લોકો તે ભૂલ ઓળખી બતાવે ." sports,"ભારતીય ક્રિકેટને અત્યારસુધી પ્રસન્ના , બિશન સિંહ બેદી , અનિલ કુંબલે અને હરભજન સિંહ જેવા અનેક દિગ્ગજ સ્પિનર મળ્યા પરંતુ આ વખતે કંઇક અનોખું થવાનું છે . ભારતીય ક્રિકેટને એક એવો બોલર મળી શકે છે , જેના વિશે કદાચ કોઇએ પહેલા વિચાર્યું હશે . રવિવારે રાત્રે ચેમ્પિયન્સ લીગ ટી20માં કોલકતા નાઇટ રાઇડર્સ અને લાહોર લાયન્સ વચ્ચે રમાયેી મેચમાં તેની ઝલક જોવા મળી . અમે વાત કરી રહ્યાં છીએ કોલકતા નાઇટ રાઇડર્સ તરફથી રમી રહેલા 19 વર્ષીય કુલદીપ યાદવની . ઉત્તર પ્રદેશના કાનપુરમાં જન્મેલો આ બોલર કોઇ સામાન્ય અથવા એક સારો સ્પિનર્સ જ નથી , તે અદ્ભૂત અથવા સૌથી અલગ છે . રવિવારે રાત્રે ચેમ્પિયન્સ લીગની મેચમાં તેણે ચાર ઓવરમાં 21 રન આપીને એક વિકેટ લીધી અને આ વિકેટ હતી લાહોર લાયન્સના સુકાની અને પાકિસ્તાન ક્રિકેટના દિગ્ગજ ઓલરાઉન્ડર મોહમ્મદ હાફિઝની . જે સ્પિન રમનારા શ્રેષ્ઠ બેટ્સમેનોમાનો એક હોવા છતાં કુલદીપની બોલને સરખી રીતે સમજી શક્યો નહીં અને કેચ આઉટ થઇ ગયો . વધુ વાંચવા તસવીરો પર ક્લિક કરો ." business,"આજકાલ ભારતમાં ઇલેક્ટ્રોનિક્સ ગુડ્સ એને આઇટી હાર્ડવેર મેકર્સમાં ચિંતા વ્યાપી છે . કારણ કે હવે લેપટોપ , ટેબલેટ , સ્કેનર , વાયરલેસ પ્રોડક્ટ્સ , કી બોર્ડ અને ગેમ્સ જેવા ઇલેક્ટ્રોનિક અને આઇટી પ્રોડક્ટ્સની 15 કેટેગરીનું વેચાણ કરતા પહેલા બીઆઇએસની ( બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ) મંજૂરી લેવાની હોય છે . આ માટેની ડેડલાઇન 15 દિવસમાં સમાપ્ત થઇ રહી છે . આ અંગે કંપનીઓનું કહેવું છે કે આઇઆઇએસ ખૂબ જ ધીમી ઝડપે કામ કરી રહ્યું છે . જેના કારણે માર્કેટમાં આઇટી હાર્ડવેર પ્રોડક્ટસની તંગી સર્જાવાની શક્યતા છે . જેના કારણે ગ્રાહકો તેમને જોઇતી બ્રાન્ડની વસ્તુઓ કદાચ ના મેળવી શકે . ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી કમ્પલસરી રજિસ્ટ્રેશન ઓર્ડર 2012 અંતર્ગત બીઆઇએસથી સેફ્ટી સ્ટાન્ડર્ડ મંજૂરી વિના ઇલેક્ટ્રોનિક્સ ગુડ્સની 15 કેટેગરીની પ્રોડક્ટનું ભારતમાં વેચાણ નહીં કરી શકાય આ ઉપરાંત તેની આયાત પણ કરી શકાશે નહીં . પ્રારંભમાં આ માટે 3 એપ્રિલની ડેડલાઇન રાખવામાં આવી હતી . મેન્યુફેક્ચર્સ એસોસિએશન ફોર ઇન્ફોર્મેશન ટેકનોલોજી ( અમએઆઇટી ) ના અનુરોધ બાદ તેને ત્રણ મહિના વધારી દેવામાં આવી હતી . હવે તેની અંતિમ તારીખ 3 જુલાઇ , 2013 છે . જો કે આ વખતે પણ કામ સમયસર પૂરું થવાની આશા નથી . આ અંગે એમએઆઇટીના પ્રેસિડેન્ટ જે વી રામમૂર્તિએ જણાવ્યું કે "" હવે ડેડલાઇનમાં માત્ર 15 દિવસ બાકી રહ્યા છે . આમ છતાં બીઆઇએસએ અત્યાર સુધીમાં માત્ર એક જ રજિસ્ટ્રેશનને મંજૂરી આપી છે . રજિસ્ટ્રેશનમાં મોડું થશે તો તેની અસર 80 જેટલી હાર્ડવેર મેન્યુફેક્ચરિંગ કંપનીઓ પર પડશે . માર્કેટનું કામકાજ અટકી જશે . એકલા લીનોવોની જ 70 મોડેલ્સ માટેની અરજી પેન્ડિંગ છે . "" મેન્યુફેક્ચર્સ બીઆઇએસ સર્ટિફિકેશનને યોગ્ય ગણાવી રહ્યા છે . પણ તેની ધીમી ગતિથી મુશ્કેલી અનુભવી રહ્યા છે . મેન્યુફેક્ચર્સનું માનવું છે કે આનાથી માર્કેટમાં હલકી ગુણવત્તાના ઉત્પાદનો પર નિયંત્રણ લાગશે . તેનાથી અસલી પ્રોડક્ટ મેન્યુફેક્ચર્સનો બિઝનેસ વધશે . પણ 3 જુલાઇ સુધી બીઆઇએસએ તમામ પ્રોડક્ટ્સના રજિસ્ટ્રેશન ના કર્યા તો મેન્યુફેક્ચર્સને મોટું નુકસાન ઉઠાવવું પડશે ." entertainment,"દિલ્હીના પત્રકાર તથા ફિલ્મકાર દીપક પાર્વતિયારની ‘આઈ એમ સ્પેશિયલ : માય વર્લ્ડ ઇઝ ડિફરંટ ' ફિલ્મે ઇટલી ખાતે યોજાયેલ આંતરરાષ્ટ્રીય લઘુ ફિલ્મ સમારંભ ઑટિઝમૂવી ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રથમ પુરસ્કાર હાસલ કર્યું છે . અમદાવાદમાં શૂટ કરાયેલ છ મિનિટ આઠ સેકેંડની આ ફિલ્મને સમારંભમમાં પ્રાઇમો ક્લાસિફિકેટો પુરસ્કારથી નવાજવામાં આવી . ઇટલી ખાતે કાગલિયારીના પાર્કો ડિ મોંટે કાર્લોમાં ગત 2જી જૂને પુરસ્કારોની જાહેરાત સાથ ફિલ્મોત્સવ સમ્પન્ન થઈ ગયું . આઈ એમ સ્પેશિયલ : માય વર્લ્ડ ઇઝ ડિફરંટ સમારંભના છેલ્લા તબક્કામાં સ્થાન પામનાર એકલી એશિયન ફિલ્મ રહી . દીપક પાર્વતિયારે એક નિવેદનમાં જણાવ્યું - મને પુરતો વિશ્વાસ છે કે ફિલ્મને મળેલી ઓળખ લાંબા વખતથી દેશમાં ભેદભાવનો ભોગ બની રહેલ ઑટિસ્ટિક બાળકો પ્રત્યે સમાજને જાગૃત કરવામાં સફળ થશે . નોંધનીય છે કે આઈ એમ સ્પેશિયલ : માય વર્લ્ડ ઇઝ ડિફરેંટ ઑટિઝ્મ પીડિત અમદાવાદના સન્ની ડિકોસ્ટાની વાર્તા છે . જ્યારે સન્ની અઢી વર્ષનો હતો , ત્યારે તેના માતા - પિતાને જાણ થઈ કે તેમની વાતો પ્રત્યે યોગ્ય પ્રત્યાઘાત નથી આપતો . તબીબી તપાસ બાદ નિદાન થયું કે સન્નીને ઑટિઝ્મ નામની બીમારી છે કે જેના વિશે માતા - પિતાએ ક્યારેય સાંભળ્યું નહોતું . દીપક પાર્વતિયાર દ્વારા નિર્મિત આ બીજી લઘુ ફિલ્મ છે . તેમની પ્રથમ ફિલ્મ દેશના એકમાત્ર નેત્રહીન એક્યુપંક્ચર તબીબના જીવન ઉપર આધારિત હતી . < center > < iframe width = "" 100 % "" height = "" 338 "" src = "" http : / / www . youtube . com / embed / FU53sn9WB4M "" frameborder = "" 0 "" allowfullscreen > < / iframe > < / center >" sports,"રાયપુર , 11 સપ્ટેમ્બરઃ મુંબઇ ઇન્ડિયન્સના કોચ જ્હોન રાઇટે પૃષ્ટિ કરી છેકે સુકાની રોહિત શર્માની આંગળી અને ખભામાં ઇજા હોવાના કારણે ચેમ્પિયન્સ લીગ ટી20 ટૂર્નામેન્ટમાં તે રમી શકશે નહીં . એવા સમાચાર મળી રહ્યાં છેકે રોહિત શર્માની અનઉપસ્થિતિમાં ટીમની કમાન હરભજન સિંહ અથવા તો કિરોન પોલાર્ડને આપવામાં આવી શકે છે . જોકે હજુ સુધી સુકાની પદને લઇને કોઇ ચર્ચા કરવામાં આવી નથી , કોચ જ્હોન રાઇટ અનુસાર આગામી 24 કલાકની અંદર ટીમના સુકાનીના નામની જાહેરાત થઇ શકે છે . જ્હોન રાઇટે બુધવારે પત્રકારો સાથે કરેલી વાતચીત દરમિયાન કહ્યું કે , અમે આ નિર્ણય ઘણા લાંબા સમયથી ટાળી રાખ્યો હતો , કારણ કે અમને એવી આશા હતી કે રોહિત શર્મા ફીટ થઇ શકે પરંતુ એવું થઇ શક્યું નથી . અમે નવા સુકાનીની જાહેરાત આગામી 24 કલાકની અંદર કરી દઇશું . અમારી પાસે એવા ખેલાડીઓ છે , જેમણે પહેલા આ ભુમિકા નિભાવી છે અને તેઓ સફળ રહ્યાં છે . આ અંગે વધુ વાંચવા માટે તસવીરો પર ક્લિક કરો . વિરાટ કોહલી બન્યો ટી20 ક્રિકેટનો બાદશાહ , ભારત બીજા નંબરે ICCએ કરી લાલ આંખ ને આ 10 બોલર પર લાગ્યો પ્રતિબંધ આ વિસ્ફોટક બેટ્સમેનોએ ટી20માં કર્યો છે છગ્ગાનો વરસાદ" business,"નવી દિલ્હીઃ આજે મળનાર સેન્ટ્ર્રલ બોર્ડ ઑફ ટ્રસ્ટની મીટિંગમાં 6 કરોડ પીએફ ખાતાંધારકોને મોટી રાહત મળી શકે છે . આજે મળનાર સીબીટીની મહત્વની બેઠકમાં EPFO નાણાકીય વર્ષે 2018 - 19 માટે પ્રોવિડેન્ટ ફંડના વ્યાજદર પર ફેસલો લેશે . ન્યૂજ એજન્સી પીટીઆઈ મુજબ આજે મળના સીબીટીની બેઠકમાં પીએફ પર વ્યાજ દર યથાવત રાખવાનો પ્રસ્તાવ આવી શકે છે . સૂત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ વ્યાજદરોમાં કોઈ કટૌતી કરવામાં નહિ આવે . જણાવી દઈએ કે નાણાકીય વર્ષે 2017 - 18માં પીએફ પર 8.55 ટકા વ્યાજ આપવામાં આવ્યું હતું , જે પાછલા 5 વર્ષમાં સૌથ ઓછું હતું . અપેક્ષા છે કે બેઠકમાં વ્યાજદર વધારવા અથવા યથાવત રાખવા પર ફેસલો થશે . શ્રમ મંત્રીની અધ્યક્ષતામાં આ બેઠક મળશે . બેઠકમાં ભવિષ્ય નિધિ જમા પરના વ્યાજદર પર નિર્ણય લેવામાં આવશે . આ બેઠકમાં બોર્ડના ફેસલા બાદ તેને નાણામંત્રી પાસે ફેસલા માટે મોકલી આપવામાં આવશે . નાણા મંત્રાલયની મંજૂરી બાદ જ વ્યાજદરને અંશધારકના ખાતામાં નાખવામાં આવશે . પીએફ ખાતાધારકોને મળશે મોટી રાહત આજે મળનારી પીએફ બોર્ડની બેઠકમાં ન્યૂનતમ પેંશનને લઈને પણ ફેસલો લેવાઈ શકે છે , જેમાં ન્યૂનતમ પેંશન વધારીને 3000 રૂપિયા કરવામાં આવી શકે છે . જો આ ફેસલો આવે છે તો તેનો સીધો લાભ 50 લાખ પેંશનધારકોને મળશે . જણાવી દઈએ કે EPFO મેંમ્બર્સને અત્યાર 1000 રૂપિયા ન્યૂનતમ પેંશન મળે છે જે વધારીને 3000 રૂપિયા કરવાનો ફેસલો લેવામાં આવી શકે છે . 21મી ફેબ્રુઆરીએ પણ મોંઘુ થયું ડીઝલ , આજે ફરી વધી પેટ્રોલની કિંમત" business,"ICICI બેંકનો ડ્રીમ એજ્યુકેશન પ્લાન માર્કેટમાં ઉપલબ્ધ અન્ય એજ્યુકેશન પ્લાન્સની સરખામણીએ અલગ છે . આ પ્લાન થોડા ઓછા ગાળા માટે છે અને વધારે અનુકૂળતા પ્રદાન કરે છે . ICICI બેંકનો ડ્રીમ એજ્યુકેશન પ્લાન કેવી રીતે કામ કરે છે ? ICICI બેંકનો ડ્રીમ એજ્યુકેશન પ્લાન એક રિકરિંગ ડિપોઝિટની જેમ કામ કરે છે . જેમાં દર મહિને આપે કેટલીક નિશ્ચિત કરેલી રકમ જમા કરાવવાની હોય છે . તેમાં લઘુત્તમ સમયગાળો 3 વર્ષનો રાખવામાં આવ્યો છે . ત્યાર બાદ આપ આપના બાળકની જરૂપિયાત અનુસાર તેમાંથી કેટલા નાણાનો ઉપયોગ કરવો અથવા મેળવવા તે નક્કી કરી શકો છો . તેમાં ત્રિમાસિક ધોરણે તથા વાર્ષિક ધોરણે નાણા મેળવી શકાય છે . ઉદાહરણ તરીકે આપે આઠ વર્ષ માટે દર મહિને રૂપિયા 3,000 જમા કરાવવાનો નિર્ણય લીધો છે . જે મુજબ 8 વર્ષ બાદ આપની પાસે અંદાજે રૂપિયા 4 લાખ જેટલી રકમ ભેગી થાય છે . ત્યાર બાદ તમે તમારી જરૂરિયાત અનુસાર દર ત્રણ મહિને રૂપિયા 55,000 ઉપાડી શકો છો . જો કે આ માત્ર ઉદાહરણ પૂરતું છે . ICICI બેંકના વ્યાજદર અલગ છે . સકારાત્મક બાબતો આ યોજનાની કેટલીક સકારાત્મક બાબતો એ છે કે તેમાં આપના નાણાની સુરક્ષા છે . સમયગાળા દરમિયાન બેંક તમને એફડી જેટલું વ્યાજ ચૂકવે છે . આ રકમની સામે આપને લોન પણ મળી શકે છે . તેમાં પ્રિમેચ્યોર ક્લોઝરની સુવિધા છે . ઉપરાંત તમે પેઆઉટ માસિક ધોરણે પણ પ્રાપ્ત કરી શકો છો . તમારા બાળકની ફીની જરૂરિયાત અનુસાર તમે તે સમયગાળામાં પણ પેમેન્ટ મેળવી શકો છો . તારણ : ICICI બેંકનો ડ્રીમ એજ્યુકેશન પ્લાનમાં ખાસ નકારાત્મક બાબતો જોવા મળી નથી . રોકાણના સમયે સ્કીમમાંથી ટીડીએસ કપાતો નથી . જો કે રોકાણના અંતમાં વ્યાજ કરપાત્ર બને છે . આમ આ યોજના લાભદાયી છે ." entertainment,"નવોદિત ફિલ્મ દિગ્દર્શક દિવ્યા ખોસલા કુમાર કહે છે કે તેમના પતિ ભૂષણ કુમાર બુદ્ધિશાળી અને ચુસ્ત ફિલ્મ નિર્માતા છે . દિવ્યા હાલ પોતાની આવનાર ફિલ્મ યારિયાંના પ્રચારમાં વ્યસ્ત છે . દિવ્યાએ આઈએએનએસ સાથે વાતચીતમાં જણાવ્યું - ભૂષણ બુદ્ધિશાળી નિર્માતા છે . તેમણે માત્ર એટલા માટે મને ફિલ્મ બનાવવાની મંજૂરી ન આપી કે હું તેમની પત્ની છું . મેં લગ્નના આઠ વર્ષ બનાવી છે . જો બધુ આટલું સરળ હો , તો હું લગ્નના બીજા કે ત્રીજા જ વર્ષે ફિલ્મ બનાવી ચુકી હોત . ટી સિરીઝના પ્રમુખ હોંકો ભૂષણ કુમારના પત્ની દિવ્યા ખોસલા કુમારની પ્રથમ દિગ્દર્શિત ફિલ્મ યારિયાંમાં રકુલ પ્રીત સિંહ એક નર્ડ એટલે કે મૂર્ખ યુવતીનો રોલ કરી રહ્યાં છે કે જે નંબર્સની બાબતમાં ખૂબ જ બુદ્ધિશાળી છે . યારિયાં ફિલ્મમાં રકુલ સાથે હિમાંશુ કોહલી , સેરાહ સિંહ , નકોલ ફરિયા , દેવ શર્મા તથા એવલીન શર્મા પણ લીડ રોલમાં છે . ચાલો તસવીરો સાથે બતાવીએ વધુમાં શું કહે છે દિવ્યા ખોસલા કુમાર :" business,આપ કોઇ નવો વ્યવસાય શરૂ કરવા જઇ રહ્યા છો અને બિઝનેસ કરવામાં નવા છો તો આપે કેટલીક સાવધાની રાખવાની જરૂર છે . આ ઉપરાંત બિઝનેસના વિકાસ માટે આપ કેવા પગલાં લો છો અને તેના માટે શું બાબતો ધ્યાનમાં રાખો છો તે પણ મહત્વનું છે . આ માટે અમે આપને નવો બિઝનેસ શરૂ કરતા પહેલા શું બાબતો જાણવી જોઇએ તે જણાવી રહ્યા છીએ . . . પહેલું પગલું આપે ભારપૂર્વક વિચારવાની જરૂર છે કે આપ જે નવો બિઝનેસ શરૂ કરવા જઇ રહ્યા છો તે પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે ? આપ શા માટે એ વ્યવસાય કરવા જઇ રહયા છો ? જો આપને આ સવાલોના સાચા જવાબ મળી ગયા તો આપ નવો બિઝનેસ શરૂ કરવામાં આત્મવિશ્વાસ વધારી શકશો . બીજું પગલું આપ પોતાનો બિઝનેસ શરૂ કરતા પહેલા પોતાની નિર્ણય ક્ષમતા અંગે વિચારો અને કામ કરો . આપને લાગે છે કે કોઇ ચોક્કસ મુશ્કેલીની સ્થિતિમાં આપને નિર્ણય લેવામાં મુશ્કેલી નડે છે તો આપ નિર્ણય લેવાની ક્ષમતા વિકસાવો . આ માટે આપના બિઝનેસના ક્ષેત્રના અનુભવી લોકોનું જીવનચરિત્ર વાંચો કે અંગે અનુભવી લોકો સાથે વાત કરો . ત્રીજું પગલું વ્યવસાય શરૂ કરવામાં ઉતાવળ કરવી નહીં . આપે વિચારવું જોઇએ કે આપની પાસે કેટલા પૈસા છે . સાથે એ પણ ગણતરી ગણવી જોઇએ કે પરિસ્થિતિ આપની વિરુદ્ધ રહી તો આપ ક્યાં સુધી પૈસાનો સાથ મેળવીને ટકી શકશો . ચોથું પગલું યોગ્ય સ્થાનની પસંદગી આપના વ્યવસાયમાં ચાર ચાંદ લગાવી શકે છે . આ માટે એવા સ્થાનની પસંદગી કરો જ્યાં આપનો વ્યવસાય ખીલી અને ફાલી શકે . આ સાથે એ પણ જુઓ કે બિઝનેસમાંથી આપને કેટલી આવક મળી શકે છે અને ભવિષ્યમાં કેવી સ્થિતિ રહેશે . પાંચમુ પગલું બિઝનેસ માટે સ્થાનની પસંદગી કર્યા બાદ આપના બિઝનેસનું માળખું કેવું રહેશે . તેની જરૂરિયાત કેવી છે તે બાબતો નક્કી કરો . ત્યાર બાદ આપને કેટલા કર્મચારીઓની જરૂર રહેશે તે નક્કી કરો . કર્મચારીઓની પસંદગી કરતા સમયે તેમનામાં લીડરશિપ અને ટીમવર્કની કેવી ભાવના છે તે ખાસ ચકાસો . એક સારી ટીમ આપના બિઝનેસની ગાડી ફૂલ સ્પીડમાં દોડાવી શકે છે . છઠ્ઠું પગલું આપે આપના બિઝનેસ માટે કેટલા કલાકો આપવા પડશે તેની પસંદગી જાતે કરો . બિઝનેસના પ્રારંભમાં જેટલી સાવધાની રાખશો અને આકરી મહેનત કરશો તેટલું સારું પરિણામ મેળવી શકશો . sports,પંજાબ પોલીએ ઓલિમ્પિક કાંસ્ય પદક વિજેતા વિજેન્દ્ર પર હેરોઇન લેવાનો આરોપ લગાવ્યો છે . વિજેન્દરે આ દરમિયાન પટિયાલામાં યોજાયેલી બે દિવસની બોક્સિંગ ટ્રાયલમાં ભાગ લીધો ન હતો . આ કારણે તેમને આગામી સમયમાં સાયપ્રસ અને ક્યુબામાં યોજાનારી ટુર્નામેન્ટની ટીમમાં પસંદ કરવામાં આવશે નહીં . આ ટુર્નામેન્ટ ઓક્ટોબરમાં કઝાકિસ્તાનના અલમાંટીમાં યોજાનારી વિશ્વ ચેમ્પિટનશિપની તૈયારીઓ માટે મહત્વની ગણવામાં આવે છે . ભારતીય એમેચ્યોર મુક્કેબાજી મહાસંઘ ( આઇએબીએફ ) એ જણાવ્યું છે કે વિજેન્દર માટે આ ટુર્નામેન્ટમાં ભાગ લેવાનું શક્ય નથી . કારણ કે તેણે ટ્રાયલમાં ભાગ નથી લીધો . ટ્રાયલમાં તેની ફિટનેસનું આકલન કરવું જરૂરી હતું . આઇએબીએફ હજી આંતરરાષ્ટ્રીય બોક્સિંગ ફેડરેશન દ્વાર પ્રતિબંઘિત છે . બીજી તરફ ભારતીય બોક્સર આંતરરાષ્ટ્રીય બોક્સિંગ ચેમ્પિયનશિપમાં એઆઇબીએફના ઝંડા અંતર્ગત જ ભાગ લઇ શકે છે . ભારતીય અધિકારીઓને ટીમ સાથે જવાની પરવાનગી નથી . આઇએબીએફ દ્વારા આશા વ્યક્ત કરવામાં આવી છે કે વિજેન્દર ડ્રગ વિવિદમાંથી સ્વચ્છ રીતે બહાર નિકળી આવશે અને પોતાની બોક્સિંગ કારકિર્દી પર ધ્યાન કેન્દ્રીત કરશે . sports,"પોતાને પાકિસ્તાન કિકેટ ટીમના કપ્તાન શાહિદ આફ્રીદીની ગર્લફ્રેન્ડ કેહવા વાળી અર્શી ખાને હાલમાં જ દાવો કર્યો હતો કે તે આફ્રીદીના છોકરાની માં બનવાની છે . આ ખુલાસા બાદ ટીમ ઇન્ડિયાની જીત પર અર્શી ખાને પોતાનો વાયદો પણ પૂરો કર્યો મોડેલ અર્શી ખાને ટીમ ઇન્ડિયા ને કરેલો વાયદો પૂરો કરતા કેમેરા સામે કપડા ઉતારી નાખ્યા હતા . અર્શી ખાને પોતાના ફેસબુક પેજ પર આ સનસની મચાવી નાખે તેવો વીડિયો પોસ્ટ કર્યો છે આ વીડિયો ખુબ જ તેજીથી સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે . આપણે જણાવી દઈએ કે અર્શી ખાને ટી20 વર્લ્ડકપમાં ટીમ ઇન્ડિયાની પાકિસ્તાન સામે ની જીત પર પોતાના કપડા ઉતારી નાખવાનો વાયદો કર્યો હતો . મારા અને આફ્રીદી વચ્ચે શારીરિક સંબધ , જલ્દી કરશું લગ્નઃ અર્શી ખાન અર્શી ખાને વાયદો કર્યો હતો કે જો ટી20 વર્લ્ડકપમાં ટીમ ઇન્ડિયા પાકિસ્તાન સામે જીતી જશે તો તે કેમેરા સામે પોતાના કપડા ઉતારી નાખશે . ટીમ ઇન્ડિયાની જીત બાદ અર્શી ખાને પોતાનો વાયદો પૂરો કરતા એક વીડિયો અપલોડ કર્યો છે . તો નીચે જુઓ અર્શી ખાનનો વીડિયો . . . ." sports,"કાર્ડિફ , 28 ઑગસ્ટઃ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઇ રહેલી વનડે શ્રેણીની બીજી મેચ કાર્ડિફ ખાતે રમાઇ હતી . આ મેચમાં બેટ્સમેન સુરેશ રૈનાની સદી , રોહિત શર્મા અને સુકાની મહેન્દ્ર સિંહ ધોનીની અડધી સદી તથા રવિન્દ્ર જાડેજાની ઉત્કૃષ્ઠ બોલિંગની મદદથી ભારતે ઇંગ્લેન્ડ સામે 133 રનથી વિજય મેળવ્યો છે . પાંચ વનડે મેચોની શ્રેણીમાં ભારત હવે 1 - 0થી આગળ છે . વનડે શ્રેણીમાં ભારતે ઇંગ્લેન્ડને ઇંગ્લન્ડમાં સાત વર્ષ બાદ હરાવ્યું છે . આ પહેલા ભારતે 2007માં ઇંગ્લેન્ડ વિરુદ્ધ વનડે શ્રેણી જીતી હતી . ઇંગ્લેન્ડે પ્રથમ ટોસ જીતીને ભારતને બેટિંગ માટે આમંત્રણ પાઠવ્યું હતું , જેમાં ભારતે છ વિકેટ ગુમાવીને 304 રન બનાવ્યા હતા . ભારત તરફથી શિખર ધવન ( 11 ) અને વિરાટ કોહલી ( 0 ) રન પર આઉટ થયા હતા , ઉક્ત બે ખેલાડીને બાદ કરતા અન્ય ભારતીય બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કરતા રોહિત શર્માએ 52 , રહાણેએ 41 , ધોનીએ 52 અને સુરેશ રૈનાએ 100 ફટકાર્યા હતા . ઇંગ્લેન્ડ તરફથી વોક્સે 4 વિકેટ લીધી હતી . જેના જવાબમાં ઇંગ્લેન્ડની ટીમ માત્ર 161 રનમાં જ ઓલઆઉટ થઇ ગઇ હતી . ઇંગ્લેન્ડ તરફથી હેલ્સે સૌથી વધારે 40 રન બનાવ્યા હતા . મહેન્દ્ર સિંહ ધોની સચિનના એક અનોખા રેકોર્ડને તોડવાની નજીક છે , તો ચાલો તસવીરો થકી આ મેચ સાથે જોડાયેલી અન્ય કેટલીક બાબતો પર પ્રકાશ પાડીએ ." entertainment,"સલમાન ખાનની એક્સ ગર્લફ્રેન્ડ કેટરીના કૈફ સલમાનની ફિલ્મ સુલતાનની સફળતાથી ઘણી જ ખુશ છે . હાલમાં જ કેટરીના એ સુલતાનની સક્સેસને સેલિબ્રેટ કરી . તે દરમિયાન કેટરીના કૈફે ખૂબ જ એન્જોય કર્યું . આખા સેલિબ્રેશન દરમિયાન ફિલ્મના ડાયરેક્ટર અલી અબ્બાસ , કબીર ખાન અને મીની માથુર તેની સાથે હતા . આ તસવીરો કબીર ખાનની પત્ની મીની માથુરે સોશ્યિલ મીડિયા પર શેર કરી છે . આપણે જાણીને હેરાની થશે કે કેટરીના કૈફને આ ફિલ્મ એટલી બધી પસંદ આવી કે તે 2 વખત ફિલ્મ જોવા પહોંચી ગયી . આવું પહેલી વાર જ બન્યું હશે કે કેટરીના કૈફ કોઈ ફિલ્મની સ્ક્રીનિંગમાં 2 વખત પહોંચી હોય . બુધવારે 6 જુલાઈએ સલમાન ખાનની ફિલ્મ સુલતાન રિલીઝ થઈ . સલમાન ખાનના ફેન્સ ઈદના દિવસે તેમની ફિલ્મને લઈને ખૂબ જ આતુર હતા એટલે બોક્સ ઓફિસ પર તેનો કમાલ તો જોવા મળવાનો જ હતો . ચારે તરફ ખાલી ને ખાલી સુલતાન ની જ વાત થઈ રહી છે . સલમાન ખાને સુલતાન ફિલ્મ ઘ્વારા તેના ફેન્સને ગિફ્ટ આપી છે . સુલતાન ફિલ્મ અલી અબ્બાસે ડાયરેક્ટ કરી છે . આ ફિલ્મમાં સલમાન ખાન સાથે અનુષ્કા શર્મા અને રણદીપ હૂડાનો પણ અગત્યનો રોલ છે ." business,"નોકરીયાત લોકો માટે એક સારા સમાચાર છે . હવે તમે ભવિષ્યનિધિ એટલે કે પીએફમાંથી ખાલી 10 દિવસની અંદર પૈસા નીકાળી શકો છો . રિટાયરમેન્ટ ફંડ મેનેજર ઇપીએફઓ એ ક્લેમ સેટલમેન્ટનો ગાળો ટૂંકો કર્યો છે . હવે તમારી ફરિયાદો , પીએફ વિથડ્રોલ , પેન્શન અને વીમાને લગતી મુશ્કેલીઓને જલ્દી જ દૂર કરવામાં આવશે . પહેલા આ માટે 20 દિવસનો સમય લાગતો હતો . જે હવે ઓછા કરીને 10 દિવસ કરી લીધો છે . ઇપીએફઓના ક્લેમ માટે સમયવિધિ 10 દિવસ અને ફરિયાદ નિવારણની અવધિ 15 દિવસ કરવામાં આવી છે . ઉલ્લેખનીય છે કે 2015માં આ પ્રક્રિયા માટે 20 દિવસની સમય સીમા નક્કી કરવામાં આવી હતી . જે હવે ટૂંકી કરીને 10 દિવસ કરવામાં આવી છે . જેનો ફાયદો ઇપીએફઓના 4 કરોડ સહભાગીઓને મળશે . વળી લોકોને સરળતા રહે તે માટે ઇપીએફઓને 1 મે 2017ના રોજ ઓનલાઇન ક્લેમ સેટલમેન્ટ સુવિધા પણ શરૂ કરી છે . આમ તમારી ફરિયાદનું નિવારણ લાવવા માટે હવે તમારી ઇપીએફઓ ઓફિસના ચક્કર નહીં લગાવવા પડે . મુખ્યત્વે ઇપીએફઓ આવી સુવિધા દ્વારા નોકરીયાતોને સારી સુવિધા આપવા માંગે છે . શ્રમ પ્રધાન બંડારુ દત્તાત્રેયે કહ્યું છે તે ઇપીએફઓમાં પારદર્શકતા ઇચ્છે છે જે માટે ફરિયાદ નિવારણ તંત્ર અને સેવા આપૂર્તિ તંત્ર મજબૂત બનાવવા પ્રયાસ કરી રહ્યા છે ." entertainment,"શિક્ષક સખત પણ હોઈ શકે અને નરમ પણ . તેઓ લોકોના હૃદયને સ્પર્શી પણ શકે છે , તો પોતાના કઠોર વચનોથી દુભાવી શકે છે . બૉલીવુડ વર્ષોથી શિક્ષકોના મહત્વને દર્શાવતુ રહ્યું છે . બૉલીવુડ ફિલ્મોમાં અમિતાભ બચ્ચન , આમિર ખાન અને નસીરુદ્દીન શાહ જેવા અભિનેતાઓએ શિક્ષકની મહત્વની ભૂમિકા ભજવી છે . આવતીકાલે 5મી સપ્ટેમ્બર એટલે કે શિક્ષક દિવસ છે . તે ઉપલક્ષ્યમાં અમે આજે આપને બૉલીવુડની કેટલીક એવી ફિલ્મોનો પરિચય કરાવીશું કે જે શિક્ષક - વિદ્યાર્થી સંબંધ આધારિત હોય . સો વર્ષોના સિનેમાની સફરમાં એમ તો ઘણી - બધી ફિલ્મો શિક્ષકો અને વિદ્યાર્થીઓના સંબંધ પર આધારિત આવી છે , પરંતુ તાજેતરના વર્ષોમાં આવેલી કેટલીક મહત્વની ફિલ્મોમાં આપણે મોહબ્બતેં કે સ્ટુડન્ટ ઑફ ધ ઈયર જેવી ફિલ્મોના નામ ગણાવી શકીએ . આ ફિલ્મોમાં શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચે લાગણી , ક્લેષ તથા પ્રેમપૂર્ણ સંબંધો દર્શાવાય હતાં . આવો જોઇએ શિક્ષક - વિદ્યાર્થી સંબંધ આધારિત ટૉપ ટેન ફિલ્મો :" entertainment,"ફરી એક વાર રણબીર કપૂર પોતાના ક્લોઝ ફ્રેન્ડ કૅટરીના કૈફ સામે હારી ગયાં છે . હવે આપ વિચારતાં હશો કે અમે આ શું કહી રહ્યાં છીએ ? તો સાંભળો . આમ કહેવા પાછળ એક ખાસ કારણ છે . હકીકતમાં ગત શુક્રવારે રિલીઝ થયેલ રણબીર કપૂર તેમજ દીપિકા પાદુકોણે અભિનીત યે જવાની હૈ દીવાની ફિલ્મે સફળતાપૂર્વક સો કરોડનો બિઝનેસ કરી લીધો છે . આ ફિલ્મે પ્રથમ જ દિવસે ધમાકેદાર ઓપનિંગ કરી હતી અને તેના કારણે ફિલ્મે સલમાન ખાનની દબંગ 2 ફિલ્મનો રેકૉર્ડ તોડી નાંખ્યો છે . યે જવાની હૈ દીવાનીએ પ્રથમ દિવસે ભારતમાં 19 કરોડની કમાણી કરી હતી , જ્યારે દબંગ 2એ માત્ર 4 કરોડ . પરંતુ સપ્તાહના કલેક્શનની વાત કરીએ તો વાયજેએચડી સલમાન - કૅટની એક થા ટાઇગર ફિલ્મનો રેકૉર્ડ તોડી શકી નથી . ઈટીટીએ માત્ર 4 - 5 દિવસોમાં જ સો કરોડ એકઠાં કરી લીધા હતાં , જ્યારે વાયજેએચડીએ આમ કરવામાં આખું અઠવાડિયુ લાગ્યું . તેથી એમ કહેવાઈ રહ્યું છે કે સલ્લુ સે જીતે , પર કૅટ સે હારે રણબીર કપૂર . હાલ તો સમીક્ષકોને પૂરતી આશા છે કે યે જવાની હૈ દીવાની ફિલ્મ સો કરોડ કરતાં વધુ બિઝનેસ કરશે . તેથી આ ફિલ્મ પાસેથી આ સપ્તાહે પણ ઘણી આશાઓ સેવાઈ રહી છે . યમલા પગલા દીવાના 2 ફિલ્મ રિલીઝ થયા બાદ પણ આવી આશા સેવાઈ રહી છે ." entertainment,"ભલે સલમાન ખાન અને કૅટરીના કૈફના રસ્તા અલગ થઈ ચુક્યાં હોય , પણ બંનેના ફૅન્સ આજે પણ બંનેને સાથે જ જોવા માંગે છે . એટલે જ તો સલમાન ખાન અને કૅટરીના કૈફ સેક્સિએસ્ટ કપલ તરીકે પસંદગી પામ્યાં છે . તાજેતરમાં હિન્દુસ્તાન ટાઇમ્સ દ્વારા દેશના યુવાનો વચ્ચે કરાવવામાં આવેલ એક સર્વે મુજબ સલમાન ખાન જીવંત સેક્સિએસ્ટ પુરુષ છે , તો તેમના ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડ કૅટરીના કૈફ જીવંત સેક્સિએસ્ટ મહિલા છે . યૂથ સર્વે 2014ના નામે કરાવવામાં આવેલ આ સર્વેમાં બૉલીવુડ અને હૉલીવુડમાંની કેટલીક સેલિબ્રિટીઓને મૂકવામાં આવી હતી . દેશના યુવાનોના મત મુજબ સલમાન - કૅટ વિશ્વના સેક્સિએસ્ટ પુરુષ - મહિલા છે . સર્વેમાં સેક્સિએસ્ટ મૅનની રેસમાં સલમાન ખાન ઉપરાંત રણબીર કપૂર , જ્હૉની ડેપ , બ્રૅડ પિટ , રૉબર્ટ ડ્રૉની જૂનિયર , રૉબર્ય પૅટિન્સન તથા ડૅનિયલ ક્રેગ પણ હતાં , તો સેક્સિએસ્ટ વુમૅનની રેસમાં કૅટરીના કૈફ ઉપરાંત દીપિકા પાદુકોણે , વિદ્યા બાલન , બિપાશા બાસુ , એંજેલિના જોલી , ચિત્રાંગદા સિંહ , બિયોન્સ તેમજ આલિયા ભટ્ટ પણ હતાં . જોકે કિક અભિનેતા સલમાન ખાન 36 ટકા વોટ સાથે , તો ધૂમ 3 અભિનેત્રી કૅટરીના કૈફ 34 ટકા વોટ સાથે પોત - પોતાની કૅટેગરીઓમાં વિજેતા રહ્યાં . સલમાન ખાન ભલે રીયલ લાઇફમાં આજે કૅટ સાથે નથી અને કૅટ રણબીર કપરની બાહોમાં છે , પણ આ સર્વેમાં સલમાને રણબીરને માત આપી પહેલુ સ્થાન હાસલ કર્યું . રણબીરને 29 ટકા જ વોટ મળ્યાં . બીજી બાજુ કૅટરીના કૈફે દીપિકા પાદુકોણેને માત આપી હતી . દીપિકાને કૅટ કરતા લગભગ અડધા એટલે કે 19 ટકા જ વોટ હાસલ થયા હતાં . જોકે દીપિકા બીજા સ્થાને જરૂર રહ્યાં . ચાલો જોઇએ સેક્સિએસ્ટ જોડી સલમાન - કૅટની તસવીરો :" business,લાઇફ ઇન્શ્યોરન્સ કોર્પોરેશનનો ઇ ટર્મ પ્લાન ( LIC E Term plan ) તાજેતરમાં રજૂ થયો છે . આ પ્લાનના નામ પરથી જ એમ લાગે છે કે તે એલઆઇસી ઇન્ડિયાની ઓનલાઇન ટર્મ ઇન્શ્યોરન્સ પોલિસી હશે . આ પોલિસી નેટ સાવી ગ્રાહકોને ધ્યાનમાં રાખીને ખાસ રીતે બનાવવામાં આવી છે . આ કારણે ઇન્ટરનેટનો ઉપયોગ કરનારા લોકોને કેટલાક ખાસ લાભ પણ મળે છે . અહીં એ ખાસ ધ્યાનમાં રાખવા જેવું છે કે તે એન્ડોવમેન્ટ પ્લાન નથી અને માત્ર ટર્મ પ્લાન છે . LIC E Term plan વિશે સૌથી મહત્વની બાબત એ છે કે તે ઓફ લાઇન પોલિસીઓની સરખામણીએ 32થી 35 ટકા સસ્તી છે . જો કે માર્જિનલી તે અન્યો કરતા મોંઘી છે . આવો જોઇએ LIC E Term planના ખાસ આકર્ષણો . . . entertainment,"પાકિસ્તાની કલાકારોને લઈને બોલિવૂડ વેહેંચાઇ ગયું છે . પરંતુ હવે અક્ષય કુમારે પાકિસ્તાની કલાકારો પર પોતાની સ્પષ્ટ નિવેદન આપી દીધું છે . ફવાદ ખાને પાકિસ્તાન જઈને કહ્યું કે ભારતીય લોકોના દિલ ખુબ જ નાના છે . ત્યારપછી તો બોલિવૂડ પણ હેરાન થઇ ચૂક્યું છે . અક્ષય કુમારે એકદમ સ્પષ્ટ નિર્ણય કર્યો છે કે તેમને પાકિસ્તાન સાથે કોઈ જ સંબંધ નથી રાખવો તેઓ એ પણ ધ્યાન રાખશે કે તેમના પ્રોડક્શનની દરેક ફિલ્મમાં કોઈ પણ પાકિસ્તાની કલાકાર ના હોય . અક્ષય કુમારના આ નિર્ણયના દેશભરમાં વખાણ થઇ રહ્યા છે . આમ પણ છેલ્લા ઘણા સમયથી અક્ષય કુમારની છબી એક દેશભક્તની ઉભરી આવી છે , પછી તે તેમની ફિલ્મોની વાત હોય કે પછી તેમના સામાજિક કાર્યો હોય . હાલમાં સલમાન ખાને પાકિસ્તાની કલાકારોના બચાવમાં નિવેદન આપ્યું હતું . જેની ચારેતરફથી નિંદા થઇ હતી ." sports,"આઇપીએલ 10 સિઝનની આજે 50મી મેચ છે , જે દિલ્હી ડેરડેવિલ્સ અને ગુજરાત લાયન્સ વચ્ચે આ મેચ હાલ કાનપુરનાં ખચાખચ ભરેલા ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં રમાઇ રહી છે . ત્યારે આ મેચની તમામ લેટેસ્ટ માહિતી જાણવા માટે આ પેજને રિફ્રેશ કરતા રહો . અહીં અમે તમને આ મેચની તમામ અપડેટ આપતા રહીશું UPDATE : ગુજરાત લાયન્સઃ ડ્વેન સ્મિથ , સુરેશ રૈના ( કેપ્ટન ) , ઇશાન કિશન , એરોન ફિન્ચ , દિનેશ કાર્તિક , રવિન્દ્ર જાડેજા , જેમ્સ ફોકનર , બાસિલ થમ્પી , અંકિત સોની , પ્રદીપ સાંગવાન , ધવલ કુલકર્ણી દિલ્હી ડેરડેવિલ્સઃ કરૂણ નાયર ( કેપ્ટન ) , સંજુ સેમસન , રિષભ પંત , શ્રેયસ અય્યર , કોરી એન્ડરસન , માર્લોન સેમ્યુઅલ્સ , પેટ કમિન્સ , અમિત મિશ્રા , મોહમ્મદ શમી , કાર્લોસ બ્રેથવેઇટ , ઝહીર ખાન" sports,"ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે વનડે શ્રેણીની બીજી મેચ કાર્ડિફ ખાતે રમાઇ રહી છે . ઇંગ્લેન્ડે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કરતા ભારતને બેટિંગ માટે આમંત્રણ પાઠવ્યું છે . ઇંગ્લેન્ડ પોતાના ટેસ્ટ પ્રદર્શનને વનડેમાં પણ જાળવી રાખવા માટે પ્રયાસો કરશે , તો બીજી તરફ ભારત ટેસ્ટના દર્દને દૂર કરવા વનડેમાં સારું પ્રદર્શન કરી જીત સાથે આગળ વધવા પ્રયત્નો કરશે . વાત કાર્ડિફના મેદાનની થઇ રહી છે , ત્યારે એ જાણવા યોગ્ય છેકે , આ મેદાનમાં રમાયેલી વનડે મેચોમાં કયા બોલર્સે સારું પ્રદર્શન કર્યું છે . આ મેદાનમાં ક્રિકેટ રમવાની શરૂઆત 1947થી થઇ હતી , ત્યારથી લઇને અત્યારસુધી આ મેદાનમાં એકપણ બોલર એવો નથી કે જે પાંચ વિકેટ મેળવવામાં સફળ રહ્યો હોય . જોકે કૂલ વિકેટની વાત કરવામાં આવે તો ઇંગ્લેન્ડો સ્ટુઅર્ટ બ્રોડે આ મેદાનમાં ચાર મેચો રમી છે અને સાત વિકેટ મેળવી છે , તો ચાલો તસવીરો થકી જાણીએ કે આ મેદાનમાં કયા બોલર્સ સફળ નિવડ્યા છે . pagespeed . lazyLoadImages . overrideAttributeFunctions ( ) ; આ પણ વાંચોઃ - ટીમ ઇન્ડિયાના યુવા ખેલાડી સંજુ સેમસનની 10 અજાણી વાતો 1975 WC : ‘અણનમ ' ગાવસ્કરના 174 બોલમાં માત્ર 36 રન ! આ પણ વાંચોઃ - . . . છતાં આ ખેલાડીઓ આગળ ન લાગ્યું ‘મહાન ' નું લેબલ pagespeed . lazyLoadImages . overrideAttributeFunctions ( ) ; function googleAnalyticsCodeCommon ( ) { var main _ url = $ ( ' link [ rel = "" canonical "" ] ' ) . attr ( "" href "" ) ; var url = document . location . href ; var pattern = ' https : / / ' + window . location . hostname ; url = url . replace ( pattern , "" "" ) ; var title = document . title ; ga ( "" oneindiagu . send "" , { hitType : "" pageview "" , page : url , location : main _ url } ) ; ga ( "" rosoneindia . send "" , { hitType : "" pageview "" , page : url , location : main _ url } ) ; ga ( "" dhoneindia . send "" , { hitType : "" pageview "" , page : url , location : main _ url } ) ; url = document . location . href ; var jcode = ' var _ comscore = _ comscore | | [ ] ; var comscoreParams = { c1 : "" 2 "" , c2 : "" 7732551 "" , c3 : "" "" , c4 : "" ' + url + ' "" , c5 : "" "" , c6 : "" "" , c15 : "" "" } ; _ comscore . push ( comscoreParams ) ; var s = document . createElement ( "" script "" ) , el = document . getElementsByTagName ( "" script "" ) [ 0 ] ; s . async = true ; s . src = ( document . location . protocol = = "" https : "" ? "" https : / / sb "" : "" http : / / b "" ) + "" . scorecardresearch . com / beacon . js "" ; el . parentNode . insertBefore ( s , el ) ; ' ; setTimeout ( jcode , 500 ) ; var _ qevents = _ qevents | | [ ] ; ( function ( ) { var elem = document . createElement ( ' script ' ) ; elem . src = ( document . location . protocol = = "" https : "" ? "" https : / / secure "" : "" http : / / edge "" ) + "" . quantserve . com / quant . js "" ; elem . async = true ; elem . type = "" text / javascript "" ; var scpt = document . getElementsByTagName ( ' script ' ) [ 0 ] ; scpt . parentNode . insertBefore ( elem , scpt ) ; } ) ( ) ; _ qevents . push ( { qacct : "" p - yjta2aSVPaHEL "" } ) ; window . google _ analytics _ uacct = "" UA - 110466 - 73 "" ; }" business,આગામી 1 જુલાઇથી સમગ્ર દેશમાં જીએસટી લાગુ કરવામાં આવશે . પણ બોલવામાં જેટલી સરળ લાગે છે તે વાત કરવામાં અનેક મુશ્કેલીઓ સામે ઊભી છે . જીએસટી લાગુ કરવા માટે સરકારની સામે અનેક મુશ્કેલીઓ છે . જેને દૂર કરવા માટે નાણાં મંત્રાલયે ખાસ તૈયારી કરી છે . મંત્રાલયે તેને લાગુ કરવા માટે અને તે સમયે આવનારી મુશ્કેલીઓને દૂર કરવા માટે મિની વોર રૂમ બનાવાનો નિર્ણય લીધો છે . આ વોર રૂમ અનેક ફોન લાઇન અને હાઇ ટેક કમ્પ્યૂટરથી જેવી સુવિધાઓથી સજ્જ હશે . જેના કારણે કોઇ પણ સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવી શકાય . સેન્ટ્રલ બોર્ડ ઓફ એક્સાઇઝ એન્ડ કસ્ટમ્સના પ્રમુખ વાનજા એન સરનાના જણાવ્યા મુજબ આ યુનિટ જીએસટી લાગુ કરવા માટે એક ક્વિક રિસોર્સનું કામ કરશે . આ મિની વોર રૂમમાં બેઠેલા યુવાઓની મદદથી કેન્દ્ર અને રાજ્ય સરકારના અધિકારીઓની તમામ મુશ્કેલીઓનું સમાધાન લાવવામાં આવશે અને તેને તેમના સવાલોના જવાબ મળશે . આ વોરરૂમ સવારે 8 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી સતત કાર્યરત રહેશે . અને જીએસટીને લઇને થનારી તમામ મુશ્કેલીઓ માટે સજ્જ રહેશે . આ વોરરૂમમાં યુવા અધિકારીઓની એક ટીમ પણ બનાવવામાં આવી છે . જે ઝડપથી આ સમસ્યાઓનું નિરાકરણ લાવી શકે . આ વોર રૂમ જીએસટી સાથે જોડાયેલી તમામ વસ્તુઓ માટે સિંગલ વિન્ડોની જેમ કામ કરશે . ઉલ્લેખનીય છે કે જીએસટી સમગ્ર દેશમાં 1 જુલાઇએ વિધિવત લાગુ કરવું એ કેન્દ્ર સરકારના મહત્વકાંક્ષી પ્રોજેક્ટોમાંથી એક છે જેને સુયોગ્ય રીતે પરિપૂર્ણ કરવા માટે સરકારે આ રીતની કટિબદ્ધતા બતાવી છે . business,"ટૂ વ્હીલર કંપની હોન્ડાએ નવરાત્રીની આ સીઝનમાં જોરદાર કમાણી કરી છે . બીજા શબ્દોમાં કહીએ તો નવરાત્રી હોન્ડાને જબરી ફળી છે . જાપાનની આ કંપનીએ નવરાત્રી દરમિયાન 52 હજાર ગાડીઓ વેચીને એક નવો રેકોર્ડ બનાવ્યા છે . અને હજી તો નવરાત્રી ચાલી જ રહી છે એટલે દશેરો સુધી પહોંચતા આ નંબરોમાં જોરદાર ઉછાળો આવશે તે વાતમાં કોઇ શંકા નથી . જાપાનની આ કંપનીએ આ રેકોર્ડ સાથે જ તેના જૂના તમામ રેકોર્ડને તોડી દીધા છે . ઉલ્લેખનીય છે કે પહેલા નોરતે જ 50 હજારથી વધુ વાહન હોન્ડાએ વેંચ્યા છે . અને આમ કરીને જ તેણે આ નવો રેકોર્ડ બનાવ્યો છે . નવરાત્રીના પહેલા દિવસે કંપનીએ કુલ 52,000 વાહન વેચ્યા છે . નોંધનીય છે કે વર્ષ 2016માં કંપનીએ નવરાત્રી અને ઉત્સવો દરમિયાન 23,702 ગાડીઓ વેચી હતી . તે મુજબ જોવા જઇએ તો કંપનીની સેલ્સ 122 ટકા વધી છે . વળી નવરાત્રી માટે હોન્ડાએ ખાસ ઓફર પણ લાવી છે . જેના કારણે પણ તેના વેચાણમાં વધારો થયો છે . આ નવરાત્રી વખતે હોન્ડોની ગાડી ખરીદવા પર તમને 7,500 રૂપિયા સુધીનો ફાયદો મળી શકે છે . વળી ઓછા વ્યાજ દર પણ કંપની આપી રહી છે . અને પ્રોસેસિંગ ફી તથા ડોક્યૂમેન્ટેશન ફી પણ શૂન્ય કરી દીધી છે . અને સરકારી તથા પીએસયૂ કર્મચારીઓને કંપની વધારાનું કેશબેક પણ આપી રહી છે . આ તમામ કારણોએ તેનું વેચાણ વધાર્યું છે . વળી દશેરા અને નવરાત્રી દરમિયાન વાહન લેવું ખૂબ જ શુભ મનાઇ છે . ત્યારે આ તમામ પરિબળોએ હોન્ડાને ચોખ્ખો નફો અપાવ્યો છે ." entertainment,સલમાન ખાન અને સોનાક્ષી સિન્હા વચ્ચે છેલ્લા ઘણા સમયથી અનબન ચાલી રહી છે . પરંતુ હાલમાં જ ફિલ્મ અકિરા ના સોન્ગ પ્રમોશન દરમિયાન જયારે સોનાક્ષી સિન્હાને સલમાન ખાન વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેને ચૂપ રહેવાનું જ પસંદ કર્યું . અફવાહોનું માન્યે તો અરબાઝ ખાનની ફિલ્મ ડોલી કી ડોલી ફિલ્મ માટે સોનાક્ષી સિન્હાએ ના પાડી દીધી હતી . ત્યારથી જ સલમાન ખાને સોનાક્ષી સાથે અંતર વધારી દીધું હતું . પરંતુ હાલમાં જ અરબાઝ ખાને તેની આવનારી ફિલ્મ દબંગ 3 માટે સોનાક્ષી સિન્હાને ફાઈનલ કરવાની વાત કહી છે . જયારે સોનાક્ષી સિન્હાને દબંગ 3 માટે પૂછવામાં આવ્યું . ત્યારે તેને કહ્યું કે તેના વિશે અરબાઝ ખાન સાથે જ વાત કરે મને તેના વિશે કઈ જ ખબર નથી . સોનાક્ષીની વાત પરથી લાગી રહ્યું છે કે તે ખાન પરિવાર વિશે કોઈ જ વાત નથી કરવા માંગતી . તો જાણો કોની કોની સાથે સલમાન ખાનની અનબન ચાલી રહી છે . . . sports,ભારત અને ઇંગ્લેંડ વચ્ચે રમાઇ રહેલ ટેસ્ટ મેચનો આજે ત્રીજો દિવસ મુરલી વિજયની વિકેટ પડતાની સાથે ખતમ થયો . ત્રીજા દિવસે ભારત તરફથી ચેતેશ્વર પૂજારાએ પોતાના કેરિયરની 9 મી સદી અને મુરલી વિજયે 7મી ટેસ્ટ સદી ફટકારી . ભારત 300 રનને પાર પહોંચી ગયુ છે અને તેની 6 વિકેટ હજુ પણ હાથમાં છે . પરંતુ હજુ તે ઇંગ્લેંડથી 218 રન પાછળ છે . આ પહેલા ભારતના દિવસની શરુઆત સારી નહોતી રહી . ગૌતમ ગંભીર દિવસની બીજી ઓવરમાં જ આઉટ થઇ ગયો હતો . ત્યારબાદ મુરલી વિજય અને ચેતેશ્વર પૂજારાએ શાનદાર પાર્ટનરશીપ કરી . આ પાર્ટનરશીપના દમ પર ભારત 300 ને પાર પહોંચ્યુ . ત્રીજા દિવસનો ખેલ ખતમ થવા સુધી ભારતે પોતાનો દાવ 108.3 ઓવર રમીને 4 વિકેટના નુકશાન પર 319 રન બનાવી લીધા છે . ચોથા દિવસના ખેલમાં ભારતની સામે ઇંગ્લેંડના લક્ષ્યને ચેઝ કરવાની સાથે તેને સારો એવો ટાર્ગેટ પણ આપવો પડશે . પૂજારાએ 169 બોલ પર 15 ચોગ્ગાની મદદથી સદી ફટકારી . બીજા છેડે મુરલી વિજયે 254 બોલ પર 8 ચોગ્ગા અને 3 છક્કાની મદદથી સદી ફટકારી . ગંભીરની વિકેટ પડ્યા બાદ આ બંનેએ ભારતનો દાવ સંભાળી લીધો . ત્યારબાદ ચેતેશ્વર પૂજારા સ્ટોક્સના બોલ પર 124 રન બનાવીને આઉટ થઇ ગયો . મુરલી વિજય પણ આદિલ રશીદના બોલ પર 126 રન બનાવીને આઉટ થઇ ગયો . હવે વિરાત કોહલી અને અમિત મિશ્રા ક્રીઝ પર છે . ત્રીજા દિવસે ભોજનકાળ સુધી ભારતે પહેલી ઇનિંગમાં એક વિકેટ ગુમાવીને 162 રન બનાવ્યા હતા . અમિત મિશ્રા ( 0 ) અને વિરાટ કોહલી ( 26 ) ક્રીઝ પર છે . ભારતને પહેલો ઝટકો દિવસની બીજી ઓવરમાં જ ગૌતમ ગંભીરના રુપમાં લાગ્યો . તેમને 29 રનના સ્કોર પર સ્ટુઅર્ટ બ્રોડે એલબીડબલ્યૂ કરી દીધો . અત્યારે ભારતનો સ્કોર 4 વિકેટ પર 319 રન છે અને તે હજુ પણ 218 રન પાછળ છે . ઉલ્લેખનીય છે કે બીજા દિવસના ખેલની સમાપ્તિ સુધી ઇંગ્લેંડે ભારત સામે પોતાના પહેલા દાવમાં બધી વિકેટ ગુમાવીને 537 રનનો વિશાળ સ્કોર બનાવી દીધો હતો . ક્રિકેટ વિશેષગ્નોનું માનવુ છે કે આજે વિકેટ ટર્ન લઇ શકે છે માટે બેટ્સમેનોએ સંભાળીને રમવાની જરુર છે . business,"નોન બેંકિંગ ફાઇનાન્શિયલ કંપનીઓ ( NBFCs ) કેટલીક શરતોને આધિન નોન રિસેડેન્ટ ઇન્ડિયન્સ ( NRIs ) તરફથી ડિપોઝિટ સ્વીકારી શકે છે . NRI આ ડિપોઝિટ્સ નોન રેસિડેન્ટ ઓર્ડિનરી ( NRO ) એકાઉન્ટમાંથી જમા કરાવી શકે છે . એક અન્ય રીતે પણ NRIs ભારતીય કંપનીઓમાં ડિપોઝિટ રોકી શકે છે . આ શરત છે કે NRIsની ડિપોઝિટ પ્રિન્સિપાલ કે વ્યાજનમી રકમ નોન રેસિડેન્ટ એક્સટર્નલ ( NRE ) એકાઉન્ટમાંથી ઉપાડ કરી શકાશે નહીં . આ ડિપોઝિટમાંથી પ્રાપ્ત રકમ પણ બિન પ્રત્યાવર્તી છે . આ માટે અહીં NRE અને NRO એકાઉન્ટ વચ્ચેનો ભેદ દર્શાવ્યો છે . ઉપરની શરતો સિવાય NBFCs દ્વારા NRIsની ડિપોઝિટ સ્વીકારવામાં આવતી નથી . જો કે પહેલાથી NRIsની કોઇ ડિપોઝિટ હોય તો તેને રિન્યુ કરી શકાય છે . NBFCsના કેટલા પ્રકાર છે તે જાણવા આગળ વાંચો . NBFCsમાં ડિપોઝિટ રાખતા પહેલા આપે NBFCsનો રેટ ચકાસવો પડશે . આમ એટલા માટે કે અન રેટેડ NBFCs ડિપોઝિટ સ્વીકારશે નહીં . NBFCsને વિવિધ રેટિંગ એજન્સીઓ જેવી કે ક્રિસિલ , તેક . આક્રા , ફિચ , રેટિંગ્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ અને બ્રિક વર્ક રેટિંગ્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ તરફથી રેટિંગ પ્રાપ્ત થયું હોવું જોઇએ . જો NBFCsનું રેટિંગ ઓછું હોય તો તે ડિપોઝિટ સ્વીકારી શકતી નથી . NBFCs ડિપોઝિટ મુકતા પહેલા આ બાબતો ધ્યાનમાં રાખો તારણ : કોઇ પણ NRIs દ્વારા ભારતમાં ડિપોઝિટ મૂકતા પહેલા ઉપરની બાબતો ચેક કરી લેવી જોઇએ . આ ઉપરાંત રેટિંગ કંપનીના રેટિંગ્સ પણ ચકાસી લેવા જોઇએ . આ ઉપરાંત NRE નહીં પણ NRO એકાઉન્ટ સંબંધિત મર્યાદાઓને પણ ધ્યાનમાં લેવી જોઇએ ." sports,"pagespeed . lazyLoadImages . overrideAttributeFunctions ( ) ; કોલંબો , 3 ઓક્ટોબરઃ વેસ્ટઇન્ડીઝના વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેઇલના હોટેલના રૂમમાંથી ત્રણ બ્રિટિશ યુવતીઓની ધરપકડ કરવામાં આવી છે . રૂમમાં યુવતીયોની સાથે ગેઇલ ઉપરાંત એન્ડ્ર્યુ રસેલ , અને એડવર્ડ પણ હાજર હતો . આ યુવતીઓને વધુ તપાસ માટે પોલીસના હવાલે કરી દેવાઇ છે . પોલીસે જણાવ્યું કે આ અંગે આઇસીસીએ કોઇ વાંધો ઉઠાવી ફરીયાદ નોંધાવી નથી . જોકે સામાન્ય પૂછતાછ બાદ આ યુવતીયોને છોડી મૂકાઇ હતી . વેસ્ટઇન્ડિઝની ટીમે ટી - ટ્વેન્ટી વર્લ્ડકપના સેમિફાઇનલમાં સ્થાન મેળવી લીધું છે અને શુક્રવારે તેનો મુકાબલો ઓસ્ટ્રેલિયા સામે થશે . pagespeed . lazyLoadImages . overrideAttributeFunctions ( ) ; function googleAnalyticsCodeCommon ( ) { var main _ url = $ ( ' link [ rel = "" canonical "" ] ' ) . attr ( "" href "" ) ; var url = document . location . href ; var pattern = ' https : / / ' + window . location . hostname ; url = url . replace ( pattern , "" "" ) ; var title = document . title ; ga ( "" oneindiagu . send "" , { hitType : "" pageview "" , page : url , location : main _ url } ) ; ga ( "" rosoneindia . send "" , { hitType : "" pageview "" , page : url , location : main _ url } ) ; ga ( "" dhoneindia . send "" , { hitType : "" pageview "" , page : url , location : main _ url } ) ; url = document . location . href ; var jcode = ' var _ comscore = _ comscore | | [ ] ; var comscoreParams = { c1 : "" 2 "" , c2 : "" 7732551 "" , c3 : "" "" , c4 : "" ' + url + ' "" , c5 : "" "" , c6 : "" "" , c15 : "" "" } ; _ comscore . push ( comscoreParams ) ; var s = document . createElement ( "" script "" ) , el = document . getElementsByTagName ( "" script "" ) [ 0 ] ; s . async = true ; s . src = ( document . location . protocol = = "" https : "" ? "" https : / / sb "" : "" http : / / b "" ) + "" . scorecardresearch . com / beacon . js "" ; el . parentNode . insertBefore ( s , el ) ; ' ; setTimeout ( jcode , 500 ) ; var _ qevents = _ qevents | | [ ] ; ( function ( ) { var elem = document . createElement ( ' script ' ) ; elem . src = ( document . location . protocol = = "" https : "" ? "" https : / / secure "" : "" http : / / edge "" ) + "" . quantserve . com / quant . js "" ; elem . async = true ; elem . type = "" text / javascript "" ; var scpt = document . getElementsByTagName ( ' script ' ) [ 0 ] ; scpt . parentNode . insertBefore ( elem , scpt ) ; } ) ( ) ; _ qevents . push ( { qacct : "" p - yjta2aSVPaHEL "" } ) ; window . google _ analytics _ uacct = "" UA - 110466 - 73 "" ; }" business,"જો તમને બેંક સાથે જોડાયેલું કામ છે અને તેને તમે લંબાવી રહ્યા છો તો જરા પણ સમય ગુમાવ્યા વિના તેને આજે જ પતાવી દો , નહીં તો તમને પરેશાની વેઠવી પડી શકે છે . ખરેખર આવનારા બે દિવસ એટલે કે 8 અને 9 જાન્યુઆરી બેંકોની હડતાલ છે અને તેને કારણે બેંકોનું બધું જ કામ ઠપ્પ રહેશે . છેલ્લા કેટલાક દિવસ પહેલા બેંક કર્મચારીઓની હડતાળને કારણે ડિસેમ્બરમાં છેલ્લા 10 દિવસમાં 5 દિવસ બેંક બંધ હતી . હવે ફરી એકવાર વર્ષ 2019 શરૂઆતમાં બેન્કની હડતાલ થઇ રહી છે . 8 અને 9 જાન્યુઆરી દરમિયાન સાર્વજનિક ક્ષેત્રંનાં બેંક કર્મચારી હડતાલ પર છે . તેવી સ્થિતિમાં બેંકોનું કામ પ્રભાવિત થશે . મંગળવાર અને બુધવારે સરકારી બેંકોના કર્મચારીઓ હડતાલ પર રહેશે . તેને કારણે કરોડો - અરબો રૂપિયાના લેવડદેવડ પર પ્રભાવ પડશે . SBI ના ઝીરો બેલેન્સ એકાઉન્ટ ( BSBD ) પર મળતો વ્યાજ દર અને અન્ય નિયમો અહીં તમને જણાવી દઈએ કે આ બે દિવસની હડતાલ દરમિયાન પ્રાઇવેટ બેંકોનું કામકાજ ચાલુ રહેશે . યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન ઘ્વારા જણાવ્યા અનુસાર વિજયા બેંક , દેના બેંક અને બેંક ઓફ બરોડાના મર્જર વિરુદ્ધ બેન્ક કર્મચારીઓ ઘ્વારા હડતાલ કરવામાં આવી છે . EPFO વ્યાજદરમાં વધારો કરી શકે છે , 6 કરોડ સબ્સ્ક્રાઇબરોને આ મહિનાથી લાભ થશે" sports,"સાઉથમ્પટન ખાતે ભારત - ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ શ્રેણીની ત્રીજી ટેસ્ટ રમાઇ રહી છે . જેમાં ટોસ જીતીને ઇંગ્લેન્ડે પ્રથમ બેટિંગ કર્યું છે . બીજા દિવસની રમત શરૂ થઇ ગઇ છે અને ઇંગ્લેન્ડે બે વિકેટ ગુમાવીને 301 રન બનાવી લીધા છે . ઇંગ્લેન્ડ તરફથી એલિસ્ટર કૂકે ફોર્મ પરત મેળવતા 95 રનની ઇનિંગ રમી તો બીજી તરફ બેલેન્સ 134 રન સાથે રમતમાં છે અને તેનો સાથ શાનદાર રીતે ઇયાન બેલ આપી રહ્યો છે . ઇયાન બેલ 40 રન સાથે રમતમાં છે . આ પહેલા પ્રથમ દિવસે ઇંગ્લેન્ડે 2 વિકેટ ગુમાવીને 247 રન બનાવી લીધા હતા . ભારતીય બોલિંગની વાત કરવામાં આવે તો લોર્ડ્સ ટેસ્ટમાં જે પ્રકારની બોલિંગ ભારતીય બોલર્સ દ્વારા કરવામાં આવી હતી , તેવી બોલિંગ આ ટેસ્ટમાં જોવા મળી રહી નથી . પોતાની પહેલી ટેસ્ટ રમી રહેલા પંકજ સિંહે પણ કોઇ ખાસ પ્રતિભા દર્શાવી નથી . તેમ છતાં પહેલા દિવસની વાત કરીએ તો મહેન્દ્ર સિંહ ધોની અને કૂક સહિત પકંજ સિંહ અને ગેરી બેલેન્સે કેટલાક રેકોર્ડ બનાવ્યા છે . તો ચાલો તસવીરો થકી આ રેકોર્ડ પર એક નજર ફેરવીએ . જાણો , જાડેજાની કઇ વાતની ઇંગ્લેન્ડ સુકાની કૂકે લીધી હતી નોંધ જાડેજા - એન્ડરસન વિવાદઃ ધોની - કૂકને આઇસીસીની અપીલ" sports,"પોતાની શાનદાર બોલિંગની મદદે પૂણે વોરિયર્સને સસ્તામાં સમેટી લીધા બાદ 113 રનોના સરળ લક્ષ્યને મુંબઇ ઇન્ડિયન્સે ધૈર્યપૂર્વક બેટિંગ કરી 18.5 ઓવરોમાં હાસલ કરી લીધું . મુંબઇના ઝડપી બોલર મિશેલ જોનસનને પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ કરાયા . જોનસને બેની એવરેઝથી 8 રન આપીને બે વિકેટ લીધી . આની સાથે જ મુંબઇ ઇન્ડિયન્સે ઇન્ડિયન પ્રીમિયર લીગની છઠ્ઠી સિઝનમાં 58માં મુકાબલામાં સુબ્રોતો રોય સહારા સ્ટેડિયમમાં શનિવારે પૂણે વોરિયર્સ પર પાંચ વિકેટથી જીત નોંધાવીને પોઇન્ટ ટેબલમાં બીજું સ્થાન પોતાના નામે કરી લીધું છે . પૂણે માટે મેંડિસ તથા યુવરાજ સિંહે સારી એવી બોલીંગ કરી પરંતુ જીત માટે સરળ લક્ષ્યને હાંસિલ કરથી તેઓ મુંબઇને રોકી શક્યા નહીં . ડિંડા બે વિકેટ લેવામાં સફળ રહ્યો . પૂણે તરફથી સર્વાધિક રન યુવરાજ સિંહે 33 અને મનીષ પાંડેએ 29 રન બનાવ્યા હતા . જ્યારે મુંબઇ તરફથી સર્વાધિક રન રોહિત શર્મા 37 અને અંબાતી રાયડૂએ 26 રનોનું યોગદાન આપ્યું હતું . જ્યારે જોન્સન , અહેમદ અને મલિંગાએ 2 - 2 વિકેટ ઝડપવામાં સફળ રહ્યા હતા ." sports,"રમત વિભાગ દ્વારા ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુનું નામ પદ્મ ભૂષણ સન્માન માટે રજૂ કરવામાં આવ્યું છે . રિયો ઓલમ્પિક્સમાં ભારતને સિલ્વર મેડલ જીતાડનાર પીવી સિંધુએ હાલમાં જ કોરિયા ઓપન ચેમ્પિયનશિપ જીતીને સૌના મન જીતી લીધા હતા . ગત વર્ષે પણ પીવી સિંધુએ ચીન ઓપન જીતી હતી અને આ વર્ષે ઇન્ડિયા ઓપન પણ જીતી હતી . સુપર સીરિઝ સિવાય સિંધુએ ગ્લાસગો વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પણ સિલ્વર મેડલ જીત્યુ હતું . તેની આ ઉપલબ્ધિઓને ધ્યાનમાં રાખીને જ રમત વિભાગ દ્વારા પીવી સિંધુનું નામ દેશના ત્રીજા સૌથી મોટા સન્માન માટે રજૂ કરવામાં આવ્યું છે . સિંધુને મળ્યુ હતું પદ્મશ્રીનું સન્માન માર્ચ 2015માં પીવી સિંધુને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવી હતી . આ સિવાય તેમને વર્ષ 2016માં રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ અને 2013માં અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી . ઉલ્લેખનીય છે કે , આ પહેલાં બીસીસીઆઈ તરફથી મહેન્દ્ર સિંહ ધોનીનું નામ પદ્મ ભૂષણ એવોર્ડ માટે રજૂ કરવામાં આવ્યું હતું . બીસીસીઆઈ તરફથી ધોની સિવાય અન્ય કોઇ ખેલાડીના નામનો પ્રસ્તાવ કરવામાં નથી આવ્યો ." sports,"આઇપીએલ 10 સિઝનની આજે 24મી મેચ છે , જે સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાઇઝિંગ પૂણે સુપરજાઇન્ટસ વચ્ચે આ મેચ હાલ પુણેનાં ખચાખચ ભરેલા સ્ટેડિયમમાં રમાઇ રહી છે . ત્યારે આ મેચની તમામ લેટેસ્ટ માહિતી જાણવા માટે આ પેજને રિફ્રેશ કરતા રહો . અહીં અમે તમને આ મેચની તમામ અપડેટ આપતા રહીશું . Update : સનરાઇઝર્સ હૈદરાબાદઃ ડેવિડ વોર્નર ( કેપ્ટન ) , શિખર ધવન , કેન વિલિયમસન , હેનરિક્સ , દિપક હુડ્ડા , નમન ઓઝા , રાશિદ ખાન , બિપુલ શર્મા , ભૂવનેશ્વર કુમાર , મોહમ્મદ સિરાઝ , સિદ્ધાર્થ કૌલ રાઇઝિંગ પુણે સુપરજાયન્ટઃ અજિંક્ય રહાણે , રાહુલ ત્રિપાઠી , સ્ટીવ સ્મિથ ( કેપ્ટન ) , મહેન્દ્રસિંહ ધોની , બેન સ્ટોક્સ , ક્રિશ્ચિયન , મનોજ તિવારી , વોશિંગ્ટન સુન્દર , શાર્દુલ ઠાકુર , ઇમરાન તાહિર , જયદેવ ઉનડકટ" entertainment,"મુંબઈ , 28 સપ્ટેમ્બર : જગતમાં ભગવાનના અસ્તિત્વ મુદ્દે અગાઉ પણ ઘણી ફિલ્મો બનાવવામાં આવી છે અને તે બધી ફિલ્મો લોકોએ ઘણી પસંદ પણકરી છે , પરંતુ આ વખતે અક્ષય કુમારે જે રીતે ગૉડને ફિલ્મની મુખ્ય થીમ બનાવી બધા પાત્રોને વણ્યાં છે અને કૉમેડીનો તડકો લગાવ્યો છે , તે જોતાં દરેકના મોંમાંથી સરી પડશે ઓહ માય ગૉડ ! ઉમેશ શુક્લા દ્વારા દિગ્દર્શિત ઓહ માય ગૉડ ( ઓએમજી ) પ્રસિદ્ધ ગુજરાતી નાટક કાનજી વર્સિસ કાનજી પર આધારિત છે . આ સમગ્ર ફિલ્મ એક કૉમેડી ડ્રામા છે કે જે લોકોને એ વાતની પ્રતીતિ કરાવે છે કે તેઓએ ભગવાનને પ્રેમ કરવો જોઇએ . ફિલ્મનો સંદેશ છે કે ભગવાન કોઈ મૂર્તિ કે તસવીરમાં નથી , પણ ભગવાન આપણી ભીતરમાં જ છે . કહેવાનો મતલબ એ છે કે ભગવાન નિર્ગુણ નિરાકાર છે . જે માણસ સાચા હૃદયે ભગવાનને માને છે , ભગવાન તેની બધી મુશ્કેલીઓ દૂર કરે છે . આ ફિલ્મની સ્ક્રિપ્ટ ભાવેશ માંડલિયાએ લખી છે . વાર્તા - ઓહ માય ગૉડની વાર્તાની રૂપરેખા કાનજીભાઈ ઉપર તૈયાર કરાઈ છે કે જે એક એંટિક શૉપનો માલિક હોય છે . તેને માટે ભગવાન અને ધર્મનો કોઈ મતલબ નથી . તે જૂની દેખાતી ભગવાનની મૂર્તિઓ અને અન્ય વસ્તુઓ ખરીદે છે અને તેને એંટિક પીસ બતાવી બમણા ભાવે વેચે છે . ગૉડ તેના માટે સૌથી વધુ પૈસા લાવનાર સાધન છે . એક દિવસ શહેરમાં ભૂકમ્પ આવે છે અને ઘણાં મકાનો - દુકાનો સાથે કાનજીભાઈની દુકાન પણ તુટી જાય છે . જ્યારે ઇંશ્યોરેંસ કમ્પની કાનજીભાઈની દુકાન ધરાશાયી થતા થયેલ નુકસાનનું વળતર આપવાનો ઇનકાર કરી દે છે . કાનજીભાઈ ગૉડને પોતાના નુકસાન માટે જવાબદાર ઠેરવી તેની વિરુ્દ્ધ કેસ કરી દે છે . તે બધા મોટા પુજારીઓને પણ કાનૂની નોટિસ પાઠવે છે . પછી શું થાય છે અને કાનજીભાઈનો વિશ્વાસ કઈ રીતે ભગવાન પ્રત્યે પરત ફરે છે ? એ જાણવા જોવી પડશે ઓહ માય ગૉડ . ફિલ્મમાં પરેશ રાવલે કાનજીભાઈનું અને અક્ષય કુમારે કૃષ્ણા વાસુદેવ એટલે કે ગૉડનું પાત્ર ભજવ્યું છે . આ ઉપરાંત સોનાક્ષી સિન્હા , મિથુન ચક્રવર્તી , પૂનમ ઝાવેર , ગોવિંદ નામદેવ , મહેશ માંજરેકર , નિધિ સુબ્બાહ અને મુરલી શર્મા પણ સપોર્ટિંગ રોલમાં છે . સાથે - સાથે સોનાક્ષી સિન્હાએ પણ ફિલ્મમાં એક આઇટમ પરફૉર્મન્સ આપ્યું છે . અભિનય - અક્ષય અને પરેશ રાવલની જોડી સૌપ્રથમ હેરાફેરી સિરીઝમાં પોતાનો જાદુ ચલાવી ચુકી છે . આ વખતે પણ બંનેની જોડી બૉક્સ ઑફિસે ધમાલ મચાવનાર છે . અક્ષય આ વખતે કમ્પ્લીટ સરપ્રાઇઝ પેકેજ તરીકે નજરે પડશે . ભગવાનના પાત્રમાં અક્ષયે જોરદાર કૉમેડી કરી છે . બીજી બાજુ પરેશ રાવલ કે જે શ્રેષ્ઠ કૉમેડિયન છે તેમણે પણ કાનજીભાઈ બની બહુ હસાવ્યા છે . તેમના સંવાદો અને ભાવો દરેક સીનમાં બહેતરીન છે . વિવાદ - એમ તો ઓહ માય ગૉડ અંગે અત્યાર સુધી કોઈ પણ પ્રકારનો ગંભીર વિવાદ સામે નથી આવ્યો , પરંતુ આમ છતાં તાજેતરમાં જ સમાચાર આવ્યા હતાં કે કોઈકે ઓએમજી વિરુદ્ધ પોલીસ કેસ નોંધાવ્યો છે , જેમાં જણાવાયું છે કે આ ફિલ્મમાં ભગવાનના નામે મજાક કરવામાં આવી છે અને ભારતીયોની લાગણીઓને દુભાવવામાં આવી છે ." sports,"ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે આઇસીસી અંડર - 19 ક્રિકેટ વર્લ્ડ કપની ફાયનલ મેચ ન્યૂઝીલેન્ડના ઓવલમાં રમાઇ હતી . ભારતે ઑસ્ટ્રેલિયાને 8 વિકેટથી માત આપી ચોથી વાર આ ખિતાબ પર કબજો જમાવ્યો હતો . આ આખી ટૂર્નામેન્ટમાં અજેય રહેલ ટીમ ઇન્ડિયાએ ફાયનલમાં ઑસ્ટ્રેલિયાને એકતરફી હરીફાઇમાં માત આપી હતી . ભારતના શુબમન ગિલ પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ બન્યા હતા અને મંજોત કાલરાને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા હતા . મંજોત કાલરાએ આ મેચમાં સદી ફટકારી હતી . ઑસ્ટ્રેલિયાની ટીમ 47.2 ઓવરમાં 216 રન ફટકારી ઓલઆઉટ થઇ હતી અને ભારતને 217 રનનો લક્ષ્યાંક આપ્યો હતો . ઑસ્ટ્રેલિયાની ટીમે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો . મંજોત કારલાની સદીએ જ ભારતને પોતાના લક્ષ્યાંક સુધી પહોંચવામાં મદદ કરી હતી અને ગુજરાતના ખેલાડી હાર્વિક દેસાઇએ પણ શાનદાર રમતનું પ્રદર્શન કર્યું હતું . ભારતીય ટીમ ( પ્લેઇંગ ઇલેવન ) : પૃથ્વી શૉ ( કપ્તાન ) , મંજોત કારલા , શુબમન ગિલ , હાર્વિક દેસાઇ ( કીપર ) , રિયાન પરાગ , અભિષેક શર્મા , અનુકૂ રાય , કમલેશ નાગરકોટી , શિવમ મવી , શિવા સિંહ , ઈશાન પોરેલ ઑસ્ટ્રેલિયન ટીમ ( પ્લેઇંગ ઇલેવન ) : જેક એડવર્ડ્સ , મેક્સ બ્રાયંટ , જેસન સંઘા ( કપ્તાન ) , જોનાથન મેર્લો , પરમ ઉપ્પલ , નેથન મેકસિની , વિલ સદરલેન્ડ , બેક્સટર જે હોલ્ટ ( કીપર ) , જેક ઇવાન્સ , રયાન હેડલી , લૉયડ પોપ" sports,"2011ના વિશ્વકપ બાદ અનેક દિગ્ગજ ખેલાડીઓએ ક્રિકેટ ક્ષેત્રમાંથી નિવૃત્તિ લીદી છે , સચિન તેંડુલકર , રિકી પોન્ટિંગ , મહિલા જયવર્ધને , રાહુલ દ્રવિડ , જેક કાલિસ સહિત અનેક એવા નામો છે , જેમના વગર ક્રિકેટનું મેદાનમાં સન્નાટો છવાયો છે , આ લોકો માત્ર ક્રિકેટર્સ જ નહીં પરંતુ એવા ખેલાડી અને રોલ મોડલ્સ પણ હતા કે જેમને રમતા જોઇને અનેક યુવાનો ક્રિકેટ ક્ષેત્રને પોતાની કારકિર્દી બનાવવાનું સ્વપ્ન જોવા લાગ્યા છે . જોકે આ ખેલાડીઓની ખોટ પૂરવા માટે કેટલાક યુવા ચેહારો વિશ્વ ક્રિકેટમાં દસ્તક કરી રહ્યાં છે અને એ ખાલી પડેલા સ્થાનને ભરવાની પ્રતિભા ધરાવે છે . આજે અમે અહીં તસવીરો થકી એવા જ પાંચ ખેલાડીઓ અંગે જણાવી રહ્યાં છે , જેને ભવિષ્યના સ્ટાર ખેલાડી તરીકે જોવામાં આવી રહ્યાં છે . pagespeed . lazyLoadImages . overrideAttributeFunctions ( ) ; વિરાટ કોહલી અને અનુષ્કા વચ્ચે બીસીસીઆઇ બન્યુ ‘એક વિલન ' ‘ધ વૉલ ' પર BCCIની નજર , દ્રવિડ લેશે ફ્લેચરનું સ્થાન ? આ પણ વાંચોઃ - ટીમ ઇન્ડિયાના ડિરેક્ટર રવિ શાસ્ત્રીની 12 અજાણી વાતો pagespeed . lazyLoadImages . overrideAttributeFunctions ( ) ; function googleAnalyticsCodeCommon ( ) { var main _ url = $ ( ' link [ rel = "" canonical "" ] ' ) . attr ( "" href "" ) ; var url = document . location . href ; var pattern = ' https : / / ' + window . location . hostname ; url = url . replace ( pattern , "" "" ) ; var title = document . title ; ga ( "" oneindiagu . send "" , { hitType : "" pageview "" , page : url , location : main _ url } ) ; ga ( "" rosoneindia . send "" , { hitType : "" pageview "" , page : url , location : main _ url } ) ; ga ( "" dhoneindia . send "" , { hitType : "" pageview "" , page : url , location : main _ url } ) ; url = document . location . href ; var jcode = ' var _ comscore = _ comscore | | [ ] ; var comscoreParams = { c1 : "" 2 "" , c2 : "" 7732551 "" , c3 : "" "" , c4 : "" ' + url + ' "" , c5 : "" "" , c6 : "" "" , c15 : "" "" } ; _ comscore . push ( comscoreParams ) ; var s = document . createElement ( "" script "" ) , el = document . getElementsByTagName ( "" script "" ) [ 0 ] ; s . async = true ; s . src = ( document . location . protocol = = "" https : "" ? "" https : / / sb "" : "" http : / / b "" ) + "" . scorecardresearch . com / beacon . js "" ; el . parentNode . insertBefore ( s , el ) ; ' ; setTimeout ( jcode , 500 ) ; var _ qevents = _ qevents | | [ ] ; ( function ( ) { var elem = document . createElement ( ' script ' ) ; elem . src = ( document . location . protocol = = "" https : "" ? "" https : / / secure "" : "" http : / / edge "" ) + "" . quantserve . com / quant . js "" ; elem . async = true ; elem . type = "" text / javascript "" ; var scpt = document . getElementsByTagName ( ' script ' ) [ 0 ] ; scpt . parentNode . insertBefore ( elem , scpt ) ; } ) ( ) ; _ qevents . push ( { qacct : "" p - yjta2aSVPaHEL "" } ) ; window . google _ analytics _ uacct = "" UA - 110466 - 73 "" ; }" business,"ઓનલાઇન ફિક્સ્ડ ડિપોઝિટ કે ટર્મ ડિપોઝિટ ખોલાવવાના અનેક લાભ છે . જો કે ઓનલાઇન ફિક્સ ડિપોઝિટ ખોલાવવાનો એક ગેરલાભ એ પણ છે કે તમે મીનિટોમાં એક માઉસ ક્લિકથી તેનો ઉપાડ પણ કરી શકો છો . ઓનલાઇન સુવિધાને કારણે વ્યક્તિએ ફિઝિકલ સર્ટિફિકેટ લઇને બેંકમાં જવાની અને ત્યાર બાદ પાકતી મુદત પહેલા તેનો ઉપાડ કરવા માટેની પ્રક્રિયામાં સમય બગાડવો પડતો નથી . જો કે આ ઝડપી અને ફટાફટ ઓનલાઇન પ્રક્રિયાને કારણે પાકતી મુદત કરતા વહેલા નાણા ઉપાડી લેવાનું પ્રમાણ પણ વધ્યું છે . FD મુદત કરતા વહેલી ઉપાડતા શું ગુમાવો છો ? આ જાણવા માટે આપણે એક ઉદાહરણ સમજીએ . દાખલા તરીકે આપ જાન્યુઆરી , 2014માં આપ એક વર્ષ માટે 9 ટકાના વ્યાજે ફિક્સ ડિપોઝિટમાં રોકાણ કરો છો . હવે આપ જુલાઇમાં વિચારો છો કે નાણાની તંગી છે તો ફિક્સ્ડ ડિપોઝિટ ઉપાડી લઇએ . આ કારણે આપને 7 મહિનાનું જ વ્યાજ મળવાપાત્ર થશે . જો કે આ સાત મહિનાનો વ્યાજદર 9 ટકાને બદલે અંદાજે 7 ટકા જેવો થશે . આ કારણે આપને 7 મહિનાનું વ્યાજ 7 ટકાના દરે મળશે . આ ઉપરાંત મોટા ભાગની બેંકો પાકતી મુદત પહેલા FD ઉપાડી લોતો 1 ટકા પેનલ્ટી લગાવતી હોય છે . આ કારણે તમને માત્ર 6 ટકા પ્રિટેક્સ વ્યાજ મળે છે . ટેક્સ રિટર્નની ગણતરી કરો તો વ્યાજ વધુ ઘટી જાય છે . આજે અનેક બેંકો એવી પણ છે જે પાકતી મુદત પહેલા ઉપાડ કરવા પર પેનલ્ટી લગાવતી નથી . જેમ કે આઇડીબીઆઇ બેંક ફ્રીડમ ડિપોઝિટ પર પેનલ્ટી લાગતી નથી . ખાનગી ક્ષેત્રની યસ બેંક પણ આવી જ સુવિધા આપે છે . આ કારણે રોકાણ કરતા પહેલા આવી બેંકોની યોજના ચકાસી લેવી જોઇએ . તારણ : આ પરથી એવું તારણ કાઢી શકાય કે જો આપને અંદાજ હોય કે નજીકના ભવિષ્યમાં નાણાની જરૂર પડવાની છે તો ટૂંકા ગાળાની મુદતમાં એફડી મુકવી વધારે સારી . કોઇ પણ સંજોગોમાં એફડી પાકચી મુદ્દત પહેલા ઉપાડવી નહીં . કેટલીક બેંકો ચાલુ ખાતામાં 6 ટકા જેવું વ્યાજ આપે છે . આવા સંજોગોમાં તેમાં નાણા મૂકવા પણ ઉચિત છે . નોંધનીય છે કે બચત ખાતા પર વાર્ષિક રૂપિયા 10,000 સુધીનું વ્યાજ ટેક્સ ફ્રી છે ." business,"નવી દિલ્હીઃ એરસેલ - મેક્સિસ લાંચ મામલામાં નામ આવ્યા બાદ નેશનલ સ્ટૉક એખ્સચેન્જના ચેરમેન અશોક ચાવલાએ શુક્રવારે તત્કાળ પ્રભાવથી પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું . જણાવી દઈએ કે એરસેલ - મેક્સિસ લાંચ મામલામાં સીબીઆઈએ ચાવલા , પૂર્વ નાણામંત્રી પી . ચિદમ્બરમની સાથે કેટલાય અન્ય અધિકારીઓનાં નામ લીધાં છે . જે બાદ ચાવલાએ કાયદાકીય ઘટનાક્રમનો હવાલો આપતાં એનએસઈના ચેરમેનના પદ પરથી રાજીનામું આપી દીધું છે . જણાવી દઈએ કે સીબીઆઈએ પાછલા વર્ષે જુલાઈમાં પોતાની ચાર્જશીટ દાખલ કરી હતી પરંતુ અધિકારીઓ સામે સુનાવણી શરૂ કરાવવા માટે સરકારની મંજૂરીની ઈંતજાર કરી રહી હતી . નાણા મંત્રાલયે પી . ચિદમ્બરમ વિરુદ્ધ કાર્યવાહી કરવાની મંજૂરી આપી દીધી હતી , પરંતુ અધિકારીઓ માટે પણ આવા પ્રકારની જ અનુમતિની આવશ્યકતા હતા . સીબીઆઈ કોર્ટે એજન્સીને શુક્રવાર સુધી નાણા મંત્રાલયની અનુમતિ લેવા માટે કહ્યું હતું . જુલાઈ 2018માં સીબીઆઈએ પૂર્વ નાણામંત્રી પી . ચિદમ્બરમને એરસેલ - મેક્સિસ મામલામાં એક અભિયુક્ત બનાવ્યા . પી . ચિદમ્બરમ પર આરોપ છે કે તેમની પાસે માત્ર 600 કરોડ સુધીના જ વિદેશી રોકાણને મંજૂરી આપવાની શક્તિ હતી પરંતુ તેમણે આર્થિક મામલાની મંત્રિમંડળીય સમિતિને જણાવ્યા વિના જ 3200 કરોડ સુધીના વિદેશી રોકાણને મંજૂરી આપી દીધી હતી . Amazonના માલિકથી છૂટાછેડા લઈને મેકેંજી બની વિશ્વની સૌથી અમીર મહિલા" entertainment,છ વર્ષ બાદ આજે મહાનાયક અભિનેતા અમિતાભ બચ્ચન અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના ( એમએનએસ ) ના અધ્યક્ષ રાજ ઠાકરે એક મંચ પર જોવા મળશે . બંને એક સાથે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કેટલાક વરિષ્ઠ કલાકારોનું સન્માન કરશે . રાજ ઠાકરે અને અમિતાભ બચ્ચન એક સાથે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કેટલાક વરિષ્ઠ કલાકારોનું સન્માન કરશે . મુંબઇમાં આ સમારોહ રાજ ઠાકરેની પાર્ટીની ફિલ્મ એકમે આયોજિત કર્યો છે . આ સમારોહમાં રાજકીય દિગ્ગજો ઉપરાંત ફિલ્મ જગતની કેટલીક મોટી હસ્તીઓ સામેલ થશે એવી આશા છે . આ કાર્યક્રમમાં હિન્દી સિનેમાના 100 વર્ષ પુરા થયાની ખુશી મનાવવામાં આવશે . રાજ ઠાકરે અને અમિતાભ બચ્ચનનું એકસાથે આવવું એક વિવાદ ખતમ થવાના અણસાર છે . જો કે છ વર્ષ પહેલાં રાજ ઠાકરેએ અમિતાભ બચ્ચનને યુપીના બ્રાન્ડ એમ્બેસેડર બનવાના મુદ્દે વિવાદિત ટિપ્પણી કરી હતી . અત્રે ઉલ્લેખનીય છે ગત પાંચ વર્ષમાં ઘણીવાર રાજ ઠાકરેએ બિગ બી પર શાબ્દિક પ્રહાર કર્યા છે . કહેવામાં આવે ચેહ કે પાર્ટીની ફિલ્મ વિંગ એમએનએસ ફિલ્મ કર્મચારી સંફ્હની ચીફ શાલિની અને પાર્ટીના અન્ય કાર્યકર્તા અમોય કપૂર બિગ બીને આમંત્રિત કરવા ગયા હતા . બિગ બીએ તેમનું આમંત્રણ સન્માન પૂર્વક સ્વિકારી લીધું છે . એટલા માટે એમ માનવામાં આવે છે કે અમિતાભ અને રાજ ઠાકરે વચ્ચે અંતર ઓછું ખતમ થઇ શકે છે . sports,"વિરાટ અને અનુષ્કાની લવ સ્ટોરી હંમેશા ચર્ચાનું કેન્દ્ર બની છે . તેઓ કોઇ પણ જગ્યાએ જાય અથવા સોશ્યલ મીડિયા પર કોઇ ફોટો પોસ્ટ કરે , તે સાથે જ ફોટો વાયરલ થવા લાગે છે . આ વખતે પણ એવું જ કઇંક બન્યું છે . અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીનો એક ફોટો વાયરલ થઇ રહ્યો છે . જો કે , આ ફોટો તેમની કોઇ ટ્રિપનો નથી , પરંતુ હોસ્પિટલમાં ડોક્ટર સાથે લીધેલ સેલ્ફી છે . આ ઉપરાંત તેમણે થોડા દિવસ પહેલા જ વિરાટ અને અનુષ્કા એક એડમાં સાથે જોવા મળ્યા હતા , આ એડનો વીડિયો અને તસવીરો ખૂબ વાયરલ થયા છે અને તેમના ફેન્સને ખૂબ પસંદ પણ પડી રહ્યાં છે . આ બધા વચ્ચે આ કપલ અચાનક હોસ્પિટલ શા માટે ગયા ? એ વાંચો અહીં . . ." business,"એસબીઆઇના ચેરમેન પ્રતીપ ચૌધરીએ જણાવ્યું કે ' અમે આ વર્ષે 10000 લોકોની નીમણૂંક કરીશું જેમાં 1500 પ્રોબેશનરી અધિકારીનો સમાવેશ થાય છે જેની પ્રક્રિયા એપ્રિલમાં શરૂ થઇ ગઇ છે . લગભગ 7500 કર્મચારી અધિકારી ચાલુ નાણાકિય વર્ષમાં સેવા નિવૃત્તિ થઇ રહી છે . ' તેમણે જણાવ્યું કે ' અમે અમારી શાખાઓને જોઇ છે , બધી શાખાઓ વાતાનૂકુલિત કરી દેવામાં આવી છે . અમે ગઇ ત્રિમાસિકમાં અમારી શાખાઓમાં પૂરતા કર્મચારિઓની વરણી કરી હતી અને અમારી વિભિન્ન શાખાઓમાં 20,000 સહાયક ગ્રેડના કર્મચારિયોની ભર્તી કરી છે . ' એસબીઆઇની દેશમાં લગભગ 1200 બ્રાંચ ખોલવાની યોજના છે તથા ચાલું નાણાકિય વર્ષમાં ચીન અને બ્રિટેન સહિત વિદેશોમાં 8 શાખાઓ ખોલવાની યોજના છે . સાર્વજનિક વિસ્તારના બેન્કો ગયા નાણાકિય વર્ષમાં 63,000 લોકોની નિમણૂંક કરી હતી . ગયા નાણાકિય વર્ષમાં એકમાત્ર એસબીઆઇએ 20000 લિપિક શ્રેણીના કર્મચારીઓ અને 1200 અધિકારિયોની ભર્તી કરી . આ ઉપરાંત બાકી સાર્વજનિક વિસ્તારના બેન્કોએ 22000 અધિકારીઓ અને 2000 લિપિક શ્રેણીના કર્મચારીઓની ભર્તી કરી . વર્ષ 2010 - 11ના અંતમાં સરકારી બેન્કોમાં વિભિન્ન સ્તરો પર 84,489 પદ ખાલી હતા . મોટાભાગના સરકારી બેન્કોએ હાલના વર્ષોમાં ભર્તી અભિયાન શરૂ કર્યું છે ." entertainment,"બૉલીવુડના જાણીતા અભિનેતા અનિલ કપૂરની ઉંમર ભલે થઈ ગઈ હોય , પરંતુ હજીય અનિલે યુવાન રહેવાની કોશિશ કરવી પડે છે , કારણ કે તેઓ આજે પણ એક્શન ફિલ્મો કરે છે . અનિલ કપૂરનું કહેવું છે કે અગાઉ તેઓ કોઈ પણ પરિસ્થિતિમાં એક્શન સીન શૂટ કરવા પહોંચી જતાં , પરંતુ આજે જ્યારે તેમને એક્શન ફિલ્મોના શૂટિંગ કરતા અગાઉ સાવચેતી રાખવી પડે છે . જેમ કે તેઓ પોતાની ઊંઘ પૂરી કરે છે , ડાયેટ ઉપર ધ્યાન આપે છે અને સાથે પોતાના આરોગ્ય અંગે પણ પુરતું ધ્યાન આપે છે . અનિલ કપૂરે તાજેતરમાં મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું - આજે હું યુવાન નથી રહ્યો . તેથી મારા માટે એક્શન સીન કરવા થોડાંક મુશ્કેલ થઈ રહ્યાં છે . તેથી જ મારે હવે શારીરિક રીતે વધુ ફિટ રહેવું પડશે . હવે મારા ઇજાગ્રસ્ત થવાની શક્યતાઓ પણ વધુ છે , કારણ કે આ ઉંમરે હાડકાં નબળા પડી જાય છે . મને હવે વધુ મહેનત દરમિયાન વધુ સાવચેતી રાખવાની જરૂર છે અને શૂટિંગ અગાઉ સારી ઊંઘ લેવી પણ જરૂરી છે . એક સમય હતો કે જ્યારે હું ઊંઘ પૂર્ણ કર્યા વગર એક્શન દૃશ્યો કરવા પહોંચી જતો હતો , પરંતુ આજે હું એવું નથી કરી શકતો . તેમના તાજા એક્શન દૃશ્યો લોકોને શૂટઆઉટ એટ વડાલા ફિલ્મમાં જોવા મળશે . ફિલ્મમાં તેમની સાથે જ્હૉન અબ્રાહમ અને તુષાર કપૂર પણ છે , તો પ્રિયંકા ચોપરા અને સન્ની લિયોનના આયટમ સૉંગ્સ પણ લોકપ્રિય થયાં છે . આ તમામ ડ્રામા વચ્ચે પણ અનિલના એક્શન દૃશ્યો જોવા લાયક હશે . આવો જોઇએ અનિલ કપૂરની શૂટઆઉટ એટ વડાલા ફિલ્મની કેટલીક તસવીરો અને તેમના આરોગ્ય અંગે વધુ જાણીએ ." sports,"ભારત અને શ્રીલંકા વચ્ચેની 5 વન ડે સીરિઝની પહેલી મેચ રવિવારે શ્રીલંકાના ડંબુલામાં રમાઇ હતી . ટેસ્ટ સીરિઝમાં શ્રીલંકા સામે ઐતિહાસિક જીત મેળવ્યા બાદ હવે ટીમ ઇન્ડિયા વન ડે સીરિઝમાં પણ જીત મેળવીને ઇતિહાસ રચ્યો છે . છેલ્લા થોડા સમયથી કપ્તાન વિરાટ કોહલીની આગેવાનીમાં ટીમ ઇન્ડિયા ખૂબ સારું પ્રદર્શન કરી રહી છે . આઇસીસી વન ડે રેંકિંગમાં હાલ ભારતીય ટીમ 3જા નંબરે બિરાજમાન છે . છેલ્લે વર્ષ 2012માં ભારત શ્રીલંકા સામે દ્વિપક્ષીય વન ડે સીરિઝ રમ્યું હતું . ત્યારે રમાયેલ 5 મેચોમાં ટીમ ઇન્ડિયાએ 4 - 1થી વિજય મેળવ્યો હતો . સ્કોર અપડેટઃ ટીમ ઇન્ડિયા ( પ્લેઇંગ ઇલેવન ) : રોહિત શર્મા , શિખર ધવન , વિરાટ કોહલી ( કપ્તાન ) , લોકેશ રાહુલ , એમએસ ધોની ( વિકેટ કીપર ) , કેદાર જાધવ , હાર્દિક પંડ્યા , અક્ષર પટેલ , ભુવનેશ્વર કુમાર , જસપ્રિત બુમરાહ , યજવેન્દ્ર ચહલ શ્રીલંકા ( પ્લેઇંગ ઇલેવન ) : નિરોસન ડિક્વેલા ( વિકેટ કીપર ) , દાનુસ્કા ગુનાથિલકા , કુસલ મેંડિસ , ઉપુલ થરંગા ( કપ્તાન ) , એન્જેલો મેથ્યૂઝ , ચામરા કપુગેદેરા , વાનિદુ હસરંગા , થિસારા પરેરા , લક્ષ્મણ સદાકન , વિશ્વા ફર્નાંડો , લસિથ મલિંગા" entertainment,સલમાનના રેપ કમેન્ટ પર હાલ ખૂબ જ હંગામો ચાલી રહ્યો છે . પરંતુ આવા નિવેદન તો કેઆરકે અવારનવાર આપતા જ રહે છે . વિક્રમ ભટ્ટ ની ફિલ્મ 1920 લંડનની અભિનેત્રી મીરાં ચોપરા વિશે કમાલ આર ખાને લખ્યું કે વિક્રમ ભટ્ટ મીરાંને સપ્લાય કરે છે . એનો મતલબ સાફ હતો કે કેઆરકે એ વિક્રમ ભટ્ટને દલાલ અને મીરાં ચોપરાને ધંધો કરવાવાળી છોકરી ગણાવી એવું ખુદ વિક્રમ ભટ્ટે પોતાના પોસ્ટમાં લખ્યું કે ઘણા લોકો એ તેમને કહયું કે કેઆરકે સાથે મોઢું બગાડવું એ સમયની બરબાદી છે . વિક્રમ ભટ્ટે પોતાની દિકરીને રાત્રે રડતી જોઈને સમજમાં આવી ગયું કે કઈ રીતે એક વ્યક્તિ તેના ઘરનો આખો માહોલ બદલી શકે છે . વિક્રમ ભટ્ટ હવે કેઆરકે સામે બધો જ હિસાબ કરવા માંગે છે . કારણ સાફ છે કે કેઆરકે છેલ્લા ઘણા સમયથી બોલિવૂડની અભિનેત્રીઓ વિશે ગંદા કમેન્ટ કરી ચુક્યો છે અને ગજબની વાત એ છે કે આજ સુધી કોઈએ પણ તેને કઈ જ કહ્યું નથી . વિક્રમ ભટ્ટે પોતાની પોસ્ટમાં એ પણ જણાવ્યું કે તેને આજ સુધી કોના વિશે કઈ કઈ કમેન્ટ કરી છે . . . entertainment,"અને તે પ્રક્રિયા સંપન્ન થઈ ગઈ કે જેને લોકો અંતિમ સંસ્કાર કહે છે . થોડીક વાર પહેલાં જ જિયા ખાનને જુહૂ ખાતને કબ્રસ્તાનમાં સુપુર્દ - એ - ખાક કરવામાં આવ્યાં છે . આ પ્રસંગે જિયાના ઘરના સભ્યો ઉપરાંત અનેક ફિલ્મી હસ્તીઓ હાજર હતી . તેમાં અભિનેતા આદિત્ય પંચોલી તથા તેમના પુત્ર સૂરજ પંચોલીનો પણ સમાવેશ થાય છે . કહે છે કે જિયાની લાશ જોઈ સૂરજ પંચોલી પોતાના જાત ઉપરનો કાબૂ ગુમાવી બેઠા અને ધ્રુસક - ધ્રુસકે રડી પડ્યાં . ખેર જિયા આજે દુનિયાથી રુખસત થઈ ગયાં , પણ પોતાની પાછળ ચોડી ગયાં છે ઘણાં બધા સવાલો કે જેના જવાબ કદાચ કોઈની પાસે નહિં હોય . નોંધનીય છે કે જિયા ખાને સોમવારે રાત્રે 11 વાગ્યે પોતાના જ ઘરે ગળેફાંસો ખાઈ લીધો હતો . જિયા ખાનનું સાચુ નામ નફીસા ખાન હતું . તેઓ ભલે ફિલ્મોમાં કંઈ ખાસ ન કરી શક્યાં હોય , પણ મૉડેલિંગની દુનિયાનો તેઓ જાણીતો ચહેરો હતાં . રામ ગોપાલ વર્માની નિશબ્દ ફિલ્મ સાથે બૉલીવુડ કૅરિયર શરૂ કરનાર જિયા ખાન ઘણાં વખતથી ડિપ્રેશનમાં હતાં . નિશબ્દમાં તેમના હીરો અમિતાભ બચ્ચન હતાં . પછી જિયા ખાને આમિર ખાન સાથે ગઝની તથા અક્ષય કુમાર સાથે હાઉસફુલ ફિલ્મોમાં કામ કર્યું . પછી તેઓને કોઈ ફિલ્મ ન મળી ." business,"મ્યુચ્યુઅલ ફંડમાં કરેલું રોકાણ મદદગાર સાબિત થાય છે . આપણે જાણીએ છીએ કે મ્યુચ્યુઅલ ફંડ દ્વારા કંપનીઓ રોકાણકારો પાસેથી પૈસા મેળવે છે . આ પંસા તેઓ શેરમાં રોકે છે અને બદલામાં તેઓ રોકાણકારો પાસેથી ચાર્જ વસુલે છે . જો કે જે લોકોને શેર બજાર વિશે ખાસ માહિતી નથી , તેમના માટે મ્યુચ્યુઅલ ફંડ સારો વિકલ્પ છે . રોકાણકારો પોતાના નાણાકીય લક્ષ્ય પ્રમાણે મ્યુચ્યુઅલ ફંડની સ્કીમ પસંદ કરી શકે છે . પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં બેન્ક FD કરતા ઝડપથી ડબલ થશે પૈસા એમાંય જો આપણે બાળકોના ભવિષ્યની જરૂરિયાતો જેમકે ઉચ્ચ શિક્ષણ , લગ્ન માટે પૈસા બચાવવા ઈચ્છતા હોઈએ તો મ્યુચ્યુઅલ ફંડ સગીર બાળકના નામે પણ લઈ શકાય છે . જો કે બાળકો તે મ્યુચ્યુઅલ ફંડનું સંચાલન નહીં કરી શકે . અને રોકાણ પણ તેમના તરફથી વાલીએ કરવું પડશે ." business,વડાપ્રધાને ગુરુવારે શિમલામાં ઉડ્ડાન યોજનાની શરૂઆત કરી . પીએમ મોદીએ ઉડ્ડાનની પહેલી ફ્લાઇટ શિમલાથી દિલ્હીનું આજે ઉદ્ધાટન કર્યું . આ સ્ક્રીમનું નામ ઉડ્ડાન ( ઉડે દેશનો સામાન્ય નાગરિક ) રાખવામાં આવ્યું છે . આ સ્ક્રીમના લોન્ચિંગ વખતે પીએમ મોદીએ કહ્યું કે ઉડ્ડાન સેવા લોકોનો સમય બચાવશે . તેમણે કહ્યું કે ટેક્સીમાં જો તમારે 10 રૂપિયા લાગશે તો આ નવી સેવા દ્વારા તમારે ખાલી 6 - 7 રૂપિયા ખર્ચ કરવો પડશે . આમ પીએમ મોદી દ્વારા લોન્ચ કરવામાં આવેલી આ સેવા ટેક્સી કરતા પણ સસ્તી છે તેવું સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે . Read also : કેમ 29.54 રૂપિયામાં મળતું પેટ્રોલ તમને 77.50 રૂપિયા મળે છે ? જાણો ત્યારે શું છે આ સ્ક્રીમ અને તમે કેવી રીતે તેનો ફાયદો લઇ શકો છો તે અંગે વિગતવાર જાણો અહીં . . . . sports,ચન્દ્રેશે જણાવ્યું કે પ્રતિક નામના એક બુકીઝ હૈદરાબાદના ત્રણ ખેલાડીઓના સંપર્કમાં હતો . આ ઉપરાંત તેણે પોલીસને જણાવ્યું કે પ્રતિક બેંગલોરના બે ખેલાડીઓના સંપર્કમાં પણ હતો . ચન્દ્રેશનું કહેવું છે કે બુકી પ્રતિકે તેને આ તમામ ખેલાડીઓને મળાવવાની વાત પણ કરી હતી . જોકે કોઇ કારણસર તેઓ આ ખેલાડીઓને મળી શક્યા ન્હોતા . હાલમાં પોલીસ ચન્દ્રેશની સતત પૂછપરછ કરી રહી છે . પૂછપરછમાં થયેલા આ ખુલાસા બાદ પોલીસે બુકી પ્રતિકની શોધખોળ આરંભી દીધી છે . આ પહેલા દિલ્હી પોલીસ કમિશ્નર નીરજ કુમારે કહ્યું કે રાજસ્થાન રોયલ્સ ઉપરાંત વધું એક આઈપીએલ ટીમ સ્પોટ ફિક્સિંગમાં સામેલ હોવાની સંભાવના છે પરંતુ અત્યાર સુધી આ સંબંધમાં કોઇ સફળતા મળી નથી . કુમારને જ્યારે સ્પોટ ફિક્સિંગમાં અન્ય આઇપીએલ ટીમોની સંડોવણી અંગે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે બીજી આઇપીએલ ટીમની પણ સામેલગીરી હોવાની સંભાવના છે . તેમણે કહ્યું કે દિલ્હી પોલીસ સફળતાની આશા સેવી રહી છે પંરતુ હજી સુધી સફળતા હાથ લાગી નથી . માટે અમે અમારા કેસના વ્યાપક પાસાઓને તપાસીશું . sports,"મુંબઇ , 17 નવેમ્બરઃ ટીમ ઇન્ડિયાના પૂર્વ સુકાની સૌરવ ગાંગુલીનું માનવું છે કે , મહાન બેટ્સમેન સચિન તેંડુલકરને શનિવારે વાનખેડે સ્ટેડિયમમાં આપવામાં આવેલી શાનદાર વિદાઇએ ભારતીય ક્રિકેટની બ્રાન્ડ વેલ્યુ વધારી દીધી છે . સચિન તેંડુલકરના સુકાની રહી ચૂકેલા ગાંગુલીએ એક સમાચાર ચેનલ સાતે વાતચીત દરમિયાન કહ્યું કે , હું સચિનને આપવામાં આવેલી વિદાઇથી ખુશ છું . ક્રિકેટ જગત તેનાથી અભિભૂત છે . સચિન જેવા મહાન ખેલાડી આ પ્રકારની જ વિદાયના હકદાર છે . ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમે બીજી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે શનિવારે વેસ્ટ ઇન્ડિઝને એક ઇનિંગ અને 126 રનોના અંતરથી હરાવી પોતાના અત્યારસુધી સૌથી મોટા પ્રતિનિધિ સચિનને શાનદાર વિદાઇ આપી છે . મેદાન બહાર જતી વખતે ભારતીય ટીમે 24 વર્ષ અને 1 દિવસ સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સક્રિય રહેનારા સચિનને ગાર્ડ ઓફ ઓનર આપ્યું અને સચિને દર્શકો તથા સાથીઓના અભિનંદનનો સ્વિકાર કર્યો . સચિને પોતાના વ્યક્તિત્વ સાથે પૂરો ન્યાય કરતા માત્ર પોતાની કારકિર્દીમાં યોગદાન આપનારાઓનો જ આભાર ના માન્યો પરંતુ એ પીચને પણ ના ભૂલ્યો , જ્યાંથી તેણે પ્રતિસ્પર્ધી ક્રિકેટની શરૂઆત કરી હતી . ગાંગુલી માને છે કે , શનિવારે વાનખેડે સ્ટેડિયમમાં જે કંઇ થયું , તે ઘણું જ ભાવનાત્મક હતું અને દરેક ભાવનામાં વહી ગયા હતા . ગાંગુલી અનુસાર સચિન સાતે લાંબા સમય સુધી રમી ચુકેલા લક્ષ્મણની આંખોમાં પણ આસું હતા . ગાંગુલીએ કહ્યું કે , લક્ષ્મણની આંખો ભરાઇ આવી હતી , પરંતુ મારા માટે આ આસું વહાવવાનો સમય નહીં પરંતુ ખુશી મનાવવાનો દિવસ હતો . આ એક મહાન ખેલાડીની શ્રેષ્ઠ વિદાઇ હતી . બાદમાં હું ભારતીય ડ્રેસિંગ રૂમમાં ગયો અને સચિનને બધાઇ આપી ." business,"મુંબઇ ખાતે બૉલીવુડ અભિનેત્રી હુમા કુરૈશી દ્વારા સેમસંગ ગેલેક્સી ગ્રાન્ડ 2ને લોન્ચ કરવામાં આવ્યો હતો . સેમસંગ દ્વારા આ સ્માર્ટફોનને મિડ રેન્જમાં ઉતારવામાં આવ્યો છે . 5 . 2 ઇન્ચ સ્ક્રીન સાથે ગ્રાન્ડ 2માં ડ્યુલ સિમ સપોર્ટ આપવામાં આવ્યા છે . કંપનીએ ગ્રાન્ડ 2 અંગે ગયા મહિને જાહેરાત કરી હતી . તેની ડિઝાઇન શાનદાર છે , જે નોટ 2ને મળતી આવે છે . સેમસંગે ગ્રાન્ડ 2માં ફોકસ લેધર ટાઇપ મટેરિયલનો ઉપયોગ કર્યો છે , જેથી લોકોને ફોનના મટેરિયલ ક્વાલિટી સામે કોઇ ફરિયાદ ના રહે . ગ્રાન્ડ 2માં આપવામાં આવેલા ફીચર અંગે વાત કરવામાં આવે તો ફોનમાં આપવામાં આવેલી 5.25 ઇન્ચની સ્ક્રીનમાં 1280 x 720 પિક્સલ રિઝોલ્યુશન સપોર્ટ આપવામાં આવ્યું છે . ક્વોડ કોર પ્રોસેસરથી લૈસ હેન્ડસેટમાં 1.5 જીબી રેમ અને 8 જીબી ઇન્ટરનલ મેમરી આપવામાં આવી છે , જેાં 64 જીબી સુધી એક્સપાન્ડ કરી શકાય છે . આ માટે ફોનમાં માઇક્રોએસડી કાર્ડ સ્લોટ આપવામાં આવ્યું છે . હેન્ડસેટમાં 8 મેગા પિક્સલ પ્રાઇમરી કેમરા સાથે ઓટો ફોકસ અને લિડ ફ્લેશ લાઇટ પણ આપવામાં આવી છે . પ્રાઇમરી કેમેરા 1080 ફુલ એચડી રેકોર્ડિંગને સપોર્ટ કરે છે , જ્યારે વીડિયો કોલિંગ માટે 1.9 મેગા પિક્સલનો સેકન્ડરી કેમેરા આપવામાં આવ્યો છે . ગ્રાન્ડ 2માં એન્ડ્રોઇડ જેલીબીન 4.3 વર્ઝન પર રન કરે છે . પ્રી લોડેડ એપ્લીકેશન્સમાં યુઝરને ગ્રાન્ડ 2માં ચેટ ઓન , સેમસંગ હબ , એસ હેલ્થ , ગ્રુપ પ્લે , એસ ટ્રાવેલ , એસ ટ્રાન્સલેટર , સેમસંગ લિંક અને સ્ટોરી એલ્બમ એપ્લીકેશન મળશે . વધુ લાંબી બેટરી માટે ફોનમાં 2600 એમએએચ બેટરી આપવામાં આવી છે , જે 17 કલાકનો ટોક ટાઇમ અને 10 કલાકનો નોન સ્ટોપ મ્યુઝિક પ્લે બેક ટાઇમ આપે છે . આ ઉપરાંત તેમાં ડ્યુલ સિમ ફંક્શન અને વાઇફાઇ , બ્લુટૂથ , જીપીએસ , પ્લસ ગ્લોનાસ અને 2.0 યુએસબી સપોર્ટ આપવામાં આવ્યું છે . ગ્રાન્ડ 2 જાન્યુઆર 2014માં બજારમાં મળવાની શરૂઆત થઇ જશે તેવી આશા રાખવામાં આવી છે , ગ્રાન્ડ 2ની કિંમત અંગે વાત કરવામાં આવે તો 22,990થી લઇને 24,900 રૂપિયાની વચ્ચે હશે . તો ચાલો તસવીરો થકી જાણીએ અન્ય શું ખાસ વાત છે આ સ્માર્ટફોનમાં ." sports,ભારત અને ઇંગ્લેંડ વચ્ચે મોહાલી ટેસ્ટ ભારતે જીતી લીધી છે . ભારતે 8 વિકેટથી ત્રીજી ટેસ્ટ પોતાના નામે કરી લીધી છે . ઇંગ્લેંડના 103 રનોના લક્ષ્ય સામે ટીમ ઇંડિયાએ 2 વિકેટ ગુમાવીને નિર્ધારિત લક્ષ્ય પ્રાપ્ત કરી લીધુ હતુ . ઇંગ્લેંડ સામે ત્રીજી ટેસ્ટ મેચમાં ધમાકેદાર જીત મેળવીને ટીમ ઇંડિયા 5 મેચોની સીરિઝમાં 2 - 0 થી આગળ છે . ટીમ ઇંડિયાની આ શાનદાર જીતમાં બેટિંગ અને બોલિંગ બંનેએ કમાલ બતાવી . 8 વર્ષ બાદ ટીમમાં પાછા ફરેલ પાર્થિવ પટેલે પસંદગીકારોની આશા પર ખરા ઉતરીને બતાવી દીધુ છે . આ રહ્યા જીતના 5 હીરો . . રવીન્દ્ર જાડેજા પહેલા દાવમાં 90 રન બનાવનાર રવીન્દ્ર જાડેજાએ 2 વિકેટ પણ લીધી . તેણે બીજા દાવમાં પણ ઇંગ્લેંડની 2 વિકેટ લીધી . જાડેજાને તેના શાનદાર પ્રદર્શન માટે મેન ઓફ ધ મેચ બનાવવામાં આવ્યો . સતત આલોચકોના નિશાના પર રહેલ જાડેજાના બેટથી ઘણા સમય બાદ આવો કમાલ જોવા મળ્યો . આ તેના ટેસ્ટ કેરિયરનો સર્વશ્રેષ્ઠ સ્કોર છે . રવિચંદ્રન અશ્વિન અશ્વિને ગઇ મેચોની જેમ સતત શાનદાર પ્રદર્શન કર્યુ . પહેલા દાવમાં તેણે 72 રન બનાવ્યા અને ઇંગ્લેંડની એક વિકેટ પણ લીધી . બીજા દાવમાં તેણે બોલનો કમાલ બતાવ્યો અને ઇંગ્લેંડના ત્રણ બેટ્સમેનને પેવેલિયન ભેગા કરી દીધા . તેણે મેચમાં કુલ 4 વિકેટ લીધી . પાર્થિવ પટેલ લગભગ 9 વર્ષ બાદ ટેસ્ટ ટીમમાં પાછા આવનાર વિકેટકીપર બેટ્સમેન પાર્થિવ પટેલે શાનદાર પ્રદર્શન કર્યુ . તેણે પહેલા દાવમાં 42 રન બનાવ્યા . બીજા દાવમાં તેણે 67 રન બનાવીને ટીમ ઇંડિયાને જીત અપાવી . પટેલે 21 મી ઓવરના બીજા બોલ પર ચોગ્ગો મારીને ટીમ ઇંડિયાને શાનદાર જીત અપાવી . જયંત યાદવ પોતાની બીજી ટેસ્ટ મેચ રમનાર જયંત યાદવે મેદાન પર બેટિંગ અને બોલિંગ બંનેમાં દમ બતાવ્યો . તેણે આ મેચમાં પોતાનું પહેલુ અર્ધશતક બનાવ્યુ . 55 રનોના દાવમાં તેણે 5 ચોગ્ગા માર્યા . તેણે બંને દાવમાં ઇંગ્લેંડના બે - બે ખેલાડીઓને આઉટ પણ કર્યા . કેપ્ટન વિરાટ કોહલી કેપ્ટન વિરાટ કોહલીએ આ મેચમાં પણ પોતાનું શાનદાર પ્રદર્શન ચાલુ રાખ્યુ . તેણે પહેલા દાવમાં 62 રન બનાવ્યા . જેમાં તેણે 9 ચોગ્ગા માર્યા . કોહલીએ બીજા દાવમાં અણનમ 6 રન બનાવ્યા . કોહલીની કેપ્ટનશીપમાં ટીમ ઇંડિયાએ ટેસ્ટ મેચોમાં સતત શાનદાર પ્રદર્શન કર્યુ છે . business,આજકાલ ધણા લોકો એટીએમ કાર્ડ પોતાની પાસે રાખે છે . જેથી કરીને તે પોતાની અનુકૂળતા મુજબ ગમે ત્યારે અને ગમે ત્યાંથી જરૂર પડે પૈસા નીકાળી શકે . જો કે તેમ છતાં ધણીવાર તેવું બનતું હોય છે કે તમારું એટીએમ કે ડેબિટ કાર્ડ મશીનમાં જ ફસાઇ જાય . આવા સમયે તમને શું કરવું અને શું નહીં તે સમજાતું નથી . ત્યારે તમારી મદદ માટે જ આજે અમે આ લેખ લાવ્યા છીએ . જેથી કરીને ભૂલથી પણ તમારી જોડે કદી આવું થાય તો તમારે શું કરવું તે તમે જાણી શકો સૌથી પહેલા તો એ જાણો કે કયા કયા કારણો સર એટીએમ કે ડેબિટ કાર્ડ મશીનમાં ફસાય છે . 1 . ટેકનિકલ કારણોથી મશીનનું ખરાબ હોવું . 2 . પાવર ફ્લ્ક્ચુએશન 3 . પિન વિષે જાણકારી દેવામાં વાર લગાડવી 4 . 2 - 3 વાર ખોટો પિન કોડ આપવો 5 . કાર્ડનો ઉપયોગ કર્યા બાદ નીકાળવાનું ભૂલી જવું . 6 . Exit કાર્ડનું બટન ના દબાવવું . ત્યારે જો ઉપરોક્ત કોઇ પણ કારણોસર તમારું એટીએમ કે ડેબિટ કાર્ડ મશીનમાં ફસાઇ જાય તો તમારે આ મુજબ કરવું . જુઓ ફોટોસ્લાઇડર . . . sports,"કોલકતા , 7 નવેમ્બરઃ મહાન ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકરની વિદાઇ શ્રેણીને લઇને કોલકતાની બ્રાંડેડ ખેલની દૂકાનો પર કોઇ ખાસ અસર જોવા મળી રહી નથી , પરંતુ રીટેલ સ્તરે ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં પોતાની અંતિમ મેચ રમી રહેલા આ મહાન ખેલાડી સાથે જોડાયેલી વસ્તુઓનું ધૂમ વેચાણ થઇ રહ્યું છે . સચિન હેટ , સચિન હેડ બૈંડ , સચિન ટીશર્ટ અને સચિન આર્મબેંડની જોરદાર માંગ ઉઠી છે . ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમની આસપાસના વિસ્તારોમાં સેંકડો વિક્રેતાઓ આ વસ્તુઓ વેચી રહ્યાં હોવાનું જોવા મળી રહ્યું છે . આ એક અલગ વાત છે કે , આ સામાન બ્રાન્ડેડ નથી , છતાં લોકોને તે ઘણું જ પસંદ પડી રહ્યું છે . એનું એક કારણ એ પણ છે કે આ તમામ વસ્તુઓ સહેલાયથી મળી રહી છે . એસપ્લાનેડ મેટ્રો સ્ટેશન અને ધર્મતલ્લા બસ સ્ટેન્ડ સુધી આવનારા લોકોને પગપાળા સ્ટેડિયમ સુધી જવુ પડે છે . આ સ્થળોથી સ્ટેડિયમ સુધીના રસ્તામાં સેંકડો લોકો બ્રશ અને રંગ લઇને ચહેરા પર તિંરગો બનાવવાનું કામ કરતા જોવા મળી રહ્યાં છે . આ ચહેરામાં એક તરફ તિંરગો બનાવવાના 20 રૂપિયા લેવામાં આવી રહ્યાં છે . સચિનની ઓળખ સમી 10 નંબરની જર્સી પણ ઘણી વેચાઇ રહી છે . આ પ્રકારની બે ટીશર્ટ છે . એક પર સચિન - 10 અને બીજી પર તેંડુલકર - 10 લખેલું છે . આથી ઉલટું બ્રાન્ડેડ ખેલ સામગ્રી વેચતા કેટલાક મોટા દૂકાનદારોનું કહેવું છે કે , તેમણે સચિન તેંડુલકર સાથે જોડાયેલી ખેલ સામગ્રીનું અત્યાધિક ભંડારણ કર્યું નથી , કારણ કે તેની જોઇએ તેટલી માંગ નથી . સેઠી સ્પોર્ટ્સ એન્ડ ગેમ્સના માલિક અને સંચાલક રાજેશ સેઠીએ જણાવ્યું છે કે , આ પ્રકારની ખેલ સામગ્રીની વિશેષ માંગ નથી , તેથી અમે આ ખેલ સામગ્રીને વેચી રહ્યાં નથી . પર્વ અને તહેવારનો સમય હોવાના કારણે પણ દૂકાનોમાં તેની વિશેષ તૈયારી કરવા માટે પર્યાપ્ત સમય મળી રહ્યો નથી . ઇડન સ્પોર્ટ્સના એસ બ્રહ્મચારીએ જણાવ્યું છે કે આઇપીએલની તૈયારી માટે ઘણો સમય હતો અને તે અનેક મહિના સુધી ચાલનારું આયોજન છે . તેથી તેની સાથે જોડાયેલી ખેલ સામગ્રીના વેચાણમાં નફો થાય છે , પરંતુ સચિનની 199મી ટેસ્ટ માટે અમારી પાસે વિશેષ ખેલ સામગ્રી તૈયાર કરાવવા અને ભંડારણ કરવા માટે પુરતો સમય મળ્યો નથી . તેમણે વધુમાં કહ્યું કે , આ ઘણી મહત્વની મેચ છે , પરંતુ પર્યાપ્ત સમય નહીં હોવાના કારણે અમે ખાસ કંઇ કરી શક્યા નથી ." entertainment,"બૉલીવુડ અભિનેતા સંજય દત્તની ફિલ્મ પોલીસગિરીનું અધિકૃત ટ્રેલર રિલીઝ થઈ ગયું છે . ફિલ્મમાં સંજય દત્ત ડીસીપી રુદ્રની ભૂમિકામાં છે . ટ્રેલર લૉન્ચિંગ પ્રસંગે સંજય દત્ત તો હાજર નહોતા રહી શક્યાં , કારણ કે તેઓ હાલ જેલમાં છે , પરંતુ તેમના બહેન પ્રિયા દત્તે હાજરી પુરાવી સંજયની ખામી પુરવાનો પ્રયત્ન જરૂર કર્યો . એક બાજુ સંજય દત્ત આજે સુપ્રીમ કોર્ટના ચુકાદાના પગલે જેલમાં છે , તો બીજી બાજુ તેમની પોલીસગિરી ફિલ્મનું ટ્રેલર લૉન્ચ કરવામાં આવ્યું . આ પ્રસંગે રાહુલ અગ્રવાલ અને પ્રાચી દેસાઈ સહિત ફિલ્મની સ્ટાર કાસ્ટ ઉપસ્થિત હતી . લૉન્ચિંગ પ્રસંગે સંજય દત્તની ઉણપ પુરવા તેમના બહેન પ્રિયા દત્ત પણ હાજર રહ્યા હતાં . પોલીસગિરી ફિલ્મના ટ્રેલરમાં સંજય દત્ત અને વિલન પ્રકાશ રાજ વચ્ચેના કેટલાંક સંવાદો રજૂ કરાયાં છે . ફિલ્મનું ટ્રેલર જોતા લાગે છે કે ફિલ્મ એક્શનથી ભરપૂર હશે . < center > < iframe width = "" 100 % "" height = "" 417 "" src = "" http : / / www . youtube . com / embed / Y0YLi2YyIXk "" frameborder = "" 0 "" allowfullscreen > < / iframe > < / center >" business,"જમ્મુ - કાશ્મીરમાં સેનાના આર્મી બેઝ પર થયેલા હુમલા બાદ દેશમાં પાકિસ્તાન અને સરકારના વલણને લઇને આક્રમક પ્રતિક્રિયાઓ આવી રહી છે . હુમલામાં અત્યાર સુધીમાં 18 જવાન શહીદ થઇ ચૂક્યા છે અને ઘાયલ જવાનોની સારવાર ચાલુ છે . આ દરમિયાન મીડિયામાં લોકો પાસેથી એક વાત વારંવાર આવી રહી છે કે આપણે આ હુમલાનો વળતો જવાબ આપી પાકિસ્તાન પર હુમલો કરી દેવો જોઇએ પરંતુ આનાથી અલગ આ સમગ્ર મુદ્દાને જોવાનો એક આર્થિક દ્રષ્ટિકોણ પણ છે . દેશવાસીઓનો મૂડ સર્વેમાં બહાર આવ્યો , કહ્યું બહુ થઇ વાતો . . . ભારત હાલમાં આર્થિક ક્રાંતિના સમયમાંથી પસાર થઇ રહ્યું છે . દેશમાં વિદેશી રોકાણ વધી રહ્યું છે . એશિયાના બે મોટા હરીફ ચીન અને જાપાન ભારતમાં ભારે રોકાણ કરી રહ્યા છે . યુરોપ અને અમેરિકા સહિત ખાડીના દેશો સાથે ભારતના આર્થિક સંબંધો ઐતિહાસિક રૂપે મજબૂત બની રહ્યા છે એવામાં યુદ્ધનો વિકલ્પ પસંદ કરવાથી દેશને આર્થિક રીતે મોટુ નુકશાન થઇ શકે છે . જો યુદ્ધની સ્થિતિ આવે તો દેશમાં અર્થવ્યવસ્થાની ગતિ ધીમી પડી શકે છે . જો યુદ્ધ થયું તો ભારતમાં રોકાણ કરનારી તમામ વિદેશી કંપનીઓ અને વિદેશી રોકાણકારો બજારમાંથી પોતાના વધુ ને વધુ પૈસા ખેંચી લેશે જેનાથી બજાર નીચુ જઇ શકે છે . જ્યારે આ તરફ પાકિસ્તાનની અર્થવ્યવસ્થા આમ પણ ખૂબ જ નબળી છે . યુદ્ધની સ્થિતિ તેની કમર તોડી દેશે . આર્થિક સંકટને કારણે પાકિસ્તાન અને તેની સેના કમજોર પડી શકે છે જેનો ફાયદો ભારતને મળી શકે છે . જો યુદ્ધની સ્થિતિ આવે તો ભારતમાં વિદેશી રોકાણ પર મોટી અસર પડી શકે છે . ભારતમાં રોકાણ કરવાવાળી તમામ વિદેશી કંપનીઓ થોડા દિવસો માટે રોકાણ ટાળી શકે છે અથવા રદ્દ કરી શકે છે . એવામાં દેશની અર્થવ્યવસ્થાને મળનારી ગતિ ધીમી પડી જશે જેનું નુકશાન ભારતે ઉઠાવવું પડશે . જો કે આ નુકશાન એવું નહિ હોય જેનો ફાયદો પાકિસ્તાન ઉઠાવી શકે . જો ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિ બની તો પાકિસ્તાનને સૌથી મોટુ નુકશાન ઇકોનોમિક કૉરિડોરમાં થઇ શકે છે . ચીને આ માટે 46 અબજ ડૉલરનું રોકાણ કર્યુ છે . યુદ્ધની સ્થિતિમાં ચીન કામ બંધ કરી શકે છે જેનું નુકશાન પાકિસ્તાનને ઉઠાવવું પડી શકે છે . ચીન - પાકિસ્તાન કૉરિડોર પાકિસ્તાન અને ચીન બંનેની ખૂબ જ મહત્વાકાંક્ષી પરિયોજના છે . ભારતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીં ભારત દુનિયાની ઝડપથી આગળ વધી રહેલી અર્થવ્યવસ્થા છે . દરેક મોટા દેશોની નજરો ભારત પર ટીકેલી છે . આ તરફ પાકિસ્તાન ભારતના મુકાબલે ખૂબ જ કમજોર છે . ભારત અને પાકિસ્તાન આર્થિક મોરચે કેટલા મજબૂત છે તેની વિગતવાર જાણકારી આગળ આપેલી છેઃ પાકિસ્તાનની હાલની જીડીપીની જો વાત કરીએ તો તે હાલમાં દુનિયાની ૪૧મી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે . પાકિસ્તાનની કુલ જીડીપી ૨૭૦ બિલિયન અમેરિકી ડૉલર છે . જ્યારે ભારત દુનિયાની ૮મી સૌથી મોટી અને સૌથી ઝડપથી આગળ વધી રહેલી અર્થવ્યવસ્થા છે જ્યારે ચીન બીજા નંબર પર છે . વ્યક્તિદીઠ આવકના મામલે પાકિસ્તાનની સ્થિતિ થોડી સારી છે . જો કે ભારતના મુકાબલે પાકિસ્તાનની જનસંખ્યા બહુ ઓછી છે એટલે વ્યક્તિદીઠ આવકનો આંકડો ભારતના વ્યક્તિદીઠ આવકની આસપાસ છે . હાલમાં પાકિસ્તાનની વ્યક્તિદીઠ આવક ૧૪૨૮ . ૯૯ ડૉલર છે જ્યારે ભારતની વ્યક્તિદીઠ આવક ૧૫૮૧ . ૫૯ ડૉલર છે . જ્યારે ચીનની વ્યક્તિદીઠ આવક ૭૯૨૪ . ૬૫ ડૉલર છે . આખી દુનિયા એમ માનીને ચાલી રહી છે કે આવનારુ દશક ભારત અને ચીનનું હશે . દુનિયામાં એશિયાઇ દેશોનો પ્રભાવ હશે . જેમાં ભારત , ચીન , જાપાન , સિંગાપુર , થાઇલેંડ જેવા દેશ છે આમાં પાકિસ્તાને પણ પોતાને સામેલ કરી દીધું છે . જ્યારે સત્ય એ છે કે પાકિસ્તાનનો વિકાસદર ઘણા એશિયાઇ દેશોથી નીચો છે . હાલમાં પાકિસ્તાનનો વિકાસદર ૫ . ૫૪ % છે . જ્યારે ભારતનો વિકાસદર ૭ . ૫૭ % છે . ચીન ભારતથી પાછળ છે . ચીનનો વિકાસદર ૬ . ૯ છે . પાકિસ્તાનમાં બેરોજગારી એક મોટુ સંકટ છે . પાકિસ્તાનમાં ખૂબ જ ઓછા રોકાણને કારણે ત્યાં બેરોજગારી વધી છે . પાકિસ્તાનની આખી અર્થવ્યવસ્થા અત્યારે CPEC એટલે કે ચીન - પાકિસ્તાન ઇકોનૉમિક કૉરિડોર પર નિર્ભર છે . પાકિસ્તાનનો હાલનો બેરોજગારીનો દર ૫ . ૨ % છે . ભારતનો વર્તમાન બેરોજગારી દર ૩ . ૬ % અને ચીનનો ૪ . ૭ % છે . ભારત VS પાકિસ્તાન : કોની આર્મીમાં છે કેટલો દમ ? વાંચો પાકિસ્તાની રૂપિયો એક કમજોર અર્થવ્યવસ્થાની કમજોર રકમ છે . હાલમાં એક અમેરિકી ડૉલરની કિંમત ૧૦૪ . ૬૧ રૂપિયા છે જ્યારે ભારતમાં આ જ આંકડો ઘટીને ૬૬ . ૭૩ રૂપિયા પર આવી જાય છે અને ચીનમાં ૬ . ૬૩ યુઆન રહી જાય છે . પાકિસ્તાનની ૨૯ . ૫ % જનસંખ્યા અત્યારે ગરીબી રેખા હેઠળ જીવી રહી છે . જ્યારે ભારતમાં આ આંકડો ૨૧ . ૯ % છે . ચીનની સરકારે આ સંદર્ભમાં કોઇ આંકડા જારી કર્યા નથી . પાકિસ્તાન પોતાનું રક્ષા બજેટ પણ ભારે ભરખમ રાખે છે . પાકિસ્તાનનો કુલ સૈન્ય ખર્ચ તેની જીડીપીના ૩ . ૫૭ % છે જ્યારે ભારતમાં આ આંકડો ઘટીને ૨ . ૪૨ % છે અને ચીનમાં ઘટીને ૧ . ૯૮ % રહી જાય છે ." business,"સોનાના સતત ઘટી રહેલા ભાવ દિવાળી પહેલા લોકો માટે ડિસ્કાઉંટ ઑફર સમાન છે . વૈશ્વિક બજારમાં મંદીને કારણે સોનાના ભાવ ઝડપથી ઘટી રહ્યા છે . સ્થાનિક બજારોમાં પણ જ્વેલર્સ વેચાણમાં મંદીના આંકડા આપી રહ્યા છે . સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયામાં સોનાના ભાવમાં ઝડપથી ઘટાડો થયો હતો . ગુજરાતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીં ચાંદીની વેચવાળી પણ દબાવમાં રહી . તેના ભાવ 150 રૂપિયાના ઘટાડા સાથે 46,350 રૂપિયા પ્રતિ કિલો થઇ ગયો છે . બજારના સુત્રોએ જણાવ્યું કે ડૉલરમાં ઝડપથી વૈકલ્પિક રોકાણના રૂપમાં બહુમૂલ્ય ધાતુઓની માંગ પ્રભાવિત થઇ ત્યારબાદ સોનાનો ભાવ બે મહિનાની સૌથી મોટી સાપ્તાહિક છલાંગ લગાવ્યા બાદ ઘટી ગયો . બજારના સૂત્રોની માનીએ તો અમેરિકી બજારમાં સોનાની માંગ ઓછી હોવાને કારણે તેના ભાવમાં ઘટાડો આવ્યો છે . સાથે જ સ્થાનિક બજારમાં પણ સોનાની માંગ ઓછી થઇ છે . જેના લીધે ભાવ ઘટી ગયા છે . ભારતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીં નોંધ સોના - ચાંદીના ભાવ બજાર પર નિર્ભર છે , માટે ઉપર દર્શાવેલા આંકડા અને હાલમાં બજારમાં સોનાના ભાવમાં તફાવત હોઇ શકે છે . આ પહેલા પણ સોનાના ભાવ ઝડપથી ઘટયા હતા . તમને જણાવી દઇએ કે ભારતમાં દિવાળી પહેલા ધનતેરસના દિવસે દેશભરમાં સોનાનું બંપર વેચાણ થાય છે . દર વર્ષે વેચાણ બાદના આંકડા જારી કરવામાં આવે છે , જે ગયા વર્ષથી વધુ હોય છે ." business,"નવી દિલ્હી , 29 ઓક્ટોબર : દેશની બીજા નંબરની મોબાઇલ ઓપરેટર કંપની વોડાફોને તેની આંતરરાષ્ટ્રીય સેવાઓના દરોમાં ઘરખમ ઘટાડો કર્યો છે . વોડાફોને તેના પ્રિ - પેઇડ અને પોસ્ટ - પેઇડ ગ્રાહકો માટે કોલ દરોમાં 78 % સુધીનો જ્યારે ઇન્ટરનેટના દરોમાં 95 % નો ઘટાડો કર્યો છે . આ મુદ્દે અન્ય મોબાઇલ ઓપરેટર કંપનીઓ તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આવી નથી . જોકે આ કંપનીઓએ પણ જલ્દી જ તેમના ભાવમાં ફેરફાર કરવાના સંકેત આપ્યા છે . ઇન્ડિયા સેલ્યૂલરે હાલમાં જ ખૂબ આકર્ષક ઓફરો સાથે અમેરિકા જેવા દેશો માટે વિશેષ પેકેજ જાહેર કર્યા છે . આ નવા દરો લોકલ અને લાંબા અંતરના પ્રાદેશિક તેમજ રોમિંગ ચાર્જ પર લાગુ થશે . જે માત્ર પ્રતિ પૈસા સેકન્ડ રહેશે . ટેલિકોમ કંપનીઓએ અગાઉ જ આંતરરાષ્ટ્રીય દરોમાં વધારો કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો . પરંતુ ઉપભોક્તાઓ હવે આંતરરાષ્ટ્રીય સીમ પ્રોવાઇડર્સમાં તરફ વળી રહ્યા હોઈ કંપનીઓ પોતાના ગ્રાહક ગુમાવી રહી છે . સોમવારે વોડાફોને આંતરરાષ્ટ્રીય રોમિંગ માટે રૂપિયા 599 અને રૂપિયા 1,499ના પેકેજ જાહેર કર્યા છે , જેની વેલિડીટી 10થી 30 દિવસ સુધીની રહેશે . આ પેકેજ વિશ્વના 53 દેશો માટે છે . જેમાં યુકે , યુએસ , સિંગાપોર , થાઇલેન્ડ , અને યુએઈ સહિતના દેશોમાં આઉટગોઇંગ અને ઇન્ટરનેશનલ કોલનો ક્રમશઃ દર રૂપિયા 15 પ્રતિ મિનિટ અને રૂપિયા 30 પ્રતિ મિનિટ રહેશે . જે વર્તમાન દરોમાં લગભગ 78 % જેટલું ડિસ્કાઉન્ટ છે . ઇનકમિંગ કોલ રૂપ્યૈ 30 પ્રતિ મિનિટ રહેશે , જે વર્તમાન દરોના લગભગ અડધા છે . રૂપિયા 1,499ના પેકમાં 30 મિનિટ સુધી ફ્રીના ફ્રી ઇનકમિંગ કોલ પણ કંપની આપી રહી છે , આ પેકમાં ઇન્ટરનેટના ઉપભોક્તાને વધુ લાભ થશે . 30 MB સુધીનો ડેટા પણ ડાઉનલોડ કરી શકાશે , જ્યારે આતંરરાષ્ટ્રીય રોમિંગમાં 95 % સુધીનો ઘટાડો કરાયો છે . ટૂંક સમયમાં જ દેશની અન્ય મોબાઇલ ઓપરેટર કંપનીઓ પણ આવા જ આકર્ષક પ્લાન મૂકશે તેવા સંકેત પણ મળ્યા છે ." sports,"આઇપીએલ 10 સિઝનની આજે 22મી મેચ છે , જે કિંગ્સ ઇલેવન પંજાબ અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચે રમાનાર છે . ઇન્દોરના ખચાખચ ભરેલા હોલકર સ્ટેડિયમમાં રમાઇ રહી છે . ત્યારે આ મેચની તમામ લેટેસ્ટ માહિતી જાણવા માટે આ પેજને રિફ્રેશ કરતા રહો . અહીં અમે તમને આ મેચની તમામ અપડેટ આપતા રહીશું . Update : કિંગ્સ ઇલેવન પંજાબઃ હાશિમ અમલા , શોન માર્શ , ગ્લેન મેક્સવેલ , સ્ટોઇનિસ , રિદ્ધિમાન સહા , અક્ષર પટેલ , ગુરકિરત સિંહ , સ્વપનિલ સિંઘ , મોહિત શર્મા , સંદીપ શર્મા , ઇશાંત શર્મા મુંબઇ ઇન્ડિયન્સઃ પાર્થિવ પટેલ , જોસ બટલર , નીતિશ રાણા , રોહિત શર્મા ( કેપ્ટન ) , કિરોન પોલાર્ડ , હાર્દિક પંડ્યા , કૃણાલ પંડ્યા , હરભજન સિંહ , મિશેલ મેકલેરેઘન , લસિથ મલિંગા , જસપ્રિત બુમરાહ" sports,"ઇન્ડિયન પ્રીમિયર લીગમાં રમી રહેલી રાજસ્થાન રોયલ્સ ટીમના કપ્તાન રાહુલ દ્રવિડે પોતાને ભારત સરકાર દ્વારા પદ્મ ભૂષણથી સમ્માનિત કરવા બદલ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે તેમના માટે સમ્માનની વાત છે . રૂપા એન્ડ કંપની લિમિટેડ દ્વારા આયોજિત સમ્માન સમારંભમાં દ્રવિડે કહ્યું કે ' એ સમ્માનની વાત છે . જ્યારે આપ રમવાની શરૂઆત કરો છો તો આપ પુરસ્કાર અને સમ્માન અંગે નથી વિચારતા . આપ એટલા માટે રમો છો કે આપને આ રમત સાથે પ્રેમ હોય છે અને રમવાનું જારી રાખવા માટે કોઇ કારણ નથી હોતું . ' દ્ દ્રવિડે જણાવ્યું કે તે ભાગ્યશાળી છે કે ભારત જેવા દેશમાં જ્યાં ક્રિકેટને ધર્મનો દરજ્જો પ્રાપ્ત છે , તેમને 16 વર્ષ સુધી દેશ માટે રમવાની તક મળી . દ્રવિડના કહેવા પ્રમાણે ' હું ખુબ જ ભાગ્યશાળી છું કે મે દેશ માટે ક્રિકેટ રમી , જે દેશની સૌથી મોટી રમત છે . અહીં તો તેને ધર્મનો દરજ્જો પ્રાપ્ત છે અને આવા દેશ માટે રમીને હું ધન્યતા અનુભવું છું . '" sports,કેટલાક દિવસ પહેલા ફતેહગઢ સાહિબમાં પકડાયેલ 130 કરોડના ડ્રગ્સના મામલામાં અનૂપસિંહની ધરપકડ કરવામાં આવી હતી . આ મામલમાં વિજેન્દર સિંહના દોસ્ત રામસિંહને નોકરીમાંથી બરતરફ કરવામાં આવી ચૂક્યા છે . શું છે આખો મામલોઃ ફતેહગઢ પોલીસે 7 માર્ચના રોજ બે ડ્રગ તસ્કરોને પકડ્યા હતા . ત્યારબાદ ફતેહગઢ પોલિસે તેમના જીરકપૂરના ઘરમાંથી 130 કરોડ રૂપિયાનું 26 કિલો ડ્રગ્સ પકડાયુ હતું . આ તસ્કરોમાં એક કેનેડા અને બીજો એનઆરઆઇ હતો . જીરકપૂરના ફ્લેટની બહાર એક ગાડી પણ મળી આવી જે બોક્સર વિજેન્દરસિંહની પત્ની અર્ચનાના નામે રજિસ્ટર્ડ હતી . જોકે પોલીસે વિજેન્દરનું બ્લડ સેમ્પલ લેવાની કોશિશ કરી તો આ બોક્સરે પોતાનું બ્લડ સેમ્પલ આપવાની ના કહી દીધી . અને તેમણે જણાવ્યું કે તેઓ પોતાનું બ્લડ ડોપિંગ એજેન્સીને જ આપશે . વિજેન્દરસિંહ હરિયાણા પોલીસમાં જીએસપી છે . entertainment,"ઘોષે લખ્યું છે , ‘જોકે મેં બર્ફી જોઈ નથી . તેથી હું આ ફિલ્મ અંગે કૉમેન્ટ નહિં કરૂં , પણ એ સાચુ છે કે હંમેશા પ્રાદેશિક સિનેમાની અવગણના કરવામાં આવે છે . હું ભેદભાવની આ પ્રક્રિયા અંગે નારાજ છું . છેલ્લા પાંચ વર્ષોમાં માત્ર બે પ્રાદેશિક ફિલમો મરાઠી ફિલ્મ હરિશ્ચંદ્રાચી ફેક્ટરી ( 2009 ) અને મલયાલમ ફિલ્મ અદામિટે મકેન અબુ ( 2011 ) ને જ ઑસ્કાર પુરસ્કાર માટે મોકલવામાં આવી છે . ' આપને જણાવી દઇએ કે જ્યારથી અનુરાગ બાસુની ફિલ્મ બર્ફીને ઑસ્કાર માટે મોકલવાની વાત થઈ છે , ત્યારથી જ બર્ફી સામે પ્રશ્નો ઊભા થયાં છે . કોઈકે તેની વાર્તામાં કૉપીના આરોપો લગાવ્યાં , તો કોઈકે જણાવ્યું કે બર્ફી કરતાં વધુ સારી ફિલ્મો છે ઑસ્કાર માટે , પરંતુ મોટા નામોને પગલે બર્ફીને ઑસ્કાર માટે મોકલવામાં આવી રહી છે . નોંધનીય છે કે અનુરાગ બાસુની બર્ફી 14મી સપ્ટેમ્બરે રિલીઝ થઈ છે . ફિલ્મમાં રણબીર કપૂર , પ્રિયંકા ચોપરા અને ઇલિયાન ડી ' ક્રૂઝ મુખ્ય ભૂમિકામાં છે . ફિલ્મમાં રણબીર બહેરા - મૂંગાના પાત્રમાં છે . 70ના દાયકાની વાર્તા જોઈ લોકો ઘણા આશ્ચર્યચકિત છે . ફિલ્મ બૉક્સ ઑફિસે સારી કમાણી કરી રહી છે . કલેક્શનની વાત કરીએ તો ફિલ્મે અત્યાર સુધી 76 કરોડનો બિઝનેસ કર્યો છે ." entertainment,"કોંકણાના રણવીર સાથે લગ્ન 3જી સપ્ટેમ્બર 2010ના રોજ થયા હતાં અને 2011માં કોંકણાએ રણવીરના બાળકને જન્મ પણ આપ્યો હતો . તેનું નામ હારૂન છે , એમ તો રણવીર અને કોંકણા ઘણા જુના અને સારા મિત્રો છે , પરંતુ છેલ્લા કેટલાંક દિવસોથી બંને વચ્ચેના સંબંધો વણસ્યા છે . કોંકણાની એક નજીકની મિત્રના જણાવ્યા મુજબ રણવીર શૌરી સાથે કોંકણા માટે રહેવું હવે મુશ્કેલી ભર્યું થઈ ગયું છે . કોંકણાએ આ સંબંધ ટકાવી રાખવા ઘણાં બધાં પ્રયત્નો કર્યાં , પરંતુ વાત હવે બહુ આગળ વધી ગઈ છે . એટલે જ કોંકણાએ રણવીરથી છુટા પડવાનું નક્કી કરવુ પડ્યું . રણવીરના જીવનમાં કોંકણા અગાઉ મૉડેલ પૂજા હતી . રણવીર પૂજા સાથે લગ્ન પણ કરવા માંગતા હતાં , પરંતુ ફાઇનલી તેમના લગ્ન તેમની સારી મિત્ર કોંકણા સેન શર્મા સાથે થયાં . રણવીરે પોતાનું કરિયર એક છોટી સી લવ સ્ટોરી સાથે શરૂ કર્યુ હતું , પરંતુ તેઓ ફિલ્મ ખોસલા કા ઘોસલા અને પ્યાર કે સાઇડ ઇફેક્ટ્સ દ્વારા પ્રસિદ્ધિ પામ્યાં . રણવીરે સિંઘ ઈઝ કિંગ , જિસ્મ તેમજ આજા નચલે જેવી ફિલ્મોમાં પણ નાના - મોટા રોલ કર્યાં છે ." business,"અમદાવાદ , 18 સપ્ટેમ્બર : રાજકારણ અને ઇક્વિટી માર્કેટની કામગીરી વચ્ચે હંમેશા એક સંબંધ રહ્યો છે . આ સંબંધ એટલો મજબૂત છે કે રાજકારણ આર્થિક નીતિઓ નક્કી કરે છે , અર્થતંત્રને માર્ગદર્શન આપે છે અને ઉદ્યોગ જગતની કામગીરીને દિશા આપે છે . ઉદ્યોગ જગતની કામગીરી નક્કી કરે છે કે તેના શેર ભાવ કેટલે પહોંચશે . શેર બજારની ગતિનો આધાર રાજકારણ પર રહેલો હોય છે . તેથી જ વિદેશી અને દેશી રોકાણકારો 2014ની લોકસભા ચૂંટણીને લગતી ગતિવિધિઓ પર આતુર નજર રાખીને બેઠા છે . શેરમાર્કેટમાં આશા છે કે ઉદ્યોગો ફ્રેન્ડલી નરેન્દ્ર મોદી કેન્દ્રમાં આવશે તો શેરમાર્કેટની સ્થિતિ સુધરશે અને માર્કેટમાં તેજીનો ચમકારો જોવા મળશે . ઉદ્યોગ જગત અને સ્ટોક માર્કેટ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી માટે સકારાત્મક દ્રષ્ટિ રાખી રહ્યા છે . કોર્પોરેટ પોલ અને સર્વેમાં ઇન્ડીયા ઇન્ક દ્વારા આગામી નેતા તરીકે નરેન્દ્ર મોદીને જ પહેલી પસંદગી ગણાવ્યા છે અને આની પાછળ નક્કર કારણો પણ રહેલા છે . કારણ કે હાલની સરકારની નીતિઓથી દેશના ઉદ્યોગ દેખાવને ગંભીર નુકશાન થયું છે . તેથી જ મોદીના ' પ્રો - બિઝનેસ ' વિચારોને આવકારવામાં આવી રહ્યા છે . થોડા દિવસો અગાઉ મોદીએ સીઇઓ સાથેની બેઠકમાં કહ્યુ હતું કે તેઓ ફલેક્સિબલ કામદાર કાયદાઓ , સ્પષ્ટ વિકાસ એજન્ડા લાવવાની યોજના ઘડી રહ્યા છે . જે ઉદ્યોગ જગતને વેગ આપનાર સાબિત થશે . આ માટે ગુજરાતનો વિકાસ દુનિયા સમક્ષ સ્પષ્ટ ઉદાહરણ છે . અત્યારે આપણે જેની જરૂર છે તે છે એક મજબૂત નેતૃત્વ . જે આર્થિક વિકાસ અને આવકમાં વૃદ્ધિને સાંકળી શકે . મોદીની બીજી ઓળખાણ જ વિકાસ પુરૂષની છે . હવે જોવાનું રહ્યું કે મોદી ભારતના શેરબજારો માટે શુકનિયાળ સાબિત થશે કે નહીં ." entertainment,"આઇફા 2016 એવોર્ડ સમારંભની શરૂઆત થઇ ગઇ છે . અને "" આઇફા રોક્સ "" ટેગ લાઇન સાથે શરૂ થયેલા આ ફકંશનમાં બોલીવૂડની તમામ જાણીતી હસ્તીઓએ પોતાની હાજરી આપવાની શરૂઆત કરી લીધી છે . સાથે જ આ કાર્યક્રમના હોસ્ટ કરણ જોહર અને ફવાદ ખાન પણ વેન્યુ પર સૌથી પહેલા પહોંચી ગયા હતા . સાથે જ સલમાન ખાન , દિપીકા પાદુકોણ , શાહિદ કપૂર , બિપાશા બસુ , અદિતી રાવ હૈદરીએ પણ આ કાર્યક્રમમાં ગ્રીન કાર્પેટ પર એન્ટ્રી કરી હતી . જો કે આ કાર્યક્રમનું આકર્ષણ બની રહી હતી દિપીકા પાદુકોણ . બિલકુલ જ હટકે અંદાજમાં નજરે પડતે દિપીકા પાદુકોણ પર બધાની આંખો થમી ગઇ હતી . આ વખતે સ્પેનમાં આઇફાનું આયોજન કરવામાં આવ્યું છે . ત્યારે આઇફા 2016ની ગ્રીન કાર્પેટ એન્ટ્રીમાં કોણ કોણ શું પહેરીને આવ્યું હતું તે વિષે તસવીરો જુઓ અહીં . . ." entertainment,"ભારતીય સિનેમા જગત માત્ર ભારતમાં જ નહીં , પણ સમગ્ર દુનિયામાં પોતાનો પરચો ફરકાવી રહ્યો છે . આજે ભારતીય કલાકારોની માંગ ભારતની બહાર પણ બહુ વધારે છે અને આ બધુ એટલા માટે છે , કારણ કે ભારતીય સિને જગતના સિતારાઓએ પણ વિદેશોમાં પોતાના કામ વડે પ્રશંસકોનો મોટો વર્ગ ઊભો કર્યો છે . એવા સિતારાઓમાં ભારતના એક જાણીતા શખ્સ શેખર કપૂરનો પણ સમાવેશ થાય છે કે જેમની ફિલ્મો ભારત જ નહીં , પણ ભારતની બહાર પણ બહુ પસંદ કરવામાં આવે છે અને વખણાય છે . શેખર કપૂરનો આજે 68મો જન્મ દિવસ છે . સને 1975માં જાન હાજિર હૈ ફિલ્મ દ્વારા અભિનેતા તરીકે કૅરિયર શરૂ કરનાર શેખર કપૂર હાલમાં ઝી ટીવી અને દૂરદર્શન પર પ્રસારિત થતી બુદ્ધ સીરિયલમાં અસિત મુનિ તરીકે દેખાઈ રહ્યાં છે . જાન હાજિર હૈથી બુદ્ધ સુધીના આ કૅરિયર દરમિયાન શેખર કપૂર એક અભિનેતામાંથી એક જાણીતા ફિલ્મમેકર બની ચુક્યાં છે . આ એ જ શેખર કપૂર છે કે જેમણે મિસ્ટર ઇન્ડિયા ફિલ્મમાં અરુણ વર્મા ( અનિલ કપૂર ) ને ગાયબ કર્યા હતાં , તો હવે નાના પડદે સિદ્ધાર્થ ( ગૌતમ બુદ્ધ ) ને સાકાર કરવામાં પણ તેમની મહત્વની ભૂમિકા છે . શેખર કપૂરને સૌથી વધુ લોકપ્રિયતા બૅન્ડિટ ક્વીન ફિલ્મથી મળી . 1994માં આવેલી આ ફિલ્મ ફૂલન દેવી પર આધારિત હતી . ફિલ્મનું દિગ્દર્શન શેખર કપૂરે કર્યુ હતું . આ પછી તેમણએ 1998માં એલિઝાબેથ ફિલ્મનું દિગ્દર્શન કર્યું કે જે ઇંગ્લૅન્ડના મહારાણી એલિઝાબેથના જીવન પર આધારિત હતી . આ ફિલ્મે શેખરને વિશ્વ પટલ ઉપર ઓળખ અપાવી અને તેમને 7 ઍકેમેડી ઍવૉર્ડ માટે નૉમિનેશન મળ્યું . ચાલો તસવીરો સાથે શેખર કપૂર અંગે વધુ જાણીએ :" sports,"માન્ચેસ્ટર , 9 ઑગસ્ટઃ માન્ચેસ્ટર ખાતે રમાઇ રહેલી ટેસ્ટ શ્રેણીની ચોથી ટેસ્ટના બીજા દિવસે વરસાદે વિઘ્ન ઉભુ કર્યું હતું . દિવસની રમત પૂર્ણ થઇ ત્યાં સુધી ઇંગ્લેન્ડે છ વિકેટ ગુમાવીને 237 રન બનાવી લીધા છે . ઇંગ્લેન્ડે 85 રનની સરસાઇ મેળવી લીધી છે . ત્રીજા દિવસે તે ભારત પર વધુ સરસાઇ હાંસલ કરવાનો પ્રયાસ કરશે બીજી તરફ ભારતીય બોલર સવારના સેશનમાં વિકેટ મેળવવાનો પ્રયાસ કરશે . બીજા દિવસે ભારતને પહેલી સફળતાં ઝડપી બોલર ભુવનેશ્વર કુમારે અપાવી હતી . ભુવનેશ્વર કુમારે ક્રિસ જોર્ડનને 13 રન પર આઉટ કરી ઇનિંગમાં પોતાની બીજી વિકેટ લીધી હતી . બાદમાં ઇયાન બેલને આઉટ કરીને ભુવનેશ્વર કુમારે ઇંગ્લેન્ડને પાંચમો ઝટકો આપ્યો હતો . વિરુણ એરોને મોઇન અલીને 13 રન પર આઉટ કરી બીજા દિવસે પોતાની પહેલી વિકેટ લીધી હતી . વરસાદના કારણે બીજા દિવસની રમત અમુક સમય માટે રોકવી પડી હતી . આ પહેલા ભારતે પહેલી ઇનિંગમાં માત્ર 152 રન બનાવ્યા હતા . જેમાં ભારતના અનેક ટોચના બેટ્સમેન શૂન્ય રન પર આઉટ થયા હતા . વધુ વાંચવા માટે તસવીરો પર ક્લિક કરો . માન્ચેસ્ટર ટેસ્ટઃ ધોનીએ પહેલા દિવસે કર્યો રેકોર્ડનો વરસાદ ટોપ 20 બેટ્સમેન , જેમણે ઘર આંગણે પણ કર્યો છે રનનો ખડકલો આ પણ વાંચોઃ - ઇંગ્લેન્ડે સારી બોલિંગ કરી છતાં અમે મેચમાં છીએઃ અશ્વિન" entertainment,"શિમલા , 28 જાન્યુઆરી : બૉલીવુડ અભિનેતા હૃતિક રોશન પોતાની આવનાર ફિલ્મ બૅંગ બૅંગના શૂટિંગને આગળ ધપાવવા માટે શિમલા પહોંચી ગયાં છે . હૃતિક ગત રવિવારે શિમલા ખાતેની મરીના હોટેલમાં પહોંચ્યા અને તેમણે શૂટિંગનું રિહર્સલ પણ કર્યું . જોકે હૃતિક સોમવારે શિમલા ખાતેથી રવાના થઈ ગયાં . તેઓ હવે ગુરુવારે શિમલા પરત ફરશે . પહાડોની રાણીમાં પહેલી વાર બૉલીવુડ કલાકારો કૅટરીના કૈફ અને હૃતિક રોશન બૅંગ બૅંગ ફિલ્મનું શૂટિંગ કરતાં નજરે પડશે . બંને હોટેલ મરીનામાં નવમી ફેબ્રુઆરી સુધા રોકાશે . પહેલી ફેબ્રુઆરીથી શૂટિંગ શરૂ થવાની છે . કૅટરીના કૈફ 2જી ફેબ્રુઆરીએ શિમલા પહોંચશે . શિમલાના માલરોડ , જાખૂ , રિજ તથા લોઆર બાજાર ખાતે ફિલ્મના દૃશ્યો ફિલ્માવવામાં આવશે . ચાલો તસવીરો સાથે જાણીએ બૅંગ બૅંગ વિશે વધુ વિગતો :" business,"નવી દિલ્હીઃ છેલ્લા કેટલાક દિવસોથી સતત વધી રહેલા પેટ્રોલ - ડીઝલના ભાવથી દેશભરના નાગરિકો પરેશાન હતા . હાલ પેટ્રોલ - ડીઝલની કિંમતો હાઈએસ્ટ લેવલ પર પહોંચી ગઈ છે . 10મી સપ્ટેમ્બરે વિપક્ષે ભારત બંધનું એલાન કરીને ભાવ વધારાનો વિરોધ નોંધાવ્યો હતો . જો કે હવે નાગરિકોને સરકારે થોડી રાહત આપી છે . નાણામંત્રી અરુણ જેટલીએ પ્રેસ કોન્ફરન્સ યોજી ભાવ ઘટાડા અંગે માહિતી આપી છે . . અરુણ જેટલીએ પ્રેસ કોન્ફરન્સ યોજી કહ્યું કે ઓઈલ કંપનીઓ પેટ્રોલ - ડીઝલ પર 1 રૂપિયો ઘટાડશે અને કેન્દ્ર સરકારે એક્સાઈઝ ડ્યૂટી પર 1.50 રૂપિયા ઘટાડશે , જેથી પેટ્રોલ - ડીઝલના ભાવમાં અઢી રૂપિયાનો ઘટાડો થશે . ઉપરાંત રાજ્ય સરકાર સાથે બેઠક કરીને વધુ ભાવ ઘટે તે અંગે પગલાં ભરવામાં આવશે . અરુણ જેટલીએ કહ્યું કે અનેક વૈશ્વિક પરિબળો દેશના અર્થતંત્ર પર અસર કરતાં હોય છે . આંતરરાષ્ટ્રીય માર્કેટમાં પણ ક્રૂડની કિંમતમાં હરણફાડ વધારો થયો છે , જેને પગલે દેશમાં પણ પેટ્રોલ - ડીઝલની કિંમતો વધી ગઈ છે . ત્યારે ભાવ પર કાબૂ મેળવવા માટે મોદી સરકારે આયાત ઘટાડવા સહિતનાં પગલાં ભર્યાં છે . પેટ્રોલ - ડીઝલની વધતી કિંમતોથી પંપ માલિકો પણ પરેશાન ઉલ્લેખનીય છે કે આજે અમદાવાદમાં પેટ્રોલના ભાવમાં 14 પૈસાનો વધારો અને ડીઝલના ભાવમાં 22 પૈસાનો વધારો ઝીંકાયો હતો , નવા ભાવ લાગુ થયા બાદ અમદાવાદમાં પેટ્રોલ લીટર દીઠ 83.09 અને ડીઝલ 80.98 રૂપિયાની સપાટી પર પહોંચી ગયું છે . ત્યારે કેન્દ્ર સરકાર આ કિંમતોમાં અઢી રૂપિયા ઘટાડશે . નાણામંત્રીની આ જાહેરાત બાદ દેશના સામાન્ય નાગરિકોએ રાહતનો શ્વાસ લીધો છે . ઉલ્લેખનીય છે કે પેટ્રોલ અને ડીઝલમાં કેન્દ્ર સરકારે અઢી રૂપિયાના કરેલા ઘટાડા બાદ ગુજરાતના સીએમ વિજય રૂપાણીએ ટ્વીટ કરીને રાજ્ય સરકારે પણ અઢી રૂપિયાનો ઘટાડો કર્યો હોવાનું જણાવ્યું . જેથી ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં 5 રૂપિયાનો ઘટાડો નોંધાશે . જ્યારે અન્ય રાજ્યોમાં પણ રાજ્ય સરકારે વેટ ઘટાડીને પેટ્રોલ - ડીઝલ વધુ સસ્તાં કરી શકે છે . પેટ્રોલ - ડીઝલની કિંમતોએ તોડ્યા બધા રેકોર્ડ , જાણો આજની કિંમત" sports,"આ વિશ્વકપમાં ભારતે અત્યારસુધી માત્ર ઇંગ્લેન્ડની ટીમને હરાવી છે તો પાકિસ્તાનને પોતાની તમામ મેચો જીતી છે અને ટીમ જોરદાર ફોર્મમાં છે . પાકિસ્તાનની ટીમે આ પહેલાની મેચમાં દક્ષિણ આફ્રિકાને બે વિકેટથી હરાવ્યું હતું અને તેને સેમીફાઇનલમાં પહોંચવા માટે માત્ર એક જીતની જરૂર છે . આ હાઇવોલ્ટેજ મુકાબલા અંગે ટીમ ઇન્ડિયાના સુકાની મહેન્દ્ર સિંહ ધોનીનું કહેવું છે કે એ વાતમાં જરા પણ શંકા નથી કે પાકિસ્તાન હાલ સારી સ્થિતિમાં છે અને અમારે સ્પર્ધામાં બની રહેવા માટે આ મેચ જીતવી પડશે . અમે આ મુકાબલા માટે સંપૂર્ણ રીતે તૈયાર છીએ અને પરિણામ અંગે ચિંતા નહીં કરીને મેદાન પર 100 ટકા પ્રદર્શન કરીશું . બીજી તરફ પાકિસ્તાનના સુકાની મોહમ્મદ હાફીઝે કહ્યું છે કે ભારત વિરુદ્ધ મેચ હંમેશા દબાણ લઇને આવે છે , પરંતુ અભ્યાસ મેચમાં ભારત સામે જીત્યા પછી અમારો આત્મવિશ્વાસ વધ્યો છે અને અમે હકારાત્મક વિચાર સાથે મેદાન પર ઉતરીશું . દક્ષિણ આફ્રિકા વિરુદ્ધની મેચમાં શાનદાર પ્રદર્શન કરીને મેન ઓફ ધ મેચ બનેલા ઉમર ગુલે કહ્યું છે કે ભારત વિરદ્ધની મેચ ઘણી કપરી હશે . આ મેચમાં બન્ને ટીમો પર દબાણ હશે , કારણ કે બન્ને દેશોના લોકો તેમની ટીમ હારતી જોવા ઇચ્છતાં નથી . ભારત અને પાકિસ્તાને અત્યાર સુધી ટી - 20 વિશ્વકપમાં એકબીજા વિરુદ્ધ બે મેચ રમી છે , જેમાં બન્ને ભારતે જીત હાંસલ કરી છે . આ બન્ને મેચો ટી - 20 વિશ્વકપ 2007માં રમાઇ હતી . પહેલાં વિશ્વકપમાં એક મેચ ભારતે બોલ આઉટના નીયમપ્રમાણે તો બીજી મેચ પાંચ રનથી જીતી હતી જે ફાઇનલ મેચ હતી . આ મેચમાં ભારતે મોટા અંતરથી વિજય હાંસલ કરવા ઇચ્છશે ." entertainment,"એક એવો કલાકાર કે જેની પાસે દિલ છે , દિમાગ છે , વ્યક્તિત્વ છે , પ્રેમ છે , સફળતા છે , આદર છે અને હસતુ - રમતું પરિવાર છે , જેને આપ દરેક રીતે સમ્પૂર્ણ કહી શકો છો . તે કલાકાર છે સદીના મહાનાયક અમિતાભ બચ્ચન . આવું અમારુ કહેવું નથી , બલ્કિ આ કથન છે નિર્માતા - દિગ્દર્શક આર . બાલ્કીનું . અમિતાભ બચ્ચનનો 11મી ઑક્ટોબરે જન્મ દિવસ છે . બાલ્કીએ બીબીસી સાથે વાતચીત દરમિયાન જણાવ્યું કે અમિતાભ જેવા કલાકાર ક્યારેક જ જન્મ લેતા હોય છે . તેમની ખૂબીઓ વિશે હું શું કહું , તેઓ તો સર્વગુણ સમ્પન્ન છે . પડીને સંભળવું કોને કહે છે , તે તો કોઈ અમિતાભ પાસેથી શીખે . અમિતાભ બચ્ચન સાથે ચીની કમ અને પા જેવી ફિલ્મો કરનાર આર . બાલ્કીએ જણાવ્યું કે અમિતાભની અંદર હજુ પણ એક નાનું બાળક છે કે જે રોજ અભિનયની નવી રીતો શીખે છે . તેથી અમિતાભ આજે પણ યુવાન લાગે છે અને લોકો તેમની ફિલ્મો જુએ છે . સફળથાની ટોચે પહોંચતા - પહોંચતા દરેક માણસ કઈંકને કઈંક છોડી દે છે અથવા છુટી જાય છે , પરંતુ બચ્ચને પોતાના દરેક સંબંધોને જાળવી રાખ્યાં છે . એટલે જ તો ઉંમરના 70ના તબક્કે પહોંચ્યાં પછી પણ તેમના મેકઅપ મૅન અને ડ્રાઇવર નથી બદલાયાં કે જેઓ 40 વરસ પહેલા હતાં . બાલ્કીએ જણાવ્યું કે ભલે આ વખતના જન્મ દિને તેઓ 5 વરસના થઈ રહ્યો હોય , પરંતુ તેઓ હજુ પણ નવયુવાન કરતાં યુવાન છે . ઉલ્લેખનીય છે કે 11મી ઑક્ટોબરે અમિતાભ બચ્ચન સિત્તેર વર્ષના થવાનાં છે ." sports,"આઇસીસી મહિલા વિશ્વ કપ 2017માં પોતાના શાનદાર પ્રદર્શનથી લોકોનું મન જીતનાર ભારતીય ક્રિકેટ ટીમની કપ્તાન મિતાલી રાજ ફરી એકવાર લોકોનું મન જીતવા આવી રહી છે . અમિતાભ બચ્ચનનો લોકપ્રિય શો ' કોન બનેગા કરોડપતિ ' ટૂંક સમયમાં જ શરૂ થનાર છે . મિતાલી રાજ આ ટીવી શોના સેલિબ્રિટી એપિસોડમાં જોવા મળશે . ભારતીય મહિલા ક્રિકેટ ટીમી કપ્તાન મિતાલી રાજ અને 6 અન્ય ખેલાડીઓએ સમાજીક સેવાના હેતુસર આ એપિસોડમાં ભાગ લીધો હતો . આ એપિસોડનું શૂટિંગ પૂર્ણ થઇ ચૂક્યું છે , જે 1 સપ્ટેમ્બરના રોજ ટેલિકાસ્ટ કરવામાં આવશે . આ સાતેય ખેલાડીઓએ મળીને 6 લાખ 40 હજાર રૂપિયા જીત્યા હતા . કેબીસીના શૂટિંગના બીજા જ દિવસે મિતાલી રાજ અને તેમની ટીમને આમંત્રિત કરવામાં આવ્યા હતા . જેમાં મિતાલી રાજ ઉપરાંત હરમનપ્રીત કૌર , વેદા કૃષ્ણામૂર્તિ , સ્મૃતિ મંધાના , પૂનમ રાઉત , ઝૂલન ગોસ્વામી અને દીપ્તિ શર્મા પણ હાજર રહ્યાં હતા . નોંધનીય છે કે , મહિલા ક્રિકેટ ટીમ દ્વારા જીતવામાં આવેલ આ રકમ હૈદ્રાબાદની સામાજીક સંસ્થા ' પ્રયાસ ' ને આપવામાં આવશે . આ સંસ્થા મહિલાઓના અત્યાચાર વિરુદ્ધ કામ કરે છે અને આ સંસ્થાની બ્રાન્ડ એમ્બેસેડર છે મિતાલી રાજ . આ સંસ્થાને આર્થિક રીતે મજબૂત કરવાનો મિતાલીએ સંકલ્પ કર્યો છે અને તેમને સપોર્ટ કરવા માટે અન્ય છ ખેલાડીઓ પણ સહયોગ કરવા સાથે આવ્યા હતા ." business,"યોજના અંતર્ગત સર્વિસ ટેક્સ ચૂકવવામાં વિલંબ કરનારાઓને 1 ઓક્ટોબર , 2007થી 31 ડિસેમ્બર 2012 દરમિયાન પોતાના બાકી ટેક્સની ( ઉપકર સહિત ) બાકી રકમની ઘોષણા કરી શકશે . ત્યાર બાદ તે સાચી માહિતી આપીને જમા કરી શકશે . તેમને દંડ પણ ચૂકવવો નહીં પડે અને તેમની સામે કોઇ પ્રકારની કાર્યવાહી પણ કરવામા નહીં આવે . નાણા પ્રધાન પી ચિદમ્બરમે આ અંતર્ગત પહેલી યોજનાની જાહેરાત વર્ષ 2013 - 14નું બજેટ રજૂ કરતા સમયે કરી હતી . તેમણે માહિતી આપી હતી કે સર્વિસ ટેક્સ અંતર્ગત 17 લાખ લોકો નોંધાયેલા છે . તેમાંથી માત્ર 7 લાખ લોકો જ રિટર્ન જમા કરાવી રહ્યા છે . સર્વિસ ટેક્સ બાબતે કોઇ વ્યક્તિ આ બાબતમાં ઘોષણા 31 ડિસેમ્બર , 2013 સુધી તે તો પહેલા જાહેરાત કરી શકે છે . ઘોષણા કરનારી વ્યક્તિને બાકી ટેક્સના 50 ટકા ચૂકવણી 31 ડિસેમ્બર સુધી જમા કરાવવાનું હશે . જ્યારે બાકીની રકમ તેઓ 30 જૂન , 2014 સુધી જમા કરાવી શકે છે ." sports,"મિતાલી રાજની તોફાની 73 રનની બેટિંગ અને ઝૂલન ગોસ્વામીની શાનદાર બોલિંગે એશિયા કપના ફાઇનલ મુકાબલામાં પાકિસ્તાનને 17 રનથી પછાડી દીધુ છે . આ જીત સાથે ભારતે મહિલા એશિયા કપ ટી - 20 નો ખિતાબ પોતાના નામે કરી લીધો છે . એશિયા કપમાં ભારત ક્યારેય હાર્યુ નથી ભારતે આ જીત સાથે એશિયા કપમાં પાકિસ્તાન સામે ક્યારેય નહિ હારવાનો પોતાનો રેકોર્ડ જાળવી રાખ્યો છે . અત્યાર સુધી રમાયેલ 4 મેચોમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યુ છે . પાક માત્ર 105 રન બનાવી શક્યુ પાકિસ્તાન સામે ભારતે 122 રનનું લક્ષ્ય રાખ્યુ પરંતુ પાકિસ્તાન માત્ર 105 રન જ બનાવી શક્યુ . પહેલા બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમની શરુઆત સારી ન રહી . એસ મંદાના માત્ર 6 રન બનાવીને આઉટ થઇ ગઇ . આટલુ જ નહિ , મેઘના 9 , કૃષ્ણમૂર્તિ 2 સતત આઉટ થતા રહ્યા . મિતાલી રાજે શાનદાર રમતનું પ્રદર્શન કર્યુ એક તરફના છેડે જ્યાં વિકેટો પડી રહી હતી ત્યાં બીજી તરફ મિતાલી રાજે શાનદાર બેટિંગનું પ્રદર્શન કર્યુ હતુ . તેણે 65 બોલમાં 73 રન કર્યા હતા . જેમાં તેણે 7 ચોગ્ગા અને 1 છગ્ગો માર્યા હતા . ભારતીય બોલિંગ ભારત તરફથી શાનદાર બોલિંગ કરતા એકતા બિષ્ટે 4 ઓવરમાં માત્ર 22 રન આપીને 2 વિકેટ લીધી . જ્યારે ઝૂલન ગોસ્વામીએ 4 ઓવરમાં 19 રન અને પાટિલે 4 ઓવરમાં માત્ર 1 વિકેટ લઇને 18 રન આપ્યા ." business,"વોશિંગ્ટન , 11 એપ્રિલઃ ભારતીય મૂળના અમેરિકન નાગરીક નીલ મોહને પોતાની પ્રતિભાના દમ પર આઇટી ક્ષેત્રમાં ધાક જમાવી છે . તેમની આગળ ગૂગલ જેવી કંપનીએઓ પણ ઘુંટણિયે પડે છે . પોતાની કંપનીમાં રોકાવવા માટે ગૂગલે તેમને બોનસના નામે મસમોટી રકમ આપી હતી . 39 વર્ષીય નીલ મોહન ગૂગલ એડવર્ટાઇઝિંગ પ્રોડક્ટના ઉપાધ્યક્ષ છે . તેમને ગૂગલની પ્રતિદ્વંદ્વી કંપની ટ્વિટરે પ્રોડક્ટ ચીફના પદની ઓફર કરી હતી . પરંતુ નીલ મોહનની આવડતના કારણે ગૂગલ તેમને કોઇપણ કિંમતે પોતાની કંપની સાથે જોડી રાખવા માંગે છે . માટે ગૂગલે નીલ મોહનને 100 મિલિયન ડોલર ( લગભગ 544 કરોડ રૂપિયા ) બોનસ આપ્યું છે . આ પહેલાં કંપનીના અધ્યક્ષ ઇરિક શ્મિટ એકલાં એવા વ્યક્તિ હતા , જેમને ગૂગલે નીલ મોહન કરતાં 101 મિલિયન ડોલર આપ્યા હતા . નીલ મોહનના મગજના બળે ગૂગલને આ વર્ષે 7 બિલિયન ડોલર ( લગભગ 38108 કરોડ રૂપિયા ) ની કમાણીની આશા છે . નીલ મોહનના મિત્ર અને તેમના સહકર્મીઓનું કહેવું છે કે તેમનામાં ટેક્નોલોજીની સમજણ અને તેમના સાથે જોડાયેલી બિઝનેસ સ્ટ્રેટજીની જબરજસ્ત પકડ છે . નીલ મોહન અને તેમની પત્ની હેમા સરીમ મોહનનું સેન ફ્રાંસિસ્કોમાં એક આલીશાન ઘર છે , જેની કિંમત 5.2 મિલિયન ડોલર છે . આ ઉપરાંત તેમને ગૂગલ કોમ્પલેક્સ પાસે એક માઉન્ટેન વ્યૂ એપાર્ટમેન્ટ ભાડે રાખેલ છે નીલ મોહન નામનો એક સામાન્ય વિદ્યાર્થી જેને સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી 1996માં ઇલેક્ટ્રીકલ એન્જીનિયરીંગમાં ગ્રેજ્યુએશન કર્યું છે . તેને ક્યારેય વિચાર્યું પણ નહી હોય કે એક સમયે તેની ડિમાંડ એટલી વધી જશે કે મોટી - મોટી સોશિયલ નેટવર્કિંગ સાઇટ તેમની સાથે કામ કરવા માટે આટલી મોટી રકમ આપશે . ભારતીય મૂળના અમેરિકન નાગરિક નીલ મોહને ઇલેક્ટ્રીકલ એન્જીનિયરીંગમાં ગ્રેજ્યુએશન કર્યું છે અને તે એન્ડરસન કન્સલન્ટિંગમાં કામ શરૂ કર્યું હતું . 1997માં એક સ્ટાર્ટ - અપ કંપની નેટ ગ્રેવિટીમાં નીલ મોહને કામ કર્યું , જે ડિજિટલ માર્કેટિયરને સોફ્ટવેર વેચતી હતી ત્યારબાદ નેટ ગ્રેવિટીને ડબલ ક્લિકે ખરીદી લીધી . નીલ મોહન 2003 સુધી ડબલ ક્લિકમાં કામ કરતા હતા , ત્યારબાદ નીલ મોહને એમબીએ કરવા માટે સ્ટેનફોર્ડ જતા રહ્યાં અને 2005માં જ્યારે તે એમબીએ કરીને પાછા ફર્યા તો ગૂગલ જેવી મોટી કંપનીઓની ઓફર હોવાછતાં તેમને ડબલ ક્લિક સાથે જોડાઇ ગયા . ડબલ ક્લિકના તે સમયના સીઇઓ ડેવિડ રોજેંનબ્લા અને નીલ મોહને કંપનીને નવી ઉંચાઇએ પહોંચાડી અને નવી સ્ટ્રેટજી આપવા માટે જો 400 - 500 પેજનો પાવર - પોઇંટ ડોક્યુમેન્ટ બનાવીને કંપની બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવ્યું . ત્યાર બાદ ગૂગલે પણ તેને ખરીદી લીધી અને નીલ મોહનને પોતાના એમ્પલોય બનાવી રાખવા 544 કરોડનું બોનસ આપ્યું છે . નીલ મોહનને કોઇપણ કંપની તેમની મનમાંગી પોસ્ટ અને પગાર આપવા માટે તત્પર રહે છે . નીલ મોહનના કેરિયરની શરૂઆત ગ્લોરફાઇડ ટેક્નિકલ સપોર્ટથી થઇ હતી . અહીં તેમને 60,000 ડોલર પગાર મળતો હતો . 2008માં નીલ મોહન ગૂગલ સાથે તે સમયે જોડાયા જ્યારે તેમની જુની કંપની ડબલ ક્લિકને ગૂગલે ખરીદી લીધી . હવે તેમને રોકી રોખવા માટે ગૂગલે તેમને આટલું મસમોટું બોનસ આપ્યું છે . 2011માં ગૂગલને ડિસ્પ્લે એડવર્ટાઇઝિંગ દ્રારા 5 બિલિયન ડોલરની આવક થઇ હતી , જ્યારે 2012માં આ 7 બિલિયન ડોલર થવાની આશા છે ." business,"અમદાવાદઃ દિવસેને દિવસે પેટ્રોલની કિંમતો આસમાને પહોંચતી જઈ રહી છે . બેકાબૂ થયેલ પેટ્રોલ - ડીઝલની કિંમતોને પગલે સામાન્ય નાગરિકોએ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે . આજે ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો જોવા મળ્યો છે . અમદાવાદમાં આજે પેટ્રોલની કિંમતોમાં 24 પૈસાનો અને ડીઝલમાં 35 પૈસાનો વધારો ઝીંકાયો છે . નવા ભાવ ગાલુ થયા પાદ પેટ્રોલ લીટર દીઠ 82.83 રૂપિયા અને ડીઝલ લીટર દીઠ 80.59 રૂપિયામાં મળી રહ્યું છે . નવી દિલ્હીમાં આજે પેટ્રોલની કિંમતોમાં 24 પૈસાનો અને ડીઝલની કિંમતોમાં 30 પૈસાનો વધારો નોંધાયો છે . નવી કિંમતો લાગુ થયા બાદ અહીં પેટ્રોલ 83.73 અને ડીઝલ 75.09 રૂપિયા પ્રતિ લીટર પર મળી રહ્યું છે જ્યારે મુંબઈમાં પણ પેટ્રોલ - ડીઝલના ભાવ વધ્યા છે . જ્યાં 24 પૈસાના વધારા સાથે પેટ્રોલ 91.08 અને 32 પૈસાના વધારા સાથે ડીઝલ 79.72 રૂપિયાની સપાટી પર પહોંચી ગયું છે . સતત થઈ રહેલા આ ભાવ વધારાના કારણે નાગરિકોની મુશ્કેલીઓમાં વધારો ઈ રહ્યો છે , જ્યારે સરકાર પણ ભાવ વધારાને નાથમાં નિષ્ફળ નિવળી રહી છે . એકબાજુ જયાં પહેલેથી જ પેટ્રોલ - ડીઝલની કિંમતોમાં વધારાના પગલે લોકો પરેશાન હતા , ત્યારે બીજી બાજુ રાંધણ ગેસ એલપીજી કેસમાં પણ ભાવ વધારાએ લોકોની કમર તોડી છે . દિલ્હીમાં એલપીજી સિલિન્ડરમાં 59 રૂપિયાનો વધારો થયો છે અને આ ભાવ વધારા બાદ સિલિન્ડર 502.4 રૂપિયામાં મળી રહ્યો છે . જ્યારે સબ્સિડી વિનાનો સિલિન્ડર પણ ઓક્ટોબરમાં 59 રૂપિયા મોંઘો થઈ ગયો હતો . યૂટ્યૂબને કારણે ફેસબુક થયું હેક ! થશે અબજો રૂપિયાનો દંડ" business,"મુંબઈઃ મંગળવારે ડૉલરના મુકાબલે રૂપિયામાં ઘટાડો નોંધાયો છે . રૂપિયો આજે પાંચ પૈસાના કડાકા સાથે 70.51ના સ્તર પર ખુલ્યો . જ્યારે ડૉલરના મુકાબલે રૂપિયામાં સોમવારે પણ ભારે ઘટાડો જોવા મળ્યો હતો . ડૉલરના મુકાબલે રૂપિયા કાલે 88 પૈસાના કડાકા સાથે 70.46ની સપાટી પર બંધ થયો હતો . ક્રૂડ ઓઈલમાં વૃદ્ધિનો રૂખ બનવાથી કાલે રૂપિયો અચાનક પટકાયો હતો . પાછલા ત્રણ મહિનામાં રૂપિયામાં એક દિવસમાં આ સૌથી મોટો કડાકો જોવા મળ્યો હતો . બજારના જાણકારોનું કહેવું છે કે ક્રૂડ ઓઈલના ભાવમાં તેજી અને અમેરિકી ડૉલર મજબૂત થતા આયાતકારોની ડૉલરની માંગ વધવાથી રૂપિયામાં નરમાઈ જોવા મળી છે . જ્યારે રશિયન રાષ્ટ્રપતિ પુતિન અને સઉદી અરબના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનની વચ્ચે ક્રૂડ ઓઈલની વૈશ્વિક કિંમતોમાં ઘટાડો થમવા માટે ઉત્પાદન કટોતી પર સહમતિના અસરના રૂપે પણ આને જોવામાં આવી રહ્યો છે . બીજી બાજુ મંગળવારે શેર બજારમાં પણ સુસ્તી જોવા મળી છે અને સેન્સેક્સ શરૂઆતી કારોબારમાં 188 અંકના કડાકા સાથે36,052.47 પર આવી ગયો . જો કે આજે સવારે સેન્સેક્સ 49.48 અંકની તેજી સાથે 36241 પર ખુલ્યો હતો પરંતુ આ તેજી વધુ સમય ન ચાલી . જ્યારે નિફ્ટીમાં પણ 46 અંકોનો કડાકો જાવા મળ્યો છે . હાલ નિફ્ટી 10846ના સ્તર પર કારોબાર કરી રહી છે . અગાઉ સોમવારે સેન્સેક્સ 46.70 અંક વધીને 36,241 પર અને નિફ્ટી 7 અંકના વધારા સાથે 10883.75 પર બંધ થયો હતો . વધુ સસ્તાં થયાં પેટ્રોલ - ડીઝલ , જાણો 4 ડિસેમ્બરે શું છે કિંમત" business,"નવી દિલ્હી , 12 સપ્ટેમ્બરઃ ઓઇલની આંતરરાષ્ટ્રીય કંપનીઓમાં નરમાઇ તથા રૂપિયાની મજબૂતીને ધ્યાનમાં રાખતા પેટ્રોલના ભાવ આગામી અઠવાડિયે એકથી દોઢ રૂપિયા પ્રતિ લિટર ઘટી શકે છે , પરંતુ ડીઝલ તથા રાંઘણગેસના ભાવમાં એક સમયે વધારો થવાની સંભાવના છે . પેટ્રોલિયમ સચિવ વિવેક રોયે કહ્યું કે ડીઝલ તથા રસોઇગેસના ભાવમાં વધારાનો મુદ્દો રાજકીય તથા આર્થિક પડકાર છે જેનાથી આપણે ભાગી ન શકીએ . તે અહીં દિલ્હી ઉત્પાદકતા પરિષદ દ્વારા આયોજિત સંમેલને સંબોધિત કરી રહ્યાં છે . તેમને કહ્યું હતું કે થોડો બોજો ગ્રાહકોને પણ ઉપાડવો પડશે . સરકાર સમક્ષ આ મોટો પડકાર છે . આ એજ રાજકીય પડકાર છે . આ એક આર્થિક પડકરા છે . આ એવો પડકાર છે જેનાથી આપણે ભાગી ન શકીએ . વિવેક રોયે કહ્યું હતું કે સબસિડી બોજ એક એવા સ્તરે પહોંચી ગયું છે કે તેને સરકારી બજેટ અથવા ઓઇલ કંપનીઓને પોસાતું નથી . તેમને કહ્યું હતું કે રૂપિયામાં નરમાઇથી આયાત મોંઘી થવાના કારણે ગત બે મહિનામાં ઓઇલ સબસિડીમાં 20,000 કરોડ રૂપિયાનો વધારો થયો છે . ત્યારબાદ સંવાદદાતાઓ સાથે વાતચીત કરતાં તેમને કહ્યું હતું કે ભાવમાં 50 પૈસા પ્રતિ લીટરથી વધુના વધારાનો નિર્ણય બધા વિકલ્પો પર વિચાર કર્યા બાદ કરવામાં આવશે . તેમને કહ્યું હતું કે નાણામંત્રી ( પી ચિદંબરમ ) પોતે કહી ચૂક્યા છે કે આ નિર્ણય પર ખૂબ સાવધાનીપૂર્વક વિચાર કરવો પડશે . એટલા માટે મારા મત મુજબ આગળનો નિર્ણય કરતાં પહેલાં બધા પાસાઓ પર ધ્યાન રાખવામાં આવશે . કેટલાક વિકલ્પો ઉપલબ્ધ છે . અધિકારીઓનું કહેવું છે કે આંતરાષ્ટ્રીય ઓઇલ કિંમતોમાં નરમાઇ તથા રૂપિયામાં મજબૂતીથી 15 - 16 સપ્ટેમ્બરના રોજ પેટ્રોલના ભાવ ઘટી શકે છે ." sports,"મુંબઇ પોલીસ દ્વારા અભિનેતા વિંદૂ દારા સિંહને કરવામાં આવી રહેલી પુછપરછમાં એક નવા ખુલાસા સામે આવી રહ્યાં છે , ટીવી ચેનલોના જણાવ્યા અનુસાર મુંબઇ પોલીસ અભિનેતા વિંદૂ દારા સિંહ સાથે પુછપરછ કરી રહી છે . જેમાં તેમને આઇપીએલની ચેન્નઇ સુપર કિંગ્સ ટીમના ત્રણ ખેલાડીઓના નામ લીધા છે . કહેવામાં આવે છે કે આ બંને ખેલાડી જૂનિયર અને એક સીનિયર ખેલાડી સ્પૉટ ફિક્સિંગમાં સામેલ છે . આ ઉપરાંત બીસીસીઆઇ અધ્યક્ષ એન શ્રીનિવાસનના પુત્ર આશ્વિનને કહ્યું હતું કે ગુરૂદાસ મયપ્પનનો સંપર્ક સટોડિયાઓ સાથે છે . આ ધ્યાન આપવા લાયક છે કે પહેલાં પણ મુંબઇ પોલીસે બીસીસીઆઇના જમાઇ મયપ્પનને સમન્સ રજૂ કર્યું હતું અને તેમની પુછપરછ કરવા માટે તેમના ઘરે ગઇ હતી પરંતુ તે હાજર ન હતા . પોલીસ દ્વારા આજે સવારે 11 વાગ્યાથી સાંજ 5 વાગ્યા સુધી તેમને મુંબઇમાં હાજર થવાનો આદેશ આપ્યો છે . વિંદૂ દ્વારા સિંહે જણાવ્યું હતું કે તેમને મયપ્પના કહેવા પર પૈસા લગાવ્યા હત . વિંદૂ દારા સિંહે જણાવ્યું હતું કે મયપ્પન સટ્ટેબાજીમાં એક કરોડ રૂપિયા હારી ચૂક્યાં છે . આ દરમિયાન આઇપીએલમાં ફિક્સિંગના કારણે સ્પોન્સર્સ પણ નિરાશ છે . એબીપી ન્યુઝ ચેલના જણાવ્યા અનુસાર મુખ્ય સ્પોન્સર પેપ્સી પણ આના કારણે ચિચિંત છે અને સ્પોન્સરશિપ પર પુનવિચારણા કરી રહી છે . જો કે કંપનીએ ફિક્સિંગ વિવાદ મુદ્દે કંઇ કહેવાની મનાઇ કરી દિધી હતી . પેપ્સીએ આઇપીએલની સ્પોન્સરશિપ 400 કરોડમાં ખરીદી હતી . સ્પૉટ ફિક્સિંગ મુદ્દે આઇપીએલના સ્પોન્સરોને વિચારવા પર મજબૂર કરી દિધા છે જે બીસીસીઆઇ માટે ચિંતાનો વિષય છે ." entertainment,અક્ષય કુમાર એક વખત કાંઇ નક્કી કરી લે એના પર હંમેશા માટે ટકી રહે છે . અક્ષય કુમાર અને પ્રિયંકા ચોપરાની જોડી એક સમય સુપરહિટ જોડી હતી . પરંતુ પ્રિયંકા ચોપરા અને અક્ષય કુમાર એકબીજાની વધારે જ નજીક આવવા લાગ્યા હતા . જેના કારણે અક્ષય કુમારના લગ્ન જીવનમાં ભંગાણ પડવા લાગ્યું હતું . ધમાકોઃ અક્ષય કુમારની આ ગુડ ન્યુઝ તમારો દિવસ બનાવી દેશે . . . હાલમાં જ અક્કીએ અભિનેત્રી પ્રિયંકા ચોપરા સાથે કામ ન કરવાનું નક્કી કરી લીધું છે . સામાન્ય રીતે અભિનેત્રી પસંદ કરવામાં અક્ષય ક્યારેય માથું મારતા નથી . જો કે તાજેતરમાં જ ફિલ્મમાં પ્રિયંકાનું નામ સાંભળતાં નારાજ થયા . હાલમાં જ અક્ષય કુમાર તેમની આવનારી ફિલ્મ જોલી એલએલબી 2 નું શૂટિંગ કરી રહ્યા છે . જયારે પ્રિયંકા ચોપરા પોતાના હોલિવુડ પ્રોજેક્ટને લઈને વ્યસ્ત છે . entertainment,"જિયા ઔર જિયા કાસ્ટઃ કલ્કી કોચલીન , રિચા ચઢ્ઢા , આર્સલન ગોની ડાયરેક્ટરઃ હોવર્ડ રોઝમેયર પ્રોડ્યુસરઃ મિર્ઝા અસ્કરી લેખકઃ મુદાસિન અઝિઝ શું છે ખાસ ? ક્લકીની એક્ટિંગ શું છે બકવાસ ? ફિલ્મની વાર્તા ચવાયેલી લાગે છે . સ્ટારઃ 2" sports,"ભારતીય પ્રિમીયર લીગ એટલે કે આઇપીએલની આ 10મી સીઝન છે . આ 10 સીઝન દરમિયાન આઇપીએલ ક્રિકેટર રસિયાના મન અને મગજ પર છવાઇ ગઇ છે . 2008માં શરૂ થયેલી આઇપીએલમાં ગત 10 વર્ષો દરમિયાન અનેક નવા રેકોર્ડ બનાવ્યા છે . વાત બોલિંગની હોય કે બેટિંગની આઇપીએલના તેવા અનેક રેકોર્ડ છે જે આઇપીએલના તમામ ક્રિકેટ રસીયાઓએ જાણવા જોઇએ . ત્યારે આઇપીએલની 10 શ્રેષ્ઠ બોલિંગ આંકડા કયા છે વિગતવાર જાણો નીચેના લિસ્ટમાં . . . 1 . સોહિલ તનવીર રાજસ્થાન રોયલ્સના સોહિલ તનવીર આ ક્રમમાં સૌથી મોખરે છે . તેમણે ચેન્નઇ સુપર કિંગ વિરુદ્ધ મે 4,2008માં રમાયેલી મેચમાં ચાર ઓવરમાં 14 રન આપી 6 વિકેટ લીધી હતી . 2 . એડમ ઝંપા રાઇઝિંગ પુણે સુપરજાયન્ટ્સના એડમ ઝંપાએ મે 10,2016ની મેચમાં 4 ઓવરમાં 19 રન સાથે 6 વિકેટ ઝડપી હતી . 3 . અનિલ કુંબલે રોયલ ચેલન્ઝર્સ બેંગલોર તરફથી રમતા ભારતીય ક્રિકેટર અનિલ કુંબલેએ 3 ઓવરમાં 12 રન આપી 5 વિકેટ લીધી હતી . 4 ઇશાંત શર્મા ડેક્કન ચાર્ઝએ ડેક્કન ચાર્ઝર્સ માટે રમતા 3 ઓવરમાં 12 રન આપી 5 વિકેટ ઝડપી હતી . કોચીમાં આ રમત રમાઇ રહી હતી ત્યારે ઇશાંત શર્માએ આ એવોર્ડ બનાવ્યો હતો . 5 . મલ્લિંગા મલ્લિંગાએ મુંબઇ ઇન્ડિયન માટે રમતા દિલ્હી ડેરડેવિગ વિરુદ્ધ એપ્રિલ 10,2011ની મેચમાં 3.4 ઓવરમાં 13 રન આપી 5 વિકેટ ઝડપી હતી . 6 . રવિન્દ્ર જાડેજા ગુજ્જુ ભાઇ રવિન્દ્ર જાડેજાએ કેએસકે માટે રમતા ડીવી વિરુદ્ધ એપ્રિલ 7,2012ની મેચમાં 4 ઓવરમાં 16 રન આપી 5 વિકેટ ઝડપી હતી . 7 . જેમ્સ ફોકનર જેમ્સ ફોકનર આરઆર ટીમમાં રમતા મે 17,2013ના રોજ સનરાઇઝ હૈદરાબાદ વિરુદ્ધની મેચમાં 4 ઓવરમાં 16 રન આપી 5 વિકેટ મેળવી હતી . 8 . અમિત મિશ્રા મે 15,2008માં દિલ્હી ડેરડેવિલ્સની માટે રમતા અમિત મિશ્રાએ 4 ઓવરમાં 17 રન આપી 5 વિકેટ ઝપડી હતી . 9 એન્ડ્રૂ ટાઇ ગુજરાત લાયન્સ માટે રમતા એન્ડ્રૂએ એપ્રિલ 14,2017ના રોજ રાજકોટ ખાતે પુણેની ટીમ વિરુદ્ધ 4 ઓવરમાં 17 રન આપી 5 વિકેટ ઝડપી હતી . 10 . હરભજન સિંહ હરભજન સિંહે એપ્રિલ 22,2011ના રોજ મુંબઇ ઇન્ડિયન માટે રમતા સીએસકે વિરુદ્ધ 4 ઓવરમાં 18 રન આપી 5 વિકેટ ઝડપી હતી ." entertainment,"ગુજરાતી ફિલ્મોના જાણીતા અભિનેતા અને ગાયક જગદીશ ઠાકોરનું જન્માષ્ટમીના રોજ હૃદયરોગના હુમલાથી નિધન થયું હતું . બુધવારે તેમના પાર્થિવ દેહનો અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો હતો . તેમની અંતિમ યાત્રામાં ઠાકોર સમાજ સહિત ગુજરાતી ફિલ્મ ક્ષેત્રના લોકો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતા . તેઓ જન્માષ્ટમી ઉજવવા માટે પોતાના વતન બલાસણા ગયા હતા . જન્માષ્ટમીના દિવસે સવારે અચાનક જ તેમને હૃદયરોગનો હુમલો આવતાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા , જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કરતાં પરિવાર શોકમગ્ન થઇ ગયો હતો . તેમને એક પુત્ર અને એક પુત્રી છે . જગદીશ ઠાકોરની ઉંમર માત્ર 36 વર્ષ હતી . તેઓ ગુજરાતી ફિલ્મો ઉપરાંત ડાયરા અને આલ્બમના ગાયક તથા ગીતકાર તરીકે પણ પ્રસિદ્ધ હતા . તેમણે લગભગ 200 આલ્બમ બહાર પાડ્યા હતા . જદગીશ ઠાકોર ગુજરાતી ફિલ્મોના એક્શન કિંગ કહેવાતા હતા . ખૂબ નાની વયે સફળતાનો સ્વાદ ચાખનાર જગદીશ ઠાકોર સરળ સ્વભાવના અને ઉમદા કલાકાર તરીકે જાણીતા હતા . તેમણે 50 જેટલી ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે ." business,"ફેડના વડા જો કોઈ અનપેક્ષિત નિર્ણય કરશે તો વિશ્વભરનાં શેરબજારોમાં તીવ્ર આંચકા આવી શકે છે . ત્યાર બાદ 20 સપ્ટેમ્બર , 2013 શુક્રવારના રોજ ભારતીય રિઝર્વ બેંક ( આરબીઆઇના ) ના નવા ગવર્નર રઘુરામ રાજન પોતાની પ્રથમ નાણાકીય નીતિ કેવી રાખશે તેની પણ માર્કેટ આતુરતાથી રાહ જોઈ રહ્યું છે . ભારતમાં ગયા મહિને 6 ટકાને પાર થઈ ગયેલા ફુગાવા સહિત અનેક નકારાત્મક પરિબળોનો સામનો કરી રહ્યું છે . બીજી તરફ જોઇએ તો વડાપ્રધાન પદ તરીકે ભાજપે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના નામની જાહેરાત કર્યા બાદ માર્કેટમાં ખાસ તેજી જોવા મળી નથી . હવે જેમ ચૂંટણી નજીક આવશે તેમ માર્કેટની સ્થિતિ વધારે અનિશ્ચિત બનશે . જેના કારણે શેરબજારોના નોંધપાત્ર સુધારા માટેના માર્ગ એક મોટો અવરોધ ઉભો થશો . તાજતરના સમયમાં સરકારે લીધેલા પગલાંને કારણે એફઆઇઆઇએ સપ્ટેમ્બરમાં અત્યાર સુધીમાં આશરે 1 અબજ ડોલર ઠાલવીને જોરદાર શરૂઆત કરી છે . ભારતીય શેરોમાં ડોલર પ્રવાહ આવતા બજારોમાં ફરી તેજી આવી છે . હવે પછી બજારનું વલણ આરબીઆઈની નવી નીતિ નક્કી કરશે ." sports,"પોતાના મજેદાર ટ્વીટથી ચર્ચામાં રહેતા વીરેન્દ્ર સહેવાગે ફરી એક વાર એવુ ટ્વીટ કર્યુ છે કે લોકો તેમની જ વાતો કરી રહ્યા છે . વીરેન્દ્ર સહેવાગના ટ્વીટ પર અમુક લોકો તેમની પ્રશંસા કરી રહ્યા છે તો બીજી તરફ કેટલાક લોકો તેમનો વિરોધ પણ કરી રહ્યા છે . વીરેન્દ્ર સહેવાગે રવિવારે રાત્રે 9 વાગે એક ટ્વીટ કર્યુ . આ ટ્વીટમાં તેમણે લખ્યુ , ' કાલની સ્ટોરીનો સાર એ છે કે મા ની મમતાથી જીત આસાન થઇ જાય છે , આજની સ્ટોરીનો સાર એ છે કે બાપ બાપ હોય છે . ( # BaapBaapHotaHai ) . તમને જણાવી દઇએ કે સહેવાગે આ ટ્વીટ ભારત અને પાકિસ્તાન વચ્ચે મલેશિયામાં રમાયેલ એશિયાઇ ચેમ્પિયંસ ટ્રોફીની ફાઇનલ મેચમાં ભારતે પાકિસ્તાનને 3 - 2 થી હરાવ્યા બાદ કર્યુ હતુ . એક દિવસ પહેલા જ ભારતે ન્યૂઝીલેંડને ક્રિકેટમાં 190 રનથી હરાવીને સીરીઝ પોતાના નામે કરી લીધી હતી . આ મેચની ખાસ વાત એ હતી કે બધા ખેલાડીઓએ પોતાની મા ના નામનું ટી શર્ટ પહેર્યુ હતુ . આ કારણે જ સહેવાગે પોતાના ટ્વીટમાં કહ્યુ કે મા ની મમતા જીત આસાન બનાવી દે છે . આ તરફ તેમના દ્વારા કરાયેલ ' બાપ બાપ હોય છે ' વાળુ ટ્વીટ હોકીમાં પાકિસ્તાનની હાર બાદ પાકિસ્તાન પર કરાયેલ કટાક્ષ છે . વીરેન્દ્ર સહેવાગના ટ્વીટ પર અમુક લોકો તેમની સાથે ખડેપગે નજરે પડ્યા તો ઘણા લોકોએ તેમની આકરી ટીકા પણ કરી . હોકીમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યા બાદ કેટલાક લોકો તો એવુ પણ કહી રહ્યા છે કે ભારતે માત્ર સીમા પર જ નહિ પરંતુ હોકીમાં પણ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે ." entertainment,"આ વાતમાં કોઈ જ શંકા નથી કે ટીવી પર એવા પણ ઘણા સ્ટાર છે જેઓ પોતાની બોલ્ડ ફોટો ઘ્વારા બોલિવૂડ સ્ટારને પણ ટક્કર આપે છે . આ લિસ્ટમાં હાલમાં ' તું સુરજ મેં સાંજ પિયા કી ' સિરિયલની પાલોમીનું નામ જોડાઈ ગયું છે . પાલોમી એટલે કે મધુરા નાયક . મધુરા નાયકે હાલમાં જ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની હોટ ફોટો શેર કરી છે . આ ફોટો જોઈને તમે ગ્લેમરસ કેટરિના કૈફ અને દીપિકા પાદુકોણને ભૂલી જશો . આપણે જણાવી દઈએ કે મધુરા નાયકે ' તું સુરજ મેં સાંજ પિયા કી ' સિરિયલમાં એક સંસ્કારી યુવતીની ભૂમિકા ભજવી હતી . તેનો રોલ પછી પોઝિટિવ કરી દેવામાં આવ્યો હતો . તેની આ ફોટો જોઈને તમે પણ મધુરાના ફેન બની જશો . મધુરા નાયકે હાલમાં જ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર જે ફોટા શેર કર્યા છે , જે સોશ્યિલ મીડિયા પર જોરદાર વાયરલ થઇ રહ્યા છે . હાલમાં મધુરા નાયક ટીવીની એક એવી અભિનેત્રીમાં શામિલ છે જેઓ પોતાની એક્ટિંગ સાથે સાથે સુંદરતા માટે પણ ઓળખાય છે . મધુરા નાયકે સોશ્યિલ મીડિયા પર જે તસવીરો શેર કરી છે તે ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહી છે . આ ફોટો પરથી લાગી રહ્યું છે કે મધુરા નાયક ખુબ જ જલ્દી સોશ્યિલ મીડિયા ક્વીન બની જશે . તો એક નજર કરો સોશ્યિલ મીડિયા પર વાયરલ થતી ટીવી સ્ટારની બોલ્ડ તસવીરો પર . . . ." business,ભારતીય સ્ટેટ બેંક તેના તમામ ગ્રાહકોને એક મોટો ફટકો લગાવવા જઇ રહી છે . બેંકે તેની જમા મૂડી પર મળતા વ્યાજમાં મોટો કાપ મૂકવાની છે . એટલે કે હવે તમને પહેલા કરતા જમા રાશિ પર વ્યાજ ઓછું મળશે . બે થી લઇને ત્રણ વર્ષ કે તેનાથી ઓછા સમય સુધી જો તમે એસબીઆઇમાં પૈસા જમા કરાવો છો તો તમને તેની પર ખાલી 6.25 ટકા વ્યાજ મળશે . નોંધનીય છે કે આ વ્યાજ પહેલા 6.75 ટકા હતું . આમ બેંકે બેઝિક પોઇન્ટમાં 0.50 ટકા કાપ મૂક્યો છે . સાથે જ વરિષ્ઠ નાગરિકો માટે આ દર 7.25 ટકાથી ઓછું થઇને 6.75 ટકા કરવામાં આવ્યું છે . Read also : સેલરી સ્લીપ સાથે જોડાયેલી 12 વાતો entertainment,"નિક જોનસ અને પ્રિયંકા ચોપરાની સગાઈની પાર્ટી શરુ થઇ ચુકી છે . સૌથી પહેલા મહેમાનોમાં પ્રિયંકા ચોપરાની નજીકની મિત્ર અર્પિતા ખાન અને બહેન પરિણીતા ચોપરા શામિલ છે . જયારે પ્રિયંકા ચોપરાની મમ્મી મધુ ચોપરા પણ ખુબ જ સુંદર સાડીમાં તૈયાર થઈને દીકરીની સગાઇ પાર્ટીમાં મહેમાનોનું સ્વાગત કરવા માટે તૈયાર છે . આ સગાઇ પાર્ટી પહેલા આજે સવારે પ્રિયંકા ચોપરાના પરિવારે પરંપરાગત રીતે પ્રિયંકા અને નિક જોનસની રોકા રસમ પુરી કરી . આ રસમમાં પરિવારના લોકો અને ખાસ મિત્રો શામિલ હતા . આ સગાઇ માટે નિક જોનસનો પરિવાર એક દિવસ પહેલા જ ભારત આવી ચુક્યો હતો . નિક જોનસ સાથે થઈ પ્રિયંકા ચોપડાની રોકા સેરેમની , જુઓ પહેલા ફોટા નિક અને પ્રિયંકા છેલ્લા ત્રણ મહિનાથી ડેટ કરી રહ્યા છે અને આખરે તેમને લગ્ન કરવાનો નિર્ણય કર્યો છે . આ પહેલા પ્રિયંકાના જન્મદિવસે નિક અને પ્રિયંકાએ નિક ના રીતરિવાજ મુજબ સગાઇ કરી હતી . હવે બંને ઘ્વારા બધા જ પરંપરા ભારતીય રિવાજ અનુસાર પુરી કરી છે . એંગેજમેન્ટ પાર્ટી શરુ થઇ ચુકી છે ." entertainment,"વર્ષ 2014માં સ્ટાર પ્લસ પર આવેલા ઇન્ડિયાઝ રો સ્ટારમાં આવેલ અમદાવાદી યુવક દર્શન રાવલ ખૂબ લોકપ્રિય થયો હતો . હાલ તેના નવા વીડિયો સોંગથી ફરી એકવાર ગુજરાતીઓના મોઢે આ નામ સાંભળવા મળી રહ્યું છે . મનહર ઉદાસની કલમે લખાયેલ અત્યંત લોકપ્રિય ગુજરાતી ગઝલ ' નયનને બંધ રાખીને ' લઇને દર્શને મ્યૂઝિક વીડિયો બનાવ્યો છે , જે હાલ યુટ્યુબ પર ધૂમ મચાવી રહ્યો છે . દર્શન રાવલનું આ ગુજરાતી - હિંદી ફ્યુઝન સોંગ છે , જે લોકોને ખૂબ પસંદ પડી રહ્યું છે . ખાસ કરીને ગુજરાતીઓને . આ વીડિયો 19 મેના રોજ પોસ્ટ કરવામાં આવ્યો હતો અને અત્યાર સુધીમાં તેને 2 મિલિયન વ્યૂ મળી ચૂક્યાં છે . યુવાનોને આ ગુજરાતી સોંગ ચોક્કસ ગમશે , જેમણે ઓરિજિનલ વર્ઝન સાંભળ્યું હશે તેમને કદાચ ઓછું ગમે , પરંતુ યુવાન સંગીતકાર તરફથી કરવામાં આવેલો એક સારો પ્રયાસ કહી શકાય . આ સોંગ દર્શન રાવલે જાતે કમ્પોઝ કર્યું છે . દર્શન રાવલના લેટેસ્ટ સોંગનો વીડિયો જુઓ અહીં . ." business,"આપને ઓફિસ પહોંચવામાં મોડું થઇ રહ્યું છે અને પાર્કિંગ સ્પેસમાં પાણી ભરાઇ ગયું છે . આપ ગમે તેમ કરીને કાર સુધી પહોંચો છો , પણ કાર સ્ટાર થઇ રહી નથી . કારણ કે પાણી એન્જીનમાં ભરાઇ ગયું છે અને એન્જીનને નુકસાન પહોંચ્યું છે . દ્રશ્ય 2 : તમે હાઇવે પર કાર ચલાવી રહ્યો છો અને કાર બ્રેકડાઉન થઇ જાય છે . ગાડી બગડી છે તેની આસ પાસ કોઇ ગેરેજ નથી અને શહેર હજી 10 કિલોમીટર દૂર છે . તમે શું કરશો ? મદદ મેળવવા કોને ફોન કરશો ? આપને શું લાગે છે ? આવી તકલીફ ભોગવનારાઓ કેટલા હશે ? અનેક લોકો આવી કે આ પ્રકારની સમસ્યાઓનો સામનો કરી ચૂક્યા હશે . હવે આપને એમ લાગે છે કે પહેલી સમસ્યામાં ઇન્શ્યોરન્સ ક્લેઇમ કરી શકાય ? જવાબ એ છે કે ગમે તેટલો ભાર મૂકો જવાબ છે ના . વીમા કંપનીઓ મોટા ભાગે એન્જીનીની ખરાબીને ઓટો ઇન્શ્યોરન્સમાં કરવર કરતા નથી . આપ પહેલી સ્થિતિ છે એવી અથવા તેના જેવી અન્ય કોઇ પણ સ્થિતિમાં પહોંચશો તો તેમાં નુકસાન પામેલા એન્જીનમાં કોઇ આપને મદદ કરતું નથી . આપને થયેલા હજારોને ખર્ચા સામે વીમા કંપનીઓ આપને વળતર ના આપે ત્યારે આપે શું કરવું તે પ્રશ્ન ઉભો થાય છે . આ બાબત ચિંતિત કરનારી છે . તો આપને જણાવી દઇએ કે આપે વધારે ચિંતિત બનવાની જરૂર નથી . અહીં રાઇડર્સ આપની મદદે આવશે . આપે રાઇડર્સ લેવાની જરૂર છે . તે આપને બેઝિક વીમા કવરના લાભ સામે થોડી કિંમત ચૂકવીને આપને લાભ આપી શકે છે . આ રાઇડર કોઇ પણ સ્થિતિમાં આપની કારના એન્જીન બગડવાના દાવાની ચૂકવણી કરે છે . હવે બીજા દ્રશ્યની વાત કરીએ . આ સ્થિતિમાં રાઇડર 24X7 આપની મદદ માટે તૈયાર રહે છે . જે અંતર્ગત આપે માત્ર એક ફોન કોલ કરવાનો છે . વીમા કંપની આપને ગમે તે સમયે ગમે તે સ્થળે શક્ય તેટલી ઝડપથી મદદ કરવા માટે તૈયાર રહે છે . આ વિચાર આપને કેવો લાગ્યો ? આ સિવાયની પણ અન્ય રાઇડર ડિઝાઇન્સ છે જે આપને આપની કારના રક્ષણ માટે મળે છે . તેને એક પછી એક જોઇએ . . ." sports,"ક્રિકેટની પરિભાષમાં મિનિ વર્લ્ડ કપ કહેવામાં આવતાં ટૂર્નામેન્ટમાં મહેન્દ્ર સિંહ ધોનીના ધુરંધરોએ ઇગ્લેંડને 5 વિકેટે હરાવી આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2013 પર કબજો મેળવી લીધો છે . ભારતે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 129 રન બનાવ્યા હતા , જેમાં વિરાટ કોહલીએ સર્વાધિક 43 રન બનાવ્યા હતા . વિરાટ કોહલીએ 34 બોલમાં 4 ચોગ્ગા અને 1 સિક્સરની મદદથી 43 રન બનાવ્યા હતા . તો રવિન્દ્ર જાડેજાએ 25 બોલમાં અણનમ 33 રન બનાવ્યા હતા . બંનેની 47 રનની ભાગીદારીએ ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડવામાં મદદ કરી હતી . આ બંને તે સમયે ક્રિઝ પર ઉતર્યા હતા જ્યારે ટીમ 66 રન પર 5 વિકેટ ગુમાવી સંકટમાં મુકાઇ ગઇ હતી . આ બંને સિવાય ફક્ત ઓપનર બેસ્ટમેન શિખર ધવન ( 31 ) રન બનાવ્યા હતા . ઇગ્લેંડ તરફથી રવિ બોપારાએ સર્વાધિક 3 વિકેટ ઝડપી હતી . જેમ્સ એડરસન , જેમ્સ ટ્રેડવેલ અને સ્ટુઅર્ટ બ્રાંડે 1 - 1 વિકેટ ઝડપી હતી . જવાબમાં ઉતરેલી ઇગ્લેંડની ટીમ 20 ઓવરમાં 124 રન બનાવી શકી હતી . એજે મોર્ગન 33 , રવિ બોપારા 30 અને જેજે ટ્રોટ 20 રન બનાવવામાં સફળ રહ્યાં હતા . બાકીના બેસ્ટમેનો ભારતીય બોલરો સામે ટકી શક્યા ન હતા . ભારત તરફથી રવિન્દ્ર જાડેજા , આર અશ્વિન અને ઇશાંત શર્માએ બે - બે વિકેટ ઝડપી હતી જ્યારે ઉમેશ યાદવને એક વિકેટ પ્રાપ્ત થઇ હતી . વરસાદના કારણે આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબો મુકાબલો બર્મિધમના એજબેસ્ટનમાં રવિવારે લગભગ છ કલાક મોડો શરૂ થયો હતો . મેચને ટૂંકાવીને 20 - 20 ઓવરની કરી દેવામાં આવી હતી . મેચમાં અનિવાર્ય પાવર પ્લે ચાર ઓવર તથા બેટીંગ પાવર પ્લે બે ઓવરનો રાખવામાં આવ્યો હતો ." business,"જો આપને ફરિયાદ હોય કે ઇન્કમ ટેક્સ રિફન્ડની રિસિપ્ટ મળી નથી , તો અમે આપની મુંઝવણ દૂર કરવામાં થોડી મદદ કરવા માંગીએ છીએ . અમે આપને એ જણાવીશું કે આવી સ્થિતિમાં આપ શું કરી શકો એમ છો અને ફરિયાદ કેવી રીતે કરી શકાય છે ? આપ આપના વિલંબિત અથવા સંભવતઃ ચૂકાઇ ગયેલા ઇન્કમ ટેક્સ રિફંડના વિલંબ સંદર્ભમાં માં લોકપાલને મળી શકો છો અને આપના રિફંડ અંગે દાવો કરી શકો છો . ઇન્કમ ટેક્સ લોકપાલ આપના ઇન્કમ ટેક્સ રિફંડમાં વિલંબની ફરિયાદ લેવાની સાથે અન્ય મુદ્દાઓ પણ સંભાળે છે . જેમાં વ્યાજ સંબંધિત અરજીઓ , એપેલેટ ઓડર્સને અસરમાં લાવવા , અરજીઓનો નિકાલ , બૂક થયેલા એકાઉન્ટને મુક્ત કરવા , પાન કાર્ડની ફાળવણી અને પાન કાર્ડ સંબંધિત બાબતો જોવે છે . આ સંબંધિત કોઇ પણ ફરિયાદ પર કામ કરવા માટે આપે એ બાબત ખાસ ધ્યાન રાખવી પડશે કે આપની પાસે પુરતા પુરાવાઓ હોવા જરૂરી છે . આ માટે આપે આપના ઇન્કમ ટેક્સ ઓફિસરને લેખિતમાં ફરિયાદ કરવી પડશે . ઇન્કમ ટેક્સ લેખપાલને ક્યારે , કેવા સંજોગોમાં કેવી રીતે ફરિયાદ કરી શકાય તે જાણવા આગળ ક્લિક કરો . . ." business,"ચિદમ્બરમે એક ટીવી ચેનલને આપેલી મુલાકાતમાં વોલમાર્ટને ભારતના રિટેલ બજાર ઉપરનું કલંક ગણાવતાં કહ્યું હતું કે ભારતના રિટેલ બજારનું સંચાલન લાખો સક્ષમ સ્ટોર દ્વારા થાય છે અને ભારતના રિટેલ બજારને ભારતની જ ભારતીય રિટેલ ચેનનો પૂરતો ટેકો છે જેથી વોલમાર્ટ વગર પણ ભારતનો રિટેલ વેપાર અકબંધ રહેવાની ક્ષમતા ધરાવે છે . વોલમાર્ટની વિદાયથી ભારતના રિટેલ બજારને કોઈ ફરક પડે તેમ નથી . નોંધનીય છે કે 9 ઑક્ટોબરે વોલમાર્ટ અને ભારતી પોતાના વેપાર અંગે સ્વતંત્ર માલિકી અને સંયુક્ત સાહસમાંથી છૂટા પડવા સંમત થયા હતા અને રિટેલ વેપારમાં પોતાના ફ્રેંચાઈઝ કરાર રદ્દ કરવા અને સ્વતંત્ર રીતે વેપાર કરવા બંને વચ્ચે સંમતિ સધાઈ હતી . અમેરિકાના રિટેલ માંધાતા વોલમાર્ટનો આગ્રહ મલ્ટિ બ્રાન્ડ રિટેલ માટેની એફડીઆઈ ( ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ - વિદેશી સીધા રોકાણ ) નીતિ હેઠળના સ્થાનિક સ્ત્રોત અંગેના નિયમનો હળવા બનાવવા માટેનો હતો . ભારત સરકારે કહ્યું હતું કે આ ક્ષેત્રમાં વિદેશી પ્લેયરો માટે 30 ટકા ફરજિયાત સ્થાનિક સ્રોત અંગેના નિયમનો હળવા બનાવવાની કોઈ યોજના નથી . ભારતી અને વોલમાર્ટે વર્ષ 2007૭માં હાથ મિલાવ્યા હતા ( સંયુક્ત સાહસ ) અને પ્રથમ "" બેસ્ટ પ્રાઈસ મોર્ડન હોલસેલ કેશ ઍન્ડ કેરી સ્ટોર વર્ષ 2009ના મે મહિનામાં અમૃતસર ખાતે શરૂ કર્યો હતો . વર્તમાનમાં બેસ્ટ પ્રાઈસ મોર્ડન હોલસેલ સ્ટોર્સની સંખ્યા 20 જેવી છે અને અમૃતસર , ઝીરાકપુર , જાલંધર , કોટા , ભોપાલ , લુધિયાણા , રાયપુર , ઈંદોર , વિજયવાડા , આગ્રા , મીરત ( મેરઠ ) , લખનઊ અને જમ્મુ ખાતે આ સ્ટોર આવેલા છે . ટીવી સાથેની મુલાકાતનું ચિદમ્બરમે ભારતની વિદેશી હૂંડિયામણની પુરાંતને ટેકો આપવાનો નિર્દેશ કરતાં કહ્યું હતું કે અમેરિકાના ટેપરિંગ ( પ્રોત્સાહનોમાં ઘટાડો કરવાના સંદર્ભમાં ) ની અસરની સમસ્યા હલ કરવા ભારત પોતાના વિદેશી હૂંડિયામણને ટેકો આપવા પ્રયત્નશીલ છે , ચિદમ્બરમે ચાલુ નાણાકીય વર્ષ 2013 - 14ના બાકીના છ માસ ( ઑક્ટોબર - માર્ચ ) માં ભારતની વિકાસ પ્રક્રિયા ગતિશીલ બનવા અંગે વિશ્ર્વાસ પ્રગટ કર્યો હતો . ચિદમ્બરમે કહ્યું હતું કે અમેરિકાનો ફેડ અધ્યક્ષ બેન બર્નાન્કે ટેપરિંગ શરૂ કરવાનો નિર્દેશ કર્યો હતો . આ સાથે અમારા પ્રવાસો વિદેશી હૂંડિયામણની પુરાંત વધારવાની દિશામાં સક્રિય બનશે . વિદેશી હૂંડિયામણની પુરાંતને ટેકો આપવા ભારત શક્ય તેટલા પગલાં લઈ રહ્યું છે . એફસીએનઆરબીની સુધારેલી નીતિના અનુસંધાનમાં 7.4 અબજ ડોલરની આવક થઈ છે . અન્ય પગલાં હેઠળ ભારતના કરારનો નિર્દેશ કરતાં ચિદમ્બરમે કહ્યું હતું કે જાપાન સાથે 50 અબજ ડોલરના સ્વેપ એગ્રિમેન્ટ અથવા વિનિમયના કરાર કરવામાં આવશે . ત્રીજું પગલું પોર્ટફોલિયો રોકાણ માટેનું છે જે હેઠળ બે અબજ ડોલરના રોકાણ થયા છે . ઉપરાંત ઓઈલ માર્કેટિંગ કંપનીઓને તેઓની ઓઈલની ખરીદી માટેના નાણાં અંગે વિદેશ ખાતેથી ઉધાર ધિરાણ લેવા પ્રોત્સાહન આપવામાં આવે છે . ઈસીબી ( એક્ષ્ટર્નલ કમર્શિયલ બોરોઈંગ વિદેશી વ્યાપારી ઉધાર ધિરાણ ) ના નિયમનો હળવા બનાવવામાં આવશે જેથી નાણાકીય આવક વધી શકે . ટૅલિકોમ ક્ષેત્રમાં રોકાણ માટેની દરખાસ્તથી નવેમ્બર ડિસેમ્બરમાં વિદેશી હૂંડિયમણની પુરાંતમાં વૃદ્ધિની અપેક્ષા છે . વિકાસના સંજોગો વિશે ચિદમ્બરમે કહ્યું હતું કે ચાલુ નાણાકીય વર્ષના બાકીના છ મહિના ( વર્ષ 2013 - 14ના ઑક્ટો - માર્ચ ) માં વિકાસના સંજોગોમાં સુધારાની અપેક્ષા છે ." sports,"નવી દિલ્હી , 9 એપ્રિલઃ કેન્સર જેવી અસાધારણ બીમારીને હરાવીને ક્રિકેટના મેદાન પર પુનરાગમન કરીને એક મિસાલ બની ગયેલા ક્રિકેટર યુવરાજ સિંહે અત્યારસુધીની તેની યાત્રા પર આધારિત પુસ્તક પર એક ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું છે . યુવરાજનું કહેવું છે કે મે હજુ સુધી એ વિચાર્યું નથી કે ફિલ્મમાં મારી ભૂમિકા કોણ નિભાવશે . યુવરાજના જીવન પર આધારિત પુસ્તક ' ટેસ્ટ ઓફ માઇ લાઇફ ' નું થોડા સમય પહેલાં જ વિમોચન કરવામાં આવ્યું હતું . જેમાં યુવરાજે પોતાની ક્રિકેટ યાત્રા અને કેન્સર દરમિયાનની પોતાની જિંદગીનું વર્ણન કર્યું છે . ફિલ્મોમાં એક્ટિંગ કરવા અંગે યુવરાજનું કહેવું છે કે આ અંગે તેણે ક્યારેય વિચાર્યું નથી . હું અત્યારે માત્ર મારી રમત પર ધ્યાન આપવા ઇચ્છું છું . જો કે , નિવૃત્તિ બાદ ફિલ્મોમાં કામ કરવા અંગે વિચારી શકું છું . નોંધનીય છે કે યુવરાજે આઇપીએલમાં અત્યાર સુધી 58 મેચોમાં 1239 રન બનાવ્યા છે , જેમાં બોલિંગ કરતા 24 વિકેટ લીધી છે ." business,"ચાંગ્શૂ ( ચીન ) , 22 ઓક્ટોબર : ટાટા જગુઆર લેન્ડ રોવરે આજે ચીનના ચાંગ્શૂ ખાતે વિધિવત રીતે 1.7 અબજ ડોલરના ખર્ચે નિર્મિત ફેક્ટરીનું 21 ઓક્ટોબરના રોજ ઉદઘાટન કર્યું હતું . આ કાર્યક્રમમાં ટાટા મોટર્સ દ્વારા રેન્જ રોવરની રજૂઆત કરવામાં આવી હતી . આ જગુઆર લેન્ડ રોવર ( જેએલઆર - JLR ) ની પ્રથમ વિદેશી ફેક્ટરી છે . તેને વિશ્વના કાર માર્કેટમાં પોતાનું સ્થાન મજબૂત કરવા માટે ટાટાએ બનાવી છે . આ ફેક્ટરી ચીનની ચેરી ઓટોમોબાઇલ કંપનીની સાથે એક સંયુક્ત સાહસના રૂપમાં શરૂ કરવામાં આવી છે . અહીથી જ વર્ષ 2016માં જગુઆરનું એક નવું મોડેલ રજૂ કરવાની પણ તૈયારી છે . આ પ્રસંગે ટાટડા સમૂહના પૂર્વ ચેરમેન રતન ટાટા અને ગ્રુપના વર્તમાન ચેરમેન સાયરસ મિસ્ત્રિ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા . આ ઉપરાંત બ્રિટન અને ચીનના અનેક અધિકારીઓએ પણ ભાગ લીધો હતો . આ ફેક્ટરીની ઉત્પાદન ક્ષમતા વર્ષે અંદાજે 1.30 લાખ વાહનોનું નિર્માણ કરવાની છે . અહીં નિર્મિત વાહનોનો પહેલો બેચ માર્કેટમાં રજૂ કરવામાં આવ્યો હતો . નોંધનીય છે કે ચીનમાં જેએલઆર બ્રાન્ડને સૌથી વધારે લક્ઝુરીયસ વાહન બ્રાન્ડ માનવામાં આવે છે . આ અંગે જેએલઆરના અધિકારીઓએ જણાવ્યું કે નવી ફેક્ટરી માર્કેટમાં 1.7 અબજ ડોલરથી વધારે હિસ્સો ધરાવે છે . લેન્ડ રોવર અમીરોનું લોકપ્રિય સાધન છે ." sports,"બેંગ્લોર , 3 સપ્ટેમ્બરઃ જમૈકાના સ્પીડ કિંગ ઉસેન બોલ્ટ ક્રિકેટમાં પણ ભારતીય ખેલાડી યુવરાજ સિંહને ભારે પડ્યા હતા . ચાર - ચાર ઓવરની પ્રદર્શન મેચમાં બોલ્ટની ટીમ વિજયી બની હતી . યુવરાજની ટીમે પહેલા બેટિંગ કરતા ચાર ઓવરમાં એક વિકેટ પર 58 રન બનાવ્યા . યુવરાજે 14 બોલમાં એક છગ્ગો અને ત્રણ ચોગ્ગાની મદદથી 24 રન બનાવ્યા હતા . બીજી તરફ ઉસેન બોલ્ટની ટીમે એકપણ વિકેટ ગુમાવ્યા વગર 61 રન બનાવી મેચ જીતી લીધી હતી . બોલ્ટે 19 બોલમાં અણનમ 45 રન બનાવ્યા હતા . જેમાં પાંચ છગ્ગા અને ત્રણ ચોગ્ગા સામેલ હતા . એન . વૉલકર જૂનિયરે 14 રન બનાવ્યા હતા . તેણે છ બોલનો સામનો કરી ત્રણ ચોગ્ગા ફટકાર્યા હતા . મેચ દરમિયાન નટખટ યુવરાજ સિંહ , હરભજન સિંહ અને ઉસેન બોલ્ટે મજાક મસ્તી પણ કરી હતી . તો ચાલો તસવીરો થકી આ યાદગાર પળોને નિહાળીએ . તમે જ નક્કી કરોઃ કોણ શ્રેષ્ઠ સુકાની , ધોની કે ગાંગુલી ? ચોથી વનડેઃ ભારત સામે 207 રનનો લક્ષ્યાંક આ પણ વાંચોઃ - વનડે સ્પેશિઅલિસ્ટ ક્લબમાં સુરેશ રૈનાની એન્ટ્રી" entertainment,"પાકિસ્તાની કલાકાર વીણા મલિકનું નામ બદલીને વિવાદ મલ્લિક કરી દેવામાં આવે તો કંઇ ખોટું નથી કારણ કે તે જાણી જોઇને એવી વાતો કરે છે જેના કારણે તે વિવાદો અને ટીકાનો શિકાર બની જાય છે . વીણા મલિકના તાજેતરના વિવાદે ફરી એકવાર હોબાળો મચાવી દિધો છે . બનારસની મહિલા જાગૃતિ સંગઠને વનઇન્ડિયા સાથે ખાસ વાતચીતમાં કહ્યું હતું કે વીણા મલિક એક બેશરમ મહિલા છે તેને તો તાત્કાલિક પાકિસ્તાન મોકલી દેવામાં આવે . તેની ફૂવડ અને ગંદી વાતોથી આપણે ત્યાં બાળકીઓ પર ખોટી અસર પડશે . પોતાની ગંદી વાતો અને હરકતોથી બૉલીવુડમાં ચકવાનું સપનું જોનાર વીણા મલિકે કલાને પણ વ્યવસાય બનાવી ચૂકી છે . અત્રે ઉલ્લેખનીય છે કે પાકિસ્તાની વિવાદિત તારીકા વીણા મલિકે તાજેતરમાં કહ્યું હતું કે બિગ બૉસ સીઝન 4માં મને અને અસ્મિતને લઇને ઘણું બધુ કહેવામાં આવ્યું છે , મને શોમાં અસ્મિત પટેલના અંડરગારમેન્ટ ધોતા બતાવવામાંઆવી હતી જેના માટે મારી ખૂબ ટીકા કરવામાં આવી પરંતુ હું એ જણાવી દઉ કે ફક્ત હું અસ્મિતના અંડરગારમેન્ટ ધોતી ન હતી , અસ્મિત પણ મારા અંડરગારમેન્ટ ધોતો હતો અને તે પણ પુરા મન અને પ્રેમથી . અત્રે ઉલ્લેખનીય છે કે બિગ બોસ 4 ના માધ્યમથી ભારતીય ધરતી પર પગ જમાવનાર પાકિસ્તાની અભિનેત્રી વીણા મલિક અને અભિનેત્રી અમીષા પટેલના ભાઇ અસ્મિત પટેલ અને વીણા મલિક બિગ બોસ બાદ પણ એકબીજાની નજીક હતા , થોડા દિવસો બાદ વીણા મલિક ખાસ મહેમાન બનીને તેમના ઘરે આવી હતી જેના કારણે તે અમીષા અને અસ્મિત પટેલ વચ્ચે ઝઘડો થયો હતો , પરંતુ કેટલાક દિવસો બાદ વીણા - અસ્મિતમાં ના જાણે શું થયું , જેના કારણે બંને એકબીજાને ઓળખતા પણ ન હતા . ઘણા લાંબા સમય બાદ બંને ફિલ્મ સુપર મૉડલમાં જોવા મળ્યા જે સુપર ફ્લોપ રહી હતી ." sports,"કોલકતા , 21 એપ્રિલઃ કોલકતા ખાતે રમાયેલી આઇપીએલ છની 26મી મેચમાં કાઠિયાવાડી સુપર પાવર રવિન્દ્ર જાડેજાના ઓલરાઉન્ડર પ્રદર્શનના જોરે કોલકતા નાઇટ રાઇડર્સ સામે ચેન્નાઇ સુપર કિંગ્સનો ચાર વિકેટથી વિજય થયો છે . મેચ દરમિયાન પઠાણની વિકેટ ટર્નિંગ પોઇન્ટ હતો . આ મેચમાં કોલકતાએ પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઇને 120 રનનો લક્ષ્યાંક આપ્યો હતો , જે ચેન્નાઇએ છ વિકેટ ગુમાવીને 19.1 ઓવરમાં હાંસલ કરી લીધો હતો . ચેન્નાઇ તરફથી હસ્સીએ 40 જ્યારે જાડેજાએ 36 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી . કોલકતા તરફથી બાલાજી , નારાયણ , પઠાણ , કાલિસ અને સેનાનાયાકે એક - એક વિકેટ મેળવી હતી . લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ચેન્નાઇની શરૂઆત ખરાબ રહી હતી . સુકાની મહેન્દ્ર સિંહ ધોનીએ બધાને ચોંકાવી દેતા માઇકલ હસ્સી સાથે આર અશ્વિનને ઓપનિંગ મોકલ્યો હતો . પરંતુ અશ્વિન ધોનીના નિર્ણય પર ખરો ઉતર્યો નહોતો . તેણે 11 રન બનાવ્યા હતા . તે સુનિલ નારાયણની ઓવરમાં આઉટ થયો હતો . ત્યાર બાદ મુરલી વિજય 02 , સુરેશ રૈના 07 , ધોની 09 , બદરીનાથ 06 જ બનાવી શક્યા હતા . જ્યારે બીજા છેડે હસ્સીએ સમજદારીપૂર્વકની બેટિંગ કરી રહ્યો હતો . ચે ન્નાઇની છઠ્ઠી વિકેટ હસ્સીના રૂપમાં પડી હતી . હસ્સીએ સર્વાધિક 40 રન બનાવ્યા હતા . તેણે 51 બોલનો સામનો કરીને 1 છગ્ગો અને બે ચોગ્ગા ફટકાર્યા હતા . હસ્સીની વિકેટ પડ્યા બાદ રવિન્દ્ર જાડેજાએ બ્રેવો સાથે મળીને પોતાની ટીમને વિજય સુધી પહોંચાડી હતી . જેમાં રવિન્દ્ર જાડેજાએ વિસ્ફોટક બેટિંગ કરતા 14 બોલમાં ત્રણ ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી અણનમ 36 રન બનાવ્યા હતા , જ્યારે બ્રેવો 7 રન પર અણનમ રહ્યો હતો . આ પહેલા ટોસ જીતીને બેટિંગ કરવા ઉતરેલી નાઇટ રાઇડર્સે નિર્ધારિત 20 ઓવરમાં નવ વિકેટ ગુમાવીને 119 રન બનાવ્યા હતા . કોલકતા તરફથી યૂસુફ પઠાણ અને સુકાની ગૌતમ ગંભીરે 25 - 25 રનની ઇનિંગ રમી . તેમના સિવાય દેવવ્રત દાસે 19 રન બનાવ્યા હતા . અન્ય વિકેટ નજર નાંખીએ તો , કાલિસ 00 , મોર્ગન 02 , તિવારી 13 , ભાટિયા 1 , એલ શુક્લા 1 , નારાયણ 13 રન બનાવ્યા હતા . જ્યારે સેનાનાયકે અણનમ સાત અને બાલાજીએ અણનમ નવ રન બનાવ્યા હતા . કોલકતા તરફથી રવિન્દ્ર જાડેજાએ સર્વાધિક ત્રણ વિકેટ મેળવી હતી , જ્યારે આર અશ્વિને બે અને મોરિસ - બ્રેવોએ એક - એક વિકેટ મેળવી હતી . ઓરલાઉન્ડર દેખાવ બદલ રવિન્દ્ર જાડેજાને મેન ઓફ મેચ જાહેર કરવામાં આવ્યો હતો ." entertainment,"અભિનેત્રી મલાઈકા અરોરા પોતાના બોલ્ડ નિવેદનોના કારણે હંમેશા ચર્ચામાં રહે છે . ક્યારેક પુરુષો વિશે પોતાની પસંદ તો ક્યારેક ડેટિંગ લાઈફ વિશે . એક વાર ફરીથી મલાઈકા ચર્ચામાં છે અને કારણ છે તેનુ નિવેદન . મલાઈકાએ હાલમાં જ ખુલાસો કર્યો છે કે તે પોતાના કયા બોડી પાર્ટનો વીમો કરાવવા ઈચ્છે છે . મલાઈકાએ એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો છે કે તે પોતાના કયા બોડી પાર્ટનો વીમો કરાવવા ઈચ્છે છે . મલાઈકા ટૂંક સમયમાં શો ' ફીટ અપ વિધ ધ સ્ટાર્સ ' માં જોવા મળશે જેને સ્ટાઈલિશ અનાયતા શ્રોફ અદજાનિયા હોસ્ટ કરી રહી છે . આ શોની એક ક્લિપ જાહેર કરવામાં આવી છે જેમાં મલાઈકાએ ઘણા ખુલાસા કર્યા છે . આ પણ વાંચોઃ અનુષ્કા શર્માને નીતિન ગડકરીના હસ્તે સ્મિતા પાટિલ મેમોરિયલ એવોર્ડ જ્યારે અનાયતાએ મલાઈકાને પૂછ્યુ કે તે પોતાના કયા બોડી પાર્ટનો વીમો કરાવવા ઈચ્છે છે તો તેણે ઘણો ચોંકાવનારો જવાબ આપ્યો . મલાઈકાએ આ ઈન્ટરવ્યુમાં બીજા પણ ઘણા ખુલાસા કર્યા . મલાઈકાએ કહ્યુ કે તેણે પોતાની જિંદગીમાં ક્યારેય કોઈને ડેટ નથી કર્યુ અને આ બધા માટે તે ઘણી નવી છે . અભિનેત્રીએ કહ્યુ કે તેણે જેને ડેટ કર્યા તેની સાથે લગ્ન કરી લીધા . તમને જણાવી દઈએ કે મલાઈકા અરોરાએ અભિનેતા અરબાઝ ખાન સાથે લગ્ન કર્યા હતા . લગ્નના વર્ષો બાદ બંનેના રસ્તા અલગ થઈ ગયા અને ગયા વર્ષે છૂટાછેડા થઈ ગયા . બંનેને લગ્નથી એક પુત્ર પણ છે . આ પણ વાંચોઃ પરિવાર સાથે અહીં રજાઓ માણી રહી છે માધુરી દીક્ષિત , ફોટા વાયરલ" entertainment,"કરીના કપૂરે તેવુ મિથક તોડી નાંખ્યુ છે કે જેમાં કહે છે કે લગ્ન બાદ અભિનેત્રીઓની ડિમાંડ ઘટીજાય છે , પણ લગ્ન બાદ નથી કરીનાના કૅરિયર કે નથી ડિમાંડમાં કોઈ ઓટ આવી છે . આજે પણ જાહેરખબર જગતમાં તેમને સાઇન કરવા સ્પર્ધા છે , તો બીજી બાજુ ફિલ્મોની ઑફર્સ પણ સતત મળી રહી છે . તેનો તાજો દાખલો છે ગબ્બર ફિલ્મ . તામિળની સફળતમ રમન્નાની હિન્દી આવૃત્તિ ગબ્બરમાં અભિનેત્રી કરીના કપૂર પુનઃ એક વાર અક્ષય કુમારની ઑપોઝિટ નજરે પડી શકે છે . ફિલ્મના નિર્માતા અક્ષય પોતે જ છે કે જેઓ પોતે જ કરીનાને સાઇન કરવા માંગે છે . મેગા બજેટ ધરાવતી ફિલ્મ ગબ્બરને તેલુગુ ફિલ્મ દિગ્દર્શક ક્રિશ દિગ્દર્શિત કરવાના છે . ફિલ્મનુ નિર્માણ અક્ષય કુમાર તથા સંજય લીલા ભાનુશાળી કરી રહ્યાં છે . એમ તો ગબ્બર ફિલ્મ બે હીરોઇનો ધરાવતી એક્શન ફિલ્મ છે . હજી કરીના કપૂર સાથે વાત કરાઈ છે , પણ કરીનાએ હજી ફિલ્મ સાઇન નથી કરી . જો તેઓ ફિલ્મ સાઇન કરે , તો રામલીલા વિવાદ બાદ તેમની પ્રથમ ફિલ્મ હશે કે જે તેઓ એસએલબી સાથે કરશે . રામલીલા વખતે કરીનાએ એસએલબીને ઇનકાર કરી દીધો હતો અને તેથી જ દીપિકા પાદુકોણેને ફિલ્મમાં લેવાયા હતાં . ક્રિશે જણાવ્યું - અમે અત્યાર સુધી હીરોઇનની પસંદગી કરી નથી . હાલ અમે નિર્માણ અગાઉની પ્રક્રિયામાં વ્યસ્ત છીએ . જ્યારે અમે નાયિકાની પસંદગી કરીશું , ત્યારે તેની જાહેરાત કરીશું . હાલ કંઈ કહેવું ઉતાવળિયુ ગણાશે . અક્ષય અને કરીનાએ ઐતરાઝ અને બેવફા જેવી ઘણી બધી સારી ફિલ્મો આપી છે . હાલ તો એક નજર નાંખીએ અક્ષય - કરીનાની અત્યાર સુધની ફિલ્મો પર :" sports,દ્રવિડે 51 બોલમાં છ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી શાનદાર 65 રન બનાવ્યા . આની વચ્ચે તેણે અંજિક્ય રહાણે ( 28 રન ) ની સાથે બીજી વિકેટ સુધી 65 અને સ્ટુઅર્ટ બિન્ની ( 40 ) ની સાથે ત્રીજી વિકેટ માટે 55 રનની ભાગીદારી નિભાવી . જેનાથી રોયલ્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા સાત વિકેટમાં 165 રન બનાવ્યા હતા . વોર્નરે રક્ષણ અને આક્રમણનું સારું એવું ઉદાહરણ પૂરું પાડ્યું તેણે 56 બોલમાં 77 રન બનાવ્યા પરંતુ તે છેલ્લે સુધી ક્રીઝ પર ટકી શક્યો નહીં . તેનું 19મી ઓવરમાં રન આઉટ થવું ડેરડેવિલ્સને મોંઘું પડ્યું . ત્યારબાદ કૂપરે છેલ્લી ઓવરમાં મેચની દિશા પલટી નાખી . આ ઓવરમાં ડેરડેવિલ્સને 9 રનની જરૂરીયાત હતી પરંતુ કૂપરે માત્ર ત્રણ રન આપ્યા અને સામે બે વિકેટ ઝડપી લીધી . આમ ડેરડેવિલ્સ છ વિકેટ પર માત્ર 160 રન જ બનાવી શક્યું . રોયલ્સની આ કોટલા મેદાનમાં ચોથા મેચમાં પહેલી જીત હતી . જ્યારે ડેરડેવિલ્સની આ સતત બીજી હાર છે . business,"માર્કેટમાં અને ટેલિવિઝન પર હવે લોનનો એક નવો વિકલ્પ જોવા મળી રહ્યો છે . આ લોન આપતા સમયે કંપનીઓ દ્વારા દાવો કરવામાં આવે છે કે આપ આપનું સોનુ લાવીને થોડી જ મીનિટોમાં કેશ મેળવી શકો છો . આમ તો સોનાની સામે લોન લેવામાં ખાસ મુશ્કેલી આવતી નથી , પણ ગોલ્ડની સામે લોન લેવાનું એટલું સરળ પણ નથી . ગોલ્ડ લોન ગોલ્ડ લોન સેનાના બાર , સિક્કા અને ઘરેણાને ગિરવે મૂકીને લઇ શકાય છે . લોન લેન્ડર્સ તેની શુદ્ધતા ચકાસે છે . આ અનુસાર ગોલ્ડ વેલ્યુના 75 ટકા સુધી લોન આપવામાં આવે છે . જો કે એક્સપર્ટ્સનું કહેવું છે કે પૂરે પૂરી લોન લેવામાં સમજદારી નથી . ગોલ્ડ લોનમાં ઇન્ટરેસ્ટ રેટ તેની સાથે સંકળાયેલા જોખમના આધારે નક્કી કરવામાં આવે છે . આ કારણે જ્યારે પણ ગોલ્ડ લોન લેવાની હોય ત્યારે કુલ વેલ્યુના 50થી 60 ટકા લોન લેવાથી લેન્ડરનું જોખમ ઘટે છે . તેના કારણે વ્યાજ દર પણ ઘટે છે . બોરોઅર લોન લેવા માટે કેટલીક વસ્તુઓ ગીરવે મૂકે છે . તેના કારણે ગોલ્ડ લોન અનસિક્યોર્ડ પર્સનલ લોનની તુલનામાં સસ્તી હોય છે . પર્સનલ લોન પર ઇન્ટરેસ્ટ રેટ 20 ટકા હોય છે . એક વર્ષ માટેની ગોલ્ડ લોન પર વ્યાજ દર 11થી 15 ટકા હોય છે . જો લોનની અવધિ 4થી 5 વર્ષની હોય તો વ્યાજદર પણ 18થી 20 ટકા હોય છે . રિ પેમેન્ટના ઓપ્શન્સ બોરોઅર્સ માટે રિ પેમેન્ટના અનેક ઓપ્શન્સ હોય છે . પરંપરાગત સાહુકાર લોનની અવધિના અંતમાં વ્યાજની સાથે એક હપ્તો રકમ કમિશન તરીકે લેતા હોય છે . તે બોરોઅર માટે નુકસાનનો સોદો રહે છે કારણ કે તેમાં વ્યાજદર 24થી 30 ટકા જેટલો વધી જાય છે . ગોલ્ડ લોન લેતા સમયે શું ધ્યાનમાં રાખશો ? કોઇ પણ અન્ય લોનની જેમ ગોલ્ડ લોન રિપેમેન્ટને લઇને શિસ્ત રાખવાની જરૂર હોય છે . જો આપ નિર્ધારિત તિથિ પર લોનની ભરપાઇ કરશો નહીં તો આપને 2થી 3 ટકા પેનલ્ટી લગાવવામાં આવે છે . જો આપ ત્રણ વારથી વધારે વખત પેમેન્ટ કરતા નથી તો પેનલ્ટીની રકમ વધી જાય છે ." entertainment,"ભારતીય સિનેમાના મહાનાયક કહેવાતાં અભિનેતા અમિતાભ બચ્ચન પોતાના અભિનય કૌશલ્યથી સંતુષ્ટ નથી અને પોતાની જાતને ખરાબ અભિનેતા ગણે છે . વર્ષ 2005માં આવેલી લોકપ્રિય ફિલ્મ બ્લૅકના એક દૃશ્યમાં કરાયેલ ભૂલનો અહેસા થયા બાદ તેમણે આ ટિપ્પણી કરી છે . ફિલ્મમાં તેમણે દેબરાજ સહાય નામના શિક્ષકનો રોલ કર્યો હતો . તાજેતરમાં જ અમિતાભે દર્શકોને સંજય લીલા ભાનુશાળી દિગ્દર્શિત બ્લૅક ફિલ્મમાં પોતાની ભૂલો અંગે પૂછ્યુ હતું . ફિલ્મ એક નેત્રહીન તથા મૂંગી છોકરી ( રાણી મુખર્જી ) તેમજ તેના શિક્ષક ( અમિતાભ બચ્ચન ) ના સંબંધોની વાર્તા છે . શિક્ષક પછીથી અલ્ઝાઇમર બીમારીનો ભોગ બની જાય છે . બિગ બી અમિતાભ બચ્ચને પોતાના બ્લૉગ ઉપર લખ્યું - ફિલ્ના એક દૃશ્યમાં રાણી દ્વારા પોતાની બહેનના નામે લખાવાયેલ પત્ર વાંચવા માટે મેં પોતાના ચશ્મા કાઢવા માટે સીધું જ પોતાની શર્ટના ખિસ્સામાં હાથ નાંખ્યો , જ્યારે અલ્ઝાઇમરના દર્દીને આવી નાની - નાની વાતો પણ યાદ નથી રહેતી કે તેણે શું ક્યાં મૂક્યું છે . અમિતાભ બચ્ચને આગળ લખ્યું - આ બહુ મોટી ભૂલ હતી . મારે બીજા ખિસ્સાઓ ચકાસવા જોઇતા હતાં અને પછી ચશ્માવાળા ખિસ્સાએ હાથ લઈ જવો હતો . બિગ બીને લાગે છે કે આટલા વર્ષોના અભિનય કૅરિયર બાદ પણ તેઓ ભૂલો કરી બેસે છે ." sports,"આઇપીએલ 10ના આજના એટલે કે મંગળવારના મુકાબલામાં પ્રથમ ક્વોલિફાયર મેચ મુંબઈ ઇન્ડિયન્સ અને રાઇઝિંગ પુણે સુપરજાઇન્ટ વચ્ચે રમાશે . આ મેચ મુંબઈનાં વાનખેડે સ્ટેડિયમમાં રાત્રે 8 કલાકે શરૂ થશે . જે આજની મેચ જીતશે તે ટીમને સીધો ફાઇનલમાં પ્રવેશ મળશે . જો કે , હારનાર ટીમને પણ ફાઇનલમાં પહોંચવાની વધુ એક તક મળશે . આ સિઝનમાં અત્યાર સુધી મુંબઇની ટીમનું પ્રદર્શન ઘણું સારું રહ્યું છે . મુંબઇની ટીમે બે વખત પુણેને રાઉન્ડ રોબિન મુકાબલામાં હરાવ્યું હતું . તે આજે પણ પુણને હરાવવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે . આજની મેચ આમ પણ હોમ ગ્રાઉન્ડમાં રમાવાની હોવાથી મુંબઈને તેનો લાભ મળી શકે છે . બીજી બાજુ , બેન સ્ટોક્સ વગર મેદાનમાં રમવા ઉતરાનાર પૂણે ટીમે ઘણા ઉતાર ચઢાવ છતાં આ સિઝનમાં વાપસી કરી છે . આજની મેચમાં તે કોઇ ભૂલ નહીં કરે અને ફક્ત જીત ધ્યાન કેન્દ્રિત કરશે એમ માનવામાં આવી રહ્યું છે . રોહિતની મુંબઈની ટીમ સંપૂર્ણપણે સંતુલિત છે , તેની ટીમમાં લેન્ડલ સિમોન્સ , કિરન પોલાર્ડ , પાર્થિવ પટેલ , નિતીશ રાણા , હાર્દિક પંડ્યા , કૃણાલ પાંડ્યા , મલિંગા , જસપ્રિત બુમરાહ અને હરભજન સિંહ જેવા ખેલાડી છે . ત્યાં બીજી બાજુ પુણેની ટીમમાં સ્મિથ પાસે રાહુલ ત્રિપાઠી , અજિંક્ય રહાણે , મહેન્દ્રસિંહ ધોની , મનોજ તિવારી , જયદેવ ઉનડકટ અને એડમ જંપા જેવા ખેલાડીઓ છે , જે ગમે ત્યારે ગેમ ચેન્જ કરવા સક્ષમ છે ." sports,સમાચાર પત્ર ' ડેલી જંગ ' એ આફ્રિદીના હવાલાથી લખ્યું કે ' મને ટીમમાંથી હટાવવાનો નિર્ણય કપ્તાન મિસ્બાહ ઉલ હકનો છે . એ અલગ વાત છે કે કપ્તાન કોઇ ખેલાડીને ટીમમાં નથી રાખવા માંગતા પરંતુ ક્રિકેટમાં ટીમની અંદર આવવું અને બહાર જવું ચાલતું રહે છે . એવું થતું રહે છે અને હું ટૂંક સમયમાં ટીમમાં પાછો ફરીશ . ' આફ્રીદીએ કહ્યું કે તે પોતાની ફિટનેસ અને ફોર્મ પર ધ્યાન આપી રહ્યો છે અને તે ટૂંક સમયમાં ટીમમાં વાપસી કરશે . વકૌલ આફ્રીદીએ જણાવ્યું કે ' મારા માટે ફિટનેસ અને ફોર્મ મહત્વ ધરાવે છે . તેની પર મારું ધ્યાન છે અને સાથે સાથે ટીમમાં પોતાના સ્થાન પર પણ છે . હું એ સાબિત કરીશ કે હું ટીમ માટે બોઝો નહી પરતુ જરૂરિયાત છું . ફિલહાલ વાપસી માટે મારો પરિશ્રમ જારી રહેશે . ' business,"યાહુએ તાજેતરમાં જ ટમ્બલરને 1.1 અરબ ડોલરમાં ખરીદવાની ઘોષણા કરી છે , પરંતુ શું તમે જાણો છો કે આખરે ટમ્બલર છે શું , ટમ્બલરમાં એક સાથે બે પ્રકારની સુવિધાઓ આપવામાં આવી છે , તમે ચાહો તો તેમા તમારો બ્લોગ બનાવી શકો છો અથવા તો સોશિયલ નેટવર્કિંગ સાઇટની જેમ તેનો ઉપયોગ કરી શકો છો . ટમ્બલરની સૌથી મોટી ખાસિયત છે કે તેની ડિઝાઇન જે તેને બીજી સોશિયલ નેટવર્કિંગ સાઇટ અને બ્લોગિંગ પ્લેટફોર્મથી અલગ બનાવે છે . જો તેના ઇતિહાસ પર નજર નાંખીએ તો ટમ્બલરે 2007માં 26 વર્ષિય કાર્પ અને માર્કા અર્મેન્ટે સાથે મળીને તૈયાર કરી હતી , ટમ્બલરના શયેરોમાં કાર્પની 25 ટકા ભાગીદારી છે , કાર્પએ જણાવ્યા પ્રમાણે યાહુના આ કરારથી તે ઘણા ખુશ છે . તેનાથી ટમ્બલર ઝડપથી આગળ વધશે અને પહેલા કરતા સારુ હશે . અત્યારસુધી ટમ્બલર સાથે અંદાજે 108 અરબ બ્લોગ જોડાયેલા છે , જ્યારે 50.7 અરબ પોસ્ટ તેના પર પડેલી છે . ટમ્બલરને પીસી સાથે મોબાઇલમાં પણ ઘણો ઉપયોગ કરવામાં આવે છે . તેમ છતાં ટમ્બલરને પોતાની આવક વધારવામાં ઘણી મુશ્કેલીઓ પડી રહી હતી , તેનું સૌથી મોટુ કારણ હતુ ટમ્બલરમાં જાહેરાતોની અછત , પરંતુ યાહુ દ્વારા ટમ્બલરને ખરીદવાની યોજનાથી બની શકે છે , તેમાં જાહેરાતોની સંખ્યામાં વધારો કરવામાં આવે . આંકડાઓ અનુસાર યાહુમાં દર મહિને અંદાજે 70 કરોડ યુઝર આવે છે , યાહુ માટે આવકનો મુખ્ય સ્ત્રોત જાહેરાત જ છે . હવે તો એ આવનારો સમય જ બતાવશે કે યાહુના સહારાથી ટમ્બલર કેટલુ આગળ વધી શકે છે . ત્યાં સુધી ચાલો તસવીરોમાં જોઇએ ન્યૂયોર્કમાં બનેલા ટમ્બલર હેડક્વર્ટરની કેટલીક તસવીરો ." sports,"ભારતીય ક્રિકેટ ટીમ હાલ ઇંગ્લેન્ડના પ્રવાસે છે અને ટેસ્ટ શ્રેણી દરમિયાન ભારતે કેવુ પ્રદર્શન કર્યું તે બધાની સામે છે . એક સમયે 1 - 0થી આગળ રહેલી ટીમ ઇન્ડિયાએ શ્રેણીને 3 - 1થી ગુમાવી દેતા દેશભરના ક્રિકેટ ચાહકો નિરાશ છે તો બીજી તરફ ક્રિકેટ દિગ્ગજો પણ ટીમ અને કોચની આકરી ટીકા કરી રહ્યાં છે , એવી પણ માંગ ઉઠી રહી છેકે ફ્લેચર પોતાના કાર્યમાં નિષ્ફળ નિવડ્યા છે અને તેમના સ્થાને નવા કોચની નિયુક્તિ કરવી જોઇએ . સ્થિતિ વધુ વણસે તે પહેલા બીસીસીઆઇએ ટીમના ડિરેક્ટર પદે રવિ શાસ્ત્રીની નિયુક્તિ કરી લીધી છે , જે ઇંગ્લેન્ડની વનડે શ્રેણી દરમિયાન ટીમના ડિરેક્ટર પદે રહેશે અને એવું પણ જાણવા મળ્યું છેકે , ઇંગ્લેન્ડનો પ્રવાસ પૂર્ણ થયા બાદ ફ્લેચર પોતાના પદેથી રાજીનામું પણ આપી શકે છે , તો બીજી તરફ એવા સમાચાર પણ છેકે બીસીસીઆઇની નજર દ્રવિડ પર આવીને અટકી છે . વિશ્વકપ 2015ને હવે માત્ર એકાદ વર્ષ જ બાકી છે અને ભારત પર કોચ સંકટ છવાયું છે , ત્યારે અમે વિશ્વની એવી કેટલીક ટીમો અંગે આછેરી માહિતી આપી રહ્યાં છીએ કે જેમણે 2011ના વિશ્વકપ બાદ કોચ સંકટનો સામનો કર્યો છે , તો ચાલો તસવીરો થકી એ જાણીએ . pagespeed . lazyLoadImages . overrideAttributeFunctions ( ) ; વિરાટ કોહલી અને અનુષ્કા વચ્ચે બીસીસીઆઇ બન્યુ ‘એક વિલન ' ‘ધ વૉલ ' પર BCCIની નજર , દ્રવિડ લેશે ફ્લેચરનું સ્થાન ? આ પણ વાંચોઃ - ટીમ ઇન્ડિયાના ડિરેક્ટર રવિ શાસ્ત્રીની 12 અજાણી વાતો pagespeed . lazyLoadImages . overrideAttributeFunctions ( ) ; function googleAnalyticsCodeCommon ( ) { var main _ url = $ ( ' link [ rel = "" canonical "" ] ' ) . attr ( "" href "" ) ; var url = document . location . href ; var pattern = ' https : / / ' + window . location . hostname ; url = url . replace ( pattern , "" "" ) ; var title = document . title ; ga ( "" oneindiagu . send "" , { hitType : "" pageview "" , page : url , location : main _ url } ) ; ga ( "" rosoneindia . send "" , { hitType : "" pageview "" , page : url , location : main _ url } ) ; ga ( "" dhoneindia . send "" , { hitType : "" pageview "" , page : url , location : main _ url } ) ; url = document . location . href ; var jcode = ' var _ comscore = _ comscore | | [ ] ; var comscoreParams = { c1 : "" 2 "" , c2 : "" 7732551 "" , c3 : "" "" , c4 : "" ' + url + ' "" , c5 : "" "" , c6 : "" "" , c15 : "" "" } ; _ comscore . push ( comscoreParams ) ; var s = document . createElement ( "" script "" ) , el = document . getElementsByTagName ( "" script "" ) [ 0 ] ; s . async = true ; s . src = ( document . location . protocol = = "" https : "" ? "" https : / / sb "" : "" http : / / b "" ) + "" . scorecardresearch . com / beacon . js "" ; el . parentNode . insertBefore ( s , el ) ; ' ; setTimeout ( jcode , 500 ) ; var _ qevents = _ qevents | | [ ] ; ( function ( ) { var elem = document . createElement ( ' script ' ) ; elem . src = ( document . location . protocol = = "" https : "" ? "" https : / / secure "" : "" http : / / edge "" ) + "" . quantserve . com / quant . js "" ; elem . async = true ; elem . type = "" text / javascript "" ; var scpt = document . getElementsByTagName ( ' script ' ) [ 0 ] ; scpt . parentNode . insertBefore ( elem , scpt ) ; } ) ( ) ; _ qevents . push ( { qacct : "" p - yjta2aSVPaHEL "" } ) ; window . google _ analytics _ uacct = "" UA - 110466 - 73 "" ; }" business,"અમદાવાદઃ દરરોજ પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં થઈ રહેલા વધારાની વચ્ચે આજે નાગરિકોને ઓઈલ કંપનીઓ તરફથી થોડી રાહત આપવામાં આવી છે . આજે પેટ્રોલના ભાવમાં કોઈપણ પ્રકારનો વધારો કરવામાં આવ્યો નથી , જ્યારે ડીઝલના ભાવમાં 8 પૈસાનો વધારો નોંધાયો છે . ડીઝલની કિંમતોમાં વધારા બાદ અમદાવાદમાં તેની કિંમતો 78.87 રૂપિયાની સપાટી પર પહોંચી ગયા છે . જ્યારે પેટ્રોલ 79.68 રૂપિયાની સપાટી પર છે . માત્ર અમદાવાદ જ નહિ બલકે મુંબઈ અને દિલ્હીમાં પણ આજે ડીઝલની કિંમતોમાં વધારો નોંધાયો છે . જો દિલ્હીની વાત કરીએ તો અહીં આજે ડીઝલમાં 9 પૈસાનો ભાવ વધારો નોંધાયો છે . ડીઝલની કિંમતમાં વધારા બાદ અહીં ડીઝલની કિંમતો લીટર દીઠ 75.46 રૂપિયાની સપાટી પર પહોંચી ગઈ છે , જ્યારે પેટ્રોલની કિંમત 82.72 રૂપિયા પ્રતિ લીટર પર છે . જણાવી દઈએ કે પાછલા કેટલાક દિવસોથી રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે . જેને પગલે સામાન્ય નાગરિકોનો ખિસ્સો ખાલી થઈ રહ્યો છે . જ્યારે મુંબઈની વાત કરીએ તો અહીં ડીઝલના ભાવમાં 8 પૈસા પ્રતિ લીટર દીઠ વધારો નોંધાયો છે , જો કે પેટ્રોલના ભાવમાં કોઈપણ પ્રકારની વધઘટ જોવા મળી નથી . વધારા બાદ મુંબઈમાં ડીઝલની કિંમતો 79.11 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે , જ્યારે પેટ્રોલની કિંમત 88.18 રૂપિયા પ્રતિ લીટર છે . જણાવી દઈએ કે રવિવારે પેટ્રોલ અને ડીઝલમાં વધારો જોવા મળ્યો હતો , રવિવારે મુંબઈમાં પેટ્રોલની કિંમતોમાં 6 પૈસા અને ડીઝલની કિંમતોમાં 19 પૈસાનો ભાવ વધારો જોવા મળ્યો હતો . 1 રૂપિયામાં સોનાની ખરીદી કરીને , આ નવરાત્રીમાં બનો માલામાલ" sports,"ઈન્ડોનેશિયામાં ચાલી રહેલા 18 માં એશિયન ગેમ્સનો છઠ્ઠો દિવસ પણ ભારત માટે શાનદાર રહ્યો અને ભારતે આ દિવસે પોતાની મજબૂત દાવેદારી વિદેશી ભૂમિ પર બતાવી . આજે ભારતને શૂટિંગના વિમેન્સ 10 મીટર એર પિસ્ટલમાં મનુ ભાકર અને હિના સિદ્ધુથી ગોલ્ડની આશા રાખી હતી કારણકે થોડા મહિના પહેલા જ થયેલ કોમનવેલ્થ ગેમ્સમાં આ બંને ખેલાડીઓએ ગોલ્ડ અને સિલ્વર જીતીને ભારતનું માન વધાર્યુ હતુ . આ કારણે જ એશિયન ગેમ્સમાં પણ ભારતને ગોલ્ડની આશા હતી . જો કે આ ઈવેન્ટમાં મનુ ભાકરે એલિમિનેટ થઈને બધાને નિરાશ કરી દીધા હતા . પરંતુ હિનાએ બ્રોન્ઝ જીતીને ભારતની આશાઓને જીવંત રાખી . તમને જણાવી દઈએ કે હિનાએ 10.8 પોઈન્ટ્સનું પહેલુ નિશાન લગાવ્યુ પરંતુ બીજા શોટમાં તે કોઈ કમાલ બતાવી શકી નહિ અને આ સાથે તે 219.2 પોઈન્ટ્સ સાથે બ્રોન્ઝ મેડલ જીતવામાં સફળ રહી . આ પણ વાંચોઃ એશિયન ગેમ્સઃ ફ્રી સ્ટાઈલ કુશ્તી - 68 કિલો વર્ગમાં દિવ્યાએ જીત્યો કાંસ્ય પદક આ ગેમ શરૂ થતા પહેલા માનવામાં આવતુ હતુ કે ભારતને આ ગેમમાં ગોલ્ડ જરૂર મળશે પરંતુ આ ઈવેન્ટમાં પહેલી સીરિઝ બાદ ભારતની શૂટર હિના સિદ્ધુ 49.9 પોઈન્ટ્સ સાથે પાંચમાં અને મનુ ભાકર 49 પોઈન્ટ સાથે છઠ્ઠા સ્થાન પર રહી . વળી , બંને પર જ એક સમયે એલિમિનેશનનું જોખમ તોળાતુ હતુ પરંતુ હિનાએ આમાં સફળતા મેળવી અને ભારતને બ્રોન્ઝ જીતાડ્યો . આ સાથે ભારત હવે મેડલ ક્રમમાં સાતમાં સ્થાન પર આવી ગયુ છે . ભારતે અત્યાર સુધીમાં 6 ગોલ્ડ , 4 સિલ્વર અને 13 બ્રોન્ઝ મેડલ જીત્યા છે . ભારતના કુલ 23 મેડલ થઈ ગયા છે . આ પણ વાંચોઃ વિનેશ ફોગાટે રચ્યો ઈતિહાસ , પહેલી વાર મહિલા પહેલવાને જીત્યો ગોલ્ડ" sports,"ઇંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણી દરમિયાન જે પ્રકારનું ટીમ ઇન્ડિયાએ પ્રદર્શન કર્યું હતું અને શરમજનક રીતે ટેસ્ટ શ્રેણીને 1 - 3થી ગુમાવી છે , તેને લઇને દેશભરમાં ટીમ ઇન્ડિયાની ટીકા થઇ રહી છે , વિશેષ કરીને સુકાની મહેન્દ્ર સિંહ ધોની અને કોચ ફ્લેચરની . બીસીસીઆઇ દ્વારા કેટલાક આકરા પગલા ભરવામાં આવ્યા છે અને ફ્લેચરને સાઇડલાઇન કરવાની તૈયારીના ભાગરૂપે પૂર્વ સુકાની રવિ શાસ્ત્રીને ટીમના ડિરેક્ટર પદે પુનઃ નિયુક્ત કર્યા છે . આ બધાની વચ્ચે ભારતના સૌથી સફળ સુકાનીઓમાના એક સૌરવ ગાંગુલીએ ટીમ ઇન્ડિયા દ્વારા કરવામાં આવેલા પ્રદર્શનની ઝાટકણી કાઢી છે . આ સાથે જ ગાંગુલીએ ધોનીને કેટલીક સલાહ પણ આપી છે . હાલની તકે જોવા જઇએ તે ગાંગુલી ટીમ ઇન્ડિયાની ટીકા કરે તે સ્વાભાવિક છે , ગાંગુલીના નેતૃત્વ હેઠળ ટીમે ઘણો જ સારો દેખાવ કર્યો હતો , ગાંગુલીએ વિદેશી ધરતી પર વિજય મેળવવાની ઝંખના ટીમ ઇન્ડિયામાં જાગૃત કરી હતી . ગાંગુલીએ ઇંગ્લેન્ડ સામેની શ્રેણીમાં મળેલા પરાજય અંગે કહ્યું છેકે , મહેન્દ્ર સિંહ ધોનીએ ટેસ્ટ ફોર્મેટમાં નેતૃત્વ કરવા માટે ઘણું બધું કામ કરવાની જરૂર છે . ઓક્ટોબર - નવેમ્બરમાં ભારતને ઘરેલુ મેદાનમાં વેસ્ટ ઇન્ડિઝ સામે ટેસ્ટ શ્રેણી રમવાની છે , એક તો ઘરેલુ મેદાન અને ઉપરથી ટેસ્ટ રેન્કિંગમાં વેસ્ટ ઇન્ડિઝ ઘણી નીચે છે , તેથી ગાંગુલીને ટીમ ઇન્ડિયાના પ્રદર્શન અંગે ચિંતા નથી , પરંતુ ગાંગુલી ચિંતિત છે કે ત્યારબાદ ડીસેમ્બરમાં ટીમ ઇન્ડિયાને ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કરવાનો છે . pagespeed . lazyLoadImages . overrideAttributeFunctions ( ) ; આ પણ વાંચોઃ - ઇંગ્લેન્ડમાં ખરાબ પ્રદર્શનઃ કોહલી - પૂજારાએ બનાવ્યા નવા રેકોર્ડ ફરી રવિ શાસ્ત્રીના શરણે બીસીસીઆઇ , બનાવ્યા ટીમ ડિરેક્ટર વિશ્વ ક્રિકેટનો ' ફાસ્ટેસ્ટ ' ઉભરતો સિતારો , કોહલીને પણ રાખી દીધો પાછળ આ પણ વાંચોઃ - ટેસ્ટ રેન્કિંગઃ ભારતીય બેટ્સમેનોને પછડાટ , અંગ્રેજોએ લગાવી છલાંગ pagespeed . lazyLoadImages . overrideAttributeFunctions ( ) ; function googleAnalyticsCodeCommon ( ) { var main _ url = $ ( ' link [ rel = "" canonical "" ] ' ) . attr ( "" href "" ) ; var url = document . location . href ; var pattern = ' https : / / ' + window . location . hostname ; url = url . replace ( pattern , "" "" ) ; var title = document . title ; ga ( "" oneindiagu . send "" , { hitType : "" pageview "" , page : url , location : main _ url } ) ; ga ( "" rosoneindia . send "" , { hitType : "" pageview "" , page : url , location : main _ url } ) ; ga ( "" dhoneindia . send "" , { hitType : "" pageview "" , page : url , location : main _ url } ) ; url = document . location . href ; var jcode = ' var _ comscore = _ comscore | | [ ] ; var comscoreParams = { c1 : "" 2 "" , c2 : "" 7732551 "" , c3 : "" "" , c4 : "" ' + url + ' "" , c5 : "" "" , c6 : "" "" , c15 : "" "" } ; _ comscore . push ( comscoreParams ) ; var s = document . createElement ( "" script "" ) , el = document . getElementsByTagName ( "" script "" ) [ 0 ] ; s . async = true ; s . src = ( document . location . protocol = = "" https : "" ? "" https : / / sb "" : "" http : / / b "" ) + "" . scorecardresearch . com / beacon . js "" ; el . parentNode . insertBefore ( s , el ) ; ' ; setTimeout ( jcode , 500 ) ; var _ qevents = _ qevents | | [ ] ; ( function ( ) { var elem = document . createElement ( ' script ' ) ; elem . src = ( document . location . protocol = = "" https : "" ? "" https : / / secure "" : "" http : / / edge "" ) + "" . quantserve . com / quant . js "" ; elem . async = true ; elem . type = "" text / javascript "" ; var scpt = document . getElementsByTagName ( ' script ' ) [ 0 ] ; scpt . parentNode . insertBefore ( elem , scpt ) ; } ) ( ) ; _ qevents . push ( { qacct : "" p - yjta2aSVPaHEL "" } ) ; window . google _ analytics _ uacct = "" UA - 110466 - 73 "" ; }" business,"વી દિલ્હી , 23 ઓક્ટોબર : ગુજરાતના શહેર અમદાવાદને ગ્લોબલ ઇનિશિયેટિવ ફોર રિ - સ્ટ્રક્ચરિંગ એન્વાયરન્મેન્ટ એન્ડ મેનેજમેન્ટ ( જીઆઈઆરઇએમ ) દ્વારા ભારતમાં આઠમા ક્રમના સર્વશ્રેષ્ઠ બિઝનેસ - ડેસ્ટિનેશન તરીકે પસંદ કરાયું છે . જીઆઇઆરઇએમ - GIREMના તાજા અહેવાલમાં પ્રોપર્ટી સર્વિસના ગ્લોબલ લીડર ડીટીઝેડ દ્વારા ભારતભરના ટોચના 21 બિઝનેસ ડેસ્ટિનેશન્સનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે . શહેરના વિવિધ આર્થિક પર્યાવરણ અને સાંસ્કૃતિક માપદંડોના આધારે તેનું રેન્કિંગ નિર્ધારિત કરવામાં આવ્યું છે . આ રેન્કિંગના આધારે સંબંધિત શેરમાં બિઝનેસ તેમજ મૂડીરોકાણ માટે કેવી સારી તકો છે અને સરકાર દ્વારા નિયમો અને નીતિઓ તેમજ માળાખાગત વિકાસના સંદર્ભમાં અને નેશનલ કેપિટલ રિજિયન અને મુંબઈ જેવા મેગા સિટી સાથેની કનેક્ટિવિટી કેવી છે એ બધાં પરિબળોને આધારે બિઝનેસ ડેસ્ટિનેશનનું રેન્કિંગ નક્કી કરાયું છે . આ માટે કુલ 160 પોઇન્ટ નક્કી કરવામાં આવ્યા હતા . તેના આધારે જે શહેરને સૌથી વધારે પોઇન્ટ મળે તે સૌથી વધારે શ્રેષ્ઠ બિઝનેસ ડેસ્ટિનેશન માનવામાં આવ્યું છે . અમદાવાદમાં ઊર્જા વીજ અને પાણીપુરવઠાની સ્થિતિ સર્વશ્રેષ્ઠ છે , એ જ રીતે મોબિલિટી સર્વિસ અને હેલ્થ કેર સર્વિસીસ પ્રશંસનીય છે એવું જીઆઇઆરએમના પ્રમુખ શ્યામસુંદર એસ . પાણિએ જણાવ્યું હતું . આવો જાણીએ ટોપ ટેન બિઝનેસ ડેસ્ટિનેશનમાં અન્ય કયા શહેરોનો સમાવેશ થયો છે . . ." business,"નોકિયાના પૂર્વ કર્મચારીઓની એક ટૂકડી દ્વારા નવા સ્માર્ટફોનની રચના કરવામાં આવી છે , જેનુ નામ જોલા રાખવામાં આવ્યું છે . જેમા મીગો જે હાલ સૈઇલફિશ તરીકે જાણીતી છે તે ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો છે , આ ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો છે , જે નોકિયા દ્વારા 2011માં વિન્ડોઝ ફોનના કારણે ત્યજી હતી , આ ફોનનું વેચાણ માત્ર ઓનલાઇન જ કરવામાં આવશે અને તે વર્ષના અંત સુધીમાં વેચાણ અર્થે મળી આવશે . આ ફોનમાં 4.5 ઇન્ચની સ્ક્રિન છે , 8 મેગા પિક્સલનો કેમેરા છે , જે 4જીને સપોર્ટ કરે છે અને તેમાં ગુગલ એન્ડ્રોઇડ એપ્સને પણ વાપરી શકાય છે . રસપ્રદ વાત એ છે કે આ સ્માર્ટફોનમાં એક ફિચર છે , જેને કંપનીના હેડ સારિનો ધ અધર હાફ કહીને સંબોધે છે . ફોનના પાછળના ભાગમાં બ્લેક કલર છે તેમાં ઓએસ ચેન્જ કરવાની સુવિધા આપવામાં આવી છે . સારિનિઓએ કહ્યું કે તમે અન્ય કોઇની સાથે છે એ કહેવાનો આ એક રસપ્રદ રસ્તો છે . નોંધનીય છે કે , જ્યારે નોકિયા આઇબીએમ સાથે નવી ઓપરેટિંગ સિસ્ટમની રચના પર કામ કરી રહ્યું હતું ત્યારે સારિનિઓ સહિત અનેક લોકોએ નોકિયામાંથી રાજીનામા આપી દીધા હતા , પરંતુ તેમણે મીગો સાથે કામ કરવાનું ચાલું રાખ્યું હતું . ચાલો તસવીરના માધ્યમથી જોઇએ જોલા સ્માર્ટફોન ." business,વોડાફોને તેના ગ્રાહકો માટે સારી સુવિધા આપવા માટે 3 મહિનાની ડિલાઇટ ઓફર લોન્ચ કરી છે . આ ઓફર પૂર્ણ થાય તે પહેલા વોડાફોને કેટલાક નવા પ્લાન પણ બજારમાં લોન્ચ કર્યા છે . આ સ્કીમમાં ત્રણ પેક સામેલ છે . રિપોર્ટ મુજબ એક પેક 19 રૂપિયાનો છે અને તેનું નામ છે સુપર ડે . જે પ્લાનની વેલિડિટી એક દિવસની છે . તો બીજો પ્લાન 49 રૂપિયા અને 89 રૂપિયાનો છે . જેનું નામ સુપર વીક રાખવામાં આવ્યું છે . આ પ્લાનની વેલિડિટી 1 અઠવાડિયાની છે . 1 દિવસવાળા પ્લાનમાં 19 રૂપિયામાં વોડાફોનથી વોડાફોન લોકલ અને એસટીડી કોલિંગ અનલિમિટેડની સાથે 100 એમબી 4જી ડેટા મળશે . આ પેક ખાલી 4જી સ્માર્ટફોન યુઝર્સ માટે છે . ત્યાં જ 49 રૂપિયાવાળા પેક કે જેની વેલિડિટી 7 દિવસની છે તેમાં વોડાફોન થી વોડાફોન લોકલ અને એસટીડી અનલિમિટેડ કોલિંગ મળશે . આ સિવાય 25એમબી 4જી ડેટા પણ મળશે . આ બધુ ખાલી 4જી સ્માર્ટફોન યુઝર્સ માટે જ છે . તો બીજી તરફ 89 રૂપિયાના એક અન્ય પ્લાન જે 7 દિવસ માટે છે તેમાં વોડાફોન ટુ વોડાફોન લોકલ એસટીડી કોલિંગ અનલિમિટેડ છે . જેમાં 100 મિનિટનો ટોકટાઇમ છે જે બીજા નેટવર્ક માટે છે . સાથે જ 250 એમબી 4જી ડેટા પણ મળશે . અને આ ઓફર પર 4જી સ્માર્ટફોન યુઝર્સ માટે છે . sports,મુંબઇએ પહેલા બોલીંગ કરતા 129 રન બનાવ્યા . શિખર ધવનની બોલીંગના કારણે આ સ્કોર હૈદરાબાદ માટે ખુબ જ સરળ સાબિત થયો . શિખરે 55 બોલમાં 9 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 73 રન બનાવ્યા . આ હૈદરાબાદની પોતાના ઘરેલું મેદાન પર સતત ચોથી જીત હતી . દસ મેચોમાં હૈદરાબાદની આ છઠ્ઠી જીત છે . આ જીતની સાથે જ હૈદરાબાદની ટીમ પાંચમાં સ્થાન પર છે જ્યારે મુંબઇની ટીમ નેટ રન રેટ સારો હોવાના કારણે ચોથા સ્થાન પર કાયમ છે . શિખર ધવને આઇપીએલ 6માં પોતાની બીજી અર્ધસદી ફટકારી . પહેલી સાત મેચોમાં તે ઇજાના કારણે રમી શક્યો ન્હોતો . ડ્વેન સ્મિથને આઉટ કરવાની સાથે જ અમિત મિશ્રા આઇપીએલના સૌથી સફળ બોલર બની ગયા હતા . તેણે અત્યાર સુધી 90 વિકેટ લીધી છે . જ્યારે મિશ્રાએ મલિંગાના 89 વિકેટના રેકોર્ડને પાછળ રાખી દીધો . sports,"ભારત અને શ્રીલંકા વચ્ચેની ત્રણ ટેસ્ટ મેચની સીરિઝમાં પહેલી મેચ આજે એટલે કે બુધવારના રોજ ગાલેમાં રમાઇ હતી . આઇસીસી ટેસ્ટ રેકિંગમાં ટીમ ઇન્ડિયા હાલ નં . 1 પર છે . છેલ્લા થોડા સમયથી ટીમ ઇન્ડિયા ખૂબ સરસ રમી રહી છે અને આ ટેસ્ટ મેચમાં પણ વિરાટ કોહલીની સેના પોતાની વિજયગાથા ચાલુ રાખશે એવી આશા છે . જો કે , લગભગ બે વર્ષ પહેલાં આ જ સ્થળે ભારતને ભારે શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો . સ્કોર અપડેટ્સઃ ભારતીય ટીમઃ શિખર ધવન , અભિનવ મુકુંદ , ચેતેશ્વર પુજારા , વિરાટ કોહલી ( કપ્તાન ) , અજિંક્ય રહાણે , હાર્દિક પંડ્યા , રિદ્ધિમાન સાહા , રવિચંદ્રન અશ્વિન , રવીન્દ્ર જાડેજા , ઉમેશ યાદવ , મોહમ્મદ શમી શ્રીલંકા ટીમઃ દીમથ કરુણારત્ને , ઉપુલ થરંગા , કુસલ મેંડિસ , દાનુસ્કા ગુનાથિલકા , એન્જેલો મેથ્યૂઝ , એસેલા ગુણરત્ને , નિરોશન ડિકવેલ , દિલરૂવન પરેરા , રંગાના હેરાથ ( કપ્તાન ) , લાહિરુ કુમારા , નુવાન પ્રદીપ" entertainment,"નવી ટેલીવિઝન શ્રેણી બુદ્ધમાં ગૌતમ બુદ્ધનો રોલ કરી રહેલા નવોદિત કલાકાર હિમાંશુ સોનીનું કહેવું છે કે આ ભૂમિકા માટે તેમણે બહુ મહેનત કરી છે કે જેથી કાર્યક્રમ ખતમ થયા બાદ પણ લોકો બુદ્ધ તરીકે તેમને યાદ કરે . બીજા કલાકારોની જેમ હિમાંશુએ પણ અભિનય માટે પોતાનું શહેર જયપુર છોડ્યું અને મુંબઈ આવી ગયાં . કંઈ પણ અચાનક નથી થયું . માત્ર છ માસ પહેલા જ તેમની કિસ્મત ચમકી . હિમાંશુએ જણાવ્યું - હું બે વર્ષ અગાઉ 2011માં મુંબઈ આવ્યો હતો . મને ઘણો સંઘર્ષ કરવો પડ્યો . એ સાચુ છે કે મુંબઈ મારા સપનાનું શહેર છે , પણ છ માસ પહેલા બુદ્ધના ઑડિશન બાદ મુંબઈએ મારા સપના સાકાર કરવાનું શરૂ કર્યું છે . તેમણે જણાવ્યું - મને લુક ટેસ્ટ માટે બોલાવાયો અને છેલ્લે મારી પસંદગી થઈ ગઈ . મારૂ સ્વપ્ન સાકાર થયું . હું ઇચ્છુ છું કે શો બાદ પણ લોકો મને પડદાના બુદ્ધ તરીકે યાદ રાખે . પ્રથમ પસંદગી થયા બાદ 24 વર્ષીય હિમાંશુએ ઘરે તેના માટે કામ શરૂ કર્યું . તેઓ કહે છે - મેં ધ્યાન કરવાનું , બુદ્ધ વિશે પુસ્તકો અને ઉપદેશો વાંચવાનું શરૂ કર્યું . પછી એક દિવસ મને લુક ટેસ્ટ માટે બોલાવાયો અને મારી પસંદગી થઈ ગઈ . આ મારૂં સ્વપ્ન સાકાર થવા જેવુ હતું . મને લાગ્યું કે હું પોતાના પાત્ર સાથે ન્યાય કરી શકુ છું . ઉદ્યોગપતિ બી . કે . મોદીના નિર્માણ હેઠળ બનેલી બુદ્ધ સીરિયલ ઝી ટીવી તેમજ દૂરદર્શન ઉપર દર રવિવારે સવારે અગિયાર વાગ્યે પ્રસારિત થાય છે ." entertainment,"મુંબઈ , 17 સપ્ટેમ્બર : ફિલ્મ હીરોઇનના પ્રમોશન માટે ઝલક દિખલા જા જોરદાર મંચ સાબિત થયો . મંચ પર કરીના કપૂર પહોંચતા જ શોમાં તાળીઓનો ગડગડાટ શરૂ થઈ ગયો . તાળીઓનો ગડગડાટ સાંભળી દર્શકો દંગ રહી ગયાં . કરીનાને પોતાની બહેન માનતા ભાઈ કરણે શોમાં તેનું જોરદાર સ્વાગત કર્યું . કરના પણ કરણને ઉત્સાહપૂર્વક મળી અને તેમની બાજુ વાળી સીટ ઉપર બેસી ગઈ . શો દરમિયાન કરીનાએ ફિલ્મ હીરોઇનના ડાયલૉગ્સ પણ ઉચ્ચાર્યાં અને ફિલ્મના ગીત હલકટ જવાની . . . ઉપર બે વાર ડાંસ કર્યું . એક વાર તો તેનો સાથ કૉમેડિયન અને પ્રતિસ્પર્ધી ભારતીએ આપ્યો . બીજી વાર કરણ જૌહર , માધુરી દીક્ષિત તેમજ રેમોએ કરીના સાથે આ ગીત ઉપર ઠુમકાં લગાવ્યાં . શો દરમિયાન કરણ જૌહર રંગમાં હતાં . કરણે કરીના કપૂર અંગે ઘણી વાતો જણાવી . કરણે જણાવ્યુ હતું કે કરીના એવી કલાકાર છે , જેને ફિલ્મમાં માત્ર પોતાના સીન્સ સાથે જ લેવડ - દેવડ હોય છે . બીજા બધા શું કરે છે , એ વાત સાથે તેને કોઈ મતલબ નથી હોતું . કરણે જણાવ્યું હતું કે ફિલ્મ કભી ખુશી કભી ગમ . . . શૂટ કરતી વખતે સેડ સીન્સમાં કરીના તો રડી ચુકી હતી , પણ જેવું જ પેક - અપ થયું , તેણે મને પુછી નાંખ્યુ કે એ જણાવો કે મૃત્યુ કોણ પામ્યું છે , જેને માટે મારે રડવું પડ્યું . કરણની આ વાત સાંભળતા જ બધા લોકો ખડખડાટ હંસી ઉઠ્યા અને કરીનાએ કરણને પ્રેમથી જણાવ્યું કે નોટ ફેર . પરંતુ કરણે જણાવ્યું હતું કે કરીના બહુ ટેલેંટેડ હીરોઇન છે . તેથી હું શુભેચ્છા આપું છું કે તેની આ ફિલ્મ બૉક્સ ઑફિસ ઉપર ઘણાં રેકૉર્ડ તોડે ફિલ્મ હીરોઇન 21મી સપ્ટેમ્બરે રિલીઝ થવાની છે . ફિલ્મના દિગ્દર્શક મધુર ભંડારકર છે . ફિલ્મમાં કરીના સાથે અર્જુન રામપાલ પણ છે ." sports,"આઇસીસી મહિલા વિશ્વ કપ 2017ની ફાઇનલ મેચ ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે રમાઇ હતી . આ મેચમાં ભારતે ઑસ્ટ્રેલિયાને 227 રનનો લક્ષ્યાંક આપ્યો હતો . આ સાથે જ ભારતીય કપ્તાન મિતાલી રાજે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઇતિહાસ રચતાં મહિલા વન ડે ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાનો વિશ્વ વિક્રમ પણ પોતાને નામ કરી લીધો હતો . આ મેચ મિતાલી રાજની 183મી વન ડે મેચ હતી . મિતાલીએ પોતાની કારકિર્દીમાં કુલ 5993 રન ફટકારતાંની સાથે ઇંગ્લેન્ડની કારલોટ એડવર્ડ ( 5992 રન ) ને પાછળ છોડતાં આ વિશ્વ વિક્રમ પોતાને નામ કર્યો છે . ઑસ્ટ્રેલિયા સામેની મેચમાં મિતાલી રાજ જ્યારે બેટિંગ કરવા મેદાનમાં પહોંચ્યા ત્યારે તેઓ આ વિશ્વ વિક્રમ તોડવાથી માત્ર 34 રન દૂર હતા . મિતાલી મોટેભાગે ચોથા કે પાંચમા નંબર પર બેટિંગ કરે છે , જ્યારે આ મેચમાં મિતાલીએ ત્રીજા નંબર પર બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો , જે તેમના માટે અને ભારત માટે લાભકારક સાબિત થયો . હવે વન ડે માં સૌથી વધુ રન ફટકારવાનો અને સૌથી વધુ વિકેટ લેવાનો , એ બંન્ને વિશ્વ વિક્રમ ભારતના નામે છે . વન ડેમાં સૌથી વધુ વિકેટ લેવાનો વિશ્વ વિક્રમ ઝૂલન ગોસ્વામીના નામે છે ." sports,કાશ્મીરની 8 વર્ષની તજામુલ ઇસ્લામે ઇટલીમાં વર્લ્ડ કિક બોક્સિંગ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ જીતીને ઇતિહાસ રચી દીધો છે . તજામુલ એવી પહેલી ખેલાડી બની ચૂકી છે જેણે સબ જુનિયર કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીતીને ભારતનું નામ રોશન કર્યુ છે . 9 દેશોની પ્રતિયોગીતામાં ભારતનો ઝંડો કર્યો ઉંચો તજામુલ ઇસ્લામ જમ્મૂ કાશ્મીરના બાંડીપોરા જિલ્લાના એક છેવાડાના ગામની વતની છે . આટલી નાની ઉંમરમાં તજામુલે મોટુ કામ કરી બતાવ્યુ છે . ઇટલીના એંડ્રિયામાં આયોજિત સબ જુનિયર કિક બોક્સિંગ ચેમ્પિયનશીપમાં 9 થી વધુ દેશોએ ભાગ લીધો હતો . તજામુલે પોતાની જીત પર કહ્યુ કે ભારત માટે ગોલ્ડ મેડલ જીતવો તેના માટે ગર્વની વાત છે . તજામુલે તેનુ સમર્થન કરવા અને પ્રોત્સાહન આપવા માટે લોકોનો આભાર માન્યો છે . સૌથી નાની ઉંમરમાં મેળવ્યો ગોલ્ડ મેડલ કોચ માસ્ટર ફેસલ અલી ખાનનું કહેવુ છે કે ગોલ્ડ મેડલ જીતીને તજામુલ ઇસ્લામ સૌથી નાની ઉંમરની ખેલાડી બની ગઇ છે જેણે સબ જુનિયર લેવલ પર આ કમાલ કરી બતાવી છે . સબ જુનિયર લેવલ પર 14 વર્ષ સુધીના ખેલાડીઓ ભાગ લે છે . એંડ્રિયામાં આયોજિત કિક બોક્સિંગ ચેમ્પિયનશીપમાં તજામુલ સૌથી નાની ઉંમરની ખેલાડી હતી . 2015 માં તજામુલને મળી રાષ્ટ્રીય ખ્યાતિ નવી દિલ્હીમાં 2015 માં આયોજિત કિક બોક્સિંગ ચેમ્પિયનશીપમાં તજામુલે સબ જુનિયર કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીતીને રાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ મેળવી હતી . આ જીત બાદ તેને આંતરરાષ્ટ્રીય સ્તરે આ રમતમાં ભાગ લેવાનો મોકો મળ્યો . વર્લ્ડ ચેમ્પિયન સુધી પહોંચીને ગોલ્ડ જીતનારી તજામુલનો માર્ગ એટલો સરળ નથી રહ્યો . તજામુલના પિતા મોહમ્મદ લોન ડ્રાઇવરનું કામ કરીને ઘરનું ગુજરાન માંડ માંડ ચલાવે છે . પરંતુ દીકરી તજામુલને પ્રોત્સાહન આપવામાં તેમણે કોઇ કસર નહોતી રાખી . નાની ઉંમરમાં તજામુલનો મોટો સંઘર્ષ તજામુલનું કહેવુ છે કે તેણે એક સ્ટેડિયમમાં છોકરા અને છોકરીઓને પંચ મારતા જોયા તો તેણે પપ્પાને કહ્યું કે તે પણ આ રમત શીખશે . પિતા મોહમ્મદ લોને માસ્ટર ફેસલની એકેડમીમાં દીકરીને કિક બોક્સિંગ શીખવા માટે મોકલી . માસ્ટર ફેસલે તજામુલ વિશે જણાવ્યુ કે જ્યારે તે કિંડરગાર્ટનમાં ભણતી હતી ત્યારે મારી પાસે આવી હતી . મે તેની પ્રતિભા જોઇ . તે રમતના નિયમો તો નહોતી જાણતી પરંતુ તેની સ્પીડ સારી હતી અને તે એગ્રેસીવ પણ હતી . સુવિધાઓનો અભાવ કાશ્મીરમાં કિક બોક્સિંગ માટે સુવિધાઓનો અભાવ છે . આ અભાવો સામે ઝઝૂમીને માસ્ટર ફેસલના માર્ગદર્શન હેઠળ તજામુલે કિક બોક્સિંગ શીખી અને વર્લ્ડ કિક બોક્સિંગમાં ગોલ્ડ મેડલ જીતીને સાબિત કરી દીધુ કે તે દુનિયાની સૌથી શ્રેષ્ઠ ખેલાડી છે . entertainment,"અમિતાભ બચ્ચન અને રેખાના અફૅરની ચર્ચાએ એક વખતે બહુ નામના મેળવી હતી . અહીં સુધી કે રેખાના પગલે અમિતાભના પરિણીત જીવનમાં અનેક વાર વાવાઝોડું આવ્યું , પણ જયા બચ્ચનના સરળ સ્વભાવે અમિતાભ - જયાની જોડી સલામત રહી અને આજે આટલા વર્ષે પણ જીવનના અનેક પડાવો સાથે પસાર કરી ચુકેલા અમિતાભ - જયાનો પોતાનો સુખી પરિવાર છે . આમ છતાં અમિતાભ - રેખાના પ્રેમની આગ ક્યારેય ઠંડી પડી નહીં અને રહી - રહીને આ આગના તણખલા મીડિયાને ક્યાંકને ક્યાંક દેખાઈ જ આવે છે . હવે અમિતાભ - રેખાની એક નવી તાજી તસવીર સામે આવી છે . થોડાંક જ દિવસ અગાઉ વિમાનમાં લેવાયેલી આ તસવીર છે કે જેમાં એક પાયલૉટ અમિતાભ બચ્ચન સાથે બેસી તસવીર ખેંચાવી રહ્યો છે અને પાછળ બેઠેલા રેખાએ મોઢુ ફેરવી લીધું છે . રેખા અમિતાભ સાથેના પ્રવાસની તસવીરમાં કેદ નહોતા થવા માંગતા . તેથી તેમણે વિમાનની તેવી બારી બાજુ મોઢું ફેરવ્યું છે કે જે બંધ છે . નોંધનીય છે કે રેખા અને અમિતાભ બચ્ચનનો જન્મ દિવસ આ જ મહીને આવવાનો છે . રેખાનો જન્મ દિવસ 10મી ઑક્ટોબરે હોય છે , જ્યારે અમિતાભનો 11મી ઑક્ટોબરે . આ તસવીર જોયા બાદ લોકો અટકળો લગાવી રહ્યાં છે કે જન્મ દિવસ અગાઉની આ કોઈ પ્રી - પ્લાનિંગ તો નથી . અમિતાભ બચ્ચન અને રેખા ક્યારેય કોઈ જાહેર મંચ ઉપર એક - બીજા સાથે વાત નથી કરતાં અને મીડિયા પણ આ બંને વિશે વાતો કરતા ખચકાય છે , પણ આ તસવીર જોયા બાદ કદાચ અમિતાભે હવે મીડિયા સમક્ષ ખુલાસો આપવો જ પડશે કે તેઓ રેખા સાથે એક જ ફ્લાઇટમાં કેવી રીતે પહોંચી ગયાં ? આવો તસવીરો સાથે જાણીએ વઘુ વિગતો :" entertainment,"ફિલ્મ નિર્માતા પ્રકાશ ઝાની આવનાર ફિલ્મ સત્યાગ્રહયનું ટ્રેલર લંડન તેમજ મુંબઈ ખાતે એક સાથે લૉન્ચ થશે . તે હકીકતમાં ફિલ્મનું વૈશ્વિક ટ્રલર હશે . પ્રકાશ ઝાએ જણાવ્યું - અમે સત્યાગ્રહનું ટ્રેલર વૈશ્વિક કક્ષાએ લૉન્ચ કરવા જઈ રહ્યાં છે . અજય દેવગણ તથા કરીના કપૂર લંડનમાં હાજર રહેશે , જ્યારે અમિતાભ બચ્ચન , હું પોતે તેમજ અન્ય સભ્યો મુંબઈ ખાતે રહેશે . તેમણે જણાવ્યું કે વીડિયો કૉન્ફરંસિંગ વડે અજય અને કરીના મુંબઈમાં એકત્ર થયેલ લોકોને સમ્બોધશે . તેવી જ રીતે અહીં હાજર ફિલ્મના સભ્યો લંડન ખાતેના લોકોને સમ્બોધિત કરશે અને આ કવાયદ ટ્રેલર લૉન્ચિંગ ઈવેંટને વૈશ્વિક બનાવી દશે . નોંધનીય છે કે સત્યાગ્રહ ફિલ્મ આગામી 23મી ઑગસ્ટના રોજ રિલીઝ થવાની છે . ફિલ્મમાં અર્જુન રામપાલ તથા મનોજ બાજપાઈ પણ છે . તેનું શૂટિંગ ભોપાલમાં થયું છે અને તેનું પ્રમોશન પણ ત્યાંથી જ થવાનું છે ." business,"અર્થશાસ્ત્ર પર આર એલ સિંઘવી એએમએ વાર્ષિક સ્મૃતિ વ્યાખ્યાનમાં પ્રશ્નોત્તરી સેક્શન દરમિયાન સુબ્બારાવે જણાવ્યું કે ' અમે એ બેંકોનો અભ્યાસ કર્યો છે . તેમની તપાસ પણ કરી છે . ઉંડાણથી તે બેંકોના વ્યવહારોનો અભ્યાસ કર્યા બાદ તે બેંકોના વ્યવસ્થાપકોને નોટિસ ફટકારી છે . તેમની સામે યોગ્ય કાર્યવાહી પણ કરવામાં આવશે . કોબ્રાપોસ્ટના ખુલાસા બાદ રિઝર્વ બેંકે દેશની ખાનગી અને જાહેર બેંકોના કામકાજની તપાસ શરૂ કરી હતી . ' ઉલ્લેખનીય છે કે ગયા મહિને કોબ્રાપોસ્ટે જાહેર કરેલા પોતાના સ્ટિંગ ઓપરેશનમાં અગ્રણી બેંકો દ્વારા મની લોન્ડ્રિંગ કરવામાં આવતું હોવાના આરોપો મુક્યા હતા . શરૂઆતમાં આઇસીઆઇસીઆઇ બેંક , એક્સિસ બેંક તથા એચડીએફસી બેંક અંગે ખુલાસો કરવામાં આવ્યો હતો . ત્યાર બાદ 23 જાહેર અને ખાનગી ક્ષેત્રની બેંકો તથા વીમાં કંપનીઓ પર મની લોન્ડ્રિંગનો આરોપ લગાવ્યો હતો . ડી સુબ્બારાવે એમ પણ જણાવ્યું કે ' હું એમ નથી કહી રહ્યો કે જે ખુલાસો થયો છે તે બધું જ થયું છે . પણ તેમાં થોડી સચ્ચાઇ તો છે . અમે આકલન કરીશું કે ક્યાં ખોટું થયું છે , કેટલું ખોટું થયું છે . અને આકલનના આધારે આગળની કાર્યવાહી કરીશું . ' તેમણે એમ પણ જણાવ્યું કે મની લોન્ડ્રિંગ માટે બેંકોને જવાબદાર ઠેરવી શકાય નહીં . કારણ કે તેમનું કામ જમા કરવામાં આવેલી રકમના સ્રોતની તપાસ કરવાનું નથી . સુબ્બારાવે જણાવ્યું કે ' અમે ચોક્કસ રીતે કામગીરી કરવા માંગીએ છીએ . જો કશુંક શંકાસ્પદ કે શકાસ્પદ વ્યવહારો જણાશે તો તે અંગે માહિતી આપવાની પદ્ધતિ છે . બેંકો પાસે આશા રાખવામાં આવે છે કે તેઓ આ અંગે રિપોર્ટ કરશે . જો બેંકો આવું કરતી નહીં હોય તો અમે બેંકો સામે કાર્યવાહી કરીશું . ' નોંધનીય છે કે રિઝર્વ બેંક ઉપરાંત નાણા મંત્રાલય અને વીમા નિયામક ઇરડા પણ ઓનલાઇન પોર્ટલ કોબ્રાપોસ્ટના આરોપોની તપાસ કરી રહ્યાં છે ." sports,"6 નવેમ્બરથી શરૂ થઇ રહેલી વેસ્ટ ઇન્ડિઝ સામેની બે ટેસ્ટ મેચોની શ્રેણી માટે બીસીસીઆઇની પસંદગી સમિતિ દ્વારા ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે . આ વખતે પણ બોલર ઝહીર ખાન , બેટ્સમેન વિરેન્દ્ર સેહવાગ ટીમમાં સ્થાન બનાવી શક્યા નથી . નોંધનીય છે કે , વેસ્ટ ઇન્ડિઝ સામેની બે ટેસ્ટ રમ્યા બાદ સચિન તેંડુલકર ક્રિકેટમાંથી નિવૃત્તિ લઇ લેવાના છે . આ ઉપરાંત ખભામાં ઇજા થવાના કારણે રવિન્દ્ર જાડેજાને આરામ આપવામાં આવ્યો છે . વનડેમાં શાનદાર પ્રદર્શન કરવા બદલ ટેસ્ટ ટીમમાં રોહિત શર્માને સ્થાન આપવામાં આવ્યું છે . રોહિત શર્મા રવિન્દ્ર જાડેજાના સ્થાને છઠ્ઠા નંબર પર બેટિંગ કરી શકે છે . અન્ય ફેરબદલની વાત કરવામાં આવે તો , મુરલી વિજયનો સમાવેશ કરવામાં આવ્યો છે . મુરલી વિજય , શિખર ધવન સાથે ટીમ માટે ઓપનિંગ કરશે . બોલિંગ સાઇડની વાત કરીએ તો બોલિંગ સાઇડમાં ચાર સ્વિમર અને ત્રણ સ્પીનર્સને સમાવાયા છે . ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે શ્રેણીની બે ટેસ્ટ મેચ અનુક્રમે કોલકતા અને મુંબઇમાં રમાનારી છે . તો ચાલો તસવીરો થકી નજર ફેરવીએ કે ટીમ ઇન્ડિયામાં કયા - કયા બેટ્સમેનનો સમાવેશ કરવામાં આવ્યો છે ." entertainment,"આખરે એ જ થયું જે ના થવું જોઈતું હતું . યે દિલ હૈ મુશ્કિલ ફિલ્મના કારણે ફરી એકવાર બચ્ચન ખાનદાનમાં તિરાડ પડી ચુકી છે . તેનું કારણ છે ફિલ્મ એ દિલ હૈ મુશ્કિલમાં ઐશ્વર્યા ના હોટ સીન . પિન્કવીલા ડોટ કોમની એક રિપોર્ટ અનુસાર અમિતાભ બચ્ચનને ફિલ્મના કેટલાક સીન સામે વાંધો છે અને જેઓ પોતાની નારાજગી ખુલીને બતાવી પણ ચુક્યા છે . ખરેખરમાં જયારે આ સીન શૂટ કરવાની વાત આવી ત્યારે ઐશ્વર્યા રાઈએ સાફ સાફ ના પાડી દીધી હતી . પરંતુ કરણ જોહરના ઘણું સમજાવ્યા પછી તેઓ સીન શૂટ કરવા માટે રાજી થયા હતા . પરંતુ ફિલ્મ બન્યા પછી કરણ જોહર સાથે વાત કરીને અમિતાભ બચ્ચને તે સીનને નાનો કરી નાખ્યો હતો . પરંતુ જે પણ બચ્યું હતું તેનો થોડોક ભાગ ટ્રેલરમાં જોઈને અમિતાભ બચ્ચનનો પારો ચઢી ગયો . ઐશ્વર્યા રાઈને પહેલા પણ જણાવવામાં આવ્યું છે કે તેઓ આવા સીન ના કરે એટલા માટે બચ્ચન સાહેબને ગુસ્સો આવે તે સ્વાભાવિક છે . એટલા માટે જયારે અભિષેક બચ્ચને કરણ જોહરની લિંકને રિટવિટ કરી . ત્યાં અમિતાભ બચ્ચને ફિલ્મ વિશે કોઈ જ વાત ના કરી . આ ફિલ્મની કહાની 3 લોકોની વચ્ચે ફરી રહી છે અયાન , એલિજેહ અને સબા . જેવું કે અફવાહમાં હતું કે રણબીર કપૂર અને ઐશ્વર્યા રાય વચ્ચે ઘણા ઇન્ટેન્સ સીન દેખાઈ રહ્યા છે . જયારે અનુષ્કા અને રણબીરનો સંબંધ મિત્રો જેવો બતાવવામાં આવી રહ્યો છે . જ્યાં બંને એકબીજા સાથે એન્જોય કરતા જોવા મળી રહ્યા છે ." sports,"લંડન , 25 ઑગસ્ટઃ ભારતીય ટીમના વનડે સ્પેશિઅલિસ્ટ બેટ્સમેન સુરેશ રૈનાનું કહેવું છેકે , તેમની ટીમે ટેસ્ટ શ્રેણીમાં મળેલા પરાજયને ભૂલીને અહીં ઇંગ્લેન્ડ સામે શરૂ થઇ રહેલી વનડે શ્રેણીમાં પોતાની ક્ષમતા દર્શાવીને આ શ્રેણી પોતાના નામે કરવી પડશે . રૈનાએ કહ્યું કે , તેમની ટીમ હાલના સમયે ખરાબ સમયમાંથી પસાર થઇ રહી છે અને હવે અમારા માટે જુસ્સો દર્શાવવાનો સમય છે . આ પ્રકારના કારમા પરાજય બાદ ક્યારેક આગળ વધવું મુશ્કેલ હોય છે , પરંતુ જ્યારે તમે આંતરરાષ્ટ્રીય સ્તર પર રમી રહ્યા હોવ તો તમારે એ માટે માર્ગ શોધવા માટે લડવું પડે છે . રૈનાએ વધુમાં કહ્યું છેકે , નવા ખેલાડી ટીમમાં તાજગી લઇને આવશે , જેથી ટેસ્ટ માટે જે ખેલાડી અહીં હતા , તેમને પુનઃ સકારાત્મકતા હાંસલ કરવામાં મદદ મળશે . તે પોતાની ભૂલોમાંથી બોધપાઠ લેવાનો પ્રયાસ કરી રહ્યાં છે અને અમે તેમા નવો જુસ્સો ઉમેરીશું . ભારતને ટેસ્ટ શ્રેણીમાં 1 - 3થી કારમા પરાજયનો સામનો કરવો પડ્યો હતો , જેમાં અંતિમ બે ટેસ્ટમાં પરાજય માત્ર ત્રણ દિવસની અંદર મળી હતી . રૈનાએ કહ્યું કે , અમે હંમેશા શિબિરમાં સકારાત્મકતા અને ઉત્સાહ લાવવાનો પ્રયાસ કરીએ છીએ . આઉટઓફ ફોર્મ કોહલી ‘ફોર્મ ' માં , વોર્મ અપમાં ભારતનો વિજય આ પણ વાંચોઃ - ઘરની નહીં આઇપીએલની ટીમો માટે રમશે વિદેશી ક્રિકેટર્સ" entertainment,ફિલ્મ જગતના જાણીતા એક્ટર અને લેખક ટોમ અલ્ટરનું શુક્રવારે નિધન થઇ ગયું છે . તે પાછલા લાંબા સમયથી કેન્સરની બિમારીથી લડી રહ્યા હતા . ટોમ અલ્ટરનું 67 વર્ષની ઉંમરે નિધન થયું છે . તેમને 4થી શ્રેણીનું સ્કિન કેન્સર હતું . ટોમ અલ્ટરને તેમના અભિનય માટે પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યો હતો . ટોમ અલ્ટરે અનેક ફિલ્મો અને ટીવી સીરીયલોમાં કામ કર્યું હતું . આ સિવાય તે શરૂઆતી સમયમાં સ્પોર્ટ્સના લેખક પણ હતા . ટોમ અલ્ટરે તેમના જીવન દરમિયાન કુલ 300 ફિલ્મોમાં કામ કર્યું હતું . અને દૂરદર્શનમાં આવનારી સીરિયલ જૂનૂનમાં તે ગેંગસ્ટર કેશવ કલ્સીની તેમની ભૂમિકાના કારણે પ્રસિદ્ધ થયા હતા . business,"રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ઘ્વારા તહેવારની શરૂઆતમાં લોકોને એક મોટી રાહત આપી છે . આરબીઆઇ સમીક્ષા બેઠકમાં રેપો રેટ સ્થિર રાખવામાં આવ્યો છે . આરબીઆઇ ક્રેડિટ પોલિસીમાં રિઝર્વ બેંક ઘ્વારા રેપો રેટ નથી વધારવામાં આવ્યો . આરબીઆઇ ઘ્વારા રેપો રેટ 6.50 ટકા જાળવી રાખવામાં આવ્યો છે , જયારે રિવાઇઝ રેપો રેટ 6.25 ટકા છે . બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે નીતિગત દરોમાં કોઈ પણ બદલાવ નહીં કરવામાં આવે , જયારે ઈન્ફ્લેશન રેટ પણ 4 ટકા જેટલો જ રહેશે . આરબીઆઇ ઘ્વારા વિત્તીય વર્ષ 2019 દરમિયાન જીડીપી ગ્રોથ 7.4 ટકા રહેવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે . રિઝર્વ બેંક સમીક્ષા બેઠક પહેલા આ વાતની સંભાવના ખુબ જ વધારે હતી કે આરબીઆઇ રેપો રેટમાં વધારો કરી શકે છે , જેથી મોંઘવારીને કાબુમાં લઇ શકાય . પરંતુ આરબીઆઇ ઘ્વારા લોકોને રાહત આપવામાં આવી છે . SBIના ગ્રાહકો માટે ખાસ ખબર , હવે 20 હજારથી વધુ રૂપિયા નહિ ઉપાડી શકો બેઠકમાં આરબીઆઇ ઘ્વારા મોંઘવારી 4 ટકા રાખવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે પરંતુ આ વખતે મોંઘવારી બેન્કના લક્ષ્ય કરતા ઉપર રહી છે . ધ્યાન આપવા જેવી બાબત છે કે આ પહેલાની બે સમીક્ષા બેઠકોમાં રિઝર્વ બેંકે રેપો રેટમાં વધારો કર્યો હતો . છેલ્લી વખતે કરવામાં આવેલા વધારા સાથે હાલમાં રેપો રેટ 6.5 ટકા જેટલો છે ." sports,"મેચ પહેલાં મહેન્દ્ર સિંહ ધોનીએ પોતાના સાથીઓ સાથે એક સ્પેશિયલ મુલાકાત યોજી પોતાની રણનીતી અંગે બધાને માહિતગાર કર્યા હતા . આમપણ મેચ દરમિયાન બધાની નજર વિરેન્દ્ર સહેવાગ , ગૌતમ ગંભીર અને વિરાટ કોહલી પર હશે . કારણ કે બેટીંગની મોટાભાગની જવાબદારી આ ત્રણ ખેલાડીના માથે છે . જો શરૂઆત સારી થઇ તો મધ્યમક્રમમાં યુવરાજ સિંહ , ઇરફાન પઠાણ અને સુરેશ રૈનાની મદદથી ઇનિંગને સંભાળવવા માટે ધોની સક્ષમ છે . જો કે બોલીંગમાં નબળાઇ જોવા મળી રહી છે . ઝહીરખાન અને આર અશ્વિન સિવાય કોઇ દમદાર જોવા મળતું નથી . તો બીજી તરફ દક્ષિણ આફ્રિકા તરફથી હાશિમ અમલા , ઝોહાન બોથા , અને કેપ્ટન એબી ડિવીલિયર્સની વિકેટ ભારત માટે જરૂરી છે . તેમના બોલરોમાં રોબીન પીટરસન અને પરનેલ ઘણા મજબૂત છે . ભારત - મહેન્દ્ર સિંહ ધોની ( કેપ્ટન ) , ગૌતમ ગંભીર , વિરેન્દ્ર સહેવાગ , સુરેશ રૈના , વિરાટ કોહલી , યુવરાજ સિંહ , ઇરફાન પઠાણ , આર અશ્વિન , ઝહીર ખાન , લક્ષ્મીપતિ બાલાજી , અશોક ડિંડા સાઉથ આફ્રિકા - એબી ડિવીલિયર્સ ( કેપ્ટન ) , હાશિમ અમલા , ઝોહાન બોથા , જેપી ડુમિની , ફૈંફ ડ્યૂ પ્લેસિસ , જેક કાલિસ , જે મોર્કલ , એમ માર્કલ , ડબ્લ્યૂડી પરનેલ , રોબિન પીટરસન , એલ સોટસોબે" business,કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી છે કે કોઇ પણ હોટલ અને રેસ્ટોરન્ટ તે વાત નક્કી ના કરી શકે કે તે કેટલો સર્વિસ ચાર્જ ગ્રાહકો જોડેથી લેશે . આ ગ્રાહકોએ નક્કી કરવાનું રહે છે કે તેમણે સર્વિસ ચાર્જ આપવો કે નહીં . કેન્દ્રીય ખાદ્ય અને ઉપભોક્તા મંત્રી રામવિલાસ પાસવાને કહ્યું કે આ અંગે રાજ્યોને ગાઇડલાઇન્સ આપવામાં આવી ચૂકી છે . અને રાજ્યોએ તેમને ત્યાં લાગુ કરવાની રહેશે . ગત અઠવાડિયે જ સરકારે જાહેરાત કરી હતી કે આ અંગે તે જલ્દી જ એક એડવાઇઝરી જાહેર કરશે . સાથે જ રાજ્ય સરકારને સલાહ આપવામાં આવી હતી કે ખાવા પર ખોટી રીતે સર્વિસ ચાર્જ લગાવતા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરો . કેન્દ્ર સરકારે આ નિર્ણય ત્યારે લીધા જ્યારે હોટલ અને રેસ્ટોરન્ટ સામે મોટી સંખ્યામાં ગ્રાહકોએ ફરિયાદ નોંધાવી અનેન ગ્રાહકોથી આ માટે 5 થી 20 ટકાના સર્વિસ ચાર્જ લેવામાં આવી રહ્યા હતા . ફરિયાદમાં તે પણ વાત આવી કે ગ્રાહકોને ફરજીયાત સર્વિસ ચાર્જ આપવો જરૂરી નથી . નોંધનીય છે કે કેન્દ્ર સરકારની આ વાતનો વિરોધ કરવા માટે અનેક હોટલો તેમની હોટલની બહાર પોસ્ટર પણ લગાવ્યા હતા કે જો તમારે સર્વિસ ચાર્જ ન ભરવો હોય તો પ્લીઝ હોટલમાં ના આવો . કારણ કે હોટલ અને રેસ્ટોરન્ટમાં આવશો અને સર્વિસ લેશો તો સર્વિસ ચાર્જ ભરવો પડશે . sports,"મુંબઇ , 12 સપ્ટેમ્બરઃ ઇંગ્લેન્ડના પ્રવાસ દરમિયાન ટેસ્ટ શ્રેણીમાં ભારતનું પ્રદર્શન કેવું હતું તેનાથી બધા જ માહિતગાર છે . ટીમના પ્રદર્શન માટે કોચને જવાબદાર ઠેરવવામાં આવી રહ્યાં છે અને ટેસ્ટ શ્રેણી દરમિયાનથી કોચ પદેથી ડંકન ફ્લેચરની છૂટ્ટી કરવામાં આવે તેવી માંગ અનેક દિગ્ગજ ભારતીય ક્રિકેટર્સ દ્વારા કરવામાં આવી છે . હવે આ યાદીમાં વધુ એક નામ જોડાઇ ગયું છે અને એ છે ભારતના પૂર્વ વિકેટ કીપર ફારુખ એન્જીનિયર . તેમનું કહેવું છેકે , ડંકન ફ્લેચરને ભારતીય ટીમના મુખ્ય કોચ પદેથી હટાવી દેવા જોઇએ અને તેમના સ્થાને રવિ શાસ્ત્રી અને દિલીપ વેંગસરકરને ટીમના માર્ગદર્શન તરીકેની જવાબદારી સોંપવામાં આવવી જોઇએ . એન્જીનિયરે ક્રિકેટ ક્લબ ઓફ ઇન્ડિયાની ઇન્ડોર એકેડમીના ઉદ્ઘાટન પ્રસંગે કહ્યું કે , રવિએ ઘણું જ સારું કામ કર્યું છે . તેણે ખેલાડીઓને પ્રેરિત કર્યા છે , તેનું વ્યક્તિત્વ રચનાત્મક છે . માત્ર વનડે ક્રિકેટ જ નહીં પરંતુ ટેસ્ટ ક્રિકેટમાં પણ તેણે ટીમને માર્ગદર્શન આપવું જોઇએ . આ અંગે વધુ વાંચવા માટે તસવીરો પર ક્લિક કરો . CLT20માં નહીં રમી શકે રોહિત , કેપ્ટન્સી માટે ભજ્જી - પોલાર્ડ રેસમાં ક્રિકેટ ઇતિહાસમાં થયેલા પાંચ શાનદાર કમબેક આ પણ વાંચોઃ - ધોની સિવાય આ ક્રિકેટર્સની પણ છે અધધ સંપત્તિ" business,"ભારતની બીજા નંબરની આઈટી કંપની ઇન્ફોસિસ દ્વારા શનિવારે જાહેરાત કરવામાં આવી હતી કે , સલિલ એસ . પારેખને હવે નવા મેનેજિંગ ડાયરેક્ટર નિયુક્ત કરવામાં આવે છે . સલિલ પારેખ આવતા વર્ષે 2 જાન્યુઆરીથી પોતાનું પદ સાચવશે . આ પહેલાં સલિલ પારેખ ફ્રાંસની મોટી આઇટી કંપની કેપજમેમિનીમાં ગ્રુપ એક્ઝેક્યુટિવ મેમ્બર હતા . ઉલ્લેખનીય છે કે , વિશાલ સિક્કાના રાજીનામા બાદ યુપી પ્રવીણ રાવને એમડી અને સીઈઓ બનાવવામાં આવ્યા હતા . આવતા વર્ષના માર્ચ મહિના સુધી એક્ઝિક્યૂટિવ વાઇસ - ચેરમેન પદ પર રહેશે . સલિલ પારેખનો કાર્યકાળ 5 વર્ષનો રહેશે . આ જ વર્ષે 17 ઓગસ્ટના રોજ વિશાલ સિક્કાએ રાજીનામું આપ્યું હતું . કહેવાઇ રહ્યું હતું કે , પ્રમોટર્સ સાથે વિશાલ સિક્કાના સતત મતભેદો ચાલી રહ્યા હતા અને આ કારણે તેમણે પદ પરથી રાજીનામું આપ્યું હતું . વિશાલ સિક્કાનું રાજીનામું તાત્કાલિક પ્રભાવથી સ્વીકાર કરતા કંપનીએ તેમને પ્રમોશન આપી એક્ઝિક્યુટિવ વાઇસ ચેરમેન બનાવવામાં આવ્યા હતા ." entertainment,"મુંબઈ , 10 જાન્યુઆરી : વર્ષ 2000માં રિલીઝ થયેલી ફિલ્મ કહો ના પ્યાર હૈ સાથે બૉલીવુડમાં એક સુપરસ્ટારની એન્ટ્રી થઈ અને તે એન્ટ્રી હતી રાકેશ રોશનના પુત્ર હૃતિક રોશનની . પોતાના સિક્સ પૅક તેમજ ચાર્મિંગ પર્સનાલિટી દ્વારા હૃતિકે યંગસ્ટર્સને ખાસ તો યુવતીઓને પોતાનું ઘેલુ લગાડી દીધું . હૃતિકની પ્રથમ ફિલ્મ કહો ના પ્યારે બૉક્સ ઑફિસે ઉત્તમ દેખાવ કર્યો અને આ સાથે જ હૃતિકને બૉલીવુડના સુપરસ્ટાર્સ વચ્ચે લાવી મૂક્યો . ખૂબ ઓછા એવા સ્ટારસન્સ હોય છે કે જેમને પોતાની પ્રથમ જ ફિલ્મ દ્વારા બૉક્સ ઑફિસે હિટ સ્ટારની લિસ્ટમાં જોડાવાની તક મળે છે . હૃતિક રોશન તેવા ઓછા સ્ટારસન્સમાંના એક હતાં . હૃતિક રોશનનો આજે 40મો જન્મ દિવસ છે અને પોતાના આ જન્મ દિવસે તેઓ કોઈ પણ પ્રકારની પાર્ટી કે ઉજવણી નથી કરી રહ્યાં , કારણ કે આ જન્મ દિવસે તેમની સાથે તેમના પત્ની અને બાળપણના મિત્ર સુઝાન નથી . હૃતિક રોશન માટે આજનો જન્મ દિવસ એટલો ખાસ નથી કે જેટલો ગત વર્ષે હતો . જન્મ દિવસ હોવા છતા હૃતિક રોશને મીડિયા સાથે અંતર જાળવી રાખ્યો છે કે જેથી તેમને કોઈ તેમના અંગત જીવન અંગે કોઈ પ્રશ્ન ન કરી શકે . હૃતિક રોશન અને સુઝાન રોશન માટે વર્ષ 2013 ખૂબ જ મુશ્કેલીઓથી ભરેલુ રહ્યું . વર્ષનો આરંભ જ આરંભ જ હૃતિકની બ્રેન સર્જરી જેવા વિઘ્ન સાથે થયો અને વર્ષાંતે હૃતિક - સુઝાનની જોડી તુટી ગઈ કે જે બૉલીવુડની આદર્શ જોડી ગણાતી હતી . હૃતિક રોશન માટે વર્ષ 2013 ખૂબ જ સંકટો વાળુ રહ્યું . માત્ર રિલેશનશિપ અંગે જ નહીં , પણ તેમના બાળકો અને તેમના પોતાના આરોગ્ય અંગે પણ આ વર્ષે હેરાન કર્યું . જોકે વર્ષ 2013 હૃતિક રોશન માટે માત્ર ક્રિશ 3ની સફળતા ધરાવવા માટે યાદગાર રહેશે . તમામ ઝંઝાવાતો વચ્ચે હૃતિકની ફિલ્મ ક્રિશ 3 સુપરહિટ રહી . દર વર્ષે મીડિયા સાથે પોતાના જન્મ દિવસે મળી સેલિબ્રેટ કરનાર હૃતિક રોશન આ વર્ષે પોતાનો જન્મ દિવસ ખૂબ જ સાદગી અને શાંતિપૂર્વક ઉજવી રહ્યાં છે ." entertainment,"ટેલીવિઝન કલાકાર આશિષ શર્મા કહે છે કે બહેતરીન અભિનય માટે કલાકારોમાં પોતાની રજુઆત અંગે થોડો ગભરાટ તો હોવો જ જોઇએ . આશિષ ટીવી સીરિયલ રબ સે સોણા ઇશ્કમાં રણવીરની ભૂમિકા ભજવી ચુક્યાં છે . બૉલીવુડ અભિનેતા અનુપમ ખેર સંચાલિત એક્ટર પ્રિપૅર્સ ઇંસ્ટીટ્યૂટમાંથી અભિનયની તાલીમ લઈ ચુકેલાં આશિષ કહે છે - જ્યારે પણ આપ કોઈ દૃશ્યનું શૂટિંગ કરતાં હોવ , તો ગભરાટ થતા આપ લાગણીશીલ બની જાઓ છે અને તે આપના અભિનય માટે ફાયદાકારક હોય છે . તેમણે એકેડેમીના વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરતાં જણાવ્યું - જો આપને જરાય ગભરાટ ન થતો હોય , તો આપ સારા અભિનેતા નથી . આશિષ શર્માએ પોતાના અભિનય કૅરિયરની શરુઆત ગુનાહોં કા દેવતા સીરિયલથી કરી હતી અને ચંદ્રગુપ્ત મૌર્યમાં મુખ્ય ભૂમિકા ભજવી પોતાના અભિનય કૌશલ્યને સાબિત કર્યો હતો . તેમણે દિબાકર બૅનર્જી દિગ્દર્શિત લવ સેક્સ ઔર ધોખા ફિલ્મમાં પણ એક નાનકડી ભૂમિકા ભજવી છે . તેમણે જણાવ્યું - ગભરાટ ત્યારે પણ થશે કે જ્યારે આપ અભિનય કરતાં - કરતાં 50 વરસના થઈ જશો . અનુપમ ખેરને જ પૂછી લ્યો . આપ જ્યારેય કૅમેરા સામે હશો , આપને ગભરાટ જરૂર થશે , પણ આપ બહેતરીન પરફૉર્મ કરી શકશો ." sports,"કોલંબોમાં રમાયેલ ભારત અને શ્રીલંકા વચ્ચેની પાંચમી વન ડે મેચ ભારતે 5 - 0થી જીતીને સીરિઝ પોતાને નામ કરી છે . શ્રીલંકા સામે રમાયેલ પાંચેય વન ડે મેચ જીતીને ભારતીય ટીમે નવો રેકોર્ડ બનાવ્યો છે . આ ઉપરાંત આ મેચમાં ભારતીય કપ્તાન વિરાટ કોહલીએ પોતાના કરિયરની 30મી સદી ફટકારી હતી . આ સાથે જ તેમણે ઑસ્ટ્રેલિયાના પૂર્વ કપ્તાનના રેકોર્ડની બરાબરી કરી છે . આ પહેલાં આ રેકોર્ડ ઑસ્ટ્રેલિયાના પૂર્વ કપ્તાન રિકી પોન્ટિંગના નામે હતો . રવિવારની મેચ બાદ વિરાટ કોહલીએ વન ડેમાં સૌથી વધુ સદી ફટકારનાર ખેલાડીઓની સૂચિમાં બીજા સ્થાને પહોંચી ગયા છે . હવે તેમની આગળ માત્ર સચિન તેડુંલકર છે . વિરાટ કોહલી આ વર્ષે 18 મેચ રમ્યા છે , જેમાં તેમણે 1000થી પણ વધારે રન બનાવ્યા છે . આ સાથે જ વિરાટ કોહલી 2017માં સૌથી વધુ રન કરનાર ખેલાડી બની ગયા છે . ભારત અને શ્રીલંકા સામેની આ મેચ ભારતના પૂર્વ કપ્તાન મહેન્દ્રસિંહ ધોની માટે પણ ઘણી કારગત નિવડી છે . જેમાં ધોનીએ પોતાના વિકેટ કિપરના કરિયરનાં 100 સ્ટંપ મેળવીને વર્લ્ડ રોકોર્ડ બનાવ્યો છે . આ પહેલા શ્રીલંકાના ખેલાડી દાનુષ્કા ગુણાતિલકાએ 99 સ્ટંપનો રેકોર્ડ બનાવ્યો હતો , જે ધોનીએ તેની 300મી વન ડે મેચમાં તોડ્યો છે . આ મેચમાં ધોનીએ 100 સ્ટંપ લેનાર ખેલાડી તરીકે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે . નોંધનીય છે કે , ધોનીએ ભારત માટે 97 સ્ટંપ અને એશિયા ઈલેવનમાં 3 એમ કુલ 100 સ્ટંપ મેળવ્યા છે . આમ શ્રીલંકા સાથેની આ પાંચમી વન ડેમાં ભારતીય ખેલાડીઓએ સારા પ્રદર્શનની સાથે શાનદાર રેકોર્ડ પણ તોડ્યા હતા ." sports,એશિયન ગેમ્સ 2018 માં ભારતની ઝોળીમાં વધુ એક મેડલ આવી ગયો છે . ભારતના નિશાનેબાજ દીપક કુમારે સોમવારે પુરુષની 10 મીટર રાયફલ સ્પર્ધામાં સિલ્વર મેડલ જીત્યો છે . દીપક કુમાર સાથે રવિ કુમારે પણ ફાઈનલ્સ માટે ક્વોલિફાય કર્યુ હતુ પરંતુ ફાઈનલમાંથી બહાર થઈ ગયા . તમને જણાવી દઈએ કે એશિયન ગેમ્સમાં ભાગ લેવા માટે રવિ કુમારે રવિવારે ભારતને એશિયન ગેમ્સનો પહેલો મેડલ અપાવ્યો હતો . તેમણે 10 મીટર રાયફલ મિક્સ્ટ ટીમ ઈવેન્ટમાં અપૂર્વી ચંદેલા સાથે બ્રોન્ઝ મેડલ ટીમના નામે કર્યો હતો . આ પણ વાંચોઃ Asian Games 2018 : અપૂર્વી ચંદેલા અને રવિ કુમારે ભારતને પહેલો મેડલ અપાવ્યો અપૂર્વી સાથે 10 મીટર રાયફલ મિક્સ્ડ ટીમ ફાઈનલ્સ ઈવેન્ટમાં ચંદેલા - કુમારની જોડીએ 42 શોટ્સ બાદ 429.9 પોઈન્ટ મેળવીને ત્રીજુ સ્થાન મેળવ્યુ હતુ . આ સ્પર્ધાનો ગોલ્ડ મેડલ તાઈવાનની જોડીએ 494.1 પોઈન્ટ મેળવીને જીત્યો હતો . business,"નવી દિલ્હી , 21 સપ્ટેમ્બરઃ ગુજરાતના નાના અને મધ્યમ વેપારીઓ હવે પોતાના ધંધાની જાણકારી ઓનલાઇન કરવા જઇ રહ્યાં છે . સર્ચ એન્જિન ગૂગલ હવે ગુજરાતના વેપારીઓની જાણકારી ઓનલાઇન આપવ જઇ રહી છે . પોતાની જાણકારી મફતમાં લોકો સુધી પહોંચાડવાથી વેપારીઓ પણ ખુશ છે . ભારતમાં 15 કરોડ લોગ ઇન્ટરનેટનો ઉપયોગ કરી રહ્યાં છે , જેમાંથી 10 ટકા લોકો ફક્ત ગુજરાતમાંથી છે . આ વાતને ધ્યાનમાં રાખતાં ગૂગલે ગુજરાતના વેપારીઓને ઇન્ટરનેટના ઉપયોગના ફાયદા સમજાવ્યા હતા . ગૂગલે તેમને કહ્યું હતું કે કેવી રીતે આ ઇન્ટરનેટના માધ્યમથી પોતાની પ્રોડક્ટસની ખૂબીઓને લોકો સુધી પહોંચાડી શકે છે . ગૂગલ લગભગ 2 વર્ષમાં દેશના 7200 શહેરોના 2.5 લાખ નાના - મોટા વેપારીઓ અને ઉદ્યમીઓ માટે ઓનલાઇન બિઝનેસ શરૂ કરી ચૂક્યા છે . ગુજરાતમાં જ 5000 નાના વેપારીઓએ વેબસાઇટ બનાવી છે . હવે ગૂગલે આગામી એક વર્ષમાં 50000 વેપારીઓ માટે વેબસાઇટ બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે . અત્યારે ગૂગલ વેબસાઇટ બનાવવા માટે પૈસા લઇ રહી નથી , પરંતુ તેનું કહેવું છે કે જો ઓનલાઇન થવાથી કોઇ વેપારીનો ધંધો 50 ટકા વધી જાય છે તો તેને વધારવા માટે તે ગૂગલની મદદ માંગે છે , તો ગૂગલ તેની પાસેથી ચાર્જ વસૂલ કરી શકે છે . ફક્ત 15 મિનિટમાં ગૂગલ આ નાના વેપારીઓની વેબસાઇટ મફતમાં તૈયાર કરી આપી રહી છે . ગૂગલના અનુસાર દેશભરમાં લગભગ 70 લાખ નાના અને મધ્યમ કદના વેપારીઓ છે અને ગૂગલ તેમને થોડા વર્ષોમાં ઝડપથી આવા લોકોને ઇન્ટરનેટના માધ્યમથી દેશ અને દુનિયા સુધી પહોંચાડી દેશે ." sports,"મોહાલી , 19 સપ્ટેમ્બરઃ સુકાની શિખર ધવન ( 59 ) ની સતત બીજી અર્ધ શતકીય ઇનિંગ અને પોતાની શાનદાર બોલિંગની મદદથી સનરાઇઝ હૈદરાબાદ ટીમને બુધવારે પાકિસ્તાનની ફેસલાબાદ વૂલ્ભ્સ ટીમને હરાવી ચેમ્પિયન્સ લીગ - 2013ના મેઇન રાઉન્ડમાં સ્થાન બનાવી લીધું છે . સનરાઇઝર્સે પંજાબ ક્રિકેટ સંઘ મેદાન પર રમાયેલી પોતાની બીજી ક્વોલિફાઇંગ મેચમાં વૂલ્ભ્સને સાત વિકેટથી હરાવી છે . વૂલ્ભ્સની આ સતત બીજી હાર છે . આ પહેલાંની મેચમાં ઓટાગો વોલ્ટ્સે તેને આઠ વિકેટથી હરાવ્યું હતું . વોલ્ટ્સે બુધવારે શ્રીલંકાની કાંદૂરાતા મરૂંસને મૂખ્ય દ્વારમાં પહોંચી ચુકી છે . આ રીતે વૂલ્ભ્સની સાથોસાથ મરૂંસનો સફર પણ સમાપ્ત થઇ ચૂક્યો છે . શુક્રવારે મરૂંસ અને વૂલ્ભ્સ વચ્ચે અંતિમ દોરની ક્વાલીફાઇંગ મેચ રમાશે , પરંતુ આ મેચ બન્ને માટે પ્રતિષ્ઠા બચાવવાથી વિશેષ કંઇ નહીં હોય . વોલ્ટ્સ અને સનરાઇઝર્સ પણ આમને - સામને હશે અને બન્નેનું લક્ષ્ય અજેય રહીંને મેઇન રાઉન્ડનો સફર શરૂ કરવો પડશે . જો કે , સનરાઇઝર્સ માટે વૂલ્ભ્સ દ્વારા આપવામાં આવેલા 128 રનનો લક્ષ્યાંક સહેલો સાબિત થયો . તેણે આ લક્ષ્ય 17.3 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને હાંસલ કર્યો . મરૂંસ વિરુદ્ધ મંગળવારે 71 રનની ઇનિંગ રમનાર ઘવને ફરી એકવાર આગેવાની કરતા 50 બોલમાં છ ચોગ્ગા અને એક છગ્ગો લગાવ્યો . પાર્થિવ પટેલે ( 23 ) સાથે સુકાનીએ પહેલી વિકેટ માટે તાબડતોડ અંદાજમાં 68 રન જોડીને જીતનો આધાર નક્કી કરી લીધો . ત્યારબાદ તેણે ડ્યૂમિની ( અણનમ 20 ) સાથે બીજી વિકેટ માટે 44 રન જોડીને આ આધારને વધુ મજબૂત કરી દીધો . પટેલે 21 બોલમાં ત્રણ ચોગ્ગા લગાવ્યા , જ્યારે ડ્યૂમિનીએ 27 બોલમાં એક ચોગ્ગો લગાવ્યો . ડારેન સેમીએ છ બોલમાં ત્રણ ચોગ્ગાની મદદથી 14 રનની ઇનિંગ રમી હતી ." sports,"વિશ્વ ક્રિકેટમાં આપણે અનેકવાર જોયું હશે કે મેચ રસાકસીમાં આવી ગઇ હોય અને અંતિમ ઓવરમાં અમુક રન લેવાના હોય ત્યારે બોલર અને બેટ્સમેન બન્ને પર ખાસું દબાણ રહે છે . આવી સ્થિતિમાં ટીમને વિજયી બનાવવા માટે બેટ્મસેન દ્વારા બાઉન્ડ્રી અથવા તો છગ્ગો ફટકારવામાં આવે છે . મોટાભાગે બેટ્સમેનો દ્વારા કોઇપણ પ્રકારનું જોખમ લીધા વગર ચોગ્ગો ફટકારવાનો પ્રયાસ અંતિમ ઓવરમાં વધારે કરવામાં આવે છે , જો ટીમને છેલ્લી ઓવરમાં બહુ ઓછા રન બનાવવાની જરૂર હોય ત્યારે . પરંતુ ક્યારેક એવી સ્થિતિ પણ નિર્માણ પામે છેકે બેટ્સમેનને પોતાની ટીમને વિજયી બનાવવા માટે છગ્ગો ફટકાર્યા સિવાય કોઇ માર્ગ રહેતો નથી અને તે જોખમ ખેડીને પણ છગ્ગો ફટકારી દે છે . આ રીતે શોટ ફટકારીને ટીમને વિજયી બનાવવામાં પાકિસ્તાનના જાવેદ મિયાંદાદા , લાન્સ ક્લુસનર અને શિવનારાયણ ચંદ્રપોલ જાણીતા નામ છે . જેમણે છેલ્લા બોલમાં એક કરતા વધારે રનની જરૂર હતી તે સમયે છગ્ગો ફટકારી પોતાની ટીમને વિજયી બનાવી હતી . તો ચાલો તસવીરો થકી આ યાદીમાં તેમના સિવાય કયા કયા ખેલાડી છે એ અંગે જાણીએ . pagespeed . lazyLoadImages . overrideAttributeFunctions ( ) ; આ પણ વાંચોઃ - ‘સુપરમેન ' બ્રેન્ડન મેક્કુલમની ફિલ્ડિંગ પર ઓવારી ગયા દર્શકો આ પણ વાંચોઃ - કંઇક એવી રીતે આઉટ થયો પૂજારા કે તૂટ્યો 28 વર્ષ જૂનો રેકોર્ડ function googleAnalyticsCodeCommon ( ) { var main _ url = $ ( ' link [ rel = "" canonical "" ] ' ) . attr ( "" href "" ) ; var url = document . location . href ; var pattern = ' https : / / ' + window . location . hostname ; url = url . replace ( pattern , "" "" ) ; var title = document . title ; ga ( "" oneindiagu . send "" , { hitType : "" pageview "" , page : url , location : main _ url } ) ; ga ( "" rosoneindia . send "" , { hitType : "" pageview "" , page : url , location : main _ url } ) ; ga ( "" dhoneindia . send "" , { hitType : "" pageview "" , page : url , location : main _ url } ) ; url = document . location . href ; var jcode = ' var _ comscore = _ comscore | | [ ] ; var comscoreParams = { c1 : "" 2 "" , c2 : "" 7732551 "" , c3 : "" "" , c4 : "" ' + url + ' "" , c5 : "" "" , c6 : "" "" , c15 : "" "" } ; _ comscore . push ( comscoreParams ) ; var s = document . createElement ( "" script "" ) , el = document . getElementsByTagName ( "" script "" ) [ 0 ] ; s . async = true ; s . src = ( document . location . protocol = = "" https : "" ? "" https : / / sb "" : "" http : / / b "" ) + "" . scorecardresearch . com / beacon . js "" ; el . parentNode . insertBefore ( s , el ) ; ' ; setTimeout ( jcode , 500 ) ; var _ qevents = _ qevents | | [ ] ; ( function ( ) { var elem = document . createElement ( ' script ' ) ; elem . src = ( document . location . protocol = = "" https : "" ? "" https : / / secure "" : "" http : / / edge "" ) + "" . quantserve . com / quant . js "" ; elem . async = true ; elem . type = "" text / javascript "" ; var scpt = document . getElementsByTagName ( ' script ' ) [ 0 ] ; scpt . parentNode . insertBefore ( elem , scpt ) ; } ) ( ) ; _ qevents . push ( { qacct : "" p - yjta2aSVPaHEL "" } ) ; window . google _ analytics _ uacct = "" UA - 110466 - 73 "" ; }" entertainment,કરણ જૌહરના ધર્મા પ્રોડક્શન હેઠળ બનેલી ફિલ્મ યે જવાની હૈ દીવાનીનું લંડન ખાતે ધમાકેદાર પ્રમોશન કરવામાં આવ્યું . ફિલ્મના કલાકાર અભિનેતા રણબીર કપૂરે લંડન ખાતે ફિલ્મનું પ્રમોશન કર્યું . જોકે ફિલ્મના પ્રમોશનમાં અભિનેત્રી દીપિકા પાદુકોણેની ગેરહાજરી ઉડીને આંખે વળગે એવી હતી . દીપિકા પાદુકોણેની ગેરહાજરીમાં રણબીર કપૂરે જ ફિલ્મના પ્રમોશનનો ભાર સંભાળ્યો . અયાન મુખર્જી દિગ્દર્શિત યે જવાની હૈ દીવાની એટલે કે વાયજેએચડી ફિલ્મ ચાલુ માસે જ રિલીઝ થવાની છે . 2009માં બ્રેક - અપ બાદ રણબીર કપૂર તથા દીપિકા પાદુકોણે પ્રથમ વાર એક સાથે આવી રહ્યાં છે . તેથી પણ ફિલ્મ અંગે લોકોમાં ખાસ ઉત્સુકતા છે . આવો તસવીરોમાં જોઇએ લંડન ખાતે વાયજેએચડીનું પ્રમોશન . sports,"શ્રીલંકાના પ્રવાસે ગયેલી ભારતની અંડર - 19 ટીમે પહેલી યુથ ટેસ્ટમાં યજમાનોને એક દાવ અને 21 રનોથી હાર આપી છે . શ્રીલંકા તરફથી વિકેટકીપર બેટ્સમેન નિશાન મદુશ્કાની સદી ( 104 ) અને ફર્નાન્ડોના 78 રન પણ ભારતને જીત મેળવવાથી રોકી શક્યા નહિ . ભારતની ટીમે મેચના ચોથી અને અંતિમ દિવસે યજમાનોને બીજા દાવમાં 324 પર સમેટી દઈને મોટી જીત મેળવી હતી . ભારતના બદોની ( અણનમ 185 રન ) અને સલામી બેટ્સમેન અથવારા ટેડે ( 113 રન ) ની શાનદાર સદીના કારણે 589 રનનો પહાડ જેવો સ્કોર ઉભો કરી દીધો હતો . જવાબમાં શ્રીલંકાની ટીમ પહેલા દાવમાં 244 રનમાં સમેટાઈ ગઈ હતી . ભારત તરફથી હર્ષ ત્યાગી અને આયુષ બદોનીએ ચાર - ચાર વિકેટ ઝટક્યા હતા જ્યારે અર્જૂન તેંડુલકરના ખાતામાં પણ એક વિકેટ આવી . બીજા દાવમાં પણ ભારતીય બોલરો આગળ યજમાન ટીમનું કંઈ ચાલ્યુ નહિ અને તેમની આખી ટીમ 324 રન જ બનાવી શકી . શ્રીલંકાએ અંતિમ સાત વિકેટ ગુમાવીને 147 રન કર્યા . જ્યારે ભારત તરફથી મોહિત જાંગડાએ શાનદાર બોલિંગક કરીને 72 રન આપીને પાંચ વિકેટે લીધી . વળી , આયુષ બદોનીએ પણ બે વિકેટ લીધી અને અર્જૂન તેંડુલકરે બીજા દાવમાં પણ એક વિકેટ મેળવી . જો કે અર્જૂન તેંડુલકર બેટિંગ દરમિયાન કોઈ રન બનાવ્યા વિના આઉટ થઈ ગયો . બંને ટીમો વચ્ચે બીજી ટેસ્ટ હમ્બનટોટામાં 24 જુલાઈથી રમવામાં આવશે ." business,"ઉધારમાં ડૂબેલા રિલાયન્સ કમ્યુનિકેશન્સના માલિક અનિલ અંબાણી હવે પોતાના ઉધારનો બોજો ઓછો કરવામાં વ્યસ્ત છે . 45 , 000 કરોડના ઉધાર હેઠળ દબાયેલા અનિલ અંબાણીને મુસીબતમાંથી ઉગારવા માટે મોટા ભાઇ મુકેશ અંબાણીએ હાથ લંબાવ્યો છે . અનિલ અંબાણીની કંપની જિયો સાથે કરાર કરી પોતાનો બોજો હળવો કરશે . આ હેઠળ આરકોમે પોતાના વાયરલેસ વેપાર વેચવા માટે રિલાયન્સ જિયો સાથેના કરાર પર હસ્તાક્ષર કર્યા છે . આ કરાર હેઠળ જિયો આરકોમ પાસેથી ટાવર , ફાયબર અને એમસીએન બિઝનેસનું હસ્તાંતરણ કરશે . હવે બોલી બાદ બંને કંપનીઓ વચ્ચે કરાર પર હસ્તાક્ષર થઇ ગયા છે . કરારમાં થયેલ સમજૂતી હેઠળ આરકોમ અને તેના સહયોગીઓ પાસેથી ચાર શ્રેણીઓ હેઠળ સંપત્તિઓનું હસ્તાંતરણ કરવામાં આવશે . આ હસ્તાંતરણ સરકારી અને નિયમનકારી મંજૂરીઓ સાથે - સાથે તમામ કરજદારો અને શેરધારકોની સંમતિથી થયો છે . ઉલ્લેખનીય છે કે , અનિલ અંબાણીએ વાયદો કર્યો હતો કે , તેઓ વર્ષ 2018માં પોતાના ઉધારના બોજને 25,000 કરોડ ઓછું કરી લેશે ." sports,"આજે ટીમ ઇન્ડિયાના સફળ કપ્તાન સૌરવ ગાંગુલીનો જન્મદિવસ છે . ક્રિકેટની દુનિયાના સ્ટાર સૌરવ ગાંગુલી ને આખો દેશ નમન કરે છે . બેટિંગ હોઈ , બોલિંગ કે પછી કપ્તાની હોઈ સૌરવ ગાંગુલી બધામાં જ અવ્વલ આવે છે . ક્રિકેટ ફિલ્ડ પર સૌરવ ગાંગુલીની છબી એક અગ્રેસિવ કપ્તાન તરીકેની રહી છે . પાકિસ્તાનનું ગ્રાઉન્ડ મુલતાન હોઈ કે પછી ઇંગ્લેન્ડનું લોર્ડ્સ સૌરવ ગાંગુલી બધે જ પોતાની છાપ છોડી ગયા છે . જ્યારે ટીમ ઇન્ડિયાએ ઇંગ્લેન્ડ વિરુદ્ધ નેટવૅસ્ટ સિરીઝ જીતી હતી . ત્યારે કપ્તાન સૌરવ ગાંગુલીએ કોઈની પણ પરવાહ કર્યા વગર પોતાની ટી - શર્ટ કાઢીને હવામાં ઉડાવી હતી . તે તસ્વીર આજે પણ દરેક ક્રિકેટ પ્રેમીને યાદ હશે . ગાંગુલીના તે શર્ટલેસ અંદાઝ સામે ખુદ સલમાન ખાન પણ પાણી પાણી થઈ જાય ." sports,"ટીવી ચેનલમાં પ્રસારિત અહેવાલ અનુસાર પોલીસ દ્વારા સ્પોટ ફિક્સિંગ સબબ વધુ માહિતી એકઠી કરવા માટે રાજસ્થાન રોયલ્સના માલિક શિલ્પા શેટ્ટી , અન્ય ખેલાડીઓની સાથો - સાથ ટીમના સુકાની રાહુલ દ્રવિડની પણ પૂછપરછ કરવાની યોજના બનાવી રહ્યું છે . આ વચ્ચે એવા સમચાર પણ આવી રહ્યાં છે કે , પૂછપરછ દરમિયાન પકડાયેલા ખેલાડીઓએ રાજસ્થાન રોયલ્સના અન્ય ખેલાડીઓનું નામ પણ આપ્યું છે . જેમાં એક ભારતીય છે અને અન્ય એક આતંરરાષ્ટ્રીય ખેલાડી છે . નોંધનીય છે કે , દિલ્હી પોલીસે સ્પૉટ ફિક્સિંગમાં ભારતીય ક્રિકેટર શ્રીસંત સહિત રાજસ્થાન રોયલ્સના અન્ય બે ખેલાડીઓ વિશે સનસનીખેજ ખુલાસો કર્યો છે . દિલ્હી પોલીસ કમિશ્નર નીરજ ગુપ્તાએ ગુરૂવારે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે સ્પૉટ ફિક્સિંગનું આ રેકેટ ઇશારા વડે ચાલતું હતું . આઇપીએલની મેચ દરમિયાન આ ફિક્સિંગ ઇશારાઓના માધ્યથી થઇ રહ્યું હતું . દિલ્હી પોલીસે એ પણ ખુલાસો કર્યો હતો કે આ સ્પૉટ ફિક્સિંગના તાર અંડરવર્લ્ડ સાથે જોડાયેલા છે . દિલ્હી પોલીસના સનસનીખેજ ખુલાસા મુજબ સ્પૉટ ફિક્સિંગ માટે કોડ બનાવવામાં આવ્યાં હતા . લોકેટ ફેરવવું , ઘડિયાળ બતાવવું , ફિલ્ડિંગ બદલવી , ટી - શર્ટ ઉંચી કરવી અને રૂમાલ લગાવવો આ બધી ગતિવિધિઓ આ કોડનો ભાગ હતો જેના માધ્યમથી ફિક્સિંગ કરવામાં આવતું હતું . આ ખુલાસામાં કહેવામાં આવ્યું હતું કે એક મેચના જે ઓવરમાં સ્પૉટ ફિક્સિંગ કરવામાં આવ્યું હતું તેમાં 13 રન આપવામાં આવ્યાં હતા ." sports,"સેમીફાઇનલમાં પહોંચવા માટે ભારતને દક્ષિણ આફ્રિકાને ઓછામાં ઓછા 31 રનોથી હરાવવાની જરૂર હતી , પરંતુ તે માત્ર એક રનના અંતરથી જ હરાવી શક્યું , તો બીજી તરફ ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચેની મેચમાં પાકિસ્તાને કાંગારુઓને 31 રનથી પરાજય આપ્યો , જેના કારણે તેની રનરેટ સારી હતી અને તે ભારતને પાછળ રાખીને સેમીફાઇનલમાં પહોંચી ગયું . સેમીફાઇનલમાં ગ્રુપ 1માંથી શ્રીલંકા અને વેસ્ટ ઇન્ડિઝ જ્યારે ગ્રુપ 2માંથી ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન પહોંચ્યું છે . મંગળવારે રમાયેલી મેચમાં ભારતની બેટિંગ ઘણી જ ખરાબ રહી , તેને એક મોટો સ્કોર ઉભો કરવાનો હતો , પરંતુ સાત બેટ્સમેન લઇને મેદાન પર ઉતરેલી ટીમ ઇન્ડિયાએ પોતાના ટોચના બેટ્સેમન ઓછા રનના સ્કોર પર ગુમાવી દીધી . બાદમાં રૈના અને ધોનીએ ભારતને 152ના સ્કોર સુધી પહોંચાડ્યું . એક વખત એવું લાગી રહ્યું હતું કે જો બોલિંગમાં ભારત કમાલ કરશે તો સમીકરણ બદલાઇ જશે , પરંતુ અફસોસ તેવું થઇ ના શક્યું . જોકે ઝહીર ખાને પહેલાં જ બોલમાં વિકેટ લઇને આશાઓ જીવંત રાખી હતી , પરંતુ તેની મહેનત રંગ લાવી નહોતી બોલરોની મદદથી ભારતે જેમતેમ કરીને સાઉથ આફ્રિકાને હરાવી તો દીધું , પરંતુ વિશ્વકપની રેસમાંથી ભારત બહાર થઇ ગયું અને જે લોકો ટીમ ઇન્ડિયાને કપની ટ્રોફી સાથે જોવા માગતા હતા તેમના સ્વપ્ન તૂટી ગયા હતા . ભારત તરફથી લક્ષ્મીપતિ બાલાજી અને ઝહીર ખાને ત્રણ - ત્રણ વિકેટ મેળવી હતી . ક્રિકેટ સમીક્ષકોના મતઅનુસાર ભારતનું વિશ્વકપમાંથી બહાર થવા પાછળનું સૌથી મોટું કારણ સુકાની મહેન્દ્ર સિંહ ધોનીની રણનીતિ છે . આ લોકોનું કહેવું છે કે , જ્યારે તેને ખબર હતી કે બેટિંગ ઓર્ડર વિખેરાઇ ગયું છે તો પછી તે ઉપરના ક્રમે બેટિંગ કરવા શા માટે ના આવ્યો ? તેમની ખોટી જીદના કારણે મંગળવારે ભારત વિશ્કપની રેસમાંથી બહાર થઇ ગયું છે . મેચ પર એક નજર નાંખીએ તો ભારતે પ્રથમ બેટિંગ કરીને દક્ષિણ આફ્રિકાને 153 રનનો લક્ષ્યાંક આપ્યો હતો . ભારત તરફથી રૈનાએ સર્વાધિક 45 રન બનાવ્યા હતા . જ્યારે અન્ય ખેલાડી ગંભીર 8 , સહેવાગ 17 , કોહલી 2 , યુવરાજ 21 , રોહિત શર્મા 25 અને ધોનીએ 23 રન બનાવ્યા હતા . દક્ષિણ આફ્રિકા તરફથી મોર્કલ અને પીટરસને બે - બે વિકેટ જ્યારે કાલિસે એક વિકેટ લીધી હતી . દક્ષિણ આફ્રિકાની શરૂઆત સારી થઇ નહોતી , તેની પ્રથમ વિકેટ શૂન્ય રને અમલાના સ્વરૂપે પડી હતી . ભારતે આપેલા 153 રનના લક્ષ્યાંકને દક્ષિણ આફ્રિકા હાંસલ કરી શક્યું નહોતું અને 151 રન પર ઓલઆઉટ થઇ ગયું હતુ . જેના કારણે ભારતનો એક રનથી વિજય થયો હતો . આફ્રિકા તરફથી પ્લેસિસે સર્વાધિક 65 રન બનાવ્યા હતા . જ્યારે ભારત તરફથી બાલાજી અને ઝહીર ખાને ત્રણ - ત્રણ વિકેટ , યુવરાજે બે જ્યારે અશ્વિન અને પઠાણે એક - એક વિકેટ મેળવી હતી . આ મેચમાં યુવરાજ સિંહને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો ." entertainment,"બીએમસી વિરુદ્ધ લાંચનો આરોપ લગાવીને ટવિટ કરનારા કપિલ શર્માના બચાવમાં અરબાઝ ખાન , નવાઝુદ્દીન સીદીકી અને સોહેલ ખાન પછી તેમની કહેવાતી પ્રેમિકા પણ આવી ચુકી છે . ધ કપિલ શર્મા શૉની ક્રિયેટિવ ડાયરેક્ટર અને કપિલની પ્રેમિકા પ્રીતિ સીમોને ટવિટ કરીને કપિલનો બચાવ કર્યો છે . કપિલ શર્મા અને પ્રીતિએ પોતાના સંબધ ને લઈને અત્યાર સુધી તો કઈ જ કહ્યું નથી . પરંતુ બંનેના અફેરની ચર્ચા પણ લાંબા સમયથી થઇ જ રહી છે . પ્રીતિ ટીવીનું ખુબ જ ચર્ચિત નામ છે . તેમને 2013માં કલર્સ ચેનલ પર કોમેડી નાઈટ વિથ કપિલની ટીમમાં ક્રિયેટિવ ડાયરેક્ટર તરીકે જોઈન કરી હતી ત્યારથી તેઓ કપિલ સાથે છે . કપિલ શર્માના સમર્થનમાં પ્રીતિએ એક પછી એક ટવિટ કરી છે . પ્રીતિએ કપિલ શર્માના ફેન્સને અપીલ કરી છે કે કપિલ વિરુદ્ધ આવવાવાળી ખબરો પર ભરોષો ના કરવો અને તેવી ખબરોને મહત્વ ના આપવું . આપણે જણાવી દઈએ કે કપિલ શર્મા અને બીએમસી વચ્ચે આ આરોપો એટલા માટે ચાલી રહ્યા છે કે શુક્રવારે કપિલ શર્માએ ગુસ્સે થઇ ને એક ટવિટ કરી હતી . જેમાં તેમને નરેન્દ્ર મોદીને પણ ટેગ કર્યા હતા . કપિલ શર્માએ ટ્વિટર પર લખ્યું હતું કે છેલ્લા 5 વર્ષથી હું 15 કરોડ રૂપિયા ઇન્કમ ટેક્સ ભરું છું . તેમ છતાં મારે ઑફિસ ખોલવા માટે બીએમસીને 5 લાખની લાંચ આપવી પડશે ?" business,"અમેરિકન ફેડરલ રિઝર્વના ચેરમેન બેન બર્નાન્કેએ કહ્યું છે કે અર્થવ્યવસ્થામાં સુધારો જારી રહ્યો તો ક્યૂઇ 3 ઘટાડવામાં આવશે . 2014 મધ્ય સુધી ક્યૂઇ 3 સંપૂર્ણપણે ખત્મ થઇ જશે . જો કે , બોન્ડ ખરીદ યોજનામાં હાલ કોઇ બદલાવ કરવામાં આવ્યો નથી . બજાર અંદાજે ત્રણ ટકા લથડ્યું . જે ટકાના આધારે 22 સપ્ટેમ્બર 2011 પછી સૌથી મોટો કડાકો છે . સેન્સેક્સ 526 અંક તૂટીને 18719 અને નિફટી 166 અંક તૂટીને 5656 પર બંધ રહ્યો . મીડકેપ અંદાજે 3 ટકા અને સ્મોલકેપ અંદાજે 2 ટકા લથડ્યાં છે . રિયલ્ટી , મેટલ , બેન્ક , પાવર , ઓયલ એન્ડ ગેસ , કેપિટલ ગુડ્સ શેર 5.3 ટકા લથડ્યા . પીએસયૂ , કન્ઝ્યૂમર ડ્યૂરેબલ્સ , ટેક્નિક , આઇટી શેર 2.75 - 2 ટકા તૂટ્યા . ઓટો અને એફએમસીજી સેર 1.7 ટકા ઘટ્યા . હેલ્થકેર શેર 0.7 ટકા ડાઉન થયાં છે ." entertainment,બૉલીવુડના દબંગ સલમાન ખાન માટે આજનો દિવસ મુશ્કેલી ભર્યો હોઈ શકે છે . 2002ના હિટ એન્ડ રન કેસમાં મુંબઈની એક સત્ર અદાલત સલમાન ખાનની મજિસ્ટ્રેટ અદાલતના ચુકાદા વિરુદ્ધ દાખલ અપીલ ઉપર ચુકાદો સંભળાવશે . મજિસ્ટ્રેટ અદાલતે વર્ષ 2002ના હિટ એન્ડ રન કેસ અંગે સલમાન ખાન વિરુદ્ધ ગેરઇરાદાપૂર્વક હત્યાના કેસમાં પુનઃ કેસ ચલાવવાનો આદેશ આપ્યો હતે . તે પછી ન્યાયાધીશ યૂ . બી . હેઝીબે એક માસ અગાઉ આ કેસમાં તમામ દલીલો પૂર્ણ થયા બાદ અપીલ ઉપર ચુકાદો સંભળાવવા માટે 10 જૂનની તારીખ નક્કી કરી હતી . ભારતીય દંડ સંહિતા એટલે કે આઈપીસીની કલમ 304 મુજબ સલમાન ખાન સામે ગેરઇરાદાપૂર્વક હત્યાનો કેસ ચાલી રહ્યો છે . ગંભીર આરોપની વિરુદ્ધ દલીલ આપતા સલમાનના વકીલે દલીલ કરી હતી કે મજિસ્ટ્રેટ અદાલતનો આદેશ કાયદેસર રીતે ખોટો અને રેકૉર્ડમાં નોંધાયેલ સાક્ષ્યની વિરુદ્ધ છે . તેમણે જણાવ્યું હતું કે મજિસ્ટ્રેટ આ વાતને સમજવામાં નિષ્ફળ રહ્યાં કે અભિનેતાનો ન તો ફુટપાથ પર સૂતા લોકોની હત્યાનો ઇરાદો હતો અને ન તો તેમને આ બાબતની માહિતી હતી કે બેદરકારીપૂર્વક ગાડી ચલાવવાથી એક વ્યક્તિનું મોત થઈ જશે અને ચાર જણાને ઈજા થશે . કોર્ટનો ચુકાદો આવ્યા બાદ આ બાબત ઉપરથી પડદો ઉંચકાઈ જશે કે બૉલીવુડ અભિનેતા ચુલબુલ પાન્ડે જેલ જશે કે પછી બચી જશે . business,"નવી દિલ્હી , 7 ઓક્ટોબર : વિરોધ પક્ષે આકરી ટીકા કર્યા બાદ કેન્દ્રના ઉડ્ડયન પ્રધાન અજિત સિંહે તેમની ગઈ કાલની કમેન્ટ્સને આજે ફેરવી તોળતાં જણાવ્યું છે કે એર ઈન્ડિયાનું ખાનગીકરણ કરવાની કોઇ ઇચ્છા નથી . તેનું ખાનગરીકરણ કરવામાં નહીં આવે . અજિત સિંહે એનડીટીવી ચેનલને આપેલી મુલાકાતમાં કહ્યું કે યુપીએ સરકાર રાષ્ટ્રીય એરલાઈન , એર ઈન્ડિયાનું ખાનગીકરણ નહીં કરે , પણ એર ઈન્ડિયાએ તેની બરબાદીને રોકવા સારી કામગીરી બજાવવાની જરૂર છે . તેમણે જણાવ્યું કે "" એર ઈન્ડિયા પરિસ્થિતિને હળવાશથી લેવી ન જોઈએ , કારણ કે દેશમાં બીજી ઘણી નવી એરલાઈન્સ ઉડ્ડયન ક્ષેત્રે આવી રહી છે . એર ઈન્ડિયાની મેનેજમેન્ટ અને કર્મચારીઓ , બંનેએ સારી કામગીરી બજાવવી પડશે નહીં તો તેઓ બરબાદ થઈ જશે . સરકાર તો એર ઈન્ડિયાને દેવામાંથી ઉગારવા કટિબદ્ધ છે . "" તેમણે ગઈ કાલે સીએનબીસી - ટીવી 18 ચેનલને એમ કહ્યું હતું કે જો રાજકીય સ્તરે સર્વસંમત્તિ સધાય તો મારું મંત્રાલય એર ઈન્ડિયાનું ખાનગીકરણ કરવા તૈયાર છે . હવે સરકાર એર ઈન્ડિયાને વધારે ભંડોળ આપી શકે એમ નથી . ઉલ્લેખનીય છે કે , અબુધાબીની ઈતિહાદ એરલાઈન્સે ભારતની જેટ એરવેઝમાં 24 ટકા હિસ્સો ખરીદ્યો છે જ્યારે એર એશિયા ટાટા ગ્રુપ સાથે મળીને ભારતમાં ડોમેસ્ટિક વિમાન સેવા શરૂ કરવાની છે . હાલ બંધ પડેલી કિંગફિશર એરલાઈન્સના માલિક વિજય માલ્યાએ પણ કહ્યું કે તે એમની એરલાઈનને ફરી ઉડતી કરવા કોઈક વિદેશી ઈન્વેસ્ટર સાથે વાટાઘાટ કરી રહ્યા છે ." entertainment,"બૉલીવુડમાં બેસ્ટ બૉડીનો ટૅગ પોતાના નામે કરનાર સુંદર અભિનેત્રી જૅકલીન ફર્નાન્ડીઝે પોતાની સુંદર કાયાનું રહસ્ય ખોલી દીધું છે . આજે બૉલીવુડમાં સૌથી સારા ફિગરના ટૅગથી સન્માનિત જૅકલીને પોતાની સ્વસ્થ જીવનશૈલી અંગે માહિતી શૅર કરી છે . સલમાન ખાન સાથે તાજેતરમાં જ કિક જેવી સુપરહિટ ફિલ્મ આપનાર જૅકલીને જણાવ્યું કે તેઓ અઠવાડિયાના પાંચ દિવસો યોગના નામે કરે છે . આ પાંચ દિવસોમાં ઘણા પ્રકારના આસનો તેઓ કરે છે . તેમનું કહેવું છે કે તેમની સવારની શરુઆત સૂર્ય નમસ્કાર સાથે થાય છે . તેઓ 20 વખત સૂર્ય નમસ્કાર કરે છે . તે પછી તેઓ વૃક્ષાસન , ઉત્કૃઠાસન , પૂર્ણ હલાસન , કપાલભાતિ ક્રિયા , અનુલોમ - વિલોમ તથા અનેક પ્રકારના આસનો કરે છે . સિક્વલ ગર્લ ઑફ બૉલીવુડ તરીકે જાણીતા જૅકલીન ફર્નાન્ડીઝ કહે છે કે તેઓ યોગ વજન ઉતારવા માટે જ નહીં , પણ પોતાના શરીરને સ્વસ્થ રાખવા માટે પણ કરે છે . તેમણે જણાવ્યું કે સ્વસ્થ રહેવા માટે પૌષ્ટિક આહાર ખૂબ જરૂરી છે . સાથે જ ફળ અને લીલી શાકભાજીનું સેવન પણ જરૂરી છે કે જેનાથી શરીરને પુરતા પોષક તત્વો મળી શકે . જૅકલીન ફર્નાન્ડીઝ દિવસની શરુઆત લેમન જ્યુસ તથા હની ડ્રિંક સાથે કરે છે . સાથે જ તેઓ સલાડ અને ગ્રીન ટી પણ લે છે . નાશ્તામાં તેઓ અંડાની ભુરજી તથા લંચમાં લીલી શાકભાજી અને સલાડ લે છે . રાત્રિ ભોજનમાં જૅકલીન ફર્નાન્ડીઝ ગ્રિલ્ડ ફિશ તથા શાકભાજી લે છે . તેમનું માનવું છે કે શરીરને દરેક જરૂરી તત્વ મળવું જોઇએ , પરંતુ તેઓ ખાંડને સમ્પૂર્ણપણે ઍવૉઇડ કરે છે , પછી ભલે તેમની મનપસંદ સ્વિટ ડિશ જ કેમ ન ઑફર કરાય . ચાલો જોઇએ બ્યુટીફુલ જૅકલીન ફર્નાન્ડીઝની બ્યુટીફુલ તસવીરો :" business,રિટાયરમેન્ટ ફંડ બોડી ઇપીએફઓ એ આધાર કાર્ડ જમા કરવાની તારીખ વધારી છે . હવે તમે આ કામ 30 જૂન સુધી કરી શકો છો . આનાથી તમામ ઇપીએફના 4 કરોડથી પણ વધુ ખાતાગ્રાહકોને લાભ મળશે . ઉલ્લેખનીય છે કે પહેલા આધાર નંબર આપવાની છેલ્લી તારીખ 30 એપ્રિલ હતી . જેના વધારીને હવે 30 જૂન કરવામાં આવી છે . જો કે તમે ઉત્તર પૂર્વ રાજ્યમાં રહેતા હોવ તો તમે તમારો આધાર નંબર 30 સપ્ટેમ્બર 2017 સુધી આપી શકો છો . જાન્યુઆરીમાં ઇપીએફઓ દ્વારા તેના તમામ પેશનર્સ અને સબસ્ક્રાઇબર્સને આધાર કાર્ડ સાથે જોડવું અનિવાર્ય છે તેમ જણાવવામાં આવ્યું હતું . જો કે આધાર સંખ્યા આપવાની પ્રક્રિયા ધીમે હોવાના કારણે તેની સમય સીમા વધારવામાં આવી હતી . ઇપીએફઓની એક પ્રેસ રિલિઝ પણ જાહેર કરવામાં આવી છે . તમામ કાર્યલયોને જણાવવામાં આવ્યું છે કે તે તેના કર્મચારી પેન્શન યોજના 1995ના તમામ નવા સદસ્યોને આધાર કાર્ડ સાથે 1 જુલાઇ 2017 પહેલા જોડી દે . જો કે ઉત્તર પૂર્વ રાજ્યોમાં આ માટે વિશેષ છૂટ આપવામાં આવી છે . entertainment,"લાંબા વખતથી એક અદદ સોલો હિટ ફિલ્મ માટે તલસતાં અભિનેત્રી અમીષા પટેલ આજકાલ હિટ થવા માટે નવી - નવી યુક્તિઓ અજમાવી રહ્યાં છે . એક બાજુ તેઓ દેસી મૅજિક નામની ફિલ્મનું નિર્માણ કરી રહ્યાં છે , તો તેમણે સાઉથની એક રીમેક ફિલ્મ શૉર્ટકટ રોમિયો પણ સાઇન કરી છે કે જેમાં તેઓ વૅમ એટલે કે વિલનનો રોલ પ્લે કરવાનાં છે . અમીષાનો આ પહેલો રોલ હશે કે જે ગ્રેડ શૅડ ધરાવતો હશે , કારણ કે પોતાના દસ વર્ષના કૅરિયરમાં અમીષાએ અત્યાર સુધી હકારાત્મક ભૂમિકાઓ જ ભજવી છે , પરંતુ નિષ્ફળતાઓની હારમાળામાંથી નિકળવા અમીષાએ વિચાર્યું કે ચાલો એક વાર નેગેટિવ રોલ કરીને પણ જોઈ લઉં . એટલે જ તેમણે શૉર્ટકટ રોમિયો ફિલ્મ સાઇન કરી છે . શૉર્ટકટ રોમિયો તામિળ ફિલ્મ થિરૂટ્ટ પયાલેની રીમેક છે . તેમાં અમીષા પટેલ એક અમીર બિઝનેસ મૅનના બગડેલા પત્નીનો રોલ કરી રહ્યાં છે કે જે પોતાના પતિની દોલત પામવા કોઈ પણ હદે જઈ શકે છે . તે પરિણીત હોવા છતાં પરપુરુષ સાથે સંબંધ ધરાવે છે . આ પરપુરુષના રોલમાં છે નીલ નિતિન મુકેશ . ફિલ્મમાં પૂજા ગુપ્તા હીરોઇન છે . આવો જોઇએ અમીષા પટેલનો શૉર્ટકટ રોમિયો ફિલ્મનો લુક ." entertainment,"અભિનેત્રી , ટેલીવિઝન હોસ્ટ અને એનિમલ એક્ટિવિસ્ટ ભૈરવી ગોસ્વામી કોઈ અજાણ્યુ નામ નથી . આ એ જ ભૈરવી ગોસ્વામી છે કે જે પોતાની જાતને ખુલ્લેઆમ સેક્સ ગૉડેસ કહે છે . કદાચ એટલે જ ભૈરવીની પસંદગી કામસૂત્ર ધ પોએટ્રી ઑફ સેક્સ નામની લઘુ ફીચર ફિલ્મ માટે કરાઈ છે . કામસૂત્ર ધ પોએટ્રી ઑફ સેક્સ એક લઘુ ફિલ્મ છે અને તેને ઇંગ્લિશમાં ડબ કરવામાં આવી છે . તેનું દિગ્દર્શન સુરેન્દ્ર હીરાવાલેએ કર્યુ છે . તેઓ ઇચ્છે છે કે તેઓ ફિલ્મને મોટા ઇવેંટ જેમ કે ટોરંટો ફિલ્મ ફેસ્ટિવલ , કૅન્સ , ટ્રિબેકા , એનવાયએફએફ , સનડૅંસ , કૅરિયો વિગેરેમાં પ્રદર્શિત કરે . કામસૂત્ર ધ પોએટ્રી ઑફ સેક્સ ફિલ્મની કેટલીક તસવીરો રિલીઝ થઈ છે અને તે જોયા બાદ તમે પણ કહી શકશો કે ભૈરવી ગોસ્વામી આ ફિલ્મ માટે ઉપયુક્ત પસંદગી છે . ફિલ્મની તસવીરોમાં ભૈરવી ગોસ્વામી ખૂબ જ હૉટ જણાય છે . જ્યાં સુધી કામસૂત્ર શીર્ષકની વાત છે , તો આ શીર્ષક હેઠળ રેખાની ફિલ્મ ખૂબ જ ચર્ચિત રહી હતી , તો શર્લિન ચોપરા અભિનીત કામસૂત્ર 3ડી ફિલ્મ પણ ચર્ચામાં રહી કે જે હજી સુધી રિલીઝ નથી થઈ શકી . ચાલો હાલ તો આપને બતાવીએ ભૈરવી ગોસ્વામી અભિનીત કામસૂત્ર ધ પોએટ્રી ઑફ સેક્સ ફિલ્મની તસવીરો :" business,"વૉશિંગ્ટન , 29 ઓક્ટોબર : વર્લ્ડ બેંક દ્વારા બિઝનેસ કરવામાં સરળતાને ધ્યાનમાં રાખીને વિશ્વના 189 દેશોની એક યાદી તૈયાર કરી છે . આ યાદીમાં ભારત 142મા સ્થાને આવ્યું છે . મહત્વની બાબત એ છે કે આ નવી યાદી ભારત માટે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે નિરાશાજનક છે . નિરાશાની બાબત એ છે કે આ યાદીમાં ભારત ગયા વર્ષની રેંકિગની સરખામણીએ બે નંબર પાછળ ખસક્યું છે . નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાઠલા મહિને જ જણાવ્યું હતું કે તેઓ આ લિસ્ટમાં ભારતને 50મા ક્રમે જોવા માંગે છે . આ અંગે બેંકના અધિકારીઓનું કહેવું છે કે ભારત આ યાદીમાં ગયા વર્ષે 140મા ક્રમે હતું . રેંકમાં આ ઘટાડો અન્ય દેશોના સારા વ્યવહારને પગલે છે . નવા રેંકિંગમાં મોદી સરકાર દ્વારા ભારતને વેપાર અનુકૂળ દેશ બનાવવા માટે ઉઠાવવામાં આવેલા પગલાં પર વિચાર કરવામાં આવ્યો ન હતો . વર્લ્ડ બેંક સમૂહમાં નિર્દેશન ગ્લોબલ ઇન્ડિકેટર્સ ગ્રુપ અગસ્તો લોપેજ - ક્લારોજે જણાવ્યું કે અમે એવા સંકેતો આપવા માંગતા નથી કે ભારતની રેંકિંગમાં ઘટાડો વર્તમાન રાજકીય સ્થિતિ અને સરકાર સાથે કોઇ લેવા દેવા નથી . તેમણે જણાવ્યું કે ' એ સંપૂર્ણ રીતે સાચું છે કે નવી મોદી સરકારે બહુ જ સ્પષ્ટ કરી દીધું છે કે દેશમાં સારા રોકાણ માટેનો માહોલ તૈયાર કરવો તેની અગ્રણી પ્રાથમિકતા છે . જો કે આ યાદ રાખવું પણ મહત્વનું છે કે નવી સરકાર મે મહિનાની બીજા પખવાડિયા સુધી સત્તામાં આવી ન હતી . '" entertainment,"મુંબઈ , 24 જાન્યુઆરી : સલમાન ખાનની જય હો ફિલ્મ આજે બૉક્સ ઑફિસે રિલીઝ થઈ છે . જય હોની આખી ટીમ સાથે જ સલમાન ખાનના ફૅન્સ પણપોતાની ફિંગર ક્રૉસ કરી અને દિલને થામી જય હોના પહેલા શો બાદ બૉક્સ ઑફિસના નંબર ગેમ સ્ટાર્ટ થવાનો ઇંતેજાર કરી રહ્યાં છે . વર્ષ 2014ની સૌથી વધુ હૅડલાઇન્સ મેળવનારી ફિલ્મ જય હો અંગે બૉક્સ ઑફિસ નંબર્સ માટે ટ્રેડ એક્સપર્ટ્સ પણ બહુ ઉત્સુક છે . સલમાન ખાનના આમ આદમી અવતારને જોવા માટે ફૅન્ટ એટલા બધા ઉત્સુક છે કે તેઓ પહેલો જ શો જોવા માંગે છે . જય હો ઉપર સૌથી મોટુ દબાણ ચેન્નઈ એક્સપ્રેસ અને ધૂમ 3 જેવી ફિલ્મોના મોટા - મોટા રેકૉર્ડ્સ તોડવાનું પણ છે . વાર્તા : જય હો ફિલ્મની વાર્તા એક સામાન્ય માણસની વાર્તા છે કે જે આ વાત ઉપર વિશ્વાસ ધરાવે છે કે દરેક માણસે પોતાના જીવનમાં ત્રણ જણાની મદદ કરવી જોઇએ કે જે મજબૂર અને જરૂરિયાતમંદ હોય . જય અગ્નિહોત્રી ( સલમાન ખાન ) એક એક્સ આર્મી મેજર છે અને તે પોતાના દેશને વધુ બહેતર દેશ બનાવવા માટે એક મંત્ર અપનાવે છે . તેનું માનવું છે કે જો દરેક સામાન્ય વ્યક્તિ પોતાના જીવનમાં ત્રણ જરૂરિયાતમંદોની મદદ કરે , તો આપણે આપણા દેશને એક બહેતર દેશ બનાવી શકીએ છીએ . જય વગર કોઈને કહ્યે લોકોની મદદ કરતો રહે છે અને મદદ લેનારને કહેતો રહે છે કે તેઓ પણ ત્રણ જણાની મદદ કરે છે . આ રીતે તે પોતાના દેશ અને સમાજને બહેતર બનાવવાના પ્રયત્નો કરે છે , પરંતુ જયના માર્ગે અનેક વિઘ્નો આવે છે અને તે એક પાવરફુલ પૉલિટિશિયન સાથેના ઝગડામાં ફસાઈ જાય છે . હવે તે કઈ રીતે આ ઝગડાને પહોંચી વળે છે અને કઈ રીતે આ મુશ્કેલીમાંથી બહાર આવે છે ? આ જ આધાર છે જય હો ફિલ્મની વાર્તાનો . આવો તસવીરો સાથે જાણીએ જય હો ફિલ્મ જોવાના પાંચ ખાસ કારણો :" business,જો આપ સ્વાસ્થ્ય વીમો લેવા જઇ રહ્યા છો તો આપે થોડી સાવધાની દર્શાવવાની જરૂર છે . કારણ કે આ આપના સ્વાસ્થ્ય અને નાણા સાથે સંકળાયેલી બાબત છે . વીમા માર્કેટની વાત કરીએ તો અત્યારે માર્કેટમાં કુલ 23 વીમા કંપનીઓ કાર્યરત છે . જે વિવિધ પ્રકારના વીમા ઓફર કરે છે . આ તમામ કંપનીઓ પોતાની વીમા પોલિસીમાં વિવિધ પ્રકારની સુવિધાઓ આપે છે . આ કારણે આપના માટે કઇ વીમા પોલિસી બેસ્ટ છે તે જાણીને જ પોલિસી ખરીદવી જોઇએ જેથી આપ શ્રેષ્ઠ લાભ મેળવી શકો . વ્યક્તિગત રીતે આપના માટે કઇ વીમા પોલિસી બેસ્ટ છે તે જાણવા માટેની ટિપ્સ અહીં આપી રહ્યા છીએ . . . 1 વય સંબંધિત બાબત આપ કોઇ પણ વીમા પોલિસી ખરીદો ત્યારે તેમાં વય સંબંધિત શું જોગવાઇઓ છે તે ખાસ જાણી લેવી જોઇએ . તેમાં ખાસ કરીને એ બાબત જાણવી જોઇએ કે તે કઇ ઉંમર સુધી રિન્યુ થઇ શકે છે . વીમા કંપનીઓ નિર્ધારિત ઉંમર બાદ પોલિસી રિન્યુ કરવાની છૂટ આપતી નથી . 2 કેવી સુવિધા પ્રદાન કરે છે ? સ્વાસ્થ્ય વીમા પોલિસી લેતા સમયે એ પણ ધ્યાનમાં રાખવાની જરૂર છે કે આપ જે વીમા પોલિસીઓ લઇ રહ્યા છો તે કઇ કઇ બિમારીઓને કવર કરે છે . આ ઉપરાંત તે કેવા પ્રકારના ઇલાજ અને હોસ્પિટલની સુવિધા પ્રદાન કરે છે . દરેક વીમા પોલિસી સાથે આ અંગેની એક યાદી જોડાયેલી હોય છે . 3 આપને કઇ બિમારીઓ છે તે મુજબ પસંદગી કંપની કઇ કઇ બિમારી કવર કરે છે તે જોવાને બદલે આપને કઇ કઇ બિમારી છે અને તે કઇ કંપની કવર કરે છે તે જોઇને વીમા પોલિસી લેવી જોઇએ . 4 બેસ્ટ હોસ્પિટલ્સનો સમાવેશ હેલ્થ વીમા પોલિસી લેતા પહેલા એ પણ જોવું જરૂરી છે કે વીમા કંપનીએ જે હોસ્પિટલ્સની યાદી આપી છે તેમાં બેસ્ટ સરકારી અને બિન સરકારી હોસ્પિટલ્સનો સમાવેશ થાય છે કે નહીં . 5 ક્લેમિંગ પ્રક્રિયા સરળ વીમા પોલિસી લેતા સમયે જે તે કંપની વીમા ક્લેમ કરવામાં કેટલી કસ્ટમર ફ્રેન્ડલી છે તે પણ ધ્યાનમાં રાખવું જરૂરી છે . આમ કરવાથી આપને ક્લેમના નાણા ઝડપથી અને ટેન્શન વિના મળી રહે છે . sports,"રાજસ્થાન રોયલ્સના ખેલાડી અને આઈપીએલ સ્પોટ ફિક્સિંગ કૌભાંડમાં પકડાયેલા અને હાલ લગ્ન કરવા માટે જામીન પર છોડવામાં આવેલા બોલર અંકિત ચવાણની ફિયાન્સી નેહા સાંબરીએ કહ્યું છે કે આઈપીએલ સ્પોટ ફિક્સિંગ કૌભાંડમાં અંકિતની કથિત સંડોવણીના સમાચાર જાણ્યા તે પછી પણ મેં અંકિતને છોડી દેવાનું ક્યારેય વિચાર્યું પણ નથી . તેની સાથે મારે સાત જનમનો સાથે છે . હું અંકિત સાથે રવિવારે લગ્ન કરીશ , પણ એના પરિવાર સાથે તો મારાં લગ્ન ક્યારના થઈ ચૂક્યા છે . અંકિતથી અલગ થવાનું મેં એક વાર પણ વિચાર્યું નથી , એમ નેહાએ એક મુલાકાતમાં કહ્યું છે . અંકિત અને નેહાનાં રવિવારે લગ્ન છે . દિલ્હીની કોર્ટે અંકિતને તે માટે હાલ જામીન પર છોડ્યો છે અને તેને 6 જૂને ફરી દિલ્હીની તિહાર જેલના સત્તાવાળાઓને શરણે આવી જવાનો આદેશ આપ્યો છે . અંકિત અને નેહાનાં લવ કમ અરેન્જ્ડ મેરેજ છે . બંને જણ છેલ્લા આઠ વર્ષથી એકબીજાંનાં પરિચય અને પ્રણયમાં છે . નેહાએ કહ્યું છે કે , બીજી જૂનનાં અમારાં લગ્ન તો એક ઔપચારિક્તા માત્ર છે . અમે એકબીજાંને લાંબા સમયથી ખૂબ નિકટથી જાણીએ છીએ . હું અંકિતનાં કુટુંબ સાથે ક્યારની જોડાઈ ગયેલી છું . અંકિત છેલ્લા લગભગ પખવાડિયાથી પોલીસ કસ્ટડીમાં અને ત્યારબાદ તિહાર જેલમાં રહ્યો હતો તે દરમિયાન નેહા અનેક વાર દાદરના શિવાજી પાર્કસ્થિત અંકિતના ઘેર આવતી જતી રહી હતી ." business,"અમદાવાદઃ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આજે ફરી વધારો નોંધાયો છે . અમદાવાદમાં આજે પેટ્રોલની કિંમત 22 પૈસા અને ડીઝલની કિંમતમાં 30 પૈસાનો ભાવ વધારો નોંધાયો છે . નવી કિંમતો લાગ થયા બાદ આજે અમદાવાદમાં પેટ્રોલની કિંમત 79.23 રૂપિયા અને ડીઝલ 77.45 રૂપિયા પ્રતિ લીટરની સપાટી પર પહોંચી ગઈ છે . સતત વધી રહેલા પેટ્રોલ - ડીઝલના આ ભાવને કારણે સામાન્ય નાગરિકોની કમર તૂટી રહી છે . નવી દિલ્હીમાં પણ પેટ્રોલ - ડીઝલની કિંમતોમાં વધારો થયો છે . દિલ્હીમાં આજે પેટ્રોલની કિંમતમાં23 પૈસા અને ડીઝલની કિંમતમાં 29 પૈસાનો વધારો નોંધાયો છે . નવી કિંમતો લાગુ થયા બાદ દિલ્હીમાં પેટ્રોલની કિંમત 82.26 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 74.11 રૂપિયા પ્રતિ લીટરની સપાટી પર પહોંચી ગયું છે . અગાઉ સોમવારે પણ પેટ્રોલની કિંમતમાં 21 પૈસા અને ડીઝલમાં 29 પૈસાનો ભાવ વધારો નોંધાયો છે . ત્યારે મુંબઈની વાત કરીએ તો અહીં પેટ્રોલના ભાવ 23 પૈસા અને ડીઝલના ભાવમાં 31 પૈસાનો વધારો નોંધાયો છે . નવી કિંમતો લાગુ થયા બાદ મુંબઈમાં પેટ્રોલની કિંમતમાં 87.73 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 77.68 રૂપિયા પ્રતિ લીટરની સપાટી પર પહોંચી ગયું છે . સોમવારે મુંબઈમાં પેટ્રોલના ભાવમાં 21 પૈસા અને ડીઝલમાં 31 પૈસાનો વધારો થયો હતો , જે બાદ પેટ્રોલની કિંમત 87.50 રૂપિયા અને ડીઝલ 77.37 રૂપિયા પ્રતિ લીટરની સપાટી પર પહોંચી ગયું છે . ભારતની બ્રહ્મોસ યુનિટમાં કામ કરી રહેલ પાકિસ્તાની જાસૂસની ધરપકડ" sports,"ભારત અને પાકિસ્તાન આઇસીસી ચેમ્પિયન ટ્રોફી 2017 ની ફાઇનલ મેચ 18 જૂન એટલે કે કાલે રમશે . લંડનમાં આ ફાઇનલ મેચ રમાશે . ત્યારે આ મેચ પહેલા સટ્ટા બજારમાં પણ જોરદાર ગરમાવો જોવા મળ્યો છે . અને સાથે ક્રિકેટર વિરાટ કોહલી સટ્ટાબાજોના ફેવરેટ ખેલાડી બની રહ્યા છે . ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયાની એક રિપોર્ટ મુજબ 17 જૂને રમાનારી આ મેચમાં લગભગ 2,000 કરોડ રૂપિયાનો સટ્ટો લગાવવામાં આવી રહ્યો છે . છાપાએ અખિલ ભારતીય ગેમિંગ ફેડરેશનના આંકડાનો હવાલો આપી સટ્ટા બજારમાં ભારત ઓવલ સ્ટેડિયમમાં ટ્રોફી જીતશે તે વાત પર મોટા પ્રમાણમાં સટ્ટો લગાવવામાં આવી રહ્યો છે તેમ કહ્યું છે . રિપોર્ટમાં બેટફેયર વેબસાઇટનો હવાલો આપી કહ્યું છે કે જો તમે ભારતમાં શરત લગાવો છો તો તમને 100 રૂપિયા માટે 147 રૂપિયા અને પાકિસ્તાન માટે 100 રૂપિયા લગાવો છો તો 300 રૂપિયાની ચૂકવણી કરવામાં આવશે . નોંધનીય છે કે કુલ 10 વર્ષો પછી ભારત અને પાકિસ્તાન આઇસીસી ટૂર્નામેન્ટમાં ફાઇનલ મેચ રમી રહ્યા છે . 2007માં ભારત અને દક્ષિણ આફ્રિકાની વિશ્વ 20 - 20 ટૂર્નામેન્ટમાં મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનસીમાં પાકિસ્તાનને હરાવ્યું હતું ." sports,"આજે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે એશિયા કપની ફાઈનલ મેચ રમાવવા જઈ રહી છે . ભારતીય ટીમે ટોસ જીતી બાંગ્લાદેશને પહેલાં બેટિંગ કરવા માટે આમંત્રણ આપ્યું છે . અફઘાનિસ્તાન સામેની મેચમાં આરામ આપવામાં આવ્યો તેવા પાંચેય ખેલાડી ભુવનેશ્વર , બુમરાહ , ધવન , શર્મા અને ચહલ ફાઈનલમાં રમવા માટે પરત આવી ગયા છે . પીચ પર ટર્ન દેખાઈ રહ્યો હોય રોહિત શર્માએ પહેલા બોલિંગને પસંદગી આપી છે જ્યારે બાંગ્લાદેશના કેપ્ટન મોર્તાઝા પણ ફાઈનલ મેચને લઈને ભારે ઉત્સાહિત છે . જણાવી દઈએ કે એશિયા કપ 2018માં ભારતીય ટીમ ગ્રુપ રાઉન્ડમાં 2 મેચ રમી જેમાંથી બંને મેચ પર ભારતીય ટીમે કબ્જો જમાવ્યો હતો જ્યારે સુપર ફોર રાઉન્ડમાં રમાયેલ ત્રણ મેચમાંથી 2 મેચમાં ભારતીય ટીમની જીત થઈ હતી જ્યારે અફઘાનિસ્તાન સામેની મેચમાં ડ્રો થયો હતો . જ્યારે ગ્રુપ રાઉન્ડ અને સુપર ફોર રાઉન્ડમાં બાંગ્લાદેશ કુલ પાંચ મેચ રમ્યું જેમાંથી માત્ર 3 મેચમાં જ જીતી શક્યું હતું . સુપર ફોર રાઉન્ડમાં બાંગ્લાદેશને ભારત સામે હારનો સામનો કરવો પડ્યો હતો . ઉલ્લેખનીય છે કે બાંગ્લાદેશને શકિબ અલ હસન અને તમિમ ઈક્બાલની ઈજાએ મોટો ફટકો આપ્યો છે , તેની જગ્યાએ સૌમ્ય સરકાર અને ઈમરુલ કેયસને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન આપવામાં આવ્યું છે . પ્લેઈંગ ઈલેવન - ભારત રોહિત શર્મા , શિખર ધવન , અંબાતી રાયડૂ , એમએસ ધોની , દિનેશ કાર્તિક , કેદાર જાદવ , રવિન્દ્ર જાડેજા , ભુવનેશ્વર કુમાર , કુલદીપ યાદવ , યુઝવેન્દ્ર ચહલ , જસપ્રીત બુમરાહ . પ્લેઈંગ ઈલેવન - બાંગ્લાદેશ લિટોન દાસ , સૌમ્ય સરકાર , મોહમ્મદ મિતુન , મુસ્ફિકુર રહિમ , ઈમરુલ કેયસ , મહમદુલ્લાહ , મહેદી હસન , મુશ્રફ મોર્તાઝા , નઝમુલ ઈસ્લામ , રુબેલ હોસેન , મુસ્ફિકુર રહિમ . આ છે ભારત - પાક . વચ્ચેની પાંચ હાઈવોલ્ટેજ મેચ" sports,"વિશ્વ ક્રિકેટમાં આપણે અનેક પ્રકારના રેકોર્ડ જયા હશે , જેમાના મોટાભાગના રેકોર્ડ ટીમ ઇન્ડિયાના નામે છે , પછી તે સૌથી વધુ વ્યક્તિગત રનનો રેકોર્ડ હોય , સૌથી વધુ વ્યક્તિગત સદીનો રેકોર્ડ હોય કે પછી અન્યો તમામ રેકોર્ડમાં ભારતે પોતાની હાજરી નોંધાવેલી છે . જો કે , રેકોર્ડની વચ્ચે એક એવી સિદ્ધિ પણ વિશ્વ ક્રિકેટમાં નોંધાઇ છે , જેના પર ભાગ્યેજ કોઇની નજર ગઇ હશે . આ છે મેદાન વચ્ચેની જુગલબંધી . જીહા , સચિન તેંડુલકર અને સૌરવ ગાંગુલીની જુગલબંધી અંગે વિશ્વ ભરને જાણ છે . સૌરવ ગાંગુલી અને સચિન તેંડુલકરની વિશ્વની શાનદાર ઓપનિંગ જોડી તરીકે જોવામાં આવે છે . તેમણે ભારતને અનેકવાર શાનદાર શરૂઆત આપીને ભારતને અનેક મેચોમાં વિજેતા બનાવ્યું છે . આવી જ ઘણી જોડીઓ વિશ્વ ક્રિકેટમાં બનેલી છે કે જેમણે વિરોધી ટીમને માત આપવામાં મહત્વની ભૂમિકા ભજવી છે . તો ચાલો તસવીરો થકી જોઇએ આ યાદીમાં કઇ કઇ જોડી છે ." business,"અમદાવાદઃ કો - ઓપરેટિવ ડેરીઓએ જણાવ્યા મુજબ આ પિરિયડ દરમિયાન સામાન્ય રીતે દૂધની સપ્લાય ઓછી થઈ જતી હોવાથી વર્ષ 2019માં દૂધની કિંમતમાં ઉછાળો આવી શકે છે . શિયાળામાં મિલ્ક પ્રોડક્શનમાં ઘટાડાનું મુખ્ય કારણ ખેડૂતોને મળતું ઓછું રિટર્ન પણ છે . અમુલ બ્રાન્ડ ધરાવતી ગુજરાત કો - ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના મેનેજિંગ ડિરેક્ટર આરએસ સોઢીએ કહ્યું કે , "" 2019માં દૂધની કિંમતોમાં વધારો નોંધાશે . ગત વર્ષની સરખામણીએ સ્કિમ્ડ મિલ્ક પાવડર ( SMP ) નો સ્ટોક ઓછો હોય અને દૂધની સપ્લાયમાં પણ સદંતર ઘટાડો પણ દૂધની કિંમત વધારા પાછળનાં મુખ્ય કારણો છે . "" ડેરીઓને આશા છે કે અમુક કોઓપરેટિવ ડેરીઓ ખેડૂતોની સારી કિંમત નહિ ચૂકવી શકે . વધુમાં આરએસ સોઢીએ ઉમેર્યું કે ગત વર્ષે ખેડૂતો દ્વારા કરાતી ઢોરની ખરીદીમાં પણ ઘટાડો જોવા મળ્યો છે . વધુમાં જણાવ્યું કે શિયાળામાં દૂધ ઉત્પાદનમાં 15 ટકાના ઉછાળાની સામે આ વર્ષે શિયાળામાં માત્ર 2 ટકાના વધારા સાથે અમુલ ડેરી દરરોજ 248 લાખ લીટર દૂધ પ્રાપ્ત કરે છે . 2017માં કો - ઓપરેટિવ ડેરી સાથે અન્યોએ મિલ્ક અને મિલ્ક પ્રોડક્શનની કિંમમાં પ્રતિ લીટર દીઠ 2 રૂપિયાનો ભાવ વધારો ઝીક્યો હતો . ઉપલબ્ધ SMP અને સ્થિર કોમોડિટિ કિંમતોએ વર્ષ 2018માં દૂધની કિંમતોને પણ સ્થિર રાખવામાં મદદ કરી હતી . ઈન્ડસ્ટ્રીના અંદાજ મુજબ ડિસેમ્બરના અંત સુધીમાં દેશમાં સ્કિમ્ડ મિલ્ક પાવડરનો સ્ટોક 7,00,000 ટનનો રહ્યો છે . નિકાસમાં વધારો થતાં SMPની કિંમતમાં ગત એક મહિનામાં 15 ટકા ટકાનો વધારો થયો છે . ગુજરાતમાં દર કલાકે પકડાય છે 9 દારૂડિયા ! જપ્ત કર્યો હજારો લીટર દારૂ" sports,"હાલમાં અને પહેલા પણ શ્રીલંકા ક્રિકેટરોના નામ કોઈને કોઈ વિવાદમાં આવતા રહ્યા છે . શ્રીલંકા ક્રિકેટના પૂર્વ કપ્તાન સનથ જયસૂર્યા પર પણ આરોપો લાગી રહ્યા છે . સનથ જયસૂર્યા પર હાલમાં એક નવો આરોપ લાગ્યો છે . સનથ જયસૂર્યા વિરુદ્ધ ભારતમાં સડી સુપારી સ્મગલિંગ કરવાનો આરોપ છે . પાકિસ્તાનના આ ક્રિકેટરે ફિક્સિંગની વાત કબૂલ કરી , માફી પણ માંગી ખરેખર સરકારી વિભાગે નાગપુરમાં કરોડો રૂપિયાની સડી સોપારી જપ્ત કરી . આ મામલે વેપારીની પૂછપરછ કરવામાં સનથ જયસૂર્યાનું નામ સામે આવ્યું . આપને જણાવી દઈએ કે આ મામલે સનથ જયસૂર્યા સાથે બીજા પણ બે ખેલાડીઓનું નામ સામે આવ્યું છે . પરંતુ હજુ સુધી તેમના નામોનો ખુલાસો નથી થઇ શક્યો ." entertainment,"છેલ્લા કેટલાંક દિવસથી ચર્ચાનો વિષય બનેલી રાંઝણા ફિલ્મ ટુંકમાં જ રૂપેરી પડદે આવી રહી છે . ફિલ્મમાં સોનમ કપૂર તથા ધનુષ મુખ્ય ભૂમિકામાં છે , પરંતુ સાથે જ અભય દેઓલ પણ એક મહત્વના રોલમાં નજરે પડનાર છે . રાંઝણા ફિલ્મની વાર્તા એક ખૂબ જ સુંદર , પણ સિમ્પલ લવ સ્ટોરી છે . આજકાલ તો એમેય લવ - સ્ટોરીઝનુ પૂર આવેલું છે . તેવામાં રાંઝણા ફિલ્મની સિમ્પલીસિટી જ તેની યૂએસપી છે . ફિલ્મમાં સોનમ - ધનુષે પોતાના અભિનયમાં પ્રાણ પૂરી દીધાં છે . વાર્તા : રાંઝણા ફિલ્મની વાર્તા ત્રણ પાત્રોની આજુબાજુ ફરે છે . પ્રથમ પાત્ર છે જોયા ( સોનમ કપૂર ) કે જે માત્ર 15 વરસની છે અને સ્કૂલમાં ભણે છે . જોયાનો રોલ કરવા માટે સોનમે જયા બચ્ચન અભિનીત ગુડ્ડી ફિલ્મ જોઈ હતી . બીજું પાત્ર છે કુંદન ( ધનુષ ) કે જે બે વસ્તુઓ માટે ખૂબ જ પૅશનેટ છે . પ્રથમ બાબત છે જોયા કે જેને તે ખૂબ જ પ્રેમ કરે છે અને બીજી બાબત છે તેનું શહેર બનારસ . બનારસ માટે કુંદનનો પ્રેમ એટલા માટે આટલું વધારે છે , કારણ કે તે જોયાને પહેલી વાર અહીં જ મળ્યો હતો . ત્રીજું મહત્વનું પાત્ર છે અકરમ ( અભય દેઓલ ) કે જે જોયા સાથે પ્રેમ કરે છે . જોયા અકરમને પ્રેમ કરે છે કે જે એક યુનિવર્સિટી સ્ટુડંટ છે . જોયા અકરમને ચાહે છે , પણ કુંદન જોયાને ચાહે છે . આ ત્રણેયની જ ઝિંદગીઓ એક - બીજા સાથે જોડાયેલી છે . આવો વધુ જાણીએ રાંઝણા ફિલ્મની પ્રણય - કથા અંગે :" entertainment,"જિયા ખાનના માતાનું કહેવું છે કે સૂરજ પંચોલી જ તેમની દીકરીના મોત માટે જવાબદાર છે . જિયા ખાન દ્વારા લખાયેલ 6 પાનાના સુસાઇડ લેટર પણ આ જ બાબતની ગવાહી આપે છે કે સૂરજ પંચોલીના દગાએ જિયા ખાનને આત્મહત્યા માટે મજબૂર કર્યો હતો . જિયા ખાન સૂરજ દ્વારા સગર્ભા પણ થયા હતાં અને પછી તેમણે ગર્ભપાત કરાવ્યુ હતું . પરંતુ આમ છતાં જિયા ખાન સૂરજ પંચોલી ઉપર આંખ બંધ કરી ભરોસો કરતા રહ્યાં . જિયા ખાનના માતા રાબિયા ખાન ગઈકાલે પોલીસ સ્ટેશનમાં હાજર હતાં . પોલીસે ગઈકાલે રાત્રે જ આદિત્ય પંચોલીના આ પુત્ર સૂરજ પંચોલીની ધરપકડ કરી હતી . રાબિયા ખાને સોમવાર રાત્રે સૂરજ પંચોલી સામે કેસ નોંધાવ્યો હતો અને પછી પોલીસે તેમની ધરપકડ કરી . રાબિયા ખાને ગઈકાલે પોતાના ઘરે પહોંચેલ મીડિયાના લોકો સામે રડતા અવાજે જણાવ્યું કે સૂરજ પંચોલીએ જિયા ખાનનો યૂઝ કર્ય છે . જિયા ખાનના મોત માટે સૂરજ પંચોલી જ જવાબદાર છે . જિયા ખાન કે જેઓ બૉલીવુડમાં માત્ર ત્રણ ફિલ્મો જ કરી શક્યાં , તેમના માતાએ એમ પણ જણાવ્યું કે સૂરજ પંચોલીને સજા મળે , તો જ જિયા ખાન સાથે ન્યાય થશે ." entertainment,"અજય દેવગન , અનિલ કપૂર , માધુરી દીક્ષિત જેવા સ્ટાર્સની ફિલ્મ ટોટલ ધમાલ 22મી ફેબ્રુઆરીએ રિલીઝ થનાર છે . ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરી દેવામાં આ્યું છે અને હવે ફિલ્મની બૉક્સ ઑફિસ પર બંપર ઓપનિંગ માટે ખાસ પ્રમોશન કરવામાં આવી રહ્યું છે . જણાવી દઈએ કે મેકર્સ અલગ - અલગ ભાષાઓમાં ફિલ્મ ટ્રેલરનું સ્પૂફ રિલીઝ કરી રહ્યા છે , જેથી માત્ર હિંદી ભાષા જ નહિ , બલકે દરેક બાજુ ફિલ્મનો ક્રેઝ હોય . ટોટલ ધમાલ પૂરી રીતે ફેમિલી ફિલ્મ છે . નિર્દેશકે જણાવ્યું કે ફિલ્મને સેંસર બોર્ડે U સર્ટિફિકેટ આપ્યું છે . આ હિસાબે ફિલ્મનું પ્રમોશન મજેદાર તરીકે કરવામાં આવી રહ્યું છે , જેથી સૌકોઈ આ ફિલ્મ તરફ આકર્ષિત થાય . ફિલ્મના ટ્રેલરને પંજાબી , મરાઠી , ગુજરાતી અને ભોજપુરીમાં રિલીઝ કરવામાં આવ્યું છે . આનાથી ફિલ્મને લઈ વધુ જાણકારી ફેલાશે અને વધુ દર્શકો ફિલ્મ વિશે જાણી શકશે ." entertainment,"પોતાની સજાની માફી માટે અભિનેતા સંજય દત્ત એક બાજુ મંદિરોના ચક્કર લગાવી રહ્યાં છે , તો બીજી બાજુ તેમણે પુનર્વિચાર અરજી દાખલ કરવાનું પણ વિચાર્યું છે . કાનૂન મુજબ અદાલતના ચુકાદા બાદ 30 દિવસની અંદર ચુકાદો બદલવા અંગે પુનર્વિચાર અરજી દાખલ કરવાની જોગવાઇ છે . તેથી સંજય દત્ત પુનર્વિચાર અરજી દાખલ કરવાની કોશિશમાં છે . સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ સંજય દત્તને માફી અપાવવા માટે અનેક રાજકીય હસ્તીઓ તેમના ટેકામાં આવી છે , તો પ્રેસ કાઉંસિલના પ્રમુખ માર્કંડેય કાત્જૂએ પણ રાષ્ટ્રપતિ તથા રાજ્યપાલને સંજય દત્તને માફી આપવા માટે પત્ર લખ્યાં છે . દરમિયાન સંજય દત્તના વકીલે પણ સંજય તરફતી જણાવ્યું છે કે તેઓ કાનૂનનું સન્માન કરે છે અને કરતાં રહેશે . તેમના બે નાના - નાના બાળકો છે . તેથી પરિસ્થિતિઓને ધ્યાનમાં લઈ સંજય દત્તને માફ કરી દેવા જોઇએ . નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટે 1993ના મુંબઈ બૉમ્બ ધડાકાની સુનાવણી કરતાં 21મી માર્ચ , 2013ના રોજ આર્મ્સ એક્ટ હેઠળ પાંચ વરસની સજા સંભળાવી હતી . જોકે તેમને સાડા ત્રણ વરસ જ જેલમાં રહેવું પડશે . 18મી એપ્રિલે તેઓ સરેન્ડર કરવાનાં છે . આ અગાઉ તેઓ બાકી ફિલ્મોનું શૂટિંગ કરવામાં વ્યસ્ત છે ." sports,"રેસલિંગની દુનિયાના સુપરસ્ટાર અને 14 વાર વર્લ્ડ ચેમ્પિયન બનેલ ટ્રિપલ એચ થોડા દિવસો પહેલા ભારત આવ્યા હતા . ટ્રિપલ એચ વર્લ્ડ રેસલિંગ એન્ટરટેઇન્મેન્ટ ( WWE ) ના સીઇઓ પણ છે અને ભારતમાં તેના પ્રમોશન અર્થે જ આવ્યા હતા . પ્રમોશન ઇવેન્ટમાં તેમણે બોલિવૂડના લોકપ્રિય એક્ટર અમિતાભ બચ્ચનનો ડાયલોગ પોતાના અંદાજમાં ફેન્સને સંભળાવ્યો હતો , જે સાંભળી ફેન્સ ક્રેઝી થઇ ગયા હતા . ટ્રિપલ એચનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે . એક ફેસબૂક ઇન્ટરવ્યૂ દરમિયાન ટ્રિપલ એચ આ ડાયલોગ બોલ્યા હતા . એન્કરે તેમને હિંદીમાં એક ડાયલોગ બોલવાનું કહ્યું હતું , જેના જવાબમાં તેઓ અમિતાભ બચ્ચનની સુપરહિટ ફિલ્મ ' શહેનશાહ ' નો ફેમસ ડાયલોગ બોલ્યા હતા . તેમણે કહ્યું હતું , ' રિશ્તે મેં તો હમ તુમ્હારે બાપ લગતે હેં , નામ હે ટ્રિપલ એચ . ' કહેવું પડે , ટ્રિપલ એચની પર્સનાલિટીને આ ડાયલોગ ખાસો સૂટ કરે છે . ટ્રિપલ એચનું સાચું નામ છે માઇકલ લેવેસ્ક અને તેઓ છેલ્લા 20 વર્ષથી રેસલિંગમાં સક્રિય છે . અમિતાભ બચ્ચનનો ડાયલોગ બોલતા ટ્રિપલ એચનો આ વીડિયો જુઓ અહીં . . ." entertainment,"હાસ્ય અભિનેતા વીર દાસ પોતાના પુરુષ સાથી કાલાકારો સાથે જોડાઈ રહેવા માટે ભોજનથી માંડી સંગીત સુધી કંઈને કંઇક શોધી જ લે છે . દાસ અનુભવે છે કે પડદા ઉપર સાથી કલાકારો વચ્ચે બહેતર સંગત માટે પડદા પાછળ મૈત્રી બહુ જરૂરી છે . દેલહી બેલી ફિલ્મ બાદ વીર દાસ બિહામણી હાસ્ય ફિલ્મ ગો ગોવા ગોનમાં સૈફ અલી ખાન , કુણાલ ખેમૂ , આનંદ તિવારી તથા પૂજા ગુપ્તા સાથે દેખાશે . ગો ગોવા ગોન એક મલ્ટી - સ્ટારર ફિલ્મ છે , તેથી વીર માટે પોતાના સાથી કલાકારો સાથે જોડાઈ રહેવું જરૂરી છે . વીર દાસે એક મુલાકાતમાં જણાવ્યું - હું હાલ બ્રોમાંસ ઝોન ઉપર કાર્ય કરી રહ્યો છું , જે એક હાસ્ય ફિલ્મ છે અને તેના માટે પડદા પાછળ પરસ્પર મૈત્રી હોવી બહુ જરૂરી છે . એક - બીજાને ઝડપથી જાણવું બહુ જરૂરી છે , નહિંતર તો હાસ્ય ઉપર ખોટી અસર પડી શકે . કુણાલ ખેમૂ સાથે જોડાવા માટે સંગીતનો સહારો લઉ છું . મને ખબર છે કે ખેમૂ ગિટાર વગાડે છે . હું પણ ગિટાર વગાડુ છું . તેથી અમે બંનેએ ગોવામાં બે ગિટાર લીધા અને લાગી પડ્યા એક સાથે . અમે ખૂબ સંગીત વગાડ્યું . આ જ રીતે સંતા - બંતા ફિલ્મનું શૂટિંગ કરતાં વીર દાસે બોમન ઈરાની સાથે જોડાઈ રહેવા માટે ભોજનનો સહારો લીધો કે જે બંનેને ખૂબ ગમે છે . વીરે જણાવ્યું - બોમનને ખાવું બહુ ગમે છે અને મને પણ . બસ અમે સાથે આવી ગયાં . હું કાયમ કોઈને કોઈ સમાનતા શોધુ છું , કારણ કે પરસ્પર ઊંડાણપૂર્વક જોડાવા માટે આ બહુ જરૂરી છે . વીર દાસનું માનવું છે કે એક અભિનેતા માટે ધૈર્ય બહુ આવશ્યક છે ." sports,"ચેમ્પિયન્સ ટ્રોફીમાં 9 જૂન , 2017ને શુક્રવારે બાંગ્લાદેશ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મેચ રમાશે . આ મેચમાં બંન્ને ટીમો વચ્ચે ત્રણ સમાનનતા છે . એક , પહેલી વોર્મઅપ મેચમાં બંન્ને ટીમોને ભારતે માત આપી હતી . બે , બંન્ને ટીમો ચેમ્પિયન્સ ટ્રોફી 2017ની પોતાની પહેલી મેચમાં ઇંગ્લેન્ડ સામે પણ હારી છે . ત્રણ , બંન્ને ટીમોની ઑસ્ટ્રેલિયા સામેની મેચ કોઇ પરિણામ વિના રદ્દ જાહેર કરવામાં આવી હતી . ઑસ્ટ્રેલિયા વિરુદ્ધની મેચ રદ્દ થતાં બંન્ને ટીમો પાસે હાલ 1 - 1 અંક છે . પોઇન્ટ ટેબલમાં રન રેટના આધારે બાંગ્લાદેશ ન્યૂઝીલેન્ડથી આગળ છે . બાંગ્લાદેશ વિ . ન્યૂઝીલેન્ડની આ મેચથી સેમિ - ફાઇનલનું સમીકરણ સ્પષ્ટ થશે . બાંગ્લાદેશ આ મેચમાં ફરી એકવાર શાનદાર બેટિંગનું પ્રદર્શન કરશે એમ મનાઇ રહ્યું છે . બાંગ્લાદેશના તમીમ ઇકબાલે ટૂર્નામેન્ટમાં અત્યાર સુધીમાં સૌથી વધુ 223 રન બનાવ્યા છે , જેમાં તેમણે એક સદી પણ ફટકારી છે . ઇંગ્લેન્ડ સામેની મેચમાં ઇકબાલે સાદી ફટકારી હતી , જ્યારે ઑસ્ટ્રેલિયા સામેની મેચમાં તેમણે 95 રન બનાવ્યા હતા . વર્ષ 2005માં બાંગ્લાદેશની ટીમ ઑસ્ટ્રેલિયા જેવી મજબૂત ટીમને હરાવવામાં સફળ રહી હતી . ન્યૂઝીલેન્ડ ટીમમાં બધો આધાર કપ્તાન વિલિયમસન પર રહેલો છે . ઑસ્ટ્રેલિયા સામેની મેચમાં તેમણે સદી ફટકારી હતી તથા ઇંગ્લેન્ડ સામેની મેચમાં તેમણે 97 રન બનાવ્યા હતા . ઉલ્લેખનીય છે કે , વિલિયમસન પર સ્લો ઓવર કરાવવાના આરોપ હેઠળ મેચ ફીના 40 ટકાનો દંડ ફટકારવામાં આવ્યો છે . ન્યૂઝીલેન્ડના ખેલાડી ટ્રેંટ બોલ્ટનું કહેવું છે કે , બાંગ્લાદેશ સામેની મેચ રસપ્રદ રહેશે . જુઓ વીડિયો . . ." business,"નવી દિલ્હીઃ 15 જાન્યુઆરીથી લગ્ન સિઝન શરૂ થઈ રહી છે . વેડિંગ સિઝનની સરૂઆત પહેલાથી જ સોનાની કિંમતોમાં તેજી આવી ગઈ છે . પાછલા બે દિવસોથી સોનાની કિંમતમાં ચાલુ મજબૂતી બુધવારે પણ સોનામાં તેજી જોવા મળી . બુધવારે સોનું 110 રૂપિયા મજબૂત થઈને 32800 રૂપિયા પ્રતિ ગ્રામ પર પહોંચી ગયું . દિલ્હીના સોની બજારમાં બુધવારે સોનું 32800 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું છે , જ્યારે ચાંદીની કિંમતમાં 300 રૂપિયાની તેજી જોવા મળી છે . ચાંદી 300 રૂપિયા મજબૂત થઈને 40100 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગઈ છે . બજારના નિષણાંતો મુજબ વેડિંગ સિઝન પહેલા સ્થાનિક જ્વેલર્સ તરફથી વધતી માંગને પગલે સોનામાં તેજી ચાલુ છે અને આગામી કેટલાક દિવસ સુધી તેજી ચાલુ રહી શકે છે . જો વૈશ્વિક સ્તર પર જોઈએ તો બુધવારે ન્યૂયોર્કમાં સોનું ટૂટીને 1283.20 ડૉલર પ્રતિ ઔંસ પર આવી ગયું છે , જ્યારે ચાંદી 15.7 ડૉલર પ્રતિ ઔંસ પર છે . રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના સોની બજારમાં 99.9 ટકા શુદ્ધતા વાળા સોનાની કિંમત 32800 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 99.5 ટકા શુદ્ધતા વાળાં સોનાની કિંમત 32650 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગઈ છે . 10 કલાકની દલિલો બાદ રાજ્યસભામાં પણ પાસ થયું સવર્ણ અનામત બિલ" business,રિલાયન્સ જીયો અને જીયો ફોનના ધમકા પછી હવે આ દિવાળી મુકેશ અંબાણી એક વધુ મોટો ધમાકો કરવાના છે . આ વાતનો ખુલાસો તેમની દિકરી ઇશા અંબાણીએ કર્યો . ઇશા અંબાણીએ નામથી બનેલે એક ટ્વિટર હેન્ડલ પરથી એક ટ્વિટ કરવામાં આવ્યું છે . જેમાં આ અંગે જણાવવામાં આવ્યું છે . જો કે તે વાતની ચર્ચા તો લાંબા સમયથી ચાલતી હતી કે જીયો હવે જીયો ફાયબર લાવશે જેના દ્વારા તે ખુબ જ સસ્તા દરે તેના ગ્રાહકોને ઇન્ટરનેટ ઉપલબ્ધ કરાવશે . લોન્ચ થશે ફાયબર ટ્વિટમાં જે મુજબ જણાવવામાં આવ્યું છે તે પ્રમાણે દિવાળીમાં રિલાયન્સ જીયોની તરફથી જીયો ફાયબર લોન્ચ કરવામાં આવશે . જે રીતે જીયો ફોન અને રિલાયન્સ જીયોના લોન્ચ થયા પછી અન્ય કંપનીઓ પણ સસ્તી ઓફર આપવા લાગી હતી અને તેમના પણ પ્રાઇઝ વોર છેડાઇ ગયું હતું તે જ રીતે ફાઇબરના લોન્ચ પછી પણ કંપનીઓ વચ્ચે ફરી એક વાર પ્રાઇઝ વોર છવાઇ જશે તે વાત તો નિશ્ચિત છે . શું છે કિંમત ? ઇશા અંબાણીના ટ્વિટનો જો અધિકૃત માનીએ તો જીયો ફાયબર માટે તમારે 500 રૂપિયા પ્રતિમાહ આપવા પડશે . જેમાં તમને 100 જીબી ડેટા મળશે . આમ જોવા જઇએ તો ખાલી 5 રૂપિયામાં તમને 1 જીબી હાઇ સ્પીડ બ્રોડબેન્ડ ડેટા મળશે . જીયો ફાયબર હેઠળ તમને 1 જીબીપીએસ સુધીની સ્પીડ મળશે . અને કદાચ આ જ કારણ છે કે લોકો જીયો ફાયબરની લાંબા સમયથી કાગ ડોળે રાહ જોઇ રહ્યા છે . 19 ઓક્ટોબરે મળશે ગીફ્ટ આ વર્ષે દિવાળી 19 ઓક્ટોબરના રોજ થવાની છે . ત્યારે જો જીયો ફાયબરના લોન્ચ પર હજી તો કંપનીએ કોઇ અધિકૃત જાહેરાત નથી કરી પણ જો ટ્વિટનું માનીએ તો 19 ઓક્ટોબર પછી તમે ફાઇબરની સેવાઓનો લાભ મેળવી શકશો . જો કે જે એકાઉન્ટથી ટ્વિટ કરવામાં આવ્યું છે તે વેરિફાઇડ નથી પણ તેમ છતાં માનવામાં આવી રહ્યું છે કે જે ફાઇબર પ્લાન આવી રહ્યો છે તેમાં સસ્તા દરે વધુ ઇન્ટરનેટ ડેટા મળશે . business,"ભારતમાં દરેક પ્રકારની કંપનીઓને ફિક્સ્ડ ડિપોઝિટ્સ સ્વીકારીને નાણા ઉભી કરી શકવાની છૂટ આપવામાં આવી નથી . હકીકત એ છે કે ભારતમાં કંપની એક્ટ 1956 હેઠળ નોંધાયેલી કંપનીઓ જેવી કે : 1 . નોન બેંકિંગ ફાઇનાન્સ કંપનીસ કે NBFCs 2 . મેન્યુફેક્ચરિંગ કંપનીઓ 3 . હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ 4 . ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ અહીં એક વાત ખાસ ધ્યાનમાં લેવા જેવી છે કે કંપનીની ફિક્સ્ડ ડિપોઝિટ સ્વભાવગત સુરક્ષિત માનવામાં આવતી નથી . આ કારણે જ નિયંત્રક સત્તાવાળાઓએ તમામ પ્રકારની કંપનીઓને એફડી દ્વારા નાણા ઉભા કરવાની મંજુરી આપી નથી . કંપનીઓની ડિપોઝિટ્સમાં જોખમનું પ્રમાણ સૌથી ઉંચું હોવાને પગલે તેમાં રોકાણ કરતા પહેલા અનેક બાબતો ચકાસવી પડે છે . કારણ કે રોકાણકારોના નાણા સામે કંપનીઓની સંપત્તિ મૂકવામાં આવતી નથી . ભારતમાં જ્યારે કંપનીની ફિક્સ્ડ ડિપોઝિટમાં રોકાણ કરવાનો નિર્ણય લેવાનો હોય ત્યારે કંપનીને AAA રેટિંગ મળ્યું છે કે નહીં તે જોવું . AAA રેટિંગ ધરાવતી કંપનીઓમાં જોખમનું પ્રમાણ ઓછું હોય છે . જ્યારે કંપની ફિક્સ ડિપોઝિટ પસંદ કરવાની હોય ત્યારે કંપનીનો કેશ ફ્લો કેટલો છે ? તેની બેલેન્સશીટ કેવી છે , તેનો ડિવિડન્ડ પેમેન્ટ ટ્રેક રેકોર્ડ , તેની ખાધ વગેરે બાબતોની ચકાસણી કરવી જોઇએ . જો કે બેંક ડિપોઝિટની સરખામણીએ કંપની ડિપોઝિટમાં વધારે વ્યાજ મળે છે . જેના કારણે અનેક લોકો કંપની ફિક્સ્ડ ડિપોઝિટમાં રોકાણ કરવા આકર્ષાય છે ." sports,"ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરતાં વેસ્ટઇંડિઝે નિર્ધારિત 20 ઓવરમાં 5 વિકેટના નુકશાન પર 129 રન બનાવ્યા હતા . શ્રીલંકાની આક્રમક બોલીંગ સામે વેસ્ટઇંડિઝના બેસ્ટમેનો એક રન માટે તરસતાં હતાં . ઘાતક બેસ્ટમેન ક્રિસ ગેલ 9 બોલમાં 2 રન બનાવી આઉટ થઇ ગયો હતો . જ્યારે બીજા ઓપનર જોનસન ચાર્લ્સ 12 રન બનાવી શક્યા હતા . ઇવેન બ્રાવોએ 34 બોલમાં 40 રન બનાવીને ટીમના સ્કોરને તેજી આપી હતી . ત્યારબાદ સેમ્યુઅલ્સે પોતાની અર્ધસદીથી ટીમના સ્કોરમાં તેજીથી રન જોડ્યા હતા . સેમુઅલ્સે 35 બોલમાં 50 રન બનાવ્યા હતાં . શ્રીલંકાના અજંતા મેંડિસે 2 વિકેટ લીધી હતી જ્યારે એન્જેલો મૈથ્યૂઝ , નુવાન કુલ શેખરા , અને જીવન મેંડિસે એક - એક વિકેટ મેળવી હતી ." business,"બઝારમાં આજથી 2000 રૂપિયાની નોટ બહાર પડી છે . બેંક પણ જે લોકો જૂની નોટ બદલાવી રહ્યા છે તેમને 2000 રૂપિયાની નવી નોટ મળી રહી છે . એટલું જ નહીં નવી નોટો સાથે લોકો ફોટો પાડીને પણ સોશ્યલ મીડિયા પર શેયર કરી રહ્યા છે . 500 અને 1000 રૂપિયાની નોટ બેંકમાં બદલવા જાવ છો ? તો , આ જરૂર વાંચો ત્યારે તમારી પાસે આવેલી 2000 રૂપિયાની આ નવી નોટની ખાસ વાતો શું તમે જાણો છો ? સરકારે જાહેર કરેલી 2000 રૂપિયાની નવી નોટોમાં છે 18 ખાસ ફિચર્સ જે આ નોટને બનાવે છે ખાસ . ત્યારે આ નવી નોટમાં શું શું નવું છે જાણો અહીં . . . ." business,"ભારતીય રિઝર્વ બેન્કે જાહેર જનતાને ભારે રાહત આપી છે . તહેવારોની સીઝન દરમિયાન 90 કરોડથી વધુ ડેબિટ અને ક્રેડિટ કાર્ડ બંધ થવાનું જોખમ હાલમાં સમાપ્ત થયું છે . હાલમાં વિદેશી કાર્ડ પેમેન્ટ ગેટવે કંપનીઓ પર કેટલાક પ્રતિબંધો લાદવામાં આવ્યા છે . તમને જણાવી દઈએ કે આરબીઆઈ કંપનીઓને કેટલાક દિશાનિર્દેશો આપી શકે છે . અહેવાલ મુજબ આરબીઆઇ નાણાકીય માહિતી સંગ્રહ પર રાહત આપશે નહીં . તો ત્યાં કેન્દ્રીય બેન્કે તારીખ લંબાવવા માટે પણ હજુ કોઈ નિર્ણય લીધો નથી . જોકે , ડેટા સલામતી અંગેનું બેન્કનું વલણ હજુ પણ મુશ્કેલ છે કારણ કે આરબીઆઇ સલામતી અનુસાર આ પગલાં લેવા માંગે છે . ગોલ્ડ બોન્ડની સ્કીમ વિશે જાણો 10 જરૂરી વાત" entertainment,"બૉલીવુડના નંબર વન અભિનેત્રી દીપિકા પાદુકોણે હવે લક્સના બ્રાન્ડ એમ્બેસેડર બન્યાં છે . તેઓ પહેલી વાર નાના પડદે અભિનેતા ઇમરાન ખાન સાથે લક્સની નવી ટેલીવિઝન જાહેરખબરમાં નજરે પડવાનાં છે . આ જાહેરખબરનું પ્રસારણ આવતીકાલથી શરૂ થશે . મળતી માહિતી મુજબ લક્સની આ નવી જાહેરખબરનું શૂટિંગ સપ્ટેમ્બરમાં બૅંકૉક ખાતે કરવામાં આવી . શૂટિંગ દરમિયાન ઇમરાન ખાન અને દીપિકા પાદુકોણે વચ્ચે બહુ મૈત્રીપૂર્ણ સંબંધો જોવામાં આવ્યાં . આ જાહેરખબરનું દિગ્દર્શન સ્વિસ ફિલ્મમેકર ઇવો વીગાર્ડે કર્યું છે અને તેમાં દીપિકા તથા ઇમરાન ખાન સુપરહિટ ગીત રૂપ તેરા મસ્તાના . . . ઉપર ઝૂમતા નજરે પડશે કે જેને ગીતકાર - સંગીતકાર મિકી મૅકક્લેરીએ રિમિક્સ કર્યું છે . નોંધનીય છે કે દીપિકા પાદુકોણે આ વર્ષના બેસ્ટ અભિનેત્રી રહ્યાં છે . રેસ 2થી શરૂ કરી યે જવાની હૈ દીવાની , ચેન્નઈ એક્સપ્રેસ અને રામલીલા જેવી ચાર હિટ ફિલ્મો આપનાર દીપિકા પાદુકોણેના સિતારા હાલ બુલંદીએ છે , તો તાજેતરમાં જ ગોરી તેરે પ્યાર મેં દેખાનાર ઇમરાન ખાન પણ બૉલીવુડના વ્યસ્ત અભિનેતા ગણાય છે . ચાલો લક્સની નવી જોડી દીપિકા - ઇમરાનની તસવીરી ઝલક બતાવીએ :" business,ભારતીય શેર બજારમાં ઉતાર ચઢાવનો સિલસિલો ચાલુ છે . શેરબજારનો ગ્રાફ ક્યારેક આસમાનને આંબી જાય છે તો ક્યારેક તળીએ આવી જાય છે . શુક્રવારે સપ્તાહના છેલ્લા કારોબારી સત્રમાં પણ બજાર નબળાઇ સાથે બંધ થયું હતું . હવે એવામાં શેર બજારના નિષ્ણાંત પાસેથી સલાહ મેળવવી જરૂરી છે કે આવનારા સમયમાં કયા શેર્સમાં કમાણી થઇ શકશે . જોકે એસપીતુલ્સ્યાન ડોટ કોમના એસપી સુલ્સ્યાનનું કહેવું છે કે હાલમાં હાલમાં બજારોમાં મંદીનું વાતાવરણ જોવા મળી રહ્યું છે . પરંતુ શેર ધારકો દ્વારા બજાર પર નજરીયો ખૂબ જ સકારાત્મક છે . એવામાં આવનારું સપ્તાહ અને ડિસેમ્બર શ્રેણી બંને શેરબજાર માટે સારું રહેવાની આશા છે . સીએનબીજી આવાજના સ્રોત થકી એસ પી તુલ્સ્યાન બતાવી રહ્યા છે કે આવનારા સપ્તાહે આપ કયા શેર્સમાં રૂપિયા લગાવીને કમાણી કરી શકો છો . નોંધનીય છે કે આ માહિતી માત્ર અંદાજીત આંકડાઓના આધારે આપવામાં આવી રહી છે . business,"શેર બજારમાં ગુરુવારે સવારથી જ તેજી જોવા મળી અને સેન્સેક્સ પહેલી વાર 37000 ના આંકડા સુધી પહોંચ્યુ છે . સેન્સેક્સ આ રેકોર્ડ સ્તર પર પહેલી વાર પહોંચ્યુ છે . સેન્સેક્સ 100 અંકથી વધુના ઉછાળા સાથે 37,000 પર પહોંચી ગયુ જ્યારે નિફ્ટી પણ ગુરુવારે 11,172 પોઈન્ટના ઉચ્ચતમ સ્તર સુધી પહોંચ્યુ . અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના યુરોપીય કમિશન ચીફ સાથે નવા ટેરિફને નિલંબિત કરવા પર સંમતિ સધાયા બાદ એશયાઈ શેરોમાં તેજી આવી છે . નિફ્ટી 50 માં 40 પોઈન્ટના ઉછાળા સાથે 11,172 પોઈન્ટના નવા ઓલ ટાઈમ ઉચ્ચ સ્તરે પહોંચી ગયુ . સેન્સેક્સ 36,858.23 પર બુધવારે બંધ થયો હતો અને ગુરુવારે તેણે પહેલી વાર 37,000 ના આંકડાને સ્પર્શી લીધુ . કેનેડા બેંકના પહેલા ત્રિમાસિક પરિણામો સારા હોવાની અપેક્ષા બાદ બેંકોના શેરોમાં પણ ઉછાળો જોવા મળ્યો છે . કેનેડા બેંકના શેરમાં પણ 5 ટકાનો ઉછાળો જોવામા આવ્યો . સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા 1.9 % , બેંક ઓફ બરોડા 1.7 % , ઈન્ડિયન બેંક 1.4 % , યુકો બેંક 1.4 % , બેંક ઓફ ઈન્ડિયા 1.3 % , ઈન્ડિયન ઓવરસીઝ બેંક 1.3 % , સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા ના શેર 1.2 % વધારા પર છે . ગુરુવારે અમેરિકી ડૉલરના ટ્રેકિંગ લાભના મુકાબલે રૂપિયો મામુલી મજબૂત થયો છે . રૂપિયો હજુ એક અમેરિકી ડૉલરના સામે 68.70 પર છે ." entertainment,"બૉલીવુડના સ્ટાર પિતા - પુત્રી અનિલ કપૂર તથા સોનમ કપૂર ચાર દિગ્દર્શકોની ફિલ્મ બૉમ્બે ટૉકીઝમાં એક ખાસ ગીતમાં એક સાથે દેખાશે . પિતા - પુત્રી પહેલી વાર મોટા પડદે એક સાથે દેખાશે . બૉલીવુડના ફિલ્મ દિગ્દર્શકો કરણ જૌહર , અનુરાગ કશ્યપ , ઝોયા અખ્તર તથા દિબાકર બૅનર્જીની ચાર લઘુ કથાઓના સમ્પુટ સમાન બૉમ્બે ટૉકીઝ ફિલ્મ ભારતીય સિનેમાના 100 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં બનાવવામાં આવી રહી છે . મળતી માહિતી મુજબ દિગ્દર્શકોએ ફિલ્મમાં એક ખાસ ગીત ઉમેર્યું છે કે જેમાં બૉલીવુડના જાણીતા ચહેરાઓ નજરે પડશે . આ ચહેરાઓમાં અનિલ કપૂર અને તેમના પુત્રી સોનમ કપૂર પણ હશે . આ ગીતને વૈભવી મર્ચંટે કોરિયોગ્રાફ કર્યું છે . આ ગીત કદાચ ફિલ્મની શરુઆતથી જ દર્શાવાશે . આ ગીત ફિલ્મના અંત સુધી પણ ગૂંજતૂં રહેશે , એમ કહેવાય છે . આ ગીત માટે લૅડીઝ કલાકારોએ ગોલ્ડન કલરના કૉસ્ચ્યુમ પહેર્યાં છે , તો જેંટ્સ કલાકારો ટ્યૂક્સીડો ( દિવસના ભોજન વખતે પહેરાતી જૅકેટ ) માં દેખાશે ." entertainment,"બૉલીવુડના ભૈયાજી સુપરહિટ સન્ની દેઓલનું કહેવું છે કે તેઓ નંબરોની રેસમાં ક્યારેય વિશ્વાસ નથી કરતાં . આપના મનમાં પ્રશ્ન ઊભો થયો હશે કે અમે સન્ની સાથે ભૈયાજી સુપરહિટ કેમ જોડી રહ્યાં છીએ ? ભૈયાજી સુપરહિટ સન્ની દેઓલની આગામી ફિલ્મનું નામ છે . નીરજ પાઠક દિગ્દર્શિત ભૈયાજી સુપરહિટ ફિલ્મમાં સન્ની દેઓલ ઉપરાંત તુષાર , અરશદ વારસી , પ્રકાશ રાજ તથા અમીષા પટેલ પણ છે . છેલ્લા 30 વરસથી ફિલ્મોમાં સક્રિય અભિનેતા સન્ની દેઓલે જણાવ્યું કે આજે લોકો કામની ક્વૉલિટી ઉપર ધ્યાન નથી આપતાં . આજે સૌનું ધ્યાન માત્ર ફિલ્મની કમાણી ઉપર હોય છે . અરે ફિલ્મો અગાઉ પણ સો કરોડની કમાણી કરતી હતી , પરંતુ આટલો બધો હોબાળો નહોતો થતો . સન્ની દેઓલે જણાવ્યું કે અગાઉ લોકો ફિલ્મો મનોરંજન માટે બનાવતા હતાં . આજે તો આ બિઝનેસ બની ગઈ છે . નોંધનીય છે કે સન્ની દેઓલની ટુંકમાં જ આઈ લવ એનવાય ફિલ્મ રિલીઝ થવાની છે કે જેમાં તેમની સાથે પ્રથમ વાર કંગના રાણાવત આવી રહ્યાં છે . તે પછી તેઓ સાક્ષી તંવર સાથે મોહલ્લા અસ્સી ફિલ્મમાં આવી રહ્યાં છે . ઉપરાંત સન્ની દેઓલ પોતાના હોમ પ્રોડક્શનની ફિલ્મ યમલા પગલા દીવાના 2માં પણ આવવાના છે . ઉપરાંત ભૈયાજી સુપરહિટમાં પણ તેઓ કામ કરી રહ્યાં છે . બૉલીવુડના શર્મિલા કલાકાર તરીકે જાણીતાં સન્ની દેઓલ પોતાના બિંદાસ્ત બોલ માટે પણ જાણીતા છે . સન્નીને દામિની ફિલ્મ માટે નેશનલ ઍવૉર્ડ પણ મળી ચુક્યો છે ." entertainment,"લોનાવાલા , 6 ડિસેમ્બર : અરમાન કોહલી તથા તનીષા મુખર્જીનો પ્રેમ પૂરબહારમાં ખીલી રહ્યો છે અને હવે વાત સેક્સ સુધી પહોંચી ગઈ છે . તનીષા - અરમાનની નિકટતાઓ તનીષાના પરિજનોને હેરાન કરી રહી છે અને તેઓ તનીષાને બિગ બૉસમાંથી કઢાવવાનો પ્રયત્ન કરી રહ્યાં છે , પણ તનીષાના કારણે વધતી ટીઆરપી જોઈ બિગ બૉસ વાળા તેમને બહાર નિકળવા દેવા નથી માંગતાં . અરમાન - તનીષનાની નિકટતાઓ ચર્ચામાં આવી રહી છે અને સલમાન ખાન પણ બંનેને સમજાવવાનો પુરતો પ્રયત્ન કરી રહ્યાં છે , પરંતુ તેઓ પણ મજબૂર છે અને કંઈ પણ પ્રત્યક્ષતઃ કરી શકે તેમ નથી . હવે તનીષા - અરમાનનો એક વીડિયો પણ લીક થયો છે કે જેમાં તનીષા મુખર્જી અરમાન કોહલી સાથે સેક્સની વાતો કરી રહ્યાં છે . અરમાન આ વીડિયોમાં તનાષાને કહે છે કે તેઓ સેક્સ વિના નથી રહી શકતાં અને ક્યારેક - ક્યારેક તો તેઓ પોતાની જાત ઉપરનો કાબૂ ગુમાવી બેસે છે . તેથી તનીષા પણ મજાક કરતાં તેમને જવાબ આપી રહ્યાં છે . વીડિયોમાં અરમાન એટલું ધીમેથી બોલી રહ્યા હતાં કે તેમનો અવાજ માઇક સુધી નહોતો આવતો . તનીષા મુખર્જી પણ ઘણી દબાયેલી જીભે વાત કરી રહ્યાં છે . વીડિયોમાં તનીષા - અરમાન સાથે બેઠાં છે અને સંગ્રામ સિંહ ઝાડૂ લગાવી રહ્યાં છે . આ વીડિયોમાં અરમાન તનીષાને સેક્સ ડિઝાયર શાંત કરવાના બીજા ઉપાયો પણ જણાવી રહ્યાં છે અને તનીષા પણ અરમાનની વાતોની મજા લઈ રહી છે , પણ જ્યારે તનીષાને સમજાયું કે તેમની વાતો જુદી દિશામાં ફંટાઈ રહી છે , ત્યારે તેઓ પોતાના તરફથી વાર્તા પતાવવાની કોશિશ કરે છે , પણ અરમાન સતત તનીષા સાથે આ વિશે વાત કરવાનો પ્રયત્ન કરે છે અને કહે છે કે જો તનીષા તેમની સાઇડે આવવા માંગતા હોય , તો આવી શકે છે ." entertainment,"ઋષિ કપૂર અને તેમના અભિનેતા પુત્ર રણબીર કપૂર આવારા ફિલ્મની રીમેકમાં કામ કરવા તૈયાર છે . ફિલ્મમાં ઋષિ કપૂર પોતાના દાદા પૃથ્વીરાજ કપૂર અને રણબીર કપૂર પોતાના દાદા રાજ કપૂરની ભૂમિકા ભજવશે . આ સાથે જ આરકે ફિલ્મ્સ પણ પુનઃ ફિલ્મ નિર્માણમાં સક્રિય થશે . આવારા પહેલાં ઋષિ કપૂર અને તેમના કુશળ પત્ની અભિનેત્રી નીતૂ સિંહ પહેલી વાર પોતાના પુત્ર રણબીર કપૂર સાથે બેશરમ ફિલ્મમાં સ્ક્રીન શૅર કરશે . અનુભવ કશ્યપની આ ફિલ્મને ઐતિહાસિક ક્ષણ બનાવવા આતુર છે . તેમણે જણાવ્યું કે બેશરમ પિતા - પુત્ર માટે ટેસ્ટિંગ ગ્રાઉન્ડ હતી અને અમે હવે કંઈક ઉંડાણપૂર્ણ કરવા તૈયાર છીએ . ઋષિએ જણાવ્યું - મારા પિતાની આવારા ફિલ્મની રીમેક બનાવવાનું આયોજન છે . જો બધુ બરાબર રહ્યું , તો આરકે બૅનર હેઠળ આ ફિલ્મ બનશે . શું ઋષિ કપૂર દિગ્દર્શન કરશે ? ઋષિએ આ સવાલના જવાબમાં જણાવ્યું - નો થૅંક્સ . દિગ્દર્શન થૅંકલેસ જૉબ છે . આ અબ લૌટ ચલેં ફિલ્મનું દિગ્દર્શન કરી ચુકેલા ઋષિ કપૂરે જણાવ્યું - હું અભિનેતા તરીકે સહજ અને ખુશ છું . હું માત્ર અભિનય કરવા માંગુ છું . હું મારામાં સંતુષ્ટ છું . મને ઔરંગઝેબ ફિલ્મમાં મારા અભિનય માટે અનેક શુભેચ્છા સંદેશા મળ્યાં છે . ખાસ તો યશ ચોપરાના પત્ની પૅમ ચોપરા તરફથી સંદેશ મળ્યો છે . તેમણે જણાવ્યું કે બેશરમ ફિલ્મમાં હું અને નીતૂ રણબીર સાથે કામ કરી બહુ ખુશ થયાં . હું પોતે પણ પત્ની અને પુત્ર સાથે કામ કરી ખુશ છું . જોકે હું માનુ છું કે બેશરમમાં અમારા માટે વધુ સ્પેસ હોવો જોઇતો હતો . દિગ્દર્શકે મારા અને નીતૂના રોલને વધારવાનો પ્રયત્ન કર્યો . હું અને રણબીર ફિલ્મના ક્લાઇમૅક્સમાં દેખાઇએ છીએ ." entertainment,બૉલીવુડના સુપર હીરો હૃતિક રોશન અને તેમના પત્ની સુઝાન ખાન વચ્ચે ગઈકાલે છુટાછેડા થઈ ગયાં . હૃતિકે પોતે આ વાતનો મીડિયા સામે સ્વીકાર કર્યો . મીડિયા સાથેની વાતચીતમાં હૃતિકે જણાવ્યું કે સુઝાને આ નિર્ણય કર્યો છે કે હવે તેઓ અમારા 13 વરસ જૂના સંબંધોને પૂરા કરવા માંગે છે . હૃતિકે જણાવ્યું કે આ અમારા સમગ્ર પરિવાર અને મારા પોતાના માટે ખૂબ જ દુઃખદ ક્ષણો છે . મુંબઈ ખાતેથી અમારા સંવાદદાતાએ જણાવ્યું કે ક્રિશ 3 ફિલ્મ રિલીઝ થવા દરમિયાનથી હૃતિક રોશન અને સુઝાન રોશન વચ્ચેના સંબંધોમાં તિરાડની વાતો સામે આવતી હતી અને કહેવાતુ હતું કે બંને ટુંકમાં જ છુટાછેડા લઈ શકે છે . જોકે છુટાછેડાના કારણો અંગે નથી હૃતિકે કોઈ ખુલાસો કર્યો કે નથી સુઝાને . સૂત્રોની માનીએ તો બૉલીવુડની એક સુપર હિટ અભિનેત્રી આ છુટાછેડાનું કારણ છે . હૃતિક રોશન અને સુઝાન રોશન બાળપણના મિત્રો હતાં અને 2000માં બંનેએ લગ્ન કર્યા હતાં . business,"લંડન , 15 મેઃ ફિનલેન્ડની મોબાઇલ નિર્માતા કંપની નોકિયાએ નવી મેટલ ડિઝાઇન અને વધુ સક્ષમ કેમેરાવાળા નવા સ્માર્ટફોન લુમિયા 925ને લોન્ચ કર્યો છે . કંપનીએ મંગળવારે સાંજે લંડનમાં પોતાના નવા સ્માર્ટફોનને રજૂ કર્યો અને જાહેર કર્યું કે , જૂનના અંત સુધીમાં અંદાજે 400 પોન્ડના આ સ્માર્ટફોનનું વેચાણ શરૂ કરી દેવામાં આવશે . ભારતમાં લુમિયા 925ને લોન્ચ કરવાના પ્રશ્ન પર નોકિયા સ્માર્ટફોન ડિવાઇસના કાર્યકારી ઉપાધ્યક્ષ જો હાલરે કહ્યું કે , અમે ટુંક સમયમાં એ અંગે ઘોષણા કરીશું . તેમણે કહ્યું કે , ભારત અમારા માટે પ્રમુખ બજાર છે . લુમિયા ઉત્પાદ વિપણન પ્રમુખ વેસા જુટિલાએ જણાવ્યું કે , લુમિયા 925 અને 928 કંપનનીની પ્રમુખ ઉત્પાદ છે . તેમણે કહ્યું કે , ભારત અમારા માટે એક મોટુ બજાર બની ગયું છે અને અમે તેને પ્રાથમિકતા આપીએ છીએ . લુમિયા 925ના ફિચર્સ પર એક નજર ડિસ્પ્લેઃ - 4.5 ઇંચની એમોલેડ ટચ સ્ક્રિન , 1280×768 રેજોલ્યુશન મેમરીઃ - 16જીબી ઇનબિલ્ટ મેમરી , 7જીબી સ્કાયડ્રાઇવ ક્લાઉડ સ્ટોરેજ રેમઃ - 1જીબી સપોર્ટઃ - વાઇફાઇ , બ્લુટુથ પ્રોસેસરઃ - 1.5 ગીગાહર્ટ પ્રોસેસર કેમરાઃ - 8.7 મેગાપિક્સલ બેટરીઃ - 2000 એમએએચ" business,"રાજઘાનીમાં ચાલી રહેલી ઇકોનોમિક એડિટર્સ કોન્ફરન્સમાં નાણા મંત્રી પી . ચિદ્મ્બરમે જણાવ્યું કે "" પીએસયુ ( પબ્લિક સેક્ટર યુનિટ ) માં વિનિવેશની પ્રક્રિયા માટેની તમામ પ્રક્રિયા આવનારા 6 મહિનામાં પૂરી કરવામાં આવશે . તે પૈક્રીની પ્રથમ પ્રક્રિયા આરઆઇએનએલ ( રાષ્ટ્રીય ઇસ્પાત નિગમ લિમિટેડ ) માંથી સરકાર પોતાનો હિસ્સો વેચીને શરૂ કરશે . "" ઉલ્લેખનીય છે કે બજાર નિયંત્રક સેબી સમક્ષ 18 મે , 2012ના રોજ આરઆઇએનએલના ડ્રાફ્ટ ડૉક્યુમેન્ટ્સ જમા કરાવ્યા બાદ રૂપિયા 2500 કરોડના આઇપીઓ ( ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ ) બે વાર રદ કરવામાં આવી હતી . બીજી તરફ સૂત્રોનું કહેવું છે કે મંત્રી સમૂહની એક બેઠક 9 ઑક્ટોબર , 2012ના રોજ મળી શકે છે . જેમાં આઇપીઓની કિંમત અને તેને મૂકવાની તારીખ નક્કી કરવામાં આવી શકે છે . આ ઉપરાંત સરકાર અન્ય ચાર પીએસયુ જેવી કે એનએમડીસી , એનટીપીસી , પીજીસીઆઇએલ અને ઇઆઇએલનો પણ સમાવેશ થાય છે . પીએસયુમાં સરકારનો હિસ્સો વેચવા માટે રચવામાં આવેલી નોડલ એજન્સી ડિપાર્ટમેન્ટ ઓફ ડિસઇન્વેસ્ટમેન્ટ ( ડીઓડી ) એ અન્ય સાત કંપનીઓમાં હિસ્સો વેચવા માટેની કેબિનેટની મંજૂરી મેળવવાની પ્રક્રિયા હાથ ધરી છે . તેમાં આરઆઇએનએલ , હિન્દુસ્તાન કોપર , ઓઇલ ઇન્ડિયા , એમએમટીસી , નાલ્કોનો સમાવેશ થાય છે ." entertainment,"કૅમેરા સામે સ્મિત ફરકાવતાં સુંદર હેમા માલિની કહે છે - હું હેમા માલિની છું અને હું શાકાહારી છું . આઇકૉનિક એક્ટર , રાજકારણી તથા દીર્ઘકાલિક પ્રાણી સંરક્ષક હેમા માલિની પીપલ ફૉર ધ એથિકલ ટ્રીટમેંટ ઑફ એનિમલ્સ એટલે કે પેટા ભારતની નવી જાહેરખબરમાં હેમા માલિની કંઈક આમ જ કહી રહ્યાં છે . જાણીતા ફોટોગ્રાફર ડબ્બુ રત્નાણીએ આ એડ માટે ફોટોશૂટ કર્યું છે . હેમા માલિની કહે છે - શાકાહારી થવું ઉત્તમ સ્વાસ્થ્ય માટેનો બેસ્ટ માર્ગ છે . છેલ્લા ચાર દાયકાથી સક્રિય અને 150થી વધુ ફિલ્મોમાં કામ કરી ચુકેલાં હેમાએ જણાવ્યું - એ જાણીને મને બહુ ખુશી થાય છે કે મારી ભોજન પસંદગી પ્લેનેટ તથા પ્રાણીઓ માટે સહાયકારી છે . તેઓ કહે છે કે શાકાહારી હોવું ગૌરવની વાત છે . એવું નથી કે હેમા માલિની પહેલી વાર પેટા સાથે જોડાયાં છે . 2009માં પણ મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશનની ક્રૂરતા સામે પેટાની ઝુંબેશમાં તેઓ જોડાયા હતાં . હેમા માલિનીએ જલ્લીકટ્ટૂની રમત ઉપર પ્રતિબંધ મૂકવાની માંણી કરી હતી . હેમા માલિની 2011માં પ્રાણી રક્ષા કાર્ય બદલ પેટા પર્સન ઑફ ધ ઈયર પણ જાહેર થઈ ચુક્યાં છે ." entertainment,"આ વર્ષની મોસ્ટ અવેટેડ ફિલ્મ ધૂમ 3 રિલીઝના આરે છે . ફિલ્મને લઈને કાઉંટ ડાઉન શરૂ થઈ ગયું છે . એક બાજુ ફિલ્મમાં આમિર ખાન પહેલી વાર નકારાત્મક રોલ કરી રહ્યાં છે , તો બીજી બાજુ બૉલીવુડના હૉટેસ્ટ અભિનેત્રી કૅટરીના કૈફની ધૂમ સિરીઝમાં એન્ટ્રી સૌના માટે ઉત્સુકતા વધારી ગઈ છે . ધૂમ સિરીઝમાં હીરો સાઇડ અત્યાર સુધી જળવાયેલી રહી છે કે જેમાં અભિષેક બચ્ચન અને ઉદય ચોપરાનો સમાવેશ થાય છે . આ બંને ધૂમ અને ધૂમ 2માં હતા , તો ધૂમ 3માં પણ છે , જ્યારે વિલન અને હીરોઇન સાઇડ ત્રણેય સિરીઝમાં બદલાઈ છે . ધૂમમાં વિલન જ્હૉન અબ્રાહમ તથા હીરોઇન એશા દેઓલ હતાં , તો ધૂમ 2માં આ ભૂમિકા ક્રમશઃ હૃતિક રોશન તેમજ ઐશ્વર્યા રાયે ભજવી હતી , જ્યારે ધૂમ 3માં આમિર ખાન અને કૅટરીના કૈફની એન્ટ્રી થઈ છે . તાજેતરમાં ધૂમ 3નું ટાઇટલ સૉંગ ધૂમ મચા લે . . . લૉન્ચ થઈ ગયું . ધૂમમાં ટાઇટલ સૉંગ એશા દેઓલે કર્યુ હતું , તો ધૂમ 2માં ઐશ્વર્યા રાયે અને હવે ધૂમ 3માં કૅટરીના કૈફ આ ટાઇટલ સૉંગ કરતાં નજરે પડી રહ્યાં છે . આ ટાઇટલ સૉંગમાં કૅટરીના કૈફ ખૂબ જ હૉટ લાગી રહ્યાં છે . વીડિયો જોયા બાદ સ્પષ્ટ છે કે એશા અને ઐશ કરતાં ઘણા આગળ નિકળી ગયાં છે કૅટ . ધૂમ 3નું આ ટાઇટલ સૉંગ ધૂમ મચા લે . . . યૂ ટ્યુબ ઉપર જ્યારે રિલીઝ થયું ત્યારે પહેલા જ દિવસે પાંચ લાખથી વધુ લોકો તેને જોઈ ચુક્યાં હતાં . ચાલો તસવીરો જોઇએ :" business,"અમદાવાદઃ સરકારે પાંચ રૂપિયાની રાહત આપ્યા બાદ પેટ્રોલ - ડીઝલમાં ભાવ વધારાનો સિલસિલો ફરી શરૂ થઈ ગયો છે . છેલ્લા દિવસમાં જ દોઢ રૂપિયાથી વધુ ભાવ વધી ગયો છે . આજે અમદાવાદમાં પેટ્રોલની કિંમતમાં 10 પૈસા અને ડીઝલની કિંમતમાં 28 પૈસાનો ભાવ વધરો જોવા મળ્યો . નવી કિંમતો થયા બાદ પેટ્રોલની કિંમતો લીટર દીઠ 79.33 અને ડીઝલની કિંમત 77.99 રૂપિયાની સપાટી પર પહોંચી છે . દિલ્હીમાં પણ પેટ્રોલની કિંમતોમાં 10 પૈસાનો વધારો નોંધાયો છે અને ડીઝલની કિંમતમાં 27 પૈસાનો ભાવ વધારો નોંધાયો છે . નવી કિંમતો લાગુ થયા બાદ દિલ્હીમાં પેટ્રોલ 82.36 રૂપિયા પ્રતિ લીટરે અને ડીઝલ 74.62 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે . ઉલ્લેખનીય છે કે બુધવારે પેટ્રોલની કિંમતોમાં વધારો થયો નહોતો , પરંતુ આજે ફરી એકવાર પેટ્રોલના ભાવમાં 10 પૈસાનો વધારો નોંધાયો છે . જ્યારે મુંબઈની વાત કરીએ તો અહીં પેટ્રોલની કિંમતમાં 9 પૈસા અને ડીઝલની કિંમતમાં 29 પૈસાનો ભાવ વધારો થયો છે . નવી કિંમતો લાગ થયા બાદ પેટ્રોલની કિંમત 87.82 રૂપિયાની સપાટી પર પહોંચી ગઈ છે જ્યારે ડીઝલની કિંમતો 78.22 રૂપિયાની સપાટી પર પહોંચી ગઈ છે . જણાવી દઈએ કે બુધવારે ડીઝલની કિંમતોમાં 24 પૈસા પ્રતિ લીટરનો વધારો નોંધાયો હતો , જો કે પેટ્રોલના ભાવમાં કોઈપણ પ્રકારનો વધારો જોવા મળ્યો નહોતો . પાપુઆ ન્યૂ ગિનીમાં 7.0ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો , સુનામીનો ખતરો" entertainment,"આમિર ખાનની ફિલ્મ ધૂમ 3નું ફીવર માથે ચડી પોકારી રહ્યું છે . આમિરે ધૂમ 3 બ્રાન્ડનું લેવલ વધુ હાઈ કરી નાંખ્યું છે . ફિલ્મે અત્યાર સુધી ઑફિસિયલી 500 કરોડ કરતા વધુ કમાણી કરી લીધી છે . માત્ર ભારત જ નહીં , ઓવરસીઝમાં પણ ધૂમ 3એ સફળતાના ઝંડા ગાડ્યાં છે . સરવાળે 20 ડિસેમ્બરે રિલીઝ થયા બાદ 18 દિવસનું અધિકૃત કલેક્શન 500 કરોડ કરતા વધુ છે , પણ ધૂમ 3ની આ સફળતાનો સમગ્ર શ્રેય આમિર ખાનને જ અપાઈ રહ્યો છે અને આ બાબતથી ક્યાંકને ક્યાંક અભિષેક બચ્ચન તેમજ ઉદય ચોપરાને માઠુ લાગી રહ્યું છે . આમ છતાં અભિષેકના કામને હળવાશથી લેવાને કોઈ કારણ નથી . ધૂમ 3 ફિલ્મમાં અભિષેક બચ્ચન અને ઉદય ચોપરા ઉપરાંત કૅટરીના કૈફ પણ મુખ્ય ભૂમિકામાં હતાં , પરંતુ અભિષેક અને ઉદયનું પાત્ર કંઈ ખાસ નજરે ન ચડ્યું . એમ લાગ્યું કે જાણે આખી ફિલ્મ આમિર ખાન ઉપર જ કેન્દ્રિત થઈ ગઈ છે . જોકે અભિષેકે એક ઇંટરવ્યૂ દરમિયાન જણાવ્યુ હતું કે ધૂમ 3 તેમની ફિલ્મ છે અને તેઓ જ ધૂમ 3ના હિરો છે , પરંતુ ફિલ્મ જોયા બાદ લોકોને લાગ્યું કે ધૂમ 3નો મતલબ આમિર ખાન સિવાય કંઈ જ નથી ." entertainment,"સુનીલ ગ્રોવરનું પાત્ર ગુથ્થી લોકોને ઘણું પસંદ છે . તેમની કવિતાઓ ખાસ કરીને લોકોને હસવા માટે મજબૂર કરી દે છે . સુનીલ ગ્રોવર શો છોડશે તો શોમાં તેની ઉણપ વર્તાશે , પરંતુ કપીલ તેની ખોટ ના સાલે તેવા પ્રયત્નો કરશે . આમપણ કપીલ શર્મા પોતાના શોને વધુ હિટ કરાવવા માટે હરસંભવ પ્રયાસો કરી રહ્યો છે . કપિલ શર્મા હવે ક્રિકેટર સચિન તેંડુલકરને પોતાના શોમાં બોલાવવા માગે છે . કપિલ , સચિન તેંડુલકરનો મોટો પ્રશંસક છે અને તે ઇચ્છે છે કે સચિન ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ કૉમેડી નાઇટ્સના શોમાં પણ આવે . કપીલ શર્માએ તાજેતરમાં જ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે , સચિન તેંડુલકરની રમવાની સ્ટાઇલ સારી છે . તેમની શૈલી અદ્ભૂત છે . તાજેતરમાં જ તેમણે નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો છે , હું તેમનું સન્માન કરું છું . હું ઇચ્છું છું કે નિવૃત્તિ બાદ સચિન તેંડુલકર એકવાર મારા શોમાં આવે , જો સચિન મારા શોમાં આવશે તો મારા માટે તેનાથી મોટી કોઇ ખુશી નહીં હોય ." sports,"બીસીસીઆઇ અધ્યક્ષ શ્રીનિવાસનએ ગઇકાલે ચેન્નાઇમા યોજાયેલી બેઠકબાદ જણાવ્યું કે મીટીંગ સરળતાથી યોજાઇ ગઇ , અને કોઇએ પણ મારી પાસે રાજીનામાની માંગ નથી કરી . તેમણે એ વાતનો ઇનકાર કર્યો છે કે પંજાબ ક્રિકેટ એસોશિએશનના અધ્યક્ષ આઇ એસ બિન્દ્રાએ બેઠકમાં તેમના રાજીનામાની માંગ કરી છે . તેમણે સ્પોટ ફિક્સિંગમાં તપાસ થવા સુધી પોતાને તપાસ ચાલે ત્યાં સુધી પોતાના પદથી દૂર રહેવાને અસાધારણ ગણાવ્યું છે . તેમણે જણાવ્યું કે મારા કામ ન કરવા સુધી જગમોહન ડાલિમિયા તેમનો પદભાર સંભાળશે . તેમણે જણાવ્યું કે સંજય જગદલે અને અજય શિર્કેને પણ રાજીનામુ પરત લેવાનો આગ્રહ કર્યો છે , જેમણે શુક્રવારે પોતાનું રાજીનામું બોર્ડને આપી દીધું હતું . મીડિયા દ્વારા સ્પોટ ફિક્સિંગ મામલામાં નિષ્પક્ષ તપાસ કરવામાં આવશે , એવા સવાલ પર કહેવાયું કે આ એક અયોગ્ય પ્રશ્ન છે . હું આ અંગે કંઇ કહેવા નથી માંગતો . શ્રીનિવાસન પર તેમના જમાઇ ગુરુનાથ મયપ્પનનું નામ સ્પોટ ફક્સિંગમાં આવ્યા બાદ તેમના રાજીનામાની વાત થઇ રહી હતી . જેને લઇને તેમણે કેટલીક શર્તો પણ રાખી હતી . જેને બોર્ડના અન્ય સભ્યોએ માનવાનો ઇનકાર કરી દીધો હતો . માટે કહેવાઇ રહ્યું છે કે ડાલમિયાને કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે ." business,"નાણાં વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલા આ બિલમાં ડિલિવરી બેઈઝ ટ્રાન્ઝેકશન અને કરન્સી ડેરિવેટિવ્ઝ પર 0.001 ટકાના દરે સ્ટેમ્પ ડ્યૂટી લગાવવાનો પ્રસ્તાવ છે . જ્યારે ક્લિયરન્સ લિસ્ટ , ટ્રાન્સફર ડીલ અને ફ્યૂચર અને ઓપ્શન પર 0.003 ટકાના દરે સ્ટેમ્પ ડ્યૂટી લગાવવાની યોજના છે . આ રેટ અગ્રણી રાજ્ય દ્વારા જુદા જુદા સોદાઓ પર વસૂલવામાં આવતી સ્ટેમ્પ ડ્યૂટી કરતા ઘણી ઊંચી છે , પરંતુ રાજ્ય દ્વારા બે વર્ષે પહેલાં સૂચવાયેલા 0.005 ટકાના એકસમાન દર કરતાં ઘણા ઓછા છે . જોકે બજાર સાથે સંકળાયેલા લોકોના વિરોધના કારણે નવા દર અધિસૂચિત થઈ શકયા નથી . નાણાં વિભાગના ઉચ્ચ અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે કેટલાંય રાજ્યની સરકાર શેરબજાર સાથે સંકળાયેલા કારોબારના સોદા પર સ્ટેમ્પ ડ્યૂટી વસૂલતી નથી . બજારના નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે એકસમાન સ્ટેમ્પ ડ્યૂટી વસૂલવાની વ્યવસ્થાના કારણે સોદાની સંખ્યામાં વધારો થશે . એટલું જ નહીં ઈક્વિટી બજારમાં સોદાની પારદર્શિતા વધશે તથા ટેક્સચોરી પણ અટકાવી શકાશે . પ્રસ્તાવિત વ્યવસ્થા અંતર્ગત જમા લેવામાં આવેલ સ્ટેમ્પ ડ્યૂટીની રકમનો કેટલાક હિસ્સો રાજ્યને આપવામાં આવશે કે જે રાજ્યના લોકો સેલર હશે . વર્તમાન સમયમાં આ પ્રકારની ડ્યૂટીથી મહારાષ્ટ્રને સૌથી વધુ ફાયદો થઈ રહ્યો છે . કુલ વાર્ષિક સ્ટેમ્પ ડ્યૂટીમાંથી શેરબજાર સાથે જોડાયેલા કારોબારનો હિસ્સો 50 ટકા છે . તે સિવાય ગુજરાત , રાજસ્થાન , ઉત્તર પ્રદેશ અને દિલ્હી રાજ્યને પણ તેનો ફાયદો થઈ રહ્યો છે . બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે બજારમાંથી ઊંચા ટેક્સ ભારણને લઈને નાના રોકાણકાર બજારથી વિમુખ થઈ રહ્યા છે . દેશભરમાં એકસમાન ટેક્સ વ્યવસ્થા અમલી બનવાના કારણે જુદા જુદા રાજ્ય વચ્ચે સ્ટેમ્પ ડ્યૂટી ટેક્સમાં જે અંતર છે તેમાં ઘટાડો આવશે અને આ વ્યવસ્થાના કારણે સ્ટેમ્પ ડ્યૂટીની ટેક્સચોરી પણ અટકશે ." entertainment,"અભિનેત્રી લીઝા હૅડન આજકાલ પોતાની આવનાર ફિલ્મ ધ શૌકીન્સને લઈને ખૂબ જ મહેનત કરી રહ્યા છે . ફિલ્મમાં અક્ષય કુમાર ગેસ્ટ અપીરિયંસમાં છે . જોકે લીઝા હૅડન માટે અભિષેક શર્મા દિગ્દર્શિત ધ શૌકીન્સ પ્રથમ લીડ રોલ ધરાવતી ફિલ્મ ગણાશે . તેઓ અગાઉ ક્વીન ફિલ્મમાં કંગના રાણાવત સાથે સહાયક કલાકાર તરીકે કામ કરી ચુક્યાં છે . ધ શૌકીન્સ ફિલ્મમાં અન્નુ કપૂર , પિયૂષ મિશ્રા તથા અનુપમ ખેર પણ છે . અહીં અમે આપને બતાવવા જઈ રહ્યા છે ધ શૌકીન્સના સેટ પરથી લીઝા હૅડનના એક્સક્લુઝિવ પિક્ચર્સ . લીઝા ધ શૌકીન્સ માટે નવો રેસી ( સુરમ્ય ) ધર્યો છે . તેઓ પૂલમાં સ્મૉકિંગ અને ડાન્સિંગ કરતા દેખાઈ રહ્યા છે . આ તસવીરોમાં લીઝા હૅડન સુપર હૉટ જણાય છે અને આપણી અંદર ફિલ્મમાં તેમના રોલ અંગેની જિજ્ઞાસા વધારે છે . નોંધનીય છે કે ધ શૌકીન્સ 1982માં આવેલી બાસુ ચૅટર્જી દિગ્દર્શિત શૌકીન ફિલ્મની રીમેક છે . જૂની શૌકીનમાં અશોક કુમાર , ઉત્પલ દત્ત , એ કે હંગલ , રતિ અગ્નિહોત્રી તથા મિથુન ચક્રવર્તી લીડ રોલમાં હતાં . લીઝા હૅડન ધ શૌકીન્સ લીઝા હૅડન માટે પ્રથમ પડકાર છે , કારણ કે આ તેમનો લીડ રોલ ધરાવતી પહેલી ફિલ્મ છે . હૉટ લીઝા લીઝા હૅડનની છેલ્લી ફિલ્મ ક્વીન હતી . સપોર્ટિંગ રોલ કરવા છતાં તેમણે દર્શકોને ઇમ્પ્રેસ કર્યા હતાં . લીઝા સ્મૉકિંગ એક પૂલમાં સ્મૉકિંગ અને ડાન્સિંગ કરતાં લીઝા . આ તસવીર જોઈ લાગે છે કે ફિલ્મમાં લીઝાનું પાત્ર બૅડ ગર્લ તરીકેનું હશે . અહા ! અહાના ધ શૌકીન્સમાં લીઝા હૅડનના પાત્રનું નામ અહાના છે અને લાગે છે ફિલ્મમાં તેમનો રોલ સ્ટીમી હશે . તસવીરો તો જોઈ લીધી ને ? ચાલો જુઓ હવે વીડિયો પણ" business,"નવી દિલ્હી , 8 ઓક્ટોબર : ભારતી એન્ટરપ્રાઇઝ અને વોલ માર્ટ સ્ટોર્સે પોતાની ભાગીદારી અંગે ચાલી રહેલી અટકળો પર વિરામ મુકતા સ્પષ્ટતા કરી છે કે તેઓ છૂટક એટલે કે રિટેલ ક્ષેત્રમાં સ્વતંત્ર વેપાર કરવા માટે અલગ થઇ રહ્યા છે . આ પ્રકારે રિટેલ બિઝનેસ કરવા માટે અમેરિકન રિટેલ બિઝનેસ કંપની વોલ માર્ટ 50:50ના જથ્થાબંધ સંયુક્ત બિઝનેસમાં પોતાના ભારતીય પાર્ટનર પાસેથી ભાગીદારીમા તેનો હિસ્સો ખરીદી લેશે . આ અંગે રજૂ કરવામાં આવેલા એક સંયુક્ત નિવેદનમાં બંને કંપનીઓએ જણાવ્યું છે કે તેમની વચ્ચે ભારતમાં સ્વતંત્ર રીતે અલગ વેપાર માળખાની માલિકી કરવા માટે સહમતિ તૈયાર થઇ છે . આ કારણે તેઓ રિટેલ બિઝનેસમાં પોતાની ફ્રેન્ચાઇઝી અંગેની સમજુતીનો અંત લાવવા માટે તૈયાર થયા છે . નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ સમજુતી પાક્કી સમજુતીનો અંતિમ સ્વરૂપ આપવા તેમજ જરૂરી નિયમાનુસાર મંજુરી મેળવવા પર અમલી બનશે . આ નવી સમજુતી અંગે જરૂરી મંજુરીઓ મળી ગયા બાદ વોલમાર્ટ સંયુક્ત સાહસ કંપની ભારતી વોલમાર્ટ પ્રાઇવેટ લિમિટેડમાં ભારતીની ભાગીદારી ખરીદશે . જેનાથી આ જથ્થાબંધ કારોબારી સાહસ પર વોલમાર્ટની 100 ટકા માલિકી સ્થાપિત થશે . આ ઘટનાક્રમ અંગે માહિતી આપતા ભારતી એન્ટરપ્રાઇસના વાઇસ ચેરમેન અને પ્રબંધ નિર્દેશક રાજન ભારતી મિત્તલનું કહેવું છે કે ભારતી એક વિશ્વસનીય રિટેલ ચેઇન બનાવવા માટે પ્રતિબદ્ધ છે . તે માટે તમામ પ્રકારે ભારતી રિટેલમાં રોકાણ ચાલુ રાખવામાં આવશે . અમારી પાસે 212 સ્ટોર્સની સાથે વેપારને મજબૂત કરી ગ્રાહકોને ખુશ કરવા માટે મજબૂત મંચ છે ." entertainment,"પહેલા એવી ખબર હતી કે કિક 2 ફિલ્મમાં સલમાન ખાન સાથે જેકલીન ફર્નાન્ડિઝ જોવા મળશે . પરંતુ હવે એવું લાગી રહ્યું છે કે આ ફિલ્મમાં નવી એન્ટ્રી થઇ રહી છે . લેટેસ્ટ રિપોર્ટ અનુસાર કિક 2 ફિલ્મમાં સલમાન ખાન સાથે એમી જેક્શન જોવા મળશે . ખરેખર કિક 2 ફિલ્મમાં જેકલીન ફર્નાન્ડિઝ નો ટ્રેક પૂરો થઇ ગયો હતો . એટલા માટે કિક 2 ફિલ્મમાં જેકલીન ફર્નાન્ડિઝ ને બદલે બીજી અભિનેત્રીને લેવા માટે ચર્ચા થઇ છે . કિક 2 ફિલ્મની કહાની અને રોલ પહેલી ફિલ્મ કરતા બિલકુલ અલગ હશે એટલા માટે એમી જેક્શન આ રોલ માટે ફિટ બેસે છે . સાજીદ નડિયાદવાલા ના નિર્દેશનમાં બની રહેલી આ ફિલ્મ 2019 ક્રિસ્મસ દરમિયાન રિલીઝ થશે . વર્ષ 2014 સુપર હિટ ફિલ્મ કિક બાદ સલમાન ખાન ફેન્સ ખુબ જ આતુરતાપૂર્વક આ ફિલ્મની રાહ જોઈ રહ્યા છે . સૂત્રો મુજબ આ ફિલ્મમાં સલમાન ખાન ડબલ રોલમાં જોવા મળશે , એક હીરો અને બીજો વિલન ." business,"ભારતની સૌથી મોટી આઇટી કંપની ઇન્ફોસિસના સીઇઓ વિશાલ સિક્કાએ તેમના સીઇઓ પદથી રાજીનામું આપી દીધુ જેને બોર્ડ ઓફ ડિરેક્ટરે સ્વીકારી પણ લીધું . જો કે આ ખબરના મોટી અસર ભારતથી લઇને અમેરિકાના શેરમાર્કેટ પર જોવા મળી . રાજીનામાં પછી કંપનીના શેયરમાં મોટો ઘટાડો જોવા મળ્યો . સેન્સેક્સ અને નિફ્ટી બન્નેમાં ઇન્ફોસિસના શેયરોમાં લગભગ 11 ટકાનો ઘટાડો જોવા મળ્યો . વળી , ઇન્ફોસિસના બોર્ડ અને ફાઉન્ડરનો આ વિવાદ તેવી વખતે બહાર આવ્યો છે જ્યારે દેશમાં સોફ્ટવેર સેક્ટરમાં મંદી જોવા મળી રહી છે . બીજી તરફ અમેરિકામાં ઇમિગ્રેશન નીતિમાં પણ સંભવિત બદલાવના પગલે દેશની આઇટી કંપનીઓની સામે મોટી મુશ્કેલી ઊભી છે . તેવી પણ સંભાવનાઓ છે કે ડોનાલ્ડ ટ્રંપની નીતિઓના કારણે ભારતીય કંપનીઓ અમેરિકામાં પર્યાપ્ત વર્કર્સ નથી મોકલી શકતા જેના કારણે ભારતીય કંપનીઓને ક્લાયન્ટને સર્વિસ આપવામાં મોટી મુશ્કેલી પડી રહી છે . યુરોપમાં પણ વિશાલ સિક્કાના રાજીનામા પછી શેર બજાર ખરાબ રીતે નીચે આવેલું જોવા મળ્યું . ઇન્ફોસિસના શેયરમાં લગભગ 500 આંકડાનો ઘટાડો નોંધાયેલો જોવા મળ્યો . વળી નિફ્ટી પણ 1 ટકો ઘટ્યો હતો ." entertainment,"બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચનની દોહિત્રી નવ્યા નવેલી નંદા 21 વર્ષની થઈ ગઈ છે . નવ્યા શ્વેતા બચ્ચન અને નિખિલ નંદાની પુત્રી છે . પુત્રીના જન્મદિવસ પર મા શ્વેતા બચ્ચને તેના માટે એક ભાવુક પોસ્ટ લખી છે . નવ્યાના મામા અભિષેક બચ્ચને પણ ઈન્સ્ટાગ્રામ પર પોતાની પ્યારી ભાણીને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી છે . આ દરમિયાન તેમનો એક વીડિયો વાયરલ થઈ ગયો છે જેમાં તે પોતાના પરિવાર સાથે જન્મદિવસ મનાવી રહી છે . આ વીડિયોમાં નાની આરાધ્યા પણ છે . આ પણ વાંચોઃ BREAKING : સિંગર મીકા સિંહની દુબઈમાં ધરપકડ , કિશોરીની છેડતીનો આરોપ આ પણ વાંચોઃ પ્રિયંકા ચોપડાને પછાડીને દીપિકા પાદુકોણ બની એશિયાની સૌથી સેક્સી મહિલા" business,"જો તમે ટ્રેન દ્વારા મુસાફરી કરો છો તો તમારા માટે સારા સમાચાર છે . તમે રેલવે ટિકિટ બુકિંગ માટે ડિસ્કાઉન્ટ મેળવી શકો છો . ઘણા લોકોને રેલ્વે ટિકિટ બુકિંગમાં ડિસ્કાઉન્ટ આપે છે . મોટા ભાગના લોકો ફક્ત એટલું જ જાણે છે કે ટ્રેન ટિકિટોની બુકિંગમાં માત્ર વૃદ્ધ અને દિવ્યાંગોને ટિકિટોમાં છૂટ મળે છે , પરંતુ આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે કે વૃદ્ધ અને વિકલાંગ ઉપરાંત આ કેટેગરીમાં બીજા લોકોનો પણ સમાવેશ થાય છે . રેલવેની વેબસાઇટ પર આપેલી માહિતી અનુસાર ટ્રેન ટિકિટોની બુકિંગમાં બેરોજગાર યુવાનો ને પણ છૂટ મળે છે . રેલવે બેરોજગાર યુવાનોને ટિકિટ પર 50 થી 100 ટકા ડિસ્કાઉન્ટ આપે છે . જો કે આ માટે કેટલાક નિયમો છે . જેવા કે . . ." entertainment,"આ વર્ષનો કૌન બનેગા કરોડપતિ આ રવિવારે સમાપ્ત થઈ જશે , પણ જતા - જતા આ શો આ સેશનની પ્રથમ મહિલા કરોડપતિ ભારતને આપતો જશે . આ સીઝનના પ્રથમ મહિલા કરોડપતિ બન્યા છે ઉત્તર પ્રદેશના ફિરોઝ ફાતમા કે જેઓ આ શોમાં એક કરોડ રુપિયા જીતશે . ફાતમાનો એપિસોડ રવિવારે જ પ્રસારિત તશે . કરોડપતિ બનયા બાદ શોના હોસ્ટ અમિતાભ બચ્ચન ઊભા થઈ ફાતમાને અભિનંદન આપશે . ફિરોઝ ફાતમા પોતાના જ્ઞાન સાગરનો શ્રેય અખબારો તેમજ ન્યુઝ ચૅનલોને આપે છે . આ યુવાન મહિલા હવે પોતાના પિતાના ઋણમાંથી પરિવારને છુટકારો અપાવવા માંગે છે . આ સાથે જ સ્વર્ણિમ ભવિષ્ય બનાવવા માટે અભ્યાસમાં થોડાક પૈસા લગાવવા માંગે છે . કેબીસીમાં આવવું , એક કરોડ રુપિયા જીતવું અને અમિતાભ બચ્ચન સાથે ગેમ રમવી . . . આ બધુ ફિરોઝ ફાતમા માટે કોઈ સપનાથી ઓછુ નહોતું . ફાતમાએ જણાવ્યું - મને હવે લાગે છે કે જાણે હું કોઈ સપનું જોઈ રહી હોઉં કે જે ખૂબ સુંદર છે ." sports,"શ્રીલંકા સાથેની બીજી ટેસ્ટ મેચમાં ભારતની ઓપનિંગ જોડી વિશે ઘણા સમયથી અફવાઓ ચાલી રહી હતી . આ વાતની ઉત્સુક્તા પર પુર્ણવિરામ મુક્તા કપ્તાન વિરાટ કોહલીએ મેચ પહેલા બુધવારે યોજાયેલી પત્રકાર પરિષદમાં જણાવ્યુ હતુ કે , કોલંબોમાં યોજાનાર બીજી ટેસ્ટ મેચમાં અભિનવ મુકુંદના સ્થાને કે . એલ . રાહુલ ઓપનિંગ કરશે . ટીમમાંથી કોણ જશે બહાર ? બીજી ટેસ્ટ મેચમાં કે . એલ . રાહુલ અને શિખર ધવન સાથે મળીને ઓપનિંગ કરશે . જ્યારે કપ્તાનને પુછવામાં આવ્યું કે , રાહુલની વાપસી સાથે ટીમમાંથી કયા ખેલાડીને બહાર કાઢવામાં આવશે ? તો આના જવાબમાં વિરાટ કોહલીએ કોઇપણ ખેલાડીનું નામ નહોતું આપ્યું , પરંતુ તેમણે કહ્યું કે , આ નિર્ણય ટીમના હિતમાં છે . ખેલાડીઓ પર નહીં પડે કોઈ ખરાબ અસર ટીમ પર આ નિર્ણયની અસર વિશે જણાવતાં વિરાટ કોહલીએ કહ્યું કે , જેને પણ આ તક આપવામાં આવી છે તેના કારણે બીજા ખેલાડીઓ પર તેની કોઈ ખરાબ અસર નહીં થાય . ટીમના બધા ખેલાડી પ્રોફેશનલ છે . તેઓ જોણે છે કે ટીમ માટે કઈ વસ્તુ વધારે સારી સાબિત થઈ શકે છે . અગાઉની મેચમાં તમે જોયું જ હશે કે ઓપનિંગ સારી રહેવાથી ટીમને ઘણો ફાયદો થયો હતો . શું અભિનવ મુકુંદ જશે બહાર ? અત્રે ઉલ્લેખનીય છે કે , ભારત વિ . શ્રીલંકાની પહેલી મેચમાં મુકુંદ સારુ પ્રદર્શન કરી શક્યો ન હતો . પહેલી મેચમાં અભિનવે 12 રન કર્યા હતા અને ત્યાર બાદની બીજી પારીમાં તેણે વિરાટ સાથે મળીને 81 રન બનાવ્યા હતા . આ નબળા પ્રદર્શન બાદ તેનુ બહાર નીકળવું નક્કી છે . તો બીજી તરફ રાહુલ તેની બિમારીના કારણે પહેલી મેચમાં જોડાઈ શક્યો ન હતો . પરંતુ હવે તેની તબિયત સારી છે અને આવનારી મેચમાં તે ઓપનિંગ બેટ્સમેન તરીકે જોવા મળશે ." entertainment,"બૉલીવુડ અભિનેત્રી ટિસ્કા ચોપરા અંકુર અરોરા મર્ડર કેસ ફિલ્મ બાદ હવે કિસ્સા ફિલ્મમાં દેખાશે . ફિલ્મમાં તેઓ ઇરફાન ખાન સાથે દેખાશે . કિસ્સા ફિલ્મના સ્ક્રીનિંગ માટે ટિસ્કા ચોપરા આગામી ટોરંટો ઇંટરનેશનલ ફિલ્મ સમારંભ એટલે કે ટીઆઈએફએફમાં રેડ કારપેટ ઉપર ચાલશે . છેલ્લે અંકુર અરોરા મર્ડર કેસ ફિલ્મમાં દેખાયેલાં ટિસ્કા ચોપરા ટીઆઈએફએફમાં પહેરાનારી પોતાની ડ્રેસ અંગે દ્વિઘામાં છે . ટિસ્કાએ ટ્વિટર પર લખ્યું - થોડાંક જ દિવસોમાં ઇરફાન ખાન અને મારા દ્વારા અભિનીત એક નવી ફિલ્મ કિસ્સા સાથે ટીઆઈએફએફ 2013ની આગેવાની કરવાની છે . હું રેડ કારપેટ ઉપર શું પહેરું , ખૂબ જ મુંઝવણમાં છું . કિસ્સા ફિલ્મ એક ભારતીય - યૂરોપીય સંયુક્ત સાહસ હેઠળ બનનાર ફિલ્મ છે . ફિલ્મમાં ઇરફાન ખાન એક પંજાબી પુરુષની ભૂમિકામાં દેખાશે . ફિલ્મમાં તેઓ 1947માં થયેલ દેશના ભાગલા બાદના જીવન સાથે તાલમેલ બેસાડવાનો પ્રયત્ન કરતાં દેખાશે . ટીઆઈએફએફ 5મીથી 15મી સપ્ટેમ્બર સુધી યોજાશે ." business,રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ મીડિયા ખબરોનું ખંડન કરતા સ્પષ્ટતા આપી છે કે બેંક ખાતાને આધાર કાર્ડ સાથે જોડવું ફરજિયાત છે . ઉલ્લેખનીય છે કે આ પહેલા ખબર આવી હતી કે આરબીઆઇ આધાર કાર્ડને બેંક ખાતા સાથે જોડવાના કોઇ આદેશ નથી આપ્યા . ખાલી સરકારના આદેશ જ છે કે આધાર અને ખાતાને જોડવામાં આવે . આ કારણે લોકો હજી પણ આરબીઆઇના આદેશની રાહ જોતા બેંક ખાતા અને આધાર કાર્ડને જોડવાનું ટાળી રહ્યા હતા . પણ હવે આ મામલે આરબીઆઇ એ આજે સ્પષ્ટતા આપી છે અને જણાવ્યું છે કે બેંક ખાતા જોડે આધાર કાર્ડ જોડવું ફરજીયાત છે . મીડિયામાં આરટીઆઇના હવાલે આ ખબરને ફેલવવામાં આવી હતી . જે પર રિઝર્વ બેંક જણાવ્યું કે મની લોન્ડ્રિંગ કાનૂન હેઠળ બેંક ખાતાને આધાર કાર્ડ સાથે લિંક કરાવવું અનિવાર્ય છે . તમને જણાવી દઇએ કે બેંકમાં ખાતુ ખોલવા માટે આધાર કાર્ડ અને પાનકાર્ડ નંબર આપવો અને તેને આ બન્ને સાથે જોડવું હવે અનિવાર્ય થઇ ગયું છે . ઉલ્લેખનીય છે કે હવે ઇનકમ ટેક્સ રિટર્નથી લઇને મોબાઇલ સિમ કાર્ડમાં પણ આધાર અનિવાર્ય છે . જો કે આ મામલે સુપ્રીમ કોર્ટે હજી પણ 6 યોજનાઓ સાથે જ આધારને જોડવાની વાત કરી છે . પણ તેમ છતાં આરબીઆઇ દ્વારા તેના ખાતા ગ્રાહકોને આધાર કાર્ડ અને બેંકના ખાતાને જોડવાનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે . entertainment,"હૃતિક રોશન અને સુઝાન વચ્ચે છુટાછેડા થઈ ગયાં છે . 2013ના અંતે જ્યારે હૃતિક - સુઝાન જુદા થવા અંગેના સમાચાર જેટલા શૉકિંગ હતા , તેટલા શૉકિંગ હૃતિક - સુઝાનના છુટાછેડાના સમાચાર નહોતાં , પરંતુ આ વખતે શૉક્ડ થવાની વાત હતી સુઝાન દ્વારા 400 કરોડની ખાધા - ખોરાકી માંગવા અંગેના સમાચાર . જાણવા મળ્યુ હતું કે સુઝાને હૃતિક રોશન પાસે ખાધા - ખોરાકી પેટે 400 કરોડની માંગ મૂકી હતી , પરંતુ વકીલોની દલીલો બાદ હૃતિક રોશન - સુઝાન વચ્ચે 380 કરોડમાં છુટાછેડા અંગેની સહમતિ થઈ ગઈ . દરમિયાન આજે હૃતિક રોશનના એક નજીકના મિત્ર તરફથી ગઈકાલે મોડી રાત્રે એક નિવેદન બહાર પાડવામાં આવ્યું કે જેમાં હૃતિક - સુઝાન વચ્ચે પૈસા અંગે કોઈ પણ ઝગડો હોવાનો કે 380 - 400 કરોડની ખાધા - ખોરાકીની માંગણી અંગેના સમાચારોને રદિયો અપાયો છે . નિવેદનમાં જણાવ્યા મુજબ - ફાઇનાંસ કે પૈસા અત્યાર સુધી હૃતિક - સુઝાન વચ્ચે ક્યારેય નથી આવ્યાં અને નથી પૈસા અંગે કોઈ પણ જાતનો અણબનાવ . બંનેએ બધુ કોર્ટ ઉપર છોડ્યુ છે , કારણ કે આ મૅટર તેમના માટે આટલી મહત્વની નથી . હૃતિક જે પ્રકારના માણસ છે , તેમના માટે પોતાનો પરિવાર અને પરિવારની ખુશી ખૂબ જ મહત્વ ધરાવે છે . તેઓ પોતાના પરિવાર માટે કંઈ પણ કરી શકે છે . બીજી બાજુ , સુઝાન પણ એક કામકાજી મહિલા છે કે જેમનો પોતાનો બિઝનેસ છે . તેથી બંને વચ્ચે પૈસા કે સેટલમેંટ અંગે અણબનાવ થયાના સમાચારો તથ્યહીન છે અને સમ્પૂર્ણપણે ખોટા છે . જોકે આ તો વાત થઈ સ્પષ્ટીકરણની . સુઝાને કેટલા પૈસા માંગ્યા અને હૃતિકે કેટલા પૈસા આપ્યા ? આ પ્રશ્ને સફાઈ આપવાની પ્રક્રિયા સામાન્ય બાબત છે , પરંતુ આ તમામ ભાંજગડના પગલે સુઝાન ટ્વિટર ઉપર મજાકનું પાત્ર ચોક્કસ બની ગયા છે . સુઝાન દ્વારા 400 કરોડની માંગણી કરાઈ હોવાના સમાચાર બાદ સુઝાન અંગે ટ્વિટર પર ખૂબ જ મજાનું જોકિંગ શરૂ થયુ છે . ચાલો આપને પણ વંચાવીએ સુઝાન કેવી રીતે ટ્વિટર પર જોક્સ બની ગયા છે ." sports,પૂર્વ ભારતીય ક્રિકેટર વિનોદ કાંબલીને હાર્ટએટેક આવ્યું હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે . તેમને મુંબઇની લીલાવતી હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે . તેમને આઇસીયૂમાં ભરતી કરાવવામાં આવ્યા છે . વર્ષ 2012માં વિનોદ કાંબલીની બે રક્તવાહિનીઓની એંલિયોપ્લાસ્ટી કરાવવામાં આવી હતી . 18 જાન્યુઆરીના રોજ 42 વર્ષના થનાર વિનોદ કાંબલીએ ભારત તરફથી 17 ટેસ્ટ અને 104 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે . પોતાની બેસ્ટિંગના કારણે ચર્ચમાં રહેલા વિનોદ કાંબલી ક્રિકેટથી અલગ થયા બાદ ટીવી શોમાં જોવા મળ્યા હતા . વિનોદ કાંબલી સ્કૂલમાં ક્રિકેટ દરમિયાન સચિન તેંડુલકરની સાથે 664 રનોના વર્લ્ડ રેકોર્ડ ભાગેદારી માટે જાણીતા છે . તાજેતરમાં જ સચિનની નિવૃતિ બાદ વિનોદ કાંબલીએ કહ્યું હતું કે તેમને એ વાતનું દુખ છે કે સચિન તેંડુલકરે વિદાય સમારંભમાં તેમને આમંત્રણ ન આપ્યું . entertainment,"શું એવું શક્ય છે કે કોઈ વ્યક્તિ પ્રવાસ તો ટ્રેનના સ્લીપર કોચમાં કરે અને જ્યારે ઉતરાણ જનરલ ડબ્બામાંથી કરે ? આપનો જવાબ ચોક્કસ નામાં જ હશે . એવું કઈ રીતે શક્ય બને . આજકાલ તો સામાન્ય મધ્યમ વર્ગના લોકો પણ જનરલ ડબ્બાની ભીડથી બચવા રિઝર્વેશન ટિકિટ લઈને જ મુસાફરી કરે છે , ત્યારે આ તો રોહિતનો રાહુલ છે . એ વળી કઈ રીતે જનરલ ડબ્બામાં મુસાફરી કરે અને સાચે જ તેણે ચેન્નઈ એક્સપ્રેસ જેવી સુપરહિટ ટ્રેનમાં પ્રવાસ તો સ્લીપર કોચમાં જ કર્યો , પણ જ્યારે ઉતરાણ જનરલ ડબ્બામાંથી કર્યો . હવે આ ભૂલ કોણે કરી હશે ? અમે વાત કરી રહ્યાં છીએ ફિલ્મ ચેન્નઈ એક્સપ્રેસની કે જેના એક દૃશ્યમાં આટલો મોટો ગોટાળો દેખાઈ આવ્યો હતો . રોહિત શેટ્ટીની આ ફિલ્મમાં શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણે હતાં અને ફિલ્મ તો સુપરિહટ રહી હતી , પરંતુ સ્લીપર કોચ - જનરલ કોચની આ ફની મિસ્ટેક ઉપર કદાચ કોઈનું ધ્યાન નહોતુ ગયું . શાહરુખ ખાન પોતાના પિતાની અસ્થિઓના વિસર્જન માટે ચેન્નઈ એક્સપ્રેસના સ્લીપર કોચમાં પ્રવાસ કરે છે . તે જ દરમિયાન તે દીપિકા પાદુકોણેને પણ હાથ દઈ ડબ્બામાં ખેંચી લે છે , પરંતુ જ્યારે તે દીપિકાના પિતાના ગામમાં ઉતરાણ કરે છે , ત્યારે તેમનો ડબ્બો જનરલ દર્શાવાય છે . આ તો શાહરુખની ધમાલ હતી , રજનીકાંત પણ આવી કમાલ કરવામાં પાવરઘા છે . રોબોટ ફિલ્મમાં રજનીકાંતની જે કારને ચિટ્ટી ડૅમેજ કરી નાંખે છે , તે બે મિનિટ બાદના દૃશ્યમાં ફરીથી નવી પેટી - પેક કાર બની જાય છે . એટલુ જ નહીં , રજનીકાંતની જ ફિલ્મ શિવાજી ધ બૉસમાં પણ કંઈક આવી જ કમાલ જોવા મળે છે . આપને વિશ્વાસ નથી થતો ? તો ચાલો આપને બતાવીએ ફિલ્મોની ફની મિસ્ટેક્સ :" business,ભારતીય સ્ટેટ બેંકના કાર્ડ ગ્રાહકો માટે ખુશખબરી છે . બુધવારથી એસબીઆઇએ તેના ગ્રાહકોને એક ભેટ આપી છે . જેના લીધે ભારતીય સ્ટેટ બેંકના ગ્રાહકો હવે ડિઝલ અને પેટ્રોલ સસ્તા ભાવે ખરીદી શકશે . ભારતીય સ્ટેટ બેંકે તેના કાર્ડ ગ્રાહકોને ફ્યૂઅલ સરચાર્જના કપાત દર આપ્યો છે . હાલ જે ફ્યૂઅલ સરચાર્જ 2.5 ટકા હતો તે ઘટાડીને હવે એસબીઆઇએ 1 ટકા કરી દીધો છે . એસબીઆઇએ આ પગલું તેલ કંપનીઓ દ્વારા કરવામાં આવેલા ઘટાડાને ધ્યાનમાં રાખીને કર્યું છે જેથી કરીને ડિઝિટલ ટ્રાંજેક્શનમાં પણ વધારો થાય . Read also : કેમ 29.54 રૂપિયામાં મળતું પેટ્રોલ તમને 77.50 રૂપિયા મળે છે ? જાણો જો કે આનાથી ગ્રાહકોને કોઇ ખાસ ફાયદો નહીં થાય કારણ કે પહેલા પણ 2.5 ટકા સરચાર્જ પાછું આવતું હતું અને હવે 1 ટકા સરચાર્જ પાછું આવશે . પણ તેમ છતાં હાલ તો એસબીઆઇ તરફથી તમામ ગ્રાહકને તેવા મેસેજ મોકલવામાં આવી રહ્યા છે . અને જણાવવામાં આવ્યું છે કે 26 એપ્રિલથી આ નવા દર લાગુ પડશે . આમ જોવા જઇએ તો એક રીતે આ ઘટાડા કરીને એસબીઆઇ તેના ગ્રાહકોને પોતાની તરફ ખેંચવાનો પ્રયાસ કર્યો છે . entertainment,"ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીની ખૂબ જ હોટ અભિનેત્રી નિયા શર્મા આજકાલ દુબઈમાં પોતાની રજાઓ માણી રહી છે . હાલમાં જ નિયાની દુબઈમાં બિકીની પહેરેલી તસવીરો સામે આવી છે . જેમાં તે ખૂબ જ હોટ અંદાઝમાં નજરે પડી રહી છે . નિયા એ જાતે જ આ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે . નિયા આ પહેલા પણ પોતાની ઘણી તસવીરો સોશ્યિલ મીડિયા પર શેર કરી ચુકી છે . આપણે જણાવી દઈએ કે નિયા શર્માએ ટીવી સિરિયલ કાલીથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી . તેમને સ્ટાર પ્લસ પર "" એક હજારો મેં મેરી બહેના હૈ "" માં માનવીનો રોલ કર્યો હતો . નિયાની દુબઈની બિકીની તસવીરો કોઈ બોલિવૂડ અભિનેત્રીને પણ શરમાવી નાખે તેવી છે . નિયાએ તસવીરોમાં તેની ટોન બોડી પણ બતાવી છે . જે ભલભલા ને ઘાયલ કરી નાખે તેવી છે . તો એક નજર નિયાની આ તસવીરો પર . . ." sports,"માન્ચેસ્ટર , 7 ઑગસ્ટઃ માન્ચેસ્ટર ખાતે ભારત અને ઇંગેલન્ડ વચ્ચે શ્રેણીની ચોથી ટેસ્ટ મેચ રમાઇ રહી છે . ભારતે ત્રણ ફેરબદલ કરતા શિખર ધવન , મોહમ્મદ સમી અને રોહિત શર્માને પડતાં મુક્યા છે , જ્યારે તેમના સ્થાને ગૌતમ ગંભીર , વરુણ એરોન અને આર અશ્વિનનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે . જોકે વાત અહીં મેચ સંદર્ભિત કરવાની નથી . આપણે બધા એ વાતથી વાકેફ છીએ કે ભારતીય ક્રિકેટ ટીમના સુકાની મહેન્દ્ર સિંહ ધોની ફૂટબોલના બહુ મોટા ચાહક છે અને તેવામાં તેઓ વિશ્વના સૌથી જાણીત ફૂટબોલ ક્લબ માન્ચેસ્ટર યુનાઇટેડની જમીન પર હોય અને તેની મુલાકાત ના લે તે કેવી રીતે બને . ચોથી ટેસ્ટ પહેલા મહેન્દ્ર સિંહ ધોની પોતાની ટીમ સાથે માન્ચેસ્ટર યુનાઇટેડ ફૂટબોલ ક્લબની મુલાકાતે ગયા હતા . ધોનીની આગેવાનીમાં ટીમના ખેલાડીએ ટૂર ગાઇડની વાતનો ધ્યાન પૂર્વક સાંભળી અને આ વચ્ચે એક પળ એવી પણ આવી કે જ્યારે ભારતીય ખેલાડીઓ ભાવુક થઇ ગયા હતા . બીસીસીઆઇ ટીવી અનુસાર પ્રવાસની શરૂઆત માન્ચેસ્ટર યુનાઇટેડ ડ્રેસિંગ રૂમથી થઇ જ્યાં ટીમ સભ્યોની જર્સી ટિંગાળેલી હતી . ત્યારબાદ ખેલાડીઓ થિએટર ઓફ ડ્રીમ્સ પરિસર તરફ ગયા , જ્યાં ખેલાડીઓ 67000 દર્શકોની સામે રમે છે . આ અંગે વધુ જાણવા માટે તસવીરો પર ક્લિક કરો . માન્ચેસ્ટર ટેસ્ટઃ ભારતીયો કરશે અઝહર - દોશી જેવો કમાલ આ પણ વાંચોઃ - માઇકલ વૉને કહ્યું લગે રહો જિમ્મી , ભારત સામે સ્લેજિંગ ચાલું રાખ" entertainment,"બૉલીવુડમાં આમતો સુંદર એક્ટ્રેસની કોઈ કમી નથી પરંતુ કેટલીય એક્ટ્રેસ એવો ચાર્મ લઈને આવે છે કે વર્ષો વિતિ જાય પણ એમનો જાદૂ કમ ન થાય . આવી જ એક સુપરસ્ટાર એક્ટ્રેસ આજે પોતાનો 70મો જન્મદિવસ મનાવી રહ્યા છે પરંતુ આજે પણ જ્યારે તેઓ સામે આવે છે તો લોકોનું દિલ થમી જાય છે . બૉલીવુડની પહેલી ડ્રીમ ગર્લ છે આ સુપરસ્ટાર એક્ટ્રેસ . . . અત્યાર સુધીમાં તો તમે સમજી જ ગયા હશો કે અમે જેમની વાત કરી રહ્યા છીએ તે હેમા માલિની છે . બૉલીવુડની ડ્રીમ ગર્લની અંગત જિંદગી પણ કોઈ ફિલ્મી સ્ટોરીથી કમ નથી . પછી તે ધર્મેન્દ્ર હોય , તેમના લગ્ન હોય કે બૉલીવુડમાં એમની એન્ટ્રી અથવા તો રાજનીતિમાં એમની સફળતા હોય . હેમાની લાઈફ પૂરી રીતે ફિલ્મી છે . પોતાના જમાનામાં હેમા માલિની એ હદે સુંદર હતી કે બૉલીવુડના મોટામાં મોટા સ્ટાર હેમાના જ સપના જોવા લાગતા . બૉલીવુડના એક - બે નહિ બલે ત્રણ - ત્રણ સુપર સ્ટાર એમની સાથે લગ્ન કરવા માગતા હતા પરંતુ તેમનું દિલ આવ્યું તો માત્ર ધર્મેન્દ્ર પર જ ." business,"બુધવારે રૂપિયામાં મજબૂતીની શરૂઆત થઇ છે . ડોલર સામે રૂપિયો 24 પૈસા મજબૂત થઈને 74.15 રૂપિયા પ્રતિ ડોલર પર ખુલ્યો છે . જોવા જઇયે તો મંગળવારે રૂપિયો તેના સૌથી નીચલા સ્તરે બંધ થયો હતો . આપને જણાવી દઈએ કે મંગળવારે રૂપિયો 74.39 પર બંધ થયો હતો . રૂપિયો ગગડવાનું કારણ દુનિયાની બીજી કરન્સીના બાસ્કેટમાં ડોલરની મજબૂતી , આંતરરાષ્ટ્રીય બજારમાં તેલની કિંમતો પર વધારો અને વિદેશી રોકાણકારોના પૈસા કાઢવાના દબાણને કારણે રૂપિયો 74.34 પ્રતિ ડોલર પહોંચી ગયો હતો . વિકાસ કરી રહ્યું છે ભારત , વિકાસ દર 7.3 ટકા રહેવાનું અનુમાનઃ વર્લ્ડ બેંક આપને જણાવી દઈએ કે આ વર્ષે રૂપિયો 15 ટકા સુધી ગગડી ગયો છે . ક્રૂડની કિંમત વધવાથી , ટ્રેડ વોર , કેડ વધવાની આશંકા , ડોલરમાં મજબૂતી , અને રાજનૈતિક અસ્થિરતાને કારણે રૂપિયા પર દબાણ સતત વધી રહ્યું છે . આવનારા દિવસોમાં પણ રૂપિયામાં સુધારો થાય તેવું નથી દેખાઈ રહ્યું . મોદી સરકારની સોલર એપથી આ રીતે કરો કમાણી જયારે રૂપિયામાં થતા ઘટાડાને કારણે તેલ કંપનીઓને વિદેશથી તેલ મંગાવવા માટે ભારે કિંમત ચૂકવવી પડી રહી છે . તેને કારણે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો થવાની આશંકા વ્યકત કરવામાં આવી રહી છે . બેન્કિંગ , ઓટો , એફએમસીજી , ઓઇલ એન્ડ ગેસ અને પાવર સેક્ટર શેરમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે ." entertainment,"દર વરસની જેમ વર્ષ 2014માં પણ ડબ્બુ રતનાનીનું સેલિબ્રિટી કૅલેન્ડર તૈયાર થઈ ગયું છે અને તાજેતરમાં જ આ કૅલેન્ડર લૉન્ચ કરવામાં આવ્યું . લૉન્ચિંગ પ્રસંગે શાહરુખ ખાન સહિત અનેક સેલિબ્રિટીઓ હાજર રહી હતી . નોંધનીય છે કે લોકો પણ ડબ્બુ રત્નાનીના આ કૅલેન્ડરની આતુરતાપૂર્વક રાહ જોતાં હોય છે . વર્ષ 2014ના આ કૅલેન્ડરમાં સ્ટુડન્ટ ઑફ ધ ઈયરના ત્રણેય સ્ટાર્સ એટલે કે આલિયા ભટ્ટ , વરુણ ધવન અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ સ્થાન મેળવ્યું છે , તો ફરહાન અખ્તર અને પરિણીતી ચોપરાને પણ ડબ્બુએ પોતાના કૅલેન્ડરમાં જોડ્યાં છે . જૂના જોગીઓમાં અમિતાભ બચ્ચન , ઐશ્વર્યા રાય , કાજોલ , શાહરુખ ખાન , દીપિકા પાદુકોણે , અજય દેવગણ , અભિષેક બચ્ચન , અક્ષય કુમાર અને વિદ્યા બાલનનો સમાવેશ થાય છે . અક્ષય કુમાર તો ખાસ ગબ્બર ફિલ્મના લુકમાં આ કૅલેન્ડરમાં જોડવામાં આવ્યાં છે . દરમિયાન તાજેતરમાં જ યોજાયેલા કૅલેન્ડર લૉન્ચિંગ સમારંભમમાં શાહરુખ ખાન ઉપરાંત સોનાક્ષી સિન્હા , રાકેશ રોશન , અર્જુન રામપાલ , પ્રિયંકા ચોપરા અને બિગ બૉસ 7 વિજેતા ગૌહર ખાન સહિત અનેક જાણીતી હસ્તીઓએ હાજરી આપી હતી . તસવીરો જોવા નીચેનું સ્લાઇડર ફેરવતા જાઓ :" sports,"મુંબઇ , 10 ઓક્ટોબરઃ ક્રિકેટના સૌથી મહાન બેટ્સમેન સચિન તેંડુલકરે આખરે ક્રિકેટના મેદાનને અલવિદા કહેવાનો નિર્ણય કર્યો છે . તેમણે ગુરુવારે નિવૃત્તિની ઘોષણા કરતા કહ્યું કે , ઘરેલુ મેદાન પર તેમની 200મી ટેસ્ટ મેચ તેમની આંતરરાષ્ટ્રિય ક્રિકેટની અંતિમ મેચ હશે . આ વાત ભારતીય ક્રિકેટ બોર્ડએ એક પ્રેસ રીલીઝમાં કહી છે . જે અનુસાર સચિને પોતાની નિવૃત્તિની જાહેરાત બોર્ડને પત્ર થકી જણાવી છે . તેમની 200મી ટેસ્ટ મેચ વેસ્ટ ઇન્ડિઝ સામે રમાશે . આ મેચ મુંબઇ અથવા તો કોલકતામાંથી કોઇ એક સ્થળે રમાવાની છે . સચિને બીસીસીઆઇને પાઠવેલા પત્રમાં લખ્યું છે કે , મે મારા આખા જીવનમાં એક જ સ્વપ્ન જોયું છે અને એ છે ભારત માટે રમવાનું . છેલ્લા 24 વર્ષથી હું આ સ્વપ્ન જીવતો આવ્યો છું . ક્રિકેટ વગરના જીવનની કલ્પના કરવી મારા માટે અઘરી છે , કારણ કે હું 11 વર્ષનો હતો ત્યારથી ક્રિકેટ રમતો આવું છું . મારા માટે એ એક સન્માનજનક વાત છે કે મને આખા વિશ્વમાં મારા દેશને પ્રસ્તૃત કરવાની તક મળી . હું હવે આગળ વિચારી રહ્યો છું અને મારી 200મી ટેસ્ટ મેચ મારા હોમગ્રાઉન્ડમાં રમવા માંગુ છું અને ત્યારબાદ નિવૃત્તિ લઇશ . તો ચાલો તસવીરો થકી જાણીએ સચિને વધુમાં શું કહ્યું અને તેની સાથે જોડાયેલી કેટલીક યાદગાર બાબતો . માસ્ટર બ્લાસ્ટર સચિનની ફાયરબ્રાન્ડ ઇનિંગ્સ આ રીતે નંખાયો સચિનને ગોડ ઓફ ક્રિકેટ બનાવવાનો પાયો" sports,"આઇપીએલ 10 સિઝનની આજે 33મી મેચ છે , જે સનરાઇઝર્સ હૈદરાબાદ અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે આ મેચ હાલ મોહાલીના ખચાખચ ભરેલા આઈ . એસ . બિન્દ્રા સ્ટેડિયમમાં રમાઇ રહી છે . ત્યારે આ મેચની તમામ લેટેસ્ટ માહિતી જાણવા માટે આ પેજને રિફ્રેશ કરતા રહો . અહીં અમે તમને આ મેચની તમામ અપડેટ આપતા રહીશું . UPDATE : સનરાઇઝર્સ હૈદરાબાદ : ડેવિડ વોર્નર ( કેપ્ટન ) , શિખર ધવન , કેન વિલિયમસન , હેનરિક્સ , યુવરાજ સિંહ , દીપક હુડ્ડા , નમન ઓઝા , આશિષ નેહરા , રાશિદ ખાન , ભૂવનેશ્વર કુમાર , સિદ્ધાર્થ કૌલ કિંગ્સ ઇલેવન પંજાબ : ગ્લેન મૈક્સવેલ ( કપ્તાન ) , માનન વોહરા , રિદ્ધિમાન સાહા ( વિકેટ કીપર ) , સૉન માર્શ , માર્ટિન ગપ્ટાઇલ , ઈયોન મોર્ગન , અક્ષર પટેલ , મોહિત શર્મા , અનુરિત સિંહ , કે . સી . કરિઅપ્પા , રિદ્ધિમાન સાહા" entertainment,"બૉલીવુડ અભિનેતા રીતેશ દેશમુખ ગોવિંદાના નૃત્ય કૌશલથી બહુ પ્રભાવિત છે . તેઓ કહે છે કે નૃત્ય ક્ષેત્રે ગોવિંદા તેમના માટે પ્રેરણાસ્પદ છે . રીતેશ દેશમુખ આજકાલ ટેલીવિઝન ડાન્સ રિયલિટી શો ઇન્ડિયાસ ડાન્સિંગ સુપરસ્ટાર એટલે કે આઈડીએસમાં જજ તરીકે દેખાઈ રહ્યાં છે . તેમણે જણાવ્યું કે ગોવિંદના વખાણ માટે તેમની પાસે શબ્દો નથી . તેઓ અસલી સુપરસ્ટાર છે . સોમવારે આઈડીએસના સેટ ઉપર ગોવિંદા પણ હાજર હતાં . રીતેશ દેશમુખે જણાવ્યું - ક્યારેક - ક્યારેક એવું થાય છે કે આપ પોતાની સામે માત્ર એક કલાકારને જુઓ છો , પણ હું જ્યારે ગોવિંદાને જોઉ છું , ત્યારે તેમને પોતાની પ્રેરણા તરીકે જોઉ છું . રીતેશ સાથે આ કાર્યક્રમમાં કોરિયોગ્રાફર ગીતા કપૂર તથા એશ્લે લોબો સાથી જજો છે . રીતેશે જણાવ્યું - ગોવિંદ જ્યારથી ફિલ્મોમાં આવ્યાં છે , ત્યારથી અનેક પેઢીઓ માટે પ્રેરણા બન્યાં છે . દરેક તેમની જેમ નૃત્ય કરવા માંગે છે . તેમની પોતાની એક રીત છે અને આ રીત જ તેમની શૈલી છે . કાર્યક્રમમાં ગોવિંદાએ સૌની સામે પોતાના ડાન્સની કેટલીક ઝલકો પણ રજૂ કરી ." entertainment,"આગામી 6ઠી ડિસેમ્બરે રિલીઝ થતી પ્રભુ દેવાની ફિલ્મ આર રાજકુમાર અંગે અભિનેત્રી સોનાક્ષી સિન્હા ખૂબ જ ઉત્સાહિત છે . પહેલી વાર શાહિદ કપૂર સાથે પડદે દેખાનાર સોનાક્ષીએ જણાવ્યું કે શાહિદ સાથે કામ કરી મજા પડી ગઈ . તેઓ ખૂબ જ સારા કલાકાર અને એંટરટેનેર છે . તેઓ બહેતરીન ડાન્સર તો છે જ , સાથે જ ફિલ્મમાં તેમણે જે એક્શન કર્યું છે , તે પણ બહેતરીન છે . મેં તો જ્યારે તેમને એક્શન કરતા જોયાં , ત્યારે મારા હોશ જ ઉડી ગયાં . હી ઇઝ ઍ ક્લાસિક એક્ટર કે જેમાં મનોરંજનના તમામ તત્વો હાજર છે . નોંધનીય છે કે આર રાજકુમાર ફિલ્મના પ્રમોશનલ ઇવેંટમાં પણ શાહિદ - સોનાક્ષી બંનેએ જણાવ્યુ હતું કે તેઓ ફિલ્મના સેટ ઉપરથી અનેક સારી સ્મૃતિઓ લઈને પરત ફર્યાં છે . શાહિદે પણ સોનાક્ષીના વખાણ કરતાં જણાવ્યુ હતું કે સોનાક્ષી ખૂબ જ મહેનતુ કલાકાર છે . લાંબાગાળે સફળતાનો સ્વાદ ચખનાર શાહિદ મિયાએ જણાવ્યું કે હવે તેઓ લાઇફમાં સૅટલ થવા માંગે છે . શાહિદે જણાવ્યું - હું ઘણા વર્ષોથી એકલો છું અને ખુશ ચું . જો મને કોઈ છોકરી પસંદ પડે , તો કદાચ હું તેની સાથે સંસાર માંડી લઇશ . નહિતર બધુ બેકાર છે , પહેલા પ્રેમ કરો , પછી દિલ તૂટશે , પછી ડિપ્રેશનમાં જીવો . તેથી હવે મને પ્રેમ થશે કે હું ઘર માંડી લઇશ . એમ તો શાહિદ - સોનાક્ષીને લોકોએ એક બેમેલ જોડી કહી હતી અને જણાવ્યુ હતું કે લોકો આ જોડીને પસંદ નહીં કરે , પરંતુ જે રીતે ફિલ્મના ગીતોને રિસ્પૉન્સ મળ્યું છે , તે જોતા નથી લાગતું કે લોકોને આ જોડી નહીં ગમે . ખેર અસલી પરીક્ષા તો 6ઠી ડિસેમ્બરે થશે કે જ્યારે આ ફિલ્મ રિલીઝ થશે ." business,"નવી દિલ્હી , 18 ડિસેમ્બરઃ દેશભરમાં બેન્કોમાં બુધવારે કામકાજ ઠપ રહેશે . સરકારી બેન્કોના કર્મચારીઓએ 18 ડિસેમ્બરના રોજ હડતાળ પર ઉતરવાનો નિર્ણય કર્યો છે . સરકારી બેન્કોના કર્મચારીઓ દ્વારા આ હડતાળ પગાર વધારા તથા અન્ય માંગોના સમર્થનમાં કરી રહ્યા છે . બેન્ક કર્મચારીઓ અને આઇબીએ ( ઇન્ડિયન બેન્ક્સ્ એસોસિએશન ) ની વચ્ચે થયેલી વાતચીતથી કોઇ ઉપાય નીકળ્યો ન્હોતો . ચીફ લેબર કમિશ્નરે બંને પક્ષોની વચ્ચે મધ્યસ્થતાની કોશી કરી હતી . આ જાણકારી યૂનાઇટેડ ફોરમ ઓફ બેન્ક યૂનિયન્સના કન્વીનર વેંકટાચલમે આપી હતી . કહેવામાં આવે છે કે બેન્કોએ પોતાના કર્મચારીઓને 5 ટકાના વધારાની ઓફર કરી હતી જે તેમને મંજૂર ન્હોતું . અત્રે ઉલ્લેખનીય છે કે દેશમાં 27 જેટલી સરકારી બેન્કો છે અને તેની જુદી જુદી શાખાઓમાં 10 લાખ જેટલા કર્મચારીઓ હડતાળ પર છે . એક દિવસ આ બેન્કો બંધ રહેવાથી દેશની આર્થિક ગતિવિધિને ફટકો પડશે ." sports,"મુંબઇ , 24 જુલાઇઃ આપણા માટે ગોડ ઓફ ક્રિકેટ ગણાતા સચિન તેંડુલકરની દરેક સદી ખાસ હોય છે , પરંતુ સચિન તેંડુલકરે જણાવ્યું છેકે તેમના માટે કઇ સદી ખાસ છે અને તેના કારણે તેમની કારકિર્દી બદલાઇ ગઇ . સચિને કહ્યું કે , 1992માં પર્થ ખાતે બાઉન્સી વાકા ટ્રેકમાં ઓસ્ટ્રેલિયાની વેધક બોલિંગ સામે ફટકારેલી સદી ( 114 રન ) એ તેમની કારકિર્દીમાં વણાંક લાવી દીધો અને તેમનામાં આત્મવિશ્વાસ વધ્યો . એક શાળાના વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરતી વેળા સચિને કહ્યું કે , 1992માં એક ઇનિંગે મારી કારકિર્દી બદલી નાંખી અથવા તો મારી કારકિર્દીને નવો શેપ આપ્યો . પર્થની પીચ એ સમયે ફાસ્ટેસ્ટ વિકેટ માટે જાણીતી હતી , અને એ પીચ પર ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર્સને હેન્ડલ કરવા મુશ્કેલ હતા . ત્યારે હું 19 વર્ષનો હતો અને હું 100 રન બનાવી શક્યો હતો . ટીકાકારો અને મજાક ઉડાડનારાઓને ઇશાંતનો જડબાતોડ જવાબ આ પણ વાંચોઃ - શારાપોવાની કોમેન્ટ પર સચિને આપ્યો આવો જવાબ તેમણે કહ્યું કે , આ પહેલામે બે સદી સિડનીમાં ફટકારી હતી , પરંતુ તે બન્ને અલગ પ્રકારની પીચ હતી . હું જાણતો હતો કે પર્થની વિકેટ એવી હતી કે તેના જેવી પીચ પર હું વિશ્વમાં ક્યાંય રમ્યો નહોતો . જો હું પર્થમાં બેટિંગ કરી શકું અને રન બનાવી શકું તો શક્યતા હતી કે હું વિશ્વની કોઇપણ ફાસ્ટ અને બાઉન્સી વિકેટ પર સ્કોર બનાવી શકીશ . લોર્ડ્સ ટેસ્ટ સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ સિદ્ધિ લોર્ડ્સના 5 દિવસમાં વિશ્વ ક્રિકેટે જોયા ટીમ ઇન્ડિયાના પાંચ રત્નો તેમણે ઉમેર્યું કે , મારી કારકિર્દી માત્ર શરૂ થઇ હતી . ત્યારબાદ મે ઘણા વર્ષો સુધી સારું પ્રદર્શન કર્યું પરંતુ ખરા અર્થમાં પર્થ ઇનિંગે મને વેગ આપ્યો કારણ કે એ મેચ બાદ હું અનુભવવા લાગ્યો હતો કે હું વિશ્વના દરેક ટ્રેક માટે રેડી છું . એનો અર્થ એ નથી કે હું ઓવર કોન્ફિડેન્ટ થઇ ગયો પરંતુ હું એક આત્મવિશ્વાસથી સભર ક્રિકેટર બની ગયો કે મારી સામે જે પડકાર આવશે તેનો હું સામનો કરી શકીશ ." entertainment,"ગપશપ ગલીને ફરીથી એક વાર મલાઆકા અરોરા અને અર્જૂન કપૂરના અફેરની કહાની સાંભળવા સંભળાવવાનો મોકો મળી ગયો છે . વાસ્તવાં લેકમે ફેશન વીક દરમિયાન બંને એક સાથે ફ્રન્ટ સીટ પર બેઠેલા દેખાયા . તેમની સાથે ખુશી , જ્હાનવી અને કુણાલ રાવલ . આ ફોટા વાયરલ થતાં સાથે ફરીથી એક વાર જૂની વાતો વાગોળવાનો બધાને મોકો આપ્યો છે . ગયા વર્ષે જ્યારે અરબાઝ ખાન અને મલાઈકા અરોરાના છૂટાછેડા થયા ત્યારે શંકાની સોય ઘણી વાર અર્જૂન કપૂર પર લટકી હતી . ગપશપ ગલીમાં સમાચાર હતા કે અર્જૂન અને મલાઈકાના અફેરનો આ છૂટાછેડા પાછળ ઘણો મોટો હાથ છે . વાત ત્યાં સુધી દબાયેલી રહી જ્યાં સુધી એક રાતે અર્જૂન કપૂર મલાઈકાના ઘરેથી મોઢુ છૂપાવીને નીકળતો ન દેખાયો . આ પણ વાંચોઃ પ્રોટેક્ટીવ બોયફ્રેન્ડ લઈ લગ્ન સુધી , બોલિવુડનું સૌથી ક્યુટ કપલ , 10 Pics બંનેના આ સાથે સૌથી વધુ ગુસ્સો જો કોઈને અપાવ્યો હોય તો તે હતા સલમાન ખાન . સલમાને અર્જૂન કપૂરને ઈગ્નોર કરી દીધો અને આનો પુરાવો હતો સોનમના લગ્ન જ્યાં અર્જૂન સલમાનને મળવા તેની તરફ આગળ વધ્યો પરંતુ સલમાન મોઢુ ફેરવીને આગળ વધી ગયો . સલમાનનો ગુસ્સો માત્ર અર્જૂન જ નહિ પરંતુ બોની કપૂરને પણ ઝેલવો પડ્યો હતો ." sports,"ઇન્ડિયન પ્રીમિયર લીગ ફાઇનલ પહેલાં અને પછી મીડિયાનો સામનો કરવાથી બચનાર ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ મંગળવારે સ્પૉટ ફિક્સિંગ મુદ્દે મૌન પાળી રાખ્યું હતું . આ પ્રકરણમાં સુપરકિંગ્સના પ્રિંસિપલ ગુરૂનાથ મયપ્પનની ધરપકડ કરવામાં આવી છે . બીસીસીઆઇએ પત્રકાર પરિષદમાં ભાગ લેતાં પહેલાં પત્રકારો માટે ફરમાન જાહેર કર્યું હતું કે સ્પૉટ ફિક્સિંગ મુદ્દે કોઇ પ્રશ્ન પૂછવામાં નહી આવે . આ પ્રકરણમાં પહેલાંથી જ મયપ્પન ઉપરાંત અન્ય ત્રણ ક્રિકેટરોની ધરપકડ કરવામાં આવી છે જેમાં ભારતના આંતરરાષ્ટ્રીય ખેલાડી એસ શ્રીસંત પણ સામેલ છે . મહેન્દ્ર સિંહ ધોનીને જ્યારે પૂછવામાં આવ્યું હતું કે ટીમના કેપ્ટન હોવાના નાતે તેમને પ્રતિક્રિયા કેમ ન આપી તો મીડિયા મેનેજર ડૉ . આર એન બાબાએ પત્રકારને કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને વધુ પ્રશ્ન પૂછવાથી અટકાવી દિધા હતા અને ચેમ્પિયન ટ્રોફી સાથે જોડાયેલા પ્રશ્નો પૂછવાનું કહેવામાં આવ્યું હતું . ટીમ આજે રાત્રે ઇગ્લેંડ માટે રવાના થઇ રહી છે . ડૉ . બાબા તમિલનાડુ ક્રિકેટ સંઘના અધિકારી છે અને શ્રીનિવાસના અંગત લોકોમાંના એક છે . ગત સત્રમાં પણ તેમને મોટાભાગનો સમય મીડિયા મેનેજરની ભૂમિકામાં વિતાવ્યો હતો . તેમનો પુત્ર અપરાજિત ભારતીય અંડર - 19 ક્રિકેટર છે . મહેન્દ્ર સિંહ ધોનીને એક અન્ય પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો તેમના અને ટીમ માટે ક્રિકેટ પ્રેમીઓનો વિશ્વાસ બનાવી રાખવો કેટલો મુશ્કેલ હશે કે ચેમ્પિયંસ ટ્રોફી દરમિયાન બધુ યોગ્ય થઇ રહ્યું છે તો ભારતીય કેપ્ટન થોડા અટક્યા બાદ હળવું હાસ્ય વેર્યું હતું . ત્યારબાદ ડૉ . બાબાએ ફરીથી મહેન્દ્ર સિંહ ધોનીને મુશ્કેલીમાંથી નિકાળતાં પત્રકારોને આગળ પ્રશ્ન પૂછવા દિધા ન હતા . જ્યાં સુધી ક્રિકેટ સાથે જોડાયેલા પ્રશ્નો પૂછવામાં આવ્યાં તો કેપ્ટને નિયમિત જવાબ આપ્યા . મહેન્દ્ર સિંહ ધોની કહ્યું હતું કે બોલીંગ લાઇનમાં તેમની પાસે સારું મિશ્રણ છે જે ઇગ્લેંડ ચેમ્પિયંસ ટ્રોફીમાં ફાસ્ટ બોલરની અનૂકૂળ પરિસ્થિતેઓનો લાભ ઉઠાવી શકે છે . ભુનેશ્વર કુમારે દેશની તરફ રમવા માટે જે પણ તક આપવામાં આવી છે તેમાં પ્રભાવિત કર્યું છે . ઉમેશ યાદવ સંપૂર્ણ રીતે ફીટ છે . અને ઇશાંત શર્માએ આઇપીએલમાં સારું પ્રદર્શન કર્યું છે . ઇગ્લેંડમાં આ ત્રણેય ખેલાડીઓની ભૂમિકા મહત્વપૂર્ણ રહી છે . ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ અત્યાર સુધી ફિજિયોના રિપોર્ટ અનુસાર કોઇ ખેલાડી ઇજાગ્રસ્ત નથી જે સારા સંકેત છે . ભારતને ચેમ્પિયંસ ટ્રોફીમાં પાકિસ્તાન , દક્ષિણ આફ્રિકા અને વેસ્ટઇન્ડિઝ સાથે ગ્રુપમાં રાખવામાં આવ્યું છે . 15 જૂનના રોજ પાકિસ્તાન સામે રમાવનારી મેચ પર બધાની નજરો મંડાયેલી છે . મહેન્દ્ર સિંહ ધોનીએ કહ્યું હતું કે બંને ટીમોમાં સંતુલન છે . સઇદ અજમલ રહસ્યમયી બોલર છે અને અમે તેની નજર રાખીશું ." sports,"ચેમ્પિયન ટ્રોફી માટે શનિવારે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરી દિધી છે . પસંદગીકર્તાઓએ ચેમ્પિયન ટ્રોફી માટે 15 ખેલાડીઓના નામ નક્કી કર્યા છે પરંતુ 15 ખેલાડીઓની યાદીમાં યુવરાજ સિંહ અને ગૌતમ ગંભીરની બાદબાકી નથી . પસંદગીકર્યાએ દિનેશ કાર્તિક , વિનય કુમાર , અમિત મિશ્રા અને ઇરફાન પઠાણ પર વિશ્વાસ મુક્યો છે . ચેમ્પિયન ટ્રોફી જૂનમાં ઇગ્લેંડમાં રમાવનારી છે . ફાસ્ટ બોલર ઉમેશ યાદવે ઇજા બાદ ટીમમાં પુનરાગમન કર્યું છે જ્યારે ઇન્ડિયન પ્રીમિયર લીગના છઠ્ઠા સંકરણમાં શાનદાર ફોર્મમાં જોતા મળતાં વિકેટકિપર અને બેસ્ટમેન દિનેશ કાર્તિક લાંબા સમય બાદ ટીમમાં પરત ફર્યા છે . આઇસીસીના આ સંસ્કરણની સમાપ્તિ બાદ ચેમ્પિયન ટ્રોફીનું આયોજન નહી કરવાનો નિર્ણય કર્યો છે . વ્યસ્ત ક્રિકેટ કાર્યક્રમમાં આઇસીસી માટે આ ટૂર્નામેન્ટ માટે જગ્યા બનાવવી મુશ્કેલ છે . ભારતીય ટીમઃ મહેન્દ્ર સિંહ ધોની ( કેપ્ટન ) , શિખર ધવન , વિરાટ કોહણી , સુરેશ રૈના , દિનેશ કાર્તિક , રોહિત શર્મા , રવિન્દ્ર જાડેજા , રવિચંદ્રન અશ્વિન , ઇરફાન પઠાણ , ઉમેશ યાદવ , ભુનેશ્વર કુમાર , ઇશાંત શર્મા , અમિત મિશ્રા અને વિનય કુમાર ." sports,"સાઉથમ્પટન , 31 જુલાઇઃ બોલર્સ અને બેટ્સમેનોના નબળા પ્રદર્શનના કારણે ભારતીય ક્રિકેટ ટીમને ઇંગ્લેન્ડ સામે રમાઇ રહેલી ટેસ્ટ શ્રેણીની ત્રીજી ટેસ્ટમાં કારમો પરાજય મળ્યો છે . ઇંગ્લેન્ડે ભારતને 445 રનનો લક્ષ્યાંક આપ્યો હતો . જેના જવાબમાં ભારત માત્ર 178 રનના સ્કોર પર પેવેલિયન ભેગુ થઇ ગયું હતું . ભારત તરફથી સર્વાધિક સ્કોર અજિંક્ય રહાણેનો છે , રહાણેએ 52 રનની ઇનિંગ રમી છે . ભારતની બેટિંગ અંગે વાત કરવામાં આવે તો બીજી ઇનિંગમાં ભારત તરફથી મુરલી વિજય 12 , શિખર ધવન 37 , ચેતેશ્વર પૂજારા 2 , વિરાટ કોહલી 28 , અજિંક્ય રહાણે 52 , રોહિત શર્મા 6 , મહેન્દ્ર સિંહ ધોની 6 , રવિન્દ્ર જાડેજા 15 , ભુનેવશ્વર કુમાર 0 , મોહમ્મદ સમી 0 , પંકજ સિંહ 9 રન બનાવ્યા છે . ઇંગ્લેન્ડ તરફથી મોઇન અલીએ સર્વાધિક છ વિકેટ લધી છે , જ્યારે એન્ડરસને 2 અને રૂટે એક વિકેટ લીધી છે . આ મેચ સાથે જોડાયેલી રસપ્રદ વાતો વાંચવા માટે તસવીરો પર ક્લિક કરો . ભારતનો શરમજનક પરાજય , ઇંગ્લેન્ડ 266 રને જીત્યુ ટેસ્ટ ક્રિકેટમાં પદાર્પણઃ પંકજ સિંહે બનાવ્યો અનિચ્છિનિય રેકોર્ડ ક્રિકેટના દિગ્ગજ ખેલાડી કાલિસની નિવૃત્તિ , કોણે શું કહ્યું ? આ પણ વાંચોઃ - ન સુધર્યો એન્ડરસનઃ હવે રહાણેને કર્યો ટાર્ગેટ" sports,"ડરબન ખાતે રમાયેલી ટેસ્ટ શ્રેણીની બીજી અને અંતિમ ટેસ્ટમાં ભારતની શરમજનક હાર થઇ છે . બીજા દાવમાં ભારત દ્વારા આપવામા આવેલા 58 રનના સામાન્ય લક્ષ્યાંકને દક્ષિણ આફ્રિકાની ટીમે એકપણ વિકેટ ગુમાવ્યા વગર હાંસલ કરી લીધો છે . આ સાથે જ ભારતનો શ્રેણીમાં પરાજય થયો છે . નોંધનીય છે કે પહેલી ટેસ્ટ મેચ રસાકસી બાદ ડ્રોમાં પરિણમી હતી . આ પહેલા ડરબન ખાતે ટોસ જીતીને ભારત દ્વારા પહેલા બેટિંગ કરતા પહેલી ઇનિંગમાં મુરલી વિજય ( 97 ) , ચેતેશ્વર પૂજારા ( 70 ) અને રહાણે ( 51 ) રનની મદદથી 334 રન બનાવ્યા હતા . બીજી તરફ દક્ષિણ આફ્રિકાએ પહેલી ઇનિંગમાં જેક કાલિસ એડીબી વિલિયર્સ ( 74 ) , એ પીટરસન ( 62 ) અને આ પીટરસન ( 61 ) ની મદદથી 500 રન બનાવ્યા હતા અને 174 રનની બઢત મેળવી હતી . દક્ષિણ આફ્રિકા તરફથી પહેલી ઇનિંગમાં ડેલ સ્ટેને 6 , મોર્કલે 3 અને ડમ્મીએ એક વિકેટ ઝડપી હતી . જ્યારે ભારત તરફથી રવિન્દ્ર જાડેજાએ 6 , ઝહીર ખાને 2 અને મોહમ્મદ સામીએ એક વિકેટ મેળવી હતી ." business,"અંબાણીએ એમ પણ કહ્યું કે ગેસનું ઉત્પાદન કરતા કંપનીના કેજી ડી6 બ્લોકથી બે કિલોમીટર નીચે હાલમાં જ નવો ગેસ પ્રાપ્ત થયો છે જે કંપનીના સંસાધનોના બેઝમાં નોંધપાત્ર રીતે ઉમેરો કરશે . જો કે આ પ્રસંગે તેમણે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આગામી ત્રણ વર્ષમાં આટલું મોટું રોકાણ કયા કયા ક્ષેત્રમાં કરશે તે અંગે કોઇ ઉલ્લેખ કર્યો ન હતો . ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જ દેશના સૌથી મોટા બિઝનેસ જૂથ પૈકી એક રિલાયન્સના અંબાણી બંધુઓ વચ્ચે ચાલતા ખટરાગનો અંત આવ્યો હતો . જેના પરિણામે મુકેશ અંબાણી અને અનિલ અંબાણીએ એકબીજા સાથે કામ કરવા હાથ મિલાવ્યા છે . અબજોપતિ અંબાણી ભાઈઓએ ટેલિકોમ્યુનિકેશન ક્ષેત્રમાં રૂપિયા 1200 કરોડનો એક સોદો કર્યો છે . રિલાયન્સ જિયો ઈન્ફોકોમ લિમિટેડ અને રિલાયન્સ કમ્યુનિકેશન્સ લિમિટેડે આરકોમના રાષ્ટ્રવ્યાપી ઈન્ટર સિટી ફાઈબર ઓપ્ટિક નેટવર્ક ઈન્ફ્રાસ્ટ્રક્ચરની વહેંચણી માટે રૂપિયા 1200 કરોડનો કરાર કર્યો છે . આ સોદામાં મોટા ભાઈ મુકેશ અંબાણીએ પોતાના ટેલિકોમ બિઝનેસ સાહસના આરંભ માટે એમના નાના ભાઈ અનિલ અંબાણીના ઓપ્ટિક ફાઈબલ નેટવર્કનો ઉપયોગ કરવાનો નિર્ણય લીધો છે . આ સમજૂતી અનુસાર , મુકેશ અંબાણીની માલિકીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની ટેલિકોમ કંપની 4G ( બ્રોડબેન્ડ વાયરલેસ ) સેવાઓ શરૂ કરવા માટે અનિલ અંબાણીની રિલાયન્સ કમ્યુનિકેશન્સના રાષ્ટ્રવ્યાપી ઓપ્ટિકલ ફાઈબલ નેટવર્કનો ઉપયોગ કરશે ." business,"આજે ગુરુવારે કોમોડિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ ( સીટીટી ) અમલી બનાવવાનું જાહેરનામુ જાહેર થઇ શકે છે . સીએનબીસી આવાઝને મળેલી એક્સક્લુઝિવ માહિતી પ્રમાણે 23 એગ્રો કોમોડિટી પર સીટીટી લાગુ કરવામાં નહીં આવે . જો કે એગ્રો કોમોડિટી ની પ્રોસેસિંગથી બનાવવામાં આવેલા કોમોડિટીની ટ્રેડિંગ પર સીટીટી લાગશે . સરકાર 1 જુલાઇ , 2013થી સીટીટી અમલી બનાવી શકે છે . સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ઘઉં , સોયાબીન , મકાઇ , બદામ , જવ , ઈલાયચી , ચણા , ધાણા , કપાસ , ગવાર સીડ સહિત 23 કોમોડિટી આઇટમ પર સીટીટી લાગુ કરવામાં આવશે નહીં . એવી શક્યતા દર્શાવવામાં આવી છે કે સોયૈ ઓઇલ અને ગવાર ગમ જેવી એગ્રો પ્રોસેસ્ડ કોમોડિટી પર સીટીટી લાગી શકે છે . પ્રાપ્ત માહિતી અનુસાર આજે આયકર વિભાગ નવી કોમોડિટીની ફ્યુચર ટ્રેડિંગ પર સીટીટી લગાવવો કે નહીં તે અંગે નિર્ણય લેવામાં આવશે . વાપારની કિંમત પર 0.01 ટકા સીટીટી લાગશે . જો કે સ્પોટ એક્સચેન્જને સીટીટીના દાયરાની બહાર રાખવામાં આવ્યા છે . દર મહિનાની 7 તારીખે પાછલા મહિને વસૂલ કરવામાં આવેલો સીટીટી સરકારને આપવામાં આવશે ." sports,"લક્ષ્મણ ગઇકાલે હૈદરાબાદ ક્રિકેટ એશોસિએશન આવ્યા હતા , જ્યાં તેમણે સાત યુવા ખેલાડીઓને સમ્માનિત કર્યા . સમાચાર પત્ર ' દ હિન્દુ ' ના અનુસાર લક્ષ્મણે કહ્યું કે ' હું એ વાતથી દુઃખી છું કે એક પૂર્વ મહાન ખેલા઼ડીએ હૈદરાબાદમાં ક્રિકેટના સ્ટેંડર્ડ પર આ પ્રકારની ટિપ્પણી કરી . ' મને યાદ છે કે 1987માં હૈદરાબાદે રણજી ટ્રોફી જીતી હતી , જ્યારે એ પહેલા શહેરમાં આંતરરાષ્ટ્રીય ટેસ્ટ અને વનડે મેચોનું આયોજન ઓછું થતું હતું . લક્ષ્મણે પોતાના જૂના દિવસોને યાદ કરતા કહ્યું કે એ વખતે અહીં એટલી સુવિધાઓ ન્હોતી જ્યારે મેં મારુ કરિયર શરૂ કર્યું હતું . પરંતુ હવે અત્રે સારી સુવિધાઓ ઉપલબ્ધ છે . લક્ષ્મણે બારતની તરફથી 131 ટેસ્ટ મેચ , 8,781 રન બનાવ્યા . જેમાં તેમણે 17 સદી અને 56 અર્ધસદી ફટકારી છે . જ્યારે 86 વનડે મેચમાં લક્ષ્મણે 6 સદી અને 10 અર્ધસદીની મદદથી 2,338 રન બનાવ્યા છે ." business,"લોકસભા ચૂંટણી પહેલા કેન્દ્રની મોદી સરકાર માટે સારા સમાચાર આવ્યા છે . સમાચાર આર્થિક મોરચે સરકારને રાહત આપશે . નાણાંકીય વર્ષ 2018 - 19માં ભારતીય અર્થવ્યવસ્થાનો વિકાસ દર 7.2 ટકા રહેવાની આશા છે . સેન્ટ્રલ સ્ટેટેસ્ટિકલ સંસ્થાએ વર્તમાન નાણાંકીય વર્ષ 2018 - 19માં દેશનો વિકાસદર 7.2 રહેવાનું અનુમાન લગાવ્યુ છે . સીએસઓએ કહ્યુ છે કે નાણાંકીય વર્ષ 2018 - 19માં ભારતીય અર્થવ્યવસ્થા 7.2 ટકાની ઝડપે વધી શકે છે . તમને જણાવી દઈએ કે નાણાંકીય વર્ષ 2017 - 18માં જીડીપી વિકાસદર 6.7 ટકા રહ્યુ . અનુમાન મુજબ આ નાણાંકીય વર્ષ દરમિયાન કૃષિ સેક્ટરનો ગ્રોથ 3.4 ટકાથી વધીને 3.8 ટકા થઈ જશે . વળી , મેન્યુફેક્ચરીંગ સેક્ટરનો ગ્રોથ 5.7 ટકાથી વધીને 8.3 ટકા થવાનું અનુમાન છે . જ્યારે કન્સ્ટ્રક્શન સેક્ટરનો ગ્રોથ રેટ 5.7 ટકાથી વધીને 8.9 ટકા થઈ જશે . જ્યારે ઈન્ડસ્ટ્રી સેક્ટરમાં ઝડપ 7.8 ટકા રહેશે . વળી , સર્વિસ સેક્ટરનો ગ્રોથ ધીમો રહેશે . સીએસઓ મુજબ નોમિનલ જીડીપીનો દર 10ટકાના મુકાબલે 12.3 ટકા રહેશે . આ પણ વાંચોઃ ગુજરાતમાં લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ફૂટ પાડશે ભાજપ ! મોટા નેતાઓ થશે શામેલ" business,આ ઓફરની ખાસ બાબત એ છે કે આ શહેરોમાં 4જી સેવાઓ ડિસ્કાઉન્ટેડ રેટ્સ પર ઉપલબ્ધ બનશે . આ શહેરોમાં માત્ર રૂપિયા 450ના દરેથી 4જી સેવાઓ શરૂ થશે . અગાઉ આ સેવા માટે ગ્રાહકોએ રૂપિયા 650 ચૂકવવા પડતા હતા . આમ કંપનીએ સમગ્ર પેકેજમાં 31 ટકાનો ઘટાડો કર્યો છે . ઉલ્લેખનીય છે કે કંપનીએ તાજેતરમાં પંજાબ અને હરિયાણામાં તેના 2જી પેકેટના દરોમાં 90 ટકાનો ઘટાડો કર્યો છે . કંપની પોતાની આવક વધારવા માટે હવે 4જી સેવાના ઉપયોગને પ્રોત્સાહન આપી રહી છે . કંપનીએ 4જી સેવાઓ અંતર્ગત રૂપિયા 999 રૂપિયાથી વધારાના પેકેજ પર 1000 ફિલ્મો અને 100 ગેમ્સની લાયબ્રેરીની યોજના પણ ઓફર કરી છે . કંપનીએ પોતાના એક નિવેદનમાં એવું જણાવ્યું છે કે પ્રતિ માસ રૂપિયા 450ની ચૂકવણી વાળા પેકેજથી ગ્રાહકોને ઇન્ટરનેટની ઝડપી ગતિનો આનંદ માણવાનો મોકો મળશે . business,નરેન્દ્ર મોદીની સરકાર નવેમ્બર 2016માં 500 અને 1000 રૂપિયાની જૂની નોટો બંધ કરીને 500 અને 2000 રૂપિયાની નવી નોટો જાહેર કરી હતી . 2000 રૂપિયાની નવી નોટો જાહેર કર્યા પછી ભારતીય રિર્ઝવ બેંક જલ્દી જ 200 રૂપિયાની નવી નોટ જાહેર કરવાની છે . RBI દ્વારા નવી નોટોની છપાઇ પણ શરૂ થઇ ગઇ છે . કેન્દ્રીય બેંકનું કહેવું છે કે લોકો માટે ટ્રાંજેક્શન સરળ કરવાના હેતુ હેઠળ આ નોટો જાહેર કરવામાં આવશે . કેટલાક સમય પહેલા જ ભારતીય રિઝર્વ બેંક તરફથી આ નોટોની છપાઇ માટે આદેશ આવ્યો હતો . આ સમયે સરકારી પ્રિંટિંગ પ્રેસમાં આ નોટોની છપાઇનું કામ ચાલી રહ્યું હતું . આ પહેલા પ્લાનિંગ હતું કે આ નોટો જુલાઇને શરૂ કરવામાં આવે પણ હજી થોડી વાર લાગે તેવી સંભાવના છે . ભારતીય સ્ટેટ બેંકમાં ગ્રુપ ચીફ ઇકોનોમિસ્ટની રીતે કામ કરતા સૌમ્યા કાંતિ ઘોષે જણાવ્યું કે તેનાથી રોજના લેણા - દેણાના ખૂબ જ સરળતા રહેશે . તેમણે જણાવ્યું કે 200 રૂપિયાની નવી નોટો નાની નોટોની જરૂરિયાતની પૂર્તિ કરશે . 500 રૂપિયાના જૂના નોટ બંધ થયા પછી ખૂબ જ ઓછી નવી નોટો જાહેર કરવામાં આવી હતી . જેના કારણે લોકોને નાની કરન્સીમાં મુશ્કેલીઓ ઊભી થઇ હતી . જાણવા મળ્યું છે કે 200 રૂપિયાના નવા નોટ એડવાન્સ સિક્યોરિટી વાળા હશે . નોટની છપાઇમાં ખૂબ જ સતર્કતા રાખવામાં આવી છે . જેથી નકલી નોટ ન છાપી શકાય . ત્યારે જલ્દી જ તમને 200 રૂપિયાના નવા નોટ જોવા મળશે . sports,"રાજકોટ , 11 ઓક્ટોબરઃ ગઇ કાલે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મેચમાં શાનદાર ઇનિંગ રમીને ટીમ ઇન્ડિયાને જીતાડનાર યુવરાજ સિંહનું કહેવું છે કે , મને સમજાઇ રહ્યું નથી કે હું સારી ઇનિંગ રમીને ખૂશ થાઉ કે દુઃખી , કારણ કે આજે સચિન તેંડુલકરે આંતરરાષ્ટ્રિય ક્રિકેટને અલવિદા કહ્યું છે . યુવીનું માનવું છે કરે , આ મારા માટે ભાવુક પળ છે , હું ઇચ્છું છું કે તેઓ હજુ 10 વર્ષ સુધી રમે . મે આટલા લાંબા સમય સુધી તેમની સાથે રમ્યુ છે , હું તેમના પગ પકડી લઇશ અને તેમને ડ્રેસિંગ રૂમની બહાર નહીં જવા દઉ . તે મહાન ખેલાડી છે , પરંતુ ક્યારેય તેમને પોતાનો પાવર દર્શાવ્યો નથી , તે જાતે જ જૂનિયર ખેલાડી પાસે જાય છે અને તેમની સાથે વાત કરે છે . ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પોતાની ઇનિંગ અંગે યુવરાજે કહ્યું છે કે , હું ઘણા લાંબા સમય બાદ ખેલના મેદાન પર પરત ફર્યો છું . આ દરમિયાન મે ઘણી મહેનત કરી છે અને ખેલના માનસિક પહેલુઓ પર કામ કર્યું છે . યુવરાજે ઓસ્ટ્રેલિયા વિરદ્ધ રમેલી પોતાની ઇનિંગને પોતાના માતા અને સચિનને સમર્પિત કરી છે . યુવરાજે કહ્યું કે , મારી માતાએ મારા પુનરાગમન માટે ઘણી દુઆઓ કરી છે અને દરરોજ કરે છે ." sports,"મહેન્દ્ર સિંહ ધોની અને યુવરાજ આવનારા 2019 - વર્લ્ડ કપમાં ભાગ લઈ શક્શે કે નહી તે અંગે બહુ જ જલ્દી નિર્ણય લેવામાં આવશે . ટીમ ઈન્ડિયાના ચીફ સેલેક્ટર એમએસકે પ્રસાદે આ અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યુ કે , આ બંને સિનિયર ખેલાડીના ભવિષ્ય અંગે બીસીસીઆઈ વિચારી રહી છે . પરંતુ હાલ તેમને ટીમની બહાર કરવાનો કોઈ વિચાર ચાલી રહ્યો નથી . વધુમાં તેમણે ઉમેર્યુ હતુ કે અમે કોઈ પણ નિર્ણય વિચાર્યા વગર લેવા નથી માંગતા . અમારા નિર્ણયથી ટીમ પર કેવી અસર થશે જેવા બીજા ગણા પાસાઓ પર વિચાર્યા બાદ જ આ અંગે કોઈ નિર્ણય લઈ શકાય . ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન અને વર્તમાનમાં ભારતના કોચ રાહુલ દ્રવિડે હાલમાં જ આપેલા ક્રિકઈન્ફોના એક ઇન્ટરવ્યૂમાં 2019 વર્લ્ડ કપ વિશે વાત કરતા કહ્યુ કે , બોર્ડે યુવરાજ અને ધોની અંગે સ્પષ્ટતા કરી દેવી જોઈએ . હાલ જો ભારતીય ટીમમાં નજર કરીએ તો આ બંને ખેલાડીની જગ્યા લઈ શકે તેવા ખેલાડી વિરાટ કોહલી એન્ડ કંપની પાસે દેખાતી નથી , 35 વર્ષનો ધોની ટીમનો ફિનિશરની સાથે સૌથી સારો વિકેટ કિપર પણ છે . આથી આપણી ટીમને તેની જરૂર રહેવાની જ છે . 2019ની તૈયારી વિશે પ્રકાશ પાડતા પ્રસાદે જણાવ્યુ હતુ કે , આ વર્ષના અંતમાં જ બોર્ડે આ અંગે કામ શરુ કરી નાખ્યુ છે . આ વર્ષે ચેમ્પિયન ટ્રોફી ઈંગ્લેન્ડમાં યોજાઈ હતી તેથી અમને સારી એવી તક મળી હતી કે અમે ટીમને કંઈ દિશા તરફ લઈ જઈએ . તેમા થયેલી ભૂલોને થોડા જ મહિનાઓમાં સુધારીને વર્લ્ડકપમાં ટીમ સારુ પ્રદર્શન કરશે" sports,"સાઉથમ્પટન , 29 જુલાઇઃ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઇ રહેલી ટેસ્ટ શ્રેણી દરમિયાન ઇંગ્લેન્ડના બેટ્મેસન મોઇન અલીએ હાથમાં ‘સેવ ગાઝા ' અને ‘ફ્રી પેલેસ્ટાઇન ' લખેલી વ્રિસ્ટબેન્ડ્સ બાંધી હતી . જે અંગેની જાણ આઇસીસીને થતાં આઇસીસી દ્વારા આકરા પગલા લેવામાં આવ્યા છે અને મોઇન અલી પર આ પ્રકારની વ્રિસ્ટબેન્ડ્સ પહેરવા પર પ્રતિબંધ લાદી દીધો છે . ઇઝરાયલ સાથે થયેલી લડાઇના અસરગ્રસ્તોની મદદ અર્થે મોઇન અલીએ આ પ્રકારની વ્રિસ્ટબેન્ડ્સ હાથમાં બાંધી હતી . તેણે આ પ્રકારની વ્રિસ્ટબેન્ડ્સ સાઉથમ્પટન ખાતે રમાઇ રહેલી ભારત સામેની શ્રેણીની ત્રીજી ટેસ્ટના બીજા દિવસે પહેરી હતી . જેની આઇસીસીએ ગંભીરતાથી નોંધ લીધી છે અને બની શકે છેકે આઇસીસી મોઇન ખાન સામે કડક પગલા પણ ભરી શકે છે . સાઉથમ્પટન ટેસ્ટના બીજા દિવસ સાથે જોડાયેલી રસપ્રદ વાતો સાઉથમ્પટન ટેસ્ટઃ ધોની - કૂકે બનાવ્યો આ રેકોર્ડ આ પણ વાંચોઃ - જાણો , જાડેજાની કઇ વાતની ઇંગ્લેન્ડ સુકાની કૂકે લીધી હતી નોંધ આઇસીસીની આચારસંહિતા અનુસાર કોઇ પણ ખેલાડી અથવા અધિકારીને જ્યાં સુધી મંજૂરી ના મળે ત્યાં સુધી અન્ય રમત સંબંધિત અથવા તો અન્ય બાબતોનો સંદેશ આપતી આર્મ બેન્ડ્સ અથવા તો કપડા પહેરવાની મનાઇ હોય છે . તેમજ રાજકીય , ધાર્મિક અથવા જાતિય ગતિવિધિઓ સાથે જોડેલા સંદેશ આપવાની સખત મનાઇ હોય છે ." sports,"હૈદરાબાદ , 12 સપ્ટેમ્બરઃ તેંલગાણા સરકારે ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાને તાજેતરમાં જ યુએસ ઓપનમાં મિક્સ ડબલનું ટાઇટલ જીતવા બદલ એક કરોડ રૂપિયાના પુરસ્કારથી સન્માનિત કરી છે . મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા જણાવવામાં આવ્યા અનુસાર તેલંગણાની બ્રાન્ડ એમ્બેસેડર સાનિયા મિર્ઝાએ મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવની મુલાકાત લીધી હતી . રાવે તેને ટાઇટલ જીતવા બદલ શુભકામનાઓ આપી હતી કે તે આગામી ચીન ઓપન અને જાપાન ઓપનમાં પણ જીત હાંસલ કરે . નોંધનીય છેકે સાનિયા મિર્ઝા આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળી હતી . સાનિયા મિર્ઝાને યુએસ ઓપન પહેલા પણ રાજ્ય સરકાર તરફથી એક કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા . દેશની ટોચની ટેનિસ ખેલાડી સાનિયાએ બ્રાઝિલના બ્રૂનો સોરેસ સાથે આ ટાઇટલ જીત્યું હતું . સાનિયાનું આ ત્રીજું મિક્સ ડબલ ગ્રાન્ડ સ્લેમ છે . આ પહેલા સાનિયાએ પોતાના હમવતની મહેશ ભુપતિ સાથે 2009માં ઓસ્ટ્રેલિયા ઓપન અને 2012માં ફ્રેન્ચ ઓપનમાં ટાઇટલ જીત્યું હતું . આ તકે સાનિયા મિર્ઝાએ મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવનો આભાર માન્યો હતો . સાનિયાએ કહ્યું કે રાવે કહ્યું કે તેઓ ગર્વ અનુભવી રહ્યાં છે , મારું માનવું છેકે અમે સાથે મળીને તેલંગણાને વિશ્વ ફલક પર ચમકાવીશુ . તેમણે મારા પર વિશ્વાસ મુક્યો એ બદલ હું તેમનો આભાર માનું છું . અહીં સાનિયાને આપવામાં આવેલા પુરસ્કારની તસવીરો નીચે સ્લાઇડરમાં આપવામાં આવી છે . pagespeed . lazyLoadImages . overrideAttributeFunctions ( ) ; આ પણ વાંચોઃ - CLT20માં નહીં રમી શકે રોહિત , કેપ્ટન્સી માટે ભજ્જી - પોલાર્ડ રેસમાં ક્રિકેટ ઇતિહાસમાં થયેલા પાંચ શાનદાર કમબેક આ પણ વાંચોઃ - ધોની સિવાય આ ક્રિકેટર્સની પણ છે અધધ સંપત્તિ pagespeed . lazyLoadImages . overrideAttributeFunctions ( ) ; function googleAnalyticsCodeCommon ( ) { var main _ url = $ ( ' link [ rel = "" canonical "" ] ' ) . attr ( "" href "" ) ; var url = document . location . href ; var pattern = ' https : / / ' + window . location . hostname ; url = url . replace ( pattern , "" "" ) ; var title = document . title ; ga ( "" oneindiagu . send "" , { hitType : "" pageview "" , page : url , location : main _ url } ) ; ga ( "" rosoneindia . send "" , { hitType : "" pageview "" , page : url , location : main _ url } ) ; ga ( "" dhoneindia . send "" , { hitType : "" pageview "" , page : url , location : main _ url } ) ; url = document . location . href ; var jcode = ' var _ comscore = _ comscore | | [ ] ; var comscoreParams = { c1 : "" 2 "" , c2 : "" 7732551 "" , c3 : "" "" , c4 : "" ' + url + ' "" , c5 : "" "" , c6 : "" "" , c15 : "" "" } ; _ comscore . push ( comscoreParams ) ; var s = document . createElement ( "" script "" ) , el = document . getElementsByTagName ( "" script "" ) [ 0 ] ; s . async = true ; s . src = ( document . location . protocol = = "" https : "" ? "" https : / / sb "" : "" http : / / b "" ) + "" . scorecardresearch . com / beacon . js "" ; el . parentNode . insertBefore ( s , el ) ; ' ; setTimeout ( jcode , 500 ) ; var _ qevents = _ qevents | | [ ] ; ( function ( ) { var elem = document . createElement ( ' script ' ) ; elem . src = ( document . location . protocol = = "" https : "" ? "" https : / / secure "" : "" http : / / edge "" ) + "" . quantserve . com / quant . js "" ; elem . async = true ; elem . type = "" text / javascript "" ; var scpt = document . getElementsByTagName ( ' script ' ) [ 0 ] ; scpt . parentNode . insertBefore ( elem , scpt ) ; } ) ( ) ; _ qevents . push ( { qacct : "" p - yjta2aSVPaHEL "" } ) ; window . google _ analytics _ uacct = "" UA - 110466 - 73 "" ; }" business,"મધ્યમ વર્ગને યુનિયન બજેટ 2018 પાસેથી ઘણી આશા હતી , કારણ કે મોદી સરકારનું આ છેલ્લું પૂર્ણ બજેટ છે . આમ છતાં , સામાન્ય માણસનો નિરાશા હાથ લાગી છે . વર્ષ 2018 - 19માં આવક દરોમાં કોઇ રાહત આપવામાં નથી આવી . અરુણ જેટલીએ પોતાના ભાષણમાં કહ્યું કે , સરકારે ગત ત્રણ વર્ષોમાં લોકોના વ્યક્તિગત આવકવેરા દરોમાં ઘણા સકારાત્મક પરિવર્તનો કર્યા છે . આથી હું વ્યક્તિગત આવકવેરા દરોની સંરચનામાં બદલાવ કરવાનો પ્રસ્તાવ નથી મુકતો . કરદાતાઓને રાહત આપવાના ક્રમમાં અરુણ જેટલીએ પરિવહન ભથ્થું અને વિભિન્ન ચિકિત્સા ખર્ચની પૂર્તિ માટે વર્તમાન છૂટની જગ્યાએ 40,000 રૂપિયાની માનક કપાતનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો . આ રીતે તમે દર વર્ષે કરવેરા રૂપે માત્ર રૂ . 177ની જ બચત કરો છો . અરુણ જેટલીએ વર્ષ 2017 - 18ના બજેટમાં 2.5 લાખ પ્રતિ વર્ષથી 5 લાખ રૂપિયા પ્રતિ વર્ષની આવક ધરાવનારાઓ માટે આવકવેરો 10 ટકાથી ઘટાડીને 5 ટકા કરવામાં આવ્યો . શિક્ષણ સેસ 1 ટકાથી વધવાને કારણે કોઇ બચત નહીં થઇ શકે . 30 ટકાના આવકવેરા સ્તરમાં આવતા લોકોને કદાચ વધારે ચૂકવણી કરવી પડે એવું પણ બને . 10 ટકાના આવકવેરા સ્તરમાં આવતા લોકો માત્ર રૂ . 177 કમાઇ શકશે . એક રીતે કહી શકાય કે , તમારી કરપાત્ર આવક પર આધાર રાખીને વધુ કર ઉઘરાવવામાં આવશે ." sports,"આજથી એટલે ક સાત ઑગસ્ટથી માન્ચેસ્ટર ખાતે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ શ્રેણીની ચોથી ટેસ્ટ રમાવાની છે . ઇંગ્લેન્ડના સુકાની કૂક સહિત અનેક બેટ્સમેનોએ સાઉથમ્પટન ટેસ્ટમાં ફોર્મ પરત મેળવી લીધું છે , તો બીજી તરફ ટીમ ઇન્ડિયા સામે ટોચના બે બોલર્સનું ઇજાગ્રસ્ત થવું અને ધમાકેદાર બેટિંગ કરી શકે તેવા બેટ્સમેનોનું સતત નિષ્ફળ જવું એ માથાનો દુઃખાવો બની ગયું છે . જોકે , હાલની ટીમ ઇન્ડિયા મુશ્કેલીઓમાંથી બહાર આવવાનું સારી પેઠે જાણે છે અને તેથી એવી આશા પણ રાખવામાં આવી રહી છેકે ભારત માન્ચેસ્ટર ખાતે ઇંગ્લેન્ડને સારી એવી સ્પર્ધા આપશે . તેમ છતાં ભૂતકાળમાં આ મેદાન પર રમાયેલી મેચો પર ધ્યાન આપવામાં આવે તો ઘણા એવા ખેલાડીઓ છેકે જેમણે સારી બેટિંગ અને બોલિંગ થકી ભારતને હારની કગારમાંથી બચાવી ટેસ્ટને ડ્રો કરવામાં સફળતાં મેળવી હતી . જેમાં મહમ્મદ અઝહરુદ્દિનની 1990ની મેચની ઇનિંગ અને દિલીપ જોશીની 1982ની મેચમાં નાખેલી શાનદાર બોલિંગ છે . તો ચાલો તસવીરો થકી આ મેદાન સાથે જોડાયેલા રસપ્રદ આંકડાઓ પર નજર ફેરવીએ . માન્ચેસ્ટર ટેસ્ટઃ ધોની સામે હશે આ ચાર પડકારો નવી ‘ટીમ ઇન્ડિયા ' માં સ્થાન , જાણો શું કહ્યું કર્ણ - સેમસને આ પણ વાંચોઃ - અનુભવીઓની અવગણનાઃ ઇંગ્લેન્ડ સામે ટકારશે આ નવી ‘ટીમ ઇન્ડિયા '" entertainment,"બૉલીવુડ અભિેતાઓ સુપર હૉટ છે , પરંતુ હૃતિક રોશન , અક્ષય કુમાર , જ્હૉન અબ્રાહમ અને શાહરુખ ખાન જેવા મોટાભાગના એક્ટર્સ પરણી ચુક્યા છે . જોકે થોડાક સુપર હૉટ એક્ટર્સ હજીય એવા છે કે જેઓ એવરગ્રીન બૅચલર ઑફ બૉલીવુડ છે . તેમાં સૌથી ટોચે સલમાન ખાન છે . તાજેતરના સમયમાં ઘણા બધા હૉટ બૉડી ધરાવતા નવા - નવા અભિનેતાઓએ બૉલીવુડમાં એન્ટ્રી મારી છે . આયુષ્માન ખુરાના , અલી ઝફર તથા ફવાદ ખાન જેવા કેટલાક સ્ટાર્સે લગ્ન પછી બૉલીવુડ કૅરિયર શરૂ કર્યુ છે , તો ઘણા બધા એવા એક્ટર્સ પણ છે કે જેઓ હાલમાં બૉલીવુડના સુપર હૉટ અભિનેતા છે અને કુંવારા પણ છે . સ્વાભાવિક રીતે જ બૉલીવુડ દબંગ સલમાન ખાન સૌથી જૂના બૅચલર છે . તે સલમાન ખાન જ છે કે જેમણે બૉલીવુડમાં કિલર બૉડી , સિક્સ પૅક ઍબ્સ જેવા ટ્રેંડ શરૂ કર્યા હતાં . પછીના ઘણા અભિનેતાઓ સલમાનના પગલે ચાલ્યા છે . ચાલો તસવીરો સાથે જોઇએ Top 10 હૉટેસ્ટ બૅચલર્સ ઑફ બૉલીવુડ :" business,ઇન્શ્યોરન્સની વાત આવે ત્યારે દરેક વ્યક્તિ સજાગ થઇ જાય છે . મીઠાબોલા ઇન્શ્યોરન્સ એજન્ટની વાત ધ્યાનથી સાંભળે છે . અનેકવાર આ એજન્ટ્સ વ્યક્તિના જોખમ સામે વીમો લેવાને બદલે રોકાણના વિકલ્પ તરીકે વીમો લેવા માટે સમજાવે છે . આમાં તેમનો કોઇ વાંક પણ નથી . તેઓ આપણેને એજ વેચે છે જે આપણે ખરીદવા માંગીએ છીએ . પણ અહીં વિચારવાની બાબત એ છે કે શું ખરેખર વીમો એટલે કે ઇન્શ્યોરન્સ એ રોકાણ એટલે કે ઇન્વેસ્ટમેન્ટને લાયક છે ? આ અંગે પર્સનલ ફાઇનાન્સ અને ઇન્વેસ્ટમેન્ટના એક્સપર્ટનું શું કહેવું છે તે જાણવા યોગ્ય છે . તેના આધારે વ્યક્તિએ ઇન્શ્યોરન્સમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું કે નહીં તેનો નિર્ણય લેવો જોઇએ . . . ઇન્શ્યોરન્સનો મૂળ હેતુ સમજો વીમાનો મૂળ હેતુ જોખમ અને મૃત્યુ જેવા ગંભીર જોખમના સમયે આર્થિક સંકટમાંથી રક્ષણ આપવાનો છે . આ કારણે જ વીમા પોલિસી વ્યક્તિના મૃત્યુ બાદ તેની ગેરહાજરીમાં વ્યક્તિ પર નિર્ભર લોકોને રક્ષણ આપે છે . જેના કારણે વ્યક્તિના મૃત્યુ બાદ જો આવક અટકી જાય તો પણ પરિવારનું ભરણ પોષણ થઇ શકે તેટલી રકમ વીમાદારને મળે છે . મુંજવણ ક્યારે ઉભી થાય સામાન્ય રીતે વીમા પોલિસી ખરીદનાર વ્યક્તિ જેટલી રકમનો વીમો ઉતારવામાં આવ્યો હોય તે મુજબ તેનું વાર્ષિક પ્રીમિયમ ભરે છે . વ્યક્તિનું જ્યારે મૃત્યુ થાય છે ત્યારે તેના કુટુંબને પોલિસી મુજબના નાણા મળે છે . આ તબક્કા સુધી કોઇ જ મુંઝવણ હોતી નથી . ખરી મુંઝવણ ત્યારે ઉભી થાય છે જ્યારે વ્યક્તિ જોખમ સામે રક્ષણ મેળવવાને બદલે રોકાણ કરવા માટે વીમા પોલિસી ખરીદવાનો વિચાર કરે છે . ઇન્શ્યોરન્સ V / S ઇન્વેસ્ટમેન્ટ વીમા પોલિસીમાં આર્થિક સુરક્ષાનો જે હેતુ છે તે મૃત્યુ બાદ કુટુંબને લાભ આપવાનો છે . જો કે વર્તમાનમાં સ્થિતિ એ છે તે મોટા ભાગના પોલિસી ખરીદદારો જોખમ સામે સુરક્ષાને બદલે વીમા પોલિસીમાં રોકાણ કરવાથી લાભ થાય છે તેવા હેતુથી તેની ખરીદી કરે છે . વાસ્તવમાં જ્યારે વ્યક્તિ વીમા પોલિસીમાં દર્શાવેલી ટર્મ્સ અને કન્ડિશન્સ મુજબ ચોક્કસ વર્ષો જેમ કે 20 વર્ષ દરમિયાન મૃત્યુ નથી પામતી ત્યારે તેના હાથમાં કોઇ પ્રકારનો લાભ આવતો નતી . તેણે 10 વર્ષ કે 20 વર્ષ સુધી જે પ્રીમિયમ ભર્યું તે હાથમાંથી ગયું . રોકાણ તરીકે વીમા પોલિસી મોંઘો વિકલ્પ રોકાણની દ્રષ્ટિએ જોઇએ તો મોટા ભાગની વીમા પોલિસી ખર્ચાળ વિકલ્પ પુરવાર થાય છે . ચોક્કસ વર્ષ જેમ કે 20 વર્ષ બાદ તમને ચોક્કસ લાભ મળશે તેવા વિકલ્પ આપતી પોલિસીનું પ્રીમિયમ વધારે હોય છે . સાથે તમે આ 20 વર્ષોમાં જે પ્રિમિયમ ભરીને જે રોકાણ કર્યું તેટલું રોકાણ અન્ય ઇન્વેસ્ટમેન્ટ પ્લાનમાં કર્યું હોય તો વીમાની સરખામણીમાં વધારે લાભ મળે છે . વળતરની ગણતરી કોઇ પણ રોકાણકાર માટે સૌથી મહત્વની બાબત એ હોય છે કે તેણે કરેલા રોકાણ પર મળતું વળતર યોગ્ય પ્રમાણમાં મળે છે કે નહીં . કોઇ પણ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો તો તે સરેરાશ 12 ટકા જેટલું વળતર આપે છે . જો જોખમ કવર કરવાની જરૂર ના હોય અને મ્યુચ્યુઅલ ફંડમાં પણ રોકાણ ના કરવું હોય તો પીપીએફ તમને રોકાણ પર લાભ આપે છે . પીપીએફમાં તમને ટેક્સ ફ્રી 8.6 ટકા વ્યાજ મળે છે . નજીકની કોઇ પણ બેંકમાં તમને સામાન્ય રીતે 8 ટકા જેટલું વ્યાજ મળી રહેશે . વીમા પોલિસી રોકાણ માટે નથી વ્યવસ્થિત ગણતરી કરવામાં આવે તો સ્પષ્ટ થાય છે કે જો તમે માત્ર અને માત્ર રોકાણના હેતુથી વીમા પોલિસી ખરીદી રહ્યા હોવ તો તમે ખોટો વિકલ્પ પસંદ કરી રહ્યા છો . માર્કેટમાં રોકાણ માટે અનેક યોજનાઓ અને વિકલ્પો છે જે તમને વીમા પોલિસીની સરખામણીએ અનેકગણો વધારે લાભ આપી શકે છે . આ કારણે રોકાણ કરતા પહેલા બે વાર વિચારો અને પછી રોકાણ કરવું સલાહભર્યું છે . sports,"ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની પહેલી મેચ 4 જૂન , 2017ને રવિવારના રોજ પાકિસ્તાન સામે રમાઇ હતી . આ મેચ અંગે વિશ્વભારના ક્રિકેટ રસિયાઓમાં ભરપૂર ઉત્સાહ હતો . ભારતની ટીમે મેચમાં પાકિસ્તાનને 124 રનથી માત આપ્યા બાદ દુનિયાભરના ક્રિકેટ રસિયાઓ સહિત પાકિસ્તાનનું મીડિયા પર ટીમ ઇન્ડિયા અને કપ્તાન વિરાટ કોહલી પર ફિદા થઇ ગયું છે . એનું તાજું ઉદાહરણ છે , પાકિસ્તાની પત્રકારે કરેલ ટ્વીટ . મેચ પહેલાં તો ટીમ ઇન્ડિયા અને વિરાટ કોહલી અંગે જાત - જાતના જોક સોશિયલ મીડિયા પર ફરતા થયા હતા . પરંતુ મેચમાં ટીમ ઇન્ડિયાના શાનદાર પ્રદર્શન બાદ લોકો વિરાટ કોહલીના વખાણ કરતાં થાકતાં નથી . પાકિસ્તાનના લોકો વિરાટ કોહલીને પોતાની ટીમમાં લેવા માટે બદલામાં પોતાની આખી ટીમ આપવા તૈયાર છે . પાકિસ્તાની પત્રકારે ટ્વીટ કરી લખ્યું છે , અમારી આખી ટીમ લઇ લો અને બદલામાં અમને 1 વર્ષ માટે વિરાટ કોહલી આપી દો . આ ટ્વીટ બાદ આ પાકિસ્તાની મહિલા પત્રકારની સોશિયલ મીડિયા પર લોકો ખૂબ મજાક ઉડાવી રહ્યાં છે . આ સંદર્ભે કેટલાક રસપ્રદ ટ્વીટ જુઓ અહીં . . ." sports,"રાજકોટમાં ભારત અને ઇંગ્લેંડ વચ્ચે રમાઇ રહેલ પહેલી ટેસ્ટ મેચનો આજે બીજો દિવસ ખતમ થઇ ગયો . ઇંગ્લેંડે પહેલા દિવસે 4 વિકેટ પર 311 રનના સ્કોરથી આગળ રમવાનું શરુ કર્યુ અને 537 રનના સ્કોર પર ઓલ આઉટ થઇ ગયુ . શાનદાર પાર્ટનરશીપ ભારતના પોતાના પહેલા દાવમાં મુરલી વિજય અને ગૌતમ ગંભીરે શાનદાર પાર્ટનરશીપથી વિકેટ ગુમાવ્યા વિના 63 રન બનાવી લીધા છે . જો કે ભારત હજુ પણ 474 રન પાછળ છે . ઇંગ્લેંડની સેંચુરી બીજા દિવસની શરુઆતમાં મોઇન અલીએ 99 રનના વ્યક્તિગત સ્કોરથી આગળ રમવાનું શરુ કર્યુ . ત્યારબાદ બેન સ્ટોક્સે પણ સેંચુરી કરી . જોએ રુટ અને મોઇન અલી બાદ તે ત્રીજો ખેલાડી છે જેણે આ મેચમાં સેંચુરી કરી હોય . રવીન્દ્ર જાડેજાની સર્વાધિક 3 વિકેટ ઇંગ્લેંડના દાવમાં 159.3 ઓવરની સમાપ્તિ પર 10 વિકેટના નુકશાન પર 537 રનનો સ્કોર છે . મોઇન અલી 213 બોલમાં 117 રન બનાવીને મોહમ્મદ શમીના બોલ પર આઉટ થઇ ગયો . તેણે પોતાના દાવમાં 13 ચોગ્ગા માર્યા . જોની બેરસ્ટો પણ 46 રન બનાવીને મોહમ્મદ શમીના બોલ પર આઉટ થઇ ગયો . ક્રિસ વોક્સ 4 રન બનાવીને રવીન્દ્ર જાડેજાનો શિકાર બની ગયો . બેન સ્ટોક્સ 128 રન બનાવીને આઉટ થઇ ગયો . જફર અંસારી 32 રન બનાવીને આઉટ થયો . ભારત તરફથી રવીન્દ્ર જાડેજાએ સર્વાધિક 3 વિકેટ લીધી . ઇંગ્લેંડની વિકેટો લંચ સેશન બાદ મહેમાન ટીમની 7 મી વિકેટ પડી અને થોડી વારમાં જ આદિલ રાશિદના રુપમાં 8 મી વિકેટ પણ પડી ગઇ . ટીબ્રેક પહેલા 9મી વિકેટ પણ પડી ગઇ . ભારત તરફથી આર અશ્વિને 2 , મોહમ્મ્દ શમીએ 2 રવીન્દ્ર જાડેજાએ 2 અને ઉમેશ યાદવે 1 વિકેટ લીધી ." business,"દેશમાં અત્યાર સુધી એવી જ માન્યતા હતી કે માત્ર ક્રિકેટર્સને જ મોટો કોન્ટ્રાક્ટ મળી શકે છે . પરંતુ દેશની સ્ટાર શટલર પીવી સિંધુએ આ માન્યતા તોડી છે . સિંધુએ એક કંપની સાથે 50 કરોડનો કરાર કર્યો છે . ક્રિકેટ સિવાયના ખેલાડીએ કરેલો આ દેશનો સૌથી મોટો કરાર છે . પરંતુ એવું નથી કે અન્ય ગેમ્સના ખેલાડીઓને આવા કરાર નથી મળતા . કરાર મળે છે , પરંતુ ક્રિકેટર્સ જેટલા પૈસા નથી મળતા . પરંતુ સિંધુના આ કરારથી આશા છે કે હવે અન્ય ગેમ્સના ખેલાડીઓ પર પણ પૈસાનો વરસાદ થશે . તો જાણીએ કયા ખેલાડીઓ કઈ કંપની સાથે કરાર કરી રહ્યા છે . પરોપકાર કરવામાં મુકેશ અંબાણી પણ ટોચ પર , જાણો કેટલું દાન કર્યું" entertainment,"નાગિન 3 બેલા રિયલ લાઈફમાં ઘણી બોલ્ડ અને સેક્સી છે . અહીં અમે સુરભી જ્યોતિ વિશે વાત કરી રહ્યા છે . જે ફરી એકવાર પોતાની સેક્સી ફોટોને કારણે ચર્ચામાં છે . આ પહેલીવાર નથી જયારે સુરભીએ આ પ્રકારની ફોટો પોસ્ટ કરી હોય . આ પહેલા પણ તે ઇન્સ્ટાગ્રામ પર બોલ્ડ ફોટો પોસ્ટ કરી ચુકી છે . સુરભીના આવતા જ નાગિન 3 શૉ ટીઆરપી લિસ્ટમાં નંબર 1 પર આવી ગયું . કબૂલ હૈ પછી નાગિન 3 સુરભી માટે ચોક્કસ એક મોટો બ્રેક સાબિત થયો છે . આપને જણાવી દઈએ કે રીલ લાઈફ મુજબ સુરભી રિયલ લાઈફમાં પણ ખુબ જ ગ્લેમરસ છે . સુરભીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ઘણી ફોટો પોસ્ટ કરી છે . જે તમને ઘાયલ કરવા માટે કાફી છે . આ ફોટોમાં સુરભી જ્યોતિ ગ્લેમરસ દેખાવવાની સાથે સાથે આ વાત પણ સાબિત કરી રહી છે કે બોલ્ડનેસમાં તે બધી જ સ્ટારને ટક્કર આપી શકે છે . સુરભીનો નવો લૂક તેની સુંદરતામાં ચાર ચાંદ લગાવી દે છે . સેક્સી સ્ટાર શમા સિકંદરે કંઈક આવી ફોટો પડાવી , બધું જ દેખાયું સુરભીની વાયરલ થતી તસવીરો પર એક નજર કરો . ." business,"ગૂગલે સોમવારે જણાવ્યું કે 5 લાખ કરતા પણ વધારે ગૂગલ પ્લસ યુઝરના એકાઉન્ટ બગને કારણે પ્રભાવિત થયા છે . કંપનીએ યુઝર માટે ગૂગલ પ્લસ બંધ કરવાનો નિર્ણય લીધો છે કારણકે બગને કારણે પ્રભાવિત ડેટા ડેવલોપરને ડેટા હેક કરવામાં મદદ કરી શકે છે . આ બગ ડેટાને થર્ડ પાર્ટીને ઉપલબ્ધ કરાવી શકે છે . જણાવવામાં આવી રહ્યું છે કે સોશ્યિલ સાઈટમાં એક સોફ્ટવેર ગરબડીએ બહારના ડેવલોપરને વર્ષ 2015 થી 2018 વચ્ચે ખાનગી ગૂગલ પ્લસ ડેટા પહોંચાડવાનો પ્રત્યન થયો . ગૂગલ ઘ્વારા જણાવવામાં આવ્યું કે પ્રભાવિત ડેટા ફક્ત ગૂગલ પ્લસ સુધી જ સમિતિ છે , જેમાં યુઝરના નામ , ઈમેલ , વ્યવસાય , ઝેન્ડર , અને ઉંમરની જાણકારી લીક થઇ છે . IL & FS કેવી રીતે સામાન્ય માણસ માટે બની શકે છે મુસીબત ? રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે કંપનીની ઇન્ટરનલ ટીમને બગ વિશે સૂચના મળી ત્યારે આ વાતનો ખુલાસો થયો કે સોફ્ટવેરમાં કોઈ ખામીને કારણે ગૂગલ સાઈટ બગ થી પ્રભાવિત થઇ . તેને કારણે એક થર્ડ પાર્ટીએ 5 લાખ કરતા પણ વધારે ગૂગલ પ્લસ પ્રાઇવેટ પ્રોફાઈલનો વર્ષ 2015 થી 2018 સુધીનો ડેટા ઍક્સેસ કરી લીધો ." entertainment,"બચ્ચન પરિવાર ભોપાલ પહોંચ્યો છે . ભોપાલ જયા બચ્ચનનું પીયર છે અને આમ જોઇએ તો અમિતાભ બચ્ચન પોતાની સાસરી ધરાવતા શહેરમાં પહોંચ્યાં છે . તેમની સાથે પુત્ર અભિષેક બચ્ચન , પુત્રવધુ ઐશ્વર્યા રાય અને પૌત્રી આરાધ્યા તો છે , પરંતુ ભોપાલ જેનું પીયર છે તે એટલે કે અમિતાભના પત્ની જયા બચ્ચન ગાયબ હતાં . જયા બચ્ચન ભોપાલ પહોંચ્યા તો ખરા , પણ પરિવાર સાથે નહીં . શક્ય છે કે જયા બચ્ચન કોઈક કારણસર બચ્ચન પરિવાર સાથે ભોપાલ નહીં પહોંચી શક્યાં હોય , પણ તાજેતરમાં આવેલા સાસુ - વહુના ઝગડાના પગલે જયાની ગેરહાજરીએ લોકો અને મીડિયાને વિચારવા મજબૂર કરી છે . ચર્ચાઓ ચાલી નિકળી છે કે વહુ ઐશ્વર્યા રાય સાથે સંબંધોમાં આવેલી ઓટના પગલે જયા બચ્ચન કદાચ પરિવાર સાથે ભોપાલ નહીં પહોંચ્યાં હોય અને પછીથી આવ્યાં હોય . તાજેતરમાં જ સમાચાર વહેતા થયા હતાં કે બચ્ચન પરિવારમાં બધુ સમસુથરૂ નથી ચાલી રહ્યું . આદર્શ વહુ ગણાતા ઐશ્વર્યા રાય અને સાસુ જયા બચ્ચન વચ્ચે ગેરસમજણ ઊભી થઈ છે કે જેથી ઐશ જયાથી જુદા રહેવા જવાનાં છે . તેવામાં ભોપાલ ખાતે બચ્ચન પરિવાર જ્યારે અમિતાભ બચ્ચનના એક મિત્ર રાજેશના ઘેર લગ્ન સમારંભમાં ભાગ લેવા માટે ભોપાલ પહોંચ્યો , ત્યારે જયાની ગેરહાજરી જોતા સ્વાભાવિક છે કે પ્રશ્નો તો ઊભા થવાનાં જ છે . જોકે જયા બચ્ચન લગ્ન સમારંભમાં હાજર રહ્યા હતાં ચાલો તસવીરો સાથે જાણીએ વધુ કહાણી :" sports,"ભારત અને શ્રીલંકા વચ્ચેની ત્રણ ટેસ્ટ મેચની સીરિઝની પહેલી મેચ ગાલેમાં રમાઇ રહી છે , આજે એટલે કે શુક્રવારે મેચનો 3જો દિવસ હતો . આ મેચના પહેલા બંન્ને દિવસો આમ તો ભારતીય ટીમના પક્ષમાં રહ્યા હતા . ભારતીય ટીમ 600 રન કરી ઓલ આઉટ થઇ હતી . આ મેચમાં કપ્તાન વિરાટ કોહલી ખાસ સારું પ્રદર્શન નહોતા કરી શક્યા , પરંતુ ચેતેશ્વ પુજારા ( 153 ) અજિંક્ય રહાણે ( 57 ) , અશ્વિન ( 47 ) , હાર્દિક પંડ્યા ( 50 ) જેવા ખેલાડીઓએ શાનદાર બેટિંગ કરી હતી . જેની સામે શ્રીલંકાની ટીમ મેચના બીજા દિવસને અંતે 5 વિકેટ ગુમાવી 154 રન બનાવ્યા હતા . બીજા દિવસના અંતે શ્રીલંકાના કપ્તાન એન્જિલો મેથ્યૂઝ ( 54 ) અને દુલરુવાન પરેરા ( 6 ) નોટ આઉટ રહ્યા હતા . આ મેચના ત્રીજા દિવસના તમામ મુખ્ય અપડેટ્સ મેળવો અહીં . . સ્કોર અપડેટઃ ભારતીય ટીમઃ શિખર ધવન , અભિનવ મુકુંદ , ચેતેશ્વર પુજારા , વિરાટ કોહલી ( કપ્તાન ) , અજિંક્ય રહાણે , હાર્દિક પંડ્યા , રિદ્ધિમાન સાહા , રવિચંદ્રન અશ્વિન , રવીન્દ્ર જાડેજા , ઉમેશ યાદવ , મોહમ્મદ શમી શ્રીલંકા ટીમઃ દીમથ કરુણારત્ને , ઉપુલ થરંગા , કુસલ મેંડિસ , દાનુસ્કા ગુનાથિલકા , એન્જેલો મેથ્યૂઝ , એસેલા ગુણરત્ને , નિરોશન ડિકવેલ , દિલરૂવન પરેરા , રંગાના હેરાથ ( કપ્તાન ) , લાહિરુ કુમારા , નુવાન પ્રદીપ" entertainment,"બૉલીવુડ અભિનેત્રી જિયા ખાન આત્મહત્યા કેસમાં મુખ્ય આરોપી સૂરજ પંચોલી હવે 27મી જૂન સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં રહેશે . તેઓ આજ સુધી પોલીસ કસ્ટડીમાં હતાં . આજે તેમને કોર્ટમાં રજૂ કરાયાં કે જ્યાંથી તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી અપાયાં છે . આ અગાઉ જિયાના માતા રાબિયા ખાને આરોપ લગાવ્યો હતો કે તેમની ઉપર બૉલીવુડમાંથી દબાણ બનાવાઈ રહ્યું છે કે તેઓ સૂરજ સામે લગાવાયેલ તમામ આરોપો પાછા ખેંચી લે , કારણ કે સૂરજ નિર્દોષ છે . રાબિયાએ કોઈનું નામ નથી લીધું , પણ એટલું કહ્યું કે તેમની પાસે મોટા સ્ટાર્સના ફોન આવી રહ્યાં છે કે જેઓ તેમને કહી રહ્યાં છે કે આપ સૂરજ સામે લગાવાયેલ તમામ આરોપો પાછા ખેંચી લો . હાલ તો સૂરજ પંચોલીના માતા ઝરીના વહાબ વારંવાર એમ જ કહી રહ્યાં છે કે તેમના પુત્રને ફસાવવામાં આવી રહ્યું છે . ઝરીનાએ રાબિયા ખાનને મળવાના પણ પ્રયત્ન કર્યાં , પરંતુ રાબિયાએ તેમને મળવાનો ઇનકાર કરી દીધો હતો . રાબિયા ખાને તો જિયાના મોત માટે સૂરજ પંચોલી ઉપરાંત તેના પિતા આદિત્ય પંચોલી સામે પણ સવાલ ઊભા કર્યાં છે . તેમનું કહેવું હતું કે જિયા ખાન સાથે આદિત્યે પણ મારઝૂડ કરી હતી . એમ તો સૂરજ પંચોલીને આજ સુધીના પોલીસ રિમાંડ ઉપર મોકલાયાં છે . આ અગાઉ જિયાના માતાએ સૂરજ તથા તેના પિતા આદિત્ય પંચોલી વિરુદ્ધ પણ પોતાની પુત્રી સાથે મારઝૂડ કરવાનો આરોપ મૂક્યો છે ." entertainment,"મુંબઈ , 21 સપ્ટેમ્બર : સુંદર દેખાવું અને સારૂં રહેવું દરેક અભિનેત્રી માટે જરૂરી છે . અનુષ્કા શર્મા કહે છે કે સૌંદર્યની બાબતમાં તેઓ કોઈ બાંધછોડ નથી કરતાં . અનુષ્કાએ પોતાના મૉશ્ચરાઇઝર પ્રેમ અંગે જણાવ્યું કે તેમના ઘરના દરેક ખૂણે , અહીં સુધી કે કારમાં પણ એક મૉશ્ચરાઇઝર જરૂર હોય છે . નીવિયા રૉક ધ રૅમ્પ સ્પર્ધામાં આવેલા 25 વર્ષીય બૉલીવુડ અભિનેત્રી અનુષ્કાએ જણાવ્યું - હું મૉશ્ચરાઇઝર પ્રત્યે ઘેલી છું . હું મજાક નથી કરતી . મારા ઘરે દરેક ઠેકાણે મૉશ્ચરાઇઝર છે . અનુષ્કા શર્મા આગળ કહે છે - હું મૉશ્ચરાઇઝર વગર રહી નથી શકતી . અહીં સુધી કે મારી કારમાં પણ મૉશ્ચરાઇઝર છે . આ એક એવી વસ્તુ છે કે જે આપના સૌંદર્યને વધારે છે . તે દરેક સ્થળે છે , કારણ કે તે એક ઝનુન છે . છેલ્લે મટરૂ કી બિજલી કા મંડોલા ફિલ્મમાં દેખા દેનાર અનુષ્કા શર્મા આજકાલ અનુરાગ કશ્યપની ફિલ્મ બૉમ્બે વેલવેટમાં વ્યસ્ત છે . તેમાં અભિનેતા રણબીર કપૂર તેમના હીરો છે . અનુષ્કા આ ઉપરાંત આમિર ખાન સાથે રાજકુમાર હીરાણીની પીકે ફિલ્મમાં પણ નજરે પડનાર છે ." business,ફ્લિપકાર્ટ છોડ્યા બાદ બિન્ની બંસલે પહેલી વાર મૌન તોડ્યુ છે અને જણાવ્યુ કે હાલમાં તે શું કરી રહ્યા છે . ફ્લિપકાર્ટ છોડે તેમને ત્રણ મહિના થઈ ગયા છે . વૉલમાર્ટ સાથે ભાગીદારી બાદ ફ્લિપકાર્ટમાંથી તેમની વિદાય થઈ ગઈ અને હવે તે xto10x Technologies ( એક્સટુ10એક્સ ટેકનોલોજીસ ) પર ફોકસ કરી રહ્યા છે . બિન્ની બંસલે કહ્યુ કે આ કંપનીની સ્થાપના તેમણે પોતાના પૂર્વ સહકર્મી સાઈકિરણ કૃષ્ણમૂર્તિ સાથે કરી છે . તેમણે પોતાના ખાસ દોસ્તો સાથે મળીને એક ટીમ બનાવી છે અને એક ઓફિસ પણ બનાવી લીધી છે . સાથે અમુક અગ્રણી સ્ટાર્ટઅપ કસ્ટમર્સ પણ બનાવી લીધા છે . તેમણે બ્લૂમબર્ગને આપેલા પોતાના પહેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યુ કે ફ્લિપકાર્ટમાંથી નીકળ્યા બાદ તેમનુ જીવન હવે કેવુ છે . હવે તેમણે પોતાના જીવનનો નવો અધ્યાય શરૂ કરી દીધો છે . તેમણે નવા ઈ કોમર્સની સ્થાપના કરી દીધી છે . હવે તેમનુ પૂરુ ફોકસ પોતાની આ કંપની પર છે . આ સ્ટાર્ટઅપ દ્વારા તે ભારતીય સ્ટાર્ટઅપ ઉદ્યમીઓને સમયને અનુકૂળ નિર્ણયો લેવામાં મદદ કરશે . તેમણે કહ્યુ કે આ સ્ટાર્ટઅપની મદદથી એક - એક કરીને હું 10 સ્ટાર્ટઅપ્સની મદદ કરી શકુ છુ પરંતુ મારો ઉદ્દેશ પ્રારંભિક અને મિડ - સ્ટેજવાળા 10 હજાર ઉદ્યમીઓની મદદ કરવાનો છે . તમને જણાવી દઈએ કે ફ્લિપકાર્ટની 77 ટકા ભાગીદારી વૉલમાર્ટ દ્વારા ખરીદાયા બાદ બિન્ની બંસલે તેનાથી અંતર કરી લીધુ . તેમના પર ગંભીર આરોપ લાગ્યા ત્યારબાદ તેમણે ફ્લિપકાર્ટને અલવિદા કરી દીધુ . હવે બિન્ની નવા પ્રોજેક્ટ પર ફોકસ કરી રહ્યા છે . આ પણ વાંચોઃ Kiss for Peace ! પોપ અને ઈમામના આ ફોટાએ સોશિયલ મીડિયા પર કર્યો તમાશો entertainment,પહેલા દારૂ ના પીવો તે શાનની વાત ગણાતી . પણ પછી ક્લચર તેવું થઇ ગયું કે વચ્ચે વચ્ચે મિત્રો સાથે એક - બે ડ્રિંક પી લીધું તો શું ખોટું કર્યું ! તેમાં પણ બોલીવૂડ એક તેવી જગ્યા છે . જ્યાં દારૂની પાર્ટીઓ થતી રહે છે . અને અનેક બોલીવૂડ સેલેબ્રિટી માટે દારૂ પીવો એક નોર્મલ વાત છે . પણ આ બધા તમા - જામની વચ્ચે કેટલાક તેવા પણ સેલેબ્રિટી છે જે તેમના સ્વાસ્થયને વધુ મહત્વ આપે છે . અને તે માટે જ તે દારૂને સ્પષ્ટ શબ્દોમાં ના પાડી દે છે . વધુમાં તે વાત તો બધા જ જાણે છે કે જો સારું ફિઝિક્સ બનાવું હોય તો આલ્કોહોલને તો ના કહેવું પડશે . માટે જ કેટલાક હિરો અને હિરોઇનોએ દારૂ પીવા મામલે સ્પષ્ટ શબ્દોમાં ના પાડી દીધી છે . ત્યારે આ કયા કયા સેલેબ્રિટી છે જેમણે દારૂને ના કહીને યંગ જનરેશનને એક સારું ઉદાહરણ પૂરું પાડ્યું છે . તો જુઓ આ ફોટોસ્લાઇડર . . . entertainment,ટાઇગર શ્રોફ અને જેકલિન ફર્નાન્ડિઝની ફિલ્મ ફ્લાયિંગ જટ રિલીઝ થઇ ચુકી છે . રેમો ડિસુઝાની ફિલ્મ ફ્લાયિંગ જટનો પહેલો ભાગ ખુબ જ મનોરંજનથી ભરેલો છે . ફિલ્મ લોકોને પસંદ આવી રહી છે અને ખાસ કરીને બાળકોને . ફિલ્મમાં કોમેડી ખુબ જ છે અને તેના પંચ પણ સારા છે . આ ફિલ્મ પછી તમને તમારા બાળકો માટે બેસ્ટ સુપરહીરો મળી જશે જે માર્કેટમાં હાલ નવો જ આવ્યો છે . ઉડતો ફ્લાયિંગ જટ બાળકોના દિલમાં સેફ લેન્ડિંગ ચોક્કસ કરશે . ફ્લાયિંગ જટ એક નોર્મલ સુપર હીરો છે . જે બાળકોને પસંદ આવશે . બાળકોને કોમેડી પસંદ હોય છે એટલે આ સુપરહીરો કોમેડી પણ કરે છે . business,"પંજાબ નેશનલ બેંકે તેનું પેમેન્ટ વૉલેટ પીએનબી Kitty વૉલેટને 30 એપ્રિલના રોજ બંધ કરવાનો નિર્ણય લીધો છે . ક્રેડિટ કાર્ડ , ડેબિટ કાર્ડ અથવા નેટબેન્કિંગને બદલે , લોકો પીએનબી Kitty નો ઉપયોગ ચુકવણી કરવા માટે કરતા હતા , પરંતુ હવે બેંક તેને બંધ કરવા જઈ રહી છે . પીએનબીએ ટ્વિટ કર્યું છે કે પીએનબી Kitty મોબાઇલ વૉલેટ 30 એપ્રિલે બંધ થવાનું છે . આજે રાત્રે ઉપાડી લો પોતાના પૈસા PNB બેંકે તેના ગ્રાહકોને Kitty વૉલેટ બંધ કરવા વિશે જણાવ્યું છે , અને સાથે સાથે કહ્યું કે વૉલેટમાં બાકી રહેલા પૈસા ઉપાડી લો . બેંકે કહ્યું છે કે ગ્રાહક વૉલેટનું બેલેન્સ ઝીરો કરી લો . જો બેલેન્સ શૂન્ય નથી , તો વપરાશકર્તાઓ તેને ખર્ચ કરી શકે છે અથવા તમારા એકાઉન્ટમાં IMPS દ્વારા ટ્રાન્સફર કરી શકે છે . આ સરકારી બેંકે ચેતવણી આપી , એક નાની ભૂલ તમારા બેંક ખાતાને ખાલી કરી દેશે બેંકે આ એપના વપરાશકર્તાઓને 30 એપ્રિલ સુધી તેમના વૉલેટમાં રહેલા પૈસા ખર્ચવા અથવા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવા કહ્યું છે . પીએનબી Kitty દ્વારા , તમે 30 એપ્રિલ સુધી તમામ વ્યવહારો કરી શકો છો . આ પછી , તમારું વૉલેટ બંધ થઈ જશે , જો કે વૉલેટમાં જમા બેલેન્સને તમે તમારા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી શકો છો . ઘરમાં મુકેલા સોનાથી આ રીતે કરો કમાણી , SBI આપી રહ્યું છે ખાસ તક" business,"નવી દિલ્હી , 21 ઓક્ટોબર : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપનો વિધાનસભા ચૂંટણીઓમાં દબદબો ઉભો કર્યા બાદ હવે આર્થિક સુધાર પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે . આ માટે તેમણે ખાનગીકરણનો પ્રોત્સાહન આપવાના સ્પષ્ટ સંકેતો આપ્યા છે . કહેવામાં આવી રહ્યું છે કે નરેન્દ્ર મોદી આર્થિક સુધારાને અમલી બનાવવા માટે શિયાળુ સત્ર માટે ખાસ તૈયારીઓ કરી રહ્યા છે . આગામી સમયમાં સંસદના શિયાળુ સત્રમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા બાદ આવતા વર્ષે બજેટમાં મહત્વની જોગવાઇઓ કરીને નરેન્દ્ર મોદી સરકાર આર્થિક સુધારાની ગાડી પૂરપાટ ઝડપે દોડાવવા માંગે છે . નરેન્દ્ર મોદી સરકારે શનિવારે સાંજે સરકારે કેટલાક મહત્ત્વના આર્થિક સુધારા જાહેર કર્યા હતા . જેમાં એક્સ્પ્લોરેશનને પ્રોત્સાહન આપવા નેચરલ ગેસના ભાવમાં વધારો તેમજ ડીઝલના ભાવની અંકુશમુક્તિનો સમાવેશ થાય છે . હવે આગામી સમયમાં સરકારે બાકી રહેલા તમામ સુધારા આગળ ધપાવવાનો સ્પષ્ટ સંકેત આપ્યો છે . ખાતરની સબસિડી આવું જ એક મહત્ત્વનું પગલું છે . આર્થિક સુધારોની દિશામાં આગળ વધવા માટે સરકારના એજન્ડામાં રોકાણ પ્રવાહમાં વધારો , સુપ્રીમ કોર્ટે રદ કરેલા કોલ બ્લોક્સની નવેસરથી હરાજી , એફએસએલઆરસીની ભલામણો આધારિત નાણાકીય ક્ષેત્રના સુધારા , જીએસટી , વધુ શ્રમ સુધારા અને બિઝનેસને સરળ બનાવવાના વહીવટી પગલાંનો સમાવેશ થાય છે . રકાર વહીવટી બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરશે . સરકારે નાણાકીય ક્ષેત્રના સુધારા અને નાણાનીતિના નવા માળખા માટે રિઝર્વ બેન્ક સાથે વાટાઘાટ શરૂ કરી દીધી છે . ઉપરાંત , કોલ બ્લોક્સ રદ કરવાના સુપ્રીમ કોર્ટના નિર્ણયથી વીજળીની સ્થિતિ વણસે નહીં એ માટે સરકાર ઝડપી પગલાં લેશે એવો અંદાજ છે ." sports,"ચેમ્પિયન્સ ટ્રોફી 2017માં સોમવારે શ્રીલંકા અને પકિસ્તાન વચ્ચેની મેચમાં પાકિસ્તાને શ્રીલંકાને 3 વિકેટથી હરાવી સેમિ - ફાઇનલમાં સ્થાન મેળવી લીધું છે . જો કે , સાથે જ સ્લો ઓવર રેટ માટે પાકિસ્તાની ખેલાડીઓને દંડ કરવામાં આવ્યો છે . આઇસીસી મેચના રેફરીઝના એલીટ પેનલ મેમ્બર ક્રિસ બોર્ડે પાકિસ્તાની ટીમ પર સ્લો ઓવર રેટ માટે ફાઇન ચાર્જ કર્યો છે . આઇસીસીના નિયમોની કલમ 2.5.1માં સ્લો રન રેટ માટે ખેલાડીઓને દંડ કરવાની જોગવાઇ છે . નિશ્ચિત સમયમાં ઓવર પૂરી ન કરતાં ખેલાડીઓની મેચ ફીમાંની 10 ટકા રકમ દંડ તરીકે કાપવામાં આવે છે . ટીમના કપ્તાન પાસેથી મેચ ફીના 20 ટકા દંડ વસૂલવામાં આવે છે . આ હિસાબે પાકિસ્તાની ટીમના કપ્તાન સરફરાઝ અહમદને મેચ ફીના 20 ટકા અને અન્ય ખેલાડીઓને મેચ ફીના 10 ટકા દંડ કરવામાં આવ્યો છે . જો બીજી વાર પાકિસ્તાની ટીમ સ્લો ઓવર રેટ માટે જવાબદાર રહેશે , તો કપ્તાનને એક મેચ માટે સસ્પેન્ડ કરવામાં આવશે ." sports,"પૂછપરછનો દોર સવારે 10.30 વાગ્યાથી દિલ્હી પોલીસના મુખ્યાલયમાં શરૂ કરાયો હતો . પૂછપરછ દરમિયાન કુન્દ્રાએ પોલીસે એમ કહ્યું હોવાનું મનાય છે કે તેમની ટીમના ખેલાડીઓ ઘણી વાર બુકીઓને એમના અંગત મહેમાનો તરીકે આમંત્રિત કરતા હોય છે . પોલીસે કુન્દ્રાને રાજસ્થાન રોયલ્સ ટીમની માલિકીના પ્રકાર વિશે પણ સવાલો પૂછ્યા હતા . પોલીસ અધિકારીઓ કુન્દ્રાએ આપેલા જવાબોથી સંતુષ્ટ થયા નથી એવું પણ સૂત્રોનું કહેવું છે . પોલીસ કુન્દ્રા પાસેથી એ પણ જાણવા માગે છે કે તેમની ટીમના પકડાયેલા ત્રણ ખેલાડીઓએ તેઓ બુકીઓ સાથે સંપર્કમાં હોવા અંગે તેમની સાથે ચર્ચા કરી હતી કે નહીં અથવા ફિક્સિંગ વિશે તેમને કોઈ સંકેત આપ્યો હતો કે નહીં . મકોકા કાયદો અત્યંત કડક કાયદાઓમાંનો એક છે . તે અંતર્ગત દિલ્હીમાં ડીસીપી સમક્ષ કે અન્ય કોઈ પણ રાજ્યના પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ સમક્ષ કરેલા કોઈ પણ પ્રકારના એકરારને પુરાવા તરીકે સ્વીકારી શકાય છે . સૂત્રોનું કહેવું છે કે દિલ્હી પોલીસ રાજસ્થાન રોયલ્સ ટીમની સહ માલિક અને રાજ કુન્દ્રાની પત્ની અને બોલીવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીની પણ પૂછપરછ કરે એવી શક્યતા છે . આ મેચ ફિક્સિંગ કૌભાંડમાં પકડેલા અમુક બુકીઓએ પૂછપરછ દરમિયાન માહિતી આપ્યા બાદ અને આરોપ કર્યા બાદ દિલ્હી પોલીસે કુન્દ્રાની પૂછપરછ કરી છે . ઉલ્લેખનીય છે કે આ કૌભાંડમાં રાજસ્થાન રોયલ્સ ટીમના ત્રણ ખેલાડીઓ એસ . શ્રીસંત , અજિત ચાંડિલા અને અંકિત ચવ્હાણ પકડાયા છે . ટીમે આ ત્રણેય જણને સસ્પેન્ડ કર્યા છે . આ કેસમાં મહારાષ્ટ્ર કન્ટ્રોલ ઓફ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એક્ટ ( મકોકા ) લાગુ કરાયા બાદ કુન્દ્રા પહેલા જ વ્યક્તિ છે જેમની પૂછપરછ કરવામાં આવી છે . દિલ્હી પોલીસ રાજસ્થાન રોયલ્સની માલિક કંપનીની કામગીરી કેવા પ્રકારની રહી છે તે જાણવાનો પ્રયત્ન કરી રહી છે ." business,"સેંસેક્સ અને નિફ્ટીએ ગુરૂવારે નવી ઉંચાઇઓ સર કરી હતી . સેંસેક્સ 105 અંકનો કુદકો મારી 33,151.26 સુધી પહોંચતા નવો રેકોર્ડ બન્યો છે , તો સાથે જ નિફ્ટી પણ પહેલી વાર 10,300 પાર કરતાં 10,356 પર પહોંચ્યો હતો . આ અત્યાર સુધીનો ઓલ ટાઇમ હાઇ આંકડો છે . દિવસનો વેપાર પૂરો થતા સુધીમાં નિફ્ટી 48 અંકની છલાંગ સાથે 10,343.80 અંક પર બંધ થયો હતો . બુધવારથી જ સ્ટોક માર્કેટમાં તેજી છે . બુધવારે સેંસેક્સ 33,117.33 અંક પર પહોંચ્યો હતો , જે એક રેકોર્ડ હતો . પરંતુ ગુરૂવારે સેંસેક્સએ બુધવારે બનાવેલ રેકોર્ડ તોડતાં 33,196નો નવો આંકડો સર કર્યો છે . સાથે જ નિફ્ટીએ પણ બુધવારના પોતાના રેકોર્ડ સ્તર 10,340ને તોડતાં 10,356ની નવી ઉંચાઇ સર કરી છે . વેપાર દરમિયાન નાના અને મધ્યમ શેર્સમાં સૌથી વધારે તેજી જોવા મળી હતી . આને કારણે સેંસેક્સના સ્મોલકેપ ઇન્ડેક્સમાં 0.57 ટકા તેજી જોવા મળી અને તે 17,257 પર બંધ થયો . મિડકેપ ઇન્ડેક્સની વાત કરીએ તો તે પણ 0.50 ટકા તેજી સાથે 16,331 અંક પર બંધ થયો . મિડકેપમાં સૌથી વધારે અદાણી પાવર , યુનિયન બેંક , બજાજ હોલ્ડિંગ અને ટીવીએસના શેર્સમાં ઉછાળો જોવા મળ્યો હતો ." sports,"નવી દિલ્હી , 19 જાન્યુઆરીઃ નેપિયર વનડેમાં ન્યૂઝીલેન્ડે ભારતને 24 રનથી હરાવી દીધું છે . 293 રનોનું લક્ષ્ય પાર કરવા મેદાનમાં ઉતરેલી ટીમ ઇન્ડિયા 49માં ઓવરમાં 268 રન પર જ પેવેલિયન ભેગી થઇ ગઇ . ભારત તરફથી વિરાટ કોહલીએ શાનદાર સદી ફટકારી , પરંતુ કોહલીની આ શાનદાર સદી ભારતને જીત અપાવી શકી નહી . કોહલીએ 111 બોલમાં 123 રનની પારી રમી . વિરાટ ઉપરાંત કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીએ 40 રન બનાવ્યા . ન્યૂઝીલેન્ડ તરફથી સૌથી વધારે 4 વિકેટ મેક્લેગેને પોતાના નામે કરી , આ પહેલા કોરી એન્ડરસના ધમાકેદાર અર્ધસદીના જોરે ન્યૂઝીલેન્ડે 50 ઓરવમાં 7 વિકેટના નુકસાન પર 292 રન બનાવ્યા . એન્ડરસન ઉપરાંત ન્યૂઝીલેન્ડ તરફથી વિલિયમ્સે 88 બોલમાં 71 રનોની પારી ખેલી , જ્યારે ટેલરે 82 બોલમાં 55 રન બનાવ્યા . ભારત તરફથી મોહમ્મદ શમીએ સૌથી વધારે 4 વિકેટ પોતાના નામે કરી જ્યારે જાડેજા , ઇશાંત અને ભુવનેશ્વરના ખાતામાં 1 - 1 વિકેટ આવી . નેપિયર વનડેમાં જીતની સાથે ન્યૂઝીલેન્ડે 5 મેચોની શ્રેણીમાં 1 - 0થી બઢત બનાવી લીધી છે ." entertainment,"અમદાવાદ , 11 સપ્ટેમ્બરઃ બૉલીવુડમાં જેની લાંબા સમયથી રાહ જોવાઈ રહી છે , તેવા સૈફ અને કરીનાના લગ્ન આવતા મહીનાની 17મી તારીખે થઈ શકે છે . બૉલીવુડના નવાબ પોતાની બેગમ સાથે 17મી ઑક્ટોબરે નિકાહ કરી શકે છે . એક ન્યુઝ વેબસાઇટે દાવો કર્યો છે કે સેફ - કરીના આવતા મહીને પતિ - પત્ની બની જશે . આ લગ્ન દરમિયાન ત્રણ કાર્યક્રમો થશે . લગ્ન તો મુંબઈમાં યોજાશે , પણ રિસેપ્શન દિલ્હી અને પટોડી ખાતે યોજાશે . રિસેપ્શન 18મી ઑક્ટોબરે યોજાશે . સૈફ - ખરીનાના લગ્ન અંગે લાંબા સમયથી અટકળો ચાલી આવે છે . વેબસાઇટના જણાવ્યા મુજબ લગ્નની કંકોત્રીઓ છપાઈ ગઈ છે અને શર્મિલા ટાગોરએ કંકોત્રીઓ પણ વહેંચવાની શરૂઆત કરી દીધી છે . નથી . એવું મનાઈ રહ્યું છે કે સેફ - કરીના આ જ વર્ષે લગ્ન - ગ્રંથિથી જોડાનાર છે . અગાઉ સેફ - કરીનાની ફિલ્મ એજંટ વિનોદની રિલીઝ થવાની વાત હતી અને હવે કરીનાની ફિલ્મ ‘હીરોઇન ' ની વાત છે . એજંટ વિનોદ રિલીઝ થયા બાદ ફ્લૉપ પણ થઈ ચુકી છે , જ્યારે હીરોઇન 21મી સપ્ટેમ્બરે રિલીઝ થવાની છે . આ પરિસ્થિતિમાં સેફ - કરીના બંને હાલ પુરતાં ફ્રી થઈ જશે . તેથી શક્ય છે કે વેબસાઇટનો દાવો સાચો પણ નિકળે . જોકે કેટલાંક લોકોનું માનવું છે કે લગ્નની વાત ફિલ્મ હીરોઇનની પબ્લિસિટી વધારવા માટે ફેલાવાઈ રહી છે . જે કઈં હશે , આવતા મહીને ખબર પડી જ જશે , પરંતુ એટલું તો નક્કી છે કે સૈફ - કરીનાના લગ્નના સમાચાર સાંભળવાની બધાને ઉતાવળ છે ." business,"પાસવર્ડને યાદ રાખવાની મગજમારીના ઉકેલ રૂપે કમ્પ્યુટર ચાલુ કરવા માટે ફિન્ગરપ્રિન્ટનો ઉપયોગ પણ શરૂ થયો છે , પણ બાકીના એકાઉન્ટમાં પાસવર્ડની હેરાનગતિનો સામનો કરવો પડતો હોય જ છે . હવે સર્ચ એન્જિન જાયન્ટ ગુગલ દ્વારા હવે એવી સુવિધા વિકસાવવામાં આવી રહી છે જેમાં પાસવર્ડનો ક્યારેય ઉપયોગ જ કરવો નહીં પડે . શરૂઆતના પ્રયોગોમાં અત્યારે યુએસબી કી , જવેલરી અને મોબાઇલ ફોનનો ઉપયોગ કરીને લોગ - ઇન કરવાની કોશિશ કરવામાં આવી રહી છે . આ નવી સિસ્ટમને હાલ ' ફિઝીકલ કી ' તરીકે ઓળખવામાં આવી રહી છે . તેના ઉપયોગથી જ વ્યક્તિ એકાઉન્ટનો ઉપયોગ કરી શકશે . કંપનીના બે સિક્યોરિટી એક્સ્પર્ટની એક ટીમ થોડા દિવસમાં તેમના સંશોધનો અને પરિણામ રજૂ કરશે . આ બે સંશોધકોમાંથી એક ભારતીય છે . કંપનીના સુરક્ષા વિભાગના ઉપ - પ્રમુખ એરિક ગ્રોસ અને એન્જિનિયર મયંક ઉપાધ્યાય આ ' ફિઝીકલ કી ' વિશે જાણકારી આપશે . કોઈ પણ ચીજવસ્તુમાં એક સ્માર્ટ ચિપને ઉમેરી એનો ઉપયોગ પાસવર્ડના આ નવા પ્રકાર તરીકે કરી શકાશે . આ બન્નેએ તેમના સંશોધનને સમજાવતા પેપર્સમાં લખ્યું હતું કે , પાસવર્ડથી એકાઉન્ટ ઉપયોગ કરનારા સલામત નથી એમ અમે પણ માનીએ છીએ . અમારી ઇચ્છા છે કે તમે સ્માર્ટ ફોન કે સ્માર્ટ કાર્ડ ધરાવતી વીંટીને કમ્પ્યુટર પર હળવા હાથે ટપારતા લોગ - ઇન કરી શકાય . જયારે તમારો ફોન સ્વિચ - ઓફ થઈ ગયો હોય ત્યારે પણ એનો પાસવર્ડ તરીકે તો ઉપયોગ થઈ જ શકે . વધુ એક વિકલ્પ યુબીકી નામની નાનકડી યુએસબી - કીનો ઉપયોગ છે . જયારે કમ્પ્યુટરના યુએસબી પોર્ટમાં આ કી લગાવવામાં આવે એટલે ગુગલના તમામ એકાઉન્ટમાં લોગ - ઇન કરી શકાશે . જોકે સૌથી મોટી મુશ્કેલી એ જ થાય કે વીંટી કે મોબાઇલનો ઉપયોગ તો કોઈ પણ કરી શકે અને જો ચોરી કે ગૂમ થાય તો આ ‘ફિઝીકલ કી ' સાવ નકામી થઈ જાય . ગુગલ સાથે સંકળાયેલા લોકો આ સમસ્યાના સમાધાન માટેના વિકલ્પો પર કામ કરી રહી છે અને આશા રાખે છે કે અમુક વેબસાઇટના ઉપયોગથી તેઓ ઉપયોગ કરનારાને અનુરૂપ સુવિધા ઊભી કરી શકશે . આ સુવિધા ખરેખર લાભકારક બનશે ." business,"રિલાયન્સ ઇન્ડસ્ટ્રી લિમિટેડ કંપનીની 41મી વાર્ષિક બેઠકમાં ગ્રાહકોને ઘણી ભેટો આપવામાં આવી છે . જિયો ફોન 2 સાથે કંપની ઘ્વારા જિયો ગીગા ટીવી લોન્ચ વિશે પણ જાહેરાત કરવામાં આવી છે . જિયો ગીગા સેટઅપ બોક્સમાં એક જ જગ્યા પર બધી જ ચેનલો માટે સુવિધા મળશે . જિયો ગીગા ફાયબર સુવિધા ધરાવતા આ સેટઅપ બોક્સમાં વોઇસ કમાન્ડ પણ હશે , જે ઘણી ભાષાઓમાં કામ કરશે . રિલાયન્સ ઇન્ડસ્ટ્રી લિમિટેડ કંપનીની 41મી વાર્ષિક બેઠકમાં મુકેશ અંબાણી ઘ્વારા ઘણી સુવિધાઓ વિશે જાહેરાત કરવામાં આવી છે . જિયો ઘ્વારા ટેલિકોમ સેક્ટરમાં ભૂચાલ આવ્યા પછી રિલાયન્સ ખુબ જ જલ્દી જિયો ફોન 2 માર્કેટમાં લાવી રહ્યું છે . તેને લોન્ચ કરતા ઈશા અને આકાશ અંબાણી ઘ્વારા જણાવવામાં આવ્યું કે અમે તમારા માટે જિયો ગીગા સેટઅપ બોક્સ પણ લઈને આવ્યા છે . 4K રિઝોલ્યૂશન સાથે આ તમને થિયેટરનો અનુભવ કરાવશે . આ સેટઅપ બોક્સમાં વોઇસ કમાન્ડ પણ હશે જે ઘણી ભાષાઓમાં કામ કરશે ." entertainment,"આલિયા ભટ્ટ ચાર જ ફિલ્મોની સફળતાથી સાતમા આસમાને છે અને તેમનું ફિલ્મી કૅરિયર જ નહીં , પણ કૉમર્સિયલ કૅરિયર પણ પુરજોશમાં ખીલી ઉઠ્યું છે . સ્ટુડન્ટ ઑફ ધ ઈયર ફિલ્મ સાથે માત્ર બે વર્ષ પહેલા જ બૉલવુડ કૅરિયર શરૂ કરનાર આલિયા ભટ્ટની અત્યાર સુધી ચાર જ ફિલ્મો રિલીઝ થઈ છે અને ચારેય ફિલ્મોના બૉક્સ ઑફિસના આંકડા પણ તેમના પક્ષમાં રહ્યા છે . આલિયા ભટ્ટ પોતાની ફિલ્મોની સફળતાની સાથે - સાથે જ માત્ર ચાર જ ફિલ્મોની સફરમાં સફળ અભિનેત્રી જ નહીં , પણ બૉલીવુડના પ્રથમ ફીમેલ સીરિયલ કિસર પણ બની ગયા છે . બૉલીવુડમાં અત્યાર સુધી સીરિયલ કિસર શબ્દ આવતા જ ઇમરાન હાશમીનું નામ ઉપસી આવતું , પરંતુ આલિયા ભટ્ટે જે રીતે પહેલી જ ફિલ્મમાં કિસિંગ સીન્સ આપ્યાં અને તે પછી હાઈવે , 2 સ્ટેટ્સ તથા છેલ્લે હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા ફિલ્મોમાં પણ કિસિંગ સીન્સની વણઝાર લગાવી , તે પછી તેઓ બૉલીવુડના ફીમેલ સીરિયલ કિસર બની ગયા છે . પરંતુ લાગે છે કે આલિયા ભટ્ટને સીરિયલ કિસરના ટૅગથી સંતોષ નથી . એટલે જ તો તેઓ ઑન - સ્ક્રીનની બહાર ઑફ - સ્ક્રીન પણ કંઇકને કંઇક એવું કરતા રહે છે કે જેથી સતત ચર્ચામાં રહે . ફિલ્મોની સફળતા બાદ આલિયા ભટ્ટ સામે જાહેરખબરોનો ઢગલો થઈ ગયો છે અને તેઓ તત્સંબંધી ઇવેંટ્સમાં પણ ભાગ લે છે , પરંતુ આલિયા ભટ્ટનું ઑફ - સ્ક્રીન પરફૉર્મન્સ તેમને નવા ટૅગ સાથે પ્રદર્શિત કરી રહ્યું છે . તાજેતરમાં જ આલિયા ભટ્ટ ગાર્નિયર ટ્રિપલ ન્યુટ્રીશન શૅમ્પૂ લૉન્ચ ઇવેંટમાં પહોંચ્યા હતાં અને ત્યાં પણ તેઓ ફરી એક વાર વૉર્ડરોબ માલફંક્શનનો ભોગ બની ગયાં . હવે ભોગ બન્યાં કે ભોગ વહોર્યો , તે તો સૌ જાણે છે . એક સ્થાપિત અભિનેત્રી સાથે વૉર્ડરોબ માલફંક્શનનો ઇતિહાસ જોડાયેલો હોઈ શકે , પણ આલિયા ભટ્ટ નવોદિત અભિનેત્રી છે અને માત્ર 2 વર્ષના કૅરિયરમાં જ તેઓ અનેક વખત આવા વૉર્ડરોબ માલફંક્શનનો ભોગ બન્યા છે . જોકે આલિયા જે રીતના કપડાં પહેરીને આવો ભોગ બને છે , તે જોતા તો એમ જ લાગે છે કે તેઓ હવે વૉર્ડરોબ માલફંક્શન ગર્લ બનવા પણ આતુર છે . ચાલો તસવીરોમાં જોઇએ બૉલીવુડના લેટેસ્ટ વૉર્ડરોબ માલફંક્શન્સ :" sports,"કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીની આગેવાની હેઠળ ટીમ ઈન્ડિયાએ ઝિમ્બાબ્વેમાં વનડે સીરીઝ પોતાને નામે કરી લીધી છે . ઝિમ્બાબ્વેની વિરુધ્ધમાં ત્રણ મેચોની સીરીઝમાં 2 - 0 થી જીત નોંધાવી લીધી છે . આ જીત સાથે મહેન્દ્રસિંહ ધોની સૌથી વધુ ટેસ્ટ અને વન - ડે સીરીઝ જીતનાર કેપ્ટન બની ગયા છે . ધોનીની આગેવાની હેઠળ ટીમ ઈન્ડિયા એ 13મી વનડે સીરીઝ પોતાના નામે નોંધાવી છે . ઝિમ્બાબ્વે વિરુધ્ધ બીજા વનડેમાં જીત મેળવ્યા બાદ ધોનીની આગેવાનીમાં ટીમ ઈન્ડિયાએ 64મી જીત નોંધાવી છે . ટીમ ઈન્ડિયા ધોની આગેવાની હેઠળ કુલ 123 મેચ રમી ચુકી છે . ખુલાસોઃ એક સમયે રવિન્દ્ર જાડેજા ક્રિકેટને છોડી દેવા માંગતા હતા ટી - 20 માં ધોને 47માંથી 29 મેચમાં જીત મેળવી છે , બધાજ મેચ વિદેશીમાં રમાયા છે . ધોનીની આગેવાની હેઠળ ટીમ ઈન્ડિયાએ આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં કાંગારુઓ વિરુધ્ધ સીરીઝ જીતી , બાંગ્લાદેશમાં એશિયા કપ પોતાના નામે કર્યો . જ્યારે ટી - 20 વિશ્વકપમાં સેમીફાઈનલ સુધી પોતાની જગ્યા બનાવી . જાણો કેટલું ભણેલા છે , તમારા ફેવરીટ ક્રિકેટર્સ 2015માં વિશ્વકપમાં સેમીફાઈનલ સુધી પોતાની જગ્યા બનાવી . સેમીફાઈનલમાં જતા પહેલા ધોનીની ટીમે લગાતાર છ મેચો જીતી . ભારત અને વિદેશ ધરતી પર ધોનીની આગેવાનીમાં ટીમ ઈન્ડિયાએ સૌથી વધુ 191 વનડે મેચ રમ્યા છે . જેમાંથી 104 માં જીત મેળવી છે , જ્યારે 72 મેચમાં હારનો સામનો કર્યો છે . ત્યારે ધોનીની કપ્તાનીમાં જીતેલી સીરીઝનુ લિસ્ટ વાંચો અહીં . . . ." entertainment,"નિયા શર્મા હાલમાં પોતાની ફોટોને કારણે ચર્ચાનો વિષય બની છે . થોડા દિવસ પહેલા જ નિયા શર્માને એક સોશ્યિલ મીડિયા યુઝરે બદસુરત કહી હતી . ત્યારે નિયા શર્માએ તેને જવાબ આપ્યો હતો કે તમે મારો બદસુરત ચહેરો ટીવી પર જોશો , શૉ જોતા રહેજો . નિયા શર્માના જવાબે લોકોનું દિલ જીતી લીધું છે . નિયા શર્માની ગણતરી ટીવીની હોટ અભિનેત્રીઓમાં થાય છે . સોશ્યિલ મીડિયા પર નિયા શર્માએ પોતાની સંસ્કારી ઇમેજ બિલકુલ બદલી નાખી છે . નિયા શર્મા વિશે વાત કરવામાં આવે તો તેને પોતાના કરિયરની શરૂઆત ' એક હજારો મેં મેરી બહેના ' ઘ્વારા કરી હતી . નિયા શર્મા ઇન્સ્ટાગ્રામ પર પોતાની બોલ્ડ ફોટો શેર કરતી રહે છે . આ વખતે પણ નિયા શર્માએ હોટ ફોટો શેર કરી છે . તેનો આ રેડ બોલ્ડ લૂક ફેન્સને પસંદ આવી રહ્યો છે . આ લૂકમાં નિયાનો સેક્સી અંદાઝ જોઈને હોશ ઉડી જશે . રેડ બિકીનીમાં એક્ટ્રેસે આપ્યા સેક્સી પોઝ , જોઈને જ હોશ ઉડી જશે આ ફોટો જોયા પછી આ વાતમાં કોઈ જ શંકા નથી કે નિયા આખરે એશિયાની સેક્સી સુપરસ્ટારમાં શામિલ છે . કેરિયર વિશે વાત કરવામાં આવે તો નિયા શર્મા જમાઈ રાજા પછી વિક્રમ ભટ્ટની વેબસીરીઝ ટ્વિસ્ટેડમાં જોવા મળી હતી . નિયા શર્મા ખુબ જ જલ્દી વિક્રમ ભટ્ટની ફિલ્મ ઘ્વારા પોતાનો બોલિવૂડ ડેબ્યુ પણ કરવા જઈ રહી છે . હાલમાં તે ટીવી શૉ ઇશ્ક મેં મરજાવામાં જોવા મળી રહી છે . કરિશ્મા તન્નાએ બાથટબમાં કરી આવી હરકત , તસવીરોએ સનસની મચાવી ટેલિવિઝન સ્ટારની વર્ષની સૌથી બોલ્ડ તસવીરો પર એક નજર કરો . . ." business,રિલાયન્સ જીયોએ દિવાળી પહેલા તેના ગ્રાહકોને એક સારા સમાચાર આપ્યા છે . હવે તમારે જીયો ફોન લેવા માટે લાંબી રાહ નહીં જોવી પડે . અને આ વાતની પૃષ્ઠી ખુદ જીયો દ્વારા કરવામાં આવી છે . જીયો કેર દ્વારા ટ્વિટરના માધ્યમથી આ જાણકારી આપવામાં આવી છે . જીયો કેર ટ્વિટમાં જે મુજબ જણાવ્યું છે તે પ્રમાણે તેના તમામ ગ્રાહકોને દિવાળી સુધીમાં જીયો ફોન મળી જશે . એક ગ્રાહક દ્વારા જ્યારે જીયો ફોનની ડિલિવરી અંગે સ્પષ્ટતા માંગવામાં આવી તો તેના જવાબમાં જીયો કેર દ્વારા આ વાત જણાવવામાં આવી છે . તેમણે કહ્યું કે વિવિધ ચરણમાં જીયો ફોનની ડિલિવરી શરૂ કરવામાં આવશે . અને જે લોકોએ જીયો ફોનનું પ્રી બુકિંગ કરાવ્યું છે ખાલી તે જ ગ્રાહકોને દિવાળી સુધી જીયો ફોન મળી જશે . સાથે જ જ્યારે તેની ડિલિવરી કરવાની હશે ત્યારે સ્ટોરની જાણકારી અને ફોન લેવાની તારીખ એસએમએસ દ્વારા ગ્રાહકને આપવામાં આવશે . business,"પીએફ ના એકાઉન્ટ ધારકો માટે કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લઈને એક નવો નિયમ લાગુ કર્યો છે . કેન્દ્ર સરકારના નવા નિર્ણય મુજબ તમે તમારા પીએફ ના પુરા પૈસા 15 વર્ષ પહેલા જ ઉપાડી શકો છો . નવા નિયમ મુજબ 5 વર્ષ પુરા થાય બાદ તમે તમારા પીએફ ના પુરા પૈસા મેળવી શકો છો . પીએફ ના પુરા પૈસા મેળવવા માટે પણ કેટલીક શરતો રાખવામાં આવી છે . પીએફ ના પુરા પૈસા મેળવવા માટેની શરતો નીચે મુજબ છે . . 1 . નવા નિયમ મુજબ 5 વર્ષ પુરા થાય બાદ તમે તમારા પીએફ એકાઉન્ટમાંથી ઉંચા ભણતર , કોઈક બીમારી જેવી કારણો માટે પૈસા ઉપાડી શકો છો . 2 . ખાતાધારક પોતાના પીએફ એકાઉન્ટમાંથી પત્ની , બાળકો ની ગંભીર બિમારીની સારવાર માટે પૈસા ઉપાડી શકે છે . 3 . આ માટે તમારે લાગતા વળગતા દસ્તાવેજો જમા કરાવવા પડશે . 4 . સૌથી અગત્યની વાત પૂરી રકમ ત્યારે જ મળશે જ્યારે તમારું પીએફ એકાઉન્ટ 5 વર્ષ જૂનું હોય ." business,"નવી દિલ્હી , 21 ઓક્ટોબર : આજે મંગળવારે કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન નિર્મલા સિતારમને ઇ - કોમર્સ વેબસાઇટ ફ્લિપકાર્ટની ' બિગ બિલિયન ડે ' સેલ ઓફર્સ સામે નોંધાયેલી ફરિયાદોના સંદર્ભમાં પગલાં લેવાની શક્યતાને નકારી દીધી છે . મહત્વનું છે કે ફ્લિકાર્પે બિગ બિલિયન સેલ નામે ખોટી રીતે વસ્તુઓનું વેચાણ કર્યું હોઈ તેની સામે અસંખ્ય ફરિયાદો થઈ હતી . પત્રકારો સાથે વાત કરતા સીતરમણે જણાવ્યું કે બિગ બિલિયન ડે પ્રસંગે ગ્રાહકોની આવેલી ફરિયાદોને આધારે અમે ઇ - રિટેલર સામે સામે કોઈ જ તપાસ કરવાનું આયોજન કરી રહ્યા નથી . આ પૂર્વે કેન્દ્રીય વાણિજ્ય પ્રધાન નિર્મલા સિતારમને કહ્યું હતું , કે તેઓ ફ્લિપકાર્ટ સામે થયેલી ફરિયાદો અને તેમણે કરેલા વેપાર અંગે તપાસ કરાવશે . 6 ઓક્ટોબર , 2014ના રોજ ફ્લિકાર્પે બિગ બિલિયન ડે સેલ રાખ્યો હતો . આ પ્રસંગે ફ્લિપકાર્ટે અનેક છબરડાં કર્યા હતા . ફ્લિપકાર્ટે કંપનીઓ સાથે જોડાણ કર્યા વિના જ વસ્તુઓને સેલમાં મૂકી દીધી હતી . જેથી ઘણી કંપનીઓએ નારાજગી દર્શાવી હતી . આ સાથે જ સામાન્ય દિવસોમાં જે કિંમતે ફોન વેચવામાં આવતા હતા તે જ કિંમતે સેલના નામે એસુઝ , એમઆઈ , મોટોરોલાના જેવા ફોન વેચાણ અર્થે મૂકવામાં આવ્યા હતા . વધુમાં તેમણે કહ્યું કે મારા અગાઉના નિવેદનને ખોટી રીતે લેવામાં આવ્યું છે ." sports,"પોર્નસ્ટાર મિયાં ખલિફાને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલીને એક સ્ટાર ફૂટબોલર મુસીબતમાં પડી ગયા છે . ખરેખરમાં આ સ્ટાર ફૂટબૉલરે પોર્નસ્ટાર મિયાં ખલિફાને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી , તો તેને સોશ્યિલ મીડિયા પર શેર કરી દીધી . ત્યારબાદ ફૂટબોલ ફેને તેને નિશાના પર લઇ લીધો . મિયાં ખલિફાને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલનાર આ સ્ટાર ખિલાડીનું નામ ચેડ કેલી છે . જે અમેરિકા તરફથી ફૂટબાલ રમે છે . તેને સ્નેપચેટથી તેને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી અને બંને વચ્ચે ચેટ પણ થઇ હતી . પરંતુ મિયાં ખલિફાએ ચેડની ફ્રેન્ડ રિકવેસ્ટ સ્વીકારી નહિ . એટલું જ નહિ પરંતુ તેની રિકવેસ્ટ મેસેજને ટ્વિટર પર પોસ્ટ કરી દીધી . સોશ્યિલ મીડિયા પર ચેડની એટલી બધી બેઇઝઝતી થઇ તેને પોતાનું ટ્વિટર એકાઉન્ટ ડીલીટ કરવું પડી ગયું . મિયાં ખલિફા વર્ષ 2014થી પોર્ન ઈન્ડસ્ટીઝ આવતાની સાથે જ ચર્ચામાં આવી ગયી . જોતજોતામાં તે સૌથી વધુ સર્ચ કરવામાં આવતી પોર્નસ્ટાર બની ગયી . મિયાએ પણ કહ્યું કે તેને જાનથી મારી નાખવાની ધમકી પણ મળી છે ." sports,"મુબંઇ , 20 ઑગસ્ટઃ અત્યંત ખરાબ ફોર્મમાંથી પસાર થઇ રહેલા મધ્યક્રમના બેટ્સમેન ચેતેશ્વર પૂજારાને પોતાની લય પરત મેળવવા માટે ઇંગ્લેન્ડમાં યોજાતી કાઉન્ટી ક્રિકેટ રમવાની અનુમતિ બીસીસીઆઇ દ્વારા આપવામાં આવી છે . ઇંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ શ્રેણીમાં પોતાની ક્ષમતા પ્રમાણે બેટિંગ કરવામાં ચેતેશ્વર પૂજારા નિષ્ફળ નિવડેલા પૂજારાએ કાઉન્ટી ક્રિકેટના બાકી રહેલા સત્રમાં રમવા માટેની મંજુરી બીસીસીઆઇ પાસે માંગી હતી , જે તેમને મળી ગઇ છે . બીસીસીઆઇ સચિવ સંજય પટેલે કહ્યું કે , પૂજારા વનડે અને ટી - 20 ટીમનો ભાગ નથી , તેવામાં તેઓ હવે હવે કાઉન્ટી ક્રિકેટ રમવા માટે મુક્ત છે . પૂજારાએ મારી પાસે તેની અનુમતિ માંગી હતી અને મે તેમની પાસે વિસ્તૃત જાણકારી માંગી હતી . મે તેમને કાઉન્ટી ક્રિકેટમાં રમવા દેવાનો નિર્ણય કર્યો છે . તેમણે વધુમાં કહ્યું કે , જો કાઉન્ટી મેચોનો કાર્યક્રમ આપણી ઘરેલુ ટૂર્નામેન્ટ સાથે ટકરાતો ના હોય તો અમે ક્યારેય એકપણ ખેલાડીને કાઉન્ટી ક્રિકેટમાં રમતા અટકાવ્યા નથી . જો તમને યાદ હોય તો અમે 2013માં ગૌતમ ગંભીરને પણ એસેક્સ તરફથી રમવા માટે અનુમતિ આપી હતી . તો ચાલો તસવીરો થકી જાણીએ કે ચેતેશ્વર પૂજારા પહેલા કયા કયા ખેલાડી કાઉન્ટી ક્રિકેટમાં રમી ચૂક્યા છે . ઇંગ્લેન્ડમાં ખરાબ પ્રદર્શનઃ કોહલી - પૂજારાએ બનાવ્યા નવા રેકોર્ડ ફરી રવિ શાસ્ત્રીના શરણે બીસીસીઆઇ , બનાવ્યા ટીમ ડિરેક્ટર વિશ્વ ક્રિકેટનો ' ફાસ્ટેસ્ટ ' ઉભરતો સિતારો , કોહલીને પણ રાખી દીધો પાછળ ટેસ્ટ રેન્કિંગઃ ભારતીય બેટ્સમેનોને પછડાટ , અંગ્રેજોએ લગાવી છલાંગ" business,"આજે બોમ્બે હાઈકોર્ટે ટ્રાન્સફર પ્રાઈસિંગ કેસમાં વોડાફોન ગ્રુપ પીએલસીના પક્ષમાં પોતાનો ચૂકાદો સંભળાવ્યો છે . બોમ્બે હાઈકોર્ટે વોડાફોન ડીલમાં આવકવેરા વિભાગની ટેક્સ ડિમાન્ડની અરજી નકારી દીધી છે . બોમ્બે હાઈકોર્ટે કહ્યું કે વોડાફોન ડીલના ટ્રાન્ઝેક્શન પર કોઈપણ રીતનો ટેક્સ લગાવી શકાશે નહીં . આવકવેરા વિભાગે નાણાંકીય વર્ષ 2010 માટે વોડાફોનથી 3200 કરોડ રૂપિયાના ટેક્સની માંગ કરી હતી . જે બોમ્બે હાઈકોર્ટના આ નિર્ણયને પગલે એસ્સાર , એચએસબીસી અને સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ જેવા 20 કેસો પર અસર સંભવ છે . બોમ્બે હાઈકોર્ટએ આ નિર્ણયને આવકવેરા વિભાગ સુપ્રીમ કોર્ટમાં પડકારી શકે છે . પરંતુ સરકારને આ આદેશના વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટમાં પડકારવો જોઇએ નહીં તેમ ટેક્સ એક્સપર્ટ્સનું માનવું છે . એક જાણીતા કોર્પોરેટ એડવોકેટે જણાવ્યું છે કે બોમ્બે હાઈકોર્ટનો ચૂકાદો યોગ્ય છે . તેણે આ ડીલને ટ્રાન્સફર પ્રાઈસ ગણાવી નથી . આ ચૂકાદાથી વિદેશી રોકાણકારોને સારો સંકેત આપે છે . બીજી તરફ નાણા મંત્રી અરૂણ જેટલી આવક વેરા વિભાગને સમજાવી શકે છે કે તેમણે બોમ્બે હાઈકોર્ટના ચૂકાદાને સ્વીકારી લેવો જોઇએ . નોંધનીય છે કે બોમ્બે હાઈકોર્ટના ચૂકાદાથી ફોરેન ઈન્વેસ્ટમેન્ટ ભારતમાં આવી શકે છે . કાયદો એકદમ સ્પષ્ટ હતો પરંતુ બોમ્બે હાઈ કોર્ટના આદેશથી ચિત્ર સ્પષ્ટ થયુ છે ." business,રિલાયન્સ જીયોને ટ્કકર આપવા માટે પ્રીપેટ અને પોસ્ટપેડ પ્લાનની કિંમત અને વેલેડિટીમાં આઇડિયા સમેત અનેક કંપનીઓએ ફેરબદલ કર્યા છે . જેનો સીધો લાભ હાલ ગ્રાહકો મેળવી રહ્યા છે . એરટેલ પછી આઇડીયાએ પણ પોતાના ગ્રાહકો માટે સારા પ્લાન નીકાળ્યા છે . જેના ઓછી કિંમતે ગ્રાહકોને વધુ લાભ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે . વોડાફોન અને એરટેલના પ્લાન પછી આઇડિયાએ પણ અનલિમિટેડ પ્લાન બહાર પાડ્યો છે . જેમાં આઇડિયાએ તેના ગ્રાહકોને 1 જીબી ડેલી લિમિટ સાથે અનલિમિટેડ કોલિંગ વાળો પ્લાન લોન્ચ કર્યો છે . આ પ્લાનની કિંમત 357 રૂપિયા નક્કી કરવામાં આવી છે . આ પ્લાન માર્કેટમાં જીયોના 399 રૂપિયાના પ્લાનને ટક્કર આપી શકે તે માટે ખાસ બનાવવામાં આવ્યો છે . અને જીયોથી પણ ઓછી કિંમતે આઇડિયા તેના ગ્રાહકોને 1 જીબી ફ્રી ઇન્ટરનેટ સમેત ધણી બધી સુવિધાઓ આપી રહ્યું છે . ત્યારે આઇડિયાના આ નવા પ્લાન વિષે વિગતવાર જાણો અહીં . . . business,"નવી દિલ્હી , 25 ઓક્ટોબરઃ દેશના 100 સૌથી સમૃદ્ધ ભારતીય નાગરિકોની કુલ સંપત્તિ વધીને આ વર્ષે 250 ડોલર થઇ ગઇ છે . ગત વર્ષ સુધી આ 221 અરબ ડોલર હતી . આ જાણકારી ગુરૂવારે અહી એક રિસર્ચ રિપોર્ટ દ્વારા મળી હતી . બીજી તરફ હુરૂન ઇન્ડિયા રિચ લિસ્ટ અનુસાર દેશના રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના અધ્યક્ષ મુકેશ અંબાણી સૌથી ધનિક વ્યક્તિ છે . તેમની કુલ સંપત્તિ 18.9 અરબ ડોલર છે . બીજા સ્થાને લંડન નિવાસી આર્સેલર મિત્તલના પ્રમુખ એલએન મિત્તલ છે તેમની કુલ સંપત્તિ 15.0 ડોલર છે . રિપોર્ટ અનુસાર દેશમાં 141 લોકો એવા છે , જેમની પાસે 30 કરોડ ડોલર અથવા તેનાથી વધુ સંપત્તિ છે . ગત વર્ષે એવા લોકોની સંખ્યા 101 હતી . દેશના સૌથી ધનિક 141 લોકોમાં 101ની સંપત્તિ પોતાન સ્તર પર યથાવત છે અથવા વધી છે અને 40 લોકોની સંપત્તિ ઘટી છે . આ યાદીમાં મહિલાઓની ટકાવારી ફક્ત ચાર ટકા છે . હુરૂન રિપોર્ટ ઇન્ડિયાના પ્રકાશક અનાસ રહેમાન જુનૈદે કહ્યું હતું કે પાંચ ટકા સુસ્ત વિકાસ દર બાદ પણ 2012ના હુરૂન ઇન્ડિયા ધનિકોની યાદીમાં સામેલ લોકોની સંપત્તિ આ વર્ષે 10 કરોડ ડોલર વધી ગઇ છે . આનાથી જાણવા મળે છે કે ભારતીય કંપનીઓ પ્રતિકુળ સમયમાં પણ સારું કામ કરી શકે છે . યાદીમાં એવા લોકોને સામેલ કરવામાં આવ્યા છે , જેમની પાસે ઓછામાં ઓછી 30 કરોડની સંપત્તિ છે . રિપોર્ટ અનુસાર 18 ઓક્ટોબર 2013 સુધી સંપત્તિ પર આધારિત છે , જ્યારે રૂપિયાનું મૂલ્ય પ્રતિ ડોલર 61.5 રૂપિયા હતું . યાદી અનુસાર દેશના નવ ટકા સૌથી ધનિક લોકો દુબઇમાં રહે છે . વધુ માહિતી વાંચવા માટે સ્લાઇડર પર ક્લિક કરતાં જાવ" entertainment,"બિગ બોસ 12 ખુબ જ જલ્દી આવી રહ્યો છે . પરંતુ હાલમાં બિગ બોસમાં આવી ચુકેલી સ્ટારની બોલ્ડ ફોટો સોશ્યિલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહી છે . આજે અમે અહીં ગિઝેલ ઠકરાલ વિશે વાત કરી રહ્યા છે . આવું પહેલીવાર નથી કે ગિઝેલ ઠકરાલની આવી કોઈ ફોટો વાયરલ થયી હોય , આ પહેલા પણ તે ઘણીવાર પોતાની બોલ્ડનેસ બતાવી ચુકી છે . બિગબોસ સાથે જોડાયેલા કોઈને કોઈ સ્ટારની ફોટો હંમેશા વાયરલ થતી જ રહે છે . આ વાતમાં કોઈ જ શંકા નથી કે બિગબોસ સ્ટાર સોશ્યિલ મીડિયા પર પોતાની બોલ્ડ ફોટો શેર કરવામાં બિલકુલ પણ પાછળ નથી રહેતી . ગિઝેલ ઠકરાલ હાલમાં ઈન્ડસ્ટ્રીથી ગાયબ થઇ ચુકી છે પરંતુ તેની આ ફોટો રાતોરાત વાયરલ થયી છે . આપણે જણાવી દઈએ કે બિગબોસ દરમિયાન ગિઝેલ ઠકરાલ માત્ર ગ્લેમરને કારણે ફેમસ રહી હતી . બિગબોસ પછી ગિઝેલ ઠકરાલ ક્યાં કૂલ હૈ હમ 3 અને મસ્તીઝાદે ફિલ્મમાં જોવા મળી હતી . તેને વર્ષ 2011 દરમિયાન કિંગફિશર મોડલ તરીકે પ્રસદ્ધિ મળી હતી . હાલમાં ગિઝેલ સોશ્યિલ મીડિયા પર પોતાની બોલ્ડ ફોટો શેર કરતી રહે છે આ વખતે પણ તેને પોતાની બોલ્ડ ફોટો સોશ્યિલ મીડિયા પર શેર કરી છે ." sports,"કપ્તાન વિજય જોલ ( 100 ) અને સંજૂ સૈમસન ( 100 ) ની શાનદાર સદીઓની મદદે ભારતે પોતાના ચિર પ્રતિદ્ધંધી પાકિસ્તાનને શનિવારે શારજાહમાં રમાયેલી ફાઇનલ મેચમાં 40 રનથી હરાવીને એશિયા કપ અંડર 19 ક્રિકેટ ટૂર્નામેન્ટ ખિતાબ જીતી લીધો છે . ટૉસ હારીને પહેલા બેટિંગ કરીને ભારતીય ટીમે 314 રનોનો વિશાળ સ્કોર પાકિસ્તાનની ટીમ સામે મૂક્યો , અને લક્ષ્યને આંબવા માટે મેદાનમાં ઉતરેલી પાકિસ્તાની ટીમ નિર્ધારિત 50 ઓવરોમાં 9 વિકેટના નુકસાન પર માત્ર 274 રન જ બનાવી શકી . પાકિસ્તાનના સલામી બેટ્સમેન સમી અસલમ ( 87 ) અને 102 રન બનાવીને અણનમ રહેલા કામરાન ગુલામ ઉપરાંત કોણપણ પાકિસ્તાની ખેલાડી ટકીને મેદાનમાં રમી શક્યો નહીં . ભારત માટે કુલદીપ યાદવે ત્રણ વિકેટ પોતાના નામે કરી , પરંતુ 2 - 2 વિકેટ ઝડપનાર દીપક હુડ્ડા અને ચામા મિલિંદે શાનદાર બોલિંગ કરીને પાકિસ્તાની બેટ્સમેનોને રન બનાવવા પર અંકૂશ જમાવી રાખ્યો . ટૂર્નામેન્ટમાં શાનદાર ફોર્મ રહેલા ભારતના સલામી બેટ્સમેન અંકુશ બેન્સ ( 47 ) એ અખિલ હેરવાડકર ( 12 ) ની સાથે પ્રથમ વિકેટ માટે 65 રનોની ભાગીદારી કરી ભારતને સારી શરૂઆત આપી . બેંસે આ પહેલા શ્રીલંકાની સામેની મેચમાં મળેલી ત્રણ વિકેટોથી જીતમાં મહત્વપૂર્ણ અર્ધશતકીય પારી રમી હતી . બંને સલામી બેટસમેનોના પેવેલિયન પરત ફર્યા બાદ ભારતીય ટીમની કમાન કપ્તાન વિજય અને કેરલાના સંજૂ સેમ્સનને સંભાળી . વિજય અને સંજૂએ ત્રીજી વિકેટ માટે 28.4 ઓવરોમાં 180 રનનો ઉમેરો કર્યો . જોકે ભારતીય બેટ્સમેન સ્લોગ ઓવરોમાં ઝડપી રન જોડી શક્યા નહીં , અને અંતિમ આઠ ઓવરોમાં 37 રનના ઉમેરણ સાથે ભારતની પાંચ વિકેટ પડી ગઇ . 45મી ઓવરની પ્રથમ બોલ પર સંજૂ અને સરફરાજ ખાનના રૂપમાં બે વિકેટ પડી . સંજૂ કેચ આઉટ થયા જ્યારે સરફરાજ રન આઉટ થયા ." entertainment,"કરીબ કરીબ સિંગલ સ્ટારકાસ્ટઃ ઇરફાન ખાન , પાર્વતી ડાયરેક્ટરઃ તનુજા ચંદ્રા પ્રોડ્યૂસરઃ શૈલજા કેજરીવાલ , અજય જી . રાય , સુતુપ્તા સિકંદર લેખકઃ કામના ચંદ્રા શું છે ખાસ ? ઇરફાન ખાન , ડાયલોગ્સ શું છે બકવાસ ? કેટલાક પ્રશ્નો નિરુત્તર રહે છે કેટલા સ્ટાર ? 3" business,"નવી દિલ્હી , 16 જાન્યુઆરીઃ સાર્વજનિક ક્ષેત્રની દૂરસંચાર કંપની બીએસએનએલે ચેમ્પિયન કંપનીની સાથે મળીને બે સ્માર્ટફોન બજારમાં મૂક્યા છે . તેમની કિંમત 3225 રૂપિયા અને 4499 રૂપિયા છે . કંપનીએ આ પહેલ બિન મહાનગરીય શહેરોના ગ્રાહકોને ધ્યાનમાં રાખીને કરી છે . કંપનીએ ચેમ્પિયન શ્રેણી અંતર્ગત માય ફોન SM3512 અને માય ફોન SM3513 3G સ્માર્ટફોન ભારતીય બજારમાં મૂક્યા છે . આ ફોન ડ્યૂઅલ કોર પ્રોસેસર અને ડ્યુઅલ સિમવાળા છે . આ જાણકારી ચેમ્પિયન કમ્પ્યુટર્સના મેનેજિંગ ડાયરેક્ટર કપિલ વધવાએ આપી છે . વધવાએ જણાવ્યું છે કે બિનમહાનગરીય શહેરોના લોકો આજકાલ વધારે ટેક્નોસેવી બની રહ્યા છે અને તેઓ વધારે યૂઝર ફ્રેન્ડલી પ્રોડક્ટની ઇચ્છા સેવી રહ્યા છે . અમારા પ્રોડક્ટ તેમની અપેક્ષાઓ પર ઊણા ઉતરશે . બીએસએનએલના ડાયરેક્ટર અનુપમ શ્રીવાસ્તવ ( કન્ઝ્યુમર મોબિલિટી ) નું કહેવું છે કે અમારો ઉદ્દેશ્ય તેને સામાન્ય લોકો સુધી પહોંચાડવાનો છે . બંને ફોનના ફીચર્સ લગભગ એક સરખા જ છે . માય ફોન SM3512ની ખૂબીઓઃ - સ્ક્રીન 3.5 ઇંચ - 3 મેગા પિક્સલ રિયર કેમેરા - 1.3 મેગા પિક્સલ ફ્રન્ટ કેમેરા - એફએમ રેડિયો અને મેમોરી 32 Gb - 1,330 mah બેટરી - એન્ડ્રોઇડ 4.2.2 જેલિબિન - માય ફોન SM3513 3Gમાં પણ એક સમાન જ ફીચર છે ." sports,"ઓસ્ટ્રેલિયાની સામે વન ડે શ્રેણીમાં પાછળ રહી ગયેલી ભારતીય ટીમની આશાઓ પર પાણી ફરી વળ્યું છે . રાંચીમાં ચોથી વન ડે મેચ વરસાદની ભેંટ ચડ્યા બાદ હવે કટકમાં પણ રમાનાર વન ડે મેચ પણ વરસાદનો ભોગ બની છે . ઓસ્ટ્રેલિયા સાત વન ડે મેચોની શ્રેણીમાં 2 - 1થી આગળ છે . શનિવારે ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે ઓડીશાની કટકમાં શ્રેણીની 5મી વનડે મેચ રમાવાની હતી , પરંતુ અત્રે છેલ્લા ચાર દિવસોથી સતત વરસાદ થઇ રહી છે , જેના કારણે મેચને રદ કરી દેવામાં આવી છે . આની સાથે સ્ટેડિયમમાંથી સુરક્ષા પણ હટાવી લેવાઇ છે અને હવે શનિવારે બંને ટીમોમાંથી કોઇ પણ સ્ટેડિયમમાં નહીં જાય . અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલા મોહાલીમાં રમાયેલી વન ડે મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને શાનદાર માત આપીને 2 - 1ની બઢત બનાવી લીધી હતી . આ મેચમાં ભારતે ઓસિ . ને 303 રનોનું જંગી લક્ષ્ય આપ્યું હતું . જેમાં ધોનીની સદીનું યોગદાન હતું . આ મેચમાં ઓસિ . તરફથી ફાકનર હિરો અને ભારતનો ઇશાંત શર્મા ખર્ચાળ બોલર તરીકે જીરો સાબિત થયો હતો ." business,"એપ્પલ ઇન્કોર્પોરેશને આઇફોન અને આઇપેડ્સ માટે તેની નવી ઓપરેટિંગ સિસ્ટમ ( ઓએસ ) ની જાહેરાત કરી છે . આ નવી ઓપરેટિંગ સિસ્ટમ વપરાશકર્તાઓને તેમના ટચસ્ક્રીનનો અનુભવ બદલી નાખશે . નવી ઓપરેટિંગ સિસ્ટમ ઉપરાંત આઇ ઓએસ 7ની પણ ઘોષણા કરવામાં આવી છે , જે મેક બુક એર્સના અનુભવને વધારે સુગમ બનાવશે . આ સાથે એપ્પલે આઇટ્યુન્સ રેડિયો સ્ટ્રીમિંગ મ્યુઝિક સર્વિસ અને નવા મેક પ્રોની પણ જાહેરાત કરી છે . મેક પ્રો અત્યાર સુધીમાં એપ્પલે બનાવેલા કોમ્પ્યુટર્સમાં સૌથી વધારે શક્તિશાળી છે . છેલ્લા 9 મહિનામાં પહેલીવાર એપ્પલના નવા ઉત્પાદનોની ઘોષણા કરતા કેલિફોર્નિયામાં કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ટીમ કૂકે જણાવ્યું કે ' આઇફોનના લોન્ચિંગ બાદ અત્યાર સુધીના સૌથી મોટા ફેરફાર ધરાવતી ઓપરેટિંગ સિસ્ટમ છે . ' ઉલ્લેખનીય છે કે આઇ ઓએસમાં અંદાજે 9 લાખથી વધારે એપ્લિકેશન્સ છે અને તેને બનાવનારા સ્વતંત્ર ડેવલપર્સ અત્યાર સુધીમાં 10 બિલિયન ડોલરથી પણ વધુની કમાણી કરી ચૂક્યા છે . નવા આઇ ઓએસ વડા જ્હોની ઇવના આવ્યા બાદ મોબાઇલને નવી ડિઝાઇન આપવામાં આવી છે . આ ઉપરાંત તેમાં નવી ટાઇપોગ્રાફી , નવા આઇકોન્સ અને નવા કલર્સનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે ." business,"શેરબજારમાં ગુરુવારે જ હાહાકાર મચી ગયો જયારે સેન્સેક્સ 1000 પોઇન્ટ જેટલો ગગડ્યો જયારે નિફટીમાં પણ 302 પોઈન્ટનો ઘટાડો થયો . થોડા દિવસ પહેલા પણ સેન્સેક્સ આ પ્રકારે 1500 પોઇન્ટ ગગડી ગયો હતો . સેન્સેક્સમાં ભારે ઘટાડાને કારણે શેરબજારમાં કોહરામ મચી ગયો છે . આ પહેલા બુધવારે સેન્સેક્સ 461.42 પોઈન્ટમાં ઉછાળા સાથે 34,760.89 પર બંધ થયો હતો . જયારે નિફટી પણ 159.05 પોઇન્ટ ઉછળીને 10,460.10 પર બંધ થઇ હતી . મિડકેપ અને સ્મોલકેપ શેરમાં પણ વેચાણ જોવા મળી રહ્યું છે . બીએસઈ મિડકેપ ઈન્ડેક્સ 3.3 ટકા જયારે નિફટી મિડકેપ 100 ઇન્ડેક્સમાં 3.3 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે . હાલમાં સેન્સેક્સ 1000 પોઇન્ટ એટલે કે 2.75 ટકાના ઘટાડા સાથે 33,801 પોઇન્ટ પર કારોબાર કરી રહ્યો છે . જયારે નિફટી પણ 302 પોઇન્ટ ગગડીને 10,158 પોઇન્ટ પર કારોબાર કરી રહી છે . વિકાસ કરી રહ્યું છે ભારત , વિકાસ દર 7.3 ટકા રહેવાનું અનુમાનઃ વર્લ્ડ બેંક યુએસ માર્કેટમાં કરેક્શનની આશંકાથી માર્કેટ તૂટ્યું બજારમાં ભારે ઘટાડાને કારણે 5 મિનિટમાં રોકાણકારોના 4 લાખ કરોડ ડૂબી ગયા . યુએસ માર્કેટમાં ચાલી રહેલી હલચલની અસર એશિયાના બજારમાં પણ જોવા મળી રહી છે . અમેરિકી માર્કેટમાં કરેક્શનની આશંકાથી શેરબજારમાં હલચલ મચી ગઈ અને સેન્સેક્સ જોતજોતામાં 1000 પોઇન્ટ ગગડી ગયો . IL & FS કેવી રીતે સામાન્ય માણસ માટે બની શકે છે મુસીબત ? રૂપિયામાં ઘટાડો ચાલુ , 24 પૈસા તૂટ્યો ગુરુવારે પણ રૂપિયામાં ઘટાડો જોવા મળ્યો . ગુરુવારે રૂપિયો 10 પૈસા ગગડીને 74.30 પર ખુલ્યો ત્યારપછી રૂપિયો વધારે તૂટતો જોવા મળ્યો અને જોતજોતામાં તેના સૌથી નીચલા સ્તર 74.47 સુધી પહોંચી ગયો . આ પહેલા બુધવારે રૂપિયો 74.20 પ્રતિ ડોલર પર બંધ થયો હતો ." entertainment,ઇલિયાના ડીક્રુઝ હાલમાં તેના બોયફ્રેન્ડ એન્ડ્રુ કનીબોને સાથે ફિજીમાં વેકેશન માણી રહી છે . ઇલિયાના ડીક્રુઝ એ પોતાના વેકેશનની કેટલીક તસવીરો સોશ્યિલ મીડિયા પર શેર કરી છે . જેમાં તે ખૂબ જ હોટ લાગી રહી છે . ઇલિયાના ડીક્રુઝ એ ફિજીના દરિયા કિનારેથી લઈને એન્ડ્રુ કનીબોને ને કિસ કરતા ફોટો પણ શેર કર્યા છે . આ ફોટોમાં ઇલિયાના ડીક્રુઝની સુંદરતા સાથે સાથે તેની સ્ટાઇલ અને તેની ફેશન પણ સાફ સાફ દેખાઈ આવે છે . હોટ બિકનીમાં ફરી બતાવ્યો ઇલિયાનાએ પોતાની ખૂબસૂરતીનો જાદુ આ સુંદર અને ચંચળ એક્ટ્રેસ જ્યાં એક બાજુ બોલીવૂડમાં બર્ફી ફિલ્મ દ્વારા પોતાની એક ખાસ અને આગવી ઓળખ ઊભી કરવામાં સફળતા મેળવી છે ત્યાં જ સાઉથ ફિલ્મોમાં પણ આ હિરોઇનના અનેક ચાહનારા છે . તો જુઓ ઇલિયાના ડીક્રુઝ ના વેકેશનની કેટલીક હોટ અને સુંદર તસવીરો . . . business,"નવી દિલ્હી , 8 ઓક્ટોબર : ટાટા મોટર્સે પોતાની બહુચર્ચિત કાર ટાટા નેનો માટે એક નવો બિઝનેસ પ્લાન વિચાર્યો છે . આ પ્લાન અનુસાર ટાટા કંપનીએ કાર રેન્ટલ કંપની કારઝોન રેંટ સાથે દિલ્હી - એનસીઆર વિસ્તારમાં એક પહેલ કરવા માટે કરાર કર્યા છે . આ કરાર અંતર્ગત કોઇપણ ગ્રાહક ટાટાની નૈનો કાર ચલાવવા માટે દૈનિક રૂપિયા 399નું ભાડું ચૂકવીને તેનો ઉપયોગ કરી શકે છે . ' માઇલ્સ સિટી ડ્રાઇવ ' પહેલ અંતર્ગત ટાટા મોટર્સ કારઝોન રેન્ટને 200 જેટલી ટાટા નેનો ટ્વિસ્ટ કારોની પૂરી પાડશે . આ અંગે કારઝોન રેંટના એમડી અને સીઇઓ રાજીવ વિજે જણાવ્યું કે ' ટાટા મોટર્સની સાથે આ જોડાણ વાહન ઉત્પાદકોની સાથે લાંબાગાળાના ભાગીદારીના કારઝોન રેંટના પ્રયાસોમાં વધુ એક પગલું છે . ' આ પહેલ અંતર્ગત દિલ્હી સ્થિત કારઝોન રેંટના પ્રયાસોમાં વધુ એક પગલું છે . આ પહેલ અંતર્ગત દિલ્હી સ્થિત કારઝોન રેંટ પ્રતિ કલાકના રૂપિયા 99ના ભાડે ગ્રાહકોને ટાટા નેનો કાર ચલાવવા આપશે . આ ઉપરાંત ગ્રાહકો રૂપિયા 6,999માં આખા મહિના માટે ભાડે લઇ શકે છે . તેમનું કહેવું છે કે ગ્રાહક કંપનીના 43 કેન્દ્રો ઉપરાંત ઓનલાઇન પણ કાર બુક કરાવી શકશે . ટાટા મોટર્સના પ્રમુખ ( સંસ્થાગત વેચાણ ) દીપાંકર તિવારીએ જણાવ્યું કે આ ભાગીદારી મારફતે અમે મોટી સંખ્યામાં ગ્રાહકો સુધી પહોંચી શકીશું . અને એક સેલ્ફ ડ્રાઇવ અવતારમાં ટાટા નેનોનો અનુભવ લેવાની તક મળશે ." sports,"ભારતીય રમતોમાં વ્યાપ્ત ભ્રષ્ટાચારની સ્પષ્ટતા માટે એક અભિયાનની નેતૃત્વ કરી રહેલા અભિનવ બિંદ્રા પર ભારતીય ઓલંપિક સંઘ ( આઇઓએ ) ના અધ્યક્ષ અભય સિંહ ચોટાલાએ વ્યક્તિગત ટિપ્પણી કરી છે . ચોટાલાએ અભિનવ બિદ્રાના વિશે કહ્યું હતું કે જો તેમને ભ્રષ્ટાચારના આરોપોઓની આટલી બધી ચિંતા છે તો તેમને સૌથી પહેલાં પોતાના પિતાને છોડી દેવા જોઇએ કે પછી ઘરથી નિકળી જવું જોઇએ . જો કે ચેક બાઉન્સ થવાના મુદ્દે ગત મહિનાથી જેલમાં છે . તેમની આ ટિપ્પણી બાદ કેટલાક પૂર્વ ખેલાડી અને રાજકીય હસ્તીઓ તેની ટીકા કરી રહ્યાં છે . અભય સિંહ ચોટાલાએ આ ટિપ્પણી તે દબાણની પ્રતિક્રિયાના રૂપમાં કરી જેમાં આઇઓએ પર આઇઓસીની શરત સ્વિકાર કરવાનું દબાણ બનેલું છે . અત્રે ઉલ્લેખનીય છે કે આંતરાષ્ટ્રીય ઓલંપિક સમિતિએ ભારત ઓલંપિક સંઘને ઓલંપિકથી સસ્પેંડ કરી દિધા હતા અને આદેશ આપ્યો હતો કે આઇઓએ પોતાના સંવિધાનમાં 31 ઑક્ટોબર સુધી સંશોધન કરે અને ભ્રષ્ટાચારના આરોપીને ખેલ સંઘથી દૂર કરે . આ ઉપરાંત આઇઓસીએ કહ્યું હતું કે ભારતીય ઓલંપિક સંઘ પોતાના સંશોધિત સંવિધાન અંતગર્ત 15 ડિસેમ્બર સુધી નવી ચુંટણી કરાવી લે . જેથી સમય જતાં તેને ફરીથી ઓલંપિકમાં સામેલ કરી શકાય . અભય ચોટાલાની અભિનવ બિંદ્રા પર કરવામાં આવેલી વ્યક્તિગત ટિપ્પણી પર અન્ય ખેલાડીઓ પર કડક પ્રતિરોધ કરવામાં આવ્યો છે . આના પર ભારતના પૂર્વ ટેનિસ ખેલાડી અને કેટલાક ગ્રાંડ સ્લેમ વિજેતા મહેશ ભૂપતિએ ટ્વિટ કર્યું છે કે હું સીમિત શબ્દોમાં અભિનવ બિદ્રાના પરિવાર પર કરવામાં આવેલી ટિપ્પણી વિશે કંઇ કહેવામાં અસમર્થ છું , હું અભિનવ બિદ્રાનું સમર્થન કરું છુ , તો બીજી તરફ ભારતીય રાષ્ટ્રીય રાઇફલ સંઘ ( એનઆઇએઆઇ ) ના અધ્યક્ષ રનિંદર સિંહએ અભય સિંહ ચોટાલાની નિંદ કરતાં કહ્યું હતું કે તેમને આ મુદ્દે વ્યક્તિગત કોમેન્ટ કરવી ન જોઇએ . તેમને આ વાતનું ધ્યાન રાખવું જોઇએ કે તેમના ઘર કાચના હોય તે બીજા ઘર પર પથ્થર ન ફેંકે . આ ધ્યાન આપવા જેવી બાબત છે હરિયાણાના મુખ્યમંત્રી ઓમ પ્રકાશ ચોટાલા અને તેમના ભાઇ અભય ચોટાલા ગોટાળામાં દોષી જોવા મળ્યા છે ." sports,છેલ્લી મેચમાં કૈરોલિન 21 - 19થી જીતી ગઇ છે પણ પીવી સિંધુએ પણ જબરી લડત આપી હતી . અને તેને વર્લ્ડ નંબર ખેલાડીને હંફાવી હતી . જો કે તેમ છતાં પીવી સિંધુને સિલ્વર મેડલ મળ્યો છે . જે પણ ભારતીય મહિલા બેડમિન્ટનના ઇતિહાસમાં એક મોટી સફળતા સમાન છે . 8 : 53 Pm : સ્કોર છો 16 - 14 . કૈરોલિન આગળ છે પણ સિંધુ પણ બે જ પોઇન્ટ પાછળ છે . 8 : 50 PM - કૈરોલિનનો સ્કોર 15 - 12 છે . કૈરોલિન આગળ છે પણ પીવી સિંધુ પણ ભરપૂર પ્રયાસ કરી રહી છે 8 : 42 PM : સ્કોર છે 10 - 10 . પીવી સિંધુ સાબિત કરી દીધું તે પણ જીતવા માટે જ રમે છે 8 : 41 PM : સ્કોર મુજબ કૈરોલિન આગળ છે . સ્કોર છે 10 - 9 છે . પીવી સિંધુ છેલ્લી ગેમ જીતવા માટે બનતો પ્રયાસ કરી રહી છે . 8 : 35 PM : 1 - 1થી બન્ને ખેલાડીઓની રમત બરાબર થઇ ગઇ છે ત્રીજી મેચમાં કૈરોલિના આગળ છે હાલ સ્કોર છે મારિન - 7 - 3 . 8 : 26 બીજી ગેમમાં કેરેલિના મારિન 21 - 12 મેળવી બીજી ગેમ જીતી લીધી છે . હવે ત્રીજી અને છેલ્લી ગેમમાં જ નક્કી થશે કે જીત કોની થશે . પીવી સિંધુને મારીનની ! 8 : 14 PM : અત્યારે મારિનનો સ્કોર 13 - 5 છે . મરિન હાલ આગળ છે અને પીવી સિંધુ પાછળ છે . 8 PM : અત્યાર સુધીમાં પીવી સિંધુ 19 - 19નો સ્કોર છે . અત્યાર સુધી સ્પેન કેરેલિના મારિન હાલ પીવી સિંધુથી આગળ ચાલી રહી છે પણ પીવી સિંધુ પણ સામે જોરદાર લડત આપી રહી છે . જાણો કોઇ છે પીવી સિંધુ ? રિયો ઓલમ્પિકની ઐતિહાસિક મેચ શરૂ થઇ ગઇ છે . આજે પીવી સિંધુ અને તેની સ્પેનિસ પ્રતિસ્પર્ધી વચ્ચે મહિલા સિંગલની ગોલ્ડ મેચ હાલ રમાઇ રહી છે . આખી કોર્ટમાં ઇન્ડિયા ઇન્ડિયાના નારા ગૂંજી રહ્યા છે . પીવી સિંધુએ સ્પર્ધા પહેલા જ કહ્યું હતું કે તેનું લક્ષ ગોલ્ડ મેડલ છે . ત્યારે હવે જોવાનું તે રહે છે કે શું પીવી સિંધુ ઇતિહાસ સર્જી શકે છે કે કેમ ? પીવી સિંધુની તસવીરો જુઓ અહીં બેડમિન્ટનની નંબર 1 ખેલાડી કેરેલિના મારિનને હાલ તો પીવી સિંધુ બરાબરની ટક્કર આપી રહી છે . ત્યારે આ મેચની તમામ પળે પળની માહિતી મેળવવા માટે આ પેઝને રિફ્રેશ કરતા રહો . business,"નવી દિલ્હી , 25 ડિસેમ્બરઃ માઇક્રોસોફ્ટ યૂજર્સને આકર્ષવા માટે નવી - નવે ઓફર અવાર નવાર રજૂ કરે છે . આ શ્રેણીમાં માઇક્રોસોફ્ટ ફરી એકવાર શાનદાર ઓફર લઇને આવી છે . કંપની વિંડોઝ ફોન યૂજર્સને એક વર્ષ સુધી મફતમાં 20 જીબી સ્કાઇ ડ્રાઇવ સ્ટેરોજ આપી રહી છે . તમને જણાવી દઇએ કે કંપની યૂજર્સને 7 જીબી સ્કાઇડ્રાઇવ સ્ટોરેજ આપતી જ હતી , તેના પર 20 જીબીની ભેટ યૂજર્સને આકર્ષશે . ઇમેલ દ્વારા પુષ્ટિ માઇક્રોસોફ્ટે આ સમાચારની પુષ્ટિ લાઇવ એકાઉન્ટમાં ઇમેલ મોકલીને કરી છે . આ ઇમેલમાં લખ્યું છે કે યૂજર્સ માઇક્રોસોફ્ટ માટે ભરપૂર પ્રેમ કંપનીની પ્રેરણા છે . એટલા માટે કંપની ક્રિસમસને યાદગાર બનાવતાં 20 જીબી મફત આપી રહી છે . માઇક્રોસોફ્ટના અનુસાર ફ્રી સ્ટોરેજનો ક્લેમ 31 જાન્યુઆરી 2014 પહેલાં કરવો પડશે . શું છે સ્કાઇ ડ્રાઇવ સ્કાઇડ્રાઇવ વિંડોઝ વિંડોઝ ફોનનું ઇનબિલ્ટ ફીચર છે . આ પર્સનલ ઓનલાઇન સ્ટોરેજ છે જેમાં તમે ફોટો અને ફાઇલ્સ મેમરીની ચિંતા કર્યા વિના સેવ કરી શકો છો . ઇન્ટરનેટ ઇનબિલ્ટ ડિવાઇસથી સ્કાઇડ્રાઇવ ડૉટ કોમ પર જાવ અને પોતાની અંગત વસ્તુઓને સેવ કરો . આ પોર્ટલ પર જવા માટે સ્કાઇવડ્રાઇવ મોબાઇલ એપની મદદ લેવી પડશે . જો તમે વિંડોઝ ફોન યૂજર છો અને તમારી સ્કાઇડ્રાઇવ એકાઉન્ટ નથી તો મેલ પર ઉપલબ્ધ લિંક પર ક્લિક કરો કારણ આ મેલ બધા વિંડોઝ ફોન યૂજર્સ પાસે મોકલવામાં આવી છે . આ એકસ્ટ્રા સ્ટોરેજનો ઉપયોગ કરવાનો સૌથી સરળ રીત ફોટો અને વીડિયોના બેકઅપના રૂમાં લેવી પડશે . કારણ કે સૌથી વધુ ફોનની સ્પેસ આ ફીચર્સથી ઓછી હોય છે . જ્યારે તમે તમારા ફોટા અને ફાઇલ્સ સ્કાઇડ્રાઇવ પર મોકલી આપશો ત્યારબાદ તમારા ફોનમાં ઘણું બધુ રાખી શકશો . આ પહેલાં ઓક્ટોબરમાં ગૂગલે પણ પોતાના યૂજર્સને 25 અને 50 જીબીની ફ્રી સ્પેસ ઓફર કરી રહી હતી ." sports,"મીડિયાના એક વર્ગમાં આવેલા સમાચારો અનુસાર પાર્થિવે બહુઉદ્દેશીય કર્મચારીના પદ માટે અરજી કરી છે , જેનો પગાર 15 હજાર રૂપિયા છે અને લોકોનું માનવું છે કે આ પટાવાળાના પદ સમાન જ છે . અજય પટેલે કહ્યું કે , હું સ્પષ્ટ કરી દઉં કે પાર્થિવને રિલાયન્સમાંથી એક લાખ રૂપિયાનો પગાર મળે છે , જ્યાં તેનો કરાર વધુ 10 વર્ષ માચે છે . મારા પુત્રએ ક્યારેય કામ માટે ઇન્કમ ટેક્સ વિભાગનો સંપર્ક કર્યો નથી . રજૂઆત તેમના તરફથી આવી હતી . પાર્થિવને સનરાઇઝર્સ હૈદરબાદા સાથે ત્રણ કરોડને 15 લાખ રૂપિયાનો કરાર હતો , જે ચાલું વર્ષે સમાપ્ત થયો છે , કારણ કે આગામી વર્ષે ફરીથી હરાજી થવાની છે . આ ઉપરાંત પાર્થિવ સ્થાનિક ક્રિકેટ રમીને સારી કમાણી કરી રહ્યો છે . અજય પટેલે પ્રશ્ન ઉઠાવ્યો છે કે , જ્યારે રજૂઆત આવી ત્યારે અમે વિચાર્યું કે , જો તેને કોઇ અધિકારીનું પદ મળે છે તો તેમાં ખોટું શું છે , લોકો કેવી રીતે વિચારી શકે છે કે મારો પુત્ર પટાવાળાની જોબ કરશે . પાર્થિવે 12મું ધોરણ પણ પાસ કર્યું નથી , તેથી સરકારી સંગઠનમાં કોઇ અધિકારીના પદને પાત્ર નથી , હાલ તે અમેરિકામાં પોતાની પત્ની અવની અને બે વર્ષની પુત્રી સાથે રજાઓ માણી રહ્યો છે ." sports,"લંડન , 23 ઑગસ્ટઃ ખરાબ પ્રદર્શન બદલ ટીકાઓનો સામનો કરી રહેલો બેટ્સમેન વિરાટ કોહલી પોતાની રીધમમાં પરત ફરતા અને ભારતીય બોલર્સની સારી બોલિંગની મદદથી ભારત લંડન ખાતે રમાયેલી વૉર્મ અપ મેચમાં મિડલસેક્સને 95 રનથી હરાવવામાં સફળ રહ્યું છે . ભારત તરફથી આપવામાં આવેલા 231 રનના લક્ષ્યાંકને હાસલ કરવા ઉતરેલી મિડલસેક્સની ટીમ 135 રનમાં ઓલાઉટ થઇ ગઇ હતી . આ મેચમાં યુવા અને પ્રતિભાશાળી બોલર કર્ણ શર્માએ 14 રનમાં ત્રણ વિકેટ લીધી હતી . ભારતે 44.2 ઓવરમાં 230 રન નોંધાવ્યા તે પહેલા વિરાટ કોહલી અને અંબાતી રાયડૂએ અડધી સદી ફટકારી હતી . કોહલીએ 75 બોલમાં 71 રન બનાવ્યા હતા , જેમાં આઠ ચોગ્ગા અને એક છગ્ગો હતો , જ્યારે રાયડૂએ 82 બોલમાં આઠ ચોગ્ગાની મદદથી 72 રન બનાવ્યા હતા . આ બન્ને ખેલાડીઓએ ચોથી વિકેટ માટે 104 રનની ભાગીદારી નોંધાવી હતી . આ વખતે પણ ભારતનું ટોપ ઓર્ડર નિષ્ફળ સાબિત થયું હતું . 25 ઑગસ્ટે રમાનારી પહેલી વનડે મેચ પહેલા ભારતે આ પીચનો ઉપયોગ પોતાની પહેલી પ્રેક્ટિસ મેચ માટે કર્યો છે . વધુ વાંચવા તસવીરો પર ક્લિક કરો . કોહલી - અનુષ્કા પરણી જવાના હતા એટલે આપી મંજુરીઃ બીસીસીઆઇ 2011થી 2015 : ભારતની જેમ આ ટીમો પણ બની કોચ ‘સંકટ ' નો શિકાર આ ખેલાડીઓ બની શકે છે ભવિષ્યના સ્ટાર ક્રિકેટર્સ" sports,"નવી દિલ્હી , 3 જાન્યુઆરીઃ મહેન્દ્ર સિંહ ધોનીએ ભલે ભારતીય ક્રિકેટ ટીમને એક નવી ઉંચાઇ પર પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હોય . પરંતુ એ પણ સત્ય છે કે ભારતીય ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં વિદેશી જમીન પર આજ સુધી કોઇ પણ કપ્તાનનો રેકોર્ડ એટલો ખરાબ નથી રહ્યો જેટલો ધોની રહ્યો છે . વિદેશી ધરતી પર રમવામાં આવેલી છેલ્લી 4 ટેસ્ટ સીરીઝના આંકડા પર નજર કરીએ તો 2011માં વર્લ્ડકપ જીત્યા બાદથી અત્યાર સુધી ટીમ ઇન્ડિયાએ દેશની બહાર 13 ટેસ્ટ મેચ રમી છે . જેમાંથી માત્ર એક જ મેચમાં જીત હાસલ કરી છે . ટીમને 9 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે જ્યારે 3 મેચ ડ્રો રહી છે . આ મેચમાં ભારતની જીતની ટકાવારી 7.69 ટકા રહી છે , જ્યારે હારની ટકાવારી 69.23 ટકા રહી છે . આ 13 મેચોમાંથી 11માં રાહુલ દ્રવિડ ટીમમાં હતા અને તેમણે સૌથી વધારે 906 રન બનાવ્યા , જ્યારે ઇશાંત શર્માએ સૌથી વધારે 42 વિકેટ ઝડપી . વેસ્ટઇન્ડિઝ , ઇંગલેન્ડ , ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકાના પ્રવાસ દરમિયાન રમાયેલી આ તમામ મેચોમાં વિરાટ કોહલી અને ધોની ટીમમાં સામેલ હતા . કોહલીએ આ મેચમાં 648 રન બનાવ્યા અને ધોનીએ 506 રન બનાવ્યા . ધોની બ્રિગેડ ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર શું ચમત્કાર કરી શકે છે તે તો આવનાર દિવસોમાં જ ખબર પડશે . પરંતુ દેશના સૌથી સફળ કપ્તાન માનવામાં આવતા ધોની પર વિદેશી ધરતી પર સૌથી ખરાબ કપ્તાન હોવાની મહોર વાલી ગઇ છે ." entertainment,"બૉલીવુડ ફિલ્મ અભિનેતા કિરણ રાવ યૂટીવી મોશન મિક્ચર્સ સાથે મળી દિગ્દર્શક આનંદ ગાંધીની ફિલ્મ શિપ ઑફ થેસસ રિલીઝ કરનાર છે . તેમણે જણાવ્યું કે ફિલ્મમાં દર્શકો માટે સંદેશ છે અને તે લોકોને ગમશે . 39 વર્ષીય કિરણે એક વાતચીત દરમિયાન જણાવ્યું - ફિલ્મમાં રસપ્રદ તથા અસરકારક સંદેશ છે . અમે લોકો જે રીતે પોતાનું જીવન જીવીએ છીએ અને કઈ રીતે જીવનને બહેતર બનાવી શકીએ , તે અંગે ફિલ્મનું પોતાનું એક વિચાર છે . તે દરેકને ગમશે . ફિલ્મના પ્રમોશન દરમિયાન પતિ આમિર ખાનની હાજરી અંગેના સવાલ પર તેમણે જણાવ્યું - આમિર ખાન પ્રમોશનમાં હાજર નહિં રહે . જોકે તેમને સમય મળશે , તો ફિલ્મની ખાસ સ્ક્રીનિંગ તથા પ્રમોશનલ કાર્યક્રમોમાં હાજર રહેવાનો પ્રયત્ન કરશે . તેઓ મને પુરતો સહકાર આપે છે . માનવીય મૂલ્યો પર આધારિત શિપ ઑફ થેસસ ફિલ્મ ત્રણ વ્યક્તિઓની વાર્તા છે કે જેમાંનો એક પ્રયોગાત્મક ફોટોગ્રાફર , એક બીમાર બુદ્ધિમાન બૌદ્ધ ભિખુ તથા ત્રીજો શૅરબ્રોકર છે . ટોરંટો આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં પ્રદર્શન દરમિયાન ફિલ્મના વખાણ થયાં છે . ફિલ્મ 19મી જુલાઈના રોજ રિલીઝ થવાની છે ." sports,"આજે સ્પોટ ફિક્સિંગનો મામલો ચગ્યો છે . સામાન્ય વ્યક્તિને એમ ચોક્કસ થાય કે મેદાન પર , હજારો , લાખો દર્શકોની વચ્ચે કોઇ ક્રિકેટર સ્પોટ ફિક્સિંગ કેવી રીતે કરી શકે ? ક્રિકેટ પ્લેયર્સ અને બૂકીઓ વચ્ચે એવી કઇ કોડ લેન્ગવેજ હશે જેનાથી સ્પોટ ફિક્સિંગને અંજામ આપવામાં આવતો હશે . અમે તમારા માટે અહીં એવા જ કેટલાક સ્પોટ ફિક્સિંગ લેન્ગવેજ કોડને ડીકોડ કરી રહ્યા છીએ . હવે તમે જ્યારે પણ મેચ જોશો અને કોઇ ક્રિકેટ ખેલાડી દ્વારા એ પ્રકારના સિગ્નલ આપતા જોશો તો તમને ખ્યાલ આવી જશે કે આ મેચમાં કશુંક રંધાઇ રહ્યું છે . સ્પોટ ફિક્સિંગ કેસમાં દિલ્હી પોલીસે ત્રણ ક્રિકેટર અને 11 બુકીઓની ધરપકડ઼ કરાયા બાદ તેમના કોડ સિગ્નલ્સ પણ જાહેર કર્યા છે . પોલીસના જણાવ્યા અનુસાર ક્રિકેટના મેદાનમાં પ્લેયર્સ આવા ઇશારા કરીને બૂકીઓને સ્પોટ ફિક્સિંગ માટે હા કહેતા હતા . આવી રીતે કરાતા હતા સ્પોટ ફિક્સિંગના ઇશારા 1 . લોકેટ ફેરવવું 2 . ઘડિયાળ ફેરવવું 3 . ટી શર્ટ ઉતારી દેવી 4 . ફિલ્ડિંગ પોઝિશન લેવા માટે વધારે સમય બરબાદ કરવો 5 . પેન્ટમાં રૂમાલ ખોસી દેવો આ ખુલાસામાં કહેવામાં આવ્યું હતું કે એક મેચના જે ઓવરમાં સ્પૉટ ફિક્સિંગ કરવામાં આવ્યું હતું તેમાં 13 રન આપવામાં આવ્યાં હતા . પોલીસના જણાવ્યા અનુસાર 5 મેના રોજ યોજાયેલી મેચમાં સ્પોટ ફિક્સિંગ થયું હતું . મેચમાં અજીત ચંદેલીયાએ ફિક્સિંગ માટે 20 લાખ રૂપિયા મળવાના હતા . જોકે , અજીત સ્પોટ ફિક્સિંગનો નિર્દેશ આપતા ભૂલી ગયો હતો . જેથી તેને પૈસા પાછા આપી દેવા પડ્યાં હતાં . ચંદેલિયાને એક ઓવરના 40 લાખ રૂપિયા મળવાના હતાં . જોકે , એ બાદ ચંદેલીયાએ અન્ય ખેલાડીઓને ફિક્સિંગ માટે તૈયાર કર્યાં હતાં . આ ઉપરાંત જે બોલર્સ સ્પોટ ફિક્સિંગ કરતાં હતાં તેઓ પણ મેદાનમાં ઈશારાના ભાષા સમજીને કામ કરતાં હતાં . આ માટે તેમણે ખાસ પ્રકારનો કોડવર્ડની ભાષા વિકસાવી હતી . પોલીસના અનુસાર બુકી ખેલાડીઓને નિર્દેશ આપતાં હતા અને ઓવરમાં રન આપવા માટે ફિક્સિંગ થતું હતું . 5 , 9 , અને 15 મેના રોજ મેચ ફિક્સિંગ થયું હતું . 15 મેના રોજ મેચ મોહાલીમાં રમવામાં આવી હતી . સૌથી આશ્વર્યજનક વાત એ હતી કે આઇપીએલ - 6માં 40 હજાર કરોડ રૂપિયાની મેચ ફિક્સિંગ કરવામાં આવી હતી . આ સાથે જ એક ઓવરની સ્પૉટ ફિક્સિંગ માટે 60 લાખ રૂપિયા આપવામાં આવ્યાં હતા . એક ઓવરમાં 14 રન આપવા માટે અંકિતને 60 લાખ રૂપિયા આપવામાં આવ્યાં હતા . બુધવારે વાનખેડેમાં રમવામાં આવેલ રાજસ્થાન રોયલ્સ અને મુંબઇ ઇન્ડિયન્સની મેચમાં ફિક્સિંગ થયું હતું ." entertainment,"મુંબઈના ડિઝાઇનર કુણાલ રાવલે અભિનેતા જ્હૉન અબ્રાહમ માટે સોનેરી ફ્રેમ ધરાવતાં તડકાના ચશ્મા ડિઝાઇન કર્યાં છે . આ સનગ્લાસના ચશ્મા 1980ના દાયકાને ચિત્રિત કરે છે અને અભિનેતા જ્હૉન અબ્રાહમ આવતીકાલે રિલીઝ થતી પોતાની ફિલ્મ શૂટઆઉટ એટ વડાલામાં આ જ ચશ્મામાં હરખાતાં દેખાશે . રાવલે જણાવ્યું કે તેમણે અને તેમની ટીમના સભ્યોએ 75થી વધુ પ્રાચીન વસ્તુઓની દુકાનોના આંટા માર્યાં . પછી તેમણે આ ડિઝાઇન નક્કી કરી . તેમણે જણાવ્યું - આ શો અમારા માટે સરળ નહોતી . મારી ટીમે દાદરના ગ્રાંટ રોડ પર આવેલી પ્રાચની વસ્તુઓની તમામ દુકાનોના ચક્કર લગાવતાં દરેક ખૂણો શોધી કાઢ્યો . સાથે દિલ્હીમાં પણ શોધ કરી . શૂટઆઉટ એટ વડાલા ફિલ્મ આવતીકાલે રિલીઝ થવાની છે . ફિલ્મના પ્રમોશન અને અન્ય આયોજનો દરમિયાન પણ જ્હૉન અબ્રાહમે આ ચશ્મા પહેરેલા હતાં . ફિલ્મમાં તુષાર કપૂર , અનિલ કપૂર પણ છે . પ્રિયંકા ચોપરા અને સન્ની લિયોનના આયટમ સૉંગ ચર્ચામાં છે ." entertainment,"મુંબઈ , 16 જાન્યુઆરી : બૉલીવુડના સીરિયલ કિસર ઇમરાન હાશમી હાલ મુંબઈની હિન્દુજા હૉસ્પિટલમાં પોતાના પુત્ર અયાન સાથે છે . હાશમીના ચાર વર્ષના પુત્ર અયાનના લીવરમાં ટ્યુમરહતું કે જે કૅંસરમાં તબ્દીલ થઈ ગયુ હતું . જોકે બીમારીનું યોગ્ય સમયે નિદાન થતાં અને તબીબોની કોઠાસૂઝના પગલે અયાનનું સફળ ઑપરેશન થતાં ઇમરાન હાશમીએ રાહતનો શ્વાસ લીધો છે . આપને જણાવી દઇએ કે ઇમરાન હાશમીને જ્યારે પોતાના પુત્રની બીમારીની જાણ થઈ , તેઓ ખૂબ જ ભાંગી પડ્યા હતાં . તેમને સમજાતુ નહોતું કે હવે તેઓ શું કરે . ઇમરાને પોતાની અનેક ફિલ્મોનું શૂટિંગ અધવચ્ચે અટકાવી દીધું . તેમણે પોતાની આ ચિંતા પોતાના નજીકના સંબંધી મહેશ ભટ્ટને જણાવી અને મહેશે આ માહિતી મીડિયામાં આપી . મહેશ ભટ્ટે જણાવ્યું કે અયાનનું કૅંસર પ્રાણઘાતક છે , પરંતુ પ્રથમ સ્ટેજે છે . તેથી તેનું વહેલામાં વહેલી તકે ઑપરેશન કરવું પડશે અને તે ઑપરેશન આજે સફળતાપૂર્વક થઈ ગયું . અયાન હાલ ભયમુક્ત છે ." business,"નવી દિલ્હીઃ રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાની મોનિટરી પોલિસી કમિટીની બેઠકનો ફેસલો સામે આવી ગયો છે . રિઝર્વ બેંકે મોટી રાહત આપતા રેપો રેટ અને રિવર્સ રેપો રેટમાં કોઈ બદલાવ નથી કર્યા . સોમવારે શરૂ થયેલ રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાની બેઠકનો ફેસલો બુધવારે આવવાનો હતો જે હાલ આપણી સમક્ષ છે . રિઝર્વ બેંકની બેઠકમાં વ્યાજ દમાં કોઈ બદલાવ નથી કરવામાં આવ્યા . રેપો રેટ 6.5 ટકા જ યથાવત રાખવામાં આ્યો છે જ્યારે રિવર્સ રેપો રેટ 6.25 ટકા છે . બેઠકમાં રિઝર્વ બેંકે હોમ , ઓટો અને પર્સનલ લોનને લઈ મહત્વપૂર્ણ ફેસલા લેતા લોકોને રાહત આપી છે . રિઝર્વ બેંકે રેટ 6.75 ટકા રાખ્યો છે . જે બાદ બેંકોને પણ આ રેટના અનુસંધાને ફેસલો લેવો પડશે . રિઝર્વ બેંકે વ્યાજદરમાં કોઈ બદલાવ ન કરતા ઈએમઆઈ પર કોઈ અસર નહિ પડે . ન કોઈ વધારો થશે અને કોઈપણ પ્રકારની રાહત પણ નહિ મળે . ક્રૂડ ઓઈલની કિંમતમાં થયેલ ઘટાડાને પગલે મોંઘવારીમાં થનાર ઘટાડાની આશંકાને જોતા રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાએ વ્યાજ દરમાં વધારો ન કરીને ઉદ્યોગોને પણ મોટી રાહત આપી છે . શું હોય છે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ રેપો રેટ એ દર છે જેના પર બેંકને આરબીઆઈ વ્યાજ આપે છે . રેપો રેટ ઘટવાથી બેંક તરફથી મળતી લોન સસ્તી થઈ જાય છે . જેની અસર તમારા હોમ લોન , કાર લોન , પર્સનલ લોનના રેટ પર પણ પડે છે . જ્યારે રિવર્સ રેપો રેટની વાત કરીએ તો એવા દર જેના પર બેંકને એમની તરફથી રિઝર્વ બેંકમાં જમા ધન પર વ્યાજ મળે છે . રિવર્સ રેપો રેટ બજારમાં રોકડની તરલતાને નિયંત્રિત કરે છે . માલ્યા બેંકોના 100 % પૈસા પાછા આપવા તૈયાર , ' કૃપા કરી પોતાના પૈસા લઈ લો '" entertainment,"બૉલીવુડ અભિનેતા અને 1993ના મુંબઈ બૉમ્બ ધડાકા પ્રકરણમાં આર્મ્સ એક્ટ હેઠળ સુપ્રીમ કોર્ટ દ્વારા પાંચ વરસની સજા પામનાર સંજય દત્તને સજામાંથી માફીની માંગણીની વિરુદ્ધ 25 અપીલો થઈ છે , જ્યારે ટેકામાં માત્ર 2 જ અપીલો કરવામાં આવી છે . સુપ્રીમ કોર્ટે સંજય દત્તને પાંચ વરસની સજા ફરમાવી છે . તેઓ 18 માસ જેલમાં રહી ચુક્યાં છે . તેથી તેમને હજી સાડા ત્રણ વરસ માટે જેલ જવું પડશે . સંજય દત્તને સજાનો ચુકાદો આવતા જ તેમને માફ કરવાની ચર્ચાઓ પણ ચાલુ થઈ ગઈ હતી . અનેક લોકોએ તેમને માફ કરવાની માંગણી કરી , તો કેટલાંક લોકોએ આ માંગણીનો વિરોધ પણ કર્યો . દરમિયાન સંજય દત્તને માફ કરવા માટેની બે અપીલો મહારાષ્ટ્રના રાજ્યપાલ સમક્ષ કરવામાં આવી છે , પરંતુ મોટી બાબત એ છે કે માફ કરવાની વિરુદ્ધ 25 અપીલો થઈ છે . રાજ્યપાલે તમામ અપીલો ગૃહ વિભાગને મોકલી આપી છે . આવો માણીએ સંજય દત્તની કેટલીક તસવીરો ." entertainment,"સૈફ અલી ખાન અભિનીત ગો ગોવા ગોન ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રીનિંગ યોજાઈ ગયું . ગો ગોવા ગોન બૉલીવુડની પ્રથમ ઝોમ્બી ફિલ્મ હોવાનો દાવો કરાયો છે . ફિલ્મના સ્પેશિયલ સ્ક્રીનિંગ પ્રસંગે સૈફ અલી ખાન ઉપરાંત તેમના પત્ની કરીના કપૂર પણ હાજર હતાં . સ્પેશિયલ સ્ક્રીનિંગ બાદ મોટાભાગના લોકોએ ફિલ્મને સારી ગણાવી . ગો ગોવા ગોન ફિલ્મમાં સૈફ અલી ખાન ઉપરાંત કુણાલ ખેમૂ વીર દાસ , આનંદ તિવારી અને પૂજા ગુપ્તા છે . ફિલ્મના દિગ્દર્શકોએ જણાવ્યું કે સામાન્ય રીતે લોકો એમ માને છે કે પ્રવાસીઓ રિલેક્સ થવા , આરામ કરવા અને કેટલીક સુખદ પળો પસાર કરવા ગોવા જાય છે . અમારી ફિલ્મની વાર્તા પણ આ જ છે કે આ એક દિવસ ત્યાં શું થાય છે . ફિલ્મમાં અભિનેતા સૈફ અલી ખાને રશિયાના એક માફિયાનો રોલ ભજવ્યો છે . તસવીરોમાં જુઓ ગો ગોવાનું સ્પેશિયલ સ્ક્રીનિંગ ." entertainment,"આખરે ભણસાળી પરથી સંકટના વાદળ હટી ગયા હોય તેમ લાગી રહ્યું છે . સંજય લીલા ભણસાળીની મોસ્ટ અવેટેડ ફિલ્મ પદ્માવતી હવે કેટલાક ફેરફાર હવે 25 જાન્યુઆરીએ રિલિઝ થશે . આ પહેલા આ ફિલ્મ 1 ડિસેમ્બરે રિલિઝ થવાની હતી . આ ફિલ્મને લઇને હજી પણ કરણી સેનાનો વિવાદ શાંત થયો નથી . અને આજ કારણ છે કે આ ફિલ્મની રિલિઝ પર રોક લગાવવામાં આવી છે . મુંબઇ મિરરની ખબર મુજબ ફિલ્મમાં 5 મોટો સંશોધન કર્યા પછી આ ફિલ્મને U / A સર્ટિફિકેટ મળ્યું છે . આ ફિલ્મના સંશોધનમાં સેન્સર બોર્ડ ઓફ પેનલના કહેવા પર કરવામાં આવ્યું છે જેમાં ઇતિહાસકાર પણ સામેલ છે . ફિલ્મની શરૂઆતમાં જ એક ડિસ્ક્લેમર આનશે જેમાં કહેવામાં આવશે કે આ ફિલ્મ ઐતિહાસિક તથ્યોની સત્યતાનો કોઇ દાવો નથી કરતી . સાથે જ ફિલ્મનું નામ પણ બદલીને પદ્માવતીથી પદ્માવત રાખવામાં આવશે . ત્રીજો ચેન્જ આ ફિલ્મના ફેમસ ગીત ઘૂમરમાં કરવામાં આવ્યો છે . અને ચોથો ચેન્જ તેના ઐતિહાસિક સ્થળોના બદલાવમાં આવ્યો છે . સાથે જ ફિલ્મમાં તે સ્પષ્ટતા પણ કરવામાં આવી છે કે આ ફિલ્મ સતી પ્રથાનું સમર્થન નથી કરતી . ઉલ્લેખનીય છે કે સંજય લીલા ભણસાળીને 700 વર્ષ જૂની એક વાર્તાને આધાર બનાવી ફિલ્મ બનાવી છે . ફિલ્મના લીડ રોલમાં દિપીકા પાદુકોણ , શાહિદ કપૂર અને રણવીર સિંહ છે . આ ફિલ્મમાં શાહિદ મહારાવલ રતન સિંહનો રોલ ભજવી રહ્યા છે . અને રણવીર સિંહ સુલ્તાન અલ્લાઉદ્દીન ખિલજીની ભૂમિકામાં છે . કરણી સેનાનું કહેવું છે કે આ ફિલ્મમાં ઇતિહાસ સાથે ચેડા કરવામાં આવ્યા છે . અને તેને અયોગ્ય રીતે રજૂ કરવામાં આવી છે . સાથે જ ફિલ્મમાં ખિલજી અને પદ્માવતી વચ્ચે પ્રેમ પ્રસંગ પણ બતાવ્યો છે તેવો આરોપ કરણી સેનાનો છે . જો કે સંજય લીલા ભણસાળીનો દાવો છે કે આ ફિલ્મમાં આવો કોઇ સીન છે જ નહીં . ઉલ્લેખનીય છે કે ચૂંટણી પહેલા જ વિજય રૂપાણીએ ગુજરાતમાં આ ફિલ્મ રજૂ કરવા મામલે પ્રતિબંધ લગાવી ચૂક્યા છે . અને ગુજરાત સમતે સમગ્ર દેશમાં આ ફિલ્મનો રાજપૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે ." sports,"ભારતની પુરૂષ ક્રિકેટ ટીમ હાલ વેસ્ટ ઇન્ડિઝ સામે ટેસ્ટ સીરિઝ રમવામાં વ્યસ્ત છે , ત્યાં બીજી બાજુ મહિલા ક્રિકેટ આઇસીસી મહિલા વિશ્વ કપ 2017 રમવામાં વ્યસ્ત છે . ભારતની મહિલા ક્રિકેટ ટીમની કપ્તાન મિતાલી રાજ પોતાના શાંત વલણ અને રમતને કારણે ચર્ચામાં છે . વળી , મહિલા ક્રિકેટ વિશ્વ કપમાં દેશની ટીમ દેશનું અને મહિલાનું ગૌરવ વધારતાં અનેક રેકોર્ડ્સ બનાવી રહી છે . કપ્તાન મિતાલી રાજ બાદ હવે મહિલા ટીમની ' વિરાટ કોહલી ' કહેવાતી ખેલાડી સ્મૃતિ મંધાનીનું નામ ચર્ચામાં આવ્યું છે . 20 વર્ષીય સ્મૃતિ મંધાનીએ આઇસીસી મહિલા વિશ્વ કપની બીજી મેચમાં વેસ્ટ ઇન્ડિઝ સામે 106 રન સાથે સદી ફટાકરી હતી . સ્મૃતિએ 12 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે આ વિશાળ સ્કોર ઊભો કર્યો હતો . વિશ્વ કપની પહેલી મેચમાં પણ સ્મૃતિ મંધાનાએ 72 બોલમાં 92 રન ફટકારી ભારતની જીતમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું અને બીજી મેચમાં સ્મૃતિ 106 રનની સદી સાથે નોટ આઉટ રહી . સ્મૃતિ મંધાનાનું નામ પ્રથમ વાર વર્ષ 2013માં ચર્ચામાં આવ્યું હતું , જ્યારે તેણે ઇન્ટરનેશનલ વન ડે મેચમાં બેવડી સદી ફટકારી હતી . સ્મૃતિ મંધાના આ ઉપલબ્ધિ પ્રાપ્ત કરનાર પહેલી અને એક માત્ર ભારતીય મહિલા ક્રિકેટર છે . આઇસીસી મહિલા વિશ્વ કપ 2017ની પેહલી મેચ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઇ હતી , જેમાં ભારત 35 રનથી વિજેતા સાબિત થયું હતું . ભારતની બીજી મેચ વેસ્ટ ઇન્ડિઝ સામે હતી , જેમાં ભારત 7 વિકેટથી વિજેતા સાબિત થયું . બંન્ને મેચોમાં સ્મૃતિ મંધાનાનું મહત્વપૂર્ણ યોગદાન હતું ." sports,"ઇન્ડોનેશિયામાં રમાઈ રહેલા 18માં એશિયન ગેમ્સમાં 16 વર્ષના સૌરભ ચૌધરીએ બતાવી દીધું છે કે પ્રતિભા ઉમર સાથે નથી હોતી . 10 મીટર એર પિસ્ટલ સ્પર્ધામાં સૌરભ ચૌધરીએ ભારત માટે ગોલ્ડ જીત્યો છે . ક્વોલીફાયિંગ રાઉન્ડ દરમિયાન ભારતના સૌરભ ચૌધરી 10 મીટર એર પિસ્ટલ ક્વોલીફાયિંગમાં 586 પોઇન્ટ મેળવીને ટોપ પર રહ્યા . ધ્યાન આપવા જેવી બાબત છે કે એશિયન ગેમ્સમાં ભારત નિશાનેબાજીમાં ત્રણ મેડલ મેળવી ચૂક્યું છે . આ ભારતનો ચોથો મેડલ છે . એશિયન ગેમ્સના બીજા દિવસે ભારતને બે મેડલ મળ્યા હતા . નિશાનેબાજ લક્ષ્યે સોમવારે પુરુષોની ટ્રેપ સ્પર્ધામાં સિલ્વર મેડલ મેળવ્યો . લક્ષ્યે બીજું સ્થાન મેળવીને મેડલ પોતાને નામ કર્યો હતો . વિનેશ ફોગાટે રચ્યો ઈતિહાસ , પહેલી વાર મહિલા પહેલવાને જીત્યો ગોલ્ડ આપને જણાવી દઈએ કે ભારતના 16 વર્ષના નિશાનેબાજ સૌરભ ચૌધરીએ જર્મનીના સુહલમાં આઇએસએસએફ જુનિયર વિશ્વકપમાં રેકોર્ડ બનાવતા ગોલ્ડ જીત્યો . સૌરભે 10 મીટર એર પિસ્ટલ સ્પર્ધામાં 243.7 પોઇન્ટ મેળવ્યા હતા . આ પ્રતિયોગિતામાં ભારત માટે આઠમો ગોલ્ડ જીતનાર સૌરભે આઠ ખેલાડીઓની ફાઇનલમાં 24 શોટ પછી કોરિયાના લિમ હોજીન ( 239.6 ) ને 4.1 પોઈન્ટથી પછાડ્યો ." entertainment,"કૉમેડિયન કપિલ શર્માનો નવો પ્રોગ્રામ ધી કપિલ શર્મા શોના પહેલા એપિસોડનું ટીઝર રિલીઝ થઈ ચૂક્યું છે . શોના પહેલા મહેમાન સારા અલી ખાન અને રણવીર સિંહ હશે . ટીઝરને જોઈને એતો સ્પષ્ટ છે કે શો પહેલાની જેમ જ હંસી મજાકથી ભરપૂર હશે . ટીઝરમાં કીકૂ શારદા કપિલના એક વર્ષ ગાયબ રહેવાને લઈને મસ્તી કરતી જોવા મળી રહ્યા છે . કીકૂ સિંબા સ્ટારર સારા અને રણવીરને જણાવે છે કે તેઓ સાત રંગના પનીર બનાવે છે . તો કપિલ કીકૂની ટાંગ ખેંચતા કહે છે કે કીકૂ એક જ દિવસ પનીર બનાવે છે . જે બાદ પનીર ધીરે - ધીરે રંગ બદલે છે અને શનિવાર સુધી આવતાં આવતાં પનીર કાળા રંગનું પડી જાય છે . આના પર કીકૂ કહે છે કે દુનિયાવાળાઓ તમે લોકો જાણવા માંગતા હતાને કે કપિલ શર્મા એક વર્ષ સુધી ક્યાં ગયાબ થઈ ગયા હતા તો તેઓ તો મારા પનીરનો રંગ બદલતો જોઈ રહ્યા હતા . જો કે કપિલ શર્માની કોમેડી શો પર વાપસી થઈ રહી છે જેને પગલે દર્શકો ખુશ જોવા મળી રહ્યા છે . પ્રોગ્રામની સ્ટારકાસ્ટની વાત કરીએ તો શોમાં ચંદન , કીકૂ શારદા , સુમોના ચક્રવર્તી , રોશેલ રાવ , ભારતી સિંહ અને કૃષ્ણા અભિષેક છે . શો 29 ડિસેમ્બરથી ઓનએર થવા જઈ રહ્યો છે . શો સોની ટીવી પર શનિવારે અને રવિવારે રાત્રે 9.30 વાગ્યે આવશે . જણાવી દઈએ કે કપિલ શર્મા 12 ડિસેમ્બરે ગિન્ની ચતરથ સાથે લગ્ન સંબંધમાં બંધાઈ ગયા છે . તેમના લગ્ન બે રિવાજથી થયાં . લગ્ન બાદ તેમણે અમૃતસરમાં રિસેપ્શન આપ્યું . એમના લગ્ન અને રિસેપ્શનના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયા છે . કેન્દ્ર સરકારે પહેલી વાર માન્યુ , નોટબંધી દરમિયાન 4 લોકોએ ગુમાવ્યા જીવ" business,"બેંગલોર , 16 ઓક્ટોબર : આપની પાસે પાન કાર્ડ છે ? પાન કાર્ડ નથી તો બનાવવું અનેક રીતે ઉપયોગી અને લાભકર્તા છે . પાન કાર્ડ બનાવવાનું છે પણ સમય મળી શકતો નથી ? તો હવે સમયની ચિંતા કરવાની છોડો . કારણ કે હવે આપ ઓનલાઇન અરજી કરીને પાન કાર્ડ મેળવી શકો છો . સરકારે આવકવેરા વિભાગ સાથે મળીને શરૂ કરેલી ઓનલાઇન પાન કાર્ડ અરજી સુવિધાને પગલે આપે ત્રીજી કોઇ વ્યક્તિને મળવાની જરૂર નથી . . . પાન કાર્ડ ઓનલાઇન કેવી રીતે મેળવી શકાશે ? 1 . આવકવેરાના નિયમો અનુસાર પાન કાર્ડ બનાવવા માટે આપે ફોર્મ 49એ ભરવું પડે છે . આ ફોર્મ આપને વેબસાઇટ પરથી મળી રહેશે . 2 . NSDLની વેબસાઇટ પર જઇને લિંક https : / / tin . tin . nsdl . com / pan પર આપ પાન કાર્ડ માટે અરજી કરી શકો છો . આ માટે આપ આપવામાં આવેલી લિંકનો ઉપયોગ કરી શકો છો . અહીં આપને પાનકાર્ડ માટે જરૂરી પ્રાથમિક માહિતી મળી શકશે . 3 . વેબસાઇટ પર આપવામાં આવેલા ઓપ્શન્સ પર આપે ધ્યાનથી ક્લિક કરવાનું રહેશે . જો આપે પાન કાર્ડ તૈયાર કરાવવાનું છે તો તેના માટે અલગ ઓપ્શન છે . જો આપનું પાન કાર્ડ બની ગયું હોય અને તેમાં રહેલી ભૂલ સુધારવાની હોય તો તેના માટે ચેન્જ કે કરેક્શન પાનથી વિકલ્પ આપવામાં આવ્યો છે . 4 . જો આપ નવું પાન કાર્ડ બનાનના માટે અરજી કરી રહ્યા હોવ તો તમામ માહિતી ભરીને ફોર્મને ઓનલાઇન સબમિટ કરી દેવું જોઇએ . ફોર્મ સબમિટ કર્યા બાદ આપને 15 આંકડાનો એન્લ્કોઝમેન્ટ નંબર જોવા મળશે . આ નંબરની પ્રિન્ટ લઇને તેને સાચવીને રાખવો પડશે . 5 . આ એનક્લોઝમેન્ટ ફોર્મ આવકવેરા વિભાગને મોકલવાનું હોય છે . તેની સાથે આપે એડ્રેસ પ્રુફ , ઓળખપત્ર વગેરે જમા કરાવવાનું હોય છે . આ ફોર્મ પર પાસપોર્ટ સાઇઝનો ફોટો પણ લગાવીને મોકલવાનો હોય છે . આ ફોટો જ આપના પાન કાર્ડ પર દર્શાવવામાં આવશે . 6 . જો આપ ભારતમાં જ રહેતા હોવ તો પાન કાર્ડ એપ્લિકેશનની ફી કુલ 96 રૂપિયા ચૂકવવી પડે છે . જો આપ વિદેશમા રહો છો તો આપે રૂપિયા 962 ચૂકવવા પડશે ." sports,"ડ્વાયન બ્રાવો ( 22/3 ) અને આર . અશ્વિન ( 5ય2 ) ની શાનદાર બોલિંગના કારણે ચેન્નઇ સુપરકિંગ્સે એક રોમાંચક મુકાબલામાં મંગળવારે ઇન્ડિયન પ્રીમિયર લીગની 28મી મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સને બે રનોથી હરાવી દીધું . બ્રાવો પોતાની શાનદાર બોલિંગના કારણે મેન ઓફ ધ મેચ પસંદ કરાયા . અશ્વિને પણ બે ઓવરોમાં બે વિકેટ હાસલ કરીને તેમનો સારો એવો સાથ આપ્યો . સુપરકિંગ્સની સાત મેચોમાં આ છઠ્ઠી જીત છે અને તે પોઇન્ટ ટેબલમાં શ્રેષ્ઠ સ્થાને પહોંચી ગઇ છે . રાજસ્થાન રોયલ્સ 11 પોઇન્ટની સાથે બીજા નંબર પર છે . નાઇટ રાઇડર્સની સાત મેચોમાં આ ત્રીજી હાર છે અને તે ત્રીજા સ્થાને છે . જોકે , નાઇટ રાઇડર્સને 135 રનોનું લક્ષ્ય મળ્યું હતું પરંતુ ટીમ નિર્ધારિત 20 ઓવરોમાં 9 વિકેટના નુકસાન પર 132 રન જ બનાવી શકી . નાઇટ રાઇડર્સને છેલ્લા બોલ પર સાત રનોની જરૂર હતી , પરંતુ રોયન ટેન ડસકેટ ચોગ્ગો લગાવીને 38 રન બનાવી અણનમ રહ્યા . ટોસ હાર્યા બાદ પહેલા બેટિંગ કરવા ઉતરેલી સુપરકિંગ્સ નિર્ધારિત 20 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 134 રન બનાવી શક્યા હતા . ફાફ દૂ પ્લેસિસ સર્વાધિક 29 રન બનાવીને અણનમ રહ્યા . બાદમાં સુપરકિંગ્સ માટે પ્લેસિસ અને રવિન્દ્ર જાડેજાની 36 રનોની ભાગીદારીએ ટીમને સારી એવી સ્થિતિમાં પહોંચાડી ." entertainment,"રોક ઓન ફિલ્મ બોલીવૂડના ઇતિહાસમાં એક અલગ ફિલ્મ હતી . મ્યુઝિક પર આધારિત આવી કોઇ અદ્ઘભૂત ફિલ્મ પહેલા બની જ નહતી . અને માટે જ તે સુપર હિટ રહી . આજ કારણ હતું કે રોક ઓન 2ની રિલિઝ દર્શકોને ભારે આશ હતી . વળી શ્રદ્ઘા કપૂર અને ફરહાન અખ્તરની એક સાથે સ્ક્રીન જોવાની પણ લોકોને ચાહ હતી . પણ 1st day 1st show પછી લોકોના જે રીતે રિવ્યૂ આવ્યા છે તે મુજબ તો ફિલ્મ કંઇ ખાસ "" મેઝિક "" ક્રિએટ નહીં કરી તે વાત પાક્કી છે . ત્યારે દર્શકોથી લઇને ક્રિટિકનું શું કહેવું છે આ ફિલ્મ વિષે વાંચો અહીં . સાથે જ જાણો તમારે જોવા જવી જોઇએ કે નહીં ?" entertainment,"મુંબઈ , 27 જાન્યુઆરી : ફિલ્મ નિર્માત્રી અને અભિનેત્રી શિલ્પા શેટ્ટી આ વાતને લઈને ખૂબ જ ખુશ છે કે તેઓ નિર્માત્રી તરીકેની પોતાનીપ્રથમ ફિલ્મ ઢિશ્કિયાઉં બૉલીવુડ અભિનેતા સન્ની દેઓલ સાથે કરી રહ્યાં છે . તેમનું કહેવું છે કે આ તેમના માટે મોટી બાબત છે . નિર્માત્રી તરીકે શિલ્પા શેટ્ટીની આ પ્રથમ ફિલ્મ છે . શિલ્પાએ આગળ જણાવ્યું કે તેમને ક્યારેય અપેક્ષા નહોતી કે તેમની પ્રથમ ફિલ્મ એક્શનથી ભરપૂર હશે . તેમણે જણાવ્યું - ફિલ્મ સારી છે . મેં ક્યારેય નહોતું વિચાર્યું કે મારી ફિલ્મ એક્શન અને રહસ્ય ધરાવતી હશે . હું કાયમ વિચારતી કિ જો મેં ફિલ્મ બનાવી , તો તે હાસ્ય કે પ્રણય - કથા ધરાવતી હશે , પરંતુ મને ઢિશ્કિયાઉંની સ્ક્રિપ્ટ એટલીબધી ગમી ગઈ કે હું તેને લોકો સામે પિરસવા માંગતી હતી . ઢિશ્કિયાઉં ફિલ્મમાં અભિનેતા હરમન બાવેજા પણ છે . ફિલ્મ 28મી માર્ચે રિલીઝ થવાની છે . < center > < iframe id = "" embed - frame "" width = "" 100 % "" height = "" 417 "" style = "" overflow : hidden ; scrolling : no "" src = "" http : / / erosnow . com / embed / 6122412 "" frameborder = "" 0 "" allowfullscreen > < / iframe > < / center >" business,"દેશની નંબર - 1 ટેલિકોમ કંપની એરટેલ પોતાના ગ્રાહકો માટે એક ખાસ ઑફર લઇને આવ્યુ છે . આ ઑફર અંતર્ગત એપલનો આઇફોન 7 કે આઇફોન 7 પ્લસ ખરીદવા પર તમને 120 જીબી 4જી / 3જી ડેટા ફ્રી મળશે . આ ઑફર અંતર્ગત ગ્રાહકોને દર મહિને 10 જીબી ડેટા ફ્રી આપવામાં આવશે . આ ઑફરનો લાભ તમે ત્યારે જ ઉઠાવી શકશો જ્યારે તમારી પાસે એરટેલનો એરટેલ ઇનફિનિટિ પોસ્ટપેડ પ્લાન હશે . એટલે આ પ્લાન માત્ર પોસ્ટપેડ ગ્રાહકો માટે જ છે અને તે પણ એક એક ખાસ પ્લાન લેવા પર . જિયો પહેલા જ આપી ચૂક્યુ છે આ ઑફર જિયો પહેલા જ આ ઑફર આપી ચૂક્યુ છે . કોઇ પણ આઇફોનની ખરીદી પર તમને જિયોનો રુ . 1499 પ્રતિ મહિનાનો પ્લાન 1 વર્ષ માટે ફ્રી મળશે , જે 1 જાન્યુઆરી 2017 થી લાગૂ થશે . આઇફોન 7 અને આઇફોન 7 પ્લસને કોઇ દુકાન પરથી પણ ખરીદી શકાય છે અને એરટેલની અધિકૃત વેબસાઇટ પરથી પણ . ત્યારબાદ ગ્રાહક પોતાના પ્લાન અંતર્ગત મળનારી સુવિધાઓ ઉપરાંત 10 જીબી ડેટાનો અલગથી લાભ ઉઠાવી શકશે . શું છે એરટેલ ઇનફિનિટિ પ્લાન એરટેલના ઇનફિનિટિ પ્લાન અંતર્ગત અનલિમિટેડ કૉલ્સ આપવામાં આવે છે . આ પ્લાન પોસ્ટપેડ ગ્રાહકો માટે 649 રુપિયાથી લઇને 2999 રુપિયા સુધીનો છે , જ્યારે પ્રીપેડ ગ્રાહકો માટે આ પ્લાન 1098 રુપિયાથી લઇને 3249 સુધીનો છે . તમને જણાવી દઇએ કે જો તમે આઇફોન 7 અને આઇફોન 7 પ્લસના 10 જીબી ડેટાના ઑફરનો લાભ લેવા માંગો છો તો તમારે એરટેલના પોસ્ટપેડ ઇનફિનિટિ પ્લાનમાંથી જ કોઇ એક પસંદ કરવો પડશે ." sports,આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે ટી20 વર્લ્ડકપની મેચ રમાઈ રહી છે . ભારત - પાકિસ્તાન મેચ પહેલા બંને ટીમો મેદાન પર પરસેવો વહાવી રહી છે . આમ પણ મેચ જયારે ભારત અને પાકિસ્તાનની હોઈ ત્યારે તે રમતા કરતા વધારે જ બની જાય છે . બંને દેશોની મેચો જોશ અને જનુનથી ભરપુર હોઈ છે . બંને ટીમો એકબીજાને હરાવવામાં કોઈ જ કસર બાકી રાખવા નથી માંગતી . મેચ પહેલા બંને ટીમો પર જીતવા માટે ખુબ જ વધારે દબાણ રહેલું છે . ભારત માટે આજે કરો કે પછી મરો જેવી હાલત છે . જયારે પાકિસ્તાન હાલમાં જ બાંગ્લાદેશને હરાવીને આત્મવિશ્વાસથી ભરપુર દેખાઈ છે . ભારત પાકિસ્તાનની મેચ પહેલા જાણો 10 મહત્વના તથ્યો . . . sports,"20માં કોમનવેલ્થ ગેમ્સના સાતમાં દિવસે કુશ્તીમાં ભારતને 4 રજત પદક મળ્યા . મહિલા વર્ગથી લલિતા ફ્રી સ્ટાઇલ 53 કિલોગ્રામ ભારવર્ગના ફાઇનલમાં નાઇજીરિયાની ઓ . એડેકુઓરોયથી પરાજિત થઇ ગઇ . આ પ્રકારે ભારતને સિલ્વર મેડલથી સંતોષ કરવો પડ્યો . ત્યારબાદ બિજનીશ બજરંગે પુરુષોની ફ્રી સ્ટાઇલ કુશ્તીમાં 61 કિગ્રા ભારવર્ગમાં સિલ્વર મેડલ જીત્યું . તેમને ફાઇનલ મુકાબલામાં કેનેડાના ડેવિડ ટ્રિંબલે સામે હારનો સામનો કરવો પડ્યો . સાક્ષી ફ્રી સ્ટાઇલ 58 કિલોગ્રામ ભારવર્ગમાં નાઇઝીરિયાની પહેલવાન એમિનોટ એડેનિયી સામે ગોલ્ડ માટેના સંઘર્ષમાં હારી ગઇ . અત્રે પણ ભારતને સિલ્વરથી સંતોષ માનવો પડ્યો . ભારતના સત્યવ્રત કાડિયાન પણ પહેલા ત્રણ પહેલવાનોની જેમ એક ખિતાબી મુકાબલામાં હારી ગયા . તેમને ગોલ્ડ મેડલ માટે રમવામાં આવેલ મુકાબલામાં કેનેડાના અરૂણ ગિલ સામે ફ્રી સ્ટાઇલ 97 કિલોગ્રામ ભારવર્ગમાં હારનો સામનો કરવો પડ્યો . મહિલા વર્ગમાં એક અન્ય ભારતીય પહેલવાન નવજોત કૌર ફાનઇલમાં પ્રવેશ કરવાથી ચોક્કસ ચૂકી ગઇ , પરંતુ કાંસ્ય પદક માટે પ્લેઓફ મુકાબલામાં પ્રવેશ કરવામાં સફળ રહી . મહિલા ફ્રી સ્ટાઇલ 69 કિલોગ્રામ ભારવર્ગમાં નવજોત કૌરે સ્કોટલેંડની સારા જોંસને માત આપી બ્રોન્ઝ પોતાનો હક જમાવી લીધો . આ મુકાબલો તેમણે 13 - 0થી જીત્યો . તે જ શરૂઆતથી જ સારા પર હાવી રહી અને એક પછી એક સતત 13 પોઇંટ હાસલ કરી લીધા . નોંધનીય છે કે મંગળવારથી શરૂ થયેલી કુશ્તી પ્રતિસ્પર્ધામાં ભારતીય પહેલવાનોએ ઓલમ્પિક પદક વિજેતા સુશીલ કુમારના નેતૃત્વમાં હવે અત્યાર સુધી ત્રણ સુવર્ણ સહિત ચાર પદક હાસિલ કરી લીધા છે ." entertainment,"બૉલીવુડના હૅન્ડસમ રૉકસ્ટાર રણબીર કપૂર આજે લોકોના પસંદગીના હીરો બની ગયાં છે . તેથી તેમની ડિમાંડ સતત વધતી જાય છે . તેનો ફાયદો ઉઠાવી રહ્યાં છે રણબીર કપૂર પોતાની ફી વધારીને . તાજેતરમાં જ સમાચાર આવ્યા હતાં કે રણબીરે પોતાની પ્રાઇઝ વધારી દીધી છે , તો બીજી બાજુ હવે સમાચાર એમ છે કે તેમની આવનાર ફિલ્મ બેશરમના થિયટરિકલ રાઇટ્સ 80 કરોડમાં વેચાયાં છે . જોકે હજી ફિલ્મના સેટેલાઇટ રાઇટ્સ વેચાવાના બાકી છે . એમ કહેવું ખોટુ નથી કે બેશરમ ફિલ્મે આવતા પહેલા જ ધમાલ મચાવી નાંખી છે . તેથી ફિલ્મની આખી યૂનિટ બહુ ખુશ છે . આશા સેવાય છે કે રણબીરની બેશરમ ફિલ્મ તેમની ગત ફિલ્મ યે જવાની હૈ દીવાની જેવી હિટ થશે . બેશરમ એક એક્શન - કૉમેડી ફિલ્મ છે અને તેની ખાસ વાત એ છે કે તેમાં રણબીર કપૂર પોતાના મમ્મી - પપ્પા એટલે કે નીતૂ સિંહ અને ઋષિ કપૂર સાથે દેખાશે . ફિલ્મમાં પહેલી વાર ઋષિ કપૂર પોતાના બૉલીવુડ કૅરિયરમાં પોલીસનો રોલ કરી રહ્યાં છે , તો નીતૂ સિંહ મહિલા કૉન્સ્ટેબલ બન્યાં છે . બેશરમ ફિલ્મનું પ્રમોશન ટુંકમાં જ શરૂ થશે . ફિલ્મ 2જી ઑક્ટોબરે રિલીઝ થવાની છે . ફિલ્મમાં રણબીર કપૂર એક ચોરની ભૂમિકા ભજવી રહ્યાં છે . ફિલ્મની વધુ એક ખાસ વાત એ છે કે રણબીર કપૂર પોતાના પિતા ઋષિ કપૂરની ફિલ્મ કર્જના હિટ સૉંગ ઓમ શાંતિ ઓમના કૉસ્ટ્યુમમાં દેખાવાના છે ." entertainment,"આજકાલ સંજય ગુપ્તાની આવનાર ફિલ્મ શૂટઆઉટ એટ વડાલા ખૂબ ચર્ચામાં છે . આ ફિલ્મમાં ત્રણ - ત્રણ આયટમ સૉંગ્સ છે , તો ફિલ્મ સજીવ વાર્તા પર આધારિત છે . ફિલ્મમાં જ્હૉન અબ્રાહમ , તુષાર કપૂર , કંગના રાણાવત તથા મનોજ બાજપાઈ લીડ રોલમાં છે , પરંતુ ચોંકાવનારા સમાચાર એ છે કે આ ફિલ્મમાં માત્ર હૉટ આયટમ સૉંગ્સ જ નથી , પણ બોલ્ડ સીન્સની પણ ચાસણી છે . શૂટઆઉટ એટ વડાલા અંગે કહેવાય છે કે ફિલ્મમાં જ્હૉન અબ્રાહમ તથા કંગના રાણાવાતના ખૂબ જ હૉટ સીન્સ છે . જ્હૉનની ફિલ્મોમાં તો બોલ્ડ સીન્સ હોય જ છે , પરંતુ કંગના પહેલી જ વાર કોઈ ફિલ્મમાં હૉટ ઇંટીમેટ સીન્સ આપી રહ્યાં છે . ફિલ્મના પ્રોમો દર્શાવે છે કે ફિલ્મનું આ સીન તમામ આયટમ સૉંગ્સ ઉપર ભારે પડવાનો છે . નોંધનીય છે કે એસ એ ડબ્લ્યૂ ફિલ્મમાં જ્હૉન અબ્રાહમ ગૅંગસ્ટર માન્યા સુર્વેના રોલમાં છે . સત્યઘટના પર આધારિત શૂટઆઉટ એટ વડાલા ફિલ્મ આગામી 3જી મેના રોજ રિલીઝ થઈ રહી છે . ફિલ્મના નિર્માતા એકતા કપૂર , તો દિગ્દર્શક સંજય ગુપ્તા છે . ફિલ્મના ગીતોએ લોકોમાં ઉત્સુકતા વધારી દીધી છે ." entertainment,"ગયા સપ્તાહે રિલીઝ થયેલી તેમની ફિલ્મ રાઝ 3 તેમની અત્યાર સુધીની સૌથી હિટ ફિલ્મ સાબિત થઈ છે . જોવા જઇએ તો રાઝ 3માં તેમની એક્ટિંગને કઈંક વધુ જ પસંદ કરવામાં આવ્યું , કારણ કે બિપાશાની એક્ટિંગ સામે ફિલ્મના બાકીના પાત્રો ફીકા રહ્યાં . હવે બૉલીવુડના સુપરસ્ટાર સલમાન ખાનનું કહેવું છે કે ઇમરાનની કાબેલિયત યોગ્ય રીતે મુલવવામાં નથી આવી . સલમાન ખાને બૉલીવુડના સીરિયલ કિસર ઇમરાન હાશમી અંગે જણાવ્યું હતું , ‘ઇમરાન હાશમીની કાબેલિયતને યોગ્ય રીતે મુલવવામાં નથી આવ્યું . તેમને તેમનું હક મળવું જોઇએ . તેઓ એક પછી એક હિટ ફિલ્મો આપી રહ્યાં છે . સલમાન જણાવે છે કે ઇમરાન આજના સૌથી મોટા એક્ટર છે . મને તેઓ પસંદ છે . તેમનું કામ પણ પસંદ છે . ' બૉલીવુડમાં આજના સુપરસ્ટાર કહેવાતાં સલમાન ખાન કરતાં વધારે બૉલીવુડના એક્ટર્સ અને એક્ટ્રેસિસની યોગ્યતાને બીજુ કોણ ઓળખી શકે . સલમાને જ બૉલીવુડને ઘણાં નામચીન ચહેરાઓ આપ્યાં છે . આ સાથે બૉલીવુડની ઘણી ટૉપ અભિનેત્રીઓ આજે જે ઉંચાઇએ પહોંચી છે , ત્યાં પહોંચાડવા માટે સલમાનને જ શ્રેય અપી શકાય . ઐશ્વર્યાથી લઈને કેટરીના કૈફ સુધીની સફળતા પાછળ ક્યાંકને ક્યાંક સલમાનનો હાથ છે . તો હવે જો સલમાનને લાગે છે કે ઇમરાનની યોગ્યતાને યોગ્ય રીતે રજુ નથી કરાતું , તો તે સાચ્ચુ જ હશે . તો હવે ઇમરાને તો ખુશ થવું જોઇએ કે સલમાનની નજરો તેમની ઉપર પડી છે અને શક્ય છે કે હવે ઇમરાનના સિતારાં વધુ ચમકી જાય ." sports,"વિશ્વ ક્રિકેટમાં ઘણી એવી ઘટનાઓ છે જે ઇતિહાસમાં અમર થઇ ગઇ છે . કેટલાક એવા રેકોર્ડ છે જે બન્યા પછી તેને તોડવા મુશ્કેલ બની ગયા છે . તો કેટલાક નવા રેકોર્ડો બન્યા છે , જે ઇતિહાસમાં પોતાને અંકિત કરાવવામાં સફળ થયા છે . વાત ટીમના પ્રદર્શનની કરવામાં આવે તો ક્યારેક ભારતીય ક્રિકેટ ટીમની ગણના એક એવરેજ અને સાધારણ ટીમ તરીકે કરવામાં આવતી હતી , પરંતુ આજે એ જ ટીમ ઇન્ડિયા વિશ્વની નંબર વન વનડે ટીમ બનેલી છે , જેણે બે વખત વિશ્વકપ જીત્યો છે . ભારતે 1983ના વિશ્વકપ દરમિયાન ફાઇનલ મેચમાં વેસ્ટ ઇન્ડિઝને હરાવીને અપસેટ સર્જી વિશ્વ ક્રિકેટને પોતાનો પરચો આપ્યો હતો . આવી અનેક મેચો છે , જેમાં ક્યારેક ઝિમ્બાવ્વે તો ક્યારેક બાંગ્લાદેશ તો ક્યારેક કેન્યા જેવી દેશે મેચ જીતીને અપસેટ સર્જ્યા છે . આજે અમે એવી જ પાંચ યાદગાર અપસેટ્સ અંગે તસવીરો થકી જણાવી રહ્યાં છીએ . આ ક્રિકેટર્સની કિસ્મતમાં આવી છે સૌથી વધુ હાર અનોખો રેકોર્ડઃ ઝીરો પર આઉટ થયા વગર 100 ઇનિંગ રમનારા ખેલાડીઓ આ પણ વાંચોઃ - બીસીસીઆઇના કારણે ધોનીને લાગ્યો 40 કરોડનો ફટકો !" sports,"મુંબઈ પોલીસે શુક્રવારે રાત્રે ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમના માલિક ગુરુનાથ મયપ્પનની કૌભાંડના સંબંધમાં ધરપકડ કર્યા બાદ હવે સમગ્ર ઘટનાએ નવો વળાંક લીધો છે . આઈપીએલ સ્પોટફિક્સિંગ કૌભાંડમાં વધારે ખળભળાટ મચાવી મૂકે એવી ઘટનામાં ચેન્નાઇ સુપર કિંગ્સને રવિવારે રાત્રે રમાનારી ફાઇનલ મેચમાં રમવાની મંજૂરી આપવી કે નહીં તે અંગે ચર્ચાઓ શરૂ થઇ ચૂકી છે . આઈપીએલની આચારસંહિતા અનુસાર , જો કોઈ આઈપીએલ ફ્રેન્ચાઈઝ , ફ્રેન્ચાઈઝ ગ્રુપ કંપની કે એના કોઈ માલિક કોઈ એવી હરકત કે પ્રવૃત્તિ કરે જે આ ક્રિકેટ લીગ , બીસીસીઆઈ આઈપીએલ , બીસીસીઆઈ , કે ક્રિકેટની રમતની પ્રતિષ્ઠા કે નિયમોની વિરુદ્ધની હોય તો ટીમને તત્કાળ રદ કરી દેવી . માલિક પકડાયા હોવા છતાં ચેન્નાઈ ટીમ રવિવારે આઈપીએલની ફાઈનલમાં રમવા પાત્ર છે કે નહીં . રવિવારે કોલકાતામાં રમાનારી ફાઈનલમાં તેનો મુકાબલો મુંબઈ ઈન્ડિયન્સ સામે થવાનો છે . મુંબઈ પોલીસના સમન્સને પગલે મયપ્પન શુક્રવારે સાંજે અહીં આવી પહોંચ્યા હતા અને સ્પોટ ફિક્સિંગ કૌભાંડમાં પોલીસે હાથ ધરેલી તપાસમાં જોડાયા હતા . મયપ્પન ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડના પ્રમુખ એન શ્રીનિવાસનના જમાઈ છે . સૂત્રોના જણાવ્યા મુજબ આ કૌભાંડમાં પકડાયેલા અભિનેતા વિન્દુ દારા સિંહે પૂછપરછ દરમિયાન પોલીસને કહ્યું હતું કે ગુરુનાથ મયપ્પને રૂપિયા 10 લાખનો સટ્ટો લગાવ્યો હતો જે મેચ દીઠ રૂપિયા એક કરોડ સુધી ઉંચે ગયો હતો . મયપ્પને આ મોસમમાં પણ ચેન્નઈ ટીમની મેચો ઉપર સટ્ટો કર્યો હતો . મયપ્પન આજે મુંબઈ આવી પહોંચ્યા બાદ પોલીસ એમને પૂછપરછ માટે પહેલા દક્ષિણ મુંબઈસ્થિત પોલીસ મુખ્યાલયે લઈ ગઈ હતી અને ત્યાંથી એમને ક્રાઈમ બ્રાન્ચની ઓફિસે લઈ ગઈ હતી . પોલીસ વિન્દુ સિંહ અને મયપ્પનને ભેગા કરશે અને બંને પાસેથી સાચી વાત જાણશે . મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના હિમાંશુ રૉયે શુક્રવારે રાત્રે કહ્યું કે અમે મયપ્પનની વિગતવાર પૂછપરછ કરી છે અને હવે કાયદા અનુસાર અમે એમને કોર્ટમાં હાજર કરીશું . મયપ્પનને પોતાની સમક્ષ શુક્રવારે સાંજે પાંચ વાગ્યા સુધીમાં હાજર થવાનું મુંબઈ પોલીસે કહી દીધું હતું . દરમિયાન , શ્રીનિવાસને બીસીસીઆઈના પ્રમુખપદેથી રાજીનામું આપવાનો ઈનકાર કર્યો છે ." business,"મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ( RIL ) એ નવી સફળતા હાંસલ કરી છે . રિલાયન્સ દેશની સૌથી વધુ માર્કેટ કેપ ધરાવતી કંપની બની ગઈ છે . મંગળવારે રિલાયન્સનું માર્કેટ કેપ 7.43 લાખ કરોડ રૂપિયા થઈ ગયુ છે . આ સાથે રિલાયન્સે TCS ને પછાડીને દેશની સૌથી વધુ માર્કેટ કેપવાળી કંપનીનો ખિતાબ મેળવી લીધો છે . તમને જણાવી દઈએ કે મંગળવારે ટીસીએસનો માર્કેટ કેપ 7.39 લાખ કરોડ રૂપિયા રહ્યો . માર્કેટ કેપ મામલે ટીસીએસ લાંબા સમયથી દેશની નંબર 1 કંપની બનેલી છે પરંતુ આ વખતે રિલાયન્સે આ તાજ ટીસીએસ પાસેથી છીનવી લીધો છે . વળી , મંગળવારે આરઆઈએલના શેરમાં 2 ટકા તેજી રહી અને આરઆઈએલના શેરનો રેટ 1175 રૂપિયા પહોંચી ગયો હતો . આ વધારાના કારણે કંપનીનો માર્કેટ કેપ લગભગ 16000 કરોડથી વધીને 7.44 લાખ કરોડ રૂપિયા પહોંચી ગયો . અહીં રિલાયન્સની મિલકત વધી તો આ તરફ ટાટા કંપનીની ટીસીએસને નુકશાન થયુ . મંગળવારે ટીસીએસના શેરમાં 0.70 ટકાનો ઘટાડો થયો અને તેનો માર્કેટ કેપ 6000 કરોડ રૂપિયા ઘટીને 7.39 લાખ કરોડ રહી ગયો . આના કારણે ટીસીએસને પછાડીને રિલાયન્સ ઈન્ડસ્ટ્રી દેશની નંબર 1 માર્કેટ કેપવાળી કંપની બની ગઈ . તમને જણાવી દઈએ કે 5 જુલાઈના રોજ પોતાના એજીએમ દરમિયાન રિલાયન્સે નવા પ્લાન રજૂ કર્યા હતા . આ એગ્રેસીવ પ્લાનના કારણે રિલાયન્સના શેરમાં વધારો ચાલુ રહ્યો . 5 જુલાઈના રોજ રિલાયન્સના શેરનો ભાવ 965 રૂપિયા હતો જે 31 જુલાઈના રોજ 1174 રૂપિયા પર પહોંચી ગયો ." business,"કારોબારી અઠવાડિયાના પહેલા જ દિવસે સોમવારે રૂપિયામાં ઘટાડો જોવા મળ્યો છે . રૂપિયો ડોલરના મુકાબલે 45 પૈસા તૂટીને 72.65 પર આવી ચુક્યો છે . જયારે પાછલા દિવસે રૂપિયામાં મુજબૂતી જોવા મળી હતી . શુક્રવારે રૂપિયો 17 પૈસાની મજબૂતી સાથે 72.20 પર બંધ થયો હતો જયારે સોમવારે શરૂઆતી કારોબાર દરમિયાન રૂપિયો 27 પૈસા તૂટીને 72.47 પર ખુલ્યો હતો . ક્રૂડ ઓઈલની કિંમત વધવા લાગી છે અને લોકોએ અચાનક વેચાણ શરુ કરી દીધું છે , તેને કારણે રૂપિયાના ઘટાડો જોવા મળી રહ્યો છે . આરબીઆઇ ઘ્વારા માર્કેટમાં સ્થિરતા લાવવા માટે 40 - 50 કરોડ ડોલરનું વેચાણ કર્યું હતું પરંતુ તેનો પણ કોઈ ફાયદો મળ્યો નહીં . પર્સનલ લોન લેતા પહેલાં ધ્યાન રાખો આ 5 બાબતો જયારે સોમવારે સેન્સેક્સ અને નિફટીમાં ઘટાડો જોવા મળ્યો હતો . સોમવારે સેન્સેક્સ 232 પોઇન્ટ તૂટીને 36,609.07 પર કારોબાર કરી રહ્યો છે જયારે નિફટી 85 પોઇન્ટ ગગડીને 11,060.55 પર પહોંચી ચુકી છે . આ પહેલા શુક્રવારે બજારમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો . શુક્રવારે સેન્સેક્સ રેકોર્ડતોડ લગભગ 1000 પોઇન્ટ તૂટ્યો હતો . શેર્સનું વિશ્લેષણ કરતા પહેલા આ વાતો જાણી લો મોહરમ અવસરે શેરમાર્કેટ બંધ રહ્યા પછી શુક્રવારે બજારે તેજી પકડી હતી અને સવારે સેન્સેક્સ સાથે સાથે નિફટીમાં પણ ઉછાળો આવ્યો હતો . પરંતુ અચાનક દલાલ સ્ટ્રીટમાં હડકંપ મચી ગયો જયારે સેન્સેક્સ 1 કલાકમાં જ 1000 પોઇન્ટ ગગડીને 35,993.64 જેટલા નીચલા સ્તરે આવી ગયો . આ દરમિયાન નિફટીને પણ ઝાટકો લાગ્યો અને 350 પોઇન્ટ ગગડીને 10,866.45 પોઇન્ટ પર આવી ગયો . SBIનું ડેબિટ કાર્ડ ગુમ થવા પર મળશે 4 લાખ રૂપિયા ! જયારે રૂપિયામાં થતા ઘટાડાને કારણે તેલ કંપનીઓને વિદેશથી તેલ મંગાવવા માટે ભારે કિંમત ચૂકવવી પડી રહી છે . તેને કારણે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો થવાની આશંકા વ્યકત કરવામાં આવી રહી છે . બેન્કિંગ , ઓટો , એફએમસીજી , ઓઇલ એન્ડ ગેસ અને પાવર સેક્ટર શેરમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે ." sports,"ક્રિકેટ જગતમાં ભગવાનનો દરરજો પ્રાપ્ત કરનાર સચિન તેંડુલકર આજે 40 વર્ષના થઇ ગયા છે , પરંતુ જેમ - જેમ તેમની ઉમર વધી રહી છે , તેમ - તેમ તેમની ખેલની ક્ષમતા વધી રહી છે . જેના કારણે 40 વર્ષની ઉમરે સચિન આજે પણ ક્રિકેટના મેદાન પર બોલર્સની ધોઇ નાંખે છે . સચિન તેંડુલકર ક્રિકેટ જગતનું એ નામ છે , જેના વગર ક્રિકેટનો ઇતિહાસ અધૂરો લાગે છે . પોતાના બેટથી બોલર્સની રાતની ઉંઘ હરામ કરી દેનારા સચિન તેંડુલકરને માત્ર ક્રિકેટનો જ શોખ નથી . તેમને ક્રિકેટની સાથો - સાથ કાર્સ કલેક્શન કરવાનો પણ જબરો શોખ છે . આ જ કારણ છે કે , સચિને ગત વર્ષે દેશમાં પહેલીવાર આયોજિત થયેલા ફોર્મ્યુલા વન રેસ ચેકર્ડ ફ્લેગને લહેરાવીને દેશમાં આ રેસિંગ ખેલની શરૂઆત કરાવી હતી . સચિનનને કાર્સ , સ્પીડ અને ફોર્મ્યુલા વન રેસ આ બધા સાથે ઉંડો લગાવ છે . ફોર્મ્યુલા વન રેસિંગ જગતના જિર્ણોદ્ધાર માઇકલ શુમાકર અને સચિન તેંડુલકર વચ્ચે ગાઢ મિત્રતા છે . પોતાની આ મિત્રતાના કારણે માઇકલ શુમાકરે સચિનને ફેરારીની શાનદાર કાર ભેટ સ્વરૂપે આપી હતી . આજે અમે તમને સચિન તેંડુલકરના શાનદાર કાર કલેક્શન અંગે બતાવી રહ્યાં છીએ , તો ચાલો તસવીરોના માધ્યમથી જોઇએ સચિનનું શાનદાર કાર કલેક્શન ." business,"નોકરી કરતા તમામ લોકોને 1 તારીખે પોતાનો પગાર બેંકમાં જમા થયો છે કેમ તેની હંમેશા ચિંતા હોય . આપણને આપણા પગારથી ખાસ લગાવ હોય છે અને તે હોવા પણ જોઇએ કારણ કે તે આપણી મહેનતની કમાણી છે . પણ સાથે જ દર મહિને આવતી આપણી સેલરી સ્લીપ પણ મહત્વનો ભાગ ભજવે છે . જે અંગે પણ દરેક નોકરયાત વર્ગને માહિતી હોવી જરૂરી છે . કારણ કે સેલરી સ્લીપમાં તમારા પગારના એક એક પૈસાનો હિસાબ હોય છે . અને તમારા માટે તે જાણવું બહુ જરૂરી છે કે ઇન હેન્ડ કેટલું આવ્યું અને કેટલું ડિડક્શન થયું . Read also : રિલાયન્સ જીયોની નવી ઓફર , ગ્રાહકોને મોટો ફાયદો ! જો બાબતે તમને કોઇ સ્પષ્ટતા ના હોય તો તમારે આ લેખ ચોક્કસથી વાંચવો જોઇએ . તો વાંચો તમારી સેલરી સ્લીપ સાથે જોડાયેલી મહત્વની 12 વાતો ." entertainment,બૉલીવુડ અભિનેતા અર્જુન કપૂર બૉલીવુડમાં પોતાના કૅરિયરનો શ્રેય સલમાન ખાનને આપે છે અને કહે છે કે તેમના માતા મોના સુરી પણ સલમાન ખાનને ઈશ્વરનું વરદાન માનતા હતાં . મેન્સ હૅલ્થ પત્રિકાના વિમોચન પ્રસંગે અર્જુન કપૂરે જણાવ્યું - જ્યારે હું એક સહાયક હતો . હું ઘણો વખત સલમાન સાથે વિતાવતો . મને લાગે છે કે આ એક લાગણીશીલ જોડાણ હતો . મારા માતા કાયમ કહેતાં કે તેઓ ( સલમાન ) ઈશ્વરના વરદાન છે . સલમાન ખાનની ફિલ્મ સલામ - એ - ઇશ્કમાં સહાયક દિગ્દર્શક અર્જુન શરુઆતમાં માત્ર દિગ્દર્શન પસંદ કરતા હતાં . તેમણે જણાવ્યું - એક રાતે સલમાને મને કહ્યું કે તમારે અભિનેતા બનવું જોઇએ . આ સાંભળી પહેલાં મેં સલમાનને જોયાં અને પછી પોતાને . મેં કહ્યું કે શું આપ મને અભિનેતા બનતા જોવા માંગો છો ? હું દિગ્દર્શક બની ખુશ છું અને હું સ્ક્રિપ્ટ પણ લખીશ . મને અભિનયમાં રસ નથી . સલમાન ખાને અર્જુનને જણાવ્યું કે દસ વરસ બાદ તમે અભિનેતા ન હોવા અંગે અફસોસ કરશો . સલમાન ખાને કહેતાં અર્જુન કપૂરે અભિનય ક્ષેત્રે પ્રવેશ કર્યો . તેમનું વજન 140 કિલો હતું . પોતાની પ્રથમ ફિલ્મ ઇશકઝાદે માટે તેમણે વજન ઘટાડ્યું . હવે તેમની આગામી ફિલ્મ ઔરંગઝેબ 17મી મેએ રિલીઝ થશે કે જેમાં તેમની સાથે સાશા આગા છે . business,"ન્યુ યોર્ક , 20 ઓક્ટોબર : આઇસીઆઇસીઆઇ બેંકની સીઇઓ ચંદા કોચરની આગેવાનીમાં ચાર ભારતીય બિઝનેસ વિમેને ફોર્ચ્યુનની ટોપ 50 મહિલાઓની વૈશ્વિક યાદીમાં સ્થાન મેળવ્યું છે . અમેરિકા તરફથી આ માટેની યાદીમાં પેપ્સીકોના પ્રમુખ ઇન્દ્રા નૂયી બીજા ક્રમે રહ્યા છે . આ યાદીમાં ચંદા કોચર એક ક્રમ આગળ વધીને ચોથા ક્રમે આવ્યા છે . ભારતના નેશનલ સ્ટોક એક્સચેન્જના પ્રમુખ ચિત્રા રામકૃષ્ણ 17મા ક્રમે , એક્સિસ બેંકના શિખા શર્મા 32મા ક્રમે , એચએસબીસીના નૈના લાલ કિદવઇ 42મા ક્રમે આવ્યા છે . એનએસઇના રામકૃષ્ણએ પહેલીવાર આ યાદીમાં સ્થાન મેળવ્યું છે . ગયા વર્ષે આ યાદીમાં શિખા શર્મા 37મા અને કિદવઇ 40મા સ્થાને હતા . આ યાદીમાં પ્રથમ ક્રમે બ્રાઝિલની ઉર્જા કંપની પેટ્રોબ્રાસના સીઇઓ મારિયા ડૈઝ ગ્રકાસ ફોસ્ટર આવ્યા છે . બીજા સ્થાને તુર્કીના ઉદ્યોગ ગૃહ સબાન્સી હોલ્ડિંગ્સના ગુલેર સબાન્સી અને ઓસ્ટ્રેલિયાના બેંકિંગ જૂથ વેસ્ટપેકના સીઇઓ ગેલ કેલી ત્રીજા સ્થાને આવ્યા છે ." sports,અકરમે કહ્યું હતું કે હરભજને ઇગ્લેંડ સામેની મેચમાં ચાર વિકેટ ઝડપી ટીમને જીત અપાવવામાં મહત્વપૂર્ણ યોગદાન કર્યું હતું . તેમછતાં હરભજનને મહત્વપૂર્ણમાં ટીમમાંથી બહાર કરી દિધો હતો . તેમણે ઝહીર ખાનના રમવા પર પ્રશ્ન ઉઠાવ્યા હતા . અકરમે ટીમની પસંદગીના મુદ્દે પણ વાંધો ઉઠાવતાં કહ્યું હતું કે બીસીસીઆઇએ ટી20માં યુવા બોલરોનો સમાવેશ કરવો જોઇએ . વરૂણ આરોન અને ઉમેશ યાદવનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો ન હતો જ્યારે ટી20 ફોર્મેટ માટે યુવા બોલરો સૌથી યોગ્ય છે . અકરમે ટીમ ઇન્ડિયાના બેસ્ટમેનોના પ્રદર્શન પર સવાલ ઉઠાવતાં કહ્યું હતું કે ભારત પાસે વિશ્વની સૌથી મજબૂત બેટીંગ ઓર્ડર છે . આવા સમયે તમે આશા ન રાખી શકો કે ઝહીરખાન કે બાલાજી મેચ જીતાડશે . અકરમના અનુસાર ભારતે દક્ષિણ આફ્રિકા સામે વધુ 30 રન બનાવવાની જરૂર હતી . તેમને કહ્યું હતું કે ભારતના નસીબ સારા હતા કે તે આફ્રિકાને હરાવવામાં સફળ રહી . અકરમના મત મુજબ ઝહીરખાન ટી20 ફોર્મેટ માટે ફીટ નથી . મે તેને બોલની પાછળ દોડતો જોયો નથી જ્યારે ટી20 માટે ખેલાડી સંપૂર્ણ રેતે ફિટ હોવો જોઇએ . business,સામાન્ય રીતે અનેક વાર તમે ટ્રેન પકડો છો પણ તમારી પાસે તે ટ્રેનની ટિકીટ નથી હોતી અને દંડથી બચવા માટે ટીટીઇ આવતા જ તમે બાથરૂમમાં ભરાઇ જાવ છો . પણ હવે ટિકીટ પગર યાત્રા કરવા પર તમને નહીં લાગે કોઇ દંડ . કારણ કે હવે તમે ટ્રેનમાં જ ટિકીટ મેળવી શકશો . આ અંગે તમારે ટીટીઇને તેની જાણકારી આપવી પડશે . ટીટીઇ આ માટે તમારા પર દંડ નહીં લગાવે . અને ટ્રેનના ભાડા મુજબ તમને ટિકિટ કરી આપશે . રેલવેએ આઇઆરસીટીસીની વેબસાઇટ અને પોતાના ટ્વિટર એકાઉન્ટ પર પણ આ અંગે જાહેરાત કરી છે . કેવી રીતે ? ટીટીઇ સ્ટાફને હેન્ડ હેલ્ડ મશીન આપી આ નવી સુવિધા શરૂ કરવામાં આવી છે . જો તમે ટિકિટ વગર ટ્રેનમાં ચઢ્યા હોવ તો તે તમને આ મિશન દ્વારા ટિકિટ આપશે . આ માટે તમારે ભાડા કરતા 10 રૂપિયા વધારે આપવા પડી શકે છે . પણ કોઇ દંડ નહીં . 1000 રૂપિયા દંડ અત્યાર સુધી વ્યવસ્થા તેવી હતી કે જો કોઇ વ્યક્તિ ટિકિટ વગર ટ્રેનમાં પકડાય છે તો તેને જેટલું ભાડું છે તેનાથી વધુ દંડ આપવો પડતો હતો . મેજિસ્ટ્રેટ ચેકિંગમાં ભંડની રકમ 1000 રૂપિયા સુધી પણ વસૂલવામાં આવતી હતી . ત્યારે આ નિયમ પછી લોકોની સુવિધા વધશે તેવું મનાઇ રહ્યું છે . business,DLF અને જિંદાલ સ્ટીલ કંપનીઓમાં તાજેતરમાં બહાર આવેલી ગેરરીતીઓ અને નિયંત્રણના મુદ્દાઓ બાદ તેના શેર્સની કિંમતોમાં ભારે કડાકો બોલાયો હતો . આ ઘટના બાદ હવે એવી અફવાઓ બહાર આવી રહી છે કે હરિયાણામાં આવેલી નવી રાજ્ય સરકાર ભાજપની છે . તેના કારણે ડીએલએફ અને રોબર્ટ વાડરાની વચ્ચેની જમીન ડીલ્સને સંબંધિત કેસો ફરીથી ખોલવામાં આવશે . એક અંદાજ પ્રમાણે ડીએલએફ પાસે હરિયાણામાં ઘણી જમીન છે અને જો અફવા સાચી પડશે તો ભારતની સૌથી મોટી રિયલ એસ્ટેટ કંપની માટે તે દુઃખદ સમાચાર બની રહેશે . આ પહેલા SEBI ( સેબી ) દ્વારા કંપની અને તેના પ્રમોટર પર માર્કેટમાં છ વર્ષ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો . આ નિયંત્રણો લાદવામાં આવ્યા તેના થોડા સમય પહેલા કંપની દ્વારા આચરવામાં આવેલી ગેરરીતિઓને પગલે કમ્પેન્સેશન કમિશન ઓફ ઇન્ડિયા ( CCI ) દ્વારા લગાવવામાં આવેલા રૂપિયા 630 કરોડના દંડની ચૂકવણી કરવાનો પણ આદેશ આપવામાં આવ્યો હતો . આ કારણે ડીએલએફની સ્થિતિ વધારે ખરાબ બની હતી . આ પરિસ્થિતિને જોતા ડીએલએફના શેર્સ જેમની પાસે છે તેવા રોકાણકારોએ આ કંપનીના શેર્સ સાચવી રાખવા કે નહીં અને તેના શેર્સ ખરીદી શકાય કે નહીં તે અંગે મૂંઝવણ જોવા મળી રહી છે . જિંદાલ સ્ટીલ અંગે શું કરવું ? જિંદાલ સ્ટીલને તેના કાર્યોથી જ સમસ્યા ઉભી થઇ છે . સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન ( CBI - સીબીઆઇ ) એ ગયા સપ્તાહે કંપની સામે પ્રાથમિક તપાસ નોંધી હતી . આ ઉપરાંત વર્ષ 2007થી 20013 વચ્ચે વન્ય જમીનમાં ખોદકામ કરવાના કાર્ય અંગે પણ તપાસ આદરી હતી . આ પહેલા સુપ્રીમ કોર્ટના નિર્ણયને પગલે કંપનીના શેર્સ પર નેગેટિવ અસર જોવા મળી હતી અને તેનું નુકસાન સેંકડો કરોડ રૂપિયા થયું હતું . જિંદાલ સ્ટીલ ખરીદી શકાય ? અનેક વિશ્લેષકોનું કહેવું છે કે કોલસા બ્લોક અંગે આવેલા નિર્ણયને પગલે કંપનીને ભારે નુકસાન પહોંચવાનું છે . આ બાબત કંપનીના શેર્સના ભાવમાં પણ જોવા મળી રહી છે . સ્ટોક્સ તેના 52 સપ્તાહના સૌથી ઉંચા મથાળા રૂપિયા 350થી ઘટીને રૂપિયા 150ના મથાળે ટ્રેડ થઇ રહ્યો છે . છેલ્લા કેટલાક મહિનાઓમાં કંપનીના મૂલ્યમાં પણ ઘટાડો થયો છે . આ કારણે ઘણા એનાલિસ્ટનું માનવું છે કે વર્તમાન ભાવે જિંદાલ સ્ટીલના સ્ટોક્સમાં રોકાણ કરવું સમજદારી છે . આ શેર્સમાં રોકાણ કરીને તેને બે વર્ષ સુધી જાળવી રાખવા જોઇએ . કંપની વર્ષ 2015 - 16માં વિસ્તરણની યોજના ધરાવે છે . DLFનું શું કરવું જોઇએ ? ડીએલએફ માટે એનાલિસ્ટ ચોખ્ખી ના પાડી રહ્યા છે . સામાન્ય રીતે રીયલ એસ્ટેટ બિઝનેસ ચિંતાનું કારણ બની રહે છે . કંપની દેવાના ભારમાં દબાયેલી છે . આ કારણે સેબીએ પણ કંપનીના સ્ટોક્સને જોખમી ગણાવ્યા છે . આ કારણે રોકાણકારોને સ્ટોક માર્કેટથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે . entertainment,"બૉલીવુડ અભિનેતા સલમાન ખાને પાકિસ્તાનમાં ભારતીય કૈદી સરબજીત સિંહના મોત અંગે દુઃખ વ્યક્ત કર્યો છે . સલમાને 2012માં સરબજીતનો છોડી મૂકવાની માંગણી કરતાં તેના માટે ઑનલાઇન ઝુંબેશ પણ શરૂ કરી હતી . સલમાન ખાને ટ્વિટર પર લખ્યું - આશા છે કે સરબજીતનો પાર્થિવ દેહ તેના પરિવારને સોંપાશે . આપણે સૌએ પ્રયત્નો તો કર્યાં , પણ તે પુરતાં નહોતાં . તેમના આત્માને શાંતિ મળે . ઈશ્વર તેમના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે . ગત વર્ષે સલમાન ખાને પોતાના ફૅન્સ અને પ્રજાને સરબજીતના ઝુટકારા માટે પાકિસ્તાન સરકારને ઑનલાઇન અરજી મોકલવાની ઝુંબેશમાં ભાગ લેવાનો આગ્રહ કર્યો હતો . સરબજીત ઉપર ગત 26મી એપ્રિલના રોજ જેલમાં હુમલો થયો હતો અને ગઈકાલે રાત્રે તેમનું મોત થઈ ગયું ." business,"આ નીતિની ઘોષણા બાદ વ્યાજદરોમાં વધારો થવાની શક્યતા એક્સપર્ટ દર્શાવી રહ્યા છે . જેના કારણે વિવિધ લોન મોંઘી થઇ શકે છે . આરબીઆઇએ વ્યાજ દરમાં વધારો કરતાં ઇએમઆઇ મોંઘો થઇ જશે . 20 વર્ષ માટે લોન લેનારા પર એક લાખ રૂપિયાની લોન પર 16.50 રૂપિયા ઇએમઆઇ વધી જશે . આજે આરબીઆઇની ઘોષણા બાદ શેરમાર્કેટમાં કડાકો બોલ્યો હતો . રાજનના આ નિર્ણયથી બજારને ફાયદો થશે . આ નિર્ણયને પગલે રૂપિયો સ્થિર થશે અને સસ્તા ડોલર ભારતાં આવતા રહેશે . આગામી સમયમં આ નિર્ણયના સારાપરિણામો મળશે . જોકે આજે રાજનના આ નિર્ણયને પગલે સેન્સેક્સ 450 પોઇન્ટ તૂટ્યો હતો . બીએસઇ ખાતે સેન્સેક્સ સવારથી આજે ફ્લેટ વેપાર કરી રહ્યા હતા , પોલિસી જાહેર થતાં જ સડસડાટ તૂટવા લાગ્યું છે . બીએસઇ ખાતે સેન્સેક્સ 521 અંકના જંગી કડાકા સાથે 21125 પર અને નિફ્ટી 165 અંકના કડાકા સાથે 5950 પર ટ્રેડ થઇ રહી છે . નોંધનીય છે કે અમેરિકાની ફેડરલ રિઝર્વ તરફથી આપવામાં આવતી આર્થિક સહાય પાછી નહીં ખેંચવાના નિર્ણય બાદ ભારતીય ઉદ્યોગ જગતની નજર રિઝર્વ બેંકના નવા ગવર્નરના નીતિગત નિર્ણય પર ટકેલી હતી . રઘુરામ રાજને પોતાની પ્રથમ સમીક્ષા એવા સમયે રજૂ કરી છે જ્યારે એક તરફ નીતિગત દરોમાં કાપ અને બીજી તરફ ફુગાવા પર નિયંત્રણ મેળવવાના પગલાંની જરૂરિયાત દર્શાવવામાં આવી રહી છે . અર્થતંત્રના નિષ્ણાતો અને માર્કેટ જગતના જાણકારોને એવી આશા હતી કે રિઝર્વ બેંક લોનને સસ્તી કરીને દેશમાં રોકાણ વધારવાની દિશામાં મહત્વની ભૂમિકા ભજવશે . વિશ્લેષકોનું માનવું હતું કે ફેડરલ રિઝર્વના આ પગલાથી રાજનની પાસે ઘટતી જતી આર્થિક વૃદ્ધિ દરને નિયંત્રણમાં લેવાના પગલા ભરવાની શક્યતા વધી છે . બેંકર તથા ઉદ્યોગ જગત સતત દબાણ લાવી રહ્યો હતો કે 2013 - 14ની મુદ્રા નીતિની મધ્ય ત્રિમાસિક સમીક્ષામાં નીતિગત દરોમાં ઘટાડો તથા રોકડને સરળ બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો . જો કે આ અંગે નિર્ણય લેવો રઘુરામ રાજન અંગે સરળ ન હતું . જથ્થાબંધ મોંઘવારીનો દર ઓગસ્ટમાં વધીને 6.1 ટકા થઇ ગયો હતો . જે છેલ્લા છ મહિનામાં સૌથી વધારે છે . જુલાઇમાં આ દરો 5.79 ટકા હતો . જ્યારે એક વર્ષ પહેલા ઓગસ્ટમાં મોંઘવારી દર 8.01 ટકા હતો . આ માટે સૌથી વધારે ચિંતા ખાદ્ય મોંઘવારીના દર અંગે હતી . જે 18.18 ટકા રહ્યો હતો . આ ઉપરાંત ડૉલરની સરખામણીએ નબળા પડતા જતા રૂપિયાને મજબૂત કરવાનો પડકાર પણ રઘુરામ રાજન સામે છે ." entertainment,"એવું પહેલીવાર બની રહ્યું છે જયારે યે હૈ મોહબતે સ્ટારે પોતાની હોટ ફોટો સોશ્યિલ મીડિયા પર શેર કરી હોય . અહીં અમે યે હૈ મોહબતે સ્ટાર રોશની વિશે વાત કરી રહ્યા છે . યે હૈ મોહબતે સીરિયલમાં આદિત્ય ભલ્લાની પત્નીની ભૂમિકા નિભાવનાર રોશની એટલે કે વિદિશા શ્રીવાસ્તવ ઘ્વારા ઇન્સ્ટાગ્રામ પર બોલ્ડ ફોટો શેર કરવામાં આવી છે , જેને તમે જોતા જ રહી જશો . યે હૈ મોહબતે સીરિયલમાં વિદિશા ખુબ જ સિમ્પલ જોવા મળે છે પરંતુ રિયલ લાઈફમાં આવું બિલકુલ પણ નથી . જો વિદિશા વિશે વાત કરવામાં આવે તો તેને સીરિયલમાં યે હૈ મોહબતે ઘ્વારા પોતાનો ડેબ્યુ કર્યો હતો . સલમાન ખાનની વિદેશી સ્ટારે સનસની મચાવી , બોલ્ડ ફોટો વાયરલ પરંતુ વિદિશા શ્રીવાસ્તવ સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો પ્રખ્યાત ચેહરો છે . રિયલ લાઈફમાં વિદિશા શ્રીવાસ્તવ ફરવાનું ખુબ જ પસંદ કરે છે . એટલું જ નહીં પરંતુ તે બોલ્ડ રહેવું પણ પસંદ કરે છે . તેની ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ આ વાતનો પુરાવો આપે છે . તો એક નજર કરો સોશ્યિલ મીડિયા પર વાયરલ થતી ટીવી સ્ટારની બોલ્ડ તસવીરો પર . . . ." business,"રિલાયન્સ જિઓ ઈન્ફોકોમના બિઝનેસ હેડ ( પૂર્વ ભારત ) તરૂણ ઝુનઝુનવાલાના કહેવા મુજબ અમે અમારી આ સેવા સૌથી પહેલા કોલકાતામાં શરૂ કરવા માંગીએ છીએ . ત્યારબાદ દેશના અન્ય મેટ્રો શહેરો દિલ્હી , મુંબઈ અને જામનગરમાં એક સાથે સેવા શરૂ કરાશે . આ મહાનગરોમાં આ સેવા અમે 2014ના પહેલા ક્વાર્ટરમાં શરૂ કરીશું . ઝુનઝુનવાલાએ કહ્યું છે કે અમે આ ટેક્નોલોજી અત્યંત પરવડી શકે એવી કિંમતે સામાન્ય લોકોનાં ઘર સુધી લઈ જવાના છીએ . તેમણે જો કે આ સર્વિસની કિંમતની વિગતો જણાવી નથી . કંપની તેની 4G સેવાઓ ગ્રાહકોને પરવડી શકે તેથી તેને સપોર્ટ કરે એવા ડિવાઈસીસ પણ આપશે . આ માટે તે ઉત્પાદકો સાથે મસલત કરી રહી છે . 4G સેવાઓ સ્માર્ટ ફોન , સ્માર્ટ ટેલિવિઝન , ઈન્ટરનેટ ડોંગલ્સ અને ટેબ્સ ઉપર ઉપલબ્ધ થાય એવી ધારણા છે ." entertainment,"રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અભિનેત્રી ડૉલી અહલુવાલિયા કે જેમણે વિકી ડૉનરમાં એફરવર્સેંટ મધરનો રોલ કર્યો હતો , તેઓ પોતાની આગામી ફિલ્મ બજાતે રહોમાં લીડ રોલમાં દેખાશે . ફિલ્મની સ્ક્રિપ્ટ તેમની આસપાસ ફરે છે . પચાસ વર્ષીય ડૉલીએ એક નિવેદનમાં જણાવ્યું કે તેઓ પોતાની ઉપર ગર્વ અનુભવે છે કે ફિલ્મની વાર્તા તેમની ઉપર કેન્દ્રિત છે . શશાંત શાહ દિગ્દર્શિત બજાતે રહો ફિલ્મ અંગે ડૉલીએ જણાવ્યું - શશાંત એક કુશળ દિગ્દર્શક છે અને તેઓ કલાકારોની ક્ષમતા અંગે જાણે છે . બજાતે રહો ફિલ્મમાં તુષાર કપૂર , વિશાખા સિંહ , રવિ કિશન , વિનય પાઠક , કમલેશ ગિલ તથા રણવીર શૌરી સાથે દેખાનાર છે ડૉલી અહલુવાલિયા . ડૉલી મિસિસ બવેજાનો ચાવીરૂપ રોલ કરી રહ્યાં છે . ડૉલીએ જણાવ્યું - હું ફિલ્મનું કૉન્સેપ્ટ સાંભળી સાતમા આસમાને હતી . સાથે જ હું નર્વસ પણ હતી કે શશાંતે આવા રોલ માટે મારી ઉપર ભરોસો મૂક્યો . આ રોલ કરવો સરળ નહોતો , પણ હું સન્માનિત અનુભવતી હતી . નોંધનીય છે કે ઇરોઝ ઇંટરનેશનલ તથા મલ્ટી સ્ક્રીન મીડિયા મોશન પિક્ચર્સ નિર્મિત બજાતે રહો ફિલ્મ આગામી 26મી જુલાઈના રોજ રિલીઝ થશે ." sports,"બર્મિંઘમ , 3 સપ્ટેમ્બરઃ - ટેસ્ટ શ્રેણીમાં ખરાબ પ્રદર્શન કર્યા બાદ વનડે શ્રેણીની બીજી અને ત્રીજી વનડેમાં શિખર ધવન પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યો હતો , પરંતુ બર્મિંઘમ ખાતે રમાયેલી ચોથી મેચમાં તેણે પોતાના લાક્ષણિક અંદાજમાં બેટિંગ કરીને ટીકાકારોને જવાબ આપી દીધો છે . બર્મિંઘમમાં ઇંગ્લેન્ડે 207 રનનો લક્ષ્યાંક આપ્યો હતો અને અજિંક્ય રહાણે સારું બેટિંગ કરી રહ્યો હતો , જેના કારણે શિખર ધવનને પોતાનું ફોર્મ મેળવવાની તક મળી હતી અને તેણે એ તકને અવસરમાં બદલી પણ નાંખી હતી . ઇંગ્લેન્ડને નવ વિકેટથી હરાવીને 3 - 0થી શ્રેણી ભારતે પોતાના નામે કર્યા બાદ શિખર ધવને બીસીસીઆઇ ટીવી સાથે વાત કરી હતી અને જણાવ્યું હતું કે તે કેવી રીતે પોતાના ફોર્મમાં પરત ફર્યો . તો ચાલો તસવીરો થકી શિખર ધવનના ઇન્ટરવ્યુંને વાંચીએ . pagespeed . lazyLoadImages . overrideAttributeFunctions ( ) ; function googleAnalyticsCodeCommon ( ) { var main _ url = $ ( ' link [ rel = "" canonical "" ] ' ) . attr ( "" href "" ) ; var url = document . location . href ; var pattern = ' https : / / ' + window . location . hostname ; url = url . replace ( pattern , "" "" ) ; var title = document . title ; ga ( "" oneindiagu . send "" , { hitType : "" pageview "" , page : url , location : main _ url } ) ; ga ( "" rosoneindia . send "" , { hitType : "" pageview "" , page : url , location : main _ url } ) ; ga ( "" dhoneindia . send "" , { hitType : "" pageview "" , page : url , location : main _ url } ) ; url = document . location . href ; var jcode = ' var _ comscore = _ comscore | | [ ] ; var comscoreParams = { c1 : "" 2 "" , c2 : "" 7732551 "" , c3 : "" "" , c4 : "" ' + url + ' "" , c5 : "" "" , c6 : "" "" , c15 : "" "" } ; _ comscore . push ( comscoreParams ) ; var s = document . createElement ( "" script "" ) , el = document . getElementsByTagName ( "" script "" ) [ 0 ] ; s . async = true ; s . src = ( document . location . protocol = = "" https : "" ? "" https : / / sb "" : "" http : / / b "" ) + "" . scorecardresearch . com / beacon . js "" ; el . parentNode . insertBefore ( s , el ) ; ' ; setTimeout ( jcode , 500 ) ; var _ qevents = _ qevents | | [ ] ; ( function ( ) { var elem = document . createElement ( ' script ' ) ; elem . src = ( document . location . protocol = = "" https : "" ? "" https : / / secure "" : "" http : / / edge "" ) + "" . quantserve . com / quant . js "" ; elem . async = true ; elem . type = "" text / javascript "" ; var scpt = document . getElementsByTagName ( ' script ' ) [ 0 ] ; scpt . parentNode . insertBefore ( elem , scpt ) ; } ) ( ) ; _ qevents . push ( { qacct : "" p - yjta2aSVPaHEL "" } ) ; window . google _ analytics _ uacct = "" UA - 110466 - 73 "" ; } આ પણ વાંચોઃ - તમે જ નક્કી કરોઃ કોણ શ્રેષ્ઠ સુકાની , ધોની કે ગાંગુલી ? ચોથી વનડેઃ ભારત સામે 207 રનનો લક્ષ્યાંક આ પણ વાંચોઃ - વનડે સ્પેશિઅલિસ્ટ ક્લબમાં સુરેશ રૈનાની એન્ટ્રી pagespeed . lazyLoadImages . overrideAttributeFunctions ( ) ;" entertainment,"બૉલીવુડના સૌથી ચર્ચાસ્પદ અને લાંબાગાળાથી જેની રાહ જોવાય છે તેવા લગ્ન માટે હવે દુલ્હને પણ રજા લઈ લીધી છે . એટલે કે તેણે હનીમુન બ્રેક લઈ લીધો છે . હા જી , તમે બરાબર સમજ્યાં કે અમે કરીના કપૂરની વાત કરી રહ્યાં છીએ કે જેણે આવતાં એક મહીના સુધી કામ ન કરવાનો નિર્ણય કર્યો છે . કરીનાએ પોતાની ફિલ્મોની ડેટ્સ આગળ વધારી દીધી છે . તેના આ નિર્ણયથી તેના દિગ્દર્શકો પણ તેનાથી નારાજ નથી કારણ કે સૌને ખબર છે કે કરીના કામ પ્રત્યે ઘણી સમર્પિત રહે છે . તેથી સૌએ તેને સરળતાપૂર્વક રજા આપી દીધી છે . કરીનાની આવનારી ફિલ્મ છે તલાશ ( જુઓ તસવીરો ) . કરીના હવે પોતાની આ આવનારી ફિલ્મ તલાશના પ્રમોશનમાં નજરે પડશે નહિં . આ ફિલ્મમાં તેના હીરો આમિર ખાન છે . તલાશ ફિલ્મ નવેમ્બરમાં રિલીઝ થવાની છે . ફિલ્મમાં કરીનાએ વૈશ્યાનું પાત્ર ભજવ્યું છે . તમને જણાવી દઇએ કે સૈફ અલી ખાન અને કરીના કપૂર આગામી 16મી ઑક્ટોબરે લગ્ન કરવાનાં છે . જોકે આ અગાઉ કરીનાએ પણ જણાવ્યુ હતું કે લગ્ન તો માત્ર ઔપચારિકતા છે કે જે અમે નિભાવવા જઈ રહ્યાં છીએ . તે અને સૈફ તો છેલ્લા પાંચ વરસથી પતિ - પત્ની તરીકે સાથે જ રહે છે ." business,"દિવાળી પહેલાં સોના અને હીરાના ભાવમાં વધારો થવાની પ્રબળ શક્યતા છે . જેના કારણે સોનાના ઘરેણા મોંઘા થશે એવી ધારણા વ્યક્ત કરવામાં આવી છે . સોનાની માગ વધવાથી છેલ્લા એક સપ્તાહમાં સોનાનું પ્રીમિયમ પણ ત્રણ ગણું વધ્યું છે . તેને લીધે ભારતીય બજારમાં સોનાના ભાવ વધ્યા છે . ડાયમંડ ટ્રેડિંગ કંપનીએ પણ રફ ડાયમંડના ભાવ બે - ત્રણ ટકા વધાર્યા છે . જેની સીધી અસર સ્થાનિક બજારમાં હીરા અને સોનાના ભાવ પર પડશે . બજારમાં સોનાની ઉપલબ્ધતા ઘટી છે . બેન્કો 30 સપ્ટેમ્બરથી 6 ઓક્ટોબર સુધી બંધ હતી . તેને લીધે સોનાના પુરવઠા પર અસર પડી છે . બેન્કો સોનાની ડિલિવરી લેવાનું ચાલુ કરશે ત્યારે પ્રીમિયમમાં થોડો ઘટાડો થશે , પરંતુ તહેવારોને કારણે સોનાની માંગમાં મોટો ઘટાડો જોવા નહીં મળે . ઓછી ઉપલબ્ધતાને કારણે સ્થાનિક બજારમાં સોનું મોંઘું બન્યું છે . વૈશ્વિક ભાવ પણ પ્રતિ ટ્રોય ઔંસ 1,180 ડોલરથી વધીને 1,230 ડોલર ચાલે છે . સેન્ટિમેન્ટ પ્રોત્સાહક હોવાથી ચાલુ વર્ષે સોનાની માંગ ગયા વર્ષની તુલનામાં ઊંચી રહેશે . જેમ એન્ડ જ્વેલરી એક્સ્પોર્ટ પ્રમોશન કાઉન્સિલના ચેરમેન વિપુલ શાહે જણાવ્યું હતું કે ડીટીસીના રફ ડાયમંડના ભાવમાં 2 - 3 ટકાનો વધારો નોંધાયો છે . જ્યારે રશિયન ગૂડ્ઝની માગ તાજેતરમાં 2 - 5 ટકા વધી છે . તેને લીધે ડાયમંડ જ્વેલરીના ઉત્પાદન ખર્ચમાં વધારો થશે અને તહેવારોમાં ડાયમંડ જ્વેલરીના ભાવમાં વૃદ્ધિ તરફી જોક જોવા મળશે ." sports,"1 જૂનથી ઇંગ્લેન્ડમાં યોજાનાર ચેમ્પિયન્સ ટ્રોફી ટુર્નામેન્ટ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે . 15 સભ્યોની આ ટીમનું નેતૃત્વ વિરાટ કોહલીને સોપવામાં આવ્યું છે . ટીમ ઇન્ડિયામાં મનિષ પાંડે અને મોહમ્મદ શામીની વાપસી થઇ છે . ટીમ ઇન્ડિયા આઇસીસીની બીજી મોટી ટૂર્નામેન્ટ ચેમ્પિયન્સ ટ્રોફીનો 1 જૂનથી ઇંગ્લેન્ડમાં પ્રારંભ થશે . ભારત પોતાની પ્રથમ મેચ 4 જૂનના રોજ પાકિસ્તાન સામે રમશે . ગ્રુપ Aમાં ટીમ ઓસ્ટ્રેલિયા , ઈંગ્લેન્ડ , ન્યુઝિલેન્ડ અને બાંગ્લાદેશનો સમાવેશ થાય છે . સેમિ - ફાઇનલનો મુકાબલો 14 અને 15 જૂન તથા ફાઇનલ મેચ 18 જૂનના રોજ રમાશે . ગ્રુપ Bમાં ભારતની મેચો !" entertainment,"હાલમાં જ આપણે બધા એ બિગબોસ 10નો પ્રોમો જોયો હવે , ખબર આવી રહી છે બિગબોસ 10ના પહેલા એપિસોડ વિશે . મળતી માહિતી મુજબ બિગબોસ 10નો પહેલો એપિસોડ 16 ઓક્ટોબરે આવી રહ્યો છે અને દરેક સીઝનની જેમ સલમાન ખાન જ આ સીઝન હોસ્ટ કરશે . આપણે જણાવી દઈએ કે આ સીઝનમાં સેલિબ્રિટી સાથે સાથે આમ આદમી પણ જોવા મળશે . આ વખતના બધા જ કન્ટેસ્ટન્ટને પસંદ પણ કરી લેવામાં આવ્યા છે . બિગબોસ 10નો પ્રોમો જેમાં સલમાન ખાન એસ્ટ્રોનોટનો ડ્રેસ પહેરીને નજરમાં આવી રહ્યાં છે તે ખરેખરમાં સુંદર લાગી રહ્યું છે . રાધે માં વિષે આ 30 વાતો તમે ભાગ્યે જ જાણતા હશો આમ આદમી સાથે સાથે કઈ કઈ સેલિબ્રિટીઝ હશે તે પણ જાણવું ખુબ જ રસપ્રદ રહશે . મળતી માહિતી મુજબ આ સીઝનમાં વિવાદોમાં રહેનાર સેલિબ્રિટીઝ જોવા મળી શકે છે . તો આજે અમે આપણે બતાવવા જઈ રહ્યા છે કેટલાક એવા ચેહરાઓ જે ખુબ જ વધારે વિવાદમાં રહ્યા હતા ." business,"બુધવારે પણ શેર બજારમાં ઉછાળો જોવા મળ્યો અને પ્રારંભિક કારોબારમાં સેન્સેક્સે 400 પોઈન્ટની છલાંગ લગાવી જ્યારે નિફ્ટીએ 10,700 ના આંકડાને પાર કરી ગયો . હાલમાં સેન્સેક્સ 401 પોઈન્ટના વધારા સાથે 35,563 ના સ્તરે કારોબાર કરી રહ્યો છે . વળી , નિફ્ટી 120 પોઈન્ટના ઉછાળા સાથે 10,705 ના સ્તરે કારોબાર કારોબાર કરી રહ્યો છે . બુધવારે રૂપિયામાં પણ સામાન્ય સુધારો જોવા મળ્યો છે . આ પણ વાંચોઃ પાકિસ્તાનઃ લાહોરની જેલમાં માસૂમ જૈનબના હત્યારાને ફાંસીએ લટકાવાયો આ પહેલા મંગળવારે સેન્સેક્સ 297.38 પોઈન્ટના વધારા સાથે 35 હજારને પાર અને નિફ્ટી 72.25 પોઈન્ટના વધારા સાથે 35,004.33 પર જ્યારે નિફ્ટી 37.65 પોઈન્ટના ઉછાળા સાથે 10,550 પોઈન્ટ પર ખુલ્યો હતો . સેન્સેક્સે છેલ્લા કેટલાક દિવસોમાં વધારો મેળવ્યો છે જેના કારણે શેર બજારમાં રોનક જોવા મળી રહી છે . આ પણ વાંચોઃ સબરીમાલા પર સંગ્રામઃ દક્ષિણમાં પગપેસારો કરવાનો ભાજપ માટે સારો મોકો રૂપિયાની શરૂઆત આજે સામાન્ય વધારા સાથે થઈ છે અને તે 73.34 પર ખુલ્યો . જો કે બાદમાં તે 73.43 સુધી પહોંચી ગયો . થોડી વાર બાદ ફરીથી રૂપિયો ડૉલરના મુકાબલે 5 પૈસા વધીને 73.41 ના સ્તરે ખુલ્યો છે જે છેલ્લા 2 સપ્તાહનું સૌથી ઉંચુ સ્તર છે . રૂપિયો મંગળવારે ડૉલરના મુકાબલે 73.47 પર બંધ થયો હતો ." entertainment,"સમાચાર આવ્યા હતાં કે બાલાજી મોશનના પ્રમુખ એકતા કપૂર કે જેઓ કોઈનું નથી સાંભળતાં , તેમણે અચાનક જ પોતાની ફિલ્મ વન્સ અપૉન ઍ ટાઇન ઇન મુંબઈ અગેનની ડેટ એક સપ્તાહ આગળ વધારી દીધી અને તે પણ શાહરુખના કહેવા પર . આ વાત કોઈને હજમ નહોતી થતી . તેથી ફિલ્મી પંડિતોએ મૂળ કારણ શોધવાના પ્રયત્ન કર્યાં અને વિશ્વાસ કરો કે હકીકત સાચે જ સામે આવી ગઈ . સમાચાર આવી રહ્યાં છે કે એકતાએ આ બધુ પોતાના મિત્ર કરણ જૌહરના કહેવા પર કર્યું છે . કરણ જૌહર એક સફળ ફિલ્મકાર છે . માર્કેટને સારી પેઠે સમજે છે . તેથી તેમણે બિઝનેસના પાસાએથી એકતાને સમજાવવાની કોશિશ કરી કે જો બે મોટી ફિલ્મો એક જ દિવસે રિલીઝ થશે , તો તેનાથી કોઈને પણ ફાયદો નહિં થાય . આ વાત એકતા કપૂર સમજી ગયાં અને તેમણે પોતાની વન્સ અપૉન ઍ ટાઇમ ઇન મુંબઈ અગેન ફિલ્મની ડેટ એક સપ્તાહ આગળ ખસેડી નાંખી . હવે શાહરુખની ચેન્નઈ એક્સપ્રેસ ફિલ્મ 8મી ઑગસ્ટે અને અક્ષય કુમાર અભિનીત ઓયૂટીઆઈએમએ ફિલ્મ 15મી ઑગસ્ટે રિલીઝ થશે . આમ કરણે પોતાના બંને મિત્રોને પોતાની કુનેહથી નુકસાનમાંથી ઉગારી લીધાં . ચેન્નઈ એક્સપ્રેસમાં શાહરુખ ખાન સાથે દીપિકા પાદુકોણે છે , જ્યારે ઓયૂટીઆઈએમએમાં અક્ષય કુમાર સાથે સોનાક્ષી સિન્હા તેમજ ઇમરાન ખાન છે . નોંધનીય છે કે અગાઉ એવા સમાચાર આવ્યા હતાં કે શાહરુખે ઓયૂટીઆઈએમએના નિર્માતા એકતાના પિતા જિતેન્દ્ર સાથે વાત કરી હતી કે તેઓ ફિલ્મની રિલીઝ ડેટ આગળ વધારી દ્યો . જિતેન્દ્રે સમયનો તકાજો સમજ્યો અને બંને ફિલ્મોને ધ્યાનમાં લઈ નિર્ણય કર્યો કે તેઓ પોતાની ફિલ્મ એક સપ્તાહ બાદ રિલીઝ કરશે . શાહરુખે દિલથી જિતેન્દ્રનો આભાર વ્યક્ત કર્યો અને જણાવ્યું કે તેમણે વરિષ્ઠ હોવાના નાતે મોટાપણું નિભાવ્યું , પણ આ કિસ્સાની પાછળ જિતેન્દ્ર નહિં , બલ્કે કરણ જૌહર હતાં ." business,તેમણે જણાવ્યું કે ઇ વેસ્ટમાં એવા ઇલેક્ટ્રિકલ અથવા ઇલોક્ટ્રોનિક સાધનો આવે છે જેને બિનઉપયોગી સમજીને નાખી દેવામાં આવે છે . આ મુદ્દે તેમણે પશ્ચિમી દેશની ટીકા કરતા જણાવ્યું કે તેમની રૂચિ ભારત સાથે માત્ર વ્યાપાર કરવાની છે . તેમણે આ ઉપરાંત વિશ્વના અન્ય ભાગોના વપરાશકારો પર ઇ વેસ્ટને કારણે થનારા પર્યાવરણના પ્રભાવને પણ સમજવા જોઇએ . સિબલે જણાવ્યું કે પશ્ચિમી દેશો ઉદારીકરણ અને વૈશ્વિક વ્યાપારને પ્રોત્સાહિત કરે છે . તેઓ વિશ્વના અન્ય દેશોને વેરાઓ ઓછા કરવા માટે સમજાવે છે . જેથી તેઓ ભારતને પોતાના ઉત્પાદનો ઓછી કિંમતે ઉપલબ્ધ કરાવી શકે . તેમણે જણાવ્યું કે વર્તમાન સમયમાં ભારતના 90 ટકા ઉપકરણો બહારથી આયાત કરેલા છે . અહીં તેમને માત્ર એસેમ્બલ કરવામાં આવે છે . વાસ્તવમાં ભારતમાં કોઇ સ્થાનિક ઇલેક્ટ્રોનિક્સ નિર્માણ એકમ નથી . business,"સીરિયસ ફ્રોડ ઇન્વેસ્ટિગેશન ઑફિસ ( SFIO ) એ ભૂષણ સ્ટીલના ભૂતપૂર્વ ચીફ ફાઇનાન્સ ઓફિસર નીતિન જોહરીની ધરપકડ કરી છે . ઘણી બેંકોમાં બનાવટી દસ્તાવેજોની રજૂઆત સહિત અન્ય ફ્રોડ પ્રવૃત્તિઓમાં સામેલ થવા બદલ ધરપકડ કરવામાં આવી છે . તેઓ ભૂષણ સ્ટીલની બાબતો અને બેંકો અને નાણાંકીય સંસ્થાઓ પાસેથી ફંડ ભેગું કરવાની બાબતો જોઈ રહ્યા હતા . 2016 - 17 સુધીમાં જોહરી કંપનીના નાણાકીય વ્યવસાયમાં હસ્તાક્ષરો કરનારાઓમાં સામેલ હતા . સૂત્રોએ જણાવ્યું હતું કે એસએફઆઈઓની તપાસમાં જાણવા મળ્યું છે કે જોહરીના કાર્યકાળ દરમિયાન કંપનીમાં ઘણી ગડબડીઓ થઇ છે . તેમાં ખાતા અને નાણાંકીય હિસાબીમાં ગડબડી આ ઉપરાંત વધારી - ચઢાવી માલ ભંડાર દર્શાવવાનું શામેલ છે , જેથી વધુ કાર્યકારી મૂડી લઇ શકાય . ભૂષણ સ્ટીલના ભૂતપૂર્વ સીએફઓ બે દિવસ માટે કસ્ટડીમાં ભૂષણ સ્ટીલના ભૂતપૂર્વ સીએફઓ લેટર ઓફ ક્રેડિટ ( LOC ) દ્વારા છેતરપિંડીમાં સામેલ હતા . આ એલઓસી ઘણી બેંકોમાં નકલી દસ્તાવેજોને જમા કરીને પ્રાપ્ત કરવામાં હતી . ભૂષન સ્ટીલએ તેના લોન ખાતાઓને બેન્ક દ્વારા એનપીએ જાહેર કરવાથી બચવા માટે કાર્યકારી મૂડીની સુવિધાનો લાભ લીધો . ભૂતપૂર્વ સમયના નિદેશક રહેલા જોહરીની ધરપકડ કર્યા પછી , તેમને 2 દિવસ માટે એસએફઆઈઓની કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે . એક નજરમાં જોહરી પર આરોપ - જોહરીએ ભૂષણ સ્ટીલમાંથી બેંકો અને નાણાકીય સંસ્થાઓ માટે ભંડોળ એકત્રિત કરવાનું કામ કરતા હતા . નાણાકીય વર્ષ 2016 - 17 સુધીમાં , તે કંપનીના ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ પર હસ્તાક્ષર કરવા માટે અધિકૃત હતા . - એસએફઆઈઓની તપાસમાં , એવું જાણવા મળ્યું છે કે જોહરીના કાર્યકાળ દરમિયાન ભૂષણ સ્ટીલના એકાઉન્ટ્સ અને નાણાકીય નિવેદનોની હેરફેર સહિતના ઘણા ફ્રોડ થયા હતા . તેમની પર લેટર ઓફ ક્રેડિટ દ્વારા હેર - ફેર કરવાનો પણ આરોપ છે . - જોહરીએ નાણાકીય વર્ષ 2014 - 15થી લઈને એક નિશ્ચિત સમયમાં 20,000 કરોડ રૂપિયાના લેટર ઓફ ક્રેડિટ નકલી દસ્તાવેજોના આધાર પર જારી કરાવ્યા . આ રીતે ભૂષણ સ્ટીલએ કાર્યકારી મૂડી ઊભી કરી જેથી લોન એનપીએ જાહેર ન થાય . સૂત્રોના જણાવ્યા મુજબ ઉધાર , રોકાણ અને દેવા અંગેની સમિતિના ડિરેક્ટરના બોર્ડમાં જોહરી શામેલ હતા ." sports,પોતાની વિસ્ફોટક બેટિંગથી દર્શકોને રોચાંચિત કરનાર બેસ્ટમેન યુસુફ પઠાણે બુધાવારે એટલે કે હોળીના દિવસે દામ્પત્ય જીવનના તાંતણે બંધાઇ ગયા છે . યુસુફ પઠાણે ગઇકાલે એક પારિવારીક સમારંભમાં પોતાની પત્ની સાથે નવી ઇનિંગ શરૂ કરી છે . 30 વર્ષીય હરફનમૌલા ક્રિકેટર યુસુફ પઠાણે આફરીન સાથે ગત વર્ષે વડોદરાથી 60 કિમી દૂર નડિયાદમાં પોતાના ફાર્મહાઉસ પર એક સમારોહમાં સગાઇ કરી હતી . આ વૈવાહિક સમારોહ દરમિયાન નાનો ભાઇ ઇરફાન પઠાણ પણ હાજર હતો . યુસુફ પઠાણની જીવનસંગિનીનો જન્મ અને પાલન - પોષણ મુંબઇમાં થયું છે પરંતુ વડોદરામાં તે ફિઝીયોથેરેપીની પ્રેક્ટિસ કરે છે . આ અરેન્જ મેરેજ હતા અને બંને પરિવારોની રજામંદી બાદ બંનેના લગ્ન નક્કી કરાયા હતા . આંતરરાષ્ટ્રીય મેચો અને ઇન્ડિયન પ્રિમિયર લીગ ( આઇપીએલ ) માં વિસ્ફોટક ઇનિંગ રમીને દર્શકો અને પ્રશંસકોને ખુશ કરી દેનાર યુસુફ પઠાણ થોડા સમયથી ટીમ ઇન્ડિયાથી બહાર છે . યુસુફ પઠાણ 57 વન - ડે મેચ રમ્યો છે જેમાં તેને 810 રન બનાવ્યા છે . જેમાં 2 સદી ફટકરી અને ત્રણ અર્ધશતક ફટકાર્યા છે . જ્યારે ટ્વેન્ટી - 20માં 22 મેચ રમ્યો છે અને કુલ 236 રન બનાવ્યા છે . sports,"નવી દિલ્હી , 7 ઓક્ટોબર : ભાગ્યના ધનવાન ગણવામાં આવતા ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન કૂલ એમ એસ ધોનીનના બેટ પર કોઇ પણ કંપનીએ પોતાનું સ્ટીકર લગાવવું હોય તો તેની કિંમત કેટલી છે તે આપ જાણો છો ? આપને જણાવી દઇએ કે આ કિંમત 8 કરોડ રૂપિયા છે . આટલી અધધધ કિંમત હોવા છતાં ધોનીના બેટ પર પોતાની કંપનીનું સ્ટીકર લગાવવા માટે કંપનીઓ વચ્ચે હોડ જામી છે . દેશના અગ્રણી અખબાર ટીઓઆઇના અહેવાલ અનુસાર કેપ્ટનના બેટ માટેની સ્પોન્સરશિપ માટેની રકમ અંગે કંપનીઓ વચ્ચે ભારે રસાકસી છે . બીજી તરફ ધોની પણ પોતે નિર્ધારિત કરેલી રકમથી ઓછી રકમ લેવા માટે ટસના મસ થઇ રહ્યા નથી . સ્પોન્સરશિપ ઉપરાંત જો કંપનીઓ કોઇ પણ પ્રકારના મર્ચન્ડાઇઝની ડીલ કરવા માંગે છે તો આ માટે તેમણે અલગ રકમની ચૂકવણી કરવી પડશે . આપને જાણીને નવાઇ લાગશે કે વર્તમાન સમયમાં ધોની 23 બ્રાન્ડના બ્રાન્ડ એમ્બેસેડર છે . તેઓ આ દરમિયાન અન્ય કંપનીઓનો પણ પ્રચાર કરે છે . ધોનીની બ્રાન્ડ વેલ્યુને જોતા કંપનીઓ મોં માંગી રકમ આપીને તેમની સાથે કરાર કરે છે . જેમાં પ્રોડક્ટના વેચાણ પર તેમને રોયલ્ટી પણ ચૂકવવામાં આવે છે . કહેવાય છે કે આ પ્રકારના કરાર ઐતિહાસિક છે . નોંધનીય છે કે ચેમ્પિયન્સ લીગ દરમિયાન ધોનીના બેટ પર કોઇ સ્ટીકર ન હતું . 10 ઓક્ટોબરથી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે એક વન ડે સીરીઝ રમાનારી છે . તે પહેલા આ કરાર થઇ જશે ." sports,"બેંગ્લોર , 22 ઑગસ્ટઃ ઇંગ્લેન્ડમાં પહેલી બે ટેસ્ટ મેચો દરમિયાન વિરાટ કોહલીને તેમની પ્રેમિકા અનુષ્કા શર્માને સાથે રાખવાની પરવાનગી આપવા માટે બીસીસીઆઇ દ્વારા ટીમ મેનેજમેન્ટને એવું કારણ જણાવ્યું હતું કે જે સાંભળીને ટીમ મેનેજમેન્ટ પણ હચમચી ગયું હતું . બીસીસીઆઇના એક અધિકારીએ પોતાનું નામ જણાવ્યા વગર મેઇલ ટૂડેને જણાવ્યું હતું કે વિરાટ કોહલી પોતાની પ્રેમિકા અને બૉલિવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા સાથે ટૂંક સમયમાં લગ્ન કરવાની યોજના બનાવી રહ્યાં છે , તેથી તેમને સાથે રહેવા દેવામાં આવે . ઇંગ્લેન્ડ સામે પૂર્ણ થયેલી ટેસ્ટ શ્રેણીમાં ખરાબ પ્રદર્શન કરવા બદલ વિરાટ કોહલી સહિત તમામ ખેલાડીઓની આકરી ટીકા કરવામાં આવી રહી છે અને ખરાબ પ્રદર્શન પાછળ તેમની પત્નીઓ અને પ્રેમિકા જવાબદાર હોવાનું બીસીસીઆઇ માની રહી છે . વિરાટ કોહલીનું સૌથી ખરાબ પ્રદર્શન રહ્યું હતું . તેણે 10 ઇનિંગમાં માત્ર 134 રન જ બનાવ્યા હતા . નોંધનીય છેકે , જ્યારથી અનુષ્કા સાથે રહેવાની મંજુરી બોર્ડ દ્વારા વિરાટ કોહલીને આપવામાં આવી હોવાની વાત મીડિયામાં ફેલાઇ હતી ત્યારથી બોર્ડ અને કોહલીની બન્નેની ટીકાઓ ક્રિકેટ વિશેષજ્ઞો દ્વારા કરવામાં આવી હતી અને જે રીતે કોહલીએ ટેસ્ટમાં પ્રદર્શન કર્યું છે , તેના કારણે કોહલી અને અનુષ્કાની સોશિયલ નેટવર્કિંગ સાઇટમાં ખિલ્લી પણ ઉડાડવામાં આવી રહી છે . વિરાટ કોહલી અને અનુષ્કા વચ્ચે બીસીસીઆઇ બન્યુ ‘એક વિલન ' ‘ધ વૉલ ' પર BCCIની નજર , દ્રવિડ લેશે ફ્લેચરનું સ્થાન ? ટીમ ઇન્ડિયાના ડિરેક્ટર રવિ શાસ્ત્રીની 12 અજાણી વાતો" sports,"આઇપીએલ 10 સિઝનની આજે 43મી મેચ છે , જે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે આ મેચ હાલ બેંગલોરના ખચાખચ ભરેલા ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઇ રહી છે . ત્યારે આ મેચની તમામ લેટેસ્ટ માહિતી જાણવા માટે આ પેજને રિફ્રેશ કરતા રહો . અહીં અમે તમને આ મેચની તમામ અપડેટ આપતા રહીશું . UPDATE : કિંગ્સ ઇલેવન પંજાબઃ માર્ટિન ગુપ્ટિલ , હાશિમ અમલા , મનન વોહરા , શોન માર્શ , ગ્લેન મેક્સવેલ ( કેપ્ટન ) , રિદ્ધિમાન સહા , સંદીપ શર્મા , ટી . નટરાજન , અક્ષર પટેલ , મોહિત શર્મા , વરૂણ એરોન , રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર : વિરાટ કોહલી ( કેપ્ટન ) , ક્રિસ ગેલ , એબી ડી વિલિયર્સ , પવન નેગી , સેમ્યુઅલ બદ્રી , અનિકેત ચૌધરી , શ્રીનાથ અરવિંદ , યુજવેન્દ્ર ચહલ , મનદિપ સિંહ , શેન વોટસન , કેદાર જાધવ" business,"ભારતમાં તમામ પ્રકારની ફિક્સ ડિપોઝિટના વ્યાજ કરપાત્ર છે . માત્ર ટેક્સ ફ્રી બોન્ડ અને પબ્લિક પ્રોવિડન્ડ પંડના વ્યાજ પર કર લાગતો નથી . રિકરિંગ ડિપોઝિટ કરપાત્ર છે ? હા , રિકરિંગ ડિપોઝિટ કરપાત્ર છે . રિકરિંગ ડિપોઝિટનું વ્યાજ કુલ રકમમાં ઉમેરવામાં આવે છે અને તેના પર ટેક્સની ગણતરી કરવામાં આવે છે . આ સમજવા માટે એક ઉદાહરણ જોઇએ . દાખલા તરીકે આપે રિકરિંગ ડિપોઝિટ ખોલાવી છે . જેમાં આપ દર મહિને રૂપિયા 20,000 જમા કરાવો છો . જો નાણાકીય વર્ષના અંતમાં આપ તેમાંથી વાર્ષિક રૂપિયા 12,000નું વ્યાજ મેળવો છો તો આ 12,000 રૂપિયા આપની આવકમાં ઉમેરવામાં આવશે અને ત્યાર બાદ તેના પર કરની ગણતરી કરવામાં આવશે . તેનો અર્થ એમ થયો કે જો આપની વાર્ષિક આવક રૂપિયા 4 લાખ છે ત્યારે આપની તમામ રિકરિંગ સહિત તમામ એફડીનું વ્યાજ આવકમાં ઉમેરવામાં આવશે . આમ આપની કુલ આવક 4,12,000 થશે . આ કારણે આપની કરપાત્ર આવક 4.12 લાખ થશે . નહીં કે માત્ર રૂપિયા 4 લાખ . શું રિકરિંગ ડિપોઝિટમાં રોકાણ કરવું જોઇએ ? રિકરિંગ ડિપોઝિટમાં રોકાણ કરવું જોઇએ કે નહીં તેનો નિર્ણય કેટલીક બાબતો પર નિર્ભર છે . જેમ કે આપને રૂપિયા 2.4 લાખ સુધીની કાર લેવી છે . તેના માટે આપ રકમ જમા કરવા માંગો છો . તો આપ 12 મહિના સુધી દર મહિને રૂપિયા 20,000 જમા કરી શકો છો . આ નિર્ણય ખૂબ સમજી વિચારીને લેવો પડે એમ છે કારણ કે એક વાર રિકરિંગ ચાલુ કરાવ્યા બાદ તેમાં એક મહિનાનું રોકાણ આવતા મહિને કરી શકાશે નહીં . જો આપ ઉંચા ટેક્સ બ્રેકેટ જેમ કે 20 ટકા કે 30 ટકામાં આવતા હોવ તો રિકરિંગ ડિપોઝિટ આપને મોંઘી પડી શકે છે . આ કારણે રિકરિંગ ડિપોઝિટ આપની જરૂરિયાતને આધારે લાભદાયી છે ." entertainment,"ફિલ્મ બ્લ્યુના દિગ્દર્શક એન્થૉની ડિસૂઝા પોતાની તાજેતરમાં જ રિલીઝ થયેલી બૉસ ફિલ્મને મળતા હકારાત્મક પ્રત્યાઘાતથી ચમત્કૃત છે . હવે તેઓ હવાઈ કારનામાઓ પર આધારિત ફિલ્મ બનાવવા જઈ રહ્યાં છે . ડિસૂઝાએ જણાવ્યું - આ મારો પોતાનો વિચાર છે . આ વિચાર મારા હૃદયની બહુ નજીક છે અને હું પોતાની રીતે આ ફિલ્મ બનાવવા માંગુ છું . હું ખુશ ચું કે બૉસને દર્શકોએ સ્વીકારી . પોતાના કરતાં હું પોતાના પત્ની માટે વધુ ખુશ છું કે જેણે ત્રણ વર્ષ અનિશ્ચિતતાઓ વચ્ચે પસાર કર્યાં . મારા આઠ વર્ષના પુત્રને પણ બૉસ ગમી . તેમણે જણાવ્યું - મને લાગે છે કે અક્ષય કુમાર અને હું બને બાળપણથી જ અમિતાભ બચ્ચની ફિલ્મો જોતા મોટા થયાં છીએ અને આ ફિલ્મ અમારા દ્વારા તે વખતના સિનેમાને શ્રદ્ધાંજલિ છે . તેમણે જણાવ્યું - બ્લ્યુની નિષ્ફળતા બાદ મેં વ્યવાસિયક ફિલ્મોનો રુખ કર્યો . મેં બ્લ્યુ દ્વારા કંઈક નવું કરવાની કોશિશ કરી , પણ હું નિષ્ફળ નિવડ્યો . એન્થૉની ડિસૂઝા પોતાની નવી શરુઆત અને સફળતા બદલ બૉસ ફિલ્મના નાયક અક્ષય કુમાર પ્રત્યે આભાર વ્યક્ત કરવાનું નથી ચૂકતાં . બૉસમાં અક્ષય ઉપરાંત અદિતી રાવ હૈદરી અને શિવ પંડિત પણ છે ." entertainment,"રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ સ્ત્રી 10 દિવસમાં 82.29 કરોડ રૂપિયાનું કલેક્શન કરી ચુકી છે . આ વાતમાં કોઈ જ શંકા નથી કે વિકેન્ડ સુધી આ ફિલ્મ 100 કરોડ ક્લબમાં એન્ટ્રી કરી લેશે . આ ફિલ્મ વર્ષ 2018 દરમિયાન સૌથી વધુ નફો કરતી ફિલ્મમાં ટોપ 4 ફિલ્મોમાં શામિલ થઇ ચુકી છે . આ વાતમાં કોઈ જ શંકા નથી કે આ વર્ષ નાના બજેટની ફિલ્મોનું રહ્યું છે . આ રાજકુમાર રાવના કરિયરની પહેલી સોલો બ્લોકબસ્ટર ફિલ્મ છે . જયારે શ્રદ્ધા કપૂર માટે પણ આ ફિલ્મની સફળતા ખુબ જ અગત્યની છે . વર્ષ 2016 દરમિયાન આવેલી બાગી ફિલ્મ પછી શ્રદ્ધા કપૂરની બધી જ ફિલ્મો એવરેજ કરતા પણ નીચે રહી છે . સાડીમાં સૌથી સેક્સી લાગે છે આ હિરોઈન , સલમાન પણ જોતો જ રહી ગયો બોક્સઓફિસ વિશે વાત કરવામાં આવે તો પદ્માવત થી શાનદાર શરૂઆત પછી લગભગ દર મહિને કોઈ એક ફિલ્મ 100 કરોડ ક્લબમાં એન્ટ્રી લઇ ચુકી છે . વર્ષ 2018 દરમિયાન પદ્માવત અને સંજુ ફિલ્મે 300 કરોડ ક્લબમાં એન્ટ્રી કરી છે . વર્ષ 2018 બોક્સઓફિસ મામલે અત્યારસુધીમાં સૌથી શાનદાર રહ્યું છે . અહીં જાણો 2018 માં સૌથી વધુ પ્રોફિટ કરનાર ફિલ્મો -" business,દેશની સૌથી મોટી સાર્વજનિક બેંક ભારતીય સ્ટેટ બેંક એટલે કે SBI તેના ગ્રાહકો માટે એક સારી ખબર લઇને આવ્યું છે . બેંકે ગુરુવારે નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાંસફર ( NEFT ) અને રિયલ ટાઇમ ગ્રોસ સેટલમેન્ટ ( RTGS ) ની લેતીદેતીની ફીમાં 75 ટકાનો કાપ કર્યો છે . બન્ને સેવાઓ પર બેંકનો આ કાપ 15 જુલાઇથી લાગુ થશે . બેંકોનું કહેવું છે કે આ કાપ તેના ઇન્ટરનેટ બેંકિગ અને મોબાઇલ બેંકિગ સેવાઓની લેવડ દેવડ પર પણ લાગુ થશે . એસબીઆઇના એમડી રજનીશ કુમારે કહ્યું કે એનઇએફટી અને આરટીજીએસની લેવડ દેવડ પર લાગતી ફી અમે ઓછી કરી લીધી છે આ પગલું અમે બેકિંગ અને મોબાઇલ બેંકિગને આગળ વધારવા માટે લીધુ છે . એટલું જ નહીં બુધવારે ભારતીય સ્ટેટ બેંકે 1000 રૂપિયા સુધીની ત્વરિત ચૂકવણી સેવા ( IMPS ) ફંડ ટ્રાંસપરની પણ ફી નીકાળી દીધી હતી . માનવામાં આવી રહ્યું છે બેંક આવું એટલા માટે કરી રહી છે કે જેના કારણે ડિઝિટલ લેતી દેતી વધે . જો કે તમામ નાણાંકીય લેવડ દેવડ પર 18 ટકા જીએસટી લાગશે . business,અમદાવાદઃ પેટ્રોલ - ડીઝલની કિંમતો ઘટવાનું નામ નથી લઈ રહી . મંગળવારે ફરી પેટ્રોલની કિંમતોમાં વધારો ઝીંકાયો છે . અમદાવાદમાં આજે પેટ્રોલ 14 પૈસાના વધારા સાથે 81.97 રૂપિયાની સપાટી પર પહોંચી ગયું છે . જ્યારે ડીઝલ પણ 11 પૈસાના ભાવ વધારા સાથે 79.55 રૂપિયાની સપાટી પર પહોંચી ગયું છે . છેલ્લા 1 મહિનાથી પેટ્રોલ - ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે . વિપક્ષના વિરોધ છતાં સરકાર પેટ્રોલ - ડીઝલની કિંમતો નાથી ન શકી . દિલ્હીમાં પેટ્રોલની કિંમતો 25 પૈસાના વધારા સાથે 82.86 રૂપિયા પ્રતિ લીટરની સપાટી પર પહોંચી ગયું છે જ્યારે ડીઝલ 15 પૈસાના વધારા સાથે 74.12 રૂપિયા પ્રતિ લીટરની સપાટી પર પહોંચી ગયું છે . જ્યારે મુંબઈમાં પેટ્રોલ 14 પૈસાના વધારા સાથે લીટર દીઠ 9.22 રૂપિયાની સપાટીને વટાવી ગયું છે જ્યારે ડીઝલ 11 પૈસાના ભાવ વધારા સાથે 78.69 રૂપિયાની સપાટી પર પહોંચી ગયું છે . આ પણ વાંચો - પીએમ મોદી - અમિત શાહ શિવરાજના ચૂંટણી કેમ્પેઈનને વેગ આપવા આજે ભોપાલમાં ઈસ્લામ અને નમાઝ માટે મસ્જિદ જરૂરી છે ? સુપ્રીમ કોર્ટમાં આવશે ફેસલો business,"અનેકવાર આપને એવી જરૂર ઉભી થઇ હશે કે એક જ મ્યુચ્યુઅલ ફંડ કંપનીની એક સ્કીમમાંથી બીજી સ્કીમમાં ટ્રાન્સફર કરવું પડે . આમ કરવાના અનેક કારણો છે . એક કારણ એ છે કે આપ આપની પાસે જે મ્યુચ્યુઅલ ફંડ છે અથવા તો તેની સ્કીમ છે તેનાથી સંતુષ્ટ નથી , એટલે આપ બદલવા માંગો છો . કેટલીક વાર એવું પણ બને કે આપની જોખમ લેવાની ક્ષમતામાં વધઘટ થાય , જેના કારણે આપ સ્કીમ બદલવા માંગતા હોવ . જેના કારણે આપ ઇક્વિટી સ્કીમમાંથી ડેબ્ટ સ્કીમમાં જવા ચાહતા હોવ . આવા અનેક કારણ છે જેના કારણે આપ ફેરફાર કરવા ઇચ્છો છે . આ ફેરફાર કરતા સમયે આપના માટે સૌથી મહત્વની બાબત એ રહે છે કે જોખમનું સંતુલન જળવાઇ રહે અને વળતર પર કોઇ નકારાત્મક અસર ના પડે . આ બાબત ધ્યાનમાં રાખીને આપ મ્યુચ્યુઅલ ફંડની એક સ્કીમમાંથી બીજી સ્કીમમાં ટ્રાન્સફર કેવી રીતે મેળવી શકો છો તે જાણવા આગળ ક્લિક કરો . . ." sports,"ટી20 ક્રિકેટનુ એક એવું ફોર્મેટ છે જેમાં આપણને ધમાકેદાર અને વિસ્ફોટક બેટિંગનો નજારો જોવા મળે છે . 17 ફેબ્રુઆરી 2005થી શરૂ થયેલા આ ક્રિકેટ ફોર્મેટે અત્યારસુધી અનેક એવા સિતારાઓ આપ્યા છે , જેઓ પોતાના વિસ્ફોટક અંદાજના કારણે ખાસ ટી20 સ્પેશિયલિસ્ટ બેટ્સમેન પણ કહેવાય છે . આ ક્રિકેટનો નજારો ત્યારે જોવા જેવો હોય છે , જ્યારે એક ક્રિકેટર બોલરની ધોલાઇ કરતો હોય અને છગ્ગા ચોગ્ગાનો વરસાદ કરતો હોય . તમને 2007ના દક્ષિણ આફ્રિકામાં રમાયેલા ટી20 વિશ્વકપની ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની મેચ તો યાદ જ હશે , જેમાં યુવરાજ સિંહે સ્ટૂઅર્ટ બ્રોડની એક ઓવર સળંગ છ છગ્ગા ફટકારીને રેકોર્ડ બનાવી નાંખ્યો હતો . યુવરાજ સિંહને ત્યારથી ટી20 ફોર્મેટનો ઘાતક બેટ્સમેન કહેવામાં આવે છે , યુવી ઉપરાંત બ્રેન્ડન મેક્કુલમ અને શાહિદ આફ્રિદી પણ આવા જ ખતરનાક બેટ્સમેન છે , તો ચાલો તસવીરો થકી એ 10 ખેલાડીઓ અંગે જાણીએ જેમણે ટી20 ક્રિકેટમાં સર્વાધિક છગ્ગા ફટકાર્યા છે . pagespeed . lazyLoadImages . overrideAttributeFunctions ( ) ; function googleAnalyticsCodeCommon ( ) { var main _ url = $ ( ' link [ rel = "" canonical "" ] ' ) . attr ( "" href "" ) ; var url = document . location . href ; var pattern = ' https : / / ' + window . location . hostname ; url = url . replace ( pattern , "" "" ) ; var title = document . title ; ga ( "" oneindiagu . send "" , { hitType : "" pageview "" , page : url , location : main _ url } ) ; ga ( "" rosoneindia . send "" , { hitType : "" pageview "" , page : url , location : main _ url } ) ; ga ( "" dhoneindia . send "" , { hitType : "" pageview "" , page : url , location : main _ url } ) ; url = document . location . href ; var jcode = ' var _ comscore = _ comscore | | [ ] ; var comscoreParams = { c1 : "" 2 "" , c2 : "" 7732551 "" , c3 : "" "" , c4 : "" ' + url + ' "" , c5 : "" "" , c6 : "" "" , c15 : "" "" } ; _ comscore . push ( comscoreParams ) ; var s = document . createElement ( "" script "" ) , el = document . getElementsByTagName ( "" script "" ) [ 0 ] ; s . async = true ; s . src = ( document . location . protocol = = "" https : "" ? "" https : / / sb "" : "" http : / / b "" ) + "" . scorecardresearch . com / beacon . js "" ; el . parentNode . insertBefore ( s , el ) ; ' ; setTimeout ( jcode , 500 ) ; var _ qevents = _ qevents | | [ ] ; ( function ( ) { var elem = document . createElement ( ' script ' ) ; elem . src = ( document . location . protocol = = "" https : "" ? "" https : / / secure "" : "" http : / / edge "" ) + "" . quantserve . com / quant . js "" ; elem . async = true ; elem . type = "" text / javascript "" ; var scpt = document . getElementsByTagName ( ' script ' ) [ 0 ] ; scpt . parentNode . insertBefore ( elem , scpt ) ; } ) ( ) ; _ qevents . push ( { qacct : "" p - yjta2aSVPaHEL "" } ) ; window . google _ analytics _ uacct = "" UA - 110466 - 73 "" ; } આ પણ વાંચોઃ - વિશ્વ ક્રિકેટનો અનોખો ચહેરોઃ પ્રેમ અને સ્કેન્ડલ વનડે , ટેસ્ટ અને ટી20માં આ ખેલાડીઓની છે શાનદાર સ્ટ્રાઇક રેટ આ પણ વાંચોઃ - રવિ શાસ્ત્રીએ કર્યો કોચ ફ્લેચરનો બચાવ , ગણાવ્યા ‘પિતા તુલ્ય ' pagespeed . lazyLoadImages . overrideAttributeFunctions ( ) ;" sports,"નવી દિલ્હી , આઇપીએલ - 6માં સ્પૉટ ફિક્સિંગમાં ધરપકડ કરવામાં આવેલા ભારતીય ક્રિકેટર અને ફાસ્ટ બોલર એસ શ્રીસંત અંગે દિલ્હી પોલીસે દાવો કર્યો છે કે જે સમયે શ્રીસંતની ધરપકડ કરવામાં આવી હતી ત્યારે તે નશામાં ચૂર હતો અને તેને દારૂ પીધેલો હતો . શ્રીસંતને મુંબઇના કાર્ટર રોડ પર આવેલી એક ફાઇવ સ્ટાર હોટલની નીચે તેની એસયૂવી ગાડીમાંથી ઝડપી પાડવામાં આવ્યો હતો ત્યારે તેની સાથે એક છોકરી પણ હતી . શ્રીસંતને જ્યારે દિલ્હી પોલીસના લોકો ધરપકડ કરી રહ્યાં હતા ત્યારે તે બૂમરાડ કરવા લાગ્યો અને તેમને કેરલ અને મહારાષ્ટ્ર મુખ્યમંત્રી સાથે સંબંધ હોવાનો દાવો કર્યો હતો . પરંતુ દિલ્હી પોલીસના અધિકારી પોતાનું ઓળખપત્ર બતાવ્યું તો તે ચૂપ થઇ ગયો . ત્યારબાદ શ્રીસંતે પોતાનો મોબાઇલ ફોન તેમને આપતાં કહ્યું હતું કે તમે આમની સાથે ( મુખ્યમંત્રી ) વાત કરી લો . શ્રીસંત આઇપીએલ - 6માં મેચ ફિક્સિંગના આરોપમાં ગુરૂવારે સવારે મુંબઇથી ધરપકડ કરવામાં આવી હતી . તેની સાથે રાજસ્થાન રોયલ્સ ના અન્ય બે ખેલાડી ( અંકિત ચૌહાણ અને અજીત ચંદેલિયા ) ને પણ સ્પૉટ ફિક્સિંગના આરોપમાં ધરપકડ કરવામાં આવ્યાં છે . આ કેસમાં કુલ 12 બુકીઝની પણ ધરપકડ કરવામાં આવી છે ." business,આજકાલ દરેક વ્યક્તિના મોઢા પર એક જ નામ છે અને તે છે રિલાયન્સ જીયો . મુકેશ અંબાણીએ એજીએમ કાર્યલયથી રિલાયન્સ જીયોના ફાયદોઓ વિષે લોકોને જાણકારી આપી હતી . જીયોના ગ્રાહકો માટે તમામ કોલ્સ સંપૂર્ણ પણે મફત રહેશે . જીયોના ગ્રાહકોને વાઇસ કોલ માટે પૈસા આપવાની જરૂર નહીં પડે . BSNL પણ ગ્રાહકને આકર્ષવા માટે તૂટી પડ્યું છે . BSNL પણ ગ્રાહકને સારી એવી સુવિધા આપવા જઈ રહ્યું છે . Jioની સાથે BSNLએ પણ અન્ય મોબાઇલ ઓપરેટર્સની ઉંઘ ઉરાડી દીધી છે . 50 રૂપિયામાં 1 GB સુધી 4G ડેટા આપવાના રિલાયન્સ જિયોના દાવાના એક દિવસ પછી જ સરકારી ટેલીકોમ કંપની BSNLએ મોટી જાહેરાત કરી છે . આ કંપની 1.20 રૂપિયામાં એક જીબી ડેટા આપશે . બીએસએનએલે હવે ફક્ત 9 રૂપિયાના માસિક ભાડે અનલિમિટેડ બ્રોડબ્રેંડ સુવિધા આપવાની તૈયારી કરી લીધી છે . એક જીબી ડેટા યૂજ થાય ત્યાં સુધી 2 એમબીપીસ રહેશે . ત્યારબાદ એક એમબીપીએસ મળશે . રિલાયન્સ જીયોએ ટેલિકોમ કંપનીઓમાં સારી એવી હરીફાઈ શરૂ કરી દીધી હોય તેમ લાગી રહ્યું છે . આ હરીફાઈથી ગ્રાહકોનો ફાયદો ચોક્કસથી થઇ જશે . entertainment,"મુંબઈ , 15 સપ્ટેમ્બર : આમિર ખાનને ટ્રેંડસેટર કહેવામાં આવે છે અને લાગે છે કે કેટલાક લોગો આ વાતને ખૂબ ગંભીરતાથી લઈ લે છે . કંઇક આવુ જ થયું તાજેતરમાં કે જ્યારે આમિર ખાનની ફિલ્મ પીકેના ન્યુડ પોસ્ટરની કૉપી કરતા એક સી ગ્રેડની ફિલ્મ ઓકેનું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું . ઓકે ફિલ્મના પોસ્ટરમાં એક્ટ્રેસને ટ્રેનના પાટે ન્યુડ ઉભેલી દર્શાવાઈ છે અને તેણે ગળે કૅમેરો પકડી રાખ્યો છે . જોકે છુકરીએ સ્કર્ટ પહે્યુ છે , પણ ઉપરનો ભાગ સમ્પૂર્ણ ન્યુડ છે . ઓકે ફિલ્મના પોસ્ટરને જોઈ લોકો હતપ્રભ છે . લોકોને વિશ્વાસ નથી થતો કે આ પ્રકારની હરકત પણ કોઈ કરી શકે છે અને તે પણ મહિલા કલાકાર . જે દિવસથી પીકેનું પોસ્ટર રિલીઝ થયું છે , તે દિવસથી લોકોના મગજમાં એક જ પ્રશ્ન ઉપસે છે કે શું કોઈ ફીમેલ કલાકાર આ પ્રકારનું પોસ્ટર રિલીઝ કરી શકે ? શું આમિર ખાનની જેમ કોઈ આટલો મોટો પ્રયોગ કરી શકે ? આ સવાલોનો જવાબ ઓકે ફિલ્મના પોસ્ટર દ્વારા આપવામાં આવ્યો છે . ઓકે ફિલ્મના દિગ્દર્શક કાંતિ શાહ છે અને આ ફીમેલ કલાકારનું નામ પૂનમ રૉય છે . ઓક ફિલ્મની વાર્તા એક વેશ્યાના જીવન પર આધારિત છે . કાંતિ શાહ બી ગ્રેડ ફિલ્મો માટે જાણીતા છે . ચાલો તસવીરો સાથે જાણીએ વધુ વિગતો :" entertainment,"આપને જણાવી દઈએ કે સની લિયોન ખુબ જ જલ્દી "" ભાભીજી ઘર પર હૈ "" માં આવી રહી છે . સની લિયોને આ માટે શૂટિંગ પણ ચાલુ કરી દીધું છે . પરંતુ આ વખતે ફરી એકવાર સની લિયોન ચર્ચામાં આવી ગયી છે . ખબર આવી છે કે સની લિયોને ભાભીજી ઘર પર હૈ નો ફેમસ ડાયલોગ "" સહી પકડે હૈ "" બોલવાની ના પાડી દીધી છે . સની લિયોને સ્ક્રીપટને પણ બદલવાની માંગ કરી . ખરેખરમાં સની લિયોનનું કહેવું હતું કે સહી પકડે હૈ બોલતી વખતે તેનો કંઈક અલગ જ મતલબ કાઢવામાં આવશે . ત્યારપછી સિરિયલની ટીમે સની લિયોનને તેમના પતિને સમજાવ્યું કે આ ડાયલોગ સિરિયલમાં કેટલો અગત્યનો છે અને કેટલો ફેમસ છે . ત્યારપછી આખરે સની લિયોન આ ડાયલોગ બોલવા માટે તૈયાર થઇ અને બોલી પણ નાખ્યો . આપને જણાવી દઈએ કે આ પહેલા પણ સની લિયોન રિયાલિટી શૉમાં દેખાઈ ચુકી છે . રિપોર્ટ મુજબ ભાભીજી ઘર પર હૈ માં સની ખુબ તેના જ રોલમાં દેખાશે . સિરિયલમાં સની લિયોન એક ડાયરેક્ટર સાથે હીરોની શોધમાં જશે . આપને જણાવી દઈએ કે ખાલી અંગુરી ભાભી જ નહીં . પરંતુ બેઈમાન લવના ડાયરેક્ટર પણ સની લિયોનના ખુબ જ વખાણ કરે છે . તેમનું કહેવું છે કે સની લિયોનમાં મેનસ્ટ્રીમ અભિનેત્રી બનવાની પુરી ક્ષમતા છે ." business,"ગુરુવારે શેરબજાર 800 પોઈન્ટથી વધુ તુટ્યુ અને ડૉલરની સામે રૂપિયો પણ 73.81ના ઐતિહાસિક સ્તરે પહોંચી ચૂક્યો છે . શેર બજાર અને રૂપિયાની કિંમત છેલ્લા કેટલાક દિવસથી સતત ઘટી રહી છે . આ પહેલા 21 સપ્ટેમ્બરે શેર બજારમાં એક જ કલાકમાં 1500 અંકનો કડાકો થયો હતો , જો કે બાદમાં બજાર કમબેક થયું હતું . માર્કેટના આ વલણ પાછળ ઘણાબધા કારણ હોઈ શકે છે . પરંતુ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિઝીંગ એન્ડ ફાઈનાન્સિયલ સર્વિસિઝ એટલે કે IL & FSનું સંકટ દેશમાં તૂટતા બજારનું કારણ મનાઈ રહ્યું છે . આ કંપનીમાં એલઆઈસીનો સૌથી વધુ 25.34 ટકા હિસ્સો છે . કહેવાઈ રહ્યું છે કે જો IL & FS ડૂબશે તો દેશમાં હાહાકાર થશે . આ ઘટનાને ભારતનું લેહમેન સંકટ પણ કહેવાઈ રહી છે ." entertainment,આજે ચારે તરફ ખાલી ને ખાલી સુલતાન ની જ વાત થઈ રહી છે . આખરે સલમાન ખાનની ફિલ્મ સુલતાન આજે રિલીઝ થઈ ચુકી છે . સલમાન ખાને સુલતાન ફિલ્મ ઘ્વારા તેના ફેન્સને ગિફ્ટ આપી છે . સુલતાન ફિલ્મ અલી અબ્બાસે ડાયરેક્ટ કરી છે . આ ફિલ્મમાં સલમાન ખાન સાથે અનુષ્કા શર્મા અને રણદીપ હૂડાનો પણ અગત્યનો રોલ છે . સુલતાનનો પહેલો શો જબરજસ્ત રહ્યો તેના બધા જ શો પણ હાઉસફુલ થઈ ચુક્યા છે . આ ફિલ્મ સલમાન ખાનના ફેન્સ સાથે સાથે બોલિવૂડની બીજી બધી સેલેબ્રીટીઓને પણ ખૂબ જ પસંદ પડી છે . સુલતાન ફિલ્મ રિવ્યૂ : કેમ જોવી જોઈએ સલમાન ખાનની સુલતાન ? સુલતાનના કેટલાક સીન એવા છે જેના પર ખૂબ જ તાળીઓ પણ પડી છે . લોકોએ તે સીનને ખૂબ જ મજા પણ માણી છે . તો જાણો એવા કયા સીન છે આ ફિલ્મમાં જે તમને ખૂબ જ સારું મનોરંજન પૂરું પાડી શકે છે . business,"ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે મત ગણતરી શરૂ થઇ ચૂકી છે . સવારે 8 વાગ્યાથી શરૂ થયેલ મત ગણતરીના રૂઝાન પણ સામે આવી રહ્યાં છે . શરૂઆતમાં ભાજપ આગળ હતું , પરંતુ ધીરે - ધીરે મોટી ઉથલ - પાથલ જોવા મળી હતી . કેટલીક બેઠકોએ અપક્ષ તો કેટલીક બેઠકો પર કોંગ્રેસ આગળ જોવા મળ્યું છે . ચૂંટણી પરિણામોના આ પ્રારંભિક વલણની અસર શેર બજારમાં પણ જોવા મળી છે . પ્રારંભિક ટ્રેન્ડમાં ભાજપ પાછળ રહેતાં શેર બજાર 600થી વધુ પોઇન્ટથી તૂટ્યું હતું . સેનસેક્સ 600.51 પોઇન્ટ ડાઉન ગયું હોવાના સમાચાર હતા . હાલ નિફ્ટી 10,134.35 પર છે . જો કે , ધીરે - ધીરે ભાજપ ફરી આગળ થતાં શેર બજારમાં પણતેજી જોવા મળી હતી . ભાજપ આગળ આવતાં સેન્સેક્સમાં 200 પોઇન્ટનો ઉછાળો નોંધાયો હતો . સેન્સેક્સમાં ઘટાડો નોંધાયો એ સમયે કોંગ્રેસ 88 બેઠકો પર આગળ હતું અને ભાજપ 72 બેઠકો પર . વર્તમાન સમયમાં ગુજરાત અને હિમાચલ પ્રદેશ , બંને રાજ્યોમાં ભાજપ આગળ છે . વર્તમાન સમયમાં ગુજરાત બેઝ્ડ શેર સારો વેપાર કરી રહ્યાં છે . અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડના શેર્સમાં 2.23 ટકા તેજી નોંધાઇ છે . ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડમાં 1.01 ટકા અને ટોરંટ પાવર લિમિટેડમાં 0.45 ટકા તેજી જોવા મળી છે . ટોરંટ ફાર્માસ્યુટિકલ્સ લિ . 1 . 50 ટકા તેજી , કેડિલા હેલ્થકેર લિ . 0 . 90 ટકા તેજી અને ગુજરાત ગેસ લિ . માં 0.01ની મંદી જોવા મળી છે . ઉલ્લેખનીય છે કે , રાજકારણીય પરિસ્થિતિની અસર ઘણીવાર વેપાર અને શેર બજાર પર જોવા મળે છે . લોકસભા ચૂંટણી સમયે પણ પરિણામોના વલણને આધારે શેર બજારમાં મોટી ઉથલ - પાથલ જોવા મળી હતી . જો કે , વિશેષજ્ઞોનું કહેવું છે કે , આ ઉથલ - પાથલ ક્ષણવારની કે ટેમ્પરરી પણ હોઇ શકે છે . રાજકારણમાં આખરી પરિણામ ન આવે ત્યાં સુધી કંઇ પણ કહેવું અઘરું છે . આમ છતાં , ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામોની સીધી અસર શેર બજાર પર શરૂઆતથી જ જોવા મળી રહી છે ." business,"1 જુન PF ધારકો માટે ખુશખબર લઈને આવી રહ્યું છે . 1 જુનથી PF ઉપાડવા પર મોટો બદલાવ થવા જઈ રહ્યો છે . ખરેખર સરકારે PF ઉપાડવા પર બદલાવ કર્યો છે કે 1 જુનથી 50,000 રૂપિયા સુધીની PF ઉપાડવા પર કોઈ જ ટેક્સ નહી લાગુ પડે . એટલે કે 50,000 સુધી કોઈ જ પ્રકારની કાપકૂપ નહી કરવામાં આવે . સરકારે ટીડીએસ કાપવા માટે પીએફ ઉપાડવાની મર્યાદા 30,000 રૂપિયાથી વધારીને 50,000 રૂપિયા સુધી કરી દીધી છે . 1 જુનથી પીએફ માં થવાવાળા આ બદલાવથી કર્મચારીઓને રાહત મળશે . આ નિયમ મુજબ જો તમે 5 વર્ષના સમયગાળા પછી પીએફ ના પૈસા ઉપાડો છો તો તમારે કોઈ જ ટેક્સ નહી આપવો પડે . આપણે જણાવી દઈએ કે હાલના નિયમ મુજબ પીએફ પર 10 ટકાના દરે ટીડીએસ કાપવામાં આવે છે ." entertainment,"પોતાના વાયદા પ્રમાણે બૉલીવુડ અભિનેતા સંજય દત્ત ગઈકાલે કમાલિસ્તાન સ્ટુડિયો પહોંચ્યા ફિલ્મ પોલીસગિરીના સેટ ઉપર . સંજય દત્તે ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધું છે . સુપ્રીમ કોર્ટે સંજય દત્તને મુંબઈ બૉમ્બ ધડાકા કેસમાં આર્મ્સ એક્ટ હેઠળ 5 વરસની સજા ફરમાવી છે અને તેમને 4 અઠવાડિયામાં આત્મસમર્પણ કરવાનો આદેશ કર્યો છે . આ મુદ્દત 18મી એપ્રિલે પૂર્ણ થતા અગાઉ સંજય દત્તે પોતાની અધૂરી ફિલ્મોનું શૂટિંગ ખતમ કરવાનો વાયદો કર્યો હતો . સંજય દત્તે શૂટિંગની શરુઆત ગઈકાલથી કરી . તેઓ ઘરેથી નિકળ્યાં અને કમાલિસ્તાન સ્ટુડિયો પહોંચ્યાં . ત્યાં તેમણે પોલીસગિરી ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું , પરંતુ તેમના ચહેરા ઉપરથી વાસ્તવિક પોલીસગિરી લગભગ ઉડી ચુકેલી દેખાઈ . પોલીસગિરી ફિલ્મની જૂની તસવીરોમાં સંજય દત્તના ચહેરા પર જે પોલીસગિરી દેખાઈ આવતી હતી , તે ગઈકાલના શૂટિંગ દરમિયાન જણાતી નહોતી . એવું લાગતું હતું જાણે સંજય દત્ત ઉપર સવાર થયેલ ગમનો બોઝો તેમના કાર્ય ઉપર પણ અસર નાંખી રહ્યું હતું . આવો પોલીસગિરીના સેટ ઉપર પહોંચેલા સંજય દત્તને જોઇએ તસવીરોમાં ." sports,"ભારતમાં ચેમ્પિયન્સ લીગ ટી20 2014નો આજથી આગાઝ થઇ રહ્યો છે . ભારતની ચેન્નાઇ સુપર કિંગ્સ , કિંગ્સ ઇલેવન પંજાબ અને કોલકતા નાઇટ રાઇડર્સ સહિત અનેક દેશોની ટી20 લીગ ટીમો ભારતમાં ચેમ્પિયન્સ લીગમાં ભાગ લઇ રહી છે અને આ વર્ષનું ટાઇટલ પોતાના નામે કરવાના પોતાના અભિયાનની શરૂઆત કરશે . પહેલી મેચ હૈદરાબાદ ખાતે ચેન્નાઇ અને કોલકતા વચ્ચે રમાઇ રહી છે . ચેન્નાઇની વાત કરવામાં આવે તો ચેન્નાઇની ટીમમાં અનેક એવા ખેલાડીઓ છેકે જેઓ વિસ્ફોટક ખેલાડી તરીકે જાણીતા છે . તો કોલકતામાં પણ બાજીને પલ્ટી નાંખવાનો દમ ધરાવતા બેટ્સમેન છે . ટી20 ક્રિકેટનો ફિવર વિશ્વભરમાં ફરીથી છવાઇ રહ્યો છે , ત્યારે એ જાણવાની બધાને ઉત્સુકતા રહે છેકે કયા ખેલાડી દ્વારા સૌથી વધું રન બનાવવામાં આવ્યા છે , જોકે આજે અમે અહીં જે ખેલાડીઓ અંગે વાત કરી રહ્યાં છીએ તેઓ માત્ર ચેમ્પિયન્સ લીગમાં જ નહીં પરંતુ તમામ ટી20 ક્રિકેટમાં પોતાના બેટ વડે બોલર્સ પર વાવાઝોડાની માફક ત્રાટક્યા છે . અહીં 10 એવા દેશોના આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ અંગે માહિતી આપી રહ્યાં છીએ જે દેશો ટેસ્ટ ક્રિકેટ રમી રહ્યાં છે . આ ખેલાડીઓએ તમામ પ્રકારની ટી20માં શાનદાર પ્રદર્શન કર્યું છે અને રનનો પહાડ ઉભો કર્યો છે . તો ચાલો તસવીરો થકી જાણીએ કે આ યાદીમાં ટોચ પર કોણ આવે છે ." entertainment,"મુંબઈ , 21 જાન્યુઆરી : બૉલીવુડમાં છેલ્લા એક વર્ષમાં સૌથી વધુ ચર્ચામાં રહેલી કોઈ જોડી હોય , તો તે રણબીર કપૂર અને કૅટરીના કૈફની જોડી છે . પડદા ઉપર ફિલ્મોની વધુ સંખ્યા નહીં ધરાવતી આ જોડી ઑફસ્ક્રીન ખૂબ જ ચર્ચામાં છે અને તે પણ તેમના લવ - અફૅરના પગલે . પરંતુ આ જોડી હવે રૂપેરી પડદે કમબૅક કરી રહી છે . અનુરાગ કશ્યપ દિગ્દર્શિત ફિલ્મ જગ્ગા જાસૂસમાં રણબીર કપૂર સાથે કૅટરીના કૈફની જોડી બનશે . રણબીર - કૅટની જોડીની આ ત્રીજી ફિલ્મ હશે . એટલું જ નહીં , દર્શકોને પાંચ વરસ બાદ આ જોડી ફરીથી પડદા ઉપર જોવાની તક મળશે . રણબીર કપૂર અને કૅટરીના કૈફની જોડી અત્યાર સુધી બે જ ફિલ્મોમાં ચમકી છે . તેમની પહેલી ફિલ્મ હતી અજબ પ્રેમ કી ગઝબ કહાની કે જે સફળ ફિલ્મ હતી , તો બીજી ફિલ્મ રાજનીતિ હતી . 2010માં આવેલી રાજનીતિમાં બંનેએ સાથે કામ કર્યું , પરંતુ આ ફિલ્મ જોડી પર આધારિત ફિલ્મ ન હોવાથી રણબીર - કૅટની જોડીની ખાસ નોંધ લેવાઈ નહીં . આવો તસવીરો સાથે જોઇએ રણબીર - કૅટ અને જગ્ગા જાસૂસની વધુ વિગતો :" business,"ભારતીય રિઝર્વ બેંક તરફથી નોટબંધી અંગેના આંકડાઓ જાહેર થયાના એક દિવસ બાદ જ જીડીપીના આંકડાઓ પણ સામે આવ્યા છે . વર્ષ 2017 - 18ના 30 જૂનના રોજ સમાપ્ત થયેલ પહેલા ક્વોર્ટરમાં જીડીપી ગ્રોથ 5.7 ટકા રહ્યો છે . આ પરથી કહી શકાય કે , જીડીપીમાં મોટો ઘટાડો નોંધાયો છે . વાર્ષિક દીઠ જોઇએ તો એપ્રિલ - જૂન 2016ના ક્વોર્ટરમાં જીડીપી ગ્રોથ 7.9 ટકા હતા . જીડીપીમાં નોધાયેલ આ ઘટાડાને નોટબંધી સાથે જોડવામાં આવી રહ્યો છે . આરબીઆઇની વેબસાઇટ પર જાહેર થયેલ આંકડાઓ અનુસાર , 1000 રૂપિયાની કુલ 670 કરોડ ચલણી નોટોમાંથી 8.9 કરોડ નોટો પરત નથી આવી . આ પરથી કહી શકાય કે , 1000 રૂ . ની નોટોમાંથી 8.9 હજાર કરોડ રૂપિયા પાછા નથી આવ્યા . 15 . 44 લાખ કરોડ રૂપિયામાંથી 15.28 લાખ કરોડ રૂપિયા આરબીઆઇ પાસે પરત આવ્યા છે , એટલે કે 99 ટકા રૂપિયા પરત આવી ગયા છે . આ પરથી એમ પણ કહી શકાય કે , કાળું નાણું બહાર લાવવાની નોટબંધીની રીત ખાસ સફળ નથી રહી ." entertainment,"વર્ષ 1995ની બેસ્ટ લવ સ્ટોરી દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે આજે પણ બેસ્ટ છે . અરે એવું અમે નથી કહેતાં . ઇંગ્લૅન્ડની સૌથી મોટી પે - પર - વ્યૂ કમ્પની દ્વારા કરાવવામાં આવેલ ઑનલાઇન વૉટિંગનું આ તારણ છે . હિન્દી સિનેમાના સો વર્ષ પૂર્ણ થવા પ્રસંગે પે - પર - વ્યૂ કમ્પનીએ ઑનલાઇન મતદાન કરાવ્યું હતું . તેમાં સૌથી વધુ વોટિંગ એટલે કે 47 ટકા મત દિલવાલે દુલ્હનિયા લે જાયેંગેને મળ્યાં છે . ડીડીએલજે ફિલ્મે નંબર વનની પૉઝિશન 1951માં બનેલી રાજ કપૂરની આવારા , 1957માં રિલીઝ થયેલ મહેબૂબ ખાનની મધર ઇન્ડિયા તથા 1975માં આવેલ રમેશ શિપ્પીની શોલે જેવી ફિલ્મોને મહ્તા આપી હાશલ કરી છે . નોંધનીય છે કે દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે આદિત્ય ચોપરા દિગ્દર્શિત પ્રથમ ફિલ્મ હતી . નિર્માતા યશ ચોપરા હતાં . આ રોમાંટિક ડ્રામા અંગે યશ ચોપરાએ જણાવ્યુ હતું કે ફિલ્મનો હીરો હીરોઇનને ભગાડીને નથી લઈ જતો , પણ તેના ઘરના લોકોની સંમતિથી અપનાવે છે . તેથી જ આ ફિલ્મ લોકોને ગમી છે . સિલ્વર સ્ક્રીન ઉપર રાજ - સિમરન એટલે કે શાહરુખ ખાન અને કાજોલને બેસ્ટ લવર બનાવનાર આ ફિલ્મ ભારતીય સિનેમાની અમર ફિલ્મ થઈ ગઈ છે . આ ફિલ્મ મુંબઈના મરાઠા મંદિર થિયેટરમાં 900 વિક ચાલી હતી કે જે એક રેકૉર્ડ છે ." entertainment,"આશા પારેખ ગુજરાતી મૂળ ધરાવતા હિન્દી ફિલ્મોની જાણીતા સફળ અભિનેત્રી છે . તેઓ અભિનેત્રી ઉપરાંત કુશળ ડાન્સર પણ છે . ગુજરાતી મૂળ ધરાવતા હોવાથી તેમણે થોડીઘણી નોંધપાત્ર ગુજરાતી ફિલ્મોમાં પણ અભિનય કર્યો છે , જેવી કે , અખંડ સૌભાગ્યવતી , કુળવધુ , વિગેરે . આશા પારેખનો જન્મ 2જી ઑક્ટોબર , 1942ના રોજ ગુજરાતમાં સૌરાષ્ટ્ર ખાતેના ભાવનગર જિલ્લાના મહુવામાં પિતા પ્રાણલાલ પારેખના ઘરે માતા સુધા પારેખની કૂખે થયો હતો . આશાએ ૧૬ વર્ષની વયે ફરી અભિનય ક્ષેત્રે ઝંપલાવી પોતાની કારકિર્દીને હીરોઈન તરીકે પ્રારંભ કરવાનું નક્કી કર્યું . પરંતુ નિર્દેશક વિજય ભટ્ટે તેનામાં સ્ટાર બનાવાનાં ગુણ નથી એમ કહી તેને ફિલ્મ ' ગુંજ ઉઠી શહનાઈ ' ( ૧૯૫૯ ) થી બાકાત કરી દીધાં . ત્યારબાદ તરત જ નિર્માતા એસ . મુખર્જી અને દિગ્દર્શક નાસીર હુસૈને તેને ફિલ્મ ' દિલ દે કે દેખો ' ( ૧૯૫૯ ) માં કામ આપ્યું અને આ ફિલ્મે જ તેને પ્રસિદ્ધિ અપાવી હતી . શમ્મી કપૂર સાથેની આ ફિલ્મમાં તેમણે યૂકે બેઝ્ડ ઇંડસ્ટ્રિયાલિસ્ટનો ગ્લૅમરસ રોલ કર્યો હતો . આશા પારેખનું નામ આ ફિલ્મમાં નીતા નારાયણ હતું , પરંતુ ફિલ્મમાં તેમને ઠેર - ઠેર મિસ નીતા તરીકે સંબોધવામાં આવી હતી અને એટલે જ તેઓ આ ફિલ્મ બાદ બૉલીવુડના મિસ નીતા તરીકે આવો જોઇએ આશા પારેખની Top 10 ફિલ્મો :" entertainment,"બૉલીવુડના બાર્બી ગર્લ કૅટરીના કૈફ હાલ થાઈલૅન્ડમાં મસ્તી કરી રહ્યાં છે . કૅટરીના કૈફ સિદ્ધાર્થ બૅંગ બૅંગ ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે . ફિલ્મમાં તેમના હીરો હૃતિક રોશન છે . બૅંગ બૅંગ ફિલ્મનું નિર્માણ સલામ નમસ્તે , અંજાના - અંજાની , બચના ઐ હસીનો જેવી ફિલ્મોના દિગ્દર્શક સિદ્ધાર્થ આનંદ કરી રહ્યાં છે . ફિલ્મનું શૂટિંગ યૂરોપમાં શરૂ થઈ ગયું છે . કૅટરીના કૈફે યૂરોપીયન દેશ થાઈલૅન્ડમાં ફિલ્મના શૂટિંગ દરમિયાન દરિયા કિનારે ખૂબ મસ્તી કરી હતી . ફિલ્મમાં સંગીત વિશાલ - શેખરનં હશે , પટકથા સુજૉય ઘોષ તેમજ સુરેશ નાયરે લખી છે . બૅંગ બૅંગ ફિલ્મ અંગે મળતી માહિતી મુબજ પુન એક વાર હસીન બૉલીવુડ યુગલ કૅટરીના - હૃતિક મોટા પડદે દર્શકો સામે આવશે . ફિલ્મનું શૂટિંગ આવતા મહીનાથી શરૂ થશે . ફિલ્મનું નિર્માણ ફૉક્સ સ્ટુડિયો કરી રહ્યો છે . ફિલ્મ માટે કૅટ - હૃતિક ખાસ તાલીમ લેવાનાં છે , કારણ કે ફિલ્મમાં બંનેના ઘણાં સ્ટંટ્સ જોવા મળવાના છે . નોંધનીય છે કે બૅંગ બૅંગ ફિલ્મ હૉલીવુડની હિટ ફિલ્મ નાઇટ એન્ડ ડેની હિન્દી આવૃત્તિ હશે . કહે છે કે ફિલ્મને આબેહુબ હૉલીવુડની જેમ જ ફિલ્માવવામાં આવશે . તેથી ફિલ્મમાં કૅટરીના કૈફ તથા હૃતિક રોશન વચ્ચે એક લાંબુ લિપલૉક સીન પણ હશે . આ પહેલી વાર નથી કે કૅટ - હૃતિક લિપલૉક સીન આપશે . 2011માં ઝોયા અખ્તર દિગ્દર્શિત ઝિંદગી ના મિલેગી દોબારા ફિલ્મમાં બંનેએ કિસિંગ સીન આપ્યુ હતું ." entertainment,"દેઓલ ખાનદાનના સૌથી ગંભીર શખ્સ મિસ્ટર અભય દેઓલને લોકો ગંભીર પાત્રો માટે યાદ કરે છે . અભય દેઓલ હંમેશા કંઈક જુદુ કરવાનો પ્રયત્ન કરે છે . તે જ શ્રેણીમાં તેઓ 3જી જૂનથી ઝી ટીવીનો એક જુદો જ રિયલિટી શો કનેક્ટેડ હમ તુમ લઈને લોકો સામે આવી રહ્યાં છે . અભય દેઓલ આ શોને હોસ્ટ કરી રહ્યાં છે . આ શોની વાર્તા ખૂબ જ અનોખી અને રસપ્રદ છે . આ શોમાં 6 આધુનિક મહિલાઓ હશે કે જેમની ઉપર કૅમેરો નજર રાખશે . તેનો ઉદ્દેશ માત્ર એટલો જ છે કે દેશની મહિલાઓ કેટલી બદલાઈ ચુકી છે ? શું કરે છે ? શું વિચારે છે ? આ અંગે જાણી શકાય . કનેક્ટેડ હમ તુમ શોના આવા રસપ્રદ કૉન્સેપ્ટના કારણે જ અભય દેઓલ આ શોને હોસ્ટ કરવા તૈયાર થયાં છે . એમ પણ અભય દેઓલને જુદા પ્રકારની વિચારસરણી ધરાવતી વ્યક્તિ તરીકે ઓળખવામાં આવે છે , કારણ કે હંમેશા બોલ્ડથી બોલ્ડ મુદ્દા પર અભય દેઓલ પોતાની ટિપ્પણી કરે છે . થોડાંક સમય અગાઉ જ અભયે જમાવ્યું હતું કે પોર્ન સ્ટાર સન્ની લિયોન પ્રત્યે ભારતીયોની ઘેલછાં જોઈ એટલું કહેવા માંગીશ કે ભારતમાં એક નહીં , લગભગ સો પોર્ન સ્ટાર સન્ની લિયોનની જરૂર છે . તે અંગે અભયની ટીકા પણ થઈ હતી . < center > < img style = "" - webkit - user - select : none ; border : 0px ; "" border = "" 0 "" width = "" 100 % "" height = "" 1 "" src = "" http : / / web . ventunotech . com / beacon / vtpixpc . gif ? pid = 2 & pixelfrom = jp "" / >" business,ગત વર્ષે નોટબંધી પછી સરકારે 500 અને 1000ની નોટેને રદ્દ કરી લોકોને તેને બદલવા માટે અને જમા કરવા 50 દિવસનો જે સમય આપ્યો હતો તે વખતે બેંકોમાં નોટો જમા કરવાની હોડ લાગી હતી . હવે આરબીઆઇને નોટબંધી દરમિયાન જમા થયેલા 1.7 લાખ કરોડ રૂપિયા પર શંકા છે . રિર્ઝવ બેંક ઓફ ઇન્ડિયાના રિસર્ચ પેપરમાં આ વાતને લઇને શંકા વ્યક્ત કરવામાં આવી છે . નોટબંધી વખતે જમા કરાયેલા 1.7 લાખ કરોડ રૂપિયાને આરબીઆઇ અસમાન્ય માની રહી છે . આવું એટલા માટે કે આરબીઆઇના રેકોર્ડ મુજબ નોટબંધીના કારણે બેંકિગ સિસ્ટમમાં 2.8 થી 4.8 લાખ કરો રૂપિયા વધારાના જમા થયા . નોટબંધી દરમિયાન 1.7 લાખ કરોડ તેવા ખાતામાં જમા કરવામાં આવ્યા જે ઓછા એક્ટિવ હતા . નોટબંધી પહેલા તેનો ઉપયોગ ભાગ્યે જ થતો હતો . પણ નોટબંધી વખતે આ ખાતાઓમાં 1.7 લાખ કરોડ રૂપિયા જમા થયા . આ રિસર્ચ પેપરમાં આ અસામાન્ય ડિપોઝીટને લઇને શંકા વ્યક્ત કરવામાં આવી છે . નોટબંધીના કારણે બેંકોમાં કેશ ડિપોઝીટમાં ભારે વધારો થયો હતો . જેમાં ફાયનેંશિયલ સેવિંગને મજબૂતી મળી હતી . આ રિપોર્ટ મુજબ નોટબંધીના કારણે ઘરમાં કેશ જમા કરની રાખવાનું ચલણ ઓછું થયું હતું . લોકો હવે બચતના પૈસા ઘકમાં રાખવાના બદલે બેંકોમાં રાખવા લાગ્યા છે . જે બેંકો માટે એક સારી ખબર છે . જેનાથી ભારતની કેપિટલ માર્કેટને ફાયદો મળી રહ્યો છે . sports,સલમાન ખાનના મિત્રો ઘણા જલ્દી બની જાય છે તે વાત તો બધા જ જાણે છે . હાલમાં જ સલમાન ખાને પોતાનો એક પરમ મિત્ર બનાવ્યો છે જેનું નામ છે મહેન્દ્ર સિંહ ધોની . જે સલમાન ખાન ને મળવા માટે તેના ઘર ગેલેક્ષી એપાર્ટમેન્ટ પહોચી ગયા . સલમાન ખાન હાલમાં જ મહેન્દ્ર સિંહ ધોની ને અનંત અંબાનીની જન્મદિવસની પાર્ટીમાં મળ્યા . બસ પછી પૂછવું જ શું ધોનીએ સલમાન ખાન ને તેને ઘર ગેલેક્ષી એપાર્ટમેન્ટમાં આવવાનું આમંત્રણ આપી દીધું . ધોની પણ પોતાના મિત્રને મળવા માટે ગેલેક્ષી એપાર્ટમેન્ટ પહોચી ગયા . ધોનીએ સલમાનને મામા બનવા માટેનું અભિનંદન આપ્યું . પછી તો આખી રાત ગપસપ ચાલતી રહી . હાલમાં જ સુલતાનની પાર્ટીમાં જયારે સલમાનને અનુષ્કા અને વિરાટના પેચઅપ ની ખબર મળી ત્યારે તેને બંનેને પાર્ટી માટે આમંત્રિત કર્યા હતા . જેના બાદ વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા સલમાન ખાનના ગેલેક્ષી એપાર્ટમેન્ટમાં પાર્ટી કરવા માટે પહોચી ગયા હતા . જુઓ તસ્વીરોમાં સલમાન ખાનનો ક્રિકેટ પ્રેમ . . . sports,"રિપોર્ટ અનુસાર બીસીસીઆઇએ ચેતવણી પણ આપી છે કે ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટીમ ઇન્ડિયા નહી રમે . ટિમે કહ્યું કે આ વાતના પૂરતા પુરાવા છે કે કપ્તાનોને પ્રભાવિત કરવામાં આવ્યા છે . તેમને પોતાની પસંદ અનુસાર વોટ આપવા દેવામાં આવ્યા નહી . જ્યારે ફિકાનું કહેવું છે કે ટેસ્ટ ક્રિકેટ રમવાવાળી ટીમોના કપ્તાન અનુસાર વોટને ક્રિકેટ બોર્ડો અને બીસીસીઆઇએ પ્રભાવિત કરી છે . સમાચાર અનુસાર પ્રથમ વોટિંગ અનુસાર ટિમને 9 જ્યારે શિવરામાકૃષ્ણનને એક વોટ મળ્યો હતો પરંતુ બીસીસીઆઇ એ રૂપિયાના જોરે પાકિસ્તાન , બાંગ્લાદેશ , શ્રીલંકા અને ઝિમ્બાબ્વેના ક્રિકેટ બોર્ડોને ખરીદી લીધા છે . ક્રિકેટ બોર્ડો દ્વારા કહેવાયું છે કે તેઓ પોતાની ટીમના કપ્તાનોથી શિવરામાકૃષ્ણનના પક્ષમાં વોટ આપવા માટે કહે , અને ત્યારબાદ બીજીવાર થયેલી વોટિંગમાં શિવરામાકૃષ્ણન ચૂંટણી જીતી ગયા . અત્રે ઉલ્લેખનીય છે કે ચેમ્પિયન્સ ટ્રોફીની પ્રથમ મેચ છ જૂનના કાર્ડિફમાં ભારત અને દક્ષિણ આફ્રીકાની વચ્ચે રમવામાં આવશે . ભારત ગ્રુપ બીમાં ત્યારબાદ 11 જૂનના રોજ ઓવલ , લંડનમાં વેસ્ટઇન્ડિઝથી અને 15 જૂનના રોજ એજબેસ્ટન બર્મિંઘમમાં પોતાના અંતિમ ગ્રૂપ મેચમાં ચિર પ્રતિદ્વંધી પાકિસ્તાન સાથે મુકાબલો કરશે . ઓસ્ટ્રેલિયા , ન્યૂઝિલેન્ડ , દક્ષિણ આફ્રીકા અને શ્રીલંકા ગ્રૂપ એ માં છે . પ્રત્યેક ગ્રૂપથી ઉપર રહેનાર બે ટીમો સેમીફાઇનલમાં પહોંચશે જો 19 અને 20 જૂનના રોજ યોજાશે . ફાઇનલ 23 જૂનના રોજ એજબેસ્ટનમાં રમાશે . ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાની સામે 24 માર્ચના રોજ તાર ટેસ્ટ મેચોની સીરીઝ પૂરી થયા બાદ પહેલી વાર આંતરરાષ્ટ્રીય મેચ રમશે ." business,"આમ તો નાણાં પ્રધાન અરુણ જેટલી જોર શોરથી પ્રચાર કરી રહ્યા છે કે જીએસટી આવવાથી લોકોના ખિસ્સા પર લોડ નહીં પડે . પણ જીએસટી લાગુ થવાથી દૈનિક વસ્તુઓ પર અસર અનુભવાઇ રહી છએ . એક તરફ જ્યાં એટીએમથી પૈસા નીકાળવા મોંધા થઇ ગયા છે ત્યાં જ બીજી તરફ મહિલાઓની રસોઇ પર પણ જીએસટીની અસર દેખાવા લાગી છે . અહીં વાત થઇ રહી છે એલપીજી સિલેન્ડરની . વસ્તુ અને સેવા કર જીએસટી લાગુ થવાથી હવે લોકોને ધરેલુ એલપીજી સિલિન્ડર પર 32 રૂપિયા વધુ આપવા પડશે . કારણ કે સરકારે ગેસની સબસીડી ઓછી કરી દીધી છે . આ સિવાય એલપીજી યુઝર્સને ઇંસ્ટાલેશન અને એડમિનિસ્ટ્રેશન ખર્ચો પણ આપવો પડશે . આ ચાર્જ એટલા માટે લગાવવામાં આવી રહ્યો છે કારણ કે નવા કનેક્શનનું નોંધણી યોગ્ય રીતે થઇ શકે . જીએસટી હેઠળ હજી પેટ્રોલને નથી રાખવામાં આવી પણ કેન્દ્ર સરકારની તરફથી એલપીજીને જીએસટી ક્ષેત્ર હેઠળ રાખવામાં આવ્યો છે અને જમ્મુ કાશ્મીર છોડી સમગ્ર ભારતમાં તેને પ્રભાવી રૂપે લાગુ કરવામાં આવ્યો છે . ઉલ્લેખનીય છે રે પહેલા અનેક રાજ્યો એલપીજી પર સીમા ફી અને ઉત્પાદ ફી નહતા લેતા . ખાલી કેટલાક રાજ્યોમાં જ સિલેન્ડર પર 2 - 4 ટકા ટેક્સ લાગતો હતો . પણ જીએસટી લાગુ થવાથી આ રાજ્યોમાં પ્રતિ સિલિન્ડર એલપીજીની કિંમતમાં 12 થી 15 રૂપિયા વધી ગઇ છે . પણ જીએસટીની સકારાત્મક જોઇએ તો કોમર્શ્યિલ એલપીજીને 18 ટકાના સ્લેબમાં રાખવામાં આવ્યો છે . જે મુજબ વાણિજ્ય એલપીજી સિલેન્ડરની દિલ્હીમાં કિંમત 1,121 રૂના બદલે હવે 1,052 રૂપિયા થઇ ગયા છે . આમ સરકારે વેપારીઓને ખુશ કરી દીધા પણ ગૃહિણીઓને જીએસટી પછી નાખુશ કરી છે ." business,"જમીનની કિંમતમાં જે રીતે વધારો થઇ રહ્યો છે તેના મુજબ તમારા સપનાઓનું ઘર મેળવવા માટે તમારે હોમ લોન તો લેવી જ પડે તેવું બની ગયું છે . મોટા ભાગ ના લેન્ડર્સ ઘર ના માત્ર 80 % ભાગ ને જ કવર કરતા હોઈ છે . તેથી તેથી ડાઉનપેમેન્ટ , સ્ટેમ્પ ડ્યુટી , રજિસ્ટ્રેશન અને બ્રોકરેજ સંબંધિત આનુષંગિક ખર્ચ વગેરે જેવા ખર્ચ માટે પૈસા ભેગા કરવા ખુબ જ અઘરું થઇ શકે છે . આ સંદર્ભમાં , યોગ્ય હોમ લોન પસંદ કરવાથી તમારી નાણાકીય જવાબદારી ઘટાડી શકાય છે , તમને વધુ અનુકૂળતા મળે છે અને તમને વધુ અનુકૂળ બચાવવા માટે પરવાનગી આપે છે . તમારા હોમ લોનને અસરકારક રીતે સંચાલિત કરવા માટે કેટલાક પગલાંઓ છેઃ સ્પર્ધાત્મક હોમ લોનના વ્યાજ દર પસંદ કરો જયારે તમે હોમ લોમ લેવા નું ડિસાઈડ કરો ત્યારે એવા વેન્ડર પાસે થી લેવી કે જેના ઇંટ્રેસ્ટ રેટ ઓછા હોઈ અને લોન ટર્મ્સ સારી હોઈ . ઓન ગોઈંગ હોમ લોન ઇન્ટરેસ્ટ રેટ વિષે સરખી માહિતી મેળવવા માટે માર્કેટ ની અંદર રિસર્ચ કરો . એવું કરવા થી તમારે કોની પાસે થી લોન લેવી તેની સારી માહિતી મળી શકશે . હોમ લોન લેન્ડર્સ ને આટલી વાતો પર એક બીજા સાથે સરખાવવી , ઇંટ્રેસ્ટ રેટ , ચાર્જ અને ફી , વધારાના લાભો , અને ટેનર . તમે આ રકમ , વ્યાજ અને ટેનર માટેના આંકડા ટૉગલ કરવા માટે હોમ લોન ઇએમઆઇ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી શકો છો અને અગાઉથી તમારા સંભવિત ઇએમઆઈની ગણતરી કરી શકો છો . તમારો સમય લગાવો અને સરખી રીતે વિચારી અને રિસર્ચ કર્યા બાદ તમારા ખીસા ને પરવળે તેવી હોમ લોન પસન્દ કરો . કોઈ પણ હોમ લોન અથવા લોન લેતા પહેલા આટલી મહેનત કરો જેથી તમને કોઈ પણ કોમ્પ્રોમાઈઝ કર્યા વગર લોન મળી શકે . બજાજ ફિન્સર્વ જેવા લેન્ડર્સ તમને રૂ . 3 . 5 કરોડ સુધી ની હોમ લોન ખુબ જ ઓછા ઇંટ્રેસ્ટ રેટ સાથે આપે છે . 25 વર્ષ સુધીના સરળ ટેનર્સ અને ફ્લેક્સી હેબ્રીડ સુવિધા જેવી નવીનતાઓ સાથે , તમે તમારા હોમ લોન પર શ્રેષ્ઠ શરતોની ખાતરી કરી શકો છો . તમે તમારી પ્રિ એપ્રુવ્ડ હોમ લોન એમાઉન્ટ ને પણ જોઈ શકો છો . ટેક્સ મુક્તિઓ ને ભૂલતા નહીં ઇનકમ ટેક્સ એક્ટ અનુસાર તમે હોમ ઓનર તરીકે હોમલોન પર ટેક્સ માં મુક્તિ માંગી શકો છો . હોમ લોન ટેક્સ બેનિફિટ્સ તમને અને તમારા પાર્ટનર ને બરાબર મળે છે , જો તમે લોન માં કો બોરોવર્સ તરીકે રજીસ્ટર્ડ હો . તો જો તમે હોમ લોન લેવા નું વિચારી રહ્યા હોવ તો તેને એડવાન્સ માં પ્લાન કરો જેથી તમને વધુ માં વધુ ટેક્સ બેનિફિટ મળી શકે . અહીં , તમે આવકવેરા અધિનિયમની કલમ 80 સી હેઠળ વર્ષમાં તમારા હોમ લોન પર પ્રિન્સિપાલને ચૂકવણી રૂ . 1 . 5 લાખ સુધીનો દાવો કરી શકો છો . આ લાભ તમને અન્ડર કન્સ્ટ્રકશન પ્રોપર્ટી પર મળી શકે નહીં . પરંતુ તમે સ્ટેપ ડ્યુટી અને રજીસ્ટ્રેશન ફીઝ ને આ સેકશન ની અંદર બાદ માંગી શકો છો . અને ઉપરાંત ઇન્કમ ટેક્સ એક્ટ સેકશન 24 ની અંદર તમે જે વધારે અથવ 2 વખત ઇંટ્રેસ્ટ પે કર્યું છે તેની કિંમત પણ બાદ માંગી શકો છો . જો તમારી પ્રોપર્ટી સેલ્ફ ઓકયુપાઇડ હોઈ તો તમે તેના પર 2 લાખ સુધી નું ડિડક્શન માંગી શકો છો . પૂરી પાડવામાં આવેલ મિલકતનું બાંધકામ 5 વર્ષમાં પૂર્ણ થાય છે . જો આ સમય મર્યાદા કરતા વધારે સમય લાગે છે તો તમે વધારે 30,000 ક્લેમ કરી શકો છો . અને આ ઉપરાંત સેકશન 80ee ની અંદર જો તમે પ્રથમ વખત ઘર ખરીદી રહ્યા હોવ તો , તેના પણ રૂ . 50 , 000 બાદ માંગી શકો છો . પરંતુ આ ફાયદો મેળવવા માટે તામ્ર ઘર ની કિંમત રૂ . 50 લાખ થી વધારે ના હોવી જોઈએ , અને લોન ની કિંમત 35 લાખ કરતા વધારે ના હોવી જોઈએ . તમારી હોમ લોનને પ્રીપે કરવાનો પ્રયાસ કર ." entertainment,"ટેલીવિઝનના નાના પડદાથી ફિલ્મોમાં પગ મૂકનાર બૉલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનું કહેવું છે કે તેમને નાના પડદે કામ કરવા સામે વાંધો નથી . શરત એટલી જ છે કે ભૂમિકા દમદાર હોય . સુશાંત કાઇ પો છે ફિલ્મના ડીવીડી લૉન્ચિંગ પ્રસંગે બોલી રહ્યાં હતાં . તેમને પૂછવામાં આવ્યું કે શું તેમને પુનર્વિવાહ 2 તથા પવિત્ર રિશ્તા સીરિયલોમાં કામ કરવાની ઑફર કરાઈ છે , જવાબમાં સુશાંતે જણાવ્યું - મારી સાથે એવી કોઈ વાત કરાઈ નથી , પરંતુ જો એવું થશે , તો હું જરૂર તેની નોંધ લઇશ . ચેતન ભગતની નવલકથા પર આધારિત કાઇ પો છે ફિલ્મ દ્વારા બૉલીવુડમાં પ્રવેશ કરનાર સુશાંતે જણાવ્યું કે કાઇ પો છે બાદ તેમના કૅરિયરમાં ખૂબ પરિવર્તન આવ્યું છે . હવે તેઓ પોતાની ફિલ્મોની પસંદગી કરે છે . તેમણે જણાવ્યું - સાચે જ જીવન બદલાઈ ગયું છે અને બૅંક બૅલેંસ સારૂં થઈ ગયું છે . કાઇ પો છે ફિલ્મથી પહેલા અને હવે જે સ્ક્રિપ્ટ્સ મળી રહી છે , તેમાં બહુ ફરક છે . હવે હું ફિલ્મોની પસંદગી કરી શકુ છં . સુશાંત સિંહ રાજપૂત પાસે હાલ યશ રાજ ફિલમ્સની એક ફિલ્મ છે . ઉપરાંત રાજકુમાર હીરાણીની પીકે ફિલ્મમાં પણ તેઓ છે ." business,"મધર ડેરીના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ફુલ ક્રીમ દૂધ 3 રૂપિયા પ્રતિ લિટર જ્યારે ટોંડ સહિત અન્ય દૂધમાં 2 રૂપિયા પ્રતિ લિટરનો વધારો કરવામાં આવ્યો છે . આ વધારા બાદ એક લિટર ફુલ ક્રીમ દૂધની કિંમત હવે 42 રૂપિયા થઇ જશે . ટોંડ દૂધનો ભાવ 32 રૂપિયા , ટોકન દૂધ 30 રૂપિયે લિટર અને ડબલ ટોંડ 28 રૂપિયા પ્રતિ લિટર હશે . જો કે સ્કીમ્ડ દૂધના ભાવમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી અને તે પહેલાંની જેમ 22 રૂપિયે પ્રતિ લિટર મળશે . દિલ્હીની સૌથી મોટી દૂધ ડેરી મધર ડેરી દરરોજ 30 લાખ લિટર દૂધ વેચે છે . મધર ડેરીએ કહ્યું હતું કે ખેડૂતોને મળતા ભાવમાં ગત વર્ષના મુકાબલે 10 ટકાનો વધારો થયો છે . આ સાથે વિજદર , પેટ્રોલિયમ કિંમત તથા અન્ય ખર્ચામાં વધારો થયો છે . તેના કારણે દૂધના ભાવ વધારવા જરૂરી થઇ ગયા હતા . નિવેદન મુજબ વ્યવહારુ કામગીરીને બનાવી રાખવા તથા દિલ્હીમાં વધતી જતી દૂધની માંગને પુરી કરવા માટે ભાવમાં વધારો કરવો જરૂરી બની ગયો હતો . અત્રે ઉલ્લેખનીય છે કે આ મહિનાની શરૂઆતમાં અમૂલના દૂધમાં 2 રૂપિયા પ્રતિ લિટર વધારો કર્યો હતો . કંપનીના અનુસાર તે ઉપભોક્તાઓ પાસેથી લેવામાં આવતા ભાવનો 75 થી 76 ટકા ભાગ ખેડૂતોને આપે છે ." sports,"ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે 15 સુવર્ણ પદકો સહિત કુલ 64 પદક હાંસલ કરીને પદક તાલિકામાં પાંચમુ સ્થાન મેળવ્યું છે . ભારતીય ખેલાડીઓએ દેશ માટે 15 સુવર્ણ , 30 રજત અને 19 કાંસ્ય પદક જીત્યા છે . કોમનવેલ્થ ગેમ્સના અંતિમ દિવસે રવિવારે ભારતે એક સુવર્ણ પદક અને બે રજત પદક જીત્યા હતા . ઇંગ્લેન્ડે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરતા સર્વાધિક 58 સુવર્ણ પદકો સહિત 174 પદક હાસલ કરીને 1986 બાદ ટોચના સ્થાને પુનરાગમન કર્યું છે . ઇગ્લેન્ડે 59 રજત અને 57 કાંસ્ય પદક જીત્યા છે . બીજી તરફ ગત કોમનવેલ્થ ગેમ્સમાં પ્રથમ રહેનાર ઓસ્ટ્રેલિયા આ વખતે બીજા ક્રમે આવ્યું છે . ઓસ્ટ્રેલિયાએ 49 સુવર્ણ , 42 રજત અને 46 કાંસ્ય પદક સાથે 137 પદક જીત્યા છે . કેનેડા ત્રીજા સ્થાને રહ્યું છે , તેણે 32 સુવર્ણ , 16 રજત અને 34 કાંસ્ય પદક જીત્યા છે . સ્કોટલેન્ડે ઇતિહાસ રચતા કારકિર્દીનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે અને 53 પદક હાંસલ કર્યાં છે , તેણે 19 સુવર્ણ , 15 રજત અને 19 કાંસ્ય પદક જીત્યાં છે . તો ચાલો તસવીરો થકી જાણીએ કે ભારતના કયા કયા ખેલાડીએ કયું પદક જીત્યું છે . પદક તાલિકામાં ભારત પાંચમા ક્રમે 1 . ઇંગ્લેન્ડઃ - 58 સુવર્ણ , 59 રજત અને 57 કાંસ્ય ( કુલ 174 પદક ) 2 . ઓસ્ટ્રેલિયાઃ - 49 સુવર્ણ , 42 રજત , 46 કાંસ્ય ( કુલ 137 પદક ) 3 . કેનેડાઃ - 32 સુવર્ણ , 16 રજત , 34 કાંસ્ય ( કુલ 82 પદક ) 4 . સ્કોટલેન્ડઃ 19 સુવર્ણ , 15 રજત , 19 કાંસ્ય ( કુલ 53 પદક ) 5 . ભારતઃ - 15 સુવર્ણ , 30 રજત , 19 કાંસ્ય ( કુલ 64 પદક )" sports,"કહેવાય છેને કે મોરના ઇંડાને ચિતરવા ન પડે , ભારતીય અને વિશ્વ ક્રિકેટના દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરે એ વાતને સાર્થક કરી આપી છે . મુંબઇમાં અન્ડર 16 બોય્ઝ કેટેગરીની સ્કૂલ ક્રિકેટ ચેમ્પિયનશીપમાં તેણે 42 બોલમાં 118 રન ફટકારી પોતાની ટીમ ધીરુભાઇ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલને સેમી ફાઇનલમાં પહોંચાડી દીધી છે . આ સ્મૈશ માસ્ટર બ્લાસ્ટર ટૂર્નામેન્ટમાં તેણી ઇનિંગ ધમાકેકાર રહી છે . નોંધનીય છેકે , સચિન તેંડુલકર ગેમિંગ સેન્ટર સ્મૈશના બ્રાન્ડ એમ્બેસેડર છે . જ્યાં અનેક પ્રકારની વર્ચુઅલ ગેમ્સ રમાડવામાં આવે છે . અહીં અનેક પ્રકારની ક્રિકેટ નેટ છે , જે વર્ચુઅલ અને રિયલ ગેમિંગનું કોમ્બિનેશન છે , જેમાં નેટ જેટલી સ્પેસની સામે એક સ્ક્રીન લાગેલી હોય છે . તેમાં એક બોલર દોડતો દર્શાવવામાં આવે છે અને બોલ ફેંકે છે . ત્યારબાદ સ્ક્રીન પાસે બનેલી એક હોલ મશીનમાંથી બોલ ફેંકવામાં આવે છે , જેનો સામનો બેટ્સમેને કરવાનો હોય છે . સ્મૈશ માસ્ટર બ્લાસ્ટર ટૂર્નામેન્ટ નામની આ ટૂર્નામેન્ટમાં મુંબઇમાંથી 102 સ્કૂલોએ ભાગ લીધો હતો . ખાસ વાત એ છેકે ટૂર્નામેન્ટમાં એવોર્ડ આપવાનું કામ સચિનનું હતું ." sports,વેસ્ટઇંડીઝ સામેની પહેલી ટી - 20 મેચમાં ભારત 1 રનથી હારી ચૂક્યું છે . મેચના છેલ્લા બોલમાં ભારતને જીતવા માટે 1 બોલમાં 2 રન કરવાના હતા અને સ્ટ્રાઇક પર હતા ટીમ ઇન્ડિયાના કપ્તાન એમ એસ ધોની . બ્રાવોની છેલ્લી બોલમાં ધોની આઉટ થઇ ગયા અને ભારત 1 રનથી મેચ હારી ગયું . અમેરિકામાં વેસ્ટ ઇન્ડિઝ સામે રમાયેલી ટી 20 મેચમાં ભારતનો એક રને પરાજય થયો હતો . બે મેચની શ્રેણીની પ્રથમ મેચમાં વેસ્ટ ઇન્ડિઝે 20 ઓવરમાં 6 વિકેટના નુકસાને 245 રન કર્યા હતા . જેના જવાબમાં ભારત 20 ઓવરમાં 4 વિકેટના નુકસાને 244 રન બનાવી શક્યું હતું . મેચ પત્યા બાદ જયારે ધોની સાથે વાત કરવામાં આવી ત્યારે તેમને જણાવ્યું કે છેલ્લા બોલના શોટમાં તેમની સોચ સાચી હતી . પરંતુ તેને સારી રીતે અમલ ના કરી શક્યા . તેમનું તેમને દુઃખ છે . ભારત મેચ હારતા કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીની સોશ્યિલ મીડિયા પર આલોચના પણ ખુબ જ થઇ રહી છે . business,"જ્યારે પણ રૂપિયાના મૂલ્યમાં વધારો કે ઘટાડો થાય છે ત્યારે તેની અસર આપણા પર ચોક્કસ પડે છે . જ્યારે રૂપિયાનું મૂલ્ય ઘટે છે ત્યારે વસ્તુઓ મોંઘી બને છે . જ્યારે રૂપિયાનું મૂલ્ય વધે છે ત્યારે વસ્તુઓ સસ્તી બને છે . રૂપિયાનું મૂલ્ય ઘટે છે ત્યારે સરકારે તેલ ખરીદવા માટે પહેલાની સરખામણીએ વધારે રૂપિયા આપીને ડોલરની ખરીદી કરવી પડે છે , એટલે કે તેલ ખરીદવા વધારે કિંમત ચૂકવવી પડે છે . તેના કારણે મોંઘવારી વધે છે . આ કારણે રૂપિયાનું મૂલ્ય ઘટે ત્યારે અનેક બાબતોનું ધ્યાન રાખવું જોઇએ . 1 . બિનજરૂરી ખર્ચા ઘટાડો . સમજી વિચારીને ખર્ચા કરો . જો ભવિષ્યમાં મોંઘવારી વધશે તો આ આદત આપની મદદે આવશે . 2 . બચત કેવી રીતે વધે તે વિચારવું જોઇએ . કારણ કે મોંધવારી વધે ત્યારે બચત જ કામ આવે છે . 3 . કોઇ વસ્તુ ખરીદવાની હોય તો તત્કાળ ખરીદી લેવામાં આવે . કારણ કે પછી તે વસ્તુ મોંઘી બનશે . 4 . ફરવા જવાનું હોય તો સમયસર ટિકિટ મેળવી લેવી . કારણ કે નહીં તો બસ ભાડા વધી શકે છે . 5 . રૂપિયાનું મૂલ્ય વધે ત્યાં સુધી રોકાણ કરવામાં સાવચેતી રાખવી ." entertainment,"શાહરૂખ ખાન છેલ્લા લગભગ બે દાયકાથી બોલિવૂડ પર રાજ કરી રહ્યો છે . તેની આગામી ફિલ્મ ' રઇસ ' એનાઉન્સ થઇ તે દિવસથી ચર્ચામાં છે . શરૂઆતમાં ' રઇસ ' સલમાન ખાનની ફિલ્મ ' સુલતાન ' સાથે 2016માં જ રિલિઝ થવાની હતી , ત્યાર બાદ તેની રિલિઝ ડેટ આગળ વધારીને 26 જાન્યુઆરી , 2017 કરવામાં આવી હતી . પરંતુ ગઇકાલે ' રઇસ ' ફિલ્મના ટ્રેલર સાથે તેની નવી રિલિઝ ડેટ 25 જાન્યુઆરી , 2017 જાહેર કરવામાં આવી . નવી રિલિઝ ડેટ અને એ અંગેના વિવાદ વચ્ચે ' રઇસ ' ના ટ્રેલરે એક જ દિવસમાં 11 મિલિયનથી પણ વધુ વ્યૂઝ મેળવી લીધાં છે અને આ આંકડો ઝડપથી વધી રહ્યો છે . આ ખબર પરથી જ શાહરૂખની લોકપ્રિયતાનો અંદાજ મળે છે . શાહરૂખની છેલ્લી કેટલીક ફિલ્મો બોક્સઓફિસ પર કંઇ ખાસ કમાલ દેખાડી શકી નથી . 2016માં આવેલી ' ફેન ' બોક્સઓફિસ પર ખરાબ રીતે પિટાઇ ગઇ હતી અને થઓડા દિવસ પહેલાં આવેલી ' ડિયર ઝિંદગી ' માં શાહરૂખનો રોલ પ્રમાણમાં નાનો છે ; આમ છતાં શાહરૂખ ખાનની લોકપ્રિયતામાં ઓટ આવી નથી . ' રઇસ ' ટ્રેલરને લોકોનો પોઝિટિવ રિસ્પોન્સ મળી રહ્યો છે અને કેટલાંકે તો એવી પણ જાહેરાત કરી નાંખી કે જાન્યુઆરી 2017માં ' કાબિલ ' અને ' રઇસ ' ની ટક્કરમાં ' રઇસ ' જ વિજેતા સાબિત થશે . આ ટ્રેલરમાં એક હિટ ફિલ્મ માટે જરૂરી તમામ મસાલો છે ." business,"23મેના રોજ મંગળવારે દેશ વધુ એક બેંક મળી જશે . કારણ કે પેટીએમની પેટીએમ બેંક આજથી કામ કરવાનું શરૂ કરશે . વન97 કમ્યૂનિકેશનએ જણાવ્યું છે કે એક વર્ષમાં પેટીએમ તેની 31 શાખાઓ દેશભરમાં ખોલશે . અને 3000 ગ્રાહક સેવા કેન્દ્ર બનાવશે . પેટીએમ બેંકમાં 25,000 રૂપિયા જમા કરવા પર બેંક ગ્રાહકોને 250 રૂપિયા કેશબેક આપશે . પેટીએમ તેની પેટીએમ બેંક માટે આવનારા બે વર્ષમાં 400 કરોડ રૂપિયાનું રોકાણ કરશે . પેટીએમની પેરેન્ટ કંપની વન97 કમ્યૂનિકેશંસ છે . આ કંપનીના સ્થાપક વિજય શેખર શર્મા પાસે પેમેન્ટ બેંકનો 51 ટકા ભાગ છે . અને બાકીનો ભાગ વન97 કમ્યૂનિકેશંસનો છે . વિજય શેખર શર્મા અને વન97 મળીને કંપનીમાં પહેલા જ 220 કરોડનું રોકાણ કરી ચૂક્યા છે . પેટીએમ પોતાના વોલેટ બિઝનેસને મંગળવારે પેટીએમ પેમેન્ટ બેંકમાં ટ્રાન્સફર કરી લેશે . કંપનીએ આ મામલે તેના ગ્રાહકોને સૂચના આપી છે . તે સિવાય એ પણ વિકલ્પ આપ્યો છે કે તે ઇચ્છે તો લોન્ચ પહેલા તેમના એકાઉન્ટને પેમેન્ટ બેંકમાં ટ્રાન્સફર ન કરવાની કહી શકે છે . પેટીએમ પેમેન્ટ બેંકની મુખ્ય કાર્યકારી અધિકારી રેણુ સત્તી છે . ઉલ્લેખનીય છે કે પેટીએમ બેંકમાં જીરો બેલેન્સ એકાઉન્ટ ખોલી શકાય છે . તે સિવાય કંપની ઓફલાઇન ટ્રાજેક્શન જેવી આઇએમપીએસ , એનઇએફટી અને આરટીજીએસની સુવિધા પણ આપશે . જે માટે તે કોઇ વધારોની કિંમત નહીં વસૂલે . આ બેંક બચત ખાતામાં ચાર ટકાનું વ્યાજ આપવામાં આવશે . કંપનીએ કહ્યું છે કે તે પહેલા 10 લાખ ગ્રાહકોને ખાતા ખોલવા પર 25,000 રૂપિયા જમા કરાવતા 250 રૂપિયા કેશબેક આપશે . પેટીએમના બેંક ખાતા તમે એક લાખ રૂપિયા જ જમા કરાવી શકો છો . તે સિવાય તેણે પોતાના ગ્રાહકોને ડેબિટ કાર્ડ પણ આપશે . આ કાર્ટ પર પાંચ ફ્રી એટીએમ ટ્રાંજેક્શન હશે તે પછી તેની પર 20 રૂપિયા ચાર્જ આપવો પડશે ." business,જો તમે અત્યારે ફિક્સ્ડ ડિપોઝિટ મૂકવાનું વિચારી રહ્યા હોવ તો તમારા માટે સારું છે કે તમે થોડો સમય રાહ જુઓ . તમે ફિક્સ્ડ ડિપોઝિટ મૂકવા માટે ઓછામાં ઓછી એક સપ્તાહ રાહ જોશો તો શક્ય છે કે તમે વધારે ફાયદામાં રહેશો . આમ કહેવાનું કારણ ખૂબ સરળ છે . રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ( આરબીઆઇ ) એ રેપો રેટમાં 0.25 ટકાનો વધારો કર્યો છે . રેપો રેટ શું છે ? રેપો રેટ એ દર છે જે દરે આરબીઆઇ બેંકોને રૂપિયા આપે છે . આ દરમાં વધારો થાય તો લોનના દરોમાં અને ડિપોઝિટના દરોમાં વધારો થતો હોય છે . રેપો રેટમાં વધારાની શું અસર થઇ શકે ? સામાન્ય રીતે રેપો રેટ વધે એટલે લોન અને એફડીના વ્યાજ દરો વધતા હોય છે . આ સાથે એ પણ નોંધનીય છે કે આ દરો વધ્યા પછી બેંકો વ્યાજ દરોમાં વધારો કરવો ફરજિયાત હોતો નથી . પણ સામાન્ય રીતે બેંકમાં મૂડી રોકાણ આકર્ષવા બેંકો ડિપોઝિટના વ્યાજદરોમા વધારો કરવાનું પગલું ભરતી હોય છે . SBIનું શું કહેવું છે આ મુદ્દે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ( એસબીઆઇ ) ના ચેરમેન પ્રતીપ ચૌધરીનું કહેવું છે કે અમારી બેંકની એસેટ લાયેબિલિટી કમિટી આવનારા થોડા દિવસોમાં આ મુદ્દે ચર્ચા કરવા બેઠક યોજશે અને તેમાં વ્યાજદર વધારવો કે નહીં તે અંગે ચર્ચા કરવામાં આવશે . હવે જો એસબીઆઇ વ્યાજ દરો વધારતી હોય તો અન્ય બેંકો પણ વધારશે જ . RBIની ઇચ્છા આ પહેલાની સ્થિતિની વાત કરીએ તો આરબીઆઇએ એવા પગલાં લીધા હતા કે શોર્ટ ટર્મ પ્રકારની ડિપોઝિટના નિયમો વધારે કડક બનાવ્યા હતા . હવે આરબીઆઇ ઇચ્છે છે કે મીડિયમ ટર્મની ડિપોઝિટના વ્યાજ દરો ઊંચા રહે . આ વ્યાજદરો ફુગાવાને નિયંત્રણમાં લેવા અને બચતમાં વૃદ્ધિ કરવા માટે વધારવામાં આવશે . રાહ જોવામાં ફાયદો આથી જો તમે ડિપોઝિટ મૂકવા માંગતા હોવ તો રાહ જોવામાં જ ફાયદો છે . આ માટે તમારે માત્ર અઠવાડિયું કે દસ દિવસ રાહ જોવી પડશે . લાંબા ગાળા માટેની ફિક્સ્ડ ડિપોઝિટમાં ઉંચા વ્યાજ મળવાની શક્યતા છે . business,જો તમે એરટેલ ગ્રાહક છો તો આ ખબર તમારા કામની છે . એરટેલે તેના પોસ્ટપેડ ગ્રાહકો માટે ખાસ ઓફર નીકાળી છે જે તમારા માટે કોઇ મોટી ખુશખબરથી ઓછી નથી . એરટેલનું કહેવું છે કે જો તમને કોઇ પોસ્ટપેડ ગ્રાહક કોઇ મહિને તેનું ઇન્ટરનેટ ડેટા બચાવી રહ્યો છે તો આવનારા મહિને તેનો તે ઇન્ટરનેટ ડેટા કેરીફોવર્ડ થઇને તેને પોછા મળી જશે . એરટેલની આ ખાસ ઓફર 1 ઓગસ્ટ 2017થી શરૂ થઇ જશે . એરટેલ જણાવ્યા મુજબ કંપનીના પોસ્ટપેડ ગ્રાહકો 200 જીબી સુધી ઇન્ટરનેટ ડેટા આવનારા મહિનામાં કેરી ફોર્વર્ડ કરી શકે છે . પોતાના ડેટા યૂઝની જાણકારી ગ્રાહકો કંપનીના એપ માય એરટેલ દ્વારા જાણી શકે છે . આમ કરીને તમે તમારા ન વપરાયેલો ડેટા બીજા મહિના માટે મેળવી શકો છો . કંપનીની આ નવી ઓફર તે લોકોને ફાયદો પહોંચાડશે જે રોજ ઇન્ટરનેટનો વપરાશ બદલાતો રહે છે . જો તમે પણ કોઇ સમયે વધારે અને કોઇ સમયે ઓછું ઇન્ટરનેટ વાપરો છો તો પછી તમે આ ઓફરનો ફાયદો લઇ શકો છો . નોંધનીય છે કે એરટેલનું આ પગલું કંપનીના નવા ડિઝિટલ ઇનોવેશન પ્રોજેક્ટ નેક્સ્ટનો ભાગ છે . જેમાં એરટેલ તેના ગ્રાહકોને વધુ સારી સેવાઓ આપવા માટે પ્રયાસો કરી રહ્યું છે . આ નવા પગલા હેઠળ આવનારા 3 વર્ષોમાં આ માટે કંપની કુલ 2000 કરોડ રૂપિયા રોકશે . sports,"બેંગ્લોર , 9 એપ્રિલઃ સનરાઇઝર્સ હૈદરાબાદ સામે રમાયેલી મેચમાં વિરાટ કોહલીની 93 રનની ઇનિંગની મદદથી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે સાત વિકેટથી વિજય નોંધાવ્યો છે . હૈદરાબાદે આપેલા 162 રનના લક્ષ્યાંકને બેંગ્લોરે 17.4 ઓવરના અંતે ત્રણ વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો છે . બેંગ્લોર તરફથી વિરાટ કોહલીના અણનમ 93 રન ઉપરાંત અગ્રવાલે 29 , ગેઇલે 13 , વિલિયર્સે 15 અને હેનરિક્સે અણનમ સાત રન બનાવ્યા હતા . હૈદરાબાદ તરફથી શર્મા , પરેરા અને વ્હાઇટે એક - એક વિકેટ ઝડપી હતી . આ પહેલા હૈદરાબાદે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કરતા નિર્ધારિત 20 ઓવરમાં છ વિકેટ ગુમાવીને 161 રન બનાવ્યા હતા . જેમાં વ્હાઇટે સર્વાધિક 52 રન જ્યારે પરેરાએ 40 રનનું યોગદાન આપ્યું હતું . આ ઉપરાંત રેડ્ડીએ 12 , પટેલે 20 , સંગાકારાએ 23 , આશિષ રેડ્ડીએ 3 અને વિહારીએ 4 તથા સમાનત્રાયે 2 રન બનાવ્યા હતા . બેંગ્લોર તરફથી આરપી સિંહે ત્રણ જ્યારે વિનય કુમાર , મુરલીધરન અને કાર્તિકે એક - એક વિકેટ મેળવી હતી . બેંગ્લોરની વિકેટની વાત કરીએ તો પહેલી વિકેટ 39 રન પર અગ્રવાલના રૂપમાં પડી હતી , તે પરેરાની ઓવરમાં સંગાકારાના હાથે ઝલાઇ ગયો હતો . જ્યારે ગેઇલ બીજી વિકેટના રૂપમાં 47 રન પર પડી હતી અને 96 રનના સ્કોર પર ત્રીજી વિકેટ એબીડી વિલિયર્સના રૂપમાં પડી હતી ." business,"સિક્યુરિટી કાયદામાં પ્રસ્તાવિત મહત્વના સુધારામાં હવે કેપિટલ માર્કેટ નિયંત્રણકને પણ સમાવવામાં આવશે . તેમની પાસે મિલકતો પર છાપા મારવા અને તેને જપ્ત કરવાની સીધી સત્તા રહેશે . તે સંબંધિત દરેક પક્ષને તપાસ હેઠળ આવરી શકશે અને તેમની સામે તપાસ કરી શકશે . વરિષ્ઠ અધિકારીઓના જણાવ્યા અનુસાર સુધારાઓમાં નિયંત્રણો વધારવામાં આવશે . તે માટે સેબી એક્ટમાં સુધારા , સિક્યુરિટી કોન્ટ્રાક્ટ ( રેગ્યુલેશન ) એક્ટ , અને ડિપોઝિટરી એકટમાં સુધારા કરવા પડશે . તેના પરિણામે સેબીને સંપૂર્ણ નિયંત્રણ અને તમામ પ્રકારની નાણાકીય પ્રવૃત્તિ અને છેતરપિંડી પર નજર રાખવી , રૂપિયા 100 કરોડ કે તેથી વધારે જાહેર નાણા રોકાયેલા હોય તેવી યોજનાઓ પર ધ્યાન રાખશે . સીઆઇએસનું કાર્ય પણ સેબીની હેઠળ આવે છે . અધિકારીઓનું કહેવું છે કે સેબીએ ખાતરી આપી છે કે સરકાર કાયદામાં જરૂરી સુધારા કરશે . આ અંગેની દરખાસ્ત સેબી છેલ્લા ચાર વર્ષથી કરી રહી છે . જોકે સહારા જૂથની ગેરરીતિઓ બાદ તાજેતરમાં સુધારા કરવાની જરૂરિયાત વધારે લાગી રહી છે ." business,"ભારતના બજારો અને બિઝનેસમાં સતત ઉતાર ચઢાવ જોવા મળે છે . સરકારના એક નિર્ણય કે નીતિની અસરથી વૃદ્ધિ , વિકાસ , રોજગારી , મોંઘવારી પર અસર પડે છે . ભારતનું ઉદ્યોગ જગત કઇ દિશામાં કેવી રીતે આગળ વધી રહ્યું છે . તેના રોજે રોજની મહત્વની હાઇલાઇટ્સ વાંચવા માટે સ્લાઇડરમાં ક્લિક કરો . . . રિલાયન્સ પાવર જેપી પાવરના હાઇડ્રો પ્રોજેક્ટ્સ ખરીદ્યા અનિલ અંબાણી ગ્રુપની કંપની રિલાયન્સ પાવરે જાહેરાત કરી છે કે તે જયપ્રકાશ ગ્રુપના તમામ હાઇડ્રોઇલેક્ટ્રિસિટી પ્રોજેક્ટ્સ રૂપિયા 12,000 કરોડમાં ખરીદવાની યોજના ધરાવે છે . આ સોદાથી રિલાયન્સ પાવર ભારતમાં જળવિદ્યુત પૂરી પાડતી સૌથી મોટી ખાનગી કંપની બની જશે . આરપાવરે એક નિવેદનમાં જણાવ્યું હતું કે રિલાયન્સ પાવર દ્વારા 100 ટકા માલિકી ધરાવતી પેટાકંપની રિલાયન્સ ક્લીનજેન લિ . ( RCL ) અને જયપ્રકાશ એસોસિયેટ્સની પેટાકંપની જયપ્રકાશ પાવર વેન્ચર્સ લિ . ( JPVL ) વચ્ચે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે . જે હેઠળ RCL દ્વારા JPVLનો સંપૂર્ણ હાઈડ્રોઈલેક્ટ્રિક પાવર પોર્ટફોલિયો ખરીદી લેવામાં આવશે . હાલ JPVLના હાઈડ્રોઈલેક્ટ્રિક પાવર પોર્ટફોલિયોની કુલ ક્ષમતા 1,800 મેગાવોટ જેટલી છે અને તમામ પ્લાન્ટ સંપૂર્ણ કાર્યરત છે . શેરબજારમાં ઇદની રજા આજે શેરબજારમાં ઇદની રજા હોવાથી માર્કેટમાં કારોબાર બંધ રહેશે . સેબી ટેકઓવર કોડમાં ' કન્ટ્રોલ ' ની સમીક્ષા કરશે સેબી ( SEBI ) ટેક ઓવર કોડમાં ' કન્ટ્રોલ ' ની વ્યાખ્યા વધારે સ્પષ્ટ કરશે એવી શક્યતા છે . આ માટે તે વ્યાખ્યાની સમીક્ષા કરશે . જેના કારણે રોકાણકારો સ્પષ્ટ રીતે જાણી શકશે કે કન્ટ્રોલનો અર્થ શું થાય છે અને તેના આધારે પોતાનું રોકાણ સલામત રાખી શકશે . આ વિચારણા જેટ - એતિહાદ સોદા સંદર્ભે કરવામાં આવશે . બે ડઝન વીમા કંપનીઓ સામે ફરિયાદ વધી વીમા ઉદ્યોગના નિયમનકાર ઈરડાએ અયોગ્ય રીતે બિઝનેસ કરતી બે ડઝન જેટલી કંપનીઓની યાદી નાણા મંત્રાલયને સોંપી છે . આ યાદીમાં HDFC સ્ટાન્ડર્ડ લાઈફ , બિરલા સન લાઈફ અને રિલાયન્સ લાઈફના નામ અગ્રેસર છે . HDFC સ્ટાન્ડર્ડ લાઈફની સામે 1 એપ્રિલથી 20 જુલાઈ 2014 દરમિયાન 10,819 ફરિયાદો નોંધાઈ હતી . આ જ સમયગાળા દરમિયાન બિરલા સન લાઈફ સામે 6,185 , રિલાયન્સ લાઈફ સામે 6,168 ફરિયાદ , LIC સામે માત્ર 763 ફરિયાદ જ થઈ હતી . ICICI પ્રુડેન્શિયલ લાઈફની સામે 3,649 ફરિયાદો , બજાજ આલિયાન્ઝ સામે 5,441 , મેક્સ ન્યૂ યોર્ક લાઈફ સામે 2,615 અને SBI લાઈફ સામે 2,190 ફરિયાદો થઈ હતી . જાહેરક્ષેત્રમાં વીજ ઉત્પાદનમાં ગુજરાત ટોપ 10માં ગુજરાતને વિજક્ષેત્રે દેશમાં સરપ્લસ રાજય તરીકે ગણવામાં આવે છે . પરંતુ ગુજરાતમાં થયું મોટા ભાગનું વિજ ઉત્પાદન ખાનગી કંપનીઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે . રાજય સરકાર દ્વારા કરવામાં આવતાં વિજ ઉત્પાદન માત્ર 26 ટકા જેટલું જ છે . આ કારણે જાહેરક્ષેત્રના વિજ ઉત્પાદનમાં ગુજરાત દેશભરમાં 10મા નંબરે આવે છે . ગુજરાતમાં ખાનગી ક્ષેત્ર દ્વારા કરવામાં આવતું વિજ ઉત્પાદન 60 ટકા જેટલું થવા જાય છે . રાજય સરકારના બંધ પડેલાં પ્લાન્ટના કારણે ગ્રાહકો પર દર વર્ષે રૂપિયા 8000 કરોડનો બોજો પડી રહ્યો છે . બીજી તરફ રાજ્યમાં વીજળીમાં સર પ્લસ હોવા છતાં ખેડૂતોને પુરતી વિજળી નથી મળી રહી . ગુજરાતમાંથી દુષ્કાળનું જોખમ ટળ્યું ગુજરાતમાં સાર્વત્રિક વરસાદને પહલે દુષ્કાળનું જોખમ ટળ્યું છે . હવે માત્ર 35 તાલુકા જ એવા છે જયાં 6 ઇંચ કરતાં ઓછો વરસાદ વરસ્યો છે . વરસાદને પગલે નવા નીરની આવક થતા ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં પણ પાણીની સતત આવક ચાલું રહી છે . જેના કારણે દર કલાકે 2 સેમીનો વધારો થઇ રહ્યો છે . તેના કારણે હાલમાં ડેમનું જળસ્તર 118 મીટરે પહોંચ્યું છે . ડેમ 121.92 મીટરે ઓવરફલો થાય છે . મધ્ય પ્રદેશમાં થયેલા ભારે વરસાદના કારણે ડેમમાં પાણીની આવક સતત ચાલું છે , અને આવનાર 2 દિવસમાં ડેમ ઓવરફલો થઇ શકે છે તેમ અધિકારીઓનું માનવું છે ." business,"ઇન્ફોસિસના થોડા સમય પહેલા જ બનેલા સીઇઓ અને એમડી વિશાલ સિક્કાએ પણ તેમના આ પદેથી રાજીનામું આપી દીધું છે . એટલું જ નહીં કંપનીના સેક્રેટરી એજીએસ મણિકાંતે પણ આ વાતની સ્વીકારતા જણાવ્યું છે કે ઓગસ્ટ 18ની બોર્ડ મિટિંગમાં વિશાલ સિક્કાનું આ રાજીનામું કંપનીએ સ્વીકારી લીધું છે . અને હવે તે આ પદ પર નથી . જો કે સિક્કા હવે કંપનીના એક્સિક્યૂટિવ વાઇસ - ચેરમેન તરીકેનું પદ સંભાળશે . સિક્કાની જગ્યાએ હાલ પૂરતો કંપનીનો કારોભાર યુબી પ્રવિણ રાવ સંભાળશે . ઇન્ફોસિસના વચગાળાના સીઇઓ બનેલા તેવા રાવ પાસે 30નો અનુભવ છે . તેઓ 1986માં ઇન્ફોસિસમાં જોડાયા હતા . અને તેમણે હેડ ઓફ ઇન્ફ્રાસ્ટ્રચર મેનેજમેન્ટ સર્વિસ , યુરોપના ડિલિવરી હેડ ઓફ રિટેલ જેવા અનેક મહત્વના પદ આ કંપનીમાં આ પહેલા સંભાળ્યા છે . રાવે બેંગ્લોરથી ઇલેક્ટ્રોનિક એન્જિનિયરની ડિગ્રી મેળવી છે . અને તે એક્સિક્યૂટીવ કાઉન્સીલ ઓફ નાસકોમ અને નેશનલ કાઉન્સિલ ઓફ કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીના સભ્ય પણ છે ." sports,"એશિયન ગેમ્સની 17મી શ્રેણીનું ઉદ્ઘાટન દક્ષિણ કોરિયાના ઇંચિયોન ખાતે થઇ ગયું છે . ઇંચિયોન એશિયાડ મેન સ્ટેડિયમથી લઇને આસપાસના મોટા વિસ્તારોમાં આતિશબાજીના રંગારંગ ઉત્સવનો નજારો જોવા મળ્યો છે . આ નજારાને જોવા માટે સ્ટેડિયમમાં 60 હજારની આસપાસ દર્શકો હાજર રહ્યાં હતા . ગેમ્સના પહેલા જ દિવસે આપણે શૂટિંગમાં સુવર્ણ પદક અને કાંસ્ય પદક જીતવામાં સફળ રહ્યાં છીએ અને દેશના અન્ય એથલિટ્સ પાસેથી પણ મેડલ્સની આશા રાખવામાં આવી રહી છે . દક્ષિણ કોરિયાના ઇંચિયોન ખાતે રમાઇ રહેલા 17માં એશિયન ગેમ્સની વાત કરવામાં આવે તો તેમાં 36 ગેમોમાં 13 હજાર જેટલા એથલિટ્સ મેડલ્સ જીતવા માટે પ્રયાસો કરશે , ભારતમાંથી 516 એથલિટ્સ પોત - પોતાના સેક્શનમાં પોતાની પ્રતિભાનો પરચો આપશે . ત્યારે આજે અમે અહીં 1951થી લઇને અત્યારસુધીમાં ભારત દ્વારા એશિયન ગેમ્સમાં કરવામાં આવેલા પ્રદર્શન અંગે જણાવી રહ્યાં છીએ . જેમાં ભારતે કેટલા સુવર્ણ , રજત અને કાંસ્ય પદક જીત્યા છે , તેની માહિતી આપવામાં આવી છે . પહેલા એશિયન ગેમ્સમાં ભારતે 51 મેડલ્સ જીતા હતા , જ્યારે 2010માં યોજાયેલા એશિયન ગેમ્સમાં ભારતે 65 મેડલ્સ જીત્યા હતા . તો ચાલો તસવીરો થકી જાણીએ કે ભારતે કયા એશિયન ગેમ્સમાં કેટલા મેડલ જીતેલા છે . pagespeed . lazyLoadImages . overrideAttributeFunctions ( ) ; આ પણ વાંચોઃ - વિફર્યો યુવરાજ ને અંગ્રેજોએ ધોળા દ્હાડે જોયા તારા વિશ્વ ક્રિકેટમાં આ બોલર્સની અનોખી અને અજીબ છે બોલિંગ એક્શન સિક્સર કિંગ જિંદગીમાં હિટ વિકેટ , બાળકોને નિભાવવા કરે છે બસ સ્ટોપની સફાઇ pagespeed . lazyLoadImages . overrideAttributeFunctions ( ) ; function googleAnalyticsCodeCommon ( ) { var main _ url = $ ( ' link [ rel = "" canonical "" ] ' ) . attr ( "" href "" ) ; var url = document . location . href ; var pattern = ' https : / / ' + window . location . hostname ; url = url . replace ( pattern , "" "" ) ; var title = document . title ; ga ( "" oneindiagu . send "" , { hitType : "" pageview "" , page : url , location : main _ url } ) ; ga ( "" rosoneindia . send "" , { hitType : "" pageview "" , page : url , location : main _ url } ) ; ga ( "" dhoneindia . send "" , { hitType : "" pageview "" , page : url , location : main _ url } ) ; url = document . location . href ; var jcode = ' var _ comscore = _ comscore | | [ ] ; var comscoreParams = { c1 : "" 2 "" , c2 : "" 7732551 "" , c3 : "" "" , c4 : "" ' + url + ' "" , c5 : "" "" , c6 : "" "" , c15 : "" "" } ; _ comscore . push ( comscoreParams ) ; var s = document . createElement ( "" script "" ) , el = document . getElementsByTagName ( "" script "" ) [ 0 ] ; s . async = true ; s . src = ( document . location . protocol = = "" https : "" ? "" https : / / sb "" : "" http : / / b "" ) + "" . scorecardresearch . com / beacon . js "" ; el . parentNode . insertBefore ( s , el ) ; ' ; setTimeout ( jcode , 500 ) ; var _ qevents = _ qevents | | [ ] ; ( function ( ) { var elem = document . createElement ( ' script ' ) ; elem . src = ( document . location . protocol = = "" https : "" ? "" https : / / secure "" : "" http : / / edge "" ) + "" . quantserve . com / quant . js "" ; elem . async = true ; elem . type = "" text / javascript "" ; var scpt = document . getElementsByTagName ( ' script ' ) [ 0 ] ; scpt . parentNode . insertBefore ( elem , scpt ) ; } ) ( ) ; _ qevents . push ( { qacct : "" p - yjta2aSVPaHEL "" } ) ; window . google _ analytics _ uacct = "" UA - 110466 - 73 "" ; }" business,જો આપ ગોલ્ડ જ્વેલરી ખરીદવા માટે તૈયારી કરી રહ્યા હોવ અથવા સોનાના બાર અને સિક્કાઓ પર સંશોધન કરી રહ્યા હોવ તો આપ સોનાની શુદ્ધતા ( ફાઇનનેસ ઓફ ગોલ્ડની અવગણના કરી શકો નહીં . આ કિંમતી ધાતુ એટલી નરમ છે કે તેનો ઘરેણા કે અન્ય રીતે ઉપયોગ કરવો હોય તો તેને મજબુતી મળે તે માટે તેમાં અન્ય ધાતુનો ઉપયોગ કરવો પડે છે . તેના કારણે સોનાની શુદ્ધતા બદલાય છે . આ કારણે સોનાની શુદ્ધતા બાબતમાં ફાઇનનેસ ઓફ ગોલ્ડ એવો શબ્દપ્રયોગ કરવામાં આવે છે . ફાઇનનેસ ઓફ ગોલ્ડ હંમેશા 1000ભાગમાં ગણવામાં આવે છે . આ કારણે હંમેશા સોનાની વસ્તુઓ વેચતા વેપારીઓ સોનાની શુદ્ધતાની વાત આવે ત્યારે 0.995 શુદ્ધ હોવાનું જણાવે છે . આનો અર્થ એ થયો કે સોનાના બારમાં 995 ભાગ સોનુ અને 5 ભાગ અન્ય ધાતુ છે . સોનાની ફાઇનનેસને મિલિસિમલ ફાઇનનેસ તરીકે પણ ઓળખવામાં આવે છે . સોનાના સિક્કામાં મોટા ભાગે 0.999 ફાઇનનેસ હોય છે . વર્તમાન સમયમાં સૌથી શુદ્ધ સોનુ 0.999 હોય છે . business,ઇન્ફોસિસ બોર્ડ રૂમના ચાલી રહેલા વિવાદ પછી નંદન નીલેકનીને આજે ઇન્ફોસિસના નવા ચેરમેન બનાવ્યા છે . વિશાલ સિક્કાના ઇન્ફોસિસના સીઇઓ પદેથી રાજીનામું આપ્યા પછી કંપનીમાં ચાલી રહેલા વિવાદનો અંત લાવવા તેમને નવા ચેરમેન બનાવવામાં આવ્યા છે . તેમને દેશી બીજી મોટી આઇટી કંપનીના નવા નોન એક્ઝિક્યૂટીવ ચેરમેન બનાવવામાં આવ્યા છે . અને ત્વરિત પ્રભાવ સાથે તેમના આ જવાબદારી સોંપવામાં આવી છે . ઉલ્લેખનીય છે કે ઇન્ફોસિસના ચેરમેન આર શેષાસયી અને કો ચેરમેન રવિ વેંકટેશન પણ પોતાના પદેથી રાજીનામું આપ્યું છે જે બાદ નંદન નીલેકનીને આ જવાબદારી સોંપવામાં આવી છે . વધુમાં વિશાલ સિક્કાના રાજીનામા બાદ શેરમાર્કેટમાં પણ ઇન્ફોસિસને શેયર પડ્યા હતા . ત્યારે ઇન્ફોસીસના ભૂતપૂર્વ સીઇઓ નારાયણ મૂર્તિને મદદ કરવા ઇન્ફોસિસના કો - ફાઉન્ડર નીલેકની ફરીથી આ કંપનીમાં જોડાયા છે . જેથી કંપનીને હાલની પરિસ્થિતમાંથી બહાર નીકાળી શકાય . sports,"કિંગ્સ ઇલેવન પંજાબ ટીમે ગુરુવારે હિમાચલ પ્રદેશ ક્રિકેટ સંઘ મેદાન પર રમાયેલ ઇન્ડિયન પ્રીમિયર લીગની છઠ્ઠી સિઝનના 67મી મેચ અને પોતાની 15મા મુકાબલામાં દિલ્હી ડેરડેવિલ્સને 7 રનોથી હરાવી દીધું . આ જીતની સાથે પ્લેઓફમાં પહોંચવા માટે કિંગ્સ ઇલેવનની આશાઓને જીવંત બની રહી છે પરંતુ આના માટે તેણે સમીકરણોને પોતાના હકમાં આવવા માટે રાહ જોવી પડશે . આ જીત બાદ કિંગ્સ ઇલેવનના 12 પોઇન્ટ થઇ ગયા છે . તેનું પ્લેઓફમાં પહોંચવું હવે રાયલ ચેલેન્જર્સ બેંગલોર અને સનરાઇઝર્સ હૈદરાબાદની હાર પર નિર્ભર કરે છે . જોકે કિંગ્સ ઇલેવનના અંતિમ ચાર માટે ક્વાલિફાઇ કરવા માટે મુંબઇ ઇન્ડિયન્સની સામે પોતાની છેલ્લી લીગ મેચ કોઇપણ હિસાબે જીતવી પડશે . ટોસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી કિંગ્સ ઇલેવન પંજાબે દિલ્હી ડેરડેવિલ્સને જીતવા માટે 172 રનોનું લક્ષ્ય આપ્યું હતું પરંતુ દિલ્હીની ટીમ લક્ષ્યનો પીછો કરતા લયથી ભટકી ગઇ અને 20 ઓવરમાં સાત વિકેટ પર 164 રન જ બનાવી શકી . દિલ્હીની 15 મેચોમાં 12મી હાર છે . કિંગ્સ ઇલેવન પંજાબ તરફથી એડમ ગિલક્રિસ્ટે શાનદાર 42 , શોન માર્શે 45 , ડેવિડ મિલરે 44 રનોનું યોગદાન આપ્યું હતું . જ્યારે દિલ્હી તરફથી નેહરાએ 2 વિકેટ અને મોર્કલ અને ઇરફાન પઠાણે 1 - 1 વિકેટ જડપી . પંજાબે આપેલા લક્ષ્યનો પીછો કરવા મેદાને ઉતરેલી દિલ્હીની ટીમ તરફથી બેન રોહરેરે સર્વાધિક 49 રન નોંધાવ્યા હતા , જ્યારે મહેલા જયવર્ધનેએ 39 અને વીરેન્દ્ર સહેવાગે 30 રનોનું યોગદાન આપ્યું . પંજાબની ટીમ તરફથી સંદીપ શર્માએ 23 રન આપીને શાનદાર 3 વિકેટ ઝડપી જ્યારે પીયુષ ચાવલાએ 2 વિકેટ અને પ્રવિણ કુમાર અને પરવિન્દર આવાનાએ 1 - 1 વિકેટ લીધી હતી ." entertainment,"ગત 1લી નવેમ્રે રિલીઝ થયેલ રાકેશ રોશન દિગ્દર્શિત ક્રિશ 3 ફિલ્મે બૉક્સ ઑફિસ ઉપર અત્યાર સુધીના તમામ રેકૉર્ડ તોડી નાંખ્યા છે . ફિલ્મ એક દિવસમાં આ વર્ષની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની ગઈ છે , તો બીજી બાજુ ક્રિશે શાહરુખની ચેન્નઈ એક્સપ્રેસ ફિલ્મને પાછળ મૂકી દીધી છે . ક્રિશ 3એ રિલીઝના ચોથા દિવસે 35.91 રુપિયાની કમાણી કરી હતી , જ્યારે શાહરુખની ચેન્નઈ એક્સપ્રેસે ચોથા દિવસે 33 કરોડ રુપિયાનો બિઝનેસ કર્યો હતો . આ સાથે જ ક્રિશ 3 ફિલ્મે બૉક્સ ઑફિસ ઉપર સો કરોડ રુપિયાની કમાણીનો આંક પણ ઓળંગી લીધો છે . નોંધનીય બાબત એ છે કે શાહરુખ ખાનના બૅનર રેડ ચિલીઝ એંટરટેનમેંટના ઉપખંડ રેડ ચિલીઝ વીએફએક્સે ક્રિશ 3ના સ્પેશિયલ ઇફેક્ટ્સ માટે કામ કર્યું છે કે જેની પડતર લગભગ 26 કરોડ રુપિયા છે . ક્રિશ 3 2003માં રિલીઝ થયેલી કોઈ મિલ ગયાથી શરુઆત કરનાર આ ફ્રેંચાઇઝીની ત્રીજી ફિલ્મ છે . ફિલ્મમાં હૃતિક રોશન ટ્રિપલ રોલમાં છે , તો વિવેક ઓબેરૉય નેગેટિવ રોલમાં છે . તેને માત્ર માથુ અને બે આંગળીયો જ ઉઠે છે . પ્રિયંકા ચોપરા હીરોઇન છે , તો કંગના રાણાવત સુપરવુમન તરીકે વિલનના રોલમાં છે ." entertainment,"ગોર્જિયસ સલ્ટ્રી હૉલીવુડ અભિનેત્રી જેસિકા અલ્બા તાજેતરમાં એક ક્ષોભજનક પરિસ્થિતિનો ભોગ બન્યાં કે જ્યારે તેઓ ન્યુયૉર્ક ખાતે હોલ ફૂડ્સ લૉકેશનમાં પહોંચ્યા હતાં . ધ સિન સિટી ઍ ડેમ ટૂ કિલ ફૉર ફિલ્મના અભિનેત્રી જેસિકા અલ્બા જ્યારે ચાલી રહ્યા હતાં , ત્યારે તેમનું સ્કર્ટ હવાના કારણે ઉડ્યું . જોકે જેસિકા અલ્બા બોલ્ડ વુમન છે અને તેમણે પોતાની જાતને ઘાતક વૉર્ડરોબ માલફંક્શનમાંથી બચાવવાનો પ્રયત્ન કર્યો . કૅમેરામાં આવુ કંઇક કેદ થતા પહેલા તેઓ સંભળી ગયાં . જેસિકા અલ્બાએ પોતાના હાથ વડે ઉડતા સ્કર્ટને દબાવી દીધું . ધ ઑનેસ્ટ કમ્પનીના કો - ફાઉંડર જેસિકા અલ્બાએ વૉર્ડરોબ માલફંક્શનમાંથી ઉગર્યા બાદ કૅમેરા સામે સ્મિત ફકરાવ્યું . જેસિકા અલ્બા જાણીતા હૉલીવુડ અભિનેત્રી છે . તેઓ છેલ્લે સિન સિટી ઍ ડેમ ટૂ કિલ ફૉર ફિલ્મમાં દેખાયા હતાં . તેમણે તાજેતરમાં જ એંટરટેનમેંટ વીકલી મૅગેઝીનના કવર પેજ માટે એક હૉટ ફોટોશૂટ કરાવ્યું હતું . મૅગેઝીનના કવર પેજ પર જેસિકા અલ્બા પલળેલી કાયામાં ખૂબ જ સુંદર - સેક્સી અને હૉટ નજરે પડતા હતાં . . ચાલો બતાવીએ જેસિકા અલ્બાનું વૉર્ડરોબ માલફંક્શન અને જાણીએ તેમના વિશે :" sports,"કીરોન પોલાર્ડની અણનમ 66 રનોની તોફાની પારીના જોરે મુંબઇ ઇન્ડિયન્સે વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલ આઇપીએલની 62મી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદને સાત વિકેટથી હરાવી દીધું . આ જીતે મુંબઇને 20 પોઇન્ટની સાથે નવ ટીમોના લીસ્ટમાં પ્રથમ ક્રમે લાવી દીધું છે . સનરાઇઝર્સે શિખર ધવન 59 રનોના નેતૃત્વમાં પોતાના બેટ્સમેનાના સારા પ્રદર્શનના કારણે મુંબઇની ટીમની સામે જીતવા માટે 179 રનોનું લક્ષ્ય આપ્યું હતું , જે મુંબઇની ટીમ માટે મુશ્કેલી પેદા કરી શકી નહી અને યજમાન ટીમે ત્રણ વિકેટ ગુમાવીને 19.3 ઓવરોમાં પોતાની જીત નોંધાવી દીધી . આ જીત પોલાર્ડની તોફાની પારીના કારણે મુશ્કેલીમાંથી સરળ બની ગઇ . એક સમયે 24 બોલોમાં જીતવા માટે 62 રનોની જરૂરત હતી . પોલાર્ડે ડેલ સ્ટેન દ્વારા ફેંકવામાં આવેલ 16મી ઓવરમાં સંઘર્ષ કર્યા બાદ આવનાર બે ઓવરોમાં કપ્તાન રોહિત શર્માની અણનમ 20 રન સાથે મળીને 50 રન બનાવ્યા . મુંબઇ ઇન્ડિયન્સની ટીમે વાનખેડે સ્ટેડિયમમાં સતત સાતમી મેચમાં જીત મેળવી લીધી છે . હવે ટીમની 14 મેચોમાં 20 પોઇન્ટ થઇ ગયા છે અને મુંબઇ ટીમ પોઇન્ટ ટેબલમાં પહેલા નંબર પર છે . સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ પાંચમાં સ્થાન પર છે . ટીમના 14 મેચોમાં 16 પોઇન્ટ છે ." business,"ચાવીરૂપ ઇન્ડેક્સ નવેસરથી વર્ષની સૌથી ઊંચી સપાટી ઉપર પહોંચે તેવી શક્યતા છે . એસબીઆઈ , ટાટા સ્ટીલ , લાર્સન એન્ડ ટુબરો તરફથી કોર્પોરેટ કમાણીના આંકડા જાહેર કરવામાં આવનાર છે . આ તમામ કંપનીના આંકડા ખૂબ સારા રહે તેવી શક્યતા છે જેથી બજારમાં તેજી આવવાના સંકેત દેખાઈ રહ્યા છે . આગામી સિઝનમાં વેચવાલીનું દબાણ 6150 અને 6200 ( નિફ્ટી ) સપાટી ઉપર જોઈ શકાય છે . મૂડીરોકાણકારો પ્રોફીટ બુકીંગની સ્થિતિમાં નજરે પડે તેવી શક્યતા છે . આ સપ્તાહમાં કમાણી ફરી એકવાર જોવા મળશે . માર્ચ ત્રિમાસિક ગાળાના પરિણામો જાહેર કરવામાં આવનાર છે . હાલમાં સેન્સેક્સ અઢી વર્ષની ઊંચી સપાટીએ છે . આગામી મોટી સપાટી 21000ની જોવા મળી શકે છે . લિક્વિડીટીની સ્થિતિ પણ ચર્ચાસ્પદ બની છે . આ મહિનાના ગાળામાં હજુ સુધી બીએસઈ બેન્ચમાર્ક સેન્સેક્સમાં ત્રણ ટકાનો વધારો થયો છે . સેન્સેક્સ 20286ની સપાટીએ બંધ રહ્યો હતો જે 5મી જાન્યુઆરી 2011 બાદથી સૌથી ઊંચી સપાટી છે . જાણકાર નિષ્ણાંતોનું કહેવું છે કે સેન્સેક્સ ટૂંકાગાળામાં 21000ની ઊંચી સપાટી ઉપર પહોંચી શકે છે . કારણ કે વિદેશી મૂડીરોકાણકારોનો પ્રવાહ જોવા મળી રહ્યો છે . રોકાણકારોનો આત્મવિશ્વાસ અકબંધ રહ્યો છે . આ તમામ પરિબળોને જોતા શેરબજારમાં આ સપ્તાહમાં ખૂબ સારી સ્થિતિ રહી શકે છે . રોકાણ કરવાની યોગ્ય તક દેખાઈ રહી છે ." sports,"નવી દિલ્હી , 13 એપ્રિલઃ સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમે ફિરોજશાહ કોટલા મેદાન પર શુક્રવારે રમાયેલી આઇપીએલની 14મી મેચમાં દિલ્હી ડેરડેવિલ્સને ત્રણ વિકેટથી હરાવી દીધું . મેજબાન ટીમનો સતત આ ચોથો પરાજય છે જ્યારે સનરાઝર્સે આ ત્રીજો વિજય નોંધાવ્યો છે . સનરાઇઝર્સ હૈદરાબાદે દિલ્હીને પહેલા 114 રન પર રોક્યું , પરંતુ આ નાના સ્કોરનો પીછો કરતા તેમની બાજી પણ લડખડાઇ ગઇ હતી . આખરી ઓવર્સમાં તેમણે કોઇ મોટી ભૂલ કરી નહીં અને ત્રણ વિકેટથી મેચ જીતી લીધી . હૈદરાબાદ તરફથી અક્ષત રેડ્ડીએ 1 , પાર્થિવ પટેલે 19 , કુમાર સંગાકારાએ 28 , હુનમા વિહારીએ 17 રન બનાવ્યા . કેમરોન વ્હાઇટ 4 અને તિસારા પરેર 2 રન જ બનાવી શક્યા . આશીષ રેડ્ડીએ અંતિમ ઓવરમાં 9 બોલમાં 16 રન બનાવ્યા . અમિત મિશ્રાએ 14 બોલમાં 16 અને સ્ટેન 5 બોલમાં 9 બનાવ્યા . બન્ને અણનમ રહ્યા હતા . આ પહેલા ડેલ સ્ટેનના આગેવાનીમાં બોલર્સે શાનદાર પ્રદર્શન કરી સનરાઇઝર્સ હૈદરાબાદે દિલ્હી ડેરડેવિલ્સને આઠ વિકેટ પર 114 રનના સ્કોર પર રોકી . સ્ટેને ચાર ઓવરમાં 11 , પરેરાએ 31 અને ઇશાંત શર્માએ 35 રન આપીને 2 - 2 વિકેટ મેળવી . અમિત મિશ્રા અને આનંદ રાજને પણ સારી બોલિંગ કરતા એક - એક વિકેટ હાંસલ કરી હતી . દિલ્હીના બેટ્સમેન સારી શરૂઆતને મોટી ઇનિંગમાં બદલામાં નિષ્ફળ રહ્યાં . ટીમ તરફથી સૌથી મોટી ભાગીદારી ધીરજ જાધવ ( અણનમ 30 ) અને ઇરફાન પઠાણ ( 23 ) વચ્ચે છઠ્ઠી વિકેટ માટે 30 રનની રહી . જાધવ ડેલ સ્ટેને હૈદરાબાદની ટીમને શાનદાર શરૂઆત અપાવી , જ્યારે તેમણે ઓવરના ચોથા બોલ પર જ ગત બે મેચોમાં અડધી સદી ફટકારનારા ડેવિડ વોર્નરને શૂન્ય રન પર રાજનના હાથે કેચ આઉટ કરાવી દીધો . આઇપીએલ છની ચાર મેચોમાં આ ત્રીજી વખત બન્યું હશે જ્યારે દિલ્હીનો કોઇ ખેલાડી શૂન્ય રન બનાવીને પેવેલિયન ભેગો થઇ ગયો હોય . ઉન્મુક્ત ચંદ આ પહેલા બે વાર શૂન્ય રન પર આઉટ થઇ ગયો હતો . દિલ્હીના સુકાની મહેલા જયવર્ધને પહેલી જ બોલમાં ભાગ્યશાળી રહ્યો જ્યારે સ્ટેનની આઉટ સ્વિંગર તેના બેટના કિનારાને લાગીને ગઇ , પરંતુ વિકેટકીપર પાર્થિવ પટેલ તેનો કેચ પકડી શક્યો નહીં . સ્ટેનની પહેલી ઓવર મેડન રહી . જયવર્ધને ( 12 ) એ ઇશાંતની ઓવરમાં છગ્ગો ફટકાર્યો પરંતુ તેની ઝડપી બોલને ફટકારવા જતા સ્ટેનના હાથે સહેલાઇથી કેચ આઉટ થઇ ગયો હતો . પહેલી ત્રણ મેચોમાં પરાજય થયા બાદ દિલ્હીની ટીમને આઇપીએલ છમાં પોતાની પહેલી મેચ રમી રહેલા વિરેન્દ્ર સેહવાગથી ઘણી આશાઓ હતી , પરંતુ તે 12 રનના વ્યક્તિગત સ્કોર પર ઇશાંતની ઓવરમાં કેમરોન વ્હાઇટના હાથે કેચ આઉટ થયો હતો . યોહાન બોથાએ ઇશાંતને હેટટ્રિક લેતા રોક્યો હતો . દિલ્હીની ટીમ પાવર પ્લેના છઠ્ઠા ઓવરમાં 29 રન જ જોડી શકી , બોથા અને મનપ્રીત જુનેજા ( 15 ) એ વિકેટો પડવાના ક્રમને રોક્યો પરંતુ તે દરમિયાન ધીમી બેટિંગ કરી . બોથા પર રનરેટ વધારવાનું દબાણ સ્પષ્ટ જણાઇ રહ્યું હતું અને આ દબાવમાં તે પોઇન્ટ પર અક્ષત રેડ્ડીને કેચ આપી બેઠો . તેણે નવ રન બનાવ્યા હતા . મિશ્રાએ જુનેજાને પોઇન્ટ પર વ્હાઇટના હાથે કેચઆઉટ કરાવ્યો . પઠાણ અને જાધવે ત્યારબાદ ઇનિંગ સંભાળી , જાધવે 17મી ઓવરમાં ઇશાંતને નિશાન બનાવતા નો બોલ પર ચોગ્ગો અને પછી ફ્રી હિટ પર છગ્ગો ફટકારવાની સાથે 17 રન બનાવ્યા હતા . પઠાણ જો કે , પરેરાની ઓવરમાં રન ફટકારવા જતા બાઉન્ડ્રી પર વિહારીના હાથે ઝલાઇ ગયો હતો . તેણે 30 બોલની પોતાની ઇનિંગમાં એક ચોગ્ગો માર્યો . પરેરાએ આ જ ઓવરમાં મોર્કલને પણ પેવેલિયન ભેગો કર્યો હતો ." sports,"ટીમ ઇન્ડિયા હાલ વનડે ક્રિકેટ થકી પોતાના તમામ ટીકાકારોના મોઢે તાળા લગાવવામાં સફળ રહી છે . ઇંગ્લેન્ડમાં ટેસ્ટ શ્રેણીમાં જે કારમો પરાજય મળ્યો હતો તેના પછી વનડે શ્રેણી થકી ટીમ ઇન્ડિયાએ પુરનાગમન કરતા 3 - 1થી શ્રેણી જીતી લીધી . આ જોઇને દરેક ક્રિકેટ ચાહક ખુશ હશે , પરંતુ વાત જ્યારે આગામી વિશ્વકપ અંગે કરવામાં આવે તો ટીમમાં અનેક ઉણપો હોવાનું જણાઇ આવે છે . આગામી વર્ષે ભારત જ્યારે આઇસીસી વિશ્વકપ રમવા માટે ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા પહોંચશે ત્યારે તેના પર વિશ્વકપના ટાઇટલને જાળવી રાખવાનું દબાણ હશે , પરંતુ હાલની ટીમને જોવામાં આવે તો વિશ્વકપમાં બીસીસીઆઇ નવી ટીમને ઉતારવાનું વિચારી રહી છે અને જો એવું થાય તો ભારત માટે પોતાની બાદશાહતને જાળવી રાખવું મુશ્કેલ થઇ જશે . વિશ્વકપ 2011માં ભારતનું પ્રતિનિધિત્વ કરનારાઓમાંથી માત્ર ત્રણ ખેલાડી જ હાલની ટીમમાં છે . જેમાં સુકાની મહેન્દ્ર સિંહ ધોની , વિરાટ કોહલી અને સુરેશ રૈના . જ્યારે ભારતને આ ઐતિહાસિક પળો આપનારી આખી ટીમ બદલાઇ ગઇ છે . 2011માં મેન ઓફ ધ ટૂર્નામેન્ટ બનેલો યુવરાજ સિંહ ઘણા લાંબા સમયથી ટીમની બહાર છે . તો હરભજન અને ઝહીર ખાન માટે પણ ટીમમાં પરત ફરવું મુશ્કેલ છે . મુનાફ પટેલ જાણે કે ક્યાંક ગાયબ થઇ ગયો હોય તેવું લાગી રહ્યું છે . તો ગૌતમ ગંભીર અને વિરેન્દ્ર સેહવાગ પણ ટીમની બહાર છે . જ્યારે મહાન ક્રિકેટર સચિન તેંડુલકરની વાત કરવામાં આવે તો તેમણે નિવૃત્તિ લઇ લીધી છે . તો ચાલો તસવીરો થકી જાણીએ કે શું આ ખેલાડીઓ વગર ભારત વિશ્વકપનો ખિતાબ પોતાની પાસે જાળવી રાખશે ખરું ?" sports,ટી20 વર્લ્ડકપ 2016 ના વિજેતા બન્યા બાદ જીતના જશ્નમાં ચુર બનેલા વેસ્ટઇન્ડીઝ ખેલાડી સેમ્યુલે ગેરવર્તનની બધી જ હદ પાર કરી નાખી . સેમ્યુલ એટલો બધો હોશ ઘુમાવી બેઠો કે તેને મિડિયાને પણ ના છોડ્યા . પ્રેસ કોન્ફેરંસ દરમિયાન સેમ્યુલ તેના બંને પગ ટેબલ પર રાખીને બેઠો અને ત્યારબાદ તેને મિડિયા સાથે વાતચિત ચાલુ કરી . સેમ્યુલના આ આપતિજનક વ્યવહાર પર દુનિયાભરના મિડિયાએ પ્રતિક્રિયા આપી છે અને તેને ક્રિકેટનું અપમાન ગણાવ્યું છે . જે જાણકારી મળી રહી છે તે મુજબ સેમ્યુલની શર્મનાક હરકત પર આઈસીસી તેની વિરુદ્ધ પગલા પણ લઇ શકે છે . સેમ્યુલ ટી20 વર્લ્ડકપ 2016 ની ફાઈનલ મેચમાં 66 બોલમાં 85 રણ બનાવ્યા હતા અને વેસ્ટ ઇન્ડીઝને જીત અપાવી હતી . સેમ્યુલની આ બેટિંગ માટે તેને મેન ઓફ ધ મેચ પણ જાહેર કરવામાં આવ્યો . આપણે જણાવી દઈએ કે આ પહેલા પણ સેમ્યુલ પર ગેરવર્તન કરવા માટે દંડ લાગી ચુક્યો છે . entertainment,30 એપ્રિલે બોલીવૂડ ડિમશેલ બિપાશા બસુ અને કરણ સિંહ ગ્રોવરના લગ્ન થવાના છે . ત્યારે બિપાશા બસુ અને કરણના લગ્નની વિધિ અને તેના કાર્યક્રમોની શરૂઆત થઇ ગઇ છે . હાલમાં જ તેમના લગ્નની પૂજા વિધિ કરવામાં આવી હતી . જેમાં શ્યામ ગુલાબી સાડીમાં બિપાશા લાગુ રહી હતી સુંદર તો વાઇટ કૂર્તામાં કરણ પણ લાગી રહ્યો હતો સુપર ડેશિંગ . ત્યારે બિપાશા અને કરણના લગ્નના કાર્યક્રમોનું લિસ્ટ આ મુજબ છે . OMG ! જીમમાં બિપાશા અને કરણ સિંહ ગ્રોવર કર્યો ખુલ્લેઆમ રોમાન્સ ! 29 એપ્રિલના રોજ જુહુની એક ક્લબમાં બિપાશા અને કરણની મહેંદી સેરેમની યોજવામાં આવશે . અને 30 એપ્રિલના રોજ લગ્ન જે બાદ 30મી સાંજે બન્ને એક રિસેપ્શન પાર્ટી આપી બોલીવૂડમાં ફેન્ડને જમણ આપશે . નોંધનીય છે કે બિપાશા કરણના આ લગ્ન અને અન્ય વિધિમાં ખાલી પરિવારના લોકો અને મિત્રો જ હાજર રહેવાના છે . ત્યારે હાલથી જ બિપાશાને લગ્નની ભેટા મળવા લાગી છે ત્યારે આ હોટ કપલની પૂજા વિધિની ખાસ તસવીરો જુઓ આ ફોટોસ્લાઇડરમાં . . . . entertainment,"સૈફ અલી ખાન તાજેતરમાં જ દિલ્હી મીડિયા સામે નારાજ થઈ ગયાં અને નારાજગીમાં જ તેમણે જણાવ્યું કે તેઓ હવે ક્યારેય દિલ્હી આવી ઇંટરવ્યૂ નહીં આપે . મુંબઈમાં જ ઇંટરવ્યૂ આપશે , કારણ કે દિલ્હી આવવુ બહુ મુશ્કેલીભર્યું રહે છે . સૈફની આ નારાજગીનું કારણ હતું કે તેઓ દિલ્હીમાં ચૂંટણી પંચ દ્વારા યોજાયેલ એક ઈવેંટમાં પોતાના સાથી કલાકારો સાથે ચાર કલાક મોડા પહોંચ્યાં . સૈફ મોડા પહોંચતા મીડિયાએ તેમની પાસે માફી માંગવાની માંગ કરી , પણ પહેલા તો સૈફ ઇગ્નોર કર્યું . પછી સૈફે જણાવ્યું કે ભૂલ તેમની નથી અને માફી જો માંગવી જ હોય , તો ચૂંટણી અધિકારીઓએ માંગવી જોઇએ . સૈફની આ વાતથી મીડિયાને ખોટુ લાગી ગયું . ઉપરાંત સૈફે એમ પણ કહ્યું કે જો કોઇએ માફી માંગવી હોય , તો ચૂંટણી અધિકારીઓએ માંગવી જોઇએ , કારણ કે તેમણે યોગ્ય સમયે માહિતી આપી નહોતી , પરંતુ સૈફના આ વ્યવહારને ખોટું પણ ન ગણી શકાય , કારણ કે શક્ય છે કે સૈફની ભૂલ ન પણ હોય . તેથી તેમણે માફી નહીં માંગી . સૈફનો અનુભવ વનઇન્ડિયાને છે . સૈફનું ઇંટરવ્યૂ જ્યારે વનઇન્ડિયાએ લીધું , ત્યારે તેઓ મોડા પહોંચ્યા હતાં . તે વેખતે તેમણે કહ્યુ હતું કે મોડા પહોંચવા બદલ તેઓ માફી માંગે છે . સૈફ અલી ખાન આજકાલ બુલેટ રાજા ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે કે જેમાં તેમની સાથે સોનાક્ષી સિન્હા છે ." sports,"ગ્લાસગો , 29 જુલાઇઃ કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનું પ્રદર્શન છઠ્ઠા દિવસે પણ શાનદાર રહ્યું છે . ભારતે શૂટિંગમાં ત્રણ પદક મેળવ્યા છે . પાંચમા દિવસે વેટલિફ્ટિંગમાં સુવર્ણ , રજત અને કાંસ્ય પદક , શૂટિંગમાં રજત અને કાંસ્ય પદક જીત્યું છે . જીતુ રાયે પુરુષ 50 મિટર પિસ્તોલ શૂટિંગમાં સુવર્ણ પદક જીત્યો છે . ગુરપાલ સિંહે પુરુષ 50 મિટર પિસ્તોલ શૂટિંગ રજત પદક જીત્યો છે . ગુરપાલ સિંહે પુરુષ 50 મિટર પિસ્તોલ શૂટિંગ રજત પદક જીત્યો છે . સતિષ શિવાલિંગમે પુરુષ વેટલિફ્ટિંગ 77 કેજીમાં સુવર્ણ પદક જીત્યો છે . તો ચાલો તસવીરો થકી જાણીએ કે કોમનવેલ્થ ગેમ્સના ત્રણ દિવસમાં ભારતે કઇ કઇ રમતમાં પદક જીત્યા છે . આ સીડબલ્યુજીમાં ભારતના અત્યારસુધીમાં 10 પદક થઇ ગયા છે અને આ યાદીમાં ભારત ચોથા ક્રમે છે ." sports,"બેંગ્લોરમાં રમાયેલી સાતમી અને અંતિમ મેચ મેચના પ્રથમ દાવમાં રોહિત શર્માએ જબરજસ્ત બેટીંગ કરી હતી , તે વિશ્વના ત્રીજા ક્રમના એવા ખેલાડી બની ગયા છે જેમને વન - ડેમાં 200 રન ફટકાર્યા હોય . તેમને 158 બોલમાં તેને 209 રન બનાવ્યા છે . તેમાં 16 સિક્સર અને 12 ચોગ્ગાનો સમાવેશ થાય છે . રોહિત શર્માની ધમાકેદાર ઇનિંગના કારણે ભારતે આ મેચ 57 રનથી જીતી લીધી હતી . રોહિત શર્માએ પહેલાં ભારતના બે ખેલાડી સચિન તેન્ડુલકર અને વિરેન્દ્ર સહેવાગ 200 અથવા તેનાથી વધુ રન બનાવી શક્યા છે . સચિને અણનમ 200 રન બનાવ્યા હતા અને વિરેન્દ્ર સહેવાગે 219 રન બનાવ્યા હત . રોહિત શર્માએ કોઇપણ ભારતીય ખેલાડી દ્વારા સૌથી વધુ સિક્સર ફટકારવનો રેકોર્ડ પણ તોડ્યો છે . રોહિત શર્માએ પોતાની ઇનિંગમાં 16 સિક્સર ફટકારી હતી . અંતિમ ઓવરોમાં ઓસ્ટ્રેલાઇ બોલરો હાંફળા - ફાંફળા બની ગયા હતા . રોહિત શર્મા મેદાનમાં ચારેબાજુ ચોગ્ગા અને સિક્સર ફટકારી રહ્યાં હતા . અંતિમ પાંચ ઓવરોમાં ભારત દ્વારા 101 રન બનાવવામાં આવ્યા હતા . બેગ્લોર વન - ડેમાં ઓસ્ટ્રેલાઇ ટીમને પોતાના ફાસ્ટ બોલર મિશેલ જોનસનની યાદ જરૂર આવી ગઇ હશે . 209 રન બનાવીને રોહિત શર્મા આઉટ થઇ ગયા હતા , પરંતુ આ સ્કોર પોતાના માટે એક મોટો સ્કોર હતો . ગત મેચમાં સાઉથ આફ્રિકા વિરૂદ્ધ રમી રહેલી પાકિસ્તાનની આખી ટીમે 209 રન બનાવ્યા હતા . રોહિત શર્માની ધમાકેદાર ઇનિંગના કારણે ભારતે ઓસ્ટ્રેલિયા સમક્ષ 384 રનનો પહાડ જેવો લક્ષ્ય રાખ્યો હતો . જો ઓસ્ટ્રેલાઇ ટીમ સારી રીતે બેટીંગ કરતી તો મુકાબલો રોચક બની શકતો . સીરીઝના સાતમા અને અંતિમ મેચમાં ભારતે ટોસ હાર્યો હતો અને ઓસ્ટ્રેલિયાએ તેને પ્રથમ બેટીંગ માટે આમંત્રણ આપ્યું હતું . શિખર ધવનની સાથે રોહિત શર્માએ ઓપનિંગ પર ઉતર્યા હતા . રોહિત શર્માએ સારી શરૂઆત કરી હતી . ઓપનિંગ સારી રહી હતી પરંતુ કુલ 112 રનના સ્કોર પર શિખર ધવન આઉટ થઇ ગયો હતો . તેમને 57 બોલમાં 60 રન બનાવ્યા હતા ." entertainment,પહેલા એવું હતું કે સાઉથની હિરોઇનો ખાલી સાઉથમાં ફેમસ હતી . વધુમાં તેમની કદર હંમેશા બોલીવૂડની હિરોઇનો કરતા ઓછી જ કરાતી . અને ભાગ્યેજ અહીંના મેગેઝિન કે પછી એડમાં સાઉથ હિરોઇનોના ફોટા જોવા મળતા . પણ આજકાલના ઇન્ટનેટના જમાનામાં દુનિયા નાની થઇ રહી છે . અને તે સાથે જ સાઉથ ઇન્ડિયન હિરોઇનોની બોલબાલા વધવા લાગી છે . માટે જ હવે જે મેગેઝિન પહેલા માત્ર અને માત્ર બોલીવૂડની અભિનેત્રીઓને જ તેમના કવર પેઝ પર રાખતા હતા . તે પણ સાઉથ હિરોઇનોને પણ હોંશભેર કવરપેઝ પર મૂકી રહ્યા છે . ત્યારે કયા કયા જાણીતા મેગેઝિન કે જેની પર પહેલા બોલીવૂડની જ હિરોઇનો જેવા મળી હતી તેની પણ સાઉથ ઇન્ડિયન હિરોઇનોએ કબજો જમાવ્યો છે તે જાણો આ ફોટોસ્લાઇડરમાં . . . sports,"ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ચોથી ટેસ્ટ મેચમાં પુજારાના શાનદાર પ્રદર્શન પછી આ સિરીઝમાં પહેલી ટેસ્ટ મેચ રમી રહેલા કુલદીપ યાદવે ઑસ્ટ્રેલિયન ટીમને પોતાની ચુંગાલમાં ફસાવીને 300 રન પર પીલ્લું વાળી દીધું . આ દરમિયાન કુલદીપ યાદવે 5 વિકેટ લીધી . કુલદીપ યાદવે 5 વિકેટ મેળવીને એક નવો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે . કુલદીપ યાદવની ટેસ્ટમાં બીજી 5 વિકેટ છે કુલદીપ યાદવે સૌથી પહેલા પોતાની ફિરકીમાં ઉસ્માન ખ્વાજાને ફસાવ્યો . ઉસ્માન ખ્વાજા એ 27 રન બનાવ્યા હતા . ત્યારપછી ટ્રેવિસ હેડ ( 20 ) , ટિમ પેન ( 05 ) , નાથન લિયોન ( 00 ) અને જોશ હેઝલવૂડ ( 23 ) ની વિકેટ લીધી . કુલદીપ યાદવે સૌથી પહેલા રાજકોટમાં વેસ્ટઇંડીઝ વિરુદ્ધ 5 વિકેટ લીધી હતી . હિટમેન રોહિત શર્માના આ રેકોર્ડને હજુ કોઈ ટચ પણ નથી કરી શક્યું કુલદીપ યાદવ છેલ્લા 6 વર્ષમાં ઑસ્ટ્રેલિયામાં 5 વિકેટ લેનાર પહેલા મેઝબાન સ્પિનર બોલર છે . તેના પહેલા વર્ષ 2012 દરમિયાન શ્રીલંકાના રંગના હેરાથે આ કારનામો કર્યો હતો . હવે જો લેફ્ટ આર્મ સ્પિનર વિશે વાત કરવામાં આવે તો તેના પહેલા વર્ષ 1955 દરમિયાન જોની વારડેલે ઑસ્ટ્રેલિયામાં 5 વિકેટ લીધી હતી . આપને જણાવી દઈએ કે વર્ષ 2005 પછી પહેલીવાર ઓસ્ટ્રેલિયા ફોલોઓન રમી રહી છે . આ પહેલા તેમને વર્ષ 2005 દરમિયાન ઇંગ્લેન્ડ સામે ફોલોઓન રમ્યું હતું ." entertainment,"આપણે બધાને જ વર્ષ 2008 માં આવેલી ફિલ્મ રોક ઓન તો ચોક્કસથી યાદ હશે . આ ફિલ્મને નેશનલ એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો . હવે આ જ સુપરહિટ ફિલ્મની સિક્વલ આવી રહી છે રોક ઓન 2 . ફિલ્મમાં ફરહાન અખ્તર , શ્રદ્ધા કપૂર , અર્જુન રામપાલ અને પૂરબ કોહલી મુખ્ય રોલ માં જોવા મળશે . ફિલ્મનું ટ્રેલર ધમાકેદાર છે . મ્યુઝિક અને ટ્વિસ્ટથી ભરેલું ટ્રેલર તમને ફિલ્મ જોવા માટે મજબુર કરી દેશે . આ ફિલ્મમાં નવા લોકોને પણ શામિલ કરવામાં આવ્યા છે . જેમાં સૌથી મોટું નામ છે શ્રદ્ધા કપૂર . આપણે જણાવી દઈએ કે રોક ઓન 2 એક મ્યુઝિક ફિલ્મ છે . જેમાં ફરહાન અખ્તર શ્રદ્ધા કપૂરને સિંગર બનવા માટે પ્રોત્સાહન આપે છે . હવે એ જોવું ખુબ જ રસપ્રદ રહશે કે પહેલી રોક ઓન ફિલ્મની જેમ આ ફિલ્મ પણ બધા એવોર્ડ પોતાના નામે કરી શકશે કે નહિ . તો એક નજર કરો ફિલ્મના ટ્રેલર પર . . ." entertainment,લોકપ્રિય ટેલીવિઝન શો બડે અચ્છે લગતે હૈં બુધવારે 500 એપિસોડનો થઈ ગયો . અભિનેત્રી સાક્ષી તંવર તથા અભિનેતા રામ કપૂર આ સીરિયલમાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યાં છે . નિર્માત્રી એકતા કપૂરની નિર્માણ કમ્પની બાલાજી ટેલીફિલ્મ્સ નિર્મિત બડે અચ્છે લગતે હૈં સીરિયલનું પ્રસારણ મે - 2011માં શરૂ થયુ હતું . સીરિયલ એક 40 વર્ષીય વ્યવસાયી પુરુષ તથા 30 વર્ષીય મહિલાના પ્રેમ તથા દામ્પત્યની વાર્તા છે . સીરિયલના મુખ્ય પાત્રો તેમજ તેમના પરિવારના બીજા સભ્યોના જીવનમાં આ દરમિયાન અનેક ઉતાર - ચઢાવ આવ્યાં . હવે સીરિયલની વાર્તા સાત વર્ષ આગળ ચાલી રહી છે . સોની એંટરટેનમેંટ પર પ્રસારિત થતો બડે અચ્છે લગતે હૈં શો સૌથી વધુ તે વખતે ચર્ચામાં આવ્યો હતો કે જ્યારે સાક્ષી તંવર અને રામ કપૂર વચ્ચે લાંબુ ઇંટીમેટ સીન દર્શાવાયુ હતું . હાલ આ સીરિયલમાં સાક્ષીનું પાત્ર કૉમામાં છે અને તેના પતિ તેને સાજા કરવાના તમામ બનતા પ્રયત્નો કરી રહ્યાં છે . સીરિયલમાં રામ અને સાક્ષીની એક પુત્રી પિહુ પણ છે . પિહુનો રોલ હાલ આ સીરિયલમાં નકારાત્મક વળાંક લઈ ચુક્યો છે . પિહુનો રોલ ભજવી રહ્યાં છે આંચલ ગુપ્તા . આવો તસવીરો સાથે જાણીએ ટેલીવિઝન સીરિયલ બડે અચ્છે લગતે હૈં વિશે વઘુ વિગતો : business,"ભારતમાં વિક્રમ સંવત 2070 ભારતીય બજાર માટે છેલ્લાં પાંચ સંવતમાં સૌથી શ્રેષ્ઠ સાબિત થશે એમ લાગી રહ્યું છે . નવા સંવતના મુહૂર્ત ટ્રેડિંગને બે ટ્રેડિંગ સત્રો બાકી છે ત્યારે 2070 દરમિયાન બીએસઇ સેન્સેક્સે 24 ટકાનું વળતર આપ્યું છે . આ અંગે બિઝનેસ દૈનિક ઇકોનોમિક ટાઇમ્સના જણાવ્યા અનુસાર વિક્રમ સંવત 2070માં મોટા ભાગનું વળતર સંવતની ઉત્તરાર્ધમાં જોવા મળ્યું છે . જેનું મુખ્ય કારણ કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સ્થિર સરકાર હતું . તાજેતરમાં છેલ્લાં ત્રણ સપ્તાહ દરમિયાન જોકે બજાર વૈશ્વિક ઘટાડા પાછળ નરમાઈ દર્શાવી રહ્યું છે . અન્ય બજારોની સરખામણીમાં તેનો દેખાવ ચઢિયાતો રહ્યો છે . સંવત 2070 દરમિયાન સૌથી મહત્ત્વની બાબત એ હતી કે ભારતીય બેન્ચમાર્કે કોઈ મોટા કરેક્શન વિના નવી ટોચ બનાવાનું ચાલુ રાખ્યું હતું અને તે અગાઉની 21,000ની ટોચને મોટા માર્જિનથી પાર કરી 27,000ની સપાટી સુધી પહોંચ્યો હતો . બજારમાં નોંધપાત્ર સુધારા છતાં રિટેલ રોકાણકારો બજારમાં પ્રવેશતાં ખચકાતા હતા . મે મહિનામાં લોકસભા ચૂંટણીનાં પરિણામો બાદ જોવા મળેલી મિડ - કેપ્સ અને સ્મોલ - કેપ્સની તેજીથી કંઈક અંશે રોકાણકારો બજારમાં પ્રવેશ્યા હતા . જાણો કયા સંવતમાં રોકાણકારોને કેટલું રિટર્ન મળ્યું વિક્રમ સંવત 2070 - 24 ટકા વળતર વિક્રમ સંવત 2069 - 14 ટકા વળતર વિક્રમ સંવત 2068 - 8 ટકા વળતર વિક્રમ સંવત 2067 - 18 ટકા વળતર વિક્રમ સંવત 2066 - 21 ટકા વળતર" entertainment,દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના અસાધારણ પ્રદર્શન પર બોલિવૂડની અનેક હસ્તિઓએ આપના સંરક્ષક અરવિંદ કેજરીવાલના જોરદાર વખાણ કર્યા છે . ઉલ્લેખનીય છે કે કેજરીવાલે છેલ્લા ત્રણ વખતથી એર ચક્રી શાસન ચલાવતી આવતી દિલ્હીની મુખ્યમંત્રી શીલા દીક્ષિતને નવી દિલ્હી વિધાનસભા બેઠક પર હરાવી દીધા છે . દિલ્હી ચૂંટણીમાં ભાજપા - કોંગ્રેસનું સમીકરણ બગાડનાર આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં પોતાની પાર્ટીને રવિવારે મળેલી અસાધારણ અને ઐતિહાસિક સફળતાને જનતાની જીત ગણાવી છે . કનોટ પ્લેસમાં હનુમાન રોડ પર સ્થિત પાર્ટી કાર્યાલય સમક્ષ ઉજવણી કરી રહેલા કાર્યકર્તાઓની સામે ઉપસ્થિત થયેલા કેજરીવાલે જણાવ્યું કે ' આ જનતાની જીત છે . ' જેના માટે અરવિંદને આખો દેશ સલામ કરી રહ્યો છે બોલિવૂડે પણ કેજરીવાલને રીયલ હીરો ગણાવ્યા છે . ઘણી બોલિવૂડ હસ્તીઓએ સોશિયલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર કેજરીવાલના વખાણ કર્યા છે . સ્લાઇડરમાં જુઓ કોણે શું કહ્યું . . . . business,વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રેડિયો પર રાષ્ટ્રને સંબોધન દરમિયાન કહેલી પોતાની ' મનની વાત ' માં તેમણે સ્પેશિયલી એબલ્ડની સાથે સમય પસાર કરવાની વાત કરી હતી . આ વાતને કારણે સમગ્ર દેશમાં સ્પેશ્યલી એબલ્ડ એટલે કે વિકલાંગો માટે સુવિધા વધારવાના લક્ષ્યને બળ આપ્યું છે . વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકલાંગો માટે વિશેષ સુવિધા ઉભી કરવાના સપનાને દિશા આપનારો એક પ્રયત્ન ' એક્સેસિબલ ભારત અભિયાન ' આવો જ એક પ્રયત્ન છે . સ્પેશ્યલી એબલ્ડ લોકો માટે કામ કરતી સંસ્થા voiceofsap . comના શોધક પ્રણવ દેસાઇએ લોકસભા ચૂંટણી 2014 દરમિયાન એક ખાસ જુથ દ્વારા શરૂ કરવામાં આવેલા અભિયાન ' એમ્પાયરિંગ ધ સ્પેશ્યલી એબલ્ડ ' નું અભિયાન શરૂ કર્યું હતું . તેમણે નરેન્દ્ર મોદીના વિચારને વધારે સ્પષ્ટ કરતા કહ્યું કે ભારતને સ્પેશ્યલી એબલ્ડ માટે વધારે પહોંચયોગ્ય બનાવવું શા માટે મહત્વનું છે . પ્રણવ દેસાઇએ આ મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ પોતાના વિચારો રજૂ કર્યા હતા . વડાપ્રધાન મોદીએ આ વિચારને આવકારીને પોતાના મનની વાતમાં સમાવિષ્ટ પણ કર્યો હતો . આ અંગે પ્રણવ દેસાઇનું શું માનવું છે તે આગળ ક્લિક કરીને જાણો . . . sports,"મોહાલીમાં આજે ઓસ્ટ્રેલિયા અને ભારતની વચ્ચે ત્રીજી વનડે મેચ રમાઇ રહી છે . ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો . મોહાલી વનડેમાં ભારતને પ્રથમ ઝટકો શિખર ધવનના રૂપમાં લાગ્યો અને બીજો ઝટકો રોહિત શર્માના રૂપમાં લાગ્યો . રોહિત શર્માએ 22 બોલમાં 2 ચોગ્ગાઓની મદદથી 11 રન બનાવીને આઉટ થઇ ગયા . પાછલી મેચમાં રોહિતે શાનદાર સદી ફટકારી હતી . શિખર ધવન માત્ર 8 રન બનાવીને , સુરેશ રૈના 19 બોલમાં 17 રન , યુવરાજ સિંહ 1 બોલમાં કોઇ ખાતું ખોલાયા વગર જ , વિરાટ કોહલી 73 બોલમાં 68 રન , રવિન્દ્ર જાડેજા 4 બોલમાં 2 રન , આર અશ્વિન 28 રન , ભુવનેશ્વર કુમાર 18 બોલમાં 10 રન , વિનય કુમાર શૂન્ય રન પર આઉટ થઇ ગયા . મહેન્દ્ર સિંહ ધોનીએ પોતાની કપ્તાની પારી ખેલીને 121 બોલમાં 12 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી 139 રન બનાવ્યા . બંને ટીમોમાં કોઇ ફેરફાર નથી કરાયો . સાત મેચોની શ્રેણી 1.1થી બરાર છે . આ પહેલા ભારતીય ટીમે જયપુરમાં આતિશિ પારી ખેલીને રમતમાં અસાધારણ જીત નોંધાવી દેશ અને ક્રિકેટ જગતને ચોંકાવી દીધા હતા . પૂણેની હારથી શીખ લીધા બાદ કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીના ધુરંધરોએ જે રીતે જયપુરમાં રનોનો વરસાદ કરીને 360 જેવા પહાડી લક્ષ્યને પણ વામણું બનાવી દીધું હતું . એવી જ રીતે પોતાનું શાનદાર પ્રદર્શન ચાલુ રાખતા ભારતની જીત નોંધાવવાની આશા છે ." entertainment,"ગઈકાલે જ દિવ્યાંકાના લગ્નની સંગીત સેરેમની પૂરી થઈ . સંગીત સેરેમનીમાં જ્યાં દિવ્યાંકાએ બ્લ્યુ અને ક્રીમ કલરની ડ્રેસ પહેરી હતી . ત્યાં જ વિવેકે બ્લ્યુ સિલ્ક કુર્તા સાથે લાલ કલરનું જેકેટ પહેર્યું હતું . આ દરમિયાન બંને ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા . બંનેએ સંગીત સેરેમની દરમિયાન ખૂબ જ મસ્તી કરી . એટલું જ નહીં પરંતુ તેનો આખો પરિવાર , સગા સંબંધી અને મિત્રોએ તેમાં રોનક લગાવી દીધી હતી . દિવ્યાંકાએ કહ્યું કે શૂટિંગમાં વ્યસ્ત હોવાના કારણે તે સંગીત સેરેમનીની વધારે તૈયારી ના કરી શક્યા હતા એટલે બધા માટે જ સરપ્રાઈઝ હતું . બંનેએ પોતાના મિત્રો સાથે ખૂબ જ ફોટો પણ ખેંચાવ્યા . આપણે જણાવી દઈએ કે આજે દિવ્યાંકા અને વિવેકના લગ્ન થઈ જશે . ગઇકાલે તેની હલ્દી સેરેમની અને મહેંદીની રસમ પણ થઈ હતી . દિવ્યાંકાના એક હાથમાં તેની અને બીજા હાથમાં વિવેકની ફોટો બનાવવામાં આવી છે . આપણે જણાવી દઈએ કે લગ્ન પછી 10 જુલાઈએ ચંદીગઢ અને 14 જુલાઈએ મુંબઈમાં રિસેપ્શન પાર્ટી રાખવામાં આવી છે . . . ." business,"તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું કે માત્ર એક વ્યક્તિ કરોડો લોકોની મુશ્કેલીઓનો ઉકેલ લાવી શકે એમ નથી . તેમણે વર્તમાન વ્યવસ્થા અંગે અનેક પ્રશ્નો ઉઠાવ્યા હતા . તેમણે જણાવ્યું કે અભ્યાસના પાઠ્યક્રમ તૈયાર કરવામાં ઉદ્યોગપતિઓએ પણ સૂચનો આપવા જોઇએ અથવા તેમણે જોડાવું જોઇએ . અહીં રાહુલ ગાંધીના સંબોધનના મુખ્ય અંશ આપવામાં આવ્યા છે . - મારા માટે અહીં આવીને બોલવું સન્માનની વાત છે . - ઉદ્યોગપતિઓના કારમે દેશને ઉર્જા મળી , તેમના કારણે દેશને પ્રતિષ્ઠા મળી છે . - ઉદ્યોગપતિઓ દુનિયાભરમાં દેશના રાજદૂત છે . - મેં દેશને સમજવા માટે ટ્રેનથી યાત્રા કરી છે . - દેશમા લાખો યુવાનો દરરોજ સંઘર્ષ કરી રહયા છે . - આપણો દેશ પ્રતિભાનો સૌથી મોટો ભંડાર છે . - માત્ર સરકારના ભરોસે વિકાસ થઇ શકે એમ નથી . - દેશના વિકાસમાં ઉદ્યોગોની મદદ જરૂરી . - આપણે પાયો મજબૂત બનાવવો પડશે . - આપણે સારા માર્ગો બનાવવા પડશે , વીજળી આપવી પડશે . - આપણે વિચારોની ઉર્જાનો ઉપયોગ કરવો પડશે . - શિક્ષણ પધ્ધતિમાં ફેરફારની જરૂર છે . તેને આપણી જરૂરિયાતો સાથે જોડવું પડશે . - શિક્ષણ વ્યવસ્થામાં ઉદ્યોગોની દરમિયાનગીરીની જરૂર છે . - યુવાનો માટે જરૂરી તાલીમનો અભાવ છે . - મહિલાઓ , આદિવાસીઓ અને દલિતોની અવગણનાથી વિકાસ નહીં થઇ શકે . - ઉદ્યોગો માત્ર કમાણી અંગે ના વિચારે - માત્ર રાહુલ ગાંધીનું કોઇ મહત્વ નથી . તેમના વિચારોનું કોઇ મહત્વ નથી . - માત્ર એક વ્યક્તિ દેશને બદલી શકે નહીં . - દેશને 4000 ધારાસભ્યો અને 600 - 700 સાંસદો ચલાવે છે . - બધા કહે છે કે ચીન એક ડ્રેગન છે અને ભારત એક હાથી . પણ હું કહું છું કે ભારત હાથી નથી . મધમાખીનો પુડો છે . સાંભળવામાં વિચિત્ર લાગશે પણ જરા ધ્યાનથી વિચારજો . કોંગ્રેસના સૂત્રોના જણાવ્યા અનુસાર રાહુલ ગાંધી સીઆઇઆઇ સાથે અગાઉ પણ સંકળાયેલા રહ્યા છે . પણ 19 જાન્યુઆરી , 2013ના રોજ કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બન્યા બાદ આ તેમનું પ્રથમ સંબોધન છે . આ વખતે તેમણે સીઆઇઆઇમાં ચર્ચા કરવા માટે ભારતનો વિકાસ , સુરક્ષા અને શાસનની જરૂરિયાત જેવા વિષયોને પસંદ કર્યા હતા ." sports,"સૂત્રોના જણાવ્યા અનુસાર પોલીસે ગુરુનાથ ગઇકાલે એટલે કે શુક્રવારે સવારે 11થી સાંજે 5 વાગ્યા સુધી હાજર રહેવાનો સમય આપ્યો છે . જો તે પૂછપરથ માટે હાજી નહીં થાય તો તેમને ભાગેડું જાહેર કરી દેવામાં આવી શકે છે . બીજી બાજું , ઇડીએ પણ તપાસ શરૂ કરી દીધી છે . તેણે મુંબઇમાં ત્રણ સ્થળો પર દરોડા પાડ્યા છે . અમદાવાદમાં પણ ઇડીની ટીમે તપાસ હાથ ધરી છે . પોલીસને શંકા છે કે સ્પોટ ફિક્સિંગની રમતમાં ગુરુનાથનો પણ હાથ હોઇ શકે છે . ગુરુનાથ હજી સુધી આ મામલે ચુપ્પી સાધી છે . પોલીસને આ મામલામાં ગુરુનાથની ભૂમિકા શંકાસ્પદ લાગી રહી છે . સટ્ટેબાજી કેસમાં એરેસ્ટ વિંદુના કોલ રેકોર્ડથી માલુમ પડે છે કે તે સટ્ટેબાજ રમેશ વ્યાસ અને ગુરુનાથ સાથે બેક ટૂ બેક વાત કરતો હતો . આનો અર્થ એ છે કે પહેલા તે એક વ્યક્તિ સાથે વાત કરતો અને પછી બીજા સાથે . આવો સિલસિલો મોડે સુધી ચાલતો હતો . આવામાં શંકા છે કે સ્પોટ ફિક્સિંગમાં ગુરુનાથની પણ ભૂમિકા હોઇ શકે છે . અત્યાર સુધી આ મામલામાં ગુરુનાથ તરફથી કોઇ નિવેદન આવ્યું નથી . મુંબઇ પોલીસે પહેલા જ ગુરુનાથની પૂછપરછ માટે બોલાવ્યો હતો પરંતુ તેમણે તેના માટે સમય માગ્યો હતો . મુંબઇ પોલીસ ગુરુનાથને સમય આપવા માટે તૈયાર ન્હોતી . આવામાં તે પોતે જ ચેન્નાઇ પહોંચી ગઇ છે . પોલીસે પહેલા જ જણાવી દીધું હતું કે પૂછપરછ માટે ચૈન્નાઇ જશે ." entertainment,"એમ કહેવાય છે કે સફળતા હંમેશા એક જવાબદારી લઈને આવે છે . આ કહેવત સલમાન ખાન ઉપર બંધબેસતી છે . સલમાન બીઇંગ હ્યૂમન નામની એક સ્વૈચ્છિક સંસ્થા ચલાવે છે કે જે અંડરપ્રિવિલેજ્ડ બાળકોની સહાય કરે છે . લોકો સુધી તેની પહોંચ બનાવવા માટે સલમાને પોતે પહેલ કરી છે . સલમાન ખાન હાલમાં પોતાની કિક ફિલ્મની સફળતાની ઉજવણી કરી રહ્યા છે , પરંતુ તેઓ પોતાની બીઇંગ હ્યૂમન સંસ્થા માટે પણ સમય ફાળવવાનુ ચૂકતા નથી અને એટલે જ તેમણે તાજેતરમાં બ્રાન્ડ લેટેસ્ટ કલેક્શન માટે એક ફોટોશૂટ કરાવ્યુ છે . મળતી માહિતી મુજબ આ બીઇંગ હ્યૂમન કલેક્શન 18મી ઑગસ્ટે રિલીઝ થશે અને સલમાને આ ઝુંબેશ માટેના શૂટિંગ અર્થે એક આખો દિવસ ફાળવ્યો હતો . તેમણે ફોટોશૂટ બાદ પોતે જ તેની તસવીરો પોસ્ટ કરીને ટ્વીટ કર્યું - જસ્ટ શૉટ ફૉર બીઇંગ હ્યૂમન ક્લોથિંગ . કૅમ્પેઇન એન્ડ કલેક્શન લૉન્ચિંગ 18થ ઑગ . સલમાને વધુ એક ટ્વીટ કરતા જણાવ્યું કે તેઓ સાંભળવાની તકલીફ ધરાવતા લોકો માટે કિક ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રીનિંગ યોજશે . સલમાને ટ્વીટ કર્યું - સાંભળવાની તકલીફ ધરાવતા લોકો માટે મુંબઈ , નોએડા અને બેંગલુરૂ ખાતે કિકનું સ્પેશિયલ સ્ક્રીનિંગ યોજાશે . સલમાન ખાન હાલમાં તેમની આગામી ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે . સલમાનના ફૅનને આવતા વર્ષે સલમાનનો ડબલ ડોઝ મળશે , કારણ કે સૂરજ બરજાત્યાની ફિલ્મ પ્રેમ રતન ધન પાયોમાં સલમાન ડબલ રોલમાં છે . સલમાન ખાન રાજશ્રી પ્રોડક્શનની પ્રેમ રતન ધન પાયો ફિલ્મમાં જોડકા ભાઇઓનો રોલ કરશે અને બંને ભૂમિકાઓ સલમાનની અલગ - અલગ પર્સનાલિટીને વ્યક્ત કરશે . સલમાન ખાન પોતાના ફૅન્સને એક પછી એક ઉપહારો આપી રહ્યા છે . ચાલો હાલ તો આપને બતાવીએ સલમાન ખાને બીઇંગ હ્યૂમન કૅમ્પેન માટે કરાવેલ ફોટોશૂટ :" business,"આજે એટલે કે સોમવારે રૂપિયો સૌથી નીચલા સ્તર સુધી પહોંચી ગયું છે . રૂપિયો 69.58 પ્રતિ ડોલર કિંમત સુધી પહોંચી ગયું છે , કે જે અત્યાર સુધી સૌથી નીચું સ્તર છે . તે બેંકિંગ શેરમાં નબળાઇ આર્થિક કટોકટી અને યુરોપિયન ચલણ તુર્કીમાં મંદી અન્ય ચલણોની સામે ડોલર મજબૂત છે . અગાઉ , આજે રૂપિયો ભારે ઘટાડો સાથે પ્રારંભ થયો હતો . રૂપિયો ડોલર સામે 64 પૈસા નીચા 69.47 રહ્યો છે . આપને જણાવી દઈએ કે શુક્રવારે રૂપિયો ડોલર સામે 16 પૈસા ઘટીને 68.84 ની સપાટી પર બંધ થયો હતો . શુક્રવારે વેપારમાં નીચલા સ્તરે રૂપિયો ડોલરની સામે રૂપિયાનું દબાણ વધારીને લગભગ બે સપ્તાહ સુધી ઘટ્યું હતું . નિષ્ણાતો માને છે કે અમેરિકા અને ચાઇનામાં વેપાર યુદ્ધ દરમિયાન તેલ આયાતકારો દ્વારા ડોલરની માગમાં વધારો થયો હતો , જેના કારણે રૂપિયો પર દબાણ આવ્યું હતું . તેથી આગામી મહિને , યુએસમાં વ્યાજદરમાં વધારો થવાની ધારણા છે . આ રીતે ડોલર સતત મજબૂત બનતું જાય છે . નિષ્ણાતો પણ માને છે કે રૂપિયો આગામી થોડા દિવસોમાં ડોલર સામે 69.50 ની સપાટી પર આવી શકે છે . જો રૂપિયો 68.50 ની નીચે બંધ ન થાય તો , તે ડોલર સામે 69.50 ની સપાટી પર આવી શકે છે . આજે શેરબજારમાં પણ ભારે ઘટાડો જોવા મળ્યો છે . સેન્સેક્સ 250 પોઈન્ટની નીચે છે , નિફ્ટી આજે નીચલા સ્તર 11400 ની આસપાસ ટ્રેડ કરી રહ્યું છે ." business,"ભારતના સૌથી મોટા , પૈસાદાર ઉદ્યોગપતિ એટલે આપણા ગુજ્જુ ભાઇ મુકેશભાઇ અંબાણી . આજે મુકેશભાઇનો જન્મદિવસ છે . અને તેમના જન્મ દિવસ પહેલા જ તેમને એક સારા સમાચાર ભેટ રૂપે મળી ગયા છે . મંગળવારે મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ( RIL ) માર્કેટ કેપની રીતે TCS ( ટાટા ગ્રુપની કંપની ) ને પછાડીને દેશની નંબર 1 કંપની બની ગઇ છે . આમ એક રીતે જોવા જઇએ તો મુકેશ અંબાણીને બર્થ ડે પહેલા જ આ સમાચારે ખુશ કરી દીધા છે . Read also : રિલાયન્સ જીયોની નવી ઓફર , ગ્રાહકોને મોટો ફાયદો ! ત્યારે જાણો શું છે આ ખુશખબર , જાણે બર્થ ડે બોય મુકેશ અંબાણીના ચહેરા પર લાવી દીધું છે સ્મિત . વિગતવાર જાણો અહીં . . ." sports,મુંબઇ ઇન્ડિયંસે બીજી ક્વાલીફાયરમાં આજે રાજસ્થાન રોયલ્સને ચાર વિકેટે હરાવી આઇપીએલ - 6 ની ફાઇનલમાં સ્થાન બનાવી લીધું છે . આ પહેલાં રાજસ્થાન રોયલ્સ ટીમે મુંબઇ ઇન્ડિયંસ સામે 166 રનોનો લક્ષ્યાંક રાખ્યો હતો . ટોસ જીત્યા બાદ પ્રથમ બેટીંગ ક્રવાનો નિર્ણય કરતાં રાજસ્થાન રોયલ્સના કેપ્ટન રાહુલ દ્રવિડના 43 રનોના કારણે નિર્ધારીત 20 ઓવરોમાં 6 વિકેટ ગુમાવી 165 રન બનાવ્યા હતા . રાહુલ દ્રવિડે 37 બોલમાં 7 ચોગ્ગા ફટકાર્યા હતા . મુંબઇ ઇન્ડિયંસના સ્પીનર બોલર હરભજન સિંહે ( 23/3 ) અને કેરોન પોલાર્ડ ( 6/2 ) ની ધારદાર બોલીંગ હોવાછતાં રાજસ્થાન રોયલ્સે સન્માનજનક સ્કોર હાંસિલ કર્યો હતો . તેમાં ઇશાંત યાજ્ઞિકે પણ મહત્વની ભૂમિકા રહી હતી તેને 17 બોલમાં 5 ચોગ્ગાની મદદથી 31 રન બનાવી નોટઆઉટ રહ્યો હતો . આ ઉપરાંત અજિંક્ય રહાણે ( 21 ) અને સ્ટૂવેર્ટ બિન્નીએ ( 27 ) પણ મહત્વની ભૂમિકા ભજવી હતી . રાજસ્થાનના બીજા ક્વાલીફાયરમાં પહોંચનાર બ્રાયડ હૌજે પણ અણનમ 19 રનોનું યોગદાન આપ્યું હતું . બિન્નીએ 17 બોલમાં ત્રણ ચોગ્ગા અને એક સિક્સર ફટકારી હતી . આ મુકાબલો બંને ટીમો માટે મહત્વપૂર્ણ હતો . આ મુકાબલો નક્કી કરશે કે કઇ ટીમ 26 મેના રોજ આઇપીએલના ફાઇનલ મુકાબલામાં ચેન્નઇ સુપર કિંગ્સનો સામનો કરશે અને કઇ ટીમ ઘરે ભેગી થઇ જશે . રાજસ્થાનના સ્પૉટ ફિક્સિંગના ' ભૂત ' ને ટાળતાં બુધવારે દિલ્હીના ફિરોઝશાહ કોટલા મેદાન પર રમાયેલા એકમાત્ર એલિમિનેટર મુકાબલામાં સનરાઇઝર્સ હૈદ્રાબાદને હરાવ્યું હતું . બીજી તરફ મુંબઇ ઇન્ડિયંસને કોટલામાં રમાયેલ પ્રથમ ક્વાલીફાયરમાં સુપર કિંગ્સ સામે હારનો સામનો કરવો પડ્યો છે . entertainment,"મુંબઈ , 20 જાન્યુઆરી : સાંભળીને આશ્ચર્ય થયું ને ? પણ મહેશ ભટ્ટની નાની દીકરી આલિયા ભટ્ટ માત્ર હૉટ અભિનેત્રી જ નથી , પણ તેઓ એક બહેતરીન સિંગર પણ છે . તેમની આ પ્રતિભા ઇમ્તિયાઝ અલીએ ઓળખી કાઢી કે જેમણે તેમને પોતાની ફિલ્મ હાઈવેમાં તેમને ગાવાની તક આપી છે . હા જી . અપકમિંગ ફિલ્મ હાઈવના એક ગીત સૂહા સાહા . . . ને આલિયા ભટ્ટે પોતાનો અવાજ આપ્યો છે . આ એક હાલરડું છે કે જેને એ આર રહમાને કમ્પોઝ કર્યું છે . ગીતમાં આલિયાનો સાથ આપ્યો છે પાકિસ્તાની જોડી જેબ અને હાનિયાએ . આલિયાના અવાજના વખાણ કરતાં ઇમ્તિયાઝે જણાવ્યું કે સાચે જ આલિયા ભટ્ટ ખૂબ જ સુંદર અવાજના મલ્લિકા છે . ગીત સાંભળીને લોકો પણ આ વાત માનતા થશે . તેમણએ બસ થોડીક મહેનત દ્વારા ફિલ્મના હાલરડાને યાદગાર બનાવી દીધું . આલિયા ભટ્ટ આ અંગે કહે છે - વિશ્વાસ નથી થતું કે મેં રહમાન સર સાથે ગીત ગાયું છે . તેથી મારા માટે આ ફિલ્મ ખૂબ જ ટચિંગ બની ગઈ છે . આપને જણાવી દઇએ કે યૂટીવી મોશન પિક્ચર્સની ફિલ્મ હાઈવેમાં લીડ રોલ આલિયા ભટ્ટ અને રણદીપ હુડા કરે છે . જબ વી મેટ અને રૉકસ્ટાર ફિલ્મોના શૂટિંગ દરમિયાન બહુ પ્રવાસો ખેડનાર દિગ્દર્શક ઇમ્તિયાઝ અલીએ જણાવ્યું કે અત્યાર સુધી બનાવાયેલી મારી ફિલ્મોની સરખામણીમાં હાઈવે ફિલ્મમાં સૌથી વધુ સ્થળોએ શૂટિંગ કરાયું છે . ફિલ્મ 21મી ફેબ્રુઆરીએ રિલીઝ થવાની છે . ચાલો જોઇએ હાઈવે ફિલ્મની તસવીરોમાં આલિયા ભટ્ટ અને મેકિંગ ઑફ સૂહા સાહા . . . નો વીડિયો :" business,"વર્તમાન સ્થિતિમાં દરેક રાજ્યમાં પેટ્રોલ - ડીઝલની કિંમતો અલગ - અલગ છે , પરંતુ જલ્દી જ દરેક જગ્યાએ પેટ્રોલ - ડીઝલનો એક જ ભાવ થાય એવું બને . સરકાર તરફથી આ દિશામાં મહત્વપૂર્ણ પગલું લેવામાં આવશે . દરેક રાજ્ય નેચરલ ગેસ પર વેલ્યુ એડેડ ટેક્સ 5 ટકા રાખવાનો તથા મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં ઇનપુટ તરીકે ઉપયોગમાં લેવાતા ડીઝલ - પેટ્રોલ જેવા અન્ય ઇંધણો પર વેટનો દર ઓછો કરવા માટે માની ગયા છે . સસ્તા થશે ડીઝલ - પેટ્રોલ એકવાર રાજ્યમાં આ અંગે રૂપરેખા તૈયાર થયા બાદ , જીએસટી કાઉન્સિલ આ સ્કિમ પર વિચાર કરશે . એક વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યું કે , આ અંગે કાઉન્સિલ જ અંતિમ નિર્ણય લેશે . આ અંગે અધિકૃત રીતે કેન્દ્ર અને રાજ્યો વચ્ચે ચર્ચા થઇ છે . જો પેટ્રોલિયમ પ્રોડક્ટ પર આખા દેશમાં એક સમાન કરને મંજૂરી મળે , તો એ રાજ્યોમાં પેટ્રોલ - ડીઝલની કિંમત ઓછી થશે , જ્યાં વધુ વેટ વસૂલવામાં આવી રહ્યો છે . રાજ્યો લેશે નિર્ણય જીએસટી લાગુ કરતાં પહેલા જ કેન્દ્ર પેટ્રોલિયમ પ્રોડક્ટ્સને જીએસટીની શ્રેણીમાં લાવવા માંગતું હતું , પરંતુ પેટ્રોલિયમ પ્રોડક્ટ્સથી જ રાજ્યોને સૌથી વધુ આવક મળે છે , આથી રાજ્યોએ કેન્દ્ર સરકારના આ નિર્ણયનો વિરોધ કર્યો હતો . હવે રાજ્યોએ જ આ અંગે એક રૂપરેખા તૈયાર કરી જીએસટી કાઉન્સિલને આપવાની છે , જેની પર આખરી નિર્ણય કાઉન્સિલનો હશે . પેટ્રોલિયમ મંત્રીની ઇચ્છા પેટ્રોલિયમ મંત્રી ધરમેન્દ્ર પ્રધાન પણ બુધવારે કહ્યું હતું કે , તેમણે પેટ્રોલિયમ પ્રોડક્ટ્સને જીએસટીની શ્રેણીમાં લાવવાની વકાલત કરી હતી . જીએસટી કાઉન્સિલે આ અંગે વિચાર કરવો જોઇએ . આ સર્વે પરથી લાગે છે કે , જો બધું બરાબર પાર પડ્યું તો જલ્દી જ સમગ્ર દેશમાં પેટ્રોલિયમ પ્રોડક્ટ્સની કિંમત એક સમાન થઇ જશે ." entertainment,"વર્ષ 2018માં દરેક તરફથી મી ટુ ચર્ચાનો વિષય રહ્યો . બોલિવુડના ઘણા ચહેરા મી ટુ દ્વારા સામે આવ્યા . વળી , આ વર્ષે પણ મી ટુ સાથે જોડાયેલો એક ગંભીર મામલો સામે આવ્યો છે . બિગ બોસ 8ના વિનર ગૌતમ ગુલાટીએ વાતચીતમાં પોતાની મી ટુ સ્ટોરી વર્ણવી . તમને જણાવી દઈએ કે ઓપરેશન કોબરા નામની વેબ સીરિઝમાં ગૌતમ રૉ એજન્ટની ભૂમિકા નિભાવી રહ્યા છે . આ સિલસિલામાં થયેલી વાતચીત દરમિયાન ગૌતમે મી ટુનું સમર્થન કરીને પોતાની સાથે થયેલી એક ઘટનાનો ઉલ્લેખ કર્યો છે . એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં આવતા પહેલા ગૌતમ ગુલાટી મોડલ રહ્યા છે . ગૌતમ કહે છે કે મોડલિંગ ઈન્ડસ્ટ્રીમાં ઘણીવાર પુરુષ પણ યૌન શોષણનો શિકાર થતા રહે છે . ગૌતમે જણાવ્યુ કે આજથી દસ વર્ષ પહેલા મારી સાથે પણ આવુ થયુ છે . આ પણ વાંચોઃ VIDEO : ગલી બૉય જોવા પહોંચેલા આલિયા ભટ્ટ - રણબીર કપૂર વચ્ચે થઈ લડાઈ" business,"ભારતના બજારો અને બિઝનેસમાં સતત ઉતાર ચઢાવ જોવા મળે છે . સરકારના એક નિર્ણય કે નીતિની અસરથી વૃદ્ધિ , વિકાસ , રોજગારી , મોંઘવારી પર અસર પડે છે . ભારતનું ઉદ્યોગ જગત કઇ દિશામાં કેવી રીતે આગળ વધી રહ્યું છે . તેના રોજે રોજની મહત્વની હાઇલાઇટ્સ વાંચવા માટે સ્લાઇડરમાં ક્લિક કરો . . . માર્કેટમાં નવું IPO કૌભાંડ રંધાઇ રહ્યું છે ? ઇકોનોમિક ટાઇમ્સના અહેવાલ મુજબ ગણતરીના ઓપરેટર્સે વર્ષ 2005ના આઇપીઓ કૌભાંડમાં રિટેલ રોકાણકારોના હિસ્સાના શેર ' કોર્નર ' કરવા સંખ્યાબંધ ડિમેટ એકાઉન્ટનો ઉપયોગ કર્યો હતો . હવે આવું જ ' કૌભાંડ ' હાલ બોન્ડ માર્કેટમાં ચાલી રહ્યું હોવાની શંકા છે . કેટલીક બ્રોકિંગ કંપનીઓ નોન - કન્વર્ટિબલ ડિબેન્ચર્સ ( NCD ) અને ટેક્સ ફ્રી બોન્ડ ઇશ્યૂમાંથી ઝડપી રોકડી કરવા પોતાના જ ગ્રાહકોના ડિમેટ ખાતા અને પરમેનન્ટ એકાઉન્ટ નંબર ( PAN ) ભાડે લઈ રહી છે . ટાટા મોટર્સની સાણંદ પ્લાન્ટ માટે નવી યોજના ટાટા મોટર્સે નિર્ણય લીધો છે કે હવે સાણંદ પ્લાન્ટમાં નેનોની સિવાય બીજી કારોનો પ્રોડક્શન પણ કરવામાં આવશે . નેનોનું ઓછું ઉત્પાદનના કારણે સાણંદ પ્લાન્ટની ક્ષમતાનો પૂરો ઉપયોગ નથી થઈ રહ્યો . ટાટા મોટર્સના સાણંદ પ્લાન્ટમાં 20,000ની ક્ષમતાવાળા પ્લાન્ટમાં ફક્ત 2000 નેનો જ બની રહ્યા છે . એટલે સાણંદ પ્લાન્ટની અસેંબલી લાઈનમાં બદલાવ થયો છે . પૂરી ક્ષમતાની સાથે પ્લાન્ટનો ઉપયોગના ઉપાયો પર વિચાર કરી રહ્યા છે . ડેબ્ટ મ્યુચ્યુઅલ ફંડ પર ટેક્સ 10 જુલાઇથી ગણાશે શુક્રવારે કેન્દ્રના નાણાપ્રધાન અરુણ જેટલીએ લોકસભામાં સંબંધિત રાહતની જાહેરાત કરતા જણાવ્યું હતું કે ડેબ્ટ મ્યુચ્યુઅલ ફંડ પરના વેરાનો 20 ટકાનો ઊંચો કર 1 એપ્રિલ , 2014ને બદલે , આ વર્ષનું અંદાજપત્ર રજૂ કરવાની તારીખ એટલે કે 10મી જુલાઇ , 2014થી અમલી ગણાશે . જેના કારણે રોકાણકારોને આંશિક રાહત મળી છે . ડીઝલના વેચાણની નવી નીતિ ઘડવાની તૈયારી શરૂ ચાલુ ખાતાની ખાધ ઘટાડવાના ઉપાય તરીકે સરકાર ડીઝલના વેચાણની નવી નીતિ તૈયાર કરી રહી છે . આ દિશામાં કામગીરી શરૂ કરવામાં આવી ચૂકી છે . નરેન્દ્ર મોદી સરકાર તે મોંઘી ગાડીઓને સસ્તુ ડિઝલ આપવાનું બંધ કરશે . આ માટે એક ઉચિત ટેકનીકની શોધખોળ કરવામાં આવી રહી છે . જેનાથી પેટ્રોલ પંપ ઉપર એસયુવી જેવા વાહનોએ વધુ કિંમતે ડિઝલ ખરીદવુ પડશે ." sports,"નવી દિલ્હીઃ વેસ્ટઈન્ડિઝના સલામી બેટ્સમેન ક્રિસ ગેલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની ઘોષણા કરી દીધી છે . આગામી વનડે આંતરરાષ્ટ્રીય વર્લ્ડ કપ પહેલા ક્રિસ ગેલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી સંન્યાસ લેવાનું એલાન કર્યું . ક્રિસ ગેલના નામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કેટલાય રેકોર્ડ્સ છે . ગેલે રવિવારે ટ્વીટરના માધ્યમથી આની જાણકારી આપી છે . તે વેસ્ટઈન્ડિઝ તરફથી સૌથી વધુ શદી ફટકારનાર ખેલાડી છે , જ્યારે સૌથી વધુ રન બનાવવાના મામલામાં તે કે બ્રાયન લારાથી પાછળ છે . ગેલે અત્યાર સુધીમાં કુલ 284 વનડે મેચમાં 9727 ન બનાવ્યા છે , જેમાં તેમણે 23 સદી અને 49 ફિફ્ટી ફટકારી છે . વેસ્ટ ઈન્ડિઝ તરફથી સૌથી વધુ રન બ્રાયન લારાના નામે છે , તેમણે કુલ 10405 રન બનાવ્યા છે . 39 વર્ષીય ક્રિસ ગેલે 2015ના વર્લ્ડકપમાં જિમ્બાબ્વેના ખેલાડી 215 નની તોફાની ઈનિંગ રમી હતી . વેસ્ટઈન્ડિઝ તરફથી કોઈપણ ખેલાડી દ્વારા બનાવેલ આ સર્વાધિક વ્યક્તિગત સ્કોર છે . લાંબા સમય બાદ ગેલે વનડે ક્રિકેટમાં વાપસી કરી હતી , તેમણે ઈંગ્લેન્ડની વિરુદ્ધ બે વનડે મેચ માટે ટીમમાં સામેલ કર્યો છે . જણાવી દઈએ કે પાછલા વર્ષે ક્રિસ ગેલે ભારત અને બાંગ્લાદેશના પ્રવાસ પર જવાની ના પાડી દીધી હતી . ગેલે આખરે વનડે મેચ પાછલા વર્ષે જુલાઈમાં રમાઈ હતી . ગેલે પોતાના ઓડીઆઈ કરિયરની શરુઆત 1999માં ભારત વિરુદ્ધ કરી હતી . તેમણે વનડે ક્રિકેટમાં 165 વિકેટે પણ પોતાના નામે કર્યો છે . પુલવામાં હુમલાની ફેક ફોટો શેર ના કરો , સીઆરપીએફ એડવાઈઝરી" sports,"સચિન તેંડુલકરની ફિલ્મ ' સચિન અ બિલિયન ડ્રીમ્સ ' આ અઠવાડિયે રિલીઝ થનાર છે . ક્રિકેટ ઉપરાંત બોલિવૂડ રસિયાઓ પણ આતુરતાથી આ ફિલ્મની રાહ જોઇ રહ્યાં છે . આટલા વર્ષો સુધી સચિન દેશના ખરા સુપરસ્ટાર બનીને રહ્યાં છે , હવે જ્યારે ફિલ્મ રિલીઝ થવા જઇ રહી છે ત્યારે સચિને આપણા દેશના હીરો માટે આ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રિનિંગ રાખ્યું હતું . મોટેભાગે ફિલ્મના સ્ક્રિનિંગમાં સુપરસ્ટાર્સને આમંત્રણ આપવામાં આવે છે , પરંતુ સચિને બોલિવૂડ સિતારાઓ પહેલાં દેશના સાચા હીરોઝ એટલે કે સેનાના જવાનોને આમંત્રણ આપ્યું હતું . ઉલ્લેખનીય છે કે , સચિન તેંડુલકર પોતે પણ નેવી ઓફિસર છે અને તેઓ પણ અહીં યુનિફોર્મમાં જોવા મળ્યા હતા . આ કાર્યક્રમમાં સચિનના પત્ની અંજલિ તેંડુલકર પણ તેમની સાથે જોવા મળ્યા હતા . આ સ્ક્રિનિંગ દરમિયાન સચિન ખૂબ ઉત્સાહિત હતા તથા આર્મી ઓફિસર્સ પણ ખૂબ ખુશ દેખાઇ રહ્યાં હતા . સચિન તેંડુલકરની ફિલ્મ ' સચિન - અ બિલિયન ડ્રીમ્સ ' 26 મેના રોજ થિયેટરમાં જોવા મળશે ." business,"1 જુલાઈ 2017 દરમિયાન આખા દેશમાં જીએસટી લાગુ કરી દેવામાં આવ્યું હતું . આ વખતે જુલાઈ 2018 દરમિયાન કુલ જીએસટી કલેક્શન 96,483 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે . આ સંખ્યા જૂનમાં થયેલા જીએસટી કલેક્શન કરતા પણ વધારે છે . ગયા મહિને સરકારે જીએસટી કલેક્શન ઘ્વારા 95,610 કરોડ રૂપિયા ભેગા કર્યા હતા . કુલ રકમમાં કેન્દ્રીય જીએસટી 15,877 કરોડ રૂપિયા , રાજ્ય જીએસટી હેઠળ 22,293 કરોડ રૂપિયા , એકીકૃત જીએસટીમાં 49,951 કરોડ રૂપિયા અને ઉપકરમાં 8362 કરોડ મેળવ્યા , જયારે 794 કરોડ રૂપિયા તેમને આયાત પર મેળવ્યા . જુલાઈ મહિનામાં થયેલું કલેક્શન ગયા વર્ષે થયેલા જીએસટી કલેક્શન 89,885 કરોડ કરતા પણ વધારે છે . આપણે જણાવી દઈએ કે અપ્રત્યક્ષ કર ક્ષેત્રમાં એતિહાસિક સુધારો જણાવવામાં આવી રહ્યો છે . જીએસટીના અમલીકરણના એક વર્ષ પૂરા કર્યા બાદ , નાણા સચિવ હસમુખ અઢિયાએ જણાવ્યું હતું કે 1 લાખ કરોડની વસૂલાત ફરજિયાત નથી પરંતુ સરકારને જીએસટી સંગ્રહો દર મહિને રૂ . 1 લાખ કરોડ સુધી રહેવાની અપેક્ષા છે . આપણે જણાવી દઈએ કે નોટબંધી પછી જીએસટી કેન્દ્ર સરકાર ઘ્વારા લેવામાં આવેલો બીજો સુધી મોટો નિર્ણય હતો . ભારત જેવા જટિલ દેશમાં જીએસટી ટેક્સ સિસ્ટમને એક કરવાનું કામ કર્યું ." sports,"કોલકતા , 20 સપ્ટેમ્બરઃ ઇન્ડિયા એ તરફથી યુવરાજ સિંહ દ્વારા કરવામાં આવી રહેલા શાનદાર પ્રદર્શનથી પ્રભાવિત થઇ ઉઠેલા ટીમ ઇન્ડિયાના પૂર્વ સફળ સુકાની સૌરવ ગાંગુલીએ કહ્યું છે કે , આ સ્ટાઇલીશ લેફ્ટ હેન્ડેડ બેટ્સમેન ભારતીય ક્રિકેટ ટીમમાં પુનરાગમન કરવાને હકદાર છે . ગાંગુલીએ કહ્યું કે , તેને ફરીથી આ પ્રકારે બેટિંગ કરતો જોવો એ ઘણી જ સારી બાબત છે . હું જરા પર આશ્ચર્ય નથી કે તે પુનરાગમન કરશે . તે 200 ટકા પુનરાગમન કરશે . મીડલ ઓર્ડરમાં યુવરાજ સિંહ હોવો જોઇએ . દિનેશ કાર્તિક પ્રત્યે આદર છે , પરંતુ નંબર 4ની પોઝીશન યુવરાજ સિંહ વધારે ડિઝર્વ કરે છે . આ વચ્ચે ઉલ્લેખનીય છે કે , ગાંગુલીએ એ અહેવાલને ફગાવી દીધા હતા કે ચીફ સિલેક્ટર સંદીપ પાટીલે સચિન તેંડુલકરને 200મી ટેસ્ટ મેચ રમ્યા બાદ નિવૃત્તિ અંગે યોજના બનાવી લેવા માટે કહ્યું હોય . ગાંગુલીએ કહ્યું કે , આવું ચિંતન ભુતકાળમાં ખેલાડીઓ સાથે જેમકે રાહુલ દ્રવિડ , વીવીએસ લક્ષ્મણ અને મારી સાથે થતું હતું , પરંતુ હું નથી માનતો કે બોર્ડ અને પાટીલે સચિનને કહ્યું હશે કે આ તેની અંતિમ મેચ છે ." business,"વૉશિંગ્ટન , 13 સપ્ટેમ્બર : નેટવર્કિંગ સાઇટ ટ્વીટરે જાહેરાત કરી છે કે તેણે શેરબજારમાંથી મૂડી એકત્ર કરવા માટે અમેરિકન નિયામક પાસે અરજી કરી છે . કંપનીએ પોતાની સત્તાવાર ટ્વીટમાં જણાવ્યું છે કે ' અમે ગુપ્ત રીતે સેક પાસે આઇપીઓ યોજના માટે એસ - 1 ફોર્મ દાખલ કર્યું છે . ' સેકમાં કંપનીઓને લિસ્ટિંગ કરાવવા માટે એસ - 1 ફોર્મ ભરવું જરૂરી હોય છે . ગયા વર્ષે ફેસબુકના આઇપીઓને મળેલા જબરદસ્ત પ્રતિસાદને પગલે ટ્વીટરને પણ સફળતા મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે . જેના કારણે ટ્વીટર ટૂંક સમયમાં પોતાનો આઇપીઓ માર્કેટમાં લાવવા ઇચ્છે છે . જો કે આઇપીઓ ક્યારે લાવવામાં આવશે તે અંગે કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી . વિશ્વભરમાં ટ્વીટરના અંદાજે 20 કરોડથી વધારે યુઝર્સ છે . આ સાઇટની કુલ કિંમત 10 અબજ અમેરિકન ડૉલર આંકવામાં આવી છે . ટ્વીટરે મંગળવારે મોબાઇલ આધારિત વિજ્ઞાપન કંપની મોપબના અધિગ્રહણ માટેની ઘોષણા કરી હતી . આ અધિગ્રહણ 35 કરોડ અમેરિકન ડૉલરમાં કરવામાં આવ્યું છે . માનવામાં આવે છે કે ટ્વીટરના આઇપીઓમાં રોકાણ કરનારાઓને પોતાના રોકાણનો હિસ્સો સારા નફા સાથે પાછો મળશે . ઉલ્લેખનીય છે કે આ પહેલા માર્કેટમાં ફેસબુક અને લિંક્ડઇન જેવી સાઇટ્સ લિસ્ટેડ થઇ ચૂકી છે ." sports,"કઝાકિસ્તાનના અલમાટીમાં સોમવારે શરૂ થયેલી બોક્સિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભાગ લેવા માટે 10 સભ્યોવાળી ભારતીય મુક્કેબાજોની ટીમ અલમાટી પહોંચી ગઇ છે . પંરતુ આ ચેમ્પિયનશિપ તેમને એક રીતે હતાશ કરી મુકનાર સાબિત થઇ શકે છે , કારણ કે ચેમ્પિયનશિપમાં જો કોઇ ભારતીય મુક્કેબાદ પદક જીતશે તો સામાન્ય પરંપરા અનુસાર તિરંગો નહીં લહેરાવવામાં આવે અને ના તો રાષ્ટ્રધૂન વગાડવામાં આવે . એક વેબસાઇટ અનુસાર આનું કારણ આંતરરાષ્ટ્રીય મુક્કેબાજી સંઘ ( એઆઇબીએ ) દ્વારા ભારતીય મુક્કેબાજી સંઘ ( એઆઇબી ) પર લગાવવામાં આવેલો પ્રતિબંધ છે . આના કારણે ભારતીય મુક્કેબાજો વર્લ્ડ ચેમ્પિયનશિપમાં એઆઇબીએના બેનર હેઠળ સ્વતંત્ર પ્રતિભાગીની રીતે ભાગ લઇ રહ્યા છે . આ મહત્વપૂર્ણ આતંરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટ માટે આ વખતે ભારતીય મુક્કેબાજોએ જોરદાર તૈયારીઓ કરી છે , અને સોમવારે મદનલાલ ( 52 કિગ્રા . ) ચેમ્પિયનશિપમાં ભારતીય અભિયાનનું પ્રતિનિધિત્વ કરશે . ચેમ્પિયોનશિપમાં ભાગ લેનાર અન્ય ભારતીય મુક્કેબાજોમાં થોકચામ નાનાઓ સિંહ ( 49 કિગ્રા . ) , એશિયાઇ ચેમ્પિયન શિવ થાપા ( 56 કિગ્રા . ) , રાષ્ટ્રમંડળ રમતના સુવર્ણ પદક વિજેતા મનોજ કુમાર ( 64 કિગ્રા . ) , સુમિત સાંગવાન ( 81 કિગ્રા . ) , અને એશિયાઇ ચેમ્પિયનશિપમાં રજત પદક વિજેતા મનપ્રીત સિંહ ( 91 કિગ્રા . ) ને પ્રથમ રાઉન્ડમાં જ બાઇ આપવામાં આવી છે ." business,"લિકર કિંગ વિજય માલ્યાની માલિકીની કિંગફિશર એરલાઈન્સની સેવા ગયા ઓક્ટોબર બાદથી બંધ રહી છે . કિંગફિશર એરલાઈન્સની સેવા ક્યારેય ફરી શરૂ થશે તેને લઈને હજુ સસ્પેન્સની સ્થિતિ છે . કારણ કે રેગ્યુલેટરી મંજૂરી તેને મળી રહી નથી . કિંગફિશરે એરલાઈન્સ પુન શરૂ કરવાના પ્રયાસ રૂપે સેક્ટર રેગ્યુલેટર સમક્ષ બે વખત તેની પુન સજીવન યોજના રજૂ કરી છે પરંતુ રેગ્યુલેટરે હજુ મંજૂરી આપી નથી . કિંગફિશર એરલાઈન્સને 2142 કરોડ રૂપિયાનું નુકસાન થઈ ચૂક્યું છે . એક વખતે ભારતની નંબર 2 કરિયર તરીકે રહેલી કિંગફિશર એરલાઈન્સને નેટ નુકસાન વધીને માર્ચમાં પૂરા થયેલા ચોથા ત્રિમાસિક ગાળામાં વધીને 2142 કરોડ ઉપર પહોંચી ગયું હતું જે એક વર્ષ અગાઉ 1150 કરોડની સરખામણીમાં લગભગ બમણું છે . વિજય માલ્યાની માલિકીની આ કંપની ઉપર બેંકો , એરપોર્ટ અને અન્યોનું કુલ રૂપિયા 14000 કરોડનું દેવું છે . તેના ફ્લાઈંગ લાઈસન્સ પણ ગયા વર્ષના અંત સુધી રદ કરી દેવામાં આવ્યા હતા . કિંગફિશર એરલાઈન્સે સેક્ટર રેગ્યુલેટર સમક્ષ યોજના રજૂ કરી હોવા છતાં સેક્ટર રેગ્યુલેટરે આમા કોઈ ઉત્સાહ દર્શાવ્યો નથી . યુબી ગ્રૂપ દ્વારા શરૂઆતમાં ફંડીંગ આપવાની વાત કરવામાં આવી હતી પરંતુ આવી રજૂઆત છતાં કિંગફિશરને ફરી સેવા શરૂ કરવાની મંજૂરી મળી રહી નથી . ઓપરેશનના તેના આઠ વર્ષમાં કિંગફિશરને ક્યારેય પણ નફો થયો નથી ." sports,"ભારતની ધરતી પર ચેમ્પિયન્સ લીગ ટી20ની છઠ્ઠી શ્રેણીની શરૂઆત થઇ ગઇ છે . રાયપુર ખાતે રમાઇ રહેલી ક્વોલિફાયર મેચોમાં નોર્થર્ન નાઇટ્સે સારું પ્રદર્શન કર્યું છે અને 8 પોઇન્ટ સાથે પહેલા ક્રમે છે , જ્યારે મુંબઇ ઇન્ડિયન્સ અને લાહોર લાયન્સ 4 - 4 અંક સાથે અનુક્રમે બીજા અને ત્રીજા ક્રમે છે . ચેમ્પિયન્સ લીગની પાંચમી શ્રેણી અંગે વાત કરીએ તો તેમા અનેક તોફાની બેટિંગ જોવા મળી હતી . રોહિત શર્માએ સૌથી વધારે છગ્ગા ફટકાર્યા હતા તો અજિંક્ય રહાણેએ સૌથી વધારે ચાર અડધી સદી ફટકારી હતી . પાંચમી શ્રેણીમાં માત્ર બે જ સદી નોંધાઇ હતી અને એ હાઇવેલ્ડ લાયન્સના ક્વિન્ટોન ડે કોક અને ઓતાગો વોલ્ટ્સના નેઇલ બ્રૂમે ફટકારી હતી . જોકે અહીં અમે વાત ટી20 લીગની ગત પાંચ શ્રેણીઓમાં ફટાકરવામાં આવેલા સૌથી ઝડપી અડધી સદી અંગે વાત કરી રહ્યાં છીએ , જેમાં ભારતની બે ટીમ એટલેકે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ચેન્નાઇ સુપર કિંગ્સ તરફથી બે ખેલાડીઓ અનુક્રમે ક્રિસ ગેઇલ અને મહેન્દ્ર સિંહ ધોની દ્વારા સૌથી ઝડપી અડધી સદી ફટકારવામાં આવી હતી . તો ચાલો તસવીરો થકી જાણીએ કે ચેમ્પિયન્સ લીગમાં ફટકારવામાં આવેલી પાંચ સૌથી ઝડપી અડધી સદી . ગુમનામ થઇ ગયા ટીમ ઇન્ડિયાના આ 14 ક્રિકેટર્સ આ પણ વાંચોઃ - આ સુંદરીઓ લગાવે છે ભારતીય સ્પોર્ટ્સમાં ગ્લેમરસનો તડકો" sports,"વિશ્વ પર્યાવરણ દિવસના અવસર પર ક્રિકેટ લીઝેન્ડ સચિન તેંડુલકર , સ્ટાર પ્લેયર રોહિત શર્મા અને અજિંક્ય રહાણેએ વૃક્ષ વાવીને દુનિયાને પર્યાવરણને બચાવવાનો સંદેશ આપ્યો હતો . સચિન , રોહિત , રહાણેના વખાણ કરતા કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે તેઓ યુવાનો અને બાળકોનો નવો અને સુંદર સંદેશ આપશે . મને આનંદ છે કે ક્રિકેટના આ સ્ટાર્સ સરકાર તરફથી ચલાવવામાં આવી રહેલ પર્યાવરણના અભિયાન સાથે જોડાયા છે . આ અવસરે સચિન તેંડુલકર લીલા રંગની ટી - શર્ટ પહેરેલા દેખાયા , તેમને જોઇને લોકો ઘણા ખુશ દેખાયા . સચિને પોતાના પહેરવેશથી પણ લોકોને હરિયાળીને બચાવવાનો સંદેશ આપ્યો . આ સુંદર ઇવેંટની તસવીર રહાણેએ પોતાના ઓફિશિયલ ફેસબુક વોલ પર પોસ્ટ કરી છે . રોહિત શર્માએ જણાવ્યું કે હું યુવાનોને અપીલ કરીશ કે તેઓ આ અભિયાનમાં સમર્થન આપે કારણ કે દેશને આગળ લઇ જવાની જવાબદારી યુવાનોની છે . આવો આપ પણ જુઓ નીચે આપેલ તસવીરોમાં સચિનનું હરિયાળુ અભિયાન . . ." sports,"ભારતની ટોપ સ્તરની જિમ્નાસ્ટ દીપા કરમાકર ઇજાને કારણે લગભગ 2 વર્ષના લાંબા સમય પછી પાછી ફરી છે . દીપા કરમાકરે તુર્કીના મસીનમાં ચાલી રહેલા એફઆઇજી જિમ્નાસ્ટિક વર્લ્ડ ચેલેન્જ કપમાં ગોલ્ડ જીત્યો છે . ધ્યાન આપવા જેવી બાબત છે કે ત્રિપુરાની 24 વર્ષની જિમ્નાસ્ટ દીપા કરમાકર વર્ષ 2016 રિયો ઓલિમ્પિ માં ચોથા સ્થાને રહી હતી . દીપા કરમાકરે રવિવારે 14.150 સ્કોરથી ગોલ્ડ મેળવ્યો દીપા કરમાકર કવોલીફીકેશનમાં પણ 13.400 સ્કોર સાથે ટોપ પર રહી હતી . દીપા કરમાકરનો આ વર્લ્ડ ચેલેન્જ કપમાં પહેલો મેડલ છે . પીએમે આપ્યા અભિનંદન દીપા કરમાકર રિયો ઓલિમ્પિક પછી ઇન્ટીરિયલ ક્રુસીએટ લિંગામેટ ( એસીએલ ) ઇજા સામે ઝઝુમી રહી હતી , તેના માટે તેમને સર્જરી પણ કરાવી હતી . પેહેલા તેઓ રાષ્ટ્રીય મંડળ ખેલોમાં વાપસી કરવાની હતી પરંતુ તેઓ ગોલ્ડ કોસ્ટમાં ભાગ નહીં લઇ શકી . તેમને આવનારી એશિયાઈ ખેલ માટે પસંદ કરવામાં આવેલો 10 સદસ્યની ભારતીય જિમ્નાસ્ટિક ટીમમાં પસંદ કરવામાં આવ્યા છે . દીપા કરમાકર ઘ્વારા મેળવવામાં આવેલી સફળતા પર પીએમ મોદી ઘ્વારા ટવિટ કરીને જણાવવામાં આવ્યું કે ભારતને દીપા પર ગર્વ છે અને તેમની સફળતા એક મિસાલ છે ." entertainment,"ગુરુવારે બોલિવુડના ઘણા મોટા સ્ટાર્સ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળવા અને ઈન્ડસ્ટ્રી વિશે વાતચીત કરવા માટે પહોંચ્યા . આ દરમિયાન રણવીરે પીએમને ગળે મળીને એક સુંદર ફોટો ક્લિક કરાવ્યો . આ ફોટાને ઈન્સ્ટાગ્રામ પર શેર કરીને તેમણે કેપ્શનમાં લખ્યુ - જાદૂની ઝપ્પી . . આપણા દેશના માનનીય પ્રધાનમંત્રીને મળવાનું સૌભાગ્ય . રણવીર સિંહની આ પોસ્ટ પર થોડીક જ મિનિટોમાં 22 લાખથી વધુ લાઈક આવી ગયા . આ બેઠક દરમિયાન એકતા કપૂર , ભૂમિ પેડનેકર , સિદ્ધાર્થ મલ્હોત્રા , આલિયા ભટ્ટ , રોહિત શેટ્ટી , કરણ જોહર , રાજકુમાર રાવ , વરુણ ધવન , વિકી કૌશલ , આયુષમાન ખુરાના પણ પહોંચ્યા હતા . બધાએ આ બેઠકના ઘણા ફોટા શેર કર્યા . કરણ જોહરે આ મુલાકાતની એક સેલ્ફી શેર કરતા બેઠક વિશે થોડુ સંક્ષેપ કર્યુ . તેમણે પીએમ સાથેની મુલાકાતને એક અતુલ્ય અવસર ગણાવ્યો અને ફિલ્મની ટિકિટોના ભાવમાંથી જીએસટી ઘટાડવા બદલ સમગ્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રી તરફથી પીએમ મોદીનો આભાર માન્યો . સિદ્ધાર્થ મલ્હોત્રાએ એક ફોટો શેર કરીને કેપ્શનમાં લખ્યુ - અમને સાંભળવા માટે નરેન્દ્ર મોદી સરનો આભાર . આ સમ્માનજનક હતુ . ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે તમારા સમર્થન માટે અમે આભારી છીએ . આ પણ વાંચોઃ હેપ્પી બર્થડેઃ સલમાનથી લઈ આમિર સુધી ફરહાન અખ્તર આગળ બધા Fail" entertainment,"મુંબઈ , 25 સપ્ટેમ્બર : ભારતીય ક્રિકેટ ટીમના સુકાની મહેન્દ્ર સિંહ ધોની ઉપર બનનાર ફિલ્મ અંગેનો વિઘ્ન દૂર થઈ ગયો છે . ધોની પર બનનાર ફિલ્મમાં તેમનો રોલ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત ભજવશે . ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝ કરી દેવાયો છે . મહેન્દ્ર સિંહ ધોની પર બની રહેલ ફિલ્મ અંગેની માહિતીની ધોનીના પત્ની સાક્ષી ધોનીએ ટ્વીટ કરી પુષ્ટિ કરી . સાક્ષીએ ટ્વિટર પર લખ્યુ છે - તાજેતરના દિવસોમાં ઉડેલી તમામ અફવાઓને ફગાવુ છું . તે તમામ સમાચારો ખોટા હતાં . આ જુઓ . . . બૂમ . સાક્ષીએ ધોની પર બનનાર ફિલ્મના ફર્સ્ટ લુકની તસવીર પણ પોસ્ટ કરી છે . મહેન્દ્ર સિંહ ધોની પર બનતી ફિલ્મનું નામ છે એમ એસ ધોની અને તેનું દિગ્દર્શન કરશે નીરજ પાંડે કે જેઓ અગાઉ ઍ વેડનસ ડે તથા સ્પેશિયલ 26 જેવી સુપરહિટ ફિલ્મો બનાવી ચુક્યા છે . એમ એસ ધોની ફિલ્મ આવતા વર્ષે 2015માં રિલીઝ થશે . એમ એસ ધોની ફિલ્મમાં ધોનીનો રોલ કરવા જઈ રહેલા સુશાંત સિંહ રાજપતે કાઇ પો છે ફિલ્મ દ્વારા ડેબ્યુ કર્યુ હતું અને પહેલી જ ફિલ્મમાં તેઓ બાળકોને ક્રિકેટ શીખવાડતા નજરે પડ્યા હતાં . સુશાંતે ટેલીવિઝન જગતમાંથી બૉલીવુડમાં એન્ટ્રી કરી ચે અને દર્શકો વચ્ચે લોકપ્રિય પણ છે . નીરજ પાન્ડેએ અત્યાર સુધી ફિલ્મના ટાઇટલ અંગે ખુલાસો નથી કર્યો , પણ ફિલ્મના પોસ્ટર ઉપરથી લાગે છે કે ફિલ્મનું નામ એમ એસ ધોની હોઈ શકે . અગાઉ ધોની અંગેની ફિલ્મને લઈને વિવાદ ઉભા થયા હતાં . ફિલ્મના પૈસાની લેતી - દેતીના વિવાદે ફિલ્મ ઘોંચમાં જવાની હતી . કહે છે કે ધોનીએ પોતાના જીવન પર બનનાર ફિલ્મ બદલ 40 - 45 કરોડ રુપિયા માંગ્યા હતાં . બીજી બાજુ બીસીસીઆઈ દ્વારા વાંધો ઉઠાવવાના પણ સમાચારો હતાં , પરંતુ સાક્ષી ધોનીએ તમામ અટકળો નકારી દઈ પોસ્ટર ટ્વિટર પર પોસ્ટ કર્યું છે . ચાલો આપને બતાવીએ એમ એસ ધોની પર બનનાર ફિલ્મનો ફર્સ્ટ લુક અને અત્યાર સુધીની ઑન - સ્ક્રીન સ્પોર્ટ્સમૅનની માહિતી :" business,"મોદી સરકાર 1 ફેબ્રુઆરીએ નાણાંકીય વર્ષ 2018 - 19 માટે બજેટ રજૂ કરશે . નાણાં મંત્રી અરુણ જેટલી અને તેમની ટીમ જે લાંબા સમયથી આ બજેટને બનાવવા માટે મહેનત કરી રહી છે . તે બજેટને 1 ફેબ્રુઆરીના રોજ રજૂ કરશે . ત્યારે આ યુનિયન બજેટને લગતી તમામ માહિતી અને પળે પળની ખબર તમારા સુધી પહોંચતી કરવા માટે , તમે ડેલીહંટ એપ જોતા રહો . આ દ્વારા અમે તમને યુનિયન બજેટ 2018ની તમામ લાઇવ અપટેડ અને જાણકારોના વિશ્લેષણ સમેત મહત્વની માહિતી ઘરે બેઠા પહોંચાડીશું . 1 ફેબ્રુઆરીના રોજ સવારથી જ ડેલીહંટ પર તમને આ બજેટની તમામ જાણકારીઓ મળશે . ઉલ્લેખનીય છે કે બજેટ અને ગુજરાતની વેપારી પ્રજાને સીધો સંબધ છે . ત્યારે આ વખતની બજેટ વેપારીઓથી લઇને સામાન્ય જનમાનસ માટે કેટલું ખાસ અને કેવું રહેશે તે અંગે ગુજરાતીમાં જ તમામ જાણકારી 1 ફેબ્રુઆરીના રોજ અમે તમને લાઇવ અપટેડ અને વિશ્લેષણ સાથે આપતા રહીશું . ઉલ્લેખનીય છે કે જીએસટી બિલ પસાર થયા પછી નાણાંમંત્રી અરુણ જેટલી પહેલી વાર યુનિયન બજેટ રજૂ કરવાના છે . આ વખતનું યુનિયન બજેટ અન્ય તમામ બજેટ કરતા ખાસ અને અલગ છે . સાથે જ આ બજેટ મોદી સરકારનું અંતિમ બજેટ છે . વધુમાં 2019માં લોકસભાની ચૂંટણી આવતી હોવાના કારણે આ બજેટમાં મોદી સરકાર ખેડૂતો સમેત લોકોનું મન જીતવાનો ભરપૂર પ્રયાસ કરશે . વધુમાં જીએસટી લાગુ થયા પછી દર વખતે , જેમ બજેટમાં શું સસ્તુ અને શું મોધું થયું છે તે પ્રશ્ન હવે ઊભો નહીં થાય , કારણ કે મોટાભાગની તમામ વસ્તુઓ હવે જીએસટી આધીન છે . અને જીએસટી એક અલગ કાનૂન છે . ત્યારે આ વખતના બજેટમાં નાણાં પ્રધાન અરુણ જેટલી ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ ટેક્સમાં શું કોઇ ફેરફારો લાવે છે ? શું 2019ની ચૂંટણીને લઇને સામાન્ય લોકોને ખુશ કરવા માટે કોઇ ખાસ રાહત આુપશે કે કેમ ? આ તમામ સવાલો અંગે પળે પળની જાણકારી અમે તમારી સુધી પહોંચાડીશું . તો 1 ફેબ્રુઆરીએ આ તમામ વિગતો માટે ડેલીહંટ એપ જોવાનું ના ભૂલતા ." entertainment,"સાંભળતા વિચિત્ર લાગશે , પણ આ સાચુ છે કે બૉલીવુડની સૌથી ચર્ચિત સેલિબ્રિટી એટલે આરાધ્યા અત્યારથી જ અભિનેતા આમિર ખાનની ફૅન છે . આગામી 16મી નવેમ્બરે આરાધ્યા હજી તો બે વર્ષની થશે . આ બાબતનો ખુલાસો પિતા અભિષેક બચ્ચને જ કર્યો છે કે જેઓ આમિર ખાન સાથે ધૂમ 3 ફિલ્મમાં નજરે પડવાના છે . નોંધનીય છે કે યશ રાજની ધૂમ 3 ફિલ્મ આગામી 20મી ડિસેમ્બરે રિલીઝ થઈ રહી છે . ફિલ્મમાં આમિર ખાન ઉપરાંત ઉદય ચોપરા , કૅટરીના કૈફ તથા અભિષેક બચ્ચન લીડ રોમલાં છે . આમિર ખાન ડબલ રોલમાં છે . તેઓ પહેલી વાર નેગેટિવ રોલ પ્લે કર રહી રહ્યાં છે , તો અભિષેક - આમિર પહેલી વાર સાથે નજરે પડવાના છે . અહીં મહત્વની વાત એ પણ છે કે આરાધ્યાના માતા ઐશ્વર્યા રાય અને આમિર ખાન ક્યારેય પડદા ઉપર સાથે નથી દેખાયાં . જોકે ઐશે અભિનયના પ્રારંભિક તબક્કે આમિર ખાન સાથે પેપ્સીની એડ કરી હતી ." sports,નેશનલ લેવલની એક મહિલા શૂટરે પોતાના કોચ પર નશીલુ ડ્રીંક પીવડાવીને બળાત્કાર કરવાનો આરોપ લગાવ્યો છે . પોલિસે કોચની સામે કેસ ફાઇલ કરી દીધો છે . મહિલા ખેલાડીને લગ્નનું ખોટુ વચન આપ્યુ પોલિસમાં ફાઇલ થયેલ ફરિયાદમાં મહિલા ખેલાડીએ કહ્યુ કે લગભગ બે વર્ષથી તેની અને કોચ વચ્ચે સંબંધો હતા . બંને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇંડિયાના શૂટીંગ રેંજમાં પ્રેકટીસ કરતા હતા અને આરોપી તેને ગાઇડ કરતો હતો . કોચે મહિલા ખેલાડીને લગ્ન કરવાનું વચન આપ્યુ હતુ . જન્મદિવસે આવીને છેતરપીંડીથી કર્યો બળાત્કાર મહિલાએ ફરિયાદમાં કહ્યુ કે તેના જન્મદિવસે અભિનંદન આપવા કોચ ચાણક્યપુરીમાં તેના ઘરે આવ્યો હતો . તેણે સોફ્ટ ડ્રીંકમાં નશીલુ દ્રવ્ય મેળવીને તેને પીવા માટે આપી દીધુ . સોફ્ટ ડ્રીંક પીતા જ મહિલા બેભાન થઇ ગઇ અને કોચે તેની સાથે બળાત્કાર કર્યો . કોચે લગ્નનો કર્યો ઇનકાર મહિલા ખેલાડીનું કહેવુ છે કે ઘટના બાદ કોચ સાથે તેણે લગ્નની વાત કરી હતી પરંતુ તેણે ના પાડી દીધી . કોચે મહિલાને શૂટિંગ રાઇફલથી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી . ત્યારબાદ મહિલા ખેલાડીએ પોલિસમાં ફરિયાદ નોંધાવી હતી . મહિલા સાથે બળાત્કારની પુષ્ટિ મેડીકલ તપાસમાં મહિલા ખેલાડી સાથે બળાત્કારની પુષ્ટિ કરવામાં આવી છે . વિશેષ પોલિસ કમિશ્નર એમ કે મીનાએ આ વિશે જણાવ્યુ કે આરોપી સામે બળાત્કારનો કેસ ફાઇલ કરીને આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે . આરોપી સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે . આરોપી સામે આઇપીસીની ધારા 376 અને 328 હેઠળ કેસ ફાઇલ કરવામાં આવ્યો છે . પોલિસ સ્ટેશનમાં આરોપીને બોલાવીને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે . sports,"બેંગ્લોરઃ ચેન્નાઇ સુપર કિંગ્સ અને ડોલફિન્સ વચ્ચે રમાયેલી મેચની સુરેશ રૈના અને બ્રેન્ડન મેક્કુલમની વિસ્ફોટ ઇનિંગ બધાને યાદ હશે , પરંતુ આ મેચ દરમિયાન મેક્કુલમે બાઉન્ડ્રીને પાર જઇ રહેલા બોલને રોકવા માટે જે ફિલ્ડિંગ ભરી હતી , તેણે અનેક ક્રિકેટ દિગ્ગજો અને ક્રિકેટ રસિકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે . સોમવારે એમ ચિન્નાસ્વામી મેદાનમાં રમાયેલી આ મેચમાં સુરેશ રૈનાએ 43 બોલમાં 90 રન બનાવ્યા હતા , જ્યારે મેક્કુલમે 29 બોલમાં 49 રન બનાવ્યા હતા . આ મેચમાં ચેન્નાઇ સુપર કિંગ્સનો 54 રને વિજય થયો હતો . બન્ને ટીમો તરફથી ધમાકેદાર બેટિંગ કરવામાં આવી રહ્યું હતું , ત્યારે મેક્કુલમે લોંગ ઓન બાઉન્ડ્રી પર શ્રેષ્ઠ ફિલ્ડિંગનો પરચો આપતા છગ્ગો રોક્યો હતો . આ ઘટના ઇનિંગની 16મી ઓવરમાં ઘટી હતી , ડ્વેન બ્રાવો બોલિંગ નાંખી રહ્યો હતો અને ડોલફિન્સનો ખેલાડી રોબ્બી ફ્રાયલિંકે બોલને લોગ ઓન તરફ બોલ ફટાકર્યો હતો . આ શોટ એવો હતો કે છગ્ગો નિશ્ચિત જ હતો , પરંતુ મેક્કુલમે બોલને અત્યંત નજીકથી નિહાળ્યો અને ડાઇવ લગાવી છ રન બચાવ્યા હતા . જેના કારણે બેટ્સમેન માત્ર બે રન જ લઇ શક્યો હતો . શાનદાર ફિલ્ડિંગ નિહાળતા જ રવિન્દ્ર જાડેજા મેક્કુલમ પાસે પહોંચી ગયો હતો અને તેને અભિનંદન આપ્યા હતા . આ સાથે જ મેદાનમાં હાજર દર્શકોએ પણ તેની ફિલ્ડિંગને આવકારી હતી . મેક્કુલમની શાનદાર ફિલ્ડિંગની તસવીરો નિહાળવા નીચે સ્લાઇડર પર ક્લિક કરો ." entertainment,"બુધવારનો દિવસ શ્રીલંકન બ્યુટી જૅકલીન ફર્નાન્ડીઝ માટે બહુ આનંદદાયક હતો , કારણ કે તેમને બૉલીવુડમાં આવ્યે ચાર વર્ષ પૂર્ણ થઈ ગયાં છે . તે માટે જૅકલીને સૌનો આભાર વ્યક્ત કર્યો . જૅકલીને બુધવારે ટ્વિટર પર લખ્યું - આજે ( બુધવારે ) બૉલીવુડમાં મને ચાર વરસ થઈ ગયાં છે . ચાર વર્ષ અગાઉ આજના દિવસે જ અલાદીન રિલીઝ થઈ હતી . આ અદ્ભુત સ્મૃતિઓ બદલ સૌનો આભાર . નોંધનીય છે કે જૅકલીને 2009માં અલાદીન ફિલ્મ સાથે બૉલીવુડ કૅરિયર શરૂ કર્યુ હતું . જોકે 31મી ઑક્ટોબર , 2009ના રોજ રિલીઝ થયેલી અલાદીનને સારો પ્રતિસાદ નહોતો મળ્યો , પણ જૅકલીનનું કૅરિયર ચાલી નિકળ્યું . જૅકલીન ફર્નાન્ડીઝ અલાદીન પછી મર્ડર 2 , હાઉસફુલ 2 ધ ડર્ટી ડોઝન તથા રેસ 2માં પણ અભિનય કરી ચુક્યાં છે . ટુંકમાં જ તેઓ બૉલીવુડના હૅન્ડસમ હીરો સલમાન ખાન સાથે રૂપેરી પડદે નજરે પડનાર છે . ફિલ્મનું નામ છે કિક . મિસ શ્રીલંકા રહી ચુકેલા જૅકલીન ફર્નાન્ડીઝ આ વાત માટે ઉપરવાળાનો આભાર વ્યક્ત કરે છે કે તેમને સલમાન ખાન સાથે કામ કરવાની તક મળી રહી છિ . કિકમાં સલમાન - જૅકલીન ઉપરાંત પરેશ રાવલ , સુનીલ શેટ્ટી અને રણદીપ હુડા પણ મુખ્ય ભૂમિકાઓમાં છે . નિર્માતા - દિગ્દર્શક સાજિદ નડિયાદવાલા છે . જુઓ જૅકલીન ફર્નાન્ડીઝની સુંદર તસવીરો :" sports,"કોલકતા , 3 જૂનઃ બીસીસીઆઇ અધ્યક્ષ પદથી હટાવવામા આવ્યા બાદ અંદાજે સાડા છ વર્ષ પછી બીસીસીઆઇના અંતરિમ પ્રમુખ બનાવવામાં આવેલા વિવાદોથી ઘેરાયેલા જગમોહન દાલમિયા માટે જીવને ભલે કરવટ બદલી હોય પરંતુ તેઓ તેને એક વ્યક્તિની જીત માનતા નથી . દાલમિયા સ્પોટ ફિક્સિંગ પ્રકરણના કારણે ગંદી થયેલી ક્રિેકેટની છબીને સ્વચ્છ કરવાની જવાબદારીને એક પડકારના રૂપમાં લઇ રહ્યાં છે . દાલમિયાએ ચેન્નાઇમાં બીસીસીઆઇની ઇમર્જેન્ટ વર્કિંગ કમિટીની બેઠકમા ભાગ લઇને પરત આવ્યા બાદ પત્રકારોને જણાવ્યું છે કે , આ કો વ્યક્તિની જીત નથી . સમયની જરૂરિયાત ક્રિકેટની છબીને સ્વચ્છ કરવાની છે . એ મારી ટોચની પ્રાથમિકતા છે . મારી પાસે આમ કરવા માટે સમય ઘણો ઓછો છે . મારે ઝડપથી કામ કરવું પડશે . મારે ક્રિકેટ બિરાદરીને એ સાબિત કરવું પડશે કે ક્રિકેટ સ્વચ્છ ખેલ છે . મારે લોકોમાં એ વિશ્વાસ પરત લાવવો પડશે . વિવાદોથી ઘેરાયેલા રહ્યાં છે દાલમિયા આઇસીસી અને બીસીસીઆઇના પ્રમુખ રહી ચુકેલા દાલમિયા અનેક વિવાદોમાં ઘેરાયેલા રહ્યાં છે . બોર્ડના નાણાનો દૂરુપયોગ કરવાનો આક્ષેપ કરતા તેમની સામે બોર્ડે કેસ કર્યો હતો અને તેમને બીસીસીઆઇમાંથી દૂર કરવામાં આવ્યા હતા . અગાઉ ટીવી રાઇટ્સ વેચવાના મામલે પણ એક વિવાદ સર્જાયો હતો અને તેના કારણે તેણે આઇસીસીની ખુરશી પણ છોડવી પડી હતી ." business,વૈશ્વિક અર્થવ્યવસ્થામાં જ્યાં એક તરફ અનેક બદલાવો થઇ રહ્યા છે તે વચ્ચે ભારત માટે એક સારા સમાચાર આવ્યા છે . આંતરાષ્ટ્રીય મુદ્રા કોષ ( આઇએમએફ ) ની રિપોર્ટમાં ભારત આવનારા 5 વર્ષોમાં એટલે કે 2022 સુધીમાં દુનિયાની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા હશે . જીડીપીના નૉમિનલ ટર્મ્સના આધારે આ રિપોર્ટને તૈયાર કરવામાં આવે છે . આમ ચોથા સ્થાન પર હાલ બિરાજનાર જર્મનીને પછાડીને ભારત નવી જીત મેળવી શકે છે . રિપોર્ટ મુજબ ભારતીય અર્થવ્યવસ્થા ઝડપથી આગળ વધી રહી છે . ત્યાંજ બ્રિટનની આ રેસમાં તેનું પાંચમું સ્થાન છોડી છઠ્ઠા સ્થાન પર એટલે કે એક નંબર પાછળ ગયું છે . એટલે કે તે હવે તે વિશ્વની 5 શક્તિશાળી અર્થવ્યવસ્થામાંથી પણ બહાર થઇ ગયું છે . આઇએમએફની રેકિંગમાં ભારત 9.9 ટકાના દરે આગળ વધી રહ્યો છે . તો બીજી તરફ બ્રિટનની ઇકોનોમી આ વર્ષે ખાલી 2 ટકા આગળ વધશે . અને 2018માં 1.8 ટકા જ આગળ આવશે . નોંધનીય છે કે યુરોપીયન યુનિયનથી બહાર નીકળ્યા પછી બ્રિટનની અર્થવ્યવસ્થા પર નકારાત્મક અસર થઇ છે . entertainment,"એક ટીવી રિલાલિટી શૉ કોઈ પણ સ્ટારનું કરિયર ઘણા વર્ષો સુધી ચમકાવી શકે છે . આ લિસ્ટમાં ખતરો કે ખિલાડી કન્ટેસ્ટન્ટ શિબાની દાંડેકર પણ આવે છે . ગ્લેમર વિશે વાત કરવામાં આવે તો હાલમાં ટીવીની દુનિયામાં તેની ભરમાર છે . શિબાની દાંડેકરની ફોટો ફરી એકવાર વાયરલ થઇ રહી છે . રોહિત શેટ્ટીના શૉની ગ્લેમરસ સ્ટાર હાલમાં પોતાની હોટ તસ્વીરોને કારણે ચર્ચામાં છે . ખતરો કે ખેલાડી સીઝન 8 દરમિયાન શિબાની દાંડેકરે પોતાના ગ્લેમરસ લૂક સાથે બધાના હોશ ઉડાવી દીધા હતા . શિબાની દાંડેકર આ સીઝન જીતી શકી ના હતી . પરંતુ તે હંમેશાથી પોતાની હોટ તસ્વીરોને કારણે ખબરોનો હિસ્સો બની રહી છે . શિબાની હંમેશા પોતાની કોઈને કોઈ બોલ્ડ ફોટો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતી જ રહે છે . કુંડળીભાગ્યની સ્ટારે સનસની મચાવી , વીડિયો વાયરલ શિબાની દાંડેકર ની દરેક તસ્વીરોને ખુબ જ પસંદ કરવામાં આવે છે . પરંતુ ટીવી મામલે શિબાની ખુબ જ પાછળ છે . તે પોતાને ડેલી શૉથી દૂર જ રાખે છે . શિબાની દાંડેકર ને તમે આઇપીએલ હોસ્ટ કરતા પણ જોઈ ચુક્યા છો . પરંતુ આ વખતે તેને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ખુબ જ હોટ ફોટો શેર કરી છે . 18 વર્ષની ઉંમરમાં આ સ્ટાર કિડ ધમાલ મચાવી રહી છે , ફોટો વાયરલ જો કે તેવું નથી કે શિબાનીની આ પહેલી તસવીર હોય . આ પહેલા પણ તે અનેક તસવીરો સોશ્યલ મીડિયા પર વાયરલ કરી ચૂકી છે . તો આ તસવીરોમાં તેવું શું છે ખાસ જાતે જોઇ લો . ." entertainment,બોલિવૂડ સેલિબ્રિટી પોતાની તસવીરો સોશ્યિલ મીડિયા પર નાખતી રહે છે પછી તે કોઈ ફંક્શનની ફોટો હોય કે પછી કોઈ ફોટોશૂટ . હાલમાં જ એમી જેક્શને પોતાની ટોપલેસ ફોટો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે . ત્યારબાદ તેની તે તસ્વીર ખુબ જ વાઇરલ થઇ ચુકી છે . આમ જોવા જઈએ તો બેકલેસ ફોટો બોલિવૂડ સેલિબ્રિટી માટે કોઈ જ નવી વાત નથી . પહેલા પણ તેઓ બેકલેસ તસવીરોમાં આવી ચુક્યા છે . ઘણી વાર કેટલીક તસવીરો અશ્લીલ બની જાય છે . તો કેટલીક વાર તેઓ ખુબ જ હોટ અને સેક્સી દેખાય છે . તો જુઓ આવી જ કેટલીક હોટ અને સેક્સી બોલિવૂડ સેલિબ્રિટીની બેકલેસ તસવીરો . . . entertainment,"સૈફ અલી ખાન અભિનીત ગો ગોવા ગોનના દિગ્દર્શક રાજ નિધિમોરૂ તથા કૃષ્ણ ડીકે તેમજ કલાકાર સૈફ અલી ખાન ફિલ્મના પ્રમોશન દરમિયાન નશાખોરી વિરુદ્ધ અવાજ ઉઠાવશે . ગો ગોવા ગોન ભારતની પ્રથમ ઝોમ્બી ફિલ્મ હશે . ફિલ્મ અંગે એક પ્રેસ કૉન્ફરંસ યોજાઈ કે જેમાં સૈફ અલી ખાન અને પૂજા ગુપ્તા પણ હાજર હતાં . દિગ્દર્શકોએ જણાવ્યું કે સામાન્ય રીતે લોકો એમ માને છે કે પ્રવાસીઓ રિલેક્સ થવા , આરામ કરવા અને કેટલીક સુખદ પળો પસાર કરવા ગોવા જાય છે . અમારી ફિલ્મની વાર્તા પણ આ જ છે કે આ એક દિવસ ત્યાં શું થાય છે . ફિલ્મમાં અભિનેતા સૈફ અલી ખાને રશિયાના એક માફિયાનો રોલ ભજવ્યો છે . સૈફ ઉપરાંત કુણાલ ખેમૂ , વીર દાસ , આનંદ તિવારી તથા પૂજા ગુપ્તા પણ છે ફિલ્મમાં . દિગ્દર્શકોએ જણાવ્યું - અમારા માટે સૈફનો લુક નક્કી કરવો એક મોટો પડકાર હતો . અમે તેમના લુક અંગે અનેક પ્રયોગો કર્યાં . તેના માટે અમે ઑસ્ટ્રેલિયન નિષ્ણાતો શૉન તથા ટૉમ લૂથરાની પણ મદદ લીધી . અમે ઇચ્છતા હતાં કે સૈફનો લુક ઝોમ્બીથી પ્રભાવિત દેખાય . તેના માટે તેમને બૉડી લૅંગ્વેજ ઉપર પણ કામ કરવુ પડ્યું . ગો ગોવા ગોન ફિલ્મ આગામી શુક્રવારે રિલીઝ થવા જઈ રહી છે . દિગ્દર્શકો ફિલ્મની સફળતા અંગે ચિંતિત નથી . તેમને આશા છે કે આ ફિલ્મ દર્શકોને જરૂર ગમશે . ફિલ્મના નિર્માતા સૈફ અલી ખાન છે . આવો તસવીરોમાં જોઇએ ગો ગોવા ગોનનું પ્રમોશન ." sports,"ઈન્ડોનેશિયામાં ચાલી રહેલ 18 માં એશિયન ગેમ્સનો 9 માં દિવસ ભારત માટે સુખદ શરૂઆત લઈને નથી આવ્યો . વાસ્તવમાં આજની શરૂઆતમાં પહેલેથી માનવામાં આવી રહ્યુ હતુ કે ભારતની સ્ટાર શટલર સાયના નહેવાલ સેમીફાઈલનમાં સરળતાથી જીતીને ભારતને ફાઈનલમાં ગોલ્ડ અપાવશે પરંતુ તે લોકોની અપેક્ષાઓ પર ખરી ઉતરી નહિ અને મુકાબલામાં હાર સાથે બ્રોન્ઝથી સંતોષ કરવો પડ્યો . જો કે ભારતની સ્ટાર શટલર પી વી સિંધુએ કોઈને કોઈને નિરાશ કર્યા નથી અને વર્લ્ડની બીજા નંબરની ખેલાડી જાપાનની યામાગુચીને સંઘર્ષપૂર્ણ મુકાબલામાં 21 - 17,15 - 21,21 - 10 થી હરાવી દીધી હતી . આ સાથે સિંધુ એશિયન ગેમ્સના ફાઈનલમાં પહોંચનાર પહેલી ભારતીય ખેલાડી પણ બની ગઈ છે . ભારતને ગોલ્ડ અપાવી શકે ઉલ્લેખનીય છે કે 1962 થી બેડમિન્ટન એશિયન ગેમ્સનો હિસ્સો છે . ત્યારથી અત્યાર સુધી ભારતનો કોઈ પણ શટલર કોઈ પણ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલથી આગળ વધી શક્યો નથી . પીવી સિંધુની જીત બાદ આ પહેલો મોકો છે જ્યારે એશિયન ગેમ્સના ઈતિહાસમાં ભારતને ઓછામાં ઓછુ સિલ્વર મેડલ તો મળશે . એટલે કે પીવી સિંધુ ભારતીય બેડમિન્ટનના ઈતિહાસમાં વધુ એક નવો ઈતિહાસ લખી ચૂકી છે . ફાઈનલમાં તેનો મુકાબલો 28 ઓગસ્ટના રોજ રમવામાં આવશે . સિંધુ પાસે વધુ એક ચાન્સ હશે જ્યારે તે સાયનાની હારનો બદલો લઈ શકે અને ભારતને ગોલ્ડ અપાવી શકે . આવો રહ્યો મુકાબલો બંને વચ્ચે ઘણો રોમાંચક મુકાબલો જોવા મળ્યો , પહેલા રાઉન્ડમાં પી વી સિંધુ અને યામાગુચી વચ્ચે ઘણી રોમાંચક મેચ જોવા મળી . વળી , પી વી સિંધુને પહેલા રાઉન્ડમાં જીત મળ્યા બાદ બીજા રાઉન્ડમાં હારનો સામનો કરવો પડ્યો . ત્રીજી ગેમમાં સ્કોર 3 - 3 થી બરાબર થયા બાદ યામાગુચીએ કેટલાક ખરાબ શોટ રમ્યા અને સિંધુએ તેમાં કોઈ કસર છોડી નહિ અને પોઈન્ટ વધારી દીધા . વળી , 20 - 10 ના સ્કોર પર સિંધુએ વિજયી સ્મેશ લગાવીને ફાઈનલમા જગ્યા બનાવી લીધી . તમને જણાવી દઈએ કે અત્યાર સુધી ભારતના કુલ પદકોની સંખ્યા 37 છે . 7 ગોલ્ડ , 10 સિલ્વર અને 20 બ્રોન્ઝ સાથે ભારત 9 માં સ્થાને છે . આ પણ વાંચોઃ Asian Games 2018 : સેમિફાઇનલમાં સાઇના નેહવાલ હારી , બ્રોન્ઝ થી સંતોષ" sports,"ગઇકાલે હૈદરાબાદમાં થયેલી આઇપીએલ મુકાબલાની 52મી મેચમાં વરસાદ વારંવાર વિઘ્ન રાખતો રહ્યો . રોકાઇ રોકાઇને થઇ રહેલા વરસાદના કારણે મેચને 11 ઓવરોની કરી દેવામાં આવી હતી , પરંતુ હૈદરાબાદની પારી પૂર્ણ થતા - થતા ફરીથી વરસાદ શરૂ થઇ ગયો . હૈદરાબાદ તરફથી હેનરિક્સે 22 બોલરો પર 57 રન બનાવ્યા હતા , પરંતુ ગેઇલ અને વિરાટની તોફાની પારીએ તેની પર પાણી ફેરવી દીધું . પહેલા બેટિંગનો નિર્ણય કરનારા સનરાઇઝર્સે નિર્ધારિત 11 ઓવરોમાં ત્રણ વિકેટ પર 135 રન બનાવ્યા , પરંતુ સનરાઇઝર્સની પારી જ્યારે છેલ્લી ઓવરમાં ચાલી રહી હતી , ત્યારે વરસાદ શરૂ થઇ ગયો . એમ્પાયર્સે આરસીબીના ખેલાડીઓની નારાજગી છતાં પારી પૂર્ણ કરાવી . પરંતુ બાદમાં ડકવર્થ લુઇસ હેઠળ બેંગલોરને આ મેચમાં જીત મળી ગઇ . આરસીબીની આ 13 મેચોમાં સાતમી જીત છે , જેના કારણે તેના 15 પોઇંટ થઇ ગયા છે . સનરાઇઝર્સના 13 મેચમાં 14 પોઇંટ છે ." business,સુપ્રીમ કોર્ટે આધાર કાર્ડને લઇને એક મોટો નિર્ણય આપ્યો છે . સુપ્રીમ કોર્ટે આધાર કાર્ડને લિંક કરવાની ડેડલાઇન વધારી દીધી છે . હવે તમે 31 ડિસેમ્બર સુધી આધાર કાર્ડને અન્ય સામાજીક લાભ વાળી યોજના સાથે લિંક કરી શકો છો . સુપ્રીમ કોર્ટે તે પણ કહ્યું છે કે આધાર કેસ પર આગમી સુનવણી નવેમ્બર પહેલા થઇ જશેય જ્યારે તમામ સામાજીક લાભવાળી યોજના જેમકે રાશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવા માટે હવે તમારી પાસે 31 ડિસેમ્બર સુધી સમય છે . પાનકાર્ડમાં છૂટ નહીં જો કે યુઆઇડીએઆઇ તે વાત સ્પષ્ટ કરી છે કે કરદાતોઓએ 31 ઓગસ્ટ સુધી પોતાના આધાર કાર્ડ અને પેન કાર્ડને લિંક કરવું પડશે . યુઆઇડીએઆઇના સીઇઓ અજય ભૂષણ પાંડેએ જણાવ્યું કે આયકરની કલમ હેઠળ પાનકાર્ડ અને આધારકાર્ડને લિંક કરવાનું કામ પહેલા મુજબ જ કરવામાં આવશે તેમાં કોઇ બદલાવ નહીં થાય . આમ પાનકાર્ડ અને આધાર કાર્ડને તો તમારે 31 ઓગસ્ટ સુધીમાં જ લિંક કરી લેવું પડશે . તેમાં તમને કોઇ પણ પ્રકારની છૂટ નહીં મળે . entertainment,પ્રસિદ્ધ ફિલ્મ અભિનેતા અને નિર્માતા કમલ હસને ગુરુવારે પોતાનો 59મો જન્મ દિવસ અનોખી રીતે ઉજવ્યો . તેમણે નબળા વર્ગના કેટલાંક લોકો અને જરૂરિયાતમંદોને ટ્રાઇસિકલ તેમજ સિલાઈ મશીનો દાન કરી . પરોપકારનું આ સામાજિક કાર્ય કમલ હસના ફૅન્સ દ્વારા ચેન્નઈ ખાતે યોજવામાં આવ્યું . કમલના પ્રવક્તાએ જણાવ્યું - તેમણે આખો દિવસ પોતાના ફૅન્સ વચ્ચે પસાર કર્યો . સવારે તેઓ પોતાના ઘરની બહાર ભેગા થયેલા ફૅન્સને મળ્યાં . દિવસે તેમણે સામાજિક કાર્યમાં ભાગ લીધો . તેમણે જરૂરિયાતમંદ લોકો વચ્ચે ટ્રાઇસિકલ તથા સિલાઈ મશીનોનું વિતરણ કર્યું . પાંચ દાયકાથી અભિનેતા તરીકે ફિલ્મોમાં સક્રિય કમલ હસન દેશના બહેતરીન અભિનેતાઓમાં ગણાય છે . હાલ તેઓ પોતાની ફિલ્મ વિશ્વરૂપ 2નું શૂટિંગ પૂર્ણ કરવામાં વ્યસ્ત છે કે જે આ જ વર્ષે રિલીઝ થયેલી વિશ્વરૂપની સિક્વલ છે . ઉપરાંત કમલ હસન પોતાના જૂના મિત્રો રમેશ અરવિંદ સાથે તામિળ તથા કન્નડ ભાષાઓમાં બનતી ઉથામા વિલન ફિલ્મમાં પણ કામ કરનાર છે . જુઓ તસવીરોમાં કમલનું કમાલનું બર્થ ડે સેલિબ્રેશન : entertainment,"દક્ષિણ ભારતીય ફિલ્મોના મહાનાયક કમલ હસનના પુત્રી શ્રુતિ હસન કહે છે કે તેઓ ડી ડેમાં કામ કરવાની તક હાથમાં સરી જવા દેવા નહોતા માંગતા , કારણ કે આ તેમની અત્યાર સુધીની સૌથી પડકારજનક ભૂમિકા છે . રમૈયા વસ્તાવૈયા ફિલ્મ બાદ ડી ડે ફિલ્મ પામનાર 27 વર્ષીય શ્રુતિ આ વાતથી ખુશ છે કે તેમને નિખિલ અડવાણી દિગ્દર્શિત ફિલ્મમાં કામ કરવાની તક મળી . તેઓ કહેછે - જ્યારે મારી પાસે આ ઑફર આવી , ત્યારે હું ઇનકાર ન કરી શકી . મારા માટે અત્યાર સુધીની સૌથી પડકારજનક ભૂમિકા હતી . હું ખુશ ચું કે હું પણ ડી ડે ફિલ્મનો ભાગ છું . શ્રુતિ હસને 2009માં લક ફિલ્મ સાથે બૉલીવુડ કૅરિયરની શરુઆત કરી હતી . ડી ડેમાં તેઓ અર્જુન રામપાલના નાયિકા તરીકે દેખાશે . તેમણે જણાવ્યું - ફિલ્મમાં મારૂં પાત્ર ખૂબ જ સંવેદનશીલ છે . અર્જુને પણ મદદ કરી . અર્જુન રામપાલ બહુ જ સારા કલાકાર અને સારા માણસ છે . ડી ડે ફિલ્મમાં ઇરફાન ખાન , હુમા કુરૈશી તથા ઋષિ કપૂર પણ મહત્વની ભૂમિકામાં છે . ફિલ્મ 19મી જુલાઈએ રિલીઝ થશે ." business,"અમદાવાદઃ પેટ્રોલ - ડીઝલની કિંમતમાં સતત ત્રીજા દિવસે સુધારો જોવા મળ્યો છે . અમદાવાદમાં આજે પેટ્રોલની કિંમતોમાં 38 પૈસાનો જ્યારે ડીઝલની કિંમતોમાં 12 પૈસાનો ઘટાડો જોવા મળ્યો છે . નવી કિંમતો લાગુ થયા બાદ અમદાવાદમાં પેટ્રોલ લીટર દીઠ 78.97 અને ડીઝલ 78.77 રૂપિયાની સપાટી પર પહોંચી ગયું છે . જો કે પેટ્રોલ અને ડીઝલની કિંમત વચ્ચે પહેલા 10 - 10 રૂપિયાનો તફાવત હતો જે હવે ઘટીને બંનેની કિંમતો વચ્ચે માત્ર 20 પૈસાનો જ તફાવત રહ્યો છે . નવી દિલ્હીમાં આજે પેટ્રોલની કિંમતમાં 39 પૈસા અને ડીઝલની કિંમતમાં 12 પૈસાનો ઘટાડો નોંધાયો છે . નવી કિંમતો લાગુ થયા બાદ દિલ્હીમાં પેટ્રોલ 81.99 રૂપિયા પ્રતિ લીટરે વેચાઈ રહ્યું છે અને ડીઝલ 75.36 રૂપિયા પ્રતિ લીટરે વેચાઈ રહ્યું છે . જ્યારે મુંબઈની વાત કરીએ તો અહીં પેટ્રોલ 38 પૈસાના ઘટાડા સાથે 87.46 રૂપિયાની સપાટી પર પહોંચી ગયું છે અને ડીઝલ 13 પૈસાના ઘટાડા સાથે 79 રૂપિયાની સપાટી પર પહોંચી ગયું છે . પાછલા કેટલાક દિવસથી જેવી રીતે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો થઈ રહ્યો હતો તેનાથી સામાન્ય નાગરિકો ભારે પરેશાન હતા . જ્યારે પાછલા દિવસોમાં સતત પેટ્રોલ અને ડીઝલની કિંમતો ઘટી રહી છે , જેનાથી જનતાએ આખરે રાહતનો શ્વાસ લીધો છે . શુક્રવારે પણ પેટ્રોલની કિંમતમાં 24 પૈસા અને ડીઝલની કિંમતમાં 10 પૈસાનો ઘટાડો નોંધાયો હતો . શંકરસિંહ વાઘેલાના દીકરા મહેન્દ્રસિંહે ભાજપ સાથે છેડો ફાડ્યો" entertainment,"મુંબઈ , 18 સપ્ટેમ્બર : આજે હિન્દી સિનેમાના બહુમુખી પ્રતિભાના માલિક અભિનેત્રી શબાના આઝમીનો જન્મ દિવસ છે . માત્ર ભારત જ નહીં , આ મહાન અભિનેત્રીનું સન્મામ સમગ્ર દુનિયા પણ કરે છે . એટલે જ તો જાણીતા શાયર કૈફી આઝમીના પુત્રી શબાનાને દેશી - વિદેશી સિનેમા માટે અભૂતપૂર્વ યોગદાન માટે ન્યુયૉર્ક શહેરના વહિવટી તંત્રે 2012માં સન્માનિત કર્યુ હતું . આ પ્રથમ પ્રસંગ હોત કે જ્યારે કોઈ ભારતીય કલાકારનું ન્યુયૉર્ક શહેર તરફથી સન્માન કરવામાં આવ્યુ હતું . જાણીતા શાયર તથા ગીતકાર જાવેદ અખ્તરના બીજા પત્ની શબાના આઝમી અંકુર , નિશાંત , અર્થ , માસૂમ , ગૉડ મધર તથા ફાયર જેવી અનેક બહેતરીન ફિલ્મો માટે જાણીતા છે . માત્ર આર્ટ કૅનવાસ ઉપર જ શબાનાએ રાજ નથી કર્યું , પણ કૉમર્શિયલ સિનેમામાં પણ તેઓ શ્રેષ્ઠ કાર્ય કરી ચુક્યાં છે . એટલુ જ નહીં શબાના આઝમીએ એકથી ચડિયાતા એક થિયેટર શો પણ કર્યાં છે કે જે આજે પણ લોકોના દિલમાં છે . શબાના અનેક ગેરસરકારી સંસ્થાઓ સાથે જોડાયેલા છે કે જે સમાજ સેવામાં સક્રિય છે . શબાનાની ફિલ્મો તથા ઍવૉર્ડ્સ તેમની બહુમુખી પ્રતિભાના સાક્ષાત્ ઉદાહરણો છે . એટલે જ તેઓ ક્યારેક અમર અકબર એન્થૉનીના ચુલબુલા તથા શરારતી ચોરની તરીકે દેખાય છે , તો ક્યારેક 1966માં આવેલી ફિલ્મ ફાયર વડે એક બોલ્ડ અવતારમાં અવતરિત થઈ જાય છે . ફાયર ફિલ્મમાં શબાનાએ એક સમલૈંગિકનો રોલ કરી સૌને આશ્ચર્યચકિત કર્યા હતાં . કોઈને પણ આશા નહોતી કે તેઓ પડદા ઉપર સ્મૂચિંગ તથા ઇંટીમેટ સીન્સ આપી શકે છે , પણ એક બાજુ તેમને આંતરરાષ્ટ્રીય કક્ષાએ આ ફિલ્મ માટે ખૂબ શાબાશી મળી , તો બીજી બાજુ તેમને ભારતમાં આ વાત માટે ટીકાઓ ઝીલવી પડી . ફાયર શબાના આઝમી અચાનક 1999માં બંદૂક લઈને સામે આવ્યાં . ગૉડ મધર ફિલ્મ દ્વારા શબાનાએ સાબિત કરી આપ્યું કે તેઓ અભિનયની બાબતમાં દરેકના ગૉડ મધર છે . ફિલ્મ માટે શબાનાએ નેશનલ ઍવૉર્ડજીત્યો , તો સશક્ત અભિનયના બળે તેઓ સૌના હૃદય ઉપર કાયમી રાજ કરતા થયાં ." business,"નવી દિલ્હી , 23 ઓક્ટોબર : વડાપ્રધાન નરેન્દ્ર મોદી માર્ગ , રેલવે અને વીજળી સહિતના માળખાકીય ક્ષેત્રોના કામકાજ અને વિકાસની સમીક્ષા 5 નવેમ્બરે કરવાના છે . આ પ્રસંગે સંબંધિત મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે . આ અંગે એક સૂત્રએ જણાવ્યું કે વડાપ્રધાને વિવિધ મંત્રાલયો અંતર્ગત ચલાવવામાં આવી રહેલી વિવિધ માળખાકીય સુવિધાઓની પ્રગતિની સમીક્ષા કરવા માટે 5 નવેમ્બર , 2014ના રોજ એક બેઠક બોલાવી છે . આયોજન પંચ માળખાકીય સવલતો અને તેના કામકાજની સમીક્ષા કરે છે . વડાપ્રધાન આયોજન પંચે તૈયાર કરેલા રિપોર્ટની સમીક્ષા કરશે . પ્રાપ્ત માહિતી અનુસાર આયોજન સચિવ સિંધુશ્રી ખુલ્લર પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલા રિપોર્ટ અંગે વડાપ્રધાનને વાકેફ કરવા માટે આ બેઠકમાં હાજર રહેશે . આયોજન પંચ વિવિધ માળખાકીય ક્ષેત્રો પર પોતાની સમી7ા રિપોર્ટને અંતિમ સ્વરૂપ આપવા માટે હાલના દિવસોમાં વિવિધ અધિકારીઓની બેઠક બોલાવતું રહ્યું છે . દેશમાં માળખાકીય વિકાસમાં તેજી લાવવા માટે મોદીએ પોતાના પ્રધાનેને વિવિધ યોજનાઓની પ્રગતિ પર ઇલેક્ટ્રોનિક માધ્યમથી નજર રાખવા માટે કહ્યું છે . છેલ્લે 12 સપ્ટેમ્બરના રોજ થયેલી સમીક્ષા બેઠકમાં વડાપ્રધાને રેલવેમાં એફડીઆઇને પ્રોત્સાહન આપવા માટે વિસ્તૃત યોજવા તૈયાર કરવાનો નિર્દેષ આપ્યો હતો . નોંધનીય છે કે આઠ અગ્રણી માળખાકીય ક્ષેત્રો જેવા કે નગર વિમાન , બંદરો અને આંતરરાષ્ટ્રીય જળ માર્ગ , રેલવે , માર્ગ , ટેલિકોમ , વીજળી , કોલસા અને નવીન તથા અક્ષય ઉર્જાની પ્રગતિ પર સમીક્ષા દર મહિને કરવામાં આવશે ." sports,"એશિયન ગેમ્સની 17મી શ્રેણીનું ઉદ્ઘાટન દક્ષિણ કોરિયાના ઇંચિયોન ખાતે થઇ ગયું છે . ઇંચિયોન એશિયાડ મેન સ્ટેડિયમથી લઇને આસપાસના મોટા વિસ્તારોમાં આતિશબાજીના રંગારંગ ઉત્સવનો નજારો જોવા મળ્યો છે . આ નજારાને જોવા માટે સ્ટેડિયમમાં 60 હજારની આસપાસ દર્શકો હાજર રહ્યાં હતા . ગેમના પહેલા દિવસે ભારતીય શૂટર જીતૂ રાયે ભારતને પહેલું સુવર્ણ પદક અપાવ્યું છે . જીતૂએ 50 મીટર એર પિસ્તોલમાં આ પદક જીત્યું છે . જ્યારે શૂટર શ્વેતા ચૌધરીએ મહિલા વર્ગમાં 10 મીટર એર પિસ્તોલમાં કાંસ્ય પદક જીતવામાં સફળતા મેળવી છે . શ્વેતાએ ભારતને 17માં એશિયન ગેમ્સના પહેલા દિવસે પહેલું પદક અપાવ્યું છે . ફાઇનલમાં જીતૂને વિયેતનામના એનગુએન હોંગ ફુઓંગ અને ચીનના વાંગ ઝિવેઇએ જોરદાર ટક્કર આપી પરંતુ આ બન્નેએ ક્રમશઃ રજત અને કાંસ્ય પદકથી સંતોષ માનવો પડ્યો . જીતૂએ 186.2 અંક સાથે સુવર્ણ પદક જીત્યો જ્યારે ફુઓંગે 183.4 અંક મેળવ્યા અને ઝિવેઇએ 165.5 અંક હાંસલ કર્યા હતા . શ્વેતાએ ફાઇનલમાં 176.4 અંક મેળવ્યા હતા . શૂટર શ્વેતા ચૌધરીએ મહિલા 10 મીટર એર પિસ્તોર ફાઇનલમાં કાંક્ય પદક સાથે ભારતને 17મા એશિયન ખેલોમાં પ્રતિયોગિતાઓના પહેલા દિવસે પહેલું પદક મેળવ્યું હતું . ફરીદાબાદની શૂટર શ્વેતા શરૂઆતથી જ લયમાં જોવા મળી , જ્યારે તેમના સાથી શૂટર હીના સિદ્ધૂ અને મલાયકા ગોયલ ફાઇનલમાં સ્થાન મેળવવામાં નિષ્ફળ રહ્યાં . વિશ્વની 146 નંબરની શૂટર શ્વેતાએ ફાઇનલમાં ઉતાર - ચઢાવવાળું પ્રદર્શન કર્યું . પહેલા ત્રણ શોટ બાદ તે ટોચ પર હતી , પરંતુ બાદમાં તે છઠ્ઠા સ્થાને પહોંચી ગઇ હતી . જો કે તે ત્રીજું સ્થાન હાંસલ કરવામાં સફળ રહી હતી . તો ચાલો તસવીરો થકી ઇંચિયોન ખાતે શરૂ થયેલા એશિયન ગેમ્સની રંગારંગ પળોને નિહાળીએ . વિફર્યો યુવરાજ ને અંગ્રેજોએ ધોળા દ્હાડે જોયા તારા વિશ્વ ક્રિકેટમાં આ બોલર્સની અનોખી અને અજીબ છે બોલિંગ એક્શન આ પણ વાંચોઃ - સિક્સર કિંગ જિંદગીમાં હિટ વિકેટ , બાળકોને નિભાવવા કરે છે બસ સ્ટોપની સફાઇ" business,સૂત્રોના જણાવ્યા અનુસાર 800 સીસીવાળું આ મૉડલ ઘણી ખૂબીઓ સાથે ટેકનીકલ રીતે સમકક્ષ મૉડલો કરતાં ઘણું સારું હશે . આ મૉડલની સૌથી મોટી વિશેષતા એ છે કે તે ઇંઘણનો ઓછો વપરાશ થશે . આ મૉડલની કિંમત 2 થી 2.5 લાખની આસપાસ બતાવવામાં આવી રહી છે . વ્યાજબી ભાવ બનાવી રાખવા માટે અલ્ટોના એન્જીન અને પ્લેટફોર્મ પર આ મૉડલને વિકસાવવામાં આવ્યું છે . કંપનીના અલ્ટો - 800નું એક્સટીરિયરને એકદમ બદલી દેવામાં આવ્યું છે . તેના ઇન્ટેરિયરમાં પણ ઘણા ચેન્જ કરવામાં આવ્યા છે . ડેશબોર્ડને પહેલાંથી જ આકર્ષિત બનાવવામાં આવ્યા છે . અલ્ટો - 800ની લંબાઇ જૂના મૉડલથી વધુ છે . જેના કારણે કારની અંદર બેસવા માટે પહેલાં કરતાં વધુ જગ્યા થઇ ગઇ છે . કંપની કેટલાક તબક્કામાં આ મૉડલનું ઉત્પાદનનું પરિક્ષણ કરી ચૂકી છે . મારૂતિના નવા મૉડલને લઇને બજારમાં ઘણી ઉત્સુકતા છે . કંપનીને આશા છે કે જૂની અલ્ટોની જગ્યાએ નવા મૉડલને રજૂ કરાતાં તેના વેચાણમાં વધારો થશે . માનવામાં આવે છે નવરાત્રિ અને દિવાળીના કારણે કંપની આ મૉડલને જલ્દીમાં જલ્દી બજારમાં ઉતારવા માટે તૈયારી કરી રહી છે . entertainment,"વર્ષ 2013એ જતા - જતા હિન્દી સિનેમાઈ દર્શકોને ધૂમ મચાવવાની તક આપી દીધી છે . આમિર ખાનની ફિલ્મ ધૂમ 3એ માત્ર બે જ દિવસમાં 70 કરોડ રુપિયા કમાવ્યાં . તે હિસાબે ફિલ્મ સરળતાથી સો કરોડના ક્લબમાં પ્રવેશ કરી જશે . ક્રિસમસની રજાના કારણે જ આ ફિલ્મને વીકડેટ્સમાં પણ સારી ગિર્દી ઉમટવાની આશા છે . તેથી બજારોમાં કહેવાઈ રહ્યું છે કે ફિલ્મની કમાણી ઇશારો કરે છે કે આ ફિલ્મ તમામ રેકૉર્ડ્સ તોડવા તૈયાર છે . ધૂમ 3 ફિલ્મમાં આમિર ખાન ઉપરાંત કૅટરીના કૈફ , અભિષેક બચ્ચન અને ઉદય ચોપરા પણ છે . ફિલ્મ ચાર હજાર કરતા વધારે સિનેમા ઘરોમાં રિલીઝ થઈ હતી . પીવીઆર સિનેમાના સીઓઓ ગૌતમ દત્તાએ જણાવ્યું - આ એક અસામાન્ય ફિલ્મ છે . ધૂમ 3 ફિલ્મે એડવાન્સ બુકિંગ દ્વારા 35 . કરોડ રુપિયા કમાવી લીધા હતાં ." sports,"ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારા ક્રિકેટ મુકાબલામાં દર્શકોની દિલચસ્પીનો અંદાજો લગાવી શકાય છે કે T - 20 વર્લ્ડકપ પહેલાં રમાનારી અભ્યાસ મેચમાં આ એક જ મુકાબલો છે કે જેનું સીધી પ્રસારણ ટીવી પર કરવામાં આવશે . આ મેચથી બંને ટીમને સુપર - 8 મુકાબલાના માટે એકબીજાની કમજોરી અને મજબૂતીને જાણવાની તક મળશે . ભારત અને પાકિસ્તાનની ટીમ આ મેચમાં પુરી તાકાત સાથે ઉતરશે . હાલમાં બંને ટીમોની સ્થિતિ મજબૂત જોવા મળી છે . ભારતે ન્યૂઝીલેંડને ટેસ્ટ સિરિઝમાં પછાડી છે . ભારતીય ટીમને એક T - 20 મેચમાં ફક્ત એક રનથી હારનો સામનો કરવો પડ્યો છે , જો કે તેનાથી ટીમના આત્મવિશ્વાસમાં કોઇ ફરક પડશે નહી . બીજી તરફ તાજેતરમાં દુબઇમાં સંપન્ન થયેલા T - 20 સીરીઝમાં પાકિસ્તાને ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ 2 - 1થી વિજય મેળવવામાં સફળતા મેળવી છે . ભારતીય ટીમઃ મહેન્દ્ર સિંહ ધોની ( કેપ્ટન / વિકેટ કિપર ) , ગૌતમ ગંભીર , વિરેન્દ્ર સહેવાગ , વિરાટ કોહલી , રોહિત શર્મા , સુરેશ રૈના , હરભજન સિંહ , રવિચંદ્રન અશ્વિન , લક્ષ્મીપતિ બાલાજી , પિયૂષ ચાવલા , અશોક ડિંડા , ઝહીર ખાન , ઇરફાન પઠાણ , યુવરાજ સિંહ , મનોજ તિવારી પાકિસ્તાન ટીમઃ મોહમંદ હફીઝ ( કેપ્ટન ) , અબ્દુલ રઝાક , અસદ શફીક , ઇમરાન નઝીર , કામરાન અકમલ ( વિકેટ કિપર ) , મોહંમદ સામી , નાસિર જશમેદ , રાજા હસન , સઇદ અઝમલ , શાહિદ આફ્રીદી , શોએબ મલિક , સોહેલ તનવીર , ઉમર અકમલ , ઉમર ગુલ , યાસિર અરાફાત" sports,"કરાચી , 13 સપ્ટેમ્બરઃ માસ્ટર - બ્લાસ્ટર સચિન તેંડુલકરની આંતરરાષ્ટ્રીય મેચમાં તેની સામે રમનારા વિશ્વના શ્રેષ્ઠતમ ઝડપી બોલરમાના એક પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટ ખેલાડી વસીમ અકરમે ગુરુવારે કહ્યુ કે તેંડુલકરે પોતાની અંતિમ મેચ પાકિસ્તાન વિરુદ્ધ રમવી જોઇએ . અનેક વિશ્વ કીર્તિમાન રચી ચૂકેલા તેંડુલકરે વધું એક કીર્તિમાન રચવા તરફ અગ્રેસર છે . તેંડુલકર અત્યારસુધી 198 ટેસ્ટ મેચ રમી ચૂક્યો છે , તથા વેસ્ટ ઇન્ડિઝ , ભારતના પ્રવાસ પર આવવા માટે રાજી થયા બાદ તે 200 ટેસ્ટ મેચ રમનારો વિશ્વનો પહેલો ક્રિકેટર બનવા જઇ રહ્યો છે . આ વચ્ચે બધે જ એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે 200 ટેસ્ટ મેચ સાથે જ તેંડુલકર આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાંથી નિવૃત્તિ લઇ શકે છે . તેંડુલકરે આંતરરાષ્ટ્રીય વનડે ક્રિકેટમાંથી પહેલાં જ નિવૃત્તિ લઇ લીધી છે . પાકિસ્તાનની સમાચાર ચેનલ જીયો ન્યૂઝે અકરમના હવાલાથી કહ્યું કે , તેંડુલકર માટે આ સૌથી સારી વિદાય મેચ હશે . તેંડુલકરને વિશ્વના સર્વકાલિક સર્વશ્રેષ્ઠ બેટ્સમેનોમાં સામેલ કરવામાં આવે છે . તેમણે અત્યારસુધી 198 ટેસ્ટ મેચોમાં 51 સદીની મદદથી 15,837 રન તથા 463 આંતરરાષ્ટ્રીય વનડે મેચોમાં 49 સદીની મદદથી 18,426 રન બનાવ્યા છે ." entertainment,"હવે આપ વિચારતા હશો કે આખરે તે કેણ છે જેના પ્રેમમાં શાહરુખ ખાન પડ્યાં અને આખી દુનિયામાં બૉલવુડથી લઈને હૉલીવુડ સુધીમાં જેના એટલા બધા ફેંસ છે તેમનું દિલ કોઈ કેવી રીતે ભાંગી શકે . શાહરુખ ખાનના હૃદયના ટુકડા કરનાર છે કોણ ? સિમરન , અંજલિ , ટીના , પૂજા કે પછી બીજી કોઈ ? ના ભાઈ ના , આ બધા નામ તો તેની ફિલ્મોની હીરોઇનોનાં છે . શાહરુખ જેના પ્રેમમાં પડ્યા હતા , એ કોઈ છોકરી નથી , જેના પ્રેમમાં શાહરુખ પડ્યા છે . આ વખતે બાબત કઈંક જુદી જ છે . હકીકતમાં શાહરુખ આજકાલ પોતાની ફિલ્મ જબ તક હૈ જાન માટે વ્યસ્ત છે . તેઓ સતત તેના શુટિંગમાં પડ્યાં છે . શાહરુખ ખાનને પોતાની આ ફિલ્મની શુટિંગ દરમિયાન પોતાના કેરેક્ટરની જાન એટલે કે પોતાની દાઢી સાથે એટલો બધો સમય વિતાવવો પડ્યો છે કે તેમને તેનાથી જ પ્રેમ થઈ ગયો પરંતુ શાહરુખ માટે તેમની દાઢી મુસીબત બની ગઈ અને તેમણે પોતાની દાઢી કપાવી નાંખી . હવે શાહરુખ પોતાના દાઢી રૂપી પ્રેમથી વિખુટાં પડી ગયા છે . તેમનુ હૃદય ભાંગી ગયુ છે . તેઓ ઘણાં દુઃખી છે અને ટ્વિટ કરીને પોતાના પ્રેમની યાદો વહેંચી રહ્યાં છે ." entertainment,"બોલીવૂડના સેલેબ્રિટીની પણ પાછળ મૂકી દે તેવા છે બોલીવૂડના આ સ્ટાર કિડ . જે સોશ્યલ મીડિયા પર કરે છે રાજ . કોઇ પણ ફિલ્મ કર્યા વગર સોશ્યલ મીડિયા પર ફેન્સની ટંકશાળ પાડનાર સ્ટાર કિડની સંખ્યા હવે વધી રહી છે . જેમાં ધીરે ધીરે નંબર વનનો ખિતાબ મેળવી રહી છે આલિયા ઇબ્રાહિમ . પૂજા બેદીની આ પુત્રીએ હાલમાં જ ઇંસ્ટ્રાગ્રામ પર તેનો બોલ્ડેસ્ટ બિકની ફોટો મૂક્યો છે . ઓરેન્જ રંગની બિકનીમાં દુબઇમાં મસ્તી માણતી આલિયા નજરે પડે છે . જો કે પૂજા બેદીની જેમ જ હોટ અને બિન્દાસ લાગતી તેની પુત્રી આલિયા ક્યારેય પણ પોતાના બોલ્ડ અને હોટ ફોટો મૂકવામાં પાછળ નથી પડી . પણ હાલ થોડા જ સમય પહેલા જ્યારે તેની આવી તસવીરોએ વિવાદ ઊભો કર્યો હતો તો તેણે કહ્યું હતું કે "" I am more than my breasts "" . ત્યારે દુબઇમાં પાર્ટીની મસ્તીમાં ખોવાયેલી આલિયાની ટૂ હોટ તસવીરો જુઓ અહીં ." sports,"મુંબઇ , 9 સપ્ટેમ્બરઃ ભારતીય ક્રિકેટ ટીમના ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામા આવેલા પૂર્વ સુકાની રવિ શાસ્ત્રીએ કોચ ડંકન ફ્લેચરનો બચાવ કર્યો છે . શાસ્ત્રીએ કહ્યું કે , ફ્લેચર પાસે ઘણો જ અનુભવ છે અને તે ‘પિતા તુલ્ય ' છે . તેમને એ વાતનો ગર્વ છેકે યુવાનોથી ભરેલી તેમની ટીમે ટેસ્ટ શ્રેણીમાં મળેલી હારને પાછળ છોડીને એ જ અંતરથી ઇંગ્લેન્ડને વનડે શ્રેણીમાં પરાજીત કર્યું . વનડે શ્રેણીમાં ભારતીય ટીમના પ્રદર્શનનું આંકલન કરતા શાસ્ત્રીએ જીતનો શ્રેય સપોર્ટ સ્ટાફને આપ્યો . ઇંગ્લેન્ડ વિરુદ્ધ તેના જ ઘરમાં બે ટેસ્ટ શ્રેણી ગુમાવ્યા બાદ ફ્લેચરની ભૂમિકા સામે પ્રશ્નો ઉઠ્યા છે . શાસ્ત્રીનું આ નિવેદન એવા સમયે આવ્યું છે , જ્યારે તેમને ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન ફ્લેચરના કોચ તરીકેનો પ્રદર્શન રિપોર્ટ બીસીસીઆઇની કાર્યકારિણી સામે રજૂ કરવાનો છે . આ બેઠક 26 સપ્ટેમ્બરે થવાની છે . વધુ વાંચવા તસવીરો પર ક્લિક કરો . pagespeed . lazyLoadImages . overrideAttributeFunctions ( ) ; function googleAnalyticsCodeCommon ( ) { var main _ url = $ ( ' link [ rel = "" canonical "" ] ' ) . attr ( "" href "" ) ; var url = document . location . href ; var pattern = ' https : / / ' + window . location . hostname ; url = url . replace ( pattern , "" "" ) ; var title = document . title ; ga ( "" oneindiagu . send "" , { hitType : "" pageview "" , page : url , location : main _ url } ) ; ga ( "" rosoneindia . send "" , { hitType : "" pageview "" , page : url , location : main _ url } ) ; ga ( "" dhoneindia . send "" , { hitType : "" pageview "" , page : url , location : main _ url } ) ; url = document . location . href ; var jcode = ' var _ comscore = _ comscore | | [ ] ; var comscoreParams = { c1 : "" 2 "" , c2 : "" 7732551 "" , c3 : "" "" , c4 : "" ' + url + ' "" , c5 : "" "" , c6 : "" "" , c15 : "" "" } ; _ comscore . push ( comscoreParams ) ; var s = document . createElement ( "" script "" ) , el = document . getElementsByTagName ( "" script "" ) [ 0 ] ; s . async = true ; s . src = ( document . location . protocol = = "" https : "" ? "" https : / / sb "" : "" http : / / b "" ) + "" . scorecardresearch . com / beacon . js "" ; el . parentNode . insertBefore ( s , el ) ; ' ; setTimeout ( jcode , 500 ) ; var _ qevents = _ qevents | | [ ] ; ( function ( ) { var elem = document . createElement ( ' script ' ) ; elem . src = ( document . location . protocol = = "" https : "" ? "" https : / / secure "" : "" http : / / edge "" ) + "" . quantserve . com / quant . js "" ; elem . async = true ; elem . type = "" text / javascript "" ; var scpt = document . getElementsByTagName ( ' script ' ) [ 0 ] ; scpt . parentNode . insertBefore ( elem , scpt ) ; } ) ( ) ; _ qevents . push ( { qacct : "" p - yjta2aSVPaHEL "" } ) ; window . google _ analytics _ uacct = "" UA - 110466 - 73 "" ; } આ પણ વાંચોઃ - ટી20માં સૌથી વધુ રન બનાવનાર ટોપ ટેન ભારતીય ધોનીએ સ્વીકારી જવાબદારી કહ્યું , ‘હાર માટે હું જવાબદાર ' આ પણ વાંચોઃ - ડુ પ્લેસિસે તોડ્યો સચિનનો 17 વર્ષ જૂનો રેકોર્ડ pagespeed . lazyLoadImages . overrideAttributeFunctions ( ) ;" entertainment,"અજય દેવગણની ફિલ્મ જોવા માટે કારણ શોધવાની જરૂર નથી પડતી , પણ એક્શન જૅક્સનની કેટલીક ખૂબ જ રસપ્રદ બાબતો એવી છે કે જે જાણ્યા બાદ કદાચ આપના મનમાં ફિલ્મ જોવાની તાલાવેલી વધી શકે છે . જોકે હજી ફિલ્મને રિલીઝ થવામાં ઘણો ટાઇમ છે , પરંતુ ફિલ્મનો ફર્સ્ટ લુક જોયા બાદ ફિલ્મ અંગે વધુ જાણવાની ઉત્સુકતા સૌની અંદર પેદા થઈ છે . એક્શન જૅક્સન ફિલ્મમાં અજય દેવગણ સાથે સોનાક્ષી સિન્હા લીડ રોલમાં છે . સન ઑફ સરદાર ફિલ્મ બાદ અજય - સોનાક્ષી ફરી એક વાર સાથે ચમકવાનાં છે . ખાસ બાબત એ છે કે આ ફિલ્મ દ્વારા પહેલી વખત પ્રભુ દેવ અને અજય દેવગણ સાથે આવી રહ્યા છે . ફિલ્મમાં પ્રભુ છે , તો સ્વાભાવિક છે કે ડાન્સ તો જોરદાર જ હશે . બીજી બાજુ અજયના ડાન્સને જોઈ તો અચ્છા - અચ્છા હસી પડે છે . તેવામાં અજય અને પ્રભુની જોડી સાચે જ જોવાલાયક હશે . ચાલો જાણીએ એક્શન જૅક્સન ફિલ્મ જોવાનાં પાંચ કારણો :" sports,"બે વખતની ચેન્નાઇ સુપર કિંગ્સ ટીમ એકવાર ફરી ઇન્ડિયન પ્રીમિયર લીગના પોઇન્ટ ટેબલમાં શ્રેષ્ઠ સ્થાને પહોંચી ગઇ છે . શાનદાર ફોર્મમાં ચાલી રહેલી આ ટીમે મંગળવારે એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાયેલ આઇપીએલ સિઝન છની 64મી મેચમાં અને પોતાના 15માં મુકાબલામાં દિલ્હી ડેરડેવિલ્સને 33 રનોથી હરાવીને આ મુકામ હાસલ કરી લીધું . સુપર કિંગ્સના ખામાં 22 પોઇન્ટ છે . સુપર કિંગ્સ દ્વારા આપવામાં આવેલ 169 રોનાના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ડેરડેવિલ્સ ટીમની ખરાબ શરૂઆત બાદ પટરી પર પરત ફરી શકી નહીં અને 20 ઓવરમાં 9 વિકેટ પર 135 રન જ બનાવી શકી . તેના તરફથી ડેવિડ વોર્નરે સૌથી વધુ 44 રન બનાવ્યા . સુપર કિંગ્સ તરફથી મોર્ન મોર્કલે ત્રણ વિકેટ લીધી . મોહીત શર્મા , ડ્વેન બ્રાવો અને રવિચંદ્રન અશ્વિનને પણ 2 - 2 સફળતા મળી . સુપર કિંગ્સે અત્યાર સુધી 15માંથી 11 મેચ જીતી છે . ચારમાં તેની હાર થઇ છે . સોમવારે મુંબઇ ઇન્ડિયન્સ ( 20 ) એ સનરાઝર્સ હૈદરાબાદને હરાવીને સુપર કિંગ્સ પાસેથી પ્રથમ સ્થાન છીનવી લીધું હતું , પરંતુ સુપર કિંગ્સે એકવાર ફરીથી પોતાનું પસંદગીનું સ્થાન હાસલ કરી લીધું છે . રાજસ્થાન રોયલ્સના પણ 20 પોઇન્ટ છે અને સુપર કિંગ્સ અને મુંબઇ ઇન્ડિયન્સની સાથે તેનું પ્લેઓફ રાઉન્ડમાં પહોંચવું પાક્કું થઇ ગયું છે ." entertainment,રિતિક 10 વર્ષ પછી પણ નવાઝુદ્દીન ના બની શકે આવું કહેવું છે ડાયરેક્ટરની ટોપી પહેરેલા સોહેલ ખાનનું . સોહેલ ખાનની ફિલ્મ ફ્રિકી અલી રિલીઝ થવા જઈ રહી છે . આ ફિલ્મમાં નવાઝુદ્દીન સિદ્દીકી અને એમી જેક્શન મુખ્ય રોલમાં છે . સલમાન ખાન અને સોહેલ ખાન જોરશોરથી ફિલ્મના પ્રોમોશનમાં લાગી ગયા છે . હાલમાં જ દુબઇમાં ફિલ્મનું પ્રોમોશન કરતા સોહેલ ખાને નવાઝુદ્દીન સિદ્દીકીના ખુબ જ વખાણ કર્યા . આ વાતમાં કોઈ જ શંકા નથી કે બધા જ ડાયરેક્ટરની જેમ સોહેલ ખાન પણ નવાઝુદ્દીન સિદ્દીકીના કામથી ખુબ જ પ્રભાવિત થયા છે . પરંતુ વાત વાતમાં તેમને રિતિક રોશન પર પણ કમેન્ટ કરી નાખી . સોહેલ ખાને કહ્યું કે નવાઝુદ્દીન સિદ્દીકીમાં ગજબનું ટેલન્ટ છે . નવાઝુદ્દીન ઈચ્છે તો 3 વર્ષમાં મહેનત કરીને એવું કરી શકે છે જે રિતિક રોશન કરે છે . પરંતુ રિતિક 10 વર્ષ સુધી મહેનત કરી લે તો પણ નવાઝુદ્દીન ના બની શકે . આ વાત તો બધા જ જાણે છે કે રિતિક અને સલમાન વચ્ચે કઈ જ બરાબર નથી ચાલી રહ્યું . સલમાન ખાન પણ રિતિક પર કમેન્ટ કરવાનું ચુકતા નથી . પરંતુ સોહેલ ખાનની આ કમેન્ટ પર રિતિક શુ જવાબ આપે છે જે જોવાનું રસપ્રદ રહશે . sports,"માન્ચેસ્ટર ખાતે ભારતીય ક્રિકેટ ટીમ દ્વાર અત્યંત ખરાબ પ્રદર્શન કરવામાં આવ્યું છે . ભારતે ટોસી જીતીને પહેલા બેટિંગ કર્યું અને ટીમમાં ત્રણ ફેરબદલ પણ કર્યાં પરંતુ શિખર ધવનના બદલે ટીમમાં સમાવાયેલા ગૌતમ ગંભીરે જેવી આશા રાખવામાં આવી રહી હતી તે પ્રમાણે પ્રદર્શન કર્યું નથી અને તે નિષ્ફળ નિવડ્યો છે . આ સાથે જ બ્રોડને વેધક બોલિંગ સામે ભારતના બેટ્સમેન વામણા પૂરવાર થયા હતા . પૂજારા , કોહલી , મુરલી વિજય , રવિન્દ્ર જાડેજા જેવા બેટ્સમેન ખાતું ખોલાવ્યા વગર ઇંગ્લેન્ડના બોલરનો શિકાર બની ગયા હતા . જેના કારણે ઇંગ્લેન્ડ પહેલી ઇનિંગમાં માત્ર 152 રન જ બનાવી શક્યું હતું . બીજી તરફ ઇંગ્લેન્ડે પહેલા દિવસના અંતે ત્રણ વિકેટ ગુમાવી દીધી છે અને 113 રન બનાવ્યા છે . આ મેચ સાથે જ ભારતીય ક્રિકેટ ટીમના સુકાની મહેન્દ્ર સિંહ ધોનીએ કેટલાક રેકોર્ડ બનાવ્યા છે , જે અહીં તસવીરો થકી જણાવવામાં આવ્યા છે , તો ચાલો તેના પર નજર ફેરવીએ . માન્ચેસ્ટર ટેસ્ટઃ ભારતીયો કરશે અઝહર - દોશી જેવો કમાલ માન્ચેસ્ટર ટેસ્ટઃ વિરોધી ટીમના 8/4 , ઇંગ્લેન્ડે ગુમાવી છે મેચ આ પણ વાંચોઃ - માન્ચેસ્ટરમાં ભાવુક થઇ ટીમ ઇન્ડિયા" entertainment,ડાયરેક્ટર મોહિત સૂરીની ફિલ્મ હાફ ગર્લફ્રેન્ડ આજે રિલિઝ થઇ ગઇ છે . એકતા કપૂરના બેનર સાથે અર્જૂન કપૂર અને શ્રદ્ધા કપૂર સ્ટાર્ર આ ફિલ્મ સમીક્ષકોને ઓછી પસંદ પડી છે . ફિલ્મની સ્ટોરી માધવ અને રિયાના નામના બે પાત્રની આસપાસ ફરે છે . માધવનું પાત્ર અર્જૂન કપૂરે અને રિયાનું પાત્ર શ્રદ્ઘા કપૂરે ભજવ્યું છે . તેમની આ કન્ફ્યૂઝ લવ સ્ટોરી દર્શકોને કંઇ કંઇ અંશે કંટાળો લાવે તેવી છે . જો કે જે લોકોએ આ નોવેલ વાંચી છે તે લોકો આ ફિલ્મ જોડે ચોક્કસથી જોડાઇ શકશે . વળી નવલકથા કરતા આ ફિલ્મ તમને વધુ સારી લાગી શકે છે . જો કે આ ફિલ્મનું સંગીત પણ જોઇએ તેટલું લોકપ્રિય નથી થયું . શ્રદ્ધા અને અર્જૂન કપૂરની એક્ટિંગ પણ ઠીક ઠાક જ છે . જો કે અર્જૂન કપૂરનું બિહારી સ્ટાઇલનું અંગ્રેજી તમને જરૂરથી હસાવશે . તો આ ફિલ્મ જોવી કે નહીં તે અંગે ખાલી એટલું જ કહીશું કે જો તમે અર્જૂન કે શ્રદ્ધા કપૂરના ફેન હોવ તો આ ફિલ્મ જોવા જઇ શકો છો . બાકી આ ફિલ્મ મહદ અંશે બોરિંગ લાગી શકે છે . entertainment,છંઇયા છંઇયા . . . અને મુન્ની બદનામ હુઈ . . . જેવા આયટમ સૉંગ માટે જાણીતા મલાઇકા અરોરા ખાન હવે લીડ રોલ સાથે કદાચ રૂપેરી પડદે નહીં દેખાય . તેઓ કહે છે કે તેઓ ફિલ્મ નિર્માણ ક્ષેત્રે ખુશ છે અને તેમનું લીડ રોલ સાથે અભિનય ક્ષેત્રે કમબૅક કરવાનું કોઈ આયોજન નથી . તેઓ આયટમ સૉંગ કરવાનું ચાલુ રાખશે . વર્ષ 2010માં આવેલી દબંગ ફિલ્મ સાથે નિર્માતા બનેલા 39 વર્ષીય મલાઇકાએ નેચરલ્સ માર્વી લાઉંજના લૉન્ચિંગ પ્રસંગે જણાવ્યું - હવે હું ફિલ્મો બનાવવાનો આનંત ઉઠાવી રહી છું . હું નિર્માત્રી બની સાચે જ ખૂબ આનંદિત છું . આ જીવનનો ખૂબ અલગ પાસુ છે . તેથી મને ગમી રહ્યું છે . મને અભિનયમાં રસ નથી . મલાઇકા અરોરા ખાને દિલ સે ફિલ્મમાં શાહરુખ ખાન સાથે છંઇયા છંઇયા . . . આયટમ સૉંગ કર્યુ હતું . તે પછી 2010માં આવેલી દબંગ ફિલ્મમાં મુન્ની બદનામ હુઈ . . . આયટમ સૉંગે તેમને ખૂબ પ્રસિદ્ધિ અપાવી . તેઓ દબંગ 2માં પણ ફેવીકૉલ સે . . . આયટમ સૉંગમાં કરીના કપૂર સાથે નજરે પડ્યા હતાં . આવો તસવીરો સાથે જાણીએ વધુમાં શું કહ્યું મલાઇકાએ : business,"વિશ્વનો પહેલો સ્વ્રિલ કેમેરાવાળો સ્માર્ટફોન ઓપો 30 જાન્યુઆરીએ ભારતમાં લોન્ચ કરવામાં આવશે . ચાયનીઝ કંપની ઓપોનો એન 1 સ્માર્ટફોનમાં શ્રેષ્ઠ ડિઝાઇન સાથે સ્વ્રિલ કેમેરાની ખુબી છે , જેની મદદથી તમે એક જ કેમેરાના ફ્રન્ટ અને રિયર બન્ને કેમેરાની જેમ ઉપયોગ કરી શકો છો . ઓપો એન 1માં 13 મેગા પિક્સલનો કેમેરા લાગેલો છે , જેને 180 ડિગ્રી સુધી ફેરવી શકાય છે . કેમેરા સાથે ડ્યુએલ લિડ ફ્લેશ લાઇટ પણ લાગેલી છે . તેમાં તમે તમારી પોતાની તસવીર સારી ક્વોલિટી સાથે લઇ શકે છે . ઓપો અનુસાર કેમેરાને 100000 ફેરવી શકાય છે , એટલે કે તમે 7 વર્ષ સુધી કેમેરાને દરરોજ 40 વાર ફેરવો તો પણ તેમાં કોઇ ખરાબી નહીં આવે . આ ઉપરાંત તેમાં 69 સેકન્ડ સુધી એક્સપોઝર આપવાની સુવિધા છે . તો ચાલો તસવીરો થકી જાણીએ ઓપો એન 1માં આપવામાં આવેલા ફિચરોને ." entertainment,"મુંબઈ , 22 સપ્ટેમ્બર : મધુર ભંડારકરની ફિલ્મ હીરોઇન ઇમ્પ્રેસિવ નથી , પણ નબળી છે . એમ કહેવું છે ફિલ્મ સમીક્ષક વિવેક મોરાનીનું . વિવેકે સહારા સમય સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે ફિલ્મ હીરોઇનમાં બધુ બહુ જ સારું છે , માત્ર વાર્તાને છોડીને . મધુરની ફિલ્મ હીરોઇન પાસેથી લોકોએ ઘણી આશાઓ સેવી લધી હતી . કદાચ તેથી જ લોકોને તે બહુ વધારે પ્રભાવિત ન કરી શકી . ફિલ્મની પટકથા બહુ જ નબળી છે , જેથી કરીનાનો પ્રભાવશાલી અભિનય પણ ફિલ્મને નહીં બચાવી શકશે . વિવેક મોરાનીએ જણાવ્યુ હતું કે કરીના કપૂર માટે ફિલ્મમાં કરવા માટે ઘણુ બધુ હતું , પણ નબળી સ્ક્રિપ્ટને ભરોસે તેઓ શું કમાલ દાખવી શકે ? તેમણે સ્પષ્ટ રીતે જણાવ્યું કે હીરોઇનમાં કઈં પણ નવું નથી . આપને જણાવી દઇએ કે શુક્રવારે રિલીઝ થયેલી ફિલ્મ હીરોઇનને શાનદાર ઓપનિંગ મળી નથી . ફિલ્મ પ્રત્યે મિશ્ર પ્રત્યાઘાત પડ્યાં છે . ફિલ્મના જોરદાર પ્રમોશન પછી પણ ફિલ્મ પહેલાં દિવસે વધુમાં વધુ લોકોને થિયેટરો સુધી ખેંચી લાવવામાં નિષ્ફળ રહી છે . ફિલ્મમાં કરીના સાથે અર્જુન રામપાલ અને રણદીપ હુડા પણ છે , પરંતુ મેકિંગ ઑફ હીરોઇનમાં બંને સિતારાઓને કોઈ ખાસ મહત્વ અપાયું નથી . દરેક જગ્યાએ માત્ર મધુર અને કરીના જ દેખાયા , જે ફિલ્મની મંદ ઝડપ માટેનું કારણ રહ્યું . ખેર હવે હીરોઇન હિટ છે કે ફ્લૉપ , તે તો આગામી બે દિવસોમાં ખબર પડી જશે , જ્યારે બૉક્સ ઑફિસ કલેક્શન સામે આવશે ." sports,"નવી દિલ્હી , 1 જૂનઃ બીસીસીઆઇના અધ્યક્ષ એન શ્રીનિવસાને શુક્રવારે ફરીથી રાજીનામું આપવાનો ઇન્કાર કરી દીધો હતો અને કહ્યું હતું તે તેમને આઇપીએલમા સ્પોટ ફિક્સિંગ મામલે પોતાના જમાઇ ગુરુનાથ મયપ્પનને આઇસીસી તરફથી મળેલી કોઇ ચેતવણીની જાણકારી નથી . સ્પોટ ફિક્સિંગના તાજા મામલામાં તેમના જમાઇની ધરપકડ થયા પછીથી શ્રીનિવાસન પર રાજીનામું આપવા અને બોર્ડની બેઠક બોલાવવાનું દબાણ સતત થઇ રહ્યું છે . સમાચાર ચેનલ એનડીટીવીએ શ્રીનિવાસનના હવાલાથી શુક્રવારે કહ્યું કે બીસીસીઆઇની કાર્યકારી સમિતિની આપાત બેઠક શનિવારે આઠ જૂને થશે . આ પહેલા એનડીટીવીએ શુક્રવારે મુંબઇ પોલીસના સૂત્રોના હવાલાથી કહ્યું હતું કે શ્રીનિવાસનના જમાઇ મયપ્પને આ મામલે પકડાયેલા બોલિવુડ અભિનેતા વિંદુ દારા સિંહને જણાવ્યું હતું કે આઇસીસીએ તેમને આઇપીએલની તેમની સ્વામિત્વવાળી ટીમ પ્રત્યે સચેત રહેવા કહ્યું હતું . શ્રીનિવાસને જોકે મયપ્પનને આઇસીસી તરફથી મળેલી કોઇપણ પ્રકારની ચેતવણી અંગે અજાણ હોવાનું જાહેર કર્યું છે અને ફરીથી પોતાના રાજીનામાનો ઇન્કાર કર્યો છે . બીજી તરફ બીસીસીઆઇના સંયુક્ત સચિવ અનુરાગ ઠાકુરે શુક્રવારે કહ્યું કે તેમણે આ મુદ્દે ચર્ચા કરવા માટે બોર્ડની વિશેષ સામાન્ય બેઠક બોલાવવાની માંગ કરી છે . બોર્ડની આ વિશેષ બેઠક શનિવારે 8 જૂને બોલાવવામાં આવી છે . જો આ બેઠકમાં બોર્ડના ત્રણ ચોથાઇ સભ્ય શ્રીનિવાસન વિરુદ્ધ મતદાન કરે છે તો શ્રીનિવાસને રાજીનામું આપવું પડશે . સૂત્રોએ જણાવ્યા પ્રમાણે 18 એસોસિએશન શ્રીનિવાસન વિરુદ્ધ છે ." business,"પંજાબ નેશનલ બેન્કના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર આર . કામતે જણાવ્યું છે કે દર મહિને વ્યાજ આપવાથી બેંકોની આવક થોડી ઘણી વધશે . પરંતુ બેન્કોને વ્યાજદર વધાર્યા વગર થોડું વધુ પેમેન્ટ કરીને ગ્રાહકોને ટકાવી રાખવામાં મદદરૂપ થશે . દેશના ટોપ બેન્કર્સનું કહેવું છે કે આ ઓપ્શનનો અભ્યાસ શરૂઆતથી જ કરવામાં આવશે . બેન્કો હવે આ બાબતમાં કોણ પહેલ કરે તેની રાહ જોઈ રહી છે . બેન્ક દ્વારા આ નવી સિસ્ટમ પ્રમાણે કામ કરવાથી ડિપોઝિટર્સને ફાયદો થશે . વર્તમાન પ્રથા પ્રમાણે બેન્ક પોતાની પાસે જમા ગ્રાહકોની ડિપોઝિટ પર ત્રિમાસિક ધોરણે ગણતરી કરીને વ્યાજ આપે છે . કેટલીક બેન્કો મંથલી પેમેન્ટ કરે છે , પરંતુ તેઓ અર્લી પેમેન્ટ પર પોતાના નુકસાનને અલગ કરીને થોડું ઓછું પેમેન્ટ કરે છે . જેમ કે જો ક્વાર્ટરલી ઇન્ટરેસ્ટ રૂપિયા 300 થતો હોય તો બેન્ક મંથલી પેમેન્ટમાં ત્રણ મહિના સુધી દર મહિને રૂપિયા 100 નહીં આપે , પરંતુ તેમાં થોડો કાપ મૂકીને પેમેન્ટ કરશે . જો બેન્ક નવી સિસ્ટમ અપનાવશે તો તેને દર મહિને વ્યાજની ગણતરી કરવી પડશે અને તેમાં વ્યાજનું કમ્પાઉન્ડિંગ ઇન્ટરેસ્ટ પણ ગણાશે . આ નવી સિસ્ટમ અપનાવાથી બેન્કના ખર્ચમાં નજીવો પણ વધારો ચોક્કસ થશે . શોર્ટ ટર્મ ડિપોઝિટ પર અવલંબન વધવાથી બેન્કોને એસેટ લાયબિલિટી મિસમેચનો સામનો કરવો પડી રહ્યો છે એટલે કે લોંગ ટર્મ લોનને શોર્ટ ટર્મ ડિપોઝીટથી સપોર્ટ કરવો પડે છે . લોંગ ટર્મ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રેસિડેન્શિયલ હોમ લોનમાં વધતી ભાગીદારીથી મોટા ભાગની સરકારી બેન્કોનો એવરેજ લોન ટેનર વધી ગયો છે ." sports,64 કિલોગ્રામ વર્ગમાં મનોજ કુમારે મેડલ તરફ વધું એક પગલું માંડી લીધું છે . વેટ કેટેગરીમાં કેનેડાના અર્થરને હરાવીને ક્વાર્ટરફાઇનલમાં સ્થાન પાક્કુ કરી લીધું છે . મનોજનું ક્વાર્ટરફાઇનલમાં સામનો ઇંગ્લેંડના સેમ્યૂલ મોક્સવેલ સાથે થશે . ચોથા દિવસે ભારતને ટેબલ ટેનિસમાં નિરાશા પ્રાપ્ત મળી હતી . કાંસ્ય મેડલ માટે થયેલા મુકાબલામાં ઓસ્ટ્રેલિયાએ ભારતીય ટીમને 3 - 1થી હરાવી દીધું . પૂનમ યાદવે વેટલિંફ્ટિંગના 63 કિલોગ્રામમાં કાંસ્ય પદક જીત્યું . આ જીતની સાથે જ ભારતના મેડલોની સંખ્યા 20 થઇ ગઇ છે . મહિલા ડબલ ટ્રેપ શૂટિંગમાં 22 વર્ષની શ્રેયસી સિંહે શાનદાર પ્રદર્શન કરતા ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યું . ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સના ચોથા દિવસે ભારતના હિસ્સામાં આવેલું આ પહેલું પદક હતું . શ્રેયસી સિંહે 92 પોઇંટ્સ હાંસલ કરીને સુવર્ણ પદક જીત્યું . પુરુષ ડબલ ટ્રેપ શૂટિંગમાં મેરઠના અસબે કાંસ્ય પદક પર નિશાનો સાધ્યો . અસબે કાંસ્ય પદક માટે 30 શોટ્સમાં 26 પોઇંટ્સ હાસલ કર્યા . ગ્લાસગો કોમનવેલ્થ ગેમના ચોથા દિવસે ભારતને શરૂઆતના બે મેડલ ડબલ ટ્રેપ શૂટિંગથી હાંસલ થયા . entertainment,"મુંબઈ , 16 સપ્ટેમ્બર : હૃતિક રોશનની ક્રિશ 3 ફિલ્મમાં પહેલી વાર સુપરવુમન બનેલા કંગના રાણાવત પોતાની આવનાર ફિલ્મ રિવૉલ્વર રાણીને પોતાની અત્યાર સુધીની સૌથી મુશ્કેલ ફિલ્મ ગણે છે . કંગનાનું કહેવું છે કે રિવૉલ્વર રાણીમાં મારો રોલ ખૂબ જ મુશ્કેલ છે . મને લાગે છે કે રિવૉલ્વર રાણીમાં મારો અત્યાર સુધીનો સૌથી મુશ્કેલ રોલ છે . સાઈં કબીર દિગ્દર્શિત રિવૉલ્વર રાણી ફિલ્મમાં લીડ રોલ કરી રહેલા કંગના રાણાવત પહેલા આ રોલ બહુમુખી પ્રતિભાના માલિક તબ્બુને ઑફર થયો હતો , પરંતુ કોઇક કારણોથી આ ફિલ્મ કંગનાને મળી ગઈ . તેને કંગના રાણાવત એક મોટી સિદ્ધિ ગણે છે . કંગના રાણાવત કહે છે કે તેઓ તબ્બુના મોટા ફૅન છે અને જે રોલ પહેલા તબ્બુ કરનાર હતાં , જો તેમને મળ્યું છે , તો તેને તેઓ પોતાનું સૌભાગ્ય માને છે . પોતાના બળે ફિલ્મો ચલાવવાનો દમ ધરાવતા તબ્બુ પાસેથી મળેલા રોલના કારણે જ કંગના રાણાવત રિવૉલ્વર રાણીને મુશ્કેલ રોલ કહી રહ્યાં છે . અગાઉ જાણવા મળ્યુ હતું કે ફિલ્મ રિવૉલ્વર રાણી અંગે અતિ ઉત્સાહિત કંગના રાણાવત ફિલ્મના મેક - અપ માટે 12 - 12 કલાકનો સમય લઈ રહ્યાં છે . તેમનું કહેવું છે કે એવી ફિલ્મની ડિમાંડ છે , તેથી તેઓ કરી રહ્યાં છે . ફિલ્મ જોયા બાદ લોકો મારી વાત ઉપર વિશ્વાસ કરશે . આવો તસવીરો સાથે જાણીએ વધુ વિગતો :" entertainment,"ફિલ્મ દિગ્દર્શક પ્રભુ દેવાની રૅમ્બો રાજકુમારના શૂટિંગ દરમિયાન અચાનક આગ લાગતાં અભિનેતા શાહિદ કપૂર દાઝી ગયાં . કહે છે કે તેમની પીઠ અને હાથો દાઝી ગયાં છે અને તેમને સાજા થવામાં કેટલાક દિવસનો સમય લાગશે . જોકે આ બનાવ તો એક અકસ્માત જ છે , પરંતુ જો આમ જોવા જઇએ તો શાહિદ કપૂરની એક્શન ફિલ્મ કરવાની ઘેલછા જ તેમના માટે ભારી પડી ગઈ . કહે છે કે શાહિદ કપૂર પોતે જ કોઇક એવી મારધાડ ધરાવતી ફિલ્મ કરવા માંગતા હતાં કે જે અન્ય મારધાડ ધરાવતી ફિલ્મો કરતાં જુદી અને વધુ રોમાંચક હોય . તેથી જ તેમણે મારધાડ ધરાવતી ફિલ્મોમાં આવવા માટે આટલો લાંબો ઇતેજાર કર્યો . અહીં સુધી કે શાહિદે પોતાના નજીકના મિત્ર સિદ્ધાર્થ આનંદની મારધાડથી ભરપૂર ફિલ્મ બૅંગ બૅંગમાં કામ કરવાનો ઇનકાર કરી દીધો . સૂત્રોના જણાવ્યા મુજબ - શાહિદ કપૂરે પ્રભુ દેવાની ફિલ્મ દ્વારા મારધાડ ધરાવતી ફિલ્મોની શ્રેણીમાં પ્રવેશ કરવાનો નિશ્ચય કર્યો , કારણ કે બૅંગ બૅંગ હૉલીવુડ અભિનેતા ટૉમ ક્રૂઝની ફિલ્મ નાઇટ એન્ડ ડેની હિન્દી રીમેક છે અને શાહિદ નહોતા ઇચ્છતા કે તેમની અભિનય શૈલીની સરખામણી ટૉમ ક્રૂઝ સાથે કરાય . બૅંગ બૅંગમાં હૃતિક રોશન તથા કૅટરીના કૈફ લીડ રોલમાં છે . બીજી બાજુ પ્રભુ દેવાની ફિલ્મ રૅમ્બો રાજકુમાર વાસ્તવિક હિન્દી ફિલ્મ છે . દરમિયાન અકસ્માત તેમજ ફિલ્મના શૂટિંગ અંગે પ્રભુ દેવાએ કોઈ પણ જાતની ટિપ્પણી કરવાનો ઇનકાર કરી દીધો . પ્રભુએ જણાવ્યું કે હાલ તેઓ પોતાના બાળકો સાથે રજાઓ ગાળવા ઑસ્ટ્રેલિયા જઈ રહ્યાં છે ." business,"દૂરસંચાર કંપની રિલાયન્સ જીયોએ તેના પ્રીપેડ ગ્રાહકોને નવા વર્ષની ખાસ ગ્રીફ્ટ આપી છે . કંપનીએ આ માટે જીયો હેપ્પી ન્યૂયર ઓફર નામે કેટલીક ઓફર બહાર પાડી છે . આ ઓફરમાં તમને બે રિચાર્જ આપવામાં આવ્યા છે . હવે જીયો યૂઝર્સને ખાલ 199 રૂપિયામાં રોજના 1.2 GB ડેટા મળશે . આમ કુલ 33.6 GB ડેટા મળવાની સાથે જ અનલિમિટેડ કોલિંગ અને મેસેજની સુવિધા પણ મફત મળશે . આ પ્લાનની સમયસીમા 28 દિવસ સુધી રહેશે . કંપનીના બીજા પ્લાનમાં યુઝર્સને રોજના 2 GB ડેટા મળશે . અને સાથે જ અનલમિટેડ કોલિંગ અને મેસેજની સુવિધા મળશે . બંન્ને પ્લાનની સમય સીમા 28 દિવસની જ છે . જો કે તેના ભાવ અલગ અલગ છે . બંન્ને પ્લાનની રોજની ઇન્ટરનેટની લિમિટ પૂર્ણ થઇ ગયા પછી ઇન્ટરનેટ તો અનલિમિટેડ રીતે ચાલતું રહેશે પણ તેની સ્પીડ ઓછી થઇને 128 kbps થઇ જશે . આ પ્લાનનો ફાયદો જીયોના પ્રાઇમ સબસ્ક્રાઇબર જ ઉઠાવી શકશે . કંપનીની તરફથી જાહેર નિવેદનમાં કહ્યું છે કે આ માસિક પ્લાનમાં પહેલા કરતા વધુ ડેટાનો લાભ આપવામાં આવી રહ્યો છે . રિલાયન્સ જીયાના અન્ય પ્લાન 399 રૂપિયા અને 459 રૂપિયા , તથા 499 અને 509 રૂપિયામાં પણ ઉપલબ્ધ છે . જેની સમય સીમા અલગ અલગ છે . જીયોના કહેવા મુજબ શનિવારથી લોકો આ નવા પ્લાનનો લાભ ઉઠાવી શકશે ." entertainment,"તૃપ્તિ શાહે કહ્યું છે કે , 18 જુલાઇ , 2007માં આરટીઆઇ દાખલ કરી હતી . જેમાં તેમણે 2007માં રાજ્યમાં 27 સ્થળો પર યોજાયેલા સંમેલનો માટે સરકાર દ્વારા કરવામાં આવેલા ખર્ચનો અહેવાલ આપવામાં આવે તેવી માગ કરી હતી . શાહે આરોપ લગાવ્યો છે કે અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં સરકાર દ્વારા કોઇ જવાબ આપવામાં આવ્યો નથી . તેમણે કહ્યું છે કે , રાજ્યના જનરલ એડમિનિસ્ટ્રેટિવ ડિપાર્ટમેન્ટ ( GAD ) એ 1 નવેમ્બર 2007ના રોજ મોદી દ્વારા 10 માર્ચથી 20 સપ્ટેમ્બર 2007 દરમિયાન જે 27 સ્થળોની મુલાકાત લેવામાં આવી હતી તેની માહિતી આપવામાં આવી હતી , પરંતુ મુખ્યમંત્રી દ્વારા જે પ્રવાસ ખર્ચ કરવામાં આવ્યો તે અંગે માહિતી આપવામાં આવી નથી . રાજ્ય દ્વારા એ પ્રકારનો જવાબ આપવામાં આવ્યો છે કે , મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા આ પ્રકારના પ્રવાસ ખર્ચની માહિતી રાખવામાં આવતી નથી તેથી મુખ્યમંત્રીનો પ્રવાસ ખર્ચ શૂન્ય હોય શકે . શાહે આ પ્રકારના જવાબને ગેરવ્યાજબી ઠેરવતા કહ્યું છે કે , મોદી આ તમામ 27 સ્થળો પર હેલિકોપ્ટર દ્વારા પહોંચ્યા હતા . ત્યાર બાદ શાહે 20 નવેમ્બર , 2007ના રોજ એક એવો પત્ર પાઠવ્યો હતો કે , જે એજન્સીઓ દ્વારા આ ખર્ચનો હિસાબ રાખે છે તેના નામ અંગે માહિતી આપો . પરંતુ જીએડી દ્વારા તેમના આ પત્રનો કોઇ જવાબ આપવામાં નહીં આવતા તેમણે 18 જાન્યુઆરી અને 17 એપ્રિલ 2008ના રોજ ફરી પત્ર પાઠવ્યો હતો . આ પત્રનો પણ તેમને કોઇ જવાબ મળ્યો નહોતો . ત્યાર બાદ તેમણે આરટીઆઇ એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરી હતી . જેની સુનાવણી ગત 26 સ્પેટમ્બરના રોજ થઇ હતી . જેમાં ગુજરાતના ચીફ ઇન્ફોરમેશન કમિશનર ( સીઆઇસી ) દ્વારા જીએડીને નિર્દેશ કરવામાં આવ્યો હતો કે , ઓક્ટોબરમાં જે સુનાવણી થશે તે પહેલા શાહને આ અંગે માહિતી પૂરી પાડવામાં આવે . જોકે અધિકારીએ જણાવ્યું છે કે તેમની પાસે માહિતી નથી તેઓ સીએમઓ અને અન્ય મંત્રીઓને રજૂઆત કરશે કે તેઓ આ માહિતી પુરી પાડે ." entertainment,"ગોલમાલ અગેન કાસ્ટઃ અજય દેવગણ , પરિણીતી ચોપરા , તબુ , અરશદ વારસી , તુષાર કપૂર , શ્રેયસ તલપડે , કૃણાલ ખેમુ , પ્રકાશ રાજ , નીલ નીતિન મુકેશ ડાયરેક્ટરઃ રોહિત શેટ્ટી પ્રોડ્યુસરઃ રોહિત શેટ્ટી , સંગિતા આહિર શું છે ખાસ ? ડબલ મીનિંગ કોમેડી નથી શું છે બકવાસ ? ફિલ્મમાં કોઈ પણ પ્રકારનું લોજિક નથી કેટલા સ્ટાર ? 3" sports,"હાલમાં ભારતીય ટીમ બાંગ્લાદેશના પ્રવાસ પર છે , જોકે આ પ્રવાસ દરમિયાન અત્યાર સુધી ભારતીય ટીમનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે . ભારતીય ટીમનો બાંગ્લાદેશની સામે વનડે શ્રેણીમાં 2.0 હારનો સામનો કરવો પડ્યો છે . ત્રીજી અને છેલ્લી વનડે મેચ 24 જૂનના રોજ રમાવાની છે . આ શ્રેણીમાં ભારતીય ધુરંધરોને ઢેર કરનાર બોલર મુસ્તાફિઝુર રહેમાન રાતોરાત હિરો બની ગયો છે . મુસ્તફિઝુરે પોતાની કારકિર્દીની પ્રથમ બે આંતરરાષ્ટ્રીય વનડેમાં 11 વિકેટ લઇને એક નવો જ કિર્તિમાન સ્થાપી દીધો છે , અને આવું કરનાર તે પ્રથમ બોલર પણ બની ગયો છે . ત્રીજી અને છેલ્લી વનડે મેચ 24 જૂનના રોજ રમાવાની છે . બે વનડે મેચોમાં ભારતીય શેરોની હવા કાઢનાર કોણ છે આ બાંગ્લાદેશી બોલર મુસ્તફિઝુર આવો જાણીએ તેના વિશે . . . આવો જાણીએ ટીમ ઇન્ડિયાની હવા કાઢનાર બોલર મુસ્તાફિઝુર રહેમાન વિશે આ 10 વાતો . . ." business,"ભારતના નાણા પ્રધાન અરૂણ જેટલીએ તાજેતરમાં જાહેરાત કરી હતી કે LIC દ્વારા વરિષ્ઠ પેન્શન વીમા યોજના ( VPBY ) અમલી બનાવવામાં આવશે . જેમાં લાભાર્થીને મહિને 9 ટકાના વ્યાજથી માસિક આવક થશે . જેનું વાર્ષિક વળતર 9.38 ટકા થવા જાય છે . આ યોજના વરિષ્ઠ નાગરિકો અથવા નિવૃત્તો માટે કેવી છે તેની ચર્ચા કરતા પહેલા સ્કીમ શું છે તે અંગેની વિગતો મેળવીએ . a ) ઓપનિંગ અને ક્લોઝિંગ આ યોજના 15 ઓગસ્ટ , 2014થી અમલી બની છે . b ) વય મર્યાદા જો આપ 60 વર્ષથી ઓછી વય ધરાવતા હોવ તો આ યોજનામાં રોકાણ કરી શકશો નહીં . આ યોજનામાં રોકાણ કરવા માટે ઓછામાં ઓછી 60 વર્ષની વય હોવી જરૂરી છે . c ) ચૂકવણી ગાળો આ યોજનામાં આવકનો ગાળો માસિક , ત્રિમાસિક , છ માસિક અથવા વાર્ષિક રાખી શકાય છે . d ) લોન આ યોજનામાં યોજના શરૂ થયાના ત્રણ વર્ષ બાદ 75 ટકા લોન મળી શકે છે . e ) નોમિની વ્યક્તિના મૃત્યુ બાદ નોમિનીને નાણા મળે છે . વરિષ્ઠ પેન્શન વીમા યોજનામાં રોકાણ લાભદાયી ? આ યોજના હેઠળ માસિક 9 ટકાનું વ્યાજ મળે છે તે માર્કેટ રેટ સામે સ્પર્ધાત્મક રેટ છે . જો કે તે માર્કેટમાં સર્વશ્રેષ્ઠ છે તેમ કહી શકાય નહીં . આપ બેંકો અને અગ્રણી કંપનીઓની ફિક્સ ડિપોઝિટમાં નાણા રોકીને વાર્ષિક ધોરણે વધારે વળતર મેળવી શકો છો . દાખલા તરીકે કેરાલા ટ્રાન્સપોર્ટ ડેવલપમેન્ટ ફાઇનાન્સ કોર્પોરેશન વાર્ષિક ધોરણે 11 ટકા જેટલું ઊંચું વળતર આપે છે . તેને કેરળ સરકારનું પીઠબળ હોવાથી તેમાં ફિક્સ ડિપોઝિટ મુકવી સુરક્ષિત પણ છે . જ્યારે એલઆઇસી વરિષ્ઠ પેન્શન વીમા યોજનાનો એક લાભ એ છે કે તે આગામી 15 વર્ષ સુધી દર મહિને 9 ટકાનું વ્યાજ આપવાની ગેરન્ટી આપે છે . આ કારણે જો ભવિષ્ટમાં વ્યાજના દરો ઘટે તો ફાયદો થઇ શકે , પણ વ્યાજ દર ઘટે તો નુકસાન થઇ શકે છે . આ ઉપરાંત એલઆઇસી વરિષ્ઠ પેન્શન વીમા યોજનામાં લોક ઇન પીરિયડ 15 વર્ષનો છે . તે સીનિયર સિટીઝન માટે બેસ્ટ ઓપ્શન કહી ના શકાય . તમે માત્ર મેડિકલ ઇમર્જન્સી સમયે જ નાણા ઉપાડી શકો છો . વળી તેની આવક કરપાત્ર હોવાથી પણ તે બેસ્ટ ઓપ્શન નથી . વરિષ્ઠ પેન્શન વીમા યોજનાના મુખ્ય ગેરફાયદા 1 ) હાઇએસ્ટ વ્યાજદર નથી . 2 ) કટોકટીના સમયે નાણા મળી શકે તેમ નથી . 3 ) કર લાભ મળતો નથી . તારણ : આ યોજનાની વિગતો જોયા બાદ સંપૂર્ણ રોકાણ તેમાં કરવું લાભદાયક નથી . પરંતુ તેમાં આંશિક રોકાણ કરી શકાય . આ સાથે આપે કેટલીક રકમ સારી બેંકમાં એફડીમાં રોકવી જોઇએ ." business,"ભારત અને અન્ય કોઇ પણ દેશમાં રાષ્ટ્રીય આવકનો અર્થ એક નાણાકીય વર્ષમાં ઉત્પાદિત તમામ વસ્તુઓ અને સેવાઓની કિંમત ( પ્રાપ્તિ ) હોય છે . કોઇ પણ દેશ માટે રાષ્ટ્રીય આવક જેટલી વધશે તેટલો જ તે દેશનો આર્થિક વિકાસ પણ આગળ વધી શકશે . રાષ્ટ્રીય આવકના આંકડાથી એટલું ચોક્કસ જાણી શકાય છે કે કોઇ પણ દેશનો વિકાસ કેટલી ઝડપથી આગળ વધી રહ્યો છે . માથા દીઠ આવક : માથા દીઠ આવક કે પ્રતિ વ્યક્તિ આવકનો અર્થ સીધે સીધો કોઇ પણ વ્યક્તિની વ્યક્તિગત આવક અંગે થાય છે . આ મારફતે કોઇ પણ દેશમાં પ્રતિ વ્યક્તિ આવક કેટલી છે તે જાણી શકાય છે . તેની મદદથી લોકોની રહેણી કરણી અને લોકોની વ્યક્તિગત આર્થિક સ્થિતિનો અંદાજ લગાવી શકાય છે . પ્રતિ વ્યક્તિ આવક કેટલી છે તે જાણવા માટે દેશની કુલ વસતી સંખ્યા ભાગ્યા કુલ આવક કરવાથી મળે છે . પ્રતિ વ્યક્તિ આવક એ એવો માપદંડ છે , જેની મદદથી જાણી શકાય છે કે કોઇ પણ ક્ષેત્રમાં વ્યક્તિની કમાણી કેટલી છે . આની મદદથી કોઇ પણ શહેર , વિસ્તાર , તથા દેશમાં રહેનારા લોકોની લાઇફસ્ટાઇલનો ખ્યાલ આવે છે ." business,"સરકારની માલિકીની નાણા સંસ્થા IFCI 9.8થી 10 ટકાના વ્યાજદર વચ્ચે NCDs આપે છે . જે તેને આકર્ષક પ્રમાણ બનાવી રહ્યું છે . ફિક્સ્ડ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાંથી વળતર મેળવવાના વિકલ્પો શોધનારાઓ માટે આ એક સારો વિકલ્પ સાબિત થઇ શકે એમ છે . NCDs આજ ( 20 ઓક્ટોબર ) થી ખુલી રહ્યા છે . આ NCDs 21 નવેમ્બર , 2014ના રોજ બંધ થશે . સ્થાનિક રેટિંગ કંપનીઓ ICRA અને બ્રિકવર્ક દ્વારા તેને A અને AA - રેટિંગ આપવામાં આવ્યું છે . વ્યાજના દર 1 . ક્યુમુલેટિવ ઓપ્શન ક્યુમુલેટિવ ઓપ્શનમાં NCDs 9.90 ટકાનો વ્યાજદર ઓફર કરે છે . આ વ્યાજ દર પાંચ વર્ષ માટે છે . જ્યારે 7થી 10 વર્ષના ગાળા માટે 10 ટકા વ્યાજ છે . 2 . માસિક વિકલ્પ પાંચ વર્ષના ગાળા માટે માસિક વિકલ્પમાં 9.5 ટકા વ્યાજ છે . 3 . વાર્ષિક વિકલ્પ ક્યુમુલેટિવ ઓપ્શનમાં NCDs 9.90 ટકાનો વ્યાજદર ઓફર કરે છે . આ વ્યાજ દર પાંચ વર્ષ માટે છે . જ્યારે 7થી 10 વર્ષના ગાળા માટે 10 ટકા વ્યાજ છે . આ ઓફરમાં શા માટે સામેલ થવું જોઇએ ? 1 . વ્યાજદરો આકર્ષક છે બેંકોની ફિક્સ્ડ ડિપોઝિટમાં વર્તમાન સમયમાં આટલો ઊંચો વ્યાજદર ચૂકવાતો નથી . બેંકોમાં મહત્તમ 9.25 ટકા વ્યાજ દર મળે છે . આ કારણે એનસીડી વધારે આકર્ષક છે . 2 . સરકારી માલિકી IFCIએ સરકારી માલિકીની કંપની છે . આ કારણે હાઇએસ્ટ રેટિંગ્સ નહીં હોવા છતાં તેના NCDs વધારે સુરક્ષિત છે . 3 . ઉંચા વ્યાજ દરે નાણા લોક ઇન કરી શકાય IFCIના NCDs ઉંચા વ્યાજ દરે નાણા લોક ઇન કરવાની તક આપે છે . આ રોકાણ લાંબા ગાળાનું હોવાને કારણે અર્થતંત્રમાં આવતા બદલાવને પગલે ઘટતા વ્યાજદરની અસર થવાની સંભાવના રહેતી નથી . 4 . તરલતા NCDs એ એનએસસી અને બીએસસી બંનેમાં લિસ્ટેડ થવાની હોવાથી તેમાં સારી લિક્વિડિટી રહેશે . તારણ : ડેબ્ટ ઇન્સ્ટ્રુમેન્ટની બાબતમાં એનએસડીમાં સૌથી ઊંચા વ્યાજદર , સુરક્ષા અને નાણાની પ્રવાહિતા મળે છે . આ કારણે તે નાણા રોકવાનું સારું સાધન બને છે . રિટાયર્ડ માટે પણ આ સારો વિકલ્પ છે ." entertainment,"એક ઇન્ટરવ્યૂ દરમિયાન સલમાન ખાને પોતાની તુલના એક રેપ પીડિત મહિલા સાથે કરી હતી . સલમાન ખાને કહ્યું હતું કે સુલ્તાનની ટ્રેનિંગ દરમિયાન મારી હાલત તેવી થઇ ગઇ હતી કે મને રેપ વિક્ટિમ જેવું ફિલ થતું હતું . જો કે આ નિવેદનના તરત જ બાદ સલમાન ખાને કહ્યું કે આને ઇગ્નોર કરો . . . મારે આવું ના કહેવું જોઇએ ! લગ્ન , સ્ટારડમને બાળકો પર સલમાનની કહાની સલમાનની જુબાની પણ કહેવાય છેને કે જે એક વાર મોઢામાં નીકળી ગયું તે પાછું નથી લેવાતું . અને આવું જ કંઇક થયું સલમાન ખાન સાથે જેમનો વિવોદા સાથે જૂનો નાતો છે . ટ્વિટર પર સલમાન ખાનનો જબદસ્ત વિરોધ થયો . જો કે તેમના ફેન્સ પણ તેમનો જબરો સાથ આપ્યો . પણ જ્યારે આ મામલે તેમના ભાઇ અરબાઝ ખાનને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે એક નવો વિવાદ ઊભો કરી દીધો . ત્યારે અરબાઝથી લઇને તેમના પિતા સલીમ અને અન્ય લોકોની પ્રતિક્રિયા શું છે તે વિષે જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં . . ." business,"આર પી ગોયનકા કેશવ પ્રસાદ ગોયનકાએ સૌથી મોટા પુત્ર છે . ગોયનકા પરિવાર પૂર્વી ભારતના સૌથી જૂના વ્યાવસાયિક ગૃહોમાંનો એક છે . ગોયનકાએ 1979માં આરપીજી એન્ટરપ્રાઇઝીઝની સ્થાપના કરી હતી જેમાં હિલિપ્સ કાર્બન બ્લેક , એશિયન કેબલ્સ , અગરપારા જૂટ મિલ અને મર્ફી ઇન્ડિયાનો સમાવેશ થાય છે . આરપીજી એન્ટરપ્રાઇઝીઝનો કુલ વેપાર 100 કરોડ રૂપિયાનો છે . આ સમૂહની અન્ય મોટી કંપનીઓ સીઇએસસી , સિએટ , સ્પેંસર્સ અને સારેગામા છે . 1990માં તેમના પુત્ર હર્ષવર્ધન આરપીજી એન્ટરપ્રાઇઝીઝના ચેરમેન તથા સંજીવ ડિપ્ટી ચેરમેન બન્યા . ત્યારબાદ 2011માં પોતાની બ્રાંડ ઓળખ બનાવવા માટે સંજીવ ગોયનકાએ આરપી - સંજીવ ગોયનકા સમૂહની સ્થાપના કરી હતી . હર્ષ ગોયનકા આરપીજી એન્ટરઝીઝના ચેરમેન છે . આર પી ગોયનકા બંને સમૂહોના માનદ ચેરમેન હતા જેથી સામૂહિક વેપાર 30,000 કરોડ રૂપિયાની આસપાસ છે ." sports,"ઇંગ્લેન્ડ સામેની મેચમાં શાનદાર વિજય અને હરભજન સિંહના સુંદર પુનરાગમને એક પ્રશ્ન ખડો કર્યો છે કે , ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં કઇ જોડી સાચા અર્થમાં સફળ પુરવાર થશે . ઓસ્ટ્રેલિયાએ તેની બંને લીગ મેચમાં શાનદાર પ્રદર્શન કરી આયર્લેન્ડ અને વેસ્ટ ઇન્ડિઝ સામે વિજય મેળવ્યો હતો . ભારતના સુકાની મહેન્દ્ર સિંહ ધોનીએ સ્પષ્ટ સુચન આપ્યું છે કે તે પાંચ બોલર્સ સાથે મેદાન પર ઉતરશે . જેના કારણે એક બેસ્ટમેનને પડતો મુકવામાં આવશે . બની શકે કદાચ એ બેટ્સમેન વિરેન્દ્ર સેહવાગ હોય અથવા તો યુવરાજ સિંહ હોય . ધોનીએ કહ્યું છે કે આ એક અઘરો નિર્ણય બની રહેશે . જો કે , ઇંગ્લેન્ડ સામેની મેચ પાંચ બોલર્સની રણનીતિથી ભારત જીત્યું હતું . હવે જોવાનું એ રહ્યું કે સુકાની ધોની કયા પ્રકારનું બોલિંગ કોમ્બિનેશન ઓસ્ટ્રેલિયા સામેની સુપર - 8 મેચમાં અપનાવે છે . તે ત્રણ સ્પિનર્સ કે પછી ત્રણ ઝડપી બોલરનું ફોર્મેટ ઓસ્ટ્રેલિયા સામે અપનાવે છે કે કેમ તે રસપ્રદ વાત ક્રિકેટ રસીકો માટે બની રહેશે . હાલના ફોર્મ અંગે વાત કરવામાં આવે તો , ઝહીર ખાનની સરખામણીએ બાલાજી નિર્જીવ પીચ પર સારો બોલર સાબિત થશે , કારણ કે વૈવિધ્યપૂર્ણ બોલ ફેંકવા માટેની કુશળતાં બાલાજીમાં છે . ઓસ્ટ્રેલિયાના બે બેટ્સમેન ડેવિડ વોર્નર અને માઇક હસી મત્ત્વના બેટ્સમેન છે . હાલ બન્ને બેટ્સમેન ફોર્મમાં છે ત્યારે હરભજન સિંહને ટીમમાં સમાવવો જરૂરી છે , કારણ કે બન્ને ડાબોડી બેટ્સમેન વિરુદ્ધ હરભજનનું પ્રદર્શન શાનદાર રહ્યું છે . ઇંગ્લેન્ડ સામેની મેચમાં ટીમમાંથી બહાર રહેલા આર અશ્વિનનો ટીમમાં સમાવેશ થઇ શકે છે . આ ઉપરાંત ઇરફાન પઠાણ પણ શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહ્યો છે ." entertainment,"ખતરોં કે ખિલાડી 5ના ફાઇનલિસ્ટ અને ચેન્નઈ એક્સપ્રેસમાં થંગબલીનો રોલ કરી જાણીતા બનેલા નિકિતિન ધીર અને ટેલીવિઝન અભિનેત્રી કૃતિકા સેંગર ફાઇનલી પતિ - પત્ની બનવા જઈ રહ્યા છે . લગ્નનું સમારંભ શરૂ થઈ ચુક્યુ છે અને આજે રાત્રે બંને પરણી જશે . દરમિયાન ગઈકાલે મુંબઈ ખાતે શાનદાર સંગીત સેરેમની યોજાઈ ગઈ . નિકિતિન ધીર શાહરુખ ખાન અભિનીત ચેન્નઈ એક્સપ્રેસ ફિલ્મમાં થંગબલીનો રોલ કર્યા બાદ લાઇમલાઇટમાં આવ્યા હતાં , તો સુંદર ટેલીવિઝન અભિનેત્રી કૃતિકા સેંગર ઝાંસી કી રાની તથા પુનર્વિવાહ જેવા શો માટે જાણીતા છે . નિકિતિન - કૃતિકાના આ લગ્ન ઍરેંજ - સહ - લવ મૅરેજ હશે . કૃતિકા સેંગરે થોડાક દિવસ અગાઉ એક લીડિંગ વેબસાઇટ સાથે વાતચીતમાં જણાવ્યું - આ એક ઍરેંજ્ડ - કમ - લવ મૅરેજ છે . હું નિકિતિનના પિતા પંકજ ધીરની દિગ્દર્શક તરીકેની પ્રથમ ફિલ્મ માય ફાધર ગૉડ ફાધર માટે શૂટિંગ કરતી હતી . નિકિતિનના પિતાએ તે જ વખતે નિકિતિનના માંગા માટે મારા વાલીઓ સાથે વાત કરી . તે પછી હું અને નિકિતિન મળ્યાં . હું પંકજ અંકલ અને નિકિતિન સાથે સાચે બંધાઈ ગઈ અને અમે બંને પણ એક - બીજાને પસંદ કરવા લાગ્યાં . કૃતિકા પોતાના જીવનમાં નિકિતિનને આશીર્વાદ તરીકે જુએ છે . તેમણે જણાવ્યું - નિકિતિન ઇઝ ઍ પ્યોર સાઉલ . તેમની અંદરની પારદર્શિતા ખૂબ જ વિઝિબલ છે . હું નિકિતિનના પરિવાર જેવો જ પરિવાર ઇચ્છતી હતી અને હું તેને આશીર્વાદ માનુ છું . હું ખૂબ ઉત્સાહિત છું . પુનર્વિવાહ કે બાદ અબ સચ મેં મેરા પહલા વિવાહ હોગા . ચાલો બતાવીએ નિકિતિન - કૃતિકાની સંગીત સેરેમનીની તસવીરી ઝલક :" sports,"ટીમ ઇન્ડિયાના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની વિરૂદ્ધ સ્થાનિક કોર્ટમાં કેસ દાખલ કરાવવામાં આવ્યો છે . ભગવાન વિષ્ણુનું અપમાન કરવા બદલ આ કેસ દાખલ કરવામાં આવ્યો છે . હકિકતમાં મહેન્દ્ર સિંહ ધોનીએ એક જાહેરાત માટે અલગ - અલગ અવતાર ધર્યા હતા જેમાં એક અવતાર ભગવાન વિષ્ણુનો પણ હતો . સામાજિક કાર્યકર્ત જયકુમાર હીરેમઠેએ આ કેસ એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ ( એસીએમએમ ) ની કોર્ટમાં કલમ 295 હેઠળ દાખલ કરાવ્યો છે . આ કલમ ત્યારે લગાવવામાં આવે છે જ્યારે કોઇ વ્યક્તિ કોઇ વિશેષ ધર્મ કે લોકોની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડે છે . જયકુમાર હીરેમઠેએ આ જાહેરાત બિઝનેસ પત્રિકામાં છપાયેલી આ જાહેરાત વિરૂદ્ધ કેસ નોંધાવ્યો , જેમાં ભગવાન વિષ્ણુના રૂપમાં મહેન્દ્ર સિંહ ધોની અલગ - અલગ ચીજો હાથમાં લઇને ઉભા છે . કોર્ટે આ મુદ્દે તાત્કાલિક સંજ્ઞાન લેતાં સુનાવણીની તારીખ 12 મે નક્કી કરી છે . આ દિવસે મહેન્દ્ર સિંહ ધોનીનું નિવેદન પણ રેકોર્ડ કરવામાં આવશે . ખાસ વાત એ છે કે હાલમાં મહેન્દ્ર સિંહ ધોની આઇપીએલમાં વ્યસ્ત છે . જો કોર્ટ તેમને બોલાવે છે તો નિશ્વિત રૂપથી તેમને આઇપીએલ મેચ છોડીને જવું પડશે . એવા સમયે ચેન્નઇ સુપર કિંગ્સ ડગમગી શકે છે . જો કે એ સ્પષ્ટ થઇ શક્યું નથી કે આ ફોટો કોમ્યુટરના માધ્યમથી તૈયાર કરવામાં આવ્યો છે કે પછી મહેન્દ્ર સિંહ ધોનીએ ખરેખર વિષ્ણુનો અવતાર ધારણ કર્યો છે ." sports,"આઇપીએલમાં સ્પોટ ફિક્સિંગમાં સામેલગીરી માટે દિલ્હી પોલીસે ધરપકડ કરેલા શ્રીસંતના મિત્ર અભિષેક શુક્લની ધરપકડ કરી હતી . દિલ્હીની કોર્ટે અભિષેકના જામીન ગુરુવારે 30 મેના રોજ મંજૂર કર્યા છે . ચીફ મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટ લોકેશ કુમાર શર્માએ પોલીસની જ્યુડિશિયલ કસ્ટડીની અરજી નકારી કાઢીને અભિષેકના જામીન મંજૂર કર્યા છે . પોલીસનું કહેવું હતું કે અભિષેકે 16 મેના રોજ મુંબઇની હોટેલમાં શ્રીસંતની ધરપકડ થઇ ત્યાર બાદ રૂમમાંથી રોકડ રકમ અને કેટલીક વસ્તુઓ દૂર કરી હતી . આ કારણે પોલીસે તેની જ્યુડિશિયલ કસ્ટડી માટે માંગ કરી હતી . પોલીસે જણાવ્યું હતું કે તેની પ્રાથમિક પૂછપરછ અને રિકવરીની પ્રક્રિયા પૂરી થઇ ગઇ છે . શુક્લાની વધારે પૂછપરછની જરૂર નથી . આ મુદ્દે કોર્ટનું કહેવું છે કે શુક્લાએ ઇન્ટિયન પીનલ કોડની કલમ 201 ( પુરાવાનો નાશ કરવો અથવા ગુમ કરવા ) નો ગુનો કર્યો છે . આ ગુનો જામીનપાત્ર છે . કોર્ટે જણાવ્યું કે શુક્લાને કસ્ટડીમાં રાખવાની કોઇ જરૂર નથી કારણ કે તેના પર છેતરપિંડીનો ગુનો નોંધવાની જરૂર નથી . દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે શુક્લા પાસેથી તેમને રૂપિયા 5.5 લાખ મળ્યા હતા . મુંબઇમાં શ્રીસંતને સ્પોટ ફિક્સિંગ માટે રૂપિયા 10 લાખ ચૂકવવામાં આવ્યા હતા . સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે , અભિષેક શુક્લાની ધરપકડ બાદ પોલીસે બાન્દ્રા વિસ્તારમાં પણ દરોડા પાડ્યા છે . દિલ્હી પોલીસનો પ્રયત્ન છે કે , શ્રીસંત જે હોટલમાં રોકાયો હતો તે હોટલમાં પણ તપાસ કરાય . જે સીસીટીવી ફૂટેજ મુંબઈ પોલીસને મળ્યા છે , દિલ્હી પોલીસ તે ફૂટેજ મેળવવા માંગે છે . અભિષેક શ્રીસંતનો નજીકનો માણસ છે માટે પોલીસ તેને લઈને મુંબઈ આવી છે જેથી કેટલાક મહત્વનાં પુરાવા હાથ લાગી શકે ." sports,"ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી અજિંક્ય રહાણેના પિતાથી શુક્રવારે સવારે એક અકસ્માત થયો હતો . અજિંક્ય રહાણેના પિતા મધુકર બાબુરાવ રહાણેની કાર નીચે એક મહિલા આવી ગઇ હતી અને સારવાર દરમિયાન આ મહિલાનું મૃતેયુ થતાં મામલો ગંભીર બન્યો હતો . પોલીસે આ મામલે બાબુરાવની ધરપકડ પણ કરી હતી . પોલીસના જણાવ્યા અનુસાર , અજિંક્ય રહાણેના પિતા સવારે 4 કલાકે નેશનલ હાઇવે પર તેમની ગાડીમાં જઇ રહ્યા હતા , તેમની સાથે તેમના પત્ની અને પુત્રી પણ હતા . કંગલ વિસ્તારમાં તેમની કારે એક 65 વર્ષીય મહિલાને ટક્કર મારી હતી . આ અકસ્માતમાં મહિલાને ગંભીર ઇજા પહોંચતા તેમને સ્થાનિક હોસ્પિટલમાં ખસેડાયા હતા , જ્યાં સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ થયું હતું . આ કારણે પોલીસે કારના માલિક સામે આઇપીસીની કલમ 304એ , 337,338,279 અને 184 હેઠળ કેસ દાખલ કર્યો હતો . પોલીસ દ્વારા અજિંક્ય રહાણેના પિતાની ધરપકડ પણ કરવામાં આવી હતી , જો કે ત્યાર બાદ તેમને જામીન પર છોડવામાં આવ્યા હતા . ઉલ્લેખનીય છે કે , અજિંક્ય રહાણે હાલ શ્રીલંકા સામેની ત્રણ વન - ડે મેચ સીરિઝમાં વ્યસ્ત છે . રવિવારે વિશાખાપટ્ટનમ ખાતે આ સીરિઝની છેલ્લી મેચ રમાનાર છે ." entertainment,"બોલીવુડમાં ફિલ્મ ' ગેંગ ઓફ વાસેપુર ' થી એન્ટ્રી કરીને યાદગાર રીતે પાત્ર ભજવનારી અભિનેત્રી રિચા ચઢ્ઢા આજકાલ ચર્ચામાં છે . હાલમાં રિચા ચઢ્ઢા ની આવનારી ફિલ્મ કેબરેનું ટ્રેલર રિલીઝ થયું છે . આ ટ્રેલરને ખાલી 48 કલાકમાં કુલ 10 લાખ વ્યુ મળી ચુક્યા છે . કેબરે ફિલ્મ એક ડાન્સરની કહાની છે આ ફિલ્મમાં ડાન્સરના જીવનના ઉતાર ચડાવ , પ્રેમ અને મૌત વિશે બતાવવામાં આવ્યું છે . આ ફિલ્મમાં રિચા ચઢ્ઢા મુખ્ય પાત્ર ભજવી રહી છે . આ ફિલ્મ કોસ્તવ નારાયણ નિયોગીના નિર્દેશનમાં બનાવવામાં આવી છે . આ ફિલ્મમાં ગુલ્સન દેવૈયા પણ જોવા મળશે . એટલું જ નહી પરંતુ ક્રિકેટર શ્રીસંત પણ આ ફિલ્મમાં જોવા મળશે ." entertainment,"મુંબઈ , 20 જાન્યુઆરી : બૉલીવુડમાં અભિનેતા - અભિનેત્રી વચ્ચે સ્પર્ધા અને સંકુચિતતાની લાગણી ખૂબ જ સામાન્ય બાબત છે . મહેશ ભટ્ટની દીકરી અને સ્ટુડન્ટ ઑફ ધ ઈયર ફિલ્મ સાથે બૉલીવુડ પ્રવેશ મેળવનાર આલિયા ભટ્ટે પણ પોતાના દિલની એક ખૂબ જ ખાસ વાત જાહેર કરી કૉફી વિથ કરણ શો દરમિયાન . આલિયાએ જણાવ્યું કે તેમને પરિણીતી ચોપરા સામે ઈર્ષ્યા થઈ આવે છે , કારણ કે પરિણીતી એક ખૂબ જ સારા અને બહેતરીન અભિનેત્રી છે . આલિયા ભટ્ટે તાજેતરમાં જ હાઈવે ફિલ્મ માટે એક ગીત પણ રેકૉર્ડ કર્યું છે અને આ ગીતના લૉન્ચિંગ પ્રસંગે મીડિયાએ આલિયાને પરિણીતી અંગેનો પ્રશ્ન કર્યો . જવાબમાં આલિયાએ જણાવ્યું કે આ એક સ્વસ્થ સ્પર્ધાની નિશાની છે . આલિયા ભટ્ટ આજકાલ ખૂબ જ વ્યસ્ત કલાકાર છે . હાઈવે તેમની બીજી ફિલ્મ છે કે જે આવતા મહીને રિલીઝ થવાની છે . આવો તસવીરો સાથે જાણીએ વધુ વિગતો :" entertainment,"આ વાતમાં કોઈ જ શંકા નથી કે સોશ્યિલ મીડિયાએ ઘણી ટીવી સ્ટારને સુપરસ્ટાર બનવાની તક આપી છે . તેને કારણે ટીવીની ઘણી સ્ટાર અભિનેત્રીઓ છે જેઓ ફક્ત સોશ્યિલ મીડિયા પર પોતાની ફોટોને કારણે ચર્ચાનો વિષય બની છે . આ લિસ્ટમાં શમા સિકંદરનું નામ શામિલ છે . શમા સિકંદર હાલમાં ટીવી અને ફિલ્મોથી દૂર છે , પરંતુ તે પોતાની લોકપ્રિયતા ટકાવી રાખવા માટે ઇન્સ્ટાગ્રામનો સહારો લઇ રહી છે . ટીવીની લોકપ્રિય અભિનેત્રી શમા સિકંદર પોતાની વાયરલ ફોટોને કારણે સતત ચર્ચામાં છે . શમા સિકંદરે ફરી એકવાર ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરેલા ફોટોમાં બધી જ હદ પાર કરી છે . 2018 ની સૌથી સેક્સી રાગિનીની કાતિલ અદાઓ , ફોટો વાયરલ શમા સિકંદરનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ તેની બોલ્ડ અને સેક્સી તસ્વીરોથી ભરેલું છે . આ વખતની ફોટો હંમેશા મુજબ તમારા હોશ ઉડાવવા માટે કાફી છે . શમા સિકંદર તેની રિયલ લાઈફમાં પણ ઘણી બોલ્ડ છે . ફરી એકવાર તેની બિકીનીમાં ફોટો વાયરલ થઇ રહી છે . શમા સિકંદરની કેટલીક તસવીરો , જે ઈન્ટરનેટ પર વાયરલ થઇ રહી છે . . રાતોરાત પતિ સાથે ચંદ્રમુખી ચૌટાલાની આવી ફોટો વાયરલ" business,"બ્લેકબેરી સ્માર્ટફોન પોતાના ફીચર્સથી વધારે સ્ટેટસ સિમ્બલના રૂપમાં જાણીતો છે . બ્લેકબેરીની શરુઆત 1999માં પેજરના રૂપમાં થઇ હતી , ત્યારબાદ 2002માં તેણે સ્માર્ટફોનના રૂપમાં નામના મેળવી જ્યારે તેણે પોતાનો પહેલો હેન્ડસેટ પુશમેલ , ટેક્સ્ટ મેસેજિંગ અને ઇન્ટરનેટ ફિચર સાથે લોન્ચ કર્યો . બ્લેકબેરી કેનેડાની કંપની રિસર્ચ ઇને મોશન દ્વારા વિકસિત કરવામાં આવ્યોછે . રિમ હેન્ડસેટની સાથે ડેટા નેટવર્કના ક્ષેત્રમાં જાણીતી કંપની છે . કેવી રીતે પડ્યુ બ્લેકબેરીનું નામ બ્લેકબેરીના નામની પાછળ પણ એક રસપ્રદ કહાણી છે , ઘણા લોકોએ તેને સ્ટ્રોબેરીનું નામ આપ્યું પરંતુ અધિકારીઓને આ નામ પસંદ પડ્યું નહીં , લોકોનું કહેવું હતુ કે ડિવાઇસમાં સ્ટ્રોબેરીની જેમ નાના - નાના બટન પણ આપવામાં આવ્યા છે , તેથી તેનું નામ સ્ટ્રોબેરી યોગ્ય હશે , પરંતુ તેમાથી જ કોઇ અધિકારીએ બ્લેકબેરી નામ સુચવ્યુ , જે બધાને પસંદ પડ્યુ , ત્યારથી રિમે પોતાના હેન્ડસેટ્સ બ્લેકબેરીના નામથી કાઢવાનું શરૂ કર્યું . બ્લેકબેરી હેન્ડસેટમાં સૌથી લેટેસ્ટ હેન્ડસેટ જેડ 10 છે જેની કિંમત 42,330 રૂપિયાની આસપાસ છે , આ ઉપરાંત બ્લેકબેરી કર્વ , બ્લેકબેરી બોલ્ડ , બ્લેકબેરી ક્યૂ 10 , બ્લેકબેરી ટોર્ચ સ્માર્ટફોન , પોપ્યુલર હેન્ડસેટ છે . પરંતુ આજે અમે તમારી માટે કેટલાક એવા હેન્ડસેટ લાવ્યા છીએ , જેમની કિંમત સાંભળીને તમે દંગ રહી જશો , આ ઓરિજિનલ બ્લેકબેરી હેન્ડસેટ છે જે થોડા સમય પહેલા લોન્ચ થયા હતા , પરંતુ આજે પણ લોકોની વચ્ચે પોપ્યુલર છે . આ તમામ બ્લેકબેરી હેન્ડસેટની કિંમત 10 હજાર રૂપિયાની આસપાસ છે , જો તમારું બજેટ ઓછુ છે અને તમે બ્લેકબેરીના દીવાના છો તો ઓનલાઇન સાઇટ્સ પરથી નીચે આપવામાં આવેલા બ્લેકબેરી સ્માર્ટફોનમાંથી કોઇપણ હેન્ડસેટ ખરીદી શકો છો ." sports,"નવી દિલ્હી , 5 ઑગસ્ટઃ વિશ્વ કપ 2003માં સચિન તેંડુલકર ભલે શાનદાર ફોર્મમાં રહ્યાં હોય પરંતુ તેમના પૂર્વ સાથી રાહુલ દ્રવિડે જણાવ્યું કે , આ ચેમ્પિયન બેટ્સમેને નેટમાં એક પણ બોલ રમ્યો નહોતો . એ વિશ્વકપમાં સચિને રેકોર્ડ 673 રન બનાવ્યા હતા અને પાકિસ્તાન વિરુદ્ધ 98 રનની શ્રેષ્ઠ ઇનિંગ રમી હતી . દ્રવિડે કહ્યું કે , સચિનની તૈયારી સમયાનુસાર બદલતી રહે છે . તેમણે 2003ના વિશ્વકપમં નેટ પર એકપણ બોલ રમ્યો નહોતો . તેમણે માત્ર થ્રો ડાઉંસ પર અભ્યાસ કર્યો . અમે બધા જ અચંભામાં હતા કે તેઓ આવું કેમ કરી રહ્યાં છે . મે જ્યારે તેમને પૂછ્યુ તો તેમણે કહ્યું કે મને સારું લાગી રહ્યું છે . હું નેટમાં અભ્યાસ કરવા માગતો નથી . હું મારી બેટિંગ અંગે સારું અનુભવી રહ્યો છું . જો મને આવું લાગી રહ્યું છે તો હું રન બનાવીશ અને તેવું જ થયું હતું . તેંડુલકરને પોતાના સમકાલિન મહાન ક્રિકેટર ગણાવતા દ્રવિડે કહ્યું કે , તેમણે ભારતીય ક્રિકેટનો ચહેરો બદલી નાંખ્યો છે . અંગે વધુ જાણવા માટે તસવીરો પર ક્લિક કરો . ‘ક્રોધિત ' ધોનીએ ઇસીબીને કહ્યુ હતું , સમાધાન નહીં માન્ચેસ્ટરમાં ઇંગ્લેન્ડ સાથે ભીડશે ભારતઃ જાણો શું કહે છે ઇતિહાસ આ પણ વાંચોઃ - એંડ્ર્યૂ સ્ટ્રોસે કહ્યું , ‘ . . . તો માન્ચેસ્ટરમાં ભારત નહીં જીતી શકે '" sports,"આ પસંદગીથી ગદગદ આજમગઢ વિકાસ સંઘર્ષ સમિતિ અને જિલ્લા ક્રિકેટ સંઘના રોડવેજ સ્થિત જિલ્લા કાર્યાલયમાં સમારોહનું આયોજન કરીને સરફરાજના પિતા અને તેના કોચને સન્માનિત કરવામાં આવ્યા . તેમે 2009માં એ જ ટૂર્નામેન્ટમાં સચિનનો રેકોર્ડ તોડ્યો , જેમાં સચિને ત્રેવડી સદી લગાવી હતી . સરફરાજ 22 જૂનને ઓસ્ટ્રેલિયા જશે . જ્યાં 30 જૂને ઓસ્ટ્રેલિયન ટીમ સામે ભારત ટકરાશે . આ તકે જિલ્લાના લોકોમાં ખુશીનો માહોલ છે , લોકોએ સમારોહમાં સરફરાજના પિતા અને તેમના કોચને ફૂલોની માળાઓ પહેરાવી હતી . આજમગઢ સંઘર્ષ સમિતિના અધ્યક્ષ અને જિલ્લા ક્રિકેટ ટીમના સચિવ એસ કે સત્યેને કહ્યું કે , આ જિલ્લા માટે એક મોટી ઉપાધી છે . અમે આ વાતતી ઘણા જ ખુશ છીએ . સરફરાજ જિલ્લાનો આ બીજો ખેલાડી છે , જેની પસંદગી ભારતીય ટીમમાં થઇ છે . આ પહેલા અબ્દુલ્લા ઇકબાલની પસંદગી કરવામાં આવી હતી ." sports,"વેસ્ટઇન્ડિઝે શ્રીલંકા સમક્ષ જીત માટે 138 રનનો લક્ષ્યાંક મૂક્યો હતો . વેસ્ટઇન્ડિઝે પ્રથમ બેટીંગ કરતાં નિર્ધારિત 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 137 રન બનાવ્યા હતા . વેસ્ટઇન્ડિઝની ટીમ તરફથી સેમુએલ્સે સૌથી વધુ 78 રનનું યોગદાન કર્યું હતું . વેસ્ટઇન્ડિઝના સૌથી વિશ્વનીય ખેલાડી ક્રિસ ગેઇલ ફક્ત 3 રન બનાવી પેવેલિયન ભેગો થઇ ગયો હતો . વેસ્ટઇન્ડિઝ તરફથી નરેનને 3 , સૈમી ને 2 અને રામપાલ , બદ્રી અને સેમ્યુઅલ્સે 1 - 1 વિકેટ ઝડપી હતી . ગત પાંચ વર્ષોમાં આ ચોથો અવસર છે કે વન - ડે અને ટ્વેન્ટી - 20 વર્લ્ડકપની ફાઇનલમાં શ્રીલંકાની ટીમને પરાજયનો સામનો કરવો પડ્યો છે . વેસ્ટઇન્ડિઝે 1975 અને 1979માં વન - ડે વર્લ્ડકપ જીત્યો છે . ત્યારબાદ હવે તે 32 વર્ષ પછી વર્લ્ડકપ ચેમ્પિયન બન્યું છે . કેરેબિયન ટીમે 2004માં આઇસીસી ચેમ્પિયન ટ્રોફી જીતી હતી ." business,"સરકારી બેંક બીઓબીએ તેના ગ્રાહકોને ઝાટકો આપ્યો છે . જી હા , સરકારી માલિકીની બેન્ક ઓફ બરોડાએ શનિવારે 0.05 ટકાના માર્જિનલ કોસ્ટ આધારિત વ્યાજ દરમાં વધારાની જાહેરાત કરી . એ વાતની પણ જાણકારી આપી દઈએ કે વધેલો દર 7 મેથી અસરકારક રહેશે . બીઓબીએ એક દિવસની લોન પર વ્યાજ દર 8.25 ટકાથી વધારીને 8.30 સુધી કરી દીધો છે . બેંકે એક મહિના અને ત્રણ મહિના માટે લોન પર વ્યાજદર વધારીને અનુક્રમે 8.35 ટકા અને 8.45 ટકા કર્યો છે . બીઓબીએ શેર બજાર બીએસઈને જણાવ્યું છે કે છ મહિના અને એક વર્ષની લોન માટે એમસીએલઆરને વધારીને અનુક્રમે 8.65 % અને 8.70 % કરી દીધો છે . જો કે એમસીએલઆરને ' માર્જિનલ કોસ્ટ ઓફ લેન્ડિંગ રેટની ' પણ કહેવામાં આવે છે . આમાં , બેંકો તેમના ફંડના ખર્ચ અનુસાર લોનના દરો નક્કી કરે છે . આ બેંચમાર્ક દર છે . તેમાં વધારો થવાથી તમારા દ્વારા બેન્કમાંથી લેવામાં આવતી તમામ લોન મોંઘી થાય છે અને પછી આગળ કરતાં વધુ ઇએમઆઇ આપવું પડે છે . આ સરકારી બેંકે ચેતવણી આપી , એક નાની ભૂલ તમારા બેંક ખાતાને ખાલી કરી દેશે તમને જણાવી દઈએ કે બેન્ક ઑફ બરોડામાં વિજયા બેંક અને દેના બેંકનું મર્જર 1 એપ્રિલથી અસરકારક થયું હતું . ભારતીય રિઝર્વ બેન્કએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે વિજયા બેંક અને દેના બેન્કની તમામ શાખાઓ 1 એપ્રિલ , 2019 થી બેંક ઓફ બરોડાની શાખાઓ તરીકે કામ કરશે . વિજયા બેન્ક અને દેના બેન્કના જમાકર્તાઓ સહિતના ગ્રાહકોને 1 એપ્રિલ , 2019 થી બેન્ક ઑફ બરોડાના ગ્રાહકો તરીકે માનવામાં આવશે . ATM થી કેશ કાઢતી વખતે ગ્રીન લાઈટ ચેક કરો , નહીં તો . . . ." business,"આજે યુરોપના માર્કેટમાં જોવા મળેલી વેચવાલીને પગલે યુરોપીયન માર્કેટ્સ કકડભૂસ થયા હતા . જેમાં સ્પેનિશ IBEX 35માં 4 ટકાનો ઘટાડો નોંધાયો હતો . જર્મન DAXમાં અને ફ્રેન્સ CACમાં પણ ભારે ઘટાડો નોંધાયો હતો . આ કડાકાની સીધી અસર ભારતીય શેરબજાર પર જોવા મળી હતી . ભારતીય શેરબજારના બે મહત્વના સૂચકઆંકો સેન્સેક્સ અને નિફ્ટીમાં પણ મોટો ઘટાડો નોંધાયો હતો . જેને પગલે આજે સેન્સેક્સ 349 પોઇન્ટ ઘટીને 26000 પોઇન્ટની નીચે બંધ રહ્યો હતો . જ્યારે નિફ્ટીમાં 115 પોઇન્ટના ઘટાડા સાથે બંધ રહ્યો હતો . એફઆઈઆઈ વેચવાલી અને કમજોર વિદેશી સંકેતોના કારણથી આજે ભારતીય શેર બજારમાં ભારી વેચવાલી જોવા મળી . સેન્સેક્સ અને નિફ્ટી 1.5 - 1.5 % સુધી જ્યારે નાના - મધ્યમ શેર લગભગ 2.5 % થી વધારે તૂટ્યા હતા . આજે સેન્સેક્સ અને નિફ્ટી 2 મહિનાના સૌથી નીચલા સ્તર પર બંધ થયા છે . સીએનએક્સ મિડકેપ ઈન્ડેક્સ પણ 2 મહિનાના નીચલા સ્તર પર બંધ થયા છે . બીએસઈના સેન્સેક્સ 350 અંક એટલે કે 1.3 % ના ઘટાડાની સાથે 25999.3ના સ્તર પર બંધ થયું . જ્યારે એનએસઈ નિફ્ટી 116 અંક એટલેકે 1.5 % તૂટીને 7748.2ના સ્તર પર બંધ થયું છે . આજના ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સ 26462ના ઉપરી સ્તરને સ્પર્શ કરવામાં સફળ રહ્યું , જ્યારે નિફ્ટીએ 7893.9નો ઉપરી સ્તર બનાવ્યો હતો . આજના ટ્રેડિંગ સેશનમાં અલ્ટ્રાટેક સિમેન્ટ , હિન્ડાલ્કો , ગ્રાસિમ , એમએન્ડએમ , સેસા સ્ટરલાઈટ , ટાટા સ્ટીલ અને ટાટા પાવર જેવા દિગ્ગજ શેર 6.1 - 3.3 % સુધી ઘટીને બંધ થયા છે . જોકે ડીએલએફ , એનએમડીસી , આઈટીસી , બીપીસીએલ , કોલ ઈન્ડિયા , ગેલ અને સિપ્લા જેવા દિગ્ગજ શેર 5.1 - 0.1 % સુધી વધીને બંધ થયા છે . જ્યારે મિડકેપ શેરોમાં સ્ટ્રાઈડ્સ આર્કોલેબ , જીએસએફસી , વૈભવ ગ્લોબલ , ક્રોમ્પટન ગ્રીવ્સ અને જીએમઆર ઈન્ફ્રા સૌથી વધારે 18.4 - 7.7 % સુધી ઘટીને બંધ થયું છે . સ્મોલકેપ શેરોમાં ડીઆઈસી ઈન્ડિયા , વેસ્કોન ઈન્જીનિયર્સ , સ્પાઈસ મોબિલિટી , સિકાલ લોજીસ્ટિક્સ અને રાણે હોલ્ડિંગ્સ સૌથી વધારે 20 - 9 % સુધી કમજોર થઈને બંધ થયા છે ." sports,"નવી દિલ્હીઃ ભારતીય ટીમ 6 ફેબ્રુઆરીથી વેસ્ટપેક મેદાન પર પોતાના ટી20 અભિયાનની શરૂઆત કરવા ઉતરશે . વેલિંગ્ટનના આ મેદાન પર રમવાની સાથે ટીમ ઈન્ડિયા કીવીલેન્ડમાં પોતાનો રેકોર્ડ સુધારવાના ઈરાદે ઉતરશે . હાલમાં જ કીવી ટીમને વનડે સીરિઝમાં 4 - 1થી માત આપનાર ભારતીય ટીમનો ટી20 રેકોર્ડ બ્લેક કેપ્સના દેશમાં કંઈ ખાસ નથી . એવામાં રોહિત શર્માની આગેવાનીમાં શાનદાર ફોર્મમાં ચાલી રહેલ ભારતીય ટીમ પાસે સોનેરી મોકો છે . જણાવી દઈએ કે અગાઉ ન્યૂઝિલેન્ડ વિરુદ્ધ તેમની ધરતી પર કોઈ દ્વિપક્ષીય ટી20 નથી જીત્યા . ભારતે 2008 - 09માં અહીં રમાયેલ ટી20 સીરિઝ 2 - 0થી ગુમાવી દીધી હતી . જે બાદ 2012માં બે મેચની સીરિઝ પણ 1 - 0થી ગુમાવી દીધી , જો કે બાદમાં ભારતે પોતાની ધરતી પર 2017 - 19માં 2 - 1થી કીવિઓને માત આપી દીધી હતી . ભારતને વનડે સીરિઝમાં પરેશાન કરનાર ટ્રેન્ટ બોલ્ટને આ વખતે ટી20 સીરિઝમાંથી આરામ આપવામાં આવ્યો છે . વિરાટ કોહલીની ગેરહાજરી છતાં જેવી રીતે ટીમ ઈન્ડિયાએ પોતીની અંતિમ મેચ ન્યૂઝીલેન્ડમાં જીતી લીધી હતી તેનાથી ટીમના ફોર્મનો અંદાજો લગાવી શકાય છે . આ ઉપરાંત ઋષભ પંતની ટીમમાં વાપસીથી ભારત વધુ મજબૂત થયું છે . જ્યારે કીવી ટીમના ટી20 ફોર્મેટના સૌથી પ્રમુખ બેટ્સમેન માર્ટિન ગુપ્ટિલ ઈજાગ્રસ્ત થવાથી પ્લેઈંગ ઈલેવનમાં જગ્યા નહિ મેળવી શકે . એવામાં ભારતીય ટીમ પાસે કીવિઓને તેમની જ ધરતી પર ધૂળ ચટાવવાનો શ્રેષ્ઠ મોકો છે . જો કે રોહિત શર્મા જાણે છે કે કીવિઓને તેમની ધરતી પર ઓછા આંકવાની ભૂલ ભારત ન કરી શકે . પરંતુ ભારતીય ટીમ અહીં પર આગામી વિશ્વકપને ધ્યાનમાં રાખી થોડા મહત્વના ફેસલા લઈ શકે છે . કોહલીની ગેરહાજરીમાં ખાસ કરીને દિનેશ કાર્તિકના બેટિંગ ઓર્ડર પર નજર રહેશે . કાર્તિક પાસેથી ટીમને મેચ ફિનિશરની ભૂમિકામાં ખરા ઉતરવાની અપેક્ષા રહેશે . હવે ચીનની ચોરી નહીં ચાલેઃ ડોનાલ્ડ ટ્રમ્પ" sports,"ટેસ્ટ શ્રેણીમાં ખરાબ અને ટીકાત્મક પ્રદર્શન કર્યા બાદ ટીમ ઇન્ડિયા તેના નવા ચહેરાઓ સાથે વનડે શ્રેણીમાં ઇંગ્લેન્ડ સામે મેદાને ઉતર્યું જે પ્રકારે શ્રેણીની ચાર વનડે મેચોમાંથી ત્રણમાં વિજય મેળવ્યો છે ( પહેલી વનડે રમાઇ નહોતી ) , તેમાં યુવા ખેલાડીઓએ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે , જેના કારણે એવા અનેક અનુભવી ક્રિકેટર્સ છેકે જે હાલ ખરાબ ફોર્મમાંથી પસાર થઇ રહ્યાં છે અને છેલ્લા ઘણા સમયથી ટીમ ઇન્ડિયાથી દૂર રહ્યાં છે , તેમને કમબેક કરવામાં મુશ્કેલીઓ ઉભી કરી રહ્યાં છે . ઇંગ્લેન્ડ માટેની વનડે ટીમની જ્યારે પસંદગી કરવામાં આવી રહી હતી , ત્યારે જ બીસીસીઆઇની ટીમ પસંદગી સમિતિએ આગામી વિશ્વકપને ધ્યાનમાં રાખીને ટીમમાં યુવા ચહેરાઓને સ્થાન આપ્યું હતું . બીસીસીઆઇએ જે વિશ્વાસ મુક્યો હતો , તેના પર આ યુવા ચહેરાઓ ખરા ઉતર્યા છે . તો ચલો તસવીરો થકી જાણીએ કે કયા ધુંરઘરોના માર્ગમાં અવરોધ બન્યા છે યુવા ચહેરાઓ . મેદાનમાં મસ્તીએ ચઢ્યા ‘નટખટ ' યુવી અને ‘સ્પીડ કિંગ ' બોલ્ટ રહાણે - ધવન ચમક્યાઃ જાણો કઇ છે ભારતની બેસ્ટ ઓપનિંગ ભાગીદારી આ પણ વાંચોઃ - કોણે ભણાવ્યો પાઠ ? શિખર ધવને જણાવ્યું રહસ્ય" entertainment,"લોનાવાલા , 17 ડિસેમ્બર : અંતે તે જ થયું કે જેનો ભય હતો અને જે અત્યાર સુધી કોઈ પણ ટેલીવિઝન શોમાં નહોતુ થયું . અમે વાત બિગ બૉસની કરીએ છીએ . આ શોના સ્પર્ધક અરમાન કોહલીની લોનાવાલા પોલીસે સોમવારે રાત્રે બિગ બૉસના ઘરમાંથી ધરપકડ કરી છી . અરમાનની ધરપકડથી માત્ર બિગ બૉસના સ્પર્ધકો જ નહીં , પણ દર્શકો પણ આશ્ચર્યમાં મુકાઈ ગયાં છે . અરમાન કોહલી તો હાલ પોલીસની શકંજામાં છે , પણ તેમની ધરપકડે તેવા લોકોના મોઢે તાળા વાગી ગયાં છે કે જેઓ સોફિયા હયાતની ફરિયાદને હળવાશથી લેઈ તેને પબ્લિસિટી સ્ટંટ બતાવતા હતાં . સોફિયાનો દાવો છે કે રૉ ફુટેજમાંથી તેમની વાત સમ્પૂર્ણ સાચી સાબિત થઈ જશે . અરમાન કોહલી વિરુદ્ધ પોલીસે કેસ નોંધી તેમની ગઈકાલે રાત્રે બિગ બૉસમાંથી ધરપકડ કરી છે . સોફિયા હયાતને વાઇલ્ડ કાર્ટ એન્ટ્રી મળી હતી . સોફિયા હયાતે શોની અંદર તનીષા મુખર્જી , અરમાન કોહલી તથા એઝાઝ સાથે ખૂબ ઝગડો કર્યો હતો . આ માસના અંતે શોના વિનરની જાહેરાત કરવામાં આવવાની છે , પણ અરમાનની ધરપકડે શોને નવો વળાંક આપતાં આયોજકોની મુશ્કેલીઓ વધારી દીધી છે ." entertainment,"અભિનેત્રી રાણી મુખર્જી આજકાલ પોતાની આવનાર ફિલ્મ મર્દાની અંગે ચર્ચામાં છે . રાણી આ ફિલ્મમાં પોલીસ ઑફિસરનો રોલ કરી રહ્યાં છે અને સાથે એક્શન સીન્સ પણ હશે . રાણી મુખર્જી એક્ટિંગ કૅરિયરમાં રસ નહોતા ધરાવતાં , પણ તેઓ પહેલી વાર બંગાળી ફિલ્મ બિયેર ફૂલમાં બાળ કલાકાર તરીકે કામ કર્યા બાદ મોટા પડદાનો મોહ ન છોડી શક્યાં . બિયેર ફૂલ બાદ સલીમ ખાને રાણીને આ ગલે લગ જામાં બાળ કલાકારની ભૂમિકાની ઑફર કરી હતી , પણ રાણીએ તે નકારી કાઢી હતી . રાણી જ્યારે મોટા થઈ ગયાં , ત્યારે સલીમ ખાને ફરી એક વાર રાણીને રાજા કી આયેગી બારાત માટે એપ્રોચ કરી અને રાણીએ આ વખતે આ ફિલ્મ સ્વીકારી લીધી . 1997માં બૉલીવુડમાં એન્ટર થનાર રાણી મુખર્જીની પહેલી ફિલ્મ રાજા કી આયેગી ફ્લૉપ રહી , પણ તેમના કામના વખાણ થયાં . જોકે આ ફિલ્મ ફ્લૉપ થયા બાદ રાણીએ હાયર સ્ટડીઝ કમ્પ્લીટ કર્યુ અને પછી તેમના કૅરિયરમાં મોટો વળાંક આવ્યો . 1998માં રાણી મુખર્જી વિક્રમ ભટ્ટની ફિલ્મ ગુલામમાં આમિર ખાન સાથે ચમક્યાં . જોકે ફિલ્મે વ્યાપક બિઝનેસ કર્યો અને સાથે જ આતી ક્યા ખંડાલા . . . ગીત પણ તે વર્ષનું સુપરહિટ સાબિત થયું . આ ગીત બાદ રાણીને લોકો ખંડાલા ગર્લ તરીકે ઓળખવા લાગ્યા હતાં . ગુલામ બાદ રાણી કુછ કુછ હોતા હૈમાં દેખાયા કે જે 1998માં જ રિલીઝ થઈ હતી . આ ફિલ્મ માટે રાણીને બેસ્ટ સપોર્ટિંગ રોલનો ઍવૉર્ડ મળ્યો . જોકે રાણીની મેહંદી અને હેલ્લો બ્રધર જેવી ફિલ્મો ફ્લૉપ રહી , પણ તેમના સ્ટારડમમાં ફરક ન પડ્યો . હે રામમાં રાણીએ રેપ વિક્ટિમનો દમદાર રોલ કર્યો . હે રામ 200માં ઑસ્કારમાં મોકલવામાં આવી હતી . રાણીએ સાથિયામાં ડૉ . સુહાની શર્માનો રોલ કરી બેસ્ટ એક્ટ્રેસનો ઍવૉર્ડ હાસલ કર્યો હતો . રાણીએ ચલતે ચલતે અને યુવામાં પણ પોતાનું એક્ટિંગ સ્કિલ જાળવી રાખ્યું , તો હમ તુમ , બ્લૅક જેવી ફિલ્મો પણ સફળ રહેવા પામી હતી . લાગા ચુનરી મેં દાગ તથા નો વન કિલ્ડ જેસિકા તેમજ તલાશ પણ રાણીની ચુનંદા ફિલ્મોમાં સામેલ છે . રાણી મુખર્જી તાજેતરમાં આદિત્ય ચોપરા સાથે લગ્ન કર્યા બાદ ચર્ચામાં આવ્યા હતાં . તેમની છેલ્લી ફિલ્મ લગ્ન પહેલા ઐય્યા રિલીઝ થઈ હતી કે જે ફ્લૉપ નિવડી હતી . રાણી હવે મર્દાની ફિલ્મ સાથે લગ્ન બાદ બૉલીવુડમાં આવી રહ્યાં છે . ચાલો જોઇએ રાણી મુખર્જીના મોસ્ટ મેમોરેબલ રોલ્સ :" business,"ભારતીય શેર બજારની ગુરુવારે ખૂબ મજબૂત શરૂઆત થઈ . આજે સેંસેક્સ લગભગ 100 પોઈન્ટ ઉપર ખુલ્યો . વળી , નિફ્ટી પણ લગભગ 24 પોઈન્ટ ઉપર ખુલ્યો . આજે ખુલતી વખતે સેંસેક્સનું સ્તર 36408 પોઈન્ટ અને નિફ્ટીનું સ્તર 10914 પોઈન્ટ રહ્યુ . શેર બજારને આજે રૂપિયાની મજબૂતીનો સહારો મળ્યો . આજે રૂપિયો 9 પૈસાની મજબૂતી સાથે 71.15 રૂપિયાના સ્તર પર ખુલ્યો . સવારના ટૉપ ગેઈનર - M & M ના શેર આજે લગભગ 9 રૂપિયાની મજબૂતી સાથે 734.75 રૂપિયાના સ્તર પર ખુલ્યો . - Tata Motors ના શેર આજે લગભગ 2 રૂપિયાની મજબૂતી સાથે 187.00 રૂપિયાના સ્તરે ખુલ્યો . - HDFC ના શેર આજે લગભગ 18 રૂપિયાની મજબૂતી સાથે 1,992.75 રૂપિયાના સ્તરે ખુલ્યા . - Power Grid Corp ના શેર લગભગ 2 રૂપિયાની મજબૂતી સાથે 193.85 ના સ્તર પર ખુલ્યા . - TCS ના શેર લગભગ 17 રૂપિયાની મજબૂતી સાથે 1,887.55 રૂપિયાના સ્તરે ખુલ્યા . રૂપિયાની મજબૂત શરૂઆત Forex Market : વિદેશી મુદ્રા ડૉલરના મુકાબલે રૂપિયો ગુરુવારે 9 પૈસાની મજબૂતી સાથે 71.15 રૂપિયાના સ્તર પર ખુલ્યો . આ પહેલા બુધવારે રૂપિયો 20 પૈસા તૂટીને બંધ થયો હતો . જાણકારોના મંતવ્ય મુજબ કાચા તેલના ભાવમાં આવેલા વધારાને પગલે રૂપિયા પર દબાણ જોવા મળી રહ્યુ છે . આના કારણે સરકાર તેલ આયાત પર વધુ વિદેશી મુદ્રા ખર્ચ કરવી પડી રહી છે . આના કારણે ડૉલરના મુકાબલે રૂપિયા પર દબાણ જોવા મળી રહ્યુ છે . જાણકારો અનુસાર રૂપિયો 70.34 થી લઈને 71.37ની સીમામાં રહી શકે છે . આ પણ વાંચોઃ કર્ણાટકમાં રાજકીય સંકટ વચ્ચે કોંગ્રેસે ધારાસભ્યોને આપી ચેતવણી" sports,"સાઉથમ્પટન , 2 ઑગસ્ટઃ નોટિંગહામ ખાતે રમાયેલી ટેસ્ટ દરમિયાન ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજા અને ઇંગ્લેન્ડના ખેલાડી જેમ્સ એન્ડરસન વચ્ચે થયેલા વિવાદની સુનાવણી 1 ઑગસ્ટના રોજ હાથ ધરવામાં આવી હતી . જેમાં આરોપ પ્રત્યારોપણ બાદ આખરે આઇસીસી દ્વારા બન્ને ખેલાડીઓને દોષમુક્ત જાહેર કર્યા હતા . પોતાની સુનાવણી દરમિયાન આઇસીસીએ કહ્યું કે , આઇસીસી આચારસંહિત હેઠળ આ બન્ને ખેલાડીઓની ભૂલ જણાતી નથી . આ સુનાવણી અંદાજે છ કલાકની આસપાસ ચાલી હતી . જેમાં જ્યુડિશિયલ કમિશનર ગોર્ડન લુઇસ એએમએ બન્ને ખેલાડીને નિર્દોષ જાહેર કર્યા હતા . આઇસીસીએ જારી કરેલા નિવેદનમાં જણાવ્યું છેકે , આઇસીસીની આચારસંહિતા અનુસાર ઇંગ્લેન્ડના જેમ્સ એન્ડરસન અને ભારતના રવિન્દ્ર જાડેજાની કોઇ ભૂલ જ્યુડિશિયલ કમિશનરને જણાઇ નહોતી . નોંધનીય છેકે , નોટિંગહામ ખાતેની ટેસ્ટમાં રવિન્દ્ર જાડેજાને ગાળો આપવા અને ધક્કો મારવાનો આરોપ એન્ડરસન પર લગાવવામા આવ્યો હતો . જ્યારે આ જ મેચમાં રવિન્દ્ર જાડેજાને આઇસીસી લેવલ 1 હેઠળ દોષી ગણાવી મેચ ફીના 50 ટકાનો દંડ ફટકારાયો હતો . જેની સામે બીસીસીઆઇ દ્વારા અપિલ કરવામાં આવી છે . ઇજાગ્રસ્ત સાહાના સ્થાને નમન ઓઝાનો ટેસ્ટ ટીમમાં સમાવેશ આ પણ વાંચોઃ - ટીમ ઇન્ડિયાની આ ‘ખામી ' ન ગમી સુનિલ ગાવસ્કરને" business,"આ પહેલાના શનિવારે સોનાની કિંમતોમાં ભારે ઘટાડો નોંધાયો હતો . વૈશ્વિક બજારોમાં પણ સોનાની કિંમતોમાં ઘટાડાની વચ્ચે સ્ટોકિસ્ટોએ તાબડતોડ સોનાનું વેચાણ કરતા સોનાની કિંમતો 10 ગ્રામના રૂપિયા 1250 સુધીની અત્યાર સુધીના સૌથી મોટા ઘટાડા સાથે વર્ષની સૌથી નીચી કિંમતો પહોંચી ગઇ હતી . સોનામાં પાછલા સપ્તાહથી ઘટાડાનું વલણ જોવા મળી રહ્યું છે . તેના ભાવ પ્રતિ 10 ગ્રામ રૂપિયા 30,000ની અંદર બોલવામાં આવતા હતા . બીજી તરફ વૈશ્વિક સ્તરે સોનાની કિંમતો 84 ડોલરના ઘટાડા સાથે 1477 ડોલર પ્રતિ ઓંસ થઇ ગઇ હતી . વિશ્લેષકો આ ઘટાડાનું મુખ્ય કારણ વાયદા બજારમાં સટોડિયાઓની વેચવાલીને માને છે . તેમનું કહેવું છે કે ભારતમાં સોના બજાર મુખ્યત્વે વૈશ્વિક બજાર અને સટોડિયા બજાર પર આધારિત છે . માર્કેટમાં સોનાની વાસ્તવિક ખરીદી નહીવત જ છે ." business,"તાજેતરમાં Liveability Index 2013ની બહાર પાડવામાં આવેલી યાદીમાં ભારતમાં સૌથી શ્રેષ્ઠ રહેવા યોગ્ય શહેરોમાં ગુજરાતના બે શહેરોનો સમાવેશ કરવામાં આવ્યો છે . 20 શહેરોની યાદીમાં મુંબઇ પહેલા ક્રમાંકે છે . જ્યારે અમદાવાદ 11માં ક્રમાંકે અને સુરત 20માં ક્રમાંકે છે . આ શહેરોને તેમની શિક્ષણ , મેડિકલ , ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સેફટીના આધારે વિવિધ અંકો સાથે આ યાદીમાં સમાવાયા છે . Liveability Indexની ચોથી એડિશન માટે 50 રહેવાલાયક ભારતીય શહેરોની યાદી બનાવવામાં આવી . આ શહેરોને માત્ર તેમની રહેવાની ગુણવત્તના આધારે જ આ યાદીમાં સમાવવામાં આવ્યા નહોતા , પરંતુ વિકાસ અને નાગરિકોને લગતી બાબતોને પણ ધ્યાનમાં રાખવામાં આવી હતી . શહેરોની પસંદગી માટે ડેમોગ્રાફિક , હેલ્થ એન્ડ મેડિકલ સ્ટાન્ડર્ડ , સેફટી , હાઉસિંગ ઓપ્શન , સોસિયો - કલ્ચરલ - નેચરલ ઇન્વાયરન્મન્ટ , ઇકોનોમિક ઇન્વાયરન્મન્ટ અને પ્લાન્ડ ઇન્વાયરન્મન્ટ વિગેરે હેઠળ એક મોડલ તૈયાર કરવામાં આવ્યું હતુ અને દરેક ક્ષેત્રમાં આ શહેર કેવું છે તે અંગે માહિતી એકઠી કરવામાં આવી હતી . તો ચાલો તસવીરો થકી જાણીએ આ યાદીમાં અન્ય કયા કયા શહેરો છે ." entertainment,"આજે બૉલીવુડના સેક્સી અભિનેત્રીઓમાંના એક ડિમ્પલ કાપડિયાનો જન્મ દિવસ છે . કાકના પત્ની તરીકે ઓછાં , પણ એક મહાન અભિનેત્રી તરીકે ઓળખ સ્થાપનાર ડિમ્લ આજે પણ ફિલ્મોમાં સક્રિય છે . સાગર જેવી ફિલ્મોના મલ્લિકા ડિમ્પલે માત્ર 16 વરસની વયે બૉલીવુડમાં પગલુ મૂક્યુ હતું . જે સમયે તેમની પ્રથમ ફિલ્મ બૉબી રિલીઝ થઈ , તે સમયે એટલી ઓછી વયે અભિનેત્રીઓ ફિલ્મોમાં કામ નહોતી કરતી . બૉબી સુપરહિટ રહી . લોકોને ડિમ્પલ પાસે ઘણી આશાઓ હતી , પરંતુ ડિમ્પલે તે જ સમયે રીલ લાઇફમાં ધડાકો ન કરી , રીયલ લાઇફમાં ધડાકો કરી નાંખ્યો ડિમ્પલ કાપડિયા પોતાની પ્રથણ જ ફિલ્મ બાદ પોતાના કરતાં બહુ મોટી વયના સુપરસ્ટાર રાજેશ ખન્ના સાથે પરણી ગયાં . જોકે તેમનો વૈવાહિક જીવન સુખમય સાબિત ન થયું . રાજેશ ખન્નાના રંગીન મિજાજ તથા દારૂ પીવાની ટેવે ડિમ્પલને ઘર છોડવા મજબૂર કરી અને રાજેશની બે સુંદર પુત્રીઓના માતા બન્યા બાદ પણ ડિમ્પલે દસ વરસ બાદ ફિલ્મોમાં કમબ2ક કર્યું અને આજ સુધી ફિલ્મોમાં સફળતાની સફર કરી રહ્યાં છે . ભલે ડિમ્પલે રાજેશ ખન્નાના જીવન સાથે અંતર બનાલી લીધો , પણ તેમણે તેમને છુટાછેડા નહિં આપ્યાં અને છેલ્લા શ્વાસ સુધી પત્ની હોવાનો હક કર્યો . રાજેશ ખન્નાના અંતિમ સમયમાં ડિમ્પલ તન - મનથી તેમની સેવા કરતા રહ્યાં . આજે રાજેશ ખન્ના અને તેમની સમ્પત્તિ અંગે વિવાદ છે . રાજેશ ખન્ના પોતાની પાછળ 600 કરોડની દોલત છોડી ગયાં છે કે જેની ઉપર રાજેશના કથિત પ્રેમિકા અનીતા અડવાણી હક જતાઈ રહ્યાં છે . કેસ કોર્ટમાં છે . ખેર જોઇએ તસવીરો સાથે ડિમ્પલ કાપડિયા અંગેની વધુ વિગતો ." sports,"કીર્તિમાનોના બાદશાહ ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકરે શનિવારે 26 રન બનાવતાની સાથે જ પોતાની શાનદાર કારકિર્દીમાં વધુ એક મહત્વપૂર્ણ ઉપલબ્ધી જોડી દીધી . સચિન ક્રિકેટના તમામ સંસ્કરણમાં 50 હજાર બનાવનાર વિશ્વના 16માં અને એશિયાના પહેલાં ક્રિકેટર બની ગયા છે . સચિને આ કારનામો ચેમ્પિયન્સ લીગ ટી20 મેચમાં કર્યો . ગત મેચમાં ખાતુ નહીં ખોલનાર સચિને શનિવારે દર્શકોને નિરાશ કર્યા નહી અને આ વચ્ચે આ મહત્વપૂર્ણ સિદ્ધિ હાસલ કરી . ફિરોજશાહ કોટલા પર ફરીથી બધાની નજર સચિન પર ટકેલી હતી . તેણે ચોથી ઓવરમાં રવિ રામપાલના બોલ પર મીડ ઓફ પર ચોગ્ગો ફટકારીને દર્શકોનો ઉત્સાહ વધારી દીધો . ત્યારબાદ ઓટલેની ઓવરમાં છગ્ગો ફટકારીને દર્શકોને રોમાંચિત કરી દીધા હતા . સ્ટેડિયમમાં સચિનનું નામ ગુંજવા લાગ્યું હતુ . ક્રિકેટના બાદશાહને ટૂંકમાં પોતાની ઇનિંગનો 26મો રન લઇને આ સિદ્ધિ હાંસલ કરી , જ્યાં આજસુધી એશિયાનો કોઇ બેટ્સમેન પહોંચી શક્યો નહોતો . યુવરાજે પાઠવી શુભેચ્છા સચિને તેંડુલકરે કીર્તિમાન પર સૌથી પહેલા ટિપ્પણી યુવરાજ સિંહની આવી . તેણે ટ્વિટ કર્યું કે પાજી પચાસ હજાર રન , તમારા ચરણે મારા તરફથી માથુ ટેકવી દો ." business,"રીઝર્વ બેન્ક દ્વારા પ્રથમ ચરણમાં 4 જૂન , મંગળવારના રોજ રૂપિયા 1000 કરોડના બોન્ડ વેચવામાં આવશે . માર્ચના અંત સુધીમાં વધુ રૂપિયા 15,000 કરોડના બોન્ડ વેચવામાં આવે એવો અંદાજ છે . લાંબાગાળાનું સલામત રોકાણ ઇચ્છતા લોકો તથા બેંકો સિકયુરીટી માટે રોકતા નાણા બોન્ડમાં રોકે એવી સંભાવના અત્યારે જણાય રહી છે . મુલ્ય અને તરલતાના મુદે આ બોન્ડ લોકોને આકર્ષવામાં ખુબ ઠંડા સાબીત થયા હતા . સર્વેક્ષણ અનુસાર રોકાણકારોને 10 વર્ષના ફુગાવા આધારિત પ્રથમ ચરણના બોન્ડમાં 1.25 થી 2 ટકા જેટલુ વળતર મળવાની સંભાવના છે . સરકારના સામાન્ય બોન્ડમાં વધારે વ્યાજ મળતું હોય છે . પાંચ વર્ષના બોન્ડમાં આશરે 2.5 ટકા જેટલુ વળતર મળવાની સંભાવના છે . ઓછા વળતરને લીધે નવા સપ્તાહમાં બોન્ડને બેન્કો તથા વિદેશી રોકાણકારોનો નબળો પ્રતિસાદ મળવાની સંભાવના છે . વિશ્લેષકો કહે છે કે , બોન્ડ એક સારૂ સાધન છે . પણ બહુ જટીલ એવા ગ્રાહકો માટે જ તે સફળ થઇ શકે . ફુગાવાનો દર વર્તમાન સમયે ઘટી રહ્યો છે એટલે લોકો સામાન્ય બોન્ડ તરફ વળી જવાનુ પસંદ કરશે . સરકારનું એવુ માનવું છે કે કેટલાક લોકો બોન્ડ તરફ આકર્ષાય તો પણ સોનાની આયાતમાં ઘટાડો થશે અને એના વડે ચાલુ ખાતાની તોતીંગ ખાદ્ય પુરવામાં થોડી રાહત મળશે . બોન્ડનું આકર્ષક ભાવે વેચાણ થાય એ માટે રીઝર્વ બેન્કે સીધા લોકોને વેચવાના સ્થાને ધંધાદારી રોકાણકારોને વેચવાનુ પસંદ કર્યુ છે . ધંધાકીય રોકાણકારો પ્રથમ હરાજીમાં ઓછા ભાગ લેશે એવુ જણાય છે . કારણ કે એ પુર્વે સૌ જથ્થાબંધ ફુગાવાનો આંક જાહેર થાય એ જોવાનુ પસંદ કરશે . જે અત્યારે સરેરાશ 7.3 ટકા જેટલો છે ." business,1 જુલાઇથી સરકારે વસ્તુ અને સેવા કર એટલે કે જીએસટીને લાગુ કર્યો . જેના આજ દિવસ સુધી વેપારીઓ ઠેર ઠેર વિરોધ કરી રહ્યા છે . પણ જેને કાળાબજારી કરવી છે તે કોઇને કોઇ રીત શોધી જ લે છે છેતરપીંડી કરવા માટે . અને આવું જ કંઇ બન્યું પણ છે . જીએસટીથી બચવા માટે વેપારી અજીબો ગરીબ ઉપાયો શોધી રહ્યા છે . કોઇ દુકાનદાર એક જોડી કપડાને અલગ અલગ કરીને વેચી રહ્યું છે તો કોઇ તેના અલગ બિલ બનાવીને . તો કપડાના વેપારીઓ દુપટ્ટા અને ડ્રેસને અલગ અલગ રીતે વેચી રહ્યા છે . ચેન્નઇમાં એક દુકાનદારે એક જોડી ચંપલને બે અલગ અલગ કરીને વેચ્યા અને તેના બે બિલ પણ બનાવ્યા . જ્યારે આ વાત બહાર આવી ત્યારે વેપારીઓની આ છેતરવાની રીતનો ભાંડો ફૂટ્યો હતો . ઉલ્લેખનીય છે કે 500 રૂપિયાના ચંપલ પર 5 ટકા જીએસટી લાગે છે . જ્યારે તેનાથી વધુની કિંમતના ફૂટવેર પર 18 ટકા ટેક્સ લાગે છે . તેવામાં બે અલગ અલગ બિલ બનાવીને 500 રૂપિયાથી ઓછી કિંમત કરી 18 ટકાની જગ્યા 5 ટકા ટેક્સ લગાવવા માટે આ ટ્રીક અપનાવી હતી . જો કે આવું ખાલી એક જગ્યાએ જ નહીં અનેક જગ્યાએ અલગ અલગ આઇટમો માટે થઇ રહ્યું છે . entertainment,"ફિલ્મકાર કૃષ્ણ ડી કેનું કહેવું છે કે તેમની આગામી ફિલ્મ ગો ગોવા ગોન સૈફ અલી ખાનની અગાઉની કોઈ પણ ફિલ્મના બજેટ કરતાં ખૂબ જ ઓછા ખર્ચે બનેલી છે . આ ફિલ્મ 10મી મેના રોજ રિલીઝ થવા જઈ રહી છે . કૃષ્ણે જણાવ્યું - હું કહેવા માંગીશ કે આ ફિલ્મનું બજેટ ખૂબ ઓછું . મને ફિલ્મના બજેટ અંગે ખુલાસો કરવાની છૂટ નથી , પણ હું આપને ખાત્રી આપી શકું છું કે આ ફિલ્મ સૈફ અલી ખાનની કોઈ પણ સામાન્ય ફિલ્મના બજેટ કરતાં ઘણા ઓછા ખર્ચે બની છે . તેમણે જણાવ્યું - અમે ખૂબ જ ચોક્કસ બજેટમાં કામ કર્યું છે . ઉપરાંત દરેક અભિનેતાએ પોતાના સામાન્ય મહેનતાણા કરતાં ઓછા પૈસા લીધાં છે . અભિનેતા સૈફ અલી ખાન ફિલ્મના સહ - નિર્માતા છે અને તેમણે અભિનય પણ કર્યું છે . રાજા નિદિમોરૂ કૃષ્ણ સાથે સહ - દિગ્દર્શન કરી રહ્યાં છે . ફિલ્મમાં સૈફ ઉપરાંત કુણાલ ખેમૂ , વીર દાસ તથા પૂજા ગુપ્તા પણ મહત્વની ભૂમિકામાં છે ." business,કિંગફિશરે કહ્યું છે કે તેની વિદેશી એરલાઇન્સ કંપનીઓ સાથે એફડીઆઇ લાવવાના મુદ્દે વાત ચાલી રહી છે . આ પગલું ભરવાથી કિંગફિશરના માથેથી નાણાંકીય સંકટ ટળી જશે એવી આશા છે . મુંબઇના સર્વીસ ટેક્સ કમિશનર સુશિલ સોલંકીએ કહ્યું હતું કે ; કિંગફિશર એરલાઇન્સ સતત સેવા કર ચૂકવવામાં મોડું કરી રહી છે . તે સાપ્તાહિક ભૂગતાન કરી શકતી નથી અને તેના મોટાભાગના બેંક ખાતાને ફ્રીઝ કરવામાં આવ્યાં છે . વિભાગે કિંગફિશરના મોટાભાગના બેંક ખાતાને ફિઝ કરી દિધાં છે અને આ વિમાની કંપની ખૂબ જ સીમિત સંખ્યામાં ઉડાનો પરિચાલન કરે છે . આવા સમયે એરલાઇન્સ માટે બાકી લેણાની ચૂકવણી કરવી મુશ્કેલ છે કારણ કે રોકડનો પ્રવાહ એકદમ રોકાઇ ગયો છે . કહેવામાં આવે છે કે કિંગફિશરે ગત વર્ષે નવેમ્બરથી યાત્રીઓ સાથે જોડાયેલા સર્વીસ ટેક્સને નિયમિત રીતે જમા કરાવ્યો નથી . તે આ રકમ ઉપયોગ અન્ય ઉદ્દેશો માટે કરી રહી છે . એરલાઇન્સ દ્રારા સર્વીસ ટેક્સ ચૂકવવામાં મોડું કરવામાં આવતાં વિભાગ તેના બેંક ખાતાઓને ફ્રિઝ કરી રહ્યું છે . વિજય માલ્યા પ્રમોટેડ એરલાઇન્સ પર કુલ 140 કરોડ રૂપિયાની વસૂલી બાકી હતી . તેના બેંકખાતાઓને ફ્રિઝ કર્યા પછી તે 60 કરોડ રૂપિયા પર આવી ગઇ છે . સુશિલ સોલંકીએ કહ્યું હતું કે બાકી રકમની સંપૂર્ણ ચુકવણી મુશ્કેલ છે . આનો એકમાત્ર એ રસ્તો નિકાળી શકાય કે કોઇ વિદેશી ભાગીદારના માધ્યમથી એરલાઇન્સને ધન મળે . ' ગઇકાલે બેંગ્લોરમાં માલ્યાએ કહ્યું હતું કે વિદેશી કંપનીઓ સાથે તેમની વાત ચાલી રહી છે . સુશિલ સોલંકીએ જણાવ્યું હતું કે સાર્વજનિક ક્ષેત્રની એરઇન્ડિયા પાસે પણ વિભાગને 250 કરોડ લેવાના બાકી છે . તેમણે કહ્યું હતું કે એરઇન્ડિયા જણાવ્યું છે કે જલ્દી ઇક્વિટી રોકાણ મળવાની આશા છે ત્યારબાદ તે બાકી નાણાંની ચૂકવણી કરી દેશે . એક વ્યૂહાત્મક પહેલ હેઠળ સરકારે સરકારે તાજેતરમાં વિદેશી એરલાઇન્સને ઘરેલુ વિમાન કંપનીઓમાં 49 ટકા સુધીની ભાગીદારી ખરીદવાની પરવાનગી આપવામાં આવી છે . હાલમાં કિંગફિશર સાત વિમાનો વડે દરરોજ 50 ઉડાનોનું સંચાલન કરી રહી છે . નાણાંકીય ભીડમાંથી બહાર નીકળવા માટે તેની નજર એફડીઆઇ પર મંડાયેલી છે . કિંગફિશર પર 17 બેંકોનું 7 હજાર કરોડનું દેવું બાકી છે . આ સિવાય તેના પર ઇન્કમ ટેક્સ બાકી છે . એરલાઇન્સનું કુલ નુકશાન 8 હજાર કરોડ રૂપિયાનું છે . entertainment,"29 એપ્રિલના રોજ વીજે , મોડેલ અને એન્કર સોનિકા ચૌહાણનું એક કાર એક્સિડન્ટમાં મૃત્યુ થયું હતું . સોનિકા ચૌહાણના બોયફ્રેન્ડ વિક્રમ ચેટર્જીની આ મામલે ધરપકડ કરવામાં આવી છે . ગુરૂવારે મધરાતે કલકત્તા પોલીસ દ્વારા વિક્રમ ચેટર્જીની ધરપકડ કરવામાં આવી હતી . આ મામલે વિક્રમ ચેટર્જી પર પહેલેથી રેશ ડ્રાઇવિંગનો આરોપ હતો , હવે બિનઇરાદાપૂર્વકની હત્યાના આરોપ હેઠળ તેમની ધરપકડ કરવામાં આવી છે . વિક્રમ ચેટર્જીને ઓછામાં ઓછા 2 વર્ષની સજા થઇ શકે એમ છે . આઇપીસીની કલમ 304 હેઠળ વિક્રમ ચેટર્જી વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે . પોલીસ અનુસાર આ મામલે તેમની પાસે પર્યાપ્ત પુરાવાઓ છે . નોંધનીય છે કે , પોલીસ દ્વારા વિક્રમ ચેટર્જી વિરુદ્ધ કેસ દાખલ કરાયા બાદ તેઓ ફરાર થઇ ગયા હતા અને પોલીસ છેલ્લા કેટલાક અઠવાડિયાથી વિક્રમની શોધ કરી રહી હતી . 29 એપ્રિલના રોજ વિક્રમ અને સોનિકા એક પાર્ટીમાંથી પરત ફરી રહ્યાં હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો . કહેવાઇ રહ્યું છે કે , વિક્રમ એ સમયે નશામાં હતા . તપાસ દરમિયાન દુર્ઘટનાગ્રસ્ત કારમાંથી એક બોટલ મળી આવી હતી , જેમાં આલ્કોહોલ હોવાની વાત સાબિત થઇ હતી . વિક્રમની કારની સ્પીડ એ સમયે 100 kmphથી વધુ હતી ." business,"વૉશિંગ્ટન , 30 ઓક્ટોબર : અમેરિકાની મલ્ટીનેશનલ કંપની IBM અને માઇક્રો બ્લોગિંગ સાઇટ ટ્ીટર તેમના બિઝનેસની સમસ્યાઓના ઉકેલ માટે હાથ મિલાવવાના છે . આ ભાગીદારી હેઠળ ટ્વીટરના ડેટાનો ઉપયોગ આઇબીએમની ક્લાઉડ આધારિત એનાલિટિક્સ પ્લેટફોર્મ દ્વારા સમસ્યાઓના ઉકેલ માટે કરવામાં આવશે . આ અંગેની જાહેરાત ટ્વીટર દ્વારા એક નિવેદનમાં કરવામાં આવી હતી . આ મુદ્દે આઇબીએમના સીઇઓ ગિનિ રોમેટ્ટીએ જણાવ્યું કે ' આ ભાગીદારી આઇબીએમની અગ્રણી ક્લાઉડ આધારિત એનાલિટિક્સ પ્લેટફોર્મની મદદથી તૈયાર કરવામાં આવશે . તેની મદદથી નવા ડેટાની મદદથી બિઝનેસ સંબંધિત નિર્ણયો લેવામાં મદદરૂપ બનશે . આઇબીએમના રિઇમેજિંગ વર્કનું આ તાજું ઉદાહરણ છે . ' સ્ટેટમેન્ટમાં એમ પણ જણાવવામાં આવ્યું હતું કે હવેના સમયમાં કંપનીઓ તેમના ગ્રાહકો ટ્વીટર પર શું કહે છે તેનું ખાસ ધ્યાન રાખતા હોય છે . તેમાં કરવામાં આવતી ચર્ચાઓને આધારે તેઓ સુધારાના નિર્ણયો લેતા હોય છે . આઇબીએમની સિસ્ટમ એક્સપર્ટાઇઝ આવીજ જટિલ સિસ્ટમને વધારે સરળ રીતે ઉપયોગમાં લઇને વધારે સારા પરિણામો મેળવવામાં મદદરૂપ બનશે . ટ્વીટર પર વિવિધ પ્રકારના માનવીય વિચારો , મતો અને ચર્ચાઓ યોજાતા હોય છે . આ વિચારો વૈશ્વિક સ્તરે વ્યક્ત કરવામાં આવતા હોય છે . તેમાં વિવિધ મુદ્દાઓ પર વિવિધ સમયે ચર્ચાઓ કરવામાં આવે છે ." sports,"બર્મિંઘમ ખાતે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની આંતરરાષ્ટ્રી ટી20 વચ્ચે ઇંગ્લેન્ડે ભારતને ત્રણ રનથી પરાજય આપ્યો હતો . ભારત આ મેચ જીતી શકે તેમ હતું , પરંતુ મેચમાં કરવામાં આવેલી કેટલીક ભુલોના કારણે ભારતે સારી શરૂઆત છતાં પણ મેચ ગુમાવી પડી હતી . આ મેચમાં ઇંગ્લેન્ડ તરફથી પહેલા બેટિંગ કરતા ભારત સામે 181 રનનો લક્ષ્યાંક મુક્યો હતો , જેના જવાબમાં ભારત 177 રન જ બનાવી શક્યું હતું . ભારત તરફથી અંજિક્ય રહાણે 8 , શિખર ધવને 33 , વિરાટ કોહલીએ 66 , સુરેશ રૈનાએ 25 , ધોનીએ 27 , જાડેજાએ 7 અને અંબાતી રાયડૂએ 3 રન બનાવ્યા હતા . ભારતની ઇનિંગની વાત કરવામાં આવે તો ફોર્મ મેળવી ચૂકેલા વિરાટ કોહલીએ શાનદાર ઇનિંગ રમી હતી , પરંતુ તે ભારતને વિજયી બનાવી શક્યો નહોતો . વિરાટ કોહલીએ 66 રન બનાવ્યા હતા . આ સાથે જ તેણે ભારતના વિસ્ફોટક બેટ્સમેન યુવરાજ સિંહને એક રેકોર્ડમાં પાછળ છોડીને ટોચનું સ્થાન બનાવી મેળવી લીધું છું . વિરાટ કોહલી ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય ખેલાડી બની ગયો છે . અત્યાર સુધી ભારત તરફથી ટી20માં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી યુવરાજ સિંહ હતો . તો ચાલો તસવીરો થકી ટોપ ટેન ભારતીય ખેલાડીઓ અંગે જાણીએ કે જેમણે ટી20માં સારું પ્રદર્શન કર્યું છે . આ પણ વાંચોઃ - વનડે ક્રિકેટના ઇતિહાસના ટોપ પાંચ અપસેટ" sports,"સ્પોર્ટ્સની વાત કરવામાં આવે તો તેમાં જેટલું યોગદાન પુરુષોનું છે , તેટલું જ મહિલાઓનું પણ છે . ભારતની વાત કરવામાં આવે તો સાનિયા મિર્ઝાથી લઇને શર્મિલા નિકોલેટ સુધી અનેક એવી યુવતીઓ છેકે જેમણે વિશ્વફલક પર ભારતને ટોચની ઉંચાઇએ પહોંચાડ્યું છે અને જે તે રમતમાં પોતાની પ્રતિભા દર્શાવી દેશનું નામ રોશન કર્યું છે . જોકે રમતની અંદર ગ્લેમરનો પણ એટલો જ ફાળો છે . ભારતીય સ્પોર્ટ્સની વાત કરવામાં આવે તો બેડમિન્ટન , ટેનિસ , રેસ્ટલિંગ , ચેસ , ગોલ્ફ સહિત એવી અનેક રમતો છે , જેમાં ગ્લેમર લૂક ધરાવતી મહિલા ખેલાડીઓએ ગ્લેમરનો તડકો લગાવ્યો છે . આજે અમે અહીં એવી જ 10 સ્પોર્ટ્સ ગ્લેમર ગર્લ અંગે જણાવી રહ્યાં છીએ , જેઓ પોતાની રમત અને પ્રતિભાની સાથોસાથ પોતાની સુંદરતા માટે પણ વિશ્વભરમાં વિખ્યાત છે , તો ચાલો તસવીરો થકી એ ટોપ 10 સ્પોર્ટ્સ સુંદરીઓ અંગે જાણીએ જેમણે ભારતીય સ્પોર્ટ્સમાં ગ્લેમરસનો તડકો લગાવ્યો છે . pagespeed . lazyLoadImages . overrideAttributeFunctions ( ) ; આ પણ વાંચોઃ - ‘ફ્લેચરને હટાવો , વેંગી અને શાસ્ત્રીને બનાવો કોચ ' પાકિસ્તાની લાહોર લાયન્સની 10 જાણવા જેવી બાબતો આ પણ વાંચોઃ - તેલંગણા ‘બ્રાન્ડ ' સાનિયા પર રાવનો રૂપિયાનો ‘વરસાદ ' pagespeed . lazyLoadImages . overrideAttributeFunctions ( ) ; function googleAnalyticsCodeCommon ( ) { var main _ url = $ ( ' link [ rel = "" canonical "" ] ' ) . attr ( "" href "" ) ; var url = document . location . href ; var pattern = ' https : / / ' + window . location . hostname ; url = url . replace ( pattern , "" "" ) ; var title = document . title ; ga ( "" oneindiagu . send "" , { hitType : "" pageview "" , page : url , location : main _ url } ) ; ga ( "" rosoneindia . send "" , { hitType : "" pageview "" , page : url , location : main _ url } ) ; ga ( "" dhoneindia . send "" , { hitType : "" pageview "" , page : url , location : main _ url } ) ; url = document . location . href ; var jcode = ' var _ comscore = _ comscore | | [ ] ; var comscoreParams = { c1 : "" 2 "" , c2 : "" 7732551 "" , c3 : "" "" , c4 : "" ' + url + ' "" , c5 : "" "" , c6 : "" "" , c15 : "" "" } ; _ comscore . push ( comscoreParams ) ; var s = document . createElement ( "" script "" ) , el = document . getElementsByTagName ( "" script "" ) [ 0 ] ; s . async = true ; s . src = ( document . location . protocol = = "" https : "" ? "" https : / / sb "" : "" http : / / b "" ) + "" . scorecardresearch . com / beacon . js "" ; el . parentNode . insertBefore ( s , el ) ; ' ; setTimeout ( jcode , 500 ) ; var _ qevents = _ qevents | | [ ] ; ( function ( ) { var elem = document . createElement ( ' script ' ) ; elem . src = ( document . location . protocol = = "" https : "" ? "" https : / / secure "" : "" http : / / edge "" ) + "" . quantserve . com / quant . js "" ; elem . async = true ; elem . type = "" text / javascript "" ; var scpt = document . getElementsByTagName ( ' script ' ) [ 0 ] ; scpt . parentNode . insertBefore ( elem , scpt ) ; } ) ( ) ; _ qevents . push ( { qacct : "" p - yjta2aSVPaHEL "" } ) ; window . google _ analytics _ uacct = "" UA - 110466 - 73 "" ; }" business,રિર્ઝવ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઇએ 200 અને 50 રૂપિયાની નવી નોટ માર્કેટમાં લાવી છે . તે પછી હવે બહુ જલ્દી જ 10 રૂપિયાની નવી નોટ પણ બજારમાં આવશે . નવી નોટ મહાત્મા ગાંધીની સીરીજ હેઠળ જ બહાર પડશે . પણ તેનો રંગ સૌથી અલગ હશે . ખબરોના મત મુજબ આરબીઆઇએ અત્યાર સુધીમાં 10 રૂપિયાની 100 કરોડથી વધુ સંખ્યાની નોટ છાપી ચૂક્યું છે . આરબીઆઇએ નવી નોટની ડિઝાઇનને મંજૂરી ગત સપ્તાહે જ આપી દીધી છે . બજારમાં આવનારા 10 રૂપિયાની નવી નોટનો રંગ ચોકલેટ બ્રાઉન રંગનો હશે . અને તેમાં ઓડિસ્સાના પ્રસિદ્ધ કોણાર્ક સૂર્ય મંદિરની છાપ હશે . સાથે જ માનવામાં આવે છે કે 10 રૂપિયાની આ નવી નોટાના સુરક્ષા ફિચર્સ પહેલા કરતા સરસ હશે . નંબર પેનલ પર ઇનસેટમાં અંગ્રેજી અક્ષર L છાપેલો હશે અને પાછળની તરફ છપાઇ વર્ષ લખેલું હશે . ઉલ્લેખનીય છે કે 10 રૂપિયાની નોટની ડિઝાઇન 12 વર્ષ પહેલા 2005માં 10 રૂપિયાની નોટની ડિઝાઇન બદલવામાં આવી હતી . ગત વર્ષે આરબીઆઇએ મહાત્મા સીરીઝના 200 અને 50 રૂપિયાના નોટ જાહેર કરવામાં આવ્યા હતા . 8 નવેમ્બર 2016ના રોજ સરકારે 1000 અને 500 રૂપિયાની નોટને રદ્દ કરી હતી . અને તે પછી આરબીઆઇએ 2000 રૂપિયાના નવા નોટ જાહેર કર્યા હતા અને 500 રૂપિયાના નોટની ડિઝાઇન પણ બદલાઇ હતી . નોંધનીય છે કે લોકસભામાં નાણાં મંત્રાલયે જે જાણકારી આપી તે મુજબ 8 ડિસેમ્બર સુધી આરબીઆઇ એ 500 ના 16.96 અરબ નોટ ( સંખ્યા ) અને 200 ના 3.6 અરબ ( સંખ્યા ) પ્રિંટ કર્યું છે . આ નોટોનું કુલ મુલ્ય 15 લાખ કરોડ છે . sports,"નવી દિલ્હી , 10 ઓક્ટોબરઃ વિશ્વના સર્વશ્રેષ્ઠ બેટ્સમેન સચિન તેંડુલકરે આગામી મહિને રમાનારી પોતાની 200મી ટેસ્ટ મેચમાં નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો છે . તેણે આ સંબંધમાં એખ પત્ર ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડને લખ્યો છે . આ સમાચાર બાદ દેશ - વિદેશમાંથી પ્રતિક્રિયાઓ આવવા લાગી છે . સૌથી પહેલા સમાચાર આપ્યા બીસીસીઆઇના સચિવ સંજય પટેલે . તેમણે કહ્યું કે , સચિન તરફથી એક નિવદેન જારી કરવામાં આવ્યું છે , જેમાં એ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે , 200મી ટેસ્ટ મેચ બાદ ટેસ્ટ ક્રિકેટને તેઓ અલવિદા કહી દેશે . બીસીસીઆઇ પ્રમુખ એન . શ્રીનિવાસન તેમણે કહ્યું કે , સચિન નિસંદેહ ભારતના મહાન ક્રિકેટ સ્ટાર છે . સચિન જ્યારથી બુચી બાબૂ ક્રિકેટ રમવા ચેન્નાઇ આવતા હતા , ત્યારથી હું તેમનો પ્રશંસક રહ્યો છું . સચિનને વિશ્વની મહાન હસ્તીઓમાં સામેલ કરવામાં આવવો જોઇએ . સાચા અર્થમાં તે ભારતીય ક્રિકેટના દૂત છે . સચિનની જેમ કોઇએ ક્રિકેટની સેવા કરી નથી . તેમજ તે હજારો યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત છે . અમે તેમના નિર્ણયનું સન્માન કરીએ છીએ . જો કે , અધિકાંશ લોકો સચિન વગગર ભારતીય ક્રિકેટની કલ્પના કરી નહીં શકે . કીર્તિ આઝાદ તેમણે કહ્યું કે , ક્રિકેટ રમવાનું છોડવું કોઇને ગમતુ નથી . તેથી સચિનને મેદાનથી દૂર રહેવુ નહીં ગમે અને તેનાથી વિશેષ દુઃખ તેમના ફેન્સ અને મને પણ થશે કે હું તેમને મેદાન પર નહીં જોઇ શકુ . મોહિન્દર અમરનાથ તેમણે કહ્યું કે , સચિન એક બ્રાન્ડ છે , ખુશ ઘણો છું કે તે મહાન ક્રિકેટર છે . તેમણે યોગ્ય સમયે નિવૃત્તિ લેવનો નિર્ણય કર્યો છે . વિનોદ કાંબલી સચિનના નાનપણના મિત્ર વિનોદ કાંબલી આ સમાચાર સાંભળીને સ્તબ્ધ થઇ ગયા છે . કાંબલીએ કહ્યું કે , સચિનને હજુ ઘણા વર્ષો સુધી મેદાન પર રમતો જોવા ઇચ્છતો હતો . સચિન વિશ્વકપ જીત્યા બાદ તુરત નિવૃત્તિ લઇ લેતા તો ઘણું સારું રહેત ." business,"આ અંગે નાણા મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે "" સરકાર એક નવું આવક વેરા રિટર્ન ફોર્મ રજૂ કરવા અંગે વિચાર કરી રહી છે . જેમાં વ્યક્તિઓને વિવિધ સ્રોતોમાંથી મળતી વારિષક આવકને બદલે પોતાની તમામ સંપત્તિઓ અને દેવાની વિગતો જાહેર કરવી પડશે . "" તેમણે જણાવ્યું કે આ બાબતમાં આવનારા બે દિવસમાં નિર્ણય લઇ લેવામાં આવશે . ગયા વર્ષે એવી વ્યક્તિઓ માટે પોતાની સંપત્તિઓ અને દેવાની વિગતો જાહેર કરવાનું ફરજિયાત કરવામાં આવ્યું હતું જેમની સંપત્તિ વિદેશમાં છે . અધિકારીઓએ કહ્યું કે આ પહેલનો હેતુ એવા હાઇ નેટવર્થવાળા લોકો અંગે માહિતી મેળવવાનો છે જેઓ સંપત્તિ કરથી બચવા માટે પોતાની તમામ સંપત્તિઓનો ખુલાસો કરતા નથી . નાણાકીય વર્ષ 2012 - 13માં સંપત્તિ કર સંગ્રહ 866 કરોડ રૂપિયા રહ્યો જે 1,244 કરોડ રૂપિયાના બજેટ અનુમાનથી ઘણો ઓછો છે . નાણાકીય વર્ષ 2013 - 14 માટે નાણા મંત્રાલયે 950 કરોડ રૂપિયાના સંગ્રહનું લક્ષ્ય રાખ્યું છે . સામાન્ય બજેટમાં સરકારે એક કરોડ રૂપિયાથી ઉપરની વાર્ષિક કર યોગ્ય આવક ઉપર 10 ટકા અધિભાર લગાવ્યો છે . જ્યારે 50 લાખ રૂપિયાથી વધારેના મૂલ્યની અચલ સંપત્તિના હસ્તાંતરણ પર ટીડીએસ લાગુ કરવામાં આવશે . વર્તમાનમાં 30 લાખ રૂપિયાથી વધારે મૂલ્યની સંપત્તિઓનો એક ટકો સંપત્તિ કર તરીકે વસૂલ કરવામાં આવશે . તેમાં રહેણાંક મિલકતો અને નાણાકીય સંપત્તિઓ સામેલ નથી ." sports,"શુક્રવારના દિવસે અહીં એક ફાઈવસ્ટાર હોટલના બે રૂમમાં રેડ કરવામાં આવ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે . આ રૂમ શ્રીસંત અને જીજુ જનાર્દનના નામ પર બુક કરવામાં આવ્યા હતા . આ રૂમમાંથી લેપટોપ , આઈપેડ , મોબાઈલ ફોન , 72,000ની રોકડ રકમ મળી આવી હતી . સુત્રોના જણાવ્યા મુજબ શ્રીસંતના રૂમમાંથી કોન્ડમ અને લેપટોપમાં ધણી મોડલના ફોટાઓ પણ મળી આવ્યા હતા . જે ખૂબ જ અશ્લીલ હોવાનું જાણવા મળ્યુ છે . આમાં એક પૂર્વ મિસ ઈન્ડીયા પણ હોવાનું જાણવા મળી રહ્યું છે . આશરે એક ડઝન યુવતીઓના નંબર પણ મળી આવ્યા છે . હોટલમાંથી એક ડાયરી પણ મળી આવી છે . જેમાં અંગ્રેજીમાં તેમજ મલયાલમમાં કંઇક લખેલુ છે . આ ડાયરીમાં શું છે તેનો રાઝ હવે ખુલશે . મુંબઈ ક્રાઈમબ્રાંચના વડા હિમાંશુ રોયના જણાવ્યા મુજબ બે રૂમથી લેપટોપ , આઈપેડ , મોબાઈલ ફોન ઉપરાંત 72,000ની રોકડ રકમ કબ્જે લેવામાં આવી હતી . અન્ય બીજી એવી વસ્તુ પણ મળી જે ખૂબ વાંધાજનક છે . જેમાં મોટી સંખ્યામાં કોન્ડમનો સમાવેશ થાય છે . વરિષ્ઠ ઈન્સપેક્ટર નંદકુમાર ગોપાલે કહ્યું છે કે , એક ડાયરી પણ મળી આવી છે . આમાં કયા રાઝ છે તે અંગે હવે જાણવા મળશે . સીસીટીવીથી પણ ધણાં ખુલાસાઓ થઈ શકે તેમ છે . શ્રીસંતના રૂમથી શું મળ્યું 1 . લેપટોપ , આઈપેડ 2 . ધણાં બધા મોબાઈલ 3 . 72000ની રોકડ રકમ 4 . શ્રેણીબદ્ધ કોન્ડોમ 5 . લેપટોપમાં ધણી મોડલ્સના ફોટાઓ 6 . આશરે એક ડઝન યુવતીઓના નંબર 7 . હોટલ રૂમમાંથી એક ડાયરી" business,"દેશના શેર બજારમાં મંગળવારે સવારે તેજી જોવા મળી રહી છે . જેમાં સેન્સેક્સ 36,900 પર પહોંચી ગયો છે . સેન્સેક્સ આ રેકોર્ડ સ્તર પર પહેલી વાર પહોંચ્યો છે . વળી , નિફ્ટીએ ફરીથી એક વાર 11000 નો આંકડો પાર કર્યો છે . નિફ્ટી 11111 પર વેપાર કરી રહ્યુ હતુ . આ પહેલા નિફ્ટી આજે 36869 ની ઉંચાઈ પર પહોંચ્યો . આ દરમિયાન નિફ્ટી 11116 ના આંકડા સુધી પહોંચી ગયો હતો . વળી , આ તેજી એશિયાના અન્ય શેર માર્કેટમાં જોવા મળી . મુંબઈ શેર બજારનો સેન્સેક્સ સોમવારે 222.23 અંકના ઉછાળા સાથે 36,718.60 અંકના નવા રેકોર્ડ સ્તર પર બંધ થયો હતો . સોમવારે વેપાર દરમિયાન સેન્સેક્સે 36,749.69 અંકનો સર્વકાલિક ઉચ્ચસ્તર સુધી પહોંચી ગયો . મુંબઈ શેર બજારની સૂચિબદ્ધ કંપનીઓનું રોકાણ 1,29,940.11 કરોડ રૂપિયાથી વધીને 148.06 લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગયુ . આ પહેલા 12 જુલાઈએ પણ સેન્સેક્સ ઓલ ટાઈમ રહ્યો જ્યારે સેન્સેક્સ લગભગ 270 કંપનીઓની છલાંગ સાથે રેકોર્ડ 36548 પર બંધ થયો . સેન્સેક્સ 225 અંકોના ઉછાળા સાથે 36491 પર ખુલ્યો હતો . કુલ 30 શેરોવાળા સંવેદી સૂચકાંકના 26 શેરોમાં તેજી નોંધવામાં આવી . નિફ્ટીએ ફરીથી એક વાર 11000 નો આંકડો પાર કર્યો ." business,"નવી દિલ્હી , 27 જાન્યુઆરીઃ હવે પાન કાર્ડ બનાવવું પહેલાં કરતાં વધારે મુશ્કેલ બની જશે . સરકાર પાન કાર્ડ બનાવવાના નિયમોમાં ફેરફાર કરી રહી છે . આ નવા નિયમ આ વર્ષથી આગામી મહિને 3 ફેબ્રુઆરીથી લાગૂ થઇ જશે . નવા નિયમો અનુસાર પાન કાર્ડ બનાવવા માટેની પ્રક્રિયા થોડી કઠીન થઇ જશે . આ નવા નિયમ અનુસાર હવે પાન કાર્ડની અરજી સાથે ઓળખનું પ્રમાણપત્ર , જન્મ દિવસનું પ્રમાણ પત્ર અને એડ્રેસ પ્રુફ જમા કરાવવું પડશે . આ સાથે જ હવે અરજીની સાથે જોડવામાં આવેલી દરેક કોપીનું વેરિફિકેન કરવામાં આવશે . સીબીડીટીના સર્કુલર અનુસાર હવે પાન બનાવવા માટે ઓળખ અને એડ્રેસની સાથે જન્મ તારીખનો ઓરિજનલ પુરાવા પણ પાન કાર્ડ સેન્ટરમાં બતાવવા પડશે . પાન કાર્ડ સેન્ટર દસ્તાવેજની તપાસ કરી તેને પરત આપી દેશે . સરકાર દ્વારા આ પગલાં પાન કાર્ડના વધતા જતા ઉપયોગ અને તેના કેટલાક દુરઉપયોગની ફરિયાદોના કારણે ભરવામાં આવ્યા છે . રસપ્રદ એ છે કે કેટલાક સ્થળો પર પાન કાર્ડને ઓળખપત્ર તરીકે રજૂ કરવામાં આવે છે ." entertainment,"બ્રિટિશ અભિનેત્રી અને ગાયિકા સોફિયા હયાત રિયલિટી શો બિગ બૉસ 7માં અભિનેતા અરમાન કોહલીની રી - એન્ટ્રી થવાથી શૉક્ડ છે . તેમનું કહેવું છે કે તેઓ તેમને શોમાં ફરીથી દાખલ થતાં જોઈ દંગ છે . દરમિયાન સોફિયાએ જણાવ્યું - અરમાનને જે રીતે બેલ મળી અને જે રીતે તેઓ બિગ બૉસમાં પરત ફર્યા છે , તેનાથી હું સ્તબ્ધ છું . હું આશ્ચર્યચકિત છું . હું ખાત્રીપૂર્વક કહુ છું કે હું હાર નહીં માનું અને તેની વિરુદ્ધ લડીશ . બીજી બાજુ અરમાનના પિતાનું કહેવું છે કે સોફિયા હયાત આ બધુ પબ્લિસિટી માટે કરે છે . સોફિયાએ જણાવ્યું - મને પબ્લિસિટીની જરૂર નથી . મારૂં કૅરિયર ખૂબ સફળ છે . હું માત્ર હિંસા વિરુદ્ધ લડી રહી છું ." entertainment,બૉલીવુડના સુપર હીરો હૃતિક રોશન અને બાર્બી ગર્લ કૅટરીના કૈફની જોડીને ફરીથી રૂપેરી પડદે જોવા માટે લોકો આતુર છે . પૂરા ત્રણ વર્ષ બાદ લોકોને હૃતિક - કૅટની જોડી ફરીથી રૂપેરી પડદે જોવા મળશે . લાંબો ઇંતેજાર કરવા છતાય લોકોને એ વાતની રાહત છે કે આ સુપર જોડી ફરીથી બૅંગ બૅંગ કરવા આવી રહી છે . હૃતિક રોશન અને કૅટરીના કૈફ 2011માં આવેલી ઝિંદગી ના મિલેગી દોબારા ફિલ્મમાં સાથે હતાં . આ જોડીની આ પહેલી ફિલ્મ હતી અને તેમાં બંનેની કેમેસ્ટ્રીના લોકો દીવાના થઈ ગયા હતાં . તેમાં પણ હૃતિક - કૅટનું હૉટ લિપલૉક તો આજેય લોકો ભૂલ્યા નથી . ઝિંદગી ના મિલેગી દોબારા પછી હૃતિક - કૅટ કોઈ પણ ફિલ્મમાં ચમક્યા નથી . એટલે જે સિદ્ધાર્થ આનંદ દિગ્દર્શિત બૅંગ બૅંગ ફિલ્મનો લોકોને ઇંતેજાર છે કે જેમાં ફરી એક વાર આ હૉટ કેમેસ્ટ્રી ધરાવતી જોડી જોવા મળશે . બૅંગ બૅંગ હૉલીવુડ ફિલ્મ નાઇટ એન્ડ ડેની રીમેક છે . હૉલીવુડ ફિલ્મમાં ટૉમ ક્રૂઝ તથા કૅમરન ડિયાઝે મુખ્ય ભૂમિકા ભજવી હતી અને બૅંગ બૅંગમાં હૃતિક - કૅટ છે . ફિલ્મનું શૂટિંગ થાઈલૅન્ડ તથા ભારતમાં શિમલા - મનાલી ખાતે થયું છે . તાજેતરમાં જ ફિલ્મનું ફર્સ્ટ પોસ્ટર અને ટ્રેલર પણ રિલીઝ થયુ હતું કે જેને લોકોનો ભારે પ્રતિસાદ મળ્યો હતો . હવે બૅંગ બૅંગ ફિલ્મનું પહેલુ ગીત તૂ મેરી . . . લૉન્ચ થયું છે . ફિલ્મનું ટ્રેલર ઇમ્પ્રેસિવ રહ્યા બાદ હવે લોકો પહેલા ગીતનો આનંદ માણવામાં વ્યસ્ત છે . તૂ મેરી . . . ગીતમાં હૃતિક અને કૅટરીના કૈફની કેમિસ્ટ્રી શાનદાર લાગી રહી છે . ચાલો તમે પણ જુઓ બૅંગ બૅંગ ફિલ્મના તૂ મેરી . . . ગીતના 10 ' Wow ' Moments : sports,"બેંગ્લોર , 11 એપ્રિલઃ બેંગ્લોર ખાતે રમાઇ રહેલી આઇપીએલની 12મી મેચમાં કોલકતા સામેની મેચમાં ગેઇલની ધમાકેદાર બેટિંગની મદદથી રોયલ ચેલેન્જર્સે આઠ વિકેટથી વિજય મેળવ્યો છે . કોલકતાએ આપેલા 155 રનના લક્ષ્યાંકને બેંગ્લોરે 17.3 ઓવરમાં હાંસલ કરી લીધો હતો . બેંગ્લોર તરફથી ગેઇલએ શાનદાર 85 રન બનાવ્યા હતા . ગેઇલે 50 બોલનો સામનો કર્યો હતો , જેમાં તેણે નવ છગ્ગા અને ચાર ચોગ્ગા ફટકાર્યા હતા . કોલકતા તરફથી બાલાજી અને મેક્લરેને એક - એક વિકેટ મેળવી હતી . કોલકતા નાઇટ રાઇડર્સ તરફથી મળેલા 155 રનના લક્ષ્યાંકનો પીછો કરી રહેલી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમને પ્રથમ ઝટકો એમ અગ્રવાલના રૂપમા પડ્યો હતો , અગ્રવાલ 6 રન બનાવીને મેક્લરેનની ઓવરમાં બિસ્લાના હાથે ઝલાઇ ગયો હતો , જ્યારે વિરાટ કોહલી 35 રનના વ્યક્તિગત સ્કોર પર બાલાજીની ઓવરમાં મોર્ગનના હાથે કેચ આઉટ થઇ ગયો હતો , કોહલીએ 27 બોલનો સામનો કર્યો હતો , જેમાં તેણે ચાર ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા . ત્યાર બાદ ગેઇલે તુફાની બેટિંગ કરી હતી . ગેઇલએ અણનમ 85 રન ફટકાર્યા હતા , જ્યારે એબીડી વિલિયર્સે અણનમ 22 રન ફટકાર્યા હતા . આ પહેલા રોયલ ચેલેન્જર્સ સામે ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા નાઇટ રાઇડર્સે નિર્ધારિત 20 ઓવરમાં આઠ વિકેટ ગુમાવીને 154 રન બનાવ્યા હતા . નાઇટ રાઇડર્સ તરફથી સુકાની ગૌતમ ગંભીરે શાનદાર ઇનિંગ રમતા 59 રન બનાવ્યા હતા . ગંભીરે 46 બોલનો સામનો કરીને સાત ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો . આ ઉપરાંત યુસુફ પઠાણે 27 અને મનોજ તિવારીએ 23 રનનું યોગદાન આપ્યું હતું . નાઇટ રાઇડર્સની શરૂઆત ખરાબ રહી હતી . માનવિંદર બિસલા સતત ત્રીજી વખત નિષ્ફળ રહ્યો હતો અને ત્રણ રનના વ્યક્તિગત સ્કોર પર મોએસિસ હેનરિક્સની ઓવરમાં લોકેશ રાહુના હાથે કેચ આઉટ થયો હતો . ત્યાર બાદ જેક કાલિસ અને ગંભીરે બીજી ઇનિંગ માટે 51 રનની ભાગીદારી નોંઘાવી હતી . આ વચ્ચે કાલીસે આઇપીએલમાં 2000 રન પૂર્ણ કર્યા હતા . આ મુકામે પહોંચનાર તે પહેલો વિદેશી ખેલાડી છે . કાલિસે 16 રન બનાવ્યા હતા . ત્યારબાદ તિવારી ( 23 ) , મોર્ગન ( 2 ) , ભાટિયા ( 13 ) , મેક્લરેને 2 રનનું યોગદાન આપ્યું હતું . રોયલ ચેલેન્જર્સ તરફથી આરપી સિંહે ત્રણ , હેનરિક્સ અને વિનય કુમારે બે - બે વિકેટ મેળવી હતી ." sports,શ્રીલંકાની ટીમે ટોસ જીતેને પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય કર્યો હતો . શ્રીલંકાની ટીમે નિર્ધારીત ઓવરોમાં ચાર વિકેટ ગુમાવી માત્ર 139 રન બનાવ્યા હતા . એક સમયે એમ લાગી રહ્યું હતું કે પાકિસ્તાન સરળતાથી જીતી જશે . પરંતુ અજંતા મેંડિસ અને રંગના હેરાથની જોરદાર બોલીંગ સામે પાકિસ્તાનની ટીમ માત્ર 123 રનમાં ઘરાશય થઇ ગઇ હતી . શ્રીલંકાની ટીમે ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે . રવિવારે ફાઇનલ મેચ રમવામાં આવશે . ફાઇનલ માટે બીજી કઇ દાવેદાર છે તે ઓસ્ટ્રેલિયા અને વેસ્ટઇન્ડિઝની મેચ બાદ ખબર પડશે . શ્રીલંકાના ઓપનર કેપ્ટન મહેલા જયવર્ધને અને દિલશાને ટીમને સારી શરૂઆત આપી ન હતી . ધીમી ગતિએ બેટીંગ કરતાં 11 ઓવરોમાં માત્ર 63 રન બનાવ્યા હતા . પરંતુ ત્યારબાદ જયવર્ધને થોડા આક્રમક શોટ્સ લગાવ્યા હતા જેના કારણે શ્રીલંકાની ટીમ 139 રન બનાવી શકી હતી . જયવધર્નએ 36 બોલમાં સાત ચોગ્ગાની મદદથી 42 રન બનાવ્યા હતા જ્યારે દિલશાને 33 રન બનાવ્યા હતા . જેના જવાબમાં બેટીંગ માટે ઉતરેલી પાકિસ્તાની ટીમના કેપ્ટન મોહંમદ હફિજે શાનદાર બેટીંગ કરતાં 42 રન બનાવ્યાં હતાં . હફિજે 40 બોલમાં ચાર ચોગ્ગા અને એક છક્કાની મદદની 42 રનની ઇનિંગ રમી હતી . મોહંમદ હફિજ રંગના હેરાથના હાથે કેચ થઇ ગયો હતો . પરંતુ મૈથ્યુઝની શાનદાર બોલીંગ આગળ પાકિસ્તાનના બેસ્ટમેનો પીચ પર શક્યા ન હતા અને એક નાનકડો લક્ષ્યાંક તેમના માટે પહાડ સમાન બની ગયો હતો . એંઝલો મૈથ્યુઝએ 27 રન આપી 2 વિકેટ હતી . એંઝલો મૈથ્યુઝે નાસિર જમશેદને 10મી ઓવરમાં એલબીડબ્લ્યૂ કરી દિધો હતો . ત્યારબાદ વિસ્ફોટક બેસ્ટમેન કામરાન અકમલને જયવર્ધનેના હાથે કેચ આઉટ કરાવી દિધો હતો . આફ્રિદીનો જાદૂ છવાયો ન હતો અને તે શૂન્ય રને આઉટ થઇ ગયો હતો . આ મેચમાં જયવર્ધનેને મેચ ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો . entertainment,આખરે સલમાન ખાને ઉદાર દિલ અપનાવીને પોતાના મિત્ર કરણ જોહરની ફિલ્મ એ દિલ હૈ મુશ્કિલને મદદ કરવાનો નિર્ણય કર્યો . ગઈકાલે રાત્રે લગભગ 100 જેટલા મનસે કાર્યકર્તા ધર્મા પ્રોડક્શનની બહાર પ્રદર્શન કરી રહ્યા હતા . પહેલા તેમની એવી ડિમાન્ડ હતી કે પાકિસ્તાની કલાકારોને પાછા પાકિસ્તાન મોકલો . પરંતુ હવે તેમની ડિમાન્ડ છે કે ફિલ્મ એ દિલ હૈ મુશ્કિલ અને રઈસ ત્યાં સુધી રિલીઝ નહિ થાય જ્યાં સુધી તેમનાથી ફવાદ ખાન અને માહિરા ખાનને હટાવી દેવામાં ના આવે . બધા જ જાણે છે કે માહિરા ખાન શાહરુખ ખાનની ફિલ્મ રઈસની હીરોઇન છે . જયારે ફવાદ ખાન એ દિલ હૈ મુશ્કિલમાં અગત્યનો રોલ નિભાવી રહ્યા છે . હવે સલમાન ખાને રાજ ઠાકરેને ફોન કરીને પરિસ્થિતિ સમજાવવાની કોશિશ કરી . સલમાન ખાનના ફોન કર્યા પછી 100 જેટલા મનસે કાર્યકર્તા ધર્મા પ્રોડક્શનની બહાર પ્રદર્શન કરી રહ્યા હતા તેમની ધરપકડ કરવામાં આવી . સલમાન ખાને રાજ ઠાકરેને નિવેદન પણ કર્યું કે એ દિલ હૈ મુશ્કિલ અને રઈસની રિલીઝ પર અસર ના પડે . હવે આગળ શુ થશે તે તો સમય જ બતાવશે . આમ પણ પાકિસ્તાનમાં રઈસ પહેલે થી જ મુસીબતમાં છે . ત્યાં ડિમાન્ડ કરવામાં આવી છે કે ફિલ્મમાંથી સની લિયોનનું આઈટમ સોન્ગ હટાવી દેવામાં આવે . ત્યારપછી જ તેને રિલીઝ કરવામાં આવશે . entertainment,"ટેલીવિઝન રિયલિટી શો બિગ બૉસ 7માંથી બહાર થઈ ચુકેલા વીજે ઍન્ડીની નજરો હવે બૉલીવુડ ઉપર છે . તાજેતરમાં જ તેઓ બિગ બૉસમાંથી બહાર થયાં છે . ઍન્ડીએ જણાવ્યું - મારો મતલબ એમ નથી કે હું નાયકની ભૂમિકા ભજવવા માંગુ છું . આજે હિન્દી સિનેમામાં ભજવવા માટે તમામ પ્રકારની ભૂમિકાઓ છે . ઍન્ડીએ જણાવ્યું - મેં ક્યારેય જીતની આશા નહોતી સેવી . મારા મત મુજબ ગૌહર ખાન કે તનીષા મુખર્જીના જીતવાની શક્યતા છે . જ્યાં સુધી મારો સંબંધ છે , તો હું ત્યાં છેલ્લે સુધી બરાબર રહ્યો . તેમણે જણાવ્યું - હું ત્યાંથી સંયમ અને કૃતજ્ઞતા લઈને આવ્યો છું . જ્યારે હું બિગ બૉસમાંથી બહાર આવ્યો , તો મારા ભાઇએ મને એક ચૉકલેટ બિસ્કિટ આપી . મેં આ અગાઉ આના કરતા સારી વસ્તુઓ નહોતી ચાખી . અને હા , મારી હિન્દી સુધરી ગઈ છે . કમ સે કમ બૉલીવુડમાં કૅરિયર બનાવવા માટે આ એક સારી બાબત ગણાય ." business,"આપણા સૌનું એક સપનું હોય છે કે પોતાનું ઘર હોય અને તેની બહાર પોતાની નેમ પ્લેટ હોય . દેશના કોસ્મોપોલિટન શહેરો જેવા કે બેંગલોર , મુંબઇ , દિલ્હીમાં ભાડાના મકાનમાં રહેવું ખુબ મોંઘુ પડે છે . આ કારણે લોકો આ શહેરમાં પોતાનું મકાન બનાવવાના પ્રયત્નો કરે છે અને હોમ લોન પર ભાડા જેટલી રકમનો હપ્તો ચૂકવીને ઘર પોતાના નામે થાય એવા પ્રયત્નો કરે છે . તમે કયું ઘર ખરીદવા માંગો છો તેની પસંદગી થઇ જાય અથવા તો તે અંગેનો નિર્ણય લેવાઇ જાય તે પછી બેંક કે હાઉસિંગ ફાઇનાન્સ કંપની પાસે હામ લોન મેળવવા માટેના પ્રયત્નો શરૂ કરવામાં આવે છે . બેંક કે હાઉસિંગ ફાઇનાન્સ કંપની આપને હોમ લોન આપવા તૈયાર થઇ જાય ત્યાર પછી આપે તેની સામે બેંકને સિક્યુરિટી આપવી પડે છે . સામાન્ય રીતે આ માટે પ્રોપર્ટી મોર્ગેજ કરવામાં આવે છે અને તે સિક્યુરિટી તરીકે બેંકોને હોમ લોન સામે આપવામાં આવે છે . બેંકો કે હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ એ બાબતની ખાસ દરકાર રાખે છે કે મોર્ગેજ થયેલી પ્રોપર્ટી પર નુકસાનકારી કોઇ પ્રકારની ચિંતા હોય નહીં . આ દિશામાં મોટા ભાગની બેંકો કે હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ ધિરાણ કે લોન લેનારને ડાઉન પેમેન્ટ કરવાનું જણાવે છે . જે મિલકતની રચનામાં લોન લેનારનો ફાળો છે . જો આપ ડાઉન પેમેન્ટ તરીકે ચોક્કસ રકમ ચૂકવો છો તો બેંક કે હાઉસિંગ ફાઇનાન્સ કંપની તરફથી આપે ઓછી લોન લેવી પડે છે . ઉદાહરણ તરીકે આપે રૂપિયા 40 લાખની કિંમતનું મકાન ખરીદ્યું છે . આપ તેના માટે રૂપિયા 15 લાખનું ડાઉન પેમેન્ટ કરો છો , તો આપે બેંક પાસેથી માત્ર રૂપિયા 25 લાખની લોન લેવી પડશે . જો કે ડાઉન પેમેન્ટમાં આટલી મોટી રકમ આપતા પહેલા આપની પાસે તેની વ્યવસ્થા હોવી જરૂરી છે . કેટલીક બેંકો કે હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ સમાંતર જામીનગીરી મુકવાનું પણ જણાવે છે . જેમાં આપની લાઇફ ઇન્શ્યોરન્સ પોલિસી હોઇ શકે છે . તેને સરેન્ડર વેલ્યુ હોમ લોનની ટકાવારી જેટલી હોવી જોઇએ . અન્ય સમાંતર જામીનગીરીમાં આપના શેર અને સિક્યુરિટી , નેશનલ સેવિંગ સર્ટિફિકેટ અને કિસાન વિકાસ પત્રોનો પણ સમાવેશ થાય છે . તારણ : જ્યારે પણ આપ હોમ લોન લેવા માટે બેંકોને મહત્વના દસ્તાવેજો આપો ત્યારે તેની ફોટો કોપી કરાવીને તમારી પાસે રાખવી હિતાવહ છે . આ ફોટો કોપીનો ઉપયોગ આપ ભવિષ્યમાં રેફરન્સ તરીકે કરી શકો છો ." sports,ટીમ ઇન્ડિયાના જાણીતા ઓલરાઉન્ડ અને આઇપીએલ ટીમના ગુજરાત લાયન્સના લાડીલા પ્લેયર તેવા રવિન્દ્ર જાડેજા અને રીવાબા લગ્ન બાદ હવે હંમેશા માટે એકમેકના થઇ ગયા છે . ત્યારે રીવાબાના પિતા હરદેવ સિંહ સોલંકીએ પણ દિકરી પક્ષ તરફથી એક રિસેપ્શન આપ્યું હતું . રાજકોટમાં જ યોજવામાં આવેલા આ રિસેપ્શનમાં નવદંપતીએ હાજર રહીને વેલકમ સ્પીચ પણ આપી હતી . રીવા બા જ્યાં આ રિસેપ્શનમાં ક્રીમ અને કાળા વર્ક વાળા ડ્રેસમાં જાજરમાન લાગી રહ્યા હતા ત્યાં જ જાડેજા પણ સફેદ પેન્ટ અને વર્ક વાળી કોટમાં રાજકુમાર જેવો લાગતો હતો . નોંધનીય છે કે રિવાબાના કાકા હરિસિંહ સોલંકી ગુજરાત કોંગ્રેસ પાર્ટી રાજકોટ શહેરના મહામંત્રી છે . તેમનો પરિવાર રાજનીતિમાં સારી પકડ ધરાવે છે . ત્યારે આ રિસેપ્શનમાં શહેરના અનેક જાણીતા ચહેરા જોવા મળ્યા હતા . ત્યારે નવદંપતીએ આ રિસેપ્શનમાં એક બીજા માટે શું કહ્યું અને તે કેવા દેખાતા હતા તે જુઓ આ ફોટોસ્લાઇડરમાં . . . . sports,"આજથી ચેમ્પિયન્સ લીગ ટી20નો પ્રારંભ થઇ રહ્યો છે . પહેલી મેચ આઇપીએલ ચેમ્પિયન કોલકતા નાઇટ રાઇડર્સ અને 2010મા ચેમ્પિયન્સ લીગનો ખિતાબ જીતનારી ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે રમાનારી છે . ચેમ્પિયન્સ લીગની આ પહેલી મેચ પર બધાની નજર છે કારણ કે આ મેચ આઇપીએલની બે દિગ્ગજ ટીમો વચ્ચે છે ત્યારે એ જોવા બધા જ ઉત્સુક હશે કે કોણ વિજયી થશે અને કઇ ટીમના કયો વિસ્ફોટક ખેલાડી જમાવટ કરી દેશે . બન્ને ટીમોના સુકાની મહેન્દ્ર સિંહ ધોની અને ગૌતમ ગંભીર અનુભવી છે . બન્નેએ ટી20 ક્રિકેટમાં શાનદાર સફળતા મેળવી છે . ફેન્સને આશા છેકે તેઓ પોતાનું ફોર્મ મેળવી લે . તાજેતરમાં ઇંગ્લન્ડમાં ધોનીએ વનડે શ્રેણી દરમિયાન થોડોક ઝલવો દેખાડ્યો હતો , પરંતુ ટેસ્ટ શ્રેણીમાં અસફળ રહેનાર ગંભીર પાસે ક્રિકેટના નાના રૂપમાં ફોર્મ પરત મેળવવા માટે આ સારી તક છે . બન્નેના નેતૃત્વમાં પણ જમીન આકાશનો તફાવત છે . એક તરફ ગંભીર આક્રમક વલણ માટે જાણીતો છે તો બીજી તરફ ચેન્નાઇ સુપર કિંગ્સના સુકાની ધોનીના શબ્દો ઓછા અને રણનીતિ વધારે પ્રભાવ છોડે છે . તો ચાલો તસવીરો થકી જાણીએ કે આજે કયા કયા ખેલાડીઓ પર ક્રિકેટ ચાહકોની નજર હશે . CLT20 : કોના નામે છે સૌથી વધુ છગ્ગા ફટકારવાનો રેકોર્ડ ? આ પણ વાંચોઃ - મનપસંદ બેટ બચાવવા પૂરના પાણીમાં ઉતરી ગયો આ ક્રિકેટર" sports,"વિશ્વ ક્રિકેટની વાત કરવામાં આવે તો આપણને એવા અનેક ખેલાડીઓની યાદી મળી જશે કે જેમને ક્રિકેટ ચાહકોએ લોકપ્રીયતામાં ટોચનું સ્થાન આપ્યું હોય , આ ખેલાડીઓની તેમના ક્રિકેટ ક્ષેત્રે આપવામાં આવેલા યોગદાનના કારણે અનેક પ્રસિદ્ધિ મળી છે , જેમાં ભારતીય ક્રિકેટના લિજેન્ડરી ક્રિકેટર સચિન તેંડુલકર સહિત બ્રાયન લારા , શેન વોર્ન , મુરલિધરન , રાહુલ દ્રવિડ , જેક કાલિસ , સ્ટિ વો , રિકી પોન્ટિંગ વિગેરે વિગેરે . . . . આ ખેલાડીઓની યાદી તૈયાર કરવા બેસીએ તો અનેક નામો મળી આવે , પરંતુ વિશ્વ ક્રિકેટનો એક અન્ય ચહેરાઓ પણ છેકે જેમને તેમની પ્રતિભા , તેમના ક્રિકેટ ક્ષેત્રે શ્રેષ્ઠ યોગદાન પછી પણ ના તો મહાન ખેલાડીનું લેબલ લાગ્યું છે અને ના તો જોઇએ તેવી લોકપ્રીયતા મળી છે , તો ચાલો તસવીરો થકી એ પાંચ ખેલાડીઓ અંગે જાણીએ . pagespeed . lazyLoadImages . overrideAttributeFunctions ( ) ; આ પણ વાંચોઃ - ઇંગ્લેન્ડમાં રૈનાને મદદરૂપ થશે સચિને આપેલી ટિપ્સ ? ટીમના બોસ કોણ ? છેડાયો વિવાદ , ધોની - bcci આમને - સામને આ પણ વાંચોઃ - ક્રિકેટ જગતનો અનોખો રેકોર્ડઃ એક ખેલાડીએ લીધી છે 4202 વિકેટ pagespeed . lazyLoadImages . overrideAttributeFunctions ( ) ; function googleAnalyticsCodeCommon ( ) { var main _ url = $ ( ' link [ rel = "" canonical "" ] ' ) . attr ( "" href "" ) ; var url = document . location . href ; var pattern = ' https : / / ' + window . location . hostname ; url = url . replace ( pattern , "" "" ) ; var title = document . title ; ga ( "" oneindiagu . send "" , { hitType : "" pageview "" , page : url , location : main _ url } ) ; ga ( "" rosoneindia . send "" , { hitType : "" pageview "" , page : url , location : main _ url } ) ; ga ( "" dhoneindia . send "" , { hitType : "" pageview "" , page : url , location : main _ url } ) ; url = document . location . href ; var jcode = ' var _ comscore = _ comscore | | [ ] ; var comscoreParams = { c1 : "" 2 "" , c2 : "" 7732551 "" , c3 : "" "" , c4 : "" ' + url + ' "" , c5 : "" "" , c6 : "" "" , c15 : "" "" } ; _ comscore . push ( comscoreParams ) ; var s = document . createElement ( "" script "" ) , el = document . getElementsByTagName ( "" script "" ) [ 0 ] ; s . async = true ; s . src = ( document . location . protocol = = "" https : "" ? "" https : / / sb "" : "" http : / / b "" ) + "" . scorecardresearch . com / beacon . js "" ; el . parentNode . insertBefore ( s , el ) ; ' ; setTimeout ( jcode , 500 ) ; var _ qevents = _ qevents | | [ ] ; ( function ( ) { var elem = document . createElement ( ' script ' ) ; elem . src = ( document . location . protocol = = "" https : "" ? "" https : / / secure "" : "" http : / / edge "" ) + "" . quantserve . com / quant . js "" ; elem . async = true ; elem . type = "" text / javascript "" ; var scpt = document . getElementsByTagName ( ' script ' ) [ 0 ] ; scpt . parentNode . insertBefore ( elem , scpt ) ; } ) ( ) ; _ qevents . push ( { qacct : "" p - yjta2aSVPaHEL "" } ) ; window . google _ analytics _ uacct = "" UA - 110466 - 73 "" ; }" entertainment,"આવનારા દિવસો સલમાન ખાન માટે મુશ્કેલી ભર્યા હોઈ શકે છે , કારણ કે સમાચાર આવી રહ્યા છે કે હિટ એન્ડ રન કેસમાં એક સાક્ષીએ સલમાન વિરુદ્ધ મહત્વની ગવાહી આપતા કહ્યું છે કે એક્સિડંટ વખતે સલમાન ખાન જ ગાડી ચલાવી રહ્યા હતાં . મુંબઈ સત્ર અદાલતમાં ગુરુવારના રોજ સુનાવણી દરમિયાન સાક્ષીએ જણાવ્યું કે હોટેલ જે ડબ્લ્યુ મૅરિયટમાંથી બહાર નિકળતા કાર ડ્રાઇવિંગ સીટ પર સલમાન ખાન જ બેઠેલા હતાં અને તેમણે તેને ટિપ તરીકે 500 રુપિયા આપ્યા હતાં . જોકે સાક્ષીએ એ ખુલાસો નથી કર્યો કે સલમાન ખાન નશામાં હતાં કે કેમ , પણ તેણે દાવો કર્યો કે કાર સલમાન જ ચલાવતા હતાં . સાક્ષીના આ નિવેદનમાં દખલ આપતા સલમાનના વકીલે કહ્યું કે કારના પાર્કિંગ ટૅગથી જ જાણી શકાય કે કાર ક્યારે આવી , ક્યારે ગઈ , કોણ તેને ડ્રાઇવ કરી લાવ્યું અને કોણ લઈ ગયું . આ તપાસથી સ્પષ્ટ થઈ જશે કે કોણ સાચુ બોલી રહ્યુ છે અને કોણ ખોટું . આ અગાઉ પણ સુનવણી દરમિયાન બે સાક્ષીઓએ અદાલતમાં કહ્યુ હતું કે સલમાન ખાન બનાવ વખતે હાજર હતાં . 2002માં શરૂ થયેલ કોર્ટ કેસ અત્યાર સુધી ચાલી રહ્યો છે . ડિસેમ્બર , 2012માં સલમાન ખાન સામે બિનઇરાદાપૂર્વક હત્યાનો આરોપ મૂકાયો હતો અને કોર્ટે સલમાનને સાક્ષીઓની ઉલટતપાસ કરવાની તક નહોતી આપી . 28મી એપ્રિલ , 2014ના રોજ ફરીથી મુંબઈ સેંશન કોર્ટમાં શરૂ થયેલ સુનાવણી દરમિયાન પ્રથમ ગવાબ સાંહા ગૌડાએ કહ્યું કે ઘટનાના દિવસે 28મી સપ્ટેમ્બર , 2002ના રોજ જ તેમણે ઘટનાસ્થળ પર મળેલી તમામ સામગ્રીઓ જમા કરી તેનુ પંચનામુ તૈયાર કરાવ્યુ હતું . હાલ સલમાનની ઓળખ થયા બાદ સલમાનના પરિવારજનો તથા તેના ફૅન્સ ચિંતિત છે કે હવે અદાલતનું આગળનું પગલુ શું હશે . ચાલો તસવીરો સાથે જોઇએ સલમાન ખાન અને તેમની સાથે જોડાયેલા વિવાદો :" business,"BSNL એ તેના ઑનલાઇન પ્લેટફોર્મથી રૂ . 10 અને રૂ . 20 ના રિચાર્જ પ્લાનને હટાવી દીધા છે . જો કે , આ બંને પ્લાન ઓફલાઇન એટલે કે ફિઝિકલ રિચાર્જ વાઉચર તરીકે ઉપલબ્ધ છે . જાણકારી આપી દઈએ કે BSNL એ આંધ્રપ્રદેશ અને તેલંગણા સર્કલમાં તેના રૂ . 10 અને રૂ . 20 ના ટોક ટાઇમ રિચાર્જ પ્લાનને રિમૂવ કરી દીધા છે . જો કે , આ પહેલા , એરટેલ અને વોડાફોન આઇડિયાએ પણ આ માર્ગ અપનાવી ચુક્યા છે . વાઉચર્સ દ્વારા કરાવી શકો છો રિચાર્જ બીએસએનએલએ તેમના આ બંને રિચાર્જને ઓનલાઈન પોર્ટલમાંથી દૂર કરી દીધા છે , પરંતુ ગ્રાહકો ફિજિકલ વાઉચરો દ્વારા રિચાર્જ પ્લાન એક્ટિવ કરી શકે છે . આ રિચાર્જ હમણાં માત્ર આંધ્રપ્રદેશ અને તેલંગણામાંથી હટાવવામાં આવ્યા છે . આ પ્લાન્સ વપરાશકર્તાઓ બીએસએનએલ એપ્ , બીએસએનએલની સત્તાવાર વેબસાઇટ , પેટીએમ અને પોપ્યુલર રીચાર્જ પોર્ટલ્સ દ્વારા એક્ટિવ કરી શકતા નથી . ઓનલાઇન ટૉક ટાઇમ યોજનાઓ રૂ . 10 , 20 ને હટાવી એરટેલ અને વોડાફોન આઇડિયાએ તેમના બધા બેઝિક ટૉક ટાઇમ રિચાર્જને રૂ . 10 , રૂ . 20 , રૂ . 30 , રૂ 50 , રૂ 100 , રૂ 500 વગેરે રિમૂવ કર્યા છે . જો કે , ગ્રાહકોની ડિમાન્ડ પર રૂ . 50 થી રૂ . 500 ના ટૉક ટાઇમ પ્લાનને ફરી સામેલ કરવામાં આવ્યા છે . પરંતુ બીએસએનએલએ તેને સંપૂર્ણપણે અપનાવ્યું નથી . Reliance Jio એ ફરીથી રેકોર્ડ બનાવ્યો , Airtel ખુબ પાછળ બીએસએનએલએ તેના રૂ . 10 અને રૂ . 20 ના ઓનલાઇન ટોક ટાઈમ પ્લાન્સ રિમૂવ કર્યા છે . પરંતુ રૂ . 30 , રૂ . 50 , રૂ . 100 , રૂ . 110 વગેરે પ્લાન્સને પોર્ટલમાં હજુ પણ રાખ્યા છે . એરટેલ અને વોડાફોન આઇડિયાએ તેમના ગ્રાહકો માટે ન્યૂનતમ રિચાર્જ સ્કીમ અમલમાં મૂકી છે , જેમાં વપરાશકર્તાઓને દર 28 દિવસમાં રૂ . 24 નું રિચાર્જ કરવું પડશે . જાણકારી આપી દઈએ કે યોજના પછી એરટેલ અને વોડાફોન આઇડિયાના ગ્રાહકોની સંખ્યામાં ઘટાડો થતો જોવા મળ્યો છે . Reliance Jio એ માત્ર અઢી વર્ષમાં 300 મિલિયન ગ્રાહકોનો આંકડો પાર કર્યો" entertainment,"ફાઇંડિંગ ફૅની ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રીનિંગ તાજેતરમાં જ મુંબઈ ખાતેના લાઇટબૉક્સ થિયેટરમાં યોજાયું કે જેમાં ફિલ્મના કલાકારોને ભરપૂર શુભેચ્છાઓ પાઠવવામાં આવી . દિગ્દર્શક હોમી અડજાણિયા સૌપ્રથમ પહોંચ્યા . પછી દીપિકા પાદુકોણે , અર્જુન કપૂર તથા ડિમ્પલ કાપડિયા પહોંચ્યાં . કહે છે કે ફાઇંડિંગ ફૅની હિન્દી અને અંગ્રેજી બંને ભાષામાં છે . ફિલ્મને યૂએ સર્ટિફિકેટ મેળવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો . સેંસર બોર્ડને દીપિકા પાદુકોણેના આઈ એમ વર્જિન ડાયલૉગ સામે વાંધો હતો . સેંસર બોર્ડને ડિમ્પલના સ્કર્ટ સામે પણ વાંધો હતો . આમ છતાં ગઈકાલે લાઇટબૉક્સ ખાતે ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રીનિંગ યોજાયું કે જેમાં હૃતિક રોશન અને કરણ જૌહરે હાજર રહી દીપિકા - અર્જુન - હોમી સહિત આખી ટીમને શુભેચ્છાઓ પાઠવી . વધુ એક સરપ્રાઇઝ એ છે કે હોમી અડજાણિયા આ ફિલ્મ ઉપર એક નવલકથા પ્રકાશિત કરવા જઈ રહ્યા છે . જોકે આ ફિલ્મ પોતે જ એક નવલકથા પર આધારિત છે . હોમીના જણાવ્યા મુજબ ફિલ્મના કો - રાઇટર કેરસી ખંભાતા તેમની નવલકથા તૈયાર કરી રહ્યા છે . ચાલો હાલ તો આપને બતાવીએ ફાઇંડિંગ ફૅનીના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં કોણ - કોણ પહોંચ્યું :" sports,"મુંબઇ , 6 ઑગસ્ટઃ 2015માં યોજાનારા વિશ્વકપને ધ્યાનમાં રાખીને ભારતીય ક્રિકેટ ટીમના પસંદગીકારોએ યુવા લેગ સ્પિનર કર્ણ શર્મા અને વિકેટકીપર બેટ્સમેન સંજુ સેમસનને ઇંગ્લેન્ડ સામે થનારી પાંચ મેચોની વનડે શ્રેણી અને ટી20 માટેની 17 સભ્યોની ટીમ માટે પસંદ કર્યા છે . 25 ઑગસ્ટથી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે વનડે શ્રેણીનો પ્રારંભ થવાનો છે . મંગળવારે બીસીસીઆઇની વરિષ્ઠ પસંદગી સમિતિની બેઠક મળી હતી , જેમાં યુવરાજ સિંહેને પડતો મુકવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો અને ગૌતમ ગંભીરની અવણગના કરવામાં આવી હતી . બીસીસીઆઇ સેક્રેટરી સંજય પટેલે કહ્યું છેકે , આગામી વર્ષે ફેબ્રુઆરી - માર્ચમાં યોજાનારા વિશ્વકપને ધ્યાનમાં રાખીને પસંદગીકારોએ યુવાનો પર ભાર મુક્યો છે . આ શ્રેણી માટે જેટલા પણ ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે , તે યુવાન છે . 19 વર્ષીય સેમસન કે જેના મેન્ટર્ડ રાહુલ દ્રવિડ છે , તેણે ઓસ્ટ્રેલિયામાં રમાયેલી ચતુષ્કોણિય શ્રેણીમાં ભારત એ માટે શાનદાર પ્રદર્શન કર્યું હતુ . તેણે આ શ્રેણીમાં 244 રન બનાવ્યા હતા . તેમજ રણજી ટ્રોફીની વાત કરવામાં આવે તો તેમાં સેમસને 58.88ની એવરેજથી 530 રન બનાવ્યા છે અને આઇપીએલની છેલ્લી બે શ્રેણીમાં પણ તેનું પ્રદર્શન સરાહનીય રહ્યું છે . 26 વર્ષીય કર્ણ કે જે રેલવે માટે રમે છે અને આઇપીએલ ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદનો ખેલાડી છે , તેણે ગત શ્રેણીમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરતા 13 મેચોમાં 11 વિકેટ ઝડપી છે . સંજય પટેલે વધુમાં જણાવ્યું છેકે , અમિત મિશ્રા કે જે હાલની ટેસ્ટ ટીમનો ભાગ છે , તેઓ ઇજાના કારણે શ્રેણીમાંથી બહાર થઇ ગયા છે . ઇશાંત શર્મા ઇજામાંથી બહાર આવી રહ્યાં છે અને પાંચમી ટેસ્ટમાં તેઓ રમી શકશે . આ અંગે વધુ જાણવા તસવીરો પર ક્લિક કરો . ‘ક્રોધિત ' ધોનીએ ઇસીબીને કહ્યુ હતું , સમાધાન નહીં માન્ચેસ્ટરમાં ઇંગ્લેન્ડ સાથે ભીડશે ભારતઃ જાણો શું કહે છે ઇતિહાસ આ પણ વાંચોઃ - 2003નો વિશ્વ કપ , સચિનના 673 રનઃ દ્રવિડે જણાવ્યું રહસ્ય" business,"નવી દિલ્હી , 28 ઓક્ટોબર : આ દિવાળીમાં સોનાની ચમક જોવા માટે તમારે તૈયાર રહેવા નિષ્ણાતોએ જણાવ્યું છે . સોનાના માર્કેટના વિશ્લેષકોનું માનવું છે કે આ ધનતેરસ સુધી સોનાની કિંમતો પ્રતિ 10 ગ્રામ રૂપિયા 33,000 સુધી પહોંચી જવાની સંભાવના છે . સોનાની કિંમતોમાં આ ભાવ વધારો તહેવારોના કારણે આવશે એમ કહેવામાં આવ્યું છે . છેલ્લા ઘણા સમયથી સરકાર સોનાની આયાત ઘટાડવાના પ્રયાસોનું પરિણામ છે કે સોનાના સ્ટોકમાં ઘટાડો થયો છે . ભારત સોનાની દુનિયાનું સૌથી મોટું ખરીદદાર છે . તે સૌથી વધારે આયાત કરે છે . આ કારણે સરકારનું બજેટ નુકસાનમાં જઇ રહ્યું હતું . આ કારણે સરકારની બજેટ ખાધ સતત વધી રહી હતી . વર્તમાન સમયમાં સરકારની ખાધ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે . તેને રોકવા માટે સરકારે કાયદા બનાવ્યા છે . જેના કારણે સરકારની આવક પણ ઘટી છે . પાછલા ત્રિમાસિક ગાળામાં સોનાની આયાત ઘટીને માત્ર 59 ટન જ કરવામાં આવી હતી . જ્યારે તે પહેલાના ત્રિમાસિક ગાળામાં તે 335 ટન હતું . આયાતમાં થયેલા ભારે ઘટાડાને કારણે અત્યારે સ્ટોકની કમી છે . કારોબારીઓનું માનવું છે કે સોનાના સ્ટોકમાં ઘટાડાને કારણે તે વધારે ઉપર જશે . બુલિયન મર્ચન્ટ્સ એસોસિએશનના જનરલ સેક્રેટરી શ્રીકૃષ્ણ ગોયલ ચાંદીવાળાએ જણાવ્યું કે સોનાના સ્ટોકમાં ઘટાડાને કારણે તેની કિંમતો વધી છે . વર્તમાન સમયમાં એમસીએક્સની કિંમતો કરતા સોનાની કિંમતો પ્રતિ 10 ગ્રામ 1500 રૂપિયા કરતા વધારે છે . સોનાના સ્ટોકની કમી હોવાને કારણે કિંમતો વધારે ઉપર જઇ શકે એમ છે . તે પ્રતિ 10 ગ્રામ રૂપિયા 33000ની પાર જઇ શકે એમ છે ." business,"વૈશ્વિક બજારો સાથે જોડાયેલી કોમોડિટીને પહેલાં પણ સાંજના ટ્રેડિંગની મંજૂરી આપવામાં આવી હતી , પરંતુ છથી સાત વર્ષ પહેલાં આ પ્રમાણેના સાંજના વાયદા બંધ કરી દેવામાં આવ્યા હતા . વેપારીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે સાંજના ટ્રેડિંગમાં હેડિંગ માટે કોઈ ચોકક્સ હેતુ રાખવામાં આવ્યો ન હતો અને સાંજના સમયના ટ્રેડિંગમાં હેજરો પણ ઓછા સક્રિય રહેતા હતા . તે ઉપરાંત સાંજના વેપારમાં ડબ્બા ટ્રેડિંગ અને ઉત્તર ભારત અને પશ્ચિમના અમુક દેશોમાં ખોટા ટ્રેડિંગને પ્રોત્સાહન મળતું હતું . આમ , અનેક સમસ્યાઓ સર્જાવાને કારણે એફ્એમસી દ્વારા સાંજનું ટ્રેડિંગ બંધ કરાવી દેવામાં આવ્યુ હતું . એફએમસીના ચેરમેન દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે એફએમસી દ્વારા એક્સચેન્જોમાં સાંજના ટ્રેડિંગને મંજૂરી આપવા માટે એકસચેન્જો પાસેથી સૂચનો મંગાવવામાં આવ્યા છે . સોયાબીન અને તેલ , ક્રૂડ પામ તેલ , કપાસ , રબર ભારતીય શેરબજારમાં વૈશ્વિક કોમોડિટી એક્સચેન્જમાં સમાવેશ થાય છે . એફએમસી દ્વારા સૂચનો માગવામાં આવ્યાં છે કે એવી કઈ કઈ કોમોડિટી છે જેને સાંજના ટ્રેડિંગ સેશનમાં મજૂરી આપવી જોઈએ . એક એક્સચેન્જના અગ્રણી અધિકારીએ જણાવ્યું છે કે , માત્ર સોયાબીન અને ક્રૂડ ઓઈલમાં સાંજના વેપાર કરવાની મંજૂરી આપવી જોઈએ કારણ કે રબરનું મોટા ભાગનું ટ્રેડિંગ જાપાનમાં થાય છે અને પામ તેલનું મલેશિયા અને ઈન્ડોનેશિયામાં ટ્રેડિંગ કરવામાં આવે છે અને આ બજારો ભારતના સમયે સવારથી જ શરૂ થઈ જતા હોય છે . નિષ્ણાતોના મત પ્રમાણે પહેલાં પણ જ્યારે કોમોડિટી એકસ્ચેન્જમાં સાંજનું ટ્રેડિંગ શરૃ કરવામાં આવ્યું ત્યારે ખોટા વેપારોને પ્રોત્સાહન મળ્યું હતું અને આ વખતે પણ ખોટા વેપારને પ્રોત્સાહન મળવલાનો ભય રહેલો છે . એફ્એમસી દ્વારા શનિવારે એકસચેન્જો બંધ રાખવાની પણ ભલામણ કરવામાં આવી છે , કારણકે મોટા ભાગના એક્સચેન્જમા શનિવારે રોજિંદા વેપાર કરતા 50થી 70 ટકા જેટલા વેપારો ઓછા થતા હોય છે ." sports,"ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરતાં ભારત તરફથી ઇરફાન પઠાણે ( 31 ) અને સુરેશ રૈના ( 26 ) એ જ સંતોષજનક પ્રદર્શન કર્યું હતું . ભારતીય ટીમે નિર્ધારીત ઓવરોમાં 140 રન બનાવી ઓસ્ટ્રેલિયાને 141 રનનો ટાર્ગેટ આપ્યો હતો . જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાએ શાનદાર શરૂઆત કરી હતી . શેન વોટસનના શાનદાર પ્રદર્શનના કારણે ઓસ્ટ્રેલિયાએ સરળતાથી જીત અપાવી હતી . વોટસન સિવાય ડેવિડ વોર્નરે અણનમ રહી 41 બોલમાં 63 રન બનાવ્યા હતા જેમાં સાત ચોગ્ગા અને ત્રણ સિક્સર ફટકારી હતી , અને તેમક પ્રથમ વિકટ માટે 133 રનની ભાગીદારી બનાવી હતી . ગ્લેન મેક્સવેલ ચાર રન બનાવી અણનમ રહ્યો હતો . જોકે વરસાદે રમતમાં ખલેલ પાડવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ વરસાદના કારણે પીચમાં ભેજ આવી ગયો હતો જેના કારણે વિકેટ એકદમ સપાટ થઇ ગઇ હતી . જે ભારતીય બોલરો માટે નુકશાનકારક સાબિત થયું હતું . આમ કેટલાક અંશે ભારત પ્રદર્શન ખરાબ રહ્યું હતું . હવે ભારત માટે બંને મેચો જીતવી જરૂરી છે . 30 સપ્ટેમ્બરે ભારત પાકિસ્તન સામે ટકરાશે જ્યારે ઓસ્ટ્રેલિયાનો સામનો દક્ષિણ આફ્રિકા સામે થશે . આ જીતની સાથે ઓસ્ટ્રેલિયાએ સુપર - 8માં બે અંક મેળવી લીધા છે અને ભારતથી ઉપરના ક્રમે આવી ગયું છે ." business,"રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ફરી એકવાર જોરદાર ઝાટકો આપી શકે છે . આરબીઆઇ ગવર્નર ઊર્જિત પટેલની અધ્યક્ષતામાં નીતિ સમિતિની બેઠક શરુ થઇ ચુકી છે . બુધવારે શરુ થયેલી ત્રણ દિવસની બેઠકમાં રેપો રેટ વધારવાની પુરી સંભાવના છે . માનવામાં આવી રહ્યું છે કે કાચા તેલની વધતી કિંમતો ને કારણે વધી રહેલા દબાવને ઓછો કરવા માટે 0.25 ટકાનો વધારો કરવામાં આવી શકે છે . આરબીઆઇ ફરી ઝાટકો આપશે આ બેઠકમાં રિઝર્વ બેંક રેપો રેટમાં વધારો કરી શકે છે . આપને જણાવી દઈએ કે જો રેપો રેટમાં વધારો કરવામાં આવશે તો આ સતત ત્રીજીવાર કરવામાં આવેલો વધારો હશે . તેને કારણે વ્યાજદરો મોંઘા થશે અને તેને કારણે બેંક પાસેથી લોન લેવી પણ મોંઘી થઇ જશે . વીમા પૉલિસીને વચ્ચે જ છોડી દીધી છે , તો થઈ શકે છે આ નુકસાન ધ્યાન આપવા જેવી બાબત છે કે આ પહેલા રિઝર્વ બેંકે જૂન મહિનામાં રેપો રેટમાં વધારો કર્યો હતો . આરબીઆર ઘ્વારા સતત બે વાર 0.25 ટકાનો વધારો કરવામાં આવ્યો . ત્યારપછી રેપો રેટ 6.50 ટકા સુધી પહોંચી ગયો . કયા દેશમાં વેચાય છે સૌથી મોંઘુ પેટ્રોલ ? આ કારણોથી થશે વધારો કાચા તેલની કિંમતમાં વધારો , રૂપિયામાં નોંધાયેલો ઘટાડો , વધતી મોંઘવારી જેવા ફેક્ટર પણ તેના માટે જવાબદાર છે . તેને કારણે આ વાતની શક્યતા ખુબ જ વધારે છે કે આરબીઆઇ રેપો રેટ વધારી શકે છે ." business,"અમદાવાદઃ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત 14મા દિવસે ભાવ વધારાનો સિલસિલો ચાલુ છે . આજે ફરીથી પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ભાવ વધારો જોવા મળ્યો છે . પેટ્રોલના ભાવમાં જ્યાં 13 પૈસા પ્રતિ લીટરે વધારો થયો છે તો ડીઝલના ભાવમાં 19 પૈસા પ્રતિ લટીરે ભાવ વધારો થયો છે . નવી કિંમતો લાગુ થયા બાદ દિલ્હીમાં પેટ્રોલ 71.27 રૂપિયા પ્રતિ લીટરે જ્યારે ડીઝલ 65.90 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે . જણાવી દઈએ કે છેલ્લા કેટલાક સમયથી સતત પેટ્રોલ અને ડીઝલની કિંમત વધી રહી છે . જ્યારે મુંબઈની વાત કરીએ તો અહીં પેટ્રોલના ભાવમાં 14 પૈસા પ્રતિ લીટરે વધારો થયો છે જ્યારે ડીઝલના ભાવમાં 2 પૈસા પ્રતિ લીટરે વધારો થયો છે . નવી કિંમતો લાગુ થયા બાદ મુંબઈમાં પેટ્રોલનો ભાવ 76.90 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે જ્યારે ડીઝલની કિંમત 69.01 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે . જણાવી દઈએ કે અગાઉ મંગળવારે પણ પેટ્રોલના ભાવમાં 13 પૈસાનો ભાવ વધારો ઝીંકાયો હતો , જ્યારે ડીઝલના ભાવમાં 19 પૈસા પ્રતિ લીટરે વધારો થયો હતો . જણાવી દઈએ કે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે , પરંતુ બ્રેન્ટ ક્રૂડના ભાવ હજુ પણ 62 ડોલર પ્રતિ બેરલથી વધુ છે અને ડબલ્યૂટીઆઈ પણ 53 ડોલર પ્રતિ બેરલ છે . આ કારણે જ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થઈ રહ્યો છે . નિષ્ણાંતોનું કહેવું છે કે ચીનની મંદીના રિપોર્ટ બાદ વૈશ્વિક અર્થવ્યવસ્થાની ગતિ ઘટવાની આશંકા છે , જે હિસાબે ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો નોંધાયો છે . માનવામાં આવી રહ્યું છે કે આગામી સમયમાં ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ખાસ રાહત નહિ મળે . પરપ્રાંતિયો પરની હિંસા મામલે મુખ્યમંત્રી રૂપાણી અને અલ્પેશ ઠાકોર વિરુદ્ધ FIR નોંધાશે" business,ફેસબુકમાં આપનું એકાઉન્ટ તો હશે જ . પણ શું આપ જાણો છો કે મિત્રો સાથે અલપ ઝલપની વાતો કરવાની સુવિધા ઉપરાંત ફેસબુક પૈસા કમાવવાની સુવિધા પણ આપે છે ? આ વાત એટલા માટે મહત્વની છે કે ભારતમાં લાખો નહીં કરોડો લોકો ફેસબુક યુઝ કરે છે . આવા સમયમાં પૈસા કમાવવાની વાત આવે તો કોને ના ગમે . આજકાલ ઓનલાઇન પૈસા કમાવવાના અનેક તરીકે નીકળ્યા છે . પરંતુ સૌથી લોકપ્રિય સોશિયલ મીડિયા સાઇટ ફેસબુક પર પૈસા કેવી રીતે કમાવી શકાય તે અમે આપને જણાવીએ છીએ . આ માટે આપે આજકાલ જે ટ્રેન્ડ ચાલ્યો છે તેને ફોલો કરવો પડશે . જો આપ ફેસબુક કે અન્ય સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સના ઉપયોગમાં એક્સપર્ટ હશો તો આ જ બાબત આપના માટે પૈસા કમાવાનું એક સાધન બની રહેશે . ભારતીય બજારમાં દરરોજ નવી નાની નાની કંપનીઓ આવી રહી છે . આ કંપનીઓ એવા લોકોને કામ પર રાખી રહી છે જે ઘરે બેસીને ફેસબુક પેજ બનાવી શકે અને કંપનીનું બ્રાન્ડ પ્રમોશન કરી શકે . આ ટેકનિકનો ઉપયોગ અનેક કંપનીઓ કરી રહી છે . આ દ્વારા તેઓ ઓછા ખર્ચે વધારે લોકો સુધી પહોંચી શકે છે . આ ટ્રેન્ડ એટલો પ્રચલિત છે કે મોટી કંપનીઓ કે મોટી બ્રાન્ડ પણ ફેસબુક પર પોતાનું પેજ બનાવડાવે છે અને તેને ચલાવવા માટે લાંબા ગાળાનો કોન્ટ્રાક્ટ આપે છે . આ કોન્ટ્રાક્ટર અન્યોને કોન્ટ્રાક્ટ આપે છે . આ લોકો ઉત્પાદન માટેનું કન્ટેન્ટ તૈયાર કરકીને ફોટોગ્રાફ્સ સાથે તેનું ફીચર લખીને ફેસબુક પર નાખે છે . આવી કંપનીઓ ઓનલાઇન માર્કેટિંગ કંપનીઓ તરીકે પણ ઓળખાય છે . તેને વચેટિયા કંપનીઓ પણ કહી શકાય છે . આવી કંપનીઓ ઘરે બેસીને કામ કરવાની ઓફર આપે છે . આ દ્વારા તમે ઘેર બેઠા આવક મેળવી શકો છો . sports,"ઑફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન ભારત દ્વારા સૌથી ઝડપી 100 વિકેટ ઝડપનાર ખેલાડી બની ગયો છે . અશ્વિને 18મી મેચમાં આ સ્થાન ગ્રહણ કરી લીધું છે . અશ્વિને વાનખેડે સ્ટેડિયમમાં વેસ્ટઇન્ડિઝ સામે ચાલુ બીજી ટેસ્ટના પ્રથમ દિવસે કેરેબિયન કેપ્ટન ડોરેન સેમીના રૂપમાં પ્રાપ્ત કરેલી ત્રીજી વિકેટની મદદથી 100નો આંકડો પુરી કરી લીધો હતો . અશ્વિને નવ વાર દાવામાં પાંચ અને બે વાર મેચમાં 10 વિકેટ ઝડપી છે . આ પહેલાં ઇરાપલ્લી પ્રસન્નાએ ભારત માટે સૌથી ઝડપી 100 વિકેટ ઝડપી હતી . પ્રસન્નાએ 20મી મેચમાં 100 વિકેટનો આંકડો પુરી કરી લીધો હતો . તેમને સાત વર્ષ 322 દિવસો સુધી ભારત માટે રમ્યા બાદ આ સ્થાન પ્રાપ્ત કર્યું હતું . અશ્વિને પોતાના ટેસ્ટ કેરિયરની શરૂઆત 6 નવેમ્બર , 2011ના રોજ વેસ્ટઇન્ડિઝ વિરૂદ્ધ કરી હતી અને બે વર્ષમાં તે વિકેટોની સદી ફટકારવામાં સફળ રહ્યાં . પ્રસન્ના બાદ અનિલ કુંબલેએ 21 મેચોમાં 100 વિકેટ પ્રાપ્ત કરી હતી . અનિલ કુંબલેને પણ આ સ્થાન પ્રાપ્ત કરવામાં પાંચ વર્ષ લાગી ગયા હતા . અશ્વિને 100 વિકેટોની દોડમાં પાંચમા સૌથી ઝડપી બોલર છે . તેમને પહેલાં ઇગ્લેંડના જીએ લોહમેનને 16 , ઓસ્ટ્રેલિયાના સીટીબી ટર્નર , ઇગ્લેંડના એસએફ બાર્નેસ અને ઓસ્ટ્રેલિયાના સીવી ગ્રિમિટે 171 - 7 મેચોમાં 100 વિકેટ પ્રાપ્ત કરી હતી ." business,"જો તમે ડીટીએચ ઓપરેટર ટાટા સ્કાયના ગ્રાહક છો તો તમારા માટે ખૂબ મહત્વપૂર્ણ સમાચાર છે . હકીકતમાં ટાટા સ્કાય પર તેના ગ્રાહકોને ગેરમાર્ગે દોરવાનો આરોપ લાગ્યો છે . ટ્રાઇનો નવો ટેરિફ ઓર્ડર લાગુ થવામાં માત્ર થોડા દિવસો બાકી છે , પરંતુ ટાટા સ્કાયે પ્રેક્ષકો માટે હજુ પણ કોઈ પ્લાન ઓફર કર્યો નથી . કેટલાક દર્શકોએ આ વિશે ટેલિકોમ નિયમનકાર ટ્રાઇને ફરિયાદ કરી હતી . આ ફરિયાદ પર ટ્રાઇએ ટાટા સ્કાયને નવા ટેરિફ ઓર્ડર સાથે સંકળાયેલ સ્ટેટસ પર રિપોર્ટ ફાઇલ કરવા કહ્યું છે . આ સિવાય ટ્રાઈનું એમ પણ કેહવું છે કે ટાટા સ્કાય લોકોને ખોટી માહિતી આપી રહ્યું છે . ટ્રાઇ અનુસાર , ટાટા સ્કાય કહે છે કે નવા નિયમો અમલમાં મૂકવાની તારીખ 1 ફેબ્રુઆરીથી આગળ લંબાવામાં આવી છે . ચિપ વાળા ATM કાર્ડના ચક્કરમાં ખાતામાંથી નીકળી ગયા લાખ રૂપિયા" entertainment,"બૉલીવુડના શહેંશાહ અમિતાભ બચ્ચનનો આજે જન્મ દિવસ છે . સમ્પૂર્ણ રાષ્ટ્ર આજે તેમને શુભેચ્છાઓ પાઠવી રહ્યું છે . 71 વર્ષના અમિતાભે પોતાના અભિનયથી પોતાની ઉંમરને પણ પોતાના કદ સામે વામણી સાબિત કરી છે . તેમના વ્યક્તિત્વમાં જીવનના તે બધા રંગો છે કે જે પામવા માણસને સદીઓ લાગી જાય છે . આર . બાલ્કીની નજરે તો અમિતાભ સમ્પૂર્ણ તો છે જ , તો પોતાના પરિવારની નજરે પણ તેઓ સન્માનિત વ્યક્તિ છે . અમિતાભનું સંયમિત અને આદર્શ જીવન જ છે કે જે તેમને સમકાલીન કલાકારો કરતાં આગળ કરે છે . તેનું તાજુ દૃષ્ટાંત છે કે તેમનાથી નાની વાયમાં પણ નાના લોકો કાં તો કામમાંથી નિવૃત્ત થઈ ચુક્યા છે કાં પછી પલંગ ઉર છેલ્લા શ્વાસ ગણી રહ્યાં છે . જ્યારે અમિતાભ આજે પણ હૉટ સીટ પર બેસી લોકોને હૉટ લાગે છે . એવું નથી કે અમિતાભને સફળતા કોઈક જાદુઈ છડીને પગલે મળી છે . તેની પાછળ તેમની દિવસ - રાતની સખત મહેનત છે કે જેને પગલે 6 ફુટ 2 ઇંચનો લાંબો માણસ આજે સદીનો મહાનાયક બની ચુક્યો છે . તેઓ એક બેમિસાલ એક્ટર , સારા વિલન , આદર્શ પતિ , આઇડલ પિતા , સન્માનનીય શ્વસુર , ઉત્કૃષ્ટ રજુઆતકર્તા અને એક બહુ સારાં ભારતીય છે . દર્શકોના સ્નેહને પોતાના કરિયરનો બેસ્ટ એવૉર્ડ ગણતાં અમિતાભે ઘણાં પુરસ્કારો જીત્યાં છે . તેમાં ત્રણ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર અને બાર ફિલ્મફૅર પુરસ્કારનો સમાવેશ થાય છે . તેમની નામે સૌથી વધુ સર્વશ્રેષ્ઠ અભિનેતા ફિલ્મફૅર એવૉર્ડનો રેકૉર્ડ છે . જો તેમના સાર્થક અભિનયની વાત કરવા બેસીશું તો કદાચ એક આખી સદી ઓછી પડશે . બસ એટલું જ કહી શકાય છે કે અમિતાભ બેમિસાલ , બહેતરીન અને લાજવાબ છે . સદીના આ મહાનાયકને વનઇન્ડિયા પરિવાર પણ ખૂબ ખૂબ અભિનંન આપે છે અને કહે છે હૅપ્પી બર્થ ડે અમિતાભ . અમારા દ્વારા આપ પણ સદીના આ મહાનાયકના જન્મ દિવસે તેમને શુભેચ્છાઓ પાઠવી શકો છો . પોતાની શુભેચ્છાઓ નીચેના કૉમેન્ટ બૉક્સમાં નોંધો . સાથે જ જણાવો કે અમિતાભની કઈ ફિલ્મ આપને સૌથી સારી લાગે છે ?" business,"અમદાવાદઃ ગુજરાત સરકારે ટાટા , અદાણી અને એસ્સાર ગ્રુપના વીજળી ઘરોને રાહત આપતા કોલસાની ઉંચી લાગતનો બોજો ગ્રાહકના માથે નાખવાની મંજૂરી આપી દીધી . શનિવારે આ આદેશ જાહેર કરવામાં આવ્યો . સૂત્રો દ્વારા સોમવારે આ જાણકારી આપવામાં આવી છે . અગાઉ સુપ્રીમ કોર્ટે ટાટા પાવર , અદાણી પાવર ( 4600 મેગાવોટ ) અને એસ્સાર પાવરે ( 1320 મેગા વોટ ) આયાત કરેલ કોલસાની ઉંચી લાગતનો ભાર પરિવહન કરવા માટે વ્યવસ્થા કરવા કહ્યું હતું . જેની પુષ્ટિ કરતા ટાટા પાવરે સોમવારે મુંબઈ શેર બજારને મોકલેલી સૂચનામાં કહ્યું કે કંપની ગુજરાત સરકાર દ્વારા એક ઉચ્ચસ્તરીય સમિતિની ભલામણો સ્વીકાર કરવાના પ્રસ્તાવનો સ્વાગત કરે છે . આનાથી મોટા ત્રણ પ્લાન્ટને રાહત મળશે જ્યાંથી 10 હજાર મેગાવોટ વીજળી જનરેટ થાય છે પરંતુ ઈન્ડોનેશિયાથી આયાત થતા કોલસાની કિંમતમાં અચાનક વધારો અને કેટલાક રાજ્યોએ વધુ ટેરિફ ચૂકવવાની ના પાડી દીધી હોય વીજળીના પ્લાન્ટ્સે મોટું નુકસાન ભોગવવું પડી રહ્યું હતું . આનાથી મુંદડા અતિ બૃહદ વીજળી પરિયોજનાને અમુક અંશે રાહત મળશે , જે ગુજરાતથી લગભગ 15 ટકા વીજળીની જરૂરિયાતને ઉચિત કિંમત પર પૂરી કરે છે . જેમાં આગળ કહેવામાં આવ્યું છે કે આ રાહતથી કોસ્ટલ ગુજરાત પાવરને પોતાની કામગીરી ચાલુ રાખવી અને પાંચ લાભકર્તા રાજ્યો માટે પ્રતિબદ્ધતા પૂર્ણ કરવામાં મદદ કરશે . ટાટા પાવરે આગળ કહ્યું કે કોલસાની લાગત હવે સ્થળાંતરિત કરી શકાશે , પરંતુ તેમ છતાં નાણાકીય લાગત પર રાહત તથા કોલસાની ખાણોનો લાભ લાભાર્થી રાજ્યોને સ્થળાંતરિત કરવાથી કંપનીનું નુકસાન તો યથાવત જ રહેશે . ત્યારે સરકારના આ નિર્ણય બાદ હવે તમારું વીજળી બીલ તગડું આવી શકે છે . રાજીવ કુમારનો દાવો , વર્ષ 2017 - 18માં 17 લાખ લોકોને રોજગાર મળ્યું" business,"રાષ્ટ્રપતિના સંબોધન બાદ સસંદમાં બજેટ સત્ર શરૂ થઇ ગયું છે . આ દરમિયાન રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે સરકારની અનેક ઉપલબ્ધિઓ ગણાવી , તો કેટલીક નવી યોજનાઓ અંગે સરકારની નીતિઓ સદન સામે રજૂ કરી . રાષ્ટ્રપતિના સંબોધન બાદ નાણાં મંક્પી અરુણ જેટલીએ આર્થિક સર્વેક્ષણ રિપોર્ટ સંસદમાં રજૂ કર્યો . આર્થિક સર્વેક્ષણ પરથી કહી શકાય કે , સરકારનો વિકાસકાર્યો ખૂબ આગળ વધશે . વિકાસ દર 7થી 7.5 ટકા રહેવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે . ઇકોનોમિક સર્વેમાં સરકારે કહ્યું કે , ઉત્પાદન પર સરકાર જોર કરશે . કપાત કરવામાં નહીં આવે અને ખર્ચો કરવામાં આવશે . આર્થિક સર્વેક્ષણમાં મોંઘવારી વધવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે . વર્તમાન નાણાંકીય વર્ષમાં વિકાસ દર 6.75 ટકા થઇ શકે છે . જીએસટી દ્વરા ટેક્સ ચૂકવનારાઓની સંખ્યામાં 50 ટકા વધારો થયો છે . મહારાષ્ટ્ર , યુપી , તમિલનાડુ અને ગુજરાતમાં સૌથી વધારે જીએસટી રજિસ્ટ્રેશન થયા છે . કાચા તેલની કિંમત વધવાની ચિંતા વ્યક્ત થઇ છે . અનુમાન લગાવવામાં આવ્યું છે કે , કાચા તેલની કિંમતો 12 ટકા વધી શકે છે , જેને કારણે મોંઘવારી વધવાની શક્યતા છે . ઇકોનોમિક સર્વેમાં વ્યક્તિગત રોકાણમાં સુધારાના સંકેત છે . નિકાસમાં સુધારાની શક્યતા છે . ઇકોનોમિક સર્વેમાં સરકારે માન્યું છે કે , નાણાંકીય વર્ષ 2018 - 19માં આર્થિક પ્રબંધન થોડું મુશ્કિલ બનશે . વર્તમાન વર્ષમાં કૃષિ વિકાસ 2.1 ટકા રહેવાનું અનુમાન છે . નાણાંકીય વર્ષ 2017 - 18 માટે રાજકોષીય ખોટ 3.2 ટકા રહેવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે . રેડીમેડ કપડાની નિકાસમાં પણ વૃદ્ધિ થઇ શકે છે . શું છે આર્થિક સર્વેક્ષણ ? આર્થિક સર્વેક્ષણ રિપોર્ટમાં દેશની વર્તમાન આર્થિક સ્થિતિ દર્શાવવામાં આવે છે . આ સાથે જ સરકાર તરફથી ઉઠાવવામાં આવેલ પગલાઓ અને તેના પરિણામો પણ આ રિપોર્ટમાં રજૂ થાય છે . આ નાણાં વિભાગ તરફથી રજૂ કરવામાં આવતો અધિકૃત રિપોર્ટ હોય છે , જેને ઇકોનોમિક સર્વે પણ કહે છે . આ રિપોર્ટમાં જણાવવામાં આવે છે કે , વર્ષ દરમિયાન વિકાસની પરિસ્થિતિ કેવી રહી , કઇ કઇ યોજનાઓ સરકારે લાગુ કરી , જે યોજનાઓ લાગુ કરવામાં આવી , તેના શું સંભાવિત પરિણામો આવી શકે છે , એનો ઉલ્લેખ પણ રિપોર્ટમાં હોય છે ." sports,"ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ટેસ્ટ સિરીઝની બીજી મેચ કોલકાતાના ઈડન ગાર્ડનમાં રમાઈ . આ ટેસ્ટના ચોથા દિવસે ભારત પાકિસ્તાનને પછાડીને ટેસ્ટ રેન્કિંગમાં પહેલા સ્થાનમાં આવી ગયું છે . સવારે ટીમ ઇન્ડિયાએ 263 રન માર્યા હતા . ન્યુઝીલેન્ડને મેચ જીતવા માટે 376 રન બનાવવાના હતા . 376 રનના લક્ષ્યનો પીછો કરતી ન્યુઝીલેન્ડની ટીમ 197 રનમાં જ સમેટાઈ ગયી . ભારત તરફથી શાનદાર બોલિંગ કરતા અશ્વિન , રવિન્દ્ર જાડેજા અને મોહમ્મદ સામીએ 3 વિકેટ લીધી અને ભારતને જીત અપાવી . ભારતે આ ટેસ્ટ મેચ ખાલી 4 દિવસમાં જ પુરી કરી નાખી . ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની બીજી ટેસ્ટ મેચ પહેલા ભારત ટેસ્ટ રેન્કિંગમાં બીજા સ્થાન પર હતું . પરંતુ ન્યુઝીલેન્ડ સામેની શાનદાર જીત પછી ભારત ફરી એકવાર ટેસ્ટ રેન્કિંગમાં પહેલા સ્થાન પર આવી ચૂક્યું છે ." business,"મુંબઈઃ વેપારની શરૂઆતમાં સોમવારે સેન્સેક્સમાં તેજી જોવા મળી છે અને 200 અંકના ઉછાળા સાથે 36000ના આંકડા પાર ખુલ્યો . જ્યારે લાર્જ કેપ શેર્સની સાથે આજે મિડ અને સ્મૉલકેપ શેરોમાં પણ તેજી જોવા મળી રહી છે . નિફ્ટીએ પણ 55.40 રૂપિયાના વધારા સાથે 10,860.85 પર વ્યવહાર કરી રહ્યો છે . સોમવારે વ્યાપાર દરમિયાન મેટલ અને ફાર્મા શેર્સમાં પણ સારીએવી તેજી જોવા મળી રહી છે . સેન્સેક્સ 223.45 અંકના વધારા સાથે 36,186.38ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે . પાછલા દિવસોમાં શેર બજારમાં મંદી જોવા મળી હતી અને ત્રણ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીના પરિણામ ઘોષિત થયા દરમિયાન સેન્સેક્સ 800 અંકો સુધી ગગડ્યો હતો . શુક્રવારે સેંસેક્સ 35 અંકના વધારા સાથે 35,963 પર અને નિફ્ટી 14ની તેજી સાથે 10,805 પર બંધ થયો હતો . બુધવારે અને ગુરુવારે પણ સેંસેક્સમાં ઉછાળ જોવા મળ્યો હતો . જ્યારે રિઝર્વ બેંકના નવા ગવર્નરની નિયુક્તિ બાદ રૂપિયો નબળો થયો હતો અને શુક્રવારે વ્યાપાર દરમિયાન ડૉલરની સરખામણીએ રૂપિયો 71.90 પર બંધ થયો હતો . જ્યારે સોમવારે રૂપિયો ડૉલરની સરખામણીએ 11 પૈસા મજબૂત થઈ 71.79 રૂપિયા પર ખુલ્યો છે . 1984ના સિખ વરોધી રમખાણોમાં કોંગ્રેસ નેતા સજ્જન કુમારને ઉંમર કેદ" entertainment,"બૉલીવુડના એક્શન કિંગ અક્ષય કુમારની વધુ એક એક્શન ફિલ્મ બૉસ આવતીકાલે રિલીઝ થઈ રહી છે . બૉસમાં અક્ષયે શિવ પંડિતના મોટા ભાઈનો રોલ કર્યો છે . આ અગાઉ અક્ષયની ખિલાડી 786 ફિલ્મ પણ એક્શન ફિલ્મ હતી કે જે ફ્લૉપ રહી હતી . અક્ષય પુનઃ એક્શન ફિલ્મ લઈને આવી રહ્યાં છે , કારણ કે તેમને વિશ્વાસ છે કે તેમની એક્શન દર્શકોને ગમશે અને એમ પણ બકરી ઈદ પ્રસંગે બીજી કોઈ મોટા બૅનરની ફિલ્મ રિલીઝ નથી થતી ત્યારે . બૉસ ફિલ્મમાં અક્ષયના નાના ભાઈના રોલ કરતા શિવ પંડિત પણ ખુશ છે અને પોતાની જાતને લકી અનુભવે છે . ફિલ્મમાં શિવના પ્રેમિકા અદિતી રાવ હૈદરી બન્યાં છે . અદિતીએ ફિલ્મમાં અનેક બિકિની સીન્સ આપ્યાં છે . ફિલ્મ તામિળ ફિલ્મ પોકિરી રાજની રીમેક છે કે જેમાં એક્શનના 12 શ્રેષ્ઠ સીન્સ સૂટ કરાયા હતાં . બૉસ ફિલ્મમાં પણ તે રિપીટ કરાયા છે . બૉસ તરીકે અક્ષય કુમાર જ છે ." business,"મુંબઈમાં અનાજ - કરિયાણાની દુકાનોથી લઈને રેડીમેડ ગાર્મેન્ટ્સ સ્ટોર્સ , એમ બધી જ દુકાનો - બજારો બંધ છે અને વેપારીઓએ એકતાનું જોરદાર પ્રદર્શન બતાવીને એમના બંધને સજ્જડ રૂપ આપ્યું છે . દક્ષિણ મુંબઈમાં લુહાર ચાલ વિસ્તારમાં પોલીસ પરવાનગી વગર રેલી કાઢવા બદલ લગભગ 40 વેપારીઓની ધરપકડ કરવામાં આવી છે . આટલી બધી ખોટ જવા છતાં વેપારીઓ બંધને પડતો મૂકવા તૈયાર નથી અને આંદોલનને વધારે ઉગ્ર બનાવવા મક્કમ છે . ફેડરેશન ઓફ એસોસિએશન્સ ઓફ મહારાષ્ટ્ર ( ફામ ) ના પ્રમુખ મોહન ગુરનાનીએ કહ્યું છે કે , જ્યાં સુધી મુખ્ય પ્રધાન અમારી માગણીઓનો સ્વીકાર નહીં કરે ત્યાં સુધી અમે આંદોલન અટકાવીશું નહીં . વેપારીઓ એલબીટી વિરુદ્ધ છેલ્લા બે અઠવાડિયાથી આંદોલન પર ઉતર્યા છે . લોકલ બોડી ટેક્સ એ ઓક્ટ્રોયની જગ્યાએ લાગુ કરાનાર નવી કરવેરા પદ્ધતિ છે . તેની રકમ વેપારીઓએ સ્થાનિક મહાનગરપાલિકાઓને ચૂકવવાની રહેશે . મહારાષ્ટ્રમાં 24 મહાપાલિકાઓમાં તો એલબીટી લાગુ કરી દેવાયો છે . મુંબઈ અને નાગપુરમાં આ ટેક્સ આ વર્ષની પહેલી ઓક્ટોબરથી અમલમાં મૂકાશે . વેપારીઓની માગણી છે કે આ નવા ટેક્સને હાલ તેમની પાસેથી વસુલ કરાતા કરવેરાઓની સાથે જોડી દેવો જોઈએ . એમને ડબલ ટેક્સ પદ્ધતિ સામે સખત વિરોધ છે , કારણ કે વેલ્યૂ એડેડ ટેક્સ ( વેટ ) તો લાગુ કરાયેલો જ છે . વેપારીઓનું કહેવું છે કે જ્યાં સુધી એલબીટીનો મુદ્દો ઉકેલાશે નહીં ત્યાં સુધી તેઓ એમની દુકાનો બંધ રાખશે અને વેટ પણ માત્ર પાંચ ટકા જ ભરશે . નવી કરવેરા પદ્ધતિનો અભ્યાસ કરવા માટે સમિતિની રચના કરવામાં આવશે એવી મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવ્હાણે વેપારીઓને ખાતરી આપી છે , પણ વેપારીઓનું કહેવું છે કે જ્યાં સુધી એમને વધારે આધારભુત ખાતરી આપવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ આંદોલનને પડતું નહીં મૂકે . શિવસેના , ભાજપ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીએ વેપારીઓને સમર્થન જાહેર કર્યું છે અને એલબીટી અંગે ફેરવિચારણા કરવાની મુખ્ય પ્રધાનને વિનંતી કરી છે ." entertainment,"કૈટરીના કૈફે હાલમાં વોગ ઇન્ડિયા માટે એક સુપરહોટ ફોટોશૂટ કરાવ્યું છે . જેને જોઇને ભલભલાના હોશ ઉડી શકે છે . બીચ , બ્યૂટી અને બિકનીનું પરફેક્ટ કોમ્બીનેશન હતું આ ફોટોશૂટ . જેને જોઇને તમારા સપનામાં પણ કેટરીના જ આવે તો નવાઇ નહીં . વળી જે પણ તસવીરો બહાર આવી છે તે વાત જોઇને એક વાત તો સ્પષ્ટ થાય છે કે કેટરીનાની ફિલ્મો ચાલે કે ના ચાલે પણ તેની તસવીરો ધૂમ ચાલે છે ! નોંધનીય છે કે હાલમાં કેટરીના કૈફની ફિલ્મ બાર બાર દેખા આવી રહી છે જેમાં તે સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે રોમાન્સ કરતી નજરે પડવાની છે . ત્યારે તે પહેલા વોગ મેગેઝિનની આ હોટ તસવીરો જુઓ જેમાં કેટરીના ખૂબ જ સ્લીમ અને ટ્રીમ દેખાય છે . અને તેની સુંદરતાની જેમ જ આ ફોટોશૂટ પણ છે સુપર હોટ . . ." sports,"એશિયન ગેમ્સમાં ભારતીય મહિલા ટીમને હરાવનાર ટીમ ઈરાનની કોચની કહાની રસપ્રદ છે . ભારતના એકહથ્થુ શાસનને ખતમ કરવા પાછળ પણ ભારતીય મહિલાનો જ હાથ છે . ઈરાનની કોચ ભારતીય મૂળની શૈલજા જૈન રમત માટે એટલી ઝનૂની હતી કે પોતાની 9 મહિનાની બાળકીને સ્તનપાન કરાવવાનું પણ છોડી દેતી હતી . બે વર્ષ પહેલા શૈલજાના દિમાગમાં આ વાત આવી કે તેમની ભારતીય નાગરિકતા તેમને ભારત ઉપરાંત કોઈ અન્ય દેશમાં પણ નવી ઉંચાઈઓ સર કરતા ન રોકી શકે . શુક્રવારે ફાઈનલમાં ભારતીય ટીમ તેમને ખલનાયિકા તરીકે દેખાઈ રહી હતી . શૈલજા પોતે કહે છે કે તે આ ઐતિહાસિક ક્ષણમાં ભારતની મદદ કરી શકતી હતી પરંતુ ભારતીય ટીમનું વલણ ઘણુ નિરાશાજનક હતુ . તે ભારત સામે મોટા ગુનેગાર તરીકે દેખાઈ રહી હતી . મહારાષ્ટ્રની રહેવાસી શૈલજા કહે છે કે તે ઈરાનના કેટલાક ઈસ્લામિક નિયમો અંગે ચિંતિત હતી પરંતુ તેમને ત્યાં બધુ જ મનમરજી મુજબનું મળ્યુ . પોષાક માટે થોડા પ્રતિબંધો છે પરંતુ તેમને સલવાર સૂટ સાથે ઓઢણી લેવાની આઝાદી છે . આ પણ વાંચોઃ એશિયન ગેમ્સ 2018:10 મીટર એર પિસ્ટલમાં હિના સિદ્ધુએ જીત્યો બ્રોન્ઝ મેડલ શૈલજા કહે છે કે તે ભારતમાં પણ કોચિંગ આપી શકે છે પરંતુ કોઈની દખલઅંદાજી વિના . ઈરાનની ટીમમાં એ જ 12 ખેલાડીઓની ટીમ આવે છે જેને પસંદ કરીને તે અંતિમ સમયમાં હસ્તાક્ષર કરે છે . નાગપુરમાં જન્મેલી શૈલજા ખો - ખો , કબડ્ડી જેવી રમતો જોતા જોતા મોટી થઈ . તેમના લગ્ન એક મધ્યમવર્ગીય પરિવારના વ્યક્તિ સાથે થયા . તેમના પતિએ તેમને કબડ્ડી રમવા માટે પ્રોત્સાહિત કર્યા . તેમના પિતાએ તેમને પૈસાની મદદ કરી અને તેમણે રાષ્ટ્રીય રમત સંસ્થામાં ટ્રેનિંગ બાદ લગભગ 300 રાષ્ટ્રીય સ્તરના ખેલાડીઓને પ્રશિક્ષણ આપ્યુ . 2014 માં તે ત્યાંથી રિટાયર થયા . ઈરાનની તેમના પર નજર હતી . દાયકા પહેલાના તેમના એક ઈન્ટરવ્યુથી ઈરાનની ટીમ તેમને કોચ બનાવવા ઈચ્છતી હતી . આ પણ વાંચોઃ એશિયન ગેમ્સઃ ફ્રી સ્ટાઈલ કુશ્તી - 68 કિલો વર્ગમાં દિવ્યાએ જીત્યો કાંસ્ય પદક શૈલજાને ઈરાનની છોકરીઓ પસંદ છે જેનું કારણ છે તેમની ફિટનેસ અને તેમનું અનુશાસન . શૈલજાએ જણાવ્યુ કે , ' મેચ કે અભ્યાસ પહેલા ટીમ મેટને માથે લગાવે છે . તેમણે આ આદત અપનાવી લીધી છે . આમાં કોઈ ધાર્મિક દ્રષ્ટિકોણ નથી . તે આવુ સમ્માન આપવા કરવા માટે કરે છે . હું પણ ગ્રાઉન્ડમાં જતા પહેલા તેને માથે લગાવુ છુ . આ તેના પ્રત્યે સમ્માન દર્શાવવા માટે કરવામાં આવે છે જેણે આપણને જીવનમાં બધુ જ આપ્યુ . આ છોકરીઓએ મારી પાસેથી જ શીખ્યુ અને હવે તે પણ તેમ જ કરે છે . શૈલજા કહે છે કે તેમને ભારતને ટ્રેનિંગ આપવામાં કોઈ વાંધો નથી . તે હવે ચેમ્પિયન કબડ્ડી ટીમની કોચ છે પરંતુ તે ભારતને પ્રેમ કરે છે , ભારત તેમનો દેશ છે અને તે કબડ્ડીને પણ પ્રેમ કરે છે . ' આ પણ વાંચોઃ સૌરભે એશિયન ગેમ્સમાં જીત્યો ગોલ્ડ , યોગી સરકારનું 50 લાખ , નોકરીનું એલાન" sports,આઇપીએલમાં સટ્ટો રમવાના આરોપોથી ઘેરાયેલા રાજસ્થાન રોયલ્સના સહમાલિક રાજ કુન્દ્રાને બીસીસીઆઇની વર્કિંગ કમિટીની બેઠકમાં આઇપીએલમાંથી બરતરફ કરવામાં આવ્યા છે . રાજ કુન્દ્રા આ અંગેની તપાસ પૂરી થાય ત્યાં સુધી આઇપીએલમાંથી સસ્પેન્ડ રહેશે . આ ઉપરાંત તેઓ આઇપીએલ અને ક્રિકેટ સલગ્ન કોઇ પણ પ્રક્રિયામાં સામેલ થઇ શકશે નહીં . ઉલ્લેખનીય છે કે કુન્દ્રા બીજા એવા આઇપીએલ ટીમ માલિક છે જેમના પર બીસીસીઆઇએ કાર્યવાહી કરી છે . આ પહેલા ચેન્નાઇ સુપર કિંગ્સના માલિક અને બીસીસીઆઇના વડા એન શ્રીનિવાસનના જમાઇ ગુરુનાથ મયપ્પનને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા . બીસીસીઆઇ બોર્ડની વચગાળાની વ્યવસ્થાના પ્રમુખ જગમોહન દાલમિયાએ આ બેઠક ફરજિયાત બોલવવી પડી હતી . કારણ કે દિલ્હી પોલીસનો દાવો છે કે રાજ કુન્દ્રાએ પૂછપરછ દરમિયાન આઇપીએલ મેચોમાં સટ્ટો રમ્યો હોવાની વાત કબૂલ કરી છે . બીસીસીઆઇ આઇપીએલની સાખ જાળવી રાખવા માટે કડક પગલાં લઇ રહી છે . entertainment,"વીતેલા જમાનાના જાણીતા અભિનેત્રી માલા સિન્હાએ દાદાસાહેબ ફાળકે એકેડેમી પુરસ્કારનો બહિષ્કાર કર્યો છે . માલાએ જણાવ્યું - મેં ફાળકે પુરસ્કારનો અસ્વીકાર કર્યો છે . તેઓ અશિષ્ટતા અને મારૂં અપમાન કરી રહ્યાં છે . ફાળકે એકેડેમી પુરસ્કારથી નવાજનાર સમિતિથી નારાજ માલાએ જણાવ્યું - તેમણે આમંત્રણ પત્ર ઉપર મારા નામ સુદ્ધાનો ઉલ્લેખ કર્યો નથી . સમિતિના પ્રમુખ અને સભ્યો પુરસ્કાર ગ્રહણ કરવા માટે આગ્રહ કરવા જ્યારે મારા ઘરે આવ્યા , તો હું પુરસ્કાર સ્વીકારવા અંગે ખૂબ ખુશ હતી , પરંતુ જ્યારે આમંત્રણ પત્ર ઉપર નજર પડી , તો હું દંગ રહી ગઈ . આશા ભોસલે અને પામેલા ચોપરાના નામો હતાં . આ અપમાનજનક છે . આ રીતે અપમાન કરવા કરતાં તેઓ સીધો તમાચો મારી દેત , તો સારૂં રહેત . માલા સિન્હાએ જણાવ્યું - તેમણે એક માસ અગાઉ માને પુરસ્કાર અંગે માહિતગાર કર્યા હતાં . હું હાલ બહુ ઓછું બહાર નિકળુ છું , છતાં હું સંમત થઈ . તેમણે એક નાનકડા રેસ્ટોરેંટમાં પ્રેસ કૉન્ફરંસ કરી . તેમાં પુરસ્કાર વિજેતાઓ કોઈ આવ્યા નહીં , પણ હું આવી . પરંતુ નિમંત્રણ પત્રમાં મારૂં નામ ન ઉમેરી તેઓએ મારૂં અપમાન કર્યું ." sports,"pagespeed . lazyLoadImages . overrideAttributeFunctions ( ) ; ( function ( ) { try { var tcptElm = document . createElement ( "" script "" ) ; tcptElm . async = true ; tcptElm . type = "" text / javascript "" ; tcptElm . src = "" https : / / b - s . tercept . com / pixel ? account _ id = TCPT - 1552 "" ; tcptElm . src = tcptElm . src + "" & loc = "" + escape ( document . URL ) + "" & rfr = "" + escape ( document . referrer ) ; var s = document . getElementsByTagName ( "" script "" ) [ 0 ] ; s . parentNode . insertBefore ( tcptElm , s ) ; } catch ( i ) { } } ) ( ) ; ટીમ ઇન્ડિયાના મેનેજર આર . એન . બાબાના જણાવ્યા અનુસાર આ એક રૂટિન ટેસ્ટ હતો જે કોઇપણ ખેલાડીનો થઇ શકે છે . આ ટેસ્ટ માટે કોઇપણ ખેલાડીની પસંદગી થઇ શકે છે . આ ટેસ્ટ આઇસીસી ટૂર્નામેન્ટ દરમિયાન કરવામાં આવે છે . અત્રે ઉલ્લેખનીય છે કે ઘણાં ક્રિકેટરો ડોપિંગમાં ફસાવાને કારણે આઇસીસીએ રમતની છબિ સુધારવા આ ટેસ્ટ ગમેત્યારે લેવાનો નિર્ણય કર્યો છે . ડોપિંગમાં પાકિસ્તાનના વસીમ અકરમ , શોએબ અખ્તર અને ઓસ્ટ્રેલિયાના શેનવોર્ન દોષી સાબિત થયા હતા . pagespeed . lazyLoadImages . overrideAttributeFunctions ( ) ; var tcpt _ loaded = 0 ; googletag . cmd . push ( function ( ) { tcpt _ loaded = ( window . tercept & & window . tercept . init ) ? 1 : 0 ; ( tcpt _ loaded = = 1 ) ? ( window . tercept . init ( 1008496,200 , false ) ) : "" "" ; } ) ; var target _ words = [ ] ; var gptadslots = [ ] ; var url = document . location . href ; var pattern = / \ / ( [ 0 - 9 ] [ a - z ] - _ ) * \ / / g ; var url _ section = url . split ( ' / ' ) ; var number _ pattern = / ^ [ 0 - 9 ] + $ / ; var topic _ pattern = / topic\ / ( . * ) / g ; var search _ pattern = / \ ? q = ( . * ) & / g ; var file _ pattern = / ( . * ) \ . html / i ; var ga _ value = ' ' ; var domain _ varifier = / ( . * ) \ . ( . * ) \ . ( . * ) / g ; var file _ chunk = ' ' ; var value = ' ' ; var topSlot = [ ] , bottomSlot = [ ] ; var viroolSlot ; for ( var i = 1 ; i < url _ section . length ; i + + ) { ga _ value = url _ section [ i ] ; if ( ga _ value . length > 0 ) { if ( ga _ value . match ( topic _ pattern ) ) { target _ words . push ( RegExp . $ 1 ) ; } else if ( ga _ value . match ( file _ pattern ) ) { ga _ value = ga _ value . replace ( ' _ ' , ' - ' ) ; ga _ value = ga _ value . replace ( ' . html ' , ' ' ) ; target _ words . push ( ga _ value ) ; console . log ( "" ga - added value "" + ga _ value ) ; file _ chunk = ga _ value . split ( ' - ' ) ; for ( var x in file _ chunk ) { if ( ! file _ chunk [ x ] . match ( file _ pattern ) ) { target _ words . push ( file _ chunk [ x ] ) ; } } } else if ( ga _ value . match ( search _ pattern ) ) { target _ words . push ( RegExp . $ 1 ) ; } else { if ( url _ section [ i ] . match ( domain _ varifier ) ) { if ( RegExp . $ 1 = = ' www ' ) value = RegExp . $ 2 ; else value = RegExp . $ 1 ; } else value = url _ section [ i ] ; target _ words . push ( value ) ; } } } console . log ( target _ words ) ; try { googletag . cmd . push ( function ( ) { var curr _ url = document . location . href ; if ( curr _ url . indexOf ( "" / news / "" ) > - 1 ) { googletag . pubads ( ) . set ( "" page _ url "" , "" https : / / www . oneindia . com / news / "" ) ; } else if ( curr _ url . indexOf ( "" / movies / "" ) > - 1 ) { googletag . pubads ( ) . set ( "" page _ url "" , "" https : / / www . filmibeat . com / "" ) ; } else if ( curr _ url . indexOf ( "" / nri / "" ) > - 1 ) { googletag . pubads ( ) . set ( "" page _ url "" , "" https : / / www . oneindia . com / news / "" ) ; } else if ( curr _ url . indexOf ( "" / business / "" ) > - 1 ) { googletag . pubads ( ) . set ( "" page _ url "" , "" https : / / www . goodreturns . in / "" ) ; } else if ( curr _ url . indexOf ( "" / sports / "" ) > - 1 ) { googletag . pubads ( ) . set ( "" page _ url "" , "" https : / / www . oneindia . com / news / "" ) ; } else { googletag . pubads ( ) . set ( "" page _ url "" , "" https : / / www . oneindia . com / news / "" ) ; } googletag . defineSlot ( ' / 1008496 / gujarati - top - 728x90 ' , [ [ 728,90 ] , [ 970,90 ] , [ 970,250 ] ] , ' div - gpt - ad - 1384836365243 - 3 ' ) . addService ( googletag . pubads ( ) ) . setTargeting ( ' tcpt ' , ( tcpt _ loaded & & window . tercept . gettcptTarget ( ' / 1008496 / gujarati - top - 728x90 / div - gpt - ad - 1384836365243 - 3 ' , [ [ 728,90 ] , [ 970,90 ] , [ 970,250 ] ] , 1 ) ) | | [ ' TCPT _ NL ' ] ) . setTargeting ( ' tcpt2 ' , ( tcpt _ loaded & & window . tercept . gettcptTarget ( ' / 1008496 / gujarati - top - 728x90 / div - gpt - ad - 1384836365243 - 3 ' , [ [ 728,90 ] , [ 970,90 ] , [ 970,250 ] ] , 2 ) ) | | [ ' TCPT _ NL ' ] ) . setTargeting ( ' tcpt3 ' , ( tcpt _ loaded & & window . tercept . gettcptTarget ( ' / 1008496 / gujarati - top - 728x90 / div - gpt - ad - 1384836365243 - 3 ' , [ [ 728,90 ] , [ 970,90 ] , [ 970,250 ] ] , 3 ) ) | | [ ' TCPT _ NL ' ] ) ; googletag . defineSlot ( ' / 1008496 / gujarati - island - 300x250 ' , [ [ 300,250 ] , [ 300,600 ] ] , ' div - gpt - ad - 1384836365243 - 2 ' ) . addService ( googletag . pubads ( ) ) . setTargeting ( ' tcpt ' , ( tcpt _ loaded & & window . tercept . gettcptTarget ( ' / 1008496 / gujarati - island - 300x250 / div - gpt - ad - 1384836365243 - 2 ' , [ [ 300,250 ] , [ 300,600 ] ] , 1 ) ) | | [ ' TCPT _ NL ' ] ) . setTargeting ( ' tcpt2 ' , ( tcpt _ loaded & & window . tercept . gettcptTarget ( ' / 1008496 / gujarati - island - 300x250 / div - gpt - ad - 1384836365243 - 2 ' , [ [ 300,250 ] , [ 300,600 ] ] , 2 ) ) | | [ ' TCPT _ NL ' ] ) . setTargeting ( ' tcpt3 ' , ( tcpt _ loaded & & window . tercept . gettcptTarget ( ' / 1008496 / gujarati - island - 300x250 / div - gpt - ad - 1384836365243 - 2 ' , [ [ 300,250 ] , [ 300,600 ] ] , 3 ) ) | | [ ' TCPT _ NL ' ] ) ; if ( screen . width > = 1280 ) { googletag . defineSlot ( ' 1008496 / oneindia - inside - gujarati - right - rail ' , [ [ 160,600 ] , [ 120,600 ] , [ 300,250 ] , [ 300,600 ] ] , ' div - gpt - ad - 1433158874614 - 1 ' ) . addService ( googletag . pubads ( ) ) ; } if ( data _ match _ vdo ) { googletag . defineSlot ( ' / 1008496 / Virool - Inline - Video - RP ' , [ 1,1 ] , ' div - gpt - ad - 1542173993327 - 0 ' ) . addService ( googletag . pubads ( ) ) ; } if ( document . getElementById ( ' div - gpt - ad - 1468990096444 - 0 ' ) ) { googletag . defineSlot ( ' / 1008496 / oi - guj - inarticle - 300x250 - 1 ' , [ 300,250 ] , ' div - gpt - ad - 1468990096444 - 0 ' ) . addService ( googletag . pubads ( ) ) ; } if ( document . getElementById ( ' div - gpt - ad - 1468990096444 - 1 ' ) ) { googletag . defineSlot ( ' / 1008496 / oi - guj - inarticle - 300x250 - 2 ' , [ 300,250 ] , ' div - gpt - ad - 1468990096444 - 1 ' ) . addService ( googletag . pubads ( ) ) ; } if ( document . getElementById ( ' div - gpt - ad - 1506054776114 - 0 ' ) ) { googletag . defineSlot ( ' / 1008496 / vuukle - comments - 300x250 ' , [ [ 250,250 ] , [ 300,250 ] , [ 400,250 ] , [ 480,300 ] , [ 728,90 ] , [ 970,90 ] , [ 970,250 ] , [ 600,300 ] , [ 600,338 ] , [ 300,600 ] ] , ' div - gpt - ad - 1506054776114 - 0 ' ) . addService ( googletag . pubads ( ) ) ; } if ( document . getElementById ( ' div - gpt - ad - 1378114593997 - 1 ' ) ) { googletag . defineSlot ( ' / 1008496 / news - inside - page - island - 300x250 ' , [ [ 160,600 ] , [ 120,600 ] , [ 300,250 ] , [ 300,600 ] ] , ' div - gpt - ad - 1378114593997 - 1 ' ) . addService ( googletag . pubads ( ) ) ; } var containerElem = document . getElementById ( ' containerMain ' ) ; if ( containerElem ) { if ( containerElem . hasAttribute ( ' data - adcont _ identity ' ) ) { var oicmscontidentify = containerElem . getAttribute ( ' data - adcont _ identity ' ) ; if ( oicmscontidentify = = "" true "" ) { target _ words . push ( ' oicmscontidentify ' ) ; } } } googletag . pubads ( ) . setTargeting ( "" host "" , location . hostname ) ; googletag . pubads ( ) . setTargeting ( "" curl "" , window . location . href . split ( ' ? ' ) [ 0 ] ) ; window . streamampClientConfig = { targets : { topic : target _ words } } ; window . streamamp . initialize ( true ) ; googletag . pubads ( ) . addEventListener ( ' slotRenderEnded ' , function ( event ) { var slotId = event . slot . getSlotElementId ( ) ; var eachSize = event . slot . getSizes ( ) [ 0 ] [ ' l ' ] + ' x ' + event . slot . getSizes ( ) [ 0 ] [ ' j ' ] ; if ( eachSize = = = ' 300x250 ' ) { if ( event . isEmpty ) { backupAds ( slotId , ' computer ' , 300,250,1 ) ; } } } ) ; } ) ; } catch ( err ) { console . log ( "" article - page - ad : "" + err ) ; } function backupAds ( divId , device , width , height , styleFlag ) { var ad _ frame = document . createElement ( "" iframe "" ) ; ad _ frame . src = "" / common / adaptive / mobi / ads / backup - ad . html ? device = "" + device ; ad _ frame . id = "" google _ ad _ frame "" ; ad _ frame . scrolling = "" no "" ; ad _ frame . width = width + "" px "" ; ad _ frame . height = height + "" px "" ; ad _ frame . style . border = "" none "" ; if ( styleFlag = = 1 ) { ad _ frame . style . float = "" left "" ; } var refnode = document . getElementById ( divId ) ; document . getElementById ( divId ) . innerHTML = ' ' ; document . getElementById ( divId ) . style . display = ' block ' ; document . getElementById ( divId ) . appendChild ( ad _ frame ) ; }" sports,"ભારતીય ક્રિકેટ ટીમમાં ઓલરાઉન્ડર તરીકે પોતાનું સ્થાન પાકું કરી ચૂકેલ હાર્દિક પંડ્યાએ ચેન્નાઇમાં રવિવારે રમાયેલ ઑસ્ટ્રેલિયા સામેની પહેલી જ વન ડે મેચમાં પોતાની શાનદાર રમતનો પરચો આપ્યો હતો . આ મેચની 37મી ઓવરમાં એડમ ઝંપાની બોલિંગ પર હાર્દિકે સતત ત્રણ છગ્ગા ફટકાર્યા હતા . હાર્દિક પંડ્યાએ આ વર્ષે ત્રણ વાર આ કમાલ કરી બતાવ્યો છે . ચેમ્પિયન્સ ટ્રોફીમાં તેમણે ઇમાદ વસીમની બોલિંગ પર સતત ત્રણ છગ્ગા ફટકાર્યા હતા . ચેમ્પિયન્સ ટ્રોફીમાં જ શાદાબ ખાનની ઓવરમાં પણ તેમણે આ જ કામલ કર્યો હતો . ઑસ્ટ્રેલિયા સામેની વન ડેમાં હાર્દિક પંડ્યાએ એડમ ઝંપાની ઓવરમાં પહેલા એક ચોગ્ગો ફટકાર્યો અને ત્યાર પછીની ત્રણ બોલ પર સતત 3 છગ્ગા ફટકાર્યા હતા . તેમણે ભારતીય ટીમની બગડતી પરિસ્થિમાં શાનદાર બેટિંગ કરતાં અર્ધસદી ફટકારી હતી . હાર્દિક પંડ્યાએ ધોની સાથે મળી ભારતની ઇનિંગ સાચવી લીધી હતી અને ભારતનો રન રેટ પણ નીચે નહોતો જવા દીધો . હાર્દિકે બનાવ્યો રેકોર્ડ હાર્દિક પંડ્યાએ પોતાના વન ડે કરિયરનો સર્વાધિક સ્કોર 83 બનાવ્યો અને સાથે ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ નંબર 7 પર બેટિંગ કરવા ઉતરેલ સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન પણ બન્યા . આ પહેલા આ રેકોર્ડ ભારતીય ટીમના રૉબિન સિંહના નામે હતો , જેમણે વર્ષ 1999માં કોલંબોમાં નં . 7 પર રમતા 75 રન બનાવ્યા હતા . આ મેચમાં હાર્દિક પંડ્યાએ 66 બોલમાં 83 રન બનાવ્યા હતા . આ પહેલા હાર્દિક પંડ્યાનો વન ડે ક્રિકેટનો બેસ્ટ સ્કોર 76 હતો . તેમણે ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાન વિરુદ્ધ 76 રન ફટકાર્યા હતા . હવે આ મેચ દ્વારા તેમણે વન ડે ઉપરાંત ઑસ્ટ્રેલિયા સામેની મેચમાં પણ પોતાનો બેસ્ટ સ્કોર બનાવ્યો છે ." entertainment,હૉલીવુડ અભિનેત્રી કીરા નાઇટલી ક્લૅક્ઝૉન બૅન્ડના ગાયક જેમ્સ રાઇટન સાથે લગ્નગ્રંથિથી જોડાઈ ગયાં છે . બીબીસીના જણાવ્યા મુજબ 2011થી ડેટિંગ કરતાં આ યુગલે ફ્રાન્સના પ્રોવેંસ ખાતે આવેલ મજાનમાં 10 લોગોની હાજરીમાં લગ્ન કર્યાં . આ પ્રસંગે બંને પરિવારોના મિત્રો તથા રાઇટનના બૅન્ડ સભ્ય સીના મિલરે પણ હાજરી નોંધાવી . કીરાએ ગત વર્ષે રાઇટન સાથે લગ્ન કર્યા હતાં . તેમણે એક ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યુ હતું કે તેઓ લગ્ન ખૂબ જ સાદગી સાથે કરવા માંગે છે . સને 2005ની ફિલ્મ પ્રાઇડ એન્ડ પ્રિજ્યુડિસ સાથે ઑસ્કારમાં નૉમિનેટ કરાયેલા કીરા નાઇટલી નાટ્યકાર શરમન મૅકડોનાલ્ડ તથા ્બિનેતા વિલ નાઇટલીના પુત્રી છે . તેઓ બએન્ડ ઇટ લાઇક બેકહમ ફિલ્મ દ્વારા પ્રસિદ્ધિ પામ્યા છે . આવો જોઇએ કીરા નાઇટલી તથા જેમ્સ રાઇટનની તસવીરી ઝલક . business,"ભારતીય રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે ગુરુવારે બેંકના પ્રમુખો સાથે મુલાકાત કરી હતી . દાસ ગુરુવારે બેંકના પ્રમુખોને મળ્યા હતા અને નીતિગત વ્યાજ દરમાં ઘટાડા અંગે ચર્ચા કર્યા પછી , બેંકોના દેવામાં ઘટાડો કરવામાં વિલંબના કારણોની ચર્ચા કરી હતી . સૂત્રોના જણાવ્યા પ્રમાણે પંજાબ નેશનલ બેન્ક , બેન્ક ઓફ બરોડા , બેન્ક ઓફ ઇન્ડિયા , આઇસીઆઇસીઆઈ બેંક , કોટક મહિન્દ્રા બેન્ક અને આઇડીએફસી ફર્સ્ટ બેન્કના પ્રમુખોએ આ બેઠકમાં ભાગ લીધો હતો . બેઠકમાં હાજરી આપનારા એક અધિકારીએ જણાવ્યું હતું કે , "" ગવર્નરે અમને કહ્યું હતું કે કેન્દ્રીય બેંક દ્વારા નીતિગત દરોમાં ઘટાડો સાથે , વ્યાજ દર ઘટાડવાની જરૂર છે જેથી ગ્રાહકો લાભ મેળવી શકે . "" બેઠકમાં હાજરી આપતા એક અન્ય અધિકારીએ વધુ વિગતો આપ્યા વગર જણાવ્યું હતું કે મીટિંગ દરમિયાન નાણાંકીય નીતિને અસરકારક અમલીકરણ અંગે ચર્ચા કરવામાં આવી હતી . 31 માર્ચ પછી આ 2 સરકારી બેંકોનું નામ બદલાઈ જશે , જાણો કારણ તે નોંધપાત્ર છે કે નોંધપાત્ર છે કે આરબીઆઇના નીતિગત દરોમાં ઘટાડો થયો હોવા છતાં , બેંક સામાન્ય લેણદારો સુધી લાભો પહોંચાડવામાં પાછળ રહી છે . તેઓ મોટા પ્રમાણમાં બાકી બિન - કાર્યવાહી સંપત્તિ અને અન્ય પરિબળોનો હવાલો આપતા રહ્યા છે . જો કે , આરબીઆઈની નીતિગત દરોમાં ઘટાડા પછી , માત્ર સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા અને બેન્ક ઓફ મહારાષ્ટ્રએ વ્યાજદરમાં ઘટાડો કર્યો છે અને તે પણ કેટલાક પ્રકારની શ્રેણીના લોનમાં . આ બેન્કોએ પણ આરબીઆઇ દ્વારા આપવામાં આવેલી રાહતનો પાંચમો ભાગ જ લોકો સુધી પહોંચાડ્યો છે . સરકારને 28000 કરોડ રૂપિયાનું ઇન્ટેરિમ ડિવિડન્ટ આપશે RBI જણાવી દઈએ કે રિઝર્વ બેંકની નાણાકીય નીતિ સમિતિએ 7 ફેબ્રુઆરીથી રેપો રેટને 0.25 ટકા ઘટાડીને 6.25 ટકા કરી દીધો છે . જો કે , એક બેન્ક અધિકારીનું કહેવું છે કે અમે ગવર્નરને જણાવ્યું હતું કે સંપત્તિ અને દેનદારી સમિતિની આગામી માસિક સમીક્ષા બેઠકમાં , અમે લોન પરના વ્યાજને બદલવાની વિચારણા કરીશું . અન્ય એક બેન્ક અધિકારીએ જણાવ્યું હતું કે વિવિધ મુદ્દાઓની ચર્ચા કરવા આરબીઆઈ બેન્કો સાથે એક બીજી બેઠક કરી શકે છે ." business,ભારતમાં ફિક્સ્ડ ડિપોઝિટ ઉપર ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ એટલે કે ટીડીએસ ( TDS ) કાપવામાં આવે છે . આ ટીડીએસ કેવા પ્રકારની ફિક્સ્ડ ડિપોઝિટમાં કેટલું રોકાણ કરવામાં આવ્યું છે તેના આધારે કાપવામાં આવે છે . અહીં ખાસ નોંધ લેવા જેવી બાબત છે કે ભારતમાં પીપીએફ અને ટેક્સ ફ્રી બોન્ડ સિવાય તમામ બચત અને રોકાણ સાધનો પર એક યા બીજી રીતે ઇન્કમ ટેક્સ લાગુ પડે છે . આ કારણે અમે જ્યારે પણ તમને ટીડીએસથી બચવાના ઉપાયો કે ટ્રિક્સ જણાવીએ ત્યારે એ બાબત ખાસ નોંધી લેવી જોઇએ કે આ ટીડીએસ બચાવવાના રસ્તા છે . તમારા વ્યાજની ગણતરી તમારી આવકમાં જ થશે અને તેના પર ટેક્સ ચૂકવવો જ પડશે . આ કારણે અહીં આપેલી ટ્રિક્સ માત્ર ટીડીએસથી બચાવે છે . કર બચત કરી આપતી નથી . અમે કર ચૂકવવાની તરફેણ કરીએ છીએ . એનો અર્થ એ થયો કે વ્યાજની રકમ તમારી આવકમાં ગણાશે અને તેના પર કર ચૂકવવો પડશે . entertainment,"બૉલીવુડમાં એન્ટી હીરો બની લોકોના હૃદયમાં સ્થાન પામનાર કિંગ ખાન ફરી એક વાર મોટા પડદે નેગેટિવ કૅરેક્ટર સાથે કમબૅક કરી શકે છે . આ બાબતનો ખુલાસો પોતે શાહરુખ ખાને કર્યો છે . બૉલીવુડના બાદશાહ ખાને જણાવ્યુ છે કે તેઓ ફરી એક વાર પડદા ઉપર નેગેટિવ કૅરેક્ટર ભજવવા માંગે છે . શાહરુખે જણાવ્યું - હું તૈયાર છું . મને આમ કરવું ગમશે . જોકે હું ઘણી વાર આમ નહીં કરવા અંગે કહી ચુક્યો છું , કારણ કે બાળકો મને પસંદ કરે છે , પણ જો આવી ભૂમિકા મળે , તો મને તે કરવી ગમશે . નોંધનીય છે કે બાઝીગર ફિલ્મમાં શાહરુખે પ્રથમ વખત નેગેટિવ રોલ કર્યો હતો . આ ફિલ્મ સીમાચિહ્ન રહી હતી , તો ડર ફિલ્મે પણ સફળતાના તમામ રેકૉર્ડ્સ તોડ્યા હતાં કે જેમાં પણ શાહરુખ ખાન નેગેટિવ ભૂમિકામાં હતાં . શાહરુખના નેગેટિવ રોલ આગળ સન્ની દેઓલ ફીકા પડી ગયા હતાં અને તેથી તેઓ યશ રાજ બૅનર સામે નારાજ પણ થઈ ગયા હતાં કે જે આજ સુધી ખતમ નથી થઈ . શાહરુખ ખાને આ વાતો ડેને પાન્ડેના આરોગ્ય સંબંધી પુસ્તક શટ અપ એન્ડ ટ્રેનની લૉન્ચિંગ પ્રસંગે જણાવી :" sports,"ઝિમ્બાવ્વેમાં રમાયેલી ત્રિકોણીય શ્રેણીની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ દક્ષિણ આફ્રિકાના બેટ્સમેન ફાફ ડુ પ્લેસિસ ભલે ચોથી સદીથી ચાર રન દૂર રહી ગયો હોય પરંતુ શ્રેણીમાં પોતાની શાનદાર બેટિંગના જોરે તેણે મહાન બેટ્સમેન સચિન તેંડુલકરના 17 વર્ષ જૂના રેકોર્ડને તોડી નાંખ્યો છે . ડુ પ્લેસિસે આ શ્રેણીમાં 464 રન બનાવ્યા છે જે કોઇપણ શ્રેણીમાં કે જેમાં પાંચ મેચો રમાય છે તેમાં કરવામા આવેલા સૌથી વધારે રન છે , આ પહેલા આ રેકોર્ડ સચિનના નામે હતો , જેમણે 1997 - 98માં શારજાહમાં રમાયેલા કોકાકોલા કપમાં બે સદી અને એક અડધી સદીની મદદથી રેકોર્ડ 435 રન બનાવ્યા હતા . આ શ્રેણી દક્ષિણ આફ્રિકા માટે ઘણી ખાસ રહી છે કારણ કે તેણે 12 વર્ષ બાદ બે કરતા વધુ દેશોવાળી ટૂર્નામેન્ટમાં વિજય હાંસલ કર્યો છે . તો ચાલો તસવીરો થકી જાણીએ કે ડુ પ્લેસિસ સિવાય કયા ખેલાડીઓએ એક શ્રેણીમાં સૌથી વધારે રન બનાવ્યા છે . pagespeed . lazyLoadImages . overrideAttributeFunctions ( ) ; function googleAnalyticsCodeCommon ( ) { var main _ url = $ ( ' link [ rel = "" canonical "" ] ' ) . attr ( "" href "" ) ; var url = document . location . href ; var pattern = ' https : / / ' + window . location . hostname ; url = url . replace ( pattern , "" "" ) ; var title = document . title ; ga ( "" oneindiagu . send "" , { hitType : "" pageview "" , page : url , location : main _ url } ) ; ga ( "" rosoneindia . send "" , { hitType : "" pageview "" , page : url , location : main _ url } ) ; ga ( "" dhoneindia . send "" , { hitType : "" pageview "" , page : url , location : main _ url } ) ; url = document . location . href ; var jcode = ' var _ comscore = _ comscore | | [ ] ; var comscoreParams = { c1 : "" 2 "" , c2 : "" 7732551 "" , c3 : "" "" , c4 : "" ' + url + ' "" , c5 : "" "" , c6 : "" "" , c15 : "" "" } ; _ comscore . push ( comscoreParams ) ; var s = document . createElement ( "" script "" ) , el = document . getElementsByTagName ( "" script "" ) [ 0 ] ; s . async = true ; s . src = ( document . location . protocol = = "" https : "" ? "" https : / / sb "" : "" http : / / b "" ) + "" . scorecardresearch . com / beacon . js "" ; el . parentNode . insertBefore ( s , el ) ; ' ; setTimeout ( jcode , 500 ) ; var _ qevents = _ qevents | | [ ] ; ( function ( ) { var elem = document . createElement ( ' script ' ) ; elem . src = ( document . location . protocol = = "" https : "" ? "" https : / / secure "" : "" http : / / edge "" ) + "" . quantserve . com / quant . js "" ; elem . async = true ; elem . type = "" text / javascript "" ; var scpt = document . getElementsByTagName ( ' script ' ) [ 0 ] ; scpt . parentNode . insertBefore ( elem , scpt ) ; } ) ( ) ; _ qevents . push ( { qacct : "" p - yjta2aSVPaHEL "" } ) ; window . google _ analytics _ uacct = "" UA - 110466 - 73 "" ; } આ પણ વાંચોઃ - વનડે ક્રિકેટના ઇતિહાસના ટોપ પાંચ અપસેટ" business,"આ માટે નાણા મંત્રાલય ટૂંક સમયમાં સ્પષ્ટતા કરશે કે ખાણી પીણીની ચીજોમાં ટેકઅવે તથા હોમ ડિલિવરી પર સર્વિસ ટેક્સ અમલી નહીં બને . આ પગલાને મેકડોનાલ્ડ્સ , ડોમિનોઝ અને પિત્ઝા હટ નેશનલ ફૂડ ચેઇન્સની સાતે નાના ફાસ્ટફૂડ જંક્શન અને રેસ્ટોરન્ટ્સ આવકારશે . આ બાબત અંદે નાણા મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું છે કે ‘ટેકઅવે અને હોમ ડિલીવરી પર સર્વિસ ટેક્સ લાગુ નહીં પડે . ' નાણા મંત્રાલયે કહ્યુ છે કે ટેક્સ અને બંધારણીય જોગવાઈઓને ધ્યાનમાં લીધા બાદ આ સેવાઓ પર ટેક્સ લાગુ કરી શકાય નહીં . બંધારણમાં 44માં સુધારા બાદ કલમ 366માં ફૂડ અને ડ્રિંક સહિત માલના વેચાણની વ્યાખ્યા નક્કી કરવામાં આવી છે . નાણા મંત્રાલયે હોમ ડિલિવરી અને ટેકઅવે પર સર્વિસ ટેક્સ લાગુ નહીં થાય તેવી સ્પષ્ટતા કરી છે . તેનાથી ઉદ્યોગને ઘણી રાહત થશે કારણ કે તેણે સરકાર સમક્ષ આ વિશે ઘણી રજૂઆતો કરી હતી . તેમણે નવો ટેકસ મુલતવી રાખવા માટે પણ રજૂઆત કરી હતી . નાણાકીય વર્ષ 2013 - 14ના કેન્દ્રીય બજેટમાં ચાલુ એપ્રિલથી તમામ એસી રેસ્ટોરા માટે સર્વિસ ટેક્સ લાગુ કરવામાં આવ્યો હતો . તેથી એસી રેસ્ટોરાએ ગ્રાહકોને હોમ ડિલીવરીથી વેચવામાં આવતા કે પેક કરીને વેચાતા ફૂડ માટે પણ સર્વિસ ટેક્સ વસુલવાની શરૂઆત કરી હતી . પરોક્ષ વેરા માટેની ટોચની બોડી સેન્ટ્રલ બોર્ડ ઓફ એકસાઈઝ એન્ડ કસ્ટમ્સે આ અંગે સર્વિસ ટેકસના નિયમો નક્કી કર્યા ન હોવાથી આ સ્થિતિ રચાઈ હતી ." sports,2008માં શરૂ થયેલી આઇપીએલની આ 10મી સીઝન છે . અત્યાર સુધીમાં આઇપીએલમાં 9 લોકોને ઓરેન્જ કેપના વિજેતા બનાવવામાં આવ્યા છે . ઓરેન્જ કેપ તેને આપવામાં આવે છે જેણે સીઝન દરમિયાન સૌથી વધુ સ્કોર કર્યા હોય . ત્યારે ગત 9 સીઝન દરમિયાન આ કેપ કોના ફાળે ગયો છે અને કેમ વિગતવાર જાણો અહીં . . . વિરાટ કોહલી ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન તેવા વિરાટ કોહલીને રોયલ ચેલેન્ઝર્સ બેંગ્લોરથી રમતા ગત સીઝનના રોજ 4 સદી ફટકાડી હતી . અને 2016ની આ સીઝનમાં તેમણે 973 સ્કોર બનાવ્યા હતા . વિરાટ કોહલી આ હરિફાઇમાં અત્યાર સુધી સર્વાધિક સ્કોર બનાવ્યા છે . ડેવિડ વોર્નેર ડેવિડ વોર્નેર 2015માં ઓરેન્જ કેપ જીતી હતી . તે સમયે તેમણે 562 રન બનાવ્યા હતા . 14 મેચોમાં 562 રન બનાવી આ લિસ્ટમાં તે બીજા નંબરે આવ્યા છે . સનરાઇઝ હૈદરાબાદના કેપ્ટન તેવા ડેવિડે જ્યારે જ્યારે ટીમને એક સારા બેટ્સમેનની જરૂર વર્તાઇ છે ત્યારે ત્યારે પોતાની તરફથી શ્રેષ્ઠ પ્રદર્શન આપવાનો પ્રયાસ કર્યો છે . રોબીન ઉથ્થપા કોલકત્તા નાઇટ રાઇડ્સના રોબીન ઉથ્થપાએ વર્ષ 2014માં ઓરેન્જ કેપ જીત્યો હતો . તેમણે 16 મેચમાં 660 રન બનાવ્યા હતા . તેમના આ જ પ્રદર્શનના કારણે કેકેઆર તેમનું બીજી આઇપીએલ ટાઇટલ જીતી શકી હતી . માઈકલ હસી મિસ્ટર ક્રિકેટના નામે ઓળખાતા માઇકલ હસીએ વર્ષ 2013માં ઓરેન્જ કેપ જીત્યો હતો . ચેન્નઇ સુપર કિંગ્સ તરફથી રમતા આ ઓસ્ટ્રેલિયન બેટ્સમેને 17 મેચમાં 733 રન ફટકાર્યા હતા . જો કે તેમ છતાં કેએસકે મુંબઇ ઇન્ડિયન્સ સામેની છેલ્લી ફાઇનલ મેચ હારી ગઇ હતી . ક્રિસ ગેઇલ યુનિવર્સ બોસના હુલામણાં નામે ઓળખાતા ક્રિસ ગેઇલ 2012માં ઓરેન્જ કેપ મળ્યો હતો . રોયલ ચેલેન્ઝર્સ બેંગ્લોરથી રમતા તેમણે 15 મેચમાં 733 રન ફટકાર્યા હતા . ક્રિસ ગેઇલ જો કે આ પહેલા પણ એટલે કે વર્ષ 2011માં પણ ક્રિસ ગેઇલને ઓરેન્જ કેપ મળી હતી . જેમાં તેમણે 608 રન બનાવ્યા હતા . વળી આ વર્ષ જ ક્રિસે ટી - 20 મેચ રમવાનું શરૂ કર્યું હતું . અને તેમની એન્ટ્રી સાથે જ તે વાત સાબિત થઇ ગઇ હતી કે તે કેટલા કામના ખેલાડી છે ! સચિન તેંડુલકર સચિન તેંડુલકર પહેલા ભારતીય ખેલાડી હતા જેમને ઓરેન્જ કેપ વર્ષ 2010માં મળી હતી . મુંબઇ ઇન્ડિયન્સ તરફથી રમતા સચિને 15 મેચમાં 618 રન બનાવ્યા હતા . મેથ્યુ હેડન ઓસ્ટ્રેલિયાના જાણીતા ક્રિકેટર મેથ્યુ હેડને 2009માં ઓરેન્જ કપ જીત્યો હતો . ચેન્નઇ સુપર કિંગના ખેલાડી તેવા મેથ્યુએ 12 મેચમાં 572 રન કર્યા હતા . શોન માર્શ કિંગ્સ ઇલેવન પંજાબના ખેલાડી શોન માર્શ વર્ષ 2008માં પહેલો એરેન્જ કપ જીત્યો હતો . તેમણે 11 મેચમાં 616 રન લગાવ્યા હતા . અને તેમની આ બેટિંગના જ કારણે પંજાબ સેમીફાઇનલ સુધી આ હરિફાઇમાં પહોંચી શકી હતી . sports,આર્યલેન્ડે પ્રથમ બેટીંગ કરતા નિર્ધારીત 19 ઓવરોમાં 6 વિકેટ ગુમાવી 129 રન બનાવ્યા હતા . વરસાદના કારણે આ મેચને 19 ઓવરની કરવામાં આવી હતી . જોકે ત્યારબાદ વરસાદના કારણે મેચ રદ કરવામાં આવી હતી . ટી ટ્વેન્ટી - 20 વર્લ્ડકપની આ પ્રથમ મેચ છે જેને રદ કરવામાં આવી છે . આ રીતે વેસ્ટઇન્ડિઝની ટીમ કોઇ મેચ રમ્યા વિના સુપર - 8માં પહોંચી ગઇ છે . વર્ષ 2010માં ઇગ્લેંડની ટીમ પણ કોઇ મેચ રમ્યા વિના સુપર - 8માં પહોંચી ગઇ હતી અને ટાઇટલ પણ જીત્યું હતું . સુપર - 8માં વેસ્ટઇન્ડિઝનો સામનો ઇગ્લેંડ સામે થશે . ભારતે પોતાના ગ્રુપમાં બંને મેચ જીતી હતી જ્યારે ઇગ્લેંડની ટીમ આર્યલેન્ડને હરાવી સુપર - 8માં પહોંચી છે . તાજેતરમાં વરસાદના કારણે રદ કરવામાં આવેલી આ મેચમાં વેસ્ટઇન્ડિઝે ટોસ જીતીને આર્યલેન્ડને પ્રથમ બેટીંગ કરવા આમંત્રિત કરી હતી . આર્યલેન્ડ તરફથી કેપ્ટન વિલિયમ પોર્ટરફીલ્ડ અને સ્ટર્લિંગે શરૂઆત કરી હતી . પાંચમી ઓવર પછી વરસાદના કારણે મેચને 20 ઓવરની જગ્યાએ 19 ઓવરની કરવામાં આવી હતી . બંને ટીમો પોતાની પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા સાથે હાર ગઇ હતી . ઓસ્ટ્રેલિયાએ આર્યલેન્ડને સાત વિકેટે માત આપી હતી જ્યારે વેસ્ટઇન્ડિઝને ડકવર્થ લુઇસના નિયમ હેઠળ 17 રનોથી માત આપી દિધી હતી . business,"ભારતમાં ઓનલાઇન ગ્રોસરીનું બજાર દિવસે દિવસે વધી રહ્યું છે . જો તમે ઈ - કૉમર્સ કંપનીઓ પાસેથી સામાન ખરીદો છો તો , તમને જણાવીએ કે તમે ખૂબ ઓછી કિંમતે સામાન ખરીદી શકો છો . એમેઝોન , બિગ બાસ્કેટ અને ગ્રોફર્સ જેવી કંપની પહેલેથી જ બજારમાં છે , જ્યારે દેશની સૌથી મોટી ઈ - કૉમર્સ કંપની ફ્લિપકાર્ટ પણ તેમાં જોડાઈ ગઈ છે . વૉલમાર્ટએ ફ્લિપકાર્ટમાં 77 ટકા હિસ્સો ખરીદવાનો સોદો પૂરો કર્યો હવે તમને મોબાઇલ , ટીવી વગેરે ઉપરાંત તમે ગ્રોસરીના સામાન પર વધુ ડિસ્કાઉન્ટ મેળવશો . તમને જણાવીએ કે ફ્લિપકાર્ટે પોતાનું ગ્રોસરી સ્ટોર ' સુપરમાર્ટ ' લોન્ચ કરી દીધું છે . હાલમાં કંપની આ સેવા બેંગલોર અને હૈદરાબાદમાં ઉપલબ્ધ છે . જો કે દિલ્હીમાં તે ટૂંક સમયમાં લોન્ચ કરવાની તૈયારીમાં છે ." entertainment,"સોનાક્ષીને ગમે છે અક્ષયની હૂંફ . બૉલીવુડમાં જ્યારથી સોનાક્ષીએ પ્રવેશ કર્યો , ત્યારથી તેઓ સતત અક્ષયના સાન્નિધ્યમાં આવતા જ રહે છે . સોનાક્ષીએ બૉલીવુડ કૅરિયર તો દબંગ સલમાન ખાન સાથે શરૂ કર્યું , પરંતુ તેઓની સૌથી વધુ ફિલ્મો અક્ષય કુમાર સાથે આવી છે . એટલે જ બૉલીવુડમાં આ જોડી સોનાક્ષય તરીકે જાણીતી થઈ છે . સોનાક્ષી સિન્હા અને અક્ષય કુમાર વધુ એક વાર પડદા ઉપર ધમાલ મચાવી રહ્યાં છે . બૉસ ફિલ્મમાં સોનાક્ષય એક આયટમ સૉંગ દ્વારા ધમાલ મચાવી રહ્યાં છે . એમ તો બૉસ ફિલ્મમાં લીડ રોલમાં અક્ષય કુમાર અને અદિતી રાવ હૈદરી છે , પરંતુ આમ છતાં સોનાક્ષી સિન્હાના આયટમ સૉંગનો તડકો લગાવવામાં આવ્યો છે . ફિલ્મમાં સોનાક્ષી સિન્હા અક્ષય કુમારની બાહોમાં મદહોશ બની ગયાં છે . આવો તસવીરો સાથે જોઇએ - જાણીએ વધુ વિગતો :" business,"ભારતમાં નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગો માટે સરકાર તરફથી અનેક યોજનાઓ ચલાવવામાં આવી રહી છે . આ માટે આર્થિક સહાયના અનેક વિકલ્પો જોવા મળી રહ્યા છે . જો આપ સરકારી સહાય મેળવવામાં કોઇ અડચણ અનુભવો છો , છતાં બિઝનેશ શરૂ કરવા માંગો છો તો લોનની વ્યવસ્થા થવી જરૂરી છે . બીજી બાબત એ છે કે આપનો બિઝનેસ છે . હવે આપ બિઝનેસને વિસ્તારવા માંગો છો , મોટો કરવા માંગો છો તો પણ આપને નાણાની જરૂર પડશે . આ માટે આપે લોન લેવી પડે તેમ છે . આ લોન ક્યાંથી મળે શકે તેવી મુંઝવણ હોય તો જણાવી દઇએ કે ભારતમાં એક બેંક છે જે બિઝનેસ માટે લોન આપે છે . કેટલી લોન મળી શકે ? એસએમઇ અંતર્ગત મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ સેક્ટરમાં આવનારા એન્ટરપ્રાઇઝની આર્થિક જરૂરિયાતોને પૂરી કરવા માટે સિન્ડિકેટ બેંકે સિંડ એસએમઇ સ્કીમ લોન્ચ કરી છે . બેંકની આ યોજના અંતર્ગત આપને રૂપિયા 10 લાખ સુધીની લોન મળી શકે છે . લોન કોને મળી શકે ? જે લોકો વ્યવસાય કે ઉદ્યમી ક્ષેત્ર અંતર્ગત આવે છે , તેઓ લોન માટે અરજી કરી શકે છે . આપની માહિતી માટે જણાવી દઇએ કે મહત્તમ લોન માટે કોઇ મર્યાદા બાંધવામાં આવી નથી . લોન મેળવવાની શરત નિયમ અનુસાર રિટેલ ટ્રેજ માટે પાંચ કરોડ રૂપિયા સુધીની લોન આપવામાં આવશે . આ માટે શરત એ છે કે આપે આપના વ્યવસાયમાં રૂપિયા બે કરોડનું રોકાણ કર્યું હોય . ફૂડ અને એગ્રો પ્રોસેસિંગ યુનિટ લગાવનારા પોતાના યુનિટમાં પાંચ કરોડ રૂપિયા રોકે છે તો તેમને લોન મળી શકે છે ." entertainment,"બિગબોસ 10 નો આગાઝ થઇ ચુક્યો છે તેના પહેલા જ દિવસથી . આમ તો બિગબોસ હંમેશાથી શૉમાં કંઈકને કંઈક નવા ટ્વિસ્ટ લઈને આવતા જ હોય છે . પરંતુ આ વખતે પહેલા જ દિવસમાં ઘણા જ રસપ્રદ સીન જોવા મળ્યા હતા . તો ચાલો આપને જણાવી દઈએ કે શુ થયું બિગબોસના પહેલા દિવસે . દિવસની શરૂઆત થયી કન્ટેસ્ટન્ટની "" બધા જ નિયમો તોડી દો "" થી જેના પર સેલિબ્રિટી ચાલતા જોવા મળ્યા . ત્યારપછી તરત જ રુલ બુક સામે આવી ગયી . જેનું તેમને આખું અઠવાડિયું પાલન કરવાનું હતું . રુલ બુક અનુસાર સેલિબ્રિટીએ આમ લોકોના સેવક બનવાનું પડશે અને તેઓ જે કહેશે તે મુજબ જ કામ કરવું પડશે . સેલિબ્રિટી આમ લોકોની અનુમતિ વિના કોઈ પણ વસ્તુનો ઉપયોગ નહીં કરી શકે . સેલિબ્રિટી કેળાના પાંદડામાં જ જમશે . તેઓ કોઈ પણ વાશનનો ઉપયોગ પણ નહિ કરી શકે . આમ લોકોએ ખાલી ઘંટડી વગાડવાની રહેશે અને બધા જ સેલિબ્રિટી તેમની સેવામાં હાજર થઇ જશે . બધા જ કન્ટેસ્ટન્ટને ઘરે આવ્યે વધારે સમય પણ થયો ના હતો કે નોક ઝોક ચાલુ થઇ ગયી . એટલે કે માહોલ ટીઆરપીનો બની ગયો . પ્રિયંકાએ બાનીની ઉમર પૂછી લીધી તો બાનીને ખોટું લાગી ગયું અને બંને વચ્ચે અનબન શરૂ થઇ ગયી . પ્રિયંકાએ કહ્યું કે બાની હું તમને સવાલ કરી રહી છું તમે જવાબ નથી આપી રહ્યા અને વચ્ચેથી ઉઠીને આવી ગયા . પહેલા જ દિવસે નોમીનેશન માટે ગૌરવ ચોપરા , લોપામુદ્રા , મનુ અને પ્રિયંકા અને ઘરથી બહાર નીકળવા માટે નોમીનેટ કરવામાં આવ્યા છે . સેલિબ્રિટીએ દિવસમાં 3 વાર પુલની સાફ સફાઈ કરવી પડશે . લોપામુદ્રાને કુકીંગનું કામ આપવામાં આવ્યું છે અને ગૌરવ ચોપરાએ વાતનું ધ્યાન રાખશે કે કઈ પણ રુલ બુકથી વધારે ના થઇ જાય ." entertainment,બોલિવૂડમાં મલાઈકા અરોરા એવી અભિનેત્રીઓમાં છે જે 43 વર્ષની હોવા છતાં પણ 30 વર્ષની દેખાઈ છે . તેમની હોટ તસવીરો જોઈને તમે પણ ચકરાઈ જશો . ભલે મલાઈકા અરોરા અરબાઝ ખાનથી અલગ થઇ ચુકી હોય પરંતુ તેની અસર તેને બાળકો પર નથી થવા દીધી . અરહાન ખાન હાલ તો 13 વર્ષના છે . પરંતુ મમ્મી મલાઈકા તેને પોતાના દરેક વેકેશનમાં સાથે જ લઈને જાય છે . આ માં અને દીકરાની જોડી પણ કમાલની છે બનેં સાથે જ મસ્તી મજા કરતા જોવા મળે છે . જ્યારે પાણીમાં ભીંજાયેલી મલાઇકા અરોરા ખાને કંઇક આમ કર્યું ત્યારે ! એવું નથી કે મલાઈકા પોતાના જ દીકરા સાથે મસ્તી કરતી જોવા મળે છે . તે સોહેલના દીકરા નિર્વાણ અને ઘરના બીજા છોકરાઓ સાથે પણ એટલી જ કૂલ રહે છે . ઇન્સ્ટાગ્રામ પર મલાઈકા અરોરા પોતાના દીકરાની તસવીરો શેર કરતી જ રહે છે . નીચે જુઓ મલાઈકા અને અરહાનની કેટલીક ક્યૂટ તસવીરો . . . business,"તેમણે આવનારા સમયમાં ભારતીય મૂડી બજારને વૈશ્વિક માપદંડો અનુસાર ઉચ્ચસ્તરીય બનાવવા પર ભાર મૂક્યો હતો . અહલુવાલિયાએ એમ પણ જણાવ્યું કે ભારતીય બજારોએ ઘણી પ્રગતિ કરી છે . ભારતીય શેર બજારે સમયાંતરે ઉભા થતા દબાણને સારી રીતે સંભાળ્યું છે . એશીના દાયકાના અંતિમ વર્ષોમાં પોતાના કાર્યકાળ દરમિયાનબજાર નિયંત્રક સેબીની રચનાની દિશામાં મહત્વની ભૂમિકા ભજવનાર અહલુવાલિયાએ જણાવ્યું કે ભારતીય બજારોએ ત્યાર બાદ સારી પ્રગતિ કરી છે . અહલુવાલિયાએ જણાવ્યું કે "" હું સ્પષ્ટરીતે જણાવું છું કે મૂડી બજારો સાથે મને વિશેષ આકર્ષણ છે . "" તેઓ નવી દિલ્હીમાં શેર બજાર વિનિયામકોના એક આંતરરાષ્ટ્રીય સંમેલનને સંબોધિત કરી રહ્યા હતા . શેર બજાર પંચના આંતરરાષ્ટ્રીય સંગઠનની એશિયા પ્રાંતની ક્ષેત્રિય સમિતિની ત્રણ દિવસની બેઠકનું આયોજન સેબીએ કર્યું હતું . મૂડી બજાર સાથે અહલુવાલિયાના જોડાણ અંગે સેબીના અધ્યક્ષ યુ કે સિંહાએ જણાવ્યું કે સેબીની રચના પહેલા નિર્ણયોના અપીલની સુનવણી સરકાર જ કરતી હતી . આ અપીલ સાંભળવાનું કામ અહલુવાલિયા કરતા હતા . સુનવણી દરમિયાન જ્યારે વકીલો તેમને માય લોર્ડ કહેતા હતા ત્યારે તેઓ ખૂબ રોમાંચ અનુભવતા હતા ." business,"નવી દિલ્હીઃ ICICI બેંકના એમડી અને સીઈઓ ચંદા કોચરે રાજીનામું આપી દીધું છે . બેંકે ગુરુવારે જણાવ્યું કે ચંદા કોચરની વહેલા રિટાયરમેન્ટની વિનંતી બેંકે મંજૂર કરી રાજીનામું સ્વીકારી લીધું છે . જણાવી દઈએ કે વીડિયોકોન લોન મામલે ચંદા કોચર વિવાદોમાં ફસાયાં હતાં . જાણકારી મુજબ ચંદા કોચરની જગ્યાએ સંદીપ બક્ષી ICICIના નવા સીઈઓ અને એમડી બનશે . એમનો કાર્યકાળ 5 વર્ષનો રહેશે . બેંકુ મુજબ ચંદા કોચર વિરુદ્ધ ચાલી રહેલી તપાસ પર આનાથી કોઈ અસર નહિ પડે . આ સમાચાર બાદ ICICI બેંકના શેરમાં તેજીનો રૂખ જોવા મળ્યો છે . બેંકનો શેર 3 ટકાના વધારા સાથે 313 રૂપિયા પર પહોંચી ગયો છે . ચંદા કોચર પર આરોપ હતો કે વીડિયોકોન ગ્રુપને લોન આપતી વખતે તેમણે ગેરરીતિ દાખવી હતી અને ખોટી રીતે ખાનગી લાભ મેળવ્યો . આ મામલે ચંદા કોચરના પતિ દીપક કોચરનું પણ નામ સામે આવ્યું છે . આ મામલો સામે આવ્યા બાદ 19 જૂન 2018થી જ ચંદા કોચરને રજા પર મોકલી આપ્યા હતા . ઉલ્લેખનીય છે કે આઈસીઆઈસીઆઈ બેંક અને વીડિયોકોન ગ્રુપના રોકાણકાર અરવિંદ ગુપ્તાએ ચંદા કોચર પર આરોપ લગાવ્યો હતો કે કોચરે વીડિયોકોનને કુલ 2350 કરોડ રૂપિયાની લોન મંજૂર કરવાના બદલામાં ખોટી રીતે ખાનગી લાભ હાંસલ કર્યો . જે બાદ બેંકના સીઈઓ અને એમડી ચંદા કોચર તથા તેના પતિની મુશ્કેલીઓમાં વધારો થયો છે . ICICI સિક્યોરિટીનો શેર પણ 1.75 ટકા વધી ગયો છે . બેંકના બોર્ડે ચંદા કોચરનું રાજીનામું સ્વીકારી લીધું છે . ICICI બેંકે કહ્યું કે ચંદા કોચરને બેંકની તમામ સહયોગી કંપનીઓના બોર્ડની જવાબદારીઓમાંથી મુક્ત કરી દેવામાં આવી છે . આ પણ વાંચો - શેરબજારમાં હાહાકાર , સેન્સેક્સ 600 પોઇન્ટ તૂટ્યો , રૂપિયો પણ 91 પૈસા કમજોર" entertainment,"રાબતા કાસ્ટઃ સુશાંત સિંહ રાજપૂત , કૃતિ સેનન , વરુણ શર્મા ડાયરેક્ટરઃ દિનેશ વિજન પ્રોડ્યૂસરઃ દિનેશ વિજન , હોમી અડજાનિયા , ભૂષણ કુમાર લેખકઃ સિદ્ધાર્થ - ગરિમા પ્લસ પોઇન્ટઃ સુશાંત અને કૃતિની સિઝલિંગ કેમેસ્ટ્રી માઇનસ પોઇન્ટઃ કેટલીક જગ્યાએ ફિલ્મની વાર્તા ખેંચાયેલી લાગે છે , પાસ્ટની સ્ટોરીમાં જમાવટ નથી સ્ટાર - 2.5" business,"જો આપ રિયલ એસ્ટેટ કે મકાન ખરીદ્યાના ત્રણ વર્ષમાં જ તેને વેચીને મૂડી લાભ મેળવી રહ્યા હોવ તો આપે લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સ ટેક્સ ચૂકવવો પડશે . બજેટ 2014માં મૂડી લાભ કર નિયમોમાં સુધારો કરવામાં આવ્યો છે . આ સુધારાને પગલે સ્થાવર મિલકત વેચવા માંગતા તમામ લોકો માટે મુશ્કેલી ઉભી થઇ છે . આ સુધારાને કારણે પહેલા જે લાભ મળતો હતો તે હવે નહીં મળે . A . માત્ર એક રહેંણાક મકાન પર કર મુક્તિ સ્થાવર મિલકતો પર તમે બીજું મકાન ખરીદો ત્યારે કરમુક્તિ મળે છે . જો કે આ લાભ તમને ત્યારે જ મળશે જ્યારે પ્રથમ મકાન વેચ્યાના એક વર્ષ બાદ અને બે વર્ષ થતા પહેલા તમે બીજી મિલકત કે મકાન ખરીદો . સુધારા પહેલાની સ્થિત સુધારો થતા પહેલા આ પ્રકારની કોઇ મર્યાદા ન હતી . પહેલા મૂડી લાભ મેળવવા માટે દુનિયામાં તમે ગમે ત્યાં એક મિલકત વેચીને બીજી ખરીદી શકતા હતા . આમ તમે એક કરતા વધારે મિલકતો ધરાવી શકતા હતા અને તમામ રકમ પર કર રાહતનો દાવો કરી શકતા હતા . સુધારા પછીની સ્થિતિ હવે , આપ માત્ર ભારતમાં કોઇ પણ એક રેસિડેન્શિયલ પ્રોપર્ટી પર કર લાભનો દાવો કરી શકો છો . આથી આપ વધારે મકાન ખરીદશો તો પણ આપને એક જ મિલકત પર લોંગ ટર્મ કેપિટલ ગેઇન બેનિફિટ મળશે . B . રૂપિયા 50 લાખ સુધીની મિલકત પર કર લાભ જો આપ ચોક્કસ બોન્ડમાં રોકાણ કરો છો તો રિયલ એસ્ટેટના લોંગ ટર્મ કેપિટલ ટેક્સ ગેઇનમાં છુટ મળે છે . આ લાભ લેવા માટે આપે આપની પ્રોપર્ટીના વેચાણના છ મહિના અથવા ટેક્સ રિટર્ન ફાઇલ કરતા પહેલા બંનેમાંથી જે વહેલું હોય તેમાં લાભ મળે છે . સુધારા પહેલાની સ્થિતિ પહેલા આપ રૂપિયા એક કરોડ ( સતત બે નાણાકીય વર્ષ સુધી પ્રત્યેક વર્ષે રૂપિયા 50 લાખ ) ના બોન્ડમાં રોકાણ કરી શકતા હતા . આમ છતાં પૂરી રકમ રૂપિયા 1 કરોડ પર કર લાભ મળતો હતો . સુધારા પછીની સ્થિતિ હવે આપ મૂડી લાભ મેળવવા માટે એક વર્ષે માત્ર રૂપિયા 50 લાખ સુધીનું રોકાણ બોન્ડમાં કરી શકો છો . તેના કારણે આપને રૂપિયા 50 લાખ સુધીની રકમ પર છુટ મળી શકે છે . જો આ રકમ કરતા વધારે રોકાણ કરવામાં આવે તો આપે લાંબા ગાળાના મૂડી લાભ પર મૂડી લાભ કર ચૂકવવો પડે છે . C . અમાન્ય ટોકન નાણા પર કર પ્રોપર્ટી બુક કરાવવા માટે એડવાન્સ પેટે ચૂકવવામાં આવેલી રકમ અંગે પણ સુધારો કરવામાં આવ્યો છે . જે અનુસાર આ રકમને અમાન્ય ગણાવીને પ્રોપર્ટીની બદલી કરી શકાતી નથી . સુધારા પહેલાની સ્થિતિ પહેલા અગાઉથી ચૂકવેલી રકમ મિલકતના વેચાણ વર્ષમાં હસ્તગત કરવામાં વપરાયેલી રકમમાંથી બાદ મળતી હતી . સુધારા પછીની સ્થિતિ વાટાઘાટ સમયે અગાઉથી મળેલી રકમ મિલકતની બદલી ના થાય તો અન્ય સ્રોતમાંથી મળેલી આવકમાં ગણવામાં આવે છે . તારણ : આ સુધારા આકારણી વર્ષ 2015 - 16થી અમલી બનશે . આ કારણે તમે જો મકાન વેચવા માંગતા હોવ તો લોંગ ટર્મ કેપિટલ ગેઇન પરનો ટેક્સ કેવી રીતે બચાવવો તે વિચારવું જોઇએ ." business,"નાણા ખરદા 2013માં કરવામાં આવેલા સુધારાની સ્પષ્ટતામાં કહેવામાં આવ્યું છે કે "" બે લાખ રૂપિયાની વધારાની સોનાની ખરીદી પર એક ટકાના દરે સ્રોત પર કર સંગ્રહ ( ટીસીએસ ) લાગશે . આ રીતે પાંચ લાખ રૂપિયાથી વધારાના આભૂષણોના રોકડ વેચાણ પર એક ટકા ટીસીએસ લાગશે . "" કરમાં કરવામાં આવેલો આ સુધારો 1 જૂન , 2013થી અમલી બનશે . વર્તમાન જોગવાઇઓ અંતર્ગત તેમાં સિક્કા કે આભૂષણોનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો . આવી સ્થિતિમાં બો લાખ રૂપિયાથી વધારેના સોનાના સિક્કાઓના વેચાણ પર ટીસીએસ નથી લાગતો . સરકારે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે આમાં કોઇ પ્રકારનો નવો વેરો લગાવવામાં આવી રહ્યો નથી . તેમાં માત્ર સોનાના સિક્કા અથવા અન્ય વસ્તુઓ ( 10 ગ્રામ કે તેથી ઓછીને ) પણ સામેલ કરવામાં આવી છે . નાણા મંત્રાલયે જણાવ્યું કે આ કોઇ પ્રકારનો નવો વેરો નથી . માત્ર જુના કરને ચાલુ રાખવામાં આવ્યો છે અને તેમાં સિક્કા કે અન્ય સામાનને જે છૂટ આપવામાં આવી હતી , તે છૂટ દૂર કરવામાં આવી છે . લોકસભામાં ખરડો રજૂ કરતા નાણા પ્રધાન પી ચિદમ્બરમે જણાવ્યું હતું કે આ છૂટથી લોકોને તેનો દુરુપયોગ કરવાની તક મળતી હતી ." business,"અમદાવાદઃ પેટ્રોલ - ડીઝલની વધી રહેલી કિંમતોએ સામાન્ય નાગરિકોની મુશ્કેલી વધારી છે . આજે ફરી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો નોંધાયો છે . આજે 14 પૈસાના ભાવ વધારા સાથે પેટ્રોલ 83.09 રૂપિયાની સપાટી પર પહોંચી ગયું છે જ્યારે 22 પૈસાના વધારા સાથે ડીઝલ 80.98 રૂપિયાની સપાટી પર પહોંચી ગયું છે . ઉલ્લેખનીય છે કે બુધવારે પેટ્રોલ - ડીઝલમાં વધારો કે ઘટાડો નહોતો થયો . ચાર મેટ્રો શહેર મુંબઈ , દિલ્હી , કોલકાતા અને ચેન્નઈમાં પણ પેટ્રોલ - ડીઝલના ભાવમાં વધારો નોંધાયો છે . દિલ્હીમાં આજે ટ્રોલમાં 15 પૈસા જ્યારે ડીઝલમાં 20 પૈસાનો ભાવ વધારો જોવા મળ્યો છે . નવી કિંમતો લાગુ થયા બાદ પેટ્રોલ લીટર દીઠ 84 રૂપિયા અને ડીઝલ લીટર દીઠ 75.45 રૂપિયામાં મળી રહ્યું છે . પાછલા કેટલાય દિવસથી પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં સતત ભાવ વધારો થઈ રહ્યો છે . અત્યારસુધીના સૌથી નીચલા સ્તરે રૂપિયો , 73.33 રૂપિયા પ્રતિ ડોલર જ્યારે મુંબઈની વાત કરીએ તો અહીં પેટ્રોલની કિંમતોએ પણ રેકોર્ડ તોડ્યો છે . અહીં પેટ્રોલ 91 રૂપિયા પ્રતિ લીટરની સપાટી પર પહોંચી ગયું છે . પેટ્રોલની કિંમતાં મુંબઈમાં 14 પૈસાનો વધારો થયો છે જ્યારે ડીઝલના ભાવમાં 21 પૈસાનો વધારો ઝીંકાયો છે . નવી કિંમતો લાગુ થયા બાદ મુંબઈમાં પેટ્રોલ 91.34 રૂપિયા અને ડીઝલ 80.10 રૂપિયાની સપાટી પર પહોંચી ગયું છે . મુંબઈમાં પેટ્રોલ અને ડીઝલ ઉચ્ચતમ સ્તરે પહોંચી ગયું છે . પેટ્રોલ - ડીઝલની વધતી કિંમતોથી પંપ માલિકો પણ પરેશાન" sports,બોક્સિંગ લીજેંડ અને ઘણા યુવાઓના આદર્શ મોહમ્મદ અલી હવે આપણી વચ્ચે નથી રહ્યા . 74 વર્ષના મોહમ્મદ અલીનું અમેરિકાના ફિનિક્સમાં નિધન થઇ ચુક્યું છે . તેમને ગુરુવારે શ્વાસ લેવામાં તકલીફ હોવાથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા . પાકીસનની બિમારીથી પરેશાન તેમના પરિવાર અને નજીકના લોકોનું માન્યે તો તેમને શ્વાસ લેવાની સમસ્યા પાકીસનની બિમારીના કારણે વધી ગઈ હતી . કહેવામાં આવે છે કે છેલ્લા કેટલાક સમયથી આ બિમારી ખુબ જ વધી ગઈ હતી . 80 ના દાયકામાં ખબર પડી આ બિમારી મોહમ્મદ અલીના સ્પોકપર્સન બોબ ગુનેલ એ ગુરુવારે એક પ્રેસ રિલીઝ જાહેર કરી . જેમાં કહેવામાં આવ્યું છે કે મોહમ્મદ અલી ને 1984માં પોતાની બિમારી વિશે ખબર પડી હતી . આ પહેલા પણ 2015માં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા . ક્યારે ક્યારે જીત્યો ખિતાબ મોહમ્મદ અલી 3 વાર વિશ્વ ચેમ્પિયન રહ્યા છે . પહેલીવાર તેમને 1964 પછી 1974 અને 1978માં વિશ્વ ચેમ્પિયનનો ખિતાબ જીત્યો હતો . business,"નવી દિલ્હીઃ આગામી કેટલાક વર્ષોમાં દુનિયાભરમાં સૌથી તેજીથી ઈકૉનોમિક ગ્રોથ કરનાર શહેરમાં ટૉપ - 10 ભારતના છે . ઑક્સફોર્ડ ઈકોનોમિક્સના રિપોર્ટ મુજબ ગ્લોબલ સિટીઝ રિસર્ચમાં સુરત ગ્રોથમાં સૌથી ઉપર છે . 2019થી 2035 દરમિયાન આ શહેરનો સરેરાશ વાર્ષિક ગ્રોથ 9.17 ટકા રહેવાની ઉમ્મીદ છે . જે બાદ બીજા નંબર પર આગરા ( 8.58 ) અને ત્રીજા નંબર પર બેંગ્લોર ( 8.5 ) રહેશે તેવી અપેક્ષા છે . જો કે આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ભારતીય શહેરોનો ઈકોમોનિક આઉટપુટ બજા દેશોની સરખામણીએ ઓછો રહેશે . આ ઉપરાંત તમામ એશિયાઈ શહેરોનો કુલ જીડીપી વર્ષ 2017 સુધી તમામ ઉત્તરી અમેરિકા અને યુરોપીય શહેરોના જીડીપીથી ઉપર નીકળી જશે . ન્યૂયોર્ક , ટોક્યો , લૉસ એન્જલ્સ અને લંડનના આ તમામ ટૉપ 4 પર બન્યાં રહેશે . પરંતુ ચીનનું શાંઘાઈ , બેઈજિંગ અને ફ્રાંસનું પેરિસ તથા અમેરિકાના શિકાગોને પાછળ છોડી દેશે . પરંતુ ચીનના ગ્વાંગઢૂ અને શેનઝેન પણ ટૉપ 10માં સામેલ થઈ જશે . ટૉપ - 10માં 5 દક્ષિણ ભારતનાં તો 2 ગુજરાતનાં શહેર રિસર્ચ રિપોર્ટ મુજબ 2019થી 2035 વચ્ચે દુનિયામાં સૌથી તેજીથી આગળ વધી રહેલ શહેરોમાં તમામ 10 શહેર ભારતીય છે . જેમાં પહેલા નંબરે સુરત , બીજા નંબરે આગરા , ત્રીજા નંબરે બેંગ્લોર , ચોથા નંબરે હૈદરાબાદ , પાંચમા નંબરે નાગપુર , છઠ્ઠા નંબરે ત્રિપુરા , સાતમા નંબરે રાજકોટ , આઠમા નંબરે તિરુચિરાપલ્લી , નવમા નંબરે ચેન્નઈ અને દસમા નંબરે વિજયવાડા છે . બુલંદશહર હિંસાનો વધુ એક વીડિયો વાયરલ , ગોળી લાગતા પહેલા પથ્થરમારો કરી રહ્યો હતો સુમિત" business,"નવી દિલ્હી , 12 ઓક્ટોબર : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16 ઓક્ટોબર , 2014ના રોજ પોર્ટેબલ પીએફ ( પ્રોવિડન્ડ ફંડ - PF ) એકાઉન્ટ સહિત કામદારો માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓ અને એક સંકલિત વેબ પોર્ટલ શરૂ કરવાના છે . આ સમગ્ર યોજનાઓનો હેતુ લેબર લૉ ( શ્રમ કાયદા ) નું પાલન યોગ્ય રીતે થાય અને તેમાં ગેરરીતી આચરતી કંપનીઓ કે પેઢીઓની તપાસ કરી શકાય તે માટે છે . આ બાબત અંગે શ્રમ મંત્રાલયના એક અધિકારીના જણાવ્યા અનુસાર ' વડાપ્રધાન 16 ઓક્ટોબરના રોજ કામદારો માટે વિવિધ યોજનાઓના શુભારંભ સંદર્ભમાં યોજવામાં આવેલા સમારોહની અધ્યક્ષતા કરશે . તેમાં ઇપીએફઓ ( કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન ) માટે યુનિવર્સલ એકાઉન્ટ નંબર ( UAN ) અને કંપનીઓની સંકલિત તપાસ માટે એક વેબ પોર્ટલનો સમાવેશ કરવામાં આવ્યો છે . ' આ ઉપરાંત શ્રમ મંત્રાલયે ઔદ્યોગિક પ્રશિક્ષણને પ્રોત્સાહિત કરવા માટેના પ્રયાસો અંતર્ગત આ પ્રકારની સંસ્થાઓમાંથી પાસ થયેલા અને વિવિધ કંપનીઓના ઉચ્ચ હોદ્દાઓ પર બેઠેલી કેટલીક વ્યક્તિઓને સન્માનિત કરવામાં આવશે . અધિકારીઓએ જણાવ્યું કે ઔદ્યોગિક પ્રશિક્ષણ સંસ્થાનનું બ્રાન્ડિંગ કરવામાં આવ્યું નથી . આ માટે મંત્રાલયે આ વ્યક્તિઓની ઓળખ પોતાની સંસ્થાઓના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કરી છે . તેના પગલે આ સંસ્થાઓની સકારાત્મક બ્રાન્ડિંગ થશે . જેના દ્વારા લોકો તેમાં પોતાની નોંધણી કરાવી શકશે . આ સાથે તેને પોતાના પ્રથણ વિકલ્પ તરીકે પસંદ પણ કરી શકશે . વર્તમાન સમયમાં એન્જીનીયર બનવાની ઇચ્છા ધરાવનાર આઇઆઇટી , એનઆઇટી અને વિવિધ ખાનગી એન્જીનીયરિંગ કોલેજોને પ્રાથમિકતા આપે છે . બીજી તરફ આઇટીઆઇને અંતિમ વિકલ્પમાં રાખે છે . યુનિવર્સલ એકાઉન્ટ નંબર મળવાથી તેના સભ્યોને એક જ ખાતા નંબર દરેક જગ્યાએ ચાલુ રાખવામાં મદદ મળશે . ભારતમાં તેનો ક્યાંય પણ ઉપયોગ કરી શકાશે . જો વ્યક્તિ સંગઠિત ક્ષેત્રમાં પોતાની નોકરી બદલશે તો કામદારોને પોતાના પીએફ ખાતાને સ્થાનાંતરિત કરવા માટે અરજી કરવાની જરૂર રહેશે નહીં ." entertainment,"મુંબઈ , 16 સપ્ટેમ્બર : બૉલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણે ક્લીવેજ કંટ્રોવર્સીના પગલે ચર્ચામાં છે . મીડિયા સામે તેમનો ગુસ્સો એટલો તો પ્રબળ હતો કે બૉલીવુડ સેલિબ્રિટીઓમાં પણ તેના પડઘા સંભળાયાં . એક લીડિંગ ન્યુઝ પેપર દ્વારા દીપિકા પાદુકોણે વિશે ક્લીવેજ શો સંબંધી હૅડલાઇન પ્રકાશિત થતાં દીપિકા નારાજ થઈ ગયા હતાં અને તેમણે તે અખબારની ટ્વિટર વડે ઝાટકણી કાઢી હતી . હવે દીપિકાની વહારે બૉલીવુડ સેલિબ્રિટીઓ પણ આવી ગઈ છે . દીપિકાની તાજેતરમાં જ રિલીઝ થયેલી ફાઇંડિંગ ફૅની ફિલ્મના નિર્માતા - દિગ્દર્શક હોમી અડજાણિયાએ દીપિકાના ગુસ્સાના વાજબી ઠેરવ્યો છે , તો દીપિકાના કથિત બૉયફ્રેન્ડ રણવીર સિંહ પણ ટાઇમ્સ ઑફ ઇંડિયા સામે ખફા છે . રણવીરે દીપિકાના પગલાને બૉસ જેમ ગણાવતાં ટાઇમ્સ ઑફ ઇંડિયા વિશે કહ્યું - તુમસે યે ઉમ્મીદ નહીં થી . રણવીરે પણ દીપિકાના પગલાને ટેકો આપ્યો છે . ચાલો તસવીરો સાથે જોઇએ દીપિકાના ટેકામાં કોણે - શું કહ્યું ?" sports,"પોતાના પ્રોફેસનલ બોક્સિંગ કરિયરમાં એક પણ મેચ ન હારનાર બોક્સિંગ લિજેન્ડ ફ્લૉયડ મેવેદરે ફરી એકવાર ઇતિહાસ રચ્યો છે . રવિવારે મેવેદર અને કૉનર મેકગ્રેગર વચ્ચે બોક્સિંગ મેચ રમાઇ હતી , જેમાં મેવેદર વિજેતા બન્યા હતા . આ સાથે જ મેવેદરનો પ્રોફેશનલ બોક્સિંગ કરિયરનો રેકોર્ડ 50 - 0 થઇ ગયો છે . 40 વર્ષીય મેવેદરે આ સૌથી મોંઘી ફાઇટમાં મિક્સ્ડ માર્શલ આર્ટ્સ સુપરસ્ટાર 21 વર્ષીય કૉનોર મેકગ્રેગોરને હરાવીને પોતાના કરિયરનો 50 - 0 રેકોર્ડ પ્રસ્થાપિત કરી ઇતિહાસ રચ્યો છે . બોક્સિંગ જગતના આ બે દિગ્ગજો વચ્ચે રમાયેલી ફાઇટમાં અબજો રૂપિયા દાંવ પર લાગ્યા હતા . આ પહેલાં રિટાયરમેન્ટ સુધીમાં રમાયેલ 49 મેચોમાં મેવેદર એક પણ મેચ હાર્યા નથી , આ મેચોમાંથી 26 બાઉટ તો તેમણે નૉકઆઉટ જીતી છે . મેકગ્રોગરની વાત કરીએ તો , કુલ 24 બાઉટમાંથી તે માત્ર 3 હાર્યા છે અને 21માં જીત મેળવી છે . ફ્લૉયડ મેવેદર અે કૉનોર મેકગ્રેગર વચ્ચે રમાયેલ આ હાઇ પ્રોફાઇલ ફાઇટ બોક્સિંગ ઇતિહાસની અત્યાર સુધીની સૌથી મોંઘી ફાઇટ હતી . આ ફાઇટ માટે 600 મિલિયન ડોલર એટલે કે આશરે 4000 કરોડ રૂપિયા દાંવ પર લાગ્યા હતા . લાસ વેગાસમાં રમાયેલ આ ફાઇટ 220 દેશોમાં લાઇવ બતાવવામાં આવી હતી . લગભગ 1 કરોડ લોકો આ ફાઇટ લાઇવ જોઇ રહ્યા હતા . યુએસના 400થી વધુ સિનેમોઘરોમાં આ ફાઇટ લાઇવ પ્રસારિત કરવામાં આવી હતી . મેવેદર આ પહેલાં પોતાના કરિયરમાં 387 પ્રોફેશનલ બોક્સિંગ રાઉન્ડ રમી ચૂક્યા છે ." entertainment,"નવી દિલ્હી , 23 નવેમ્બર : બૉલીવુડ અભિનેત્રી લારા દત્તા આજકાલ રૂપેરી પડદેથી અલોપ છે . તેઓ વિરામ ઉપર છે . સૌ જાણે છે કે મહેશ ભૂપતિ સાથે લગ્ન કરનાર લારા હાલ એક બાળકીના માતા છે , પરંતુ તેઓ કહે છે કે તેમને એક નવુ બાળક અવતર્યું છે ! હવે આપને જાણીને આશ્ચર્ય થશે કે લારાને તો એક જ બાળકી છે અને આ નવુ બાળક ક્યારે આવી ગયું ? પરંતુ રખે ચૂકતા . . . કંઈક આડુ - અવળુ ન વિચારતાં . લારા દત્તાને કોઈ નવુ બાળક નથી અવતર્યું . હકીકતમાં લારા દત્તા હાલ અભિનયમાંથી બ્રેક ઉપર છે અને પોતાના સાડી સંગ્રહમાં વ્યસ્ત છે . તેઓ પોતાના ડિઝાઇનિંગ કૌશલ્યને નિખારી રહ્યાં છે . નો એન્ટ્રી , પાર્ટરનર જેવી સફળ ફિલ્મોમાં કામ કરનાર લારા દત્તા બે વર્ષની પુત્રી સાયરાની માતા છે , પરંતુ તેઓ ડિઝાઇનિંગને પોતાનું નવું બાળક ગણાવે છે . લારાએ આ ખુલાસો નવી દિલ્હી ખાતે કર્યો . તેઓ પોતાના બીજા ડિઝાઇનિંગ સાડી સંગ્રહની લૉન્ચિંગ અર્થે અહીં આવ્યા હતાં . છાબડા 555 સાથે પોતાની સાડીઓની લૉન્ચિંગ દરમિયાન લારા દત્તાએ મીડિયા સાથે વાતચીત કરી . આવો લારા દત્તાની આ ‘નવા બાળક ' એટલે કે સાડી સાથેની તસવીરો જોઇએ અને જાણીએ તેઓ વદુમાં શું કહે છે :" sports,"મુંબઇ , 17 નવેમ્બરઃ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 24 વર્ષ રમ્યા બાદ ભારતીય ક્રિકેટના મહાન ખેલાડી અને ક્રિકેટનો પર્યાય બની ગયેલા માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર દ્વારા પોતાની નિવૃત્તિ બાદ પહેલી વહેલી પ્રેસ કોન્ફરન્સ આજે મુંબઇ ખાતે સંબોધી હતી . જેમાં તેમણે કહ્યું હતું કે , તેનો નિવૃત્તિ લેવાનો યોગ્ય સમય હતો . સચિન તેંડુલકરે કહ્યું કે , જ્યારે મે મારી અંતિમ મેચ રમી ત્યારે મારી આંખમા આસું હતા . મે મારી પત્ની સાથે નાસ્તો કર્યો હતો . હવે હું થોડોક સમય આરામ કરીશ , 24 વર્ષ સુધી રમ્યા કરવું એ મારા માટે સૌથી મહત્વનું છે . તેમણે કહ્યું કે , મે નિવૃત્તિ માટે યોગ્ય સમય પસંદ કર્યો છે . જ્યારે મને લાગ્યું કે , મારે નિવૃત્તિ લેવાની છે , ત્યારે મે નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો છે . છેલ્લા ઘણા સમયથી મારી નિવૃત્તિને લઇને પ્રશ્નો ઉઠી રહ્યાં હતા . શરીરે મને નિવૃત્તિ લેવાના સંકેતો આપી દીધા હતા ." entertainment,"જાણીતા દિગ્દર્શક અનુરાગ કશ્યપે ટ્વિટર ઉપર માહિતી આપી છે કે ઇંટરનેટ ઉપર તેમની આગામી ફિલ્મ અગ્લીનું જે પોસ્ટર શૅર કરાયું છે , તે સાચું છે . ફિલ્મમાં રોનિત રૉય , તેજસ્વિની કોલ્હાપુરે , વિનીત કુમાર સિંહ , વિપિન શર્મા , પલ્લવી શારદા , સિદ્ધાંત કપર , અંશિકા શ્રીવાસ્તવ તથા ગિરીશ કુલકર્ણી લીડ રોલમાં છે . અનુરાગ કશ્યપ હાલ પોતાની આવનાર ફિલ્મ બૉમ્બે ટૉકીઝ અંગે ચર્ચામાં છે . ચાર લઘુકથાઓના સમ્પુટ સમાન બૉમ્બે ટૉકીઝ ફિલ્મમાં એક લઘુકથા અનુરાગની પોતાની છે કે જે તેમણે જ દિગ્દર્શિત કરી છે . અનુરાગની આગામી ફિલ્મ અગ્લી અંગે થોડાંક દિવસ તેમણે જણાવ્યું હતું કે તેઓ આ ફિલ્મ અંગે એટલું જ કહી શકે છે કે તે એક લાગણીશીલ ફિલ્મ છે . આ ફિલ્મ રોમાંચક હોવાની સાથે ખૂબ જ લાગણીશીલ ફિલ્મ છે . ફિલ્મની વાર્તા એક એવી વ્યક્તિની છે કે જે પોતાના ભૂતકાળમાંજુએ છે અને અનુભવે છે કે તેનું કોઈ પણ સ્વપ્ન પૂર્ણ થયું નથી . પછી કંઇક એવું થાય છે કે જેથી તેને અનુભવાય છે કે તે અને તેની નૈતિકતા ખૂબ જ નબળી છે . ફિલ્મ આ જ વર્ષના મધ્યમાં રિલીઝ થશે ." sports,"ભારતીય ક્રિકેટમાં હાલમાં ટોચ પર ચાલી રહેલા વિરાટ કોહલી માટે હવે ભારે અગ્નિપરીક્ષા આવી ચુકી છે . ભારતમાં ઇંગ્લેન્ડમાં હવે જોરદાર ટક્કર મળવા જઈ રહી છે . વિરાટ કોહલી જ્યાં એક કેપ્ટન તરીકે પોતાની ટીમનું પ્રદર્શન સારું રાખવા માટે પ્રત્યન કરશે , ત્યાં જ બીજી બાજુ તેના પોતાના પ્રદર્શન પર પણ લોકોની નજર રહેશે . કોહલીની આ અગ્નિપરીક્ષામાં તેને ક્રિકેટના ભગવાન એવા સચિન તેંડુલકરનો સાથ મળ્યો છે . સચિને હાલમાં જ વિરાટ કોહલીનું મનોબળ વધારતા કહ્યું કે તેઓ લાંબા સમય સુધી ક્રિકેટમાં ટોચ પર રહેશે . સચિને જણાવ્યું કે તેઓ હંમેશા વિરાટ કોહલીની આંખોમાં તે આગ અને ભૂખ જોઈ શકે છે . વિરાટ કોહલી વિશે સૌથી સારી બાબત છે કે જ્યારે પણ લાગે છે કે તેમને કોઈ વિભાગમાં કામ કરવાની જરૂર છે તો તેઓ તરત નેટમાં જઈને તે વસ્તુઓ પર કામ કરે છે . સચિન તેંડુલકર ઘ્વારા જણાવવામાં આવ્યું કે એક ખેલાડી ત્યારે જ આગળ વધી શકે જયારે તે સ્વીકાર કરે કે તેમને આ વિભાગમાં કામ સારું નથી અને તેમને તેમાં બદલાવની જરૂર છે . આપણે જણાવી દઈએ કે વિરાટ કોહલી અત્યારસુધી 66 ટેસ્ટ મેચોમાં 53.40 એવરેજ સાથે 5554 રન બનાવી ચુક્યા છે . તેઓ ચાર વર્ષ પહેલા ઇંગ્લેન્ડ ટૂર પર અસફળ સાબિત થયા હતા . પાંચ ટેસ્ટમાં તેમને 13.40 એવરેજ સાથે ફક્ત 134 રન જ બનાવ્યા હતા ." entertainment,"આપણા બોલીવૂડ સેલેબ્રિટી હોય છે ખરા અર્થમાં મલ્ટી ટાસ્કર . કારણ કે તે ફિલ્મો , જાહેરાતો પ્રમોશન જેવા નીતનવા તરીકા કરીને ધૂમ પૈસા કમાઇ લે છે . વધુમાં આજકાલ અનેક હિરોઇનો જાણીતી બ્રાન્ડ કરે છે પ્રમોટ , જે દ્વારા તે ધૂમ કમાણી કરે છે . પણ તેવું નથી કે જાહેરાતો માટે આ હિરોઇનોને કંઇ ઓછી મહેનત કરવી પડે છે . લાંબા ફોટોશૂટ માટે કલાકો મેકઅપ અને પછી એક રાઇટ લૂક આપવા માટે આ હિરોઇનોને કરવી પડે છે ભારે મહેનત . પણ તે બાદ જે રિઝિલ્ટ આવે છે તે ખરેખરમાં જોવા જેવું હોય છે . ત્યારે હાલમાં નરગીસ ફાખરીએ એક હાઉસીંગ સોસાયટી માટે અને આલિયા ભટ્ટે ઓનલાઇન શોપિંગ સાઇટ જબોંગ માટે એક હોટ એન્ડ હેપનીંગ ફોટોશૂટ કરાવ્યું હતું . ત્યાં જ પ્રિયંકા ચોપડાએ પણ એક મેગેઝિનના કવર પેઝ માટે કરાવ્યું હતું ફોટોશૂટ . ત્યારે આ ફોટોશૂટની કેટલીક ખાસ તસવીરો જુઓ આ ફોટોસ્લાઇડરમાં . . ." business,ઇલેક્ટ્રોનિક આઇટમ્સ ખરીદતા સમયે ઝીરો પરસેન્ટ ફાઇનાન્સ સ્કીમ્સ અત્યંત આકર્ષક લાગે છે . કારણ કે તેના પર ઇન્ટરેસ્ટ રેટ્સ લગાવવામાં આવતો નથી અને આપ હપ્તામાં ચૂકવણી કરી શકો છો . થોડા સમય પહેલા સુધી આ યોજનાઓ અત્યંત લોકપ્રિય હતી . જો કે હવે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની દરમિયાનગીરીથી તેમાં કેટલાક નિયંત્રણો લાદવામાં આવ્યા . ત્યાર બાદ આ યોજનાઓની લોકપ્રિયતા ઘટી છે . આમ છતાં કેટલીક કંપનીઓ આ યોજનાઓ ઓફર કરી રહી છે . અમે અહીં એવી કેટલીક બાબતો જણાવીએ છીએ જે આ યોજનાઓની ખરીદી પહેલા ધ્યાનમાં રાખવી જરૂરી છે . 1 . એન્સિલરી ચાર્જીસથી ચેતો અનેક યોજનાઓ ઝીરો પરસેન્ટ ઇન્ટરેસ્ટ રેટ ઓફર કરે છે . જો કે આમ છતાં તેમાં એન્સીલરી ચાર્જીસ હોવાની શક્યતા રહેલી છે . આ ચાર્જીસ ત્રણ ટકા જેટલા ઉંચા હોય છે . આ ચાર્જીસ એડમિનિસ્ટ્રેશન અને પ્રોસેસિંગ ફીના નામે વસૂલ કરવામાં આવે છે . આથી આવી લોન લેતા પહેલા તેના ચાર્જીસ અંગે વિચારવું જોઇએ . 2 . પ્રોડક્ટની પડતર વધે છે ? આ પ્રકારની લોન લેવાથી પ્રોડક્ટની પડતર વધે છે . કારણ કે આપ ઝીરો પરસન્ટ ઓફરનો લાભ લો છો પણ અન્ય ચાર્જીસ ચઢાવવામાં આવે છે . જેના કારણે વ્યક્તિ જે પ્રોડક્ટ ખરીદે છે તેની પડતર કિંમત વધી જાય છે . આમ કરતા પહેલા અન્ય જગ્યાઓએ આવી જ પ્રોડક્ટની કિંમતો જોવી જોઇએ . 3 . ડિસ્કાઉન્ટનો અર્થ રહેતો નથી ? જો આપે ઝીરો પરસન્ટ ફાઇનાન્સ સ્કીમમાં ઝુકાવ્યું હોય તો કદાચ એવું બને કે રોકડથી ખરીદી પર ડીલર આપને ડિસ્કાઉન્ટનો લાભ આપતો હોય તે મળી શકશે નહીં . 4 . રોકડની ચૂકવણીથી કેટલું ડિસ્કાઉન્ટ મળે ? આ માટે આપે રોકડથી ખરીદી પર કેટલું ડિસ્કાઉન્ટ મળશે તેની પૂછપરછ ડીલર સાથે કરી લેવી જોઇએ . જો ડીલર આપને 10 ટકા ડિસ્કાઉન્ટ આપતો હોય તો કેશથી ખરીદી કરવી સૌથી વધારે લાભકર્તા છે . 5 . ઝીરો પરસેન્ટ સ્કીમ RBI દ્વારા નિયંત્રિત છે કે નહીં ? આ પ્રકારની સ્કીમ્સ લેતા પહેલા ખાસ તપાસ કરવી જોઇએ કે આ સ્કીમ આરબીઆઇ દ્વારા તૈયાર કરવામાં આવેલા નિયમો અનુસાર છે કે નહીં ? entertainment,"અભિનેતા નાના પાટેકર સામે તનુશ્રી દત્તાના યૌન શોષણની ફરિયાદ મામલે મુંબઈ પોલિસે ડેઝી શાહને સમન મોકલ્યા છે . પોલિસે ડેઝી શાહને સમન મોકલીને પોતાનું નિવેદન નોંધાવવા માટે કહ્યુ છે . તમને જણાવી દઈએ કે તનુશ્રી દત્તાએ નાના પાટેકર પર વર્ષ 2008માં ફિલ્મ ' હોર્ન ઓકે પ્લીઝ ' ના સેટ પર યૌન શોષણ કરવાનો આરોપ લગાવ્યો હતો . આ ફિલ્મમાં તનુશ્રી એક આઈટમ નંબર કરી રહી હતી . જેના શૂટિંગ દરમિયાન તેમણે પાટેકર પર આ આરોપ લગાવ્યા . તે સમયે અભિનેત્રી ડેઝી શાહ આ ગીતમાં આસિસટન્ટ કોરિયોગ્રાફર હતી . આ પણ વાંચોઃ MeToo : સાજિદ ખાનની ગંદી હરકતો વિશે લારાએ મને કહ્યુ હતુઃ મહેશ ભૂપતિ આ પણ વાંચોઃ રણબીરની બહેને મોટી બ્રાંડની ડિઝાઈન કરી કૉપી , બાદમાં માંગી માફી" sports,"સાઉથમ્પટન , 30 જુલાઇઃ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી ટેસ્ટ શ્રેણીની ત્રીજી ટેસ્ટના ત્રીજા દિવસનો ખેલ ખતમ થયો ત્યા સુધી ભારતે આઠ વિકેટ ગુમાવીને 328 રન બનાવી લીધા છે અને ઇંગ્લેન્ડ તરફથી પહેલી ઇનિંગમાં બનાવેલા રનથી ભારત હજુ 246 રન પાછળ છે . આ સાથે જ ભારત પર ફોલઓનનું જોખમ પણ છે , ભારત ચોથા દિવસે પહેલા ફોલઓનથી બચવા માટે પ્રયાસ કરશે , ભારતે આ માટે હજુ 46 રનની જરૂર છે . ત્રીજા દિવસની રમત પૂર્ણ થઇ ત્યારે મહેન્દ્ર સિંહ ધોની અને મોહમ્મદ સમી મેદાનમાં છે . ધોની 54 રન સાથે તથા સમી 4 રન સાથે મેદાનમાં છે . ભારતીય બેટિંગ અંગે વાત કરવામાં આવે તો ભારત તરફથી મુરલી વિજયે 35 , શિખર ધવન 6 , ચેતેશ્વર પૂજારા 24 , વિરાટ કોહલી 39 , અજિંક્ય રહાણે 39 , રોહિત શર્મા 28 , રવિન્દ્ર જાડેજા 31 , ભુવનેશ્વર કુમાર 19 રન બનાવ્યા છે . ઇંગ્લેન્ડ તરફથી એન્ડરસન અને બ્રોડે 3 - 3 વિકેટ લીધી છે , જ્યારે મોઇન અલીએ બે વિકેટ લીધી છે . તો ચાલો આ મેચ સાથે જોડાયલી કેટલીક રસપ્રદ વાતો પર નજર ફેરવીએ . સાઉથમ્પટન ટેસ્ટના બીજા દિવસ સાથે જોડાયેલી રસપ્રદ વાતો આ પણ વાંચોઃ - ‘સેવા ગાઝા ' કહેવું ભારે પડ્યું આ ઇંગ્લિશ બેટ્સમેનને" sports,"નવી દિલ્હી , 7 ઓક્ટોબરઃ જે રીતે બૉલીવુડમા બ્રહ્મા , વિષ્ણુ અને મહેશ કહીંને મહોમ્મદ રફી , મુકેશ અને કિશોર દાને સંબોધવામાં આવતા હતા , તેવી જ રીતે ભારતીય ક્રિકેટમાં પણ આવી એક જોડી છે . ભારતીય ક્રિકેટમાં બ્રહ્મા ( સચિન ) , વિષ્ણુ ( સૌરવ ગાંગુલી ) અને મહેશ ( રાહુલ દ્રવિડ ) . વિષ્ણુએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધે સમય થઇ ગયો છે . જ્યારે બ્રહ્મા અને મહેશ ગઇ કાલે રમાયેલી ચેમ્પિયન્સ લીગની મેચ સુધી ક્રિકેટમાં સક્રિય હતા . જો કે , સચિને હજુ ટેસ્ટ ક્રિકેટને અલવીદા કહીં નથી , પરંતુ ગઇ કાલની મેચ સચિનની અંતિમ ટી20 મેચ હતી , જ્યારે રાહુલ દ્રવિડે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લઇ લીધી છે . સચિને તેંડુલકરે કહ્યું કે , તેમની દરેક ટીમમાં નંબર ત્રણ પર દ્રવિડ ઉતરશે . બીજી તરફ દ્રવિડે કહ્યું કે , તેંડુલકર હંમેશા તેમના પ્રેરણાસ્ત્રોત રહ્યાં છે . તેંડુલકરે કહ્યું કે , હું પહેલીવાર દ્રવિડ સાથે એક ટીમમાં 1995માં ચેલેન્જર ટ્રોફીમાં રમ્યો હતો . ત્યારે હું ટીમનો સુકાની હતો . તેમની ટેક્નિક એટલી સારી છે કે , હું તેમના પર આંખો બંધ કરીને વિશ્વાસ કરી શકુ છુ . મારી કોઇપણ ટીમ હશે તો તેમાં નંબર ત્રણ પર દ્રવિડ જ રમશે . દ્રવિડને ઉમરમાં પોતાનાથી બે મહિના નાના તેંડુલકર અંગે કહ્યું કે , હું ઉમરમાં તેનો સિનિયર હોઇ શકુ છુ , પરંતુ ક્રિકેટમાં તે મારા કરતા સાત વર્ષ સિનિયર છે અનિ હું હંમેશા મારા માટે તેમને પ્રેરણાસ્ત્રોત માનતો રહ્યો છું . તેંડુલકર અને દ્રવિડની જુગલબંદી ક્રિકેટના મેદાન પર જગજાહેર છે . તેમણે 146 ટેસ્ટ અને 245 વનડે મેચોમાં એકબીજાનો સાથ આપ્યો છે . ટેસ્ટ મેચોમાં 6920 રન એખ બીજા સાથે મળીને જોડ્યા છે . કોઇપણ બે બેટ્સમેનો વચ્ચેની ભાગીદારીનો આ વિશ્વ રેકોર્ડ છે . વનડે આંતરરાષ્ટ્રીય મેચોમાં પણ આ બન્નેએ સાથે મળીને 98 વનડેમાં 4117 રનની ભાગીદારી નોંધાવી છે . જેમાં 11 શતકીય ભાગીદારી છે . આ બન્નેએ ન્યુઝિલેન્ડ વિરુદ્ધ 8 નવેમ્બર 1999એ હૈદરાબાદમાં બીજી વિકેટ માટે 331 રન જોડ્યા હતા , જે આજે પણ એક વિશ્વ રેકોર્ડ છે ." entertainment,"આ વર્ષની મોસ્ટ અવેટેડ ફિલ્મ ધૂમ 3 રિલીઝના આરે છે . એક બાજુ ફિલ્મમાં આમિર ખાન પહેલી વાર નકારાત્મક રોલ કરી રહ્યાં છે , તો બીજી બાજુ બૉલીવુડના હૉટેસ્ટ અભિનેત્રી કૅટરીના કૈફની ધૂમ સિરીઝમાં એન્ટ્રી સૌના માટે ઉત્સુકતા વધારી ગઈ છે . ધૂમ સિરીઝમાં હીરો સાઇડ અત્યાર સુધી જળવાયેલી રહી છે કે જેમાં અભિષેક બચ્ચન અને ઉદય ચોપરાનો સમાવેશ થાય છે . આ બંને ધૂમ અને ધૂમ 2માં હતા , તો ધૂમ 3માં પણ છે , જ્યારે વિલન અને હીરોઇન સાઇડ ત્રણેય સિરીઝમાં બદલાઈ છે . ધૂમમાં વિલન જ્હૉન અબ્રાહમ તથા હીરોઇન એશા દેઓલ હતાં , તો ધૂમ 2માં આ ભૂમિકા ક્રમશઃ હૃતિક રોશન તેમજ ઐશ્વર્યા રાયે ભજવી હતી , જ્યારે ધૂમ 3માં આમિર ખાન અને કૅટરીના કૈફની એન્ટ્રી થઈ છે . ગઈકાલે ધૂમ 3નું ટાઇટલ સૉંગ ધૂમ મચા લે . . . લૉન્ચ થઈ ગયું . ધૂમમાં ટાઇટલ સૉંગ એશા દેઓલે કર્યુ હતું , તો ધૂમ 2માં ઐશ્વર્યા રાયે અને હવે ધૂમ 3માં કૅટરીના કૈફ આ ટાઇટલ સૉંગ કરતાં નજરે પડી રહ્યાં છે . આ ટાઇટલ સૉંગમાં કૅટરીના કૈફ ખૂબ જ હૉટ લાગી રહ્યાં છે . વીડિયો જોયા બાદ સ્પષ્ટ છે કે એશા અને ઐશ કરતાં ઘણા આગળ નિકળી ગયાં છે કૅટ . ધૂમ 3નું આ ટાઇટલ સૉંગ ધૂમ મચા લે . . . યૂ ટ્યુબ ઉપર ગઈકાલે જ રિલીઝ થયું છે અને અત્યાર સુધી પાંચ લાખથી વધુ લોકો તેને જોઈ ચુક્યાં છે . ચાલો તસવીરો અને વીડિયો જોઈ આપ પોતે પણ નક્કી કરો કે કોણ ચડિયાતુ રહ્યું :" entertainment,"બિગ બૉસ 7 શો સમાપ્ત થઈ ચુક્યો છે . કલર્સ ઉપર છેલ્લી સાત સીઝનથી પ્રસારિત થતો આ શો સતત વિવાદોમાં રહેવા માટે જાણીતો રહ્યો છે . સલમાન ખાન દ્વારા હોસ્ટેડ બિગ બૉસ 7ના વિજેતા તો ગૌહર ખાન રહ્યાં છે , પરંતુ બિગ બૉસ હાઉસમાં આ સ્પર્ધા જીતવા માટે ઘણા પ્રકારની મશક્કતો સ્પર્ધકો દ્વારા કરવામાં આવતી હોય છે . બિગ બૉસ 7 દરમિયાન સ્પર્ધકો ખાસ તો અરમાન કોહલી અને તનીષા મુખર્જી તથા ગૌહર ખાન અને કુશાલ ટંડનની વિવિધ પ્રવૃત્તિઓ અને તસવીરોએ ઘણી ધમાલ મચાવી હતી , તો એજાઝ ખાનની કૉમેંટ્સે પણ લોકોનું ઘણું મનોરંજન કર્યુ હતું . ઉપરાંત પણ બિગ બૉસ 7માં અનેકવિધ પ્રવૃત્તિઓ લોકોએ ટેલીવિઝન ઉપર જોઈ હતી . જોકે આજે અમે આપને બતાવવા જઈ રહ્યાં છીએ બિગ બૉસ 7ના સ્પર્ધકોની બિગ બૉસ હાઉસમાંથી બહાર આવ્યા બાદની કેટલીક શૉકિંગ તસવીરો . સંગ્રામ સિંહ , વીજે ઍન્ડી અને એજાઝ ખાનની આ તસવીરો જોઈ આપ પણ દંગ રહી જશો . આ તસવીરો પરથી સ્પષ્ટ થાય છે કે બિગ બૉસ હાઉસમાંથી બહાર આવ્યા બાદ સંગ્રામ સિંહ પોતાના મિત્ર પાયલ રોહતગી સાથે મન મૂકીને રોમાંસ કરી રહ્યાં છે , તો વીજે ઍન્ડી અને એજાઝ ખાન પણ મસ્તીમાં છે . જુઓ તસવીરો :" sports,"વેસ્ટઇન્ડિઝની ટીમ આજે ભારતના 313 રનોની બઢતને પાર કરવાની કોશિશ કરતા એક નવો લક્ષ્ય આપવાનો પ્રયત્ન કરવા ઉતર્યું હતું . જ્યારે ભારતીય ટીમ બઢતનો ફાયદો ઉઠાવતા આજે જ મેચ પૂરી કરવાની કોશિશમાં સફળ રહ્યું , અને બે ટેસ્ટ શ્રેણીમાં 2 - 0થી પોતાનો વિજય નોંધાવી લીધો છે . સચિનની ભાવુક વિદાયઃ આ સાથે ભારત અને વેસ્ટઇન્ડિઝ વચ્ચેની આ ટેસ્ટ ખૂબ જ યાદગાર અને ઐતિહાસિક બની ગઇ . કારણ કે આની સાથે સચિને પોતાની 200 ટેસ્ટ મેચ રમીને વિદાય લીધી છે . મેદાનમાંથી નીકળતી વખતે સચિન તેંડુલકર ભાવુક બની ગયા હતા અને તેમની આંખોમાં આંસુ આવી ગયા હતા . ભારતની જીતઃ વેસ્ટઇન્ડિઝની ટીમે આજે પોતાની રમત આગળ વધારતા બીજી ત્રણ વિકેટ ગુમાવી બેઠ્યું છે , આની સાથે વેસ્ટઇન્ડિઝ હાલમાં 6 વિકેટના નુકસાન પર 122 રન પર રમી રહ્યું છે . આજે સેમ્યુઅલ ( 11 ) , ગેઇલ ( 35 ) અને દેવનારાયણ ( 0 ) ની વિકેટ પડી ગઇ છે . ત્યારબાદ તુરત ચંદ્રપોલ ( 41 ) , સમ્મી ( 1 ) , શિલિંગફોર્ડ ( 8 ) , ગેબ્રિયલ ( 0 ) ની સસ્તામાં વિકેટ પડી ગઇ અને આ રીતે ભારતે બીજી ટેસ્ટમાં પણ ત્રીજા દિવસે જ પોતાનો વિજય નોંધાવી વાઇટ વોશ કરી દીધું . અને શ્રેણીમાં 2 - 0થી વિજય નોંધાવી લીધો . ભારત તરફથી પ્રજ્ઞાન ઓઝાએ શાનદાર 5 વિકેટ પોતાના નામે કરી છે , જ્યારે અશ્વિને 4 , અને મોહમ્મદ સમીએ 1 વિકેટ લીધી છે . પ્રથમ દિવસની રમતઃ ભારત 157/2,38 રન સાથે સચિન અણનમ બીજા દિવસની રમતઃ પૂજારા - રોહિતની સદી સાથે ભારત 495માં સમેટાયું" entertainment,"બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી પોતાની એક ટીપ્પણી માટે ટ્વીટર ટ્રેંડમાં આવી ગઇ છે . તેણે જ્યોર્જ ઓરવેલના પુસ્તક ' એનિમલ ફાર્મ ' ને બાળકોનું પુસ્તક ગણાવીને તેને બાળકોના કોર્સમાં શામેલ કરવાની સલાહ આપી છે . શિલ્પાની આ ટીપ્પણી બાદ ટ્વીટર પર તેની ખૂબ મજાક ઉડી . ટ્વીટર પર શિલ્પાની મજાક આઇસીએસઇ બોર્ડે હાલમાં જ એલાન કર્યુ કે તે જે કે રોલિંગની હેરી પોટર સીરિઝની પુસ્તક , ટીનટીન અને એસ્ટ્રીક્સને ધોરણ ત્રણથી આઠમાં સુધીના વિદ્યાર્થીઓ માટે કોર્સમાં શામેલ કરશે . તેમના આ પગલાંની વિદ્યાર્થીઓ , અભિભાવકો અને શિક્ષાવિદોએ ખૂબ પ્રશંસા કરી છે . ટ્વીટર પર ટોપ ટ્રેંડિંગમાં આવી શિલ્પા ફિલ્મ અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ પણ આ પગલાંની પ્રશંસા કરી છે . જો કે આ દરમિયાન તેણે એક પુસ્તક વિશે ટીપ્પણી કરીને ભૂલ કરી દીધી . ત્યારબાદ તે સોશિયલ સાઇટ ટ્વીટરના ટોપ ટ્રેંડિંગમાં આવી ગઇ . યુઝર્સે તેની મજાક ઉડાવતા ઘણી ટીપ્પણીઓ કરી . બોલીવુડ અભિનેત્રીએ એક અંગ્રેજી દૈનિક સાથે વાતચીતમાં કહ્યુ કે લોર્ડ ઓફ ધ રિંગ્સ અને હેરી પોટર જેવા પુસ્તકો બાળકોની કલ્પનાશીલતા અને રચનાત્મકતા વધારવામાં યોગદાન આપી શકે છે . શિલ્પાએ કરી હતી પુસ્તક વિશે ટીપ્પણી આ દરમિયાન શેટ્ટીએ સલાહ આપતા કહ્યુ કે જ્યોર્જ ઓરવેલના પુસ્તક ' એનિમલ ફાર્મ ' ને પણ બાળકોના કોર્સમાં શામેલ કરવુ જોઇએ . આનાથી બાળકોને ઘણો ફાયદો મળશે . આવુ એટલા માટે કારણકે આ પુસ્તક બાળકોને જાનવરોથી પ્રેમ કરવા અને તેમનું ધ્યાન રાખવાની શીખ આપે છે . ઐતિહાસિક ઉપન્યાસ જો કે શિલ્પા પોતાની ટીપ્પણી દરમિયાન એ ભૂલી ગઇ કે જે પુસ્તકની ચર્ચા તે કરી રહી છે તે જ્યોર્જ ઓરવેલનું ' એનિમલ ફાર્મ ' એક ખૂબ જ ઐતિહાસિક ઉપન્યાસ છે . આમાં રાજકીય વ્યવસ્થા પર વ્યંગ કરવામાં આવ્યો છે . આમાં જાનવરોના માધ્યમથી રાજકીય વ્યવસ્થા દર્શાવવાની કોશિશ કરવામાં આવી છે . જાનવરોના બહાને ઘડેલી કહાની આજના દોરમાં ઘણી પ્રાસંગિક છે ." entertainment,"જંગલ જંગલ બાત ચલીએ . . . પતા ચલા હૈ . . . બસ આ ગીતના શબ્દોની જેમ જ આ ફિલ્મની પોપ્યુલારીટી વર્ડ ઓફ માઉથ દ્વારા કંઇક એવી રીતે ફેલાઇ છે કે વિદેશ હોય કે ભારત આ ફિલ્મનો જાદુ લોકોના માથેથી ઉતરવાનો નામ નથી લેતા . આ ફિલ્મની રિલિઝ બાદ 50 દિવસથી થિયેટરો પર હાઉસ ફૂલ શો કરી રહી છે અને લોકો હજી પણ આ ફિલ્મને જોવા જઇ રહ્યા છે . બાહુબલી 2ના ફોટો થયા લિક , જુઓ બાહુબલી 2ની ખાસ તસવીરો જે બતાવે છે કે કેવી રીતે તેણે 2016ના તમામ રેકોર્ડ તોડ્યા છે અને કેવી રીતે આ ફિલ્મ બની ગઇ છે 2016ની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ . ધ જંગલ બુકે બોક્સ ઓફિસ પર 50 દિવસ પૂરા કરીને 183.94 કરોડની ધમાકેદાર કમાણી કરી છે . અને સાથે જ આ કમાણી સાથે આ ફિલ્મ ભારતની સૌથી વધુ કમાણી કરનાર હોલીવૂડ ફિલ્મ બની ગઇ છે . તો જાણો આ ફિલ્મના અન્ય રેકોર્ડ અને ખાસ વાત વિષે અહીં . . . ." sports,"આઇપીએલની સ્ટાર ટીમ કોલકાતા નાઇટ રાઇડર્સે જેક્સ કાલિસ , ગૌતમ ગંભીર અને ઇયોન મોર્ગનના શાનદાર પ્રદર્શનના કારણે સનરાઇઝ હૈદરાબાદને 48 રનોથી માત આપી દીધી . ગંભીરે આ મેચમાં અર્ધસદી ફટકારી , તેમજ મોર્ગને 21 બોલમાં 47 રનોની તોફાની પારી ખેલી . આ ઉપરાંત કાલિસે ઓલ રાઉન્ડ રમતનું પ્રદર્શન કરતા ત્રણ વિકેટ લીધી અને 41 રન બનાવ્યા . વાંચો મેચનું હાઇલાઇટ્સઃ * 48 રનોથી જીત કોલકાતાની ઇડન ગાર્ડનમાં અત્યાર સુધીની સૌથી મોટી જીત હતી . * 180 રનોના લક્ષ્યનો પીછો કરતા હૈદરાબાદે માત્ર 7 ચોગ્ગા ત્રણ છગ્ગા લગાવ્યા . * કોલકાતાની આ ચાર મેચોમાં ત્રીજી જીત હતી . જ્યારે હૈદરાબાદની પાંચ મેચોમાં આ બીજી હાર છે . * કાલિસે શાનદાર ઓલરાઉન્ડ પ્રદર્શન કરતા 41 રન બનાવ્યા અને ચાર ઓવરોમાં 13 રન આપીને વિકેટ પણ લીધી . * રજત ભાટિયાએ ચાર ઓવરમાં બે વિકેટ લઇને 33 રન આપ્યા . * હૈદરાબાદે શરૂઆતની 6 ઓવરમાં કોઇ વિકેટ ગુમાવ્યા વગર 39 રન બનાવ્યા . * હૈદરાબાદે 6 ઓવરોમાં 39,43 બોલમાં 50 અને 86 બોલમાં 100 રન બનાવ્યા . * કોલકાતા માટે ગંભીરે 45 બોલમાં 6 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 53 રન બનાવ્યા . * આઇપીએલની 76 મેચોમાં ગંભીરે અત્યાર સુધી 18 અર્ધસદી ફટકારી છે . * કોલકાતાએ પોતાની છેલ્લી પાંચ ઓવરમાં 71 રન બનાવ્યા . પરેરાના 18મી ઓવરમાં મોર્ગને ત્રણ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 22 રન બનાવ્યા . * પહેલી દસ ઓવર બાદ કોલકાતાનો સ્કોર 76 રન પર એક વિકેટ હતો . ત્યાર બાદ બીજી દસ ઓવરમાં 104 રન બનાવ્યા ." sports,આઇપીએલ - 5ની વિજેતા ટીમ કોલકાતા નાઇટ રાઇડર્સ ટીમે બુધવારે ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં રમાઇ ગયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગના છઠ્ઠી સિઝનના પહેલા મુકાબલામાં દિલ્હી ડેરડેવિલ્સને 6 વિકેટથી ધૂળ ચટાડી વિજયી પ્રારંભ કર્યો . આ રીતે નાઇટ રાઇડર્સ ટીમ ખિતાબ બચાવવાની દોડમાં જીતની સાથે આગાજ કરવામાં સફળ રહી જ્યારે મુખ્ય ખેલાડીઓની ગેરહાજરીમાં ડેરડેવિલ્સને પહેલી જ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો . નાઇટ રાઇડર્સની શરૂઆત સારી રહી હતી . ગયા વર્ષે ફાઇનલમાં ચેન્નઇ સુપર કિંગ્સની સામે જોરદાર પારી રમીને મેન ઓફ ધ મેચ તરીકે પસંદ કરાયેલા માનવિંદર બિસલા માત્ર 4 રન બનાવી આશીષ નેહરાની ઓવરમાં આઉટ થઇ ગયા . બિસલાએ 9 બોલમાં એક ચોગ્ગો ફટકાર્યો હતો . ત્યારબાદ ગંભીર અને જેક્સ કેલિસ 23 રને બીજા વિકેટ માટે 47 રનોની ભાગીદારી કરી ટીમને મુશ્કેલીમાંથી નિકાળીને સારી સ્થિતિમાં પહુંચાડ્યું . કેલિસ સારા ફોર્મ હતા પરંતુ તેને 52 રન પર શાહબાજ નદીમે આઉટ કરીને કોલકાતાને મોટો ઝટકો આપ્યો . જોકે કોલલાતા નાઇટ રાઇડર્સને ડેરડેવિલ્સ આપેલા 129 રનોના લક્ષ્યને 18.4 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને પાર કરી મેચ જીતી લીધી . પળેપળના સમાચારથી અપડેટ રહેવા માટે આજે જ ગુજરાતી વનઇન્ડિયા ન્યૂઝલેટર સબસ્ક્રાઇબ કરો . . . sports,"સ્પોર્ટ ફિક્સિંગના મામલામાં બીસીસીઆઇ દ્વારા ક્રિકેટ ખેલાડી શ્રીસંત પર આજીવન પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો . કેરળ હાઇ કોર્ટ દ્વારા આ પ્રતિબંધ ખસેડી લેવામાં આવ્યો છે . સોમવારે કેરળ હાઇ કોર્ટ દ્વારા આ પ્રતિબંધ ખસેડાતા શ્રીસંતને મોટી રાહત મળી છે . વર્ષ 2013માં આઇપીએલ - 6 સ્પોર્ટ ફિક્સિંગના પ્રકરણમાં શ્રીસંત દોષી સાબિત થતાં બીસીસીઆઇ દ્વારા આ પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો . જુલાઇ 2015માં નવી દિલ્હીની ટ્રાયલ કોર્ટ દ્વારા શ્રીસંત પરના આરોપો નકારાયા હતા , આમ છતાં બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ( બીસીસીઆઇ ) એ તેને સ્કોટિશ લીગ રમવા માટે ' નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ ' ( એનઓસી ) ના પાડી હતી . આખરે કેરળ હાઇ કોર્ટ દ્વારા સોમવારે આ પ્રતિબંધ ઉંચકવામાં આવ્યો હતો . આ અંગે શ્રીસંતે જણાવ્યું હતું કે , મને મોટી રાહત મળી છે . આખરે ન્યાય મળ્યો ખરો . હું હવે આ અંગે વધુ વિચારવા નથી માંગતો , કારણ કે ભૂતકાળ બદલી શકાવાનો નથી ." business,"થોડાક મહિના પહેલાં થોમસ બોગનરે આઇવોચની કોન્સેપ્ટ ડિઝાઇન તૈયાર કરી હતી , જેને જોઇને તમે કહી શકો છો કે આ નાઇક ફ્યૂલ બેન્ડ અને આઇફોનનું એક પ્રકારનું મિશ્રણ છે . દેખાવે નાઇકની ફ્યૂલ બેન્ડ જેવી સ્લિમ અને સ્લીક છે , જ્યારે ઇન્ટરફેસ આઇઓએસ જેવા છે . આ માટે થોમસે સૌથી પહેલા આઇવોચનો સ્ક્રેચ તૈયાર કર્યો . જેમાં 3ડી વ્યુ બનાવીને આઇવોચના વોલ્યુમ બટન અને બન્ને તરફની ડિઝાઇન તૈયાર કરવામાં આવી . આઇવોચની લોક સ્ક્રીન દેખાવે સિમ્પલ છે , જેમાં ડેટ , ટાઇમ ઉપરાંત સીરીનું બટન યુઝર્સને જોવા મળશે . બેંડમાં સ્પ્રિંગબોર્ડ આપવામાં આવ્યું છે , જેમાં અનેક આઇકોન યુઝર્સને જોવા મળશે . આ ઉપરાંત તેમાં કોલ કરવાના ફીચર પણ આપવામાં આવ્યા છે , થોમસની આઇવોચ કોન્સેપ્ટમાં કોન્ટેક્ટ એડ કરવાની સાથે એડિટ પણ કરી શકો છો . તો ચાલો તસવીરો થકી જાણીએ થોમસની આઇવોચમાં આપવામાં આવેલા કેટલાક રસપ્રદ ફીચર્સને ." entertainment,યારીયા જેવી યુથ લવસ્ટોરી આપનાર દિવ્યા ખોસલા બોલીવૂડની એક જાણીતી નામ હવે બની ગઇ છે . ત્યારે પુલકિત સમ્રાટ અને યામી સાથે તે સનમ રેમાં ફરી એક વાર પ્રેમ અને પ્રેમ દ્વારા થતા કન્ફ્યૂઝ પર આધારીત છે . યારીયાની જેમ જ ફિલ્મના ગીતો સારા છે . સીનેમોગ્રાફી સારી છે . યામી ખૂબ જ માસૂમ લાગે છે અને ઉર્વશી ખૂબ જ હોટ લાગે છે પણ બસ આ ફિલ્મમાં આટલું જ છે . દિવ્યા ખોસવાએ ફરી એક યારીયા ટાઇપ્સ ફિલ્મ બનાવી દીધી છે . જો તમે યામી કે પુલકિત કે પછી ઉર્વશીના ફેન હોવ તો તમે આ ફિલ્મ જોવા જઇ શકો છો . આ ફિલ્મ સ્ટોરી અને આ ફિલ્મના આંગળીના વેઠે ગણાતા સારા પોઇન્ટની માટે વાંચો નીચેના ફોટોસ્લાઇડરમાં . . . entertainment,"મુંબઈ , 15 સપ્ટેમ્બર : બૉલીવુડ અભિનેત્રી અને હાલમાં સફળતાના સાતમા આસમાને ઉડનાર દીપિકા પાદુકોણેનો પિત્તો છટકી ગયો છે . એક અખબારમાં પ્રકાશિત સમાચાર બાદ દીપિકા ઉગ્ર થઈ ગયા છે અને ટ્વિટર વડે તે અખબારને ઝાટકી નાંખ્યા છે . હકીકતમાં ટાઇમ્સ ઑફ ઇંડિયાએ દીપિકાના ક્લીવેજ પ્રદર્શન સંબંધી હૅડિં લગાવ્યુ હતું અને આ જ બાબત દીપિકાને નારાજ કરી ગઈ . દીપિકાએ તેના જવાબમાં જે પ્રકારની ટિપ્પણી કરી , તેનાથી સ્પષ્ટ થઈ જાય છે કે દીપિકા પાદુકોણે પોતાના ક્લીવેજને પોતાની અંગત દોલત અને અંગત બાબત માને છે . ખેર , દીપિકાનું આમ માનવું ખોટુ પણ નથી . કોઈ પણ વ્યક્તિ હોય , તેનો તેના શરીરના એકેએક અંગ ઉપર અબાધિત હક હોય છે અને દીપિકાને પણ આમ લાગતુ હોય , તો બરાબર જ છે , પરંતુ અહીં યાદ આવી જાય છે દીપિકાના કૅટરીના કૈફ અંગે બોલાયેલા બોલ . કૅટરીના કૈફ હાલમાં દીપિકાના એક્સ બૉયફ્રેન્ડ રણબીર કપૂરના ગર્લફ્રેન્ડ છે . આપ લોકોને સારી રીતે યાદ હશે કે રણબીર કપૂર અને કૅટરીના કૈફના વૅકેશનની કેટલીક બોલ્ડ તસવીરો મીડિયામાં લીક થઈ હતી અને ત્યારે ખૂબ હોબાળો મચ્યો હતો . આ તસવીરમાં કૅટરીના કૈફ ટૂ પીસ કપડાં એટલે બિકિની - લિંગરીમાં રણબીર સાથે બીચ પર મસ્તી કરતા જણાતા હતાં . દીપિકાની જેમ જ કૅટરીના કૈફ પણ મીડિયા સામે નારાજ થઈ ગયા હતાં . કૅટરીનાએ મીડિયાને પત્ર મોકલી આવી તસવીરો વાયરલ કરવા અંગે ખૂબ ટીકા કરી હતી . તે વખતે દીપિકાએ કહ્યુ હતું કે કૅટે આમ ગુસ્સો કરવાની કોઈ જરૂર નહોતી . અંતે તેઓ પબ્લિક ફિગર છે . આવુ તો ચાલ્યા કરે . તો સવાલ એ ઊભો થાય છે કે શું દીપિકા પાદુકોણે પબ્લિક ફિગર નથી ? બીજાને સલાહ આપનાર દીપિકાને રોષ કેમ ચઢ્યો . આ રોષ મીડિયા સામે છે કે પછી આ રોષ પાછળ ઈગો છે ? ચાલો તસવીરો સાથે જાણીએ વધુ વિગતો :" sports,"મેચનો નિર્ણય છેલ્લા બોલ પર નાટકીય રીતે થયો હતો . રોયલ ચેલેન્જર્સ દ્વારા આપવામાં આવેલા 166 રનોના લક્ષ્યનો પીછો કરી રહેલી સુપર કિંગ્સને જીત માટે છેલ્લા બોલ પર બે રનની જરૂર હતી . બોલિંગ રુદ્ર પ્રતાપસિંહ કરી રહ્યા હતા . રુદ્રએ બોલ નાખ્યો અને જાડેજાએ થર્ડમેનના ઉપરથી છગ્ગો લગાવવાનો પ્રયત્ન કર્યો . જાડેજા ત્યાં ઉપસ્થિત એક ફિલ્ડરના હાથે કેચ થઇ ગયો . બેંગલોરની ટીમે આ સાથે જ પોતાની જીતની ખુશી મનાવવાની શરુઆત કરી દીધી . પરંતુ એમ્પાયર એ . કે . ચોધરીએ નો બોલનો ઇશારો આપ્યો . બંને બેટ્સમેને એક રન પણ પૂરો કરી લીધો હતો . આ રીતે એક નો બોલ અને દોડીને પૂરો કરેલો એક રનના કારણે સુપર કિંગ્સે ખુબ જ નાટકિય અંદાજમાં આ મેચ જીતી લીધી . સુપર કિંગ્સની આ ત્રીજી મેચમાં બીજી જીત છે જ્યારે રોયલ ચેલેન્જર્સને પાંચ મેચોમાં બીજી હાર મળી છે . સુપર કિંગ્સને નિશ્ચિતરીતે આ જીત નસીબના જોરે મળી છે . બેંગલોરના બોલરોએ સુપર કિંગ્સના બોલરોએ બેટ્સમેનોને શરુઆતના તબક્કામાં રન બનાવવા ના દીધા એ જ કારણે પારીના અંતિમ ક્ષણોમાં કપ્તાન મહેન્દ્રસિંહ ધોની અને રવિન્દ્રસિંહ જાડેજા માટે ખુબ જ તણાવભર્યા સાબિત થયા . ચેન્નાઇ તરફથી રૈનાએ 30 , બદ્રિનાથે 34 , ધોનીએ 33 , જ્યારે જાડેજાએ 38 રન ફટકાર્યા હતા . જ્યારે બેંગલોર તરફથી રવિ રામપૌલે શાનદાર 3 વિકેટ , સઇદ મોહમ્મદે 2 , અને વિનય કુમારે એક વિકેટ ઝડપી હતી ." business,"નવી દિલ્હીઃ બેડ લોન અને નુકસાનનો માર સહન કરી રહેલ બેંકોના મર્જરનો રસ્તો સ્પષ્ટ થઈ ગયો છે . કેન્દ્રીય કેબિનેટે વિજયા બેંક , દેના બેંક અને બેંક ઑફ બરોડાના મર્જરને મંજૂરી આપી દીધી છે . કેન્દ્રીય કેબિનેટની મંજૂરી બાદ હવે પેપરવર્ક થશે , જે બાદ ત્રણ બેંકોનું મર્જર કરી દેવામાં આવશે . એસબીઆઈ અને આઈસીઆઈસીઆઈ બાદ આ દેશની ત્રીજી સૌથી મોટી બેંક બની જશે . અગાઉ સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયામાં 6 બેંકોના મર્જરને મંજૂરી આપી દીધી હતી . જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે સપ્ટેમ્બર 2018માં વિજયા બેંક અને દેના બેંકનું બેંક ઑફ બરોડા સાથે મર્જરની ઘોષણા કરી હતી . જાણકારી મુજબ મોદી સરકાર બેંક ઑફ બરોડા , આઈડીબીઆઈ , ઓરિયેન્ટલ બેંક ઑફ કોમર્સ અને સેન્ટ્રલ બેંકના મર્જર પર વિચાર કરી રહી હતી , પરંતુ આજે ત્રણ બેંકોના મર્જર પર અંતિમ સહમતિ બની ગઈ છે . મર્જરને મળી મંજૂરી કેબિનેટની મંજૂરી મળતાની સાથે જ બેંક ઑફ બરોડાએ બુધવારે વિજયા બેંક અને દેના બેંકનું ખુદની સાથે મર્જર માટે શેર્સની અદલા - બદલી ગુણોત્તરને અંતિમ રૂપ આપી દીધું છે . જે મુજબ વિજયા બેંકના શેરધારકોના પ્રત્યેક 1000 શેરને બદલે બેંક ઑફ બરોડાના 402 ઈક્વિટી શેર મળશે . જ્યારે દેના બેકના શેરધારકોને પ્રતિ 1000 શેરના બદલામાં બેંક ઑફ બરોડાના 110 શેર મળશે . SBIમાં 6 બેંકોનું મર્જર ઉલ્લેખનીય છે કે અગાઉ કેન્દ્ર સરકરે એસબીઆઈની પાંચ સહાયક બેંક અને ભારતીય મહિલા બેંકને સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયામાં મર્જર કરી ચૂકી છે . સરકાર સરકારી બેંકોને સતત વધતા એનપીએને ઘટાડવા માટે સરકાર બેંકોના એકીકરણની કોશિશમાં લાગી છે . હાલના સમયમાં દેશની બેંકિંગ વ્યવસ્થાનો કુલ એનપીએ 10 લાખ કરોડ રૂપિયાના આંકડાને પાર કરી ચૂક્યો છે , જેને ઓછો કરવાની કેન્દ્ર સરકાર કોશિશ કરી રહી છે . જેટલીએ ખુદ જણાવ્યું વિમાનની કિંમત 1600 કરોડ રૂપિયા છેઃ રાહુલ ગાંધી" business,"જો તમે પોતાનું મકાન હાલ વેચવાનું વિચારી રહ્યા છો આ આ લેખ ખાસ વાંચજો . કારણ કે આજે અમે તમને મકાન વેચતા પહેલા કંઇ કંઇ વસ્તુઓનું ધ્યાન રાખવું તે અંગે મહત્વપૂર્ણ ટિપ્સ આપવાના છીએ . મકાન વેચતી વખતે કેપિટલ ગેન ટેક્સની જેવી વસ્તુઓ પણ ધ્યાનમાં રાખવી જરૂરી છે . જેથી મકાન વેચ્યા બાદ તમે તે ઘરની યોગ્ય કિંમત બરાબર રીતે મેળવી શકો . માટે જ ઘર વેચતા પહેલા યોગ્ય રીતે હોમવર્ક કરવું ખૂબ જ જરૂરી છે . બધા પાસા જોઇ , પરખી પછી મકાનને વેચવું સલાહભર્યું છે . ત્યારે આ ફોટોસ્લાઇડરમાં મકાન વેચતા પહેલા કંઇ પાંચ વસ્તુઓનું ધ્યાન રાખવું જોઇએ એ જાણી લો . જુઓ આ ફોટોસ્લાઇડર . . ." business,"ભારતીય રિર્ઝવ બેંકે , બેંકોના ફસાયેલા દેવા એટલે કે એનપીએની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે કાર્યવાહી ઝડપી કરી દીધી છે . ભારતીય રિર્ઝવ બેંકે આ દિશામાં કામ કરતા 12 ડિફોલ્ટરની ઓળખ કરી છે . ભારતીય રિર્ઝવ બેંકે તેવા 12 ખાતાની ઓળખ કરી છે જેણે બેંક પાસેથી 5000 કરોડ રૂપિયાથી પણ વધુનું દેવુ લીધુ છે . બેંકે જેટલાનું જેટલું એનપીએ છે તેનું 25 ટકા ખાલી આ 12 ખાતાગ્રાહકોના નામ પર છે . તમને જણાવી દઇએ કે આ સમયે સમગ્ર બેકિંગ ઇન્ડસ્ટ્રી દેવામાં ડૂબાયેલી છે . જેના કારણે ભારતીય રિર્ઝવ બેંક આ પગલાં ઉઠાવી રહી છે . આરબીઆઇએ આ 12 ખાતા ગ્રાહકો વિરુદ્ધ કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે . ભારતીય રિર્ઝવ બેંક આ તમામ મોટા ડિફોલ્ટર્સના નામ પણ સાર્વજનિક નથી કર્યા . પણ આવનારા સમયમાં જો આ લોકો તેમના દેવા ચૂકવી ના શક્યા તો બની શકે આરબીઆઇ આ 12 ડિફોલ્ટરના નામ સાર્વજનિક કરે . જો કે જે પણ હોય હાલ તો આરબીઆઇ આ તમામ 12 ડિફોલ્ટર સામે કડક પગલાં લેવાના મૂડમાં છે ." sports,"ઇંગ્લેન્ડમાં ચાલી રહેલ ચેમ્પિયન્સ ટ્રોફી મુકાબલામાં ભારત - પાકિસ્તાનની વચ્ચે નિર્ણાયક મુકાબલાની રાહ જોઇ રહેલા ક્રિકેટ પ્રેમિયોને નિરાશા હાથ લાગી છે . જોકે સતત બીત મેળવીને ભારતે પાકિસ્તાનને સેમિફાઇનલની દોડમાંથી બહાર કરી દીધું છે . હવે બંનેની વચ્ચે 15 જૂનના રોજ યોજાનાર મેચ માત્ર એક ઔપચારિકતા બની રહી ગઇ છે . પાકિસ્તાન બે મેચમાં સતત હાર મેળવીને સેમિફાઇનલની દૌડમાંથી બહાર થઇ ચૂક્યું છે . પાકિસ્તાને પહેલી મેચ વેસ્ટઇન્ડિઝ સાથે અને બીજી મેચ દક્ષિણ આફ્રિકા સામે હારી ગયું . ગ્રુપ બીમાં હવે વેસ્ટઇન્ડિઝનો મુકાબલો દક્ષિણ આફ્રિકા સામે થવાનો છે . બંને ટીમે એક - એક મેચમાં જીત મેળવી છે . જે પણ ટીમ આ મેચમાં જીતશે તે સેમીફાઇનલમાં પહોંચી જશે . મેચ ટાઇ અથવા વરસાદના કારણે રદ હી તો બંને ટીમને એક - એક પોઇન્ટ આપવામાં આવશે , એટલે કે પાકિસ્તાનની વિકેટ તો દરેક પરિસ્થિતિમાં પાક્કી છે . મંગળવારે થયેલી ભારત - વિન્ડીઝ મુકાબલામાં પાકિસ્તાન વિન્ડિઝની જીત માટે દુઆ કરી રહ્યું હતું . વિન્ડીઝની જીત ચેમ્પિયન્સ ટ્રોફીમાં તેના માટે આશા જીવંત રાખતી . છેલ્લી બે મેચોમાં જો વિન્ડિઝ આફ્રિકાને અને પાકિસ્તાન ભારતને હરાવી દેતું તો વેસ્ટઇન્ડીઝ ત્રણ મેચ જીતીને સેમીફાઇનલમાં પહોંચી જતી જ્યારે અંતિમ ચારમાં અંતિમ ચારમાં પહોંચનાર બીજી ટીમનો નિર્ણય ભારત , પાકિસ્તાન અને દક્ષિણ આફ્રિકામાંથી સારા રનરેટના આધારે થતો . પરંતુ ભારતે વિન્ડિઝને હરાવી દીધું અને પાકિસ્તાનની આશાઓ પર પણ પાણી ફેરવી દીધું . ભારત - પાકિસ્તાનની વચ્ચે 15 જૂનના રોજ મુકાબલો થશે . આ મેચની ક્રિકેટ પ્રેમિયોને ભારે ઇંતેજારી હતી પરંતુ નવા સમીકરણોથી મેચના રોંમાંચમાં કેટલીક ઓછપ જરૂર આવી શકે છે . આ પહેલા બંને ટીમો ત્યારે ટકરાઇ હતી જ્યારે આ વર્ષે જાન્યુઆરીમાં પાકિસ્તાનની ટીમ ભારત પ્રવાસ પર આવી હતી . ત્યારે ભારત વનડે શ્રેણી હારી ગયુ હતું ." sports,"લંડન , 24 ઓક્ટોબરઃ ભારતીય સ્ટાર બેટ્સમેન સચિન તેંડુલકરને બુધવારે વિઝડનની ઓલ ટાઇમ બેસ્ટ વર્લ્ડ ટેસ્ટ ઇલેવન માટે પસંદ કરવામાં આવ્યો . તેંડુલકરે આગામી મહિને મુંબઇમાં વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ પોતાની 200મી ટેસ્ટ રમ્યા બાદ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો છે . વિઝડનને 150 વર્ષ પૂર્ણ થઇ રહ્યાં હોય , ટીમની જાહેરાત કરવામાં આવી હતી , જો કે , તેમાં ભારતીય ક્રિકેટ ટીમમાંથી એકમાત્ર સચિન તેંડુલકરનો જ સમાવેશ કરવામાં આવ્યો છે , જ્યારે આ યાદીમાં દક્ષિણ આફ્રિકાનો એકપણ ખેલાડી નથી . જ્યારે સૌથી વધુ ખેલાડી ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડિઝના છે . આ યાદીમાં સચિન તેંડુલકરને ટીમમાં ચૌથા સ્થાન પર મુકવામા આવ્યો છે . મહાન ઓસ્ટ્રેલિયન ખેલાડી ડોન બ્રેડમેનની આગેવાનીવાળી ટીમમાં ઇંગ્લેન્ડના ચાર , વેસ્ટ ઇન્ડિઝના ત્રણ , ઓસ્ટ્રેલિયાના બે અને ભારત તથા પાકિસ્તાનના એક - એક ખેલાડીનો સમાવેશ કરવામાં આવ્યો છે . સચિન તેંડુલકર સમકાલીન બ્રાયન લારા , રિકી પોન્ટિંગ અને જેક કાલિસ પણ ટીમમાં સ્થાન બનાવી શક્યા નથી , તેમજ આ ટીમમાં સુનિલ ગાવસ્કર અને કપિલ દેવને પણ સ્થાન આપવામાં આવ્યું નથી . તો ચાલો તસવીરો થકી જોઇએ આ યાદીમાં કયા કયા ખેલાડીઓ છે ." entertainment,"ઇમરાન હાશ્મીએ ઘણી હિન્દી ફિલ્મોમાં કામ કર્યું છે જેમાં તેમને કેટલીક હોરર ફિલ્મમાં પણ કામ કર્યું છે . ઇમરાન હાશ્મીની હોરર ફિલ્મોમાં મડર 2 , રાઝ 3 અને એક થી ડાયન જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે . ઇમરાન હાશ્મી ઘ્વારા ઘણી સુપરહિટ ફિલ્મો અને ગીતો આપવામાં આવ્યા છે . હાલમાં ઇમરાન હાશ્મી તેની આવનારી ફિલ્મ ચિટ ઇન્ડિયા માં વ્યસ્ત છે . ઇમરાન હાશ્મી વિશે વાત કરવામાં આવે તો તેઓ હાલમાં બીજી એક ફિલ્મની પણ તૈયારી કરી રહ્યા છે , જે હોરર થ્રીલર ફિલ્મ હશે . આ ફિલ્મમાં ઇમરાન હાશ્મી સાથે રિશી કપૂર પણ જોવા મળશે . આ ફિલ્મનું નિર્દેશન મલયાલમ ડાયરેક્ટર જીતુ જોસેફ કરી રહ્યા છે . ઇમરાન હાશ્મી આ ફિલ્મમાં એક્ટિંગ કરવાની સાથે સાથે તેને પ્રોડ્યૂસ પણ કરી રહ્યા છે . ફિલ્મ પુરી રીતે ક્રાઇમ , હોરર અને થ્રીલર થી ભરપૂર છે . આ પહેલા જીતુ ની મલયાલમ ફિલ્મ દ્રશ્યમ હતી , જેમાં મોહનલાલ હતા . આ ફિલ્મ મલયાલમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સૌથી સારી થ્રીલર ફિલ્મ હતી . આ ફિલ્મમાં ઇમરાન હાશ્મી સાથે રિશી કપૂર પણ હોવાથી ફિલ્મ ચોક્કસ એક અલગ લેવલ પર જશે . આ ફિલ્મનું નામ હજુ સુધી ફાઇનલ થયું નથી . ઇમરાન હાશ્મીએ આ પહેલા પણ હોરર ફિલ્મ ઘ્વારા પોતાની એક્ટિંગથી લોકોનું દિલ જીત્યું છે . પરંતુ હવે ડબલ મજા આવશે કારણકે તેની જોડી રિશી કપૂર સાથે બનવા જઈ રહી છે . આ ખબર આવ્યા પછી લોકો ચોક્કસ ફિલ્મના નામ અને ટ્રેલર વિશે આતુર બન્યા છે . ઇમરાન હાશ્મી હાલમાં ચિટ ઇન્ડિયાના શૂટિંગમાં વ્યસ્ત છે . આ ફિલ્મ એક ક્રાઇમ ફિલ્મ હશે . જયારે રિશી કપૂર હાલમાં અમિતાભ બચ્ચન સાથે 102 નોટઆઉટ ફિલ્મમાં જોવા મળશે . જેમાં તેમને 75 વર્ષના ઘરડા વ્યક્તિનો રોલ કર્યો છે જયારે અમિતાભ બચ્ચને 102 વર્ષના ઘરડા વ્યક્તિનો રોલ કર્યો છે . આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન રિશી કપૂર ના પિતાની ભૂમિકા ભજવી રહ્યા છે . આ ફિલ્મ 4 મેં 2018 દરમિયાન રિલીઝ થશે . આ ફિલ્મનું નિર્દેશન ઉમેશ શુક્લ ઘ્વારા કરવામાં આવ્યું છે . ફિલ્મની સ્ટોરી તમને ચોક્કસ હસાવશે અને રડાવશે ." entertainment,"બૉલીવુડના ધક ધક ગર્લ ઢિસુમ ઢિસુમ ગર્લ બની લોકો સામે આવવાની તૈયારીમાં છે . તેમની આગામી ફિલ્મ ગુલાબ ગૅંગની તસવીરો તો કંઇક આવુ જ કહી રહી છે કે જેમાં માધુરી દીક્ષિતે જોરદાર એક્શન દૃશ્યો આપ્યાં છે . ગુલાબ ગૅંગમાં માધુરી દીક્ષિત દુર્ગા બન્યાં છે . એમ તો માધુરીએ પોતાના બૉલીવુડ કૅરિયર દરમિયાન કેટલીક એવી ફિલ્મો કરી જ છે કે જેમાં તેમણે રૌદ્ર રૂપ ધારણ કર્યો હોય , પરંતુ અનુભવ સિન્હા નિર્મિત અને સૌમિક સેન દિગ્દર્શિત ગુલાબ ગૅંગ ફિલ્મના ફર્સ્ટ લુકમાં માધુરી દીક્ષિત દુર્ગાનો અવતાર ધર્યો હોય તેવા લાગે છે , તો અન્ય તસવીરોમાં માધુરી દીક્ષિત વિલન ઉપર લાતો - ફેંટોનો વરસાદ કરતા નજરે પડી રહ્યાં છે . એમ તો અમે અગાઉ કહી જ ચુક્યા છે કે માધુરી દીક્ષિત બૉલીવુડમાં બીજી વાર કમબૅક કરી રહ્યાં છે . ડૉ . શ્રીરામ નેને સાથે લગ્ન બાદ માધુરીએ બ્રેક લીધુ હતું અને પછી આ જા નચ લે ફિલ્મ સાથે કમબૅક કર્યુ હતું , પરંતુ તે ફિલ્મ ફ્લૉપ રહી હતી . માધુરી દીક્ષિત હવે ફરી એક વાર કમબૅક કરી રહ્યાં છે ગુલાબ ગૅંગ અને ડેઢ ઇશ્કિયા જેવી ફિલ્મો સાથે , પરંતુ ગુલાબ ગૅંગ ફિલ્મમાં માધુરી દીક્ષિત એક્શન રોલ કરી રહ્યાં છે . માધુરીને આ ફિલ્મમાં એક્શનની ટ્રેનિંગ આપી રહ્યાં છે શાઓલિન માસ્ટર શિફુ કનિષ્ક શર્મા . ફિલ્મના ફર્સ્ટ લુકની તસવીરો પ્રકાશ ઝા નિર્મિત - દિગ્દર્શિત મૃત્યુદંડ ફિલ્મની યાદ અપાવી જાય છે . મૃત્યુદંડ ફિલ્મમાં કેતકી અને તેનો સંઘર્ષ તો જરૂર લોકોને યાદ હશે . કેતકી એટલે માધુરી દીક્ષિત કે જેઓ મૃત્યુદંડ ફિલ્મના મુખ્ય પાત્ર હતાં . માધુરી દીક્ષિતનો આ કેતકી સ્વરૂપ પુનઃ એક વાર જોવા મળશે ગુલાબ ગૅંગમાં . ફિલ્મમાં પહેલી વાર તેમની સાથે જુહી ચાવલા પણ કામ કરી રહ્યાં છે . માધુરી હાલ ડેઢ ઇશ્કિયા ફિલ્મને લઈને પણ ખૂબ ચર્ચામાં છે . આવો આપને ગુલાબ ગૅંગ ફિલ્મની પ્રાથમિક તસવીરી ઝલક બતાવીએ :" sports,"ગ્લેમર , અઢળક પૈસા અને દર્શકોને રોમાંચના હદ સુધી લઇ જનાર ઇન્ડિયન પ્રીમિયર લીગ ( આઇપીએલ ) હાલમાં સટ્ટેબાજી અને સેક્સને લઇને બદનામ છે . ક્રિકેટના ફટાફટ ફોર્મેટમાં સ્પૉટ ફિક્સિંગના આરોપમાં ફસાયેલા રાજસ્થાન રોયલ્સના ત્રણ ખેલાડી એસ શ્રીસંત , અંકિત ચૌહાણ , અને અજીત ચંદીલા ફસાતા જઇ રહ્યાં છે . આ વાતનો ખુલાસો પહેલાં જ થઇ ચૂક્યો છે કે બુકી જીજૂ જર્નાદને આ ખેલાડીઓને મોંઘી ભેટો આપી હતી અને છોકરીઓ સાથે મુલાકાત કરાવી હતી . આ વાતની પુષ્ટિ હોટલના બીજા માળેથી મળેલા સીસીટીવી વીડિયોએ કરી દિધો છે . સીસીટીવી વીડિયોમાં સ્પષ્ટ રીતે શ્રીસંત અને અંકિત ચૌહાણની સાથે છોકરી આવતી જતી જોવા મળી રહી છે . આટલું જ નહી એસ શ્રીસંત એક છોકરીની કમરમાં હાથ નાખીને પોતાના રૂમ નંબર 333માં છોકરીને અંદર લઇ જતા જોવા મળે છે . આ ઉપરાંત વીડિયોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે આ બંને ખેલાડી મોડી રાત સુધી હોટલના બીજા માળ પર પોતાના રૂમની બહાર ઉભા રહીને બાલ્કનીમાં છોકરીઓ સાથે વાતચીત કરી રહ્યાં છે . પોલીસે જણાવ્યું હતું કે ગત આઠ મેના રોજ રાજસ્થાન રોયલ્સની ટીમ હોટલ જેડબ્લ્યૂ મૈરિયટમાં પહોંચી હતી . વીડિયો મુજબ રાત્રે 10 વાગે બુકી જીજૂ જર્નાદન અંકિત ચૌહાણ સાથે શ્રીસંતના રૂમ નંબર 333ની બહાર પહોંચે છે . તેને શ્રીસંતને મળવા માટે દરવાજો ખખડાવ્યો . આ દરમિયાન અંકિતના હાથમાં પેકેટ પકડેલું હતું . શ્રીસંત થોડીવાર પછી દરવાજો ખોલ્યો . દસ મિનિટ બાદ કાળા કપડાં પહેરીને એક છોકરી શ્રીસંતના રૂમની પાસે આવી . થોડીવાર પછી વધુ બે લોકો શ્રીસંતના રૂમની બહાર પહોંચ્યા . આ દરમિયાન એક છોકરી શ્રીસંતના રૂમની બહાર ઉભી હતી . રાત્રે લગભગ 10:55 વાગે શ્રીસંત અને અંકિત છોકરીઓ સાથે હોટલની બહાર જતા રહ્યાં હતા . રાત્રે લગભગ 2:19 મિનિટ પર શ્રીસંત બ્લેક એન્ડ વ્હાઇટ કપડાં પહેરીને હોટલમાં આવ્યા અને વધુ એક છોકરી સાથે જોવા મળ્યાં . શ્રીસત છોકરી સાથે સીધા પોતાના રૂમમાં જતા રહ્યા . આ ઉપરાંત ક્રિકેટર અંકિત ચૌહાણ તેમની પાછળ બીજી છોકરી સાથે આવી રહ્યાં હતા . તેના બીજા દિવસે એટલે કે 9 મેના રોજ કિંગ્સ ઇલેવન પંજાબ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મેચ દરમિયાન શ્રીસંત પર સ્પૉટ ફિક્સિંગના આરોપ લાગ્યાં હતા . દિલ્હી પોલીસે હોટલાના ફૂટેજ અને રૂમ રેકોર્ડ વગેરે પોતાની સાથે લઇ ગઇ હતી . તેમની તપાસમાં ભેટ વગેરેનો ખુલાસો થયો છે . < center > < iframe width = "" 600 "" height = "" 450 "" src = "" http : / / www . youtube . com / embed / I - mVKnSACUM "" frameborder = "" 0 "" allowfullscreen > < / iframe > < / center >" sports,"બેંગ્લોર , 16 મેઃ ક્રિકેટને જેન્ટલમેન ગેમથી ખેલાડીઓની મંડી બનાવનાર આઇપીએલમાં સ્પોટ ફિક્સિંગ થવાનો મુદ્દો ભલે પહેલીવાર આવ્યો હોય પરંતુ અનેક વિવાદોના કારણે ક્રિકેટની આ લીગ પહેલા પણ દાગદાર થઇ ચૂકી છે . શ્રીસંથ થપ્પડ વિવાદે તો પહેલી સીરીઝમાં જ ખોટા કારણોને લઇને લીગને ચર્ચામાં લાવી દીધી , પરંતુ એક પછી એક તેની સાથે જે વિવાદો જોડાતા ગયા , તેનાથી તો એવું જ કહીં શકાય છે કે આઇપીએલ હવે ખેલને પ્રોત્સાહિત કરવા માટે નહીં પરંતુ વિવાદોનો અડ્ડો બની ગઇ છે . જેની કડીમાં ટીમ ઇન્ડિયા માટે રમી ચૂકેલા ઝડપી બોલર એસ શ્રીસંથનું નામ પણ આવ્યું છે . સ્પોટ ફિક્સિંગ , ફિક્સિંગની એક એવી રીત છે , જેમાં આખી મેચ ફિક્સ નહીં કરીને ખેલના અમુક હિસ્સાને પહેલેથી જ નિશ્ચિત કરી દેવામાં આવે છે . એટલે કે આપણી સમજી શકીએ કે એક બોલરને પહેલાથી જ ખબર હોય છે કે તેને નર્ધારિત ઓવરમાં કેટલા રન આપવાના છે અથવા કેટલા નોબોલ ફેંકવાના છે . ઘણી વાર એક બોલરને એવું પણ બતાવવામાં આવે છે કે , તેમારે એક ઓવરમાં કેટલા રન બનાવવાના છે . ક્યાંથી શરૂ થઇ ક્રિકેટમાં સ્પોટ ફિક્સિંગની શરૂઆત ક્રિકેટના પુસ્તકમાં સ્પોટ ફિક્સિંગનો કાળો અધ્યાય એ સમયે જોડાઇ ગયો જ્યારે પાકિસ્તાન ક્રિકેટ ટીમે ત્રણ ટેસ્ટ મેચ રમવા માટે ઇંગ્લેન્ડનો પ્રવાસ કર્યો હતો . આ પ્રવાસમાં પાકિસ્તાનના સુકાની હતા સલમાન બટ . આ શ્રેણીમાં એક મેચ દરમિયાન એક વિશેષ સમયે પાકિસ્તાન ટીમના ઝડપી બોલર મોહમ્મદ આસિફ અને મોહમ્મદ આમિરે જાણી જોઇને નો બોલ નાંખ્યો . જેનાથી મેચના પરિણામ પર અસર પહોંચી . સ્કોટલેન્ડ યાર્ડ પોલીસે તપાસ કરી તો જાણવા મળ્યું કે આ ફિક્સિંગમાં પાકના સુકાની સમાલન બટ પણ સામેલ હતા . આરોપ સાબિત થતા સલમાન બટને 10 વર્ષ અને મોહમ્મદ આસિફ અને મોહમ્મદ આમિરને પાંચ વર્ષ માટે ક્રિકેટ રમવા માટે પ્રતિબંધિત કરી દીધા ." business,"આ માટે જીએસપીસીએ બીજી ગ્રુપ ( બીજી ) પાસેથી જીજીસીએલનો 65.12 ટકા હિસ્સો ખરીદવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે . જીએસપીસી જૂથની સંપૂર્ણ માલિકીની કંપની ગુજરાત ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક્સ લિમિટેડ ( જીડીએનએલ ) દ્વારા જીડીનું શેર હોલ્ડિંગ હસ્તગત કરવામાં આવશે . આ હસ્તાંતરણ રૂ . 295 પ્રતિશેરના ભાવે કરવામાં આવશે . આ માટે જીડીએનએલ રૂ . 2 , 463 . 8 કરોડ જીબીને આપશે . આ સોદો સેબી દ્વારા આપવામાં આવેલી માર્ગદર્શિકાને અનુસરીને કરવામાં આવશે . આ માટે કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની પણ મંજૂરી લેવામાં આવશે ." entertainment,"સંજય દત્તના જીવન પર બનેલી ફિલ્મ ' સંજૂ ' ને સીને પ્રેમીઓએ વધાવી લીધી છે . માત્ર ત્રણ દિવસમાં ફિલ્મે બોક્સ ઓફિસ પર 100 કરોડ રૂપિયા કમાઈ લીધા છે . ફિલ્મમાં સંજય દત્તના જીવનના તમામ ઉતાર ચઢાવને એ અંદાજમાં ફિલ્માવામાં આવ્યા છે જેના કારણે મુખ્ય ચરિત્ર પ્રત્યે લોકોને સહાનુભૂતિનો ભાવ થાય . જો કે આ ફિલ્મમાં મીડિયા પર જોરદાર નિશાન સાધવામાં આવ્યુ છે . ફિલ્મમાં એ બતાવવાની કોશિશ કરવામાં આવી છે કે મીડિયા રિપોર્ટ્સના કારણે જ સંજય દત્ત એવા કેસમાં ફસાઈ ગયા જેના કારણે તેમને એમના જીવનમાં એટલી મુશ્કેલીઓ વેઠવી પડી . ફિલ્મમાં સંજય દત્તની ભૂમિકા હોય કે પછી તેનો ગુજરાતી દોસ્ત , બંને વર્તમાનપત્રની કટિંગ સાથે જોવા મળ્યા છે . જેનું શીર્ષક છે ' આરડીએક્સ ઈન અ ટ્રક પાર્ક્ડ ઈન દત્ત હાઉસ ? ' પરંતુ આ એ સમાચાર નહોતા જેનાથી દુનિયાને મુંબઈ ધમાકામાં સંજય દત્તનું કનેક્શન માલૂમ પડ્યુ હતુ . જે સમાચારથી દુનિયાને સંજય દત્તના મુંબઈ ધમાકાના કનેક્શનની પહેલી વાર ખબર પડી હતી તે હતા 16 એપ્રિલ , 1993 ના દિવસે . આ સમાચાર મુંબઈના એક ટેબ્લોઈડ ' ડેઈલી ' માં છપાયા હતા ." sports,"વેસ્ટઈન્ડીઝમાં યોજાનાર આઈસીસી મહિલા ટી - 20 વર્લ્ડ કપ માટે ભારતીય ક્રિકેટ ટીમનું એલાન કરી દેવામાં આવ્યુ છે . શુક્રવારે બીસીસીઆઈએ પ્રેસ નોટ જાહેર કરીને આની જાણકારી આપી છે . 15 સભ્યોની ટીમની કમાન હરપ્રીત કૌરને સોંપવામાં આવી છે જ્યારે સ્મૃતિ મંધાનાને વાઈસ કેપ્ટન તરીકે જવાબદારી સોંપવામાં આવી છે . હાલમાં શ્રીલંકામાં ટી - 20 સીરિઝ રમનાર ટીમમાં માત્ર એક ફેરફાર કરીને આ ટીમ પસંદ કરવામાં આવી છે . 11 નવેમ્બરે પાક સામે ભીડાશે ભારતીય ટીમ છઠ્ઠા આઈસીસી મહિલા વર્લ્ડ ટી - 20 ટુર્નામેન્ટનું આયોજન 9 થી 24 નવેમ્બર સુધી વેસ્ટઈન્ડીઝમાં થશે . ભારતીય ટીમને ઓસ્ટ્રેલિયા , ન્યૂઝીલેન્ડ , પાકિસ્તાન અને આયરલેન્ડ સાથે ગ્રુપ - બી માં જગ્યા આપવામાં આવી છે . ભારતીય ટીમ આ ટુર્નામેન્ટની શરૂઆત ગયાનામાં ન્યૂઝીલેન્ડ સામે 9 નવેમ્બરે રમાનાર મેચથી કરશે . ત્યારબાદ તેનો સામનો 11 નવેમ્બરે પાકિસ્તાન સામે થશે . 15 નવેમ્બરે ભારતીય ટીમ આયરલેન્ડ સામે પોતાની ત્રીજી મેચ રમશે જ્યારે અંતિમ લીગ મેચ ટીમ 17 નવેમ્બરે ઓસ્ટ્રેલિયા સામે રમશે . આ પણ વાંચોઃ સુષ્માએ અધવચ્ચે છોડી સાર્ક દેશોની મીટિંગ તો અકળાઈ ગયુ પાકિસ્તાન મહિલા વર્લ્ડ ટી - 20 માટે ભારતીય ટીમ હરમનપ્રીત કૌર ( કેપ્ટન ) , સ્મૃતિ મંધાના ( વાઈસ કેપ્ટન ) , મિતાલી રાજ , વેદા કૃષ્ણમૂર્તિ , દીપ્તિ શર્મા , જેમિમા રોડ્રિગેજ , તાન્યા ભાટિયા ( વિકેટકીપર ) , પૂનમ યાદવ , રાધા યાદવ , અનુજા પાટિલ , એકતા બિષ્ટ , ડી . હેમલતા , માનસી જોશી , પૂજા વાસ્ત્રાકર અને અરુંધતી રેડ્ડી . આ પણ વાંચોઃ સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ અંગે સુપ્રીમ કોર્ટના ચુકાદાની 10 મહત્વની વાતો" business,"હવે મોબાઇલ નિર્માતા કંપની નોકિયાએ ઘોષણા કરી છે કે , તે પોતાના નવા નોકિયા આશા પ્લેટફોર્મ પર ઇંસ્ટંટ મેસેજિંગ એપ્લીકેશન વોટ્સએપ પણ ઉપલબ્ધ કરાવી રહી છે , સૌથી પહેલા આ સુવિધા આશા 501માં મળશે , કંપનીએ ગુરુવારથી તેની શરૂઆત પણ કરી દીધી છે . કંપનીએ પોતાના એક નિવેદનમાં જણાવ્યું છે કે , હવે નોકયા આશા 501ના યુઝર આ એપ્લીકેશનને પોતાના ફોન પર એક સોફ્ટવેર અપડેટ કરીને સહેલાયથી ડાઉનલોડ કરી શકશે . આ મેસેજિંગ સેવા આશા શ્રેણીના અન્ય ફોનમાં પણ ઉપલબ્ધ છે . નોકિયા ઇન્ડિયાના ડિરેકટર માર્કેટિંગ વિરાલ ઓઝાએ જણાવ્યું કે , આશા 501 આશા પ્લેટફોર્મ પર ચાલનારો પહેલો હેંડસેટ હશે જે વોટ્સએપને સપોર્ટ કરશે . નવા ઇન્ટરફેસમાં સિંગલ સ્વાઇપ કેમેરા તો હશે જ , સિંગલ ટચથી ફેસબુકમાં શેર કરવાની સુવિધા પણ હશે . તેનાથી ફેસબુક કોમેન્ટ ટ્રેક કરવું સહેલું રહેશે . નોકિયાએ કહ્યું છે કે , તેનાથી પરિષ્કૃત સોફ્ટવેર વોટ્સએપ સાથે જ નવા સેટમાં આવશે . આ સેટ 5 ડિસેમ્બરે લોન્ચ કરવામાં આવશે . જુના સેટ રાખનારા પોતાના ફોનના સોફ્ટવેરને અપડેટ કરાવી શકે છે ." business,ડોલરને મુકાબલે સૌથી નીચે ગગડ્યા પછી હવે રૂપિયાની કિંમતમાં સુધારો જોવા મળ્યો છે . ગુરુવારે એક ડોલર બરાબર 72.09 રૂપિયા પહોંચી ચુક્યો છે . બુધવારે કારોબારમાં રૂપિયો 72.34 રૂપિયા પ્રતિ ડોલરના સ્તરે પહોંચ્યો હતો અને અંતે રૂપિયો 61 પૈસાની મજબૂતી સાથે 72.37 રૂપિયા પ્રતિ ડોલર પર બંધ થયો હતો . રૂપિયામાં આ પ્રકારનો મોટો સુધાર 18 મહિના પછી જોવા મળ્યો છે . ગુરુવારે 28 પૈસા મુજબૂત થઈને રૂપિયો 72.09 પર ચાલી રહ્યો છે . વૈશ્વિક સ્તરે કાચા તેલની કિંમત નરમ પડવાને કારણે રૂપિયામાં પણ સુધાર જોવા મળી રહ્યો છે . જો ક્રૂડ ઓઇલ સસ્તું થશે તો સીધી રીતે મોંઘવારી અટકવાની સંભાવના વધશે અને રૂપિયાની હાલતમાં પણ સુધાર થશે . જયારે શેર માર્કેટ વિશે વાત કરવામાં આવે તો બુધવારે સેન્સેક્સ અને નિફટીમાં ઘટાડો ચાલુ જ રહ્યો . સેન્સેક્સ 169.45 અંક જયારે નિફટી 44.55 અંક જેટલો નીચે ગગડી ગયો છે . business,"દાવાઓનું ઝડપી નિરાકરણ લાવવાના પ્રસ્તાવને અમલી બનાવવા માટે ઇપીએફઓ દ્વારા 5 જુલાઇના રોજ તમામ ઝોનલ પ્રમુખોની એક બેઠક બોલાવવામાં આવીછે . આ બેઠકમાં સમગ્ર કાર્યયોજનાની રૂપરેખા તૈયાર કરવામાં આવશે . કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનને ચાલુ નાણાકીય વર્ષમાં 1.2 કરોડ દાવા કરવાની સંભાવના છે . આટલી સંખ્યામાંથી જો અંદાજે 70 ટકા દાવાઓનું ત્રણ દિવસમાં નિરાકરણ લાવી દેવામાં આવે તો પણ તેનાથી અંદાજે 84 લાખ દાવેદારોને લાભ મળશે . દાવાઓના ત્વરિત નિકાલના સંદર્ભે ઇપીએફઓએ જણાવ્યું કે સંગઠનની છબી સુધારવા માટે એક સત્તાવાર આદેશ જાહેર કરવાની જરૂર છે . ઉલ્લેખનીય છે કે ઇપીએફઓએ આ વર્ષે 15 જૂન સુધી મેળેલા તમામ દાવાઓના નિરાકરણ માટેનું એક અભિયાન ચલાવ્યું છે . આ વર્ષે 11 જૂન સુધી 5,38,704 દાવાઓનું નિરાકરણ બાકી હતું . ઇપીએફઓએ વર્ષ 2012 - 13માં 1.08 કરોડ દાવાઓની પતાવટ કરી છે . જેમાં 12.62 લાખ દાવેદારો એ બાબતથી અસંતુષ્ટ હતા કે તેમના દાવાઓનો નિકાલ 30 દિવસની અંદર કરવામાં આવ્યો નથી . એટલું જ નહીં 1.41 લાખ દાવાઓનો નિકાલ 90 દિવસ બાદ પણ કરવામાં આવ્યો ન હતો . જેના કારણે ઇપીએફઓની છબીને નુકસાન પહોંચ્યું છે ." business,"ભારતીય રૂપિયો સપ્ટેમ્બર 2013ના પ્રથમ સપ્તાહમાં અમેરિકન ડૉલર સામે 68.81ની ઐતિહાસિક નીચી સપાટીને સ્પર્શી ગયો હતો . આમ છતાં થોડા જ સમયમાં તેણે નોંધપાત્ર રિકવરી દર્શાવી હતી . માત્ર સાત ટ્રેડિંગ સેશનમાં રૂપિયાએ સાત ટકા જેટલી રિકવરી નોંધાવી હતી અને ફરી 63.30ની સપાટી મેળવી હતી . આટલી ઝડપથી રૂપિયાની રિકવરી થવાના પાંચ અગત્યના કારણો કયા છે તે જણાવે છે માર્કેટ એક્સપર્ટ . . . રાજન તરફથી સકારાત્મક સંકેત આરબીઆઇના નવા ગવર્નર તરીકે 5 સપ્ટેમ્બરે રઘુરામ રાજનની નિયુક્તિ થતા જ માર્કેટમાં સકારાત્મક સંકેત જોવા મળ્યા હતા . મહત્વની બાબત એ છે કે તેમની નિમણૂંક બાદ એક પણ દિવસ રૂપિયો ઘટ્યો નથી . ક્રુડ પરનું જોખમ ઘટ્યું છેલ્લા કેટલાક સમયથી સીરિયા કટોકટી ચાલી રહી હતી . જેના પગલે વિશ્વભરમાં ક્રુડના ભાવમાં વધારો થઇ રહ્યો હતો . આ સમયગાળામાં સીરિયા સંકટ ટળી જતા જ ક્રુડના ભાવ વધતા અટક્યા હતા . ભારત ક્રુડની 80 ટકા આયાત કરે છે . આવા સમયે તેને ખાસ્સી મદદ મળી હતી . આરબીઆઇએ ડોલર વેચ્યા રૂપિયાને મદદ કરવા માટે આરબીઆઇએ ડોલરનું વેચાણ કર્યું હતું . ફોરેન માર્કેટના રિપોર્ટને ધ્યાનમાં લઇને આરબીઆઇએ ફોરેક્સમાં દરમિયાનગીરી કરી હતી . શેર્ટ કવરિંગથી તેજી ભારતીય રૂપિયાના અવમૂલ્યનને કારણે ભારતીય સ્ટોક માર્કેટમાં વેચવાલીનો ટ્રેન્ડ જોવા મળ્યો હતો . આ ઉપરાંત ક્રુડ ફેક્ટરે પણ માર્કેટમાં વેચવાલીનો દોર શરૂ કર્યો હતો . જ્યારે આ બે સંકટ ટળ્યા ત્યારે માર્કેટમાં તેજીનો માહોલ જોવા મળ્યો હતો . જેના કારણે પણ ડોલરની સરખામણીએ રૂપિયાનું મૂલ્ય વધ્યું હતું . વેપાર ખાધ ઘટી છેલ્લા કેટલાક સમયથી રૂપિયાના અવમૂલ્યન , વધતી આયાત અને ઘટતી નિકાસને કારણે ભારતની વેપાર ખાધ વધી હતી . જો કે નિકાસ વધારી આયાતને નિયંત્રિત કરવામાં આવતા વેપાર ખાધમાં ઘટાડો થયો હતો . જેના પગલે રૂપિયાનું ભારણ ઘટ્યું હતું અને તેના મૂલ્યમાં સુધારો જોવા મળ્યો હતો ." business,"રિલાયન્સ કંપની તેના ગ્રાહકો માટે એક પછી એક નવી ઓફર લોન્ચ કરી રહી છે . તેવામાં રિલાયન્સ કમ્યુનિકેશને એક જોરદાર ઓફર શરૂ કરી છે જે તમને એક વર્ષ સુધી રોજના 1 જીબી જેટલો ડેટા આપશે . જો કે અહીં તમને સ્પષ્ટતા આપી દઉં કે આ ઓફર કંપનીએ તેના વાઇ - પોડ માટે આપી છે . રિલાયન્સ કમ્યુનિકેશન 4જી હોટસ્પોટની સાથે બંડલ ડેટા ઓફર આપી રહ્યું છે . વાઇપોડ અને વર્ષભર રોજના 1 જીબી ડેટા માટે ગ્રાહકોને 5,199 રૂપિયા આપવા પડશે . આ વાઇ - પોડને ZTE કંપનીએ બનાવ્યું છે અને તે ખુબ જ લાઇટ મોડેલ છે . આ વાઇ - પોડનું વજન ખાલી 80 ગ્રામ છે . આ વાઇ - પોડની કિંમત 3200 રૂપિયા છે . અને કંપનીને આ ઓફર હેઠળ જ આ વાઇ પોડ આપવામાં આવી રહ્યો છે . શું છે વાઇ - પોડની ખાસિયતવાઇ - પોડમાં ક્વાલકોમ MDM9370 ચિપસેટ છે . જેની સાથે તમે 31 ડિવાઇસને કનેક્ટ કરી શકો છો . આ ડિવાઇસ પ્લાસ્ટિકથી બનાવામાં આવ્યું છે . તેમાં માઇક્રો યૂએસબી પોસ્ટ , સિમ કાર્ડ સ્લોટ , માઇક્રોએસડી કાર્ડ સ્લાટ છે . સાથે જ 32 જીબી સુધીનું માઇક્રોએસડી કાર્ડ લગાવવામાં આવ્યું છે . રિલાયન્સ કમ્યુનિકેશનના આ વાઇ - પોડમાં 2300 mAhની બેટરી પણ છે ." business,"નવી દિલ્હી , 30 ઓક્ટોબર : આજે ભારતના નાણા પ્રધાન અરૂણ જેટલીએ ભારતના અર્થતંત્રને ફરીથી ધમધમતુ કરી શકવાની ક્ષમતામાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો . તેમણે જણાવ્યું હતું કે ભારતીય અર્થતંત્ર 8થી 9 ટકા વૃદ્ધિદર પ્રાપ્ત કરી શકે છે . આ માટેની ચાવી સુશાસન છે . અરૂણ જેટલીએ જણાવ્યું કે ' મને હંમેશા આશ્ચર્ય થતું આવ્યું છે કે સામાન્ય સરકારની મદદથી પણ આર્થિક વૃદ્ધિદર પાંચ ટકાની અંદર રહ્યો હતો . વાસ્તવમાં તો ભારત પાસે 8થી 9 ટકાના દરે વૃદ્ધિ કરવાની ક્ષમતા છે . જો આપણી નીતિઓ દમદાર હશે અને સુશાસન હશે તો આપણો વૃદ્ધિદર વધી શકે છે . ' નાણા પ્રધાન અરૂણ જેટલીએ CAG કોન્ફરન્સને સંબોધતા આમ જણાવ્યું હતું . આ સાથે તેમણે આ પહેલાની સરકાર પર ભ્રષ્ટાચાર અને કુદરતી સ્રોતોના દુરુપયોગની પણ વાત કહી હતી . તેમણે જણાવ્યું કે અગાઉની સરકારના કુશાસનને કારણે વર્ષ 2012 - 13 અને વર્ષ 2013 - 14માં ભારતનો આર્થિક વૃદ્ધિદર 5 ટકાની અંદર ચાલ્યો ગયો હતો . મહત્વની બાબત એ છે કે છેલ્લા 10 ક્વાર્ટરમાં એપ્રિલથી જુનમાં વૃદ્ધિદર 5.7 ટકા રહ્યો હતો . ભાજપની આગેવાનીવાળી સરકારે મે મહિનામાં સત્તાનું સુકાન સંભાળ્યું હતું . સત્તામાં આવતા જ તેમણે સુશાસનનું વચન આપ્યું હતું . નોંધનીય છે કે તાજેતરમાં વર્લ્ડ બેંકના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે ભારતનો આર્થિક વૃદ્ધિદર 5.6 ટકા રહ્યો હતો . આ વૃદ્ધિ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ જેવા કાયદાઓને લાવવાને કારણે થશે ." entertainment,"અમદાવાદ , 2 ડિસેમ્બર : એકતા કપૂર નિર્મિત ધ ડર્ટી પિક્ચર પછી ભલે બૉલીવુડમાં ડર્ટી ગર્લ તરીકે વિદ્યા બાલન જાણીતા થયા હોય , પણ અસલી ડર્ટી ગર્લ તો અસલી સિલ્ક સ્મિતા જ હતી કે જેઓ ગ્લૅમર જગતની લાગણીહીનતાનો ભોગ બન્યા હતાં . ધ ડર્ટી પિક્ચર સિલ્ક સ્મિતાના જીવન પર આધારિત હતી . તે જ સિલ્ક સ્મિતા જો આજે હયાત હોત , તો 53 વર્ષના થઈ જાત . જી હા , સિલ્ક સ્મિતાનો જન્મ 2જી ડિસેમ્બર , 1960ના રોજ આંધ્ર પ્રદેશના એલ્લુરૂ ખાતે એક ગરીબ પરિવારમાં વિજયલક્ષ્મી તરીકે થયો હતો . વિજયલક્ષ્મીને તે વખતે કદાચ અહેસાસ નહોતો કે તે એક દિવસ દેશની ચર્ચિત અભિનેત્રી બનશે . આર્થિક તંગીના કારણે સિલ્ક સ્મિતાએ ચોથા ધોરણ બાદ રસોડાની જવાબદારી સંભાળવી પડી . આ સિલસિલો આગળ પણ ચાલુ રહ્યો કે જ્યારે ઓછી વયમાં તેમના લગ્ન કરી દેવાયાં . પતિ અને સાસરિયાઓની પરાણે ઠોકી બેસાડેલી શરતો અને કાયદા - કાનૂને સિલ્કનું જીવન મુશ્કેલીભર્યુ બનાવી દીધું . આવો તસવીરો સાથે જાણીએ અસલી સિલ્ક સ્મિતાની અસલી સ્ટોરી :" entertainment,"છેલ્લા કેટલાક સમયથી સમાચારોમાં ચાલી રહેલો નાના પાટેકર અને તનુશ્રી દત્તા વિવાદ હવે નવા વળાંક પર આવી ગયો છે . નાના પાટેકર સાથે હવે નિર્દેશક વિવેક અગ્નિહોત્રી પણ ઘેરાવામાં આવી ગયા છે . તનુશ્રી દત્તા હાલમાં ખુબ જ પરેશાન છે કારણકે તેમને નાના પાટેકર અને વિવેક અગ્નિહોત્રી ઘ્વારા લીગલ નોટિસ મળી છે , જેની જાણકારી તનુશ્રી દત્તાએ જાતે આપી છે . વિવેક અગ્નિહોત્રી અંગે અભિનેત્રી તનુશ્રી દત્તા ઘ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે ફિલ્મ ચોકલેટ શૂટિંગ દરમિયાન તેને જબરજસ્તી કપડાં ઉતારીને નાચવા માટે કહેવામાં આવતું હતું . તનુશ્રી અને નાના પાટેકર વિવાદ પર શક્તિ કપૂરે મજાક ઉડાવ્યો આ વાત અંગે બંનેએ તનુશ્રી દત્તાને લીગલ નોટિસ મોકલી છે તનુશ્રી દત્તા ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેને સાચું બોલવાની કિંમત ચૂકવવી પડી રહી છે . તનુશ્રી - નાના વિવાદ પર રવીના ટંડનનું નિવેદન , સ્ટાર પત્નીઓ પર સાધ્યુ નિશાન એટલું જ નહીં પરંતુ તનુશ્રી દત્તા ઘ્વારા જણાવવામાં આવ્યું કે કેટલાક એવા પાર્ટી વર્કર્સ પણ છે જેમના તરફથી સતત ધમકીઓ આવી રહી છે . જ્યારથી તનુશ્રી ઘ્વારા આ વાતનો ખુલાસો કરવામાં આવ્યો છે ત્યારથી ઘણા લોકો વિચારમાં પડી ગયા છે ." business,"વૉશિંગ્ટન , 31 જુલાઇ : શેર બજારમાં જોખમ લેવાની ઇચ્છાશક્તિ ઓછી હોવાને કારણે અથવા તો ઝોખમી જગ્યાએ રોકાણ કરી નાણા ગુમાવી બેસવાના ભયને પગલે રોકાણ પર નકારાત્મક અસર પડે છે . આ તારણ અમેરિકામાં કરવામાં આવેલા એક અભ્યાસમાંથી બહાર આવ્યું છે . યુનિવર્સિટી ઓફ મિસૌરીના આસિસ્ટન્ટ પ્રોફેસર માઇકલ ગુલ્લૈઇમેટનું કહેવું છે કે ' પરંપરાગત રીતે માનવામાં આવતું હતું કે લોકોની ખર્ચ કરવાની આદત જોખમ લેવાની ઇચ્છાશક્તિ વધારે છે . એટલે કે જેમાં વધારે વળતર મળતું હોય તેમાં રોકાણ કરવા માટે વ્યક્તિ વધારે જોખમ લેવા તૈયાર થાય છે . ' ગુલ્લૈઇમેટે જણાવ્યું કે ' અમારો અભ્યાસ જણાવે છે કે ખર્ચની આદત અને જોખમ લેવાની ઇચ્છાશક્તિ વચ્ચે કોઇ સંબંધ નથી . તેના કરતા પણ વધારે સ્પષ્ટ સૂચક ખોટ જવાની શક્યતા અને જોખમી રોકાણ કરવા વચ્ચે સીધો સંબંધ છે . ' જોખમ લેવાની ઇચ્છાશક્તિનો અભ્યાસ માટે વર્ષ 2003થી 2010 સુધીના સમયગાળાના ડેટાનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું . ગુલ્લૈઇમેટ દ્વારા રોકાણમાં જોખમ વહોરવાની ઇચ્છાશક્તિ માટે ત્રણ મહત્વના ચાલકો પર ધ્યાન કેન્દ્રીત કર્યું હતું . જેમાં નુકસાન જવાની સંભાવના , રોકાણકારોની ખર્ચ કરવાની આદતમાં પરિવર્તન અને ગ્રાહકોના સંતોષનું પ્રમાણનો સમાવેશ થાય છે . ગુલ્લૈઇમેટનું કહેવું છે કે આ અભ્યાસ પરથી અમને ખ્યાલ આવ્યો છે કે રોકાણમાં જોખમ લેવાની ઇચ્છાશક્તિ રોકાણમાં રહેલા લાભ કે વળતર પર નહીં પરંતુ તેમાં રહેલા નુકસાનના જોખમ પર રહેલો છે . રોકાણકાર તેમનું નુકસાન ઘટાડવાની દિશામાં વિચાર કરે છે . આ અભ્યાસ આગામી સમયમાં આવનારા જર્નલ ફાઇનાન્શિયલ સર્વિસીસ રિવ્યુમાં પ્રકાશિત થવાનો છે ." entertainment,"મૉડર્ન , ડાન્સર , એક્ટ્રેસ , આયટમ ગર્લ , હૉટ ગર્લ . . . અરે કેટલા વિશેષણો લગાવી દીધા ? આ તમામ વિશેષણો એક જ વ્યક્તિના નામ સાથે લાગી શકે છે અને તે છે રાખી સાવંત . રાખી સાવંત ટેલીવુડથી લઈ બૉલીવુડ સુધી અને છેક રાજકારણ સુધી પણ ચર્ચામાં રહેતુ એવુ નામ છે કે જે આજે 35મો જન્મ દિવસ ઉજવી રહ્યા છે . હિન્દી ઉપરાંત કન્નડ સહિત બીજી ભાષાઓની ફિલ્મોમાં કામ કરી ચુકેલા રાખી સાવંત ટેલીવિઝનના નાના પડદે પણ દેખાઈ ચુક્યાં છે . તેઓ રાજકારણમાં પણ ચર્ચામાં રહેતા આવ્યાં છે . તેઓ પોતાના વિવાદાસ્પદ નિવેદનો માટે પંકાયેલા છે . વર્લી - મુંબઈ ખાતે 25મી નવેમ્બર , 1978ના રોજ જન્મેલ રાખી સાવંત આજકાલ નવા વર્ષના સ્વાગત માટેની તૈયારીઓ કરી રહ્યાં છે . રાખી સાવંત કંટ્રી ક્લબ તરફથી યોજાનાર એશિયાની સૌથી મોટી ન્યુ ઈયર પાર્ટી માટે વ્યસ્ત છે . તેમણે તાજેતરમાં જ એક પ્રેસ કૉન્ફરંસ દરમિયાન આ અંગેની માહિતી પણ આપી . આવો આપને બતાવીએ રાખીના કેટલાંક આશ્ચર્યજનક અને વિવાદાસ્પદ નિવેદનો તેમની તસવીરો સાથે ." sports,"આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીના બીજા સેમીફાઇનલ મુકાબલામાં ટીમ ઇન્ડિયાએ શ્રીલંકાને 8 વિકેટે હરાવી ફાઇનલમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે . શ્રીલંકાઇ ટીમની મહત્વપૂર્ણ ત્રણ વિકેટ ઝડપનાર ફાસ્ટ બોલર ઇશાંત શર્માને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો . હવે ભારતનો ફાઇનલમાં મેજબાન ઇગ્લેંડની ટીમ સામે રવિવારે એજબેસ્ટનમાં થશે . મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બોલીંગ કરવાનો નિર્ણય કર્યો હતો . તિલકરત્ને દિલશાને ઝડપથી રમવાની શરૂઆત કરી હતી , પરંતુ માંસપેશીઓ ખેંચાતા તે ક્રીઝમાં ઉભા રહી ન શકતાં તે રિટાયર્ડ હર્ડ થઇને પેવેલિયન ભેગાં થઇ ગયા હતા . ત્યારબાદ થિરિમાનેને પ્રમોટ કરી બેસ્ટમેનના રૂપમાં મોકલવામાં આવ્યા હતા . ભુવનેશ્વર કુમારે ટીમ ઇન્ડિયાને પ્રથમ સફળતા અપાવી હતી જ્યારે બીજી વિકેટ ઇશાંત શર્માએ પ્રાપ્ત કરી હતી . ભુવનેશ્વરે કુશલ પરેરાને સુરેશ રૈનાના હાથ કેચ આઉટ કરાવી દિધા હતા જ્યારે થિરિમને પણ સુરેશ રૈનાના હાથે સ્લિપમાં કેચ આઉટ થઇ ગયો હતો . મહેલા જયવર્ધને પિચ પર મૈથ્યુઝ સાથે જોડી બનાવી હતી પરંતુ રવિન્દ્ર જાડેજાએ જયવર્ધનેને બોલ્ડ કરીને જોડી તોડી દિધી હતી . જયવર્ધનેએ 63 બોલમાં 38 રન બનાવ્યા હતા . 158 રનના સ્કોર પર મૈથ્યૂઝ ખરાબ શોટ રમવા જતાં ભુવનેશ્વરે તેનો કેચ લપકી લીધો હતો . મૈથ્યૂઝે 51 રન બનાવ્યા હતા . ત્યારબાદ કોઇપણ બેસ્ટમેન પીચ પર ટકી શક્યો ન હતો . અને અંતે શ્રીલંકાએ 50 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 181 રન બનાવ્યાં હતા . ભારત તરફથી અશ્વિન અને ઇશાંતે 3 - 3 વિકેટ જ્યારે ભુવનેશ્વર અને રવિન્દ્ર જાડેજાએ 1 - 1 વિકેટ ઝડપી હતી . ભારતીય બોલરોએ પોતાનું શાનદાર પ્રદર્શનના જોરે શ્રીલંકાઇ બેસ્ટમેનોને 50 ઓવરમાં આઠ વિકેટના નુકસાન પર 181 રન પર પેવેલિયન ભેગા કરી દિધા હતા જ્યારે તેના જવાબમાં મેદાન ઉતરેલી ભારતીય ટીમના ઓપનર્સે પણ નિરાશાજનક શરૂઆત કરી હતી જો કે રોહિત શર્મા 33 રન બનાવીને મૈથ્યૂઝ બોલ પર બોલ્ડ થઇ ગયો હતો . રોહિત શર્મા બાદ શિખર ધવન અને વિરાટ કોહલીએ રમતને આગળ ધપાવતાં 65 રનોની ભાગીદારી બનાવી હતી . શિખર ધવને 92 બોલમાં છ ચોગ્ગા અને એક ચોગ્ગાની મદદથી 68 રન બનાવ્યા હતા . જ્યારે શિખર ધવન બાદ વિરાટ કોહલી અને સુરેશ રૈનાએ મોરચો સંભાળતા ફક્ત 35 ઓવરમાં ટીમ સ્કોર સુધી પહોંચાડી દિધી હતી . વિરાટ કોહલીએ 64 બોલમાં અણનમ 58 રન ફટકાર્યા હતા જ્યારે સુરેશ રૈનાએ વિનિંગ શોટ લગાવતાં 7 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો . હવે ફાઇનલમાં ભારતનો મુકાબલો રવિવારે મેજબાન ઇગ્લેંડની ટીમ સાથે થશે ." sports,"નવી દિલ્હી , 6 ઓક્ટોબરઃ દિલ્હીના ફિરોજશાહ કોટલામાં રમાયેલી ચેમ્પિયન્સ લીગ ટી20ની બીજી રોમાંચક સેમીફાઇનલમાં મુંબઇ ઇન્ડિયન્સે ત્રિનદાદ એન્ડ ટોબૈગોને 6 વિકેટથી હરાવીને ફાઇનલમાં પ્રવેશ મેળવી લેધી છે . ફાઇનલમાં મુંબઇ ઇન્ડિયન્સ રાજસ્થાન રોયલ્સ સાથે ટકરાશે . ત્રિનદાદ એન્ડ ટોબૈગોએ લુઇસની અડધી સદીની મદદથી 153 રન બનાવ્યા હતા . જેના જવાબમાં મુંબઇએ સ્મિથ , સચિન અને દિનેશ કાર્તિકની શાનદાર ઇનિંગની મદદથી 19મી ઓવરમાં જ વિજય હાંસલ કરી લીધો હતો . આ પહેલાં મુંબઇએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને ત્રિનદાદને બેટિંગ માટે આમંત્રણ પાઠવ્યું હતું . બેટિંગ કરવા આવેલા ત્રિનદાદની પહેલી વિકેટ સિમ્મોન્સના રૂપમાં પડી હતી , ત્યારબાદ બ્રેવો 14 , લેવિસ 62 , રામદિન 9 , પૂરણ 15 રન બનાવી આઉટ થયા હતા . જ્યારે ઓટ્લેએ અણનમ 41 રનની ઇનિંગ રમી હતી . ત્રિનદાદ તરફથી લેવિસે સર્વાધિક 62 રનની ઇનિંગ રમી હતી . જ્યારે મુંબઇ તરફથી જ્હોન્સન , હરભજન સિંહ , કલ્ટર નિલે , પોલાર્ડ અને ઓઝાને એક - એક વિકેટ મળી હતી ." sports,દિલ્હી ડેરડેવિલ્સ ટીમે પોતાના નવા ઘર રાયપૂરના વીર નારાયણસિંહ સ્ટેડિયમમાં રવિવારે રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ છની પોતાની 9મી મેચમાં પૂણે વોરિયર્સ ઇન્ડિયાને 15 રને હરાવી દીધું . આઇપીએલની આ સિઝનમાં ડેરડેવિલ્સની આ માત્ર બીજી જીત છે જ્યારે વોરિયર્સને નવ મેચોમાં આ સાતમી હાર છે . ડેરડેવિલ્સ દ્વારા આપવામાં આવેલ 165 રનોના લક્ષ્યનો પીછો કરતા વોરિયર્સની સારી શરૂઆત છતાં નિર્ધારિત 20 ઓવરમાં ચાર વિકેટ પર 149 રન જ બનાવી શક્યા . ડેરડેવિલ્સ માટે ઇરફાન પઠાણ અને ઉમેશ યાદવે બે - બે વિકેટ લીધી . શહીદ વીર નારાયણ સિંહ આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમ 19મું ગ્રાઉન્ડ છે જ્યાં આઇપીએલની મેચ યોજાઇ . દેલ્હીને રાયપૂર સ્ટેડિયમમાં હજી બે મેચ રમવાની છે . 1 મેના રોજ દિલ્હીનો સામનો કોલકાતાની ટીમ સાથે થશે . પૂણેને છેલ્લી ઓવરમાં જીત માટે 28 રનોની જરૂરિયાત હતી પરંતુ લેફ્ટ આર્મ સ્પિનર શહબાજ નદીમની આ ઓવરમાં માત્ર 13 રન જ બન્યા અને પૂણેને હારનો સામનો કરવો પડ્યો . entertainment,"પીકે ફિલ્મના પોસ્ટરમાં આમિર ખાન ન્યુડ થતા અનેક પ્રકારના વિવાદો ઊભા થઈ ગયા છે . આ આખો કેસ એક બાજુ કોર્ટમાં પહોંચી ગયો છે , તો શાહરુખ ખાન અને સલમાન ખાન સહિતના અનેક કલાકારોએ આ પોસ્ટર અંગે મિશ્ર પ્રત્યાઘાત આપ્યા છે . ચારેબાજુથી થયેલ ટીકાઓ વચ્ચે આમિર ખાન જાણે બેફિકર હોય , તેમ તેમણે જાહેર કર્યુ છે કે પીકે ફિલ્મના નવા પોસ્ટરમાંથી ટ્રાંઝિસ્ટર પણ ગાયબ થઈ જશે . ઑહ ગૉડ ! તો ટ્રાંઝિસ્ટરના સ્થાને ખાલી પડેલ જગ્યાએ શું દેખાશે ? આ પ્રશ્નનો ઉત્તર તો સહેજે કોઈ પણ કહી દેશે . રાજકુમાર હીરાણી દિગ્દર્શિત પીકે ફિલ્મનું પહેલુ પોસ્ટર વિવાદાસ્પદ રહ્યું . ફિલ્મનું બીજુ પોસ્ટર 15મી ઑગસ્ટ સ્વાતંત્ર્ય દિવસના રોજ આવવાનુ હતું અને તેના પ્રત્યેક લોકોમાં જિજ્ઞાસા પણ હતી કે બીજા પોસ્ટરમાં પણ કંઇક અજુગતુ હશે , પણ આ પોસ્ટર હવે 15મીએ નહીં , પણ 20મી ઑગસ્ટે રિલીઝ થવાનું છે . આમિર ખાને જણાવ્યું કે બીજા પોસ્ટરમાં તે તેમના હાથે ટ્રાંઝિસ્ટર પણ નહીં નથી . આમિરના આવા નિવેદન બાદ લોકોમાં બીજા પોસ્ટર અંગે જિજ્ઞાસા ઓર વધી ગઈ છે . ચાલો હાલ તો બતાવીએ પીકેનુ બીજુ પોસ્ટર કેવું હોઈ શકે અને આમિરે હૉલીવુડ ફિલ્મોમાંથી કૉપી કરેલા પોસ્ટર્સ અંગે :" sports,"સ્પોટ ફિક્સિંગને લઇને શ્રીલંકાના પૂર્વ ક્રિકેટર અર્જૂન રણતુંગાનું કહેવું છે કે આઇપીએલે ખેલાડીઓને લાલચી બનાવી દીધા છે . હવે તે દેશ માટે રમવા નથી માંગતા . તેમનું માનવું છે કે આઇપીએલએ બીસીસીઆઇ બદનામી સિવાય કશું જ આપ્યું નથી . ઉલ્લેખનીય છે કે સ્પોટ ફિક્સિંગમાં ભારત માટે રમી ચૂકેલા શ્રીસંતની ધરપકડ થઇ છે . તેમનું કહેવું છે કે ફિક્સિંગની ઘટનાઓ લીગના પ્રારંભથી જ થઇ રહી છે . આઇપીએલએ વિશ્વ ક્રિકેટને કઇ આપ્યું નથી , પરંતુ દરેક સિઝનમાં કોઇને કોઇ વિવાદ જરૂર થાય છે . ભારતીય રમતનું માળખુ એટલું મજબૂત છે કે સારા ખેલાડીઓ આવી શકે . મને નથી લાગતુ કે આ લીગની જરૂરીયાત દેશને છે . આ લીગથી હજી સુધી કોઇ વિશ્વસ્તરીય ખેલાડી નીકળીને આવ્યો નથી ." sports,"બેંગ્લોર , 1 સપ્ટેમ્બરઃ ખરાબ ફોર્મના કારણે જ્યાં ક્રિકેટ જગતના કેટલાક દિગ્ગજ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરને ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની સલાહ આપી રહ્યાં છે , તો બીજી તરફ ન્યુઝીલેન્ડના પૂર્વ ઓલરાઉન્ડર ક્રિસ કેર્ન્સનું માનવું છે કે વિરાટ કોહલી સહિત અનેક યુવા ખેલાડીના ખેલને નિખારવા માટે તેંડુલકરને એક વર્ષ સુધી વધું રમવું જોઇએ . કેર્ન્સે કહ્યું કે , તેંડુલકરને વધું એક વર્ષ રમવું જોઇએ . મને નથી ખબર પરંતુ કોહલીને તેમની હાજરીમાં વધુ એક વર્ષના અનુભવની જરૂર છે . કોહલી શાનદાર ખેલાડી છે અને ટીમનો આગામી સુકાની બનવાનો છે . યુવા ખેલાડીઓ માટે તેંડુલકરનું ટીમમાં હોવું જરૂરી છે . આ અંગે તેમણે કહ્યું કે , ભારતીય ટીમમાં તેંડુલકરના ખેલાડી મહત્વના છે , કારણ કે ટીમમાં વધુ અનુભવી ખેલાડી નથી . ખાસ કરીને રાહુલ દ્રવિડ , સૌરવ ગાંગુલી અને વીવીએસ લક્ષ્મણની નિવૃત્તિ બાદ . ન્યુઝીલેન્ડના આ પૂર્વ ક્રિકેટરે કહ્યું કે , તેંડુલકર જ્યારે નિવૃત્તિ લેશે તો તે ચેતેશ્વર પૂજારા અને કોહલી સહિતના યુવા ખેલાડીઓ માટે દુઃખદ હશે , કારણ કે તેમણે અનેક અનુભવની ખોટ સાલશે . કેર્ન્સે કહ્યું કે આઇપીએલથી ભારતીય ખેલાડીઓને ઘણો ફાયદો થયો છે . આઇપીએલ ભલે કેટલીક ટીકાઓ થઇ હોય , પરંતુ તેનાથી ભારતીય ખેલાડીઓને ફાયદો થયો છે . ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ , ટ્રેનર અને કોચોની સાથે વાત કરવાની તક મળી રહી છે . જેનાથી તેમને તેમની ક્રિકેટમાં સુધારો કરવાની તક મળી રહી છે . તે ઝડપથી અને વ્યવહારિક રીતે શીખી રહ્યાં છે , જે ખેલ માટે સારું છે . કેર્ન્સે કહ્યું કે , જો ભારતના વિદેશોમાં સફળ થવું છે , તો તેમણે તેમની ઝડપી બોલિંગમાં સુધારો કરવો પડશે . તેમણે કહ્યું કે , ભારતને જ્યાં સુધી સારી ઝડપી બોલિંગ જોડી નહીં મળે ત્યાં સુધી સંઘર્ષ કરવો પડશે . મને લાગે છે કે , ભારતીય ક્રિકેટને તેની ઘણી જરૂર છે ." entertainment,"જિસ્મ ફિલ્મ સાથે બૉલીવુડમાં પોતાનું કૅરિયર શરૂ કરનાર અભિનેતા જ્હૉન અબ્રાહમનું કહેવું છે કે આ મારા માટે ગૌરવની બાબત છે કે હું ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહ્યો છું . મેં બૉલીવુડમાં દસ વરસ પૂર્ણ કરી લીધાં છે . હું શક્ય હશે , ત્યાં સુધી કામ કરતો રહીશ . સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ મુંબઈ મૅરેથન ચૅરિટી ઍવૉર્ડ સમારંભમાં જ્હૉન અબ્રાહમે જણાવ્યું - હું બાળપણથી જ હિન્દી ફિલ્મો જોતો આવ્યો છું . ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સો વર્ષ પૂર્ણ થવા અંગે તેમણે ખુશી વ્યક્ત કરી . આ પ્રંસંગે કરણ જૌહર , ઝોયા અખ્તર , દિબાકર બૅનર્જી તથા અનુરાગ કશ્યપ પણ હાજર હતાં . આ ચારેય ફિલ્મ દિગ્દર્શકોની રીયલ લાઇફ ઉપર બૉમ્બે ટૉકીઝ ફિલ્મ આવવાની છે . જ્હૉન અબ્રાહમની આગામી ફિલ્મ શૂટઆઉટ એટ વડાલા છે કે જે આગામી 3જી મેએ રિલીઝ થવાની છે . આ ફિલ્મ 2007માં આવેલી ફિલ્મ શૂટઆઉટ એટ લોખંડવાલાની સિક્વલ છે ." entertainment,"આપ વિચારતાં હશો કે આ અમે શું કહી રહ્યાં છીએ , પણ આ જ હકીકત છે મિત્રો . હવે બૉની કપૂરનો પુત્ર અર્જુન કપૂર અને મહેશ ભટ્ટની પુત્રી આલિયા ભટ્ટ પડદા ઉપર પ્રણયફાગ ખેલતા દેખાશે . સમાચાર છે કે અર્જુન અને આલિયા બંનેએ સાથે એક ફિલ્મ સાઇન કરી છે કે જે ચેતન ભગતની જાણીતી નવલકથા ટુ સ્ટેટ્સ પર આધારિત છે . ફિલ્મ બે એવી વ્યક્તિયોની પ્રેમ કહાણી છે કે જેઓ જુદા - જુદા પરિવેશમાં ઉછરેલાં છે . એક સાઉથની છોકરી છે , તો બીજો પંજાબનો છોકરો . કહે છે કે આ વાર્તા ચેતન ભગતની રીયલ લવ સ્ટોરી છે . આ ફિલ્મ બનાવશે અભિષેક બર્મન કે જે આલિયાની પ્રથમ ફિલ્મ સ્ટુડન્ટ ઑફ ધ ઈયરના સહાયક દિગ્દર્શક છે . આલિયાએ આ ફિલ્મ એટલા માટે સાઇન કરી છે કારણ કે કરણ જૌહર સાથે કરેલ તેનો કરાર ખતમ થઈ ગયો છે . કરણે આલિયાને તેમની ફિલ્મ પૂર્ણ થવા સુી કોઈ બીજી ફિલ્મ સાઇન ન કરવાનો કરાર કર્યો હતો . તો બીજી બાજુ બૉની કપૂરના પ્રથમ લગ્નથી થયેલ પુત્ર અર્જન કપૂરને લોકો ઇશકઝાદેમાં જોઈ ચુક્યાં છે . લોકોએ અર્જનને પસંદ કર્યો છે . એવામાં આશા સેવી શકાય કે આલિયા - અર્જુનની પડદા ઉપર થનાર ગુટરગું લોકોને પસંદ પડશે ." sports,"ભારત અને ઇંગ્લેંડ વચ્ચે રમાઇ રહેલ પહેલી ટેસ્ટ મેચનો આજે અંતિમ દિવસ હતો . ઇંગ્લેંડને હરાવવાનું વિશ્વ નંબર 1 ટીમ ભારતનું સપનુ આજે તૂટી ગયુ . મેચનુ કંઇ પરિણામ આવ્યુ નહિ અને મેચ ડ્રો રહી . રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલ મેચમાં ભારતની સ્થિતિ ખરાબ થઇ ગઇ હતી . 310 રનના ટાર્ગેટનો પીછો કરતા ટીબ્રેક બાદ ભારતે 3 વિકેટ પર 70 રન બનાવી લીધા હતા . ત્યારબાદ અજિંક્ય રહાણે પણ ચોથા વિકેટના રુપમાં આઉટ થઇ ગયા . ત્યારબાદ આર અશ્વિન પણ 32 રન બનાવીને આઉટ થઇ ગયા . ઋદ્ધિમાન સાહા પણ 9 રન બનાવીને આઉટ થઇ ગયા . અંતમાં ક્રીઝ પર રવિન્દ્ર જાડેજા અને વિરાટ કોહલીએ કમાન સંભાળી હતી . ઇંગ્લેંડના પહેલા દાવમાં 537 રનના જવાબમાં ભારતે 488 રન બનાવ્યા હતા . ઇંગ્લેંડે પોતાનો બીજો દાવ 3 વિકેટના નુકશાન પર 260 રન બનાવીને ઘોષિત કરી દીધો . ભારતને જીતવા માટે 310 રન જોઇતા હતા . ભારતે પોતાના બીજા દાવમાં 6 વિકેટના નુકશાન પર 172 રન બનાવ્યા . આ રીતે મેચ ડ્રો ગઇ હતી . દિવસના પહેલા સેશનમાં ઇંગ્લેંડને હસીબ હમીદ અને જો રુટના રુપમાં બે ઝટકા લાગ્યા . કુકે પોતાની 30મી સદી પણ ફટકારી . તમને જણાવી દઇએ કે ઇંગ્લેંડે જો રુટ ( 124 ) , મોઇન અલી ( 117 ) અને બેન સ્ટોક્સની સદીઓની મદદથી પહેલા દાવમાં 537 રનનો વિશાળ સ્કોર ઉભો કરી દીધો હતો અને બાદમાં તે ભારતને પહેલા દાવના આધાર પર 488 રન પર રોકીને 49 રનોથી આગળ હતુ ." business,પેટ્રોલના નવા ભાવ ગઇકાલે રાતથી દેશભરમાં લાગૂ કરી દેવામાં આવ્યા છે . નોંધનીય છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં થયેલા ઘટાડાના કારણે ઓઇલ કંપનીયોએ પેટ્રોલની કિંમતમાં ઘટાડો થયો છે . જેના માટે ઓઇલ કંપનીઓની એક સમીક્ષા બેઠક દરમિયાન આનો સીધો ફાયદો જનતાને આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો . એક મહિનાની અંદર પેટ્રોલના ભાવ બે વખત ઘટવાના કારણે પેટ્રોલ કાર માલિકોના ચહેરા પર રોનક આવવી સ્વાભાવીક છે . આના પગલે વાહન નિર્માતાઓ પણ રાહતનો શ્વાસ લીધો છે . દેશભરમાં પેટ્રોલના ભાવમાં આવેલા વધારાના પગલે પેટ્રોલ વાહનોનું વેચાણ ઘટ્યુ હતું . પરંતુ હવે પેટ્રોલમાં થઇ રહેલા ભાવ ઘટાડાને પગલે વાહનો બનાવનારી કંપનીઓને લાભ થવાની શક્યતા છે . પેટ્રોલના ભાવમાં ઘટાડો થયા બાદ અલગ - અલગ રાજ્યોમાં પેટ્રોલના ભાવ આ પ્રમાણે છે . રાજ્ય નવી કિંમત / લીટર દિલ્હી 66 રૂપિયા 29 પૈસા કોલકાતા 73 રૂપિયા 72 પૈસા મુંબઇ 73 રૂપિયા 14 પૈસા ચેન્નાઇ 69 રૂપિયા 34 પૈસા sports,"એક સમયે ગ્લેમર બોય તરીકે પંકાયેલો ભારતીય ટીમનો ઓલરાઉન્ડર ખેલાડી યુવરાજ સિંહ હવે સંત બની ગયો છે અને હવે તેને ના તો પૈસાનો મોહ છે કે ના તો તેને કોઇ કાર્સનો . જી હાં , આવું અમે નહીં પરંતુ તેના પિતા યોગરાજ સિંહ કહી રહ્યાં છે . યુવરાજના પિતાએ વધુમાં કહ્યું હતું કે જ્યારે તેઓ તેમના પુત્રને ટ્રેનિંગ આપી રહ્યાં હતા ત્યારે બધા મારો વિરોધ કરી રહ્યાં હતા , પરંતુ આજે મને મારા પુત્ર પર ગૌરવ છે . યોગરાજ સિંહે વધુમાં જણાવ્યું છે કે , આજે યુવરાજે મને ઘણું ગૌરવ અપાવ્યું છે . હું ભગવાનનો આભાર માનું છું કે તેમણે મને આટલો સારો પુત્ર આપ્યો છે . ' મારી ઇચ્છા છે કે યુવરાજ સંત ચેમ્પિયન બને . એ ચેમ્પિયન કે જે પ્રાર્થના કરે અને પછી જાય અને સારું રમે . તે પાર્ટી અને અન્ય બાબતોમાં પૈસા ખર્ચ કરતો નથી . આજે , કેન્સર સામેની લડાઇ જીત્યા બાદ યુવરાજ સંત છે જે પ્રાર્થના કરે છે અને તેને કાર્સ અને પૈસાની જરૂર નથી . તે એક સામાન્ય વ્યક્તિ બની ગયો છે . નોંધનીય છે કે 2011ના વિશ્વકપ બાદ યુવરાજ સિંહ કેન્સરથી પીડાયો હતો અને તેને અમેરિકામાં સારવાર આપવામાં આવી હતી . અમેરિકામા ત્રણ રાઉન્ડમાં કેમોથેરાપી કર્યા બાદ 2012માં તે ટીમ ઇન્ડિયામાં પરત ફર્યો હતો . યોગરાજ સિંહને ચાર સંતાનો છે , અને તેઓ તથ્ય પર ગર્વ કરે છે કે આખો દેશ તેમના ક્રિકેટર પુત્રને પ્રેમ કરે છે . યોગરાજે પોતાના પુત્ર અંગે વધુમા શું કહ્યું તે તસવીરો થકી જાણીએ ." sports,"સ્પૉટ ફિક્સિંગ પ્રકરણમાં અટવાયેલી સુપરકિંગ્સ માટે વિવાદોથી ઘેરાયેલી આઇપીએલની ફાઇનલમાં મુંબઇ ઇન્ડિયંસ વિરૂદ્ધ ત્રીજીવાર ચેમ્પિયન બનવાનું સપનું ઘણું મુશ્કેલ લાગી રહ્યું છે . ચેન્નઇ ટીમના મેનેજમેન્ટના અધિકારી ગુરૂનાથ મયપ્પનની સટ્ટેબાજીની આશંકામાં કરવામાં આવેલી ધરપકડથી મહેન્દ્ર ધોનીન નેતૃત્વવાળી ટીમનું મનોબળ તૂટી ગયું છે . મયપ્પન ટીમના માલિક અને બીસીસીઆઇ અધ્યક્ષ એન શ્રીનિવાસનના જમાઇ છે . ખેલાડીઓ અને તેમના કેપ્ટન માટે આ સ્થિતીમાં બહાર આવી મુંબઇ ઇન્ડિયંસ વિરૂદ્ધ નેચરલ ગેમ રમવી એક મોટો પડકાર છે . મુંબઇ ઇન્ડિયંસ આઇપીએલની પ્રથમ ટ્રોફી જીતવા માટે ઉત્સુક છે . ચેન્નઇ સતત ચાર વર્ષ અને આ વર્ષે પાંચમી વાર ફાઇનલમાં પહોંચ્યું છે પરંતુ મુંબઇ માટે આ ખિતાબ જીતવો અને 2010ની ફાઇનલમાં મળેલી હારનો બદલો લેવાનો આ સર્વશ્રેષ્ઠ અવસર છે . મુંબઇ ઇન્ડિયંસની ટીમના સિનિયર બેસ્ટમેન સચિન તેન્ડુલકરને આ ટ્રોફી ભેટ સ્વરૂપ આપવી પડશે . ભારતીય ક્રિકેટના મહાન ક્રિકેટરના કેબિનેટમાં ફક્ત આ ટ્રોફીની ખોટ છે . 2010માં તે મુંબઇ ઇન્ડિયંસના કેપ્ટન હતા અને ટીમ ફાઇનલમાં ધોનીની ટીમ સાથે 22 રનથી હારી ગઇ હતી , જેથી તે ખૂબ જ દુખી છે . આ ચેન્નઇ સુપરકિંગ્સનો પ્રથમ આઇપીએલ ખિતાબ હતો , ત્યારબાદથી ધોનીની ટીમનો દરજ્જો મોટો થતો ગયો . કાગળ પર આ યુદ્ધ રસાકસીનું હશે કારણ કે ચેન્નઇ અને મુંબઇ બંનેમાં ટ્વેન્ટી20ના આક્રમક વિશેષજ્ઞ માઇકલ હસ્સી , ડ્વેન સ્મિથ , રવિન્દ્ર જાડેજા અને કિરોન પોલાર્ડ જેવા દિગ્ગજોનો સમાવેશ થાય છે . બંને ટીમોમાં ફાસ્ટ બોલરો ઘણા છે . જેમાં ચેન્નઇની પાસે એલબી મોર્કલ અને મોહિત શર્માનો સમાવેશ થાય છે . જ્યારે મુંબઇ માટે મિશેલ જાનસન , લથિસ મલિંગા અને પોલાર્ડ શાનદાર પ્રદર્શન કરી રહ્યાં છે . આવી સ્થિતીમાં સ્પિનર બોલરો નિર્ણાયક સાબિત થઇ શકે છે , જેમાં રવિચંદ્રન અશ્વિન અને રવિન્દ્ર જાડેજાના રૂપમાં સ્ટાર બોલરો છે પરંતુ મુંબઇની ટીમમાં પણ અનુભવી બોલર હરભજન સિંહ અને પ્રજ્ઞાન ઓઝાના રૂપમાં તેમની બરાબરી કરી શકે છે ." sports,મુંબઇ ઇન્ડિયન્સ ટીમે મંગળવારે વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલ આઇપીએલના છઠ્ઠી સિઝનમાં કોલકાતા નાઇટ રાઇડર્સને 65 રનોથી હરાવી દીધું . આ જીતે મુંબઇને 9 ટીમોના લીસ્ટમાં બીજા ક્રમ પર પહુંચાડી દીધું છે . મુંબઇ ઇન્ડિયન્સ ટીમ દ્વારા આપવામાં આવેલ 171 રનોના લક્ષ્યનો પીછો કરતા હાલની ચેમ્પિયન્સ કોલકાતા ટીમ 18.2 ઓવરોમાં 105 રન જ બનાવી શકી છે . મુંબઇ તરફથી હરભજનસિંહએ ત્રણ વિકેટ લીધા જ્યારે પ્રજ્ઞાન ઓઝા અને મિશેલ જોનસનને બે - બે સફળતા મળી . મુંબઇને 12 મેચોમાં આઠમી જીત મળી જ્યારે નાઇટ રાઇડર્સને આટલી જ મેચોમાં આઠમી હારનો સામનો કરવો પડ્યો . હાર બાદ પણ લીસ્ટમાં નાઇટ રાઇડર્સના સાતમાં સ્થનને કોઇ નુકસાન નથી પહુંચ્યું . મુંબઇએ કોલકાતાને હરાવીને 12 મેચોમાં 8મી જીત નોંધાવી છે . આની સાથે જ મુંબઇની ટીમ પોઇન્ટ ટેબલમાં 16 પોઇન્ટની સાથે બીજા સ્થાન પર છે . કોલકાતા ટીમ પોતાની 12 મેચોમાં આઠ મેચ હારી ચૂકી છે અને હવે પોઇન્ટ ટેબલમાં સાતમાં સ્થાન પર છે . કોલકાતાના કપ્તાન ગૌતમ ગંભીર બે બોલમાં વગર કોઇ રન બનાવે આઉટ થઇ ગયા . કોલકાતાની આખી ટીમ 18.2 ઓવરમાં જ 105 રનમાં જ પેવેલિયનભેગી થઇ ગઇ હતી . sports,"ભારતની બેડમિન્ટન ખેલાડી વર્લ્ડ નંબર - 4 પી . વી . સિંધુએ ચીનની ખેલાડી ને હરાવીને કોરિયન ઓપન સુપર સીરિઝમાં ફાઇનલમાં પહોંચી ગઈ છે . ઓલિમ્પિકમાં સીલ્વર પદક મેળવનાર સિંધુએ શનિવારના યોજાયેલ સેમીફાઇનલમાં વર્લ્ડ નંબર 7 , ચીનની હી બિંગઝિઆઓને 21 - 10,17 - 21,21 - 16થી હાર આપી હતી . હવે પી . વી સિંધુ ફાઇનલમાં પ્રવેશી ચૂકી છે 1:06 મિનિટ ચાલેલી આ મેચની છેલ્લી ગેમમાં સિંધુએ 21 - 16નો આંક પોતાને નામ કરતા જીત મેળવી હતી . આ બંને ખેલાડીઓ વચ્ચે આ પહેલા થયેલા આઠ મુકાબલાઓમાં 5 વખત બિંગઝિઆઓએ જીત મેળવી હતી , તો પી . વી . સિંધુએ 3 મેચ જીતી હતી . આ જીત બાદ સિંધુએ તેની ચોથી જીત મેળવી છે . હવે તેનો મુકાબલો જાપાનની નોઝોમી ઓકુહારા સાથે થશે . નોંધનીય છે કે , આ જ જાપાની ખેલાડીએ થોડા સમય પહેલા યોજાયેલ વર્લ્ડ ચેમ્પિયન શીપના ફાઇનલમાં પી . વી . સિંધુને હાર આપી હતી . આ ઉપરાંત વર્લ્ડ નંબર - 9 ઓકુહારાએ વિશે વાત કરવામાં આવે તો તેણે સેમી ફાઇનલમાં 2016ની ચેમ્પિયન વર્લ્ડ નંબર - 2 હમવતન અકાને યામાગુચીને હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી છે . જો પી . વી સિંધુ કોરિયા ઓપનને જીતે છે તો તે ભારતની પહેલી એવી ખેલાડી બનશે જેણે કોરિયા ઓપન જીત્યુ હોય . શુક્રવારે યોજાયેલી ગેમમાં સિંધુએ વર્લ્ડ નંબર - 19 જાપાનની મિન્ત્સુ મિતાનીને હરાવીને સેમીફાઇનલમાં પહોચી હતી . હવે ફાઇનલમાં પી . વી . સિંધુ નવો ઇતિહાસ રચી શકે છે કે નહી એ જોવાનુ રહ્યું ." sports,"કેટલાંક અજાણ્યા શખ્શોએ રાંચીમાં ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીના ઘર પર પત્થર મારો કર્યો છે . ઘટના ગઇકાલે એટલે કે બુધવારની છે . આ દિવસે ટીમ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા સામે ચોથી વનડે મેચ રમી રહી હતી . ઘટનામાં કોઇ નુકસાનના સમાચાર નથી . કહેવામાં આવી રહ્યું છે કે લોકોએ ધોનીના ઘર પર પત્થર ફેંક્યા , જોકે આ ઘટનામાં કોઇ ઘાયલ નથી થયું . ભારત - ઓસ્ટ્રેલિયા વનડે મેચ દરમિયાન આ ઘટના બનવા પામી હતી . જોકે મહેન્દ્ર સિંહ ધોનીના પરિવારે એ વાતનો ઇનકાર કર્યો છે કે આ ઘટનાને મેચ સાથે કોઇ લેવાદેવા છે . અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વનડે શ્રેણી ચાલી રહી છે . તેમજ ભારતે છેલ્લી બે મેચોમાં ખરાબ પ્રદર્શન કર્યું છે . તેમજ એક મેચમાં ઇશાંત શર્મા દ્વારા ખરાબ ઓવર કરવા બદલ ભારતે એક મેચ ગુમાવવી પડી હતી . તેમ છતાં ધોનીએ ઇશાંતને બાકીની મેચોમાં ટીમમાં રાખવાનો નિર્ણય કર્યો હતો . તેના આ નિર્ણય માટે કોઇ ક્રિકેટ પ્રેમીએ આ પત્થરમારો કર્યો હોય તેવી અટકળો છે ." sports,"ધ ટેલીગ્રાફના અહેવાલ અનુસાર ઝારખંડના લોહરદગ્ગાના પવન જાલ્કો અને બોકારોની ગુંજન કુમારી કેમ્પ દરમિયાન એક રૂમમાં આપત્તિજનક સ્થિતિમાં હતા , ત્યારે જ અધિકારીઓએ તેમને પકડી લીધા . પ્રાપ્ત માહિતી અનુસાર બન્ને એવી સ્થિતિમાં હતા કે જેને શબ્દોમાં વર્ણવી શકાય નહીં . બન્નેની ઉમર 21 વર્ષની છે . એક રાષ્ટ્રીય કોચના જણાવ્યા પ્રમાણે ગુંજન અને પવન માર્ચથી આ કેમ્પમા હતા . જે દરમિયાન જ બન્ને એક બીજાની ઘણી નજીક આવી ગયા હતા , પરંતુ બન્નેએ સીમાઓ લાંધી નહોતી . જ્યારે આ મામલો બહાર આવ્યો તો ખેલ અધિકારીઓએ તત્કાળ પ્રભાવથી બન્ને ખેલાડીઓને કેમ્પની બહાર કાઢી નાંખ્યા . સૂત્રોની વાત માનીએ તો બન્ને ખેલાડી પોત - પોતાના ઘરે પહોંચી ગયા છે . પોતાની આ હરકતથી બદનામ થયેલા બન્ને ખેલાડીઓ હવે વિશ્વકપમાં પણ ભાગ નહીં લઇ શકે . નોંધનીય છે કે , ટર્કીના અંટાલ્યામાં 10થી 16 જૂન સુધી તીરંદાજીનો વિશ્વકપ થવાનો છે . તેને ધ્યાનમાં રાખીને પુણેમાં એક રાષ્ટ્રીય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ." business,રિલાયન્સ જીયો તેના ગ્રાહકો માટે એક નવી ખુશખબરી લઇને આવી રહ્યો છે . જેનો ફાયદો તમે પણ ઉઠાવી શકો છો . બસ તે માટે તમારે રિલાયન્સ જીયોના ગ્રાહક હોવું ફરજિયાત છે . ઇકોનોમિક ટાઇમ્સમાં છપાયેલી ખબર મુજબ એર એશિયાની તરફથી તે તમામ લોકોને ટિકટ બુક કરાવવા પર 15 ટકા ડિસ્કાઉન્ટ મળશે જે રિલાયન્સ જીયોના ગ્રાહક હોય . સામાન્ય રીતે રિલાયન્સ જીયોના ગ્રાહકો જીયોની અનેક મફત સેવાનો હાલ લાભ ઉઠાવી રહ્યા છે . ત્યારે હવે તેમના આ તમામની સાથે હવાઇ સફરમાં પણ 15 ટકા ડિસકાઉન્ટનો ફાયદો મળશે . વધુ વાંચો અહીં . . . Read also : તમારી પાસે મોબાઇલ છે ? તો આ રીતે કરો કમાણી entertainment,"દિગ્દર્શક પ્રકાશ ઝા પોતાની આગામી ફિલ્મ સત્યાગ્રહમાં એક સાથે પાંચ સંગીતકારોને લઈને આવી રહ્યાં છે . ફિલ્મની ટીમના એક નજીકના સૂત્રે જણાવ્યું - પ્રકાશ ઝા ફિલ્મ સત્યાગ્રહના ગીતોને યુવાનોની પસંદ બનાવવા માટે પ્રતિષ્ઠિત સંગીતકારોને એક સાથે રજૂ કરવા જઈ રહ્યાં છે . અત્યાર સુધી સલીમ - સુલેમા તથા દિલ્હીના ઇન્ડિયન ઓસિયન બૅન્ડ સાથે આ અંગે કરાર કરી લેવાયો છે . ફિલ્મના ત્રણ વધુ સંગીકારોની પસંદગી હજી બાકી છે . ગીતના પ્રકાર ઉપર પ્રકાશ પાડતા એક સૂત્રે જણાવ્યું - કેટલાક ગીતો યુવાનોને આકર્ષનારા રહેશે , તો કેટલાંક રોમાંટિક , જ્યારે કેટલાંક ગીતો પરિસ્થિતિજન્ય રહેશે . યુવાઓની પસંદગી બને તેવા ગીતો માટે પ્રકાશ ઝા સાથે પ્રખ્યાત સંગીતકાર પ્રસૂન જોશી પણ પ્રથમ વાર જોડાઈ રહ્યાં છે . સત્યાગ્રહ ફિલ્મમાં અમિતાભ બચ્ચન , અજય દેવગણ , અર્જુન રામપાલ અને કરીના કપૂર મુખ્ય ભૂમિકામાં છે . ફિલ્મનું શૂટિંગ ભોપાલ ખાતે થયું છે ." sports,"રાજસ્થાન રોયલ્સ ટીમમાં શ્રીસંતની સાથે રમનાર અંકિત ચૌહાણે પણ આગામી બે જૂનના રોજ નિર્ધારીત પોતાના લગ્નનો હવાલો આપતાં કોર્ટમાંથી રાહત માંગણી કરી છે . બંને ખેલાડીઓએ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ અનુજ અગ્રવાલ સમક્ષ પોતાની જામીન અરજી દાખલ કરી ચૂક્યાં છે , જેમને આ કેસની સુનાવણી 28 મેના રોજ મુખ્ય મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ લોકેશ કુમાર શર્મા સમક્ષ નિર્ધારિત કરી છે . શ્રીસંતે પોતાની જામીન અરજીમાં કહ્યું છે કે ' મારા વિરૂદ્ધ કોઇ કેસ બન્યો નથી અને મને ખોટી રીતે ફસાવવામાં આવે છે . ' શ્રીસંતના વકીલ વિશાલ ગોસાઇએ કહ્યું હતું કે તેમના વિરૂદ્ધ લગાવવામાં આવેલા દંડાત્મક જોગવાઇઓ મનગઢંત છે . શ્રીસંતે કોઇ પ્રકારનો દગો કર્યો નથી . આ દરમિયાન અંકિત ચૌહાણની પોલીસ કસ્ટડીને ચાર જૂન સુધી વધારી દેવામાં આવી છે , તેને પણ પોતાની જામીન અરજી દાખલ કરતાં કહ્યું છે કે તેના લગ્નની તારીખ નજીક આવી રહી છે તેની વિધિ ચાલી રહી છે . અંકિત ચૌહાણના વકિલ કિશોર ગાયકવાડે કોર્ટને કહ્યું હતું કે અંકિત ચૌહાણના લગ્ન પહેલાંથી નક્કી હતાં અને તે 2 જૂનના રોજ નિર્ધારિત છે . માટે તેમના અસીલને જામીન આપવામાં આવે . રાજસ્થાન રોયલ્સ માટે રમનાર શ્રીસંત , અંકિત ચૌહાણ અને અન્ય એક સાથી અજીત ચંદેલાને આઇપીએલ મેચોમાં સ્પૉટ ફિક્સિંગ કરવાના આરોપમાં પોલીસે ઝડપી પાડ્યાં હતા ." sports,"રવિવારે લાસ વેગાસમાં રમાયેલ હાઇ પ્રોફાઇલ બોક્સિંગ મેચમાં ફ્લૉયડ મેવેદરે ફરી એકવાર સાબિત કરી દીધું કે , તેમના જેવું કોઇ નથી . બોક્સિંગ વિશ્વના સુપરસ્ટાર એવા મેવેદરે ટેક્નિકલ નોકઆઉટ ઓવર ( ટીકેઓ ) સાથે યુએફસી ચેમ્પિયન કૉનોર મેકગ્રેગોરને સૌથી મોટી ફાઇટમાં માત આપી છે . મેવેદરના કરિયરની આ 50મી ફાઇટ હતી અને કૉનોરે તેમને તગડી ટક્કર આપી હતી . જીતવા માટે મેવેદરે 10મા રાઉન્ડ સુધી રાહ જોવી પડી હતી , આખરે પોતાની ઉપલબ્ધિઓમાં વધુ એકનો ઉમેરો કરતાં મેકવેદરે આ ફાઇટ જીતી હતી . લગભગ 2 મહિના પહેલાં જૂનમાં આ ફાઇટની ઘોષણા થઇ હતી અને ત્યારથી લઇને અત્યાર સુધીમાં આ ફાઇટ અંગે બોક્સિંગ વિશ્વમાં ખૂબ ઉત્સુકતા જોવા મળી હતી . 12 રાઉન્ડના આ બોક્સિંગ કોન્સર્ટને વિશ્વના કરોડો લોકોએ લાઇવ જોયો હતો . લોકોની ઉત્સુકતામાં વધારો કરવા માટે આ મેચના વિજેતા માટે વર્લ્ડ બોક્સિંગ કાઉન્સિલ ( WBC ) દ્વારા એક ખાસ અને નવીન બેલ્ટ બનાવવામાં આવ્યો હતો . ધ મની બેલ્ટ સૂત્રો અનુસાર , આ બેલ્ટમાં 3360 હીરા , 600 નીલમ અને 160 પન્નાના રત્નો તથા આશરે 3.3 પાઉન્ડ 24 કેરેટ ગોલ્ડ વડે આ બેલ્ટ સજાવવામાં આવ્યો છે . ગ્રીન સ્ટ્રેપ્ડ આ બેલ્ટ પર બંને સ્પર્ધકોના નામ પણ લખાવામાં આવ્યા છે . જે લેધર વડે સ્પર્ધકોના નામ લખાયા છે , તે ખાસ ઇટલીથી મંગાવવામાં આવ્યું હતું . WBCના પ્રેસિડન્ટ અનુસાર , વર્તમાન સમયમાં કોઇ પણ રમતમાં જોવા મળેલ ઐ સૌથી મોંઘો બેલ્ટ છે . તેમણે કહ્યું હતું કે , WBCના હીરો ( મેવેદર ) અને UFC હીરો કૉનોર મેકગ્રેગોર વચ્ચેની આ સ્પર્ધા સેલિબ્રેટ કરવા માટે WBC દ્વારા આ ખાસ મની બેલ્ટ તૈયાર કરવામાં આવ્યો છે . બોક્સિંગ મેચના ફેન્સમાં પણ આ મની બેલ્ટને લઇને ખાસો ઉત્સાહ જોવા મળ્યો છે ." business,"ઈ - કોમર્સ કંપની એમેઝોન ભારતમાં સૌથી વધારે નોકરીઓ લઈને આવી રહી છે . એમેઝોન વેબસાઈટ અનુસાર કંપની ચીનમાં જેટલી નોકરી લઈને આવી રહી છે , તેના કરતા પણ વધારે નોકરી તે ભારતમાં લઈને આવી રહી છે . ટેક્નોલોજીમાં બિઝનેસ અને ભૂમિકા અંગે તેઓ 1300 નોકરીઓ લઈને આવી રહી છે જયારે એમેઝોન ચીનમાં 467 નોકરીઓ , જાપાનમાં 381 નોકરીઓ , ઑસ્ટ્રેલિયામાં 250 અને સિંગાપોરમાં 174 નોકરીઓ લઈને આવી રહી છે . કંપની અનુસાર , આ નોકરીઓ કવોલિટી ચેક , વેબ ડેવલોપમેન્ટ , પ્રોડક્ટ મેનેજમેન્ટ , સોફ્ટવેર ડેવલોપમેન્ટ , ઓપરેશન , સ્ટુડિયો એન્ડ ફોટોગ્રાફી , મશીન લર્નિંગ , સપ્લાય ચેન , કન્ટેન્ટ ડેવલોપમેન્ટ જેવા ફિલ્ડમાં નોકરીઓ છે . રિપોર્ટ અનુસાર કંપનીએ વર્ષ 2018 અંત સુધીમાં ભારતમાં 60,000 લોકોને સીધી નોકરીઓ આપી છે . આ નોકરીઓના સ્થાન વિશે જેટલી જાણકારી મળી છે તેના અનુસાર વધારે નોકરીઓ બેંગ્લોર , હૈદરાબાદ અને ચેન્નાઈમાં છે . Amazonના માલિકથી છૂટાછેડા લઈને મેકેંજી બની વિશ્વની સૌથી અમીર મહિલા આ નોકરીઓ માટે હાયરિંગ ક્યારે થશે તેના વિશે કોઈ પણ માહિતી નથી મળી શકી . એમેઝોન પ્રવક્તા અનુસાર ભારતમાં પ્રતિભાની કોઈ જ ખોટ નથી , એટલા માટે ભારત એમેઝોન માટે એક મજબૂત સ્થાન છે . આપને જણાવી દઈએ કે હાલમાં જ ભારત સરકાર ઘ્વારા જાહેર કરવામાં આવેલી એફડીઆઈ નીતિઓને આધારે અમેઝોને ભારતમાં વેપાર કરવા માટે ઘણા બદલાવ કર્યા છે ." business,"દેશમાં સૌથી મોટું એટીએમ નેટવર્ક ચલાવનાર સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ( એસબીઆઇ ) નું કહેવું છે કે એટીએમ ઓપરેશનમાં નુકસાન થઇ રહ્યું છે . તેના માટે ગ્રાહકો પાસે પૈસા વસૂલવાના પ્રસ્તાવનું સમર્થન કર્યું હતું . રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ( આરબીઆઇ ) એ કહ્યું હતું કે એટીએમમાંથી પૈસા કાઢવાની લિમિટ મર્યાદિત કરવાના પ્રસ્તાવ વિચાર કરવો પડશે . બેંગ્લોરમાં એક એટીએમ મહિલા પર હુમલાને ઘટના બાદ વધારાના સુરક્ષા ઉપાયોના લીધે એટીએમ ઓપરેટ કરવાનો ખર્ચ વધી ગયો છે . એસબીઆઇની ચેરપર્સન અરૂંધતિ ભટ્ટાચાર્યએ રવિવારે કહ્યું હતું કે અમે જે પણ સર્વિસ આપી રહ્યાં છીએ , તેનાથી એસબીઆઇને કોઇ ફાયદો થવો જોઇએ . અમે કોર્મશિયલ દ્રષ્ટિકોણથી પ્રેક્ટિકલ મોડલ ઇચ્છીએ છીએ . અમે દર મહિને નુકસાન વેઠી ન શકીએ . કેટલાક રાજ્યોને છોડીને અન્ય સ્થળો પર એટીએમ ઓપરેશન નુકસાનમાં ચાલે છે . એસબીઆઇ હંમેશા માટે એટીએમ પર ' સબસિડી ' આપી ન શકે . હું વધુ એટીએમ લગાવવા માંગુ છું , પરંતુ મને એ સમજવું પડશે કે તેને ટકાઉ કેવી રીતે બનાવી શકાય . ઇન્ડિયન બેંક્સ એસોસિએશને પ્રસ્તાવ મૂક્યો છે કે એટીએમમાંથી પૈસા કાઢવાની સંખ્યા મર્યાદિત કરવામાં આવે . તેના પર રિઝર્વ બેંકના ડેપ્યુટી ગર્વનર એચ . આર . ખાને કહ્યું હતું કે અમે એસોસિએશનની 5 વખત પૈસા કાઢવાના પ્રસ્તાવની સમીક્ષા કરશે . કેટલાક અન્ય પ્રસ્તાવ પણ આવ્યા છે . કહેવામાં આવે છે કે લોકો વધુ રોકડનો ઉપયોગ કરી રહ્યાં છે ." sports,"દુબઇ , 19 જૂનઃ હાલ ઇંગ્લેન્ડ ખાતે ચાલી રહેલી ચેમ્પિયન્સ ટ્રોફીમાં શાનદાર ઓલરાઉન્ડર પ્રદર્શન કરીને ખાસ કરીને બોલિંગ ક્ષેત્ર ટીમ માટે મહત્વની ભૂમિકા ભજવનારા સૌરાષ્ટ્રવાસી ' સર ' રવિન્દ્ર જાડેજાએ આઇસીસી વનડે બોલર રેન્કિંગમાં સુધારો કરીને ટોપ ફાઇવમાં સ્થાન મેળવ્યું છે , જ્યારે આ યાદીમાં વેસ્ટ ઇન્ડિઝનો સુનિલ નારાયણ પ્રથમ ક્રમાકે છે . આઇસીસી દ્વારા મંગળવાર 18 જૂને આ રેકિંગ જાહેર કરવામાં આવ્યા હતા . અન્ય રેન્કિંગની વાત કરવામાં આવે તો ચેમ્પિયન્સ ટ્રોફીની ગ્રુપ મેચમાં પોતાના અજય અભિયનની મદદથી ભારતે આઇસીસી વનડે રેન્કિંગમાં પોતાની મજબૂતી રજૂ કરીને વધુ બે અંક હાસલ કરી લીધા છે . ભારતે ટૂર્નામેન્ટની શરૂઆત 119 રેટિંગ અંક સાથે કરી હતી અને દક્ષિણ આફ્રિકા , વેસ્ટ ઇન્ડિઝ અને પાકિસ્તાન પર જીત મેળવવાથી તેના રેટિંગ અંક 121 થઇ ગયા છે . ઇંગ્લેન્ડ બે સ્થાનના ફાયદા સાથે બીજા ક્રમાંકે પહોંચી ગયું છે અને ઓસ્ટ્રેલિયા ત્રીજા સ્થાને પહોંચી ગયું છે . બીજા સ્થાન પર આવેલા ઇંગ્લેન્ડ અને ત્રીજા સ્થાન પર પહોંચી ગયેલા ઓસ્ટ્રેલિયા બન્ને પાસે સમાન 113 રેટિંગ અંક છે . ચોથા સ્થાન પર રહેલા દક્ષિણ આફ્રિકાને એક અંકનું નુક્સાન પહોંચ્યું છે . તેના અંક 112 થઇ ગયા છે અને તે એક સ્થાન નીચે જતું રહ્યું છે . શ્રીલંકા અને પાકિસ્તાન ક્રમશઃ પાંચમા અને છઠ્ઠા સ્થાને છે . ખેલાડીઓની યાદીમાં ફોર્મમાં ચાલી રહેલા રવિન્દ્ર જાડેજાએ ત્રણ સ્થાનનો ફાયદો મેળવીને ટોપ ફાઇવમાં પોતાની જગા બનાવી લીધી છે . તે બોલરોની યાદીમાં ચોથા સ્થાને પહોંચી ગયો છે . તો ચાલો તસવીરોના માધ્યમથી જાણીએ કે બોલરોની યાદીમાં કોણ કયા ક્રમે છે ." business,"નવી દિલ્હી , 11 ઓક્ટોબર : ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ચાર મહિનામાં અમેરિકન ચલણ ડોલરની નેટ પર્ચેઝર ( ખરીદદાર ) બનનારી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ( આરબીઆઇ ) ચાલુ નાણાકીય વર્ષમાં ઓગસ્ટમાં પ્રથમવાર ડોલરની નેટ સેલર ( વેચાણકાર ) બની છે . આરબીઆઇએ 511 મિલિયન ડોલરનું વેચાણ કર્યું હતું . નોંધનીય છે કે આરબીઆઇએ વર્તમાન નાણાકીય વર્ષના પ્રારંભમાં માર્કેટમાંથી 3.964 બિલિયન ડોલરની ખરીદી કરી હતી . જ્યારે ઓગસ્ટમાં 4.475 બિલિયન ડોલરનું વેચાણ કર્યું હતું . જ્યારે જુલાઇમાં આરબીઆઇએ માર્કેટમાંથી 9.348 બિલિયન ડોલરની ખરીદી કરી હતી . અને 3.895 બિલિયન ડોલરનું વેચાણ કર્યું હતું . આમ તે સ્પોટ માર્કેટમાં 5.453 બિલિયન ડોલરના નેટ ખરીદદાર બન્યા હતા . આરબીઆઇએ જુનમાં 2.642 અમેરિકન ડોલરની નેટ ખરીદી કરી હતી . જ્યારે મે મહિનામાં 1.786 ડોલરની અને એપ્રિલમાં 5.870 બિલિયન ડોલરની ખરીદી કરી હતી . ગયા વર્ષે ઓગસ્ટમાં આરબીઆઇએ ગ્રીનબેક નેટ સેલર બન્યો હતો કારણ કે આરબીઆઇએ સ્પોટ માર્કેટમાં 3.188 બિલિયન ડોલરનું વેચાણ કર્યું હતું . જ્યારે 724 મિલિયન અમેરિકન ડોલરની ખરીદી કરી હતી . સમગ્ર નાણાકીય વર્ષ 2014 દરમિયાન આરબીઆઇએ 8.992 બિલિયન ડોલરની ખરીદી કરી હતી . તેણે 52.394 બિલિયન ડોલરની ખરીદી કરી હતી અને 43.402 બિલિયન ડોલરનું વેચાણ કર્યું હતું ." entertainment,"ભારતીય દર્શકોમાં બૉલીવુડ ફિલ્મોનો જેટલો ઇંતેજાર રહે છે , તેટલી જ ઉત્સુકતા હૉલીવુડ ફિલ્મો અંગે પણ હોય છે . ભારતમાં ઘણા એવા લોકો છે કે જે બૉલીવુડ સાથે જ હૉલીવુડ ફિલ્મો જોવાનું પણ પસંદ કરે છે , તો કેટલાક એવા દર્શકો પણ છે કે જેઓ માત્ર અને માત્ર હૉલીવુડ ફિલ્મો જુએ છે , કારણ કે આવા લોકો એમ માને છે કે બૉલીવુડ ફિલ્મો એટલી ઉન્નત કે અદ્યતન નથી હોતી કે જેટલી હૉલીવુડ ફિલ્મો હોય છે . એટલે જ તો હૉલીવુડની કોઈ પણ ફિલ્મ આવવાની હોય , તો લોકોને ઇંતેજાર રહે છે . હૉલીવુડ ફિલ્મોનું ભારતીયોમાં આકર્ષણનુ કારણ પણ જાણીતુ છે . પહેલી વાત તો હૉલીવુડ ફિલ્મોમાં એક્શન , ટેક્નિક એટલી આબેહુબ હોય છે કે જે જોવા લોકો થિયેટર સુધી લાંબા થવા મજબૂર થઈ જાય છે . એટલુ જ નહીં , હૉલીવુડ ફિલ્મોમાં ભારતીય દર્શકો માટે ખાસ રસપ્રદ વસ્તુ સેક્સ અને હૉટનેસ પણ હોય છે . હૉલીવુડ ફિલ્મોના ચાહક ભારતીય દર્શકો માટે થોડાક સમય અગાઉ એક માઠા સમાચાર આવ્યા હતાં કે ભારતમાં સેક્સ ટેપ ફિલ્મ રિલીઝ નહીં થાય . સેંસર બોર્ડે કેટલાક સેક્સી અને અશ્લીલ દૃશ્યો સામે વાંધો લેતા સેક્સી ટેપ ફિલ્મને ભારતમાં રિલીઝ કરવાની મંજૂરી આપી નથી . હવે વધુ એક હૉલીવુડ ફિલ્મ ઉપર પ્રતિબંધનો ખતરો તોળાઈ રહ્યો છે . એ ફિલ્મનુ ટ્રેલર રિલીઝ થઈ ગયો છે અને ટ્રેલર જોયા બાદ સ્પષ્ટ લાગે છે કે ભારતીય સેંસર બોર્ડ આ ફિલ્મને રિલીઝ કરવાની મંજૂરી કદાચ નહીં આપે . ચાલો તસવીરો સાથે જોઇએ કે કઈ છે એ ફિલ્મ , કેવુ છે તેનું ટ્રેલર અને કયા દૃશ્યો તેની ઉપર ભારતમાં ગ્રહણ લગાવી શકે ?" entertainment,"મદમસ્ત અદાકારા અને સદાબહાર અભિનેત્રી તેમજ સાંસદ રેખા ગણેશને આજે પોતાના જીવનના 60 વર્ષ પૂર્ણ કર્યાં છે . માથેથી પગ સુધી સુંદરનાં પ્રતિમૂર્તિ રેખાના ચાહકોની સંખ્યા આજે પણ લાખોમાં છે . લાગે છે ક ફિલ્મ ઉમરાવ જાનનું ગીત . . . ઇન આઁખોં કી મસ્તી કે , મસ્તાને હજારોં હૈં . . . માત્ર તેમને જ ધ્યાને રાખી લખાયું છે . એક બહેતર અભિનેત્રી , સુંદર કલાકાર અને બહેતરીન ડાંસર રેખા જેવું આજે પણ બૉલીવુડમાં કોઈ નથી . બહુમુખી પ્રતિભા સમ્પન્ન રેખાએ વર્ષ 1966માં એક તેલુગુ ફિલ્મમાં બાળ કલાકાર તરીકે પોતાની ફિલ્મી કારકિર્દી શરૂ કરી હતી અને પછી 1970માં તેમણે સાવન ભાદો ફિલ્મ દ્વારા હિન્દી ફિલ્મ જગતમાં પગલું મુક્યું . પછી તો તેમની સફળતાનો એવો દોર શરૂ થયો કે જે કોઈનાથી છુપાયેલું નથી . આજે પણ રેખાના હુશ્નમાં લોકો કશિશ અનુભવે છે . ત્રણ ફિલ્મફૅર અને એક નેશનલ એવૉર્ડ પ્રાપ્ત કરી ચુકેલ રેખાની આગળ મોટા ગજાના હીરો પણ પાણી જ ભરે છે . તેનો અંદાજો આપ આ જ વાતે લગાવી શકો છો કે વર્ષ 1981ના ઉમરાવ જાને અક્ષય કુમારના અભિનેત્રી બની બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો ખિતાબ પોતાના નામે કર્યો . એવું આજની અભિનેત્રીઓ માટે કરવું બહુ જ કપરૂં છે . તેની પાછળ કારણ માત્ર એટલું જ છે કે સંયમિત દિનચર્યાને પગલે રેખાએ પોતાની ઉંમર પણ બાંધી રાખી છે . બેહદ હુશ્ન અને કામણગારી અદાઓ ધરાવતાં રેખા આજે પણ ફિલ્મોમાં ઘણાં સક્રિય છે . રેખા આજે પણ હાલની અભિનેત્રીઓ કરતાં ઘણાં સુંદર અને યુવાન છે . એટલે જ તો આજના હીરો પણ તેમની સાથે કામ કરવાની ઇચ્છા ધરાવે છે . ચાલો આજે આપને બતાવીએ રેખા અંગે 20 રસપ્રદ તથ્યો :" business,"સેમસંગે ભારતીય યુવાઓને ટાર્ગેટ કરતા બે નવા હેન્ડસેટ માર્કેટમાં લોન્ચ કર્યા છે . એન્ડ્રોઇડ પ્લેટફોર્મ પર રન કરનારા ગેલેક્સી મેગા 6.3 અને 5.8 સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવ્યા છે . સેમસંગે રજુ કરેલા ફોન્સમા ગેલેક્સી મેગા 6.3 સ્ક્રિન સાઇઝના મામલે સૌથી મોટો સ્માર્ટફોન છે . બન્ને સ્માર્ટફોન મોડલમાં 4.2 જેલી બીન ઓપરેટિંગ સિસ્ટમ આપવામાં આવી છે . જેમાં લેટેસ્ટ ઓએસ આપવામાં આવ્યા છે . સેમસંગના નવા ફોન માર્કેટમાં જૂનના પહેલા સપ્તાહ અને ત્રીજા સપ્તાહથી મળવાના શરૂ થઇ જશે . ગેલેક્સી મેગા 5.8 ભારતીય બજારમાં 25,100 રૂપિયા , મેગા 6.3 સ્માર્ટફોન 31,490 રૂપિયામા લોન્ચ કરવામાં આવ્યા છે , પરંતુ દેખાવે બન્ને ફોન એક જેવા લાગે છે . તેમની સ્ક્રિન સાઇઝની વાત કરવામાં આવે તો 5.8 ઇન્ચના ગેલેક્સી મેગામાં 960 x 540 રેઝોલ્યુશન સપોર્ટ આપવામાં આવ્યું છે અને 6.3 ગેલેક્સી મેગામા 1280 x 720 રેઝોલ્યુશન સપોર્ટ આપવામાં આવ્યું છે . પ્રોસેસરની વાત કરવામાં આવે તો ગેલેક્સી 6.3 મેગામાં 1.7 ગીગાહર્ટનું ડ્યુએલ કોર પ્રોસેસર ઇનબિલ્ડ છે , જ્યારે ગેલક્સી મેગા 5.8માં 1.4 ગીગાહર્ટનું ડ્યુએલ કોર પ્રોસેસર છે . કેમેરાની વાત કરવામાં આવે તો બન્ને સ્માર્ટફોનમાં 8 મેગાપિક્સલ રિયર કેમેરા અને વીડિયો કોલિંગ માટે 1.9 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા છે . દરેક સ્માર્ટફોનમાં મેમરી ઓપ્શન ઘણું મહત્વ ધરાવે છે , ગેલેક્સી 6.3માં 8 જીબી અને16 જીબી ઇન્ટરનલ મેમરી ઓપ્શન જ્યારે 5.8મા 8 જીબી ઇન્ટરનલ મેમરી અને 64 જીબી એક્સપાન્ડેબલ મેમરી ઓપશન , ગેલેક્સી મેગા 6.3 અને 5.8માં 4.0 બ્લુટુથ , વાઇફાઇ , જીપીએસ , આઇઆર સેંસર અને 3જી સપોર્ટ છે , પરંતુ 4જી અને એનએફસી સપોર્ટ માત્ર ગેલેક્સી મેગા 6.3માં જ આપવામાં આવ્યા છે . તો ચાલો તસવીરોમાં નિહાળીએ સેમસંગના ગેલેક્સી મેગાને ." sports,12 દિવસની લાંબી રાહ બાદ રિયો ઓલમ્પિકમાં ભારતને પહેલું કાંસ્ય પદક અપાવનાર મહિલા પહેલવાન સાક્ષી મલિકે પોતાની જીત બાદ કહ્યું કે ભારત માટે પદક જીતવો તેના જીવનની સૌથી શ્રેષ્ઠ ક્ષણો છે . એટલું જ નહીં ભારતની આ દીકરીની જીત પર તેના ઘર સમેત ભારતભર અને સોશ્યલ મીડિયા પર પણ જીતનો ઉત્સવ શરૂ થઇ ગયો છે . ભારતભરના અનેક લોકો સાક્ષીને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે . નોંધનીય છે કે રિયોમાં અત્યાર સુધી અનેક પ્રબળ દાવેદારો આગળ આવ્યા હતા . પણ જીતનો સ્વાદ હજી સુધી કોઇ ચાખી નહતું શક્યું . ત્યારે સાક્ષીએ આખરે આ જીતનો સ્વાદ ભારતને ચખાડ્યો છે . કોણ છે સાક્ષી મલિક ? વધુ જાણો અહીં . ત્યારે સાક્ષીની આ જીત પર ટ્વિટર પર જનરલ વીકે સિંહથી લઇને વરિષ્ઠ નેતા અજય માકને પણ સાક્ષીને શુભેચ્છાઓ પાઠવી છે . સાક્ષીના પરિવારે પણ દિકરીની આ જીત પર ખુશી વ્યક્ત કરી હતી . જુઓ વીડિયો . સાક્ષી મલિકનો પદક ગ્રહણનો વીડિયો . . . entertainment,"બૉલીવુડ ડાસિંગ ક્વીન માધુરી દીક્ષિતે પડદા પર પોતાના ડાન્સની મદદથી જોરદાર પુનરાગમન કર્યું છે . વર્ષ 2013ની બ્લૉક બ્લાસ્ટર ફિલ્મ યે જવાની હૈ દિવાની . . . માં માધુરીએ રણબીર કપૂર સાથે એવો પોતાનો ઘાઘરો ધૂમાવ્યો કે લોકો તેને જોઇને પાગલ બની ગયા અને આ વાત ફરી એકવાર સાબિત થઇ ગઇ છે કે 46 વર્ષીય માધુરી દીક્ષિતના ડાન્સમાં આજે પણ જેટલી કશિશ છે એટલી કોઇપણ અભિનેત્રીમાં નથી . એટલા માટે ફરી એકવાર માધુરીના આઇટમ નંબરની માંગ શરૂ થઇ ગઇ છે . મળતા સમાચાર મુજબ કરણ જોહર પ્રોડક્શનની આગામી ફિલ્મ શુદ્ધિમાં માધુરીનું એક આઇટમ નંબર હોઇ શકે છે , તે પણ ડાન્સિંગ સ્ટાર રિતિક રોશન સાથે . જો આમ થાય છે તો ખરેખરમાં આ સિને દર્શકો માટે ઘણી અનોખી અને સુખદ વાત હશે કે પડદા પર એક નહી પરંતુ બે ડાન્સિંગ આઇકન જોવા મળશે . અંગત માહિતી ધરાવનાર લોકોનું કહેવું છે કે માધુરી રિતિક સાથે ડાન્સ કરવા માટે તૈયાર થઇ જશે કારણ કે ફિલ્મના નિર્માતા કરણ જોહર છે . જેમની સાથે માધુરી ડાન્સ રિયાલિટી શો ઝલક દિખલા ઝા . . ને જજ કરી ચૂકી છે . યે જવાની હૈ દિવાની . . . પણ માધુરીએ કરણના કહેવાથી સાઇન કરી હતી કારણ કે આ ફિલ્મના નિર્માતા પણ કરણ જોહર જ હતા . આમપણ માધુરી માટે રિતિકના પપ્પા રાકેશ રોશન સાથે ઘણા સારા સંબંધ રહ્યાં છે , બંનેએ સાથે ઘણું કામ કર્યું છે અને સિને દર્શકોને ઘણી સારી ફિલ્મો આપી છે . જવા દો જે પણ હોય જોઇએ હવે શું થાય છે ? અત્રે ઉલ્લેખનીય છે કે ' શુદ્ધિ ' માં રિતિક અને કરીના લીડ રોડમાં છે . રિતિક અને કરીનાએ 12 વર્ષ પહેલાં કરણ જોહરની ફિલ્મ કભી ખુશી કભી ગમમાં સાથે કામ કર્યું હતું . ફિલ્મ સુપરહિટ હતી જો કે ત્યારબાદ બંનેની સાથે , મુજસે દોસ્તી કરોગે અને વર્ષ 2003માં બડજાત્યાની ફિલ્મ મે પ્રેમ કી દિવાની હૂં . . . માં સાથે કામ કર્યું હતું પરંતુ ફિલ્મ ફ્લોપ રહી હતી . ફિલ્મના નિર્દેશક અગ્નિપથ ફિલ્મવાળા કરણ મલ્હોત્રા છે . ફિલ્મ પુર્નજન્મની કહાની પર આધારિત છે ." entertainment,"રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ સ્ત્રી બોક્સઓફિસ પર તહેલકો મચાવી રહી છે . ફક્ત 4 દિવસમાં આ ફિલ્મ બોક્સઓફિસ પર સુપરહિટ થઇ ચુકી છે . આપને જણાવી દઈએ કે જ્યાં આ ફિલ્મે વિકએન્ડ પર 32 કરોડની કમાણી કરી હતી , ત્યાં જ ફિલ્મે સોમવારે પણ 8 કરોડ રૂપિયાની શાનદાર કમાણી કરી છે . ખાસ બાબત છે કે આ ફિલ્મ 20 કરોડ રૂપિયાના બજેટ પર બની છે . એટલે કે ફક્ત 4 દિવસમાં ફિલ્મે તેના બજેટ કરતા પણ ડબલ કમાણી કરી લીધી છે . આ ફિલ્મ 2018 ની સૌથી વધારે પ્રોફિટ કમાવનાર ફિલ્મોની લિસ્ટમાં શામિલ થઇ ચુકી છે . આપને જણાવી દઈએ કે આ ફિલ્મ રાજકુમાર રાવની સૌથી મોટી સોલો હિટ ફિલ્મ છે . શ્રદ્ધા કપૂરે પણ લાંબા સમય પછી હિટ ફિલ્મનો સ્વાદ ચાખ્યો છે . સ્ત્રી એક હોરર - કોમેડી ફિલ્મ છે . આ ફિલ્મની કહાની સાથે સાથે સ્ટારકાસ્ટે પણ દર્શકોનું દિલ જીતી લીધું . રાજકુમાર અને શ્રદ્ધા સહીત બધા જ કલાકારો તેમના રોલમાં બિલકુલ પરફેક્ટ હતા . ટ્રેડ પંડિતો અનુસાર આ ફિલ્મ સરળતાથી 80 - 90 કરોડ રૂપિયાનું કલેક્શન કરી લેશે . હાલમાં ફિલ્મે 100 ટકા કરતા પણ વધારે નફો કમાઈ લીધો છે . અહીં જાણો 2018 માં સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મો -" sports,પાકિસ્તાનને હરાવીને ટીમ ઇન્ડિયાએ ચેમ્પિયન ટ્રોફી 2017ની એક સારી શરૂઆત કરી છે . હવે ટીમ ઇન્ડિયા પડોશી દેશ શ્રીલંકા જોડે મેચ રમશે . જેની તૈયારી હાલ ટીમ ઇન્ડિયા કરી રહી છે . પણ તે પહેલા રવિન્દ્ર જાડેજાએ પોતાના ઇંસ્ટ્રાગ્રામ એકાઉન્ટ પર એક ફોટો શેયર કર્યો છે . જે હાલ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે . આ ફોટો સૌથી વધારે ઘોનીના ચાહકોને પસંદ આવી રહ્યો છે કારણે કે તેમાં ધોની ખૂબ જ ક્યૂટ અંદાજમાં સૂતા જોવા મળી રહ્યા છે . ફોટોની નીચે જાડેજાએ લખ્યું છે કે ઘોની ઉઠે તે પહેલા લાવ તેમનો એક ફોટો લઇ લઉં ! તમને જણાવી દઇએ કે આ ફોટો ટીમ ઇન્ડિયા બીજી મેચ માટે જ્યારે લંડન જઇ રહી હતી ત્યારનો છે . અને લોકોએ આ ફોટોને જોઇને કહ્યું છે કે ધોની સૂતા પણ જબરા ક્યૂટ લાગે છે . ઉલ્લેખનીય છે કે ભારતને સેમીફાયનલ મેચમાં પહોંચવા માટે 2 મેચ જીતવી જરૂરી છે . ભારત પહેલા જ પાકિસ્તાન સામે જીતી ચૂક્યું છે . હવે તેની બીજી મેચ શ્રીલંકા સામે છે . શ્રીલંકા આ પહેલા દ . આફ્રિકા સામે હારી ચૂક્યું છે . માટે ભારત સામેની આ મેચમાં તેના જીતવું જરૂરી બની જાય છે તો સામે પક્ષે ભારત માટે પણ આ મેચ મહત્વની છે . entertainment,"મુંબઈ , 17 સપ્ટેમ્બર : આજકાલ હૃતિક રોશનના રોમાંટિક અંદાજ અને ડાન્સિંગ સ્ટાઇલ વિશે વાતો થઈ રહી છે અને કારણ છે તેમની આવનાર ફિલ્મ બૅંગ બૅંગ કે જેમાં તેઓ એક્શન - રોમાંસનું પાત્ર ભજવી રહ્યા છે . કૅટરીના કૈફ સાથેની આ ફિલ્મમાં હૃતિક રોશન કિંગ ઑફ પૉપ માયકલ જૅક્સન પ્રત્યે શ્રદ્ધાંજલિ અર્પિત કરનાર છે . મળતી માહિતી મુજબ બૅંગ બૅંગ ફિલ્મનું ટાઇટલ ટ્રૅક માયકલ જૅક્સનને સમર્પિત હશે . ફિલ્મના દિગ્દર્શક સિદ્ધાર્થ આનંદે આ માહિતી આપી . ટાઇટલ સૉંગમાં હૃતિક રોશન માયકલ જૅક્સનના અંદાજમાં ડાન્સ કરતા નજરે પડશે . હૃતિકે આ અંગે જણાવ્યું - આ મારો સૌભાગ્ય છે કે મને માયકલને ટ્રિબ્યુટ કરવાની તક મળી છે . હું બાળપણથી જ માયકલનો બહુ મોટો ફૅન રહ્યો છું . તેમનું ડાન્સિંગ , તેમના સ્ટેપ અને તેમની એનર્જી બધુ ટૉપ લેવલનું હતું . રિયલી હી ઇઝ ગ્રેટ આર્ટિસ્ટ . આવો બૅંગ બૅંગની તસવીરો વડે હૃતિક રોશન પર એક નજર નાંખીએ :" entertainment,"નાના પડદે 1996માં પ્રસારિત થયેલી સીરિયલ તારા સાથે પોતાનું કૅરિયર શરૂ કરનાર ફિલ્મ નિર્માતા અનુરાગ બાસુનું કહેવું છે કે ફિલ્મોને નાના પડદા કરતા બહેતર માનવું જોઇએ નહીં . ફિલ્મનું નિર્માણ કરવું સીરિયલની સરખામણીમાં ખૂબ જ સરળ છે . ટેલીવિઝન રિયલિટી શો સ્ટાર બેસ્ટસેલર્સ તથા કોશિશ . . . એક આશાનું દિગ્દર્શન કરનાર અનુરાગે મોટા પડદે પોતાની પ્રથમ ફિલ્મ સાયા વર્ષ 2003માં અભિનેતા જ્હૉન અબ્રાહમ તથા અભિનેત્રી તારા શર્મા સાથે બનાવી હતી . 10મા ઇન્ડિયન ટેલી ઍવૉર્ડમાં ભાગ લેવા આવેલા અનુરાગ બાસુએ મીડિયાને જણાવ્યું - મને નથી લાગતું કે ફિલ્મો સીરિયલો કરતાં વધુ બહેતર છે . હું નથી જાણતો કે લોકો એવું કેમ કહે છે ? હું ફિલ્મો બનાવુ છું , પણ મારો વિશ્વાસ કરજો , ફિલ્મ બનાવવી સીરિયલો બનાવવા કરતાં વધુ સરળ હોય છે , જ્યારે સીરિયલો બનાવવી મુશ્કેલ હોય છે . અનુરાગે જણાવ્યું - મારા સંબંધો નાના પડદા સાથે પણ રહ્યાં છે . દિગ્દર્શક તરીકે મારી શરૂઆત અહીંથી જ થઈ હતી . ક્યારેક - ક્યારેક મને ખોટું લાગે છે કે અમારા સમયે આવા ઍવૉર્ડ સમારંભો નહોતાં . અમે નાના પડદે ખૂબ મહેનત કરી હતી , પરંતુ અમને ક્યારેય ઍવૉર્ડ નહોતા મળ્યાં . અનુરાગ બાસુ હાલ ઝી ટીવી ઉપર પ્રસારિત થતાં ઇન્ડિયાઝ બેસ્ટ ડ્રામેબાઝમાં સોનાલી બેન્દ્રે તેમજ વિવેક ઓબેરૉય સાથે નિર્ણાયકની ભૂમિકા ભજવી રહ્યાં છે . તેમની છેલ્લી ચર્ચિત ફિલ્મ બર્ફી હતી કે જેમાં રણબીર કપૂર અને પ્રિયંકા ચોપરા મુખ્ય ભૂમિકામાં હતાં ." sports,"માન્ચેસ્ટર , 8 ઑગસ્ટઃ ભારતના ઓફ સ્પિનર આર અશ્વિને આશા વ્યક્ત કરી છેકે શુક્રવારે બીજા દિવસે તેમના અનેક બોલર્સ ઇંગ્લેન્ડને ચોથી ટેસ્ટમાં પોતાની પકડ મજબૂત બનાવતા અટકાવશે . આ સાથે જ અશ્વિને ભારતની પહેલી ઇનિંગ દરમિયાન પોતાની આઉટ થવાની રીત અંગે પણ નિરાશા વ્યક્ત કરી છે . ભારતીય ટીમ પહેલી ઇનિંગમાં 152 રન જ બનાવી શક્યું હતું . જેના જવાબમાં ઇંગ્લેન્ડે બીજા દિવસે રમત આગળ વધારતા 6 વિકેટ ગુમાવીને 190 રન બનાવી લીધા છે . પ્રથમ દિવસની રમત પૂર્ણ થયા બાદ પીચ અંગે પૂછવામાં આવેલા પ્રશ્ન કે શું આ એવી વિકેટ હતી કે જ્યાં ટીમ 150 રન પર આઉટ થઇ શકે છે , તો અશ્વિને કહ્યું કે , આ પીચ પર કોઇ સંખ્યા નક્કી કરી શકાય નહીં . તેમણે કહ્યું કે , આ પીચ પર બોલર્સ માટે કંઇક હતું અને ઇંગ્લેન્ડના બોલર્સે ઘણી સારી બોલિંગ કરી . કદાચ અમે વધુ રન બનાવી શક્યા હોત . આપણે હંમેશા વધુ રન ઇચ્છતા હોઇએ છીએ પરંતુ અમે અંતમાં કેટલીક વિકેટ હાંસલ કરીને સારું કર્યું અને અમે હજું પણ મેચમાં બનેલા છીએ . પહેલા દિવસે ભારતે ઇંગ્લેન્ડની ત્રણ વિકેટ પાડી દીધી હતી . માન્ચેસ્ટર ટેસ્ટઃ ધોનીએ પહેલા દિવસે કર્યો રેકોર્ડનો વરસાદ માન્ચેસ્ટરમાં ભાવુક થઇ ટીમ ઇન્ડિયા આ પણ વાંચોઃ - માન્ચેસ્ટર ટેસ્ટઃ વિરોધી ટીમના 8/4 , ઇંગ્લેન્ડે ગુમાવી છે મેચ" entertainment,"બોલિવૂડ થી હોલિવૂડ માં પહોચી ચુકેલી પ્રિયંકા ચોપડા આજે ફિલ્મમાં સફળતાની ગેરંટી બની ચુકી છે . પ્રિયંકા ચોપડા હાલ માયામીમાં , તેની પહેલી હોલીવૂડ ફિલ્મ બેવોચના શૂટિંગમાં વ્યસ્ત છે . પ્રિયંકા ચોપરા હાલ અમેરિકન ટેલિવિઝન સિરીયલ ક્વાંટિકો પણ કામ કરી ચુકી છે અને તેની આગળની સીરીઝ પણ ટુંક સમયમાં ચાલુ થઇ શકે તેમ છે . બોલિવૂડની વાત કરવામાં આવે તો પ્રિયંકા ચોપરા છેલ્લે જય ગંગાજળ ફિલ્મમાં દેખાઈ હતી . આ ફિલ્મ વધુ ચાલી ના હતી પરંતુ ફિલ્મ માં પ્રિયંકાના અભિનયના ખુબ વખાણ થયા હતા . પાછલા વર્ષે પ્રિયંકા ચોપરાની દિલ ધડકને દો અને બાજીરાવ મસ્તાની ફિલ્મ આવી હતી , જેને સારો નફો કર્યો હતો અને લોકોને ખુબ જ પસંદ પણ આવી હતી . આજે પ્રિયંકા ચોપડાના આ લેટેસ્ટ ફોટાશૂટ અને પ્રિયંકા ચોપડાની મદમસ્ત અદાઓની કેટલીક ખાસ તસવીરો અમે તમને બતાવવાના છીએ . જો જુઓ આ ફોટો સ્લાઇડર . . ." entertainment,"સૌ જાણે છે કે દોલત અને શહોરત સદીના મહાનાયકના કદમ ચૂમે છે . માતા લક્ષ્મીની વિશિષ્ટ કૃપા ધરાવતા અમિતાભ બચ્ચન અંગે વધુ એક બિગ ન્યુઝ આવે છે કે તેમણે 50 કરોડનો નવો બંગલો જુહૂમાં ખરીદ્યો છે કે જે આઠ હજાર ચોરસ ફુટનો છે આ નવો બંગલો તથા અમિતાભનો જુનો બંગલો બંને આજુ - બાજુમાં છે . અમિતાભ બચ્ચનનો મુંબઈમાં આ પાંચમો બંગલો છે . તેમના ચાર બંગલાઓ પ્રતીક્ષા , જલસા , જનક તથા વત્સ છે . કહે છે કે અમિતાભે આ ઘર પોતાના પૌત્રી આરાધ્યા માટે ખરીદ્યું છે , કારણ કે તેમના પરિવારના છ સભ્યો એટલે કે અમિતાભ , જયા , શ્વેતા , અભિષેક , ઐશ્વર્યા તથા નિખિલ નંદા પાસે મકાનો છે . બસ બેબી આરાધ્યાના નામે કોઈ મકાન નહોતું કે જે હવે દાદાએ ખરીદી લીધું છે . જોકે આ નવા બંગલાની નોંધણી ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન નામે જ થઈ છે . ખેર , હજી પાંચમા બંગલાનું નામ નક્કી નથી થયું . નોંધનીય છે કે અગાઉ આરાધ્યાના નામે અભિ - ઐશે દુબઈમાં 54 કરોડની સમ્પત્તિ ખરીદ્યાના સમાચારો વહેતા થયા હતાં . હવે જો આ બંગલો પણ આરાધ્યા માટે ખરીદાયો હોય , તો આરાધ્યા માટે તેના જન્મ દિવસ અગાઉ જ મોટી ભેંટ ગણાશે ." entertainment,"નવી દિલ્હી , 10 સપ્ટેમ્બર : એક સફળતાની અપેક્ષામાં રાચતાં વિવેક ઓબેરૉય તથા આફતાબ શિવદાસાણીના મંસૂબાઓ ઉપર પાણી ફરી શકે છે , કારણ કે આ બંનેની ફિલ્મ ગ્રાન્ડ મસ્તી ઉપર દિલ્હી હાઈકોર્ટે હાલ પ્રતિબંધ ફરમાવ્યો છે , કારણ કે ફિલ્મમાં આઈસીઆઈસીઆઈ બૅંકના નામ તથા દૃશ્યોનો ઉપયોગ કરાયો છે . તે અંગે હાઈકોર્ટે ફિલ્મ નિર્માતા તથા દિગ્દર્શકને નોટિસ પાઠવી છે . નોંધનીય છે કે ગ્રાન્ડ મસ્તી સુપરહિટ ફિલ્મ મસ્તીની સિક્વલ છે . ફિલ્મમાં દ્વિઅર્થી સંવાદો છે . ફિલ્મના લીડ હીરો રીતેશ દેશમુખે પોતે કહ્યું છે કે ગ્રાન્ડ મસ્તી એક એવી ફિલ્મ છે કે જેને ફૅમિલીનો દરેક મેમ્બર જુદા - જુદા જોઈ શકે છે . ફિલ્મ પાસે ત્રણે સિતારાઓને ઘણી આશા છે . દરમિયાન આઈસીઆઈસીઆઈ બૅંક તરફથી વકીલ સંજય જૈને ફિલ્મ વિરુદ્ધ અરજી દાખલ કરી છે . જોકે આ ફિલ્મ માટે કોર્ટમાં અગાઉ પણ એક અરજી દાખલ કરાઈ હતી . તે અરજીમાં કહેવાયુ હતું કે ફિલ્મમાં જોરદાર અશ્લીલતા છે કે જે સમાજ માટે સારી નથી . હજી તે અરજી વિચારાધીન હતી , ત્યારે આ બીજી અરજીએ ફિલ્મના દિગ્દર્શક ઇન્દ્ર કુમારના પરસેવા છુડાવી દીધાં છે . ગ્રાન્ડ મસ્તી ફિલ્મ આગામી 16મી સપ્ટેમ્બરના રોજ રિલીઝ થવાની છે . હવે હાઈકોર્ટની આ નોટિસે ફિલ્મની રિલીઝ સામે પ્રશ્નચિહ્ન ઊભો કર્યો છે ." sports,"ફિફા વર્લ્ડ કપનો ખુમાર લોકોના માથા પર ચઢી રહ્યો છે જેમ જેમ મેચો રમાતી જાય છે તેમ તેમ લોકોમાં તેની દીવાનગી વધી રહી છે . ઉદાહરણ તરીકે આર્જેન્ટિનાના કેદીઓને મેચ નહીં બતાવવાને કારણે તેમને ભૂખ હડતાલ કરી નાખી . તેની સાથે સાથે ફિફાના પૂર્વ અધ્યક્ષ જેમના પર 6 વર્ષની બેન હતો તેમને વર્લ્ડ કપ જોવા માટે રાષ્ટ્રપતિ તરફથી મંજૂરી આપવામાં આવી . પરંતુ આ બધાની વચ્ચે એક એવો પણ મામલો છે જેને સાંભળીને તમે ચોંકી જશો . જરા વિચાર કરો કોઈ અંધ અને બહેરા , ગૂંગા વ્યક્તિને ફિફા વિશે શુ ખબર પડતી હશે . પરંતુ હવે અંધ અને બહેરા , ગૂંગા વ્યક્તિ પણ ફીફાનો આનંદ લઇ રહ્યા છે . ખરેખર કોલંબિયન ટીમના ફેન જૉશ રિચાર્ડ ગેલિગો ફૂટબૉલ જોઈને જ મોટા થયા છે . પરંતુ 9 વર્ષની ઉંમરમાં એક બીમારીને કારણે તેમને પોતાની આખો ગુમાવી દીધી તેની સાથે સાથે આ બીમારીને કારણે તેમની સાંભળવાની ક્ષમતા પણ છીનવાઈ ગયી . કોઈના પણ માટે આ ઘટના પછી ફૂટબૉલ જોવાનું સપનું તૂટી શકે છે . પરંતુ જૉશના મામલામાં આવું થયું નહીં . સ્કાય ન્યુઝ ઘ્વારા એક શાનદાર વીડિયો શેર કરવામાં આવ્યો છે . આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે જોશના મિત્ર સિઝરે એક નાની ફૂટબૉલ પીચ બનાવી છે . આ પીચ પર તેઓ પોતાના અંધ મિત્ર જોશને ફિફા મેચનું લાઈવ સમજાવે છે . સીઝર તેના મિત્ર જોશનો હાથ પકડે છે અને તેની આંગળીઓને ખેલાડીની પોઝિશન મુજબ ચલાવે છે . સીઝર પોતાની આખો ઘ્વારા મેચ જોઈને જોશને આંગળીઓના હલન ચલણ ઘ્વારા આખી મેચ સમજાવી દે છે . તેને સારી રીતે સમજવા માટે આ વીડિયો જુઓ . . ." entertainment,"અભિનેત્રી પરિણીતી ચોપરા આજકાલ પોતાનું વજન ઘટાડવામાં વ્યસ્ત છે , પરંતુ તેઓ સ્પષ્ટ કહે છે - હું ખાસ કરણ જૌહરની આવનાર ફિલ્મ હસી તો ફસી માટે વજન નથી ઘટાડતી . નીવિયા ઉત્પાદનો રજૂ કરતાં પરિણીતી ચોપરાએ જણાવ્યું - ઘણી ચર્ચાઓ છે કે હું હસી તો ફસી ફિલ્મ માટે પોતાનું વજન ઘટાડી રહી છું , પરંતુ તે સાચું નથી . હું માત્ર પ્રયત્ન કરીશ અને એટલું જ વજન ઓછું કરીશ કે જેટલું હું કરી શકું કે જેથી હું એટલી સારી દેખાઈ શકું કે જેટલી હું પોતાન આવનાર ફિલ્મમાં બની શકું . તેમણે જણાવ્યું - હું લૅડીઝ વર્સિસ રિકી બહેલ ફિલ્મ માટે દરેક રીતે વજન કરવા માંગતી હતી . હું થોડીક ગોળ - મટોળ હતી અને ત્યારે હકીકતમાં મેં ઇશકઝાદે માટે વજન ઘટાડવાનું શરૂ કર્યુ હતું , પરંતુ હું થોડીક વધુ બહેતર થવા માંગુ છું . તેથી મેં વજન ઘટાડવાનો નિર્ણય કર્યો . આપને જણાવી દઇએ કે હસી તો ફસી ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ચુકી છે . કરણ જૌહરની આ ફિલ્મ આવતા વર્ષે જાન્યુઆરીમાં રિલીઝ થવાની છે . ફિલ્મમાં પરિણીતી સાથે અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા મુખ્ય ભૂમિકામાં છે ." entertainment,"જિયા ખાનના સુસાઇડ લેટરે સૂરજ પંચોલીનું જીવન સમ્પૂર્ણપણે બદલી નાંખ્યું છે . સૂરજ પંચોલીની પોલીસે ગઈકાલે રાત્રે પૂછપરછ બાદ ધરપકડ કરી લીધી હતી અને આજે કોર્ટમાં રજૂ કરાયા બાદ કોર્ટે સૂરજને 13મી જૂન સુધી પોલીસ કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો છે . સૂરજ પંચોલીનો પરિવાર અદાલત દ્વારા અપાયેલ આ આદેશથી આઘાતમાં છે . એક તરફ સૂરજ પંચોલી સામે જિયા ખાન આત્મહત્યા કેસની તલવાર લટકી રહી છે , તો બીજી બાજુ અચાનક જ પોલીસે સૂરજને કસ્ટડીમાં લેવાની વાત કરી તેમને પરેશાન કરી મૂક્યાં છે . જિયા ખાન દ્વારા આત્મહત્યા કરાયા બાદ તેમનું સુસાઇડ લેટર મળી આવ્યુ હતું . જિયા ખાને લેટરમાં પ્રેમ અને વિશ્વાસઘાતની વાતલખી હતી . તેઓ સૂરજના બાળકના માતા બનવાના હતાં , પરંતુ તેમણે ગર્ભપાત કરાવી લીધુ હતું . જિયા ખાનના માતા રાબિયા ખાને સૂરજ સામે તેમના દીકરીનો યૂઝ કરવાનો આરોપ લગાવ્યો છે . સૂરજ પંચોલીએ જિયા ખાન પાસેથી ઘણી મોંઘી ગિફ્ટ્સ પણ લીધી હતી ." entertainment,"થોડાક દિવસ અગાઉ એવી ચર્ચાઓ વહેતી થઈ હતી કે દીપિકા પાદુકોણે કરીના કપૂરની કૉપી કરે છે . ખાસ તો ડ્રેસ - ચૉઇસમાં દીપિકા પાદુકોણે અનેક વખત એવા કપડા પહેરતા હોય છે કે જે અગાઉ કરીનાએ પહેર્યા હોય , પરંતુ તાજેતરમાં જ કરીનાના ટ્વિટર ઍકાઉંટ પર પોસ્ટ થયેલી એક તસવીર કંઈક ઓર જ વાર્તા કહે છે . કરીના કપૂરના ટ્વિટર ઍકાઉંટ પર પોસ્ટ થયેલી તસવીર જોઈને સ્પષ્ટ તરી આવે છે કે દીપિકા પાદુકોણે નહીં , પણ કરીના કપૂર દીપિકાની કૉપી કરે છે . આ તસવીરમાં કરીનાએ રામલીલા ફિલ્મની લીલા એટલે કે દીપિકા જેવા ટ્રેડિશનલ કપડા પહેર્યાં છે . જોકે કરીના કપૂર દ્વારા રામલીલા ફિલ્મની લીલા જેવો વેશ ધરવા પાછળના કારણો અંગે પણ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે . કહે છે કે કરીના કપૂર સંજય લીલા ભાનુશાળીના ઑનસ્ક્રીન લીલા તો નહીં બની શક્યા નહીં , એટલે જ કદાચ તેઓ ઑફસ્ક્રીન લીલા બનીને જ સંતોષ લઈ રહ્યાં છે . અહીં યાદ અપાવી દઇએ કે રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે અભિનીત સુપરહિટ રહેલી ફિલ્મ રામલીલા માટે સંજય લીલા ભાનુશાળીએ હીરોઇન તરીકે કરીનાની જ પસંદગી કરી હતી , પરંતુ કરીનાએ તે વખતે ફિલ્મ નકારી દીધી હતી . કહે છે કે કરીનાએ રામલીલા માત્ર એટલા માટે છોડી હતી કે સંજયે કરીના સામે એક કૉન્ટ્રાક્ટ મુક્યો હતો કે તેઓ ફિલ્મના શુટિંગ દરમિયાન માતા નહિં બને . તેથી રામલીલા કરીનાના હાથમાંથી ખસકી દીપિકા પાદુકોણેની ઝોળીમાં જતી રહી . આવો જોઇએ કરીના - દીપિકાની ડ્રેસ ચૉઇસમાં થતી ટક્કર :" business,"નવી દિલ્હી , 18 ઓક્ટોબર : ભારતના નાણાપ્રધાન અરૂણ જેટલીએ આજે દાવો કર્યો છે કે સ્વીસ સરકાર ભારતના કાળા નાણા અંગેની કેટલીક વિગતો આપવા માટે તૈયાર છે . આ વિગતો કેટલાક કેસોમાં આપવાની સહમતી દર્શાવવામાં આવી છે . આ સાથે તેમણે એમ પણ કહ્યું છે કે 1995ના કરાર કાળા નાણા કોના છે તેમના નામ આપવામાં બાધા બને છે . સુપ્રીમ કોર્ટમાં કાળા નાણા કોના છે તેમના નામ આપી શકવાની અક્ષમતા દર્શાવવાના દિવસે પત્રકારોના સવાલોના જવાબ આપતા અરૂણ જેટલીએ જણાવ્યું કે સ્વીત્સરલેન્ડ સરકારે એચએસબીસી અને લૈચટેંસ્ટેઇનની યાદી આપવાની તૈયારી દર્શાવી છે . તેમાં ભારતીય સત્તાવાળાઓએ એકત્ર કરેલા પુરાવા છે . જેટલીએ જણાવ્યું કે સ્વીસ ગવર્નમેન્ટ કાળા નાણા અંગેની માહિતી આપશે એ ઉપરાંત ઇન્ટેલિજન્સ એજન્સી દ્વારા પણ ભારતીય નાગરિકોના વિદેશમાં રહેલા બેંક એકાઉન્ટ અંગેની માહિતી આપવામાં આવશે . અરૂણ જેટલીએ જણાવ્યું કે વિદેશી સરકારો પાસેથી ભારત સરકાર ટેક્સ સંબંધિત તમામ માહિતી મેળવવા માટે જરૂરી પગલાં ભરી રહી છે . આ દ્વારા વિદેશોમાં રહેલા ભારતના કાળા નાણા દેશમાં પાછા લાવવામાં આવશે . આ મુદ્દે આજે સવારે જ સ્વીસ પ્રતિનિધિમંડળ ચર્ચા કરીને પરત ફર્યું છે . આજે આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં યોજાયેલી સુનવણીમાં અરૂણ જેટલીએ યુપીએ સરકાર પર આક્ષેપ કરતા જણાવ્યું કે 1995માં કરાર યુપીએ સરકારે કર્યા હતા જેના કારણે અત્યારે કાર્યવાહી કરવામાં મુશ્કેલી આવી રહી છે ." sports,"નવી દિલ્હીઃ વરસાદ અને ખરાબ પ્રકાશને પગલે સિડની ટેસ્ટ ડ્રો થઈ ગઈ છે . આની સાથે જ ભારતે ઓસ્ટ્રેલિયામાં 71 વર્ષ બાદ પહેલી ટેસ્ટ જીતીને ઈતિહાસ રચી દીધો છે . આ ભારતીય ટેસ્ટ ઈતિહાસમાં પહેલી વખત બન્યું જ્યારે ટીમે ઓસ્ટ્રેલિયાને તેમની જ ધરતી પર ટેસ્ટ સિરીઝમાં માત આપી હોય . સિડની મેચ ડ્રો થયા બાદ ભારતે ચાર મેચની જ આ સિરીઝ 2 - 1થી જીતી લીધી છે . ભારતે એડિલેડ ટેસ્ટમાં 31 રન અને બાદમાં મેલબર્નમાં 137 રનથી જીત હાંસલ કરી હતી . જ્યારે પર્થમાં થયેલ ટેસ્ટમાં તેમણે 146 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો . આવી રીતે જ વિરાટ કોહલીની આગેવાનીમાં ભારતીય ટીમે પોતાના ટેસ્ટ ઈતિહાસમાં એક સોનેરી અધ્યાય લખી દીધો . ભારત આ મેચ જીતવાની સ્થિતિમાં હતું , પરંતુ ખરાબ હવાને અડચણ પેદા કરી દીધી . મેચના પાંચમા દિવસે એકપણ બોલ નહોતો રમાયો . જ્યારે અગાઉ ચોથા દિવસે પણ હવામાન ખરાબ રહ્યું જેથી માત્ર 25.3 ઓવરની જ ગેમ થઈ શખી હતી . ભારતે આખી સિરીઝની જેમ આ મેચમાં પણ કાંગારુઝને હંફાવી મૂક્યા હતા . પહેલી ઈનિંગમાં ભારતે આ મેચમાં ચેતેશ્વર પૂજારા અને ઋષભ પંતની દમદાર સદીની મદદથી 7 વિકેટ પર 622 રન બનાવ્યા હતા અને પોતાની ઈનિંગ ડિક્લેર કરી હતી . જેના જવાબમાં મેચના ચોથા દિવસે ભારતે કાંગારૂઓને પહેલી ઈનિંગમાં 300 રન પર ઓલઆઉટ કરી ફૉલોઓન કરવા માટે મજબૂર કરી દીધી હતી . ઓસ્ટ્રેલિયા પોતાના ઘરમાં 31 વર્ષમાં પહેલીવાર ફોલોઓન રમવા માટે મજબૂર થયું હતું . ભારત તરફથી કુલદીપ યાદવે શાનદાર બોલિંગ કરીને પાંચ વિકેટ ખેરવી હતી . જે બાદ બીજી વખત બેટિંગ કરવા ઉતરેલ ઓસ્ટ્રેલિયાઈ ટીમને વરસાદનો ટેકો મળી ગયો નહિતર આ સીરિઝમાં પણ ભારત 3 - 1થી જીત હાંસલ કરી લીધી હોત . આખી સિરીઝમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ચેતેશ્વર પુજારા મેન ઑફ ધી સિરીઝ બન્યા . પુજારાએ સિરીઝની કુલ 7 ઈનિંગમાં શાનદાર બેટિંગ કરી 521 રન બનાવ્યા . તેમણે સિરીઝમાં કુલ ત્રણ સદી ફટકારી . પુજારા ઉપરાંત આ સિરીઝમાં ઋષભ પંતે પણ સારું પ્રદર્શન કર્યું . કોંગ્રેસને લઈ અરવિંદ કેજરીવાલે આપ્યું મોટું નિવેદન , બદલી શકે છે 2019નું ગણિત" entertainment,"મુંબઈ , 18 સપ્ટેમ્બર : આજે હિન્દી સિનેમાના બહુમુખી પ્રતિભાના માલિક અભિનેત્રી શબાના આઝમીનો જન્મ દિવસ છે . માત્ર ભારત જ નહીં , આ મહાન અભિનેત્રીનું સન્મામ સમગ્ર દુનિયા પણ કરે છે . એટલે જ તો જાણીતા શાયર કૈફી આઝમીના પુત્રી શબાનાને દેશી - વિદેશી સિનેમા માટે અભૂતપૂર્વ યોગદાન માટે ન્યુયૉર્ક શહેરના વહિવટી તંત્રે 2012માં સન્માનિત કર્યુ હતું . આ પ્રથમ પ્રસંગ હોત કે જ્યારે કોઈ ભારતીય કલાકારનું ન્યુયૉર્ક શહેર તરફથી સન્માન કરવામાં આવ્યુ હતું . જાણીતા શાયર તથા ગીતકાર જાવેદ અખ્તરના બીજા પત્ની શબાના આઝમી અંકુર , નિશાંત , અર્થ , માસૂમ , ગૉડ મધર તથા ફાયર જેવી અનેક બહેતરીન ફિલ્મો માટે જાણીતા છે . માત્ર આર્ટ કૅનવાસ ઉપર જ શબાનાએ રાજ નથી કર્યું , પણ કૉમર્શિયલ સિનેમામાં પણ તેઓ શ્રેષ્ઠ કાર્ય કરી ચુક્યાં છે . એટલુ જ નહીં શબાના આઝમીએ એકથી ચડિયાતા એક થિયેટર શો પણ કર્યાં છે કે જે આજે પણ લોકોના દિલમાં છે . શબાના અનેક ગેરસરકારી સંસ્થાઓ સાથે જોડાયેલા છે કે જે સમાજ સેવામાં સક્રિય છે . શબાનાની ફિલ્મો તથા ઍવૉર્ડ્સ તેમની બહુમુખી પ્રતિભાના સાક્ષાત્ ઉદાહરણો છે . એટલે જ તેઓ ક્યારેક અમર અકબર એન્થૉનીના ચુલબુલા તથા શરારતી ચોરની તરીકે દેખાય છે , તો ક્યારેક 1966માં આવેલી ફિલ્મ ફાયર વડે એક બોલ્ડ અવતારમાં અવતરિત થઈ જાય છે . ફાયર ફિલ્મમાં શબાનાએ એક સમલૈંગિકનો રોલ કરી સૌને આશ્ચર્યચકિત કર્યા હતાં . કોઈને પણ આશા નહોતી કે તેઓ પડદા ઉપર સ્મૂચિંગ તથા ઇંટીમેટ સીન્સ આપી શકે છે , પણ એક બાજુ તેમને આંતરરાષ્ટ્રીય કક્ષાએ આ ફિલ્મ માટે ખૂબ શાબાશી મળી , તો બીજી બાજુ તેમને ભારતમાં આ વાત માટે ટીકાઓ ઝીલવી પડી . ફાયર શબાના આઝમી અચાનક 1999માં બંદૂક લઈને સામે આવ્યાં . ગૉડ મધર ફિલ્મ દ્વારા શબાનાએ સાબિત કરી આપ્યું કે તેઓ અભિનયની બાબતમાં દરેકના ગૉડ મધર છે . ફિલ્મ માટે શબાનાએ નેશનલ ઍવૉર્ડજીત્યો , તો સશક્ત અભિનયના બળે તેઓ સૌના હૃદય ઉપર કાયમી રાજ કરતા થયાં ." entertainment,"અજય દેવગણ અને કરીના કપૂર અભિનીત ફિલ્મ સિંઘમ રિટર્ન્સે બૉક્સ ઑફિસે મજબૂત પક્કડ જમાવી લીધી છે . પહેલા જ દિવસે 32 કરોડની કમાણી કરનાર સિંઘમ રિટર્ન્સ પાંચ દિવસમાં કમાણીનો 100 કરોડનો આંકડો પાર કરી ચુકી છે . આવતા શુક્રવારે રાણી મુખર્જી અભિનીત મર્દાની ફિલ્મ રિલીઝ થતા સિંઘમ રિટર્ન્સના બૉક્સ ઑફિસ કલેક્શનની ઝડપ ઓછી થવાની શક્યતા છે , પરંતુ જો મર્દાનીમાં લોકોને સિંઘમ જેવો દમ ન જણાય , તો સિંઘમ રિટર્ન્સ ચોક્કસ 2000 કરોડનો આંકડો પણ પાર કરી લેશે . વર્ષ 2011માં રિલીઝ થયેલી સિંઘમે બૉક્સ ઑફિસે બહેતરીન કમાણીનો એક નવો રેકૉર્ડ બનાવ્યો હતો . સિંઘમ અજય દેવગણના કૅરિયરની સૌથી હિટ સાબિત થઈ અને હવે સિંઘમ રિટર્ન્સ ફરી એક વખત અજય દેવગણ તથા રોહિત શેટ્ટીની જોડીનો જાદૂ જાળવી રાખવામાં સફળ રહી છે . જોકે ફિલ્મ જોયા બાદ ફૅન્સ થોડાક નિરાશ થયા , કારણ કે ફિલ્મમાં તેમને સિંઘમ જેવો જાદૂ ન જણાયો . કરીના કપૂર અને અજય દેવગણ વચ્ચે શૂટ કરાયેલા રોમાંટિક સીન્સ પણ દર્શકોને ખાસ ઇમ્પ્રેસ ન કરી શક્યાં . આમ છતાં એક્શન સિક્વંસે સારી શરુઆત આપી . ચાલો જોઇએ સ્વાતંત્ર્ય દિવસ પર્વ પ્રસંગે રિલીઝ થઈ બ્લૉકબસ્ટર થયેલી ફિલ્મોની ઝલક :" sports,એશિયા કપ માટે ટીમ ઇન્ડિયા રવાના થઇ ચુકી છે . શ્રીલંકાને હરાવ્યા બાદ ટીમ ઇન્ડિયાનો આત્મવિશ્વાસ ખુબ જ વધી ગયો છે . કલકતાથી ટીમ ઇન્ડિયા જયારે ઢાકા માટે રવાના થઇ ત્યારે વિરાટ કોહલી એ સેલ્ફી ક્લિક કરી . વિરાટ કોહલીએ આ સેલ્ફી વિમાનમાં લિધી હતી . જેમાં તેની સાથે યુવરાજ સિંહ અને મહેન્દ્ર સિંહ ધોની છે . વિરાટ કોહલીએ આ સેલ્ફી અપલોડ કરી અને લખ્યું કે લીજેંડ સાથે ઢાકા માટે રવાના . વિરાટ કોહલી ની જેમ જ સુરેશ રૈનાએ હરભજન સિંહ સાથે સેલ્ફી લઇને અપલોડ કરી હતી . 24 ફેબુઆરીથી શરુ થતા એશિયા કપમાં ટીમ ઇન્ડિયાનો પહેલો મુકાબલો બાંગ્લાદેશ સાથે છે . ટીમ ઇન્ડિયાના કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીને પૂરો ભરોસો છે કે ટીમ ઇન્ડિયા આ એશિયા કપ માં જરૂરથી કમાલ કરશે . entertainment,"અક્ષય કુમાર એક પછી એક ધમાકેદાર ફિલ્મો આપી રહ્યા છે . આ વર્ષે અક્ષય કુમાર 3 ફિલ્મો આપી છે . જે 100 કરોડની ઉપર બિઝનેસ કરી ચુકી છે . અક્ષય કુમારની ત્રણે ફિલ્મોએ 100 કરોડ ઉપરનો બિઝનેસ કર્યો છે . એરલિફ્ટ , હાઉસફુલ અને રુસ્તમ બધી જ ફિલ્મે ધમાકેદાર કમાણી કરી છે . જોલી એલએલબી ની શૂટિંગમાં કંઈક આવા દેખાયા અક્ષય કુમાર આપણે જણાવી દઈએ કે રુસ્તમએ બોક્સઓફિસ પર ધમાકેદાર કમાણી કરી છે . 16 દિવસમાં આ ફિલ્મે 118.40 કરોડની કમાણી કરી છે . જયારે વર્લ્ડવાઇલ્ડ 200 કરોડનો આંકડો પણ પાર કરી નાખ્યો છે . આની સાથે જ અક્ષય કુમાર વર્ષ 2016ના સૌથી વધારે કમાણી કરનાર અભિનેતા બની ચુક્યા છે . તો જાણો રુસ્તમનો બોક્સઓફિસ હાલ . . . ." sports,"વરસાદના વિઘ્ન વચ્ચે હેમિલ્ટનમાં રમાઇ રહેલી શ્રેણીની બીજી વન્ડેમાં ભારતનો ન્યુઝીલેન્ડ સામે 15 રન પરાજય થયો છે . આ શ્રેણીમાં ભારતનો સતત બીજો પરાજય છે . ન્યુઝીલેન્ડ શ્રેણીમાં 2 - 0થી આગળ છે . ન્યુઝીલેન્ડ તરફથી ડકવર્થ લુઇસના નિયમ પ્રમાણે આપવામાં આવેલા 297 રનના લક્ષ્યાંકના જવાબમાં ભારતે 41.3 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને ડકવર્થ લુઇસ નિમય અનુસાર 277 રન બનાવી શક્યું . ભારત તરફથી કોહલીએ 78 અને ધોનીએ 56 રનની ઇનિંગ રમી હતી . આ પહેલાં ભારતે ટોસ જીત્યો હતો અને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો . પ્રથમ બેટિંગ કરવા આવેલા ન્યુઝીલેન્ડે ભારત સામે ડકવર્થ લૂઇસના નિયમ અનુસાર 42 ઓવરમાં 297 રનનો લક્ષ્ય મુક્યો હતો . ન્યુઝીલેન્ડ તરફથી સૌથી વધારે રન વિલિયમસન ( 77 ) બનાવ્યા છે . જ્યારે ભારત તરફથી મોહમ્મદ શમીએ ત્રણ વિકેટ ઝડપી છે . વરસાદના કારણે મેચને અધવચ્ચે રોકવી પડી હતી , ત્યારબાદ મેચ 42 ઓવરની કરી દેવામાં આવી . મેચ જ્યારે બીજીવાર રોકાઇ ત્યારે ન્યુઝીલેન્ડનો સ્કોર 33.2 ઓવરમાં 170 રન હતો . ફરીથી મેચ શરૂ થઇ ત્યારે ન્યુઝીલેન્ડે સાત - આઠ ઓવરમાં ઝડપથી રન બનાવવાના હતા . ન્યુઝીલેન્ડના બેટ્સમેનોએ ઝડપી બેટિંગ કરતા ચોગ્ગા છગ્ગાનો વરસાદ કરી દીધો . જેમાં ન્યુઝીલેન્ડે અનેક વિકેટો ગુમાવી હતી . ન્યુઝીલેન્ડની ઇનિંગની વાત કરવામાં આવે તો ન્યુઝીલેન્ડ તરફથી ગુપ્તિલ ( 44 ) , રાયડર ( 20 ) , વિલિયમસન ( 77 ) , ટેલર ( 57 ) , એન્ડરસન ( 44 ) , રોન્ચી ( 18 ) રન બનાવ્યા હતા . જ્યારે ભારત તરફથી મોહમ્મદ શમીએ ત્રણ જ્યારે ભુવનેશ્વર કુમાર , ઇશાંત શર્મા , રવિન્દ્ર જાડેજા અને સુરેશ રૈનાએ એક - એક વિકેટ ઝડપી છે ." entertainment,ટેલિવિઝનની સૌથી ફેમસ અભિનેત્રી મોની રોય ફરી એકવાર ટીવી પરદે આવી રહી છે . ફેમસ એવી ટીવી સિરિયલ નાગિન જ્યારે બંધ થઇ હતી ત્યારે મોની રોયના ફેન્સ નિરાશ થઇ ગયા હતા . પરંતુ જેવી ખબર આવી કે નાગિન 2 ખુબ જ જલ્દી શરૂ થવા જઈ રહ્યો છે . ત્યારે તે ફેન્સ ખુશ પણ થયા હતા . ફેન્સ મોની રોયને પાછી ફરેલી જોઈને ખુબ જ ખુશ છે અને મોની રોય પણ તેના ફેન્સ માટે એક ખાસ સરપ્રાઈઝ લઈને આવી રહી છે . જે નાગિન ફેન્સને ચોક્કસ ગમશે . સરપ્રાઈઝ પણ ખુબ જ રસપ્રદ છે . આ સરપ્રાઈઝ એ છે કે નાગિન 2માં મોની રોય આપણે ડબલ રોલમાં જોવા મળશે . આપણે જણાવી દઈએ કે નાગિનની પહેલી સીઝનમાં અર્જુન બિજલાનીએ પિતા અને પુત્રનો ડબલ રોલ કર્યો હતો . બસ તે જ રસ્તે મોની પણ ચાલી પડી છે . નાગિનની બીજી સીઝનમાં મોની શિવન્યાની સાથે સાથે તેની જ દીકરી શિવાંગીનો રોલ પણ કરશે . આ સીઝનમાં અદા ખાન અને સુધા ચંદન પણ જોવા મળશે . આપણે જણાવી દઈએ કે નાગિનની ટીઆરપી ખુબ જ હાઈ રહી હતી . એકતા કપૂર નાગિનની પ્રોડ્યૂસર હતી . નાગિનની બીજી સીઝનને ખુબ જ ભવ્ય બનાવવામાં આવશે . સૂત્રો અનુસાર નાગિનનું બજેટ પણ વધારવામાં આવ્યું છે . જેના કારણે તેમાં ઉપયોગમાં લેવાયેલી સ્પેશ્યલ ઈફેક્ટ વધારે સારી દેખાઈ . મોની રોય ની સિરિયલ નાગિન સુપર હીટ રહી હતી . આમ જોવા જઈએ કે છેલ્લા કેટલાક સમયથી મોની રોય ના કરિયરમાં ખૂબ જ સારો ઉછાળ આવ્યો છે . આ સારા કરિયર માટે તેની સિરિયલ નાગિનનો પણ મોટો હાથ છે . જ્યાં નાગિન સિરિયલ પોતાની અલગ કહાનીને કારણે પોપ્યુલર રહી . ત્યાં જ નાગિનની મુખ્ય અભિનેત્રી મોની રોય પણ આ શો ધ્વારા ટીવીની સુપરહીટ અભિનેત્રી બની ચુકી છે . નાગિન ના અવતારમાં લોકોને મોની રોય ખુબ જ પસંદ આવી . business,"સમગ્ર મુદ્દો કોર્ટે લેવી કર મુદ્દે કરેલા આદેશ પર અટવાયો છે . અગાઉ 2 ટકા લેવી કર ખેડૂતો પાસેથી વસૂલ કરવામાં આવતો હતો . હવે કોર્ટના આદેશ બાદ લેવી કર વેપારીઓ પાસેથી વસૂલ કરવાનું શરૂ કરવામાં આવ્યુ છે . આ મુદ્દે વેપારીઓએ આંદોલન શરૂ કરી હડતાલ પર ઉતરી ગયા છે . વેપારીઓનું કહેવું છે કે ઇલેક્ટ્રોનિક વજન કાંટા અને હાઇડ્રોલિક ટ્રોલીને પગલે માલ ઉતારવામાં અને ચઢાવવામાં હમાલનો ઉપયોગ ઘણો ઓછો થઇ ગયો છે . આથી આ કર વેપારીઓ પાસેથી વસૂલ કરવામાં આવે તે યોગ્ય નથી . આ મુદ્દાના ઉકેલ માટે બજાર સમિતિ અને માર્કેટિંગ ચીફ સેક્રેટરી અને વેપારી સંગઠન વચ્ચે બેઠક યોજવામાં આવી હતી પણ તે નિષ્ફળ રહી હતી . આ મુદ્દે આગામી 9 ઑક્ટોબર , 2012ના રોજ ફરી બેઠક યોજવામાં આવી છે . આ બેઠક નિષ્ફળ રહેશે તો છૂટક બજારમાં ડુંગળીનો માલ આવવાનો બંધ થશે અને ભાવો ફરી આસમાને પહોંચશે ." business,"મ્યુચ્યુઅલ ફંડના સંદર્ભમાં ઓફર ડોક્યુમેન્ટ એ બીજું કશું નહીં પરંતુ પુસ્તિકાના સ્વરૂપમાં પ્રોસ્પેક્ટસ ( માહિતીપત્ર ) છે . તેને કાયદાકીય દસ્તાવેજના રૂપમાં પણ ગણવામાં આવે છે . ઓફર ડોક્યુમેન્ટમાં કઇ માહિતી આપવામાં આવે છે ? કોઇ પણ કંપની કે ફંડમાં રોકાણ કરતા પહેલા રોકાણકાર તે ફંડ કે કંપની અંગેનો અભ્યાસ કરે છે . આ માટે તેને વિવિધ પ્રકારની માહિતીન જરૂર પડે છે . આ તમામ માહિતી ઓફર ડોક્યુમેન્ટમાં આપવામાં આવે છે . આ માહિતી પુસ્તિકા રોકાણકારને નિર્ણય લેવામાં મદદ કરે છે કે તેણે આ સ્કીમમાં ઝંપલાવવું કે તેમાંથી બહાર નીકળી જવું ? મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ દ્વારા આપવામાં આવતી માહિતી વિસ્તૃત રીતે આપેલી હોવાની સાથે ચોક્કસ સ્કીમના રોકાણ સંબંધિત હેતુઓ , તેના પર લાગતું ભારણ અને તેનું માળખું તથા વળતર સંબંધિત નીતિઓની માહિતી હોય છે . કંપની અંગેની માહિતી આપતી પુસ્તિકામાં મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ અંગેનું એપ્લિકેશન ફોર્મ પણ આપવામાં આવેલું હોય છે . શું છે મહત્વનું ? મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા કંપની વિશેની તમામ મહત્વની માહિતી મેળવવી જરૂરી છે . આ માટે રોકાણકારે ઓફર ડોક્યુમેન્ટનો વિગતે અભ્યાસ કરવો જરૂરી છે . દાખલા તરીકે આ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ માત્ર ડેબ્ટમાં રોકાણ કરતી હોય અને આપ જોખમ લેવા ઇચ્છતા રોકાણકાર હોવ તો આપના માટે આ સ્કીમ નથી . આ સંદર્ભે જરૂરી માહિતી ઓફર ડોક્યુમેન્ટમાં આપવામાં આવેલી હોય છે ." business,"ડોલર સામે રૂપિયો તેની સૌથી નીચી સપાટીએ પહોંચી ચુક્યો છે . રૂપિયો 28 પૈસા ગગડ્યો , છે , જેના કારણે રૂપિયો ડોલર સામે 68.89 પર પહોંચી ગયો છે . પાછલા કેટલાક દિવસોમાં રૂપિયામાં આ સૌથી મોટો ઘટાડો છે . જોકે , કેટલાક સમય પછી રૂપિયો સ્થિર હતો અને તે આ સમયે 68.82 પર પહોંચી ગયો છે . રૂપિયો બુધવારે 68,61 રૂપિયા પર બંધ થયો હતો , પરંતુ ફરીથી બજાર ખુલતાની સાથે આજે રૂપિયો 28 પૈસા ગગડ્યો છે . ત્યારપછી હવે એવી અટકળો છે રૂપિયો 69 રૂપિયાના નીચલા સ્તરે પહોંચી શકે છે . આપણે જણાવી દઈએ કે આ પહેલાં , રૂપિયો ડોલર સામે 69 રૂપિયાની સપાટીએ પહોંચ્યો નથી . તો બીજી બાજુ શેરબજારમાં આ સવારે , સવારે ઇન્ડેક્સ 58 પોઇન્ટમાં 9.20 ઘટાડો સાથે 35,159.04 પર ખુલ્યો છે . જયારે નિફટી 30 અંક નીચે પહોંચી ચુકી છે . આપણે જણાવી દઈએ કે બુધવારે સેન્સેક્સ બજાર 272 પોઇન્ટ નીચે ગગડીને 35217.11 અંક પર પહોંચી ચૂક્યું હતું . છેલ્લા ત્રણ અઠવાડિયામાં આ સૌથી નીચલું સ્તર છે . સતત વિદેશી પુંજીની નિકાસી થવાથી ડોલરના મુકાબલે રૂપિયો દોઢ વર્ષના નીચલા સ્તરે પહોંચી ગયો છે ." business,"રિલાયન્સ જીયોએ જુલાઇમાં જીયો ફોન લોન્ચ કર્યો હતો . જેની બુકિંગ 24 ઓગસ્ટે શરૂ થઇ હતી . ખાલી બે દિવસમાં જ જીયો ફોનના 6 લાખ ફોન બુક થયા હતા . અને તે પછી તેની પ્રી બુકિંગ બંધ કરવામાં આવી હતી . આ સમયે જે લોકોએ જીયો ફોનનું બુકિંગ કરાવ્યું હતું . અને મીડિયામાં તેવી ખબરો આવી હતી કે સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં તેમના હાથમાં જીયો ફોન આવી જશે . વળી તેમ પણ જાણવા મળ્યું હતું કે 21 સપ્ટેમ્બરના રોજ જીયો ફોન તેની ડિલિવરી શરૂ કરશે . પણ હવે સપ્ટેમ્બર મહિનો પૂરો થવા આવ્યો છે . અને જીયો ફોનની ડિલિવરીને લઇને કંપની તરફથી હજી સુધી કોઇ જાણકારી આપવામાં નથી આવી . જ્યાં એક તરફ જીયો ફોનની ડિલિવરી શરૂ નથી થઇ ત્યાં જ બીજી તરફ જીયો ફોનને ટ્રેક કરવાના વાયરલ સમાચારોએ જોર પકડ્યું છે . અલગ અલગ રીતે કહેવામાં આવી રહ્યું છે કે કેવી રીતે તમે તમારો જીયો ફોન ટ્રેક કરી શકો . પણ હકીકત એ છે કે તમે કોઇ પણ રીતે જીયો ફોનને ટ્રેક નહીં કરી શકો . એટલું જ નહીં જે વેબસાઇટ કે ન્યૂઝ પોર્ટલ આ વાત કરી રહી છે તેમણે પણ કહ્યું છે કે કંપની તરફથી આવી કોઇ જાહેરાત નથી થઇ . ચોખ્ખી વાત છે ડિલિવરી શરૂ થાય તો તમે ટ્રેક કરી શકોને , અહીં ડિલિવરી જ શરૂ નથી થઇ તો ટ્રેક કેમ ના કરશો ? માટે જ આવા કોઇ પણ ભ્રમમાં તમે પણ ના ફસાતા ." business,"સપ્તાહના છેલ્લા વેપાર દિવસે શેર બજારમાં ધડાકાભેર પડ્યું છે . શુક્રવારે સેન્સેક્સ 501.99 અંક સાથે પડીને 33,911.17 સ્તરે પહોંચ્યું છે . ત્યાં જ નિફ્ટી પણ 170 અંકો સાથે પડ્યું છે . અને 10,400 પર પહોંચ્યું છે . ઉલ્લેખનીય છે કે બજેટ સત્ર રજૂ થયા પછી એક પછી એક બજાર પડી રહ્યું છે . બીએસઇના બેંચમાર્ક ઇન્ડેક્સ સેંસેક્સના પણ 30 શેરો પડતા સેંન્સેક્સ 550 અંકોથી વધુ પડી ગયું છે . ગુરુવારે વેપારમાં ડાઓ જોન્સ 1,033 અંક એટલો 4.15 ટકાથી પડ્યું હતું અને 23,860 અંક પર બંધ થયું હતું . ત્યાં જ નૈસ્ડૈક 275 અંક એટલે કે 3.90 અંક પાડીને 6,777 અંક પર બંધ થયું છે . જો વાત એશિયાઇ બજારોની કરીને તો જાપાનના નિક્કોઇ 705 અંકથી તૂટીને 21,186 અંક પર વેપાર કરી રહી રહ્યો છે . રિલાયન્સ , એસબીઆઇ , સનફાર્મા , આઇટીસી અને મારુતિના શેરમાં પણ ભારે ઘટાડો જોવા મળ્યો છે . ત્યાં જ ટાટા સ્ટીલ શેરમાં ઉછાળો જોવા મળ્યો છે . આમ વિદેશોથી લઇને ભારતની શેરબજાર માર્કેટમાં મંદી જોવા મળી રહી છે . ભારતમાં બજેટ રજૂ થયું ત્યાંથી શેરબજારમાં જોવા જેવો ઉછાળો જોવા મળ્યો નથી ." entertainment,બૉલીવુડમાં ગૅંગસ્ટર ગર્લ તરીકે સ્થાપિત કંગના રાણાવતની આગામી મહત્વની ફિલ્મ ક્રિશ 3 છે અને તેમાં તેઓ સુપરવુમન કાયાનો રોલ કરી રહ્યાં છે . આ સુપરવુમન કાયા રૂપેરી પડદે સાકાર થયા પહેલા સિને બ્લિટ્ઝ મૅગેઝીન ઉપર છવાઈ ગઈ છે . હૃતિક રોશન અને પ્રિયંકા ચોપરા તથા વિવેક ઓબેરૉય સાથે ક્રિશ 3 ફિલ્મ આવતા મહીને એટલે કે 1લી નવેમ્બરે રિલીઝ થવાની છે . ફિલ્મમાં કંગના રાણાવત વિલનની ભૂમિકામાં આવી રહ્યાં છે . તેઓ એક સુપરવુમન તરીકે લોકો સમક્ષ આવી રહ્યાં છે અને તેમના પાત્રનું નામ કાયા છે . કંગના રાણાવતનો આ સુપરવુમન અવતાર સિને બ્લિટ્ઝ મૅગેઝીનના કવર પેજ ઉપર અવતર્યું છે . સિને બ્લિટ્ઝ મૅગેઝીનની ઑક્ટોબર 2013ની આવૃત્તિના કવર પેજ ઉપર કંગના રાણાવતનો સુપરવુમન અવતાર પ્રસિદ્ધ થયો છે . કંગના રાણાવતે તાજેતરમાં જ આ આવૃત્તિનું અનાવરણ કર્યું . entertainment,"મુંબઈ , 20 સપ્ટેમ્બર : બિપાશા બાસુ અને ઇમરાન હાશમીની ફિલ્મ રાઝ 3 બૉક્સ ઑફિસ ઉપર સુપરહિટ થતી લાગે છે . હવે મહેશ ભટ્ટે નક્કી કર્યું છે કે રાઝ 4માં તેઓ એકદમ નવા ચહેરાને લૉન્ચ કરશે . રાઝ 3 અત્યાર સુધી પ્રથમ સપ્તાહના પાંચ દિવસમાં 41 કરોડનો બિઝનેસ કર્યો હતો . રાઝ 3માં બિપાશા બાસુના નકારાત્મક પાત્રને ઘણું પસંદ કરવામાં આવી રહ્યું છે . એમ કહેવામાં અતિશયોક્તિ નથી કે બિપાશાનું પાત્ર જ આ ફિલ્મની યુએસપી છે . જેણે પણ આ ફિલ્મ જોઈ , તેને બિપાશાના પાત્રમાં નેગેટિવનેસ નહિં , પણ પૉઝિટિવનેસ જ દેખાઈ . ઇમરાન હાશમી તેમજ ઈશા ગુપ્તા માત્ર ફિલ્મના સહ - કલાકારો જ બનીને રહી ગયાં . બંગાળી બાળાએ પોતાના કાળા જાદુ વડે સૌને આકર્ષી લીધા . અત્યાર સુધી રાઝ 3એ ઇમરાન હાશમીની જ ફિલ્મ મર્ડર 2 તેમજ ઝન્નત 2ના રેકૉર્ડ તોડી નાંખ્યા છે . ઇમરાન હાશમી તેમજ ભટ્ટ કેમ્પની અત્યાર સુધીની સૌથી મોટી ઓપનર સાબિત થઈ છે રાઝ 3 . તેની સફળતાથી મહેશ ભટ્ટ ( ગેલેરી ) એટલા ઉત્સાહિત છે કે તેઓ હવે રાઝ 3ની સિક્વલ બનાવાની તૈયારી કરી રહ્યાં છે . જે રીતે જિસ્મ 2માં સન્ની લિયોન જેવા નવા ચહેરા સાથે ભટ્ટ કેમ્પે સફળતાના નવા આયામો સર કર્યાં છે , તેવી જ રીતે હવે રાઝ 4માં પણ એક નવો ચહેરો લાવીને દર્શકો સામે કઈંક નવું પીરસવા માંગે છે . રાઝ 3એ માત્ર ભારત જ નહિં , બલ્કે વિદેશોમાં પણ ઘણો સારો બિઝનેસ કર્યો છે . સાથે જ પાકિસ્તાનમાં પણ આ ફિલ્મને ઘણી પસંદ કરવામાં આવી રહી છે . હવે જોવાનું એ છે કે રાઝ 4 માટે નવા ચહેરાની શોધમાં ભટ્ટ કેમ્પે ક્યાં - ક્યાં ભટકવું પડે છે ." sports,"બેડમિંટન સ્ટાર સાઇના નહેવાલ કે જેણે એક વાર નહિ પરંતુ ઘણી વાર પદકો જીતીને દેશનું નામ રોશન કર્યુ છે . તેના પર હાલમાં દેશદ્રોહી હોવાનો આરોપ લાગી રહ્યો છે . સાઇના પર દેશદ્રોહનો આરોપ લાગ્યો છે . સોશિયલ મીડિયા પર કેટલાક લોકો તેને એક ફોટાને કારણે દેશદ્રોહી કહી રહ્યા છે . કેમ દેશદ્રોહી બની સાઇના સ્ટાર પ્લેયર સાઇના નહેવાલે ફેસબુક પર પોતાનો એક ફોટો મૂક્યો હતો . આ ફોટોમાં સાઇના પોતાના નવા ફોન સાથે ઉભી હતી . ફોટા સાથે કેપ્શન લખ્યુ હતુ , ' મારો નવો Honor 8 ફોન , આ ફોન અને તેનો કલર મને બહુ ગમે છે . ' સાઇના દ્વરા Honor 8 ની પ્રશંસા લોકોને પચી નહિ . આ ચાઇનીઝ ફોનની સાઇના દ્વારા કરવામાં આવેલી પ્રશંસાથી લોકો નારાજ થયા . લોકોએ તેના પર ચાઇનીઝ ઉત્પાદનને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવ્યો . લોકોએ સોશિયલ મીડિયા પર તેને ખરી - ખોટી સંભળાવી . કોઇકે તેને ચાઇનીઝ ફોનનો ઉપયોગ ન કરવાની સલાહ આપી . કોઇકે લખ્યુ અમે તને ત્યાં સુધી નફરત કરતા રહીશુ જ્યાં સુધી તુ કોઇ ભારતીય ફોન ન ખરીદી લે . કોઇકે તેને પીએમ મોદીને સહકાર આપવાની સલાહ આપી . જો કે સાઇનાના સમર્થકોની પણ કંઇ ઉણપ નહોતી . તમને જણાવી દઇએ કે દિવાળી પહેલાથી જ ભારતમાં લોકો ચીની માલસામાનનો વિરોધ કરી રહ્યા છે ." business,"પ્રધાનમંત્રીએ જણાવ્યું કે ' વિકાસદરમાં આવેલી પડતી અસ્થાઇ છે . આપણે તેને સમજવું જોઇએ અને તેને સુધારવા માટે યોગ્ય પગલા ભરવા જોઇએ . મને નથી લાગતું કે ભવિષ્યમાં પણ આપણો વિકાસ દર પાંચ ટકા જ રહેશે . પાછલા દસ વર્ષોમાં અમે આઠ ટકા વિકાસ દર હાસલ કર્યો છે અને અમે તેને પુનઃ પ્રાપ્ત કરી શકીએ છીએ . ' તેમણે જણાવ્યું કે નાણાંકિય વર્ષ 2007માં અસામન્યરીતે આશાવાદી હતું , આજે એ અસામાન્યરીતે નિરાશાવાદી બની ગયું છે . તેમણે સ્પષ્ટતા કરી કે ચોક્કસપણે મોંઘવારી આપણા માટે સૌથી મોટો પડકાર છે પરંતુ આપણે નિરાશ ન થવું જોઇએ . મનમોહનસિંહે જણાવ્યું કે આજે એ સામાન્ય સમજ છે કે સરકાર તત્પરતાથી કોઇ પગલા નહીં ભરે અને ધીમી વિકાસ દર આખુ વર્ષ પાંચ ટકા જ બની રહેશે . તેમણે જણાવ્યું કે આ વિચારમાંથી બહાર આવવાની જરૂર છે . પળેપળના સમાચારથી અપડેટ રહેવા માટે આજે જ ગુજરાતી વનઇન્ડિયા ન્યૂઝલેટર સબસ્ક્રાઇબ કરો . . ." sports,"આ વર્લ્ડકપમાં બંને ટીમો જોરદાર પ્રદર્શન કરી રહી છે . અત્યાર દુધી બંને ટીમોએ એકબીજા વિરૂદ્ધ 9 મેચ રમી છે . જેમાં પાકિસ્તાને 6 અને શ્રીલંકાએ 3 મેચ જીતી છે . ટી20 વર્લ્ડકપ 2009માં પાકિસ્તાને શ્રીલંકાને આઠ વિકેટે હરાવ્યું હતું . શ્રીલંકાએ અત્યાર સુધી પોતાના સફરમાં સુપર - 8ના પ્રથમ મેચમાં ન્યૂઝિલેન્ડને સુપર ઓવરમાં , બીજી મેચમાં વેસ્ટઇન્ડિઝને નવ વિકેટે અને ઇગ્લેંડને 19 રને હરાવ્યું હતું . તો પાકિસ્તાને સુપર - 8ની પ્રથમ મેચમાં દક્ષિણ આફ્રિકાને બે વિકેટે હરાવ્યું હતું જ્યારે બીજી મેચમાં પાકિસ્તાનને ભારત સામે આઠ વિકેટે કારમો પરાજય મેળવ્યો હતો અને ત્રીજી મેચમાં પાકિસ્તાનની ટીમ ઓસ્ટ્રેલિયાને 32 રને હરાવવામાં સફળ રહી હતી . શ્રીલંકા અને પાકિસ્તાનની ટીમ સંતુલન જાળવી રહી છે . શ્રીલંકાને ઘરેલૂ પીચોનો લાભ મળી રહ્યો છે તો પાકિસ્તાનને શ્રીલંકા પ્રીમિયમ લીગમાં રમવાની તક મળી રહી છે . એક દિવસીય મેચોમાં વર્લ્ડકપ 2011ની ફાઇનલમાં ભારત સામે હારનો સામનો કર્યા બાદ શ્રીલંકા આ તક ચૂકશે નહી . આ એશિયાઇ ટીમે 1996 પછી કોઇ આઇસીસી કપ જીતી નથી ." business,"કહેવાય છે કે સમય બદલતા વાર નથી લાગતી . જ્યારે સમય સારો હોય તો બધુ સારુ હોય છે . જરૂરી નથી કે ફેમ અને સફળતા એક ઉંમરે જ મળે . નાની ઉઁમરમાં પણ સફળતા તમારા કદમ ચૂમી શકે છે . અને તેનું ઉદાહરણ પણ આપણી સામે છે . સામાન્ય રીતે આપણે ઉંમર પ્રમાણે આયોજન કરતા હોઈએ છીએ , પછી તે બિઝનેસ શરૂ કરવાની વાત હોય કે નોકરી દરમિયાન બચતની . પરંતુ માત્ર 20 વર્ષની કાઈલી જેનરે એ વાત સાબિત કરી છે કે સફળતા ઉંમર પર નિર્ભર નથી . અમેરિકાની રિયાલિટી ટીવી સ્ટાર કાઈલી જેનર સફળતાનો નવો મુકામ હાંસલ કરી ચૂકી છે . ફોર્બ્સ મેગેઝિન મુજબ કાઈલી જેનર અમેરીકાની સૌથી નાની ઉંમરની સેલ્ફ મેડ અરબપતિ છે . હાલ કાઈલી જેનરની સંપત્તિ 90 કરોડ ડૉલર એટલે કે 6120 કરોડ રૂપિયા છે ." sports,ભારત અને આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી પાંચમી વનડે મેચ દરમિયાન રોહિત શર્મા ફરી એકવાર ફોર્મમાં પાછો ફર્યો અને ભારત તરફથી તેને શાનદાર સેન્ચુરી ફટકારી . હંમેશા જોવા મળે છે કે સેન્ચુરી માર્યા પછી રોહિત શર્મા ખુશીથી જશ્ન મનાવે છે . પરંતુ આ વખતે આવું કઈ પણ જોવા મળ્યું નહીં . બધા જ રોહિત શર્માને જોઈને હેરાન થઇ ગયા હતા . આખરે રોહિત શર્માએ સેન્ચુરી માર્યા પછી પણ મેદાન પર ખુશી વ્યક્તિ ના કરી તેનો રાઝ ખોલી નાખ્યો છે . રોહિત શર્મા સાથે મેદાનમાં થયેલી ગરબડીને કારણે વિરાટ કોહલી અને રહાણે રન આઉટ થયા હતા . રોહિત શર્મા એ જણાવ્યું કે બે ખેલાડીના આઉટ થયા પછી દબાવ તેમના પર આવી ગયો હતો . આવા સમયમાં હું પોતાનું ધ્યાન કેન્દ્રિત કરવા માંગતો હતો . entertainment,"( માનસી પટેલ ) ગુજરાતી ફિલ્મસના નિર્માણનો એક સરસ સમય ચાલી રહ્યો છે ત્યારે શુભ આરંભ નામની મ્યુઝિકલ ગુજરાતી ફિલ્મનું સંગીત તાજેતરમાં જ લોન્ચ કરવામાં આવ્યું હતુ . ફિલ્મ સંગીતના લોન્ચિંગ સમયે પણ ફિલ્મની પૃષ્ઠભૂમિને અનુસાર શરણાઈ વાદન થઈ રહ્યું હતું અને તે જ રીતે ફિલ્મનું સંગીત પણ લોન્ચ કરવામાં આવ્યું હતું . ફિલ્મના મ્યુઝિક કંપોઝર છે ઋષિ વકી , ફિલ્મની થીમ અરેન્જ મેરેજની આસપાસ ધબકે છે ગુજરાતી લગ્નની તમામ ઝાકળઝોળ , વિધિઓ ગરબા અને સંવેદનાઓ સાથે આ ફિલ્મમા સંગીતને રજૂ કરવામાં આવ્યુ છે વળી ફિલ્મમાં વિશેષ વાત એ છે કે આમા જાણીતા ગીતકાર સ્વાનંદ કિરેકિરે પ્રથમ વાર ગુજરાતી ગીત માટે પ્લે બેક કરી રહ્યા છે . તે ઉપરાંત જાણીતા લોક ગાયક પ્રફુલ્લ દવેની દીકરી ઇશાની દવે . કિર્તીદાન ગઢવી , દિવ્ય કુમાર જેવા પ્લેબેક સિંગર્સ પોતાનો સ્વર આપી રહ્યા છે . તેજમ ગીતો , જાણીતા કવિ તુષાર શુકલ , તેમજ લિરિસિસ્ટ ચિંતન રાવલ અને નિરેન ભટ્ટે લખ્યા છે . વળી પ્રથમ વાર એવા ઘટના બની છે કે આ ગુજરાતી ફિલ્મ ના ગીતો એફએમ ચેન્લસ પર પણ સાંભળવા મળશે . ફિલ્મના મ્યુઝિક ડિરેક્ટર ઋષિ વકીલે જણાવ્યું હતું કે "" આ ફિલ્મમાં તમે ટિપિકલ ગરબા નહીં સાંભળો પરંતુ આજના સમય પ્રમાણેના અને તેમ છતા સુગમ સંગીતને સાથે રાખીને ચાલતા સંગીતમય ગરાબ સાંભળશો જે સાંભળીને તમે તમારા પગને થરકતા અટકાવી નહી શકો . "" શુભ આરંભના ગીતોના સંગીતમાં તમામ વાદ્યોનું રેકોર્ડિંગ મેન્યુઅલી થયું છે . સામાન્ય રીતે હાલમાં એવું થતું હોય છે કે ટેકનોલોજીને કારણે તમે ગિટાર , સિતાર , ઢોલક , તબલા વગેરે રોકેરેડિંગ કરી શકો છો પરંતુ અહીં દરેક પ્રકારન વાદ્યો વાધકારોએ વગાડ્યા છે અને તેનું રોક્ર્ડિંગ કરવામાં આવ્યું છે . આ ફિલ્મ સાથે હર્ષ છાયા તેમજ પ્રાચી શાહ જેવા કલાકારો પણ સંકળાયેલા છે . આ પ્રસંગે ફિલ્મનું ટીઝર પણ લોન્ચ કરવામાં આવ્યું હતું ." business,"સોમવારે જાહેર થયેલા આંકડાઓ અનુસાર એપ્રિલમાં ફુગાવાના દરેક ક્ષેત્રમાં અનાજની મોંઘવારીનો દર 16.65 ટકા હતો . દાળની મોંઘવારી દર વાર્ષિક 10.91 ટકા રહ્યો હતો . જ્યારે ખાંડની કિંમતો 10.49 ટકા વધ્યો હતો . એપ્રિલ મહિનામાં કપડાં , જૂતાંના વિભાગમાં મોંઘવારી દર 10.22 ટકા હતી . શહેરી વિસ્તારોમાં છુટક વેપાર એપ્રિલમાં 9.73 ટકા હતી જે માર્ચમાં 10.38 ટકા હતી . આ મહિનામાં ગ્રામ્ય વિસ્તારોમાં છુટક ફુગાવો ઘટીને 9.16 ટકા પર આવી ગયો હતો . જે માર્ચમાં 10.33 ટકા હતો . ફેબ્રુઆરી 2013માં ફુગાવો 10.91 ટકા હતો ." sports,"નવી દિલ્હી , 11 મેઃ સુકાની વિરાટ કોહલીની 99 રનની તુફાની ઇનિંગની મદદથી અને જયદેવ ઉનડકટની વેધક બોલિંગની મદદથી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમે ફિરોજશાહ કોટલા મેદાન પર દિલ્હી ડેરડેવિલ્સ સામે ચાર રનથી વિજય મેળવ્યો છે . બેંગ્લોરે દિલ્હી સામે 184 રનનો લક્ષ્યાંક મુક્યો હતો . જેના જવાબમાં દિલ્હીની ટીમ નિર્ધારિત 20 ઓવરમાં સાત વિકેટ પર 179 રન જ બનાવી શકી હતી . દિલ્હી તરફથી ઉનડકટે સર્વાધિક 41 રન નોંધાવ્યા હતા . જ્યારે બેંગ્લોર તરફથી જયદેવ ઉનડકટે સર્વાધિક પાંચ વિકેટ મેળવી હતી , જ્યારે વિનયકુમાર અને હેનરિક્સે એક - એક વિકેટ ઝડપી હતી . પ્રથમ બેટિંગ કરતા બેંગ્લોરે નિર્ધારિત 20 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને 184 રન બનાવ્યા હતા . બેંગ્લોર તરફથી ક્રિસ ગેઇલે 4 , ચેતેશ્વર પુજારાએ 17 , હેનરિક્સે 26 , એડીબી વિલિયર્સે 32 અને વિરાટ કોહલીએ 99 રન બનાવ્યા હતા . વિરાટ કોહલીએ 58 બોલનો સામનો કરીને 10 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 99 રન બનાવ્યા હતા . જ્યારે બીજી તરફ દિલ્હી તરફથી એક પણ બોલર કોહલીના તોફાને રોકી શક્યો નહતો . પઠાણ , કોઉલ અને નદીમે એક - એક વિકેટ મેળવી હતી . બેંગ્લોર તરફથી મળેલા 184 રનના લક્ષ્યાંકનો પીછો કરતા દિલ્હી તરફથી જયવર્ધને 19 , સેહવાગ 18 , વોર્નર 4 , રોહરેર 32 , જાધવ 8 , મોર્કલ 19 , ઉનમુક્ત ચાંદ 41 , પઠાણ 23 અને ઉમેશ યાદવે 4 રન બનાવ્યા હતા . ઉનમુક્ત ચાંદે 35 બોલમાં 4 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 41 રન બનાવ્યા હતા . જ્યારે બેંગ્લોર તરફથી જયદેવ ઉનડકટે પાંચ વિકેટ મેળવી હતી , તથા વિનયકુમાર અને હેનરિક્સે એક - એક વિકેટ ઝડપી હતી ." sports,"13 સપ્ટેમ્બરથી ભારતમાં ચેમ્પિયન્સ લીગ ટી20ની ક્વોલિફાયર મેચ રમાનારી છે અને તેની પહેલી મેચ 17 સપ્ટેમ્બરે હૈદરાબાદ ખાતે ચેન્નાઇ સુપર કિંગ્સ અને કોલકતા નાઇટ રાઇડર્સ વચ્ચે છે . જેને લઇને દેશના ક્રિકેટ ચાહકોમાં એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે , સાથોસાથ દરેક ટીમ પોત - પોતાની રીતે ચેમ્પિયન્સ લીગ ટાઇટલ જીતવાના ઉદ્દેશ્ય સાથે પોતાની તૈયારીઓમાં લાગી ગઇ છે . શ્રીલંકા , ઓસ્ટ્રેલિયા , પાકિસ્તાન અને વેસ્ટ ઇન્ડિઝ જેવા દેશોની ટીમો ભારતમાં આવી ગઇ છે અને તેઓ ટાઇટલને કેવી રીતે જીતવો તેની રણનીતિ બનાવી રહ્યાં છે . આ વખતની ચેમ્પિયન્સ લીગનું જો કોઇ ખાસ આકર્ષણ હોય તો એ પાકિસ્તાનની ટીમ લાહોર લાયન્સ છે , જે પહેલીવાર ચેમ્પિયન્સ લીગ ટી20 રમી રહી છે . જેને ધ્યાનમાં રાખીને આજે અમે અહીં આ ટીમ સાથે જોડાયેલા કેટલાક તથ્યો લઇને આવ્યા છીએ . તો ચાલો તસવીરો થકી આ ટીમની જાણવા જેવી બાબતો અંગે જાણીએ . pagespeed . lazyLoadImages . overrideAttributeFunctions ( ) ; આ પણ વાંચોઃ - CLT20માં નહીં રમી શકે રોહિત , કેપ્ટન્સી માટે ભજ્જી - પોલાર્ડ રેસમાં ક્રિકેટ ઇતિહાસમાં થયેલા પાંચ શાનદાર કમબેક આ પણ વાંચોઃ - ધોની સિવાય આ ક્રિકેટર્સની પણ છે અધધ સંપત્તિ pagespeed . lazyLoadImages . overrideAttributeFunctions ( ) ; function googleAnalyticsCodeCommon ( ) { var main _ url = $ ( ' link [ rel = "" canonical "" ] ' ) . attr ( "" href "" ) ; var url = document . location . href ; var pattern = ' https : / / ' + window . location . hostname ; url = url . replace ( pattern , "" "" ) ; var title = document . title ; ga ( "" oneindiagu . send "" , { hitType : "" pageview "" , page : url , location : main _ url } ) ; ga ( "" rosoneindia . send "" , { hitType : "" pageview "" , page : url , location : main _ url } ) ; ga ( "" dhoneindia . send "" , { hitType : "" pageview "" , page : url , location : main _ url } ) ; url = document . location . href ; var jcode = ' var _ comscore = _ comscore | | [ ] ; var comscoreParams = { c1 : "" 2 "" , c2 : "" 7732551 "" , c3 : "" "" , c4 : "" ' + url + ' "" , c5 : "" "" , c6 : "" "" , c15 : "" "" } ; _ comscore . push ( comscoreParams ) ; var s = document . createElement ( "" script "" ) , el = document . getElementsByTagName ( "" script "" ) [ 0 ] ; s . async = true ; s . src = ( document . location . protocol = = "" https : "" ? "" https : / / sb "" : "" http : / / b "" ) + "" . scorecardresearch . com / beacon . js "" ; el . parentNode . insertBefore ( s , el ) ; ' ; setTimeout ( jcode , 500 ) ; var _ qevents = _ qevents | | [ ] ; ( function ( ) { var elem = document . createElement ( ' script ' ) ; elem . src = ( document . location . protocol = = "" https : "" ? "" https : / / secure "" : "" http : / / edge "" ) + "" . quantserve . com / quant . js "" ; elem . async = true ; elem . type = "" text / javascript "" ; var scpt = document . getElementsByTagName ( ' script ' ) [ 0 ] ; scpt . parentNode . insertBefore ( elem , scpt ) ; } ) ( ) ; _ qevents . push ( { qacct : "" p - yjta2aSVPaHEL "" } ) ; window . google _ analytics _ uacct = "" UA - 110466 - 73 "" ; }" entertainment,ફૂટબોલની ધરતી કહેવાતા સ્પેનના શહેર મૈડ્રિડમાં આઇફા એવોર્ડનો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો . જેમાં રણવીર સિંહને બાજીરાવ મસ્તાની માટે બેસ્ટ એક્ટર અને દિપીકા પાદુકોણની ફિલ્મ પીકુ માટે બેસ્ટ એક્ટ્રેસના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા . સાથે જ ફિલ્મ બજરંગી ભાઇજાનને બેસ્ટ ફિલ્મ અને બાજીરાવ મસ્તાની માટે સંજય લીલા ભણસાણીને બેસ્ટ ડાયરેક્ટરના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા . જો કે આ ફંકશનમાં પ્રિયંકા ચોપડાને વૂમન ઓફ ધ યરના એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી . સાથે જ પ્રિયંકાએ સિગિંગ અને ડાન્સિંગનું લાઇવ પર્ફોમન્સ કર્યું હતું . અને સાથે જ ટાઇગર શ્રોફે માઇકલ જેક્શનને ટ્રીબ્યૂટ કરતો એક ડાન્સ રજૂ કર્યો હતો . જો કે પાછલા કેટલાક દિવસથી રણબીર અને દિપીકાના બ્રેકઅપની વાતો ચાલી રહી હતી પણ આ એવોર્ડ ફકંશનમાં તેમના પ્રેમને જોતા આ તમામ અફવાઓ પર ઠંડુ પાણી નંખાઇ ગયું હતું . ત્યારે આ એવોર્ડ ફંકશનની તસ્વીરો જુઓ અહીં . . . business,"ભારતીય સેનાના ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટ્રિ ઓપરેશન્સ દ્વારા પ્રેમ વાર્તા કરી ભારતીય સેના દ્વારા પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં જઇને આતંકી ઠેકાણા પર સર્જિકલ સ્ટ્રાઇક કરવાની જાહેરાત કરાતા , ભારતીય શેયર બજારમાં જોરદારનો ઘટાડો જોવા મળ્યા છે . ભારતની સર્જિકલ સ્ટ્રાઇકઃ જાણવા જેવી 10 વાતો સેનાની કોન્ફરન્સ પછી શેયર બજારમાં 555 અંકનો ઘટાડો જોવા મળ્યો . મુંબઇ સ્થિત સેન્સેક્સ 555 અંક અને નિફ્ટી 170 અંક નીચે આવ્યું છે . બજારમાં અચાનક જ આવેલ ઘટાડાના કારણે રોકાણકારોમાં પણ ભય વ્યાપી ગયો છે . જો કે તે પછી સેન્સેક્સ થોડીક વારમાં સ્થિર થયો હતો . નોંધનીય છે કે આજે સવારે સેન્સેક્સ 144 અંકોના વધારા સાથે ખુલ્યો હતો . મુંબઇ સ્થિત સેન્સેક્સ 28,436.85 અંકોથી ખુલ્યો હતો અને નેશનલ સ્ટોક એક્સચેંઝ નિફ્ટી 44 અંકોની લીડ સાથે 8,789.25 અંકોથી ખુલ્યો હતો ." business,"આંતરાષ્ટ્રીય મુદ્રા કોષ ( IMF ) નું કહેવું છે કે 2017,2018 સુધી ભારતના વિકાસ દરમાં તેજી આવશે . સાથે જ તેણે એવી પણ આશા વ્યક્ત કરી છે કે ચીનની તુલનામાં ભારતની ઇકોનોમી આવનારા બે વર્ષમાં આગળ થઇ જશે . આઇએમએફના આ રિપોર્ટ મુજબ અનુમાન લગાવવામાં આવ્યું છે કે 2017 અને 2018માં ચીનનો વિકાસ દર ક્રમશ 6.7 ટકા અને 6.8 ટકા રહેશે . જેની સામે 2018માં ભારતની અર્થવ્યવસ્થા 7.7 ટકાના દરથી વિકાસ કરશે તેવી સંભાવના છે . ત્યાં જ 2017માં પણ ભારતનો વિકાસ દર 7.4 રહેશે તેવું લાગી રહ્યું છે . જો આવું થયું તો 2018 સુધીમાં ભારત ચીનને અર્થવ્યવસ્થાની દ્રષ્ટ્રીએ પાછળ છોડી દેશે . નોટબંધી થયું નુક્શાન આઇએમએફની રિપોર્ટ મુજબ નોટબંધીના કારણે આર્થિક ગતિવિધિયો ધીમી થઇ ગઇ હતી પણ ત્યાં જ બીજી તરફ સરકાર દ્વારા વધુ ઘન ખર્ચ કરવાના આંકડામાં પરિવર્તન આવવાને કારણે 2016 કરતા ભારતનો વિકાસ દર 7.1 ટકા વધુ રહેશે આ વર્ષમાં તેમ મનાઇ રહ્યું છે . ઉલ્લેખનીય છે કે જ્યાં ભારત અને ચીન વચ્ચે સ્થિતી તંગ બની છે ત્યાં જ બન્ને દેશોના કેટલાક જાણકારોનું તેમ પણ માનવું છે કે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતના કોઇ પણ યુદ્ધમાં પડવું બન્ને દેશોની આર્થિક સ્થિતિને મોટું નુક્શાન પહોંચાડી શકે છે ." sports,"ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં જોરદાર શ્રેણી રમાવાની છે . જેમાં ત્રણ ટેસ્ટ , પાંચ વનડે અને એક ટી20 મેચ છે . ભારતીય ક્રિકેટ ટીમે તાજેતરમાં જ ઇંગ્લેન્ડ સામેની વનડે શ્રેણી જીતીને પોતાનો જુસ્સો સાબિત કરી દીધો છે . બન્ને દેશો આ શ્રેણીઓને 2015માં ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા ખાતે યોજાનારા વિશ્વકપની તૈયારીના ભાગરુપે જોઇ રહ્યાં છે . ભારતે વિશ્વકપની તૈયારીઓ શરૂ કરી દીધી છે અને તે નવા ખેલાડીઓને અજમાવી રહ્યું છે . બીજી તરફ વેસ્ટ ઇન્ડિઝ પણ પોતાની લયમાં પરત ફરવા અને વિશ્વકપમાં પોતાનું પ્રદર્શન શ્રેષ્ઠ બનાવવા માટે ભારત સામેના આ પ્રવાસને એક પડકાર તરીકે જોઇ રહ્યું છે . 8 ઓક્ટોબરે પહેલી વનડે રમાનારી છે . જેમાં ભારતના તમામ ખેલાડીઓ પર દેશભરના ક્રિકેટ ચાહકોની નજર રહેશે , પરંતુ સૌથી વધુ કેન્દ્રમાં ભારતના ચાર ખેલાડીઓ રહેનારા છે . તેમના પ્રદર્શન પર ક્રિકેટ દિગ્ગજોની પણ નજર રહેશે . જેમાં કેટલાક નવા ચહેરા તો કેટલાક અનુભવી ખેલાડીઓ છે . તો ચાલો તસવીરો થકી જાણીએ કે કયા ભારતીય ખેલાડીઓ પર બધાની નજર રહેશે ." entertainment,"મુંબઈ , 18 સપ્ટેમ્બર : બૉલીવુડમાં મોટાપાયે ફિલ્મોની રીમેક બની રહી છે , પણ પોતાની આવનાર ફિલ્મ સિંહ સાહબ ધ ગ્રેટની રિલીઝ માટે તૈયાર ફિલ્મ નિર્માતા અનિલ શર્મા કહે છે કે તેમને રીમેક બનાવવામાં જરાય વિશ્વાસ નથી . ગદર : એક પ્રેમ કથા , ધ હીરો : લવ સ્ટોરી ઑફ ઍ સ્પાઈ તથા અપને જેવી ફિલ્મો બનાવનાર અનિલ શર્મા પાસે કામ કરવા માટે તમામ નવા વષયો ઉપલબ્ધ છે . તેમણે જણાવ્યું - હું રીમેકમાં વિશ્વાસ નથી ધરાવતો . મારી પાસે મારા પોતના વિષયો છે , તો કોઇક દક્ષિણની ફિલ્મની રીમેક કેમ બનાવું . હું અહીં પોતાની ફિલ્મ બનાવવા માટે છું , બીજાઓની નકલ કરવા માટે નથી . અનિલ શર્મા કહે છે કે 56 વર્ષીય અભિનેતા સન્ની દેઓલ જ બૉલીવુડની અસલી મર્દ છે . તેમણે જણાવ્યું - દર્શકો તેને લઈને ઉત્સાહિત છે . સન્ની બૉલીવુડના અસલી મર્દ છે . અમને ટીઝર પ્રત્યે હકારાત્મક પ્રત્યાઘાતો સાંપડ્યા છે . આ એક દમદાર પાત્ર છે અન તેના માટે સન્ની દેઓલ જેવા દમદાર અભિનેતાની જ જરૂર હતી . હીરોએ શક્તિશાળી હોવો જોઇએ . અંતે સૌ કોઈ સન્ની જેવું થવા માંગે છે . સિંહ સાહબ ધ ગ્રેટ ફિલ્મ 22મી નવેમ્બરે રિલીઝ થશે . ફિલ્મ દ્વારા ઉર્વશી રૌતેલા ફિલ્મ જગતમાં પગલું મૂકવા જઈ રહ્યાં છે ." entertainment,"મુંબઈ , 24 જાન્યુઆરી : બૉલીવુડના બાદશાહ ખાન એટલે કે શાહરુખ ખાનની હાલત બરાબર નથી . એક્સ રે રિપોર્ટ મુજબ કિંગ ખાનના જમણા ખભાનુ હાડકુ ભાંગી ગયું છે . જોકે આ ફ્રેક્ચર સામાન્ય છે . તેથી શાહરુખના ફૅન્સે ચિંતા કરવાની જરૂર નથી . હાલ તબીબોએ શાહરુખને બે અઠવાડિયા સુધી આરામ કરવા કહ્યું છે . તેથી ફરાહ ખાન દિગ્દર્શિત હૅપ્પી ન્યુ ઈયર ફિલ્મમાં શાહરુખનો ભાગ ધરાવતું શૂટિંગ હાલ પુરતુ રોકી દેવાયું છે . નોંધનીય છે કે શાહરુખના ખભે સેટનો દરવાજો પડી ગયો હતો અને માથામાંથી થોડુક લોહી નિકળ્યુ હતું કે જેથી કિંગ ખાનને તરત નાણાવટી હૉસ્પિટલ લઈ જવાયા હતાં કે જ્યાં તેમની એમઆરઆઈ થઈ . તપાસમાં બધુ નૉર્મલ જ નિકળ્યું છે . તેથી જ તો શાહરુખ ખાન ઘરે જવાની જગ્યાએ ફરીથી શૂટિંગ સ્થળે પહોંચી ગયા હતાં . શાહરુખે ટ્વિટર પર પોતાની ઈજા અંગે ફૅન્સને વિશ્વાસ અપાવ્યો કે તેઓ ટુંકમાં જ સ્વસ્થ થઈ જશે . શાહરુખે ટ્વીટ કર્યું - કેટલાંક ટેસ્ટ્સ કરાવવાનાં છે . ઇંશા અલ્લાહ બધુ ઠીક થઈ જશે . કદાચ કેટલાંક ઘા છે . તે બતાવવાના છે , કારણ કે તેઓ કહે છે કે ઈજાના કોઈ નિશાન નહીં રહેવા જોઇએ . હૅપ્પી ન્યુ ઈયર ફિલ્મ ફરાહ ખાન દિગ્દર્શિત કરી રહ્યાં છે , તો ફિલ્મનું નિર્માણ શાહરુખ ખાનની કમ્પની રેડ ચિલીઝ કરી રહી છે . ફિલ્મમાં દીપિકા પાદુકોણે , અભિષેક બચ્ચન , બોમન ઈરાની તથા સોનૂ સૂદ પણ છે . ફિલ્મ દીવાળીએ એટલે કે 23મી ઑક્ટોબરે રિલીઝ થવાની છે ." sports,"હૈદરાબાદ , 6 એપ્રિલઃ સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમે જીત સાથે તેના આઇપીએલના અભિયાનની શરૂઆત કરી છે . શુક્રવારે રાજીવ ગાંધી સ્ડેટિયમ ખાતે રમાયેલી શ્રેણીની ત્રીજી મેચમાં તેણે પુણે વોરિયર્સને 22 રનથી પરાજય આપ્યો છે . સનરાઇઝર્સ માટે ડેલ સ્ટેન અને અમિત મિશ્રાએ ત્રણ - ત્રણ વિકેટ લીધી , જ્યારે થિસિસા પરેરાએ બે વિકેટ ઝડપી હતીને બેટિંગમાં 30 રનનું યોગદાન આપ્યું હતું . સ્ટેને ઇનિંગની 19મી ઓવરમાં ત્રણ વિકેટ મેળવીને વોરિયર્સ સામેના આઇપીએલ યુદ્ધમા સનરાઇઝર્સને વિજયી બનાવ્યું હતું . સનરાઇઝર્સ હૈદરાબાદ દ્વારા આપવામાં આવેલા 127 રનના લક્ષ્યનો પીછો કરી રહેલી પુણે વોરિયર્સ 18.5 ઓવરમાં 104 રનમાં જ પેવેલિયન ભેગી થઇ ગઇ હતી . વોરિયર્સની શરૂઆત સારી રહી હતી . રોબિન ઉથ્થપા ( 24 ) અને મનીષ પાંડે ( 15 ) પહેલી વિકેટ માટે 36 રન જોડ્યા પરંતુ સનરાઇઝર્સના બોલર્સની વેધક બોલિંગ સામે વોરિયર્સના બેટ્સમેન નિસહાય થઇ ગયા હતા અને સનરાઇઝર્સને તેની પ્રથમ મેચમાં શાનદાર વિજય મળ્યો છે . ઉથ્થપાએ 22 બોલમાં બે ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો . થિસિરાએ ઉથ્થપાને પેવેલિયનનો રસ્તો દેખાડ્યો હતો . ત્યાર બાદ 42 રનના કુલ સ્કોર પર સેમ્યુલ્સને પણ પેવેલિયન ભેગો કરી દીધો હતો . યુવરાજ વિકેટ પર આવતા જ દર્શકોએ તેનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું , પરંતુ બે રનના વ્યક્તિગત સ્કોર પર અમિત મિશ્રાના બોલ પર તે પાર્થિવ પટેલના હાથે સ્ટમ્પ આઉટ થઇ ગયો હતો . ટીમનો સ્કોર જ્યારે 50 પર પહોંચ્યો ત્યારે પાંડેની વિકેટ પડી . મિશ્રાએ તેને આઉટ કર્યો હતો . ત્યાર બાદ અભિષેક નાયર ( 19 ) અને રોસ ટેલર ( 19 ) એ પાંચમી વિકેટ માટે 33 રન બનાવ્યા . તેઓ જ્યાં સુધી વિકેટ પર હતા ત્યાં સુધી પીચ પર હતાં ત્યાં સુધી વોરિયર્સના વિજયનો રાહ દેખાઇ રહ્યો હતો પરંતુ આશીષ રેડ્ડીએ ટેલરને અને મિશ્રાએ નાયરને આઉટ કરીને રહી સહી આશા પર પણ પાણી ફેરવી નાખ્યું હતું . ટેલરે 19 બોલનો સામનો કર્યો જ્યારે નાયરે 14 બોલમાં બે ચોગ્ગા ફટકાર્યા . નાયરની વિકેટ 83 પર અન ટેલરની વિકેટ 86 રનના સ્કોર પર પડી હતી . ત્યાર બાર પરેરાએ મિશેલ માર્સને 7 રન પર રનઆઉટ કરીને ટીમને સાતમી સફળતા અપાવી . ઇનિંગની 19મી ઓવરમાં ડેલ સ્ટેને ભુવનેશ્વર કુમાર , રાહુલ શર્માની વિકેટ લઇને ટીમની આઠમી અને નવમી સફળતા આપવી હતી . આ પહેલાં સનરાઇઝર્સની ઇનિંગની વાત કરીએ તો પહેલીવાર આઇપીએલમાં ભાગ લઇ રહેલી સનરાઇઝર્સ હૈદરાબાદે નિર્ધારિત 20 ઓવરમાં છ વિકેટ ગુમાવીને 126 રન બનાવ્યા . થિસિરા પરેરાએ સર્વાધિક 30 રન બનાવ્યા . આ ઉપરાંત પાર્થિવ પટેલ ( 19 ) , અક્ષત રેડ્ડી ( 27 ) , વ્હાઇટ ( 10 ) અને હનુમા વિહારીએ 11 રનનું યોગદાન આપ્યું હતું . પરેરાએ 18 બોલની ઇનિંગમાં ત્રણ ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો . તસવીરોમાં જોઇએ સનરાઇઝર્સ સામેના ' યુદ્ધ ' માં વોરિયર્સનો પરાજય ." sports,"મંગળવારે સાંજે સમાચાર આવ્યા હતા કે , રવિ શાસ્ત્રીને ટીમ ઇન્ડિયાના નવા કોચ નીમવામાં આવ્યા છે , ત્યાર બાદ બીસીસીઆઇએ આ વાત નકારી કાઢી હતી . જો કે , ત્યાર બાદ મંગળવારે મોડી રાત્રે ફરીથી બીસીસીઆઇ તરફથી જાહેરાત કરવામાં આવી હતી . જે અનુસાર રવિ શાસ્ત્રી ટીમ ઇન્ડિયાના નવા હેડ કોચ બન્યા છે , ઝહીર ખાનને બોલિંગ કોચ નિમવામાં આવ્યા છે અને રાહુલ દ્રવિડ બેટિંગ કન્સલ્ટંટ નિમાયા છે . 2019ના વિશ્વ કપ સુધી રવિ શાસ્ત્રીને ભારતીય ક્રિકેટ ટીમના કોચ બનાવવામાં આવ્યા છે . મંગળવારે રાત્રે 11 વાગે બીસીસીઆઇના એક મેઇલ થકી ઉપરોક્ત નિમણૂકની વાત કહેવામાં આવી હતી . ટીમ ઇન્ડિયાના નવા કોચની પસંદ સીએસી ( ક્રિકેટ એડવાઇઝરી કમિટિ ) ને સોંપવામાં આવી હતી . આ કમિટિમાં સંચિન તેંડુલકર , સૌરવ ગાંગુલી અને વીવીએસ લક્ષ્મણનો સમાવેશ થાય છે . સોમવારે સાંજે સીએસીની પત્રકાર પરિષદ યોજાઇ હતી . માનવામાં આવી રહ્યું હતું કે , સોમવારે જ કોચના નામની જાહેરાત કરવામાં આવશે . એ પહેલાં સૌરવ ગાંગુલીએ પણ કહ્યું હતું કે , સોમવારે સાંજે કોચના નામની જાહેરાત થશે . પરંતુ એવું થયું નહીં . સોમવારની પત્રકાર પરિષદમાં સૌરવ ગાંગુલીએ કહ્યું હતું કે , હાલ કોચના નામ અંગે કોઇ નિર્ણય લેવામાં નથી આવ્યો . આ અંગે અમને હજુ થોડો સમય જોઇએ છે . વિરાટ કોહલી સાથે વાત કર્યા બાદ જ નિર્ણય લેવામાં આવશે . ત્યાર બાદ મંગળવારે સાંજે નવા કોચ તરીકે રવિ શાસ્ત્રીની પસંદગી થઇ હોવાનું સામે આવ્યું હતું , પરંતુ આ ખબર પણ ખોટા સાબિત થયા હતા . મંગળવારે સાંજે રવિ શાસ્ત્રીની કોચ તરીકેના નિમણૂકને પહેલાં બીસીસીઆઇ એ પહેલાં નકારી હતી . ત્યારે બીસીસીઆઇના સેક્રેટરી અમિતાભ ચૌધરીએ કહ્યું છે કે , સીએસી ( ક્રિકેટ એડવાઇઝરી કમિટિ ) હજુ કોચ પદ અંગે વિચાર - વિમર્શ કરી રહી છે . આ અંગે જલ્દી જ નિર્ણય લેવામાં આવશે . ત્યાર બાદ મંગળવારે મોડી રાત્રે આખરે હેડ કોચ તરીકે રવિ શાસ્ત્રી અને બોલિંગ કોચ તરીકે ઝહીર ખાનની પસંદગી કરવામાં આવી હતી . નોંધનીય છે કે , કોચ પદ માટે રવિ શાસ્ત્રી કપ્તાન વિરાટ કોહલીની પહેલી પસંદગી હોવાનું કહેવાઇ રહ્યું હતું . ભૂતપૂર્વ કોચ અનિલ કુંબલેએ પણ વિરાટ કોહલી સાથેના મતભેદને કારણે જ રાજીનામું આપ્યું હતું . હેડ કોચના પદ માટે 10 આવેદન પત્રો આવ્યા હતા , જેમાંથી 6 નામો શોર્ટ લિસ્ટ કરવામાં આવ્યા હતા . આ રેસમાં રવિ શાસ્ત્રી ઉપરાંત વીરેન્દ્ર સહેવાગનું નામ પણ મોખરે હોવાનું કહેવાઇ રહ્યું હતું ." sports,"આઇપીએલની ગવર્નિંગ કાઉન્સિલે શનિવારે નવી ટીમ રચવા માટે ટેન્ડર બહાર પાડવાનો નિર્ણય લીધો હતો . આ માટે શુક્રવારે હૈદરાબાદની ડેક્કન ચાર્જર્સ ટીમનો કોન્ટ્રાક્ટ રદ કર્યો હતો . નવી ટીમો માટે ટેન્ડર બહાર પાડવા માટે 10 શહેરો પસંદ કર્યા છે . જેમાં અમદાવાદ , વિશાખાપટ્ટનમ , ધરમશાળા , ઇન્દોર , જમશેદપુર , નાગપુર , કટક , કાનપુર ( ગ્રેટર નોઇડા ) , રાજકોટ અને રાંચીનો સમાવેશ થાય છે . નવી આઈપીએલ ટીમ આ શહેરોમાંથી હશે . પસંદગી પામેલા શહેરોમાં અમદાવાદનું નામ હોવાથી ગુજરાત અને ખાસ કરીને અમદાવાદના ક્રિકેટ પ્રેમીઓમાં અમદાવાદની ટીમ આઇપીએલ માટે પસંદગી પામે એવી આશા ફરીવાર જન્મી છે . નોંધનીય છે કે અગાઉ 2008 અને 2011માં અમદાવાદની આઇપીએલ ટીમ બનાવવા માટેના પ્રયાસ નિષ્ફળ ગયા હતા . હવે ત્રીજી વારની તકમાં સફળતા મળશે એવી આશા સૌને જન્મી છે . સૂત્રોના જણાવ્યા અનુસાર નવી ટીમની બેઝ પ્રાઇઝ પાંચ વર્ષ માટે રૂપિયા 300 કરોડ રાખવામાં આવશે . આ ઉપરાંત કેટલોક હિસ્સો લીગની મૂળભૂત 8 ટીમોની આકવમાંથી લેવામાં આવશે . નવી ટીમના માલિકને તેમની ટીમના ખેલાડીઓ રદ કરવામાં આવેલી ડેક્કન ટીમમાંથી લેવાનો વિકલ્પ આપવામાં આવશે . અલબત્ત , આ અંગેનો કોઇ પણ નિર્ણય સોમવારે મુંબઇ હાઇકોર્ટમાં ડેક્કન ચર્જર્સના બરતરફી સામે કરવામાં આવેલી અરજી પરની સુનવણી બાદ લેવામાં આવશે . બીસીસીઆઇના હોદ્દેદારો સારી રીતે જાણે છે કે મુંબઇ હાઇકોર્ટ ડેક્કન ચાર્જર્સની તરફેણમાં ચૂકાદો આપશે તો આઇપીએલની છઠ્ઠી સીઝનમાં 10 ટીમો હશે ." business,"આવકવેરા મૂલ્યાંકનના ( Income tax assessment ) સંબંધમાં આવતા બે વર્ષમાં કરદાતાઓને કોઈપણ અધિકારીનો સામનો કરવો નહીં પડે . આ અંગે , સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ ( સીબીડીટી ) ના અધ્યક્ષ સુશીલ ચંદ્ર જણાવે છે કે સરકાર ઇન્ટરવ્યૂમાં પ્રક્રિયાને સરળ બનાવવા પ્રયાસ કરી રહી છે . જણાવી દઈએ કે સરકારની આ પહેલ હેઠળ કરદાતાઓને પહેલાથી ભરેલા રિટર્ન ફોર્મ ઉપલબ્ધ કરવામાં આવશે . ચંદ્રાએ બજેટ પછી ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે કરદાતાઓને ' નામરહિત અને ચહેરા રહિત ' સેવાઓ પૂરી પાડવા માટે ગયા વર્ષે લગભગ 2.06 લાખ આવકવેરાના મૂલ્યાંકનના કેસો ઑનલાઇન કર્યા હતા . પરંતુ તેમણે એ વાતની પણ જાણકારી આપી કે સરકારે તાજેતરમાં આવકવેરા વિભાગ સેન્ટ્રલ પ્રોસેસિંગ સેન્ટર 2.0 ને મંજૂરી આપી છે . તે ભાવિ પરિસ્થિતિ બતાવે છે . સીપીસી 2.0 હેઠળ કેટલીક નવી વસ્તુઓ ઉમેરાઈ આ વિષયમાં ચંદ્રા કહે છે કે સીપીસી 2.0 હેઠળ ઘણી નવી વસ્તુઓ ઉમેરવામાં આવી છે . કરદાતાના સ્ત્રોત પર કર કપાત ( ટીડીએસ ) દ્વારા પ્રાપ્ત માહિતીના આધારે , અમે તેમને અગાઉથી ભરેલું રિટર્ન ફોર્મ આપીશુ . આનાથી 24 કલાકમાં રિટર્નની તપાસ કરવી શક્ય બનશે . અમે સીપીસી 2.0 પર વેન્ડર ઓપરેટિંગ સાથે કરાર કર્યો છે કે જો એક દિવસમાં આવક વેરાના વળતરની ચકાસણી કરવામાં આવે તો તેના માટે વધુ પૈસા આપવામાં આવશે . અમે આશા રાખીએ છીએ કે આ સિસ્ટમ બે વર્ષમાં લાગુ થઇ જશે . આ કરના પાલનને પણ સરળ બનાવશે . એ વાતથી પણ અવગત કરાવી દઈએ કે બેંગ્લોરમાં વર્તમાન CPC એ આવકવેરા વિભાગની નોડલ એકમ છે જે તમામ વિભાગોના આવકવેરાદાતાઓ દ્વારા ફાઇલ કરાયેલા આવકવેરાના વળતરની તપાસ કરે છે . નાણા પ્રધાન પીયૂષ ગોયલ બજેટની જાહેરાત કરતાં , આવકવેરા વિભાગ હવે તે દિશામાં આગળ વધી રહ્યો છે જ્યારે આવકવેરાદાતાઓને સત્તાવાળાઓનો સામનો કરવાની જરૂર રહેશે નહિ . સીબીડીટીના વડાએ કહ્યું કે વિભાગ પહેલેથી જ આ પહેલ પર કામ કરી રહ્યું છે . તેમણે જણાવ્યું હતું કે માત્ર 0.46 ટકા આવકવેરાના કેસ જ ચકાસણી હેઠળ લાવવામાં આવે છે . જ્યારે 99.54 ટકા આવકવેરાના વળતર સમાન હોય છે , તેને તે જ રીતે સ્વીકારવામાં આવે છે ." business,"અમદાવાદઃ છેલ્લા કેટલાય અઠવાડિયાથી વધી રહેલા પેટ્રોલ - ડીઝલના ભાવે નાગરિકોના ખિસ્સા પરનું ભારણ વધાર્યું છે . મોંઘવારીના મારના પગલે નાગરિકો સતત પરેશાન થઈ રહ્યા છે . આજે અમદાવાદમાં પેટ્રોલ 0.09 પૈસાના વધારા સાથે 82.59 રૂપિયાની સપાટી પર પહોંચી ગયું છે જ્યારે ડીઝલ 0.15 પૈસાના વધારા સાથે 80.24 રૂપિયાની સપાટી પર પહોંચી ગયું છે . 4 મહાનગરોમાં પણ પેટ્રોલ - ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે . દિલ્હીની વાત કરીએ તો અહીં પેટ્રોલની કિંમતમાં 9 પૈસા અને ડીઝલની કિંમતમાં 16 પૈસાનો ભાવવધારો નોંધાયો છે , નવા ભાવની સાથે દિલ્હીમાં પેટ્રોલ 83.49 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 74.79 રૂપિયા પ્રતિ લીટર પર મળી રહ્યું છે . સતત વધી રહેલી કિંમતનો પગલે નાગરિકોએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે . મુંબઈમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ દેશભરમાં સૌથી વધુ છે , અહીં પણ પેટ્રોલના ભાવમાં 9 પૈસાનો વધારો થયો છે જ્યારે ડીઝલની કિંમતમાં 17 પૈસાનો વધારો થયો છે . નવી કિંમતો લાગુ થયા બાદ પેટ્રોલ 90.84 રૂપિયા પ્રતિ લીટરે અને ડીઝલ 79.40 રૂપિયાની સપાટી પર પહોંચી ગયું છે . ઉલ્લેખનીય છે કે પેટ્રોલ - ડીઝલની કિંમતો નાથવાના સરકારના તમામ દાવા ફેલ થતા જોવા મળી રહ્યા છે . સોનાના ભાવમાં ઘટાડો , 20 વર્ષના સૌથી નીચલા માસિક સ્તરે , જાણો ભાવ" business,"બજેટ સત્રના આરંભ સાથે નાણાં મંત્રી અરુણ જેટલીએ લોકસભામાં આર્થિક સર્વેક્ષણ રજૂ કર્યું હતું . ઇકોનોમિક સર્વેમા ગત વર્ષે ઉઠાવવામાં આવેલ સુધારાના નિયમોને કારણે આ નાણાંકીય વર્ષમાં વિકાસ દર 7 - 7.5 ટકા પહોંચવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે . આ ઇકોનોમિક સર્વે કે આર્થિક વિશ્લેષણ શું હોય છે ? આર્થિક સર્વેક્ષણ રિપોર્ટમાં દેશની વર્તમાન આર્થિક પરિસ્થિતિ દર્શાવવામાં આવી છે . આ સાથે જ સરકાર તરફથી કરવામાં આવેલ કામો , નિર્ણયો અને તેનાથી મળનારા પરિણામો આ રિપોર્ટમાં રજૂ થાય છે . ઇકોનોમિક સર્વેમાં દેશની વર્તમાન આર્થિક સ્થિતિ , તેના પૂર્વાનુમાનની વિસ્તૃત જાણકારી હોય છે . આ સર્વેક્ષણ ભવિષ્યમાં બનાવવામાં આવેલ નીતિઓ માટે એક દ્રષ્ટિકોણનું કામ કરે છે . ઇકોનોમિક સર્વે નાણાં વિભાગ દ્વારા રજૂ કરવામાં આવતો અધિકૃત રિપોર્ટ છે . આ રિપોર્ટમાં કહેવામાં આવે છે કે , વર્ષ દરમિયાન વિકાસની સ્થિતિ કેવી રહી , કઇ - કઇ યોજનાઓ સરકારે લાગુ કરી વગેરેની સંપૂર્ણ જાણકારી હોય છે . લાગુ કરવામાં આવેલ યોજનાઓના સંભવિત પરિણામો શું આવશે , એ અંગે પણ રિપોર્ટમાં જાણકારી આપવામાં આવે છે . સામાન્ય બજેટ પહેલાં સંસદમાં ઇકોનોમિક સર્વે રજૂ કરવામાં આવે છે . ગત નાણાકીય વર્ષની દેશની પૂરી અર્થવ્યવસ્થાની સમીક્ષા બાદ નાણાં વિભાગ આ વાર્ષિક દસ્તાવેજ બનાવે છે . એક વિશેષ ટીમ ઇકોનોમિક સર્વે તૈયાર કરે છે . મુખ્ય આર્થિક સલાહકાર સાથે મળીને નાણાં અને આર્થિક મામલાના જાણકારોની ટીમ આ રિપોર્ટ તૈયાર કરે છે . વર્તમાન સમયમાં મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમ છે ." sports,"ભારત - પાકિસ્તાન વચ્ચે લંડનના બર્મિંઘમના એઝબેસ્ટનમાં રમાનાર ચેમ્પિયન્સ ટ્રોફીની મેચ પહેલાં એક ગુપ્ત રિપોર્ટ સામે આવ્યો છે . આ રિપોર્ટમાં મેચ દરમિયાન આઇએસઆઇના એક નાપાક ઇરાદાનો ખુલાસો થયો છે . ઇન્ડિયા ટુડેની ખબર અનુસાર , પાકિસ્તાનની ઇન્ટર સર્વિસિઝ ઇન્ટેલિજન્સ એજન્સિ પોતાના 14 ઓપરેટિવ્સને મેચમાં મોકલી શકે છે , જેઓ મેચ દરમિયાન કાશ્મીર સંબંધિત બેનર્સ બતાવશે . સૂત્રો અનુસાર , આઇએસઆઇના એજન્ટ્સને આ બેનર રજૂ કરવા મેચમાં મોકલવામાં આવનાર છે , જે કાશ્મીરની આઝાદીના સમર્થનમાં હશે . તેમને ' કાશ્મીર કો ચાહીએ નઇ સુબહ , કાશ્મીર જલ રહા હે , હમ કાશ્મીર કે સાથે હેં , જમ્મુ કાશ્મીર કો આઝાદ કરો . . . ' જેવા સંદેશ મેદાનમાં બતાવવાનું કહેવામાં આવ્યું છે . આઇએસઆઇ પોતાના આ કારનામા દ્વારા કાશ્મીરના મુદ્દાને આંતરરાષ્ટ્રીય સ્તર પર લોકો સામે મુકવા માંગે છે . સૂત્રો અનુસાર ભારતની ગુપ્ત એજન્સિઓને આઇએસઆઇના આ કારનામા અંગે પહેલેથી જ શંકા હતી . ભારત અને પાકિસ્તાન વચ્ચે ઘણા લાંબા સમયથી ખૂબ તણાવ છે , બંન્ને દેશો પાસે પરમાણુ હથિયાર હોવાને કારણે દુનિયા ભરના દેશોની નજર આ બંન્ને દેશો પર રહે છે . એલઓસી પર સતત યુદ્ધવિરામનું ઉલ્લંઘન થઇ રહ્યું છે , હાલમાં જ પાકિસ્તાનની સેનાએ ભારતના બે જવાનોના શબને વિકૃત કરી નાંખ્યા હતા , જેના કારણે બંન્ને દેશોના સંબંધોના તાણમાં વધારો થયો છે . પાકિસ્તાનની સેનાએ રવિવારે એવો પણ દાવો કર્યો હતો કે , તેમણે એલઓસી પર પાંચ જવાનોને ઠાર માર્યા છે , જો કે , ભારતીય સેનાએ પાકિસ્તાનના આ દાવાને નકારી કાઢ્યો છે ." sports,એક પત્રકાર પરિષદને સંબોધતા બીસીસીઆઇના અધ્યક્ષ એન . શ્રીનીવાસને જણાવ્યું કે આઇપીએલ શરૂ થયા પહેલા બોર્ડે ફિક્સિંગ પ્રત્યે જાગૃત રહેવા માટે બધી જ ટીમોને જણાવ્યું હતું . તેમણે જણાવ્યું કે બોર્ડ ખેલાડીયોની ગતિવિધિઓ પર નજર રાખશે . બીસીસીઆઇએ બોર્ડના એન્ટી કરપ્શન શાખાના પ્રમુખ રવિ સવાનીએ મામલાનો રિપોર્ટ માંગ્યો છે . શ્રીનિવાસને કહ્યું છે કે બોર્ડ તપાસ પૂરી થવાની રાહ જોઇ રહ્યા છીએ . અને આરોપ સાબિત થતા જ ખેલાડીઓ પર સામે કડક કાર્યવાહી થશે . શ્રીનિવાસને કહ્યુ કે તેઓ તપાસમાં દિલ્હી પોલીસ મદદ કરીશું . સાથે જ તેમણે બીસીસીઆઇ આરટીઆઇની હદમાં ના આવે . હવે દરેક ટીમની સાથે બીસીસીઆઇના એક અધિકારીને રાખવામાં આવશે . શ્રીનિવાસને કહ્યું કે ફિક્સિંગમાં પકડાઇ ગયેલા ત્રણ ખેલાડીઓ સામે જ જાણકારી છે . એન્ટી કરપ્શન યુનિટ કરશે તપાસ પોલીસ તપાસ ઉપરાંત બીસીસીઆઇ આખા મામલાની તપાસ કરશે . તપાસની જવાબદારી રવિ સયાનીને સોંપવામાં આવી છે . રવિ સયાની એન્ટિ કરપ્શન યુનિટના પ્રમુખ છે . એન્ટિ કરપ્શન યુનિટની તપાસ રિપોર્ટ બાદ કોંઇ કાર્યવાહી થશે . એન્ટિ કરપ્શન યુનિટના સટ્ટેબાજો પર લગામ લગાવવાને લઇને પોતાની તરફથી લાચારી જતાવી છે . entertainment,"બેફિકરે કાસ્ટઃ રણવીર સિંહ , વાની કપૂર ડિરેક્ટરઃ આદિત્ય ચોપરા સંગીતઃ વિશાલ - શેખર વાની કપૂર અને રણવીર સિંહની ફિલ્મ બેફિકરે થિયેટરમાં રિલિઝ થઇ ચૂકી છે . આ ફિલ્મમાં વાની અને રણવીરના અનેક કિસિંગ સિન છે . ફિલ્મ બોલ્ડ ડાયલોગ્સ અને સિનથી ભરપૂર છે . લાંબા સમય બાદ આદિત્ય ચોપરા લવ - સ્ટોરીના ટિપિકલ ટોપિક સાથે ડિરેક્ટરના રોલમાં પાછા ફર્યા છે , પરંતુ આ લવસ્ટોરીનો કોન્સેપ્ટ જરા અલગ છે . રણવીર સિંહ અને વાની કપૂરની કેમેસ્ટ્રી સુપર હોટ છે અને ફિલ્મ સંપૂર્ણપણે યુવાવર્ગને ટાર્ગેટ કરે છે . આ ફિલ્મ શા માટે જોવા લાયક છે એ જાણો અહીં ." entertainment,"આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના સંબંધો વિશે હવે બધાને ખબર પડી ચૂકી છે અને દરેક જગ્યાએ બંને સાથે જોવા મળે છે . પોતાના સંબંધને બંનેએ મીડિયા સામે કબૂલી લીધો છે . હાલમાં આલિયા અને રણબીર એકસાથે ફિલ્મની શૂટિંગ કરી રહ્યા છે . આ દરમિયાન અનિલ કપૂરનું એક નિવેદન સામે આવ્યુ છે તે બંનેના સંબંધો અંગે બોલ્યા છે . વાસ્તવમાં તેમનુ કહેવુ છે કે આલિયા અને રણબીર સાથે ઘણા સારા લાગે છે અને તેમણે સાથે હોવુ જોઈએ . આ ઉપરાંત તેમણે એક સલાહ પણ આપી કે જેટલુ બની શકે તેટલુ બંને સાથે સમય વીતાવો તેનાથી એકબીજાને સમજવાનો મોકો સારી રીતે મળી શકશે . આ પણ વાંચોઃ ફોર્બ્ઝ લિસ્ટમાં સલમાન સૌથી અમીર , ટોપ - 5માં જગ્યા મેળવનાર દીપિકા પહેલી મહિલા આ પણ વાંચોઃ પ્રિયંકા ચોપડા અને નિકના લગ્નના વાયરલ ફોટા , આટલા માટે છે ખાસ" entertainment,"મુંબઈ , 27 સપ્ટેમ્બર : ફિલ્મ બર્ફીની સફળતાથી હરખઘેલા થયેલ એક્ટર રણબીર કપૂર વહેલામાં વહેલી તકે લગ્ન કરવા માંગે છે . બસ શોધ છે તો એક યોગ્ય કન્યાની . આ વાત બર્ફી બૉયે ઓએ 104.8 એફએમ રેડિયો સ્ટેશને જણાવી . રણબીરે જણાવ્યું કે જેમ જીવનમાં દરેક વસ્તુનો એક સમય હોય છે , તેવી જ રીતે લગ્ન કરવાનો પણ એક સમય હોય છે . રણબીર કપૂરનું માનવું છે કે તેઓ જ્યારે પચાસ વર્ષના થાય , ત્યારે તેમનું બાળક 20 વર્ષનો થઈ જવો જોઇએ . રણબીર આવું નિવેન અગાઉ પણ કરી ચુક્યાં છે . હાલ તેઓ પોતાના માટે એક યોગ્ય કન્યાની શોધમાં છે . જાણવા એમ પણ મળ્યુ છે કે તેમના પિતા ઋષિ કપૂરના ઘરે હાલ ધમધમાટ ચાલે છે . કદાચ કપૂર ખાનદાને પણ નક્કી કરી લીધું છે કે તેમના ઘરે વહેલામાં વહેલી તકે વહુરાણી આવી જાય . તાજેતરમાં જ રિલીઝ થયેલી ફિલ્મ બર્ફીની સફળતાથી ખુશખુશાલ રણબીરે જણાવ્યું , ‘હું હંમેશા વિચારું છું કે મને મારા જીવનમાં સાચો પ્રેમ મળશે . મને આશા છે કે હું હકીકતમાં તેવી છોકરીને ટુંકમાં જ શોધી લઈશ , જેની સાથે હું પોતાનું સમગ્ર જીવન વિતાવી શકું . ' હવે છોકરીનું તો ઠેકાણું છે નહિં , પણ અફેરને કારણે હંમેશા ચર્ચામાં રહેનાર રણબીર કપૂરની ફિલ્મો લોકો પસંદ કરવા લાગ્યાં છે . અજબ પ્રેમ કી ગજબ કહાની , રાજનીતિ , રૉકસ્ટાર અને બર્ફીની સફળતાએ તેમને આજનો સુપરસ્ટાર બનાવી દીધો છે ." business,"રિલાયન્સ જીયો અને દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની એરટેલ વચ્ચે આરપારની લડાઇ રમવાની ચાલુ છે . રિલાયન્સના જીયોફોનની ભારે ડિમાન્ડને જોતા એરટેલ જીયોને ટક્કર આપવા માટે એરટેલ પણ મોટો ધમાકો કર્યો છે . જીયોફોન પછી એરટેલ પણ સસ્તો 4જી સ્માર્ટફોન લોન્ચ કરી રહી છે . એરટેલે જલ્દી જ 2500 - 2700 રૂપિયાનો 4જી સ્માર્ટફોન લાવવાની જાહેરાત કરી છે . તો શું હશે Airtel 4G Smartphone માં જાણો અહીં . . . 2500 હજારનો ફોન એરટેલે જીયોને ટક્કર મારવા માટે 2500 હજાર રૂપિયાના 4જી સ્માર્ટફોન લાવવાની તૈયારી કરી રહ્યું છે . આ સિવાય મોબાઇલ ફોન બનાવનારી કંપની સાથે પણ એરટેલ હાલ વાતચીત કરી રહ્યું છે . માનવામાં આવી રહ્યું છે કે જીયોની જેમ જ આ ફોનની કિંમત પણ ખૂબ જ ઓછી હશે . આ ફોન પણ 2500 રૂપિયાથી લઇને 2700 રૂપિયાની વચ્ચે હશે તેમ માનવામાં આવે છે . જીયોને ટક્કર એરટેલનો આ સ્માર્ટફોન રિલાયન્સ જીયોને ચોક્કસથી ટક્કર આપશે . કારણ કે જીયોનો ફોન 1500 રૂપિયામાં આવશે . પણ જીયોના બદલે એરટેલનો ફોન સંપૂર્ણપણે સ્માર્ટફોન હશે અને આ માટે જ તેની કિંમત જીયો ફોનથી થોડી વધુ હશે . ત્યારે જીયોની જેમ જ એરટેલનો ફોન પણ દિવાળીની આસપાસ આવશે તેમ મનાઇ રહ્યું છે . એરટેલ ફોન માનવામાં આવે છે કે એરટેલ 4જી સ્માર્ટફોન દિવાળીની આસપાસ લોન્ચ થશે . અને સાથે જ તેમાં એરટેલનો સારો ડેટા પ્લાન પણ હશે . ફોનમાં 4 ઇંચનું ડિસપ્લે , ડ્યૂઅલ સિમ પણ હશે અને વોઇસ કોલિંગ સમેત 1 જીબી રેમ અને એક્સર્ટનલ મેમરીની સુવિધા પણ હશે . જો કે નોંધનીય છે કે આ ફોનને લઇને એરટેલે કોઇએ અધિકૃત જાહેરાત નથી કરી ." entertainment,"આ વખતનું બિગ બોસ 12 તમને સંસ્કારી લાગી રહ્યું હોય તો તમે બિલકુલ ખોટા છો . આ બિગ બોસ સંસ્કારી ક્યારેય પણ નહીં થાય . બિગ બોસ 12 શૉનું પ્રસારણ રાત્રે 9 વાગ્યે પ્રાઈમ ટાઈમમાં કરવામાં આવે છે . આ કારણે બિગ બોસે એવા સીન કાપી નાખ્યા છે , જેને ઓન એર કરવું યોગ્ય નથી . છેલ્લા દિવસમાં એપિસોડમાં જસલીન મથારુ અચાનક રેડ બિકીનીમાં જોવા મળી . થોડી મિનિટો સુધી જસલિનને ટીવી પર બિકીનીમાં બતાવવામાં આવી , જયારે બાકીના સીન કાપી નાખવામાં આવ્યા . હવે આખા સીનનો વીડિયો સોશ્યિલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે . બિગ બૉસના ઘરમાં આ સેક્સી સ્ટારની એન્ટ્રી , જુઓ હોશ ઉડાવી દે તેવી તસવીરો આ સીનમાં અનુપ જલોટાની બાજુમાં બિકીનીમાં બેસીને જસલીન હોટનેસનો તડકો લગાવી રહી હતી . આ વખતે બિગ બોસ રાત્રે 9 વાગ્યે પ્રાઈમ ટાઈમમાં આવતું હોવાને કારણે સીન કાપી નાખ્યા છે . જો બિગ બોસનું રાત્રે 10.30 વાગ્યે પ્રસારણ કરવામાં આવતું હોત તો ચોક્કસ આખો સીન ટીવી પર પણ બતાવવામાં આવ્યો હોત . હાલમાં જસલિનનો રેડ બિકીની અંદાઝ સોશ્યિલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે . બિગ બૉસમાં થર્ડ ડિગ્રી ટોર્ચર , દીપિકા પર લાગ્યા ગંદા આરોપઃ વીડિયો લીક" business,"સેન્સેક્સમાં ભારે ઘટાડો સોમવારે પણ ચાલુ જ છે . નેશનલ સ્ટોક એક્સચેન્જ નિફટી 105 પોઇન્ટ ગગડીને 10,208 પર કારોબાર કરી રહી છે . જયારે બીએસઇ 30 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 343 પોઇન્ટ ગગડીને 34,033.67 સ્તરે કારોબાર કરી રહ્યો છે . આમ જોવા જઇયે તો સેન્સેક્સ સવારે 50 પોઇન્ટના વધારા સાથે ખુલ્યો હતો . પરંતુ તેમાં ખુબ જ જલ્દી ભારે ઘટાડો જોવા મળ્યો . આ પહેલા શુક્રવારે પણ સેન્સેક્સમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો . શુક્રવારે સેન્સેક્સમાં 792.17 પોઇન્ટ ઘટાડા સાથે 34,376.99 પર સેન્સેક્સ બંધ થયો હતો . ગુરુવારે પણ સેન્સેક્સમાં 806.47 પોઈન્ટનો કડાકો જોવા મળ્યો હતો . મોદી સરકારની સોલર એપથી આ રીતે કરો કમાણી છેલ્લા કેટલાક દિવસોમાં શેરમાર્કેટમાં ઘટાડાને કારણે હાહાકાર મચી ગયો છે . જયારે રૂપિયો પણ ડોલર સામે સતત ગગડી રહ્યો છે . રૂપિયો સોમવારે પણ ડોલર સામે કમજોર પડ્યો છે . સોમવારે રૂપિયો ડોલર સામે 19 પૈસા ગગડીને 73.96 પર ખુલ્યો છે . છેલ્લા કેટલાક દિવસમાં ડોલર સામે રૂપિયામાં 12 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે . ભારતીય રૂપિયો જ નહીં પરંતુ બીજા પણ ઘણા દેશોની કરન્સી ડોલર સામે નબળી પડી છે . ક્રૂડની કિંમત વધવાથી , ટ્રેડ વોર , કેડ વધવાની આશંકા , ડોલરમાં મજબૂતી , અને રાજનૈતિક અસ્થિરતાને કારણે રૂપિયા પર દબાણ સતત વધી રહ્યું છે . આવનારા દિવસોમાં પણ રૂપિયામાં સુધારો થાય તેવું નથી દેખાઈ રહ્યું . IL & FS કેવી રીતે સામાન્ય માણસ માટે બની શકે છે મુસીબત ? જયારે રૂપિયામાં થતા ઘટાડાને કારણે તેલ કંપનીઓને વિદેશથી તેલ મંગાવવા માટે ભારે કિંમત ચૂકવવી પડી રહી છે . તેને કારણે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો થવાની આશંકા વ્યકત કરવામાં આવી રહી છે . બેન્કિંગ , ઓટો , એફએમસીજી , ઓઇલ એન્ડ ગેસ અને પાવર સેક્ટર શેરમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે ." sports,આઈપીએલ ની દરેક મોસમમાં કેકેઆર ના કો - ઓનર શાહરૂખ ખાન પોતાની ટીમના ખેલાડીઓ ના મનોરજનનો ખાસ ધ્યાન રાખે છે . કેકેઆર ના ખેલાડીઓના મનોરંજન માટે શાહરૂખ ખાને પોતાની ફિલ્મ ફેન ની સ્પેશિયલ સ્ક્રીનીંગ કરાવી હતી . જેને જોવા કલકતા નાઈટ રાઈડર ની આખી ટીમ પહોચી હતી . શાહરૂખ ખાનના ચાહકો માટે આ ફિલ્મ ખરેખરમાં ડબલ ટ્રીટ છે કારણ કે આ ફિલ્મમાં શાહરૂખનો ડબલ રોલ છે . મનીષ શર્માના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ એક સુપરસ્ટાર અને તેના ફેનની કહાનીને બતાવે છે . ફિલ્મ જોઇને તમને કદાચ ફરી એક વાર કિંગ ખાનની એક્ટિંગના ફેન બની જાવ તો નવાઇ નહીં . શાહરૂખ ખાન ની ફેન ફિલ્મે અત્યાર સુધી લગભગ 72 કરોડની કમાણી કરી ચુકી છે . કેકેઆર ની ટીમનો ફેન ફિલ્મ જોવાનો વીડિયો ખુદ કેકે આરે યૂટ્યૂબ પર શેર કર્યો છે . entertainment,"ટીવીની સેક્સી ડાકણ . જી હાં , આજકાલ મોનાલિસા આ નામથી જ ઓળખાય છે . એટલું જ નહિ , મોનાલિસા અવારનવાર પોતાના ઈન્સ્ટાગ્રામ પર એવી તસવીો પોસ્ટ કરે છે જેને વાયરલ થવામાં થોડું પણ મોડું નથી થતું . ગત બે અઠવાડિયાથી મોનાલિસા બેક ટૂ બેક કેટલીય તસવીરો શેર કરી ચૂકી છે . જેને જોઈ તમારા હોશ ઉડી જશે . આ વખતે મોનાલિસાએ હૉટ પેન્ટમાં બહુ સેક્સી તસવીરો શેર કરી છે , જે તમારા હોશ ઉડાવી દેશે . મોનાલિસા પોતાના ઈન્સ્ટાગ્રામ પર બોલ્ડ થતી જોવા મળી રહી છે . આ તસવીરોમાં તે સ્પષ્ટ થાય ચે કે મોનાલિસાનો ગ્લેમરસ તમારી નજરથી હટાવી નહિ શકો . બિગ બૉસ 10થી મોનાલિસાએ ટીવીની દુનિયામાં નવી ઓળખ બનાવી છે ." business,"ભારતીય રિઝર્વ બેંકે ફરી એક વાર વ્યાજ દરોમાં કોઇ બદલાવ કર્યો નથી . આરબીઆઇએ પોલિસી રેટને 6.25 % ના સ્તર પર જ રાખ્યો છે . આરબીઆઇ નાણાકીય વર્ષ 2016 - 17 ના ચોથા ત્રિમાસિક ગાળામાં મોંઘવારી દર 5 % ના સ્તર પર રહેવાનું અનુમાન કર્યુ છે . સાથે જ આરબીઆઇએ જીડીપી ગ્રોથના દરને ઘટાડી દીધો છે . વર્ષ 2016 - 17 માટે જીડીપી ગ્રોથના અનુમાનને 7.6 % ઘટાડીને 7.1 % કરી દીધો છે . સમીક્ષા કમિટીના બધા સભ્યોએ રેપો રેટ પહેલાની જેમ જ રાખવાના પક્ષમાં મત આપ્યા હતા . નોટબંધીના 29 માં દિવસે આરબીઆઇએ જણાવી 14 મહત્વની વાતો મૌદ્રિક નીતિની સમીક્ષા દરમિયાન આરબીઆઇની ગવર્નર ઉર્જિત પટેલે જણાવ્યુ કે નોટબંધી બાદ આરબીઆઇએ શું કર્યુ અને નોટબંધીથી શું પ્રભાવ પડશે ? આના સંબંધિત 14 મહત્વની વાતો પહેલી વાર આરબીઆઇએ કરી છે . જાણો શું કહ્યુ આરબીઆઇએ . 1 આરબીઆઇએ જણાવ્યુ કે નોટબંધી બાદ 10 નવેમ્બરથી 5 ડિસેમ્બર વચ્ચે 19.1 અબજ નવી નોટ પબ્લિક વચ્ચે જારી કરી છે . આ નોટોની કુલ સંખ્યા છેલ્લા ત્રણ વર્ષમાં જારી કરેલ કુલ નોટોની સંખ્યાથી વધારે છે . 2 આરબીઆઇએ બજારમાં પર્યાપ્ત માત્રામાં બજારમાં નવી નોટ આવવા પર લોકોને અપીલ કરીને કહ્યુ કે નવી નોટો પોતાની પાસે રોકીને ના રાખો . 3 આરબીઆઇએ જણાવ્યુ કે બેંકોમાં હજુ સુધી 500 - 1000 રુપિયાની કુલ 11.55 લાખ કરોડ રુપિયાની નોટ આજની તારીખ સુધી પાછી આવી ગઇ છે . 4 કેન્દ્ર સરકાર તરફથી આરબીઆઇને માત્ર નોટબંધીના નામે કોઇ વિશેષ લાભ આપવામાં આવ્યો નથી . 5 છેલ્લા બે અઠવાડિયામાં આરબીઆઇએ 500 - 1000 રુપિયાનાની બીજી નવી નોટ છાપી છે . 6 આરબીઆઇએ જણાવ્યુ કે બજારમાં 4 લાખ કરોડ રુપિયાની નવી ચલણી નોટો જારી કરી છે . 7 આરબીઆઇએ કહ્યુ કે નોટબંધીનો નિર્ણય ઉતાવળમાં નથી લેવામાં આવ્યો . 8 આરબીઆઇ બોર્ડની બેઠકમાં નોટબંધીને કારણે થતી તકલીફો જણાવવામાં આવી હતી . આ તકલીફોને દૂર કરવાના દરેક સંભવ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે . 9 આરબીઆઇ ગવર્નર ઉર્જિત પટેલે કહ્યુ કે જે પણ અસુવિધા થઇ રહી છે તે નોટબંધીને કારણે થઇ રહી છે . 10 રેપો રેટમાં બદલાવ ન કરવાનો નિર્ણય યુએસ ફેડરલ રિઝર્વના નિર્ણયના આધાર પર નથી લેવામાં આવ્યો . 11 નોટબંધીના નિર્ણયને યોગ્ય જણાવતા ઉર્જિત પટેલે કહ્યુ કે મોટાભાગના લોકો આ નિર્ણયને યોગ્ય માને છે . લોકોનું માનવુ છે કે આ નિર્ણયથી કાળુનાણુ , નકલી નોટો , આતંકવાદના ખાતમાને મદદ મળશે . આ નિર્ણય અંગે કોઇ મતભેદ નથી . 12 ઉર્જિત પટેલે કહ્યુ કે નોટબંધીની અસરથી આરબીઆઇની બેલેંસ શીટ પર કોઇ અસર પડશે નહિ . 13 બેંકો અને એટીએમમાંથી રુપિયા ઉપાડવા પર લાગેલ પ્રતિબંધ સમાપ્ત કરવા વિશે કંઇ કહી શકાય નહિ . 14 નોટબંધીથી નોટોની સુરક્ષા વધશે , પારદર્શિતા આવશે , ટેક્સ પ્રક્રિયા સરળ બનશે અને ડિજિટાઇઝેશન વધશે ." entertainment,"આવું કહેવું છે કે બિગબોસ ના કન્ટેસ્ટન્ટ આકાશ દીપ સહેગલનું . ટેલિવિઝનના ફેમસ ચેહરા આકાશદીપે સલમાન ખાન પર આરોપ લગાવતા કહ્યું છે કે "" હું કોઈનું પણ કરિયર બરબાદ કરવા માટે પીઆર નથી રાખતો . મારી સોચ આટલી નાની અને ગંદી નથી . હું 10 લોકોને સાથે લઈને નથી ચાલતો કે જેનાથી હું વધારે પાવરફૂલ દેખાવું "" આપણે જણાવી દઈએ કે આકાશદીપ સહેગલ વર્ષ 2011માં બિગબોસ 5ના કન્ટેસ્ટન્ટ રહી ચુક્યા છે . શો દરમિયાન આકાશદીપની સલમાન ખાન સાથે અનબન થઇ ચુકી હતી . તેમની લડાઈ ખુબ જ વધી પણ હતી . આકાશદીપે શો પૂરો થયા બાદ સલમાન ખાન પર આરોપ લગાવ્યો હતો કે સલમાને તેમને માર્યો હતો . આજે 5 વર્ષ પછી પણ આકાશદીપ એવું જ માને છે કે સલમાન ખાનના કારણે જ તેમનું કરિયર પૂરું થઇ ગયું . બિગબોસ 5 પછી આકાશદીપ કોઈ પણ ટીવી શોમાં નથી દેખાયા . હાલ તો હિન્દી ટેલિવિઝનથી આગળ વધીને આકાશદીપ તમિલ સિનેમા તરફ વધી ચુક્યા છે ." entertainment,"આજે પૂરા ત્રણ માસ બાદ અભિનેત્રી જિયા ખાન આત્મહત્યા કેસમાં નવો વળાંક આવી ગયો છે . જિયાના માતા રાબિયા અમીને એવા 10 સબૂતોના આધારે જણાવ્યું કે તેમની પુત્રી જિયાનું મોત આત્મહત્યા નહીં , પણ હત્યા હતી . જિયાના વકીલે રાબિયાના સબૂતો કોર્ટમાં રજૂ કર્યાં છે . પોલીસ પહેલા જ દિવસથી જિયા ખાનના મોતને આપઘાત કહે છે . જે સમાચાર મળે છે , તે મુજબ જિયાના શબની અનેક તસવીરો મળી છે કે જેમાં તેની બૉડી ઉપર ઘણા બધા ઈજાના નિશાન છે . તેથી મુંબઈ હાઈકોર્ટ સમક્ષ રાબિયાએ રાવ નાંખી છે કે જિયા ખાન આત્મહત્યા કેસની સીબીઆઈ તપાસ કરાવવામાં આવે . જો આ વાતો સાચી હોય , તો જિયા ખાનની પોસ્ટ મોર્ટમ રિપોર્ટ સામે પ્રશ્નચિહ્ન ઊભો થઈ જાય કે જેમાં કહેવાયું છે કે જિયાનું મોત શ્વાસ રુંધાતા થયું છે અને તેમની બૉડી પર કોઈ પણ જાતની ઈજાના નિશાન નહોતાં . નોંધનીય છે કે અમિતાભ બચ્ચન સાથે નિશબ્દ ફિલ્મ દ્વારા બૉલીવુડ કૅરિયર શરૂ કરનાર જિયા ખાન 3જી જૂન , 2013ના રોજ રાત્રે પોતાના ઘરે ગળેફાંસો લાગેલી હાલતમાં મૃત મળી આવ્યા હતાં . જિયાના મોતને પ્રાથમિક દૃષ્ટિએ આપઘાત ઠેરવવામાં આવી , તો બીજી બાજુ આ કેસમાં જિયાના પ્રેમી સૂરજ પંચોલીની ધરપકડ કરવામાં આવી . કહે છે કે આદિત્ય પંચોલીના પુત્ર સૂરજ પંચોલીના પુત્રના માતા બનવાના હતા જિયા ખાન અને સૂરજે પરાણે જિયાનું ગર્ભપાત કરાવ્યુ હતું . તે પછી જિયા ખાન ડિપ્રેશનમાં હતાં . સૂરજ પંચોલી હાલ જામીન પર છે ." business,"નવી દિલ્હી , 9 ઓક્ટોબર : ભારે ઉદ્યોગમંત્રી પ્રફુલ્લ પટેલે 3 અરબ રૂપિયાના એક વિમાન ખરીદીના સોદા પર વાંધો ઉઠાવ્યો છે . આ સોદો વાયુસેના દ્વારા કરવામાં આવ્યો હતો . પટેલે પોતાનો વાંધો સુરક્ષા મંત્રી એ . કે . એન્ટનીને પત્ર લખીને વ્યક્ત કર્યો છે . પટેલની ફરિયાદ છે કે આ ડિલની ટેન્ડર પ્રક્રિયામાં પબ્લિક સેક્ટરની કંપની હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ એટલે કે એચએએલને બહાર રાખવામાં આવ્યું , જ્યારે એચએએલમાં આ સોદાને પૂર્ણ કરવાની પૂરેપૂરી ક્ષમતા હતી . પટેલે પોતાની નારાજગી વ્યક્ત કરતો રક્ષામંત્રી એ . કે . એન્ટનીને એક પત્ર પાઠવ્યો છે . સૂત્રોની માનીએ તો સરકાર આ સેક્ટરમાં ખાનગી કંપનીઓને પણ તક આપવા માગે છે . આ સોદા અંતર્ગત સરકાર વિદેશી કંપની પાસેથી 16 એરક્રાફ્ટ ખરીદવા માગે છે . શરત અનુસાર આ કંપનીએ ભારતની ખાનગી કંપની સાથે મળીને 40 ટકા એરક્રાફ્ટનું નિર્માણ કરવાનું રહેશે ." business,"નવી દિલ્હી , 5 ઓગસ્ટ : આજે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા ( આરબીઆઇ - RBI ) એ પોતાની પોલિસી જાહેર કરતાં તમામ દરો યથાવર રાખતા વ્યાજદરમાં કોઈ ફેરફાર કર્યાં નથી . જેના પગલે શેરબજાર રેડ ઝોનમાં કારોબાર કરી રહ્યું છે . RBIના ગર્વનર રઘુરામ રાજને પોલિસીની જાહેરાત કરતાં રેપોરેટ અને રિવર્સ રેપોરેટમાં પણ કોઈ બદલાવ કર્યાં નથી . આ અપરિવર્તનને કારણે રેપો રેટ 8 ટકા પર સ્થિર છે , જ્યારે રિવર્સ રેપોરેટ 7 ટકા પર સ્થિર છે . જ્યારે SLRમાં 50 બેઝ્ડ પોઈન્ટનો ઘટાડો કર્યો છે . આ પરિણામે SLR 22 ટકા થઈ ગયો છે . જ્યારે CRR 4 ટકા , બેંક રેટ 9 ટકા અને એમએસએફ 9 ટકા રેટ પર કાયમ છે . રઘુરામ રાજને નાણાંકિય વર્ષ 2015માં 5.5 ટકા જીડીપીનું અનુમાન રાખ્યું છે . જ્યારે મોંઘવારી દર 8 ટકા રહેવાનું અનુમાન છે . સાથે તેમણે જાન્યુઆરી 2016 સુધીમાં મોંઘવારી દર 6 ટકા સુધી સ્થિર રાખવાનું અનુમાન કર્યું છે . SLRમાં ઘટાડા અંગે ગર્વનરે જણાવ્યું કે વિકાસની ગતિમાં સુધારા માટે SLRમાં ઘટાડો જરૂરી છે . RBI એ વ્યાજદર યથાવત રાખ્યાની ઘોષણા બાદ મુંબઈ શેરબજારમાં વઘઘટ જોવા મળી હતી . બપોરે 12.25 વાગ્યે BSE સેન્સેક્સ 156.86 પોઈન્ટ ગગડીને 25566.30 પોઈન્ટની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો . જ્યારે NSEનો નિફ્ટી 37.90 પોઈન્ટ ઘટીને 7,645.75 પોઈન્ટની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો . BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 0.11 ટકા ઘટીને અને 0.12 ટકા વધીને ટ્રેડ થઈ રહ્યા હતા . આરબીઆઇની ઘોષણા બાદ ઓટો તેમજ ફાર્મા શેરોમાં લેવાલી , જ્યારે પાવર , બેન્ક તેમજ રિયલ્ટી શેરોમાં વેચવાલી જોવા મળી છે ." sports,"પુણે , 14 ઓક્ટોબરઃ ઓસ્ટ્રેલિયાની શાનદાર બેટિંગ અને બોલિંગના કારણે વિશ્વ ચેમ્પિયન્સ ભારતે કારમા પરાજયનો સામનો કરવો પડ્યો છે . પુણે ખાતે રમાયેલી સાત વનડે મેચોની શ્રેણીની પ્રથમ વનડેમાં ભારતને 72 રનથી હારનો સ્વાદ ચાખવો પડ્યો હતો . ઓસ્ટ્રેલિયા તરફથી આપવામાં આવેલા 305 રનના જવાબમાં ભારતીય ટીમ 49.4 ઓવરમાં 232માં ઓલઆઉટ થઇ ગઇ હતી . ભારત તરફથી માત્ર વિરાટ કોહલીએ 61 રનની ઇનિંગ રમી હતી , જ્યારે રોહિત શર્મા અને સુરેશ રૈના સારી શરૂઆતનો ફાયદો ઉઠાવી શક્યા નહોતા . કોહલી સિવાય રોહિત શર્માએ 42 અને સુરેશ રૈનાએ 39 રન બનાવ્યા હતા . બાકી તમામ બેટ્સમેન નિષ્ફળ નિવડ્યા હતા . ઓસ્ટ્રેલિયાની બોલિંગની વાત કરવામાં આવે તો ઓસ્ટ્રેલિયા તરફથી જેમ્સ ફાકનરે શાનદાર બોલિંગ કરતા 3 વિકેટ લીધી જ્યારે શેન વોટ્સન અને ક્લિંટ મૈકેએ 2 - 2 વિકેટ મેળવી હતી , હોજ , ફિંચ અને જ્હોનસનને એક - એક વિકેટ મળી હતી . આ પહેલા ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કરતા નિર્ધારિત 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 304 રન બનાવ્યા હતા . ઓસ્ટ્રેલિયા તરફથી બેલીએ 85 અને ફિંચે 72 રનની શાનદાર ઇનિંગ રમી હતી . આ સિવાય હોજ 47 , મેક્સવેલ 31 અને ફાકનરે 27 રનની ઇિનિંગ રમી હતી . ભારતની બોલિંગની વાત કરવામાં આવે તો પુણેમાં ભારતની બોલિંગ અત્યંત ખરાબ રહી હતી . ભારત તરફથી યુવરાજ સિંહ અને અશ્વિને બે - બે વિકેટ ઝડપી હતી . જ્યારે વિનય કુમાર , ઇશાંત શર્મા અને જાડેજાએ એક - એક વિકેટ ઝડપી હતી . તો ચાલો તસવીરો થકી જાણીએ કે ભારતના પરાજય પાછળ કઇ - કઇ બાબતો જવાબદાર છે ." sports,"દક્ષિણ આફ્રિકાના બેટ્સમેન એફ ડ્યુ પ્લેસિસે એક અનોખા રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવી દીધું છે . તે વિશ્વ ક્રિકેટનો આઠમો ક્રિકેટર બની ગયો છેકે જે 100 આંતરરાષ્ટ્રીય ઇનિંગ દરમિયાન એક પણ વખત શૂન્યમાં આઉટ થયો નથી . ડ્યુ પ્લેસિસ દક્ષિણ આફ્રિકા તરફથી રમી રહ્યો છે અને તે 52 વનડે , 20 ટી20 અને 17 ટેસ્ટ મેચોમાં શૂન્ય પર આઉટ થયો નથી . ડ્યુ પ્લેસિસ સિવાય અન્ય સાત ખેલાડી એવા છેકે જેઓએ ક્રિકેટમા 100 કરતા વધુ ઇનિંગ એવી રમી છે , જેમાં તેઓ ક્યારેય શૂન્ય પર આઉટ થયા નથી . તેમાં સૌથી પહેલું નામ ભારતીય ક્રિકેટર રાહુલ દ્રવિડ અને બીજુ નામ સચિન તેંડુલકરનું આવે છે , તો ચાલો તસવીરો થકી જોઇએ કે આ યાદીમાં અન્ય કયા - કયા ખેલાડીઓના નામ સમાવાયા છે . pagespeed . lazyLoadImages . overrideAttributeFunctions ( ) ; function googleAnalyticsCodeCommon ( ) { var main _ url = $ ( ' link [ rel = "" canonical "" ] ' ) . attr ( "" href "" ) ; var url = document . location . href ; var pattern = ' https : / / ' + window . location . hostname ; url = url . replace ( pattern , "" "" ) ; var title = document . title ; ga ( "" oneindiagu . send "" , { hitType : "" pageview "" , page : url , location : main _ url } ) ; ga ( "" rosoneindia . send "" , { hitType : "" pageview "" , page : url , location : main _ url } ) ; ga ( "" dhoneindia . send "" , { hitType : "" pageview "" , page : url , location : main _ url } ) ; url = document . location . href ; var jcode = ' var _ comscore = _ comscore | | [ ] ; var comscoreParams = { c1 : "" 2 "" , c2 : "" 7732551 "" , c3 : "" "" , c4 : "" ' + url + ' "" , c5 : "" "" , c6 : "" "" , c15 : "" "" } ; _ comscore . push ( comscoreParams ) ; var s = document . createElement ( "" script "" ) , el = document . getElementsByTagName ( "" script "" ) [ 0 ] ; s . async = true ; s . src = ( document . location . protocol = = "" https : "" ? "" https : / / sb "" : "" http : / / b "" ) + "" . scorecardresearch . com / beacon . js "" ; el . parentNode . insertBefore ( s , el ) ; ' ; setTimeout ( jcode , 500 ) ; var _ qevents = _ qevents | | [ ] ; ( function ( ) { var elem = document . createElement ( ' script ' ) ; elem . src = ( document . location . protocol = = "" https : "" ? "" https : / / secure "" : "" http : / / edge "" ) + "" . quantserve . com / quant . js "" ; elem . async = true ; elem . type = "" text / javascript "" ; var scpt = document . getElementsByTagName ( ' script ' ) [ 0 ] ; scpt . parentNode . insertBefore ( elem , scpt ) ; } ) ( ) ; _ qevents . push ( { qacct : "" p - yjta2aSVPaHEL "" } ) ; window . google _ analytics _ uacct = "" UA - 110466 - 73 "" ; } આ પણ વાંચોઃ - જુઓ વીડિયો , પાક ક્રિકેટરે દિલશાનને કહ્યું તો ‘આગ ' લાગશે ! આ ધુરંધરોના ‘કમબેક ' માર્ગમાં અવરોધ બન્યા યુવા ક્રિકેટર આ પણ વાંચોઃ - ચેમ્પિયન્સ લીગમાં આ ટીમોનો હંમેશા રહ્યો છે દબદબો pagespeed . lazyLoadImages . overrideAttributeFunctions ( ) ;" business,"ભારતીય રિર્ઝવ બેંકે તેના ગ્રાહકોને એક મોટી ખુશખબરી આપી છે . તેણે પોતાના રેપો રેટમાં ઘટાડો કર્યો છે . દિલ્હી ખાતે રિર્ઝવ બેંકે આજે તેની નાણાંકીય સમીક્ષા કરી હતી જે બાદ તેણે પોતાના રેપો રેટો પર કાપ મૂક્યા છે . જે મુજબ રેપો રેટ 6.25 ટકામાંથી 0.25 % નો કાપ મૂકતા તે હવે 6 ટકા થયો છે . જેના કારણે આવનારા સમયમાં બેંક લોન સસ્તી થશે . જો આવું થયું હોમલોનથી લઇને પર્સનલ લોનના ઇએમઆઇમાં ઘટાડો થતાં ગ્રાહકોને ચોખ્ખો લાભ મળશે . વધુમાં ભારતીય રિર્ઝવ બેંકના ગવર્નર ઉર્જિત પટેલ પણ જણાવ્યું છે કે ગત 3 મહિનામાં જીએસટી અને સારા ચોમાસાના કારણે ઇન્ફેલશનમાં ઝડપી ઘટાડો જોવા મળ્યો છે . સાથે જ તેમણે બેંક ડિફોલ્ટર્સ મામલે પણ આરબીઆઇ સરકાર સાથે મળી જલ્દી જ રિકવરી કરાવશે તેવું પણ જણાવ્યું હતું . આમ આ ઘટાડા પછી રેપો રેટ 6 ટકા , રિવર્સ રેપો રેટ 5.75 ટકા અને કેશ રિઝર્વ રેશિયો 4 ટકા થયો છે ." entertainment,"બૉલીવુડ અભિનેત્રી સાશા આગાએ પોતાના માતા અને જાણીતા અભિનેત્રી - ગાયક સલમા આગા અંગે જણાવ્યું કે તેઓ તેમના મિત્રની જેમ છે . તેઓ સામાન્ય રીતે તેમના કૅરિયર અંગે નિર્ણય લઈ માર્ગદર્શન આપે છ . સાશાએ જણાવ્યું - તેઓ બહુ મદદકર્તા છે . તેઓ હંમેશા મને માર્ગદર્શન આપે છે . મારા જીવનમાં તેઓ મારા માટે મિત્ર જેવા છે . તેઓ મારા માટે હંમેશા તૈયાર રહે છે અને મારૂં ખ્યાલ રાખે છે . ગઈકાલે રિલીઝ થયેલી ઔરંગઝેબ ફિલ્મથી બૉલીવુડમાં કૅરિયર શરૂ કરનાર સાશાએ જણાવ્યું - હું તેમની સલાહ લઉ છું . તેઓ હંમેશા મારા પાત્ર અને તેના પ્રત્યે મારી સહજતા અંગે , મારી વિચારસરણી અંગે વાતો કરે છે . મને આ બહુ સારૂં લાગે છે કે જ્યારે આ પ્રકારની બાબતોમાં મને યોગ્ય અભિગમ મળે છે . આવો તસવીરો સાથે જોઇએ સાશા આગાએ વધું શું કહ્યું ." sports,"ગ્લાસગો , 26 જુલાઇઃ કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનું પ્રદર્શન ત્રીજા દિવસે પણ શાનદાર રહ્યું છે . ભારતે શૂટિંગમાં બે પદક મેળવ્યા છે . વેટલિફ્ટિંગમાં એક મેડલ મેળવ્યું છે . શૂટિંગમાં મહિલા વર્ગમાં મલાયકા ગોયલે શાનદાર પ્રદર્શન કરતા 10 મીટર એર પિસ્તલ સ્પર્ધામાં રજત પદક મેળવ્યું હતું જ્યારે બેઇજિંગ ઓલમ્પિક સૂવર્ણ પદક વિજેતા અભિનવ બિંદ્રાએ ગ્લાસગો સીડબલ્યુજીમાં સૂવર્ણ મેડલ પર નિશાન તાક્યું હતું . અભિનવ બિન્દ્રાએ 10 મીટર એર રાઇફલ શૂટિંગ ઇવેન્ટમાં સૂવર્ણ પદક જીત્યો છે , જ્યારે વેટલિફ્ટિંગમાં ભારતની સંતોષી માત્સાએ મહિલા 53 કેજી કેટેગરીમાં ત્રીજો ક્રમ હાંસલ કરીને કાસ્ય પદક જીત્યું હતું . આજે એટલે કે શનિવારે ભારત બેડમિન્ટન , મુક્કેબાજી , સાઇકલિંગ ટ્રેક , હોકી , જૂડો , લોન બોલ્સ સહિતની સ્પર્ધાઓમાં પોતનું કૌશલ બતાવશે . તો ચાલો તસવીરો થકી જાણીએ કે કોમનવેલ્થ ગેમ્સના ત્રણ દિવસમાં ભારતે કઇ કઇ રમતમાં પદક જીત્યા છે . આ સીડબલ્યુજીમાં ભારતના અત્યારસુધીમાં 10 પદક થઇ ગયા છે અને આ યાદીમાં ભારત ચોથા ક્રમે છે ." business,સામાન્ય રીતે લોકો શેરમાર્કેટમાં રોકાણ કરી રાતો રાત અબજોપતિ બનવાના સપનાં જોતા હોય છે . વાત સાચી પણ છે . જેને શેર માર્કેટની ચાલ અનુકૂળ આવી જાય તેના માટે શેરબજાર ધનકુબેરનો ભંડાર ખોલી આપે છે . જો કે જેને અનુકૂળ ના આવે તેના ભંડાર તળિયા ઝાટક પણ કરી નાખે છે . આવા સમયે એક સામાન્ય પ્રશ્ન ઉદભવે કે શેરમાર્કેટમાં નાણા રોકવા સારા કે હાથ પર રોકડ રાખવી વધારે સારી ? શેરમાર્કેટનો ધંધો જોખમી છતાં લાભદાયી માનવામાં આવે છે . જ્યારે હાથ પર રોકડ બિનઉપજાઉ રોકડ છે . વર્તમાન સમયમાં માર્કેટમાં જે રીતે અપડાઉન થઇ રહ્યું છે તે જોતા અનેક લોકો એવું માને છે કે માર્કેટમાં નાણા રોકવાનું જોખમ કરવાને બદલે સેવિંગ બેંક એકાઉન્ટમાં નાણા રાખવા વધારે સારા . જ્યારે કેટલાક લોકોનું માનવું છે કે તમારા હાથમાં રહેલા નાણા તમને ફાયદો કરાવી ના આપે તો તેનો કોઇ ફાયદો રહેતો નથી . આવા સમયે એક્સપર્ટ આપણને યોગ્ય માર્ગ પસંદ કરવામાં મદદ કરે છે . આ મુદ્દે એક્સપર્ટ્સનું શું માનવું છે તે આવો જાણીએ . . . sports,"પંજાબના રહેનારા સતનામ સિંહ ભામરાને પ્રતિષ્ઠિત નેશનલ બાસ્કેટબોલ એસોસિએશનમાં પ્રવેશ કરનાર પ્રથમ ભારતીય બની ગયા છે , જેના માટે આખો દેશ તેમના પર ગર્વ અનુભવી રહ્યો છે . સતનામ સિંહને સચિન તેંડુલકરે શુભેચ્છા પાઠવી છે અને જણાવ્યું છે કે ' ' સતનામ તેં આખા દેશનું નામ રોશન કર્યું છે , અમને તારા પર ગર્વ છે . ' ' અત્રે નોંધનીય છે કે સાત ફૂટ બે ઇંચ લાંબા કદના સતનામ સિંહ ભામરા અમેરિકામાં પ્રતિષ્ઠિત નેશનલ બાસ્કેટ બોલ એસોસિએશનમાં પ્રવેશ મેળવનાર પહેલા ભારતીય બની ગયા છે . સતનામને શુક્રવારે એનબીએ ડ્રાફ્ટમાં સામેલ કરવામાં આવ્યા છે . 131 કિલોગ્રામ વજન સતનામને ડાલાસ માવેરિક્સ ટીમે પોતાની સાથે જોડ્યા છે . < div id = "" fb - root "" > < / div > < script > ( function ( d , s , id ) ( document , ' script ' , ' facebook - jssdk ' ) ) ; < / script > < div class = "" fb - post "" data - href = "" https : / / www . facebook . com / permalink . php ? story _ fbid = 399536753553359 & id = 137933113047059 "" data - width = "" 500 "" > < div class = "" fb - xfbml - parse - ignore "" > < blockquote cite = "" https : / / www . facebook . com / permalink . php ? story _ fbid = 399536753553359 & id = 137933113047059 "" > Posted by < a href = "" https : / / www . facebook . com / pages / Satnam - Singh - Bhamara / 137933113047059 "" > Satnam Singh Bhamara < / a > on < a href = "" https : / / www . facebook . com / permalink . php ? story _ fbid = 399536753553359 & id = 137933113047059 "" > Friday , March 20,2015 < / a > < / blockquote > < / div > < / div > સતનામને ટ્રેનિંગ માટે હવે ફ્લોરિડા જવાનું છે , સતનામે જણાવ્યું કે મને ખુશી છે કે બાસ્કેટ બોલમાં યુવાનોનો રસ વધશે અને આ રમતને નવું એક્સપોઝર મળશે . આવો જાણીએ ભારતનું નામ રોશન કરનાર આ ખેલાડી સતનામ સિંહ વિશેની ખાસ વાતો . . ." business,એરટેલે પોતાના યુઝર્સ માટે મોનસૂન સરપ્રાઇઝ ઓફર લોન્ચ કરી છે . જે હેઠળ કંપની 1 જુલાઇથી ત્રણ મહિના સુધી 30 જીબી 4જી ડેટા ફ્રીમાં આપશે . એરટેલની તરફથી મોનસૂન ઓફર હેઠળ પોસ્ટપેડ ગ્રાહકોને દર મહિનાના હિસાબે 10 જીબી ડેટા ત્રણ મહિના સુધી મફતમાં મળશે . મીડિયા રિપોર્ટ મુજબ એરટેલ ગ્રાહકોને આ ઓફરની જાણકારી ઇ મેલ દ્વારા આપી રહ્યું છે . આ ઓફર મેળવવા માટે કસ્ટમર્સે માઇ એરટેલ ઓફરમાં જઇને ક્લેમ કરવાનો રહેશે . હોલી ડે સરપ્રાઇઝ ખબરોનું માનીએ તો એરટેલે પોસ્ટપેડ ગ્રાહકો માટે પોતાની હોલી ડે સરપ્રાઇઝ ઓફરને ત્રણ મહિના માટે વધારી દીધી છે . અને તેને મોનસૂન ઓફરનું નામ આપવામાં આવ્યું છે . તેવામાં એરટેલની આ ઓફર સીધી રીતે જીયોના ઘન ઘના ઘન ઓફરને પડકાર ફેંકી રહી છે . જો કે તેનાથી સૌથી વધુ ફાયદો તો ગ્રાહકોને જ મળી રહ્યો છે . એરટેલ ઓફર એરટેલે રિલાયન્સ જીયોના આવ્યાથી મોટું નુક્શાન વેઠ્યું છે . હવે કંપની આ નુક્શાનની ભરપાઇ કરવાના મૂડમાં છે . અને તે ગ્રાહકોને એક પછી એક સારી ઓફર આપી રહી છે . જો તમે પોસ્ટપેડ કનેક્શન અને ડિજિટલ ટીવી કનેક્શનને એરટેલ બ્રોડબેન્ડથી લિંક કરો છો તો પણ તમને ફ્રી ડેટા મળશે તેવી પણ ઓફર એરટેલ દ્વારા શરૂ કરવામાં આવી છે . જીયો બ્રોડબેન્ડ રિલાયન્સ જીયો જલ્દી જ પોતાનું બ્રોડબેન્ડ લાવવાનું છે . જેનું ટ્રાયલ પણ શરૂ થઇ ચૂક્યું છે . બીજી તરફ એરટેલ મોબાઇલની જેમ પોતાના બ્રોડબેન્ડ ગ્રાહકોને ગુમાવી દેવા નથી માંગતું અને માટે જ એરટેલ બ્રોડબેન્ડ કેન્કશન વધારવા માટે અત્યારથી જ પ્રમોશન ઓફર આપી રહ્યું છે . sports,"ડરબન , 25 ડિસેમ્બરઃ દક્ષિણ આફ્રિકાના લેજન્ડરી ઓલ રાઉન્ડર જેક્સ કાલિસે ભારત સામેની બીજી ટેસ્ટ બાદ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો છે . જો કે , 38 વર્ષિય કાલિસે ક્રિકેટના નાના ફોર્મેટમાં રમવાનું ચાલું રાખ્યું છે . 165 ટેસ્ટ મેચ રમનાર કાલિસે પોતાના નિર્ણય અંગે કહ્યું છે કે , 18 વર્ષ સુધી દક્ષિણ આફ્રિકા ટીમનો હિસ્સો બનવા બદલ હું ગૌરવ અનુભવી રહ્યો છું . મે દરેક પળને માણી છે અને હવે મને એવું લાગે છે કે મારે ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહી દેવું જોઇએ . કાલિસે કહ્યું કે , ગત બે વર્ષ યાદગાર રહ્યા છે અને આ બે વર્ષની યાત્રા ક્રિકેટર્સના સમૂહ સાથે માણવી અદભૂત રહી છે . હું ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહેતી વેળા ઘણું બધુ સાથે લઇ જઇ રહ્યો છું . મારી ટેસ્ટ કારકિર્દી પ્રતિભાશાળી ક્રિકેટર્સની સામે પૂર્ણ થઇ રહી છે , તેના કરતા પણ ઘણી જ મહત્વનું છે કે તેમા મારા ઘણા મિત્રો છે . હું એવું નથી વિચારી રહ્યો કે આ ગુડબાય છે , પરંતુ મારામાં હજુ પણ દક્ષિણ આફ્રિકાને વિશ્વકપ 2015માં વિજેતા બનાવવાની છે , જો તે ફીટ હશે તો . તેમણે વધુમા કહ્યું કે , કોલકતા નાઇટ રાઇડર્સ સાથે આઇપીએલ ટાઇટલ જીતવુંએ ખાસ સિદ્ધિ હતી અને હું આ જ પ્રકારની સિદ્ધિ દક્ષિણ આફ્રિકા માટે આઇસીસી ઇવેન્ટમાં મેળવવા માગુ છું ." entertainment,"બિકિની ગર્લ પૂનમ પાન્ડેના જેટલા ચાહનારાં છે તેનાથી ઘણાં વધારે તેના ટીકાકારો છે . તાજેતરમાં જ પૂનમે ટ્વિટર પર ફરી વાર પોતાની પિક્ચર લૉડ કરી છે . આ વખતે પણ તેના શરીરે નામમાત્રના જ કપડાં છે . તેના પગે જોકે આ વખતે ઝાંઝર પણ દેખાઈ રહી છે કે જે જોયાં બાદ એક બાજુ કેટલાંક લોકો આહો ભરી રહ્યાં છે , તો બીજી બાજુ કેટલાંક લોકોને પૂનમની આ હરકત આંખમાં કણાની જેમ ખૂંચે છે . હવે નવા સમાચાર એ સામે આવ્યાં છે કે ટ્વિટર પર આખો દિવસ પોતાના ફૅન્સ સાથે ગપ્પા મારનાર પૂનમ પાન્ડે ટુંકમા જબ અત્યાર સુધીનું પોતાનું સૌથી હૉટ સીન આપવાની તૈયારીમાં છે . આ હૉટ સીન તેની મોટા પડદે એટલે કે તેની આવનારી ફિલ્મમાં દેખાશે આપને જણાવી દઇએ કે પૂનમે ટ્વિટર પર # MovieNameForPoonamPandeysDebutFilm એક ટ્રેન્ડ શરૂ કર્યું છે . તેમાં તેમણે પોતાના ફૅન્સને જણાવ્યું છે કે તેઓ પૂનમની આવનારી ફિલ્મનું નામ ગેસ કરે . જે કોઈ સાચું નામ જણાવશે , તેને પૂનમ ( જુઓ તસવીરો ) પોતાની એ જ ઝાંઝર ગિફ્ટ કરશે , જે તેણે પગમાં પહેરી છે ." entertainment,"શાહરુખ ખાન એટલે કે બૉલીવુડ કિંગ ખાન ચિંતિત છે . તેમણે ખભાની સર્જરી તો કરાવી લીધી છે , પરંતુ તેમની ચિંતાનું કારણ ચેન્નઈ એક્સપ્રેસ છે . શાહરુખ ખાનની ચેન્નઈ એક્સપ્રેસનું પ્રમોશન અત્યાર સુધી શરૂ થઈ શક્યું નથી , જ્યારે ચેન્નઈ એક્સપ્રેસ સાથે જ રિલીઝ થનાર વન્સ અપૉન ઍ ટાઇમ ઇન મુંબઈ અગેન ફિલ્મનું પ્રમોશનમાં અક્ષય કુમાર જોતરાઈ ગયાં છે . આ જ કારણ છે કે શાહરુખ ખાન ચિંતિત છે . શાહરુખે તાજેતરમાં જ પોતાના ખભાની સર્જરી કરાવી છે અને ગઈકાલે રાત્રે જ તેઓ ઘરે પહોંચી ગયાં છે . તેમણે જણાવ્યું પણ ખરું કે તેઓ જલ્દીથી સાજા થઈ ચેન્નઈ એક્સપ્રેસના પ્રમોશનમાં લાગી જશે . ચેન્નઈ એક્સપ્રેસ આગામી 23મી ઑગસ્ટના રોજ રિલીઝ થવાની છે અને તે જ દિવસે અક્ષય કુમારની વન્સ અપૉન ઍ ટાઇમ ઇન મુંબઈ અગેન એટલે કે ઓયૂટીએમએ પણ રિલીઝ થવાની છે . શાહરુખ સાથે દીપિકા પાદુકોણે હીરોઇન છે , તો અક્ષયના હીરોઇન સોનાક્ષી સિન્હા છે . ચેન્નઈ એક્સપ્રેસનું પ્રમોશન અત્યાર સુધી થયું નથી . તેમાં પ્રથમ કારણ તો શાહરુખની બીમારી હતી અને બીજી બાજુ દીપિકા પોતે પણ યે જવાની હૈ દીવાની ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે કે જે આવતીકાલે રિલીઝ થવાની છે અને તેમાં રણબીર કપૂર તેમના હીરો છે . હવે દીપિકા વાયજેએચડી ફિલ્મમાંથી ફુરસદ પામશે અને શાહરુખ જલ્દીથી સાજા થશે એટલે ચેન્નઈ એક્સપ્રેસનું પ્રમોશન શરૂ કરશે . એમ સરવાળે કહી શકાય કે શાહરુખની ચેન્નઈ એક્સપ્રેસ અક્ષયની મુંબઈ કરતાં ઑલરેડી મોડી પડી જ ગઈ છે . દરમિયાન અક્ષય કુમાર પોતાની ફિલ્મના પ્રમોશનમાં જોતરાઈ ગયાં છે . ફિલ્મનું ટ્રેલર અને ફર્સ્ટ લુક લૉન્ચ થઈ ગયાં છે . આ પ્રસંગે અક્ષય કુમાર અને સોનાક્ષી સિન્હા ઉપરાંત અનેક બૉલીવુડ હસ્તીઓએ હાજરી આપી હતી . આવો આપને તસવીરોમાં બતાઇએ ઓયૂટીએમએનું ટ્રેલર - ફર્સ્ટ લુક લૉન્ચિંગ ." business,"ભારતીય રૂપિયામાં સતત ઘટાડો થઇ રહ્યો છે . અમેરિકી ડોલરની સરખામણીમાં રૂપિયો આજે 70.82 પર પહોંચી ચુક્યો છે , જે તેના સૌથી નીચલા સ્તરે છે . શેર બજારોમાં ગુરુવારે ફ્લેટ સ્તરે કારોબાર જોવા મળે છે . સેન્સેક્સ આજે 74 અંક ઉપર એટલે કે 38796.98 પર ખુલ્યો છે . તેને 38819.06 જેટલા ઉંચા સ્તરે પહોંચી ગયો છે . ડોલરની સરખામણીમાં રૂપિયાનો ઘટાડો અટકી નથી રહ્યો . ગુરુવારે તે 70.82 જેટલા નીચલા સ્તરે પહોંચી ગયો હતો . ગુરુવારે માર્કેટ ખુલતાની સાથે જ રૂપિયો તેના નીચલા સ્તરે પહોંચી ગયો હતો . ડોલરના મુકાબલે રૂપિયો 70.82 પર રહ્યો . આપને જણાવી દઈએ કે બુધવારે રૂપિયો 70.59 પર બંધ થયો હતો . આ અત્યારસુધીનું સૌથી નીચલું ક્લોઝિંગ સ્તર છે . 4 મહિનામાં કામ કરતાં બંધ થઈ જશે SBIનાં ATM કાર્ડ ! જયારે નિફટીની શરૂઆત 4 પોઇન્ટ ઉપર 11694.75 પર થયી અને તે 11698.80 સુધી પહોંચયું . પરંતુ થોડા જ સમયમાં બજારમાં ઘટાડો આવી ગયો . નિફટી પર પીએસયુ બેંક માં 0.9 % જેટલો ઘટાડો જોવા મળ્યો છે . જયારે મીડ કેપ અને સ્મોલ કેપ શેરોમાં પણ વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે . આગામી એક વર્ષના રોકાણ માટેના 5 શ્રેષ્ઠ વિકલ્પો" entertainment,"લેટેસ્ટ ટીઆરપી ટીએએમ રેટિંગ દર્શાવે છે કે દીયા ઔર બાતી હમ , જોધા અકબર , સાથ નિભાના સાથિયા , યે હૈ મોહબ્બતેં , કુમકુમા ભાગ્ય અને જમાઈ રાજા જેવા શો આગળ ચાલી રહ્યા છે . ગત મહીને અનેક વખત ટોચની પૉઝિશનમાંથી ખસી જનાર સ્ટાર પ્લસનો શો દીયા ઔર બાતી હમ હવે ફરી એક વાર ટોચે પહોંચી ગયો છે , તો જોધા અકબર અને સાથ નિભાના સાથિયાએ પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે . યે હૈ મોબબ્બતેંએ એક સીઢી ચઢી કુમકુમ ભાગ્ય સાથે ચોથું સ્થાન શૅર કર્યુ છે , જ્યારે પાંચમા સ્થાને જમાઈ રાજા શો રહ્યો છે . # 1 : દીયા ઔર બાતી હમ 7.8 ( 8.2 ) # 2 : જોધા અકબર 7.2 ( 7.8 ) # 3 : સાથ નિભાના સાથિયા 7.1 ( 7.1 ) # 4 : યે હૈ મોહબ્બતેં 6.5 ( 6.7 ) અને કુમકુમ ભાગ્ય 6.5 ( 7.7 ) # 5 : જમાઈ રાજા 6.0 ( 6.4 ) # 6 : યે રિશ્તા ક્યા કહલાતા હૈ 5.9 ( 6.7 ) અને સસુરાલ સિમર કા 5.9 ( 5.8 ) # 7 : તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા 5.1 ( 5.7 ) , કૉમેડી નાઇટ્સ વિથ કપિલ 5.1 ( 6.7 ) અને ઉડાન 5.1 ( 5.6 ) # 8 : પ્યાર કા દર્દ હૈ 5.0 ( 5.7 ) અને એક હસીના થી 5.0 ( 5.1 ) # 9 : કુબૂલ હૈ 4.8 ( 4.8 ) # 10 : એક વીર કી અરદાસ . . . વીરા 4.5 ( 5.5 )" business,"વસ્તુ અને સેવા કર એટલે કે જીએસટી પર થઇ રહેલી વિવિધ ફરિયાદો અને મુશ્કેલીઓને જોતા આજે આસામના ગુવાહાટીમાં જીએસટી કાઉન્સીલની બેઠક બોલવવામાં આવી હતી . . ઉલ્લેખનીય છે કે આજથી શરૂ થતી આ 23મી જીએસટી કાઉન્સીલ બે દિવસ માટે ચાલશે . જેમાં અનેક મોટા નિર્ણયો લેવાશે તેવી સંભાવના રહેલી છે . ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આવી રહી છે અને આ પહેલા વેપારીઓને ખુશ કરાય તેવા નિર્ણયો પણ આ બેઠકમાં લેવામાં આવે તેવી સંભાવના રહેલી છે . તેવી સંભાવના રહેલી છે કે રોજિંદા વપરાશની વસ્તુઓને સસ્તી કરવામાં આવે . સાથે જ મેકએપ , ઇલેક્ટ્રિક બ્લબ જેવી વસ્તુઓને પણ 18 ટકા જીએસટી ટેક્સમાંથી ઘટાડીને 12 ટકા ટેક્સમાં દાખલ કરે . સાથે જ હોટલમાં ખાવા પર પણ 18 ટકાના બદલે 12 ટકા ટેક્સ લેવામાં આવે તે પર પણ નિર્ણય કરવામાં આવશે . આ બેઠક પહેલા બિહારના ઉપમુખ્યમંત્રી સુશીલ મોદીએ કહ્યું કે જીએસટી ટોપ સ્લેબ એટલેકે 28 ટકા વાળા ટેક્સમાં આવતી 80 ટકા જેટલી વસ્તુઓ પર ટેક્સ હળવો કરવામાં આવશે . સાથે જ 28 ટકાના ટેક્સ સ્લેબમાં આવતી 80 ટકા જેવી વસ્તુઓ 18 ટકાના સ્લેબમાં લાવવામાં આવશે . બેઠક પછી એક નવા ટેક્સની પણ જાહેરાત થવાની સંભાવના રહેલી છે . નોંધનીય છે કે બુધવારે પીએમ મોદીએ બિહાર ચેમ્બર ઓફ કોમર્સના એક કાર્યક્રમમાં કહ્યું હતું કે અત્યાર સુધીમાં 100થી વધુ વસ્તુઓ પર ટેક્સ ઓછો કરવામાં આવ્યો છે . GST ના 28 ટકા સ્લેબમાં કુલ 227 આઇટમ આવે છે . સુશીલ મોદીએ કહ્યું કે આજથી શરૂ થતી જીએસટીની બેઠકમાં આમાંથી કંઇ વસ્તુઓને આ સ્લેબમાંથી નીકાળી 18 ટકા વાળા સ્લેબમાં નાંખી શકાય તે અંગે ચર્ચા કરવામાં આવશે . સાથે જ GST ફિટમેન્ટ કાઉન્સિલ કેટલાક સામને 18 ટકા ટેક્સમાંથી 12 ટકા સ્લેબમાં લાવવા માટે પણ પ્રયાસ કરશે ." sports,"તેંડુલકરે કહ્યું , ' હું ક્રિકેટનો ભગવાન નથી , હું ભુલો કરું છું , ભગવાન ક્યારેય કરતા નથી . હું હંમેશા સુનિલ ગાવસ્કર અને વિવિયન રિચાર્ડ્સને મારા રોલ મોડલ માનું છું અને હું બન્નેનું કોમ્બિનેશન બનવા માંગુ છું . ' તેંડુલકર અને મુંબઇ ઇન્ડિયન્સ ગુરુવારે એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે આઇપીએલ 6ની મેચમાં રોયલ ચેલેન્જર્સ સાથે ટકરાશે . ભૂતકાળમાં તેંડુલકરના ક્રિકેટના યોગદાન બદલ તેને ભગવાન તરીકે સંબોધતા હતા , તાજેતરમાં જ ઓસ્ટ્રેલિયન બેટ્સમેન માઇકલ હસ્સીએ પણ સચિનને ક્રિકેટના ભગવાન તરીકે ગણાવ્યા હતા . તેંડુલકરે કહ્યું , ' ટીમ ઇન્ડિયાની જર્સી અને કેપ પહેરવીએ મારી માટે મહત્વની વસ્તુ છે અને ત્યારપછી એ વસ્તુ મહત્વની નથી કે મારી પાસે 10 જીન્સ અને 20 ટીશર્ટ છે . ભારત માટે રમવાની જે યાત્રા છે તે મારી અવિશ્વસિનય છે . હું જ્યારે પાછળ વળીને જોઉ છું ત્યારે બસ અને ટ્રેનમાં ધક્કા લાગતા એ યાદ આવે છે પરંતુ હું પ્રેક્ટિસ શરૂ કરતા પહેલા મારી જાતને ફીટ કરી લેતો હતો . ' ગયા વર્ષે 100મી આતંરરાષ્ટ્રીય સદી ફટકાર્યા બાદ સચિને કહ્યું હતું કે , મારો પ્રથમ પ્રશ્ન ભગવાનને એ હતો કે શા માટે આટલો બધો સમય લાગ્યો ? મેં શું ખોટું કર્યું હતું ? લાખો લોકો તેની રાહ જોઇ રહ્યાં છે તો તેને પૂર્ણ કરવામાં આટલી બધું મોડું થવું જોઇતું નહોતું ." sports,"ભારતના પૂર્વ ક્રિકેટર અને ક્રિકેટના ભગવાન માનાતા સચિન તેંડુલકર ને શુક્રવારે રાત્રે ધ એશિયન એવોર્ડ્સ ફેલોશિપથી સન્માનિત કરવામાં આવ્યા છે . લંડન ના પાર્ક લેનમાં સ્થિત લંડન હિલ્ટનમાં સચિન તેંડુલકરે આ સન્માન સ્વીકાર્યું હતું . એશિન એવોર્ડનું આ સાતમું સંસ્કરણ છે . એશિયાઇ પુરસ્કારોની સ્થાપના ઉદ્યમી પૉલ સાગૂએ વર્ષ 2010માં કરી હતી . આ સન્માન એશિયાની એ હસતીઓને આપવામાં આવે છે , જેમણે પોતાના ક્ષેત્રમાં અભૂતપૂર્વ સફળતા મેળવી હોય . આ પહેલાં આ ફેલોશિપ પુરસ્કાર સિતારવાદક રવિ શંકર અને અભિનેતા જેકી ચેન તથા બેમ કિંગ્સલે જેવી હસતીઓને આપવામાં આવ્યો છે . આ પ્રસંગે સચિને કહ્યું કે , બે દશકથી વધુ સમય સુધી ક્રિકેટ રમવાનો અનુભવ શાનદાર રહ્યો . વર્ષ 2011માં વિશ્વકપની જીત તેમની કારકીર્દિની ખાસ પળ હોવાનું પણ તેમણે જણાવ્યું હતું ." sports,"રિયો ઓલિમ્પિકમાં રજત પદક જીતીને દેશભરમાં સ્ટાર બનેલી પીવી સિંધુએ ચાઇના ઓપન સુપર સિરીઝમાં શાનદાર પ્રદર્શન કરતા ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે . પીવી સિંધુએ શનિવારે રમાયેલ સેમીફાઇનલમાં દક્ષિણ કોરિયાની જી હ્યૂન સંગને 11 - 21,23 - 21,21 - 19 થી હરાવીને ટુર્નામેંટના ફાઇનલમાં પોતાની જ્ગ્યા બનાવી લીધી છે . બંને ખેલાડીઓ વચ્ચે આ મેચ 1 કલાક અને 23 મિનિટ સુધી ચાલી હતી . પહેલી ગેમમાં સિંધુ દક્ષિણ કોરિયાઇ ખેલાડીથી 21 - 11 પોઇંટથી હારી ગઇ . ત્યારબાદ બીજી ગેમમાં સિંધુ 17 - 20 પોઇંટથી પાછળ હતી પરંતુ તેણે જોરદાર રમતનું પ્રદર્શન કરીને 22 - 20 પોઇંટથી બીજી ગેમ જીતી લીધી હતી . ત્રીજી ગેમમાં પણ બંને ખેલાડીઓ વચ્ચે જબરદસ્ત મુકાબલો થયો . એક સમયે બંને ખેલાડીઓ 18 - 18 ની બરાબરી પર હતી . ત્યારબાદ સિંધુએ મેચ પર કાબુ મેળવીને 21 - 19 પોઇંટથી મેચ જીતી લીધી હતી . ફાઇનલમાં સિંધુની ટક્કર ચીનની ખેલાડી સુન યૂ સાથે થશે . રવિવારે ફાઇનલ રમાશે . ચાઇના ઓપન અત્યાર સુધીમાં 25 માંથી 23 વાર ચીની ખેલાડીઓ જીત્યા છે . એવામાં ચીની ખેલાડીઓને એક રીતે મનોબળ મળશે . આ પહેલા એક વાર ભારતની સાયના નહેવાલ જીતી ચૂકી છે પરંતુ આ વખતે તે પહેલા રાઉંડમાં જ બહાર થઇ ગઇ હતી . સાયનાના બહાર નીકળ્યા બાદ સિંધુએ ભારતની જીતની આશા જગાડી રાખી છે ." sports,"ક્રિકેટ એક એવી રમત છે જેમાં કોનો સિતારો ક્યારે ચમકી ઉઠે છે તે કહેવાતું નથી અને ક્યારે તેનો સિતારો ભોંયભેગો થઇ જાય છે તે પણ કહેવાતું નથી . જે ક્રિકેટર ક્યારેક પોતાના ફોર્મના કારણે લોકપ્રિયતાના શીખરો પર પહોંચી ગયો હોય છે , એ જ ક્રિકેટરને પોતાની કેટલીક ખરાબ ઇનિંગ અથવા તો નિષ્ફળ પ્રદર્શનના કારણે ટીમની બહારનો રાસ્તો પણ જોવો પડે છે અને અનેક ટીકાઓનો સામનો કરવો પડે છે . તાજુ ઉદાહરણ આપીએ તો વિરાટ કોહલી કે જેણે ઇંગ્લેન્ડ સામેની ટી20માં અડધી સદી લગાવી છે , એ ખેલાડીએ પોતાના પ્રદર્શન થકી અનેક ક્રિકેટ પ્રેમીઓને પોતાના દિવાના બનાવી દીધા છે તો ઘણા ક્રિકેટ દિગ્ગજો તેના ફેન બની ગયા છે , પરંતુ જ્યારે તે ઇંગ્લેન્ડ સામેની વનડે અને ટેસ્ટ શ્રેણી દરમિયાન રન ન બનાવી શક્યો ત્યારે તેને ટીકાનો સામનો કરવો પડ્યો હતો . આજે અમે અહીં એવા જ કેટલાક ક્રિકેટર અંગે જણાવી રહ્યાં છીએ , જેમણે નિષ્ફળ પ્રદર્શન બાદ શાનદાર ફોર્મ દર્શાવીને કમબેક કર્યું હતું , જે ક્રિકેટ ઇતિહાસમાં અંકિત થઇ ગયું છે . તો ચાલો તસવીરો થકી ક્રિકેટ ઇતિહાસના એ પાંચ શાનદાર ક્રિકેટ કમબેક અંગે જાણીએ . pagespeed . lazyLoadImages . overrideAttributeFunctions ( ) ; આ પણ વાંચોઃ - વિરાટ કોહલી બન્યો ટી20 ક્રિકેટનો બાદશાહ , ભારત બીજા નંબરે ICCએ કરી લાલ આંખ ને આ 10 બોલર પર લાગ્યો પ્રતિબંધ આ પણ વાંચોઃ - આ વિસ્ફોટક બેટ્સમેનોએ ટી20માં કર્યો છે છગ્ગાનો વરસાદ pagespeed . lazyLoadImages . overrideAttributeFunctions ( ) ; function googleAnalyticsCodeCommon ( ) { var main _ url = $ ( ' link [ rel = "" canonical "" ] ' ) . attr ( "" href "" ) ; var url = document . location . href ; var pattern = ' https : / / ' + window . location . hostname ; url = url . replace ( pattern , "" "" ) ; var title = document . title ; ga ( "" oneindiagu . send "" , { hitType : "" pageview "" , page : url , location : main _ url } ) ; ga ( "" rosoneindia . send "" , { hitType : "" pageview "" , page : url , location : main _ url } ) ; ga ( "" dhoneindia . send "" , { hitType : "" pageview "" , page : url , location : main _ url } ) ; url = document . location . href ; var jcode = ' var _ comscore = _ comscore | | [ ] ; var comscoreParams = { c1 : "" 2 "" , c2 : "" 7732551 "" , c3 : "" "" , c4 : "" ' + url + ' "" , c5 : "" "" , c6 : "" "" , c15 : "" "" } ; _ comscore . push ( comscoreParams ) ; var s = document . createElement ( "" script "" ) , el = document . getElementsByTagName ( "" script "" ) [ 0 ] ; s . async = true ; s . src = ( document . location . protocol = = "" https : "" ? "" https : / / sb "" : "" http : / / b "" ) + "" . scorecardresearch . com / beacon . js "" ; el . parentNode . insertBefore ( s , el ) ; ' ; setTimeout ( jcode , 500 ) ; var _ qevents = _ qevents | | [ ] ; ( function ( ) { var elem = document . createElement ( ' script ' ) ; elem . src = ( document . location . protocol = = "" https : "" ? "" https : / / secure "" : "" http : / / edge "" ) + "" . quantserve . com / quant . js "" ; elem . async = true ; elem . type = "" text / javascript "" ; var scpt = document . getElementsByTagName ( ' script ' ) [ 0 ] ; scpt . parentNode . insertBefore ( elem , scpt ) ; } ) ( ) ; _ qevents . push ( { qacct : "" p - yjta2aSVPaHEL "" } ) ; window . google _ analytics _ uacct = "" UA - 110466 - 73 "" ; }" business,"નવી દિલ્હી , 24 જુલાઇ : આજે કેન્દ્રીય કેબિનેટે વીમા ક્ષેત્રમાં FIPB મારફતે 49 ટકા FDIને મંજુરી આપી દીધી છે . સરકારે વીમા ક્ષેત્રમાં FDIને મંજુરી આપતા એ બાબતનું ખાસ ધ્યાન રાખ્યું છે કે તેનું સંચાલન ભારતીય હાથોમાં રહે . આ પહેલા વીમા ક્ષેત્રમાં 26 ટકા FDIને મંજુરી હતી . આ નિર્ણય આજે સવારે થયેલી બેઠકમાં લેવાયો છે . કેબિનેટના નિર્ણય અનુસાર વીમા કંપનીઓ પરનો મેનેજમેન્ટ કન્ટ્રોલ ભારતીય પ્રમોટરોના હાથમાં જ રહેશે . સૂત્રો અનુસાર નરેન્દ્ર મોદીના વડપણમાં યોજાયેલી આ બેઠકમાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ વીમા ક્ષેત્રમાં 49 ટકા FDIના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે . આ સાથે લાંબા સમયથી પેન્ડીંગ ઇન્શ્યોરન્સ લો ( સુધારા ) બીલમાં સુધારા કરવાની પણ મંજૂરી મળી છે . આ બિલને હવે સંસદમાં રજૂ કરવામાં આવશે . ઇન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી એક્ટ ( IRDA ) , 1999ની રચના બાદ વર્ષ 2000માં વીમા ક્ષેત્ર ખાનગી ક્ષેત્ર માટે ખુલ્લુ મૂકાયુ હતું . આ એક્ટ મુજબ વિદેશી રોકાણકારોને 26 ટાક સુધીના રોકાણની પરવાનગી આપવામાં આવી હતી જે હવે વધીને 49 ટકા થવાની છે ." sports,"રિયો ઓલમ્પિક 2016માં ભારતને કાંસ્ય પદક અપાવનાર ફ્રીસ્ટાઇલ મહિલા પહેલવાન સાક્ષી મલિકે ભારતનું નામ પોતાની આ જીતથી રોશન કરી દીધું છે . 23 વર્ષીય સાક્ષીએ 58 કિલોગ્રામ વજનની ફ્રિસ્ટાઇલ કુસ્તીમાં કઝાકિસ્તાનની મહિલા પહેલવાનને 8 - 5થી હરાવ્યું છે . આ જીત સાક્ષી માટે સરળ નહતી પણ રાષ્ટ્રીય રમતોમાં હંમેશા ગોલ્ડ મેડેલ જીતનાર સાક્ષી મલિકે હારતા શીખ્યું જ નથી . સાક્ષી મલિકના પરિવારે આ રીતે મનાવી ખુશીઓ , જુઓ વીડિયો ત્યારે ભારતભરના તમામ લોકોને આટલી મોટી ખુશી આપનાર અને રિયોમાં જીત અપાવનાર સાક્ષી મલિક કોણ છે અને તેની રિયો સુધીની સફર વિષે વધુ જાણો અહીં . . . જન્મ અને માતા - પિતા સાક્ષી મલિકનો જન્મ 03 સપ્ટેમ્બર 1992માં હરિયાણાના રોહતકમાં થયો હતો . સાક્ષીના પિતા સુખબીર મલિક દિલ્હી ટ્રાંસપોર્ટ કોર્પોરેશનમાં કંડક્ટર તરીકે કામ કરે છે . તેની માતા સુદેશ મલિક રોહતકમાં આંગળવાડી સુપરવાઇઝર છે . દાદાથી કુસ્તી વારસામાં મળી સાક્ષી 12 વર્ષથી રેસલિંગ કરે છે . અને તેને બહુ નાની ઉંમરથી આમાં જ પોતાનું કેરિયર બનાવવાનું નક્કી કર્યું હતું . સાક્ષીને આ શોખ તેના દાદાથી વારસામાં મળ્યો છે . સાક્ષીએ 2014માં રાષ્ટ્રમંડલ ખેલોમાં ઇન્ડિયાને સિલ્વર મેડલ અપાવ્યો હતો . ગોલ્ડન ગર્લ સાક્ષીએ અત્યાર સુધીમાં જીતેલા મેડલમાં ગોલ્ડ સૌથી વધુ છે . ગોલ્ડ - 2012 , જૂનિ . એશિયન , કઝાકિસ્તાન બ્રોન્ઝ - 2012 , સિનિયર નેશનલ , ગોંડા ગોલ્ડ - 2012 , ઓલ ઇન્ડિયા વિવિ અમરાવતી ગોલ્ડ - 2013 , સીનીયર નેશનલ , કોલકત્તા ગોલ્ડન ગર્લ ગોલ્ડ - 2014 , દેન સતલજ મેમોરિયલ , યુએસએ ગોલ્ડ - 2014 , ઓલ ઇન્ડિયા યુનિવર્સિટી , મેરઠ ગોલ્ડ - 2011 જુનિયર નેશનલ , જમ્મુ" entertainment,"અભિનેતામાંથી રાજનેતા બનેલ પરેશ રાવલ ફરી એકવાર પોતાના નિવેદનને કારણે ચર્ચામાં છે . થોડા સમય પહેલાં જ પરેશ રાવલે ટ્વીટ કરી કહ્યું હતું કે , કાશ્મીરના પથ્થરબાજોની જગ્યાએ અરુંધતી રોયને સેનાની જીપ સાથે બાંધવા જોઇએ . જો કે , વિવાદ વધતાં તેમણે એ ટ્વીટ ડીલિટ કરી નાંખ્યું હતું . તાજેતરની ખબરમાં તેમણે પાકિસ્તાની સિરિયલોમાં કામ કરવાની ઇચ્છા જાહેર કરી છે . પરેશ રાવલનું કહેવું છે કે , ફિલ્મો અને ક્રિકેટ આ બે દેશો વચ્ચેના અંતરને પૂરે છે . તેમના મતે ક્રિકેટર્સ અને કલાકારો લોકો પર બોમ્બ ફેંકવા નથી જતા . તેમણે આ અંગે આગળ કહ્યું કે , મને લાગે છે કે , આપણા શો કંટાળાજનક થતા જાય છે . પાકિસ્તાની શોમાં નવીનતા છે , ' હમસફર ' સિરિયલ તેનું તાજુ ઉદાહરણ છે . મને તક મળે તો હું ચોક્ક્સ પાકિસ્તાની સિરિયલ અને ફિલ્મોમાં કામ કરીશ . ત્યાંની વાર્તા , લેખન , ભાષા અને અભિનય બધું જ શ્રેષ્ઠ છે . પરેશ રાવલ જે પાકિસ્તાની સિરિયલનું ઉદાહરણ આપી રહ્યાં છે , તે પાકિસ્તાની સિરિયલ ' હમસફર ' ખૂબ લોકપ્રિય થઇ હતી . સિરિયલમાં મુખ્ય પાત્ર ભજવનાર ફવાદ ખાન અને માહિરા ખાન બોલિવૂડમાં ડેબ્યૂ કરી ચૂક્યાં છે અને તેમને અહીં અનેક વિરોધ અને આલોચનનો સામનો પણ કરવો પડ્યો છે . ઉરી આતંકી હુમલા બાદ પાકિસ્તાની કલાકારોનો ખૂબ વિરોધ થયો હતો , એવામાં પરેશ રાવલના આ નિવેદનથી કોઇ નવો વિવાદ ન સર્જાય તો જ નવાઇ !" business,"નવી દિલ્હી , 12 ઓક્ટોબર : વિશ્વની જાણીતી એરલાઇન ઓપરેટર કંપની વર્જિન ગ્રુપના માલિક રિચાર્ડ બ્રાનસને પોતાની કંપનીના કર્મચારીઓને ચાહે તેટલી રજાઓ લેવાની ઓફર કરી છે . પોતાની વેબસાઇટ પર તેમણે લખ્યું છે કે વર્જિનની હેડઓફિસમાં કામ કરતા 170 કર્મચારીઓ જ્યારે ઇચ્છે ત્યારે અને જેટલી ઇચ્છે તેટલી રજાઓ લઇ શકે છે . રિચાર્ડના આ નિવેદન બાદ વિવાદ ઉભો થયો છે . તેમણે પોતાના કર્મચારીઓને એમ પણ જણાવ્યું છે કે રજા લેવા માટે તેમણે કોઇને પૂછવાની જરૂર નથી , તેમણે કોઇને જણાવવાની પણ જરૂર નથી કે તેઓ ક્યારે પાછા આવશે . બસ , તેમની ગેરહાજરીમાં કંપનીને કોઇ પ્રકારનું નુકસાન થવું જોઇએ નહીં . બ્રાનસને જણાવ્યું કે આ બાબતની પ્રેરણા તેમને તેમની દીકરી પાસેથી મળી છે . તેણે આવી જ એક યોજના અંગે ઓનલાઇન ટીવી કંપની નેટફ્લિક્સ પર વાંચ્યું હતું . અબજોપતિ બ્રાનસને આગળ એમ લખ્યું છે કે આ બાબત સંપૂર્ણ રીતે કર્મચારીઓ પર છોડવામાં આવી છે કે તેમણે કંપનીમાંથી ક્યારે અને કેટલા કલાક , દિવસો કે મહિનાઓની રજા જોઇએ છે . આ પાછળની ધારણા એવી છે કે જ્યારે આપ 100 ટકા સુવિધા અનુભવશો ત્યારે આપ રજા લઇ શકશો . જેના કારણે આપની ટીમનો દરેક પ્રોજેક્ટ અપ ટુ ડેટ રહેશે . આપની ગેરહાજરીને કારણે કંપનીને કોઇ પ્રકારનું નુકસાન ના જાય . રિચાર્ડ બ્રાનસને આ પોલિસી યુકે અને યુએસમાં તેમની ઓફિસમાં અમલી બનાવી છે . કારણ કે ત્યાં રજાઓ લેવાના નિયમો બહુ કડક હોય છે . આ પોલિસી યુકે અને યુએસમાં સફળ થશે તો અન્ય જગ્યાઓ ઉપર પણ તેનો અમલ કરવામાં આવશે . તેમણે સ્પષ્ટ જણાવ્યું છે કે આપણે એ બાબત પર ધ્યાન આપવું જોઇએ કે લોકોએ કેટલું અને કેવું કામ કર્યું છે . એ નહીં કે લોકોએ કેટલા દિવસો કે કલાકો કામ કર્યું છે . અમારી નીતિ 9થી 5 કામ કરવાની નથી . તેવી જ રીતે રજાઓ લેવા માટે પણ પોલિસીની જરૂરિયાત નથી . નોંધનીય છે કે આ બ્લોગ તેમની આવનારી પુસ્તકનો એક અંશ હશે . વર્જિન ગ્રુપ દુનિયાના 50થી વધારે દેશોમાં છે અને તેમાં 50,000થી વધારે લોકો કામ કરે છે . રિચાર્ડ બ્રાનસનની કંપનીની શરૂઆત 1970માં શરૂ થઇ હતી . તે હાલ ટેલિકોમ , એરલાઇન્સ અને ફાઇનાન્શિયલ સેક્ટકમાં કાર્યરત છે ." business,"નોટબંધી પછી ભારતમાં શરુ કરેલી 200 થી 2000 ની ચલણી નોટો હવે પાડોશી દેશમાં ચાલશે નહિ . જી હા , નેપાળમાં હવે રૂ . 100 થી ઉચ્ચ મૂલ્યની ભારતીય નોટનો ઉપયોગ કરવામાં આવશે નહિ . નેપાળની કેન્દ્રીય બેંકે રૂ . 2 , 000 , રૂ . 500 અને રૂ . 200 ની ભારતીય નોટોના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે . આ પગલાંના કારણે નેપાળની યાત્રા કરનારા ભારતીયોને સમસ્યા થઇ શકે છે . આવી રીતે મળે છે પેટ્રોલ પંપની ડીલરશિપ , થશે લાખોની કમાણી કાઠમાન્ડુ પોસ્ટના સમાચાર મુજબ નેપાળ નેશનલ બેંકે રવિવારના રોજ એક પરિપત્ર બહાર પાડ્યો છે જેમાં નેપાળના યાત્રીઓ , બેંકો અને નાણાકીય સંસ્થાઓને 100 રૂપિયાથી વધુ મૂલ્ય ધરાવતી ભારતીય ચલણ રાખવા અથવા તેનાથી વ્યાપાર કરવા પર પ્રતિબંધ મુક્યો છે ." entertainment,શાહરુખ ખાન ભારતના સુપરસ્ટાર્સમાંના એક છે . હાલમાં જ તેમને ભારત - બ્રિટન બિઝનેસ સમિટ દરમિયાન બોલિવુડ સિનેમાનું વૈશ્વીકરણ કરવા માટે સમ્માનિત કરવામાં આવ્યા . તેમાં કહેવામાં આવ્યુ કે આ સમ્માન માટે શાહરુખ ખાન એટલા માટે હકદાર છે કારણકે તેઓ સિનેમાનું વૈશ્વીકરણ કરવા માટે ગેમ ચેન્જર તરીકે સામે આવ્યા છે . તમને જણાવી દઈએ કે શાહરુખ ભારતના એવા સુપરસ્ટાર્સમાં છે જેમની ફિલ્મ ભારત ઉપરાંત પણ ઘણા શહેરોમાં રિલીઝ થાય છે અને લોકો તેમને ખૂબ પસંદ કરે છે . આ સમ્માન મેળવ્યા બાદ ફરીથી એક વાર અભિનેતા શાહરુખ ખાને આપણા દેશને ગર્વાન્વિત કર્યો છે . આ પ્રસંગે શાહરુખ ખાનને બોલવાનો અવસર આપવામાં આવ્યો . આ પણ વાંચોઃ બિગ બોસ 12 : સલમાન સાથે જાણો અન્ય ઘરવાળાની કેટલી છે ફીસ તેમણે કહ્યુ કે ભારતીય ટેલિવિઝનનો ઝડપથી વિસ્તાર થયો છે એટલી ઝડપથી ભારતીય સિનેમાનો વિસ્તાર નથી થયો . તેમણે કહ્યુ છે કે આજે પણ ભારતમાં ફિલ્મોના દર્શકોના મુકાબલે એટલા થિયેટર્સ નથી જેટલા હોવા જોઈએ . અમારા દેશમાં થિયેટરોની હજુ વધુ જરૂર છે અને એના માટે ભારત એક મોટુ બજાર છે . શાહરુખે આ સમ્માન મેળવ્યા બાદ ઘણા બધા લોકોનો આભાર માન્યો જેમનો તેમના પર હાથ હતો અને હજુ પણ છે અને જે હજુ પણ તેમની સાથે છે . શાહરુખ ખાને ભારતીય સિનેમાના ગેમ ચેન્જરે ખિતાબ માટે કહ્યુ કે આની ક્રેડિટ માત્ર તેમને નથી જતી પરંતુ ઘણા એવા વ્યક્તિ છે જેમને આનો એટલો જ શ્રેય જાય છે . આ ઉપરાંત તેમણે દુનિયાભરના દર્શકોનો પણ આભાર માન્યો . આ પણ વાંચોઃ 50 લાખ લઈને કોમેડિયન ભારતી BIGG BOSS 12 માં કરશે ફેમિલી પ્લાનિંગ business,"આજે ખુલતા સમયે સેન્સેકસે 130 પોઇન્ટની છલાંગ લાગાવી હતી . જયારે નિફટીએ પણ રેકોર્ડ સ્તર 6957ની સપાટી વટાવી હતી . આજે સેન્સેકસ પ્રારંભે 6 વર્ષની ઉંચી સપાટીએ પહોંચી ગયો હતો . ગઇકાલે સેન્સેકસ 21,164 ઉપર બંધ રહયો હતો . 10 જાન્યુઆરી 2008ના રોજ સેન્સેકસ 21,206 પર પહોંચયો હતો . પરંતુ આજે તેણે આ રેકોર્ડ પણ તોડી નાખ્યો હતો . નિફટી પણ આજે 6,357 પર પહોંચીને 8 જાન્યુઆરી 2008 પછી સૌથી ઉંચા સ્તરે પહોંચી હતી . આજે બીએસસી 30 શેરોનો સૂચક આંક 32.39 પોઇન્ટના વધારા સાથે 21,196.81 પોઇન્ટ પર , જ્યારે 50 શેરોવાળો નિફ્ટીનો 08.05ના વધારા સાથે 6,307.20ની સપાટીએ બંધ રહ્યો હતો . માર્કેટના જાણકારોના જણાવ્યા અનુસાર કેન્દ્રમાં નવી સરકાર બન્યા બાદ ભારતીય અર્થવ્યવસ્થામાં સારી તેજી જોવા મળી શકે છે . જેના પગલે વિદેશી રોકાણકારોએ અત્યારથી ભારતીય માર્કેટમાં રોકાણ શરૂ કર્યું છે . જેના કારણે આ તેજી જોવા મળી રહી છે . બીજી તરફ આજે ધનતેરસ હોવા છતાં સોનામાં સામાન્ય ચમક જોવા મળી હતી . આજે સોમામાં 39 રૂપિયાનો મામૂલી વધારો જોવા મળ્યો હતો . આ સાથે 10 ગ્રામ સોનાની કિંમત 29,832 રૂપિયા હતી ." entertainment,હાલમાં રણવીર સિંહ બોલિવૂડ ના સૌથી વધુ લોકપ્રિય અભિનેતા છે અને સાથે સાથે બેચલર પણ એટલા માટે લાખો દિલો પણ તેમના માટે ધડકે છે . રણવીર સિંહની જબરજસ્ત ફેન ફોલૉઈન્ગ છે ખાસ કરીને મહિલાઓમાં તેઓ ખૂબ જ ફેમસ છે . જ્યારે દીપિકા પાદુકોણ સાથે રણવીર સિંહ ના અફેરની વાત આવી ત્યારે લાખો દિલ તૂટી ગયા હતા . પરંતુ હાલમાં જ કંઈક એવું થયું છે જેને જાણી ને ખુદ રણવીર સિંહ પણ હેરાન થઈ જશે . નિકિતા સિંહ જેઓ ભારતની એક ફેમસ લેખિકા છે તેમને કહ્યું કે તેઓ રણવીર સિંહ સાથે લગ્ન કરી ચુક્યા છે . હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં નિકિતા સિંહ એ કહ્યું કે તેઓ રણવીર સિંહને દિલથી ચાહે છે અને તેમની સાથે લગ્ન પણ કરી ચુક્યા છે . જ્યારે રિપોર્ટરે કન્ફોર્મ કર્યું ત્યારે નિકિતા એ મજાકના મૂડમાં કહ્યું કે તેઓ એક્ટર રણવીર સિંહની વાત કરી રહ્યા છે . એ વાત તો સાફ છે કે નિકિતા મજાક કરી રહી છે . પરંતુ આ મજાકનો રણવીર અને દીપિકા પર શુ અસર થાય છે તે જોવું રસપ્રદ રહશે . entertainment,"મુંબઈ , 17 સપ્ટેમ્બર : કલર્સનો વિવાદાસ્પદ શો બિગ બૉસ 8 આગામી 21મી સપ્ટેમ્બરથી શરૂ થવા જઈ રહ્યો છે અને તે જ દિવસે બિગ બૉસના સ્પર્ધકોનો ખુલાસો પણ થઈ જશે . સલમાન ખાન દ્વારા હોસ્ટેડ આ શોને લઈને લોકોમાં ખૂબ જ ઉત્સુકતા અને આતુરતા છે . આ શો 90 દિવસ ચાલશે . પરંતુ બિગ બૉસ 8 અંગે સૌથી મોટો સસ્પેંસ છે તેના કૉન્ટેસ્ટંટોને લઈને . હજી સુધી તેના સ્પર્ધકોનો ખુલાસો થયો નથી . અત્યાર સુધી જે નામો ચર્ચામાં રહ્યા છે , તેમાં કરણ કુંદ્રા , રુસલાન મુમતાઝ , રશ્મિ દેસાઈ , ટીના દત્તા , કરિશ્મા તન્ના , નૌશીન અલી સરદાર , સંગીતા ઘોષ , ગૌરવ ચોપરા , અમીષા પટેલ તથા શર્લિન ચોપરાનો સમાવેશ થાય છે . આ ઉપરાંત આરતી છાબરિયા , રાગિણી ખન્ના , કાયનાત અરોરા , જુગલ હંસરાજ , ઇંદર કુમાર , સંગીતા બિજલાણી , મુકુલ દેવ , રતિ પાન્ડે , રાહુલ દેવ , સુમીત સહેગલ , મોના સિંહ , શ્રીસંત , વીજે રઘુ , પ્રિયા મણિ , નૌશીદ સરદાર અલી , કુમાર વિશ્વાસ , રવિ બહલ , હાર્ડ કૌર , અભિજીત ભટ્ટાચાર્ય , માહી વિજ , કોએના મિત્રા , મરિયમ ઝકરિયા , મૌસમી ઉદેશી , નેહા કક્કડ , શ્વેતા ભારદ્વાજ , શ્વેતા સાલ્વે , આર્યન બબ્બર , ઉપેન પટેલ , ગૌતમ ગુાટી તથા આરજે પ્રીતમના નામો પણ ચર્ચામાં છે . ચાલો તસવીરો સાથે જોઇએ બિગ બૉસ 8ના Expected Contestants :" entertainment,"સલમાન ખાન કહેતા ઘણો જ અફસોસ થાય છે પરંતુ આ વાત તદ્દન સાચી છે સલમાન ખાને બિલકુલ આવું જ કહ્યું હતું . સુલતાન સલમાન ખાને ભલે આ વાત મજાકમાં કહી હોઈ પરંતુ કોઈ પણ સુપરસ્ટારના મોઢેથી આવી વાત સારી નથી લાગતી . આમ તો અમને પણ ભરોષો છે કે રણવીર સિંહ પણ આ વાતને મજાકમાં જ લેશે . વાત આમ બની હતી કે રણવીર સિંહ આદિત્ય ચોપરાની ફિલ્મ બેફિકરે માટે પેરિસમાં શૂટિંગ કરી રહ્યા છે . જ્યાં થેયેટરમાં જઈને તેઓ સુલતાન ફિલ્મ જોવા ગયા . તેમને સુલતાન જોયી અને સાથે સાથે બેબી કો બેસ પસંદ હૈ ગીત પર થેયેટરમાં ડાન્સ પણ કર્યો . રણવીર સિંહનો આ અંદાઝ જોઈને થેયેટરમાં હાજર બધા જ લોકો નાચવા લાગ્યા . રણવીર સિંહનો આ અંદાઝ બધાને જ પસંદ આવ્યો અને તેની ઘણી ચર્ચા પણ થઈ . જ્યારે આ વિશે સલમાન ખાન ને પૂછવામાં આવ્યું ત્યારે તેમને મજાકના અંદાઝમાં કહ્યું . સલમાને કહ્યું કે "" હું તેને જાનથી મારી નાખવા માંગતો હતો , તેના માથા પર ખુરશી તોડીને મારવાનું ઈચ્છતો . તે ફિલ્મ જોવા ગયો હતી કે નાચવા ? હું કહું છું કે રણવીર સિંહ ઈચ્છતો હતો કે બધા લોકો તેને જુએ ." sports,નવી દિલ્હીઃ આઈપીએલ 2019ના સીઝન 12 માટે ખેલાડીઓની મંડી લાગી ગઈ છે . તમામ ફ્રેન્ચાઈઝી દિમાગી કસરતની સાથે પોતાની ટીમ માટે કેટલાય ખેલાડીઓને ખરીદવા માટે મન બનાવી ચૂક્યા હશે . મંગળવારે 18 ડિસેમ્બરે જયપુરમાં ખેલાડીઓની બોલી લાગવા જઈ રહી છે . આ દરમિયાન 436 ખેલાડીઓના ભાગ્યનો ફેસલો થશે જેમાં 226 ભારતીય ખેલાડીઓ સામેલ છે . 9 ખેલાડીઓએ ખુદની બેઝ પ્રાઈસ 2 કરોડ રાખી છે . દરેક ફ્રેન્ચાઈઝ પોતાની ટીમ માટે ફાયદાની ડીલ કરવા માગશે . તમામ ટીમમાં કોઈને કોઈ એવી કડી હશે જેને ટીમ મજબૂત કરવા માગશે . એવામાં ટીમ સારામાં સારા ખેલાડીઓને પોતાના ખાતામાં સામેલ કરવા માંગશે . entertainment,"મુંબઈ , 19 સપ્ટેમ્બર : કલર્સનો વિવાદાસ્પદ રિયલિટી શો બિગ બૉસ ફરી એક વખત ચર્ચામાં છે . આ શોની 8મી સીઝન 21મી સપ્ટેમ્બરથી શરૂ થઈ રહી છે અને ફરી એક વાર સલમાન ખાન જ તેને હોસ્ટ કરવા જઈ રહ્યા છે . જોકે ચૅનલે બિગ બૉસ 8ના સ્પર્ધકોના નામો ગુપ્ત રાખ્યાં છે , પરંતુ ઘણા નામો તેમાંથી લીક થયાં છે . તેમાં ઉપને પટેલ , વીજે બાની , કરિશ્મા તન્ના , મરિયમ ઝકરિયા , સુશાંત દિગ્વીકર વિગેરેનો સમાવેશ થાય છે . સલમાન ખાન દ્વારા હોસ્ટેડ આ શોને લઈને લોકોમાં ખૂબ જ ઉત્સુકતા અને આતુરતા છે . આ શો 90 દિવસ ચાલશે , પરંતુ બિગ બૉસ 8 અંગે સૌથી મોટો સસ્પેંસ છે તેના કૉન્ટેસ્ટંટોને લઈને . હજી સુધી ચૅનલ તરફથી તેના સ્પર્ધકોનો ખુલાસો થયો નથી . આમ છતાં કૉન્ટેસ્ટંટોના નામ લીક થઈ ચુક્યા છે . બીજી બાજુ બિગ બૉસ હાઉસ હ્યૂજ ઍરક્રાફ્ટની જેમ ડિઝાઇન કરાયુ છે કે જે સ્પર્ધકો માટે કમ્ફર્ટેબલી ફિટ હશે . સીટો , સામાન અને દીવાળો પર ઍરોપ્લેનની તસવીરો બિગ બૉસ હાઉસને બહુ કોઝી બનાવે છે . ગત સીઝનની થીમ સ્વર્ગ અને નર્કની હતી . જોઈ લો બિગ બૉસ 8ના સ્પર્ધકોનું Complete List :" entertainment,"ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીપર ફિલ્મ બનાવનાર અને ઑસ્કારથી સન્માનિત બ્રિટિશ દિગ્દર્શક રિચર્ડ એટનબરોનું નિધન થઈ ગયું છે . ગઈકાલે બપોરે તેમનું નિધન થઈ ગયું . તેઓ 90 વર્ષના હતાં . મહાત્મા ગાંધીના જીવન પર નિર્મિત પોતાની ફિલ્મ ગાંધીને લઈને એટનબરોને ખૂબ પ્રસિદ્ધિ મળી હતી . રિચર્ડ એટનબરોના છહ દાયકા લાંબા કૅરિયરમાં તેમની સૌથી ચર્ચિત ફિલ્મ ગાંધી જ રહી હતી . ગાંધીએ સર્વશ્રેષ્ઠ ફિલ્મ સહિત આઠ ઑસ્કાર ઍવૉર્ડ્સ અંકે કર્યા હતાં . તેમના નિધનથી હૉલીવુડ અને બૉલીવુડમાં પણ શોક વ્યાપી ગયો છે . ગાંધી ફિલ્મમાં મહાત્મા ગાંધીની ભૂમિકા ભજવનાર બેન કિંગસ્લેએ પણ રિચર્ડ એટનબરોના નિધન અંગે દુઃખ વ્યક્ત કર્યુ છે . ગાંધી ફિલ્મની સમીક્ષકોએ ખૂબ પ્રશંસા કરી હતી , તો દર્શકોનો પણ તેને બહુ પ્રેમ મળ્યો હતો . રિચર્ડ એટનબરોને શ્રદ્ધાંજલિ અર્પતાં બ્રિટનના વડાપ્રધાન ડેવિડ કૅમરને ટ્વીટ કર્યું કે ફિલ્મ બ્રાઇટન રૉકમાં તેમનો અભિનય લાજવાબ હતો . ગાંધીમાં તેમનું દિગ્દર્શન અભૂતપૂર્વ હતું . રિચર્ડ એટનબરો સિનેમાની મહાન શખ્સિયતોમાંના એક હતાં . રિચર્ડ એટનબરો સફળ ફિલ્મ દિગ્દર્શક ઉપરાંત પીઢ અભિનેતા પણ હતાં . પોતાના કૅરિયર દરમિયાન તેમણે બ્રાઇટન રૉક , બીજા વિશ્વ યુદ્ધના યુદ્ધ કેદીઓ પર બનેલી થ્રિલર ફિલ્મ ધ ગ્રેટ એસ્કેપ તથા ડાયનાસોર પર નિર્મિત જુરાસિક પાર્કમાં અભિનેતા તરીકે કામ કર્યુ હતું . તેમને મિરેકલ ઑન થર્ટી ફૉર્થ સ્ટ્રીટની રીમેકામાં ક્રિસ કિંગલના પાત્ર માટે પણ ઓળખવામાં આવે છે . ચાલો તસવીરો સાથે જોઈએ વધુ વિગતો :" business,"આર્થિક મોર્ચે કેન્દ્ર સરકારને મોટો ઝટકો લાગ્યો છે . નાણાંકીય વર્ષ 2017 - 18 માટે સરકારી અનુમાન મુજબ ભારતની જીડીપી ઘટીને 6.5 ટકા રહેવાનું અનુમાન છે . ગત વર્ષની સાથે આ દરની તુલના કરીએ તો 2016 - 17માં ભારતનો જીડીપી દર 7.1 ટકા હતો . સરકારની તરફથી નાણાંકીય અનુમાન સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઑફિસે શુક્રવારે જાહેર કર્યું હતું . તમને જણાવી દઇએ ક 2017 - 18ના નાણાંકીય વર્ષના પહેલા ત્રિમાસિકમાં જીડીપી , વિકાસ દરના સૌથી નીચા સ્તર 5.7 ટકા પર જતું રહ્યું હતું . વિપક્ષે આ મામલે નોટબંધી અને જીએસટીને કારણભૂત જણાવ્યું હતું . જ્યારે બીજા ત્રિમાસિકમાં અર્થવ્યવસ્થા થોડા સુધારામાં જોવા મળી હતી . અને જીડીપી 6.3 ટકા પર જોવા મળી હતી . આ પહેલા આરબીઆઇ એ પણ જીડીપી દરના અનુમાનને ઘટાડીને 6.7 ટકા પર જવાની વાત કરી હતી . સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ આ પહેલા એક રિપોર્ટમાં જણાવ્યું હતું કે આ વર્ષે જીડીપી દરને 7 ટકાથી ઉપર લઇ જવો લગભગ અશક્ય છે . નોંધનીય છે કે હાલમાં જ ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ પોતાની જ સરકાર પર આક્ષેપ કરતા કહ્યું હતું કે સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઑફિસને મોદી સરકારના દબાવમાં જીડીપીના ખોટા આંકડા રજૂ કરવા પડી રહ્યા છે . સ્વામીએ ચાર્ટર એકાઉન્ટટની એક સભામાં કહ્યું હતું કે તમે જીડીપીના ત્રિમાસિકના આંકડા પર ના જુઓ . કારણ કે તે બકવાસ છે . હું તમને આમ એટલા માટે કહું છું કારણ કે મારા પિતાએ સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇજેશન બનાવ્યું હતું . હું સીઇઓ કેન્દ્રીય મંત્રી સદાનંદ ગૌડા સાથે જતો હતો ત્યારે સીઇઓએ એક વ્યક્તિને કહ્યું હતું કે નોટબંધી પછી તેમની પર સારા નંબર બતાવા માટે દબાવ નાંખવામાં આવે છે . માટે જ તેમણે જીડીપીનો તેવો આંકડો આપ્યો છે જેના કારણે દેશની અર્થવ્યવસ્થાને કોઇ અસર ના પડે . વિશ્વ અને ભારત જો કે બીજી તરફ તે વાતને પણ નજર અંદાજ કરાય તેમ નથી કે દુનિયાને હજી પણ ભારતની અર્થવ્યવસ્થા પર વિશ્વાસ છે . જીડીપીના દર ઉપર નીચે જતા રહેતા હોવા છતાં આંતરાષ્ટ્રીય રેટિંગ એજન્સી , ફિચના એક રિપોર્ટમાં જણાવ્યું છે કે ભારત આવનારા 5 વર્ષમાં ચીનની અર્થવ્યવસ્થાને પછાડી શકે છે . અને દુનિયાની સૌથી વધુ વિકાસ દર વળી અર્થવ્યવસ્થા બની શકે છે . ફિચે જણાવ્યું કે ચીનની જીડીપી જ્યાં ઓછી થઇને 5.5 રહી ગઇ છે ત્યાં ભારતની જીડીપી 6.7 દરે વિકાસ બતાવી રહી છે ." business,"શેરબજારની ગતિવિધિથી સતત અવગત રહેલા લોકોને ચોક્કસ ધ્યાનમાં હશે કે ભારતમાં લોકસભાની ચૂંટણી પહેલા કેટલાક ખાસ બેંકિંગ , ઇન્ફ્રાસ્ટ્ર્કચર અને મેટલ સ્ટોક્સ રોકાણકારોના અતિ પ્રિય સ્ટોક્સ હતા . ચૂંટણી પૂરી થતા જ તેમાં કોઇ લેવાલ રહ્યા નથી . કેટલાક ખાસ શેરોમાં 30થી 50 ટકા સુધીનો કડાકો જોવા મળ્યો હતો . કેન્દ્રમાં સ્થિર સરકાર આવવા છતાં આ ઘટાડો નોંધાયો છે . આ ઉપરથી સ્પષ્ટ થઇ જાય છે કે રોકાણકારો માત્ર સ્થિર સરકાર અને ફાયદાકારક આર્થિક નીતિઓના દમ પર સ્ટોક્સમાં રોકાણ કરવાનું જોખમ લેતા નથી . અહીં અમે એવા કેટલાક સ્ટોક્સની વાત કરી છે જેમાં છેલ્લા કેટલાક મહિનાઓમાં અચાનક ઘટાડો નોંધાયો છે . સરકારી બેંકોમાં અનેક સુધારા થવાની શક્યતાઓ વ્યક્ત થઇ રહી છે ત્યારે રોકાણકારોએ રિયાલિટી ચેક કરીને તેની વાસ્તવિક સ્થિતિ બહાર લાવી છે . ચાલો છેલ્લા ત્રણ મહિનામાં પછડાટ ખાનારા સરકારી બેંક સ્ટોક્સની વિગતો જોઇએ . . ." business,"શેર બજારમાં સેન્સેક્સ અને નિફટી રેકોર્ડ સ્તરે છે , પરંતુ રૂપિયામાં સતત ઘટાડો થઇ રહ્યો છે . રૂપિયો બુધવારે 22 પૈસા ગગડીને 70.32 પર પહોંચી ગયો હતો . એટલું જ નહીં પરંતુ તેમાં ઘટાડો હજુ પણ ચાલુ જ છે . હવે રૂપિયા એક અમેરિકી ડોલરને મુકાબલે સૌથી નીચલા સ્તરે 70.51 પર પહોંચી ચુક્યો છે . મંગળવારે રૂપિયો અમેરિકી ડોલરને મુકાબલે 70.09 પર હતો . જણાવવામાં આવી રહ્યું છે કે ઓઇલ માર્કેટિંગ કંપની તરફથી ડોલરની ડિમાન્ડ વધવાને કારણે રૂપિયા પર દબાણ વધી ગયું છે . અમેરિકી અર્થવ્યવસ્થામાં સુધાર થવાને કારણે ડોલર મજબૂત થયો છે , એટલા માટે દુનિયાભરની કરન્સી પર દબાણ વધ્યું છે . એક્સપર્ટ અનુસાર આવનારા દિવસોમાં હજુ પણ નીચલા સ્તરે પહોંચી શકે છે . કેમ બેન્કની લૉન થઈ જાય છે રિજેક્ટ ? રિજેક્શન અટકાવવાના ઉપાય આમ જોવા જઇયે કે રૂપિયામાં ઘટાડો થવા છતાં ભારતમાં વિદેશી રોકાણ સતત વધી રહ્યું છે . જેને કારણે ઘણા એક્સપર્ટ તેને અર્થવ્યવસ્થા માટે એક સારો સંકેત માને છે . તેમનું માનવું છે કે વિદેશી રોકાણ વધવાને કારણે રૂપિયામાં મોટો ઘટાડો અચાનક આવે , તેની આશંકા ખુબ જ ઓછી છે ." entertainment,"યુવતીઓની પ્રથમ પસંદગી બની ચુકેલા અભિનેતા રણબીર કપૂરના જીવનમાં કેટલી ગર્લફ્રેન્ડ્સ આવી ? હાલમાં તેમની સૌથી નજીક કોણ છે ? તેમના માતા - પિતા શું વિચારે છે ? આવા તમામ પ્રશ્નો ઉપરાંત હાલના ગર્લફ્રેન્ડ કૅટરીના કૈફ વિશે અનેક ખુલાસા કર્યા છે રણબીર કપૂરે . રણબીરે કૉફી વિથ કરણ શોમાં જણાવ્યું કે કઈ રીતે તેમણે પોતાના મમ્મી - પપ્પાના મનમાં કૅટરીના કૈફ અંગે ગેરસજમણો દૂર કરી . કરણ જૌહરના આ શોમાં રણબીરે જણાવ્યું - જ્યારે મારી મૈત્રી કૅટરીના સાથે થઈ અને નિકટતાઓ વધવા લાગી , ત્યારે મમ્મી - પપ્પા ( નીતૂ સિંહ તથા ઋષિ કપૂર ) ને જાણ થઈ . તેમણે વારંવાર મારી સાથે પાછલા બ્રેક - અપ્સ અંગે ચર્ચા કરી અને પૂછ્યું કે હવે તારો શો ઇરાદો છે ? ત્યારે હું કંઈ પણ સ્પષ્ટ રીતે ન કહી શક્યો . 31 વર્ષીય રણબીર કપૂરને લાગે છે કે કૅટરીના તેમના માતા - પિતાને પણ પસંદ છે . કરણે જ્યારે રણબીરને પૂછ્યું કે ઋષિ કપૂર તેમની આ રિલેશનશિપ અંગે શું વિચારે છે ? ત્યારે જવાબમાં રણબીરે જણાવ્યું - મને નથી લાગતું કે જ્યારે તેમને કોઈ એમ પૂછશે કે તેમનો પુત્ર ગર્લફ્રેન્ડ ધરાવે છે , તો તેઓ હા કહેશે . . . મને નથી લાગતું કે તેઓ આ બાબતને એક્સેપ્ટ પણ કરશે . તેઓ માત્ર એટલું જ કહેશે કે ચાલો સાથે ભોજન કરીએ . ચાલો તસવીરો સાથે બતાવીએ આગળ શું બોલ્યાં રણબીર કપૂર :" sports,"હોકીની રમતની વાત આવે અને મેજર ધ્યાનચંદની યાદ ન આવે એવુ ક્યારેય બન્યું છે ? મેજર ધ્યાનચંદ એટલે ' ' હોકીના જાદુગર ' ' . મેજર ધ્યાનચંદે ઓલિમ્પિક ગેમમાં ભારતને સુવર્ણપદક અપાવ્યો હતો . આથી 29 ઓગસ્ટ એટલે ધ્યાનચંદનો જન્મ દિવસને આપણે રાષ્ટ્રીય ખેલ દિન તરીકે ઉજવીએ છીએ . આ દિવસે મેજર ધ્યાનચંદની યાદમાં દેશમાં ઘણા કાર્યક્રમો યોજાય છે . આ દિવસને યાદ કરતા રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે ખેલ ક્ષેત્રે દેશના ખેલાડીઓના યોગદાન બદલ વિવિધ એવોર્ડથી સન્માનિત કર્યા હતા . આ સમારોહમાં ખેલ રત્ન , અર્જુન પુરસ્કાર , દ્રોણાચાર્ય પુરસ્કાર , ખેલ પ્રોત્સાહન જેવા પુરસ્કારો આપવામાં આવ્યા હતા . જેમાં હોકી ખેલાડી સરદાર સિંહ અને પેરાઓલિમ્પિક ખેલાડી દેવેન્દ્ર ઝાઝરિયાને ખેલ રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા . નીતા અંબાણીના રિલાયનસ ફાઉન્ડેશન યુથ સ્પોટ્સને ખેલ પ્રોત્સાહનથી સન્માનિત કરવામાં આવ્યુ હતુ . અર્જુન એવોર્ડ માટે ક્રિકેટર હરમનપ્રીત કૌર અને એસએસપી ચોરસિયાની પસંદગી કરવામાં આવી હતી . આ ઉપરાંત થંગાવેલુ મરિયપ્પનને પણ અર્જુન એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા . બેટમિંટન કોચ જીએસએસવી પ્રસાદને દ્રોણાચાર્ય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા ." sports,રિયો ડી જેનેરિયોમાં ભારતની બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુએ મહિલા સિંગલ ફાઇનલમાં વિશ્વની નંબર 1 ખેલાડી કૈરોલિના મરીનને છેલ્લી ક્ષણ સુધી કાંટાની ટક્કર આપી . ભલે ભારતને રિયો ઓલમ્પિકમાં સિલ્વર મેડલ જ મળ્યો હોય પણ તેમ છતાં પીવી સિંધુની આ હાર પર પણ ભારતીયોને ગર્વ છે . પહેલી જ ગેમમાં પીવી સિંધુએ 21 - 15થી કૈરોલિનને હારવી હતી . જો કે પાછળની બે મેચ કૈરોલિન 21 - 19 અને 21 - 12થી જીતી હતી . છેલ્લી મેચમાં પણ 21 - 19 એમ પીવી સિંધુ ખાલી થોડા માટે જ પાછળ રહી ગઇ હતી અને છેલ્લી ક્ષણ સુધી તેણે ગોલ્ડ મેડલ મેળવવા માટે પ્રયાસ ચાલુ રાખ્યો હતો . જે વાત બિરદાવા જેવી છે . પીવી સિંધુની મેચની તમામ ડિટેલ વાંચો અહીં . ત્યારે પીવી સિંધુને સિલ્વર મેડલ મળ્યા બાદ અનેક લોકોએ તેને શુભેચ્છા પાઠવી હતી . એટલું જ નહીં સોશ્યલ મીડિયા પર અને ટ્વિટર પણ અનેક લોકોએ પીવી સિંધુની આ અદ્ધભૂત સફળતા માટે તેના વખાણ કર્યા હતા . ત્યારે કોણે શું કહ્યું તે જાણો અહીં . . . . entertainment,"મુંબઈ , 19 સપ્ટેમ્બર : છેલ્લા કેટલાક વખતથી સોનમ કપૂર અને દીપિકા પાદુકોણે વચ્ચે અણબનાવના સમાચારો હૅડલાઇન્સ બનતા હતાં , પણ તાજેતરમાં જ દીપિકાની ફિલ્મ ફાઇંડિંગ ફૅનીના સ્પેશિયલ સ્ક્રીનિંગ દરમિયાન સોનમ કપૂર પણ પહોંચી ગયાં . દીપિકા - સોનમને સાથે જોઈ લોકોને આશ્ચર્ય થયું , પરંતુ લાગે છે કે સોનમ આ ફિલ્મના સ્ક્રીનિંગમાં માત્ર પોતાના પિતરાઈ ભાઈ અર્જુન કપૂર માટે જ પહોંચ્યા હતાં , સોનમ સાથે મૈત્રીના કારણે નહીં . આ વાત સાબિત પણ થઈ ગઈ છે , કારણ કે સોનમે દીપિકાના ક્લીવેજ વિવાદમાં ઝંપલાવ્યું છે અને તે પણ દીપિકા પાદુકોણે ઉપર હુમલો કરી . સોનમે એક ઇંટરવ્યૂમાં કહ્યું - જો સ્ત્રીઓ પોતાની જાતને એક કમો઼ડિટી ( વસ્તુ ) તરીકે રજૂ કરવાનું બંધ કરી દેશે , તે જ દિવસથી લોકો પણ સ્ત્રીઓ માટે પોતાનો અભિગમ બદલી નાંખશે . નોંધનીય છે કે દીપિકા પાદુકોણે તાજેતરમાં અંગ્રેજી અખબાર ટાઇમ્સ ઑફ ઇંડિયા દ્વારા તેમના ક્લીવેજ શો અંગેના સમાચારો વહેતા કરવા બદલ નારાજ થઈ ગયા હતાં . તેમણે પહેલા ટ્વિટર અને આજે ફરી એક વાર ફેસબુક વડે પોતાનો રોષ પ્રકટ કર્યો . દીપિકાના આ રોષ પ્રત્યે બૉલીવુડની અનેક હસ્તીઓએ તેમને ટેકો આપ્યો છે , પરંતુ સોનમ કપૂર તેમના ટીકાકાર તરીકે ઉપસી આવ્યા છે . જોકે દીપિકાને સૂફિયાણી સલાહ આપનાર સોનમ કપૂર પણ ક્લીવેજ શોમાં દીપિકા કરતા જરાય ઓછા આવે તેમ નથી . વિશ્વાસ નથી થતો ? તો સ્લાઇડરમાં જોઈ લ્યો સોનમ કપૂરનો ક્લીવેજ શો :" sports,"ન્યુઝીલેન્ડ વિરૃધ રમાયેલી મેચ દરમિયાન પાકિસ્તાનના કપ્તાન શાહિદ આફ્રીદી પોતાના આપેલા નિવેદન પર ફસાઈ ગયા છે . મેચ પહેલા ટોસ દરમિયાન શાહિદ આફ્રીદીએ કાશ્મીરને લઇને એક નિવેદન આપ્યું હતું . જેને કારણે તે સોશિયલ મીડિયા પર લોકોના નિશાને આવી ગયા છે . શાહિદ આફ્રીદીએ ટોસ સમયે કહ્યું હતું કે કાશ્મીરથી ઘણા લોકો તેમને સમર્થન આપવા આવ્યા છે . એટલું જ નહી પરંતુ શાહિદ આફ્રીદીએ કહ્યું કે હું બધા જ લોકોનો આભાર માનું છુ , જે લોકો ઈડન ગાર્ડનના મેદાનમાં અમારી ટીમને સમર્થન કરવા માટે આવ્યા હતા . શાહિદ આફ્રીદીએ આ નિવેદન ત્યારે આપ્યું હતું જયારે રમીઝ રાજાએ તેને પૂછ્યું હતું કે "" તમને લાગે છે કે ભારતમાં તમને સારું સમર્થન મળી રહ્યું છે "" આ પહેલા પણ શાહિદ આફ્રીદી વિવાદોમાં આવી ચુક્યા છે , જયારે તેમને એવું કહ્યું હતું કે પાકિસ્તાન કરતા પણ વધારે પ્રેમ તેમને ભારતમાં મળી રહ્યો છે . શાહિદ આફ્રીદીના આ નિવેદનની પાકિસ્તાન માં ખુબ જ ટીકા કરવામાં આવી હતી . ન્યુઝીલેન્ડ વિરૃધ રમાયેલી મેચમાં પાકિસ્તાનને હારનો સામનો કરવો પડ્યો છે . આ હારથી તેમનો ટી20 વર્લ્ડકપ માં આગળ વધવાનું સપનું લગભગ અસંભવ છે ." sports,"નવી દિલ્હી , 25 જુલાઇઃ હાલના સમયમાં ભારતનો લોર્ડ્સમાં વિજય , રવિન્દ્ર જાડેજા અને એન્ડરસન વિવાદ ઉપરાંત જો કોઇ વધુ ચર્ચામાં હોય તો તે ભારતનો સુપર ક્રિકેટર વિરાટ કોહલી છે . ઇંગ્લેન્ડના પ્રવાસમાં ટેસ્ટ શ્રેણી દરમિયાન વિરાટ કોહલી નિષ્ફળતાનો સામનો કરી રહ્યો છે તો બીજી તરફ અનુષ્કા શર્માને સાથે રાખવાને લઇને એક વિવાદ જાગ્યો છે . આ બધાની વચ્ચે કોહલીના નાનપણના કોચ રાજકુમાર શર્માએ તેને સલાહ આપી છેકે , સ્વિંગ સામે રમવા માટે તે પોતાની ઇનિંગની શરૂઆતમાં સ્ક્વેયર ઓફ ધ વિકેટ શોટ ના રમે . શર્માએ કહ્યું કે , વિરાટના નામે છ ટેસ્ટ સદી છે અને તે લાંબા સમય સુધી ચૂપ રાખી શકાય નહીં . મારી તેની સાથે સતત વાત થયા કરે છે અને મે તેને ઇનિંગની શરૂઆતમાં સ્ક્વેયર ઓફ ધ વિકેટ શોટ નહીં રમવાની સલાહ આપી છે . તેણે ‘વી ' નું ધ્યાન રાખીને રમવું જોઇએ . તેનાથી તેને સ્વિંગ અને સીમની મૂવમેન્ટ સામે રમવામાં મદદ મળશે . સપ્ટેમ્બરમાં ખેલાશે ચેમ્પિયન્સ લીગ ટી20નો જંગ , જાણો કાર્યક્રમ પર્થની આ સદીએ બદલી નાંખી હતી સચિનની કારકિર્દી આ પણ વાંચોઃ - વિશ્વના ટોપ 10 મોસ્ટ વેલ્યુએબલ ખેલાડી , ધોની પાંચમાં ક્રમે તેમને જ્યારે પૂછવામાં આવ્યું કે તેમણે કોહલીને કોઇ ખાસ શોટથી બચવા માટે કહ્યું છે , તો તેમણે કહ્યું કે , મે તેને શરૂઆતમાં ફ્લિક કરવાથી બચવા કહ્યું છે . તેણે પોતાની બેટિંગમાં વધારે બદલાવ કરવાની જરૂર નથી . તે સીધા બેટથી રમે અને ટૂંક સમયમાં તે મોટી ઇનિંગ રમશે ." business,"નવી દિલ્હી , 11 ઓક્ટોબર : અનેકવાર એવું ધ્યાનમાં આવ્યું છે કે ગરીબી રેખાની નીચે જીવતા પરિવારોમાં જ્યારે પણ એકલ કમાઉ સભ્યનું અવસાન થાય છે અથવા આકસ્મિક મૃત્યુ થાય છે ત્યારે પરિવાસ આર્થિક સંકટમાં મુકાઇ જાય છે . સરકાર આ વર્ગના લોકોની મદદ માટે સમયાંતરે વિવિધ યોજનાઓ બહાર પાડતી હોય છે . આમ છતાં તેમનામાં આ યોજના અંગે શિક્ષણ અને તેનો લાભ પહોંચાડવાની જરૂર છે . આવી સ્થિતિમાં અત્યંત મહત્વની બાબત એ છે કે કમનસીબ લોકોને વીમાના લાભ અંગેની જાણકારી આપવામાં આવે . તાજેતરમાં રજૂ થયેલી પ્રધાનમંત્રી જન ધન યોજનાથી આવા લોકોને ચોક્કસ લાભ થશે . આ ઉપરાંત ગરીબોને મદદ કરનારી અન્ય એક મહત્વની યોજના ' આમ આદમી વીમા યોજના ' અંગે અહીં વાત કરીએ . . . આમ આદમી વીમા યોજના શું છે ? થોડા વર્ષો પહેલા ભારત સરકારે બે વીમા યોજનાઓ ' આમ આદમી વીમા યોજના ' અને ' જનશ્રી વીમા યોજના ' ને ભેગી કરી દીધી હતી . હવે આ યોજનાને ' આમ આદમી વીમા યોજના ' ( એએબીવાય - AABY ) તરીકે ઓળખવામાં આવે છે . યોજનાનો હેતુ આ યોજનાનો હેતુ ગરીબી રેખા નીચે જીવતા લોકોને વીમા કવચ પુરું પાડવાનો છે . આ યોજનાનો લાભ ગરીબી રેખાથી ઉપર જીવતા પણ અત્યંત નબળી આર્થિક સ્થિતિ ધરાવતી વ્યક્તિઓ ( આઇડેન્ટિફાઇડ વોકેશનલ ગ્રુપ્સ / ગામડાના જમીન વિહોણા લોકો ) ને પણ મળે છે . આ યોજનાના માપદંડોમાં આવતા લોકોને વાર્ષિક માત્ર રૂપિયા 200ના પ્રિમિયમ પર રૂપિયા 30,000નો વીમો મળે છે . આ માટેની એક માત્ર શરત એ છે કે જેના નામે વીમો હોય તે વ્યક્તિ પરિવારની એક માત્ર કમાઉ વ્યક્તિ હોવી જોઇએ . મહત્વની બાબત એ છે કે ગામડાના ઘરવિહોણા લોકો માટે વીમાનું 50 ટકા પ્રિમિયમ સરકાર ચૂકવે છે . આ યોજના માટે ઉંમરના દસ્તાવેજ માટે નીચેના પ્રુફ હોય તો ચાલે છે . રેશન કાર્ડ , જન્મનોંધણી પત્ર , સ્કૂલ સર્ટિફિકિટ , મતદાર યાદી , સરકારી વિભાગ દ્વારા આપવામાં આવેલું ઓળખ કાર્ડ , આધાર કાર્ડ ." entertainment,"અપૂર્વ લાખિયાની ફિલ્મ ઝંજીર આજે મોટા પડદે રિલીઝ થઈ રહી છે . જોકે જ્યારથી ફિલ્મ શરૂ થઈ , ત્યારથી એક જ વાત થાય છે કે આ અમિતાભ બચ્ચનની 1973માં રિલીઝ થયેલી ફિલ્મ ઝંજીરની રીમેક છે , પરંતુ ફિલ્મો જાયા બાદ કદાચ લોકોની ગેરસમજણ દૂર થઈ જશે . જંજીર ફિલ્મનું માત્ર નામ જૂની ઝંજીરથી મળતું આવે છે . ઉપરાંત કેટલાંક સીન્સ તથા પાત્રોના નામો છે કે જે જૂની ઝંજીરમાંથી કૉપી કરાયાં છે , પરંતુ ફિલ્મની વાર્તા અથવા તેને સ્ક્રીન ઉપર દર્શાવવાની રીત બધુ અલગ છે . રામ ચરણ તેજાએ ફિલ્મમાં બહેતરીન એક્ટિંગ કરી છે અને તેમનામાં ઍંગ્રી યંગ મૅનના તમામ લુક્સ પણ જોવા મળ્યાં . પ્રિયંકા ચોપરા ફિલ્મમાં માત્ર શોપીસ જેમ રખાયાં છે . તેમનીપાસે વધુ કંઈ કરવા માટે નહોતું . ઝંજીર ફિલ્મમાં ગીતો પણ કંઈ ખાસ નથી . રામ ચરણના લુક્સ સમ્પૂર્ણ રીતે સાઉથના સુપરસ્ટારના જ લાગ્યાં . તેમને જોઈ એમ જ લાગ્યું કે કાં તો દિગ્દર્શકે તેમના લુક્સ ઉપર વધુ ધ્યાન નથી આપ્યું અથવા રામ સાઉથની જ ફિલ્મોમાં ફિટ થાય છે . બૉલીવુડ માટે એક્ટરના ચેહરા પર જે ચાર્મ હોવું જોઇએ , તે ક્યાંયકને ક્યાંક રામ ચરણ તેજાના ચહેરા ઉપરથી ગાયબ છે . રામે ઝંજીર ફિલ્મમાં ખૂબ જ શ્રેષ્ઠ સ્ટંટ તેમજ એક્શન સીક્વંસ આપ્યાં છે , પરંતુ ક્યાંકને ક્યાંક એક્શનનો ઓવરડોઝ થઈ ગયો લાગે છે . જોકે ઝંજીર જોતી વખતે અનેક વાર અમિતાભ બચ્ચનની છબી પણ આંખો સામે ઉપસી આવે છે , પણ રામ ચરણ તેજા સાથે અમિતાભની સરખામણી કરવાનો મતલબ હશે ફિલ્મને નકારી દેવી . પ્રિયંકા ચોપરા ફિલ્મમાં પણ પ્રિયંકા ચોપરા જ લાગ્યાં છે . ક્યાંયથી પણ તેઓ માલાના પાત્રમાં ઢળતાં નથી દેખાતાં . ક્યાંક - ક્યાંક વગર કારણે સીન્સ અને રોમાંસનો ઉપયોગ કરાયો છે . તેના વગર પણ ફિલ્મ બની શકી હોત . ઉપરાંત વિજય તથા શેરા એટલે કે સંજય દત્ત વચ્ચે કેટલાંક સીન્સ ખૂબ જ બહેતરીન હતાં . પ્રકાશ રાજે હંમેશા મુજબ પોતાની વિલનની એક્ટિંગ દ્વારા હસાવ્યાં પણ અને ગુસ્સો પણ અપાવ્યો . માહી ગિલ પણ ફિલ્મમાં વગર કારણે જ યૂઝ કરાયાં છે . આવો તસવીરો સાથે જાણીએ ફિલ્મ ઝંજીર વિશે વઘુ વિગતો :" business,"નોવાર્ટિસની ઇચ્છા હતી કે કેન્સરની દવાના એક નવી સંસ્કરણ ( ગ્લિવેક ) માટે તેને પેટન્ટ આપવામાં આવે . આ મુદ્દે ભારતીય અધિકારીઓએ એમ કહીને કંપનીને પેટન્ટ આપવાની ના કહી હતી કે તેનું નવું સંસ્કરણ કંપનીની દવાથી ખાસ અલગ નથી . મેડિકલ ક્ષેત્રમાં કામ કરનારી સંસ્થાઓનું કહેવું છે કે જો નોવાર્ટિસ આ કેસ જીતી ગઇ હોત તો તેના પરિણામો ગંભીર આવી શકત . આ મુદ્દે વકીલ પ્રતિભાસિંહનું કહેવું છે કે આ ચૂકાદાનો નિર્ણય એ છે કે પેટન્ટ અસલી આવિષ્કારને જ મળશે અને થોડો ફેરફાર કરવાથી નહીં મળે . આવી સ્થિતિમાં જો મુખ્ય મોલેક્યુલને પેટન્ટ નથી મળતી તો આ દવાઓ ભારતીય કંપનીઓ પણ બનાવી શકશે . વકીલના જણાવ્યા અનુસાર કોર્ટે જણાવ્યું છે કે સેક્શન 3 ડી અંતર્ગત એવી જોગવાઇ છે કે દવાઓને વારંવાર પેટન્ટ નહીં મળે અને તે યોગ્ય પણ છે . ગ્લિવેકનો ઉપયોગ લ્યુકેમિયા અને અન્ય કેન્સરના ઇલાજમાં થાય છે . તેની કિંમત અંદાજે 2600 ડૉલર એટલે કે અંદાજે રૂપિયા 1 લાખ 30 હજાર પ્રતિ મહિનો છે . ભારતમાં તેનું જેનરિક સંસ્કરણ અંદાજે 9,000 રૂપિયામાં જ મળે છે . નોવાર્ટિસે પોતાની દવાની પેટન્ટ માટે વર્ષ 2006માં અરજી કરી હતી . તેનું કહેવું હતું કે આ દવા સરળતાથી શરીરમાં જાય છે આ કારણે તેને પેટન્ટ મળવી જોઇએ . પશ્ચિમી દવા કંપની કહેતી આવી છે કે જો એસસીએ નોવાર્ટિસની વિરુદ્ધ નિર્ણય આપ્યો તો તેનાથી સંશોધનમાં નાણા રોકનારાઓને મોટી ઠેસ પહોંચશે ." business,"હવે તમારે બેંકમાં વારંવાર નહીં જવું પડે કારણ કે હવે એટીએમની પાસે એવું મશીન લગાવવામાં આવશે જે તમારા બેંકના તમામ કામને સરળતાથી કરશે . આ મશીન બેંક ઇન એ બોક્સ નામના કોન્સેપ્ટ હેઠળ બનાવવામાં આવ્યા છે જે બેંકિગ ભવિષ્ય બદલી દેશે . બેંક ઇન એ બોક્સ દ્વારા આખા બેંકને એક બોક્સમાં સમાવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે . એટીએમની પાસે ચાર મશીન લગાવવામાં આવશે હલી મશીનન SS32માં તમે ચેક જમા કરાવી શકશો , ચેકથી પૈસા નીકાળી શકશો . કેશ ટ્રાંસફર કરી શકશો અને આ દરમિયાન તમને કોઇ મદદની જરૂર પડી તો તમારી જોડે મશીન વાત પણ કરશે . બીજા મશીનનું નામ છે SS22 , આ મશીનથી તમે બ્રાંચ બેંક ગયા વગર ખાતું ખોલી શકો અને કાર્ડની લેનદેન પણ કરી શકો અને પોતાની પસંદની ભાષાથી લઇને થીમ પણ બદલી શકો . અને ત્રીજું મશીન SS83 પૈસાને રિસાઇકલ કરી કેસને મશીનમાં નાખે છે જેનો વિડ્રોઅલ માટે પણ ઉપયોગ કરી શકાય . ચોથું મશીન ઇસ્ટન્ટ કાર્ડ ઇશ્યોરન્સ મશીનથી તમારું બેંક ખાતુ ખોલી આપશે . એટલું જ નહીં આ સાથે તમને તરત ડેબિટ કાર્ડ પણ મળી જશે . તે માટે તમારે ખાલી અહીં તમારું આધાર કાર્ડ આપવું પડશે . આ મશીનને એનસીઆર કોર્પોરેશને બનાવ્યું છે . આ મશીનને એટીએમ મશીનની જગ્યાએ લગાવવા માટે એનસીઆર કોર્પોરેશને અનેક બેંકો જોડે વાતચીત કરી છે . કંપનીનું કહેવું છે કે આ વર્ષના અંતમાં ગ્રાહકોની સેવા કરવા માટે આ મશીનને લગાવવામાં આવશે . આ મશીનની સૌથી સારી વાત એ છે કે તેનો ઉપયોગ 24 કલાક કરી શકાશે . અને પછીથી તમારે બેંક જવાની જરૂર નહીં પડે ." business,"આજે એક પ્રેસ કોન્ફરન્સમાં બેંકોએ જણાવ્યું કે આરબીઆઇએ ઘટાડેલો રેપો રેટ ગ્રાહકો સુધી લાભ પહોંચાડવા માટે પૂરતો નથી . માર્કેટમાં લિક્વિડિટીની સ્થિતિ સરળ નહીં હોવાથી ઉંચા દરે નાણા મેળવવા પડે છે . આ કારણે વ્યાજ દરમાં ઘટાડાની કોઇ શક્યતા નથી . એસબીઆઇના ચેરમેન પ્રતીપ ચૌધરીએ જણાવ્યું કે "" વ્યાજદર ઘટાડવાની કોઇ શક્યતાઓ નથી . અમારી ઉપ વ્યાજ દરો ઘટાડવા માટે કોઇ ફરજિયાત દબાણ નથી . વાસ્તવમાં આનો લાભ મળે એવું કશું જ નથી . "" તેમણે અગાઉ એવા સંકેત આપ્યા હતા કે આરબીઆઇ કેશ રિઝર્વ રેશિયોમાં ઘટાડો ના કરે તો બેંકો ગ્રાહકોને નીચા દરે લોન ઉપલબ્ધ કરાવી શકે એમ નથી . આરબીઆઇએ જાહેર કરેલી નવી નીતિ બાદની પ્રેસ કોન્ફરન્સમાં બેંકોએ જણાવ્યું હતું કે તેમની એસેટ લાયેબિલિટી કમિટીસ ( એએલસીઓ ) મળશે , નવી નીતિની સમીક્ષા કરશે અને ત્યાર બાદ નક્કી કરશે કે દરો ઘટાડવા કે નહીં . એસબીઆઇએ જણાવ્યું છે કે દરોમાં ઘટાડાની કોઇ શક્યતા નથી . આઇસીઆઇસીઆઇ બેંકે જણાવ્યું છે કે વ્યાજ દરમાં ઘટાડો એ ફંડ કયા દરે મળે છે તેના પર આધાર રાખે છે . એક્સિસ બેંક અને પંજાબ નેશનલ બેંક દ્વારા પણ આવા જ પ્રતિસાદ આપવામાં આવ્યા હતા . તમામ બેંકોએ નજીકના ભવિષ્યમાં વ્યાજદર ઘટાડવાની શક્યતાઓ નકારી કાઢી હતી . આરબીઆઇ ગવર્નર ડી સુબ્બારાવે જણાવ્યું હતું કે "" આપણે અર્થતંત્રમાં જરૂરી બચત કરવી પડે એમ છે . આ કારણે બેંકોની તેમના ગ્રાહકોને લાભ નહીં આપવાની ચિંતા પ્રસંશનીય છે . "" જ્યારે વડાપ્રધાનની આર્થિક સલાહકાર સમિતિના ચેરમેન સી રંગરાજને જણાવ્યું હતું કે "" ફુગાવો કેવો રહે છે તેના આધારે વ્યાજ દરમાં ઘટાડાની શક્યતા રહેલી છે . """ entertainment,"પોતાની કૉમેડી , શાનદાર અભિનય અને ડાયલૉગ રાઈટિંગ દ્વારા ફિલ્મ જગતમાં પોતાની ઓળખ બનાવનાર બોલિવુડના દિગ્ગજ અભિનેતા કાદર ખાન હવે આપણી વચ્ચે નથી રહ્યા . નવા વર્ષની શરૂઆતમાં જ કાદર ખાન પોતાના ફેન્સને રડાવીને ચાલ્યા ગયા . ગુરુવારે કેનાડાના મીડોવેલ કબ્રસ્તાનમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા . કાદર ખાનના અંતિમ સંસ્કારમાં અફઘાન સમાજના પણ ઘણા લોકો શામેલ થયા . આ દરમિયાન કાદર ખાનના પુત્રો સરફરાજ બોલિવુડના વલણ અંગે ઘણા નિરાશ જોવા મળ્યા . સરફરાજે કહ્યુ કે તેમના પિતાના કેનેડામાં વસ્યા બાદ ફિલ્મ જગતે જે રીતની ઉપેક્ષા બતાવી તેનાથી તે ઘણા દુઃખી છે . સરફરાજે આ પણ જણાવ્યુ કે પોતાના અંતિમ સમયમાં તેમના પિતા કોને યાદ કરતા હતા . આ પણ વાંચોઃ રણવીર સાથે લગ્ન બાદ હવે બાકી છે દીપિકાની 3 ઈચ્છાઓ , જાણો શું" business,"અંતિમ બજેટમાં આવકવેરાની મુક્તિ મર્યાદા 5 લાખ રૂપિયા સુધી વધારવાની માંગ કરી છે . જો ઉદ્યોગ ચેમ્બર સીઆઈઆઈ ની માંગ સ્વીકારવામાં આવે છે , તો તમને મોટી રાહત મળી શકે છે . સીઆઈઆઈએ સરકાર પાસેથી આવકવેરામાંથી મુક્તિ માટે આવક મર્યાદા વધારીને 5 લાખ રૂપિયા કરવાની ભલામણ કરી છે . તમને જણાવી દઈએ કે હમણાં 2.5 લાખ રૂપિયા સુધીની મર્યાદામાં ઇન્કમ ટેક્સ લાગતો નથી . સીઆઈઆઈએ સેક્શન 80 સી હેઠળ રોકાણ પર કપાત મર્યાદા વધારવા જણાવ્યું છે . તે 1.50 લાખથી 2.50 લાખ રૂપિયામાં વધારો કરવાની માંગ કરી છે . તમને જણાવી દઈએ કે નાણાં પ્રધાન અરુણ જેટલી 1 ફેબ્રુઆરીએ કેન્દ્રિય બજેટ રજૂ કરશે . Paytm યુઝર્સ માટે ખુશખબર , વૉલેટમાં બેલેન્સ વિના કરી શકો છો 60000 રૂપિયાની ખરીદી" sports,ટીમ ઇન્ડિયાના ટેસ્ટ ટીમના કપ્તાન વિરાટ કોહલીએ આખા વિશ્વના દિલમાં એક ખાસ સ્થાન બનાવી દીધું છે . ભારત અને ભારતની બહારના લોકોની વિરાટ કોહલી સાથે મળવાની ઈચ્છા ચોક્કસ જ હશે . પરંતુ ગર્વની વાત ત્યારે થાય જયારે વિરાટ કોહલીના વખાણ એ લોકો કરે જે પોતે ક્રિકેટના આઇકોન રહી ચુક્યા છે . અમે અહીં વાત કરી રહ્યા છે સર વિવિયન રિચાર્ડની જેઓ વિરાટ કોહલીના ખુબ જ મોટા ફેન બની ચુક્યા છે . પહેલી ટેસ્ટમાં વિરાટ કોહલીના વખાણ કરતા વિવિયન રિચાર્ડએ કહ્યું કે કોહલીની તે ઇંનિંગ ખુબ જ અદભુત હતી . તેમનું માનવું છે તે મેદાન પર ડબલ સેન્ચુરી મારવી ખુબ જ મુશ્કિલ છે . એટલું જ નહિ પરંતુ વિવિયન રિચાર્ડ મેચ પુરી થયા બાદ પોતાના દીકરા માલી સાથે વિરાટ કોહલીને મળવા માટે હોટલ પહોંચી ગયા હતા . ત્યાં તેમના દીકરાએ કોહલીને એક પેન્ટિંગ ગિફ્ટ કરી જેમાં કોહલીની જ તસ્વીર હતી . આપણે જણાવી દઈએ કે માલી ટીવી કમેન્ટેટરના સદસ્ય છે અને કોહલીના ફેન છે . sports,જ્યોફ્રી બોયકોટનું કહેવું છે કે આના પર સંપૂર્ણ રીતે રોકવા માટે ભારતમાં સટ્ટેબાજીનો વ્યવસાય કાયદેસર કરવો પડશે . આ ગેરકાનૂની છે કે એટલો લોકો તેને કરે છે . તેમને કહ્યું હતું કે જ્યારે અમેરિકામાં બીયર ગેરકાયદેસર હતી જ્યારે ગેરકાનૂની શરાબખોરો અને બધા ગુંડાતત્વો તેમાં સામેલ હતા જોકે સટ્ટેબાજીમાં ખરાબ પ્રકારના લોકોની ભાગીદારીથી મળે છે . જ્યોફ્રી બોયકોટનું કહેવું છે કે ભારત સરકાર આ પ્રકારની સટ્ટેબાજીને કાયદેસર ઠરાવે કારણ કે તેને પરિવર્તન પસંદ નથી . તેમને કહ્યું હતું કે લોકોએ ભારત સરકારને ક્રિકેટમાં સટ્ટેબાજીને કાયદેસર કરવાની ભલામણો કરી છે . ઘોડાદોડમાં પણ કાયેદસર છે અને તેમાં ભ્રષ્ટાચાર ખતમ થઇ ગયોપ છે . તેમને કહ્યું હતું કે પરંતુ તમને ખબર છે કે આ કેવું છે . ભારત સરકારને પરિવર્તન પસંદ નથી . તમે તેને સમજાવવાનો પ્રયત્ન કરશો અને તેને પસંદ નહી આવે . બોયકાટે કહ્યું હતું કે ફિક્સિંગની સમસ્યા એશિયાઇ દેશોમાં વધારે જોવા મળે છે . sports,"નોટિંગહામ , 1 સપ્ટેમ્બરઃ - મહેન્દ્ર સિંહ ધોનીએ સુકાની તરીકે શનિવારે નોટિંગહામ વનડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 90મી જીત નોંધાવી મોહમ્મદ અઝહરુદ્દીનના ભારતીય રેકોર્ડની બરોબરી કરી લીધી છે . ભારતે શનિવારે ત્રીજી વનડે મેચમાં ઇંગ્લેન્ડને છ વિકેટે હરાવીને પાંચ મેચોની શ્રેણીમાં 2 - 0થી બઢત મેળવી લીધી છે . ધોનીના નેતૃત્વ હેઠળ ભારતે અત્યારસુધી 161 મેચોમાં 90માં વિજય નોંધાવ્યો છે , આ ઉપરાંત 57 મેચો ભારતે ગુમાવી છે , જ્યારે ચારમાં ટાઇ અને 10 મેચો એવી હતી , જેનું પરિણામ આવ્યું નથી . આ પ્રકારે તેની સફળતાની એવરેજ 60.92 ટકા છે . જે અઝહર કરતા સારી છે . અઝહરના રેકોર્ડ અંગે વાત કરવામાં આવે તો તેણે 174 મેચોમાં નેતૃત્વ કર્યું છે , જેમાંથી 90માં જીત અને 76 મેચોમાં હારનો સામનો કરવો પડ્યો છે . 2 ટાઇક રહી હતી , જ્યારે છ મેચોના પરિણામ આવ્યા નહોતા . આ પ્રકારે અઝહરની સફળતાની એવરેજ 54.16 ટકા છે . ધોની શ્રેણીની આગામી મેચ જીતતાની સાથે જ વનડેમાં ભારતનો સૌથી સફળ સુકાની બની જશે , જોકે વિશ્વ રેકોર્ડથી તે હજુ ઘણો દૂર છે . વિશ્વ રેકોર્ડમાં રિકી પોન્ટિંગ 165 વનડેમાં વિજય સાથે નંબર વન પર છે અને બીજા નંબરે ઓસ્ટ્રેલિયાના જ એલન બોર્ડન છે , જેમણે 107 મેચોમાં વિજય મેળવ્યો છે . તો ચાલો ભારતના ટોપ પાંચ સફળ સુકાનીના પ્રદર્શન પર નજર ફેરવીએ . આ દક્ષિણ આફ્રિકને કરી સચિનની બરોબરી આ પણ વાંચોઃ - 2014માં ટેસ્ટ ક્રિકેટમાં આ ખેલાડીઓએ કર્યો રનોનો વરસાદ" business,આજે 31મી જુલાઇ છે અને જે લોકોએ આજે પણ પોતાનો ઇનકમ ટેક્સ રિટર્ન નથી ભર્યું તેમના માટે એક ખુશખબર છે . સરકારે નાણાંકીય વર્ષ 2016 - 17માં ઇનકમ ટેક્સ રિટર્ન ભરવાની પોતાની તારીખ આગળ વધારી છે . પહેલા ઇનકમ ટેક્સ રિટર્ન 31મી જુલાઇ ભરવાની હતી પણ હવે તે ડેડલાઇન વધારીને 5 ઓગસ્ટ કરવામાં આવી છે . જેના કારણે અનેક લોકોએ હાશકારો અનુભવ્યો છે . જો કે આવું કરવા પાછળનું કારણે તે બહાર આવ્યું છે કે સરકારની ઇ - ફાઇલિંગ વેબસાઇટ ઓવરલોડ થઇ ગઇ છે . અને ટેક્સ ડિપાર્ટમેન્ટે અત્યાર સુધીમાં 2 કરોડ લોકોના ઇલક્ટ્રોનિક રિટર્ન ફાઇલ કર્યા છે . જો કે શરૂઆતમાં આઇટી વિભાગે આ તારીખ લંબાવાની ના પાડતી હતી પણ છેવટે આ તારીખ આજે લંબાવવામાં આવી છે . જેથી કરીને છેલ્લે છેલ્લી આઇટી રિટર્ન ભરનાર અનેક લોકોએ હાશકારાનો અનુભવ કર્યો છે . business,"દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંકે તેના ખાતાધારકોને ચેતવણી આપી છે . બેંકે તેના ગ્રાહકોને એલર્ટ કરતા ચેતવણી આપી છે અને સોશિયલ મીડિયા દ્વારા તેમને જાગૃત કરવાની કોશિશ કરી છે . દેશની સૌથી મોટી સરકારી બેંક પીએનબીએ તેમના ગ્રાહકોને એલર્ટ કરતા કહ્યું છે , કે કેવી રીતે તેમની નાની ભૂલ થોડીક મિનિટોમાં તેમનું બેંક બેલેન્સ ખાલી કરી શકે છે . પંજાબ નેશનલ બેંકે તેના ગ્રાહકોને ચેતવણી આપી છે કે ગૂગલ , ફેસબુક , યાહૂ અથવા ટ્વિટર પર પંજાબ નેશનલ બેન્ક શાખા / એટીએમ / કસ્ટમર સપોર્ટ નંબર ટાઇપ કરીને ક્યારેય સર્ચ કરશો નહીં . બેંકે આ માહિતી સોશિયલ મીડિયા દ્વારા શેર કરી છે અને લોકોને ફ્રોડથી બચવાની સલાહ આપી છે . બેંકે કહ્યું છે કે ગૂગલ , ફેસબુક દ્વારા બેંકની શાખા અથવા એટીએમ અથવા કસ્ટમર કેરનો નંબર સર્ચ કરી લેવો જોખમ ભર્યો હોઈ શકે છે . ATM થી કેશ કાઢતી વખતે ગ્રીન લાઈટ ચેક કરો , નહીં તો . . . . પીએનબીએ કહ્યું છે કે બેંક સંબંધિત કોઈ પણ માહિતી માટે , https : / / www . pnbindia . in / પર લોગીન કરીને મેળવો . બેંકે એકાઉન્ટ ધારકોને ચેતવણી આપી છે અને કહ્યું છે કે તમે ગૂગલ દ્વારા મેળવેલ નંબરો પર કૉલ કરીને અને તમારા ખાતાને લગતી માહિતીને શેર કરીને મુશ્કેલીમાં ફસાઈ શકો છો . હેકરો આવા લોકોને તરત જ તેમના લક્ષ્યાંક બનાવે છે અને તેમની પાસેથી તેમની વ્યક્તિગત માહિતી મેળવે છે અને એકાઉન્ટમાં ફ્રોડ કરે છે અને તેમની જમાપૂંજી ખાલી કરી દે છે . SBI ના આ SMS ને ઇગ્નોર ન કરો , નહિ તો ખાલી થઇ જશે એકાઉન્ટ" entertainment,"મુંબઈ , 18 જાન્યુઆરી : કેન્દ્રીય માનવ સંસાધન રાજ્ય મંત્રી શશિ થરૂરનું જીવન છેલ્લા કેટલાંક દિવસથી ખૂબ ડ્રામાટિક ચાલી રહ્યુ હતું . હવે અચાનક જ તેમના પત્ની સુનંદા પુષ્કરના આકસ્મિક મોતે શશિ સાથે જ તેમના સંબંધીઓ અને મિત્રોને પણ હચમચાવી મૂક્યું છે . શશિ થરૂરના પત્ની સુનંદા અને શશિ વચ્ચે છેલ્લા કેટલાંક દિવસથી અણબનાવ ચાલતુ હતું અને તે પણ એક પાકિસ્તાની પત્રકાર મેહર અંગે . સુનંદાનું કહેવુ હતું કે શશિ થરૂર અને મેહર બંને વચ્ચે અફૅર છે , જ્યારે શશિ આ વાતથી ઇનકાર કરતા હતાં . સુનંદાએ અહીં સુધી જણાવ્યું કે તેઓ શશિથી છુટાછેડા લેવામાંગે છે અને આ અંગે તેઓ મીડિયા સાથે પણ વાત કરવાના હતાં . જાણવા તો અહીં સુધી મળે છે કે બે દિવસ અગાઉ જ શશિ થરૂરે મેહર સાથે નિકાહ પણ કર્યુ હતું . સુનંદા પુષ્કર અને શશિ થરૂર છેલ્લા બે દિવસથી દિલ્હીની લીલા હોટેલમાં બે રૂમ લઈ રહી રહ્યા હતાં , કારણ કે તેમના ઘરે પેંટ ચાલતુ હતું . 17મી જાન્યુઆરીની રાત્રે 8 વાગ્યે જ્યારે શશિ થરૂર હોટેલના રૂમમાં ગયાં , તો તેમણે સુનંદાનું મૃતદેહ મળ્યું . તે જોઈ તેઓ ગભરાઈ ગયાં અને તરત જ પોલીસને ફોન કર્યો . સૌનુ માનવું છે કે આ આપઘાતનો કેસ છે , પણ અત્યાર સુધી આ અંગે કંઈ સ્પષ્ટતા થઈ નથી કે મોત કઈ રીતે થયું . બૉલીવુડ સેલિબ્રિટીઓએ પણ સુનંદાના આ આકસ્મિક મોત અંગે બહુ દુઃખ વ્યક્ત કર્યું છે . ટ્વિટર પર સતત બૉલીવુડ સેલિબ્રિટીઓ સુનંદા પુષ્કર અંગે ટ્વીટ કરી રહ્યાં છે . બૉલીવુડ પણ શૉક્ડ છે . આવો તસવીરો સાથે જાણીએ બૉલીવુડની શ્રદ્ધાંજલિ :" sports,"બેંગ્લોર , 21 એપ્રિલઃ બેંગ્લોર ખાતે રમાયેલી આઇપીએલની મેચમાં રાજસ્થાન રોયલ્સ સામે સાત વિકેટ વિજય થતાની સાથે જ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પોઇન્ટ ટેબલમાં 10 પોઇન્ટ સાથે ટોપચ પર પહોંચી ગયું છે . રાજસ્થાન તરફથી મળેલા 118 રનના લક્ષ્યાંકને બેંગ્લોર ત્રણ વિકેટ ગુમાવીને 17.5 ઓવરમાં હાંસલ કરી લીધો હતો . બેંગ્લોર તરફથી ગેઇલે સર્વાધિક 49 રનની ઇનિંગ રમી હતી . જ્યારે રાજસ્થાન તરફથી વોટ્સને બે અને ફુલકેનરે એક વિકેટ મેળવી હતી . રાજસ્થાને પ્રથમ બેટિંગ કરતા 117 રન બનાવ્યા હતા . જેનો પીછો કરી રહેલા બેંગ્લોરે પ્રથમ વિકેટ 53 રન પર દિલશાનના રૂપમાં ગુમાવી હતી . દિલશાને 25 રન બનાવ્યા હતા . દિલશાન બાદ કોહલી 01 , એડીબી વિલિયર્સ 7 રન પર આઉટ થયા હતા . ત્રણ વિકેટ પડ્યા બાદ ગેઇલ અને સૌરભ તિવારીએ ઉમદા બેટિંગ કરીને ટીમને વિજયી બનાવી હતી . ગેઇલે 44 બોલમાં 4 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 49 રન બનાવ્યા હતા , જ્યારે તિવારીએ 29 બોલનો સામનો કરીને બે ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 25 રન બનાવ્યા હતા . આ પહેલા બેંગ્લોરના સુકાની વિરાટ કોહલીએ ટોસ જીતીને રાજસ્થાનને બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું . જો કે , રાજસ્થાનની શરૂઆત સારી નહોતી રહી . વોટ્સન 06 , રહાણે 14 , બિન્ની 33 , દ્રવિડ 35 , હોજ 13 , યાજ્ઞિક 5 , ફુલકેનર 3 , શ્રીસંત 0 , ટેટ 1 , સિદ્ધાર્થ ત્રિવેદી 3 અને ચાંદલિયાએ ચાર રન બનાવ્યા હતા . બેંગ્લોર તરફથી વિનય કુમાર અને આરપી સિંહે ત્રણ , રામપોલે 2 , ઉનડકટ અને કાર્તિકે એક - એક વિકેટ મેળવી હતી ." entertainment,"મુંબઈ , 16 સપ્ટેમ્બર : બિગ બૉસ એક વાર પુનઃ દર્શકો વચ્ચે પોતાનું સ્થાન જમાવવા તૈયાર છે . આ વખતે શોમાં અનેક નવા પ્રયોગો કરાયાં છે . બિગ બૉસના ઘરમાં સ્વર્ગ અને નર્ક બંને છે . આ ઘર 10 હજાર 500 ચોરસ ફુટમાં બાંધવામાં આવ્યું છે . કહે છે કે સ્વર્ગ તેવા સ્થળોને કહે છે કે જ્યાં અનેક ભોગો છે , તો નર્ક તે સ્થળ છે કે જ્યાં સ્પર્ધકોએ મુશ્કેલીઓનો સામનો કરવો પડશે . નર્કને એક ગૅરેજની જેમ બનાવવામાં આવ્યું છે કે જ્યાં સ્પર્ધકોએ જમીન ઉપર જ સુવું પડશે . બિગ બૉસના ઘરમાં સ્વિમિંગ પૂલ તથા બીચ જેવા અનુભવો આપનાર સ્થળો બનાવાયાં છે . ત્યાંની છતોને વાદળા જેવો રંગીન ઓપ અપાયો છે . ઘરમેં બુક શેલ્ફ તથા બાર બનાવાયાં છે . ઉપરાંત પ્રથમ વાર બિગ બૉસના ઘરે ઘડિયાળ પણ કાઈ છે કે જે એક જ વાર સમય બતાવશે . નર્ક કહેવાતા સ્થળે બેડ નહીં હોય . ત્યાં ધરતી ઉપર પથારી કરી સુવુ પડશે . ઉપરાંત બાથરૂમમાં પાણી પણ પોતે લઈ જવું પડશે . બહાર નળમાંથી પાણી ભરવું પડશે . બાથરૂમ તથા લિવિંગ એરિયા પાસે વધુ ગૅપ નહીં હોય . સ્વર્ગ કહેવાતા સ્થળને જોવા માટે એક સ્ક્રીન હશે કે નર્કના અન્ય સ્પર્ધકોની મુશ્કેલીઓમાં વધારો કરશે . શો અંગે બૉલીવુડ ડિઝાઇનર ઓમંગ કુમાર કહે છે કે શોની થીમ સ્વર્ગ અને નર્ક છે . મને કહેવાયુ હતું કે હું એક એવું સ્થળ બનાવું કે જ્યાં એક જ છત તળે સ્વર્ગ અને નર્ક બન્ને હોય . મેં થીમને જસ્ટિફાઈ કરવાનો પ્રયત્ન કર્યો છે . આવો તસવીરોમાં જોઇએ બિગ બૉસ 7નું ઘર :" entertainment,"સલમાન ખાન વેંચર્સ પ્રાઇવેટ લિમિટેડ બેનર હેઠળ બની રહેલી બોલિવૂડ ફિલ્મ "" લવરાત્રિ "" અંગે સુપ્રીમકોર્ટ ઘ્વારા એક અગત્યનો નિર્ણય આપવામાં આવ્યો છે . સુપ્રીમકોર્ટ ઘ્વારા ગુરુવારે જણાવવામાં આવ્યું કે ફિલ્મ વિરુદ્ધ દેશના કોઈ પણ ભાગમાં કોઈ પણ દંડનીય કાર્યવાહી નહીં કરવામાં આવે . સલમાન ખાન ઘ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સીજીઆઈ દિપક મિશ્રા આ મામલે સુનાવણી કરવા માટે તૈયાર થઇ ગયા . આપને જણાવી દઈએ કે ફિલ્મ અંગે સલમાન ખાનને સતત ધમકીઓ મળી રહી છે . તેમના વિરુદ્ધ દેશમાં અલગ અલગ જગ્યાઓ પર કેસ પણ નોંધાવવામાં આવ્યા છે , જેથી સલમાન ખાન આખરે સુપ્રીમકોર્ટ પહોંચ્યા છે . ફિલ્મ સેન્સર બોર્ડ ઘ્વારા સ્વીકૃતિ મળ્યાનું ધ્યાનમાં રાખીને કોર્ટ ઘ્વારા આ મામલે આદેશ આપવામાં આવ્યો છે કે ફિલ્મના નામ અને તેની સામગ્રીના સંબંધમાં તેમની સામે કોઈ પણ દંડનીય કાર્યવાહી નહીં કરવામાં આવે . એટલું જ નહીં પરંતુ સલમાન અને તેમની સાથે આ ફિલ્મ જોડાયેલા લોકો સામે એફઆઈઆર પર પણ રોક લગાવી દેવામાં આવી છે . જયારે સલમાન ખાન ઘ્વારા સુપ્રીમકોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે તેમને લવરાત્રિ ફિલ્મ અંગે ધમકીઓ મળી રહી છે . સલમાનના પ્રેમ અને ખતરનાક ગુસ્સાના 9 જાણીતા કિસ્સા સલમાન ખાન પર આરોપ લગાવવામાં આવ્યો છે કે ફિલ્મના નામને કારણે હિન્દુઓની ભાવના દુભાઈ રહી છે . આ ફિલ્મના નામને કારણે ઘણા લોકોએ વિરોધ નોંધાવ્યો છે . તેમને કહેવું છે કે ફિલ્મનું નામ નવરાત્રી સાથે મળતું આવે છે , જે હિન્દુઓની ધાર્મિક લાગણી દુભાવે છે . સલમાન ખાન વેંચર્સ પ્રાઇવેટ લિમિટેડ વિરુદ્ધ બિહાર અને ગુજરાતમાં ઘણા કેસ નોંધવામાં આવ્યા છે . સલમાન ખાનને 10 એક્ટ્રેસે કર્યા રિજેક્ટ , ભારત પહેલા બની ચૂક્યો છે લાંબો રેકોર્ડ" business,"ભારતમાં પોતાના પાંચમા રિસર્ચ અને વિકાસ કેન્દ્ર ( આરએન્ડડી સેન્ટર ) ની સ્થાપનાની જાહેરાત કરતાં કંપનીએ કહ્યું છે કે ભારત ઓછી કિંમતે મોટરસાઇકલ બનાવનાર એક વૈશ્વિક કેન્દ્રના રૂપમાં વિકસીત થશે . અહીંથી આફ્રિકા અને લેટિન અમેરિકાના દેશોને પણ નિકાસ કરવામાં આવશે . યામાહાના નવા એકમ યામાહા મોટર રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ ( વાઇએમઆરઆઇ ) ની સ્થાપના આ વર્ષે ફેબ્રુઆરીમાં ઉત્તર પ્રદેશના સુરજપુરમાં કરવામાં આવી છે . વાઇએમઆરએમે સૌથી સસ્તી મોટરસાઇકલ બનાવવાની દિશામાં કાર્ય શરૂ કરી દિધું છે , જેમાં સૌથી પહેલાં ભારતમાં લોન્ચ કરવામાં આવશે . વાઇએમઆરઆઇના મેનેજિંગ ડિરેક્ટર તોશિકાજુ કોબાયાશીએ જણાવ્યું હતું કે અમારો ઉદ્દેશ્ય દુનિયામાં સૌથી સસ્તા ટુવ્હિલર મોડલ અને સસ્તા પાર્ટ્સ બનાવવાનો છે . સાથે જ અમારું લક્ષ્ય ભારત અને અહીંથી નિર્યાત કરવામાં આવતાં દેશો માટે લગભગ 500 ડોલરમાં સૌથી સસ્તી મોટરસાઇકલ બનાવવાનો છે . આ મોટરસાઇકલના લોંચીગ અંગે સમય મર્યાદાનો ખુલાસો કરવામાં આવ્યો નથી તેમને કહ્યું હતું કે આ મોટરસાઇકલનું એન્જિન 100 સીસી અથવા તેથી વધારે હશે . અમે આને સૌથી પહેલાં ભારતમાં લોન્ચ કરીશું . ભવિષ્યમાં આફ્રિકા અને લેટિન અમેરિકાના દેશોમાં પણ તેનું નિકાસ કરવામાં આવશે . ભારતીય બજારમાં પોતાની સ્થિતી મજબૂત બનાવવા માટે કંપની 2016 સુધી દર વર્ષે એક નવું સ્કુટર લોંચ કરશે . તે ઉપરાંત ટૂંક સમયમાં તૈયાર થનાર પોતાના ચેન્નઇ સંયંત્રમાં 2015 સુધી બીજા આરએન્ડડી સેન્ટરની સ્થાપના કરશે ." sports,"બીસીસીઆઇની વહીવટી સમિતિમાંથી રાજીનામું આપ્યા બાદ રામચંદ્ર ગુહાએ પત્ર દ્વારા જાણે મોટો બોમ્બ ફોડ્યો છે . રામચંદ્ર ગુહાએ રાજીનામું આપ્યું બાદ બીસીસીઆઇના ચેરમેન વિનોદ રાયને પત્ર લખી , કેટલાક અગત્યના મુદ્દાઓને સામે લાવવાનો પ્રયત્ન કર્યો છે . તેમણે પત્રમાં ભારતીય ટીમના સ્ટાર ખેલાડીઓ પર નિશાન સાધ્યું છે . તેમણે પોતાના પત્રમાં ખેલાડીઓને વિશેષ મહત્વ અપાતું હોવાથી માંડીને આ ખેલાડીઓની બાબતમાં નિયમોની અવગણના કરી તેમને લાભ આપવા જેવી બાબતોની ટીકા કરી છે . રામચંદ્ર ગુહાને સુપ્રીમ કોર્ટ દ્વારા બીસીસીઆઇની વહીવટી સમિતિના સભ્ય નિમવામાં આવ્યા હતા , પરંતુ ગુહાએ વ્યક્તિગત કારણોનું બહાનું આગળ ધરતાં રાજીનામું આપી દીધું છે . 2 જૂન , 2017ના રોજ ગુહાએ પોતાના પત્રમાં રાજીનામા પાછળના 7 મુખ્ય કારણો જણાવ્યા છે . પોતાના પત્રમાં તેમણે સવાલ કર્યો છે કે , બીસીસીઆઇમાં પારદર્શિતા છે કે કેમ . તેમણે બીસીસીઆઇ અને વહીવટી સમિતિ તરફથી સ્ટાર ખેલાડીઓને આપવામાં આવતી સુવિધા પર પણ પ્રશ્નાર્થ મુક્યો છે . રામચંદ્ર ગુહાના 7 મોટા આરોપ" business,"અમદાવાદઃ પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટવાનું નામ નથી લઈ રહ્યા . વિપક્ષના ભારત બંધ બાદ પણ સરકારે પેટ્રોલ - ડીઝલમાં નાગરિકોને રાહત નથી આપી . સતત વધી રહેલા ભાવથી સામાન્ય નાગરિકોના ખિસ્સા પર બોજ વધી રહ્યો છે . આજે ફરી પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો જોવા મળ્યો છે . આજે અમદાવાદમાં પેટ્રોલની કિંમત 0.27 પૈસાના વધારા સાથે 80.14ની સપાટી પર પહોંચી ગઈ છે . જ્યારે ડીઝલની કિંમત 0.27 પૈસાના વધારા સાથે 78.43ની સપાટી પર પહોંચી ગઈ છે . દિલ્હીમાં પેટ્રોલ અને ડીઝલમાં 14 પૈસાનો વધારો જોવા મળ્યો છે . નવી કિંમતો લાગુ થયા બાદ દિલ્હીમાં પેટ્રોલ 80.87 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 71.97 રૂપિયા પ્રતિ લીટર પર વેચાઈ રહ્યું છે . જ્યારે મુંબઈમાં પેટ્રોલ 14 પૈસા પ્રતિ લીટર અને ડીઝલમાં 15 પૈસા પ્રતિ લીટરનો ભાવ વધારો થયો છે . નવી કિંમતો લાગુ થયા બાદ મુંબઈમાં પેટ્રોલ 88.26 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 77.47 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયું છે . ભારત બંધઃ જાણો , બંધ દરમિયાન દેશભરમાં કેવો હતો માહોલ" entertainment,"ફરી એકવાર સેક્સી રાગિનીએ સોશ્યિલ મીડિયા પર હંગામો મચાવ્યો છે . રાગીણી નામથી ફેમસ થનાર કરિશ્મા શર્માની ફરી એકવાર બોલ્ડ ફોટો વાયરલ થઇ રહી છે . આ ફોટો જોઈને તમારા હોશ ઉડી જશે . કરિશ્મા શર્માએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ ફોટો શેર કરી છે . કરિશ્મા શર્માને રાતોરાત સુપરસ્ટાર બનાવવા પાછળ બોલ્ડ વેબસીરીઝનો હાથ છે , જેમાં તેને ઘણા બોલ્ડ સીન આપ્યા હતા . આ ફોટો પછી ફરી એકવાર કરિશ્મા શર્મા આ અઠવાડિયાની સેક્સી સુપરસ્ટાર બની ચુકી છે . કરિશ્મા શર્મા ખુબ જ જલ્દી ટીવી પર એક મોટો ધમાકો કરવા જઈ રહી છે . તે કોમેડી સર્કસની નવી સીઝનમાં ગ્લેમર સાથે કોમેડી કરતી જોવા મળશે . કરિશ્મા શર્મા ઇન્સ્ટાગ્રામ પર પોતાની બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે , જેને લોકો ખુબ જ પસંદ પણ કરી રહ્યા છે . હંમેશા મુજબ આ વખતે પણ કરિશ્મા શર્માના બોલ્ડ લૂક્સ સોશ્યિલ મીડિયા પર તેઝીથી વાયરલ થઇ ગયા . આ તસવીરો જોઈને તમારા પણ હોશ ઉડી જશે ." sports,"બે વખત ચેમ્પિયન બની ચૂકેલી ચેન્નાઇ સુપર કિંગ્સ ટીમે મંગળવારે સુબ્રોતો રોય સહારા સ્ટેડિયમમાં રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ છની 42મી મેચ અને પોતાની 10મી મેચમાં પૂણે વોરિયર્સ ઇન્ડિયાને 37 રનોથી હરાવી દીધું . ચેન્નાઇ સુપર કિંગ્સ દ્વારા આપવામાં આવેલ 165 રનોના લક્ષ્યનો પીછો કરતા પૂણે વોરિયર્સ 20 ઓવરમાં 9 વિકેટ પર 127 રન જ બનાવી શક્યું . તેના માટે સ્ટીવન સ્મિથે સૌથી વધારે 35 રન બનાવ્યા . સુપર કિગ્સ તરફથી મોહિત શર્માએ શાનદાર ત્રણ વિકેટ લીધી જ્યારે રવિન્દ્ર જાડેજા , ડ્વેન બ્રાવો અને ક્રિસ મોરિસે એક - એક વિકેટ લીધી . વોરિયર્સના ત્રણ ખેલાડી રન આઉટ થઇ ગયા . આ જીતની સાથે સુપર કિંગ્સે 16 પોઇન્ટની સાથે પોઇન્ટ ટેબલમાં પોતાનું સ્થાન સૌથી ઉપર જમાવી લીધું , જ્યારે વોરિયર્સ 10 મેચોમાં આઠમી વખત હારનો સામનો કરવો પડ્યો . સુપર કિંગ્સે 10માંથી 8 મેચ જીતી છે . આ પહેલા બંને ટીમોનો એક વાર મુકાબલો થઇ ચૂક્યો હતો , જેમાં વોરિયર્સ વીજય બની હતી ." entertainment,"સુનીલ ગ્રોવર ઉર્ફે ગુત્થી કૉમેડી નાઇટ્સ વિથ કપિલ શોમાં પરત ફરી ચુક્યા / ચુકી છે . નાના પડદાની દુનિયા એટલે કે ટેલીવિઝન જગતમાં પણ બૉલીવુડ - હૉલીવુડની જેમ વિવિધ પ્રકારની આવ - જા ચાલતી જ રહે છે . અનેક ટેલીવિઝન શો અને સીરિયલોમાં ઘણા બધા કલાકારોની અદલા - બદલી થતી રહે છે . ક્યારેક કોઈ કલાકાર શો પોતે છોડી દેતો હોય છે , તો ક્યારેક શોવાળા અમુક કલાકારોને તેમના દુર્વ્યવહાર કે પછી ઑડિયંસને ઇમ્પ્રેસ ન કરવાના કારણે શોમાંથી તગેડી મૂકે છે . ઘણી વખત તો એવુ પણ થાય છે કે શો મેકર્સ અને કલાકારના વ્યક્તિગત અહમ તથા ટકરાવના પગલે અમુક કલાકારો અમુક શોમાંથી બહાર કરી દેવાતા હોય છે . એટલુ જ નહીં , અમુક કલાકારો તો સંબંધિત શોમાં તેમના પાત્રને લઈને ખૂબ જ લોકપ્રિય હોય છે . આમ છતાં શો મેકર્સ અને કલાકાર વચ્ચેના ટકરાવના પગલે દર્શકોને તેવા લોકપ્રિય કલાકાર ગુમાવવો પડે છે . દાખલા તરીકે સુનીલ ગ્રોવર ઉર્ફે ગુત્થીને જ લઈ લો અથવા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોના રોશન સિંહ સોઢી ઉર્ફે ગુરચરન સિંહને લઈ લો . આ બંને પાત્રો પોત - પોતાના શોમાં લોકપ્રિય હતાં , પરંતુ કેટલાક કારણોસર બંનેએ પોત - પોતાનો શો છોડ્યો કે છોડવો પડ્યો . જોકે હવે બંને પરત આવી ચુક્યા છે . ચાલો આજે આપને બતાવીએ એવી ટેલીવિઝન સેલિબ્રિટીઓ કે જેમને તેમના શોમાંથી તગેડી મૂકવામાં આવ્યાં અથવા તેમણે પોતે જ શો છોડી દીધો :" business,"શેરમાર્કેટમાં નવા સવા આવેલા અથવા તો શેર બજાર વિશે પાયાની બાબતો નહીં જાણતા લોકોએ શેર બજાર અને સ્ટોક માર્કેટમાં અનેકવાર કાને પડતા શબ્દો લોંગ પોઝિશન અને શોર્ટ પોઝિશનનો અર્થ જાણવો જરૂરી છે . પ્રેક્ટિકલ ઉદાહરણ ભારતના મૂડી બજારના ફ્યુચર સેગમેન્ટમાં આપ ટ્રેડ કરી રહ્યા છો . આપને રિલાયન્સના 100 શેર ખરીદવા છે . કારણ કે આપને એમ લાગે છે કે ભવિષ્યમાં આ શેરનો ભાવ વધશે . ફ્યુચર માર્કેટમાં આપે આ જ શેર એક , બે કે ત્રણ મહિનામાં સેટલ કરવાના છે . જો આપે 100 શેર ખરીદ્યા હોય તો તેનું સેટલમેન્ટ 27 નવેમ્બરે થાય છે . એટલે કે આપે 27 નવેમ્બર સુધીમાં એ શેર વેચી દેવા જોઇએ . તમે રિલાયન્સના શેર ખરીદ્યા એટલે રિલાયન્સમાં લોંગ પોઝિશન ઉભી કરી કહેવાય . હવે તેવી જ રીતે આપ જો રિલાયન્સના શેર વેચો છો ત્યારે આપે 27 નવેમ્બર પહેલા તેને ખરીદવા પડે છે . આનો અર્થ એ છે કે આપે રિલાયન્સમાં શોર્ટ પોઝિશન ઉભી કરી છે . આ અંગે વધુ સ્પષ્ટતા કરીએ . ઉદાહરણ તરીકે આપે 10 ઓક્ટોબરના રોજ રૂપિયા 1000ના ભાવે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના 100 શેર ખરીદ્યા છે . હવે 28 ઓક્ટોબરે આપને લાગે છે કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના શેર્સ 100 રૂપિયા વધ્યા છે . એટલે આપે તેને વેચીને રૂપિયા 10,000નો નફો કર્યો . બીજું ઉદાહરણ આપે 29 ઓક્ટોબરે રૂપિયા 1000ના ભાવના 100 શેર વેચ્યા . ત્યાર બાદ 21 નવેમ્બરે તમે રૂપિયા 900ના ભાવે 100 શેર પાછા ખરીદો છો એટલે આપને રૂપિયા 10,000નો નફો થાય છે . સામાન્ય ભાષામાં સમજીએ તો જ્યારે આપ પહેલા રિલાયન્સ ખરીદો છો ત્યારે ભવિષ્યમાં આપ તેને વેચવાના હેતુથી ખરીદો છો . જેના કારણે આપ રિલાયન્સમાં લોંગ પોઝિસન મેળવો છો . જ્યારે આપ પહેલા રિલાયન્સ વેચો છો ત્યારે ભવિષ્યમાં તેને ખરીદવાના હેતુથી વેચો છો એટલે તેને શોર્ટ પોઝિશન કહેવાય . જેઓ લોંગ પોઝિશન લેતા હોય છે તેઓ માનતા હોય છે કે ભવિષ્યમાં તે કંપનીના શેર વધશે . જે લોકો શોર્ટ પોઝિશનમાં માને છે તેઓની ધારણા હોય છે કે ભવિષ્યમાં તે શેરની કિંમત ઘટશે . લોંગ અને શોર્ટ પોઝિશન મોટા ભાગે ફ્યુચર સેગમેન્ટમાં હોય છે મોટા ભાગની લોંગ અને શોર્ટ પોઝિશન ફ્યુચર સેગમેન્ટમાં જ હોય છે . કેશ સેગમેન્ટમાં આ પ્રકારની સ્થિતિ ભાગ્યે જ જોવા મળે છે . ટૂંકા ગાળાના લાભ માટે મોટા ભાગના ટ્રેડર્સ શોર્ટ પોઝિશન તૈયાર કરતા હોય છે . જ્યારે રોકાણકારો મોટા ભાગે લોંગ ટર્મ પોઝિશનમાં રોકાણ કરવાનું પસંદ કરે છે ." business,"કેલિફોર્નિયા , 11 સપ્ટેમ્બર : એપલે આજે બે નવા આઈફોન લોન્ચ કર્યા છે . આ બંને આઇફોન હાઇ માર્કેટ અને લૉ એન્ડ માર્કેટને ધ્યાનમાં રાખીને એક સાથે લોન્ચ કરવામાં આવ્યા છે . આ બંને આઇફોન પૈકી આઈફોન - 5S હાઇ માર્કેટને ધ્યાનમાં રાખીને લોન્ચ કરવામાં આવ્યો છે . આ ફોન આઈફોન 5નો અનુગામી છે . જ્યારે બીજો આઇ ફોન લૉ એન્ડ માર્કેટને ધ્યાનમાં રાખીને રજૂ કરવામાં આવ્યો છે . આ કારણે આઈફોન 5Cની કિંમત અન્ય આઇફોનની સરખામણીએ ઓછી છે . એપલના સીઈઓ ટીમ કૂકે જેની આતુરતાપૂર્વક રાહ જોવાતી હતી તે એમની કંપનીના સ્માર્ટફોન આઈફોન સિરીઝના લેટેસ્ટ આઈફોન - 5Cને આજે લોન્ચ કરી દીધો છે . આ પ્રસંગે કૂકે જણાવ્યું કે આઈફોન - 5C અને આઈફોન - 5Sને લોન્ચ કરવા પાછળનો તેમનો ઈરાદો દુનિયામાં સ્માર્ટફોનની માર્કેટમાં એપલનો હિસ્સો વધારવાનો છે . કૂકે કંપનીના સિલિકોન વેલીસ્થિત હેડક્વાર્ટર્સમાં નવા આઈફોનના લોન્ચ પ્રસંગે જાહેરાત કરી છે કે બિઝનેસ એટલો બધો વિશાળ પાયે થવા માંડ્યો છે કે આ વર્ષે અમે આઈફોન 5ને બદલી રહ્યા છીએ . અમે બે નવી ડિઝાઈન સાથે એને બદલ્યો છે . આવો જાણીએ શું છે આ ફોનની ખાસિયતો . . ." business,તેમણે આગામી સમયમાં વહેલી લોકસભા ચૂંટણીઓની સંભાવના અગે જણાવ્યું કે ચૂંટણીઓ વહેલી નહીં યોજાય . સરકાર આગામી 13 મહિના સુધી ચાલુ રહેશે . આ કારણે તે નાની પણ મહત્વની પહેલ કરશે . જે કારણે દેશને 8 ટકાનો વૃદ્ધિદર પ્રાપ્ત થાય તેવા પ્રયત્નો થશે . ચિદમ્બરમે જણાવ્યું કે આર્થિક સુધારા માટે અનેક બાબતો કરવાની જરૂર છે . જેમાં મહત્વના ખરડાઓ પસાર કરવાના છે . મહત્વના નિર્ણયો લઇને તેને અમલી બનાવવાના છે . તેમાંથી કેટલાક કાર્યકારી છે જેને અમલમાં મૂકતા બે ચાર મહિનાનો સમય લાગશે . તેમણે જણાવ્યું કે અમે કેટલીક મોટી પહેલોને આગળ વધારીશું . જેના કારણે ભારતના અર્થતંત્રમાં સુધારો આવશે . business,વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે સામાન્ય માણસને એક મોટો ઝટકો આપ્યો છે . સરકારે બજેટ યોજનાઓમાં પીપીએફના વ્યાજ દર ઓછા કરવાની જાહેરાત કરી હતી . આ નવા દર એપ્રિલથી લાગુ થવાના છે . હાલના સમયમાં તેને ત્રણ મહિના માટે લગાવવામાં આવ્યા છે . અને ત્રણ મહિના પછી તેની સમીક્ષા થશે અને જે બાદ તેની ફરી વધારી કે ધટાડી દેવામાં આવશે . ત્યારે સામાન્ય લોકોને મે મોટા જટકા તે લાગ્યા છે કે પીપીએફના વ્યાજ દર 8.7ના બદલે 8.1 થઇ ગયા છે . તો સુકન્યા સમુદ્ઘી યોજનાના દર પણ ધટાડ્યા છે . ત્યારે જે લોકો બેંકના પૈસા ફિક્સમાં મૂકીને પોતાના ભવિષ્યને ઉજ્જવળ કરવાનું વિચારી રહ્યા હતા તેમના માટે આ વ્યાજદર તૂટવાથી રોકાણ કરવું તો ક્યાં કરવું તેવો એક વિકટ પ્રશ્ન ઊભો થયો છે . તો કંઇ યોજનામાં કેટલો વ્યાજદર ધટાડવામાં આવ્યો છે તે વિષે વધુ જાણો અહીં . . . . business,રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં જાહેરાત કરી હતી કે તેઓ ગુજરાતમાં તેમના રોકાણને 3 લાખથી વધારી બમણી કરશે . આગામી 10 વર્ષમાં રિલાયન્સ ગુજરાતમાં 6 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરશે . આ સિવાય રિલાયન્સ બે લાખ નોકરીની તકો પણ ઉત્પન્ન કરશે . એ વાતની પણ જાણકારી આપી છે કે જિયો નેટવર્ક 5 જી તૈયાર છે . અંબાણીના જણાવ્યા મુજબ જિયો અને રિલાયન્સ રિટેલ તેમના યુનિટ કોમર્સ પ્લેટફોર્મ ગુજરાતથી શરૂ કરશે . આમાં ગુજરાતના 12 લાખ નાના અને મોટા રિટેલરો અને દુકાનદારો જોડાશે . અંબાણીએ સમિટમાં જણાવ્યું હતું કે ગુજરાતની પંડિત દિનદયાલ યુનિવર્સિટીમાં આજે 5000 વિદ્યાર્થીઓ છે . તે ગુજરાતની ટૉપ યુનિવર્સિટીઓમાંની એક છે . અંબાણીના જણાવ્યા મુજબ રિલાયન્સ ફાઉન્ડેશન આ યુનિવર્સિટીમાં 150 કરોડ રૂપિયાનું રોકાણ કરશે . મુકેશ અંબાણીએ એકવાર ફરીથી ભારતમાં ડેટા સ્ટોર કરવાની માંગ કરી . તેમણે કહ્યું કે આપણે ડેટા કોલોનાઈઝેશનની વિરુદ્ધ નવું અભિયાન શરૂ કરવું પડશે . આ નવી દુનિયામાં ડેટા નવું તેલ છે અને ડેટા એ નવી મિલકત છે . તેમણે કહ્યું કે ભારતનો ડેટા ભારતીય લોકો પાસે જ હોવો જોઈએ . તે માત્ર ભારતીયો દ્વારા નિયંત્રિત થવું જોઈએ . આ પર ગ્લોબલ કોર્પોરેશન દ્વારા નિયંત્રિત થવું જોઈએ નહીં . તેઓ કહે છે કે ભારતીયોનો ડેટા ભારતને ફરીથી નિયંત્રિત કરવો જ જોઇએ . business,"ભારતીય રિઝર્વ બેંક દ્વારા નોટબંધી સંબંધિત માહિતી જાહેર કરવામાં આવી છે . આરબીઆઇની વેબસાઇટ પર જાહેર કરવામાં આવેલ આંકડાકીય માહિતી અનુસાર , 1000 રૂપિયાની કુલ 670 કરોડ ચલણી નોટોમાંથી 8.9 કરોડ ચલણી નોટો પાછી નથી આવી . આથી કહી શકાય કે , 8 નવેમ્બર સુધી બજારમાં ઉપલબ્ધ 1000 રૂપિયાની કુલ નોટોમાંથી માત્ર 1.3 ટકા ચલણી નોટો જ પરત નથી આવી . ભારતીય રિઝર્વ બેંકના આંકડાઓ અનુસાર , કુલ 15.44 લાખ કરોડ રૂપિયામાંથી 15.28 લાખ કરોડ રૂપિયા આરબીઆઇ પાસે પરત આવી ગયા છે . આ પરથી એમ પણ કહી શકાય કે , નોટબંધી દ્વારા કાળું નાણું બહાર પાડવાની મોદી સરકારની યોજના ખાસ કમાલ નથી દેખાડી શકી . વળી , વર્ષ દીઠના આધારે જોઇએ તો બજારમાં ફરતી ચલણી નોટોની કિંમતમાં 20.2 ટકાનો ઘટાડો નોંધાયો , જે પછી માર્ચ સુધીમાં આ રૂપિયાની કિંમત થઇ 13.1 લાખ કરોડ . ઉલ્લેખનીય છે કે , ગત વર્ષ 8 નવેમ્બરના રોજ મોડી સાંજે નોટબંધીની જાહેરાત બાદ 500 અને 1000 રૂપિયાની ચલણી નોટો પર પ્રતિબંધ લાદવામં આવ્યો હતો . ત્યાર બાદ સરકાર દ્વારા 500 અને 2000 રૂપિયાની નવી નોટો બહાર પાડવામાં આવી હતી . હવે સરકાર દ્વારા 200 અને 50ની પણ નવી ચલણી નોટો બહાર પાડવામાં આવી છે . ભારતીય રિઝર્વ બેંક દ્વારા પહેલા પણ કહેવામાં આવ્યું હતું કે , રૂપિયા 200ની નોટોમાં વધારો કરવામાં આવશે . બીજી બાજુ રૂપિયા 2000ની નવી નોટો છાપવાનું કામ બંધ કરવામાં આવ્યું છે , કારણ કે કેન્દ્રિય બેંક હાલ નાની ચલણી નોટો પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે ." business,"વૈશ્વિક બજારોમાં છેલ્લા એક સપ્તાહથી ઉબા થયેલા વેચવાલીના દબાણને પગલે ગુરુવારે ભારતીય બજારોમાં પણ વેચવાલીનો માહોલ જોવા મળ્યો હતો . જેના કારણે સેન્સેક્સ છેલ્લા બે મહિનાની સૌથી નીચી સપાટીએ અંદાજે 350 પોઇન્ટ ઘટીને 26000 પોઇન્ટની અંદર બંધ રહ્યો હતો . ભારતીય શેર બજારમાં ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ કે વિદેશી ફંડોનું ભારે રોકાણ રહેલું હોવાથી વિદેશના માર્કેટમાં જ્યારે પણ હલચલ થાય છે ત્યારે તેની અરસ ભારતીય બજારો પર જોવા મળે છે . વિદેશી રોકાણકારો વૈશ્વિક બજારમાં જરા પણ ઉથલપાથલ જોવા મળે કે તરત જ ભારતીય શેરબજારમાં વેચાણ શરૂ કરે છે . ગુરુવાર 16 ઓક્ટોબર , 2014ની વાત કરીએ તો ભારતીય શેરબજારમાં શેર્સનું કુલ વેચાણ રૂપિયા 1140 કરોડના આંકડાને પાર કરી ગયું હતું . જ્યારે ઓક્ટોબર મહિનાના પ્રથમ પખવાડિયામાં કુલ વેચાણ રૂપિયા 5000 કરોડ પર પહોંચ્યું હતું . વિદેશી ફંડ ભારતીય શેરબજારનો પીછો કરે છે અને કમાણીની કિંમતના સંદર્ભમાં ભારતીય શેરબજારને સૌથી ખર્ચાળ શેરબજાર તરીકે ગણાવે છે . ભારતીય શેરબજારમાં જ્યારે પણ તેજી આવે ત્યારે તક ઝડપીને શેર્સ વેચવાના 5 કારણો આ મુજબ છે . . ." sports,"24 એપ્રિલના રોજ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરનો જન્મ દિવસ હતો . જેને આખા દેશે ધામ - ધૂમથી ઉજવ્યો . સચિન તેંડુલકરે પોતાના જીવનના 42 વર્ષ પૂરા કર્યા . આ 42 વર્ષોમાં 24 વર્ષ તેમણે ક્રિકેટને સમર્પણ કરી દીધા છે . તેમના આ લાંબા કરિયરની સૌથી સચોટ વાત એ છે કે તેમની આ યાત્રા એકદમ બેદાગ રહી છે , જેમાં માત્ર મહેનત , ડિવોશન અને પુરસ્કાર જ પુરસ્કાર છે . સચિનનું ક્રિકેટ કરિયર 16 મહીના પહેલા જ પુરુ થઇ ગયું પરંતુ હજી પણ તેમની લોકપ્રિયતામાં કોઇ ઘટાડો નથી થયો . માટે ટ્વિટર પર જોરદાર રીતે તેમના બર્થડેની ઉજવણી કરવામાં આવી . ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ સચિન તેંડુલકરના 42માં જન્મદિવસ પર શુક્રવારે સુરેશ રૈના , ઇરફાન પઠાન , રોહિત શર્મા , મોહમ્મદ કૈફ સહિત ઇશાંત શર્માએ તેમને શુભેચ્છા આપી . સચિન તેંડુલકર ભલે આજે ક્રિકેટના મેદાન પર દેખાતા ના હોય પરંતુ તેમના પ્રત્યે લોકોનો પ્રેમ હજી ઓસર્યો નથી . તેમના જન્મદિવસ પર જે રીતે લોકોએ પ્રેમ વરસાવ્યો તે એ વાતનો પુરાવો છે . સચિને પોતાના જન્મદિવસ પર પોતાના ચાહકોને એક ભેંટ પણ આપી છે . સચિને પોતાના જન્મદિવસ પર ઇંસ્ટાગ્રામ પર પોતાનું ખાતુ ખોલ્યું અને ટ્વિટર એકાઉંટ પર તેની લિંક પોસ્ટ કરી . આવો જાણીએ સચિને જન્મદિવસ પર શું કર્યું અને લોકોએ તેમને કેવી રીતે શુભેચ્છા પાઠવી . . ." business,"માર્કેટમાં ફ્યુચર સેવિંગ્સ માટે અનેક પ્લાન્સ ઉપલબ્ધ છે . જો કે દેશની સૌથી મોટી રાષ્ટ્રીયકૃત બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ( SBI ) દ્વારા રજૂ કરવામાં આવેલો એસબીઆઇ પ્રોટેક્શન સરળ શિલ્ડ પ્લાન આપના માટે ભાવિ બચતની સાથે સુરક્ષિત ભવિષ્ય પણ આપે છે . આ પ્લાનમાં રોકાણ કરવાથી આપના અને આપના પરિવારની ભવિષ્યની જરૂરિયાતોને પૂર્ણ કરી શકાય છે . એસબીઆઇ દ્વારા એવા અનેક પ્લાન ઓફર કરવામાં આવી રહ્યા છે જે આપના પરિવાર માટે ફાયદાકારક સાબિત થઇ શકે છે . આ પ્લાન ખરીદવાથી આપને આવકવેરામાં છૂટ મળવા સાથે ઓછી પ્રિમિયમની સાથે બચત પણ કરી શકાય છે . જે ભવિષ્યમાં આપને આપના સપના પૂરા કરવામાં મદદ કરશે . આ પ્લાન લેવા માટેની લઘુત્તમ વય મર્યાદા 18 વર્ષ છે . જ્યારે મહત્તમ વય મર્યાદા 60 વર્ષ છે . જો કે આ પ્લાનને જેટલી જલ્દી લેવામાં આવે તેટલું વધારે સેવિંગ કરી શકાશે . કારણ કે તેની પાકતી ઉંમર 65 વર્ષ છે . એશ્યોર્ડ અવધિ પર કેટલો ફાયદો ? આ પ્લાનની લઘુત્તમ એશ્યોર્ડ અવધિ પાચ વર્ષની હોય છે . જ્યારે મહત્તમ 30 વર્ષની હોય છે . આ પ્લાનથી આપને લઘુત્તમ 7.5 લાખ રૂપિયા અને મહત્તમ 24 લાખ રૂપિયાની બચત થઇ શકે છે . પ્રિમિયમ કેટલું ? આ યોજનામાં વાર્ષિક પ્રિમિયમ આપનારે દર વર્ષે રૂપિયા 2,000 પ્રિમિયમ આપવાનું હોય છે . જ્યારે ત્રિમાસિક પ્રિમિયમમાં રૂપિયા 600 ભરવાના હોય છે ." entertainment,"એક જમાનાની પોર્ન સુપર સ્ટાર અને હવે બોલિવુડની અભિનેત્રી સની લિયોનીની બાયોપિક ' કરનજીત કૌરઃ ધ અનટોલ્ડ સ્ટોરી ' Zee 5 રિલીઝ થઈ ચૂકી છે . આ ફિલ્મમાં બતાવવામાં આવ્યુ છે કે શીખ પરિવારમાં જન્મેલી કરનજીત કૌર કેવી રીતે પોર્ન ઈન્ડસ્ટ્રીની સુપર સ્ટાર બની ગઈ . ફિલ્મને સારી પ્રતિસાદ મળી રહ્યો છે . પરંતુ તેની કમાણી અંગે ખરાબ સમાચાર છે . ફિલ્મ ઈન્ટરનેટ પર પણ લીક થઈ ગઈ છે . ફિલ્મને પાઈરસી સાઈટ તમિલરોકર્સે લીક કરી છે . તમને જણાવી દઈએ કે તમિલરોકર્સ આ પહેલા પણ ઘણી મોટી ફિલ્મો લીક કરીને સમાચારમાં છવાઈ ગયા છે . હાલમાં જ આ વેબસાઈટને રજનીકાંતના ફેન્સના ગુસ્સાનો સામનો કરવો પડ્યો હતો જ્યારે આ વેબસાઈટ પર રજનીકાંતની ફિલ્મ ' કાલા ' ને લીક કરવાની અફવા સામે આવી હતી . આ ઉપરાંત તમિલરોકર્સ પર જ નવાઝુદ્દીન સિદ્દીકી , સૈફ અલી ખાન અને રાધિકા આપ્ટે સ્ટારર વેબસીરિઝ ' ગેમ્સ રીલિઝ થઈ હતી . '" entertainment,"કમલ હસનના પુત્રી તેમજ નાયિકા શ્રુતિ હસન જેટલા સુંદર અને કોમળ રૂપેરી પડદે દેખાય છે , તેના કરતા અનેક ગણા તેઓ રીયલ લાઇફમાં મજબૂત અને સાહસી છે . તેનો તાજો દાખલો તે વખતે જોવાયો કે જ્યારે એક અજાણ્યો શખ્સ તેમની સાથે વાત કરવા તેમના ઘરમાં ઘુસવા માંગતો હતો . શ્રુતિનો પીછો કરતા - કરતા તે શખ્સ શ્રુતિના મુંબઈમાં બાંદ્રા ખાતે આવેલ ઘર સુધી પહોંચી ગયો અને જબર્દશ્તી ઘરમાં ઘુસવાની કોશિશ કરવા લાગ્યો . શ્રુતિએ ગભરાવ્યા વગર તેના મોઢે જ ઘરનો દરવાજો બંધ કરી દીધો કે જેથી તે અજાણ્યા શખ્સે મોઢાની ખાવી પડી અને ત્યાંથી ભાગવું પડ્યું . જોકે અજ્ઞાત શખ્સ અંગે કહે છે કે તે શ્રુતિઘેલો છે અને સામાન્ય રીતે શ્રુતિને જોવા માટે તેમના સેટ ઉપર દેખાય છે . જોકે આટલુ બધુ થયુ છતા શ્રુતિ હસન કે તેમના ઘરના સભ્યોએ અત્યાર સુધી પોલીસ સ્ટેશને કોઈ ફરિયાદ નોંધાવી નથી અને આ એક નોંધનીય બાબત ગણાય . બીજી બાજુ શ્રુતિના ફૅન્સે ઘણા સારા - સારા ટ્વિટ્સ કર્યાં છે . કોઇકે તેમની બહાદુરીના વખાણ કર્યા છે , તો કોઈકે લખ્યું કે શ્રુતિ આટલા હસીન છે કે કોઈ પણ તેમને જોઈ બેકાબૂ થઈ જાય . એવામાં જો કોઈ અજાણ્યો સખ્શ તેમનો પીછો કરતો ઘરે પહોંચી ગયો , તે તેમાં તેની ભૂલ નથી . ચાલો આપને તસવીરોમાં બતાવીએ કમલ હસન પુત્રી કમલ - નયનીની માદક તસવીરો :" business,દેશના મોટા ભાગના લોકો બેંકમાં પોતાનું ખાતુ ધરાવે છે . પણ તેમનાથી ભાગ્યેજ કેટલાક લોકો ખબર હશે કે તેમના ખાતામાંથી કંઇ કંઇ વસ્તુઓ માટે પૈસા કપાય છે ? જો કે મોટા ભાગની બેંકો આ બાબતોની ડિટેલ તેમની વેબસાઇટ પર લખે છે . પણ આપણી જોડે આવું બધુ વાંચવાનો સમય જ ક્યાં છે ? નોકરી વગર પણ આ 5 રીતે તમે કમાઈ શકો છો પૈસા જો કે જ્યારે બેંક દ્વારા તમારા ખાતામાંથી આ વસ્તુઓ માટે પૈસા કાપવામાં આવે છે ત્યારે તેની ખબર તમને બેંકના સ્ટેટમેન્ટમાં પડે છે . ત્યારે આ કંઇ વસ્તુઓ છે જેના નાણાં બેંક તમારા ખાતામાંથી કાપી લે છે તે વિષે વધુ જાણો અહીં . . . મિનિમમ બેલેન્સ મોટાભાગની બેંકો મિનિમમ બેલેન્સ રાખવાનું કહે છે . દરેક બેંકનું મિનિમમ બેલેન્સ અલગ અલગ હોય છે . જો કે જો તમારા ખાતામાં મિનિમમ બેલેન્સથી પણ ઓછા પૈસા થઇ જાય છે ત્યારે બેંક પેનલ્ટી લગાવી તમારા ખાતામાંથી પૈસા કાપી નાંખે છે . પેમેન્ટ રોકવી જો તમે કોઇ ચેક ઇશ્યુ કર્યો છે . પણ ચેક કેશ થવાના પહેલા તમે તેની ચુકવણી રોકવા માંગો છો . તો તે માટે બેંક તમારી પાસેથી થોડા રૂપિયાનો ચાર્જ લેશે . જો કે કેટલીક બેંકો આ માટે મફતમાં સુવિધા પણ આપે છે . ડેબિટ કાર્ડ ડેબિટ કાર્ડની ફી 100 થી લઇને 500 રૂપિયા સુધીથી હોય છે . અલગ અલગ બેંકોનો આ માટે અલગ અલગ હિસાબ હોય છે . જો તમે તમારા પરિવારના કોઇ સદસ્ય માટે એડઓન કાર્ડ લો છો તો તેનો પણ ચાર્જ તમારાથી કાપવામાં આવે છે . ઇમેલ / એસએમએસ એલર્ટ સાથે તમારા ખાતાથી ઇમેલ / એસએમએસ એલર્ટના પણ પૈસા કપાય છે . જો કે તેનો વાર્ષિક ચાર્જ મીનીમમ હોય છે . બેંક સ્ટેટમેન્ટ કેટલીક બેંક ફ્રીમાં સ્ટેટમેન્ટ આપે છે . પણ જો વારંવાર ગ્રાહક વધારે સ્ટેટમેન્ટ માંગો તો તેના કેટલીક બેંકો વધારાના ચાર્જ લેતી હોય છે . સ્ટૈન્ડિંગ ઇસ્ટ્રક્શન જ્યારે આપણે ઇચ્છીએ છીએ કે આપણું બિલ ઓટોમેટિક રીતે નિશ્ચિત તારીખે થઇ જાય તો તે માટે તમારા એકાઉન્ટ પર સ્ટૈન્ડિંગ ઇસ્ટ્રક્શન લગાવાય છે . તે માટે પણ ધણી બેંકો પૈસા લે છે . જો કે ચુકવણીની તારીખના દિવસે તમારા ખાતામાં પૈસા નહીં હોય તો તે માટે પણ બેંક પેનલ્ટીરૂપે પૈસા વસૂલે છે . પાસવર્ડ ભૂલી જવો જો તમે તમારો નેટવર્કિંગ પાસવર્ડ કે એટીએમ કાર્ડનો પીન નંબર ભૂલી ગયા છો તો મોટાભાગની બેંકો આ માટે તમારી પાસેથી પૈસા લે છે . જો કે આ ચાર્જ બેંક દીઠ અલગ અલગ હોય છે . જો કે ઇન્ટનેટ બેંકિગ મામલે મોટાભાગની બેંક ઓનલાઇન પાસવર્ડ રિકવર કરવાનો પણ વિકલ્પ આપી રહી છે . entertainment,"મુંબઇ , 15 જાન્યુઆરીઃ બૉલીવુડના ત્રણેય ખાનોનું ફિલ્મોમાં બોલબાલા છે . સલમાન ખાન , આમિર ખાન અને શાહરુખ ખાન બૉલીવુડમાં પોતાની અલગ અલગ સાખ ધરાવે છે . બૉલીવુડના ત્રણેય ખાનના રસ્તા અલગ - અલગ છે . ફિલ્મી દુનિયાના ત્રણેય ખાન અને ત્રણેયના અલગ અલગ રસ્તા . માત્ર ફિલ્મો જ નહીં પરંતુ દેશના રાજકારણમાં પણ તેમના અભિપ્રાય એકબીજાને મળતા આવતા નથી . રાજકીય દળોને લઇને પણ આ ત્રણેય ખાન એકબીજાથી અલગ છે . શાહરુખ ખાન જ્યાં કોંગ્રેસ સાથે જોવા મળે છે , તો આમિર ખાન હંમેશા આમ આદમી પાર્ટીના રાજકારણના વખાણ કરે છે અને હવે દબંગ સલમાન ખાને ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીના વખાણ કરીને ઇશારો કર્યો છે કે તે ભાજપ સાથે છે . વાત કિંગ ખાન શાહરુખ ખાનની કરીએ તો અનેકવાર કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી અને યુવરાજ રાહુલ ગાંધી સાથે જોવા મળ્યા છે અને તેમના વખાણ કરે છે . પોતાના એક ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યું હતું કે સોનિયા ગાંધી ઘણી જ મજબૂત મહિલા છે અને તેમના પ્રત્યે ઇમોશનલી જોડાણ ધરાવું છું . મિસ્ટર પર્ફેક્ટનિસ્ટ આમિર ખાન તો સમાજ સેવક અણ્ણા હઝારેના કાયલ છે . અણ્ણાના ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન દરમિયાન આમિર ત્યાં પહોંચ્યા હતા . હવે તે અણ્ણાથી અલગ થઇ ચૂકેલા આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના વખાણ કરતા જોવા મળે છે . એવો કયાસ લગાવવામાં આવી રહ્યો છે કે , આમિર આપ સાથે જોડાઇ શકે છે . અંતિમ વાત દબંગ સલમાન ખાનની કરીએ તો સલમાને પોતાની ફિલ્મ જય હોના પ્રમોશન દરમિયાન અમદાવાદમાં ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી સાથે પતંગબાજી કરી અને તેમના વખાણ કરતા તેમને ગુડમેન કહ્યા . તેમણે કહ્યું કે મોદી મહાન વ્યક્તિ છે અને હું આવનારા સમય માટે તેમને શુભકામના પાઠવું છું . જો કે કોઇએ પણ અધિકૃત રીતે રાજકીય દળ સાથે જોડાવા અંગેની વાત કરી નથી , પરંતુ આ પાર્ટીઓ માટે બૉલીવુડ અભિનેતાઓનું સમર્થન પુરતુ છે . સોશિયલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર શાહરુખને 6.4 મિલિન , શાહરુખને 5.9 મિલિયન અને આમિરને 5.5 મિલિયન લોકો ફોલો કરે છે . રાજકીય દળોની નજર આ અભિનેતાઓના આ સમર્થકો પર જ છે . અભિનેતાઓના માધ્યમથી પાર્ટીઓ તેમના ચાહકોને પોતાના મતબેન્કમાં બદલી શકે છે ." sports,"આઇસીસી મહિલા વિશ્વ કપ 2017 ઇંગ્લેન્ડમાં રમાઇ રહ્યો છે . સતત 4 મેચો જીતીને ભારતીય ટીમે નંબર વન ટીમનું સ્થાન મેળવ્યું છે . ભારત તરફથી લગભગ તમામ ખેલાડીઓ શાનદાર પ્રદર્શન કરી રહ્યાં છે . દરેક મેચમાં જાણે કોઇ નવી ખેલાડી હીરો બનીને સામે આવે છે . અહીં વાત થઇ રહી છે , ભારતીય વિકેટ કીપર સુષ્મા વર્માની . મહેન્દ્ર સિંહ ધોની વિશ્વના સૌથી સ્ફુર્તિલા વિકેટ કીપર કહેવાય છે , વિશ્વ કપની મેચોમાં સુષ્મા વર્માએ પોતાના શાનદાર પ્રદર્શન દ્વારા જાણે ધોનીને હરીફાઇ આપી હતી . આઇસીસી મહિલા વિશ્વ કપમાં સુષ્મા અત્યાર સુધીમાં 5 વાર સ્ટંપિંગ કરી ચૂકી છે . હાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો પણ વાયરલ થઇ રહ્યો છે , જેમાં સુષ્મા વર્માની સ્ટંપિંગના ખૂબ વખાણ થઇ રહ્યાં છે . પોતાની ચોથી મેચમાં શ્રીલંકા સામે ભારતીય ટીમે 232 રન બનાવ્યા હતા . મેચમાં શ્રીલંકાની બેટિંગ પણ ખૂબ શાનદાર રહી હતી , જેને કારણે પહેલા તો લાગ્યું હતું કે , મેચમાં ભારતને હારનો સામનો કરવો પડશે . પરંતુ એ જ સમયે સુષ્માએ પોતાની સ્ફુર્તિ દેખાડતાં રમત જ પલટી નાંખી . સુષ્મા વર્માએ શાનદાર સ્ટંપિંગનું પ્રદર્શન કરતાં શ્રીલંકાની બેટ્સમેન હંસિકાને આઉટ કરી હતી . આ મેચમાં ભારત 16 રનથી જીત્યું હતું . નોંધનીય છે કે , વિશ્વકપની તમામ મેચો મળીને સુષ્મા સૌથી વધુ 5 વાર સ્ટંપિંગ કરી ચૂકી છે . વેસ્ટ ઇન્ડિઝ સામેની પોતાની બીજી મેચમાં સુષ્માએ ધોનીની માફક સ્ફુર્તિનું પ્રદર્શન કરતાં એગોલેરિયાને આઉટ કરી હતી . વેસ્ટ ઇન્ડિઝ સામેની મેચનો સુષ્માનો આ વીડિયો જુઓ અહીં . ." sports,"વિન્દુના ફોન રેકોર્ડ પરથી સાબિત થાય છે કે ક્રિકેટ ટીમના માલિકો ક્રિકેટની દુનિયામાં ઘણા શક્તિશાળી છે . ફ્રેન્ચાઇઝીના માલિકો તેમના સંબંધીઓના સંપર્કમાં રહે છે . મુંબઇ પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર વિંદુએ આઇપીએલમાં સ્પોટ ફિક્સિંગમાં સામેલગીરીની વાત કબુલી છે . આવા કેસમાં ટીમના ફ્રેન્ચાઇઝી સામે પુરાવા મેળવવા મુશ્કેલ છે પણ તેમના સંબંધીઓના પુરાવા મળી શકે એમ છે . આ ઉપરાંત ઘરપકડ કરવામાં આવેલા ત્રણ ક્રિકેટર્સની પૂછપરછમાં બીજા ચાર ક્રિકેટર્સના નામ બહાર આવ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે . તેમની સામે પુરાવા મળતા જ તેમની ધરપકડ કરવામાં આવશે એમ માનવામાં આવી રહ્યું છે . આ ઉપરાંત એક ચેનલે આપેલા અહેવાલ અનુસાર પહેલા પાવર પ્લેની છ ઓવરો માટે બેટિંગ કરવામાં આવી હતી કે 42 અથવા તેનાથી ઓછા રન બનશે . આ છ ઓવરોમાં અજીત ચંડિલા , એસ શ્રીસંત અને જેમ્સ ફોલ્કનરરે બોલિંગ કરી હતી . પહેલી ઓવરમાં ચંડિલાએ એક રન આપી એક વિકેટ લીધી હતી . બીજી ઓવરમાં શ્રીસંતે માત્ર પાંચ રન આપ્યા હતા . ત્રીજી ઓવરમાં ચંડિલાએ માત્ર પાંચ રન આપી હતી . ચોથી ઓવરમાં શ્રીસંતે શોટ પિચ બોલ ફેંક્યા હતા અને 14 રન આપ્યા હતા . ત્યાર બાદમાં પાંચમી ઓવરમાં ચંડિલાએ 4 રન આપ્યા હતા . આ છ ઓવરમાં કુલ 37 રન જ બન્યા હતા . સેશન બુકિંગ શું છે ? ચેનલ સાથે વાતચીતમાં બુકીએ જણાવ્યું કે સેશન ફિક્સિંગનો અર્થ છે કે ટીમના અન્ય ખેલાડીઓ પણ ફિક્સિંગમાં સામેલ છે . આ બધું જ પહેલાથી ફિક્સ કરવામાં આવે છે . જો સટ્ટાના ભાવ ઓછા કે વધારે થાય છે તો સ્ટ્રેટેજિક ટાઇમ આઉટ દરમિયાન ખેલાડીઓ સુધી પહોંચાડવામાં આવે છે ." entertainment,"સની લિયોન સોશ્યિલ મીડિયાની વાયરલ ક્વીન છે . એટલા માટે તેનો ફોટો હોય કે વીડિયો બધું જ ખુબ જ ઝડપથી વાયરલ થઇ જાય છે . આ વખતે પણ સની લિયોનનો વીડિયો ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે . આ વીડિયોમાં સની લિયોન પોતાના મિત્રો સાથે ખુબ જ મસ્તીના મૂડમાં જોવા મળી રહી છે . સની લિયોન સ્વિમિંગ પૂલ પાસે બધા સાથે ડાન્સ કરી રહી છે . વીડિયોમાં સાફ દેખાઈ રહ્યું છે કે સની લિયોન કોઈને કોઈ મસ્તીનો પ્લાન કરી રહી છે . આ પ્લાનિંગ હેઠળ તે મજાકિયા રીતે પોતાના એક સાથીને પાણીમાં ધકેલી દે છે . ત્યારપછી સનીને તેની મસ્તીનો જવાબ પણ તેના જ અંદાઝમાં મળ્યો . ત્યારપછી બધા જ મિત્રોએ ભેગા થઈને સની લિયોનને પાણીમાં ધક્કો માર્યો . સનીનો આ વીડિયો સોશ્યિલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે . સનીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ વીડિયો શેર કર્યો છે . બોલિવૂડની 10 અભિનેત્રીઓના ટોપલેસ ફોટોશૂટ , બધું જ દેખાયું" business,મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ ભારતીય બજારમાં પોતાની શાનદાર ઇલેકટ્રીક કાર રિવા ઇ2ઓ ( Reva e2o ) એ નવું મોડલ રજૂ કર્યું છે . મહિન્દ્રાની આ નાની ઇલેક્ટ્રિક કારની લાંબાગાળાથી રાહ જોવામાં આવી રહી હતી . આજે કંપનીએ પોતાની આ નાની ઇલેક્ટ્રિક કારને લોંન્ચ કરી દિધી છે . ભારતીય બજારમાં મહિન્દ્રાની આ નવી ઇલેક્ટ્રિક કારની કિંમત 5.96 લાખ રૂપિયા ( ઓન રોડ દિલ્હી ) નક્કી કરવામાં આવી છે . મહિન્દ્રાએ પોતાની આ જોરદાર કાર રીવા ઇ2ઓ ( Reva e2o ) માં લીથિયમ - આઇઓન બેટરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે . જેમ કે તમેબધાએ આ પહેલાં મહિન્દ્રા રિવાના પહેલા મોડલને રસ્તા પર પુરઝડપે દોડતી જોઇ હશે પરંતુ મહિન્દ્રા રીવા ઇ2ઓ પોતાના હાલના મોડલના મુકાબલે ઘણી બાબતોમાં સારી અને આધુનિક છે . ડ્રાઇવસ્પાર્ક ટીમે મહિન્દ્રાની આ એકદમ આધુનિક અને ફ્યૂચર મોબિલિટી કારનો ટેસ્ટ ડ્રાઇવ કર્યો . તો આવો તસવીરોમાં જોઇએ આ જોરદાર કારને . entertainment,"આદિત્ય રૉય કપૂર તથા શ્રદ્ધા કપૂરની ફિલ્મ આશિકી 2 આગામી 26મી એપ્રિલના રોજ રિલીઝ થઈ રહી છે . ફિલ્મના ગીતો તો અગાઉથી જ હિટ થઈ ચુક્યાં છે અને તેથી જ દર્શકોને ફિલ્મનો આતુરતાપૂર્વક ઇંતેજાર છે . લોકોને આશા છે કે આશિક 2 ફિલ્મ આશિકી કરતાં પણ સારી હશે અને જૂનો ઇતિહાસ દોહરાવશે . ભટ્ટ કૅમ્પની આશિકી 2 ફિલ્મની તાજેતરમાં જ સ્પેશિયલ સ્ક્રીનિંગ યોજાઈ . ભૂષણ કુમાર , કિશન કુમાર અને મુકેશ ભટ્ટ નિર્મિત તથા મોહિત સરી દિગ્દર્શિત આશિકી 2 ફિલ્મની સ્પેશિયલ સ્ક્રીનિંગ પ્રસંગે ફિલ્મના મુખ્ય કલાકારો આદિત્ય રૉય કપૂર અને શ્રદ્ધા કપૂર ઉપરાંત મોહિત સુરી , મુકેશ ભટ્ટ અને મહેશ ભટ્ટ પણ હાજર હતાં . ફિલ્મ જોવા ભટ્ટ કૅમ્પના ચહેતા ઇમરાન હાશમી પણ તેમના પત્ની સાથે આવ્યા હતાં . નેવુના દાયકામાં આવેલી આશિકી ફિલ્મની સિક્વલ આશિકી 2માં આદિત્ય રૉય કપૂરે એક ખૂબ જ જાણીતા ગાયકનો રોલ કર્યો છે , જ્યારે શ્રદ્ધા કપૂર એક એવી છોકરીના રોલમાં છે કે જે ઇન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ સ્થાપવા માંગે છે . શ્રદ્ધાનો સાથ આપવા આદિત્ય દરેક રીતે પ્રયત્ન કરે છે અને શ્રદ્ધાને તેની મંજિલે પહોંચાડવામાં સફળ થાય છે . ફિલ્મ એમ પણ દર્શાવાયું છે કે બંને વચ્ચે કઈ રીતે ગેરસજમણો આવે છે અને કઈ રીતે બંને જુદા પડી જાય છે . આવો જોઇએ આશિકી 2 ફિલ્મની સ્પેશિયલ સ્ક્રીનિંગની તસવીરી ઝલક ." entertainment,"બોલીવુડમાં ફિલ્મો તો દર વર્ષે બને છે , પરંતુ તેમાંથી કેટલીક હિટ થાય છે , તો કેટલીક ફ્લોપ જાય છે . તો બોલીવુડમાં એક ટ્રેન્ડ હંમેશા ચર્ચામાં રહે છે . જે છે સુપરહિટ ફિલ્મોની સિક્વલનો ટ્રેન્ડ . પરંતુ હંમેશા એવું નથી હોતું કે હિટ ફિલ્મની સિક્વલ પણ હિટ જ થાય . કેટલીકવાર સિક્વલ એટલી બકવાસ હોય છે કે તેને ઓડિયન્સ મેળવવાના પણ ફાંફા પડે છે . આવી જ એક સિક્વલને 4 વર્ષ થઈ ગયા છે . તે ક્યારે આવી , ક્યારે ગઈ તેની કોઈને ખબર પણ નથી પડી . અમે વાત કરી રહ્યા છીએ 4 વર્ષ પહેલા આવેલી ક્યા કૂલ હૈ હમ 3ની . 2005માં ફિલ્મ ક્યા કૂલ હૈ હમ રિલીઝ થઈ હતી . દર્શકોને ફિલ્મ પસંદ પણ આવી હતી . બાદમાં મેકર્સે આ ફિલ્મને ફ્રેન્ચાઈઝી બનાવી અને સેક્સ કોમેડીના નામે ફાલતૂ કોન્ટેન્ટ આપ્યું , જો કે ઓડિયન્સે તેને રિજેક્ટ કર્યું . આવા જ ટ્રેન્ડને કારણે સલમાન પણ પરિણામ ભોગવી ચૂક્યા છે . તેમની ફિલ્મ રેસ 3ને એટલા નેગેટિવ રિવ્યુ મળ્યા કે ખુદ સલમાન ખાન પણ પરેશાન છે . 2019ના 10 મોસ્ટ એલિજિબલ બેચલર , હવે તો કરી લો લગ્ન ! એક તરફ જ્યાં ગોલમાલ અને હાઉસફૂલ જેવી સુપરહિટ સિક્વલ સિરીઝ છે , તો બીજી તરફ એવી પણ સિક્વલ છે , જેને ઓડિયન્સ ખરાબ રીતે રિજેક્ટ કરી ચૂકી છે . કેટલીક ફિલ્મો સિંગલ જ સારી હોય છે , તેમની સિક્વલ ફક્ત ફિલ્મને બરબાદ કરવા માટે જ બને છે . આગળ વાત કરીએ એવી ફિલ્મોની જેમની સિક્વલ બંધ કરી દેવી જોઈએ ." sports,"બૂકીઓએ ક્રિકેટર્સને કેવા કોડનેમ આપ્યા ? ખેલાડીઓના વકીલોને વેધક પ્રશ્ન પૂછતા અધિક સત્ર ન્યાયાધીશ વિનય કુમાર ખન્નાએ જણાવ્યું કે "" જો બોલર્સને બૂકીઓએ ફિક્સ કર્યા હતા તો બેટ્સમેનો શું કરી રહ્યા હતા ? એવું કેવી રીતે બની શકે કે જો બોલર 13 રન આપી રહ્યો હતો તો બેટ્સમેન પણ તેટલા જ રન બનાવી રહ્યો હતો . જો બેટ્સમેન બોલરના ધાર્યા રન બનાવત નહીં તો શું થાત ? "" કોર્ટે પૂછ્યું કે "" જ્યારે ચૌહાણ બોલિંગ કરી રહ્યો હતો તો બેટ્સમેન શું કરી રહ્યો હતો ? થોડું તો બેટ્સમેનના હાથમાં પણ હશે . કારણ કે તેણે પણ બોલર્સે નક્કી કર્યા હતા તેટલા જ રન બનાવ્યા હતા . એવું કેવી રીતે શક્ય બને કે બેટ્સમેનની કોઇ જ ભૂમિકા વિના બોલરને ધાર્યા રન મળે ? "" ઉલ્લેખનીય છે કે પાછલી 16 મેના રોજ દિલ્હી પોલીસે શ્રીસંત અને રાજસ્થાન રોયલ્સ ટીમના સભ્ય અજીત ચંડિલા અને અંકિત ચૌહાણને આઇપીએલમાં સ્પોટ ફિક્સિંગ કરવા મુદ્દે મુંબઇમાંથી અટકાયતમાં લેવામાં આવ્યા હતા . રાજસ્થાન રોયલ્સના ક્રિકેટર અંકિત ચૌહાણની જમાનત અંગે જ્યારે કોર્ટમાં ચર્ચા ચાલી રહી હતી તે સમયે ન્યાયાધીશ વિનય કુમારે આ પ્રશ્ન ઉઠાવ્યો હતો . આ પ્રશ્નના જવાબમાં સરકારી વકીલ રાજીવ મોહન અને અન્ય પોલીસ અધિકારીઓએ કોર્ટને જણાવ્યું કે તેઓ બીજા ખેલાડીઓ અને બોટ્સમેનોની ભૂમિકાની પણ તપાસ કરી રહ્યા છે ." business,"ભારતમાં તહેવારોની મોસમ ચાલી રહી છે . ભારતમાં વેપારીઓ ધમાકેદાર છૂટ આપી રહ્યા છે . ત્યારે ભારતના ઇ કોમર્સ માર્કેટ એટલે કે ઓનલાઇન રિટેલર્સ પણ ભારેખમ ડિસ્કાઉન્ટ આપીને કમાણી કરવામાં પડ્યા છે . આ હરિફાઇનો લાભ ગૂગલને પણ મળી રહ્યો છે . ભારતના અગ્રણી બિઝનેસ સમાચારપત્ર ઇકોનોમિક ટાઇમ્સના એક અહેવાલ અનુસાર ભારતની ઇ - કોમર્સ કંપનીઓ વચ્ચેની સ્પર્ધાનો ફાયદો એવી કંપનીને થયો છે જે હરીફાઈમાં સામેલ જ નથી . ગ્રાહકો સુધી પહોંચવાના ઇ - કોમર્સ કંપનીઓના જોરદાર ખર્ચને પગલે માર્ચ 2015માં ગૂગલની ભારત ખાતેની આવક એક અબજ ડોલર ( રૂપિયા 6,000 કરોડ ) પહોંચવાનો અંદાજ છે . આ અંગે કંપનીએ આપેલી માહિતી અનુસાર માર્ચ 2014માં પૂરા થયેલા વર્ષે ગૂગલની આવક રૂપિયા 3,000 કરોડને વટાવી ગઈ છે . આવકમાં આ વધારો અગાઉના વર્ષની તુલનામાં 47 ટકાની વૃદ્ધિ દર્શાવે છે . વર્ષ 2013માં ગૂગલની વૈશ્વિક આવક 58 અબજ ડોલર હતી . મિંત્રાના ભૂતપૂર્વ ડિજિટલ માર્કેટિંગ હેડ વાસુદેવન ટીએ જણાવ્યું હતું કે ' માર્કેટિંગ બજેટમાં મોટો ઉછાળો નોંધાયો છે . અત્યારે કંપનીઓ વચ્ચે તીવ્ર સ્પર્ધાનો માહોલ છે અને કીવર્ડ માટે જે સૌથી વધુ નાણાં ચૂકવે તેને સફળતા મળે છે . ' ગૂગલ , ફેસબુક અને ટ્વિટર માટે ભારતીય બજારનું સમીકરણ સમજવું મુશ્કેલ છે . અમેરિકાની બહાર તેમના સૌથી વધુ યુઝર્સ ભારતમાં છે , પરંતુ આ બજારમાં નાણાં કમાવાનું મુશ્કેલ છે . જોકે , ફ્લિપકાર્ટ અને એમેઝોન જેવી રોકડથી સમૃદ્ધ કંપનીઓએ વધુ ગ્રાહકો મેળવવા ઓનલાઇન એડ્વર્ટાઇઝિંગ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે . ઈન્ટરનેટ એન્ડ મોબાઇલ એસોસિયેશન ઓફ ઇન્ડિયા ( IAMAI ) ના મીડિયા અને રિસર્ચ વડા નીલોત્પલ ચક્રવર્તીએ જણાવ્યું હતું કે ' આ કંપનીઓના ડિજિટલ એડ્ ખર્ચમાં મોટો ઉછાળો નોંધાશે . અત્યારથી જ અમે આ ટ્રેન્ડ જોઈ રહ્યા છીએ . ' ડિજિટલ એડ્ માર્કેટમાં સૌથી વધુ ખર્ચ કરનારમાં ઇ - કોમર્સ કંપનીઓનો સમાવેશ થાય છે . IAMAIના જણાવ્યા અનુસાર ડિજિટલ એડ્ના કુલ ખર્ચમાં ઇ - કોમર્સનો હિસ્સો 18 ટકા છે . ઇ - કોમર્સ કંપનીઓ માટે સોશિયલ મીડિયાની સાથે સર્ચ સૌથી મોટી માર્કેટિંગ ચેનલ છે . સામાન્ય રીતે વિવિધ ઓનલાઇન બિઝનેસનો માર્કેટિંગ ખર્ચ કુલ વેચાણના 25 ટકા હોય છે . ઇ - કોમર્સ કંપનીઓ માટે આ આંકડો 50 ટકા સુધી જઈ શકે . ગૂગલ ભારતને તેના સૌથી વધુ ઝડપે વધી રહેલાં બજારોમાં ગણે છે અને એટલે તે અહીં નોંધપાત્ર રોકાણ કરી રહ્યું છે . તાજેતરમાં મહત્ત્વાકાંક્ષી એન્ડ્રોઇડ વન પ્રોજેક્ટમાં ગૂગલે નીચા ભાવે સ્માર્ટ ફોન લોન્ચ કરવા સ્થાનિક ઉત્પાદકો સાથે હાથ મિલાવ્યા હતા . ગૂગલે તેની ભારત ખાતેની આવકનો આંકડો આપવાનો ઇનકાર કર્યો હતો . ભારતમાં વધતી આવક સાથે ગૂગલ ટેક્સ વિવાદમાં પણ ફસાઈ છે . ભારતના ટેક્સ સત્તાવાળાની માંગણી સામે ગૂગલે કાનૂની અરજી કરી છે અને એટલે વર્ષ 2007થી 2013 વચ્ચે કંપનીએ ' વિરોધ સાથે આવકવેરાની ચુકવણી ' હેઠળ રૂપિયા 311 કરોડ ચૂકવ્યા છે ." business,"નવી દિલ્હી , 16 ઓક્ટોબર : એપ્પલ ટૂંક સમયમાં પોતાનો નવો હેન્ડસેટ આઇફોન 6 લોન્ચ કરવા જઇ રહી છે . આ અંગે આવી રહેલા અહેવાલો અનુસાર આઇફોન 6નો ડિસ્પ્લે એપ્પલના બાકી હેન્ડસેટ્સની તુલનામાં ઘણો મોટો હશે . માનવામાં આવે છે કે સેમસંગના મોટા ડિસપ્લેવાળા ફોનને ધ્યાનમાં રાખીને એપ્પલ આઇફોન 6ને 4.8 ઇંચના સ્ક્રીન સાથે માર્કેટમાં લોન્ચ કરવાની સ્ટ્રેટેજી છે . વર્તમાન સમયમાં થોડા સમય પહેલા લોન્ચ કરવામાં આવેલા આઇફોન 5સી અને 5એસ 4 ઇંચની ડિસ્પ્લે સ્ક્રીન ધરાવે છે . ટેકનોલોજીને દ્રષ્ટિએ આ ફોનની સૌથી મોટી ખાસિયત હશે વાયરલેસ ચાર્જિંગ ટેકનિક અને ફ્લેક્સિબલ ડિસ્પ્લે . જો કે એપ્પલની હરીફ સેમસંગે તાજેતરમાં ફ્લેક્સિબલ ડિસ્પ્લેવાળો ફોન લોન્ચ કર્યો છે . નવો આઇફોન 6 નિયર ફિલ્ડ કોમ્યુનિકેશન ( એનએફસી ) ટેકનિકવાળો હશે . એનએફસી સારા રેડિયો કોમ્યુનિકેશન માટે સ્માર્ટ ફોનમાં આપવામાં આવતી ટેકનોલોજી છે . ફોનમાં એક્સપાન્ડેબલ મેમરીની સુવિધા પણ હશે . એપ્પલ આ ફોનના લોન્ચિંગ પહેલા પોતાની નવી ઓપરેટિંગ સિસ્ટમને પણ લોન્ચ કરશે . આ ફોન આવતા વર્ષે એટલે કે જુલાઇ 2014ની આસપાસ લોન્ચ કરવામાં આવે તેવી શક્યતા છે . આવતા વર્ષે કંપની આઇવોચ અને ટીવી પણ લોન્ચ કરવાની યોજના પર કામ કરી રહી છે ." business,એક તરફ જ્યાં ભારતની અર્થવ્યવસ્થાની મુશ્કેલીઓ વધી છે ત્યાં ભાજપ અને પીએમ નરેન્દ્ર મોદી માટે એક સારા સમાચાર આવ્યા છે . વર્લ્ડ બેંકે ભારત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભરપૂર વખાણ કર્યા છે . દક્ષિણ એશિયા માટે વર્લ્ડ બેંકના વાઇસ પ્રેસિડન્ટ એનેટ્ટ ડિક્સને ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ રિપોર્ટને આધાર બનાવીને ભારતના વખાણ કર્યા છે . તેમણે કહ્યું કે આ વર્ષે ભારત દુનિયાના ટોપ 10 દેશામાં જોડાયું છે જ્યાં સરળતાથી વેપાર કરી શકાય . અને આ મામલે ખુદની રેકિંગ ભારતે વધારી છે . તેમણે કહ્યું કે ભારતે અન્ય દેશો કરતા પોતાની રેન્કિંગ 30 સ્થાન ઉપર લાવી છે જે ખરેખરમાં વખાણવા લાયક વાત કહેવાય . જ્યાં અર્થવ્યવસ્થા માટે મોદી સરકારના નોટબંધી અને જીએસટી જેવા નિર્ણયોને જવાબદાર માનવામાં આવી રહ્યું છે ત્યાં જ વર્લ્ડ બેંકે પીએમ મોદીના નેતૃત્વને ખૂબ જ પસંદ કર્યું છે . વર્લ્ડ બેંકના વાઇસ પ્રેસિડન્ટે કહ્યું કે જો ભવિષ્યમાં પણ પીએમ મોદીની લીડરશીપ રહી અને તેમનાથી જે રીતનું કો - ઓર્ડિનેશન અમને જોવા મળ્યુ તે પ્રમાણે આશા રાખી શકાય કે ભારત આવનારા સમયમાં સારો વિકાસ કરશે . વર્લ્ડ બેંકે મંગળવારે સાંજે ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ રિપોર્ટ જાહેર કર્યો છે . રિપોર્ટ પછી નાણાં પ્રધાન અરુણ જેટલીએ પ્રેસ કોન્ફર્ન્સ કરીને ભારતનો નંબર હવે 130 માંથી 100 માં નંબર પર આવી ગયો છે તેમ જાણકારી આપી હતી . ભારતમાં વેપાર કરવાને સરળ માનવામાં આવી રહ્યું છે તેમ આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે . તેમણે કહ્યું કે વિજળી કનેક્શનને લઇને ભારત 29માં સ્થાને પહોંચ્યું છે . ભારત હવે સુવિધાની તમામ કસોટી પર એક પછી એક ખરું ઉતરી રહ્યું છે . જેટલીએ કહ્યું કે તેનાથી ટેક્સને લઇને કરવામાં આવેલા સુધારામાં સૌથી વધુ ફાયદો થયો છે entertainment,"મહાનાયક અમિતાભ બચ્ચન કૌન બનેગા કરોડપતિ એટલે કે કેબીસી ગેમ શોની યજમાની પાંચ વાર કરી ચુક્યાં છે , પરંતુ આમ છતાં આજેય આ યજમાની તેમને તાણ પેદા કરનારી લાગે છે . કેબીસી 3ની મેજબાની શાહરુખે કરી હતી . તે ઉપરાંત કેબીસી 1,2 અને 4થી 6ની કુર્સીએ અમિતાભ બચ્ચન બેઠા હતાં અને હવે કેબીસી 7 પણ અમિતાભ બચ્ચન જ હોસ્ટ કરવાના છે . કેબીસી શો આંતરરાષ્ટ્રીય શો હૂ વાંટ્સ બી ઍ મિલેનિયર પર આધારિત છે . અમિતાભ બચ્ચન કૌન બનેગા કરોડપતિ એટલે કે કેબીસી 7 માટે કેટલાંક એપિસોડનું શૂટિંગ કરી ચુક્યાં છે , પરંતુ આમ છતાં 70 વર્ષીય અમિતાભ બચ્ચન આજેય ગભરાટ અનુભવે છે . કેબીસી 7 લૉન્ચિંગ પ્રસંગે અમિતાભે મીડિયાને જણાવ્યું - હું ગભરાઈ જાઉ છું . તે ભલે કામ હોય કે પ્રેસ કૉન્ફરંસ . આ બધું તણાવપૂર્ણ છું . હું આ વાતથી સંમત નથી કે હું પ્રોફેશનલ હોવાના નાતે ગભરાઉ નહીં . કેબીસી 7નું પ્રસારણ 6ઠી સપ્ટેમ્બરથી સોની એંટરટેનમેંટ ટેલીવિઝન ઉપર શરૂ થનાર છે ." sports,"અર્શી ખાન આજકાલ પોતાના વિવાદિત નિવેદન અને વિવાદિત વીડિયો માટે ફેમસ છે . પોતાને પાકિસ્તાન કિકેટ ટીમના કપ્તાન શાહિદ આફ્રીદીની ગર્લફ્રેન્ડ કેહવા વાળી અર્શી ખાને હાલમાં જ દાવો કર્યો હતો કે તે આફ્રીદીના છોકરાની માં બનવાની છે . Video : અર્શી ખાને પૂરો કર્યો વાયદો , કેમેરા સામે ઉતાર્યા કપડા એટલું જ નહી હમણાં ટીમ ઇન્ડિયાની જીત પર અર્શી ખાને કેમેરા સામે કપડા ઉતારીને ડાન્સ પણ કર્યો હતો . થોડા દિવસ પહેલા અર્શી ખાને સોશિયલ મીડિયા પર કહ્યું હતું કે જો ટીમ ઇન્ડિયા ટી20 વર્લ્ડકપ જીતશે તો તે મહેન્દ્ર સિંહ ધોનીને ડેટ પર લઇ જશે . હાલમાં જ અર્શી ખાને ફરી એક વાર વિવાદિત નિવેદન આપ્યું છે અને આ વખતે તેને મહેન્દ્ર સિંહ ધોની અને વિરાટ કોહલીને નિશાના પર લિધા છે . અર્શી ખાને કહ્યું છે કે જો ટીમ ઇન્ડિયા ટી20 વર્લ્ડકપ હારશે તો તેને ટીમ ઇન્ડિયાના કપ્તાન મહેન્દ્ર સિંહ ધોની અને ઉપકપ્તાન વિરાટ કોહલીનો બળાત્કાર કરવાની ધમકી આપી છે . મારા અને આફ્રીદી વચ્ચે શારીરિક સંબધ , જલ્દી કરશું લગ્નઃ અર્શી ખાન આમ જવા જઈએ તો અર્શી ખાનના વિવાદિત નિવેદનની મહેન્દ્ર સિંહ ધોની કે પછી વિરાટ કોહલી ને કોઈ જ પડી નથી . અર્શી ખાનના આવા વિવાદિત નિવેદન તો ચાલુ જ રહેવાના છે . તો જુઓ અર્શી ખાનનો આ વિવાદિત વીડિયો . . . ." business,"નવી દિલ્હી , 30 મેઃ સેમસંગ ઇલેક્ટ્રોનિક્સ દ્વારા થોડા સમય પહેલા ગેલેક્સી એસ4 લોન્ચ કર્યો હતો , વિશ્વભરમાં આ સ્માર્ટફોનને શાનદાર પ્રતિસાદ મળ્યા બાદ કંપની દ્વારા ગેલેક્સી એસ4 મિનિ લોન્ચ કર્યો છે . આ ફોનની સ્ક્રિન 4.3 રાખવામાં આવી છે અને 8 મેગાપિક્સલ રીઅર ફેસિંગ કેમેરા આપવામાં આવ્યો છે . જ્યારે 10 મિલિયન કરતા પણ વધુના વેચાણનો રેકોર્ડ સર્જનાર એસ4ની સ્ક્રિન 5 ઇન્ચ હતી . મળતી માહિતી અનુસાર સેમસંગ દ્વારા હજુ સુધી આ ફોનની કોઇ કિમત નક્કી કરવામા આવી નથી , પરંતુ માર્કેટમા ચર્ચાતી વાત અનુસાર આ ફોનની કિમત 350 ડોલરની આસપાસ રાખવામાં આવી શકે છે . કહેવાય છે કે આઇફોન દ્વારા ઓછી કિમતનો સ્માર્ટફોન રજુ કરે તે પહેલા વિશ્વની ટોચની સ્માર્ટફોન મેકર કંપની સેમસંગ દ્વારા આ ફોન રજુ કરીને તેને સ્પર્ધા આપવાની યોજના બનાવી છે . સેમસંગ ગેલેક્સી એસ4 મિનિના ફિચર્સ પર નજર ફેરવવામાં આવે તો , આ ફોનમાં 1.7 ગીગાહર્ટ ડ્યુએલ કોર પ્રોસેસર આપવામાં આવ્યું છે , એન્ડ્રોઇડ 4.2.2 જેલીબીન ઓએસ છે , રીઅર કેમેરા 8 મેગાપિક્સલ અને ફ્રન્ટ કેમેરા 1.9 મેગા પિક્સલ છે . મેમરીની વાત કરવામાં આવે તો 8 જીબી ઇન્ટરનલ મેમરી , 64 જીબી માક્રોએસડી એક્સટરનલ મેમરી , 1.5 જીબી રેમ આપવામાં આવી છે . બેટરીની વાત કરવામાં આવે તો આ ફોનમાં 1900એમએએચ બેટરી છે . તો ચાલો તસવીરોમાં નિહાળીએ સેમસંગ ગેલેક્સી એસ4 મિનિ ." sports,"નવી દિલ્હી , 1 ઑગસ્ટઃ લોર્ડ્સમાં શાનદાર વિજય બાદ સાઉથમ્પટન ખાતે ભારતે ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીની ત્રીજી ટેસ્ટમાં નાલેશીભર્યો પરાજય વ્હોર્યો હતો . જેને લઇને અનેક ક્રિકેટ દિગ્ગજો ભારતીય ક્રિકેટ ટીમની ટીકા કરી રહ્યાં છે . જેમાંથી ભારતના પૂર્વ સુકાની સુનિલ ગાવસ્કર પણ બાકાત નથી . ગાવસ્કરે કહ્યું છેકે , આ ભારતની આદત છેકે મોટો વિજય મેળવ્યા બાદ તે તેના પછીની મેચ હારે છે . સુનિલ ગાવસ્કરે કહ્યું કે , આપણે કદાચ તેમને શ્રેણીમાં પરત ફરવામાં મદદ કરી રહ્યાં હતા . આપણે તેમને લોર્ડ્સ ખાતે પરાસ્ત કર્યા બાદ વધુ હતાશ કરી શક્યાં હોત , પરંતુ મને નથી સમજાતું કે , લોર્ડ્સ અને સાઉથમ્પટન ટેસ્ટ વચ્ચેના પાંચ દિવસના સમયગાળામાં ભારતીય ટીમે શું કર્યું . પહેલા દિવસે પણ આપણી રમત નબળી હતી , આપણે કૂકનો કેચ ડ્રોપ કર્યો અને તે લાંબી ઇનિંગ રમી ગયો . આપણે આપણી સ્લિપ ફિલ્ડિંગ અને અન્ય બાબતો તરફ જોવાની જરૂર છે , આપણે ઘણી મિસફિલ્ડ કરી હતી . ઇજાગ્રસ્ત સાહાના સ્થાને નમન ઓઝાનો ટેસ્ટ ટીમમાં સમાવેશ સાઉથમ્પટન ટેસ્ટઃ ભારતનો શરમજનક પરાજય સાઉથમ્પટન ટેસ્ટમાં ભારતની હાર , વાંચો રસપ્રદ વાતો તેમણે કહ્યુ કે , ભારતીય ટીમ સાથે આ 1930થી બનતું આવ્યું છે , પરંતુ હાલની ભારતીય ટીમ ઘણી જ પ્રોફેશનલ છે . તેઓ પર આત્મસંતુષ્ટિની અસર થવી ન જોઇ અને તેમણે તુર્ત જ આ મુદ્દે ઉકેલ લાવવો જોઇએ . વધુ વાંચવા માટે તસવીરો પર ક્લિક કરો ." entertainment,દીપિકા પાદુકોણ ખૂબ જ સુંદર છે અને એમાં તે કઈ પણ કરી લે આપણે સુંદર જ લાગશે . દીપિકા પાદુકોણ ની ફેન ફોલોવિંગ પણ ખૂબ જ વધારે છે . એક કારણ એ પણ છે કે તેમના ફેન્સ તેમની ખુબસુરતીના દિવાના બની જાય છે . દીપિકા પાદુકોણે હાલમાં જ તાનિકસ માટે એક ફોટોશૂટ કરાવ્યું છે . આ ફોટોશૂટમાં દીપિકાને જોઈને એ લોકો પણ તેના ફેન બની જશે જે અત્યાર સુધી તેમના ફેન ના હતા . દીપિકા પાદુકોણ હાલમાં તો તેના હોલિવૂડના પ્રોજેક્ટમાં વ્યસ્ત છે . દીપિકા અત્યારે ક્યાં તો તેના હોલિવૂડ ના પ્રોજેક્ટને લઈને ચર્ચામાં હોઈ છે કે કોઈક વાર તેના અને રણવીર સિંહ ના સંબંધ ને લઈને ચર્ચાનું પાત્ર બને છે . તો અહીં નીચે જુઓ દીપિકા પાદુકોણના ફોટોશૂટની કેટલીક શાનદાર તસવીરો જેના વખાણ કર્યા વગર તમે નહીં રહી શકો . . . . entertainment,"આ શુક્રવારે રિલીઝ થતી બૉમ્બે ટૉકીઝ ફિલ્મ અંગે દિગ્દર્શક ઝોયા અખ્તબર નર્વસ થઈ ગયાં છે . બૉમ્બે ટૉકીઝ ચાર લઘુકથાઓનો સંગ્રહ છે કે ચાર જુદા - જુદા દિગ્દર્શકોએ બનાવી છે . ફિલ્મની એક વાર્તાનું દિગ્દર્શન ઝોયાએ કર્યું છે . સોમવારે ફિલ્મના સ્પેશિયલ સ્ક્રીનિંગ દરમિયાન 39 વર્ષીય ઝોયાએ જણાવ્યું - હું ખૂબ રોમાંચિત છું . ફિલ્મ શુક્રવારે થિયેટરોમાં રિલીઝ થવાની છે . એક જ ફિલ્મમાં ચાર જુદા - જુદા દિગ્દર્શકોનું કામ કરવું સાચે જ મજાનું રહ્યું . આ ફિલ્મ તેથી પણ ખાસ છે કે બાકી ત્રણે દિગ્દર્શકો કમાલના છે . હું થોડીક ગભરાયેલી છું અને ફિલ્મ રિલીઝ થવાની રાહ જોઉ છું . ઝોયા અખ્તરને આ વાતની ખુશી છે કે લોકો આ ફિલ્મને એક પ્રોજેક્ટ તરીકે જોઈ રહ્યાં છે અને વખાણ કરે છે . બહુચર્ચિત બૉમ્બે ટૉકીઝ ફિલ્મનું નિર્માણ ભારતીય સિનેમાના 100 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં કરાયું છે . ઝોયા અખ્તર ઉપરાંત કરણ જૌહર , દિબાકર બૅનર્જી તથા અનુરાગ કશ્યપે પોત - પોતાની વાર્તાઓનું દિગ્દર્શન કર્યું છે ." sports,"જોહાનિસબર્ગ , 6 ડિસેમ્બરઃ દક્ષિણ આફ્રીકાએ પહેલી વનડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં ગુરુવારે ભારતને શરૂઆતથી એવા ઝટકા આપ્યા કે આખી ભારતીય ટીમ માત્ર 217 રન પર ઓલ આઉટ થઇ ગઇ . દક્ષિણ આફ્રીકાએ આ પહેલી વનડેમાં ભારતને 141 રનથી હરાવી દીધું . હવે દક્ષિણ આફ્રીએ ત્રણ વનડે મેચોની શ્રેણીમાં 1 - 0થી બઢત બનાવી લીધી છે . સલામી બેટ્સમેન ક્વિંટન ડિ કોકની આકર્ષક સદી તથા ડેથ ઓવરોમાં એબી ડિવિલિયર્સ અને જેપી ડૂમિનીની ધમાલથી મોટો સ્કોર બનાવનાર દક્ષિણ આફ્રિકાએ ભારતીય બોલિંગની ધૂળ કાઢ્યા બાદ ગુરુવારે અત્રે ભારતની મજબૂત બેટિંગને પણ હંફાવી નાખી હતી અને મેચમાં 141 રને વિજય હાસલ કરી લીધો હતો . 17 ડિસેમ્બરના રોજ પોતાનો 21મો જન્મદિવસ મનાવવાની તૈયારી કરી રહેલા ડિ કોકે 121 બોલમાં 18 ચોગ્ગા અને ત્રણ છગ્ગાઓની મદદથી 135 રન બનાવ્યા . તેમણે હાશિમ ઉમલા ( 65 રન ) ની સાથે પહેલી વિકેટ માટે 152 રનની ભાગીદારી કરી . છેલ્લી ઓવરોમાં કપ્તાન ડિવિલિયર્સ ( 77 રન ) અને ડૂમિની ( 59 રન ) એ 46 બોલ પર 105 રન બનાવીને દક્ષિણ આફ્રિકાનો સ્કોર ચાર વિકેટ પર 358 રન સુધી પહોંચાડ્યો . ભારતીય ટીમના જવાબમાં 41 ઓવરમાં 217 રન પર જ પેવેલિયન ભેગી થઇ ગઇ . માત્ર કપ્તાન મહેન્દ્ર સિંહ ધોની ( 65 ) જ ટકીને રમી શક્યા . જ્યારે બાકી બોલરોની પાસે દક્ષિણ આફ્રિકાના બોલરોની ઝડપ અને શોર્ટ પિચ બોલોનો કોઇ જવાબ ન્હોતો . ડેલ સ્ટેને 25 રન આપીને ત્રણ અને રેયાન મેકલારેને 49 રન આપીને વિકેટ લીધી . દક્ષિણ આફ્રિકાએ ત્રણ મેચોની શ્રેણીમાં 1 - 0ની બઢત મેળવી લીધી છે . બીજી મેચ આઠ ડિસેમ્બરના રોજ ડરબનમાં રમાશે ." sports,"ભારત અને શ્રીલંકા વચ્ચેની 5 વન ડે સીરિઝીની છેલ્લી અને 5મી મેચ રવિવારે કોલંબો ખાતે રમાઇ હતી . આ સીરિઝમાં ભારતીય ટીમ 4 - 0થી આગળ છે . આગળની ચારેય વન ડે મેચોમાં કપ્તાન વિરાટ કોહલીની આગેવાનીમાં ટીમનું પ્રદર્શન ઘણું સરસ રહ્યું છે . આ સીરિઝની પ્રથમ મેચમાં ભારતે શ્રીલંકાને 9 વિકેટથી માત આપી હતી . બીજી વન ડે મેચમાં જીતવા માટે ભારતને મહેનત કરવી પડી હતી , પરંતુ ભૂતપૂર્વ કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીને કારણે ભારત આ મેચ 3 વિકેટથી જીત્યું હતું . ત્રીજી વન ડેમાં ભારત 6 વિકેટથી જીત્યું હતું અને 4થી વન ડેમાં ભારતે શ્રીલંકાને 168 રનથી માત આપી હતી . અને સાથે જ આ મેચ પણ ભારતે જ જીતી હતી . સ્કોર અપડેટ્સ : ટીમ ઇન્ડિયા ( પ્લેઇંગ ઇલેવન ) : અજિંક્ય રહાણે , રોહિત શર્મા , વિરાટ કોહલી ( કપ્તાન ) , કેદાર જાધવ , મનીષ પાંડે , એમએસ ધોની ( વિકેટ કીપર ) , ભુવનેશ્વર કુમાર , યુજવેન્દ્ર ચહલ , કુલદીપ યાદવ , શાર્દુલ ઠાકુર , જસપ્રિત બુમરાહ શ્રીલંકા ( પ્લેઇંગ ઇલેવન ) : નિરોસન ડિક્વેલા ( વિકેટ કીપર ) , દિલશાન મુનાવીરા , લાહિરૂ થિરિમાને , ઉપુલ થરંગા ( કપ્તાન ) , એન્જેલો મેથ્યૂઝ , મલિંદા સિરીવર્દના , વનિદુ હસરંગા , અકીલા ધનંજયા , વિશ્વા ફર્નાંડો , લસિથ મલિંગા" entertainment,"મુંબઈ , 14 સપ્ટેમ્બર : ભૂતપૂર્વ મિસ વર્લ્ડ અને અભિનેત્રી યુક્તા મુખીએ પોતાના પતિ પ્રિંસ તુલી વિરુદ્ધ ઘરેલુ હિંસાની ફરિયાદ નોંધાવી છે . અંબોલી પોલીસ સ્ટેશનનાં સીનિયર ઇંસ્પેક્ટર હરિશ્ચંદ્ર વાટકરે જણાવ્યું હતું કે યુક્તાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે તેનો પતિ વારંવાર તેની સાથે મારઝૂડ કરે છે અને હેરાન કરે છે . આ ફરિયાદ પછી તેમના પતિ વિરુદ્ધ બિન દખલપાત્ર ગુનાની શ્રેણીમાં કેસ નોંધવામાં આવ્યું છે . બિન દખલપાત્ર ગુનામાં પોલીસ નથી એફઆઈઆર નોંધે છે અને કોર્ટના નિર્દેશ વગર કોઈની ધરપકડ પણ નથી કરતી . એક અન્ય અધિકારીએ જણાવ્યું હતું કે યુક્તાએ લગભગ બે મહીના અગાઉ ફરિયાદ નોંધાવી હતી અને હવે તે પોતાના બિઝનેશમેન પતિ વિરુદ્ધ કોર્ટે પણ જઈ શકે છે . યુક્તા મુખી 20 વરસની ઉંમરે 1999માં લંડન મિસ વર્લ્ડનો ખિતાબ જીતી હતી . તે પછી તેમણે ઘણી બધી ફિલ્મોમાં પણ કામ કર્યુ હતું . તેમના પતિ ન્યૂયૉર્કના વતની છે . તેઓ બિઝનેશમેન અને નાણાંકીય સલાહકાર છે . તેમના પરિવારનું ભારતમાં મોટુ બિઝનેશ એમ્પાયર છે ." sports,"ઑસ્ટ્રેલિયા સામેની 5 મેચોની વન ડે સીરિઝમાં 4 - 1થી વિજય મેળવ્યા બાદ વિરાટ કોહલીની આગેવાનીમાં ભારતીય ટીમે રાંચીમાં પણ એ જ પ્રકારે ધમાકેદાર શરૂઆત કરી હતી . ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચેની પહેલી ટી - 20 મેચ રાંચીમાં રમાઇ હતી , જેમાં ભારતે ઑસ્ટ્રેલિયાને 9 વિકેટ સાથે માત આપવા સાથે જ એક અનોખો રેકોર્ડ પણ બનાવ્યો છે . આ રેકોર્ડ ભારતીય બોલર્સે બનાવ્યો છે . પહેલી ટી - 20 મેચમાં ભારતીય બોલર્સે 8માંથી 6 વિકેટ બોલ્ડ આઉટ કર્યા હતા , જે વિશ્વ રેકોર્ડ છે . આવું પહેલીવાર થયું છે કે , ટી20 મેચમાં ઑસ્ટ્રેલિયાના 6 બેટ્સમેન બોલ્ડ થયા હોય . ભારતીય ટીમ પહેલાં ચાર અન્ય ટીમ આ વિશ્વ રેકોર્ડ બનાવી ચૂકી છે . આ 6 વિકેટમાંથી કુલદીપ યાદવ અને જસપ્રીત બુમરાહે 2 - 2 વિકેટ લીધી હતી , એક બેટ્સમેનને વિરાટ કોહલીને રન આઉટ કર્યા તથા યુજવેન્દ્ર ચહલએ ગ્લેન મેક્સવેલને આઉટ કર્યા હતા . છેલ્લી ચાર પાળીઓમાં આ ચોથીવાર યુજવેન્દ્ર ચહલે ગ્લેન મેક્સવેલને આઉટ કર્યા હતા ." sports,"નવી દિલ્હી , 19 એપ્રિલઃ દિલ્હી ડેરડેવિલ્સ ટીમે ગુરુવારે આઇપીએલની છઠ્ઠી આવૃતિમાં સતત છઠ્ઠીવાર હારનો સ્વાદ ચાખવો પડ્યો છે . તેને ફિરોજસાહ કોટલા મેદાન પર રમાયેલી લીગની 24મી મેચમાં ચેન્નાઇ સુપર કિંગ્સે દિલ્હી ડેરડેવિલ્સને 86 રનથી પરાજય આપ્યો . સુપર કિંગ્સની આ પાંચ મેચોમાં ત્રીજી જીત છે . ઇનિંગની શરૂઆત કરતા 65 રનની અણનમ ઇનિંગ રમનારા સુપર કિંગ્સના ઓપનિંગ બેટ્સમેન માઇકલ હસ્સીને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો . સુપર કિંગ્સે દિલ્હી સામે 170 રનનો લક્ષ્યાંક મુક્યો હતો , જે દિલ્હી માટે કપરો સાબિત થયો હતો , કારણ કે કેદાર જાધવ ( 31 ) ને બાદ કરતા તમામ ટોચના બેટ્સમેનો પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યાં છે . જેના કારણે દિલ્હીની ટીમ 17.3 ઓવરમા માત્ર 83 રન જ બનાવી શકી . કેદાર ઉપરાંત જીવન મેન્ડિસ ( 12 ) અને વિરેન્દ્ર સેહવાગ ( 17 ) એ ઠીક - ઠાક ઇનિંગ રમી હતી . ડેવિડ વોર્નર 1 , મનપ્રીત જુનેજા 2 , જયવર્ધને 6 , ઇરફાન પઠાણ 2 , અજીત અગરકર 3 ઉમેશ યાદવ અને મોર્ને મોર્કલે 2 - 2 રન બનાવ્યા હતા . સુપર કિંગ્સ તરફતી મોહિતે ત્રણ વિકેટ જ્યારે અશ્વિનને બે વિકેટ મળી , એલબી મોર્કલ , ડ્વેન બ્રાવો અને મોરિસે પણ એક - એક વિકેટ મેળવી હતી . આ પહેલા , ટોસ જીતીને બેટિંગ કરતા મહેમાન ટીમ સુપર કિંગ્સે નિર્ધારિત 20 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને 169 રન બનાવ્યા . જેમાં હસીએ અણનમ 65 , સુકાની ધોનીએ 44 અને સુરેશ રૈનાએ 30 , જ્યારે મુરલી વિજય 18 , ડ્વેન બ્રેવો 3 રનનું યોગદાન આપ્યું હતું . દિલ્હી તરફથી મોર્ને મોર્કલ , ઉમેશ યાદવ અને ઇરફાન પઠાણને એક - એક સફળતાં મળી હતી ." sports,જોકે સુપ્રીમ કોર્ટે બીસીસીઆઇએ જણાવ્યું કે તેની તપાસ સમિતિ નિર્ધારિત સમયમાં તપાસ પૂરી કરે . એ બીસીસીઆઇની જવાબદારી છે કે તે આઇપીએલને એક જેન્ટલમેન ગેમ બનાવી રાખે . સુપ્રીમ કોર્ટે બીસીસીઆઇ તપાસ સમિતિથી 15 દિવસના અંદર રિપોર્ટ માંગ્યો છે . ઉલ્લેખનીય છે કે આઇપીએલમાં સ્પોટ ફિક્સિંગમાં ત્રણ ખેલાડીઓની ધરપકડ કર્યા બાદ સુપ્રીમ કોર્ટમાં એક જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી હતી . અરજીમાં માંગ કરવામાં આવી હતી કે સેમીફાઇનલ અને ફાઇનલ મેચો પર પ્રતિબંધ લગાવી દેવામાં આવે . અરજીમાં કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી આઇપીએલમાં ફિક્સિંગની તપાસ પૂરી ના થઇ જાય ત્યા સુધી આઇપીએલની મેચો પર પ્રતિબંધ લગાવી દેવામાં આવે . સુપ્રીમ કોર્ટે આઇપીએલની બાકીની મેચ પર પ્રતિબંધ લગાવવાની અરજીનો સ્વીકાર કરી તેની પર આજે બપોરે 2 વાગે સુનવણીમાં પોતાનો નિર્ણય સુણાવ્યો હતો . જેમાં કોર્ટે આ અરજીને ફગાવી દેતા કહ્યું કે કેટલાક લોકોના કારણે આખી રમત પર પ્રતિબંધ મૂકી શકાય નહીં . ઉલ્લેખનીય છે કે આઇપીએલના પ્લે ઓફ મુકાબલા આજથી શરૂ થઇ રહી છે . entertainment,"મુન્ના માઇકલ સ્ટાર કાસ્ટઃ ટાઇગર શ્રોફ , નવાઝુદ્દીન સિદ્દીકી , નિધિ અગ્રવાલ , રોનિત રોય ડાયરેક્ટરઃ સબ્બીર ખાન પ્રોડ્યુસરઃ વીકી રાજાની લેખકઃ અમલ કિંગ પ્લસ પોઇન્ટઃ નવાઝુદ્દીન સિદ્દીકીની એક્ટિંગ , ટાઇગરનો ડાન્સ અને એક્શન સિન માઇનસ પોઇન્ટઃ ફિલ્મની વાર્તામાં સૌથી મોટી ખોટ લોજિકની છે , નવાઝુદ્દીન સિદ્દીકીનું ટેલેન્ટ આ ફિલ્મમાં વેસ્ટ ગયું હોય એમ લાગે છે . કેટલા સ્ટારઃ 2" business,"એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરે કન્સ્ટ્રક્શન કંપની એમ્માર એમજીએફ લેન્ડ લિમિટેડને રૂપિયા 8,600 કરોડના દંડની નોટિસ આપવામાં આવી છે . કંપનીને આ નોટિસ ફોરેક્સના નિયમો તોડવા માટે આપવામાં આવી છે . રિયલ એસ્ટેટ સેક્ટરમાં આ અત્યાર સુધીનો સૌથી મોટો દંડ કરવામાં આવ્યો છે . એજન્સી દ્વારા આ કેસની તપાસ વર્ષ 2010થી શરૂ કરી દેવામાં આવી હતી . આ કેસ ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટના નિયમ તોડવા સાથે જોડાયેલો છે . કંપની પર આ વિશે ભારતીય રિઝર્વ બેન્કના નિયમો તોડવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે . ઈન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરનું માનવુ છે કે , આ કેસમાં એમ્માર એમજીએફની સામે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ ( ફેમા ) નો નિયમ તોડવાનો કેસ બની શકે છે . એજન્સીના મત પ્રમાણે , તપાસમાં ખ્યાલ આવ્યો છે કે , આ ગ્રૂપે આરબીઆઈને જાણ કરી છે કે તેઓ ભારતમાં કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ માટે એફડીઆઈ લાવી રહી છે , જોકે આ નાણાંનો ઉપયોગ કૃષિલક્ષી જમીન ખરીદવા માટે કરવામાં આવ્યો છે . આમ , કંપની દ્વાર આરબીઆઈનો નિયમ તોડવામાં આવ્યો છે . આ વિશે કંપનીના પ્રવક્તાએ જણાવ્યું છે કે , અમને સરકારી ઓથોરિટી પાસેથી આ વિશેની કોઈ જાણકારી નથી અને તેથી અમે હાલ આ વિશે કોઈ ટિપ્પણી કરી શકીશુ નહીં . કંપનીના મત પ્રમાણે તેમણે કોઈ પણ નિયમો તોડ્યા નથી . સૂત્રોના મત પ્રમાણે કંપનીનો દંડ વધીને રૂપિયા 25,000 કરોડની સપાટીએ પણ પહોચી શકે છે . આરબીઆઈની યોજના અંતર્ગત કંપનીએ વર્ષ 2005માં સાઈપ્રસ અને મોરેશિયસ પાસેથી કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ માટે રૂપિયા 8,600 કરોડ મેળવ્યા હતા . એમ્માર એમજીએફ લેન્ડ લિમિટેડ દુબઈની એમ્માર પ્રોપર્ટી અને ભારતની એમજીએફ લિ . કંપની છે ." entertainment,"ગઈકાલે ટીચર્સ ડે હતું , પરંતુ બે ફિલ્મમેકરોએ આ દિવસને ટ્વિટર યુદ્ધ બનાવી દીધું . ફિલ્મ નિર્માતા રામ ગોપાલ વર્મા તથા કરણ જૌહરે ગઈકાલે પુનઃ એક વાર સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઉપર એક - બીજા સામે કટાક્ષપૂર્ણ ટીકાઓ કરી . રામ ગોપાલ વર્માએ ગઈકાલે શિક્ષક દિવસે કરણ જૌહર નિર્મિત સ્ટુડન્ટ ઑફ ધ ઈયર ઉપર નિશાન સાધતા ટ્વિટર ઉપર બહેસ છેડી નાંખી . વર્માએ લખ્યું - જો કોઈ કરણ જૌહરની સ્ટુડન્ટ ઑફ ધ ઈયરથી પ્રેરણા લે અને ટીચર ઑફ ધ ઈયર બનાવે , તો આ ડિઝાસ્ટર ઑફ ધ ઈયર થઈ જશે . આરજીવીના ટ્વીટ પછી કરણે પણ જવાબી ટ્વીટ કરવામાં વાર ન લગાડી . કરણે લખ્યું - રામૂ ( આરજીવી ) , ડિઝાસ્ટર ઑફ ધ ઈયર આપનો એરિયા છે . . . કોઈ પણ ક્યારેય આપના દ્વારા પોતાના માટે ત્યાં બનાવામાં આવેલી આરામદાયક જગ્યા ન લઈ શકે . કરણના ટ્વીટ બાદ વર્માએ પોતાના ટ્વીટનો મતલબ સમજાવવાની કોશિશ કરતાં લખ્યું - અરે કરણ , મેં ટ્વીટ ટીચર્સ ડેની શ્રેણીમાં મુક્યુ હતું અને આ ટ્વીટથી કોઇકે વખાણ લેવા જોઇએ . નોંધનીય છે કે આ દિગ્ગજ બૉલીવુડ ફિલ્મ નિર્માતાઓ વચ્ચે પહેલી વાર વાક્ યુદ્ધ નથી છેડાયું . 2010માં પણ કરણ જૌહર કૃત માય નેમ ઇઝ ખાન ફિલ્મ અંગે ટ્વિટર ઉપર બંને વચ્ચે ચર્ચિત લડાઈ થઈ હતી ." entertainment,"સની લિયોનની નવી ફિલ્મ આવી છે બેઈમાન લવ અને ફરી એકવાર તેની સાથે લવ , સેક્સ ઔર ધોખા થઇ ચૂક્યું છે . ખેર જો ફિલ્મ સની લિયોનની છે તો ફિલ્મમાં કહાની જેવી કઈ જ નથી . કહાની સની લિયોન જ છે જેનું નામ છે સુનેના . ડાયરેક્ટરે સની લિયોન પર વધારે જ ફોકસ કર્યું છે . એક સીનમાં સનીને સારી રીતે ફોકસ કર્યા પછી જ સીન ચાલુ થાય છે . કહાની એક બિઝનેસ વુમન સુનેના અને તેના વિરોધી રાજ મલ્હોત્રાની છે . હવે દરેક રાજ નામનો છોકરો શાહરુખ ખાન તો નથી જ હોતો . એટલે સની લિયોન માટે એક પરફેક્ટ હીરો શોધ્યો છે જે છે રજનીશ દુગ્ગલ . હવે સુનેનાએ દગાબાજી કરીને પોતાના માટે સીઢીઓ બનાવી છે . આ દગાબાજી તેને રાજ સાથે જ કરી છે અને બંનેના હાવભાવથી સાફ છે કે તેની પાછળ કેટલાક જુના કર્મકાંડ છે . હવે આ બંને જુના કર્મકાંડવાળા પ્રેમીઓએ એકબીજાને બરબાદ કરવાની કસમ ખાધી છે . પરંતુ હજુ પણ બંને વચ્ચે કંઈક બાકી છે હવે તે પ્રેમ છે કે વાસના તે જોવાનું છે . આ આખી લવ , સેક્સ ઔર ધોખા વાળી કહાની 3 વસ્તુઓ પર બની છે . ઘણા બધા નશેડી લોકો , ટુવાલમાં ઉતરી સની લિયોન અને સની લિયોનને ઘુરતા લોકો . ફિલ્મમાં કહાની તો છે જ નથી પરંતુ ખેર ફિલ્મમાં સની લિયોન છે . સની લિયોન છે કે આઈટમ સોન્ગ છે . ઓછા કપડાં છે અને ઓછા કપડાંમાં ખુબ જ વધારે સેક્સ . ફિલ્મમાં ખુબ જ વધારે સંસ્કારી સેક્સ પણ છે . સાડીવાળું સેક્સ . જ્યાં સની લિયોન બિલકુલ સિંદૂર અને સાડીમાં આવશે પછી થોડી શરમાઈને સંસ્કારી સેક્સ . આ ફિલ્મમાં સની લિયોનના અસલી પતિ ડેનિયલ વેબર પણ છે . ફિલ્મમાં તેમનું નામ ડેનિયલ પીટરસન છે . સની લિયોન ખુબ જ મેહનત કરી રહી છે પોતાની છબી બદલવા માટે . પરંતુ તેઓ એક જ પ્રકારની ફિલ્મો કરી રહ્યા છે . સની લિયોનએ સમજવું પડશે કે બોલિવૂડ તેને બેવકૂફ બનાવીને પોતાનો ધંધો ચલાવી રહ્યો છે . જ્યાં સુધી વાત રહી ફિલ્મ વિશે તો તે સની લિયોનની જૂની ફિલ્મો જેવી જ છે . લવ , સેક્સ ઔર ધોખા પર જ ફિલ્મો બને છે અને બેઈમાન લવ પણ કોઈ અલગ પ્રકારની ફિલ્મ નથી . ફિલ્મમાં કહાનીના નામ પર કઈ જ નથી અને સેક્સના નામ પર સેન્સરએ કઈ જ છોડ્યું નથી . કઈ મળશે તો સની લિયોન પર ફોકસ કેમેરો અને તેના નાના કપડાં . જો ફિલ્મની વાત કરવામાં આવે તો એક ડાર્ક લવ સ્ટોરી છે . જ્યાં પ્રેમમાં બેઈમાનીને સામે લાવવાની જવાબદારી લીધી છે સની લિયોને . આ માટે સની લિયોને એ જ કરવું પડ્યું જે આખું બોલિવૂડ તેની પાસે કરાવે છે . વધારે ને વધારે હોટ સીન . બોલિવૂડમાં સની લિયોનની ફિલ્મો ભલે કઈ જ કમાલ ના કરી શકી હોઈ પરંતુ સની લિયોન નો જાદુ નિર્દેશકોથી લઈને દર્શકો સુધી ફેલાઈ ચુક્યો છે ." entertainment,"મુંબઈ , 26 સપ્ટેમ્બર : બૉલીવુડની સ્વરૂપવાન અભિનેત્રી ઐશ્વર્યા રાયને તાજેતરમાં જ એડ્સ વિરુદ્ધ સંઘર્ષ કરનાર સંયુક્ત રાષ્ટ્ર સંઘ ( યુએનઓ ) ના કાર્યક્રમ યુએનએડ્સના સદ્ભાવના દૂત તરીકે પસંદ કરવામાં આવી છે . યુએનએડ્સના કાર્યકારી નિયામક માયકલ સિડબીએ આ અંગેની જાહેરાત કરી . સિડબીએ યુએનઓની હેડઑફિસે યોજાયેલ એક પત્રકાર પરિષદમાં આ જાહેરાત કરી . ઐશ્વર્યા આ જાહેરાતથી બહુ ઉત્સાહિત છે અને તેમણે જણાવ્યું કે તેઓ પુરતા પ્રયત્નો કરશે કે જેથી આ દેશમાં પેદા થનાર દરેક બાળક એડ્સમુક્ત હોય . ઐશ્વર્યાએ જણાવ્યું , ‘મને લાગે છે કે હું યુએનએડ્સના આ પ્રોજેક્ટ ઉપર સમ્પૂર્ણ ફોકસ કરી શકીશ , કારણ કે એક માતા તરીકે મેં છેલ્લા 10 માસથી પોતાના કરિયરમાંથી બ્રેક લઈ રાખ્યું છે , તો હવે હું પોતાનો સમય પોતાના મુજબ પસાર કરી શકુ છું . ' ઐશ્વર્યાએ આગળ જણાવ્યું , ‘હું એક સેલિબ્રિટી છું તથા ઘણાં પ્રોડક્ટ્સની બ્રાન્ડ એમ્બેસડર પણ છું . મારું આ જગત તે જ હિસાબે ચાલશે , જેમ હું ઇચ્છુ છું . હું એક જ રાતમાં કોઈ મહાત્મા નથી બની ગઈ . હું પોતાના સામાજિક કાર્યોને આગળ ધપાવવા માંગુ છું તેમજ આ સાથે જ પોતાની સમગ્ર એનર્જી કેટલાંક સારા કાર્યોમાં ઉમેરવા માંગુ છું . ' ઉલ્લેખનીય છે કે કેટલાંક સમય અગાઉ જિસ્મ 2 દ્વારા બૉલીવુડમાં એન્ટ્રી કરનાર સન્ની લિયોને પણ પ્રાણીઓ માટે સેફ સેક્સનુ કેમ્પેન કર્યુ હતું તેમજ તેના આ એક્ટથી બધા ઘણાં પ્રભાવિત પણ થયા હતાં . હવે ઐશ્વર્યા રાય બાળકોમાં થતા એડ્સને રોકવા ચલાવાતી આ ઝુંબેશમાં જોડાયાં છે . કહેવાય છે કે આ ઝુંબેશ મુજબ સને 2015 સુધી સમગ્ર દેશમાં બાળકોમાં માતા - પિતા દ્વારા એડ્સ ફેલાવાની આ સંખ્યા ઓછી કરીને એકદમ નાબૂદ કરવાની કોશિશો કરી રહ્યાં છે . ઐશ્વર્યાએ સાથે એમ પણ કહ્યું કે તેઓ આરાધ્યામાં એટલા બધાં વ્યસ્ત રહે છે કે તેમને ફિલ્મ ઇન્ડસ્ટ્રીને યાદ કરવાનો સમય જ નથી મળતો . હાલ અત્યારે તો ઐશ્વર્યા રાય પોતાની પુત્રી સાથે જ ખુશ છે અને કમબેક કરવાનો તેમનો કોઈ ઇરાદો નથી . પરંતુ શક્ય છે કે આરાધ્યા થોડીક મોટી થાય , પછી બૉલીવુડના આ મિસ વર્લ્ડ ફિલ્મોમાં કમબેક કરે ." business,"સોમવારે શરૂઆતની તેઝી પછી સેન્સેક્સ પાછું નીચે પડવા લાગ્યું . સોમવારે સેન્સેક્સ જ્યાં 332.55 અંક નીચે પડીને 38,312.52 પર બંધ થયું ત્યાં જ નિફટી 98 પોઇન્ટ નીચે ગગડીને 11582 પર બંધ થયી . જોવા જઇયે તો સોમવારે પહેલા સેન્સેક્સ 116 પોઇન્ટ અને નિફટી 36 પોઇન્ટ ઉપર રહી હતી . જયારે મંગળવારે પણ સેન્સેક્સમાં ઘટાડો જોવા મળ્યો . જોવા જઇયે તો સોમવારે રૂપિયો 22 પૈસા ગગડીને 71.21 રૂપિયા પર બંધ થયો હતો , જયારે મંગળવારે પણ રૂપિયામાં સતત ઘટાડો જોવા મળ્યો છે . મંગળવારે રૂપિયો 12 પૈસા ગગડીને 71.33 પર આવી ચુક્યો છે . હાલમાં છેલ્લા કેટલાક દિવસોથી રૂપિયો નબળો પડી રહ્યો છે તેની પાછળ કાચા તેલની કિંમતમાં વધારો અને ડોલરની વધતી માંગ જવાબદાર છે . અમેરિકી ડોલર મજબૂત થવાને કારણે એશિયાના બીજા દેશોની કરન્સી પર તેનો પ્રભાવ પડતો દેખાઈ રહ્યો છે . સતત 10મા દિવસે વધ્યા પેટ્રોલ - ડીઝલના ભાવ , જાણો આજની કિંમત જો રૂપિયામાં ઘટાડો સતત નોંધાતો રહ્યો તો વિદેશી રોકાણકારો શેર બજારમાંથી પોતાના પૈસા કાઢી શકે છે . જેને કારણે જે લોકોએ મોટી કંપનીઓમાં પોતાના પૈસાનું રોકાણ કર્યું છે તેમને ભારે નુકશાન થશે કારણકે ડોલર ખેંચાય પછી કંપનીઓના શેરની કિંમત ઘટી જશે . ડોલરની કિંમત વધવાથી ભારતને વધારે કિંમત ચૂકવવી પડશે . ઓઇલ અને માર્કેટિંગ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલની કિંમતો વધારી શકે છે . જેના કારણે દેશમાં પેટ્રોલ , ડીઝલ , સીએનજી , પીએનજી કિંમતોમાં વધારો જોવા મળશે ." sports,"ભારત વિ . શ્રીલંકાની ચેમ્પિયન્સ ટ્રોફી મેચમાં ભારતની જીત નિશ્ચિત મનાઇ રહી હતી , પરંતુ ટીમ ઇન્ડિયાએ ફેન્સને નિરાશ કર્યા . ટોસ હારીને બેટિંગ કરવા મેદાનમાં આવેલ ટીમ ઇન્ડિયાએ શાનદાર બેટિંગનું પ્રદર્શન કરતાં 6 વિકેટ ગુમાવી 321 રન બનાવ્યા હતા . જવાબમાં શ્રીલંકાએ 48.4 ઓવરમાં માત્ર 3 વિકેટના નુકસાન સાથે 322 રન ફટકારી ભારતને માત આપી . શ્રીલંકા સામે પ્રમાણમાં મજબૂત ગણાતી ભારતીય ટીમ આખરે ક્યા કારણે મેચ હારી ગઇ ? ભારતની શાનદાર બેટિંગ શ્રીલંકાની સ્થિર બોલિંગ ભારતીય બોલર્સ ધીરા પડ્યા શ્રીલંકાની શાનદાર બેટિંગ શ્રીલંકા ટીમના કપ્તાન એંજિલો મેથ્યૂઝનું કહેવું છે કે , આવા પ્રદર્શન સાથે શ્રીલંકાની ટીમ કોઇ પણ ટીમને હરાવવા સક્ષમ છે . જુઓ વીડિયો . . ." business,"સરકારે રિયલ એસ્ટેટ સેક્ટરમાં નાણાનો પ્રવાહ વધારવા અને કન્સ્ટ્રક્શન ક્ષેત્રમાં ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ( એફડીઆઇ - FDI ) ની શરતોમાં રાહત કરી આપી છે . કેબિનેટમાં લેવામાં આવેલા એક નિર્ણય અનુસાર હવે 50,000 સ્ક્વેર મીટર હાઉસિંગને બદલે 20,000 સ્ક્વેર મીટર એરિયામાં કન્સ્ટ્રક્શન માટે એફડીઆઇને મંજુરી આપવામાં આવી છે . આ કારણે હવે 20,000 સ્ક્વેર મીટરથી મોટા પ્રોજેક્ટ્સ માટે બિલ્ડર્સ 100 ટકા એફડીઆઇ મેળવી શકશે . જો કે આ માટે બીજો નિયમ એ છે કે તેમાં એફડીઆઇની રકમ ઓછામાં ઓછી 50 લાખ ડોલર હોવી જરૂરી છે . આ સમગ્ર પ્રક્રિયા ઓટોમેટિક હશે , તેમાં સરકારની અનુમતિની જરૂર નહીં રહે . નાણા પ્રધાન અરૂણ જેટલીએ કહ્યું કે જે પ્રોજેક્ટ્સમાં 30 ટકા એરિયા અફોર્ડેબલ હાઉસિંગ માટે રાખવામાં આવશે . તેના માટે લઘુત્તમ બિલ્ડઅપ એરિયા અને લઘુત્તમ એફડીઆઇની રકમની શરતો લાગુ પડશે નહીં . સરકારના આ નિર્ણયનું સ્વાગત રિયલ એસ્ટેટ ક્ષેત્ર દ્વારા કરવામાં આવ્યું છે . રવિ પાક માટે MSP વધ્યું કેન્દ્ર સરકાર આગામી નાણાકીય વર્ષ 2015 - 16 માટે રવિ પાક માટે આપવામાં આવતા લઘુત્તમ સમર્થન મૂલ્ય ચાલુ નાણાકીય વર્ષની તુલનામાં રૂપિયા 50થી વધારીને રૂપિયા 125 કરવાને લીલૂ ઝંડી આપવામાં આવી છે . રવિ પાકમાં ઘઉં , ચણા , જવ , મસૂરની દાળ , સરસવ અને સુરજમુખીની કિંમતો પર સરકારે પોતાનો નિર્ણય લીધો છે ." business,"ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ બેંકે ભારતની રેટિંગ વધારીને માર્કેટવેઇટ કરી દીધી છે . આ પહેલા તેણે ભારતીય શેરબજારને અન્ડરવેઇટ રેટિંગ આપી હતી . તેણે નિફ્ટિ માટે વર્ષ 2014ના અંત સુધીમાં 6900નો ટાર્ગેટ નક્કી કર્યો છે . આ અત્યારે જ 10 ટકા જેટલો વધારે છે . ગોલ્ડમેન સેશ દ્વારા મંગળવારે પ્રકાશિત થયેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે "" વર્તમાન સમયમાં ભારત હાયર કરંટ એકાઉન્ટ અને ફિસ્કલ ડેફિસિટ , વધારે મોંઘવારી દર અને સખત મોનિટરિંગ પોલિસી જેવી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યું છે . જે કે આવતા વર્ષે કેન્દ્રમાં સત્તા બદલવાની આશા તેમના પર ભારે પડી રહી છે . માનવામાં આવે છે કે મે 2014માં લોકસભા ચૂંટણીઓ બાદ ભાજપની આગેવાનીમાં કેન્દ્રમાં એનડીએની સરકાર બનશે . તેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ઇક્વિટી ઇન્વેસ્ટર્સ ભાજપને બિઝનેસ ફ્રેન્ડલી માને છે . "" ભાજપના પીએમ ઉમેદવાર નરેન્દ્ર મોદી છે અને તેમની પાસેથી સારા પરિવર્તનની આશા રાખવામાં આવી રહી છે . "" ગોલ્ડમેનનું કહેવું છે કે કરંટ એકાઉન્ટ ડેફિસિટના મામલે પ્રેશર ઘટ્યું છે . આવનારા સમયમાં કંપનીઓનો પ્રોફિટ ગ્રોથ વધવાની આશા છે . જાન્યુઆરી 2013 પછીથી એનાલિસ્ટ તેમાં સતત ઘટાડો કરી રહ્યા હતા . હવે તેમાં સ્થિરતા જોવા મળી રહી છે ." sports,"બીસીસીઆઇએ ગુરુવારે 5 મેચોની વનડે શ્રેણી , 1 ટી - 20 અને ત્રણ ટેસ્ટ મેચો માટે તારીખો અને શહેરોની જાહેરાત કરી દીધી છે . 5 મેચોની વનડે શ્રેણીની પહેલી મેચ 8 ઓક્ટોબરના રોજ કોચીમાં રમાશે અને અંતિમ વનડે મેચ 20 ઓક્ટોબરના રોજ ધર્મશાળા ખાતે રમાશે . એકમાત્ર ટી - 20 મેચ દિલ્હી ખાતે 22 ઓક્ટોબરે રમાશે . ત્યારબાદ પહેલી ટેસ્ટ 30 ઓક્ટોબરના રોજ હૈદરાબાદ ખાતે રમાશે અને અંતિમ ટેસ્ટ મેચ 15 નવેમ્બરના રોજ રમાશે . તો ભારત - વેસ્ટ ઇન્ડિઝ શ્રેણીના કાર્યક્રમ પર એક નજર ફેરવીએ . વનડે શ્રેણી કાર્યક્રમ ટી - 20 મેચ ટેસ્ટ શ્રેણી" sports,"ગાવસ્કરે એક ટીવી ચેનલને આપેલા ઇન્ટર્વ્યુમાં કહ્યું કે કાલે મેચ દરમિયાન જે કંઇપણ થયું તે ખેલની દ્રષ્ટિએ ઘણું જ ખરાબ હતું . તે દર્શાવે છે કે આઇપીએલની મેચમાં કઇ રીતે જુનૂન સાથે રમવામાં આવે છે અને જીત માટે ખેલાડી કેટલા બેતાબ હોય છે . જે કંઇ થઇ રહ્યું છે પરંતુ મેચ દરમિયાન કોઇપણ પ્રકારની અસભ્ય ભાષાનો સ્વિકાર કરી શકાય નહીં . પૂર્વ સુકાનીએ કહ્યું કે ગઇકાલની ઘટના વધુ નિરાશાજનક એટલા માટે હતી કારણ કે તેમા દિલ્હી તરફથી રણજી ટ્રોફી રમનારા બે ખેલાડી સામેલ હતા . બની શકે કે આ બન્ને વચ્ચે પહેલાથી કોઇ ટસલ ચાલી રહી હોય , જે આ મેચ દરમિયાન બહાર આવી હોય અને બન્ને બાખડી પડ્યાં હોય . બન્ને વચ્ચે જો કોઇ જૂનો વિવાદ હતો તો તેનો ખુલાસો થઇ શક્યો નથી , પરંતુ બન્ને ખેલાડી ઘણા ગુસ્સામાં છે . ગાવસ્કરે ગંભીરના આવા વ્યવહારના કારણે પહેલા પણ ઘણીવાર તેની ટીકા કરી છે . ભારતીય ક્રિકેટના ઉપસુકાની રહી ચૂકેલો ગંભીર ખરાબ ફોર્મના કારણે હાલ ટીમમાંથી બહાર છે . મેચ દરમિયાન વિખવાદ કરવા બદલ બન્ને ખેલાડીઓને ચેતવણી આપવામાં આવી છે ." entertainment,"ધર્મેન્દ્ર અને હેમા માલિની . બૉલીવુડના જવાબદાર દમ્પતિઓમાંના એક દમ્પતિ એટલે ધર્મેન્દ્ર અને હેમા માલિની . બંનેએ પ્રેમ - લગ્ન કર્યાં . ધર્મેન્દ્રના આ બીજા , તો હેમાના પ્રથમ લગ્ન હતાં . ધર્મેન્દ્રને પ્રથમ લગ્નથી બે સંતાનો સન્ની દેઓલ અને બૉબી દેઓલ હતાં , તો બીજા લગ્ન બાદ હેમાએ બે પુત્રીઓ એશા અને અહાનાને જન્મ આપ્યો . ધર્મેન્દ્રે એક બાજુ પોતાના બંને પુત્રોની તમામ સામાજિક જવાબદારીઓ નિભાવી , તો બીજી બાજુ હેમા સાથે લગ્નથી પ્રાપ્ત બે પુત્રીઓ અંગેની પણ તમામ જવાબદારીઓ નિભાવતા રહ્યાં છે . ધર્મેન્દ્ર - હેમાના પ્રથમ પુત્રી એશા દેઓલનું લગ્ન ગત વર્ષે જ ભરત તખ્તાણી સાથે કરવામાં આવ્યું , તો હવે અહાના પણ પતિના ઘરે જવાની તૈયારી કરી રહ્યાં છે . અહાના દેઓલનું સગપણ તાજેતરમાં જ દિલ્હીના બિઝનેસ મૅન વૈભવ વોહરા સાથે થયું . ટુંકમાં જ બંને પરણી પણ જશે . સગપણ સમારંભમાં ધર્મેન્દ્ર અને હેમા માલિનીએ પોતાના પુત્રી અહાના અને ભાવિ જમાઈ વૈભવ વોહરાને આશીર્વાદ આપ્યાં . આવો જોઇએ અહાના - વૈભવના સગપણની તસવીરો :" entertainment,"બિગ બૉસના છેલ્લા સ્પર્ધકોમાંના એક પહેલવાન સંગ્રામ સિંહ બિગ બૉસ જીતે કે ન જીતે , પરંતુ બિગ બૉસમાંથી બહાર આવતા જ તેમના માટે ઈનામ તૈયાર છે . આ ઈનામ તેમના જીવનસાથી તરીકે મળશે અને તે જીવનસાથી હશે પાયલ રોહતગી . સંગ્રામના પ્રેમિકા પાયલ રોહતગી કહે છે કે આ શોમાં સંગ્રામને વધુમાં વધુ વોટ મળે અને તેઓ જીતે . પાયલ નવા વર્ષે સંગ્રામ સિંહ સાથેના ઝઘડાઓ નજરઅંદાજ કરવાનો પણ સંકલ્પ કરી રહ્યાં છે . નવા વર્ષની પૂર્વ સંધ્યાએ યોજાનાર કાર્યક્રમ માટે અભ્યાસ કરી રહેલા પાયલે જણાવ્યું - હું ઇચ્છુ છું કે સૌ કોઈ સંગ્રામને વોટ કરે અને સ્વાભાવિક છે કે હું પોતાના પ્રેમીની મદદ કરીશ . કૃપયા તેમના માટે વોટ કરો . શોનુ ફાઇનલ શનિવારે કલર્સ પર પ્રસારિત થનાર છે . વિજેતાની ટ્રૉફી માટે સંગ્રામ સિંહ , ગૌહર ખાન , તનીષા મુખર્જી અને એજાઝ ખાન સ્પર્ધામાં છે . જીત મળે કે ન મળે , પણ શોમાંથી બહાર આવતા સંગ્રામ સિંહ ખુશ જ થશે , કારણ કે 2014 માટે પાયલનો સંકલ્પ સમ્પૂર્ણપણે સંગ્રામના પક્ષે છે . આવો તસવીરો સાથે જાણીએ સંગ્રામ વિશે શું કહે છે પાયલ રોહતગી :" business,"દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ પોતાના ગ્રાહકોને જોરદારનો ફટકો આપવાની તૈયારીમાં છે . એસબીઆઇની યોજના આવી રહી છે જેમાં જલ્દી જ એટીએમનો ઉપયોગ કરતા તમામ ગ્રાહકોને દરેક ટ્રાંજેક્શન પર 25 રૂપિયા જેટલો ચાર્જ ચૂકવવો પડશે . સ્ટેટ બેંક હાલ તો આ નિર્ણયને લાગુ નથી કર્યો પણ જલ્દી આમ થવાની સંભાવના રહેલી છે . માનવામાં આવી રહ્યું છે કે 1 જૂન , 2017ની આ નિયમ લાગુ પડશે . અને ખાલી રીપે ક્લાસિક કાર્ડનો જ ઉપયોગ ફ્રીમાં થઇ શકશે . એટલું જ નહીં ચારથી વધુ વાર પૈસા નીકાળવા પર 50 રૂપિયાથી વધુ સર્વિસ ચાર્જ પણ પ્રતિ ટ્રાન્જેક્શન લગાવવામાં આવશે . ત્યારે આ ચર્ચા જોર પકડતા રાજકારણ પર ગરમાયું છે . સીપીએમ નેતા એમબી રાજેશે કહ્યું કે નોટબંધી પછી કેન્દ્ર સરકાર અને બેંક દ્વારા લાગુ પાડવામાં આવેલ આ નિયમ એક રીતની છેતરપીંડી સમાન છે . જે સામાન્ય લોકોની મુશ્કેલી વધારશે . વધુમાં કેરળમાં આ અંગે વિરોધ પણ શરૂ થઇ ગયો છે ." sports,"જયપુર , 18 એપ્રિલઃ સવાઇ માનસિંહ સ્ટેડિયમમાં રમેયાલી આઇપીએલની મેચમાં રાજસ્થાનનો મુંબઇ સામે 87 રનથી વિજય થયો છે . આ મેચમાં મુંબઇના બેટ્સમેનોએ તેમના પ્રશંસકોને નિરાશ કર્યાં છે . દિનેશ કાર્તિક ( 30 ) , અંબાતી રાયડૂ ( 27 ) અને મિશેલ જોનસન ( 11 ) ને છોડીને એક પણ બેટ્સમેને સારું પ્રદર્શન કર્યું નહોતું . સચિન તેંડુલકરે આ મેચમાં 1 રન બનાવીને પોતાના ચાહકોને ઘણા જ નિરાશ કર્યાં , જ્યારે પોન્ટિંગ 4 , રોહિત શર્મા 2 , પોલાર્ડ 1 , ઋષિ ધવન 0 , હરભજન સિંહ 1 અને લસિથ મલિંગાએ 7 રન બનાવ્યા હતા . રાજસ્થાન તરફથી અજિત ચંદીલા અને સ્ટૂઅર્ટ બિનીએ બે - બે વિકેટ , જેમ્સ ફોકનરે ત્રણ જ્યારે સિદ્ધાર્થ ત્રિવેદી અને કે કૂપરે એક - એક વિકેટ મેળવી છે . આ પહેલા , રાજસ્થાનના ઓપનિંગ બેટ્સમેન અજિંક્ય રહાણેએ શાનદાર બેટિંગ કરતા મુંબઇ સામે જીત માટે 180 રનનું લક્ષ્ય મુક્યું . ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા રાજસ્થાને 20 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને 179 રન બનાવ્યા . ઓપનિંગ બેટ્સમેન અજિંક્ય રહાણેએ શ્રેષ્ઠ બેટિંગ કરતા 54 બોલમાં અણનમ 68 રનની ઇનિંગ રમી હતી . તેમણે આઠ ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો ." business,"રેલ્વે તરફથી યાત્રીઓ માટે ખાસ ફેસ્ટિવલ સ્પેશ્યલ ટ્રેન , ભેટ રૂપે આપવાની જાહેરાત કરી છે . જે પછી રેલ્વે કર્મચારીઓ માટે પણ મોટી ખુશખબરી સરકારે જાહેર કરી છે . રેલ્વે કર્મચારીઓને પણ આ વખતે બોનસ આપવામાં આવશે . કેબિનેટે આ માટે એક ખાસ પ્રસ્તાવ મોકલ્યો હતો . જેને મંજૂરી આપવામાં આવી છે . આ હેઠળ હવે જલ્દી જ રેલ્વે કર્મચારીઓને બોનસ મળશે . જે અંતર્ગત કર્મચારીઓને 78 દિવસની આવક બોનસના રૂપે મળશે . જો કે આ બોનસ હેઠળ કોઇ પણ કર્મચારીને 17,951 રૂપિયાથી વધુ બોનસ નહીં આપવામાં આવે . આ બોનસની જાહેરાત બુધવારે કેબિનેટ બેઠક પછી કરવામાં આવી હતી . પીએમ મોદીની હાજરીમાં થયેલી આ બેઠકમાં પહેલી વાર દશેરા પર રેલ્વેના લગભગ 12.30 લાખ કર્મચારીઓને બોનસ આપવામાં આવશે . અને કુલ 2245.50 કરોડ રૂપિયાનું બોનસ આ વખતે આ કર્મચારીઓને મળશે . 4000 સ્પેશ્યલ ટ્રેન રેલ્વે રાજ્યમંત્રી મનોજ સિંહાએ કહ્યું છે કે આ વર્ષે 4000 સ્પેશ્યલ ટ્રેન ચલાવવામાં આવશે . આ ટ્રેનો દશેરા , દિવાળી અને છઠ પૂજાને ધ્યાનમાં રાખીને ચલાવવામાં આવશે . વધુમાં તેમણે કહ્યું હતું કે ગત વર્ષે પણ તહેવારીની સીઝનમાં 3,800 સ્પેશ્યલ ટ્રેનો ચલાવવામાં આવી હતી . સાથે જ તેમણે કહ્યું કે રેલ્વે સ્ટેશન પર ભીડ વધારે થઇ તો પ્લેટફોર્મ ટિકટના વેચાણ પર રોક લગાવવામાં આવશે અને ફૂટ ઓવર બ્રિજનો ઉપયોગ પણ ઓછો કરી દેવામાં આવશે ." business,"નવી દિલ્હી , 23 જાન્યુઆરીઃ આ વર્ષ નોકરી અને રોજગારીના પ્રમાણમાં ખૂબ જ સારો રહેવાનો છે . પહેલા તો બેંકોએ મોટા પ્રમાણમાં નોકરીઓના દરવાજા ખોલ્યા અને પછી રેલવેએ સવા લાખ નોકરીઓની વાત કરી , પરંતુ હવે ચાર કંપનીઓ સામે આવી છે જે યુવક યુવતીઓને મોટા પ્રમાણમાં રોજગારીઓની તક પૂરી પાડશે . આર્થિક સમાચાર પત્ર દ ઇકોનોમિક ટાઇમ્સના અહેવાલ અનુસાર ચાર પ્રાઇવેટ કંપનીઓ અર્ન્સ્ટ એન્ડ યંગ ( Ernst & Young ) , પીડબ્લ્યૂસી ( PwC ) , કેપીએમજી ( KPMG ) અને ડેલોઇટ ( Deloitte ) આવનારા ચાર વર્ષોમાં 43,000 લોકોને રોજગાર આપશે . એવું એટલામાં માટે સંભવ થયું છે કે ટાયર 2 અને ટાયર 3 શહેરોમાં બિઝનેસમાં વધારો થયો છે , ટેલિકોમ ઇન્ડસ્ટ્રીમાં વિકાસ થઇ રહ્યો છે , ઇન્ફ્રાસ્ટ્રક્ચર પરિયોજનાઓમાં તેજી આવી છે અને આંતરરાષ્ટ્રીય કંપનીઓએ આની પર ધ્યાન આપવાની શરૂઆત કરી છે . ગ્રેજ્યુએટ , એન્જિનિયર , સીએ અને એમબીએની ડીગ્રી ધરાવતા લોકોને ખૂબ જ ફાયદો થશે . 60થી 89 ટકા નોકરીઓ તેમને જ મળશે . આ લોકોને 3 લાખ રૂપિયાથી 11 લાખ રૂપિયાનું વાર્ષિક સેલેરી પેકેજ મળી શકે છે . આ કંપનીઓ ઉપરાંત તેમની પાર્ટનર કંપનીઓ પણ મોટા પ્રમાણમાં રોજગારી આપી શકે છે . કુલ મળીને બજારમાં આ સમયે આશાવાદનો માહોલ છવાયેલો છે . આ ચારમાંથી સૌથી નાની કંપની છે કેપીએમજી અને તેમની પાસે 8,000 કર્મચારીઓ છે પરંતુ કંપનીઓની યોજના છે કે તેઓ આવતા ચાર વર્ષોમાં 9,000 કર્મચારીઓની ભર્તી કરે . સૌથી વધારે રોજગાર અર્ન્સ્ટ એન્ટ યંગ આપશે . જેની પાસે 18,000 કર્મચારીઓ છે અને જે આવતા ચાર વર્ષોમાં 22,000થી 25000 લોકોને રોજગારી આપી શકે છે . જુઓ કંઇ કંપની કેટલાની ભર્તી કરશે અને કેટલું પેકેજ આપશે . ." sports,"આઇપીએલ 10 સિઝનની આજે 30મી મેચ છે , જે કોલકાતા નાઇટ રાઇડર્સ અને રાઇઝિંગ પૂણે સુપરજાઇન્ટસ વચ્ચે આ મેચ હાલ પૂણેના ખચાખચ ભરેલા સ્ટેડિયમમાં રમાઇ રહી છે . ત્યારે આ મેચની તમામ લેટેસ્ટ માહિતી જાણવા માટે આ પેજને રિફ્રેશ કરતા રહો . અહીં અમે તમને આ મેચની તમામ અપડેટ આપતા રહીશું . Update : કોલકાતા નાઇટ રાઇડર્સઃ ગૌતમ ગંભીર , સુનીલ નારાયણઇ , રોબિન ઉથપ્પા , મનિષ પાંડે , યૂસુફ પઠાણ , ગ્રાન્ડહોમ , ક્રિસ વોક્સ , પીયુષ ચાવલા , કુલદીપ યાદવ , ઉમેશ યાદવ , ડેરેન બ્રાવો રાઇઝિંગ પૂણે સુપરજાઇન્ટસઃ અજિંક્ય રહાણે , રાહુલ ત્રિપાઠી , સ્ટીવ સ્મિથ ( કેપ્ટન ) , ફાફ ડુ પ્લેસિસ , મહેન્દ્રસિંહ ધોની , મનોજ તિવારી , ક્રિસ્ટિયન , વોશિંગ્ટન સુંદર , શાર્દુલ ઠાકુર , જયદેવ ઉનડકટ , ઇમરાન તાહિર" sports,"કરાચીમાં હવાલી દ્વારા મરચુ મોકલી દે ! કે પછી , આજે રાવણનો મુકાબલો મંકી સાથે થશે ! કંઈ સમજાયું , ના સમજાયું તો અમે સમજાવીએ છીએ . આ છે સટ્ટાખોરીનો કોડવર્ડ . આ કોડવર્ડ દાઉદ ગેંગનાં બુકીએ તૈયાર કર્યો છે અને તેને સમજાવવું તેમનાં જ ગજાની વાત છે . જે શબ્દ પહેલીવાર સાંભળવામાં જ વગર મતલબનો લાગે , તે જ શબ્દો પર લાખો - કરોડોનો સટ્ટો લગાડાય છે . કરાચીમાં હવાલી દ્વારા મરચુ મોકલી દે . . . આ વાક્યમાં સટ્ટાની નવી ડિક્શનરી પ્રમાણે કરાચીનો મતલબ છે સટ્ટો લગાડો , હવાલીનો મતલબ છે હવાલાની રકમ અને મિર્ચી કે મરચાનો મતલબ છે એક કરોડ રૂપિયા . એટલે કે સટ્ટાનાં ખેલમાં એક કરોડ રૂપિયા હવાલા દ્વારા મોકલવાનો આદેશ અપાઈ રહ્યો છે . સટ્ટાખોરી અને મેચ ફિક્સિંગ મામલે તપાસ દરમિયાન દિલ્હી પોલીસે બુકી અને ખેલાડીઓની કોલ ઈન્ટરસેપ્ટ કરી . કોલની તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે દુબઈમાં બેઠેલા ડી - ગેંગનાં બુકીઝે પોલીસથી બચવા ખેલ અને ખેલાડીઓનાં કોડ બનાવી રાખ્યા છે અને સટ્ટો લગાવવા દરમિયાન તેઓ આ જ કોડ દ્વારા અન્ય બુકીઝને સંદેશો પહોંચાડી રહ્યા છે . જાણવા મળ્યું છે કે , તમામ કોડવર્ડ પાકિસ્તાનમાં તૈયાર થયા બાદ દુબઈ પહોંચતા હતા અને ત્યાંથી ડી - ગેંગનાં બુકીઝને આની ટ્રેનિંગ અપાતી હતી . સાથે જ સખત વોર્નિગ પણ અપાતી હતી કે સટ્ટાખોરીનો આખો ધંધો આ જ કોડવર્ડ દ્વારા ફેલાવાય . આવો જાણીએ અજીબ અને રમૂજી કોડવર્ડ્સ . . ." business,"જુલાઇથી બેંકિગ સર્વિસીસમાં ટ્રાંજેક્શન ફી વધી શકે છે . કારણ કે સરકારે તમામ નાણાંકીય સર્વિસીસને જીએસટી ( વસ્તુ અને સેવા કર ) સ્લેબમાં 18 ટકા ટેક્સ સ્લેબમાં મૂકી છે . તેનો મતબલ તે કે હવે બેકિંગ ટ્રાંજેક્શનમાં આપવામાં આવતા પ્રત્યેક 100 રૂપિયા પર 3 રૂપિયાથી વધુ ટેક્સ ચૂકવવો પડશે . કેપીએમજીના પાર્ટનર અને અપ્રત્યક્ષ કરના હેડ સચિન મેનન મુજબ નાણાંકીય સંસ્થાઓ આ વધેલા ચાર્જને તે કંપનીઓ પાસેથી વસૂલશે જે બલ્કમાં ટ્રાંજેક્શન કરતી હોય . સાથે જ વ્યક્તિગત રીતે પણ પહેલાથી વધુ ટેક્સ ચૂકવવો પડશે . જો કે બેંકિગની માંગ પર કોઇ અસર નહીં પડે . મોટા ભાગના ઉત્પાદનો અને સેવાઓને 18 ટકા ટેક્સના સ્લેબમાં રાખવામાં આવ્યા છે . સરકારે જીએસટી ટેક્સ સ્લેબ હેઠળ 1211 આઇટમના દર નક્કી કર્યા છે . 5 ટકાથી લઇને 28 ટકા સુધીના 4 ભાગમાં તમામ વસ્તુઓને વહેંચવામાં આવી છે . જો કે મોટા ભાગની જીવન જરૂરિયાતની વસ્તુઓ જેવી કે દૂધ , ચોખાને કોઇ પણ સ્લેબમાં નથી મૂકવામાં આવી . ઉલ્લેખનીય છે કે નાણાંકીય સેવાઓ સાથે દારૂ આપતી એસી હોટલ , ટેલીકોમ , આઇટી સર્વિસિસ , બ્રાન્ડેડ ગાર્મેન્ટ , કેક અને પાસ્તા જેવી વસ્તુઓ પણ 18 ટકાની કેટગરીમાં રાખવામાં આવ્યા છે ." entertainment,"બેક ટુ બેક 3 હિટ ફિલ્મો આપીને અક્ષય કુમાર ખુબ જ રિલેક્સના મૂડમાં છે . પોતાની હાલની ફિલ્મ રુસ્તમને સેલિબ્રેટ કરવા માટે અક્ષય કુમારે તેમના મિત્રોને એક પાર્ટી આપી હતી . આ પાર્ટીમાં બોલિવૂડના ઘણા સ્ટાર આવ્યા હતા . એટલું જ નહીં પરંતુ હોલિવુડ સ્ટાર વિલ સ્મિથ પણ આવ્યા હતા . Photos : અક્ષયની શાનદાર પાર્ટી , હોલિવુડથી આવ્યા સ્ટાર . . . પરંતુ પાર્ટીમાં બધાને જ રિતિક રોશનની ગેરહાજરી ચોક્કસ જણાયી . ખરેખરમાં અક્ષય કુમાર અને રિતિક રોશન એક જ બિલ્ડીંગમાં રહે છે . પરંતુ અફવાહ ઉડી હતી કે રિતિક રોશન પાર્ટીમાં ગયા ના હતા . બધાએ જ માન્યું કે રુસ્તમ અને મોહેંજો દરો ની ક્લેશ તેની પાછળનું કારણ હોઈ શકે છે . પરંતુ આ વાત બિલકુલ ખોટી છે . રિતિક રોશન અક્ષય કુમારની પાર્ટીમાં હાજર હતા . સૂત્રોનું માન્યે તો બંને વચ્ચે કોઈ જ અનબન નથી અને તેમને પાર્ટીમાં એક સાથે ખુબ જ એન્જોય પણ કર્યું હતું . જ્યાં સુધી તસવીરોની વાત છે તો રિતિક અને અક્ષય એક જ બિલ્ડીંગમાં રહે છે . એટલે રિતિક સીધા જ અક્ષયના ઘરે જ પહોંચી ગયા હતા . એટલા માટે રિતિક કોઈ પણ ફોટોમાં દેખાય ના હતા . એટલે કે બંને સુપરસ્ટાર હજુ પણ સારા મિત્રો છે અને ચોક્કસ તેમના ફેન્સ પણ આ વાતથી ખુશ હશે ." business,"જો તમે મોટાભાગની નાણાકીય લેવડ દેવડ ચેકથી કરો છો તો આ આર્ટિકલ ખાસ વાંચી લો . આગામી મહિનાથી તમારો ચેક ક્લિયર નહીં થાય . ચેક બાઉન્સ થવાને કારણે તમારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે . SBI , પંજાબ નેશનલ બેન્ક સહિત કેટલીક બેન્કોએ ચેકબુક અંગે ગ્રાહકોને એલર્ટ કર્યા છે , અને તેમને 31 ડિસેમ્બર સુધીમાં પોતાની જૂની ચેક બુક જમા કરાવીને નવી ચેકબુક ઈસ્યુ કરાવવા કહેવાયું છે . આમ નહીં કરો તો 1 જાન્યુઆરી 2019થી તમારી ચેકબુક અમાન્ય થઈ જશે . બેન્કોએ પોતાના ગ્રાહકોને નૉન સીટીએસ ચેકબુક જમા કરાવીને નવી સીટીએસ ચેકબુક લેવા કહ્યું છે . આમ કરવા માટે દરેક બેન્કની અલગ અલગ ડેડલાઈન છે . SBI આ સેવા 12 ડિસેમ્બરે બંધ કરી ચકી ચે . તો બાકીની બેન્કો પણ 31 ડિસેમ્બર બાદ નૉન સીટીએસ ચેકને ગેરકાયદે ઠેરવી દેશે ." sports,"અફઘાનિસ્તાન જેવી ટીમ વિરૂદ્ધ ભારતના વિસ્ફોટક બેસ્ટમેન વિરેન્દ્ર સહેવાગ અને ગૌતમ ગંભીરની જોડી ખાસ જાદૂ બતાવી શક્યા ન હતા . બંને બેસ્ટમેનો સસ્તામાં આઉટ થઇ ગયા હતા . વિરાટ કોહલી એક એવો બેસ્ટમેન છે જે સતત સારૂ પ્રદર્શન કરી રહ્યો છે . વિરાટ કોહલી અફઘાનિસ્તાન વિરૂદ્ધ સૌથી વધુ 50 રન બનાવ્યા હતા . મધ્યક્રમને મજબૂત બનાવવાની જવાબદારી યુવરાજ સિંહ , સુરેશ રૈના , મહેન્દ્રસિંહ ધોની અને રોહિત શર્માની છે . અનુભવી બોલર ઝહિરખાનનું ખરાબ ફોર્મ ચિંતાનો વિષય છે જ્યારે ઇરફાન પઠાન અને લક્ષ્મીપતિ બાલાજી હાલમાં સારા ફોર્મમાં છે . અનુભવી બોલર હરભજન સિંહ અને રવિચંદ્રન અશ્વિનમાંથી ગમે તે એકનો સમાવેશ કરવામાં આવી શકે છે . ઇગ્લેંડ ટીમે પ્રથમ મેચમાં જીત મેળવતાં તેનો આત્મવિશ્વાસ મજબૂત જોવા મળી રહ્યો છે . લ્યૂક રાઇટે અફઘાનિસ્તાન વિરૂદ્ધ અણનમ 99 રન ફટકારી સ્પષ્ટ કરી દિધુ છે કે આગામી મેચોમાં પોતાનું પ્રદર્શન બતાવવા માટે ઉત્સાહીત છે . ક્રેગ કીસવેટર , એલેક્સ હાલેસ , ઇયોન મોર્ગન , જોસ બટલર અને જોની બેયરસ્ટો લોન્ગ શૉટ્સ રમવા માટે સક્ષમ છે . ફાસ્ટ બોલરની જવાબદારી કેપ્ટન સ્ટુઅર્ટ બ્રૉદ , સ્ટીવન ફિન અને ઝેડ ડર્નબાક સંભાળશે . ઇગ્લેંડની ટીમ પાસે ગ્રીમ સ્વાન અને સમિત પટેલના રૂપ બે સ્પિનર છે ." sports,"ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઇ રહેલ 3 ટેસ્ટ મેચ સીરિઝની 2જી મેચ કોલંબોમાં રમાઇ રહી છે , રવિવારે મેચનો ચોથો દિવસ હતો . ભારતે મેચ જીતી આ સીરિઝ પોતાને નામ કરી હતી . પહેલી ઇનિંગમાં ભારતનો સ્કોર હતો 622/9 , જે પછી શ્રીલંકાએ પહેલી ઇનિંગમાં માત્ર 183 રન બનાવ્યા હતા . ભારતે શ્રીલંકાને ફોલો ઓન આપ્યું હતું , જે પછી બીજી ઇનિંગમાં શાનદાર રમતનું પ્રદર્શન કરતાં ત્રીજા દિવસના અંત સુધીમાં 2 વિકેટ ગુમાવી 209 રન બનાવ્યા હતા . શ્રીલંકા તરફથી કુસલ મેંડિસે શાનદાર સદી ફટકારી હતી . 110 રન બનાવ્યા બાદ મેંડિસ આઉટ થયા હતા , આ વિકેટ પંડ્યાએ લીધી હતી . આ પહેલાં ઉમેશ યાદવે ઉપલ થરંગાને બોલ્ડ આઉટ કર્યા હતા . સ્કોર અપડેટ્સઃ મુખ્ય મુદ્દાઓઃ ભારતીય ટીમ ( પ્લેઇંગ ઇલેવન ) : શિખર ધવન , કે . એલ . રાહુલ , ચેતેશ્વર પૂજારા , વિરાટ કોહલી ( કપ્તાન ) , અજિંક્ય રહાણે , હાર્દિક પંડ્યા , રિદ્ધિમાન સાહા , ( વિકેટ કીપર ) , રવિચંદ્રન અશ્વિન , રવીન્દ્ર જાડેજા , ઉમેશ યાદવ , મહમ્મદ શમી શ્રીલંકા ટીમ ( પ્લેઇંગ ઇલેવન ) : દિમૂથ કરુણારત્ને , ઉપુલ થરંગા , કુસલ મેંડિસ , ધનંજય ડીસિલ્વા , દિનેશ ચાંડીમલ ( કપ્તાન ) , એન્જેલો મેથ્યૂઝ , નિરોશન ડિક્વેલા ( વિકેટ કીપર ) , રંગના હેરાથ , દિલરુવાન પરેરા , મલિંડા પુષ્પાકુમારા , નુવાન પ્રદીપ" sports,બે વખતની ચેમ્પિયન ચેન્નાઇ સુપર કિંગ્સ ટીમ ઇન્ડિયન પ્રીમિયર લીગની છઠ્ઠી સિઝનના ફાઇનલ રાઉન્ડમાં પહોંચી ગઇ છે . આ ટીમે પોતાની ઓલરાઉન્ડર રમતના જોરે મંગળવારે ફિરોઝશાહ કોટલા મેદાનમાં રમાયેલ પહેલી ક્વોલીફાયર મેચમાં મુંબઇ ઇન્ડિયન્સને 48 રનોથી હરાવી દીધું . સુપર કિંગ્સે સતત બીજીવાર અને કૂલ પાંચમીવાર ફાઇનલમાં સ્થાન મેળવી લીધું છે . સુપર કિંગ્સ દ્વારા આપવામાં આવેલ 193 રનોના અઘરા લક્ષ્યનો પીછો કરતા મુંબઇની ટીમ 18.4 ઓવરોમાં 144 રન જ બનાવી શકી . ડ્વેન સ્મિથ 68 એકમાત્ર એવા ખેલાડી રહ્યા જેમણે ચેન્નાઇની ટીમ માટે મુશ્કેલી પેદા કરી . ગયા વર્ષે કોલકાતા નાઇટ રાઇડર્સથી હારીને ખિતાબી હૈટ્રિકથી ચૂકનાર સુપર કિંગ્સ 26 મેના રોજ ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં ફાઇનલ મુકાબલો રમશે . જ્યારે મુંબઇની ટીમને ફાઇનલમાં પહોંચવા માટે હજી એક તક મળશે . મુંબઇની ટીમ ફાઇનલમાં સ્થાન બનાવવા માટે બુધવારે કોટલામાં જ ટકરાનાર રાજસ્થાન રોયલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમોની વચ્ચે યોજાનાર એલિમિનેટર મુકાબલાના વિજેતાથી 24 મેના રોજ ઇડનમાં યોજાનાર બીજા ક્વોલીફાયરમાં 2 - 2 હાથ કરશે . sports,"હાલ ભારતમાં ચેમ્પિયન્સ ટી20 લીગ રમાઇ રહી છે અને ભારતીય ટીમો સારો દેખાવ કરી રહી છે , વ્યક્તિગત દેખાવ પર વાત કરીએ તો ટી20 ક્રિકેટમાં એક વિકેટ કીપર તરીકે ધોની સૌથી વધુ શિકાર કરનાર વિશ્વનો બીજો વિકેટ કીપર બની ગયો છે . જેમા તેણે પકડેલા કેચ અને સ્ટમ્પિંગ સામેલ છે . આ યાદીમાં તમામ પ્રકારની ટી20નો સમાવેશ કરવામાં આવ્યો છે . ધોનીએ કરેલા શિકાર અંગે વાત કરીએ તો 27 સપ્ટેમ્બરના રોજ બેંગ્લોરના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાયેલી પર્થ સ્કોર્ચર્સ સામેની મેચ દરમિયાન આશિષ નહેરાની ઓવરમાં ક્રેગ સિમોન્સને સ્ટમ્પ આઉટ કરતાની સાથે જ તે કુમાર સંગાકારાના રોકેર્ડ પાર કરી ગયો હતો . આ મેચમાં ચેન્નાઇ સુપર કિંગ્સે 155 રન બનાવ્યા હતા , પરંતુ આર અશ્વિને લીધેલી 20માં 3 વિકેટની મદદથી પર્થ સ્કોર્ચર્સ 142 રન જ બનાવી શક્યું હતું . ટી20ના સૌથી સફળ વિકેટ કીપરની યાદીમાં ટોચ પર પાકિસ્તાનનો કામરાન અકમલ છે . તેણે અત્યારસુધી 151 શિકાર કર્યા છે . આ યાદીમાં ધોની સિવાય માત્ર એક જ ભારતીય વિકેટ કીપર છે , દિનેશ કાર્તિક . જે યાદીમાં પાંચમા ક્રમે છે , તો ચાલો તસવીરો થકી જાણીએ એ ટોપ 10 વિકેટ કીપર્સ કોણ છે , જેણે સૌથી વધુ શિકાર ટી20માં કર્યા છે ." entertainment,"ટીવીની એવી ખુબ જ ઓછી સ્ટાર છે જેઓ પોતાના કામની સાથે સાથે બોલ્ડનેસને કારણે પણ ચર્ચામાં હોય . આ લિસ્ટમાં સૌથી સ્ટાઈલિશ સ્ટાર હિના ખાનનું નામ પણ સામે આવે છે . બિગ બોસ 11 દરમિયાન હિના ખાનની ફિટનેસ પર કેટરિના કૈફ પણ ફિદા થઇ ગઈ હતી . હિના ખાનને ટીવીની સૌથી સ્ટાઈલિશ અને ફિટ અભિનેત્રીનો ખિતાબ આપવામાં આવ્યો છે . હિના ખાને જયારે ટીવી પર કસોટી જિંદગી કી 2 સીરિયલમાં કોમોલિકા તરીકે એન્ટ્રી કરી ત્યારે બધા જ તેના પર ફિદા થઇ ગયા હતા . નવા વર્ષમાં નિયા શર્માએ દરિયા કિનારે બિકીનીમાં આગ લગાવી જ્યાં સુધી વાત ફિટનેસ અંગે આવે છે ત્યારે હિના ખાને હાલમાં જ પોતાની ખુબ જ બોલ્ડ તસ્વીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે . આ ફોટોમાં હિના ખાનનો સેક્સી અંદાઝ જોઈને બધા જ ચોકી જશે . ફિલ્મ સ્ટારની સાથે હવે ટીવી સ્ટાર પર પણ ફિટ રહેવાનો દબાવ બની રહ્યો છે . જેને કારણે હાલમાં બધી જ અભિનેત્રીઓ પોતાની ફિટનેસ પર વધારે ધ્યાન આપી રહી છે . રેડ ડ્રેસમાં ગોપી વહુએ આગ લગાવી , વર્ષ 2018 ની સૌથી સેક્સી ફોટો આપને જણાવી દઈએ કે આ વર્ષે હિના ખાન મોટા પરદે એન્ટ્રી કરવા માટે તૈયાર છે . હાલમાં જ તેને પોતાની પહેલી ફિલ્મની શૂટિંગ પુરી કરી છે . હાલમાં હિના ખાન કસોટી જિંદગી કી 2 સીરિયલમાં કામ કરી રહી છે . તો તસ્વીરોમાં જુઓ હિના ખાનનો સેક્સી અંદાઝ . ." business,પ્રાઇવેટ એરલાઇંસ કંપની જેટ એરવેઝ તમારા માટે દિવાળીની બંપર ઑફર લઇને આવી છે . આ એરલાઇંસ માત્ર 921 રુપિયામાં તમને હવાઇ સફરનો મોકો આપી રહી છે . તમે આ દરમાં અમુક ખાસ રુટ પર પ્રવાસ કરી શકો છો . જો કે આ ઑફર સીમિત સમય માટે જ છે . તમે આ ટિકિટદરમાં 25 ઑક્ટોબરથી 30 ઑક્ટોબર વચ્ચે ટિકિટ બુક કરાવી શકો છો . જો કે તમે 9 નવેમ્બર પછી જ આ ટિકિટો પર યાત્રા કરી શકશો . આ ઑફર મેળવવા માટે તમારે એરલાઇંસના અમુક નિયમોનું પાલન કર્વુ પડશે . જેમ કે આ ઑફર અંતર્ગત માત્ર જેટ એરવેઝની ડાયરેક્ટ ફ્લાઇટમાં જ ટિકિટ બુક કરાવી શકાશે . સૌથી મહત્વની વાત એ કે આ ઑફર હેઠળ તમે 15 દિવસ પહેલાની ટિકિટ બુક કરાવી શકો છો . આ ઑફર પર ટિકિટ મેળવવા માટે કંપનીએ ' વહેલા તે પહેલાના ધોરણે ' ઑફર મૂકી છે . જો તમે આ ઑફર હેઠળ ટિકિટ બુક કરાવીને પછી કેંસલ કરાવશો તો પૈસા પાછા નહિ મળે . sports,"ચેમ્પિયન્સ ટ્રોફી 2017ની પોતાની પ્રથમ મેચમાં પાકિસ્તાનને કારમી હાર આપનાર ટીમ ઇન્ડિયા ગુરૂવારે પોતાની બીજી મેચ શ્રીલંકા સામે રમશે . આ મેચમાં શ્રીલંકાને હરાવી આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીના સેમિ - ફાઇનલમાં સ્થાન મેળવવા ટીમ ઇન્ડિયા તૈયાર છે . પાકિસ્તાનને હરાવ્યા બાદ ટીમ ઇન્ડિયા ફોર્મમાં છે , જ્યારે શ્રીલંકાને દ . આફ્રિકા સામે 96 રનથી માત મળી છે , આથી ટીમનું મનોબળ ઓછું થઇ ગયું છે . ભારતે આ મેચમાં એક જ વાતની ચિંતા કરવાની છે , ઇંગ્લેન્ડનું વાતાવરણ . ઇંગ્લેન્ડમાં મેચના દિવસે 40 ટકા ભારે વરસાદની આગાહી છે . ભારત અને શ્રીલંકામાં ભારતની ટીમ દિગ્ગજોમાં લોકપ્રિય છે . ક્રિકેટના મહારથીઓનું માનવું છે કે , ટીમ ઇન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફીમાં પોતાની વિજયગાથા યથાવત રાખવામાં સફળ થશે . કપ્તાન વિના મેદાન પર ઉતરશે શ્રીલંકાની ટીમ ? શ્રીલંકાના કપ્તાન છેલ્લી મેચ નહોતા રમી શક્યા . એંજિલો મેથ્યૂઝ હવેની મેચ પણ કદાચ જ રમી શકે . શ્રીલંકાના અસ્થાયી કપ્તાન પર પહેલી જ મેચમાં ઓવરમાં મોડું કરવાને કારણે બે મેચનો પ્રતિબંધ મુકવામાં આવ્યો છે . હાલની પરિસ્થિતિમાં શ્રીલંકાની ટીમ ભારત સામે ખૂબ નબળી છે . વર્ષ 2015માં શ્રીલંકાના દિગ્ગજ ખેલાડીઓ કુમાર સંગકારા અને મહેલા જયવર્ધને ક્રિકેટમાંથી સંન્યાસ લીધા બાદ શ્રીલંકાની ટીમ ખાસી નબળી પડી ગઇ છે . આ મેચમાં શ્રીલંકાને મલિંગા પાસે સૌથી વધારે આશા છે . સેમિ - ફાઇનલ પર ધ્યાન કેન્દ્રિત કરશે ભારત ભારતની ટીમ પાસે મજબૂત બેટિંગ છે અને કમાલના બોલર્સ પણ છે . આથી ભારતનું સંપૂર્ણ ધ્યાન શ્રીલંકાને હરાવી સેમિ - ફાઇનલમાં સ્થાન મેળવવા પર કેન્દ્રિત હશે . આનું બાજુ કારણે એ છે કે , શ્રીલંકા બાદ ભારતીય ટીમનો મુકાબલો સૌથી મજૂબત ટીમ દ . આફ્રિકા સામે છે . દ . આફ્રિકાએ પહેલી જ મેચમાં શ્રીલંકાને 96 રનથી માત આપી હતી . રોહિત શર્માની વાપસી ફાયદેમંદ ભારતના ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્મા અને શિખર ધવને ચેમ્પિયન્સ ટ્રોફીની પહેલી જ મેચમાં બતાવી દીધું છે કે , તેઓ ટીમને એક શાનદાર શરૂઆત આપવા માટે સક્ષમ છે . રોહિત શર્માએ ઘણા સમય બાદ વન ડે ક્રિકેટમાં વાપસી કરી છે અને પહેલી જ મેચમાં તેમની શાનદાર બેટિંગનો ટીમને ખાસો ફાયદો થયો છે . વિરાટ અને યુવી અડગ ભારતના કપ્તાન વિરાટ કોહલીની બેટિંગ અંગે કંઇ કહેવાની જરૂર નથી . પાકિસ્તાન વિરુદ્ધ વિરાટ 81 રન ફટકારી નોટ આઉટ રહ્યા હતા , શ્રીલંકા સામેની મેચમાં વિરાટનું આ પ્રદર્શન તેમના માટે ટોનિકનું કામ કરશે . યુવરાજ સિંહે પણ પાકિસ્તાન સામેની મેચમાં શાનદાર રમતનું પ્રદર્શન કર્યું હતું . 7 નંબર પર હાર્દિકનો પાવર પણ કમાલ કરી બતાવે છે . ભારતની શાનદાર બેટિંગ શ્રીલંકા માટે ઘાતક સાબિત થઇ શકે છે . ટીમ ઇન્ડિયાની બોલિંગની વાત કરીએ તો ભુવનેશ્વર કુમારની સ્વિંગ , ઉમેશ યાદવની પેસ અને બુમરાહની ડેથ ઓવર સ્પેશિયાલિટી કોઇ પણ ટીમને ધૂળ ચટાડવા માટે પૂરતી છે . ભારત અને શ્રીલંકાની મેચ પહેલાં આ બંન્ને ટીમોના કપ્તાનનું શું કહેવું છે , જુઓ આ વીડિયોમાં . . ." entertainment,"ટેલીવિઝન સીરિયલ મધુબાલા એક ઇશ્ક એક જુનૂનમાં મહત્વનો રોલ કરનાર દૃષ્ટિ ધામી આ વાતથી ખૂબ જ ખુશ છે કે આ લોકપ્રિય સીરિયલમાં તેમના પાત્રને ખૂબ પસંદ કરાઈ રહ્યું છે . દૃષ્ટિ આ શ્રેણીની સફળતાનો શ્રેય સમગ્ર ટીમને આપે છે . સીરિયલના સેટ ઉપર દૃષ્ટિ ધામીએ જણાવ્યું - જરૂર ! મારા ઘણા બધા પ્રશંસકો છે કે જેઓ મારો શો જુએ છે અને મને પ્રેમ કરે છે . ઉપરાંત એક વાત એ પણ છે કે આ સીરિયલની વાર્તા રોચક અને મનોરંજક છે . તેમની સફળતાનો શ્રેય અમારી ટીમની દરેક વ્યક્તિને ફાળે જાય છે . ફિલ્મી પૃષ્ઠભૂમિ કરતાં જુદી મધુબાલા એક ઇશ્ક એક જુનૂન સીરિયલ મધ્યમ વર્ગની આકાંક્ષાઓ , મૂલ્યો અને અભિલાષાઓ અંગે છે . આ શ્રેણીનં પ્રસારણ ગત વર્ષે મેથી શરૂ થયુ હતું . તેમાં દૃષ્ટિ અને વિવિઆન ડિ ' સેના મુખ્ય ભૂમિકામાં છે ." business,"ઇન્ફોસીસ કંપનીએ શુક્રવારે બીજા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા હતા . જેમાં માર્જિન્સ , નફો , બોનસ , આઉટલૂક વગેરે જેવી બાબતોએ સમગ્ર માર્કેટનું ધ્યાન આકર્ષિત કર્યું છે . જો કે આ કારણે સેન્સેક્સ શુક્રવારે 340 પોઇન્ટ વધીને ક્રેશ થઇ ગયું હતું . ઇન્ફોસીસના શેર્સમાં 6 ટકાનો વધારો જોવા મળ્યો હતો . માર્કેટમાં ઘણા લોકો ઇન્ફોસીસના શેર ખરીદવા માંગે છે . આ મુદ્દે માર્કેટના બ્રોકર્સ શું કહે છે તે જાણીએ . . . ICICI ડાયરેક્ટ ICICI ડાયરેક્ટે ઇન્ફોસીસના શેરની ટાર્ગેટ પ્રાઇસ રૂપિયા 4500 રાખી છે . ' ICICI ડાયરેક્ટના રિસર્ચ રિપોર્ટ અનુસાર "" અમે ઇન્ફોસિસની આવક નાણાકીય વર્ષ FY14 - 16Eમાં ઈપીએસ સીએજીઆર અનુક્રમે 8 ટકા , 12 ટકા રહેશે ( FY15 - 16E ટકા EBIT માર્જિન દીઠ સરેરાશ 25.7 સાથે ) તેવું અનુમાન કરીએ છીએ . આ આવક નાણાકીય વર્ષ FY09 - 14ની સરખામણીએ 18.2,12.2 ટકા માર્જિન દીઠ સરેરાશ 28.1 સાથે ધીમી છે . જો કે સમયની સાથે કમાણી વધી જશે . આ પ્રભાવ નવા સીઇઓના આગમન અને તેમણે કંપનીને આપેલી નવી વ્યૂહાત્મક દિશાને પરિણામે ચાલુ રહેશે . ' દોલત કેપિટલ દોલત કેપિટલ ઇન્ફોસીસના પરિણામોને જોતા રૂપિયા 4465નો ટાર્ગેટ પ્રાઇસ સેટ કર્યો છે . ' અમે માનીએ છીએ કે બીજા ક્વાર્ટરમાં 3 ટકાનો મજબૂત વૃદ્ધિદર મજબૂત દિશા આપી રહ્યો છે . તેની બોલી સુધરી છે . ' અરિહંત કેપિટલ અરિહંત કેપિટલે ઇન્ફોસિસના શેર જાળવી રાખવાનું રેટિંગ આપ્યું છે . ' અરિંહંતે નાણાકીય વર્ષ 2015માં કંપનીના શેર્સને મહત્વ આપ્યું છે . તેમનું કહેવું છે કે વર્તમાન સમયમાં લીધેલા પગલાંને કારણે આગામી સમયમાં કંપનીની દિશા આગળ વધવાની રહેશે . આ કારણે ઇન્ફોસીસના શેર્સ જાળવી રાખવા જોઇએ . '" business,"નવી દિલ્હી , 22 ઓક્ટોબર : અવારનવાર યાદ અપાવવા છતાં જે ગ્રાહકોએ બેંકમાં પોતાનું કેવાયસી ( નો યોર કસ્ટમર ) ફોર્મ નથી ભર્યું , તેમના બેંક એકાઉન્ટ આરબીઆઇએ આંશિક રીતે સ્થગિત કરવાનો આદેશ બેંકોને આપ્યો છે . આ પગલાંથી પણ ગ્રાહક જાગે નહીં તો કદાચ ખાતુ બંધ કરવામાં આવે એવી સ્થિતિ પણ આવી શકે છે . આ અંગે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ એક જાહેરનામુ બહાર પાડીને જણાવ્યું છે કે ' જે ગ્રાહકોએ બેંકમાં પોતાનું કેવાયસી ( નો યોર કસ્ટમર ) ફોર્મ નથી ભર્યું , તેમના બેંક તેમના એકાઉન્ટ તબક્કાવાર આંશિક રીતે સ્થગિત કરી શકે છે . ' આરબીઆઇએ જણાવ્યું છે કે આંશિક સ્થગિતતા અમલી બનાવતા સમયે એ બાબતનું ખાસ ધ્યાન રાખવું કે આ ગ્રાહકને નોટિસ આપે 3 મહિના થઇ ગયા હોય , ત્યાર બાદ બીજા ત્રણ મહિનાના રિમાઇન્ડર ગ્રાહકને આપવામાં આવ્યા હોય . આ આંશિક સ્થગિતતા અંતર્ગત તમામ ક્રેડિટ્સ માન્ય રખાશે પરંતુ કોઇ પ્રકારની ડેબિટ્સ માન્ય રાખવામાં આવશે નહીં . આ ઉપરાંત ગ્રાહક પોતે ખાતુ બંધ કરવા ઇચ્છે તો પણ છૂટ આપવામાં આવી છે . આટલું કર્યા બાદ પણ ગ્રાહક કેવાયસી ભરતો નથી તો બેંકો તેના તમામ પ્રકારના વ્યવહારો અટકાવી શકે છે . આ ઉપરાંત તેને બિિન કામચલાઉ બનાવી શકે છે ." entertainment,લગ્નના બંધનમાં બંધાયા બાદ બોલિવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપડા અને નિક જોનસનો પહેલો ફોટો સામે આવ્યો છે . આ ફોટામાં પ્રિયંકા લીલા રંગની સાડીમાં જોવા મળી રહી છે . તેમની સાથે પતિ નિક જોનસ પણ છે . પ્રિયંકા - નિક બંનેનો આ ફોટો તે સમયે સામે આવ્યો જ્યારે તે ઉમેદ ભવન પેલેસમાં આયોજિત બે દિવસીય લગ્ન સમારંભ પૂર્ણ થયા બાદ જોધપુરથી રવાના થઈ રહ્યા હતા . આ દરમિયાનનો વીડિયો પણ સામે આવ્યો છે જેમાં નિક અને પ્રિયંકા સાથે છે . નિક જોનસે પ્રિયંકાનો હાથ પકડી રાખ્યો છે અને ભીડ વચ્ચે આગળ વધી રહ્યા છે . આ દરમિયાન જ્યારે પ્રિયંકા ત્યાં હાજર લોકોનું અભિવાદન કરીને નમસ્તે કર્યુ તો નિકે પણ તે જ રીતે નમસ્તે કર્યુ . જુઓ લગ્ન બાદના આ કપલના ફોટો . . . આ પણ વાંચોઃ પુરુષોની નજરમાં આવી હોવી જોઈએ તેમની ગર્લફ્રેન્ડ આ પણ વાંચોઃ Video : સંગીત સેરેમનીમાં મન ભરીને નાચ્યા નિક - પ્રિયંકા અને વિદેશી મહેમાન business,"નવી દિલ્હી , 21 ઓક્ટોબર : કોલસા ક્ષેત્રમાં સરકારની મોનોપોલી ખતમ કરવા માટે સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે . આ નિર્ણય અનુસાર સરકારે ઘડેલા વટહુકમથી ભવિષ્યમાં ખાનગી કંપનીઓ દ્વારા કોમર્શિયલ ખાણકામ કરી શકાશે , પરંતુ કોલ ઇન્ડિયાની કામગીરીને આંચકો નહીં લાગે . કોલ , પાવર અને રિન્યુએબલ એનર્જી મંત્રી પિયૂષ ગોયલે જણાવ્યું હતું કે પ્રથમ રાઉન્ડમાં કંપનીઓને બ્લોકની હરાજી કરાશે જે પાવર , સ્ટીલ અને સિમેન્ટ પ્લાન્ટ માટે કોલસાનો ઉપયોગ કરશે . અન્ય સેક્ટર માટે સરકાર અલગ બ્લોક ઓફર કરશે . તેને આશા છે કે કોલસાના બ્લોક્સ ગુમાવનારી કંપનીઓ ત્રણથી ચાર મહિનામાં ઇ - ઓક્શન દ્વારા પારદર્શક રીતે ખાણો ફરીથી ખરીદી શકશે . ઇકોનોમિક ટાઇમ્સના અહેવાલ અનુસાર આ અંગે નાણામંત્રી અરુણ જેટલીએ જણાવ્યા પ્રમાણે તેના કારણે 2005થી યુપીએ સરકારે આચરેલી ગરબડનો અંત આવશે . ભારત કોલસા સેક્ટરને ખુલ્લું મૂકશે તો તેની સામે અનિશ્ચિત મુદતની હડતાલ પર ઊતરવાની કેન્દ્રીય ટ્રેડ યુનિયનોએ ધમકી આપી છે . સરકારી માલિકીની કોલ ઇન્ડિયામાં 90 ટકા જેટલા કર્મચારીઓ યુનિયનના સભ્યો છે . જોકે , કેપ્ટિવ માઇનિંગ કંપનીઓ પાસેથી ખાણો પરત લઈને ફરીથી હરાજી કરવામાં આવે તેની સામે યુનિયનને વાંધો નથી . આવી હરાજીમાં એવી કંપનીઓ ખાણો ખરીદશે જેઓ તેનો ઉપયોગ પોતાની જરૂરિયાત માટે કરશે . સરકાર રાજ્યોની વીજ કંપનીઓને ખાણો ફાળવે તેની સામે પણ યુનિયનને વાંધો નથી . એસબીઆઇના ચેરમેન અરુંધતી ભટ્ટાચાર્યએ આ જાહેરાત અંગે આનંદ વ્યક્ત કર્યો હતો . તેમણે કહ્યું કે આ હકારાત્મક સમાચાર છે . આપણે શક્ય એટલી ઝડપથી અનિશ્ચિતતા ખતમ કરવાની જરૂર છે . સરકારે સમસ્યાનો ઉકેલ લાવવા પ્રયાસ કર્યો છે . અમને આશા છે કે ટાઇમલાઇનનું પાલન કરવામાં આવશે , કારણ કે તે ઇ - ઓક્શન માટે રિઝર્વ પ્રાઇસ પર આધાર રાખશે ." sports,"આઈપીએલની ટીમ મુંબઈ ઈન્ડિયન્સના માલિકો મુકેશ અને તેમના પત્ની નીતા અંબાણીએ રવિવારે તેમની ટીમની આઈપીએલ - 6 ટૂર્નામેન્ટમાંની ફાઈનલ મેચમાં હાજર રહેવાનું ટાળ્યું હતું . મુંબઇ ઇન્ડિયન્સ ફાઇનલમાં રમી રહી હોય ત્યારે ટીમને પ્રોત્સાહિત કરવાનો બદલે બંને ન્યુ યોર્કમાં હતા . કારણ એ હતું કે રવિવાર તેમના માટે અતિ મહત્વનો હતો . રવિવારે એમનાં સંતાનોનાં ભણતરને પ્રાધાન્ય આપવાનું નક્કી કર્યું હતું . આ દંપતી ન્યૂ યોર્કમાં એનાં પુત્ર અને પુત્રીની ગ્રેજ્યુએશન વિધિમાં હાજર રહ્યા હોઈ રવિવારે રાત્રે ઈડન ગાર્ડન્સમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની ફાઈનલથી વંચિત રહી ગયા હતા . મુંબઇ ઇન્ડિયન્સ ટીમે મેચ જીતીને પહેલી જ વાર આઈપીએલ ટ્રોફી જીતી છે . માલિકોની ગેરહાજરીથી ટીમના વિજેતા ખેલાડીઓ નિરાશન ન થાય એટલા માટે અંબાણી દંપતી વહેલી ફ્લાઈટ પકડીને સોમવારે સ્વદેશ પાછા ફર્યા છે અને આજે સાંજે જ તેમનાં નિવાસસ્થાન એન્ટીલા ખાતે સમગ્ર ટીમ માટે જોરદાર પાર્ટીનું આયોજન કર્યું છે . નિતા અંબાણી અગાઉ આઈપીએલમાં મુંબઈ ટીમની લગભગ બધી મેચો વખતે હાજર રહ્યાં હતાં . રવિવારની મેચ વખતે તેમની ગેરહાજરી ખૂબ મહેસુસ કરાઈ હતી , કારણ કે સચીન તેંડુલકરે આઈપીએલને રામ - રામ કરી દીધા છે . સચીન તેની પત્ની અંજલિ અને પુત્રી સારા સાથે હાજર રહ્યો હતો અને ટીમે ચેન્નાઈ પર 23 રનથી જીત મેળવી લીધા બાદ સમગ્ર ઈડન ગાર્ડન્સ ગ્રાઉન્ડમાં વિક્ટરી લેપ કરી હતી અને 67,000 જેટલા દર્શકોનું અભિવાદન સ્વીકાર્યું હતું . ટીમે જીત મેળવ્યા બાદ મુકેશ અને નિતા અંબાણીએ ન્યૂ યોર્કમાંથી ફોન કર્યો હતો અને ડ્રેસિંગ રૂમમાં ટીમના પ્રત્યેક સભ્ય સાથે વાતચીત કરી હતી . અંબાણી દંપતી તેના પુત્ર આકાશ અને પુત્રી ઈશાના ગ્રેજ્યુએશનના સંબંધમાં ન્યૂ યોર્ક ગયા હતા . એ પ્રસંગ અને આઈપીએલની ફાઈનલ મેચ એક જ દિવસે આવી તે એમને માટે યોગાનુયોગ હતો . અંતે એમણે સંતાનોનાં ભણતરને પ્રાધાન્ય આપ્યું ." entertainment,"રણવીર સિંહ અને દીપિકા પાદુકોણના લગ્ન થઈ ચૂક્યા છે અને હાલમાં રણવીર પોતાની આવનારી ફિલ્મ સિંબાના પ્રમોશનમાં બિઝી છે . તેમણે હાલમમાં જ એક સિંગિંગ રિયાલિટી શોમાં પણ એન્ટ્રી મારી અને ખૂબ જ ધમાલ કરી . ત્યારબાદ તેમણે એક વાતનો ખુલાસો કર્યો જે કદાચ જ કોઈ જાણતુ હશે . તેમણે જણાવ્યુ કે એ કઈ પળ હતી જ્યારે તે દીપિકા પાદુકોણનું દીલમાંને દિલમાં જ વધુ સમ્માન કરવા લાગ્યા હતા . અમે વાત કરી રહ્યા છે ફિલ્મ ગોલિયો કી રાસલીલની જેમાં બંનેને કાસ્ટ કરવામાં આવ્યા હતા . આ ફિલ્મનો સમય બંનેના અફેરનો ચાલી રહ્યો હતો કે નહિ તે કોઈ ના કહી શકે પરંતુ આ ફિલ્મથી દીપિકા રણવીરના દિલમાં ઉતરી ગઈ હતી . આ પણ વાંચોઃ સાત જન્મોના બંધનમાં બંધાયા કપિલ - ગિન્ની , લગ્નના ફોટા થયા વાયરલ આ પણ વાંચોઃ Pic & Video : ઈશા અંબાણીના લગ્નમાં ઠહાકા લગાવતી એશ , શાહરુખ , સલમાન . . ." business,દેશમાં વર્તમાન અર્થવ્યવસ્થામાં વ્યાજના દરો ઘટી રહ્યા છે . દેશની સરકારી બેંકોએ આનું અમલીકરણ શરૂ પણ કરી દીધું છે . બેંકોએ પોતાની ફિક્સ ડિપોઝિટ પર આપવામાં આવતું વ્યાજ ઘટાડ્યું છે . અહીં અમે ઓક્ટોબર 2014માં સરકારી બેંકોમાં ફિક્સડ ડિપોઝિટ પર કેટલું વ્યાજ આપવામાં આવે છે . વ્યાજના દરોની તુલના કરવામાં આવે તો કોર્પોરેશન બેંક તેની ડિપોઝિટ્સ પર સૌથી વધારે 9.11 ટકા વ્યાજ આપે છે . અહીં અમે પાંચ વર્ષ સુધીની એફડીના વ્યાજ આપ્યા છે . ખાસ નોંધ લેશો કે વ્યાજના દર સતત બદલાતા રહે છે . કોર્પોરેશન બેંક 3 વર્ષથી to 3 વર્ષ & 3 months - 9.11 % 1 - 5 વર્ષ - 9 % સિન્ડિકેટ બેંક 444 દિવસ - 9.5 % વાર્ષિક વ્યાજ એક વર્ષથી વધારે અને 444 દિવસ સુધી - 8.9 % 2 - 5 વર્ષ - 8.75 % IDBI બેંક 500 દિવસ - 9.05 % 501 દિવસ - 5 વર્ષ - 9 % 5 વર્ષથી વધુ - 9.1 % સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા 1 - 2 વર્ષ - 8.75 % 2 - 3 વર્ષ - 8.75 % 3 - 5 વર્ષ - 8.75 % અલ્હાબાદ બેંક 1 - 2 વર્ષ - 9.05 % 2 - 5 વર્ષ - 9.05 % આંધ્ર બેંક 1 - 3 વર્ષ - 9.05 % 3 - 5 વર્ષ - 8.75 % બેંક ઓફ બરોડા 1 - 3 વર્ષ - 8.75 % 3 - 5 વર્ષ - 8.5 % બેંક ઓફ ઇન્ડિયા તમામ પ્રકારની એફડી માટે 9.05 % કેનેરા બેંક 1 - 3 વર્ષ - 9.05 % 3 - 5 વર્ષ - 9 % પંજાબ નેશનલ બેંક 1 - 10 વર્ષ - 9 % યુનિયન બેંક ઓફ ઇન્ડિયા 1 - 5 વર્ષ - 9 % વિજયા બેંક 1 વર્ષ - 9.05 % 2 - 5 વર્ષ - 9 % બેંક ડિપોઝિટમાં રોકાણ કરવું જોઇએ ? બેંકોની ફિક્સ્ડ ડિપોઝિટમાં વ્યાજના દર ઘટ્યા છે . જેના કારણે તે પહેલા જેટલી આકર્ષક રહી નથી . વર્તમાન સ્થિતિને જોતા એમ લાગે છે કે આગામી સમયમાં વ્યાજના દર વધારે ઘટશે . કારણ કે ફુગાવો ઘટી રહ્યો છે . આ કારણે ઊંચા વ્યાજદર મેળવવા માટે કંપની ફિક્સ ડિપોઝિટની સ્કીમ્સ પણ જોવી જોઇએ . સિનિયર સિટિઝનને 0.5 ટકા વધારે વ્યાજદર મળે છે . entertainment,"બૉલીવુડ અભિનેતા હૃતિક રોશન પણ કાર્ટૂનને ઘણું પસંદ કરે છે . બાળકોના ફેવરિટ સુપર હીરો ક્રિશ એટલે કે હૃતિક રોશનનું ફેવરિટ કાર્ટૂન છે પોપાયા અને પોપાયાના કારણે જ રિતિકને પાલક ખાવું આટલું પસંદ છે . હૃતિક રોશને કહ્યું કે તેમને નાનપણથી પોપાયા કાર્ટૂન ઘણું જ પસંદ હતુ અને જ્યારે તે પોપાયાને પાલક ખાતો જોતો હતો તો તેને પણ પાલક ખાવાનો જોશ આવી ગયો અને તેમણે પણ પાલક ખાવાનું શરૂ કરી દીધું . હૃતિક રોશને જણાવ્યું કે , કાર્ટૂન્સનું દરેક વ્યક્તિના જીવનમાં ઘણું મહત્વ હોય છે . કાર્ટૂન્સથી બાળકો ઘણું બધુ શીખે છે , તેથી કાર્ટૂન્સ પણ હંમેશા કંઇકને કંઇક શીખ આપનારું હોવું જોઇએ . જેમ કે કિડ ક્રિશ છે તે ક્રિશનો કાર્ટૂન અવતાર છે . હૃતિક રોશને કિડ ક્રિશ કાર્ટૂનનું ઉદ્ધાટન કરતી વખતે કહ્યું કે , કિડ ક્રિશ રિયલ ક્રિશ કરતા ઘણું સારું છે . તેમાં ઘણી શક્તિ છે અને તે પોતાને ઇચ્છે તે રીતે વાળી શકે છે , ઉડી શકે છે અને કંઇપણ કરી શકે છે , જ્યારે ક્રિશની કેટલીક લીમીટ છે , તે પોતાની લીમીટથી વધારે કંઇ કરી શકતો નથી . હૃતિક રોશને કહ્યું કે , કાર્ટૂન્સ બાળકોને ઘણું શીખવે છે અને સાથે જ તેની જિંદગીમાં ઘણું મહત્વ ધરાવે છે . કિડ ક્રિશને પણ આ વિચારને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે . કિડ ક્રિશ બાળકોને બુરાઇ સામે અચ્છાઇની જીતની શીક્ષા આપશે અને સાથે જ જણાવશે કે બાળકોએ હંમેશા સત્યનો સાથ આપવો જોઇએ . હૃતિક રોશને એમ પણ કહ્યું કે , તેમના જીવનમાં પણ કાર્ટૂન્સનો ઘણો પ્રભાવ રહ્યો છે અને તે હંમેશા જ કાર્ટૂન્સ જોઇને કઇ ને કઇ શીખતા રહે છે . હૃતિક રોશને જણાવ્યું કે , તે નાનપણમાં પોપાયા જોતા હતા ત્યારે તેમને પણ પાલક ખાવાનો શોખ જાગ્યો હતો અને તેણે પાલક ખાવાનું શરૂ કરી દીધું હતું . કિડ ક્રિશ 2 ઓક્ટોબરે કાર્ટૂન નેટવર્ક પર બપોરે 12 વાગ્યે ટેલીકાસ્ટ થશે ." entertainment,"ટેલિવિઝન અભિનેત્રી મોની રોયના તો બધા જ દિવાના છે . જલ્દી જ તેની સિરિયલ નાગિન 2 આવી રહી છે . જેમાં માટે લોકો ઘણા એક્સાઇટેડ છે . હાલમાં જ નાગિનનું લોન્ચ થયું . જેમાં નાગિન સિરિયલની ટીમ પહોંચી હતી . મોની લોન્ચ દરમિયાન ખુબ જ સુંદર લાગી રહી હતી . પરંતુ લોન્ચ દરમિયાન મોની રોયનો મૂડ બગડી ગયો . વાત આમ બની કે મોની રોય ગુસ્સામાં ભડકી ઉઠી અને ત્યાંથી જતી રહી . કારણકે મોની રોયને તેના લિપ જોબ પર સવાલ કરવામાં આવ્યો હતો . જયારે મીડિયાએ મોની રોયને તેના લિપ જોબ પર સવાલ કર્યો . ત્યારે તે ગુસ્સામાં એવું કહીને ચાલી ગયી કે તેની ઇન્સ્ટાગ્રામ તસવીરો જોઈ લો . મોની રોયે એવું પણ કહ્યું કે આવા સવાલ તેઓ પૂછી જ કઈ રીતે શકે . તેની સાથે સાથે મોની રોયે આવા સવાલ પર ઓર્ગેનાઈઝરને પણ ફરિયાદ કરી . ત્યારપછી મોની એ ટવિટ કરીને લખ્યું કે "" Rise above the negativity of others . Stay positive always . "" આપને જણાવી દઈએ કે 8 ઓક્ટોબરે નાગિનના પહેલા એપિસોડથી મોની ફરી એકવાર ટીવી પરદે જોવા મળશે . નાગિનની પહેલી સીઝન ખુબ જ શાનદાર રહી હતી . નાગિનની પહેલી સીઝન ટીઆરપી લિસ્ટમાં ટોપ પર રહી હતી . મોની અને અર્જુનની જોડીને લોકોએ ખુબ જ પસંદ કરી હતી . અદા ખાન પણ એક નવા અવતારમાં જોવા મળશે . આ સીઝનમાં તે રુચિકાના રોલમાં જોવા મળશે . જે રહેજા પરિવારમાં જ રહે છે ." sports,"ભારતમાં લોકસભા ચૂંટણી 2019 મતદાન શરુ થતા પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઘ્વારા ટીમ ઇન્ડિયાના ત્રણ ખેલાડીઓ માટે મત આપવા માટે ખાસ અપીલ કરી હતી . ટીમ ઇન્ડિયાનો આ ત્રણેય - વિરાટ કોહલી , મહેન્દ્ર સિંહ ધોની અને રોહિત શર્મા છે . પરંતુ મોટા સમાચાર એ છે કે ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી લોકસભા ચૂંટણીઓમાં આ વખતે મતદાન કરી શકશે નહીં . વિરાટ કોહલી મૂળ રૂપે દિલ્હીના નિવાસી છે પરંતુ બોલિવૂડ સ્ટાર અનુષ્કા શર્મા સાથે લગ્ન કર્યા પછી તેને મુંબઈને પોતાનું ઘર બનાવ્યું છે . અનુષ્કા શર્મા મુંબઈથી જ પોતાનો વોટ આપે છે , એટલા માટે વિરાટ કોહલી પણ મુંબઈથી વોટ આપવા માટે ઇચ્છતા હતા . આ માટે , તેણે ઑનલાઇન પ્રક્રિયા હેઠળ અરજી કરી હતી , પરંતુ ત્યાં સુધી અરજી કરવાની સમયસીમા નીકળી ગઈ હતી . મતદાર આઈડી માટેની અરજી માટેની છેલ્લી તારીખ 30 માર્ચ હતી પરંતુ વિરાટ કોહલી ત્યાં સુધીમાં આ કામ કરી ના શક્યા . એવું માનવામાં આવે છે કે વડાપ્રધાન મોદીની અંગત અપીલ પછી , કોહલીએ ચૂંટણી પંચને ઘણી વખત સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો જેથી મતદાર સૂચિમાં તેમનું નામ નોંધવામાં આવી શકે . કમિશનરે કોહલીને કહ્યું હતું કે તમે પહેલેથી જ સમય મર્યાદા ચૂકી ગયા છો . આપને જણાવી દઈએ કે વિરાટ કોહલી હાલમાં આઇપીએલ 12 સીઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર માટે રમે છે . સતત 6 મૅચ ગુમાવનાર ટીમ , છેલ્લા પાંચ મેચમાંથી ચાર જીતી ગઈ છે અને તેમને છેલ્લે ઘણો જુસ્સો બતાવ્યો છે . આજે , 28 એપ્રિલે , આરસીબી અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મુકાબલો થશે . આ મેચ ફિરોઝ શાહ કોટલામાં રમાશે ." business,"ભારત સરકારે 18 ઓક્ટોબર , 2014ના રોજ ભારતમાં ડીઝલની કિંમતો નિયંત્રણમુક્ત કરવાનો સાહસિક નિર્ણય લીધો હતો . આ બાબતને સરળ રીતે સમજીએ તો હવેથી ડીઝલ સરકારની સબસિડી વિના માર્કેટ પ્રાઇસ પર ઉપલબ્ધ બનશે . ડીઝલ સબસિડીનો અર્થ શું થાય છે ? આ પહેલા ભારતમાં ડીઝલની કિંમતો ક્યારેય બજાર કિંમતો મુજબ ન હતી . આ માટે સરકારે ડીઝલની એક ચોક્કસ કિંમત નક્કી કરી હતી . તેના ઉપરની તમામ રકમ સરકાર સબસિડી તરીકે ચૂકવતી હતી . આ બાબત સમજવા માટે એક ઉદાહરણ જોઇએ . દાખલા તરીકે ડીઝલની બજાર કિંમત રૂપિયા 60 પ્રતિ લીટર હતી તો સરકારે ડીઝલની કિંમત રૂપિયા 50 પ્રતિ લીટર નક્કી કરી હતી અને ભારતમાં ગ્રાહકોને આપતી હતી . આમ બાકીને રૂપિયા 10 સરકાર સબસિડી તરીકે પોતે વહન કરતી હતી . એક અંદાજ પ્રમાણે સરકાર બજાર કિંમતથી ઓછા દરે જે ડીઝલ , એલપીજી અને કેરોસીન આપતી હતી તેના કારણે પ્રત્યેક નાણાકીય વર્ષમાં અંદાજે રૂપિયા 86,080 કરોડની ખોટ જતી હતી . હવે ડીઝલની કિંમતો નિયંત્રણ મુક્ત કરવાનો અર્થ શું છે ? હવે ડીઝલને નિયંત્રણમુક્ત કરવાનો અર્થ એ થાય છે કે સરકાર પર સબસિડીનું ભારણ ઘટશે . આ કારણે મોટી રકમ છુટી થશે , જેનો ઉપયોગ શિક્ષણ અને સ્વાસ્થ્ય જેવી વિકાસલક્ષી કામગીરીમાં ઉપયોગમાં લઇ શકાશે . હવેથી ડીઝલની કિંમતોનું દર છ મહિને આકલન કરવામાં આવશે . ડીઝલની નીચી કિંમતો ખેડૂતોને મદદ કરવા ઉપરાંત અર્થતંત્રમાં ઊંચી ટ્રાન્સપોર્ટેશન કોસ્ટને કારણે વધતા ફૂગાવાને પણ નિયંત્રણમાં લઇ શકાશે . દરેક સરકારના એજન્ડામાં ઇંધણની કિંમતોને નિયંત્રણમુક્ત બનાવવાનો એજન્ડા હતા . પણ ઘણી ઓછી સરકારો ફ્યુઅલ પ્રાઇસ માર્કેટ ભાવે ઉપલબ્ધ કરાવવામાં સફળ રહી છે . એનડીએ સરકારે પેટ્રોલ અન ડીઝલની કિંમતો નિયંત્રણ મુક્ત કરી છે . પણ અહેવાલો અનુસાર વર્ષ 2004માં યુપીએ સરકારે ફરી સબસિડી શરૂ કરી હતી . ત્યાર બાદ વર્ષ 2010માં પેટ્રોલની કિંમતો સંપૂર્ણ પણે નિયંત્રણમુક્ત કરી દેવામાં આવી હતી . આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રુડની કિંમતમાં ઘટાડો આશીર્વાદરૂપ નરેન્દ્ર મોદીની આગેવાનીમાં એનડીએ સરકારે ક્રુડના ભાવોમાં ભારે ઘટાડો થતાં એક મહત્વનો નિર્ણય લીધો હતો . જેના કારણે ડીઝલની કિંમતોમાં અંદાજે 3.50 રૂપિયાનો ઘટાડો થવાની સંભાવના છે ." entertainment,રોહિત ધવનના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ઢીશુમ રિલીઝ થઇ ચુકી છે . વરુણ ધવન અને જ્હોન અબ્રાહમ ની આ એક્શન કોમેડી ફિલ્મ લોકો ને ખુબ જ પસંદ આવી રહી છે લોકો આ ફિલ્મ માટે પોતાના મંતવ્ય પણ આપી રહ્યા છે આમ જોવા જઈએ તો આ ફિલ્મ એક મસાલા ફિલ્મ છે . બીજા ફિલ્મોની તુલનામાં ઢીશુમની કહાની એકદમ અલગ છે . અહીં ભારતના એક ટોપ ક્રિકેટરનું અપહરણ થઇ જાય છે પછી તેને શોધવાની જવાબદારી આવે છે વરુણ ધવન અને જ્હોન અબ્રાહમ પર . આપણે જણાવી દઈએ કે વરુણ ધવન અને જ્હોન અબ્રાહમની જોડીને લોકોએ ખુબ જ પસંદ કરી છે . ત્યાં જ અક્ષય કુમાર અને પરિણીતી ચોપરાના કેમિયો એ લોકોના દિલ જીતી લીધા છે . બોલિવૂડની સેલિબ્રિટીઓ પણ ફિલ્મના વખાણ કરવામાં પાછળ નથી રહી . તો જાણો ઢીશુમ ફિલ્મ માટે કઈ સેલિબ્રિટીએ સોશ્યિલ મીડિયા કેવો રિવ્યૂ આપ્યો . . . sports,"ચેમ્પિયન્સ ટ્રોફી 2017ની ફાઇનલ મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઇ હતી . પાકિસ્તાને ભારતને માત આપી એ સાથે જ કાશ્મીર ઘાટીના યુવાઓમાં જાણે ખુશીનું મોજું ફરી વળ્યું હતું . ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલની મેચ જાણે એકતરફી હતી , આ મેચમાં પાકિસ્તાને ભારતને 180 રનથી હરાવ્યું હતું . કાશ્મીર ઘાટીમાં મોટા ભાગના સ્થળોએ યુવાઓ પાકિસ્તાનની જીતની ઉજવણી કરતા જોવા મળ્યા હતા . અહીં લોકોએ ફટાકડા ફોડ્યા હતા અને ઢોલ - નગારા વગાડી નૃત્યુ કરી , પોતાની ખુશી વ્યક્ત કરી હતી . કાશ્મીર ઘાટીની ગલીઓમાં મહિલાઓ ગીત ગાઇને ખુશી વ્યક્ત કરતી જોવા મળી હતી . સીઆરપીએફ કેમ્પ પર ફેંક્યા ફટાકડા એવી પણ ખબરો આવી રહી છે , કેટલાક યુવાનોએ સીઆરપીએફ કેમ્પ અને સ્થાનિક થાણા પર ફટાકડા ફેંક્યા હતા . અહેવાલો અનુસાર , પાકિસ્તાનની જીત બાદ યુવાનોના આ હંગામા બાદ સુરક્ષા દળો દ્વારા ભીડને વિખેરવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા , જેમાં ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા હતા . ફેસબુક પર લાઇવ વીડિયો પાકિસ્તાનની જીત પર કાશ્મીર ઘાટીમાં ઉજવણીનો જે માહોલ જોવા મળ્યો , તેનો વીડિયો શ્રીનગરથી મેહરાજ નામના ફેસબૂક યુઝરે ફેસબૂક પર અપલોડ કર્યો હતો . નીચેના વીડિયોમાં તમે જોઇ શકો છો કે , પાકિસ્તાનની જીત બાદ લોકો ઢોલ વગાડી રહ્યાં છે અને નાચીને પોતાની ખુશી વ્યક્ત કરી રહ્યાં છે ." sports,"આઇપીએલ 10 સિઝનની આજે 51મી મેચ છે , જે મુંબઇ ઇન્ડિયન્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે આ મેચ હાલ મુંબઇમાં ખચાખચ ભરેલા વાનખેડે સ્ટેડિયમમાં રમાઇ રહી છે . ત્યારે આ મેચની તમામ લેટેસ્ટ માહિતી જાણવા માટે આ પેજને રિફ્રેશ કરતા રહો . અહીં અમે તમને આ મેચની તમામ અપડેટ આપતા રહીશું . UPDATE : કિંગ્સ ઇલેવન પંજાબઃ મનન વોહરા , માર્ટિન ગુપ્ટિલ , શોન માર્શ , ગ્લેન મેક્સવેલ , રિદ્ધિમાન સહા , અક્ષર પટેલ , મેટ હેનરી , રાહુલ તેવટીયા , મોહિત શર્મા , ઇશાંત શર્મા , સંદીપ શર્મા મુંબઇ ઇન્ડિયન્સઃ લેન્ડલ સિમન્સ , પાર્થિવ પટેલ , નીતિશ રાણા , રોહિત શર્મા ( કેપ્ટન ) , કિરોન પોલાર્ડ , હાર્દિક પંડ્યા , હરભજન સિંહ , કર્ણ શર્મા , મેકલેરેઘન , જસપ્રિત બુમરાહ , લસિથ મલિંગા" entertainment,"ભારતીય ફિલ્મ ઇંડસ્ટ્રીને 100 વર્ષ પુરા થઇ ગયા છે . ફિલ્મ ઇંડસ્ટ્રી જેમ જેમ આગળ વધતી જાય છે તેની બોલ્ડનેસની પરિભાષા પણ બદલાતી ગઇ છે . ઇમરાશ હાશ્મીથી માંડીને , શાહરૂખ ખાન , ફરદીન ખાન , જૉન અબ્રાહમ , અભય દેઓલ , કાલ્કી કોચલીન , નેહા ધૂપિયા , મલ્લિકા શેરાવત જેવા કેટલાક એક્ટર પોતાની ફિલ્મોમાં સેક્સી અને હૉટ સીન્સ આપવામાં પાછી પાની કરી નહી . આમ પણ સિનેમા ફક્ત સેક્સ અને એક્શનના જોરે બેચાય છે . બાકી ફિલ્મની કહાણી શું છે તેનાથી કોઇને ફરક પડતો નથી . ખાસ કરીને આ બદલાયેલા સિનેમાનો પૂરો શ્રેય જાય છે 100 કરોડ ક્લબને . આ ક્લબનો ભાગ બનવા માટે બૉલીવુડ સેલિબ્રિટીઝ કોઇપણ હદે જાય છે અને પોતાની ફિલ્મોમાં સેક્સ અને એક્શનનો એટલો જબરજસ્ત તડકો લગાવે છે કે દર્શકો આ ફિલ્મને જોવા માટે એટલા ઉત્સુક બની જાય છે કે ફિલ્મને પહેલાં જ કેટલાક અઠવાડિયાઓમાં 100 કરોડ ક્લબમાં એન્ટ્રી મળી જાય છે . પરંતુ સચ્ચાઇ તો એ છે કે દર્શકો ફક્ત ને ફક્ત અભિનેત્રીના સુંદર જિસ્મ અને એક્ટરોના એક્શનના લીધે ફિલ્મ જોવા જાય છે ના કે આ ત્રણ કલાક દરમિયાન કંઇક નવું જોવા મળશે . આજનું સિનેમા જગત કહાણીના જોરે નહી પરંતુ પોતાના આઇટમ સૉંગ્સ , એક્ટ્રેસના સ્કિન શો અને એક્ટર્સના એક્શનના લીધે ચાલે છે . જનોરંજનની વાત કરીએ તો દર્શકોને મનોરંજનના નામે ફક્ત ડબલ મીનિંગવાળી કૉમેડી જોવા મળે છે . ફિલ્મોમાં ઇંટિમેટ સીન્સ અને સેક્સી સીન્સની વાત કરીએ તો આવો બૉલીવુડના અત્યાર સુધીના જાણીતા ઇંટિમેટ અને કિસિંગ સીન્સની એક ઝલક બતાવીએ ." entertainment,"જો વાત રજનીકાંતની કરવામાં આવતી હોઈ તો કંઈક સ્પેશ્યલ થવું તો બને જ છે . રજનીકાંત કઈ પણ ઓર્ડિનરી તો કરતા જ નથી . પહેલા આપણે કબાલીના પોસ્ટર પ્લેન પર જોયા ત્યારબાદ લેમ્બોર્ગીની કાર પર જોયા . પરંતુ હવે ડબલ ડેકર બસ પણ સામે આવી છે . જે કબાલીના પોસ્ટરથી સજાવવામાં આવી હતી . આવી દીવાનગી તો ખાલી રજનીકાંતના ફેન્સ જ કરી શકે છે . રજનીકાંતના ફેન્સ તેમને પ્રોમોટ કરવામાં કોઈ જ કસર બાકી રાખવા નથી માંગતા . આ બસને મુંબઈની ફિલ્મ સીટી પરિસરમાં જોવામાં આવી હતી . ખરેખર કબાલીની લોકપ્રિયતાને કેશ કરવા માટે ફોક્સસ્ટારએ કબાલી બસનું લોન્ચ કર્યું છે . આ ડબલ ડેકર બસને આખી કબાલીના પોસ્ટરથી સજાવવામાં આવી છે . ખાસ વાત એ છે કે આ બસનો રૂટ પણ નક્કી કરવામાં આવ્યો છે . આ બસ વાડલા બસ ડીપોથી પોતાનો સફર શરૂ કરશે અને ઈનઓર્બીટ મલાડથી થઈને માટુંગાના અરોરા થેયેટર સુધી જશે . આ દરમિયાન તે દાદર , બાંદ્રા અને અંધેરીમાં રોકાશે . અરોરા થેયેટર સાથે રજનીકાંતનો ખૂબ જ જુનો રિશ્તો પણ છે . ચેન્નાઈ અને બેંગ્લોરની ખાનગી કંપનીઓમાં ફિલ્મ જોવા માટે રજા પણ આપી દેવામાં આવી છે . રજનીકાંતતો જાદુ તો એવો છે કે બીજા સ્ટાર રજાના દિવસે ફિલ્મ રિલીઝ કરે છે . જ્યારે રજની સર જે દિવસે ફિલ્મ રિલીઝ કરે તે દિવસ રજા પડી જાય છે ." entertainment,"ઢીશુમ ફિલ્મમાં એ બધું છે જે તમને એક મસાલા ફિલ્મમાં મળી રહે છે . મારધાડ , એક્શન , કોમેડી , ગીતો , સસ્પેન્સ , ટ્વિસ્ટ બધું જ છે . રોહિત ધવને પુરી કોશિશ કરી છે કે ફિલ્મમાં કોઈ ખામી ના રહી જાય . આ કોશિશ તેમની ફિલ્મમાં પણ દેખાઈ આવે છે . આખરે ઢીશુમએ બોક્સ ઓફિસ પર શાનદાર રીતે પોતાની પકડ બનાવી રાખી છે . માનવામાં આવે છે કે ફિલ્મ પોતાના પહેલા જ વિકેન્ડમાં 36 કરોડનો આંકડો પાર કરી જશે . આ ફિલ્મ ઘ્વારા વરુણ ધવનએ સાબિત કરી દીધું છે કે બોક્સ ઓફિસ તેના પર નિર્ભર રહી શકે છે . તો જાણો કેટલી કમાણી કરી ચૂક્યું છે વરુણ અને જ્હોનનું ઢીશુમ . . . ." business,"આરબીઆઈ તરફથી જણાવાયું છે કે તેણે આંતરિક તપાસ પૂરી કરી લીધી છે અને રિપોર્ટ પણ તૈયાર થઈ ગયો છે . ગેરરીતિઓમાં સંડોવણી માટે કસુરવાર ઠરનાર બેન્કો સામે પગલાં લેવામાં આવશે . કોબ્રાપોસ્ટે એક સ્ટિંગ ઓપરેશન કરીને એવો આરોપ મૂક્યો છે કે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા સહિત જાહેર ક્ષેત્રની અનેક બેન્કો અને નાણાં સંસ્થાઓ મની લોન્ડ્રિંગ પ્રવૃત્તિઓ કરી રહી છે . આ અંગે રિઝર્વ બેંકના ગવર્નર ડી સુબ્બારાવે જણાવ્યું કે ખોટું કામ કરનારી બેંકો સામે ક્યારે કાર્યવાહી કરવામાં આવશે તેની સમયસીમા કહેવી મુશ્કેલ છે . કારણ કે તેમાં અનેક પ્રકારની પ્રક્રિયાઓ સામેલ છે . બીજી તરફ કોબ્રા પોસ્ટે નવા અહેવાલો પણ પ્રસિદ્ધ કર્યા છે . નવા અહેવાલોમાં જણાવાયું છે કે "" ઓપરેશન રેડ સ્પાઇડર - ભાગ 3 કોડ વર્ડવાળી આવૃત્તિમાં કરવામાં આવેલા સ્ટિંગ મારફતે અમે 10 બેંકિંગ સંસ્થાઓ અને તેમની અંદર ચાલી રહેલી શંકાસ્પદ ગતિવિધિઓને બહાર લાવ્યા છીએ . આ બેંકોની ડઝનો શાખાઓના નીચલીથી લઇને ઉપલા અધિકારીઓએ શંકાસ્પદ ગતિવિધીની વાત સ્વીકારી છે . """ entertainment,"મુંબઈ , 18 સપ્ટેમ્બર : દરેક માણસનું જીવન સમજૂતીઓથી ભરેલું હોય છે . સંબંધોથી લઈને પોતાની ઇચ્છાઓ અને પોતાના સપનાઓ સુધીમાં માણસે સમજૂતીઓ કરવી પડે છે . પણ માત્ર સામાન્ય માણસે જ સમજૂતીઓ દ્વારા જીવન જીવવુ પડે છે એવું નથી . મોટા અને સફળ માણસોએ પણ ઘણી વાર ઘણી બધી સમજૂતીઓ કરવી પડે છે . બૉલીવુડના કિંગ ખાન તરીકે ઓળખાતા શાહરુખ ખાને પણ પોતાના જીવનમાં ઘણી સમજૂતીઓ કરી છે અને આ વાતનો તેમણે સ્વીકાર પણ કર્યો છે . આજે જ શાહરુખે ટ્વિટર પર ટ્વિટ કર્યું છે , ‘મતભેદો ક્યારેક - ક્યારેક બે વ્યક્તિઓને નજીક લઈ આવે છે અને ક્યારેક - ક્યારેક તેમને જુદાં કરી દે છે . પણ બંને જ પરિસ્થિતિઓમાં આપે સમજૂતી કરવી પડશે . તેથી ખુશ રહીને સમજૂતીઓ અપનાવો - સ્વીકારો . ' શાહરુખ ખાને ઘણાં સુંદર અંદાજમાં સંબંધો અને તેમને નિભાવવાની રીત સમજાવી દીધી , પણ સાથે - સાથે તેમણે આડકતરી રીતે એ પણ જણાવી દીધું કે તેમણે પોતે પણ પોતાના જીવનમાં ઘણી સમજૂતીઓ કરી છે . શાહરુખના જીવન અંગે તો દરેકને ખબર છે અને દરેકને તેમના જીવનની મુશ્કેલીઓ અંગે પણ માહિતી છે , પણ તેમણે કિંગ ખાનની કુર્સી સુધી પહોંચતા કેટલી મુશ્કેલીઓ અને સમજૂતીઓથી ભરેલું જીવન જીવ્યું છે , તે પોતે જ જાણે છે , બીજું કોઈ નહિં . જોવા જઇએ તો હાલ શાહરુખ પાસે દરેક એવી ચીજ છે , જે કોઈ પણ માણસના જીવનને સુંદર બનાવી શકે છે , જેમ કે તેમના બાળપણનો પ્રેમ ગૌરી ખાન , તેમની પુત્રી સુહાના , બૉલીવુડના કિંગ ખાનની ઉપાધિ , કરોડો ફેન્સ અને બેહદ સફળતા . આમ છતાં શાહરુખ આજે પણ પોતાની માટી અને પોતાના અત્યાર સુધીના મુશ્કેલીજનક સફરને યાદ કરે છે ." business,"નવી દિલ્હી , 3 સપ્ટેમ્બર : લાઇફ ઇન્શ્યુરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ( એલઆઇસી - LIC ) 30મી સપ્ટેમ્બર , 2013થી એક સાથે તેની 45 ઇન્વેસ્ટમેન્ટ પોલિસીઓ બંધ કરવા જઇ રહી છે . આ પોલીસીઓ તે પાછી ખેંચશે . આ નિર્ણય તેણે ઇરડાના આદેશના અમલને અનુસરવા માટે લીધો છે . ભારતમાં વીમા નિયામક ' ઇરડા ' ( ઇન્શ્યુરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલોપમેન્ટ ઓથોરિટી - IRDA ) એ LICને એક મહિનાનાં સમયગાળામાં ઇન્વેસ્ટમેન્ટ સંબંધિત તમામ પોલિસીઓ બંધ કરવાનો આદેશ આપ્યો હતો . આ નિર્દેશને અનુસરતા એલઆઇસીએ 30મી સપ્ટેમ્બરથી પોતાની બાવન પોલિસીઓમાંથી 45ને અટકાવી દેવાનો નિર્ણય લીધો છે . આ સાથે કંપનીની ઇન્વેસ્ટમેન્ટ પોલિસીની સંખ્યા ઘટીને માત્ર 7 રહી જશે . આ સાથે એવી શક્યતા છે કે એલઆઇસી નજીકના ભવિષ્યમાં નવી ચારથી પાંચ પોલિસી જાહેર કરી શકે છે . આ પોલીસીઓ નવા ધોરણો મુજબ હશે . પહેલી ઓકટોબરથી એલઆઇસીના પોર્ટફોલિયામાં પોલિસીઓની સંખ્યા બાવનથી ઘટી સીધી 7 થઇ જશે . આવતાં મહિનાથી અમારી પાસે 10 જેટલી પ્રોડકટ હશે તેમ એલઆઇસીના સિનિયર ડિવિઝન મેનેજર અજય કુમારે જણાવ્યું હતું . અહીં એલઆઇસીના અધિકારીએ સ્પષ્ટતા કરી હતી કે LICની વીમા પેન્શન યોજનાઓ અને યુનિટ લીંકડ ઇન્શ્યુરન્સ પ્લાન્સ ( યુએલઆઇપી ) અગાઉની જેમ યથાવત રહેશે . વર્તમાન સમયમાં જે પોલિસી ધારકો છે તેઓ 30મી સપ્ટેમ્બર બાદ આ સેવા મેળવી શકશે પરંતુ તે રિન્યુવલ પૂરતી હશે . નવા અરજદારો માટે તે ઉપલબ્ધ નહીં થાય . વીમા નિયામક ' ઇરડા ' એ નવી પોલિસીઓ માટે બે મૂળભૂત શરતોનું પાલન થાય તે જરૂરી બનાવ્યું છે . એક ગ્રાહકે તે જે પોલિસી ધરાવે છે તેનાં પર 3.09 ટકા સર્વિસ ટેકસ ચૂકવવો પડશે . બીજુ દરેક પ્રોડકટનું ફોકસ ઇન્વેસ્ટમેન્ટ કરતાં રિસ્ક કવરેજ પર કેન્દ્રિત હોવુ જોઇએ . આમ આ કારણોથી અમે 45 પોલિસીઓને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે . ઇરડાના નવા ધોરણો લોકોને સીધી અસર કરશે . ' વીમા બચત ' જેવી લોકપ્રિય પોલિસી હવે વધુ સમય અસ્તિત્વમાં નહીં રહે . એલઆઇસીની લોકપ્રિય પોલીસીઓ જેવી કે જીવન સરળ , જીવન આનંદ , જીવન તરંગ , જીવન શ્રી અને બીમા નિવેશ જેવી પોલિસીઓ નીકળી જશે . હવે જે નવી પોલિસીઓ આવશે તે ઇરડાના નવા માપદંડો અનુસાર હશે ." sports,આ રિપોર્ટ ધરપકડ કરવામાં આવેલા ખેલાડીઓ સુધી પહોંચ્યા વિના અને દિલ્હી પોલીસે કોઇ પણ પ્રકારના પુરાવાઓનો ઉપયોગ કર્યા વિના તૈયાર કરી છે . બીજી તરફ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડમાં હમણા સંકટની જે સ્થિતિ છે તેને જોતા સોંપવામાં આવેલા રિપોર્ટનું શું કરવું તે નક્કી કરવાનું હજી બાકી છે . બીસીસીઆઇએ પૂર્વ આઇપીએસ અધિકારી આર એન સવાનીએ દિલ્હી અને મુંબઇ પોલીસની તપાસની સમીક્ષા કરીને ક્રિકેટ બોર્ડને આ રિપોર્ટ સોંપવા જણાવ્યું હતું . સવાની વર્ષ 2000માં મેચ ફિક્સિંગની તપાસમાં સામેલ હતા . સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર સમગ્ર તપાસમાં દિલ્હી પોલીસ દ્વારા ત્રણ ખેલાડીઓ પર લગાવવામાં આવેલા આરોપોની તપાસ કરવાની હતી . આ ઉપરાંત એ ત્રણ મેચો અંગે પણ તપાસ કરવાની હતી જેનો ઉલ્લેખ દિલ્હી પોલીસે કર્યો છે . બીસીસીઆઇની એક સભ્યની તપાસ ટીમે પણ હજી ત્રણેય ખેલાડીઓ સાથે કોઇ પ્રકારની વાત કરી નથી . સૂત્રોના જણાવ્યા અનુસાર આ રિપોર્ટ 15 દિવસમાં તૈયાર કરીને સોંપી દેવા બીસીસીઆઇએ જણાવ્યું હતું . સૂત્રોના જણાવ્યા અનુસાર રિપોર્ટમાં તપાસ સાથે સંકળાયેલી પાયાની બાબતો જણાવવામાં આવી છે . business,"સોનાએ છેલ્લા એક વર્ષમાં ' ઝીરો ' ટકા રિટર્ન આપ્યું છે . એટલે કે વળતરની દ્રષ્ટિએ જોઇએ નકારાત્મક પરિણામ મળ્યું છે . મુંબઇમાં 4 સપ્ટેમ્બર , 2013ના રોજ 22 કેરેટ સોનાના ભાવ 2,845 હતા . વર્તમાન સમયમાં તેનો ભાવ રૂપિયા 2,600 ચાલી રહ્યો છે . ગયા વર્ષની સરખામણીએ સોનાના ભાવો ઘટતાં તેમાં રોકાણ કરનારાને નુકસાન થયું છે . તેના પરથી સ્પષ્ટ કહી શકાય કે ગયા વર્ષે જેણે પણ સોનામાં રોકાણ કર્યું હશે તેઓને પોતાના નિર્ણય પર પસ્તાવો થતો હશે . બીજી તરફ રોકાણના અન્ય સૌથી મોટા અને આકર્ષક વિકલ્પ એટલે કે શેરબજારની વાત કરીએ તો સેન્સેક્સ સૂચકઆંકમાં લગભગ 50 ટકાનો વધારો નોંધાયો છે . આંકડાઓને આધાર રાખીને વાત કરીએ તો સપ્ટેમ્બર 2013માં સેન્સેક્સ 18,000ની સપાટીએ ટ્રેડ થઇ રહ્યો હતો . આજે સેન્સેક્સ 27,000ની સપાટીએ પહોંચ્યો છે . એટલેકે તેમાં સીધો 50 ટકાનો વધારો જોવા મળ્યો છે . આ તેજીમાં કેટલાક સ્ટોક્સ વધ્યા છે તો કેટલાક ઘટ્યા પણ છે . આ સ્થિતિને જોતા જ રોકાણકારોને એક જ પ્રશ્ન થાય કે વર્તમાન સમયમાં રોકાણ કરવું હોય તો શેમાં રોકાણ કરવું શ્રેષ્ઠ સાબિત થઇ શકે છે ? તેનો જવાબ આપવાનો અહીં પ્રયાસ કરવામાં આવ્યો છે . . ." sports,"ભારતીય ક્રિકેટ ટીમે ત્રીજી ટી20 મેચમાં ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવીને સિરીઝ 2 - 1 થી જીતી છે . ઇંગ્લેન્ડ તરફ થી આપવામાં આવેલા 199 રનનો પીછો કરી રહેલી ભારતીય ટીમે ત્રણ વિકેટ ગુમાવીને 201 રન બનાવ્યા . ભારત તરફથી રોહિત શર્માએ શાનદાર શતક નોંધાવી . પરંતુ તે પહેલા ભારતના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ વિકેટ પાછળ એક નવો રેકોર્ડ બનાવ્યો છે . એક દિવસ પહેલા પોતાનો 37મોં જન્મદિવસ ઉજવનાર મહેન્દ્ર સિંહ ધોની ઘ્વારા ઇંગ્લેન્ડ વિરુદ્ધ રમાઈ રહેલી ત્રીજી ટી20 મેચમાં 2 રેકોર્ડ બનાવવામાં આવ્યા છે . ધોનીએ પહેલા કેચ પકડવાનો અર્ધ શતક પૂરો કર્યો . ત્યારપછી તેમને કોઈ એક ટી20 મેચમાં 5 કેચ પકડવાનો રેકોર્ડ કર્યો , જેમાં કોઈ પણ સ્ટેમ્પિંગ શામિલ નથી . કોઈ પણ ઇન્ટરનેશનલ ટી20 મેચમાં આવું કરનાર ધોની પહેલા વિકેટકીપર બની ચુક્યા છે . આ પહેલા અફઘાનિસ્તાન વિકેટકીપર મોહમ્મદ શાહઝાદે વર્ષ 2015 દરમિયાન ઓમાન સામે 5 શિકાર કર્યા હતા . પરંતુ તેમાં ત્રણ કેચ અને બે સ્ટેમ્પિંગ શામિલ હતા . તેની સાથે મહેન્દ્ર સિંહ ધોની ટી20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 50 કેચ પકડનાર પહેલા વિકેટકીપર બની ચુક્યા છે . તેમને આ ઉપલબ્ધી તેમની 93મી ટી20 મેચમાં મેળવી છે . એક વિકેટકીપર તરીકે મહેન્દ્ર સિંહ ધોની ઘ્વારા ટી20 મેચમાં કુલ 83 શિકાર કરવામાં આવ્યા છે , જેમાં 50 કેચ અને 33 સ્ટેમ્પિંગ શામિલ છે ." entertainment,"બૉલીવુડના બાર્બી ગર્લ કૅટરીના કૈફની એક્શનથી ભરપૂર ફિલ્મ ધૂમ 3નો ઇંતેજાર થઈ રહ્યો છે , તો કૅટરીના કૈફ વધુ એક ફિલ્મમાં એક્શન કરતાં નજરે પડવાના છે . કૅટરીના હાલમાં ફૅંટમ ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે અને ફિલ્મની શરુઆતની તસવીરો જોતા સ્પષ્ટ છે કે કૅટરીના કૈફ આ ફિલ્મમાં ફરી એક વાર એક્શન અવતારમાં દેખાશે . કબીર ખાન દિગ્દર્શિત ફૅંટમ ફિલ્મનું શૂટિંગ હાલ બેરૂતમાં ચાલી રહ્યું છે . ફિલ્મમાં કૅટરીના કૈફ અને સૈફ અલી ખાન લીડ રોલમાં છે . કૅટ - સૈફની આ જોડી બીજી વાર કોઈ ફિલ્મમાં આવી રહી છે . અગાઉ બંને રેસ ફિલ્મમાં દેખાયા હતાં . ફૅંટમ ફિલ્મનું શૂટિંગ બેરૂતમાં ચાલી રહ્યું છે અને શૂટિંગ દરમિયાન સેટ ઉપર સૈફના બેગમ અભિનેત્રી કરીના કપૂર પણ પહોંચી ગયાં . જુઓ ફૅંટમ ફિલ્મમાં કૅટરીના કૈફ અને સૈફ અલી ખાનના એક્શન અવતારની તસવીરો :" business,"અમદાવાદ , 18 ઓક્ટોબર : ગુજરાતમાં વડુંમથક ધરાવતી અને ગુજરાતની ' મનપસંદ ' બ્રાન્ડ હવે ભારતીયોની મનપસંદ બ્રાન્ડ બની છે . ભારતની અગ્રણી ફ્રૂટ જ્યુસ કંપની ' મનપસંદ બેવરિજીઝ ' ની એક બ્રાન્ડ પ્રોડક્ટ ' મેંગો સિપ ' ભારતમાં ચોથા ક્રમની સૌથી વધુ વેચાતી પેકેજ્ડ મેંગો ફ્રૂટ જ્યુસ બ્રાન્ડ બની ગઇ છે . વડોદરા સ્થિત આ ગુજરાતી કંપની હવે આ ક્ષેત્રની કોકાકોલા અને પેપ્સીકો જેવી દિગ્ગજ બહુરાષ્ટ્રીય કંપનીઓ અને બીજી મોખરાની ભારતીય કંપનીઓને સીધી ટક્કર આપી રહી છે . હાલમાં ભારતનું પેકેજ્ડ ફ્રૂટ ડ્રિન્ક માર્કેટનું કદ રૂપિયા 5,000 કરોડનું હોવાનો અંદાજ છે અને આ બજાર અસાધારણ ગતિએ વિકસી રહ્યું છે . મનપસંદ બેવરિજીઝ છેલ્લા એક દાયકાથી બેવરિજીઝ ( પીણાં ) ના કારોબારમાં સક્રિય છે . વિવિધ પ્રકારના 25 ઉત્પાદનોના જૂથ સાથે મનપસંદ બેવરિજીઝે બજારમાં પોતાનું વિશિષ્ટ સ્થાન બનાવ્યું છે . મેંગો સિપ બ્રાન્ડ વિકાસ સાધીને ભારતમાં ચોથા ક્રમની સૌથી વિશાળ મેંગો ડ્રિંક બ્રાન્ડ બની ગઈ છે . પોતાની મેંગો સિપ બ્રાન્ડની સફળતા વિશે મનપસંદ બેવરિજીઝ પ્રા . લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ધીરેન્દ્ર સિંહે જણાવ્યું છે કે પેકેજ્ડ બેવરિજીસના બજારમાં વિશાળ તક રહેલી છે તેથી ભવિષ્યમાં મજબૂત વૃદ્ધિની અમને અપેક્ષા છે . લોકોની ખર્ચપાત્ર આવકમાં વધારો , બદલાઈ રહેલી જીવનશૈલી અને તેજીથી વધી રહેલો યુવા મધ્યમ વર્ગ જેવા પરિબળો આ બજારમાં વિકાસને ઉત્તેજન આપી રહ્યા છે . તેમણે જણાવ્યું કે ભારતમાં માથાદીઠ વપરાશ અત્યંત નીચો છે અને આ પરિબળ બેવરિજ ઉદ્યોગની કંપનીઓને આ સેગમેન્ટમાં રહેલી વિશાળ વણસંતોષાયેલી સંભાવનાઓનો લાભ લેવાની તક પૂરી પાડે છે . ભારતના ગ્રાહકોમાં મેંગો જ્યુસ લોકપ્રિય છે અને તેને સૌથી વ્યાપકપણે સ્વીકારવામાં આવે છે . નજીકના ભવિષ્યમાં બેવરિજીઝ ઉદ્યોગ 35 ટકાથી 40 ટકાની વૃદ્ધિ દર્શાવે એવી સંભાવના છે . આગામી પાંચ વર્ષ દરમિયાન ફ્રૂટ ડ્રિંક ઉદ્યોગનું કદ બમણા કરતાં વધુ વધીને આશરે રૂપિયા 12,000 કરોડથી રૂપિયા 15,000 કરોડનું થશે એવી અમારી ધારણા છે . ફ્રૂટ જ્યુસ આધારિત બેવરિજીઝનો માથાદીઠ વપરાશ જર્મનીમાં 45 લિટર , સ્વિટઝર્લેન્ડમાં 42.5 લિટર અને યુએસએમાં 39 લિટરનો છે જ્યારે ભારતમાં તે માથાદીઠ માત્ર 20 મિલીના સ્તરે છે . આ આંકડા દર્શાવે છે કે આપણે જો ફ્રૂટ જ્યુસને વધુ વ્યાપકપણે અને પોસાઈ શકે એવી રીતે ઉપલબ્ધ કરાવવા માટે યોગ્ય વ્યૂહરચનાઓ ઘડી કાઢીએ તો કારોબારની દ્રષ્ટિએ આપણી સમક્ષ વિશાળ તક રહેલી છે . ભારતના બીજા અને ત્રીજા સ્તરના શહેરોમાં લોકોનું વધી રહેલું આગમન આ ક્ષેત્રના વિકાસમાં યોગદાન આપશે . ભારતના બીજા સ્તરના અને અર્ધ - ગ્રામીણ તથા ગ્રામીણ બજારોમાં મનપસંદ બેવરિજીઝ ખૂબ મજબૂત સ્થિતિ ધરાવે છે . મનપસંદ બેવરિજ બ્રાન્ડ્સ 2,00,000 કરતાં વધુ રિટેલરો , 2,000 કરતાં વધુ વિતરકો અને 200 કરતાં વધારે સુપર સ્ટોકિસ્ટ્સ મારફતે 20 કરતાં વધુ રાજ્યોમાં ઉપસ્થિત છે . કંપનીની ઉત્પાદન સુવિધાઓ ગુજરાતના વડોદરા , ઉત્તર પ્રદેશના વારાણસી અને ઉત્તરાંચલના દહેરાદૂનમાં આવેલી છે ." entertainment,"કેઆરકેનો કોઇ પરિચયની જરૂર નથી . તે અવારનવાર કોઇને કોઇ વ્યક્તિ વિષે અયોગ્ય ટિપ્પણીઓ કરીને સમાચારોમાં રહેતા હોય છે . વળી તેમાં પણ જાણીતા સેલેબ્રિટી વિષે ટિપ્પણી કરવી તેમને વધુ ગમે છે . અને ટ્વિટર પર હંમેશા તે કોઇની ને કોઇની કાપતા જ રહેતા હોય છે . કેઆરકે પોતાને એક ક્રિટીક કહે છે . અને રિલિઝ થનારી દરેક ફિલ્મ વિષે ટિપ્પણી કરે છે . એટલું જ નહીં તે અનેક અભિનેત્રી અને અભિનેતા વિષે ધણુ ખરું બોલી ચૂક્યા છે . તેમણે હાલમાં જ સોનાક્ષી સિંહા , સોનમ કપૂર , લિઝા હેડયન જેવા લોકો વિષે તેમના ટ્વિટર એકાઉન્ટ દ્વારા ટિપ્પણી કરી હતી . જેમાં સોનાક્ષી તેને વળતો જવાબ પણ આપ્યો હતો . અને આલિયા ભટ્ટ અને સિદ્ધાર્થના વોગ મેગેઝિન કવર પેઝ પર પણ તેમણે ટિપ્પણી કરી હતી . જે બાદ સિદ્ધાર્થે તેમને સંભળાવ્યું હતું . ત્યારે આ તમામની વચ્ચે હાલ એક યુવકે કેઆરકેને દિવસે તારા બતાવ્યા છે . નોંધનીય છે કે યૂટ્યૂબ પર એક વીડિયો વાયરલ થયો છે . જેમાં અભિષેક શર્મા નામના યુવકે કેઆરકે વિષે તેવું તેવું કહ્યું છે જેને સાંભળીને તમે હેરાન થઇ જશો . જે બાદ કેઆરકેએ મુંબઇ પોલિસને આ છોકરાનું એડ્રેસ જાણાવાની વાત કરી છે . ત્યારે તમે પણ સાંભળ્યો આ વીડિયો . . ." business,"રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના વર્ષ 2012 - 13ના વાર્ષિક રિપોર્ટમાં મુકેશ અંબાણીની આગેવાનીવાળી કંપનીએ જાહેર ક્ષેત્રની ચાર કંપનીઓએનએમડીસી , એનટીપીસી , ઓએનજીસી તથા ઓઇલ ઇન્ડિયામાં પણ રોકાણ કર્યું છે . પોતાના બિન ઇક્વિટી પોર્ટફોલિયો અંતર્ગત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે ટાટા સન્સના ડિબેન્ચરમાં 300 કરોડ રૂપિયાનું નવું રોકાણ કર્યું છે . આ ઉપરાંત અનિલ અંબાણીની આગેવાનીવાળી મ્યુચ્યુ્અલ ફંડની કંપનીની ત્રણ યોજનામાં 791 કરોડ રૂપિયાની રકમ જોડી છે . અનુસૂચિત બેંકોની જમા યોજનાઓમાંથી 15,720 કરોડ રૂપિયાનું રોકાણ પાછું ખેંચ્યું છે . કંપનીએ આઇસીઆઇસીઆઇ બેંકમાં પોતાની હિસ્સેદારી 79 કરોડ રૂપિયાથી વધારીને 174 કરોડ રૂપિયા કરી દીધી છે . બીજી તરફ એસબીઆઇમાં પોતાનો હિસ્સો 112 કરોડ રૂપિયાથી વધારીને 199 કરોડ રૂપિયા કરી દીધો છે . રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પર 31 માર્ચ , 2013 સુધી રૂપિયા 72,000 કરોડ રૂપિયાનું દેવું હતું . પણ હવે કંપની ઋણમુક્ત બની છે . રોકડ અને બેંકોમાં જમા રકમ થઇને તેની પાસે 82,975 કરોડ રૂપિયા છે ." sports,"મુંબઇ ઇન્ડિયન્સે પોતાની શ્રેષ્ઠતા સાબિત કરતા એકવાર ફરી ઇન્ડિયન પ્રીમિયર લીગની છઠ્ઠી સિઝનના પોઇન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન મેળવી લીધું છે . મુંબઇએ પોતાના ઓલરાઉન્ડર રમતના દમ પર બુધવારે વાનખેડે સ્ટેડિયમમાં રમવામાં આવેલ લીગની 66મી અને પોતાની 15મી મેચમાં 2008ની ચેમ્પિયન રાજસ્થાન રોયલ્સને 14 રનોથી હરાવી દીધું . મુંબઇએ 15માંથી 11 મેચ જીતી છે જ્યારે ચારમાં તેની હાર થઇ છે . બીજી બાજુ રાજસ્થાને પણ 15 મેચ રમી છે , જેમાંથી 10માં તેણે જીત મેળવી છે . ચેન્નાઇ સુપર કિંગ્સે મંગળવારે દિલ્હી ડેરડેવિલ્સને હરાવતા 22 પોઇન્ટની સાથે મુંબઇને પ્રથમ સ્થાને હટાવી દીધું હતું . હવે મુંબઇ 22 પોઇન્ટ અને શાનદાર રનરેટની સાથે ફરીથી પ્રથમ સ્થાન પર આવી ગયું છે . મુંબઇ , ચેન્નાઇ અને રાજસ્થાનની ટીમો પહેલા જ પ્લે ઓફ રાઉન્ડમાં પહોંચી ગઇ છે . મુંબઇ દ્વારા આપવામાં આવેલ 167 રનોના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી રાજસ્થાનની ટીમ નિર્ધારિત 20 ઓવરમાં સાત વિકેટ પર 151 રન જ બનાવી શકી . સ્ટુઅર્ટ બિન્ની 37 રનો પર અણનમ રહ્યા જ્યારે કેવન કૂપરે અણનમ સાત રન બનાવ્યા . મુંબઇ તરફથી જોનસન અને ધવન કૂલકર્ણીએ 2 - 2 વિકેટ લીધી જ્યારે હરભજન , મલિંગા અને ઓઝાએ 1 - 1 વિકેટ લઇ શક્યા ." entertainment,"પોતાની ક્લોથિંગ લાઇનને પ્રમોટ કરવા સેલિબ્રિટીઓ વિચિત્ર તરકીબો અજમાવે છે . સિંગર રીટા ઓરાએ પણ તાજેતરમાં કંઇક આવુ જ કર્યું . તેમણે સ્કિનટાઇટ પૅંટ પહેર્યુ હતું કે જેના દ્વારા તેમણે જાણે પોતાની ક્લોથિંગ લાઇન પ્રમોટ કરવાનો પ્રયત્ન કર્યો હતો . રીટા ઓરા એડિડાસ ઓરિજનલ્સ કલેક્શનની ન્યુ ક્લોથિંગ લાઇનના લૉન્ચિંગ પ્રસંગે પહોંચ્યા હતાં , પરંતુ રીટા ઓરાના સ્કિનટાઇટ પૅંટે દગો કર્યો અને તેમણે ઉપ્સ મોમેંટ એટલે કે વૉર્ડરોબ માલફંક્શનનો ભોગ બનવુ પડ્યુ . રીટા ઓરાના સ્કિનટાઇટ પૅંટે દગો કરતા તેમના બટ્ટ ફ્લૅશ થઈ ગયાં . રીટા ઓરા જ્યારે કારમાં બેસવા જતા હતાં , ત્યારે જ તેમનુ સ્કિનટાઇટ પૅંટ્સ ફાટી ગયું . રીટાએ બસ્ટિયર ટૉપ સાથે સ્કિનટાઇટ જમ્પશૂટ પહેર્યુ હતું . આ બનાવ લંડન ખાતે બન્યો અને તે સમયે રીટાના મંગેતર પણ સાથે હતાં . ચાલો તસવીરો સાથે જોઇએ હૉલીવુડ સેલિબ્રિટીઓના કેટલાક ચર્ચિત વૉર્ડરોબ માલફંક્શન :" entertainment,"શનિવારે સમગ્ર દેશમાં કરવા ચોથની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી . ઉત્તર ભારતીય રાજ્યો સહિત સમગ્ર દેશમાં કરવા ચોથની ઉજવણી કરવામાં આવી . મહિલાઓએ પતિના લાંબા આયુષ્ય માટે ઉપવાસ રાખ્યું અને પતિઓ સાથે ચાંદ જોઈ વ્રત પૂર્ણ કર્યું . કરવા ચોથનો પર્વ હોય અને તેમાં બૉલીવુડ કઈ રીતે બાકી રહી જાય . દરેક તહેવારમાં ઉત્સાહભેર ભાગ લેતાં બૉલીવુડે કરવા ચોથની પણ શાનદાર ઉજવણી કરી હતી . બૉલીવુડ અભિનેત્રીઓએ પણ સામાન્ય મહિલાઓની જેમ પોતાના સુહાગના લાંબા આયુષ્યની કામના કરતા આ વ્રત રાખ્યું . ઐશ્વર્યા રાય બચ્ચન , જયા બચ્ચન , શિલ્પા શેટ્ટી , શ્રીદેવી , કિરણ ખેર સહિતની બૉલીવુડ હસ્તીઓએ પતિઓ સાથે ચાંદ જોઈ કરવા ચોથનું વ્રત પૂર્ણ કર્યું . અમિતાભ બચ્ચનના જુહુ ખાતેના બંગલે કરવા ચોથની ઉજવણી કરવામાં આવી , તો અનિલ કપૂરના ઘરે પણ કરવા ચોથ ઉજવવામાં આવી . કરવા ચોથ પ્રસંગે લેખક ચેતન ભગત અને બીજી અનેક હસ્તીઓએ પોતાની પત્ની માટે વ્રત રાખવાનો સંકલ્પ પણ કર્યો . ટ્વિટર વડે પણ બૉલીવુડ હસ્તીઓએ કરવા ચોથના અભિનંદન પાઠવ્યાં . અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ કરવા ચોથને પોતાનો મનપસંદ પર્વ ગણાવ્યો અને કહ્યું , ‘પોતાના પ્રેમ માટે કરવા ચોથનું વ્રત રાખનાર તમામ મહિલાઓને કરવા ચોથના અભિનંદન . ' અભિનેત્રી દિવ્યા દત્તે પણ પોતાના ફૅન્સને કરવા ચોથના અભિનંદન પાઠવ્યાં . ચાલો તસવીરોમાં જોઇએ બૉલીવુડનું કરવા ચોથ સેલિબ્રેશન :" sports,"અનિલ કુંબલેના રાજીનામા બાદ ટીમ ઇન્ડિયાના હેડ કોચ ચર્ચાનો વિષય હતો . ક્રિકેટ એડવાઇઝરી કમિટિ ( સીએસી ) ને નવા હેડ કોચની પસંદગીની જવાબદારી સોંપવામાં આવી હતી . સીસએસીના સભ્યો સચિન તેંડુલકર , વીવીએસ લક્ષ્મણ અને સૌરવ ગાંગુલી માટે આ નિર્ણય લેવો સરળ નહોતો . આ પદ માટે વીરેન્દ્ર સહેવાગ અને રવિ શાસ્ત્રીનું નામ રેસમાં સૌથી આગળ માનવામાં આવી રહ્યું હતું . કપ્તાન વિરાટ કોહલીની પહેલી પસંદ હતા રવિ શાસ્ત્રી અને આ કારણે જ આખરે ધાર્યા મુજબ રવિ શાસ્ત્રીને જ ટીમ ઇન્ડિયાના હેડ કોચ નિમવામાં આવ્યા . સાથે ઝહીર ખાનને બોલિંગ કોચ અને રાહુલ દ્રવિડને ફોરેન ટૂર માટે બેટિંગ કન્સલ્ટંટ નિમવામાં આવ્યા . સીએસી દ્વારા કરવામાં આવેલી આ ત્રણ નિમણૂકે ટીમ ઇન્ડિયા અને બીસીસીઆઇના ઘણા સમીકરણો ખુલ્લા કર્યા છે . રવિ શાસ્ત્રીની નિમણૂક અંગે તો ટ્વીટર પર અનેક જાતની વાતો થઇ રહી છે ." business,"સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ કે જેને લોકો સીડીસ ( CDs ) તરીકે વધારે સારી રીતે જાણે છે તે બીજું કશું નહીં પણ મની માર્કેટનું એક સાધન છે જે બેંકો અને કેટલીક ખાસ ફાઇનાન્શિયલ સંસંથાઓ તેમની ડિપોઝિટ્સમાં રોકવામાં આવેલા નાણાના બદલામાં આપે છે . CDs કોને કોને આપવામાં આવે છે ? ભાતમાં CDs એફડીમાં રોકાણ કરનાર બધાને આપવામાં આવતું નથી . તે ખાસ કરીને નીચે આપવામાં આવેલી સંસ્થાઓને આપવામાં આવે છે . A ) ભારતમાં કોમર્શિયલ બેંકોને B ) IFCI જેવી ફાઇનાન્શિયલ સંસ્થાઓ કેટલી રકમની ડિપોઝિટ પર CDs આપવામાં આવે છે ? બેંક ડિપોઝિટની જેમ તે નાની રકમ માટે પણ ચૂકવવામાં આવે છે . જો કે આ રકમ એક લાખ રૂપિયા હોવી જોઇએ . આ લઘુત્તમ રકમ સિંગલ ઇશ્યુઅર માટે છે . તેને રૂપિયા 1 લાખના ગુણાંકમાં વધારી શકાય છે . CDsમાં કોણ રોકાણ કરી શકે છે ? આ રોકાણ સાધન CDsમાં કંપનીઓ , વ્યક્તિઓ , ટ્રસ્ટ , ફંડ , બેંકો અને એસોસિએશન વગેરે રોકાણ કરી શકે છે . રસપ્રદ બાબત એ છે કે RBIના નિયમો અનુસાર નોન રેસિડેન્ટ ઇન્ડિયન્સ કે NRIs પણ CDsમાં રોકાણ કરી શકે છે . જો કે NRIs દ્વારા CDsમાં રોકવામાં આવેલી રકમ તેઓ પોતાના દેશમાં પાછી લઇ જઇ શકતા નથી . CDsનો મેચ્યોરિટી પીરિયડ CDsનો મેચ્યોરિટી પીરિયડ રોકાણકારોના પ્રકાર પર નિર્ભર કરે છે . બેંકોને આપવામાં આવતા CDs પર મેચ્યોરિટી પિરિયડ 7 દિવસથી ઓછો નહીં અને એક વર્ષથી વધારે હોતો નથી . જ્યારે ફાઇનાન્શિયલ સંસ્થાઓ માટે ધોરણો અલગ છે . તેમના માટે એક વર્ષથી ઓછા સમય માટે CDs આપવામાં આવતા નથી . જ્યારે મહત્તમ ગાળો ત્રણ વર્ષનો છે . CDsને ઇલેક્ટ્રોનિક ફોર્મમાં રાખી શકાતા નથી . તેને ઓન્ડોર્સમેન્ટ કે ડિલિવરી માટે આપવામાં આવે છે . જ્યારે ડિમેટ સ્વરૂપમાં CDs અન્ય ડિમેટમાં જે પ્રક્રિયાથી ટ્રાન્સફર કરવામાં આવે છે તેવી જ રીતે ટ્રાન્સફર કરવામાં આવે છે . અહીં નોંધનીય બાબત એ છે કે CDsની સામે લોન આપવામાં આવતી નથી . CDsનું પેમેન્ટ છેલ્લા હોલ્ડરને આપવામાં આવે છે ." business,"આજે રૂપિયો ડોલર સામે થોડો સારો ચાલી રહ્યો છે . ગુરુવારે રૂપિયો 19 પૈસા મજબૂત થઈને 72.42 રૂપિયા પ્રતિ ડોલર પર ખુલ્યો છે . જયારે બુધવારે રૂપિયો 72.61 પ્રતિ ડોલર પર બંધ થયો હતો . સરકાર ઘ્વારા 19 આઈટમ પર ઈમ્પોર્ટ ટેરિફ વધારવાની ઘોષણા પછી રૂપિયાને મદદ મળી છે . જયારે ક્રૂડની કિંમત વધવા , ટ્રેડ વોર , ડોલરની મજબૂતી , ઘરેલુ સ્તરે આયાત ઘટવી અને રાજનૈતિક અસ્થિરતા જેવા ફેક્ટરને કારણે રૂપિયા પર સતત દબાવ બની રહ્યો છે . આપને જણાવી દઈએ કે સરકારે 19 નોન એસેન્સિયલ આઈટમ પર ઈમ્પોર્ટ ટેરિફ વધારવાની ઘોષણા કરી છે તેના પછી રૂપિયામાં મજબૂતી દેખાઈ રહી છે . આજે શેરબજારમાં પણ થોડા અંશે વધારો દેખાઈ રહ્યો છે . શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ અને નિફટી ગ્રીન નિશાન સાથે ખુલ્યા છે . એટલું જ નહીં પરંતુ કમોડિટી બજારમાં પણ સારા સંકેત દેખાઈ રહ્યા છે . સરકારે વધારી ઈમ્પોર્ટ ડ્યુટી , ફ્રિઝ , એસી , વોશિંગ મશીન સહિત 19 વસ્તુઓ મોંઘી એક દિવસની રાહત પછી આજે પેટ્રોલ અને ડીઝલની કિંમતો બધા જ શહેરોમાં વધારી દેવામાં આવી છે , જેને કારણે સામાન્ય માણસોને ઘણી મુસીબત પડી રહી છે . SBI ખાતાધારકો સાવધાનઃ આ 5 ભૂલ કરી તો ખાતું થઈ જશે ખાલી , બેન્કે આપ્યું એલર્ટ આ અઠવાડિયે બુધવારે રૂપિયો જ્યાં 72.61 રૂપિયા પ્રતિ ડોલર પર બંધ થયો હતો . જયારે મંગળવારે રૂપિયો 72.69 પર બંધ થયો હતો અને સોમવારે રૂપિયો 43 પૈસાના ઘટાડા સાથે 72.63 પર બંધ થયો હતો ." sports,અફધાનિસ્તાનની ટીમે ટૉસ જીતી ભારતને પ્રથમ બેટીંગ કરવા આમંત્રણ આપ્યું હતું . ભારતના ઓપનર ખેલાડી ગૌતમ ગંભીર અને વિરેન્દ્ર સહેવાગ ફરી એકવાર નિષ્ફળ પુરવાર થયાં હતાં . ગૌતમ ગંભીર 10 અને સહેવાગ માત્ર 8 રન બનાવી પેવેલિયન ભેગાં થઇ ગયાં હતા . ભારતીય ટીમના ટાઇગર તરીકે ઓળખાતા યુવરાજ સિંહે 18 રન બનાવ્યા હતાં . જેમાં એક સિક્સર ફટકારી હતી . યુવરાજસિંહના આઉટ થયા બાદ ભારત સ્ટાર પ્લેયર વિરાટ કોહલીએ ફરી એકવાર શાનદાર પ્રદર્શન કર્યું હતું અને માત્ર 34 બોલમાં અર્ધસદી ફટકારી હતી . સુરેશ રૈનાએ કોહલી ને ખૂબ સરસ રીતે સપોર્ટ કર્યો હતો જેના કારણે ભારતીય ટીમ એક ચૂનોતીપૂર્ણ લક્ષ્ય આપવામાં સફળ રહી હતી . કોહલીના આઉટ થયા બાદ ધોની ફરી એકવાર કેપ્ટન ઇનિંગ રમતાં 18 રન બનાવ્યા હતાં જેમાં અંતિમ બોલે સિક્સર ફટકારી હતી . અત્રે ઉલ્લેખનિય છે કે ભારતને આ મેચ જીતવા માટે કઠિન પરિશ્રમ કરવો પડ્યો હતો . અફઘાનિસ્તાનની ટીમે ભારતને જોરદાર ટક્કર આપી હતી . અફધાનિસ્તાનના બોલરોએ ભારતીય બેસ્ટમેનોને ખોલીને રમવાની તક આપી ન હતી . જો કે તેમના બેસ્ટમેનોના ખરાબ પ્રદર્શનના કારણે તેમને હારનો સામનો કરવો પડ્યો હતો . અફધાનિસ્તાનની ટીમના મોહંમદ નબીએ 17 બોલમાં 31 રન બનાવ્યા હતાં ભારત તરફથી બાલાજી અને યુવરાજ સિંહે જોરદાર બોલીંગ કરી હતી . બાલાજીએ 19 રન આપી 3 વિકેટ લીધી હતી જ્યારે યુવરાજ સિંહે 24 રન આપી 3 વિકેટ ઝડપી લીધી હતી . business,"જીએસટી કાઉન્સિલે શનિવારે મીટિંગ પછી અનેક ટ્રાંજેક્શન અને રિટર્ન્સ સાથે જોડાયેલા નિયમોને મંજૂરી આપી . જો કે આજની મીટિંગ પછી પણ સોના સમેત અન્ય 6 વસ્તુઓ પર શું ટેક્સ લગાવવું તે નક્કી નથી કરી શકવામાં આવ્યું . જો કે મીટિંગ પછી તમામ રાજ્યોના નાણાં મંત્રી 1 જુલાઇથી જીએસટી લાગુ કરવા માટે સહમતિ આપી ચૂક્યા છે . આ બેઠકની અધ્યક્ષતા નાણાં મંત્રી અરુણ જેટલીએ કરી હતી . તેમણે કહ્યું કે બેઠકમાં અનેક નિયમો પર ચર્ચા કરવામાં આવી છે . અને તેને મંજૂરી પણ આપવામાં આવી છે . ઉલ્લેખનીય છે કે ગત મહિને જ કાઉન્સિલે 1200 પ્રોડક્ટ અને લગભગ 500 સેવાઓ પર જીએસટી દર નક્કી કર્યા હતા . જીએસટીને ચાર ભાગમાં પાડવામાં આવ્યા છે . 5 ટકા , 12 ટકા , 18 ટકા અને 28 ટકા ટેક્સ સ્લેબ આપવામાં આવ્યો છે . જેમાં જીવન જીરૂરી મોટા ભાગની વસ્તુઓને સૌથી ઓછા ટેક્સ સ્લેબમાં મૂકવામાં આવ્યા છે . જ્યારે લક્ઝરી વસ્તુઓ માટે 28 ટકા ટેક્સ આપવામાં આવ્યો છે . આજની આ બેઠકમાં સોના , ટેક્સટાઇલ અને ફૂટવેર સમેત 6 વસ્તુઓ પર કેટલો ટેક્સ લગાવવો તે વિચારવામાં આવ્યું હતું . આ જીએસટીની 15મી મિટિંગ હતી . તમને જણાવી દઇએ વેપારીઓ સરકારને ક્રેડિટ લિમિટ વધારવાની પણ માંગ કરી રહ્યા છે ." sports,"લંડન , 4 ઑગસ્ટઃ મહેન્દ્ર સિંહ ધોનીએ જેમ્સ એન્ડરસન વિરુદ્ધ લગાવેલા આરોપની બ્રીટિશ મીડિયાએ કડક શબ્દોમાં ટીકા કરી છે અને કહ્યું છેકે , ‘તેમાંથી અવસરવાદ ટપકે છે ' અને આ ઝડપી બોલરનું દોષમુક્ત હોવું ભારત માટે ‘અપમાનજનક ' છે . ન્યાયિક આયુક્ત ગોર્ડન લુઇસે એન્ડરસન અને રવિન્દ્ર જાડેજાને દોષ મુક્ત જાહેર કર્યા હતા . ડેલી ટેલીગ્રાફે તેના પર શીર્ષક આપ્યું છે , ‘ઇંગ્લેન્ડના જેમ્સ એન્ડરસન દોષમુક્ત થતા ભારતનું અપમાન . ' તેમાં લખવામાં આવ્યું છે , ‘જે નિષ્કર્ષ નિકળ્યું તે ભારત અને એ બન્ને વચ્ચે ટ્રેન્ટ બ્રિઝના ઝઘડા બાદ તપાસની જીદ કરનાર તેમના સુકાની મહેન્દ્ર સિંહ ધોનીનું અપમાન છે . ' સમાચારપત્રે લખ્યું છેકે , આ ભારતની જૂની ઘટનાઓના કારણે એન્ડરસન સાથે બદલો લેવાની રણનીતિ હતી . તેમાં લખવામાં આવ્યું છેકે , આ ક્રિકેટની પ્રમુખ શક્તિ માટે કઠોર નિર્ણય છે . ભારતીય ખેલાડીઓનું માનવું હતું કે , એન્ડરસનનો અશિષ્ટ અપશબ્દોનો ઉપયોગ અસ્વીકાર્ય ઠરશે અને તેની સ્વીકારોક્તિથી સંભવતઃ આ કેસ નબળો પડ્યો , જે બોલરને તેની ગત અશિષ્ટતા માટે ફંસાવવાની અવસરવાદિતા છે . એક અન્ય દૈનિક ડેઇલી મેઇલમાં પણ ભારતીય ટીમનો મજાક ઉડાડવામાં આવ્યો છે . તેમાં ડેવિડ લાયડે લખ્યું છેકે , એ કેટલો મોટો મજાક હતો . આ એ સ્થતિમાં નહોતો પહોંચવો જોઇતો , જ્યાં અદાલતના કોઇ ગંભીર મામલાની જેમ તેમાં વકીલ , બચાવપક્ષ અને સાક્ષી સામેલ હોય . આ ફ્રેડ કાર્નોના સર્કસ જેવું હતું . સમાચાર પત્ર ગાર્ડિયને ધોનીની ટીકા કરી હતી . તો ચાલો તસવીરો થકી જાણીએ એન્ડરસન અને જાડેજાના એ ટૂ ઝેડ વિવાદને ." sports,"સુરેશ રૈનાની તોફાની અડધી સદી અને મોહિત શર્માની શાનદાર બોલિંગના જોરે ચેન્નાઇ સુપર કિંગ્સે ચેમ્પિયન્સ લીગ ટી20ની ગ્રુપ એ મેચમાં દક્ષિણ આફ્રિકાની નાશુઆ ડોલ્ફિંસને 54 રને આસાન પરાજય આપ્યો છે . સુપરકિંગ્સે રૈના ( 43 બોલમાં 90 રન ) અને બ્રેંડન મેક્કુલમ ( 29 બોલમાં 49 ન ) ની મદદથી છ વિકેટ ગુમાવીને 242 રન બનાવ્યા હતા . જેના જવાબમાં ડોલ્ફિંસ 188 રન જ બનાવી શક્યું હતું . અત્રે ઉલ્લેખનીય છેકે , ચેન્નાઇ સુપર કિંગ્સે 242 રન બનાવીને ટૂર્નામેન્ટના ઇતિહાસના સર્વાધિક સ્કોરની બરોબરી કરી લીધી છે . ન્યુઝીલેન્ડની ઓટૈગોએ પણ આ પહેલા ગયા વર્ષે 25 સપ્ટેમ્બરના રોજ જયપુરમાં પર્થ સ્કોરચર્સ વિરુદ્ધ ચાર વિકેટ ગુમાવીને 242 રન બનાવ્યા હતા . આ મેચ દરમિયાન સુરેશ રૈનાએ ટી20 ક્રિકેટની એક સિદ્ધિ પોતાના નામે કરી દીધી છે . તે ટી20ની તમામ મેચોમાં 5000 કે તેથી વધુ રન બનાવનાર વિશ્વનો સાતમો બેટ્સમેન બની ગયો છે . તો ચાલો તસવીરો થકી જાણીએ કે તેના પહેલા કોણ કોણ આ સિદ્ધિ હાંસલ કરી ચૂક્યા છે . આ ઉપરાંત રૈનાએ કઇ કઇ સિદ્ધિ પોતાના નામે કરી છે એ જાણીએ . વિશ્વકપમાં રન ચેઝ કરતી વખતે રમાયેલી શાનદાર ઇનિંગ્સ જૂનિયર તેંડુલકરની ધમાલ , 42 બોલમાં બનાવ્યા 118 રન બેટ્સમેનો ઓઢશે ‘ભયની ચાદર ' આવી રહ્યો છે અદ્ભૂત ભારતીય બોલર" entertainment,"અમિષા પોતાની ખરાબ બાબતોથી વધુ ચર્ચામાં રહે છે . પોતાના અપકમિંગ મૂવી ભૈયાજી સુપરહિટના સેટ પર અમિષા ગુસ્સે ભરાઇ ગઇ હતી . અમિષા પટેલ તેની આવનારી ફિલ્મ ભૈયાજી સુપરહિટ નું પ્રોમોશન કરી રહી હતી . વાત આમ બની હતી કે સની દેઓલ , પ્રીતિ ઝિન્ટા અને અમિષા પટેલની આવનારી ફિલ્મ ભૈયાજી સુપરહિટનું પ્રોમોશન કરવામાં આવ્યું . મીડિયા પણ તેના માટે આવ્યું . પરંતુ કોઈ પણ સ્ટારને ખબર જ ના હતી કે ફિલ્મનું પ્રોમોશન રાખવામાં આવ્યું છે . મીડિયાને જોઈને પ્રીતિ ઝિન્ટા એ વાત કરવાની ના પાડી દીધી . હવે પ્રીતિ આવું કરે તો અમિષા પટેલ પણ પાછી થોડી રહી શકે . અમિષા પટેલે મીડિયાને કહ્યું કે તેને "" અમિષા જી "" કહીને બોલાવવામાં આવે . આટલું ઓછું હોઈ તેમ જયારે રિપોર્ટરે તેને પૂછ્યું કે છેલ્લા 3 વર્ષથી તેઓ ક્યાં ગાયબ હતા . તેના જવાબમાં અમિષા પટેલે કહ્યું કે તમારામાં એટલી અક્કલ હોઈ તો તમને ખબર પડે કે હું પોતાની હોમ પ્રોડક્શનમાં વ્યસ્ત હતી . ખેર હવે અમિષા પટેલનો ગુસ્સો તો બધાને જ ખબર પડી જ ગયો છે . તો હવે જોવાનું એ છે કે ફિલ્મ પાર તેની શુ અસર પડે છે . ." entertainment,"મુંબઈ , 26 સપ્ટેમ્બર : હીરોઇનની નિષ્ફળતાને એક બાજુએ મુકી દઇએ , તો કરીના કપૂરનું જીવન તેમજ કરિયર ઘણાં સફળ રહ્યાં છે . ટુંકમાં જ કરીના બૉલીવુડના છોટે નવાબ સૈફ અલી ખાન સાથે લગ્ન કરી પોતાના જીવનનું એક મોટુ પગલું ભરવા જઈ રહી છે . સંજય લીલા ભાનુશાળીની ફિલ્મ રામ લીલા છોડ્યા બાદ પણ કરીનાને આજે તે વાતનો કોઈ અફસોસ નથી , કારણ કે તેની પાસે બીજી ઘણી અને સારી ફિલ્મો તેમજ મોટા પ્રોજેક્ટો છે . તાજેતરમાં જ કરીના કપૂરે ફિલ્મફેર મેગેઝીનનો સપ્ટેમ્બર 2012 ઈશ્યુ રિલીઝ કર્યો છે . આ તસવીર જુઓ . આ તસવીર કરનાની તેવી તસવીરોમાંની એક છે , જે કરીનાએ ફિલ્મફેર મેગેઝીન માટે ફોટોશુટ કરતાં પડાવી હતી . આ તસવીરમાં બ્લેક કલરના ડ્રેસમાં કરીના બહુ જ હૉટ અને સેક્સી લાગે છે . સાથે જ કરીનાની અદાઓ તેમજ તેના ચહેરાએ ઉપસતા આ ભાવો હકીકતમાં કોઈનું પણ હેયુ ચોરી જાય . હવે આને ખૂબસૂરતી નહીં તો શું કહેશો ? પરંતુ હવે આ ખૂબસૂરતી કોઈની પ્રાઇવેટ પ્રૉપર્ટી થવા જઈ રહી છે . જરા સંભાળીને જોજો . ખેર , કરીના ઉપરથી નજરો હટાવી જરા પાછળ બેડ પર બેભાન સુઈ રહેલા હેન્ડસમ છોકરા ઉપર દૃષ્ટિપાત કરો અને ગેસ કરવાની કોશિશ કરો કે આ કોણ છે જે બેબો સાથે તેના બેડ ઉપર છે ? અમે તો ઘણા પ્રયત્નો કર્યાં . ક્યારેક લાગે છે કે આ કોઈ એક્ટ છે , તો ક્યારેક કોઈક મૉડેલ લાગે છે . પરંતુ આ છે કોણ ? બેબો હવે જ્યારે તમારા લગ્ન થવાના છે અને તમે કોઈકના બેગમ બનનાર છો , તો પછી આવી રીતે તસવીરો પડાવવી શું પટૌડી ખાનદાની વહુને શોભે છે ? જરા પોતાની સાસુ શર્મિલા ટાગોર પાસેથી શીખો કે કઈ રીતે પટૌડી ખાનદાનના નામને આજ સુધી તેમણે કોઈ સવાલ ઊભો થવા દીધો નથી ." entertainment,"મુંબઈની એક અદાલતે સોમવારે 2002ના હિટ એન્ડ રન કેસમાં મજિસ્ટ્રેટના ચુકાદાની વિરુદ્ધ સલમાન ખાન દ્વારા દાખલ કરાયેલ અરજી ઉપર ચુકાદો 24મી જૂન સુધી સ્થગિત કરી દીધો છે . બૉલીવુડના દબંગ સલમાન ખાન માટે આજનો દિવસ કદાચ મુશ્કેલી ભર્યો હોત , પરંતુ મુંબઈમાં વરસાદના પગલે હાલ સલમાન ખાનની અરજી ઉપર ચુકાદો 24મી જૂન સુધી ટાળી દેવાયો છે . 2002ના હિટ એન્ડ રન કેસમાં મુંબઈની સત્ર અદાલત સલમાન ખાનની મજિસ્ટ્રેટ અદાલતના ચુકાદા વિરુદ્ધ દાખલ અપીલ ઉપર ચુકાદો સંભળાવવાની હતી . મજિસ્ટ્રેટ અદાલતે વર્ષ 2002ના હિટ એન્ડ રન કેસ અંગે સલમાન ખાન વિરુદ્ધ ગેરઇરાદાપૂર્વક હત્યાના કેસમાં પુનઃ કેસ ચલાવવાનો આદેશ આપ્યો હતે . તે પછી ન્યાયાધીશ યૂ . બી . હેઝીબે એક માસ અગાઉ આ કેસમાં તમામ દલીલો પૂર્ણ થયા બાદ અપીલ ઉપર ચુકાદો સંભળાવવા માટે 10 જૂનની તારીખ નક્કી કરી હતી . ભારતીય દંડ સંહિતા એટલે કે આઈપીસીની કલમ 304 મુજબ સલમાન ખાન સામે ગેરઇરાદાપૂર્વક હત્યાનો કેસ ચાલી રહ્યો છે . ગંભીર આરોપની વિરુદ્ધ દલીલ આપતા સલમાનના વકીલે દલીલ કરી હતી કે મજિસ્ટ્રેટ અદાલતનો આદેશ કાયદેસર રીતે ખોટો અને રેકૉર્ડમાં નોંધાયેલ સાક્ષ્યની વિરુદ્ધ છે . તેમણે જણાવ્યું હતું કે મજિસ્ટ્રેટ આ વાતને સમજવામાં નિષ્ફળ રહ્યાં કે અભિનેતાનો ન તો ફુટપાથ પર સૂતા લોકોની હત્યાનો ઇરાદો હતો અને ન તો તેમને આ બાબતની માહિતી હતી કે બેદરકારીપૂર્વક ગાડી ચલાવવાથી એક વ્યક્તિનું મોત થઈ જશે અને ચાર જણાને ઈજા થશે ." business,"મુંબઇ , 21 જૂનઃ જ્યારે પણ કાળા નાણાંની વાત આવે છે , ત્યારે દરેક વ્યક્તિના મોઢા પર એક જ વાત સાંભળવા મળે છે , ' પૈસા સ્વિસ બેન્ક પહોંચી ગયા હશે . ' દરરોજ વધતા ગોટાળાને જોઇને તમે જો એમ વિચારી રહ્યાં છો તો સ્વિસ બેન્કમાં ભારતીયોના નાણાં સતત વધી રહ્યાં છે , તો તમારી આ ખોટી સમજને અમે દૂર કરવા માગીએ છીએ . સાચુ તો એ છે કે ભારતીયના નાણાં વધી રહ્યાં નથી પરંતુ ઘટી રહ્યાં છે . છેલ્લા છ વર્ષોના આંકડા જોવામાં આવે તો અંદાજે 78 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે . સ્વિસ બેન્કમાં જમા ભારતીય નાણાં પર એક રિપોર્ટ જારી કરવામાં આવી છે , જે અનુસાર 2012માં સ્વિસ બેન્કમાં જમા ભારતીયોનું ધન 9000 કરોડ રૂપિયા થઇ ગયું છે . જ્યારે 2006માં આ રકમ 41400 કરોડ રૂપિયા હતી . જે 2002માં 18800 કરોડ હતી . 2007માં ઘટાડાનો દોર શરૂ થઇ ગયો . ઘટાડાના કારણે 2007માં ધન ઘટીને 27500 થઇ ગયું ." business,"ટેક મહિન્દ્રાના કાર્યકારી ઉપાધ્યક્ષ વિનિત નાયરે આ બાબતની જાહેરાત કરતા જણાવ્યું કે બંને કંપનીના અધિકારીઓની ટીમોએ છેલ્લા 4 વર્ષથી આ માટે પ્રયાસો કર્યા છે અને આ બાબત માટે આધાર તૈયાર કર્યો છે . આ વિલીનીકરણમાં અમારા શેર હોલ્ડર્સના હિતોનું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવ્યું છે . ટેક મહિન્દ્રા અને મહિન્દ્રા સત્યમના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સે 21 માર્ચ , 2013ના રોજ આ વિલીનીકરણને મંજૂરી આપી દીધી હતી . મુંબઇ હાઇકોર્ટમાંથી આ માટેની મંજૂરી મળ્યા બાદ , આ વિલીનીકરણને આંધ્ર પ્રદેશની હાઇકોર્ટ તરફથી મંજૂરી મળવાનો ઇન્તેજાર હતો . આંધ્ર હાઇકોર્ટે આ માટે 11 જૂને મંજૂરી આપી દીધી હતી . આ વિલીનીકરણની જાહેરાત કરતા સમયે નાયરે એમ પણ જણાવ્યું કે મિલિંદ કુલકર્ણી આ જોઇન્ટ વેન્ચરના મુખ્ય નાણાકીય અધિકારી હશે . ટેક મહિન્દ્રાના જનરલ મેનેજરસી પી ગુરનાનીએ જણાવ્યું કે અમે ટેલિકોમ અને વિનિર્માંણ ક્ષેત્રે ધ્યાન રાખીશું . મુંબઇમાં હેડક્વાર્ટર ધરાવતી કંપનીમાં 84,000 કર્મચારીઓ હશે . જેઓ 46 દેશોમાં પોતાના 540 ગ્રાહકોને વિવિધ સેવાઓ પૂરી પાડશે . કંપનીની વાર્ષિક આવક 2.7 અબજ ડોલર છે ." entertainment,"ટીવી એક્ટ્રેસ પ્રત્યુષા બેનર્જીના સુસાઇડ કેસમાંથી હજી લોકો બહાર નથી નીકળી શક્યા ત્યાં જ બોલીવૂડ અને હવે હોલીવૂડની પણ જાણીતી અભિનેત્રી પ્રિયંકા ચોપડાએ બે વાર આત્મહત્યા કરવાની કોશિષ કરી હતી તેવો ધટસ્ફોટ પ્રિયંકા ચોપડાના એક્સ મેનેજર પ્રકાશ રાજૂએ કર્યો છે . ટ્વિટર પર પ્રકાશ રાજૂએ ટ્વિટ શેયર કર્યા છે . જેમાં તેમણે આ અંગે ચોંકવનારા ખુલાસા કર્યા છે . નોંધનીય છે કે તે વાત જગજાહેર હતી કે પ્રિયંકા ચોપડા અને તેના એક્સ મેનેજર પ્રકાશ જાજૂ વચ્ચે હંમેશાથી કડવા સંબંધો રહ્યા છે . વળી આ પહેલા પણ કેટલીક વાર પ્રિયંકા ચોપડા તેનો ગુસ્સો આ વાત પર નીકાળી ચૂકી છે . એટલું જ નહીં પ્રકાશે પોતાના ટ્વિટરમાં સલમાનથી લઇને શાહરૂખ ખાન , કરીના કપૂર , કેટરીના કૈફ અને દિપીકા પાદુકોણનું નામોનો પણ ઉલ્લેખ કર્યો છે . પ્રકાશે કહ્યું છે કે બોલીવૂડની દુનિયા જેટલી બહારની આકર્ષક લાગે છે તેવી બિલકુલ પણ નથી . ત્યારે પ્રકાશે આ મામલે કેવા કેવા ખુલાસા કર્યો છે તે વિષે જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં . . ." sports,"ટીમ ઇંડિયાના કેપ્ટન કૂલ મહેન્દ્રસિંહ ધોનીએ ભારતીય ક્રિકેટને એ ઉંચાઇએ પહોંચાડ્યુ છે કે જ્યાં તે પહેલા ક્યારેય પહોંચ્યુ નથી , તેમણે પોતાની જબરદસ્ત લીડિંગ ક્ષમતા દ્વારા ટીમનુ લાંબા સમય સુધી નેતૃત્વ કર્યુ છે . કેપ્ટન ધોનીની ક્રિકેટ પીચ સુધીની સફર ઘણી મુશ્કેલ રહી છે અને આ સફરને જ મોટા પડદા પર હાલમાં જ એમએસ ધોની ફિલ્મમાં બતાવાઇ છે . પરંતુ ધોનીના જીવનની એવી ઘણી વાતો છે જે તમે કદાચ જાણતા નહિ હોય . એક ટીવી પ્રોગ્રામમાં ધોનીએ પોતાના વિશેની તમામ રસપ્રદ વાતોને લોકો સાથે શેર કરી . કેવી રીતે ખરાબ થયુ ધોનીનું ગણિત ધોની કહે છે કે છઠ્ઠા ધોરણ સુધી મારુ ગણિત સારુ હતુ , પરંતુ પછી ભૂમિતિ આવ્યુ અને હુ નબળો પડી ગયો . વળી અન્ય વિષયો માટે ધોનીએ કહ્યુ કે ઇતિહાસ મને સમજમાં આવતો નહિ કે અકબર આ સમયે આવ્યો હતો , કેમ આવ્યો હતો , મને ખબર કંઇ ખબર નહોતી પડતી , ઇતિહાસમાં બહુ વાચવુ પડતુ હતુ . હિન્દીનો ક્લાસ કરતા હતા બંક ધોની કહે છે કે હિન્દીના શિક્ષક તેને ઓછા માર્કસ આપતા હતા . તેઓ કહે છે કે હિન્દીનો ક્લાસ છેલ્લે હોય અને હુ હંમેશા એ ક્લાસ બંક કરી દેતો . ધોની કહે છે કે એક દિવસ જ્યારે મારી બહેન જયંતી ટીચર પાસે ગઇ તો તેમણે તેને કહ્યું કે તારો ભાઇ હિન્દીના ક્લાસમાં બહુ ઓછો દેખાય છે . ક્યાં જવા ઇચ્છે છે ટાઇમ મશીનથી ધોની કહે છે કે જો ટાઇમ મશીન હોત તો હુ પાછો સ્કૂલના દિવસોમાં જવા ઇચ્છીશ , તેઓ જણાવે છે કે તે એ સમય હતો જેને હું ક્યારેય નહિ ભૂલી શકુ . મે ક્યારેય નહોતુ વિચાર્યુ કે ટીમ ઇંડિયા માટે રમીશ ધોની કહે છે કે તે જ્યારે રાંચીમાં રમતાં ત્યારે એમણે ક્યારેય વિચાર્યુ નહોતુ કે તે ટીમ ઇંડિયા માટે રમશે . તે જણાવે છે કે સાતમાં ધોરણથી જ તેઓ સતત ક્રિકેટ રમતા હતા . એ વખતે ક્યારેય વિચાર્યુ નહોતુ કે ક્રિકેટ મારુ પ્રોફેશન હશે , ટીમ ઇંડિયા માટે રમવાની વાત વિચારવી તો બહુ દૂરની વાત હતી . રાંચીમાં પોતાના ક્રિકેટના દિવસો વિશે જણાવતા ધોની કહે છે કે એ વખતે તે જે ટીમની પણ સામે રમતા તેની સામે જીતવાના ઇરાદાથી જ તે મેદાનમાં ઉતરતા . અમુક લોકો કહેતા કે તુ એક દિવસ ટીમ ઇંડિયા માટે જરુર રમીશ . સચિનને જોવા માટે રહેતા હતા આતુર ધોની સચિનના બહુ મોટા ફેન હતા , તે જણાવે છે કે જ્યારે હુ નાનો હતો ત્યારે સચિને ડેબ્યૂ કર્યુ હતુ , મે પપ્પાને કહ્યું હતુ કે જ્યારે સચિન બેટિંગ કરવા આવે તો મને જગાડી દેજો . હું તેમને જોવા માંગતો હતો . સચિન જેવા આઉટ થતા કે હું સૂઇ જતો . તેઓ હંમેશા મારા માટે સાચી પ્રેરણા હતા . પરિવારનો મળ્યો સહયોગ ધોની જણાવે છે કે તેમને કોઇ પણ રમત રમવા માટે રોકવામાં આવ્યો નથી . સાંજે 4 - 6 વચ્ચે કોઇ પણ રમત રમવાની મંજૂરી હતી . મારા ઘરના લોકોએ મને ક્યારેય પણ નિરુત્સાહ કર્યો નથી . હું ક્યારેય જૂઠ બોલતો નથી એનો અર્થ એ નહિ કે હું હંમેશા સાચુ જ બોલુ છું ધોની જણાવે છે કે હું ક્યારેય જૂઠ બોલતો નથી એનો અર્થ એ નહિ કે હું હંમેશા સાચુ જ બોલુ છું . હું જૂઠ બોલવાના બદલે ચૂપ રહેવાનુ પસંદ કરુ છું . મારા જીવનના અમુક નિયમો છે જેને હું પાળવાનુ પસંદ કરુ છું . હું ઇચ્છુ છુ કે જ્યારે હું ક્રિકેટ ના રમુ ત્યારે લોકો મને સારા માણસ તરીકે ઓળખે . તે ઇચ્છે છે કે લોકો તેમને સારા ખેલાડી કરતા સારા માણસ તરીકે યાદ રાખે . ધોનીના ફેવરેટ કલાકાર ધોની જણાવે છે કે 1 થી લઇને 10 સુધી તેમને અમિતાભ બચ્ચન પસંદ છે . તેમના ડાયલૉગ તેમને ઘણી ફિલ્મોમાં ખૂબ પસંદ છે . અમિતજી આજે પણ લોકોને પોતાના કામથી પ્રેરિત કરે છે . ફિલ્મોમાં આવશે કે નહિ બૉલીવુડમાં આવવાના સવાલ પર ધોની જણાવે છે કે ફિલ્મોમાં તમારે સ્ક્રીપ્ટ પ્રમાણે કામ કરવાનુ હોય છે એવામાં ફિલ્મોમાં કામ કરવુ મુશ્કેલ છે . હું તેનાથી દૂર જ રહેવા માંગીશ . આ ગાયકો છે ધોનીની પસંદ ધોનીને જૂના ગીતો બહુ ગમે છે , તે જણાવે છે કે જૂના ગીતો અર્થસભર હોય છે . તેઓ જણાવે છે કે કિશોર કુમાર અને મુકેશ બહુ ગમે છે . બપોરે 2.30 વાગે ઉઠે છે ધોની ધોની કહે છે કે તેમને મેચ પહેલા જલ્દી ઉઠવાનું પસંદ નથી કારણકે આમ કરવાથી તેને ઘણા સમય સુધી વિચારવુ પડે છે . એટલે જ ટેસ્ટ મેચ હોય તો હું સવારે 8.30 વાગે અને જો ટી - 20 મેચ હોય તો હું 2.30 વાગે ઉઠુ છું . આ દરમિયાન હું એક કલાક પ્લે સ્ટેશન પણ રમુ છુ . ધોની પાસે છે 35 ગાડીઓ ધોની જણાવે છે કે તેમની પાસે કુલ 35 ગાડીઓ છે , બધી બે પૈડાવાળી છે . જેમાં 20 - 25 ગાડીઓ જૂના મૉડેલની છે . તેઓ જણાવે છે કે તેમને ગાડી ઝડપથી ચલાવવાનુ પસંદ નથી . ધોની પાસે 2 સ્ટ્રોક બાઇક પણ છે જે 350 સીસીની છે , એવામાં તે જ્યારે આ બાઇક પર હેલમેટ પહેરીને નીકળે છે તો કોઇ તેમને ઓળખી પણ શકતુ નથી ." entertainment,"કોઈ પણ ફિલ્મ ગીતો વગર અધૂરી હોય છે . ફિલ્મોમાં ગીત હોવા એક સામાન્ય બાબત છે . એક સમયે ફિલ્મોમાં પ્રેમ , મૈત્રી અને પ્રવાસ જેવા પર આધારિત ગીતો હોતા હતાં . સમય પસાર થતા આજે જમાનો આયટમ સૉંગ્સનો આવ્યો છે . આજકાલ મોટાભાગની ફિલ્મોમાં આયટમ સૉંગ ઉમેરી ફિલ્મ પ્રત્યે દર્શકોને આકર્ષવાના પ્રયત્નો કરાય છે . તેમાં પણ એક સમયે આયટમ સૉંગ માટે મૂળ કાસ્ટ બહારના કલાકારોને લેવાતા હતાં , પરંતુ આજકાલ અભિનેત્રીઓ જ આયટમ સૉંગ કરવા લાગી છે . કૅટરીના કૈફથી લઈ કરીના કપૂર સુધી ઘણી અભિનેત્રીઓએ આયટમ સૉંગ કરી ધૂમ મચાવી છે . ચાલો તસવીરો સાથે આપને બતાવીએ બોલ્ડ ડાન્સ સ્ટેપ્સ સાથેના શૉકિંગ આયટમ સૉંગ્સ :" sports,"લંડન , 18 જૂનઃ શ્રીલંકાના પૂર્વ સુકાની અને સૌથી અનુભવી બેટ્સમેન મહિલા જયવર્દનેએ વનડે ક્રિકેટમાં 11 હજાર રન પૂરા કરીને શાનદાર ઉપાધી હાસલ કરી લીધી છે . આ ઉપલબ્ધી હાસલ કરનાર તે શ્રીલંકાનો ત્રીજો અને વિશ્વનો આઠમો બેટ્સમેન છે . મહિલા જયવર્દને આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ગ્રુપ - એની મેચમાં પોતાની અણનમ 84 રનની ઇનિંગમાં 62 રન પર પહોંચ્યો હતો , ત્યારે જ તેણે આ સિદ્ધિ હાંસલ કરી લીધી હતી . તેમે 394 મેચ રમીને 11 હજાર રનનો આંક પાર કર્યો છે . મહિલા જયવર્દને ટેસ્ટ ક્રિકેટમાં પણ 10 હજાર રન પૂરા કરી ચૂક્યો છે . તેના ખાતામાં 138 ટેસ્ટમાં 10806 રન છે . આ રીતે જયવર્દનેએ ટેસ્ટમાં 10 હજાર અને વનડેમાં 11 હજાર રન પૂરા કરી લીધા છે . 1998માં પોતાની વનડે કારકિર્દી શરૂ કરનાર મહિલા જયવર્દનેએ 394 મેચોમાં 33.40ની એવરેજથી 11022 રન બનાવ્યા છે . જેમાં 15 સદી અને 69 અડધી સદી છે . તો ચાલો તસવીરોના માધ્યમથી જાણીએ મહિલા જયવર્દને ઉપરાંત કયા કયા ખેલાડી 11 હજાર ક્લબમાં સામેલ છે . ઉલ્લેખનીય છે કે , રાહુલ દ્રવિડ અને બ્રાયન લારાએ વનડે ક્રિકેટમાં 10 હજારથી વધુ રન નોંધાવ્યા છે , પરંતુ તેઓ 11 હજારના આંકને પાર કરી શક્યા નથી ." entertainment,અજય દેવગણની ફિલ્મ શિવાય 28 ઓક્ટોબરના રોજ રિલિઝ થવાની છે . અજય દેવગણના તમામ ફેન્સ તો આ ફિલ્મની રાહ જોઇ જ રહ્યા છે . સાથે જ ફિલ્મ જાણકારો પણ આ ફિલ્મને લઇને ભારે આશાસ્પદ છે . ત્યારે તેવી તો કંઇ ખાસ વાતો છે આ ફિલ્મની જે માટે તમારે આ ફિલ્મ ફસ્ટ ડે ફસ્ટ શો જોવી જ જોઇએ . જાણો અહીં . . . ઐશ્વર્યા - રણબીરના 6 નવા ફોટો વાયરલ . કેમ જરુર પડી આ ફોટોશૂટની આ ફિલ્મની રિલિઝને હવે સાત દિવસની જ વાર છે . પહેલા જ અમે તમને તેવા 7 ખાસ કારણો જણાવી રહ્યા છીએ . જે આ ફિલ્મને બનાવી રહ્યા છે મસ્ટવોચ ! જો કે શિવાય સુપર હિટ રહેશે તેની શક્યતા તો વધારે જ છે . ત્યારે તેને ફસ્ટ ડે ફસ્ટ શો હિટ કરવા પાછળ કયા કારણો જવાબદાર છે . વાંચો અહીં . . . business,"દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ તેના ગ્રાહકોને એલર્ટ કર્યા છે . બેંકે તેના ગ્રાહકોને ઇમેઇલ દ્વારા છેતરપિંડીથી બચવાની સલાહ આપી છે . તાજેતરમાં , બેંકે તેના ગ્રાહકોને ઇએમવી ચિપ વાળા ડેબિટ કાર્ડ્સ આપ્યા છે . બેંકે આ ઇએમવી ચિપ કાર્ડ્સને વધુ સુરક્ષિત અને સેફ કહ્યું હતું . બેંકોએ દાવો કર્યો હતો કે આ EMV ચિપવાળા એટીએમ કાર્ડ દ્વારા છેતરપિંડી સરળ રહેશે નહીં , પરંતુ તેમના દાવા હવે નકામો સાબિત થાય છે . હવે બેંકો એટીએમ ફ્રોડ વિશે તેમના ગ્રાહકોને સાવધાન કરી રહી છે અને ઇમેઇલ મોકલીને તેમના ગ્રાહકોને સચેત કર્યા છે . બેંકો દ્વારા જારી કરાયેલ ઇએમવી ચિપ ડેબિટ કાર્ડ અથવા ક્રેડિટ કાર્ડ પણ સલામત નથી . મોબાઇલ પર આવેલી લિંક પર ક્લિક કરતા જ , 60000 રૂપિયા બેન્ક ખાતામાંથી નીકળી ગયા , આ રીતે એલર્ટ રહો" sports,"ક્રિકેટના તમામ ફોર્મેટમાં સચિન તેંડુલકરે 50 હજાર રન બનાવ્યા છે . આવું કરનાર તે પહેલો એશિયન ક્રિકેટર છે . સચિન તેંડુલકરે પોતાની કારકિર્દીની અંતિમ ટી20 મેચ ગઇ કાલે ચેમ્પિયન્સ લીગ ટી20 ફાઇનલ દરમિયાન રાજસ્થાન રોયલ્સ સામે રમી છે . જેમાં તેણે કોઇ ખાસ કમાલ દર્શાવી શક્યો નહોતો અને તેણે આ મેચમાં માત્ર 15 રન બનાવ્યા હતા . જો કે , મુંબઇ ઇન્ડિયન્સે મેચ જીતીને સચિનને એક અનોખી ભેટ આપી છે . ક્રિકેટની પીચ પર બેટ વડે અનેક કિર્તિમાન રચનાર સચિન તેંડુલકરની કેટલીક યાદગાર ઇનિંગ્સ અંગે આજે અમે અહીં જણાવી રહ્યાં છે . આ એવી ઇનિંગ્સ હતી , જે દરમિયાન સચિને મેદાન પર જાણે કે આગ લગાવી દીધી હતી . પોતાની માસ્ટર બ્લાસ્ટર ઇનિંગ થકી સચિને વિરોધી ટીમના ખતરનાક બોલર્સની હવા તો કાઢી જ નાખી હતી પણ વિરોધી ટીમોને પણ વિચારતા કરી મુક્યા હતા . તો ચાલો તસવીરો થકી જોઇએ સચિનની કેટલીક યાદગાર ઇનિંગ્સ ." entertainment,"ઓહ માય ગૉડ . બે વરસ અગાઉ એટલે કે સપ્ટેમ્બર - 2012 પહેલા અંગ્રેજીના આ ત્રણ શબ્દો માત્ર આશ્ચર્યજનક ઉદ્ગાર વ્યક્ત કરવા માટે જ વપરાતા હતાં , પરંતુ ઉમેશ શુક્લા દિગ્દર્શિત અને અક્ષય કુમાર તથા પરેશ રાવલ અભિનીત ફિલ્મ આવ્યા બાદ આ ત્રણ શબ્દો અંધવિશ્વાસ વિરુદ્ધ જાગૃતિ જગાવતી ફિલ્મના પર્યાય પણ બની ચુક્યા છે . આપને કદાચ સ્મૃતિમાંથી નિકળી ગયુ હોય , તો યાદ અપાવી દઇએ કે ઓહ માય ગૉડ એટલે કે ઓએમજી ફિલ્મ સપ્ટેમ્બર - 2012માં રિલીઝ થઈ હતી કે જેમાં પરેશ રાવલ લીડ રોલમાં હતાં અને અક્ષય કુમારે આધુનિક કૃષ્ણની ભૂમિકા ભજવી હતી . ઓહ માય ગૉડ ફિલ્મમાં આસ્તિક કાનજી મહેતાનો રોલ પરેશ રાવલે કર્યો હતો કે આજે આપણા અમદાવાદ પૂર્વના સાંસદ પણ છે . ફિલ્મને લઈને કેટલાક સંગઠનો અને લોકોએ વિરોધ કર્યો હતો , પરંતુ એ તમામ વિરોધ થાળે પડી ગયા હતાં અને તેની પાછળનું કારણ હતું ઓહ માય ગૉડની મુખ્ય આધાર શિલા ગીતા . આવતીકાલે જ્યારે ભગવાન કૃષ્ણનો જન્મ દિવસ એટલે કે જન્માષ્ટમી છે , ત્યારે આ પ્રસંગે કૃષ્ણના ‘ખાસ ' ઉપાસકો માટે એક સારા સમાચાર આવી રહ્યા છે . અહીં કૃષ્ણના ખાસ ઉપાસકો એટલા માટે લખાયું છે , કારણ કે કૃષ્ણના કરોડો ઉપાસકો છે , પરંતુ અમારા મુજબ કૃષ્ણની ગીતાના ઉપદેશોને અનુસરનાર ઉપાસક ખાસ ઉપાસક છે અને ઓહ માય ગૉડ ફિલ્મ તેવા ઉપાસકોને જ હજમ થઈ શકે , તેવી ફિલ્મ હતી . આજે ઓહ માય ગૉડની સ્મૃતિ એટલા માટે સાંભરી આવી , કારણ કે મોટા પડદે કાનજી મહેતાની અંધવિશ્વાસ વિરુદ્ધની ઝુંબેશ હવે નાના પડદે એટલે કે ટેલીવિઝન સીરિયલ તરીકે સાકાર થવાની છે . ચાલો સ્લાઇડર વડે બતાવીએ વિગતવાર માહિતી :" sports,"રિયોમાં થનાર ઓલિમ્પિક્સ રમતો માટે ભારતીય હોકી ટીમે પોતાની ટીમનું જાહેરાત કરી દીધી છે . પુરુષ ટીમમાં કપ્તાન તરીકે ગોલકીપર પીઆર શ્રીજેશ અને મહિલા ટીમમાં કપ્તાન સુશીલા ચાનૂ પર પસંદગી ઉતારવામાં આવી છે . નોંધનીય છે કે કપ્તાન રિતુ રાનીને ટીમમાં સામેલ નથી કરવામાં આવી . મહિલા ટીમનું લિસ્ટ ગોલકીપર - સવિતા ફોરવર્ડ - અનુરાધા દેવી થોચમ , પૂનમ રાની , વંદના કટારિયા , પ્રીતિ દુબે , રાની રામપાલ . મિડફિલ્ડર - નવજોત કૌર , મોનિકા , રેણુકા મિંઝ , નિક્કી પ્રધાન . ડિફેન્ડર - સુશીના ચાનૂ ( કપ્તાન ) , દીપ ગ્રેસ એક્કા , દીપીકા ( ઉપ - કપ્તાન ) , નમિતા ટોપ્પો , સુનિતા લકારા સ્ટેન્ડ બાય - રજની અતિમરપુ , એચ લાલરોત ફેલી . પુરુષ હોકી ટીમ ગોલકીપર - પીઆર શ્રીજેશ ( કેપ્ટન ) ફોરવર્ડ - હરમનપ્રીત સિંહ , એસવી સુનીલ ( ઉપકપ્તાન ) , આકાશદીપ સિંહ , રમનદીપ સિંહ , નિક્કિન થિમઇયાહ મિડફિલ્ડર - સરદાર સિંહ , મનપ્રીત સિંહ , એસકે ઉથપ્પા , દેવિંદર વાલમીકિ , ચિંગલેનસાના સિંહ , દાનિશ મુજતબા ડિફેન્ડર - રૂપિન્દર પાલ સિંહ , કોથાજિત સિંહ , સુરેન્દ્ર કુમાર , વીઆર રધુનાથ સ્ટેન્ડ બાય - પ્રદીપ મોર , વિકાસ દાહિયા" entertainment,"શાહરુખ ખાન અને પ્રિયંકા ચોપડા એક ઈતિહાસ છે . શું ઈતિહાસ છે અત્યારે કોઈને ખબર નથી . માત્ર એટલી ખબર છે કે કોઈ તો ઈતિહાસ છે . ચાલો , આ ઈતિહાસના પ્રતાપે જ શાહરુખને પ્રિયંકા વિશે અને પ્રિયંકાને શાહરુખ વિશે પૂછવાની ભૂલ લોકો કરી જ બેસે છે . હવે હાલમાં જ એક રિપોર્ટરે શાહરુખ ખાનને પ્રિયંકા ચોપડાના લગ્ન વિશે પૂછી લીધુ . શાહરુખ ખાન વૉગ એવોર્ડ્ઝ દરમિયાન મીડિયા સાથે વાત કરી રહ્યા હતા અને કોઈએ તેમને પૂછ્યુ કે બોલિવુડમાં લગ્નની સિઝન ચાલી રહી છે . ઘણા લોકો લગ્ન કરી રહ્યા છે જેમ કે પ્રિયંકા ચોપડા . શાહરુખે એ રિપોર્ટરની વાત વચમાં જ કાપી નાખી અને કહ્યુ કે હા હું પણ લગ્ન કરી રહ્યો છુ અને તમને પણ આમંત્રણ મોકલીશ . મહેંદીમાં જરૂર આવજો . બસ શાહરુખ ખાનનું આટલુ કહેવુ અને બધા હસી હસીને લોટપોટ થઈ ગયા . શાહરુખ ખાનની હાજરજવાબીના તો બધા આમ પણ કાયલ છે . કોઈએ તેમને પૂછ્યુ આજકાલ તમે ઈન્સ્ટાગ્રામ પર વીડિયો વગેરે પોસ્ટ કરી રહ્યા છે . તો શાહરુખે કહ્યુ કે હા બધા કહે છે કે મળતા રહો , તો કોશિશ કરુ છુ , શીખી રહ્યો છુ કે તમને લોકોને મળી શકુ રોજ . ફરી કોઈએ પૂછ્યુ કે તમે શાયરી વગેરે પણ પોસ્ટ કરતા રહો છો જેના પર શાહરુખે ખૂબ પ્રેમથી કહ્યુ કે હું તો માત્ર વાતો કહુ છુ , શાયરી આપોઆપ બની જાય છે . પરંતુ એક રિપોર્ટરે એક શેર કહ્યો અને કહ્યુ કે આ તમે લખ્યો હતો . તો શાહરુખે પણ હાજરજવાબીમાં કહ્યુ મે નથી લખ્યો ભાઈ , તુ ખબર નહિ કયા શાહરુખને ફોલો કરી રહ્યો છે ." business,"ઉલ્લેખનીય છે કે ગયા સપ્તાહે શેર માર્કેટમાં 0.05 ટકાની સામાન્ય વૃધ્ધિ નોંધાઇ હતી . જેના કારણે આઇટીસી , એસબીઆઇ અને એચડીએફસી બેંકની માર્કેટ કેપિટલમાં કુલ 10,552 કરોડ રૂપિયાનો વધારો થયો છે . બીજી તરફ ઓએનજીસીનું માર્કેટ કેપિટલ અંદાજે 11,080 રૂપિયા જેટલું ઘટીને 2,39,895 કરોડ રૂપિયા થઇ ગઇ છે . કોલ ઇન્ડિયાની માર્કેટ કેપિટલ 7,864 કરોડ રૂપિયા ઘટીને 2,27,041 કરોડ રૂપિયા થઇ છે . ખાનગી ક્ષેત્રની અન્ય અગ્રણી કંપનીઓ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની માર્કેટ કેપિટલ 4,271 કરોડ રૂપિયા ઘટીને 2,70,716 કરોડ રૂપિયા , ઇન્ફોસિસની માર્કેટ કેપિટલ 3,482 કરોડ રૂપિયા ઘટીને 1,45,510 કરોડ રૂપિયા થઇ છે . ટીસીએસની માર્કેટ કેપિટલ 1,820 કરોડ રૂપિયા ઘટીને 2,53,264 કરોડ રૂપિયા થઇ છે . આ ઉપરાંત આઇસીઆઇસીઆઇ અને એનટીપીસીની માર્કેટ કેપિટલમાં પણ ઘટાડો થયો છે . આઇસીઆઇસીઆઇની માર્કેટ કેપિટલ 922 કરોડ રૂપિયા ઘટીને 1,21,899 કરોડ રૂપિયા જ્યારે એનટીપીસીની માર્કેટ કેપિટલ 659 કરોડ રૂપિયા ઘટીને 1,38,400 કરોડ રૂપિયા થઇ છે ." sports,"pagespeed . lazyLoadImages . overrideAttributeFunctions ( ) ; ( function ( ) { try { var tcptElm = document . createElement ( "" script "" ) ; tcptElm . async = true ; tcptElm . type = "" text / javascript "" ; tcptElm . src = "" https : / / b - s . tercept . com / pixel ? account _ id = TCPT - 1552 "" ; tcptElm . src = tcptElm . src + "" & loc = "" + escape ( document . URL ) + "" & rfr = "" + escape ( document . referrer ) ; var s = document . getElementsByTagName ( "" script "" ) [ 0 ] ; s . parentNode . insertBefore ( tcptElm , s ) ; } catch ( i ) { } } ) ( ) ; આર યા પારના મુકાબલામાં કાંગારૂઓ પર કેરેબિયન દરેક રીતે ભારે પડ્યા . ક્રિસ ગેઇલની તોફાની બેટિંગ દ્વારા વેસ્ટઇન્ડિઝે ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 206 રનનો ઝંગી સ્કોર આપ્યો હતો . જેનો પીછો કરતા ઓસ્ટ્રેલિયાની આખી ટીમ 16.4 ઓવરમાં જ માત્ર 131 રન પર જ ઓલ આઉટ થઇ ગઇ હતી . કાંગારૂઓમાં માત્ર કપ્તાન જયોર્જ બેલેએ શાનદાર 63 રનની પારી રમી હતી જોકે ઓસીનો અન્ય કોઇ ખેલાડી ક્રિઝ પર ટકી શક્યો નહીં . વેસ્ટઇન્ડીઝ તરફથી રવિ રામ પાલે ત્રણ વિકેટ ઝડપી હતી , જ્યારે બદ્રી , સુનીલ નરેન અને કેરોન પોલાર્ડે 2 - 2 વિકેટ ઝડપી હતી . આ પહેલા વેસ્ટઇન્ડિઝે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કરી 20 ઓવરમાં ચાર વિકેટ પર 205 રન બનાવ્યા . જેમાં ક્રિસ ગેઇલે 41 બોલમાં 75 રન ફટકારી દીધા . ઓસીનો કોઇ બોલર કેરેબિયનોને રોકી શક્યો નહીં , અને કેરેબિયને ઝંગી સ્કોર બનાવી દીધો . ઓસી તરફથી કુમીન્સને 2 અને સ્ટાર્ક અને ડોર્થીએ 1 - 1 વિકેટ ઝડપી હતી . pagespeed . lazyLoadImages . overrideAttributeFunctions ( ) ; var tcpt _ loaded = 0 ; googletag . cmd . push ( function ( ) { tcpt _ loaded = ( window . tercept & & window . tercept . init ) ? 1 : 0 ; ( tcpt _ loaded = = 1 ) ? ( window . tercept . init ( 1008496,200 , false ) ) : "" "" ; } ) ; var target _ words = [ ] ; var gptadslots = [ ] ; var url = document . location . href ; var pattern = / \ / ( [ 0 - 9 ] [ a - z ] - _ ) * \ / / g ; var url _ section = url . split ( ' / ' ) ; var number _ pattern = / ^ [ 0 - 9 ] + $ / ; var topic _ pattern = / topic\ / ( . * ) / g ; var search _ pattern = / \ ? q = ( . * ) & / g ; var file _ pattern = / ( . * ) \ . html / i ; var ga _ value = ' ' ; var domain _ varifier = / ( . * ) \ . ( . * ) \ . ( . * ) / g ; var file _ chunk = ' ' ; var value = ' ' ; var topSlot = [ ] , bottomSlot = [ ] ; var viroolSlot ; for ( var i = 1 ; i < url _ section . length ; i + + ) { ga _ value = url _ section [ i ] ; if ( ga _ value . length > 0 ) { if ( ga _ value . match ( topic _ pattern ) ) { target _ words . push ( RegExp . $ 1 ) ; } else if ( ga _ value . match ( file _ pattern ) ) { ga _ value = ga _ value . replace ( ' _ ' , ' - ' ) ; ga _ value = ga _ value . replace ( ' . html ' , ' ' ) ; target _ words . push ( ga _ value ) ; console . log ( "" ga - added value "" + ga _ value ) ; file _ chunk = ga _ value . split ( ' - ' ) ; for ( var x in file _ chunk ) { if ( ! file _ chunk [ x ] . match ( file _ pattern ) ) { target _ words . push ( file _ chunk [ x ] ) ; } } } else if ( ga _ value . match ( search _ pattern ) ) { target _ words . push ( RegExp . $ 1 ) ; } else { if ( url _ section [ i ] . match ( domain _ varifier ) ) { if ( RegExp . $ 1 = = ' www ' ) value = RegExp . $ 2 ; else value = RegExp . $ 1 ; } else value = url _ section [ i ] ; target _ words . push ( value ) ; } } } console . log ( target _ words ) ; try { googletag . cmd . push ( function ( ) { var curr _ url = document . location . href ; if ( curr _ url . indexOf ( "" / news / "" ) > - 1 ) { googletag . pubads ( ) . set ( "" page _ url "" , "" https : / / www . oneindia . com / news / "" ) ; } else if ( curr _ url . indexOf ( "" / movies / "" ) > - 1 ) { googletag . pubads ( ) . set ( "" page _ url "" , "" https : / / www . filmibeat . com / "" ) ; } else if ( curr _ url . indexOf ( "" / nri / "" ) > - 1 ) { googletag . pubads ( ) . set ( "" page _ url "" , "" https : / / www . oneindia . com / news / "" ) ; } else if ( curr _ url . indexOf ( "" / business / "" ) > - 1 ) { googletag . pubads ( ) . set ( "" page _ url "" , "" https : / / www . goodreturns . in / "" ) ; } else if ( curr _ url . indexOf ( "" / sports / "" ) > - 1 ) { googletag . pubads ( ) . set ( "" page _ url "" , "" https : / / www . oneindia . com / news / "" ) ; } else { googletag . pubads ( ) . set ( "" page _ url "" , "" https : / / www . oneindia . com / news / "" ) ; } googletag . defineSlot ( ' / 1008496 / gujarati - top - 728x90 ' , [ [ 728,90 ] , [ 970,90 ] , [ 970,250 ] ] , ' div - gpt - ad - 1384836365243 - 3 ' ) . addService ( googletag . pubads ( ) ) . setTargeting ( ' tcpt ' , ( tcpt _ loaded & & window . tercept . gettcptTarget ( ' / 1008496 / gujarati - top - 728x90 / div - gpt - ad - 1384836365243 - 3 ' , [ [ 728,90 ] , [ 970,90 ] , [ 970,250 ] ] , 1 ) ) | | [ ' TCPT _ NL ' ] ) . setTargeting ( ' tcpt2 ' , ( tcpt _ loaded & & window . tercept . gettcptTarget ( ' / 1008496 / gujarati - top - 728x90 / div - gpt - ad - 1384836365243 - 3 ' , [ [ 728,90 ] , [ 970,90 ] , [ 970,250 ] ] , 2 ) ) | | [ ' TCPT _ NL ' ] ) . setTargeting ( ' tcpt3 ' , ( tcpt _ loaded & & window . tercept . gettcptTarget ( ' / 1008496 / gujarati - top - 728x90 / div - gpt - ad - 1384836365243 - 3 ' , [ [ 728,90 ] , [ 970,90 ] , [ 970,250 ] ] , 3 ) ) | | [ ' TCPT _ NL ' ] ) ; googletag . defineSlot ( ' / 1008496 / gujarati - island - 300x250 ' , [ [ 300,250 ] , [ 300,600 ] ] , ' div - gpt - ad - 1384836365243 - 2 ' ) . addService ( googletag . pubads ( ) ) . setTargeting ( ' tcpt ' , ( tcpt _ loaded & & window . tercept . gettcptTarget ( ' / 1008496 / gujarati - island - 300x250 / div - gpt - ad - 1384836365243 - 2 ' , [ [ 300,250 ] , [ 300,600 ] ] , 1 ) ) | | [ ' TCPT _ NL ' ] ) . setTargeting ( ' tcpt2 ' , ( tcpt _ loaded & & window . tercept . gettcptTarget ( ' / 1008496 / gujarati - island - 300x250 / div - gpt - ad - 1384836365243 - 2 ' , [ [ 300,250 ] , [ 300,600 ] ] , 2 ) ) | | [ ' TCPT _ NL ' ] ) . setTargeting ( ' tcpt3 ' , ( tcpt _ loaded & & window . tercept . gettcptTarget ( ' / 1008496 / gujarati - island - 300x250 / div - gpt - ad - 1384836365243 - 2 ' , [ [ 300,250 ] , [ 300,600 ] ] , 3 ) ) | | [ ' TCPT _ NL ' ] ) ; if ( screen . width > = 1280 ) { googletag . defineSlot ( ' 1008496 / oneindia - inside - gujarati - right - rail ' , [ [ 160,600 ] , [ 120,600 ] , [ 300,250 ] , [ 300,600 ] ] , ' div - gpt - ad - 1433158874614 - 1 ' ) . addService ( googletag . pubads ( ) ) ; } if ( data _ match _ vdo ) { googletag . defineSlot ( ' / 1008496 / Virool - Inline - Video - RP ' , [ 1,1 ] , ' div - gpt - ad - 1542173993327 - 0 ' ) . addService ( googletag . pubads ( ) ) ; } if ( document . getElementById ( ' div - gpt - ad - 1468990096444 - 0 ' ) ) { googletag . defineSlot ( ' / 1008496 / oi - guj - inarticle - 300x250 - 1 ' , [ 300,250 ] , ' div - gpt - ad - 1468990096444 - 0 ' ) . addService ( googletag . pubads ( ) ) ; } if ( document . getElementById ( ' div - gpt - ad - 1468990096444 - 1 ' ) ) { googletag . defineSlot ( ' / 1008496 / oi - guj - inarticle - 300x250 - 2 ' , [ 300,250 ] , ' div - gpt - ad - 1468990096444 - 1 ' ) . addService ( googletag . pubads ( ) ) ; } if ( document . getElementById ( ' div - gpt - ad - 1506054776114 - 0 ' ) ) { googletag . defineSlot ( ' / 1008496 / vuukle - comments - 300x250 ' , [ [ 250,250 ] , [ 300,250 ] , [ 400,250 ] , [ 480,300 ] , [ 728,90 ] , [ 970,90 ] , [ 970,250 ] , [ 600,300 ] , [ 600,338 ] , [ 300,600 ] ] , ' div - gpt - ad - 1506054776114 - 0 ' ) . addService ( googletag . pubads ( ) ) ; } if ( document . getElementById ( ' div - gpt - ad - 1378114593997 - 1 ' ) ) { googletag . defineSlot ( ' / 1008496 / news - inside - page - island - 300x250 ' , [ [ 160,600 ] , [ 120,600 ] , [ 300,250 ] , [ 300,600 ] ] , ' div - gpt - ad - 1378114593997 - 1 ' ) . addService ( googletag . pubads ( ) ) ; } var containerElem = document . getElementById ( ' containerMain ' ) ; if ( containerElem ) { if ( containerElem . hasAttribute ( ' data - adcont _ identity ' ) ) { var oicmscontidentify = containerElem . getAttribute ( ' data - adcont _ identity ' ) ; if ( oicmscontidentify = = "" true "" ) { target _ words . push ( ' oicmscontidentify ' ) ; } } } googletag . pubads ( ) . setTargeting ( "" host "" , location . hostname ) ; googletag . pubads ( ) . setTargeting ( "" curl "" , window . location . href . split ( ' ? ' ) [ 0 ] ) ; window . streamampClientConfig = { targets : { topic : target _ words } } ; window . streamamp . initialize ( true ) ; googletag . pubads ( ) . addEventListener ( ' slotRenderEnded ' , function ( event ) { var slotId = event . slot . getSlotElementId ( ) ; var eachSize = event . slot . getSizes ( ) [ 0 ] [ ' l ' ] + ' x ' + event . slot . getSizes ( ) [ 0 ] [ ' j ' ] ; if ( eachSize = = = ' 300x250 ' ) { if ( event . isEmpty ) { backupAds ( slotId , ' computer ' , 300,250,1 ) ; } } } ) ; } ) ; } catch ( err ) { console . log ( "" article - page - ad : "" + err ) ; } function backupAds ( divId , device , width , height , styleFlag ) { var ad _ frame = document . createElement ( "" iframe "" ) ; ad _ frame . src = "" / common / adaptive / mobi / ads / backup - ad . html ? device = "" + device ; ad _ frame . id = "" google _ ad _ frame "" ; ad _ frame . scrolling = "" no "" ; ad _ frame . width = width + "" px "" ; ad _ frame . height = height + "" px "" ; ad _ frame . style . border = "" none "" ; if ( styleFlag = = 1 ) { ad _ frame . style . float = "" left "" ; } var refnode = document . getElementById ( divId ) ; document . getElementById ( divId ) . innerHTML = ' ' ; document . getElementById ( divId ) . style . display = ' block ' ; document . getElementById ( divId ) . appendChild ( ad _ frame ) ; }" entertainment,"બોલિવૂડ થી અલગ ટીવી સ્ટારડમ અને સુપરસ્ટાર મામલે ખુબ જ અલગ છે . ટીવીની દુનિયા કોઈ પણ સ્ટારને રાતોરાત લોકપ્રિયતાની ઉંચાઈ પર પહોંચાડી શકે છે . છોટી બહુ અને હાલમાં કિન્નર બહુ નામથી લોકપ્રિય રૂબીના દિલાયક સાથે આવો જ કંઈક સ્ટારડમ જોવા મળી રહ્યો છે . જ્યાં ટીવી પર રૂબીના સંસ્કારી બહુની ભૂમિકા નિભાવી રહી છે , ત્યાં જ રિયલ લાઈફમાં રૂબીના તેના ગ્લેમરસ બોલ્ડ લૂકને કારણે ઘણી લોકપ્રિય થઇ રહી છે . એટલું જ નહીં પરંતુ તેમને વર્ષ 2017 માં ઇસ્ટર્ન આઈ મેગેજીન ઘ્વારા જાહેર કરવામાં આવેલી એશિયાની ટોપ 50 સેક્સી વુમનની લિસ્ટમાં 10 નંબર પર રાખવામાં આવી છે . 18 વર્ષની ઉંમરમાં આ સ્ટાર કિડ ધમાલ મચાવી રહી છે , ફોટો વાયરલ હાલમાં રૂબીના પોતાની ફોટોને લઈને ચર્ચામાં છે . તેની ફોટો સોશ્યિલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહી છે . આપને જણાવી દઈએ કે રૂબીના ટીવીની સૌથી ગ્લેમરસ અભિનેત્રીમાં આવે છે . હોટનેસ મામલે રૂબીનાનું નામ સૌથી પહેલા આવે છે . રૂબીનાએ પોતાના કરિયરની શરૂઆત છોટી બહુ શૉ ઘ્વારા કરી હતી . રીલ લાઈફમાં ભલે રૂબીના તમને સંસ્કારી બહુ રોલમાં દેખાય છે . પરંતુ અસલી જીવનમાં રૂબીના એક ગ્લેમરસ અભિનેત્રી છે . તે સોશ્યિલ મીડિયા પર ઘણીવાર પોતાની બોલ્ડ તસવીરો પોસ્ટ કરી ચુકી છે . બાળકોના કાર્યક્રમમાં કંઈક આવા કપડાં પહેરીને ગયી હિના ખાન" business,દેશમાં એક તરફ જ્યાં રૂપિયો નબળો પડી રહ્યો છે તો બીજી તરફ તેલના ભાવો વધતા જઈ રહ્યા છે . ડૉલરના મુકાબલે નબળા પડી રહેલા રૂપિયા અંગે નાણાંમંત્રી અરુણ જેટલી કહ્યુ છે કે ડૉલર દુનિયાના દરેક દેશોની મુદ્રાની સરખામણી મજબૂત થયો છે . તેમણે કહ્યુ કે આપણો રૂપિયો નબળો નથી થયો પરંતુ ડૉલર મજબૂત થઈ ગયો છે . તેમણે પેટ્રોલ - ડિઝલના વધતા ભાવો પર સ્પષ્ટતા આપતા કહ્યુ કે વૈશ્વિક સ્તર પર વધતા તેલના ભાવોના કારણે દેશમાં પેટ્રોલ - ડિઝલના ભાવોમાં વધારો થઈ રહ્યો છે . તેમણે કહ્યુ કે આનાથી ગભરાવવાની જરૂર નથી કારણકે તેલના ભાવોમાં વૈશ્વિક સ્તર મુજબ વધઘટ થાય છે . ટૂંક સમયમાં તેમાં ઘટાડો થશે . કેન્દ્રીય કેબિનેટની બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન નાણાંમંત્રી જેટલીએ કહ્યુ કે ડૉલર દુનિયાના દરેક મુદ્રાથી મજબૂત થઈ રહ્યો છે . રૂપિયો નબળો નહિ પરંતુ સતત મજબૂત થયો છે . અન્ય દેશોની મુદ્રાઓની સરખામણીએ ગયા 4 - 5 વર્ષમાં રૂપિયો સારી સ્થિતિમાં છે પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી ડૉલરમાં તેજી આવી રહી છે . જનધન યોજના હેઠળ ખોલવામાં આવેલા ખાતાઓ અંગે નાણાંમંત્રી અરુણ જેટલીએ કહ્યુ કે આ દુનિયાની સૌથી મોટી બેંકિંગ યોજના છે . તેમણે જનધન ખાતા અંગેના આંકડા રજૂ કર્યા . તેમણે બેંકિંગ સેક્ટરમાં મોદી સરકારના 4 વર્ષોના કામોનું વિવરણ આપતા કહ્યુ કે છેલ્લા 4 વર્ષો દરમિયાન સમગ્ર દુનિયામાં 51.5 કરોડ બેંક ખાતા ખોલવામાં આવ્યા છે જેમાંથી 32.41 કરોડ ખાતા એકલા ભારતમાં જનધન યોજના હેઠળ ખોલવામાં આવ્યા . આ પણ વાંચોઃ રૂપિયો નબળો પડતાં વિદેશમાં રહેતા ભારતીયો ઘરે મોકલી રહ્યા છે વધુ પૈસા entertainment,"ફિલ્મમેકર વિપુલ અમૃતલાલ શાહે પોતાની આવનાર ફિલ્મ કમાંડો 2 માટે અભિનેતા અક્ષય કુમાર સાથે કરાર કર્યો છે . જોકે વિપુલ હાલ નમસ્તે લંડન ફિલ્મની આગામી આવૃત્તિની સ્ક્રિપ્ટ લખવામાં વ્યસ્ત છે કે જેનું શૂટિંગ આવતા વર્ષે શરૂ થનાર છે . અક્ષય સાથે અનેક ફિલ્મો કરી ચુકેલા વિપુલ શાહે આ જ માસે રિલીઝ થયેલી કમાંડો ફિલ્મમાં નવોદિત વિદ્યુત જામવાલને તક આપી હતી , પરંતુ કમાંડો 2 માટે તેમણે અક્ષય કુમારને અભિનેતા ઉપરાંત ફિલ્મ નિર્માણની એક નવી ભૂમિકામાં લીધાં છે . વિપુલે કમાંડો 2 માટે અક્ષયને કન્સલ્ટંટ અને સલાહકાર તરીકેની ભૂમિકા આપી છે . વિપુલ શાહે જણાવ્યું - મારા મત મુજબ અક્ષય દેશના સૌથી ઉમદા એક્શન હીરો છે . કમાંડોની મુખ્ય ભૂમિકામાં અમે અગાઉ અક્ષયને લેવા માંગતા હતાં , પરંતુ તેઓ બીજી ફિલ્મોમાં વ્યસ્ત હતાં . જોકે વિદ્યુત જામવાલને લેવા અંગે તેઓ ખૂબ ખુશ હતાં . હવે કમાંડો 2માં અક્ષયનો સમાવેશ કરવાનો અમારો પાકો ઇરાદો છે . અક્ષય સાથે આગામી પ્રોજેક્ટ્સ અંગે વિપુલ શાહે જણાવ્યું - અમે એક ફિલ્મ ઉપર કામ કરી રહ્યાં છીએ કે જેનું દિગ્દર્શન હું કરીશ , પણ હાલ હું તામિળ ફિલ્મ થુપક્કીની હિન્દી રીમેકના શૂટિંગમાં હાજર રહુ છું . ફિલ્મના દિગ્દર્શક મુરુગાડોસ છે અને તેઓ ફિલ્મનું સંચાલન કરવામાં સક્ષમ છે . આમ છતાં હું ફિલ્મનો નિર્માતા ન હોવા છતાં અક્ષય કુમાર સાથે ફિલ્મના સેટ પર હાજર રહુ છું . વિપુલ શાહે અક્ષય સાથે પોતાની આગામી ફિલ્મ શરૂ થવામાં થતા વિલમ્બનું કારણ બતાવતાં જણાવ્યું - મુરુગાડોસને ફિલ્મ માટે અક્ષય પાસેથી પૂરા 150 દિવસનો સમય જોઇએ અને તે પછી અક્ષય કુમાર પાસે મારી ફિલ્મ માટે સમય નથી બચતો . તેથી પોતાની ફિલ્મનું શૂટિંગ હું આવતા વર્ષે શરૂ કરીશ ." entertainment,"બોલિવૂડ અભિનેત્રીઓ તેમના ટેલન્ટ સાથે ગ્લેમર માટે પણ ઓળખાય છે . આ અભિનેત્રીઓ પોતાના સેક્સી અંદાઝ બતાવવામાં પાછળ નથી પડતી . બોલિવૂડમાં એવી ઘણી અભિનેત્રીઓ છે જેઓ 40 વર્ષની ઉમર પછી પણ એટલી જ સુંદર અને ગ્લેમરસ દેખાય છે . આ અભિનેત્રીઓના હોટ ફોટોશૂટ પણ આવતા રહે છે . સાઉથની આ એક્ટ્રેસની પ્રાઈવેટ તસવીરો લીક થઈ , લાગી રહી છે અફલાતૂન હાલમાં જ મલાઈકા અરોરાની હોટ ડ્રેસમાં સેક્સી ફોટો વાયરલ થઇ હતી . મલાઈકા અરોરા હંમેશા તેના હોટ અંદાઝમાં જોવા મળે છે . મલાઈકા અરોરા 44 વર્ષની છે પરંતુ આજે પણ તેના હોટ ફિગર સામે બોલિવૂડ અભિનેત્રીઓ ફેલ છે . 2018ની સૌથી સેક્સી 10 હિરોઈનની એવી તસવીરો , જેને જોઈ તમારા હોશ ઉડી જશે બોલિવૂડની એવી ઘણી અભિનત્રીઓ છે જેઓ 40 ઉમર વટાવી ચુકી છે . પરંતુ તેઓ આજે પણ બોલ્ડ ફોટોશૂટ કરાવી રહ્યા છે . આગળ તસ્વીરોમાં આ અભિનેત્રીઓનો બોલ્ડ અંદાઝ જુઓ . ." entertainment,"છેલ્લા કેટલાય સમયથી ગુજરાતી ફિલ્મોમાં એક નવા પ્રવાહની શરૂઆત થઈ છે અને તેને યથાવત રાખતા યુવા ડિરેક્ટર નિશાંત દવેએ પોતાની ફિલ્મ "" આપણે તો છીએ બિન્દાસ "" માં પણ નવતર પ્રયાસ કર્યો છે . ત્યારે સોમવારે આ ફિલ્મના મ્યુઝિકને લોન્ચ કરવામાં આવ્યું હતું . આ ફિલ્મમાં ગુજરાતના જાણીતા સિંગર પ્રથા ઓઝા , ચિંતન નાઇકનો તેમજ પાર્થિવ ગોહિલનો પોતાનો સ્વર આવ્યો છે . ફિલ્મના સંગીત અંગે પાર્થ ઓઝાએ જણાવ્યું હતું કે "" ફિલ્મના દરેક ગીતો સીચ્યુએશન પર આધારિત છે . જે એકદમ નવી વાત છે તેમજ આ ફિલ્મમાં એક સૂફી ગીત રોમેન્ટિક ગીત મસ્ત મૌલા મન પાગલ . . . રેર્કોર્ડ કરવામાં આવ્યુ છે જે યુવાનોને ખૂબ જ ગમશે "" ફિલ્મના ગીતોનું મીક્સીંગ અને માસ્ટરીંગ બોલીવુડમાં જાણીતા ગીતો આપનાર અભિષેક ધાટક પાસે કરાવવામાં આવ્યું છે . જેણે તાજેતરમાં ચેન્નઈ એક્ષપ્રેસ , સ્ટુડન્ટ ઓફ ધ યર , હમ્પટી શર્મા કી દુલ્હનીયા જેવા ધણા સુપરહીટ ફીલ્મોનું મીક્સીંગ માસ્ટરીંગ કર્યું છે . અમારી ફિલ્મનું મ્યુઝીક ડાયરેક્શન નિકુંજ આરદેશણા છે . તેઓ છેલ્લા પાંચ વર્ષથી મ્યુઝિક જગતમાં સક્રિય છે અને જાણીતી હિંદી સિરિયલનું મ્યુઝીક તૈયાર કરેલું છે . ફિલ્મના ઇનિશિયલ વીડિયો સોંગને જોતા તથા નવતર ટ્રેન્ડથી કહી શકાય કે ગુજરાતી ફિલ્મના અચ્છે દિન આવી રહ્યા છે . ત્યારે નીચેના વીડિયોમાં જુઓ આ ફિલ્મના ગીતો ." business,"રિઝર્વ બેન્ક ( આરબીઆઈ ) એ નવા રંગમાં નવી 20 રૂપિયાની નવી નોટ રજૂ કરશે . આરબીઆઈએ આ સંદર્ભમાં એક જાહેરનામું જારી કર્યું છે . 20 રૂપિયાની નવી નોટ જારી કરવાની માહિતી ઉપરાંત , તેના વિશે વિગતવાર સમજાવામાં આવ્યું છે . આરબીઆઈએ તેમાં નવી નોટના નવા રંગ સહિત તમામ ફીચર્સને બદલ્યા છે . 20 રૂપિયાની આ નવી નોટમાં , આરબીઆઇના ગવર્નર શક્તિકાંત દાસના હસ્તાક્ષર હશે . આ હશે 20 રૂપિયાની નવી નોટના ફીચર્સ રિઝર્વ બેન્ક દ્વારા જારી કરાયેલા 20 રૂપિયાની આ નવી નોટના આગળના ભાગમાં વચ્ચે મહાત્મા ગાંધીનું ચિત્ર છે . સાથે નોટની કિંમત હિન્દી અને અંગ્રેજી અંકોમાં પણ લખેલી હશે . આ સિવાય RBI , ભારત , India 20 માઇક્રો લેટર્સ તરીકે લખેલું હશે . સુરક્ષા પટ્ટી પર ભારત અને RBI લખેલું હશે . નોટના આગળના ભાગ પર , ગૅરંટી ક્લોઝ , ગવર્નરના હસ્તાક્ષર , આરબીઆઈનું પ્રતીક મહાત્મા ગાંધીની તસ્વીર જમણી તરફ હશે . અશોક સ્તંભ નોટની જમણી તરફ હશે . નોટનો નંબર ડાબીથી જમણી તરફ વધતા આકારમાં છપાયેલો હશે . આવી હશે 20 રૂપિયાની નવી નોટનો પાછળનો ભાગ નોટના પાછળના ભાગની ડાબી તરફ વર્ષ , સ્વચ્છ ભારતનું લોગો સૂત્ર અને ભાષાની પટ્ટી હશે . નોટની પાછળના ભાગમાં ઈલોરાની ગુફાઓનું ચિત્ર ભારતના સાંસ્કૃતિક વારસાનું પ્રતિનિધિત્વ કરશે . નોટ 63 મીમી પહોળી અને 129 મીમી લાંબી હશે . જોવા મળશે સાંસ્કૃતિક વારસાની ઝલક આરબીઆઈની સૂચના પ્રમાણે , નવી 20 રૂપિયાની નોટોના પાછળના ભાગમાં , દેશના સાંસ્કૃતિક વારસાને દર્શાવતી ઈલોરાની ગુફાઓને દર્શાવવામાં આવી છે . મહાત્મા ગાંધીની નવી સિરીઝની આ નોટનો રંગ લીલા સાથે પીળો હશે . આરબીઆઇએ એમ પણ કહ્યું છે કે નવી નોટો જારી થયા પછી પણ જૂની નોટો ચલણમાં રહેશે . Post Office ગેરંટી સાથે આ સ્કીમ કરોડપતિ બનાવશે , જાણો ડિટેઈલ" business,"આજે મધ્યપ્રદેશના ઇન્દોરમાં યોજાયેલી ' મધ્યપ્રદેશ ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટ ' માં બોલતા સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે અંદાજે 100 બિલિયન અમેરિકન ડોલર જેટલું વિદેશી મૂડી ભારતમાં રોકાણ કરવા માટે આપણા બારણે ટકોરા મારી રહી છે . આવા સમયે જે તે રાજ્ય પર નિર્ભર કરે છે કે તે આનો ફાયદો કેવી રીતે ઉઠાવે છે અને કેવી રીતે રોકાણ પોતાના રાજ્યમાં ખેંચી લાવે છે . વડાપ્રધાન મોદીએ ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમીટમાં જણાવ્યું હતું કે આપણે નાના ઉદ્યોગોનો વિકાસ કરીને દેશનો વિકાસ કરવો છે . કૃષિ માટે એક મોટું બજાર બનાવવાની જરૂર છે . સહયોગનો માર્ગ દેશને નવી દિશા બતાવશે . બધા સીએમ મારી સાથે મળીને કામ કરશે તો તેમના રાજયોનો પણ વિકાસ થશે . નરેન્દ્ર મોદીએ ' મેક ઇન ઇન્ડિયા ' ના સપનાને સાકાર કરવા પાસે - પાસે નહિ સાથે સાથે રહેવાનું હોવાનું જણાવ્યું છે . તેમણે જણાવ્યું કે જ્યાં સુધી હું વડાપ્રધાન છું ત્યાં સુધી દેશનું મસ્તક નમવા નહિ દઉં , દેશના વિકાસ માટે ટીમ ઇન્ડિયાનો નારો લગાવવામાં આવશે . તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે દેશની તાકાત રાજયોના હાથમાં છે . મધ્ય પ્રદેશે દેશને નવી દિશા બતાવી છે . રાજયના વિકાસથી દેશ આગળ વધશે . દેશના વિકાસ માટે રાજયનો વિકાસ જરૂરી છે . પીએમ અને સીએમ સાથે મળીને કામ કરશે તો દેશનો વિકાસ થશે . આપણે આપણી ખરીદ શકિતને વધારવી પડશે . વડાપ્રધાન નરેન્દ્ર મોદી હરિયાણા અને મહારાષ્ટ્રની ચૂંટણીના પ્રચાર પ્રસારમાં વ્યસ્ત હોવા છતાં તેઓ આજે મધ્ય પ્રદેશમાં યોજાયેલી ઇન્વેસ્ટર સમીટમાં હાજર રહ્યા હતાં . આ સમીટમાં દેશના અગ્રણી ઉદ્યોગપતિઓ પણ જોવા મળ્યા હતા . અહીં નરેન્દ્ર મોદીએ રાજયોની કામગીરી , લઘુ ઉદ્યોગો અને સૌના સાથથી થતા વિકાસની વાત જણાવી હતી ." business,રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ 100 રૂપિયાની નવી નોટની તસ્વીર રજૂ કરી છે . પહેલી વખત જાંબલી રંગની નોટો છાપવામાં આવી રહી છે . આ નવા રંગો અને નવી ડિઝાઇનની નોટો ટૂંક સમયમાં રજૂ કરવામાં આવશે . નવી નોટની પ્રિન્ટિંગ પહેલાથી શરુ થઈ ગઈ છે . એવું માનવામાં આવે છે કે ઓગસ્ટ - સપ્ટેમ્બરથી નવી નોટો સર્ક્યુલેશનમાં આવી જશે . 100 રૂપિયાની નવી નોટ જાંબલી રંગની હશે . આરબીઆઈએ તેનો ફોટો રીલીઝ કર્યો છે . 100 રૂપિયાની નવી મહાત્મા ગાંધી શ્રેણીમાં રજુ કરવામાં આવશે . આ નોટમાં ગુજરાતની રાણીની વાવનો ફોટો લાગેલો હશે . ચાલો જાણીએ નવી નોટ વિશે ખાસ વાતો . . . . entertainment,"લાગે છે કે શાહિદ કપૂરના સિતારા ફરી ચમકી રહ્યાં છે . એટલે જ તો તેમની ફટા પોસ્ટર નિકલા હીરો ફિલ્મે સારી સફળતા મેળવી , તો આવનાર ફિલ્મ આર રાજકુમારના ગીત ગંદી બાત . . . એ પણ ઇંટરનેટ ઉપર ધૂમ મચાવી છે . આપને જાણીને આશ્ચર્ય થશે કે ગંદી બાત . . . ગીતે માત્ર ત્રણ જ દિવસમાં દસ લાખ કરતા વધુ હિટ્સ મેળવી છે . નોંધનીય છે કે ફિલ્મ આર રાજકુમારમાં શાહિદ કપૂર સાથે પ્રથમ વાર અભિનેત્રી સોનાક્ષી સિન્હા નજરે પડશે . અગાઉ ફિલ્મનું નામ રૅમ્બો રાજકુમાર હતું . હવે તે આર રાજકુમાર થઈ ગયું છે . ફિલ્મનું ઑફિસિયલ ટ્રેલર રિલીઝ થઈ ગયું છે . દિગ્દર્શક પ્રભુ દેવા છે , તો નિર્માતા સુનીલ લુલા અને વિક્કી રાજાણી . ફિલ્મ 6ઠી ડિસેમ્બરે રિલીઝ થશે ." business,"ગેલેક્સી સિરિઝની રેન્જમાં અત્યારસુધી સૌથી સસ્તો હેન્ડસેટ સ્ટાર લોન્ચ કર્યા બાદ સેમસંગે વધુ એક સ્માર્ટફોન યંગ લોન્ચ કર્યો છે , જેની કિંમત 8010 રાખવામાં આવી છે . આ હેન્ડસેટની સ્ક્રિન 3.2 ઇન્ચની છે અને એચવીજીએ રિઝોલ્યુશનને સપોર્ટ કરે છે , સાથે જ 1 ગીગાહર્ટ સિંગર કોર પ્રોસેસર અને ત્રણ મેગાપિક્સલ કેમેરા આપવામા આવ્યો છે . ગેલેક્સી યંગની સૌથી ખાસ વાત એ છે કે તેમા ઘણા મોશન સેન્સર લગાવવામાં આવેલા છે , જે આ મોબાઇલની કિમત જોતા મોંઘા ફોનના ફીચર્સ સામેલ કરે છે . આ ઉપરાંત તેનુ યુઝર ઇન્ટરફેસ ઘણુ સહેલું છે એટલે કે તેને કોઇપણ સહેલાયથી ઓપરેટ કરી શકે છે . ફોનનો વજન 112 ગ્રામ છે , જેથી તેને સેહલાયથી પોકેટમાં રાખી શકાય છે . ઇન્ટરનલ મેમરીને તમે માઇક્રોએસડી કાર્ડ સ્લોટની મદદથી 32 જીબી સુધી એક્સપેન્ડ કરી શકો છો . આ ઉપરાંત સેમસંગે તેમાં ઘણા બીજા ફીચર એડ કરવામાં આવ્યા છે , જેને ફ્રી ડ્રોપ બોક્સ સ્ટોરેજ , ઇન્જી મોડ , સેમસંગ ચેટ ઓન મેસેન્જર , સેમસંગનો નવો યંગ ખાસ એ લોકો માટે લોન્ચ કરવામાં આવ્યો છે , જે સાધારણ ફોનમાં થોડા અપગ્રેડ ઇચ્છે છે , આ બજેટમાં પણ વધુ નથી , સાથે જ તેમા સ્માર્ટફોનના તમામ ફીચર પણ આપવામાં આવ્યા છે . સેમસંગ યંગના ફીચર પર એક નજર 3 . 2 ઇન્ટની એચવીજીએ સ્ક્રિન 1 ગીગાહર્ટ સિંગલ કોર પ્રોસેસર 3 મેગાપિક્સલ કેમેરા 112 ગ્રામ વજન 12 . 5 એમએમ સાઇઝ માઇક્રોએસડી કાર્ડ સ્લોટ 1300 એમએએચ બેટરી એન્ડ્રોઇડ જેલીબીન ઓએસ સેમસગ ઇજી મોડ , સેમસંગ ચેટ કિંમત 8010 રૂપિયા" entertainment,"બૉલીવુડ ફિલ્મોના નામ સામાન્ય રીતે મુંઝવણ પેદા કરે છે . શરુઆતમાં કે પછી રિલીઝથી બરાબર પહેલા ઘણી વખત ફિલ્મોના નામ બદલાઈ જાય છે . દિગ્દર્શકોએ તાબડતોડ નામ બદલવા પડે છે . ક્યારેક મેંટલનું નામ બદલાઈ જય હો કરી દેવામાં આવે છે , તો ક્યારેક અભિનેત્રી ફિલ્મનું નામ હીરોઇન થઈ જાય છે . નેમ ચેંજ ગેમ કરનાર નવી ફિલ્મોની યાદી જોઇએ , તો અનેક નામો સામે આવે છે . લેટેસ્ટ નેમ ચેંજ ન્યુઝમાં અમિતાભ બચ્ચન અને ફરહાન અખ્તરની ફિલ્મ દો છે . ફિલ્મ દોનું નામ બદલીને વઝીર કરી દેવામાં આવ્યું છે . તેવી જ રીતે કરણ જૌહરની ફિલ્મ વૅરિયર પણ હવે બની ગઈ છે બ્રધર . ચાલો તસવીરો સાથે જાણીએ કઈ - કઈ ફિલ્મો સાથે થઈ નેમ ચેંજ ગેમ :" entertainment,ઐશ્વર્યા રાયની હોટ એન્ડ બોલ્ડ તસવીરોના ચક્કરમાં જુઓ શુ કરવું પડી ગયું . પરંતુ તસવીરો ખરેખરમાં એટલી બધી શાનદાર હતી કે કોઈનું ધ્યાન પણ આ બાબતે ગયું જ નહીં . શરૂઆતથી જણાવીએ . હાલમાં જ ઐશ્વર્યા રાય અને રણબીર કપૂરની કેટલીક હોટ તસવીરો વાઇરલ થયી . આ ફોટોશૂટની તસવીરોમાં તેમની કેમેસ્ટ્રી એટલી બધી શાનદાર હતી કે લોકો ખુબ જ વખાણ પણ કરવા લાગ્યા . આ ફોટોશૂટને કરવાનું એક કારણ પણ હતું . ખરેખરમાં જયારે ફિલ્મનું પહેલી ગીત બુલિયા રિલીઝ થયું . તેમાં ઐશ્વર્યા રાય અને રણબીર કપૂર ઘણા જ ઇન્ટિમેટ દેખાયા . લોકોને તે ખુબ જ પસંદ પણ આવ્યા . કહેવાનો મતલબ એ છે કે બંનેની કેમેસ્ટ્રી લોકોને ખુબ જ પસંદ આવી તો નક્કી થયું કે બંનેનું એક ફોટોશૂટ પણ કરાવવામાં આવે . આ કેમેસ્ટ્રીને ફિલ્મની પબ્લિસિટી માટે પણ કેશ કરી લેવામાં આવે . ઐશ્વર્યા રાય અને રણબીર કપૂરનું ફોટોશૂટ થયું . તસવીરો પણ સામે આવે અને ગજબની તસવીરો આવી કે બધા જ જોતા રહી ગયા . પરંતુ કોઈનું પણ ધ્યાન નહીં ગયું કે આ તસવીરોમાં ઐશ્વર્યા રાયનું ફોટોશોપ ઘ્વારા આખું મોઢું જ બદલી દેવામાં આવ્યું છે . વાત પકડમાં ત્યારે આવી જયારે ફિલ્મ એ દિલ હૈ મુશ્કિલ ના પ્રોમોશન માટે ઐશ્વર્યા રાય કોમેડી નાઈટમાં પહોંચી . અહીં તેઓ ફોટોશૂટવાળી તસવીરોથી ખુબ જ અલગ દેખાઈ . ફોટોશૂટમાં ઐશ્વર્યા રાય ખુબ જ અલગ દેખાઈ છે . હવે દુઃખ તો એ વાતનું છે કે જો ઐશ્વર્યા રાય જેવી મહિલાને પણ ફોટોશોપનો સહારો લેવો પડતો હોય તો બાકી અભિનેત્રીઓ પર તો તેનો કેવો પ્રભાવ પડતો હશે . business,"શ્રેય ઇન્ફ્રા ફાઇનાન્સ NCD સપ્ટેમ્બર - ઓક્ટોબરના એનસીડીઓ 2થી 5 વર્ષના સમયગાળા માટે આવી રહ્યું છે . શ્રેય ઇન્ફ્રા ફાઇનાન્સ દ્વારા થોડા મહિનાઓ પહેલા જ એનસીડી જાહેર થયા બાદ ખૂબ ઓછા સમયમાં એન્ય એનસીડી સ્કીમ્સ રજૂ કરવામાં આવી રહી છે . સમગાળો : આ એનસીડીસનો સમયગાળો બે , ત્રણ અને પાંચ વર્ષનો છે . આ ઇશ્યુ 29 સપ્ટેમ્બર , 2014ના રોજ ખુલ્યો છે અને 31 ઓક્ટોબર , 2014 સુધી એટલે કે લગભગ એક મહિના સુધી ખુલ્લો રહેવાનો છે . કેટલું વ્યાજ અપાશે ? શ્રેય ઇન્ફ્રા ફાઇનાન્સના એનસીડીસમાં વાર્ષિક 11.75 ટકા વ્યાજ / વળતર મળશે . આ માટેની કુપનના દર 11 ટકાથી લઇને 11.25 ટકા સુધીના છે . વ્યાજના વિકલ્પોમાં ક્યુમુલેટિવની સાથે વાર્ષિક ડિવિડન્ડનો પણ સમાવેશ થાય છે . A ) ક્યુમુલેટિવ વિકલ્પ ક્યુમુલેટિવ વિકલ્પ અંતર્ગત આપના 1,000 રૂપિયા બે વર્ષમાં રૂપિયા 1239નું વળતર આપશે . એટલે કે કુલ 11.25 ટકા વળતર થયું . ત્રણ વર્ષની સ્કીમમાં 7387 અને પાંચ વર્ષની સ્કીમમાં 1744 રૂપિયા વળતર મળે છે . B ) નોન ક્યુમુલેટિવ વિકલ્પ નોન ક્યુમુલેટિવ વિકલ્પમાં વ્યાજના દરો 11 ટકાથી 11.75 ટકાની વચ્ચે રહે છે . તેમાં વ્યાજદર સમયગાળા અનુસાર મળે છે . રોકાણ કરી શકાય ખરું ? શ્રેય ઇન્ફ્રાની એનસીડી સુરક્ષિત હોવા ઉપરાંત તેને મિલકતોનું પીઠબળ પણ છે . તેનું વળતર આકર્ષક છે . બેંકોમાં ફિક્સ્ડ ડિપોઝિટ પર 9 ટકા વ્યાજ મળે છે . જો કે તેની સામે બેંક ડિપોઝિટ બિન જોખમી પણ છે ." entertainment,સલમાન ખાન અને કબીર ખાન વચ્ચે ઝગડો થયો છે . આ વાત હાલમાં બોલિવૂડમાં ચર્ચાનો વિષય બન્યો છે . જેમને ખબર નથી તેમને જણાવી દઈએ કે ટ્યુબલાઈટના સેટ પર સલમાન ખાન અને કબીર ખાન વચ્ચે દારૂને લઈને ઝગડો થઇ ગયો છે . ખરેખર સૂત્રોનું માન્યે તો સલમાન ખાન સાથે ફિલ્મના કેટલાક લોકો રાત્રે પાર્ટી કરતા હતા અને પાર્ટીનો મતલબ કે 2 કે 4 પેગ પછી બધા જ ડાઉન થઇ જતા હતા . જેના કારણે બીજા દિવસે કોઈ જ શૂટિંગ પર સમયસર આવતું ના હતું . આજ વાતને લઈને સલમાન ખાન અને કબીર ખાન વચ્ચે ઝગડો થઇ ગયો . જેના કારણે સલમાન ખાન ગુસ્સે થઇ ગયા . કારણકે કબીર ખાને સાફ સાફ કહ્યું હતું કે તેમની પાર્ટી ના કારણે જ ફિલ્મની શૂટિંગ પર અસર પડી રહ્યો છે . આમ જોવા જઈએ તો કબીર ખાને આજે જ એક તસ્વીર પોસ્ટ કરીને આ બધી જ વાતોને અફવાહ ગણાવી છે . કબીર ખાને ટ્વિટર પર તેની અને સલમાન ખાનની એક તસ્વીર પોસ્ટ કરી અને કહ્યું કે જે પણ કહાની તેને અને સલમાનને લઈને ચાલી રહી છે તેના માટે આ ફોટો યોગ્ય રહેશે . જ્યાં એક તરફ કબીર ખાન બધું જ વ્યવસ્થિત કરવાના પ્રયત્નો કરી રહ્યા છે . ત્યાં જ સલમાન ખાન શૂટિંગ વચ્ચે જ છોડીને મુંબઈ ચાલ્યા ગયા છે . ફિલ્મનું એક અઠવાડિયાનું સિડ્યુલ બાકી છે અને સલમાન ખાન એક દિવસ પણ વધારે મનાલીમાં રોકાવવા નથી માંગતા . sports,"આઇપીએલ 10 સિઝનની આજે 42મી મેચ છે , જે દિલ્હી ડેરડેવિલ્સ અને ગુજરાત લાયન્સ વચ્ચે આ મેચ હાલ દિલ્હીના ખચાખચ ભરેલાફિરોઝશાહ કોટલા સ્ટેડિયમમાં રમાઇ રહી છે . ત્યારે આ મેચની તમામ લેટેસ્ટ માહિતી જાણવા માટે આ પેજને રિફ્રેશ કરતા રહો . અહીં અમે તમને આ મેચની તમામ અપડેટ આપતા રહીશું . UPDATE : ગુજરાત લાયન્સઃ સુરેશ રૈના ( કેપ્ટન ) , ઇશાન કિશન , બ્રેન્ડન મેક્કુલમ , એરોન ફિન્ચ , રવિન્દ્ર જાડેજા , બાસિલ થમ્પી , પ્રદીપ સાંગવાન , ડ્વેન સ્મિથ , દિનેશ કાર્તિક , જેમ્સ ફોકનર , અંકિત સોની દિલ્હી ડેરડેવિલ્સઃ કરૂણ નાયર ( કેપ્ટન ) , સંજુ સેમસન , રિષભ પંત , શ્રેયસ અય્યર , કોરી એન્ડરસન , માર્લોન સેમ્યુઅલ્સ , પેટ કમિન્સ , અમિત મિશ્રા , મોહમ્મદ શમી , કાગિસો રબાડા , શાહબાઝ નદીમ ," entertainment,"આવતીકાલે રિલીઝ થતી 1973ની સુપરહિટ ફિલ્મ ઝંજીરની રીમેકની રિલીઝ સામેનું વિઘ્ન ટળી ગયું છે . ફિલ્મના નિર્માતા સુમિત મહેરાએ રાહતનો શ્વાસ લીધો છે , કારણ કે ઝંજીરના મૂળ લેખકો સલીમ - જાવેદે કૉપીરાઇટ કેસ હેઠળ સુમિત મહેરાને કોર્ટમાં ઘસીટ્યા હતાં . સલીમ - જાવેદનું કહેવુ હતું કે ઝંજીરની પટકથા અને સંવાદો ઉપર માત્ર તેઓનો જ હક છે . તેથી રીમેક બનાવતા અગાઉ તેમની સાથે વાત થવી જોઇતી હતી , પરંતુ મહેરાએ આમ ન કર્યું . બંનએ સુમિત મહેરા પાસેથી છ કરોડનું વળતર માંગ્યુ હતું . પ્રકાશ મહેરાના પુત્ર સુમિત મહેરા ઝંજીરની રીમેકના મિર્માતા છે . સલીમ - જાવેદે માંગણી કરી હતી કે જો વળતર ન અપાય , તો ફિલ્મની રિલીઝ ઉપર પ્રતિબંધ ફરમાવવો જોઇએ . કોર્ટે આ મુદ્દે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ બંને પક્ષોને બેસીને કેસ સૉલ્વ કરવા જણાવ્યુ હતું . તે પછી બંને પક્ષો વાતચીત માટે સંમત થયાં . બેઠક દરમિયાન પ્રકાશ મહેરા સલીમ - જાવેદ સાથે વાત કરી ગૂંચ ઉકેલી નાંખી છે . સાંભળવા મળ્યું છે કે સુમિત મહેરાએ સલીમ - જાવેદનો ગુસ્સો શાંત કરવા સારી - એવી રકમ આપી છે . નોંધનીય છે કે 1973માં આવેલી ઝંજીર ફિલ્મ અમિતાભ બચ્ચનની પ્રથમ સુપર હિટ ફિલમ હતી . સતત 17 ફ્લૉપ ફિલમો આપ્યા બાદ અમિતાભ બચ્ચન ઍંગ્રી યંગ મૅન તરીકે આ ફિલ્મ સાથે જ ઝળક્યા હતાં . જયા બચ્ચન અને પ્રાણ પણ આ ફિલ્મમાં લીડ રોલમાં હતાં . રીમેકમાં રામ ચરણ તેજા , પ્રિયંકા ચોપરા તથા સંજય દત્ત લીડ રોલ કરી રહ્યાં છે ." sports,ચેતેશ્વર પુજારા સોમવારે જાહેર કરાયેલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદની તાજી ટેસ્ટ રેન્કિંગમાં પોતાની કારકિર્દીના સર્વોચ્ચ પાંચમાં ક્રમે પહોંચી ગયા છે . પુજારાએ બે ક્રમનો કૂદકો લગાવ્યો . જ્યારે શ્રીલંકાએ કુમાર સંગાકારા અને ઓસ્ટ્રેલિયાના કપ્તાન માઇકલ ક્લાર્કથી આગળ નિકળતા પહેલી વાર ટોપ પાંચમાં સ્થાન પ્રાપ્ત કરવામાં સફળ રહ્યા છેય પુજારા ઉપરાંત ભારત તરફથી વિરાટ કોહલીએ મોટી સફળતા હાસલ કરી છે . કોહલીએ શ્રેષ્ઠ 10 બેટ્સમેનોની સૂચિમાં પહોંચવાના ખૂબ જ નજીક છે . કોહલી વર્તમાન ટેસ્ટ બેટ્સમેન રેન્કિંગમાં 11માં સ્થાન પર છે . બોલરોની લિસ્ટમાં રવિચંદ્રન અશ્વિન ભારતના ટોપ બોલર છે . અશ્વિન 759 પોઇન્ટની સાથે આઇસીસી રેન્કિંગમાં સાતમાં ક્રમે છે . જ્યારે ટોપ - 10 બોલરોમાં બીજા ભારતીય પ્રજ્ઞાન ઓઝા છે . જોકે ઓઝા એક સ્થાન લપસીને નવમાં ક્રમે આવી ગયો છે . આઇસીસી ટેસ્ટ રેન્કિંગના ઓલરાઉન્ડર ખેલાડિયોની સૂચિમાં જોકે આર . અશ્વિને ભારતને શ્રેષ્ઠ ક્રમ પર અથાવત રાખ્યું છે . સર્વોચ્ચ ક્રમ પ્રાપ્ત ઓલ રાઉન્ડર અશ્વિનના 388 પોઇન્ટ છે . sports,"સાઉથમ્પટન , 31 જુલાઇઃ બોલર્સ અને બેટ્સમેનોના નબળા પ્રદર્શનના કારણે ભારતીય ક્રિકેટ ટીમને ઇંગ્લેન્ડ સામે રમાઇ રહેલી ટેસ્ટ શ્રેણીની ત્રીજી ટેસ્ટમાં કારમો પરાજય મળ્યો છે . ઇંગ્લેન્ડે ભારતને 445 રનનો લક્ષ્યાંક આપ્યો હતો . જેના જવાબમાં ભારત માત્ર 178 રનના સ્કોર પર પેવેલિયન ભેગુ થઇ ગયું હતું . ભારત તરફથી સર્વાધિક સ્કોર અજિંક્ય રહાણેનો છે , રહાણેએ 52 રનની ઇનિંગ રમી છે . ભારતની બેટિંગ અંગે વાત કરવામાં આવે તો બીજી ઇનિંગમાં ભારત તરફથી મુરલી વિજય 12 , શિખર ધવન 37 , ચેતેશ્વર પૂજારા 2 , વિરાટ કોહલી 28 , અજિંક્ય રહાણે 52 , રોહિત શર્મા 6 , મહેન્દ્ર સિંહ ધોની 6 , રવિન્દ્ર જાડેજા 15 , ભુનેવશ્વર કુમાર 0 , મોહમ્મદ સમી 0 , પંકજ સિંહ 9 રન બનાવ્યા છે . ઇંગ્લેન્ડ તરફથી મોઇન અલીએ સર્વાધિક છ વિકેટ લધી છે , જ્યારે એન્ડરસને 2 અને રૂટે એક વિકેટ લીધી છે . તો વધુ જાણવા માટે તસવીરો પર ક્લિક કરો ટેસ્ટ ક્રિકેટમાં પદાર્પણઃ પંકજ સિંહે બનાવ્યો અનિચ્છિનિય રેકોર્ડ ક્રિકેટના દિગ્ગજ ખેલાડી કાલિસની નિવૃત્તિ , કોણે શું કહ્યું ? આ પણ વાંચોઃ - ન સુધર્યો એન્ડરસનઃ હવે રહાણેને કર્યો ટાર્ગેટ" entertainment,"ફિલ્મોમાં સફળતાના ઉચ્ચતમ શિખરે પહોંચેલા અભિનેતા અમિતાભ બચ્ચને જણાવ્યું - મને પોતાના પિતા હરિવશંશ રાય બચ્ચન સાથે વધુ વખત પસાર ન કરી શકવાનો ખૂબ જ અફસોસ છે . તેમણે જણાવ્યું કે - પોતાની પુસ્તકોમાં વ્યસ્ત રહેતાં અને હું કામમાં . એવામાં અમે બંને પાસે સમયની ઉણપ હતી . જ્યારે હું 62 વરસનો હતો , ત્યારે મારા બાબુજીનું નિધન થઈ ગયુ હતું . અમિતાભે પોતાના માતા તેજી બચ્ચનનાવખાણ કરતાં જણાવ્યું કે તેઓ એક શીખ મહિલા હતાં . આમ છતાં તેમણે બાબુજી સાથેલગ્ન કર્યાં અને અલ્હાબાદ ખાતે રહ્યાં કે જે એક મોટી બાબત છે . મારા માતા સમગ્ર પરિવારને એક મજબૂત ઇચ્છાશક્તિ સાથે સલામતી પ્રદાન કરતા હતાં . હું પોતાના પિતા સાથે વધુ સમય ન ગાળી શક્યો , પણ આજેય તેઓ મારા માટે પ્રેરણા છે . હું આજે પણ પોતાના માતા - પિતા પાસેથી પ્રેરણા લઉ છું . અમિતાભ બચ્ચન વધુમાં કહે છે - આજે હું પોતાના પત્ની જયા બચ્ચન , પુત્ર અભિષેક બચ્ચન તથા વહુ ઐશ્વર્યા રાય બચ્ચન સાથે રહુ છું કે જે મારા માટે ખૂબ જ ખુશીની વાત છે . અમિતાભ બચ્ચન પોતાના પિતાની ખૂબ જ નજીક રહ્યાં છે . તેઓ મંચ ઉપર તેમની લખેલી કવિતા મધુશાલા અનેક વાર વાંચી ચુક્યાં છે . અમિતાભ ટુંકમાં જ સત્યાગ્રહ ફિલ્મમાં દેખાશે ." sports,"લંડન , 12 ઑગસ્ટઃ માન્ચેસ્ટરમાં ભારતને એક ઇનિંગથી હારવવા બદલ ઇંગ્લેન્ડ ટીમના ચોતરફ વખાણ થઇ રહ્યાં છે . ઇંગ્લેન્ડ ટીમના પૂર્વ સુકાની જ્યોફ્રી બોયકોટે પણ ટીમના ભરપેટ વખાણ કર્યાં છે , પરંતુ આ સાથે જ કૂક એન્ડ કંપનીને કટેલીક સલાહ આપી છે , તેમણે કહ્યું છેકે , ધ ઓવલ ખાતે 15 ઑગસ્ટથી શરૂ થઇ રહેલી શ્રેણીની પાંચમી ટેસ્ટમાં ભારતનો સામનો કરતા પહેલા ટીમે પોતાના આ ત્રણ ક્ષેત્રોમાં સુધારો કરવાની જરૂર છે . બોયકોટે કહ્યું છેકે લોર્ડ્સના પરાજય બાદ ઇંગ્લેન્ડ ટીમ ઓલરાઉન્ડ સ્ટાઇલમાં ઉભરી છે . ડેલી ટેલીગ્રાફમાં પોતાની કોલમમાં બોયકોટે લખ્યું છેકે , ભારત સામેના વિજયનો આનંદ ઉઠાવવા માગીએ છીએ પરંતુ આપણે સતર્ક રહેવાની જરૂર છે , હજું પણ ત્રણ એવા ક્ષેત્રો છે , જેમાં ઇંગ્લેન્ડે મહેનત કરીને તેમાં સુધારો લાવવાની જરૂર છે . વૈકલ્પિક સીમ બોલિંગ , ઓપનિંગ બેટ્સમેન સેમ રોબ્સનનું ફોર્મ અને શોર્ટ બોલ સામે રમવાની ઇંગ્લિશ બેટ્સમેનોની ક્ષમતામાં ઇલિસ્ટર કૂકની ટીમે સુધારો લાવવાની જરૂર છે . 73 વર્ષીય બોયકોટને જેમ્સ એન્ડરસન અને સ્ટુઅર્ટ બ્રોડ પર વિશ્વાસ છે , પરંતુ તેઓ સ્વીમર ક્રિસ વોએક્સ અને ક્રિસ જોર્ડનના પ્રદર્શનથી ખુશ નથી . આ અંગે વધુ વાંચવા માટે તસવીરો પર ક્લિક કરો . pagespeed . lazyLoadImages . overrideAttributeFunctions ( ) ; આ પણ વાંચોઃ - ધોની ટેસ્ટ ક્રિકેટનો સૌથી ખરાબ રેકોર્ડ રચવાની નજીક બોર્ડર પર જવાનોને મળ્યો ‘કાશ્મીરી ' સુરેશ રૈના આ પણ વાંચોઃ - આરામ કરવા ત્રણ દિવસમાં ટેસ્ટ હારી માહીની ટીમ ! pagespeed . lazyLoadImages . overrideAttributeFunctions ( ) ; function googleAnalyticsCodeCommon ( ) { var main _ url = $ ( ' link [ rel = "" canonical "" ] ' ) . attr ( "" href "" ) ; var url = document . location . href ; var pattern = ' https : / / ' + window . location . hostname ; url = url . replace ( pattern , "" "" ) ; var title = document . title ; ga ( "" oneindiagu . send "" , { hitType : "" pageview "" , page : url , location : main _ url } ) ; ga ( "" rosoneindia . send "" , { hitType : "" pageview "" , page : url , location : main _ url } ) ; ga ( "" dhoneindia . send "" , { hitType : "" pageview "" , page : url , location : main _ url } ) ; url = document . location . href ; var jcode = ' var _ comscore = _ comscore | | [ ] ; var comscoreParams = { c1 : "" 2 "" , c2 : "" 7732551 "" , c3 : "" "" , c4 : "" ' + url + ' "" , c5 : "" "" , c6 : "" "" , c15 : "" "" } ; _ comscore . push ( comscoreParams ) ; var s = document . createElement ( "" script "" ) , el = document . getElementsByTagName ( "" script "" ) [ 0 ] ; s . async = true ; s . src = ( document . location . protocol = = "" https : "" ? "" https : / / sb "" : "" http : / / b "" ) + "" . scorecardresearch . com / beacon . js "" ; el . parentNode . insertBefore ( s , el ) ; ' ; setTimeout ( jcode , 500 ) ; var _ qevents = _ qevents | | [ ] ; ( function ( ) { var elem = document . createElement ( ' script ' ) ; elem . src = ( document . location . protocol = = "" https : "" ? "" https : / / secure "" : "" http : / / edge "" ) + "" . quantserve . com / quant . js "" ; elem . async = true ; elem . type = "" text / javascript "" ; var scpt = document . getElementsByTagName ( ' script ' ) [ 0 ] ; scpt . parentNode . insertBefore ( elem , scpt ) ; } ) ( ) ; _ qevents . push ( { qacct : "" p - yjta2aSVPaHEL "" } ) ; window . google _ analytics _ uacct = "" UA - 110466 - 73 "" ; }" entertainment,"આ શુક્રવારે રિલીઝ થયેલી ફિલ્મ વૉટ ધ ફિશમાં કૉમેડીના નામે ભરપૂર હસી - મજાક અને ઠહાકા છે . જે લોકોને હળવી કૉમેડી ફિલ્મો ગમે છે , તેમને આ ફિલ્મ જરૂર ગમશે . ફિલ્મમાં ડિમ્પલ કાપડિયાએ બહેતરીન કૉમેડી કરી છે . તેમની એક્ટિંગ જોઈ વિશ્વાસ જ નથી થતો કે આ તે જ ડિમ્પલ છે કે જેમણે પોતાના જમાનામાં ઘણી બધી ડ્રામાટિક અન સીરિયસ ટાઇપની ફિલ્મો કરી હતી . વૉટ ધ ફિશ ફિલ્મ અંગે ડિમ્પલ કાપડિયા ખૂબ ઉત્સાહિત હતાં , કારણ કે ફિલ્મમાં તેમને પોતાનું મનપસંદ પાત્ર એટલે કે એક આઉટ એન્ડ આઉટ કૉમેડી પાત્ર ભજવવાની તક મળી . ડિમ્પલે ફિલ્મમાં પોતાના કૉમેડી એક્સપ્રેશન્સ તેમજ ડાયલૉગ ડિલીવરી વડે દર્શકોને હસાવવવામાં કોઈ કચાસ નથી છોડી . આંટી પરત આવ્યા બાદ શું આંટીને તેમનું ઘર એવું જ મળે છે કે જેવું તેઓ છોડીને ગયા હતાં કે પછી તેમના ઘરની દુર્દશા થઈ જાય છે ? આ જાણવા માટે તો આપે થિયેટરમાં જઈ વૉટ ધ ફિશ જોવી જ રહી . ડિમ્પલ કાપડિયાની બહેતરીન એક્ટિંગ ધરાવતી વૉટ ધ ફિશ ફિલ્મના ગીતો ખાસ નથી અને ઇંટરવલ બાદ ઘણા એવા વળાંક લે છે કે જે બોરિંગ થઈ જાય છે , પરંતુ ઓવરઑલ વીકેન્ડને લાઇટ એંટરટેનિંગ બનાવવા માટે વૉટ ધ ફિશ જોવી ખોટો નિર્ણય નહીં કહેવાય . વનઇન્ડિયા તરફથી વૉટ ધ ફિશ ફિલ્મને 2 સ્ટાર આપવામાં આવે છે ." sports,"મહેન્દ્ર સિંહ ધોનીએ અણસાર આપી દીધા છેકે ઇંગ્લેન્ડમાં આ તેમની અંતિમ ટેસ્ટ શ્રેણી છે . ભારતીય સુકાનીએ કહ્યું છેકે , લોર્ડ્સ ખાતે રમાયેલી શ્રેણીની બીજી ટેસ્ટ કે જેમાં ભારતે 95 રનની વિજય મેળવ્યો છે , તે તેમની કારકિર્દીની લોર્ડ્સ ખાતેની અંતિમ ટેસ્ટ મેચ છે . ધોની દ્વારા જ્યારે પણ આ પ્રકારના સંકેત આપવામાં આવે છે તે સૂક્ષ્મ હોય છે . તેમજ તે ટીમ પસંદગીકારોને યુવા ચહેરાને આ હોટ સીટ પર બેસાડવાનો સમય મળી જાય છે . લોર્ડ્સમાં વિજય અંગે ધોનીએ કહ્યું કે , હું કેવું અનુભવી રહ્યો છું તે સમજાવી શકું તે નથી . આ મારી લોર્ડ્સમાં અંતિમ ટેસ્ટ છે . હવે હું અહીં ક્યારે આવીશ તે મને ખબર નથી . આ એક યાદગાર મેચ છે . અહીં રમાયેલી અન્ય એક ટેસ્ટ મેચ ઘણી નજીક છે , મને યાદ છે 2007ની શ્રેણીમાં લાઇટ ઓછી હોવાના કારણે ટેસ્ટ મેચ ડ્રો કરી હતી અને તે સમયે હું અને શ્રીસંથ બેટિંગ કરી રહ્યાં હતા . અમે ટેસ્ટ બચાવી હતી અને શ્રેણીમાં જીત્યાં હતા . પર્થની આ સદીએ બદલી નાંખી હતી સચિનની કારકિર્દી લોર્ડ્સ ટેસ્ટ સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ સિદ્ધિ લોર્ડ્સના 5 દિવસમાં વિશ્વ ક્રિકેટે જોયા ટીમ ઇન્ડિયાના પાંચ રત્નો તેમણે કહ્યું કે દરેક મેચ ખાસ હોય છે અને ભારત બહાર ટેસ્ટ મેચ જીતવી ઘણી જ ખાસ હોય છે . લોર્ડ્સ અંગે કહું તો તે ઘણી ખાસ છે , પરંતુ હાલના સમયે દરેક ટેસ્ટ મેચ સ્પેશિયલ છે . નોંધનીય છેકે , જ્યારે 2011માં ભારતનો 4 - 0થી પરાજય થયો હતો ત્યારે ધોનીની આકરી ટીકા થઇ હતી . લોર્ડ્સ ખાતેની મેચમાં પણ ઇશાંતની બોલિંગે કમાલ નહોતો દેખાડ્યો ત્યાં સુધી સ્થિતિ અલગ જ હતી ." entertainment,"ઔરંગઝેબ ફિલ્મ દ્વારા બૉલીવુડમાં પોતાનું કૅરિયર શરૂ કરી રહેલ પાકિસ્તાની અભિનેત્રી સાશા આગાનું નામ થોડાંક સમય અગાઉ એમએમએસ કાંડમાં આવ્યુ હતું , પરંતુ સાશાનું કહેવું છે કે એમએમસ કાંડ તેમના માટે મુશ્કેલ તબક્કો નહોતો . વર્ષ 2011માં સાશા અને અભિનેતા રુસલાન મુમતાઝનું એમએમએસ ખૂબ જ ચર્ચામાં રહ્યુ હતું , પરંતુ સાશાનું કહેવું છે કે તેમાં તેઓ નહોતાં . સાશા આગાએ જણાવ્યું - તે મુશ્કેલ તબક્કો નહોતો . મને લાગે છે કે આવી વસ્તુઓ થતી જ રહે છે . લોકો કાયમ વાતો બનાવતાં હોય છે . નિકાહ ફિલ્મના અભિનેત્રી સલમા આગાના પુત્રી સાશા આગા પોતાની જાતને એક સામાન્ય વ્યક્તિ ગણે છે . સાશાએ જણાવ્યું - મને ક્યારેય એવું નથી લાગ્યું કે હવે મારે શું કરવું જોઇએ ? હું કોઈમાં શામેલ નહોતી , મારા નામનો ઉપયોગ કરાયો હતો . મને એવું ક્યારેય લાગ્યું નહિં કે મારે કંઈ કરવું જોઇએ . પોતાની પ્રથમ ફિલ્મ ઔરંગઝેબમાં અર્જુન કપૂર સાથે રૂપેરી પડદે આવી રહેલાં સાશા આગાને જોકે લોકો તેમનામાં રસ લે , તો ખુશી મળે છે , પરંતુ તેઓ એમ પણ ઇચ્છે છે કે લોકો તેમની પ્રાઇવેસીનો ભંગ ન કરે ." entertainment,"જુમ્મા ચુમ્મા દે દે . . . જુમ્મા ચુમ્મા દે દે ચુમ્મા . . . ટાઇગર હાથમાં કપ લઈ જુમ્મા પાસે ચુમ્મો માંગતો હતો . આ દૃશ્ય યાદ છે ને ? જી હા , ફિલ્મ હમનું આ દૃશ્ય આજે પણ લોકો ભૂલ્યા નથી અને નથી ભૂલ્યા ચુમ્મો માંગનાર ટાઇગર એટલે કે અમિતાભ બચ્ચનને , પરંતુ કદાચ ટાઇગર જેની પાસે ચુમ્મો માંગતા હતો , તે જુમ્મા જરૂર ભુલાઈ ગઈ છે . જુમ્મા એટલે કે કિમી કાટકર . એક સમયે ટારઝન ગર્લ તરીકે જાણીતા થયેલા કિમી કાટકર છેલ્લે જુમ્મા ગર્લ તરીકેની છબી સ્થાપિત કર્યા બાદ બૉલીવુડના રૂપેરી પડદેથી ગાયબ થઈ ગયાં . આજે કિમી કાટકરનો 48મો જન્મ દિવસ છે . 11મી ડિસેમ્બર , 1965ના રોજ મુંબઈ ખાતે જન્મેલા કિમી કાટકર આજે ક્યાં છે ? શું કરે છે ? ઘણા બધા પ્રશ્નો આપના મનમાં પણ ઉઠતાં હશે , પરંતુ ચાલો અમે આપને બતાવીએ કિમી કાટકર વિશે ." business,"નવી દિલ્હી , 25 ઓગસ્ટ : સેન્સેક્સે છેલ્લા એક વર્ષમાં 44 ટકાનું જોરદાર વળતર આપ્યું છે . કેટલાક શેરોમાં તો આ સમયગાળામાં 100 ટકાથી પણ વધારેનો ઉછાળો જોવા મળ્યો છે . આ કારણે જ શેરબજારમાં તેજી હોય ત્યારે રોકાણકારો હંમેશા ઊંચા વળતરથી આકર્ષાઇને વધુ રોકાણ કરવા ખેંચાય છે . જો કે રોકાણકારોનો શેરબજાર પ્રેમ ડગમગી જાય તેવો એક રિપોર્ટ બહાર આવ્યો છે . અંગ્રેજી બિઝનેસ ન્યુઝ પેપર ઇકોનોમિક ટાઇમ્સના એક અહેવાલ અનુસાર છેલ્લા 20 વર્ષમાં શેરબજાર કરતા પબ્લિક પ્રોવિડન્ડ ફંડ એટલે કે પીપીએફ ( PPF ) એ વધારે વળતર ચૂકવ્યું છે . રિપોર્ટમાં કહેવાયું છે કે ' છેલ્લા બે મહિનામાં ઇક્વિટી સ્કીમ્સના રોકાણ અને નવાં ડીમેટ ખાતાની સંખ્યા પર નજર કરીએ તો , રિટેલ રોકાણકારો શેરબજારમાં પાછા ફરી રહ્યા હોવાનો સંકેત મળે છે . આ રોકાણકારોએ એ બાબત ધ્યાનમાં રાખવી જરૂરી છે કે છેલ્લા કેટલાક સમયમાં શેરોમાંથી જે વળતર મળ્યું છે તે આગામી સમયમાં મળવું મુશ્કેલ છે . કેટલાક કિસ્સામાં લાંબા ગાળાના રોકાણનો ખાસ ફાયદો મળ્યો નથી . છેલ્લા 20 વર્ષના આંકડાનો અભ્યાસ કરીએ તો માત્ર શેરમાં રોકાણ કરનારને નિરાશા સાંપડી છે . ' સેન્સેક્સ ઓગસ્ટ 1994માં 4,588ની સપાટીએ હતો . હાલ સેન્સેક્સ 26,420ની સર્વોચ્ચ સપાટીએ ટ્રેડ કરી રહ્યો છે . આ 20 વર્ષના ગાળામાં સૂચકાંક સેન્સેક્સનું વાર્ષિક વળતર માત્ર 9.15 ટકા રહ્યું છે . તેની સામે PPF જેવી કેટલીક ડેટ પ્રોડક્ટ્સે આ ગાળામાં સેન્સેક્સ કરતાં વધુ 10.46 ટકાનું વળતર આપ્યું છે . આંકડાની રીતે આ તફાવત ભલે નાનો લાગતો હોય , પરંતુ મૂલ્યની રીતે તે ઘણો મોટો છે . તમે ગઈ તેજીના આખરી ભાગ ( ઓગસ્ટ 2007 ) માં બજારમાં પ્રવેશ્યા હોવ તો તાજેતરની તેજી છતાં છેલ્લા સાત વર્ષમાં સેન્સેક્સે માત્ર 8.10 ટકાનું વાર્ષિક વળતર આપ્યું છે . આ તફાવત સમજવા એક ઉદાહરણ જોઇએ તો ઓગસ્ટ 1994ના આખરી ભાગમાં તમે સેન્સેક્સ અને પીપીએફ બંનેમાં રૂપિયા 10,000 - 10,000નું રોકાણ કર્યું હોય તો સેન્સેક્સના રોકાણની રકમ અથવા વળતર રૂપિયા 57,520 મળવાપાત્ર થાય છે . જયારે PPFમાંથી તમને રૂપિયા 73,124 જેટલું વળતર મળવાપાત્ર થાય છે . આટલા મોટા તફાવતને જોયા બાદ તેનો અર્થ એવો નથી કે , પીપીએફનું વળતર ઇક્વિટી કરતાં હંમેશા વધારે હોય છે ." business,"સોનાના ભાવમાં છેલ્લા 8 - 10 દિવસોમાં જે ભારે ઘટાડો નોંધાયો છે તેને પગલે આ દિવસોમાં દેશભરમાં ઝવેરીઓને ત્યાં ખરીદદારોની ભીડ ઉમડી પડી છે . ગયા વર્ષના લાઇફ ટાઇમ હાઇથી આ વર્ષે સોનાના ભાવમાં 5000 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો ઘટાડો આવ્યો હતો અને જેના પગલે અઠવાડિયામાં વેચાણમાં 2થી3 ઘણો વધારો થયો છે . સોનાના ભાવ ઓછો થવાથી માત્ર ભારતીય બજારમાં જ ખરીદદારી નથી વધી , પરંતુ આખી દુનિયામાં સોનાની માંગમાં અચાનક વધારો થયો છે . ચીન , હોંગકોંગ અને તુર્કી જેવા દેશોએ આંતરરાષ્ટ્રીય બેંક પાસેથી છેલ્લા એક અઠવાડિયામાં લગભગ 60 ટન સોનું ખરીદી લીધું છે . આની સાથે આંતરરાષ્ટ્રીય બેંકોએ સોના પર પ્રતિઅંશ પર 10થી 15 ડોલરનું પ્રીમિયમ લેવાનું શરૂ કરી દીધું છે . આ પ્રીમિયમ અનુસાર ભારતીય બજારમાં પ્રતિ 10 ગ્રામ 300 રૂપિયા મોંઘુ વેચાઇ રહ્યું છે . બજારના જાણકારોનું માનીએ તો ભારતીય ગ્રાહક આંતરરાષ્ટ્રીય બજારની તુલનાએ ઓછામાં ઓછું 10 ટકા વધારે કીંમત આપી રહ્યો છે , કારણ કે ઘરેલું ભાવમાં 6 ટકાની કસ્ટમ ડ્યૂટી અને લગભગ 1.5 ટકાનું પ્રીમિયમનો સમાવેશ થાય છે . એટલે કે સોનાનું સસ્તું થવાનો ફાયદો ભારતીય ગ્રાહકોને નથી મળી રહ્યો ." business,"નવી દિલ્હી , 4 જાન્યુઆરીઃ વૈશ્વિક સ્તર પર કાચા તેલના ભાવમાં વધારો તથા રૂપિયાના ભાવમાં નબળાઇના લીધે ખર્ચ વધતાં શુક્રવારે પેટ્રોલના ભાવમાં 75 પૈસા અને ડીઝલના ભાવમાં 50 પૈસા પ્રતિ લીટરનો વધારો થયો છે . આ ભાવવધારો શુક્રવારે મધરાત્રિથે લાગૂ થઇ જશે . તેમાં સ્થાનિક વેચાણકર તથા વેટ સામેલ નથી . એવામાં શહેરદીઠ વધારો અલગ અલગ રહેશે . આ પહેલાં પેટ્રોલના ભાવના ભાવ ગત 21 ડિસેમ્બરના રોજ 41 પૈસા ( વેટ સામેલ નહી ) પ્રતિ લીટર વધારવામાં આવ્યા હતા . તે સમયે સરકારે પેટ્રોલ પંપ ડીલરોનું કમીશન વધાર્યું હતું . મધરાત્રિથી દિલ્હીમાં પેટ્રોલના ભાવ 91 પૈસા પ્રતિલીટર વધીને 72.43 રૂપિયા પ્રતિ લીટર થશે , જે અત્યારે 71.52 રૂપિયા પ્રતિ લીટર છે . બીજી તરફ દિલ્હીમાં ડીઝલના ભાવ ટેક્સ સહિત 56 પૈસા પ્રતિ લીટર વધીને 54.34 રૂપિયા પ્રતિ લીટર થઇ જશે . મુંબઇમાં ડીઝલ 60.80 રૂપિયા પ્રતિલીટર થી વધીને 61.42 રૂપિયા પ્રતિલીટર થશે . ડીઝલના ભાવમાં વધારો સરકારના જાન્યુઆરી 2013ના તે નિર્ણયને અનુરૂપ છે જેમાં દર મહિને તેના ભાવ 50 - 50 પૈસા પ્રતિલીટર વધારવાની પરવાનગી આપી દિધી હતી . આ વધારો તે સમય સુધી થવાની હતી જ્યાં સુધી કે તે ઇંઘણ પર પુરૂ નુકસાન સમાપ્ત ન થઇ જાય . ભારતીય ઓઇલ કોર્પોરેશન ( આઇઓસી ) એ ભાવ વધારાની જાહેરાત કરતાં કહ્યું હતું કે આ 12મા ભાવવધારા બાદ પણ પેટ્રોલિયમ કંપનીઓને ડીઝલના વેચાણ પર પ્રતિ લીટર પર 9.24 રૂપિયાનું નુકસાન થઇ રહ્યું છે . અધિકારીઓનું કહેવું છે કે ભાવવધારો 1 જાન્યુઆરીના રોજ થવાનો હતો , પરંતુ પેટ્રોલિયમ કંપનીઓએ એમ ન કર્યું કારણ કે આમ થતાં તેને કંપનીઓ તરફથી નવા વર્ષની ભેટ કહેવામાં આવતી . આ પહેલાં 21 ડિસેમ્બરના રોજ ડીઝલના ભાવમાં 10 પૈસા પ્રતિલીટર વધારવામાં આવ્યા હતા . તે સમયે ડીલરના કમીશનમાં વધારાના કારણે ડીઝલના ભાવ વધારવામાં આવ્યા હતા . ગત વર્ષે જાન્યુઆરીથી ડીઝલમાં કુલ મળીને 7.19 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે ." entertainment,"બોલીવૂડના જાણીતા અભિનેતા દિલીપ કુમારની તબિયત ફરી બગડી છે . બુધવારે સવારે તબિયત બગડતા તેમને લીલાવતી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામા આવ્યા હતા . દિલીપકુમારને ડિહાયડ્રેશન , યુરિન ઈન્ફેકશન અને કિડનીમાં તકલીફ થવાને કારણે આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે . બુધવાર બપોર બાદ દિલીપ કુમારની તબિયત બગડતા તેમને હોસ્પિટલમાં ખસેડાયા હતા . ત્યાં ડૉક્ટરોએ તેમની તપાસ કરતા હાલત વધુ નાજુક હોવાને કારણે તેમને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા . 93 વર્ષના દિલીપ કુમારનની તબિયત બગડવાના સમાચાર વારંવાર સાંભળવા મળે છે . આ અગાઉ ડિસેમ્બરમાં પણ તેમને તાવ અને પગમાં સોજા આવવાને કારણે લીલાવતી હોસ્પિટલમા ખસેડવામાં આવ્યા હતા પરંતુ પછી તબિયતમાં સુધારો થવાથી તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી . 40ના દાયકાના સુપરસ્ટાર દિલીપ કુમાર એ બોલીવૂડ પર ઘણા વર્ષો રાજ કર્યું છે . તેમણે ઘણી સારી ફિલ્મો કરી ને લોકોના મનમાં પોતાની જગ્યા બનાવી છે . તેમણે અંદાઝ , મધુમતી , દેવદાસ , મુઘલ - એ - આઝમ , ગંગા - જમના જેવી યાદગાર ફિલ્મો આપી છે . 1994મા દાદાસાહેબ ફાળકે ઍવોડ અને 2015માં પદ્મ વિભૂષ્ણથી દિલીપકુમારને સન્માનિત કરવામાં આવ્યા હતા . તેઓની જીવન સંગિની સાયેરા બાનુ હંમેશા તેમની સાથે જોવા મળે છે ." sports,"આજે ક્રિકેટર યુવરાજ સિંહ અને હેઝલ ગોવામાં હિંદુ પરંપરા અનુસાર કરશે લગ્ન . યુવરાજ સિંહ અને હેઝલ આજે ગોવમાં બીજીવાર લગ્ન કરશે . બુધવારે આ બંન્ને ચંદીગઢ ખાતે ગુરુદ્વારામાં લગ્નગ્રંથિથી જોડાયાં હતાં . પણજીમાં આજે ક્રિકેટર યુવરાજ સિંહ પત્ની હેઝલ કિચ સાથે હિંદુ વિધિ અનુસાર લગ્ન કરશે . આ બંન્નેએ 30 નવેમ્બરના રોજ ચંદીગઢમાં પંજાબી રીત - રિવાજો પ્રમાણે લગ્ન કર્યાં હતાં . યુવી હાલ , પોતાના આખા પરિવાર સાથે ગોવા પહોંચી ગયો છે . અને તેમના પરિવારો સાથે ગોવામાં ભરપૂર એન્જોય કરી રહ્યાં છે . તેમણે પોતાના કેટલાંક મજાક - મસ્તી કરતાં ફોટોગ્રાફ સોશિયલ મિડીયા પર પણ શેયર કર્યાં છે . ગઇકાલે સાંજે યુવી અને હેઝલે ગોવામાં મ્યૂઝિક બેન્ડની મજા માણી હતી . ટિજો વોટરફ્રન્ટ રિસોર્ટમાં સેલિબ્રિટિઝનો મેળાવડો યુવી અને હેઝલના લગ્ન શુક્રવારે સાંજે ટિજો વોટરફ્રન્ટ રિસોર્ટમાં થવાના છે . ગોવાના વેડિંગ સેલિબ્રેશનમાં ક્રિકેટ અને બોલિવૂડ જગતનાં ઘણાં લોકપ્રિય ચહેરાઓ જોવા મળશે એવી આશા સેવાઇ રહી છે . આજે મુંબઇ એરપોર્ટ પર રાહુલ દ્રવિડ અને આશિષ નેહરાને પણ સ્પોટ કરવામાં આવ્યાં હતા . વિરાટ પણ ગોવામાં ટીમ ઇન્ડિયાના કપ્તાન અને યુવીનાં ખાસ મિત્ર વિરાટ કોહલી પણ ગોવા પહોંચી ગયા છે . વિરાટની પ્રેમિકા અનુષ્કા શર્મા પણ આ લગ્નમાં હાજરી પૂરાવશે એમ કહેવાઇ રહ્યું છે . ગ્રાન્ડ ડિનર સાંજે 7 વાગે ગ્રાન્ડ ડિનર યોજાશે , જેમાં ક્રિકેટની સાથે જ બોલિવૂડ જગતનાં પણ લોકપ્રિય સિતારાઓ હાજર રહેશે . ઘરે યોજાશે પાર્ટી યુવીએ 3 ડિસેમ્બરના રોજ પોતાના ક્લોઝ ફ્રેન્ડ્સ અને રિલેટિવ્સ માટે તેના મોરજિમવાળા ઘરે પાર્ટીનું આયોજન પણ કર્યું છે ." sports,"આઇપીએલ 10 બીજી ક્વોલિફાયર મેચ મુંબઇ ઇન્ડિયન્સ અને કલકાત્તા નાઇટ રાઇડર્સ વચ્ચે આ મેચ હાલ બેંગ્લોરના ખચાખચ ભરેલા ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઇ રહી છે . મુંબઇ અને કલકાત્તા વચ્ચે કારો અથવા મરોની મુકાબલો છે . આ મેચમાં જીતનારી ટીમને 21 મેએ રાઇઝિંગ પૂણે સુપરજાઇન્ટ સામે ફાઇનલ રમશે . હારનારી ટીમનો સફર સમાપ્ત થઇ જશે . ત્યારે આ મેચની તમામ લેટેસ્ટ માહિતી જાણવા માટે આ પેજને રિફ્રેશ કરતા રહો . અહીં અમે તમને આ મેચની તમામ અપડેટ આપતા રહીશું . Updated : કલકાત્તા નાઇટ રાઇડર્સ ક્રિસ લીન , સુનીલ નારાયણ , ગૌતમ ગંભીર ( કેપ્ટન ) , રોબિન ઉથપ્પા , ઇશાક જગ્ગી , સૂર્યકુમાર યાદવ , કોલિન ગ્રાન્ડહોમ , નાથન કોલ્ટર નાઇલ , પીયૂષ ચાવલા , ઉમેશ યાદવ , અંકિત રાજપૂત મુંબઇ ઇન્ડિયન્સ લેન્ડલ સિમોન્સ , પાર્થિવ પટેલ , રોહિત શર્મા ( કેપ્ટન ) , અંબાતી રાયુડૂ , કિરોન પોલાર્ડ , કૃણાલ પંડ્યા , હાર્દિક પંડ્યા , કર્ણ શર્મા , મિશેલ જોનસન , જસપ્રિત બુમરાહ , લસિથ મલિંગા" sports,"વેસ્ટઇન્ડિઝ સામે ત્રીજી અને છેલ્લી કાનપુર વનડે મેચમાં ટીમ ઇન્ડિયાએ ટોસ જીતીને પ્રથમ બોલિંહ કરવાનો નિર્ણય કર્યો છે . ભારતને પહેલી સફળતા ભુવનેશ્વર કુમારે અપાવી જેણે જોનસન ચાર્લ્સને 11 રન પર બોલ્ડ કરી દીધો હતો . પરંતુ ત્યારબાદ કીરન પૉવેલ અને મર્લોન સેમ્યુઅલ્સે કોઇ નુકસાન થવા દીધું નહીં , અને સ્કોર 100ની પાર કરી દીધો . પૉવેલે શાનદાર અર્ધસદી ફટકારી , બાદમાં તે 70 રન બનાવી અશ્વિનનો શિકાર બની ગયો . હાલમાં ત્રણ વનડે મેચોની શ્રેણીમાં બંને ટીમ 1 - 1ની બરાબરી પર છે . વેસ્ટઇન્ડિઝ તરફથી તરફથી સેમ્યુઅલે ( 71 ) , સિમોન્સ ( 13 ) , ડ્વાઇન બ્રાવોએ શાનદાર 51 રન બનાવીને આઉટ થયા હતા જ્યારે ડેરેન બ્રાવો 4 અને સૈમી 37 રન બનાવી અણનમ રહ્યા હતા . વેસ્ટઇન્ડિઝે 50 ઓવરની સમાપ્તી સુધી 5 વિકેટના નુકસાન પર 263 રન બનાવી લીધા છે અને ભારતને 264 રનોનું લક્ષ્યાંક આપ્યું હતું . ભારત તરફથી અશ્વિને 2 વિકેટ લીધી હતી . જ્યારે ભુવનેશ્વર કુમાર , મોહમ્મદ સામી , અને રવિન્દ્ર જાડેજાએ 1 - 1 વિકેટ લઇને સંષોષ માન્યો હતો . ભારત તરફથી અશ્વિને 2 વિકેટ લીધી હતી . જ્યારે ભુવનેશ્વર કુમાર , મોહમ્મદ સામી , અને રવિન્દ્ર જાડેજાએ 1 - 1 વિકેટ લઇને સંષોષ માન્યો હતો . અત્રે ઉલ્લેખનીય છે કે આ મેચમાં જે ટીમ વિજેતા બનશે તે શ્રેણીમાં વિજય મેળવશે . કાનપુર ટેસ્ટમાં ભારતે શાનદાર વિજય મેળવી લીધો છે . ભારત તરફથી શિખર ધવનની આંધીમાં વેસ્ટઇન્ડિઝના બોલરો ધોવાઇ ગયા હતા અને શિખર ધવને માત્ર 95 બોલમાં શાનદાર 119 રનોની શતકીય પારી ખેલી હતી . ઉપરાંત યુવરાજ સિંહે પણ શાનદાર અર્ધસદી ફટકારી હતી . ભારતે માત્ર 46.1 ઓવરમાં જ 266 રન નોંધાવી જીત મેળવી લીધી . આ રીતે કાનપુર વનડેમાં જીતની સાથે ત્રણ વનડે મેચની શ્રેણીમાં ભારતે 2 - 1થી વિજય પરચમ લહેરાવી દીધો છે . શિખર ધવનને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો છે જ્યારે વિરાટ કોહલીને મેન ઓફ ધ સિરિઝ જાહેર કરાયો છે . આ પહેલા ભારતીય ટીમે વેસ્ટઇન્ડિઝને ટેસ્ટ શ્રેણીમાં પણ માત આપી હતી . કાનપુર ટેસ્ટમાં બંને ટીમો આ પ્રમાણે છેઃ ભારતીય ટીમઃ મહેન્દ્ર સિંહ ધોની ( કપ્તાન ) , રોહિત શર્મા , શિખર ધવન , વિરાટ કોહલી , સુરેશ રૈના , યુવરાજ સિંહ , રવિચંન્દ્ર અશ્વિન , મોહમ્મદ સમી , ભુવનેશ્વર કુમાર , રવિન્દ્ર જાડેજા , મોહિત શર્મા . વેસ્ટઇન્ડિઝની ટીમઃ ડ્વેન બ્રાવો ( કપ્તાન ) , કીરન પૉવેલ , ડારેન બ્રાવો , જોનસન ચાર્લ્સ , જેસન હોલ્ડર , સુનીલ નરેન , વીરાસૈમી પરમૉલ , રવિ રામપાલ , ડારેન સૈમી , માર્લન સેમ્યુઅલ્સ , એલ સિમંસ ." sports,સ્પૉટ ફિક્સિંગ પ્રકરણમાં ભલે આઇપીએલની છબિ ભલે ખરડાઇ ગઇ હોય અને રાજસ્થાન રોયલ્સની છબિને ખૂબ નુકસાન પહોંચાડ્યું હોય પરંતુ ટીમના કેપ્ટન રાહુલ દ્રવિડે કહ્યું હોય કે ટ્વેન્ટી - 20 લીગને પ્રતિબંધિત કરીને કંઇ સારું થઇ શકે નહી કારણ કે તેમાં ઘણી સારી વસ્તુઓ છે . મુંબઇ ઇન્ડિયંસની સામે બીજી ક્વાલીફાયમાં ચાર વિકેટે હારનો સ્વાદ ચાખ્યા બાદ આઇપીએલ - 6 માંથી બહાર થયા બાદ દ્રવિડે કહ્યું હતું કે તમારે પડકારોનો સામનો કરવો પડશે . જો તમે ટૂર્નામેન્ટને બંધ કરી દેશો તો આ પ્રમાણે જ થશે જેવી રીતે બાળકને નવડાવવાની સાથે પાણીની સાથે ફેંકવું . તેમને કહ્યું હતું કે અમે આઇપીએલને રદ કરવા જેવા મોટું નિવેદન આપવા છતાં આ મુદ્દાઓનો સામનો કરવાની જરૂરિયાત છે . કારણ કે ટૂર્નામેંટને ઘણી સારી સકારાત્મક વસ્તુઓ મળી રહી છે . પૂર્વ ભારતીય કેપ્ટને 16 વર્ષના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ બાદ સંન્યાસ લીધો હતો . તેમને કહ્યું હતું કે ભૂતકાળમાં પણ ફિક્સિંગ થતું હતું . દ્રવિડે કહ્યું હતું કે આપણે આના કારણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને બંધ ના કરી શકીએ . જો આ માપદંડ અપનાવવા જઇશું તો આપણે બધા પ્રકારની ક્રિકેટને બંધ કરી દેવી જોઇએ . આ કેટલાક પડકારોને યોગ્ય કરવાનો સવાલ છે . સટ્ટેબાજીનો મુદ્દો ફક્ત આઇપીએલ નથી . આપણે ભૂતકાળમાં પણ જોયું છે કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પણ આ મુદ્દો ઉપસ્થિત છે . sports,"ભારતીય ક્રિકેટ ટીમે વાનખેડે સ્ટેડિયમમાં વેસ્ટઇન્ડિઝની સાથે શરૂ થયેલી બીજી ટેસ્ટ મેચમાં ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે . વેસ્ટઇન્ડિઝ 182 રનમાં ઓલ આઉટ થઇ ગયું છે . બેટિંગ કરવા માટે ઉતરેલી વેસ્ટઇન્ડિઝની ટીમને ક્રિસ ગેઇના રૂપમાં પ્રથમ ઝટકો લાગ્યો હતો . અહમદ શમીએ ગેઇલને 11 રન પર જ પેવેલિયનનો રસ્તો બતાવી દીધો હતો . ત્યારબાદ અશ્વિને ડ્વેન બ્રાવોને 29 રન પર આઉટ કરી દીધો . આ પછી વેસ્ટઇન્ડિઝના ધુરંધરો એક પછી એક ભારતીય ટીમ સામે નતમસ્તક થઇ ગયા , અને સસ્તામાં પેવેલિયન ભેગા થઇ ગયા . ભારત તરફથી પ્રજ્ઞાન ઓઝાએ સૌથી વધારે 5 વિકેટ ઝડપી હતી . જ્યારે આર . અશ્વિને 3 વિકેટ પોતાના નામે કરી હતી , તેમજ મોહમ્મદ સામીએ અને ભુવનેશ્વર કુમારે 1 - 1 વિકેટ લીધી હતી . ભારતે પ્રથમ દિવસે પોતાની પહેલી પારીમાં 2 વિકેટના નુકસાન પર 157 રન નોંધાવ્યા છે . શિખર ધવન 33 અને મુરલી વિજય 43 રન બનાવીને આઉટ થઇ ગયા છે . જ્યારે ક્રિઝ પર પોતાની છેલ્લી ટેસ્ટ રમી રહેલા માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર 38 રન અને ચેતેશ્વર પુજારા 34 રન પર અણનમ છે . સચિનની 200મી અને ચંદ્રપૉલની 150મી ટેસ્ટઃ આ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરના કેરિયરની 200મી અને છેલ્લી ટેસ્ટ મેચ છે . સચિન આ મેચ બાદ ક્રિકેટ જગતમાંથી નિવૃત્તિ લઇ લેવાના છે . સચિન પાસે ચાહકોને શાનદાર પારીની આશા છે . તેઓ કોલકાતામાં રમાયેલ પ્રથમ ટેસ્ટ મેચમાં 10 રન જ બનાવી શક્યા હતા . ભારતે પ્રથમ ટેસ્ટ એક પારી અને 51 રનથી જીતી લીધી બતી . આ ઉપરાંત વેસ્ટઇન્ડિઝના દિગ્ગજ બેસ્ટમેન શિવનારાયણ ચંદ્રપૉલ પોતાની 150મી ટેસ્ટ મેચ રમી રહ્યા છે . ફેન્સ અને અન્ય હસ્તીઓ મેદાનમાંઃ માસ્ટર બ્લાસ્ટરને મેદાનમાંથી વિદાય લેતા જોવા માટે તેમના ફેન્સમાં મારામારી મચેલી છે , આ ઉપરાંત બોલીવુડની હસ્તિઓ , કોર્પોરેટ જગત અને બ્રાયન લારાથી લઇને શોએબ અખ્તર સુધીના મહાન ક્રિકેટર અને ક્યારેક મેદાન પર તેમના વિપક્ષી અને ટીકાકાર રહેલા દિગ્ગજ પણ તેમની 200મી ટેસ્ટ જોવા માટે સ્ટેડિયમમાં હાજર છે . સચિનની માતા પણ સ્ટેડિયમમાંઃ પહેલીવાર સચિનની માતા રજની પણ મેદાન પર પોતાના દિકરાને રમતો જોવા માટે ઉત્સાહિત છે . જોકે દુઃખની વાત એ છે કે છેલ્લીવાર પોતાના દિકરાને બેટિંગ કરતા જોશે . વર્ષેથી દેશની આશાઓનો ભાર પોતાના ખભા પર ઉઠાવતા સચિને 199 ટેસ્ટોમાં 15847 રન બનાવ્યા છે અને તેમની પાસે તેમની છેલ્લી ટેસ્ટ મેચમાં પણ સદી ફટકારવાની આશા સેવાઇ રહી છે . જો સચિન આ મેચમાં 153 રન બનાવી લે છે તો તેઓ 200 ટેસ્ટમાં 16000 રનોના આંકડાઓને પાર કરી લેશે . ટીમ આ પ્રમાણે છેઃ ભારતઃ મહેન્દ્ર સિંહ ધોની ( કપ્તાન ) , શિખર ધવન , મુરલી વિજય , ચેતેશ્વર પુજારા , સચિન તેંડુલકર , વિરાટ કોહલી , રોહિત શર્મા , રવિચંદ્રન અશ્વિન , ભુવનેશ્વર કુમાર , પ્રજ્ઞાન ઓઝા , મોહમ્મદ શમી . વેસ્ટઇન્ડિઝઃ ક્રિસ ગેઇલ , કીરન પૉવેલ , ડારેન બ્રાવો , માર્લન સેમ્યુએલ્સ , શિવનારાયણ ચંદ્રપૉલ , દિનેશ રામદીન , શેન શિલિંગફોર્ડ , શેલ્ડન કૉટરેલ , નરસિંહ દેવનારાયણ , વીરાસેમી પરમૉલ અને ટીનો બેસ્ટ , શેનોન ગેબ્રિયલ ." sports,"સાત ઑગસ્ટથી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ શ્રેણીની ચોથી ટેસ્ટ મેચ માન્ચેસ્ટર ખાતે રમાનારી છે . આ ટેસ્ટમાં ભારતીય સુકાની મહેન્દ્ર સિંહ ધોની તરફથી કેવા પ્રકારની ટીમની પસંદગી કરવામાં કરવામાં આવશે તેને લઇને ચર્ચાએ જોર પકડ્યું છે . જોકે ખેલાડીઓની પસંદગીની સાથોસાથ ધોનીને ઘણા પડકારોનો સામનો કરવો પડી શકે છે . આ પડકારો એવા છે જેમાંથી અનેકવાર મહેન્દ્ર સિંહ ધોની સફળતાપૂર્વક બહાર આવી ગયા છે , પરંતુ આ વખતે સ્થિતિ થોડીક વધારે નાજૂક છે . કારણ કે , શ્રેણી 1 - 1થી બરાબર પર છે અને ધોનીએ ખેલાડીઓની પસંદગી સમજી વિચારીને કરવાની જરૂર ઉભી થઇ છે . જો આ ટેસ્ટ મેચ ભારતે ગુમાવી દીધી તો ટેસ્ટ શ્રેણી જીતવાનું સ્વપ્ન ભારત ગુમાવી દેશે અને અંતિમ ટેસ્ટમાં શ્રેણી હારનો ભય ભારતના મનોબળન નબળો પાડી દેશે . તો ચાલો તસવીરો થકી ધોની સામે ઉભા થયેલા પડકારો અંગે જાણીએ . નવી ‘ટીમ ઇન્ડિયા ' માં સ્થાન , જાણો શું કહ્યું કર્ણ - સેમસને આ પણ વાંચોઃ - અનુભવીઓની અવગણનાઃ ઇંગ્લેન્ડ સામે ટકારશે આ નવી ‘ટીમ ઇન્ડિયા '" entertainment,"જિયા ખાન આત્મહત્યા કેસમાં એક નવો વળાંક આવી ગયો છે . પોતાના રૂમમાં પંખા સાથે ફાંસો ખાધેલ અવસ્થામાં મળેલા નિશબ્દના યુવાન અભિનેત્રી જિયા ખાનના મોતનું રહસ્ય વધુ ગુંચવાતુ જાય છે . ટેલીવિઝન ચૅનલો પર પ્રસારિત રિપોર્ટ્સ ઉપર ભરોસો કરીએ , તો જિયા ખાન કેસનો એફએસએલ રિપોર્ટ કહે છે કે જે રૂમમાં જિયા ખાનનું શબ ગળે ફાંસો લાગેલી હાલતમાં મળ્યું , તે રૂમમાં કોઈ પણ વસ્તુ ઉપર જિયાની આંગળીઓના નિશાન નહોતા . એટલુ જ નહીં , જે પંખા સાથે જિયા ખાન લટકેલી હાલતમાં મળ્યાં , તે પંખા ઉપર પણ જિયા કે બીજા કોઈના ફિંગર પ્રિંટ્સ નથી મળ્યાં . જોકે રિપોર્ટ આવ્યા બાદ રાબિયા ખાને એકેય વાર પંચોલી પરિવારની કોઈ વ્યક્તિ સામે આરોપ નથી લગાવ્યો . જિયા ખાને આત્મહત્યા કર્યું , તે વખતે રાબિયાએ જ સૂરજ પંચોલી વિરુદ્ધ કેસ નોંધાવ્યો હતો અને તેથી જ સૂરજ 23 દિવસ સુધી જેલમાં હતાં . હાલ તેઓ જામીન ઉપર બહાર છે . જિયા ખાનનું શબ 3જી જૂન , 2013ના રોજ તેમના ઘરે પંખા સાથે લટકેલી હાલતમાં મળી આવી હતી ." entertainment,90 ના દાયકામાં દૂરદર્શન પર આવવાવાળી સિરિયલ શક્તિમાન હવે ફરી એકવાર આવી રહી છે . બાળકો સાથે સાથે મોટાઓ પણ આ સિરિયલને ખુબ જ પસંદ કરતા હતા . જ્યારથી શક્તિમાનના બીજા સીઝનની વાત આવી છે ત્યારથી ફેન્સ રાહ જોઈને બેઠા છે . શક્તિમાનના ફેન્સએ તો તેનું ટ્રેલર પણ બનાવ્યું છે . આ ટ્રેલર યૂટ્યૂબ પર તમે જોઈ શકો છો . આ ટ્રેલરમાં તમે ફેન્સની શક્તિમાન પ્રત્યેની દીવાનગી જોઈ શકો છો . આ વીડિયો ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે . શક્તિમાનને લઈને મુકેશ ખન્નાનું કહેવું છે કે નવી સીઝનમાં શક્તિમાનની અસાધારણ શક્તિઓ મેળવવાની સફર બતાવવામાં આવશે . તેમને જણાવ્યું છે નવી સીઝન ત્યાંથી જ શરૂ થશે જ્યાંથી પહેલી સીઝન પુરી થઇ હતી . મુકેશ ખન્નાએ જણાવ્યું કે આ સીઝનમાં શક્તિમાનનું બાળપણ પણ બતાવવામાં આવશે . જેમાં તેને 7 ગુરુઓ પાસેથી શિક્ષા લઈને તેના સુપરહીરો બનવાની આખી પ્રક્રિયા પણ બતાવવામાં આવશે . મુકેશ ખન્ના ફરી એકવાર શક્તિમાનનો રોલ નિભાવવા જઈ રહ્યા છે . તેમને લગભગ 8 કિલો વજન પણ ઓછું કર્યું છે . sports,ભારતીય ક્રિકેટ ટીમે પોતાના શાનદાર રમતના કારણે ગુરુવારે નેહરૂ સ્ટેડિયમમાં રમાયેલ પ્રથમ વન ડે મેચમાં વેસ્ટઇન્ડિઝને 6 વિકેટથી હરાવી દીધું છે . આની સાથે જ ભારતે ત્રણ મેચોની શ્રેણીમાં 1 - 0થી બઢત હાસલ કરી લીધી છે . ભારતે પોતાના સ્પિનરોના ઉમદા પ્રદર્શન પર પહેલા તો વેસ્ટ ઇન્ડિઝને માત્ર 211 રનો પર જ સમેટી લીધું અને બાદમાં 35.5 ઓવરોમાં ચાર વિકેટ ગુમાવીને લક્ષ્ય હાસલ કરી લીધું . યુવરાજ સિંહ 16 અને કપ્તાન મહેન્દ્ર સિંહ ધોની 12 રનો પર અણનમ રહ્યા . શાનદાર ફોર્મમાં ચાલી રહેલા વિરાટ કોહલી ( 86 ) અને રોહિત શર્મા ( 72 ) ની તોફાની અર્ધસદીથી ભારતને પોતાના સ્પિનરોની મદદથી ગુરુવારે વેસ્ટઇન્ડિઝને પ્રથમ વનડે મેચમાં 6 વિકેટથી માત આપીને ત્રણ મેચોની શ્રેણીમાં 1 - 0થી બઢત બનાવી લીધી છે . લેફ્ટ આર્મ સ્પિનર રવીન્દ્ર જાડેજા અને પાર્ટ ટાઇમ સ્પિનર સુરેશ રૈનાની ત્રણ - ત્રણ વિકેટો તથા ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિનની બે વિકેટોના સ્પિન જાળમાં ફસીને કેરેબિઆઇ ટીમે સમર્પણ કરી દીધું છે . બાકીની કસર રોહિત અને વિરાટની તોફાની બેટિંગે પૂરી કરી દીધી . વન ડેમાં બેવડી સદી ફટકારનાર દુનિયાના ત્રીજા બેટ્સમેન રોહિતે ત્યારબાદ બે ટેસ્ટોમાં સતત સદી ફટકારી હતી . તેમણે પોતાના આ અભિયાનને આગળ ધપાવતા 81 બોલોમાં 72 રનમાં આઠ ચોગ્ગા અને એક છગ્ગો લગાવ્યો . વન ડેમાં સૌથી જડપી 5000 રન પૂરા કરવામાં વેસ્ટઇન્ડિઝના વિવિયન રિચર્ડ્સના રેકોર્ડની બરાબરી કરનાર 84 બોલોમાં 86 રનમાં 9 ચોગ્ગા અને બે છગ્ગા લગાવ્યા . entertainment,જે અભિનેત્રી સની દેઓલથી લઈને રિતિક રોશન અને સલમાન ખાન સાથે પણ કામ કરી ચુકી હોઈ તો ચોક્કસ કોઈ મોટી અભિનેત્રી જ હશે . અહીં અમે વાત કરી રહ્યા છે અમિષા પટેલ વિશે . અમિષા પટેલ ખૂબ જ સુંદર છે અને સાથે સાથે તેને એક સારી અભિનેત્રી પણ માનવામાં આવે છે . અમિષા પટેલે જ્યારે તેના કરિયરની શરૂઆત કરી ત્યારે તેને ખૂબ જ સારી ફિલ્મો પણ મળી હતી . કહો ના પ્યાર હૈ કર્યા બાદ તેને ગદર જેવી ફિલ્મમાં પણ કામ કર્યું . પરંતુ આજકાલ તેમનું કરિયર બરાબર નથી ચાલી રહ્યું . અમિષા પટેલ બોલિવૂડની સુંદર અભિનેત્રીઓમાં એક છે . માસૂમ ચેહરો અને સુંદર સ્માઈલના આજે પણ લાખો દીવાના છે . અમિષા પટેલ જેટલી ક્યૂટ અને સુંદર છે તેટલી જ હોટ અને ગ્લેમરસ પણ છે . તો તસવીરો ઘ્વારા જુઓ અમિષા પટેલનો હોટ અને ગ્લેમરસ અંદાઝ . . . sports,"નવી દિલ્હી , 14 ઓક્ટોબરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એશિયન ગેમ્સ 2014માં મેડલ જીતનારા ભારતીય ખેલાડીઓ સાથે મુલાકાત કરી હતી . 17માં એશિયાડ ગેમ્સનું આયોજન આ વખતે ઇનચેયોન , સાઉથ કોરિઆમાં સપ્ટેમ્બર 19થી 4 ઓક્ટોબર સુધી થયું હતું , જેમાં ભારતે શ્રેષ્ઠ પ્રદર્શન કરતા 57 મેડલ્સ ( 11 ગોલ્ડ , 10 સિલ્વર અને 36 બ્રોન્ઝ ) પોતાના નામે કર્યા હતા . વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પદકવીરોને શુભેચ્છા પાઠવી હતી . વડાપ્રધાને તમામને જણાવ્યું કે તેઓ ભારતનું ગર્વ છે . નરેન્દ્ર મોદીએ આ મુલાકાતની તસવીર ટ્વિટ કરી હતી . વડાપ્રધાને દરેક એથલીટને જણાવ્યું કે તેઓ પોતાના મંતવ્યો બેફીકર રજૂ કરી શકે છે , અને કોઇપણ વાત કરવા માટે તેમને વ્યક્તિગત આવીને મળી શકે છે . ગોલ્ડ મેડલ જીતનાર યોગેશ્વર દત્ત , સાનિયા મિર્ઝા , મેરી કોમ , ભારતીય પુરુષ અને મહિલા કબડ્ડી ટીમના સભ્યોને અત્રે વડાપ્રધાન દ્વારા સન્માનવામાં આવ્યા . અત્રે નોંધનીય છે કે ગઇકાલે રમત મંત્રી સરબનંદા સોનાવલે ગોલ્ડ મેડલ જીતનાર ખેલાડીઓને 20 લાખ , સિલ્વર મેડલ જીતનારને 10 લાખ અને બ્રોન્ઝ મેડલ જીતનાર ખેલાડીઓને 6 લાખના ચેક એનાયત કર્યા . સોનાવલે દરેક એથલેટને અભિનંદન આપ્યા અને જણાવ્યું કે મેડલ જીતનાર ખેલાડીઓનું પ્રદર્શન પ્રેરણાદાયક હતું અને મેડલ નહીં જીતનાર ખેલાડીઓ 2016 માટેની તૈયારીઓ શરૂ કરી દે . વડાપ્રધાને એથલીટોને કહ્યું અભિનંદન જુઓ તસવીરો . . ." entertainment,"ઉંમરની વાત આવે , તો પુરુષો તેનો ખુલાસો કરવામાં ક્યારેય છોછ કે સંકોચ નથી અનુભવતા , પરંતુ વાત સ્ત્રીઓની હોય , તો ભાગ્યે જ કોઈ સ્ત્રી કે યુવતી પોતાની સાચી ઉંમર લોકો સામે જાહેર કરતી હોય છે . આ તો વાત થઈ સામાન્ય યુવતીઓની . જો સામાન્ય યુવતીઓ પોતાની ઉંમર છુપાવવામાં પાવરઘી હોય , તો સેલિબ્રિટીઓ કઈ રીતે પોતાની સાચી ઉંમરનો ખુલાસો કરી શકે . જોકે બૉલીવુડ હસીનાઓમાં ઐશ્વર્યા રાય અને માધુરી દીક્ષિત જેવી અભિનેત્રીઓ પણ છે કે જેઓ ખુલ્લેઆમ પોતાની ઉંમર કોઈની સામે પણ પ્રકટ કરી દે છે , પરંતુ આ જ બૉલીવુડમાં કેટલીક અભિનેત્રીઓ એવી છે કે જેઓ ઉંમર બતાવવાના નામે સૂગ ધરાવે છે . આવી અભિનેત્રીઓમાં માત્ર ફ્લૉપ અભિનેત્રીઓ જ નથી કે જેમને વધુ વય બતાવતા કૅરિયર ઉપર ખતરો દેખાતો હોય . આવી અભિનેત્રીઓમાં હિટ અભિનેત્રીઓ પણ છે કે જેમને ઉંમરનો ખુલાસો કરવામાં ક્યાંય પણ કૅરિયર આડે આવી ન શકે . આમ છતાં તેઓ આવી બાબતથી દૂર જ ભાગે છે . ચાલો તસવીરો સાથે આપને બતાવીએ ઉંમર છુપાવતી બૉલીવુડ હસીનાઓ :" sports,"હૈદરાબાદ , 30 સપ્ટેમ્બરઃ વેસ્ટઇન્ડિઝના રહસ્યમયી સ્પિનર સુનીલ નારાયણની સોમવારે કોલકતા નાઇટ રાઇડર્સ અને ડોલ્ફિન્સ વચ્ચેની ચેમ્પિયન્સ લીગ ટી20 મેચ દરમિયાન સંદિગ્ધ બોલિંગ એક્શન માટે રિપોર્ટની મોકલવામાં આવેલી આઇસીસીના ચકિંગ વિરુદ્ધ ચલાવવામાં આવી રહેલા અભિયાનમાં નવો મામલો છે . નારાયણને ચેતાવણી સૂચિમાં રાખવામાં આવ્યો છે તથા તે પોતાની ટીમ તરફથી મેચો રમી શકે છે . નારાયણ વિરુદ્ધ બીજી વખત આ પ્રકારે રિપોર્ટ કરવામાં આવશે તો તેને ચેમ્પિયન્સ લીગ ટી20માં બોલિંગ કરવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવી શકે છે . જોકે તે બેટ્સમેન તરીકે રમી શકે છે . વધુમાં કહેવામાં આવ્યું છેકે , સંદિગ્ધ બોલિંગ એક્શન માટે નિલંબિત કરવામાં આવેલા બોલર્સને મેચમાં રમવા માટે પસંદ કરી શકાય છે , પરંતુ તે બોલિંગ કરી શકે નહીં . નારાયણ છેલ્લા ચાર સત્રથી કેકેઆર તરફથી રમી રહ્યો છે અને પોતાની ટીમને બે વખત આઇપીએલ ટાઇટલ અપાવવામાં મહત્વની ભૂમિકા નિભાવી છે . વર્તમાન ચેમ્પિયન્સ લીગ ટી20માં તે 11 વિકેટ સાથે સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે . નોંધનીય છેકે , સંદિગ્ધ બોલિંગ એક્શન મામલે પાકિસ્તાનના ઓફ સ્પિનર સઇદ અજમલ પર પહેલાથી જ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે અને લાહોર લાયન્સના બે બોલર અદનાન રસૂલ અને મોહમ્મદ હાફીઝ વિરુદ્ધ પણ સંદિગ્ધ બોલિંગ એક્શન માટે રિપોર્ટ કરવામાં આવ્યો છે ." entertainment,"બૉલીવુડમાં કોઇક ફિલ્મની નવી આવત્તિ બનાવવાની પરમ્પરાથી જુદા પડી નિર્માતા વાસુ ભાગનાની નવી વાર્તા સાથે ફિલ્મ હશકલ બનાવી રહ્યાં છે . વાસુ ભાગનાનીના જણાવ્યા મુજબ સૈફ અલી ખાન અને રીતેશ દેશમુખ આ ફિલ્મમાં હશે અને તેનું શૂટિંગ ચોમાસામાં શરૂ થશે . વાસુએ અગાઉ હિમ્મતવાલા ફિલ્મનું સહ - નિર્માણ કર્યુ હતું કે જે દર્શકોનો દિલ જીતવામાં નિષ્ફળ રહી હતી . હમશકલ ફિલ્મના નિર્માણનું સમર્થન કરતાં વાસુએ જણાવ્યું - હું હમશકલનું નિર્માણ કરી રહ્યો છું . આ એક નવી ફિલ્મ છે , નહિં કે કોઈ ફિલ્મની રીમેક . તેનું દિગ્દર્શન સાજિદ ખાન કરશે અને સૈફ તેમજ રીતેશ મુખ્ય ભૂમિકા ભજવશે . શૂટિંગ ઑગસ્ટમાં શરૂ કરવામાં આવશે . અમે હજી ફિલ્મના નાયિકા વિશે નક્કી નથી કર્યું . તેનો નિર્ણય થતાં જ અમે ફિલ્મ અંગે અધિકૃત જાહેરાત કરી દઇશું . પોતાના પુત્ર જૅકી ભાગનાની માટે નવી ફિલ્મ બનાવવા અંગે પણ વાસુ વિચાર કરી રહ્યાં છે . તેમણે જણાવ્યું - અમે જૅકી માટે પણ કોઇક યોજના બનાવી રહ્યાં છે , પરંતુ હાલ કંઇ કહેવું ઉતાવળિયું ગણાશે . અમને થોડોક સમય આપો અને અમે તેની અધિકૃત જાહેરાત કરીશું ." business,રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા - આરબીઆઇના ગવર્નર રઘુરામ રાજને આજે જણાવ્યું છે કે કેન્દ્રીય બેંક આંખો મીંચીને મોંઘવારી એટલે કે ફુગાવાનો સામનો નહીં કરે . ફુગાવા પાછળ પડવા માટે ચોતરફથી રઘુરામ રાજનની ટીકા થઇ રહી છે . તેમણે જણાવ્યું કે કોઇ પણ ઉચિત કેન્દ્રીય બેંક વૃદ્ધિની ચિંતા છોડીને માત્ર મોંઘવારીનો પીછો કરી શકે નહીં . દેશની આર્થિક નીતિની સમીક્ષા કર્યા બાદ યોજાયેલી પત્રકાર પરિષદમાં રાજને જણાવ્યું કે હું એમ કહેવા નથી માંગતો કે આરબીઆઇ મોંઘવારીની પાછળ પાગલની જેમ પાછળ પડી ગઇ છે . કારણ કે ઘરેલુ ચિંતાને કારણે તેઓ માત્ર મોંઘવારી પર ધ્યાન કેન્દ્રીત કરી શકે એમ નથી . અમને વૃદ્ધિની ચિંતા પણ છે . કોઇ પણ કેન્દ્રીય બેંક માટે મોંઘવારી પર કાબૂ મેળવવાની સાથે વૃદ્ધિનું પણ ધ્યાન રાખવું જરૂરી છે . વૃદ્ધિ થશે તો મોંઘવારીની તાકાત આપોઆપ ઘટશે . નોંધનીય છે કે 4 સપ્ટેમ્બરના રોજ રિઝર્વ બેંકના ગવર્નર તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ રાજન અત્યાર સુધીમાં બે વાર 0.25 - 0.25 ટકા રેપો રેટમાં વધારો કરી ચૂક્યા છે . તેના કારણે વર્તમાન સમયમાં રેપો રેટ 7.75 ટકા સુધી પહોંચી ગયો છે . રાજને જણાવ્યું કે તેઓ વૃદ્ધિની ચિંતાઓને પણ જાણે છે . જો વૈશ્વિક અર્થવ્યવસ્થાની સ્થિતિ ખરાબ થાય છે તો 5 ટકાની વૃદ્ધિદરના અનુમાનની નીચે જવું જોખમી છે . પરંપરાગત રીતે કેન્દ્રીચ બેંક ડબલ્યુપીઆઇને સંકેતકના રૂપમાં જોવે છે . પરંતુ અમે સીપીઆઇને પણ અવગણી શકીએ તેમ નથી . તે છેલ્લા ઘણા સમયથી તેજીથી વધી રહી છે . entertainment,"બૅંગ બૅંગ આગામી હિન્દી એક્શન થ્રિલર ફિલ્મ છે કે જે હૉલીવુડ ફિલ્મ નાઇટ એન્ડ ડેની બૉલીવુડ રીમેક છે . ફિલ્મમાં હૃતિક રોશન અને કૅટરીના કૈફ લીડ રોલ કરી રહ્યા છે . મૂળ હૉલીવુડ ફિલ્મમાં ટૉમ ક્રુઇઝ તથા કૅમરન ડિયાઝ હતાં . બીજી બાજુ વધુ એક અપકમિંગ ફિલ્મ છે હૈદર કે જે વિલિયમ શેક્સપીયર્સના ડ્રામા હૅમલેટ પર આધારિત છે અને તેનું શૂટિંગ કાશ્મીરમાં થયું છે . હૈદરમાં શાહિદ કપૂર લીડ રોલમાં છે ને તબ્બુએ તેમના માતાનો રોલ કર્યો છે . ફિલ્મમાં તબ્બુના પતિ એટલે કે શાહિદના પિતાના મોત બાદ તબ્બુ પોતાના બનેવી એટલે કે શાહિદના માસા કે કે મેનન સાથે પરણે છે . ફિલ્મમાં આર્શિયાના રોલમાં શ્રદ્ધા કપૂર છે કે જે એક વ્યવસાયે પત્રકાર છે અને તે હૈદર તરીકે શાહિદની પ્રેમિકા છે . બૅંગ બૅંગ અને હૈદર બંને ફિલ્મો 2જી ઑક્ટોબર , 2014ના રોજ રિલીઝ થવાની છે . બૅંગ બૅંગ સિદ્ધાર્થ આનંદ દિગ્દર્શિત અને ફૉક્સ સ્ટાર સ્ટુડિયોઝ નિર્મિત ફિલ્મ છે , તો હૈદર વિશાલ ભારદ્વાજ દિગ્દર્શિત - સહ - લિખિત ફિલ્મ છે . એક જ દિવસે બૉક્સ ઑફિસે ટક્કર વિશે શાહિદે જણાવ્યુ હતું - મેં બૅંગ બૅંગનો પ્રોમો જોયો છે અને તે મને ગમ્યો . હું ચોક્કસ તે ફિલ્મ જોઇશ . હું હૃતિકને શુભેચ્છા પાઠવુ છું . 2જી ઑક્ટોબર કે જ્યારે આ બંને ફિલ્મો રિલીઝ થવાની છે , તે પાંચ દિવસનો હૉલીડે પીરિયર છે અને મને વિશ્વાસ છે કે બંને ફિલ્મો ચાલશે . ખેર , હાલ તો આપણે કરીએ બૅંગ બૅંગ વર્સિસ હૈદર : હૃતિક રોશન વર્સિસ શાહિદ કપૂરની સમીક્ષા :" entertainment,આજકાલ સોશિયલ મીડિયા પર લોકો ગમે ત્યારે ગમે તેનો મજાક બનાવી નાખે છે અને કંઈક એવું જ થયું છે ટીવી અભિનેત્રી સોનારિકા ભદોરિયા સાથે . સોનારિકા ભદોરિયા દેવો કે દેવ મહાદેવ સીરીયલમાં પાર્વતીનો રોલ નિભાવતી હતી . હાલમાં જ સોનારિકા કોઈક બીચ પર વેકેશન માણી રહી હતી . સોનારિકાએ પોતાની બીચ પરની બિકીની તસ્વીરો નાખી . આ તસ્વીરોમાં સોનારિકા ખુબ જ સુંદર લાગી રહી હતી . પરંતુ સોનારિકાએ જેવી તસ્વીરો નાખી સોશિયલ મીડિયા પર તેને ગાળો પડવા લાગી . બસ મુદ્દો ખાલી એટલો જ હતો કે સોનારિકા ટીવી પર ભગવાન પાર્વતીનો રોલ નિભાવી ચુકી છે તો તેને આવી હરકતો શોભતી નથી . તો જાણો શું થયું આગળ . . . sports,"આઇપીએલ 10 સિઝનની આજે 25મી મેચ છે , જે મુંબઇ ઇન્ડિયન્સ અને દિલ્હી ડેરડેવિલ્સ વચ્ચે આ મેચ હાલ મુંબઇના ખચાખચ ભરેલા વાનખેડે સ્ટેડિયમમાં રમાઇ રહી છે . ત્યારે આ મેચની તમામ લેટેસ્ટ માહિતી જાણવા માટે આ પેજને રિફ્રેશ કરતા રહો . અહીં અમે તમને આ મેચની તમામ અપડેટ આપતા રહીશું . Update : મુંબઇ ઇન્ડિયન્સ : પાર્થિવ પટેલ , જોસ બટલર , નીતિશ રાણા , રોહિત શર્મા ( કેપ્ટન ) , કિરોન પોલાર્ડ , હાર્દિક પંડ્યા , કૃણાલ પંડ્યા , હરભજન સિંહ , મિશેલ મેકલેરેઘન , મિશેલ જોનસન , જસપ્રિત બુમરાહ દિલ્હી ડેરડેવિલ્સઃ આદિત્ય તારે , શ્રેયસ અય્યર , સંજુ સેમસન , કરૂણ નાયર , રિષભ પંત , ક્રિસ મોરિસ , કોરી એન્ડરસન , પેટ કમિન્સ , કાગિસો રબાડા , અમિત મિશ્રા , ઝહિર ખાન" business,"નવી દિલ્હી , 26 ડિસેમ્બરઃ વર્ષ 2014માં દેશભરમાં પ્રોપર્ટીની કિંમત અથવા તો સ્થિર રહેશે અથવા તેમાં સામાન્ય વધારો જોવા મળશે . આ અનુમાન સામે આવ્યું છે પ્રોપર્ટી વેબસાઇટ મકાન ડોટકોમના એક સર્વેમાં . આ સર્વેમાં મુંબઇ , દિલ્હી , બેંગલુરુ અને ચેન્નાઇ સહિત દેશના મોટાભાગના મોટા શહેરોને સામેલ કરવામાં આવ્યા હતા . નવેમ્બરમાં કરાવવામાં આવેલા આ સર્વેમાં એ માલૂમ પડે છે કે પ્રોપર્ટી માર્કેટમાં એવા લોકો વધારે આવશે , જે રોકાણના બદલે પોતાના ઉપયોગ માટે ઘર ખરીદવા ઇચ્છે છે . એટલે કે જે સ્થિતિ 2013માં હતી તે જ સ્થિતિ 2014માં પણ જોવા મળે તેવી શક્યતા છે . 26 ટકા લોકો અનુસાર 2014માં પ્રોપર્ટી બજારમાં કિમતોમાં વધારો નહીં થાય જ્યારે 25 ટકા અનુસાર કિંમતો 10 ટકા સુધી વધારો થઇ શકે છે . લોકોનું પ્રોપર્ટી બજેટ 2013ની જેમ જ રહેશે કારણ કે સર્વેમાં 58 ટકા લોકો અનુસાર તેઓ પોતાનું બજેટ વધારશે નહીં . સર્વેમાં એપાર્ટમેન્ટની તરફ લોકોનો રસ વધારે રહ્યો છે . 65 ટકા લોકો ફ્લેટના સ્થાને એપાર્ટમેન્ટમાં રહેવાનું પસંદ કરે છે ." sports,"નાગપુર , 29 ઓક્ટોબરઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે શ્રેણીની છઠ્ઠી મેચ નાગપુર ખાતે રમાઇ રહી છે . બન્ને ટીમ નાગપુરમાં વિજય ગાથા રચવા માટે મેદાન પર ઉતરશે . જો કે , આ પહેલા બન્ને ટીમો દ્વારા તનતોડ મહેનત પ્રેક્ટિસ સેશન દરમિયાન કરવામાં આવી હતી . છેલ્લા કેટલાક સમયથી ભારતીય ટીમના બોલર્સ દ્વારા નબળું પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે અને સતત તેઓ ટીકાઓનો શિકાર બની રહ્યાં છે . જ્યારે બીજી તરફ ભારતના બેટ્સમેનો શાનદાર ફોર્મ દર્શાવી રહ્યાં છે . એકાદ બે બેટ્સમેનને બાદ કરતા બધા જ બેટ્સમેન ફોર્મમાં છે . ઓસ્ટ્રેલિયાની વાત કરવામાં આવે તો ઓસ્ટ્રેલિયાના બોલર્સ અને બેટ્સમેન બન્ને ફોર્મમાં છે . તેથી નાગપુરમાં બન્ને ટીમ તરફથી આતશબાજી જોવા મળશે . તો ચાલો તસવીરો થકી જોઇએ બન્ને ટીમના ખેલાડીઓની પ્રેક્ટિસને ." business,"પોતાના પરિવારના વારસાને આગળ વધારવા માટે અંબાણી પરિવારની ત્રીજી પેઢીએ પારંપરિક વ્યવસાયમાં ઝંપલાવી દીધું છે . રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને એમડી મુકેશ અંબાણીના મોટા પુત્ર આકાશ અંબાણી કંપની સાથે જોડાઇ ચૂક્યા છે . આ અંગે એક અંગ્રેજી બિઝનેસ ન્યુઝ પેપરે આપેલા અહેવાલ અનુસાર આકાશ અંબાણી ટેલિકોમ ક્ષેત્રમાં રિલાયન્સ જીઓની સાથે આરઆઇએલને ટેલિકોમ ક્ષેત્રમાં પુનઃપ્રવેશ માટે મદદ કરશે . રિલાયન્સ જિયો ઇન્ફોકોમ એ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની સહાયક ટેલિકોમ કંપની છે . રિલાયન્સ ઇન્ડસ્ટ્રીએ પોતાના ટેલિકોમ સાહસમાં રૂપિયા 33,000 કરોડનું રોકાણ કર્યું છે . મુકેશ અંબાણીએ આવતા વર્ષ સુધીમાં તેની સેવાઓ ઉપલબ્ધ કરાવવાનો વાયદો કર્યો છે . આ દરમિયાન રિલાયન્સ એડીએજીના ચેરમેન અનિલ અંબાણીના મોટા દીકરા જય અનમોલ આવનારા વર્ષોમાં પોતાની કંપનીમાં મોટી ભૂમિકા ભજવતા જોઇ શકાશે . જય અનમોલ એડીએજી ગ્રુપની કંપની રિલાયન્સ કેપિટલમાં એક મહિના પહેલા જોડાયા છે . નોંધનીય છે કે મુકેશ અંબાણાના દીકરી ઇશા અંબાણી પણ બિઝનેસમાં જોડાઇ ગયા છે . ઇશાએ અમેરિકન કંપની મેકેન્સીમાં એક કન્સલ્ટન્ટ તરીકે પોતાના કામની શરૂઆત કરી છે . એવી ધારણા છે કે આવનારા દિવસોમાં ઇશા પોતાના પિતાના બિઝનેસમાં જોડાઇ શકે છે ." sports,ગુજરાતના અમદાવાદમાં ચાલી રહેલા કબડ્ડી વર્લ્ડ કપ 2016ની ફાઇનલ મેચ આજે ભારતે ઇતિહાસ રચ્યો છે . આજે અમદાવાદમાં ભારત અને ઇરાન ફાઇનલ મેચ રમાઇ હતી . જેમાં ભારતે ઇરાનને 38 - 29થી હરાવ્યું છે . અને ઐતિહાસિક જીત મેળવી છે . ભારતીય ટીમે અદ્ઘભૂત રમત બતાવીને આ જીતને પોતાના નામે કરી છે . નોંધનીય છે કે મેચની શરૂઆતમાં ઇરાન ટોસ જીતી ગયું હતું પણ ધીરે ધીરે ભારતને પોતાની જીત મજબૂત કરી ઇરાનને હરાવી દીધુ હતું . નોંધનીય છે કે અત્યાર સુધીમાં ભારતે કબડ્ડીના તમામ વર્લ્ડ કપ પોતાના નામે કર્યા છે . જે પણ પોતાનામાં એક ઇતિહાસ છે . તો બીજી તરફ રનર અપ ઇરાન પણ બે વાર રનર અપ બની જીતથી થોડે દૂર રહ્યું છે . વર્ષ 2004થી શરૂ કરવામાં આવેલ કબડ્ડી વિશ્વકપમાં અત્યાર સુધીમાં 6 હરિફાઇઓ થઇ છે . અને તમામ હરિફાઇમાં ભારત વિજેતા રહ્યું છે . business,"જેટ ફ્યુઅલ કે એવિએશન ટર્બાઇન ફ્યુઅલ ( એટીએફ ) માં શનિવારે થયેલો ભાવ વધારો આ મહિનાની પહેલી તારીખથી અમલમાં આવેલા ભાવ બાદનો સૌથી મોટો વધારો છે . નવી દિલ્હીના ટીથ્રી ટર્મિનલ ખાતેના એટીએફમાં પ્રતિ કિલો લીટર રૂપિયા 1,429નો એટલે કે 1.97 ટકાનો ભાવ વધારો નોંધાયો છે . આ કારણે ભાવ વધીને 73,711 પ્રતિ કિલો લીટર પર પહોંચ્યો છે . ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન ( આઇઓસી ) ના જણાવ્યા અનુસાર આ ભાવ વધારો શનિવારે મધ્યરાત્રિથી અમલી બન્યો છે . નિષ્ણાતોનું માનવું છે કે એક સપ્ટેમ્બરના રોજ કરવામાં આવેલો 7.6 ટકાનો ભાવ વધારો અને શનિવારનો ભાવ વધારો યુએસ ડોલર સામે રૂપિયો તૂટતા અને ઓઇલના આંતરરાષ્ટ્રીય ભાવોમાં થયેલા વધારાનું પરિણામ છે . જુલાઇ 2012થી આ પાંચમો ભાવ વધારો છે . એરલાઇન ઓપરેટિંગ કોસ્ટમાં જેટ ફ્યુઅલનો ખર્ચો 40 ટકાનો હિસ્સો ધરાવે છે . આથી વધારાની સીધી અસર વિમાન ભાડામાં થશે અને આગામી સમયમાં તેમાં ભાવ વધારો થવાની શક્યતા છે . ભાવ વધારાની અસરથી વિમાન ભાડાં વધારવામાં આવશે કે નહીં તે અંગે એરલાઇન કંપનીઓએ કોઇ સ્પષ્ટતા કરી નથી . દેશના મુખ્ય ત્રણ ઓઇલ રિટેલર્સ આઇઓસી , હિન્દુસ્તાન પેટ્રોલિયમ અને ભારત પેટ્રોલિયમ આંતરરાષ્ટ્રીય ભાવોને ધ્યાનમાં રાખી દર 15 દિવસે એટલે કે પહેલી અને 16મી તારીખે જેટ ફ્યુઅલના ભાવ નક્કી કરે છે ." sports,"મુંબઇ ઇન્ડિયન્સનો સુકાની કિરોન પોલાર્ડ ચેમ્પિયન્સ લીગ ટી20માં સૌથી વધુ છગ્ગા ફટકારવાની રેસમાં ટોપ પર આવી ગયો છે . આ વેસ્ટ ઇન્ડિઝ ઓલરાઉન્ડર ચેમ્પિયન્સ લીગ ટી20ના ઇતિહાસમાં સૌથી વધુ છગ્ગા ફટકારનાર ખેલાડી બની ગયો છે . તેના પછી બીજા ક્રમે છે ખેલાડી છે , તે પોલાર્ડ ક્યાંય પાછળ છે . પોલાર્ડે લીગની 26 ઇનિંગમાં 48 વખત બોલને બાઉન્ડરીની ઉપર મોકલ્યો છે અને તે ટૂંક સમયમાં છગ્ગા ફટકારવાની અડધી સદી પણ પૂર્ણ કરી લેશે . પોલાર્ડ બાદ બીજા ક્રમે ડેવિડ વોર્નર અને ત્રીજા ક્રમે ક્રિસ ગેઇલ આવે છે . જેમણે અનુક્રમે 27 અને 24 છગ્ગા ફટકાર્યા છે . ત્યાબાદ ચોથા ક્રમે સુરેશ રૈના આવે છે , જેણે 23 છગ્ગા ફટકાર્યા છે . તો ચાલો તસવીરો થકી જાણીએ કે કયા ખેલાડીએ કેટલા છગ્ગા ફટકાર્યા છે . અને આ યાદીમાં કેટલા ભારતીય ખેલાડી છે . CLT20ના ઇતિહાસમાં આ ખેલાડીઓ એ ફટકારી છે ફાસ્ટેસ્ટ અડધી સદી વિશ્વકપ 2015 : ટીમ ઇન્ડિયા ફેવરિટ , જાણો કોન કેટલું શક્તિશાળી ભારત વિરુદ્ધ આવી હશે વેસ્ટ ઇન્ડિઝની સિક્રેટ તૈયારી" business,"વારંવાર પાકિસ્તાન સંરક્ષણ મંત્રાલય તરફથી મળતી અણુ બોમ્બની ચીમકીઓ બાદ હાલમાં દેશ જે સ્થિતિમાંથી પસાર થઇ રહ્યો છે તે જોતાં ભારત સરકારની શસ્ત્રોને લઈને આત્મનિર્ભર બનવાની નીતિ યથાર્થ લાગી રહી છે . છેલ્લા કેટલાક સમયથી ભારત દુનિયામાં હથિયારો આયાત કરવાના મામલે નંબર વન પર છે . અને શસ્ત્ર - સરંજામથી સુસજ્જ થવાની દિશામાં સરકાર યોગ્ય પગલાઓ પણ લઇ રહી છે . તે માટે દેશનાં તમામ મોટા ઉદ્યોગો સંરક્ષણ ક્ષેત્રે રોકાણ પણ કરી રહ્યા છે . ભારત VS પાકિસ્તાન : કોની આર્મીમાં છે કેટલો દમ ? વાંચો આ મામલે રિલાયન્સ પ્રથમ હરોળમાં છે , જો કે ટાટા અને મહિન્દ્રા પણ સ્વદેશી હથિયારો બનાવવાની દિશામાં સતત પ્રયત્નશીલ છે . સાથે જ ભારત ઇલેક્ટ્રોનીક્સ લીમીટેડ પણ સેના માટે નાના હથિયારોથી માંડીને મિસાઈલ બનાવવામાં કાર્યરત છે . તો નજર કરી લઈએ એ કંપનીઓ પર જે ભારત માટે સ્વદેશી હથિયાર બનાવવા માટે રોકાણ કરી રહી છે ." entertainment,"આ સમયે બાયોપીકની ધૂમ મચી છે અને તે બોલિવૂડમાં કોઈની ને કોઈની બાયોપિક જોવા મળતી રહે છે . તાજેતરમાં અનુપમ ખેર સ્ટારર ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની બાયોપિક ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર નું ટ્રેલર રિલીઝ થયું છે , જે ચર્ચામાં છે . હવે સમાચાર છે કે આપણા વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જીવન પર પણ ફિલ્મ બની રહી છે અને તેમાં વિવેક ઓબરૉયનું નામ સામે આવી રહ્યું છે . જી હા , સમાચાર આવી રહ્યા છે કે આ ફિલ્મની શુટિંગ એક વર્ષ બાદ એટલે કે 2019 માં શરુ કરવામાં આવશે અને વડા પ્રધાન મોદીના કિરદારમાં વિવેક ઓબરૉય દેખાશે . વિવેક આ પ્રોજેક્ટને લઈને ખૂબ ઉત્સાહિત છે અને આ સમયની રાહ જોઈ રહ્યા છે . ' ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર ' પર કેમ મચી છે ધમાલ , આ છે કારણ સૂત્રોના જણાવ્યા મુજબ , દિગ્દર્શક ઉમંગ કુમાર વડા પ્રધાન મોદીની બાયોપિકને દિશામાન કરશે અને તેને ભારતના કેટલાક મોટા શહેરોમાં શૂટ કરવામાં આવશે . વિવેક ઓબેરોય લાંબા સમયથી કામ કરી રહ્યો નથી અને તે ફિલ્મોમાં પણ જોવા નથી મળતો . આવામાં આ પ્રોજેક્ટ તેમના માટે ખૂબ મોટો હશે ." business,"આધાર કાર્ડ અંગે સતત નવા નિર્ણયો અને નવી જાહેરાતો સામે આવતી રહે છે . જો તમે આ જાહેરાતો કે સમાચારોને અવગણી રહ્યા હોવ તો એ તમારા માટે ખાસી મોટી મુસીબત ઊભી કરી શકે છે . જો તમારી પાસે આધાર કાર્ડ અને પાન કાર્ડ બંન્ને હોય અને તમે હજુ સુધી આ બંન્ને કાર્ડને લિંક ન કર્યા હોય તો એ વાત તમારા માટે મુસીબત બની શકે છે . આધાર અને પાન લિંક ન કરવાના બે ગેરફાયદા છે . પહેલું નુકસાન - પાન કાર્ડ થશે રદ્દ જો તમે 1 જુલાઇ 2017 સુધીમાં પોતાનું આધાર કાર્ડ પાન કાર્ડ સાથે લિંક નહીં કરો , તો તમારું પાન કાર્ડ રદ્દ થઇ શકે છે . પાન રદ્દ થઇ જતાં તમે આરટીઆઇ દાખલ નહીં કરી શકો . જો કે , સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર , જો તમારી પાસે આધાર કાર્ડ ન હોય તો તમારો પાન કાર્ડ રદ્દ નહીં થાય . પરંતુ જેમની પાસે આધાર કાર્ડ છે , તેમણે તેની સાથે પાન કાર્ડ લિંક કરવો જરૂરી છે . બીજું નુકસાન - પગારમાં અડચણ જો તમે આધાર અને પાન કાર્ડ લિંક નહીં કરો , તો બીજી સમસ્યા તમને પગાર મેળવવામાં આવી શકે છે . બની શકે કે , તમારો પગાર સમયસર ન આવે કે પછી અટકી પડે . કંપનીઓ ટેક્સેબલ લિમિટથી વધુ પગારમાંથી ટીડીએસ કાપે છે અને પાન કાર્ડ ન હોવાની પરિસ્થિતિમાં કંપનીઓ આ પ્રક્રિયા નહીં કરી શકે , જેને કારણે કર્મચારીઓને પગાર મળવામાં મુસીબત ઊભી થઇ શકે છે . બેંક ખાતાઓ માટે આધાર અનિવાર્ય તમને જણાવી દઇએ કે , થોડા દિવસો પહેલાં જ સરકારે બેંક ખાતા સાથે આધાર કાર્ડ લિંક કરવાનું ફરજિયાત કહ્યું છે . 31 ડિસેમ્બર , 2017 સુધીમાં જો બેંક ખાતાને આધાર સાથે લિંક કરવામાં ન આવે તો તમારું બેંક ખાતું પણ રદ્દ થઇ શકે છે . આ સિવાય , આધાર કાર્ડ વિના હવે નવું બેંક ખાતું પણ ખોલી નહીં શકાય . સાથે જ જો તમે 50 હજાર રૂપિયાથી વધુનું કોઇ ટ્રાન્ઝેક્શન કરો છો , તો આ માટે તમારે તમારો આધાર નંબર આપવાનો રહેશે ." business,"રોકાણકારો માટે મ્યુચ્યુઅલ ફંડો વધુ આકર્ષક બનાવવા માટે , માર્કેટ રેગ્યુલેટર સેબીએ રોકાણને સરળ અને આર્થિક બનાવવા માટે પગલાં લેવાના છે . આ હેઠળ , સેબી વિવિધ ખર્ચાઓની વર્તમાન ખર્ચના રેશિયો - એક્સપેન્સ રેશિયોની સમીક્ષા કરશે , જે ઓનલાઇન ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપશે . સમજાવવું કે મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગની વિવિધ પ્રવૃત્તિઓમાં એકરૂપતા લાવવા માટે જોખમ સંચાલન , તપાસ પ્રક્રિયા અને વિતરણ વ્યવસ્થા સહિત અન્ય બાબતોમાં પગલાં લેવામાં આવશે . ટેક્નોલોજીનો ઉપયોગ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા , સેબી , વિવિધ ડિજિટલ માધ્યમો દ્વારા જાગૃતિ વધારીને ટેકનોલોજી દ્વારા મ્યુચ્યુઅલ ફંડોના પ્રવેશના વિસ્તરણની શક્યતાઓને પણ શોધી કાઢશે . આ રીતે SIP મ્યુચ્યુઅલ ફંડમાં કરો રોકાણ સેબીના 2017 - 18 ના વાર્ષિક અહેવાલમાં જણાવ્યું હતું કે મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગ વધુ આકર્ષક ઇરાદા સાથે લેવામાં આવશે . એટલું જ નહીં મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગ ખર્ચ હેઠળ ઓનલાઇન વ્યવહારો દ્વારા પ્રોત્સાહન અસરકારક બનાવવામાં આવશે . તેમજ વિવિધ મ્યુચ્યુઅલ ફંડ યોજનાઓ માટે વર્તમાન ખર્ચ અંગે સમીક્ષા પણ કરવામાં આવશે . સુરક્ષિત રીતે 1 - 2 લાખ રૂપિયા રોકવાના 4 શ્રેષ્ઠ રસ્તા જૂન મહિનામાં સેબીએ ફીમાં ઘટાડો કર્યો હતો અગાઉ , જૂનમાં , સેબીએ મ્યુચ્યુઅલ ફંડ દ્વારા ચાર્જ કરવામાં આવેલી વધારાની ફીમાં ઘટાડો કર્યો હતો , તે 0.20 ટકાથી ઘટીને 0.05 ટકા કરવામાં આવ્યો હતો . આ પગલુંનો હેતુ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણની કિંમતમાં ઘટાડો કરવાનો હતો ." business,"રિલાયન્સ જીયોના બજારમાં આવ્યા પછી ટેલિકોમ કંપનીઓ વચ્ચે જે રીતે પ્રાઇસ વોર શરૂ થયો છે તે હજી સુધી શાંત થવાનું નામ નથી લેતો . કોઇ દિવસ બીએસએનએલ તો કોઇ દિવસ એરટેલ તો કોઇ દિવસ વોડાફોન નવા નવા પેકેજ લઇને આવે છે . જેથી કરીને તેમના ગ્રાહકો તેમની જોડે જ રહે અને અન્ય ટેલી કંપનીઓ પાસે જાય નહીં . આવામાં વોડાફોને પણ તેના ગ્રાહકો માટે એક નવી ઓફર લાવી છે . વોડાફોનને મેગા , મેરુ અને ઇઝી કૈબ સાથે પાર્ટનશીપ કરી છે . આ ટેક્સીમાં યાત્રા કરતા લોકોને તેમના વોડાફોન સિમને 4જીમાં બદલવાનો અવસર મળશે . 4 જીબી ડેટા ફોનમાં 4જીમાં અપગ્રેડ થતા જ તમને 4 જીબી 4જી ડેટા મફત મળશે . ત્યારે આ ત્રણ કેબ કંપનીઓની ગાડીમાં 4જી સિમ મોબાઇલ ડિસ્પેન્સર લગાવામાં આવ્યા છે . અને સીમ અપગ્રેડ કરવાનો રીત પણ જણાવામાં આવી છે . જેવું તમે આ ટેક્સીમાં બેસો છો તમારું સિમ અપગ્રેડ થવાનો વિકલ્પ મળે છે . કેવી રીતે અપગ્રેડ ? કેબના ડિસ્પેન્સરથી તમે નવું સીમ કાર્ડ લઇને તેનો નંબર ( 19 - 20 અંકના સિમ નંબર , તમારો ફોન નંબર નહીં ) તમારા મોબાઇલથી 55199 પર એસએમએસ કરો . પછી તે તમને એક કોડ મોકલશે . આ મેસેજને મળવાના 2 કલાકની અંદર નવા સિમ કાર્ડના છેલ્લા બે અંક 55199 પર મેસેજ કરવાના રહેશે જે પછી તમારું 4જી સીમ એક્ટિવેટ થઇ જશે . અને તમને કન્ફર્મેશન મેસેજ પણ મળી જશે ." entertainment,જ્યારથી રોહિત શેટ્ટીએ ગોલમાલ 4 ની ઘોષણા કરી છે . ત્યારથી ફેન્સ ફિલ્મ સાથે જોડાયેલી નાની નાની વાતો પણ જાણવા માંગે છે . ગોલમાલ 4 માં અજય દેવગણ તો ફાઇનલ જ છે . પરંતુ બાકીના કિરદારો માટે વાતો ચાલી રહી છે . આપણે જણાવી દઈએ કે આ ફિલ્મ 2017 દિવાળીમાં રિલીઝ થશે . અફસોસની વાત એ છે કે ગોલમાલ સિરીઝની મેઈન લીડ અભિનેત્રી કરિના કપૂર ગોલમાલ 4નો હિસ્સો નહીં બની શકે . કારણ તો બધાને જ ખબર છે કે કરિના કપૂર ગર્ભવતી છે . અફવાહોની વાત માન્યે તો રોહિત શેટ્ટીએ કરિના કપૂરને રિપ્લેસ કરી શકે તેવી અભિનેત્રી પણ શોર્ટ લિસ્ટ કરી દીધી છે . આપણે જણાવી દઈએ કે ગોલમાલ 4માં કરિના કપૂરને આલિયા ભટ્ટ રિપ્લેસ કરી શકે છે . હાલ તો આ ખબરની કોઈ જ જાહેરાત નથી કરવામાં આવી . પરંતુ આ વાતમાં કોઈ જ શંકા નથી કે આલિયા ભટ્ટ આ ફિલ્મમાં જાન રેડી દેશે . પરંતુ હવે એ જોવું રસપ્રદ રહેશે કે આલિયા ભટ્ટ કોની સાથે રોમાન્સ કરતી જોવા મળશે . કારણકે લાગતું નથી કે રોહિત શેટ્ટી અજય દેવગણ સાથે આલિયા ભટ્ટની જોડી બનાવે . business,જો આપે ટેન્ડર મારે અરજી કરી હોય તો આપે ' અર્નેસ્ટ મની ડિપોઝિટ ' શબ્દો સાંભળ્યા ના હોય તેવું બને નહીં . આ એ રકમ છે જે ખરીદદાર ડીલ સફળતાપૂર્વક પાર પાડવાની ઇચ્છા સાથે વેચનારને આપે છે . આ રકમ મોટી હોય તો એસ્ક્રો એકાઉન્ટ ખોલાવવામાં આવે છે અને તેમાં રાખવામાં આવે છે . ટેન્ડરના કિસ્સામાં ટેન્ડર રજૂ થાય ત્યારે આ રમક અંગે પહેલાથી જ નિર્ણય લેવામાં આવ્યો હોય છે . ઉદાહરણ તરીકે કંપની ABC રોડ પ્રોજેક્ટ્સ માટે બિડર્સ પાસેથી અર્નેસ્ટ મની ડિપોઝિટ માંગવામાં આવે છે . આ રકમ કંપની પર આધાર રાખે છે . ઘણીવાર કોન્ટ્રાક્ટ મોટો હોય તો આ રકમ મોટી હોય છે . ભારતમાં ટેન્ડર માટે માંગવામાં આવતી અર્નેસ્ટ મની ડિપોઝિટનું શું કરવામાં આવે છે ? ટેન્ડર ખોલવામાં આવે અને જે કંપનીઓને ટેન્ડર ફાળવવામાં આવતા નથી તેમને આ રકમ પરત આપવામાં આવે છે . મહત્વની બાબત એ છે કે ભારતમાં સામાન્ય રીતે અર્નેસ્ટ મની ડિપોઝિટ પર કોઇ પ્રકારનું વ્યાજ આપવામાં આવતું નથી . ઘર ખરીદતા સમયે અર્નેસ્ટ મની ડિપોઝિટ પશ્ચિમના દેશોમાં ઘર ખરીદવાની પ્રક્રિયામાં અર્નેસ્ટ મની ડિપોઝિટ આપવાની રીત અત્યંત પ્રચલિત છે . એમ કહી શકાય કે અર્નેસ્ટ મની ડિપોઝિટ વગર પૂર્ણ થયેલા વ્યવહારોની સંખ્યા અત્યંત ઓછી હશે . આ રકમ વિવિધ વેચાણકારે અને પ્રોપર્ટીની કુલ રકમના આધારે અલગ અલગ હોય છે . જો કે સામાન્ય રીતે જોઇએ તો અર્નેસ્ટ મની ડિપોઝિટની રકમ સરેરાશ પ્રોપર્ટીની કિંમતના 1થી 2 ટકા જેટલી હોય છે . અગાઉ ઉલ્લેખ કર્યો છે એ મુજબ જો સોદો પાર પડે નહીં તો આ રકમ પરત આપવામાં આવે છે . આ માટે નાનામાં નાની રકમ લેવામાં આવી હોય તો પણ તે પરત આપવામાં આવે છે . જો આપને પ્રોપર્ટીમાં કોઇ ખામી મળી આવે તો આપ તે રકમ પરત લઇ શકો છો . કેટલાક કિસ્સામાં અર્નેસ્ટ મની ડિપોઝિટની રકમ મોટી હોય તો ખરીદનાર ઘરની રકમ ઘટાડવા જણાવે છે . business,"નવી દિલ્હી , 9 ઓક્ટોબર : વિશ્વની સૌથી મોટી સોશિયલ નેટવર્કિંગ સાઇટ ફેસબુકના યુવા સીઈઓ માર્ક ઝુકરબર્ગ પોતાની ભારતની મુલાકાત દરમિયાન આજે દિલ્હીમાં internet . org સમિટને સંબોધતા કનેક્ટેવિટીની માનવીય અધિકાર ગણાવ્યો . આ પ્રસંગે બોલતા માર્ક ઝુકરબર્ગે કહ્યું , ભારતમાં એક અબજથી વધુ લોકો ઇન્ટરનેટ સાથે જોડાયેલા નથી , એનો અર્થ એ છે કે તેમને સમાન અધિકારો મળ્યા નથી . અમે કનેક્ટિવીટીને માનવીય અધિકાર માનીએ છીએ . માત્ર 30 વર્ષના ઉદ્યોગ સાહસિક માર્ક ઝુકરબર્ગ હાલ ભારતની બે દિવસની મુલાકાતે છે . અહીં Internet . org સમિટને સંબોધતા સમગ્ર વિશ્વને જોડવાની નેમ પ્રગટ કરી . આ સાથે ભારતમાં સ્થાનિક ભાષાઓમાં એપ્સ ડેવેલપ કરવા લોકોને પ્રોત્સાહિત કરવા એક અબજ ડોલરનું ભંડોળ આપવાની જાહેરાત પણ કરી છે . ઝુકરબર્ગે કહ્યું કે ફેસબુક માત્ર ધનિક અને શક્તિશાળી જ નહીં પરંતુ સમાજના નબળા વર્ગ માટે પણ કામ કરી રહી છે . તેમણે આફ્રિકાના ઝામ્બિઆમાં પ્રાથમિક ઇન્ટરનેટ સેવાઓ પૂરી પાડ્યાનો ઉલ્લેખ કર્યો . તેમણે ઉમેર્યું કે વિશ્વના ત્રીજા ભાગના લોકો ઇન્ટનેટનો ઉપયોગ કરે છે અને ઇન્ટરનેટ ક્ષેત્રે ભવિષ્યમાં અનેક ઉજળી તકો રહેલી છે . ઘણા લોકોએ ઇન્ટરનેટનો ઉપયોગ કર્યો જ નથી . તેઓ જાણતા પણ નથી કે તે કેવી રીતે તેમને મદદરૂપ છે . એક સર્વેનો ઉલ્લેખ કરતા ઝુકરબર્ગે કહ્યું કે ભારતના 69 ટકા લોકો જણતા જ નથી કે ઇન્ટરનેટ કેવી રીતે તેમની માટે ઉપયોગી છે . તેમણે આવા વર્ગ વિશે વાત કરતા કહ્યું કે વિદ્યાર્થીઓ જ નહીં પરંતુ તેમના વાલી તરીકે માતાઓને પણ તે એટલું જ ઉપયોગી છે . અમેઝોન કંપનીના જેફ બેઝોસ અને માઇક્રોસોફ્ટના સત્યા નડેલા બાદ માર્ક ઝુકરબર્ગ ત્રીજા અમેરિકન સીઈઓ છે , જેઓ ભારતની મુલાકાતે છે . અમેરિકા બાદ ભારત વિશ્વનો બીજો સૌથી મોટો દેશ છે જ્યાં સોશિયલ મીડિયાનો સૌથી વધુ ઉપયોગ થાય છે ." entertainment,"બોલિવૂડ અભિનેત્રીની મુજબ ટીવી સ્ટારની ફોટો રાતોરાત વાયરલ થયા તેમાં કોઈ મોટી વાત નથી પરંતુ આ લિસ્ટમાં જયારે કોઈ નવા સ્ટારનું નામ ઉમેરાય ત્યારે ફેન્સને અચરજ ચોક્કસ થાય છે . આ વખતે જે સ્ટારનું નામ સામે આવી રહ્યું છે તે નામ તમને હેરાન કરી દેશે . અહીં અમે કુંડળીભાગ્ય સિરિયલ ઘ્વારા ફેમ મેળવનાર અંજુમ ફખીમ વિશે વાત કરી રહ્યા છે . અંજુમ હાલમાં કુંડળીભાગ્ય સિરિયલની સાથે સાથે સોશ્યિલ મીડિયા પર પોતાના બોલ્ડ લૂકને કારણે પણ ચર્ચામાં છે , તેની ઘણી ફોટો અવારનવાર વાયરલ થતી રહે છે . ટીવીની પાર્વતી સોનારિકા ભદોરિયાની સેક્સી તસવીરો વાયરલ પરંતુ હાલમાં તેને સોશ્યિલ મીડિયા પર પોતાની ખુબ જ બોલ્ડ ફોટો પોસ્ટ કરી છે , જે જોતજોતામાં વાયરલ થઇ ચુકી છે . આવું પહેલીવાર નથી થયું , આ પહેલા પણ અંજુમ સોશ્યિલ મીડિયા પર પોતાની બોલ્ડ ફોટો પોસ્ટ કરી ચુકી છે . તમે પણ અંજૂમની કેટલીક બોલ્ડ ફોટો પર નજર કરો . બિગ બોસની બિકીની સુપરસ્ટાર બેનાફશા સુનાવલાની તસવીરોએ હંગામો મચાવ્યો સોશ્યિલ મીડિયા પર ટીવી સ્ટારની વાયરલ થતી ફોટો પર એક નજર કરો . . ." entertainment,"બૉલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા હાલ ઘેરા આઘાતમાં છે . પિતાના મોતથી તેઓ ભાંગી પડ્યાં છે . તેવામાં પ્રિયંકા ચોપરાના નજીકના મિત્રો અને બૉલીવુડની જાણીતી હસ્તીઓ તેમને સધિયારો આપી રહ્યાં છે . ખાસ તો શાહરુખ ખાન પોતાના ખભાની સર્જરી છતાં પ્રિયંકાના પિતા ડૉ . અશોક ચોપરાના અંતિમ સંસ્કાર વખતે હાજર રહ્યા હતાં , તો કરણ જૌહર પણ પ્રિયંકાને સધિયારો આપતા જણાતા હતાં . અંતિમ સંસ્કાર વખતે બૉલીવુડની બીજી પણ અનેક હસ્તીઓ હાજર હતી , તો ગઈકાલે યોજાયેલ અશોક ચોપરાના બેસણામાં પણ દીપિકા પાદુકોણે ઉપરાંત આશુતોષ ગોવારીકર , ફરહાન અખ્તર , રીતેશ દેશમુખ તેમજ જેનેલિયા ડિસૂઝા , ઇલિયાના તથા ઇમરાન ખાન જેવા બૉલીવુડ કલાકારો હાજર રહ્યા હતાં . આમ તમામ ઘટનાક્રમ વચ્ચે એક વાત આંખે ઉડીને વળગે તેવી હતી અને તે એ હતી કે બૉલીવુડના દબંગ સલમાન ખાન તથા ખેલાડી અક્ષય કુમાર આ બંનેની ગેરહાજરી . સલમાન ખાન તથા અક્ષય કુમાર બંને પ્રિયંકા ચોપરાના શોકમાં કેમ શામેલ નથી થયાં ? આવો પ્રશ્ન ઊભો થવો સ્વાભાવિક છે અને તે અંગે ચર્ચાઓ પણ શરૂ થઈ ગઈ છે . સલમાન કે અક્ષય પ્રિયંકા ચોપરાના પિતાના અંતિમ સંસ્કાર કે બેસણા બંને પ્રસંગોએ ગેરહાજર રહ્યાં . જોકે બેસણા વખતે સલમાનના બહેન અર્પિતા ખાન જરૂર હાજર રહ્યા હતાં , પરંતુ અક્ષય તરફથી તો કોઈ પણ પ્રિયંકાના ગમમો સધિયારો આપવા પહોંચ્યું નહિં . આવો તસવીરો સાથે જાણીએ વધુ વિગતો ." entertainment,"જાણીતા પૉપ ગાયિકા લૅડી ગાગાએ રિયલિટી શો ધ એક્સ ફૅક્ટરમાં પોતાનું ખાસ પરફૉર્મન્સ નહીં આપવાની ધમકી આપી છે . તેમણે આ પગલું શોના નિર્ણાયક શૅરોન ઑસબૉર્ન દ્વારા તેમની સામે કરાયેલ અભદ્ર ટિપ્પણી બાદ ભર્યું છે . ઑસબૉર્ને ગાગાને તેમની આત્મકથામાં એક અધમ તથા પાખંડી મહિલા ગણાવી હતી . ડેલીસ્ટાર . કો . યૂકે વેબસાઇટના જણાવ્યા મુજબ ઑસબૉર્ને દાવો કર્યો છે કે લૅડી ગાગાએ પોતાના ફૅન્સને તેમના 28 વર્ષીય પુત્રી કૅલીને ઑનલાઇન ગાળો આપી પરેશાન કરવા કહ્યુ હતું . કહેવાય છે કે 27 વર્ષીય ગાગાએ ઑસબૉર્ન સામે વળતો પ્રહાર કરતા જણાવ્યુ હતું કે જે છત તળે ઑસબૉર્ન હશે , ત્યાં પરફૉર્મ કરવાનું મન નથી . એક સૂત્રે જણાવ્યું કે ગાગાની ટિપ્પણી અંગે ઑસબૉર્ને કોઈ પ્રત્યુત્તર વાળ્યો નથી અને હવે ગાગાનો પરફૉર્મ નહીં કરવાનો નિર્ણય એક ગંભીર મુદ્દો બની ગયો છે . એમ તો શોના નિર્માતા લૅડી ગાગાને પ્રસ્તુતિ આપવા માટે રિઝવવાની દરેક રીત અપનાવવા તૈયાર છે . આ શોના માલિકના એક નજીકના સૂત્રે જણાવ્યું - મને વિશ્વાસ છે કે લૅડી ગાગાને મનાવવા માટે અમારાથી જે થઈ શકશે , અમે કરીશું ." entertainment,"આખરે સંજય દત્તની રજાઓ ખતમ થઈ અને તેઓ પાછા યરવડા જેલ પહોંચી ગયાં છે . સંજયની પૅરોલ રજાઓ મંગળવારે પૂરી થઈ અને તેઓ બે અઠવાડિયાની રજા બાદ બુધવારે જેલભેગા થઈ ગયાં . સંજય દત્તની દિવાળી જેલમાં પસાર થશે . સંજય દત્તને એક અજ્ઞાત બીમારના પગલે ગત 1લી ઑક્ટોબરના રોજ 14 દિવસની રજા મળી હતી કે જેને પછીથી સંજયે 29મી ઑક્ટોબર સુધી લંબાવી હતી અને આ તારીખ પણ આવીને વીતી ગઈ . બુધવાર સવારે સંજય દત્ત મુંબઈથી યરવડા જવા માટે રવાના થયાં . સંજયે મીડિયાને જણાવ્યું કે તેમના પગમાં હજીય બહુ દુઃખાવો છે . તેમણે ડૉક્ટરોને પોતાના બ્લડ સૅમ્પલ આપી દીધાં છે , પરંતુ કાનૂની પ્રક્રિયા પાળતા તેમને જેલ તો પરત ફરવું જ પડશે . તેથી હું જેલમાં જઈ રહ્યો છું . સંજયે મીડિયાનો આભાર વ્યક્ત કર્યો , કારણ કે મીડિયાએ પૅરોલ રજા દરમિયાન તેમની પ્રાઇવેસીનું સન્માન કર્યું કે જેના માટે તેઓએ આગ્રહ કર્યો હતો . દરમિયાન થોડાક દિવસ સમાચાર એવા આવ્યા હતાં કે કરવા ચોથની પૂજા માન્યતાએ ખૂબ જ શ્રદ્ધા સાથે કરી હતી . ગૃહ મંત્રાલય સંજયની માફી અને સજા ઓછી કરવા અંગે જસ્ટિસ કાટજૂના પત્ર ઉપર વિચાર કરી રહ્યો છે , પણ એ તમામ વાતો અટકળો જ સાબિત થઈ અને સંજય દત્ત જેલ પહોંચી ગયાં ." business,"જો તમે ઘર લેવા માટે હોમ લોન વિશે વિચારી રહ્યા હોય તો આ ખબર તમારા માટે બિલકુલ યોગ્ય છે . અહીં અમે તમને ચાર એવી બેન્કો વિશે માહિતી આપવા જઈ રહ્યા છે જ્યાં તમને સસ્તી હોમ લોન મળી શકશે . બેંક પાસેથી હોમ લોન લેતા પહેલા હંમેશા બે વાતનું ધ્યાન રાખવું . પહેલું હોમ લોનનું વ્યાજ અને બીજી ચુકવણી સમયગાળો . બેંકના હોમ લોનનો વ્યાજદર હંમેશા ખાસ હોય છે . વ્યાજ જેટલું ઓછું એટલી તમારી ઇએમઆઇ પણ ઓછી હશે . ઇએમઆઇ તમારા લોનના સમયગાળા પર પણ નિર્ભર કરે છે . જો સરકારી બેંક વિશે વાત કરવામાં આવે તો કોર્પોરેશન બેંક , સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા , ઇન્ડિયન ઓવરસીઝ બેંક અને યુકો બેંક છે . આ ચાર બેંકોમાં હોમ લોનના વ્યાજદર ઓછા છે . કોર્પોરેશન બેંક માં હોમ લોનનું વ્યાજ 8.60 - 9.30 ટકા છે . ત્યાં જ સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાનું વ્યાજદર 8.65 - 9.65 ટકા છે . ત્યાં જ ઇન્ડિયન ઓવરસીઝ બેંક અને યુકો બેન્કનું વ્યાજદર 8.70 - 8.95 ટકા છે . આ વ્યાજદર હોમ લોનની રકમ 30 લાખ અને લોનની અવધિ 20 વર્ષ પર આધાર રાખે છે . પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં બેન્ક FD કરતા ઝડપથી ડબલ થશે પૈસા આપને જણાવી દઈએ એક રિઝર્વ બેંકના રેપો રેટમાં ઘટાડો કર્યા પછી ભારતીય સ્ટેટ બેંકે હોમ લોનના વ્યાજદર પર 0.5 ટકાનો ઘટાડો કર્યો છે . એસબીઆઈ ઘ્વારા 30 લાખ સુધીના બધા જ હોમ લોન પર વ્યાજદરમાં 0.05 ટકાનો ઘટાડો કર્યો છે . જાણો આરબીઆઇ નિર્ણય પછી તમારા હોમ લોનની EMI કેટલી ઓછી થશે" sports,"ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે 15 સુવર્ણ પદકો સહિત કુલ 64 પદક હાંસલ કરીને પદક તાલિકામાં પાંચમુ સ્થાન મેળવ્યું છે . ભારતીય ખેલાડીઓએ દેશ માટે 15 સુવર્ણ , 30 રજત અને 19 કાંસ્ય પદક જીત્યા છે . કોમનવેલ્થ ગેમ્સના અંતિમ દિવસે રવિવારે ભારતે એક સુવર્ણ પદક અને બે રજત પદક જીત્યા હતા . ઇંગ્લેન્ડે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરતા સર્વાધિક 58 સુવર્ણ પદકો સહિત 174 પદક હાસલ કરીને 1986 બાદ ટોચના સ્થાને પુનરાગમન કર્યું છે . ઇગ્લેન્ડે 59 રજત અને 57 કાંસ્ય પદક જીત્યા છે . બીજી તરફ ગત કોમનવેલ્થ ગેમ્સમાં પ્રથમ રહેનાર ઓસ્ટ્રેલિયા આ વખતે બીજા ક્રમે આવ્યું છે . ઓસ્ટ્રેલિયાએ 49 સુવર્ણ , 42 રજત અને 46 કાંસ્ય પદક સાથે 137 પદક જીત્યા છે . કેનેડા ત્રીજા સ્થાને રહ્યું છે , તેણે 32 સુવર્ણ , 16 રજત અને 34 કાંસ્ય પદક જીત્યા છે . સ્કોટલેન્ડે ઇતિહાસ રચતા કારકિર્દીનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે અને 53 પદક હાંસલ કર્યાં છે , તેણે 19 સુવર્ણ , 15 રજત અને 19 કાંસ્ય પદક જીત્યાં છે . તો ચાલો તસવીરો થકી જાણીએ કે ભારતના કયા કયા ખેલાડીએ કાંસ્ય પદક જીત્યો છે . કોમનવેલ્થ ગેમ્સનું સમાપનઃ ભારતે મેળવેલા પદક પર એક નજર કોમનવેલ્થ ગેમ્સનું સમાપનઃ ભારતે મેળવેલા રજત પદક" sports,"ચેમ્પિયન્સ ટ્રોફીમાં મંગળવારે ન્યૂઝીલેન્ડ અને ઇંગ્લેન્ડ વચ્ચે મેચ રમાશે . ઇંગ્લેન્ડની ટીમ પૂરા જુસ્સા સાથે મેદાનમાં ઉતરશે . ચેમ્પિયન્સ ટ્રોફીમાં ઇંગ્લેન્ડની ટીમ પહેલી મેચમાં જ બાંગ્લાદેશને હરાવીને 2 અંક મેળવી ચૂકી છે . જ્યારે ન્યૂઝીલેન્ડની ટીમ પોતાની પહેલી મેચમાં માત્ર 1 જ અંક મેળવી શકી . ન્યૂઝીલેન્ડની પહેલી મેચ ઑસ્ટ્રેલિયા સામે હતી , મેચમાં વરસાદને કારણે ખલેલ પડતાં બંન્ને ટીમોને 1 - 1 અંક આપવામાં આવ્યો હતો . ગ્રુપ એ ના આ મહત્વપૂર્ણ મુકાબલામાં ન્યૂઝીલેન્ડની ટીમ 2 અંક મેળવવા માટે જીતવાનો પૂરો પ્રયત્ન કરશે , તો બીજી બાજુ ઇંગ્લેન્ડ આ મેચમાં જીત મેળવી સેમિફાઇનલમાં સ્થાન મેળવવાનો પ્રયત્ન કરશે . બાંગ્લાદેશની સરખામણીમાં ન્યૂઝીલેન્ડની ટીમ મજબૂત છે , ઇંગ્લેન્ડ સામે આ વખતે મોટો પડકાર છે . ઇંગ્લેન્ડના બેટ્સમેન ફોર્મમાં ઇંગ્લેન્ડના જો રૂટ ખૂબ ફોર્મમાં છે , બાંગ્લાદેશ વિરુદ્ધની મેચમાં તેમણે સદી ફટકારી વાહવાહી મેળવી હતી . ઇંગ્લેન્ડના એલેક્સ હેલ્સ માત્ર 5 રનથી સદી ફટકારતા રહી ગયા હતા , તેમણે બાંગ્લાદેશ સામેની મેચમાં 95 રન બનાવ્યા હતા . ટીમના કપ્તાન ઇયૉન મોર્ગન ચેમ્પિયન્સ ટ્રોફીની શરૂઆત મોટી જીત સાથે કરવામાં સફળ રહ્યાં છે . તેમણે પ્રથમ મેચમાં 61 બોલમાં 75 રન બનાવ્યા હતા . એક માત્ર જેસન રોય નબળા પડી રહ્યાં છે , તેઓ પોતાની છેલ્લી 6 મેચોમાં 20 રનનો સ્કોર પાર નથી કરી શક્યાં . રાશિદની વાપસી થઇ શકે છે ઇંગ્લેન્ડ ટીમના બોલર્સ તેમને માટે પડકાર રૂપ છે . ટીમના મુખ્ય બોલર ક્રિસ વોક્સ ફિટ ન હોવાથી આ મેચ નહીં રમી શકે . બાંગ્લાદેશ સામેની મેચમાં વોક્સ માત્ર 2 ઓવર રમીને ઘાયલ થઇ ગયા હતા . તેમની જગ્યાએ ટીમમાં સ્ટીવન ફિનનો સમાવેશ કરવામાં આવ્યો છે , કહેવાઇ રહ્યું છે કે , મોર્ગન આદિલ રાશિદને પણ ટીમમાં પાછા લઇ શકે છે . ન્યૂઝીલેન્ડ સામે પણ પડકાર કેન વિલિયંસનની આગેવાનીમાં ન્યૂઝીલેન્ડની ટીમ આમ તો ફિટ છે . લૂક રોંચી ફોર્મમાં છે . માર્ટિન ગુપ્ટિલની શાનદાર રમત કોઇ પણ ટીમ માટે ઘાતક સાબિત થઇ શકે છે . ટીમના બોલર્સ એડમ મિલન , ટિમ સાઉદી , ટ્રેંટ બોલ્ટ પર રમતની ખાસ જવાબદારી હશે ." business,"આ સોદામાં મોટા ભાઈ મુકેશ અંબાણીએ પોતાના ટેલિકોમ બિઝનેસ સાહસના આરંભ માટે એમના નાના ભાઈ અનિલ અંબાણીના ઓપ્ટિક ફાઈબલ નેટવર્કનો ઉપયોગ કરવાનો નિર્ણય લીધો છે . આ સમજૂતી અનુસાર , મુકેશ અંબાણીની માલિકીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની ટેલિકોમ કંપની 4G ( બ્રોડબેન્ડ વાયરલેસ ) સેવાઓ શરૂ કરવા માટે અનિલ અંબાણીની રિલાયન્સ કમ્યુનિકેશન્સના રાષ્ટ્રવ્યાપી ઓપ્ટિકલ ફાઈબલ નેટવર્કનો ઉપયોગ કરશે . રિલાયન્સ જિયો ઈન્ફોકોમ લિમિટેડ અને રિલાયન્સ કમ્યુનિકેશન્સ લિમિટેડે આરકોમના રાષ્ટ્રવ્યાપી ઈન્ટર સિટી ફાઈબર ઓપ્ટિક નેટવર્ક ઈન્ફ્રાસ્ટ્રક્ચરની વહેંચણી માટે રૂપિયા 1200 કરોડનો કરાર કર્યો છે . આ બાબતની સત્તાવાર જાહેરાત આરકોમ દ્વારા એક નિવેદનમાં કરવામાં આવી છે . માનવામાં આવે છે કે આ કરારથી બંને કંપનીઓની વચ્ચે માળખાકીય ભાગીદારીનો માર્ગ મોકળો બનશે . આ માટે કરારમાં નોંધવામાં આવ્યું છે કે બંને કંપનીઓ માળખાનો મહત્તમ ઉપયોગ કરી શકે તે પ્રમાણેની વ્યવસ્થા ગોઠવવામાં આવશે . રિલાયન્સ કોમ્યુનિકેશન્સ ટાવર એકમ રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પોતાનો હિસ્સો વેચવા માંગે છે . જો કે હજી સુધી કંપનીએ આ અંગે કોઇ વિચાર નથી કર્યો . આ સાથે કંપનીની પોતાની સમુદ્ર કેબલ કંપની ગ્લોબલકોમમાં ભાગીદારી ઓછી કરવા માટે વિવિધ કંપનીઓ સાથે વાતચીત ચાલી રહી છે . આ જાહેરાતને પગલે આરકોમનો શેર મંગળવારે બીએસઈમાં એક સમયે 10.86 ટકા વધ્યો હતો ." entertainment,બૉલીવુડ અભિનેતા પ્રિયંકા ચોપરા મિલન ટૉકીઝમાં પોતાના હોવા અંગે અજાણ છે . તેમણે જણાવ્યું કે તેઓ નથી જાણતાં કે ફિલ્મ સાથે શું થઈ રહ્યું છે . ચર્ચા એમ છે કે તિગ્માંશુ ધુલિયા દિગ્દર્શિત મિલન ટૉકીઝ ફિલ્મમાં 31 વર્ષીય પ્રિયંકા ચોપરા શાહિદ કપૂર સાથે અભિનય કરવાના છે . ફિલ્મના નિર્માતા એકતા કપૂર છે . બીજી બાજુ પ્રિયંકા ચોપરા પોતે જ નથી જાણતાં કે તેઓ ફિલ્મમાં છે . પ્રિયંકાએ જણાવ્યું - હું નથી જાણતી કે મિલન ટૉકીઝ સાથે શું થઈ રહ્યું છે . મેં અત્યાર સુધી એકતા કપૂર સાથે વાત કરી નથી . એકતા અને તિગ્માંશુ ધુલિયાએ ડોઢ વરસ અગાઉ સ્ક્રિપ્ટ અંગે વાત કરી હતી . તે પછીની ફિલ્મની પ્રગતિ અંગે મને જાણ નથી . મારે ફિલમ અંગે હજી તેમની સાથે ચર્ચા - વિચારણા કરવાની બાકી છે . દરમિયાન પ્રિયંકા ચોપરા મેગાસ્ટાર અમિતાભ બચ્ચન અભિનીત 1973ની ઝંજીર ફિલ્મની રીમેકમાં દેખાવાનાં છે . અપૂર્વ લાખિયા દિગ્દર્શિત આ ફિલ્મ 6ઠી સપ્ટેમ્બરે રિલીઝ થવાની છે . ફિલ્મમાં દક્ષિણના અભિનેતા રામ ચરણ તેજા પ્રિયંકા ચોપરા સાથે મુખ્ય ભૂમિકામાં છે . entertainment,"મુંબઈ , 18 સપ્ટેમ્બર : ગયા મહીને સેલિબ્રિટી પબ્લિસિટી ડેલ ભગવાગરે જણાવ્યુ હતું , ‘ભારતના સૌથી મોટા રિયાલિટી શોની આગામી સીઝન હવે નેક્સ્ટ જનરેશનને ટાર્ગેટ કરશે , જેથી આ શોનું ફેન બેઝ બાળકો અને ટીનેજર્સમાં પણ ફેલાય . ' ભગવાગરે સાથે - સાથે એમ પણ જણાવ્યુ હતું કે જો આમ થઈ શકે , તો શક્ય છે કે બિગ બૉસ પોતાનો લેટ નાઇટનો સમય બદલી પ્રાઇમ ટાઇમે ટેલીકાસ્ટ થાય અને સલમાન ખાન ( ગેલેરી ) બાળકો તેમજ યંગસ્ટર્સ સાથે વાતચીત કરતાં દેખાય . ગઈકાલે મીડિયા સાથેની વાતચીત દરમિયાન સલમાને જણાવ્યુ હતું , ‘આ સીઝન સમગ્ર પરિવાર સાથે કનેક્ટ થશે . આ વખતે ઘણી બધી વાતો અને ગેમ્સ થશે . હવે 7મી ઑક્ટોબરથી અમે પ્રાઇમ ટાઇમે એટલે કે 9 વાગ્યે આવશું . ' ડેલ ભગવાગરે અત્યાર સુધી બૉલીવુડની લગભગ ઘણી બધી વિવાદાસ્પદ સેલિબ્રિટીઓ જેમ કે બિગ બ્રધરમાં શિલ્પા શેટ્ટી , બિગ બૉસ વખતે રાખી સાવંત , કાશ્મીરા શાહ , સંભાવના શેઠ , શર્લિન ચોપરા , પૂજા મિશ્રા , ડિયાના હેડન , શમિતા શેટ્ટી , બિન્દુ દારા સિંહ , અશ્મિત પટેલ , વીણા મલિક તેમજ અમર ઉપાધ્યાયના મીડિયા અફેરને હેંડલ કર્યું છે . ડેલે જણાવ્યું હતું કે બાળકો માટે આ શોમાં કઈંક અલગથી ગેમ્સ અને પ્લેહાઉસ હોવા જોઇએ , જેથી તેઓ પોતાનું મનોરંજન કરી શકે . આમ જોઇએ તો અત્યાર સુધી બૉલીવુડના સુપરસ્ટાર્સ જેમાં હૃતિક રોશન , શાહરુખ ખાન અને આમિર ખાને બાળકો માટે સુપરહીરો બનીને અને બાળકો માટે કોઈ મિલગયા , ધૂમ , ક્રિશ , રા - વન , તારે જમીન પર , રંગ દે બસંતી , જિંદગી ના મિલેગી દોબારા , દિલ ચાહતા હૈ , ડૉન જેવી ફિલ્મો બનાવીને પોતાને દેશ આખામાં યુવાઓ તેમજ બાળકો વચ્ચે ઘણું પૉપ્યુલર કર્યું છે . તો હવે જોઇએ કે બિગ બૉસ 6ના આ બદલાયેલાં સ્વરૂપથી સલમાન પોતાને યુવાઓ અને બાળકો વચ્ચે કેટલું પૉપ્યુલર કરી શકે છે ." business,"ઘણા લોકો એ વાતથી અજાણ હોય છે કે ભારતમાં વેલ્થ ટેક્સ છે અને તેની ચૂકવણી કયા સંજોગોમાં કરવાની હોય છે . ઉદાહરણ તરીકે ખૂબ ઓછા લોકો જાણે છે કે તેઓ જો રૂપિયા 30 લાખથી વધારે રકમની કાર ખરીદશે તો તેમણે વેલ્થ ટેક્સ ચૂકવવો પડે છે . અહીં આગળ વધતા પહેલા એટલું સમજી લેવું જોઇએ કે વેલ્થ ટેક્સ એવો ટેક્સ છે જે બિનઉત્પાદક સંપત્તિ પર ચૂકવવામાં આવે છે . આ ટેક્સ કેવી સંપત્તિ પર ચૂકવવો પડે છે તેને વધારે સારી રીતે સમજવા માટે અમે અહીં કેટલાક ઉદાહરણો આપી રહ્યા છીએ . . . અહીં વેલ્થના અર્થમાં એવી વસ્તુઓ આવરી લેવામાં આવે છે જો મૂલ્યવાન હોય પણ તેનો ઉપયોગ ઉત્પાદનમાં કરવાને બદલે લક્ઝરી તરીકે કરવામાં આવતો હોય . આ કારણે જ પ્રોડક્ટિવ એસેટ્સ જેમ કે બેંક ફિક્સ્ડ ડિપોઝિટ , મ્યુચ્યુઅલ ફંડંસ અન્ય રોકાણ સાધનો વેલ્થ ટેક્સની નીચે આવરી લેવામાં આવતા નથી . આ કારણે તેના પર વેલ્થ ટેક્સ ચૂકવવો પડતો નથી . રૂપિયા 30 લાખથી વધારે મૂલ્યની સંપત્તિ પર 1 ટકા વેલ્થ ટેક્સ ચૂકવવો પડે છે . આ માટે વ્યક્તિએ વેલ્થ ટેક્સ રિટર્ન ફાઇલ કરવું પડે છે . વ્યક્તિગત , હિન્દુ સંયુક્ત કુટુંબ અને કંપનીઓએ તેમના વેલ્થ ટેક્સ રિટર્ન ફોર્મ બીએમાં ફાઇલ કરવા પડે છે . આ રિટર્ન પર એસેસીએ હસ્તાક્ષર કરવા પડે છે . વેલ્થ ટેક્સથી કેવી રીતે બચી શકાય ? વેલ્થ ટેક્સની જોગવાઇઓમાંથી બચવા માટે પણ કેટલાક રસ્તા છે . જેમ કે રૂપિયા 50,000થી વધારે કેશ રાખવી નહીં . જો આપની પાસે બીજુ મકાન હોય તો તે આપના સ્પાઉસના નામે હોય . વધારે ગોલ્ડ અને જ્વેલરી રાખવી નહીં . જો આપને લક્ઝુરિયસ કાર્સનો શોખ હોય તો તે રૂપિયા 30 લાખની અંદર આવે તેવી રીતે લેવી ." entertainment,બૉલીવુડ એક્ટ્રેસ અને બિકીનીનો સાથ જૂનો છે . ફિટ બૉડી અને સેક્સી ફિગરની સાથે કેટલીય એક્ટ્રેસ બિકીનીમાં ધમાલ મચાવે છે . કેટલીક એક્ટ્રેસ બિકીનીમાં અફલાતૂન લાગતી હોય છે તો અમુક એક્ટ્રેસ બિકીનીમાં કંઈ ખાસ નથી લાગતી હોતી . હૉટ અને સિજલિંગ દેખાવવા માટે એક્ટ્રેસિસને બિકીની બહુ પસંદ હોય છે . આ બિકીનીનો ટ્રેન્ડ બૉલીવુડમાં કેટલાય દશકાથી ચાલતો આવી રહ્યો છે . જ્યારે આજની એક્ટ્રેસની વાત કરવામાં આવે તો બિકીનીમાં લગભગ દરેક એક્ટ્રેસ હૉટ અને સિજલિંગ જોવા મળે છે . જ્યારે આમાથી કેટલીય એક્ટ્રેસ એવી પણ હોય છે જે પોતાના બોલ્ડ અવતારને પગલે ચર્ચામાં રહે છે . જ્યારે આ એક્ટ્રેસ બિકીની પહેરીને પડદો ઉતારે છે તો ચર્ચા બની જાય છે . entertainment,"મુંબઈ , 15 સપ્ટેમ્બર : બૉલીવુડના હૉટ કપલના લગ્ન અંગે લોકો બહુ વધારે ઉત્સાહિત છે . સૌને ઇંતેજાર છે કે ક્યારે કરીના કપૂર અને સૈફ અલી ખાન પતિ - પત્ની બને . પણ જ્યારે એક બાજુ મીડિયા જગતથી લઈને સામાન્ય માણસ આ લગ્ન અંગે ઉત્સુક છે , ત્યાં બીજી બાજુ નવાબોના ખાનદાનને આ લગ્ન પ્રત્યે નારાજગી છે . મિડ ડેના સમાચાર મુજબ સૈફ અલી ખાનના કાકા અને પિતરાઈ ભાઈ આ લગ્નને લઈને નાખુશ છે અને તેથી જ તેઓ આ લગ્નમાં હાજર નહિં રહે . હવે આ નારાજગી પાછળ કારણ કયું છે એ વિશે તો ખુલાસો નથી થયો , પણ એટલું નક્કી છે કે પટૌડી ખાનદાનમાં બધા જ આ લગ્નથી ખુશ નથી . સૈફના કાકાનો પરિવાર ભોપાલ અને હૈદરાબાદ ખાતે રહે છે . આપને જણાવી દઇએ કે મિડ ડેએ લખ્યું છે કે સૈફ - કરીનાના લગ્નની જવાબદારી સૈફની માતા શર્મિલા ટાગોર ઉપર છે અને તેમણે પોતાના કૌટુમ્બિક સભ્યો તેમજ મિત્રોને લગ્ન અંગે કઈં પણ કહેવાનો ઇનકાર કર્યો છે . તેથી કોઈ પણ વ્યક્તિ આ બાબતે મોઢુ ખોલવા તૈયાર નથી . નોંધનીય છે કે સૈફ - કરીનાના લગ્ન 17મી ઑક્ટોબરે થવાની શક્યતા છે . આ લગ્ન દિલ્હીમાં થવાના અને રિસેપ્શન મુંબઈ તથા પટૌડીમાં યોજાવાના સમાચારો છે . હાલ તો આ સમાચાર સાંભળ્યા બાદ લોકોએ એમ કહેવાનું શરૂ કરી દીધું છે કે પટૌડી ખાનદાનમાં મિલ્કત અંગે વિવાદ છે . તેથી જ તેઓ સૈફ - કરીનાના લગ્નમાં હાજર રહેવાનો ઇનકાર કરી રહ્યા હોય . અથવા એમ પણ હોઈ શકે કે પટૌડી ખાનદાનના લોકો સૈફને નવાબ ન બનાવવા માંગતા હોય , પણ પટૌડી રાજકારણના દબાણને વશ થઈ સૈફ નવાબ બની ગયાં . એવામાં શક્ય છે કે લગ્નમાં ન આવવા પાછળનું આ જ કારણ હોય ." entertainment,"ક્યારેક સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ પર ન્યુડ ફોટો નાંખી , તો ક્યારેક પોતાના જ બાતરૂમની તસવીર જાહેર કરી વિવાદોમાં રહેનાર બૉલીવુડ અભિનેત્રી પૂનમ પા્ડે હવે એક નવા વિવાદમાં ફસાઈ ગયા છે . વિવાદ જેવો - તેવો નથી , બળાત્કારનો છે . ડીઆઈજી સુનીલ પારસકર સામે રેપનો આરોપ મૂકનાર મૉડેલનું કહેવું છે કે પારસકરે અભિનેત્રી પૂનમ પાન્ડેના કારણે જ તેની સાથે બળાત્કાર કર્યો . મૉડેલે જણાવ્યુ છે કે પૂનમ પાન્ડે સાથે તેની વ્યાવસાયિક દુશ્મનાવટ હતી . જ્યારે પૂનમ પાન્ડે આઈપીએસ ઑફિસર સુનીલ પારસકરના સમ્પર્કમાં આવી , ત્યારે તેમણે મને પ્રતાડિત કરવી શરૂ કરી . એક અંગ્રેજી અખબારમાં પ્રકાશિત સમાચાર મુજબ પીડિત મૉડેલે પોલીસને જણાવ્યુ છે કે પારસકરે પૂનમ પાન્ડેના કારણે જ તેમનો બળાત્કાર કર્યો , કારણ કે પૂનમ પાન્ડે પારસકરની બહુ નજીક હતાં . એટલુ જ નહીં , મૉડેલે પારસકર તથા પૂનમના સંબંધો અંગે પણ પોલીસને જણાવ્યુ છે . જોકે પૂનમ તરફતી આ અંગે કોઈ પ્રત્યાઘાત નથી સાંપડ્યા . હવે પોલીસ આ બાબતમાં પૂનમ પાન્ડેની પૂછપરછ કરી તપાસ કરશે કે પૂનમના પારસકર સાથે કયા પ્રકારના સંબંધો હતાં . નોંધનીય છે કે ક્રાઇમ બ્રાંચના સૂત્રોનું કહેવુ છે કે મૉડેલને મોકલાવાયેલ પારસકરના સેકડો એમએમએમસ ખૂબ જ અશ્લીલ છે . મૉડેલના મોબાઇલ સેટ ફૉરેંસિક લૅબમાં તપાસ માટે મોકલી દેવાયા છા . પારસકરના પણ મોબાઇલ સેટ લૅબમાં મોકલાશે . પારસકરને બુધવારે ક્રાઇમ બ્રાંચમાં ફરીથી પૂછપરછ માટે બોલાવાયા . વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા મુજબ પારસકરથી પૂનમ પાન્ડે અંગે સવાલો પૂછાયા . હવે પૂનમનું નિવેદન લેવાશે . ક્રાઇમ બ્રાંચે રેપનો આરોપ લગાવનાર મૉડેલનું નિવેદન સીઆરપીસીના સેક્શન 164 હેઠળ મૅજિસ્ટ્રેટ સામે લીધું . ચાલો પૂનમની તસવીરો સાથે જાણીએ કે શું હતો કેસ ?" sports,"ગાંગુલીએ કહ્યું કે કેટલાંક ખેલાડી ક્રિકેટને કલંકિત ના કરી શકે . તેમને ફિક્સિંગ માટે કોઇ મજબૂર ના કરી શકે . આ કામ માત્ર ક્રિકેટર જ કરી શકે છે બીજું કોઇ નહીં . હું શ્રીસંતથી ઘણો ઉદાસીન છું . આની સાથે તેમણે કહ્યું કે આ સંપૂર્ણ રીતે ટેલેન્ટને વ્યર્થ કરનારી પ્રવૃત્તિ છે . ગાંગુલીએ કહ્યું કે હું રાહુલ દ્રવિડ માટે ખરેખર દુઃખી છું . ગાંગુલીએ જણાવ્યું કે દોષી ખેલાડીઓ પર આજીવન પ્રતિબંધ લગાવવો જોઇએ . બીસીસીઆઇએ આખા મામલામાં તપાસ પૂરી થવા સુધી બધા જ આરોપી ખેલાડીઓને આઇપીએલથી સસ્પેન્ડ કરી દીધા છે . બીસીસીઆઇ સંચાલન અધિકારી પ્રો . રત્નાકર શેટ્ટીએ પત્રકારોને જણાવ્યું કે , આ મામલામાં ક્રિકેટ બોર્ડનું સખત વલણ જારી રહેશે . બોર્ડ પહેલા પણ ફિક્સિંગ જૈવા મુદ્દાને લઇને પોતાનું વલણ સ્પષ્ટ કરી ચૂક્યું છે અને ક્રિકેટની ભાવનાને ઠેસ પહોંચાડનાર લોકોની સામે સખત કાર્યવાહી કરવામાં આવશે અને બોર્ડ આ મામલામાં પણ નિયમોનુંસાર આરોપી ખેલાડીઓ પર કાર્યવાહી કરશે ." sports,"આઇસીસી મહિલા વિશ્વ કપ 2017ની ફાઇમલ મેચ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ઐતિહાસિક લોર્ડ્સના મેદાન પર રમાઇ હતી . ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ઇંગ્લેન્ડને હરાવી વિશ્વ કપ જીતવા માટે મેદાનમાં ઉતરી હતી . કપ્તાન મિતાલી રાજની આગેવાનીમાં ભારતીય ટીમે અત્યાર સુધી ખૂબ શાનદાર પ્રદર્શન કર્યું હતું , સેમિ - ફાઇનલ મેચમાં ટીમ ઇન્ડિયાએ 6 વાર વિજેત રહી ચૂકેલ ઑસ્ટ્રેલિયાને 36 રનથી માત આપી હતી . પરંતુ ફાઇનલ મેચમાં ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો . જો કે , ભારતીય મહિલા ક્રિકેટ ટીમ અત્યાર સુધીમાં એક પણ વાર વિશ્વ કપ નથી જીતી શકી . આ પહેલાં માત્ર વર્ષ 2005માં ભારતીય ટીમ ફાઇનલ સુધી પહોંચવામાં સફળ રહી હતી , જેમાં ઑસ્ટ્રેલિયા સામે ભારતને કારમી હારનો સામને કરવો પડ્યો હતો . ભારતીય ટીમઃ પૂનમ રાઉત , સ્મૃતિ મંધાના , મિતાલી રાજ ( કપ્તાન ) , હરમનપ્રીત કૌર , દિપ્તી શર્મા , વેદ કૃષ્ણમૂર્તિ , સુષ્મા વર્મા ( વિકેટકીપર ) , શિખા પાંડે , ઝુલન ગોસ્વામી , રાજેશ્વરી ગાયકાન , પૂનમ યાદવ ઇંગ્લેન્ડ ટીમઃ લૉરેન વિનફિલ્ડ , ટેમી બેમોંટ , સારા ટેલર ( વિકેટકીપર ) , હીથ નાઇટ ( કપ્તાન ) , નેટલી સાવેવર , ફ્રાન વિલ્સન , કેથરિન બ્રંટ , જેની ગુન , લૌરા માર્શ , અન્ના શર્બોલ , એલેક્સ હાર્ટલે" business,"તેલની વધી રહેલી કિંમતથી ભારત ચિંતિત છે . વધતા જતા તેલના ભાવને કારણે લોકોના ઘરનું બજેટ બગડી રહ્યું છે . સોમવારે પેટ્રોલના ભાવમાં 11 પૈસા વધારો થયો હતો . ડીઝલના ભાવમાં પણ વધારો થયો છે . પેટ્રોલમાં થયેલા વધારા પછી પેટ્રોલ મુંબઈમાં લિટરદીઠ 90 રૂપિયા થયું છે , જ્યારે દિલ્હીમાં તેની કિંમત પ્રતિ લિટર 82 રૂપિયા થઇ છે . દેશ જ્યાં તેલના ભાવના વધારાથી ચિંતિત છે , લોકો સરકારને દોષી ઠેરવે છે . વિરોધ પક્ષે આને મુદ્દો બનાવ્યો છે . લક્ષ્ય પર મોદી સરકાર છે , પરંતુ તમને જણાવી દઈએ કે વિશ્વના ઘણા દેશોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે . 6 રાજ્યોમાં ઘટશે પેટ્રોલ - ડીઝલના ભાવ , ગુજરાતીઓ હજુ પરેશાન" entertainment,"બૉલીવુડ કોરિયોગ્રાફર - દિગ્દર્શિકા ફરાહ ખાન તામિળ ફિલ્મ અભિનેતા ધનુષના અભિનયથી ખૂબ જ પ્રભાવિત છે . ધનુષ રાંઝણા ફિલ્મ દ્વારા બૉલીવુડમાં પ્રવેશ કરી રહ્યાં છે . ફરાહ કહે છે કે ધનુષ સ્ક્રીન ફ્રેન્ડલી અભિનેતા છે . ફરાહે ટ્વિટર પર લખ્યું - મને લાગે છે કે ધનુષ આજના સમયના સૌથી આકર્ષક , દિલકશ તથા સ્ક્રીન ઉપર એકદમ સહજ દેખાતાં અભિનેતા છે . ધનુષ પડદા ઉપર પણ એવાં જ લાગે છે કે જેવા તેઓ હકીકતમાં છે અને આ જ તો કમાલની વાત છે . નોંધનીય છે કે થોડાક સમય પહેલા રાંઝણા ફિલ્મના અભિનેત્રી સોનમ કપૂર પણ કંઈક આવું જ બોલ્યા હતાં . તેમણે જણાવ્યું હતું કે તેમનો રીયલ હીરો પણ ધનુષ જેવો જ હોવો જોઇએ . કોલાવેરી ડી સૉંગ દ્વારા સૌના હૃદયમાં સ્થાન બનાવનાર ધનુષની પ્રથમ હિન્દી ફિલ્મ રાંઝણા છે કે જે આવતા માસે રિલીઝ થવાની છે . ફિલ્મમાં ધનુષ સાથે અભય દેઓલ પણ છે ." sports,આ પહેલાં રોબ નિકોલ અને માર્ટિન ગુપ્તિલની શાનદાર ઇનિંગની મદદથી ન્યુઝિલેન્ડે શ્રીલંકા સામે 175 રનનો લક્ષ્યાંક મુક્યો હતો . નિર્ધારિત ઓવરમાં શ્રીલંકાએ છ વિકેટ ગુમાવીને સરખો સ્કોર બનાવતા મેચ ટાઇમાં પરિણામી હતી અને સુપર ઓવર રમાડવી પડી હતી . સુપર ઓવરમાં પ્રથમ શ્રીલંકા બેટિંગ કરવા માટે આવ્યું હતું . શ્રીલંકા તરફથી જયવર્ધને અને થિસારા પરેરાએ શરૂઆત કરી હતી . ઓવરના ચોથા બોલે જયવર્ધને આઉટ થઇ ગયો હતો અને પરેરાનો સાથે દિલશાને આપ્યો હતો . શ્રીલંકાએ એક વિકેટ ગુમાવીને 13 રન બનાવ્યા હતા . 14 રનના લક્ષ્યાંકને પાર પાડવા ન્યુઝિલેન્ડ તરફથી બી મેક્કુલમ અને ગુપ્તિલે શરૂઆત કરી હતી . જોકે મલિંગાની વેધક બોલિંગ સામે ન્યુઝિલેન્ડ નિર્ધારિત 15 રન કરી શકી ન હતી . મલિંગાએ સુપર ઓવરમાં એક વિકેટ મેળવીને 7 રન આપ્યાં હતા . ટી - 20 વિશ્વકપની પ્રથમ સુપર - 8 મેચમાં ન્યુઝિલેન્ડે પ્રથમ ટોસ જીતી નિર્ધારિત ઓવરમાં સાત વિકેટ ગુમાવીને 174 રન બનાવ્યા હતા . ન્યુઝિલેન્ડ તરફથી સર્વાધિક રન નિકોલ ( 58 ) અને ગુપ્તિલ ( 38 ) બનાવ્યા છે . જ્યારે શ્રીલંકા માટે કુલશેકરા અને પરેરા 2 - 2 વિકેટ મેળવવામાં સફળ રહ્યાં છે . ન્યુઝિલેન્ડ સામેની મેચમાં શ્રીલંકા ફિલ્ડ પર નિરાશ જણાઇ રહી હતી . જ્યારે નવોદિત ખેલાડી અકિલા ધનનજયા પરેરાએ પોતાની ડેબ્યુટ મેચમાં 2 વિકેટ મેળવી હતી . પરેરાએ ચાર ઓવરમાં 32 રન આપીને બે વિકેટ મેળવી છે . મુરલીધરન ( 2 - 27 ) અને મેન્ડિસ ( 4 - 15 ) પછી એ ત્રીજો ખેલાડી છે જેણે પોતાની પ્રથમ મેચમાં 2 વિકેટ ઝડપી હોય . ન્યુઝિલેન્ડ તરફથી નિકોલે 40 બોલમાં ત્રણ ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી 58 રન ફટકાર્યા હતા . entertainment,"સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિ ઉપર કામ - વાસના સવાર થાય , ત્યારે તે તમામ પ્રકારના સંકોચ અને વિવેકનું ભાન ભુલી જાય છે અને આવું સામાન્ય જીવનમાં પણ બનતું હોય છે . જોકે રીયલ લાઇફમાં આવા બનાવો બહુ ઓછા જોવા મળે છે . રીયલ લાઇફમાં બાગ - બગીચાઓ કે પાર્ક્સમાં પ્રેમી પંખીડાઓ થોડીક મર્યાદાઓ ઓળંગવાની કોશિશ કરે છે , પરંતુ આમ છતાં એક સીમામાં રહીને જ ચેનચાળાઓ કરાતા હોય છે , પરંતુ વાત જ્યારે ફિલ્મોની અને તે પણ બૉલીવુડ ફિલ્મોની આવે , તો તેમાં પણ ઑનસ્ક્રીન કપલ્સ તમામ મર્યાદાઓ ઓળંગવાની પૂરી કોશિશ કરે છે . બૉલીવુડની અનેક એવી ફિલ્મો છે કે જેમાં હીરો - હીરોઇન જાહેરમાં રોમાંસ કરતા બતાવાય છે . જૂના જમાનાની ફિલ્મોમાં હીરો - હીરોઇન બાગ - બગીચાઓમાં ખુલ્લેઆમ રોમાંસ કરતે બતાવવામાં આવતા હતાં , તો જમાનો બદલાતા આ ઑનસ્ક્રીન કપલ્સના રોમાંસનો દાયરો અને સ્વચ્છંદતાઓ પણ વધતી ગઈ . એટલુ જ નહીં , અમુક ફિલ્મોમાં દૃશ્યની માંગ ઊભી થતા ઑનસ્ક્રીન કપલ્સ જાહેરમાં કામાતુર બની જતા દર્શાવાયા છે . આવી કપલ્સ માટે અનયુઝ્યુઅલ ઇંટીમેસી ઊભી કરવા દિગ્દર્શકો મોટાભાગે ગીતનો સહારો લેતા હોય છે , તો કેટલીક વખત ફિલ્મની વાર્તાના પ્રવાહમાં ઑનસ્ક્રીન કપલ્સ કામાતુર બને છે અને પોતે જાહેરમાં હોવાનું ભાન પણ ભુલી જાય છે . ચાલો આપને પણ બતાવીએ બૉલીવુડ ફિલ્મોની ટૉપ 10 Unusual Intimacy :" sports,"રાજસ્થાન રોયલ્સના ચેરમેન રંજીત બડઠાકુરે એક નિવેદનમાં કહ્યું હતું કે ' અધિકારીઓ દ્વારા મળેલી સુચનાના આધારે ત્રણેય ખેલાડીઓનો કોન્ટ્રાક્ટ તપાસ પુરી થાય ત્યાં સુધી રદ કરવામાં આવે છે . તેમને કહ્યું હતું કે ' અમે ત્રણેય ખેલાડીઓ વિરૂદ્ધ દિલ્હી પોલીસ પાસે એફઆઇઆર પણ દાખલ કરાવી દિધી છે . આઇપીએલમાં ગત સપ્તાહે સૉટ ફિક્સિંગ સ્કેંડલનો પર્દાફાશ થયો હતો જેમાં રાજસ્થાન રોયલ્સના એસ શ્રીસંત , અજીત ચંદીલા અને અંકિત ચૌહાણની ધરપકડ કરવામાં આવી હતી . આઇપીએલની બાકીની ચાર ટીમોની સુરક્ષા વધારી દેવામાં આવી છે અને દરેક ટીમની સાથે તેમની ભ્રષ્ટાચાર નિરોધક એકમના એક અધિકારી રહેશે . બડઠાકુરે કહ્યું હતું કે ટીમોની સુરક્ષા વધારી દેવામાં આવી છે . ફ્રેંચાઇઝી દિલ્હી , જયપુર અને મુંબઇ પોલીસના સતત સંપર્કમાં રહે છે . રાજસ્થાને કહ્યું હતું કે ફ્રેંચાઇઝીના આંતરિક ઉપાય શરૂ કરી દિધા છે . ટીમે કહ્યું હતું કે અમે વધારાના આંતરિક ઉપાય શરૂ કરી દિધા છે . તેમાં ખેલાડીઓનો સંપૂર્ણ સહયોગ છે . અમે સારાની રક્ષા કરીશું પરંતુ ખરાબ માટે સજાની માંગણી કરીશું ." business,"રિલાયન્સ જીયો લાવ્યો છે વધુ એક ધમાકેદાર ઓફર . આમ પણ આજ કાલ તમામ ટેલિકોમ કંપનીઓ નવી નવી ઓફર આપી રહી છે . આ ક્રમ જીયો દ્વારા જ શરૂ કરવામાં આવ્યો હતો . અને આજે પણ તેવા નીત નવી ઓફર આપવાનો ટ્રેન્ડ ચાલુ જ છે . તો શું છે આ નવી ઓફર , કોણ તેનો ફાયદો લઇ શકશે વિગતવાર જાણો અહીં . . . ઓફર રિલાયન્સ કમ્યુનિકેશન માત્ર 148 રૂપિયાના પહેલા રિચાર્જ પર 70 જીબી ઇન્ટરનેટ ડેટા આપવાની ઓફર કરી છે . આ સુવિધા તમને 70 દિવસો સુધી મળશે જો તમે આ ઓફર લેશો તો . આ હેઠળ તમને રિલાયન્સ પ્લાન મુજબ રોજનું 1 જીબી ઇન્ટરનેટ ડેટા મળશે . બીજો પ્લાન 148 રૂપિયાના આ પ્લાન સિવાય રિલાયન્સે 54 અને 61 રૂપિયાનો પ્લાન પણ રજૂ કર્યો છે . 54 રૂપિયામાં ગ્રાહકોને 28 દિવસ માટે દરરોજ 1 જીબી ઇન્ટરનેટ ડેટા આપવામાં આવે છે . જેમાં રિલાયન્સ થી રિલાયન્સ પર કોલ કરવામાં ખાલી 10 પૈસા પ્રતિ મિનિટ આપવાનું રહેશે . અને બીજી એસટીડી કોલિંગ પર 25 પૈસા પ્રતિ મિનિટ . આ સિવાય 61 રૂપિયાના પ્લાનમાં રોજનું 1 જીબી ઇન્ટરનેટ અને કોલિંગ રેટમાં કોઇ બદલાવ નહીં . ખાસ નોંધ નોંધનીય છે કે આ પ્લાનનો ફાયદો ઉઠાવવા માટે એક નિયમ પણ છે આ તમામ પ્લાન એફઆરસી એટલે કે ખાલી પહેલા રિર્ચાજ પર જ લાગુ થશે . એટલે કે સીમ લીધા પછી તમે જ્યારે પહેલી વાર રિચાર્જ કરાવશો તે માટે જ . વધુમાં હાલ આ ઓફર ખાલી આંધ્ર પ્રદેશ અને તેંલગાનામાં જ લાગુ કરવામાં છે ." sports,"ભારતીય ક્રિકેટ ટીમે ઇડન ગાર્ડન સ્ટેડિયમમાં રમાયેલ પ્રથમ ટેસ્ટ મેચમાં વેસ્ટ ઇન્ડિઝને આજે શુક્રવારે એક પારી અને 51 રનોથી માત આપી દીધી છે . મેચમાં હારજીતનો નિર્ણય ત્રીજા દિવસે જ થઇ ગયો . વેસ્ટઇન્ડિઝે પ્રથમ પારીમાં 234 રન બનાવ્યા હતા . ભારતે પોતાની પ્રથમ પારીમાં 543 રન બનાવ્યા . પ્રથમ પારીના આધારે ભારતને 219 રનોની બઢત મળી હતી . જેના જવાબમાં રમવા માટે ઉતરેલી વેસ્ટઇન્ડિઝની ટીમ બીજી પારી માત્ર 168 રન જ બનાવી શકી . ભારત તરફથી મોહમ્મદ સમીએ બીજી પારીમાં પાંચ અને મેચમાં 9 વિકેટ પોતાના નામે કરી જ્યારે અશ્વિને બીજી પારીમાં ત્રણ વિકેટ લીધી . અશ્વિને મેચમાં પાંચ વિકેટ લીધી . આ જીતની સાથે ભારતે બે મેચોની શ્રેણીમાં 1 - 0થી બઢત બનાવી લીધી છે . ઇડનમાં પોતાની છેલ્લી ટેસ્ટ રમી રહેલા સચિન તેડુલકરને તેમના સાથીઓએ જીત રૂપે ભેંટ આપી . ઉલ્લેખનીય છે કે સચિન 14 નવેમ્બરના રોજ મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં યોજાનાર શ્રેણીની બીજી ટેસ્ટમેચ બાદ ક્રિકેટમાંથી સન્યાસ લઇ લેશે . જે સચિનની કારકિર્દીની 200મી ટેસ્ટમેચ હશે . આ પહેલા ભારત અને વેસ્ટઇન્ડિઝની વચ્ચે રમાઇ રહેલી કોલકાતા ટેસ્ટના ત્રીજા દિવસે ભારતની પ્રથમ પારી 435 રનમાં સમેટાઇ ગઇ છે . આજે ભારતે 354 રનથી આગળ રમવાનું શરુ કર્યું અને આર . અશ્વિને શાનદાર સદી ફટકારી . ગઇકાલે ટેસ્ટના બીજા દિવસે રોહિત શર્માએ સદી ફટકારી હતી . ભારતે બીજા દિવસની રમત પૂરી થવા સુધી છ વિકેટ પર 354 રન બનાવ્યા હતા . ભારત તરફથી રોહિત શર્માની શાનદાર 177 અને આર . અશ્વિનની 124 રનોની પારી કારણે ટીમ ઇન્ડિયા મજબૂત સ્થિતિમાં આવી શકી . ભારતને પ્રથમ પારીમાં 219 રનોની બઢત નોંધાવી છે . પ્રથમ દિવસની રમતઃ પ્રથમ દિવસે વેસ્ટઇન્ડિઝના 234 , અને ભારતના 37 રન બીજા દિવસની રમતઃ ભારત 354/6 : સચિને કર્યા નાખુશ , રોહિતની અણનમ સદીએ કર્યા ખુશ" entertainment,"ફરી એકવાર સોશ્યિલ મીડિયાની સેક્સી સ્ટાર કરિશ્મા શર્મા ચર્ચામાં છે . પરંતુ આ વખતે તે પોતાના વાયરલ ફોટો નહીં પરંતુ વીડિયોને કારણે ચર્ચામાં છે . કરિશ્મા શર્મા હાલમાં કોમેડી સર્કસમાં જોવા મળી રહી છે . આ વખતે કરિશ્મા શર્માએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ખુબ જ બોલ્ડ વીડિયો શેર કર્યો છે . આ વીડિયો જોયા પછી તમારી આખો ખુલી જ રહી જશે . આ વાતમાં કોઈ શંકા નથી કે કરિશ્મા શર્માને રાતોરાત સુપરસ્ટાર બનાવવા પાછળ બોલ્ડ વેબ સીરીઝનો હાથ છે . જ્યાં તેને બેક ટુ બેક બેડ સીનથી ન્યૂડ સીન આપ્યા હતા . રાતોરાત ગોપી વહુએ બિકીનીમાં સનસની મચાવી , તસવીરો હોશ ઉડાવશે આ ફોટો સાથે કરિશ્મા શર્મા ફરી એકવાર આ અઠવાડિયાની સેક્સી સુપરસ્ટાર બની ચુકી છે . હંમેશા મુજબ આ વખતે પણ કરિશ્મા શર્માના બોલ્ડ લૂક્સ સોશ્યિલ મીડિયા પર તેઝીથી વાયરલ થઇ ગયા . આ તસવીરો જોઈને તમારા પણ હોશ ઉડી જશે . આ પહેલા કરિશ્મા શર્મા યે હૈ મહોબતે માં એક નાનો રોલ કરતી જોવા મળી હતી . પરંતુ તેને ઇન્ટરનેટની બોલ્ડ સ્ટાર બનાવવા પાછળ એકતા કપૂરની બોલ્ડ સીરીઝનો હાથ છે . એશિયાની સેક્સી સુપરસ્ટારે બ્લેક સાડીમાં કહેર મચાવ્યો" business,ભારતીય રિઝર્વ બેંકે પહેલી વાર કંઇક તેવું કર્યું છે જે આજ પહેલા કોઇએ નથી કર્યું . ભારતીય રિઝર્વ બેંકે 30 જૂને 2017માં પૂર્ણ થતા સપ્તાહની બેલેન્સ શીટ જાહેર ના કરવાનો નિર્ણય લીધો છે . 30 જૂનના રોજ ભારતીય રિઝર્વ બેંકનું એકાઉન્ટિંગ યર પૂર્ણ થઇ જશે . આ સાથે જ નવેમ્બર 2016માં થયેલી નોટબંધીની અસર જાણવા માટે હવે તમારે વધુ રાહ જોવી પડશે . કેન્દ્રીય બેંક હજી પણ સર્કુલેશનમાં જાહેર કરેલા ચલણનું અનુમાન લગાવવા માટે કામ કરી રહી છે . જે બેલેન્સ શીટની લાયેબલિટી માટે સૌથી મહત્વપૂર્ણ વસ્તુ છે . એક અર્થશાસ્ત્રીના જણાવ્યા મુજબ સર્કુલેશનમાં જાહેર ચલણ કેન્દ્રીય બેંકની બેલેન્સ શીટ સૌથી મહત્વપૂર્ણ વસ્તુ છે . અને તેને જનતાની સામે રાખવી જરૂરી છે . જુલાઇના અંત સુધી ભારતીય રિઝર્વ બેંક ડીટેલ બનાવીને તેને ઓગસ્ટમાં રિલિઝ કરવામાં આવે છે . ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર ઉર્જિત પટેલે 12 જુલાઇના રોજ સંસદીય સમિતિને કહ્યું હતું કે નોટોની ગણતરી હજી પણ ચાલુ છે . અને જલ્દી જ તે જાણકારી મેળવીને આ અંગે અધિકૃત જાહેરાત કરશે . ઉલ્લેખનીય છે કે 9 નવેમ્બર 2016થી નોટબંધી કરવામાં આવી છે . જે હેઠળ 500 અને 1000 રૂપિયાની જૂની નોટો બંધ કરી દેવામાં આવી હતી . અને તેના બદલે 500ની નવી અને 2000ની પણ નવી નોટો જાહેર કરવામાં આવી હતી . નોટબંધીના બે અઠવાડિયા સુધી બેન થયેલ કેટલી નોટો જમા થઇ છે તે અંગેથી સુચના રિઝર્વ બેંક દ્વારા આપવામાં આવતી હતી . પણ બે વીક પછી આ અંગે જાણકારી આપવાનું બંધ કરવામાં આવ્યું હતું . entertainment,દક્ષિણ ભારતીય ફિલ્મોના અભિનેત્રી અને બૉલીવુડ ફિલ્મ બર્ફીમાં શાનદાર અભિનય કરનાર ઇલિયાના ડીક્રૂઝ દુલ્હન તરીકે ખીલી ઉઠ્યાં છે . ઇલિયાનાએ તાજેતરમાં જ એક મૅગેઝીન માટે દુલ્હન તરીકે ફોટોશૂટ કરાવ્યું છે . ટુંકમાં જ ફટા પોસ્ટર નિકલા હીરો ફિલ્મમાં દેખાનાર ઇલિયાના હવે ધીરે - ધીરે બૉલીવુડમાં પગ જમાવતાં જાય છે . તેમણે બર્ફી ફિલ્મમાં શાનદાર અભિનય કર્યુ હતું અને તેમની આગામી ફિલ્મ રાજકુમાર સંતોષી દિગ્દર્શિત ફટા પોસ્ટર નિકલા હીરો છે કે જેમાં તેમના હીરો શાહિદ કપૂર છે . ઇલિયાના બૉલીવુડમાં પોતાની પ્રગતિથી સંતુષ્ટ છે . તાજેતરમાં જ તેમણે વર્વ મૅગેઝીનની સપ્ટેમ્બર 2013ની આવૃત્તિ માટે દુલ્હનની પોશાકમાં ફોટોશૂટ કરાવ્યું છે . આ ફોટોશૂટ દરમિયાન ઇલિયાના દુલ્હન તરીકે ખીલી ઉઠ્યા હતાં . આવો તસવીરોમાં જોઇએ ઇલિયાના અને જાણીએ તેમના વિશે વધુ : sports,કોચ્ચિ વનડેમાં વેસ્ટઇંડીઝને સામાન્ય ગણવું ભારતને ભારે પડી ગયું . વેસ્ટઇંડીઝે ભારતને પ્રથમ વનડેમાં 124 રનથી હરાવી પાંચ મેચોની સીરીઝમાં 1 - 0થી મનોવૈજ્ઞાનિક બઢત પ્રાપ્ત કરી લીધી છે . ભારતીય ટીમે પોતાના કોટાની 50 ઓવર પણ રમી શકી નહી અને 41મી ઓવરમાં જ 197 રનો પર ઓલ આઉટ થઇ ગઇ . પહેલી વનડેમાં ટોસ જીતવા ઉપરાંત ભારત માટે કંઇપણ સારું થયું નહી . તેના બેસ્ટમેનો 322 રનોનો પીછો કરતં ટીમને ધ્વસ્ત થઇ ગયા . પરિણામ એ આવ્યું કે પોતાના જ ઘરમાં ટોસ જીત્યા બાદ ભારતના મહેમાનોના હાથે હારનો સામનો કરવો પડ્યો છે . ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ટોસ જીતીને એ આશામાં વેસ્ટઇંડીઝે બેટીંગનું આમંત્રણ આપ્યું હશે કે તેમને ઓછા સ્કોરમાં આઉટ કરીને સરળતાથી લક્ષ્યનો પીછો કરી લેશે પરંતુ કેરેબિયનનો ઇરાદો બીજો કંઇક જ હતો . ડ્વેન સ્મિથ અને પાકિસ્તાન ડ્વેન બ્રાવોએ પ્રથમ વિકેટ માટે ફક્ત સાત ઓવરમાં જ 34 રન જોડી દિયા . આ સ્કોર પર કેપ્ટન બ્રાવો 17 રન બનાવીને આઉટ થઇ ગયા . ત્યારબાદ ક્રીજ પર આવેલા બ્રાયન લારાના ભત્રીજા ડેરેન બ્રાવો . entertainment,"બોલીવુડની વર્સેટાઇલ અભિનેત્રી પ્રિયંકા ચોપરાની પિતરાઇ બહેન બોલીવુડમાં એન્ટ્રી કરી રહી છે . જી હા . આ કોઇ જુના સમાચાર નથી , કે પ્રિયંકાની પિતરાઇ બહેન પરિણિતી ચોપરાની પણ વાત થઇ રહી નથી . અહીં વાત થઇ રહી છે પ્રિયંકા ચોપરાની અન્ય એક પિતરાઇ બહેન મીરા ચોપરાની . મીરા ચોપરા એક બંગાળી ફિલ્મની હિન્દી રિમેકથી બોલીવુડમાં પોતાની કરિયરની શરૂઆત કરવા જઇ રહી છે . ' ધ ગેંગ્સ ઓફ ઘોસ્ટ ' નામની આ ફિલ્મનું દિગ્દર્શન સતીશ કૌશિક કરી રહ્યા છે . આ ફિલ્મમાં મીરાના સાથી કલાકારો તરીકે શર્મન જોશી અને માહી ગિલ કામ કરી રહ્યા છે . બોલીવુડમાં પોતાની એન્ટ્રી અંગે મીરાનું કહેવું છે કે "" હું ચોપરા અટકને વધારે મજબૂત બનાવીશ . હું મારા પરિવારને નીચા જોવાનું થાય તેવું કદી નહીં કરું . "" ફિલ્મ ધ ગેંગ્સ ઓફ ઘોસ્ટની એક આઇટમ સોંગનું શૂટિંગ કર્યા બાદ આપેલા ઇન્ટરવ્યૂમાં મીરાએ જણાવ્યું કે મેં પ્રિયંકા સાથે વાત કરી છે . પણ મને નથી લાગતું કે મારે કોઇ ટિપ્સ લેવાની જરૂર છે કારણ કે હું પહેલા દક્ષિણ ભારતીય ફિલ્મોમાં કામ કરી ચૂકી છું . બધાનું માનવું છે કે હું બોલીવુડમાં સારું કામ કરી શકીશ . તે પછી બધું નસીબને આભારી છે . મીરાએ આ સાથે એ બાબતનો સ્વીકાર કર્યો કે બોલીવુડમાં તેની બંને પિતરાઇ બહેનો પ્રિયંકા અને પરિણીતી સારું કામ કરી રહી છે . તેના કારણે મારા પ્રત્યેની લોકોની અપેક્ષા વધી ગઇ છે જે મારા માટે પડકાર રૂપ છે ." sports,"કાર્ડિક , 7 જૂનઃ ઓપનર શિખર ધવનની વનડે કારકિર્દીની પ્રથમ સદી અને રવિન્દ્ર જાડેજાના ઓલરાઉન્ડ પ્રદર્શનની મદદથી ભારતે ચેમ્પિયન્સ ટ્રોફી ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ગુરુવારે ગ્રુપ બી લીગ મેચમાં દક્ષિણ આફ્રિકાને 26 રનથી હરાવી શાનદાર પ્રારંભ કર્યો છે . શિખર ( 114 ) અને રોહિત શર્મા સાથે પહેલી વિકેટની સતકીય ભાગીદારીથી ભારતે પહેલા બેટિંગ કરતા નિર્ધારિત 50 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને 331 રન બનાવ્યા હતા . જેના જવાબમાં દક્ષિણ આફ્રિકા 305 રન જ કરી શક્યું . શાનદાર બેટિંગ કરવા બદલ શિખર ધવનને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો . ભારત તરફથી શિખર ધવન 114 , રોહિત શર્મા 65 , રવિન્દ્ર જાડેજા 47 , વિરાટ કોહલી 31 , ધોની 27 , કાર્તિક 14 , અશ્વિન 10 અને સુરેશ રૈનાએ નવ રન બનાવ્યા હતા . જ્યારે દક્ષિણ આફ્રિકા તરફથી મેક્લેરને ત્રણ , ત્સોત્સોબેએ 2 અને ડ્યુમીનિએ 1 વિકેટ ઝડપી હતી . ભારત તરફથી મળેલા 331 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકાને પહેલો ઝટકો ઇંગ્રામના રૂપમાં લાગ્યો હતો , તે 6 રન બનાવીને ભુનવેશ્વર કુમારની ઓવરમાં રૈનાના હાથે કેચ આઉટ થયો હતો . બીજી વિકેટ અમલાના રૂપમાં પડી હતી , અમલા 22 રન પર આઉટ થયો હતો . ત્યાર બાદ પીટરસન અને એડીબી વિલિયર્સે બાજી સંભાળી હતી . પીટરસન 68 અને એડીબી વિલિયર્સ 70 રન બનાવીને આઉટ થયા હતા . આ બન્ને ખેલાડીની વિકેટ પડ્યા બાદ દક્ષિણ આફ્રિકાની બાજી લથડી પડી હતી અને ડુયમીની 14 , પ્લેસિસ 30 રન બનાવ્યા હતા , જો કે મેક્લેરને શાનદાર બેટિંગ કરીને ટીમની લાજ થોડીક બચાવી હતી . તેણે 71 રનની અણનમ ઇનિંગ રમી હતી . ભારત તરફથી કુમાર , યાદવ , શર્મા , જાડેજાએ બે - બે વિકેટ ઝડપી હતી ." business,"મોટી સંખ્યામાં નાના રેસ્ટૉરન્ટ અને એવી કંપનીઓ કે જે ગ્રાહકોને સીધો જ માલ વેચતી હોય છે તેઓ ગ્રાહકો પાસેથી જીએસટી વસુલ તો કરી રહી છે , પરંતુ તેઓ સરકારને જમા કરાવતા નથી , કે જીએસટી રીટર્ન ફાઇલ કરી રહ્યા નથી . આવા કેસો સોલ્વ કરવા માટે જીએસટી અધિકારીઓ એક સિસ્ટમ પણ તૈયાર કરવા માટે કામ કરી રહ્યા છે . તમને જણાવી દઈએ કે ઘણા ગ્રાહકોએ આઇઆરઆઈએસ પેરિડોટ ( IRIS Peridot ) કન્ઝ્યુમર મોબાઇલ એપ દ્વારા ફરિયાદ દાખલ કરી છે કે નાના રેસ્ટોરન્ટ્સમાં જીએસટીનો ચાર્જ વસૂલવામાં આવે છે , પરંતુ આ ટેક્સ સરકારી ખાતામાં જમા કરાવ્યો નથી અને આ રેસ્ટોરન્ટ્સએ જીએસટી રિટર્ન ફાઈલ કર્યું નથી . ઘણા ગ્રાહકોએ એપ ડાઉનલોડ કરી જણાવી દઈએ કે આ એપને ઘણા ગ્રાહકોએ ડાઉનલોડ કરી છે . આ એપ જીએસટી સર્વિસ પ્રોવાઇડર દ્વારા વિકસાવવામાં આવ્યું છે . આમાં વ્યવસાયકાર અથવા સર્વિસ પ્રોવાઇડરના જીએસટી ઓળખ નંબરને સ્કેન કરીને , તે નિર્ધારિત કરી શકાય છે કે વ્યવસાયકારે રિટર્ન ફાઈલ કર્યું છે કે નહીં . મોટો ઝટકો ! રાંધણ ગેસના ભાવ વધ્યા , હવે આ કિંમતે મળશે LPG સિલિન્ડર તમને જણાવી દઈએ કે 1.5 કરોડ રૂપિયા સુધીનો ધંધો કરનારા નાના વ્યવસાયકારોને કંપોજિશન યોજના લેવાનો વિકલ્પ હોય છે . તેઓએ દર ક્વાર્ટરમાં રિટર્ન ફાઇલ કરવાનું હોય છે . પરંતુ કંપોજિશન યોજનાનો વિકલ્પ પસંદ કરનારા વ્યવસાયકારો ગ્રાહકો પાસેથી જીએસટી વસુલ કરી શકશે નહિ . તેઓએ તેમના બિલ અથવા ઇનવોઇસ પર પણ લખવું પડશે કે તેઓ કંપોજિશન યોજના હેઠળ આવે છે , તેથી માલ પુરવઠો અથવા આપવામાં આવેલી સેવા પર જીએસટી લેવા માટે હકદાર નથી . કારોબારીઓ , વેપારીઓ અને ઉત્પાદકો જે કંપોજિશન યોજના હેઠળ આવે છે તેઓએ તેમના ટર્નઓવર પર માત્ર એક ટકાના દરે જ જીએસટી ચૂકવવાનું હોય છે . જ્યારે , કંપોજિશન યોજના હેઠળ રેસ્ટોરંટએ પાંચ ટકા અને સર્વિસ પ્રોવાઇડર્સને 6 ટકાના દરથી જીએસટી ચુકવણીની સુવિધા આપવામાં આવી છે . આ રકમ ગ્રાહકો પાસેથી વસુલ કરી શકાતી નથી . જીએસટી ચોરીની વિભાગ તપાસ કરી રહી છે અધિકારીઓના જણાવ્યા મુજબ , તેઓ કહે છે કે અમને ગ્રાહકો તરફથી ઘણી ફરિયાદો મળી છે કે જે જીએસટી રિટર્ન ફાઈલ કરાવતા નથી ગ્રાહકો પાસેથી જીએસટી પ્રાપ્ત કરી રહ્યા છે . કેટલાક ગ્રાહકોએ નાના સ્થાનિક રેસ્ટોરેન્ટ દ્વારા જીએસટી ચાર્જ કરવા વિશે ફરિયાદ કરી છે . જ્યારે આ રેસ્ટોરન્ટ કંપોઝીશન યોજના હેઠળ આવે છે . અધિકારીએ કહ્યું કે ફરિયાદોની સંખ્યા ખૂબ વધુ છે . કરવેરા વિભાગ એવી સિસ્ટમ પર કામ કરી રહ્યું છે , જેનાથી જાણી શકાય કે કેટલાની કર ચોરી થઇ છે . આ પછી , આ કેસો ફિલ્ડમાં કામ કરતા અધિકારીઓને મોકલવામાં આવશે . SBI ના આ SMS ને ઇગ્નોર ન કરો , નહિ તો ખાલી થઇ જશે એકાઉન્ટ" business,"સરકારે કસ્ટમ ડ્યુટીમાં વધારો કરી દીધો છે . વોશિંગ મશીન , રેફ્રિજરેટર , એસી સહિત 19 વસ્તુઓ પર સરકારે બેઝિક કસ્ટમ ડ્યુટીમાં વધારો કરી દીધો છે . જેમાં 2.5 થી 10 ટકા સુધીનો વધારો કરવામાં આવ્યો છે . તમને જણાવી દઈએ કે દેશમાં આ વસ્તુઓ વાર્ષિક લગભગ 86 હજાર કરોડ રૂપિયાની આયાત થાય છે . હવે આના પર કસ્ટમ ડ્યુટીમાં વધારો કરવામાં આવ્યો છે . સરકારે સતત વધતા કરન્ટ અકાઉન્ટ ડેફિસિટને જોતા કસ્ટમ ડ્યુટીને વધારવાનો નિર્ણય કર્યો છે . જો કે સરકારના આ નિર્ણયથી દેશમાં વેચાતી 19 વસ્તુઓ મોંઘી થઈ જશે . નિર્ણય બાદ નાણા મંત્રાલયે બુધવારે એક નિવેદન જારી કરીને કસ્ટમ ડ્યુટી વધારવાની જાણકારી આપી હતી . 19 વસ્તુઓ થઈ જશે મોંઘી સરકારે સૌથી વધુ કસ્ટમ ડ્યુટી વોંશિગ મશીન , રેફ્રિજરેટર અને એસી પર વધારી છે . જ્યાં વોશિંગ મશીનો પર બેઝિક કસ્ટમ ડ્યુટી 10 ટકા વધારીને 20 ટકા કરી દેવામાં આવી . વળી , રેફ્રિજરેટર પર બેઝિક કસ્ટમ ડ્યુટીને પણ 10 ટકાથી વધારીને 20 ટકા સુધી કરવામાં આવી છે . એસી પર પણ બેઝિક કસ્ટમ ડ્યુટી 10 ટકાથી વધારીને 20 ટકા કરી દેવામાં આવી છે . આ પણ વાંચોઃ આધાર પર સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ રાજકીય પક્ષોએ શું કહ્યુ ? મોંઘા થશે સોના - ચાંદી સોના અને ચાંદીથી બનેલી ઈમ્પોર્ટ જ્વેલરી પર કસ્ટમ ડ્યુટી 15 ટકા થી વધારીને 20 ટકા કરી દેવામાં આવી છે . જેનાથી હવે તે પહેલા કરતા મોંઘુ થઈ જશે . વળી , કટ , પોલિશ્ડ ડાયમંડ પર કસ્ટમ ડ્યુટી 5 ટકાથી વધારીને 7.5 ટકા કરી દેવામાં આવી છે . જ્યારે સેમી પ્રોસેસ્ડ ડાયમંડ પર કસ્ટમ ડ્યુટી 5 ટકાથી વધારીને 7.50 ટકા કરી દેવામાં આવી છે . આ ઉપરાંત આર્ટીફિશિયલ ડાયમંડ્ઝ , કટ , પોલિશ્ડ કલર્ડ જેમસ્ટોન્સ , પ્રિસીયસ મેટલ જ્વેલરી પર પણ કસ્ટમ ડ્યુટી વધારી દેવામાં આવી છે . સોના - ચાંદી ઉપરાંત પ્લાસ્ટિક ટેબલવેર પર કસ્ટમ ડ્યુટી વધારીને 15 ટકા કરી દેવામાં આવી છે . વળી , ટ્રાવેલ બેગ , સૂટકેસ , સ્પીકર્સ , ફૂટવેર , રેડિયલ કાર ટાયર્સ વગેરે પર કસ્ટમ ડ્યુટી વધારવામાં આવી છે ." entertainment,ટીવીનો સુપરહીટ શો નાગિન ભલે પૂરો થઇ ગયો હોઈ . પરંતુ તેની લોકપ્રિયતા હજુ પણ એવી ને એવી જ છે . આપને જણાવી દઈએ કે નાગિનની બીજી સીઝન નાગિન - 2 ખુબ જ જલ્દી આવી રહી છે . નિર્માતાઓ અનુસાર નાગિન - 2 સિરિયલ 100 દિવસની અંદર ચાલુ થઇ જશે . મોની રોય ઉર્ફ નાગિને ગોવામાં બતાવી કંઇ આવી હોટ અદાઓ જ્યાં નાગિન સિરિયલ પોતાની અલગ કહાનીને કારણે પોપ્યુલર રહી . ત્યાં જ નાગિનની મુખ્ય અભિનેત્રી મોની રોય પણ આ શો ધ્વારા ટીવીની સુપરહીટ અભિનેત્રી બની ચુકી છે . નાગિન ના અવતારમાં લોકોને મોની રોય ખુબ જ પસંદ આવી . business,"રિલાયન્સ જિયોના શાનદાર પ્રદર્શનથી રિલાયન્સનો નફો વધી ગયો છે . રિલાયન્સ જિયોનો 31 ડિસેમ્બર 2018 કવાટર્રનો નફો 65 ટકા જેટલો વધીને 831 કરોડ પર પહોંચી ગયો છે . ગ્રાહકોની સંખ્યા વધવાને કારણે કંપનીનો નફો પણ વધ્યો છે . ગયા વર્ષે આ કવાર્ટરમાં કંપનીએ 504 કરોડ રૂપિયાનો નફો કમાયો હતો . જો કે , રિલાયન્સ જીઓનું સરેરાશ આવક પ્રતિ ગ્રાહક ( એઆરપીયુ ) ઘટી રહ્યું છે , પરંતુ સબ્સ્ક્રાઇબર્સની સંખ્યામાં વધારાથી તેની અસરમાં ઘટાડો થયો છે . આ દરમિયાન કંપનીના ગ્રાહકોની સંખ્યા વધીને 28 કરોડ થઇ ચુકી છે , જે એક વર્ષ પહેલા આ કવાર્ટરમાં 16 કરોડ હતી . રિલાયન્સ ઇન્ડસ્ટ્રી ચેરમેન મુકેશ અંબાણી ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે જિયો પરિવાર હવે 28 કરોડનો થઇ ચુક્યો છે . Alert ! SBI એ તમને પણ મોકલ્યો છે આ SMS તો જલ્દી કરો આ કામ મુકેશ અંબાણીએ જણાવ્યું કે દુનિયાના સૌથી મોટા મોબાઈલ નેટવર્ક ઘ્વારા તે આગળ વધી રહ્યું છે . તેમને કહ્યું કે અમારી સોચ બધાને અને બધી જ વસ્તુઓને સારી ગુણવત્તા અને યોગ્ય કિંમતે જોડવાની છે . રિલાયન્સ જિયોની ઓપરેટિંગ આવક 50.9 ટકા વધીને રૂ . 10 , 383 કરોડ થઈ ગઈ છે , જે એક વર્ષ અગાઉ સમાન ગાળાના 6,879 કરોડ રૂપિયા હતી . અનિલ અંબાણી , અદાણી સહિત કેટલાય ઉદ્યોગપતિઓને ગહલોત સરકારનો ફટકો , 240 MoU રદ થશે" entertainment,એકવાર ફરી સલમાન ખાને સાબિત કરી દીધું કે તેઓ બોલિવૂડ ના સુલતાન છે તેમની ફિલ્મો કરોડો નો બિઝનેસ કરી ને રેકોર્ડ પર રેકોર્ડ બનાવી રહી છે સુલતાન ફિલ્મના પ્રોમોશન દરમિયાન સલમાન ખાને એક વિવાદિત નિવેદન આપ્યું હતું જેના બાદ લાગ્યું હતું કે સલમાન ખાન ના આ નિવેદન થી ફિલ્મ ની સફળતા અટકી ના જાય પરંતુ આવું કઈ જ ના થયું અને સુલતાન વર્ષ ની સૌથી સફળ ફિલ્મ બની ગયી . સલમાન ખાન 13 વર્ષ જૂની ઘટના પર જ અટવાઈ ગયા છે સુલતાન ફિલ્મની સક્સેસમાં પહેલી વાર સલમાન ખાને આખા મામલે પોતાની ચુપ્પી તોડી છે . સલમાને આખા વિવાદમાં મીડિયાને ખૂબ જ ખરી ખોટી સંભળાવી સલમાને કહ્યું કે હું કંઈ ના કહું તો લોકો મને બોરિંગ કહેશે અને કંઈક કહું છું તો મીડિયાને મસાલો મળી જાય છે . તેઓ પોતાના હિસાબથી દિમાગ લગાવીને કઈ પણ છાપી દેશે અને બતાવી દેશે . સલમાન ખાને આગળ કહ્યું કે હું મીડિયા પાસેથી જાણવા માંગુ છું કે આખરે તેઓ મારી પાસેથી શુ ઈચ્છે છે . હું કંઈક કહું છું અને મીડિયા તેને કંઈક બીજી રીતે જ રજૂ કરે છે . એક જ નિવેદનને ફેરવી ફેરવીને રજૂ કરવાથી કેટલું દર્દ થાય છે તે હું જ જાણું છું . આપણે જણાવી દઈએ કે સલમાન ખાને કહ્યું હતું કે સુલતાન ફિલ્મના શૂટિંગ દરમિયાન તેઓ રેપપીડિત મહિલા જેવો અનુભવ કરી રહ્યા હતા . આ નિવેદન બાદ ખૂબ જ વિવાદ મચી ગયો હતો . આ મામલે મહિલા આયોગે સલમાન ખાનને નોટિસ પણ મોકલી હતી . business,"કલ્પના કરો કે આપ કોઇ સરકારી અથવા ખાનગી ક્ષેત્રની જોબ પોઝિશન માટે અરજી કરવા જઇ રહ્યા છે . આ અરજી કરવા માટે આપે કોઇ પેપરવર્ક કરવાનું નથી . આ જોબ માટે આપે સંખ્યાબંધ દસ્તાવેજોની નકલો મોકલવાની નથી . જોબ માટે અરજી કરતા સમયે આપે માત્ર એક ઓનલાઇન લિંક મોકલવાની રહેશે . આમ થાય તો મોટી ઝંઝટમાંથી મુક્તિ મળે . અહીં આપણે માત્ર કલ્પના કરી છે . જો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં સરકાર આ ડ્રીમ સ્કીમને વાસ્તવમાં અમલી બનાવવાની દિશામાં કામ કરી રહી છે . કેન્દ્ર સરકાર એવા ' ડિજિટલ લોકર ' ના વિચારને વાસ્તવિક સ્વરૂપ આપવા માટે કામ કરી રહી છે જેમાં ભારતના નાગરિકોને આપવામાં આવતા દરેક પ્રકાસના સર્ટિફિકેટ્સ અને દસ્તાવેજોને એક જગ્યાએ સંગ્રહ કરી શકાય . આ કારણે જ્યારે પણ આપે નોકરી માટે અરજી કરવી હશે ત્યારે સરકારી ક્લાઉડ પર આપે મોકલેલી લિંક ખોલીને એજન્સી તમામ દસ્તાવેજોની ચકાસણી કરી લેશે . આ કારણે એજન્સીને પણ ઘણા બધા ઉમેદવારોના દસ્તાવેજોની નકલો , તેની ખરાઇ અને એફિડેવિટ રાખવાનો પ્રશ્ન ઉભો થશે નહીં . આ અંગેની માહિતી ડિપાર્ટમેન્ટ ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં સચિવ રામ સેવક શર્માએ આપી છે . તેમણે જણાવ્યું છે કે ' ડિજિટલ લોકર ' પ્રોજેક્ટની રૂપરેખા અંગે તાજેતરમાં ચર્ચા કરવામાં આવી હતી . ડિજિટલ લોકર કેવી સુવિધા પ્રદાન કરશે તે જાણવા આગળ ક્લિક કરો . . ." entertainment,"વીણા મલિકના ચુંબનનો રેકૉર્ડ તો આપને યાદ જ હશે . હવે એક નવો રેકૉર્ડ તેઓ બનાવવા જઈ રહ્યાં છે અને તે છે એક મિનિટમાં ઓછામાં ઓછા 10 વાર નગ્ન થવાનો એટલે કે કપડા ઉતારવાનો અને પહેરવાનો . આ સ્પર્ધામાં વીણા મલિક એકલાં નથી . તેમની સાથે વધુ 9 હીરો - હીરોઇનો . આ સ્પર્ધા યોજાશે આવનાર ફિલ્મ ધ સિટી ધૅટ નેવર સ્લીપ્સ ( મુંબઈ ) માટે . આ સ્પર્ધા તે ગિનીઝ બુક ઑફ વર્લ્ડ રેકૉર્ડમાં નામ નોંધાવવા માટેની છે કે જેમાં અત્યાર સુધી ઇટાલીના કે . ડેરિયો પઓલોઝીનું નામ નોંધાયેલ છે . તેઓ 18મી માર્ચ , 2010ના રોજ એક મિનિટમાં 9 વાર નગ્ન થયાં અને તેમનું નામ ગિનીઝ બુકમાં નોંધાયું . ધ સિટી ધૅટ નેવર સ્પીપ્સની આ સ્પર્ધા મુંબઈ ખાતે યોજાઈ રહી છે . તેમાં એક સાથ 10 સેલિબ્રિટીઓ ભાગ લેશે . તેમાં વીણા મલિકનું નામ ફાઇનલ થઈ ચુક્યું છે . દિગ્દર્શક હારૂન રશીદની આ ફિલ્મનું પ્રચાર પુરજોશમાં ચાલી રહ્યું છે . ખાસ વાત એ છે કે ફિલ્મનું પ્રમોશન માત્ર અશ્લીલતા જ પિરસી રહ્યું છે . હાલ તો માણો ધ સિટી ધૅટ નેવર સ્લીપ્સની તસવીરી ઝલક ." sports,"વિશાખાપટ્ટનમ , 25 નવેમ્બરઃ ટીમ ઇન્ડિયાના કપ્તાન મહેન્દ્ર સિંહ ધોની એક પછી એક કપ્તાની રેકોર્ડ પોતાના નામે કરતા જઇ રહ્યા છે . ગઇકાલે વેસ્ટઇન્ડિઝ ટીમની વિરુદ્ધ એક વિકેટકીપર કપ્તાનના રૂપમાં તેમણે 150મી મેચમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું જે એક રેકોર્ડ છે . ધોનીએ સૌરવ ગાંગુલીએ 147 મેચોમાં કપ્તાનીનો રેકોર્ડ તોડી દીધો છે . જોકે ભારત માટે સૌથી વધારે 174 વનડે મેચોમાં મોહમ્મદ અજરૂદ્દીને કપ્તાની કરી છે . ધોનીને 2007માં ટીમ ઇન્ડિયાનો કપ્તાની સોંપવામાં આવી હતી , ત્યારથી લઇને તેમણે ઘણી મોટી જીત ટીમ ઇન્ડિયાને અપાવી , જેમાં ટી - 20 વર્લ્ડકપ 2007 , વર્લ્ડકપ 2011 અને આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીનો સમાવેશ થાય છે . તેઓ દુનિયાના પહેલા કપ્તાન છે જેણે આઇસીસીના ત્રણેય પ્રતિષ્ઠિત કપ જીત્યા છે . ધોનીએ જે 150 મેચોમાં ટીમની કપ્તાની કરી છે , તેમાંથી 50માં ટીમને હાર અને 87માં જીત હાસલ થઇ છે , જ્યારે ત્રણ મેચ ટાઇ રહી અને 9 મેચ અપરિણામ રહી છે . ભારતના સફળ વનડે કપ્તાનોની સૂચિમાં અજરૂદ્દીન 90 જીતની સાથે પ્રથમ સ્થાને છે , જ્યારે ધોની બીજા નંબર પર અને ગાંગુલી 76 જીતની સાથે ત્રીજા સ્થાને છે . સૌથી વધારે મેચોમાં કપ્તાની કરનાર ખેલાડીઓઃ" entertainment,"સલમાન ખાન અને તેમના સો કૉલ્ડ ગર્લફ્રેન્ડ કૅટરીના કૈફ વચ્ચે વધતું અંતર એક્સ ગર્લફ્રેન્ડ સંગીતા બિજલાણી માટે ફાયદાકારક નિવડી રહ્યું છે . થોડાંક દિવસ અગાઉ જાણવા મળ્યુ હતું કે સંગીતા બિજલાણી સલમાનની ફૅમિલી સાથે ફિલ્મ જોવા ગયા હતાં અને હવે વધુ એક વાર જાણવા મળે છે કે સંગીતા બિજલાણી સલમાન અને તેમના પરિવાર સાથે અજય દેવગણની ફિલ્મ હિમ્મતવાલા જોવા પહોંચ્યાં . અજય દેવગણે પોતાની ફિલ્મની સ્પેશિયલ સ્ક્રીનિંગ રાખી હતી . સ્પેશિયલી સલમાન ખાન માટે . અજય દેવગણની હિમ્મતવાલા ફિલ્મને જોકે બૉક્સ ઑફિસે કંઈ ખાસ સફળતા નથી મળી રહી , પરંતુ તેમણે પોતાના મિત્ર સલમાન માટે પોતાની ફિલ્મની સ્પેશિયલ સ્ક્રીનિંગ યોજી કે જેથી સલમાન અને તેમના ઘરના સભ્યો અજયની ફિલ્મ જોઈ પોતાનો અભિપ્રાય જણાવી શકે , પરંતુ સલમાન સાથે ત્યાં સંગીતા બિજલાણીને જોઈ લોકો થોડાંક આશ્ચર્યમાં મુકાઈ ગયાં . હિમ્મતવાલાની સ્પેશિયલ સ્ક્રીનિંગ જોવા મોટા પહોંચેલા સલમાન ખાનના પરિવારજનોમાં તેમના પિતા સલીમ ખાન , બહેન અલવીરા અગ્નિહોત્રી , માતા હેલનનો સમાવેશ થતો હતો . સંગીતા બિજલાણી પણ આ લોકો સાથે હાજર હતાં . સંગીતા બિજલાણીએ સલમાનના બહેન સાથે બેસી આખી ફિલ્મ જોઈ . આ સ્પેશિયલ સ્ક્રીનિંગ દરમિયાન જૅકી ભાગનાની તથા પ્રેમ ચોપરા પણ નજરે પડ્યાં . નોંધનીય છે કે સંગીતા બિજલાણી એક વખતે સલમાનના ગર્લફ્રેન્ડ હતાં . પછી સંગીતા બિજલાણીએ પૂર્વ ક્રિકેટર મહોમ્મદ અઝહરુદ્દીન સાથે લગ્ન કરી લીધા હતાં . જોકે સંગીતા અને અઝહર હાલ જુદા - જુદા રહે છે ." business,"ફોન પે વોલેટ ઈ કોમર્સ કંપની ફ્લીપકાર્ટ દ્વારા લોન્ચ કરાયેલી યુપીઆઈ આધારિત એપ્લીકેશન છે , જે તમને કેશલેસ પેમેન્ટની સુવિધા આપે છે . ફોન પે વોલેટ ભારતીય રિઝર્વબેન્ક દ્વારા અપાયા PPI લાયસન્સથી સંચાલિત છે . PhonPeનું સમર્થન યુપીઆઈ ( યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ ) પ્લેટફોર્મ દ્વારા થાય છે , જે IMPS ( તત્કાલ ચૂકવણી સેવા ) આધારે કામ કરે છે . જે કોઈ પણ બે પક્ષ વચ્ચે ફંડ ટ્રાન્સફરની પરવાનગી આપે છે . ફોન પે એપની મદદથી કરી શકો છો ત્રણ પ્રકારની ચૂકવણી • ફોન પે વૉલેટ દ્વારા • યુપીઆઈ પર લિંક બેન્ક અકાઉન્ટ • ડેબિટ કાર્ડ / ક્રેડિટ કાર્ડ ફોન પે વોલેટ તમને ઓનલાઈન ખરીદી માટે તરત પૈસા રિફંડ લેવામાં મદદ કરે છે , તે સંલગ્ન વેપારીને તરત કેશબેક પણ પહોંચાડે છે . એપનો ઉપયોગ કરીને તમે રિફંડ મળેલા પૈસા પોતાના બેન્ક અકાઉન્ટમાં ટ્રાન્સફર કરી શકો છો . આગળ જાણો બેન્ક ખાતાને ફોન પે સાથે કનેક્ટ કેવી રીતે કરશો ." entertainment,"સલમાન ખાને ફરી સાબિત કર્યુ છે કે તેઓ બૉક્સ ઑફિસના કિંગ છે . સલમાન ખાને કિક દ્વારા એ પણ સિદ્ધ કર્યુ છે કે ઈદ સાથે તેઓ વધુ ન્યાય કરી શકે છે . સાજિદ નડિયાદવાલા દિગ્દર્શિત પ્રથમ ફિલ્મ કિકે બૉક્સ ઑફિસે શાનદાર પ્રદર્શન કર્યુ છે . કિકે ત્રણ દિવસમાં 83.83 કરોડ રુપિયાની કમાણી કરી લીધી છે અને તે વીકેન્ડમાં 100 કરોડની કમાણીનો આંકડો પાર કરી જશે . એક થા ટાઇગરથી માંડી દબંગ સુધી સલમાને એક પછી એક હિટ ફિલ્મો આપી છે . તે પહેલાના સમયમાં જઇએ , તો સલમાને મૈંને પ્યાર કિયા અને હમ આપકે હૈં કૌન જેવી સુપર હિટ ફિલ્મો આપી છે . સલમાન ખાન માટે આ બમણી ખુશીની વાત છે કે તેમણે 2014માં બૅક ટુ બૅક બે સફળ ફિલ્મો જય હો તથા કિક આપી છે . જોકે જય હોએ અપેક્ષિત સફળતા નહોતી પ્રાપ્ત કરી , પરંતુ આમ છતાં તેનો બિઝનેસ 111 કરોડ રહ્યો હતો . જોકે વૉન્ટેડ , નો એન્ટ્રી તથા બીવી નંબર 1 જેવી ફિલ્મો સો કરોડ ક્લબમાં એન્ટર નહોતી થઈ શકી . ચાલો કિકની સફળતાની ઉજવણીના ભાગરૂપે આપને બતાવીએ સલમાન ખાનની હાઇએસ્ટ ગ્રોસિંગ ફિલ્મો :" business,"હાલ નવરાત્રી આવી રહી છે અને નવરાત્રીની સાથે જ ઓનલાઇન શોપિંગ પોર્ટલ પર સેલની સીઝન શરૂ થઇ ગઇ છે . અલગ અલગ સાઇટ નીતનવા ડિસ્કાઉન્ટ આપે છે . જેનો લોકો પણ મોટો ફાયદો ઉઠાવી રહ્યા છે . અને ઘર માટે જરૂરી શોપિંગ કરી રહ્યા છે . વળી અનેક તેવા પણ લોકો હોય છે જે આ રીતે સેલમાં ખરીદી કરવા માટે લાંબા સમયથી રાહ જોઇ રહ્યા છે . Paytm Mall પેટીએમની તરફથી પેટીએમ મોલ પર મેરા કેશબેક સેલ શરૂ થયા છે . પેટીએમ મોલની આ સેલમાં કંપની 501 કરોડ રૂપિય સુધીના કેશબેક આપવાનો દાવો કરી રહી છે . કંપની પોતાના અનેક યુઝર્સને 100 ટકા સુધી કેશબેક આપશે . આ સેલ 20 સપ્ટેમ્બરથી શરૂ થઇને ચાર દિવસ એટલે કે 23 સપ્ટેમ્બર સુધી ચાલશે . કંપનીએ એક રિલિઝ હેઠળ કહ્યું કે તે દર રોજ 25 ફોન ખરીદારોને 100 ટકા સુધી કેશબેક આપશે . સાથે જ રોજ 200 ગ્રાહકોને 100 ગ્રામ ગોલ્ડ જીતવાનો અવસર પણ આપશે . Flipkart : Big Billion Day Sale ફ્લિપકાર્ટે પણ બિગ બિલિડન ડે નામે સેલ શરૂ કર્યા છે . જેમાં લેપટોપથી લઇને મોબાઇલ , પાવરબેંક જેવી અનેક વસ્તુઓ પર સારી ઓફર ચાલી રહી છે . આ સેલમાં Huawei P9 સ્માર્ટફોન પણ તમે ખરીદી શકો છો . જેની પર 25,000 રૂપિયા સુધીની છૂટ મળશે . આમ તમે 39,999 રૂપિયા સુધીનો આ ફોન ખાલી 14,999 રૂપિયામાં ખરીદી શકશો . ફિલ્પકાર્ટનો આ સેલ 20 સપ્ટેમ્બરથી શરૂ થઇને 5 દિવસ એટલે કે 24 સપ્ટેમ્બર સુધી ચાલશે . Amazon : ગ્રેટ ઇન્ડિયન સેલ અમેઝોન પર પણ 21 સપ્ટેમ્બરથી ગ્રેટ ઇન્ડિયન સેલ શરૂ થયો છે . જો કે આ ખાલી એમેઝોન પ્રાઇમ મેમ્બર માટે જ છે . જેમાં એચડીએફસી કાર્ડથી ખરીદી પર 10 ટકા જેટલું કેશબેક પણ મળે છે . આ સેલમાં તમે 70 ટકા સુધી ડિસ્કાઉન્ટ પણ મેળવી શકો છો . અમેઝોનનો આ સેલ 21 થી લઇને 24 તારીખ સુધી ચાલશે ." sports,શ્રીલંકાના કોલંબો સ્થિત આર . પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે બપોરે ઓસ્ટ્રેલિયા અને આયર્લેન્ડ વચ્ચે શરૂ થયેલી આઇસીસી વર્લ્ડ ટી20 2012ની સી જૂથની મેચમાં ઓસ્ટ્રેલિયાના બોલર્સે આયર્લેન્ડની ટીમ પર સતત દબાણ ઉભું કરી 20 ઓવરમાં 7 વિકેટે 123 રન જ કરવા દીધા હતા . ઓસ્ટ્રેલિયાના બોલર શૅન વૉટસનની આગેવાનીમાં બોલર્સે આયર્લેન્ટના બેટ્સમેન સામે તરખાટ મચાવ્યો હતો . પ્રથમ બોલમાં જ વૉટસને આયર્લેન્ડના કેપ્ટન વિલિયમ પોર્ટરફિલ્ડને આઉટ કરી દીધો હતો . શરૂઆતથી જ દબાણમાં આવી ગયેલી આયર્લેન્ડની ટીમ ખાસ નોંધપાત્ર રન બનાવી શકી ન હતી . જો કે ઑ ' બ્રિયન ભાઇઓ કેવિન અને નિયાલે અર્ધ શતકની ભાગીદારી નોંધાવી આયર્લેન્ડની ટીમને સન્માનજનક સ્થિતિમાં પહોંચાડી હતી . કેવિને 35 રન અને નિયાલે 20 રન બનાવ્યા હતા . વૉટસને ચાર ઓવરમાં માત્ર 26 રન આપી ત્રણ વિકેટ ઝડપી હતી . મિશેલ સ્ટાર્કે બે વિકેટ અને ગ્લેન મેક્સવેલ અને બ્રાડ હોગે એક એક વિકેટ લીધી હતી . આ વર્ષે વર્લ્ડ ટી20ની આ બીજી મેચ છે . ટોસ જીત્યા બાદ આયર્લેન્ડે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો . બીજી તરફ ઓસ્ટ્રેલિયાએ તેના બેટિંગ દાવમાં સારી શરૂઆત કરી હતી . તેણે આઠ ઓવર પૂરી થઇ ત્યાં સુધીમાં 1 વિકેટના નુકસાને 65 રન બનાવ્યા હતા . business,"પોતાના ગૃહ જિલ્લાની નજીક મલમપટ્ટી આંધ્ર બેંકની એક શાખાના ઉદઘાટન કર્યા બાદ ચિદમ્બરમે જણાવ્યું કે "" કેટલાક લોકો ઇચ્છતા ન હતા કે ખનીજ ભંડારોનું ખનન કરવામાં આવે . તેમનો વિચાર છે કે ભંડારોને જેમના તેમ રહેવા દેવા જોઇએ . જો તેમ કરીશું તો તેનાથી દેશના વિકાસમાં કોઇ મદદ નહીં મળે . "" તેમણે જણાવ્યું કે ચીને ઝેડપી વિકાસ એટલા માટે પ્રાપ્ત કર્યો છે કે તેમના વિચારધારા અને દ્રષ્ટિકોણ વિકાસ પ્રત્યે અનુકૂળ છે . પરંતુ ભારતમાં વિકાસને માટે અનેક પ્રકારની ટીકા કરવામાં આવે છે . તેઓ ઇચ્છે છે કે કોલસા ભંડારો જેમના તેમ રહે . વીજળી ઉત્પાદન માટે કોલસો જરૂરી છે . અને ઔદ્યોગિક વિકાસ માટે વીજળી જરૂરી છે . તેમણે જણાવ્યું કે જમશેદપુરની લોખંડની ખાણોમાં ઉત્ખનન કર્યા વગર ત્યાંનો આટલો વિકાસ શક્ય ન હતો . ચિદમ્બરમે એમ પણ જણાવ્યું કે તેઓ વર્ષ 2009માં શિવગંગાથી ચૂંટાયા છે . આ મારો 74મો પ્રવાસ છે . હું મારા ચૂંટણી મતવિસ્તારની 100 વાર મુલાકાત લઇને તેમાં શતક પૂરું કરવા માંગું છું ." business,સરકારે આગામી 1 જુલાઇથી કરદાતાઓને તેમના આધાર કાર્ડને પાનકાર્ડ સાથે જોડવાનું અનિવાર્ય કર્યું છે . પાન નંબરને આધાર નંબર સાથે જોડવાની સમયસીમાને હવે ખાલી બે દિવસ જ બચ્યા છે . જો તમે આ બે દિવસની અંદર આ કામ ના કર્યું તો આવનારા સમયમાં તમારી મુશ્કેલીઓ વધી શકે છે . કેન્દ્ર સરકારે આધારને પાનકાર્ડ સાથે લિંક કરવા માટે નવા નિયમોને નોટિફાય કર્યા છે . સુપ્રીમ કોર્ટે દ્વારા મંગળવારે જે નિર્ણય લેવામાં આવ્યો છે તે પછી સરકારે આ મહત્વનું પગલું ભર્યું છે . ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ સરકારે આધારને પાન સાથે લિંક કરવાને અનિવાર્ય કર્યું હતું . https : / / incometaxindiaefiling . gov . in / e - Filing / Services / LinkAadhaarHome . html તો જો તમે પણ આધાર અને પાન કાર્ડને લિંક કરવા માંગતા હોવ તો ઓનલાઇન નીચેની લિંક પર ક્લિક કરો . અને પૂછવામાં આવેલી તમામ જાણકારી યોગ્ય રીતે ભરીને તમે પાન કાર્ડ અને આધારને એકબીજાથી લિંક કરી શકો છો . ઉલ્લેખનીય છે કે દેશમાં પાનકાર્ડ ગ્રાહકોની સંખ્યા 25 કરોડ છે જ્યારે આધાર ગ્રાહકોની સંખ્યા પણ 111 કરોડ થઇ ચૂકી છે . business,"ભારતમાં વડના ઝાડનું નામ આવે કે તરત જ ભૂત પ્રેતના વિચારો મનમાં ભમતા થઇ જાય છે . કારણ કે વડના ઝાડને હંમેશા ભૂત પ્રેત સાથે જોડીને જોવામાં આવે છે . પણ આપને શું એ વાતનો ખ્યાલ છે કે વડના ઝાડ સાથે માત્ર ભૂત પ્રેતની વાતો નહીં , પરંતુ ભારતના આર્થિક વિકાસની વાતો પણ જોડાયેલી છે . ભારતના આર્થિક વિકાસને દર્શાવતા એક મજબૂત સ્તંભનું જોડાણ વડના ઝાડ સાથે છે . વાત એમ છે કે બોમ્બે સ્ટોક એક્સચેન્જ એટલે કે બીએસઇ ( BSE ) ની સ્થાપનાનો શ્રેય જે ચાર ગુજરાતીઓ અને એક પારસીને જાય છે તેઓ આ અંગેની ચર્ચા કરવા માટે વડના ઝાડ નીચે પોતાનો અડ્ડો બનાવ્યો હતો . તેમણે વડના ઝાડ નીચે બનાવેલી બેઠકમાં જ શેરબજાર શરૂ કર્યુ હતું . પ્રાપ્ત માહિતી અનુસાર તેઓ વર્ષ 1950ની આસ પાસ પોતાના કારોબારના સિલસિલામાં મુંબઇના ટાઉન હોલની સામે આવેલા વડના ઝાડની નીચે જ બેઠકો યોજતા હતા . આ બેઠકમાં લોકોની સંખ્યા વધતી ગઇ . ધીરે ધીરે આ કારોબારમાં સભ્યોની સંખ્યા પણ વધતી ગઇ . વર્ષ 1875માં આ લોકોએ પોતાનું એક એસોસિએશન બનાવ્યું હતું . આ એસોસિએશનનું નામ ધ નેટિવ શેર એન્ડ સ્ટોક એસોસિએસન રાખવામાં આવ્યું હતું . ત્યાર બાદ કામ કાજનો વ્યાપ વધતા તેમને મોટી જગ્યાની જરૂર ઉભી થઇ . આ માટે તેમણે દલાલ સ્ટ્રીટ પર એક ઓરડો ભાડે રાખ્યો હતો . ત્યાર બાદ અન્ય મોટી જગ્યા ભાડે રાખતા હતા . આ જગ્યાઓ પર આજે બોમ્બે સ્ટોક એક્સચેન્જ ઉભું છે ." entertainment,"બિપાશા બસુ હવે બની ગઇ છે બિપાશા બસુ ગ્રોવર . 30મી એપ્રિલે આ બોલીવૂડના હોટ અને ફીટ કપલે એકબીજાને જન્મો જન્મના સાથે રહેવાના કોલ આપી દીધા છે . ત્યારે જ્યાં તેમનું લગ્ન એક પ્રાઇવેટ અફેર રહ્યું હતું ત્યાં જ રિસેપ્શન બોલીવૂડથી લઇને ટેલીવિઝનની અનેક હસ્તીઓએ હાજરી આપીને આ રિસેપ્શનની જમાવટ પાડી દીધી હતી . ઐશ્વર્યા રાય બચ્ચન , અમિતાભ બચ્ચન , શાહરૂખ ખાન અને સુસ્મિતા સેન જેવા બોલીવૂડના જાણીતા દિગ્ગજોથી લઇને ટેલિવિઝનના મોટા ચહેરા જેમ કે ર્દષ્ટિ ધામી , સુરભી જ્યોતિ પણ હાજરી આપી હતી . બિપાશા અને કરણના રિસેપ્શનની થીમ પીંક અને વાઇટ હતી . અને તેમની રિસેપ્શન કેક પર બે મકીં દોરેલા હતા . ત્યારે પોતાના રિસેપ્શનમાં કોણ આવ્યું હતું . બિપાશા અને કરણ કેવા લાગતા હતા તે વિષે વધુ જાણો નીચેની તસવીરોમાં . . . ." sports,"હાલ ઇંગ્લેન્ડમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ શ્રેણી ચાલી રહી છે . ઇંગ્લેન્ડના બેટ્સમેન પોતાના ઘર આંગણાના મેદાન પર શાનદાર પ્રદર્શન કરી રહ્યાં છે . ઇયાન બેલ , બેલેન્સ પોતાની પ્રતિભાનુંસાર બેટિંગ કરીને ટીમને વિજયી બનાવવા માટે શક્ય તેટલું યોગદાન આપી રહ્યાં છે , તો બોલર્સ પણ ભારતીય બેટ્સમેનને સારા એવા મુંઝવણમાં મુકી રહ્યાં છે , સ્ટુઅર્ટ બ્રોડ હોય કે પછી જેમ્સ એન્ડરસન પોતાની વેધક બોલિંગ થકી સાઉથમ્પટન અને માન્ચેસ્ટર ખાતે ભારતને કપરી સ્થિતિમાં મુકવામાં સફળ થયા છે . આ જ વાતને ધ્યાનમાં રાખીને આજે અમે અહીં એવા 20 મહાન બેટ્સમેન અંગે તમને જણાવી રહ્યાં છીએ કે જેમણે વિદેશી ધરતી પર તો રનનો વરસાદ કર્યો જ છે , સાથોસાથ ઘર આંગણે પણ આ ખેલાડીઓએ રનનો ખડકલો કરી દીધો છે . તો ચાલો તસવીરો થકી જાણીએ આ મહાન ખેલાડીઓના ઘર આંગણાના પ્રદર્શનને . માન્ચેસ્ટર ટેસ્ટઃ ભારતીયો કરશે અઝહર - દોશી જેવો કમાલ માન્ચેસ્ટરમાં ભાવુક થઇ ટીમ ઇન્ડિયા આ પણ વાંચોઃ - માન્ચેસ્ટર ટેસ્ટઃ વિરોધી ટીમના 8/4 , ઇંગ્લેન્ડે ગુમાવી છે મેચ" business,"સાથે રતન તાતાએ માન્યું કે નેનોને દુનિયાની સૌથી સસ્તી કાર તરીકે પ્રચારિત કરવી એ તેની નિષ્ફળતાનું એક કારણ છે . તેને સૌથી સસ્તી કારના બદલે એ કરોડો લોકો માટે સૌથી સુરક્ષિત કાર કહેવી જોઇતી હતી જે લોકો ટૂ વ્હિલર પર બે કરતા વધારે લોકોની સાથે મુસાફરી કરે છે . તાતા મોટર્સની નાની કાર નેનોને લઇને રતન તાતાએ જણાવ્યું કે નેનોની માર્કેટિંગ એ પ્રકારે ના થઇ શકી જે પ્રમાણે તેઓ ઇચ્છતા હતા . નેનોની માર્કેટિંગ 2 વ્હીલરના મુકાબલે કરવી જોઇતી હતી . નેનોને સસ્તી અને સુરક્ષિત સવારી તરીકે ખૂબ સારી રીતે રજૂ કરવી જોઇતી હતી . તાતાએ જણાવ્યું કે નેનોમાં કેટલાંક ફેરફાર કરીને ફરીથી લૉંચ કરવાના પ્રયત્નો થઇ રહ્યા છે . સાથે જ તેમણે સ્વીકાર્યું કે ભારતની બહાર નેનોને લૉંચ કરવાની યોજના છે , પરંતુ તેમણે આના માટે કોઇ સમયસીમાં બતાવી નથી . રતન તાતાએ પણ જણાવ્યું કે કોરસ ડીલ કેટલીક હદ સુધી મોંઘી રહી પરંતુ આર્થિક સ્થિતિથી ગડબડ થઇ . જોકે કોરસ ડીલથી યૂરોપ અને અમેરિકાના બજારમાં પકડ બનાવવાની તક મળી . સાથે જ કોરસ ડીલથી તાતા સ્ટીલની ક્ષમતા 50 લાખ ટનથી વધીને 2 કરોડ ટન થઇ છે ." business,"નવી દિલ્હી , 8 ઓક્ટોબર : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીવાળી એનડીએ સરકાર ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન આઇટીસી , લાર્સન એન્ડ ટુબ્રો અને એક્સિસ બેંક જેવી કંપનીઓમાં પોતાનો હિસ્સો વેચીને અંદાજે રૂપિયા 5,000 કરોડનું ફંડ ઉભું કરવા માંગે છે . દેશના નીતિધડવૈયાઓના આ નિર્ણય અંગેની વાત આ વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ જણાવી હતી . આ વેચાણ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ ( Exchange - Traded Fund - ETF - ઇટીએફ ) દ્વારા કરવામાં આવશે . આ ફંડ માર્ચ 2015 પહેલા રજૂ કરવામાં આવશે . આ ફંડ ઉભું કરવા માટે સરકાર 10 કંપનીઓમાંથી પોતાનો હિસ્સો વેચશે . નોંધનીય છે કે આઇટીસીમાં સરકાર 11.27 ટકા , લાર્સન એન્ડ ટુબ્રોમાં 8.18 ટકા અને એક્સિસ બેંકમાં 11.66 ટકા હિસ્સો ધરાવે છે . નોંધનીય છે કે ગયા મહિને ફાઇનાન્સ સેક્રેટરી અરવિંદ માયારામે જણાવ્યું હતું કે સરકાર ઇટીએફ દ્વારા શેર વેચીને ભંડોળ ઉભું કરવા માંગે છે . આ વર્ષના પ્રારંભમાં સરકારે એક્સિસ બેંકમાંથી પોતાનો 9 ટકા હિસ્સો ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સને વેચવા કાઢ્યો હતો . નોંધનીય છે કે નવી સરકારની રચના બાદ જુલાઇમાં રજૂ કરવામાં આવેલા બજેટમાં નાણા મંત્રી અરૂણ જેટલીએ વિવિધ પ્રકારની કંપનીઓમાંથી પોતાના હિસ્સાનું વેચાણ કરીને રૂપિયા 58,425 કરોડની રકમ એકત્ર કરવાની વાત કરી હતી . આ પહેલા માર્ચમાં પણ સરકારે 10 કંપનીઓમાં પોતાનો હિસ્સો વેચીને રૂપિયા 4,400 કરોડ એકઠા કર્યા હતા ." sports,"આઇપીએલ 10 સિઝનની આજે 35મી મેચ છે , જે ગુજરાત લાયન્સ અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચે આ મેચ હાલ ગુજરાતના રોજકોટમાં ખચાખચ ભરેલા સ્ટેડિયમમાં રમાઇ રહી છે . ત્યારે આ મેચની તમામ લેટેસ્ટ માહિતી જાણવા માટે આ પેજને રિફ્રેશ કરતા રહો . અહીં અમે તમને આ મેચની તમામ અપડેટ આપતા રહીશું . UPDATE : મુંબઇ ઇન્ડિયન્સઃ પાર્થિવ પટેલ , જોસ બટલર , નીતિશ રાણા , રોહિત શર્મા ( કેપ્ટન ) , કિરોન પોલાર્ડ , હરભજન સિંહ , મેકલેરેઘન , લસિથ મલિંગા , જસપ્રિત બુમરાહ , હાર્દિક પંડ્યા , કૃણાલ પંડ્યા ગુજરાત લાયન્સઃ બ્રેન્ડન મેક્કુલમ , એરોન ફિન્ચ , સુરેશ રૈના ( કેપ્ટન ) , એન્ડ્ર્યૂ ટાઇ , બાસિલ થમ્પી , ઇરફાન પઠાણ , અંકિત સોની , રવિન્દ્ર જાડેજા , દિનેશ કાર્તિક , જેમ્સ ફોકનર , ઇશાન કિશન" sports,"ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ હાલમાં એક નવું કામ ઉપાડ્યું છે . તે કામ છે તેમના કૂતરાને ટ્રેઇન કરવાનું . તે વાત તો બધા જ જાણે છે કે ધોની કૂતરાઓને ખૂબ જ પ્રેમ કરે છે . તેમના ઘરમાં અલગ અલગ પ્રજાતિના કૂતરા પાળવામાં આવ્યા છે . અને જ્યારે પણ તેમને સમય મળે તે આ કૂતરાઓ સાથે ખૂબ જ મજાથી સમય પસાર કરે છે . તેમને ટ્રેઇન પર કરે છે અને વ્હાલ પણ . ત્યારે હાલમાં જ તેમની પત્ની સાક્ષીએ ધોનીનો એક સરસ વીડિયો ઇંસ્ટ્રાગ્રામ પર શેયર કર્યો છે . જ્યાં ધોની તેમના પાળતૂ કૂતરા સાથે મસ્તી કરી રહેલા નજરે પડે છે . ધોનીના પાળતૂ કૂતરા સેમ સાથે ધોની કેવી મસ્તી કરી રહ્યા છે તે આ વીડિયોમાં જોવા મળે છે . ધોની જેવી પ્રતિક્રિયા આપે છે તેમનો પાળતૂ કૂતરો સેમ પણ તેવું જ કરે છે . સાક્ષીએ વીડિયો અપલોડ કરતી વખતે કેપ્શનમાં લખ્યું છે "" સેમની મિરર ટેલેન્ટ "" . અને ખરેખરમાં તે વાતમાં માનવી જ પડશે કે ધોનીએ તેના પાળતૂ કૂતરાઓને ખૂબ જ સરસ રીતે ટ્રેઇન કર્યા છે . નોંધનીય છે કે આ પહેલા પણ મહેન્દ્ર સિંહ ધોની તેમના એકાઉન્ટ પર તેમના પાળતૂ કૂતરાઓ સાથેના વીડિયો અને ફોટો શેયર કરી ચૂક્યા છે ." entertainment,ટાઇગર શ્રોફ અને શ્રદ્ઘા કપૂરની ફિલ્મ બાગી આજે રિલિઝ થઇ ચૂકી છે . અને બોલીવૂડના આ યંગ કલપે તે વાત સાબિત કરી દીધી છે કે તેમની ફેન ફોલાઇંગ કમાલની છે . કારણ કે ન્યૂકમર અને યંગ એક્ટર હોવા છતાં તેમના પહેલા જ શોમાં દર્શકોની ભીડ ચોંકવારી હતી . ફિલ્મને સબ્બીર ખાને ડાયરેક્ટ કરી છે . અને સાજિદ નડિયાદવાલાએ પ્રોડ્યૂસ કરી છે . ફિલ્મમાં જ્યાં ટાઇગર શ્રોફ અને શ્રદ્ધા કપૂરની ગોલ્ડન પેયરને લઇને ખૂબ જ ચર્ચા ચાલી રહી છે ત્યાં જ ટાઇગર શ્રોફનું નવું લૂક તમારે પર જાદુ ના કરે તો નવાઇ નહીં . બન્ને એક્સર્સે સારી એવી મહેનત કરી છે . અને તે ફિલ્મના સીનમાં દેખાય પણ છે . વળી ફિલ્મની લોકેશન પણ અદ્ઘભૂત છે . જ્યાં શ્રદ્ધાનું ચંચળતા તમને હસાવશે તો ટાઇગરનો નવો અવતાર તમારું મન જીતી લેશે . વળી ફિલ્મમાં ગુત્થી પણ છે પણ હટકે અંદાજમાં . તો જાણી ફિલ્મના ફસ્ટ ડે ફસ્ટ શો વિષે અહીં . . . business,"વૈશ્વિક આર્થિક પરિદ્રશ્યમાં સુધારો અને વિદેશી રોકાણકારોની ભારે ખરીદીને પગલે મુંબઇ શેરબજારના સેન્સેક્સમાં તેજીનો તણખો જોવા મળ્યો હતો . દિવાળી પહેલા શેરબજારમાં ફુલ ગુલાબી તેજી ફરી વળી છે . છેલ્લા ત્રણ વર્ષમાં પહેલી વાર સેન્સેક્સે આજે 21000ની સપાટી વટાવી હતી . અંદાજે એક મહિના પહેલા ઘટાડાનો રેકોર્ડ બનાવનારા માર્કેટમાં શેરબજારમાં અચાનક આવેલી તેજીને જોઇને સામાન્ય રોકાણકારોને આશ્ચર્ચ થયું છે . આ માયાવી તેજીને કારણે નિષ્ણાતોનું માનવું છે કે માત્ર સેન્સેક્સની ચાલ જોવાને બદલે રોકાણકારોએ વિનિમય દર , જીડીપીના આંકડાઓ પર પણ નજર રાખવી જરૂરી છે . સવારે સેન્સેક્સ 241 અંકના ઉછાળા સાથે 21008 પર , જ્યારે નિફ્ટી 52 અંક સાથે સપ્તાહની ટોચે 6236 પર પહોંચ્યો હતો . જેના પગલે આજે બેન્ક ઓફ બરોડા , ડીએલએફ , પીએનબી , જયપ્રકાશે એસોસીએટ્સ , કોટક મહિન્દ્રા બેન્ક , ભારતી એરટેલ , સેસા સ્ટરલાઇટ , હિન્દાલકો , ઓએનજીસી , અને આઇટીસી જેવા અગ્રણી શેરોમાં 2.4 - 1.5 ટકાનો ઉછાળો આવ્યો છે . જોકે અંબુજા સિમેન્ટ , એચસીએલ ટેક , એસીસી અને સન ફાર્મા જેવા શેરોમાં 1.9 - 0.1 ટકાનો ઘટાડો નોંધાયો છે . બીએસઇ ખાતે સેન્સેક્સ 97 અંક એટલે કે 0.5 ટકાની મજબૂતી સાથે 20865ની સપાટી પર ટ્રેડ થઇ રહ્યો છે . એનએસઇ ખાતે નિફ્ટી 24 અંક વધીને 6202ની સપાટી પર ટ્રેડ થયો . ડાઉજોન્સ 0.3 ટકાના ઘટાડા સાથે 15413ની સપાટી પર બંધ રહ્યો . જ્યારે નાસ્ડેક અને એસએન્ડપી 500 ઇન્ડેક્સ પણ નીચા મથાળે બંધ રહ્યા હતા ." entertainment,"આજકાલ બૉલીવુડમાં સૌથી વધુ ચર્ચામાં છે સોનાક્ષી સિન્હા . મ્યુઝિક ચૅનલો ઉપર પણ તેમના જ ગીતો ધૂમ મચાવી રહ્યાં છે . બૅક ટુ બૅક ફિલ્મો દ્વારા દબંગ ગર્લે સાબિત કરી આપ્યું છે કે તેઓ નિર્માતા - દિગ્દર્શકોની ડિમાંડિંગ હીરોઇન છે . તેમની આગામી બે સપ્તાહમાં સળંગ બે ફિલ્મો આર રાજકુમાર અને બુલેટ રાજા આવી રહી છે કે જેનો લોકોને આતુરતાપૂર્વક ઇંતેજાર છે . પોતાની ફિલ્મો અંગે વાત કરતાં સોનાક્ષી સિન્હા કહે છે - હું પોતાના કામને બહુ પ્રેમ કરુ છું અને તેનો આનંદ ઉઠાવુ છું . જે દિવસે હું પોતાના કામથી કંટાળવા લાગીશ , તેને છોડી દઇશ , કારણ કે મને સ્ટારડમ આકર્ષતુ નથી . માત્ર ત્રણ વર્ષના કૅરિયરમાં સોનાક્ષીએ અડધા ડઝનથી વધુ ફિલ્મોમાં કામ કરી લીધું છે અને તેમાં પણ મોટાભાગની ફિલ્મો હિટ રહી છે . સોનાક્ષીએ આગળ જણાવ્યું - મારી સાથે કામની બાબતમાં કોઈ જબર્દશ્તી ન કરી શકે . હું જે કરુ છું , મને તે ગમે છે . જે દિવસે હું આનંદ લેવાનો બંધ કરીશ , હું તેને છોડી દઇશ , કારણ કે મને આની સાથે મળતા સ્ટારડમ કે સુવિધાઓ પ્રત્યે લગાવ નથી . હું કોઈ પ્રસિદ્ધિ માટે પણ નથી કરતી . પોતાની સફળતા સોનાક્ષી નથી ઇતરાતા કે નથી પોતાની નિષ્ફળતા બદલ અફસોસ કરતાં . પોતાના પપ્પા શત્રુઘ્ન સિન્હાને રીયલ હીરો માનતા સોનાક્ષીએ કહે છે - નિષ્ફળ ફિલ્મો અંગે ખોટું નહીં વિચારવાનું મેં પિતા પાસેથી શીખ્યું છે . સોનાક્ષીની આગામી ફિલ્મોમાં પ્રભુદેવાની આર રાજકુમાર તથા તિગ્માંશુ ધુલિયાની બુલેટ રાજા છે . આર રાજકુમારમાં તેમના હીરો છે શાહિદ કપૂર અને બુલેટ રાજામાં તેમની સાથે નજરે પડશે સૈફ અલી ખાન . આવો તસવીરો સાથે આપ જ નક્કી કરો કે કોણ સાબિત થશે સોનાનો અસલી હીરો :" sports,ફરી એકવાર હરભજન સિંહ નો ગુસ્સો મેદાન પર જોવા મળ્યો અને પોતાનું સંતુલન ગુમાવી બેઠા . ગઈકાલે રવિવારે મુંબઈ ઇન્ડિયન અને પુને વચ્ચે મુકાબલા માં હરભજન ની બોલિંગ વખતે અંબાતી રાયડુ થી મિસ ફિલ્ડ થઇ હતી અને જેના કારણે ચોક્કો લાગી ગયો . બસ પછી તો હરભજન સિંહ નો ગુસ્સો રાયડુ પર ભડકી ઉઠ્યો અને મેદાન માં જ તેને ગાળો આપવા લાગ્યા . હરભજન સિંહ ના આ વ્યવહારથી રાયડુ ને પણ ગુસ્સો આવી ગયો અને જવાબ આપવા માટે તેઓ દોડીને હરભજન પાસે ગયા . માહોલ બગડતો જોઇને હરભજન ને પોતાની ભૂલ નો અંદાજ આવી ગયો અને તેમને તરત જ માફી માગી લિધી . આ પહેલા પણ ઘણી વાર હરભજન સિંહ નો ગુસ્સો મેદાન પર જોવા મળ્યો છે . 2008 ની મોહાલી માં રમાયેલી મેચમાં હરભજન સિંહે શ્રીસંત ને થપ્પડ મારી દીધી હતી . જેના માટે હરભજન સિંહ પર 11 મેચોનો બેન અને 1 મેચ ફીસનો દંડ પણ લાગ્યો હતો . entertainment,"આપની મધુબાલા હવે સિંહણ બનવા જઈ રહી છે . હા જી , અમે વાત કરીએ છીએ ટેલીવિઝન સીરિયલ મધુબાલા એક ઇશ્ક એક જુનૂનમાં મહત્વનો રોલ કરનાર દૃષ્ટિ ધામીની કે જેમને બૉલીવુડમાં બ્રેક મળી ગયું છે . દૃષ્ટિ ધામી હવે રૂપેરી પડદા ઉપર ચમકવા જઈ રહ્યાં છે અને તે પણ સિંઘમ 2 ફિલ્મમાં અને તે પણ અજય દેવગણ સાથે . ચોંકી ગયા ને ? પણ સમાચાર તો એવા જ આવી રહ્યાં છે કે આ વર્ષની સૌથી મોટી હિટ ફિલ્મ ચેન્નઈ એક્સપ્રેસના દિગ્દર્શક રોહિત શેટ્ટી ટુંકમાં જ પોતાની સુપરહિટ ફિલ્મ સિંગમની સિક્વલ બનાવવાની તૈયારી કરી રહ્યાં છે અને ફિલ્મ માટે તેમને એક નવા ચહેરાની શોધ હતી અને તેમની આ શોધ કલર્સના બહુચર્ચિત શો મધુબાલા એક ઈશ્ક એક જુનૂનની હીરોઇન દૃષ્ટિ ધામી ઉપર આવીને અટકી ગઈ છે . જો બધુ સમસુથરૂ રહે , તો દૃષ્ટિ ધામી લોકોને સિંઘમના સિંહ અજય દેવગણ સાથે તેમના સિંહણ એટલે કે હીરોઇન તરીકે નજરે પડી શકે છે . જોકે હાલ તો ઉડતા સમાચાર જ છે કે જેની ઉપર ઔપચારિક મહોર લાગવાની બાકી છે . જોઇએ આ વાતનો ઔપચારિક ખુલાસો ક્યારે થાય છે ? જોકે રોહિત શેટ્ટી ચેન્નઈ એક્સપ્રેસ ફિલ્મના પ્રમોશન અર્થે જ્યારે કલર્સના ડાન્સ રિયલિટી શો ઝલક દિખલા 6ના મંચે આવ્યા હતાં , ત્યારે પણ તેમણે દૃષ્ટિના બહુ વખાણ કર્યા હતાં અને જણાવ્યુ હતું કે આપનો ડાન્સ જોઈ મને લાગ્યું કે આપે સિલ્વર સ્ક્રીન પર હોવું જોઇએ , કારણ કે આપ એક સુંદર અભિનેત્રી તો છો જ , સાથે જ બહેતરીન ડાન્સર પણ છો . નોંધનીય છે કે ઝલક દિખલા જા 6 શોના વિનર દૃષ્ટિ ધામી જ રહ્યા હતાં . જુઓ - જાણો તસવીરો સાથે દૃષ્ટિ ધામી અંગે વધુ વિગતો :" entertainment,"બૉલીવુડ કોરિયોગ્રાફર તથા દિગ્દર્શક ફરાહ ખાન હાઈ ફીવરના પગલે અહીંની સિટી હૉસ્પિટલમાં દાખલ કરાયા છે . ફરાહે ટ્વિટર ઉપર પોતાના આરોગ્ય અંગે લખ્યું - હું અત્યારે હૉસ્પિટલમાં છું . તમારા સહકાર અને પ્રાર્થના બદલ આભાર . હું ટુંકમાં જ હૉસ્પિટલમાંથી બહાર આવીશ . મને હકારાત્મક ઊર્જા મોકલવાનું ચાલુ રાખશો . તે સાચે જ મદદગાર છે . 48 વર્ષીય ફરાહ ખાન ટ્વિટરમાં વધુમાં ઉમેરે છે - બહાર વરસાદ છે , હૉટ ટી તથા ટોસ્ટ બટર . . . બધું જ પરફેક્ટ છે હૉસ્પિટલમાં . હવે ઘરે જવાનો સમય છે . હવે બહુ થઈ ગયું . હૉસ્પિટલમાંથી રજા મળ્યા બાદ ફરાહ ખાન પોતાના દિગ્દર્શન હેઠળની હૅપ્પી ન્યુ ઈયર ફિલ્મ માટે કામ શરૂ કરશે કે જેમાં શાહરુખ ખાન હીરો છે . કહે છે કે આ ફિલ્મમાં સાઉથના અભિનેતા પૃથ્વીરાજને પણ મહત્વનો રોલ આપવામાં આવ્યો છે . ફરાહ ખાને તાજેતરમાં જ રિલીઝ થયેલી યે જવાની હૈ દીવાની ફિલ્મમાં માધુરી દીક્ષિત ઉપર ફિલ્માવાયેલ ઘાઘરા સૉંગ કોરિયોગ્રાફ કર્યુ હતું . સતીશ કુંદર સાથે લગ્ન કરનાર ફરાહ ખાનને ત્રણ સંતાનો છે ." entertainment,"આવું ખુબ જ ઓછું જોવા મળે છે જયારે ટીવીની સુપરસ્ટાર અભિનેત્રી બોલ્ડ ફોટો ઘ્વારા પોતાની ઇમેજ બદલી રહી હોય . આવું જ કંઈક ટીવીની સ્ટાર અભિનેત્રી જેનિફર વિંગેટે કર્યું છે . લાંબા સમય પછી જેનિફરે કંઈક એવા ફોટો શેર કર્યા છે જે રાતોરાત ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યા છે . આ વાતમાં કોઈ જ શંકા નથી કે સ્ટાઇલ અને પ્રતિભા મામલે જેનિફરે હંમેશા બીજી ટીવી સ્ટાર કરતા પોતાનું એક અલગ સ્થાન બનાવ્યું છે . ટીવી પર નેગેટિવ હોય કે પોઝિટિવ જેનિફર હંમેશા સુપરહિટ રહી છે , પછી ભલે તે સરસ્વતીચંદ્ર હોય કે પછી બેહદ . જેનીફરની આ લેટેસ્ટ ફોટો જોઈને તમે પણ કહેશો કે તે કોઈ બોલિવૂડની સ્ટાર અભિનેત્રી કરતા બિલકુલ પણ ઓછી ઉતરે તેવી નથી . પહેલીવાર કુંડળી ભાગ્ય સ્ટારે કર્યો આવો સેક્સી ડાન્સ જેનિફર તેવા ટીવી સ્ટારમાં આવે છે જેના બધા જ શૉ સુપરહિટ રહ્યા છે . કુસુમ , કસોટી ઝીંદગી કી , દિલ મિલ ગયે , બેહદ અને બેપનાહ ટીવી શૉ તેમાં શામિલ છે . જેનિફરે તેના દરેક ટીવી શૉ ઘ્વારા સફળતાનો નવો મુકામ હાસિલ કર્યો છે . જેનિફર ખરેખર નાના પરદાની ક્વીન છે . અહીં જુઓ જેનીફરની કેટલીક ફોટો પર જે તમને ચોક્કસ પસંદ આવશે . આ સેક્સી સુપરસ્ટારની ફોટોએ સનસની મચાવી , જોતા જ રહી જશો" sports,ચેમ્પિયન ટ્રોફી 2017ના બીજા સેમીફાઇનલમાં બાંગ્લાદેશને 9 વિકેટે હરાવ્યા પછી ભારતનો ફાઇનલમાં રવિવારે પાકિસ્તાન સાથે રમશે . જો કે પાકિસ્તાન સાથેની મેચ પહેલા મીડિયામાં તેવી ખબરો ફરતી થઇ હતી કે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીની તબિયત ખરાબ થઇ ગઇ છે . જેના કારણે તે લંડન દવા લેવા ગયા હતા . મીડિયા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી બિમાર છે . વિરાટે બાંગ્લાદેશ વિરુદ્ધની સેમીફાઇનલ મેચમાં 96 રનો જોરદાર સ્કોર આપ્યો હતો . સાથે જ તે વનડેમાં સૌથી ઝડપથી 8000 રન બનાવનાર ખેલાડી પણ બની ગયા હતા . એક ટીવી ચેનલના કહેવા મુજબ વિરાટ મેચ જીત્યા પછી તરત જ બસમાં બેસી લંડન જવા માટે નીકળી ગયા હતા . જો કે ટીમ ઇન્ડિયાએ આ સમાચારનું ખંડન કર્યું છે . ભારતીય ક્રિકેટ ટીમે મીડિયા મેનેજર ગૌરવ સક્સેનાએ મીડિયાને કહ્યું હતું કે કોહલી બિમાર નથી . અને તેમની તબિયત ખરાબ હોવાની વાત એકદમ ખોટી છે . ઉલ્લેખનીય છે શ્રીલંકા વિરુદ્ધની મેચમાં તે 0 રને આઉટ થઇ ગયા હતા . પણ ત્યારે વિરાટની તબિયત સારી છે તે વાત જાણીને ક્રિકેટ પ્રેમીઓએ હાશકારો અનુભવ્યો હતો . business,"પેટ્રોલ વિના આપણા અનેક કામ અટકી પડે છે . કારણ કે કોઇ પણ કામે જવા માટે સામાન્ય રીતે આપણે કાર , સ્કૂટર કે બાઇક જ લઇને ઉપડીએ છીએ . હાલ મુંબઇમાં પેટ્રોલની કિંમત 77.50 રૂપિયા પ્રતિ લીટર છે . પણ શું તમને ખબર છે કે ખરેખરમાં પેટ્રોલ આપણને કેટલા ભાવે મળે છે . 29 . 54 રૂપિયા પ્રતિ લીટર મળતા પેટ્રોલની કિંમત 40 રૂપિયાથી વધુ ટેક્સ લેવામાં આવે છે . અને તે કંઇ આજથી નહીં વર્ષોથી ચાલી આવી રહેલી પ્રથા છે . સરકાર પેટ્રોલ પર મોટા પ્રમાણમાં ટેક્સ લગાવે છે . ત્યારે બીજી વાર જ્યારે તમે પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરાવવા જાવ તે પહેલા આ ખબર જરૂરથી વાંચજો . આખરે તમને પણ ખબર હોવી જોઇએ કે તમે કઇ કઇ જગ્યાએ ટેક્સ આપો છો અને કેમ ? તો વિગતવાર વાંચો અહીં . . . Read also : આ 8 વેબસાઇટ ચોરાવે તમારો આધાર ડેટા , જાણો !" sports,"એશિયન ગેમ્સમાં ભારતના શાનદાર પ્રદર્શનના સમાચારો ઘણા છવાયા . પરંતુ હવે ખેલાડીઓની સાચી સ્થિતિ અને લાચારી ધીમે ધીમે સામે આવી રહી છે . દેશના નેતા ખેલાડીઓના સંઘર્ષ દરમિયાન મદદ માટે આગળ નથી આવતા પરંતુ જીત બાદ ઈનામોનો વરસાદ કરે છે . દેશમાં ખેલ પ્રત્યે કેવુ વલણ છે તે તો જગ જાહેર છે . દેશમાં અમુક રમતના ખેલાડીઓને બાદ કરતા અન્ય રમતના ખેલાડીઓની ગરીબ પરિસ્થિતિનું વધુ એક ઉદાહરણ સામે આવ્યુ છે . એશિયન ગેમ્સમાં સેપક ટકરામાં પહેલી વાર મેડલ અપાવનાર ખેલાડી ઘરે પાછો આવીને પોતાની ચા ની દુકાન પર કામ કરવા લાગ્યો છે . દિલ્હીનો એક કેસ છે . દિલ્હીના મજનૂના ટિલામાં ચા ની દુકાન લગાવનાર હરીશે ટીમના સભ્યો સાથે દેશ માટે પહેલી વાર મેડલ જીત્યો . હરીશ કુમાર ખૂબ જ ગરીબ પરિવારમાંથી આવે છે . તેમનો પરિવાર ચાની દુકાન ચલાવે છે અને તેમના પિતા ઓટો ચલાવીને ઘરનો ખર્ચ સંભાળે છે . આવા પડકારો સામે લડીને ભારત માટે મેડલ લાવનાર હરીશની જેટલી પ્રશંસા કરીએ તેટલી ઓછી છે . હરીશની બહેન નેત્રહીન છે . પરિવાર લાંબો છે . ઘરનો ખર્ચ વધી જતા તેમના પિતાએ કહ્યુ કે દુકાનના કામમાં મદદ કરવાનું શરૂ કરો . રમત ધ્યાન ઓછુ આપો . હરીશ જણાવે છે કે તે નાનપણમાં ટાયર કાપીને તેનો બોલ બનાવીને બાળપણના દોસ્તો સાથે રમતા હતા . તે પગેથી ટાયરના એ બોલને ઉપર ઉછાળતા હતા . આવુ કરતા એક દિવસ તેમના કોચે તેમને જોઈ લીધા હતા ત્યારબાદ તેમને સેપક ટકરા રમવા માટે પ્રભાવિત કર્યા અને પછી આ રમત પ્રત્યે હરીશનો રસ વધતો ગયો . આ પણ વાંચોઃ રંગ લાવી સિદ્ધુની ઝપ્પી , પાકિસ્તાન કરતારપુર સાહિબ કોરીડોર ખોલવા પર રાજી ! શું કહે છે હરીશ હરીશનું કહેવુ છે કે તેમના ઘરે કમાનારા લોકો ઓછા છે અને ખાવાવાળા વધુ . એટલા માટે હું ચા વેચવાનું કામ કરુ છુ . હવે હું નોકરી કરવા ઈચ્છુ છુ જેથી પોતાના પરિવારને સંભાળી શકુ . હરીશના મા ઈન્દિરા દેવીનું કહેવુ છે કે હરીશના પિતા ઓટો ચલાવે છે અને અમે હરીશની મદદથી ચા ની દુકાન સંભાળીએ છીએ . અમે ગરીબ છીએ પરંતુ અમે હરીશને ક્યારેય નિરુત્સાહ નથી થવા દીધો . અમે સરકાર અને હરીશના કોચને તેમના સમર્થમ માટે આભાર વ્યક્ત કરવા ઈચ્છીએ છીએ . હરીશના ભાઈનું કહેવુ છે કે હું હરીશનો આભાર વ્યક્ત કરવા ઈચ્છુ છુ કે તેણે મેડલ જીતીને દેશનું માન વધાર્યુ . આપણા કોચ હેમરાજ સરે અમારી પ્રતિભા ઓળખી અને અમને રમવા માટે બોલાવ્યા . SAI એ અમારી ખૂબ મદદ કરી . હું સીએમ અરવિંદ કેજરીવાલનો પણ આભાર માનવા ઈચ્છુ છુ જેમણે અમને 50 લાખ રૂપિયા આપવાનું એલાન કર્યુ છે . આ સાથે અમે રમત મંત્રાલયનો પણ આભાર માનીએ છીએ જેમણે અમને 5 લાખ રૂપિયા આપ્યા . આ પણ વાંચોઃ Video : પાકિસ્તાન આર્મી ચીફે બદલ્યા સૂર , ' લોહીના દરેક ટીપાનો હિસાબ લઈશુ ' શું છે સેપક ટકરા સેપક ટકરા મલય અને થાઈ ભાષાના બે શબ્દો છે . સેપકનો અર્થ કિક લગાવવો છે અને ટકરાનો અર્થ હળવો બોલ છે . વોલીબોલની જેમ જ આ રમતમાં બોલને નેટની બીજી બાજુ મોકલવાની હોય છે . પરંતુ પગ , ઘૂંટણ , છાતી અને માથાનો જ ઉપયોગ કરવાનો હોય છે . હાથેથી બોલ અડવા પર ટીમને નુકશાન થાય છે . તમને જણાવી દઈએ કે આ વખતે એશિયન ગેમ્સમાં ભારતે 15 સુવર્ણ , 24 રજત અને 30 કાંસ્ય પદક જીત્યા છે . આ ભારતનું શાનદાર પ્રદર્શન રહ્યુ છે . આ પહેલા ભારતે 1951 માં 15 ગોલ્ડ મેડલ જીત્યા હતા ." business,"સરકારે નિર્ણય કર્યો છે કે વર્ષમાં મહત્તમ 6 સિલિન્ડરો પર જ સબસીડી આપવામાં આવશે . એટલે કે 6 સિલિન્ડર પછી સબસિડી વગર સાતમા સિલિન્ડર માટે 750 રૂપિયા ચૂકવવા પડશે . અમદાવાદમાં 51.71 , સુરતમાં 46.76 , વડોદરામાં 50.45 અને રાજકોટમાં 51.00 ભાવ વધારો અમલમાં આવ્યો છે . જ્યારે દિલ્હીમાં ડીઝલની કિંમત 46.32 રૂપિયા પ્રતિ લીટર થઇ જશે અને જ્યારે મુંબઇમાં 51.25 રૂપિયે પ્રતિ લીટર ડીઝલ મળશે . અત્રે ઉલ્લેખનીય છે કે મોડી રાત્રે કરવામાં આવેલા તોતિંગ ભાવવધારા પગલે યુપીએ સરકારના ઘટકપક્ષો તેમજ વિપક્ષોએ આકરી ટીકા કરી છે . ભાવવધારા બાબતે થોડા સમય અગાઉ પેટ્રોલિયમ મંત્રી જયપાલ રેડ્ડીએ સંકેત આપી દીધા હતા કે ડિઝલ અને એલપીજીના ભાવોમાં વધારો કરવો જરૂરી છે . ત્યારે જ નક્કી થઇ ગયું હતું કે ટૂંક સમયમાં જ ડીઝલમાં ભાવ વધશે , સરકારે જણાવ્યું કે ડીઝલના ભાવ વધારામાં વેટનો સમાવેશ થતો નથી . ઉત્પાદન ક્ષેત્રમાં 1.5 રૂપિયાનો વધારો થતાં આ વધારો થયો છે . બાકીના સાડાત્રણ રૂપિયા તેલ કંપનીઓના ખાતામાં જશે ." entertainment,"એક બાજુ ઘણી અભિનેત્રીઓ સલમાન ખાન જેવા સુપરસ્ટાર્સ સાથે કામ કરવાના સપના સેવતી હોય છે , તો બીજી બાજુ સોનમ કપૂરને સલ્લુભાઈ સાથે રોમાંસ કરવો વિચિત્ર વાત લાગી . નોંધનીય છે કે સોનમ કપૂર હાલમાં સલમાન ખાન સાથે પ્રેમ રતન ધન પાયો ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા છે . રાજશ્રી પ્રોડક્શન હેઠળ બની રહેલી સૂરજ બરજાત્યાની ફિલ્મ પ્રેમ રતન ધન પાયો દ્વારા સોનમને પહેલી વાર સલમાન ખાન સાથે કામ કરવાની તક મળી છે . સોનમ કપૂરે આ અંગે જણાવ્યું - સૂરજજી અને સલમાન સાથે કામ કરવું અલૌકિક બાબત છે , કારણ કે હું પ્રેમ ( સલમાનનું પાત્ર ) ને જોતા - જોતા મોટી થઈ છું અને એ જ પ્રેમ સાથે હું રોમાંસ કરી રહી છું . ઓહ માય ગૉડ ! સોનમે વધુમાં ઉમેર્યું - હું સલમાનની ફિલ્મો હમ આપકે હૈં કૌન અને મૈંને પ્યાર કિયા જોતા મોટી થઈ છું અને તે જ પ્રેમ સાથે મારો રોમાંસ કરવો મને અજુગતુ લાગે છે . જોકે સોનમ કપૂર પોતાની પહેલી જ બૉલીવુડ ફિલ્મ સાવરિયામાં સલમાન ખાન સાથે સ્ક્રીન શૅર કરી ચુક્યાં છે . આમ સ્ક્રીન શૅરની બાબતમાં સોનમને સલમાનનો અનુભવ છે અને સાવરિયામાં પણ સોનમ - સલમાનના રોમાંટિક દૃશ્યો હતા જ , પરંતુ સલમાન સાથે ફુલફ્લૅશ હીરોઇન તરીકે સોનમ પહેલી વાર પ્રેમ રતન ધન પાયોમાં દેખાવાના છે . ચાલો જોઇએ સાવરિયા ફિલ્મમાં સલમાન - સોનમની તસવીરો :" entertainment,"મુંબઈ , 18 સપ્ટેમ્બર : લેડીઝ વર્સિસ રિકી બહલ સાથે પોતાના કરિયરની શરુઆત કરનાર અને પછી ઇશ્કઝાદે ફિલ્મ વડે બધાને પોતાનું ઘેલું લગાડનાર બિન્દાસ્ત એક્ટ્રેસ પરિણીતી ચોપરાનું નામ ફરી એક વાર બૉલીવુડની પ્રેમ દીવાની એક્ટ્રેસમાં આવી ગયું છે . પણ આ વખતે તેનું નમ દિગ્દર્શક જેકી ભાગનાની કે પછી એક્ટ ઉદય ચોપરા સાથે નહિં , પણ તેમની જ પ્રથમ ફિલ્મ લેડીઝ વર્સિસ રિકી બહલના દિગ્દર્શક મનીષ શર્મા સાથે સાંકળવામાં આવી રહ્યું છે . તેથી જ પરિણીતી ચર્ચામાં છે . મળતી માહિતી પ્રમાણે પરિણીતી ચોપરાને દિગ્દર્શક મનીષા શર્મા સાથે ઘણી વખત મુંબઈના બાંદ્રા વિસ્તારમાં આવેલ રેસ્ટોરંટમાં જોવામાં આવ્યું છે . નોંધનીય છે કે મનીષ શર્માએ પણ બે વરસ પહેલાં જ 2010માં અનુષ્કા શર્મા અને રણબીર કપૂર સાથે ફિલ્મ બેન્ડ બાજા બારાત સાથે પોતાનાં કરિયરની શરુઆત કર હતી અને આ ફિલ્મ માટે તેમને બેસ્ટ દિગ્દર્શક તરીકેનો એવૉર્ડ પણ મળ્યો હતો . તે પછી તેમની ફિલ્મ લેડીઝ વર્સિસ રિકી બહલ પણ ઘણી વખણાઈ અને બૉક્સ ઑફિસ ઉપર આ ફિલ્મ પણ હિટ સાબિત થઈ . આ જ ફિલ્મથી પરિણીતી ચોપરાના કરિયરને આટલો ઉછાળો મળ્યો . હવે મનીષ અને પરિણીતી વચ્ચે શું રંધાઈ રહ્યું છે , તે તો તેઓ પોતે જ જાણે છે . શક્ય છે કે ઇશ્કઝાદેની સફળતા બાદ પરિણીતીને ફરી એક વાર મનીષ પોતાની ફિલ્મમાં કાસ્ટ કરવા માંગતા હોય . અથવા તો પછી એમ પણ શક્ય છે કે પરિણીતી પાસે તો અત્યારે કોઈ ફિલ્મ નથી , તો કદાચ તે મનીષને પોતાને લઈને ફિલ્મ બનાવવા માટે કહેતી હોય . વળી બૉલીવુડમાં અત્યારે કામની ઘણી તંગી ચાલી રહી છે . પરિણીતીની સાથે - સાથે તેની બહેન પ્રિયંકા ચોપરા પાસે પણ ફિલ્મો નથી . એવામાં પરિણીતીએ કોઈક સેફ ગેમ તો રમવી જ રહી ." business,જીએસટીના નવા દર નક્કી કરવામાં આવ્યા છે . જેના કારણે શું મોંધુ થશે અને શું સસ્તુ તેની વ્યાખ્યા પાછી બદલાઇ છે . શ્રીનગરની ઠંડી હવાની વચ્ચે જીએસટી કાઉન્સિલની બેઠક મળી હતી . જેમાં નાણાં પ્રધાન અરુણ જેટલીએ જીએસટી પર તમામ નવા દરો નક્કી કર્યા હતા . જેની જાહેરાત પણ કરવામાં આવી છે . આ બેઠક પછી કાઉન્સિલે 66 વસ્તુઓ પર જીએસટી દરો ઓછા કર્યા છે . ઉલ્લેખનીય છે કે તમામ અફવાઓની વચ્ચે સરકારે સ્પષ્ટતા આપી છે કે 1 જુલાઇથી સમગ્ર દેશમાં જીએસટી લાગુ થશે અને વાતમાં શંકાને કોઇ સ્થાન નહીં રહે . ત્યારે શું છે આ નવા દર તે અંગે જાણો અહીં . . . . sports,"હેડને કહ્યુ કે , ઓલ ટાઇમ મહાનતમ ખેલાડીઓ કોઇપણ યાદીમાં સચિન સૌથી ઉપર રહેશે . સચિન હવે માત્ર ક્રિકેટર નથી . તે ક્રિકેટરથી પર છે . તેણે કહ્યું કે અમે સચિને અમે હવે માત્ર ભારતીય જ નહીં નિહાળતા , તે ખેલ કરતા વિશેષ છે . સચિન આશા છે . તે સંસ્કૃતિ છે . ડાબા હાથના બેટ્સમેન હેડને કહ્યુ છે કે તેંડુલકર લોકોમાં જેટલી આશા અને રસ જગાવે છે , તેની કોઇ તુલના કરી શકાય નહીં . હેડને કહ્યું , મેં જોયુ છે કે તે લોકોમાં કેટલી આશા અને રસ જગાવે છે . જ્યારે તે યોદ્ધા બેટિંગ માટે જાય છે તો અપેક્ષાઓનો બોઝ ઘણી વધી જાય છે . બધા આશા કરે છે કે તેમના રહેતા ભારતના પ્રદર્શનમાં સુધારે થશે . હેડને પોતાની નજરમાં તેંડુલકરની સર્વશ્રેષ્ઠ ઇનિંગનો ઉલ્લેખ કરતા કહ્યું કે , મને સચિનની સિડની ક્રિકેટ મેદાન પર રમેલી ઇનિંગ પસંદ છે , જ્યાં તેમણે 200થી વધુ રન બનાવવામાં સફળ રહે છે . તેમણે અનુશાસન સાથે ઇનિંગ રમી . એવું લાગે છે કે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ સચિન માટે બનાવવામાં આવી છે . ત્યાં તેનો રેકોર્ડ શાનદાર છે , પરંતુ તેની સૌથી કુશળ ઇનિંગ 1998માં ભારતમાં રમી હતી તે હતી જેમાં તેમણે સ્પિન બોલર્સને શાનદાર રીતે રમ્યા હતા . મહાનતમ સ્પિનર્સમાં સામેલ શેનવોર્ન વિ . ભારતીય ક્રિકેટના બાદશાહ સચિન . તેમના ર બનાવવાની રીત ઘણી સારી હતી . પ્રદર્શન બેમિસાલ હતું . તે ઘણી જ રણનીતિક રીતે વિરોધી આક્રમણ પર પ્રહાર કરે છે ." sports,"લંડન , 17 ઑગસ્ટઃ લંડનના ધ ઓવલ મેદાન ખાતે રમાઇ રહેલી શ્રેણીની પાંચમી અને અંતિમ ટેસ્ટના બીજા દિવસની રમતપૂર્ણ થઇ ત્યાં સુધી ઇંગ્લેન્ડે સાત વિકેટ ગુમાવીને 385 રન બનાવી લીધા છે . આ સાથે જ ઇંગ્લેન્ડે ભારત પર 237 રનની સરસાઇ મેળવી લીધી છે . ઇંગ્લેન્ડ તરફથી રૂટ 92 રન સાથે રમતમાં છે જ્યારે જોર્ડન 19 રન સાથે તેને સાથ આપી રહ્યો છે . બેટિંગમાં ફ્લોપ પ્રદર્શન કર્યા બાદ બોલિંગમાં પણ ભારત નબળું પૂરવાર થયું છે , જેના કારણે ઇંગ્લેન્ડે ભારત સામે 237 રનની જંગી સરસાઇ મેળવી લીધી છે અને ભારત પર હારનું સંકટ ઘેરાઇ રહ્યું છે . ઇંગ્લેન્ડની બેટિંગ અંગે વાત કરવામાં આવે તો ઇંગ્લેન્ડે 62 રનના સ્કોરથી પોતાની બીજા દિવસની રમત શરૂ કરી હતી . ઇંગ્લેન્ડ તરફથી કૂક 79 , રોબ્સન 37 , બેલેન્સ 64 , બેલ 7 , રૂટ 92 , મોઇન અલી 14 , બટ્લર 45 , વોએક્સ 0 અને જોર્ડન 19 રન બનાવ્યા છે . ભારત તરફથી ઇશાંત શર્મા , વરુણ એરોન અને અશ્વિને બે - બે વિકેટ મેળવી છે , જ્યારે ભુવનેશ્વર કુમારે એક વિકેટ લીધી હતી . આ મેચ સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ બાબતોને તસવીરો થકી જાણીએ . ઓવલમાં ભારતનું કંગાળ પ્રદર્શન યથાવતઃ જાણો રસપ્રદ વાતો સુકાની ધોનીએ બનાવી નાંખ્યા આ રેકોર્ડ" entertainment,"લૉસ એંજલ્સ , 23 ઑગસ્ટ : હૉલીવુડ સિંગર લૅડી ગાગા પોતાના અજબ - ગજબ કારનામાઓ માટે જાણીતા છે . તાજેતરમાં ફીફા વર્લ્ડ કપ દરમિયાન આખા વિશ્વને પોતાના રંગે રંગનાર લૅડી ગાગા સમયાંતરે કંઇક ને કંઇક એવું કરતા રહે છે કે જેથી તેઓ ચર્ચામાં રહે છે . ગત વર્ષે જ લૅડી ગાગાએ યૂએસ ફૅશન મૅગેઝીન માટે ન્યુડ પોઝ આપ્યુ હતું . તેમણે પોતાના પ્રાઇવેટ એરિયાસ પોતાના હાથ વડે ઢાંક્યા હતાં . તેમણે જંગલી બ્લોન્ડ વાળ સાથેનો લુક ધર્યો હતો . 27 વર્ષીય લૅડી ગાગાએ વી મૅગેઝીન માટે પણ મેક - અપ રહિત ચહેરા સાથે પોઝ આપ્યો હતો . તાજેતરમાં લૅડી ગાગાએ કહ્યુ હતું કે તેઓ ટાયલર કિન્ની સાથે અવકાશમાં લગ્ન કરવા માંગે છે , તો થોડાક સમય અગાઉ પોતાના આગામી ઈપીઆઈએક્સ મૂળ દસ્તાવેજી ચિત્ર હૂ ધ એફ - કે ઇઝ આર્થર ફોગલની એક ક્લિપમાં ખુલાસો કર્યો હતો કે વર્ષ 2009માં મોંસ્ટર બૉલ પ્રવાસ દરમિયાન તેઓ કંગાળ હતાં . ચાલો આપને બતાવીએ લૅડી ગાગાના 14 Bizarre Avatars :" entertainment,"બૉલીવુડનું આ વર્ષ એટલે કે 2013 નાની ફિલ્મોના નામે રહ્યું . નાના બજેટની ફિલ્મોને દર્શકોએ બહુ પ્રેમ આપ્યો અને આ ફિલ્મો જ બૉક્સ ઑફિસે હિટ પણ રહી . અનેક મોટા બજેટ અને મોટા સ્ટાર્સ ધરાવતી ફિલ્મો બૉક્સ ઑફિસે નિષ્ફળ નિવડી , તો નાના બજેટની ફિલ્મોએ સૌથી વધુ કમાણી કરી આ વર્ષ નાના બજેટની ફિલ્મોના નામે કરી નાંખ્યું . વર્ષ 2013માં અનેક નવા કલાકારોની નાના બજેટની ફિલ્મો રિલીઝ થઈ કે જેમણે બૉક્સ ઑફિસે સારી કમાણી કરી . નવા કલાકારો હોવા છતા આ ફિલ્મોને સારૂ રિસ્પૉન્સ મળ્યું . તેમાં ફુકરે , કાઇ પો છે , મેરે ડૅડ કી મારુતિ , ચશ્મે બદ્દૂર જેવી અનેક ફિલ્મોનો સમાવેશ થાય છે . લંચબૉક્સ જેવી ફિલ્મને ઑસ્કાર માટે નૉમિનેટ કરાઈ , આમિર ખાનની તલાશ પણ નાના બજેટની હોવા છતાં તેને સારૂ રિસ્પૉન્સ મળ્યું . આવો તસવીરો સાથે જોઇએ વધુ વિગતો :" business,"એક છુટક રોકાણકાર વ્યક્તિગત રીતે ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ એટલે કે IPOમાં રૂપિયા 2 લાખના કુલ મૂલ્યથી વધારે રોકાણ કરી શકતો નથી . આ બાબતનો સીધો અર્થ એ થયો કે આપે એટલા જ શેર ખરીદવા જેનું કુલ મૂલ્ય રૂપિયા 2 લાખથી વધારે થતું ના હોય . જો આપ આ રકમથી ઓછી રકમના શેર્સ માટે અરજી કરશો તો આપ નોન ઇન્સ્ટિટ્યુશનલ બિડર તરીકે ગણાશો . વાસ્તવમાં નોન ઇન્સ્ટિટ્યુશનલ બિડર્સને માટે બુક બિલ્ડ આઇપીઓમાં 15 ટકા ફાળવણી કરવામાં આવેલી હોય છે . ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યુશનલ બિડર્સમાં એલઆઇસી , યુટીઆઇ વગેરેનો સમાવેશ થાય છે . જેઓ આઇપીઓમાં મોટી રકમનું રોકાણ કરે છે . કોઇ પણ આઇપીઓની 50 ટકા રકમ આ પ્રકારના ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ માટે રોકવામાં આવે છે . પાન નંબર જરૂરી કોઇ પણ છુટક રોકાણકારે આઇપીઓ ખરીદતા સમયે તેમનો પાન નંબર આપવો પડે છે . જો આપે ખોટો પાન નંબર આપ્યો હશે , અથવા પાન નંબર આપ્યો નહીં હોય તો આપની ફાળવણી રદ કરવામાં આવશે ." entertainment,"ધક ધક ગર્લ માધુરી દીક્ષિત હવા મહેકાવનાર બ્રાન્ડ ઓડોનિલના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જોડાયાં છે . તેઓ ખુશ છે કે તેઓ એવી બ્રાન્ડ સાથે જોડાયા છે કે જે ફ્રેશનેસ તથા ટ્રાંસફૉર્મેશનને લગતી છે . માધુરી દીક્ષિતે એક નિવેદનમાં જણાવ્યું - હું નવા કૅમ્પેન અંગે વધુ વેટ નથી કરી શકતી . આ એક લવલી ફિલ્મ છે કે જે પુષ્પો , મહેક , જાદુ અને બે વ્હાલી નાનકડી પરીઓથી ભરેલી છે . નવા ઉત્પાદ ઓડોનિલ 2એક્સ અંગે માધુરીએ જણાવ્યું - ઓડોનિલ 2એક્સ ડબલ સુગંધ દર્શાવે છે અને તે પણ જાદુઈ ટ્રાંસફૉર્મેશન સાથે . 46 વર્ષીય માધુરી દીક્ષિત ટુંકમાં જ ડેઢ ઇશ્કિયા ફિલ્મમાં દેખાશે કે જેમાં તેમની સાથે નસીરુદ્દીન શાહ , અરશદ વારસી તેમજ હુમા કુરૈશી પણ છે . ફિલ્મના દિગ્દર્શક અભિષેક ચૌબે છે . ઉપરાંત માધુરીની વધુ એક ફિલ્મ ગુલાબ ગૅંગ પણ આવી રહી છે કે જેમાં તેઓ પહેલી વાર જુહી ચાવલા સાથે છે ." business,"આધિકારીક સૂત્રોએ જણાવ્યું હતું કે વોડાફોને સોમવારે નોટીસ ફટકારી હતી . કંપનીએ તેની ચૂકવણી 15 દિવસોમાં કરવાનું કહ્યું છે . દરેક નાણાંકીય વર્ષ માટે કંપની પર કેટલો દંડ લગાવ્યો છે તેની જાણ થઇ નથી . દૂરસંચાર લાઇસન્સોના આધારે દૂરસંચાર ઓપરેટરોને નોંધાયેલ કુલ આવક પર લાઇસન્સ દર અને સ્પેક્ટ્રમના ઉપયોગ માટે ચૂકવણી કરવી પડે છે . આ રેવન્યૂ ફક્ત દૂરસંવ્હાર સેવાઓથી પ્રાપ્ત થાય છે . આધિકારીક સૂત્રોએ જણાવ્યું હતું કે ડૉટને જાણવા મળ્યું છે કે આ નોંધાયેલ રેવન્યૂ યોગ્ય નથી . વોડાફોને આ ટિપ્પણીથી મનાઇ કરી દિધી છે . કંપની પહેલાંથી જ સરકાર સાથે 11,200 કરોડ રૂપિયાના ટેક્સની લેણદેણના વિવાદમાં ગુંચવાયેલી છે ." business,"રોયટર્સના રિપોર્ટમાં કહેવાયું હતું કે "" છેલ્લા દિવસમાં દેશની અગ્રણી બુલિયન બેંકો જેવી કે એચએસબીસી , ગોલ્ડમેન એન્ડ બાર્સેલ્સ વગેરેએ છેલ્લા 30 દિવસમાં તેમનું ગોલ્ડ ફોરકાસ્ટ ઘટાડ્યું છે . આ પાછળનું કારણ અમેરિકાની આર્થિક સ્થિતિમાં સુધારાની આગાહી અને ફેડરલ રિઝર્વ દ્વારા બોન્ડ ખરીદવાની કરવામાં આવેલી જાહેરાત છે . "" વર્ષ 2000માં સોનાની કિંમતો 280 ડોલરની રેન્જમાં હતી , આજે આ કિંમતો વધીને 1598 ડોલરની રેન્જમાં પહોંચી ગઇ છે . હવે માનવામાં આવી રહ્યું છે કે પીળી ધાતુ સોનું છેલ્લા 12 વર્ષનો તેનો તેજીનો રેકોર્ડ તોડે એમ છે . વૈશ્વિક મંદી છતાં સોનાએ પોતાની મજબૂતી ટકાવી રાખી હતી . બીજું એક કારણ એમ પણ માનવામાં આવે છે કે વૈશ્વિક સ્તરે રિયલ એસ્ટેટમાં મંદી આવવાના કારણે સોનામાં રોકાણ વધ્યું હતું . આ કારણે આ સદીના આરંભથી જ સોનામાં 6થી 7 વાર મોટા ઉછાળા આવી ગયા છે . હવે અર્થતંત્રની ગાડી પાટે આવી રહી છે ત્યારે સોનામાં મંદીના ભણકારા વાગી રહ્યા છે ." sports,"હાલ ભારત ઇંગ્લેન્ડના પ્રવાસે છે , ઇંગ્લેન્ડમાં આપણે ખરાબ રીતે ટેસ્ટ શ્રેણી હારી ગયા . ભારતના અનેક સ્ટાર ખેલાડીઓ પોતાની પ્રતિભાનુંસાર દેખાવ કરી શક્યા નહીં , જેના કારણે તેમની ટીકા થઇ તો કોચ અને સુકાનીને પણ બધાએ આડેહાથ લીધા . આ ટેસ્ટ શ્રેણી દરમિયાન ઇંગ્લેન્ડના બે ખેલાડીએ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું , એક ગેરી બેલેન્સ અને બીજો જો રૂટ . ટેસ્ટ ક્રિકેટમાં એક બેટ્સમેન તરીકે સારા પ્રદર્શનની વાત કરવામાં આવે તો 2014માં એવા ઘણા ખેલાડીઓએ છેકે જેમણે ક્યાંકને ક્યાંક આ વર્ષની એકાદ યાદગાર ઇનિંગ રમી હશે , પરંતુ આજે અમે અહીં 2014માં રનના મામલે કયો ખેલાડી સૌથી આગળ છે એ અંગે જણાવી રહ્યાં છીએ . ચાલું વર્ષમાં ટેસ્ટ ક્રિકેટમાં એવા 10 ખેલાડી છે કે જેમણે રનનો વરસાદ કર્યો છે , તો ચાલો તસવીરો થકી એ ખેલાડી અને તેમના પ્રદર્શન અંગે આછેરી માહિતી મેળવીએ . pagespeed . lazyLoadImages . overrideAttributeFunctions ( ) ; આ પણ વાંચોઃ - રૈના પાંચમા ક્રમે જ રમશેઃ ધોની ક્રિકેટ ઇતિહાસમાં 10 સૌથી લાંબી કારકિર્દી આ પણ વાંચોઃ - ભારતને ફટકોઃ ઇનફોર્મ રોહિત ‘આઉટ ' , વિજય પહોંચ્યો ઇંગ્લેન્ડ pagespeed . lazyLoadImages . overrideAttributeFunctions ( ) ; function googleAnalyticsCodeCommon ( ) { var main _ url = $ ( ' link [ rel = "" canonical "" ] ' ) . attr ( "" href "" ) ; var url = document . location . href ; var pattern = ' https : / / ' + window . location . hostname ; url = url . replace ( pattern , "" "" ) ; var title = document . title ; ga ( "" oneindiagu . send "" , { hitType : "" pageview "" , page : url , location : main _ url } ) ; ga ( "" rosoneindia . send "" , { hitType : "" pageview "" , page : url , location : main _ url } ) ; ga ( "" dhoneindia . send "" , { hitType : "" pageview "" , page : url , location : main _ url } ) ; url = document . location . href ; var jcode = ' var _ comscore = _ comscore | | [ ] ; var comscoreParams = { c1 : "" 2 "" , c2 : "" 7732551 "" , c3 : "" "" , c4 : "" ' + url + ' "" , c5 : "" "" , c6 : "" "" , c15 : "" "" } ; _ comscore . push ( comscoreParams ) ; var s = document . createElement ( "" script "" ) , el = document . getElementsByTagName ( "" script "" ) [ 0 ] ; s . async = true ; s . src = ( document . location . protocol = = "" https : "" ? "" https : / / sb "" : "" http : / / b "" ) + "" . scorecardresearch . com / beacon . js "" ; el . parentNode . insertBefore ( s , el ) ; ' ; setTimeout ( jcode , 500 ) ; var _ qevents = _ qevents | | [ ] ; ( function ( ) { var elem = document . createElement ( ' script ' ) ; elem . src = ( document . location . protocol = = "" https : "" ? "" https : / / secure "" : "" http : / / edge "" ) + "" . quantserve . com / quant . js "" ; elem . async = true ; elem . type = "" text / javascript "" ; var scpt = document . getElementsByTagName ( ' script ' ) [ 0 ] ; scpt . parentNode . insertBefore ( elem , scpt ) ; } ) ( ) ; _ qevents . push ( { qacct : "" p - yjta2aSVPaHEL "" } ) ; window . google _ analytics _ uacct = "" UA - 110466 - 73 "" ; }" sports,"શ્રીલંકા સામેની છેલ્લે વન ડે મેચમાં ભારતે 6 વિકેટથી જીત મેળવી હતી . આ વન ડે મેચના હીરો બન્યા ભારતીય કપ્તાન વિરાટ કોહલી અને બોલર ભૂવનેશ્વર કુમાર . આ સિવાય ટીમના ભૂતપૂર્વ કપ્તાન મહેન્દ્ર સિંહ ધોની માત્ર 1 રન ફટકારી ચર્ચામાં આવ્યા હતા . દુનિયાના સૌથી ઉમદા ફિનિશર મનાતા ધોની મોટા શોટ ફટકારી મેચ પૂર્ણ કરવા માટે જાણીતા છે . પરંતુ હવે ધોની આ તક ટીમને બીજા ખેલાડીઓને આપે છે . શ્રીલંકા સામેની 5મી વન ડેમાં પણ કંઇ એવું જ થયું . મેદાન પર ઉતર્યા ધોની શ્રીલંકા તરફથી ભારતને 239 રનનો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો , ટીમ ઇન્ડિયાએ 46 ઓવરમાં 3 વિકેટ ગુમાવી 237 રન બનાવી લીધા હતા . જીતવા માટે માત્ર 2 રનની જરૂર હતી . 47મી ઓવરના 1લા બોલ પર જ અર્ધસદી ફટકારી ચુકેલ ખેલાડી કેદાર જાધવ આઉટ થયા બાદ બેટિંગ કરવા મેદાનમાં ઉતર્યા મહેન્દ્ર સિંહ ધોની . ધોની કોઇ મોટો શોટ ફટકારી આ મેચ પૂર્ણ કરી શકે એમ હતા , પરંતુ તેમણે આ તક વિરાટ કોહલીને આપી . એમએસ ધોની અને વિરાટ કોહલી સિંગલ લઇ વિરાટ કોહલીને સ્ટ્રાઇક આપતી વખતે ધોનીના ચહેરા પર સ્મિત જોવા મળ્યું હતું . વિરાટ કોહલી અને ધોની બંને આ ક્ષણે એકબીજાને જોઇને સ્મિત કરી રહ્યાં હતા અને આ પળ તે સમયે કેમેરામાં કેદ થઇ ગઇ હતી . ધોનીએ માત્ર એક સ્મિત દ્વારા વિરાટને પોતાની વાત જણાવી દીધી અને વિરાટે પણ ધોનીની ઇચ્છા સમજી લેતાં વિજયી રન લઇ લીધો હતો . વિરાટ અને ધોનીની મિત્રતા અને સમજદારીની આ ક્ષણનો વીડિયો જુઓ અહીં . . ." entertainment,"મુંબઈના બાંદ્રા ખાતે આવેલ ઓસ્કોબારમાં ગઈકાલે સાંજે દરેકની આંખો સ્ટેજ ઉપર ચોંટી રહી ગઈ કે જ્યારે બૉલીવુડના બાદશાહ શાહરુખ ખાન સ્ટેજ ઉપર આવ્યાં . પ્રસંગ હતું સિનેમાના 100 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યે ફિલ્મફૅર મૅગેઝીનના કવર પેજની લૉન્ચિંગનું . ફિલ્મફૅર મૅગેઝીનના કલેક્ટર્સ એડિશન કવર પેજ ઉપર સિનેમાના 100 વર્ષ પૂર્ણ થવા પ્રસંગે શાહરુખ ખાન , અમિતાભ બચ્ચન અને દિલીપ કુમારની તસવીરો પ્રસિદ્ધ કરવામાં આવી છે . આ પ્રસંગે શાહરુખાને કવર પેજ લૉન્ચ કર્યો આને સાથે જ કવર પેજના ફોટોશૂટ દરમિયાન દિલીપ કુમાર તથા અમિતાભ બચ્ચન સાથે ગાળેલી ક્ષણો પણ શૅર કરી . ફિલ્મફૅર મૅગેઝીનના આ એડિશનમાં ભારતીય સિનેમાના અત્યાર સુધીના 10 વર્ષોમાં સૌથી વધુ ફેમસ થયેલ ડાયલૉગ , ફિલ્મો અને સ્ટાર્સ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી છે . શાહરુખ ખાને આ ફોટોશૂટ દરમિયાન જણાવ્યું - જ્યારે દિલીપ સાહેબના ઘરે ફોટોશૂટ થઈ રહ્યુ હતું , ત્યારે સાયરાજી તથા દિલીપ સાહેબ અને અમિતાભ સાથે ઊભું રહેવું મારા માટે ખૂબ જ ગૌરવની બાબત હતી . મને ખૂબ જ ખુશી થઈ રહી છે આ કવર પેજ લૉન્ચ કરતાં . પછી શાહરુખ ખાને પોતાની દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે ફિલ્મનો ડાયલૉગ કહી સંભળાવ્યો - બડ઼ે - બડ઼ે દેશોં મેં ઐસી છોટી - છોટી બાતેં હોતી રહતી હૈં સેન્યોરીટા . આ મૅગેઝીનમાં શાહરુખ ખાન તથા મલાઇકા અરોરા ખાનના ફેમસ આયટમ સૉંગ ચલ છંઇયા છંઇયા . . . નો પણ ટૉપના ડાંસ નંબર્સમાં સમાવેશ કરાયો છે . તેમણે જણાવ્યું કે તેમણે દિલ સે ફિલ્મ ખૂબ જ દિલથી બનાવી હતી , પણ અફસોસ કે તે ચાલી નહીં . આવો જોઇએ ફિલ્મફૅર કવર પેજ લૉન્ચિંગની તસવીરી ઝલક ." sports,"ઉદ્દઘાટન સમારોહમાં ક્રિકેટ , ફિલ્મ અને રાજનીતિની મોટી - મોટી હસ્તીઓ પહોંચશે તેવી આશા છે . આ કારણે કોલકતાની તમામ પ્રમુખ હોટલો , હવાઇ મથકો અને સ્ટેડિયમની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે . સમારોહમાં શાહરુખ ઉપરાંત દીપિકા પાદૂકોણ , કેટરીના કૈફ અને અમેરિકન રેપર પિટબૂલ કાર્યક્રમ રજૂ કરશે . પહેલા આ સમારોહ માટે હોલિવૂડની દિગ્ગજ ગાયિકા અને અભિનેત્રી જેનિફર લોપેજનું નામ સામે આવ્યું હતું , પરંતુ આયોજકોએ અંતિમ સમયે પિટબુલની સાથે કરાર કરતા લોપેજનું પહેલીવાર ભારતમાં કાર્યક્રમ રજૂ કરવાની સંભાવનાઓ ખત્મ થઇ ગઇ છે . આઇપીએપના કમિશનર અને ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ થોડા દિવસ પહેલા કહ્યું હતું કે સાત સપ્તાહ સુધી ભારતના વિભિન્ન શહેરોમાં આયોજિત થનારી આઇપીએલની છઠ્ઠી આવૃતિની ભવ્યતાને જોતા ઉદ્દઘાટન સમારોહને વધુ આકર્ષક બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે . આ સમારોહમાં રવીન્દ્ર સંગીતથી લઇને પિટબુલના રૈપ સંગીતને સાંભળવા મળશે . પહેલીવાર કોલકતામાં થઇ રહેલા ઉદ્દઘાટન સમારોહ માટે હજારોની સંખ્યામાં દર્શકો સ્ટેડિયમ પહોંચે તેવી આશા છે . એટલું જ નહીં , આ સમારોહમાં કોલકતામાં હાઇસ્કૂલ અને કોલેજના 300 બાળકો પણ પરફોર્મન્સ કરશે ." entertainment,"મુંબઈ , 18 સપ્ટેમ્બર : બિગ બૉસમાં જ્યાં સુધી પાર્ટીસિપેંટ્સ વચ્ચે કોઈ ઝડપ ન થાય , ત્યાં સુધી નથી સભ્યોને મજા આવતી કે નથી દર્શકોને . બિગ બૉસ 7 શરૂ થયે હજી બે દિવસ જ થયા છે કે ઘરના સભ્યો વચ્ચે અણબનાવ શરૂ થઈ ગયાં છે . કેટલાંક તો પોતાના આઘાતમાં પરેશાન છે , તો કેટલાક એક - બીજા અંગે . બિગ બૉસના ઘરે આ વખતે એક બાજુ જહન્નુમમાં પાર્ટીસિપેંટે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે અને બેસિક સગવડો પણ માંડ પૂરી થઈ રહી છે , તો બીજી બાજુ જન્નતમાં પાર્ટીસિપેંટ્સ ખૂબ આરામથી પોતાના દિવસો ગાળી રહ્યાં છે . બિગ બૉસના બીજા દિવસે જહન્નુમવાળાઓને બિગ બૉસે ટાસ્ક આપ્યું કે તેઓ પોતાના એરિયામાં મૂકવામાં આવેલા બે ચક્કા ફેરવશે અને જ્યારે તે ચક્કા ફરશે , ત્યારે જ જન્નતમાં લોકોને પાણી - ગૅસ જેવી જરૂરિયાતોનો પુરવઠો કરવામાં આવશે . શરૂ - શરૂમાં જહન્નુમવાળાઓએ જન્નતવાળાઓની મદદ માટે ખુશી - ખુશી આ ટાસ્ક સ્વીકારી લીધો અને મહેનત સાથે પૂર્ણ પણ કર્યો , પરંતુ પછીથી જ્યારે જન્નતવાળાઓએ તેમની મહેનત તથા તેમના કામ અંગે કોઈ પણ પ્રકારનો આભાર વ્યક્ત ન કર્યો અને બહુ ડલ બની રહ્યાં , તો જહન્નુમવાળાઓને પણ માઠુ લાગ્યું અને તેઓ આ મહેનત બદલ તેમને સારી રીતે જમવાનું નહીં મળવાની , ઉંઘ પૂર્ણ ન થવાની અને થાકની ફરિયાદ બિગ બૉસને કરવા લાગ્યાં . બીજી બાજુ પ્રત્યુષા બૅનર્જી કે જેઓ જહન્નુમમાં છે અને એન્ડી કે જેઓ જન્નતમાં છે . બન્ને વચ્ચે થોડીક તૂતૂ - મૈંમૈં થઈ . ભગવાનમાં આસ્થા ધરાવતા પ્રત્યુષાના ભગવાન અંગે એન્ડી કંઈક બોલ્યાં કે જે પ્રત્યુષાને ખરાબ લાગ્યું અને તેઓ ખોટુ માની ગયાં . પછી એન્ડીએ પ્રત્યુષાની માફી માંગી અને સૉરી કહ્યું . પ્રત્યુષાએ પણ પોતાની સારાઈ વ્યક્ત કરી એન્ડીને કહ્યું - કોઈ વાત નહીં ." business,"પોતાની આ તૈયારી હેઠળ દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારૂતિ સુઝુકીએ નવી કાર ' રીગલ ' ને લોન્ચ કરવા જઇ રહી છે . રીગલ મારૂતિની સૌથી વધુ વેચાનાર કોમ્પેક્ટ સેડાન ડિઝાનરનું નવું વેરિએન્ટ હશે . કંપની રીગલને લિમિટેડ એડિશનમાં રજૂ કરશે અને તેની દિલ્હીમાં એક્સ શો રૂમ કિંમત 5.60 લાખ રૂપિયા હશે . બજારમાં તેનું ફક્ત પેટ્રોલ વર્જન જ ઉપલબ્ધ રહેશે . સૂત્રોના જણાવ્યા અનુસાર રીગલ ભારતીય શોરૂમાં આગામી કેટલાક દિવસોમાં પહોંચી જશે . નવી કારમાં લેધર કવર્ડ ઇન્ટિરિયર , એડવાન્સ મ્યૂઝિક સિસ્ટમ અને રિયર પાર્કિંગ જેવા નવા ફિચર્સ હશે . જો કે નવા વેરિએન્ટ રીગલને કંપની ડિઝાયરના પાંચ વર્ષ પુરાં થતાં લાવી રહી છે અને તેને જલદી જ લોન્ચ કરવાની આશા છે . જો કે મારૂતિ તેને અમેજની સાથે જ લોન્ચ કરવા માંગતી હતી . મારૂતિ ઇન્ડિયા આ પહેલાં પણ અન્ય કાર કંપનીઓને ટક્કર આપવામાં સ્પેશલ એડિશન લાવી ચુકી છે . આ પ્રમાણે હુડઇ ઇઓન આવ્યા બાદ મારૂતિએ અલ્ટોના એક્સ પ્લોર વેરિએન્ટ રજૂ કર્યું હતું . ડિઝાઇર મારૂતિ ઇન્ડિયાની સૌથી વધુ વેચાનાર કોમ્પેક્ટ સેડાન કાર છે . લોકોમાં ડિઝાયરની લોકપ્રિયતાનો અંદાજો તેનાથી લગાવી શકાય કે અત્યારે પણ 4 થી 8 મહિનાનું વેઇટિંગ ચાલી રહ્યું છે ." entertainment,"તુષાર કપૂર સેરોગસી દ્વારા હવે પિતા બની ચૂક્યા છે . અને તે સિંગલ ફાધર બનીને ખુબ જ ખુશ પણ છે . તેમણે પ્રેસ કોન્ફર્ન્સ કરીને પોતાના જીવનના આ નવા પ્રકરણથી લોકોને માહિતગાર કર્યા હતા . અને સાથે જ તેમના પુત્ર જેનું નામ તેમને લક્ષ્ય રાખ્યું છે તેને તસવીર પણ બતાવી હતી . તુષાર કહ્યું કે હવે તેમનો પરિવાર પૂર્ણ થઇ ગયો છે . તેમણે કહ્યું કે લક્ષ્ય પાસે તેના પપ્પા , દાદા , દાદી અને ફોઇ છે . અને બન્નેનો જન્મદિવસ પણ જૂનમાં આવે છે . અને સાથે જ તેમનો પુત્ર તેમની કાર્બન કોપી છે . ત્યારે તુષાર કપૂર અને તેમના પુત્રની કેટલીક ખાસ તસવીરો જુઓ નીચેના આ ફોટોસ્લાઇડરમાં . . . ." sports,"પુણે , 17 એપ્રિલઃ પુણે ખાતે રમાયેલી આઇપીએલની 22મી મેચમાં પુણે વોરિયર્સ સામે સનરાઇઝર્સ હૈદરાબાદનો 11 રનથી વિજય થયો છે . સનરાઇઝર્સ તરફથી આપવા આવેલા 120 રનના લક્ષ્યાંકના જવાબમાં પુણે વોરિયર્સની ટીમ 19 ઓવરમાં 108 રન પર ઓલઆઉટ થઇ ગઇ હતી . પુણે તરફથી ઉથ્થપાએ સર્વાધિક 22 રન બનાવ્યા હતા , જ્યારે હૈદરાબાદ તરફથી મિશ્રાએ સર્વાધિક 4 વિકેટ લીધી હતી . પુણે તરફથી રોબિન ઉથ્થપા ( 22 ) , ફિંચ ( 16 ) , સુમન ( 12 ) , સ્મિથ ( 17 ) , મેથ્યુઝ ( 20 ) , માર્શ ( 14 ) , નાયર ( 00 ) , ભુનવેશ્વર કુમાર ( 00 ) , આર શર્મા ( 00 ) , ડિંડા ( 00 ) રનનું યોગદાન આપ્યું હતું . જ્યારે હૈદરાબાદ તરફથી મિશ્રાએ ચાર , પરેરાએ ત્રણ વિકેટ , કે શર્મા , ઇશાંત શર્મા , ડેલ સ્ટેને એક - એક વિકેટ ઝડપી હતી . આ પહેલા સનરાઇઝર્સે નિર્ધારિત 20 ઓવરોમાં આઠ વિકેટ ગુમાવીને 119 રન બનાવ્યા . તેના તરફથી સૌથી વધારે રન બિપ્લબ સૈમેંટ્રેએ 37 રનની ઇનિંગ રમી . સેમેન્ટ્રેએ 37 બોલમાં ત્રણ ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો . આ ઉપરાંત અમિત મિશ્રાએ 30 , આશીષ રેડ્ડીએ અણનમ 19 અને પાર્થિવ પટેલે 12 રનોનું યોગદાન આપ્યું . વોરિયર્સ તરફથી ઝડપી બોલર ભુવનેશ્વર કુમારે શાનદાર બોલિંગ કરતા ચાર ઓવરમાં 18 રન આપીને ત્રણ વિકેટ લીધી . આ ઉપરાંત રાહુલ શર્માએ બે અને અશોક ડિંડાએ એક વિકેટ મેળવી હતી . વોરિયર્સે ટોસ જીતીને સનરાઇઝર્સને પહેલા બેટિંગ કરવા આમંત્રણ આપ્યું . સનરાઇઝર્સ તરફથી ક્વિન્ટોન દે કોક ( 02 ) , પાર્થિવ પટેલ ( 12 ) , કેમરોન વ્હાઇટ ( 00 ) , હનુમા વિહારી ( 01 ) , કરણ શર્મા ( 7 ) , થિસિરા પેરરા ( 02 ) ની ઇનિંગ રમી હતી ." entertainment,દરેક ફિલ્મનું મજબુત પાસું હોઈ છે તે ફિલ્મની સ્ટોરી અને સરબજીત ની સ્ટોરી ખુબ જ સારી રીતે લખાઈ છે . પરંતુ ફિલ્મની કથા બાંધી રાખવા માટે જવાબદાર હોઈ છે કલાકારો અને સરબજીત ની તે સૌથી મોટી ખામી સાબિત થઇ છે . આ ફિલ્મમાં રણદીપ હૂડા અને રીચા ચડ્ડા ના જેટલા વખાણ કરીએ તેટલા ઓછા છે . પરંતુ ઐશ્વર્યા રાઈ આ ફિલ્મને લઇ ડૂબી છે . રણદીપ હૂડા ને રીચા ચડ્ડા એ ફિલ્મને પૂરી રીતે બાંધી રાખવાની કોસિસ ચોક્કસ કરી છે . સરબજીત ફિલ્મનું નામ અને રણદીપ હૂડા પર છે . પરંતુ આખી ફિલ્મમાં ઐશ્વર્યા રાઈ જ દેખાઈ રહી છે અને જેટલી પણ દેખાઈ રહી છે જે સારી રીતે ફિલ્માવવામાં નથી આવી . તો જાણો સરબજીત ફિલ્મનો 1 Day 1 Show . . . business,"આરબીઆઇના ગવર્નર ડી સુબ્બારાવે આ અંગે જણાવ્યું કે ' રૂપિયા 5ની નોટમાં જેમ કર્યું હતું તેમ , માગ અનુસાર બજારમાંથી ધીરે ધીરે રૂપિયા 10ની નોટ પાછી ખેંચવામાં આવશે . બેંકો સિક્કાને પ્રાધાન્ય નથી આપતી , હવે ગ્રાહકો શેને પ્રાધાન્ય આપે છે તે જોવાનું રહે છે . ' તેમણે જણાવ્યું કે આરબીઆઇ સિક્કા માટેનો આગ્રહ રાખે છે તેનું એક કારણ એ છે કે લાંબુ આયુષ્ય અને ઉત્પાદન ખર્ચની રીતે સિક્કાઓ વધારે વાજબી છે . વર્તમાનમાં બજારમાં લગભગ રૂપિયા 76 કરોડના મૂલ્યના 10ના ચલણી સિક્કા ફરે છે . આ ઉપરાંત આરબીઆઇ પેપર મનીની જગ્યાએ પ્લાસ્ટિક મની પણ લાવવા માંગે છે . આ માટે પ્રાયોગિક ધોરણે પોલિમર નોટ્સ રજૂ કરવામાં આવશે . બજારમાં પ્લાસ્ટિક મની મૂકવાનો પ્રયોગ દાયકા પહેલા પણ અમલમાં મૂકવામાં આવ્યો હતો પણ તે નિષ્ફળ ગયો હતો . આરબીઆઇને આશા છે કે લોકોના બદલાયેલા વલણ અને ટેકનોલોજીને પગલે આ વખતે પ્રયોગને સફળતા મળશે ." business,"કેન્દ્ર સરકારની આ યોજનામાં સેબીએ પણ ભારતમાં વિદેશી રોકાણકારો સરળતાથી રોકાણ કરી શકે તે વિશેની ભલામણ કરી છે . નવી યોજનમાં દરેક રોકાણકારોને એક જ શ્રેણીમાં લાવવાની સાથે તેમી મૂડીગત પ્રક્રિયા પણ સરળ બનાવવામાં આવે તેવુ આયોજન કરાયું છે . આ અંગે પૂર્વ કેબિનેટ સચિવ ચંદ્રશેખરની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આ રિપોર્ટ અવા સમયે સરકારને આપવામાં આવ્યો છે , જ્યારે રૃપિયામાં ખૂબ નરમાઈ જોવા મળી રહી છે અને સરકાર અને આરબીઆઈ વિદેશી રોકાણ વધારવાનો પ્રયત્ન કરી રહ્યા છે . રિપોર્ટ પ્રમાણે કોઈ પણ કંપનીમાં વિદેશથી થતા 10 ટકાથી વધુનુ રોકાણ એફડીઆઈની શ્રેણીમાં રાખવુ જોઈએ , અને તેનાથી ઓછા વિદેશી રોકાણને વિદેશી પોર્ટ ફોલિયો રોકાણ ( એફપીઆઈ ) અંતર્ગત રાખવુ જોઈએ . સમિતિ દ્વારા ફોરેન ઈન્સ્ટિટ્યૂશનલ ઈન્વેસ્ટમેન્ટ ( એફઆઈઆઈ ) , સબ એકાઉન્ટ અને પાત્ર વિદેશી રોકાણકારો ( ક્યુએફઆઈ ) ને ભેગા કરીને વિદેશી પોર્ટફોલિયો રોકાણ ( એફપીઆઈ ) ના નામથી એક શ્રેણી બનાવવાની ભલામણ કરવામાં આવી છે . આ સાથે જ રોકાણકારોની મૂડીની રજિસ્ટ્રેશનની પ્રક્રિયા માટે સેબી સાથે મળીને અગાઉના શરતોનો પૂરી કરી દેવાની ભલામણ કરવામાં આવી છે . સેબીએ આપેલી માહિતી પ્રમાણે એફપીઆઈને ડિઝાઈન ડિપોઝીટરી પાર્ટીસિપેન્ટ ( ડીડીપી ) ની સાથે માત્ર રજિસ્ટ્રેશન કરાવવાનું નહી પરંતુ તેના દ્વારા વેપાર પણ કરવો પડશે . આ માટે સેબી દ્વારા નવા નિયમો બનાવવામાં આવશે . સમીતિએ રોકાણકારોના સ્તરનું એક શ્રેણી નક્કી કરીને કેવાયસી નિયમ પણ રજૂ કરવો પડશે . આ સમિતિમાં ચંદ્રશેખર સિવાય આરબીઆઈ અને સેબીના પ્રતિનીધીનો સમાવેશ કરવામાં આવ્યો છે . સમિતિના મત પ્રમાણે એફપીઆઈ દ્વારા કુલ રોકાણની મર્યાદા 24 ટકા રાખવી જોઈએ ." entertainment,"[ બોલીવુડ ] દરેક વસ્તુ જેવી દેખાય છે તેવી હોતી નથી . જો આ વાતને હજારો વખત સાંભળીને પણ વણસાંભળ્યું કર્યું હોય તો આપને શરમ આવવી જોઇએ . રાધિકા આપ્ટેના ન્યૂડ વીડિયોના લીક બાદ ખૂબ જ જોરદાર હોબાળો મચી ગયો . પરંતુ રાધિકાએ એક સ્ટેટમેંટ જાહેર કરીને જણાવ્યું કે તેને ઇગ્નોર કરી દેવું . હવે આ આખા મામલાનું સત્ય અનુરાગ કશ્યપે બહાર પાડ્યું છે . અનુરાગે જણાવ્યું કે આ વીડિયો સાચો હતો અને તે વીડિયોમાં રાધિકા આપ્ટે જ હતી . પરંતુ તેને 20 મિનિટની એક શોર્ટ ફિલ્મ માટે શૂટ કરવામાં આવ્યું હતું . પરંતુ અચાનક એક મહીના બાદ આ વીડિયો લીક થઇ ગયો . અનુરાગ કશ્યપની માનીએ તો ચોક્કસ કોઇ ભારતીય યુવકે જ આ કૃત્ય કર્યું છે અને તેઓ સંપૂર્ણ કોશિશ કરશે કે તે પકડાઇ જાય . તેમણે સંપૂર્ણ ઘટનાને તુરંત જ પોતાના કંટ્રોલમાં લઇ લીધી હતી . NOTE : વાચમિત્રોને અમારી અપીલ છે કે ફેસબુક , વોટ્સએપ , ટ્વિટર પર આવી વસ્તુઓથી પોતાનું મનોરંજન કરતા પહેલા , કોઇના પણ પ્રત્યે અભદ્ર ટિપ્પણી અથવા અનુમાન લગાવ્યા પહેલા એકવાર વિચારી લો કે શું આપનું દિમાગ ખરેખર એટલું વિકસિત છે ? મનોરંજન કરવાના બીજી ઘણી રીતો છે , એલર્ટ રહો . . ." entertainment,પહેલીવાર આવું નથી બન્યું કે કોઈ સ્ટારે ફેન્સ કે મીડિયા પર હાથ ઉઠાવ્યો હોય . આવું પહેલા પણ બની ચૂક્યું છે . તાજા ખબર અનુસાર એક વીડિયો સોશ્યિલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાઇરલ થઇ રહ્યો છે . જ્યાં ઋષિ કપૂર અને તેમના ભાઈ રણધીર કપૂર ગણપતિ વિસર્જન દરમિયાન મીડિયા પર હાથ ઉઠાવતા જોવા મળ્યા . બાપનો માલ સમજી રાખ્યો છે કે શું ? : ઋષિ કપૂર આ વીડિયોમાં તમે સાફ સાફ જોઈ શકો છો કે રણધીર કપૂર એક રિપોર્ટરને થપ્પડ મારી રહ્યા છે . જે તેમની પાસે ઓડિયો બાઈટ લેવા ગયો હતો અને ઋષિ કપૂરએ પણ એક વ્યક્તિને ધક્કો મારી દીધો . પરંતુ સવાલ એ પણ છે કે આટલી ભીડની વચ્ચે કોઈ સ્ટારને ઘેરીને તેમની પાસે સેલ્ફીની ઝિદ કરવી કેટલું યોગ્ય છે ? અહીં તમે જોઈ શકો છો કે ગણપતિ વિસર્જન દરમિયાન બધા જ લોકો જલ્દી જલ્દી બહાર નીકળવા માંગે છે . તેવામાં મીડિયાએ કપૂર ભાઈઓને ઘેરી લીધા . પરંતુ એ પણ સત્ય છે કે સ્ટારએ પોતાનો ગુસ્સો કાબુમાં રાખવો જોઈએ . આ પહેલીવાર નથી બન્યું કે ઋષિ કપૂરએ પોતાનો ગુસ્સો આ રીતે કાઢ્યો હોય . તો જુઓ આ વીડિયો . . . sports,"ભારતની સ્ટાર નિશાનેબાજ હિના સિદ્ધુએ ટ્રાયલ્સમાં શાનદાર પ્રદર્શન કરતા વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી છે . મહિલા 10 મીટર એર પિસ્ટલ સ્પર્ધામાં તેમને આ રેકોર્ડની બરાબરી કરી છે . ટી1 ટ્રાયલમાં કવોલીફીકેશનમાં હીનાએ 587 સ્કોરનો અંક મેળવ્યો અને 319 નિશાનેબાજોમાં સૌથી આગળ રહી . હિનાના આ નિશાનને કારણે તેને ઓલિમ્પિક અને વિશ્વ ચેમ્પિયન ગ્રીસની એના કોરાકાકી વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી છે . આ પહેલા આ વર્ષમાં થયેલી એશિયન ગેમ્સમાં હીનાએ ભારતને બ્રોન્ઝ મેડલ અપાવ્યો હતો . ટ્રાયલ્સમાં યુથ ઓલિમ્પિક ચેમ્પિયન મનુ ભાકર 579 અંક સાથે બીજા નંબરે રહી . રાજસ્થાનના દિવ્યાંશ સિંહ પવાર અને ગુજરાતની હેમા કેસીએ ઉલટફેર કર્યા . દિવ્યાંશે 10 મીટર એર રાઇફલ સ્પર્ધામાં સિનિયર પુરુષ , યુવા પુરુષ અને જુનિયર પુરુષ ત્રણે સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો જયારે હેમાએ 50 મીટર રાઇફલ થ્રી પોઝિશનમાં મહિલા વિશ્વ ચેમ્પિયનની સિલ્વર મેડાલીસ્ટ અંજુમ મોદગીલને પછાડી ." entertainment,"બૉલીવુડ એક એવુ જગત છે કે જેની સાથે જોડાયેલ લોકો વિશે જાણવા માટે સામાન્ય પ્રજા આતુર હોય છે . આજના સમયની વાત જ નથી કે લોકો શાહરુખ ખાન , સલમાન ખાન કે આમિર ખાન કે પછી પ્રિયંકા ચોપરા , સોનમ કપૂર , શ્રદ્ધા કપૂર કે કૅટરીના કૈફ કે પછી આલિયા ભટ્ટ વિશે જાણવા આતુર રહેતા હોય . આ અગાઉના સમયમાં પણ લોકો તે વખતના સ્ટાર્સ , તેમની પર્સનલ લાઇફ કે તેની સાથે જોડાયેલી તસવીરી યાદો જોવા ને જાણવા માટે આતુર રહેતા હતાં . આજનો જમાનોનો તો વધુ આધુનિક થઈ ગયો છે . આજે તો મોટાભાગના સ્ટાર્સ સોશિયલ મીડિયા , ફેસબુક , ટ્વિટર , ઇંસ્ટાગ્રામ વિગેરે સાથે જોડાયેલા છે અને તેમના ફૅન્સને તેમની લેટેસ્ટમાં લેટેસ્ટ તસવીરો તથા ન્યુઝ મળી જતા હોય છે , પરંતુ એક સમય એવો પણ હતો કે બૉલીવુડ સેલિબ્રિટીઓની તસવીરો માત્ર ફિલ્મી મૅગેઝીનોમાં જ જોવા મળતી હતી . અખબારોમાં પણ જવલ્લે જ તેમની તસવીરો કે સમાચારો આવતા . સમયના વહેણ બદલાયા અને પછી ધીમે - ધીમે અખબારોમાં પણ ખાસ સિનેમાની પૂર્તિઓ આવવા લાગી . આજની તો વાત જ શું કરવી ? હવે તો અખબારોમાં સમાચારોના પાનામાં પણ બૉલીવુડના સમાચારોને જગ્યા મળવા લાગી છે અને વધારામાં પૂર્તિઓ તો ખરી જ . ઉપરાંત સોશિયલ મીડિયામાં બૉલીવુડ ન્યુઝ , અપડેટ્સ , તસવીરોની ભરમાર હોય છે . આમ છતાં , આજે અમે આપને બતાવવા જઈ રહ્યાં છીએ બૉલીવુડની એવી તસવીરો કે જે આપે ક્યારેય નહીં જોઈ હોય :" sports,"ક્રિકેટ એક ગ્લેમરથી ભરેલી રમત છે , આમ તો આ રમતને એક જેન્ટલમેન ગેમ તરીકે ગણવવામાં આવે છે , પરંતુ તેમાં પણ ક્યારેક એવા લાંછન લાગ્યા છે , જે ક્યારેય દૂર થઇ શકે તેમ નથી . એ પછી પ્રેમ પ્રસંગો હોય , પૈસાની કમાણી હોય કે પછી વિવિધ સ્કેન્ડલ્સ હોય . ક્રિકેટ હંમેશા તેની રમતની સાથોસાથ આ બાબતોના કારણે પણ ચર્ચામાં રહ્યું છે . આજે અમે અહીં એવી જ કેટલીક ક્રિકેટ સાથે જોડાયેલી બાબતો અંગે જણાવી રહ્યાં છીએ . જેમાં કેટલાક ક્રિકેટર્સ કે જે જાણીતી અભિનેત્રીઓ સાથે પ્રેમ બંધનમાં બંધાયેલા હતા તો , કેટલાક એવા ચહેરાઓ કે જે ફિક્સિંગ સહિતના સ્કેન્ડલમાં ફસાયા હતા . તો ચાલો તસવીરો થકીએ ખેલાડીઓ અંગે જાણીએ . ટી20માં સૌથી વધુ રન બનાવનાર ટોપ ટેન ભારતીય ધોનીએ સ્વીકારી જવાબદારી કહ્યું , ‘હાર માટે હું જવાબદાર ' આ પણ વાંચોઃ - ડુ પ્લેસિસે તોડ્યો સચિનનો 17 વર્ષ જૂનો રેકોર્ડ" sports,"ઇન્ડિયન પ્રીમિયર લીગના સીઝન - 6ના ફાઇનલ મુકાબલામાં રોહિત શર્માના નેતૃત્વમાં મુંબઇ ઇન્ડિયંસની ટીમે ચેન્નઇ સુપર કિંગ્સને 23 રનોથી હરાવી આઇપીએલ - 6ની ટ્રોફી પર કબજો મેળવી લીધો છે . ટોસ જીતીને પહેલાં બેટીંગ કરવા મેદાનમાં ઉતરેલી મુંબઇની ટીમે 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવી 148 રન બનાવ્યા હતા , જેને જોતાં ચેન્નઇ સુપર કિંગ્સને આ લક્ષ્યાંક આસાન લાગતો હતો , પરંતુ ટોપ ઓર્ડર ટપોટપો પેવેલિયન ભેગો થઇ જતાં ચેન્નઇ સુપર કિંગ્સના વટાણાં વેરાઇ ગયા અને મુંબઇ ઇન્ડિયંસે ટ્રોફી પર કબજો મેળવી લીધો . મુંબઇ ઇન્ડિયંસે પહેલી વાર આઇપીએલ ટ્રોફી જીતી છે . 149 રનોના આસાન લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ચેન્નઇ સુપર કિંગ્સની શરૂઆત એકદમ ખરાબ રહી હતી . માઇક હસ્સી લસિથ મલિંગાના બોલ પર પહેલી ઓવરમાં પેવેલિયન ભેગાં થઇ ગયા . ત્યારબાદ સુરેશ રૈના પણ ખાતું ખોલાવ્યા બાદ પેવેલિયન ભેગાં થઇ ગયા હતા , તેમને પણ મલિંગાએ આઉટ કર્યા હતા . એસ બદ્રીનાથ મિશેલ જોનસનના બોલ પર આઉટ થઇ ગયા હતા . સ્થિતી ઘણી થઇ ગઇ હતી કે બ્રાવો આઉટ થઇ ગયા બાદ તરત જ રવિન્દ્ર જાડેજાની વિકેટ પડી ગઇ હતી . કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ સમજી વિચારને રમતને આગળ ધપાવતાં જે મોર્કલ સાથે રમતને સંભાળી હતી પરંતુ બીજી રાઉન્ડમાં વિકેટો પડવાનો સિલસિલો 20 ઓવરો સુધી યથાવત રહ્યો હતો અએન ટીમ 148 રન જ બનાવી શકી હતી . હારનો સામનો કરનાર ટીમના કેપ્ટને 67 રન બનાવી શક્યા હતા . જે મોર્કલે માત્ર 10 રનનું જ યોગદાન કર્યું હતું . મુંબઇ તરફથી મલિંગા , હરભજન સિંહ અને જોનસને 2 - 2 અને પ્રજ્ઞાન ઓઝા , ધવન અને પોલાર્ડે 1 - 1 વિકેટ ઝડપી હતી . આ પહેલાં મુંબઇ ઇન્ડિયંસ પણ માંડમાંડ 148 રન બનાવી શકી હતી . મુંબઇ ઇન્ડિયંસના ડૈરેન સ્મિથ 4 રન , એસી તારે 0 , કેપ્ટન રોહિત શર્મા 0 બનાવી શક્યા હતા . આ ત્રણેય વિકેટ પડી જતાં મુંબઇની ટીમ લથડી પડી હતી , પરંતુ દિનેશ કાર્તિકે 21 અને ટી રાયુડૂએ 37 રન ફટકારતાં સ્થિતી કેટલાંક અંશે કન્ટ્રોલમાં આવી ગઇ હતી . ત્યારબાદ કિરોન પોલાર્ડે તેમનો સંપૂર્ણ સાથ આપ્યો અને 32 બોલમાં 3 સિક્સર અને 7 ચોગ્ગા ફટકારતાં 60 રન બનાવ્યાં હત . પોલાર્ડ નોટ આઉટ રહ્યો હતો . આ સાથે જ હરભજને 14 રનોનું યોગદાન આપ્યું હતું . ચેન્નઇ તરફથી ડ્વાન બ્રાવોએ 4 વિકેટ ઝડપી હતી અને સૌથી સફળ બોલર રહ્યાં હતા . મોર્કલે 2 વિકેટ ઝડપી હતી ." sports,"આઇપીએલ 10નુ એલિમિનેટર મેચ સનરાઇઝર્સ હૈદરાબાદ અને કલકત્તા નાઇટ રાઇડર્સ વચ્ચે આ મેચ હાલ બેંગ્લોરના ખચાખચ ભરેલા ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઇ રહી છે . આ મેચમાં હારનારી ટીમ ટૂર્નામેન્ટમાંથી બહાર થઇ જશે . જ્યારે જીતનારી ટીમને ફાઇનલમાં પહોચવા માટે 19 મેએ મુંબઇ ઇન્ડિયન્સ સામે રમવી પડશે . ત્યારે આ મેચની તમામ લેટેસ્ટ માહિતી જાણવા માટે આ પેજને રિફ્રેશ કરતા રહો . અહીં અમે તમને આ મેચની તમામ અપડેટ આપતા રહીશું . UPDATE : કલકત્તા નાઇટ રાઇડર્સઃ ક્રિસ લીન , સુનીલ નારાયણ , ગૌતમ ગંભીર ( કેપ્ટન ) , રોબિન ઉથપ્પા , યૂસુફ પઠાણ , સૂર્યકુમાર યાદવ , ઇશાક જગ્ગી , ટ્રેન્ટ બોલ્ટ , પીયુષ ચાવલા , ઉમેશ યાદવ , નાથન કુલ્ટર નાઇલ , સનરાઇઝર્સ હૈદરાબાદઃ ડેવિડ વોર્નર ( કેપ્ટન ) , શિખર ધવન , યુવરાજ સિંહ , કેન વિલિયમસન , ક્રિસ જોર્ડન , વિજય શંકર , નમન ઓઝા , ભૂવનેશ્વર કુમાર , રાશિદ ખાન , સિદ્ધાર્થ કૌલ , બીપુલ શર્મા" entertainment,"ફરી એકવાર અભિનેત્રી જિયા ખાનના મોત પર પ્રશ્નો ઉભા થઇ રહ્યાં છે . આ વખતે જિયા ખાનની મોત પર સવાલ તેની માતા રાબિયા ખાને નહી પરંતુ ફોરેન્સિક રિપોર્ટે ઉપાડ્યો છે જે મુજબ જિયા જિયા નખ પર કોઇ બીજાના માંસના ટુકડા અને તેના ઇનરવિયર પર કોઇ બીજાનું લોહી મળી આવ્યું છે , જેથી આશંકા છે કે જિયાના મોત પહેલાં જિયા સાથે કંઇક ગડબડ જેમ કે મારપીટ થઇ હોઇ . જિયા ખાનની માતાના વકીલ દિનેશ તિવારીનું કહેવું છે કે તેમને લાગે છે કે જિયાની કોઇએ હત્યા કરી છે અને તેને આત્મહત્યાનું રૂપ આપવાનો પ્રયત્ન કર્યો છે . રાબિયા ખાન અને તેમના વકીલ દિનેશ તિવારીના પૂરા પ્રયત્નો છે કે જિયા ખાનની લાશને ફરીથી નિકાળવામાં આવે જેથી તેનું ફરીથી પોસ્ટમોર્ટમ થઇ શકે . જિયા ખાનના વકીલ અને રાબિયા ખાન પહેલાં પણ કહ્યું કે જિયાના શરીર પર પહેલાં પર ઘણી ઇજાના નિશાન હતા પરંતુ પોલીસે આ વાતને નજર અંદાજ કરી દિધી . દિનેશ તિવારીએ તો પોલીસ પર આરોપ લગાવ્યો હતો કે તે કોઇના દબાણમાં આવીને જિયા ખાનના મોતની તપાસ કરી રહી નથી અને જાણીજોઇને પુરાવાઓને નજરઅંદાજ કરી રહી છે . ફોરેન્સિક રિપોર્ટ બે મહિના પહેલાં જ આવી ગયો હતો પરંતુ પોલીસે તેના વિશે વાત કરી ન હતી . જો કે રાબિયા ખાન અને દિનેશ તિવારીએ જિયાની હત્યા કોણે કરી છે આ વિશે કોઇનું નામ તો લીધું નથી પરંતુ તેની વાતોથી સ્પષ્ટ થાય છે કે તેમનો શક પંચોલી પરિવાર તરફ છે . અત્રે ઉલ્લેખનીય છે કે અભિનેત્રી જિયા ખાનની લાશ 3 જૂનની રાત્રે તેમના એપાર્ટમેન્ટ સાગરમાં લટકેલી અવસ્થામાં મળી હતી . જિયાની માતા રાબિયા ખાને અભિનેતા આદિત્ય પંચોલીના પુત્ર સૂરજ પંચોલી પર આરોપ લગાવ્યો હતો કે સૂરજે જિયાનો ઉપયોગ કરી છોડી દિધી હતી જેના લીધે જિયાએ આત્મહત્યા કરી હતી . જિયાને આત્મહત્યા માટે ઉશ્કેરવાનું કામ સૂરજનું જ છે . બંને લાંબા સમયથી લિવઇનરિલેશનમાં હતા . જિયા , સૂરજના બાળકની માતા બનવાની હતી પરંતુ સુરજે તેનો બળજબરી પૂર્વક તેનો ગર્ભપાત કરાવી દિધો હતો જેના કારણે જિયા ઘણી તણાવમાં હતી . તેના લીધે સૂરજ પંચાલી 23 દિવસ સુધી જેલમાં બંધ પણ રહ્યાં હતા , હાલમાં તે જામીન પર મુક્ત છે . પરંતુ જિયાની લાશના નિશાન રાબિયાને ફરીથી બુમો પાડવા પર મજબૂર કરી દિધા છે કે તેની પુત્રી મરી નથી પરંતુ મારવામાં આવી છે . તેમના વકીલ દિનેશ તિવારી અને રાબિયા ખાનના દાવાની અસર તપાસ શું થાય છે ? જોઇએ જિયાના મોતનું કોકડું ક્યારે અને કેવી રીતે ઉકેલાશે ?" sports,વિંદુ દારસિંહે મયપ્પનની ભૂમિકા પર પલટી ખાતા જણાવ્યું છે કે ફિક્સિંગ પ્રકરણમાં મયપ્પનની કોઇ ભૂમિકા નથી . તો ફારુખ અબ્દુલ્લાએ જણાવ્યું છે કે શ્રીનિવાસનને રાજીનામુ આપવાની કોઇ જરૂર નથી . વાસ્તવમાં મંગળવારે કોર્ટમાં લઇ જતા સમયે વિંદૂને ફિક્સિંગ પ્રકરણમાં મયપ્પનની ભૂમિકા અંગે પૂછવામાં આવ્યું હતું ત્યારે વિંદૂએ તેમની કોઇ ભૂમિકા નહીં હોવાનું જણાવ્યું હતું . વિંદુ દારાસિંગનું નિવેદન એટલા માટે શંકાસ્પદ છે કેમ કે આ ફિક્સિંગ વિવાદમાં મયપ્પનની ભૂમિકાનો ખુલાસો બોલિવુડ અભિનેતાની કોલ ડિટેઇલ્સમાંથી થયો હતો . બંનેની પૂછપરછમાં બહાર આવ્યું હતું કે મયપ્પન વિંદુ દારાસિંગ મારફતે આઇપીએલ મેચોમાં સટ્ટો રમતો હતો . મયપ્પને 9 મેચમાં સટ્ટો લગાવ્યો હતો . જેમાં તેને 1 કરોડની ખોટ પણ ગઇ હતી . આઇપીએલની 9માંથી 4 મેચમાં તેને ફાયદો અને 5માં નુકસાન થયું હતું . business,"વિદેશી મુદ્રાને બચાવવા માટે આરબીઆઇએ સોનાની આયાત પર મૂકેલા નિયંત્રણોને પગલે સોનાની આયાત કરવી મુશ્કેલ બની છે . જેના કારણે ભારતીયોની સોનાની માંગ પૂરી કરવા માટે આરબીઆઇ તિરૂપતિ અને શિરડી જેવા મંદિરોના શરણે જશે અને તેમને પોતાનું સોનુ વેચવા માટે કહેશે . આ માટે રિઝર્વ બેંક વાતચીત કરી રહ્યું છે . બીજી તરફ મંદિરના ટ્રસ્ટોને આ માટે કેવી રીતે મનાવવામાં આવે તે અંગેના ઉપાય પણ તે શોધી રહી છે . આ પ્રક્રિયાથી અવગત બે બેંકરોએ આ માહિતી આપી છે . દેશમાં સોનાની સર્વાધિક માલિકી ધરાવતા મંદિરોમાં આંધ્રપ્રદેશના તિરૂપતિ , મહારાષ્ટ્રના શિરડી સાંઇબાબા મંદિર , મુંબઇના સિદ્ધિ વિનાયક મંદિર અને તિરુવનંતપુરમનું પદ્મનાભસ્વામી મંદિર સૌથી આગળના ક્રમે આવે છે . તેમની પાસે ઘણું સોનું અને કિંમતી ધાતુઓ છે . તેમાંથી અનેક મંદિરોના ટ્રસ્ટના એકાઉન્ટ બેંકો જ મેનેજ કરે છે . આ કારણે રિઝર્વ બેંકને આશા છે કે આ બેંકો મંદિરોના ટ્રસ્ટોને પોતાની ગોલ્ડ ડિપોઝિટને કેશમાં રૂપાંતરીત કરવા માટે તૈયાર કરી શકે છે . જો કે આ ડીલ ફાઇનલ થશે કે નહીં તે અંગે અત્યારે કંઇ પણ કહી શકાય એમ નથી . તિરૂપતિ મંદિર પાસે અંદાજે 1000 ટન સોનુ છે . આ વર્ષે દેશમાં કુલ જેટલુ સોનુ આયાત કરવાની આશા છે તેનાથી આ બમણું છે . ભારતમાં કુલ 18000થી 30000 ટન સોનુ હોવાનો અંદાજ છે ." business,"1 જુલાઇથી કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલ જીએસટી તમામ વસ્તુઓ અને સેવાઓ પર લાગશે . ત્યારે આ નવા નિયમ મુજબ કંઇ વસ્તુઓ સસ્તી થઇ અને કંઇ વસ્તુઓ થઇ મોંઘી તે અંગે વિગતવાર જાણો અહીં . ઉલ્લેખનીય છે કે જીએસટી માટે નાણાં પ્રધાન અરુણ જેટલીની અધ્યક્ષતામાં જીએસટી કાઉન્સિલે ગુરુવારે બે દિવસની બેઠક બોલાવી હતી . જેમાં પહેલા દિવસે અલગ અલગ વસ્તુઓ માટે ચાર ભાગમાં જીસીટી દર લગાવવાની વાત કરી હતી . જે મુજબ 5 ટકા , 12 ટકા , 18 ટકા અને 28 ટકાના દર નક્કી કરવામાં આવ્યા હતા . અને કુલ 1,211 વસ્તુઓમાં પર આ દર લગાવ્યા હતા , 6 વસ્તુઓ પર કાઉન્સિલે મંજૂરી હજી નથી આપી . અન્ય તમામ વસ્તુઓ પર દર લગાવવામાં આવ્યા હતા . બીડી જેવી વસ્તુઓ પર કેટલું જીએસટી લાગશે તે અંગે હજી કોઇ નિર્ણય લેવાયો નથી ." business,"ઘર ખરીદનારાઓ માટે સારા સમાચાર . રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ પ્રાયોરિટી સેક્ટર લેંડિંગ હેઠળ હાઉસિંગ લોનની મર્યાદા વધારીને હોમ લોન લેનારાઓને રાહત આપી છે . આરબીઆઈએ બેંકોને સૂચનાઓ આપી છે અને કહ્યું છે કે હવે મેટ્રોપોલિટન સેન્ટર્સ માટે લોન મર્યાદા 35 લાખ રૂપિયા હશે . જે શહેરોની વસ્તી 10 લાખ કે તેથી વધુ હશે ત્યાં હોમ લોનની મર્યાદા 35 લાખ રૂપિયાથી વધુ હશે . તમને જણાવી દઈએ કે આ પહેલા મેટ્રોપોલિટન સેન્ટર્સ પર 28 લાખ રૂપિયા સુધીની જ લોન મળતી હતી . મળશે 35 લાખ રૂપિયા સુધીની લોન આરબીઆઈના આદેશ પછી , હવે મેટ્રોપોલિટન શહેરોમાં રહેતા લોકોને હવે ઘર ખરીદવા માટે 35 લાખ રૂપિયા સુધીની હોમ લોન મળશે . તો અન્ય કેન્દ્રો જેમની વસ્તી 10 લાખથી ઓછી છે , તેમની માટે આરબીઆઈએ બેંકોને આ મર્યાદા 25 લાખ સુધી કરવાની સૂચના આપી છે . તમને જણાવી દઈએ કે આ પહેલા તે 20 લાખ રૂપિયા હતી . ઘરની કિંમત પર નિર્ણય આરબીઆઇએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે હોમ લોનની મર્યાદા વધારવા વિશે આ બંને બાબતોમાં ઘરની કુલ કિંમત 45 લાખ રૂપિયા અને 30 લાખ રૂપિયાથી વધુ હોવી જોઈએ નહીં . પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ એક મહત્વપૂર્ણ જવાબદારી છે જે રિઝર્વ બેંકે દેશની તમામ બેંકોને આપી છે . તમને જણાવી દઈએ કે આ હેઠળ , બેંકોએ તેમના લોનનો એક ભાગ નિર્ધારિત સેક્ટરમાં આપવાનો હોય છે . આ બેંકે વ્યાજદરમાં વધારો કર્યો , હોમ - ઓટો લોન મોંઘી થઇ" sports,આ ઉપરાંત આઇસીસી ભ્રષ્ટાચાર નિરોધક તથા સુરક્ષા એકમ ( એસીએસયુ ) ના અધિકારી હોટલમાં તેમના વ્યવહાર પર પણ દેખરેખ રાખશે . ટૂર્નામેન્ટમાં ભાગ લઇ રહેલી આઠમાંથી છ ટીમો અને તેમના સહયોગી સ્ટાફને એસીએસયુ અધિકારીઓએ એક કલાક સુધી ચાલેલા કાર્યક્રમમાં જણાવ્યું કે તેમને કઇ રીતે જોખમી સંકેતોને ધ્યાનમાં લેવાના છે અને તેના પ્રત્યે ધ્યાન દોરવાનું છે . ન્યૂઝીલેન્ડ અને ઇંગ્લેન્ડની ટીમો ને આજની મેચ બાદ આ બાબતોથી અવગત કરાવવામાં આવશે . બાંગ્લાદેશ આ ટૂર્નામેન્ટનો ભાગ નથી . પૂર્વ બાગ્લાદેશી કપ્તાન મોહમ્મદ અશરફૂલના ઘરેલૂ ટી - 20 ટૂર્નામેન્ટ દરમિયાન મેચ ફિક્સિંગમાં સામેલ હોવાનો સ્વીકાર કર્યો જેને ક્રિકેટ જગત માટે એક ઝટકો માનવામાં આવી રહ્યો છે . ભારતીય ક્રિકેટ છેલ્લા કેટલાક અઠવાડિયાથી ફિક્સિંગને લઇને ચર્ચામાં છે . તેના ત્રણ ખેલાડીઓને સ્પોટ ફિક્સિંગ મામલામાં ગિરફ્તાર કરવામાં આવ્યા છે . બીસીસીઆઇના ઘણા પ્રમુખ અધિકારીઓએ પોતાના પદ પરથી રાજીમાના ધરી દીધા છે અને ભ્રષ્ટાચારની તપાસ માટે પંચનું ગઠન કરી દેવામાં આવ્યું છે . business,"સરકારી બેંકોને મજબૂત બનાવવાની દિશામાં અગત્યનું પગલું ભરતા સરકારે ત્રણ બેંકોના મર્જરની પ્રક્રિયા શરુ કરી દીધી છે . બેંક ઓફ બરોડા , દેના બેંક અને વિજયા બેંક મર્જરને સરકારે મજૂરી આપી દીધી છે . પરંતુ મોદી સરકારનો બેન્કિંગ સિસ્ટમને મજબૂત કરવાનો આ ફોર્મ્યુલા રોકાણકારોને પસંદ નથી આવી રહ્યો . આજ કારણ છે કે મંગળવારે 22 બેંકોના શેરને 2.8 બિલિયન ડોલર ( 20000 કરોડ રૂપિયા ) જેટલું ભારે નુકશાન વેઠવું પડ્યું છે . ખરાબ લોનની સમસ્યાથી છુટકારો મેળવવાની લાંબી પ્રક્રિયા જણાવતા ડેવિડ સ્મિથે જણાવ્યું કે બજારની હાલત હજુ પણ માથાનો દુખાવો સાબિત થઇ શકે છે . દેના બેંકને મર્જર ઘ્વારા લાભ મળ્યો અને તેના શેરમાં 20 ટકા જેટલો વધારો જોવા મળ્યો છે . જયારે બેંક ઓફ બરોડાને પણ 16 ટકા જેટલો ફાયદો મળ્યો છે જયારે વિજ્યા બેન્કને 5.8 ટકા જેટલુ નુકશાન ઉઠાવવું પડ્યું છે . મોદી સરકારનો મોટો નિર્ણય , ત્રણ બેંકોનું થશે જોડાણ જયારે એસબીઆઈ છેલ્લા બે મહિનાના નીચલા સ્તરે ચાલ્યો ગયો છે . તેની સાથે સાથે ઘણા બેન્કના શેરમાં ઘટાડો જોવા મળ્યો છે . આખો દિવસ બજારમાં ઉથલ પુથલ જેવો માહોલ રહ્યો . આપને જણાવી દઈએ કે બેંક ઓફ બરોડા , દેના બેંક અને વિજયા બેંક મર્જર ઘ્વારા બનતી નવી બેન્ક ભારતની ત્રીજા નંબરની સૌથી મોટી બેન્ક હશે . આ વિષય પર સરકારે જણાવ્યું કે મર્જર ઘ્વારા બનનાર નવી બેંકનો કસ્ટમર બેઝ , માર્કેટમાં પહોંચ અને સંચાલય ક્ષમતા વધશે ." entertainment,"દિવ્યાંકા ત્રિપાઠીના લગ્ન ખૂબ જ જલ્દી થવા જઈ રહ્યા છે . હાલમાં જ તેના હલ્દી સેરેમનીની રસમ પૂરી થઈ છે . દિવ્યાંકાની સુંદરતાના વખાણ તો ચારેતરફ થઈ રહ્યા છે . હલ્દી સેરેમની દરમિયાન તેને પીળા રંગનો લહેંગો પહેર્યો હતો જે તેની સુંદરતાને એક નવો જ ઓપ આપી રહી હતી . દિવ્યાંકાએ આ હલ્દી સેરેમની દરમિયાન તેના પરિવાર અને મિત્રો સાથે ખૂબ જ મસ્તી કરી હતી . લગ્નની બધી જ તૈયારીઓ દિવ્યાંકા ત્રિપાઠીના હોમ ટાઉન ભોપાલમાં થઈ રહી છે . આખો પરિવાર દિવ્યાંકા માટે ખૂબ જ ખુશ દેખાઈ રહ્યો છે . દિવ્યાંકાને તેની માતા , કઝીન અને અન્ય મહિલાઓ એ હલ્દી લગાવી હતી . આ આખા પ્રસંગ દરમિયાન દિવ્યાંકાના ચહેરાની ખુશી તો જોઈને જ બને છે . તો જુઓ દિવ્યાંકાની હલ્દી સેરેમની ના ફોટો જેમાં તે કોઈ અપ્સરા જેવી દેખાય રહી છે . . ." sports,ભારતીય બેટ્સમેન ચેતેશ્વર પૂજારાને ઇંગ્લિશ કાઉન્ટી ચેમ્પિયનશીપમાં લીસેસ્ટરશાયર વિરુદ્ધ હેંડલિંગ ધ બોલ હેઠળ આઉટ જાહેર કરવામાં આવ્યો હતો . ડર્બીશાયર તરફથી રમતા પૂજારા છ રન બનાવીને આઉટ થયો હતો . પૂજારાએ આ પહેલા ગત મેચમાં શાનદાર 90 રન બનાવ્યા હતા . 28 વર્ષ બાદ કોઇ ભારતીય હેન્ડલિંગ ધ બોલ આઉટ થયો છે . આ પહેલા 1986માં મોહિન્દર અમરનાથ આ પ્રકારે જ આઉટ થયા . આ રીતે આઉટ થનાર તે પહેલા ભારતીય હતા . આ સાથે જ ઇંગ્લેન્ડમાં 18 વર્ષ બાદ આ પ્રકારે આઉટ થનાર તે પહેલો બેટ્સમેન પણ બની ગયો છે . આ પહેલા કાર્લ ક્રિકેન ભારત વિરુદ્ધ આ પ્રકારે આઉટ થયા હતા . જોકે પૂજારા પહેલા તાજેતરમાં જ ત્રિનિદાદ એન્ડ ટોબેગોનો ઇવિન લેવિસ પણ આ પ્રકારે આઉટ થઇ ચૂક્યો છે . શું છે હેન્ડલિંગ ધ બોલ આઉટ નિયમ શોટ રમ્યા પછી બોલ વિકેટ તરફ જઇ રહ્યો હોય અથવા તો બેટને લાગ્યા બાદ બોલને બેટ્સમેન દ્વારા રોકવામાં આવે તેને હેન્ડલિંગ ધ બોલ આઉટ ગણાવી શકાય છે . આ પ્રકારે આઉટ થનાર વિકેટનો શ્રેય બોલરને મળતો નથી . તો ચાલો તસવીરો થકી જાણીએ હેન્ડલિંગ ધ બોલ આઉટ થનાર કેટલાક ખેલાડીઓ અંગે . ટી20માં 5000 રનઃ રૈના વિશ્વનો સાતમો બેટ્સમેન આ પણ વાંચોઃ - ચેમ્પિયન્સ લીગમાં ભારત - પાક ક્રિકેટર્સની પત્નીઓએ પીરસ્યું ગ્લેમર sports,"ભારતીય બેડમિન્ટન ખેલાડી કિદાંબી શ્રીકાંતે ઑસ્ટ્રેલિયા ઓપનમાં જીત હાંસલ કરી ભારતનું ગૌરવ વધાર્યું છે . રવિવારે રમાયેલ ફાઇનલમાં શ્રીકાંતે ઓલમ્પિક ચેમ્પિયન અને વિશ્વમાં 6ઠ્ઠા નંબરના ચીનના ખેલાડી ચેન લાંગને 22 - 20,21 - 16થી માત આપી હતી . ગત અઠવાડિયે પણ શ્રીકાંતે ઇન્ડોનેશિયા ઓપનમાં જીત મેળવી હતી . વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ જીત માટે ' મન કી બાત ' કાર્યક્રમમાં તેમને અભિનંદન આપ્યા હતા . ખાસ વાતોઃ શ્રીકાંતે ઑસ્ટ્રેલિયા ઓપનનો ખિતાબ જીતવાની સાથે જ બેડમિન્ટન એસોસિએશન ઓફ ઇન્ડિયાએ તેમને ઇનામ આપવાની ઘોષણા કરી છે . બેડમિન્ટન એસોસિએશન ઓફ ઇન્ડિયા ( બીએઆઇ ) ના અધ્યક્ષ હિમાંતા બિસ્વા સરમાએ શ્રીકાંતને 5 લાખ રૂપિયાનું રોકડ ઇનામ આપવાની ઘોષણા કરી છે . શ્રીકાંતે ઇન્ડોનેશિયા ઓપનનો ખિતાબ જીત્યો ત્યાર બાદ પણ બીએઆઇ એ શ્રીકાંતને પુરસ્કાર સ્વરૂપે 5 લાખ રૂપિયા આપવાની ઘોષણા કરી હતી . આ મેચમાં શ્રીકાંતે જાપાનના કાજુમાસા સાકાઇને માત આપી ઐતિહાસિક સફળતા પ્રાપ્ત કરી હતી ." business,"બેંગલોર , 10 ઓક્ટોબર : અમેરિકાની અગ્રણી ઓનલાઇન રિટેલર એમેઝોન ફેશન પ્રોડક્ટ્સના વેચાણમાં પોતાની હાજરી વધારવા માંગે છે . આ કારણે એમેઝોને જબોંગને ખરીદવા માટે વાતચીત શરૂ કરી છે . એમેઝોને આ માટે અનેક ફેશન પોર્ટ્લ્સ પર નજર દોડાવી છે . જે ફેશન પોર્ટલ ખરીદવામાં તેને રસ છે તેમાં જબોંગ સામેલ છે . મહત્વની બાબત એ છે કે જબોંગને ખરીદવા માટે અન્ય રિટેલર્સ પણ ઉત્સુક છે . આ સ્થિતિને પગલે એમેઝોન અને જબોંગનો સોદો તાત્કાલિક થશે તેવી સંભાવનાઓ પણ નકારી કાઢવામાં આવી છે . જબોંગનું ઇનક્યુબેશન કરનાર રોકેટ ઇન્ટરનેટે જબોંગનું મૂલ્ય 388 મિલિયન યુરો ( અંદાજે રૂપિયા 3,000 કરોડ અથવા 50 કરોડ ડોલર ) આંક્યું હતું . પરંતુ આ વાતચીતની સીધી માહિતી ધરાવતી એક વ્યક્તિએ કહ્યું કે જબોંગે તેનું મૂલ્ય 70 કરોડ ડોલર મૂલવ્યું છે . આ અંગેના અહેવાલ દેશના અગ્રણી બિઝનેસ દૈનિક ઇકોનોમિક ટાઇમ્સે આપ્યા છે . જો કે ઇકોનોમિક ટાઇમ્સને આ સોદાની સંભાવના અંગે એમેઝોને કોઈ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો જ્યારે જબોંગે ઇ - મેઇલનો પ્રતિભાવ આપ્યો ન હતો . એમેઝોન સાથે કામ કરતી એક વ્યક્તિએ જણાવ્યું હતું કે ' મિન્ત્રાને ફ્લિપકાર્ટે ખરીદ્યા બાદ જબોંગ એક આદર્શ વિકલ્પ છે . એમેઝોનના સ્થાપક જેફ બેઝોસે ભારતમાં બે અબજ ડોલરનું રોકાણ કરવાની જાહેરાત કરી છે તેમાંથી એક મોટો હિસ્સો આ એક્વિઝિશનમાં વપરાશે . ' જબોંગના અગ્રણી રોકાણકારોમાં જર્મનીની રોકેટ ઇન્ટરનેટ અને સ્વિડિશ ઇન્વેસ્ટમેન્ટ કંપની કિનેવિક સામેલ છે . તે ફ્લિપકાર્ટ અને મિન્ત્રાને જોરદાર હરીફાઈ પૂરી પાડી રહી છે . ફ્લિપકાર્ટે મે મહિનામાં મિન્ત્રાને 37 કરોડ ડોલર ( રૂપિયા 2,200 કરોડથી વધુ ) માં ખરીદી હતી . ઉદ્યોગના અંદાજ પ્રમાણે ઓનલાઇન ફેશન ઉદ્યોગમાં સંયુક્ત રીતે કંપની 50 ટકાથી વધુ હિસ્સો ધરાવે છે જ્યારે જબોંગ લગભગ 35 ટકા હિસ્સો ધરાવે છે . અન્ય અગ્રણી ફેનશ પોર્ટલમાં ફેશનઆરા અને લાઇમરોડ સામેલ છે . જો કે આ પોર્ટલ્સે પણ એમેઝોન સાથે વાતચીત શરૂ કરી છે કે નહીં તે જાણી શકાયું નથી . હિલચાલથી વાકેફ એક વ્યક્તિના જણાવ્યા પ્રમાણે આ સોદો કરવો જટિલ હશે . થોડા સમય અગાઉ તે સરળ હતું પરંતુ હવે મુશ્કેલ છે . તેનું કારણ એ છે કે સપ્ટેમ્બરમાં રોકેટ ઇન્ટરનેટ અને કિનેવિકે તેની પાંચ આંતરરાષ્ટ્રીય ફેશન ઇકોમર્સ કંપનીઓને મર્જ કરીને એક વૈશ્વિક કંપની બનાવવાની પ્રક્રિયા શરૂ કરી હતી જેમાં જબોંગ પણ સામેલ હતી . રોકેટ ઇન્ટરનેટના આઇપીઓ ફાઇલિંગ પ્રમાણે આ પુનર્ગઠન ડિસેમ્બરમાં લાગુ થશે . જબોંગે ગયા નાણાકીય વર્ષમાં રૂપિયા 438.5 કરોડની આવક નોંધાવી હતી જ્યારે તેની ચોખ્ખી ખોટ રૂપિયા 293 કરોડ રહી હતી ." business,"શેરબજારમાં રોકાણ કરનારાઓ માટે આ દિવાળી લક્ષ્મીજીની કૃપા લઇને આવી છે . જેના કારણે આવનારું એક વર્ષ સારું જશે તેવી આશા બાંધવામાં આવી છે . ભારતીય શેરબજારોએ છેલ્લા એકવર્ષમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારો માટે આકર્ષણ જમાવવામાં ઘણી મહેનત કરી છે . જેનો લાભ માર્કેટને મળ્યો છે . દેશમાં ચાલુ નાણાકીય વર્ષમાં કેન્દ્રમાં સ્થિર સરકારની રચના , સ્થાનિક અર્થતંત્રમાં વૃદ્ધિ તથા લોકોના આત્મવિશ્વાસમાં થયેલા વધારાને પગલે લાર્જ - કેપ્સની સાથે સાથે મિડ - કેપ શેરોમાં પણ નોંધપાત્ર તેજી જોવા મળવાની સાથે ઊંચું વળતર પણ મળ્યું છે . લગભગ છેલ્લાં બે વર્ષથી નબળા રહેલાં મિડ - કેપ શેરોમાં આ વર્ષે નોંધપાત્ર ઉછાળો જોવાયો છે . બીએસઇ મિડ - કેપ ઇન્ડેક્સમાં બાવન ટકાનો ઉછાળો જોવાયો છે . કેટલાક શેરોમાં આ સમયગાળા દરમિયાન 450 ટકા સુધીનો ઉછાળો નોંધાયો છે . છેલ્લા એક વર્ષમાં જંગી વળતર આપનારા શેરોની યાદી અહીં પ્રસ્તુત છે ." business,મુકેશ અંબાણીની તરફથી જ્યારે જીયો ફોનને લોન્ચ કરવામાં આવ્યો હતો તે પછી જીયોને ટક્કર આપવા માટે વોડાફોને પણ એક જોરદાર ઓફર શરૂ કરી છે . વોડાફોનની આ ઓફર જીયોને ટક્કર આપે તેવી સરસ છે . વોડાફોનની આ ઓફર મુજબ કંપની તમને 244 રૂપિયામાં 70 જીબી ઇન્ટરનેટ ડેટા આપી રહી છે . સાથે જ તમને અનલિમિટેડ વોઇસ કોલ્સ પણ મળશે . જો કે આ ઓફરની સમય અવધિ 70 દિવસની રહેશે . આમ જોવા જઇએ તો 3.5 રૂપિયાના ખર્ચે તમને રોજનું 1 જીબી ઇન્ટરનેટ ડેટા અને અનલિમિટેડ વોઇલ કોલિંગ મળશે . શરત વોડાફોનની તરફથી લોન્ચ કરવામાં આવેલી આ ઓફર ખાલી પહેલી વાર રિચાર્જ કરનાર ગ્રાહકો માટે જ છે બીજી રિચાર્જ પર આ પ્લાનની સમય અવધિ ખાલી તમે 35 દિવસ માટે જ મળશે . સાથે તેના ફાયદા પણ ઓછા થઇ જશે અને રોજના 1 જીબી ડેટાના મુજબ મહિને તમને ખાલી 35 જીબી ડેટા મળશે . પ્લાન સાથે જ પોતાના જૂના ગ્રાહકો માટે પણ કંપની એક સારી ઓફર લઇને આવી છે જેમાં ખાલી 346 રૂપિયામાં તમને 56 દિવસ સુધી અનલિમિટેડ વોઇસ કોલ અને સાથે જ રોજના 1 જીબી ઇન્ટરનેટ ડેટા મળશે . જો કે રોજના વોઇસ કોલની સીમા 300 મિનિટની જ છે અને સાપ્તાહિક સીમા 1200 મિનિટની છે . આ રીતે ગ્રાહકોને આ પ્લાન હેઠળ કુલ 56 જીબી ઇન્ટરનેટ ડેટા મળશે . entertainment,"આજકાલ પૂનમ પાન્ડે પુનઃ ચર્ચાના કેન્દ્રમાં આવીગયાં છે . એડલ્ટ ફિલ્મ નશાનું પ્રોમો લૉન્ચ થઈ ચુક્યું છે અને લોકોને પ્રતીતિ થઈ ચુકી છે કે ફિલ્મમાં મન મૂકીને સેક્સનો તડકો લગાવાયો છે . આવા સીન્સના સહારે બૉલીવુડમાં સફળતાનું સ્વપ્ન જોતાં પૂનમ પાન્ડે તો પોતાની ફિલ્મ નશા અંગે ખૂબ જ ઉત્સાહિત છે . પરંતુ શક્ય છે કે ફિલ્મના જે દૃશ્યો ઉપર તેઓ ઇતરાઈ રહ્યાં છે , તે દૃશ્યો ઉપર સેંસર બોર્ડ કાતર ફેરવી દે . ખેર હમણા આ અંગે કોઈ અધિકૃત પુષ્ટિ તો નથી થઈ , પરંતુ છતાં એવી અટકળો છે કે નશા ઉપર સેંસર બોર્ડ ઠંડા કલેજે કાતર ફેરવનાર છે . નોંધનીય છે કે પૂનમની પ્રથમ બૉલીવુડ ફિલ્મ નશા 26મી જુલાઈના રોજ રિલીઝ થઈ રહી છે . ફિલ્મ એક 18 વર્ષના છોકરા તથા 25 વર્ષની છોકરીની પ્રણય - કથા છે . આવો તસવીરો સાથે જાણીએ વધુ વિગતો ." business,"અમદાવાદઃ પેટ્રોલ અને ડીઝલની કિંમતો ઘટવાનું નામ નથી લઈ રહી , રોજ વધી રહેલા ભાવને પગલે સામાન્ય નાગરિકોની મુશ્કેલીઓ વધી રહી છે . અમદાવાદમાં એક દિવસની રાહત બાદ આજે ફરી પેટ્રોલ - ડીઝલની કિંમતોમાં વધારો થયો છે . અમદાવાદાં પેટ્રોલની કિંમત 13 પૈસાના વધારા સાથે 82.10 જ્યારે અમદાવાદમાં ડીઝલની કિંમત 12 પૈસાના વધારા સાથે 79.67 રૂપિયાની સપાટી પર પહોંચી ગઈ છે . દિલ્હીમાં પેટ્રોલની કિંમતો 14 પૈસાના વધારા સાથે 83 રૂપિયા પ્રતિ લીટરે પહોંચી ગઈ છે જ્યારે 13 પૈસાના વધારા સાથે ડીઝલ પણ 74.24 રૂપિયાની સપાટી પર પહોંચી ગયું છે . જ્યારે મુંબઈમાં પેટ્રોલની કિંમત 90.35 અને ડીઝલ 78.82 રૂપિયાની સપાટી પર પહોંચી ગયું છે . જણાવી દઈએ કે અગાઉ 6 રાજ્યોએ વેટ ઘટાડવા પર સમહતી સાધી હતી . બીજી બાજુ કેન્દ્ર સરકાર તરફથી પણ પેટ્રોલ - ડીઝલની કિંમતો પર લગામ લગાવવા માટે એકપછી એક બેઠકો કરી રહી છે , પરંતુ હજુ સુધી કોઈપણ પ્રકારનો હલ મળ્યો નથી . ગુડ ન્યૂઝઃ અહીં પેટ્રોલ પર મળી રહી છે 100 રૂપિયાની છૂટ અગાઉ મંગળવારે મળેલી બેઠકમાં ઉત્તર પ્રદેશ , હરિયાણા , હિમાચલ પ્રદેશ , પંજાબ , દિલ્હી અને ચંદીગઢ એ વાતને લઈને રાજી થઈ ગયાં કે અહિં પેટ્રોલ - ડીઝલની કિંમત એક સમાન હશે . દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કહ્યું કે આનાથી સરકારનું રાજસ્વ વધશે અને કાળાબજારી પર પણ રોક લગાવી શકાશે . 6 રાજ્યોમાં ઘટશે પેટ્રોલ - ડીઝલના ભાવ , ગુજરાતીઓ હજુ પરેશાન" sports,"બેંગ્લોર , 13 ઑગસ્ટઃ ભારતીય સુકાની મહેન્દ્ર સિંહ ધોની આશા રાખી રહ્યાં છેકે અનલકી કહેવાતો 13 નંબર તેમના માટે લકી સાબિત થાય . ટીમ ઇન્ડિયાના સુકાની તરીકે ધોનીએ વિદેશી ધરતી પર 13 મેચોમાં પરાજયનો સ્વાદ ચાખ્યો છે અને ત્રણ પરાજય જ દૂર છે વિશ્વના સૌથી ખરાબ 16 ટેસ્ટ મેચોના પરાજયથી . જે રેકોર્ડ સ્ટેફન ફ્લેમિંગ અને બ્રાયન લારાના નામે છે . ગયા અઠવાડિયે માન્ચેસ્ટર ખાતે ઇંગ્લેન્ડ સામે ભારતને મળેલા 54 રન અને ઇનિંગનો પરાજય ધોનીની 13મી વિદેશી ધરતી પરની ટેસ્ટ હાર હતી . ધોની ભારત માટે 57 મેચોમાં નેતૃત્વ કરી ચૂક્યો છે , તેમાંથી 27માં વિજય અને 16માં પરાજય મળ્યો છે જ્યારે 14 મેચ ડ્રોમાં પરિણમી છે . ચાલું શ્રેણીની પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચ 15 ઑગસ્ટના રોજ ધ ઓવેલ ખાતે રમાનારી છે . એલિસ્ટર કૂકના નેતૃત્વ હેઠળની ટીમ સામે હારની હેટ્રિક ન થાય તેવી આશા ધોની અને તેની ટીમ રાખી રહી છે . તો ચાલો તસવીરો થકી જાણીએ ધોનીના વિદેશી ધરતી પરના 13 પરાજય અંગે . pagespeed . lazyLoadImages . overrideAttributeFunctions ( ) ; આ પણ વાંચોઃ - પહેલા ઇંગ્લેન્ડ અને હવે ઝારખંડે આપ્યો ધોનીને ઝાટકો કારનો ગંભીર અકસ્માતઃ ચમત્કારિક રીતે બચ્યા ગાવસ્કર આ પણ વાંચોઃ - ' પરાજીત ' ધોની સામે વિજયી બનવા કૂકને બોયકોટે આપી આ સલાહ pagespeed . lazyLoadImages . overrideAttributeFunctions ( ) ; function googleAnalyticsCodeCommon ( ) { var main _ url = $ ( ' link [ rel = "" canonical "" ] ' ) . attr ( "" href "" ) ; var url = document . location . href ; var pattern = ' https : / / ' + window . location . hostname ; url = url . replace ( pattern , "" "" ) ; var title = document . title ; ga ( "" oneindiagu . send "" , { hitType : "" pageview "" , page : url , location : main _ url } ) ; ga ( "" rosoneindia . send "" , { hitType : "" pageview "" , page : url , location : main _ url } ) ; ga ( "" dhoneindia . send "" , { hitType : "" pageview "" , page : url , location : main _ url } ) ; url = document . location . href ; var jcode = ' var _ comscore = _ comscore | | [ ] ; var comscoreParams = { c1 : "" 2 "" , c2 : "" 7732551 "" , c3 : "" "" , c4 : "" ' + url + ' "" , c5 : "" "" , c6 : "" "" , c15 : "" "" } ; _ comscore . push ( comscoreParams ) ; var s = document . createElement ( "" script "" ) , el = document . getElementsByTagName ( "" script "" ) [ 0 ] ; s . async = true ; s . src = ( document . location . protocol = = "" https : "" ? "" https : / / sb "" : "" http : / / b "" ) + "" . scorecardresearch . com / beacon . js "" ; el . parentNode . insertBefore ( s , el ) ; ' ; setTimeout ( jcode , 500 ) ; var _ qevents = _ qevents | | [ ] ; ( function ( ) { var elem = document . createElement ( ' script ' ) ; elem . src = ( document . location . protocol = = "" https : "" ? "" https : / / secure "" : "" http : / / edge "" ) + "" . quantserve . com / quant . js "" ; elem . async = true ; elem . type = "" text / javascript "" ; var scpt = document . getElementsByTagName ( ' script ' ) [ 0 ] ; scpt . parentNode . insertBefore ( elem , scpt ) ; } ) ( ) ; _ qevents . push ( { qacct : "" p - yjta2aSVPaHEL "" } ) ; window . google _ analytics _ uacct = "" UA - 110466 - 73 "" ; }" business,"નવી દિલ્હી , 29 ઓક્ટોબરઃ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઇલના ભાવમાં નરમાઇ અને ડોલરના મુકાબલે રૂપિયામાં મજબૂતી જોતાં ઓઇલ માર્કેટિંગ કંપનીઓ પેટ્રોલના ભાવ એકથી દોઢ રૂપિયા પ્રતિ લીટર સુધી ઓછા કરી શકે છે . સૂત્રોના જણાવ્યા અનુસાર પેટ્રોલના ભાવમાં ફેરફાર વિશે આવતીકાલે કોઇ નિર્ણય લેવામાં આવી શકે છે . બીજી તરફ કીરીટ પારેખ સમિતિએ ડીઝલના ભાવમાં 4 થી 5 રૂપિયાના વધારાની ભલામણ કરી છે . જો કે સમિતિએ નિયંત્રણવાળા પેટ્રોલિયમ ઉત્પાદનો માટે હાલના ભાવ સિદ્ધાંતોને ચાલુ રાખવાનો પક્ષ લીધો છે . વિશેજ્ઞ ટુકડીએ ડીઝલ તથા રસોઇ ગેસના ભાવ નક્કી કરીને એક પદ્ધતિ સુજાડવાનું કામ કરી દિધું છે . સમિતિ આ રિપોર્ટ પેટ્રોલિયમ મંત્રીને 30 ઓક્ટોબરના રોજ સોંપશે . સરકારે જૂન 2010માં પેટ્રોલના ભાવ નક્કી કરવા માટે ઓઇલ માર્કેટિંગ કંપનીઓને છૂટ આપી હતી . ત્યારબાદ કંપનીઓ સામાન્ય રીતે દર પંદર દિવસે આંતરરાષ્ટ્રિય બજારના ભાવના આધારે ભાવમાં વધઘટ કરે છે . 15 ઓક્ટોબરના રોજ અંતિમ અઠવાડિયામાં કંપનીઓએ પેટ્રોલના ભાવમાં કોઇ ફેરફાર કર્યા ન હતા . આ પહેલાં 1 ઓક્ટોબરથી પેટ્રોલના ભાવમાં ગત પાંચ વર્ષમાં સૌથી વધુ 3.05 રૂપિયા પ્રતિ લિટર ઓછા થય છે . આ પહેલાં 1 મેના રોજ પેટ્રોલના ભાવમાં ત્રણ રૂપિયા પ્રતિ લીટર ' ટેક્સ અલગથી ' ઓછા કરવામાં આવ્યા હતા . ત્યારબાદ પાંચ મહિના દરમિયાન પેટ્રોલના ભાવમાં સતત સાતવાર અર્થાત 10.80 રૂપિયા પ્રતિ લીટરના વધારા બાદ કરવામાં ઘટાડો કરવામાં આવ્યો હતો . સિંગાપુરથી મળેલા સમાચાર અનુસાર ડિસેમ્બર માટે ન્યૂયોર્ક મુખ્ય વાયદા વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ ' ડબ્લ્યૂટીઆઇ ' સવારના કામકાજમાં 21 સેન્ટ ઘટાડીને 98.47 ડોલર પ્રતિ બેરલ કહ્યું હતું . બ્રેંટ નોર્થ સી ક્રુડ ડિસેમ્બર માટે 109.11 ડોલર પર 50 સેન્ટ નીચે હતું . પંદર ઓક્ટોબરના રોજ 3.05 રૂપિયા પ્રતિ લીટરના ઘટાડા બાદ દિલ્હીમાં ટેક્સ સાથે પેટ્રોલના ભાવ કુલ મળીને 3.66 રૂપિયા પ્રતિ લીટર ઓછા થયા હતા . હાલ દિલ્હીમાં પેટ્રોલ 72.40 રૂપિયા પ્રતિ લીટર છે . પેટ્રોલિયમ મંત્રાલયના અનુસાર ઇન્ડિયન બાસ્કેટમાં ક્રુડ ઓઇલના ભાવ 28 સપ્ટેમ્બરના રોજ 106.45 ડોલર અર્થાત 6546.68 રૂપિયા પ્રતિ બેરલ હતો . રૂપિયામં આ ભાવ હૂંડિયામણનો દર 61.50 રૂપિયા પર છે . સરકારે આ વર્ષે 17 જાન્યુઆરીના રોજ ઓઇલ કંપનીઓને ડીઝલ પર અંડર રિકવરીને ઓછી કરવા માટે 50 પૈસા પ્રતિ લીટર સુધીનો વધારો કરવાની છૂટ આપી હતી . ત્યારબાદ કંપનીઓ ડીઝલના ભાવમાં નવ વખત વધારો કરી ચૂકી છે ." business,"ગત 8 નવેમ્બરના રોજ 1000 અને 500 રૂપિયાની નોટને બંધ કરવામાં આવી હતી . સરકારનો દાવો હતો કે તેનાથી કાળું નાણું પાછું આપશે . ભારતીય રિર્ઝવ બેંકના આંકડા મુજબ કુલ નોટોમાંથી 99 ટકા નોટ પાછી આવી ગઇ છે . અને આંકડા મુજબ 1000 રૂપિયાની કુલ 670 કરોડ નોટો જ પાછી આવી છે પણ 8.9 કરોડ નોટ પાછી નથી આવી . વધુમાં ભારતીય રિર્ઝવ બેંકના આંકડા મુજબ વધુ એક મોટો ખુલાસો થયો છે . ભારતીય રિર્ઝવ બેંકે કહ્યું છે કે 1000ના દર 10 લાખ નોટોમાંથી 19 નકલી નોટ ( 19.1 ) મળ્યા છે . ત્યાં જ 500ની નોટની વાત કરીએ તો દરેક 10 લાખમાંથી 7 નોટ નકલી છે . આ તમામ નકલી નોટ કરંચી ચેક લેવલ પર તપાસ કરતા મળ્યા છે . જો તેને જોડીએ તો લગભગ 23,235 કરોડ રૂપિયા નકલી નોટ ના થાય છે . ભારતીય રિર્ઝવ બેંકના આંકડા મુજબ કુલ 15.44 લાખ કરોડ રૂપિયામાંથી 15.28 લાખ કરોડ રૂપિયા પાછા આવ્યા છે . આમ કુલ 99 ટકા રૂપિયા પાછા બેંક પાસે આવી ગયા છે . જો કે આમ જોતા મોદી સરકારની નોટબંધી વખતે કાળા નાણાં બહાર લાવવાની વાત કંઇ ખાસ કમાલ બતાવી નથી શકી . પણ હા તેણે સામાન્ય લોકોની મુશ્કેલી ચોક્કસથી વધારી છે . હવે સરકારે 500 અને 2000ની નવી નોટ અને 200 અને 50 રૂપિયાની નવી નોટ પણ જાહેર કરી છે ." sports,"ઇસ્લામાબાદ , 4 સપ્ટેમ્બરઃ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વધુ એક વિવાદ બહાર આવ્યો છે . ક્રિકેટમાં જન્નતના નામે જિહાદ કરવામાં આવી રહી હોવાનો ચોંકવાનારો ખુલાસો પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે રમાયેલી મેચ દરમિયાન થયો છે . પાકિસ્તાની બેટ્સમેન અહમદ શહજાદ પર શ્રીલંકાના બેટ્સમેન તિલકરત્ને દિલશાન પર ધાર્મિક ટિપ્પણી કરવાનો આરોપ લાગ્યો છે . પાક ક્રિકેટ બોર્ડે આ બનાવની તપાસ શરૂ કરી દીધી છે . ઘટના ગત શનિવારની છે , જોકે શ્રીલંકન ક્રિકેટ બોર્ડ તરફથી આ અંગે કોઇ ફરિયાદ કરવામાં આવી નથી . દામ્બુલા વનડે મેચ દરમિયાન બન્ને ટીમોના ખેલાડી ડ્રેસિંગ રૂમ તરફ જઇ રહ્યાં હતા , ત્યારે શહજાદએ દિલશાનને કહ્યું , ‘જો તુ મુસલમાન નથી અને મુસલમાન બની જાય છે તો , તમે જીવનમાં ગમે તે કર્યું હોય , તને જન્નત નસીબ થશે . ' આ વાત કેમેરામાં રેકોર્ડ થઇ ગઇ . દિલશાનનું નિવેદન સ્પષ્ટ પણે સંભળાયું નથી , પરંતુ શહજાદે વધુમાં કહ્યું , ‘તો પછી આગ માટે તૈયાર થઇ જાઓ . ' આ આખી ઘટનાનો વીડિયો જોવા માટે નીચે તસવીરો પર ક્લિક કરો ." entertainment,"બૉલીવુડના હૉટ તથા સેક્સી અભિનેત્રી સુષ્મિતા સેનનું કહેવું છે કે તેમના અને વસીમ અક્રમના લગ્નના સમાચારો માત્ર બકવાસ છે . સાથે જ તેમણે એમ પણ જણાવ્યું છે કે તેઓ એ બાબત સાબિત કરશે કે મીડિયા ક્યારેક - ક્યારેક કેટલું બિનજવાબદાર હોઈ શકે છે . સુષ્મિતા સેને જણાવ્યું કે વસીમ અક્રમ તેમના સારા મિત્ર છે અને રહેશે . સુષ્મિતા સેને પોતાના લગ્ન અક્રમ સાથે થવાના વહેતા થયેલા સમાચારો સાંભળ્યા બાદ સૌપ્રથમ ટ્વિટ કર્યું - હાય , વસીમ સાથે મારા લગ્નના સમાચારો મેં વાંચ્યા . આ તદ્દન બકવાસ છે . આ સમાચારો દર્શાવે છે કે મીડિયા ક્યારેક - ક્યારેક કેટલું બિનજવાબદાર બની શકે છે . તેમણે વસીમ અક્રમ સાથે મિત્રતા અંગે જણાવ્યું - વસીમ અક્રમ મારા માત્ર સારા મિત્ર છે અને કાયમ રહેશે . તેમના જીવનમાં અગાઉથી જ એક શ્રેષ્ઠ લૅડી છે . આ પ્રકારના સમાચારો ખૂબ જ અસન્માનજનક છે . તેમણે એમ પણ જણાવ્યું - મારા તમામ ફૅન્સ , જ્યારે હું પોતાનો મિસ્ટર રાઇટ શોધી લઇશ , તો આપ લોકોને સૌપ્રથમ બતાવીશે , કારણ કે આપ મારા ટ્વિટર ફૅમિલના સભ્ય છે . આપ સૌને મારો ખૂબ ખૂબ પ્રેમ ." sports,આઇપીએલ સ્પોટ ફિક્સિંગ મામલામાં 27 દિવસ તિહાડ જેલમાં વિતાવી ચૂક્યા બાદ જામીન પર છૂટેલા રાજસ્થાન રોયલ્સના ફાસ્ટ બોલર એસ શ્રીસંત હજી પણ આઘાતમાં છે . જેલમાં વિતાવેલા પોતાના જીવનના સૌથી ખરાબ દિવસોને તે યાદ કરીને કહે છે કે મેં જેલમાં વિતાવેલ તે 27 દિવસોને ક્યારેય નહીં ભૂલું . શ્રીસંતે જણાવ્યું કે જેલમાં કાઢેલો મારો સમય ખૂબ જ ખરાબ હતો . અને મને આ સમય આખી જીંદગી યાદ રહેશે . શ્રીસંતે પોતાને નિર્દોષ ગણાવતા કહ્યું કે તેમને દેશની ન્યાય પ્રક્રિયા પર પૂરેપૂરો ભરોશો છે અને તેઓ તપાસ પ્રક્રિયામાં સંપૂર્ણ સાથ સહકાર આપશે . બંને ખેલાડીઓ ઉપરાંત કોર્ટે 17 અન્ય આરોપીઓને રાહત આપી છે . જેમાં 14 સટ્ટેબાજોનો સમાવેશ થાય છે . તેમને 50 હજાર રૂપિયાના બોન્ડ અને એટલા જ રૂપિયાના દંડ પર જામીન આપવામાં આવી . sports,"લંડન , 12 ઑગસ્ટઃ ભારતના પૂર્વ સુકાની સુનિલ ગાવસ્કરની કરને ગંભીર અકસ્માત નડ્યો હતો , જોકે સદભાગ્યે તેમને કોઇ ઇજા પહોંચી નથી . એક મીડિયા અહેવાલ અનુસાર સુનિલ ગાવસ્કરની કારને રવિવારે ભારે વરસાદ પડી રહ્યો હતો ત્યારે આ અકસ્માત નડ્યો હતો . સુનિલ ગાવસ્કર હાલ ઇંગ્લેન્ડમાં રમાઇ રહેલી ભારત - ઇંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણી દરમિયાન કોમેન્ટ્રી કરી રહ્યાં છે . તેઓ માન્ચેસ્ટરથી લંડન એક જગુઆર કારમાં મુસાફરી કરી રહ્યાં હતા . તે દરમિયાન આ ઘટના ઘટી હતી . ચોથી ટેસ્ટ પૂર્ણ થયા બાદ તેઓ લંડન તરફ જઇ રહ્યાં હતા ત્યારે અચાનક તેમના ડ્રાઇવરે સમય સુચકતા વાપરી ભારે વરસાદમાં વિરુદ્ધ દિશામાંથી આવી રહેલી કાર સાથે ગંભીર અકસ્માત થતાં અટકાવ્યો હતો . ધોની ટેસ્ટ ક્રિકેટનો સૌથી ખરાબ રેકોર્ડ રચવાની નજીક બોર્ડર પર જવાનોને મળ્યો ‘કાશ્મીરી ' સુરેશ રૈના આરામ કરવા ત્રણ દિવસમાં ટેસ્ટ હારી માહીની ટીમ !" sports,"સૂત્રોના હવાલેથી મળતી માહિતી મુજબ દિલ્હી પોલીસ સિદ્ધાર્થ ત્રિવેદી આ કેસનો સાક્ષી બનશે . અત્રે ઉલ્લેખનીય છે કે કેસમાં પહેલાં જ રાજસ્થાન રોયલ્સના ત્રણ ખેલાડી એસ શ્રીસંત , અજીત ચંદીલા અને અંકિત ચૌહાણ પોલીસ કસ્ટડીમાં છે . અંકિત ચૌહાણને લગ્ન માટે 6 જૂન સુધી શરતી જામીન આપ્યાં છે . સિદ્ધાર્થ ત્રિવેદીનું નામ પહેલાં આ કેસમાં ઉછળ્યું હતું . ખેલાડીઓની પુછપરછ દરમિયાન સિદ્ધાર્થ ત્રિવેદીનું નામ સામે આવ્યું હતું . સૂત્રોના જણાવ્યા અનુસાર જ્યારે - જ્યારે અને જ્યાં - જ્યાં ફિક્સિંગની વાત થઇ , ત્યાં સિદ્ધાર્થ ત્રિવેદી હાજર હતો . પોલીસે પહેલાં આ કેસમાં સિદ્ધાર્થ ત્રિવેદીને આરોપી માની રહી હતી , પરંતુ જેમ - જેમ તપાસ આગળ વધતી ગઇ , પોલીસને ખબર પડી કે તે આરોપી નથી , પરંતુ ફિક્સિંગનો સાક્ષી છે . માટે દિલ્હી પોલીસ સિદ્ધાર્થને સરકારી સાક્ષી બનાવવા માંગે છે . પોલીસને આશા છે કે તેની પુછપરછ દરમિયાન કેટલાક વધુ ખેલાડીઓના નામ સામે આવી શકે છે . દિલ્હી પોલીસને રાજસ્થાન રોયલ્સના એક વિદેશી ખેલાડી પર શંકા છે . પોલીસના અનુસાર સટ્ટેબાજ સિદ્ધાર્થ ત્રિવેદી સાથે પણ ફિક્સિંગ કરવા માંગતા હતા . તે માટે અજીત ચંદીલાનો સહારો લેવામાં આવી રહ્યો છે , પરંતુ તે પોતાના ઇરાદામાં સફળ થાય તે પહેલાં સ્પૉટ ફિક્સિંગનો પર્દાફાશ થઇ ગયો . પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે તેને ફરિયાદી પક્ષનો સાક્ષી બનાવવામાં આવ્યો છે . તપાસકર્તાઓનું માનવું છે કે સિદ્ધાર્થ ત્રિવેદીની સાક્ષીથી તેમના આ કેસને મજબૂતી મળશે . અજીત ચંદીલાએ સટ્ટેબાજીની પાર્ટીમાં ભાગ લેવા માટે રાજસ્થાન રોયલ્સના બ્રેડ હોજ અને કેવિન કપૂરનો સંપર્ક કર્યો હતો પરંતુ તેમને પણ આ આમંત્રણને નકારી કાઢ્યું હતું ." sports,"ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન વિરાટ કોહલીને ચેમ્પિયન્સ ટ્રોફી પહેલાં એક શાનદાર ભેટ મળી છે . જર્મન લકઝરી કાર નિર્માણ કરતી કંપની ઓડીએ ભારતીય ટીમના કપ્તાન વિરાટ કોહલીને ઓડી કાર ભેટમાં આપી છે . જર્મન લકઝરી કાર નિર્માણ કરતી કંપની ઓડીએ વિરાટ કોહલીનો ઓડી પરિવારમાં સમાવેશ કર્યો છે . ગુરુવારે ઓડી ઇન્ડિયાના પ્રમુખ રાહિલ અંસારીએ વિરાટ કોહલીને કારની ચાવી સોંપી હતી . આ વિશે રાહિલ અંસારી મીડિયાને કહ્યું કે , ઓડી બ્રાન્ડ સ્પોર્ટી , પ્રોગ્રેસિવ અને સોફિસ્ટિકેશનનું પ્રતિક છે અને વિરાટ કોહલીમાં આ તમામ ગુણો છે . વિરાટ કોહલી મેદાન પર જ નહીં પણ પોતાની અંગત જીંદગીમાં પણ એવા જ છે . આ માનથી હું ખૂબ ખુશ છું . . આ વિશે વાત કરતાં વિરાટ કોહલીએ મીડિયોને જણાવ્યું કે , તેઓ હંમેશા ઓડી પ્રેમી રહ્યાં છે . ઓડીની દરેક કાર પોતાનામાં એક સંપૂર્ણ પેકેજ જેવી હોય છે . હું આ સન્માન મેળવીને ખુબ જ ખુશ થયો છું . 72 લાખ રૂપિયા છે Q7ની કિંમત ઓડી Q7ની કિંમત 72 લાખ રૂપિયા રાખવામાં આવી છે . આ મોડેલ 2015 માં લોન્ચ કરવામાં આવ્યું હતું . આમાં 3.0 લિટરનું ટીડીઆઇ એન્જિન લગાવવામાં આવ્યું છે . આ કાર 7.1 સેકન્ડમાં 0થી 100 કિ . મી . પ્રતિ કલાકની ઝડપે ચાલે છે . કારની મહત્તમ સ્પીડ 234 કિલોમીટર પ્રતિ કલાકની છે ." sports,ભારતીય ક્રિકેટના જાણીતો ચહેરો બની ચૂકેલા વડોદરાના હાર્દિક પંડ્યાએ તેમના પિતા હિમાંશુ પંડ્યાને એક અનોખી સરપ્રાઇઝ આપી છે . જેના કારણે તેમના પિતાના ખુશી બમણી થઇ ગઇ છે . ઉલ્લેખનીય છે કે આ હાર્દિક પંડ્યા શ્રીલંકાના પ્રવાસે છે પણ હાર્દિકના પિતરાઇ ભાઇએ હાર્દિકના પિતાને કારના શો રૂમ પર લઇ જઇને નવી SUV કાર જે હાર્દિકે તેમના માટે પસંદ કરી હતી તે આપતા પિતાના ચહેરા પર ખુશી છવાઇ ગઇ હતી . તે પછી સોશ્યલ મીડિયા પર હાર્દિક પંડ્યાએ તેના પિતાનો એક વીડિયો પણ રજૂ કર્યો હતો . જેમાં હાર્દિકના પિતા હિમાંશુભાઇની ખુશી સ્પષ્ટ દેખાતી હતી . પિતાને આ ગીફ્ટ આપ્યા પછી ક્રિકેટર હાર્દિક પંડ્યાએ લખ્યું હતું કે આ માણસને દુનિયાની તમામ ખુશીઓ મેળવવાનો હક છે . હું ખુબ જ ખુશ છું તેમના ચેહરાને આ રીતે ખુશીથી ખીલેલો જોઇને . ત્યારે પિતા હિમાંશુ ભાઇએ પણ હાર્દિક આવી રીતે સારું રમતો રહે અને વડોદરાની શાન વધારે તેવી આશા વ્યક્ત કરી હતી . વધુમાં હાર્દિકનો પરિવાર પણ આ પ્રસંગે સાથે રહ્યો હતો . અને બધા જ લાલ રંગની એસયુવી ગાડીની હાર્દિકની આ સરપ્રાઇઝ મેળવીને ખુશ હતા . entertainment,"ફરહાન અખ્તર બોલિવૂડના એવા કલાકારોમાં આવે છે જેઓ બેધડક કોઈ પણ વિષય પર પોતાના સ્પષ્ટ વિચારો રજુ કરે છે . આ વખતે તેમને પોતાના પિતરાઈ ભાઈ સાજીદ ખાન પર લાગેલા સેક્સુઅલ હેરેસમેન્ટ આરોપો પર વાત કરી . તેમને કહ્યું કે આ ખુબ જ દુઃખદ છે અને તેઓ જાણી જ નહીં શક્યા કે આવું ક્યારે થયું . જો મને તેના વિશે જાણ હોત તો તેઓ આ વાત સામે લાવી ચુક્યા હોત . ફરહાન અખ્તરે કહ્યું કે જયારે તમારા પરિવાર સાથે આવું કંઈક થાય છે , ત્યારે તમે પોતાને કંઈક વધારે જ અપરાધ બોધ અનુભવ કરો છો , જેની સજા ફક્ત માફી માંગવાથી પુરી નથી થતી . પરંતુ આ મામલો અદાલત સુધી જવો જ જોઈએ . પ્રિયંકાનો આરોપ - બિકીની પહેરીને આવી તો સાજીદે પેન્ટ ખોલ્યું તેમને એવું પણ કહ્યું કે તેઓ ખુબ જ શર્મિંદા છે કે સાજીદે આ પ્રકારની હરકત કરી અને બધું ખબર હોવા છતાં પણ હું કંઈક નહીં કહું તો સૌથી મોટો ઢોંગ હશે . મહિલાએ સાજીદ પર ખુબ જ મોડેથી આરોપ લગાવ્યો તેના વિશે ફરહાને કહ્યું કે તે મહિલાનો નિર્ણય છે કે તેઓ પોતાની સાથે થયેલા યૌન શોષણ અંગે ક્યારે ખુલાસો કરે છે , પછી તે ખુલાસો 10 વર્ષ પછી કરે કે 20 વર્ષ પછી તેની પોતાની મરજી છે . પૂર્વ મિસ ઈન્ડિયાઃ ગેટ ખોલતા જ નવાઝુદ્દીને મને જકડી લીધી અને પછી . . . સાજીદ ખાન પર બોલિવૂડની ઘણી અભિનેત્રીઓ આરોપ લગાવી ચુકી છે" entertainment,કલર્સના ફેમસ ડાંસ રિયાલિટી શો ઝલક દિખલા જાનો ખિતાબ પોતાના નામે કરનાર ટીવી અભિનેતા ગુરમીત ચૌધરીની જીતથી સમગ્ર બિહારમાં જશ્નનો માહોલ છે . સમગ્ર રાજ્યને પોતાના આ પનોતા પુત્ર ઉપર ગર્વ છે . તેની જીત માટે તેમણે ખુલ્લા હૃદયે વોટિંગ કર્યુ હતું . પટણા નિવાસી 20 વર્ષીય વિદ્યાર્થિની શશિ શર્માએ જણાવ્યું કે તેને સમ્પૂર્ણ ભરોસો હતો કે ગુરમીત જ આ પ્રતિસ્પર્ધા જીતશે . તેથી તેણે કાયમ તેના માટે જ વોટ કર્યું અને ઝલકનો કોઈ પણ શો મિસ કર્યુ નહિં . ગુરમીત એક ઉપસતા કલાકાર છે અને શશિને સમ્પૂર્ણ આશા છે કે તેઓ બહુ આગળ જશે . આપને જણાવી દઇએ કે બિહાર નિવાસી ગુરમીત ચૌધરીએ રવિવારે ઝલકનો ફાઇનલ મુકાબલો પોતાને નામે કર્યો હતો . ગુરમીત અને તેમના કોરિયોગ્રાફર શંપાને 40 લાખ રુપિયાનો ચેક આપવામાં આવ્યો . ગુરમીતે ફાઇનલમાં રશ્મિ દેસાઈ તેમજ ઋત્વિકને માત આપી . ગુરમીત હાલ ઝી ટીવીના જાણીતા શો પુનર્વિવાહમાં પણ લીડ રોલ કરી રહ્યાં છે . આ અગાઉ ગુરમીત રામાયણ સીરિયલમાં રામ તથા ગીત સીરિયલમાં માનનું પાત્ર ભજવી ચુક્યાં છે . ઝલકના મંચે ગુરમીતે પોતાના દિલની ઘણી વાતો જણાવી . જેમ કે તેઓ ક્લાસ છોડીને માધુરી દીક્ષિતની ફિલ્મો જોવા જતા હતાં અને તેમનો પ્રથમ પ્રેમ તેમના ક્લાસ ટીચર હતાં . sports,"મુંબઇ , 25 જુલાઇઃ આઇપીએલ 7 ચેમ્પિયન્સ કોલકતા નાઇટ રાઇડર્સનો સામનો 2011 આઇપીએલ વિજેતા , 2010 ચેમ્પિયન્સ લીગ ટી20 ચેમ્પિયન અને આઇપીએલ વિજેતા ચેન્નાઇ સુપર કિંગ્સ સાથે થશે . આ મેચ 17 સપ્ટેમ્બર 2014ના રોજ હૈદરાબાદમાં રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાનારી છે . જ્યારે ક્વોલિફાયર મેચની શરૂઆત 13 સપ્ટેમ્બરથી રાયપુર ખાતે થશે . ચેમ્પિયન્સ લીગ ટી20ની છઠ્ઠી શ્રેણી ભારતમાં 13 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર 2014 દરમિયાન થનારી છે . આ ટૂર્નામેન્ટમાં પણ આગઉની ત્રણ શ્રેણીમાં જે ફોર્મેટ હતું તે જોવા મળશે . જેમાં ગ્રુમ સ્ટેજને ક્વોલિફાયર અનુસાર ગોઠવવામાં આવ્યા છે અને આ શ્રેણીમાં 29 મેચ રમાનારી છે . હૈદરાબાદમાં સેમિફાઇનલ રમાનારી છે જ્યારે 4 ઓક્ટોબરે ફાઇનલ મેચ બેંગ્લોર ખાતે રમાશે . ગ્રુપ સ્ટેજની મેચો 17 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર વચ્ચે રમાશે . જેમાં 10 ટીમોને સ્થાન આપવામાં આવશે . પર્થની આ સદીએ બદલી નાંખી હતી સચિનની કારકિર્દી વિશ્વના ટોપ 10 મોસ્ટ વેલ્યુએબલ ખેલાડી , ધોની પાંચમાં ક્રમે . . તો શું આ ધોનીની લોર્ડ્સમાં છેલ્લી ટેસ્ટ હતી ? ગ્રુપ એમા ભારતની બે ટીમો છે , જેમાં કોલકતા નાઇટ રાઇડર્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ છે . જ્યારે ગ્રુપ બીમાં કિંગ્સ ઇલેવન પંજાબ છે . બન્ને ગ્રુપમાં એક એક ક્વાલિફાયર ટીમને સ્થાન આપવામાં આવશે . દરેક ગ્રુપની દરેક ટીમે ચાર અન્ય ટીમો સામે મેચ રમવાની રહેશે અને જે તે ગ્રુપની બે ટીમોને સેમી ફાઇનલમાં સ્થાન આપવામાં આવશે . તો ચાલો તસવીરો થકી જાણીએ કે ગ્રુપ એ અને ગ્રુપ બીમાં કઇ કઇ ટીમો છે , ક્વાલિફાયર માટે કેટલી ટીમો વચ્ચે સ્પર્ધા છે અને આ પહેલા રમાયેલી શ્રેણીમાં કોણ વિજેતા રહ્યું હતું ." business,"અનેકવાર એવું બને કે ભાગદોડના જીવનમાં આપણે બેંકમાં ફિક્સ્ડ ડિપોઝિટ મૂકી હોય અને પછી તેને ભૂલી ગયા હોઇએ . અથવા એવું પણ બને કે આપે કરાવેલી એફડીની રિસિપ્ટ ગુમ થઇ ગઇ હોય , અચાનક તે મળી આવે . ત્યારે આપણને પ્રશ્ન થાય કે અનેક વર્ષો બાદ એટલે કે લગભગ 10 વર્ષ સુધી જે એફડી માટે દાવો કર્યો નથી તેના માટે દાવો કરી શકાય ખરો ? આપને જણાવી દઇએ કે 10 વર્ષ કે તેથી વધારે સમય માટે અનક્લેઇમ્ડ રહેલી ફિક્સ્ડ ડિપોઝિટ અંગે દાવો રજૂ કરવા માટે બેંકોએ માર્ગદર્શિકા તૈયાર કરી હોય છે . આપણે તેને અનુસરવું પડે છે . રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ( આરબીઆઇ ) ની સૂચના અનુસાર બેંકોએ 10 વર્ષ કે તેથી વધારે સમયથી અનક્લેઇમ્ડ ફિક્સ ડિપોઝિટ્સ અને ઓપરેટ નહીં કરાતા બેંક ખાતાઓની યાદી જાહેરમાં રજૂ કરવી પડે છે . ફિક્સ્ડ ડિપોઝિટ હોલ્ડર કોઇ પણ સમયે ઓનલાઇન સર્ચ કરી શકે છે કે તેની એફડીનું સ્ટેટસ શું છે . કાયદેસર રીતે પણ તે યોગ્ય છે . જેમ કે ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સના ઇનઓપરેટિવ એકાઉન્ટની યાદી સૌ કોઇ જોઇ શકે છે . એવી જ રીતે અન્ય બેંકોની યાદી પણ જોઇ શકાય છે . વ્યક્તિને કઇ કઇ માહિતી જોઇએ ? કોઇ પણ ખોવાયેલી એફડીની વિગતો મેળવવા માટે વ્યક્તિ પાસે એ માહિતી હોવી આવશ્યક છે કે એફડીમાં નામની આગળ Mr / Mrs લખ્યું હતું કે સીધું નામ જ લખવામાં આવ્યું હતું . ત્યાર બાદ શહેર અને રાજ્યનું નામ જોઇએ છે . આમ કરવાથી ઇનઓપરેટ એફડીની યાદી સર્ચ કરી શકાશે . જો આપને યોગ્ય માહિતી મળી જાય તો આપ આપનું નામ , સરનામુ , ટેલિફોન આઇડી , ઇમેઇલ આઇડી વગેરે મોકલી શકો છો . આ વિગતો આપ્યા બાદ જે તે શાખાના બ્રાન્ચ અધિકારીઓ આપને આપવામાં આવેલા રેફરન્સ નંબરને આધારે આપનો સંપર્ક કરશે . બ્રાન્ચ સાથે આપનો સંપર્ક થયા બાદ આપની પાસે ફોટો આઈડી અને એડ્રેસ પ્રુફ જોઇશે . જો આ એફડી ક્લેમ કરવામાં કાયદેસરની કાર્યવાહી કરવાની જરૂર પડે તો આપે અન્ય દસ્તાવેજો પણ રજૂ કરવાના રહેશે . આ સંદર્ભમાં બેંકની શાખા આપની મદદ કરી શકે છે ." sports,"ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ બોલર ઝહીર ખાન અને ટીમ ઇન્ડિયામાં સ્વિંગના બાદશાહ કહેવાતા ભુવનેશ્વર કુમાર એક જ દિવસે ગુરૂવારના રોજ લગ્ન કરનાર છે . ગુરૂવારે સવારે ઝહીર ખાને બોલિવૂડ અભિનેત્રી સાગરિકા ઘાટગે સાથે કોર્ટ મેરેજ કર્યા હતા , તો ભુવનેશ્વર ગુરૂવારની સાંજે લગ્નગ્રંથિથી જોડાનાર છે . ઝહીર અને સાગરિકાએ 27 નવેમ્બરના રોજ મુંબઇમાં પોતાના મિત્રો માટે એક શાનદાર રિસેપ્શનનું આયોજન કર્યું છે . ઝહીર અને સાગરિકાએ સોશ્યલ મીડિયા થકી પોતાની સગાઇની ખબર ફેન્સને આપી હતી , જે પછી મેમાં એક ગ્રાન્ડ સમારંભનું પણ આયોજન કરવામાં આવ્યું હતું . આ સમારંભમાં ક્રિકેટ ઉપરાંત બોલિવૂડ સેલેબ્સ પણ હાજર રહ્યા હતા . તો ભુવનેશ્વર કુમાર પણ કંઇ ઓછા નથી . તેમણે સૌ પ્રથમ ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર મૂકી હતી અને તેના ઘણા દિવસો બાદ જાહેરાત કરી હતી કે તેઓ મેરઠની રહેવાસી નુપુર સાથે લગ્ન કરનાર છે . સોશ્યલ મીડિયા પર તેમણે પીઠી અને મહેંદીની તસવીરો પણ મુકી હતી , જે ખૂબ વાયરલ થઇ હતી . વળી ગુરૂવારે સવારે જ ઘોડે ચડેલ વરરાજા ભુવનેશ્વરની તસવીરો પણ વાયરલ થઇ હતી . 23 નવેમ્બરના રોજ મેરઠમાં લગ્ન બાદ એ જ દિવસે રિસેપ્શન પણ છે . ત્યાર બાદ 26 નવેમ્બરના રોજ તેમનું બીજું રિસેપ્શન બુલંદશહેરમાં થશે . ત્રીજું અને છેલ્લું રિસેપ્શન 30 નવેમ્બરના રોજ દિલ્હીમાં થનાર છે . આ રિસેપ્શન દિલ્હીની એક હોટલમાં રાખવામાં આવ્યું છે , જેમાં ટીમ ઇન્ડિયા પણ હાજરી આપે એવી શક્યતા છે ." sports,"સાઉથમ્પટન , 28 જુલાઇઃ ભારત સામે શરૂ થયેલી શ્રેણીની ત્રીજી ટેસ્ટમાં સદી નહીં મારી શકવાનો રંજ ઇંગલેન્ડ સુકાની એલિસ્ટર કૂક છે , પરંતુ આ સાથે જ તેમને એ વાતની ખુશી પણ છેકે તેણે ફોર્મ પરત મેળવી લીધું છે . કૂક તેની 26મી સદી માત્ર પાંચ રનથી ચૂકી ગયો છે . કૂકે 95 રન બનાવ્યા જ્યારે યુવા ખેલાડી ગેરી બેલેન્સે અણનમ 104 રનની ઇનિંગ રમી હતી , જેની મદદથી ત્રીજી ટેસ્ટના પહેલા દિવસની રમત પૂર્ણ થઇ ત્યાં સુધી ઇંગ્લેન્ડે બે વિકેટ ગુમાવીને 247 રન બનાવી લીધા છે . આ સાથે જ કૂકે એક વાતની નોંધ લીધી હતી કે રવિન્દ્ર જાડેજા તેની વિકેટ લીધા બદ હસી રહ્યો હતો . પહેલા દિવસની રમત પૂર્ણ થયા બાદ પત્રકારો સાથે વાતચીત કરતા કૂકે કહ્યું કે , મિશ્ર ભાવનાઓ છે , સદી બનાવવામાં પાંચ રનથી ચૂકી જતા નિરાશ છું , પરંતુ કાલે મને કોઇ 95 રન આપત તો હું ખુશી ખુશી લઇ લેત . તેથી હું આ 95 રનને બનાવીને ઘણો ખુશ છું . જ્યારે કૂકને તેના બેટિંગમાં બદલાવ કર્યો છેકે નહીં એ અંગે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે , હું બોલનો ઘણો પીછો કરી રહ્યો હતો અને મે તેમાં ફેરબદલ કર્યો છે . છેલ્લી 28 ઇનિંગમાં આ કૂકનો સર્વાધિક સ્કોર છે . તેણે પોતાની અંતિમ સદી 2013માં ન્યુઝીલેન્ડ વિરુદ્ધ લગાવી હતી . કૂક જ્યારે 15 રન પર બેટિંગ કરી રહ્યો હતો ત્યારે પંકજ સિંહની બોલિંગમાં રવિન્દ્ર જાડેજાએ તેનો કેચ છોડી દીધો હતો . આ અંગે વધુ વાંચવા માટે તસવીરો પર ક્લિક કરો ." sports,"રવિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફી 2017 ની ફાઇનલ મેચ રમાઇ હતી . આઇસીસીની કોઇ પણ મોટી ટૂર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાન આ બીજી વાર ફાઇનલ મેચમાં આમને - સામને હતા . આ પહેલાં બંન્ને ટીમો વર્ષ 2007માં ટી20 વિશ્વકપના ફાઇનલમાં રમ્યા હતા . તે સમયે ભારત 5 રનથી મેચ જીત્યું હતું . ચેમ્પિયન્સ ટ્રોફી 2017માં પણ બંન્ને ટીમો બીજી વાર મેદાનમાં ઉતરી હતી . પોતાની પહેલી મેચમાં ભારતે પાકિસ્તાનને 124 રનના અંતર સાથે હરાવ્યું હતું . ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત અત્યાર સુધીમાં માત્ર એક મેચ હાર્યું છે , આ મેચમાં ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઇ હતી . ભારતે નંબર વન ટીમ દક્ષિણ આફ્રિકાને હરાવીને ફાઇનલમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે , જ્યારે પાકિસ્તાને ઇંગ્લેન્ડને હરાવીને ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે . બંન્ને ટીમોની વાત કરીએ તો , પાકિસ્તાનની ટીમની સરખામણી ભારતીય ટીમ ખૂબ મજબૂત મનાતી હતી . જો કે , આ મેચમાં ભારતને પાકિસ્તાન તરફથી કારમી હાર મળી હતી ." entertainment,"બિગ બોસ 11માં વિવાદોનું બીજું નામ બની ચૂકેલી અર્શી ખાને ફરી એક વિવાદ ઊભો કર્યો છે . ઉલ્લેખનીય છે કે હાલ બીગ બોસમાં વિકાસ ગુપ્તા , શિલ્પા શિંદે અને અર્શી ખાન આ ત્રણ નામ તેવા લોકોના નામો બની ચૂક્યા છે જે બિગ બોસમાં કોઇ પણ સમયે વિવાદ સર્જી શકે છે . તેમની સાથે કોઇ પણ પંગો લે તો ઝગડો તો થવાનો જ તે વાત નક્કી થઇ ગઇ છે . અને હવે આ ત્રિપુટીમાં એક ચોથું નામ પણ જોડાઇ ચૂક્યું છે . આ નામ છે પ્રિયાંક શર્માનું . પ્રિયાંક શર્માએ ઘરમાં બીજી વાર એન્ટ્રી લીધી છે . અને બીજી વારમાં પ્રિયાંકનો અંદાજ થોડો બદલાયેલો જોવા મળે છે . હવે તેમની બિગ બોસની રમત દેખીને તેવું લાગી રહ્યું છે કે તે પોતાના દમ પર બિગ બોસ લડી રહ્યા છે ." business,23 વર્ષની ઉંમરે કોઇ વ્યક્તિ એક આઇડિયાના દમ પર કરોડપતિ થઇ શકે છે ? માનવું થોડું મુશ્કેલ લાગે છે પણ જો તમને પણ તમારા સપનામાં વિશ્વાસ હોય તો આ લેખ વાંચવો જ રહ્યો . અનેક લોકો જીવનમાં વિચારતા જ રહી જાય છે અને કેટલાક લોકો હોય છે જે પોતાના સપનાને હકીકત બનાવી લે છે . આ વાત છે સ્કૂલ ડ્રોપઆઉટ ત્રિશનિત અરોરાની જે એક નૈતિક હૈકર છે . અને તેમણે આ રીતે જ પોતાની ઓળખ ઊભી કરી છે . તેણે ઉત્તર ભારતની પહેલી સાઇબર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ સ્થાપિત કરી છે . આજે ત્રિશનિશ કરોડપતિ બની ચૂક્યા છે . અને મુકેશ અંબાણીથી લઇને દેશ વિદેશની એક મોટી કંપનીઓ તેમની આ સેવાઓનો લાભ ઉઠાવે છે . entertainment,સ્ટુડન્ટ ઑફ ધ ઈયર ફૅમ વરુણ ધવન તથા રૉકસ્ટાર ગર્લ નરગિસ ફખરીએ બૅંકૉમાં મૈં તેરા હીરો ફિલ્મના શૂટિંગ કરી રહ્યાં છે . આ જોડીએ સ્વીકાર કર્યું છે કે શૂટિંગનો અનુભવ મજાનો રહ્યો . ડેવિડ ધવન દિગ્દર્શિત મૈં તેરા હીરો ફિલ્મનું આ શિડ્યુઅલ સોમવારે સમ્પન્ન થઈ ગયું . નરગિસે માઇક્રોબ્લૉગિંગ સાઇટ ટ્વિટર પર લખ્યું - મૈં તેરા હીરોના સેટ પર છેલ્લો દિવસ . બહુ ખરાબ લાગી રહ્યું છે . અહીં બહુ મજા પડી ગઈ . સૌને પ્રેમ . ફિલ્મની ટીમ અને કલાકારો સહિત શું યાદગાર ટીમ હતી ! પહેલી વાર પિતા ડેવિડ ધવન સાથે કામ કરતાં વરુણ ધવને પણ હેલીકૉપ્ટરની એક ફોટો શૅર કરી . ફોટોમાં ફિલ્મના એક્શન દૃશ્યનો મહત્વનો ભાગ છે . સ્ટુડન્ટ ઑફ ધ ઈયર સાથે બૉલીવુડ પ્રવેશ કરનાર વરુણ ધવન કહે છે - મૈં તેરા હીરોમાં એક્શન દૃશ્ય કરવા માટે તેઓ ખાસ તાલીમમાંથી પસાર થયા હતાં . તેઓ ઉત્સાહિત છે . business,"ગુરુવારે અત્યારસુધીના સૌથી નીચલા સ્તરે પહોંચ્યા પછી રૂપિયામાં શુક્રવારે તેજી જોવા મળી છે . ડોલરની સરખામણીમાં રૂપિયો આજે મજબૂત થયો છે . હાલમાં રૂપિયામાં વધારો થતો જોવા મળ્યો છે અને ડોલર સામે તે 35 પૈસા મજબૂત થઈને 73.77 પ્રતિ ડોલર પર કારોબાર કરી રહ્યો છે . આ પહેલા ગુરુવારે ડોલર સામે રૂપિયો 74.12 પર બંધ થયો હતો . જયારે આજે સેન્સેક્સ ઘ્વારા પણ ખુબ જ મોટી છલાંગ લગાવવામાં આવી છે . શુક્રવારે સેન્સેક્સ 465 પોઇન્ટની છલાંગ લગાવીને 34,468.29 પર પહોંચી ગયું , જયારે નિફટીમાં પણ 158.30 પોઇન્ટના વધારા સાથે 10,392.95 પર કારોબાર કરી રહ્યું છે . આ પહેલા સેન્સેક્સ ગુરુવારે 759.74 પોઇન્ટ ગગડીને 34,001.15 પર બંધ થયું હતું જયારે નિફટી 225.45 પોઇન્ટ ગગડીને 10,234.65 પર બંધ થઇ હતી . એક સમયે સેન્સેક્સ 1000 પોઇન્ટ સુધી ગગડી ગયો હતો અને શેરમાર્કેટમાં હાહાકાર મચી ગયો હતો . વિકાસ કરી રહ્યું છે ભારત , વિકાસ દર 7.3 ટકા રહેવાનું અનુમાનઃ વર્લ્ડ બેંક જયારે ગુરુવારે રૂપિયો તેના સૌથી નીચલા સ્તર 74.48 સુધી પહોંચી ચુક્યો હતો પરંતુ ત્યારપછી તેમાં થોડો સુધારો જોવા મળ્યો . આ વર્ષે રૂપિયો 17 ટકા સુધી ગગડી ચુક્યો છે . જયારે ગુરુવારે રૂપિયામાં કમજોર શરૂઆત થઇ હતી અને ડોલરની સરખામણીમાં રૂપિયો 10 પૈસા તૂટીને 74.30 પર ખુલ્યો હતો ." entertainment,"બિગ બોસથી ચર્ચામાં આવેલા એક્ટર એજાઝ ખાનની અશ્લીલ મેસેજ , ફોટા મોકલવા અને છેડતીના આરોપમાં મુંબઇ પોલિસે ધરપકડ કરી લીધી છે . એજાઝ ખાન પર મોડલ ઐશ્વર્યા ચૌબેએ અશ્લીલ , મેસેજ અને ફોટા મોકલવાનો આરોપ લગાવ્યો છે . તમને જણાવી દઇએ કે ઐશ્વર્યા કાશ્મીરની વતની છે અને પોતાને સલમાન ખાનની ફેન બતાવે છે . આ તરફ એજાઝે આ આરોપોને પોતાની છબી ખરાબ કરવાનું ષડયંત્ર ગણાવ્યુ છે . શું આરોપ લગાવ્યો છે મોડેલે મોડલ ઐશ્વર્યા ચૌબેએ મુંબઇના વર્સોવા પોલિસ સ્ટેશનમાં એજાઝ સામે કેસ ફાઇલ કરાવ્યો છે . તેણે આરોપ લગાવ્યો છે કે એક દિવસ એજાઝે તેને જૂહુની હોટલમાં બોલાવવાની કોશિશ કરી હતી . એજાઝે તેને અશ્લીલ ફોટા અને મેસેજ પણ મોકલ્યા હતા . એજાઝે શું કહ્યુ એજાઝે આ આરોપોને તેની છબી ખરાબ કરવાનું ષડયંત્ર ગણાવ્યુ છે . તેનું કહેવુ છે કે મુંબઇ - પૂનામાં મારા ઘણા દુશ્મન બની ગયા છે . આ બધુ એ લોકો જ કરાવી રહ્યા છે . જો કે તેણે કોઇનું નામ લીધુ નથી . તમને જણાવી દઇએ કે બિગ બોસમાં સાથી પ્રતિયોગીઓ સાથે મારપીટ કરવાના આરોપમાં તે ઘરમાંથી બેઘર થયો હતો . એજાઝ કેટલીક હિંદી અને સાઉથની ફિલ્મોમાં પણ કામ કરી ચૂક્યો છે . તેની ઇમેજને લઇને ઘણી વાર સવાલો ઉઠતા રહે છે . ગયા વર્ષે ' કોમેડી નાઇટ્સ વિથ કપિલ ' પર પોતાનો એપિસોડ ટેલિકાસ્ટ ન થવા પર તેણે નારાજગી દર્શાવી હતી ." entertainment,અભિનેત્રી સારા જેન ડિયાઝ નિર્માતા અતુલ અગ્નિહોત્રીની ફિલ્મ ઓ તેરીમાં નજરે પડશે . તેઓ બૉલીવુડની મોટી હસ્તીઓ સાથે કામ કરવાની તક મળતાં ખુશ છે . અભિષેક બચ્ચન સાથે ગેમ ફિલ્મ દ્વારા બૉલીવુડમાં કૅરિયરની શરુઆત કરનાર સારાએ તે પછી એકતા કપૂરની ક્યા સુપર કૂલ હૈં હમ ફિલ્મમાં કામ કર્યુ હતું . તેમાં રીતેશ દેશમુખ અને તુષાર કપૂર પણ હતાં . ઑલ ઇન્ડિયા ઍચીવર્સ ઍવૉર્ડ પ્રસંગે 30 વર્ષીય સારા જેન ડિયાઝે જણાવ્યું - હું પોતાની ત્રીજી બૉલીવુડ ફિલ્મ ઉપર કામ કરી રહુ છું . તે અતુલની નવી ફિલ્મ ઓ તેરી છે અને હું તેની રિલીઝનો ઇંતેજાર કરી રહી છું . સારા જેન ડિયાઝે જણાવ્યું - ઓ તેરી ફિલ્મનું શૂટિંગ અદ્ભુત રહ્યું . હું હમણા તે અંગે કંઇ કહી શકું એમ નથી . હું ખૂબ જ ભાગ્યશાળી છું કે મને મોટા અભિનેતાઓ તેમજ નિર્માતાઓ સાથે કામ કરવાની તક મળી છે . ઓ તેરી ફિલ્મમાં સારા જેન ડિયાઝ અભિનેતા પુલકિત સમ્રાટ સાથે નજરે પડશે . business,"જો તમે વોડાઈફોન - આઈડિયા કે એરટેલનું સીમકાર્ડ વાપરતા હોવ તો તમારા માટે મહત્વના સમાચાર છે . ટૂક સમયમાં જ તમારું સીમકાર્ડ બંધ થઈ શકે છે . વોડાફોન - આઈડિયા અને એરટેલે નિર્ણય લીધો છે કે મહિને 35 રૂપિયાથી ઓછા વાપરતા હોય તેવા તમામ અકાઉન્ટ બંધ કરી દેવામાં આવશે . જેને પગલે 250 જેટલા 2જી યૂઝર્સ પોતાનું કનેક્શન ગુમાવી શકે છે . હાલ એરટેલ ભારતી પાસે કુલ 100 મિલિયન જેવા યૂઝર્સ છે જેઓ મહિને 35 રૂપિયાથી ઓછો ખર્ચો કરતા હોય જ્યારે વોડાફોન - આઈડિયા પાસે આવા 150 મિલિયન યૂઝર્સ છે . ભારતી એરટેલના સીઈઓ અને મેનેજિંગ ડિરેક્ટર ( ભારત અને સાઉથ એશિયા ) એ કહ્યું કે અમારી પાસે કુલ 330 મિલિયન વાયરલેસ કસ્ટમર્સ છે પરંતુ તેમના વપરાશની પેટર્ન પર ધ્યાન કરવા પર જાણવા મળ્યું કે ટેલિનોરમાંથી મેળવ્યા તેવા અને અમુક અમારા ખુદના એવા ગ્રાહકો છે જે મહિને 35 રૂપિયાનું પણ રિચાર્જ નથી કરતા . વોડાફોન - આઈડિયાના સીઈઓ બાલેશ શર્માએ જણાવ્યું કે તેઓ ઓછી ARPU ( એવરેઝ રિયલાઈઝેશન પર યૂઝર ) કેટેગરીમાં સબ્સક્રાઈબર્સની સંખ્યામાં ઘટાડો કરવા માગી રહ્યા છે . આ કેટેગરીમાં નોંધપાત્ર સંખ્યા છે જેઓ પોતાના સીમકાર્ડનો ઉપયોગ માત્રને માત્ર ઈનકમિંગ કોલ માટે જ કરે છે . 35 રૂપિયાના રિચાર્જ પાછળનું ગણિત સિમ્પલ છે . જે યૂઝર્સ મહિને 35 રૂપિયા પણ નથી વાપરતા તેવા યૂઝર્સ જો મહિને ઓછામાં ઓછા 10 રૂપિયાનું રિચાર્જ કરતા થાય તો પણ એરટેલ ભારતીનો મહિનાનો રેવન્યૂ 100 કરોડ થશે , જ્યારે અડધા યૂઝર્સ જો 35 રૂપિયાનું રિચાર્જ કરતા શરૂ થશે તો એરટેલ ભારતીના રેવન્યૂમાં મહિને 175 કરોડ રૂપિયાનો સ્પષ્ટ વધારો થશે . 250 મિલિયન યૂઝર્સ એવા છે જેમની પાસે ડ્યૂઅલ સિમ વાળો મોબાઈલ હોય , મતલબ કે તેઓ બે કનેક્શન ધરાવે છે અને માત્ર ઈનકમિંગ કોલ માટે ઓછું રિચાર્જ રાખે છે . 35 રૂપિયાના માસિક પ્લાન પહેલા યૂઝર્સને 10 રૂપિયાનો પ્લાન મળતો હતો , જેમાં યૂઝર્સ આઉટ ગોઈંગ કોલ ન કરી શકતો પણ જ્યાં સુધી વેલિડિટી ( 6 મહિના ) હોય ત્યાં સુધી તે ઈન કમિંગ કોલ મેળવી શકતો , તેના બદલામાં બાદમાં 35 રૂપિયા વાળો પ્લાન રજૂ કરવામાં આવ્યો હતો જેથી કરીને ARPU કેટેગરી પરથી યૂઝર્સને ઉપર લાવી શકાય . ઓછું રિચાર્જ વાપરતા 2જી યૂઝર્સના કનેક્શન બંધ કરી દેવા પાછળનું બીજું એક કારણ એ છે કે કંપની પોતાનું 2જી નેટવર્ક બંધ કરી દેવા માગે છે અને પોતાના સબ્સ્ક્રાઈબર્સને તેઓ 4જી નેટવર્ક પર લાવવા માગે છે . એવું માનવામાં આવી રહ્યું છે કે આ પગલા થકી એરટેલ અને વોડાફોન જિયોને ટક્કર આપવા માગે છે , જણાવી દઈએ કે જિયોના વોલ્ટ ફીચર ફોન 4જી થકી પહેલેથી જ તેમના ગ્રાહકો 4જી નેટવર્ક પર છે . જો કે મિત્તલે કહ્યું કે અમે કોઈ સાથે હરીફાઈ કરવા માગતા નથી અમે અમારા ફીચર ફોનવાળા ગ્રાહકોને સ્માર્ટફોન તરફ લઈ જવા માગીએ છીએ . સરદાર પટેલની મૂર્તિ કરતા પણ ઉંચી , આ રાજ્યની વિધાનસભા બનશે" entertainment,"સાંભળીને આશ્ચર્ય થયુ ને ? પરંતુ હકીકત આ જ છે . બૉલીવુડની સૌથી સુંદર હસીઓનામાંના એક હેમા માલિનીના લગ્ન સુપર સ્ટાર ધર્મેન્દ્ર સાથે નહીં , પણ દિલાવર ખાન સાથે થયા છે . આપ કંઈ ભળતુ - સળતુ વિચારો , તે પહેલા આપને બતાવી દઇએ કે બાબત શું છે ? કહે છે કે હેમાએ પણ ઇસ્લામ કબૂલ્યુ હતું , પરંતુ આ અંગે આજ સુધી સંશય બનેલુ જ છે . હેમા માલિનીનો આજે 65મો જન્મ દિવસ છે . આજે પણ હેમા - ધરમજીનો સંબંધ સફળતાપૂર્વક આગળ ધપી રહ્યો છે . હેમાએ પોતાની તમામ જવાબદારીઓ નિભાવી લીધી છે ." entertainment,"જિસ્મ 2 ફિલ્મ દ્વારા બૉલીવુડમાં પગલા મુકનાર વિદેશી અભિનેત્રી સન્ની લિયોને પોતાની વેબસાઇટ શરૂ કરી છે . વિશેષ આશ્ચર્યની વાત એ છે કે સન્નીએ આ વેબસાઇટ ઉપર પોતાની એક પણ પૉર્ન તસવીર નથી નાંખી . તેથી સ્પષ્ટ છે કે સન્ની હવે પોતાની જુની છબીમાંથી બહાર આવવા માંગે છે . તાજેતરમાં જ તમે અમારી વેબસાઇટ ઉપર વાંચ્યુ પણ હશે કે સન્ની લિયોન ફિલ્મોમાં ગૃહિણીનો રોલ કરવા માંગે છે . માત્ર રીલ લાઇફ જ નહિં , પણ રીયલ લાઇફમાં પણ સન્ની પોતાના પૉર્ન કૅરેક્ટરમાંથી બહાર આવવા માંગે છે . જોકે સન્નીનો સાહસ સલામ કરવા યોગ્ય છે . જે રીતે બિગ બૉસમાં મહેશ ભટ્ટ સાથે ઇન્ટરવ્યૂ દરમિયાન સન્નીએ સમ્પૂર્ણ આત્મવિશ્વાસ સાથે જણાવ્યુ હતું કે તે ફિલ્મોમાં પોતાની જાતને સાબિત કરી બતાવશે અને તેણે કરી પણ બતાવ્યું . અત્યાર સુધી સન્ની સાથે જોડાયેલી જેટલી પણ ખબરો તમે વાંચતા હતાં , તેમાં સન્નીને પૉર્ન એક્ટ્રેસ તરીકે જ સમ્બોધવામાં આવી હશે , પરંતુ આવનાર સમયમાં લોકો તેને માત્ર બૉલીવુડ એક્ટ્રેસ તરીકે જ ઓળખે , તેવુ સન્ની હવે ઇચ્છે છે . સન્નીએ પોતાની વેબસાઇટ અંગેની માહિતી ટ્વિટર દ્વારા આપી છે . સન્નીની વેબસાઇટ ઑલ એબાઉટ સન્ની ડૉટ કૉમમાં સન્નીએ પોતાની તસવીરો અને વીડિયો મુક્યાં છે . આ વીડિયોમાં જિસ્મ 2ના સીન્સ તેમજ મૅનફોર્સ કન્ડોમની જાહેરાતના વીડિયોનો પણ સમાવેશ થાય છે ." sports,"ક્રિકેટ વિશ્વની સૌથી લોકપ્રિય અને ધનિક રમતોમાંની એક છે . ક્રિકેટની દરેક મોટી રમત માટે કરોડો રૂપિયાનું ઇનામ રાખવામાં આવે છે . 1લી જૂનથી ઇંગ્લેન્ડમાં રમનારી આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2017 માટે ઈનામની રકમની જાહેરાત કરવામાં આવી છે . ગત વખત કરતાં આ વખતની ઈનામની રકમમાં વધારે છે . આઈસીસી દ્વારા ચેમ્પિયન્સ ટ્રોફી 2017માં પહેલા કરતા 5 લાખ ડોલરનો વધારો કરવામાં આવ્યો છે . હવે જે પણ ટીમ આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2017 જીતશે તેને 2.2 મિલિયન યુએસ ડોલર અર્થાત 141186100 રૂપિયા મળશે . બીજા સ્થાન પર વિજેતા બનનાર ટીમને 1.1 મિલિયન યુએસ ડોલર અર્થાત 70593050 રૂપિયાનું ઇનામ આપવામાં આવશે . મીની ક્રિકેટ વર્લ્ડ કપ ગણવામાં આવતી ચેમ્પિયન્સ ટ્રોફી આઇસીસીની બીજી સૌથી મોટી ટુર્નામેન્ટ છે , જે 1 જૂનથી 18 જૂન દરમિયાન ઇંગ્લેન્ડમાં રમાશે . કુલ મળીને આ વખતે દરેક ટીમને મળનારી ઇનામની રકમ 4.5 મિલિયન યુએસ ડોલર અર્થાત્ 288789750 હશે , જે વર્ષ 2013 કરતાં 500,000 રૂપીયા યુએસ ડોલર અર્થાત 32087750 રૂપિયા વધારે છે . 2013માં યોજાયેલ ચેમ્પિયન્સ ટ્રોફી પણ ઇંગ્લેન્ડમાં જ રમાઇ હતી . ચેમ્પિયન્સ ટ્રોફીની પ્રથમ મેચ 1 જૂનના રોજ ઇંગ્લેન્ડ અને બાંગ્લાદેશ વચ્ચે રમાશે . ભારતની પ્રથમ મેચ 4 જૂને પાકિસ્તાન સામે રમાશે ." entertainment,"જ્હૉન અબ્રાહમ શૂટઆઉટ એટ વડાલા ફિલ્મની સફળતાથી ખૂબ ખુશ છે અને સફળતાની ઉજવણી અંતર્ગત તેમણે ફિલ્મના દિગ્દર્શક સંજય ગુપ્તાને મોટર સાયકલ ગિફ્ટ કરી છે . ગત શુક્રવારે રિલીઝ થયેલી એકતા કપૂર નિર્મિત તથા સંજય ગુપ્તા દિગ્દર્શિત શૂટઆઉટ એટ વડાલા ફિલ્મે પ્રથમ ત્રણ દિવસમાં જ 33 કરોડનો બિઝનેસ કર્યુ હતું . ફિલ્મની આ સફળતાથી ઉત્સાહિત આખી ટીમને એકતા કપૂરે પાર્ટી આપી , તો બીજી બાજુ જ્હૉન અબ્રાહમે સંજય ગુપ્તાના ઘરે જઈ તેમને યામાહા વીમૅક્સ મોટર સાયકલ ગિફ્ટ કરી હતી . બાઇક પામી સંજય ગુપ્તા પણ ખુશ થઈ ગયા હતાં . સત્યઘટના પર આધારિત શૂટઆઉટ એટ વડાલા એટલે કે એસ એ ડબ્લ્યૂ ફિલ્મમાં જ્હૉન અબ્રાહમે માન્યા સુર્વેનો રોલ કર્યો હતો . ફિલ્મમાં જ્હૉન ઉપરાંત તુષાર કપૂર , અનિલ કપૂર , મનોજ બાજપાઈ પણ છે . ફિલ્મમાં સન્ની લિયોન તેમજ પ્રિયંકા ચોપરાના આયટમ સૉંગ પણ ઘણાં લોકપ્રિય થયા છે . બૉક્સ ઑફિસ રિપોર્ટનું વિશ્લેષણ જોતાં લાગે છે કે ફિલ્મ આ અઠવાડિયા 50 કરોડનો બિઝનેસ સરળતાપૂર્વક કરી લેશે . આવો તસવીરોમાં જોઇએ શૂટઆઉટ વડાલાની સક્સેસ પાર્ટી તથા જ્હૉન દ્વારા સંજયને અપાયેલી ગિફ્ટ ." sports,"જ્યાં ભારતના ઘણા સ્ટાર ખેલાડીઓની અત્યાર સુધી રિયો ઓલિમ્પિકમાં એક ખરાબ શરૂઆત થઇ છે . ત્યાં જ 22 વર્ષની દીપા કરમાકર એ જિમ્નાસ્ટિક ફાઈનલમાં પહોંચીને ઇતિહાસ રચી નાખ્યો છે . 52 વર્ષો પછી ઓલિમ્પિક ગેમોમાં જિમ્નાસ્ટિક સ્પર્ધામાં પહેલી ભારતીય મહિલા ખેલાડી તરીકે પ્રવેશ કરવાવાળી દીપા 14 ઓગસ્ટએ ભારત માટે મેડલ જીતવાવાળી પહેલી ભારતીય પણ બની શકે છે . તો જાણો દીપા સાથે જોડાયેલી ખાસ વાતો . . . 1 . દીપા કરમાકરનો જન્મ 9 ઓગષ્ટ 1993ના રોજ અગરતલામાં થયો હતો . 2 . દીપાએ માત્ર 6 વર્ષની ઉમરથી જ જિમ્નાસ્ટિકનો અભ્યાંસ શરૂ કર્યો હતો . 3 . દીપાએ 2007માં જુનિયર રાષ્ટ્રીય ચેમ્પિયન શિપ જીતી હતી . 4 . દીપાએ 2014માં રાષ્ટ્રીય મંડલમાં કાંસ્ય પદક જીત્યો હતો . 5 . દીપાએ એશિયાઈ ચેમ્પિયન શિપ 2015માં કાંસ્ય પદક જીત્યો હતો . 6 . દીપાને વર્ષ 2015માં અર્જુન એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો . 7 . દીપાએ રાજ્ય , રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર પર કુલ 77 મેડલ જીત્યા છે . જેમાં 67 ગોલ્ડ મેડલ છે ." entertainment,"ફિલ્મ જોયા બાદ એક લાઇન જે આપના હોઠે ચોંટી જશે , તે છે દમ છે બૉસ . ચશ્મે બદ્દૂર ફિલ્મમાં તાપસી પન્નૂ , અલી ઝફર , દિવ્યેન્દુ શર્મા , સિદ્ધાર્થ નારાયણ , ઋષિ કપૂર તથા અનુપમ ખેરે શાનદાર એક્ટિંગ કરી છે . ફિલ્મમાં અનેક એવા સીન્સ છે કે જ્યાં આપ પોતાની જાતને હસતા રોકી શકશો નહીં . લાંબા સમય બાદ એક બહેતરીન કૉમેડી ફિલ્મ રૂપરી પડદે જોવા મળી છે . ફિલ્મમાં ક્યાંય પણ એવું લાગ્યું નથી કે કૉમેડી પરાણે ઉમેરવામાં આવી હોય . ડેવિડ ધવને એક એવી ફિલ્મ બનાવી છે કે જેમાં કૉમેડીનું ફ્લેવર કંઈક એવી રીતે નાંખવામાં આવ્યું છે કે આખી ફિલ્મમાં તેની મહેક સ્પષ્ટ રીતે પ્રસરી રહી છે . એક બાજુ આજકાલ સેંસલેસ તથા નૉનવેજ કૉમેડી ધરાવતી ફિલ્મો બને છે , તો બીજી બાજુ આવી સાફ - સુથરી અને બહેતરીન કૉમેડી ફિ્લમ સાચે લોકો માટે આ વીકેન્ડ મજાનું બનાવી દેશે . વાર્તા : ચશ્મે બદ્દૂર ફિલ્મની વાર્તા ત્રણ મિત્રો ઓમી ( દિવ્યેન્દુ શર્મા ) , સિદ્ધાર્થ પરાસર ( અલી ઝફર ) તથા જય ( સિદ્ધાર્થ ) ની આજુબાજુ ફરે છે . ઓમી અને જય પોતાના ઘરની બહાર એક દિવસ સીમા ( તાપસી પન્નૂ ) ને જુવે છે કે જે પોતાના ઘરેથી ભાગી પોતાના કાકાને ઘરે ગોવા આવેલી હોય છે . સીમાના પિતા ( અનુપમ ખેર ) એક આર્મી ઑફિસર છે અને તેઓ કોઇક આર્મી ઑફિસર સાથે જ સીમાના લગ્ન કરવા માંગે છે , પરંતુ સીમા કોઈ સામાન્ય યુવાન સાથે લગ્ન કરવા માંગે છે . સીમાના કાકા ( અનુપમ ખેરનો જોડિયો ભાઈ ) ઇચ્છે છે કે સીમાના લગ્ન કોઇક આર્મી ઑફિસર સાથે નહીં , પણ કોઇક સામાન્ય યુવાન સાથે થાય . સીમાને જોયા બાદ ઓમી અને જય તેને પટાવવાની કોશિશ કરે છે , પરંતુ સીમા તેમને ભાવ નથી આપતી . સીમાની મુલાકાત સિદ્ધાર્થ સાથે થાય છે અને તે તેને પસંગ કરવા લાગે છે . સિદ્ધાર્થ જે કૉલેજમાં ભણે છે , તે કૉલેજમાં સીમાના કાકા પ્રોફેસર હોય છે . સિદ્ધાર્થ પાસેથી આ જાણ્યા બાદ કે તે સીમાને પસંદ કરે છે , કાકા સીમા - સિદ્ધાર્થના લગ્ન કરવાનું નક્કી કરે છે , પરંતુ ત્યારે જ સિદ્ધાર્થના બંને મિત્રો સિદ્ધાર્થ તથા સીમાવચ્ચે ગેરસમજ ઊભી કરી દે છે અને સિદ્ધાર્થ - સીમા જુદા પડી જાય છે . પછી સીમા અને સિદ્ધાર્થ વચ્ચે શું થાય છે ? શું આ બંને ફરી એક થાય છે ? શું સીમાના પિતા તેના લગ્ન માટે તૈયાર થાય છે ? આ તમામ પ્રશ્નોના જવાબજાણવા આ વીકેન્ડે જરૂર જુઓ ચશ્મે બદ્દૂર . અભિનય : તાપસી પન્નૂની આ પ્રથમ ફિલ્મ છે , પરંતુ સમગ્ર ફિલ્મમાં તેમણે બહેતરીન એક્ટિંગ કરી છે . તેમનું સૌંદર્ય પણ સૌને પસંદ પડે તેવું છે . દરેક સીન ભલે તે કૉમેડી હોય , ડ્રામા હોય કે રોમાંસ , તાપસીના ચહેરાના ભાવ બહેતરીન છે . તેમના ચહેરાની ફ્રેશનેસે પણ લોકોને ખૂબ ઇમ્પ્રેસ કર્યાં . તેમના ડાયલૉગ્સમાં દમ છે . બીજી બાજુ દિવ્યેન્દુ શર્માના પણ જેટલા વખાણ કરીએ , તેટલા ઓછા છે . તેમણે ફિલ્મમાં પોતાની ફની શાયરીઓ દ્વારા લોકોના દિલ જીતી લીધાં . ફિલ્મમાં તેમની એન્ટ્રી સાથે જ લોકોનું ધ્યાન તેમની ઉપર ટકી જાય છે . રંગ દે બસંતી તથા સ્ટ્રાઇકરમાં કામ કરી ચુકેલાં સિદ્ધાર્થે કંઇક નવુંકરવાની કોશિશ કરી છે . અત્યાર સુધી સીરિયલ ટાઇપના લુક સાથે સીરિયસ પાત્ર કરનાર સિદ્ધાર્થે કૉમેડીના ફ્લેવરમાં પોતાને ઢાળવાનો પ્રયત્ન કર્યો છે . ફિલ્મમાં ઋષિ કપૂર કાયમની જેમ બહેતરીન રહ્યાં છે . તેઓ એક કૅફેના માલિક તરીકે દર્શાવાયાં છે . તેમના કૅફેમાં જઈ ત્રણે મિત્રો ફ્રીમાં ખાય છે . ઋષિએ પણ લોકોને ખૂબ હસાવ્યાં છે . અનુમમ ખેરની કૉમેડી ભી શાનાર છે . અમુક સ્થાને તેમની કૉમેડીથી ખૂબ હાસ્ય ઉપજે છે ." entertainment,"મુંબઈ , 18 સપ્ટેમ્બર : મલ્લિકા શેરાવત કાયમ ચર્ચામાં રહેવા માટે કંઇકને કંઇક શોધી જ લે છે . હવે તેમણે એક નવો હોબાળો ઊભો કર્યો છે નરેન્દ્ર મોદીના જન્મ દિવસે તેમને બર્થ ડે વિશ કરી અને તેમને એલિજિબલ બૅચલર ગણાવી . મલ્લિકા અંગે લોકોએ ઘણું બધું કહેવું શરૂ કરી નાંખ્યું છે અને તેમને ખરુ - ખોટું પણ કહ્યું છે . મોદીના ફૉલોવર તેમજ ફૅન્સ આ વાતથી નારાજ છે . મલ્લિકા શેરાવત માટે લોકોએ અહીં સુધી કહી નાંખ્યું કે તેઓ પબ્લિસિટીના ભૂખ્યાં છે અને તેથી જ તેમણે એવું કહ્યું છે . મલ્લિકા શેરાવત અંગે લોકોએ ઘણા ટ્વીટ કર્યાં છે અને અનેક પોસ્ટ પણ નાંખી છે . મલ્લિકાએ રાજકીય પક્ષો વચ્ચે પણ પોતાને ટારગેટ બનાવ્યું છે . મલ્લિકાના આ નિવેદન અંગે નરેન્દ્ર મોદીની મજાક પણ શરૂ થઈ ગઈ છે કે જેથી મોદીના ફૅન્સ અને ફૉલોઅર્સ નારાજ છે . મલ્લિકા શેરાવત આજકાલ પોતાના ટેલીવિઝન રિયલિટી શો ધ બૅચલેરેટ ઇન્ડિયા મેરે ખ્યાલોં કી મલિકા માટેનું શૂટિંગ કરી રહ્યાં છે . ઉદયપુર ખાતે ચાલતા શૂટિંગ દરમિયાન મલ્લિકાએ સમય કાઢી નરેન્દ્ર મોદીને તેમના જન્મ દિવસની શુભેચ્છા પાઠવી અને એ રીતે પાઠવી કે હોબાળો મચી ગયો અને મલ્લિકા શેરાવત ચર્ચામાં પણ આવી ગયાં છે . લોકો તો મજાક પણ ઉડાવી રહ્યાં છે કે મલ્લિકાનું આ વીડિયો જોઈ રાહુલ ગાંધી બહુ નારાજ છે , કારણ કે નરેન્દ્ર મોદી જો બૅચલર હોય , તો તેઓ પણ તો હાલ બૅચલર જ છે ." entertainment,"મુંબઈ , 20 સપ્ટેમ્બર : રંગરસિયાનો રુદ્ર કુમાર રાણાવત ઝલક દિખલા જા 7નો વિજેતા બનવાનો છે ? માહિતી તો કંઇક આવી જ મળી છે . ડાન્સ રિયલિટી શો ઝલક દિખલા જા 7નો ફાઇનલ એપિસોડ 20મી સપ્ટેમ્બરે એટલે કે આજે રાત્રે પ્રસારિત થવાનો છે . કહે છે કે ફાઇનલ ટક્કર રંગરસિયા ફૅમ આશિષા શર્મા અને શક્તિ મોહન વચ્ચે થવાની છે . માધુરી દીક્ષિત , કરણ જૌહર તથા રેમો ડિસૂઝા દ્વારા હોસ્ટેડ ઝલક દિખલા જા 7 હવે અંતિમ તબક્કામાં છે અને છેલ્લા રાઉંડમાં ચાર સ્પર્ધકો આશિષ શર્મા , મૌની રૉય , શક્તિ મોહન તેમજ કરણ ટૅકર બચ્યાં છે , પરંતુ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ છેલ્લા રાઉંડમાં આશિષ અને શક્તિ વચ્ચે મુકાબલો થવાનો છે . હવે મળતી લેટેસ્ટ માહિતી મુજબ આશિષ શર્મા જ ઝલક દિખલા જ 7નો ખિતાબ જીતવાનાં છે . ગત સીઝનમાં જે રીતે દૃષ્ટિ ધામી ફૅન ફૉલોઅર્સના સહારે જીતી ગયા હતાં , તેવી જ રીતે આ વખતે આશિષ શર્મા પણ લોકપ્રિયતાના બળે જીતી જવાના છે . જોકે વિજેતાનો ફાઇનલ ખુલાસો તો આજે રાતે જ થઈ શકશે . ચાલો આપને બતાવીએ ઝલક દિખલા જા 7માં આશિષ શર્માના પરફૉર્મન્સિસની એક ઝલક :" entertainment,"રોકસ્ટારથી જાણીતી થયેલ નરગિસ ફખરીનો 20 ઓક્ટોબરના રોજ જન્મદિવસ હતો . આ એક્ટ્રેસ 38 વર્ષીથી થવા છતા પણ એટલી હોટ અને સુંદર લાગે છે કે , તે તેની ફિટનેશને કારણે તેની ઉંમર કેટલી હશે તે કહેવું પણ મુશ્કેલ છે . આજે પણ તે એટલી જ એનર્જીથી કામ કરે છે . તેણે બોલીવૂડમાં આવ્યા બાદ ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે . પોતાના બળે નરગિસ આજ દિવસ સુધી બોલીવૂડમાં ટકી છે . તો આ વચ્ચે તેનું નામ કેટલાક હિરો જોડે પણ લિંક અપ થયું હતું . વળી હાલમાં જ તેના પ્રેગનેન્ટ થવાની રૂમર પણ આવી હતી . તો બર્થ ડે ગર્લ નરગિસની કેટલીક રસપ્રદ અજાણી વાતો જાણો અહીં ." entertainment,"[ બોલીવુડ ] ' કોન બનેગા પૂનમ કા હીરો ' આ એક કોંટેસ્ટ છે , જે હેઠળ આગામી ફિલ્મ ' હેલન ' માટે પૂનમ પાંડેનો હીરો એટલે કે કો - સ્ટારની પસંદગી કરવામાં આવશે . એટલે માટે જો આપને પણ આ અવસરનો ફાયદો ઊઠાવવો હોય તો તાત્કાલિક અરજી કરો . ફિલ્મ નિર્માતા સુરેશ નકુમનું કહેવું છે કે પૂનમ પાંડેનો જોડીદાર શોધવા માટે ' કોન બનેગા પૂનમ કા હીરો ' નામથી એક કોંટેસ્ટ રાખવામાં આવી છે . જેના માટે 25 હજારથી પણ વધારે લોકોએ એપ્લાય કર્યું છે . તેમણે જણાવ્યું કે ' ' કોન બનેગા પૂનમ કા હીરો ' ને જે પ્રકારની પ્રતિક્રિયા મળી છે . તે ફિલ્મની ટીમ માટે પોઝિટીવ વાત છે . અહીં સુધી કે મે શૂંટિંગ શરૂ થતા પહેલા કોઇ પણ ફિલ્મને આ પ્રકારનો પ્રતિસાદ મળતો નથી જોયો . ' સાથે જ તેમણે પૂનમ પાંડે અને તેમના ફેન ફોલોઇંગના વખાણ કર્યા . તેમણે જણાવ્યું કે પૂનમનો હીરો બનવાની કોશિશમાં તેનના 25 હજારથી વધારે ફોલોઅર્સે પોતાની વીડિયો અને ઓડિયો ક્લિપ અપલોડ કરી . આ કોંટેસ્ટમાં ભાગ લેવા માટે પ્રતિભાગીને પોતાનો 2 મિનિટનો વીડિયો અપલોડ કરવાનો છે . જેમાં તેમને કોઇ ફિલ્મનો ડાયલોગ બોલવાનો છે . જોકે હવે જોવાનું એ છે કે આ 25 હજારમાંથી નસીબદાર અને પૂનમનો ચાંદ કોણ બનશે . જુઓ પૂનમની તસવીરો . . ." entertainment,"મિકી વાયરસ દિગ્દર્શક : સૌરભ વર્મા નિર્માતા : અરુણ રંગચારી , વિવેક રંગચારી કલાકારો : મનીષ પૉલ , એલી અવરમ , વરુણ વડોલા , મનીષ ચૌધરી સ્ટાર્સ : * * મનીષ પૉલ તથા એલી અવરમની ફિલ્મ મિકી વાયરસ આજે બૉક્સ ઑફિસે રિલીઝ થઈ છે . ફિલ્મની વાર્તા કેટલાંક સૉફ્ટવૅર હૅકર્સ પર આધારિત છે કે જેઓ પૈસા માટે કોઈ પણ હદે જાય છે . અહીં સુધી કે કોઈનો જાન પણ લેવામાં નથી ખચકાતા . પોલીસ પણ આવા હૅકર્સને પકડવા માટે એક હૅકરની મદદ લે છે , પણ આ તમામ વાતો વચ્ચે ઘણા બધા લૂપ હોલ્સ છે . જોકે ફિલ્મની વાર્તા બહુ જ જુદી અને ઘણા રિસર્ચ બાદ લખાઈ છે અને ફિલ્મમાં તમામ કૉમેડની પંચ પણ છે , પરંતુ સીરિયસ નોટ પર ફિલ્મ એટલી બધી ઇમ્પ્રેસિવ નથી કે ઑડિયંસ ઉપર પોતાની છાપ છોડી શકે . મનીષ પૉલની એક્ટિંગ બહુ ઇમ્પ્રેસિવ છે . એલીનું સ્કીન ઍપીરિયંસ ચોક્કસ થોડુંક નિરાશાજનક છે , પણ ઓવર ઑલ મિકી વાયરસ ફિલ્મ ઇંટરવલ પછી ઘણી એંટરટેનિંગ છે . મિકી વાયરસના નેગેટિવ પૉઇંટ્સ જોઇએ તો ફિલ્મના ગીતોમાં દમ નથી . સંગીત સારૂં છે અને જ્યારે થિયેટરમાં ગીત વાગે છે , તો દર્શકોનું ધ્યાન સ્ક્રીન પર જ રહે છે , પણ આમ છતાં ગીતો એવા નથી કે જેને લોકો થિયેટરની બહાર આવીને પણ ગણગણે . મનીષ પૉલે પોતાના તરફથી પુરતી કોશિશ કરી છે દર્શકોને જકડી રાખવાની , પણ ક્યાંકને ક્યાંક તેઓ જરાકમોનોટોનસ થઈ જાય છે કે જેથી દર્શકો કંટાળી જાય છે . એલી અવરમનું સ્કીન ઍપીરિયંસ બહુ સારૂ નથી . જોકે તેમના ચહેરાને સ્ક્રીન ઉપર બહેતર રીતે રજૂ કરવા માટે ઘણા સૉફ્ટવૅર યૂઝ કરાયા છે , પણ આમ છતાં એલીનો ચહેરો મોટી સ્ક્રીને ઘણો જુદો નજરે પડે છે . મિકી વાયરસ ફિલ્મને ભલે શરુઆત સારી ન મળે , પણ ફિલ્મ એટલી મનોરંજક તો છે જ કે પોતાની પડતર પાછી મેળવી શકે . ફિલ્મમાં ક્યાંકને ક્યાંક મનીષ પૉલ આયુષ્માન ખુરાનાની નકલ કરતા હોય તેવુ લાગ્યું . ઉપરાંત જેટલી સરળતાથી હૅકર્સને ઝડપાતા દર્શાવાય છે , તે જોઈને વિશ્વાસ નથી થતો કે આવું પણ થઈ શકે છે . તસવીરો સાથે જુઓ ને જાણો વધુ વિગતો :" entertainment,"અમદાવાદ . ક્યાં છે ઈશ્વર ? કોને કહેવાય ઈશ્વર ? શું ગૉડ પોર્ટિકલની શોધ સુધી જ સંકોચાઈ શકે છે ઈશ્વર ? શું ગીતા , બાયબલ અને કુરાનમાં છે ઈશ્વર ? કાનજીભાઈ મહેતાએ તો સાબિત કરી આપ્યું કે ઈશ્વર છે . તે જ આ સમગ્ર સૃષ્ટિના રચનાકાર અને સંહારક છે . આ તો વાત થઈ કાનજીભાઈ મહેતાની , પરંતુ આપણે ક્યાં સુધી અર્જુન રહીશું ? શું આપણે આપણું સમગ્ર જીવન અર્જુન બનીને જ વિતાવી દઇશું ? શું આપણે સમગ્ર જીવન અર્જુન જ બની રહીશું ? ક્યારેય કૃષ્ણ સાથે યોગ ( સરવાળો ) કરી કૃષ્ણાર્જન નહિં બનીએ ? જો અર્જુનને ગીતાના બીજાં જ અધ્યાયમાં જ્ઞાન થઈ જાત , તો કૃષ્ણ પરમાત્માએ કદાચ 18મા અધ્યાય સુધી ગીતા સંભળાવવાની જરૂરિયાત જ પડી હોત . કૃષ્ણે ગીતાના બીજા અધ્યાય એટલે કે સાંખ્ય યોગમાં જ અર્જુનને ગીતાનો સમ્પૂર્ણ જ્ઞાન પિરસી આપ્યુ હતું , પરંતુ અર્જુનને સમજાયું નહિં . તે તો અર્જન હતાં . તેમના મિત્ર પણ કૃષ્ણ જેવા હતાં . છતાંય તેમને મનુષ્ય જીવન અને પોતાના નામની સાર્થકતા સમજવામાં 18 અધ્યાયનો સમય લાગ્યો . મોડે , છતાંય અર્જુનને 18મે અધ્યાયે મનુષ્ય જીવન અને પોતાના નામની સાર્થકતાનો અનુભવ તો થયો . કૃષ્ણ પરમાત્માએ અર્જુન ઉપર કૃપા કરી અને તેને 18મા અધ્યાયે પણ જ્ઞાન તો કરાવી જ દીધો , પરંતુ આપણે અર્જુનમાંથી તે અર્જુન ક્યારે બનીશુ કે જેનો અર્થ થાય છે સફેદ , ચાંદી જેવું ચમકદાર અને ઉજ્જ્વળ . હા જી . મહાભારતમાં જ્યારે ભગવાન કૃષ્ણે ગીતા જ્ઞાનનો આરંભ કર્યો , ત્યારે અર્જુન માત્ર એક નામ હતું . સંસ્કૃતમાં અર્જુનનો અર્થ થાય છે સફેદ , ચમકીલું , ઉજ્જ્વળ . અર્જુનના આ ગુણો સાકાર તો ગીતાનો 18મો અધ્યાય સમ્પન્ન થયા બાદ જ થયાં . હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે આપણે કયા પ્રકારનો અર્જુન બનવું છે . કૃષ્ણમય , સફેદ , ચમકદાર , ઉજ્જ્વળ , પવિત્ર કૃષ્ણાર્જુન બનવું છે કે બસ સંસાર , મંદિરો - મસ્જિદો અને મોહ - માયામાં ફંસાઈ અસાર્થક નામી અર્જુન જેવું જીવન જીવવું છે . ઉમેશ શુક્લા દિગ્દર્શિત ફિલ્મ ઓહ માય ગૉડ એટલે કે ઓએમજી જોયાં બાદ પણ જો આપણે તે કૃષ્ણ પરમાત્માને ન સમજી શકીએ , તો પછી ઘરે - ઘરે રાખેલી પેલી ગીતા હકીકતમાં ઉધઈની જ અધિકારી છે . તે બાઇબલ અને કુરાન માત્ર અને માત્ર એક ગ્રંથ જ છે . વેદ - પુરાણો બસ પોથીઓ જ છે . પ્રસિદ્ધ ગુજરાતી રંગમંચ કલાકાર અને બૉલીવુડમાં હવે એક મોટી હસ્તી ધરાવતાં પરેશ રાવલના ગુજરાતી નાટક કાનજી વર્સિસ કાનજી ( હિન્દીમાં કિશન બનામ કન્હૈયા ) ઉપર આધારિત ફિલ્મ ઓહ માય ગૉડ ગત 28મી સપ્ટેમ્બરે પ્રદર્શિત થઈ . દસ દિવસ થઈ ગયાં . લાખો લોકોએ ફિલ્મ જોઈ . સોનાક્ષી સિન્હા અને પ્રભુદેવાના આઇટમ સૉંગ ગો . . . ગો . . . ગો . . . ગોવિંદા ઉપર ખુબ જ સિસોટિઓ વગાળી , પરંતુ ફિલ્મના બાકીના ગીતો પર ગોર કરનારાઓની સંખ્યા આંગળીના વેઢે ગણી શકાય છે . . . . હે રામ , હે કૃષ્ણા હે રામ , ડૉન્ટ વરી સારે નિયમ તોડો ઔર પાર્ટી કરતે જાઓ , ડાંસ ન આએ ફિર ભી દેખી ઠુમકા મારે જાઓ , ડૉન્ટ વરી સબકો એટીટ્યુડ દિખા કર મસ્તી કરતે જાઓ , તૂ ભુલા દે દુનિયાદારી કો , ટેંશન કો ઔર લાચારી કો , ભગા સબ બીમારી કો , લે દિલ સે કૃષ્ણા કા નામ , હે રામ . . . હે રામ . . . સુબ્રત સિન્હાએ નવા જમાનાનું ભક્તિ ગીત રચ્યું છે . તેમાં ભક્તને તમામ બંધનો તોડી જીવવાની સલાહ આપવામાં આવે છે . આખરે ભક્ત પણ તો તેને જ કહે છે જે ભગવાનથી વિભક્ત નથી . ઓએમજીમાં અંતે કાનજી મહેતાને પણ અક્ષય કુમાર રૂપી કૃષ્ણ વાસુદેવ યાદવ કહે જ છે કે જેમ ભગવાન વિના ભક્ત અપૂર્ણ છે , તેમ ભક્ત વિના ભગવાન અપૂર્ણ છે . ઓએમજી ફિલ્મનું સૌથી મહત્વનું ગીત . . . . મેરે નિશાન . . . સાંભળવું એક સુખદ અનુભવ છે . કૈલાશ ખેરની આ ભાવપૂર્ણ અને ક્લાસિકક રજુઆત છે . મીત બ્રધર્સ અને અનજાને તેની રચના કરી છે . આજના જમાનામાં પણ આવા ભક્તિ સંગીતની રચના શક્ય છે . આશ્ચર્ય થાય છે . કુમારની અર્થપૂર્ણ રચના નોંધ કરવા યોગ્ય છે . . . . . . . . . મૈં તો નહીં હૂઁ ઇંસાનો મેં , બિકતા હૂઁ મૈં તો ઇન દુકાનોં મેં . . . . દુનિયા બનાઈ મૈંને હાથોં સે , મિટ્ટી સે નહીં જજ્બાતોં સે . . ફિર રહા હૂઁ ઢૂઁઢતા મેરે નિશાન , હૈં કહાઁ રચા મગર મનુષ્ય કી કરતૂતોં કો દેખ કર વહ ભી પીડ઼ા મેં હૈ । આ ગીત હૃદય સંગ્રહવા યોગ્ય છે . ત્રીજું ગીત પણ . . . . . . તૂ હી તૂ દિલ મેં હૈ , મેરે રાત દિન શામ સવેરે હો , ફિર ઉજાલે અંધેરે , તૂ હર પલ સાથ હૈ મેરે , હરે રામા હરે કૃષ્ણા , કૃષ્ણા - કૃષ્ણા હરે - હરે . . . તૂ હૈ મેરે અહસાસોં મેં , મેરા જહાઁ હૈ તેરી છઇયાં , તૂ હૈ મેરે જજ્બાતોં મેં , મેરા જહાઁ હૈ તેરી બંહિયાઁ . . . નવા જમાનાનું ભક્તિ ગીત છે . સમીરે રચના કરી છે . આ ગીત વૃતાંત અને કથા વૃતાંત કરોડો દર્શકોએ જોયં અને સાંભળ્યું , પરંતુ શું હજુ પણ આપણે ભગવાનને તે જ મંદિરો અને મઠો , મસ્જિદો - ચર્ચો - ગુરુદ્વારાઓમાં જ શોધતાં રહીશું . આપણે વર્ષો - સદીઓથી આપણી ગીતામાં દર્શાવાયેલ માર્ગનો ભંગ કરતાં આવ્યાં છીએ . કૃષ્ણ પરાત્મા જ્યારે આપણી અંદર જ છે , તો કેમ આપણે તેમને મંદિરોમાં શોધવા જઇએ . શું ઓએમજી જોયાં બાદ પણ આપણે તે જ અર્જુન બની રહીશું , જેને ભગવાન કૃષ્ણ ગીતાનો જ્ઞાન પિરસતા રહે . આપણે ધવલાર્જુન ક્યારે બનીશું . અર્જુનને તો માત્ર 18 જ અધ્યાય લાગ્યા હતાં , પરંતુ આપણે તો આખું જીવન પોતાની માંગો અને અપેક્ષાઓની ભીખ માંગતા જીવન ઢસડાતા - ઢસડાતા સમાપ્ત કરી દઇએ છીએ . ભગવાન જો કણ - કણમાં છે , તો આપણે તેમને અનુભવી કેમ નથી શકતા ? ગીતામાં પ્રભુ કહે છે કે હું તો તારી અંદર છું , તો મને પામવા દર - દરની ઠોકરો ખાય છે . હકીકતમાં ભગવાનને ક્યારેય પોતાનું અસ્તિત્વ સદ્ધ કરવાની જરૂરિયાત જ નથી હોતી , કારણ કે જ્યારે કણ - કણમાં તે વસેલો છે , તો તેના અસ્તિત્વને પડકારનાર તુચ્છ માણસમાં પણ તે રોમ - રોમમાં વસેલ છે . તેમને પામવા , તેમનો અનુભવવા કરવા માટે પોતાને તેમાં લીન કરવાની જરૂર છે . આ માનવ રૂપી દેહમાં તે ઈશ્વર એવી રીતે છુપાઈને બેઠો છે કે જેમ કોઈ મૅનેજર પોતાની ઑફિસે બેસે છે અને તેની હાજરી માત્રથી તમામ કર્મચારીઓ ચુપચાપ પોતાનું કામ કરે છે . માનવ જીવન રૂપી આ જ મિથ્યાભિમાનમાં જીવે છે કે તમામ કાર્યો તે કરી રહ્યો છે , જ્યારે તે પોતાની અંદર વસેલા પેલા ઈશ્વર રૂપી મૅનેજર એટલે કે આત્માને નથી જોઈ શકતો . તે ભુલી જાય છે કે તે આત્મા જ પરમાત્મા છે અને તેનો સાક્ષાત્કાર દુનિયાના દરેક આશ્ચર્ય કરતાં મોટો છે . તે મૅનેજર રૂપી આત્મા વગર માનવનું અસ્તિત્વ જ શક્ય નથી . ઓએમજી આપણને પોતાની અંદર ઈશ્વરને શોધવાની પ્રેરણા આપે છે . પોતાની જાતને ઓળખવાની પ્રેરણા આપે છે . આ માનવ રૂપી દેહમાં છુપાયેલા હું રૂપી અહમ્ કાઢી ફેંકવા અને આત્મા રૂપી હું એટલે કે પરમાત્મા લીન થવાનો સંદેશ આપે છે . મંદિરો - મસ્જિદોમાં જનાર માણસ તો માત્ર પોતાની માંગો અને અપેક્ષાઓની ભીખ માંગનારાઓનો સમૂહ છે . ઈશ્વર પાસે ભીખ માંગવાની જરૂર નથી . એવું પણ નથી કે ધર્મસ્થળોએ ઈશ્વર નથી હોતાં . તે જ્યારે કણ - કણમાં છે , તો ત્યાં પણ છે , પરંતુ તે સીમિત ન હોઈ શકે . ધર્મસ્થળોએ બેઠેલો ભગવાન માણસના ભોગોને જરૂર પૂર્ણ કરી શકે , પણ તે પોતે માણસને પ્રાપ્ત ન થઈ શકે . ઈશ્વર પાસે ઈશ્વરની માંગણી કરી જુઓ , પરંતુ ઈશ્વર પાસે ઈશ્વરની માંગણી તે જ કરી શકે , જેની પાસે જગતના ભૌતિક પદાર્થોની કોઈ માંગણી ન બચી હોય અને તે જ કૃષ્ણ પરમાત્મામાં લીન થઈ શકે . જગતની માંગણીઓ - અપેક્ષાઓમાંથી નિવત્ત થવાનો એક જ માર્ગ છે સમત્વ ભાવ . કણ - કણનો અર્થ જ છે રાગ - દ્વેષ , સુખ - દુઃખ , સારું - નરસું જેવા તમામ પ્રકારના દ્વંદ્વોમાંથી મુક્ત થવું . આ દ્વંદ્વોનો ઉત્પત્તિકર્તા મન છે . બસ આ મનને કૃષ્ણાર્પણ કરી જુઓ . આ જ ગીતાનો જ્ઞાન છે . કૃષ્ણ પરમાત્મા પોતે કહે છે કે જે માણસ દરેક કાર્યનો શ્રેય મને આપશે , તેની રક્ષા હું કરીશ . તેને પાપ - પુણ્યમાંથી મુક્ત રાખીશ . ના તેને પાપ લાગશે અને જો પાપ નહિં લાગે , તો તેને પુણ્યની કોઈ જરૂર નહિં રહે . હકીકતમાં આપણાં તથાકથિત ધર્મગુરુઓએ ગીતા વિગેરે ગ્રંથોને માત્ર મોક્ષ અપાવનાર ગ્રંથ તરીકે પ્રચારિત કર્યાં છે . ગીતા જીવનને જીવન તરીકે જીવવાની ઉત્તમ સંદેશ વાહક છે . ચાલો માની લઇએ કે આપણે ન કૃષ્ણને જોયાં અને ન અર્જુનને . માની લો કે આપણને ગીતા પણ સમજાતી નથી , પરંતુ કમ સે કમ ઓએમજી તો સમજી શકાય છે . તેને માત્ર એક ફિલ્મ નહિં , પણ એક સત્સંગ તરીકે જોવાની જરૂર છે . શું આપણે આપણી અંદર બેઠેલા પેલા અક્ષય કુમારને ન શોધી શકીએ ? પડદા ઉપર અક્ષય કુમારની એન્ટ્રી પર સિસોટીઓ વાગે છે પરંતુ આપણી અંદર આ અક્ષયજી ક્યારે પ્રકટ થશે અને આપણે ક્યારે આનંદની સિસોટિઓ વગાળીશું ? માનવ - માનવમાં પરમાત્માના દર્શન કરવામાં આવે , તો કદાચ મંદિરોની આગળ ભિખારીઓએ બેસવાની જરૂર નહિં રહે . પેલા ભુખ્યા ભિખારીને શિવલિંગમાંથી ઉતરી ગટરમાં વહેતું દૂધ પીવાી જરૂર નહિં પડે . મારમાં પરમાત્મા - તારામાં પરમાત્મા . પછી નહિં હોય કોઈ ભિખારી અને નહિં રહે કોઈ અમીર . ગરીબી અને અમીરી પ્રારબ્ધગત હોઈ શકે , પરંતુ કણ - કણમાં પરમાત્માના દર્શન દ્વારા અમીરનો અહંકાર અને ગરીબનો ગરીબાઈનો અહેસા બંને જ ખતમ થઈ જશે . આ જ છે ઓએમજીનો સંદેશ . ( ગુરુ અર્પણ )" business,"નવી દિલ્હીઃ પાછલા કેટલાક અઠવાડિયેથી જેવી રીતે રોજ પેટ્રોલ - ડીઝલના ભાવમાં વધારો થઈ રહ્યો છે તેનાથી સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે . એવામાં પેટ્રોલ - ડીઝલની વધતી કિંમતોને નાથવા માટે 6 રાજ્યોએ મહત્વનો ફેસલો લીધો છે . આ તમામ રાજ્યોએ નિર્ણય લીધો કે તેઓ યૂનિફોર્મ પેટ્રોલિયમ રેટ રાખશે . મંગળવારે યોજાયેલ મહત્વની બેઠકમાં ઉત્તર પ્રદેશ , હરિયાણા , હિમાચલ પ્રદેશ , પંજાબ , દિલ્હી અને ચંદીગઢે સહમતિ દર્શાવી કે અહીં પેટ્રોલ - ડીઝલના ભાવ એક સમાન હશે . આ તામ રાજ્યોએ આ બાબતે એક મોટો ફેસલો લીધો છે કે આ મામલે એક સબ સમિટિની પણ રચના કરવામાં આવશે . આ બેઠક બાદ દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કહ્યું કે આનાથી સરકારનું રાજસ્વ વધશે અને કાળા બજાર પર પણ રોક લગાવી શકાશે . જ્યારે આ બેઠક બાદ સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તમામ રાજ્ય પ્રદેશમાં દારૂ , વાહનો અને પરિવહન પરમિટના પણ એક જ દર રાખવામાં આવશે . આ બેઠકમાં પેટ્રોલ - ડીઝલ પર એક સમાટ વેટ લાગૂ કરવા માટે રાજ્ય સરકાર સહમત થઈ છે . જ્યારે ગુજરાત સરકારે આ મામલે હજુ સુધી કોઈ ખાસ પગલાં ભર્યાં નથી . ગુજરાતમાં પેટ્રોલ 81.97 જ્યારે ડીઝલ 79.55 રૂપિયાની સપાટી પર પહોંચી ગયું છે . ઉલ્લેખનીય છે કે કેટલાય દિવસના ભાવ વધારા બાદ આજે ગુજરાતમાં પેટ્રોલ - ડીઝલની કિંમતના વધારા પર બ્રેક લાગી છે . આજે કોઈપણ પ્રકારનો વધારો કે ઘટાડો જોવા મળ્યો નથી . કાર્યકર્તા મહાકુંભમાં બોલ્યા પીએમઃ ' જૂઠનું બવંડર રચવામાં આવી રહ્યુ છે '" business,"શુક્રવારે શેર બજારમાં અચાનક ભારે ઘટાડો જોવા મળ્યો . સેન્સેક્સ 600 પોઈન્ટથી વધુ ગગડીને 36000ના સ્તરની નીચે જઈ પહોંચ્યો . જ્યારે નિફ્ટી 193.35 પોઈન્ટના ઘટાડા સાથે 10,758 પર પહોંચી ગયો . દુનિયાભરના બજારમાં ઘટાડો અને ઘરેલુ બજારમાં વેચવાળીની અસર સેન્સેક્સ પર પણ પડી અને બપોરે 2 વાગેને 37 મિનિટે 625.58 પોઈન્ટના ઘટાડા સાથે 35,806 સુધી જઈ પહોંચ્યો . આ પહેલા ગુરુવારે સેન્સેક્સ 53 પોઈટના વધારો મેળવ્યો હતો પરંતુ 36432ના સ્તરે બંધ થયો હતો જ્યારે નિફ્ટી 8 પોઈન્ટના ઘટાડા સાથે 10959ના સ્તર પર બંધ થયો હતો . જો કે બુધવાર અને મંગળવારે સેન્સેક્સે વધારો મેળવ્યો હતો પરંતુ શુક્રવારે દુનિયાભરના બજારોમાં ઘટાડાની અસર ભારતીય શેર બજાર પર પણ પડી . બજારના જાણકારોનું કહેવુ છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા મેક્સિકો પર સુરક્ષા દિવાલ માટે ભંડોળ માંગવાના વિવાદના કારણે બજારમાં ઘટાડો આવ્યો છે . જ્યારે અમેરિકામાં સંઘીય સરકારનું કામકાજ બંધ થવાથી ઘણા એશિયાઈ બજાર પર પણ આની અસર પડી છે . સેન્સેક્સે ઘટાડા સાથે આજના વેપારની શરૂઆત કરી હતી . આ પણ વાંચોઃ ઓગસ્ટા વેસ્ટલેન્ડઃ પટિયાલા હાઉસ કોર્ટે વચેટિયા મિશેલ સામે જારી કર્યુ પ્રોડક્શન વોરન્ટ" entertainment,"કલર્સના સૌથી લોકપ્રિય રિયલિટી શો બિગ બૉસ 8માં ગૌતમ ગુલાટી અને સોનાલી રાઉતનો રોમાંસ ખીલી ઉઠ્યો છે . બંને એક - બીજામાં રસ લેતા અને સાથે સૂતા દેખાઈ રહ્યા છે . શું બિગ બૉસમાં વધુ એક લવ સ્ટોરીનો આરંભ થયો છે . દર્શકો વચ્ચે ચર્ચામાં જળવાઈ રહેવા સ્પર્ધકો લડતા - ઝગડતા અને રોમાંસના ઉંડાણ સુધી ઉતરી જાય છે . કંઇક એવુ જ થઈ રહ્યું છે બિગ બૉસ 8માં . અગાઉ સોનાલી અને ઉપેન પટેલની નિકટતાઓ નજરે પડી હતી . બિગ બૉસ 7માં અરમાન કોહલી અને તનીષા મુખર્જીએ હદો ઓળંગી હતી , તો બિગ બૉસ 8માં સોનાલી રાઉત તનીષા કરતા એક ડગલુ આગળ જણાય છે . સોમવારના એપિસોડમાં સોનાલીએ ખુલ્લેઆમ પ્રણીત સામે ઇકરાર કર્યો કે તેમને ગૌતમ પસંદ છે . તે પછી સોનાલીએ ગૌતમને પોતાની પથારીમાં આવવાનું કહ્યું અને ગૌતમ સાથે સોનાલી મોડી રાત સુધી ચર્ચા કરતા દેખાયાં . બિગ બૉસના ઘરમાં સુશાંત સોનાલીને કહે છે કે તેઓ ગૌતમ સાથે પોતાની વાત આગળ કેમ નથી વધારતા . જવાબમાં સોનાલી કહે છે - મને લાગે છે કે ગૌતમ શરમાય છે અને પોતાની લાગણીઓનો ઇકરાર નથી કરી શકતાં . સોનાલીના દિલની વાત ગૌતમ સુધી પહોંચાડવામાં પ્રણીત મદદ કરે છે . પ્રણીત ગૌતમને કહે છે કે આખરે તેઓ કેમ આગળ નથી વધતા , છોકરી પોતે પોતાની ફીલિંગ્સ વ્યક્ત કરી રહી છે . જવાબમાં ગૌતમ પ્રેમથી કહે છે - સબ્ર કા ફલ મીઠા હોતા હૈ . ચાલો તસવીરોમાં બતાવીએ ગૌતમ - સોનાલીની ઇંટીમેસી :" entertainment,"મિકા સિંહ હંમેશા ચર્ચામાં રહેવા માટે કંઈક ને કંઈક કરતા જ રહે છે . હાલમાં જ મિકા સિંહ હેપી ભાગ જાયેગી ટીમ સાથે ફિલ્મનું પ્રમોશન કરી રહ્યા હતા . તેમની સાથે સ્ટેજ પર હાજર હતી ડાયના પેન્ટી . બસ , પછી તો પૂછવું જ શુ રહ્યું મિકા સિંહ ઉતારતાં જોક્સ પર ઉતરી આવ્યા . મિકા સિંહએ કહ્યું કે ડાયના પેન્ટી અને મિકા ચડ્ડી બધી એક જ વાત છે . બધાની સામે પોતાના નામનો મજાક થતો જોઈને ડાયના પેન્ટી થોડી ગુસ્સે તો થયી . પરંતુ કઈ જ ના બોલ્યા બસ આખો કાર્યક્રમ પૂરો થવાની રાહ જોયા કર્યા . હેરાનીની વાત તો એ છે કે મિકા સિંહના આવા મજાકનો કોઈએ પણ વિરોધ ના કર્યો . બધા જ હસતા જ રહ્યા . જયારે ડાયના પેન્ટી કઈ જ ના કરી શકી કારણકે તેમની જ ફિલ્મનું પ્રમોશન હતું ." entertainment,"બૉલીવુડમાં દર વર્ષે કેટલાક એવા સમાચારો આવે જ છે કે જે સાચા પણ હોય છે ને ખોટા પણ , પરંતુ પુરાવા વગર કંઈ કહેવું મુશ્કેલ હોય છે . વર્ષ 2013માં પણ એવા જ સમાચારો આવ્યાં કે જે બૉલીવુડના ફૅન્સને ઘણા હેરાન કરતા રહ્યાં . અનેક વખત આવા સમાચારો ખોટા સાબિત થયાં અને એક્ટર્સે તેવી ગૉસિપ અંગે પોતાનો ખુલાસો કર્યો અને સાથે જ મીડિયાને જવાબદાર ઠેરવી તેને સેલિબ્રિટીઓની પ્રાઇવેસી જાળવવા સાવચેત કર્યાં , પણ અનેક વખત સ્ટાર્સ દ્વારા ઇનકાર કરવા છતા સમાચારો સાચા પણ સાબિત થયાં અને સ્ટાર્સના જીવનમાં અનેક નવા વળાંકો આવ્યાં . ફૅન્સ પણ પોતાના સ્ટાર્સના નવા રૂપો જોઈ બહુ આશ્ચર્યચકિત થયાં . અનેક વખત આવા સમાચારોની અસર સ્ટાર્સની પર્સનલ લાઇપ ઉપર પડી . ખેર વર્ષ 2013ની સોથી મોટી અને રસપ્રદ ગૉસિપ રહી શાહરુખ ખાન અને સલમાન ખાનની મૈત્રીની , જ્યારે આવું કંઈ પણ થયું નહોતું . જોકે આ વર્ષે અનેક વખત બંને સ્ટાર્સને એક સાથે પાર્ટીમાં જોવામાં આવ્યાં અને બંનેએ એક - બીજા અંગે ખુલ્લા મને વાત પણ કરી , પરંતુ પછીથી બંનેએ પોત - પોતાની રીતે ખુલાસો કર્યો કે તેમની વચ્ચે કોઈ પર્સનલ ઝગડો નથી , પરંતુ બંનેના રસ્તા જુદા - જુદા છે . આ ઉપરાંત કેટલાંક સ્ટાર્સના અફૅરની ચર્ચા પણ હૅડલાઇન્સમાં રહી . તેમાં રણબીર કપૂર અને કૅટરીના કૈફ વચ્ચેના અફૅરનો સમાવેશ થઈ જાય છે . ચાલો તસવીરો વડે જાણીએ હૉટ ગૉસિપ્સ ઑફ 2013 :" entertainment,"સામાન્ય રીતે એવું સાંભળવામાં આવે કે પિતાનુ દેવું પુત્ર ચુકાવે , પણ અહીં તો ઉલ્ટી ગંગા વહી છે . અહીં પુત્ર પિતાના શત્રુ સાથે કૅરિયર શરૂ કરવા જઈ રહ્યો છે . હા જી , અમે વાત કરીએ છીએ સન્ની દેઓલ અને તેમના પુત્ર કરણ દેઓલ વિશે . કરણ દેઓલ ટુંકમાં જ પોતાનું ફિલ્મી કૅરિયર યશ રાજ ફિલ્મ્સ સાથે શરૂ કરવા માંગે છે . આપને જણાવી દઇએ કે સન્ની દેઓલ અને યશ ચોપરાએ માત્ર એક જ ફિલ્મમાં સાથે કામ કર્યું છે અને તે હતી ડર . તેમાં સન્નીના હકારાત્મક પાત્ર ઉપર શાહરુખ ખાનનું નકારાત્મક પાત્ર ભારે પડી ગયુ હતું . તે વખતે સન્ની દેઓલે યશ ચોપરા સામે આક્ષેપ કર્યો હતો કે તેમણે તેમનો રોલ સારો નહોતો લખ્યો અને શાહરુખને વધુ મહત્વ આપ્યુ હતું . તે પછી સન્નીએ ક્યારેય વાયરએફ સાથે કામ કર્યુ નહીં . જોકે તેમના પુત્ર કરણ દેઓલે યશ રાજ ફિલ્મ્સ સાથે જ ફિલ્મી ઇનિંગ શરૂ કરવા અંગે વિચાર્યું છે . તેની પાછળ આ કારણ પણ હોઈ શકે છે કે તાજેતરમાં જે પણ નવા કલાકારો ચર્ચામાં આવ્યાં છે , તે તમામ યશ રાજની શોધ છે . તેથી કદાચ કરણ પોતાના પિતાનો ગુસ્સો ભુાવી પોતાની સફળતાની ચાહતે યશ રાજ કૅમ્પમાં ઘુસવાનો પ્રયત્ન કરતાં હોય . નોંધનીય છે કે કરણે યમલા પગલા દીવાના 2 ફિલ્મમાં દિગ્દર્શક સંગીત સિવાન સાથે સહાયક દિગ્દર્શક તરીકે કામ કર્યું છે ." sports,"વિશ્વકપમાં વેસ્ટઇન્ડિઝ ટીમ સાતમાં ક્રમે હતી . પરંતુ વિશ્વકપ પૂર્ણ થયો ત્યાં સુધીમાં તે બીજા સ્થાને પહોંચી ગઇ છે . આ ઉપરાંત શ્રીલંકા પહેલા સ્થાન પર , ઇંગ્લેન્ડ , દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા રેન્કિંગ ક્રમશઃ ચોથા , પાંચમા અને સાતમા નંબર પર છે . બીજી તરફ બેટિંગ રેન્કિંગમાં ન્યૂઝીલેન્ડનો બ્રેડન મેક્કુલમ પ્રથમ , ક્રિસ ગેઇલ બીજા અને શેન વોટ્સન ત્રીજા સ્થાન પર છે . ભારત તરફથી સુરેશ રૈના પાંચમાં સ્થાન પર અને વિરાટ કોહલી દસમાં સ્થાન પર છે . પોતાના શાનદાર પ્રદર્શન થકી વેસ્ટઇન્ડિઝને વિશ્વવિજેતા કરનાર મર્લોન સેમ્યુઅલ્સ ટી20 બેટ્સમેનોની રેન્કિંગમાં ટોપ 20માં શામેલ થઇ ગયો છે . તે રેન્કિંગમાં 18માં ક્રમ પર છે . બીજી તરફ સુનીલ નારાયણે પણ ટી20 બોલિંગ રેન્કિંગમાં ટોપ 20માં સ્થાન મેળવવામાં સફળતા હાંસલ કરી છે ." entertainment,"આ ફિલ્મ જોયા બાદ દર્શકોને તેના પાત્રો ઉપર દયા નહિં , પણ પ્રેમ ઉભરાશે . રણબીર કપૂરનું પણ માનવું છે કે કદાચ આ ફિલ્મ જોયા બાદ આપને જિંદગી જીવવાની નવી રીત આવડી જશે . આ ફિલ્મના પાત્રો વગર કઈં બોલ્યે અને પોતાના અનુભવોને શબ્દોમાં વ્યક્ત કર્યા વગર પણ જીવનના દરેક પળને બહુ સુંદર રીતે અને પ્રેમથી જીવી જાણે છે . વાર્તા - દાર્જિલિંગ અને કોલકાતામાં શૂટ થયેલ આ ફિલ્મની સમગ્ર વાર્તા ફ્લેશબેકમાં ચાલે છે . બર્ફીની સ્ટોરી મર્ફી ( રણબીર કપૂર ) ની છે , જે બહેરો - મૂંગો છે . મર્ફીને બધા લાડમાં બર્ફી કહે છે . આ વાર્તા શ્રુતિ ( ઇલિયાના ડી ' ક્રૂઝ ) અને મર્ફીની આસપાસના લોકો દ્વારા સંભળાવવામાં આવે છે . બર્ફી એક બહુ જ સાચ્ચો અને ભગવાનમાં શ્રદ્ધા રાખનારો માણસ છે , જે પોતાના જીવનને કિંગસાઇઝ અને પ્રેમથી જીવવામાં વિશ્વાસ ધરાવે છે . કોઈ પણ મુશ્કેલી આવે , બર્ફી ક્યારેય ગુસ્સો નથી કરતો . તે એક દિવસ શ્રુતિને મળે છે અને તેને ચાહવા લાગે છે . શ્રુતિ પોતાના માતા - પિતા સાથે દાર્જિલિંગમાં રહેવા આવેલી હોય છે , પરંતુ શ્રુતિના લગ્ન અગાઉથી જ તેના કૉલેજ કાળના મિત્ર સાથે નક્કી થઈ ચુક્યાં હોય છે . પછી એક દિવસે બર્ફીની મુલાકાત ઝિલમિલ ( પ્રિયંકા ચોપરા ) સાથે થાય છે , જે ઑસ્ટિમ નામના રોગથી પીડાય છે . ઝિલમિલને તેના માતા - પિતા દુનિયાથી છુપાવીને રાખે છે . તેને બહારની દુનિયાનો ખ્યાલ ત્યારે આવે છે , જ્યારે તેના માતા - પિતા દાર્જિલિંગ ખાતે રહેતાં તેના દાદા - દાદી પાસે મિલ્કતમાં ભાગ માંગવા જાય છે . એક બાજુ માતા - પિતા માટે ઝિલમિલની સંભાળ રાખવી મુશ્કેલ થઈ પડે છે , તો બીજી બાજું બર્ફી માટે ઝિલમિલની સંભાળ રાખવી બહુ જ સરળ હોય છે . ધીમે - ધીમે બંને એક - બીજાની બહુ નજીક આવી જાય છે અને તેમનો સંબંધ ઘણો ગાઢ થઈ જાય છે . અભિનય - બર્ફી ફિલ્મમાં દરેક પાત્રે અનોખું પરફૉર્મંસ આપ્યું છે . પ્રિયંકા અને રણબીરે સાબિત કરી આપ્યું કે પાત્ર કોઈ પણ હોય , તેમને માટે કશું જ મુશ્કેલ નથી . બંનેએ પોતાના રોલ સાથે પુરતો ન્યાય કર્યો છે . બહેરા - મૂંગાના પાત્રમાં રણબીરે એવી એક્ટિંગ કરી છે કે બૉલીવુડના શ્રેષ્ઠ એક્ટરોમાં તેના નામનો સમાવેશ થઈ ગયો છે . પ્રિયંકના એક્સપ્રેશન તેમજ તેનો અંદાજ ફિલ્મ સમાપ્ત થવા સુધી દર્શકોને જકડી રાખે છે . ઇલિયાના અગાઉ પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાની એક્ટિંગ સ્કિલ સાબિત કરી ચુકી છે અને બર્ફીમાં પણ તેની એક્ટિંગ અપ ટુ ધી માર્ક રહી છે . બર્ફીમાં ઇલિયાના બહુ સુંદર તથા કૉન્ફિડંટ દેખાય છે ." business,દરેકને પોતાના સપનાનું ઘર જોઇએ છે . જ્યાં તમે આખા દિવસની મહેનત કરી શાંતિથી સુઇ શકો . તે ઘર જે તમારા પરિવારને સુરક્ષા આપે . તો જો તમે પણ તમારું પોતાનું ઘર ખરીદવાનું વિચારી રહ્યા હોવ તો એ માટેનો આ સૌથી સારો અને યોગ્ય સમય છે . આજથી એટલે કે 1 મેથી ઘર ખરીદનારાઓને થશે 8 મોટા ફાયદા . આ ફાયદા કયા છે તે અંગે વિગતવાર જાણો અહીં . . . Read also : હોટલ અને રેસ્ટોરન્ટમાં સર્વિસ ચાર્જ આપવું નથી ફરજીયાત ! - sports,"નવી દિલ્હી , 17 સપ્ટેમ્બર : ઈન્ડિયન પ્રીમીયર લીગ ( આઈપીએલ ) ના પૂર્વ કમિશ્નર લલિત મોદીએ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ( બીસીસીઆઈ ) ના અધ્યક્ષ એન શ્રીનિવાસન પર આરોપ લગાવ્યો છે . લલિત મોદીએ આરોપ મુક્યો છે કે શ્રીનિવાસને ચતુરાઈથી બોર્ડને 39 અબજ 68 કરોડ 27 લાખ રૂપિયાનો ચૂનો લગાવ્યો છે . લંડનમાં સ્વનિર્વાસિત જીવન વીતાવી રહેલા મોદીએ ટવીટર પર શ્રીનિવાસન વિરૂધ્ધ મોરચો માંડતા કહ્યું કે બોર્ડ અધ્યક્ષે 2009માં આઈપીએલના બીજા સત્રમાં ચતુરાઈ સાથે પોતાની ધાલમેલને છુપાવી હતી . પોતાના આ આરોપોને સાબિત કરવા માટે મોદીએ કેટલાક દસ્તાવેજો પણ બહાર પાડયા છે . દસ્તાવેજો અનુસાર શ્રીનિવાસને બીસીસીઆઈની પરવાનગી વિના ક્રિકેટ સાઉથ આફ્રિકા ( સીએસએ ) ને બેંક એકાઉન્ટ ખોલવા જણાવ્યું અને તે માટે 30 માર્ચ , 2009ના રોજ કાયદેસર એક સમજૂતી પણ કરી હતી . દેશમાં સામાન્ય ચૂંટણીઓને કારણે આઈપીએલના બીજા સત્રનું આયોજન દક્ષિણ આફ્રિકામાં કરવામાં આવ્યું હતું . આ સમજૂતીની શરત એ હતી કે આ ખાતાનું સંચાલન સીએસએ ટુર્નામેન્ટ સંચાલિત કરવા માટે કરશે . આનો ઉપયોગ તો બીસીસીઆઈના ખાતાની જેમ જ કરાશે પણ પરોક્ષ રીતે તે સીએસએનું ખાતું ગણાશે ." business,"જો તમે ટ્રેનમાં નિયમિત મુસાફરી કરતા હોવ , તો તમારા માટે આ સમાચાર ખૂબ જરૂરી છે . હાલમાં જ ખબર આવી હતી કે , આઈઆરસીટીસી દ્વારા 6 બેંકોના કાર્ડ બ્લોક કરવામાં આવ્યા છે , આ બેંકના કાર્ડ દ્વારા હવે રેલવે ટિકિટની ચૂકવણી નહીં કરી શકાય . પરંતુ હવે ભારતીય રેલવે તરફથી ખુલાસો કરવામાં આવ્યો છે કે , તેમણે કોઇ પણ બેંકના કાર્ડ બ્લોક નથી કર્યા . રેલવે વિભાગ દ્વારા આ અંગે એક ટ્વીટ પણ કરવામાં આવ્યું છે . 6 બેંકો પર મુક્યો હતો બેન ? થોડા સમય પહેલા આઈઆરસીટીસી એ 6 બેંકોના કાર્ડ બ્લોક કર્યા હોવાની ખબર આવી હતી . કહેવાઇ રહ્યું હતું કે , બેંકો અને આઈઆરસીટીસી વચ્ચે સુવિધા શુલ્ક મામલે વિવાદ ચાલી રહ્યો હતો અને આ કારણસર કાર્ડ બ્લોક થયા હતા . આ ખબરો અનુસાર , આઈઆરસીટીસી થકી ટિકિટ બુક કરતી વેળાએ તમે માત્ર ઇન્ડિયન ઓવરસીઝ બેંક , કેનરા બેંક , યુનાઇટેડ બેંક ઑફ ઇન્ડિયા , ઇન્ડિયન બેંક , સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા , એચડીએફસી બેંક અને એક્સિસ બેંકના કાર્ડથી જ ચૂકવણી કરી શકો છો . જો કે , રેલવે વિભાગ દ્વારા કરવામાં આવેલ ટ્વીટ બાદ આ તમામ ખબરો ખોટી સાબિત થઇ છે ." business,"નાણાકીય વર્ષ 2017 - 18 માટે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ ભરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ છે . જો તમને તમારા ઈન્ક્મ ટેક્સની રકમથી આશ્ચર્ય થાય છે , તો અમે તમને આ રકમ ઘટાડવાની કેટલીક રીતો કહીએ છીએ . યોગ્ય રોકાણ કરવા તેની એક યોગ્ય રીત છે . ઈન્ક્મ ટેક્સના અધિનિયમની કલમ 80 સી હેઠળ , ઈન્ક્મ ટેક્સમાં રૂ . 1 , 50 , 000 નું મહત્તમ વળતર મેળવી શકાય છે . આનો અર્થ એ થાય કે જો તમે યોગ્ય રોકાણ કરો છો તો તમે તમારા ઈન્ક્મ ટેક્સની રકમ 1,50,000 સુધી ઘટાડી શકો છો . જો તમે રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમમાં રોકાણ કરો છો , તો તમને રૂ . 50 , 000 સુધીનો ટેક્સ બેનિફિટ આપે છે . અમે તમને જણાવીએ છીએ 5 રીતો કે જેનાથી તમે ઈન્ક્મ ટેક્સથી છૂટ મેળવી શકો છોઃ" sports,"બે વાર વિજેતા રહી ચૂકેલ મુંબઇ ઇન્ડિયન્સની ટીમે રવિવારની આઇપીએલ 10ની ફાઇનલ મેચમાં રાઇઝિંગ પુણે સુપરજાયન્ટને હરાવી ફરી એકવાર જીત હાંસલ કરી હતી . મુંબઇ ઇન્ડિયન્સની ટીમે ટોસ જીતી પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો , તેમણે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 129 રન બનાવ્યા હતા . પુનાની ટીમ પાસે 130 રનનો લક્ષ્યાંક હતો . આ મેચના છેલ્લા બોલ સુધી મુંબઇ અને પુના બંન્ને ટીમના ખેલાડીઓ તથા ફેન્સના શ્વાસ અદ્ધર હતા . પુનાની ટીમે 20 ઓવરમાં 6વિકેટ ગુમાવી 128 રન બનાવ્યા . આ રસાકસી ભરી મેચમાં માત્ર 1 રનથી પુનાની ટીમને હારનો સામનો કરવો પડ્યો તથા મુંબઇ ઇન્ડિયન્સ ટીમે આઇપીએલ 10નો ખિતાબ પોતાને નામ કર્યો . મુંબઇના ફ્લોપ ઓપનર્સની ફ્લોપ બેટિંગ મુંબઇની ટીમ તરફથી ઓપનર લિંડલ સિમંસ અને પાર્થિવ પટેલ ફરી એકવાર સારી શરૂઆત કરવામાં અસફળ રહ્યાં . પહેલી 2 ઓવરમાં તેઓ માત્ર 6 રન બનાવી શક્યા . આ બંન્નેએ ભાગીદારીમાં માત્ર 7 રન બનાવ્યા અને આઉટ થઇ ગયા . આ બંન્ને વિકેટ પુનાના જયદેવે લીધી . પાવર પ્લેમાં મુંબઇએ માત્ર 32 રન બનાવ્યા . પુનાના કપ્તાન સ્ટીવ સ્મિથના શાનદાર થ્રો પર અંબાતી રાયડુ ( 12 ) રન આઉટ થયા . મુંબઇ ઇન્ડિયન્સના પાવર પ્લેયર્સ કહેવાતા રોહિત શર્મા ( 24 ) અને કિરૉન પોલાર્ડ ( 7 ) ફરી એકવાર પુનાના બોલર્સ સામે રન બનાવવામાં નિષ્ફળ રહ્યાં . આ બંન્ને વિકેટ એડમ જમ્પાએ લીધી , 11મી ઓવરના પહેલા બોલ પર રોહિત તથા છેલ્લા બોલ પર પોલાર્ડ આઉટ થયા . પંડ્યા બ્રધર્સના મોટા ભાઇનો કમાલ પોલાર્ડ બાદ મેદાનમાં આવેલ હાર્દિક પંડ્યા ( 10 ) વધુ રન મેળવવાના ચક્કરમાં ડેનિયલ ક્રિશ્ચિયનના બોલ પર એલબીડબલ્યુ થઇ ગયા . મુંબઇ ઇન્ડિયન્સના બેટ્સમેન આઉટ થઇ રહ્યાં હતા , પરંતુ કુણાલ પંડ્યા સંતુલન જાળવી રમી રહ્યાં હતા . તેમણે 38 બોલમાં 2 છગ્ગા અને 3 ચોગ્ગાની મદદથી 47 રન બનાવ્યા . જો કે , આખરે તેઓ પણ ડેનિયલ ક્રિશ્ચિયનના જ બોલ પર આઉટ થયા . પુનાની ઠીક - ઠાક શરૂઆત આઇપીએલમાં પહેલીવાર ફાઇનલમાં પહોંચેલ પુનાની ટીમની શરૂઆત ઠીક - ઠાક રહી . શરૂઆતમાં મેદાન પર આવેલ અજિંક્ય રહાણે અને રાહુલ ત્રિપાઠીએ 2 ઓવરમાં 14 રન ફટકાર્યા હતા . રાહુલ એલબીડબલ્યુ થયા બાદ રહાણે અને સ્ટીવે મળી 54 રન ફટકાર્યા . 44 રન ફટકારી અજિંક્ય રહાણે આઉટ થયા બાદ ધોની મેદાન પર ઉતર્યા , પરંતુ તે માત્ર 10 રન ફટકારી આઉટ થઇ ગયા . રસાકસીભરી મેચ આ મેચની છેલ્લી ઓવરમાં ખરેખર રસાકસીભર્યો ખેલ જોવા મળ્યો . છેલ્લી ઓવરમાં પુનાની ટીમને જીતવા માટે 11 રનની જરૂર હતી , મુંબઇના કપ્તાન રોહિત શર્માએ આ ઓવર અનુભવી મિશેલ જૉન્સનને આપી , સ્ટ્રાઇક પર મનોજ તિવારી હતા , જેમણે પહેલા જ બોલ પર ચોગ્ગો ફટકાર્યો . હવે પુનાની ટીમને 5 બોલ પર માત્ર 7 રનની જરૂર હતી . મિશેલે સતત બે બોલ પર મનોજ તિવારી અને સ્ટીવ સ્મિથને આઉટ કરી દીધા . મનોજ તિવારી 7 તથા કપ્તાન સ્મિથ 50 બોલમાં 51 રન બનાવી આઉટ થયા . અંતે એડમ જમ્પા અને ડેનિયલ ક્રિશ્ચિયન 4 રને નોટ આઉટ રહ્યા . મુંબઇ ઇન્ડિયન્સના સુપર બોલર્સ મુંબઇના શાનદાર બોલર્સ જસપ્રીત બુમરાહ અને લસિથ મલિંગાએ સરસ બોલિંગ કરી હતી . બુમરાહે 4 ઓવરમાં 26 રન આપી 2 વિકેટ ઝડપી , મિશેલે ત્રણ વિકેટ લીધી , જોન્સને 4 ઓવરમાં 26 રન આપી 3 વિકેટ લીધી . લસિથ મલિંગાએ કોઇ વિકેટ ના લીધી , પરંતુ તેમણે 4 ઓવરમાં માત્ર 21 જ આપ્યા ." entertainment,કહેવામાં આવે છે કે દરેક વ્યક્તિનો હમશકલ દુનિયામાં ગમે ત્યાં ચોક્કસ હોઈ છે . એવું તમે ઘણીવાર બોલિવૂડ સેલિબ્રિટીમાં પણ જોઈ શકો છો . એકદમ ડિટ્ટો શકલ ભલે ના હોઈ પરંતુ થોડી ઘણી મળતી શકલ તો ચૉક્કસ મળી જશે . ઐશ્વર્યા રાઈની મળતી શકલ સ્નેહા ઉલ્લાલની આવી ત્યારબાદ કેટરીના કૈફને મળતી શકલ ઝરીન ખાનની આવી . હવે બોલિવૂડની વધુ એક મળતી આવતી સેલિબ્રિટીનું નામ જોડાઈ ગયું છે . તે અભિનેત્રી બીજી કોઈ નહીં પરંતુ બોલિવૂડની દેશી ગર્લ પ્રિયંકા ચોપરા છે . આજકાલ સોશ્યિલ નેટવર્ક પર એક છોકરીની તસવીરો સામે આવી છે . જે દેખાવમાં બિલકુલ પ્રિયંકા ચોપરાને મળતી આવે છે તેની સ્ટાઇલ અને અંદાઝ બધો જ પ્રિયંકા ચોપરા જેવો જ છે . આ છોકરીનું નામ છે નવપ્રીત બંગા . બિલકુલ પ્રિયંકા જેવી દેખાઈ એટલા માટે તેને હાથ પર પ્રિયંકા ચોપરા જેવું એક ટેટુ પણ પડાવી દીધું છે . આપણે જણાવી દઈએ કે નવપ્રીત બંગા વેંકુવરની ફિટનેસ બ્લોગર છે . નવપ્રીત સોશ્યિલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને પોતાના ફોટો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી રહે છે . નવપ્રીત બંગા કેટલાક ફોટોમાં બાજીરાવ મસ્તાનીની કાશીબાઈ બની છે . તો કેટલાક માં કોન્ટીકો નો લૂક ધારણ કર્યો છે . તે હંમેશા પ્રિયંકા ચોપરાના અંદાઝમાં જ ફોટો શેર કરતી રહે છે . . entertainment,"હાલમાં જ બોલીવૂડ અભિનેત્રી સની લિયોનીએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર એક વીડિયો શેયર કર્યો છે . જેમાં તે સોફા પર કૂદી કૂદીને પોતાની મસ્તીમાં ડાન્સ કરી રહી છે . આ વીડિયો ખૂબ જ સુપર ક્યૂટ છે . અને સની લિયોની તેની ઇમેજની વિપરીત એકદમ ક્યૂટ , નાના બાળક જેવી મસ્તી કરતી જોવા મળે છે . એટલું જ નહીં સનીએ આ વીડિયો શેયર કરતા કહ્યું પણ છે કે "" નાનપણમાં તે જ્યારે ગીતો ગાતી હતી ત્યારે આ જ રીતે કાઉચ પર કૂદતી હતી . તો ફરી એક વાર કંઇક આવું જ કરવામાં આવે ! આમ પણ હું રજા પર છું તો હું શું કરું ! "" ત્યારે સની લિયોનીનો આ ક્યૂટ અને મસ્તીથી ભરેલો વીડિયો તમે પણ જુઓ અહીં . . ." business,"આજ કાલ શેરવેચાણ દ્વારા મૂડી એકત્ર કરવાની યોજના બનાવી રહેલી કંપનીઓને રોકાણકારો શોધવામાં મુશ્કેલી પડી રહી છે . આ પાછળનું કારણ છેલ્લા કેટલાક મહિનાઓમાં રોકાણના મૂલ્યમાં થયેલા 50 ટકા જેટલી જંગી ધોવાણને પગલે સંસ્થાકીય રોકાણકારોએ રોકાણ કરતા સમયે સાવચેતી રાખવાનું શરૂ કરતા આ સ્થિતિ આવીને ઉભી છે . આ સ્થિતિને પગલે કંપનીઓ ભંડોળ એકત્ર કરવાની યોજના પડતી મૂકી રહ્યા છે અથવા ઓફર ભાવમાં ઘટાડો કરવાની ફરજ પડી રહી છે . આ અંગે માર્કેટ પર સતત નજર રાખી રહેલા લોકોનું કહેવું છે કે રોકાણકારો તરફથી માર્કેટમાં સારો રિસ્પોન્સ મળતો નહીં હોવાથી ઓછામાં ઓછી સાત કંપનીઓએ થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી છે . આ સાત કંપનીઓમાં જે પી એસોસિએટ્સ , જે પી ઇન્ફ્રાટેક , એસ્ટ્રલ પોલિટેક અને જીવીકે પાવર ઉપરાંત જાહેર ક્ષેત્રની બેંકો ઇન્ડિયન ઓવરસીઝ બેંક ( આઇઓબી ) અને આઇડીબીઆઇ બેંકનો સમાવેશ થાય છે . આ કારણે સરકારના મહત્વકાંક્ષી ડિસઇન્વેસ્ટમેન્ટ પ્રોગ્રામને ફટકો પડી શકે છે . આ ઉપરાંત બેંકો જેવી કે આઇઓબી અને આઇડીબીઆઇના કિસ્સામાં તેમની બિનકાર્યક્ષમ અસ્કામતો ( એનપીએ ) ને કારણે રોકાણકારો શોધવામાં મુશ્કેલી નડી રહી છે . ભારતીય કંપનીઓને શેર્સના વેચાણમાં તકલીફ પડી રહી છે તેનું એક કારણ એ પણ છે કે વિદેશી રોકાણકારોના રસમાં ઘટાડો થઇ રહ્યો છે . ઓક્ટોબરમાં એફઆઇઆઇએ રૂપિયા 3200 કરોડની ચોખ્ખી વેચવાલી કરી છે ." entertainment,"આજના ભાગદોડ ભરેલા જીવનમાં જો આપ કેટલીક શાંતિની કે આશિકીની ક્ષણો માણવા માંગતા હોવ , તો સૌથી શ્રેષ્ઠ રીત છે મોહિત સુરી દિગ્દર્શિત ફિલ્મ આશિકી 2 જોઈ આવો . ફિલ્મ આપની તમામ અપેક્ષાઓ ઉપર ખરી ઉતરશે , પરંતુ જો આપ માત્ર મગજથી ફિલ્મ જોવા જતા જશો , તો ફિલ્મ જોઈ એંટરટનેમેંટ તો થશે , પણ ફિલ્મના આત્મા તેમજ તેની અસલી કશિશને અનુભવી નહીં શકો . એક આશિકનું દર્દ , તેની ખુશી તથા તેની તડપ આ તમામ બાબતોથી આપ અજાણ જ રહી જશો . ફિલ્મ જોવા માટે , એન્જૉય કરવા માટે આપના હૃદયમાં પણ કોઈના માટે આશિકી હોવી ખૂબ જ જરૂરી છે . વાર્તા : રાહુલ જયકર ( આદિત્ય રૉય કપૂર ) એક ખૂબ જાણીતો અને સફળ સિંગર છે . રાહુલ પોતાના આ જીવનથી ખૂબ જ કંટાળી ગયો છે અને નિરાશામાં તે દારૂના રવાડે ચડી ગયો છે . એક દિવસ ગોવામાં એક કૉન્સર્ટ બાદ તે દારૂ પી ગાડી ચલાવતાં આરોહી શિરકે ( શ્રદ્ધા કપૂર ) સાથે ભટકાઈ જાય છે . આ મુલાકાત બાદ એક દિવસ બારની શોધમાં રાહુલ જે બારે પહોંચે છે , ત્યાં આરોહી રાહુલનું જ એક હિટ ગીત ગાઈ રહી હોય છે . આરોહી અચાનક જ સામે આવી ચડેલા રાહુલને જોઈ આશ્ચર્યમાં પડી જાય છે . આરોહીનો અવાજ સાંભળી રાહુલ તેને એક મોટી સિંગર બનાવવાનું નક્કી કરી લે છે અને તેને પોતાની સાથે મુંબઈ લઈ આવે છે . રાહુલ પોતાના અંકલને વાત કરી આરોહીને મોટી તક અપાવે છે અને આરોહી એક મોટી સિંગર બની જાય છે . આરોહીની સફળતાની સાથે જ લોકો રાહુની નિષ્ફળતાઓને પણ સાંકળવા લાગે છે કે જે રાહુલથી સહન નથી થતું અને તે આરોહીથી દૂર જવાની કોશિશ કરે છે , પરંતુ આરોહીનો પ્રેમ વારંવાર રાહુલને તેની નજીક લઈ આવે છે અને તે દરેક વાર આરોહીથી દૂર જવામાં નિષ્ફળ નિવડે છે . અંતે એક દિવસ રાહુલ એક નિર્ણય કરે છે કે જેથી તે આરોહીથી હંમેશ માટે દૂર થઈ જાય છે , પણ આરોહીને જીવવા માટે એક આશા છોડી જાય છે . આવો તસવીરો વડે જાણીએ ફિલ્મનું દિગ્દર્શન , અભિનય અને સારાંશ ." sports,"એઆઇબીએ બૉક્સિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં મંગળવારે ભારતીય બૉક્સરોએ ઇતિહાસ રચિ દીધો છે . ચેમ્પિયનશિપના ઇતિહાસમાં પહેલીવાર પાંચ ભારતીય મુક્કેબાજોએ ક્વાર્ટરફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે . ગયા વર્ષે મુક્કેબાજી વિશ્વ ચેમ્પિયનશિપમાં ચાર ભારતીય મુક્કેબાજોએ ક્વાર્ટરફાઇનલ સુધીનો સફર કર્યો હતો . ચેમ્પિયનશિપમાં મંગળવારે સુમીત સાંગવાન ( 81 કિગ્રા . ) , વિકાસ મલિક ( 60 કિગ્રા . ) અને સતીશ કુમાર ( પ્લસ 91 કિગ્રા . ) એ પોત - પોતાના મુકાબલા જીતીને ક્વાર્ટરફાઇનલમાં પ્રવેશ કર્યો , જ્યારે મનોજ કુમાર ( 64 કિગ્રા . ) અને શિવ થાપા ( 56 કિગ્રા . ) પહેલા જ ક્વાર્ટરફાઇનલમાં પહોંચી ચૂક્યા હતા . પાંચેય ભારતીય મુક્કેબાજોને ટૂર્નામેન્ટમાં કાંસ્ય પદકથી માત્ર એક ડગ દૂર છે . ચેમ્પિયનશિપમાં મંગળવારે વિકાસ મલિક ક્વાર્ટરફાઇનલમાં પહોંચનાર પહેલા ભારતીય બન્યા . તેમણે પાંચમાં ક્રમના અને યૂરોપીયાઇ ચેમ્પિયનશિપના રજત પદક વિજેતા હંગરીના મિકલોસ વર્ગાને માત આપી દીધી . વિકાસે વર્ગાને 9 મિનિટમાં હરાવ્યા . વિકાસનો હવે મુકાબલો ચોથા ક્રમના બ્રાઝિલના રૉબ્સન કૉન્સીકાઓ સાથે થશે . દિવસની ત્રીજી સફળતા હૈવીવેટ વર્ગના મુક્કેબાજ સતીશ કુમારે બતાવી . કુમારે બેલારુસના મુક્કેબાજ યાન સૂઝિલોઉસ્કીને એક શાનદાર મુકાબલામાં માત આપી . હવે પછીના રાઉન્ડમાં કુમારનો મુકાબલો સ્થાનીય મુક્કેબાજ ઇવાન ડાઇચ્કો સાથે થશે ." sports,"ઇન્ડોનેશિયામાં ચાલી રહેલા 18માં એશિયન ગેમ્સમાં 9મોં દિવસ ભારત માટે સારા સમાચાર લઈને નથી આવ્યો . આ દિવસની શરૂઆતમાં માનવામાં આવી રહ્યું હતું કે ભારતની શટલ સ્ટાર સાઇના નેહવાલ આજે સેમિફાઇનલ મેચમાં સરળતાથી જીતીને ભારતને ગોલ્ડ અપાવશે , આવી જ આશા ભારતને પીવી સિંધુ પાસે પણ હતી . બેડમિન્ટન સેમિફાઇનલ વુમન સિંગલ મેચમાં ભારતની સાઇના નેહવાલ હારી ચુકી છે , જેને કારણે તેમને બ્રોન્ઝ મેડલ સાથે જ સંતોષ માનવો પડશે . આપણે જણાવી દઈએ કે સાઇના નેહવાલનો મુકાબલો દુનિયાની નંબર 1 ખેલાડી સાથે હતો , તેવી પરિસ્થિતિમાં તેમના માટે આ મુકાબલો સરળ ના હતો પરંતુ તેમને આ મેચમાં ખુબ જ શાનદાર અને આક્રમક રમત દેખાડી હતી . એક સમયે તેમને સ્કોર 9 - 9 ઘ્વારા બરાબર કરી લીધો હતો . પરંતુ સાઇના નેહવાલ આ લીડ કાયમ નહીં રાખી શકી અને તાઈ જુ યિંગ તેમના પર લીડ બનાવતી ચાલી ગયી . સાઇના નેહવાલે હાર સાથે બ્રોન્ઝ મેડલ ઘ્વારા સંતોષ માનવો પડ્યો . આપને જણાવી દઈએ કે આ મેડલ સાથે ભારત પાસે મેડલની સંખ્યા 37 થઇ ચુકી છે , જેમાં 7 ગોલ્ડ , 10 સિલ્વર અને 20 બ્રોન્ઝ મેડલ શામિલ છે . ભારત મેડલ લિસ્ટમાં 9માં સ્થાને છે ." business,"ભારતના બજારો અને બિઝનેસમાં સતત ઉતાર ચઢાવ જોવા મળે છે . સરકારના એક નિર્ણય કે નીતિની અસરથી વૃદ્ધિ , વિકાસ , રોજગારી , મોંઘવારી પર અસર પડે છે . ભારતનું ઉદ્યોગ જગત કઇ દિશામાં કેવી રીતે આગળ વધી રહ્યું છે . તેના રોજે રોજની મહત્વની હાઇલાઇટ્સ વાંચો . . . અદાણીની ઓસ્ટ્રેલિયન કોલસા ખાણ યોજનાને મંજુરી ઓસ્ટ્રેલિયાની સરકારે મધ્ય ક્વીન્સલેન્ડમાં ભારતીય ઉદ્યોગગૃહ અદાણી જૂથની પેટા કંપની અદાણી માઇનિંગના ગૈલિલી બેસિનમાં 16.5 અબજ ડોલરની પ્રસ્તાવિત કારમાઇકલ કોલસા ખનન યોજનાને મંજુરી આપી દીધી છે . તેનાથી ભારતમાં 10 કરોડ લોકોને વીજળી મળી શકશે . ઓસ્ટ્રેલિયાના પર્યાવરણ મંત્રી ગ્રેગ હંટે સોમવારે આ યોજનાને મંજુરી આપી દીધી હતી . જો કે આ માટે અદાણીએ 36 આકરી શરતો પણ પૂરી કરવી પડશે . આ શરતો પર્યાવરણીય સુરક્ષા સંબંધિત છે . અદાણી QIP ઈશ્યૂથી રૂપિયા 10,000 કરોડ એકત્ર કરશે ગુજરાતના અગ્રણી ઉદ્યોગગૃહ ગૌતમ અદાણી જૂથના ભાવિ વિસ્તરણ માટે અદાણી એન્ટરપ્રાઇઝિસ , અદાણી પાવર અને અદાણી પોર્ટ્સના શેર વેચીને કુલ રૂપિયા 10,000 કરોડનું ભંડોળ એકત્ર કરવાની યોજના ઘડવામાં આવી છે . ઇકોનોમિક ટાઇમ્સના અહેવાલ પ્રમાણે અદાણી જૂથ શેરના ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યુશનલ પ્લેસમેન્ટ ( QIP ) દ્વારા નાણાં ઊભા કરવાની યોજના ધરાવે છે . સૂચિત ક્યુઆઇપી ઓગસ્ટના આખરી સપ્તાહથી શરૂ થશે અને સૌ પ્રથમ અદાણી પોર્ટ્સનો ઇશ્યૂ બહાર આવશે . આ માટે અદાણી એન્ટરપ્રાઇઝ ક્યુઆઇપીની મદદથી રૂપિયા 5,000થી 6,000 કરોડનું ભંડોળ એકત્ર કરશે . જ્યારે બાકીના રૂપિયા 4,000થી 5,000 કરોડની રકમ અદાણી પાવર અને અદાણી પોર્ટ વચ્ચે સરખું વિભાજન કરીને મેળવવામાં આવશે . ડી બીયર્સ સુરતના હીરા વેપારીઓને કાચા હીરા આપશે કાચા હીરાના ઉત્પાદન અને સપ્લાઈ પર પ્રભુત્વ રાખવા વાળી ડી બીયર્સ કંપની દ્વારા કાચા હીરાના પુરવઠો ઉપલબ્ધ કરવાના નિયમોમાં ફેરફાર કરવા જઇ રહી છે તેવો સંકેત આપ્યો છે . આ કારણે હીરાના નોન સાઈટ હોલ્ડર એટલે કે હીરાના વેપારીઓને પણ કાચા હીરા પૂરા પાડવાનો સંકેત આપ્યો છે . આમ થશે તો કાચા હીરાના પુરવઠા માટે ઝઝુમી રહેલા સુરતના વેપારીઓને લાગે છે કે તેમના માટે અચ્છે દિન આ ગયે હૈ . સપ્તાહના પ્રથમ દિવસે શેરમાર્કેટ રેડ ઝોનમાં આજે સપ્તાહના પ્રથમ દિવસે જ શેરમાર્કેટ રેડ ઝોનમાં રમી રહ્યું છે . શુક્રવારે માર્કેટ રેડ ઝોનમાં બંધ થયા બાદ આજે કારોબારની શરૂઆત ફ્લેટ સ્તરે શરૂ થઇ હતી . માર્કેટ શરૂ થયાની થોડી મીનિટો બાદ બાદ BSE સેન્સેક્સ 9.13 પોઈન્ટ ઘટીને 26,117 પોઈન્ટની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો . જ્યારે નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 5.05 પોઈન્ટ વધીને 7,420 પોઈન્ટની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો . જો કે સવારે સવારે 11 વાગે સેન્સેક્સ 96 અંક ઘટીને 26,031 અને નિફ્ટી 29 અંક ઘટીને 7,761ના સ્તર પર છે . મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ ઘટાડો જોવા મળ્યો છે . માર્કેટમાં ખાસ કરીને રિયલ્ટી , મેટલ , ઓઇલ એન્ડ ગેસ , હેલ્થકેર , એફએમસીજી , આઇટી સ્ટોક્સ રેડ ઝોનમાં છે . જ્યારે ઓટો અને કેપિટલ ગુડ્સ મામૂલી વધારા સાથે ટ્રેડ કરી રહ્યા છે ." business,"નેશનલ રેસ્ટોરાં એસોસિયેશન ઓફ ઈન્ડિયાના એક અહેવાલમાં જણાવાયા અનુસાર લોકોની ખાનપાનની ગતિવિધિઓમાં વધારો થયો હોવાથી રેસ્ટોરાં ઉદ્યોગનું કદ વધીને 48 બિલિયન ડોલરનું થઈ ગયું છે . શહેરોમાં એક ઘરમાં એક કરતા વધુ લોકો કમાતા હોય છે જેથી ઘરદીઠ આવક વધે છે . આ સિવાય લાઇફ સ્ટાઇલ બદલાઈ રહી છે અને લોકોની ખાન પાનની પસંદગીને લીધે ખાનપાન ઉદ્યોગના સંગઠિત બજારનું કદ આગામી પાંચ વર્ષમાં બીજા 28 બિલિયન ડોલર વધી જાય એવી સંભાવના છે . ખાન પાનના સંગઠિત ઉદ્યોગમાં કેઝ્યુઅલ ડાઈનિંગ અને ક્વિક સર્વિસ રેસ્ટોરાં ( ક્યુએસઆર ) નો હિસ્સો 70 ટકાનો છે , જ્યારે પબ , બાર , ક્લબ અને લાઉન્જિઝ ( પીબીસીએલ ) નો હિસ્સો 12 ટકાનો , જ્યારે બાકીના 8 ટકાનો હિસ્સો ફાઈન - ડાઈનીંગ અને ફ્રોઝન ડેઝર્ટ આઉટલેટ્સનો છે . "" પહેલાં ખાન પાનની ક્રિયા પ્રસંગોપાત થતી હતી , પણ હવે ખાન પાનની ક્રિયા પોતે જ એક પ્રસંગ બની ગઈ છે . આજે લોકો માટે ખાણી પીણી એક પ્રકારનું મનોરંજન બની ગયું છે , "" એવું ઇમ્પ્રેસારિયો એન્ટરટેઇન્મેન્ટ એન્ડ હોસ્પિટાલિટીના રિયાઝ અમલાનીએ જણાવ્યું હતું . ખાણી પીણીનું બજાર દેશમાં આ ક્ષેત્રના ઊભરી રહેલા અને વર્તમાન ખેલાડીઓને પોતાનો ફેલાવો વિસ્તારવા માટે પ્રેરી રહ્યું છે , તો બીજી બાજુ યુરોપ અને અમેરિકાની કેટલીક બ્રાન્ડ્સ પણ ભારતમાં પ્રવેશવાની યોજના ઘડી રહી છે . લંડનની કંપની પિન્ગ પોન્ગ આગામી મહિને મુંબઈમાં પોતાની હોટલ શરૃ કરી રહી છે , જ્યારે અન્ય આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ જેમકે નોબુ , કાર્લુસિયસ અને ઝુમા ભારતમાં કારોબાર કરવા માટેની વ્યૂહરચના ઘડવામાં વ્યસ્ત છે . ભારત એ એશિયા પેસિફિક પ્રદેશનું બીજા ક્રમનું સૌથી વિશાળ ફૂડ સર્વિસિઝ માર્કેટ છે . ખાનપાન ઉદ્યોગના 510 બિલિયન ડોલરના કદ સાથે ચીન ભારત કરતાં ઘણું આગળ છે ." entertainment,"ન્યુયૉર્ક , 21 ઑક્ટોબર : હૉલીવુડના સૌથી સુંદર અભિનેત્રીઓમાંના એક એંજેલિના જોલી કે જેમના સૌંદર્ય તથા સંઘર્ષમય જીવનના દરેક પાનાને લોકો જાણવા અને વાંચવા માંગે છે . એટલે જ તો એંજેલિનાની આત્મકથા પ્રસિદ્ધ કરવા પ્રકાશકોમાં હોડ મચી છે . દરેક મોટું પબ્લિકેશન જોલીને મોમાંગી કિંમત આપવા તૈયાર છે તેમની ઑટોબાયોગ્રાફી છાપવા માટે . કહે છે કે એંજેલિના જોલીએ પોતાની આત્મકથામાં એક અભિનેત્રી બનવાથી માંડી બ્રૅડ પિટના પ્રેમિકા બનવા સુધીની સફરને ખૂબ જ માર્મિક રીતે રજૂ કર્યું છે . જોલીએ પોતાના પુસ્તકમાં પોતાના માતા સાથેના સંબંધોને પણ સુંદર રીતે વર્ણવ્યું છે . ઉપરાંત તેમના બ્રેસ્ટની બાયોપ્સી કઈ પરિસ્થિતિઓમાં થઈ , તેનો પણ ઉલ્લેખ છે , તો બ્રૅડ પિટ સાથે લિવ ઇન રિલેશન અને છ બાળકોના માતા બનવાનો નિર્ણય પણ કઈ રીતે લેવાયો ? તે અંગે પણ ખુલાસો છે . ખેર , હાલ તો જોવાનું એ જ રહે છે કે સૌથી મોંઘા અભિનેત્રી એંજેલિના જોલીની આત્મકથા છાપવાનો સૌભાગ્ય કોને મળે છે ?" entertainment,"સ્વર્ગસ્થ ભારતીય ગોલ્ફ ખેલાડી ગૌતમ બેરીના પુત્રી તારા અલીશા બેરી મસ્તરામ ફિલ્મ સાથે બૉલીવુડમાં પ્રવેશ કરવા જઈ રહ્યાં છે . થોડાંક દિવસ અગાઉ પોતાના ઓરમાન ભાઈ સિકંદર બેરી સાથે સમ્પત્તિ વિવાદને પગલે અલીશા ચર્ચામાં આવ્યા હતાં . સિકંદર ગૌતમના પ્રથમ પત્ની કિરણ ખેરના પુત્ર છે . કિરણ - ગૌતમ વચ્ચે છુટાછેડાં થઈ ચુક્યાં છે . અલીશા અખિલેશ જયસવાલની ફિલ્મમાં લેખક મસ્તરામના પત્નીની ભૂમિકામાં દેખાશે . જયસવાલ અગાઉ ગૅંગ્સ ઑફ વાસેપુરના સહ - પટકથા લેખક તરીકે કામ કરી ચુક્યાં છે . મસ્તરામ સાથે તેઓ દિગ્દર્શન ક્ષેત્રે પ્રવેશ કરી રહ્યાં છે . મસ્તરામ ફિલ્મ અંગે તારા અલીશા બેરીએ જણાવ્યું - ફિલ્મની પટકથા વાંચ્યા બાદ મેં તેને કરવાનો નિર્ણય કર્યો . આ અગાઉ મને એ પણ નહોતી ખબર કે મસ્તરામ કોણ હતાં . મને ફિલ્મની સ્ક્રિપ્ટ ગમી . ફિલ્મ દેશના જાણીતા પોર્ન લેખકના જીવન વિશે છે , પરંતુ તે સ્વચ્છ ફિલ્મ છે . વાર્તા કે સામગ્રી ક્યાંય પણ અશ્લીલતા કે સનસનાટીપૂર્ણ નથી . આ એક મજાની વ્યંગ્યાત્મક ફિલ્મ છે . જાણીતાં પરિવાર સાથે ઘરોબો હોવા છતાં અલીશા કહે છે - હું પોતાની ઓળખ સ્થાપિત કરવા માટે મહેનતમાં પીછેહઠ નહીં કરું . મને લાગે છે કે મારી ફિલ્મ સફર પણ બીજા નવા લોકોની જેમ જ છે . ફિલ્મી કે ગેરફિલ્મી પરિવારથી આવનાર તમામને સરખી મહેનત કરવી પડે છે . મેં ફિલ્મોમાં આવવા માટે કોઈની મદદ નથી લીધી , પરંતુ સમીર શર્મા , અનુરાગ કશ્યપ , સાનૂ શર્મા જેવા દિગ્દર્શકોનું માર્ગદર્શન જરૂર મને મળ્યું . તારા અલીશા બેરી કહે છે - બાળપણમાં મેં પોતાનો ઘણો સમય યૂએસ ક્લબમાં ડૅડને ગોલ્ફ રમતાં જોઈ વિતાવ્યો છે , પરંતુ ક્યારેય ગોલ્ફર બનવા અંગે નથી વિચાર્યું ." business,"આ અંગે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ કહ્યું છે કે લેણદારોનું જૂથ આર્થિક કટોકટીમાં સપડાયેલી કિંગફિશર એરલાઈન્સ પાસેથી બાકી નીકળતા નાણાં વસુલ કરવાના પ્રયાસો કરી રહ્યું છે અને રૂપિયા 800થી 1000 કરોડ મેળવી પણ લીધા છે . એસબીઆઈના ચેરમેન પ્રતિપ ચૌધરીના જણાવ્યા મુજબ , કિંગફિશર એરલાઈન્સ પાસેથી નાણાં પાછા મેળવવાના પ્રયાસો ચાલુ જ છે . અમે પૂરતી રકમ રીકવર કરી છે . બેન્કોએ પાછી મેળવેલી રકમનો આંક રૂપિયા 800થી 1000 કરોડ થવા જાય છે . એસબીઆઈની આગેવાનીમાં આ જૂથમાં 17 બેન્કો જોડાઈ છે . આ બેન્કોએ કિંગફિશર એરલાઈન્સ પાસેથી રૂપિયા 7000 કરોડથી વધારે રકમ લેવાની નીકળે છે . તેની પાસે યુનાઈટેડ સ્પિરીટ્સ જેવી લિસ્ટેડ કંપનીઓના શેર છે , જેનું મૂલ્ય રૂપિયા 500 કરોડ થવા જાય છે . તે ઉપરાંત લેણદારો પાસે સિક્યૂરિટી તરીકે બ્રાન્ડ એમ્બેસેડર પણ છે . વિજય માલ્યાની માલિકીની એરલાઈન કંપનીમાં એસબીઆઈએ રૂપિયા 1600 કરોડનું મૂડીરોકાણ કર્યું છે . તે પછીના નંબરે આવે છે , પંજાબ નેશનલ બેન્ક ( 800 કરોડ ) , આઈડીબીઆઈ ( 800 કરોડ ) , બેન્ક ઓફ ઈન્ડિયા ( 650 કરોડ ) , બેન્ક ઓફ બરોડા ( 550 કરોડ ) . એસબીઆઈના ચૌધરીએ કહ્યું છે કે અમે લેવાની નીકળતી રકમ વસુલ કરવા કિંગફિશર એરલાઈન્સની બધી મિલકતો વેચી દઈશું . આમાં , કંપનીઓના શેરહોલ્ડિંગ , કંપનીઓની રિયલ એસ્ટેટ્સ , પર્સનલ એસેટ્સ વગેરેનો સમાવેશ થાય છે ." entertainment,"પ્રિયંકા ચોપરાની ફિલ્મ જય ગંગાજલ આવી ચુકી છે . પ્રિયંકા ચોપરાના ફેંસ આ ફિલ્મને લઇને ખુબ ઉત્સાહમાં છે . જય ગંગાજલ ફિલ્મનું નિર્દેશન પ્રકાશ ઝાં એ કર્યું છે . ફિલ્મની કહાની જીલ્લાની પહેલી મહિલા એસપી આભા માથુર પર ફરી રહી છે . પ્રિયંકા ચોપરા ખાકી અવતારમાં ખુબ જ સરસ લાગી રહી છે . પ્રકાશ ઝાં આ ફિલ્મથી પોતાના એક્ટીગ કરિયરની શરૂઆત કરે છે . આ ફિલ્મમાં પ્રકાશ ઝાં નો ગ્રે - શેડ કોઈ જ છાપ નથી છોડતા . તેમનો ગંદા હૈ પર ધંધા હૈ વાળી વૃત્તિ તમે અવોઇડ કરવાનું જ પસંદ કરશો . "" ઇઝ્ઝત કરો કાનૂન તોડનેવાલો કો સજા દેનેવાલો કી "" - આ ડાયલોગ સાથે જયારે પ્રિયંકા ચોપરા લોકોની ધુલાઇ કરે છે ત્યારે ફિલ્મમાં મજા આવી જાય છે . ફિલ્મ જય ગંગાજલનો મુખ્ય મુદ્દો એ છે કે કીચડને સાફ કરવા માટે સાફ પાણીની જરૂર પડે છે ગંદા પાણીની નહી ." entertainment,"પરિસુશ એટલે કે પરિણીતી ચોપરા અને સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મ શુદ્ધ દેસી રોમાંસમાં ઘણું બધું એવું દેખાશે કે જે જરાય દેસી નથી . પહેલાં તો આ ફિલ્મ જ લિવ ઇન રિલેશનશિપ ઉપર આધારિત છે કે જે બાબત દેસી નથી અને બીજી તરફ ફિલ્મમાં પરિસુશના પૂરા 27 કિસિંગ સીન્સ છે કે જે દેસી લોકોને ભાગ્યે જ દેસી લાગશે . શુદ્ધ દેસી રોમાંસ ફિલ્મમાં પરિસુશ લિવ ઇન પાર્ટનર્સ બન્યાં છે , પરંતુ પરિણીતી ચોપરા અને સુશાંત સિંહ રાજપૂત વચ્ચે અનેક ઇંટીમેટ સીન્સ પણ શૂટ કરાયાં છે . જ્યારે આ અંગે પરિણીતીને પૂછાયું , તો તેમણે જણાવ્યું - પ્લીઝ ચીપ શબ્દોનો ઉપયોગ ન કરો . એમ તો ફિલ્મનું નામ શુદ્ધ દેસી રોમાંસ છે , પણ ફિલ્મમાં કંઈ પણ શુદ્ધ કે દેસી નજર નથી આવતું . પરિણીતીએ ફિલ્મના પ્રમોશન દરમિયાન અનેક વાર લખ્યું કે તેઓ ક્યારેય અંગ પ્રદર્શન વડે સફળતાની ઉંચાઇએ પહોંચવા નથી માંગતા , પણ તેઓ બોલ્ડનેસ બતાવી કદાચ એવું જ કંઈક કરવાની ફિરાકમાં છે . પરિણીતી ચોપરાની એક બોલ્ડ એક્ટ્રેસની ઇમેજ બની ચુકી છે . આવો તસવીરો સાથે જાણીએ વધુ વિગતો :" sports,"ભારતનું માન વધારનારી 18 વર્ષીય હિમા દાસને અસમની ખેલ રાજદૂત બનાવવામાં આવશે . ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલે સ્ટાર એથલીટ હિમા દાસના માતા પિતા સાથે મુલાકાત કરી અને કહ્યુ કે તેમને રાજ્યની ખેલ દૂત નિયુક્ત કરવામાં આવશે . અધિકારીઓએ જણાવ્યુ કે હાલમાં ફિનલેન્ડના ટેમ્પરમાં આઈએએફ વિશ્વ અંડર - 20 ચેમ્પિયનશીપમાં 400 મીટરની દોડમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચનારી હિમા રાજ્યની પહેલી ખેલ દૂત બનશે . રાજ્ય સરકારે કહ્યુ કે પોતાના રાજ્યમાં પાછા આવ્યા બાદ તે રાજ્ય સ્તરના કાર્યક્રમમાં આ એથલીટનું સમ્માન કરશે . સોનોવાલે હિમાના પિતા રંજીત અને માતા જુનાલી દાસને આ વાત કહી . સોનોવાલ નગાંવ જિલ્લાના ધીંગ ક્ષેત્રના નંબર ત્રણ કાંદુલિમારી ગામમાં હિમાના માતાપિતા અને પરિવારના અન્ય સભ્યોને મળ્યા . વળી , મુખ્યમંત્રી સોનોવાલે હિમાની સફળતા પર તેમના માતાપિતાને અભિનંદન પાઠવ્યા અને હિમા દાસની પ્રશંસા કરતા કહ્યુ કે તેમની સફળતાએ વૈશ્વિક સ્તર પર રાજ્યના લોકોનો દરજ્જો વધાર્યો છે . તેમણે કહ્યુ કે હિમાની ઉપલબ્ધિથી ભારતીયોને પ્રેરણા મળશે અને તેના દ્વારા જીતેલા સ્વર્ણ પદકથી સાબિત થાય છે કે અથાગ મહેનત , પ્રતિબદ્ધતા અને ઈમાનદારી જ સફળતાનો આધાર છે . તમને જણાવી દઈએ કે આની પહેલા સરકારે તેમને 50 લાખ રૂપિયા આપવાની પણ ઘોષણા કરી હતી , જેના પર મુખ્યમંત્રીએ કહ્યુ કે તે પણ તેમને વહેલામાં વહેલી તકે આપવામાં આવશે ." entertainment,"ફિલ્મ રૉકસ્ટાર વડે બૉલીવુડમાં પગલા મૂકનારી અભિનેત્રી નરગિસ ફખરીનું કહેવું છે કે તેણે ક્યારેય વિચાર્યુ નહોતું કે તે એક દિવસ હિન્દી સિનેમામાં અભિનેત્રી તરીકે કામ કરશે , પણ ફિલ્મ રૉકસ્ટારની વાર્તાએ તેને મૉડેલમાંથી અભિનેત્રીમાં રૂપાંતરિત કરી નાંખી . આમ જોઇએ તો નરગિસ અકસ્માતે હીરોઇન બની ગઈ . એચસીએલ કમ્પનીની અલ્ટ્રાબુકના લૉન્ચિંગ પ્રસંગે નરગિસે મીડિયા સાથે વાતચીત કરતાં આ રહસ્ય ખોલ્યું . નરગિસે જણાવ્યું હતું કે એક તો રૉકસ્ટારની વાર્તા એટલી બધી સારી હતી કે જેને સાંભળ્યા બાદ મેં તરત જ હા કહી દીધું . નરગિસ ( ગેલેરી ) કહે છે કે બીજું રણબીર કપૂરે મદ કરી , જેથી હું પોતાની ત્રુટક - ફુટક હિન્દી છતાં પણ સારી એક્ટિંગ કરી શકી . લોકોએ જ્યારે મને આવીને જણાવ્યું કે મેં સારૂં કામ કર્યું છે , તો મને ઘણો આનંદ થયો . હંમેશા પોતાના જીવનમાં રોમાંચને મહત્વ આપતી નરગિસ ફખરીએ જણાવ્યું હતુ કે તે વધુ ફિલ્મો કરવાની ઇચ્છા ધરાવે છે , પણ જ્યાં સુધી સારી વાર્તા નહિં મળે , ત્યાં સુધી ફિલ્મ સ્વીકારતી નથી . નોંધનીય છે કે મ્યુઝિકલ સુપરહિટ ફિલ્મ રૉકસ્ટાર દ્વારા ફિલ્મી દુનિયામાં હલચલ પેદા કરનાર નરગિસ અંગે રણબીર સાથે લફરાના સમાચારો પણ વહેતાં થયા હતાં . લોકોનું કહેવું હતું કે નરગિસને રણબીરના મમ્મી નીતૂ કપૂર પણ બહુ પસંદ કરે છે . પણ ફિલ્મ રિલીઝ થયા બાદ મામલો શાંત થઈ ગયો . જોકે નરગિસે ફરી એક વાર રણબીરના વખાણો કર્યા છે . તેથી શક્ય છે કે જૂનો મામલો ફરી તાજો થાય ." entertainment,"મુંબઈ , 22 સપ્ટેમ્બર : ધ શૌકીન્સનું લેટેસ્ટ પોસ્ટર આઉટ થઈ ગયું છે . આ પોસ્ટરમાં ફિલ્મના લીડ પાત્રો એક્શન કિંગ અક્ષય કુમાર અને હૉટી લીઝા હૅડન ઉપરાંત અનુપમ ખેર , અન્નુ કપૂર તથા પીયૂષ મિશ્રા પણ દેખાઈ રહ્યાં છે . ધ શૌકન્સ એક કૉમેડી ફિલ્મ છે કે જેનું દિગ્દર્શન અભિષેક શર્મા કરી રહ્યા છે . ધ શૌકીન્સની ટૅગલાઇન છે ‘ઍ કમિંગ ઑફ એજ કૉમેડી ' . ધ શૌકીન્સ 1982માં આવેલી બાસુ ચૅટર્જી દિગ્દર્શિત શૌકીન ફિલ્મની રીમેક છે . જૂની શૌકીનમાં અશોક કુમાર , ઉત્પલ દત્ત , એ કે હંગલ , રતિ અગ્નિહોત્રી તથા મિથુન ચક્રવર્તી લીડ રોલમાં હતાં . હૉટી લીઝા હૅડને આ પોસ્ટરમાં પોતાની હૉટનેસ જાળવી રાખવાનો પુરતો પ્રયત્ન કર્યો છે કે જેમાં તેઓ પોતાની ટોન્ડ બૉડી અને કર્વ્સનું પ્રદર્શન કરી રહ્યા છે . બીજી બાજુ અક્ષય કુમાર બીજા પોસ્ટરમાં નથી . એવુ લાગે છે કે પહેલા પોસ્ટરમાં અક્ષયને રાખી બીજા પોસ્ટરમાંથી ગાયબ કરી ધ શૌકીન્સના નિર્માતાઓએ કિલ દિલ તથા હૅપ્પી ન્યુ ઈયરના પોસ્ટરોની જેવુ કરવાની કોશિશ કરી છે . ચાલો તસવીરો સાથે જાણીએ વધુ વિગતો :" entertainment,"મુંબઈ , 11 જાન્યુઆરી : હાસ્ય કલાકાર સુનીલ ગ્રોવર કે જેઓ કપિલ શર્માના શો કૉમેડી નાઇટ્સ વિથ કપિલમાં ગુત્થી તરીકે દેખાતા હતાં , તેઓ હવે કપિલનો શો છોડ્યા બાદ હવે પોતાનો અલાયદો શો લઈને આવી રહ્યાં છે . આ શોમાં તેઓ છુટકી તરીકે દેખાશે અને હાસ્યની છોળો ઉછાળી લોકોને હસાવશે . સુનીલ ગ્રોવરનો આ શો ટુંકમાં જ સ્ટાર પ્લસ ઉપર શરૂ થશે . તેનું પ્રોમો આ મહીનાના અંતથી પ્રસારિત થવા લાગશે . નવા શોમાં સુનીલ ગ્રોવરના મહિલા પાત્રનું નામ છુટકી રહેશે . હજી સુધી સુનીલના શોનું નામ નક્કી નથી કરાયું . એટલું જ નહીં , સુનીલના આ શોમાં જોક્સ , ગૅગ્સ તથા સ્કિટ્સ વિગેરે પણ કપિલના શો કરતાં જુદા હશે . ઉપરાંત સુનીલ ગ્રોવરના શોને કપિલના ટક્કરમાં લાવવાનું પણ ટાળવામાં આવ્યું છે . સુનીલનો શો સ્ટાર પ્લસ ઉપર રાત્રે 8.30 વાગ્યે આવશે , જ્યારે કપિલનો શો 10 વાગ્યે આવે છે . હજી સુધી સુનીલના શોનું નામ નક્કી નથી કરાયું ." sports,"લંડન , 25 જુલાઇઃ નોટિંગહામ ટેસ્ટ દરમિયાન ઇંગ્લેન્ડના બોલર જેમ્સ એન્ડરસન સાથે થયેલા વિવાદ કેસમાં આઇસીસીએ દખલગીરી કરી છે અને ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજા પર મેચ ફીના 50 ટકાનો દંડ ફટકાર્યો છે . જો કે આ અંગે બીસીસીઆઇએ વિરોધ નોંધાવ્યો છે . બીસીસીઆઇ જાડેજાને કરવામાં આવેલા દંડની વિરોધમાં છે અને તે આ અંગે વિશ્વ ક્રિકેટની સર્વોચ્ચ કમિટિ આંતરરાષ્ટ્રિ ક્રિકેટ કાઉન્સિલ ( આઇસીસી ) ને અપિલ કરશે . આઇસીસીએ શુક્રવારે જણાવ્યું છેકે , નોટિંગહામના ટ્રેન્ટ બ્રિજ ખાતે 10 જુલાઇના રોજ રમાયેલી શ્રેણીની પહેલી ટેસ્ટમાં જેમ્સ એન્ડરસન સાથેના વિવાદમાં આઇસીસીની આચારસંહિતા અનુસાર લેવલ 1 અનુસાર રવિન્દ્ર જાડેજા દોષી ઠર્યો છે . આઇસીસીની મેચ રેફરી કમિટીના ડેવિડ બૂને જાડેજા પર મેચ ફીનો 50 ટકાનો દંડ ફટકાર્યો છે . જોકે તેની સામે જે ફરિયાદ થઇ હતી તે સંદર્ભે તે દોષી જણાયો નથી , પરંતુ તેને ધારા 2.1.8 ( ખેલ ભાવના વિરુદ્ધના કાર્ય ) હેઠળ દોષી માનવામાં આવ્યો છે . ઇંગ્લેન્ડ ટીમના મેનેજેર ફીલ નીલે રવિન્દ્ર જાડેજા સામે આઇસીસી આચારસંહિતા અનુસાર ધારા 2.2.11 હેઠળ ફરિયાદ કરી હતી . જે બદલ ગુરુવારે સાંજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી . જેમાં બન્ને ખેલાડીઓ , લિગલ કાઉન્સલ્સ , સાક્ષીઓ , બીસીસીઆઇના એમવી શ્રીધર , ફીલ નીલ અને ઇસીબીના પૉલ ડાઉટોન હાજર રહ્યાં હતા . વિશ્વના ટોપ 10 મોસ્ટ વેલ્યુએબલ ખેલાડી , ધોની પાંચમાં ક્રમે . . તો શું આ ધોનીની લોર્ડ્સમાં છેલ્લી ટેસ્ટ હતી ?" sports,"દુબઇ , 19 ઑગસ્ટઃ સતત ખરાબ પ્રદર્શનના કારણે ભારતના મોટાભાગના બેટ્સમેનોને આઇસીસીની તાજા રેન્કિંગમાં પછડાટ મળી છે , જ્યારે પાંચ મેચોની શ્રેણી 3 - 1થી જીતનારા ઇંગ્લેન્ડના બેટ્સમેનોએ લાંબી છલાંગ લગાવી છે , જેમાં જો રૂટ મહત્વપૂર્ણ છે , જે પોતાની કારકિર્દીમાં પહેલીવાર ટોપ 10માં સામેલ થયા છે . ઇંગ્લેન્ડ વિરુદ્ધ ઓવલમાં રમાયેલી પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમ પહેલી ઇનિંગમાં 148 અને બીજી ઇનિંગમાં માત્ર 94 રનમાં પેવેલિયન ભેગી થઇ ગઇ હતી . જેનો પ્રભાવ રેન્કિંગ પર પડ્યો છે . ચેતેશ્વર પૂજારા હજુ પણ ભારતના ટોચ બેટ્સમેન છે , પરંતુ તે ચાર ક્રમાંક નીચે આવી ગયા છે , હવે તે ટેસ્ટ રેન્કિંગમાં 16માં ક્રમે છે . વિરાટ કોહલીને પાંચ ક્રમોનું નુક્સાન પહોંચ્યું છે અને તે 26માં ક્રમે તથા મુરલી વિજય 4 ક્રમાંક નીચે 34માં ક્રમે આવી ગયા છે . અજિંક્ય રહાણેને 9 ક્રમાંકનું નુક્સાન જતાં તે 43માં ક્રમે અને ગંભીર 3 ક્રમના નુક્સાન સાથે 54માં ક્રમે પહોંચી ગયા છે . ભારતીય બેટ્સમેનોમાં માત્ર મહેન્દ્ર સિંહ ધોની નફામાં છે . તેમણે પહેલી ઇનિંગમાં 82 રન બનાવ્યા હતા , જેનો ફાયદો મળતા તે ચાર ક્રમાંક આગળ આવ્યા છે અને 28માં ક્રમે રહ્યાં છે . આર અશ્વિન બેટિંગમાં ત્રણ ક્રમ નીચે જતાં 48માં ક્રમે છે અને આ સાથે જ ઓલરાઉન્ડર્સની યાદીમાંથી તેમનું ટોચનું સ્થાન છિનવાઇ ગયું છે . અશ્વિનના સ્થાને હવે બાંગ્લાદેશના ખેલાડી શાકિબ અલ હસન છે . ઇંગ્લેન્ડમાં ખરાબ પ્રદર્શનઃ કોહલી - પૂજારાએ બનાવ્યા નવા રેકોર્ડ આ પણ વાંચોઃ - જયવર્દનેએ અડધી સદી સાથે ટેસ્ટ ક્રિકેટને કરી અલવિદા" entertainment,"સલમાન ખાન કાળા હરણના મામલે જોધપુર કોર્ટમાંથી આઝાદ થઇ ચુક્યા છે અને ટ્વિટર પર ફરી એકવાર ચર્ચા શરૂ થઇ ચુકી છે . આમ જોવા જઈએ તો ચોંકવા જેવી કોઈ જ વાર નથી . કારણકે જો સલમાન ખાન એક માણસ પાર ગાડી ચલાવવાના મામલે આઝાદ થઇ શકતા હોય તો પછી હરણ શુ છે , એવું ટ્વિટર પર લોકો કહી રહ્યા છે . એબીપી ન્યૂઝ ઘ્વારા ફિલ્મી હસ્તીઓને કેસના નિર્ણય વિશે પૂછવામાં આવ્યું તો ફરી એકવાર સિંગર અભિજીતે જે પણ કહ્યું તે ચોંકાવી નાખે તેવું છે . અભિજીતે એબીપી ન્યૂઝ સાથે વાતચીત દરમિયાન જણાવ્યું કે સલમાન જેલમાં જાય , નર્કમાં જાય કે પછી સ્વર્ગમાં જાય તેનાથી તેને કોઈ જ લેવાદેવા નથી . અભિજીતે આગળ કહ્યું કે તેઓ સલમાન ખાનના ફેન નથી તેમની ફિલ્મો પણ જોતા નથી . તેમને કહ્યું કે તેમની એક ટવિટથી તેમની છબી ખરાબ થઇ હતી . પરંતુ કોઈ પણ સ્ટાર હોઈ સલમાન ખાન , આમિર ખાન કે પછી શાહરુખ ખાન તેઓને કોઈની પણ પરવાહ નથી . જાણો આગળ કોણે શુ કહ્યું . . ." sports,"ક્રિકેટના ભગવાન કહેવામાં આવતાં માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે આજે ઇન્ડિયન પ્રીમિયર લીગમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી દિધી છે . કલકત્તાના ઇડન ગાર્ડન મેદાનમાં રવિવારે રમવામાં આવેલા આઇપીએલ - 6ના ફાઇનલ મુકાબલામાં ચેન્નઇ સુપર કિંગ્સ સામે મુંબઇ ઇન્ડિયંસની ટીમની જીત અને આઇપીએલ ચેમ્પિયન બન્યા બાદ સચિન તેંડુલકરે આ જાહેરાત કરી હતી . જો કે સચિન તેંડુલકરે આજે મેચમાં ભાગ લીધો ન હતો . સચિન તેંડુલકરે પોતાની ટીમની ખિતાબી જીત બાદ કહ્યું હતું કે આ મારી છેલ્લી આઇપીએલ હતી . હું માનું છું કે આ આઇપીએલને અલવિદા કહેવાનો યોગ્ય સમય છે . મારે વાસ્તવિકતાને સ્વિકાર કરવી જોઇએ . મે નિર્ણય કર્યો છે કે આ મારી છેલ્લી આઇપીએલ છે . આનાથી જોરદાર સમાપન હોય ન શકે . જ્યારે એક મહાન બેસ્ટમેન સુનિલ ગાવસ્કરે સચિન તેંડુલકરને પૂછ્યું હતું કે શું આગામી વર્ષે વાનખેડેમાં મુંબઇ ઇન્ડિયંસની પ્રથમ મેચ રમીને સંન્યાસ લેવો પસંદ કરશે નહી , તો સચિન તેંડુલકરે કહ્યું હતું કે ' મેં વર્લ્ડકપ માટે 21 વર્ષ સુધી રાહ જોઇ પરંતુ આઇપીએલ ખિતાબ માટે ફક્ત છ વર્ષ રાહ જોવી પડી . આ માટે એકદમ ખાસ છે . હું આઇપીએલના આગામી સત્રમાં રમીશ નહી , તેમને કહ્યું હતું કે ' હું ટ્રોફીને ચૂમવા માટે બેતાબ છું . બધાનો આભાર માનવાનો આ યોગ્ય સમય છે . ' ગત વર્ષે ડિસેમ્બરમાં એકદિવસીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લેનાર સચિન તેંડુલકર આ વખતે આઇપીએલમાં અપેક્ષિત પ્રદર્શન કરી શક્યા નથી . તેમને કહ્યું હતું કે 14 મેચોમાં 22.07ની એવરેઝ સાથે 287 રન બનાવ્યા અને તેમનો ઉચ્ચતમ સ્કોર 54 રનનો રહ્યો છે . સચિન તેંડુલકરે 13 મેના રોજ સનરાઇઝર્સ હૈદ્રાબાદ વિરૂદ્ધ બેટીંગ કરતી વખતે ઇજા પહોંચી હતી અને ત્યારબાદ કોઇ મેચમાં રમી શક્યા ન હતા . તેમને 2008માં આઇપીલની શરૂઆત સાથે જ મુંબઇ ઇન્ડિયંસનો ભાગ રહ્યાં છે . તેમને આ ટૂર્નામેન્ટમાં 78 મેચોમાં 34.83ની એવરેઝ સાથે 2334 રન બનાવ્યા છે જેમાં એક સદી અને 13 અર્ધશતકનો સમાવેશ થાય છે . અત્યાર સુધી 198 ટેસ્ટ મેચ રમનાર સચિન તેંડુલકર લાંબાગાળાથી ક્રિકેટ સાથે સંકળાયેલા છે ." sports,"લોર્ડ્સ ખાતેના ભવ્ય વિજય બાદ ભારતીય ક્રિકેટ ટીમે સાઉથમ્પટન ખાતે નિરાશાજનક પરાજય વ્હોર્યો . જે બેટ્સમેન અને બોલર્સે લોર્ડ્સમાં શાનદાર પ્રદર્શન કરી માત્ર ક્રિકેટ ચાહકો જ નહીં પરંતુ ક્રિકેટ દિગ્ગજોની વાહવાહી લૂટી હતી , તેઓ સાઉથમ્પટન ખાતેના પોતાના નાલેશીભર્યા પ્રદર્શન બાદ ટીકાનું કેન્દ્ર બની ગયા છે . સાઉથમ્પટન ખાતેની ટેસ્ટમાં ભારત બધા મોરચે નિષ્ફળ રહ્યું હતું . અજિંક્ય રહાણેને બાદ કરતા તમામ બેટ્સમેન પોતાની પ્રતિભાનુંસાર બેટિંગ કરવામાં નિષ્ફળ રહ્યાં હતા તો બીજી તરફ બોલિંગમાં પણ એ સાતત્ય જોવા મળ્યું નહોતું . ઇશાંત શર્માની ગેરહાજરીમાં ભારતીય બોલિંગની ધાર જાણેકે બુઠ્ઠી થઇ ગઇ હોય તેમ બોલર્સે રનનો વરસાદ કરી દીધો હતો . પંકજ સિંહ કે જેને પોતાની પ્રતિભા દર્શાવવાનું શ્રેષ્ઠ પ્લેટફોર્મ મળ્યું હતું તે અવસરને તકમાં તે પરિવર્તિત કરવામાં નિષ્ફળ રહ્યો હતો . ઇજાગ્રસ્ત સાહાના સ્થાને નમન ઓઝાનો ટેસ્ટ ટીમમાં સમાવેશ આ પણ વાંચોઃ - ટીમ ઇન્ડિયાની આ ‘ખામી ' ન ગમી સુનિલ ગાવસ્કરને સ્વાભાવિક પણે ભારત માન્ચેસ્ટર મેચમાં કેવું પ્રદર્શન કરશે તેને લઇને દરેક ક્રિકેટ રસિયાના મનમાં પ્રશ્ન ઉદ્ભવે તે સ્વાભાવિક છે અમે અહીં તસવીરો થકી એવા કેટલાક પોઇન્ટ જણાવી રહ્યાં છીએ , જે ભારતીય સુકાની મહેન્દ્ર સિંહ ધોની દ્વારા હાથ ધરવામાં આવે તો માન્ચેસ્ટરમાં ભારત સારું પ્રદર્શન કરી શકે છે ." sports,"નવી દિલ્હી , 13 સપ્ટેમ્બર : આઇપીએલ 6માં સ્પોટ ફિક્સિંગ માટે દોષિત ઠરેલા ભારતીય ક્રિકેટર એસ શ્રીસંત સહિત અજીત ચંડિલા અને અંકિત ચૌહાણ પર પાંચ વર્ષનો પ્રતિબંધ લાગી શકે છે . આ ખેલાડીઓ પર પાંચ વર્ષનો પ્રતિબંધ મૂકવા માટે માંગણી કરવામાં આવી છે . આ ત્રણ ખેલાડીઓ સહિત બીસીસીઆઇએ કુલ છ લોકોને સ્પોટ ફિક્સિંગ માટે દોષિત ઠેરવ્યા છે . આ કેસની તપાસ કરી રહેલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદની ભ્રષ્ટાચાર વિરોધી એકમના પૂર્વ સભ્ય રવિ સવાનીને આ કેસની તપાસ માટે નિયુક્ત કરવામાં આવ્યા છે . આ ત્રણે ખેલાડીઓ હાલ જામીન પર મુક્ત છે . ઉલ્લેખનીય છે કે તેમને 16 મે , 2013ના રોજ મુંબઇની એક હોટલમાંથી દિલ્હી પોલીસે ધરપકડ કરીને પકડ્યા હતા . તેમને થોડા સમય માટે ન્યાયિક એટકાયત હેઠળ તિહાર જેલમાં મોકલી આપવામાં આવ્યા હતા . કહેવામાં આવે છે કે આ કેસની તપાસ કરી રહેલા સવાનીએ પાછલા મહિનામાં કોલકત્તામાં યોજાયેલી બીસીસીઆઇના કાર્યસમિતીની બેઠકમાં જ પોતાનો રિપોર્ટ સોંપી દીધો હતો . આ રિપોર્ટના આધારે આ ખેલાડીઓના ભવિષ્ય અંગે ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે . જો આ ખેલાડીઓ પર પાંચ વર્ષનો પ્રતિબંધ મૂકવામાં આવે છે તો ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં એવું બીજી વાર થશે જ્યારે ખેલાડીઓએ મેચ ફિક્સિંગના કારણે પ્રતિબંધની સજા ભોગવવી પડી હોય . આ પહેલા અજય જાડેજા , મોહમ્મદ અઝડરૂદ્દીન અને મનોજ પ્રભાકર પર આજીવન પ્રતિબંધ મૂકવામાં આવી ચૂક્યો છે ." entertainment,"મુંબઈ , 17 સપ્ટેમ્બર : પુનઃ એક વાર બૉલીવુડના દબંગ સલમાન ખાન પોતાના દુર્વ્યવહાર માટે ચર્ચામાં છે . લાગે છે કે વિવાદિત શો બિગ બૉસ હોસ્ટ કરનાર સલમાન ખાનને ફરી વિવાદો સાથે પ્રેમ થઈ ગયો છે . વાત સોમવારની છે કે જ્યારે મિયાસલમાન ખાન બૉલીવુડના સુપર સ્ટાર દિલીપ કુમારની ખબર કાઢવા મુંબઈની લીલાવતી હૉસ્પિટલ પહોંચ્યા હતાં . હૉસ્પિટલમાંથી બહાર નિકળતાં જ સલમાને પોતાના ફૅન્સનો સામનો કરવો પડ્યો . તેમનાથી બચવા સલમાન ગાડીની અંદર જ રહ્યાં અને બહાર ન નિકળ્યાં , પરંતુ તેમના ફૅન્સ તેમને જવા નહોતા દેવા માંગતા . તેમની કાર ફૅન્સી ગિર્દીથી ઘેરાઈ ગઈ . દરમિયાન સલમાને જોયું કે એક ફૅન તેમની મંજૂરી વગર તેમની તસવીરો ખેંચી રહ્યો છે . સલમાને પોતાની કારનું કાંચ નીચ કર્યું અને તે વ્યક્તિને નજીક બોલાવ્યું . જેવો જ વ્યક્તિ સલમાન ખાન નજીક આવ્યો કે સલમાને તેનુ મોબાઇલ છીનવી દૂર રોડ ઉપર ફેંકી દીધું . તેના મોબાઇલના બે ટુકડા થઈ ગયાં . સલમાનનું આ રૌદ્ર રૂપ જોઈ સૌ કોઈ આશ્ચર્યમાં પડી ગયાં . તેમને મળવા માટે મચેલો હંગામો એકદમ શાંત થઈ ગયો . લોકોએ તરત રસ્તો ખાલી કરી નાંખ્યું અને સલમાન ખાન ત્યાંથી નિકળી ગયાં . સલમાનના આ ફૅનનું દિલ તુટી ગયું . તેણે મીડિયા સાથે વાતચીત દરમિયાન કહ્યું કે સલમાને જે કર્યું , તે સારૂ ન કર્યું . હું તેમની આ હરકતથી ખૂબ અપસેટ છું ." sports,"હાલ દક્ષિણ કોરિયામાં એશિયન ગેમ્સ ચાલી રહ્યાં છે . 17માં એશિયન ગેમ્સમાં વિવિધ ગેમ્સમાં ભારતે પોતાનું શાનદાર પ્રદર્શન કર્યું છે અને 45 પદક જીત્યા છે . આ યાદીમાં સૌથી ટોચ પર ચીન છે , જેણે અત્યારસુધી 238 જેટલા મેડલ જીત્યા છે . એશિયન ગેમ્સ દરમિયાન તમામ રમત પ્રેમી લોકો અનેક ખેલો અંગે ચર્ચા કરી રહ્યાં છે તો જે તે ખેલ સાથે જોડાયેલા લોકો વિવિધ ગેમ્સમાં પોતાનો જલવો દર્શાવવામાં વ્યસ્ત છે . આ બધાની વચ્ચે એક એવી રમત પણ છે , જે અંગે કોઇ ચર્ચા કરી રહ્યું નથી . આમ તો ક્રિકેટ અંગે આપણે બધા ચર્ચા કરતા હોઇએ છીએ , પરંતુ એશિયન ગેમ્સમાં ક્રિકેટનો સમાવેશ કરવામાં આવ્યો હોવા છતાં એ અંગે વધુ પડતી ચર્ચામાં રહી નથી , તેમ છતાં એશિયન ગેમ્સની ક્રિકેટ સ્પર્ધામાં એક એવી ટીમ પણ રમી રહી છે , જે ઘણી જ અનોખી અને રસપ્રદ છે . અમે વાત કરી રહ્યાં છીએ , દક્ષિણ કોરિયાની ક્રિકેટ ટીમ અંગે . તો ચાલો તસવીરો થકી એ અંગે જાણીએ . pagespeed . lazyLoadImages . overrideAttributeFunctions ( ) ; આ પણ વાંચોઃ - ટી20 ક્રિકેટમાં સૌથી શિકાર કરનાર વિકેટકીપર્સઃ ધોની બીજા ક્રમે આ પણ વાંચોઃ - આ ખેલાડીએ ભારત તરફથી ફટકારી હતી પહેલી ટેસ્ટ સદી function googleAnalyticsCodeCommon ( ) { var main _ url = $ ( ' link [ rel = "" canonical "" ] ' ) . attr ( "" href "" ) ; var url = document . location . href ; var pattern = ' https : / / ' + window . location . hostname ; url = url . replace ( pattern , "" "" ) ; var title = document . title ; ga ( "" oneindiagu . send "" , { hitType : "" pageview "" , page : url , location : main _ url } ) ; ga ( "" rosoneindia . send "" , { hitType : "" pageview "" , page : url , location : main _ url } ) ; ga ( "" dhoneindia . send "" , { hitType : "" pageview "" , page : url , location : main _ url } ) ; url = document . location . href ; var jcode = ' var _ comscore = _ comscore | | [ ] ; var comscoreParams = { c1 : "" 2 "" , c2 : "" 7732551 "" , c3 : "" "" , c4 : "" ' + url + ' "" , c5 : "" "" , c6 : "" "" , c15 : "" "" } ; _ comscore . push ( comscoreParams ) ; var s = document . createElement ( "" script "" ) , el = document . getElementsByTagName ( "" script "" ) [ 0 ] ; s . async = true ; s . src = ( document . location . protocol = = "" https : "" ? "" https : / / sb "" : "" http : / / b "" ) + "" . scorecardresearch . com / beacon . js "" ; el . parentNode . insertBefore ( s , el ) ; ' ; setTimeout ( jcode , 500 ) ; var _ qevents = _ qevents | | [ ] ; ( function ( ) { var elem = document . createElement ( ' script ' ) ; elem . src = ( document . location . protocol = = "" https : "" ? "" https : / / secure "" : "" http : / / edge "" ) + "" . quantserve . com / quant . js "" ; elem . async = true ; elem . type = "" text / javascript "" ; var scpt = document . getElementsByTagName ( ' script ' ) [ 0 ] ; scpt . parentNode . insertBefore ( elem , scpt ) ; } ) ( ) ; _ qevents . push ( { qacct : "" p - yjta2aSVPaHEL "" } ) ; window . google _ analytics _ uacct = "" UA - 110466 - 73 "" ; }" business,"કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે "" આ રોકાણથી કંપનીનું મૂડી માળખું મજબૂત બનશે . તેનાથી કંપનીને વિકાસ કરવામાં વેગ મળશે . "" ભારતી એરટેલના અધ્યક્ષ સુનીલ ભારતી મિત્તલનું કહેવું છે કે "" હું મારી શેરધારિતા આધારમાં એક એન્ય ઉચ્ચ ગુણવત્તાયુક્ત લાંબા ગાળાનું રોકાણ કરનારા સંસ્થાકીય રોકાણકારનું સ્વાગત કરું છું . "" આ સોદાની સલાહ કતાર ફાઉન્ડેશનને ગોલ્ડમેન શેક્સે આપી હતી . કતાર ફાઉન્ડેશન એન્ડોમેન્ટ કતારના રાજ પરિવારના સંપૂર્ણ સ્વામિત્વવાળા કતાર ફાઉન્ડેશનનું રોકાણ એકમ છે . કતાર ફાઉન્ડેશન એન્ડોમેન્ટના કાર્યવાહક મુખ્ય કાર્યકારી અધિકારી રાશિજ અલ નાઇમીએ જણાવ્યું કે "" અમે વિશ્વની એક અગ્રણી ટેલિકોમ કંપનીમાં રોકાણ કરીને ઘણા ઉત્સાહિત છીએ . "" તેમણે એક નિવેદનમાં જણાવ્યું કે "" લાંબા ગાળાના વિદેશી રોકાણકારના સ્વરૂપમાં અમારી શેરધારિતા અમને વુકસતી અર્થવ્યવસ્થામાં તેજીથી વિકાસ કરી રહેલા ક્ષેત્રમાં અમારી પહોંચ વધારવામાં મદદ કરે છે . """ entertainment,"એકવાર ફરી ટીવીની સુપરસ્ટારે બધી જ હદો પાર કરી છે . અહીં અમે શમા સિકંદર વિશે વાત કરી રહ્યા છે જે પોતાની વાયરલ ફોટોને કારણે હાલમાં ખુબ જ ચર્ચામાં છે . દરેક વખતની જેમ શમા સિકંદરે ઇન્સ્ટાગ્રામ પર એક નહીં પરંતુ ઘણી બોલ્ડ ફોટો શેર કરી છે . આપને જણાવી દઈએ કે શમા સિકંદર યે મેરી લાઈફ હૈ સીરિયલમાં એક સિમ્પલ યુવતીના રોલથી ફેમસ બની હતી . શમા સિકંદરે માયા વેબસીરીઝમાં બોલ્ડનેસની બધી જ હદો પાર કરી હતી . હાલમાં થોડા સમય પહેલા જ શમા સિકંદરની તેના બોયફ્રેન્ડ સાથે કિસિંગ ફોટો વાયરલ થઇ હતી . શમા સિકંદર હાલમાં ટીવી અને ફિલ્મોથી દૂર છે , પરંતુ તે પોતાની લોકપ્રિયતા ટકાવી રાખવા માટે ઇન્સ્ટાગ્રામનો સહારો લઇ રહી છે . નાના પરદાની ગોપી વહુએ બ્લેક સાડીમાં બબાલ મચાવી , ફોટો વાયરલ ટીવીની લોકપ્રિય અભિનેત્રી શમા સિકંદર પોતાની વાયરલ ફોટોને કારણે સતત ચર્ચામાં છે . શમા સિકંદરે ફરી એકવાર ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરેલા ફોટોમાં બધી જ હદ પાર કરી છે . શમા સિકંદરનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ તેની બોલ્ડ અને સેક્સી તસ્વીરોથી ભરેલું છે . આ વખતની ફોટો હંમેશા મુજબ તમારા હોશ ઉડાવવા માટે કાફી છે . શમા સિકંદર તેની રિયલ લાઈફમાં પણ ઘણી બોલ્ડ છે . ફરી એકવાર તેની બિકીનીમાં ફોટો વાયરલ થઇ રહી છે . કુંડળીભાગ્ય સુપરસ્ટારની રાતોરાત બિકીની ફોટો વાયરલ થઇ એક નજર કરો શમા સિકંદરની કેટલીક તસવીરો પર , જે ઈન્ટરનેટ પર વાયરલ થઇ રહી છે . ." business,ભારત સંચાર નિગમ લિમિટેડ દ્વારા તેના કેટલાક પોસ્ટપેડ પ્લાનમાં ફેરબદલ કરવામાં આવ્યો છે . જે હેઠળ નવી સુવિધાઓ તમને 1 જૂનથી એટલે કે આજથી મળશે . આ વાતની પૃષ્ટી કેરલા ટેલિકોમડોટઇન્ફો ( kerelatelecom . info ) ની રિપોર્ટથી થઇ છે . જો કે હજી સુધી બીએસએનએલ એ પોતાને આ પ્લાનમાં થનારા બદલાવો માટે પોતાની અધિકૃત વેબસાઇટ પર કોઇ પ્રકારની જાણકારી આપી નથી . કંપની દ્વારા 1125 રૂપિયાના પોસ્ટપેડ પ્લાનમાં હજી સુધી 10 જીબી ઇન્ટરનેટ ડેટા આપવામાં આવી રહ્યો હતો . પણ હવે આ હેઠળ 20 જીબી ઇન્ટરનેટ ડેટા મળશે . ત્યાં જ બીજી તરફ કંપનીના 1525 રૂપિયાના જે પોસ્ટપેડ પ્લાન છે તેમાં પણ 20 જીબી ઇન્ટરનેટ ડેટાના બદલે 30 જીબી ઇન્ટરનેટ ડેટા આપવામાં આવી રહ્યો છે . અને આ ઓફર કંપનીએ પ્રમોશન ઓફર હેઠળ આપી છે . આ બન્ને પ્લાન હેઠળ અનલિમિટેડ લોકલ અને એસટીડી કોલ્સ મળશે . બીએસએનએલ પોતાના પ્લાનમાં અવાર નવાર કોઇ ફેરફાર કરી રહ્યું છે . જેના કારણે તે વધુને વધુ ગ્રાહકોને પોતાની તરફ ખેંચી શકે અને બીજી કંપનીઓને ટક્કર આપતા તેના ગ્રાહકોને સારી ઇન્ટરનેટ સેવા આપી શકે . entertainment,"અક્ષય કુમારને એક પછી એક સફળતા પર સફળતા મળી રહી છે . તેમની સામે હાલ માં તો કોઈ જ ટકી શકે તેવું દેખાઈ નથી રહ્યું . હવે આટલી સફળતા મળ્યા પછી અક્ષય કુમાર તરફથી એક પાર્ટી તો બને જ છે , અને અક્ષય કુમારે તેમ જ કર્યું . અક્ષય કુમારે સન્ડેને સુપર બનાવતા તેમના ખાસ મિત્રોને એક પાર્ટી આપી . સૌથી રસપ્રદ વાત તો એ છે કે તેમની આ પાર્ટીમાં તેમના હોલિવુડ મિત્ર પણ આવ્યા અને તેમની સાથે ખુબ મસ્તી પણ કરી . અક્ષયની રુસ્તમની પાર્ટીમાં પહોંચ્યા હતા હોલિવુડ સુપરસ્ટાર વિલ સ્મિથ . વિલ સ્મિથ હાલ ભારતમાં છે અને સાથે પહોંચ્યા હતા બોલિવૂડના સ્ટાર . પોતાનો જ રેકોર્ડ તોડી રહ્યા છે અક્ષય , ધમાકેદાર , અસલી કિંગ . . . અક્ષય કુમાર અને ટ્વિન્કલ ખન્નાની આ શાનદાર પાર્ટીમાં બીજા પણ ઘણા સ્ટાર્સ આવ્યા હતા . સ્ટાર્સ નહિ પરંતુ દોસ્તોની ટોળી પહોંચી હતી . તસવીરો જોઈને આપણે ખબર પડી જશે કે તેમને ખુબ જ એન્જોય કર્યું . તો એક નજર કરો અક્ષય કુમારની પાર્ટીની તસવીરો પર . . ." entertainment,"મુંબઈ , 26 સપ્ટેમ્બર : અનુષ્કા શર્માએ જણાવ્યું છે કે હાલ તે સિંગલ છે અને તેનું કોઈની સાથે કોઈ લફરું પણ નથી ચાલતું . એમ તો તેની વાતમાં દમે છે , કારણ કે રણવીર સિંહ સાથે હવે તે ક્યારેક - ક્યારેક જ મુલાકાત કરે છે . હવે અનુષ્કા પોતાના કરિયરમાં જ સમ્પૂર્ણ ધ્યાન લગાવી રહી છે . કરિયરની વાત આવી , તો તમને જણાવી દઇએ કે બેંગલુરૂની આ છોકરી હંમેશા ઓરિએંન્ટેડ રહી છે . અનુષ્કાના પિતા કર્નલ અજય કુમાર શર્મા અને માતા આશિમા શર્માના જણાવ્યા મુજબ બાળપણથી જ અનુષ્કા અભ્યાસ પ્રત્યેક જાગૃત રહેતી હતી . બાળપણની વાત આવી જ ગઈ છે , તો ચાલો અમે તમને લઈ જઇએ અનુષ્કાના બાળપણ તરફ , જેમાં તેના જન્મથી લઈને મોટા થવા સુધીની તસવીરો તમે જોશો . સાથે જ શરુઆતથી જ મૉડેલિંગની શોખીન અનુષ્કા બાળપણથી જ ફેશન કરવામાં પાછળ નહોતી રહેતી . એ જ કારણ હતું કે તે આગળ ચાલીને પણ મૉડેલિંગમાં જ કરિયર બનાવવા માંગતી હતી . મૉડેલિંગ તો વધારે ચાલી ન શકી , પણ તે અભિનેત્રી જરૂર બની ગઈ . તેને બ્રેક આપ્યું શાહરુખ ખાને પોતાની ફિલ્મ રબ ને બના દી જોડીમાં ." sports,"સહેવાગને તાજેતરમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટેસ્ટ શ્રેણીમાં અંતિમ બે ટેસ્ટ મેચોમાં ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો . તેને ચેમ્પિયન્સ ટ્રોફી માટે પસંદ કરવામાં આવેલા 30 સંભવિત ખેલાડીઓની યાદીમાં પણ તેને સામેલ કરવામાં આવ્યો નથી . બોયકોટે એક શોમાં કહ્યું કે , મને નથી લાગતુ કે તે બીજી વખત રમી શકશે . મને આવું એ માટે લાગે છે , કારણ કે ભારતીય ટીમ સાચી દિશામાં આગળ વધી રહી છે . તેને અહીં ત્યાં સુધી પહોંચવા માટે થોડો સમય લાગ્યો . હવે યુવા ખેલાડીઓને તક આપી છે . એપ્રિલ 2012 બાદ આઠ ટેસ્ટ મેચોમાં સહેવાગ 31.38 રનની એવરેજથી માત્ર 408 રન જ બનાવી શક્યો છે , જેમાં 117 સર્વશ્રેષ્ઠ હતા . આ દરમિયાન છ વનડે મેચોમા તેણે 30.5ની એવરેજથી 183 રન બનાવ્યા હતા અને ઇંગ્લેન્ડ સામેની વનડે શ્રેણી માટે તેને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો ." entertainment,"શેક્સપીયરના નાટક હૅમલેટ પર આધારિત ફિલ્મ હૈદરનું શૂટિંગ રવિવારે રદ્દ કરી દેવુ પડ્યું . ફિલ્મના શૂટિંગ દરમિયાન કાશ્મીર યુનિવર્સિટી ઉપર ત્રિરંગો ફરકાવવાનું દૃશ્ય શૂટ કરવાનુ હતું , પરંતુ વિદ્યાર્થીઓએ વિરોધ અને તોડફોડ કરતાં ફિલ્મનું શૂટિંગ રદ્દ કરી દેવુ પડ્યું . મળતી માહિતી મુજબ રવિવારે સવારે કાશ્મીર યુનિવર્સિટીના નસીમ બાગ કાતે એક દૃશ્ય શૂટ કરવા માટે સૈન્ય શિબિરનું સેટ લગાવાયુ હતું . સખત સુરક્ષામાં પહોંચેલી ફિલ્મની યૂનિટે શૂટિંગ શરૂ કર્યું , ત્યારે યુનિવર્સિટી સંકુલ ખાતે આવેલ હૉસ્ટલ્સમાં રહેતા વિદ્યાર્થીઓ વિરોધ કરવા લાગ્યાં . દરમિયાન હાજર પોલીસ અધિકારીઓએ આ વિદ્યાર્થીઓને શાંત પાડી દીધાં . દરમિયાન ઇરફાન ખાને સિગરેટ જલાવી , તો વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો . ઇરફાને સિગરેટ બુઝાવી દીધી , પરંતુ શૂટિંગ દરમિયાન ત્રિરંગો ફરકાવાતા અને જયહિન્દનો નારા લગાવાતા વિદ્યાર્થીઓ ઉશ્કેરાઈ ગયી . વિદ્યાર્થીઓ ફિલ્મની યૂનિટ સાથે દલીલબાજી કરવા લાગ્યાં . દરમિયાન પોલીસે બે વિદ્યાર્થીઓની ધરપકડ કરતા વિદ્યાર્થીઓ વધુ ભડકી ઉઠ્યાં . વિદ્યાર્થીઓએ યૂનિટને ઘેરી લીધી અને ભારત વિરોધી તથા પાકિસ્તાન અને કાશ્મીરની આઝાદીના ટેકામાં નારા લગાવતા તોડફોડ કરવા લાગ્યાં . પોલીસે લાઠીચાર્જ કરી તમામ લોકોને ખસેડ્યાં અને યુનિટને સલામત બહાર કાઢી . તે પછી ફિલ્મનું શૂટિંગ રદ્દ કરી દેવામાં આવ્યું ." business,"નવી દિલ્હીઃ દેશની કેટલીય બેંકોને કરોડો રૂપિયાનો ચૂનો લગાવી ફરાર થયેલ વિજય માલ્યા ફરી એકવાર બેંકોને 100 ટકા રૂપિયા પરત કરવાનો પ્રસ્તાવ રાખ્યો છે . જેટ એરવેઝને બંધ થવા બદલ વિજય માલ્યાએ ટ્વીટ કરીને સરકાર પર હુમલો બોલ્યો . તેમણે કિંગફિશર એરલાયન્સ અને જેટ એરવેઝની સરખામણી કરી છે . માલ્યાએ ટ્વીટમાં લખ્યું કે જેટ એરવેઝ બંધ થવા અંગે ટીવી પર ડિબેટ જોઈ , વેતન ન મળતાં કર્મચારીઓ ભારે દુખી છે , આ ક્ષેત્રના દિગ્ગજો પણ નાખુશ છે . જેટ બંધ થવાથી સૌથી મોટી સમસ્યા રોજગાર અને લોકોની પીડા છે . સાથે જ માલ્યાએ તમામ બેંકોને 100 ટકા કેએએફ વાપ કરવા પ્રસ્તાવ આપ્યો છે અને પૂછ્યું કે શું કોઈ બેંક આવું કરવા માટે તૈયાર છે . હું પૈસા ચૂકવવા તૈયાર જણાવી દઈએ કે જેટ એરવેઝ આર્થિક તંગીને કારણે બંધ થઈ ગઈ છે , જેટની પણ તમામ ઉડાણ બંધ કરી દેવામાં આવી છે . વધુ એક ટ્વીટ કરી માલ્યાએ લખ્યું કે કિંગફિશર એરલાઈન્સની સાથે કેટલીય અન્ય કંપનીઓ પણ બંધ થઈ ગઈ . કોઈએ પણ આ વિચાર્યું નહોતું કે જેટ બંધ થઈ જશે અને આટલા સારા બિઝનેસનો આ હાલ થઈ જશે . કોઈપણ એવી કંપની નહિ હોય જેની વિરુદ્ધ સીબીઆઈ અને ઈડીની રેડ પડી છે , છતાં તે પૈસા ચૂકવવા તૈયાર છે . પહેલા પીએમ પર નિશાન સાધ્યું હતું અગાઉ માલ્યાએ ટ્વીટ કરી આરોપ લગાવ્યો હતો કે પીએમ મોદી જૂઠું બોલી રહ્યા છે અથવા તો દેશની બેંકો . તેણે આરોપ લગાવ્યો કે ભારતની સરકાર પ્રાઈવેટ કંપની અને સરકારી કંપનીની વચ્ચે ભેદભાવ કરી રહી છે . માલ્યાએ દાવો કર્યો કે સરકારે મારી પાસેથી કુલ વ્યાજથી ક્યાંય વધુ રૂપિયા વસૂલ કર્યા છે , પરંતુ લંડનમાં આ બેંકો બીજા દાવા કરી રહી છે . પાકિસ્તાનને કારણે એર ઇન્ડિયાને રોજ 60 કરોડ રૂપિયાનું નુકશાન" entertainment,"બૉલીવુડ ઉપર ગુરુવારે ફરાહબિયા છવાઈ ગયું . સામાન્ય રીતે લોકો ઉપર અમુક વસ્તુ કે બાબતનું ફોબિયા છવાય છે , પરંતુ બૉલીવુડ ઉપર ગુરુવારે ફરાહબિયા છવાયું . . . વિચારમાં પડી ગયા ને કે આ ફરાહબિયા શું છે અને તે કેમ બૉલીવુડ ઉપર છવાયું છે . ચાલો , અમે ખુલાસો કરી જ દઇએ કે આ ફરાહબિયા શું છે . ફરાહબિયા એટલે ફરાહ ફીવર . હજીય ન સમજ્યાં ? અરે ભાઈ , આજે બૉલીવુડના જાણીતા ફિલ્મ નિર્માતા અને ડાન્સ ડાયરેક્ટર ફરાહ ખાનનો દિવસ છે . . . દિવસ એટલે જન્મ દિવસ છે . ફરાહ ખાન આજે 49 વર્ષના થઈ ગયાં છે અને બૉલીવુડમાં સવારથી જ ટ્વિટર દ્વારા તેમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે . તેમના જન્મ દિવસે હૅપ્પી ન્યુ ઈયર ફિલ્મમાં કામ કરી રહેલા અભિષેક બચ્ચન એટલા બધા ખુશ છે કે તેમણે અહીં સુધી કહી નાંખ્યું કે તેઓ ફરાહ માટે પોતાના મોજા ઉતારી નાચશે . આવો તસવીરો સાથે જોઇએ બૉલીવુડની કઈ હસ્તીઓએ કેવી શુભેચ્છાઓ પાઠવી ફરાહ ખાનને :" sports,"લંડન , 14 ઑગસ્ટઃ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ શ્રેણી રમાઇ રહી છે , જેની પાંચમી અને અંતિમ મેચ ધ ઓવલ ખાતે રમાનારી છે , ટીમ ઇન્ડિયા પોતાની શાખ બચાવવા અને ઇંગ્લેન્ડ શ્રેણીને કબજે કરવા માટે મેદાન પર ઉતરશે . આ શ્રેણીમાં પહેલાથી ઇંગ્લેન્ડ ભારત સામે 2 - 1થી આગળ છે અને જો આ મેચ ડ્રો જાય અથવા તો ઇંગ્લેન્ડ વિજયી થાય તો શ્રેણી તેના નામે થઇ જશે , જ્યારે ભારત આ મેચ જીતવા માટે પ્રબળ પ્રયાસો કરશે કારણ કે નહીંતર ભારતે શ્રેણી ગુમાવવાનો વારો આવશે . ટેસ્ટ શ્રેણી અંગે વાત કરવામાં આવે તો ઇંગ્લેન્ડની શરૂઆત ખરાબ રહી હતી . પહેલી ટેસ્ટ ડ્રો ગઇ હતી અને બીજી ટેસ્ટ ભારત જીતી ગયું હતું . જેના કારણે એલિસ્ટર કૂકના નેતૃત્વ સામે પ્રશ્નો ખડા થયા હતા , પરંતુ ત્યારપછીની બન્ને ટેસ્ટમાં ઇંગ્લેન્ડે ભારતને નાલેશીભર્યો પરાજય આપ્યો અને શ્રેણીમાં બઢત મેળવી લીધી . હવે પાંચમી અને અંતિમ મેચ ધ ઓવલ ખાતે શુક્રવારથી શરૂ થવાની છે , જેને ધ્યાનમાં રાખીને અમે અહીં એવી પાંચ બાબતો અંગે તસવીરો થકી જણાવી રહ્યાં છીએ , જે મેચ પહેલા જાણવી જરૂરી છે . તો ચાલો તેના પર નજર ફેરવીએ . pagespeed . lazyLoadImages . overrideAttributeFunctions ( ) ; આ પણ વાંચોઃ - શું ધોન માટે લકી સાબિત થશે ‘અનલકી ' 13 ? . . તો ખેડૂત બની ગયો હોત વિરેન્દ્ર સેહવાગ પદ્મ પુરસ્કારો માટે ધોની અને કોહલીના નામની ભલામણ pagespeed . lazyLoadImages . overrideAttributeFunctions ( ) ; function googleAnalyticsCodeCommon ( ) { var main _ url = $ ( ' link [ rel = "" canonical "" ] ' ) . attr ( "" href "" ) ; var url = document . location . href ; var pattern = ' https : / / ' + window . location . hostname ; url = url . replace ( pattern , "" "" ) ; var title = document . title ; ga ( "" oneindiagu . send "" , { hitType : "" pageview "" , page : url , location : main _ url } ) ; ga ( "" rosoneindia . send "" , { hitType : "" pageview "" , page : url , location : main _ url } ) ; ga ( "" dhoneindia . send "" , { hitType : "" pageview "" , page : url , location : main _ url } ) ; url = document . location . href ; var jcode = ' var _ comscore = _ comscore | | [ ] ; var comscoreParams = { c1 : "" 2 "" , c2 : "" 7732551 "" , c3 : "" "" , c4 : "" ' + url + ' "" , c5 : "" "" , c6 : "" "" , c15 : "" "" } ; _ comscore . push ( comscoreParams ) ; var s = document . createElement ( "" script "" ) , el = document . getElementsByTagName ( "" script "" ) [ 0 ] ; s . async = true ; s . src = ( document . location . protocol = = "" https : "" ? "" https : / / sb "" : "" http : / / b "" ) + "" . scorecardresearch . com / beacon . js "" ; el . parentNode . insertBefore ( s , el ) ; ' ; setTimeout ( jcode , 500 ) ; var _ qevents = _ qevents | | [ ] ; ( function ( ) { var elem = document . createElement ( ' script ' ) ; elem . src = ( document . location . protocol = = "" https : "" ? "" https : / / secure "" : "" http : / / edge "" ) + "" . quantserve . com / quant . js "" ; elem . async = true ; elem . type = "" text / javascript "" ; var scpt = document . getElementsByTagName ( ' script ' ) [ 0 ] ; scpt . parentNode . insertBefore ( elem , scpt ) ; } ) ( ) ; _ qevents . push ( { qacct : "" p - yjta2aSVPaHEL "" } ) ; window . google _ analytics _ uacct = "" UA - 110466 - 73 "" ; }" sports,"રવિ શાસ્ત્રીને ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચ તરીકે પસંદ ના કરવામાં આવ્યા . ત્યારબાદ રવિ શાસ્ત્રીએ મીડિયા સામે સૌરવ ગાંગુલીને તેના માટે જવાબદાર ગણાવ્યા હતા . રવિ શાસ્ત્રીના આ નિવેદન પર સૌરવ ગાંગુલીએ હવે જવાબ આપ્યો છે . ઇન્ડિયા ટુડે સાથે વાત કરતા સૌરવ ગાંગુલી એ જણાવ્યું કે જો રવિ શાસ્ત્રી એવું માને છે કે તેમના ટીમ ઇન્ડિયાના કોચ ના બનવા માટે હું જવાબદાર છું , તો તેઓ ખોટા છે . આ બધા જ તેમના મગજની ઉપજ છે . હું રવિ શાસ્ત્રીની આ વાત થી ઘણો જ આઘાતમાં છું . સૌરવ ગાંગુલીએ જણાવ્યું કે રવિ શાસ્ત્રીને હકીકત ખબર નથી કદાચ એટલા માટે જ તેમને મારા વિરુદ્ધ આવું નિવેદન આપ્યું હશે . સિલેક્સન કમિટીમાં હું એકલો જ નથી . આપણે જણાવી દઈએ કે સિલેક્સન કમિટીમાં સૌરવ ગાંગુલીની સાથે સાથે સચિન તેંડુલકર અને વીવીએસ લક્ષ્મણ પણ હતા . સૌરવ ગાંગુલી એ જણાવ્યું કે જ્યારે કોચ બનવા માટે પૂર્વ ક્રિકેટરો પ્રેજંટેશન આપી રહ્યા હતા ત્યારે રવિ શાસ્ત્રી બેંગકોક હોલીડે મનાવી રહ્યાં હતા તો તેમાં હું શુ કરી શકું ?" sports,"ટીમ ઇન્ડિયા ના સર અને કપ્તાન મહેન્દ્ર સિંહ ધોની ના ખુબ જ પ્રિય પ્લેયર એવા રવિન્દ્ર જાડેજા ને આજે આખી દુનિયા ઓળખે છે . ઘણા વિવાદોમાં ઘેરાયેલા એવા રવિન્દ્ર જાડેજા એ પોતાના કરિયરને લઈને એક ચોકાવી નાખે તેવો ખુલાસો કર્યો છે . રવિન્દ્ર જાડેજા એ કહ્યું કે આજે ક્રિકેટ જ તેની સચ્ચી ઓળખ છે . જયારે પણ હું ટીમ ઇન્ડિયાની જર્સી પહેરું છુ ત્યારે પોતાની જાતને ભાગ્યશાળી સમજુ છુ . પરંતુ એક સમય એવો પણ આવ્યો હતો જયારે મેં ક્રિકેટ ને છોડી દેવાનું મન બનાવી દીધું હતું . રવિન્દ્ર જાડેજા એ કહ્યું કે આ વાત વર્ષ 2005 ની છે . જયારે તમની માં નું નિધન થઇ ગયું હતું અને ઘરની હાલત પણ ખરાબ હતી . રવિન્દ્ર જાડેજા તે સમયે ક્રિકેટ પર ધ્યાન આપી શકતા ના હતા અને તેમને ક્રિકેટ ને છોડી દેવાનું મન બનાવી દીધું હતું . રવિન્દ્ર જાડેજા ના મિત્રો અને પરિવારના સમજાવ્યા બાદ તેમને ફરીથી ક્રિકેટ પર ધ્યાન આપવાનું ચાલુ કર્યું હતું . રવિન્દ્ર જાડેજા એ વર્ષ 2009માં ટીમ ઇન્ડિયા તરફથી પોતાની પહેલી મેચ રમી અને ત્યારબાદ તેમને પાછા વળીને જોયું નથી . રવિન્દ્ર જાડેજા ટીમ ઇન્ડિયા નો એક મહત્વ નો હિસ્સો બની ચુક્યા છે . રવિન્દ્ર જાડેજા પોતાના કરિયર માં અત્યાર સુધી 16 ટેસ્ટ , 126 વન ડે અને 37 ટી - 20 મેચ રમી ચુક્યા છે ." business,"નવા વર્ષે આધાર સંબંધિત વધુ એક નિયમમાં બદલાવ આવ્યો છે . આ વખતે UIDAI ( યુનિક આઇડેન્ટિફિકેશન ઓફ ઇન્ડિયા ) ઘ્વારા સામાન્ય માણસને ઝાટકો આપતા આધારમાં બદલાવ કરવા માટે લગાવવામાં આવતી ફી વધારી દીધી છે . મની ભાસ્કર રિપોર્ટ અનુસાર આ વધારેલી ફી 1 જાન્યુઆરી 2019 થી લાગુ થઇ ચુકી છે . આ નિયમ લાગુ થયા પછી સામાન્ય લોકોને આધારમાં સુધારો કરાવવો ખુબ જ મોંઘો પડી શકે છે . યુનિક આઇડેન્ટિફિકેશન ઓફ ઇન્ડિયા ઘ્વારા જાહેર કરવામાં આવેલા નોટિફિકેશન અનુસાર 1 જાન્યુઆરી 2019 થી આધારમાં થવા જઈ રહેલા બદલાવ માટે આપવામાં આવતી ફી બદલી દેવામાં આવી છે . યુનિક આઇડેન્ટિફિકેશન ઓફ ઇન્ડિયા અનુસાર હવે ઉપભોક્તાઓને દરેક બાયોમેટ્રિક અપડેટ માટે 100 રૂપિયા ફી આપવી પડશે . તેના સિવાય ડેમોગ્રાફિક અને બાયોમેટ્રિક અથવા બંનેમાં સુધારા કરાવવા માટે 50 રૂપિયા ફી આપવી પડશે . Paytm યુઝર્સ માટે ખુશખબર , વૉલેટમાં બેલેન્સ વિના કરી શકો છો 60000 રૂપિયાની ખરીદી ઈ - કેવાયસી અથવા A - 4 સાઈઝ પેપર પર આધાર કલર પ્રિન્ટઆઉટ માટે તમારે વધારાના 30 રૂપિયા આપવા પડશે . યુનિક આઇડેન્ટિફિકેશન ઓફ ઇન્ડિયા અનુસાર તેના કરતા વધારે ફી લેવી ગેરકાનૂની હશે . ચિપ વાળા ATM કાર્ડના ચક્કરમાં ખાતામાંથી નીકળી ગયા લાખ રૂપિયા" sports,"મુંબઇ , 1 સપ્ટેમ્બરઃ પ્રો કબડ્ડી લીગની ફાઇનલમાં યૂ મંબાને કારમો પરાજય આપીને અભિષેક બચ્ચનની ટીમ જયપુર પિંક પેન્થર્સે શાનદાર જીત હાસલ કરી . આ સાથે જ જયપુર પિંક પેન્થર્સે પ્રો કબડ્ડી લીગ ચેમ્પિયનશિપ પોતાના નામે કરી લીધી છે . ભારતમાં પહેલી પ્રો કબડ્ડી લીગની ફાઇનલ ગત રવિવારે નેશનલ સ્પોર્ટ્સ ક્લબ ઓફ ઇન્ડિયા મુંબઇમાં રમાઇ . મધ્યાંતર સુધી જયપુરની ટીમે 17 - 13ની સરસાઇ મેળવી લીધી હતી અને ત્યાર પછી પણ તેને જાળવી રાખી આખરે 35 - 24ના સ્કોર સાથે ફાઇનલ મેચ જીતી લીધી હતી . જયપુર ટીમ લીગ દૌરમાં અંકતાલિકામાં ટોચ પર રહી હતી અને સેમીફાઇનલમાં તેણે પટના પાઇરેટ્સને પરાજીત કરી હતી . પ્રો કબડ્ડી લીગની આ ફાઇનલ મેચને જોવા માટે અનેક સેલિબ્રિટીઝ હાજર રહી હતી . તો ચાલો તસવીરો થકી જોઇએ પ્રો કબડ્ડી લીગના નજારાને . pagespeed . lazyLoadImages . overrideAttributeFunctions ( ) ; { "" @ context "" : "" https : / / schema . org "" , "" @ type "" : "" Organization "" , "" name "" : "" Gujarati Oneindia "" , "" url "" : "" https : / / gujarati . oneindia . com "" , "" logo "" : { "" @ type "" : "" ImageObject "" , "" url "" : "" https : / / gujarati . oneindia . com / images / oneindia - gujarati - logo . gif "" , "" width "" : 150 , "" height "" : 60 } , "" sameAs "" : [ "" https : / / www . facebook . com / oneindiagujarati "" , "" https : / / twitter . com / oneindiagujarat "" , "" https : / / plus . google . com / 100360349315173483747 "" ] } આ પણ વાંચોઃ - આ દક્ષિણ આફ્રિકને કરી સચિનની બરોબરી આ પણ વાંચોઃ - 2014માં ટેસ્ટ ક્રિકેટમાં આ ખેલાડીઓએ કર્યો રનોનો વરસાદ function googleAnalyticsCodeCommon ( ) { var main _ url = $ ( ' link [ rel = "" canonical "" ] ' ) . attr ( "" href "" ) ; var url = document . location . href ; var pattern = ' https : / / ' + window . location . hostname ; url = url . replace ( pattern , "" "" ) ; var title = document . title ; ga ( "" oneindiagu . send "" , { hitType : "" pageview "" , page : url , location : main _ url } ) ; ga ( "" rosoneindia . send "" , { hitType : "" pageview "" , page : url , location : main _ url } ) ; ga ( "" dhoneindia . send "" , { hitType : "" pageview "" , page : url , location : main _ url } ) ; url = document . location . href ; var jcode = ' var _ comscore = _ comscore | | [ ] ; var comscoreParams = { c1 : "" 2 "" , c2 : "" 7732551 "" , c3 : "" "" , c4 : "" ' + url + ' "" , c5 : "" "" , c6 : "" "" , c15 : "" "" } ; _ comscore . push ( comscoreParams ) ; var s = document . createElement ( "" script "" ) , el = document . getElementsByTagName ( "" script "" ) [ 0 ] ; s . async = true ; s . src = ( document . location . protocol = = "" https : "" ? "" https : / / sb "" : "" http : / / b "" ) + "" . scorecardresearch . com / beacon . js "" ; el . parentNode . insertBefore ( s , el ) ; ' ; setTimeout ( jcode , 500 ) ; var _ qevents = _ qevents | | [ ] ; ( function ( ) { var elem = document . createElement ( ' script ' ) ; elem . src = ( document . location . protocol = = "" https : "" ? "" https : / / secure "" : "" http : / / edge "" ) + "" . quantserve . com / quant . js "" ; elem . async = true ; elem . type = "" text / javascript "" ; var scpt = document . getElementsByTagName ( ' script ' ) [ 0 ] ; scpt . parentNode . insertBefore ( elem , scpt ) ; } ) ( ) ; _ qevents . push ( { qacct : "" p - yjta2aSVPaHEL "" } ) ; window . google _ analytics _ uacct = "" UA - 110466 - 73 "" ; }" sports,રિયો ડી જેનેરિયોથી હાલ એક મોટી ખબર આવી રહી છે . ઓલ્મપિક કવર કરવા જઇ રહેલા પત્રકારોની બસ પર ફાયરિંગ કરવામાં આવ્યું છે . જો કે હાલ પ્રાપ્ત માહિતી મુજબ કોઇ પણ જાનહાની સૂચના પ્રાપ્ત નથી થઇ . આ હુમલો ત્યારે જ્યારે બોસ્કેટબોલ સ્ટેડિયમથી ઓલ્મપિકના મુખ્ય સ્થળ તરફ ઓલ્મપિકને કવર કરવા એક પત્રકારોથી ભરેલી બસ પસાર થઇ રહી હતી . ત્યાં જ કોઇ અજ્ઞાત લોકોએ તેમની પર બે ગોળીઓ મારી જેનાથી બસની કાચ ટૂટી ગયો . અને આ કાચ અંદર બેસેલા બે લોકોને લાગ્યા . જો કે આ ઇજાઓ સામાન્ય હતી . સ્થાનિક ગેંગ પર પોલિસને શક . આ ધટના બાદ પોલિસને સ્થાનિક ગેંગ પર આશંકા છે . નોંધનીય છે કે રિયો ઓલ્મપિક જ્યારથી શરૂ થઇ છે ત્યારથી તેની પર આતંકી હુમલાનો ખતરો મંડરાઇ રહ્યો છે . જો કે હાલ પોલિસ તપાસ ચાલુ છે . sports,"ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા હાલ દુબઇમાં રજાઓ માણી રહી છે . નોંધનીય છે કે , સાનિયાને કોઇ ' ઝમ્પર્બ ' પ્રકારની ઇન્જરી થઇ છે . આથી તે આવતા મહિને શરૂ થનાર ઓસ્ટ્રેલિયન ઓપનમાં ભાગ નહીં લઇ શકે . તેની ઇન્જરી વિશે વાત કરતા સાનિયા જણાવે છે કે , તેને ખુબ દુખાવો થાય છે . આ ઇન્જરી સાથે તે ચાલી શકે છે પરંતુ તે રમી શકે તેવી સ્થિતિમાં નથી . આથી તે ઓસ્ટ્રેલિયન ઓપનમાં ભાગ નહીં લે . આ ઇન્જરી ને સરખી કરવા હાલ તે દુબઇમાં એક ડાન્સ ક્લાસમાં જોડાઇ છે . જ્યાં તે ઝુંબા ડાંસ શીખી રહી છે . ઉલ્લેખનીય છે કે , સાનિયા દુબઇ જતા પહેલા તેના સાસરે એટલે કે પાકિસ્તાનમાં પણ થોડો સમય રહી હતી . પાકિસ્તાનમાં સાનિયાએ તેમના પતિ શોએબ મલિક અને આખી પાકિસ્તાનની ક્રિકેટ ટીમ સાથે ડિનર કર્યુ હતું . આ ડિનર મોહમ્મદ હાફીસ દ્વારા પાક . ટીમ દક્ષિણ આફ્રિકા જાય તે પહેલા રાખવામાં આવ્યું હતું . સાનિયા મિર્ઝા એ બાદ દુબઇ આવી ગઇ હતી . તેણે પોતાના ઝુંબા ડાન્સના વીડિયો ઇન્સટાગ્રામ પર મુક્યા હતા . આ વીડિયોમાં સાનિયા સલમાન ખાનની ફિલ્મ ' ટાઇગર ઝિંદા હે ' ના ગીત ' સ્વૈગ સે કરેંગે સબકા સ્વાગત ' પર ડાન્સ કરતી જોવા મળે છે . તો જુઓ આ વીડિયો . . ." business,"અમદાવાદ , 21 ઓક્ટોબર : ટ્રસ્ટ રિસર્ચ એડવાઇઝરી - ટીઆરએ દ્વારા પ્રકાશિત એક રિપોર્ટ અનુસાર ભારતની સૌથી વધુ આકર્ષક બ્રાન્ડ્સ ( મોસ્ટ એટ્રેક્ટિવ બ્રાન્ડ્સ 2013 - એમએબી - 2013 ) અનુસાર કંપનીઓના પ્રદર્શનને દર્શાવવામાં આવ્યું છે . આ રિપોર્ટ અનુસાર દેશની 200 સૌથી વધારે આકર્ષિત કન્ઝ્યુમર બ્રાન્ડ્સમાં ગુજરાતની પાંચ કંપનીઓ એટલે કે બ્રાન્ડ્સનો સમાવેશ થાય છે . આ રિસર્ચ કોઇપણ બ્રાન્ડમાં 36 પ્રકારના આકર્ષણપણાના આધારે 16 શહેરોના 2505 ઉપભોક્તાઓ પર કરવામાં આવેલા સર્વેક્ષણને આધારે તૈયાર કરવામાં આવ્યો છે . આ રિપોર્ટ અનુસાર ગુજરાતની જે 5 બ્રાન્ડનો સમાવેશ થાય છે તેમાં અમૂલ , અરવિંદ મિલ , અજંતા ક્લોક , નિરમા અને બાલાજીનો સમાવેશ થાય છે . આ અંગે રિપોર્ટ તૈયાર કરનાર ટ્ર્સ્ટ રિસર્ચ એડવાઇઝરીના સીઇઓ ચંદ્રમૌલીએ જણાવ્યું કે "" ગુજરાતની પ્રજા વેપાર માટે જાણીતી છે . અહીં ઘણા ઉદ્યોગસાહસિકો છે . હીરાથી ડેરી ઉદ્યોગ અને ઉત્સવોથી રાજકારણ સુધી ગુજરાત મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે . ગુજરાતની અનેક બ્રાન્ડ ગુજરાત પુરતી સીમિત રહેવાને બદલે ભારતભરમાં આકર્ષણનું કેન્દ્ર બની છે . """ sports,"બેંગ્લોર , 31 જુલાઇઃ દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ ક્રિકેટર અને ઓલ રાઉન્ડર જેક કાલિસે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઇ લીધી છે . જોકે તે ટી20 લીગમાં રમવાનું ચાલું રાખશે , તે સિડની થંડર અને કોલકતા નાઇટ રાઇડર્સ સાથે જોડાયેલો છે . જેવી કાલિસે નિવૃત્તિની જાહેરાત કરી કે તુરત જ ટ્વીટર પર તેના ક્રિકેટ પ્રત્યેના યોગદાન બદલ તેને સેલ્યુટ કરવામાં આવી રહી છે . જે તમે અહીં તસવીરો થકી જોઇ શકો છો . કાલિસે નિવૃત્તિ જાહેર કરતા આઇસીસીએ તેમને ક્રિકેટ ઇતિહાસના ગ્રેટેસ્ટ ઓલરાઉન્ડર્સમાના એક ગણાવ્યા છે અને કહ્યું છેકે , ક્રિકેટ ઇતિહાસમાં કાલિસ એક ગ્રેટેસ્ટ ઓલરાઉન્ડર તરીકે નિવૃત્તિ લઇ રહ્યાં છે . તેમણે 20 વર્ષની ઉમરે ક્રિકેટમા પર્દાર્પણ કર્યા બાદ ક્રિકેટના દરેક ફોર્મેટમાં પોતાનું યોગદાન આપ્યું છે . આઇસીસી ચીફ એક્ઝિક્યુટીવ ડેવિડ રિચાર્ડસને કહ્યું કે , પોતાની 20 વર્ષની કારકિર્દી દરમિયાન કાલિસે 519 આંતરરાષ્ટ્રીય મેચો રમી છે , જેમાં 25,534 રન બનાવ્યા છે જેમાં 62 સદી છે , 577 વિકેટ છે અને 338 કેચ છે . તેમણે આતંરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઉચ્ચ કક્ષાનું ફોર્મ અને ફિટનેસ જાળવી રાખ્યું હતું . જે આજની પેઢીના યુવા ક્રિકેટર્સ માટે એક પ્રેરણા સમાન છે . તો ચાલો તસવીરો થકી જાણીએ કે ટ્વીટર પર ક્રિકેટના આ દિગ્ગજ ખેલાડી અંગે શું કહે છે ક્રિકેટ રસિકો . સાઉથમ્પટન ટેસ્ટઃ ભુવી - ધોનીએ બનાવ્યા અનોખા રેકોર્ડ આ પણ વાંચોઃ - ‘નિરાશ ' ઝહીર ખાનને આ વાતનો છે રંજ" sports,"પૂર્વ ભારતીય ઓનર અને ટીવી ક્રિકેટ એક્સપર્ટ વિરેન્દ્ર સેહવાગે વર્લ્ડ કપ 2011ની જીતનો શ્રેય માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરને આપ્યો . ટીવી શૉ ' ક્રિકેટ કી બાત ' માં સેહવાગે કેટલાક ખુલાસા કર્યા . જેમાં તેમણે શ્રીલંકા સામેની ફાઈનલ મેચમાં વ્યૂહાત્મક બદલાવ કરવા પાળછનું કારણ પણ જણાવ્યું . જણાવી દઈએ કે સારા ફોર્મમાં હોવા છતાં યુવરાજને આગળ બેટિંગ કરવા નહોતો ઉતાર્યો અને જેને પગલે ધોની - યૂવી વચ્ચે મતભેદ હોવાની પણ ચર્ચા થવા લાગી હતી . સેહવાગે ખુલાસો કરતા કહ્યું કે સચિન તેંડુલકરે કૂલ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને બેટિંગ ઓર્ડર ચેન્જ કરવાની સલાહ આપી હતી . તેમણે મહેન્દ્ર સિંહ ધોનીને અપર ઓર્ડરમાં બેટિંગ કરવા જવા માટે કહ્યું હતું . જો કે સચિનના આ વ્યૂહાત્મક બદલાવને કારણે ભારતીય ટીમે વર્લ્ડ કપ 2019 પર કબજો જમાવી લીદો હતો . આ ગેમ શ્રીલંકાના પક્ષમાં હતી પણ ધોની અને ગંભીરની 109 રનની પાર્ટનરશીપે આખી ગેમ બદલી નાખી અને ભારત બીજો વર્લ્ડકપ જીતવામાં સફળ થયું . સેહવાગે સ્પષ્ટતા કરતા કહ્યું કે , સચિન તેંડુલકરે ધોનીને કહ્યું હતું કે જો જમોડી આઉટ થાય તો બીજો જમોડી જ બેટિંગ માટે ઉતરે અને જો ડાબોડી આઉટ થાય તો ડાબોડી જ ઉતરે . અને વિરાટ કોહલી આઉટ થતાં તેની જગ્યાએ મહેન્દ્ર સિંહ ધોની બેટિંગ માટે ઉતર્યો , આ કારણે જ સારા ફોર્મમાં હોવા છતાં યુવરાજ સિંહ ચોથા નંબરે નહોતો રમ્યો . પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ અડીખમ 91 રન ફટકાર્યા હતા અને તેમના ક્રિઝ પાર્ટનર ગંભીરે 97 રન ફટકાર્યા હતા . નુવાન કુલસેકરાની ઓવરમાં ધોનીએ ફટકારેલી શાનદાર સિક્સર તો બધાને યાદ જ હશે . આની સાથે જ મહેન્દ્ર સિંહ ધોની મેન ઓફ ધી મેચ બન્યા હતા . શ્રીલંકાના બોલિંગ અટેક મુજબ સચિને વ્યૂહાત્મક બદલાવ કરીને વર્લ્ડકપ સફળ રીતે જીતાવી દીધો . અમદાવાદમાં બુરાડી કાંડ જેવો જ કિસ્સો , એક જ પરિવારના 3 લોકોએ કરી આત્મહત્યા" business,"મુંબઈઃ શેર માર્કેટમાં કેટલાય દિવસો બાદ આજે સકારાત્મક ચાલ જોવા મળી રહી છે . સેંસેક્સે શરૂઆતી કારોબારમાં 200 અંકોની મજબૂતી સાથે તેજીનો રુખ પકડ્યો છે . સેંસેક્સ હાલ 455 અંકોની તેજી સાથે 34,754 અંકો પર પહોંચી ગયો છે . જ્યારે નિફ્ટી પણ 147 અંકની મજબૂતી સાથે 10,448 અંકોની સપાટી પર પહોંચી ગયો છે અને રૂપિયો પણ ડોલરની સરખામણીએ મજબૂત થયો છે . બુધવારે રૂપિયામાં મજબૂી અને સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની સતત ખરીદીની વચ્ચે બેંકિંગ , ધાતુ અને વાહન કંપનીઓના શેરમાં તેજીના કારણે માર્કેટમાં ચમક જોવા મળી છે . બુધવારે શરુઆતી કારોબારમાં સેંસેક્સ 200 અંક વધી ગયો છે જ્યારે નિફ્ટીમાં પણ 60 અંકોનો વધારો થયો છે . અગાઉ મંળવારે સેંસેક્સ 174.91 અંકના કડાકા સાથે 34,299.47 પર બંધ થયો હતો જ્યારે નિફ્ટી 47 અંકના ઘટાડા સાથે 10,301.05ની સપાટી પર બંધ થયો હતો . બીજી બાજુ રૂપિયામાં મજબૂતી જોવા મળી છે અને બુધારે રૂપિયો ડૉલરની સરખામણીએ 24 પૈસાની મજબૂતાઈ સાથે 74.15 પર કારોબાર કરી રહ્યો છે . અગાઉ મંગળવારે રૂપિયો ડૉલરની સરખામણીએ 74.39ના સ્તર પર બંધ થયો હતો . પહેલી વખત રૂપિયો આટલા નીચા સ્તરે બંધ થયો હતો . કેન્દ્ર સરકારનો મોટો ફેસલો , આ વિભાગના કર્મચારીઓને મળશે 78 દિવસનું બોનસ" entertainment,દીપિકા પાદૂકોણ અને રણવીર સિંહની ફિલ્મ રામ લીલા ભલે ઘણા વિવાદોનો સામનો કરી રહી હોય અને ફિલ્મને વારંવાર બેન કરવાની માંગણી કરવામાં આવી રહી છે . પરંતુ ફિલ્મે પહેલાં જ દિવસે બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી છે . રામ લીલા ફિલ્મને દર્શકો દ્વારા પોજેટિવ કોમેન્ટ મળી રહ્યાં છે . જો કે ક્રિટિક્સે ફિલ્મની ઘણી ખામીઓ ઉજાગર કરી છે પરંતુ તેમછતાં દીપિકા પાદૂકોણની એક્ટિંગને લઇને દરેકે પ્રશંસા કરી છે . બીજી તરફ જ્યાં સુધી રણવીર કપૂરની વાત કરીએ તો રણવીરની એનર્જીએ પણ દીપિકા પાદૂકોણનો ખૂબ સાથ આપ્યો છે . દીપિકા પાદૂકોણ અને રણવીર સિંહ ઉપરાંત રામ લીલામાં સુપ્રિયા પાઠકરની એક્ટિંગને પણ લોકોએ વખાણી છે . ટ્વિટર પર રામ લીલાને લઇને ઘણી પોજેટિવ કોમેન્ટ આવી રહી છે . લોકોને સંજય લીલા ભણસાણીની રામ લીલા તેમની સુપર હિટ ફિલ્મ હમ દિલ દે ચૂકે સનમ કરતાં પણ સારી લાગી છે . માનસે ટ્વિટ કર્યું છે કે રામ લીલાએ અત્યાર સુધીની મારી પસંદગીની ફિલ્મ હમ દિલ દે ચૂકે સનમને પણ માત આપી દિધી છે . દીપિકા પાદૂકોણ અને રણવીર સિંહની જોડી શ્રેષ્ઠ છે . પ્રત્વીશ ગાંગીલીએ ટ્વિટ કર્યું છે કે જો તમે રણવીર સિંહ અને દીપિકા પાદૂકોણની ફિલ્મ રામ લીલા જોઇ નથી તો તમે આ વર્ષની બેસ્ટ ફિલ્મોમાંની એકને મિસ કરી રહ્યાં છો . પ્રતિકે ટ્વિટ કર્યું છે કે રામ લીલા ફિલ્મ ઘણી હદે સારી ફિલ્મ છે . રણવીર તો બધાની આશાઓ પર ખરા ઉતર્યા છે . સાથે જ દીપિકા પાદૂકોણ માટે તો શબ્દ જ નથી . દીપિકા પાદૂકોણ ખરેખર ઘણી હોટ છે . લેની વિંસેંટે લખ્યું છે કે રામ નામનો રાગ લાગે તો પાણીમાં પણ આગ લાગે . દીપિકા પાદૂકોણ અને રણવીર સિંહે સારું પરફોમન્સ આપ્યું છે . બંનેની જોડી તો હીટ છે . entertainment,"સ્વર્ગસ્થ બૉલીવુડ અભિનેત્રી જિયા ખાનને આત્મહત્યા માટે ઉશ્કેરવાના આરોપમાં ધરપકડ કરાયેલા સૂરજ પંચોલીના માતા ઝરીના વહાબે જણાવ્યું - હું રાબિયા ( જિયાના માતા ) ની આ વાતથી સંમત છું કે મારો પુત્ર જિયાને લાયક નહોતો , કારણ કે જિયાને એક એવા શખ્સની જરૂર હતી કે જે તેની સંભાળ રાખી શકે . રાબિયા જિયાની આત્મહત્યા બાદ આદિત્ય પંચોલીના પુત્ર સૂરજ પંચોલી સામે આરોપ લગાવ્યો હતો કે તે જિયા ખાન સાથે છેલ્લા એક વરસથી લિવ ઇનમાં રહેતો હતો . બાદમાં જિયાના ઘરેથી મળેલી સુસાઇડ નોટના આધારે સૂરજની ધરપકડ કરવામાં આવી હતી . સૂરજની ધરપકડ બાદ ઝરીના વહાબ રાબિયા ખાનને મળવા ગયા હતાં . આ અંગે ઝરીનાએ જણાવ્યું - હું રાબિયા સાથે તે રીતે મળવા ગઈ હતી કે જેમ એક માતા બીજી માતાને મળવા જાય છે . હું તેમને એકલામાં મળવા માંગતી હતી , પણ કદાચ તેઓ મારી સાથે વાત કરવા નહોતા માંગતાં . ઝરીનાએ ઘટના અંગે અફસોસ જાહેર કરતાં જણાવ્યું - જો મારો પુત્ર ગુનેગાર છે , તો તેને જરૂર સજા થવી જોઇએ . તેમણે એ બાબતનો ઇનકાર કર્યો કે તેઓ પોતાના પુત્રને બચાવવા માટે રાબિયા સાથે સમજૂતી કરવા ગયા હતાં ." sports,"લોર્ડ્સમાં ભારતને જીત અપાવનારા ભારતીય ક્રિકેટ ટીમના સુકાની મહેન્દ્ર સિંહ ધોનીએ ફૂટબોલના સૌથી મોટા ખેલાડી લિયોનેલ મેસી અને ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને પાછળ છોડી દીધા છે . ફોર્બ્સ પત્રિકાએ તેમને વિશ્વના સૌથી વેલ્યુએબલ ખેલાડીઓની યાદીમાં સામેલ કર્યા છે . ટેનિસ સ્ટાર રોજર ફેડરર અને ગોલ્ફર ટાઇગર વૂડ્સ આ યાદીમાં પહેલા નંબર પર છે . કોઇપણ ખેલાડી વેલ્યુએબલ હોવાનો અર્થ તેની કમાણી સાથે જોડાયેલો હોય છે . એટલે કે આખા વર્ષ દરમિયાન ફી , એન્ડોર્સમેન્ટ વિગેરેમાંથી કેટલી કમાણી થાય છે , તેના આધારે તેમનું મુલ્ય ખબર પડે છે . ફોર્બ્સ પત્રિકા અનુસાર 2013માં ફેડરર અને ટાઇગર વૂડ્સ બન્નેએ 4 કરોડ 60 લાખ ડોલરની કમાણી કરી હતી . તે પહેલા નંબર પર છે , ધોનીએ 2 કરોડ 10 લાખ રૂપિયાની કમાણી કરી હતી , તે પાંચમા ક્રમે છે . ધોની પહેલા મારિયા શારાપોવા ચોથા ક્રમે આવે છે . તેની કમાણી 2 કરોડ 30 લાખ ડોલર હતી . પર્થની આ સદીએ બદલી નાંખી હતી સચિનની કારકિર્દી ટીકાકારો અને મજાક ઉડાડનારાઓને ઇશાંતનો જડબાતોડ જવાબ વર્ષ દરમિયાન ધૂમ કમાણી કરનારા ખેલાડીઓની યાદીમાં લીબ્રૉન જેમ્સ બીજા ક્રમે આવે છે , તે એક બાસ્કેટબોલ ખેલાડી છે અને તેમણે 2 કરોડ 70 લાખ ડોલરની કમાણી કરી હતી . ત્રીજા નંબર પર ફિલ મિકેલસન આવે છે , જેમણે અઢી કરોડ ડોલરની કમાણી કરી હતી . નવમાં નંબર રોનાલ્ડો અને દસમાં ક્રમે મેસી આવે છે , જેમણે એક કરોડ 30 લાખ ડોલરની કમાણી કરી હતી . તો ચાલો તસવીરો થકી જોઇએ ફોર્બ્સની યાદીમાં કયા 10 ટેન ખેલાડીઓ વેલ્યુએબલ છે . શારાપોવાની કોમેન્ટ પર સચિને આપ્યો આવો જવાબ આ પણ વાંચોઃ - લોર્ડ્સ ટેસ્ટ સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ સિદ્ધિ" business,"છેલ્લા ત્રણ મહિનાઓથી રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા ( આરબીઆઇ ) દ્વારા નાણાકીય પોલિસીમાં કેશ રિઝર્વ રેશિયોમાં ઘટાડો કરવામાં આવ્યો નથી . આ કારણે બેન્કોએ પણ ધિરાણ દરમાં કોઈ ઘટાડો કરવામાં આવ્યો નથી . જેના પગલે ઉદ્યોગોની સ્થિતિ વધારે કફોડી બની છે . ડોલર સામે રૂપિયાની નરમાઈને કારણે આયાતકારો પણ મુશ્કેલીમાં મુકાયા છે . હવે નાણાં પ્રધાન પી ચિદમ્બરમે બેન્કોને વ્યાજદર ઘટાડવા માટે મનાવવાની જવાબદારી હાથમાં લીધી છે . ઔદ્યોગિક ક્ષેત્રે વેપારની ગતિ વધારી શકાય તે માટે તેમને વધુમાં વધુ ધિરાણ અપાવવાની જવાબદારી પણ નાણા પ્રધાન દ્વારા લેવામાં આવી છે . બેન્કોના વ્યાજદરમાં ઘટાડો કરવા માટે નાણા વિભાગ દ્વારા બેન્કોના અગ્રણી અધિકારીઓ સાથે 26 જૂનના રોજ બેઠક યોજવામાં આવી છે . તાજેતરમાં રૂપિયામાં આવેલી નરમાઈના કારણે ઉદ્યોગ જગતની ઉત્પાદન કિંમતમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે . આ પરિસ્થિતિમાં કંપનીઓને બેન્કો પાસેથી ધિરાણ પણ ખૂબ મોંઘુ મળી રહ્યું છે . પરિમામે હાલ ઔદ્યોગિક જગતનું ટકી રહેવુ ખૂબ મુશ્કેલ લાગી રહ્યું છે . આ સ્થિતિમાંથી ઉદ્યોગોને ઉગારવા માટે હવે નાણા પ્રધાન દ્વારા જ કોઈ ને કોઈ પગલા લેવાનું નક્કી કરવામાં આવ્યું છે . બેન્કો સાથેની આ બેઠકને નાણા વિભાગે સામાન્ય બેઠક જ ગણાવી છે , પરંતુ નિષ્ણાતોના મત પ્રમાણે આ બેઠકનો મુખ્ય એજન્ડા વ્યાજદરમાં ઘટાડો કરવા અને ગ્રાહકોને ફાયદો આપવા અંગે રાખવામાં આવી છે . નાણા વિભાગ દ્વારા થોડા દિવસ પહેલા જ જણાવવામાં આવ્યુ હતું કે પાછલા મહિનાઓમાં આરબીઆઈ દ્વારા વ્યાજદરમાં જે રાહત આપવામાં આવી છે બેન્કોએ તે રાહત ગ્રાહક સુધી પહોંચાડવી પડશે . સૂત્રો દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે બેન્કો દ્વારા પણ આ બેઠકમાં પણ વ્યાજદરઅંગે કોઈ મુદ્દો ઉઠાવવામાં આવે તેવી શક્યતા છે . બેન્કો દ્વારા સીઆરઆરમાં ઘટાડો કરવા માટેની માગણી કરવામાં આવે તેવી શક્યતા છે . બેન્કોના મત પ્રમાણે કેન્દ્ર સરકાર દ્વારા સીઆરઆરમાં ઘટાડો કરવામાં નહી આવે તો આરબીઆઈએ બેન્કોને તેના પર વ્યાજ આપવું પડશે . બેન્કોમાં એનપીએ વિશે પણ મુદ્દો ઉઠાવવામાં આવે તેવી શક્યતા છે ." business,"મોંઘવારીની માયાજાળમાં ફયાસેલા સૌ કોઇ તેમાંથી મુક્ત બનવા માટે માથાકૂટ કરી રહ્યા છે . આજથી જ રેલવેમાં મુસાફરી ભાડા અને રેલવે નૂરમાં સરકારે 2 ટકાનો વધારો ઝીંકી દીધો છે . બીજી તરફ રોજબરોજની જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ખાસ કરીને શાકભાજી , કઠોળ સહિત તમામ ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં પાછલા બે - ત્રણ મહિનામાં સાતથી દશ ટકાનો વધારો નોંધાયો છે . ડીઝલના ભાવમાં પણ સરકારે આંશિક ભાવવધારો કરવાની ઓઇલ કંપનીઓને સંમતિ આપતાં ઓઇલ કંપનીઓ દર મહિને ડીઝલમાં પ્રતિ લિટર 50 પૈસાનો ભાવવધારો કરી રહી છે . બીજી તરફ ડોલર સામે રૂપિયાની નરમાઇથી તમામ આયાતી ચીજવસ્તુઓ સહિત કન્ઝ્યુમર્સ ગુડ્સ તથા હોમ એપ્લાયન્સિસના ભાવમાં પાંચથી સાત ટકાનો વધારો નોંધાયો છે . આમ , સામાન્ય માણસ મોંઘવારી સામે લડી રહ્યો છે . મોંઘવારીનો માર સહન કરીને સામાન્ય માણસની કમર તૂટી ગઇ છે . હવે નવરાત્રિ સહિત દુર્ગાપૂજા અને ત્યાર બાદ દીવાળી આવતી હોવાથી તહેવારોની મોસમ શરૂ થઇ છે . તહેવારોમાં પણ સામાન્ય માણસે કેટલાક વ્યવહારો ફરજીયાત કરવા પડે છે . જો કે મોંઘવારીનો મુકાબલો કરવો અશક્ય નથી . સામાન્ય જીવનમાં કેટલીક બાબતોને ધ્યાનમાં રાખીને તે મુજબ વર્તવામાં આવે તો મોંઘવારીની અસર ઓછી કરી શકાય છે . એક્સપર્ટ્સનું કહેવું છે કે લાઇફ સ્ટાઇલ થોડો બદલાવ અને બચતની ટેવ પાડવામાં આવે તો મોંઘવારી સામે કંઇક અંશે સરળતાથી રાહત મેળવી શકાય છે . શું છે એક્સપર્ટ્સની માસ્ટર ટિપ્સ તે આવો જાણીએ . . ." sports,"ધોનીએ કહ્યું છે , "" મારી માટે ઝહીર ખાન ભારતીય બોલિંગ લાઇનના સચિન તેંડુલકર છે . છેલ્લા ઘણા વર્ષથી તે ભારતીય બોલિંગ યુનિટના લીડર છે . "" "" છેલ્લી કેટલીક મેચોમાં તે એટલા અસરકારક રહી શક્યાં નથી , પરંતુ આવી પરિસ્થિતિમાં અન્યોએ આગળ આવવાની જરૂર છે . મારા મતે તેમને પોતાના ફોર્મમાં પરત ફરવામાં થોડો સમય લાગશે . "" ધોનીએ ઉમેર્યું છે . જો કે , આ પ્રશ્નનો જવાબ આપવામાં ધોની થોડો અસમંજસમાં જણાતો હતો કે ખરાબ પ્રદર્શન પછી પણ તે ઝહીરને ટીમમાં સ્થાન અપાવવા તૈયાર રહેશે . ધોનીએ કહ્યું , "" આ પ્રશ્નનો જવાબ આપવો અઘરો છે . ખરા અર્થમાં તો કેવા પ્રકારનું ફોર્મેટ છે . તેના પર એ વાત નિર્ભર કરે છે . મારા માટે , તે અનુભવી ક્રિકેટર છે પરંતુ તમે જ્યારે ક્રિકેટનું ફોર્મેટ જૂઓ છો . ત્યારે તમે ઘણી બધી મેચ આપી શકો નહીં . """ business,"નવી દિલ્હી , 16 ઓક્ટોબર : નરેન્દ્ર મોદી સરકાર 19 ઓક્ટોબર બાદ ગમે તે સમયે ડીઝલની કિંમતોમાં ઘટાડો કરી શકે છે . પ્રાપ્ત માહિતી અનુસાર આવનારા દિવસોમાં ડીજલની કિંમતોમાં રૂપિયા 3.56 પ્રતિ લીટર સુધીનો ઘટાડો થઇ શકે છે . આ ઘટાડો આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કાચા તેલ એટલે કે ક્રુડ ઓઇલની કિંમતોમાં નોંધાયેલા ઘટાડાને પગલે કરવામાં આવશે . નોંધનીય છે કે ભારતમાં છેલ્લા 5 વર્ષમાં પ્રથમવાર એવું બનશે કે જ્યારે ડીઝલની કિંમતોમાં ઘટાડો કરવામાં આવશે . મહત્વની બાબત એ છે કે 16 ઓક્ટોબરથી શરૂ થયેલા પખવાડિયા દરમિયાન ડીઝલ પર સરકારી કંપનીઓને પ્રતિ લીટર રૂપિયા 3.56નો નફો થઇ રહ્યો છે . ઓક્ટોબરના પ્રથમ પખવાડિયામાં કંપનીઓને રૂપિયા 1.90નો ફાયદો કે નફો થઇ રહ્યો હતો . છેલ્લા ઘણા મહિનાઓથી દર મહિને ડીઝલની કિંમતોમાં 50 પૈસાનો વધારો કરવામાં આવી રહ્યો છે . હવે આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રુડના ભાવ ઘટતા કંપનીઓનો નફો વધ્યો છે . કંપનીઓ આજથી બમણો નફો કમાઇ રહી છે . ડીઝલના ભાવ ઘટાડા અંગે પેટ્રોલીયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું છે કે મહારાષ્ટ્ર અને હરિયાણામાં વિધાનસભા ચૂંટણીઓ ચાલી રહી છે . જેના પગલે આચારસંહિતા અમલમાં છે . આ કારણે સરકાર ભાવ ઘટાડા અંગેનો કોઇ પણ નિર્ણય 19 ઓક્ટોબર બાદ જ લઇ શકશે . આ નિર્ણય જ્યારે લેવાય ત્યાં સુધી સરકારી કંપનીઓ ડબલ નફો કમાશે ." business,"શેરબજારના કારોબારમાં ' એલ્ગો ટ્રેડિંગ ' એટલે એવું ટ્રેડિંગ જે આધુનિક ગણિતીય રીતોનો ઉપયોગ કરીને અત્યાંત ઝડપી ગતિથી સામે આવે છે અને આપોઆપ સોદા થાય છે . આ પદ્ધતિનો ઉપયોગ મુખ્યત્વે મોટા સંસ્થાગત રોકાણકારો દ્વારા કરવામાં આવે છે . આ પદ્ધતિ એટલા માટે ચિંતાજનક છે કારણ કે એલ્ગોથી નાના રોકાણકારો અને બજાર બંનેને સંભવિત પ્રણાલીગત જોખમ થવાનો ભય રહે છે . સેબીએ સૌથી પહેલા એલ્ગો કારોબાર પર દિશાનિર્દેશ માર્ચ , 2012માં આપ્યા હતા . મંગળવારે જાહેર કરવામાં આવેલા સરક્યુલરમાં બજાર નિયામકે જણાવ્યું છે કે તેણે એલ્ગો દિશાનિર્દેશોની સમીક્ષાનો નિર્ણય લીધો છે . આ અંગે તકનીકી સલાહકાર સમિતિએ સૂચનો આપ્યા હતા . નવા નિયમો 27 મેથી અમલી બનવાના છે . સુધારવામાં આવેલા દિશાનિર્દેશો અનુસાર એલ્ગો સુવિધા પૂરી પાડનારા બ્રોકરોને અનિવાર્ય રીતે પ્રત્યેક છ મહિનામાં પોતાના સિસ્ટમનું ઓડિટ કરાવવું પડશે . તેને સેબી અને શેરબજાર દ્વારા નક્કી કરવામાં આવેલી જરૂરિયાતોનું પાલન પણ કરવું પડશે . આ પ્રકારનું ઓડિટ યોગ્ય પ્રામાણિત સિસ્ટમ ઑડિટર પાસે કરાવવાનું રહેશે ." business,"નવી દિલ્હી , 27 નવેમ્બરઃ ગ્લોબલ ટેકનોલોજીમાં શ્રેષ્ઠ એપલને ફેમસ મેગેઝિન ફોર્બ્સે સતત ત્રીજા વર્ષે દુનિયાની સૌથી કિંમતી બ્રાંડ જાહેર કરી છે . સૌથી કિંમતી બ્રાંડની ફોર્બ્સની યાદીમાં માઇક્રોસોફ્ટને બીજું અને કોકા કોલાને ત્રીજું સ્થાન મળ્યું છે . જ્યારે આઇટી દિગ્ગજ આઇબીએમ અને ઇન્ટરનેટ કંપની ગૂગલ ત્રીજા અને ચોથા સ્થાન પર આવે છે . ફોર્બ્સ અનુસાર એપ્પલની બ્રાંડ વેલ્યૂ 104.3 અરબ ડોલર છે , જ્યારે બીજું સ્થાન મેળવનાર માઇક્રોસોફ્ટની બ્રાંડ વેલ્યૂ 56.7 અરબ ડોલર કરતા લગભગ બેગણી વધારે છે . મેગેઝિને પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે કે ગયા વર્ષના મુકાબલે એપલની બ્રાંડ વેલ્યૂમાં 20 ટકાનો વધારો થયો છે . જ્યારે માઇક્રોસોફ્ટની બ્રાંડ વેલ્યૂ છેલ્લા ત્રણ વર્ષથી સ્થિર બનેલી છે . કંપની પોતાના પર્સનલ કંમ્પ્યુટર કારોબાર ઘટાડીને મોબાઇલ બજારમાં પગ જમાવવાની કવાયતમાં લાગેલી છે . કંપનીનો વૃદ્ધિદર ઘટ્યો છે , પરંતુ હજી પણ તે સૌથી વધારે નફો કમાનાર બ્રાંડ છે . કોકા કોલાની બ્રાંડ વેલ્યૂ 54.9 અરબ અને આઇબીએમની 50.7 અરબ ડોલર આંકવામાં આવી છે . દુનિયાભરની લગભગ 100 કંપનીઓની સૂચિમાં અડધાથી વધારે અમેરિકન કંપનીઓનો સમાવેશ થાય છે . ત્યારબાદ 9 કંપનીઓ સાથે જર્મની , 8 કંપનીઓ સાથે ફ્રાંસ , 7 કંપનીઓ સાથે જાપાનનો નંબર આવે છે . જ્યારે ભારતની એકપણ કંપનીનું નામ આ સૂચિમાં નથી . ટેકનોલોજી ક્ષેત્રની સૌથી વધારે 19 કંપનીઓને સ્થાન મળ્યું છે , જ્યારે ટોપ ટેન કંપનીઓમાં આ ક્ષેત્રની છ કંપનીઓ સામેલ છે . સૂચિમાં 9માં સ્થાને આવેલ સેમસંગની બ્રાંડ વેલ્યૂમાં ગયા વર્ષની તુલનાએ સૌથી વધારે 53 ટકાનો વધારો નોંધાયો છે . છેલ્લા ત્રણ વર્ષમાં તેની વેલ્યૂમાં 136 ટકાનો ઉછાળો નોંધાયો છે ." sports,"આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ પરિવાર સાથે સમય વિતાવ્યા બાદ હાલ સચિન તેંડુલકર અન્ય કાર્યક્રમોમાં વ્યસ્ત થઇ ગયો છે . તાજેતરમાં જ સચિન તેંડુલકર મુંબઇમાં કાફે કોફી ડે ઇવેન્ટમાં હાજર રહ્યો હતો અને તેનું પ્રમોશન કર્યું હતું . આ તકે સચિને ક્રિકેટ અને કાફે કોફી ડે અંગે ઉપસ્થિતો સાથે ચર્ચા કરી હતી . નોંધનીય છે કે , 24 વર્ષ સુધી ભારતીય ક્રિકેટનો હિસ્સો રહ્યાં બાદ વેસ્ટ ઇન્ડિઝ સામે રમાયેલી બે ટેસ્ટની શ્રેણી બાદ સચિન તેંડુલકરે આતંરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધી હતી . મુંબઇના વાનખેડેમાં સચિને કારકિર્દીની અંતિમ મેચ રમી હતી . અંતિમ મેચમાં વાનખેડેમાં મોટી સંખ્યામાં તેના પ્રશંસકો ઉપસ્થિત રહ્યાં હતા . સચિન પણ ક્રિકેટ છોડ્યા બાદ ભાવુક જણાયો હતો સાથે જ આખો દેશ સચિનના આ નિર્ણયથી ભાવુક થઇ ઉઠ્યો હતો . તો ચાલો તસવીરો થકી જોઇએ સચિન તેંડુલકર અને કાફે કોફી ડે ઇવેન્ટને ." entertainment,"શીર્ષક વાંચીને ચોંકી ગયા ને ? પણ સાચુ છે . અમેરિકામાં લિફ્ટ લેવા માટે સૈફ અલી ખાને પોતાની સહ - અભિનેત્રી ઇલિયાના ડીક્રૂઝને કપડાં ઉતારવા માટે કહ્યુ હતું . હકીકતમાં ઇલિયાનાએ સૈફ સાથે પોતાની આવનાર ફિલ્મ હૅપ્પી એન્ડિંગ માટે એક સ્ટ્રિપ સીન કરવાનુ હતું . સીન મુજબ લૉસ એંજલ્સ તથા સૅન ફ્રાંસિસ્કો વચ્ચે પૅસિફિક કોસ્ટ હાઈવે પર શૂટિંગ દરમિયાન ઇલિયાના તેમજ સૈફે ગાડીમાં લિફ્ટ લેવાની હતી . સૈફે હાઈવે પર ઊભા રહી લિફ્ટ માંગવાની ઘણી યુક્તિઓ કરી , પણ કોઈ કાર નહીં રોકાઈ . તેથી સૈફે ઇલિયાનાને લિફ્ટ માટે કપડાં ઉતારવા માટે કહ્યું . મજાની વાત એ છે કે સૈફના કહેવા પર ઇલિયાનાએ ત્યાંથી પસાર થતા ગાડીવાળાઓને આકર્ષવા માટે પોતાના કપડાં ઉતારવા પણ શરૂ કરી દીધાં . જોકે તે પછી શું થયું ? તે તો જાણવા મળ્યુ નથી . ઇલિયાનાનું તે સ્ટ્રિપ સીન જોવા માટે આપણે આવતા મહીનાનો ઇંતેજાર કરવો પડશે , કારણ કે હૅપ્પી એન્ડિંગ ફિલ્મ આગામી 21મી નવેમ્બરે રિલીઝ થવાની છે . ચાલો આપને બતાવીએ હૅપ્પી એન્ડિંગ ફિલ્મની તસવીરો :" business,"અમદાવાદઃ છેલ્લા કેટલાય અઠવાડિયાથી સતત વધી રહેલ પેટ્રોલ - ડીઝલની કિંમતો સામાન્ય નાગરિકોની કમર તોડી રહ્યું છે . વિપક્ષના ભારત બંધ બાદ પણ પેટ્રોલ - ડીઝલની વધતી કિંમતો ઘટવાનું નામ નથી લઈ રહી . જ્યારે બીજી બાજુ સરકાર પણ પેટ્રોલ ડીઝલની કિંમતનો નાથવામાં નિષ્ફળ રહી . અમદાવાદમાં આજે 12 પૈસાના ભાવ વધારા સાથે પેટ્રોલ 82.95 રૂપિયાની સપાટી પર પહોંચી ગયું છે જ્યારે ડીઝલ 17 પૈસાના ભાવ વધારા સાથે 80.76 રૂપિયાની સપાટી પર પહોંચી ગયું છે . મુંબઈમાં પણ પેટ્રોલ - ડીઝલની કિંમતો ઓલ ટાઈમ હાઈ સપાટીએ પહોંચી ગઈ છે . અહિં પેટ્રોલની કિંમતોમાં 12 પૈસા અને ડીઝલની કિંમતોમાં 17 પૈસાનો ભાવ વધારો ઝીંકાયો છે . નવા ભાવ લાગુ થા બાદ મુંબઈમાં પેટ્રોલ 91.20 રૂપિયાની સાપટી પર અને ડીલ 79.89 રૂપિયાની સપાટી પર પહોંચી ગયું છે . જ્યારે દિલ્હીમાં પેટ્રોલની કિંમતોમાં 12 પૈસાનો ભાવવધારો જોવા મળ્યો છે અને ડીઝલની કિંમતમાં 16 પૈસાનો ઉછાળો આવ્યો છે . નવી કિંમતો લાગુ થયા બાદ દિલ્હીમાં પેટ્રોલ 83.85 રૂપિયા પ્રતિ લીટર પર મળી રહ્યું છે , જ્યારે ડીઝલ 75.25 રૂપિયા પ્રતિ લીટરની સપાટી પર મળી રહ્યું છે . સતત વધી રહેલા આ ભાવને પગલે સામાન્ય નાગરિકોની મુશ્કેલીઓમાં વધારો થયો છે . પેટ્રોલ - ડીઝલ બાદ સોમવારે સાંજે એલપીજી ગેસ સિલિન્ડરમાં પણ ભાવ વધારો ઝીંકાયો હતો . SBIના ગ્રાહકો માટે ખાસ ખબર , હવે 20 હજારથી વધુ રૂપિયા નહિ ઉપાડી શકો" business,"મોનિટરી પોલિસી અને ફિસ્કલ પોલિસી ઇકોનોમિસ્ટ અને એનાલિસ્ટો દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા મહત્વના શબ્દો છે . મોનિટરી પોલિસી મોનિટરી પોલિસી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા તૈયાર કરવામાં આવે છે . આ પોલિસીમાં ભારત સરકાર કોઇ દરમિયાનગીરી કરવામાં આવતી નથી . આ નીતિ આરબીઆઇ દ્વારા ફુગાવાને કાબુમાં લેવા માટે ઘડવામાં આવે છે . તેના દ્વારા અર્થતંત્રમાં નાણાના પ્રવાહને નિયંત્રિત કરવામાં આવે છે . ઉદાહરણ તરીકે સેન્ટ્રલ બેંક વ્યાજના દરો વધારવામાં દરમિયાનગીરી કરે છે અને તેના કારણે અર્થતંત્રમાં ફુગાવો નિયંત્રણમાં રહે છે . બીજી તરફ જો ફુગાવો ઓછો રહે છે તો તેના કારણે માર્કેટમાં વ્યાજના દરો ઘટે છે . રિઝર્વ બેંક નાણાના પ્રવાહને નિયંત્રિત કરે છે . આ ઉપરાંત કેશ રિઝર્વ રેશિયો નિર્ધારિત કરીને માર્કેટમાં નાણાની પ્રવાહિતા સુધારવામાં મદદ કરે છે . રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પણ ઓપન માર્કેટ ઓપરેશન્સ પણ કરે છે . રિઝર્વ બેંક સરકારી બોન્ડ્સના ખરીદ વેચાણ કરકે છે . આ તમામ કામગીરીને સમાવતી પોલિસીને મોનિટરી પોલિસી કહે છે . ફિસ્કલ પોલિસી શું છે ? ફિસ્કલ પોલિસી સરકાર દ્વારા ઘડવામાં આવે છે . તેમાં ડાયરેક્ટ અને ઇન ડાયરેક્ટ ટેક્સ કલેક્શન જેથી નાણાકીય ખાધ અંકુશમાં રહે . જ્યારે નાણાકીય ખાધ વધે છે ત્યારે સરકાર ટેક્સ વધારે છે જેથી ખાધ ઓછી થાય . જો કે આ પદ્ધતિથી ક્યારેક લોકોના રોષનો પણ સામનો કરવો પડે છે . નાણાકીય પોલિસી મોટા ભાગે અર્થતંત્રની સ્થિરતા , આવકને વધારવા અને આર્થિક વિકાસમાં વધારવામાં મદદરૂપ બને છે . જો કે અર્થતંત્રને સંતુલિત રાખવા માટે સરકાર કર છૂટ પણ આપે છે ." entertainment,બિપાશા બાસુ કરણ સિંહ ગ્રોવરને કેટલો પ્રેમ કરે છે . એ વાત તો કોઈનાથી પણ છુપાયેલી નથી . જ્યારથી આ કપલે લગ્ન કર્યા છે ત્યારથી બંને સાથે ફરતા અને રોમાન્સ કરતા જ નજરે પડે છે . બંને સાથે બિલકુલ મેડ ફોર ઈચ અધર કપલ લાગે છે . બંને સોશ્યિલ મીડિયા પર પોતાની તસવીરો શેર કરતા રહે છે . જ્યાં એક બાજુ બિપાશા બાસુ બોલિવૂડની ઘણી ફિલ્મોમાં આવી ચુકી છે અને ઘણું નામ પણ કમાયું છે . ત્યાં જ બીજી બાજુ કરણ સિંહ ગ્રોવર ટેલિવિઝનનો ઘણો જ ફેમસ ચહેરો છે . જે કેટલીક ફિલ્મોમાં પણ આવી ચુક્યા છે . આમ તો બંનેની કેમેસ્ટ્રીનો કોઈ જ જવાબ નથી . પરંતુ આ શાનદાર કેમેસ્ટ્રીને કારણે ડાયરેક્ટર પરેશાન થઇ ચુક્યા છે . ખરેખર વાત આમ છે કે ઘણા ડાયરેક્ટર બિપાશા બાસુ સાથે કામ કરવા માંગે છે . ફિલ્મમાં તેમને કાસ્ટ કરવા માંગે છે . પરંતુ બિપાશા બાસુએ એવી શરત મૂકી દીધી છે જે તેઓ પુરી નથી કરી શકતા . બિપાશા બાસુએ શરત મૂકી દીધી છે કે ફિલ્મમાં કરણ સિંહ ગ્રોવરને પણ લેવામાં આવે . પરંતુ હજુ સુધી બિપાશા બાસુને આ શરતમાં સફળતા નથી મળી . મળતી માહિતી મુજબ નિર્દેશક લેખક મિલાપ ઝવેરીએ બિપાશા બાસુને પોતાની આગળની ફિલ્મની ઓફર કરી . પરંતુ બિપાશા એ તેમની સામે આ શરત મૂકી દીધી . બિપાશાની આ શરતને મિલાપે તરત જ ના પાડી દીધી . બિપાશાનું કહેવું છે કે તે પોતાના પતિ કરણ સિંહ ગ્રોવરથી દૂર નથી રહી શકતી . એવામાં તો હવે બિચારા ડાયરેક્ટર કરી પણ શુ શકે . . . entertainment,"આત્મહત્યા કરનાર બૉલીવુડ અભિનેત્રી જિયા ખાનનું મોત અત્યાર સુધી વણઉકલ્યું રહ્યું છે . દરમિયાન જિયા ખાનના પરિવારને તેમના બેડરૂમમાંથી એક સુસાઇડ નોટ મળી આવી છે . મળતી માહિતી મુજબ જિયા ખાનના પરિવારજનોને જિયાના બેડરૂમમાંથી જે સુસાઇડ નોટ મળી છે તે લગભગ છ પાનાની છે . જિયા ખાન કાવ્ય લખવાના શોખીન હતાં . તેથી ઘરના લોકોએ વિચાર્યું કે આ પાનાઓ જિયાના કાવ્યોનો પેજ હશે . જિયાના માતા અને બહેન આ પાનાઓને સંભાળીને રાખી રહ્યાં હતાં કે તેમણે તે વાંચ્યું અને તે જિયા ખાનની સુસાઇડ નોટ નિકળી . હાલ તો જિયા ખાનના પરિવારજનોએ આ સુસાઇડ નોટ પોલીસને હવાલે કરી દીધી છે . કહે છે કે આ સુસાઇડ નોટમાં લખ્યું છે - તુમને મેરે સાથ ધોખા કિયા હૈ . મૈંને તુમ પર વિશ્વાસ કિયા , લેકિન તુમને રિલેશનશિપ કા ખ્યાલ નહીં કિયા . નોંધનીય છે કે જિયા ખાન ગત સોમવારે રાત્રે પોતાના જુહૂ ખાતે આવેલ ઘરમાં ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતાં . અમિતાભ બચ્ચન સાથે નિશબ્દ ફિલ્મથી બૉલીવુડ જિયાના મોતથી સમગ્ર બૉલીવુડ શોકગ્રસ્ત થઈ ગયુ હતું અને આંચકો અનુભવ્યો હતો . આ અંગે આદિત્ય પંચોલીના પુત્ર સૂરજ પંચોલીની પૂછપરછ કરાઈ છે કે જેઓ જિયાના બૉયફ્રેન્ડ છે અને છેલ્લી વાર તેમણે જ જિયા ખાન સાથે વાત કરી હતી ." business,"ભારતીય રિઝર્વ બેંક ( આરબીઆઈ ) ની મોનેટરી પોલિસી કમિટી ( એમપીસી ) બુધવારે મૌદ્રિક નીતિની સમીક્ષા કરી . આ બેઠકમાં નવા રેપો રેટનું એલાન કરવામાં આવ્યુ છે . આરબીઆઈના રેપો રેટમાં 0.25 ટકાનો વધારો કર્યો છે જે હવે રેપો રેટ છેલ્લા બે વર્ષના ઉચ્ચતમ સ્તર 6.50 ટકા સુધી પહોંચી ગયુ છે . રેપો રેટ વધવાથી હોમ લોન અને ઓટો લોનની ઈએમઆઈ વધી શકે છે . બેઠકમાં રિવર્સ રેપો રેટ વધારીને 6.25 ટકા અને માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલીટી રેટ તેમજ બેંક રેટને 6.75 ટકા કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે . મે ના ચાર મહિનાના ઉપલા સ્તર 4.87 ટકા સુધી પહોંચ્યા બાદ ભારતીય રિઝર્વ બેંક ( આરબીઆઈ ) એ ઓગસ્ટમાં પોતાની મૌદ્રિક નીતિ સમીક્ષામાં રેપો રેટ વધાર્યો છે . ગઈ સમીક્ષા બેઠકમાં પણ રેપો રેટ 0.25 ટકા વધારવામાં આવ્યો હતો . સાડા ચાર વર્ષ બાદ આ દરમાં વધારો કરવામાં આવ્યો છે . આરબીઆઈએ નાણાંકીય વર્ષ 2019 માં જીડીપી ગ્રોથ અનુમાનને 7.4 ટકા રાખ્યુ છે . આરબીઆઈ મુજબ એપ્રિલ - સપ્ટેમ્બરમાં જીડીપી ગ્રોથ 7.5 - 7.6 ટકા રહેવાનું અનુમાન છે . વળી , જુલાઈ - સપ્ટેમ્બર વચ્ચે મોંઘવારી દર 4.2 ટકા રહેવાનું અનુમાન છે . મોનિટરી પોલિસી કમિટીની આગામી બેઠક 3 - 5 ઓક્ટોબરે થશે . ઓક્ટોબર 2013 બાદ આ પહેલી વાર બનશે કે સતત બીજી વાર સમીક્ષા બેઠકમાં વ્યાજ દરો વધારવામાં આવ્યા છે . વ્યાજ દરોમાં થયેલા આ વધારાની સીધી અસર જનતાના ખીસ્સા પર પડશે . રેપો રેટ વધવાથી બેંકોમાંથી તમારા માટે હોમ લોન અને ઓટો લોન સહિત અન્ય લોન લેવી મોંઘી સાબિત થશે . લોકોની ઈએમઆઈ પણ મોંઘી થઈ જશે ." entertainment,"મુંબઈ , 25 જાન્યુઆરી : બૉલીવુડમાં છેલ્લા કેટલાંક વર્ષોથી રીમેક ફિલ્મોની બોલબાલા છે . બૉલીવુડના ઘણા બધા દિગ્દર્શકો જૂની ફિલ્મોની રીમેક બનાવી રહ્યાં છે કે જેથી જૂની ફિલ્મોના નામનો નવી રીમેકને ફાયદો થાય . પરંતુ બહુ ઓછા લોકોને ખબર હશે કે બૉલીવુડમાં જૂની કે અન્ય ભાષાઓની ફિલ્મોની રીમેક બનાવવાનો સિલસિલો દબંગ સલમાન ખાને શરૂ કર્યો હતો . સલમાન અત્યાર સુધી ડઝનબંધ ફિલ્મોની રીમેક ફિલ્મો કરી ચુક્યાં છે અને ગઈકાલે રિલીઝ થયેલી જય હો પણ આ જ શ્રેણી હેઠળ આવે છે . જય હો સામે એક તરફ ધૂમ 3 , ક્રિશ 3 અને ચેન્નઈ એક્સપ્રેસ જેવી ફિલ્મોના રેકૉર્ડ્સ તોડવાનું દબાણ છે , તો બીજી બાજુ જય હોની સફળતા દ્વારા રીમેકની બાબતમાં સલમાન ખાનની રાજાશાહીની પરીક્ષા પણ થશે . સલમાન ખાનની અત્યાર સુધીની મોટાભાગની રીમેક ફિલ્મો સફળ રહી છે અને ફૅન્સને અપેક્ષા છે જ કે જય હો પણ મોટા - મોટા રેકૉર્ડ્સ બનાવશે . ફિલ્મે જે રીતે પહેલા જ દિવસે 20 કરોડની કમાણી કરી છે , તેનાથી લોકોની આશાઓ સફળ થઈ શકે છે . અહીં એ યાદ અપાવવની જરૂર નથી કે સલમાન ખાનની જય હો ફિલ્મ તેલુગુ ફિલ્મ સ્ટાલિનની રીમેક છે . સલમાન ખાનની પ્રથમ રીમેક ફિલ્મ લવ હતી કે જે તેલુગુ ફિલ્મ પ્રેમની રીમેક હતી . લવથી શરૂ થયેલી સલમાનની રીમેક ફિલ્મોની સફર જય હો બાદ કિક સુધી પણ જળવાઈ રહેવાની છે અને અફવાઓ તો એવી છે કે સલમાન કિક પછી પણ અનેક એવી ફિલ્મોની રીમેક ફિલ્મોમાં કામ કરવાનો ઇરાદો ધરાવે છે . આવો તસવીરો વડે બતાવીએ સલમાનની રીમેક ફિલ્મોની સફર ." entertainment,"નાગિન અભિનેત્રી મોની રોયની સ્ટાઇલ અને લૂકના તો બધા જ દિવાના છે . મોની રોય જે પણ કરે તે હવે ફેશન બની જાય છે . જેવા પણ કપડાં પહેરે તે નવી સ્ટાઇલ બનીને લોકોને આકર્ષિત કરે છે . એટલા માટે મોની રોયના ફેન્સની સંખ્યા પણ ઓછી નથી . ( Also Read : Hot Pics : આ છે ટીવીની સુપરસ્ટાર અભિનેત્રી , હોટ અને ગ્લેમરસ ) હાલમાં જ મોની રોય એ એક મેગેઝીન કવર માટે ફોટોશૂટ કરાવ્યું છે . આ ફોટોશૂટમાં મોનીનો આવો લૂક તમે પહેલા ક્યાંય પણ નહીં જોયો હોય . આ ફોટોશૂટ દરમિયાન મોની ખુબ જ હોટ દેખાઈ રહી છે . મોની રોયએ સ્માર્ટ લાઈફ મેગેઝીન માટે આ ફોટોશૂટ કરાવ્યું છે . ( Also Read : મોની રોય ઉર્ફ નાગિને ગોવામાં બતાવી કંઇ આવી હોટ અદાઓ ) અભિનેત્રી મોની રોયએ ઇન્સ્ટાગ્રામ પર પોતાના ફોટોશૂટની તસવીરો પોસ્ટ કરી છે . આ તસવીરોમાં મોની રોય ખુબ જ આકર્ષક અને હોટ દેખાઈ રહી છે . ટેલિવિઝનની સૌથી ફેમસ અભિનેત્રી મોની રોય ફરી એકવાર ટીવી પરદે આવી રહી છે . ફેમસ એવી ટીવી સિરિયલ નાગિન જ્યારે બંધ થઇ હતી ત્યારે મોની રોયના ફેન્સ નિરાશ થઇ ગયા હતા . પરંતુ જેવી ખબર આવી કે નાગિન 2 ખુબ જ જલ્દી શરૂ થવા જઈ રહ્યો છે . ત્યારે તે ફેન્સ ખુશ પણ થયા હતા . ફેન્સ મોની રોયને પાછી ફરેલી જોઈને ખુબ જ ખુશ છે અને મોની રોય પણ તેના ફેન્સ માટે એક ખાસ સરપ્રાઈઝ લઈને આવી રહી છે . જે નાગિન ફેન્સને ચોક્કસ ગમશે . સરપ્રાઈઝ પણ ખુબ જ રસપ્રદ છે . આ સરપ્રાઈઝ એ છે કે નાગિન 2માં મોની રોય આપણે ડબલ રોલમાં જોવા મળશે . આપણે જણાવી દઈએ કે નાગિનની પહેલી સીઝનમાં અર્જુન બિજલાનીએ પિતા અને પુત્રનો ડબલ રોલ કર્યો હતો . બસ તે જ રસ્તે મોની પણ ચાલી પડી છે . નાગિનની બીજી સીઝનમાં મોની શિવન્યાની સાથે સાથે તેની જ દીકરી શિવાંગીનો રોલ પણ કરશે . આ સીઝનમાં અદા ખાન અને સુધા ચંદન પણ જોવા મળશે . મોની રોય ની સિરિયલ નાગિન સુપર હીટ રહી હતી . આમ જોવા જઈએ કે છેલ્લા કેટલાક સમયથી મોની રોય ના કરિયરમાં ખૂબ જ સારો ઉછાળ આવ્યો છે . આ સારા કરિયર માટે તેની સિરિયલ નાગિનનો પણ મોટો હાથ છે . જ્યાં નાગિન સિરિયલ પોતાની અલગ કહાનીને કારણે પોપ્યુલર રહી . ત્યાં જ નાગિનની મુખ્ય અભિનેત્રી મોની રોય પણ આ શો ધ્વારા ટીવીની સુપરહીટ અભિનેત્રી બની ચુકી છે . નાગિન ના અવતારમાં લોકોને મોની રોય ખુબ જ પસંદ આવી ." sports,"ટૈટે એક નિવેદનમાં કહ્યું છે કે , હું અવાક છું , ક્રોધિત અને નિરાશ પણ છું કે એવું ખોટુ બોલવામાં આવ્યું કે કોઇ ખોટા કામમાં મારો હાત છે . આઇપીએલમાં સ્પોટ ફિક્સિંગના આરોપમાં રાજસ્થાન રોયલ્સના ત્રણ ખેલાડીની ધરપકડ બાદ સોશિયલ મીડિયા સાઇટ પર ટૈટનું નામ પણ ઉછળ્યું હતું . રાજસ્થાન માટે રમનારા ટૈટને તુરંત દિલ્હી પોલીસે ક્લીન ચીટ આપી દીધી હતી , જેમાં કહેવામાં આવ્યું કે આ સ્કેન્ડલમાં કોઇ વિદેશી ખેલાડી સામેલ નથી . ભારતના ઝડપી બોલર એસ શ્રીસંથ , સ્પિનર અંકિત ચૌહાણ અને અજીત ચંદીલાની કથિત સ્પોટ ફિક્સિંગના મામલે ગુરુવારે ધરપકડ કરવામાં આવી હતી . ટૈટે કહ્યું કે , પોલીસ દ્વારા મને ક્લિન ચીટ આપવામાં આવ્યાના નિવેદનનો હું સ્વિકાર કરું છું , પરંતુ અમુક કલાકો સુધી આ અફવાઓથી હું ઘણો પરેશાન થઇ ગયો હતો , જે સોશિયલ મીડિયામાં મારા અંગે ચાલી રહી હતી . તેણે કહ્યું છે કે આ બધુ પાયાવિહોણું છે . મે મારી કારકિર્દીમાં ક્યારેયપણ સ્પોટ કે મેચ ફિક્સિંગ કર્યું નથી . હું મારા મેનેજર અને કાયદાકીય પ્રતિનિધિઓને સાથે વાત કરી રહ્યો છું , જેથી માલુમ પડે કે આ અફવાઓની શરૂઆત ક્યાંથી થઇ . ત્યાર બાદ હું કોઇ કાર્યવાહી કરી શકું છું . ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના ભ્રષ્ટાચાર નિરોધક એકમના પ્રમુખ સીન કૈરોલે પણ ટૈટ પર સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે ." business,"ગ્લોબલ માર્કેટમાં સોનામાં મામૂલી તેજીને કારણે ભારતમાં સોના - ચાંદીના બજારોમાં સોનામાં થોડી તેજી જોવા મળી છે . દિલ્હીના સોના - ચાંદીના બજારમાં માંગ સુસ્ત હોવાને કારણે સોનાનો ભાવ 30,250 ( 24 કેરેટ ) રુપિયા પ્રતિ દસ ગ્રામ પર સ્થિર રહ્યો . ચાંદીનો ભાવ 50 રુપિયાની મામૂલી તેજી સાથે 42,250 રુપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગયો . આપના શહેરમાં સોના - ચાંદીનો ભાવ નવી દિલ્હીમાં સોનાનો ભાવ 29000 રુપિયા / પ્રતિ 10 ગ્રામ ( 22 કેરેટ ) , ચાંદી - 41895 રુપિયા / પ્રતિકિલો જયપુરમાં સોનાનો ભાવ 29700 રુપિયા / પ્રતિ 10 ગ્રામ ( 22 કેરેટ ) , ચાંદી - 41895 રુપિયા / પ્રતિકિલો કોલકત્તામાં સોનાનો ભાવ 29280 રુપિયા / પ્રતિ 10 ગ્રામ ( 22 કેરેટ ) , ચાંદી - 41895 રુપિયા / પ્રતિકિલો લખનઉમાં સોનાનો ભાવ 29000 રુપિયા / પ્રતિ 10 ગ્રામ ( 22 કેરેટ ) , ચાંદી - 41895 રુપિયા / પ્રતિકિલો મુંબઇમાં સોનાનો ભાવ 29560 રુપિયા / પ્રતિ 10 ગ્રામ ( 22 કેરેટ ) , ચાંદી - 41895 રુપિયા / પ્રતિકિલો અમદાવાદમાં સોનાનો ભાવ 29700 રુપિયા / પ્રતિ 10 ગ્રામ ( 22 કેરેટ ) , ચાંદી - 41895 રુપિયા / પ્રતિકિલો બેંગલોરમાં સોનાનો ભાવ 28300 રુપિયા / પ્રતિ 10 ગ્રામ ( 22 કેરેટ ) , ચાંદી - 42100 રુપિયા / પ્રતિકિલો ચેન્નઇમાં સોનાનો ભાવ 28300 રુપિયા / પ્રતિ 10 ગ્રામ ( 22 કેરેટ ) , ચાંદી - 42100 રુપિયા / પ્રતિકિલો હૈદરાબાદમાં સોનાનો ભાવ 28330 રુપિયા / પ્રતિ 10 ગ્રામ ( 22 કેરેટ ) , ચાંદી - 41895 રુપિયા / પ્રતિકિલો સોના - ચાંદીના ભાવ બજાર પર નિર્ભર છે , માટે ઉપર દર્શાવેલા આંકડા અને હાલમાં બજારમાં સોનાના ભાવમાં તફાવત હોઇ શકે છે . ડૉલરના ભાવને કારણે ભાવમાં ઘટાડો પ્રાપ્ત માહિતી અનુસાર , સોનુ 2.60 ડૉલર વધીને 1,252.65 ડૉલર પ્રતિ ઔંસ પર રહ્યુ . વળી , ડિસેમ્બરનો અમેરિકી સોના વાયદો 2.8 ડૉલર સરકીને 1,252.7 ડૉલર પ્રતિ ઔંસ પર રહ્યો . બજાર વિશ્લેષકોનું માનવુ છે કે ડિસેમ્બરમાં અમેરિકામાં વ્યાજદરો વધવાની સંભાવના જેમ જેમ વધતી જાય છે તેમ સોના પર દબાણ વધી રહ્યું છે . વાયદા બજારમાં સોનુ ગગડ્યુ ભવિષ્યમાં ભાવમાં ઘટાડાની આશંકામાં જ સોના વાયદો ગગડ્યો છે . આ દરમિયાન લંડનમાં ચાંદીનો ભાવ 17.37 ડૉલર પ્રતિ ઔંસ પર સ્થિર રહ્યો . તહેવારની સિઝન હોવા છતાં સ્થાનિક બજારમાં માંગ ઓછી રહી હતી . જેના કારણે સોનુ સ્ટાંડર્ડ ગત કારોબારી દિવસના 30,250 રુપિયા પ્રતિ 10 ગ્રામ પર સ્થિર રહ્યું . ઘરેલુ બજારમાં દબાણ વધ્યુ ગ્લોબલ માર્કેટમાં સોનાનો પ્રારંભિક વધારો ઓછો થઇ ગયો છે . એવામાં ઘરેલુ બજારમાં દબાણ વધી ગયુ છે . હાલમાં એમસીએક્સ પર સોનુ સપાટ થઇને 29660 રુપિયા પર કારોબાર કરી રહ્યુ છે . પ્રારંભિક કારોબારમાં સોનાનો ભાવ 29700 રુપિયાની ઉપર ગયો હતો . ચાંદીની ચાલ પણ સપાટ છે . એમસીએક્સ પર ચાંદી 41800 રુપિયા પર નજરે પડી રહ્યુ છે . ઘરેલુ બજારમાં મામૂલી તેજી બજાર સૂત્રોએ જણાવ્યુ કે ઘરેલૂ બજારમાં લગ્નગાળાને માંગ પૂરી કરવા માટે આભૂષણ વિક્રેતાઓની લેવાલી થવાથી ભાવમાં મામૂલી વધારો થયો છે , પરંતુ વિદેશોમાં કમજોરીના વલણના કારણે લાભમાં અંકુશ આવી ગયો ." entertainment,"7 નવેમ્બરે ટીવીની દુનિયામાં પહેલી વાર શનિ દેવની કહાની ' કર્મફલ દાતા શનિ ' ને ટીવી પર ટેલીકાસ્ટ કરવામાં આવી . શો નું નિર્દેશન સ્વસ્તિક પ્રોડક્શન દ્વારા કરવામાં આવ્યુ છે . શો ના સેટને એટલી ભવ્ય રીતે સજાવવામાં અને બનાવવામાં આવ્યો જેને તમે આજ સુધી કોઇ બીજા શો માં નહિ જોયો હોય . શો ના નિર્દેશક સિદ્ધાર્થ કુમાર તિવારી કહે છે કે શનિનો જન્મ પૃથ્વીના નિર્માણ પહેલા સૂર્યલોકમાં થયો હતો . આપણામાંથી કોઇને ખબર નથી કે ત્યારે શું કેવુ હશે , અમે જે સેટ બનાવ્યો છે તે કાલ્પનિક છે . તમને જણાવી દઇએ કે ' કર્મફલ દાતા શનિ ' ના ભવ્ય સેટ બનાવવામાં આશરે 600 કામદારોની મહેનત છે . જ્યારે સિદ્ધાર્થને પૂછ્યુ કે , ' તમારા શો નો સમય 9 વાગ્યાનો છે તો શું તમને શો ના ટીઆરપીની ચિંતા નથી ? ' આના જવાબમાં સિદ્ધાર્થ કહે છે કે , ' કર્મ કરો ફળની ચિંતા ના કરો ' આ જ તો શનિની કહાની છે , અમે બહુ જ મહેનત કરી છે અને અમને વિશ્વાસ છે કે અમારી મહેનત વ્યર્થ નહિ જાય . ' શો માં દરેક વસ્તુને ખૂબ જ ઝીણવટપૂર્વક બનાવવામાં આવી છે . પછી તે ભગવાન સૂર્યનો સૂર્યમહેલ અને સિંહાસન હોય કે કલાકારોના કપડા અને તેમના આભૂષણ . તમને જણાવી દઇએ કે શો ના દરેક પાત્રોના કપડા અને આભૂષણો કિમતી પત્થરોથી સુસજ્જિત કરેલા છે . જ્યાં શનિ શુદ્ધ નીલો નીલમ પહેરેલ દેખાશે તો સૂર્ય દેવ પણ કિમતી રુબીને ધારણ કરશે અને શુક્રાચાર્ય પણ હીરાઓથી જડેલા નજરે પડશે . આવો નજર કરીએ શો ના મુખ્ય કલાકારો પર . . . કાર્તિક ' કર્મફલ દાતા શનિ ' માં કાર્તિક શનિની મુખ્ય ભૂમિકામાં નજર આવશે . તે શો માં નીલ વસ્ત્રોમાં દેખાશે અને પોતાના મસ્તક પર એક નીલ પણ જડેલો દેખાશે . તમને જણાવી દઇએ કે શનિને તેના પિતા સૂર્યદેવે ઠુકરાવ્યો હતો . ત્યારબાદ તેનું લાલન પાલન તેની મા એ જંગલોમાં કર્યુ હતુ . સલિલ અંકોલા સલિલ શો માં સૂર્ય દેવની ભૂમિકામાં નજરે પડશે . આ શો માં તેનો પરિવેશ ઘણો ભવ્ય હશે . તમને જણાવી દઇએ કે શો મેકર્સે માત્ર તેમના પરિધાન પર જ નહિ પરંતુ તેમની તલવારો પણ ઓરિજનલ બતાવવાની કોશિશ કરી છે . સૂર્યદેવની તલવારનું વજન 45 કિ . ગ્રા . છે . જૂહી પરમાર બિગ બોસ સિઝન 5 ની વિજેતા જૂહી પરમાર લાંબા સમય બાદ શો ' કર્મફલ દાતા શનિ ' સાથે ટીવીની દુનિયામાં પાછી આવી રહી છે . તે આ શો માં સંગ્ના અને છાયાની ભૂમિકા નિભાવશે . સંગ્નાનો પરિવેશ રાણીના અનુરુપ હશે તો છાયાનો પરિવેશ કાળા અને લાલ રંગનો હશે . તમને જણાવી દઇએ કે જૂહીના બંને કોસ્ચ્યુમનું વજન આશરે 25 કિ . ગ્રા છે . કુણાલ બક્શી કુણાલ બક્શી આ શો માં ઇન્દ્રની ભૂમિકામાં નજરે પડશે . ઇન્દ્ર વર્ષાના દેવ છે અને તેમની સવારી એરાવત છે ." business,"અમદાવાદઃ પેટ્રોલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે . આજે પેટ્રોલના ભાવમાં ફરી 9 પૈસાનો વધારો નોંધાયો છે . ગુરુવારે પણ પેટ્રોલના બાવમાં 7 પૈસાનો વધારો નોંધાયો હતો . આ વધારા બાદ અમદાવાદમાં લીટર દીઠ પેટ્રોલના ભાવ 79.28 રૂપિયાની સપાટી પર પહોંચી ગયા છે જ્યારે ડીઝલ 79.28 રૂપિયા પ્રતિ લીટર પર વેંચાઈ રહ્યું છે . જણાવી દઈએ કે છેલ્લા ત્રણ દિવસથી ડીઝલના ભાવમાં કોઈ વધારો - ઘટાડો નોંધાયો નથી . દિલ્હી અને મુંબઈમાં પેટ્રોલના ભાવ દિલ્હીની વાત કરીએ તો 10 પૈસાના વધારા બાદ પેટ્રોલ 82.32 રૂપિયાની સપાટી પર પહોંચી ગયું છે જ્યારે ડીઝલમાં કોઈ વધારો નથી થયો , ડીઝલ 83.87 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે . મુંબઈની વાત કરીએ તો મુંબઈમાં 9 પૈસાના વધારા સાથે પેટ્રોલની કિંમતો 89.69 રૂપિયા પ્રતિ લીટરે પહોંચી ગઈ છે . જ્યારે ડીઝલ 78.42 રૂપિયાની સપાટી પર યથાવત છે . બુધવારે દેશના ચાર મહાનગરોમાં તેલની કિંમતોમાં ધરખમ વધારો થયો હતો . પરંતુ આજે ફરી એકવાર પેટ્રોલના મારે લોકોની તકલીફો વધારી છે . ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસોમાં જેવી રીતે પેટ્રોલ - ડીઝલના ભાવ વધી રહ્યા છે તેને લઈને નાગરિકો પણ વિરોધ કરી રહ્યા છે . આ વાતને લઈને સરકાર પણ દબાવમાં છે . બીજી બાજુ પેટ્રોલ - ડીઝલના વધા ભાવને પગલે મંગળવારે દિલ્હી હાઈકોર્ટમાં એક અરજી પણ દાખલ થઈ હતી . અરજીમાં સરકાર પાસે એ રેકોર્ડ રજૂ કરવાની માગણી કરવામાં આવી છે જેના આધારે ઓઈલ કંપનીઓ દ્વારા ઈંધણના ભાવ રોજ નક્કી કરવામાં આવે . ખેડૂતોના અકસ્માતે મોત પર ગુજરાત સરકાર આપશે બે લાખની સહાય" business,"રિલાયન્સ જીયોએ નવો જીયો ફોન લોન્ચ કર્યો છે . રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના માલિક મુકેશ અંબાણીએ આ ફોન લોન્ચ કરીને અનેક મોટી મોબાઇલ કંપનીઓની મુશ્કેલી વધારી છે . કંપનીએ આ ફોન ખાલી 1500 રૂપિયાની કિંમત સાથે જે આપ્યો છે તે પણ 1500 રૂપિયાની સિક્યોરિટી ડિપોઝીટ સાથે . જે તમને 3 વર્ષ પછી પાછી મળશે . આ ફોનમાં અનેક સારા ફિચર છે . પણ આ ફોનના આવવાની સાથે જ તેને લગતા સવાલો પણ શરૂ થઇ ગયા છે . જેમ કે જીયો ફોનથી શું તમે વોટ્સઅપ , ફેસબુક , યૂટ્યૂબ જેવા એપનો ઉપયોગ કરી શકશો . તમારા આવા જ કેટલાક સવાલો અંગે અમે અહીં સ્પષ્ટતા આપી રહ્યા છીએ તો વિગતવાર જાણો અહીં . . . વોટ્સઅપ રિલાયન્સ જીયોના જીયો ફોન પર વોટ્સઅપનો ઉપયોગ નહીં થાય . ઉલ્લેખનીય છે કે વોટ્સઅપ સૌથી લોકપ્રિય મેસેજિંગ ચેટ છે . પણ રિલાયન્સ તેના જ એપનો પ્રચાર કરવામાં માને છે . જો કે તમે જીયો ફોનમાં ફેસબુકનો ઉપયોગ કરી શકશો . અને સંભાવના રહેલી છે કે ફોનમાં પાછળથી વોટ્સઅપને પણ સપોર્ટ કરવામાં આવે . યૂટ્યૂબ અને ફેસબુક ગેજેટના જાણકારોનું કહેવું છે કે તમે જીયોફોનમાં ફેસબુક ચેક કરી શકશો . સાથે જ યૂટ્યૂબનો ઉપયોગ પણ તમે કરી શકશો . વોટ્સઅપ છોડી બાકી સ્માર્ટફોનના જેવી તમામ સુવિધાઓ તમે મેળવી શકશો . જીયો ચેટ રિલાયન્સ જીયોની પાસે પોતાનું ચેટ પ્લેટફોર્મ છે . માનવામાં આવે છે કે આ દ્વારા રિલાયન્સ તેવા લોકો સુધી પહોંચવા માંગે છે જેમણે હજી સુધી વોટ્સઅપમાં સાઇન ઇન નથી કર્યું . ઉલ્લેખનીય છે કે જીયો ફોનની પ્રી બુકિંગ 24 ઓગસ્ટથી શરૂ થશે . આ માટે તમારે તેની અધિકૃત વેબસાઇટ પર પ્રી બુકિંગ કરાવવું પડશે . અને 1500 રૂપિયા પણ આપવા પડશે . જે તમને ત્રણ વર્ષમાં પરત મળી જશે . જીયો એપ રિલાયન્સ જીયોની પાસે પોતાનું ચેટ પ્લેટફોર્મ છે . માનવામાં આવે છે કે આ દ્વારા રિલાયન્સ તેવા લોકો સુધી પહોંચવા માંગે છે જેમણે હજી સુધી વોટ્સઅપમાં સાઇન ઇન નથી કર્યું . ઉલ્લેખનીય છે કે જીયો ફોનની પ્રી બુકિંગ 24 ઓગસ્ટથી શરૂ થશે . આ માટે તમારે તેની અધિકૃત વેબસાઇટ પર પ્રી બુકિંગ કરાવવું પડશે . અને 1500 રૂપિયા પણ આપવા પડશે . જે તમને ત્રણ વર્ષમાં પરત મળી જશે ." entertainment,"હૉલીવુડના અનેક સ્ટાર્સ ઇંસ્ટાગ્રામ પર સક્રિય છે અને પોતાના ફૅન્સ તથા ફૉલોઅર્સ માટે અમેઝિંગ તસવીરો પોસ્ટ કરતા રહે છે . જોકે આપણે ગંભીરતાપૂર્વક અનુભવી શકીએ છીએ કે કિમ કાર્દર્શિયન ઇંસ્ટાગ્રામ ક્વીન છે કે જેઓ સારી રીતે જાણે છે કે આ સોશિયલ સાઇટ્સનો સેક્સિએસ્ટ વે તરીકે ઉપયોગ કરી કઈ રીતે ફોટો અને વીડિયો શૅરિંગ કરવાનું હોય છે . તેમાં કોઈ શંકા નથી કે રૉન્ચી , હૉટ તથા સ્ટનિંગ તસવીરોના શૅરિંગ સાથે કિમ કાર્દર્શિયન ક્વીન ઑફ ઇંસ્ટાગ્રામ છે . સ્વાભાવિક રીતે જ કિમ કાર્દર્શિયન તેમના દ્વારા પોસ્ટ - શૅર કરાયેલી તસવીરો અને વીડિયોના કારણે જ ક્વીન છે અને તેમને અવગણી ન શકાય . તેઓ અમેરિકિન રિયલિટી ટીવી સ્ટાર હોવાની સાથે રૅપર કૅન્યે વેસ્ટના પત્ની પણ છે . આમ છતાં તેમની ઇંસ્ટાગ્રામ ક્વીન તરીકેની જુદી જ ઓળખ તેમણે બનાવી છે . કિમ કાર્દર્શિયન હૉટ બિકિની સેલ્ફી તસવીરોના શૅરિંગથી લઈ દરેક રીતે ઇંસ્ટાગ્રામનો ભરપૂર ઉપયોગ કરે છે . તેમાં કોઈ આશ્ચર્ય નથી કે કિમ કાર્દર્શિયન સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઉપર 18,673,259 ફૉલોઅર્સ ધરાવે છે . ચાલો તસવીરો સાથે આપને પણ બતાવીએ કે કિમ કાર્દશિયન કેમ ક્વીન ઑફ ઇંસ્ટાગ્રામ છે :" sports,"એશિયન ગેમ્સમાં ભારતીય ટીમને વધુ એક મોટી સફળતા મળી છે . ફ્રીસ્ટાઈલ કુશ્તીના 68 કિલો વર્ગમાં ભારતની દિવ્યા કાકરનને કાંસ્ય પદક મળ્યો છે . દિવ્યા કાકરને તાઈવાનની રેસલરને 10 - 10 થી મ્હાત આપીને આ કાંસ્ય પદક પોતાના નામે કર્યો છે . પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિવ્યા કાકરને કાંસ્ય પદક જીતવા પર અભિનંદન પાઠવતા ટ્વિટ કર્યુ છે . આ પહેલા મહિલા પહેલવાન વિનેશ ફોગાટે કુશ્તીમાં સુવર્ણ પદક મેળવ્યો . મહિલા કુશ્તીમાં એશિયન ગેમ્સમાં સુવર્ણ પદક મેળવનાર ફોગાટ પહેલી મહિલા પહેલવાન છે . આ સાથે ભારતીય નિશાનેબાજોએ પણ શાનદાર ખેલનું પ્રદર્શન કર્યુ અને બે રજત પદક પોતાના નામે કર્યા . વળી રિયો ઓલિમ્પિકમાં છવાઈ જનાર દીપા કરમાકરે આ વખતે ફાઈનલ માટે ક્વોલિફાય કરી શકી નહિ . ત્રીજા દિવસે સૌરભ અને અભિષેક બાદ સંજીવ રાજપૂતે 50 મીટર રાઈફલ - 3 પોઝિશનને સિલ્વર મેડલ મેળવ્યો છે . ફાઈનલમાં તેમણે 452.7 પોઈન્ટ મેળવ્યા . ચીની ખેલાડીએ ગોલ્ડ મેળવ્યો . આ પણ વાંચોઃ સૌરભે એશિયન ગેમ્સમાં જીત્યો ગોલ્ડ , યોગી સરકારનું 50 લાખ , નોકરીનું એલાન અત્યાર સુધી ભારતની ઝોળીમાં 8 મેડલ આવી ચૂક્યા છે . સૌરભથી પહેલા કુશ્તીમાં બજરંગ પુનિયા અને વિનેશ ફોગાટે ગોલ્ડ મેડલ મેળવ્યો . ભારત અત્યારે 7 માં સ્થાન પર છે . ઉલ્લેખનીય છે કે ભારતીય નિશાનેબાજ સંજીવ રાજપૂતે કોમનવેલ્થ ચેમ્પિયનશીપમાં ચાર , કોમનવેલ્થ ગેમ્સમાં એક અને આઈએસએસએફ વિશ્વ કપમાં એક સુવર્ણ પદક જીત્યો છે . જો કે તેઓ એશિયન ગેમ્સમાં પણ ત્રણ પદક જીતી ચૂક્યા છે પરંતુ અહીં તેમનો નિશાનો હજુ સુવર્ણ સુધી પહોંચ્યો નથી . આ વખતે સુવર્ણ પદક પર નિશાન લગાવવામાંથી તે ચૂકી ગયા છે . આ પણ વાંચોઃ વિનેશ ફોગાટે રચ્યો ઈતિહાસ , પહેલી વાર મહિલા પહેલવાને જીત્યો ગોલ્ડ" entertainment,"યશ રાજ ફિલ્મ્સના બૅનર નિર્મિત આદિત્ય ચોપરાની ફિલ્મ દિલવાલે દુલ્હનિયા લે જાયેંગેએ બૉક્સ ઑફિસે ધૂમ મચાવી દીધી હતી . આ ફિલ્મ 20મી ઑક્ટોબર , 1995ના રોજ રિલીઝ થઈ હતી અને આવતા વર્ષે તેને 20 વર્ષ થઈ જશે . ડીડીએલજે મરાઠા મંદિર થિયેટરમાં તેની રિલીઝના દિવસથી ચાલી રહી છે . 2007માં ડીડીએલજેએ પ્રદર્શનના 7 વર્ષ પૂરા કરી શોલે ફિલ્મનો રેકૉર્ડ તોડ્યો હતો . ટેલીવિઝન પર અનેક વખત પ્રસારિત થવા , ડીવીડીમાં ઉપલબ્ધ હોવા તથા ઑનલાઇન જોઈ શકાતી હોવા છતાં ડીડીએલજે તથા રાજ - સિમરનના ફૅન્સ આજે પણ આ ફિલ્મ જોવા મરાઠા મંદિર આવે છે . મુંબઈ , 8 ઑક્ટોબર : રાજ - સિમરનના ફૅન્સ માટે સારા સમાચાર છે કે દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે એટલે કે ડીડીએલજે ફિલ્મ મુંબઈના મરાઠા મંદિર સિનેમા ઘરમાંથી ઉતારવામાં નહીં આવે . અગાઉ એવી અટકળો વહેતી થઈ હતી કે છેલ્લા 19 વર્ષથી મરાઠા મંદિરમાં ચાલી રહેલી ડીડીએલજે હવે ઉતારી લેવામાં આવશે , પરંતુ થિયેટરના મૅનેજિંગ ડાયરેક્ટર મનોજ દેસાઈએ આવી અટકળો ફગાવતા જણાવ્યું કે ફિલ્મનું પ્રદર્શન ચાલુ રહેશે . મનોજ દેસાઈએ જણાવ્યું - અમે ડીડીએલજેના શો હટાવવાનું આયોજન કરી રહ્યા હોવાના સમાચાર ખોટા છે . ઉલ્ટાનું ડિસેમ્બરમાં તો ડીડીએલજેના પ્રદર્શનનું 1000મુ અઠવાડિયુ ઉજવવામાં આવવાનું છે . સિંગલ સ્ક્રીન મરાઠા મંદિરમાં અન્ય ફિલ્મો પણ રિલીઝ થાય છે , પરંતુ મૅટિની શો માત્ર ડીડીએલજે માટે બુક છે . મનોજ દેસાઈએ કહ્યું - હું અને આદિત્ય ચોપરા જ્યાં સુધી ઇચ્છશું , ત્યાં સુધી મરાઠા મંદિરમાં ફિલ્મ પ્રદર્શિત થતી રહેશે . ફિલ્મમાં શાહરુખ ખાન અને કાજોલ મુખ્ય ભૂમિકામાં છે . ચાલો જોઇએ ડીડીએલજેની તસવીરી યાદો :" entertainment,"બૉલીવુડ ફિલ્મકાર મોહિત સુરી કહે છે કે આશિકી 2 ફિલ્મમાં જે આદર્શ પ્રણય - કથાનું ચિત્રણ તેઓ કરી શક્યાં છે , તેની પ્રેરણા તેમના પત્ની ઉદિતા ગોસ્વામીએ આપી છે . તેથી જ ફિલ્મના સફળતાનો સમગ્ર શ્રેય તેમની ખૂબ જ પ્રેમ કરનાર પત્નીને ફાળે જાય છે . ગત શુક્રવારે રિલીઝ થયેલી ફિલ્મ આશિકી 2એ પ્રથમ ત્રણ દિવસમાં જ 20 કરોડની કમાણી કરી છે . મોહિત સુરીએ જણાવ્યું - લોકો કહે છે કે જે પ્રકારનો આદર્શ પ્રેમ મેં ફિલ્મમાં દર્શાવ્યો છે , તે આજે હકીકતમાં અસ્તિત્વમાં જ નથી . હું તેમને કહુ છું , મારા ઘરે આવી જુઓ , એવો જ પ્રેમ કરનાર કોઇક મારા જીવનમાં છે . ઉદિતા વગર શરતે મારો ખ્યાલ રાખે છે , મને પ્રેમ કરે છે . હું ફિલ્મનો સમગ્ર શ્રેય ઉદિતાને આપુ છું . મોહિતે જણાવ્યું - વીતેલું વર્ષ તેમના માટે ખૂબ જ ખરાબ રહ્યું . લોકોને લાગતું હતું કે હું નવા કલાકારો સાથે ફિલ્મ નથી બનાવી શકતો . મારી ફિલ્મ જોવા દર્શકો થિયેટર નહીં જાય , પણ હું આ વખતે અડગ હતો કે મારી ફિલ્મના મુખ્ય પાત્રો આદિત્ય રૉય કપૂર અને શ્રદ્ધા કપૂર જ રહેશે . ફિલ્મના સ્ક્રિપ્ટ લેખક શગૂફ્તા રફીક તેમજ મેં આદિત્ય - શ્રદ્ધાની પસંદગી કરી હતી . રસપ્રદ વાત એ છે કે મોહિત સુરીએ શ્રદ્ધા કપૂરને અગાઉ પણ પોતાની ફિલ્મની ઑફર કરી હતી , પણ તેમણે ઇનકાર કર્યો હતો . સુરી કહે છે - અમે આશિકી 2 ફિલ્મના મુખ્ય કલાકારો માટે નવા ચહેરા લેવાની યોજના બનાવી હતી , પરંતુ અનેક ઑડિયંસ લીધા બાદ પણ કોઈ રાસ ન આવ્યું . સુરી અગાઉ કલયુગ તથા મર્ડર 2 જેવી ફિલ્મો બનાવી ચુક્યાં છે ." business,"મ્યુચ્યુઅલ ફંડ લોકોને દરેક પ્રકારનું રોકાણ કરવાની તક આપે છે . અહીં લોકો ઈક્વિટી માર્કેટથી લઈને ડેટ માર્કેટમાં રોકાણ કરે છે . તો લોકો ઈન્કમટેક્સ બચાવવા પણ અહીં રોકાણ કરે છે . મ્યુચ્યુઅલ ફંડ સ્માર્ટ રોકાણનું સાધન બની રહ્યું છે . આ ઉપરાંત મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણનો એક ફાયદો એ પણ છે અહીં નાની રકમથી પણ રોકાણ કરી શકાય છે . કોઈ પણ મ્યુચ્યુઅલ ફંડમાં 500 રૂપિયાથી રોકાણ શરૂ કરી શકાય છે . જો મ્યુચ્યુઅલ ફંડમાં 500 રૂપિયા પ્રતિ મહિનાનું 30 વર્ષ સુધીનું રોકાણ કરવામાં આવે અને 12 ટકા રિટર્ન મળે , તો તે કુલ 17 લાખ રૂપિયાનું ફંડ બને છે . મ્યુચ્યુઅલ ફંડમાં લાંબા સમયનું રોકાણ કરનાર લોકોને 12 ટકા રિટર્ન સરળતાથી મળી રહે છે ." sports,"ફરીથી એક વાર ઇંગ્લેંડ તરફથી ભારતના કેપ્ટન વિરાટ કોહલી માટે કંઇક એવુ કહેવામાં આવ્યુ કે જેનાથી ભારતીય ક્રિકેટ અને કોહલીને પસંદ કરતા લોકોનો ગુસ્સો ચરમ સીમાએ પહોંચી શકે છે . ઇંગ્લેંડના ઝડપી બોલર જીમી એંડરસને કહ્યુ કે વિરાટ કોહલીની રમતને જબરદસ્તીથી મહત્વ આપવામાં આવી રહ્યુ છે , તેના રેકોર્ડ એટલા માટે બની રહ્યા છે કારણકે ભારતીય પીચો એવી બનાવવામાં આવી છે જેથી કોહલીનું બેટ જ બોલે . ભારતીય પિચમાં મૂવમેંટની કમી છે અને આ કારણે વિરાટ કોહલીનું બેટ જામી રહ્યુ છે . ઉલ્લેખનીય છે કે જિમી એંડરસને ઇંગ્લેંડમાં 2014 માં થયેલી સીરિઝ દરમિયાન કોહલીને ઘણો પરેશાન કર્યો હતો . જ્યારથી ઇંગ્લેંડ અને ભારતની સીરિઝ શરુ થઇ છે ત્યારથી જ ઇંગ્લેંડ તરફથી ટીમ ઇંડિયા અને કોહલી અંગે ઘણુ કહેવામાં આવી રહ્યુ છે . આ પહેલા એક અંગ્રેજી ચેનલે કોહલી પર બોલ ટેંમ્પરિંગનો આરોપ લગાવ્યો હતો . તમને જણાવી દઇએ કે આ સીરિઝમાં કોહલીએ શાનદાર બેટિંગનું પ્રદર્શન કર્યુ છે . આ સીરિઝમાં કોહલીએ પોતાની કેરિયરની ત્રીજી બેવડી સદી ફટકારી છે . તેણે 4000 રન પૂરા કર્યા છે . તેના સિતારા બુલંદી પર છે . એવામાં અંગ્રેજ ટીમના બોલરના આ નિવેદનથી કોહલીની ઇમેજ પર નહિ બલ્કે તેની પોતાની ઇમેજ જરુર ખરાબ થઇ શકે છે ." business,"વિશ્વ ભરમાં મોબાઇલ ફોન યુઝર્સની સંખ્યા દિનપ્રતિદિન વધી રહી છે . ભારતીય મોબાઇલ બજાર પણ તેનાથી અછૂતુ રહી શક્યું નથી . વિશ્વની જેમ ભારત પણ એક મોટુ બજાર બનીને ઉભરી રહ્યું છે . વિશ્વની મોટાભાગની મોબાઇલ નિર્માણ કરતી કંપનીઓ ભારતીય બજારમાં દરરોજ પોતાના નીતનવા મોબાઇલ ફોન ખાસ કરીને સ્માર્ટફોન માર્કેટમાં ઉતારી રહી છે . જો કે , તેમાં કેટલીક કંપનીઓ ગ્રાહકોને આકર્ષકવામાં સફળ નીવડી રહી છે , તો કેટલીક કંપનીઓ નિષ્ફળ . ત્યારે આજે અમે અહીં એવી જ કેટલીક મોબાઇલ નિર્માણ કરતી કંપનીઓ અંગે આછેરી માહિતી આપી રહ્યાં છીએ , જે મોબાઇલ કંપનીઓ વિશ્વ ભરમાં પોતાના મોબાઇલ નિર્માણ કરવાના મામલે ટોચમાં આવે છે . જેમાં એલજી , સોની , એપલ અને સેમસંગ સહિતની કંપનીઓ આવી જાય છે . આ યાદીમાં સેમસંગ સૌથી ટોચ પર છે જ્યારે નોકિયા બીજા અને એપલ ત્રીજા ક્રમે છે , તો ચાલો તસવીરો થકી જાણીએ વિશ્વની ટોચની મોબાઇલ નિર્માણ કરતી કંપનીઓ અંગે . આ માહિતી ગાર્ટનર દ્વારા પોતાના એક સર્વેમાં બહાર પાડવામાં આવી છે ." sports,"નવી દિલ્હી , 15 ડિસેમ્બરઃ મેજબાન ભારતના નિરાશાજનક અભિયાનનું અંત ચિર પ્રતિદ્વંદી પાકિસ્તાનના હાથે પેનલ્ટી શૂટઆઉટમાં મળેલી હારથી થયો અને પોતાની મેજબાનીમાં યોજાયેલ જૂનિયર વર્લ્ડકપમાં ટીમ 10મા સ્થાન પર છે . નિર્ધારીત સમય સુધી સ્કોર 1 - 1 થી બરાબરી રહ્યા બાદ મેચ પેનલ્ટી શૂટઆઉટ સુધી ખેંચી જેમાં પાકિસ્તાન 4 - 2થી વિજયી રહ્યો . બંને ટીમો ક્વાર્ટર ફાઇનલની દોડથી બહાર થયા બાદ જ બધી જ નજરો આ મુકાબલા પર હતી પરંતુ ભારતીય ટીમે ઘરેલું દર્શકોને નિરાશ કર્યા હતા . એકદમ હાઇપ વચ્ચે થઇ રહેલા આ મુકાબલામાં ફોરવર્ડ પંક્તિમાં તાળમેળનો સ્પષ્ટ અભાવ હતો તો ડિફેન્સ પણ નબળા જોવા મળ્યા . ગત જૂનિયર વર્લ્ડ કપમાં ભારત નવમા સ્થાન પર રહ્યું હતું . પેનલ્ટી શૂટઆઉટમાં ભારત માટે ગુરજિંદર સિંહ અને તલવિંદર સિંહે ગોલ કર્યો હતો જ્યારે ઇમરાન ખાન અને સતબીર સિંહના નિશાનાથી ચૂક્યા . તો પાકિસ્તાન માટે મોહંમદ ઇરફાન , મોહંમદ તૌસિક , કેપ્ટન મોહંમદ ઉમર ભટ્ટા અને દિલબર મોહંમદે ગોલ કર્યો જ્યારે મોહંમદ રિઝવાન જૂનિયરનો નિશાનો ચૂક્યો . આ પહેલાં શરૂઆતની મિનિટોમાં ગોલ ગુમાવવા માટે ટેવાયેલી ભારતીય ટીમે પાકિસ્તાનને પણ આઠમી મિનિટે બઢત આપવાની તક આપી હતી અને આ બઢત હુટરથી પાંચ મિનિટ પહેલાં બરાબરી રહી . ડ્રેગ ફ્લિકર ગુરજિંદર સિંહે 65મી મિનિટમાં મળેલી પેનલ્ટી કોર્નરને બરાબરીના ગોલમાં બદલ્યો , મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમમાં મોટી સંખ્યામાં હાજર દર્શકોનો ઉત્સાહ જોવા મળ્યો હતો ." business,બ્રિટેનના પ્રતિષ્ઠિત સમાચારપત્ર સન્ડે ટાઇમ્સના રિપોર્ટમાં એ દાવો કરવામાં આવ્યો છે . અખબારે વિશ્વના સૌથી ધનાઢ્ય લોકોની સૂચિમાં અંબાણી બંધુઓને 20માં સ્થાને મૂક્યા છે . બંનેની સંપતિને 17 અરબ પાઉન્ડ આંકવામાં આવી છે . આ આંકડો ગયા વર્ષના 19 અરબ પાઉન્ડના મુકાબલે ઓછી છે . બ્રિટેનના ભારતીય મૂળના કારોબારી હિન્દુજા બંધુઓને આ સૂચિમાં 47માં સ્થાને રાખવામાં આવ્યા છે . તેમની કૂલ સંપત્તિ 11 અરબ પાઉન્ડ આકવામાં આવી છે . જે ગયા વર્ષની તુલનાએ 9 અરબ પાઉન્ડ કરતા વધારે છે . સુપર માર્કેટ વોલમાર્ટના સ્વામિત્વવાળા વોલ્ટન પરિવાર સૂચિમાં પહેલા નંબરે બિરાજમાન છે . આ લોકોની કૂલ સંપત્તિ 90 અરબ પાઉન્ડ આંકવામાં આવી છે . ગયા વર્ષે તેમની સંપત્તિ 51 અરબ પાઉન્ડ હતી . બીજી બાજુ સન્ડે ટાઇમ્સ દ્વારા જારી કરવામાં આવેલ બ્રિટેનના સૌથી ધનાઢ્ય લોકોની સૂચિમાં ભારતીય મૂળના સ્ટીલ કારોબારી લક્ષ્મી મિત્તલ હવે શ્રેષ્ઠ સ્થાન ગુમાવી બેઠા છે . છેલ્લા આઠ વર્ષોથી પહેલા નંબરે કાયમ રહેનાર મિત્તલને આ ચોથુ સ્થાન પ્રાપ્ત થયું છે . મિત્તલની કૂલ સંપતિ 10 અરબ પાઉન્ડ આંકવામાં આવી છે . ગયા વર્ષે તેમની સંપતિ 12.5 પાઉન્ડ હતી . business,"વિશ્વની સૌથી મોટી ઓનલાઇન ઇ કોમર્સ કંપની અમેજન યુએસના સીટલ શહેરમાં પોતાનું નવું હેડક્વાર્ટર બનાવવા જઇ રહી છે . નવા હેડક્વાર્ટરની ડિઝાઇન એક ગ્લોબની જેમ છે , જેની અંદર ગ્રીનરી પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે . ડિઝાઇનર્સ અનુસાર નવુ અમેજન હેડક્વાર્ટરની ડિઝાઇન તૈયાર કરવા માટે તેમને અનેક સ્થાનોથી પ્રેરણા લીધી , જેમ કે ચીડિયાઘર જ્યાં દરેક સ્થળે છોડ - વૃક્ષ હોય છે . આ ઉપરાંત અન્ય બાગોમાંથી પણ તેમણે પ્રેરણા લીધી છે . અમેજન હેડક્વાર્ટરમાં બે મોટા ગોળાકાર ડોમ બનાવવામાં આવશે , જેને બનાવવા માટે અંદાજે છ વર્ષનો સમય લાગી શકે છે . આ ડોમ 3.3 મિલિયન સ્કેવર ફીટ એરિયામાં બનાવવામાં આવશે . અમે તેમને જણાવી દઇએ કે અમેજન ડોટ કોમ ઇન્ક અમેરિકાની સૌથી મોટી મલ્ટીનેશનલ ઇલેક્ટ્રોનિક્સ ઇકોમર્સ કંપની છે , જેનું હેડક્વાર્ટર યુનાઇટેડ સ્ટેટના સ્ટીલમાં બનાવવામાં આવ્યું છે . ઇકોમર્સ ઉપરાંત , અમેજનનું કિંડલ ઇબુક રીડર અને કિંડલ ફાયર ટેબલેટ પણ વિશ્વભરમાં પસંદ કરવામાં આવ્યું છે . તો ચાલો તસવીરોના માધ્યમથી જોઇએ અમેજનનું સીટલમાં બની રહેલા નવા હેડક્વાર્ટરને ડિઝાઇન પર ." sports,"આઇપીએલ 10 સિઝનની આજે 37મી મેચ છે , જે કલકત્તા નાઇટ રાઇડર્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે આ મેચ હાલ હૈદ્રાબાદનાં ખચાખચ ભરેલા રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઇ રહી છે . ત્યારે આ મેચની તમામ લેટેસ્ટ માહિતી જાણવા માટે આ પેજને રિફ્રેશ કરતા રહો . અહીં અમે તમને આ મેચની તમામ અપડેટ આપતા રહીશું . LIVE : કોલકાતા નાઇટ રાઇડર્સઃ ગૌતમ ગંભીર ( કેપ્ટન ) , સુનીલ નારાયણ , રોબિન ઉથપ્પા , નાથન કુલ્ટર નાઇલ , ઉમેશ યાદવ , કુલદીપ યાદવ , મનિષ પાંડે , શેલ્ડન જેક્સન , ગ્રાન્ડહોમ , ક્રિસ વોક્સ , યુસુફ પઠાણ સનરાઇઝર્સ હૈદરાબાદઃ ડેવિડ વોર્નર ( કેપ્ટન ) , શિખર ધવન , કેન વિલિયમસન , હેનરિક્સ , યુવરાજ સિંહ , નમન ઓઝા , બિપુલ શર્મા , ભૂવનેશ્વર કુમાર , રાશિદ ખાન , સિદ્ધાર્થ કૌલ , મોહમ્મદ સિરાજ" sports,"હાલની ચેમ્પિયન કોલકાતા નાઇટ રાઇડર્સે ઇડન ગાર્ડન્સ સ્ડેડિયમમાં શુક્રવારે રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગના છઠ્ઠી સિઝનની 47મી અને પોતાના 11માં મુકાબલામાં રાજસ્થાન રોયલ્સને 8 વિકેટથી માત આપી દીધી . કોલકાતાએ સરળતાથી રાજસ્થાનને માત આપી દીધી પરંતુ ક્રિઝ પર એવી ઘટના ઘટી ગઇ કે કાલિસે પોતાની સામે રમી રહેલા યુસુફ પઠાણની માફી માગવી પડી . વાત જાણે એમ છે કે કેકેઆર મુકાબલામાં જીતની નજીક જ હતું . રાજસ્થાન તરફથી મેળવેલ 133 રનના લક્ષ્યને આંબવા માટે મેદાને ઉતર્યું . પરંતુ કપ્તાન ગૌતમ ગંભીર 5.3 ઓવરમાં 12 રન બનાવી પેવેલિયનભેગા થઇ ગયા . ત્યારબાદ બિસલા 29 રન બનાવી 7.1 ઓવરમાં અંકિત ચવનની ઓવરમાં રેહાણેના હાથે કેચ આઉટ થઇ ગયો . ત્યારબાદ કાલિસ અને યુસુફ પઠાણની જુલબંદી ટીમને જીત તરફ લઇ ગઇ . IPL - 6 : નાઇટ રાઇડર્સે રાજસ્થાનને 8 વિકેટથી આપી માત , તસવીરો" sports,"નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડ વિરુદ્ધ હાલમાં જ સંપન્ન થયેલ ટેસ્ટ સિરીઝમાં મેળેલી હાર બાદ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીની ચારો તરફથી નિંદા થઈ રહી છે . મેદાનમાં વિરાટ કોહલી પરફેક્ટ હોવાનું માનતા ઘણા બધા લોકો છે પણ હવે ભારતના પૂર્વ દિગ્ગજ ખેલાડી સુનીલ ગાવસ્કરે વિરાટ કોહલીની શૈલી પર સવાલ ઉઠાવ્યા છે . સુનીલ ગાવસ્કરને લાગે છે કે વિરાટ કોહલીને ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમાયેલ પાંચ મેચની ટેસ્ટ સિરીઝમાં 1 - 4થી મળેલી નિરાશાજનક હાર બાદ ટેક્નિકલ પાસાઓ વિશે ઘણુંબધું શીખવાની જરૂર છે . એક ટીવી ચેનલ સાથે વાતચીત કરતી વખતે સુનીલ ગાવસ્કરે કહ્યું કે ઘણી વખત જોવા મળ્યું છે કે વિરાટ કોહલીએ લગાવેલી ફિલ્ડિંગમાં ઘણો ફરક હોય છે . દક્ષિણ આફ્રિકાના પ્રવાસ દરમિયાન પણ આવું જોવા મળ્યું હતું અને ઈંગ્લેન્ડમાં પણ આ વસ્તુ સામે આવી . ફિલ્ડિંગ અને બોલિંગમાં યોગ્ય સમયે ફેરફાર કરવાથી મેચમાં ફરક પડી શકે છે . વિરાટ કોહલીએ કેટલાંક વર્ષો પહેલા જ કપ્ટાની સંભાળી હતી . એમની કપ્તાનીમાં કેટલીય વાર અનુભવની કમી જોવા મળે છે . રવિ શાસ્ત્રીના સવાલ પર બોલ્ય ગાવસ્કર એક પત્રકારે સુની ગાવસ્કરને કહ્યું કે રવિ શાસ્ત્રી આ ટીમને 15 વર્ષમાં વિદેશ ટૂર પર જનાર સર્વ શ્રેષ્ઠ ટીમ ગણાવી રહ્યા છે . તમારી શું પ્રતિક્રિયા છે . જેના પર સુનીલ ગાવસ્કરે કહ્યું કે , ઈમાનદારીથી કહું તો રવિ શાસ્ત્રીએ ટીમનું મનોબળ મજબૂત કરવા માટે આવું કહ્યું હશે . મારું માનવું છે કે કોચનો આવો કોઈ ઈરાદો ન હતો . સચિનની વ્યૂહરચનાને કારણે જીત્યા હતા વર્લ્ડ કપ 2011 , સેહવાગે કર્યો ખુલાસો" sports,"નવી દિલ્હીઃ હજુ સુધી તમે એજ જયું હશે કે જ્યારે કોઈ બેટ્સમેન આઉટ થઈ પેવેલિયન પરત ફરે છે તો પછી તે ફરી રમવા માટે નથી આવતો હોતો . પરંતુ વિંડીઝ - ઈંગ્લેન્ડ વચ્ચે સેંટ લૂસિયમાં રમાઈ રહેલ ટેસ્ટ મેચ દરમિયાન અંપાયરે આઉટ થયેલ બેટ્સમેનને ફરી બોલાવી સૌકોઈને ચોંકાવી દીધા . થયું એવું કે જ્યારે ઈંગ્લેન્ડ બેટિંગ કરી રહ્યું હતું કે ઈનિંગની 70મી ઓવરમાં બેન સ્ટોક્સ આઉટ થઈ ગયો હતો . સ્ટોક્સે અલ્ઝારી જોશેફના બોલ પર સામે તરફ શૉટ માર્યો અને જોસેફે જ શાનદાર કેચ પકડ્યો . એ દરમિયાન અંપાયરે તેમને આઉટ આપી દીધો જે બાદ સ્ટોક્સ પેવેલિયન ચાલ્યો ગયો હતો પરંતુ આ દરમિયાન જ્યારે રિપ્લેમાં જોયું તો માલુમ પડ્યું કે જોસેફે ઓવરસ્ટેપ કરી દીધો હતો અને આ નો બોલ ફેંકી હતી . અંપાયરે જોયું તો તેમણે વધુ મોડું ન કરતા બેન સ્ટોક્સને ફરી બોલાવી લીધો . ક્રિકેટ ઈતિહાસમાં આવું પહેલીવાર જોવા મળ્યું છે જ્યારે અંપાયરે કોઈ ટેસ્ટ ક્રિકેટ મેચ દરમિયાન પેવેલિયન પરત ફરી રહેલ બેટ્સમેનને રમવા માટે પાછો બોલાવ્યો હોય . સ્ટોક્સ હવે પહેલા દિવસની ઈનિંગ ખતમ થયા બાદ 62 રન બનાવીને રમી રહ્યો છે . ટીમનો સ્કોર 4 વિકેટના નુકસાન પર 231 પર પહોંચી ગઈ છે . તેમની સાથે જોસ બટલર 67 રન બનાવીને રમી રહ્યો છે . બંને વચ્ચે 5મી વિકેટ માટે 124 રનની મજબૂત ભાગીદારી બની ચૂકી છે . જાણો આઉટ થયા બાદ સ્ટોક્સ પાછો કેમ આવ્યો સ્ટોક્સનું પરત આવવાનું કારણ આઈસીસીસી દ્વારા બદલવાાં આવેલ એક નિયમ રહ્યું . વર્ષ 2017માં બદલેલ નિયમ મુજબ ક્રિકેટના નિયમ બનાવતી સંસ્થા મેરિલબૉન ક્રિકેટ ક્લબે ક્રિકેટ આચાર સંહિતાની કલમ 31.7માં સંશોધન કર્યું હતું . જે મુજબ અંપાયર કોઈપણ ફેસલામાં દખલ આપી શકે છે જો તેને વિશ્વાસ હોય કે બેટ્સમેન કોઈ ખોટી રીતે આઉટ દીધા બાદ મેદાન પરથી ચાલ્યો ગયો છે , તેવા સંજોગોમાં અંપાયર તેને ફરી બોલાવશે અને આવી સ્થિતિમાં અંપાયર તે બોલને ડેડ બૉલ કરાર આપશે , જેથી ફિલ્ડિંગ કરનારી ટીમ આગળ કંઈ કાર્યવાહી ન કરી શકે . આગામી ડિલીવરી થતા પહેલા અંપાયર કોઈપણ સમયે બેટ્સમેનને ફરી બોલાવી શકે છે , બસ તે ઈનિંગની આખરી વિકેટ ન હોવી જોઈએ . આખરી વિકેટ હોવા પર બેટ્સમેને ત્યારે જ ફરી બોલાવી શકાય છે જ્યાં સુધી અંપાયર મેદાનમાં હાજર હોય . પ્રિયંકા ગાંધીના રોડ શૉમાં ' ચોકીદાર ચોર ' નારા લાગ્યા" business,"નવી દિલ્હી , 7 ડિસેમ્બરઃ બેંગલુરુમાં મહિલા પર એટીએમની અંદર થયેલા ગંભીર હુમલા બાદ બેન્કોની ઉપર સુરક્ષામાં વધારો કરવાનું દબાણ વધી ગયું છે . માટે દેશની બેન્કોએ રિઝર્વ બેન્ક પાસે એટીએમના ઉપયોગ પર લેવામાં આવતી ફીસમાં વધારો કરવાની પરવાનગી માંગી છે . ભારતીય રિઝર્વ બેન્કના આંકડાઓ અનુસાર 2013 સુધી દેશમાં કુલ 1,27,950 એટીએમ છે . તેમાંથી 50 ટકાથી વધારે એટીએમ એવા છે જેની સુરક્ષા ખાનગી કંપનીઓના ભરોસે છે . આ એટીએમમાંથી 40 ટકા એટીએમ પણ છે જેમાં સુરક્ષા માટે કોઇ ગાર્ડ નથી . એટલે કે દેશમાં લગભગ 25 હજાર એટીએમ એવા છે , જ્યાં કોઇ ગાર્ડ નથી . બેન્કો અનુસાર જો તેમને ગાર્ડ રાખવાની અનિવાર્યતા અને એટીએમની બહાર સીસીટીવી કેમેરા જેવી સુવિધાઓ આપવાની છે , તો તેમાં ખર્ચ પણ વધશે . જેના પગલે ગ્રાહકોના ટ્રાન્જેક્શન પર લેવામાં આવતી ફીમાં વધારો કરવામાં આવશે . એટીએમ ટ્રાન્જેક્શનની ફીમાં વધારાનો અંતિમ નિર્ણય ભારતીય રિઝર્વ બેન્કે કરવાનો છે ." sports,"મેલબોર્ન , 13 ઑગસ્ટઃ ઓસ્ટ્રેલિયાના પૂર્વૂ સુકાની ગ્રેગ ચેપલે તાજેતરમાં ઓલ ટાઇમ ઓસ્ટ્રેલિયન લેફ્ટ હેન્ડ ( ડાબોડી ) વનડે ટીમ જાહેર કરી છે , તેમણે આ ટીમ આંતરરાષ્ટ્રીય લેફ્ટ હેન્ડર્સ ડેની ઉજવણીના ભાગરૂપે જાહેર કરી હતી . આ ટીમમાં ચેપલે પ્રેરણાદાયક ખેલાડી એલન બોર્ડરને સુકાની તરીકે જાહેર કર્યા છે , જ્યારે એડમ ગિલક્રિસ્ટને ઉપસુકાની બનાવ્યા છે . તેમણે પોતાની આ ટીમની જાહેરાત ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની વેબસાઇટ પર કરી છે . પોતાની ટીમ પસંદગી અંગે તેમણે કહ્યું છેકે આ એક સરસ ક્રિકેટ ટીમ છે , એલન બોર્ડર નિર્વિવાદ રીતે સુકાની પદે યોગ્ય છે , કારણ કે તે એક પ્રેરણાત્મક ખેલાડી છે , એક સારા બેટ્મસેન છે , તેમજ જો જરૂરિયાત ઉભી થાય તો તેઓ સ્પિન બોલિંગ પણ ટીમ માટે કરી શકે છે . તો ચાલો તસવીરો થકી ગ્રેગ ચેપલની ટીમ પર નજર ફેરવીએ અને જાણીએ કે તેમાં કયા કયા ખેલાડીઓનો સમાવેશ કરવામા આવ્યો છે . pagespeed . lazyLoadImages . overrideAttributeFunctions ( ) ; આ પણ વાંચોઃ - શું ધોન માટે લકી સાબિત થશે ‘અનલકી ' 13 ? . . તો ખેડૂત બની ગયો હોત વિરેન્દ્ર સેહવાગ આ પણ વાંચોઃ - પદ્મ પુરસ્કારો માટે ધોની અને કોહલીના નામની ભલામણ pagespeed . lazyLoadImages . overrideAttributeFunctions ( ) ; function googleAnalyticsCodeCommon ( ) { var main _ url = $ ( ' link [ rel = "" canonical "" ] ' ) . attr ( "" href "" ) ; var url = document . location . href ; var pattern = ' https : / / ' + window . location . hostname ; url = url . replace ( pattern , "" "" ) ; var title = document . title ; ga ( "" oneindiagu . send "" , { hitType : "" pageview "" , page : url , location : main _ url } ) ; ga ( "" rosoneindia . send "" , { hitType : "" pageview "" , page : url , location : main _ url } ) ; ga ( "" dhoneindia . send "" , { hitType : "" pageview "" , page : url , location : main _ url } ) ; url = document . location . href ; var jcode = ' var _ comscore = _ comscore | | [ ] ; var comscoreParams = { c1 : "" 2 "" , c2 : "" 7732551 "" , c3 : "" "" , c4 : "" ' + url + ' "" , c5 : "" "" , c6 : "" "" , c15 : "" "" } ; _ comscore . push ( comscoreParams ) ; var s = document . createElement ( "" script "" ) , el = document . getElementsByTagName ( "" script "" ) [ 0 ] ; s . async = true ; s . src = ( document . location . protocol = = "" https : "" ? "" https : / / sb "" : "" http : / / b "" ) + "" . scorecardresearch . com / beacon . js "" ; el . parentNode . insertBefore ( s , el ) ; ' ; setTimeout ( jcode , 500 ) ; var _ qevents = _ qevents | | [ ] ; ( function ( ) { var elem = document . createElement ( ' script ' ) ; elem . src = ( document . location . protocol = = "" https : "" ? "" https : / / secure "" : "" http : / / edge "" ) + "" . quantserve . com / quant . js "" ; elem . async = true ; elem . type = "" text / javascript "" ; var scpt = document . getElementsByTagName ( ' script ' ) [ 0 ] ; scpt . parentNode . insertBefore ( elem , scpt ) ; } ) ( ) ; _ qevents . push ( { qacct : "" p - yjta2aSVPaHEL "" } ) ; window . google _ analytics _ uacct = "" UA - 110466 - 73 "" ; }" sports,"એશિયા કપ 2019 ગુરુવારે ભારત અને યુએઈ વચ્ચે રમાયેલી મેચ પહેલા ભારતીય ફેન્સને પિંજરામાં બંધ કરી દેવામાં આવ્યા હતા . સોશ્યિલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે , જેને ધ્યાનમાં લઈને ઘણા લોકોની ધરપકડ કરવામાં આવી છે . અબુધાબીમાં રમાયેલી આ મેચમાં યુએઈ ઘ્વારા ભારતને 2 - 0 થી હરાવવામાં આવ્યું છે . વીડિયોમાં પક્ષીઓના પિંજરામાં કેટલાક મજૂરો કેદ છે અને એક વ્યક્તિ ડંડો લઈને કેદીઓને બતાવી રહ્યો છે . ખલીઝ ટાઈમ્સ ખબર અનુસાર હાથોમાં ડંડો લઈને એક વ્યક્તિ મજૂરોને પૂછે છે કે તેઓ કોનું સમર્થન કરે છે , ત્યારે મજૂરો કહે છે કે તેઓ ભારતીય ટીમનું સમર્થન કરે છે . તેના પર તે વ્યક્તિ કહે છે કે આ યોગ્ય નથી કારણકે તેઓ યુએઈ માં રહે છે એટલા માટે તેમને યુએઈ માટે સમર્થન કરવું જોઈએ . ત્યારપછી તે વ્યક્તિ પિંજરા પાસે ડંડો ફેરવતા બંધકોને ફરી પૂછે છે કે તેઓ કોનું સમર્થન કરે છે ત્યારે આ વખતે મજૂરો યુએઈ માટે સમર્થન કરે છે તેવો જવાબ આપે છે . આ જવાબ પછી પીંજરું ખોલી દેવામાં આવે છે અને મજૂરોને બહાર કાઢવામાં આવે છે . ગલ્ફ ન્યુઝ ખબર અનુસાર શારજહા પોલીસે વીડિયો વાયરલ થયા પછી કેટલાક લોકોની ધરપકડ પણ કરી છે ." sports,"બેંગ્લોરઃ જ્યાં ભારતીય ક્રિકેટ સચિન તેંડુલકરને લઇને ઇન્ટરનેશનલ મીડિયા તેમના ગુણોના વખાણ કરી રહ્યું છે , તો બીજી તરફ પાકિસ્તાની મીડિયાનું કહેવું છે કે , સચિન વગર ભારતીય ક્રિકેટ દરિદ્ર તઇ જશે કારણ કે , સચિન માત્ર એક ખેલાડી નથી પરંતુ એક બ્રાન્ડ છે , જેના કારણે ભારતીય લોકો તેમની દરેક વાત પર વિશ્વાસ કરે છે . પાકિસ્તાની મીડિયાના આ અહેવાલ બાદ સચિનને લઇને લોકો પણ ફેસબુક પર પોતાની પ્રતિક્રિયા આપવા લાગ્યા છે . કેટલાક લોકોએ ફેસબુક પર લખ્યું છે કે સચિન વગર ક્રિકેટ . . . જાણે કે ઘરેણા વગરની દુલ્હન , સચિન વગર ક્રિકેટ . . . જાણે કે મીઠાં વગરનું ભોજન , સચિન વગર ક્રિકેટ જાણે કે મિઠાશ વગરની મિઠાઇ , સચિન વગર ક્રિકેટ . . . જાણે કે રસ વગરના ફળ , સચિન વગર ક્રિકેટ . . . જાણે કે મૂર્તિ વગરનું મંદિર , સચિન વગર ક્રિકેટ . . . જાણે કે પાણી વગરની નદી , સચિન વગર ક્રિકેટ . . . જાણે કે ઝાડ - પાન વગરનું જંગલ , સચિન વગર ક્રિકેટ . . . જાણે કે શ્વાસ વગરનું શરીર , સચિન વગર ક્રિકેટ . . . જેમકે અત્યારની ભારતીય ટીમ . . . અલવિદા સચિન . . . હવે ટીવી પર જ્યારે મેચ જોઇશું તો તમારા વગર એ મેચ નીરસ હશે , પરંતુ 24 વર્ષ સુધી દેશના ખેલ પ્રેમીઓને ખુશીઓ આપવા બદલ ધન્યવાદ . . . . તો બીજી તરફ બૉલીવુડે પણ સચિન માટે કહ્યું છે કે , ભલે સચિનની ક્રિકેટની ઇનીંગ ખતમ થઇ રહી હોય , પરંતુ ક્રિકેટના બાદશાહ સચિન આવનારી પેઢીને હંમેશા પ્રેરિત કરતા રહેશે . તમને અંદાજો આવી ગયો હશે કે ક્રિકેટ પ્રેમી પોતાના ભગવાન સચિનની નિવૃત્તિની જાહેરાતથી કેટલી હદે નિરાશ થઇ ગયા છે . તમને જણાવી દઇએ કે ક્રિકેટની દુનિયાના સરતાજ સચિને ગયા અઠવાડિયે જાહેરાત કરી હતી કે , નવેમ્બરમાં વેસ્ટ ઇન્ડિઝ સાથે પોતાની 200મી ટેસ્ટ મેચ રમ્યા બાદ તેઓ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઇ લેશે ." entertainment,"એક બે નહીં પરંતુ હાલમાં ઘણી ટીવી અભિનેત્રીઓ બ્રેક લઈને ફક્ત ઇન્સ્ટાગ્રામ પર છવાઈ ચુકી છે . આ લિસ્ટમાં ઘણી ટીવી સ્ટારનું નામ આવે છે . પરંતુ હાલમાં સૌથી વધારે ચર્ચા ઉતરનની ઈચ્છા એટલે કે ટીના દત્તા વિશે થઇ રહી છે . ટીના લાંબા સમયથી ટીવીથી દૂર છે પરંતુ પોતાની સેક્સી ફોટોને કારણે તે ચર્ચામા છે . ટીના દત્તાએ તે સમયે સોશ્યિલ મીડિયા પર હલચલ મચાવી દીધી જયારે તેને ન્યૂડ મોડલ સાથે પોતાનું ફોટોશૂટ કરાવ્યું . પરંતુ આ ફોટો અહીં જ અટકી નથી . ટીના દત્તાની એક પછી એક ઘણી ફોટો વાયરલ થઇ રહી છે . થઇ ગયું એલાન , મોની રોય છે 2018 ની સેક્સી સુપરસ્ટાર , એકલામાં જુઓ આવું પહેલીવાર નથી કે ટીના પોતાની સીધી છબી થી બહાર નીકળીને હોટ લૂકમાં જોવા મળી હોય . આ પહેલા પણ ટીના દત્તા પોતાની સેક્સી ફોટો શેર કરી ચુકી છે . અહીં જુઓ ઉતરનની ટીના દત્તાની સેક્સી તસવીરો . . ." business,"રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ( આરબીઆઇ - RBI ) એ મંગળવારે રેપો રેટ , રિવર્સ રેપોરેટ અને સીઆરઆરના દરો યથાવત રાખીને ફરી સંકેત આપી દીધા કે આગામી થોડા સમયમાં તે આ દરોમાં કોઇ કાપ કૂપ કરશે નહીં . જેથી હોમ લોન , પર્સનલ લોન , ગોલ્ડ લોન , ઓટો લોન , એજ્યુકેશન લોન વગેરેના વ્યાજદર આગામી સમયમાં ઘટશે નહીં . રેપો રેટ એ દર છે જે દરે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ભારતની અન્ય બેંકોને નાણા આપે છે . જ્યારે આરબીઆઇ ઇન્ટરેસ્ટ રેટ કે રેપો રેટમાં ઘટાડો કરે છે ત્યારે દેશમાં વિવિધ વ્યાજ દરોમાં પણ ઘટાડો થાય છે . દેશમાં અન્ય બેંકો એટલા માટે વ્યાજદર ઘટાડે છે કારણ કે તેને નાણા સસ્તા દરે મળે છે . જો કે દર વખતે આમ થાય એ જરૂરી નથી . દરેક બેંક વ્યાજ દર નક્કી કરતા પહેલા પોતાની મિલકતો , જવાબદારીઓને ધ્યાનમાં લે છે . જો કે સામાન્ય રીતે રેપો રેટ ઘટતા દેશમાં વ્યાજદર ઘટે છે . આરબીઆઇએ કેવી રીતે આપ્યો સંકેત આરબીઆઇ ગવર્નર રઘુરામ રાજને અનેક પ્રસંગે જણાવ્યું છે કે તે મોટી ચિંતા છે . જ્યારે પણ ફુગાવો વધે છે ત્યારે કોઇ પણ સેન્ટ્રલ બેંક વ્યાજ દર ઘટાડતી નથી . RBIએ જણાવ્યું છે કે ફુગાવો 8 ટકાએ રહેશે ." entertainment,"ઐશ્વર્યા રાયે પોતાની પ્રથમ પેપ્સી માટેની જાહેરખબર દ્વારા લાખો લોકોના દિલ જીતી લીધા હતાં કે જેમાં આમિર ખાન તેમની સાથે હતાં . યાદ કરો . આ એડમાં ઐશ કહે છે - હાય , આઈ એમ સંજના , ગૉટ અનધર પેપ્સી . પરંતુ બહુ ઓછા લોકો જાણતા હશે કે ઐશ્વર્યા રાય આ એડના શૂટિંગ વખતે ખૂબ જ અસહજ હતાં , કારણ કે એડ મેકર પ્રહ્લાદ કક્કડે ઐશને કહ્યુ હતું કે તેમણે ખૂબ જ સિડ્યુસિંગ ટોનના ઉપયોગની જરૂર છે . ઐશ સિડક્ટ્રેસ પ્લે કરતા ખૂબ જ અસહજ હતાં અને એટલે જ તેમણે માત્ર 1 લાઇન માટે 21 ટેક્સ લેવા પડ્યા હતાં . ઐશની પ્રથમ પેપ્સી એડ શૂટ કરનાર પ્રહ્લાદ કક્કડે એક વખત કહ્યુ હતું - મને યાદ છે કે જ્યારે ઐશ્વર્યા રાય ઑડિશન માટે આવ્યા હતાં , ત્યારે તેમના કૅરિયરના પ્રારંભિક દિવસો હતાં . ઐશ્વર્યા સાધારણ કુર્તા અને જીન્સ પહેરી આવ્યા હતાં . તેઓ અનેક છોકરીઓ સાથે ઊભા હતાં , પરંતુ તેમના ચહેરા પર ચિંતા નહોતી , પરંતુ જ્યારે કૅમેરો તેમની ઉપર પડ્યો અને તેમણે પોતાના વાળ ઢીલા કર્યા અને સૌ મંત્રમુગ્ધ થઈ ગયાં . ચાલો હાલ તો આપને બતાવીએ ઐશ્વર્યા રાયની Red - n - Hot તસવીરો" entertainment,"બૉલીવુડ અભિનેતા રીતેશ દેશમુખ પોતાના પ્રોડક્શન મુંબઈ ફિલ્મ કમ્પની એટલે કે એમએફસી હેઠળ બીજી ફિલ્મ બનાવવા તૈયાર છે . પૉકેટ ડાયનૅમો શીર્ષક ધરાવતી આ ફિલ્મ ભારતના પ્રથમ ઓલિમ્પિક મેડલ વિજેતા કુશ્તીબાજ ખશાબા જાધવ પર આધારિત હશે . રીતેશ દેશમુખે આ સમાચારની પોતે અધિકૃત પુષ્ટિ કરતાં જણાવ્યું - અમે ખશાબા જાધવના જીવન ઉપર ફિલ્મ બનાવવા અંગેના રાઇટ્સ મેળવી લીધાં છે . મને ગર્વ છે રણજીત જાધવ ઉપર કે જેમણે પોતાના પિતાનું જીવનવૃત્ત સ્ક્રીન ઉપર લાવવા માટેની રજા આપી . રીતેશ દેશમુખે ઉમેર્યું કે ખશાબા જાધવે આપણાં દેશ માટે પ્રથમ આંતરરાષ્ટ્રીય પદક મેળવ્યુ હતું , પરંતુ તેમનું નામ અને તેમને ભુલાવી દેવામાં આવ્યું . તેઓ હીરો તરીકે યાદ રાખવા અને સન્માનને પાત્ર છે . ફિલ્મની પટકથા મરાઠી અને હિન્દીમાં લખાઈ રહી છે . ફિલ્મના નિર્માણમાં લાઇન . એક્સ પ્રોડક્શન્સ સહ - નિર્માતા તરીકે સહકાર આપશે . નોંધનીય છે કે રીતેશ દેશમુખની પોતાના હોમ પ્રોડક્શનની પ્રથમ ફિલ્મ બાલક પાલક હતી કે જેણે સારાએવા વખાણ મેળવ્યા હતાં ." entertainment,"મુંબઈ , 12 સપ્ટેમ્બર : નવોદિત ફિલ્મ નિર્માતાઓને તેમનું કામ રજૂ કરવા માટેનું એક મંચ આપનાર ઇન્ડિયા ફિલ્મ પ્રોજેક્ટની ત્રીજી આવૃત્તિ 20થી 28મી સપ્ટેમ્બર દરમિયાન અમદાવાદમાં યોજાશે . આ વર્ષે નિર્ણાયક મંડળમાં તિગ્માંશુ ધુલિયા , નિખિલ અડવાણી તથા બિજૉય નાંબિયાર જેવા ફિલ્મકારોનો સમાવેશ થશે . મહોત્સવ નવોદિત ફિલ્મકારોને એક સામાન્ય વિષય ઉપર પોતાની 48 કલાકની ફિલ્મ બનાવવાની તક આપે છે . તેઓ ફિલ્મ પોતાના શહેરોમાં શૂટિંગ બાદ તેમને ઑનલાઇન અપલોડ કરી શકે છે . મહોત્સવમાં આંતરરાષ્ટ્રીય એન્ટ્રીઓ પણ સ્વીકારાય છે . ફિલ્મ કલ હો ના હો તથા દિલ્લી સફારીના નિર્માતા નિખિલ અડવાણીએ એક નિવેદનમાં જણાવ્યું - આપણો ઉદ્યોગ ઝડપથી વધી રહ્યો છે અને આ ઝડપને જાળવી રાખવા કૅમરાની આગળ અને પાછળ વ્યાવસાયિકોની જરૂર છે . ઇન્ડિયા ફિલ્મ પ્રોજેક્ટ જેવા નવી પ્રતિભાઓને વિશ્વસનીય તેમજ બહેતર મંચ ઉપલબ્ધ કરાવવાના પ્રાથમિક પ્રયત્નોને ટેકો આપવા અને હિમાયત કરવાની જરૂર છે . ઇન્ડિયા ફિલ્મ પ્રોજેક્ટ ફિલ્મ નિર્માણ પ્રતિસ્ર્ધા ઉપરાંત પાંચ દવિસીય ફિલ્મ મહોત્સવનો પણ સાક્ષી બનશે . પ્રોજેક્ટના સંસ્થાપક તથા નિયામક રીતમ ભટનાગરે જણાવ્યું - અમને મોટા શહેરો જેમ કે દિલ્હી , મુંબઈ , કોલકાતા તથા નાના શહેરો જેમ કે સિલીગુડી , ભિલાઈ , દાવણગેરે , રાજકોટ તથા બીજા કક્ષાના શહેરોમાંથી પણ ખૂબ રજિસ્ટ્રેશન મળ્યાં છે ." business,"કંપનીએ દેશમાં પ્રથમ વાર તેમાં ડીઝલ એન્જીન રજૂ કર્યું છે , જ્યારે તેની પૂર્ણ સ્વામિત્વવાળી સહયોગી કંપની હોંડા કાર્સ ઇન્ડિયા લિમિટેડ ( એચસીઆઇએલ ) તેને પેટ્રોલ વર્ઝન પહેલાંથી જ ઉપલબ્ધ કરાવી રહી છે . કંપનીની ડીઝલ કારની કિંમત 5.99 લાખથી માંડીને 7.60 વચ્ચે છે , જ્યારે તેના પેટ્રોલ કારની કિંમત 4.99 લાખથી માંડીને 7.50 લાખ વચ્ચે છે . કંપનીએ આ કારને ભારતીય ગ્રાહકોને ધ્યાનમાં રાખીને બનાવી છે અને આ કાર મારૂતિ સુઝુકીની સ્વિફ્ટ ડિઝાયરને સ્પર્ધા આપશે . મારૂતિ સુઝુકીની પેટ્રોલ સ્વિફ્ટ ડિઝાયરની કિંમત 4.92 લાખથી માંડીને 6.74 લાખ વચ્ચે છે , જ્યારે તેના ડીઝલ વર્ઝનની કિંમત 5.99 લાખથી માંડીને 7.5 લાખ વચ્ચે છે . બંને કંપનીઓએ પોતાની આધિકારીક વેબસાઇટમાં તેની કિંમત જાહેર કરી છે . હોંડા મોટર કંપનીના મેનેજર યોશિયુકી માત્સુમોટોએ પત્રકારોને કહ્યું હતું કે અમેજ અમારા માટે રણનૈતિક મોડલવાળી કાર છે અને તેને ભારતીય ગ્રાહકોને ધ્યાનમાં રાખી તૈયાર કરવામાં આવી છે . પેટ્રોલ વર્ઝન કારની કિંમત E ગ્રેડની કિંમત - 4.99 લાખ રૂપિયા EX ગ્રેડની કિંમત - 5.24 લાખ રૂપિયા S ગ્રેડની કિંમત - 5.62 લાખ રૂપિયા VS ગ્રેડની કિંમત - 6.60 લાખ રૂપિયા Sat ગ્રેડની કિંમત - 6.62 લાખ રૂપિયા VXAT ગ્રેડની કિંમત - 7.50 લાખ રૂપિયા ડીઝલ વર્ઝનની કિંમત E ગ્રેડની કિંમત - 5.99 લાખ રૂપિયા EX ગ્રેડની કિંમત - 6.24 લાખ રૂપિયા S ગ્રેડની કિંમત - 6.67 લાખ રૂપિયા VS ગ્રેડની કિંમત - 7.60 લાખ રૂપિયા" sports,આજની ફાઇનલ મેચમાં શ્રીલંકા સામે ગેઇલ એક મોટો પડકારરૂપ છે . જો વિશ્વકપમાં બંને ટીમોના પ્રદર્શનની વાત કરીએ તો શ્રીલંકાની ટીમે એકસાથે મળીને સારું પ્રદર્શન કર્યું છે તો બીજી તરફ વેસ્ટઇન્ડિઝની ગેઇલ પર નિર્ધર છે . વેસ્ટઇન્ડિઝ આજે પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાવનારી ફાઇનલ મેચ જીતીને લાંબાગાળા બાદ કોઇ આઇસીસી ટ્રોફી જીતવા ઇચ્છશે . વેસ્ટઇન્ડિઝની ટીમે વર્ષ 2004માં ઇગ્લેંડમાં આઇસીસી ચેમ્પિયન ટ્રોફી જીતી હતી . જો શ્રીલંકાએ સતત સારું પ્રદર્શન કરતાં વર્લ્ડકપ 2007ની ફાઇનલમાં અને 2011માં વર્લ્ડકપની ફાઇનલમાં પણ સ્થાન મેળવ્યું હતું . શ્રીલંકાએ ટી20 વર્લ્ડકપ 2009ની ફાઇનલમાં પહોંચ્યું હતું પરંતુ વિજય મેળવવામાં નિષ્ફળતા મળી હતી . શ્રીલંકા પાસે આ વર્લ્ડકપ જીતવાનો સોનેરી અવસર છે . આજની આ ફાઇનલ મેચમાં કઇ ટીમ વિજેતા બનશે તેનો અંદાઝો લગાવવો ઘણો મુશ્કેલ છે . business,"નવી દિલ્હી , 12 એપ્રિલઃ સહારા ગ્રુપના માલિક એક સમયે એટલા ગરીબ હતા કે તેમની પાસે ફક્ત વીસ રૂપિયા જ હતા . સુબ્રોતો રોય ભણવામાં એટલા હોશિયાર ન હતા કે તે ક્લાસમાં અવલ્લ નંબરે આવે , પરંતુ તેમની પત્ની જરૂર ટોપર રહી છે . પરંતુ આજ - કાલ તેમના ગ્રહો સારા નથી . કેટલાક મહીનાઓથી સુબ્રોતો રોયનું સહારા ગ્રુપ સતત ચર્ચામાં રહ્યું છે . સુબ્રોતો રોયને ક્યારેક કોર્ટમાં સુનાવણી માટે જવું પડે છે તો ક્યારેક તેમના રોકાણકારોના 24000 કરોડને લઇને સેબીના દરબારમાં ગુનેગાર બનીને ઉભા રહેવું પડે છે . સુબ્રોતો રોય દેશ દસ શક્તિશાળી વ્યક્તિઓમાં સામેલ છે . ભારતીય રેલવે બાદ સૌથી વધુ કર્મચારી તેમની પાસે કામ કરે છે . સાંભળવા મળ્યું છે કે સુબ્રોતો રોય તેમને પોતાના કર્મચારી નહી પરંતુ તેમના પરિવારના સભ્ય સમજે છે . સુબ્રોતો રોય કેવી રીતે બન્યા બિઝનેસના માલિક જ્યારે સહારા ઉપર રોકાણકારોના 24000 કરોડ હડપી લીધા હોવાનો આરોપ લાગ્યો તો લોકોને તે પ્રશ્ન મુંજવણમાં મુકવા લાગ્યો કે સુબ્રોતો રોય કેવી રીતે આટલા મોટા બિઝનેસના માલિક બન્યા . એક સમયે સુબ્રોતો રોય 20 - 20 ભેગાં કરીને પોતાના બિઝનેસને આગળ વધારી રહ્યાં હતા તેના લીધે આજે તે અરબોના માલિક બન્યાં છે . સુબ્રોતો રોય સહારાનો જન્મ 10 જૂન 1948ના રોજ બિહારના અરરિયા જિલ્લામાં થયો હતો . તેમના પિતાનું નામ સુધીર ચંદ્ર રોય અને માતાનું નામ છવિ રોય હતું . કલકત્તામાં શરૂઆતી શિક્ષા - દીક્ષા લીધા તેમને ગોરખપુરના એક સરકારી કોલેજમાંથી મિકેનિકલ એન્જીનિયરીંગનો અભ્યાસ કર્યો . રસપ્રદ વાત એ છે કે પોતાના પ્રથમ બિઝનેસની શરૂઆત ગોરખપુરથી કરી હતી . સુબ્રતો રોય શરૂઆતથી ભણવામાં નબળા હતા . ભણવામાં તેમનું મન લાગતું ન હતું તેમને બિઝનેસમાં વધુ રસ હતો . એક નાના શહેરથી બિઝનેસની શરૂઆત કરનાર આ વ્યક્તિએ 34 વર્ષમાં દુનિયાભરમાં પોતાનો બિઝનેસ ફેલાવી દિધો . જ્યારે સુબ્રોતો રોય ઘરેથી નિકળ્યા હતા ત્યારે તેમની પાસે ફ્ક્ત 2000 રૂપિયા હતા , પરંતુ આજે તે 2 લાખ કરોડથી વધુ ગ્રુપના માલિક છે . તમે વિચારતા હશો કે સુબ્રોતો રોયે આટલી સંપત્તિ કેવી કમાઇ . ગોરખપુરના એક નાના શહેરથી આટલા મોટા સ્થાને કેવી રીતે પહોંચી ગયા . કયા હેતુથી પોતાના સ્કૂલના મિત્રોને શોધી - શોધીને સુબ્રોતો રોય નોકરી પર રાખ્યા . તેમના મિત્રોના કારણે તે આજે આટલા મોટા બિઝનેસના માલિક બની શક્યાં છે ." entertainment,"બૉલીવુડના મોટાભાગા સ્ટાર્સ કોઇકને કોઇક ઍવૉર્ડ્સ શો કે ઇવેંટ દરમિયાન જ દેખાય છે . એવો જ નજારો ગુરુવારે દ્વિતીય બ્રાઇટ ઍવૉર્ડ્સ દરમિયાન જોવા મળ્યો . આ ઍવૉર્ડ્સ શોમાં બ્રાઇટ આઉટડોર એડવર્ટાઇઝિંગની 34મી વર્ષગાંઠ તથા યોગેશ લાખાણીના જન્મ દિવસની પણ ઉજવવામાં આવી . આ ઍવૉર્ડ્સ ફંક્શનમાં રણબીર કપૂર , હૃતિક રોશન , મનીષ પૉલ , ગણેશ આચાર્ય , સિંગર અંકિત તિવારી , મીકા સિંહ , શાન , કૉમેડિયન રાજૂ શ્રીવાસ્તવ , મનોજ જોશી , સરમન જોશી , સુનીલ પાલ , ડૉલી બિંદ્રા , શેખર સુમન , દીપ્તિ નવલ , પૂનમ પાન્ડે , ઝાકિર હુસૈન જેવી સેલિબ્રિટીઓએ હાજર રહી . આ ઇવેંટ દરમિયાન રણબીર કપૂર જીન્સ , શર્ટ તથા બ્લેઝરમાં નજરે પડ્યાં . તેમણે ફૅન્સ સાથે સેલ્ફી પણ લીધી . બીજી બાજુ હૃતિકે બ્લૅક ટી શર્ટ સાથે સૂટ પહેર્યો હતો . આ ઍવૉર્ડ્સ શોમાં પૂનમ પાન્ડે ગ્લૅમરસ લુકમાં નજરે પડ્યાં . તેમણે બ્લૅક ગાઉન પહેર્યુ હતું . તેમનુ ગાઉન પાછળથી બૅકલેસ હતું . તેમણે વાળે અંબોડો વીંટ્યો હતો કે જેમાંથી કેટલીક લટો પણ નિકળી રહી હતી . પોતાના લુકને પૂનમે રેડ લિપસ્ટિક સાથે કમ્પ્લીટ કર્યો હતો . ચાલો સ્લાઇડર વડે તમે પણ જુઓ તસવીરો :" entertainment,"દિલ તો પાગલ હૈ વાળા શાહરુખ ખાને આમિર ખાનને ધૂમ 3ના શૂટિંગ દરમિયાન પરેશાન કરી નાંખ્યા . આમિર ખાન એટલા ડિસ્ટર્બ થઈ ગયાં કે તેમણે શૂટિંગ અટકાવી દીધું . જોકે આખરે તેમણે આ નડતરરૂપ શાહરુખ સામે જ શૂટિંગ કરવું પડ્યું . મળતી માહિતી પ્રમાણે આમિર ખાન તાજેતરમાં યશરાજ સ્ટુડિયો ખાતે પોતાની ધૂમ 3 ફિલ્મના એક ડાન્સ નંબર માટે કૅટરીના કૈફ સાથે રિહર્સલ કરતા હતાં , ત્યારે જ તેમની નજર સામે લાગેલા પોસ્ટર ઉપર પડી . આ પોસ્ટર શાહરુખ ખાનની ફિલ્મ દિલ તો પાગલ હૈનું હતું . આ પોસ્ટર જોયા બાદ આમિર ખાન પોતાના ડાન્સ ઉપર ધ્યાન એકાગ્ર નહોતા કરી શકતાં . થોડાક વખત સુધી જ્યારે આમિર ખાને મુશ્કેલી અનુભવી , તો તેમણે શૂટિંગ થોભાવી પોસ્ટર હટાવવા કહ્યું . તેમણે જણાવ્યું કે આ પોસ્ટર મને ડિસ્ટ્રેક્ટ કરે છે . જોકે યશરાજ સ્ટુડિયોના સ્ટાફે આમિર ખાનને વિનમ્રતાપૂર્વક જણાવ્યું કે તેમને હૉલમાંથી કોઈ પણ વસ્તુ ખસેડવાનો હક નથી . અંતે આમિર ખાનને શાહરુખના પોસ્ટર સામે જ શૂટિંગ કરવુ પડ્યું ." business,"અમેરિકાની ઇ કોર્મસ કંપની એમેઝોને બોલીવૂડના સુપર સ્ટાર સાથે દુનિયાની સૌથી મોટી અને મોંધી ડીલ ફાઇનલ કરી છે . એમેઝોને સોમવારે 5 વર્ષ માટે સલમાન ખાનની ફિલ્મો માટે કરાર કર્યા છે . જે મુજબ આવતા 5 વર્ષોમાં સલમાન ખાનની આવનારી તમામ ફિલ્મો ટીવીથી પહેલા એમેઝોન પ્રાઇમ વીડિયોના પ્લેટફોર્મ પર જોવા મળશે . સુત્રોથી જે માહિતી મળી છે તે મુજબ એમેઝોનને સલમાને પોતાની દરેક ફિલ્મના રાઇટ્સ લગભગ 65 કરોડ રૂપિયામાં વેચ્યા છે . આ ડીલ પછી એશિયા પેસિફિકના હેડ ઓફ કોન્ટેન્ટ , જેમ્સ ફૈરેલ કહ્યું કે સલમાન ખાન એક ગ્લોબલ સ્ટાર છે . અને આ ડિલ વિશ્વમાં વર્લ્ડ વાઇડ એક્સક્યૂઝિવ સ્ટ્રિમિંગની અત્યાર સુધીનો સૌથી મોટી ડીલ છે . એમેઝોનને ભારતમાં મોટા પ્રમાણમાં પસંદ કરવામાં આવે છે . એટલું જ નહીં સલમાન ખાનની હાલમાં રિલિઝ થયેલી ફિલ્મ ટ્યૂબલાઇટ પણ ટીવી પહેલા એમેઝોન પ્રાઇમ વીડિયો પર જ બતાવવામાં આવશે . ત્યાં જ સલમાન ખાને પોતાની આ ડિલ માટે કર્યું કે એમેઝોન વીડિયોની પહોંચ 200થી વધુ દેશોમાં છે . તેવામાં મને ખુશી છે કે એમેઝોનના સહયોગથી ભારતીય સિનેમાનો વિસ્તાર થશે . અને આ નવા પ્લેટફોર્મથી ભારતીય સિનેમાને નવા ફેન્સ મળશે . ઉલ્લેખનીય છે કે આ પહેલા નેટફ્લિક્સે પણ શાહરૂખ ખાનની રેડ ચિલીજ એન્ટરટેનમેન્ટની સાથે આવી જ એક ડિલ કરી હતી . તેવું માનવામાં આવે છે કે એમેઝોન પોતાના મોટા પ્રતિસ્પર્ધી નેટફ્લિક્સને પડકારવા માટે આ ડીલ સાઇન કરી છે . ઉલ્લેખનીય છે કે ભારતમાં મંથલી એક્ટિવ યુઝર્સ મુજબ લેટેસ્ટ એપ રેકિંગમાં એમેઝોન 5માં નંબર છે અને નેટફ્લિક્સ 9માં નંબરે છે ." entertainment,"હંમેશા વિવાદોમાં રહેતા એક્ટર અને બિગ બોસ કન્ટેસ્ટન્ટ એઝાઝ ખાન ફરી એકવાર વિવાદમાં ફસાયો છે . ખરેખર એઝાઝ ખાન પર આરોપ છે કે તેને પોતાના મિત્ર સાથે એક ફેશન શૉમાં મોડલ અને ડાયરેક્ટર સાથે મારપીટ કરી . આ ઘટના પછી એઝાઝ ખાન ફરાર થઇ ગયો છે . આ ઘટના 30 એપ્રિલની છે , જયારે નવી મુંબઈમાં એઝાઝ ખાન વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી . પોલીસે એઝાઝ ખાનના ઘરે તેને શોધવાની કોશિશ કરી , પરંતુ તે ત્યાં નહીં મળ્યો . પોલીસ મુંબઈ અને નવી મુંબઈમાં તેને શોધી રહી છે . ખબર આવી છે કે આ ફેશન શૉમાં એઝાઝ ખાન ગેસ્ટ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા . જણાવવામાં આવી રહ્યું છે કે એઝાઝ ખાન પોતાના માટે ચેંજિંગ રૂમ નહીં મળવાને કારણે નારાજ થયા હતા . ત્યારપછી તેને મહિલા મોડલને જોઈને અશ્લીલ ગીત ગાવાનું શરુ કરી દીધું . મોડલ ઐશ્વર્યાને અશ્લીલ મેસેજ અને ફોટા મોકલવાના આરોપમાં એજાઝ ખાનની ધરપકડ આપને જણાવી દઈએ કે એઝાઝ ખાન હંમેશા આવા વિવાદોમાં ફસાતા રહે છે . ગયા વર્ષે એઝાઝ ખાન પાસેથી પ્રતિબંધિત ડ્રગ્સ ( એક્સ્ટેસી ) ગોળીઓ મળી આવી હતી , જેની કિંમત 2 લાખ રૂપિયા કરતા પણ વધારે હતી . જયારે એઝાઝ ખાનની ધરપકડ કરવામાં આવી , ત્યારે તે નશામાં હતા અને લગભગ 40 દિવસો સુધી જેલમાં રહ્યા હતા . એટલું જ નહીં પરંતુ તેમના પર હેરસ્ટાઇલિશને અશ્લીલ તસવીરો મોકલવાનો પણ આરોપ લાગી ચુક્યો છે . એશને મોકલ્યો અશ્લીલ મેસેજ , આ ખાન વિરુદ્ધ એફઆઈઆર દાખલ" sports,"મુંબઇ , 26 સપ્ટેમ્બરઃ ટીમ ઇન્ડિયાનો વધુ એક ‘બેચલર ' હવે લગ્નના તાંતણે બંધાઇ ગયો છે . અમે વાત કરી રહ્યાં છીએ , ભારતીય ટીમના ધુરંધર યુવા ક્રિકેટર અજિંક્ય રહાણેની , જેણે આજે મુંબઇમાં રાધિકા ઘોપાવકર સાથે લગ્ન કરી લીધા છે . અહેવાલો અનુસાર અજિંક્ય અને રાધિકાએ અરેન્જ મરેજ કર્યાં છે . બન્ને મુંબઇના છે અને બન્ને મલુંડ વિસ્તારમાં રહે છે . લગ્નના એક દિવસ પહેલા ( 25 સપ્ટેમ્બરે ) રહાણેએ ટ્વિટર પર પણ સંદેશ થકી પોતાનો ઉત્સાહ વ્યક્ત કર્યો હતો . તેણે લખ્યું હતું કે , બધી તૈયારીઓ પૂર્ણ થઇ ગઇ છે . જીંદગી નવી ઇનિંગ શરૂ કરવા માટે તૈયાર છે . આવતી કાલથી ( 26 સપ્ટેમ્બર ) હું પરણિત વ્યક્તિ બની જઇશ . રહાણેના લગ્ન અંગેની તસવીરો બીસીસીઆઇ દ્વારા ટ્વિટર પર જાહેર કરવામાં આવી છે , તેમજ ટ્વિટર પર તેને અનેક ક્રિકેટ ચાહકો દ્વારા શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી રહી છે . રહાણેની ક્રિકેટ કારકિર્દી અંગે વાત કરીએ તો રહાણેએ 17 વર્ષની ઉમરે ભારતના પૂર્વ બેટ્સમેન પ્રવીણ આમરે પાસે ટ્રેનિંગ લીધી હતી . આજે તે ભારતીય ટીમ તરફથી ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં રમી રહ્યો છે , તેણે અત્યારસુધીમાં 10 ટેસ્ટમાં 678 રન બનાવ્યા છે અને 34 વનડેમાં 946 રન બનાવ્યા છે , તથાં 74 પ્રથમ શ્રેણીની મેચોમાં 6495 રન બનાવ્યા છે . અહીં નીચે આપવામાં આવેલા સ્લાઇડરમાં રહાણેના લગ્નની કેટલીક તસવીરો અને ટ્વિટ અંગે જણાવવામાં આવ્યું છે . સચિન કે પોન્ટિંગ નહીં , મહિલાઓએ પહેલા બનાવ્યા હતા આ રેકોર્ડ આ પણ વાંચોઃ - આ ધુંરધરોએ લાસ્ટ બોલમાં છગ્ગો ફટકારી ટીમને બનાવી વિજયી" business,"સેલરી ક્લાસ માટે જુલાઇ આવવાથી જ આઇકર રિર્ટન ( ITR ) નું ટેન્સન તેમનું માથુ પકડવા લાગે છે . આઇટી રિર્ટન ફાઇલ કરવી કોઇ પણ નવશીખયા માટે માથાનો દુખાવો સાબિત થઇ શકે છે . અને આ બધી મૂસબતમાં પડે તેમ વિચારીને મોટા ભાગના લોકો સીએ પ્રોફેશનલની મદદ લેવા માટે શોધખોળ કરે છે . પણ હાલ એક તેવું એપ લોન્ચ કરવામાં આવ્યું છે જે તમારી આ મુશ્કેલીની સરળ કરી શકે છે . એન્જલ પૈસા નામની સ્ટાર્ટઅપે આ મુશ્કેલીનો અંત લાવવા માટે હૈલો ટેક્સ નામનું એક એપ લોન્ચ કર્યું છે . આ એપની મદદથી તમે કોઇ પણ પોતાની જાણકારી શેયર કર્યા વિના ચારથી પાંચ મિનિટમાં આઇટીઆરને ફાઇલ કરી શકો છો . આ એપ એન્ડ્રોઇડ , વિન્ડ્રોઝ અને એપલ પ્લેટફોર્મ પર પણ મળે છે . જે માટે તમારે ખાલી હૈલો ટેક્સ એપ ડાઉનલોટ કરવાનું રહેશે . ડાઉનલોડ પછી આ એપમાં જઇને તમારી ફ્રેશ રજિસ્ટ્રેશન કરવાનું રહેશે . પછી આઇટીઆરમાં જઇને આવેદન ભરી તમારે તમારી જાણકારી આપવાની રહેશે . તે પછી આવેદકને ઇન્ટરનેટ બેકિંગ દ્વારા 125 રૂપિયા ભરવા પડશે અને આઇટીઆર રિટર્નનું કામ પૂર્ણ થઇ જશે ." entertainment,"ટુંકમાં જ રિલીઝ થનાર આશિકી 2 ફિલ્મમાં મુખ્ય અભિનેત્રી શ્રદ્ધા કપૂરનું કહેવું છે કે તેઓ ફિલ્મની સારી વાર્તા તેમજ ભૂમિકા ઉપર ધ્યાન આપે છે , કારણ કે તે જ દર્શકોને વધુ અપીલ પણ કરે છે . તેથી જ સારી વાર્તાઓનો ભાગ તેઓ બનવા માંગે છે . ફિલ્મમાં ઇંટીમેટ સીન આપવા અંગે તેઓ કહે છે કે તે પણ ફિલ્મના અન્ય દૃશ્યોની જેમ જ હોય છે જે કે વાર્તાની જરૂરિયાત મુજબ રાખવામાં આવે છે . શ્રદ્ધા કપૂર આ અગાઉ તીન પત્તી તેમજ લવ કા ધ એન્ડ જેવી ફિલ્મોમાં પણ કામ કરી ચુક્યાં છે . આશિકી 2 ફિલ્મમાં તેમના સહ - કલાકાર આદિત્ય રૉય કપૂર છે . આદિત્ય અંગે શ્રદ્ધાનું કહેવું છે - અમે બંને એક - બીજા સાથે ખૂબ જ સહજ છીએ . અમે શૂટિંગ દરમિયાન પણ એક - બીજા સાથે સારો એવો સમય પસાર કર્યો છે . આદિત્ય રૉય કપૂર સાથે જોડી બનાવવા અંગે શ્રદ્ધા કપૂર કહે છે - મને અનેક લોકોએ કહ્યું છે કે અમારી જોડી ઘણી સારી દેખાય છે અને સાચુ પણ છે કે અમે ફિલ્મી પડદાની બહાર સારા એવા મિત્ર છીએ . આશિકી 2 ફિલ્મનું દિગ્દર્શન મોહિત સુરીએ કર્યું છે . ફિલ્મ 26મી એપ્રિલે રિલીઝ થવાની છે . અહીં એ યાદ અપાવવની જરૂર નથી કે શ્રદ્ધા કપૂર જાણીતા બૉલીવુડ વિલન શક્તિ કપૂરના પુત્રી છે ." business,"કેન્દ્ર સરકારે બાળકીઓ માટે નાની બચત યોજનાઓની શરૂઆત કરી . ' બેટી બચાવો - બેટી પઢાઓ ' સ્કીમ મુજબ સુકન્યા સમૃદ્ધિ યોજનાની શરૂઆત થઈ હતી . આ સ્કીમનો ઉદ્દેશ્ય પુત્રીઓના ભવિષ્ય માટે બચતને પ્રોત્સાહન આપવાનો છે . આ યોજનાની સૌથી મોટી ખાસિયત એ છે કે તેમાં પબ્લિક પ્રોવિડંટ ફંડની તુલામાં વધુ વ્યાજ મળે છે . અને ટેક્સમાં પણ છૂટ મળે છે . જો તમારી પુત્રી 10 વર્ષ કે તેનાથી નાની છે , તો તમારે મોડુ કર્યા વગર આ યોજનાનો લાભ લેવો જોઈે . હાલમાં આ યોજનામાં તમને 8.1 ટકા વાર્શિક વ્યાજ મળી રહે છે . જે પીપીએફ કરતા વધુ છે . જો તમે આ યોજનામાં રોકાણ કરવા ઈચ્છતા હો , તો આ યોજના વિશે આટલું જાણવું જરૂરી છે ." sports,"માન્ચેસ્ટર , 7 ઑગસ્ટઃ ઇંગ્લેન્ડના પૂર્વ સુકાની માઇકલ વૉને રવિન્દ્ર જાડેજા વિવાદમાં માત્ર ઝડપી બોલર જેમ્સ એન્ડરસનનો બચાવ જ નથી કર્યો પરંતુ તેને સલાહ પણ આપી છેકે , ઓલ્ડ ટ્રેફર્ડમાં રમાનારી ચોથી ટેસ્ટમાં ભારતને રિપોર્ટ કરવાની તક આપ્યા વગર પોતાનું સ્લેજિંગ ચાલું રાખે . વૉને ટેલીગ્રાફમાં લખ્યું છેકે , જિમ્મીએ ઓલ્ડ ટ્રેફર્ડમાં પણ સ્લેજિંગ જારી રાખવું જોઇએ , પરંતુ ભારતને ફરીથી રિપોર્ટ કરવાની કોઇ તક ન આપવી જોઇએ . તે ઇંગ્લેન્ડ માટે શ્રેણી જીતી રહ્યો છે અને બન્ને ટીમો વચ્ચે રાજકીય તણાવ વધી ગયો છે . તેથી જો તે ફરીથી અનાવશ્યક વિવાદમાં ફસાય છે તો તેનાથી તે નબળો પડી જશે . નોંધનીય છેકે , એન્ડરસન પર જાડેજાને ધક્કો મારવાના મામલે આઇસીસી ન્યાયિક આયોગે નિર્દોષ જાહેર કર્યો હતો . આ મામલે બીસીસીઆઇએ કરેલી સમીક્ષાની અપીલને પણ નામંજૂર કરી દેવામાં આવી છે . વૉને તેવામાં એન્ડરસનને સલાહ આપી છેકે તેણે મેદાન પર પોતાના શબ્દોની પસંદગીમાં સાચવેતી રાખવી પડશે . માન્ચેસ્ટર ટેસ્ટઃ ધોની સામે હશે આ ચાર પડકારો નવી ‘ટીમ ઇન્ડિયા ' માં સ્થાન , જાણો શું કહ્યું કર્ણ - સેમસને આ પણ વાંચોઃ - અનુભવીઓની અવગણનાઃ ઇંગ્લેન્ડ સામે ટકારશે આ નવી ‘ટીમ ઇન્ડિયા '" sports,"બર્મિંઘમના એજબેસ્ટનમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફી 2017ની બીજી સેમિ - ફાઇનલ મેચ રમાઇ હતી . ભારતે ચેમ્પિયન્સ ટ્રોફીની શરૂઆત પહેલાં પોતાની બીજી વોર્મ - અપ મેચમાં બાંગ્લાદેશના 240 રનથી માત આપી હતી . ચેમ્પિયન્સ ટ્રોફી 2017ની પોતાની પહેલી મેચમાં પણ બાંગ્લાદેશ ઇંગ્લેન્ડ સામે હાર્યું હતું . જો કે , આ પછી આ ટૂર્નામેન્ટમાં બાંગ્લાદેશની ટીમે પાછળ ફરીને નથી જોયું . બાંગ્લાદેશની ઑસ્ટ્રેલિયા સામેની બીજી મેચ વરસાદને કારણે કોઇ પરિણામ વગર રદ્દ જાહેર કરવામાં આવી હતી . પોતાની ત્રીજી મેચમાં બાંગ્લાદેશે ન્યૂઝિલેન્ડને હરાવીને ઇતિહાસ રચ્યો હતો અને આ સાથે જ બાંગ્લાદેશની ટીમ પહેલીવાર સેમિ - ફાઇનલમાં જગ્યા બનાવવામાં સફળ રહી હતી . બીજી બાજુ ભારતની ટીમે પોચાની પહેલી અને ત્રીજી લીગ મેચમાં વિજય પ્રાપ્ત કર્યો છે . પહેલી મેચમાં પાકિસ્તાનને 124 રનથી હરાવ્યા બાદ બીજી મેચમાં ભારતને શ્રીલંકા સામે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો . પોતાની ત્રીજી મેચમાં ભારતે આ ટૂર્નામેન્ટની સૌથી મજબૂત ટીમ મનાતી દ . આફ્રિકાને હરાવી પોતાની તાકાતનો પરચો આપ્યો હતો . પાકિસ્તાનની ટીમ સામેની મેચમાં શાનદાર રમતનું પ્રદર્શન કરી મેન ઓફ ધ મેચ બનનાર ખેલાડી યુવરાજ સિંહ પર આજે સૌની નજર છે . યુવરાજ સિંહની આ 300મી વનડે મેચ છે . સ્કોર અપડેટ" sports,"નવી દિલ્હી , 22 સપ્ટેમ્બર : પ્રથમ ટ્વેંટી - 20 વર્લ્ડ કપ વિજેતા ટીમ ઇન્ડિયાની મુશ્કેલીઓ આ વખતે સતત વધતી જઈ રહી છે . ઇંગ્લેન્ડ સાથે મહત્વની મેચ પહેલાં ટીમ ઇન્ડિયાના બે સ્ટાર બેટ્સમેન બીમાર થઈ ગયા છે . અફઘાનિસ્તાન સામેના વિજયમાં મહત્વની ભૂમિકા ભજવનાર યુવરાજ સિંહના ગળામાં સોજો છે , તો સુરેશ રૈનાના પેટમાં ગરબડ પેદા થઈ છે . બીમારીથી પરેશાન બંને ખેલાડીઓ શુક્રવારે ટીમ સાથે પ્રેક્ટિસ સેશનમાં નહોતા આવ્યાં . મળતી માહિતી પ્રમાણે યુવી - રૈના ટીમના મેડિકલ સ્ટાફના ઑબ્ઝર્વેશન હેઠળ છે . સૂત્રોએ જણાવ્યું કે બંનેની બીમારી અંગે કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની ટેંશનમાં છે . તેઓ ડ્રેસિંગ રૂમમાં ઘણાં પરેશાન દેખાયાં . અફઘાનિસ્તાન જેવી નબળી ટીમ સામે માંડ વિજય હાસલ કરનાર ટીમ ઇન્ડિયા માટે આ સમાચાર મુશ્કેલી પેદા કરનાર છે . એક પછી એક મેચમાં વીરેન્દ્ર સહેવાગ તેમજ ગૌતમ ગંભીરની જોડીના પ્રદર્શને ટીમ ઇન્ડિયાની મુશ્કેલીઓ ઓછી કરવાની જગ્યાએ વધારી છે . જો એવું જ ચાલ્યું તો ભારતીય ટીમ કદાચ ફાઇનલ સુધી પણ નહીં પહોંચી શકે . સાથે જ ગંભીર અને સહેવાગ ઉપરાંત ઝહીર ખાન પણ ટીમ ઇન્ડિયાની મુશ્કેલીઓ વધારી રહ્યાં છે . શ્રીલંકા વિરુદ્ધ પ્રેક્ટિસ મેચમાં ગંભીર 4 રન બનાવી રિટાયર્ડ હર્ટ થયાં , જ્યારે સહેવાગ 12 રન બનાવી પેવેલિયન પરત ફર્યાં . બંને વચ્ચે માત્ર 9 રનની ભાગીદારી થઈ હતી . પાકિસ્તાન વિરુદ્ધ પ્રેક્ટિસ મેચમાં ગંભીર માત્ર 10 રન બનાવી આઉટ થયાં , તો સહેવાગે 28 રન બનાવ્યાં . અફઘાનિસ્તાન વિરુદ્ધ પ્રથમ મેચમાં ગંભીર 10 અને સહેવાગ 8 રન જ બનાવી શક્યા હતાં ." entertainment,"વેલેન્ટાઈન વીકની શરૂઆત થઇ ચુકી છે . તેવામાં ગયા વર્ષે લગ્ન કરી ચૂકેલા ટીવી સ્ટાર પોતાનું પહેલું વેલેન્ટાઈન ઉજવવાનું પ્લાનિંગ કરી રહ્યા છે . આ બધા વચ્ચે એક સ્ટાર એવી પણ છે જે ખાસ રીતે વેલેન્ટાઈન ઉજવવાની પ્લાનિંગ કરી ચુકી છે . અહીં અમે કિન્નર વહુ રૂબીના દિલાયક વિશે વાત કરી રહ્યા છે . ટીવી શૉ શક્તિમાં કિન્નરની ભૂમિકા નિભાવીને રૂબિનાએ એક ખાસ ઓળખ બનાવી છે . એક્ટિંગ સાથે રૂબીના એક સિંગર પણ છે . પોતાની આ કલાને તે વેલેન્ટાઈન અવસરે લોકોની સામે રજુ કરશે . રૂબીનાએ હાલમાં પોતાના પતિ અભિનવ સાથે એક મ્યુઝિક વીડિયો તૈયાર કર્યો છે , જેને વેલેન્ટાઈન અવસરે લોન્ચ કરવામાં આવશે . આ વીડિયોની એક ઝલક રૂબિનાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે . દરેક વખતની જેમ આ વખતે પણ રૂબીના બોલ્ડ અને સેક્સી દેખાઈ રહી છે . તેની પહેલી ઝલક તમને દીવાના બનાવી દેશે . આ વીડિયો રૂબીના અને અભિનવે ઇન્ડોનેશિયામાં શૂટ કર્યો છે . વીડિયોમાં રૂબીના અને અભિનવ ખુબ જ હોટ દેખાઈ રહ્યા છે ." entertainment,"કૅટરીના કૈફે તાજેતરમાં જ બચ્ચન પરિવારની દિવાળી પાર્ટીમાં હાજરી આપી . અભિષેક બચ્ચન તથા ઐશ્વર્યા રાયે પોતાના ઘરે યોજાયેલ દિવાળી પાર્ટીમાં બૉલીવુડની મોટી - મોટી હસ્તીઓને આમંત્રિત કરી હતી અને તેમાં કૅટરીનાનો પણ સમાવેશ થતો હતો . કૅટને આ પાર્ટીમાં જોઈ અનેક લોકો આશ્ચર્યમાં મુકાઈ ગયાં . એટલા માટે નહીં કે તેમની સાથે રણબીર કપૂર પણ આ પાર્ટીમાં આમંત્રિત હતાં , પણ એટલા માટે કે સલમાનની બે એક્સ - ગર્લફ્રેન્ડ્સ એક સાથે એક છત નીચે નજરે પડી . આ અગાઉ કૅટરીના કૈફ અને ઐશ્વર્યા રાય ક્યારેય એક સાથે એક છત નીચે કે એક મંચ ઉપર દેખાયા નહોતાં . કૅટે તાજેતરમાં જ બચ્ચન પરિવારના જુહૂ રેસિડેંસ જલસામાં યોજાયેલ દિવાળી પાર્ટીમાં હાજરી આપી . કહે છે કે ઐશે પોતે કૅટને દિવાળી પાર્ટીમાં આમંત્રિત કરી હતી . એમ પણ તાજેતરમાં જ ધૂમ 3 ફિલ્મના શૂટિંગ દરમિયાન સેટ ઉપર ઐશ - કૅટ વચ્ચે ઘણી મૈત્રી જોવા મળી હતી , કારણ કે ઐશના પતિ એટલે કે અભિષેક બચ્ચન ધૂમ સિરીઝમાં સતત જળવાયેલા છે અને કૅટરીના કૈફ આ સિરીઝમાં નવા છે . શૂટિંગ દરમિયાન જ્યારે ઐશ પોતાના હબી અભિષેક સાથે શૂટ પર ગયાં , તો કૅટ સાથે પણ મુલાકાત કરી . જોકે એમ કહેવું ખોટુ નહીં હશે કે કૅટ અને ઐશ વચ્ચે જે કોલ્ડ વૉર ચાલતી હતી , તેની પાછળ માત્ર સલમાન ખાન જ હતાં . છેલ્લા કેટલાંક સમયથી કૅટ - ઐશ વચ્ચે ઘણી બધી એવી વાતો બની કે જેથી બંને વચ્ચે ગેરસમજણ ઊભી થઈ . પહેલા તો કૅટે ઐશને રિપ્લેસ કરી પોતે બાર્બી ડૉલનો ટૅગ મેળવી લીધો અને તે પછી ઐશને રિપ્લેસ કરી નક્ષત્ર ડાયમંડની એડ પણ પોતાના નામે કરી લીધી . ખેર , હાલ તો આપણે તસવીરો વડે જાણીએ વધુ કહાણી :" entertainment,"નેવુના દાયકાના સેક્સી - હૉટ અભિનેત્રી મમતા કુલકર્ણી છેલ્લા દસ વરસથી રૂપેરી પડદેથી ગાયબ છે . તેમના અંગે સનસનાટીભર્યા અહેવાલ મળે છે કે તેઓ હાલ દુબઈમાં પોતાના દાણચોર પતિ સાથે રહે છે . મળતી માહિતી મુજબ મમતા કુલકર્ણીએ 2012માં એક ડ્રગ દાણચોર સાથે લગ્ન કર્યાં છે અને તેઓ દુબઈમાં રહે છે . તે દાણચોર જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યો હતો , પરંતુ મમતા તેની સાથે છેલ્લા દસ વરસથી રિલેશનશિપમાં હતાં . નવેમ્બર 2012માં મમતાએ તે દાણચોર સાથે લગ્ન કરી તેને જેલમાંથી મુક્ત કરાવ્યો . આ ડ્રગ્સ દાણચોરનું નામ વિકી ગોસ્વામી છે . 1997મા દુબઈમાં પોલીસે તેને મૅન્ડ્રૅક્સની દાણચોરી કરતાં ઝડપ્યો હતો . મમતા કુલકર્ણી અંગે અગાઉ કહેવાતુ હતું કે તેમણે બૉલીવુડમાં પોતાના કૅરિયરનો ગ્રાફ નીચે જતાં એક એનઆરઆઈ સાથે લગ્ન કરી લીધા અને અમેરિકા રહેવા જતા રહ્યાં , પરંતુ હવે સમાચાર આવ્યાં છે કે વિકી સાતે પ્રેમ હોવાના કારણે મમતા અને એનઆરઆઈએ છુટાછેડા લઈ લીધાં અને મમતાએ વિકી સાથે લગ્ન કરી દુબઈમાં ઘર વસાવી લીધું . એમ પણ કહેવાય છે કે વિકી ગોસ્વામીએ મમતા કુલકર્ણી સાથે લગ્ન કરવા માટે ઇસ્લામ પણ અંગીકાર કર્યો છે . નોંધનીય છે કે મમતા કુલકર્ણીએ કરણ અર્જુન અને સબસે બડા ખિલાડી જેવી મહત્વની ફિલ્મોમાં કામ કર્યુ હતું . કરણ અર્જુનમાં તેમની સામે સલમાન ખાન હતાં , તો સબસે બડા ખિલાડીમાં અક્ષય કુમાર ." sports,"બેંગ્લોર , 17 એપ્રિલઃ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને દિલ્હી ડેર ડેવિલ્સ વચ્ચે રમાયેલા રોમાંચક મેચમાં આરસીબીએ દિલ્હી પર શાનદાર વિજય હાંસલ કર્યો . મેચનો નિર્ણય સુપર ઓવરમાં આવ્યો આ સીઝનમાં દિલ્હીની આ સતત પાંચમી હાર છે , જ્યારે આરસીબી આ જીત સાથે પોઇન્ટ્સ ટેબલમાં ટોપ પર પહોંચી ગઇ છે . 153 રનોના ટાર્ગેટનો પીછો કરતા બેંગ્લોરના સુકાની વિરાટ કોહલીએ શાનદાર 65 રનની ઇનિંગ રમી . જો કે , ક્રિસ ગેઇલે આ મેચમાં બે છગ્ગા લગાવ્યા પરંતુ પોતાનો ઝલવો દેખાડવામાં નાકામ રહ્યો . મોર્કલની ઓવરમાં ગેઇલ 13 રનના વ્યક્તિગત સ્કોરમાં ઉમેશ યાદવના હાથે કેચ આઉટ થઇ ગયો . બેંગ્લોર તરફથી લોકેસ રાહુલએ 12 , એબીડી વિલિયર્સે 39 રન બનાવ્યા . મેચ અંતિમ ઓવર સુધી ખેંચાયો અને આખરે સ્કોર લેવલ તઇ ગયો . આ સ્થિતિમાં નિર્ણય સુપર ઓવરમાં આવ્યો . આ પહેલા , બેંગ્લોરના સુકાની વિરાટ કોહલીએ ટોસ જીતીને દિલ્હીને પહેલા બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું . દિલ્હીના બેટ્સમેને સારી શરૂઆત આપી પરંતુ તેને મોટી ઇનિંગમાં પરિવર્તિત કરી શક્યાં નહીં . પારીના અંતમાં કેદાર જાધવ 29 અને ઇરફાન પઠાણ 19 ( બન્ને અણનમ ) ને ઝડપી બોલિંગની મદદથી દિલ્હી બેંગ્લોરના 153 રનનો ટાર્ગેટ આપવામાં સફળ રહ્યું . ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં બન્ને ટીમોએ ચાર - ચાર પેસરને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કર્યા અને એક - એક સ્પિનરને મેદાન પર ઉતાર્યા હતા . ડેવિડ વોર્નર અને વિરેન્દ્ર સેહવાગની ઓપનિંગ જોડીએ દિલ્હીને સારી શરૂઆત અપાવી . આ દરમિયાન સેહવાગે આક્રમક રૂખ અપનાવ્યો જ્યારે વોર્નર સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો . વિનય કુમારની એક ઓવરમાં વોર્નર કેચ આઉટ થઇ ગયો અને દિલ્હીને પહેલો ઝટકો 43 રન પર પહોંચ્યો . આ જ સ્કોર પર મેક્ડોનાલ્ડે કોહલીના હાથે સેહવાગને કેચ આઉટ કરાવી દીધો . મનપ્રીત જુનેજા ( 17 ) , મહેલા જયવર્દને ( 28 ) એ ઇનિંગ સંભાળવાનો પ્રયત્ન કર્યો . જુનેજા ઉનડકટની ઓવરમાં આઉટ થયો જ્યારે મહેલા રનઆઉટ થયો હતો . બેન રોહરર ( 14 ) કોઇ કમાલ કરી શક્યો નહીં . જો કે , ઇરફાન અને જાધવે અંતિમ બે ઓવરમાં 30 રનની ભાગીદારી નોંધાવી હતી . જાધવે 16 બોલમાં બે ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો જ્યારે પઠાણે આઠ બોલનો સામનો કરીને બે ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો ." sports,"નવી દિલ્હી , 13 ઑગસ્ટઃ એક તરફ ઇંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ શ્રેણીમાં ટીમ ઇન્ડિયા સંઘર્ષ કરી રહી છે અને પાંચ મેચોની શ્રેણીમાં 2 - 1થી પાછળ છે , જેના કારણે મહેન્દ્ર સિંહ ધોની અને ટીમ ઇન્ડિયાની ખાસી ટીકા થઇ રહી છે , તો બીજી તરફ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે ટીમ ઇન્ડિયાના સુકાની મહેન્દ્ર સિંહ ધોની અને આઉટ ઓફ ફોર્મ ચાલી રહેલા વિરાટ કોહલીના નામોની ભલામણ પદ્મભૂષણ અને પદ્મશ્રી પુરસ્કારો માટે કરી છે . બીસીસીઆઇએ ધોની અને કોહલીના નામોની ભલામણ ખેલ મંત્રાયલને કરી . મીડિયા રિપોર્ટ અનુસાર બીસીસીઆઇએ ભારતીય મહિલા ક્રિકેટ ટીમના સુકાની મિતાલી રાજનું નામ પદ્મશ્રી પુરસ્કાર માટે નામિત કર્યું છે . ટીમ ઇન્ડિયાના સુકાની મહેન્દ્ર સિંહ ધોનીને પદ્મશ્રી પુરસ્કારથી 2009માં સન્માનિત કરવામાં આવ્યો હતો . આ અંગે વધુ વાંચવા માટે તસવીરો પર ક્લિક કરો . pagespeed . lazyLoadImages . overrideAttributeFunctions ( ) ; આ પણ વાંચોઃ - પહેલા ઇંગ્લેન્ડ અને હવે ઝારખંડે આપ્યો ધોનીને ઝાટકો કારનો ગંભીર અકસ્માતઃ ચમત્કારિક રીતે બચ્યા ગાવસ્કર આ પણ વાંચોઃ - ' પરાજીત ' ધોની સામે વિજયી બનવા કૂકને બોયકોટે આપી આ સલાહ pagespeed . lazyLoadImages . overrideAttributeFunctions ( ) ; function googleAnalyticsCodeCommon ( ) { var main _ url = $ ( ' link [ rel = "" canonical "" ] ' ) . attr ( "" href "" ) ; var url = document . location . href ; var pattern = ' https : / / ' + window . location . hostname ; url = url . replace ( pattern , "" "" ) ; var title = document . title ; ga ( "" oneindiagu . send "" , { hitType : "" pageview "" , page : url , location : main _ url } ) ; ga ( "" rosoneindia . send "" , { hitType : "" pageview "" , page : url , location : main _ url } ) ; ga ( "" dhoneindia . send "" , { hitType : "" pageview "" , page : url , location : main _ url } ) ; url = document . location . href ; var jcode = ' var _ comscore = _ comscore | | [ ] ; var comscoreParams = { c1 : "" 2 "" , c2 : "" 7732551 "" , c3 : "" "" , c4 : "" ' + url + ' "" , c5 : "" "" , c6 : "" "" , c15 : "" "" } ; _ comscore . push ( comscoreParams ) ; var s = document . createElement ( "" script "" ) , el = document . getElementsByTagName ( "" script "" ) [ 0 ] ; s . async = true ; s . src = ( document . location . protocol = = "" https : "" ? "" https : / / sb "" : "" http : / / b "" ) + "" . scorecardresearch . com / beacon . js "" ; el . parentNode . insertBefore ( s , el ) ; ' ; setTimeout ( jcode , 500 ) ; var _ qevents = _ qevents | | [ ] ; ( function ( ) { var elem = document . createElement ( ' script ' ) ; elem . src = ( document . location . protocol = = "" https : "" ? "" https : / / secure "" : "" http : / / edge "" ) + "" . quantserve . com / quant . js "" ; elem . async = true ; elem . type = "" text / javascript "" ; var scpt = document . getElementsByTagName ( ' script ' ) [ 0 ] ; scpt . parentNode . insertBefore ( elem , scpt ) ; } ) ( ) ; _ qevents . push ( { qacct : "" p - yjta2aSVPaHEL "" } ) ; window . google _ analytics _ uacct = "" UA - 110466 - 73 "" ; }" business,"નાણાં પ્રધાન અરુણ જેટલીની અધ્યક્ષતામાં મળેલી જીએસટી કાઉન્સિલની બેઠકમાં અનેક વસ્તુઓ પરથી જીએસટી ટેક્સ ઓછો કરવામાં આવ્યો છે . હવે 28 ટકાના ટેક્સ સ્લેબમાં ખાલી 50 વસ્તુઓ જ રાખવામાં આવી છે . અને કુલ 227 વસ્તુઓ પરથી 28 ટકા ટેક્સ હટાવી દેવામાં આવ્યો છે . જીએસટી કાઉન્સિલના આ મોટા નિર્ણય પછી ચોકલેટ , સેવિંગ ક્રીમ જેવી 177 વસ્તુઓ સસ્તી થઇ ગઇ છે . નોંધનીય છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા સરકાર દ્વારા લોકોનો આર્થિક ભાર હળવો કરવા આ ખાસ પહેલ કરવામાં આવી છે . ચોકલેટ , આફટર શેવ , ડિઓડરન્ટ , વોશિંગ પાવડર , માર્બલ પર હવે 18 ટકા જીએસટી લાગશે . પેઇન્ટ્સ , સિમેન્ટ , વોશિંગ મશીન , એર કન્ડિશર્સ જેવી વસ્તુઓ હજી પણ 28 ટકાના સ્લેબમાં રાખવામાં આવ્યા છે . નોંધનીય છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે તે પહેલા જીએસટી ટેક્સ સ્લેબમાં સરકારે મોટી રાહત જાહેર કરી છે . ત્યારે આનાથી ગુજરાતની ચૂંટણી વખતે શું અસર થાય તે જોવું રહ્યું" entertainment,"તમે કદી કોઇ એવી વ્યક્તિને મળ્યા છો જેણે પોતાના બચાવાની ચિંતા ન કરતા છેલ્લા સુધી પોતાનું કર્તવ્ય નિભાવ્યું હોય ? હું વાત કરી રહી છું નીરજા ભનોટની . જેના જીવન પર આધારીત એક ફિલ્મ નીરજા શુક્રવારે રીલીઝ થવાની છે . જેમાં બોલીવૂડની જાણીતી અભિનેત્રી સોનમ કપૂરે અભિનય આપ્યો છે . આ ફિલ્મ એરલાઇન્સ પૈન એમમાં ફ્લાઇટ અટેડન્ટ તરીકે કામ કરતી નીરજા ભનોટ પર આધારીત છે . જેનું પ્લેન 5 સપ્ટેમ્બર 1986ના રોજ આતંકીઓ દ્વારા હાઇજેક કરવામાં આવ્યું હતું . નીરજા ભનોટને જ્યારે આતંકીએ માથા પર ગોળી મારી ત્યારે તે માત્ર 22 વર્ષની હતી . તે તો વીરગતિ પામી પણ મરતા પહેલા તેને અનેક લોકોની જિંદગી બચાવી . શું તમને ખબર છે કે હાઇજેક વખતે એક તેવી પણ ક્ષણ હતી જ્યારે નીરજા બાકી યાત્રી સાથે ફ્લાઇટની બહાર જઇ શકી હોત ! પણ તેણે પોતાને બચાવવા બદલે વધુમાં વધુ લોકોને બહાર નીકાળવાનું પસંદ કર્યું . આવી ક્ષણે અનેક લોકો માટે આવી હિંમત બનાવતી શક્ય નથી હોતી અને કદાચ આ કારણ છે કે નીરજાને સૌથી નાની ઉંમરે સર્વોચ્ચ સૈનિક સન્માન "" અશોક ચક્ર "" થી સન્માનિત કરવામાં આવી . ત્યારે આજે અમે ભારતની આ જ બહાદુર છોકરીની કેટલીક અનસીન તસવીરો બતાવવા જઇ રહ્યા છે . જેનો જોઇને તમને લાગશે કે તે કેટલી લાઇફને પૂર્ણે પણ માણનારી , ફેશનપરસ્ત અને યંગ છોકરી હતી . પણ બહારની નાજૂક નમણી લાગતી આ છોકરી અંદર ખૂબ જ સ્ટ્રોંગ હતી . તમે અત્યાર સુધી હિરોઇનોના ફોટો તો ખૂબ જ જોયા હશે ત્યારે જુઓ રિયલ લાઇફ હિરોઇન નીરજા ભનોટની 20 અનસીન તસવીરો . . . ." sports,"રાંચી , 17 સપ્ટેમ્બરઃ ભારતીય ક્રિકેટ ટીમના સુકાની મહેન્દ્ર સિંહ ધોની પોતાના રાજ્ય ઝારખંડની રાજધાની રાંચીમાં છેલ્લા બે અઠવાડિયાથી આરામ કરી રહ્યાં છે , પરંતુ આ દરમિયાન તે બાઇક લઇને શહેરના વિભિન્ન વિસ્તારોમાં ફરી રહ્યાં છે . તેનાથી ત્યાંની સ્થાનિક પોલીસ અને પ્રશાસનને પરસેવો છૂટી ગયો છે . હવે પરેશાન થઇને પ્રશાસને ધોનીને પોતાના કાર્યક્રમની સંપૂર્ણ સૂચના પોલીસને આપવાનો અનુરોધ કર્યો છે . રાંચીના વરિષ્ઠ પોલીસ અધિક્ષક સાકેત કુમાર સિંહે જણાવ્યું કે , ધોનીને અનુરોધ કરવામાં આવ્યો છે કે , તે તેમના કાર્યક્રમોની પૂર્વ સૂચના પોલીસને જરૂરથી આપે , જેથી જરૂરી પોલીસ સુરક્ષા પ્રદાન કરી શકાય . ધોની ગયા અઠવાડિયાથી ખભા પર બેગ લટકાવી , હેલમેટ પહેરી પોતાની બાઇક સાથે શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી રહ્યાં છે . શહેરના અનેક વિસ્તારોમાં તેમની આ મસ્તીના ચર્ચા છે . અનેકવાર તો ધોની આવી જ રીતે ઝારખંડ ક્રિકેટ સંઘના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ પહોંચી ગયા અને ત્યાં અભ્યાસ કર્યો . આ ઉપરાંત તે બિરસા ફૂટબોલ સ્ટેડિયમ અને અન્ય અનેક મેદાનો પર રમી રહેલા ખેલાડીઓ , ફૂટબોલરો અને તીરંદાજોને પણ મળ્યા અને તેમની સાથે રમ્યા પણ . ધોની સોમવારે પણ ક્રિકેટ સ્ટેડિયમ પોતાની બાઇક પર જ ગયા પરંતુ ત્યાંથી તેમને ગાડીમાં પોલીસની સુરક્ષા વચ્ચે ઘરે પરત લાવવામાં આવ્યા ." entertainment,"બૉલીવુડની અત્યાર સુધીની સૌથી સુંદર અભિનેત્રી તરીકે જાણીતા રેખાના સૌંદર્યને પોતાના કૅમેરે કંડારનાર ફોટોગ્રાફર જગદીશ માલી હવે આપણી વચ્ચે નથી રહ્યાં . જગદીશ માલી જાન્યુઆરીમાં મુંબઈના માર્ગો ઉપર ભિખારી જેવી અવસ્થામાં મળતાં ચર્ચામાં આવ્યા હતાં . તે પછી તેઓનું નામ આજે પ્રકાશમાં આવ્યું કે જ્યારે મુંબઈની નાણાવટી હૉસ્પિટલમાં તેમનું મોત થઈ ગયું . આખરે કોણ હતાં જગદીશ માલી ? અંતરા માલી ભલે પોતાની હૉનટેસ અને ગ્લૅમરસના કારણે જાણીતા થયાં હોય , પરંતુ તેમના પિતા તરીકે જગદીશ માલી તેમના કરતાં વધુ સફળ રહ્યા હતાં બૉલીવુડમાં . 1980 - 90ના દાયકામાં જગદીશ માલી પોતાની શ્રેષ્ઠ ફોટોગ્રાફી માટે જાણીતા હતાં . તે વખતે બૉલીવુડમાં આવનાર નવા કલાકારોની ગ્લૅમરસ તથા શ્રેષ્ઠ ફોટો ખેંચી જગદીશ માલી અચાનક જ સૌની નજરોમાં આવી ગયાં . તેમણે અનેક મૅગઝીનો માટે પણ એક્ટર્સની સારી - સારી અને ગ્લૅમરસ તસવીરો ખેંચી . રેખાના સૌંદર્યને તસવીરોમાં બહેતરીન રીતે કેદ કરવા તથા તસવીરો વડે તેમના સૌંદર્યને સદા માટે સદાબહાર કરી દેનાર જગદીશ માલી ખૂબ ફેમસ હતાં . જગદીશ માલીએ ફોટોગ્રાફીમાં ઘણી મહારત હાસલ કરેલી હતી . તેમણે અનેક ફેમસ એડ ફિલ્મ્સ પણ શૂટ કરી હતી . તેમાં કોલગેટ , ચંદ્રિકા સોપ , પરાગ સાડીઓ તથા વિનાયક સાડીઓનો સમાવેશ થાય છે . ઉપરાંત જગદીશ માલીએ વિપુલ સાડીઓ , રૂપમ સાડીઓ માટે કૅટલૉગ પણ બનાવ્યા હતાં . એડ ફિલ્મો ઉપરાંત તેમણે કેટલીક બૉલીવુડ ફિલ્મોની પબ્લિસિટી તસવીરો પણ ખેંચી હતીં કે જેમાં તક્ષક , બુલંદી , ગુલામ , આગ કા દરિયા , ફૂલ ઔર કાંટેનો સમાવેશ થાય છે . જગદીશ માલીએ અનેક અભિનેતાઓ - અભિનેત્રીઓને પોતાના કૅમેરે કેદ કરી તેમના સૌંદર્યને વધુ નિખાર આપ્યું . તેમાં પ્રીતિ ઝિંટા , ટ્વિંકલ ખન્ના , આમિર ખાન , અમિતાભ બચ્ચન , રાણી મુખર્જી , મિલંદ ગુનાજી , દીપ્તિ ભટનાગર , ડિમ્પલ કાપડિયાનો સમાવેશ થાય છે . તેમણે અનેક આંતરાષ્ટ્રીય પ્રોજેક્ટો પણ કર્યાં . જગદીશ માલીના પુત્રી અંતરા માલી બૉલીવુડના અભિનેત્રી રહી ચુક્યાં છે . તેમને બૉલીવુડમાં કંઈ ખાસ સફળતા મળી નહોતી ." entertainment,"મુંબઈ , 29 સપ્ટેમ્બર : ગત 27મી સપ્ટેમ્બરે રોમાંસનાં કિંગ યશ ચોપરાએ પોતાનો 80મો જન્મ દિવસ ઉજવ્યો અને આ દિવસને સ્પેશિયલ તરીકે સેલિબ્રેટ કરવા બૉલીવુડના કિંગ ખાન તેમજ યશ ચોપરાના લકી ચાર્મ શાહરુખ ખાને યશ ચોપરાનું ઇન્ટરવ્યૂ લીધું . પોતાના ઇન્ટરવ્યૂ દરમિયાન યશ ચોપરાએ પોતાની ફિલ્મી સફર સાથે સંકળાયેલી ખાટી - મીઠી યાદો શૅર કરી . સાથે જ એવી જાહેરાત પણકરી કે જબ તક હૈ જાન તેમની આખરી ફિલ્મ હશે . હવે પછી તેઓ ફિલ્મોનું દિગ્દર્શન નહિં કરે . યશ ચોપરાએ પોતાના ઇન્ટરવ્યૂ દરમિયાન શાહરુખ ખાન સાથે પોતાના અનુભવો વાગોળ્યા અને જણાવ્યું હતું , ‘શાહરુખ એકમાત્ર એવા હીરો છે કે જેમણે ક્યારેય મને ફિલ્મની વાર્તા અવા તેઓ કેટલી ફી લેશે , તે અંગે સવાલ નથી કર્યાં . હું ચેક દ્વારા જેટલાં પૈસા શાહરુખને મોકલતો , તેઓ તે લઈ લેતાં અને પછી એમ પણ કહેતાં કે આટલા પૈસા કેમ મોકલાવ્યાં . ' યશ ચોપરાએ જણાવ્યું કે શાહરુખને તેમની વાર્તા ઉપર સમ્પૂર્ણ ભરોસો રહેતો . તેઓ ક્યારેય ફિલ્મના શુટિંગ પહેલા યશ ચોપરાને નહોતા મળતાં , કારણ કે તેમને ન તો વાર્તા સાંભળવાની હોય કે ના પૈસા વિશે વાત કરવાની હોય . પોતાના ઇન્ટરવ્યૂમાં જ્યારે યશ ચોપરાએ એમ જણાવ્યું કે તેઓ 13મી નવેમ્બરે રિલીઝ થવા જઈ રહેલી ફિલ્મ જબ તક હૈ જાન બાદ કોઈ ફિલ્મનું દિગ્દર્શન નહિં કરે , તો શાહરુખ લાગણીશીલ થઈ ગયાં અને તેમણે યશ ચોપરાને ગુડબાય કિસ કરી અલવિદા કહ્યું . શાહરુખ અને યશ ચોપરાની જોડીએ બૉક્સ ઑફિસે ઘણી ધમાલ મચાવી છે . ડરથી લઈને જબ તક હૈ જાન સુધી જેટલી પણ ફિલ્મો બંનેએ સાથે મળી કરી , તેમાંની લગભગ તમામ હિટ થઈ છે . હવે યશ ચોપરાએ દિગ્દર્શન છોડ્યાં બાદ ફિલ્મ ઇન્ડસ્ટ્રી તેમની જોડીને જરૂર મિસ કરશે . પરંતુ અત્યારે તો સૌને ઇન્તેજાર છે નવેમ્બરમાં રિલીઝ થવા જઈ રહેલી રોમેન્ટિક કિંગ અને રોમેન્ટિક હીરોની ફિલ્મ જબ તક હૈ જાનનો કે જેમાં પહેલી વાર કેટરીના કૈફ સાથે શાહરુખ રોમાંસ કરતાં નજરે પડશે ." sports,"હાલમાં હરભજન સિંહના પગ ધરતી પર નથી એવું કહીએ તો ચાલે . એક તરફ તો તેમની ટીમ મુંબઇ આઇપીએલ 8ના ફાઇનલમાં પહોંચી ગઇ છે , તો બીજી તરફ બે વર્ષ પછી તેની પસંદી ટીમ ઇન્ડિયામાં થઇ છે . એટલા માટે ભજ્જીએ પોતાની ખુશીને સેલિબ્રેટ કરવા માટે મુંબઇ ઇન્ડિયન્સની ટીમ માટે એક પાર્ટી રાખી હતી . જેમાં ટીમના મેંટર સચિન તેંડુલકર પણ હાજર રહ્યા હતા . આ શાનદાર પાર્ટીમાં સચિન અને ભજ્જીએ આખી ટીમના ખેલાડીઓની સાથે મસ્તીના પળ વિતાવ્યા . જેની તસવીરો ભજ્જી અને સચિન બંનેએ ટ્વિટર પર શેર કરી છે . તસવીરમાં બંને મજાકના મૂડમાં દેખાઇ રહ્યા છે , સચિનને આપે આવા અંદાજમાં ક્યારેય નહીં જોયો હોય . તેમને જોઇને કોઇ એવું ના કહી શકે કે તેઓ ટીન એજ બાળકોના પિતા છે ." sports,"આઇપીએલ 10 ની ફાઇનલ મેચ રાઇઝિંગ પુણે સુપરજાઇન્ટસ અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચે આ મેચ હાલ હૈદરાબાદના ખચાખચ ભરેલા રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઇ રહી છે . મુંબઇ ઇન્ડિયન્સની ટીમ ત્રીજી વાર વિજેતા બનવા માટે મેદાનમાં ઉતરશે , જ્યારે પુણેની સેના પણ જીત માટે કટિબદ્ધ રહેશે . બેન્ને ટીમ વચ્ચે અત્યાર સુધી 5 મેચ રમાઇ છે . જેમાં પુણેને 4 મેચમાં જીત મળી છે . ત્યારે આ મેચની તમામ લેટેસ્ટ માહિતી જાણવા માટે આ પેજને રિફ્રેશ કરતા રહો . અહીં અમે તમને આ મેચની તમામ અપડેટ આપતા રહીશું . Update : મુંબઇ ઇન્ડિયન્સ : લેન્ડલ સિમન્સ , પાર્થિવ પટેલ , અંબાતી રાયુડૂ , રોહિત શર્મા ( કેપ્ટન ) , કૃણાલ પંડ્યા , કિરોન પોલાર્ડ , હાર્દિક પંડ્યા , કર્ણ શર્મા , મિશેલ જોનસન , જસપ્રિત બુમરાહ , લસિથ મલિંગા રાઇઝિંગ પુણે સુપરજાઇન્ટસઃ અજિંક્ય રહાણે , રાહુલ ત્રિપાઠી , સ્ટીવ સ્મિથ ( કેપ્ટન ) , મનોજ તિવારી , મહેન્દ્રસિંહ ધોની , ડેનિયલ ક્રિશ્ચિયન , વોશિંગ્ટન સુંદર , લોકી ફર્ગ્યુસન , શાર્દુલ ઠાકુર , જયદેવ ઉનડકટ , એડમ ઝમ્પા" entertainment,"મુંબઈ , 15 સપ્ટેમ્બર : બૉલીવુડના રૉક એક્ટર સલમાન ખાન હવે ફાઇનલી ફેસબુક પર આવી જ ગયાં છે . હવે બિગ બી અમિતાભ બચ્ચનની જેમ સલમાન ખાન પણ પોતાની પર્સનલ લાઇફની કેટલીક બહુ જ ખાસ વાતો ફેસબુકના માધ્યમથી પોતાના ફેંસ સાથે શેર કરશે . ફેસબુક પર આવતા જ સૌપ્રથમ તો સલમાને પોતાની બહુ ખાસ અને બહુ નજીકની બે લોકોની તસવીર મુકી છે અને તે છે તેના કૂતરા . જુઓ આ સુંદર તસ્વીર . તેને જોઈને એવું જ લાગે છે કે સલ્લુને પોતાના બંને કૂતરાઓ સાથે બેડ શેર કરવામાં કોઈ વાંધો નથી . આ તસવીર જોતા એક વાત સ્પષ્ટ થઈ જાય છે કે સલમાન ખાન પોતાના બંને કૂતરાઓ સાથે કેટલો પ્રેમ કરે છે . આ બંને કૂતરાઓના નામ માઇસન અને માઇઝાન છે . તેમાંથી માઇસન કેટલાંક વર્ષો અગાઉ જ મૃત્યુ પામ્યુ હતું . તે વખતે સલમાન પોતાની ફિલ્મ લંડન ડ્રીમ્સનું શુટિંગ કરી રહ્યા હતાં . પણ માઇઝાન હજુ પણ સલમાન ખાનની જાન છે . માઇસનના મોતના સમાચારથી સલમાન ખાન ઘણાં દુઃખી અને શૉક્ડ થયા હતાં , કારણ કે તે જ દિવસે તેમણે ટ્વિટર પર પોતાના ટ્વિટ વડે પોતાના બંને પ્યારા કૂતરાઓ વિશે લખ્યુ હતું , ‘દર રોજ જ્યારે હું શુટિંગ ઉપરથી પરત ફરુ છું , તો સૌપ્રથમ પોતાના બંને ચેમ્પિયન્સ સાથે સમય વિતાવુ છુ , જેમના નામ મેં માઇસન અને માઇઝાન રાખ્યાં છે . તે જ મારી લાઇફ છે અને હું તેમને માટે બહુ પસેંસિવ છું . જોકે હું તેમને માણસ નથી કહી શકતો , પણ હું તેમને કૂતરા કે પેટ કહેવાનું પણ પસંદ નથી કરતો . '" entertainment,"સમજી તો ગયાં જ હસો કે અમે કોની વાત કરીએ છીએ . હા જી , અહીં વાત થઈ રહી છે એશિયાના સૌથી સેક્સી મૅન હૃતિક રોશનની કે જેમની સુપર હીરો ધરાવતી ફિલ્મ ક્રિશ 3 પૂર્ણ થઈ ગઈ છે . ફિલ્મના પ્રમોશન માટે હૃતિક રોશન હવે એક માસ માટે વિશ્વ ભ્રમણે નિકળશે . હૃતિક રોશન કૃષ 3 ફિલ્મના પ્રમોશન માટે દુબઈ , કૅનેડા , બ્રિટન તથા અમેરિકાનો પ્રવાસ કરશે . હૃતિકની આ ફિલ્મ દીવાળી પ્રસંગે એટલે કે 3જી નવેમ્બર , 2013ના રોજ રિલીઝ થનાર છે . ફિલ્મના નિર્માતા - દિગ્દર્શક હૃતિકના પિતા એટલે કે રાકેશ રોશન છે . પ્રમોશન ઑક્ટોબરથી શરૂ થશે . ક્રિશ 3 ફિલ્મ કૃષ 2ની સિક્વલ છે . ફિલ્મમાં હૃતિક સાથે પ્રિયંકા ચોપરા નજરે પડશે . ફિલ્મમાં શાહરુખ ખાન પણ મહેમાન કલાકાર તરીકે દેખાશે . ક્રિશ 3 ફિલ્મ અંગે હૃતિકે જણાવ્યું કે અમે ફિલ્મ માટે બહુ જ મહેનત કરી છે . આશા છે કે લોકોને અમારી મહેનત ગમશે ." business,"નવી દિલ્હી , 17 જૂનઃ દેશભરમાં રોમિંગ સેવા નિશુલ્ક કરવાના સરકારના નિર્ણયથી કંપનીઓને થોડીક રાહત આપતા ટ્રાઇએ તેમને એક જૂલાઇથી એક નિશ્ચિત રકમ લેવાની છૂટછાટ આપવાની ઘોષણા કરી છે . સરકારે નવી દૂરસંચાર નીતિની ઘોષણા કરતા રોમિંગ સેવાને સંપૂર્ણપણે શુલ્ક મુક્ત કરવાનો પ્રસ્તાવ કર્યો હતો , પરંતુ ટ્રાઇએ સોમવારે કહ્યું કે , હાલની સ્થિતિમાં આ પગલું ઉઠાવવુંએ વ્યવહારિક નહીં હોય , કારણ કે આમ કરવાથી કંપનીઓ પોતાની લાગતને પૂરી નહીં કરી શકે . હાલ ઓપરેટર રોમિંગ માટે ઉપભોક્તાથી વધારે શુલ્ક વસુલે છે . કંપનીઓએ રોમિંગ સેવા નિશુલ્ક આપવાના પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો . નિયામક સંસ્થાએ તેને ધ્યાનમાં રાખીને આ નિર્ણય કર્યો છે . ટ્રાઇના નિર્ણય અનુસાર એક જૂલાઇથી મોબાઇલ ઉપભોક્તાએ રોમિંગ માટે એક નિશ્ચિત રાશી ચુકવવી પડશે . ટ્રાઇએ રોમિંગના વધારે શુલ્કને ઓછા કરી દીધા છે . રોમિંગ દરમિયાન કોલ કરવા પર અધિકતમ શુલ્ક 1.40 રૂપિયાથી ઘટાડીને એક રૂપિયા કરી દીધા છે . રોમિંગ દરમિયાન એસટીડીમાં અધિકતમ 2.40 પૈસા પ્રતિ મિનિટથી ઘટાડીને 1.50 રૂપિયા કરી દેવામાં આવ્યા છે ." entertainment,કટપ્પાએ બાહુબલી ને કેમ માર્યો ? બે વર્ષ પહેલાં બાહુબલીનો ફર્સ્ટ પાર્ટ રિલીઝ થયો ત્યારે આ સૌથી વધુ આ જ સવાલ પૂછાયો હતો . કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો ? ફિલ્મના એક્ટ્રર્સથી માંડીને ડાયરેક્ટર અને પ્રોડ્યૂસર સુધી સૌને લોકોએ આ સવાલ પૂછીને હેરાન કરી નાંખ્યા હતા . એવુ જ કંઇ થયું ફિલ્મના મેઇન એક્ટર પ્રભાસ સાથે . પ્રભાસ ફિલ્મમાં બાહુબલીનો રોલ પ્લે કરી રહ્યાં છે . શુક્રવારે આ ફિલ્મનો બીજો પાર્ટ ' બાહુબલી 2 ' રિલીઝ થવા જઇ રહ્યો છે ત્યારે ફરી એકવાર લોકોના મનમાં આ સવાલ ભમી રહ્યો છે . એવામાં પોતાની ફિલ્મ પ્રમોટ કરવા માટે એક ઇવેન્ટમાં પહોંચેલા પ્રભાસને પણ આ જ સવાલ કરવામાં આવ્યો . તેનો પ્રભાસે કઇંક આવો જવાબ આપ્યો . sports,"યુવરાજ સિંહના પિતા યોગરાજ સિંહે કહ્યુ કે તેઓ 30 નવેમ્બરે પંજાબના ફતેહગઢ સાહિબ ગુરુદ્વારામાં થનાર પોતાના દીકરાના લગ્નમાં નહિ જાય . યુવરાજના લગ્ન બ્રિટિશ - મોરેશિયન મોડલ હેઝલ કીચ સાથે થઇ રહ્યા છે . તેમણે કહ્યુ કે આ મારુ દુર્ભાગ્ય છે કે હું મારા દીકરાના લગ્નમાં નથી જઇ શક્તો . મે યુવરાજની મા ને કહ્યુ કે જો યુવરાજના લગ્ન કોઇ ગુરુ કે ડેરા સંપ્રદાય કે કોઇ ધાર્મિક ગુરુને ત્યાં કરવામાં આવેશે તો હું નહિ આવુ . હું ભગવાનમાં વિશ્વાસ કરુ છુ , ધાર્મિક ગુરુઓમાં નહિ . લગ્નમાં વિવેકપૂર્ણ ખર્ચ તેમણે કહ્યુ , ' હું મારા પિતાના ઘરમાં પણ નહિ જાઉ . મને મારા દીકરાએ આમંત્રિત કર્યો છે અને આમંત્રણ પર મારુ નામ પણ લખ્યુ છે . ' તેઓ ડિસેમ્બરમાં દિલ્હી અને ગોવામાં થનાર કાર્યક્રમોમાં પણ ભાગ નહિ લે . તેમણે ઉમેર્યુ કે લોકોએ લગ્નમાં વિવેકપૂર્ણ રીતે ખર્ચ કરવો જોઇએ , કરોડો રુપિયા ન ખર્ચવા જોઇએ . મને લાગે છે કે જ્યારે મહિલાઓ પોતાના હાથમાં કામ લે છે ત્યારે પુરુષોએ ચૂપચાપ પાછળની સીટ પકડી લેવી જોઇએ . યુવરાજની મા શબનમ પાસે બહુ પૈસા છે અને તેણે એની પસંદથી લગ્નની તૈયારીઓ કરી છે પરંતુ તેણે ધ્યાનથી ખર્ચ કરવો જોઇએ . પરંપરાઓનું સમ્માન તમને જણાવી દઇએ કે યોગરાજ અને શબનના લગભગ એક વર્ષ પહેલા છૂટાછેડા થઇ ગયા છે . માતા - પિતાના છૂટાછેડા બાદ યુવરાજ સિંહે પોતાની મા સાથે રહેવાનું પસંદ કર્યુ હતુ . યોગરાજ કહે છે કે વહુ હેઝલ એક પરી છે જેને દુનિયાની બધી ખુશી મળે . હેઝલનો ઉછેર ભલે પશ્ચિમી સંસ્કૃતિમાં થયો પરંતુ તે પરંપરાઓનું પૂરેપૂરુ સમ્માન કરે છે . મને ખબર છે કે તે પરિવારમાં એક સારો બદલાવ લાવશે અને ભાઇઓ - બહેનોને પણ નજીક લાવશે . યુવરાજ અને હેઝલ યુવરાજના નાના ભાઇ - બહેનો માટે તેમના માતા - પિતા જેવા છે . મોહાલી જીત બાદ ટીમ ઇંડિયા પહોંચી સંગીત સમારંભમાં મોહાલી ટેસ્ટ જલ્દીથી પૂરી કરીને ટીમ ઇંડિયા પોતાના કેપ્ટન વિરાટ કોહલી સાથે યુવરાજ સિંહના સંગીત સમારંભમાં પહોંચી ગઇ છે . ટીમના બધા ખેલાડી યુવી અને હેઝલના સંગીતમાં ઠુમકા લગાવતા નજરે પડ્યા . બધા ખેલાડીઓએ સંગીતની તૈયારી કરી હતી દરેક ખેલાડી હેંડસમ અને ડેશિંગ લાગી રહ્યા છે . દિવાળીમાં સગાઇ તમને જણાવી દઇએ કે વિરાટ કોહલી પોતાને યુવરાજ સિંહનો નાનો ભાઇ કહે છે અને બંનેમાં ઘનિષ્ઠ મિત્રતા પણ છે . કોહલીએ પોતે જ પ્રેસ કોંફરંસ યોજીને એ વાતની જાણકારી આપી હતી કે ઇંગ્લેંડ પર જીત બાદ તે ટીમ સાથે યુવરાજના ઘરે મહેંદી અને સંગીતમાં ભાગ લેશે . તમને જણાવી દઇએ આજે યુવી પોતાની ફિયાંસ અને અભિનેત્રી હેઝલ કીચ સાથે લગ્ન બંધનમાં બંધાશે . બંને ચંદીગઢ સ્થિત ગુરુદ્વારામાં પહેલા લગ્ન કરશે . ત્યારબાદ 2 ડિસેમ્બરે ગોવામાં હિંદુ રીતિ રિવાજ મુજબ વેડિંગ સેરેમની થશે . આ બંનેની સગાઇ ગયા વર્ષે દિવાળીમાં થઇ હતી ." business,છેલ્લા નાણાકિય વર્ષમાં પણ પીએફ પર 8.5 ટકાના દરે વ્યાજ આપવામાં આવ્યું હતું . સૂત્રો અનુસાર પીએફ પર આપનાર વ્યાજ આ નાણાકિય વર્ષમાં પણ 8.5 ટકા રાખવાનો વિચાર કરવામાં આવી રહ્યો છે . ઇપીએફઓ કાર્યાલય પહેલા જ અનુમાન લગાવી ચૂક્યું છે . સાથે જ ચાલુ નાણાંકિય વર્ષમાં પીએફ પર વ્યાવહારિક વ્યાજદરનો પણ અનુમાન લગાવવામાં આવ્યા છે . સૂત્રોના જણાવ્યા અનુસાર કમિશ્નર કેકે જાલાનના પદભાર ગ્રહણ કરવાની સાથે કેન્દ્રીય ટ્રસ્ટી બોર્ડ ( CBT ) ની બેઠક આવતા મહીને થઇ શકે છે . આની પર મંજૂરી મળ્યા બાદ તેને નાણામંત્રાલયને મોકલવામાં આવશે . ઉલ્લેખનીય છે કે ઇપીએફઓએ હાલમાં જ સીબીટીનું પૂનર્ગઠન કરવામાં આવ્યું છે . ટ્રસ્ટીઓની આવનારી બેઠકમાં એફઆઇસીનું ગઠન કરવામાં આવશે . સુત્રોના અનુસાર સીબીટીની બેઠક આવતા મહીને બોલાવવામાં આવી શકે છે . sports,રિયો ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનારી સ્ટાર ગોલ્ફર અદિતિ અશોકે રવિવારે ઇતિહાસ રચી દીધો . તેણે ઇંડિયન ઓપન ખિતાબ પોતાના નામે કરી દીધો . લેડીઝ ગોલ્ફ યુરોપીય ટુર પ્રતિયોગીતા એવોર્ડ જીતનારી તે પ્રથમ ભારતીય મહિલા ગોલ્ફર બની ગઇ છે . 4 લાખ ડોલર મળ્યા ઇનામમાં અદિતિ અશોક દેશની ઉભરતી ગોલ્ફ પ્લેયર છે અને તેણે રિયો ઓલિમ્પિકમાં સુંદર રમતનું પ્રદર્શન કર્યુ હતુ . 11 નવેમ્બરે શરુ થયેલ ટુર્નામેંટમાં ખિતાબ જીતવા માટે અદિતિને 4 લાખ ડોલરની રકમ આપવામાં આવી છે . આ ટુર્નામેંટમાં દિગ્ગજ મહિલા ગોલ્ફ પ્લેયર્સે ભાગ લીધો હતો . છેલ્લી ચેમ્પિયન એમિલી પેડરસને પણ આમાં ભાગ લીધો હતો . 114 આંતરરાષ્ટ્રીય ખેલાડીઓએ ભાગ લીધો આ ટુર્નામેંટને લેડીઝ યુરોપીય ટુર અને ભરતીય મહિલા ગોલ્ફ સંઘ તરફથી સંયુક્ત રીતી માન્યતા પ્રાપ્ત છે . આમાં દુનિયાભરમાંથી કુલ 114 પ્રોફેશનલ પ્લેયર્સે ભાગ લીધો હતો . entertainment,કરણ જોહરની ફિલ્મ એ દિલ હૈ મુશ્કિલ નું ટ્રેલર તો બધા એ જોઈ જ લીધું હશે . કેટલાક લોકો આ ફિલ્મને રોમાન્સની નવી પરિભાષા માને છે . ત્યાં જ કેટલોક દર્શકવર્ગ એવો પણ છે જેમને આ ટ્રેલરે નિરાશ કર્યા છે . એ દિલ હૈ મુશ્કિલ માં ઐશ્વર્યાના હોટ સીન જોઈને ભડકી ઉઠ્યા બિગ બી કરણ જોહરની ફિલ્મ એ દિલ હૈ મુશ્કિલ અને અજય દેવગનની ડ્રિમ પ્રોજેક્ટ ફિલ્મ શિવાય એક જ દિવસે રિલીઝ થઇ રહી છે . કદાચ આજ કારણે એ દિલ હૈ મુશ્કિલ ફિલ્મ પર લોકોનો ગુસ્સો છે . ખાસ કરીને અજય દેવગન ફેન્સનો ગુસ્સો . ફેન્સએ તો એ દિલ હૈ મુશ્કિલને વર્ષની સૌથી બેકાર ફિલ્મ તરીકે પણ ઘોષિત કરી દીધી છે . કરણ જોહરની આ ફિલ્મને બોમ્બે વેલ્વેટ 2 પણ કહી દીધી છે . આમ જોવા જઈએ તો એ દિલ હૈ મુશ્કિલ ફિલ્મના ટ્રેલરના વખાણ પણ ખુબ જ થયા છે . ઐશ્વર્યા રાયની અદાઓ પર તો ઘણા લોકો ઘાયલ થયા છે . એ દિલ હૈ મુશ્કિલ ફિલ્મને પોઝિટિવ રિએક્શન સાથે સાથે ઘણા નેગેટિવ રિએક્શન પણ મળ્યા છે . એ દિલ હૈ મુશ્કિલ ફિલ્મને લઈને સોશ્યિલ મીડિયા પર અત્યારથી જ ચર્ચા થઇ ચુકી છે . ટ્વિટર પર એ દિલ હૈ મુશ્કિલ અને શિવાયની જ વાતો થઇ રહી છે . sports,"જોકે કોર્ટે શુક્લાને ચેતવણી આપી છે કે તે પોતાના પાસપોર્ટ દિલ્હી પોલીસની પાસે જપ્ત કરાવી દે . શુક્લાને આ જામીન 25000 રૂપિયાના બોન્ડ પર મળ્યા છે . જ્યાં સુધી આ કેસની તપાસ ચાલશે ત્યા સુધી તે દેશ છોડીને જઇ શકશે નહીં . આ પહેલા દિલ્હી પોલીસે કોર્ટથી એ માંગણી કરી હતી કે શુક્લાને પૂછપરછ માટે જેલમાં મોકલવામાં આવે . પરંતુ કોર્ટે દિલ્હી પોલીસને ઝટકો આપતા શુક્લાને જામીન આપી દીધા છે . અત્રે ઉલ્લેખનીય છે કે શુક્લા પર એ આરોપ હતો કે તેણે શ્રીસંતની પાસે બુકીઝના 5.5 લાખ રૂપિયા પહોંચાડ્યા હતા . અત્રે ઉલ્લેખનીય છે કે આઇપીએલના છઠ્ઠા સિઝનમાં રાજસ્થાન રોયલ્સના ત્રણ ખેલાડીઓ સ્પોટ ફિક્સિંગમાં સામેલ હતા . જેમાં ત્રણેય ભારતીય ખેલાડીઓ હતા . ત્યારબાદથી રોજેરોજ સ્પોટ ફિક્સિંગમાં અન્ય ખેલાડીઓ , માલિકોની પણ સંડોવણી સામે આવી રહી છે ." sports,"સાઉથમ્પટન , 29 જુલાઇઃ લોર્ડ્સ ટેસ્ટમાં જે પ્રકારનો દેખાવ ભારતીય બોલર્સ દ્વારા કરવામાં આવ્યો હતો , તેના કરતા વિપરીત પ્રદર્શન ટીમ ઇન્ડિયાના બોલર્સે કરતા ઇંગ્લેન્ડે પોતાની પહેલી ઇનિંગમાં સાત વિકેટ ગુમાવીને 569 રન બનાવ્યા છે . સુકાની કૂકે પોતાનું ફોર્મ પરત મેળવતાની સાથે ટીમના અન્ય ખેલાડીઓ પણ જૂસ્સામાં આવી ગયા હોય તેમ ભારતીય બોલર્સ પર રનનો વરસાદ કરી દીધો હતો . પહેલા દિવસની 247 રનની રમતને આગળ વધારતા ઇંગ્લેન્ડે ટીમનો સ્કોર 569 પર પહોંચ્યો ત્યારે બટલરની વિકેટ પડતાં જ દાવ ડિક્લેર કર્યો હતો . બટ્લરે પોતાની પહેલી ટેસ્ટ મેચમાં શાનદાર અને વિસ્ફોટક અંદાજમાં 85 રનની ઇનિંગ રમી હતી . ઇંગ્લેન્ડના પ્રથમ દાવ અંગે વાત કરવામાં આવે તો ઇંગ્લેન્ડ તરફથી કૂક 95 , રોબસન 26 , બેલેન્સ 156 , બેલ 167 , રૂટ 3 , અલી 12 , બટલર 85 અને વોએક્સે 7 રન બનાવ્યા હતા . બીજી તરફ ભારત તરફથી ભુવનેશ્વર કુમારે ત્રણ જ્યારે જાડેજાએ બે વિકેટ લીધી હતી , ઉપરાંત રોહિત શર્મા અને સમીએ એક - એક વિકેટ લીધી હતી . જાડેજા - એન્ડરસન વિવાદઃ ધોની - કૂકને આઇસીસીની અપીલ સાઉથમ્પટન ટેસ્ટઃ ધોની - કૂકે બનાવ્યો આ રેકોર્ડ આ પણ વાંચોઃ - જાણો , જાડેજાની કઇ વાતની ઇંગ્લેન્ડ સુકાની કૂકે લીધી હતી નોંધ પોતાની પહેલી ઇનિંગની શરૂઆત કરવા અને ઇંગ્લેન્ડના 569 રનનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત નબળી રહી હતી . ત્રીજી ટેસ્ટમાં પણ શિખર ધવન પોતાના બેટનો કમાલ દર્શાવી શક્યો ન હતો અને તે 6 રનના વ્યક્તિગત સ્કોર પર એન્ડરસનનો શિકાર બન્યો હતો . ભારતની બેટિંગ અંગે વાત કરવામાં આવે તો ભારત તરફથી મુરલી વિજય 11 રન અને ચેતેશ્વર પૂજારા 4 રન સાથે રમતમાં છે . બીજા દિવસની રમત પૂર્ણ થઇ ત્યાં સુધીમાં ભારતે એક વિકેટ ગુમાવીને 25 રન બનાવી લીધા છે , ઇંગ્લેન્ડ તરફથી એન્ડરસને એક વિકેટ લીધી છે . આ મેચ સાથે જોડાયેલી રસપ્રદ વાતો જાણવા તસવીરો પર ક્લિક કરો ." business,"દક્ષિણ કોરિયાની કંપની સેમસંગે દાવો કર્યો છે કે વિશ્વભરમાં ગેલેક્સી S4 સ્માર્ટફોન ઘણી ઝડપથી ખરીદવામાં આવી રહ્યો છે . કંપનીએ જણાવ્યા પ્રમાણે બજારમાં 27 એપ્રિલ 2013ના રોજ આવ્યા બાદ અત્યારસુધીમાં 10 મિલીયન એટલે કે 1 કરોડથી વધારે ફોન વેચાઇ ચૂક્યા છે . ગેલેક્સી S3ને 1 કરોડનો આંક પાર કરતા 50 દિવસ લાગ્યા હતા . આ પહેલા સેમસંગ ગેલેક્સી એસ 2ને પાંચ મહિના અને ગેલેક્સી એસને 7 મહિનાનો સમય લાગ્યો હતો . શા માટે દુનિયા છે ગેલેક્સી એસ4ની દિવાની સેમસંગ માટે આ તેની સફળ ઉત્પાદોમાંની એક છે અને કંપનીને ફોનના સ્ટેટસને ધ્યાનમાં રાખીને તેની માર્કેટિંગમાં કોઇ કસર છોડી નથી . જો કે ગેલેક્સી એસ ફોરના ફિચર્સના કારણે જ તે લોકોને વધારે પસંદ પડ્યો છે . તેના ફિચર્સ કંઇક આ પ્રમાણે છે . સેમસંગનો આ સ્માર્ટફોન બે સંસ્કરણોમાં ઉપલબ્ધ છે . એકમાં ક્વેલકમ s600 પ્રોસેસર છે , જ્યારે બીજામાં 8 કોર એક્સિનોસ પ્રોસેસર છે . આ સ્માર્ટફોન ડિસપ્લે 4.99 ઇંચ છે . આ સ્માર્ટફોન ઓપરેટિંગ સિસ્ટમ એન્ડ્રોઇડ 4.2.2 ) જેલીબીન ) , રેમ 2 જીબી છે . કેમેરો 13 MP ઓટો ફોકસ , વીડિયો ફુલ એચડી સહિત અન્ય આધુનિક ખુબીઓથી યુક્ત છે ." entertainment,બૉલીવુડ અભિનેત્રી સોનમ કપૂર કહે છે કે તેઓ ટુંકમાં જ કોઈ ફિલ્મમાં એક ભારતીય આયટમ સૉંગ ઉપર નૃત્ય કરવા માંગે છે . સોનમે પોતાની આવનાર ફિલ્મ રાંઝણામાં થોડુ - ઘણું પરમ્પરાગત ભારતીય નૃત્ય કર્યું છે . 27 વર્ષીય સોનમે જણાવ્યું - મને લાગે છે કે આપણી ફિલ્મોમાં પરમ્પરાગત ભારતીય નૃત્યો નથી દર્શાવાતાં . હું પોતાની કોઈ ફિલ્મમાં ટુંકમાં જ પરમ્પરાગત ભારતીય નૃત્ય કરવા માંગુ છું . બૉલીવુડની માંડ કોઈ ફિલ્મમાં ભારતીય નૃત્યની ઝલક જોવા મળે છે . મેં છેલ્લે ઓમ શાંતિ ઓમમાં દીપિકા પાદુકોણે તથા અગ્નિપથમાં કૅટરીના કૈફને નૃત્ય કરતાં જોયા હતાં . નૃત્ય અંગે પોતાની પૃષ્ઠભૂમિ અંગે વાત કરતાં સોનમ કપૂરે જણાવ્યું - હું એક તાલીમ પ્રાપ્ત શાસ્ત્રીય નૃત્યાંગના છું . હાલમાં પણ હું નૃત્યની તાલીમ લઈ રહી છું . નોંધનીય છે કે સોનમ કપૂર આનંદ રાય દિગ્દર્શિત રાંઝણા ફિલ્મમાં અભિનેતા ધનુષ તથા અભય દેઓલ સાથે આવી રહ્યાં છે . આ ફિલ્મ આગામી 21મી જૂને રિલીઝ થવાની છે . sports,મુંબઇ ઇન્ડિયન્સ ટીમે બુધવારે ઇડન ગાર્ડન સ્ટેડિયમમાં આઇપીએલ છની 33મી મેચમાં કોલકાતાને 5 વિકેટે હરાવી ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરને તેના જન્મ દિવસની ભેટ આપી હતી . મુંબઇ ઇન્ડિયન્સે કોલકાતા નાઇટ રાઇડર્સને 1 બોલ બાકી રહેતા જ લક્ષ્ય પ્રાપ્ત કરી લીધું . મુંબઇના ડ્વેન સ્મિથને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા . કોલકાતા નાઇટ રાઇડર્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું . કોલકાતાએ નિર્ધારિત ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 159 રન બનાવ્યા હતા . મુંબઇની ટીમે 19.5 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 162 રન બનાવી પોતાની જીત નોંધાવી લીધી . છેલ્લી ઓવરમાં મુંબઇને જીતવા માટે 10 રનોની જરૂરિયાત હતી . રજત ભાટિયા ઓવર કરી રહ્યા હતા . કીરન પોલાર્ડ ( 33 ) પહેલા જ બોલે મનોજ તિવારીના હાથે કેચઆઉટ થઇ ગયા . બીજા બોલે અંબાજી રાયડૂએ એક રન લીધો પરંતુ ત્રીજા બોલે હરભજન સિંહે છગ્ગો ફટકારી દીધો . ચોથા બોલે હરભજને એક રન લીધો અને પાંચમાં બોલે રાયડૂ ચોગ્ગો લગાવીને મુંબઇ ઇન્ડિયન્સને જીત અપાવી દીધી . આ જીત સાથે જ મુંબઇ ઇન્ડિયન્સ નવ ટીમોની હરોળમાં છઠ્ઠુ સ્થાન પ્રાપ્ત થયું છે . નાઇટ રાઇડર્સ સાતમાં સ્થાને ખસકી ગયું છે . બંને ટીમોએ સાત - સાત મેચ રમી છે . મુંબઇ ઇન્ડિન્સે ચાર મેચ જીત્યા છે જ્યારે નાઇટ રાઇડર્સે માત્ર બે મેચમાં જ જીત મેળવી છે . entertainment,"બૉલીવુડના અત્યંત કામુક અને ભવ્ય - જાજરમાન અભિનેત્રી રેખા ઇંડસ્ટ્રીની બેસ્ટ અભિનેત્રીઓમાંના એક છે . બદસૂરતથી ખૂબસૂરત અભિનેત્રી સુધીની સફરમાં રેખાએ પોતાની જાતને સાબિત કરી છે . તેમની ફિલ્મી જર્ની સંઘર્ષોથી ભરેલી રહી છે . ફિલ્મોથી લઈ અંગત જીવન સુધી રેખા સતત સમાચારમાં રહેતા આવ્યા છે . સિત્તેર અને એંસીના દાયકામાં હ્યુજ સ્ટાર બનેલા રેખા સફળતાની સાથે - સાથે પોતાના વિવાદાસ્પદ પ્રેમ પ્રકરણોના કારણે પણ ચર્ચામાં રહ્યાં . પ્રેમની બાબતમાં શરુઆતથી લઈ અત્યાર સુધીનો રેખાનો અનુભવ ખૂબ જ ખરાબ રહ્યો છે . રેખાનું ઉષ્ણ પ્રેમ જીવન સમગ્રમાં જગજાહેર રહ્યુ છે , પરંતુ રેખાએ પોતે ક્યારેય પોતાની લવ લાઇફ વિશે કોઈ ખુલાસો નથી કર્યો . સાજિદ ખાનથી લઈ અમિતાભ બચ્ચન સુધીના નામો રેખાના જીવન સાથે જોડાયાં . બી ગ્રેડ ફિલ્મ સાવન ભાદો સાથે બૉલીવુડ કૅરિયર શરૂ કરનાર રેખાનો પ્રથમ પ્રેમ સાજિદ ખાન હતાં . કહે છે કે કામના ભારણના પગલે રેખા નવોદિત અમેરિક રિટર્ન સાજિદ ખાનને મળી ન શક્યાં અને બંને વચ્ચે બ્રેક - અપ થઈ ગયું . જોકે એવી પણ અટકળો હતી કે સાજિદને પોતાની ભાવિ પત્ની મળી જતાં તેમણે રેખાને તરછોડી દીધી હતી . રેખા સાજિદના જીવનમાંથી નિકળી ગયાં અને નવા પ્રેમની શોધ શરૂ કરી દીધી . રેખાનું સૌથી વિવાદાસ્પદ પ્રેમ પ્રકરણ હતું બૉલીવુડના સુપર સ્ટાર અમિતાભ બચ્ચન સાથેનું . ચાર્મિંગ પર્સનાલિટી તથા સ્ટનિંગ લુક ધરાવતા રેખા અમિતાભ બચ્ચનને મોહી ગયાં . રેખા - અમિતાભ છેલ્લી ફિલ્મ સિલસિલા સુધી પોતાના પ્રેમ અંગે ખૂબ જ ગંભીર હતાં . આ ફિલ્મ તેમની પ્રેમ કહાણી પર જ આધારિત હતી . જોકે સિલસિલા બાદ અમિતાભ - રેખાના પ્રેમનો સિલસિલો થંભી ગયો . અમિતાભ સાથે બ્રેક - અપ બાદ રેખાએ બિઝનેસ મૅન મુકેશ અગ્રવાલ સાથે લગ્ન કર્યાં , પરંતુ મુકેશે લગ્નના એક વર્ષ બાદ જ આપઘાત કરી લીધો . તે પછી રેખાએ કોઈ લગ્ન નહીં કર્યાં અને બાંદ્રા ખાતેના ઘરે એકલા જ રહેવાનો નિર્ણય કર્યો . આજે પણ રેખા એકલા જ રહે છે . ચાલો રેખાના 60મા જન્મ દિવસે જોઇએ તેમના વિવાદાસ્પદ લવ અફૅર્સ :" business,બીજી બાજુ કેટલાક એફઆઈઆઈ દ્વારા જુદી રમત રમવામાં આવી રહી છે . આ લોકો કરન્સી માર્કેટમાં પોતાના લાભને જાળવી રાખવા માટે ગ્રાહકોની ઇક્વિટી હોલ્ડિંગનો લાભ લઈ રહ્યા છે . વરિષ્ઠ બેંકર્સને લાગી રહ્યું છે કે આ સૂચનાઓ આરબીઆઈની માર્કેટમાં દરમિયાનગીરી કરવાની વ્યૂહરચના માટે આધાર બની શકે છે . ડોલરની ખરીદી કરનાર લોકોના નામ આરબીઆઈ દ્વારા મંગાવવામાં આવી રહ્યા છે . એમએમસી બેંકના કારોબારીએ કહ્યું છે કે આરબીઆઈના અધિકારીઓ ડોલરની ખરીદી કરનાર કોણ છે અને કેટલા ડોલરની ખરીદી કરવામાં આવી રહી છે તે અંગે માહિતી મેળવી રહ્યા છે . રિઝર્વ બેંક હવે સ્પષ્ટ વલણ અપનાવી રહી છે . માર્કેટમાં કેટલી દરમિયાનગીરી કરવામાં આવે તેની નીતિ તૈયાર કરવામાં આવી રહી છે . એફઆઈઆઈ અથવા બુલિયન આયાતકારોને ડોલરની જરૂર છે તો તેમને માર્કેટ રેટથી ચૂકવણી કરવી પડશે . આરબીઆઈ ડોલર સામે રૂપિયાની કિંમતમાં ધટાડો થયા બાદ પોતાની વ્યૂહરચના મુજબ રૂપિયાને સ્થિર કરવાના પ્રયાસમાં છે . આના માટે દરમિયાનગીરી પણ કરવામાં આવી રહી છે . entertainment,"ભાઈ એટલે કે આપણાં ભાઈ મુન્નાભાઈ તો જેલમાં છે અને તેમની ગેરહાજરીમાં તેમની પ્રથમ ફિલ્મ પોલીસગિરી રિલીઝ થવાની તૈયારીમાં છે . સામાન્ય રીતે કોઈ પણ ફિલ્મ બન્યા બાદ અને રિલીઝ થતા પહેલા ઘણી બધી પ્રક્રિયાઓના તબક્કામાંથી પસાર થાય છે અને તે તમામ તબક્કાઓમાં ફિલ્મના હીરો સહિત તમામ સ્ટાર કાસ્ટની જરૂર પડે છે , પરંતુ દુર્ભાગ્યે અહીં તો હીરો જેલમાં છે . તેવામાં હીરોના બહેન મેદાને આવ્યાં છે . સંજય દત્ત હાલ જેલમાં છે અને પોલીસગિરી ફિલ્મ તૈયાર છે રિલીઝ થવા માટે . સંજય દત્ત જેલમાં હોવાથી તેનું પ્રમોશન નહીં કરી શકે . આ બાબતથી વાકેફ તેમના બહેન પ્રિયા દત્ત મેદાને આવી ગયાં છે . પ્રિયા પોલીસગિરી ફિલ્મના ટ્રેલર લૉન્ચિંગ પ્રસંગે હાજર રહ્યાં અને સંજયની કમી પૂરવાનો પ્રયત્ન કર્યો . આ પ્રસંગે પ્રિયા દત્તે જણાવ્યું - હું ફિલ્મની સફળતા માટે કામના કરૂ છું . આ ફિલ્મ સંજય દત્ત માટે ખૂબ જ ખાસ છે . હું ફિલ્મના નિર્માતા અને સમગ્ર ટીમને શુભેચ્છાઓ પાઠવુ છું . પોલીસગિરી ફિલ્મમાં સંજય દત્ત સાથે પ્રાચી દેસાઈ નાયિકા તરીકે છે . ફિલ્મ 5મી જુલાઈના રોજ રિલીઝ થવાની છે . આવો જોઇએ પોલીસગિરી ફિલ્મના ટ્રેલર લૉન્ચિંગની તસવીરી ઝલક ." business,"મંગળવારે શેર બજારમાં પ્રારંભિક કારોબાર દરમિયાન તેજી જોવા મળી છે અને સેન્સેક્સ 245.22 ના વધારા સાથે ખુલ્યો છે . સેન્સેક્સ મંગળવારે 35,110.32 પર કારોબાર કરી રહ્યો છે . આ પહેલા સોમવારે પણ શેર બજારમાં ઉછાળો જોવા મળ્યો હતો . આ પણ વાંચોઃ મહિલા પત્રકાર સામે એમ જે અકબરે ઉતારી 97 વકીલોની ફોજ સોમવારે શેર બજાર સતત વધારા સાથે બંધ થયો હતો . બોમ્બે સ્ટોક એક્સચેન્જના સંવેદી સૂચકાંક સેન્સેક્સ 131.52 વધીને 34,865 પર બંધ થયો હતો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જના નિફ્ટી 40 અંકના વધારા સાથે 10,512.50 પર બંધ થયો હતો . આ પણ વાંચોઃ માઈક્રોસોફ્ટના સહ સંસ્થાપક પૉલ એલનનું 65 વર્ષની વયે નિધન બીજી તરફ રૂપિયામાં સોમવારે 27 પૈસાનો ઘટાડો થયો હતો અને ડૉલરના મુકાબલે તે 27 પૈસા નબળો થઈને 73.83 પર બંધ થયો હતો જ્યારે મંગળવારે ડૉલરના મુકાબલે રૂપિયાએ સામાન્ય વધારા સાથે 73.80 ના સ્તર પર કારોબાર શરૂ કર્યો છે . ડૉલરમાં નબળાઈનો ફાયદો પણ રૂપિયાનો મળતો જોવા મળી રહ્યો છે ." sports,"વિશ્વમાં એક રીતે જોઇએ તો ક્રિકેટ અને ફૂટબોલ બે એવી રમતો છે કે જેનો ક્રેઝ દરેક દેશોમાં છવાયેલો જોવા મળે છે . જોકે આ સાથે જ અનેક એવી રમતો છે , જે વિશ્વના અમુક ભાગોમાં ઘણી જ લોકપ્રિય છે અને એ રમતો સાથે જોડાયેલા ખેલાડીઓના ચાહકોની સંખ્યા પણ વધારે છે . તો તેમાની કેટલીક રમતો ના દર્શકો ભારત જેવા અન્ય દેશો કે જ્યાં એ રમતોનો જોઇએ તેટલો ક્રેઝ નથી છતાં દર્શકો અને એ રમતોના રસિકો આપણને જોવા મળી જાય છે . જેને ધ્યાનમાં રાખીને અમે અહીં આજના ટોપ સ્પોર્ટ્સ ન્યુઝ અંગે આછેરી માહિતી આપી રહ્યાં છીએ . આજના તાજા સમાચારની વાત કરવામાં આવે તો કોમનવેલ્થ ગેમ્સની કુશ્તિમાં વિનેશ ફોગટ ફાઇનલમાં પ્રવેશ કરતાની સાથે જ કુશ્તિમાં ભારતને ચાર પદક મળવાનું પાક્કું છે . મહિલા વર્ગમાં ફોગટ ઉપરાંત , પુરુષ વર્ગમાં સુશીલ કુમાર , અમિત કુમાર અને રાજીવ તોમર ફાઇનલમાં પ્રવેશ કરી ચૂક્યા છે . આઇઓસીએ નાનજિંગમાં થનારા યુવા ઓલમ્પિક ખેલો માટે ચીનના પૂર્વ બાસ્કેટબોલ ખેલાડી યાવો મિંગને પોતાના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે . ચીનના નાનજિંગમાં ગ્રીષ્મકાલીન યુવા ઓલમ્પિક રમતોની બીજી શ્રેણી યોજાવાની છે . વિશ્વભરમાં સ્પોર્ટ્સ ન્યુઝ પર એક આછેરી નજર મારવા માટે તસવીરો પર ક્લિક કરો ." business,જીવન વીમો એટલે કે લાઇફ ઇન્શ્યોરન્સ આમ તો એક સુરક્ષા સાધન ( પ્રોટેક્શન ટૂલ ) છે . આ સુરક્ષા સાધનને કારણે જ્યારે પણ સુરક્ષા મેળવેલી વ્યક્તિને કશું પણ અઘટિત બને છે ત્યારે તેના પરિવારના સભ્યોને આર્થિક અસ્થિરતા કે સંકડામણની મુશ્કેલીમાં મુકાવું પડતું નથી . આ કારણે જ્યારે પણ કોઇ વ્યક્તિ દ્વારા લાઇફ ઇન્શ્યોરન્સ મેળવવામાં આવે છે ત્યારે કટોકટીના સમયે જીવન વીમાનું સુરક્ષા કવચ મેળવનારી વ્યક્તિની આવક અટકી જવા છતાં તેના પરિવારની આર્થિક સ્થિતિને ઇન્શ્યોરન્સ કંપનીઓ કવરેજ એમાઉન્ટ ( વળતર રકમ ) ના સંદર્ભમાં સ્થિર રાખે છે . જીવન વીમાનું સુરક્ષા કવચ મેળવનારી વ્યક્તિના મૃત્યુના કિસ્સામાં આ સુરક્ષા સાધન ખાસ મદદે આવે છે . વીમા દ્વારા મળેલી રકમનો ઉપયોગ તે વ્યક્તિનો પરિવાર પોતાના રોજિંદા ખર્ચને પહોંચી વળવા માટે કરે છે . વીમા સુરક્ષામાં પાકતી મુદત્તે મળતી રકમ અને અસ્તિત્વ ટકાવી રાખવા માટે મળતી રકમ નિશ્ચિચ છે . આ કારણે નિષ્ચિત રકમ વધારે સમય સુધી મદદમાં આવી શકે તે રીતે ખર્ચનું આયોજન કરવાનું આપણા હાથમાં છે . બીજી તરફ ડેથ ક્લેમમાં મળતી રકમ અનિશ્ચિત છે . કારણ કે જીવન સુરક્ષા કવચ મેળવનારી વ્યક્તિનું મૃત્યુ ક્યારે કયા સંજોગોમાં થવાનું છે એ નક્કી નથી . આ કારણે જ્યારે પણ જીવન વીમા પોલીસી લેવામાં આવે છે ત્યારે ડેથ ક્લેમ કેવી રીતે કરી શકાય તે અંગેની માહિતી રાખવી અત્યંત મહત્વની બાબત બને છે . ઇન્શ્યોરન્સ ડેથ ક્લેમ કરવા માટે 5 મહત્વની બાબતો આ મુજબ છે . 1 વીમાદાતાને જાણ કરવી 2 એજન્ટનો સંપર્ક સાધવો 3 નોમીનીને જાણ કરવી 4 દસ્તાવેજો તૈયાર રાખવા 5 બેંક એકાઉન્ટની વિગતો તૈયાર રાખવી આ પાંચ બાબતોમાં પ્રક્રિયા કેવી રીતે હાથ ધરી શકાય તે આગળ વાંચતા જાવ . . . entertainment,"થોડા સમય પહેલા ટાઈગર શ્રોફની બહેન ક્રિષ્ના શ્રોફની કેટલીક ટોપલેસ તસ્વીરો વાયરલ થઇ હતી . તે તસ્વીરો ક્રિષ્ના શ્રોફે જ સોશિયલ મીડિયા પર મૂકી હતી . પરંતુ હાલમાં જ આવેલું ક્રિષ્ના શ્રોફનું બોલ્ડ ફોટોશૂટ આગળની તસ્વીરોને પણ પાછળ મૂકી દેશે . જો કે તે તેના ભાઈની જેમ બોલીવુડ એક્ટ્રેસ નથી બનવા માંગતી , પરંતુ ફિલ્મ ડાયરેક્ટ કરવા માંગે છે . ઘણાં લોકો નહીં જાણતા હોય પણ ક્રિષ્નાએ શોર્ટ ડોક્યુમેન્ટરી બનાવી છે . જેનું નામ Black Sheep છે , આ ફિલ્મ Transgendersના જીવન પર આધારિત છે . આ ફિલ્મ Transgenders communityના સપનાઓ અને આશાઓ પર આધારિત ફિલ્મ છે . આવો જોઈએ ટાઇગર શ્રોફની બહેન ક્રિષ્ના શ્રોફના હોટ ફોટોશુટની કેટલીક તસવીરોઃ" entertainment,બોલીવૂડ ફિલ્મો આપણા જીવન પર ઊંડી અસર કરે છે . માટે જ તો જ્યારે 2 કલાક બાદ થિયેટરમાં પીક્ચર જોઇને આપણે બહાર આવી છીએ ત્યારે આપણા વિચારોમાં આપણે બદલાવ અનુભવીએ છીએ . સારી ફિલ્મો આપણા ચહેરા પર એક સ્માઇલ તો ખરાબ ફિલ્મો આપણા મગજમાં એક વિચાર ઉપજાવે છે . વધુમાં ધણીવાર આ ફિલ્મો આપણો જીવન જીવવાનો અભિગમ પણ બદલે છે . જેમ કે જ્યારે જીંદગી ના મિલેગી દોબારા ફિલ્મ આવી હતી . તે જોયા બાદ ભલે થોડા સમય માટે જ જીવન પ્રત્યેનો આપણો અભિગમ બદલાયો હતો . ત્યારે આજે અમે આવું જ એક લિસ્ટ તમારા માટે લાવ્યા છે . આ ફિલ્મો તમારે જીવનમાં એક વાર તો જોવી જ રહી . અને જરૂરથી આ ફિલ્મો જોયા બાદ તમે તમારા જીવનમાં તમે એક નવો ઉજાશ અનુભવશો . તો જુઓ આ ફિલ્મોનું લિસ્ટ આ ફોટોસ્લાઇડરમાં . . . sports,"બેંગ્લોર , 23 એપ્રિલઃ બેંગ્લોર ખાતે રમાઇ રહેલી પુણે વોરિયર્સ અને રોયલ ચેલેન્જર્સ બેન્ગલોર વચ્ચેની આઇપીએલની 31મી મેચમાં જાણે કે મેદાન પર ક્રિસ નામની રનોની સુનામી ફુંકાઇ હતી , જ્યારે બેંગ્લોર તરફથી રમી રહેલા વેસ્ટ ઇન્ડિઝના તુફાની બેટ્સમેન ક્રિસ ગેઇલે ચોગ્ગા છગ્ગાનો વરસાદ કર્યો હતો . ટોસ જીતીને બેટિંગ માટે આમંત્રણ મળ્યા બાદ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી બેટિંગ કરવા ઉતરેલા ક્રિસ ગેઇલ આજે મેદાન પર તરખાટ મચાવવા અને વિરોધી ટીમના બોલર્સની ધોલાઇ કરવાના ઉદ્દેશથી જ આવ્યો હોય તેવું લાગી રહ્યું હતું . ક્રિસ ગેઇલે પોતાની આક્રમક અંદાજમાં બેટિંગ કરતા આઇપીએલની ફાસ્ટેસ્ટ સદી ફટકારી હતી . ગેઇલે માત્ર 31 બોલનો સામનો કરીને 100 રન બનાવ્યા હતા . જેમાં તેણે 11 છગ્ગા અને 8 ચોગ્ગા ફટકાર્યા હતા . અત્રે નોંધનીય છે કે એન્ડ્ર્યુ સાયમન્ડ્સ દ્વારા ફટકારવામાં આવેલી 34 બોલમાં સદીનો રેકોર્ડ તોડીને ટી20 ક્રિકેટની ફાસ્ટેસ્ટ સદી ફટકારી હતી . ગેઇલના ચોગ્ગા - છગ્ગાના વરસાદથી બેંગ્લોરના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં મેચ નિહાળવા માટે આવેલા બેંગ્લોરની ટીમના સમર્થકો રીતસરના ઝૂમી ગયા હતા , જ્યારે પુણે વોરિયર્સના ચાહકો અને ક્રિકેટર્સમાં સન્નાટો છવાઇ ગયો હતો . બેંગલોર દ્વારા મળેલા અધધ 263 રનના લક્ષ્યને પાર કરવા માટે પૂણેની ટીમ મેદાનમાં ઉતરી હતી . પરંતુ તે નિર્ધારિત ઓવરમાં 9 વિકેટના નુકસાન પર માત્ર 133 રન બનાવી શકી હતી અને બેંગલોર સામે શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો . પૂણે તરફથી સ્ટીવન સ્મિથે સર્વાધિક 41 રન બનાવ્યા હતા . જ્યારે એમ આર માર્સે 25 , કપ્તાન એ જે કિંચે 18 , યુવરાજ સિંહે 16 રન બનાવ્યા હતા ." business,"ભારતમાં કેટલીક એવી આઇટી કંપનીઓ છે જે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં પોતાની એક અલગ ઓળખ ધરાવે છે . તેમાં ઇન્ફોસિસ એક જાણીતુ નામ છે . ઇન્ફોસિસ ભારતની બીજી સૌથી મોટી આઇટી કંપની છે , જે સૌતી વધુ આવક રળે છે , પરંતુ ઘણા લોકોને ઇન્ફોસિસ સાથે જોડાયેલી કેટલીક વાતો અંગે માહિતી નહીં હોય . જેમકે આજે પણ ઘણા લોકો એવું માને છે કે , ઇન્ફોસિસ મુંબઇ બેઝ કંપની છે , જ્યારે ઇન્ફોસિસ બેંગ્લોર બેઝ કંપની છે . આ ઉપરાંત એવા ઘણા ફેક્ટ છે , જે અંગે તમે બધા જાણતા પણ નહીં હોવ . ઇન્ફોસિસને બનાવવામા 6 નહીં પણ સાત લોકોનો હાથ હતો ઇન્ફોસિસની પાછળ 6 નહીં પરંતુ સાત લોકોનું માઇન્ડ હતુ , જેમાં નંદન નિલેકાની , એનએસરાઘવન , ગોપાલકૃષ્ણન , એસ ડી શિબુલાલ , કે દિનેશ અને અશોક અરોરા , રાઘવન સામેલ હતા . જેમાં અશોક અરોરા 1988માં પોતાના શેર વેચીને યુનાઇટેડ સ્ટેટ જતા રહ્યાં હતા અને ત્યા એક કન્સલટેન્ટના રૂપમાં કામ કરવા લાગ્યા હતા . 7 લોકોથી શરૂ થયેલી કંપનીમાં હવે માત્ર 4 લોકો છે ઇન્ફોસિસને શરૂ કરવામાં ભલે સાત લોકોનું માઇન્ડ હોય પરંતુ ગયા વર્ષે નંદન નિલેકાનીએ સરકારના નેશનલ આઇડેન્ટિટી પ્રોગ્રામને જોઇન કરી ઇન્ફોસિસને અલવિદા કરી દીધી . આ પહેલા એનએસરાઘવન ઇન્ફોસિસને છોડી ચૂક્યા હતા ." sports,"ઇંગ્લેન્ડ સામેની મેચમાં પણ સુકાની મહેન્દ્ર સિંહ ધોનીએ પાંચ બોલરની રણનીતિ અપનાવતા ટીમમાં ઇરફાન પઠાણ , અશોક ડિંડા , બાલાજી , હરભજન સિંહ અને પિયુષ ચાવલાને સમાવ્યા હતા . ભજ્જી અને ચાવલાએ મળેલી તકનો ફાયદો ઉઠાવતા ઇંગ્લેન્ડની બેટિંગ લાઇને ધ્વસ્ત કરી નાંખી હતી , જો કે પોતાની બોલિંગથી સારું પ્રદર્શન કર્યું હોવા છતાં પણ ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં ચાવલાને તક નહીં આપવામાં આવે અને તેના સ્થાને અશ્વિનનો ટીમમાં સમાવેશ કરવામાં આવી શકે છે . તો બીજી તરફ અશોક ડિંડાએ ઝહીર ખાન માટે માર્ગ મોકળો બનાવી દીધો છે . હવે ટીમ મેનેજમેન્ટમાં એક એવો પ્રશ્ન ઉદ્દભવી રહ્યો છે કે સહેવાગને અંતિમ ઇલેવનમાં કેવી રીતે સમાવવો . હાલની તકે એકમાત્ર વિકલ્પ એ છે કે રૈનાના સ્થાને સહેવાગને ટીમમાં સામેલ કરવામાં આવે , પરંતુ આ ડાબોડી બેટ્સમેને મધ્યક્રમની બેટિંગમાં પોતાનું સ્થાન જમાવી લીધું છે અને બીજી બાબત એ પણ છે કે તેને ધોનીનો સંપૂર્ણ સહયોગ છે . નોંધનીય છે કે અશ્વિન , ઝહીર અને સહેવાગને ઇંગ્લેન્ડ સામેની મેચમાં આરામ આપવામાં આવ્યો હતો . રોહિત શર્માએ ઇંગ્લેન્ડ સામેની મેચમાં ફોર્મ પરત મેળવીને પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે , તો યુવરાજ સિંહને ટીમમાંથી બહાર કરવા અંગે વિચારી શકાય તેમ પણ નથી . ત્યારે બની શકે છે કે ટીમ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા જેવી મજબૂત ટીમ સામેના સુપર - 8 મુકાબલામાં વિરેન્દ્ર સહેવાગને પડતો મુકશે . અને જો સહેવાગ વગર ટીમ ઇન્ડિયા વિજયી બનશે તો એ વાત પણ નક્કી છે કે દિલ્હીનો આ વિસ્ફોટક બેટ્સમેન હાંસિયામાં ધકેલાઇ જશે ." entertainment,"વર્ષ 2000ની બૉલીવુડની હિટ રોમાંટિક ફિલ્મ ધડકનની સિક્વલ બનાવવામાં આવશે . નિર્માતા રતન જૈન આ જ વર્ષે ધડકન 2 ઉપર કામ શરૂ કરી દેશે . ધડકનનું દિગ્દર્શન ધર્મેશ દર્શને કર્યુ હતું અને અક્ષય કુમાર , શિલ્પા શેટ્ટી તથા સુનીલ શેટ્ટી મુખ્ય કલાકારો હતાં . રતન જૈને એક નિવેદનમાં જણાવ્યું કે અનેક લોકોએ મને ધડકનની સિક્વલ બનાવવ માટે સલાહ આપી હતી અને હું એ જાહેર કરતાં ખુશી અનુભવું છું કે ધડકન 2 બનાવવાનો મેં નિર્ણય કર્યો છે . ફિલ્મના પ્લૉટ અંગે જણાવતાં તેમણે ઉમેર્યું કે ફિલ્મની થીમ તે જ રહેશે , પરંતુ નવે પેઢી પ્રમાણે તેને નવેસરથી ઢાળવામાં આવશે . રતન જૈને જણાવ્યું - ફિલ્મનું શીર્ષક રહેશે ‘ધડકન 2 ધ હાર્ટ બીટ્સ વન્સ અગેન ' . ધડકનની સિક્વલ 2014 સુધીમાં રિલીઝ થઈ શકશે . દિગ્દર્શક ધર્મેશ દર્શન માટે ધડકન 2ને ધડકન જેવી સફળતા અપાવવાનો મોટો પડકાર રહેશે ." entertainment,"રીયલ લાઇફની નવોઢા રાણી મુખર્જી રૂપેરી પડદે મર્દાની બની અવતરી છે . આદિત્ય ચોપરા સાથે લગ્ન કર્યા બાદ રાણીની પહેલી ફિલ્મ મર્દાની ગઈકાલે જ રિલીઝ થઈ છે અને તેને શાનદાર પ્રતિસાદ સાંપડી રહ્યા છે . પ્રદીપ સરકાર દિગ્દર્શિત મર્દાની ફિલ્મમાં રાણી મુખર્જી મુંબઈ ક્રાઇમ બ્રાંચ ઑફિસર શિવાની શિવાજી રાવના રોલમાં છે . ફિલ્મ માનવ તસ્કરીના મુદ્દા પર આધારિત છે . મર્દાનીના પ્લૉટની વાત કરીએ , તો રાણી એક ખોવાયેલી છોકરીનો કેસ હાથમાં લે છે અને તેની તપાસ કરતા તેઓ માનવ તસ્કરીના રૅકેટ સુધી પહોંચી જાય છે . કોઇક રીતે રાણીને શહેરમાં વ્યવસ્થિત રીતે ચાલતા માનવ વેપારના સામ્રાજ્ય વિશે જાણ થઈ જાય છે અને આ સખત પોલીસ ઑફિસર રૅકેટના બિગ બૉસને ઝપડી પાડવાનો ચૅલેંજ ઉપાડી લે છે . દિગ્દર્શક પ્રદીપ સરકારે મર્દાની ફિલ્મ દ્વારા માનવ તસ્કરીનો ગંભીર મુદ્દો શક્તિશાળી રીતે ઉઠાવ્યો છે , તો વર્સેટાઇલ અભિનેત્રી રાણીએ પોતાના રોલ સાથે પુરતો ન્યાય કર્યો છે . તેમનો આ પ્રકારનો અવતાર આપણે ક્યારેય જોયો નથી . રાણી મુખર્જીએ પોતાના પાવર - પૅક્ટ પરફૉર્મન્સ વડે માત્ર સ્ટ્રૉંગ એક્ટિંગ સ્કિલ જ નથી બતાડી , પણ આ બંગાળી બ્યુટીએ કેટલાક હાઈ - ફ્લાઇં એક્શન સ્ટંટ્સ પણ પોતે જ કર્યા છે . ચાલો તમે પણ જુઓ મર્દાની ફિલ્મમાં રાણી મુખર્જીના 10 Macho Scenes :" sports,ક્રેકેટર્સ જેમના મેચ ફિક્સિંગ માટે બેન કરાયા Upadate : 11:52 આઇપીએલમાંથી શ્રીસંત સહિત ત્રણેય ખેલાડીઓને સસ્પેંડ કરી દેવામાં આવ્યાં છે . તપાસ પુરી થાય ત્યાં સુધી ત્રણેય ખેલાડીઓને સસ્પેંડ કરવામાં આવ્યાં છે . આનો અર્થ એવો નથી કે ત્રણેય ખેલાડીઓ હવે આઇપીએલ કદાચ કોઇ મેચ રમી શકશે નહી . દિલ્હી પોલીસની વિશેષ શાખાએ શ્રીસંતને સ્પૉટ ફિક્સિંગમાં કથિત ભૂમિકાના આરોપમાં મુંબઇમાં તેના મિત્રના ઘરેથી જ્યારે અન્ય બે ક્રિકેટરોને નરીમન પ્વાઇંટમાં ટીમ હોટલમાંથી ઝડપી પાડ્યા છે . આ ખેલાડીઓને મુંબઇ ઇન્ડિયન્સ વિરૂદ્ધ વાનખેડે સ્ટેડિયમમાં મેચ બાદ ટીમ હોટલમાં પરત ફરતાં ધરપકડ કરી હતી . મુંબઇએ રાજસ્થાન રોયલ્સને આ મેચમાં 14 રનથી હરાવ્યું હતું . દિલ્હી પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર આઇપીએલની ગત મેચોમાં સ્પૉટ ફિક્સિંગમાં ભૂમિકા માટે આ ખેલાડીઓ પર નજર રાખવામાં આવતી હતી . જોકે તેમને એ જણાવ્યું નથી કે કઇ મેચો પર નજર રાખવામાં આવી હતી . આ સાથે પોલીસે મુંબઇમાં સાત અને દિલ્હીમાંથી ત્રણ સટોડિયાઓની પણ ધરપકડ કરી લીધી છે . પોલીસને દિલ્હીના અન્ય બે સટોડિયાની શોધ છે . કહેવામાં આવે છે કે હજુ કેટલાક ખેલાડીઓ શંકાના ઘેરામાં છે . આઇપીએલ અધ્યક્ષ રાજીવ શુક્લાએ જણાવ્યું હતું કે તેમને આ ઘટનાની વિસ્તૃત જાણકારીની રાહ છે . રાજસ્થાન રોયલ્સના સીઇઓ રઘુ અય્યરે કહ્યું હતું કે મોડી રાત્રે પોલીસે ત્રણ ખેલાડીઓની ધરપકડ કરી છે અને ટીમ મેનેજમેન્ટ તપાસમાં મદદ કરી રહ્યું છે . તેમને કહ્યું હતું કે રાજસ્થાન રોયલ્સની ભષ્ટ્રાચાર પર શૂન્ય સહિષ્ણુતાની નિતી રહી છે અને જો આરોપો સાબિત થશે તો અમે કાર્યવાહી કરીશું . sports,"હૈદરાબાદ , 18 મેઃ વિપલવ સામંત્રેયની પહેલી આઇપીએલ અડધી સદી બાદ બોલરોના ઉમદા પ્રદર્શનથી સનરાઇઝર્સ હૈદરાબાદે રાજસ્થાન રોયલ્સને 23 રનથી પરાજય આપ્યો છે . આ જીત સાતે જ સનરાઇઝર્સ નોકઆઉટ તરફ વધુ એક ડગ વધાર્યું છે . સામંત્રેયએ 46 બોલમાં છ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 55 રનની ઇનિંગ રમી , જેમાં હૈદરાબાદે 9 વિકેટ પર 136 રન બનાવ્યા . ફાકનરે 16 રન પર પાંચ વિકેટ હાંસલ કરી , જે આ સીઝનનું શ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું . રોયલ્સની ટીમ તેના જવાબમાં નવ વિકેટ પર 113 રન જ બનાવી શકી , જે હાલની ટૂર્નામેન્ટમાં તેનો ન્યૂનતમ સ્કોર છે . ટીમ તરફથી કીવોન કપૂરથી સૌથી વધારે 26 , જ્યારે સુકાની રાહુલ દ્રવિડે 25 રન બનાવ્યા . સનરાઇઝર્સ તરફથી અમિત મિશ્રાએ ચાર ઓવરમાં આઠ રન આપીને બે વિકેટ મેળવી હતી . ડેલ સ્ટેન , તિસારા પરેરા અને કરણ શર્માએ પણ ક્રમશઃ 17,25 અને 33 રન આપીને બે - બે વિકેટ હાસલ કરી . આ જીતથી હૈદરાબાદની ટીમ 15 મેચોમાં નવ જીત સાથે 18 અંક સાથે ચોથા સ્થાન પર છે . રોયલ્સે પોતાનું લીગ અભિયાન સમાપ્ત કર્યો અને ટીમ 16 મેચોમાં 20 અંક સાથે ત્રીજા સ્થાન પર છે . રોયલ્સ માટે દ્રવિડ અને અજિંક્ય રહાણે પહેલી વિકેટ માટે 39 રન જોડ્યા . દ્રવિડએ ઇશાંત શર્માની ઓવરમાં ચોગ્ગા છગ્ગા ફટકાર્યા જ્યારે રહાણેએ કરણ પર છગ્ગો ફટકાર્યો . દ્રવિડ મિશ્રાની ઓવરમાં ઝડપથી રન લેવા જતા કેમરુન વાઇટના હાથે રન આઉટ થયો . તેણે 24 બોલની પોતાની ઇનિંગમાં બે ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો . રહાણે પણ ત્યાર પછીની ઓવરમાં લેગ સ્પિનર કરણની ઓવરમાં શિખર ધવનના હાથે કેચ આઉટ થઇ ગયો . મિશ્રાએ સંજૂ સૈમસનને લોગ ઓફ પર સ્ટેનના હાથે કેચ કરાવીને 12 ઓવરમાં રોયલ્સની ત્રણ વિકેટ 51 રનમાં પેવેલિયન ભેગી કરી દીધી . ત્યાર બાદ કૂપર ( 26 ) ને છોડીને એક પણ ખેલાડી કોઇ ખાસ પ્રદર્શન કરી શક્યું નહીં . આખરે 20 ઓવર ખતમ થતા 9 વિકેટ પર રાજસ્થાન રોયલ્સ 113 રન જ બનાવી શક્યું . સ્ટેન , મિશ્રા અને પરેરાએ હૈદરાબાદ માટ 2 - 2 વિકેટ ઝડપી . આ પહેલા બેટિંગ કરવા ઉતરેલી સનરાઇઝર્સની ઓપનિંગ જોડી કોઇ ખાસ પ્રદર્શન કરી શકી નહી અને ઝડપથી આઉટ થઇ ગઇ . હૈદરાબાદ મટે સામંત્રેયએ આઇપીએલ કારકિર્દીની પહેલી અડધી સદી ફટકારી ટીમને મજબૂત સ્થિતિમાં મુકી દીધી હતી . સેમીએ 23 રનોની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી . આખરે હૈદરાબાદે નિર્ધારિત 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 137 રનનો લક્ષ્યાંક રાજસ્થાન રોયલ્સ સામે મુક્યો હતો ." entertainment,"સિમરન સ્ટાર કાસ્ટઃ કંગના રાણાવત , સોહમ શાહ ડાયરેક્ટરઃ હંસલ મહેતા સ્ક્રિનપ્લેઃ અપૂર્વ અસરાની પ્રોડ્યૂસરઃ ભૂષણ કુમાર શું છે ખાસ ? કંગના રાણાવત શું છે બકવાસ ? ફિલ્મનો સેકન્ડ હાફ અને ક્લાઇમેક્સ કેટલા સ્ટાર ? 3 . 5" business,"આ ધરપકડ વાયનાડની ક્રાઇમ બ્રાંચ દ્રારા 2011માં દાખલ કરવામાં આવેલા ત્રણ કેસમાં વોરંટ જાહેર કર્યા બાદ કરવામાં આવી છે . સૂત્રોના જણાવ્યા અનુસાર આ અધિકારીઓને પ્રાઇસ ચિટ્સ એન્ડ મની સર્કુલેશન સ્ક્રીમ્સના કાયદાનું ઉલ્લંઘન કરવામાં આરોપમાં ધરપકડ કરવામાં આવી છે . પોલીસે ત્રણેય અધિકારીને આ મહિને પુછપરછ કરી હતી અને તેમને આગળની તપાસ માટે આજે બોલાવવામાં આવ્યાં હતા . પોલીસ સ્ટેશન પહોંચતાં તેમની ધરપકડ કરી લેવામાં આવી હતી . ગત વર્ષે ક્રાઇમ બ્રાંચે એમવેના ત્રિસૂર , કોઝિકોડ તથા કન્નૂરની ઓફિસો પર રેડ પાડી હતી . આ રેડ મની ચેઇનની પ્રવૃત્તિઓની તપાસ માટે પાડવામાં આવી હતી . આ કેન્દ્રો પર કંપનીના ગોડાઉનને બંધ કરી દેવામાં આવ્યા હતા અને ઉત્પાદિત સામાનને જપ્ત કરી લીધો હતો . આ રેડ કોઝિકોડની વિસાલાક્ષીની ફરિયાદના આધારે આ રેડ પાડવામાં આવી હતી . મહિલાએ દાવો કર્યો હતો કે તેને કંપનીના કારણે નુકસાન થયું છે . આ દરમિયાન એમવેએ કોચ્ચિમાં નિવેદન જાહેર કરી કહ્યું હતું કે કેરલ પોલીસ સીબી - સીઆઇડીને 2012માં દાખલ કરવામાં આવેલી ફરિયાદની તપાસમાં સહયોગ આપી રહી છે , વિલિયમ્સ એસ પિંકને , અંશુ બુદ્ધિરાજા તથા સંજીવ મલ્હોત્રા , સીબી - સીઆઇડીના દરેક પ્રશ્નોના જવાબ આપવા માટે હંમેશા હાજર રહ્યાં છે . કંપનીએ કહ્યું હતું કે 2011ના વાયનાડ કેસમાં કંપની અને તેમના અધિકારીઓને ના તો કોઇપણ પ્રકારનું સમન્સ મોકલવામાં આવ્યું હતું કે ના તો જાણકારી માંગવામાં આવી હતી . એમવેએ કહ્યું હતું કે તેને પોલીસ અધિકારીઓ દ્વારા માંગવામાં આવેલી દરેક પ્રકારની જાણકારી અને દસ્તાવેજો પુરા પાડ્યાં છે . અમે અન્ય કેસોની તપાસ માટે પોલીસને પુરો સહયોગ આપવા માટે તૈયાર છીએ . ડાયરેક્ટર સેલિંગ કંપનીઓના સંગઠન ઇન્ડિયન ડાયરેક્ટર સેલિંગ એસોસિએશનના મહાસચિવ છવિ હેમંતે એક નિવદેનમાં આ ઘટનાને એકદમ શરમજનક અને દુભાર્ગ્યપૂર્ણ ગણાવી હતી અને સરકાર પાસે નિયમોને સ્પષ્ટ કરવાની માંગણી કરી હતી . તેમને કહ્યું હતું કે સરકાર ડાયરેક્ટ સેલિંગ વેપારના મોડલ અને છેતરપિંડી ભરેલી પિરામીડ યોજનાઓ વચ્ચે અંતર તાત્કાલિક સ્પષ્ટ કરવું જોઇએ કારણે આ ફરક સ્પષ્ટ ન કરવામાં આવતાં ડાયરેક્ટ સેલિંગ કંપનીઓને પરેશાન કરવામાં આવે છે ." entertainment,"બૉલીવુડના હાલમાં સૌથી મોંઘા અને હિટ અભિનેત્રી દીપિકા પાદુકોણેના ફૅન માત્ર યુવાનો જ નથી , પરંતુ યુવતીઓ પણ દીપિકાની બહુ મોટી ફૅન છે . દીપિકાની સ્ટાઇલ , તેમનું ફિગર તથા ટેમની ટોન્ડ બૉડી યંગ યુવતીઓને તેમના પ્રત્યે ઈર્ષ્યા કરવા મજબૂર કરી દે છે . દરેક યુવતી ઝંખે છે કે દીપિકા જેવી જ બૉડી તથા સૌંદર્ય તેમને પણ મળે , પરંતુ તેમનું સૌંદર્ય તથા તેમના સેક્સી ફિગરનું રહસ્ય આજ સુધી રહસ્ય જ રહ્યું છે . આજે અમે આપને બતાવીએ છીએ કે આખરે દીપિકા પાદુકોણે આટલા બધા સુંદર અને સેક્સી કેમ છે ? એ તો આપણે સૌ જાણે જ છીએ કે બૉલીવુડના આ સુંદર અભિનેત્રી દીપિકા પાદુકોણે ખાવાના બહુ શોખીન છે અને પોતાની જાતને ખાતા રોકી નથી શકતાં , પરંતુ આમ છતાં તેમની બૉડી પર ક્યાંય પણ એક ઇંચ એક્સ્ટ્રા ફૅટ નથી નજરે પડતું . આની પાછળનું રહસ્ય શું છે ? રહસ્ય એ છે કે દીપિકા પાદુકોણે કરીના કપૂરની ફિટનેસ ટ્રેનર યાસ્મીન કરાચીવાળા પાસેથી ટ્રેનિંગ લઈ રહ્યાં છે અને દરરોજ લગભગ 35 હજાર રુપિયા તેઓ પોતાની ટ્રેનર યાસ્મીનને આપે છે . આજકાલ દીપિકા પાદુકોણે ફરાહ ખાનની હૅપ્પી ન્યુ ઈયર ફિલ્મની ટીમ સાથે શૂટિંગ કરી રહ્યાં છે . ટીમે લગભગ 10 લાખ રુપિયા દીપિકાની ફિટનેસ ટ્રેનર ઉપર ખર્ચાયાં છે , પરંતુ આ ખર્ચ કરવો ફાયદાજનક છે , કારણ કે દીપિકાની ફિલ્મો જોવા માટે લોકોની ભીડ ઉમટે છે . તેથી દીપિકા પાદુકોણે ઉપર આટલો ખર્ચ તો કરવો જ રહ્યો . દીપિકા હોય તો ફિલ્મો હિટ થાય છે અને તેના દૃષ્ટાંતો યે જવાની હૈ દીવાની તથા ચેન્નઈ એક્સપ્રેસ છે જ તથા રામલીલા પણ દીપિકાના કારણે જ વધુ ચર્ચામાં છે ." sports,"નવી દિલ્હી , 16 ઓક્ટોબરઃ વેસ્ટઇંડીઝના પૂર્વ ફાસ્ટ બોલર માઇકલ હોલ્ડિંગનું નામ તો તમે સાંભળ્યું હશે , માઇકલની બોલીંગથી સારા - સારા બેસ્ટમેન પણ ધ્રૂજે છે . માઇકલ હોલ્ડિંગે વેસ્ટઇંડીઝ માટે પ્રથમ ટેસ્ટ મેચ વર્ષ 1975માં રમી , જ્યારે પ્રથમ વનડે મેચ તેમણે એક વર્ષ બાદ 1976માં રમી . માઇકલ હોલ્ડિંગે 60 ટેસ્ટ મેચોમાં 23.68ના સરેરાશથી 249 વિકેટ ઝડપી હતી . સાથે જ વનડેમાં તેમણે 102 મેચોમાં 21.36ની સરેરાશથી 142 વિકેટ ઝડપી હતી . હવે અમે જે રેકોર્ડ વિશે તમને કહેવાના છીએ એવો રેકોર્ડ બનાવવામાં કોઇપણ પણ દિગ્ગજને પોતાનું આખું કેરિયર કુર્બાન કરવું પડશે . જી હાં માઇકલે 1976માં રમેલા પોતાની પ્રથમ વનડેથી માંડીને 1987 સુધી વેસ્ટઇડીંઝ માટે વનડે મેચોમાં યોગદાન આપ્યું . આ 11 વર્ષ લાંબા કેરિયરમાં હોલ્ડિંગે 5,473 બોલ પણ ફેંક્યા પરંતુ પોતાના આખા કેરિયરમાં તે પોતાના એક્યુરેટ રહ્યાં કે તેમણે ક્યારેય પણ વાઇડ બોલ ફેંક્યો નહી . એટલે કે આખા 11 વર્ષ સુધી કોઇ વાઇડ બોલ ફેંક્યો નહી . માઇકલે લગભગ 900 ઓવર વનડે ક્રિકેટમાં ફેંકી પરંતુ ક્યારેય પણ એક બોલ પણ તેમણે દિશાથી ભટકવા દિધો નહી . આ એવો રેકોર્ડ છે જેને તોડવામાં અથવા બનાવવામાં કોઇપણ બોલરને પોતાની આખી કારકિર્દીમાં ધ્યાન લગાવીને બોલીંગ કરવી પડશે ." business,"નવી દિલ્હી , 12 ઓક્ટોબર : આપણે નરેન્દ્ર મોદીને હવે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી તરીકે નહીં પણ ભારતના વડાપ્રધાન તરીકે ઓળખીયે છીએ . પણ આપણા દેશમાં એક એવી પણ વ્યક્તિ છે જે નરેન્દ્ર મોદીને ગુજરાતના વડાપ્રધાન તરીકે ઓળખે છે . આવી ગયાને ચક્કર ? કોંગ્રેસની આગેવાનીવાળી યુપીએ સરકારમાં નાણા મંત્રી રહી ચૂકેલા પી ચિદમ્બરમે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ગુજરાતના વડાપ્રધાન તરીકે કામ કરવાનો આરોપ લગાવ્યો છે . આ સાથે તેમણે એમ પણ જણાવ્યું છે કે કેન્દ્રમાં ભાજપની સરકાર ક્યારે મૂળભૂત નીતિયો વિચાર કરવાનો શરૂ કરશે તે ચિંતાનો વિષય છે . તેમણે જણાવ્યું કે છેલ્લા 140 દિવસથી કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકાર છે . સરકારની રચના બાદથી તરત જ વડાપ્રધાન પ્રચાર અભિયાનમાં જોડાયેલા છે . ચિદમ્બરમે આ વાત મહારાષ્ટ્રમાં પત્રકારો સાથેની વાતચીત દરમિયાન કહી હતી . તેમણે જણાવ્યું કે પ્રધાનમંત્રી જન ધન યોજનાના રૂપમાં સરકાર સ્વયં નવી યોજનાની શરૂઆત કરી હોવાનું બતાવવા માંગે છે . પણ વાસ્તવમાં આ યોજના યુપીએ સરકારના સમયની છે . ચિદમ્બરમે એમ પણ જણાવ્યું તે સ્વચ્છ ભારત અભિયાન પર યુપીએ સરકારના નિર્મલ ભારત અભિયાનની નકલ છે . પણ આ યોજનામાં નવા પ્રયોગને અમે આવકારીએ છીએ . ચિદમ્બરમે નરેન્દ્ર મોદી પર સીધું નિશાન તાકતા જણાવ્યું કે યુપીએ સરકારમાં રક્ષા મંત્રાલય કોઇને વધારાની જવાબદારી તરીકે સોંપવામાં આવ્યું ન હતું . જેના પગલે યુપીએ સરકાર દેશની આંતરિક સુરક્ષા , માઓવાદ સહિત અનેક મુદ્દાઓ પર સારી રીતે કામ કરી રહી હતી . પરંતુ મોદી સરકારની આ સમસ્યાઓ પર કોઇ નીતિ સ્પષ્ટ નથી . પૂર્વ નાણા મંત્રીએ મોદી પર હુમલા કરતા કહ્યું કે એલઓસી પર ચાલુ રહેલા વિરોધ પર વડાપ્રધાનની 56 ઇંચની છાતી ક્યાં ગઇ જે હવે દેખાઇ રહી નથી . તેમણે કહ્યું કે આપે ક્યારેય પણ આ પહેલા એવું જોયું છે કે ગામવાળાને ગામ છોડીને જવું પડી રહ્યું હોય ?" sports,આઇપીએલ - 6માં પહેલી વખત સુપર ઓવરમાં પહોંચેલા મેચોમાં સનરાઇઝર્સ હૈદરાબાદે રોયલ ચેલેન્જર્સ બેંગલોરને માત આપી દીધી . સુપર ઓવરમાં હૈદરાબાદે 20 રન બનાવ્યા જ્યારે આરસીબી 15 રન બનાવી શકી . આ પહેલા રોયલ ચેલેન્જર્સે ટોસ જીતીને પહેલા બોલિંગ કરતા 8 વિકેટ પર 130 રન બનાવ્યા . કપ્તાન વિરાટ કોહલીએ 46 અને મોએસિસ હેનરિક્સે 44 રનનો ફાળો આપ્યો . ક્રિસ ગેલ માત્ર એક રન બનાવી આઉટ થઇ ગયો . ગેલને સ્પિનર હુનુમા વિહારીએ વિકેટની પાછળ પાર્થિવ પટેલના હાથે કેચ આઉટ કરાવ્યો . 22 રનો કૂલ યોગ પર તિલકરત્ને દિલશાન 6ને ઇશાંત શર્માએ ક્લિન બોલ્ડ કરી દીધો . બેંગલોરને કરૂણ નાયર ( 9 ) ના રૂપમાં 42 રનોના કુલ યોગ પર ત્રીજો ઝટકો મળ્યો . ઇશાંત શર્માના નેજા હેઠળ સનરાઇજર્સ હૈદરાબાદના બોલરોઓએ બેંગલોરના બેટ્સમેનોને ટકવા દીધા નહીં . આ રીતે બેંગ્લોરે નિર્ધારિત ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 130 રનોનો સ્કોર ખડો કર્યો . હૈદરાબાદ તરફથી શર્માએ શાનદાર બોલીંગ કરતા 27 રન આપીને બેંગ્લોરના ત્રણ બેટ્સમેનોને પેવેલિયનભેગા કર્યા . આ ઉપરાંત અમિત મિશ્રાએ પણ પોતાની બોલિંગ દ્વારા 15 રન આપીને એક વિકેટ ઝડપી . business,"નોટબંધીના કારણે ભારતીય અર્થવ્યવસ્થામાંથી 5 લાખ કરોડ રૂપિયા ચલણી નોટ ઓછી થઇ ગઇ . પર તેમ છતાં ભારતીય અર્થવ્યવસ્થા સારી રીતે ચાલી રહી છે . આ વાત નોટબંધી પર વરિષ્ઠ અધિકારીઓ તરફથી તૈયાર કરવામાં આવેલી આતંરિક રિપોર્ટમાં સામે આવી છે . મેલ ટુડેની ખબર મુજબ નોટબંધીને લઇને અધિકારીઓએ તેના સકારાત્મક પ્રભાવ અંગે એક રિપોર્ટ તૈયાર કર્યો છે . જેમાં આ તમામ વાતો બહાર આવી છે . નોટબંધી પછી સરકારે ટેક્સ બેઝ વધારી દીધો છે . વિત્તીય વર્ષ 2016 - 17માં સરકારે 23.8 ટકાથી વધુ ટેક્સ મળ્યો છે . આ 23.8 ટકા ટેક્સમાં ઓછામાં ઓછા 10 ટકા ટેક્સ નોટબંધીના કારણે સરકારને પ્રાપ્ત થયો છે . નોટબંધી પછી 91 લાખ નવા લોકો ટેક્સ દાયરામાં આવ્યા છે . વધુમાં 24 લાખ લોકોએ નોટબંધી પછી સ્વીકાર્યું છે કે તેમની આવક 10 લાખ રૂપિયા કરતા વધુ છે . નોટબંધી પહેલા દરરોજ 1 લાખ પાનકાર્ડ ઇશ્યૂ થતા હતા . હવે દર રોજ 2 - 3 લાખ પાન કાર્ડ ઇશ્યૂ થાય છે . ગત નાણાંકીય વર્ષમાં લગભગ 300 કરોડ ડિઝિટલ ટ્રાંજેક્શન થયા હતા . સરકારને આશા છે કે આ નાણાંકીય વર્ષમાં લગભગ 2500 કરોડ ડિઝિટલ ટ્રાંજેક્શન થઇ જશે . પેટીએમ , એસબીઆઇ બડ્ડી અને ફ્રીચાર્જ જેવા મોબાઇલ વોલેટ્સ પર પ્રતિદિવસ 200 કરોડ રૂપિયાની ચૂકવણી થાય છે . અને પાછલા 5 મહિનામાં 2 કરોડ લોકોએ ભીમ એપ ડાઉનલોડ કર્યું છે . આ ભીમ એપ અને યુપીઆઇ ગેટવેથી દરરોજ 140 કરોડ રૂપિયાનું ટ્રાજેક્શન થાય છે . નોટબંધા પછી લગભગ 240 કરોડ રૂપિયાનું ડેબિટ કાર્ડ ટ્રાંજેક્શન કરવામાં આવે છે . નોટબંધી પછી સ્મોલ ઇન્ડસ્ટ્રીમાં વ્યાજ દરોમાં ઘટાડો થયો છે . સરકારનું માનવું છે કે તેનો સીધો ફાયદો એસએમઇ સેક્ટરને મળ્યો છે . નોટબંધી પછી હાઉસિંગ સેક્ટરમાં હોમ લોનનું વ્યાજ દર પર ઘટ્યું છે . નોટબંધી પહેલા જ્યાં 9.3 ટકા હોમ લોનનું વ્યાજ દર હતું . તે હવે ઓછું થઇને 8.2 ટકાના સ્તરે આવ્યું છે . નોટબંધી પછી વધુ કર્મચારીઓ ઇપીએફ ખાતામાં પૈસા જમા કરાવી રહ્યા છે . અને ઇપીએફ ખાતામાં યોગદાન 3.7 ટકા વધ્યું છે . વધુમાં નોટબંધી દરમિયાન વિજળી ઘરોમાં જૂની 500 - 1000 રૂપિયાની નોટો જમા કરાવાની છૂટ હતી જેના કારણે ડિસ્કોમમાં 25000 કરોડ રૂપિયાની જૂની નોટો જમા કરવામાં આવી છે . આ વર્ષે ડિસ્કોમે 4500 કરોડ રૂપિયા વધુ ટેક્સ વસૂલ્યો છે . દેશમાં અરબન લોકલ બોડિઝમાં કેશલેશ પેમેન્ટ માટે ખાલી 1000 કરોડ ટેક્સ જમા થાય છે જે હવે વધીને 3500 કરોડ રૂપિયા થઇ ગયો છે . આ રીતે અરબન લોકલ બોડિઝમાં પણ કેશલેશ ટેક્સ જામા કરવાવાળાની સંખ્યા 245 ટકા વધી છે . નોટબંધી પહેલા એનએચઆઇના ટોલ પ્લાઝા પર ખાલી 3 ટકા લોકો કેશલેશ પેમેન્ટ કરાવતા હતા હવે તે પેમેન્ટ કરાવનારની સંખ્યા વધીને 15 ટકા થઇ ગઇ છે . નોટબંધી પછી પેટ્રોલ અને ડિઝલના પેટ્રોલપંપો પર પણ કેશલેશ ટ્રાંજેક્શન 9 ટકાથી વધી 20 ટકા થયું છે . તો રેલવે બુકિંગમાં પણ ઓનલાઇન અને કેશલેશ બુકિંગ વધ્યું છે ." entertainment,"બૉલીવુડના બાદશાહ શાહરુખ ખાન હાલ ટેમ્પ્ટૅશન રિલૉડેડ પ્રવાસે છે . ન્યુઝીલૅન્ડના વડાપ્રધાન જ્હૉન કીએ શાહરુખનું અભિવાદન કર્યું . શાહરુખનું પરમ્પરાગત માઓરી શૈલીમાં સ્વાગત કરવામાં આવ્યું અને રમત પ્રત્યે તેમના પ્રેમને જોતાં ન્યુઝીલૅન્ડ બ્લૅક કૅપ્સના એક અધિકારીએ તેમને ક્રિકેટ શર્ટ ભેંટમાં આપી . શાહરુખ ખાને આટલું ઉષ્માપૂર્ણ સ્વાગત કરવા માટે આભાર વ્યક્ત કર્યો અને લગભગ 12 વર્ષ અગાઉ કરેલા પોતાના ન્યુઝીલૅન્ડ પ્રવાસ અંગે જણાવ્યું . તેમણે જણાવ્યું કે બ્લૅક કૅપ્સ શર્ટ પામી તેમનો દીકરો ખુશ થઈ જશે , કારણ કે તે તેનો બહુ મોટો ફૅન છે . દરમિયાન લાઇમલાઇટ એંટરટેનમેંટના ટેમ્પ્ટૅશન રિલૉડેડના મંચે શુક્રવારે શાહરુખ ખાન સાથે માધુરી દીક્ષિત , રાણી મુખર્જી , જૅકલીન ફર્નાન્ડીઝ , હની સિંહ તથા મિયાંગ ચાંગ જેવી હસ્તીઓએ પરફૉર્મ કર્યું . શાહરુખ ખાન દ્વારા ન્યુઝીલૅન્ડમાં શૂટિંગ પ્રત્યે રસ દાખવાતાં વડાપ્રધાન જ્હૉન કીએ આવકાર આપ્યો . ન્યુઝીલૅન્ડ તથા ભારત વચ્ચે સહ - નિર્માણ અંગેની સમજૂતી છે અને તાજેતરના વર્ષોમાં આઈ હેટ લવ સ્ટોરી તથા પ્લેયર્સ જેવી બે ફિલ્મોનું શૂટિંગ ન્યુઝીલૅન્ડ ખાતે થયું છે ." entertainment,"બોલિવૂડની મસ્તાની ગર્લ દીપિકા પાદુકોણેની પહેલી હોલિવૂડ ફિલ્મ XXX ધ રિટર્ન ઓફ ઝેન્ડર કેજનું ટ્રેલર રિલીઝ થઈ ચૂક્યું છે . આ ફિલ્મમાં દીપિકા સેરેના ઉનેગેરની ભૂમિકામાં જોવા મળશે જ્યાં તે ધમાકેદાર એક્શન કરતી જોવા મળશે . આ વાતમાં કોઈ જ શંકા નથી કે દીપિકા પોતાની પહેલી હોલિવૂડ ફિલ્મ XXX ધ રિટર્ન ઓફ ઝેન્ડર કેજને લઈને ખૂબ જ ઉત્સાહમાં છે અને હોઈ પણ કેમ નહીં કારણકે હાલમાં પ્રિયંકા ચોપરા ને દીપિકા પાદુકોણે જ છે જેઓ બોલિવૂડ અને હોલિવૂડના પ્રોજેક્ટ એક સાથે કરી રહ્યા છે . આ ફિલ્મમાં દીપિકા પાદુકોણે , વિન ડીઝલ , રુબી રોઝ , નીના ડેબરેવ મુખ્ય પાત્રોમાં છે . આ ફિલ્મ ડી . જે . કારુસોના નિર્દેશનમાં બની છે . આ ફિલ્મ વર્ષ 2002માં આવેલી ફિલ્મ XXX અને 2005માં આવેલી ફિલ્મ XXX - સ્ટેટ ઓફ થઈ યુનિયનની સિક્વલ છે . XXX ધ રિટર્ન ઓફ ઝેન્ડર કેજ 20 જાન્યુઆરી 2017માં રિલીઝ થશે . તો જુઓ XXX ધ રિટર્ન ઓફ ઝેન્ડર કેજનું એક્શનથી ભરપૂર ટ્રેલર . . . ." sports,"15 સપ્ટેમ્બરથી એશિયા કપ 2018નો પ્રારંભ થઈ ગયો છે . આજે ભારત અને હોંગકોંગ વચ્ચે મેદાની મુકાબલો છે પણ સૌકોઈની નજર 19મી સપ્ટેમ્બર એટલે કે બુધવારે ભારત - પાકિસ્તાન વચ્ચે થનાર ટક્કર પર છે . ચેમ્પિયન્સ ટ્રોફી બાદ પહેલી વખત ફેન્સ ભારત - પાકિસ્તાનનો મુકાબલો નિહાળવા માટે રાહ જોઈને બેસી ગયા છે . વિરાટ કોહલીની ગેરહાજરીમાં રોહિત શર્માએ ટીમની કમાન સંભાળી છે . બંને દેશની ટીમ એકબીજાને ટક્કર આપે તેવી છે ત્યારે મુકાબલો રોમાંચક હશે . મેચ પહેલા જ કેટલાક ઐતિહાસિક આંકડાઓ પર નજર કરો . એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે કુલ 12 વખત ટક્કર થઈ છે જેમાંથી મેન ઈન બ્લૂ 6 વખત જીત્યા જ્યારે ગ્રીન આર્મી પાંચ વખત જીત્યા અને એક વખત રિજલ્ટ જાહેર નહોતું થઈ શક્યું . ભારતીય ટીમે કુલ 6 વખત એશિયા કપ ટાઈટલ જીત્યું જ્યારે પાકિસ્તાન માત્ર 2 વખત જ એશિયા કપના વિનર બની શક્યું . ભારત - પાકિસ્તાન વચ્ચે થયેલી ટક્કરમાં ભારત તરફથી વિરાટ કોહલીએ 45.90ની એવરેજથી સૌથી વધુ 459 રન ફટકાર્યા છે જેમાં બે સદી પણ સામેલ છે . જો કે એશિયા કપ 2018 માટે વિરાટ કોહલીને આરામ આપવામાં આવ્યો છે . જ્યારે પાકિસ્તાન તરફથી મોહમ્મદ હાફિઝે 54.62ની રન રેટથી સૌથી વધુ 437 રન ફટકાર્યા હતા . જો કે મોહમ્મદ હાફિઝ પણ આ મેચ નહિ રમી શકે . કમરની ઈજામાંથી પરત ફરેલા ભૂવનેશ્વર કુમારે એશિયા કપમાં પાકિસ્તાન વિરુદ્ધ સૌથી વધુ વિકેટ ખેડવી છે , કુલ 7 મેચમાં ભૂવનેશ્વર કુમારે 11 વિકેટ ઝડપી છે . ભૂવનેશ્વર બાદ ઈશાંત શર્માએ પણ 7 મેચમાં 11 વિકેટ ઝડપી છે . જ્યારે પાકિસ્તાન તરફથી ભારત વિરુદ્ધના મુકાબલામાં સૌથી વિકેટ ઝડનાર બોલર છે ઑફ સ્પીનર સઈદ અજમલ . અજમને 9 મેચમાં કુલ 20 વિકેટ ખેડવી હતી . જો કે હવે તેઓ ક્રિકેટમાંથી રિટાયર્ડ થઈ ગયા છે . ભારત - પાકિસ્તાન વચ્ચે થયેલા મુકાબલા 1984 એશિયા કપઃ પાકિસ્તાનને ભારતે 54 રને હરાવ્યું . 1988 એશિયા કપઃ ભારતે પાકિસ્તાનને 4 વિકેટે હરાવ્યું . 1995 એશિયા કપઃ પાકિસ્તાને ભારતને 97 રને હરાવ્યું . 1997 એશિયા કપઃ વરસાદના કારણે મેચ રદ થઈ . 2000 એશિયા કપઃ પાકિસ્તાને ભારતને 44 રને હરાવ્યું . 2004 એશિયા કપઃ પાકિસ્તાને ભારતને 59 રને હરાવ્યું . 2008 એશિયા કપઃ ગ્રુપ સ્ટેજમાં ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું , જ્યારે સુપર ફોર સ્ટેજમાં પાકિસ્તાને ભારતને હરાવ્યું હતું . 2010 એશિયા કપઃ ભારતે પાકિસ્તાનને 3 વિકેટે હરાવ્યું . 2012 એશિયા કપઃ ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું . 2014 એશિયા કપઃ પાકિસ્તાને ભારતને 1 વિકેટે હરાવ્યું . 2016 એશિયા કપઃ ભારતે પાકિસ્તાનને 5 વિકેટે હરાવ્યું . બુધવારની ભારત - પાકિસ્તાન વચ્ચેની મેચ ગ્રુપ સ્ટેજ મેચ છે , જે બાદ સુપર ફોર સ્ટેજ અને શક્ય છે કે ફાઈનલમાં પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે મેદાની જંગ થઈ શકે છે . સંભવિત XI - ભારત રાહુલ , મનિષ પાંડે , એમ . એસ . ધોની , કેદાર જાધવ , હાર્દિક પંડ્યા , ભુવનેશ્વર કુમાર , કુલદીપ યાદવ , જસપ્રીત બુમરાહ , યુઝવેન્દ્ર ચહલ બેંચ - અંબાતી રાયડુ , દિનેશ કાર્તિક , અક્ષર પટેલ , શાર્દુલ ઠાકુર , ખલીલ અહમદ સંભવિત XI - પાકિસ્તાન ઈમામ - ઉલ - હક , ફખર જમન , બાબર આઝમ , આસિફ અલી , શોએબ મલિક , સર્ફરાઝ એહમદ , શાદાબ ખાન , હસન અલી , મોહમ્મદ આમિર , જુનૈદ ખાન , ઉસ્માન ખાન . બેંચ - ફહિમ અશ્રફ , હરિસ સોહેલ , મોહમ્મદ નવાઝ , શાહિન આફ્રિદી , શાન મસૂદ ." business,"તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું કે "" અમે રોકાણ વધારવા તથા ઘરેલુ અને વિદેશી રોકાણકારોને આકર્ષિત કરવા માટે પ્રયાસ કરી રહ્યા છીએ . અમે માળખાકીય સુવિધાઓ સાથે સંકળાયેલી મોટી યોજનાઓને ઝડપથી પૂરી કરવા માટે પગલાં ભર્યાં છે . "" વડાપ્રધાને આર્થિક વિકાસમાં તાજેતરના વર્ષોમાં આવેલી સુસ્તીનું એક કારણ ધીમા પડેલા રોકાણને ગણાવ્યું હતું . માનવામાં આવે છે કે 31 માર્ચના રોજ સમાપ્ત થયેલા નાણાકીય વરા્ષ દરમિયાન દેશનો આર્થિક વિકાસ દર ઘટીને 5 ટકા થઇ ગયો છે . જે છેલ્લા એક દાયકામાં સૌથી ઓછો છે . વડાપ્રધાને જણાવ્યું કે તેમની સરકારે આર્થિક સ્થિરતા પ્રાપ્ત કરવા માટે પણ પ્રયાસો કર્યા છે . તેમણે કહ્યું કે દુનિયાભરમાં આર્થિક સુસ્તી હોવા છતાં ભારત તથા અન્ય વિકાસશીલ દેશો વૈશ્વિક વિકાસ દરની ગતિ જાળવી શક્યા છે . આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ ( આઇએમએફ ) ના આંકડાઓનો ઉલ્લેખ કરતા વડાપ્રધાને જણાવ્યું કે વર્ષ 2013 દરમિયાન વિકાસશીલ અર્થ વ્યવસ્થાઓના 1.2 ટકા વિકાસની આશા છે . જ્યારે એશિયાની વિકાસશીલ અર્થવ્યવસ્થાઓ માટે તે પાંચ ગણી વધારે 7.1 ટકા રહેવાની આશા છે . તેમણે જણાવ્યું કે વૈશ્વિક સ્તપ પર ઝડપી આર્થિક વિકાસ ફરીથી પ્રાપ્ત કરવા માટે તેને સ્થિર બનાવવાના ક્ષેત્રની ભૂમિકા મહત્વની રહેશે ." entertainment,"ભારતીય મૂળના જાણીતા અમેરિકી ફિલ્મ દિગ્દર્શક મીરા નાયરની તાજેતરમાં જ ન્યુયૉર્ક ઍરપોર્ટે તપાસ કરવામાં આવી . તેમનું કહેવું છે કે આ પ્રકારના બનાવ માત્ર બૉલીવુડના લોકો સાથે જ નહીં , પણ સૌની સાથે બને છે . ધ રિલક્ટૅંટ ફંડામેંટલિસ્ટ ફિલ્મના દિગ્દર્શક મીરા નાયરે જણાવ્યું કે ન્યુયૉર્કમાં તેમની બંગડીઓના કારણે ઍલર્ટ ઍલર્મ વાગી ઉઠ્યું અને પછી તેમની જડતી લેવામાં આવી . મીરા નાયરે બુધવારે પોતાની ફિલ્મના ખાસ પ્રીમિયર પ્રસંગે આ માહિતી આપી . ખાસ પ્રીમિયર પ્રસંગે મીરા નાયર ઉપરાંત પ્રિયંકા ચોપરા , વિશાલ ભારદ્વાજ , કોંકણા સેન શર્મા , ચેતન ભગત , નસીરુદ્દીન શાહ , રત્ના પાઠક , કુણાલ ખેમૂ અને અભિજીત સાવંત જેવા બૉલીવુડ કલાકારો ઉપસ્થિત રહ્યા હતાં . મીરા નાયરે જણાવ્યું - માત્ર બૉલીવુડના સિતારાઓની જ નહીં , પણ સૌની તપાસ કરવામાં આવે છે . નજર રાખવી ત્યાની સંસ્કૃતિ છે . તેમણે જણાવ્યું કે ધ રિલક્ટૅંટ ફંડામેંટલિસ્ટ ફિલ્મ એક પાકિસ્તાની યુવાનની વાર્તા છે કે જે અમેરિકામાં ઉદ્યોગ ક્ષેત્રે નામ કમાવવા માંગે છે અને તેના માટે પોતાના પગ જમાવવાના પ્રયત્નો કરવા લાગ્યો છે . પાકિસ્તાન મૂળના બ્રિટિશ અભિનેતા રિઝ અહેમદે ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવી છે . હૉલીવુડ કલાકાર કેટ હડસન , લિવ સ્ક્રેબર તથા બૉલીવુડ કલાકાર શબાના આઝમી તેમજ ઓમ પુરીએ પણ ફિલ્મમાં મહત્વની ભૂમિકા ભજવી છે . આવો જોઇએ ધ રિલક્ટૅંટ ફંડામેંટલિસ્ટ ફિલ્મના સ્પેશિયલ પ્રીમિયરની તસવીરી ઝલક ." entertainment,"બૉલીવુડ અભિનેતા અર્જુન કપૂર કહે છે કે તેમના પિતા નિર્માતા બોની કપૂરે અનેક ફિલ્મોની રીમેક બનાવી રુપિયા કમાવ્યાં છે . તેમને પણ પોતાના પિતાની રીમેક ફિલ્મોમાં કરવું ગમશે . બોની કપૂર બૉલીવુડના જાણીતાં ફિલ્મ નિર્માતા છે , પણ અર્જુને પોતાના ફિલ્મી કૅરિયરની શરુઆત યશ રાજ ફિલ્મ્સની ઇશકઝાદે દ્વારા કરી અને તેમની આગામી ફિલ્મ ઔરંગઝેબના નિર્માતા પણ વાયએરએફ જ છે . બોની કપૂર તથા તેમના પ્રથમ પત્ની મોના સુરીના 27 વર્ષીય પુત્ર અર્જુને જણાવ્યું - હું મારા પિતાની શક્તિ તેમજ તેમની મૂડી બનવા માંુ છું . હું તેમની નબળાઈ કે મજબૂરી બનવા નથી માંગતો કે તેમને મારા માટે ફિલ્મો બનાવવી પડે . મારી ઇચ્છા છે કે મારા પિતા તેમની પસંદની ફિલ્મો બનાવે અને હું તેમાં કામ કરું . તેઓ દક્ષિણ ભારતીય ફિલ્મોની હિન્દી રીમેક બનાવનાર પ્રસિદ્ધ નિર્માતા છે . અર્જુન કપૂર પોતાના પિતાની આવનાર રીમેક ફિલ્મમાં કામ કરશે . બોની કપૂર તેલુગુ ભાષાની સફળતમ ફિલ્મ પોકિરીની હિન્દી રીમેક વૉન્ટેડ બનાવી ચુક્યાં છે કે જેમાં સલમાન ખાન લીડ રોલમાં હતાં . રીમેક ફિલ્મોની સંસ્કૃતિ અંગે અર્જુન કપૂર કહે છે - મારા પિતાએ રીમેક ફિલ્મો બનાવી અઢળક રુપિયા કમાવ્યાં છે . જ્યારે આપની પાસે ફિલ્મ બનાવવા માટે કોઈ મૂળ કહાની ન હોય , તો હું ફિલ્મોની રીમેક બનાવવામાં ખોટું નથી જોતો . જો આપને લાગે છે કે કોઈ ફિલ્મની વાર્તાને વધુ મોટા પરિપ્રેક્ષ્યમાં પુનઃ બનાવી શકાય છે , તો આપે તેમાં પોતાના વિચાર અને અભિગમ જોડી રીમેક બનાવવી જ જોઇએ . ફિલ્મી પૃષ્ઠભૂમિ હોવા છતાં અર્જુન કપૂરે ફિલ્મ જગતામાં પોતાની મહેનત તેમજ પ્રતિભાના બળે કામ હાસલ કર્યું . તેમના દાદા સુરિન્દર કપૂર ફિલ્મ નિર્માતા હતાં . કાકા અનિલ કપૂર , સંજય કપૂર , ઓરમાન માતા શ્રીદેવી પણ બૉલીવુડના જાણીતાં નામો છે . અર્જુને જણાવ્યું - આ મારી પોતાની યાત્રા છે . મને લાગે છે કે તે બહુ ખોટું છે કે કોઈ મારા જીવનને માત્ર એટલા માટે સરળ સમજી લે , કારણ કે હું એક ફિલ્મી પરિવાર સાથે સંબંધ ધરાવુ છું . દરેકના જીવનમાં પડકારો હોય છે અને મારા જીવનમાં પણ છે ." sports,"મોહાલી , 20 ઓક્ટોબરઃ ઓસ્ટ્રેલિયાએ મોહાલીમાં રમાયેલી ત્રીજી વનડેમાં ભારતને ચાર વિકેટથી હરાવીને સીરીઝમાં 2 - 1થી આગળ વધી ગયા છે . ભારતના 303 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ઓસ્ટ્રેલિયાએ ફાકનર દ્વારા કરવામાં આવેલા 48માં ઓવરમાં 30 રન ફટકારીને ભારતના હાથમાંથી જીતનો કોળિયો છીનવી લીધો હતો . ભારત માટે ઇશાંત શર્મા સૌથી ખર્ચાળ બોલર સાબીત થયો હતો . ઓસ્ટ્રેલિયા તરફથી એડમ વોગ્સ સૌથી સફળ બેટ્સમેન રહ્યાં . તેમણે 76 રન બનાવ્યા હતા . મેચનો હીરો રહ્યો ઓસ્ટ્રેલિયા તરફથી 7માં નંબર પર બેટિંગ કરનાર આવેલો જેમ્સ ફાકનર , તેણે 24 બોલમા અડધી સદી ફટકારીને ભારતની જીતની આશા પર પાણી ફેરવી દીધું . ફાકનરે પાંચ છગ્ગા અને 2 ચોગ્ગાની મદદથી 29 બોલમાં 64 રન ફટકાર્યા અને ઇશાંતની એક ઓવરમાં 30 રન બનાવી જીતને આસાન બનાવી દીધી હતી . તો ચાલો તસવીરો થકી મોહાલીમાં રમાયેલી મેચની હાઇલાઇટ પર એક નજર ફેરવીએ ." business,ભારતમાં ઇ - કોમર્સ બિઝનેસ એટલે કે ઓનલાઇન શોપિંગ બિઝનેસમાં આવી રહેલા ઉછાળને પગલે હવે દેશના ટોચ ઉદ્યોગપતિઓ પણ તેમાં રોકાણ કરવા માટે આગળ આવી રહ્યા છે . આ સંદર્ભમાં સમાચાર આવ્યા છે કે રતન ટાટાએ ભારતની જાણીતી ઇ કોમર્સ કંપની ' સ્નેપડીલ ' માં રોકાણ કરવાની જાહેરાત કરી છે . આ અહેવાલ અગ્રણી અંગ્રેજી અખબાર ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં પ્રકાશિત થયો છે . ભારતમાં ઓનલાઇન રિટેલ બિઝનેસમાં જોવા મળી રહેલી તેજીનો ટકોરો સમજીને ટાટા જૂત દ્વારા વહેતી ગંગામાં ડૂબકી લગાવવા તૈયાર થઇ ગયા છે . નોંધનીય છે કે હજી ગયા સપ્તાહે જ ભારતની ઇ કોમર્સ કંપની ફિલ્પકાર્ટે 600 અબજ રૂપિયાનું વિદેશી મૂડી રોકાણ મેળવવામાં સફળતા મેળવી છે . અમેરિકાની ઇ કોમર્સ કંપની અમેઝોન પણ ભારતમાં કરોડોનું રોકાણ કરવાની તૈયારી સાથે વ્યાપ વધારવાનું આયોજન કરી રહી છે . સ્નેપડીલના કો ફાઉન્ડર કુનાલ બહલે ટાઇમ્સ ઓફ ઇન્ડિયાને આ અંગેની ઇમેલમાં જવાબ આપવાનું ટાળ્યું હતું . જો કે ઉદ્યોગપતિ રતન ટાટા ઇ કોમર્સમાં ભારતમાં ઉજળા ભવિષ્યને જોતા તેઓ વ્યક્તિગત રોકાણ કરવાનું મન બનાવી રહ્યા છે એ વાત પાક્કી છે . ટાટ જૂથ અને સ્નેપડીલ એમ બંને જૂથો વચ્ચે આ અંગેની પ્રક્રિયા કયા તબક્કે પહોંચી છે તે જાણી શકાયું નથી . અહીં પ્રશ્ન એ છે કે ટાટા સમૂહે ઇ કોમર્સ કંપનીઓ અથવા તો ઓનલાઇન રિટેલ કંપનીઓમાં સ્નેપડીલને જ શા માટે પસંદ કરી ? અમે તેના કારણો જાણવાનો પ્રયાસ કર્યો છે . આ રહ્યા કારણો . . . entertainment,વર્ષ 2016 લાગી રહ્યું છે કે સ્ટારના લગ્ન અને સગાઇનું વર્ષ છે . ઘણા મોટા સ્ટારએ પણ આ વર્ષે લગ્ન કર્યા છે . આ વર્ષે બોલિવૂડના વધુ એક સ્ટારએ સગાઇ કરી છે અને ખુબ જ જલ્દી લગ્ન પણ કરવા જઈ રહ્યા છે . આજે અમે વાત કરી રહ્યા છે નીલ નીતિન મુકેશ વિશે . નીલ નીતિન મુકેશે રુક્મણિ સહાઈ સાથે સગાઇ કરી અને તે પુરી રીતે અરેન્જ મેરેજ છે . નીલ નીતિન મુકેશના પિતા નીતિન મુકેશે પોતાના નિવેદનમાં કહ્યું છે કે નીલે પોતાની લાઈફ પાર્ટનર શોધવાની જવાબદારી પેરેન્ટ્સને આપી હતી અને રુક્મણિ સહાઈ તેના માટે ખુબ જ યોગ્ય પાર્ટનર છે . રુક્મણિ અને નીલ નીતિન મુકેશનો પરિવાર એકબીજાને ઘણા વર્ષોથી જાણે છે . બંનેની સગાઇ મુંબઈના જુહુ હોટેલમાં થયી . જેમાં બંને પરિવારના ખાસ મિત્રો જ હાજર હતા . નીલ નીતિન મુકેશ અને રુક્મણિ સહાઈની કેટલીક તસવીરો સોશ્યિલ મીડિયા પર આવી છે . રુક્મણિ સહાઈ દેખાવમાં ખુબ જ સુંદર છે અને ટ્રેડિશનલ અવતારમાં બંને નજરે આવ્યા . બંને આવતા વર્ષની શરૂઆતમાં લગ્ન કરી શકે છે . નીલ નીતિન મુકેશ પોતાની મંગેતર રુક્મણિ સહાઈ સાથે . બંને સાથે ખુબ જ ખુશ દેખાઈ રહ્યા છે અને તેમને ફંકશનને ખુબ જ એન્જોય પણ કર્યું . entertainment,વિદ્યા બાલન સ્ટારર કહાની 2 ને દર્શકોનો મિશ્ર પ્રતિભાવ મળી રહ્યો છે પરંતુ બોક્સ ઓફિસ પર તેની શરુઆત ઘણી ફીકી છે . જો સૂત્રોની માનીએ તો ફિલ્મને પહેલા શો માં 15 થી 20 % દર્શકો મળ્યા . ત્યારબાદ સાંજના શો માં થોડી સંખ્યા વધી . જો આ દ્રષ્ટિએ જોઇએ તો ફિલ્મે બોક્સ ઓફિસ પર 6 થી 7 કરોડની ઓપનિંગ કરી હોઇ શકે કે જે એવરેજ છે પરંતુ એટલી પણ ખરાબ ન કહી શકાય . જો કે માનવામાં આવી રહ્યુ હતુ કે ફિલ્મ 25 % થી શરુઆત કરશે . પરંતુ આવુ બન્યુ નહિ . માટે આ રીતે જોઇએ તો ફિલ્મનું પ્રદર્શન નિરાશાજનક છે . ફિલ્મનું બજેટ છે 27 કરોડનું છે . જો બેફિક્રે લોકોને પસંદ ના આવે તો એવામાં ફિલ્મના હિટ જવાના ચાંસ વધારે છે . આ વર્ષે આમ પણ બોક્સ ઓફિસ પર ફિલ્મોનું પ્રદર્શન બહુ નિરાશાજનક રહ્યુ છે . sports,"નવી દિલ્હી , 27 એપ્રિલઃ મિશેલ સ્ટાર્ક ( 20/3 ) ની ધારદાર બોલિંગ અને સલામી બેટ્સમેનોના શાનદાર પ્રદર્શનના કારણે રોયલ ચેલેંજર્સ બેંગલોરે રવિવારે ફિરોજશાહ કોટડા મેદાન પર ઇન્ડિયન પ્રીમિયર લીગની 26મી મચમાં દિલ્હી ડેરડેવિલ્સને 10 વિકેટથી જોરદાર માત આપી . રોયલ્સ ચેલેંજર્સની આ સતત બીજી મોટી જીત છે . આ પહેલા ટીમે રાજસ્થાન રોયલ્સને શુક્રવારે નવ વિકેટથી હરાવ્યું હતું . આ સિઝનમાં છ મેચોમાં રોયલ ચેલેંજર્સની ત્રીજી જીત છે , જ્યારે ડેરડેવિલ્સને પોતાની સાતમી મેચમાં ચોથીવાર હારનો સામનો કરવો પડ્યો . જોકે રોયલ ચેલેંજર્સને જીત માટે 96 રનોનું સરળ લક્ષ્ય મળ્યું હતું જેને ટીમને સરળતાથી કોઇ વિકેટ ગુમાવ્યા વગર 10.3 ઓવરોમાં હાસલ કરી લીધું . ક્રિસ ગેઇલ ( 62 અણનમ ) અને કપ્તાન વિરાટ કોહલી ( 35 અણનમ ) ની શાનદાર પારીનો ડેરડેવિલ્સના બોલરો પાસે કોઇ જવાબ ન્હોતો . ગેઇલે 40 બોલની પારીમાં છ ચોગ્ગા અને ચાર છગ્ગા લગાવ્યા . કોહલીએ પણ 23 બોલમાં છ ચોગ્ગા લગાવ્યા . ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય ડેરડેવિલ્સને ભારે પડી ગયો . બેંગલોરની ટીમની શાનદાર બોલિંગના કારણે 18.2 ઓવરમાં જ 95 રનોમાં દિલ્હીની આખી ટીમ ઢેર થઇ ગઇ . બેંગલોરની ટીમ તરફથી સ્ટાર્ક ઉપરાંત મેન ઓફ ધ મેચ પસંદ કરવામાં આવેલા વરુણ એરોનને 2 વિકેટ મળી . એરોને યુવરાજ સિંહ અને એંજોલો મેથ્યૂઝને પેવેલિયનની રાહ દેખાડી . ડેવિડ વીઝે પણ 2 , જ્યારે હર્ષલ પટેલ અને ઇકબાલ અબ્દુલ્લાહે 1 - 1 વિકેટ લીધી ." sports,"ફૂટબોલ અને હોકીની જેમ હવે ક્રિકેટમાં પણ હવે રેડ કાર્ડ જોવા મળશે . મેરિલબોન ક્રિકેટ ક્લબ ( એમસીસી ) વર્લ્ડ ક્રિકેટ કમિટીએ બુધવારે ક્રિકેટમાં રેડ કાર્ડ શામેલ કરવાની ભલામણ કરી હતી . જો કોઇ ખેલાડી મેદાન પર નિયમોનું ઉલ્લંઘન કરશે તો અમ્પાયર તેને રેડ કાર્ડ બતાવી તેના પર પ્રતિબંધ લગાવી શકે છે . એમસીસીએ કરેલી ભલામણોને આઇસીસીની મંજૂરી મળતા ક્રિકેટના નવા નિયમોમાં શમેલ કરવામાં આવશે . આ ભલામણો 1 ઓક્ટોબર , 2017 થી લાગૂ કરવામાં આવશે . આ કમિટીની આગામી બેઠક 3 જુલાઇ , 2017 ના રોજ યોજાશે . ઇંગ્લેંડના ભૂતપૂર્વ કેપ્ટન માઇક બ્રેયરલીના નેતૃત્વવાળી આ બેઠકમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ યોજવા અને ચાર દિવસીય ટેસ્ટ પર પણ વિચાર કરવામાં આવ્યો હતો પરંતુ તેમાં એક અભિપ્રાય શક્ય બન્યો નહોતો . બ્રેયરલીએ જણાવ્યુ હતુ કે મેદાન પર ખેલાડીઓની ગેરશિસ્ત વધતી જાય છે માટે મેચ દરમિયાન વધુ પડતા ગેરશિસ્ત બદલ એમ્પાયર રેડ કાર્ડ બતાવી શકશે . અમ્પાયર રેડ કાર્ડનો ઉપયોગ કરી ખેલાડીને મેચની બહાર કાઢી શકશે . જો આ ભલામણો મંજૂર કરવામાં આવશે તો આંતરરાષ્ટ્રીય બધી જ મેચોમાં તેને લાગૂ કરવામાં આવશે . વળી , તે ટી - 20 , ટેસ્ટ અને વન ડે એમ ત્રણેય ફોર્મેટમાં પણ લાગૂ કરવામાં આવશે . કમિટીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદને રજૂઆત કરી કે તે ક્રિકેટને ઓલિમ્પિકમાં શામેલ કરવા અને વર્લ્ડ ચેમ્પિયનશીપ યોજવાની દિશામાં કામ ચાલુ રાખે . વળી પેનલે ફીલ્ડરના હેલમેટ સાથે બોલ ટકરાવાના નિયમમાં બદલાવની પણ ઘોષણા કરી . આ બદલાવનું કારણ એ છે કે કમિટીનું માનવુ છે કે હાલમાં વિકેટકીપરના પેડ સાથે બોલ ટકરાયા બાદ કેચ અને સ્ટમ્પ થઇ શકે છે જ્યારે પેડ પહેરવુ વૈકલ્પિક છે . અમુક દેશોમા હેલ્મેટ અનિવાર્ય હેલ્મેટ અનિવાર્ય હોવા છતા તેની સાથે ટકરાયા બાદ કેચ અને સ્ટમ્પ ગણાતુ નથી . કમિટીના સભ્ય રિકી પોંટીંગે બેટનો આકાર સીમિત કરવા અંગે કહ્યુ કે દુનિયાના 60 % ખેલાડીઓ અમારી આ વાત સાથે સંમત છે . બધા જ બેટની કિનારીઓની જાડાઇ 38 થી 42 મીમી રાખવા માંગે છે જે હાલમાં 50 મીમી છે . તેમને જણાવ્યુ કે અમે રજૂઆત કરી છે તેનાથી અમે ખુશ છીએ કારણકે આનાથી બેટ અને બોલ વચ્ચે સંતુલન બનશે . રેડ કાર્ડ બતાવવા અંગે બ્રેયરલીએ કહ્યુ કે આ કાર્ડ ડરાવવાનું કામ કરશે . તેમણે ઉમેર્યુ કે , ' અમે યલો કાર્ડ ( અસ્થાયી પ્રતિબંધ ) પર પણ ચર્ચા કરી પરંતુ બાદમાં તે રદ કર્યુ . રેડ કાર્ડ ખૂબ જ ગંભીર પરિસ્થિતિમાં બતાવવામાં આવશે . ભલામણ અનુસાર ગંભીર ઉલ્લંઘનની પરિસ્થિતિમાં અમ્પાયરોને ખેલાડીને મેચમાંથી બહાર કાઢવાનો અધિકાર મળશે . ' ખેલાડીને અમ્પાયરને ધમકાવવા , અન્ય ખેલાડી , અમ્પાયર , અધિકારી , દર્શકને શારીરિક રીતે નુકશાન પહોંચાડવા કે મેદાન પર અન્ય હિંસક ગતિવિધિઓ માટે બહાર કરવામાં આવશે ." entertainment,"બૉલીવુડ અભિનેતા સંજય દત્તની ફિલ્મ પોલીસગિરીનું ટીઝર રિલીઝ થઈ ગયું છે . આ ટીઝર જોતાં સ્પષ્ટ રીતે એમ લાગે છે કે જાણે તેમાં સંજય દત્તના દિલની વાત કહેવાતી હોય . એક બાજુ સંજય દત્ત આજે સુપ્રીમ કોર્ટના ચુકાદાના પગલે આજે યરવડા જેલમાં જતા રહ્યાં , તો બીજી બાજુ તેમની પોલીસગિરી ફિલ્મનું ટીઝર રિલીઝ થઈ ગયું છે . પોલીસગિરી ફિલ્મના ટીઝરમાં એક ગીત છે . તેના બોલ છે ‘બંદા ગુડ હૈ , દિલ કા શુદ્ધ હૈ , એક્શન હીરો ઔર નામ રૉબિન હુડ હૈ . . . . ' ગીતના આ બોલથી સ્પષ્ટ વર્તાય છે કે સંજય દત્ત જાણે હવે પોતે સુધરી ગયાં છે . સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન સંજય દત્તે અનેક વાર એમ જણાવ્યું કે તેઓ હવે સુધરી ગયાં છે અને અનેક ચૅરિટી કાર્યો પણ કરે છે . એટલું જ નહીં મુન્નાભાઈ એમબીબીએસ અને લગે રહો મુન્નાભાઈ જેવી ફિલ્મો કરી પણ તેમણે આ વાતની સાબિતી આપવાના પ્રયત્નો કર્યાં . પોલીસગિરી ફિલ્મના ટીઝરની શરુઆતમાં સંજય દત્ત કહે છે કે આજ સે ઇસ શહર મેં ગુંડાગિરી બંદ ઔર પોલીસગિરી શુરૂ , માઇંડ ઇટ . . . આ સંવાદ બાદ સંજય દત્ત બંદા ગુડ હૈ . . . ગીત પણ ગાતાં દેખાય છે . < center > < iframe width = "" 100 % "" height = "" 417 "" src = "" http : / / www . youtube . com / embed / RdKhLWkw9DE "" frameborder = "" 0 "" allowfullscreen > < / iframe > < / center >" business,"નવી દિલ્હીઃ સોનાની કિંમતમાં શુક્રવારે ફરી એકવાર તેજી જોવા મળી છે . ગુરુવારે કિંમતમાં ઘટાડો આવ્યા બાદ સોનાની ચમક પરત ફરી છે . શુક્રવારે સોનુ 170 રૂપિયાના વધારા સાથે 32620 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું છે . સોનાની સાથે જ ચાંદીની કિંમતમાં પણ વધારો જોવા મળ્યો છે . ચાંદી 600 રૂપિયા મોંઘી થઈ ગઈ છે . પાછલા બે દિવસમાં ચાંદીની કિંમતમાં 1125 રૂપિયાની તેજી જોવા મળી છે . શુક્રવારે ચાંદી 600 રૂપિયા મોંઘી થઈ 39250 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી છે . સોનામાં વધારો શુ્ક્રવારે દિલ્હીના સોની બજારમાં સોનાની કિંમત 170 રૂપિયા વધીને 32620 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ છે . સોનાની માંગ વધવાથી અને સારા વૈશ્વિક સંકેતોથી સોનાની કિંમતમાં વૃદ્ધિ જોવા મળી છે . દિલ્હીની સોના બજારમાં 99.9 ટકા શુદ્ધતા વાળા સોનાની કિંમત 32620 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગઈ છે જ્યારે 99.5 ટકા શુદ્ધતા વાળા સોનાની કિંમત 32470 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગઈ છે . જ્યારે 8 ગ્રામવાળી સોનાની કિંમતમાં 100 રૂપિયાનો વધારો નોંધાયો છે અને 25200 રૂપિયા પર પહોંચી ગઈ છે . 2 દિવસમાં ચાંદીમાં 1125 રૂપિયાની તેજી ચાંદીની વાત કરીએ તો શુક્રવારે ચાંદીનો ભાવ 600 રૂપિયાના વધારા સાથે 39250 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગયો છે . સ્થાનિક જ્વેલર્સ તરફથી માંગ વધતા મજબૂત વૈશ્વિક સંકેતોને કારણે સોની બજારમાં તેજી જોવા મળી છે . સાપ્તાહિક ડિલિવરી વાળા ચાંદીના ભાવ 1448 રૂપિયાના વધારા સાથે 38651 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે . જ્યારે ચાંદીના સિક્કામાં પણ 1000 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે . બિહાર પછી હવે યુપીમાં ભાજપની મુસીબત વધી , અપના દળે 5 સીટો માંગી" entertainment,આપણે જણાવી દઈએ કે ઝલક દિખલા જા સિઝન 9 જુલાઈ 30 થી આપણી સામે આવી જશે . બધા જ કન્ટેન્સ્ટનની ફાઇનલ લિસ્ટ પણ આપણી સામે આવી ચુકી છે . આ શોના જજ અને હોસ્ટ પણ નક્કી થઈ ચુક્યા છે . મનીષ પોલ આ શો હોસ્ટ કરવા જઈ રહ્યા છે . ઝલક દિખલા જા સિઝન 9 કન્ટેન્સ્ટનની ફાઇનલ લિસ્ટ . . . . મનીષ પોલ ઝલક દિખલા જા ની ઘણી સિઝનના હોસ્ટ રહી ચુક્યા છે . પરંતુ આ સિઝનમાં મનીષ પોલની હોસ્ટ કરવાની ફીઝ સાંભળીને હેરાન થઈ જશો . મનીષે સિઝન 9 ને હોસ્ટ કરવા માટે લગભગ દોઢ કરોડની માંગ કરી છે . એટલે કે દરેક એપિસોડના 7 લાખ રૂપિયા . દર વખતની જેમ આ સિઝનમાં પણ ફેમસ સેલેબ્રીટી પોતાના ડાન્સના જલવા બતાવશે . પ્રોમોમાં બતાવવામાં આવી રહ્યું છે કે આ વખતે શાહિદ કપૂરને જેકલીન રિપ્લેસ કરી રહી છે . જેકલીન સાથે કરણ જોહર અને ગણેશ હેગડે જજ તરીકે જોવા મળી શકે છે . મનીષ પોલ એક શાનદાર હોસ્ટ છે . તેઓ ફિલ્મોમાં પણ આવી ચુક્યા છે . તેઓ આ પહેલા પણ ઘણા શો હોસ્ટ કરી ચુક્યા છે . મનીષ પોલ ની ફેન ફોલોવિંગ પણ ઘણી વધારે છે . મળતી જાણકારી મુજબ રિતિક રોશન પહેલા ગેસ્ટ બની શકે છે આ શો પર . જેઓ પોતાની ફિલ્મ ને પ્રોમોટ કરવા આવી શકે છે . sports,"નવી દિલ્હી , 3 સપ્ટેમ્બર : આઇપીએલના ભૂતપૂર્વ કમિશનર લલિત મોદી પર આજીવન પ્રતિબંધ મૂકવા ભારતીય ક્રિકેટ નિયંત્રણ ર્બોડે કમર કસી છે . બોર્ડના એક સિનિયર અધિકારીએ ગઈ કાલે જણાવ્યું હતું કે ચેન્નઈમાં આગામી 25 સપ્ટેમ્બરે મળનારી ક્રિકેટ બોર્ડની સ્પેશ્યલ જનરલ મીટિંગમાં આ વિશે નિર્ણય લેવામાં આવશે . રવિવારે કલકત્તામાં મળેલી બોર્ડની વર્કિંગ કમિટીની બેઠકમાં જયોતિરાદિત્ય સિંધિયા અને અરુણ જેટલીની બનેલી ડિસિપ્લિનરી કમિટીએ રજૂ કરેલા અહેવાલ પર ચર્ચા કરવામાં આવી હતી . આ અહેવાલમાં લલિત મોદી પર આજીવન પ્રતિબંધ મૂકવાની ભલામણ કરવામાં આવી હતી . એ પછી લલિત મોદી વિશે અંતિમ નિર્ણય લેવા માટે 25 સપ્ટેમ્બરે સ્પેશ્યલ જનરલ મીટિંગ બોલાવવાનું નક્કી થયું હતું . બોર્ડના અધિકારીએ જણાવ્યું હતું કે લલિત મોદી પર આજીવન બેન મૂકવામાં આવશે એ લગભગ નક્કી છે . આ નિર્ણય લેવા માટે બોર્ડના ઓછામાં ઓછા 21 મેમ્બરો બેનની તરફેણમાં વોટ આપે એ જરૂરી છે . લલિત મોદી આઇપીએલની પ્રથમ ત્રણ એડિશનના ચેરમેન કમ કમિશનર હતા . જોકે 2010માં ત્રીજી એડિશન પૂરી થયાના થોડા જ દિવસમાં તેમના પર નાણાકીય ગેરરીતિઓ આચરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો અને એ પછી તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા ." entertainment,સદીના મહાનાયક અમિતાભ બચ્ચન પોતાની દરિયાદિલી માટે ઓળખાય છે અને તેમને જ્યારે પણ મોકો મળે છે તે દિલ ખોલીને બધાની મદદ કરે છે . આજે દેશમાં સૌથી મોટો મુદ્દો 40 સીઆરપીએફ જવાનોના કાશ્મીરના પુલવામા આતંકી હુમલામાં શહીદ થવાનો છે . એ જવાનો માટે એક તરફ જ્યાં બધાની આંખો ભીની છે તો કોઈના ઘરનો એકમાત્ર કમાનાર વ્યક્તિ મા ભારતીના ખોળે હંમેશ માટે સૂઈ ગયો છે . એવામાં એ જખમો પર થોડો મલમ લગાવવા માટે અમિતાભ બચ્ચને દરેક શહીદ જવાનના પરિવારને 5 - 5 લાખ રૂપિયા આપવાનું એલાન કર્યુ છે . તમને જણાવી દઈએ કે તે 40 જવાનોનો પરિવારને ડોનેશન આપવા ઈચ્છે છે . જો કે એ તો બધા જાણે છે કે જે પરિવારનો પુત્ર વતન માટે શહીદ થઈ જાય છે તેની ભરપાઈ કોઈ પણ કિંમતે નથી થઈ શકતી પરંતુ જો લોકો સાથે હોય તો તેમને એ વાતનો અહેસાસ થાય છે કે તેમના પુત્રનું બલિદાન વ્યર્થ નથી થયુ . સરકારે પણ પોતપોતાના રાજ્યોમાં શહીદોને દરેક સંભવ મદદ આપવાનું એલાન કર્યુ છે . યુપીના સીએમ યોગી આદિત્યનાથે દરેક શહીદના પરિવારને 25 લાખ રૂપિયા આપવાની ઘોષણા કરી હતી . અમિતાભ બચ્ચન આ પહેલા પણ ઘણા ખેડૂતોને પણ કરોડો રૂપિયા દાન કરી ચૂક્યા છે . sports,"હેમિલ્ટન , 28 જાન્યુઆરીહેમિલ્ટન વનડેમાં ભારત તરફથી આપવામાં આવેલા 279 રનના પડકારને ન્યુઝીલેન્ડે ત્રણ વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો છે . ન્યુઝીલેન્ડ તરફથી રોસ ટેલરે શાનદાર 112 રનોની ઇનિંગ રમી હતી . આ હાર સાથે જ ભારતે પાંચ મેચોની વનડે શ્રેણી 3 - 0થી ગુમાવી દીધી છે . ભારત સતત બીજી શ્રેણી હાર્યું છે , આ પહેલા દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણી ભારત હારી ગયું હતું . ભારત તરફથી આપવામાં આવેલા 279 રનના લક્ષ્યાંકને ન્યુઝીલેન્ડે 48.1 ઓવરમાં હાંસલ કરી લીધો હતો . આ સાથે જ ટીમ ઇન્ડિયાનો શ્રેણી પરાજય થયો છે . પહેલી બે વનડે ન્યુઝીલેન્ડ જીત્યુ હતું . ત્રીજી વનડે ટાઇ થઇ હતી , જ્યારે ચોથી વનડેમાં ભારતને હારનો સ્વાદ ચાખવો પડ્યો છે . ન્યુઝીલેન્ડ તરફથી માર્ટિન ગુપ્ટિલ ( 35 ) , જસ્સી રાઇડર ( 19 ) , વિલિયમ્સન ( 60 ) , રોસ ટેલર ( 111 ) અને બ્રેન્ડન મેક્કુલમે 49 રનની ઇનિંગ રમી હતી . ભારત તરફથી મોહમ્મદ સામી અને વરુણ એરોને એક - એક વિકેટ ખરીદી હતી . ન્યુઝીલેન્ડ સામે ટોસ જીતીને ભારતે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો . ભારતમાં આજે બે ફેરબદલ કરવામાં આવ્યા હતા . છેલ્લી કેટલીક મેચોથી આઉટ ઓફ ફોર્મ ચાલી રહેલા શિખર ધવનના સ્થાને રાયડુને સ્થાન આપવામાં આવ્યું હતું . તેમજ ઓલરાઉન્ડર સ્ટુઅર્ટ બિન્નીનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો હતો . ઓપનિંગમાં રોહિત શર્મા સાથે વિરાટ કોહલીને મુકવામાં આવ્યો હતો . જો કે , વિરાટ કોહલી માત્ર બે રન બનાવી આઉટ થઇ ગયો . ત્યાર બાદ રહાણે 3 રન પર પેવેલિયન ભેગો થઇ ગયો . અંબાતી રાયડુએ 37 રનની ઇનિંગ રમી હતી . આર અશ્વિન પાંચ રન પર આઉટ થયો હતો . રોહિત શર્માએ 79 રનની શાનદાર ઇનિંગ રમી હતી , જેમાં તેણે છ ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા હતા . ત્યારબાદ મહેન્દ્ર સિંહ ધોનીએ અણનમ 79 રનની ઇનિંગ રમી જેમાં તેણે છ ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટાકર્યા હતા . રવિન્દ્ર જાડેજાએ ઉત્કૃષ્ટ અણનમ ઇનિંગ રમતા આઠ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 62 રન બનાવ્યા હતા . ન્યુઝીલેન્ડ તરફથી સાઉથીએ 2 , મિલ્સ , વિલિયમ્સન , બેન્નેટે એક - એક વિકેટ મેળવી છે ." sports,આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં શનિવારે બર્મિઘમના એઝબેસ્ટનમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઇ રહેલી મેચમાં ટોસ હારીને પ્રથમ બેટીંગ કરવા ઉતરેલી પાકિસ્તાન ટીમને હારનો સામનો કરવો પડ્યો છે . આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં વરસાદના કારણે ધોવાઇ ગયેલી મેચમાં ભારતે પાકિસ્તાનને આઠ વિકેટ હરાવી જીત મેળવી લીધી છે . પાકિસ્તાનના 168 રનના ટાર્ગેટનો પીછો કરતાં ભારતે ફરી એકવાર ધવન અને રોહિત શર્મા ( 18 ) ઓપનિંગ જોડીએ 58 રન બનાવીને સારી શરૂઆત કરી હતી . ગત બે મેચોમાં દક્ષિણ આફ્રિકા અને વેસ્ટઇન્ડિઝ વિરૂદ્ધ સદીની ભાગીદારી કરનાર બંને બેસ્ટમેનોએ 10 ઓવરમાં એકપણ વિકેટના નુકસાન પર 57 રન પર પહોંચાડી દિધો છે . રોહિત શર્માએ સારી શરૂઆત કરતાં મોહંમદ ઇરફાનની બોલીંગમાં બે ચોગ્ગા ફટકાર્યા હતા જ્યારે ધવને જુનૈદ ખાનની ઓવરમાં બે ચોગ્ગા ફટકાર્યા હતા . આ દરમિયાન 8.1 ઓવરમાં ટીમનો સ્કોર 47 રનનો હતો ત્યાર વરસાદ વરસ્યો જ્યારે ફરીથી રમત શરૂ થઇ તો ભારતને 36 ઓવરમાં 157 રનનો ટાર્ગેટ મળ્યો . ત્યારબાદ રોહિત શર્મા અજમદના બોલ પર કેચ આઉટ થઇ ગયો . ત્યારબાદ તેમને 32 બોલમાં 18 રન બનાવ્યા . ત્યારબાદ ફરી વરસાદ વિધ્ન બન્યો ત્યારે ભારતનો સ્કોર 11.3 ઓવરમાં એક વિકેટના નુકસાન પર 63 રન હતા . ત્યારબાદ ટાર્ગેટને 22 ઓવરમાં 102 રનનો કરી દિધો હતો . રમત ફરીથી શરૂ થઇ ત્યારે ભારતે 10.3 ઓવરમાં 39 રન બનાવવાના હતા . ગત બે મેચોમાં શતક ફટકારનાર ધવને રિયાજની ઓવરમાં બે ચોગ્ગા ફટકારી ભારતને લક્ષ્યની નજીક પહોંચાડી દિધો પરંતુ આ જ ઓવરમાં ધવન શિખર કેચ આઉટ થઇ ગયો હતો . ધવને 41 બોલમાં પાંચ ચોગ્ગા ફટકાર્યા હતા . વિરાટ કોહલી ( 27 બોલમાં અણનમ 22 રન ) અને દિનેશ કાર્તિક ( અણનમ 11 રન ) જોકે ટીમે સરળતાથી લક્ષ્ય સુધી પહોંચી ગઇ હતી . business,"ડોલરને મુકાબલે રૂપિયામાં ઘટાડો હજુ પણ ચાલુ જ છે . આજે સવારે રૂપિયો ડોલર સામે 42 પૈસા ગગડીને 73.33 રૂપિયા પ્રતિ ડોલર પર ખુલ્યો . તેની સાથે જ રૂપિયો તેના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયો છે . આ પહેલા સોમવારે રૂપિયો ડોલર સામે 43 પૈસા ગગડીને 72.91 રૂપિયા પ્રતિ ડોલર પર બંધ થયો હતો . મંગળવારે રજા હોવાને કારણે જયારે બુધવારે બજાર ખુલ્યું ત્યારે કારોબારમાં ઘટાડો જોવા મળ્યો . સેન્સેક્સ અને નિફટી બંને ઘટાડા સાથે ખુલ્યા . દિવસની શરૂઆતમાં જ સેન્સેક્સ 200 પોઇન્ટ નીચે ગગડીને 36300 પર પહોંચી ગયું . SBIના ગ્રાહકો માટે ખાસ ખબર , હવે 20 હજારથી વધુ રૂપિયા નહિ ઉપાડી શકો આ વર્ષે ડોલરના મુકાબલે રૂપિયામાં 14 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે . ક્રૂડની કિંમત વધવાથી , ટ્રેડ વોર , કેડ વધવાની આશંકા , ડોલરમાં મજબૂતી , અને રાજનૈતિક અસ્થિરતાને કારણે રૂપિયા પર દબાણ સતત વધી રહ્યું છે . આવનારા દિવસોમાં પણ રૂપિયામાં સુધારો થાય તેવું નથી દેખાઈ રહ્યું . પોસ્ટ ઓફિસમાંની 9 ખાસ બચત યોજના , જાણો કેટલું વ્યાજ મળશે જયારે રૂપિયામાં થતા ઘટાડાને કારણે તેલ કંપનીઓને વિદેશથી તેલ મંગાવવા માટે ભારે કિંમત ચૂકવવી પડી રહી છે . તેને કારણે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો થવાની આશંકા વ્યકત કરવામાં આવી રહી છે . બેન્કિંગ , ઓટો , એફએમસીજી , ઓઇલ એન્ડ ગેસ અને પાવર સેક્ટર શેરમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે . વીમા પૉલિસીને વચ્ચે જ છોડી દીધી છે , તો થઈ શકે છે આ નુકસાન" sports,"ભારતની લીજેન્ડ મુક્કેબાજ મેરી કોમે વુમન વર્લ્ડ ચેમ્પિયનમાં છઠ્ઠો ગોલ્ડ મેડલ જીતીને વિશ્વમાં ઈતિહાસ રચી દીધો . તેમણે 48 કિગ્રા ભાર વર્ગમાં યુક્રેનની મુક્કેબાજ હન્ના ઓકહોટાને મ્હાત આપી . આ મુકાબલો જીતીને તેમણે પોતાના ઐતિહાસિક છઠ્ઠો ગોલ્ડ મેળવી લીધો . આમ કરનારી તે વિશ્વની પહેલી મુક્કાબાજ બની ગઈ છે . મેરીએ આ મુકાબલો 5 - 0થી જીત્યો . મુકાબલાને જીત્યા બાદ મેરી કોમે પોતાની આ મહાન ઉપલબ્ધિને દેશના નામે સમર્પિત કરી છે . આ પહેલા મેરી કોમે 2010ની વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ જીત્યો હતો . 35 વર્ષીય મેરી કોમ 2002,2005,2006,2008,2010 ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ પોતાના નામે કરી ચૂકી છે . આ છઠ્ઠા મેડલ સાથે તે વિશ્વની સૌથી સફળ મહિલા મુક્કેબાજ બની ચૂકી છે . તમને જણાવી દઈએ કે હવે આયરલેન્ડની કેટી ટેલર તેની પાછળ થઈ ગઈ છે . તેના નામે પાંચ ગોલ્ડ હતા અને અત્યાર સુધી તે સંયુક્ત રીતે મેરી કોમ સાથે એક નંબર પર ચાલી રહી હતી . આ પણ વાંચોઃ VIDEO : મિઝોરમ પહોંચેલા અમિત શાહ હેલીકોપ્ટરમાંથી ઉતરતી વખતે પડ્યા" entertainment,ટેલિવિઝનની બ્યુટી ક્વીન એવી મોની રોય આજે તેનો જન્મદિવસ ઉજવવામાં વ્યસ્ત છે . મોની આજે 31 વર્ષની થઇ ચુકી છે . ગઈકાલે રાત્રે મોની રોયના જન્મદિવસની પાર્ટી થયી . જેની થીમ ગ્રીક હતી . હંમેશાથી ફેશનના મામલે ટેલિવિઝનમાં આગળ રહેવાવાળી મોની રોય પણ ખુબ જ સુંદર લાગી રહી હતી . વાઈટ ડ્રેસમાં મોની રોય ગજબની સુંદર લાગી રહી હતી . આ મોકા પર સૌથી ખાસ એ હતું કે મોની રોયના કથિત બોયફ્રેન્ડ કહેવાતા મોહિત રૈના પણ પાર્ટીમાં હાજર હતા . મોનીએ કેક કાપીને સૌથી પહેલા મોહિતને જ ખવડાવી હતી . તસવીરો બતાવે છે કે મોહિત મોની માટે કેટલા ખાસ છે . મોનીની બર્થડે પાર્ટીમાં તેની ખાસ મિત્ર સંજીદા શેખ પણ હાજર હતી . સંજીદા શેખ પણ ફૂલો વાલી પ્રિન્ટેડ ડ્રેસમાં ખુબ જ સુંદર લાગી રહી હતી . પરંતુ મજા તો ત્યારે આવી જયારે કરણવીર વોહરાને પણ પુરા ગ્રીક લૂકમાં જોવામાં આવ્યા . તેની સાથે જ અદા ખાન અને અર્જુન બિજલાની પણ આ પાર્ટીમાં હાજર હતા . business,હવે બેંકમાંથી લોન મેળવવાનું અત્યંત સરળ થઇ ગયું છે . લોન આપવા માટે બેંકો ખુદ તમારી પાસે આવે છે . વિવિધ બેંકો દ્વારા નિમવામાં આવેલા કોલ એક્ઝિક્યુટિવ્સ આપને સામે ચાલીને પર્સનલ લોન અંગે પૂછે છે . વારંવાર આવતા કોલ્સ અને ક્યારેક ઉભી થતી પૈસાની તંગીને પગલે જો આપે એક વાર પર્સનલ લોન લઇ લીધી તો થોડા ઇન્સ્ટોલમેન્ટ્સ ભર્યા બાદ આપને એવા કોલ આવવા લાગે છે કે આપ લોન બંધ કરવા માંગો છો ? આનો અર્થ શું થયો ? જો આપે રૂપિયા 3 લાખની લોન લીધો હોય અને એક વર્ષ સુધી તેની ચૂકવણી કરી હોય તેમ છતાં તેઓ વધારે ચૂકવણી કરવા ચાહે છે . આવા સમયે થાય કે પર્સનલ લોન કેવી જોઇએ કે નહીં ? આપની મુંઝવણોને દૂર કરવા માટે અહીં અમે પર્સનલ લોન અંગેની કેટલીક મહત્વની વિગતો આપી રહ્યા છીએ . . . sports,"વેલિંગ્ટન , 14 ઑગસ્ટઃ ન્યુઝીલેન્ડના મહાન બેટ્સમેન માર્ટિન ક્રોએ ઇંગ્લેન્ડમાં ચાલી રહેલી ટેસ્ટ શ્રેણીમાં મહેન્દ્ર સિંહ ધોનીના ' તર્કહીન ' નેતૃત્વની ટીકા કરી છે અને તેમને લાગે છેકે ક્રિકેટના લાંબા ફોર્મેટમાં ભારત તેના નેતૃત્વ વગર પણ સારું પ્રદર્શન કરશે . ક્રોએ એક ક્રિકેટ બેબસાઇટમાં લખ્યું છેકે , જો ધોની ટેસ્ટ ક્રિકેટના સુકાની પદેથી હટી જાય છે તો ભારતને તેમની અજીબ અને ક્યારેક વિચિત્ર રણનીતિઓની ખોટ સાલશે . તેમની પસંદગી ત્યારે તર્કહીન હોય છે , જ્યારે વિશેષજ્ઞોની પસંદગીમાં ઉચિત સંતુલન શોધવાનું હોય છે . તેમણે વધુમાં લખ્યું છેકે , મેચની સ્થિતિની માંગને ધ્યાનમાં રાખી મેદાન પર વિકેટકીપ અને રણનીતિજ્ઞ રીતે તેમના નિર્ણયો પણ ક્યારેક અજીબ હોય છે . ઇશાંત શર્મા પાસે લોર્ડ્સમાં શોર્ટ બોલિંગ કરાવવી એ એક અપવાદ છે . વધુમાં વાંચવા માટે તસવીરો પર ક્લિક કરો . pagespeed . lazyLoadImages . overrideAttributeFunctions ( ) ; પાંચમી ટેસ્ટ પહેલા અભ્યાસ મેચઃ ધોનીને શોધતી રહી નજર ભારત વિ . ઇંગ્લેન્ડ પાંચમી ટેસ્ટ અંગે જાણવા જેવી વાતો આ પણ વાંચોઃ - . . . તો ઓવલમાં પણ ટીમ ઇન્ડિયાની હાર નિશ્ચિત છે ? pagespeed . lazyLoadImages . overrideAttributeFunctions ( ) ; function googleAnalyticsCodeCommon ( ) { var main _ url = $ ( ' link [ rel = "" canonical "" ] ' ) . attr ( "" href "" ) ; var url = document . location . href ; var pattern = ' https : / / ' + window . location . hostname ; url = url . replace ( pattern , "" "" ) ; var title = document . title ; ga ( "" oneindiagu . send "" , { hitType : "" pageview "" , page : url , location : main _ url } ) ; ga ( "" rosoneindia . send "" , { hitType : "" pageview "" , page : url , location : main _ url } ) ; ga ( "" dhoneindia . send "" , { hitType : "" pageview "" , page : url , location : main _ url } ) ; url = document . location . href ; var jcode = ' var _ comscore = _ comscore | | [ ] ; var comscoreParams = { c1 : "" 2 "" , c2 : "" 7732551 "" , c3 : "" "" , c4 : "" ' + url + ' "" , c5 : "" "" , c6 : "" "" , c15 : "" "" } ; _ comscore . push ( comscoreParams ) ; var s = document . createElement ( "" script "" ) , el = document . getElementsByTagName ( "" script "" ) [ 0 ] ; s . async = true ; s . src = ( document . location . protocol = = "" https : "" ? "" https : / / sb "" : "" http : / / b "" ) + "" . scorecardresearch . com / beacon . js "" ; el . parentNode . insertBefore ( s , el ) ; ' ; setTimeout ( jcode , 500 ) ; var _ qevents = _ qevents | | [ ] ; ( function ( ) { var elem = document . createElement ( ' script ' ) ; elem . src = ( document . location . protocol = = "" https : "" ? "" https : / / secure "" : "" http : / / edge "" ) + "" . quantserve . com / quant . js "" ; elem . async = true ; elem . type = "" text / javascript "" ; var scpt = document . getElementsByTagName ( ' script ' ) [ 0 ] ; scpt . parentNode . insertBefore ( elem , scpt ) ; } ) ( ) ; _ qevents . push ( { qacct : "" p - yjta2aSVPaHEL "" } ) ; window . google _ analytics _ uacct = "" UA - 110466 - 73 "" ; }" entertainment,"બિગ બોસમાં આવ્યા પછી નેહા પોડસે સતત પોતાના પોલ ડાન્સ અને સેક્સી ફોટોને કારણે ચર્ચામાં રહી . નેહા પહેલાથી ટીવીનો લોકપ્રિય ચહેરો રહી છે . જયારે બિગ બોસમાં આવ્યા પછી તેની લોકપ્રિયતામાં વધારો થયો છે . નેહાએ બિગ બોસમાં આવતા પહેલા પોતાની વજન ઘણું ઓછું કરી નાખ્યું છે . નેહા ફરી એકવાર તેના ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં હોટ અને સેક્સી જોવા મળી રહી છે . નેહાએ હાલમાં જ ઇન્સ્ટાગ્રામમાં ખુબ જ સેક્સી ફોટો શેર કરી છે . તેની આ ફોટો ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહી છે . યુઝર સતત નેહાની ફોટો પર કમેન્ટ કરી રહ્યા છે . નેહા તેની આ ફોટોમાં મેટાલિક સ્પોર્ટ્સ ટાઇટર્સ અને રેસર બેક બ્રાંલેટમાં જોવા મળી રહી છે . આ ફોટોમાં નેહા પહેલા કરતા પણ વધારે બોલ્ડ અને સેક્સી જોવા મળી રહી છે . કુંડળીભાગ્ય સુપરસ્ટારની સેક્સી તસવીરોએ હંગામો કર્યો , એકલામાં જુઓ આ વાતમાં કોઈ જ શંકા નથી કે નેહા ઝડપથી ટીવીની સ્ટાઈલિશ સ્ટારની લિસ્ટમાં શામિલ થવા માટે બિલકુલ તૈયાર છે . બિગ બોસ 12 પછી નેહા પણ વાયરલ તસ્વીરોનો હિસ્સો બની ચુકી છે . નેહાની વાયરલ ફોટો જોઈને તમે પણ સમજી જશો કે નેહા કોઈ બોલિવૂડ સ્ટારથી બિલકુલ પણ ઓછી નથી . નેહાની વાયરલ ફોટો પર એક નજર કરો . ." entertainment,"રાજકુમાર હિરાનીની નિર્દેશનમાં બનેલી સંજય દત્ત બાયોપિક સંજુ રિલીઝ થઇ ચુકી છે . આ ફિલ્મે શુક્રવારે 34.75 કરોડ રૂપિયાની ધમાકેદાર ઓપનિંગ કરી છે . બીજા દિવસે શનિવારે પણ ફિલ્મની ઓક્યુપેસી જોરદાર રહી . શનિવારે 85 - 90 ટકા જેટલી ઓક્યુપેસી જોવા મળી . મલ્ટીપ્લેક્સ સાથે સાથે સિંગલ સ્ક્રીન પર પણ ફિલ્મ જોરદાર પ્રદર્શન કરી રહી છે . રિપોર્ટ અનુસાર શનિવારે ફિલ્મ 38 - 40 કરોડ જેટલી કમાણી કરી શકે છે . બે દિવસમાં રણબીર કપૂરની ફિલ્મ 75 કરોડનો આંકડો પાર કરી લેશે . બોક્સઓફીસને પણ પણ આવી એક શાનદાર ફિલ્મની જરૂર હતી . સલમાન ખાનની રેસ 3 ફિલ્મ 170 કરોડમાં સમેટાઈ ગયી છે . સંજુ વિશે વાત કરવામાં આવે તો આ ફિલ્મ લોકોને ખુબ જ પસંદ આવી રહી છે . ફિલ્મ કન્ટેન્ટ મામલે ખુબ જ દમદાર છે . રણબીર કપૂર સહીત ફિલ્મની બધી જ સ્ટારકાસ્ટ ઘ્વારા જોરદાર કામ કરવામાં આવ્યું છે . આ ફિલ્મમાં ઈમોશન , કોમેડી , રોમાન્સ , ડ્રામા બધું જ છે . વિકએન્ડ સુધી આ ફિલ્મના બધા જ શૉ હાઉસફુલ છે , જેનો અસર બોક્સઓફિસ પર પણ જોવા મળશે ." business,"એસબીઆઈ નવા ધિરાણદર 7 નવેમ્બર , 2013થી અમલી બનાવવાની છે . આ કારણે હોમ , ઓટો અને કન્ઝ્યુમર લોન સહિત તમામ પ્રકારની લોન થશે . રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા છેલ્લે રજૂ કરવામાં આવેલી ત્રિમાસિક નાણાકીય પોલીસિમાં રેપોરેટમાં વધારો કરવામાં આવ્યો હતો . આમ છતાં એમએસએફ દરમાં ઘટાડો કરવામાં આવ્યો હોવાથી બેન્કોને વધારે તકલીફ થશે નહી . એસબીઆઈના ચેરપર્સન અરુંધતી ભટ્ટાચાર્યના જણાવ્યા પ્રમાણે ફંડના ખર્ચમાં વધારો થયો હોવાથી બેન્કે બેઝરેટમાં વધારો કરવો પડ્યો છે . જોકે બેન્કની ટૂંકા ગાળાના ધિરાણદરમાં વધારો કરવાની કોઈ યોજના નથી . અરુણધતિ ભટ્ટાચાર્યના મત પ્રમાણે મોટા બાગની બેન્કોના બેઝ રેટ એસબીઆઈ કરતા વધુ છે . એસબીઆઈનો ક્રેડિટ ગ્રોથ 17થી 18 ટકા થવાનો અંદાજ રાખવામાં આવ્યો છે . આ અગાઉ એચડીએફસી બેંક દ્વારા પણ ધિરાણદરમાં વધારો કરવામાં આવ્યો હતો . આરબીઆઈ દ્વારા બેઝ રેટમાં 0.5 ટકાનો વધારો કરવામાં આવ્યો હોવા છતા બેન્ક દ્વારા બેઝરેટમાં 0.2 ટકાનો જ વધારો કરવામાં આવ્યો છે ." sports,"કોમનવેલ્થ ગેમ્સના પહેલા દિવસે ભારતીય રમત પ્રેમિયોને સારા સમાચાર મળ્યા છે . ભારતની જોળીમાં 2 ગોલ્ડ , 3 સિલ્વર અને 2 બ્રોન્ઝ મેડલ આવ્યા . મહિલાઓની વેટલિફ્ટિંગ પ્રતિયોગિતામાં 48 કિલોગ્રામ ભારવર્ગમાં સંજીતા ખુમુકચામે ગોલ્ડ પર પોતાનો કબ્જો જમાવ્યો , જ્યારે વેટલિફ્ટર સુખેન ડેએ ભારતને બીજું ગોલ્ડ મેડલ અપાવ્યું . પહેલા દિવસે ટીમ ઇન્ડિયાના ખાતામાં કુલ સાત પદક આવ્યા . ગ્લાસગોમાં ચાલી રહેલા 20માં ઓલિમ્પિક ગેમ્સમાં ભારતે પોતાના અભિયાનની શાનદાર શરૂઆત કરી . મહિલાઓની વેટલિફ્ટિંગ સ્પર્ધામાં 48 કિલોગ્રામ વર્ગમાં સંજાતા ખુમુકચામે ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યું . આ જ વર્ગમાં રજત પદક પણ ભારતના ભાગે જ આવ્યું . મીરાબાઇ ચાનૂ સાયખોમે રજત પદક પર પોતાનો કબ્જો જમાન્યો . સંજીતાએ પોતાના વર્ગમાં 96 કિલોગ્રામ વજન ઉઠાવીને સોનું પોતાના નામે કર્યું તો ચાનૂ 95 કિલોગ્રામ ઉઠાવીને બીજા સ્થાને રહી . જ્યારે નાઇજીરિયાની ઓપરાને કાંસ્ય પદક મળ્યું . આ ઉપરાંત પુરુષોના 56 કિલોગ્રામ ભારવર્ગમાં સુખેન ડેએ ગોલ્ડ મેડલ પર પોતાનો કબ્જો જમાવ્યો . આ ઇવેંટમાં ગણેશ માલીને કાંસ્ય પદક મળ્યું . જૂડોમાં ભારતે 2 રજત પદક જીત્યા . 60 કિલો પુરુષ વર્ગમાં નવજોત ચાના અને 48 કિલો મહિલા વર્ગમાં સુશીલા લિકમાબામે સિલ્વર પદકને ભારતના નામે કર્યું . જ્યારે બેડમિંટનમાં પણ ભારત માટે પહેલો દિવસ સારો રહ્યો . પારૂપલ્લી કશ્યપે મેંસ સિંગલ્સમાં જીતની સાથે શરૂઆત કરી છે . મહિલા મુકાબલામાં સ્ટાર પીવી સિંધુએ ગ્રુપ - બીના મેચમાં સરળ જીત અપાવી . સિંધૂએ ઘાનાની સ્ટેલા અમાસાને 15 મિનિટમાં જ 21 - 7,21 - 5થી હરાવી દીધુ . આ ઉપરાંત બેડમિંટનના જ મેન્સ ડબલ્સ મુકાબલામાં અક્ષય દેવાલકર અને પ્રણય ચોપડાએ જીતની સાથે શરૂઆત કરી . આ જોડીએ 22 મિનિટમાં મુકાબલાને 21 - 7,21 - 11થી જીતી લીધું . ભારતીય મહિલા સ્ક્વેશ ટીમની અનાકા અલંકામોનીએ કેન્યાની ખાલિકા નિમ્જીને સરળતાથી હરાવી દીધી . 20 વર્ષની અનાકાએ આ મુકાબલો 11 - 2,11 - 3 , અને 11 - 6થી જીત્યો . સિંગલ્સની જ બે અને મહિલા ખેલાડી દીપિકા પલ્લીકલ અને જોશા ચિનપ્પા પહેલા જ ટોપ - 32માં પહોંચી ચૂકી છે . પહેલા દિવસની રમત બાદ મેડલ ટેબલની સ્થિતિ કંઇ આ પ્રમાણે છે . 6 ગોલ્ડની સાથે ઇંગ્લેન્ડ પહેલા નંબર પર છે . ઓસ્ટ્રેલિયાના ખાતામાં 5 ગોલ્ડ છે , ત્યારબાદ સ્કૉટલેન્ડે 4 ગોલ્ડ જીત્યા છે અને ભારત 2 ગોલ્ડની સાથે ચોથા સ્થાન પર છે . CWG 2014માં ભારતની સોનેરી શરૂઆત , જુઓ તસવીરોમાં . . ." business,રેટિંગ એજન્સી ફિચે ગુરુવારે જણાવ્યું છે કે આગામી વર્ષોમાં ભારતમાં વિકાસની નવી ગાથા રચાશે . કારણ કે આવનારા બે વર્ષમાં ભારતીય અર્થતંત્ર નોંધપાત્ર રીતે વૃદ્ધિ પામશે . યુએસના રોકાણકારો દ્વારા વિકસી રહેલા માર્કેટમાં બેંકિંગ સંસ્થાઓની આર્થિક સ્થિતિના સંદર્ભમાં પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબમાં ફિચે પોતાનું આ નિવેદન આપ્યું હતું . તેમાં ભારતના અર્થતંત્ર વિશે હકારાત્મક સંકેત આપવામાં આવ્યા હતા . ફિચે જણાવ્યું હતું કે ' ભારતીય બેંકિંગ સિસ્ટમ સામે બે મુખ્ય પડકારો છે . એસેટ્સ ક્વૉલિટી અને કેપિટલાઇઝેશન . સરકારી બેંકોમાં આ બાબતો મુખ્ય મુદ્દાઓ છે . ' જ્યારે ખાનગી બેંકોની સ્થિતિ વધારે સારી છે . તેનું મૂડીકરણ પણ વધારે સારી રીતે થઇ રહ્યું છે . આ માટે તેઓ મર્યાદિત સંપત્તિ સાથે જરૂરી મૂડી સાથે વિકાસ કરી રહી છે . ફિચે સરકારી બેંકો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને બેંક ઓફ બરોડાને સારી સ્થિતિમાં હોય તેવી બેંકો ગણાવી છે . તે ભારતની આર્થિક વૃદ્ધિ સાથે આગળ વધી રહી છે . entertainment,"હિન્દી ફિલ્મોના બાદશાહ ખાન એટલે કે શાહરુખ ખાનને લોકો કિંગ ઑફ રોમાંસ કહે છે . મોહબ્બતના બાદશાહ શાહરુખે ફિલ્મી કૅનવાસે આ પ્રકારે પ્રેમની સુવાસ ફેલાવી છે કે જેને લોકો પ્રેમ કરે છે . શાહરુખે માત્ર પ્રેમ પ્રસરાવ્યો જ નથી , પણ ફિલ્મી પડદે ઇશ્કની એવી દાસ્તાન લખી છે કે જે લખી શકવું બધાનું કામ નથી . પોતાની રીયલ લાઇફમાં પણ પ્રેમ અને સંબંધોને અતિ મહત્વ આપનાર શાહરુખ ખાન સામે આજે પણ કોઈ રોમાંટિક હીરો ટકી નથી શકતો , પરંતુ કદાચ હવે આવું નહીં રહે , કારણ કે હવે તેમનો મુકાબલો પોતે તેમના 17 વર્ષના પુત્ર આર્યન સાથે થવા જઈ રહ્યો છે . ચોંકી ગયા ને ! પણ આજકાલ ઇંટરનેટ પર જે જોવાઈ રહ્યું છે , તેના હિસાબે જૂનિયર શાહરુખ એટલે કે આર્યન ખૂબ જ રંગીનમિજાજ છે અને હદ તો ત્યારે થઈ ગઈ કે જ્યારે એક વીડિયો ઝડપથી ઇંટરનેટ પર વાયરલ થયો . આ વીડિયોમાં આર્યનને કોઈ છોકરી સાથે વગર કપડે ઇંટીમેટ દર્શાવાયો છે . આ વીડિયો હદથી વધુ વલ્ગર છે . હવે આ તસવીરો સાચે જ શાહરુખના દીકરા આર્યનની છે કે નહીં , તે તો કહેવુ મુશ્કેલ છે , પણ આ તસવીરોમાં જે છોકરો દર્શાવાયો છે , તેનો ચહેરો આબેહૂબ આર્યન સાથે મળતો આવે છે . જોકે આ પહેલી વાર નથી કે જ્યારે આર્યન અંગે આ પ્રકારના સમાચારો આવ્યા છે . આ અગાઉ પણ આ જ વર્ષે માર્ચમાં આર્યનની એક તસવીર ટ્વિટર પર પોસ્ટ થઈ હતી કે જેમાં શાહરુખના સાહેબઝાદા આર્યન બે યુવતીઓ વચ્ચે ઘેરાયેલા હતાં અને બંને યુવતીઓ તેમના ગાલે કિસ કરી રહી હતી . આ તસવીર ઝૈનબ અબ્દુલ્લાની પોતાના ટ્વિટર ઍકાઉંટ @ Zainaba53998184 પર પોસ્ટ કરી હતી અને તસવીર નીચે કૅપ્શન લખ્યું હતું લૅડીઝ મૅન . એટલુ જ નહીં , થોડાક સમય અગાઉ એમ પણ જાણવા મળ્યુ હતું કે આર્યન અને અમિતાભ બચ્ચનના દોહિત્રી નવ્યા નવેલી નંદા વચ્ચે સઘન મૈત્રી છે . બંને લંડનની સેવન ઓક્સ સ્કૂલમાં સાથે ભણે છે . બંનેમાં ઘેરી મૈત્રી છે અને બંને એક - બીજાને સમજે છે . સામાન્ય રીતે બંનેને સાથે જોવામાં આવે છે . અત્યાર સુધી શાહરુખ ખાન તરફથી આર્યન અંગેના કોઈ પણ સમાચાર અંગે ક્યારેય કોઈ પ્રત્યાઘાત સાંપડ્યા નથી . ચાલો તસવીરોમાં જોઇએ આર્યનના કારનામા અને જોઇએ એમએમએસ :" sports,"પોતાનું ફોર્મ પાછુ મેળવવા માટે સતત સંઘર્ષ કરી રહેલી ભારતીય શટલર સાઇના નહેવાલ મકાઉ ઓપન બેડમિંટન ચેમ્પિયનશીપથી બહાર નીકળી ગઇ છે . સાઇનાને મહિલા સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં દુનિયાની 226 નંબરની ચીની ખેલાડી ઝાંગ યેમાને હરાવી દીધી છે . મકાઉ ઓપન બેડમિંટન ચેમ્પિયનશીપમાં શુક્રવારે બેડમિંટન કોર્ટમાંથી ભારતીય ખેલ પ્રશંસકો અને સાઇના માટે નિરાશાજનક સમાચાર આવ્યા . ચીનની ઝાંગ યેમાને સાઇનાને 17 - 21,21 - 18,21 - 12 થી મ્હાત આપી દીધી છે . ચીની ખેલાડી ઝાંગ સાઇનાના મુકાબલે ઘણી યુવા છે . તે દુનિયાની 226 માં નંબરની ખેલાડી છે . એવામાં ભારતીય ખેલાડી માટે આ હાર ઘણી નિરાશાજનક છે . ઇજા બાદ ફોર્મમાં આવવા માટે સંઘર્ષ કરી રહી છે સાઇના સાઇના નહેવાલે ગુરુવારે પ્રી - ક્વાર્ટર ફાઇનલ મુકાબલામાં ઇંડોનેશિયાની ખેલાડી દિન ડેયાહ ઓસ્ટાઇનને 17 - 21,21 - 18,21 - 12 થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી હતી . મહિલા સિંગલ્સમાં પીવી સિંધૂ ટુર્નામેંટમાંથી નીકળી ગયા બાદ સાઇના પર ભારતને આશા હતી . રિયો ઓલિમ્પિકમાં ઇજાગ્રસ્ત થયા બાદ લાંબો સમય રમતથી દૂર રહ્યા બાદ સાઇના બે અઠવાડિયા પહેલા ચાઇના ઓપનથી રમતમાં પાછી આવી છે . સાઇના સતત પોતાની ફીટનેસ પાછી મેળવવા અને રમતમાં ફોર્મ પાછુ મેળવવા કોશિશ કરી રહી છે ." business,[ ઇંટરનેટ ] શું આપને ખબર છે કે આપ યૂટ્યૂબ જેવી સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર વીડિયો અપલોડ કરીને પણ રૂપિયા કમાઈ શકો છો . પરંતુ આપનો એ વીડિયો કોપી કરેલો ના હોવો જોઇએ એ આપનો પોતાનો હોવો જોઇએ . આપ યૂટ્યૂબ પર પોતાનું એકાઉન્ટ બનાવીને વીડિયો અપલોડ કરીને પ્રસિદ્ધિ પણ મેળવી શકો છો અને સાથે સાથે સાઇડ ઇનકમ પણ ઊભી કરી શકો છો . સૌથી પહેલા તો યૂટ્યૂબ પરના આ પ્રોગ્રામને જોઇન કરવા માટે કોઇ ફીસ પણ ચૂકવવી નથી પડતી . યૂટ્યૂબ તેના માટે યૂઝર્સને સૌથી પહેલા યૂટ્યૂબ પાર્ટનરશિપ ફોર્મ ભરવાનું રહે છે . https : / / www . youtube . com / features આ લિંક પર ગયા બાદ આપના સર્ચની નીચે એક વીડિયો મેનેજરનું ઓપ્શન હશે . વીડિયો મેનેજરના ઓપ્શનને ક્લિક કરવાથી ઘણી કેટેગરી ખુલશે . તેમાં ચેનલવાળું ઓપ્શન સિલેક્ટ કરો . તેના ફીચર્સમાં જાવ . ફીચર્સમાં ગયા બાદ વીડિયો ડોમિનેશન પર ક્લિક કરીને ખુદને રજિસ્ટર કરો . આ પહેલા વીડિયો તૈયાર રાખો . sports,"ભારતીય ક્રિકેટ ટીમના આવતા વર્ષના ઈંગ્લેન્ડ પ્રવાસને ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડે મંજૂરી આપી દીધી છે . આ પ્રવાસ 23 જૂન , 2014થી શરૂ થશે અને ૮ સપ્ટેંબર , 2014ના રોજ પૂરો થશે . આ પ્રવાસ દરમિયાન ભારતીય ટીમ ત્યાં પાંચ ટેસ્ટ મેચ , પાંચ વન - ડે ઈન્ટરનેશનલ મેચ અને એક ટ્વેન્ટી - 20 ઈન્ટરનેશનલ મેચ રમશે . ખાસ બાબત એ છે કે 50 વર્ષ બાદ ભારતીય ક્રિકેટ ટીમ ઇંગ્લેન્ડમાં 5 ટેસ્ચ મેચ રમશે . છેલ્લે 1959માં ભારતે પાંચ ટેસ્ટ મેચ ઇંગ્લેન્ડમાં ખેલી હતી . આ મહત્વપૂર્ણ પ્રવાસનો આરંભ ભારતીય ક્રિકેટ ટીમ લેસ્ટરશાયર અને ડર્બીશાયર સામે ત્રણ - દિવસની મેચો રમીને કરશે . પહેલી ટેસ્ટ 9 જુલાઈ , 2014થી ટ્રેન્ટ બ્રિજમાં રમાશે . લોર્ડ્સમાં બીજી ટેસ્ટ 17 જુલાઈથી રમાશે . ત્રીજી ટેસ્ટના સ્થળ તરીકે એજીસ બાઉલનું નામ પસંદ કરાયું છે , પણ અંતિમ નિર્ણય લેવાનો હજી બાકી છે . તે મેચ 27 જુલાઈથી શરૂ થશે . છેલ્લી બે ટેસ્ટ ઓલ્ડ ટ્રેફર્ડ અને ઓવલમાં 7 ઓગસ્ટ અને 15 ઓગસ્ટથી રમાશે . પાંચ વન - ડે મેચો 25 ઓગસ્ટ અને પાંચ સપ્ટેંબર વચ્ચે રમાશે . તેના સ્થળ છે . આ મેચે અનુક્રમે બ્રિસ્ટોલ , કાર્ડિફ , ટ્રેન્ટ બ્રિજ , હેડિંગ્લી અને એજબેસ્ટન ખાતે રમવામાં આવશે . પ્રવાસની એકમાત્ર ટ્વેન્ટી - 20 મેચ સાતમી સપ્ટેંબર , 2014ના રોજ એજબેસ્ટનમાં રમાશે ." entertainment,"મુંબઈ , 24 સપ્ટેમ્બર : પુખ્તો માટેની અભિનેત્રી સન્ની લિયોનની હૃદયપૂર્વક ઇચ્છા છે કે બૉલીવુડ પ્રેમીઓ તેમને દિલથી અપનાવી લે , પરંતુ તેની આ ઇચ્છા પૂર્ણ થતી હોય એવું લાગતું નથી . હવે તમે પૂછશો કે કેમ અને કઈ રીતે ? તો ચાલો અમે આપને બતાવી દઇએ . સન્ની એડલ્ટ ફિલ્મોની મલ્લિકા છે . લોકો તેને પોર્ન સ્ટાર તરીકે ઓળખે છે . તેની ફિલ્મો જોઈને વાહ - વાહ તો કરે છે , પણ તેને પોતાના ઘરમાં જોવા નથી માંગતા . સન્ની હાલ કરોડો પૈસા લઈને મુંબઈના બિલ્ડરોને ત્યાં પોતાના પતિ સાથે ચક્કર લગાવી રહી છે , જેથી તેને માયાનગરીમાં એક આશિયાનો મળી જાય , પરંતુ સન્નીની પોર્ન ઈમેજને પગલે કોઈ પણ બિલ્ડર સન્નીને મકાન આપવા તૈયાર નથી . એવું પણ સંભળાય છે કે સન્ની લિયોન લોકોને મોમાંગી કિંમત આપવા પણ તૈયાર છે . છતાં કોઈએ તેને ઘર વેચવાની ઑફર કરી નથી . શક્ય છે કે આ જ એક મોટું કારણ હશે સન્ની લિયોનના પેલા નિવેદનનું , જેમાં તેણે જણાવ્યુ હતું કે હવે તે ફેમિલી પિક્ચર કરવા માંગે છે , જેથી લોકો તેની ફિલ્મો આખા કુટુમ્બ સાથે બેસીને જોઈ શકે ." entertainment,"આમિર ખાનની ફિલ્મ ધૂમ 3એ ક્રિસમસ પ્રસંગે રિલીઝ થયાબાદ માત્ર 25 જ દિવસોમાં શાહરુખ ખાનની ફિલ્મ ચેન્નઈ એક્સપ્રેસ તેમજ હૃતિક રોશનની ક્રિશ ફિલ્મનો રેકૉર્ડ તોડી નાંખ્યો અને વર્ષ 2013ની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની ગઈ છે . ધૂમ 3એ રિલીઝ થતા અગાઉ જ માત્ર બ્રાન્ડ એસોસિએશન વડે જ ઘણી સારી કમાણી કરી લીધી હતી . રિલીઝ થયા બાદ ફિલ્મ અંગે જેટલો ઉત્સાહ હતો , તે જોતા પહેલા જ દિવસે 35 કરોડની કમાણી થઈ . કૃષ્ણા આચ્રાય દિગ્દર્શિત ધૂમ 3 ફિલ્મ 20મી ડિસેમ્બરે ચાર હજાર થિયેટરોમાં રિલીઝ થઈ . લગભગ સો કરોડનું બજેટ ધરાવતી ફિલ્મે જોરદાર પ્રદર્શન કર્યું . સમીક્ષક તરણ આદર્શે ગુરુવારે ટ્વીટ કર્યું - ફિલ્મ ધૂમ 3ના બે અઠવાડિયા . ફિલ્મે હિન્દી ભાષી વિસ્તારોમાં 240.78 કરોડ રુપિયા કમાવ્યાં . તામિળ તેમજ તેલુગુમાં 11.92 કરોડની કમાણી કરી . સરવાળે 252.70 કરોડ રુપિયાની કમાણી . આ ફિલ્મે પ્રદર્શનના પહેલા જ દિવસે 36.22 કરોડની કમાણી કરી હતી અને બીજા દિવસે 33.36 તેમજ ત્રીજા દિવસે 38.09 કરોડની આવક હાસલ કરી હતી ." business,મુકેશ અંબાણીના રિલાયન્સના ગ્રુપે ગ્રાહકોને અદ્ધભૂત ભેટ આપતા જીયો ફોન લોન્ચ કર્યો છે . આ જાહેરાતની સાથે તેવું પણ જણાવામાં આવ્યું છે કે આ નવો ફોન અશંતહ ફ્રી છે . અને રિલાયન્સ જીયોના તમામ યુઝર્સને તે ફ્રી આપવામાં આવશે . જો કે મફત શબ્દ સાંભળીને અનેક લોકો રાજીને રેડ થઇ ગયા હશે ત્યાં જ તે વાત પણ વિચારવા જેવી છે આટલું બધુ મફત આપીને જીયો કમાશે કેવી રીતે ? ઉલ્લેખનીય છે કે આ ફોન ફ્રી છે પણ શરતો સાથે . તમારે શરૂઆતમાં 1500 રૂપિયા ચૂકવવા પડશે જે 3 વર્ષ બાદ તમને રીફન્ડ મળશે . હવે સવાલ એ કે આમ કરવા જતાં કંપની કેવી રીતે પોતાની ભરપાઇ કરશે ? તો અહીં સમજી લો રિલાયન્સ જીયોનું આખું ગણિત જેના કારણે જીયો પણ ફ્રી જીયો ફોન આપ્યા પછી પણ કરોડોની કમાણી કરશે . વિગતવાર જાણો અહીં . . . entertainment,"કિસ્મત લવ પૈસા દિલ્લી એટલે કે કેએલપીડીમાં વિવેક ઓબેરૉય સાથે પડદા ઉપર આવનાર મલ્લિકા શેરાવત અંગે વિવેકે જણાવ્યું છે કે તેઓ મલ્લિકાની કામણગારી અદાઓ ઉપર આફરીન છે . જોકે મલ્લિકાના દીવાના માત્ર વિવેક જ નહિં , આખી દુનિયા છે . આખરે તે ચીજ જ એવી છે . મલ્લિકાએ અત્યાર સુધી લગભગ 23 બૉલવુડ - હૉલીવુડ ફિલ્મો કરી છે . તેણે દરેક ફિલ્મમાં એક જુદો જ અંદાજ રજૂ કર્યો છે . અમે મલ્લિકાની એવી દસ તસવીરો તારવી આપની સામે રજૂ કરીએ છીએ , જે જોયાં પછી આપ પણ મલ્લિકાના દીવાના થઈ જશો . મલ્લિકાની ઉંમર અંગે તો પોતે મીડિયા પણ નથી વિચારતું , કારણ કે તેની સ્કિન દ્વારા તેની વય અંગે નથી જાણી શકાતું , પરંતુ તેમાં કોઈ શંકા નથી કે તે 35ની ઉંમર પાર કરી ચુકી છે અને આજે પણ 18ની જ લાગે છે . જુઓ મલ્લિકાનો હૉટ તસવીરી અંદાજ -" entertainment,આવું પહેલીવાર નથી કે શમા સિકંદરની તસવીરો વાયરલ થઇ હોય . આ પહેલા પણ તે ઇન્સ્ટાગ્રામ પર સેક્સી ફોટો પોસ્ટ કરી ચુકી છે . શમા સિકંદર ક્યારેક ટોપલેસ તો ક્યારેક ન્યૂડ ફોટોને કારણે સમાચારોનો હિસ્સો બનતી રહી છે . શમા સિકંદર વર્ષ 2018 દરમિયાન પોતાની હોટ ફોટોને કારણે ચર્ચામાં રહી હતી . હાલમાં શમા લાંબા સમયથી ટીવી અને વેબ સિરીઝથી દૂર છે પરંતુ ખુબ જ જલ્દી શમા સિકંદર વેબ સિરીઝ ઘ્વારા કમબેક કરવાની તૈયારી કરી રહી છે . શમા સિકંદર સોશ્યિલ મીડિયા પર પોતાની બોલ્ડ ફોટો શેર કરતી જ રહે છે . આ કારણે ઇન્સ્ટાગ્રામ પર તેના ફોલોવર્સ પણ ખુબ જ ઝડપથી વધી રહ્યા છે . આ વખતે પણ શમા સિકંદરે ઘણી ફોટો શેર કરી છે . કરિશ્મા શર્માની કાતિલ અદાઓ સોશ્યિલ મીડિયા પર આગ લગાવી રહી છે શમાએ ' સેક્સોહોલિક ' નામની એક શોર્ટ ફિલ્મ અને ' માયા ' નામની વેબ સીરિઝમાં ઘણા બોલ્ડ સિન આપ્યા છે . આ સિવાય પણ તે અવાર નવાર પોતાના હોટ ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે . જો તેના ઇન્સ્ટાગ્રામની મુલાકાત લેવામાં આવે તો તેમા ઘણા બિકિની ફોટો જોવા મળે છે . ટીવીની સેક્સી સુપરસ્ટાર શમા સિકંદર હંમેશા ઇન્સ્ટાગ્રામ પર પોતાની બોલ્ડ ફોટો શેર કરતી જ રહે છે . હાલમાં તે છેલ્લા ઘણા સમયથી પોતાની બોલ્ડ ફોટોને કારણે જ ચર્ચામાં છે . કસોટી જિંદગી કી 2 પ્રેરણા ' એરિકા ફર્નાડીઝ ' ની બિકીની ફોટોથી બબાલ sports,"ભારતમાંથી હજારો કરોડનું દેવુ લઇને નાસી છૂટેલ વિજય માલ્યા રવિવારે રમાયેલી ચેમ્પિયન્સ ટ્રોફીની ભારત - પાકિસ્તાનની મેચમાં સ્ટેડિયમમાં જોવા મળ્યા હતા . ઉલ્લેખનીય છે કે , વિજય માલ્યા પર લંડનની કોર્ટમાં સુનવણી ચાલી રહી છે , જેની આગલી તારીખ 13 જૂન છે . આ બધા વચ્ચે વિજય માલ્યાને સ્ટોડિયમમાં બેઠેલા જોઇ લોકો દંગ રહી ગયા હતા . ઘણા પ્રમુખ અખબારો અને સમાચાર વેબસાઇટ પર વિજય માલ્યા મેચ જોવા આવ્યા હોવાના ખબર પણ છપાયા હતા . આ અંગે ટ્વીટ કરતાં વિજય માલ્યાએ મીડિયા પર વ્યંગ કર્યો છે . વિજય માલ્યાએ પોતાના ટ્વીટમાં લખ્યું છે , ભારત - પાકિસ્તાન વચ્ચેની મેચ દરમિયાન મારી ઉપસ્થિતિના સમાચાર મીડિયામાં વિસ્તૃત રીતે કવર કરવામાં આવ્યા . હું ભારતની ટીમને પ્રોત્સાહન આપવા માટે ભારતની તમામ મેચો જોવાની ઇચ્છા રાખું છું . રવિવારે એઝબેસ્ટન સ્ટેડિયમમાં પહોંચેલ વિજય માલ્યાની પૂર્વ કપ્તાન સુનીલ ગાવસ્કર સાથેની એક તસવીર પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ હતી . ઘણી ખબરોમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે , ભારત વિજય માલ્યાને શોધવામાં અસફળ રહ્યું છે અને બીજી બાજુ વિજય માલ્યા લંડનમાં લોકોના પૈસે મોજ કરી રહ્યા છે . ઉલ્લેખનીય છે કે , ભારતમાં બેંકો પાસેથી લગભગ 9000 કરોડ લઇને ભાગી નીકળેલ વિજય માલ્યાને થોડા દિવસો પહેલાં જ એક મોટો ઝાટકો મળ્યો હતો . ઇડી ( Enforcement Directorate ) એ વિજય માલ્યાના મહારાષ્ટ્રના 100 કરોડની કિંમતના માંડવા ફાર્મહાઉસને કબજે કરી લીધું હતું . વિજય માલ્યા ગત વર્ષે બેંકો પાસેથી કરોડો રૂપિયાનું દેવું લઇ અચાનક જ દેશમાંથી ગાયબ થઇ ગયા હતા ." business,"આરબીઆઇએ અર્થતંત્રમાં ઉત્પાદન ક્ષેત્રમાં પૂરતો મૂડી પ્રવાહ જાળવી રાખવાના હેતુથી આ નિર્ણય લીધો હતો . બેંકે કેશ રિઝર્વ રેશિયો ( સીઆરઆર ) માં 0.25 ટકાનો ઘટાડો કર્યો હતો . જેના કારણે સીઆરઆર 4.50 ટકા થયો છે . આ કારણે બેંક સિસ્ટમમાં અંદાજે રૂપિયા 17,000 કરોડની મૂડી ઠલવાશે . રિઝર્બ બેંકે વ્યાજ દર યથાવત રાખવાનો નિર્ણય લીધો છે . આ માટે તેણે જણાવ્યું કે નાણાકીય નીતિની સમીક્ષાનો મૂળ હેતુ બજારમાં ફૂગાવાના દરને નિયંત્રણમાં રાખવાનો છે . રેપો રેટ 8 ટકાના દરે યથાવત રહ્યો હતો . ભારતીય અર્થતંત્રને ફરી વેગવંતુ બનાવવા કેન્દ્ર સરકારે શ્રેણીબધ્ધ પગલાં જાહેર કર્યાના એક દિવસ બાદ ભારતીય રિઝર્વ બેન્કે પણ બેન્કિંગ સિસ્ટમમાં નાણાનો પ્રવાહ વધાર્યો છે ." sports,"મુંબઇ , 19 ઓક્ટોબરઃ ક્રિકેટ પ્રત્યે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ મહાન બેટ્સમેન સચિન તેંડુલકરને એક વાર મેચના આયોજન સ્થળ પર સમયસર પહોંચવા માટે ખાનગી ટેક્સીનો સહારો લેવો પડ્યો હતો . તેણે કહ્યું કે , ટેક્સી અને રિક્ષાના સંયોજનથી હું મારી બેગ્સ સાથે હવાઇ મથકે પહોચ્યો . હું એ દિવસે અભ્યાસ કરવામાં સફળ રહ્યો હતો . આ ડ્રાઇવિંગનો પડકારપૂર્ણ અનુભવ હતો . સચિને સ્વીકાર્યું કે તેને ડ્રાઇવિંગનો શોખ છે . તેણે કહ્યું કે , હું ડ્રાઇવિંગને લઇને ઘણો જ જનૂની છું , ખાસ કરીને કાર્ટિંગને લઇને . મે ન્યુઝીલેન્ડ , ઓસ્ટ્રિયા , જર્મની અને ઇંગ્લેન્ડ જેવા અનેક સ્થળો પર કાર્ટિંગ કરી છે . જ્યાં સુધી ગ્રિપનો સવાલ છે તો એ સર્વશ્રેષ્ઠ ટ્રેકમાંનો એક છે ." business,"ગાંધીનગરઃ મહાત્મા મંદિર ખાતે યોજાયેલ વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં પીએમ નેરેન્દ્ર મોદીએ કહ્યું કે 2020 સુધીમાં ભારત વ્યવસાય કરવા માટે સૌથી સરળ ટૉપ 50 દેશમાં સ્થાન પામશે . વાઈબ્રન્ટ ગુજરાતના ઉદ્ઘાટન સમારોહમાં આજે ટાટા ગ્રુપ , રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ , અદાણી ગ્રુપ , આદિત્ય બિરલા ગ્રુપ , રશિયન ઓઈલ એન્ડ ગેસ એક્ષપ્લોરર રોસનેફ્ટ અને સુઝુકી મોટર્સ કોર્પોરેશના પ્રતિનિધિઓએ મોદી સરકારની આગેવાનીવાળી સરકારના છેલ્લા પાંચ વર્ષના કામ પર પોતાનો મંતવ્ય રજૂ કર્યો હતો . ગુજરાતમાં મૂડી રોકાણ લાવવાનો ઉદ્દેશ્ય ધરાવતી વાઈબ્રન્ટ ગુજરાત સમિટની શરૂઆત 2003 નરેન્દ્ર મોદી ગુજરાતના સીએમ હતા ત્યારે કરવામાં આવી હતી , વાઈબ્રન્ટ ગુજરાત દ્વારા 2001માં મહાકાય ભૂકંપ અને 2002માં ફાટી નીકળેલાં રમખાણો બાદ રોકાણકારોના આત્મવિશ્વાસને ફરી ઉત્તેજિત કરવાની કોશિશ કરવામાં આવી . ટાટા ગ્રુપના ચેરમેન એન ચંદ્રશેખરને પોતાની સ્પીચમાં કહ્યું કે , વાઈબ્રન્ટ ગુજરાત સમિટે વિવિધ સ્ટેકહોલ્ડરને એક પ્રક્રિયા દ્વારા એકસાથે લાવવાનો ટ્રેન્ડ સેટ કર્યો છે . વધુમાં તેમણે કહ્યું કે મોદી સરકારે પાછલા પાંચ વર્ષમાં કરેલાં કામ દેશના આગામી પેઢીઓ સુધી વિકાસના પંથે લઈ જાય તેવાં છે . ચંદ્રશેકરને કહ્યું કે ટાટા કેમિકલ્સની 1 મિલિયન સોડા એશની ક્ષમતા વધારવા માટે રાજ્ય સરકાર સાથે વાતચીત કરી રહ્યા છીએ . સાણંદમાં અણારો ઈલેક્ટ્રિક ઈવી પ્લાન્ટ પણ છે . માત્ર ઈલેક્ટ્રિક વાહનો બનાવવામા જ નહિં બલકે લિથિયમ - ઈયોન બેટરી બનાવવા પણ અમારે વધારે રોકાણ કરવું છે . ઉપરાંત રિન્યૂએબલ એનર્જી ઉત્પાદનમાં પણ અમે રોકાણ કરવા ઈચ્છીએ છીએ . રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં 2003થી દર વર્ષે હાજરી આપી રહ્યા છે . તેમણે કહ્યું કે ગુજરાતના પરિવર્તનશીલ ટેમ્પ્લેટ્સને દેશના અન્ય રાજ્યો કઈ રીતે અનુસરી રહ્યા છે તે સંતોષજનક છે . મોદીને સ્વપ્નદ્રષ્ટા નેતા ગણાવી મુકેશ અંબાણીએ કહ્યું કે , મોદીની આગેવાનીમાં જ ભારત વિશ્વમાં સૌથી ઝડપી ગતિથિ વિકસતું અર્થતંત્ર બન્યું . અદાણી ગ્રુપ આગામી 5 વર્ષમાં ગુજરાતમાં 55000 કરોડ રૂપિયાનું રોકાણ કરવાનું લક્ષ્ય રાખી રહ્યું છે . અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ પોતાની સ્પીચમાં કહ્યું કે , "" આગામી પાંચ વર્ષમાં રોકાણ દ્વારા અમે ખાવડામાં વિશ્વનો સૌથી મોટો સોલાર હાઈબ્રિડ પાર્ક બનાવીશું . આ સોલાર પાર્ક બનાવવા પાછળ અંદાજિત 30 હજાર કરોડ રૂપિયાના રોકાણની જરૂર પડશે . ઉપરાંત મુંદ્રા ખાતે અમે 1GW ડેટા સેન્ટર પાર્ક વિકસાવવા તથા લખપત ખાતે 1 મિલિયન ટનની ક્ષમતા ધરાવતો કોપર સ્મેલટિંગ અને રિફાઈનિંગ પ્રોજેક્ટ , સિમેન્ટ અને ક્લિંકર મેન્યૂફેક્ચરિંગ યૂનિટ બનાવવા યોજના ઘડી છે . આ બધું મળીને કુલ 55 હજાર કરોડ રૂપિયા જેટલા રોકાણની જરૂર પડશે . "" આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન કુમાર મંગલમ બિરલાએ ગુજરાતમાં વિવિધ સેક્ટરમાં 15000 કરોડ રૂપિયાનું રોકાણ કરવાનું વચન આપ્યું છે . ઉપરાંત ત્સિંઘશન ઈન્ડસ્ટ્રી , ચાઈનાના ફાઉન્ડર અને ચેરમેન ગુઆંગદા શિયાંગે કહ્યું કે , "" 2017માં પહેલી વખત MoU કરી અમે ભારતીય પાર્ટનર્સ સાથે મળી મુન્દ્રા ખાતે સ્ટેનલેસ સ્ટીલનો પ્લાન્ટ સેટઅપ કરવાનું કાર્ય શરૂ કર્યું હતું , MoU થયાના એક વર્ષમાં જ કન્સ્ટ્રક્શન કામ શરૂ થઈ ગયું હતું અને આગામી 14 માસમાં પ્રોજેક્ટનો પહેલો ફેઝ પૂર્ણ થઈ જશે . "" સુઝુકી મોટર્સના સીઈઓ તોશિહિરો સુઝુકીએ કહ્યું કે , "" તેમની કંપની મેક ઇન ઇન્ડિયા કન્સેપ્ટ સાથે ભારતમાં કટીંગ - એજ ટેક્નોલોજીઓ રજૂ કરવાનું ચાલુ રાખશે અને ટકાઉ ગતિશીલતામાં ફાળો આપશે . "" જણાવી દઈએ કે વાઈબ્રન્ટ ગુજરાત 2019માં ઉઝબેકિસ્તાન , રવાન્ડા , ડેનમાર્ક , Czech Republic , અને માલ્ટા એમ પાંચ દેશના મુખ્યા સહિત દેશ - વિદેશના 30,000 ડેલિગેટ્સ ભાગ લઈ રહ્યા છે . જો વાઈબ્રન્ટ ગુજરાતના ઉદ્ઘાટન સમારોહની વાત કરીએ તો તે દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે , "" ભારત હવે બિઝનેસ કરવા માટે તૈયાર છે . છેલ્લા 4 વર્ષમાં બિઝનેસ કરવાની સરળતાના મામલે આપણે ગ્લોબલ રેન્કિંગમાં 65 નંબરથી આગળ કૂદકો માર્યો છે . આગામી વર્ષે ભારત બિઝનેસ કરવાની સરળતાના મામલે ટૉપ 50માં સ્થાન મેળવી શકે તે માટે મેં મારી ટીમને વધુ મહેનતે કામ કરવા માટે કહી દીધું છે . "" આખો દેશ ગુજરાત મોડલને અનુસરે છેઃ પીએમ મોદી" entertainment,"ટેલીવિઝન મહારાણી એકતા કપૂરે સ્ટાર પ્લસ સાથે પુનઃ જોડાણ કર્યું છે અને તેઓ બાલાજી ટેલીફિલ્મ્સના બૅનર હેઠળ યે હૈ મોહબ્બતેં લઈને આવી રહ્યાં છે . તેમને આશા છે કે યે હૈ મોહબ્બતેં પુનઃ તેવો જ જાદૂ પ્રસારવશે કે જેવો તેમના અગાઉના શો પ્રસરાવી ચુક્યા છે . આ સીરિયલમાં ટેલીવિઝન સ્ટાર્સ દિવ્યંકા ત્રિપાઠી તેમજ કરણ પટેલ લીડ રોલ કરી રહ્યાં છે . એકતાએ એક નિવેદનમાં જણાવ્યું - મારૂં સ્ટાર સાથેનું પુનઃ જોડાણ દૂરગામી રહેશે . અમે બંનેએ મળી અનેક સફળતાઓ ઉજવી છે . મને આશા છે કે મારી જૂની સીરિયલના પાત્રોની જેમ યે હૈ મોહબ્બતેંના પાત્રો ઇશિતા તેમજ રમન પણ લોકપ્રિય થશે . એકતા કપૂર સ્ટાર પ્લસ ઉપર ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી અને કહાની ઘર ઘર કી જેવી સફળ શ્રેણીઓ રજૂ કરી ચુક્યાં છે . યે હૈ મોહબ્બતેં એક દિલ્હીના બે પાડોશીઓ અય્યર્સ તેમજ ભલ્લાસની શહેરી વાર્તા છે . બંને પરિવારો વચ્ચે સંઘર્ષમય પરિસ્થિતિઓ હોય છે અને તે જ દરમિયાન અય્યર્સની ડેંટિસ્ટ પુત્રી ઇશિતા તેમજ ભલ્લાસના બિઝનેસમૅન પુત્ર રમન એક - બીજા પ્ર્યે આકર્ષાય છે . આ શો 3જી ડિસેમ્બરથી શરૂ થાય છે . સીરિયલમાં નીના કુલકર્ણી , અભય ભાર્ગવ , કૌશલ કપૂર , શહેનાઝ રિઝવાન તથા રુહાનિકા ધવન પણ છે . સ્ટાર પ્લસના જનરલ મૅનેજર ગૌરવ બૅનર્જીએ જણાવ્યું - અમે એકતા સાથે પુનઃ ભાગીદારી કરી ખુશ છીએ . તેઓ જે સ્ટોરી લઈને આવ્યા છે , તે શહેરી અને સામયિક છે . આ લવ - સ્ટોરી લગ્ન બાદ શરૂ થાય છે . તે જીવનમાં પ્રેમની બીજી તકને દર્શાવે છે . શોમાં એક આધુનિક યુગલ દ્વારા રોજ - રોજ ફેસ કરાતી સમસ્યાઓ પર આધારિત છે . અમને આશા છે કે અમારા શહેરી દર્શકો ઇશિતા અને રમન સાથે જોડાશે અને તેમની લવ - સ્ટોરીને ફૉલો કરશે ." entertainment,"આપણી આજુબાજુ સામાન્યતઃ કેટલાક એવા બનાવો બને છે કે જેની ઉપર આપણને વિશ્વાસ નથી થતો કે એવું કેમ થઈ રહ્યું છે ? ક્યારેક કેટલાક અવાજો સંભળાય છે , તો ક્યારેક કેટલાક પડછાયા આપણી આજુબાજુ નજરે પડે છે . જો આપની સાથે એવું ન થયું હોય , તો પણ આપણે જ્યારે સાંભળીએ , તો તે વાતો મજાકમાં ઉડાવી દઇએ છીએ . પરંતુ ક્યારેય આપે વિચાર્યું છે કે આ બનાવો પાછળ પણ કેટલાક કારણો હશે કે જે અંગે આપે ક્યારેય વિચાર્યું નહીં હોય કે પછી જેના અંગે આપ વિચારવા જ નહીં માંગતા હોવ , કારણ કે આપ ક્યાંકને ક્યાંક અંદરથી નબળા છો . સોની ટીવીનો એક નવો શો ભૂત આયા આવા જ બનાવો આપની સામે લાવશે . આ બનાવો પર વિશ્વાસ કરવો કે નહીં , તે આપની ઉપર છે , પણ આ બનાવોની વાસ્તવિકતાનું પ્રમાણ સોની ટીવી આપે છે . સોની ટીવીના આ શો ભૂત આયાનું નિર્માણ કર્યું છે આકાશદીપ સબીર તેમજ શીબાની કમ્પની સિનેટેક ટેલીફિલ્મ્સ પ્રાઇવેટ લિમિટેડે . શીબાને જ્યારે તેમના કોઈ એવા ભૂત સાથે જોડાયેલ ઇંસીડેંટ વિશે પુછાયું , તો તેઓ બોલ્યાં - શોના નિર્માણ દરમિયાન જ્યારે અમે દેશના ખૂણે - ખૂમે રિસર્ચ કરતા હતાં , ત્યારે અનેક એવા પ્રસંગો સામે આવ્યા કે જેમને જોઈ હું પણ સ્તબ્ધ રહી ગઈ . ઘણી વખત તો હું બેસી જ નહોતી શકતી . શીબાના પતિ અને આ કમ્પનીના પાર્ટનર આકાશદીપે જણાવ્યું - જ્યારે અમે ઘણી બધી વાર્તાઓ અંગે રિસર્ચ કર્યું અને તેમને ઉંડાણપૂર્વક જોયું , તો જાણ્યું કે સામાન્યતઃ એવા બનાવો પાછળ કોઇક આત્મા કે કોઇક માણસના અતૃપ્ત આત્માનો એક જ ઉદ્દેશ હોય છે અને તે ઉદ્દેશ છે તેની કોઇક અધૂરી ઇચ્છા કે અધૂરા કામ પૂર્ણ કરવાની ઇચ્છા . પોતાની અપૂર્ણ ઇચ્છાઓ પૂર્ણ કરવા માટે આત્માઓ માણસની મદદ લેવાનો પ્રયત્ન કરે છે , પરંતુ સામાન્યતઃ આપણે બીને તેવા આત્માઓના અવાજોથી દૂર ભાગવાનો પ્રયત્ન કરીએ છીએ ." business,"નવી દિલ્હી , 6 સપ્ટેમ્બર : વર્તમાન સમયમાં સોનાના ભાવ છેલ્લા એક વર્ષમાં સૌથી નીચી સપાટીએ ચાલી રહ્યા છે . આગામી છ મહિના સુધી સોનાના ભાવ આ જ સપાટીએ સ્થિર રહે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે . આ ક્ષેત્રના એક્સપર્ટ્સનું કહેવું છે કે સોનાના ભાવ પ્રતિ 10 ગ્રામ રૂપિયા 26,600 થી રૂપિયા 27,900 વચ્ચે સ્થિર રહેશે . આ અંગે વાણિજય અને ઉદ્યોગ સંગઠન એસોચૈમના અહેવાલ મુજબ વિશ્વના સૌથી મોટા બીજા ક્રમના સોનાના વપરાશકાર દેશ ભારતમાં હવે તહેવારો તેમજ લગ્નસરાની સીઝન આવી રહી છે . આમ છતાં સોનાની માંગ સ્થિર રહેશે . એસોચૈમના અહેવાલ બુજબ વિશ્વના વિભિન્ન દેશોમા રાજનિતિક તણાવ જેવા કે ઇરાકમાં ઇએસઆઇએસની પ્રવૃતિઓ વિસ્તારવી , સિરીયાની તંગદિલી અસર પશ્ચિમ એશિયાઇ દેશોમા ફેલાય , યુક્રેનમાં દરમિયાનગીરી કરવાથી રશિયા પર પશ્ચિમ દેશોનો પ્રતિબંધ , હોગકોંગમાં લોકતંત્રના સમર્થનમાં પ્રદર્શનને કારણે રોકાણકારો માટે સોનાના રોકાણ સુરક્ષિત રહેશે . અહેવાલ મુજબ આંતર રાષ્ટ્રીય બજારમા સોનાનો ભાવ ઘટીને 1200 ડોલર પ્રતિ ઔસથી પણ નીચો આવ્યો છે . પરંતુ જગતના મુખ્ય ચલણ યુરો પાઉન્ડ અને યેનની તુલનાએ ડોલર મજબુત થવાથી ભારતીય બજારમા તેની ખાસ અસર નહી રહે અને સ્થિરતા રહેવાની આશા છે . એસોચૈમએ એવી શક્યતા પણ વ્યક્ત કરી છે કે આ સ્થિતિમાં સોનાની આયાતનીતિમાં ફેરફારની આશા રાખી શકાય નહિ . રૂપિયા સામે ડોલર મજબુત થવાની આશા છે . જો કે વૈશ્વિક માંગ નબળી હોવા છતાં સોનાના ભાવમાં વધુ ઘટાડો થશે નહિ . ભારત અને ચીનમાં વિશ્વને અંદાજે 60 ટકા સોનાનો વપરાશ થાય છે આ બન્ને દેશની અર્થ વ્યવસ્થા માંગને સતત પ્રોત્સાહિત રહે છે . અહેવાલમાં જણાવ્યું છે કે દશેરા , દુર્ગાપૂજા , દિવાળી , ક્રિસમસ , નવા વર્ષના પ્રસંગે ભારતના છૂટક વપરાશકારોની માંગ વધશે જેના કારણે સોનામાં રોકાણ વધી શકે છે . આ ઉપરાંત છેલ્લા બે વર્ષમાં સોનાનો ભાવ રૂપિયા 26,900થી રૂપિયા 32,000 પ્રતિ 10 ગ્રામ વચ્ચે હતો જે માંગમાં વધારો કરી શકે છે ." business,"ભારત સરકારે વર્ષ 9 મે , 2015ના રોજ ત્રણ સામાજિક સુરક્ષા યોજનાઓ ચાલુ કરવાની જાહેરાત કરી છે . આ સામાજિક સુરક્ષા યોજનાઓનો ઉદ્દેશ્ય ભારતીયોને ઇંશ્યોરેન્સ પ્લાન હેઠળ લાવવાનું છે , પરંતુ મોટાભાગના આ યોજનાઓનો લાભ નથી લેતા હોતા . આ સામાજિક સુરક્ષા યોજનાઓ છે - વડાપ્રધાન સુરક્ષા વીમા યોજના , વડાપ્રધાન જીવન જ્યોતી વીમા યોજના અને અટલ પેન્શન યોજના . હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે શું ખરેખર આ યોજનાઓનો લાભ લેવો જોઇએ ખરો ? શું ખરેખર આ યોજનાઓ થકી લાભ મળશે ખરો ? કે પછી શું આ યોજનાઓ આપણા લાયક છે ? આવા ઘણા પ્રકારના સવાલો આપણા મનમાં ઊઠે છે . પરંતુ અમે આપના આ તમામ સવાલોના જવાબ અહીં આપી દઇશું . આવો પહેલા એ સમજીએ કે આ યોજનાઓ આપને શું લાભ આપે છે , જેથી આપના સવાલોનો જવાબ આપને મળી રહેશે ." entertainment,"ઇરોઝ ઇંટરનેશનલ ફિલ્મની રાંઝણા ફિલ્મનું ટ્રેલર આઉટ થઈ ચુક્યું છે અને ટ્રેલર જોયા બાદ સૌ ધનુષના ખૂબ વખાણ કરી રહ્યાં છે . એટલું જ નહીં અનેક લોકોએ તો સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ ઉપર પોતાની રીતે ધનુષને સપોર્ટ કરવું શરૂ કરી દીધું છે . રાંઝણા ધનુષની પ્રથમ બૉલીવુડ ફિલ્મ છે કે જેમાં તેમના હીરોઇન સોનમ કપૂર છે . બૉલીવુડ કોરિયોગ્રાફર - દિગ્દર્શિકા ફરાહ ખાન તામિળ ફિલ્મ અભિનેતા ધનુષના અભિનયથી ખૂબ જ પ્રભાવિત છે . ધનુષ રાંઝણા ફિલ્મ દ્વારા બૉલીવુડમાં પ્રવેશ કરી રહ્યાં છે . ફરાહ કહે છે કે ધનુષ સ્ક્રીન ફ્રેન્ડલી અભિનેતા છે . ફરાહે ટ્વિટર પર લખ્યું - મને લાગે છે કે ધનુષ આજના સમયના સૌથી આકર્ષક , દિલકશ તથા સ્ક્રીન ઉપર એકદમ સહજ દેખાતાં અભિનેતા છે . ધનુષ પડદા ઉપર પણ એવાં જ લાગે છે કે જેવા તેઓ હકીકતમાં છે અને આ જ તો કમાલની વાત છે . બૉલીવુડ અભિનેત્રી શ્રીદેવી કહે છે - ધનુષ બહુ સારા એક્ટર છે . તેમની ફિલ્મ બહુ જ સારી લાગી રહી છે . હું તો ફિલ્મની રાહ જોઈ રહી છું . રાણા દુગ્ગાબાતીનું કહેવું છે કે ધનુષ એક ખૂબ જ બહેતરીન એક્ટિર છે . ફિલ્મનું પ્રોમો ખૂબ બહેતરીન છે . હું તેમને ખૂબ - ખૂબ શુભેચ્છાઓ પાઠવુ છું . શ્રુતિ હસન કે જે ધનુષની ખૂબ જ નજીક છે જણાવે છે કે ધનુષ બહેતરીન કો - સ્ટાર છે . રાંઝણાનું સંગીત એ . આર . રહેમાને આપ્યું છે જ્યારે આનંદ એલ રાય દિગ્દર્શક છે . ફિલ્મ 21મી જૂનના રોજ રિલીઝ થઈ રહી છે ." entertainment,"શિલ્પા શેટ્ટી . એમ તો બૉલીવુડ અભિનેત્રી છે , પરંતુ હાલમાં તેઓ સૌથી વધારે આઈપીએલ અંગે ચર્ચામાં છે . રાજસ્થાન રૉયલ્સના માલિક શિલ્પા શેટ્ટી તથા તેમના પતિ રાજ કુન્દ્રા હાલ આઈપીએલમાં સટ્ટાના વિવાદમાં સપડાયાં છે . આજે શિલ્પા શેટ્ટીનો 38મો જન્મ દિવસ છે . આ વિવાદ અને મુશ્કેલીના પગલે કદાચ શિલ્પા અનુભવતાં હશે કે આ વખતે સૌથી ખરાબ જન્મ દિવસ છે તેમનો , તો શિલ્પાના ફૅન્સને આપણે પ્રાર્થના કરીએ કે તેઓ શિલ્પાને વધુમાં વધુ શુભેચ્છાઓ પાઠવે , કારણ કે આ વખતે તેમને શુભેચ્છાઓની સૌથી વધારે જરૂર છે . શિલ્પા શેટ્ટીનો જન્મ 8મી જૂન , 1975ના રોજ કર્ણાટકના મૅંગલોર ખાતે થયો હતો . તેમણે બૉલીવુડમાં પોતાના કૅરિયરની શરુઆત શાહરુખ ખાન સાથે બીઝગર ફિલ્મ દ્વારા કરી હતી . જોકે આ ફિલ્મમાં શાહરુખના હીરોઇન કાજોલ હતાં અને શિલ્પા શેટ્ટી સાઇડ રોલમાં હતાં , પરંતુ પ્રથમ જ ફિલ્મ હિટ થતાં અને તેમાં પણ શિલ્પાનું નાનકડા રોલમાં પણ શાનદાર પરફૉર્મન્સ તેમના માટે પણ ફળદાયી નિવડ્યું . તે પછી શિલ્પા શેટ્ટી પણ બૉલીવુડમાં ચાલી ગયાં . જોકે બાઝીગર બાદ શિલ્પા શેટ્ટીએ અનેક ફિલ્મોમાં કામ કર્યું , પરંતુ તેમાં ખાસ મહત્વની અને સફળ રહેલી ફિલ્મો ગણીગાંઠી જ છે . તેમાં અક્ષય કુમાર સાથેની મૈં ખિલાડી તૂ અનાડી તથા સુનીલ શેટ્ટી - અક્ષય કુમાર સાથેની ધડકન ફિલ્મનો સમાવેશ થાય છે . બૉલીવુડમાં જ્યારે શિલ્પાનું કૅરિયર ડગમગાવા લાગ્યું , તો તેમણે અન્ય પ્રવૃત્તિઓમાં પણ રસ લેવા માંડ્યું અને હાલ તો છેલ્લા 6 વરસથી તેઓ આઈપીએલ ટૂર્નામેંટના કારણે ચર્ચામાં રહેતા આવ્યાં છે . જોકે પાંચ વરસમાં તો તેઓ પોતાની ટીમ રાજસ્થાન રૉયલ્સની હાર - જીત ઉપર જ ચર્ચામાં આવતા હતાં , પરંતુ આઈપીએલ 6 સ્પૉટ ફિક્સિંગ અને સટ્ટાબાજીના કારણે વગોવાયું અને છેલ્લે - છેલ્લે શિલ્પા શેટ્ટી તથા તેમના પતિ રાજ કુન્દ્રાનું નામ પણ ઉછળતાં શિલ્પા હાલ મુશ્કેલીમાં છે અને આ વખતના જન્મ દિવસે શિલ્પાને શુભેચ્છાઓની સૌથી વધુ જરૂર છે ." entertainment,"અભિનેત્રી અને મોડલ ઈશા ગુપ્તાએ પોતાની આવનારી ફિલ્મ વનડે વિશે વાત કરતા ઇન્ડસ્ટ્રીના ઘણા મુદ્દાઓ પર વાત કરી , જેમાં એક મુદ્દો અભિનેત્રીનો દેખાવ પણ હતો . ઈશા ગુપ્તાએ કહ્યું કે આપણે માની લીધું છે કે અભિનેત્રીનો રંગ આવો હોવો જોઈએ અને ફિગર આવું હોવું જોઈએ . સુંદરતાને લઈને આપણા માપદંડ નક્કી છે . આજ કારણ છે કે આપણે ડાર્ક રંગની અભિનેત્રી જેનો રંગ કાળો , ભૂરો અથવા સાંવલો છે તેને સેક્સી કહેવામાં બિલકુલ પણ મોડું નથી કરતા પરંતુ તેમને કયારેય પણ જલ્દીથી સુંદર કહેવામાં કે લખવામાં નથી આવતું . ઈશા ગુપ્તાએ ફિગર વિશે વાત કરતા કહ્યું કે આપણે ફિગરને પાતળું હોવું માની લીધું છે . બ્રુના અબ્દુલ્લાએ સૌથી હોટ તસવીરો શેર કરી , ગાળો પડી રહી છે આજ કારણ છે કે વધારે વજનને કારણે અભિનેત્રીઓને ઘણું સાંભળવું પડે છે . પરંતુ ઈશા ગુપ્તા બોડી પોઝેટિવનો મતલબ સ્વસ્થ નહીં રહેવું નથી માનતી . તેનું કહેવું છે કે જો તમે જાડા છો , પોતાની લાઈફસ્ટાઈલને કારણે , કસરત નહિ કરવાને કારણે , ખોટું ખાવાની આદતને કારણે તો તમારે તેને સુધારવી જોઈએ ." business,"યુઝર ડેટાની સુરક્ષા માટે ડિજિટલ ઈકોનોમી ગ્રોથ પર બનેલી સરકારી સમિતિનું કહેવું છે કે જાતિ - ધર્મ , પાસવર્ડ , આધાર અને ટેક્સ સંબંધિત જાણકારી આ બધા જ સંવેદનશીલ વ્યક્તિગત આંકડા છે . સમિતિ ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે યુઝરની સ્પષ્ટ સહમતી વિના તેનો કોઈ પણ પ્રકારે દુરુપયોગ નહીં થવો જોઈએ . જસ્ટિસ બી એન કૃષ્ણન અધ્યક્ષતામાં બનેલી કમિટી ઘ્વારા જણાવવામાં આવ્યું કે ડેટા સુરક્ષા નિયમનો ઉલ્લંગન કરનાર કંપનીઓને 15 કરોડ રૂપિયાથી લઈને તેના આંતરરાષ્ટ્રીય કારોબારના કુલ 4 ટકા ટર્નઓવરનો દંડ લાગી શકે છે . કમિટી ઘ્વારા ડેટા સુરક્ષા નિયમ વિશે જણાવવામાં આવ્યું છે કે યુઝરને તેની સહમતી વિશે જાણકારી હોવી જોઈએ . યુઝરની સહમતી બિલકુલ સાફ હોવી જોઈએ અને યુઝર પાસે તેની સહમતી પાછી લેવા માટે પણ અધિકાર હોવો જોઈએ . આપણે જણાવી દઈએ કે જસ્ટિસ બી એન કૃષ્ણન ઘ્વારા આ રિપોર્ટ શુક્રવારે સૂચના તકનીકી મંત્રી રવિશંકર પ્રસાદને સોંપવામાં આવ્યો છે . આ વિશે સમિતિ ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે ઈન્ટરનેટ ગ્રાહકોને પોતાના ડેટા સુધી પહોંચવા માટે અધિકાર હોવો જોઈએ . કમિટી ઘ્વારા કોઈ પણ જાણકારી વિના ડેટામાં બદલાવ કરવા વિશે ચિંતા દર્શાવી અને એવું રોકવા માટે જરૂરી સૂચનો પણ આપ્યા . સમિતિ ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે દરેક વ્યક્તિની પર્સનલ માહિતી ભેગી કરી અને થર્ડ પાર્ટી એપ ઘ્વારા યુઝર ડેટા ભેગા કરવા વિરુદ્ધ પગલાં ભરવા માટે પણ કહ્યું ." business,"અમદાવાદઃ પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં કેન્દ્ર સરકારે રાહત આપ્યા બાદ ફરી કિંમત વધારાનો સિલસિલો શરૂ રાખ્યો છે . આજે ફરી એકવાર પેટ્રોલ - ડીઝલની કિંમતોમાં વધારો ઝીંકાયો છે . અમદાવાદમાં આજે પેટ્રોલની કિંમતોમાં 20 પૈસાનો જ્યારે ડીઝલની કિંમતોમાં 30 પૈસાનો ભાવ વધારો ઝીંકાયો છે . નવા ભાવ લાગુ થયા બાદ અમદાવાદમાં પેટ્રોલ લીટર દીઠ 78.91 અને ડીઝલ 76.98ની સપાટી પર પહોંચી ગયું છે . કેન્દ્ર સરકારે એક્સાઈઝ ડ્યૂટીમાં અને રાજ્ય સરકારે વેટમાં આપેલી રાહત બાદ સતત ત્રીજા દિવસે આજે પેટ્રોલ - ડીઝલની કિંમતો વધી છે . નવી દિલ્હીમાં પેટ્રોલની કિંમતોમાં 21 પૈસાનો વધારો થયો છે જ્યારે ડીઝલની કિંમતમાં 29 પૈસાનો ભાવ વધારો ઝીંકાય છે . નવા ભાવ લાગુ થયા બાદ દિલ્હીમાં પેટ્રોલની કિંમત 82.03 રૂપિયા અને ડીઝલની કિંમત 73.82 રૂપિયાની સપાટી પર પહોંચી ગઈ છે . જ્યારે મુંબઈમાં પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતો વધી રહી છે . મુંબઈમાં પેટ્રોલની કિંમતોમાં 21 પૈસા અને ડીઝલની કિંમતમાં 31 પૈસાનો ભાવ વધારો થયો છે , નવા ભાવ લાગુ થયા બાદ મુંબઈમાં પેટ્રોલની કિંમત લીટર દીઠ 87.50 અને ડીઝલની કિંમત 77.37 રૂપિયાની સપાટી પર પહોંચી ગઈ છે . અગાઉ રવિવારે પેટ્રોલના ભાવમાં 14 પૈસાનો વધારો થયો હતો , જ્યારે ડીઝલમાં 29 પૈસાનો વધારો થયો હતો . મુંબઈમાં પણ રવિવારે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં અુનુક્રમે 14 પૈસા અને 31 પૈસાનો ભાવ વધારો નોંધાયો હતો . મોદી સરકારની સોલર એપથી આ રીતે કરો કમાણી" entertainment,"રિતિક રોશન તેમની આવનારી ફિલ્મ મોહેં જો દડો ના પ્રમોશનમાં લાગી ગયા છે . હાલમાં રિતિક રોશન ડાન્સ પ્લસ સીઝન 2 માં જોવા મળ્યા સાથે સાથે તેમને કોમેડી "" ધ કપિલ શર્મા શો "" માં પણ ખુબ જ મસ્તી કરી . હાલમાં જ રિતિક રોશને બધી જ અફવાહોને નકારી દીધી . રિતિકે જણાવ્યું કે કોમેડી નાઈટ્સ બચાઓ તેમના પ્રમોશનની લિસ્ટમાં જ નથી અને તેમનો કોઈ જ સંપર્ક પણ નથી કરવામાં આવ્યો . આખો નિર્ણય પીઆર ટીમનો હતો ક્યાં પ્રમોશન માટે જવું ક્યાં ના જવું તેનો નિર્ણય પૂજા જે મારો નથી . રિતિક અને પૂજા કપિલ શર્મા શો પર ગયા હતા . જ્યાં તેમને ઘણો જ સારો સમય પસાર કર્યો અને જણાવ્યું કે તેમનો તે અદભુત અનુભવ હતો . આપણે જણાવી દઈએ કે પૂજા આ ફિલ્મથી પોતાના બોલિવૂડ કરિયરની શરૂઆત કરવા જઈ રહી છે ." business,એક્સપર્ટ્સનું કહેવું છે કે ' નવા સપ્તાહમાં બીએસઇ અને એનએસઇના રોકાણકારોનું ધ્યાન કંપનીઓના બીજા ત્રિમાસિક પરિણામો પર રહેશે . આ પરિણામોની જાહરાત બીજા સપ્તાહથી શરૂ થઇ જશે . ગાંધી જયંતિ હોવાથી મંગળવારે માર્કેટ બંધ રહેશે . ' માર્કેટની નજર સરકાર દ્વારા લેવામાં આવી રહેલા રાજકોષીય પગલાંઓ પર રહેશે . આ તબક્કે માર્કેટને સરકાર પાસેથી ઘણી આશાઓ રહેલી છે . સપ્ટેમ્બરના ફુગાવાના આંકડા પણ ખૂબ મહત્વના રહેશે કારણ કે ભારતીય રિઝર્વ બેંકની આગામી નીતિગત સમીક્ષા બેઠકમાં વ્યાજદરો નક્કી કરવાના નિર્ણયમાં આ આંકડાઓ મહત્વની ભૂમિકા ભજવશે . સરકારે તાજેતરમાં કહ્યું હતું કે દેશમાં વિદેશી મૂડીનો પ્રવાહ આવી રહ્યો છે જેના કારણે આગામી ચાર મહિનાઓમાં ડૉલરની સરખામણીએ રૂપિયાનું મૂલ્ય મજબૂત બની રૂ . 50 સુધી પહોંચી જાય તેવી શક્યતા છે . business,"અન્ય મૂડી અને સંપત્તિ અનુસાર સોનાના વેચાણ ઉપર પણ કેપિટલ ગેઇન ટેક્સ લાગે છે . જો આપે સોનાની ખરીદી કરીને તેના પર નફો મળે તે રીતે તેનું વેચાણ કર્યું તો તેના પર કેપિટલ ગેઇન ટેક્સ ચૂકવવો ફરજિયાત છે . સોનાના વેચાણથી થતા નફા પર કેટલો ટેક્સ લાગે ? સોનાના વેચાણથી થતા નફા પર કેટલો ટેક્સ લાગે તેનો આધાર તેને કેટલા સમય માટે રાખવામાં આવ્યું હતું તેના પર રહેલો છે . ઉદાહરણ તરીકે આપે સોનાની ખરીદી અને વેચાણ નફો મળે તે રીતે ત્રણ વર્ષની અંદર કર્યું તો આપના પર શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન લાગે છે . શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન પર લાગતો ટેક્સ રેટ સામાન્ટ ટેક્સ દર જેટલો જ હોય છે . જો આપ ત્રણ વર્ષથી વધારે સમય માટો સોનુ રાખો અને તેનું નફો થાય તે રીતે વેચાણ કરો તો તેના પર 20 ટકાનો કેપિટલ ગેઇન ટેક્સ લાગે છે . દાખલા તરીકે તમે સોનાની ખરીદી કરીને વેચાણ કર્યું અને તેના પર રૂપિયા 10,000નો નફો મેળવ્યો તો રૂપિયા 2,000 ટેક્સ લાગશે . આ કારણે સોનામાં રોકાણ નફાકારક માનવામાં આવતું નથી . આ કારણે અનેક લોકો ગોલ્ડ ઇટીએફમાં રોકાણ કરે છે . તેમાં શેર્સ પર લાગે તે રીતે જ ટેક્સ લાગે છે . સોના પર વેલ્થ ટેક્સ જો આપની પાસે રૂપિયા 30 લાખથી વધારે મૂલ્યનું સોનુ હોય તો આપને વેલ્થ ટેક્સ લાગે છે . જો આપને ત્યાં ઇન્કમ ટેક્સની રેઇડ પડે અને આપે વેલ્થ ટેક્સ ભર્યો ના હોય તો આપનું સોનુ જપ્ત થઇ શકે છે . આ ઉપરાંત રૂપિયા 5 લાખથી વધારે રકમનું સોનુ ખરીદવા પર પાન કાર્ડ હોવું જરૂરી છે ." sports,"કોચી , 12 જૂનઃ નિર્દોષ હોવાનો દાવો અને ન્યાયપાલિકામાં વિશ્વાસની આશા વ્યક્ત કરતા ઝડપી બોલર શ્રીસંતે બુધવારે કહ્યું છે કે , રાષ્ટ્રીય ટીમમાં પરત ફરીશ તેવી આશા છે . આઇપીએલ સ્પોટ ફિક્સિંગ પ્રકરણમાં કથિત રીતે સામેલ હોવાના આરોપસર ધરપકડ બાદ શ્રીસંતને જમાનત પર છોડવામાં આવ્યો છે . તિહાર જેલમાં 27 દિવસ વિતાવ્યા બાદ જમાનત પર છૂટ્યા બાદ પોતાના ઘરે પહોંચેલા શ્રીસંતે કહ્યં કે , હું તમને વચન આપું છું કે હું ક્યારેય આશા નહીં છોડુ . ત્રિપુનિથુરામાં પોતાના માતા પિતા અને સંબંધીઓ સાથે મુલાકાત બાદ શ્રીસંતે કહ્યું કે , મારું સ્વપ્ન ક્રિકેટ રમવાનું છે . હું માત્ર ક્રિકેટ રમવા માંગુ છું અને ટીમમાં પુનરાગમન કરવા માંગુ છું . દક્ષિણ આફ્રિકા પ્રવાસમાં મારું રમવું સ્વપ્ન છે , પરંતુ હાલ તેને લઇને સુનિશ્ચિત નથી . દિલ્હીથી અહી પહોંચ્યા બાદ થાકેલો હોવા છતાં શ્રીસંતે કહ્યું કે તે તેના માતા - પિતા પાસે આવીને ખુશ છે અને ટૂંક સમયમાં ટ્રે્નિંગ શરૂ કરશે . એવું પૂછવામાં આવતા કે તેને આ મામલે ફસાવવામાં આવ્યો છે , તો શ્રીસંતે કહ્યું કે , મેં કંઇ ખોટું નથી કર્યું . ધરપકડ ષડયંત્રનો એક હિસ્સો હોઇ શકે છે . ટૂંક સમયમાં બધુ સામે આવી શકશે . મને વિશ્વાસ છે કે બધુ યોગ્ય થઇ જશે . તિહાર જેલમાં વિતાવેલા દિવસો અંગે શ્રીસંતે કંઇ બોલવાનો ઇન્કાર કરી દીધો . તેણે કહ્યું કે , હું માત્ર એટલું કહીં શકુ છુ કે મને આ ખેલ પ્રત્યે પ્રેમ છે . મે જ્યારથી રમવાનું શરૂ કર્યું , ત્યારથી મે મારું સર્વશ્રેષ્ઠ આપવાનો પ્રયાસ કર્યો . તમને મારા પર વિશ્વાસ હોવો જોઇએ . હુ ન્યાયપાલિકા પર પૂરો વિશ્વાસ રાખું છું . હું બધુ સોલ્વ થઇ જાય તેની રાહ જોઇ રહ્યો છું . નિશ્ચિત રીતે હું સંપૂર્ણ જણાવવા માંગુ છુ . શ્રીસંતે કહ્યું કે તેને ક્રિકેટ જગતથી પૂર્ણ સમર્થન હાંસલ છે . બધા મને સંદેશ મોકલી રહ્યાં છે . તેમને ધન્યવાદ રાજસ્થાન રોયલ્સ , બીસીસીઆઇ , મારો પરિવાર , મિત્ર , પ્રશંસકો , મીડિયા તમામને ધન્યવાદ . કોઇની વિરુદ્ધ મને ફરિયાદ નથી . બધા પોતાનું કામ કરી રહ્યાં છે . શ્રીસંતની જમાનત વિરુદ્ધ અપીલ દાખલ કરનાર દિલ્હી પોલીસની યોજના અંગે પૂછવામાં આવતા શ્રીસંતે જવાબ આપવાનું ટાળ્યું હતું ." entertainment,"જાણીતા ફિલ્મ દિગ્દર્શક ઋતુપર્ણો ઘોષનું આજે સવારે નિધન થઈ ગયું . તેઓ 49 વર્ષના હતાં . તેમનું નિધન હૃદયના હુમલાના કારણે થયું . ઋતુપર્ણો ઘોષનો જન્મ 31મી ઑગસ્ટ , 1963ના રોજ થયોહતો . તેઓ બંગાળી ફિલ્મોના પ્રસિદ્ધ દિગ્દર્શક હતાં . તેમના પિતા પણ દસ્તાવેજી ફિલ્મોના દિગ્દર્શક હતાં . ઋતુપર્ણો ઘોષે પોતાનું કૅરિયર જાહેરખબર જગતથી કરી હતી . 1992માં તેમણે પ્રથમ વાર બાળ આધારિત હિરેર અંગ્તિ ફિલ્મ બનાવી હતી . તેમની બીજી ફિલ્મ ઉનીશે એપ્રિલ એટલે કે 19 એપ્રિલ હતી . આ ફિલ્મ માટે તેમને 1995માં સર્વશ્રેષ્ઠ ફિલ્મનું રાષ્ટ્રીયપુરસ્કાર મળ્યુ હતું . બંગાળના આ ફિલ્મ દિગ્દર્શકે દહન , ઉત્સબ , ચોખેર બાલી , અસુખ , બારીવલી , અંતરમહલ અને રેનકોટ જેવી શાનદાર ફિલ્મો બનાવી . તેમને અત્યાર સુધી 10 જેટલાં રાષ્ટ્રીય પુરસ્કારો મળી ચુક્યા હતાં . બર્લિન ફિલ્મ ફેસ્ટિવલમાં તેમની બારીવલી ફિલ્મને નેપટૅક ઍવૉર્ડ અપાયો હતો . સને 2008માં તેમની ફિલ્મ ધ લાસ્ટ લીયરને સર્વશ્રેષ્ઠ અંગ્રેજી ફિલ્મનું રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યું . ઉત્પલ દત્તના આજકેર શાહજહાં નાટક પર આધારિત ધ લાસ્ટ લીયર ફિલ્મમાં અમિતાભ બચ્ચન ઉપરાંત પ્રીતિ ઝિંટા તેમજ અર્જુન રામપાલ અને શેફાલી શાહ તથાદિવ્યા દત્તાએ પણ અભિનય કર્યો છે . 2009માં આવેલી શોબ ચરિત્રો કાલ્પોનિક ફિલ્મને સર્વશ્રેષ્ઠ બંગાળી ફિલ્મનો ઍવૉર્ડ મળ્યો . 2010માં ઋતુપર્ણો ઘોષને અબોહોમાન ફિલ્મ માટે સર્વશ્રેષ્ઠ દિગ્દર્શકનો રાષ્ટ્રીય ફિલ્મફૅર ઍવૉર્ડ મળ્યો . તેઓ ટુંકમાં જ બૉલીવુડ કૅરિયર પણ શરૂકરવાના હતાં ." entertainment,"ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સંસ્કારી એક્ટર આલોકનાથ પર લાગેલા બળાત્કાર અને યૌન શોષણના આરોપો પર ઘણી ફિલ્મોમાં તેમની કો - એક્ટર રહી ચૂકેલી હિમાની શિવપુરીએ નિવેદન આપ્યુ છે . જાણીતી અભિનેત્રી હિમાની શિવપુરીએ કહ્યુ કે ઈન્ડસ્ટ્રીને આલોકનાથના શરાબી અને બેવડા વ્યક્તિત્વ વિશે હંમેશાથી ખબર હતી . શિવપુરીએ કહ્યુ કે આલોકનાથનો વ્યવહાર શરાબ પીધા બાદ એકદમ બદલાઈ જતો હતો . ઝાંસીના એક કાર્યક્રમમાં ભાગ લેવા આવેલી બોલિવુડ એક્ટર હિમાની શિવપુરીએ # MeToo વિશે મીડિયા સાથે વાત કરી . તેમણે કહ્યુ કે આલોકનાથે એકવાર મારી સાથે પણ ખોટુ કરવાની કોશિશ કરી હતી . પરંતુ હું બૂમો પાડવા લાગી એટલા માટે તે સફળ થઈ શક્યા નહિ . તેમણે કહ્યુ કે હિમાની શિવપુરીએ કહ્યુ કે શરાબ પીધા બાદ તેમનુ વ્યક્તિત્વ એકદમ બદલાઈ જતુ હતુ . મે એક અભિનેત્રી પાસેથી સાંભળ્યુ છે કે આલોકનાથ સાથે કામ કરવુ તેમના માટે મુશ્કેલ હતુ . હિમાનીએ જણાવ્યુ કે તેમણે આલોકનાથનો ખરાબ વ્યવહાર એક ફ્લાઈટમાં જોયો હતો . મૂળરીતે દેહરાદૂનની રહેવાસી હિમાની શિવપુરી આલોકનાથ સાથે ઘણી ફિલ્મો અને સીરિયલોમાં કામ કરી ચૂકી છે . ઝાંસીમાં આયોજિત એક ઈવેન્ટમાં પહોંચેલી હિમાનીને જ્યારે # MeToo અભિયાન વિશે સવાલ પૂછવામાં આવ્યો તો તેમણે જણાવ્યુ કે આલોકનાથ આમ તો સારા વ્યક્તિ છે પરંતુ શરાબ પીધા બાદ એક બીજા જ વ્યક્તિ બની જાય છે . મી ટુ અભિયાનની શરૂઆત ઘણી સારી છે કારણકે મહિલાઓ સાથે યૌન શોષણ દરેક જગ્યાએ , દરેક ક્ષેત્રમાં થાય છે . મી ટુની અસર હવે અમારી ઈન્ડસ્ટ્રીમાં સ્પષ્ટ જોઈ શકાય છે . અહીં સુભાષ કપૂર અને સાજિદ ખાન જેવા લોકોથી લઈને આમિર ખાન અને અક્ષય કુમારના નિવેદનોથી લાગી રહ્યુ છે કે કોઈ મોટો બદલાવ આવશે . હું કહુ છુ કે ચૂપ રહેવાથી સારુ છે કે ક્યારેક તો બોલવામાં આવે . આવી વાતો જ્યારે સામે આવશે તો પુરુષોના મનમાં ડર તો જાગશે કે અમે આવુ ના કરીએ નહિતર બદનામી થશે . આ પણ વાંચોઃ સલમાન ખાન B ' Day : મીડિયા સાથે ભાઈજાને કાપી કેક , પાર્ટીમાં કેટરીના પણ શામેલ" sports,"કોલંબો , 17 ઑગસ્ટઃ વિશ્વ ક્રિકેટના સૌથી કલાત્મક બેટ્સમેનોમાં સામેલ શ્રીલંકામાં મહિલા જયવર્દનેએ પોતાની ટેસ્ટ કારકિર્દીની આખરી ઇનિંગમાં અડધી સદી લગાવીને શાન સાથે ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહ્યું . જયવર્દનેએ પહેલા જ જાહેરાત કરી દીધી હતી કે તે પાકિસ્તાન સાથે થનારી બે મેચોની ટેસ્ટ શ્રેણી બાદ નિવૃતિ લેશે . સિન્હલીજ સ્પોર્ટ્સ ક્લબ મેદાન પર રમાયેલી બીજી ટેસ્ટ મેચના ચોથા દિવસે 54 રનોની ઇનિંગ રમીને જ્યારે તે પેવેલિયન તરફ ગયો તો દર્શકોએ ઉભા રહીને તેનું અભિવાદન કર્યું હતું . તે સૌમ્ય ખેલાડીએ સ્મિત સાથે દર્શકોના અભિવાદનનો સ્વીકાર કર્યો અને અંતિમ વખતે શ્રીલંકન ડીમના ડ્રેસિંગ રૂમ તરફ આગળ વધ્યો . સંગાકારા સાથે તેણે ત્રીજી વિકેટની જોડીમાં અનેક પળે શ્રીલંકાના સંકટને ઉગાર્યું અને આ જોડી વિશ્વ ક્રિકેટની સફળ જોડીમાં એક જાણીતી જોડી રહી છે . જયવર્દને અને સંગાકારાના નામે ટેસ્ટ ઇતિહાસમાં ત્રીજી વિકેટ માટે સૌથી મોટી ભાગીદારી નોંધાઇ છે . બન્નેએ 2006માં કોલંબોમાં દક્ષિણ આફ્રિકા 624 રન જોડ્યા હતા . આ મેચમાં સંગાકારા 13 રનોથી ત્રેવડી સદી ચૂકી ગયો હતો . ટેસ્ટ મેચોમાં સર્વાધિક રન બનાવવાના મામલે જયવર્દને વિશ્વમાં સાતમા નંબર પર છે , જ્યારે સંગાકારા પાંચમા ક્રમે છે . સંગાકારાએ શ્રીલંકા માટે સૌથી વધારે ટેસ્ટ રન બનાવ્યા છે ." sports,"બર્મિંઘમ , 2 સપ્ટેમ્બરઃ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઇ રહેલી વનડે શ્રેણીની ચોથી વનડે બર્મિંઘમ ખાતે ભારતે પહેલા ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો , જે તેને ફળ્યો છે અને ઇંગ્લેન્ડની ટીમ 206 રનમાં ઓલ આઉટ થઇ ગઇ છે . ભારત તરફથી ટીમમાં એક ફેરબદલ કરવામાં આવ્યો હતો , ટીમમાં આ વખતે ધવલ કુલકર્ણીને સ્થાન આપવામાં આવ્યું છે . ઇંગ્લેન્ડની બેટિંગ અંગે વાત કરવામાં આવે તો ભારતે બેટિંગ માટે આમંત્રણ આપ્યા બાદ પ્રારંભથી જ ઇંગ્લેન્ડ બેકફૂટ પર જોવા મળી રહ્યું હતું . ઇંગ્લેન્ડની પ્રથમ વિકેટ હેલ્સના રૂપમાં પડી હતી , જ્યારે બીજી વિકેટ એલિસ્ટર કૂકના રૂપમાં પડી હતી . બન્ને વિકેટ ભુવનેશ્વર કુમારે લીધી હતી . ઇંગ્લેન્ડની પ્રથમ બન્ને વિકેટ અનુક્રમે 15 અને 16 રને પડી હતી . ત્યારબાદ ભારતે સમયાંતરે ઇંગ્લેન્ડની વિકેટ ઝડપતા ઇંગ્લેન્ડ 206 રન જ નોંધાવી શકી હતી . ઇંગ્લેન્ડ તરફથી હેલ્સ 6 , કૂક 9 , બેલેન્સ 7 , રૂટ 44 , મોર્ગન 32 , બટ્લર 11 , મોઇન અલી 67 , વોક્સ 10 , ફિન્ન 2 અને ગુર્ને 1 રન પર આઉટ થયો હતો . ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચોથી વનડે રમાઇ રહી છે , ત્યારે તેની સાથે જોડાયેલા કેટલાક રસપ્રદ આંકડાઓ અમે અહીં તસવીરો થકી આપી રહ્યાં છીએ તો ચાલો તેને જાણીએ . pagespeed . lazyLoadImages . overrideAttributeFunctions ( ) ; function googleAnalyticsCodeCommon ( ) { var main _ url = $ ( ' link [ rel = "" canonical "" ] ' ) . attr ( "" href "" ) ; var url = document . location . href ; var pattern = ' https : / / ' + window . location . hostname ; url = url . replace ( pattern , "" "" ) ; var title = document . title ; ga ( "" oneindiagu . send "" , { hitType : "" pageview "" , page : url , location : main _ url } ) ; ga ( "" rosoneindia . send "" , { hitType : "" pageview "" , page : url , location : main _ url } ) ; ga ( "" dhoneindia . send "" , { hitType : "" pageview "" , page : url , location : main _ url } ) ; url = document . location . href ; var jcode = ' var _ comscore = _ comscore | | [ ] ; var comscoreParams = { c1 : "" 2 "" , c2 : "" 7732551 "" , c3 : "" "" , c4 : "" ' + url + ' "" , c5 : "" "" , c6 : "" "" , c15 : "" "" } ; _ comscore . push ( comscoreParams ) ; var s = document . createElement ( "" script "" ) , el = document . getElementsByTagName ( "" script "" ) [ 0 ] ; s . async = true ; s . src = ( document . location . protocol = = "" https : "" ? "" https : / / sb "" : "" http : / / b "" ) + "" . scorecardresearch . com / beacon . js "" ; el . parentNode . insertBefore ( s , el ) ; ' ; setTimeout ( jcode , 500 ) ; var _ qevents = _ qevents | | [ ] ; ( function ( ) { var elem = document . createElement ( ' script ' ) ; elem . src = ( document . location . protocol = = "" https : "" ? "" https : / / secure "" : "" http : / / edge "" ) + "" . quantserve . com / quant . js "" ; elem . async = true ; elem . type = "" text / javascript "" ; var scpt = document . getElementsByTagName ( ' script ' ) [ 0 ] ; scpt . parentNode . insertBefore ( elem , scpt ) ; } ) ( ) ; _ qevents . push ( { qacct : "" p - yjta2aSVPaHEL "" } ) ; window . google _ analytics _ uacct = "" UA - 110466 - 73 "" ; } આ પણ વાંચોઃ - ધોનીએ કરી અઝહરના રેકોર્ડની બરાબરી , નેક્સ્ટ ટાર્ગેટ પોન્ટિંગ આ પણ વાંચોઃ - ટીમ ઇન્ડિયા નંબર વન , કાંગારુઓને નડ્યું ઝિમ્બાવ્વે" sports,"હવે મિયાંદાદે સચિનના વિદાય સન્માન પર કહ્યું કે , સચિને બહુ પહેલા નિવૃત્તિ લેવાની જરૂર હતી , હવે તેના જવાથી ભારતને તેની ખોટ નહીં સાલે . મિયાંદાદે કહ્યું કે , જ્યારે હું નિવૃત્ત થયો હતો તો કોઇએ મને પૂછ્યું નહીં , કારણ કે અંતિમ કેટલીક મોચોમાં મારું પ્રદર્શન સારું નહોતું . આવું જ સચિન અંગે છેલ્લા બે વર્ષથી કહેવામાં આવી રહ્યું હતું કે સચિન તેંડુલકર નિવૃત્તિ લઇ લે . જાવેદે કહ્યું કે , જ્યારે હું નિવૃત્ત થયો તો કોઇએ કંઇ જ સારું કહ્યું નહીં , મે ટેસ્ટ ક્રિકેટમાં 8 હજારથી વધારે રન બનાવ્યા હતા અને હું એક લિજેન્ડ હતો . સચિનની કિસ્મત સારી છે કે , તેના પ્રશંસકો , પ્રશાસન અને મીડિયાનું તેને સમર્થન મળી રહ્યું છે . ભારતમાં લોકો પોતાના હીરોનું સન્માન કરે છે , જ્યારે પાકિસ્તાનમાં તેવું નથી હોતું . મિયાંદાદને જ્યારે અમ્પાયરે આઉટ આપ્યા હતા તો તે ગાળો બોલીને મેદાનની બહાર જતા હતા . એક વાર મિયાંદાદ , કપિલ દેવના બોલમાં એલબી આઉટ હતા , કપિલે અપિલ કરી તો મિયાંદાદે ગાળો બોલતા કહ્યું હતુ કે , શું તમે ભુલી ગયા કે તમે પાકિસ્તાનમાં રમી રહ્યા છો , અહીં એલબી - વૈલબી નથી હોતું ." sports,"લંડન , 15 ઑગસ્ટઃ ભારતીય સુકાની મહેન્દ્ર સિંહ ધોનીએ ફરી એકવાર જણાવ્યું છેકે , શુક્રવારે ઇંગ્લેન્ડ વિરુદ્ધ રમાનારી પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચમાં પાંચ બોલર્સને રમાડવાની પોતાની રણનીતિથી પીછેહઠ નહીં કરે . લોર્ડ્સ ટેસ્ટના નાયક રહેલા ઝડપી બોલર્સ ઇશાંત શર્માને પહેલાંથી જ ફિટ જાહેર કરી દેવામાં આવ્યો છે અને તેવામાં ભારતીય સુકાનીએ પાંચ બોલર્સની રણનીતિ પર કાયમ રહેવાનો નિર્ણય કર્યો છે , જ્યારે આ રણનીતિ ઓલ્ડ ટ્રેફર્ડમાં રમાયેલી મેચમાં નિષ્ફળ રહી હતી . ભારત પાંચ મેચોની શ્રેણીમાં 1 - 2થી પાછળ છે અને તેવામાં ધોનીએ અંતિમ મેચની પૂર્વ સંધ્યાએ કહ્યું કે , હાં , અમે પાંચ બોલર્સ સાથે રમીશું . સુકાનીએ કહ્યું કે , ઝડપી બોલર ભુવનેશ્વર કુમારને નાની મોટી ઇજા છે , પરંતુ મેચના પ્રારંભ સમય સુધીમાં તે ફિટ થઇ જશેતેવી સંભાવના છે . ધોનીએ મેચની પૂર્વ સંધ્યાએ કહ્યું કે , તેણે પોતાનું કાસ સારી રીતે સંભાળ્યું છે . તેને નાની મોટી ઇજાઓ છે , પરંતુ અધિકાંશ સમયમાં 80 ટકાની આસપાસ જ ફિટ રહે છે . તેણે જેટલી બોલિંગ કર્યું છે આપણે ભુલવી જોઇએ નહીં . આ ઉપરાંત તેણે બેટિંગ અને ફિલ્ડિંગ પણ કરી છે . એ સારું છેકે તે સારી સ્થિતિમાં છે , પરંતુ તે એવો ખેલાડી છે , જેણે શ્રેણીમાં અમે હાલના સમયે આરામ આપવાની સ્થિતિમાં નથી . pagespeed . lazyLoadImages . overrideAttributeFunctions ( ) ; પાંચમી ટેસ્ટ પહેલા અભ્યાસ મેચઃ ધોનીને શોધતી રહી નજર ભારત વિ . ઇંગ્લેન્ડ પાંચમી ટેસ્ટ અંગે જાણવા જેવી વાતો આ પણ વાંચોઃ - . . . તો ઓવલમાં પણ ટીમ ઇન્ડિયાની હાર નિશ્ચિત છે ? pagespeed . lazyLoadImages . overrideAttributeFunctions ( ) ; function googleAnalyticsCodeCommon ( ) { var main _ url = $ ( ' link [ rel = "" canonical "" ] ' ) . attr ( "" href "" ) ; var url = document . location . href ; var pattern = ' https : / / ' + window . location . hostname ; url = url . replace ( pattern , "" "" ) ; var title = document . title ; ga ( "" oneindiagu . send "" , { hitType : "" pageview "" , page : url , location : main _ url } ) ; ga ( "" rosoneindia . send "" , { hitType : "" pageview "" , page : url , location : main _ url } ) ; ga ( "" dhoneindia . send "" , { hitType : "" pageview "" , page : url , location : main _ url } ) ; url = document . location . href ; var jcode = ' var _ comscore = _ comscore | | [ ] ; var comscoreParams = { c1 : "" 2 "" , c2 : "" 7732551 "" , c3 : "" "" , c4 : "" ' + url + ' "" , c5 : "" "" , c6 : "" "" , c15 : "" "" } ; _ comscore . push ( comscoreParams ) ; var s = document . createElement ( "" script "" ) , el = document . getElementsByTagName ( "" script "" ) [ 0 ] ; s . async = true ; s . src = ( document . location . protocol = = "" https : "" ? "" https : / / sb "" : "" http : / / b "" ) + "" . scorecardresearch . com / beacon . js "" ; el . parentNode . insertBefore ( s , el ) ; ' ; setTimeout ( jcode , 500 ) ; var _ qevents = _ qevents | | [ ] ; ( function ( ) { var elem = document . createElement ( ' script ' ) ; elem . src = ( document . location . protocol = = "" https : "" ? "" https : / / secure "" : "" http : / / edge "" ) + "" . quantserve . com / quant . js "" ; elem . async = true ; elem . type = "" text / javascript "" ; var scpt = document . getElementsByTagName ( ' script ' ) [ 0 ] ; scpt . parentNode . insertBefore ( elem , scpt ) ; } ) ( ) ; _ qevents . push ( { qacct : "" p - yjta2aSVPaHEL "" } ) ; window . google _ analytics _ uacct = "" UA - 110466 - 73 "" ; }" entertainment,"આજકાલ જ્યાં જુઓ ત્યાં રણવીરસિંહની ફિલ્મ સિમ્બાની જ ચર્ચા છે . ફિલ્મ બોક્સ ઓફિસ પર ધમાકેદાર કલેક્શન કરી રહી છે . સિમ્બા ભારતમાં 150 કરોડ ઉસેટી ચૂકી છે , તો દુનિયાભરમાંથી તેની કમાણી 200 કરોડને પાર થઈ ચૂકી છે . અને કલેક્શન હજી ચાલું જ છે . આ ફિલ્મે ફક્ત રણવીર સિંહ જ નહીં પરંતુ સારા અલી ખાન અને રોહિત શેટ્ટી માટે પણ 2018ની સૌથી મોટી ગિફ્ટ સાબિત થઈ છે . સિમ્બાની વાત કરીએ તો રણવીર સિંહની આ ચોથી 100 કરોડી ફિલ્મ છે , સાર અલી ખાનની પહેલી તો રોહિત શેટ્ટીની 8મી 100 કરોડ કમાણી કરનાર ફિલ્મ છે . જો કે રોહિત શેટ્ટી આ પહેલા પણ સાઉથની ફિલ્મોની રિમેક બનાવીને કમાણી કરી ચૂક્યા છે . સિમ્બા પણ સુપરહિટ તેલુગુ ફિલ્મ ટેમ્પરની હિંદી રિમેક જ છે . ફિલ્મની હિન્દી રિમેક પણ એટલી જ જબરજસ્ત છે . પપ્પા સુપરસ્ટાર પણ પુત્ર સુપર ફ્લોપ , 10 સ્ટાર કિડ્સ જે થઈ ગયા ગાયબ બોલીવુડમાં સાઉથની ફિલ્મોની રિમેકનો ટ્રેન્ડ નવો નથી . ઘણા સમયથી ટોલીવુડની ફિલ્મોની શાનદાર રિમેક બનાવવાનો સિલસિલો ચાલુ થયો છે . આ ટ્રેન્ડમાં અજય દેવગનથી લઈને સલમાન ખાન પણ સામેલ છે . તો ચાલો જાણીએ સાઉથની ફિલ્મોની હિન્દી રિમેક ફિલ્મો વિશે અને કઈ છે સલમાન - અજયની ફિલ્મ ." entertainment,"સૌપ્રથમ તો એમ જણાવવામાં આવ્યું કે આ ફિલ્મ પણ મધુરની છેલ્લી બે ફિલ્મો પેજ 3 અને ફેશન જેવી જ હશે , કારણ કે ફેશન તેમજ પેજ 3માં ફિલ્મ ઇન્ડસ્ટ્રી , સોસાયટી તેમજ પેજ 3 સેલિબ્રિટીના જીવનના કેટલાંક વણસ્પર્શેલા પાસાઓ બતાવવામાં આવ્યાં હતાં અને આ ફિલ્મો માટે મધુર ભંડારકરને ઘણાં એવૉર્ડ્સ પણ મળ્યા હતાં . પ્રથમ તો મધુર અને કરીનાએ લોકો સમક્ષ સ્પષ્ટ કરી દીધું કે આ ફિલ્મ ફેશન કે પેજ 3 કરતાં બિલ્કુલ જુદી છે , પણ હવે એમ કહેવામાં આવી રહ્યું છે કે હીરોઇન ( ગેલેરી ) ફિલ્મ વિદ્યા બાલનની ધ ડર્ટી પિક્ચરને મહદઅંશે મળતી આવે છે . ધ ડર્ટી પિક્ચર સિલ્ક નામની એક સાઉથ એક્ટ્રેસની વાર્તા છે , જો પોતાના જવનમાં સફળતા પામવા માટે એવા રસ્તા અપનાવે છે , જે તેના જીવનને પૂર્ણત્વે બદલી નાંખે છે . સિલ્કને સફળતા તો મળે છે , પણ તે સફળતા માત્ર કેટલાંક સમય પુરતી જ હોય છે . એક સમય એવો આવે છે કે જ્યારે સિલ્કને જોઈ - જોઈને લોકો કંટાળી જાય છે અને પછી તેને છોડી કોઈક નવી હીરોઇનને પસંદ કરવા લાગે છે . સિલ્ક જે વ્યક્તિ સાથે પ્રેમ કરતી હોય છે , તે પરિણીત હોય છે અને સિલ્કનો ગેરલાભ ઉઠાવી તેને છોડી દે છે . પછી સિલ્કના જીવનમાં કોઈક બીજું આવે છે , પણ સિલ્ક પોતે જ પોતાનું કરિયર તેમજ જીવન બર્બાદ કરી લે છે . હીરોઇન ફિલ્મમાં પણ કરીના કપૂરનું પાત્ર કઈંક એવું જ છે . પોતાના કરિયરને પોતાના પ્રેમ માટે બર્બાદ કર નાંખનાર માહી પોતાના જવનમાં એવા મુકામે પહોંચે છે કે જ્યાં તેની પાસે કઈંજ નથી બચતું . પ્રેમ , ફેન્સ , પ્રસિદ્ધિ , પૈસો . . . કઈંજ નહિં . પરંતુ મધુર ભંડારકરનું કહેવું છે કે તેમની ફિલ્મ ધ ડર્ટી પિક્ચર કરતાં એકદમ જુદી છે . તેમની હીરોઇન કરીના ડર્ટી પિક્ચરની સિલ્ક સાથે ક્યાંય પણ મળતી નથી આવતી ." business,"જે લોકો મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા હોય કે શેરના ખરીદ વેચાણ કરતા હોય તેઓ સારી રીતે જાણતા હોય છે કે મ્યુચ્યુઅલ ફંડમાં કેટલું જોખમ રહેલું છે . પણ આ ક્ષેત્રમાં રોકાણ કરવાનું શરૂ કરનારા કે રોકાણ કરવાનું વિચારી રહેલા લોકોને ખ્યાલ નથી હોતો કે મ્યુચ્યુઅલ ફંડમાં કેટલું જોખમ રહેલું હોય છે . આપને જણાવી દઇએ કે મ્યુચ્યુઅલ ફંડમાં જોખમ રહેલું છે . બીજી મહત્વની બાબત એ છે કે આ જોખમ તમે કેવા પ્રકારનું રોકાણ કરો છો તેના પર રહેલું છે . કેટલીક બાબતો ધ્યાનમાં રાખવામાં આવે તો ડેબ્ટ ફંડ ઓછું જોખમી છે . ગિલ્ટ ફંડ સંપૂર્ણ રીતે જોખમ મુક્ત છે . કારણ કે ગિલ્ટ ફંડવાળા મ્યુચ્યુઅલ ફંડ માત્ર સરકારી સિક્યુરિટીમાં જ રોકાણ કરે છે . ડેબ્ટ ફંડ પણ હાઇ સિક્યુરિટીમાં રોકાણ કરતા હોવાથી સુરક્ષિત માનવામાં આવે છે . જે રોકાણકારો પોતાનું રોકણ જોખમમાં મૂકવા માંગતા નથી તેઓ આ ફંડમાં રોકાણ કરે છે . ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ જોખમ મુક્ત હોય છે ? ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ જોખમી જ હોય છે . કારણ કે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ તેમનું મોટા ભાગનું રોકામ શેર્સ અને સ્ટોક્સમાં કરે છે . આ કારણે તેને જોખમી માનવમાં આવે છે . જોખમની સાથે આપ જો તેમનું છેલ્લા પાંચ વર્ષનું પરફોર્મન્સ જોશો તો મોટા ભાગની સ્કીમ્સે શાનદાર પરફોર્મન્સ કર્યું છે . વાસ્તવમાં એક્સીસ ઇક્વિટી ફંડ , આઇસીઆઇસીઆઇ પ્રુડેન્શિયલ ટાર્ગેટ રિટર્ન ફંડ વગેરેએ છેલ્લા 3 વર્ષમાં 20 ટકા જેટલું ઉંચું રિટર્ન આપ્યું છે . જો કે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં ભવિષ્યમાં તેટલું જ વળતર મળશે તે કહેવું મુશ્કેલ છે . રોકાણકારોએ ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા તેમાં કેટલું જોખમ રહેલું છે તે અવશ્ય ચેક કરવું જોઇએ ." entertainment,"મર્ડર ગર્લ મલ્લિકા શેરાવત આજકાલ બૉલીવુડના જાણીતા નિર્માતા - દિગ્દર્શક કરણ જૌહર ઉપર ફિદા છે . વિશ્વાસ નથી થતો આપને ? પરંતુ આ સાચુ છે કે મલ્લિકા શેરાવત આજકાલ કરણ જૌહરના વખાણ કરતાં નથી થાકતાં . એક સમારંભમાં મૅડમે તો અહીં સુધી જણાવી દીધું કે તેમની સાથે લગ્ન માટે જો કોઈ યોગ્ય હોય , તો તે કોઈ બીજું નહીં , પણ બૉલીવુડના ડૅશિંગ સ્માર્ટ પ્રોડ્યુસર કરણ જૌહર જ છે . તેથી કરણ જૌહર જો તેમને પ્રપોઝ કરે , તો તેઓ પુનઃ લગ્ન અંગે વિચારી શકે છે . મલ્લિકા શેરાવત કદાચ એટલે બિંદાસ્ત ગર્લ ગણાય છે . એક બાળકના માતા અને ડાઇવૉર્સી હોવા છતાં મલ્લિકાએ થોડાંક દિવસ અગાઉ જણાવ્યુ હતું કે તેઓ લગ્નમાં વિશ્વાસ નથી ધરાવતાં , પરંતુ કદાચ કરણ જૌહરની લગ્ન તેમજ પ્રેમ વિષયક ફિલ્મો જોઈ તેમનું વિચાર એકદમથી બદલાઈ ગયું છે . એટલે જ તો તેમણે જાહેરમાં પોતાના માટે કરણ જૌહરને બેસ્ટ જાહેર કર્યાં . ખેર કરણ જૌહર તો તેમની સાથે લગ્ન કરવાના નથી . હા એટલું જરૂર થઈ શકે કે કરણની ફિલ્મમાં મલ્લિકાને કામ જરૂર મળી જાય , કારણ કે એવું મનાય છે કે કરણ જૌહરને વખાણ ખૂબ પસંદ છે . મલ્લિકા શેરાવત હાલ ધ બૅચલરેટ ઇન્ડિયા મેરે ખ્યાલોં કી મલિકા નામના ટેલીવિઝન રિયલિટી શોને હોસ્ટ કરવા જઈ રહ્યાં છે . આ શો લાઇફ ઓકે ચૅનલ ઉપર ટુંકમાં જ શરૂ થનાર છે ." business,ભારતીય મૂળના ઈન્દ્રા નૂઈએ પેપ્સીકોનું સીઈઓ પદ છોડવાનો નિર્ણય કર્યો છે . 12 વર્ષો સુધી કંપનીના મહત્વના પદની જવાબદારી સંભાળ્યા બાદ ઈન્દ્રાએ સોમવારે પેપ્સીકોના સીઈઓ પદેથી રાજીનામુ આપવાનો નિર્ણય કર્યો . ઈન્દ્રાએ પદ છોડ્યા બાદ રામોન લગૂર્ટાને કંપનીના નવા સીઈઓ નિયુક્ત કરવામાં આવશે . ઈન્દ્રા નૂઈ લાંબા સમયથી પેપ્સીકો સાથે જોડાયેલા હતા . અમેરિકી કંપની PepsiCo માં 12 વર્ષો સુધી સીઈઓ જેવા મહત્વના પદને સંભાળ્યા બાદ ઈન્દ્રા નૂઈએ પોતાના પદેથી રાજીનામુ આપવાનો નિર્ણય કર્યો . ઈન્દ્રાના આ નિર્ણય બાદ કંપનીએ પેપ્સીકોના તાજેતરના પ્રેસિડેન્ટ રામોન લગૂર્ટાને નવા સીઈઓની જવાબદારી આપવાનો નિર્ણય કર્યો . જાણો ઈન્દ્રા નૂઈ વિશે ખાસ વાતો ઈન્દ્રા નૂઈનો જન્મ તમિલનાડુના એક મધ્યમ વર્ગના પરિવારમાં થયો હતો . તેમના પિતા બેંકના કર્મચારી હતા . મા હાઉસવાઈફ હતા અને બંને બહેનોને સંભાળતા હતા . ઈન્દ્રાએ આઈઆઈએમ કોલકત્તાથી મેનેજમેન્ટમાં ડિપ્લોમા કર્યા બાદ થોડા સમય માટે જોન્સન એન્ડ જોન્સન કંપનીમાં કામ કર્યુ . સેલરીથી ભેગા થયેલા પૈસાથી તેમણે અમેરિકા જઈને માસ્ટર્સની ડિગ્રી મેળવી . તેમને યેલ યુનિવર્સિટીમાં પ્રવેશ તો મળી ગયો . કોલેજની ફી માટે તે ફર્સ્ટ હાફમાં અભ્યાસ કરતા અને અડધી રાતથી સવાર સુધી રિસેપ્શનિસ્ટનું કામ કરતા . entertainment,"મુંબઈ , 12 સપ્ટેમ્બર : એ પહેલા કે તમે એમ વિચારતા થાઓ કે વિદ્યા બાલનના પરિણીત જીવનમાં કંઇક થયું છે અને વિદ્યાની બીજી પ્રેમ - કહાણી સામે આવી ગઈ છે , આપને બતાવી દઇએ કે આવું કંઈ જ ન વિચારતાં , કારણ કે અહીં અમે વિદ્યાની લવ સ્ટોરી ફિલ્મની વાત કરી રહ્યા છીએ . બૉલીવુડના સશક્ત અભિનેત્રીઓમાં ગણાતા વિદ્યા બાલન લગ્ન બાદ એક હિટ ફિલ્મ માટે તલસી રહ્યા છે . પહેલા શાદી કે સાઇડ ઇફેક્ટ્સ અને પછી બૉબી જાસૂસ જેવી ફ્લૉપ ફિલ્મો આપનાર વિદ્યા બાલન કહે છે કે ભટ્ટ કૅમ્પની આગામી ફિલ્મ હમારી અધૂરી કહાની પાસે તેમને ઘણી આશાઓ છે . વિદ્યાએ જણાવ્યું કે તેમણે તેમની પ્રથમ હિન્દી ફિલ્મ પરિણીતા બાદ એક પણ લવ સ્ટોરિકલ ફિલ્મમાં કામ નથી કર્યું . તેથી તેમને તેમની આગામી ફિલ્મ હમારી અધૂરી કહાની પાસેથી ઘણી આશાઓ છે . આ એક ગંભીર અને હૃદયસ્પર્શી લવ સ્ટોરી છે . ફિલ્મનું શૂટિંગ આવતા મહીને શરૂ થવાનું છે . નોંધનીય છે કે વિદ્યા ભટ્ટ પહેલી વખત ભટ્ટ કૅમ્પ સાથે કામ કરી રહ્યાં છે . હમારી અધૂરી કહાનીનું દિગ્દર્શન કરશે આશિકી 2 ફૅમ મોહિત સુરી . આ ફિલ્મની ખાસ વાત એ છે કે ફિલ્મ નિર્માતા મહેશ ભટ્ટ પૂરા 14 વરસ બાદ સ્ક્રિપ્ટ લખવાં જઈ રહ્યાં છે અને તે પણ વિદ્યા બાલન માટે . અગાઉ તેઓ શબાના આઝમીને કેન્દ્રમાં રાખી ફિલ્મો લખતા હતાં , પરંતુ આ વખતે આ સૌભાગ્ય વિદ્યાને હાસલ થયો છે . ચાલો તસવીરો સાથે જાણીએ હમારી અધૂરી કહાની વિશે વધુ વિગતો :" sports,"મુંબઇ , 9 સપ્ટેમ્બરઃ પોતાની 27 વર્ષ લાંબી ક્રિકેટ કારકિર્દીમાં સચિન તેંડુલકર બીજી વાર સ્પોર્ટ્સ પર્સન માટેના સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ એસોસિએશન ઓફ મુંબઇ ( એસજેએએમ ) એવોર્ડમાં હાજરી આપવા આવ્યા હતા . જ્યાં તેણે માસ્ટર સ્ટ્રોક ફટકર્યો હતો . જેમાં તેમના પુત્ર અર્જૂન તેંડુલકરે કાંગા લીગમાં ભાગ લઇને પ્રોફેશનલ ડેબ્યુટ કરી છે , જો કે , તેમાં તે માત્ર 1 રન બનાવી શક્યો હતો અને જેને લઇને અનેક સમાચાર ચેનલોમાં વિશેષ પ્રકારના કાર્યક્રમો આપવામાં આવી રહ્યાં હતા . ત્યારે રવિવારે યોજાયેલા આ કાર્યક્રમ દરમિયાન સચિન ભાવનાશીલ થઇ ગયો હતો . સચિને આ તકે કહ્યું , ‘ મારો પુત્ર આજે તેની પહેલી ઓફિશિયલ મેચ રમ્યો હતો . તે પેશનેટ અને ક્રિકેટને ઘણો પ્રેમ કરે છે . હું બાબતની કદર કરીશ કે બધા તેને તેની રીતે આગળ વધવા દે , તે પોતાની જાતે ઓળખ બનાવે અને તે તેની ક્રિકેટને માણે . ' તેણે 1986માં જ્યારે પહેલીવાર એસજેએએમ ફંક્શનની યાદોને વાગોળતા સચિને વધુંમાં જણાવ્યું હતું કે , તમે ( મીડિયા ) ઘણા જ સપોર્ટિવ છો , તમે ટીકા પણ કરો છો , પરંતુ ગેમનો એક ભાગ છે , જ્યારે હું તમામ બાબત અંગે વિચારું છું , ત્યારે મારી કોઇ ફરિયાદ હોતી નથી ." sports,"પોતાના સમયના દિગ્ગજ બેટ્સમેન વિવિયન રિચાર્ડ્સે આજે અહીં કહ્યું કે , હું સચિનનો બહુ મોટો પ્રશંસક છું . તેમણે બેટિંગને એક નવી ઉંચાઇ પર પહોંચાડી છે . હું તેમને સલાહ આપનારો કોણ છું કે તેમણે ટી20માં રમવું જોઇએ કે નહીં . રિચાર્ડ્સને પૂછવામાં આવ્યું કે , તેંડુલકર અને રિકી પોન્ટિંગ હાલની આઇપીએલમાં સફળ રહ્યાં નથી , તો શું તેમણે ક્રિકેટના સૌથી નાના રૂપમાં રમવું જોઇએ કે નહીં . તેના જવાબમાં રિચાર્ડ્સે કહ્યું કે , તેંડુલકર આજની ક્રિકેટના નાયક છે અને મને લાગે છે કે તે 50 વર્ષ સુધી રમવા માંગે તો કોઇને એ કહેવાનો અધિકાર નથી કે તે નિવૃત્તિ લઇ લે . તેંડુલકર જેવા ખેલાડીઓને એ પૂરો અધિકાર હોવો જોઇએ કે તે જાતે જ નિવૃત્તિ લેવાનો નિર્ણય કરે . તે સંપુર્ણપણે તેમનો નિર્ણય હોવો જોઇએ . રિચાર્ડ્સ ડેરડેવિલ્સ સાથે જોડાયા બાદ તેમણા તરફથી વિસ્ફોટક બેટ્સમેન વિરેન્દ્ર સેહવાગે તોફાની ઇનિંગ રમી . ત્યારબાદ સેહવાગે કહ્યું હતું કે વેસ્ટ ઇન્ડિઝના આ મહાન બેટ્સમેને તેને સલાહ આપી હતી ." business,"વાત જ્યારે રોકાણની આવે છે ત્યારે તેમાં મ્યુચ્યુઅલ ફંડ અને એસઆઈપીનું નામ સૌથી આગળ આવશે . બચત અને રોકાણની વાત આવે ત્યારે મોટાભાગના લોકો ફિક્સ્ડ ડિપોઝિટ , સોનુ અથવા રીઅલ એસ્ટેટ જેવી સંપત્તિઓની શોધ કરવાનું શરૂ કરે છે . ગોલ્ડ રિયલ એસ્ટેટ , ફિક્સ્ડ ડિપોઝિટ વગેરે એસેટ ક્લાસ છે , એટલે આ એવા માધ્યમો એવા છે જે તમારા દ્વારા લગાવામાં આવેલા પૈસામાં વધારો કરે છે . પરંતુ શું તમે નથી ઇચ્છતા કે તમારા પૈસામાં આ બધાની તુલનામાં વધુ વધારો થાય ? ઘણા અભ્યાસોએ સાબિત કર્યું છે કે ઇક્વિટી એક એસેટ ક્લાસ તરીકે લાંબા ગાળે શ્રેષ્ઠ વળતર આપે છે . આમાં રોકાણ કરવાની શ્રેષ્ઠ રીત છે મ્યુચ્યુઅલ ફંડ . તમે દર મહિને રૂ . 500 ની નાની રકમ સાથે રોકાણ કરવાનું શરૂ કરી શકો છો ." business,"અનસંગ હિરોની શ્રેણીમાં આજે આપણે મૂળ અમદાવાદની એવી મિત્તલ પાટડિયાની વાત કરીશું . આ નાનકડી બાળકીએ તેના કરતા બમણી ઉંમરના પણ કદાચ જ કરી શકે , એવી બહાદુરીનું કામ કરી બતાવ્યું હતું . આ માટે તેને વર્ષ 2012માં સરકાર તરફથી રાષ્ટ્રીય બહાદુરી પુરસ્કાર પણ આપવામાં આવ્યો હતો . મિત્તલ મહેન્દ્ર પાટડિયાની ત્રણ પુત્રીઓમાં સૌથી નાની છે . તેના પિતા એક સાધારણ રંગારા છે અને મંદિરમાં રંગ કરવાનું કામ કરે છે . તેમની પાડોશમાં જ રહેતા તહેલાની પરિવારે મિત્તલના ઉછેરની જવાબદારી ઉપાડી છે , જેથી મહેન્દ્ર પાટડિયાને મદદ થઇ શકે . ધનતેરસનો દિવસ હતો 3 નવેમ્બર , 2010ના રોજ સમગ્ર તેહલાની પરિવાર ધનતેરસની તૈયારીઓમાં વ્યસ્ત હતો . એ જ સમયે આ પરિવારના જાણીતા અજીતસિંહ રેહવાત નામના રિક્ષા ચાલકે બેલ વગાડી પાણી માંગ્યું . કવિતા તેહલાનીએ જેવો દરવાજો ખોલ્યો કે તરત અજીતસિંહ અને તેની સાથે આવેલ 2 ચોરોએ એમની પર હુમલો કર્યો . બે લોકોએ મળી કવિતા તેહલાનીને પકડી રાખ્યા અને ત્રીજો ચોર મિત્તલ તરફ આગળ વધ્યો . કવિતાને શાંત પાડવા એ ચોરે મિત્તલને પકડી અને ત્યાર બાદ કિંમતી વસ્તુઓની માંગણી કરી . પોતાની માનેલી માતાને આ રીતે મુસીબતમાં જોઇ મિત્તલે મદદ માટે બૂમ પાડી અને સાથે જ તેણે ચોરના વાળ ખેંચી તેને જમીન પર પાડવાનો પ્રયત્ન કર્યો . મિત્તલે બતાવી હિંમત આ દરમિયાન ચોરે ચપ્પુ વડે મિત્તલના ગળા પર ઘા કર્યા , ચપ્પુના ઊંડા ઘાને કારણે તેને ભયંકર લોહી નીકળવા માંડ્યુ . આમ છતાં , પોતાની પીડાનો વિચાર કર્યા વગર મિત્તલ હિંમત કરી એ ચોરની પકડમાંથી છૂટીને સીધી ઘરના દરવાજા તરફ ભાગી અને તેણે દરવાજો ખોલી કાઢ્યો . કંઇક દુર્ઘટના થઇ હોવાની જાણ થતાં જ અન્ય પાડોશીઓ પણ ત્યાં દોડી આવ્યા અને તેમણે ત્રણેય ચોરને પકડી પાડ્યા . 351 ટાંકા મિત્તલને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી , તેના ગળા પર એટલો ઊંડો ઘા હતો કે સમયસર સારવાર ન મળતાં તેનું મૃત્યુ થયું હોત . તેને ગળા પર 351 ટાંકા આવ્યા હતા . મિત્તલને તેની આ બહાદુરી બદલ રાષ્ટ્રીય બહાદુરી પુરસ્કાર આપવામાં આવ્યો હતો તથા 26 જાન્યુઆરી , 2012ના રોજ તેને વડાપ્રધાન મનમોહન સિંહના હાથે ગીતા ચોપડા એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો ." entertainment,કોફી વિથ કરણમાં હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલ એપિસોડના પ્રસારણના બીજા જ દિવસે ભારે કોન્ટ્રોવર્સી પેદા થઇ . હોટસ્ટારે એપિસોડને વેબસાઈટથી હટાવીને સમજદારી દાખવી . દરેક લોકો જાણવા માંગે છે કે આખરે કરણ જોહર આ મામલે શુ કહે છે . લોકો જાણવા માંગતા હતા કે કરણ જોહરે જે સવાલ પૂછ્યો જેના પર હાર્દિક પંડ્યાએ મહિલાઓ માટે આવી ટિપ્પણી હતી કે કેટલો યોગ્ય હતો ? શુ કરણ જોહર અને શૉના મેકરે આ બધું ટીઆરપી માટે કર્યું ? આખરે કરણ જોહર આ બધા જ સવાલોના જવાબ આપવા માટે આવી ગયા છે . પોતાની ચુપ્પી તોડતા કરણ જોહરે એક ખાસ ચેનલ સાથે વાતચીત કરતા આ મામલે ઘણા ચોંકાવનારા નિવેદનો આપ્યા છે . હાર્દિક પંડ્યા સાથે જોડાયેલા સવાલ પર ભડકી ઈશા ગુપ્તાઃ કોણે કહ્યુ તે મારો દોસ્ત છે ? sports,"દુબઇ , 1 સપ્ટેમ્બરઃ ઇંગ્લેન્ડમાં શાનદાર પ્રદર્શન અને ગઇ કાલે ઝિમ્બાવ્વેએ ઓસ્ટ્રેલિયાને આપેલા ઐતિહાસિક પરાજય બાદ ભારત સોમવારે જારી કરવામાં આવેલી આઇસીસીની નવી વનડે રેન્કિંગમાં વિશ્વની નંબર વન ટીમ બની ગયું છે . આઇસીસીએ એક નિવેદનમાં કહ્યું છેકે રવિવારે હરારેમા ત્રિકોણિય શ્રેણીની મેચમાં ઝિમ્બાવ્વે સામે ઓસ્ટ્રેલિયાને ત્રણ વિકેટથી પરાજય બાદ રિલાયન્સ આઇસીસી વનડે ટીમ રેન્કિંગમાં વિશ્વ ચેમ્પિયન ભારત નંબર વન બન્યું હોવાની પૃષ્ટિ કરવામાં આવે છે . ઇંગ્લેન્ડ વિરુદ્ધ નોટિંગહામમાં ત્રીજી વનડે જીત્યા બાદ ભારત 114 અંકથી ઓસ્ટ્રેલિયા સાથે સંયુક્ત રીતે નંબર વન થઇ ગયું હતું , પરંતુ ઝિમ્બાવ્વેએ 31 વર્ષ કરતા વધુ સમય બાદ ઓસ્ટ્રેલિયા પર પોતાનો બીજો વિજય નોંધાવતાની સાથે ટીમ ઇન્ડિયા એકલું નંબર વન પર પહોંચી ગયું છે . આ હારથી ઓસ્ટ્રેલિયાને ત્રણ રેટિંગનું નુક્સાન થયું છે અન તે દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકા પછી ચોથા ક્રમે પહોંચી ગયું છે . ઓસ્ટ્રેલિયાના 111 અંક છે . pagespeed . lazyLoadImages . overrideAttributeFunctions ( ) ; function googleAnalyticsCodeCommon ( ) { var main _ url = $ ( ' link [ rel = "" canonical "" ] ' ) . attr ( "" href "" ) ; var url = document . location . href ; var pattern = ' https : / / ' + window . location . hostname ; url = url . replace ( pattern , "" "" ) ; var title = document . title ; ga ( "" oneindiagu . send "" , { hitType : "" pageview "" , page : url , location : main _ url } ) ; ga ( "" rosoneindia . send "" , { hitType : "" pageview "" , page : url , location : main _ url } ) ; ga ( "" dhoneindia . send "" , { hitType : "" pageview "" , page : url , location : main _ url } ) ; url = document . location . href ; var jcode = ' var _ comscore = _ comscore | | [ ] ; var comscoreParams = { c1 : "" 2 "" , c2 : "" 7732551 "" , c3 : "" "" , c4 : "" ' + url + ' "" , c5 : "" "" , c6 : "" "" , c15 : "" "" } ; _ comscore . push ( comscoreParams ) ; var s = document . createElement ( "" script "" ) , el = document . getElementsByTagName ( "" script "" ) [ 0 ] ; s . async = true ; s . src = ( document . location . protocol = = "" https : "" ? "" https : / / sb "" : "" http : / / b "" ) + "" . scorecardresearch . com / beacon . js "" ; el . parentNode . insertBefore ( s , el ) ; ' ; setTimeout ( jcode , 500 ) ; var _ qevents = _ qevents | | [ ] ; ( function ( ) { var elem = document . createElement ( ' script ' ) ; elem . src = ( document . location . protocol = = "" https : "" ? "" https : / / secure "" : "" http : / / edge "" ) + "" . quantserve . com / quant . js "" ; elem . async = true ; elem . type = "" text / javascript "" ; var scpt = document . getElementsByTagName ( ' script ' ) [ 0 ] ; scpt . parentNode . insertBefore ( elem , scpt ) ; } ) ( ) ; _ qevents . push ( { qacct : "" p - yjta2aSVPaHEL "" } ) ; window . google _ analytics _ uacct = "" UA - 110466 - 73 "" ; }" business,"કેન્દ્ર સરકારે જે રીતે બેંકિંગ સેક્ટરને મજબૂત કરવા માટે 2.11 લાખ કરોડ રૂપિયા આપવાનો નિર્ણય કર્યો છે . તે પછી શેરબજારમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે . પીએસયૂ બેંક ઇંડેક્સમાં 22 ટકાનો વધારો જોવા મળ્યો છે . આજે શેયર માર્કે ભારે તેજીથી ખુલ્યું હતું . લાભપાંચમના દિવસે સેન્સેક્સ 450 અંકોના વધારા સાથે 33086 સુધી પહોંચ્યો . નિફ્ટી 10300ના આંકડાને પાર કરી ગયો . જે એક રેકોર્ડ સ્તર છે . પબ્લિક સેક્ટરની બેંકોને આર્થિક તંગીથી બહાર કાઢવા માટે કેન્દ્ર સરકારે આ પેકેજ જાહેર કર્યું છે . જેના પછી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા , પંજાબ નેશનલ બેંક સહિત તમામ બેંકોમાં શેયર માર્કેટમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે . બેંકોના શેરોમાં લોકોનો રસ વધ્યો છે . અને તેના પરિણામે ખરીદી વધી છે . જેથી ભાવમાં જોરદાર ઉછાળો આવ્યો છે . કેન્દ્ર સરકારે મંગળવારે 6.99 લાખ કરોડ રૂપિયાના રોડ પ્રોજેક્ટની જાહેરાત કરી હતી . સાથે જ સાર્વજનિક ક્ષેત્રમાં બેંકો માટે 2.11 લાખ કરોડ રૂપિયાના કેપિટલાઇજેશન પ્લાનને મંજૂરી આપી હતી . આ મોટી જાહેરાત કરતી વખતે નાણાં પ્રધાન અરુણ જેટલીએ જણાવ્યું હતું કે દેશની અર્થવ્યવસ્થાનો પાયો આનાથી ખૂબ જ મજબૂત થશે . આ બાબતે નાણાં મંત્રી અને મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓએ પ્રેજન્ટેશન પણ આપ્યું હતું . આ સમયે અરુણ જેટલીએ કહ્યું હતું કે નિવેશ , વિકાસ , રોજગાર અને બેંકોની સ્થિતિ સરકારના આ નિર્ણયથી મજબૂત થશે . આ માટે 1.35 લાખ કરોડ રૂપિયાના બોન્ડ પણ જાહેર કરવામાં આવ્યા હતા . સાથે જ 76 હજાર કરોડ રૂપિયાનું મદદ બજેટ પણ આપ્યું હતું . સાથે જ સરકારે 18 હજાર કરોડ રૂપિયા ઇંદ્રધનુષ યોજના હેઠળ બેંકોને આપ્યા હતા ." business,"પ્રધાનમંત્રી જન ધન યોજના ( પીએમજેડીવાય - PMJDY ) અંતર્ગત બેંક એકાઉન્ટ ખોલાવવા માટે આધાર કાર્ડ સૌથી મહત્વનો દસ્તાવેજ છે . જો કે સરકારએ એક વર્ષ સુધી આધાર કાર્ડ વિના પણ પ્રધાનમંત્રી જનધન યોજના અંતર્ગત બેંક એકાઉન્ટ ખોલવાની સુવિધા પ્રદાન કરી છે . આ મુદ્દે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ( આરબીઆઇ - RBI ) એ જણાવ્યું છે જેમની પાસે સત્તાવાર રીતે માન્ય દસ્તાવેજો નથી તેઓ ' સ્મોલ એકાઉન્ટ ' ખોલાવી શકશે . સ્મોલ એકાઉન્ટ બેંકના માન્ય અધિકારી સમક્ષ સ્વપ્રમાણિત ફોટોગ્રાફ્સની સાથે ખોલાવી શકાશે . જો કે સ્મોલ એકાઉન્ટની કેટલીક મર્યાદા છે . જેના કારણે એક વર્ષમાં તેમાં રૂપિયા 1 લાખથી વધારેની રકમ મૂકી શકાશે નહીં . આ ઉપરાંત એક મહિનામાં રૂપિયા 10,000થી વધારેની રકમનો ઉપાડ કરી શકાશે નહીં . આ ઉપરાંત બેંક એકાઉન્ટમાં રૂપિયા 50,000નું બેલેન્સ રાખવું પડશે . આ ખાતુ માત્ર 12 મહિના સુધી જ માન્ય રહેશે . સ્મોલ એકાઉન્ટના ખોલાવ્યા બાદ 12 મહિનાની અંદર જો વ્યક્તિ જરૂરી દસ્તાવેજો આપે છે તો આ એકાઉન્ટ વધુ 12 મહિના માટે લંબાવવામાં આવશે . પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ ખાતુ ખોલાવવા માટે સત્તાવાર રીતે કયા દસ્તાવેજોની જરૂર પડશે તેની યાદી આ મુજબ છે . . . 1 . જો વ્યક્તિ પાસે આધાર કાર્ડ કે આધાર નંબર હશે તો અન્ય કોઇ દસ્તાવેજો રજૂ કરવાની જરૂર રહેશે નહીં . જો સરનામુ બદલાશે તો સ્વપ્રમાણિત એડ્રેસપ્રુફ આપવાનું રહેશે . 2 . આધાર કાર્ડ ના હોય તો નીચેનામાંથી કોઇપણ એક દસ્તાવેજ ચાલશે . . . A ) વોટર આઇડી કાર્ડ B ) ડ્રાઇવિંગ લાઇસન્સ C ) પાન કાર્ડ D ) પાસપોર્ટ અને NREGA કાર્ડ 3 . જો વ્યક્તિ પાસે ઉપરોક્ત એક પણ દસ્તાવેજ ના હોય પણ બેંકે તેને લૉ રિસ્ક વ્યક્તિ જાહેર કરી હોય તો તેઓ નીચેના દસ્તાવેજોમાંથી એકના આધારે બેંક એકાઉન્ટ ખોલાવી શકશે . 4 . અરજદાતાના ફોટોગ્રાફ્સ સાથે કેન્દ્ર કે રાજ્ય સરકારના વિભાગ , રેગ્યુલેટરી ઓથોરિટી , પબ્લિક સેક્ટર અંડરટેકિંગ્સ , શેડ્યુલ્ડ કોમર્શિયલ બેંક્સ અને પબ્લિક ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ દ્વારા આપવામાં આવેલું ઓળખ કાર્ડ . 5 . આ ઉપરાંત ગેઝેટેડ ઓફિસર દ્વારા આપવામાં આવેલા પ્રમાણપત્રની મદદથી અરજદાતા પોતાના ફોટોગ્રાફ સાથે ખાતુ ખોલાવી શકશે ." entertainment,"કૌન બનેગા કરોડપતિ 8નું લૉન્ચિંગ એક અસામાન્ય અફૅર હતું . શોના હોસ્ટ અમિતાભ બચ્ચન અને સામે કપિલ શર્મા હતાં . બંને પોતાના ફની મૂડમાં હતાં . એક મહત્વની ક્ષણ એવી પણ હતી કે જ્યારે કપિલ શર્માએ અમિતાભને કહ્યું - આપ મારી માટે દીપિકા પાદુકોણેને પ્રપોઝ કરી આપો . શો દરમિયાન જ્યારે અમિતાભે કપિલના સિંગલ સ્ટેટસ અંગે પૂછ્યું , ત્યારે જવાબમાં કપિલે બિગ બીને વિનંતી કરતાં જણાવ્યું - શું દીપિકા પાદુકોણે સમક્ષ મારા લગ્નનો પ્રસ્તાવ મૂકવા માટે જનાર વ્યક્તિ તરીકે આપ જાવો , તો કૃપા થશે . આપનું જવુ ઘણુ થઈ જશે . કૌન બનેગા કરોડપતિની 8મી સીઝન એટલે કે કેબીસી 8નું લૉન્ચિંગ શૂટિંગ તાજેતરમાં જ સૂરત ખાતે થયુ હતું અને તેની તસવીરો વાયરલ થઈ છે . અમિતાભે કપિલને ટ્વિટર વડે થૅંક્સ પણ કહ્યુ હતું - મારા વહાલા મિત્ર કપિલ શર્મા , ગઈ રાત્રિ માટે ગ્રેટફુલ થૅંક્સ . તેમણે કેબીસી શોને ઇનક્રેડિબલ બનાવી દીધો . કપિલે જવાબમાં જણાવ્યું - તમે જો જોવા માંગતા હોવ કે લીજેન્ડ્સ કેવી રીતે બને છે . . . તો mr @ Srbachchan પર જાઓ અને તેમના કામનો અનુભવ કરો . ઉર્જા અને ઉત્સાહ ક્યારેય સમાપ્ત નથી થતાં . ચાલો જોઇએ કેબીસી 8ના પહેલા એપિસોડની તસવીરી ઝલક :" business,"આજના સમયમાં સામાન્ય માનવીની જરૂરિયાતો વધી રહી છે , અને જરૂરિયાત પૂરી કરવા માટે તનતોડ મહેનત કરવી પડે છે . પરંતુ કેટલીકવાર અચાનક ઉભી થયેલી જરૂરિયાતો માટે કે પછી ઘર , ગાડી ખરીદવા માટે આવક ઓછી પડી જાય છે . આવી સ્થિતિમાં લોકો લૉન લેવા માટે બેન્ક તરફ નજર દોડાવે છે . બેન્ક માટે ગ્રાહક ભગવાન છે , પરંતુ કેટલીક બેન્ક પોતાના ભગવાનને લૉન આપ્યા વગર ખાલી હાથે પાછા ધકેલે છે . SBIની આ વાત ન માની તો બંધ થઈ જશે તમારું બેંક અકાઉન્ટ ! જો એક બેન્કે તમને લૉન આપવાની ના પાડી છે , તો તમારી લૉનની અરજી ફગાયાની માહિતી તમારી ક્રેડિટ ફાઈલમાં નોંધાય છે . અને જ્યારે તમે લૉન લેવા માટે બીજી બેન્ક પાસે જાવ છો ત્યારે બીજી બેન્ક પણ તમને ના પાડી શકે છે . કારણ કે આ બીજી બેન્ક પણ તમારી ક્રેડિટ ફાઈલ સહેલાઈથી ચેક કરી શકે છે . સવાલ એ છે કે બેન્કે કેમ તમને લોન આપવાની ના પાડી . આના ઘણાં કારણ હોઈ શકે છે ." sports,"એશિયન ગેમ્સમાં ભારત માટે સોમવારનો દિવસ ઘણો સારો રહ્યો છે . દીપક કુમારે સિલ્વર જીત્યા બાદ વિનેશે ભારતને ગોલ્ડ અપાવ્યો , વિનેશ ફોગાટે જાપાની ખેલાડી યુકીને પટકીને 6 - 2 થી ફાઈટ જીતીને ભારતને બીજો ગોલ્ડ મેડલ જીતાવ્યો છે . વિનેશ ઘણી પ્રતિભાશાળી ખેલાડી છે . 21 વર્ષની ઉંમરમાં રિયોમાં આયોજિત ઓલિમ્પિકમાં શામેલ થઈ હતી . એશિયન ગેમ્સમાં 50 કિલોગ્રામ વર્ગની કુશ્તીમાં વિનેશે ગોલ્ડ જીત્યો છે . આ પહેલા શનિવારે ચીનની સુન યાનને 8 - 2 થી હરાવીને ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી હતી . વર્ષ 2014 ની કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ અને એશિયન ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ મેળવનાર વિનેશ , બબીતા કુમારી ફોગાટ અને ગીતાની બહેન છે . વિનેશના તાઉ મહાવીર સિંહ જાણીતા પહેલવાન હતા . આ પણ વાંચોઃ Asian Games 2018 : દીપક કુમારે ભારતને અપાવ્યો ત્રીજો મેડલ વર્ષ 2018 ના કોમનવેલ્થ ગેમ્સમાં 50 કિલોગ્રામ વર્ગભારમાં વિનેશને ગોલ્ડ મેડલ મળ્યો હતો . આ સાથે તેણે એશિયન ચેમ્પિયનશીપમાં 3 સિલ્વર અને બે બ્રોન્ઝ જીત્યા હતા . વિનેશે પહેલી વાર વર્ષ 2013 માં એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપમાં ભાગ લીધો હતો . 51 કિલોગ્રામ વર્ગભારમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો . 24 ઓગસ્ટ 1994 માં જન્મેલી વિનેશે નાની ઉંમરમાં જ પહેલવાનીમાં પોતાની ધાક જમાવી દીધી છે . તમને જણાવી દઈએ કે આ ફાઈચના પહેલા જ રાઉન્ડમાં વિનેશ 4 - 0 થી આગળ હતી . આ પણ વાંચોઃ Asian Games 2018 : ઢાબા પર કામ કરતી હતી કવિતા ઠાકુર" entertainment,"બૉલીવુડ અભિનેત્રી પરિણીતી ચોપરાનું કહેવું છે કે બૉલીવુડમાં જો તેમને કોઈ સાથે પ્રણય - ફાગ ખેલવાં જ પડ્યાં , તો તેઓ અભિનેતા રણબીર કપૂર સાથે ખેલશે . પરિણીતી ચોપરા ચીનની એક એંટરટેનમેંટ કમ્પની વીડિયો ચૅટ મૅસેંજરના ઉદ્ઘાટન પ્રસંગે બોલી રહ્યા હતાં . આ પ્રસંગે પરિણીતી ચોપરાની બાહોમાં તો વરુણ ધવન હતાં , પરંતુ તેમની વાતોથી સ્પષ્ટ હતું કે તેઓના નયનોમાં રણબીર કપૂર છે . 2007માં સાંવરિયાથી શરુઆત કર્યા બાદ રણબીરે બૉલીવુડની લગભગ 11 ફિલ્મોમાં કામ કર્યું છે અને તેમની સાથે દીપિકા પાદુકોણે સહિત અનેકના નામો જોડવામાં આવે છે . બીજી બાજુ પરિણીતી ચોપરા આજકાલ અનેક ઉત્પાદનોની જાહેરખબરોના શૂટિંગમાં વ્યસ્ત છે . તેમણે જણાવ્યું કે તેઓ માત્ર તેવા જ ઉત્પાદનોની જાહેરખબર કરે છે કે જેનો તેમણે કાં તો ઉપયોગ કર્યો હોય કાં કરતાં હોય . પરિણીતી હાલ હસી તો ફસી ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે કે જેમાં તેમની સાથે સિદ્ધાર્થ મલ્હોત્રા તથા એશા દેઓલ છે . પ્રિયંકા ચોપરાના પિતરાઈ બહેન એવા પરિણીતીએ 2011માં લેડીઝ વર્સિસ રિકી બહેલ ફિલ્મ સાથે બૉલીવુડમાં પ્રવેશ કર્યો હતો . આવો તસવીરોમાં જોઇએ પરિણીતી ચોપરા અને વરુણ ધવન ." sports,ભારત અને શ્રીલંકાની વચ્ચે રમાયેલી ટી20 મેચમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ એક મોટી ઉપલબ્ધિ મેળવી છે . કોહલીએ પોતાના નામ પર એક મોટો રેકોર્ડ સ્થાપ્યો છે . ભારતીય ટીમ આ વખતે શ્રીલંકા સામેની તમામ મેચ એક પછી એક જીતી છે . પહેલા ભારતે શ્રીલંકાને ટેસ્ટ સીરિઝમાં 3 - 0થી હરવ્યા . અને હવે ટી 20ની મેચમાં પણ ભારતની શાનદાર જીત થઇ છે . ટી 20 મેચમાં ભારતે શ્રીલંકાને 7 વિકેટથી હરાવ્યું છે . આ મેચમાં વિરાટ કોહલીએ સૌથી વધુ 82 રન બનાવ્યા છે . આ સાથે જ વિરાટ કોહલી આંતરાષ્ટ્રીય ક્રિકેટમાં 15 હજાર રન બનાવનાર પહેલા ખેલાડી બની ગયા છે . શ્રીલંકા વિરુધ્ધ 7 રન બનાવીને જ કોહલીએ ક્રિકેટના તમામ ફોર્મેટમાં 15000 રન પૂરા કરી લીધા હતા . આ સાથે જ કોહલી ભારતની તરફથી તમામ ફોર્મેટમાં 15 હજાર રન બનાવનાર સાતમાં ખેલાડી બની ગયા છે . કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાં 4658 રન બનાવ્યા છે . અને વન ડેમાં 8587 રન બનાવ્યા છે . જ્યારે ટી20માં 1830 બનાવ્યા છે . આ સિવાય કોહલીએ ભારત - શ્રીલંકા વચ્ચે થયેલી મેચમાં અર્ધશતક લગાવીને સૌથી વધુ અડધી સદી ફટકારનાર ખેલાડી બની ગયા છે . પહેલા આ રેકોર્ડ શ્રીલંકાના કુમાર સંગકારાની નામ પર હતો . એટલું જ નહીં કોહલી શ્રીલંકાની વિરુદ્ઘ પણ સૌથી વધુ અડધી સદી કરનાર ખેલાડી પણ બની ગયા છે . આ પહેલા આ રેકોર્ડ પાકિસ્તાની ખેલાડી શાહિદ આફ્રિદી પાસે હતો . sports,"ટીમ ઇન્ડિયા ના સ્ટાર બેટ્સમેન અને આઈપીએલ માં ગુજરાત લાયન્સ ના કેપ્ટન સુરેશ રૈના પિતા બની ગયા છે . સુરેશ રૈના નું પ્રમોસન થઇ ગયું છે હવે તે ડેડી સુરેશ રૈના બની ગયા છે . રૈનાની પત્ની પ્રિયંકા ચોધરી એ છોકરીને જન્મ આપ્યો છે , 13 મેં ના રોજ પ્રિયંકા ચોધરીએ છોકરી ને જન્મ આપ્યો . પ્રિયંકાએ હોલેન્ડમાં છોકરીને જન્મ આપ્યો જ્યાં સુરેશ રૈના પણ હાજર હતા . સુરેશ રૈનાએ પોતાની છોકરીનું નામ શેયાંશી રાખ્યું છે . આ નામ સુરેશ અને પ્રિયંકાના નામને ભેગા કરીને બને છે . ડીલીવરી સમયે પોતાની પત્ની સાથે રહેવા માટે સુરેશ રૈના આઈપીએલ છોડીને હોલેન્ડ પહોચ્યા હતા . સુરેશ રૈનાએ પોતાની આ ખુશી સોશિયલ મીડિયા પર દર્શાવી છે . તેમને પોતાની પત્નીની ફોટો મૂકીને કહ્યું છે કે રાહ જોવાની પૂરી થઇ ગઈ . સુરેશ રૈના પિતા બનવાની સાથે જ # WelcomeBabyShreyanshiRaina ટ્રેન્ડ કરવા લાગ્યું હતું ." entertainment,"મુંબઈ , 16 જાન્યુઆરી : ઇમ્તિયાઝ અલી દિગ્દર્શિત હાઈવે ફિલ્મ માટે સંગીત આપનાર એ આર રહમાને ફિલ્મ માટે માહી વે . . . ગીત પોતે ગાયું છે . ઇમ્તિયાઝ અલી કહે છે કે તેઓ આશ્ચર્યચકિત છે કે ઑસ્કાર વિજેતા સંગીતકાર રહમાન કઈ રીતે ફિલ્મની લાગણીઓના જતનમાં સફળ નિવડ્યાં . ઇમ્તિયાઝે જણાવ્યું - માહી વે . . . મૂળ કામનો ભાગ નહોતું , પણ હું તેના વગર હાઈવે ફિલ્મના આલબમ કે ફિલ્મની કલ્પના નહોતો કરી શકતો . હાઈવેનું પટાખા ગુડ્ડી ગીત રિલીઝ થયાબાદ બીજુ ગીત માહી વે . . . રિલીઝ થયું છે . વિંડો સીટ ફિલ્મ્સ નિર્મિત હાઈવે ફિલ્મના નિર્માતા સાજિદ નડિયાદવાલા અને ઇમ્તિયાઝ અલી છે . ફિલ્મ યૂટીવી મોશન પિક્ચર્સ દ્વારા 21મી ફેબ્રુઆરીએ રિલીઝ થશે . હાલ તો આપ રહમાનના સ્વરમાં માણો માહી વે . . . ગીત : < center > < iframe width = "" 100 % "" height = "" 338 "" src = "" / / www . youtube . com / embed / xHLnZMjJ8bY "" frameborder = "" 0 "" allowfullscreen > < / iframe > < / center >" sports,"ખેલાડી આશિષ નેહરાએ ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લઇ લીધો છે . પોતાના હોમ ગ્રાઉન્ડ ફિરોઝ શાહ કોટલાથી જ તેમણે સંન્યાસ લીધો હતો . બુધવારે ફિરોઝ શાહ કોટલા મેદાન પર ન્યૂઝિલેન્ડ અને ભારત વચ્ચે મેચ રમાઇ હતી , જે પછી તેમણે આ જાહેરાત કરી હતી . તેમના 18 વર્ષ લાંબા ક્રિકેટ કરિયરમાં આશિષ નેહરાએ અનેક પ્રકારની ઇજા સાથે સતત સંઘર્ષ કર્યો છે . તેમણે આ અંગે કહ્યું હતું કે , હવે મારા શરીરને આરામ મળશે . હું નસીબદાર છું કે , મને મારા હોમ ગ્રાઉન્ડથી જ ક્રિકેટ કરિયરને અલવિદા કહેવાની તક મળી . હવે શું કરશે આશિષ નેહરા ? આશિષ નેહરાએ આગળ કહ્યું કે , હું ક્રિકેટ ખૂબ મિસ કરીશ . પરંતુ હવે હું થોડા દિવસ આરામ કરીશ અને પછી વિચારીશ કે આગળ શું કરવું . હજુ સુધી આ અંગે કોઇ નિર્ણય નથી લીધો . મને માત્ર ક્રિકેટ જ આવડે , એટલે ભવિષ્યમાં ક્રિકેટ કોચિંગ કરું કે કોમેન્ટ્રી પણ કરી શકું છું . આશિષ નેહરાને શરૂઆત જ ફૂટબોલ રમવાનો ખૂબ શોખ છે . સંન્યાસ લેતા પહેલા એક ટીવી ચેનલને આપેલ ઇન્ટરવ્યુમાં તેમણે જણાવ્યું હતું કે , ટીમ ઇન્ડિયાના પ્રેક્ટિસ સેશનમાં હું મોટેભાગે ફૂટબોલ નહોતો રમી શકતો , મને હંમેશા ડર રહેતો કે જો ઇજા થઇ તો બીજા દિવસે મેચ નહીં રમી શકાય . હવે રિટાયર થયા બાદ તેઓ ફૂટબોલ રમવા માંગે છે . ટીમ ઇન્ડિયાના નેહરાજી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપી બોલર તરીકે 19 વર્ષ સુધી શાનદાર પ્રદર્શન કરનાર ખેલાડી આશિષ નેહરા પોતાના કરિયરમાં ટીમ ઇન્ડિયાના 7 કપ્તાનોની આગેવાનીમાં રમી ચૂક્યાં છે . ટીમ ઇન્ડિયાના આશિષ નહેરાના સાથી ખેલાડીઓ તેમને નેહરાજી કહીને બોલાવે છે , આ ખેલાડીઓમાં વીરેન્દ્ર સેહવાગનું નામ પણ આવે છે . આ પરથી જ ખ્યાલ આવે કે ટીમ ઇન્ડિયામાં તેમનું શું સ્થાન હશે ." entertainment,"આ વર્ષની મોસ્ટ અવેટેડ ફિલ્મ ધૂમ 3 આવતીકાલે રિલીઝ થઈ રહી છે . એક બાજુ ફિલ્મમાં આમિર ખાન પહેલી વાર નકારાત્મક રોલ કરી રહ્યાં છે , તો બીજી બાજુ બૉલીવુડના હૉટેસ્ટ અભિનેત્રી કૅટરીના કૈફની ધૂમ સિરીઝમાં એન્ટ્રી સૌના માટે ઉત્સુકતા વધારી ગઈ છે . ધૂમ સિરીઝમાં હીરો સાઇડ અત્યાર સુધી જળવાયેલી રહી છે કે જેમાં અભિષેક બચ્ચન અને ઉદય ચોપરાનો સમાવેશ થાય છે . આ બંને ધૂમ અને ધૂમ 2માં હતા , તો ધૂમ 3માં પણ છે , જ્યારે વિલન અને હીરોઇન સાઇડ ત્રણેય સિરીઝમાં બદલાઈ છે . ધૂમમાં વિલન જ્હૉન અબ્રાહમ તથા હીરોઇન એશા દેઓલ હતાં , તો ધૂમ 2માં આ ભૂમિકા ક્રમશઃ હૃતિક રોશન તેમજ ઐશ્વર્યા રાયે ભજવી હતી , જ્યારે ધૂમ 3માં આમિર ખાન અને કૅટરીના કૈફની એન્ટ્રી થઈ છે . આજે આપણે ધૂમ સિરીઝના હીરો કે વિલન નહીં , પણ હીરોઇન્સ વિશે વાત કરવા જઈ રહ્યાં છે . ધૂમમાં એશા દેઓલ તેમજ રિમી સેન હતાં , તો ધૂમ 2માં ઐશ્વર્યા રાય અને બિપાશા બાસુને ધૂમ ગર્લ્સ બનવાની તક મળી અને હવે ધૂમ 3માં કૅટરીના કૈફ પોતાના હુશ્નના જલવા પાથરી રહ્યાં છે . ચાલો જોઇએ ધૂમ ગર્લ્સની તસવીરો :" sports,"ભારત અને ઇંગ્લેંડ વચ્ચે રમાઇ રહેલ ટેસ્ટ મેચની ત્રીજી ટેસ્ટમાં પાર્થિવ પટેલ રિદ્ધિમાન સાહાની જગ્યા લેશે . ઉલ્લેખનીય છે કે વિશાખાપટ્ટનમમાં બીજી ટેસ્ટ મેચ દરમિયાન રિદ્ધિમાન સાહાને ઇજા થઇ હતી . તમને જણાવી દઇએ કે 32 વર્ષીય પાર્થિવ પટેલ 8 વર્ષ બાદ ભારતીય ટીમ માટે રમવા જઇ રહ્યા છે . તેમણે 20 ટેસ્ટ મેચોમાં 30 ની સરેરાશથી 683 રન બનાવ્યા છે . તમને જણાવી દઇએ કે પાંચ ટેસ્ટ મેચોની સીરિઝની બાકી ત્રણ મેચો માટે ટીમ ઇંડિયાનું એલાન મંગળવારે કરી દેવામાં આવ્યુ છે . ટીમમાં ગૌતમ ગંભીરને જગ્યા મળી નથી અને આ એક પરિવર્તન સિવાય ટીમમાં બીજો કોઇ બદલાવ નથી . તમને જણાવી દઇએ કે શનિવારે મોહાલીમાં ભારત અને ઇંગ્લેંડ વચ્ચે ટેસ્ટ મેચ રમાશે . સીરિઝની ચોથી ટેસ્ટ મેચ 8 થી 12 ડિસેમ્બર સુધી મુંબઇમાં અને પાંચમી ટેસ્ટ 16 થી 20 ડિસેમ્બર સુધી ચેન્નઇમાં રમાશે . ટીમ આ પ્રમાણે છે વિરાટ કોહલી ( કેપ્ટન ) , અજિંક્ય રહાણે , લોકેશ રાહુલ , ચેતેશ્વર પૂજારા , પાર્થિવ પટેલ , કરુણ નાયર , રવિચંદ્રન અશ્વિન , જયંત યાદવ , રવીન્દ્ર જાડેજા , મોહમ્મદ સમી , ઉમેશ યાદવ , અમિત મિશ્રા , ઇશાંત શર્મા , ભુવનેશ્વર કુમાર અને હાર્દિક પંડ્યા ." sports,"ભારતીય ટીમમાં સ્થાન મેળવવાના પ્રયાસોમાં લાગેલા યુવરાજ સિંહે ઇન્ડિયા ‘એ ' તરફથી ધમાકેદાર બેટિંગ કરતા 89 બોલમાં જ 123 રન બનાવી દીધા હતા . આ મેચમાં યુવરાજ સિંહે ચોગ્ગા - છગ્ગાનો વરસાદ કર્યો . ઇન્ડિયા ‘એ ' એ પહેલી અનધિકૃત વનડે મેચમાં વેસ્ટ ઇન્ડિઝ ‘એ¹ને 77 રનથી પરાજય આપ્યો છે . યુવરાજ સિંહ અને યૂસુફ પઠાણના ઉત્કૃષ્ઠ પ્રદર્શનથી ભારત એને મેચમાં સરળતાંથી વિજય મળ્યો . યુવરાજે 89 બોલમાં 8 ચોગ્ગા અને 7 છગ્ગાની મદદથી 123 રનની તોફાની ઇનિંગ રમીને ઓસ્ટ્રેલિયા સામેની આગામી મહીને થનારી 7 વનડે મેચોની શ્રેણી માટે પોતાની દાવેદારી મજબૂત કરી લીધી છે . કેરેબિયન ટીમ જરા પણ એ લક્ષ્ય સુધી પહોંચી શકે તેવી સ્થિતિમાં નહોતી જણાતી , અને આખરે 39.1 ઓવરમાં 235 રન પર જ ઓલઆઉટ થઇ ગઇ . વેસ્ટ ઇન્ડિઝ તરફથી નરસિંહ દેવનારાયણ ( 57 ) અને એશલે નર્સ ( 57 ) જ ભારતના ઝડપી અને સ્પિન મિશ્રિત આક્રમણનો સામનો કરવામાં સફળ રહ્યાં . ભારત તરફથી ઝડપી બોલર સુમિત નારવાલ અને આર વિનય કુમાર તથા સ્પિનર પઠાણ અને રાહુલ શર્મએ 2 - 1 વિકેટ લીધી . જયદેવ ઉનડકટને એક વિકેટ મળી . ભારતે આ સાથે જ ત્રણ મેચોની શ્રેીમાં 1 - 0થી બઢત હાંસલ કરી લીધી છે . આગામી મેચ 17 સપ્ટેમ્બરે બેંગ્લોર ખાતે રમાશે ." entertainment,"મુંબઈ , 13 સપ્ટેમ્બર : ચારે દિશામાં પ્રકાશ ફેલાવનારો પીળો રંગ ભલે ક્રોધિત કરનારો રહ્યો , પરંતુ પીળો કે તેના શેડ્સના વસ્ત્રો પહેરનાર વ્યક્તિ હંમેશા પ્રસન્નતા અનુભવતો હશે . ભગવાન શ્રીકૃષ્ણને ' પીળાં પીતાંબરી પણ કહે છે . ટુંકમાં પીળા રંગના વસ્ત્રો ભગવાનને પણ પ્રિય હતા . આજે વિવાહમાં ભલે કન્યાના ડ્રેસીઝના રંગો આધુનિક થઈ ગયાં , પરંતુ પીળી પીઠીથી લઈને પીળા વસ્ત્રોથી શુભ શરૂઆત કરવાનો હજુ પણ રિવાજ છે . ' પીળું એટલે ગોલ્ડ ' સોનાનો અવસર બક્ષતા પીળા રંગના વસ્ત્રો અને આભૂષણો જીવનને ધન્ય બનાવે છે ધાર્મિક કે સામાજિક ક્ષેત્ર ઉપરાંત ફૅશન જગતથી માંડી બૉલીવુડની દુનિયામાં પણ પીળા વસ્ત્રોનો આગવો મહત્વ રહેલો છે . એટલે જ તો ઐશ્વર્યા રાય હોય કે કૅટરીના કૈફ હોય , તમામ અભિનેત્રીઓ પોતાના જાહેર જીવનમાં પીળા વસ્ત્રોને ખાસ મહત્વ આપે છે . ફિલ્મોમાં તો અભિનેત્રીઓ સાથે પીળા વસ્ત્રોનો વ્યાપક સ્તરે ઉપયોગ થતો હોય છે , તો જાહેર સમારંભોમાં પણ અભિનેત્રીઓ પીળા રંગના વસ્ત્રોમાં વધુ સુંદર દેખાઈ ઉપસી આવે છે . આવો જોઇએ યમ્મી યલો બ્યુટીઝ ઑફ બૉલીવુડની તસવીરો :" entertainment,"pagespeed . lazyLoadImages . overrideAttributeFunctions ( ) ; સદીના મહાન અભિનેતા જ્યારે પણ કઇ નવું કરે છે ત્યારે તે ઉડીને આંખે વળગે છે . જોકે બિગ બી હંમેશા લોકોને અભિભુત કરે છે , પરંતુ જ્યારે તેઓ ખાદીના વસ્ત્રો પહેરીને ગાંધીજીના સાબરમતિ આશ્રમમાં ચરખો કાંતવા બેઠા ત્યારે બાપૂની અનૂભુતિથી પોતે અભિભુત થઇ ગયા . અમિતાભ બચ્ચન ગુજરાતના બ્રાંડ એમ્બેસડર છે . બિગ બીએ પોતાના અનુભવો બ્લોગ પર શેર કરતા જણાવ્યું હતું કે ‘જ્યારે તેઓ અમદાવાદના ગાંધી આશ્રમમાં પહોંચ્યા તો અભિભુત થઇ ગયા હતા . તેમણે રસ્તા પર જ પોતાના ચપ્પલ ઉતારી દીધા અને ખુલ્લા પગે જ આખા આશ્રમમાં ફર્યા . એ ક્ષણ મારા માટે અદભુત હતી . ' તેમણે લખ્યું હતું કે ' આશ્રમની પવિત્રતા અને શુદ્ધતા મને આવું કરવાથી રોકી શકી નહીં . મને આશ્રમમાં જતાં એવું લાગ્યું કે હું કોઇ મહાન વ્યક્તિના શરણમાં આવી ગયો છું . ' pagespeed . lazyLoadImages . overrideAttributeFunctions ( ) ; function googleAnalyticsCodeCommon ( ) { var main _ url = $ ( ' link [ rel = "" canonical "" ] ' ) . attr ( "" href "" ) ; var url = document . location . href ; var pattern = ' https : / / ' + window . location . hostname ; url = url . replace ( pattern , "" "" ) ; var title = document . title ; ga ( "" oneindiagu . send "" , { hitType : "" pageview "" , page : url , location : main _ url } ) ; ga ( "" rosoneindia . send "" , { hitType : "" pageview "" , page : url , location : main _ url } ) ; ga ( "" dhoneindia . send "" , { hitType : "" pageview "" , page : url , location : main _ url } ) ; url = document . location . href ; var jcode = ' var _ comscore = _ comscore | | [ ] ; var comscoreParams = { c1 : "" 2 "" , c2 : "" 7732551 "" , c3 : "" "" , c4 : "" ' + url + ' "" , c5 : "" "" , c6 : "" "" , c15 : "" "" } ; _ comscore . push ( comscoreParams ) ; var s = document . createElement ( "" script "" ) , el = document . getElementsByTagName ( "" script "" ) [ 0 ] ; s . async = true ; s . src = ( document . location . protocol = = "" https : "" ? "" https : / / sb "" : "" http : / / b "" ) + "" . scorecardresearch . com / beacon . js "" ; el . parentNode . insertBefore ( s , el ) ; ' ; setTimeout ( jcode , 500 ) ; var _ qevents = _ qevents | | [ ] ; ( function ( ) { var elem = document . createElement ( ' script ' ) ; elem . src = ( document . location . protocol = = "" https : "" ? "" https : / / secure "" : "" http : / / edge "" ) + "" . quantserve . com / quant . js "" ; elem . async = true ; elem . type = "" text / javascript "" ; var scpt = document . getElementsByTagName ( ' script ' ) [ 0 ] ; scpt . parentNode . insertBefore ( elem , scpt ) ; } ) ( ) ; _ qevents . push ( { qacct : "" p - yjta2aSVPaHEL "" } ) ; window . google _ analytics _ uacct = "" UA - 110466 - 73 "" ; }" entertainment,સોનમ કપૂર અને ધનુષની ફિલ્મ રાંઝણા આજે પૂરી તૈયારી સાથે બોક્સ ઓફિસ પર ધમાકો કરવા માટે તૈયાર છે . ફિલ્મમાં પ્રથમ વાર સાઉથના સુપરસ્ટાર ધનુષ જોવા મળશે . ભલે હિંદી બોલવવામાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હોય પરંતુ ફિલ્મ જોતી વખતે તમને એક પળ માટે પણ એવું નહી લાગે કે ધનુષ હિંદી સાથે જંગ લડી રહ્યાં હોય . તેમના એક્સપ્રેશન તેમની બોલી અને તેમનો પ્રેમ લોકોને દિવાના બનાવી દેશે . ફિલ્મ શરૂ થાય ત્યાંથી માંડીને છેલ્લા સીન સુધી ધનુષે કેટલાય કેરેક્ટર ભજવ્યા છે . કેટલાય રૂપમાં જોવા મળે છે . પરંતુ દરેક રૂપમાં તે શીર્ષ સ્થાને છે . બધા પાસાઓને જોતાં રાંઝણા ફુલ એન્ટરટેનિંગ છે અને વીકએંડ એન્જોય કરવા માટે બેસ્ટ છે . ફક્ત ધનુષ્ય જ નહી પરંતુ સોનમે પણ ફિલ્મમાં પોતાની પ્રતિભા દર્શાવી છે . સોનમ કપૂરે ધનુષની સાથે મળીને એવી એક્ટિંગ કરી છે જેને જોઇને તમે પણ હેરાન થઇ જશો . સોનમ કપૂરના પપ્પા એટલે કે અનિલ કપૂર પણ રાંઝણા ફિલ્મના રિલિઝ પહેલાં કહી ચૂક્યં છે કે રાંઝણા ફિલ્મની કહાની એકદમ ટચિંગ લવ સ્ટોરી છે . સોનમે પણ જણાવ્યું હતું કે ફિલ્મમાં એક મુસ્લિમ છોકરી જોયા અને હિન્દુ છોકરો કુંદનની લવસ્ટોરી છે અને ફિલ્મમાં બધા પાત્રો રિયલ છે કોઇપણ હીરો કે હિરોઇન નથી . રાંઝણા ફિલ્મની કહાની જેટલી ટચી છે તેટલા રોમેન્ટિક ગીતો છે . રાંઝણામાં એ આર રહેમાને મ્યૂઝિક આપ્યું છે અને રાંઝણાનું મ્યૂઝિક તો ફિલ્મની રિલિઝ પહેલાં હિટ થઇ ગયું હતું . હવે જોવાનું એ છે કે ફિલ્મ રિલિઝ થયા બાદ બોક્સ ઓફિસ પર કેટલી કમાણી કરે છે . હાલ તો રાંઝણા ફિલ્મની કહાની જાણવા માટે વાંચી સ્લાઇડ . entertainment,"પટૌડી કુટુમ્બની સૌથી નાની દીકરી સોહા અલી ખાનનો આજે જન્મ દિવસ છે . 4થી ઑક્ટોબર , 1978ના રોજ જન્મેલ સોહાએ ફિલ્મ રંગ દે બસંતી સાથે ફિલ્મી કરિયરની શરુઆત કરી હતી . રંગ દે બસંતી ફિલ્મ માટે સોહાને એવૉર્ડ પણ જીત્યો હતો , પરંતુવર્ષ 2006માં રિલીઝ થયેલી આ ફિલ્મ બાદ સોહાની બાકીની ફિલ્મોમાં તેના વખાણ તો થયાં , પરંતુ તે ફિલ્મો બૉક્સ ઑફિસે વધુ લોકોને ભેગા ન કરી શકી . પોતાની ફિલ્મોને કારણ ઓછી પણ કુણાલ ખેમૂ સાથે રોમાન્સને પગલે વધુ ચર્ચામાં રહેતી સોહા આજકાલ પોતાના ભાઈ સૈફ અલી ખાનના લગ્નની તૈયારીઓમાં વ્સ્ત છે , પરંતુ પારિવારિક દબાણને પગલે તે આ અંગે મીડિયાને કોઈ વાત નથી કરી શકતી . સોહાનું એમ જણાવવું કે સૈફ - કરીના લગ્ન અંગે તેને અત્યારે કઈં જ ખબર નથી , તે આ જ દબાણને દર્શાવે છે . સોહાએ જણાવ્યું હતું કે સૈફ અને કરીના કપૂર હજુ લંડન ખાતેથી શોપિંગ કરી પરત ફર્યાં છે . તેથી અત્યારે કઈં કહી શકાય નહીં . હા , સફના લગ્ન જ્યારે પણ થશે , ત્યારે તેણે શું પહેરવું છે , તે તેને ખબર છે . ખેર , સોહાના આ સફેદ જૂઠ ઉપર સૌને પ્રેમ ઉભરાઈ આવ્યો છે . સૌનું એ જ કહેવું છે કે સોહા પોતાના ભાઈ સૈફ સાથે બેહદ પ્રેમ કરે છે . તેથી તેમના આ જૂઠને પણ સલામ . વળી , સોહાના જન્મ દિવસે તેમને ખૂબ - ખૂબ અભિનંદન ." sports,"નામ હોય ત્યા વિવાદ હોય એ વાત સ્વાભાવિક છે . જો તમારું નામ વિશ્વ ફલક પર ચમકશે તો ચોક્કસપણે તમારી સાથે જોડાયેલી નાનામા નાની વિવાદિત ઘટના પણ પ્રકાશમાં આવ્યા વગર રહેતી નથી . પછી તે ફિલ્મ જગત હોય , રાજકારણ હોય કે પછી રમત જગત . જો કે , આજે વાત અન્ય કોઇ ક્ષેત્રની નહીં કરીને સીધી જ ક્રિકેટની કરવા જઇ રહ્યાં છીએ . ભારતીય માસ્ટર બ્લાસ્ટર ક્રિકેટર સચિન તેંડુલકરે આજે ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે . સચિને બીસીસીઆઇને પાઠવેલા પત્રમાં લખ્યું છે કે , તે 200મી ટેસ્ટ મેચ રમ્યા બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઇ લેશે . ત્યારે આજે જ્યારે સચિન તેંડુલકરે આ પ્રકારની જાહેરાત કરી છે , ત્યારે કેવી રીતે તેમની સાથે જોડાયેલી એ બધી બાબતો ભૂલી શકાય છે . જેમાં તેમની સિદ્ધિઓ પણ છે , તેમની યાદગાર પળો પણ છે અને સાથોસાથ તેમની સાથે જોડાયેલા વિવાદો પણ છે . આજે અમે અહીં તસવીરો થકી સચિન તેંડુલકર સાથે જોડાયેલા એવા જ 10 વિવાદ અંગે જણાવી રહ્યાં છીએ . તો ચાલો ક્યા હતા આ વિવાદ તેના પર એક નજર ફેરવીએ ." entertainment,"મુંબઇ ની અદાલતે ફિલ્મમેકર મધુર ભંડારકર ની હત્યાનું કાવતરું ઘડવા બદલ મોડેલ - એક્ટ્રેસ પ્રીતિ જૈન ને દોષીત ગણતાં ત્રણ વર્ષની કેદની સજા કરી છે . આ મામલે પ્રીતિ સિવાય અન્ય બે લોકોને પણ સજા કરવામાં આવી છે . ઉલ્લેખનીય છે કે , વર્ષ 2005માં પ્રીતિ પર આરોપ મુકવામાં આવ્યો હતો કે , તેણે ફિલ્મમેકર મધુર ભંડારકારની હત્યા માટે કોન્ટ્રેક્ટ કિલર હાયર કર્યા હતા . આ આરોપ શુક્રવારના રોજ કોર્ટમાં સાબિત થતાં પ્રીતિને સજા કરવામાં આવી છે . વર્ષે 2004માં પ્રીતિ જૈને મધુર ભંડારકર પર બળાત્કારનો આરોપ લગાવ્યો હતો . ત્યાર બાદ આ મામલો ખૂબ ચર્ચામાં આવ્યો હતો . જો કે , બળાત્કારના મામલે સુપ્રીમ કોર્ટ તરફથી મધુર ભંડારકરને રાહત મળી ગઇ હતી . ત્યાર બાદ વર્ષ 2005માં પ્રીતિ પર મધુર ભંડારકરની હત્યાનું કવતરું ઘડવાનો આરોપ મુકવામાં આવ્યો હતો . સપ્ટેમ્બર , 2005માં પોલીસે પ્રીતિને આ મામલે અરેસ્ટ પણ કરી હતી . અહીં વાંચો - શિલ્પા શેટ્ટી - રાજ કુંદ્રા વિરુદ્ધ છેતરિંડીની ફરિયાદ દાખલ નરેશ પ્રદેશી આપ્યો હતો કોન્ટ્રેક્ટ આ આરોપમાં પ્રીતિ જૈનને શુક્રવારે કોર્ટમાં દોષીત સાબિત કરવામાં આવી છે . કોર્ટ અનુસાર પ્રીતિએ વર્ષ 2005માં ગેંગસ્ટર અરુણ ગાવલીના સાથીદાર નરેશ પ્રદેશીને મધુર ભંડારકારને મારવાનો કોન્ટ્રેક્ટ આપ્યો હતો અને તેને રૂ . 75 હજારનું પેમેન્ટ પણ કર્યું હતું ." business,"ટેલિકોમ કંપનીઓ માટે રિલાયન્સ જીયો કોઇ ખરાબ સ્વપ્ન સમાજ સમાન બની ગયું છે . જ્યારે જ્યાં રિલાયન્સ જીયો કોઇ મોટી જાહેરાત કરી છે નુક્શાન વેઠવાનો વારો અન્ય ટેલિકોમ કંપનીઓને આવે છે . શુક્રવારે જીયોના માલિક મુકેશ અંબાણીએ રિલાયન્સ જીયોની વાર્ષિક જનરલ મીટિંગમાં અનેક નવી સ્ક્રીમો સાથે જીયો ફોનની જાહેરાત કરી . અને તે સાથે જ તેની પ્રતિસ્પર્ધી કંપની એરટેલ અને આઇડિયાના શેયરમાં ઘટાડો થવાની શરૂઆત થઇ ગઇ . ત્યાં જ બીજી તરફ કોઇની ચડતી તો કોઇની પડતી નિયમ મુજબ રિલાયન્સ જીયોના શેયરમાં તેજી સ્પષ્ટ રૂપે જોવા મળી . શુક્રવારે ભારતી એરટેલના શેયર 416 રૂપિયે ખુલ્યા હતા પણ બપોર પછી એરટેલના શેયર ઘટવા લાગ્યા અને 12 વાગ્યા સુધી 404 પર આવી ગયા . તે પછી શેયર સ્ટેડી થયા પણ બજાર બંધ થાય ત્યાં સુધીમાં તેના ભાવ 411.70 થઇ ગયા . આમ એરટેલના શેયરમાં લગભગ 2 ટકા ( 1.91 % ) નો ઘટાડો જોવા મળ્યો . તો બીજી તરફ આઇડિયાના શેયર પર સવારે 95.96 અંકો પર ખુલ્યા હતા . 12 વાગ્યા સુધીમાં તેના ભાવ 88.35 થઇ ગયા હતા . અને સાંજે બજાર બંધ થતા શેયર 91.65માં બંધ થયા હતા . આમ આઇડિયાના શેયરને પણ 3.58 ટકાનું નુક્શાન વેઠવું પડ્યું હતું . ત્યાં જ રિલાયન્સ જીયોના શેયરમાં 3.60 ટકાનો ઉછાળ જોવા મળ્યો હતો . સવારે તેના શેયર 1,547 પર ખુલ્યા હતા અને તેજીથી આગળ વધ્યા હતા . બજાર બંધ થતા થતા તેના શેયરમાં 55.10 અંકોની તેજી જોવા મળી હતી ." business,"ડોલરને મુકાબલે રૂપિયો સતત નીચે ગગડી રહ્યો છે . રૂપિયો ગુરુવારે 57 પૈસા ગગડીને 73.91 રૂપિયા પ્રતિ ડોલર પર પહોંચી ગયો હતો . ડોલરને મુકાબલે રૂપિયો અત્યારસુધીના તેના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયો છે . બુધવારે પણ રૂપિયામાં ઘટાડો જોવા મળ્યો હતો જયારે તે 43 પૈસા ગગડીને 73.34 પ્રતિ ડોલર પર બંધ થયો હતો . એટલું જ નહીં પરંતુ સેન્સેક્સમાં ફરી મોટો કડાકો જોવા મળ્યો છે . સેન્સેક્સ ગુરુવારે 604 પોઇન્ટ તૂટીને 35,370.89 પર ખુલ્યો જેને કારણે શેરબજારમાં અફરાતફરી મચી ગયી . જયારે નિફટી પણ 136 પોઇન્ટ ગગડીને 10,722.15 પર પહોંચી ચુકી છે . બુધવારે સેન્સેક્સ 550 પોઇન્ટના કડાકા સાથે 36 હજારની નીચે આવી ગયો હતો . બુધવારે સેન્સેક્સ 35,975.63 પર બંધ થયો હતો જયારે નિફટી 150.05 પોઇન્ટ ગગડીને 10,858.25 પર બંધ થઇ હતી . SBIના ગ્રાહકો માટે ખાસ ખબર , હવે 20 હજારથી વધુ રૂપિયા નહિ ઉપાડી શકો આ વર્ષે ડોલરના મુકાબલે રૂપિયામાં 14 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે . ક્રૂડની કિંમત વધવાથી , ટ્રેડ વોર , કેડ વધવાની આશંકા , ડોલરમાં મજબૂતી , અને રાજનૈતિક અસ્થિરતાને કારણે રૂપિયા પર દબાણ સતત વધી રહ્યું છે . આવનારા દિવસોમાં પણ રૂપિયામાં સુધારો થાય તેવું નથી દેખાઈ રહ્યું . કયા દેશમાં વેચાય છે સૌથી મોંઘુ પેટ્રોલ ? જયારે રૂપિયામાં થતા ઘટાડાને કારણે તેલ કંપનીઓને વિદેશથી તેલ મંગાવવા માટે ભારે કિંમત ચૂકવવી પડી રહી છે . તેને કારણે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો થવાની આશંકા વ્યકત કરવામાં આવી રહી છે . બેન્કિંગ , ઓટો , એફએમસીજી , ઓઇલ એન્ડ ગેસ અને પાવર સેક્ટર શેરમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે ." business,ઇ કોર્મસ કંપની અમેઝોનના સીઇઓ અને સંસ્થાપક જેફ બેઝોસે માઇક્રોસોફ્ટ કંપનીના સ્થાપક બિલ ગેટ્સને પછાડીને બની ગયા દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ . જોકે આવું તે ખાલી થોડા કલાક માટે જ કરી શક્યા પણ ગુરુવારે ફોર્બ્સમાં જાહેર રિપોર્ટ મુજબ બેજોસની કંપનીની સંપત્તિ 90.5 બિલિયન ડોલર થઇ ગઇ હતી . જ્યારે માઇક્રોસોફ્ટના માલિક બિલ ગેટ્સની કંપની 90 બિલિયન ડોલર હતી . પણ થોડાક કલામાં એમેઝોનના શેયર પડતા વળી પાછા બિલ ગેટ્સ દુનિયાના સૌથી પૈસાદાર વ્યક્તિ થઇ ગયા હતા . ઉલ્લેખનીય છે કે એમેઝોને હાલમાં જ યુઝર્સ ગ્રોસર હોલ ફૂડ્સની મેળવવા માટે યોજના બનાવી છે . વળી પાછલા ચાર મહિનાથી એમેઝોનના શેયર 1.7 થી ઉછળીને 25 ટકા પર આવ્યા છે . ફોર્બ્સના કહેવા મુજબ બિલ ગેટ્સ પાછલા ચાર વર્ષથી દુનિયાના સૌથી વધુ પૈસાદાર વ્યક્તિ છે . અને ગત 22 વર્ષોથી ફોર્બ્સ લિસ્ટમાં પણ 18 વાર સૌથી પૈસાદાર વ્યક્તિ તરીકે બિલ ગેટ્સનું નામ આવી ચૂક્યું છે . વળી જેફ બેજોસને સૌથી વધુ કમાણી એમેઝોનથી જ થાય છે . તે સિવાય બેજોસ બ્લૂ ઓરિજન અને વોશિંગ્ટન પોસ્ટ અખબારના માલિક પણ છે . વળી જેફે અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણી વખતે ડોનાલ્ડ ટ્રંપનો પણ વિરોધ કર્યો હતો . sports,"લંડન , 21 ઑગસ્ટઃ ઇંગ્લેન્ડમાં ટીમ ઇન્ડિયાની દુર્દશા બાદ હવે બીસીસીઆઇએ નક્કી કર્યું છેકે કોઇપણ પ્રવાસ દરમિયાન પત્ની અને પ્રેમિકાને સાથે લઇને જવાના મુદ્દે કડક પગલાં ભરવાનો નિર્ણય કર્યો છે . એક અગ્રણી મીડિયા રિપોર્ટ અનુસાર બીસીસીઆઇએ ક્રિકેટર્સ સામે આકરા પગલા ભરવાની તૈયારી કરી લીધી છે . બીસીસીઆઇના આ નિર્ણયમાં ક્રિકેટર્સની પ્રેમિકાને વિદેશી પ્રવાસ પર જવાની અનુમતિ નહીં આપવામાં આવે . સાથે જ ક્રિકેટર્સ પોતાની પત્નીઓને પણ એક નક્કી સમય સુધી જ સાથે રાખવાની પરવાનગી આપશે . બીસીસીઆઇનું માનવું છેકે , પ્રવાસ દરમિયાન મહિલાઓની હાજરીના કારણે ક્રિકેટર્સનું ધ્યાન રમત તરફથી હટી જાય છે . તેવામાં તેને પોતાની પ્રેક્ટિસ પર જેટલો સમય આપવો જોઇએ તેટલો સમય આપી શકતા નથી . ફોર્મ સુધારવા કાઉન્ટીના શરણે પૂજારા , આ દિગ્ગજો પણ લઇ ચૂક્યા છે ભાગ 11 ધર્મ આધારિત ઈન્ડિયન ટેસ્ટ ક્રિકેટની અજાણી વાતો આ પણ વાંચોઃ - પૂર્વ સફળ સુકાની ગાંગુલીએ આપી ધોનીને ' કેપ્ટન્સી ટીપ્સ '" business,"આજે મુંબઇ પોલીસે એનએસઇએલ ( NSEL ) કૌભાંડના કેસમાં વિવિધ ડિફોલ્ટિંગ કંપનીઓના ટોચના બે અધિકારીઓની ધરપકડ કરી હતી . આ કંપનીઓએ એનએસઇએલને અંદાજે રૂપિયા 1000 કરોડને ચૂકવવાના થાય છે . આ ધરપકડના સંદર્ભમાં મુંબઈ પોલીસે જણાવ્યું હતું કે એનએસઇએલ કેસમાં યાધુરી એસોસિયેટ્સના ડિરેક્ટર ગગન સુરીની ચંદીગઢમાં , જ્યારે પી ડી એગ્રો પ્રોસેસર્સના પ્રમોટર રાજીવ અગ્રવાલની કર્નાલ ( હરિયાણા ) માંથી ધરપકડ કરવામાં આવી છે . આ બંને અધિકારીઓ સમન્સ હોવા છતાં હાજર થતા ન હતા . બંને અધિકારીઓને આવતીકાલે કોર્ટમાં રજૂ કરવામાં આવશે . સુરીની કંપનીએ રૂપિયા 424 કરોડ ચૂકવવાના બાકી છે , જ્યારે અગ્રવાલની કંપનીએ રૂપિયા 644 કરોડનો ડિફોલ્ટ કર્યો છે . આ બંને કંપનીઓની મિલકતોને અગાઉ જપ્ત કરવામાં આવેલી છે . મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખાએ એનએસઇએલના રૂપિયા 5,600 કરોડના કૌભાંડમાં અત્યાર સુધી આશરે રૂપિયા 6,000 કરોડની મિલકતો જપ્ત કરી છે ." business,"દરેક વ્યક્તિ ઈચ્છે છે તેણે બચેલા પૈસા ઝડપથી વધે . આ માટે લોકો બેન્કમાં જુદી જુદી રીતે રોકાણ કરે છે . આપણે બધા જ લોકો ઓછા સમયમાં પૈસા ડબલ થાય તેવા રોકાણના વિકલ્પ શોધીએ છીએ . સાથે જ આપણે એ પણ જોઈએ છીએ કે તેમાં જોખમ ઓછું હોય . એટલે જ મોટા ભાગના લોકો રોકાણ માટે ફિક્સ ડિપોઝિટ પસંદ કરે છે , પરંતુ એક સ્કીમ એવી પણ છે જે એફડી કરતા વધુ ઝડપથી પૈસા ડબલ કરે છે . આ સ્કીમ છે પોસ્ટ ઓફિસની નેશનલ સેવિંગ સર્ટિફિકે . તો જાણીએ શું છે NSC અને તેમાં કેવી રીતે રોકાણ કરી શકાય . NSC ભારત સરકારની નાનકડી બચત યોજના છે . NSC દેશની કોઈ પણ પોસ્ટ ઓફિસ બ્રાંચમાંથી લઈ શકાય છે , તેનો મેચ્યોરિટી પિરિયડ 5 વર્ષનો હોય છે . અને તેમાં દર વર્ષે 8 ટકા વ્યાજ મળે છે . NSCનો સમાવેશ સ્મોલ સેવિંગ્સમાં થઆય છે અને સરકાર દર 3 મહિને સ્મોલ સેવિંગ્સ સ્કીમના વ્યાજદર રિવાઈઝ કરે છે . SBI ની મોટી ઓફર , FREE માં કરાવો તમારી હોમ લોનને ટ્રાન્સફર , આ છે પ્રોસેસ" business,"ન્યૂયોર્ક , 9 જાન્યુઆરીઃ ફોર્બ્સ મેગેજીનની ' સૌથી પ્રતિભાશાળી યુવા ચહેરાઓ ' ની વાર્ષિક યાદીમાં ભારતીય મૂળના 20થી વધુ યુવક યુવતિઓ સામેલ છે . ફોર્બ્સ મેગેજીને નાણાંકીય , મીડિયા , રમતગમત અને શિક્ષણ જેવા અલગ - અલગ ક્ષેત્રોની 30 વર્ષથી ઓછી ઉંમરના આ યુવા પ્રતિભાવોઓને એકમાત્ર ગણાવ્યા છે જે હાલ દુનિયામાં પોત પોતાની રીતે સકારાત્મક પરિવર્તન લાવી રહ્યાં છે . ફોર્બ્સની ' 30 વર્ષની નાની ઉંમરના 30 સૌથી સફળ યુવાનો ' ( 30 અંડર 30 ) ની યાદીમાં 15 વિભિન્ના ક્ષેત્રોમાં સફળ યુવા સામેલ છે . જેમાં પોપ ગાયક જસ્ટિન બીબર , મિલી સાયરસ , ટેલર સ્વિફ્ટ , બ્લાગિંગ પ્લેટફોર્મ ટંબલરના સંસ્થાપક તથા મુખ્ય કાર્યકારી ડેવિડ કોર્પ , ટેનિસ ખેલાડી મારિયા શારાપોવા અને પાકિસ્તાની મહિલાઓના અધિકારીની તરફેણ કરનાર મલાલા યૂસૂજઇ સામેલ છે . ફોર્બ્સે કહ્યું હતું કે ' આ યુવા અને મહાત્વાકાંક્ષી લોકો માટે ઉત્સાહજનક સમયગાળો છે . ક્યારેય યુવાનો માટે આવી તક મળી ન હતી . આ પ્રતિભાઓ સંગઠનોની સંસ્થાપક અને નાણા કમાવનાર છે . આ બ્રાંડ બનાવનાર અને સારા કામ કરનાર લોકો સફળતાની સીડીઓ ચઢવા માટે કોઇ યોગ્ય કેરિયરની રાહ જોઇ રહ્યાં નથી . તેમની મહાત્વાકાંક્ષા એકદમ ઉંચી છે જે તે ગતિશીલ , ઉદ્યમી અને ઉત્સુક ડિજિટલ સમયગાળાને અનુકૂળ છે જેમાં તે જન્મ્યા છે . ' ફોર્બ્સની 450 સૌથી સફળ યુવાનોની યાદીમાં ભારતીય મૂળના 23 યુવક યુવતિઓ સામેલ છે . તેમાંથી કોઇ ભારતમાં જ્ઞાન કેન્દ્ર અથવા સોફ્ટવેર કંપનીની સ્થાપના કરી રહ્યું છે જેથી શિક્ષકોને ક્લાસરૂમાં થઇ રહેલી ગતિવિધિઓ પર નજર રાખવામાં મદદ મળી શકે છે , કોઇ અમેરિકી ફૂટબોલ ટીમના ઉપાધ્યક્ષ છે તો કોઇ વિશિષ્ટ ચોકલેટ બુટીકના માલિક છે . આ ઉપરાંત અમીર રાવ , દિવ્યા નાગ , રધુ ચિવુકુલા , સુરભી સરના , સૈમ ચૌધરી , સાયમિંદુ દાસગુપ્તા , પ્રવણ યાદવ , ઇશા ખરે અને અદિતિ મલ્હોત્રા સામેલ છે ." entertainment,"જૅકપૉટ નિર્માતા : ઉર્વશી શર્મા દિગ્દર્શક : કૈઝાદ ગુસ્તાદ કલાકારો : સન્ની લિયોન , સચિન જોશી , નસીરુદ્દીન શાહ સંગીત : શારિબ શબરી , તોશિબ શબરી સ્ટાર : 1.5 સન્ની લિયોન કે જે પોતાની ફિલ્મ જૅકપૉટની રિલીઝનો આતુરતાપૂર્વક ઇંતેજાર કરતા હતાં , તેઓ કદાચ પોતાની ફિલ્મને મળતા ફીકા પ્રતિસાદના કારણે થોડાક નિરાશ હશે . જૅકપૉટ ફિલ્મની રિલીઝને જેટલી હાઇપ કરાઈ હતી , પણ ફિલ્મની રિલીઝ એટલી જ ઠંડી રહી . જૅકપૉટ વડે નથી સન્ની કે નથી સચિન જોશીના કૅરિયરમાં જૅકપૉટ લાગ્યો . ફિલ્મની વાર્તા ખૂબ જૂની અને ચીલાચાલુ છે અને સાથે જ ફિલ્મમાં સન્ની લિયોન ઉપરાંત કંઈ પણ જોવા જેવું નથી . નસીરુદ્દીન શાહે પોતાના તરફથી પુરતા પ્રયત્નો કર્યા છે કે ફિલ્મને પોતાનો ટેસ્ટ આપવાની , પણ કદાચ ક્યાંકને ક્યાંક દિગ્દર્શનમાં ખામી રહી જતાં નસીરુદ્દીનની યોગ્યતાનો બરાબર યૂઝ ન કરી શકાયો . જ્યાં સુધી એંટરટેનમેંટની વાત છે , તો જૅકપૉટ ફિલ્મમાં એંટરટેનમેંટના નામે સન્ની લિયોનના બોલ્ડ એક્ટ્સ , કેટલાંક બહેતરીન ગીત તેમજ સન્ની લિયોનના પતિ ડેનિયલ વેબરની કૅમિયો એન્ટ્રી છે . ઉપરાંત ફિલ્મમાં બીજુ કંઈ ઇંટરેસ્ટિંગ નથી . ફિલ્મની વાર્તા ખૂબ જ જૂની અને બેકાર છે , તો સન્નીએ કંઈ પણ નવુ નથી કર્યું . થ્રિલરના નામે માત્ર એક મજાક કરાઈ છે ." entertainment,"લૅડી ગાગાના ફૅન્સને સાંભળીને કદાચ સારૂ નહીં લાગે , પણ હકીકત આ જ છે કે વિશ્વની સૌથી વધુ કમાણી કરનાર ગાયિકા લૅડી ગાગા નહીં , પણ પૉપ સનસનાટી મૅડોના છે . અરે આમ અમે નથી કહેતા , પણ ફોર્બ્સ મૅગેઝીન આમ કહે છે કે જેણે મૅડોનાને સૌથી વધુ કમાણી કરનાર પૉપ ગાયિકાના તમગાથી નવાજ્યા છે . ફીમેલફર્સ્ટ . કો . યૂકે વેબસાઇટના જણાવ્યા મુજબ 55 વર્ષીય મૅડોનાએ પોતાના એમડીએમએ વિશ્વ સંગીત પ્રવાસના કારણે જૂન - 2012થી મે - 2013 દરમિયાન 12.5 કરોડ ડૉલરની કમાણી કરી છે , જ્યારે ગાગાએ 8 કરોડ ડૉલર કમાવ્યાં છે . આ યાદીમાં રૉકસ્ટાર બોન જોવી ત્રીજા સ્થાને , ગાયબ ટૉબી કીથ ચોથા અને કોલ્ડપ્લે પાંચમા સ્થાને છે . યાદીના ટોચના દસ લોકોમાં જસ્ટિન બીબર ( 5.8 કરોડ ડૉલર ) , ટેલર સ્વિફ્ટ ( 5.5 કરોડ ડૉલર ) , એલ્ટન જ્હૉન ( 5.4 કરોડ ડૉલર ) અને બિયોંસે નોલ્સ ( 5.3 કરોડ ડૉલર ) તેમજ કેની ચેસ્ની ( 5.3 કરોડ ડૉલર ) નો પણ સમાવેશ થાય છે . જોકે મૅડોનાનું તાજેતરમાં જ રિલીઝ થયેલું આલબમ એમડીએમએ સમ્પૂર્ણપણે ફ્લૉપ થઈ ગયું છે , પરંતુ આમ છતાં મૅડોના સૌથી અમીર છે . નોંધનીય છે કે મૅડોના ચાર બાળકોના માતા છે અને તેમનો સૌથી મોટો દીકરો 16 વર્ષનો છે . મૅડોનાના સેક્સી અંદાજના સામાન્યથી લઈ ખાસ સૌ દીવાના છે . મૅડોનાએ હવે 300એમ કૅસેટો વેચી છે કે જે પોતાની રીતે એક અનોખો રેકૉર્ડ છે . સિંગર , ડાન્સર , રાઇટર , ડાયરેક્ટર મૅડોનાનો વિવાદો સાથે પણ નાતો રહ્યો છે . ક્યારેક તેઓ પોતાના ઉત્તેજક ડાન્સ , તો ક્યારેક ઉત્તેજક હરકતોના કારણે હૅડલાઇન બની જાય છે . આવો આપને બતાવીએ મૅડોનાના કેટલાંક આશ્ચર્યજનક કારનામાઓ ." entertainment,"સિરિયલ "" દેવો કે દેવ મહાદેવ "" માં પાર્વતીના રોલમાં દેખાયેલી સોનારિકા ભદોરિયા હવે બોલિવૂડ ફિલ્મોમાં આવી રહી છે . સોનારિકા ભદોરિયા સાંસે ફિલ્મથી પોતાનો બોલિવૂડ ડેબ્યુ કરવા જઈ રહી છે . સોનારિકા ભદોરિયાની પહેલી ફિલ્મ સાંસેનું પોસ્ટર પણ સામે આવી ચૂક્યું છે . ડાયરેક્ટર રાજીવ એસ રુહીયાની આ ફિલ્મનું પોસ્ટર જોઈને તો લાગે છે કે તે એક હોરર ફિલ્મ હશે . ફિલ્મમાં સોનારિકા સાથે રજનીશ દુગ્ગલ પણ જોવા મળશે . હાલમાં જ સોનારિકાએ પોતાની ફિલ્મનું પોસ્ટર સોશ્યિલ મીડિયા પર શેર કર્યું અને લખ્યું કે મારી ફિલ્મ સાંસેઃ ધ લાસ્ટ બ્રીથનું પહેલું પોસ્ટર રિલીઝ થઇ ચૂક્યું છે . તેના માટે મને તમારા બધાની ગુડ વિશ જોઈએ છે . સાંસેઃ ધ લાસ્ટ બ્રીથ ફિલ્મમાં પહેલા પોસ્ટરમાં સોનારિકાનો ડરાવનો ચહેરો પણ દેખાઈ રહ્યો છે . આ ફિલ્મમાં સોનારિકા સીરીન નામની છોકરીના રોલમાં જોવા મળશે . આ ફિલ્મના નિર્દેશક રવિ રૂઈન છે . નિર્માતા ગૌતમ જૈન અને વિવેક અગ્રવાલ છે . આ ફિલ્મ 11 નવેમ્બરે રિલીઝ થવા જઈ રહી છે . ફિલ્મમાં સોનારિકા અને રજનીશ સાથે હિતેન તેજવાની પણ મુખ્ય ભૂમિકામાં છે . છેલ્લા ઘણા દિવસોથી ટીવી સિરિયલ "" દેવો કે દેવ મહાદેવ "" માં પાર્વતીનો રોલ કરવાવાળી ખૂબસૂરત અભિનેત્રી સોનારિકા ભદોરિયા પોતાની બિકીની તસવીરોને કારણે ખૂબ જ ચર્ચામાં આવી હતી . આ તસવીરો માટે તેની ખૂબ જ આલોચના પણ કરવામાં આવી હતી . સોનારિકાની બિકીની તસવીરોની સોશ્યિલ મીડિયા પર ખૂબ જ ચર્ચા થઈ હતી . સોનારિકાએ દેવો કે દેવ મહાદેવ સિરિયલ વચ્ચે જ છોડી હતી કારણ તેને તેલુગુ ફિલ્મ સાઈન કરવાનું જણાવ્યું હતું . થોડા સમય પહેલા જ સોશ્યિલ મીડિયા પર મહાદેવ સિરિયલની પાર્વતી સોનારિકા ભદોરિયા ઉપર ગાળોની વરસાદ થઈ હતી . તેની બિકીની તસવીરો સોશ્યિલ મીડિયા પર વાયરલ થઈ હતી . સોનારિકાએ જાતે જ તે તસવીરો સોશ્યિલ મીડિયા પર નાખી હતી . પરંતુ તેના ફેન્સ નારાજ થઈ ગયા સોનારિકાએ જેવી તસ્વીરો નાખી સોશિયલ મીડિયા પર તેને ગાળો પડવા લાગી . બસ મુદ્દો ખાલી એટલો જ હતો કે સોનારિકા ટીવી પર ભગવાન પાર્વતીનો રોલ નિભાવી ચુકી છે તો તેને આવી હરકતો શોભતી નથી . સોનારિકાએ પોતાની તસ્વીરો હટાવ્યા બાદ લખ્યું કે માણસ પોતાના મન કઈ જ નથી કરી શક્તો . મેં તસ્વીરો એટલા માટે નથી હટાવી કે હું ડરી ગઈ છુ પરંતુ નકારાત્મક લોકો સાથે તે કઈ પણ શેર નથી કરવા માંગતી ." entertainment,"ફૉક્સ સ્ટાર સ્ટુડિયોઝ બૉલીવુડ ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપની નવી ફિલ્મ બૉમ્બે વેલ્વેટનું સહ - નિર્માણ કરશે . અનુરાગની નિર્માણ કમ્પની ફૅંટમ ફિલ્મ્સ પણ તેની સહ - નિર્માતા છે , જ્યારે અનુરાગ તેનું દિગ્દર્શન કરશે . રણબીર કપૂર તથા અનુષ્કા શર્માની મુખ્ય ભૂમિકા ધરાવતી આ ફિલ્મ 50 - 70ના દાયકાઓના મુંબઈ પર આધારિત છે . ફિલ્મ દર્શાવશે કે કઈ રીતે આ શહેર એક મહાનગરમાં તબ્દીલ થાય છે . ફૉક્સ સ્ટાર સ્ટુડિયોઝ ઇન્ડિયાના સીઈઓ વિજય સિંહે એક નિવેદનમાં જણાવ્યું - અમે અનુરાગ કશ્યપના દિગ્દર્શન હેઠળ બનતી તેમની ફિલ્મ બૉમ્બે વેલ્વેટ સાથે જોડાઈ ખુશ છીએ . અનુષ્કા શર્મા તથા રણબીર કપૂર મુખ્ય ભૂમિકામાં હોવાથી આ ફિલ્મ સિનેમાની સફરને અનોખી બનાવશે . ફૅંટમ ફિલ્મ્સના અધિકારીઓ પણ આ સહકાર અંગે ઉત્સાહિત છે . ફૅંટમ ફિલ્મ્સના અધિકારી વિકાસ બહલે જણાવ્યું - અમે ફૉક્સ સ્ટાર સાથે કામ કરવાનો ઇંતેજાર કરી રહ્યાં છીએ . બીજી બાજુ અનુરાગ કશ્યપ કહે છે કે તેઓ બૉમ્બે વેલ્વેટ ફિલ્મની વાર્તા ઉપર મુગ્ધ થઈ ગયા હતાં . તાજેતરમાં જ રિલીઝ થયેલી બૉમ્બે ટૉકીઝ ફિલ્મના ચાર દિગ્દર્શકોમાંના એક અનુરાગ કશ્યપે જણાવ્યું - બૉમ્બે વેલ્વેટ મુંબઈ શહેર મહાનગરમાં તબ્દીલ થતા અગાઉના મુંબઈ ઉપર આધારિત પ્રથમ ફિલ્મ છે . તેની વાર્તાએ કાયમ મને મુગ્ધ કરી છે . અમે તેને ચાર વરસથી તૈયાર કરતા હતાં અને હવે હું બહુ ઉત્સાહિત છું કે તે પૂર્ણત્વે તૈયાર છે અમે આ જ વર્ષે તેનું શૂટિંગ શરૂ કરી દઇશું . ફિલ્મ 2014માં ક્રિસમસ દરમિયાન રિલીઝ થશે ." business,"યુઆઇડીએઆઇ દ્વારા 8 અનાધિકૃત વેબસાઇટ વિરુદ્ધ પોલીસ કેસ નોંધવામાં આવ્યો છે . આ વેબસાઇટ પર આરોપ છે કે તે ગેરકાનૂની રીતે લોકોના આધાર નંબર અને તેમના નામાંકનનું વિવરણ જમા કરાવે છે . નોંધનીય છે કે આવું પહેલી વાર બન્યું છે કે આધાર કાર્ડને લઇને છેતરપીંડીનો કેસ બન્યો હોય . હાલ તો પોલીસે આ આઠ વેબસાઇટ વિરુદ્ધ કેસ નોંધી વધુ તપાસ શરૂ કરી છે . પણ તમારે પણ આ પ્રકારની છેતરપીંડીથી બચવા માટે આ આઠ વેબસાઇટના નામ જાણવા જરૂરી બની જાય છે . Read also : જાણો Aadhar Pay વિષે અહીં . નોંધનીય છે કે આધાર કાર્ડ હવે બધી જગ્યાએ જરૂરી છે . તમારા રાશન કાર્ડથી લઇને તમારી બેંક ડિટેલ , તમારા પાન નંબર આધાર સાથે જોડાયેલો છે . અને આ તમામ જાણકારી જો કોઇ ખોટા હાથમાં આવી જાય તો તમારી સાથે જ દેશનો પણ મોટું નુક્શાન થવાની સંભાવના છે . ત્યારે શું છે આ વેબસાઇટ , કેવી રીતે તે ખોટી રીતે તમારી મહત્વની માહિતી ચોરાવે છે તે અંગે વિગતવાર વાંચો અહીં . . . ." sports,આજનો દિવસ ક્રિકેટ પ્રેમીઓ માટે સારો રહ્યો કારણકે એશિયન ઇંસ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી ગ્રાઉંડમાં રમાયેલ એશિયાઇ ક્રિકેટ પરિષદ ( એસીસી ) ની મહિલા ટી - 20 એશિયા કપ મેચમાં ટીમ ઇંડિયાએ નેપાળને 99 રનથી હરાવી દીધી છે . ભારતીય મહિલા ટીમે નેપાળને 21 રનના લઘુત્તમ સ્કોર પર સમેટ્યા બાદ 99 રનથી શાનદાર જીત મેળવી છે . આ જીતની સૌથી ખાસ વાત એ રહી કે મહિલા ટીમની કોઇ પણ બોલરે 10 થી વધુ રન આપ્યા નહિ . આની સાથે સાથે નેપાળની મહિલા ક્રિકેટ ટીમે ટી - 20 એશિયા કપમાં ભારતની સામે રમાયેલ મેચમાં એક દાવમાં સૌથી ઓછો સ્કોર બનાવવાનો અણગમતો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે . જો કે ટીમ ઇંડિયા પહેલા જ આ ટુર્નામેંટના ફાઇનલમાં પહોંચી ગઇ છે . તેણે ગુરુવારે શ્રીલંકાની ટીમને 52 રનથી હરાવી હતી . ભારત તરફથી ભારતીય બોલરોએ જબરદસ્ત પ્રદર્શન કર્યુ હતુ . તમને જણાવી દઇએ કે ટોસ હાર્યા બાદ પહેલા બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઇંડિયાએ નિર્ધારિત ઓવરોમાં 5 વિકેટના નુકશાન પર 120 રન બનાવ્યા હતા . જેના જવાબમાં નેપાળની ટીમ ભારતીય બોલરોનો સામનો કરી શકી નહિ અને 21 રનમાં જ ઓલઆઉટ થઇ ગઇ . આ દાવમાં ભારત માટે પૂનમ યાદવે સૌથી વધુ ત્રણ વિકેટ લીધી . જ્યારે અનુજા પાટિલ અને સબ્બીનેની મેઘનાએ બે - બે વિકેટ લીધી . દમદાર પ્રદર્શન કરનાર શિખા પાંડેને પ્લેયર ઓફ ધ મેચ બનાવવામાં આવી . entertainment,"ચૂંટણી ભલે અમેરિકામાં થવાની હોય પરંતુ આ ચૂંટણી પર નજર ભારતીયોની પણ છે એટલા માટે પહેલા બોલીવુડ અભિનેત્રી મલ્લિકા શેરાવતે રાષ્ટ્રપતિ પદ માટે હિલેરી ક્લિંટનનું સમર્થન કર્યુ હતુ અને હવે હિંદી ફિલ્મોના સુલતાન સલમાન ખાને હિલેરીના સમર્થનમાં અવાજ બુલંદ કર્યો છે . સલમાને ટ્વીટર પર લખ્યુ છે કે રાષ્ટ્રપતિ પદ માટે હિલેરી ક્લિંટન , આશા છે કે તમે જીતશો . ભગવાન સંવિધાન અને માનવીય મૂલ્યોનું પાલન કરવાની તમને શક્તિ આપે . શુભકામનાઓ . તમને જણાવી દઇએ કે અમેરિકામાં બે દિવસ બાદ રાષ્ટ્રપતિ ચૂંટણી થવાની છે . જેમાં હિલેરીનો સીધો મુકાબલો ડોનાલ્ડ ટ્ર્મ્પ સાથે છે . સલમાનની ઉડી મજાક એક તરફ સલમાન ખાને સીધુ , સરળ ટ્વીટ કર્યુ . તો બીજી તરફ સોશિયલ મીડિયામાં કેટલાક લોકો તેની મજાક ઉડાવી રહ્યા છે અને ટ્વીટર પર કટાક્ષ કરી રહ્યા છે . એટલા માટે જ કદાચ સલમાન ખાન અને તેના પિતા સલીમ ખાન હંમેશા કહેતા આવ્યા છે કે સલ્લૂ કંઇ પણ કહે બબાલ તો થવાની જ છે ." business,"ભારતમાં ટાક્સ ડિડક્ટેડ એટ સોર્સ ( ટીડીએસ - TDS ) બેંક ડિપોઝટ્સના વ્યાજ , અન્ય રોકાણ સાધનો પર લાગવાની સાથે લોટરી જીતવા કે હોર્સ રેસિંગ જીતવા ઉપર પણ લાગે છે . ટીડીએસ બીજું કશું નથી પણ તત્કાળ ટેક્સ રકમ છે જે આપે ચૂકવવી પડે છે . તેની ગણતરી કેવી રીતે થાય છે તેનું ઉદાહરણ આગલ આપીશું . . . લોટરી જીતવા પર TDS જો આપ લોટરી જીત્યા હોવ તો 30 ટકા જેટલો ઊંચો ટીડીએસ ચૂકવવા માટે તૈયાર રહેવું પડશે . જો કે લોટરી પર ટીડીએસ ત્યારે જ લાગુ પડશે જ્યારે લોટરીમાં જીતની રકમ રૂપિયા 10,000 કે તેથી વધારે હશે . આ ઉપરાંત ટીડીએસની રકમ પર 3 ટકા એજ્યુકેશનલ સેસ પણ ચૂકવવી પડશે . આપને આ વાત એક ઉદાહરણ દ્વારા સમજાવીએ . દાખલા તરીકે આપે રૂપિયા 1 લાખના ઇનામવાળી લોટરી જીતી . તો જે વ્યક્તિ લોટરીમાંથી ટીડીએસ કાપવા માટે જવાબદાર હશે તે 30 ટકા લેખે ટીડીએસ અને 3 ટકા એજ્યુકેશનલ સેસ કાપીને આપને રૂપિયા 70,000થી ઓછી રકમ હાથમાં આપશે . આમ આપ ભલે રૂપિયા 1 લાખ જીત્યા હોવ , પણ આપના હાથમાં રૂપિયા 70,000થી ઓછી રકમ આવશે . હવે જ્યારે પણ આપ આપનું ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરશો ત્યારે આ જીતની રકમ આપે ઇન્કમ ફ્રોમ અધર સોર્સ હેઠળ દર્શાવવાની રહેશે . ત્યાર બાદ આપે ઝણાવવાનું રહેશે કે તેના પર ટીડીએસ ચૂકવાઇ ગયો છે . ત્યાર બાદ આપ મૂળ કરપાત્ર રકમ પર આવીને ગણતરી મુજબનો ટેક્સ ચૂકવી શકો છો . હોર્સ રાઇડિંગ જીત પર TDS જેમ લોટરી જીતવા પર ટીડીએસ લાગે છે તેમ અહીં પણ જીતેલી રકમ પર 30 ટકા ટીડીએસ કપાય છે . તેનો અર્થ એમ થયો કે આપ હોર્સ રાઇડિંગમાં રૂપિયા 10,000 કે તેથી વધારે રકમ જીત્યા તો ટીડીએસ તરીકે રૂપિયા 3000 કપાઇ જશે અને આપના હાથમાં અંદાજે 70 ટકા રકમ આવશે . આની ગણતરી પણ લોટરીની જીતની રકમ પર કરવામાં આવે છે તેવી જ રીતે કરવામાં આવે છે . તારણ : ટીડીએસ લાગે ત્યારે તેમાંથી બચવાનો કોઇ માર્ગ નથી . બેંકની ફિક્સ ડિપોઝિટમાં આપ ફોર્મ 5G કે ફોર્મ 15H ભરીને આપવાથી ટીડીએસથી બચી શકો છો . અહીં એવો કોઇ વિકલ્પ નથી . આપે જ્યારે પણ ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાનું હોય ત્યારે ટીડીએસ કપાઇ ચૂક્યો છે તે અવશ્ય જાણ કરવી જોઇએ ." sports,"આઇપીએલ 8ની શરૂઆતમાં સતત ચાર મેચ હારનાર મુંબઇ ઇન્ડિયન્સ અંગે કોઇએ નહીં વિચાર્યું હોય કે તે આ વર્ષનો ખિતાબ જીતનાર ટીમ બનશે . જોકે ક્રિકેટમાં કહેવાય છે કે અહીં ક્યારેય પણ કઇ પણ બની શકે છે . રોહિત શર્માની આગેવાની હેઠળ મુંબઇ ઇન્ડિયન્સે આખા સત્રમાં ધમાકેદાર પ્રદર્શન કર્યું અને લીગ મેચની ટોપ ટીમ ચેન્નઇ સુપરકિંગ્સને ક્વોલીફાયર અને ફાઇનલમાં બે વાર હરાવી . આપને જણાવી દઇએ કે રવિવારે ઇડેન ગાર્ડન સ્ટેડિયમમાં રમાયેલા ફાઇનલ મુકાબલામાં બે વખતની ચેમ્પિયન ચેન્નઇ સુપર કિંગ્સને 41 રનોથી હરાવીને ખિતાબ પોતાના નામે કરી લીધો . મુંબઇ ઇન્ડિયન્સે બીજી વાર આ ખિતાબ પોતાના નામે કર્યો છે . ખિતાબ જીત્યા બાદ મુંબઇ ઇન્ડિયન્સની આખી ટીમે નીતા અંબાણી અને મેંટર તેંડુલકરની સાથે આખા મેદાનમાં ચક્કર લગાવ્યો અને જોરદાર ઉજવણી કરી . રોહિત શર્મા માટે ભારત ક્રિકેટના મક્કા કહેવાતા ઇડન ગાર્ડન હંમેશાથી ખૂબ જ લકી રહ્યું છે , જે રવિવારે પણ કામ કરી ગયું . વર્ષ 2013માં પણ મુંબઇ ઇન્ડિયન્સે આ જ મેદાનમાં ખિતાબ જીત્યો હતો અને તેની ટક્કર ચેન્નઇ સાથે થઇ હતી . પરંતુ ત્યારે કપ્તાન રિકી પોટિંગ હતા જે હવે ટીમના કોચ છે . રોહિત શર્માએ આ પહેલા ટેસ્ટ કરિયરની શરૂઆત કોલકાતાના ઇડન ગાર્ડનમા સેંચુરી લગાવીને કરી હતી , રોહિતે કોલકાતામાં કરિયરના પોતાના પહેલી જ ટેસ્ટમાં વેસ્ટ ઇન્ડિઝની વિરુદ્ધ સેંચુરી ફટકારી હતી . રોહિતે શ્રીલંકાની વિરુદ્ધ 264 રન આ જ મેદાનમાં ફટકાર્યા હતા . એટલા માટે તેમને પૂર્ણ વિશ્વાસ હતો કે તેઓને કોલકાતા નિરાશ નહીં કરે અને તેમનો વિશ્વાસ સાચો સાબિત થયો . આપને જણાવી દઇએ કે રોહિત શર્મા ગઇકાલની મેચના હીરો રહ્યા . આપને જણાવી દઇએ કે રવિવારે ઇડેન ગાર્ડન્સ સ્ટેડિયમમાં થયેલી ફાઇનલ મુકાબલામાં બે વારની ચેમ્પિયન સુપર કિંગ્સને 41 રનોથી હરાવીને ખિતાબ પર કબ્જો જમાવી લીધો . નીચે સ્લાઇડરો પર ક્લિક કરીને જુઓ જશ્નની તસવીરો . . ." entertainment,"બૉલીવુડ અભિનેતા વિજય વર્માએ જણાવ્યું કે તેઓ અભિનેત્રી પ્રિયંકા ચોપરાના પિતરાઈ બહેન મીરા ચોપરા સાથે ફિલ્મ ગૅંગ ઑફ ઘોસ્ટ્સમાં દેખાશે . મીરા આ ફિલ્મ દ્વારા બૉલીવુડમાં પ્રવેશ કરી રહ્યાં છે , જ્યારે વિજય અગાઉ રંગરેજ તેમજ ચિત્તાગોંગ જેવી ફિલ્મોમાં કામ કરી ચુક્યાં છે . સતીશ કૌશિક દિગ્દર્શિત ગૅંગ ઑફ ઘોસ્ટ્સ અંગે વિજયે જણાવ્યું - હું ફિલ્મ વિશે કંઈ ન કહી શકું . આ ફિલ્મમાં મીરા મારા સહ - કલાકાર હશે . આ તેમની પ્રથમ ફિલ્મ છે . ગૅંગ ઑફ ઘોસ્ટ્સ બંગાળી ફિલ્મ ભૂતેર ભબિષ્યતની હિન્દી રીમેક છે . નિર્માતા રતન જૈને 2012માં આવેલી આ બંગાળી ફિલ્મના રાઇટ્સ હિન્દી રીમેક બનાવવા માટે ખરીદ્યાં છે . દરમિયાન વિજય વર્મા પોતાની ફિલ્મ મૉનસૂન શૂટઆઉટને કૅન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં રિલીઝ માટે મોકલવામાં આવતાં ખુશ છે ." business,"નવી દિલ્હીઃ રિઝર્વ બેંકે કેન્દ્ર સરકારને 28000 કરોડ રૂપિયાનું ઇન્ટેરિમ ડિવિડન્ટ આપવાની ઘોષણા કરી છે . રિઝર્વ બેંકે બોર્ડ બેઠકમાં સરકારને 28000 કરોડ રૂપિયાનું ઈન્ટેરિમ ડિવિડન્ટ આપવાનો ફેસલો લીધો છે . બોર્ડની અધ્યક્ષતા આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે કરી છે . બોર્ડ બેઠકમાં ડેપ્યૂટી ગવર્નર વિરલ આચાર્ય , એન એસ વિશ્વનાથ , બીપી કાનૂનગો અને મહેશ કુમાર સામેલ થયા . રિઝર્વ બેંકની આ બેઠકમાં નાણામંત્રી અુણ જેટલી પણ સામેલ થયા હતા . જણાવી દઈએ કે રિઝર્વ બેંકે નિવેદન જાહેર કરી આ અંગે જાણકારી આપી છે અને કહ્યું કે દેશના હાલના આર્થિક હાલાતની સમીક્ષા કરી છે . કેન્દ્રીય બેંકે કેપિટલ ફ્રેમવર્કના સીમિત ઑડિટ રિવ્યૂ બાદ સરકારને 28000 કરોડ રૂપિયાના ઈન્ટેરિમ ડિવિડન્ટ સરકારને ટ્રાન્સફર કરવાનો ફેસલો લીધો છે . જણાવી દઈએ કે આ સતત બીજું વર્ષ હશે જ્યારે કેન્દ્રીય બેંક સરકારને ઈન્ટેરિમ ડિવિડન્ટ આપશે . પાછલા વર્ષે આરબીઆઈએ સરકારને ઈન્ટરિમ ડિવિડન્ટ તરીકે 10000 કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા . સરકારને પોતાનો ફિસ્કલ ડેફિસિટ કાબૂમાં રાખવામાં આનાથી મદદ મળશે . અગાઉ રિઝર્વ બેંક 40000 કરોડ રૂપિયાનું ઈન્ટેરિમ ડિવિડન્ટ આપી ચૂકી છે . આજે પણ વધ્યા પેટ્રોલના અને ડીઝલના ભાવ" entertainment,"ગત વર્ષે મોટા બજેટની અને કેટલાક સુપરસ્ટારની ફિલ્મોએ દર્શકોને નિરાશ કર્યા . તો આ વર્ષે એટલે કે 2019માં તમામ સ્ટાર્સ આ નુક્સાન ભરપાઈ કરવા તૈયાર છે . કદાચ એટલે જ એક બાદ એક આ વર્ષે સંખ્યાબંધ નવી ફિલ્મોની જાહેરાત થઈ રહી છે . એક તરફ જ્યાં ઝીરો ફ્લોપ થયા બાદ આ વર્ષે શાહરુખ ખાનની એક પણ ફિલ્મ નથી આવી રહી , તો બીજી તરફ સલમાન ખાન માત્ર એક જ ફિલ્મ પર ધ્યાન આપી રહ્યા છે . તો આ વર્ષે કેટલાક સ્ટાર્સ માત્ર 1 - 2 નહીં પરંતુ 5 - 5 ફિલ્મો આવી રહી છે . જી હાં , તમને જાણીને આશ્ચર્ય થશે કે આ મામલે પણ અક્ષયકુમાર ટોપ પર છે . એમ કહી શકાય કે 2019નું વર્ષ અક્ષયકુમારના નામે રહી શકે છે . અજય દેવગનથી સલમાન ખાન સુધી , કૉપી કરીને બન્યા બ્લૉક બસ્ટર , હવે વધુ એક 200 કરોડી ફિલ્મ અક્ષય કુમારની પાછળ આ લિસ્ટમાં કેટલાક સ્ટાર્સ સામેલ છે . તો ચાલો જોઈ લઈ કે બોલીવુડ સ્ટાર્સના નામ જે આ વર્ષે 2થી વધુ ફિલ્મો કરી રહ્યા છે ." business,"નવી દિલ્હી , 1 સપ્ટેમ્બર : કોલસાનું ઉત્પાદન કરતી 218 ખાણો પૈકી 40 ખાણોની ફેર હરાજીને રોકી દેવા માટે એટર્ની જનરલે સુપ્રીમ કોર્ટને વિનંતી કરી છે . આ વિનંતી કરવાનું કારણ એ છે કે આ કોલસા ખાણો એવી છે જ્યાં હાલ કોલસાનું ઉત્પાદન ચાલુ છે અથવા ઉત્પાદન કાર્ય પૂરું થવા આવ્યું છે . ભારતની સર્વોચ્ચ અદાલતે ગયા અઠવાડિયે દેશની જૂની પદ્ધતિ મુજબ કોલસા બ્લોકની ફાળવણીને ગેરકાયદેસર અને અયોગ્ય ઠેરવી હતી . જેમાં દેશને લાખો - કરોડો રૂપિયાનું નુકશાન થવાની ભીતિ છે . એટર્ની જનરલ મુકુલ રોહતગીએ કંપનીઓના કેટલાક શેર્સ રજુ કર્યા હતા જેના પરથી કોર્ટેને એકસાથે તમામ કોલ બ્લોકની ફાળવણી રદ્દ નહિ કરવાની અરજી કરતી હતી . ' જો કોર્ટ કંપનીઓને માઈન્સ રાખવાની મંજુરી આપે તો કેટલીક રકમનો દંડ ભર્યા બાદ સારા સમાચાર મળે તેમ છે ' , એવું મેનેજમેન્ટ કન્સલટન્ટે જણાવ્યું હતું . કોર્ટે હાલ સરકાર પાસેથી ચાલુ કોલસાની ખાણોની યાદી મંગાવી છે અને આગલી સુનાવણી 9 સપ્ટેમ્બરે ગોઠવી છે . 2012ના ઓડીટ રીપોર્ટમાં બહાર આવેલા આ ' કોલગેટ ' કૌભાંડમાં 1,86,000 કરોડ રૂપિયાનો ગોટાળો થયાની આશંકા છે ." business,"આવનારા 10 વર્ષમાં અન્ય કોઇ નહીં પણ ભગવાન સૂર્યદેવ ભારતને રોજગારી આપશે . વાત આપના માન્યામાં નથી આવતી પણ હકીકત તો આ જ છે . આ વાત અમે નથી કહી રહ્યા . એક રિપોર્ટમાં આમ જણાવવામાં આવ્યું છે . બ્રિજ ટુ ઇન્ડિયાની એક રિપોર્ટ અનુસાર આવનારા 10 વર્ષોમાં સૌર ઉર્જાના નાના નાના પ્લાન્ટની મદદથી લાખો ભારતીયોને રોજગારના અવસર ઉપલબ્ધ બનવાના છે . આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર ભારતમાં નાના નાના ઘરોના છાપરાઓ ઉપર પણ રૂફટોપ સૌર પેનલ લગાવવામાં આવશે . આ કારણે દેશમાં આવનારા 10 વર્ષમાં ત્રણ લાખથી વધારે રોજગાર ઉભા થશે . કહેવામાં આવ્યું છે કે નાનકડું રૂફ ટોપ દેશમાં રોજગાર સર્જનની મોટી ભૂમિકા અદા કરશે . આ કામ એટલું ઝડપી ગતિથી થશે કે તેનો અંદાજ લગાવવો મુશ્કેલ છે . આ કારણે એક ધારણા અનુસાર અંદાજે 3.25 લાખ રોજગાર ઉભા થશે . આ અંગે એક અંગ્રેજી બિઝનેસ દૈનિક બિઝનેસ સ્ટાન્ડર્ડમાં આવેલા સમાચાર અનુસાર તેમાં સ્મોલ રૂફટોપ , યુટિલિટી સ્કેલ યોજનાઓ અને અને મોટી યોજનાઓનો સમાવેશ થાય છે . સ્મોલ રૂફટોપ અને સૌર ઉર્જા યોજનાનું સરેરાશ કદ ત્રણ કિલોવોટ પીક ( કેડબલ્યુપી ) છે . જ્યારે લાર્જ રૂફટોપ યોજનાનું કદ અંદાજે 250 કેડબલ્યુપી છે . યુટિલિટી યોજનાનું કદ 20 મેગાવોટ અને અત્યંત મોટી યોજનાનું કદ 1000 મેગાવોટ છે ." sports,"નવી દિલ્હી , 8 ઓક્ટોબરઃ ચેમ્પિયન્સ લીગ ટી20 બાદ ક્રિકેટને અલવિદા કહીં ચૂકેલા રાહુલ દ્રવિડે કહ્યું કે તે સંતુષ્ઠ થઇને રમવાનું છોડી રહ્યો છે . રાજસ્થાન રોયલ્સને સુકાની તરીકે આઇપીએલમાં નંબર ત્રણ અને ચેમ્પિયન્સ લીગમાં નંબર બે સુધી પહોંચાડનારા દ્રવિડે કહ્યું કે , તેને રવિવારે ચેમ્પિયન્સ લીગની ફાઇનલમાં મળેલા પરાજયનો અફસોસ નથી . દ્રવિડએ એક અંગ્રેજી ન્યૂઝ ચેનલ સાથે વાતચીત દરમિયાન કહ્યું કે , ટાઇટલ જીતીને કારકિર્દી સમાપ્ત કરવી શાનદાર હોય છે , પરંતુ તે પોતાના ખેલાડીઓના પ્રદર્શનથી ઘણો જ ખુશ છે . ઘણા ઓછા લોકોએ જ તેમની ટીમ અંગે વિચાર્યું હશે કે CLT20 અને આઇપીએલમાં આટલું સારું પ્રદર્શન કરશે . દ્રવિડે કહ્યું કે મને એ વાતની સૌથી વધારે ખુશી છે કે મારો ક્રિકેટ પ્રત્યેનો પ્રેમ જ મારી કારકિર્દી બની ગયો . હું તેનાથી વિશેષ શું ઇચ્છી શકું . અંદાજે 17 વર્ષ લાંબી ઇન્ટરનેશનલ કારકિર્દી ક્યારે વિતી ગઇ તેને અહેસાસ ના થયો . તેણે વધુમા કહ્યુ કે , સમય ઝડપથી વિતી ગયો . મારા માટે એ વાત મહત્વની રહી કે , મને આ દરમિયાન એક ક્રિકેટર અને એક વ્યક્તિ તરીકે ઘણું બધું શીખવા મળ્યું ." entertainment,"વર્ષ 2013 બસ થોડાક જ દિવસોનું મહેમાન છે . આ વર્ષે જતા - જતા બૉલીવુડને ઘણુ બધુ આપ્યું , તો તે ઘણાને પોતાની સાથે લઈને પણ જઈ રહ્યું છે . ફિલ્મી કૅનવાસે આ વર્ષ એક મિશ્ર પ્રત્યાઘાત સાથે નોંધાશે . નોંધનીય વાત એ છે કે વર્ષ 2013એ બૉલીવુડના ઘણા હીરોનો સો કરોડના ક્લબમાં સમાવેશ કર્યા , તો કેટલીક હસીનાઓએ પણ અબજો રુપિયાની કમાણી કરી , પરંતુ કેટલીક બાળાઓ દર્શકોની અપેક્ષા સામે ઉણી ઉતરી . આ વર્ષે આશ્ચર્યજનક બાબત એ રહી કે જેઓ વર્ષના આરંભે ડિમાંડિંગ હતાં અને ગત વર્ષે નંબર વન ઉપર હતાં , તેમને જ આ વર્ષે દર્શકોએ પસંદ નહીં કર્યાં . તેમાં પહેલું નંબર આવે છે વિદ્યા બાલનનું . તેમાં કોઈ શંકા નથી કે નેશનલ ઍવૉર્ડ વિનર વિદ્યા એક નિપુણ અભિનેત્રી છે , પરંતુ તેમની આ વર્ષની રિલીઝ ફિલ્મ ઘનચક્કર તેમણે કેમ સાઇન કરી , તે કોઈને સમજાયું નહીં . કંઇક એવુ જ ફ્લૉપ કામ કર્યું બિપાશા બાસુએ . એક અંગ્રેડી ડેલીના સર્વેના આધારે જોઇએ આ વર્ષની ફ્લૉપ અભિનેત્રીઓ :" entertainment,"બૉલીવુડનું સૌથી સ્ટાઇલિશ કપલ કોણ છે ? આ કપલે તાજેતરમાં જ પોતાના લગ્નની 22મી વર્ષગાંઠ ઉજવી છે . હા જી , અમે વાત કરીએ છીએ શાહરુખ અને ગૌરી ખાનની કે જેમના લગ્નને 22 વર્ષ પૂર્ણ થઈ ગયાં છે શાહરુખ ખાને 25મી ઑક્ટોબર , 1991ના રોજ ગૌરી સાથે લગ્ન કર્યા હતાં અને જનમો - જનમનો સાથ સાથ નિભાવવાનો વાયદો કર્યો હતો . શાહરુખ અને ગૌરીના લગ્ન પોતાની રીતે જ ઘણાં રસપ્રદ છે કારણ કે શાહરુખ રહ્યાં ખાન પરિવારના અને ગૌરી હિન્દૂ - પંજાબી ખાનદાન સાથે સંકલાયેલાં છે . બે ધર્મોના લોકો આજે એક રુહ અને બે જિસ્મ છે . તેમના ઇશ્કે એક સુંદર દુનિયાનું નિર્માણ કર્યું કે જેમાં બે પુષ્પો પાંગર્યાં સુહાના તથા આર્યન અને હવે તેમના આંગણે અબરામ નામનું ત્રીજુ પુષ્પ પણ ખીલી ઉઠ્યું છે . આજે શાહરુખ - ગૌરીની રીયલ લાઇફ સ્ટોરી દુનિયા માટે દૃષ્ટાંત સમાન છે . આવો આપને તસવીરો વડે સંભળાવીએ શાહરુખ - ગૌરીની રીયલ લવ - સ્ટોરી :" sports,"ભારત પાકિસ્તાનમાં ક્રિકેટની લોકપ્રિયતા દીવાનગીની હદ સુધી છે . પરંતુ બંને દેશોના ખરાબ સંબધો હંમેશા ક્રિકેટને નડતા આવ્યા છે . 1965ના યુદ્ધમાં પાકિસ્તાન હાર્યું ત્યાર બાદ આ નફરતની આગ એટલી ભડકી કે 18 વર્ષ સુધી ભારત - પાકિસ્તાન વચ્ચે કોઈ મેચ ન રમાઈ . 1977માં જ્યારે જનતા પાર્ટીની સરકાર આવી તો ક્રિકેટ સંબંધ સુધર્યા . 1999માં કારગીલ યુદ્ધ બાદ ફરી એકવાર બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય ક્રિકેટ બંધ થયું . 2008માં મુંબઈમાં આતંકી હુમલા બાદથી ક્રિકેટ આજે પણ બંધ છે . ભારતના ભાગલા ભયંકર લોહિયાળ રહ્યા હતા , એટલે શરૂઆતથી જ બંને દેશો વચ્ચે નફરતનું રાજકારણ ચાલતું આવ્યું છે . કોઈ પણ ક્ષેત્રે ભારતથી પાછા પડવું એ પાકિસ્તાન પોતાનું અપમાન સમજે છે . એક યુદ્ધની હાર ભૂલાવવા માટે પાકિસ્તાન કમ સે કમ ક્રિકેટમાં જીતવા ઈચ્છતું હતું . એટલે જ જ્યારે પાકિસ્તાનને ટેસ્ટ નેશનનો દરજ્જો મળ્યો તો પાકિસ્તાને સૌથી પહેલા ભારત સામે રમવાનું પસંદ કર્યું . ટીમ ઈન્ડિયા ક્યારે રમી હતી પહેલી વન ડે , કેવું હતું પ્રદર્શન ?" entertainment,"રિતિક રોશન અને કંગના રાણાવત નો વિવાદિત કેસ હવે કોર્ટ સુધી પહોચી ચુક્યો છે . 30 અપ્રિલે કંગના રાણાવત સાયબર અપરાધ પોલીસની સામે પોતાનું નિવેદન આપશે . રિતિક રોશન અને કંગના રાણાવત નો કેસ વધુ ને વધુ અટપટો થઇ રહ્યો છે . જયારે કંગના અને તેને બહેનના મેલ મિડિયા સામે આવ્યા ત્યારે વાત વધુ બગડી ગઈ . રિતિક રોશન ને લોકો ની હમદર્દી તો મળી રહી છે . પરંતુ પોતાના ને સાફ બતાવવાના ચક્કર માં રિતિક રોશન પોતાના જ જાળમાં ફસાઈ ગયા હોઈ તેવું લાગે છે . Shock : કંગનાએ મોકલ્યા હતા રિતિક રોશન ને આ મેલ , બધા જ લીક થયા કંગના પહેલાથી જ કહેતી આવી છે કે જે મેલ આઈડી રિતિક રોશન નકલી બતાવી રહ્યા છે તે સચ્ચેમાં રિતિક રોશન નું જ છે . વધુમાં કંગના રાણાવત ના વકીલે પણ કેટલાક સવાલ ઉઠાવ્યા છે જે બતાવે છે કે રિતિક રોશન એટલા તો સાફ નથી જેટલા તે બતાવવાની કોસિસ કરી રહ્યા છે . કંગના રાણાવતની બહેન રંગોલી એ મેલ લખીને રિતિક રોશન ને બધું જ સાચ્ચે સાચ્ચું કહી દીધું હતું અને રિતિકે તેના મેલને મિડિયામાં લીક કરી દીધા . પરંતુ રિતિક રોશન પોતાની આજ ઓવરસ્માર્ટ ના ચક્કરમાં ખરાબ રીતે ફસાઈ ગયા છે ." business,આપ હંમેશા કોઇ વસ્તુ ખરીદો ત્યારે તે બ્રાન્ડ ન્યુ જ ખરીદો તેવું બનતુ ંનથી . કેટલીકવાર કાર કે કોઇ વ્હીકલના કિસ્સામાં તે યુઝ્ડ કાર અથવા સેકન્ડ હેન્ડ કાર ખરીદવામાં આવે તેવું પણ બને છે . કારણ કે આપના ખર્ચાની ગણતરી કરવામાં આવે તો આપને લાગશે કે આપના માટે કારનો યુઝ વધારે નથી ત્યારે ઓછી કિંમતમાં મળતી સેકન્ડ હેન્ડ કાર ખરીદવી વધારે અનુકૂળ રહે છે . મહત્વની બાબત એ છે કે વર્તમાન સમયમાં યુઝ્ડ કાર્સ કે સેકન્ડ હેન્ડ કાર્સ માટે સરળતાથી લોન મળે છે . આ લોન કારનો કેટલો ઉપયોગ થયો છે તેના આધારે મળે છે . જો આપ 10 વર્ષ જુની કાર લોનથી ખરીદવાનું વિચારી રહ્યા હશો તો આપને આટલી જુની કાર માટે લોન મળશે નહીં . અહીં ખાસ બાબત ધ્યાનમાં રાખવી જોઇએ કે 4થી 5 વર્ષથી વધારે જુની કાર માટે કોઇ પણ બેંક કે સંસ્થા લોન આપતી નથી . ભારતમાં યુઝ્ડ વ્હીકલ કે સેકન્ડ હેન્ડ વ્હીકલ માટે લોન લેતા સમયે નીચેની બાબતો ધ્યાનમાં રાખવી જોઇએ . . . 1 . યુઝ્ડ કાર લોનમાં વ્યાજ દર વધારે સામાન્ય રીતે બ્રાન્ડ ન્યુ કાર માટેની લોનના વ્યાજ દર કરતા યુઝ્ડ કાર્સ માટેનો વ્યાજદર વધારે હોય છે . આ દર સામાન્ય દરથી ત્રણ પોઇન્ટ જેટલો વધારે હોય છે . આ ફેરફાર ફાઇનાન્શિયર પ્રમાણે અલગ અલગ હોય છે . 2 . બેંક ઓફર કરે છે સસ્તી લોન આમ છતાં NBFCની સરખામણીએ બેંકો યુઝ્ડ કાર માટે પ્રમાણમાં ઓછા દરે લોન આપે છે . તેમાં પણ ખાનગી બેંકોની સરખામણીએ સરકારી બેંકો વધારે સસ્તી લોન આપે છે . 3 . કારની ઉંમર મહત્વની કોઇ પણ લોન લેતા સમયે કારની ઉંમર મહત્વની છે . કાર જેટલી જુની હશે તેના પર વ્યાજ દર એટલો જ વધારે રહેશે . આ ઉપરાંત જુની કાર પર લોનની રકમ પણ ઓછી મળશે . 4 . સારા ડીલર પાસેથી ખરીદી જ્યારે પણ સેકન્ડ હેન્ડ કાર લોનથી ખરીદી રહ્યા હોવ ત્યારે સારા ડીલર પાસેથી તેની ખરીદી કરો . જેમ કે મારૂતી માટે ટ્રુ વેલ્યુ છે . જેમાં એન્જીનિયર્સ કારની ચકાસણી કરે છે . 5 . ઓછા સમય માટે લોન મેળવો દાખલા તરીકે બેંકો મહત્તમ 5 વર્ષ માટે ઓટો લોન આપે છે . પરંતુ યુઝ્ડ કાર માટે લોનની પીરિયડ ઓછો હોય છે . sports,"આઈપીએલ માં ફરી એક વાર બેંગ્લોરની ટીમને ઝટકો મળ્યો છે . ત્રીજીવાર બેંગ્લોરની ટીમ આઈપીએલ ફાઈનલમાં હારી ચુકી છે . રવિવારે રમાયેલી આઈપીએલ ફાઈનલમાં હેદરાબાદની ટીમે કોઈ જ ભૂલ નથી કરી અને બેંગ્લોરની ટીમને 8 રનથી હરાવીને આઈપીએલ 9 નું સિકંદર બની ચુક્યું છે . સનરાઈઝર હેદરાબાદ પહેલી વાર આઈપીએલની ફાઈનલમાં પહોચ્યું અને જીત્યું . જયારે બેંગ્લોર ત્રીજીવાર આઈપીએલની ફાઈનલમાં પહોચ્યું અને હાર્યું . ટોસ જીતીને પહેલા બેટિંગ કરવા આવેલી હેદરાબાદ માં કપ્તાન વોર્નર ( 69 ) , યુવરાજ સિંહ ( 38 ) અને બેન કટિંગ ( 39 * ) મદદથી 20 ઓવરમાં 208 રન બનાવ્યા હતા . જેના જવાબમાં વિરાટ કોહલીની સેના 200 રન જ બનાવી શકી અને જીતથી વંચિત રહી ગઈ . શરૂઆતમાં કોહલી અને ગેલની તૂફાની બેટિંગ સમયે લાગતું હતું કે બેંગ્લોર જીતી જશે પરંતુ બાદમાં કોઈ જ રમી ના શક્યું ." entertainment,બૉલીવુડ અભિનેતા સન્ની દેઓલની આવનાર ફિલ્મ યમલા પગલા દીવાના 2 દ્વારા સન્નીના પત્ની લિન્ડા તથા પુત્ર કરણ દેઓલ પણ ફિલ્મ ક્ષેત્રે જુદા - જુદા ભૂમિકામાં પ્રવેશ કરી રહ્યાં છે . યમલા પગલા દીવાનાની સિક્વલ યમલા પગલા દીવાના 2 ફિલ્મનું ટ્રેલર લૉન્ચ થઈ ગયું છે . સન્ની દેઓલના પિતા અને પીઢ અભિનેતા ધર્મેન્દ્રે જણાવ્યું - મારા વહુ લિન્ડા એટલે કે સન્નીના પત્ની વાયપીડી 2ના નિર્માણમાં સહભાગી થયાં છે . સન્ની દેઓલે જણાવ્યું - લિન્ડાએ લેખન ક્ષેત્રે ફાળો આપ્યો છે . તેમણે વિવિધ આઇડિયા આપ્યાં છે . ફિલ્મની વાર્તા અમેરિકી મંદી ઉપર આધારિત છે . લિન્ડાએ જ આ વિષય સુચવ્યો અને અમારા લેખકોએ તે વિષય ઉપર પટકથા લખી . સન્નીના પુત્ર કરણ દેઓલ આ ફિલ્મ સાથે જ ફિલ્મ ક્ષેત્રના વિવિધ પાસાઓનો અભ્યાસ કરી રહ્યાં છે . ધર્મેન્દ્ર નિર્મિત આ ફિલ્મના દિગ્દર્શનમાં કરણ સહાયક દિગ્દર્શક તરીકે કામ કરી રહ્યાં છે . સન્ની દેઓલે જણાવ્યું - કરણ યુવાન છે તથા અનુભવોનો અભ્યાસ અને તેને એન્જૉય કરી રહ્યો છે . તે આ ફિલ્મમાં સહાય કરી રહ્યો છે . કરણ દેઓલ એક્ટિંગ ક્ષેત્રે આવતા વર્ષે હાથ અજમાવશે . વાયપીડી 2માં કરણે એક ગીતની કેટલીક પંક્તિઓ ગાઈ છે . આ ગીત રેમો ડિસૂઝાએ કોરિયોગ્રાફ કર્યું છે . આવો જોઇએ વાયપીડી 2 ફિલ્મના ટ્રેલર લૉન્ચિંગની તસવીરો . sports,"ભારતના અનુભવી ઝડપી બોલર ઝહીર ખાને એ વાતને લઇને નિરાશા વ્યક્ત કરી છેકે તે ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં રમી શક્યો નથી . તેણે કહ્યું કે , આ શ્રેણીનો ભાગ બનવા માટે તે સખત મહેનત કરી રહ્યો હતો , પરંતુ ત્યાં જ તેને ઇજા થતા તે આ ટીમમાં સ્થાન મેળવી શક્યો નહીં . ઝહીર ખાને એક ઇવેન્ટ દરમિયાન કહ્યું કે , હું ક્રિકેટને મિસ કરી રહ્યો છું . હું ઘણા લાંબા સમયથી ઇંગ્લેન્ડ પ્રવાસ અંગે તૈયારી કરી રહ્યો હતો અને એ જ કારણ છેકે આટલી તૈયારી કરી રહ્યો હતો ત્યારે જ મને ઇજા થઇ , પરંતુ તમે કેટલીક બાબતો પર નિંયત્રણ રાખી શકતા નથી . તેમણે કહ્યું કે , તમે ઇજા પર નિયંત્રણ કરી શકતા નથી અને એ વાત પણ મહત્વ નથી ધરાવતી કે તમે કેટલા ટ્રેન છો , આ એક વસ્તુ એવી છેકે જેના પર કોઇ સ્પોર્ટ્સમેન કન્ટ્રોલ કરી શકતો નથી . જે નિરાશ કરી મુકે તેવી છે . ‘સેવા ગાઝા ' કહેવું ભારે પડ્યું આ ઇંગ્લિશ બેટ્સમેનને સાઉથમ્પટન ટેસ્ટઃ ભુવી - ધોનીએ બનાવ્યા અનોખા રેકોર્ડ આઇપીએલ દરમિયાન ઝહીર ખાનને ઇજા પહોંચી હતી ઇને તેના કારણે તેને શ્રેણીમાંથી પણ બહાર રહેવું પડ્યું હતું . તેણે કહ્યું કે , હું મારી બોલિંગ પ્રેક્ટિસ ઑગસ્ટના પહેલા અઠવાડિયાથી શરૂ કરીશ અત્યારે હું બોલિંગ કરી શકુ તેમ નથી તેથી તેના પર કોમેન્ટ કરવી અઘરી ગણાશે . હું તેના પર કામ કરી રહ્યો છું , જોઇએ કઇ રીતે આ સમસ્યાનું નિરાકરણ આવે છે . આ અંગે વધુ જાણવા તથા ઝહીરના ઇંગ્લેન્ડ વિરુદ્ધ પ્રદર્શન પર નજર ફેરવવા તસવીરો પર ક્લિક કરો ." business,"કહેવત છે કે પુસ્તકના દેખાવ પરથી પુસ્તકનો અંદાજો ન લગાવી શકાય . કંઇક આવું સની લિયોની મામલે પણ છે . સામાન્ય રીતે સની લિયોનીને બોલીવૂડ હિરોઇન અને અમુક પ્રકારની ફિલ્મો કરતી અભિનેત્રી તરીકે જોવામાં આવે છે . પણ આજે અમે તમને તેના એક બીજા પહેલું અંગે જણાવીશું . જે સની લિયોનીની બિઝનેસ વૂમનની ક્વોલિટીને બતાવે છે . ખૂબ જ ઓછા લોકો જાણે છે સની લિયોની પૈસા બનાવતા સારી રીતે આવડે છે . પણ તે રોકાણ પણ સારી રીતે કરે છે . શેર અને મ્યુચ્યુઅલ ફંડ સની કર્યું છે ભારે રોકાણ . Read also : Job : ડબલ ઇન્કમ કમાવવા ઇચ્છો છો ? તો અપનાવો આ રીત તો અહીં જાણો શું છે સની લિયોનીની રણનીતી , કેવી રીતે તે પોતાના પૈસાનું રોકાણ કરે છે અને કેવી રીતે તેમના પૈસાને ડબલ કરે છે . પછી જ નક્કી કરો કે ખરેખરમાં સની લિયોનીની વેપાર અંગે સારી સમજદારી છે કે નહીં . . ." business,"દક્ષિણ પૂર્વ એશિયાના ફેશન ઇ - કૉમર્સ પ્લેટફોર્મ જિલિન્ગો ટૂંક સમયમાં એક નવા મુકામ પર પહોંચવાની છે . ફક્ત ચાર વર્ષમાં , આ સ્ટાર્ટઅપ ' યુનિકોર્ન ' સ્ટેટસ મેળવવાની ખુબ જ નજીક છે . કંપનીની આ સફળતા પાછળનો હાથ 27 વર્ષની અંકિતી બોસનો છે . જે તેની ફાઉન્ડર હોવાના સાથે સાથે સીઇઓ પણ છે . જણાવી દઈએ કે અંકિતા પહેલી એવી ભારતીય મહિલા સીઇઓ બની ગઈ છે જેની કંપનીને યુનિકોર્નનું સ્ટેટસ મળ્યું છે . જણાવી દઈએ કે યુનિકોર્ન એ એક ટર્મ છે જે એવા સ્ટાર્ટઅપ્સને આપવામાં આવે છે જેમની વેલ્યુ લગભગ એક અબજ ડોલર જેટલી થઇ જાય છે . અંકિતીના સ્ટાર્ટઅપની કિંમત હમણાં 970 મિલિયન ડોલર થઈ ગઈ છે . અંકિતી બોસનું ઓનલાઇન ફેશન સ્ટાર્ટઅપ જિલીંગોએ બે રોકાણકારો પાસેથી રૂ . 1604 . 6 કરોડ ( 22.6 કરોડ ડોલર ) નું ફંડિંગ ભેગું કર્યું છે . કંપનીએ આ માહિતી મંગળવારે આપી હતી . આ ભંડોળ બાદ , જિલીંગોની વેલ્યુ 6,887 કરોડ રૂપિયા ( 97 કરોડ ડોલર ) થઇ ગઈ છે . જિલીંગો તેમના ઉત્પાદનો વેચવા માટે દક્ષિણપૂર્વ એશિયાના નાના કારોબારીઓને ઑનલાઇન પ્લેટફોર્મ ઉપલબ્ધ કરે છે . તેનું હેડક્વાર્ટર સિંગાપુરમાં છે . જણાવી દઈએ કે અંકિતીએ 2012 માં મુંબઈની સેન્ટ ઝેવિયર કોલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યું હતું . ભારતની ચા અમેરિકામાં વેચી કરોડપતિ બની આ મહિલા અર્થશાસ્ત્ર અને ગણિત તેમના વિષય હતા . અંકિતીએ જણાવ્યું કે એકવાર તે વેકેશન પર તે બેંગકોક ગઈ હતી , અને ત્યાંના લોકોમાં ફેશન માટે પ્રેમ જોયો . પછી તેઓએ વિચાર્યું કે તેના માટે એક ઑનલાઇન પ્લેટફોર્મ ખોલવામાં આવે . આ પછી તે થાઇલેન્ડ , ઇન્ડોનેશિયા અને ફિલિપીંસમાં પ્રખ્યાત બન્યું ." sports,"સોમવારે પોતાના ઘર આંગણે રમી રહેલી ચેન્નાઇ સુપર કિંગ્સે રાજસ્થાન રોયલ્સને 5 વિકેટથી માત આપી દીધી હતી . રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો . જેમાં શેન વોટસનની શાનદાર 101 પારીના જોરે રાજસ્થાને 4 વિકેટના નુકસાન પર 185 રન બનાવ્યા હતા . પરંતુ ચેન્નાઇની ટીમે પણ શાનદાર લડત આપી લક્ષ્યને 19.5 ઓવરમાં હાસલ કરી લીધું હતું . શેન વોટસને પોતાની પારીમાં 6 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકારીને ટી20માં પોતાની પહેલી સદી બનાવી હતી . ત્યારબાદ ચેન્નાઇ તરફથી એક અન્ય ઓસ્ટ્રેલિયાઇ માઇક હસીની 88 રનની ( 51 બોલ , 13 ચોગ્ગા , 1 છગ્ગા ) અને સુરેશ રૈનાના સિઝનની પહેલી અર્ધસદીની મદદે ચેન્નાઇએ શાનદાર જીત નોંધાવી હતી . અંતિમ ક્ષણોમાં મુકાબલો ખુબ જ રોમાંચક બન્યો હતો . કપ્તાન મહેન્દ્રસિંહ ધોની 16 બોલમાં 21 રન નોંધાવી 18મી ઓવરના છેલ્લા દળે છગ્ગો ફટકારવા જતા કેચઆઉટ થઇ ગયો હતો . ત્યારબાદ મોરીસ અનો બ્રેવો ક્રિઝ પર હતા અને છેલ્લી ઓવરના પાંચમાં બોલે 2 રન દોડી લક્ષ્ય પૂરું કરી લીધું અને બ્રેવો મેદાનમાં પોતાની આગવા અંદાજમાં ખુશીથી નાચવા લાગ્યો . આની સાથે વોટસનની સદી બાતલ ગઇ હતી ." business,"એક ઓક્ટોબરથી મોબાઇલ કોલ દર સસ્તા થશે . ટ્રાઇએ મંગળવારે ઇન્ટરકનેક્શન યુજેસ ચાર્જને ઓછું કરવાનો નિર્ણય લીધો છે . ઇન્ટરકનેક્શન ચાર્જ તે ફી હોય છે જે ટેલીકોમ કંપનીઓ પોતાના નેટવર્કથી બીજી કંપનીના નેટવર્ક પર મોબાઇલ કોલ માટે જે તે કંપનીને આપે છે . હાલ આ દરની કિંમત 14 પૈસા પ્રતિ મિનિટ હતી પણ 1 ઓક્ટોબરથી ટ્રાયના આ નિર્ણયથી તે 6 પૈસા પ્રતિ મિનિટ થઇ જશે . સાથે જ ટ્રાઇએ 2020માં આઇયૂસીને સંપૂર્ણ પણે બંધ કરવાની જાહેરાત પણ કરી છે . ટ્રાઇની સામે આઇયૂસીનો આ મુદ્દો રિલાયન્સ જીયોએ ઉઠાવ્યો હતો . જ્યાં એરટેલ , વોડાફોન જેવી કંપનીઓએ આઇયૂસીના ભાવ વધારવાની માંગણી કરી હતી ત્યાં જ રિલાયન્સે લેખિતમાં તેને સંપૂર્ણ પણે બંધ કરવાની વાત કરી હતી . ત્યારે ટ્રાઇના આ નિર્ણયથી એરટેલ અને વોડાફોનને નિરાશા હાથે લાગી છે તેવું લાગી રહ્યું છે . ટેલિકોમ કંપનીઓના એસોશિયેશ સીઓએઆઇ પણ આ અંગે પોતાનો અણગમો વ્યક્ત કર્યો છે . ટ્રાઇનો આ નિર્ણય ટેલીકોન કંપનીઓને નુક્શાન પહોંચાડી શકે છે તેમ તેણે જણાવ્યું છે . અને સાથે જ આ અંગે કોર્ટમાં જવાની વાત પણ ઉચ્ચારવામાં આવી છે . જો કે સામે પક્ષે ટ્રાઇનું કહેવું છે કે તેણે આ નિર્ણય તમામ સ્ટોક હોલ્ડર્સના નિવેદનો અને ઓપન હાઉસ ડિસ્કશન પછી લીધો છે ." entertainment,"શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણે હૅપ્પી ન્યુ ઈયર ફિલ્મ સાથે ફરી રજત પટલે આવી રહ્યાં છે . આ જોડી પોતાની ત્રીજી બ્લૉકબસ્ટર ફિલ્મ આપવા માટે તૈયાર છે . શાહરુખ ખાન 7 વર્ષના લાંબા ગાળા બાદ ફરાહ ખાન સાથે ફિલ્મ કરતા ગૌરવ અનુભવે છે . દીપિકા પાદુકોણે માટે હૅપ્પી ન્યુ ઈયર જ ડેબ્યુ ફિલ્મ બની હોત , પરંતુ તે વખતે ફરાહ ખાનનો આ પ્રોજેક્ટ સમ્પૂર્ણપણે તૈયાર નહોતો થયો . હૅપ્પી ન્યુ ઈયર બૉલીવુડ એક્શન - ડ્રામા ફિલ્મ છે કે જેનું દિગ્દર્શન ફરાહ ખાને કર્યુ છે . રેડ ચિલીસ એંટરટેનમેંટના બૅનર હેઠળ ગૌરી ખાને ફિલ્મનું નિર્માણ કર્યું છે . ફિલ્મમાં શાહરુખ - દીપિકા ઉપરાંત અભિષેક બચ્ચન , બોમન ઈરાની , વિવાન ડિયાસ અને જૅકી શ્રૉફ પણ છે . ફિલ્મનું વિશ્વવ્યાપી વિતરણ યશ રાજ ફિલ્મ્સ કરશે . ચાલો હાલ તો આપને બતાવીએ હૅપ્પી ન્યુ ઈયર ફિલ્મના ટ્રેલરમાં જોવા મળેલા શાહરુખ ખાનના 12 Funky Looks :" business,"આ કેસમાં છેલ્લાં કેટલાક સમયથી સુબ્રોતો ગેરહાજર રહેતા હોવાથી છેવટે સેબીએ સમન્સ ઇશ્યૂ કરવા પડ્યા હતા . આ સાથે સેબી જણાવી દીધું હતું કે જો રૉય અને તેમના એક્ઝિક્યૂટિવ્સ સમન્સ અપાયા બાદ હાજર નહીં થાય તો પોતે સહારા ગ્રુપની કંપનીઓની મિલકતોને ટાંચંમાં લઇને તેનું વેચાણ કરી દેવાનો આદેશ આપશે . ઉલ્લેખનીય છે કે સુબ્રત રૉયના નેતૃત્વવાળા સહારા ગ્રુપની સમસ્યાઓ ઘટવાને બદલે વધતી જાય છે . તેની સામે મુંબઈ ઈકોનોમિક ઓફેન્સીસ વિંગે પ્રાથમિક તપાસ શરૂ કરી છે . સહારા ગ્રુપ તેના ઈન્વેસ્ટરોને ધમકાવે છે કે કેમ એ જાણવા માટે આ તપાસ શરૂ કરાઈ છે . સહારા જૂથ છેલ્લા કેટલાક સમયથી આર્થિક સંકડામણનો સામનો કરી રહી છે . કેન્દ્ર સરકારે જ સહારા વિરુદ્ધ આ તપાસ કરવાનો આદેશ મુંબઈની આર્થિક ગુનાશોધક એજન્સીને આપ્યો છે . પોતાના ત્રણ કરોડ ઈન્વેસ્ટરોને અંદાજે રૂપિયા 24,000 કરોડનું પેમેન્ટ કરવાને લગતા રીફંડ કેસમાં સહારા ગ્રુપ અને સુબ્રત રૉય સંડોવાયા છે . સહારા ગ્રુપની બે કંપની SIRECL અને SHCILને સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે કે તેઓ એમના બોન્ડ હોલ્ડરોને ત્રણ મહિનાની અંદર રૂપિયા 24,000 કરોડનું રીફંડની ચૂકવણી કરી આપે . ત્યારબાદ વર્ષ 2012ની પાંચમી ડિસેંબરે સુપ્રીમ કોર્ટે સહારાની કંપનીઓને પેમેન્ટ અંગે અમુક શરતો ઉપર સમય આપ્યો હતો . કોર્ટે સહારાને રૂપિયા 5120 કરોડની રકમનું પેમેન્ટ તાત્કાલિક કરી દેવા અને ત્યારબાદ રૂપિયા 10,000 કરોડનું પેમેન્ટ જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં અને બાકીની રકમ ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયામાં કરવાનો આદેશ આપ્યો હતો ." entertainment,"આત્મહત્યા કરનાર બૉલીવુડ અભિનેત્રી જિયા ખાનનું મોત અત્યાર સુધી વણઉકલ્યું રહ્યું છે . દરમિયાન જિયા ખાનના પરિવારને તેમના બેડરૂમમાંથી એક સુસાઇડ નોટ મળી આવી છે . દરમિયાન ગઈકાલે યોજાયેલ જિયા ખાનના બેસણામાં બૉલીવુડની અનેક જાણીતી હસ્તીઓ ઉમટી પડી હતી . જિયા ખાને ગત સોમવારે રાત્રે આત્મહત્યા કરી હતી . ગત શનિવારે તેમના બેડરૂમમાંથી સુસાઇડ નોટ મળી હતી . તેમાં જિયા ખાને પ્રેમમાં થયેલ વિશ્વાસઘાતને પોતાના મોતનું કારણ જણાવ્યુ છે . જિયા ખાનના પરિવારજનોને જિયાના બેડરૂમમાંથી જે સુસાઇડ નોટ મળી છે તે લગભગ છ પાનાની છે . જિયા ખાન કાવ્ય લખવાના શોખીન હતાં . તેથી ઘરના લોકોએ વિચાર્યું કે આ પાનાઓ જિયાના કાવ્યોનો પેજ હશે . જિયાના માતા અને બહેન આ પાનાઓને સંભાળીને રાખી રહ્યાં હતાં કે તેમણે તે વાંચ્યું અને તે જિયા ખાનની સુસાઇડ નોટ નિકળી . નિશબ્દ ફિલ્મ દ્વારા અમિતાભ બચ્ચન સાથે બૉલીવુડ કૅરિયર શરૂ કરનાર જિયા ખાન માત્ર ત્રણ ફિલ્મોમાં જ દેખાયા હતાં . નિશબ્દ બાદ તેમણે ગઝની અને હાઉસફુલ 2 ફિલ્મમાં કામ કર્યુ હતું . હાલ તો જિયા ખાનના પરિવારજનોએ આ સુસાઇડ નોટ પોલીસને હવાલે કરી દીધી છે . કહે છે કે આ સુસાઇડ નોટમાં લખ્યું છે - તુમને મેરે સાથ ધોખા કિયા હૈ . મૈંને તુમ પર વિશ્વાસ કિયા , લેકિન તુમને રિલેશનશિપ કા ખ્યાલ નહીં કિયા દરમિયાન ગઈકાલે જિયા ખાનનું બેસણું યોજાયું . આવો જોઇએ કોણ - કોણ પહોંચ્યું બેસણામાં ." business,"કરવેરા અને કરચોરી એક જ સિક્કાની બે બાજુઓ છે . જ્યારે પણ કરવેરા ચૂકવવાનો પ્રશ્ન આવે છે ત્યારે લોકો ગમે તે રીતે કર ચૂકવવો ના પડે તેવા માર્ગો શોધે છે . જો કે આ માટે લાંબી શોધખોળ કરવાની જરૂર નથી . સ્વયં સરકાર એવા કેટલાક રોકાણની ઓફર આપે છે જે કરમુક્ત હોય છે અને આપની કરપાત્ર આવક પર કરમુક્તિ આપે છે . આ માટે સરકારે જુદા જુદા વિભાગો તૈયાર કર્યા છે . જેમાં રોકાણ કરવાથી અલગ અલગ કરલાભ મળે છે . આ માટે 80C , 80D , 80DD , 24 ( b ) વગેરેનો સમાવેશ થાય છે . અત્યારે આપણે કર કાયદાની કલમ 80D અંતર્ગત મળતી કરમુક્તિ અને કરલાભ અંગેની ચર્ચા કરીશું . . ." entertainment,એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં હાલ ફિટનેસને લઈ કેટલાય સ્ટાર્સ સામે આવી રહ્યા છે . ફિટ મોમની યાદીમાં કેટલીય બૉલીવુડ એક્ટ્રેસિસના નામ સામેલ છે . કરીના કપૂરથી લઈ મલાઈકા અરોરા સુધી . આ બધાની વચ્ચે એક નામ એવું પણ છે જે લાંબા સમયથી ચર્ચાનો વિષય છે . અમે વાત કરી રહ્યા છીએ મંદિરા બેદીની . મંદિરા બેદીની ઉંમર 45 વર્ષી છે પરંતુ જોવામાં તે બૉલીવુડની કેટલીય ટૉપ એક્ટ્રેસને મા આપી દે તેવી છે . મંદિર હંમેશાથી જ પોતાની બૉલ્ડ તસવીરોને લઈને ચર્ચામાં રહે છે . એટલું જ નહિં તે પોતાના ફિટનેસ વીડિયોને લઈને પણ કેટલીય વખત ચર્ચામાં રહી ચૂકી છે . ટીવીથી અલવિદા લીધા બાદ મંદિરાનું ફોકસ પોતાની ફિટનેસ પર રહ્યું . આ વખતે પણ તે પોતાના ઈન્સ્ટાગ્રામ પર સેક્સી અને બોલ્ડ થતી જોવા મળી રહી છે . sports,"ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે ટેસ્ટ શ્રેણી ચાલી રહી છે . શ્રેણીની ત્રણ ટેસ્ટ રમાઇ ચૂકી છે , જેમાં પહેલી ટેસ્ટ ટ્રેન્ટ બ્રીજ ખાતે રમાઇ હતી , જે ડ્રોમાં પરિણમી હતી . આ ટેસ્ટ સાથે જાડેજા અને એન્ડરસન વિવાદ જોડાયેલો છે , જે આજે પણ સમાચારોમાં ચમકી રહ્યો છે . બીજી ટેસ્ટ મેચ લોર્ડ્સ ખાતે રમાઇ હતી , જ્યાં ભારતે ઐતિહાસિક જીત મેળવી હતી . ત્યારબાદ ત્રીજી ટેસ્ટ મેચ સાઉથમ્પટન ખાતે રમાઇ હતી . જેમાં ભારતનો કારમો પરાજય થયો હતો અને લોર્ડ્સની જે ખુશી હતી તે ગમમા પરિવર્તિત થઇ ગઇ હતી . આ ટેસ્ટ મેચમાં પણ એન્ડરસને અજિંક્ય રહાણે સાથે જીભાજોડી કરી હતી . હવે શ્રેણીની ચોથી ટેસ્ટ મેચ માન્ચેસ્ટર ખાતે રમાઇ રહી છે . ઇંગ્લેન્ડના અન્ય મેદાન કરતા અહીંની વિકેટ ઝડપી હોય છે , તેથી ભારતે માન્ચેસ્ટર ખાતે જો વિજયી થવું હોય તો કેવા પ્રકારના ફેરબદલ કરવા જોઇએ તે અંગે ક્રિકેટ દિગ્ગજો અને તજજ્ઞો દ્વારા સૂચનો કરવામાં આવી રહ્યાં છે . જોકે અહીં ટેસ્ટ મેચ રમાય તે પહેલા માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રાફોર્ડ મેદાન ખાતે ભારતે રમેલી મેચોમાં તેનું પ્રદર્શન કેવું રહ્યું હતું , તેના પર પર નજર ફેરવી લેવી જોઇએ . ‘ક્રોધિત ' ધોનીએ ઇસીબીને કહ્યુ હતું , સમાધાન નહીં એન્ડરસન વિવાદઃ બ્રીટિશ મીડિયાએ ઉડાવી ધોનીની મજાક આ પણ વાંચોઃ - ક્રિકેટના 58 વર્ષ જૂના આ રેકોર્ડે ઉડાડી દીધા હતા બધાના હોશ એ વાતને ધ્યાનમાં રાખીને અમે આજે અહીં 1952થી લઇને 1990 સુધીમાં ભારતે માન્ચેસ્ટરમાં જેટલી મેચો રમી છે તે અંગે આછેરી માહિતી આપી રહ્યાં છીએ , 52થી 90 દરમિયાન ભારતે એકપણ વિજય મેળવ્યો નથી , તેમજ ત્રણમાં વિજય અને ત્રણ ડ્રોમાં પરિણમી હતી . તો ચાલો તસવીરો થકી આ મેચો પર એક નજર ફેરવીએ ." business,"છેલ્લા કેટલાક દિવસોમાં તમે સોનાલી બેન્દ્રે , ઈરફાન ખાન , રિશી કપૂર સહિતની બોલીવુડ સેલિબ્રિટીના કેન્સર ટ્રીટમેન્ટ વિશે વાંચ્યું હશે . કેન્સર એક એવી બીમારી છે , જે ક્યારે પણ કોઈ પણ વ્યક્તિને થઈ શકે છે . સૌથી ખતરનાક વાત એ છે કે આ બીમારી જીવલેણ છે , જો કે તેની ટ્રીટમેન્ટ થઈ શકે છે , પરંતુ તેનો ખર્ચ લાખો કરોડો રૂપિયા સુધીનો આવી શકે છે . એટલે સામાન્ય લોકોમાં કેન્સર સામે ઝઝૂમવાનું સાહસ નહિવત્ હોય છે . કેન્સર જેવી બીમારી સામે લડવાની તાકાત આપવા માટે લાઈફ ઈન્સ્યોરન્સ કંપની કેન્સર સાથે જોડાયેલી પોલિસીનો પ્રચાર કરે છે . તો જાણીએ કેટલી જરૂરી છે આ કેન્સર પોલિસી . કેમ બેન્કની લૉન થઈ જાય છે રિજેક્ટ ? રિજેક્શન અટકાવવાના ઉપાય" business,"ચીનમાં બેંક પાસેથી લોન લેવા પર લોકો પાસેથી વિચિત્ર માંગ કરાતી હોવાનો મામલો સામે આવ્યો છે . લોન આપનારી કંપનીઓ લોનના બદલામાં યુવાનોને તેમની ન્યૂડ સેલ્ફીની ડિમાંડ કરી રહ્યા છે અને પૈસા ન ચૂકવવાની સ્થિતિમાં તેને ઓનલાઈન લીક કરી દે છે . બેંક યુવાનોની ન્યૂડ સેલ્ફીને ગેરેન્ટી તરીકે લઈ રહ્યા છે અને બદલામાં તેમને લોનની રકમ આપવામાં આવે છે . ચીનની આ ' નેકેડ લોન સર્વિસ ' માં સતત વધારો થઈ રહ્યો છે . આ લોનમાં પહેલા લોકોને લોન આપવામાં આવે છે . તેમની પાસે ગેરેન્ટી તરીકે નેકેડ સેલ્ફી માંગવામાં આવે છે . બાદમાં તેમની પાસેથી વધુ વ્યાજ વસૂલવાનું શરૂ કરી દે છે . રકમની ભરપાઈ ન કરનારા લોકોને તેમનો ફોટો પરિવાર અને દોસ્તો સાથે સાથે ઓનલાઈન વેબસાઈટો પર લીક કરી દેવાની ધમકી આપવામાં આવે છે . ચીનમાં આ નેકેડ સેલ્ફી લોન બિઝનેસ તરીકે ઝડપથી વધી રહ્યો છે . આ પણ વાંચોઃ હવે મોદી મંત્રીએ જણાવી હનુમાનની જાતિ , ' દલિત નહિ આર્ય હતા બજરંગબલી ' આ પણ વાંચોઃ ખુશખબરીઃ LPG સિલિન્ડરની કિંમતમાં 133 રૂપિયાનો ઘટાડો , જાણો કારણ" sports,મહેન્દ્ર સિંહ ધોની અને સુશાંત સિંહ રાજપૂત હાલ તેમની આવનારી ફિલ્મ એમએસ ધોની - ધ અનટોલ્ડ સ્ટોરીના પ્રોમોશનમાં વ્યસ્ત છે . આ દરમિયાન સુશાંત સિંહ રાજપૂત મહેન્દ્ર સિંહ ધોનીની દીકરી જીવાને પણ મળ્યા . સુશાંત સિંહ રાજપૂત સાથે રમતી જીવાની ક્યૂટ તસવીરો પણ સામે આવી છે . જેમાં જીવા રીલ અને રિયલ લાઈફ પાપા સાથે દેખાઈ રહી છે . નીરજ પાંડેના નિર્દેશનમાં બની રહેલી એમએસ ધોની - ધ અનટોલ્ડ સ્ટોરી 30 સપ્ટેમ્બરે રિલીઝ થવા જઈ રહી છે . ભારતમાં ક્રિકેટ અને બોલિવૂડમાં કોનો ક્રેઝ વધારે છે તે કદાચ કોઈ પણ નહિ જણાવી શકે . પરંતુ જયારે ક્રિકેટ અને બોલિવૂડ એક સાથે આવી જાય ત્યારે ફેન્સ તો પાગલ થયા જ સમજો . આવું જ કંઈક થઇ રહ્યું છે કે આવનારી બાયોપિક ફિલ્મ એમએસ ધોની - ધ અનટોલ્ડ સ્ટોરીને લઈને . આપને જણાવી દઈએ કે આ ફિલ્મ માટે ખુદ મહેન્દ્ર સિંહ ધોનીએ 45 કરોડ રૂપિયા લીધા છે . જયારે સુશાંત સિંહ રાજપૂતને 2 કરોડની ફી મળી છે . ધોનીના બિઝનેસ મેનેજર અરુણ પાંડેને ફિલ્મ માટે 5 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે . business,"જીયો એક પછી એક ધમાકેદાર ઓફર તેના ગ્રાહકો માટે લાવી રહ્યો છે . જેથી કરીને તે માર્કેટમાં ધમાકો કરી શકે અને સાથે જ તેના ગ્રાહકોને સારી સેવા પણ આપી શકે . તેવી ખબર આવી રહી છે કે જીયો મોબાઇલ માર્કેટમાં ભૂકંપ લાવ્યા પછી એક નવા ધમાકાની તૈયારીમાં છે . રિલાયન્સ જીયો જલ્દી જ 4 જી સ્માર્ટફોન પણ લોન્ચ કરશે . આ ફોન ક્વાલકોમ અને સ્પ્રેડટ્રમ પ્રોસેસર પર કામ કરશે . રિલાયન્સ જીયોની તરફથી કુલ બે મોબાઇલ લોન્ચ કરવામાં આવશે . જેની કિંમત 2000 રૂપિયાથી પણ ઓછી હશે . રિલાયન્સ જીયોનું લક્ષ છે કે તે ભારતના લોઅર મિડલ ક્લાસના લોકો સુધી જીયોની સુવિધા પહોંચાડે . શું હશે કિંમત ગેજેટ્સની વેબસાઇટ 91 મોબાઇલ ડોટ કોમ મુજબ ક્લાલકોમ પર કામ કરનારા ફોનની કિંમત 1734 રૂપિયા હશે . જ્યારે સ્પ્રેડટ્રમ પ્રોસેસર પર કામ કરતા ફોનની કિંમત 1800 રૂપિયા હશે . જો કે પહેલા તેવી પણ ખબર આવી ગઇ છે કે રિલાયન્સ જીયોનો નવો ફોન 1500 રૂપિયામાં લોન્ચ થશે . શું છે ખાસ આ મોબાઇલમાં જીયોના આ નવા ફોનમાં 2.4 ઇંચની સ્ક્રીન છે . અને 512 એમબી રેમ હશે સાથે જ 4 જીબી ઇનટનલ મેમરી મળશે . આ સિવાય ફોનમાં માઇક્રો એસડી કાર્ડ સપોર્ટ , 2 મેગાપિક્સલનો રિયર કેમરા અને વીજીએ ફ્રંટ કેમરા હશે . આ ફોન વાઇફાઇ ઇનેબલ હશે અને તેમાં જીપીએસ પણ હશે ." entertainment,"અક્ષય કુમાર અને તમન્ના ભાટિયા અભિનીત એંટરટેનમેંટ ફિલ્મ ગઈકાલે રિલીઝ થઈ . જોકે ફિલ્મને મિશ્ર પ્રતિસાદ સાંપડ્યો છે , પરંતુ ફિલ્મના હીરો જૂનિયર ( ગોલ્ડન રિટ્રાઇવર ) નુ પરફૉર્મન્સ શાનદાર રહ્યુ છે . પ્રાણીઓ કોઈ પણ ફિલ્મમાં એક્સ્ટ્રા એંટરટેનમેંટ જોડે છે અને એંટરટેનમેંટ ફિલ્મમાં એંટરટેનમેંટ નામ ધરાવતા જૂનિયરે વૈસા વસૂલ કામ કર્યુ છે . યુવાનથી લઈ મોટેરાઓ , તમામ દર્શકોને પડદા ઉપર પ્રાણીઓનું કાર્ય કાયમ સારૂ જ લાગતુ હોય છે . કેટલીક વાર તો પ્રાણીઓની ભૂમિકા એટલી દમદાર લાગે છે કે જે હીરો કરતા પણ ચઢિયાતા સાબિત થાય છે . હમ આપકે હૈં કૌન ફિલ્મનું અંતિમ દૃશ્ય યાદ કરો કે જ્યારે રાજેશ ( મોહનીશ બહલ ) અને નિશા ( માધુરી દીક્ષિત ) ના લગ્ન થવાની અણીએ હતાં અને તે જ વખતે પ્રેમ ( સલમાન ખાન ) દ્વારા નિશા માટે લખાયેલી ચિટ્ઠી ટફી ( કૂતરા ) ના મોઢે આવી જાય છે . ટફી જ આ ચિટ્ઠી રાજેશ સુધી પહોંચાડે છે અને પ્રેમ - નિશાના પ્રેમનો ખુલાસો થાય છે . જો ટફી ન હોત , તો કદાચ પ્રેમ - નિશાના લગ્ન ન થઈ શક્યા હોત . ચાલો આપને બતાવીએ એવા Animals કે જે પડદા પર દર્શકો માટે Heros બની ગયાં :" business,"સરકારે નાલ્કોમાં સાડા બાર ટકા , ઓઇલ ઇંડિયામાં દસ ટકા , હિંદુસ્તાન કોપરમાં 9.59 ટકા રોકાણની મંજૂરી આપી છે . વિદેશી રોકાણમાં રાજ્યોના વિરોધને ધ્યાનમાં રાખતાં તેમને પોતાની મરજી પૂર્વક અપનાવવાની સ્વતંત્રતા આપી છે . રિટેલ અને દેશી એરલાઇન્સમાં પણ 49 ટકા રોકાણની મંજૂરી આપવામાં આવી છે . આ ઉપરાંત ડીટીએચ અને કેબલ નેટવર્કમાં કેન્દ્ર સરકારે 74 ટકા સુધી વિદેશી રોકાણની મંજૂરી આપી છે . તૃણમૂલ કોંગ્રેસે નોંધાવ્યો વિરોધ કેન્દ્ર સરકારના આ નિર્ણયનો તૃણમૂલ કોંગ્રેસે જોરદાર વિરોધ કર્યો છે . પાર્ટીના વરિષ્ઠ નેતા કુણાલ ઘોષે કહ્યું કે , અમારી પાર્ટી અને મમતા બેનર્જીએ આ નિર્ણયનો વિરોધ નોંધાવ્યો છે . કુણાલે કહ્યું કે , અમારી પાસે સંસદમાં એટલી સંખ્યા નથી કે , અમે નિર્ણયને રોકી શકીએ નહીં પરંતુ અમે તેનો ખુલીને વિરોધ કરી શકીએ છીએ . કોંગ્રેસ પાસે સંખ્યાબળ વધારે છે અને યૂપીએમાં તેમનું જ ચાલે છે . કુણાલ ઘોષે કહ્યું કે , મમતા બેનર્જીની સરકાર એવી કોઇપણ પોલીસી પશ્ચિમ બંગાળમાં લાગૂ નહીં કરે ." entertainment,"સોનાલી કેબલ દિગ્દર્શક : ચારુદત્ત આચાર્ય કલાકાર : રિહા ચક્રવર્તી , અલી ફઝલ , સ્મિતા જયકર , અનુપમ ખેર પેલી કહેવાત તો આપે સાંભળી જ હશે કે દરિયામાં સામાન્ય રીતે મોટી માછલીઓ નાની માછલીઓને ગળી જાય છે . કંઇક આવા જ વિષય પર આધારિત છે રિહા ચક્રવર્તી તથા અલી ફઝલ અભિનીત ફિલ્મ સોનાલી કેબલ . ફિલ્મમાં દિગ્દર્શક ચારુદત્ત આર્યે એમ દર્શાવવાની કોશિશ કરી છે કે કઈ રીતે મહાનગરોમાં નાના - નાના ધંધાર્થીઓને મોટા વ્યવસાયી ગળી જવાનો પ્રયત્ન કરે છે . સોનાલી કેબલની વાર્તા સોનાલી ( રિહા ચક્રવર્તી ) ની આજુબાજુ ફરે છે . સોનાલી અને તેના કેટલાક મિત્રો મળી મુંબઈ શહેરમાં એક નાનકડા ભાગે કેબલ નેટવર્કિંગનો વ્યવસાય કરે છે . આ વ્યવસાયમાં તેમની મદદ કરે છે ધારાસભ્ય મીના તાઈ ( સ્મિતા જયકર ) અને તેનો દીકરો રઘુ . રઘુ અને સોનાલી બાળપણના મિત્ર છે અને એક - બીજાને પ્રેમ કરે છે . ફિલ્મની વાર્તામાં ટ્વિસ્ટ ત્યારે આવે છે કે જ્યારે એક બહુ મોટી કમ્પનીનો માલિક વાઘેલા ( અનુપમ ખેર ) મુંબઈના નાના - નાના કેબલ વ્યવસાયો ખરીદવા લાગે છે . તેની નજર સોનાલી કેપલ પર પણ પડે છે . સોનાલી હાર નથી માનતી અને રઘુ સાથે મળી વાઘેલા સામે ટક્કર લે છે ." business,"જો આપ નોન રેસિડન્ટ ઇન્ડિયન ( એનઆરઆઇ - NRI ) હોવ અને ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ ના કરતા હોવ તો જરૂરી નથી કે આપની પાસે પાન કાર્ડ ( PAN Card ) હોય . આનો અર્થ એ થયો કે ભારતમાં જો આપના આવક કરપાત્ર નથી તો આપે પાન કાર્ડ રાખવાની પણ જરૂર નથી . પાન કાર્ડ નહીં હોવાથી NRIsને ખાસ ફેર પડતો નથી . પરંતુ પાન કાર્ડ નહીં હોવાને પગલે આપ ભારતમાં કોઇ પણ પ્રકારનું એકાઉન્ટ ખોલાવતા કે આર્થિક વ્યવહારો કરવામાં અડચણ અનુભવશો . અમે અહીં NRIs માટે ક્યાં પાનકાર્ડ અનિવાર્ય છે તેની વિગતો આપી રહ્યા છીએ . . . 1 . શેર્સના ખરીદ વેચાણ સમયે ભારતમાં શેરના ખરીદ વેચાણ માટે NRIsએ ટ્રેડિંગ એકાઉન્ટ અને પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ ખોલાવવી જરૂરી છે . આ એકાઉન્ટ બ્રોકર્સ ત્યારે જ ખોલી શકે છે જ્યારે તેમની પાસે પાનકાર્ડ સહિતના પુરતા દસ્તાવેજો હોય . આનો અર્થ એ થયો કે પાનકાર્ડ વિના NRIs ભારતમાં શેરોનું ખરીદ વેચાણ કરી શકતા નથી . 2 . મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા NRIs માટે પાનકાર્ડ જરૂરી શેર્સની જેમ NRIsએ ભારતમાં મ્યુચ્યુઅલ ફંડનું ખરીદ વેચાણ કરવું હોય તો પાન કાર્ડ જરૂરી છે . 3 . પ્રોપર્ટી ખરીદવા માટે પાનકાર્ડની જરૂર ભારતમાં NRIsએ પ્રોપર્ટી ખરીદવા માટે પાનકાર્ડની જરૂર પડે છે . આ કારણોથી એમ કહી શકાય કે ભારતમાં ભલે NRIsની આવક કરપાત્ર ના હોય , પરંતુ અન્ય કાર્યો કરવા માટે તેમણે પાનકાર્ડ મેળવવું જરૂરી છે . ભારતમાં પાન કાર્ડ મેળવવું અઘરું નથી . ભારતમાં વાર્ષિક રૂપિયા 2,50,000 સુધીની આવક ધરાવતા લોકોએ આવકવેરો ભરવો પડતો નથી ." business,"સૂત્રોએ જણાવ્યું કે અધિકારીઓ દ્વારા આ શંકાસ્પદ આર્થિક વ્યવહારો અંગેના રિપોર્ટ ( એસટીઆર ) ની તપાસ બાદ 1408 કરોડ રૂપિયાની અધોષિત આવક અને સંપત્તિ પકડી પાડી છે . એસટીઆર રૂપિયા 10 લાખ કે તેનાથી વધારે મૂલ્યના શંકાસ્પદ આર્થિક વ્યવહારો અંગે હોય છે . સૂત્રોએ જણાવ્યું કે આ વર્ષે જાન્યુઆરીથી માર્ચ દરમિયાન એફઆઇયુએ સીબીડીટીને 32,098 એસટીઆર મોકલી હતી . આવકવેરા વિભાગે દેશભરમાં અંદાજે 21 કરોડ રૂપિયાની સંપત્તિ પણ જપ્ત કરી છે . કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ તેમાંથી કેટલાક શંકાસ્પદ વ્યવહારોની તપાસ પૂરી કરશે . સૂત્રોએ જણાવ્યું કે સીબીડીટી પોતાની તપાસ પૂરી કરવા માટે સંબંધિત એજન્સીઓ અને રાજ્ય સરકારોના સંપર્કમાં છે . એફઆઇયુ દ્વારા મોકલવામાં આવેલા એસટીઆર બેંકિંગ લેણદેણ વ્યવહારો બેંકમાં રોકડ જમા કરાવવા , ચેક વટાવવા અને લોકોની વચ્ચેના બેંકના વ્યવહારો સંબંધિત છે . એફઆઇયુએ વર્ષ 2011 - 12માં કુલ 13,871 એસટીઆર એકત્ર કર્યા હતા . તેમાંથી સૌથી વધારે 10,956 સીબીડીટી , 1615 પ્રવર્તન નિર્દેશાલય , 1130 કેન્દ્રીય ઉત્પાદ ખાનગી મહાનિર્દેશાલયને મોકલી દેવામાં આવ્યા હતા . તે ઉપરાંત 117 એસટીઆર સેબી , 51 ભારતીય રિઝર્વ બેંક અને બે વીમા નિયામક અને વિકાસ પ્રાધિકરણ ( ઇરડા ) ને મોકલવામાં આવ્યા હતા . સરકારે દેશમાં કાળા નાણાના પ્રવાહને અંકુશ કરવા માટે પ્રયત્નો હાથ ધર્યા છે . આ પૂર્વે આ જ વર્ષમાં સરકારે કાળા નાણા સંબંધિત વિવિધ માહિતીના વધારે સારા સંયોજન માટે ઓનલાઇન ડેટા બેંક અને વર્ચ્યુઅલ ઓફિસ પણ શરૂ કરી હતી ." sports,ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમાયેલી મેચમાં વિરાટ કોહલી હિરો સાબિત થયા છે . દુનિયાભર ના લોકો અત્યારે વિરાટ કોહલીના વખાણ કરી રહ્યા છે . બીજી તરફ ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ ખેલાડી ફ્લિન્ટોફ એ વિરાટ કોહલીને રૂટ સાથે સરખામણી કરી ત્યારે તેનો વળતો જવાબ અમિતાભ બચ્ચને આપ્યો છે . ફ્લિન્ટોફએ ટ્વિટ કરી ને કહ્યું હતું કે જે રીતે વિરાટ કોહલી એ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બેટિંગ કરી છે તેને જોઇને લાગે છે કે તેઓ ઇંગ્લેન્ડના બેટ્સમેન રૂટ જેવા બની શકે છે . પરંતુ હમણાં કહી ના શકાઈ કે તેઓ ઇંગ્લેન્ડ વિરૃધ રમી શકશે કે નહી . ફ્લિન્ટોફના ટ્વિટનો જવાબ આપ્યો છે અમિતાભ બચ્ચને અને કહ્યું છે કે કોણ રૂટ ? જડ સે ઉખાડ દેંગે રૂટ કો . અમિતાભ બચ્ચને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમાયેલી મેચના હિરો રહેલા વિરાટ કોહલી ના ખુબ જ વખાણ કર્યા . અમિતાભ બચ્ચને ટ્વિટ કરીને કહ્યું કે વિરાટ કોહલી ઘણા સમયથી જીનીયસ છે . business,"ઘર ખરીદવાનો નિર્ણય હંમેશા સમજી વિચારીને લેવો જોઈએ . જો તમે પહેલું જ ઘર ખરીદી રહ્યા છો તો તેની સાથે આવનારો આર્થિક બોજ ઉપરાંત કકેટલીક વાતો સમજવી , વિચારવી જરૂરી છે . તેની શરૂઆત કામ કરવાની જગ્યા , નજીકમાં સ્કૂલને ધ્યાનમાં રાખીને એક યોગ્ય સ્થાન પસંદ કરવાથી લઈ હોમ લોન માટે અરજી , ડાઉન પેમેન્ટ , વેપાર સમજૂતી વગેરેથી થાય છે . તેની સાથે મકાન મેળવ્યા બાદ ઘરનું રજિસ્ટ્રેશન પણ કરાવાનું હોય છે . તેના માટે તમારી પાસે ઘરના માલિક હોવાનો કાયદેસરનો પુરાવો હોવો જરૂરી છે . કેન્સલ ચેક શું છે ? તેનો ઉપયોગ શું કેવી રીતે થાય છે ? એટલે કે સ્થાનિક નગર નિગમના રેકોર્ડ માટે પુરાવા જમા કરવા જરૂરી છે કે વેચનારે પોતાની સંપત્તિ કે ઘર ટ્રાન્સફર કર્યું છે . જ્યારે આવું થાય છે ત્યારે તમારે સરકારને ફી આપવી પડે છે ." entertainment,"બૉલીવુડના જમ્પિંગ જૅક જિતેન્દ્ર આજે 71 વર્ષના થઈ ગયાં . 7મી એપ્રિલ , 1942ના રોજ જન્મેલા જિતેન્દ્રની ગણતરી સદાબહાર અભિનેતાઓમાં થાય છે . તેઓ હાલ પણ સક્રિય છે . જિતેન્દ્રના માતાનું નામ કૃષ્ણા કપૂર અને પિતાનું નામ અમરનાથ કપૂર હતું . તેમનો ફેમિલી બિઝનેસ ઈમિટેશન જ્વેલરીનો હતો . નાનપણમાં જીતેન્દ્રનું નામ રવિ કપૂર હતું . જીતેન્દ્રે સેન્ટ સબાસ્ટિન ગોન હાઈ સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે . રાજેશ ખન્ના તેમના સહપાઠી હતાં . બંનેએ સાથે કે સી કોલેજમાં ગ્રેજ્યુએશન કર્યું છે . જીતેન્દ્રનો પરિવાર ઈમિટેશનનો બિઝનેસ કરતો હતો . તેઓ તે સમયે જાણીતા ફિલ્મમેકર વી શાંતારામને ઈમિટેશન જ્વેલરી આપતા હતાં . વી શાંતારામે જિતેન્દ્રને જોયો અને તેમણે તરત જ પોતાની ફિલ્મ નવરંગમાં જિતેન્દ્રને સાઈન કરી લીધો હતો . તે પછી જિતેન્દ્રે પાછુ વળીને જોયું નથી . જિતેન્દ્રએ અત્યાર સુધીમાં 200 ફિલ્મ્સમાં કામ કર્યું છે . તેણે તે સમયની ટોચની અભિનેત્રી રેખા , હેમા માલિની , રીના રોય , શ્રીદેવી અને જયા પ્રદા સાથે કામ કરેલું છે . દર્શકોમાં જિતેન્દ્ર અને જયાપ્રદા તથા જિતેન્દ્ર અને શ્રીદેવીની જોડી ઘણી જ પસંદ આવી હતી . જિતેન્દ્ર - જયા પ્રદાએ 25 ફિલ્મ્સમાં સાથે કામ કર્યું છે અને તેમાંથી 19 ફિલ્મ્સ બૉક્સ ઓફિસ પર સુપરડુપર હિટ રહી હતી . જિતેન્દ્ર અને રેખાએ પણ 26 ફિલ્મ્સમાં સાથે કામ કર્યું હતું . આમાંથી 15 ફિલ્મ્સ હિટ રહી હતી . જિતેન્દ્રએ 1960 - 90ના દાયકામાં જસ્ટિસ ચૌધરી , મવાલી , હિમ્મતવાલા , જાની દુશ્મન , તોહફા , પરિચય , ખુશ્બૂ જેવી અનેક ફિલ્મોમાં કામ કર્યું છે . જિતેન્દ્રે તેલુગુ ફિલ્મોની હિંદી રિમેક્સમાં પણ કામ કર્યું છે . જીતેન્દ્ર રાજારામ વાકુદ્રે શાંતારામ , રમન્ના અને એલ વી પ્રસાદને પોતાના મેન્ટર્સ માને છે . જીતેન્દ્રે ક્યુંકી સાંસ ભી કભી બહુ થીમાં કેમિયો કર્યો હતો અને ઝલક દિખલા જામાં જ્જની ભૂમિકા ભજવી હતી . જીતેન્દ્ર અને હેમા માલિની એકબીજાના પ્રેમમાં હતાં . આ બંને જણાં લગ્ન કરવા માટે તૈયાર પણ થઈ ગયા હતા પરંતુ એક દિવસ અચાનક જ હેમા માલિનીએ જિતેન્દ્ર સાથે લગ્ન કરવાની ના પાડી દીધી અને તેણે ધર્મેન્દ્ર સાથે લગ્ન કરી લીધા હતાં . તો , જિતેન્દ્રએ પોતાની સ્કૂલ સમયની મિત્ર શોભા સાથે લગ્ન કરી લીધા . શોભા જ્યારે 14 વર્ષની હતી , ત્યારે જિતેન્દ્ર તેને પહેલીવાર મળ્યા હતા . શોભાએ સ્કૂલ અને કોલેજનો અભ્યાસ પૂર્ણ કરીને બ્રિટિશ એરવેઝમાં ઍર હોસ્ટેસની નોકરી સ્વીકારી લીધી હતી . હેમાના વિશ્વાસઘાતથી ભાંગી પડેલાં જિતેન્દ્રને શોભાએ જ સહારો આપ્યો . બિદાઈ ફિલ્મ બાદ બંનેએ લગ્ન કરી લીધાં . જિતેન્દ્રની ફિલ્મ બિદાઈ રીલિઝ ના થાય ત્યાં સુધી લગ્ન ના કરવા તેમ બંનેએ નક્કી કર્યું હતું . ફિલ્મ રીલિઝ થયા બાદ બંનેએ લગ્ન કરી લીધા હતાં . આ લગ્ન ઘણી જ ઉતાવળમાં કરવામાં આવ્યા હતાં . લગ્ન જનક કુટીરમાં એકદમ સાદગીથી થયા હતાં . લગ્નમાં માત્ર નિકટના મિત્રો હાજર હતાં . આમાં ગુલઝાર , સંજીવ કુમારનો સમાવેશ થાય છે . આ લગ્નમાં શોભાની માતા પણ હાજર રહી શકી નહોતી . તે સમયે તેઓ જાપાનમાં હતાં . શોભા અને જિતેન્દ્રને બે સંતાનો છે - તુષાર કપૂર અને એકતા કપૂર . તુષાર કપૂર જાણીતા અભિનેતા છે , જ્યારે એકતા કપૂર ટીવી સીરિયલ ક્વિન છે ." entertainment,"અમેરિકન ટેલીવિઝન સ્ટાર તથા સેક્સ બૉમ્બ તરીકે જાણીતા કિમ કાર્દશિયન હવે એક સુંદર બાળકીના માતા બની ગયાં છે . ઈ - ઑનલાઇનના જણાવ્યા મુજબ કિમે બેવર્લી હિલ્સ ખાતે આવેલ સેધર્સ સિનાઈ મેડિકલ સેંટરમાં પુત્રીને જન્મ આપ્યો . તે વખતે તેમની સાથે રૅપર પ્રેમી કૅન્યે વેસ્ટ પણ હાજર હતાં . કિમને પાંચ અઠવાડિયા વહેલી ડિલીવરી થઈ . કિમની પુત્રી એકદમ પોતાના માતા જેવી છે અને તેનું પણ માતા - પિતાની જેમ કે અક્ષરથી જ શરૂ થશે . નોંધનીય છે કે સેક્સ ડાયેટ દ્વારા કામણગારી કાયા પામનાર અમેરિકી હૉટ ટેલીવિઝન સ્ટાર કિમ કાર્દશિયને પોતાના પ્રેમી કૅન્યે વેસ્ટની બાળકીને જન્મ આપ્યો છે . કિમ કાર્દશિયન માતા બનનાર છે , તેવો ખુલાસો તેમના પ્રેમી કૅન્યે વેસ્ટે જ કર્યો હતો કે જેથી કિમ અંગે લોકો વધુમાં વધુ જાણવા આતુર થઈ ગયા હતાં . લોકો બિંદાસ્તપણે કિમની સેક્સ સીડી ખરીદી રહ્યાં હતાં . કોઇક સેલિબ્રિટીના ગર્ભવતી હોવા પર તેની સેક્સ સીડીનું વેચાણ થવું ખૂબ જ રસપ્રદ હતું . આ વેચાણે રેકૉર્ડ તોડી નાંખ્યા હતાં . આ અગાઉ 32 વર્ષીય કિમ કાર્દશિયન અને તેમના બાસ્કેટબૉલ ખેલાડી પતિ ક્રિસ હમ્ફીઝ વચ્ચે લગ્નના માત્ર 72 દિવસમાં જ બ્રેક - અપ થઈ ગયુ હતું . બાળકને જન્મ આપ્યા બાદ કિમ કૅન્યે વેસ્ટ સાથે લગ્ન કરી લેશે , તેમ પોતે કિમે જ કહ્યુ હતું . કિમ માતા તો બની ગયાં , જોઇએ હવે તેઓ દુલ્હન ક્યારે બને છે ?" entertainment,"બૉલીવુડ સ્ટાર્સ જાહેરખબર માટે કેવા - કેવા વિચિત્ર અવતારો ધારણ કરે છે . થોડાંક દિવસ અગાઉ પ્રિયંકા ચોપરા દેવી અવતારમાં સામે આવ્યા હતાં , તો તે અગાઉ આમિર ખાન પણ એક જાહેરખબરમાં લૅડી અવતારમાં દેખાયા હતાં . હવે સુપર સ્ટાર શાહરુખ ખાન ટેલીવિઝન ઉપર પુનઃ મૂછો ધરાવતા ઇંસ્પેક્ટર સ્વરૂપે નજરે પડશે . ડિશ ટીવીની આવનાર પ્રચાર ફિલ્મ માટે શાહરુખે ઇંસ્પેક્ટરનો ભેષ ધર્યો છે . શાહરુખ ખાન આ અગાઉ પહેલી અને રબ ને બના દી જોડી ફિલ્મોમાં મૂછો સાથે નજરે પડ્યા હતાં . આ ઉપરાંત તેમણે કોઈ પણ ફિલ્મમાં મૂછો સાથે રોલ કર્યો નથી . હવે તેઓ ડિશ ટીવીની જાહેરખબરમાં મૂછાળા ઇંસ્પેક્ટર તરીકે દેખાવાનાં છે . શાહરુખ ખાન પહેલાં પ્રિયંકા ચોપરાએ એક ઠંડા પીણા માટેની જાહેરખબરમાં દેવી જેવો અવતાર ધર્યો હતો . તેવી જ રીતે આમિર ખાન પણ એક ઠંડા પીણાની એડ માટે લૅડી અવતાર ધરી ચુક્યાં છે . આવો તસવીરોમાં જોઇએ શાહરુખ ખાનનો નવો લુક ." business,"સેમસંગ ઇલેક્ટ્રોનિક મોબાઇલ વેચાણના મુદ્દે વિશ્વની નંબર 1 મોબાઇલ સેવા પુરી પાડનાર કંપની બની ગઇ છે . ત્રીજા ક્વાર્ટરમાં કંપનીના ઇતિહાસમાં બધા મહાદ્રિપોમાં સૌથી વધુ મોબાઇલ વેચ્યાં છે . અમેરિકા સ્થિત બજાર વિશેષજ્ઞએ બુધવારે આ જાણકારી આપી હતી . સમાચાર એજન્સી સિન્હુઆના અનુસાર સ્ટ્રેટજિક એનાલિટિક્સે જાણકારી આપી હતી કે સેમસંગના બધા છ મહાદ્રિપો ઉત્તરી અમેરિકા , પશ્વિમી યૂરોપ , એશિયા પ્રશાંત , લાતિન અમેરિકા , પૂર્વી યૂરોપ , મધ્યપૂર્વ અને આફ્રિકામાં નોકિયાને પ્રથમ વાર માત આપીને સૌથી વધુ મોબાઇલ વેચ્યા છે . સેમસંગે આ સમયગાળામાં 12.01 કરોડ મોબાઇલ વેચ્યા છે , જે આ દરમિયાન વેચવામાં આવેલા મોબાઇલનું 28.6 ટકા છે . કંપનીએ મધ્યપૂર્વ અને આફ્રિકા વિસ્તારમાં 1.58 કરોડ મોબાઇલ ફોન્સનું વેચાણ છે જે નોકિયાના 1.47 કરોડથી વધુ છે . સેમસંગમાં ભાગીદારી 36.4 ટકા થઇ ગઇ છે જે ગત વર્ષે 24.4 ટકા હતી . બીજી તરફ , પશ્વિમી યૂરોપમાં સેમસંગ અને નોકિયા વચ્ચે બજારમાં ભાગીદારીનું અંતર 27.7 ટકા છે , જ્યારે લાતિન અમેરિકામાં આ અંતર 13.4 અને પૂર્વી યૂરોપમા6 14.4 ટકા છે . ઉત્તરી અમેરિકામાં એપ્પલના નવા મોડલના કારણે સેમસંગના વેચાણમં 3.4 ટકાનો ઘટાડો નોંધવામાં આવ્યો છે , પરંતુ દક્ષિણ કોરિયા સ્થિત આ કંપનીએ વિસ્તારમાં ભાગીદારીમાં નવ ટકાની ભાગીદારી સાથે એપ્પલને માત આપતાં ટોચનું સ્થાન યથાવત રાખ્યું છે ." business,"કેન્દ્ર સરકારે વેપારીઓને મોટી રાહત આપતા જીએસટી ભરવાની તારીખ આગળ વધારી છે . નાણાં મંત્રાલયે રિટર્ન ભરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2019 સુધી વધારી દીધી છે . આપણે જણાવી દઈએ કે કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ ઘ્વારા સરકારે સામે તેની માંગ રાખવામાં આવી હતી . જેને સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમર ઘ્વારા સ્વીકાર કરતા જીએસટી રિટર્ન ભરવાની તારીખ 31 માર્ચ 2019 કરી દેવામાં આવી છે . સરકારે GSTR - 9 , GSTR - 9A and GSTR - 9C ના વાર્ષિક જીએસટી ભરવાની છેલ્લી તારીખમાં રાહત આપતા તેને 31 માર્ચ 2019 સુધી લંબાવી દેવામાં આવી છે . પહેલા આ તારીખ 31 ડિસેમ્બરે 2018 રાખવામાં આવી હતી . ખરેખર વેપારીઓનું કહેવું છે કે હજુ સુધી જીએસપી પોર્ટલ પર વાર્ષિક રિટર્ન દાખલ કરવાનું નથી જેને કારણે વેપારીઓને રિટર્ન ભરવામાં ઘણી તકલીફ થઇ રહી છે . આ પરેશાની જોતા સરકારે વેપારીઓને મોટી રાહત આપી છે . હવે બેંકમાં પૈસા જમા કરવા માટે પણ ચાર્જ આપવો પડશે આપને જણાવી દઈએ કે કારોબારી સંસ્થા કેટના રાષ્ટ્રીય અધ્યક્ષ બીસી ભારતિયા અને રાષ્ટ્રીય મહામંત્રી પ્રવીણ ખંડેલવાલ ઘ્વારા જણાવવામાં આવ્યું કે જીએસટી લાગુ થયાનું વર્ષ 2017 - 18 પહેલું વર્ષ છે . કરોડો વેપારીઓ માટે આ પહેલો અનુભવ છે . વેપારીઓને આ બાબતે ખબર જ નથી કે વાર્ષિક રિટર્ન ભરવું કેમ જરૂરી છે અને નહીં ભરવાથી તેમને કયું નુકશાન થશે . તેવી પરિસ્થિતિમાં તેમને રિટર્ન ભરવા માટે વધારે સમય મળવો જોઈએ જેથી તેઓ બધી જ વસ્તુઓ સારી રીતે સમજી શકે અને રિટર્ન ફાઈલ કરવામાં ખુબ જ ઓછી ભૂલો થાય . GSTની અસરઃ LED બલ્બ થયા સસ્તા , હજારો મેગાવોટ વીજળીની બચત પણ થઈ" entertainment,"હાલમાં જ સુઝેન ખાન ઘણી જ ચર્ચામાં હતી . જ્યારે ગોવાની એક કંપનીએ તેના પર લગભગ સવા કરોડનો છેતરપિંડીનો કેસ દાખલ કર્યો હતો . આમ તો સુઝેન ખાને આ બધા જ આરોપને નકારી દીધા છે . હવે ગોવાની એજ કંપનીએ તેના પર 15 કરોડનો માનહાનીનો કેસ દાખલ કર્યો છે . એક રિયલ એસ્ટેટ કંપનીએ સુઝેન ખાન પર માનહાનીનો કેસ દાખલ કર્યો છે . કંપનીનું નામ છે એમજી પ્રોપટીઝ , જેના માલિક મુદિત ગુપ્તા પાસેથી સુઝેન ખાને પોતાને આર્કીટેક કહીને પૈસા લીધા હતા . પરંતુ તેમના પ્રોજેક્ટનું કોઈ જ કામ ના થયું . મુદિત ગુપ્તાના વકીલ રંજીત શેટ્ટીએ જણાવ્યું કે અદાલતે 20 જુલાઈએ આખા મામલાની તારીખ નક્કી કરી છે . એમજી પ્રોપટીઝએ પણજી પોલીસ સમક્ષ સુઝેન ખાન વિરુદ્ધ 1.87 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાની ફરિયાદ કરી હતી . સુઝેન ખાને મુંબઈ ઉચ્છ ન્યાયાલયમાં ગોવા બેન્ચના એફઆઈઆર ને પડકાર આપ્યો હતો ." entertainment,"સેલિબ્રિટીઓ દ્વારા જાહેરમાં પ્રેમ પ્રદર્શિત કરવો ( Public Display of Affection એટલે કે PDA ) મધુર અને વિલક્ષણ હોઈ શકે , તો ક્યારેક - ક્યારેક તે અશ્લીલ પણ બની શકે . પ્રેમી પંખીડાઓ દ્વારા જાહેર સ્થળોએ પ્રેમનું પ્રદર્શન કરવું અનેક વખત આંખો પહોળી કરનારું બની જાય છે . જોકે મોટાભાગની સેલિબ્રિટીઓને પીડીએ ગમે છે , જ્યારે કેટલીક સેલિબ્રિટીઓ તેને ધિક્કારે છે . આપણે રેડ કારપેટ અને વિવિધ ઇવેંટ્સ દરમિયાન ઘણી સેલિબ્રિટીઓને જાહેરમાં કિસ કરતા જોઈ છે . જોકે કિસિંગ સામાન્ય બાબત છે અને કેટલાક જાહેરમાં લિપ - લૉકમાં લીન પણ થઈ જાય છે . આપણે ધ ટાયરા શોમાં ટાયરા બૅંક્સનો પીડીએ પ્રદર્શન ન ભૂલી શકીએ . ટાયરા તથા બૉ બૉ એક - બીજામાં લીન થઈ ગયા હતાં . જ્યારે પીડીએની વાત થતી હોય , ત્યારે કિમ કાર્દશિયન અને તેમના શુરા પતિ કૅન્યે વેસ્ટને કઈ રીતે બાકાત રાખી શકાય . તાજેતરમાં જ કૅન્યે વેસ્ટ પેરિસ ખાતે એક બિલ્ડિંગમાંથી સીડી વડે ઉતરતી વખતે પોતાના પત્ની કિમના બટને જાહેરમાં પકડતા અને દબાવતા દેખાયા હતાં . કિમ - કૅન્યે વચ્ચે તો આ બાબત સાવ સામાન્ય છે . ચાલો તસવીરોમાં બતાવીએ સેલિબ્રિટી પીડીએસ કે જે આંખો પહોળી કરી નાંખે છે :" sports,"હરારે , 29 ઑગસ્ટઃ ઝડપી બોલર્સના શાનદાર પ્રદર્શનના જોરે દક્ષિણ આફ્રિકાએ ઝિમ્બાવ્વેના પડકારો પર કાબૂ મેળવતા ત્રિકોણીય શ્રેણીમાં સતત બીજી જીત હાંસલ કરી છે . પ્રોસ્પર ઉત્સેયાએ ઝિમ્બાવ્વે તરફથી ઘાતક બોલિંગ કરતા હેટ્રિક સહિત પાંચ વિકેટ લઇને દક્ષિણ આફ્રિકાની ઇનિંગ 213 રનમાં સમેટી દીધી હતી , પરંતુ બેટ્સમેનોના નિરાશાજનક પ્રદર્શનના કારણે તેઓ જીતથી દૂર રહી ગયા . ઝિમ્બાવ્વેએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો જે ખોટો સાબિત થયો હતો . દક્ષિણ આફ્રિકાની ઓપનિંગ જોડીએ પહેલી વિકેટ માટે 24.2 ઓવરમાં 142 રન બનાવી નાંખ્યા પરંતુ ત્યારબાદ પ્રોસ્પર ઉત્સેયા દક્ષિણ આફ્રિકા પર હાવી થઇ ગયો હતો . આ અંગે વધુ વાંચવા માટે તસવીરો પર ક્લિક કરો . રૈના પાંચમા ક્રમે જ રમશેઃ ધોની ક્રિકેટ ઇતિહાસમાં 10 સૌથી લાંબી કારકિર્દી આ પણ વાંચોઃ - ભારતને ફટકોઃ ઇનફોર્મ રોહિત ‘આઉટ ' , વિજય પહોંચ્યો ઇંગ્લેન્ડ" business,"નવી દિલ્હી , 1 ડિસેમ્બરઃ સરકારી ઓઇલ માર્કેટિંગ કંપની , ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશને જાહેરાત કરી છે કે શનિવારે રાતેથી ડીઝલના ભાવ , ટેક્સને બાદ કરતાં 50 પૈસા પ્રતિ લીટર વધી ગયા . સૌથી મોટી ઓઇલ માર્કેટિંગ કંપનીએ એક નિવેદનમાં કહ્યું છે કે આઇઓસીએ 30 નવેમ્બરે રાતે ડીઝલના ભાવમાં રાજ્યના ટેક્સને છોડીને 50 પૈસા પ્રતિ લીટરનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે . પેટ્રોલના ભાવમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી . પેટ્રોલના ભાવ આંતરરાષ્ટ્રીય બજારમાં ઓઇલના ભાવ અનુસાર નક્કી થાય છે . જ્યારે ડીઝલ પર સબસિડી મળે છે અને તેમના ભાવ દર મહિને સામાન્ય વધારો કરવાની પરવાનગી છે . આઇઓસીના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તાજેતરના વધારા બાદ પણ પ્રતિ લીટર ડીઝલ પર 9.99 રૂપિયાનું નુકસાન છે . વધારા બાદ મુંબઇમાં ડીઝલના ભાવ 60.70 રૂપિયા અને ચેન્નઇમાં 57.23 રૂપિયા થઇ ગયા છે . જાન્યુઆરી બાદ ડીઝલના ભાવમાં આ 11મી વખત વધારો કરવામાં આવ્યો છે . સામાન્ય રીતે કંપનીઓ દર મહિને પહેલી અને 16 તારીખે કિંમતમાં સુધારો કરે છે . એક નવેમ્બરના રોજ પેટ્રોલના ભાવમાં 1.15 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો . ઓઇલ કંપનીઓને ડીઝલ ઉપરાંત પ્રતિ લીટર કેરોસીન પર 36.20 રૂપિયા અને રાંધણગેસ પર 542.50 રૂપિયાનું નુકસાન થઇ રહ્યું છે . કંપની દ્વારા કહેવામાં આવ્યું છે કે રૂપિયાના ભાવમાં ઘટાડાના લીધે નવેમ્બરની શરૂઆતની તુલનામાં તેમનું નુકસાન વધી ગયું છે ." business,"જિયો લૉન્ચ થતાની સાથે જ ટેલિકોમ સેક્ટરમાં ખળભળાટ મચી ગયો હતો . હરીફાઈમાં ટકી રહેવા માટે ટેલિકોમ કંપનીઓ વારંવાર લોભામણી ઑફર્સ લૉન્ચ કરી રહી છે . તો હવે જિયો ફરી વખત ગ્રાહકોને મોજ કરાવવા આવી રહી છે . રિલાયન્સ જિયો તરફથી તમને બે મહિના માટે બિલકુલ ફ્રી ડેટા મળી રહ્યા છે . જો તમે જિયોના ગ્રાહક છો અને તમારી પાસે ICICIનું ક્રેડિટ કાર્ડ છે તો તમે બે મહિના સુધી ફ્રી ડેટાનો લાભ ઉઠાવી શકો છો . એટલે કે આ ઑફર ખાસ કરીને આઈસીઆઈસીઆઈના ક્રેડિટ કાર્ડ ધારકો માટે છે . તમને જણાવી દઈએ કે કેટલાક દિવસ પહેલા જ જિયોએ SBI સાથે ભાગીદારી કરી હતી , અને હવે ICICI બેંક સાથે ભાગીદારી કરી છે . તો અહીં વિસ્તૃતમાં જાણો આ વિશે . ." entertainment,અહીં વાત થઇ રહી છે સુપરસ્ટાર રિતિક રોશન વિશે . તેમની આવનારી ફિલ્મ કાબિલ 26 જાન્યુઆરી 2017 રિલીઝ થવાની છે . ફિલ્મનું ટ્રેલર રિલીઝ થવાનું છે . પરંતુ ફિલ્મ કાબિલનું હિટ થવું રિતિક રોશન માટે ખુબ જ જરૂરી માનવામાં આવે છે . લગભગ 2 વર્ષના ગેપ પછી રિતિક રોશનની ફિલ્મ મોહેંજોદરો રિલીઝ થયી . પરંતુ ફિલ્મને દર્શકોએ નકારી નાખી . રિતિક રોશનની ફિલ્મ મોહેંજોદરો બોક્સઓફિસ પર ઊંધા માથે પટકાઈ હતી . ત્યાં જ યશરાજ ફિલ્મ્સની ઠગ ઓફ હિન્દુસ્તાન પણ રિતિક રોશનના હાથથી નીકળી ગયી અને આમિર ખાનને મળી ચુકી છે . ક્યાંક ને ક્યાંક રિતિકને પોતાની સ્ટારડમ કાયમ રાખવા માટે કાબિલને બોક્સઓફિસ પર હિટ કરાવવું ખુબ જ જરૂરી છે . sports,"વિવાદિત નિવેદનો માટે ચર્ચિત મહિલા લેખક શોભા ડે ફરી એકવાર ટવિટ કરીને વિવાદો સાથે જોડાઈ ગયી છે . થોડા દિવસ પહેલા જ રિયો ઓલિમ્પિકમાં ભારતીય ખેલાડીઓ માટે આપત્તીજનક ટવિટ કર્યા બાદ હવે તેને ક્રિકેટના ભગવાન એવા સચિન તેંડુલકર પર નિશાનો લગાવ્યો છે . શોભા ડે એ 28 ઓગસ્ટે સચિન તેંડુલકરને સવાલ કરતા ટવિટ કર્યું હતું . ખરેખરમાં સચિન તેંડુલકરે રિયો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ વિજેતા પીવી સિન્ધુ , કાંસ્ય પદક વિજેતા સાક્ષી મલિક , જિમ્નાસ્ટિક દીપા કરમાકર અને બેડમિંટન કોચ ગોપીચંદને BMW કાર ગિફ્ટમાં આપી હતી . શોભા ડે એ ટવિટ કરીને લખ્યું છે કે આ એક નાનો પરંતુ કષ્ટદાયક સવાલ છે કે સચિન તેંડુલકરે ખેલાડીઓને આપેલી ગાડીઓના પૈસા જાતે ચૂકવ્યા ? શોભા ડે આટલાથી ના રોકાઈ તેને પોતાની બીજી ટવિટમાં લખ્યું કે ગ્રેટ એડ ફોર બીએમડબ્લ્યૂ . આ મોંઘી ગાડીઓ ચલાવવા માટે કોણ પૈસા આપશે ? ક્યાંક એવું ના થાય કે ભારતીય ખેલાડીઓ માટે આ ગાડી સફેદ હાથી બનીને રહી જાય ." business,સ્વાત્ઝરલેન્ડની બેંકોમાં જમા ભારતના લોકોના કાળા નાણા ભારત પરત આવશે ત્યારે ભારતના ફોરેક્સ રિઝર્વ એટલે કે વિદેશી મુદ્રા ભંડારમાં 30 અબજ ડોલરનો વધારો થવાનો અંદાજ છે . આ અંદાજ બેંક ઓફ અમેરિકા મેરિલ લિંચ ( BOFA - ML ) ના રિપોર્ટમાં આપવામાં આવ્યો છે . કાયદાકીય બાબતોને જોતા તેના પર તાત્કાલિક ફોરેક્સ રિઝર્વ પર કોઇ અસર નહીં પડે . પરંતુ ભવિષ્યમાં તેમાંથી 30થી 35 અબજ ડોલરનો વિદેશી મુદ્રા ભંડાર મળી શકે છે . આ દરમિયાન ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટમાં આ કાળુ ધન જેમના નામે છે તેવા 300 લોકોની વિરુદ્ધ કેસની કાર્યવાહી શરૂ કરી શકે છે . આ 300 લોકોના ખાતા જિનિવાની એચએસબીસી બેંકમાં કથિત બ્લેક મની એકાઉન્ટ્સની તપાસના સિલસિલામાં બુધવારે સુપ્રીમ કોર્ટને આપવામાં આવ્યા હતા . અધિકારીઓએ જણાવ્યું કે ડિપોર્ટમેન્ટ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમને કહેવામાં આવ્યું છે કે તેઓ આ ઇન્કમ ટેક્સ એક્ટની બે કલમો અંતર્ગત તપાસ કરવાના પ્રથમ પગલાની છૂટ આપે . તેમણે કહ્યું કે તપાસ શરૂ કરવાની મંજુરી સેક્શન 277 ( વેરિફિકેશન દરમિયાન ખોટું નિવેદન આપવા ) અને 276 ડી ( દસ્તાવેજો ઉપલબ્ધ નહીં કરાવવા ) અંતર્ગત માંગવામાં આવી રહી છે . જેથી એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરેટ અને સીબીઆઇ જેવી અન્ય તપાસ એજન્સીઓ સાથે માહિતીનું આદાન પ્રદાન થઇ શકે . બીજી તરફ BOFA - ML દ્વારા એક રિસર્ચ સ્ટડીના આધારે દેશમાંથી અંદાજે 200 અબજ વિદેશી ડોલર બેંકમાં જમા થયા હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે . BOFA - MLના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આનાથી અડધા નાણા પણ જમા થયા હશે તો પણ ભારતને 30થી 35 અબજ ડોલરનું વિદેશી હુંડિયામણ મળી શકે છે . business,"ભારતનું આર્થિક સંકટના સપાટામાં આવી ગયું છે . અમેરિકન ડોલરની સરખામણીએ રૂપિયાના મૂલ્યમાં થયેલા ઘટાડાએ દેશની આર્થિક ગતિવિધીઓને ડામાડોળ બનાવી દીધી છે . દેશમાં પેટ્રોલિયમ પેદાશો અને સોનાની મોટા પાયે આયાતથી દેશની તિજોરી પર ભારે બોજ પડી રહ્યો છે . બીજી તરફ પેટ્રોલિયમ પદાર્થોની વધતી કિંમતથી દેશમાં મોંધવારી વધી રહી છે . આ વધારો સીરિયા સંકટને પગલે ઉભો થયો છે . ભારત જે આર્થિક કટોકટી અને પેટ્રોલિયમ પદાર્થોની મોંધવારીનો માર સહન કરી રહ્યું છે તેવી જ સમસ્યા વિશ્વના અન્ય રાષ્ટ્રોએ પણ ભોગવવી પડી શકે છે . સીરિયા સંકટ ફરી એકવાર વૈશ્વિક આર્થિક સંકટની ઘટડી વગાડી રહ્યું છે . આ સમગ્ર પરિસ્થિતિનો આધાર સીરિયા મુદ્દે અમેરિકાના વલણ પર આધાર રાખશે . સીરિયા નવા વૈશ્વિક સંકટનું કારણ કેવી રીતે બની શકે તે આવો જાણીએ . . . તેલની કિંમતો વધી સીરિયા પર અમેરિકાના સંભવિત હુમલાને જોતા દુનિયાભરના તેલ બજારોમાં તેલની કિંમતો વધવા લાગી છે . વર્તમાન સમયમાં તેલની કિંમતો છેલ્લા 4 મહિનામાં સૌથી વધારે ઊંચી છે . પાછલા બે જ દિવસમાં તેલની કિંમતોમાં 5 ટકા જેટલો વધારો થયો છે . એશિયાના તેલ બજારમાં તેલની કિંમતો 117 ડોલર પ્રતિ બેરલ પહોંચી ગઇ છે . આવનારા દિવસોમાં તેલની કિંમતોમાં હજી પણ વધારો થઇ શકે છે . જેના કારણે તેલની આયાત કરતા દેશોએ જરૂરિયાત પૂરી કરવા વધારે કિંમત ચૂકવવી પડશે જેની અસર દેશના અર્થતંત્ર પર પડશે . તેલની કિંમતે 150 ડોલર પ્રતિ બેરલ થઇ શકે તેલ કંપનીઓ અને વેપારીઓએ તેલની નવી કિંમતો નક્કી કરવા માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે . આ અંગે સોસાયટી જનરલના નિષ્ણાતોએ આગાહી કરી છે કે જો અમેરિકા પોતાની મિસાઇલોથી સીરિયા પર હુમલો કરશે તો તેલની કિંમતો 140થી 150 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી જશે . આવી સ્થિતિમાં ભારતની પેટ્રોલિયમ માંગ જોતા ઊંચી કિંમતે તેલની ખરીદી દેશની તિજોરીને ખાલી કરી દેશે . મધ્ય - પૂર્વના દેશો યુદ્ધમા્ જોડાય તો . . . સીરિયા અને અમેરિકાના યુદ્ધમાં જો મધ્ય - પૂર્વના તેલ ઉત્પાદક દેશો પણ આ યુદ્ધમાં જોડાશે તો સ્થિતિ વધારે ખરાબ બનશે . જેના કારણે તેલની કિંમતો 150 ડોલર પ્રતિ બેરલ કરતા પણ વધી જશે . આ યુદ્ધમાં સીરિયાનું મિત્ર ઇરાન જોડાશે તો ફારસની ખાડીમાં જલમરૂમધ્યના માર્ગે થતી તેલની આપૂર્તિમાં બાધા ઉભી થશે . આ માર્ગથી જ વિશ્વમાં તેલના પુરવઠાનો પાંચમો ભાગ પહોંચતો કરવામાં આવે છે . જેના કારણે ઇરાકથી તેલની નિકાસ મુશ્કેલીમાં પડશે . વિકાસશીલ અર્થવ્યવસ્થાઓને સૌથી વધારે નુકસાન આ યુદ્ધની સૌથી ખરાબ અસર વિશ્વની વિકાસશીલ અર્થવ્યવસ્થાઓ પર સૌથી વધારે પડશે . આવા અર્થતંત્રોમાં ચીન , ભારત , ઇન્ડોનેશિયા , થાઇલેન્ડ , તુર્કીનો સમાવેશ થાય છે . ભારત પોતાની પેટ્રોલિયમ જરૂરિયાતો માટે 80 ટકા પુરવઠો આયાત કરે છે . જેના કારણે તેના પર વધારે ગંભીર અસર પડી શકે છે . અમેરિકાને ફાયદો તેલની વધતી કિંમતોનો ફાયદો અમેરિકાને થઇ શકે છે . કારણ કે અમેરિકામાં સ્લેટ ટેકનોલોજીના ઉપયોગથી ઇંધણની ઘરેલુ કિંમતો વૈશ્વિક કિંમતોની તુલનામાં ઘણી ઓછી છે . આ કારણે અમેરિકા ચીન સાથે સ્પર્ધા કરી શકે છે . સીરિયા પર હુમલો કરીને અમેરિકા પોતાના ભૌગોલિક રાજકીય પ્રતિદ્વંદી ચીનની અર્થવ્યવસ્થા પર પ્રહાર કરવા માંગે છે , જેથી ચીન વિશ્વનું સૌથી મોટું અર્થતંત્ર બનવાની સ્પર્ધામાં પાછળ રહી જાય ." business,"નવી દિલ્હી , 8 ઓક્ટોબર : ઓનલાઇન શોપિંગ સાઇટ ફ્લિપકાર્ટ દ્વારા સોમવારે સવારે 8 વાગ્યાથી વિવિધ પ્રોડક્ટ્સ પર આપવામાં આવેલી ભારેખમ છૂટછાટને પગલે છુટક વેપારીઓએ આ અંગેની ફરિયાદ કરી છે કે ઓનલાઇન સાઇટ્સ તેમનો ધંધો છીનવી રહી છે . આ ફરિયાદ બાદ આજે બુધવારે સરકારે જણાવ્યું છે કે તે રિટેલ વેપારીઓ દ્વારા કરવામાં આવેલી ફરિયાદ અંગે ગંભીરતાથી વિચારશે અને એ પણ જોશે કે શું ઇ - કોમર્સના છુટક વેપાર અંગે વધારે સ્પષ્ટતા કરવાની જરૂર છે ? નોંધનીય છે કે ફ્લિપકાર્ટ તરફથી સોમવારે ' બિગ બિલિયન ડે ' સેલ દરમિયાન વિવિધ ઉત્પાદનો પર ભારે ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું હતું . આ કારણે નાના મોટા છુટક વેપારીઓએ ચિંતા વ્યક્ત કરી હતી કે આ પ્રકારના અભિયાનથી પરંપરાગત છુટક બજારને ખરાબ રીતે અસર થઇ રહી છે . આ અંગે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું છે કે અમને આ અંગે ઘણી ફરિયાદો મળી છે . અનેક લોકોએ આ અંગે ચિંતા વ્યક્ત કરી છે . અમે આ અંગે વિચાર કરીશું . આ ફરિયાદોને પગલે શું સરકાર ઇ - કોમર્સ રિટેલ ક્ષેત્ર માટે કોઇ ખાસ નીતિની રચના કરવા અંગે વિચારી રહી છે તેવા પ્રશ્નના જવાબમાં સીતારમણે જણાવ્યું કે અમે આ બાબતને જોઇ રહ્યા છીએ . આ અંગે અમને ઘણી ફરિયાદો મળી રહી છે . અમે આ મુદ્દાનો અભ્યાસ કરીશું . આ માટે કોઇ અલગ નીતિની જરૂર છે કે નહીં તે અંગે પણ વિચાર કરવામાં આવશે . નોંધનીય છે કે હાલના સમયમાં અનેક ઇ - કોમર્સ પોર્ટલ્સ પર ભારે ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે . ફ્લિપકાર્ટે એક નિવેદનમાં જણાવ્યું છે કે બિગ બિલિયન ડે ' સેલના દિવસે તેમની સાઇટ પર અંદાજે 15 લાખ લોકોએ ખરીદી કરી છે . આ કારણે તેણે માત્ર 10 કલાકમાં જ રૂપિયા 600 કરોડનો માલ વેચ્યો છે . આ પહેલા આ સપ્તાહમાં જ વેપારીઓના અગ્રણી સંગઠન કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ ( કેંટ ) દ્વારા વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રીને ઓનલાઇન વેપાર પર નજર રાખવા અને નિયંત્રણ રાખવા માટે પગલાં લેવાની માંગ કરી હતી ." entertainment,"બૉલીવુડના ટ્રેજેડી કિંગ દિલીપ કુમારે બુધવારે પોતાનો 91મો જન્મ દિવસ પોતાના નજીકના મિત્રો અને તબીબો સાથે ઉજવ્યો . તાજેતરમાં જ દિલીપ કુમાર સાથે ક્યારેય કામ ન કરી શકવા અંગે અફસોસ વ્યક્ત કરનાર આશા પારેખ , સલીમ ખાન અને હેલન પણ દિલીપના ઘરે હાજર રહ્યા હતાં , તો યુવા અભિનેત્રીઓમાં રાણી મુખર્જી પાર્ટીમાં પહોંચ્યા હતાં . દેવદાસ , મધુમતી તથા મુઘલ - એ - આઝમ જેવી ફિલ્મો માટે જાણીતા દિલીપ કુમાર તાજેતરમાં જ બીમાર પડી ગયા હતાં . ત્યારથી જ તેમની સેવા - સશ્રુષામાં 30થી 40 તબીબોની ટીમ લાગેલી છે અને આ તમામ તબીબો દિલીપના જન્મ દિવસની પાર્ટીમાં હાજર હતાં . દિલીપે પોતાના છ દાયકાના કૅરિયરમાં જ્વાર ભાટા , મેલા , નયા દૌર , તરાના , દેવદાસ , ગંગા જમુના , લીડર , મુઘલ - એ - આઝમ , શક્તિ , કર્મા , સૌદાગર જેવી ફિલ્મો આપી હતી . તેમની છેલ્લી ફિલ્મ કિલા 1998માં રિલીઝ થઈ હતી . દિલીપ કુમારે 1966માં તેમના કરતા વીસ વરસ નાના સહ - કલાકાર સાયરાબાનુ સાથે લગ્ન કર્યા હતાં . ચાલો તસવીરોમાં જોઇએ કોણ - કોણ પહોંચ્યું દિલીપ કુમારના જન્મ દિવસની પાર્ટીમાં :" entertainment,"સંજય લીલા ભાનુશાળીની ફિલ્મ રામલીલામાં રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે વચ્ચેનું હૉટ લિપલૉક સીન ચર્ચાના ચકડોળે ચઢ્યો છે . ફિલ્મના બે ગીતોએ તો મ્યુઝિક ચૅનલો ઉપર ધૂમ મચાવી છે અને ફિલ્મનું ત્રીજુ ગીત ટુંકમાં જ રિલીઝ થવાનું છે કે જે એક હોળી સૉંગ હશે . કહે છે કે આ ગીત બહુ કલરફુલ છે . ગીતના બોલ છે લહુ મુંહ લગ ગયા . . . કે જેમાં હોળીના રંગો સાથે બહુ મસ્તી હશે અને આ ગીતની ખાસ વાત છે ગીતનું કિસિંગ સીન . કહે છે કે ફિલ્મનું ત્રીજુ ગીત બહુ હૉટ છે , કારણ કે આ ગીતમાં રણવીર સિંહ તથા દીપિકા પાદુકોણે વચ્ચે એક હૉટ લિપલૉક સીન હશે . રામલીલાના આ હૉટ લિપલૉક સીને બૉલીવુડમાં અગાઉ પણ અપાયેલા આવા હૉટ લિપલૉક સીન્સની યાદ તાજી કરી દીધી છે . હવે જ્યારે વાત લિપલૉકની જ નિકળી છે , અમિતાભ બચ્ચનથી લઈ હૃતિક રોશન સુધી અનેક સ્ટાર્સ એવા છે કે જેમણે પડદા ઉપર હૉટ લિપલૉક સીન્સ કર્યાં છે . હૃતિક રોશન અને કૅટરીના કૈફે ઝિંદગી ના મિલેગી દોબારા ફિલ્મમાં લાંબુ ચુંબન દૃશ્ય આપ્યુ જ હતું . આ હરોળમાં તો ઇમરાન હાશમી , ઐશ્વર્યા રાય , શાહરુખ ખાન સહિત અનેક નામોનો સમાવેશ થાય છે કે જેમણે ઑનસ્ક્રીન લાંબુ લિપલૉક કર્યું છે . આવો આપને તસવીરો સાથે બતાવીએ વિગતો :" sports,"ગાલે , 9 ઑગસ્ટઃ શ્રીલંકન બેટ્સમેન કુમાર સંગાકારાએ શુક્રવારે ભારતના પૂર્વ સુકાની રાહુલ દ્રવિડના 36 ટેસ્ટ સદીના રેકોર્ડને તોડી નાંખ્યો છે અને કારકિર્દીની 37મી સદી ફટકારી છે . ડાબોડી બેટ્સમેન સંગાકારા વિશ્વ ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારનારો ચોથો ખેલાડી બની ગયો છે . 36 વર્ષિય શ્રીલંકન ખેલાડીએ તેની 127મી ટેસ્ટ મેચમાં પાકિસ્તાન સામેની ટેસ્ટમાં ત્રીજા દિવસે અણનમ 102 રન ફટકાર્યા હતા . નોંધનીય છેકે પાકિસ્તાન સામેની બે ટેસ્ટ મેચની શ્રેણી સંગાકારાના જૂના સાથી અને શ્રીલંકાના પૂર્વ સુકાની મહિલા જયવર્દનેની છેલ્લી ટેસ્ટ શ્રેણી છે . તેમણે આ શ્રેણીની પહેલી ટેસ્ટ મેચમાં શતકીય ભાગીદારી નોંધાવી છે . ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ સદીની વાત કરવામાં આવે તો ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકરે સૌથી વધારે 51 સદી ફટકારી છે . તો ચાલો તસવીરો થકી વિશ્વ ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારનારા ટોપ પાંચ ખેલાડીઓ અંગે જાણીએ . માન્ચેસ્ટર ટેસ્ટઃ ધોનીએ પહેલા દિવસે કર્યો રેકોર્ડનો વરસાદ ટોપ 20 બેટ્સમેન , જેમણે ઘર આંગણે પણ કર્યો છે રનનો ખડકલો આ પણ વાંચોઃ - ઇંગ્લેન્ડે સારી બોલિંગ કરી છતાં અમે મેચમાં છીએઃ અશ્વિન" sports,"ક્રિકેટર હોય કે પછી કોઇ ખેલાડી તેનો પોતાના ખેલ પ્રત્યેનો જુસ્સો અને પ્રેમ એ વાતથી સાબિત થઇ જાય છેકે તે માત્ર એ ખેલને જ નહીં પરંતુ તેની સાથે જોડાયેલી દરેક વસ્તુઓને પ્રેમ કરવા લાગે છે . જમ્મુ કાશ્મિરથી ભારતીય ક્રિકેટમાં આવનાર પહેલો ક્રિકેટર પરવેજ રસૂલના બિજબેહડા નિવાસમાં જ્યારે પૂરનું પાણી ઘૂસી ગયુ હતુ તો તેની પહેલી પ્રતિક્રિયા પોતાની બે ક્રિકેટ કિટ બેગને કાઢવાની હતી . કિટને બહાર કાઢવા માટે તે જીવના જોખમે ડોક સમા પાણીમાં જતો રહ્યો હતો . જમ્મુ કાશ્મીરના પૂરગ્રસ્ત અનંતનાગ જિલ્લાથી રસૂલે મીડિયા સાથે વાત ચીત કરતા જણાવ્યું કે , ‘છેલ્લા 11 દિવસથી મારો સમાજ સાથેનો સંપર્ક કટ થઇ ગયો હતો , કારણ કે કોઇપણ ફોન અથવા સેલફોન કાર કરી રહ્યો નહોતો . કોઇ ઇન્ટરનેટ કનેક્શન નહોતું . મારા અને મારા પરિવાર માટે આ લાચારી ભરી સ્થિતિ હતી . ગ્રાઉન્ડ ફ્લોરમાં પૂરનું પાણી આવી જતાં અમે પહેલા ફ્લોર પર રહી રહ્યાં હતા . રસૂલની કહાણી વાંચવા તસવીરો પર ક્લિક કરો ." entertainment,"સલમાન ખાનના ચિંકારા શિકાર મામલે એક નવો વળાંક આવી ગયો છે . 14 વર્ષ પહેલા ગાયબ થયેલો પ્રમુખ સાક્ષી હરીશ દુલાની જેઓ તે દિવસે જીપ ચલાવી રહ્યા હતા . તેઓ પાછા આવી ગયા છે . હરીશ દુલાનીએ સાફ સાફ શબ્દોમાં કહ્યું છે કે સલમાન ખાને જ હરણનો શિકાર કર્યો હતો . સલમાન ખાને જ કાળા હરણને માર્યું છે , મેં જાતે જોયું હતું . . . હરીશે આગળ જણાવ્યું કે 14 વર્ષથી તેઓ સંતાયા હતા , ગાયબ થઇ ગયા હતા કારણકે તેમના પિતાને પરેશાન કરવામાં આવતા હતા . રોજ તેમને ફોન પર ધમકીઓ આપવામાં આવતી હતી . આ બધાથી ગભરાઈને તેઓ જોધપુર છોડીને ચાલ્યા ગયા . ટાઈમ્સ નાવ સાથેને વાતચીતમાં તેમને બધી જ વાત જણાવી છે . તો જુઓ કેમ ગાયબ હતા મુખ્ય સાક્ષી હરીશ દુલાની . . ." entertainment,"કંગના રાણાવતે કહ્યું હતું ને કે રિબોક ના સહી તો રિબુકી સહી . બસ , કંઈક આવું જ ફીલ આવશે આપણે રિતેશ દેશમુખની ફિલ્મ બેન્જો જોઈને . પરંતુ ફિલ્મમાં રિતેશ દેશમુખની કોઈ જ ભૂલ નથી . બેન્જોમાં વધારે કઈ ખોટું નથી , ફિલ્મની સ્ટારકાસ્ટ સિવાય . હવે આવીએ છે ફિલ્મના ડાયરેક્ટર પર , રવિ જાધવ મરાઠી ફિલ્મોના ખુબ જ સારા ડાયરેક્ટર માનવામાં આવે છે . પરંતુ આજ બોલિવૂડની ખાસિયત છે કે કોઈ એક સિનેમાના સગા નથી બની શકતા . એટલા માટે અહીં ફિલ્મની વાર્તા દર્શકોના હિસાબથી બદલવામાં આવે છે . પ્લોટ બેન્જો ફિલ્મ મુંબઈના એક લોકલ બેન્ડની કહાની છે . જે ક્યારેક ક્યારેક મોહોત્સવમાં જઈને પોતાની કલા બતાવે છે . પરંતુ તેમને લાગે છે કે તેમની આ કલાથી તેઓ પોતાનું ભવિષ્ય બનાવી શકે છે . તેમને આ વાતનો ભરોષો આપવે છે નરગીસ ફખરી જે વિદેશથી આવી છે . ડાયરેક્શન રવિ જાધવ ભલે ખુબ જ સારા ડાયરેક્શન છે . પરંતુ બેન્જોને તેમને એક્શન અને કોમેડીથી ભરપૂર પંચલાઈન નાખીને પુરી મસાલા ફિલ્મ બનાવવાની કોશિશ કરી . જેમાં તેમનો મુદ્દો જ ખોવાઈ ગયો ડૂબતી લોકકલા . અભિનય રિતેશ દેશમુખે પુરી કોશિશ કરી છે કે તેઓ પોતાની ભૂમિકા સાથે પૂરતો ન્યાય કરે . પરંતુ તેઓ પણ કન્ફુયુઝ નજર આવી રહ્યા છે . ક્યાંક એક્શન , કોમેડી અને રોમાન્સમાં તેમનું ફોકસ ચાલ્યું ગયું છે . નરગીસ ફખરીએ અત્યાર સુધીમાં કઈ ખાસ કર્યું નથી અને આ ફિલ્મમાં પણ તે જ કરી રહી છે . આમ જોવા જઈએ તો ડાન્સ તેને ઠીક ઠાક કર્યો છે પરંતુ ફિલ્મમાં તે તમને બોર કરી દેશે . ફિલ્મની સપોર્ટિંગ કાસ્ટ ઠીક ઠાક છે . ડાન્સ માસ્ટર ધર્મેશમાં સારું ટેલેન્ટ છે અને અહીં પણ તેઓ તેને બતાવી રહ્યા છે . નેગેટિવ પક્ષ રવિ જાધવની સૌથી મોટી ખામી છે ફિલ્મની સ્ટારકાસ્ટ . જે ફિલ્મમાં સેટ નથી થતી . એક રોકબેન્ડ માં રિતેશ દેશમુખ ક્યાંય પણ ફિટ નથી થતા . ફિલ્મની કહાની ખુબ જ નોર્મલ છે . મજબૂત પક્ષ ફિલ્મનો મજબૂત પક્ષ છે ફિલ્મનું મ્યુઝિક . વિશાલ શેખરે ફિલ્મના મ્યુઝિક પર ખુબ જ મહેનત કરી છે અને તેમની મહેનત દેખાઈ પણ રહી છે . પરંતુ ફિલ્મની સાથે મ્યુઝિક પણ ઇગ્નોર થઇ જશે ." sports,"ક્રિકેટ વિશ્વમાં ભારત વિ . પાકિસ્તાન મેચ હંમેશા સૌથી મહત્વપૂર્ણ બની રહે છે , પછી ભલે એ પુરૂષ ટીમ હોય કે મહિલા ટીમ . ઇંગ્લેન્ડમાં હાલ આઇસીસી મહિલા વિશ્વ કપ 2017 રમાઇ રહ્યું છે , જેમાં રવિવારે 2 જુલાઇના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે ડર્બીમાં મેચ રમાઇ હતી . આઇસીસી વિશ્વ કપમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમ શાનદાર ફોર્મમાં જોવા મળી છે . પાકિસ્તાન સામેની મેચમાં ભારતીય ટીમનો જાદુ ઓસરતો જોવા મળ્યો હતો . જો કે , આખરે પાકિસ્તાનને 95 રનથી હરાવી ભારતીય મહિલા ટીમે આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીનો બદલો લઇ લીધો હતો . મેચ અપડેટ ભારતની ટીમે 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવી 169 રન ફટકાર્યા હતા . ભારતીય કપ્તાન મિતાલી રાજે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો . ભારતીય ટીમમાં એક પરિવર્તન , શિખા પાંડેની જગ્યા લીધી માનસી જોશીએ લીધી હતી . 7 રન બાદ ભારતની પહેલી વિકેટ સ્મૃતિ મંધાનાના રૂપમાં પડી હતી . મહિલા ક્રિકેટ ટીમની ' વિરાટ કોહલી ' કહેવાતી સ્મૃતિની હાર બાદ 50 રન સુધી બારતે સ્થિર બેટિંગ કરી સ્કોર 60ની પાર પહોંચાજ્યા હતો . 74 સ્કોર પર ભારતની 2જી વિકેટમાં પૂનમ રાઉત પોતાની અર્ધસદી અધૂરી મુકી આઉટ થઇ . ત્યાર બાદ ત્રીજો ઝાટકો કપ્તાન મિતાલી રાજના રૂપમાં મળ્યો , જે પછી ભારતની સ્થિતિ કથળતી લાગી . 93ના સ્કોર પર ભારતીય કપ્તાન આઉટ થયા બાદ તરત જ દીપ્તિ શર્મા પણ આઉટ થઇ . ત્યાર બાદ 107ના સ્કોર પર હરમનપ્રીત આઉટ થતાં અડધી ભારતીય ટીમ પેવેલિયન પર ફરી ગઇ હતી . પાકિસ્તાની બેટ્સમેન પણ ભારતીય બોલરો સામે ઝાઝું ટકી નહોતા શક્યા . 16 ઓવર બાદ પાકિસ્તાની ટીમ 6 વિકેટ ગુમાવી માત્ર 29 રન બનાવી શકી હતી . હાલની પરિસ્થિતિમાં પાકિસ્તાન સામે ભારતની જીતવાની તક ઘણી વધારે છે . આશા રાખીએ કે , આઇસીસી વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે કદી ન હારવાનો રેકોર્ડ ભારતીય મહિલા ટકાવી રાખે . સ્કોર 59 પર પહોંચતા - પહોંચતા પાકિસ્તાનની ટીમ 9 વિકેટ ગુમાવી બેઠી . આખરે 74 રન કરી પાકિસ્તાનની ટીમ ઓલ આઉટ થઇ ગઇ . ભારતની એક્તા બિષ્ટે સૌથી વધુ 5 વિકેટ લીધી અને માનસી જોશીએ 2 વિકેટ લીધી . ભારતીય ટીમ ( પ્લેયિંગ ઇલેવન ) : પૂનમ રાઉત , સ્મૃતિ મંધાના , મિતાલી રાજ ( કપ્તાન ) , હરમનપ્રીત કૌર , દીપ્તી શર્મા , મોના મેશ્રામ , શિખા પાંડે , ઝૂલન ગોસ્વામી , એક્તા બિષ્ટ , સુષમા વર્મા ( વિકેટ કીપર ) , પૂનમ યાદવ પાકિસ્તાની ટીમ ( પ્લેયિંગ ઇલેવન ) : આયશા ઝફર , નાહિદા ખાન , જવેરિયા ખાન , ઇમર જાવેદ , નૈન અબીદી , અસમાવીયા ઇકબાલ , સિડા નવાઝ ( વિકેટ કીપર ) , સના મીર ( કપ્તાન ) , નૈશ્રા સંધૂ , ડાયના બેગ , સૈદા યૂસુફ ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ખાસ વાતોઃ" sports,"ભારત અને શ્રીલંકા વચ્ચેની 3 ટેસ્ટ મેચ સીરિઝની બીજી મેચ કોલંબો ખાતે રમાઇ રહી છે , આ મેચનો આજે એટલે કે શુક્રવારે બીજો દિવસ છે . પહેલી ટેસ્ટ મેચમાં ભારત 304 રનના અંતરથી જીત્યું હતું , આ સીરિઝમાં ભરત 1 - 0થી આગળ છે . કપ્તાન વિરાટ કોહલીની સેના બીજી ટેસ્ટ મેચ પણ જીતી ટેસ્ટ સીરિઝ પર કબજો કરવા મેદાનમાં ઉતરી છે . બીજી ટેસ્ટ મેચના પહેલા દિવસે ભારતે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો , ભારતે 3 વિકેટના નુકસાન સાથે 344 રન બનાવ્યા હતા . ભારતીય ખેલાડીઓ ચેતેશ્વર પૂજારા અને કે . એલ . રાહુલે શાનદાર રમતનું પ્રદર્શન કરતાં કેટલાક રેકોર્ડ પણ બનાવ્યા હતા . સ્કોર અપડેટ્સઃ શ્રીલંકાનો દાંવઃ ભારતની પહેલી ઇનિંગમાં સ્કોર 622/9 ભારતીય ટીમ ( પ્લેઇંગ ઇલેવન ) : શિખર ધવન , કે . એલ . રાહુલ , ચેતેશ્વર પૂજારા , વિરાટ કોહલી ( કપ્તાન ) , અજિંક્ય રહાણે , હાર્દિક પંડ્યા , રિદ્ધિમાન સાહા , ( વિકેટ કીપર ) , રવિચંદ્રન અશ્વિન , રવીન્દ્ર જાડેજા , ઉમેશ યાદવ , મહમ્મદ શમી શ્રીલંકા ટીમ ( પ્લેઇંગ ઇલેવન ) : દિમૂથ કરુણારત્ને , ઉપુલ થરંગા , કુસલ મેંડિસ , ધનંજય ડીસિલ્વા , દિનેશ ચાંડીમલ ( કપ્તાન ) , એન્જેલો મેથ્યૂઝ , નિરોશન ડિક્વેલા ( વિકેટ કીપર ) , રંગના હેરાથ , દિલરુવાન પરેરા , મલિંડા પુષ્પાકુમારા , નુવાન પ્રદીપ" sports,"ભારતે ઇંગ્લેન્ડની ધરતી પર 24 વર્ષ બાદ શ્રેણી વિજય નોંધાવ્યો છે . આ પહેલા 1990માં મોહમ્મદ અઝહરુદ્દીનના નેતૃત્વ હેઠળ ભારતે 2 - 0થી શ્રેણી જીતી હતી . આજે ધોનીના નેતૃત્વ હેઠળ ભારતે 3 - 0થી શ્રેણી જીતીને સાબિત કરી દીધું છેકે વનડે ક્રિકેટમાં ભારત બાદશાહ છે . આ સાથે જ મહેન્દ્ર સિંહ ધોનીએ પણ એક રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે , તે 91 વનડે મેચોમાં વિજય સાથે ભારતનો સૌથી સફળ સુકાની બની ગયો છે . બર્મિંઘમ ખાતે રમાયેલી મેચમાં બોલર્સના શ્રેષ્ઠ પ્રદર્શન બાદ જો કોઇ બાબત સૌથી મહત્વપૂર્ણ સાબિત થઇ હોય તો એ છે અજિંક્ય રહાણે અને શિખર ધવનની 183 રનની ભાગીદારી . આ જોડીએ ફરી એકવાર સાબિત કરી દીધું છેકે મેચ જીતવા માટે ઓપનિંગ જોડીએ સારી ભાગીદારી નોંધાવવી જરૂરી છે . ભાગીદારીની વાત કરવામાં આવે તો , ભારતના વનડે ક્રિકેટ ઇતિહાસમાં સચિન તેડુંલકર અને સૌરવ ગાંગુલીની જોડી જેવી જોડી હજુ સુધી બની નથી . આ બન્ને જોડીએ અનેક વખત 100 કરતા વધારે રનની ભાગીદારી નોંધાવી છે . તો ચાલો તસવીરો થકી ભારતની ટોપ 10 સૌથી દમદાર ભાગીદારી પર નજર ફેરવીએ . pagespeed . lazyLoadImages . overrideAttributeFunctions ( ) ; function googleAnalyticsCodeCommon ( ) { var main _ url = $ ( ' link [ rel = "" canonical "" ] ' ) . attr ( "" href "" ) ; var url = document . location . href ; var pattern = ' https : / / ' + window . location . hostname ; url = url . replace ( pattern , "" "" ) ; var title = document . title ; ga ( "" oneindiagu . send "" , { hitType : "" pageview "" , page : url , location : main _ url } ) ; ga ( "" rosoneindia . send "" , { hitType : "" pageview "" , page : url , location : main _ url } ) ; ga ( "" dhoneindia . send "" , { hitType : "" pageview "" , page : url , location : main _ url } ) ; url = document . location . href ; var jcode = ' var _ comscore = _ comscore | | [ ] ; var comscoreParams = { c1 : "" 2 "" , c2 : "" 7732551 "" , c3 : "" "" , c4 : "" ' + url + ' "" , c5 : "" "" , c6 : "" "" , c15 : "" "" } ; _ comscore . push ( comscoreParams ) ; var s = document . createElement ( "" script "" ) , el = document . getElementsByTagName ( "" script "" ) [ 0 ] ; s . async = true ; s . src = ( document . location . protocol = = "" https : "" ? "" https : / / sb "" : "" http : / / b "" ) + "" . scorecardresearch . com / beacon . js "" ; el . parentNode . insertBefore ( s , el ) ; ' ; setTimeout ( jcode , 500 ) ; var _ qevents = _ qevents | | [ ] ; ( function ( ) { var elem = document . createElement ( ' script ' ) ; elem . src = ( document . location . protocol = = "" https : "" ? "" https : / / secure "" : "" http : / / edge "" ) + "" . quantserve . com / quant . js "" ; elem . async = true ; elem . type = "" text / javascript "" ; var scpt = document . getElementsByTagName ( ' script ' ) [ 0 ] ; scpt . parentNode . insertBefore ( elem , scpt ) ; } ) ( ) ; _ qevents . push ( { qacct : "" p - yjta2aSVPaHEL "" } ) ; window . google _ analytics _ uacct = "" UA - 110466 - 73 "" ; } આ પણ વાંચોઃ - તમે જ નક્કી કરોઃ કોણ શ્રેષ્ઠ સુકાની , ધોની કે ગાંગુલી ? ચોથી વનડેઃ ભારત સામે 207 રનનો લક્ષ્યાંક આ પણ વાંચોઃ - વનડે સ્પેશિઅલિસ્ટ ક્લબમાં સુરેશ રૈનાની એન્ટ્રી pagespeed . lazyLoadImages . overrideAttributeFunctions ( ) ;" sports,"આજે ટીમ ઇન્ડિયાના ખરાબ પ્રદર્શન માટે ટીમના પૂર્વ દિગ્ગજ ખેલાડીઓથી માંડીને ક્રિકેટ ચાહકો પણ તેની આકરી ટીકા કરી રહ્યાં છે , ખાસ કરીને વિરાટ કોહલીના ખરાબ પ્રદર્શનની . જોકે વિરાટ કોહલી પાસેથી દેશને ઘણી આશા છે અને સ્વાભાવિક પણે આશા હોય ત્યાં નારાજગી પણ રહેવાની જ . અમે અહીં એવી જ એક મેચની વાત કરી રહ્યાં છીએ જેમાં સુનિલ ગાવસ્કર દ્વારા કરવામાં આવેલા બેટિંગને કોઇપણ ક્રિકેટ ચાહક યાદ રખવા માગતો નહીં હોય . ટીમ ઇન્ડિયાના પૂર્વ ખેલાડી સુનિલ ગાવસ્કરને ટીમની ઓપનિંગનની મુખ્ય કડી તરીકે જોવામાં આવતા હતા . પોતાની કારકિર્દી દરમિયાન તેમના નામે સૌથી વધારે ટેસ્ટ રન અને સદીનો રેકોર્ડ ક્યારેક તેમના નામે હતો . એટલું જ નહીં પરંતુ તેમણે અનેક વખત પોતાની બેટિંગથી ભારતને શાનદાર જીત અપાવી હતી . પરંતુ એક મેચ એવી છે , જેમાં તેઓ પોતાની પ્રતિભાનુસાર બેટિંગ નહોતા કરી શક્યા . અમે વાત કરી રહ્યાં છીએ 1975માં રમાયેલા વિશ્વકપની . આ અંગે વધુ વાંચવા માટે તસવીરો પર ક્લિક કરો . pagespeed . lazyLoadImages . overrideAttributeFunctions ( ) ; આ પણ વાંચોઃ - ઇંગ્લેન્ડમાં રૈનાને મદદરૂપ થશે સચિને આપેલી ટિપ્સ ? ટીમના બોસ કોણ ? છેડાયો વિવાદ , ધોની - bcci આમને - સામને આ પણ વાંચોઃ - ક્રિકેટ જગતનો અનોખો રેકોર્ડઃ એક ખેલાડીએ લીધી છે 4202 વિકેટ pagespeed . lazyLoadImages . overrideAttributeFunctions ( ) ; function googleAnalyticsCodeCommon ( ) { var main _ url = $ ( ' link [ rel = "" canonical "" ] ' ) . attr ( "" href "" ) ; var url = document . location . href ; var pattern = ' https : / / ' + window . location . hostname ; url = url . replace ( pattern , "" "" ) ; var title = document . title ; ga ( "" oneindiagu . send "" , { hitType : "" pageview "" , page : url , location : main _ url } ) ; ga ( "" rosoneindia . send "" , { hitType : "" pageview "" , page : url , location : main _ url } ) ; ga ( "" dhoneindia . send "" , { hitType : "" pageview "" , page : url , location : main _ url } ) ; url = document . location . href ; var jcode = ' var _ comscore = _ comscore | | [ ] ; var comscoreParams = { c1 : "" 2 "" , c2 : "" 7732551 "" , c3 : "" "" , c4 : "" ' + url + ' "" , c5 : "" "" , c6 : "" "" , c15 : "" "" } ; _ comscore . push ( comscoreParams ) ; var s = document . createElement ( "" script "" ) , el = document . getElementsByTagName ( "" script "" ) [ 0 ] ; s . async = true ; s . src = ( document . location . protocol = = "" https : "" ? "" https : / / sb "" : "" http : / / b "" ) + "" . scorecardresearch . com / beacon . js "" ; el . parentNode . insertBefore ( s , el ) ; ' ; setTimeout ( jcode , 500 ) ; var _ qevents = _ qevents | | [ ] ; ( function ( ) { var elem = document . createElement ( ' script ' ) ; elem . src = ( document . location . protocol = = "" https : "" ? "" https : / / secure "" : "" http : / / edge "" ) + "" . quantserve . com / quant . js "" ; elem . async = true ; elem . type = "" text / javascript "" ; var scpt = document . getElementsByTagName ( ' script ' ) [ 0 ] ; scpt . parentNode . insertBefore ( elem , scpt ) ; } ) ( ) ; _ qevents . push ( { qacct : "" p - yjta2aSVPaHEL "" } ) ; window . google _ analytics _ uacct = "" UA - 110466 - 73 "" ; }" business,"સોનામાં આ અઠવાડિયાની શરૂઆતથી જ ઘટાડાનું વલણ બનેલું રહ્યું છે અને આ 30,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામથી નીચે હતો . જો કે શનિવારે આ 1,250 રૂપિયાના રેકોર્ડ બ્રેક ધટાડાની સાથે 28,350 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તર પર આવી ગયો છે . આ પહેલાં સોનાએ આ લોઅર લેવલ ગત વર્ષે સાત એપ્રિલના રોજ જોવા મળ્યો હતો . તો બીજી તરફ ગ્લોબલ માર્કેટમાં સોનાના ભાવ 84 ડોલરના ઘટાડા સાથે 1,477 ડોલર પ્રતિ ઔંસ રહ્યો છે . ઓલ ઇન્ડિયા શરાફા બજારના વાઇસ પ્રેસિડેન્ટ સુરેન્દ્ર જૈને કહ્યું હતું કે એક દિવસમાં સોનાના ભાવમાં આ સૌથી મોટો ઘટાડો છે . ભવિષ્યમાં માર્કેટમાં વેચાણને જોતાં આગામી દિવસોમાં સોનાના ભાવમાં ઘટાડાનો ભાવ યથાવત રહી શકે છે . તેમને કહ્યું હતું કે સોનાના ભાવમાં આ ઘટાડાના કારણે ફ્યૂચર માર્કેટ ટ્રેડ જ છે . બજારમાં સોનાની વાસ્તવિક ખરીદી ન બરાબર છે . માર્કેટ એક્સપર્ટ્સનું કહેવું છે કે નવરાત્રિમાં સોનાની ખરીદીને શુભ માનવામાં આવે છે . તેમછતાં રિટેલ બિઝનેસમાં નરમાઇ આવવાની આશંકા હોવાથી ખરીદીમાં રસ ધરાવતા નથી . આ દરમિયાન સટોડિયા સતત વેચાણથી મલ્ટી કમોડિટી એક્સચેંજમાં વાયદા બજારમાં સોનું 28,000 રૂપિયાથી નીચે જતું રહ્યું છે . ચાંદીના ભાવ પણ 2,500 રૂપિયાના ઘટાડા સાથે 50,100 રૂપિયા પ્રતિ કિલો છે . ઔદ્યોગિક એકમો તથા સિક્કા બનાવનાર એકમો તરફથી માંગમાં ઘટાડો થતાં ચાંદીમાં નરમાઇ રહી છે . ઘરેલું બજારમાં 99.9 તથા 99.5 ટકા શુદ્ધ સોનાનો ભાવ 1,250 રૂપિયાથી ઘટીને 28,350 તથા 28,150 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઇ ગયો છે . સિક્કાનો ભાવ પણ 300 રૂપિયા ઘટીને 24,800 રૂપિયા પ્રતિ ( 8 ગ્રામ ) થઇ ગયો છે . આ પ્રમાણે તૈયાર ચાંદીનો ભાવ 2,500 રૂપિયાના ઘટાડા સાથે 50,100 રૂપિયા પ્રતિ કિલો રહ્યો હતો અને સાપ્તાહિક ડિલિવરી ચાંદીનો ભાવ 2,745 રૂપિયા ઘટીને 48,780 રૂપિયા પ્રતિ કિલો રહ્યો હતો ." sports,"ક્રિકેટ જગતમાં અનેક એવી નાની બાબતો હોય છે , જે એક ક્રિકેટરને અન્ય કરતા વધારે ચઢિયાતો અને પ્રતિભાશાળી બનાવી દે છે . કેટલાક ખેલાડીઓ દ્વારા સદી અને અડધી સદી મોટી માત્રામાં મારીને પોતાની પ્રતિભા દર્શાવી હોય છે , તો કેટલાક ખેલાડી રન બનાવવાના મામલે અન્ય કરતા ચઢિયાતા હોય છે . કેટલાક ખેલાડી ફિલ્ડિંગ માટે જાણીતા હોય છે , તો કેટલાક વિસ્ફોટક બેટિંગ કરવા માટે જાણીતા હોય છે . આ જ રીતે વિશ્વ ક્રિકેટમાં કેટલાક એવા ખેલાડીઓ છેકે જે પોતાની શાનદાર સ્ટ્રાઇક રેટ માટે વિશ્વભરમાં નામના મેળવવામાં સફળ રહ્યાં છે , જેમાં શાહિદ આફ્રિદી , વિરેન્દ્ર સેહવાગ અને યુવરાજ સિંહ જેવા ખેલાડીઓનો સમાવેશ થાય છે . આજે અમે અહીં ટી20 , વનડે અને ટેસ્ટ ક્રિકેટમાં સારી સ્ટ્રાઇક રેટ ધરાવતા ખેલાડીઓ અંગે આછેરી માહિતી આપી રહ્યાં છીએ , તો ચાલો તસવીરો થકી જાણીએ કે આ યાદીમાં કયા કયા ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે . pagespeed . lazyLoadImages . overrideAttributeFunctions ( ) ; function googleAnalyticsCodeCommon ( ) { var main _ url = $ ( ' link [ rel = "" canonical "" ] ' ) . attr ( "" href "" ) ; var url = document . location . href ; var pattern = ' https : / / ' + window . location . hostname ; url = url . replace ( pattern , "" "" ) ; var title = document . title ; ga ( "" oneindiagu . send "" , { hitType : "" pageview "" , page : url , location : main _ url } ) ; ga ( "" rosoneindia . send "" , { hitType : "" pageview "" , page : url , location : main _ url } ) ; ga ( "" dhoneindia . send "" , { hitType : "" pageview "" , page : url , location : main _ url } ) ; url = document . location . href ; var jcode = ' var _ comscore = _ comscore | | [ ] ; var comscoreParams = { c1 : "" 2 "" , c2 : "" 7732551 "" , c3 : "" "" , c4 : "" ' + url + ' "" , c5 : "" "" , c6 : "" "" , c15 : "" "" } ; _ comscore . push ( comscoreParams ) ; var s = document . createElement ( "" script "" ) , el = document . getElementsByTagName ( "" script "" ) [ 0 ] ; s . async = true ; s . src = ( document . location . protocol = = "" https : "" ? "" https : / / sb "" : "" http : / / b "" ) + "" . scorecardresearch . com / beacon . js "" ; el . parentNode . insertBefore ( s , el ) ; ' ; setTimeout ( jcode , 500 ) ; var _ qevents = _ qevents | | [ ] ; ( function ( ) { var elem = document . createElement ( ' script ' ) ; elem . src = ( document . location . protocol = = "" https : "" ? "" https : / / secure "" : "" http : / / edge "" ) + "" . quantserve . com / quant . js "" ; elem . async = true ; elem . type = "" text / javascript "" ; var scpt = document . getElementsByTagName ( ' script ' ) [ 0 ] ; scpt . parentNode . insertBefore ( elem , scpt ) ; } ) ( ) ; _ qevents . push ( { qacct : "" p - yjta2aSVPaHEL "" } ) ; window . google _ analytics _ uacct = "" UA - 110466 - 73 "" ; } આ પણ વાંચોઃ - ટી20માં સૌથી વધુ રન બનાવનાર ટોપ ટેન ભારતીય ધોનીએ સ્વીકારી જવાબદારી કહ્યું , ‘હાર માટે હું જવાબદાર ' આ પણ વાંચોઃ - ડુ પ્લેસિસે તોડ્યો સચિનનો 17 વર્ષ જૂનો રેકોર્ડ pagespeed . lazyLoadImages . overrideAttributeFunctions ( ) ;" business,"જિયોના કોલ ડ્રોપના વિવાદ વચ્ચે આઈડિયાએ એક અગત્યની જાહેરાત કરી છે . જેનાથી રિલાયન્સ જિયો અને આઈડિયાના કોલર્સને ફાયદો મળશે . રિલાયન્સ જિયોનું કેનેક્શન લઈને ફસાઈ તો નથી ગયા ને તમે ? છેલ્લા ઘણા સમયથી ટેલિકોમ કંપનીઓ વચ્ચે પોઇન્ટ ઓફ ઇન્ટરકનેક્સશનને લઈને વિવાદ ચાલી રહ્યો હતો . ટેલિકોમ ઑર્થોરિટી ઓફ ઇન્ડિયા આખા વિવાદ પર નજર રાખી રહ્યો હતો . એવામાં આદિત્ય બિરલા સમૂહના આઈડિયા સેક્યુલરે રિલાયન્સ જિયોને 230 ટકા વધારે ઇન્ટરકનેક્સશન ક્ષમતા આપવાની હા પાડી દીધી છે . કોલ ડ્રોપ દૂર કરવા માટેનું પગલું આઈડિયાના હાલમાં આપેલા નિવેદન મુજબ જિયો અને આઈડિયા વચ્ચે હવે 2100 કરતા પણ વધારે પોર્ટ હશે . જેનાથી ભવિષ્યમાં રિલાયન્સ જિયોને વધારે ક્ષમતા મળશે . રિલાયન્સ આઈડિયાના આ પગલાંથી પણ ખુશ નથી . કારણકે આઈડિયા અને જિયો સાથે જોડાયેલા લગભગ 4 કરોડ લોકોની કોલ ડ્રોપ થવાની ફરિયાદ છે . રિલાયન્સ જિયો લોન્ચ થવાની સાથે જ બીજી ટેલિકોમ કંપનીઓની ઊંગ ઉડી ગયી છે . રિલાયન્સ જિયોનો મુકાબલો કરવા માટે તેમને હવે બીજો રસ્તો અપનાવ્યો છે . બીજી કંપનીઓ રિલાયન્સ જિયો નેટવર્કની કોલ પોતાના નેટવર્ક પર કનેક્ટ કરવા માટે વધારે પૈસાની માંગ કરી રહી છે . નિયમ મુજબ ઇન્ટરકનેક્ટ યુઝર ચાર્જ 14 પૈસા પ્રતિમિનિટ છે . કંપનીઓએ વધારે પૈસાની માંગ ત્યારે કરી જયારે રિલાયન્સ જિયોએ આરોપ લગાવ્યો કે જિયો નેટવર્કની કોલ બીજા નેટવર્ક પર કનેક્ટ નથી થઇ રહી . રિલાયન્સ જિયોએ બીજી કંપનીઓ પર ટેલિકોમ લાઇસન્સની શરતોનું પાલન ના કરવાનો પણ આરોપ લગાવ્યો છે . રિલાયન્સ જિયોની પ્રતિસ્પર્ધી કંપનીએ બેઠક બોલાવી અને તેમાં પોતાની માંગ રજુ કરી . મળતી માહિતી મુજબ બીજા ટેલિકોમ ઓપેરટરે કહ્યું કે રિલાયન્સ જિયોના કારણે આઉટગોઈંગ કોલ્સનો ફલૉ વધી રહ્યો છે . જેના કારણે તેમના નેટવર્કમાં મુશ્કિલો આવી રહી છે . તેના માટે વધારે પૈસા વધારવાની જરૂર છે . આપણે જણાવી દઈએ કે રેટ વધારવાનો અધિકાર ટ્રાઇ પાસે છે . આ સંબંધમાં સુજાવ પત્ર પણ સામે લાવવામાં આવ્યું છે . રિલાયન્સ જિયોને આઈડિયા સિવાય એરટેલ , વોડાફોન જેવા નેટવર્ક વચ્ચે રોજ લગભગ 12 કરોડ કોલ ડ્રોપ થવાની ફરિયાદ આવી રહી છે ." business,"ભારતીય સ્ટોક માર્કેટમાં છેલ્લા કેટલાક મહિનાઓમાં મિડ કેપ સ્ટોક્સનું પરફોર્મન્સ જોવામાં આવે તો કેટલાક મિડ કેપ શેર્સ એવા છે જે હજી પણ અંડરવેલ્યુ છે , એટલે કે તેમાં તેજીનો તણખો જોવા મળ્યો નથી . આવા સ્ટોક્સમાં આગામી સમયમાં સારું વળતર એટલે કે રિટર્ન આપવાની શક્યતા છે . આજે અહીં અમે આવા કેટલાક મિડ કેપ શેર્સની વાત કરવાના છીએ જેમને ખરીદીને એક વર્ષના ગાળા માટે રાખી મૂકવામાં આવશે તો આવતી દિવાળીમાં તે આપને સારા રિટર્નની ભેટ આપી શકે છે . પંજાબ એન્ડ સિંધ બેંક પંજાબ એન્ડ સિંધ બેંક દ્વારા રૂપિયા 113 - 120ના ભાવે આઇપીઓ બહાર પાડ્યાને અંદાજે ચાર વર્ષ થયા છે . આજે તેના શેર્સની કિંમત વર્ષ 2010માં આઇપીઓ બહાર પડ્યો તેનાથી લગભગ અડધી છે . એટલે કે તેનો શેર રૂપિયા 58ની આસપાસ ટ્રેડ થઇ રહ્યો છે . સ્ટોકની બુક વેલ્યુ માત્ર 0.47 છે . જ્યારે ડિવિડન્ડ યિલ્ડ 3.78 ટકા છે . આ શેર્સમાં નોનો પરફોર્મિંગ એસેટની સમસ્યા મુખ્ય છે . અર્થતંત્રમાં સુધારની સાથે તેમાં પણ સુધારો જોવા મળશે . સિન્ડિકેટ બેંક પંજાબ અને સિંધ બેંકની જેમ સિન્ડિકેટ બેંક પણ ખરીદવા જેવો મિડ કેપ શેર છે . આ શેરની સારી બાબત એ છે કે બેંકની નોન પરફોર્મિંગ એસેટ નિયંત્રણમાં છે અને પીએસયુ બેંક જેટલી ઉંચી નથી . બેંકની બુક વેલ્યુ પ્રાઇસ 0.6 ગણી જ છે , જો કે પ્રાઇસ અર્નિંગ રેશિયો 5 ગણો જેટલો આકર્ષક છે . જો આપ આ શેર્સને અત્યારે ખરીદશો તો તેનું ડિવિડન્ડ યિલ્ડ પાંચ ગણુ વધારે આવશે . અરવિંદ રેમેડીઝ ફાર્મા સ્ટોક્સ પૈકી એક અરવિંદ રેમેડીઝ એવો સ્ટોક છે જેનું મૂલ્ય ઓછું આંકવામાં આવ્યું છે . વર્તમાન સમયાં તેનો ભાવ 41 રૂપિયા ચાલી રહ્યો છે . વિશ્લેષકોની ધારણા અનુસાર ર્ષ 2017માં તે 1.6 ગણુ વળતર આપી શકે છે ." business,7માં પગાર પંચની ભલામણોને મંજૂરી આપ્યા પછી મોદી સરકાર કેન્દ્રીય કર્મચારીઓને એક ખાસ ભેટ આપવાનું વિચારી રહી છે . સુત્રોનું માનીએ તો કેન્દ્રીય કર્મચારીઓની ન્યૂનતમ સેલરી 18 હજારથી 21 હજાર કરવાનો વિચાર નાણાં મંત્રાલય કરી રહ્યું છે . આ પહેલા મોદી સરકારે 7માં પગાર પંચની ભલામણને મંજૂર કરીને કેન્દ્રીય કર્મચારીની ન્યૂનતમ સેલરી 18 હજાર કરવાનું નક્કી કર્યું હતું . જૂન મહિનામાં કેબિનેટ 7માં પગાર પંચની ભલામણોને મંજૂરી આપી હતી . આ સમયે નાણાં મંત્રાલયની તરફથી કેન્દ્રીય કર્મચારીઓનું ન્યૂનતમ વેતન 18 હજાર રૂપિયા કરવાનો પ્રસ્તાવ કરવામાં આવ્યો હતો . વિત્ત મંત્રાલયે 7th Pay commissionમાં 2.57 ટકા ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવાનો પ્રસ્તાવ રાખ્યો છે . જો કે મોદી સરકારની યોજના આ ફિટમેન્ટ ફેક્ટરને વધારવાનું વિચારી રહી છે . અને નાણાં મંત્રાલય પણ આ નિર્ણય પર મંજૂરી આપે તેવું લાગી રહ્યું છે . ભલે જ સરકારે 7માં પગાર પંચને મંજૂરી કરી દીધું હોય પણ કેન્દ્રીય કર્મચારીઓનું યુનિયન હજી પણ 3.62 ફિટમેન્ટ ફોર્મ્યૂલાની માંગણી કરી રહ્યું છે . મીડિયા રિપોર્ટ મુજબ નાણાં પ્રધાન અરુણ જેટલીએ પણ કેન્દ્રીય કર્મચારીઓનું ન્યૂનતમ વેતન 18 હજાર રૂપિયાની વધારવાનો વાયદો કર્યો છે . business,"ટપાલ વિભાગે આધુનિકીકરણ અને બેંકિંગ સેવા માટે ઇન્ફોસિસ , ટીસીએસ , સિફી અને રિલાયન્સ જેવી કંપનીઓ સાથે હાથ મિલાવ્યો છે . વિભાગ 31 ઓગષ્ટ , 2013 બાદ દેશના સાત રાજ્યોમાં 100થી વધારે એટીએમ ખોલીને આ દિશામાં પગલું ભરવા જઇ રહ્યુ છે . ઉલ્લેખનીય છે કે ભારતીય ટપાલ વિભાગમાં છેલ્લા અનેક વર્ષોથી બચત અને જમાની કેટલીક યોજનાઓ ચાલુ છે . હવે તે પોતાના ગ્રાહકોને તમામ પ્રકારની બેંકિંગ સુવિધાઓ આપવાની તૈયારી કરી રહ્યો છે . એક વાર બેંકિંગ સેવા શરૂ થયા બાદ ટપાલ વિભાગમાંથી પણ હવે લોકોને લોન મળી શકશે . આ માટે વિભાગ બેકિંગ લાયસન્સ મેળવવા માટેની પ્રક્રિયા હાથ ધરી છે . મહારાષ્ટ્ર સર્કલના મુખ્ય પોસ્ટમાસ્ટરે જણાવ્યું કે ટપાલ વિભાગ બેંક ખોલવાની સંપૂર્ણ તૈયારીમાં છે . વિભાગ દેશભરમાં 1.55 લાખ ટપાલઘરોથી બેંકિંગ જેવું કામ કરે છે , પણ લોનનું કામ થતું નથી . આથી બેંક ચલાવવામાં કોઇ મુશ્કેલી નહીં પડે . જલ્દી બેંકિંગ લાયસન્સ માટે અરજી આપવામાં આવશે . ભારતીય ટપાલ વિભાગની બેંકનું નામ પોસ્ટ બેંક હશે . પ્રાપ્ત માહિતી અનુસાર વર્ષ 2015 સુધીમાં ટપાલઘરોમાં કોર બેંકિંગ સુવિધા શરૂ થઇ જશે અને 2018 સુધી તમામ ટપાલઘરોમાં એટીએમ મશીન મૂકવાની યોજના છે . ટપાલ વિભાગ સામે સૌથી મોટો પડકાર આધુનિકીકરણનો હતો . જેના માટે 4700 કરોડ રૂપિયાનું વિઝન ઇન્ડિયા પોસ્ટ 2012 યોજના શરૂ કરવામાં આવી અને ખાનગી ક્ષેત્રની આઠ મોટી કંપનીઓને આધુનિકીકરણનું કામ સોંપવામાં આવ્યું છે . આ યોજના અંતર્ગત આર્થિક પ્રણાલીમાં સુધાર ( એફએસઆઇ ) ની જવાબદારી ઇન્ફોસિસને રૂપિયા 700 કરોડમાં આપવામાં આવી છે . કોર સિસ્ટમ ઇન્ટીગ્રેટર ( સીએસઆઇ ) નું કામ ટીસીએસને રૂપિયા 1100 કરોડમાં સોંપવામાં આવ્યું છે . ડેટા સિસ્ટમ અને નેટવર્કના કામમાં રૂપિયા 100 કરોડ ખર્ચવામાં આવશે . તેનો કોન્ટ્રાક્ટ રિલાયન્સને અપાયો છે . જ્યારે નેટવર્કનું કામ સિફીને સોંપવામાં આવ્યું છે . ટપાલ વિભાગ પોસ્ટ બેંક માટે અલગ કંપની બનાવશે . શરૂઆતમાં પ્રાયોગિક પરિયોજના અંતર્ગત સાત રાજ્યોમાં આ સુવિધાઓ આપવામાં આવશે . જેમાં રાજસ્થાન , આંધ્ર પ્રદેશ , તામિલનાડુ , મહારાષ્ટ્ર , અસમ અને દિલ્હીનો સમાવેશ થાય છે ." business,"ઓનલાઇન ટ્રાંજેક્શન દરમિયાન કોઇ વ્યક્તિ છેતરપીંડીનો શિકાર થયો હોય અને તેના ખાતામાંથી પૈસા નીકળી ગયા હોય તો તમે આ રકમ પાછી મેળવી શકો છો . આ માટે તમારે ત્રણ દિવસની અંદર ફરિયાદ કરવાની રહેશે . આરબીઆઇના નવા નિયમ મુજબ તમે અનઓથરાઇઝ્ડ ઇલેક્ટ્રોનિક બેંકિગ ટ્રાંજેક્શન દરમિયાન કોઇ ફ્રોડનો શિકાર હોય તો તમારે બેંકથી 3 દિવસની અંદર ફરિયાદ દાખલ કરી શકો છો . તમારી ફરિયાદના 10 દિવસની અંદર સંબંધિત રાશિ તમારા ખાતામાં ક્રેડિટ કરી દેવામાં આવશે . પણ જો તમે એવું નથી કરતા , અને 3 દિવસમાં ફરિયાદ નથી આપતા તો તમારે 25,000 રૂપિયા સુધીનું નુક્શાન પોતે વેઠવું પડશે . આ મામલે બેંક તમારી કોઇ સહાયતા નહીં કરી શકે . ઇલેક્ટ્રોનિક બેંકિગ ટ્રાંજેક્શન દરમિયાન ગ્રાહકોના નિયમને લઇને આરબીઆઇએ કહ્યું કે બેંક એકાઉન્ટ અને કાડર્સથી અનઓથરાઝડ ડેબિટના નવા મામલા દાખલ થતા આ નિર્ણય લેવામાં આવ્યો છે . આરબીઆઇ મુજબ થર્ડ પાટી બ્રીચના કારણે તમારા પૈસા ફસાયા હોય તો તેની જવાબદારી બેંક લેશે . જો બેકિંગ સિસ્ટમમાં ચૂક થઇ હોય અને તે કારણે તમારા પૈસા ફસાતા હોય તો બેંક તેની જવાબદારી લેશે . આરબીઆઇ મુજબ ગ્રાહક 7 દિવસો પછી કોઇ પણ પ્રકારની છેતરપીંડીની જાણકારી આપે છે તો બેંકના નિયમ મુજબ તે અંગે નિર્ણય લેવામાં આવશે ." sports,"સ્પોટ ફિક્સિંગનો મામલો પતવાને બદલે તુત પકડો જઇ રહ્યો છે . આ મામલામાં સતત બીસીસીઆઇ અધ્યક્ષ શ્રીનિવાસનનું રાજીનામું માગવામાં આવી રહી છે . જેમાં આઇપીએલ કમિશ્નર અને બીસીસીઆઇ ઉપાધ્યક્ષ પણ સવાલોના ઘેરામાં છે . રાજીવ શુક્લાનું આ નિવેદન સાબિત કરે છે કે આઇપીએલ સ્પોટ ફિક્સિંગ મામલામાં ભલે તેમને કઇ ખબર ના હોય પરંતુ સટ્ટેબાજીના કાળા ધબ્બાએ આઇપીએલ કમિશ્નરને પણ દાગી બનાવી દીધા છે . આ પહેલા રાજીવ શુક્લાએ જણાવ્યું કે જેટલીની સાથે તમામ મુદ્દાઓ પર વિસ્તારથી વાત થઇ . સાથે જ તેમણે કહ્યું કે તપાસ પ્રક્રિયાથી બીસીસીઆઇ અધ્યક્ષ શ્રીનિવાસનને અલગ રહેવું જોઇએ . શુક્લાએ કહ્યું કે તેમણે પોતાની સલાહ આપી દીધી છે , હવે તેને માનવું શ્રીનિવાસન પર નિર્ભર છે . તેમણે એ પણ જણાવ્યું કે તપાસ સમિતિની ભલામણને મોકલવાની કોઇ જરૂરીયાત નથી . ભલામણ સીધી રીતે લાગૂ થાય ." entertainment,"સેક્સી સુપરસ્ટાર નેહા પોડસે ' મેં આઈ કમ ઈન મેડમ ' સિરિયલ ઘ્વારા ઓળખ મેળવી ચુકી છે . બિગ બોસ 12 ઘ્વારા તેની લોકપ્રિયતાને ચાર ચાંદ લાગી ગયા . હાલમાં નેહા તેના કોઈ પ્રોજેક્ટ અંગે નહીં પરંતુ બોલ્ડ ફોટોને કારણે ચર્ચાનો હિસ્સો બની છે . નેહાએ ઇન્સ્ટાગ્રામ પર પોતાની સેક્સી ફોટો પોસ્ટ કરી છે , જે ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહી છે . આપને જણાવી દઈએ કે નેહા ઘણીવાર ઇન્સ્ટાગ્રામ પર બોલ્ડ પોલ ડાન્સ વીડિયો અપલોડ કરી ચુકી છે . પરંતુ બિગ બોસના ઘરમાં તેના પોલ ડાન્સે ઘરથી લઈને બહાર બધાને ચકિત કરી દીધા હતા . નેહાને પોતાના કરિયરમાં ઘણી સમસ્યાનો સામનો કરવો પડ્યો છે . નેહાએ વર્ષ 1990 દરમિયાન ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે ડેબ્યુ કર્યો હતો . એટલું જ નહીં પરંતુ પોતાના કરિયરમાં ઘણા ઉતાર - ચઢાવ દરમિયાન તે કાસ્ટિંગ કાઉચનો શિકાર પણ થઇ ચુકી છે . કરિશ્મા તન્નાએ બાથટબમાં કરી આવી હરકત , તસવીરોએ સનસની મચાવી નેહાને પોતાના કરિયરની શરૂઆતમાં ઘણી સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો . પોતાના વધતા વજનને કારણે નેહાની ઘણી આલોચના પણ કરવામાં આવી હતી . બિગ બોસ 12 માં તેનો સફર પણ કંઈક ખાસ રહ્યો ના હતો . નેહાના ફેન્સ તેનાથી ખુબ જ નિરાશ પણ થયા . નેહાની વાયરલ ફોટો જોઈને તમે પણ સમજી જશો કે નેહા કોઈ બોલિવૂડ સ્ટારથી બિલકુલ પણ ઓછી નથી . નેહાની વાયરલ ફોટો પર એક નજર કરો . ." entertainment,બૉલીવુડના જાણીતા અને બદનામ એક્ટર શક્તિ કપૂર આ વખતે સમાચારમાં છવાયેલા છે . તાજેતરમાં જ એમની ફિલ્મ જર્ની ઑફ કર્માનું ટ્રેલર સામે આવ્યું છે . રિલીઝ થતા જ આ ટ્રેલરે સૌકોઈને ચોંકાવી દીધા છે . આ ટ્રેલરમાં 66 વર્ષના શક્તિ કપૂર 26 વર્ષ નાની પૂનમ પાંડે સાથે રોમેન્સ કરતા જોવા મળી રહ્યા છે . આ ફિલ્મમાં તેમણે 40 વર્ષ નાની એક્ટ્રેસ સાથે બૉલ્ડ સીન આપ્યા છે . તેમના આવા જ એક સીનની ઝલક ફિલ્મના ટ્રેલરમાં પણ જોવા મળી છે . જણાવી દઈએ કે પૂનમ પાંડે હંમેશા પોતાની બૉલ્ડ અને હૉટ તસવીરોને કારણે ચર્ચામાં રહે છે . પૂનમ પાંડેએ પોતાની પહેલી ફિલ્મ નશામાં પણ કંઈક આવું જ કારનામું કરતી જોવા મળી છે . ઉપરાંત આ એક્ટ્રેસ પોતાની બિકીની અને ટૉપલેસ તસવીરો શેર કરવા માટે હંમેશા ચર્ચામાં રહે છે . business,"નવી દિલ્હીઃ નવી જીડીપી શ્રૃંખલા મોદી સરકારનો વિકાસ દર યૂપીએથી વધુ છે . જી હાં , રાષ્ટ્રીય નમૂના સર્વેક્ષણ કાર્યાલયે નરેન્દ્ર મોદી સરકાર અંતર્ગત ભારતના જીડીપી શ્રૃંખલાની ગણતરી કરવા માટે ઉપયોગમાં લેવાયેલ કોર્પોરેટ મામલાના મંત્રાલયમાં ખામિઓ ઢૂંઢી લીધી છે , જે તાજા આંકડાઓ અંતર્ગત વિવાદાસ્પદ આંકડા લાવે છે . જણાવી દઈએ કે 2015માં મોદી સરકારે 2004 - 2005થી 2011 - 2012 સુધી જીડીપી ગણતરી માટે આધાર વર્ષને સંશોધિત કર્યું હતું . જેનાથી પૂર્વવર્તી યૂપીએ પ્રશાસનના વિકાસના અનુમાનમાં મહત્વપૂર્ણ ઘટાડો આવ્યો હતો . જ્યારે જૂની શ્રૃંખલા 2010 - 11 માટે વૃદ્ધિના અનુમાન લગાવ્યા હતા . ભારતીય અર્થવ્યવસ્થા દ્વારા પ્રાપ્ત ઉચ્ચતમ 10.26 ટકા , સંશોધિત આધાર વર્ષે આને ઘટાડી 8.5 ટકા કરી દીધું . જણાવી દઈએ કે જીડીપી શ્રૃંખલા કેન્દ્રીય સંખ્યિકી કાર્યાલય , સરકારી એજન્સી દ્વારા તૈયાર કરવામાં આવે છે જે તમામ સાંખ્યિકીય ગતિવિધિઓનું સમન્વય કરે છે . ખાનગી કોર્પોરેટ ક્ષેત્ર માટે ભારતીય જીડીપી શ્રૃંખલા એ ભારતીય રિઝર્વ બેંક દ્વારા કરવામાં આવેલ કંપનીઓના સર્વેક્ષણ પર નિર્ભર કરે છે . કોર્પોરેટ મામલાના મંત્રાલય દ્વારા બનાવવામાં આવેલ એમસીએ - 21 ડેટાબેઝને નિયોજિત કર્યું છે જેમાં એક સૂચી રજિસ્ટર્ડ કંપનીઓની પણ સામેલ છે . જો કે પર્યાપ્ત ડેટાબેસના ઉપયોગ વિશે શરૂઆતથી જ સવાલો ઉઠાવવામાં આવ્યા છે , જેનાથી આ ડેટાની વિશ્વસનીયતા પર ચિંતા વધી રહી છે . જો કે જણાવી દઈએ કે આ તર્ક બુધવારે ઘટતો જણાયો હતો . જ્યારે મિંટે દાવો કર્યો હતો કે એનએસએસઓએ સેવા ક્ષેત્રના ઉદ્યમોનો તાજેતરના રિપોર્ટમાં જોયું હતું કે એમસીએ - 21ના નમૂનામાં પસંદ કરવામાં આવેલ એક તૃતિયાંશથી વધુ કંપનીઓને ખોટી રીતે વર્ગીકૃત કરવામાં આવી હતી . Jio એ ફરીથી કર્યો ધમાકો , હવે એક રીચાર્જમાં 3 મહિના માટે બધું જ FREE" business,"દરરોજ દિવસ દરમિયાન આપણા કાનો પર બે શબ્દો એકવાર અવશ્ય અથડાય છે . સેન્સેક્સ અને નિફ્ટી . બધા જાણે છે કે આ બે શબ્દો શેર બજાર સાથે સંકળાયેલા છે . પણ આ બે વચ્ચે શું તફાવત છે તે સામાન્ય લોકો કદાચ નથી જાણતા . અહીં અમે આપને બંને વચ્ચેના મુખ્ય તફાવત અંગે જણાવીશું . આ બંને શેરબજારના સૂચકઆંકો છે . સેન્સેક્સની સરખામણીએ નિફ્ટી વધારે વ્યાપક છે . નિફ્ટીની સરખામણીએ સેન્સેક્સ વધારે જૂનો સૂચકઆંક છે કારણ કે બોમ્બે સ્ટોક એક્સચેન્જ ભારતનું સૌથી જુનું શેરબજાર છે . જ્યારે નિફ્ટીની સ્થાપના વર્ષ 1990માં કરવામાં આવી હતી . સેન્સેક્સમાં ફ્રી ફ્લોટ માર્કેટ કેપિટલાઇઝેશન પદ્ધતિથી કામ કરે છે . આનો અર્થ એ થયો કે શેર્સનો ફ્રી ફ્લોટ ઉપયોગમાં લેવામાં આવે છે . સેન્સેક્સ અને નિફ્ટીમાંથી વધારે લોકપ્રિય કોણ ? આ કહેવું મુશ્કેલ છે કારણ કે તેનો આધાર વ્યક્તિ કયો ઇન્ડેક્સ ટ્રેક કરે છે તેના પર રહેલો છે . નાના છુટક રોકાણકારોમાં સેન્સેક્સ વધારે લોકપ્રિય છે . જ્યારે વિવિધ રિપોર્ટિંગ એજન્સીઓ , ઇન્વેસ્ટમેન્ટ હાઉસીસ બંનેને ટ્રેક કરે છે . સેન્સેક્સ વધારે જૂનો છે તેનો અહીં ફેર પડે છે . જ્યારે જે લોકો વધારે વ્યાપક રીતે હલચલને જાણવા માંગે છે , ખાસ કરીને ફ્યુચર માર્કેટ માટે તેઓ નિફ્ટીને ટ્રેક કરે છે ." sports,"ટી20 વર્લ્ડકપ 2016 માં ટીમ ઇન્ડિયા અને પાકિસ્તાન વચ્ચેના રોમાંચક મુકાબલામાં ટીમ ઇન્ડિયા વિજય રહ્યું અને પાકિસ્તાનને હારનો સામનો કરવો પડ્યો છે . પાકિસ્તાનની હારથી પાકિસ્તાનના લોકોની સાથે સાથે ભૂતપૂર્વ ખેલાડી શોએબ અખ્તર પણ ખુબ જ ગુસ્સે છે . પાકિસ્તાન ની હારનો તેમના પર એવો અસર થયો કે એક લાઈવ શો દરમિયાન તેઓ ગુસ્સે થઇ ગયા હતા . આખા વિશ્વમાં રાવલપીંડી એક્ષ્પ્રેસથી ઓળખાતા શોએબ અખ્તરનો ગુસ્સો મેચ બાદ સાતમાં આસમાને પહોચી ગયો હતો . ખરેખર મેચ બાદ ટીવીમાં મેચ ના સારા અને ખરાબ પાસા વિશે ચર્ચા કરવામાં આવતી હતી . ચર્ચા દરમિયાન ટીવી એન્કરે મોકા મોકા ની વાત છેડી દીધી . સવાલ દરમિયાન જયારે ટીવી એન્કર મોકા મોકા પર હસવા લાગ્યા ત્યારે શોએબ અખ્તર ગુસ્સે થઇ ગયા હતા શોએબ અખ્તરે જયારે ગુસ્સામાં એન્કર ને પૂછ્યું કે "" આપ હંસે કયું "" . વાત એટલી વધી ગઈ કે ખુદ કપિલ દેવે વચ્ચે પડવું પડ્યું હતું તો જુઓ પાકિસ્તાન ની હાર પર શોએબ અખ્તરનો ગુસ્સાનો વીડિયો . . . ." sports,"કહેવાય છે એક સફળ પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે , પછી તે માતા , દીકરી , પુત્રી કે પત્ની જ કેમ ના હોય . વાત થઇ રહી છે ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીની . તેની સફળતા પાછળ તેની બાળપણની મિત્ર અને પત્ની સાક્ષી ધોનીનો હાથ એટલે કે સાથ સહકાર છે . સાક્ષી ધોનીની હાર અને જીત બંને માટે તેની પડખે ઉભી રહે છે , અને કદાચ એટલે જ ધોની હાલમાં એક સફળ કપ્તાન છે . ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીએ પરિવારના સભ્યો અને નિકટના મિત્રોની હાજરીમાં 4 જુલાઈ 2010ના રોજ દેહરાદૂનમાં ખૂબ જ ખાનગી કાર્યક્રમમાં પોતાની બળપણની મિત્ર સાક્ષી રાવત સાથે પ્રભુતામાં પગલાં માંડ્યા હતા . ભારતીય ક્રિકેટના નાયક બનેલા ધોની એટલે કે માહીએ પોતાના 29માં જન્મદિવસના ત્રણ દિવસ પહેલા પોતાની 23 વર્ષીય મિત્ર સાક્ષીને પોતાની જીવનસંગીની બનાવી . આ લગ્ન પ્રસંગને ખૂબ જ ગુપ્ત રાખવામાં આવ્યો હતો અને સમગ્ર કાર્યક્રમ દેહરાદૂનના જંગલો વચ્ચે વિશ્રાંતિ ફાર્મહાઉસમાં સંપન્ન કરવામાં આવ્યો હતો . ત્યારબાદથી માહીએ પાછળ વળીને નથી જોયું અને ધોનીની દરેક સફળતાઓની તેની પત્ની ' સાક્ષી ' રહી છે . સાક્ષી વિશે એવું પણ કહેવાય છે કે તે જ્યારે સ્ટેડિયમમાં હાજર હોય છે ત્યારે ધોની માટે લકી સાબિત થાય છે . આઇપીએલની મોટાભાગની મેચમાં સાક્ષીની હાજરી રહી છે , અને જ્યારે સાક્ષી સ્ટેડિયમમાં હાજર હોય છે ત્યારે ધોનીના બેટમાં જાણે પાવર આવી જતો હોય તેવું તેનું પ્રદર્શન રહે છે . ધોનીના નેતૃત્વવાળી ટીમ ચેન્નાઇ સુપર કિંગ્સે અત્યાર સુધી 15 મેચમાંથી 11 મેચમાં જીત મેળવી છે , અને પોઇન્ટ ટેબલમાં 22 પોઇન્ટ સાથે નંબર વનની પોઝિશન પર છે . માહીની સફળતાની ' સાક્ષી ' પર એક નજર . . ."